SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાંગ à શીલા વ—આ શીલાંગો તે તા.મોટા સમુદ્ર સાથે સરખાવવા યોગ્ય છે. જેમ મોટા સમુદ્રના ખીજો કાંઠો બહુ દૂર લાગે અને ઘણેા ખરા દેખાય જ નહુિ અને તેને પ્રાપ્ત કરવા મુશ્કેલ છે તેમ આ શીલાંગેાના કાંઠો પ્રાપ્ત કરવા ઘણે મુશ્કેલ છે, પણ એ અશકય નથી. તેને માટે ચીવટ રાખવામાં આવે અને સાચી દોરવણી આપનાર યાગ્ય ગુરુ મળે તે તેને પાર પણ પમાય તેમ છે. એથી એ શકય વસ્તુ માટે ચેગ્ય ઉદ્યમ કરવા. સ‘વિગ્ન—એટલે સુસાધુ. જેઓને ત્યાગ ખરેખરે છે, જેએ કોઇ જાતના વાહનના ઉપયોગ કરતા નથી, જેએ પગે જોડા પહેરતા નથી, જેને ધરબાર કે કોઈ વસ્તુને માહ હોતા નથી, જેમના વખત શુભ ધ્યાનમાં જ અથવા વિશુદ્ધ ક્રિયામાં જ જાય છે, તે જ આ શીલાંગના અધિકારી છે, પણ શ્રાવકો અથવા અન્ય માક્ષમા ઈચ્છુકો તેની ભાવના કરે, તેને આદર્શ સ્થાને રાખે તેમાં કોઈ જાતના વાંધા નથી. સુગમ—સુપ્રાપ્ય. જલ્દી પ્રાપ્ત થઈ જાય તેવે। આ શીલાંગેાના માર્ગ છે. સાધુઓને અને ખાસ કરીને જેમણે 'તઃકરણથી ત્યાગ કર્યો હેાય તેમને આ શીલાંગે સહેલાઈથી સુપ્રાપ્ય છે. તેઓ જો સાચા હૃદયથી એની આસેવના કરે તે તેને રસ્તે તે અગાઉથી જ મળી ગયેલા છે. અને સાચા માર્ગ મેળવવાની જ ખરી મુસીબત છે. રસ્તા જો સાચા મળી જાય તે પછી ગાડુ ચીલે. ચઢી જાય છે. નહિ તે ફાંફા મારવા પડે છે. કેટલીક વાર ઊલટો માગ મળે તે પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ થઈ જાય છે. ધધ્યાન—આ ધર્મધ્યાનના ઘણા પેટા વિભાગે છે. તે આવતા પ્રકરણને વિષય હાવાથી તેની ત્યાં ચેગ્ય સ્થળે ચર્ચા કરીશું. અહી તે માત્ર એટલું જ કહેવાનું કે જેને સાચા માર્ગ સાંપડચો હાય તે ધર્મધ્યાનમાં આતપ્રેત થઈ જાય છે અને તેની નજરે તે આ સંસાર એક કારાગૃહ જેવા જ લાગે છે. વૈરાગ્ય-વિરાગને ભાવ. એને આ સંસાર આખા સાર વગરના દેખાય; એને મનમાં આ સંસાર તરફ ઉદાસીનતા લાગે; એમાંથી કયારે નાસી છૂટું એવું હૃદયમાં રહ્યા કરે અને એ કાઈ સાંસારિક કામ તાદાત્મ્ય સંબંધે ન કરે. તેનું ચિત્ત તે એના તરફ ઉદાસીન હાય. માગ સ્ય—એને બદલે કોઈક પ્રતમાં વારણ્ય પાઠે છે અને ટીકાકારે તે ચર્ચ્યા છે. પણ પાલ્ય વાર.. એવા પાઠ કરતાં માચાર' મને વધારે ઠીક લાગે છે. ચેાગ્ય—એ વૈરાગ્યનું વિશેષણુ છે. ઉચિત એવા તેના અર્થ ટીકાકારે બેસાડયો છે. મને તો તે પાદપુરણાથે જ લાગે છે. માત્રા પૂરી કરવા તે શબ્દ લખ્યા હાય એમ મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy