SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કાયા અને વિષયો ૧૫૧ શાસ્ત્રાર્ ભ——શાસ્ત્ર ભણવા-ભણાવવાની શરૂઆત કરવી તે. તેના બધા આધાર ગુરુ ઉપર રહે છે. બનારસ (કાશી) પદ્ધતિએ ગુરુની સેવા કરે, તેને શાકપાંદડું લાવી આપે, તે ઉપર ઘણા આધાર રાખે છે. એમ હાવું જોઈએ કે નહિ તે વિચાર કરવાના આ વખત નથી, પણ પાઠયપેાથીના યુગમાં ગુરુમહારાજ ભણાવે તે જ વિદ્યા ચઢે અને ટકે તેમ હતું. ગુર્વાયત્તા-ગુરુ ઉપર આધાર રાખનારી ચીજ છે. તેમની આપેલી અને તેમના આશીર્વાદથી વિદ્યા મળે અને ચઢે. ગુરુ ઉપરની પરાધીનતાને હિંદે–ભારતે કદી પરાધીનતા ગણી નથી, એ તે ઊલટું ઘણું લાયક કામ ગણાતું. અને વિનયી શિષ્યા વિદ્યાનું મૂલ્ય પેાતાના વિનયધમ થી સારી રીતે અભ્યાસકાળમાં જ વાળી આપતા. નવા યુગમાં તે જરા પરાધીનતા લાગે, પણ હિં'ની ભાવના શુર્વાયત્તતામાં કદી પરાધીનતા માનવાની હતી જે નહિ અને ગુરુ અને કદી પરાધીનતા ગણતા જ નહિ. આ શિક્ષણના આધાર શિષ્યના વિનયધમ પર છે. અને તે માટે જ વિનીતનેા ખીજો અથ વિનયી શિષ્ય થાય છે, જે આ વિનયગુણુમાં પરાધીનતા માને છે તે પેાતાનું આત્મહિત અથવા પરમહિત સાધી શકતા નથી અને 'તે હેરાન થઈ પેાતાની ઉપર આધાર રાખનારને પણ હેરાન કરે છે. હિતકાંક્ષી—જેને પેાતાનું સારું અને ઉપર જણાવ્યું તેવું હંમેશનું હિત સાધવાની આકાંક્ષા, ઇચ્છા હાય તેણે .વિનીત–વિનયી શિષ્ય થવું જોઈએ. સ્થાયી હિત સાધી લેવાની અને મનખાજન્મ સફળ કરવાની આ ચાવી છે, તે ભૂલવા જેવી, વીસરવા જેવી અથવા એન્રરકારીથી ફેંકી દેવા જેવી નથી. એ વાતમાં ખૂબ રહસ્ય છે અને પેાતાનું હિત કરનાર અને તે માટે ચીવટ રાખનારની ફરજ છે કે તેણે પોતાનું જે હિત સાધવું હોય અને આ પ્રાપ્ત થયેલા મનુષ્યદેહને ફળવાન કરવા હાય તો તેણે શુરુઆરાધનાત૫ર થવું. એમ જે તત્પર થશે તે સુખી થશે અને પેાતાનું પરમહિત સાધી અંતે માક્ષે જશે. આ ચાવી છે, ખળ હાય તેણે તેના ઉપયાગ કરવા. (૬૯) ગુરુનું વચન નસીબદારને મળે— धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी | . गुरुवंदन मलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥७०॥ અથ——ભાગ્યશાળી માણસાને જ અહિત કરનાર (હિત ન કરનાર) આચારેને આલવી નાંખનાર ગુરુમહારાજને સુંદર વચનરસ મળે છે, કે જે મલયાચલથી નીકળેલ સુખડના સ્પર્શ ધરાવે છે. (૭૦) વિવેચન-ભાગ્યવાનનસીબદાર માણસને આવા શાંત સ્પર્શના સંચાગ થાય છે. એ વચન નિષ્કારણ નથી હેાતાં, પણ આત્માને હિત ન કરે તેવા આચરણુ રૂપ અગ્નિને ઓલવી નાખવા અને સુખડ જેવી શીતલતા આપવા હેાય છે. તે નસીબદાર-ભાગ્યવાન પ્રાણીને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy