SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે. એટલે પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૂર્વવતી ગ્રંથ માન જરૂરી છે. પ્રજ્ઞાપનાના કર્તા અને એમને સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તે કયાંય તેના કર્તાને નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી બે ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં આર્ય શ્યામાચાર્યને કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમયપૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય. આચાર્ય મલયગિરિએ તે તેમને વિષે “મવાનું આશ્વાનો વિ રૂથમેવ સૂત્ર રવત્તિ' (ટીકા, પત્ર ૭૨) “મવાનું થાઃ વદતિ” (ટીકા, પત્ર ૪૭), “સર્વેલા પ્રાવીનસૂરીનાં મતાને મળવાનું કાર્યરામ ૩દિવા” (ટીકા, પત્ર ૩૮૫), “મવાળામuતવત્તી” (ટીકા, પત્ર ૩૮૫)૨૩ ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી પણ ફલિત થાય છે કે આ શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વશ્રુતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે. નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામે આપ્યાં છે તેમાં ૧૧ મું નામ “યંતિ: હારિj ૨ સાળં'-એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રતાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટને નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાય સુધીનાં નામો વિષેની કોઈ નેંધ નથી. ૩૩. આ ઉલ્લેખની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૧૩૫ માં પ્રજ્ઞાપના વિષેની તેમની ટિપ્પણીમાં નોંધ લીધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy