SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીને કહવાની પ્રજા ગુરુ ગૌતમસ્વામી ભગવાન પણ ભક્તને વશ થયા વગર ન રહે. ભગવાન મહાવીરને પણ પિતાના પ્રથમ શિષ્ય અને ગણધર ઇંદ્રભૂતિ ગૌતમ તરફ આ જ આત્મીયતાભ ભાવ હતે. જન્મજન્માંતરને સ્નેહસંતુ આ અંતિમ ભવે જાણે ચરમ સીમાએ પહોંચ્યું હતું. અને આ અંતિમ ભવે બંને એવા સ્થાનમાં જઈ પહોંચવાના હતા કે જ્યાંથી ક્યારેય બીજે જવાનું, પાછા ફરવાનું અને વિખૂટા પડવાનું ન હતું. તેથી જ ભગવાને પોતે કહ્યું હતું કે— “મરણ પછી–શરીરને નાશ થયા બાદ–અહીંથી વી આપણે બંને સરખા, એકાW (—એક પ્રજનવાળા અને એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા), વિશેષતા અને ભેદ રહિત થઈશું.” મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચે ભગવાન અને ભક્ત જે આ એકરંગી, અખંડ અને નિર્મળ ધર્મનેહ પ્રવર્તતે હેવાથી, શ્રમણ ભગવાન મહાવીરને જ્યાં ક્યાંય અને જ્યારે પણ ધર્મકાર્ય માટે પિતાને સંદેશવાહક મેકલવાની જરૂર પડતી ત્યારે તેઓ ગૌતમસ્વામીને એ કામ સોંપતા. ગૌતમસ્વામી પણ પ્રભુને આ વિશ્વાસ મેળવવા બદલ પિતાની જાતને કૃતાર્થ માનીને આલાદથી એ કામ કરતા. - ભગવાન જ્યારે દિવસના પહેલા પ્રહરે પિતાની ધર્મદેશના પૂરી કરતા ત્યાર પછી ગૌતમસ્વામી, ભગવાનની પાદપીઠ ઉપર બેસીને, બીજા પ્રહરે દેશના આપતા અને પ્રભુને ધર્મસંદેશ સોને સરળતાથી સમજાવતા. ગુરુ ગૌતમ ભગવાનના આદર્શ સંદેશવાહક અને આદર્શ શિષ્ય હતા. અને– ગૌતમસ્વામી જેમ એક આદર્શ શિષ્ય હતા, એવું જ એમનું ગુરુપદ પણ આદર્શ હતું. એ ગુરુ જેવા શરીરથી પ્રભાવશાળી હતા, એવા જ જ્ઞાનથી પણું પ્રભાવશાળી હતા અને એમના સ્વભાવને પ્રભાવ તે જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy