SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ . ભગવાનનું આશ્વાસન : હતા, તે સતએ વધુ પાંચ - ભગવાન મહાવીર તે અંતર્યામી હતા. એ મનના ભાવે અને વિશ્વના અને સ્પષ્ટ રૂપે જાણી શકતા. એટલે મેક્ષની તીવ્ર ઝંખનામાંથી જાગેલ ગૌતમની ચિંતા, વિમાસણ અને નિરાશાથી તેઓ જરાય અજ્ઞાત ન હતા. સાથે સાથે ગૌતમ આ ભવે જ મોક્ષ પામવાના છે, એની પણ એમને ખાતરી હતી. વળી, ભગવાન એ પણ જાણતા હતા કે ગાગલી અને તાપસના કેવળજ્ઞાન જેવા પ્રસંગેથી ગૌતમના અંતરને જે આઘાત પહોંચ્યા હતે, તે સરવાળે એમના લાભ માટે જ પુરવાર થવાને છે. અને એ દ્વારા તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનીને પોતાના દયેયની વધારે ને વધારે નજીક પહોંચવાના છે. છતાં એમનું કરુણાસાગર અંતર કહેતું હતું કે ગૌતમને વિષાદ દૂર કરવા. કંઈક કરવું જોઈએ. ભગવાને કહ્યું: “ગૌતમ! તીર્થ કરેનું વચન સાચું હોય કે દેવનું ?' ગૌતમ “તીર્થકરનું.” : ભગવાન? “તે જાણે કે તમે આ ભવે જ મોક્ષે જવાના છે, માટે જરા પણ અધીરા બનશે નહીં, ને શંકા સેવશે નહીં.” ગૌતમ, જાણે અમૃત રસ પીવા મળે હેય એમ, પ્રભુની વાણીને ભક્તિથી સાંભળી રહ્યા અને અંતરમાં સ્વચ્છતા, શાંતિ અને સંતોષનો સુભગ ત્રિવેણીસંગમ અનુભવી રહ્યા. ત્રિકાળજ્ઞાની ભગવાન પોતે ખાતરી આપે એના કરતાં વધારે પાકી ખાતરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy