SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી આ બે જીવોને આ ભવમાં ત્રીજા જીવ ધીસખા મંત્રી સાથે મેળાપ થયે. એ જ ભાવી નિગ્રંથ પિંગલક મુનિઃ સ્કંદકને અઘરા પ્રશ્નો પૂછીને એ પરિવ્રાજકને ભગવાન મહાવીર પાસે મોકલવાનું નિમિત્ત બનનાર સાધુ. ત્રણે જીવો, પાપ-પુણ્યના પડછાયાથી મુક્ત થવા, ભગવાન તીર્થકરના સંયમમાગનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા લાગ્યા. ત્રણે દેવકમાં અને ત્યાંથી મનુષ્યલોકમાં સંયમની સ્વચ્છ સરિતામાં ત્રણે જેનાં મન પાપમળથી મુક્ત બની નિર્મળ બનવા લાગ્યાં; અને એમણે જેટલી નિર્મળતા સાધી, એનું ફળ એમને તરત મળ્યું ઃ ત્રણે જ પિતાની પુણ્યપ્રકૃતિના બળે આઠમે દેવલેક પામ્યા. - દેવભવનું આયુષ્ય પૂરું થયું એટલે વેગવાનને જીવ ગેબર ગામમાં વસુભૂતિ વિપ્રની પત્ની પૃથ્વીના પુત્ર ઈન્દ્રભૂતિ ગૌતમરૂપે બ્રાહ્મણકુળમાં અવતર્યો; ધનમાલાને જીવ સંવર ગામમાં સિદ્ધ રાજાની સમૃદ્ધિ પાણીની કુક્ષિથી ઔદક કાત્યાયન નામે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયે; અને ધીસખા મંત્રીને જીવ ચંપા , નગરીમાં તિલક શ્રેષ્ઠીને ત્યાં શીલવતીની કુક્ષિથી પિંગલક નામથી વશ્યકુળમાં અવતર્યો. જાણે ત્રણ મિત્રોએ આ ભવમાં પોતપોતાના જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને ત્રિવેણીસંગમ સાથે ! અને... અને આ ત્રણેને ભાગ્યગ પણ કે જૂની નેહગાંઠથી બંધાયેલા એ ત્રણે જીવે, આત્મભાવથી રંગાઈને, છેવટે ભગવાન મહાવીરના ભિક્ષુસંઘમાં ભળી ગયા ! સ્કંદક પરિવ્રાજકના આગમનના સમાચાર કહેતાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે કહેલું કે “હે ગૌતમ! આજે તું તારા એક પૂર્વના ઓળખીતાને ઈશ-મળીશ”—એ આ પાંચ ભવેના સંબંધને જાણીને જ કહ્યું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy