SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર C ૮૩ જૈન દર્શનના જીવવિકાસના સિદ્ધાન્તના આધારે આઠમું ચંદ્રપ્રભુનું સ્તવન રચ્યું છે. સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી વિકાસ સાધવા છતાં જિનદર્શન પ્રાપ્ત થયું નહીં એનો સંતાપ તેમજ જિનદર્શન માટેનો તલસાટ સ્તવનમાં કાવ્યમય રીતે પ્રગટ કર્યો છે. – હવે તેમના જેવા મહાન મર્મીની કલમે જ અવતરે એવા અને ભારતની પ્રજાએ તથા વિશેષતઃ શ્રેયાર્થીઓએ હૃદયે ધરવા જેવા એક પદનો નિર્દેશ કરીશ. તે પદનો ભાવાર્થ આ પ્રમાણે છે – હૈ માડી, મને કોઈએ નિષ્પક્ષ' ન રહેવા દીધી, અર્થાત્ પક્ષાપક્ષી અને સાંપ્રદાયિકતાથી પર ન રહેવા દીધી, નિષ્પક્ષ રહેવા હું ઘણું ઝૂઝી, પણ પક્ષવાદીઓએ પકડ ઢીલી ન કરી. જોગીએ મને જોગણ કરી, તિએ જતિણી કરી, ભગતે ભગતાણી કરી. કોઈએ મારી પાસે રામરટણ કરાવ્યું, કોઈએ રહેમાનરટણ કરાવ્યું અને કોઈએ અરિહંતના પાઠ પઢાવ્યા. જુદેજુદે ઘેર તે-તે ઘરના ધંધે હું લાગી. આત્માની સાથેનો યોગ ક્યાંય ન રહ્યો. કોઈએ મારું મુંડન કરાવ્યું, કોઈએ મારો લોચ કરાવ્યો, કોઈએ મારી જટા વધારાવી. પણ ભાવનો ભાવુક કોઈ મેં ન દીઠો. કોઈએ અંતરનું દર્દ ન મટાડ્યું. કોઈએ મને બેસાડી, કોઈએ ઊઠાડી, કોઈએ ચલાવી, કોઈએ ઊભી રાખી અને કોઈએ સુવાડી. પરંતુ કોઈએ સતની ભાળ ન આપી. સબળ નિર્બળને દબાવી રાખે છે, સમર્થ જ સમર્થ સાથે બાથ ભીડી શકે. હું તો રહી અબળા, બળુકા જોદ્ધાઓ સામે હું શું કરી શકું ? એ સૌએ મારું જે-જે કર્યું કે મારા પાસે જે-જે કરાવ્યું એ બધું કહેતાં હું લાજી મરું છું. થોડામાં ઘણું સમજી લેજો. હવે મને સમજાયું કે ઘર જેવું બીજું કોઈ તીરથ નથી. મારા પર શી-શી વીતી એ કહેવા જાઉં તો એ બધા મારા પર રોષે ભરાય. એટલું જોર મારું છે નહીં. હે પ્રિયતમ, તું મારો હાથ પકડે તો પછી બીજાઓનું કંઈ ન ચાલે.' અબળાભાવે લખેલું આ પદ અત્યંત દર્દભર્યું છે. પાખંડી સંતો, મહાત્માઓ શિષ્યને કેવી રીતે મૂંડે છે, ખરાબ દશામાં મૂકી દે છે તેનું આબેહૂબ વર્ણન આનંદઘનજીએ અહીં કર્યું છે. ખરા સાધકે પંથો અને સંપ્રદાયોની પકડમાંથી છૂટવાનું અત્યાવશ્યક છે. એણે સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠવું જોઈએ. બિનસાંપ્રદાયિકતાને વરેલા રાષ્ટ્ર માટે પણ આ પદ માર્ગદર્શક છે. આશરે વિ.સં.૧૭મી સદી ઉત્તરાર્ધથી ૧૭૪૩ના સમયગાળામાં થયેલા ઉપાધ્યાય યશોવિજયજી મહાન દાર્શનિક અને તાર્કિક હતા. વિદ્યાધામ કાશીમાં તેમણે વૈદિક દર્શનો, બૌદ્ધ દર્શનની શાખાઓ અને છંદ, અલંકાર આદિ અન્ય વિદ્યાઓનો અભ્યાસ કર્યો. તેમણે સંસ્કૃતમાં વિપુલ દાર્શનિક સાહિત્ય રચ્યું છે. પરંતુ મહત્ત્વની નોંધપાત્ર હકીકત એ છે કે તેમણે ગુજરાતી ભાષામાં પણ દાર્શનિક રચનાઓ કરી છે. દાર્શનિક ભારે વિચારોને વહન કરવા ગુજરાતી ભાષા સમર્થ છે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy