SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા કનુભાઈ જાની સાડા ત્રણસોક વરસ પર થઈ ગયેલા, ૧૭મી સદીના મધ્યકાલીન, ખરતરગચ્છી, મહિમાસાગરશિષ્યની બે મુખ્ય રચનાઓની મુખ્યત્વે અહીં વાત. કરવી છે. તેમના જીવન વિશે લગભગ કાંઈ જ મળતું નથી. આપણી ઇતિહાસદૃષ્ટિ જ એમાં કારણભૂત ન હોતાં એક બીજું કારણ આચાર્ય ક્ષિતિમોહન સેન આપે છે ? (“સાધનાત્રયી', પરિમાણ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૦, પૃ.૫૩૦) એક બાઉલને આ બાબતનું દુઃખ ક્ષિતિબાબુ વ્યક્ત કરતા હતા : “આપણા આવા કવિઓસાધકોનાં વૃત્તાન્તો જ ન મળે !” પેલાએ હસીને એક ગીત ગાયું : ખાલેર પંકે ઠેલે જખન નાખો પિછેર દિકે જે ચિનુ થાકે તાતેઈ મેલે ભાઓ ! (જખમ) ગહિન જલે પાલ તુઇલ્યા નાઓ જાય, પથ્થર જે ચિન્ કઈ વા મિલાય, કેમૂને વા ભાઓ પાય ? (ખાડીને કાદવ ખેંચાય જ્યારે હોડી પડતી જાય એંધાણી પાછળની ગમ નિશાન પડે ભાળેય મળતી તેથી થોડી, (પરંતુ) જે વારે ગહન જળે શઢને તાણી નાવડી જાતી, મારગે એના રહે ના કોઈ એંધાણી એની કાઢવી કેમ રે ભાળ ?) સાધનાનાં ઊંડાં જળમાં આવા સાધુ-કવિઓની નાવ એવી ચઢી જતી હોય છે કે પછી કોઈ બાહ્ય ચિહ્નો રહે નહીં! પાણી પર પગલાં કેવી રીતે પડે? ઇતિહાસ તો મળે ખભળાટ કરનારનો. ક્ષિતિબાબુ કહે છે : “આ કારણે..મોટા સાધકોનાં વૃત્તાન્ત આપણને મળતાં નથી.” (પ૩૧) બીજી એક વાત ભાષાની. અખાએ આવા સહુઓ વતી કહ્યું છે, ભાષાને શું વળગે ભૂર ?' ભાષા સીધી લક્ષ્યગામી, સરળ, બોલચાલની જ હોવાની; ઉપરાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy