SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૩ જે] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર દેડકીની આલાચના કરતા નથી ?' તે સાંભળીને ક્ષેપક ક્રોધ કરી ઊભા થઈ તે ક્ષુલ્લકને મારવા દોડવા. ક્રોધાંધ થઈ ને ચાલતાં વચમાં એક સ્તંભ સાથે મસ્તક અફળાઈ જવાથી તે સાધુ મૃત્યુ પામી ગયા. સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યાતિષ્ક દેવતામાં ઉત્પન્ન થયા. ત્યાંથી રચવી કનખલ નામના સ્થાનમાં પાંચસેા તપસ્વીઓના કુલપતિની પત્નીથી કોશિક નામે પુત્ર થયા. ત્યાં કૌશિકગાત્રપણાને લીધે બીજા પણ કૌશિક તાપસેાજ હતા. તેમાં આ તાપસ વિશેષ ક્રોધી હોવાથી તે ચંડકૌશિક નામે પ્રખ્યાત થયા. પૂર્વ કુલપતિ યમરાજને અતિથિ થતાં એ ચડકૌશિક તાપસાના કુલપતિ થયા. તેને પોતાના વનખંડ ઉપર ઘણી મૂર્છા હતી, જેથી તે રાત દિવસ ભમ્યા કરતો અને કેઈ ને તે વનમાંથી પુષ્પ, ફલ, મૂલ, કે પત્ર લેવા દેતા નહાતો. કર્દિ જો કોઈ તે વનમાંથી સડેલ' પણ ફળ કે પત્રાદિક ગ્રહણ કરતું તેા તે કુહાડા, યષ્ટિ કે ઢેખાળુ' લઈ તેને મારવા દોડતો હતા. ત્યાંના રહેનાર તાપસાને પણ ફળાદિક લેવા દેતા ન હેાવાથી સીદાતા એવા બધા તાપસા, લાકડી પડતાં કાક પક્ષી ભાગી જાય તેમ દશે દિશામાં જતા રહ્યા. એક દિવસે ચંડકૌશિક તે વાટિકાસ બધી કામને માટે બહાર ગયા, તેવામાં કેટલાએક રાજકુમારા શ્વેતાંબી નગરીથી સત્વર ત્યાં આવીને તે વનને ભાંગવા લાગ્યા. જ્યારે કૌશિક પાછા આવ્યા ત્યારે ગાપાલાએ તેને જણાવ્યુ કે, ‘જુઓ, આ કાઈક તમારા વનને ભાંગી નાખે છે.' તે સાંભળી હુતદ્રવ્યથી અગ્નિની જેમ કૌશિક ક્રોધથી પ્રગલિત થયા. તત્કાળ અકુ ધારાવાળા કુહાડા લઈને દોડયો. તેને આવતા જોઈને આજ પક્ષીથી બીજા પક્ષીઓની જેમ સઘળા રાજપુત્રા નાશી ગયા. અને તે કૌશિક પગવડે સ્ખલના પામતાં યમરાજનાં મુખ જેવા કાઈ ખાડામાં પડી ગયા. પડતાંજ તેણે ફેકેલા તીક્ષ્ણ કુહાડા તેની ઉપર પડયો, જેથી તેના મસ્તકના બે ભાગ થઈ ગયા. કુકમના વિપાક આવાજ હોય છે.” તેનાથી મૃત્યુ પામી તે ચ'ડકૌશિક આ વનમાં દૃષ્ટિવિષ સપ થયેલા છે. “ તીવ્રાનુખ ધી કૈાધ ભવાંતરમાં પણ સાથે જ હૃય છે, ’’ :: આ પ્રમાણે તેના પૂર્વભવ વિચારી એ દૃષ્ટિવિષ સ અવશ્ય પ્રતિધ કરવાને યોગ્ય છે' એમ ધારીને જગત્પ્રભુ વીર પેાતાની પીડાને અવગણી સરલ માર્ગે ચાલ્યા. પ્રભુએ જ્યારે એ જીણુ અરણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમાં ચરણસંચાર નહી હાવાથી વાલુકા જેમની તેમ રહેલી હતી, જલાશયમાંથી વહેતી નીકા પાણી વિનાની હતી, જીણુ થયેલા વૃક્ષા સુકાઈ ગયા હતા, છગુ પત્રાના સમૂહથી બધા ભાગ પથરાઈ ગયા હતા, રાફડાએથી ઘણા ભાગ વ્યાપ્ત થઈ ગયા હતા અને ઝુંપડીએ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવામાં અરણ્યમાં આવીને પ્રભુ ચક્ષમ ડપમાં નાસિકાપર નેત્રને સ્થિર કરીને કાયાત્સગે રહ્યા. થોડી વારે પેલે વિષ સર્પ મુખમાંથી કાળરાત્રિ જેવી જિજ્હાને બહાર કાઢતો અભિમાન યુક્ત થઇને ક્રવા નીકળ્યા. વનમાં આજ્ઞારેખાની જેમ પાતાના શરીરની રેખા પડતો ચાલ્યા જાય છે, તેવામાં તેણે વીર પ્રભુને જોયાં. એટલે ' અરે! મારી અવજ્ઞા કરવા માટે આ કેણુ મને જાણ્યા વગર અહિં નિઃશંક થઈ ને પેશી ગયા છે? અને શકુની જેમ સ્થિર થઈને ઊભે રહ્યો Jain Education International IF For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy