SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ મગ ૩ જો ને] શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે [ ૪૭૫ મારા અનુગ્રહ કર્યો, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવીજ રીતે ફરીવાર અનુગ્રહ કરી. આ પ્રભાવતી દુષ્પ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાથના કરનારી છે અને આપ ફર છતાં પણુ આપની ઉપર અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરા; કેમકે તમે સ્વભાવથીજ કૃપાળુ છે. ” એ વખતે પ્રભાવતીએ ચિતવ્યુ કે “મે પૂર્વે કિન્નરીએ પાસેથી જેમને સાંભળ્યા હતા, તે પાર્શ્વનાથ કુમાર આજે મારા જોવામાં આવ્યા છે. અહા! દૃષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણેજ મળતા આવે છે. દાક્ષિણ્યયુક્ત અને કૃપાવંત, જેવા સંભળાય છે તેવાજ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે રાકયા તે ખહુ સારૂ કર્યું છે; તથાપિ ભાગ્યની પ્રતીતિ નહી... આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહી' એવી શંકાથી આકુળ એવી હું શાંતિ રહ્યા કરૂ છું.” પ્રભાવતી આામ ચિંતાતુર રહેલી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઇને ઉભા હતા, તે વખતે પાર્શ્વ કુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણીવર્ડ ખેલ્યા− હૈ રાજન્! હૈ' પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં આવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી. માટે હું કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશેા નહીં. પિતાનાં વચનના અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઇશું.” પાર્શ્વ કુમારનાં આવાં વચન સાંભળી પ્રભાવતી ખેદ પામી અને વિચારવા લાગી કે ‘આવા દયાળુ પુરુષના મુખમાંથી આવું વચન નીકળ્યું, તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યાં જેવું છે. આ કુમાર સર્વાંની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપારહિત થયા, તેથી હા! હવે કેમ થશે? આ પરથી એમ જણાય છે કે પ્રભાવતી મંદભાગ્યાજ છે. સદા પૂજન કરેલી કે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પતિને કાંઈક ઉપાય બતાવેા, કેમકે એ હમણાં ઉપાયરહિત થઈ ગયા છે.” રાજા પ્રસેનજિતે વિચાર્યું કે આ પાર્શ્વનાથ પેાતે તે સત્ર નિઃસ્પૃહ છે, પર`તુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારે મનેારથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાના મિષ કરીને હું આમની સાથે જ જાઉં, ત્યાં ઇચ્છિતની સિદ્ધિને માટે હુ પેાતેજ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.’આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારનાં વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યાં. પછી પાર્શ્વનાથ પ્રભુને વિદ્યાય કરતાં પ્રસેનજિત્ એયેા કે ‘હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હું તમારી સાથેજ આવીશ.' પાર્શ્વનાથે ખુશી થઈને હા પાડી; એટલે પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રજિત કરતા પાર્શ્વનાથે પેાતાના દર્શનથી .ને અત્યંત આનંદ આપ્યા. પછી અશ્વસેન રાજાએ ઉભા થઈને પગમાં આળેાટતા પ્રસેનજિતુ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યુ કે “ હું રાજન્! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે? તમે પાતે અહી આવ્યા, તેથી મને કાંઈ પણ કારણથી શંકા રહે છે.” પ્રસેનજિત મેલ્યા- પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળજ છે, પરંતુ હે રાજન ! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના અને સદા પીડે છે, પણ તે પ્રાર્થના તમારા પ્રાસાદથી સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy