SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ BYE ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૮ સુ મુંડીને કાઢી મૂકવા, તે નાપિતોને મુડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું ‘સ્વામિન્! તમે મિીના કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આજ તેના કેશ અપાવે, અને એ કાર્ય માટે તમે પોતે જઇને રૂમિશ્રીના મસ્તકને મુંડિત કરાવેા.' હરિ હસતા હસતા ખેલ્યા ‘તમેજ મુતિ તો થયા છે.' સત્યભામા બેલી ‘હમણાં મશ્કરી કરવી છેડી દો અને તેના કેશ મને આજેજ અપાવેા.' પછી કૃષ્ણે તે કાર્ય માટે ખળભદ્રને સત્યભામા સાથે રૂકૂમિણીને ઘેર માકયા. ત્યાં પ્રદ્યુમ્ને વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકળ્યું એટલે તેમને ત્યાં જોઈ રામ લજ્જા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે ખેલ્યા કે ‘તમે મારૂ’ ઉપહાસ્ય કેમ કરે છે ? તમે મને કેશને માટે ત્યાં મેકલી પાછા તમે પાતેજ ત્યાં આવ્યા, અને પાછા અહી આવતા રહ્યા, જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.' કૃષ્ણે સેાગાન ખઈને કહ્યું કે ‘હું ત્યાં આવ્યો નહાતો.' એમ કહ્યા છતાં પણ આ બધી તમારીજ પાયા છે' એમ ખેલતી સત્યભામા રીસ ચડાવીને પેાતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે ડિર તેને ઘેર ગયા. મહી" નારદે રૂમિણીની પાસે આવીને કહ્યું કે ‘આ તમારા પુત્ર પ્રદ્યુમ્ન છે.' એટલે તત્કાળ માતાના ચિરકાળ વિયેાગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્ય'સમાન પ્રથ્રુસ્ર પેાતાનુ’ દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડવો. રૂમિણીના સ્તનમાંથી દુધની ધારા ચાલી, તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું, અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તકપર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુમ્ને કહ્યું · માતા! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય ખતાવું, ત્યાં સુધી તમે મને એળખાવશે। નહીં.' હર્ષોંમાં વ્યગ્ર થયેલી રૂમિણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહી. પછી પ્રથ્રુસ્ર રૂમિણીને એક માયારથમાં બેસાડીને ચાલ્યો, અને શ`ખ ફુંકી લેાકેાને જણાવ્યું કે ‘હું આ રૂક્ષ્મિણીનુ' હરણુ કરૂ છું, જો કૃષ્ણ મળવાન હોય તો તેની રક્ષા કરે.’ તે સાંભળી ‘આ કાણુ દુબુદ્ધિ મરવાને ઇચ્છે છે ?' એમ બેાલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્યસહિત તેની પાછળ દોડયા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય લાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધવગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા, તેવામાં તેની જમણી ભૂજા કરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી, તે વખતે નારદે આવીને કહ્યું કૃષ્ણ ! આ રૂભૂમિણી સહિત તમારાજ પુત્ર પ્રથ્રુસ્ર છે, તેથી તેને ગ્રહણ કરેા, અને યુદ્ધની વાર્તા છેોડી દો.' તત્કાળ પ્રશ્ન કૃષ્ણને નમી રામના ચરણુમાં પડયો. તેઓએ ગાઢ આલિંગન કરી વારંવાર તેના મસ્તકપર ચુંબન કર્યુ.. જાણે યૌવન સહિતજ જન્મ્યો હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પ્રધશ્નને પોતાના ખેાળામાં બેસાડીને કૃષ્ણે લેાકેાના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા કૂમિણી સાથે ઇંદ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તોરણેાથી ભ્રકુટીના વિભ્રમને કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યાં. 6 Jain Education International इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशला कापुरुषचरिते महाकव्येऽष्टमे पर्वणि रुक्मिण्यादि - परिणयनपांडवद्रौपदिस्वयंवरप्रद्युम्नचरित्रवर्णनो नाम षष्ठः सर्गः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy