SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું પ્રાતઃકાળે સૂર્યની જેમ ઉદ્યોત કરતા મહા કાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહા જન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમથી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું “અરિષ્ટનેમિ” નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિને જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહત્સવ કર્યો. અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં ઘાણપુટ છેદેલી પેલી કન્યાને દીઠી. તેથી ભય પામેલા કંસે પિતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા છે કે કેમ?” નૈમિત્તિકે કહ્યું કે “ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીને સાતમે ગર્ભ કોઈ પણ સ્થાનકે જીવતો છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામને તમારે બળવાન બળદ, કેશી નામને મહાન્ અશ્વ અને દુદ્દત એવા ખર અને મેષ વૃન્દાવનમાં છુટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી નાખશે તેજ દેવકીને સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજે. વળી ક્રમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઈતર જનથી દુઃખે પ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહા કૂર કાળીનાગને દમશે,ચાણૂર મદ્યને વધ કરશે, તમારા પદ્યોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે, અને તે જ તમને પણ મારશે.” આ પ્રમાણેના નૈમિત્તિકનાં વચનથી પિતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન પશુને કંસે વૃન્દાવનમાં છુટા મૂક્યા અને ચાર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂતિવંત અરિષ્ટ જેવો અરિષ્ટ બળદ શરદૂછતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકેને ઉપદ્રવ કરવા લાગ્યું. તે બળદ નદીના તટપર રહેલા કાદવને ઉડાડે તેમ રંગના અગ્ર ભાગથી ગાયોને ઉડાડવા લાગ્યું, અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભાજનેને ઢાળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્રવથી “હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે રામ! હે રામ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” એવા અતિ દીન કલકલ શબ્દો ગોવાળ કરવા લાગ્યા. તેને આ કલકલાટ સાંભળીને સંભ્રમથી “આ શું? એમ બેલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા, એટલે મહાબળવાન તે વૃષભને તેમણે દીઠે. તે વખતે “અમારે ગાયનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી.” એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણ તે વૃષભને બોલાવ્યા. તેમના આહ્વાનથી શીંગડાંઓને નમાવી, રેલવડે મુખનું આકુંચન કરી અને પુચ્છને ઊંચું કરીને તે બળદ ગોવિંદની સામે દોડશે એટલે તેને શીંગડાવડે પકડી શીવ્ર તેનું ગળું વાળી દઈ નિરૂસ કરીને કૃષ્ણ તેને મારી નાખે. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશી થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા. ૧ નાસિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy