SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું મારૂં મન ચલિત થયું. પછી સમળી જેમ હાર ઉપાડી લે તેમ મેં તે રત્નકરંડ હરી લીધા. પછી પગના ફણા સુધી ઉત્તરીય વસ કરીને હું ત્યાંથી બહાર નીકળ્યો, તેવામાં મહાચતુર એવા ઋતુપર્ણ રાજાએ મારામાં કેટલીએક ચારની ચેષ્ટા જોઈને તત્કાળ મને એળખી લીધે, કેમકે “ચતુર જનને કાંઈ પણ અલક્ષ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી તરતજ રાપુરૂષોએ મને બાંધી લીધે અને વધ કરવા માટે લઈ ચાલ્યા. તે વખતે દૂરથીજ તમારું શરણું અંગીકાર કરીને તારસ્વરે પિકાર કરતા મને વધ્ય મેંઢાની જેમ તમે છોડાવ્યા. હે માતા! જ્યારે તમે તાપસપુરમાંથી ચાલ્યા ગયા ત્યારે વિંધ્યાચળથી લાવેલા હાથીની જેમ વસંતશેઠે ભેજન પણ છોડી દીધું. પછી યશોભદ્રસૂરિ અને બીજા લોકેએ ઘણા સમજાવ્યા ત્યારે સાત દિવસ ઉપવાસ કરીને તેમણે આઠમે દિવસે ભોજન લીધું. એક વખતે લક્ષમીવડે કુબેર જેવા એ વસંત શેઠ મહા મૂલ્યવાળી ભેટ લઈ કુબર રાજાને મળવા ગયા. તેની ભેટથી સંતુષ્ટ થયેલા કુબર રાજાએ છત્ર ચામરનાં ચિહ્નો સાથે તાપસપુરનું રાજ્ય વસંત શેઠને આપ્યું, અને તેમને પોતાના સામંતનું પદ આપી વસંતશ્રીશેખર એવું નામ સ્થાપિત કર્યું. કુબર રાજાએ વિદાય કરેલા વસંત શેઠ ભંભાવાવના નાદ સાથે તાપસપુર આવ્યા અને તે નગરના રાજ્યને પાળવા લાગ્યા.” આ પ્રમાણે તે ચેરની હકીકત સાંભળી વૈદભી બેલી–“હે સત્સ! તે પૂર્વે દુષ્કર્મ કર્યું છે તેથી હવે દીક્ષા લે અને સંસારસમુદ્ર તરી જા.” પિંગલે કહ્યું, “માતાની આજ્ઞા પ્રમાણ છે.” એ સમયે ત્યાં ફરતા ફરતા કેઈ બે મુનિ આવી ચઢ્યા. વૈદભ એ નિર્દોષ ભિક્ષાથી તેમને પ્રતિલાભિત કર્યા. પછી પૂછયું કે “ભગવન! આ પુરૂષ જે એગ્ય હોય તે પ્રસન્ન થઈને તેને દીક્ષા આપે.' તેમણે કહ્યું કે-“ગ્ય છે.” એટલે પિંગલે વ્રત લેવાની યાચના કરી. પછી તેને દેવગૃહમાં લઈ જઈ તેજ વખતે દીક્ષા આપી. અન્યદા વિદર્ભ રાજાએ ખબર સાંભળ્યા કે “નળ રાજા તેના અનુજ બંધુ કુબરની સાથે ઘતમાં રાજ્યલક્ષમી હારી ગયા છે અને કુબરે તેમને પ્રવાસી કર્યા છે. તે દવદંતીને લઈને મોટી અટવીમાં પેઠા છે, ત્યારપછી તે કયાં ગયા? જીવે છે કે મરી ગયેલ છે? એ કોઈ પણ જાતું નથી. રાજાએ આ વાત રાણીને કરી, તે સાંભળી રાણી પુષ્પદંતીએ ઘણું રૂદન કર્યું. “ીઓને આતુરપણામાં નેત્રાશ દૂર રહેતાં નથી.” પછી રાજાએ હરિમિત્ર નામના એક આજ્ઞાચતુર રાજબટુકને નળ રાજાની શેષમાં મોકલે. નળ અને દવદંતીને સર્વત્ર શેખતે તે રાજબટુક અચલપુરમાં આવ્યું. ત્યાં તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાની આગળ બાવતાં તેણે ચંદ્રયશાએ પૂછયું કે “પુષ્પદંતી અને તેને પરિવાર કુશળ છે?” હરિમિત્ર બે -“હે ઈશ્વરી! દેવી પુષ્પદંતી અને તેને પરિવાર તે કુશળ છે, પણ નળ અને દવદંતીની કુશળતા વિષે ચિંતા છે. દેવીએ પૂછ્યું, “અરે! એ શી વાત કહે છે?' પછી બટુએ નળ અને દવદંતીની ધૂતથી થયેલી બધી દુશવ હાલત કહી સંભળાવી. તે સાંભળી ચંદ્રયશા રાખવા લાગી. તેને જોઈ બધા રાજલેક પણ હર્ષ વાર્તાને અનયાયી હેય તેમ રૂદન કરવા લાગે. સવને દુખાતુર જઈ જેના ઉદરમાં સુધા લાગી હતી એ બહુ દાનશાળામાં ગયે. કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy