SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ ને] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ ૨૪૯ જણાવુ' છું કે તે યુવાન ખીજાના ત થઈને તમારા સ્વયંવરને દિવસે તમારી પાસે આવશે.’ આ પ્રમાણે કહેનારા તે ખેચરને કનવતીએ આશિષ આપીને વિદાય કર્યાં, અને તેણે વિચાયુ” કે ‘સારે ભાગ્યે આવુ' દેવ સ'ખ'ધી વચન મારા શ્રવણુગત થયુ' છે.' પછી કનકવતી ચિત્રસ્થ પતિના દર્શનથી અતૃપ્ત થઈ વારંવાર નેત્રની જેમ તે ચિત્રપટને મીલનેાન્સીલન' કરવા લાગી. કદલીની જેમ વિરહતાપથી પીડિત થયેલી એ રાજખાળા ચિત્રપટને ક્ષણમાં મસ્તકે, ક્ષણમાં કઠે અને ક્ષણમાં હૃદયે ધરવા લાગી, ચંદ્રાપત ખેચર કે જે કનકવતી અને વસુદેવના સંગમ કરાવવાને કૌતુકી હતો, તે વિદ્યાધરેથી સુશેાભિત એવા વિદ્યાધરનગરમાં ગયા. ત્યાં મહાન્ વિદ્યાશક્તિથી પવનની જેમ અસ્ખલિતપણે તેજ રાત્રે તે વસુદેવના વાંસભવનમાં પેઠો. ત્યાં હુંસના રામની તળાઈવાળી અને ધાયેલા શુદ્ધ એછાડવાળી શખ્યામાં સ્ત્રીની સાથે સુતેલા વસુદેવકુમાર તેના જોવામાં આવ્યા. વિદ્યાધરીની ભુજલતાનું આશીક કરીને સુખે સુતેલા વસુદેવકુમારની તે પગચ'પીથી સેવા કરવા લાગ્યા. વસુદેવ રતિક્રીડાના શ્રમથી ઉત્પન્ન થયેલા નિદ્રાસુખથી વ્યાપ્ત હતા તથાપિ ક્ષણવારમાં જાગી ઉઠ્યા, કેમકે “ ઉત્તમ પુરૂષા સહેલાઈથી જાગનારા હોય છે.” અષી રાત્રે અકસ્માત્ આવેલા તે ખેચરને જોઈ વસુદેવ ભય કે ક્રોધ ન પામતાં ઉલૂંટ વિચાર કરવા લાગ્યા કે− આ કોઈ પુરૂષ મારી સેવા કરે છે. તેથી તે મારા વિરાધી જણાતો નથી, પણ તે મારા હિત ઈચ્છનાર અથવા મારા કાના ચિંતક હશે. આ પગચંપી કરનારા પુરૂષને હું કેમળ વાણીથી ખેલાવીશ તોપણ રતિક્રીડાથી શ્રાંત થઈને સુતેલી આ પ્રિયા જાગી ઊઠશે; પણ આ સેવાપરાયણુ મનુષ્યની ઉપેક્ષા કરવાને હું ચેગ્ય નથી. ટ્ટિ ઉપેક્ષા કરીશ તો પણ મને તે અહીં રહેશે ત્યાં સુધી નિદ્રા આવવા દેશે નહી', માટે પ્રયત્નથી પ્રિયાને જગાડયા સિવાય ઊઠી શય્યાને તજી દઈ જરા દૂર જઈને આ માણસની સાથે વાર્તાલાપ કરૂં.” આવે। વિચાર કરી પલંગને હલાવ્યા વગર શરીરની લઘુતા વસુદેવે શય્યા છેાડી અને ત્યાંથી ત્રીજી બાજુએ જઈ બેઠા. પછી ચ'દ્રાતપ વિદ્યાધર કે જે સર્વા ંગે રત્નમય આભૂષણૢાથી ભૂષિત હતો, તે આ દશમા દશા વસુદેવને ભક્તિથી પ્રણામ કરી એક સાધારણ પાળાની જેમ ઊભેા રહ્યો. તેને જોઈ વસુદેવે એળખ્યા કે, જેણે કનકવતીના ખબર આપ્યા હતા તે આ ચંદ્રાતપ નામે વિદ્યાધર છે. પછી વસુદેવે સત્કારને લાયક એવા તે ખેચરને આલિંગન દઈ સ્વાગત પૃચ્છા કરીને આવવાનું કારણ પૂછ્યું, એટલે પ્રૌઢતાથી બુદ્ધિમાનમાં શિરામણ ચંદ્રાપે ચંદ્રાતપ જેવી શીતળ વાણીવર્ડ આ પ્રમાણે કહેવાના આરંભ કટ્—“ હે યજ્ઞત્તમ ! તમને કનકાવતીનું સ્વરૂપ જણાવ્યા પછી મેં ત્યાં જઈ તેને પણ તમારૂ સ્વરૂપ જણાવ્યુ છે. હે નાથ ! વિદ્યાના બળથી મે તમને એક ચિત્રપટમાં આલેખી લીધા; અને તેના મુખકમળમાં સૂર્ય જેવા તે ચિત્રપટ મે ૧. સંકેલવુડ ને ઉખેળવ’. C - 32 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy