SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪]. ભરત-શત્રુનને જન્મ [પર્વમું વપ્નથી સૂચિત અને ભરતક્ષેત્રના આભૂષણરૂપ ભરત નામના પુત્રને જન્મ આપે. સુપ્રભાએ પણ જેની ભુજાનું પરાક્રમ શત્રુધ છે એવા શત્રુઘ નામના કુળનંદન પુત્રને જન્મ આપે. નેહથી રાતદિવસ અવિયુક્ત રહેતા ભરત અને શત્રુઘ પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ હેય તેમ શોભતા હતા. રાજા દશરથ ચાર ગજદંતકૃતિ પર્વતેથી જેમ મેરૂગિરિ શેલે છે તેમ ચાર પુત્રોથી શોભવા લાગ્યા. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે દારૂ નામના ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને અનુકશા નામની સ્ત્રીથી અતિભૂતિ નામે એક પુત્ર થશે. અતિભૂતિને સરસા નામે પત્ની થઈ. એક વખતે કયા નામના એક બ્રાહ્મણે તેના ઉપર રાગ થવાથી છળવડે તેનું હરણ કર્યું. કામાતુર મનુષ્ય શું ન કરે? અતિભૂતિ તેને શોધવાને ભૂતની જેમ પૃથ્વી પર ભમવા લાગ્યા, અને તે પુત્ર અને પુત્રવધૂને માટે તેમની પછવાડે અનુકશા અને વસુભૂતિ પણ કરવા લાગ્યા. બધે અટન કરતાં પણ તેઓને પુત્ર અને પુત્રવધૂને પત્તો લાગ્યા નહિ. આગળ ચાલતાં એક મુનિ તેમના જેવામાં આવ્યા, એટલે તેમણે ભક્તિથી વંદના કરી. તેમની પાસેથી ધર્મ સાંભળીને બન્ને જણાએ વ્રત ગ્રહણ કર્યું. ગુરૂની આજ્ઞાથી અનુકશા કમલશ્રી નામની એક આર્યા પાસે રહી. કાળગે મૃત્યુ પામીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. એક દિવસ પણ વ્રત આરાધ્યું હોય તે સ્વર્ગ સિવાય બીજી ગતિ થતી નથી. વસુભૂતિ ત્યાંથી ચ્યવને વૈતાઢ્ય પર્વત ઉપર સ્થનૂપુર નગરને ચંદ્રગતિ નામે રાજા થશે. અનુકશા પણ ત્યાંથી ચ્યવીને વિદ્યાધરપતિ ચંદ્રગતિની પુષ્પવતી નામે પવિત્ર ચરિત્રવાળી સતી સ્ત્રી થઈ. પેલી સરસા કે સાધ્વીને જોઈ, દીક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ સરસાના વિરહથી પીડિત એ અતિભૂતિ મૃત્યુ પામી સંસારમાં ચિરકાળ ભમી અન્યદા એક હંસને શિશુ થા. એક વખતે બાજ પક્ષીએ તેને ભક્ષણ કરવા માટે ઉપાડ્યો. તેમાંથી ખલના પામતાં તે કઈ મુનિની પાસે પડ્યો. કંઠે શ્વાસ આવેલ હોવાથી મુનિએ તેને નમસ્કારમંત્ર આપ્યું. તે મંત્રના મહા પ્રભાવથી મૃત્યુ પામીને તે કિન્નરજાતિના વ્યંતરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ રાજાની પ્રવરાવળી રાણીથી કંડલમંડિત નામને પુત્ર થયે. પેલે કયાન ભેગાસક્તપણે મરણ પામી ચિરકાળ ભવાટવીમાં ભમી ચપુર નગરના રાજા ચકવાના પુરહિત ધૂમ્રકેશની સ્વાહા નામની સ્ત્રીના ઉદરથી પિંગલ નામને પુત્ર થયો. તે પિંગલ ચક્રવજ રાજાની અતિસુંદરી નામની પુત્રીની સાથે એક ગુરૂની પાસે ભણતે. હતે. કેટલેક કાળ જતાં તે બંનેની વચ્ચે પરસ્પર અનુરાગ થયો. તેથી એક વખતે પિંગલ છળથી અતિસુંદરીનું હરણ કરીને વિદગ્ધ નગરે ચાલ્યા ગયે. કળાવિજ્ઞાન વિનાને પિંગલ તૃણુકાષ્ઠાદિ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગે. “નિર્ગુણીને તેજ ચોગ્ય છે.” ત્યાં રહેલી અતિસુંદરી રાજપુત્ર કુંડલમંડિતના જોવામાં આવી, એટલે તત્કાળ તેમને પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy