SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પર્વ ૧ લું. પ્રભાસપતિ તથા સિંધુદેવીની સાધના. અને પછી ત્યાં વરદામપતિને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. મહાત્માજને આત્મીય જનને લોકમાં મહત્ત્વ અપાવવાને માટે માન આપે છે. પછી પરાક્રમવડે જાણે બીજા ઈંદ્ર હોય એવા તે ચક્રવતી ચક્રને અનુસારે પશ્ચિમ દિશાએ પ્રભાસતીર્થ તરફ ચાલ્યા. સૈન્યના ચાલવાથી ઊડેલી રેણુવડે જમીન અને આકાશના મધ્યભાગને પૂરતા તેઓ કેટલેક દિવસે પશ્ચિમ સમુદ્રના તટ ઉપર આવી પહોંચ્યા. સોપારી, તાંબૂલી અને નાલીએરીના વનથી આકુલ એવા પશ્ચિમ સમુદ્રના તટ ઉપર તેમણે પડાવ નાખ્યો. ત્યાં પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત વ્રત કર્યું અને પૂર્વ પ્રમાણે પૌષધાલયમાં પૌષધ લઈને બેઠા. પૌષધને અંતે જાણે બીજે વરુણ હોય તેવા ચક્રીએ રથમાં બેસીને સાગરમાં પ્રવેશ કર્યો. રથને ચકની નાભિ સુધી જળમાં લઈ જઈ તેણે પિતાનું ધનુષ અધિજ્ય કર્યું. પછી જયલક્ષમીને ક્રીડા કરવાની વીણરૂપ ધનુર્ય છિની તંત્રી જેવી પણછને પિતાના હાથવડે શબ્દાયમાન કરી, જાણે સાગરને છડીદંડ હેય તેવા ભાથામાંથી બાણ કાઢી, આસન ઉપર અતિથિને આરૂઢ કરે તેમ તેને ધનુષાસન પર આરૂઢ કર્યું. સૂર્યબિંબમાંથી આકૃષ્ટ કરેલું જાણે એક કિરણ હેય એવા તે બાણને ચદીએ પ્રભાસદેવની સન્મુખ પ્રક્ષિત કર્યું. વાયુની જેવા વેગથી સમુદ્રમાં બાર યોજન ઉલ્લંઘન કરી ગગનને પ્રકાશિત કરતું તે બાણ પ્રભાસપતિના સભાસ્થાનમાં જઈને પડયું. બાણને જોઈ પ્રભાસેશ્વર કેપ પામ્યો, પણ તેની ઉપરના અક્ષરે વાંચીને રસને પ્રગટ કરનારા નટની પેઠે તત્કાળ શાંત થઈ ગયું. પછી બાણું અને બીજી ભેટ લઈને પ્રભાસપતિ ચક્રવતીની પાસે આવ્યો અને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યો– હે દેવ ! આપ સ્વામીએ ભાસિત (પ્રકાશિત) કરેલે હું આજે જ ખરે પ્રભાસ થયો છું, કેમ કે સયના કિરણોથી જ કમલ થાય છે. હે પ્રભો ! હું પશ્ચિમ દિશામાં સામંત રાજા રહી હંમેશા પૃથ્વીને શાસન કરનારા તમારી આજ્ઞાને ધારણ કરીશ.” એમ કહી પ્રથમ પ્રેરેલું બાણુ યુદ્ધપ્રસંગમાં ફેકેલા બાણને લાવી આપનાર સેવકની જેમ ભરતેશ્વરને અર્પણ કર્યું. અને તે સાથે મૂર્તિવંત પિતાનું તેજ હોય તેવાં કડા, કટીસૂત્ર, ચૂડામણિ, હાર તથા બીજું કેટલુંક દ્રવ્ય વિગેરે ભેટ કર્યું. તેને આશ્વાસન આપવાને માટે ચક્રીએ તે સર્વ ગ્રહણ કર્યું. કેમકે ભેટ ગ્રહણ કરવી તે સ્વામીનું પ્રથમ પ્રસાદચિન્હ છે. પછી ક્યારામાં જેમ વૃક્ષને સ્થાપન કરે તેમ ત્યાં સ્થાપિત કરીને તે શત્રુનાશક નૃપતિ પિતાના સ્કંધાવામાં આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ગૃહરને તત્કાળ ઉપનીત કરેલા દિવ્ય ભેજનથી તેણે અઠ્ઠમનું પારણું કર્યું અને પછી પ્રભાસદેવને અષ્ટાદિકા ઉત્સવ કર્યો, કેમકે પહેલી વખત તે સામંત જેવા રાજાની પણ સત્કૃતિ કરવી ઉચિત છે. દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવતી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુનદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુદેવીના સદન સમીપે તેમણે પડાવ નાખે. ત્યાં પિતાના મનમાં સિંધુદેવીનું સ્મરણ કરી તેમણે અષ્ટમ તપ કર્યો; તેથી પવને હણેલા ઊમિની જેમ સિંધુદેવીનું આસન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટે લઈને તેમને પૂજવાને સામે આવી. ૧ પ્રત્યંચા (પણ) ચડાવેલું. ૨ કમલ–ક અલ=પાણીને શોભાવનાર. ૩ મુગટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy