SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રમાર્જનાપૂર્વક યતના (જયણા) કરવી. પરિઝાપરના સમિતિ-મલ, મૂત્ર, શ્લેખ આદિને છોડવામાં - ત્યાગ કરવામાં સમ્યફ પ્રવૃત્તિ સમિતિ વિશેષ. મન કુતિ-મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાનમાં લગાડવું. મનનો સંયમ. વન અતિ-વાણીનો પ્રશસ્ત નિગ્રહ. જરૂર વિના બોલવું નહીં. વચનનો સંયમ. #ાય ગુણિ-શરીરનો પ્રશસ્ત નિગ્રહ-આગમાનુસારે કાયચેષ્ટાનો નિયમ છે. જિતેન્દ્રિયપણું. એ પાંચ સમિતિ-ધર્યાસમિતિ આદિ પાંચ સમિતિ તે. ત્રણ ગુપ્તિ-મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ તે. એ આઠ પ્રવચન-માતા-પાંડ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટપ્રવચનમાતા છે. શ્રાવકતણધર્મ-શ્રાવકના ધર્મ વિશે (સમ્યક્ત મૂળ બાર વ્રતો તથા સંલેખના, અને છ આવશ્યક વગેરે ધર્મ) તે. સામાયિક-બે ઘડી સુધી સમતાભાવમાં રહેવું તેમાં (સામાયિકવ્રતમાં). પોસહલીધે જેમાં જિનેશ્વર દેવોએ કહેલા આહારત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય તેવા પોષધવ્રતમાં. રૂડીપેરે પાળી નહીં-અષ્ટપ્રવચનમાતાને સારી રીતે આરાધી નહીં. ખંડન-પ્રવચનમાતાનું પાલન કરતાં ખંડિત થવાપણું તે અથવા અતિચાર લાગવાપણું. વિરાધના-વિકૃત થયેલી આરાધના, આરાધનામાં ખામી કે ભૂલ રહી હોય તે. હુઈ હોય તે સવિહુ મન વચન કાયાએ કરી-મનથી, વચનથી, કાયાથી પ્રવચનમાતાના પાલનમાં ખંડન કે વિકૃતિ થઈ હોય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy