SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ચારે આહારનો ત્યાગ કરનાર ચઉવિહારનું, પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ કરનાર તિવિહારનું, અશન તથા ખાદિમ એ બે આહારનો ત્યાગ કરનાર દુવિહારનું અને સવારે ચૌદ નિયમો ધાર્યા હોય તે વધારે સંક્ષેપ કરવા દેશાવકાશિકનું પ્રત્યાખ્યાન કરે છે. આ બધાં પ્રત્યાખ્યાનોમાં પાણહારની જેમ ચાર આગારોની જ છૂટ હોય છે. છ શુદ્ધિપૂર્વક થયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફળ આપે છે. તે નીચે પ્રમાણે છે : फासिअ पालिअं चेव, सोहिअं तीरिअं तहा । किट्टिअ माराहि चेव, एरिसंमि जइअव्वं ॥२१२॥ उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिअं । तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ॥२१३॥ गुरुदत्तसेसभोअण-सेवणाए अ सोहिअं (जाण । पुण्णे वि थेवकाला-वत्थाणा तीरिअं होई ॥२१४॥ भोअणकाले अमुगं, पच्चक्खाणंति सरइ किट्टिअयं । आराहिअं) पयारेहिं, सम्ममेएहिं पडिअरिअं ॥२१५॥ -wવ. સારો ભાવાર્થ-(૧) સ્પર્શિત, (૨) પાલિત, (૩) શોધિત, (૪) તીરિત, (૫) કીર્તિત અને (૬) આરાધિત-એ છ શુદ્ધિ કહેલી છે. એવા શુદ્ધ પચ્ચકખાણ માટે ઉદ્યમ કરવો. ૧. ફાસિઅ (સ્પર્શિત)-ઉચિત-કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન પ્રાપ્ત કર્યું હોય તે સ્પર્શિત. ૨. પાલિઆ (પાલિત)-કરેલા પ્રત્યાખ્યાનનો હેતુ વારંવાર ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તન થયું હોય તે પાલિત. ૩. સોહિએ (શોધિત)-પોતે લાવેલા (પોતાને અંગેના) આહારમાંથી ગુરુ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો હોય તે શોધિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy