Book Title: Yogshatak Granth Ek Aadhyayan
Author(s): Jagruti Nalin Gheewala
Publisher: Antarrashtriya Jainvidya Adhyayan Kendra
Catalog link: https://jainqq.org/explore/007277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનવિદ્યાની અનુપારંગત (એમ.ફિલ.)ની પદવી માટેના અભ્યાસક્રમના ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ શોધ નિબંધ યોગશતક ગ્રંથ - એક અધ્યયન માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતા પ્રસ્તુત કર્તા જાગૃતિ નલિન ઘીવાલા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ વર્ષ : ૨૦૧૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનવિદ્યાની અનુપારંગત (એમ.ફિલ.)ની પદવી માટેના અભ્યાસક્રમના ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ શોધ નિબંધ યોગશતક ગ્રંથ એક અધ્યયન ફર્ણિમા એસ. માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતા પ્રસ્તુત કર્તા જાગૃતિ નલિન ઘીવાલા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ . વર્ષ : ૨૦૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ નં. ૧ થી ૧૨ ૧૩ થી ર૧ પ્રકરણ વિગત પ્રકરણ-૧ જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય ૧.૧ ત્રિપદી ૧.૨ છ દ્રવ્ય ૧.૩ નવ-તત્વ ૧.૪ કર્મવાદ ૧.૫ અનેકાંતવાદ ૧.૬ મોક્ષમાર્ગ ૧.૭ શ્રમણાચાર ૧.૮ શ્રાવકાચાર :દેશવિરતિ ચારિત્ર આચાર પ્રકરણ-૨ જૈન સાહિત્યમાં યોગ ૨.૧ “યોગ' શબ્દનો અર્થ અને યોગનું લક્ષણ ૨.૨ આગમયુગમાં યોગ (ઈ.સ. પૂર્વ કઠી થી ઈ.સ.ની ૭મી સદી સુધી) ૨.૩ મધ્યયુગમાં યોગ (ઈ.સ. ૮મી સદીથી ૧૪મી સદી) ૨.૪ અર્વાચીન યુગમાં યોગ (ઈ.સ. ૧૫મી સદીથી વર્તમાન સમય) ૨.૫ યોગનાં ભેદ-પ્રભેદ ૨.૬ યોગીઓના પ્રકાર પ્રકરણ-૩ જૈનયોગમાં ધ્યાનનું મહત્વ ૩.૧ ધ્યાનનો અર્થ અને પરિભાષા ૩.૨ ધ્યાનનું સ્વરૂપ ૩.૩ ધ્યાનનાં ચાર પ્રકારો ૩.૪ ધ્યાનની સફળતાનાં સાધનો રર થી ર૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ |પ્રકરણ-૪ વિગત ૩.૫ ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી ૩.૬ પ્રેક્ષાધ્યાન - વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ ૩.૬.૧ પ્રેક્ષાનો અર્થ - વ્યંજના ૩.૬.૨ પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્વ ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જીવન અને કવન ૪.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની રૂપરેખા ૪.૧.૧ જન્મસ્થાન ૪.૧.૨ માતા-પિતા ૪.૧.૩ સમય ૪.૧.૪ વિદ્યાભ્યાસ ૪.૧.૫ ‘ભવવિરહ’ - મુદ્રાલેખ ૪.૧.૬ પોરવાડ જ્ઞાતિની સ્થાપના ૪.૧.૭ સમાધિ મરણ ૪.૨ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના વિશિષ્ટ પાંચ ગુણો ૪.૨.૧ સમત્વ ૪.૨.૨ તુલના ૪.૨.૩ બહુમાનવૃતિ ૪.૨.૪ સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ ૪.૨.૫ અંતર સાધવાનો કીમિયો ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની યોગશતકમાં તુલનાદ્રષ્ટિ ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસુરિજી રચિત ગ્રંથો ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના ગ્રંથોની સૂચિ ૪.૩.૧. આગમિક ગ્રંથ પૃષ્ઠ નં. ૨૮ થી ૪૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિગત પૃષ્ઠ નં. ૪૯ થી ૩૦ ૪.૩.૨ આચાર, ઉપદેશ સંબંધી ગ્રંથ ૪.૩.૩ દાર્શનિક ગ્રંથ ૪.૩.૪ યોગવિષયક ગ્રંથ ૪.૩.૫ કથાસંબંધી ગ્રંથ ૪.૩.૬ જ્યોતિષ સંબંધી ગ્રંથ ૪.૩.૭ સ્તુતિ વિષયક ગ્રંથ ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીને જિનાગમો પરનું બહુમાન ૪.૫ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય ૪.૫ ષોડશક પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન ભાગ-૧ ૫.૧ યોગશતક ગ્રંથનો પરિચય ૫.૨ યોગનું સ્વરૂપ નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ ૫.૨.૧ નિશ્ચય નયથી યોગ ૫.૨.૨ વ્યવહાર નયથી યોગ ૫.૩ યોગમાર્ગનાં પ્રથમ અધિકારી - અપુનર્બન્ધ ૫.૩.૧ અપુનર્બન્ધક જીવોનાં લિંગો પ.૩.અપુનર્બન્ધક જીવોને આશ્રયી ઉપદેશનાં કથનનું સ્વરૂપ ૫.૪ યોગમાર્ગનાં દ્વિતીય અધિકારી - સમ્યક્ઝષ્ટિ ૫.૪.૧ ઉપદેશના અંગો ૫.૪.૨ ઉપદેશનાં કારણો ૫.૫ યોગમાર્ગનાં તૃતીય અધિકારી ચારિત્રી ૫.૫.૧ યોગમાર્ગનાં પંથે દેશવિરત ચારિત્ર્યવાન ૫.૫.૨ યોગમાર્ગનાં પંથે સર્વવિરત ચારિત્ર્યવાન Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ્રકરણ-૫ વિગત પૃષ્ઠ નં. ૫.૬ યોગસાધના દ્વારા ગુણસ્થાનકે જવાની વિધિ પ.ક.૧ નવા ગુણસ્થાનકમાં પ્રવેશવાની વિધિ ૫.૬.૨ અપૂર્વગુણસ્થાનકનો પ્રાપ્તિ માટે વિશેષવિધિ પ..૩ કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ ૫.૭ યોગના અધિકારનાં વિશેષ ઉપાયો યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૨ ૭૭ થી ૯૭ | ૫.૮ જીવ - કર્મનો સંબંધ અનાદિ સાન્ત ૫.૯ રાગ - ષ - મોહનું સ્વરૂપ - ૫.૯.૧ રાગ - દ્વેષ - મોહનાં પ્રતિપક્ષ ભાવનથી પ્રગટ થતાં તત્વભાસનનું સ્વરૂપ : ૫.૧૦ ચાર યોગભાવનાનું વર્ણન ૫.૧૧ યોગીના આહારની વિધિ પ.૧ર યોગપ્રભાવથી પ્રાપ્ત થતી લબ્ધિ અને તેનું ફળ ૫.૧૩ મોક્ષનું પ્રધાન અંગ - સામાયિક ૫.૧૪ મરણકાળ જાણવાનાં ઉપાયો ઉપસંહાર ૯૪ થી ૯૯ | સંદર્ભસૂચિ ૧૦૦ થી ૧૦ગી પરિશિષ્ટ પ્રકરણ-૬ ** Page #7 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ઉદ્દગાર જીવનને ઉન્નત અને ઉજ્જવળ બનાવનાર, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવનાર એવી આચારસંહિતા અને વિચારધારાનું નામ-દર્શન, ધર્મ-દર્શનએ વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ છે. જૈનદર્શન આવું જ ઉજ્જવળ જીવન જીવવાની રીત દર્શાવે છે. જેનું અનુસરણ કરવાથી આ જીંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહોંચી શકાય છે. આ આધ્યાત્મિક કોટિએ પહોંચવા માટે આ કારણથી જ જૈનદર્શનનાં સિદ્ધાંતો, તત્વજ્ઞાન જાણવા સમજવાનું અને ખૂબ આકર્ષણ રહ્યું છે. મને જાણવા મળ્યું કે જેમનું સમગ્ર જીવન પારદર્શક રહ્યું તેવા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં અનેક વિષયોમાં ઉંડાણપૂર્વકના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં “આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર માં પણ જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો તેમજ તત્વજ્ઞાન સમજાવનાર પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચાલે છે. તેમાં જોડાવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું. આ અભ્યાસક્રમ કરતાં એક અનુપમ અનુભૂતિ અંતરમનમાં જાગૃત થઈ. અને જૈનધર્મમાં વિશદ જ્ઞાન માટે આગળ અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. અને આ સુઅવસર પણ ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં જ મળ્યો. પારંગતમાં પ્રવેશ મેળવ્યો અને દરેક ફેકલ્ટીનાં સાહેબ, બહેનનો સુંદર લાભ રહ્યો. જેમાં માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતાનું અમૂલ્ય યોગદાન તો ક્યારેય નહીં ભૂલી શકું. તેઓ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા. વિશેષ યોગ્યતા સાથે પાસ થઈ અને અનુપારંગતમાં પણ પ્રવેશ મેળવ્યો. અનુપારંગત વર્ષ-૨મા લઘુશોનિબંધ માટેની પસંદગીના પ્રશ્નને અમારા પ્રેમાળ માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતા જેઓ મારા રસ, રૂચિની જાણકારી મેળવતા મારા નિબંધનાં વિષય માટે મને માર્ગર્શન આપતા રહ્યા. જેમાં તીર્થકર મહાવીર સ્વામીની સાધના યોગ-ધ્યાન પૂર્વકની જ રહી છે. તેમની સમભાવની સાધના, ચિત્તની સ્થિરતા વગેરે ગુણોનું મને ખુબ આકર્ષણ રહ્યું છે. માટે યોગનાં વિષયની પસંદગી કરવી હતી પરંતુ ખુબ મુંઝવણ હતી કે તે માટે મારી પાત્રતા કેટલી ? ડૉ. પૂર્ણિમાબહેન મહેતાએ લાગણીપૂર્વક પ્રેરણા આપી કે યોગના સતત અભ્યાસથી પાત્રતા કેળવી જ શકાય છે. ‘યોગશતકગ્રંથ-એક અધ્યયન' વિષય સૂચવ્યો. અને તે સાથે ખૂબ જ જ્ઞાની, ધ્યાન અને સમતાભાવી સંયમજીવનનું ૯૯ વર્ષથી કડક ચારિત્રપાલન કરતાં મારા પૂજ્ય ફૈબાસ્વામીનાં દર્શન થયા. ખરેખર હું સદભાગી છું કે ડૉ. પૂર્ણિમાબહેન મહેતાનું સતત પીઠબળ મળતું રહ્યું. આ લઘુશોધ નિબંધનાં કુલ ૬ પ્રકરણો છે. જેમાં પ્રથમ પ્રકરણમાં જૈન તત્વજ્ઞાનની સમજૂતી આપેલ છે. જ્યાં તીર્થંકર પ્રભુ દ્વારા દર્શિત ગુણધર ભગવંતની વાણી ત્રિપદીનું સ્વરૂપ, છ દ્રવ્ય, નવતત્વ, કર્મવાદ અનેકાંતવાદ, મોક્ષમાર્ગ વગેરેનો સંક્ષિપ્ત પરિચય આપેલ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. તદુપરાંત યોગશતક ગ્રંથમાં વર્ણિત યોગનાં અધિકારી એવા શ્રાવક અને શ્રમણ ધર્મનાં અણુવ્રતો - મહાવ્રતોનો ટૂંકો પરિચય આપેલ છે. દ્વિતીય પ્રકરણમાં ‘યોગ’ શબ્દને અનુસરી યોગનો અર્થ અને તેનું લક્ષણ. યોગ અને યોગીનાં પ્રકારો તેમજ આગમયુગ, મધ્યયુગ અને વર્તમાન યુગમાં યોગનું સ્વરૂપ અને યોગવિષયક સાહિત્ય રચનાઓની શુદ્ધિ આપવામાં આવેલ છે. તૃતીય પ્રકરણમાં ‘જૈનયોગ અને ધ્યાન' નાં સ્વરૂપનું વર્ણન છે. આગમયુગમાં ‘તપ’ અને ‘ધ્યાન’ એ જ યોગનું સ્વરૂપ ગણાતું. તેથી ધ્યાનનો અર્થ અને પરિભાષા, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનના ચાર પ્રકારો, ધ્યાનની સફળતાનાં સાધનો, ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી સાથે વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ - પ્રેક્ષાધ્યાનનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ચતુર્થ પ્રકરણમાં જે ગ્રંથનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરેલ છે. તે ‘યોગશતક ગ્રંથ'ના કર્તા ‘યાકિની મહત્તરાસૂનું આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી'નું જીવન અને કવનનું વર્ણન છે. તેમનું જીવન મોક્ષમાર્ગે આગળ વધવા રૂપે યોગના અધિકારી બનવા માટે ખૂબજ પ્રેરણા રૂપ છે. પાંચમું પ્રકરણ બે વિભાગમાં વિભાજિત કરેલ છે. ભાગ-૧ અને ભાગ-૨ જેમા ભાગ-૧માં યોગશતક ગ્રંથના સંક્ષિપ્ત પરિચય સાથે યોગના અધિકારી જીવો, દરેકની ભૂમિકાને અનુરૂપ યોગ્ય ઉપદેશ, યોગસાધના દ્વારા ગુણસ્થાકની વિધિ વગેરેનું વિગતવાર વર્ણન કરેલ છે. પ્રકરણ-૫ ભા-૨માં જીવ અને કર્મનો સંબંધ રાગ-દ્વેષ-મોહનું સ્વરૂપ, મૈત્ર્યાદિ ચાર યોગભાવના, યોગીમહાત્માની આહાર વિધિ, યોગનાં બળે પ્રાપ્ત થતી લબ્ધિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન છે. ઉપસંહારમાં યોગોનો સાર-નિષ્કર્ષ તારવવામાં આવેલ છે. શોધનિબંધ અધ્યયન એક નવી જ દ્રષ્ટિ આપે છે દિન પ્રતિદિન સતત સમભાવ કેળવતા યોગમાર્ગના પથિક બનીએ એજ અભિલાષા. Page #9 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર ‘એકલા હાથે તાલી ના પડે' એ ઉક્તિની યથાર્થતા અત્રે સમજાઈ છે. આ શોધ નિબંધની શરૂઆતથી અંત સુધી પહોંચવામાં અનેકાનેક જીવો સહાયક બન્યા છે તે સર્વની હું ખુબ ઋણી છું. જેમનું સમગ્ર જીવન પારદર્શક હતું તેવા “મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે” દ્વારા આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. પરિણામે આ વિષય પર શોધનિબંધ શક્ય બન્યો. આથી હું ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય દ્વારા ચાલતા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્રની હું ખૂબ આભારી છું. મારા બંને પરિવારો ધર્મમય છે. સંસારના તડકા - છાયાને પચાવીને જેઓએ ધર્મની આરાધના અને સ્વાધ્યાયને પ્રાણ બનાવી ‘આચરાગંસૂત્ર” તથા ‘દશવૈકાલિક સૂત્ર' નું અનુવાદન તેમજ ‘અનાથી નિગ્રંથ’ જેવા પુસ્તકો પણ લખ્યા તેવા સ્વ. દાદાજી તેમજ પૂ. ફૈબાસ્વામી - બા. બ્ર. પૂ. મુક્તાબાઈ મહાસતીજી (લીંબડી ગોપાલ સંપ્રદાય) જેઓએ ૨૦ વર્ષે દીક્ષા લઈ આજે દીક્ષાપર્યાયનાં પણ ૬૯ વર્ષ સાથે શુદ્ધ આચારધર્મ પાળી રહ્યા છે. સાથે મારા ઉપકારી જેમનું ઋણ તો ક્યારેય ન ચૂકવી શકું તેવા માતૃશ્રી લલિતાબાને કેમ ભૂલી શકું ? જેમણે અમારા બધા ભાઈ-બહેનોમાં સંસ્કારનું સિંચન રેડ્યું છે. તો સ્વસુર પક્ષે મારા સાસુજી પૂ. ભાનુબા તથા સસરાજી પૂ. નગીનદાસ ઘીવાલા પણ ધર્મનાં ખૂબ આરાધક પરિવાર મારા પ્રેરણાસ્ત્રોત છે. તેમના આશીર્વાદ અને પ્રેરણા વગર આ અભ્યાસ અને સંશોધન કાર્ય શક્ય બની શકે નહી. તેમની તથા સર્વ કુટુંબીજનોની હું ખૂબ ઋણી છું. મારા પતિ ડૉ. નલીન ઘીવાલા (એમ.ડી.) જેઓનો સતત - અવિરત સાથ ૩૦ વર્ષથી મળતો રહ્યો છે. પોતાની અગવડો વેઠીને મને હંમેશા સાથ આપ્યો છે. તેમજ દિકરી - જમાઈ ઋચા તથા પૂર્વિન અમેરીકામાં રહીને પણ મારા ઉત્સાહને વધાર્યો છે. મારો પુત્ર રોહન જે પોતાની મેડીકલ લાઈનના અભ્યાસમાં વ્યસ્ત રહેવા છતાં સતત સહાયક રહીને પ્રેરણા પુરી પાડીને હિંમત વધારી છે તે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ શોધનિબંધ તૈયાર કરાવનાર મારા માર્ગદર્શક પૂ. ડૉ. પૂર્ણિમાબહેન મહેતા જૈનકેન્દ્રના માનનીય ઈન્ચાર્જ પોતાના કાર્યમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં શોધનિબંધ તૈયાર કરાવવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો. યોગશતક ગ્રંથના પ્રથમ પ્રકરણ ૧ થી ૬નું અક્ષરશઃ અધ્યયન કરાવ્યું. અધ્યાત્માનાં ઉંડાણ સુધી પહોંચવાની કળા તેમની પાસેથી શીખવા મળી. ડૉ. પૂર્ણિમાબહેન માત્ર શોધનિબંધનાં જ નહી પરંતુ મારા જીવનનાં પણ ઘડવૈયા બન્યા. પારંગતમાં શોધનિબંધમાં પણ તેમનું સતત માર્ગદર્શન મળ્યું હતું. તેમને હૃદયથી શત શત પ્રણામ કરું છુ. - Page #10 -------------------------------------------------------------------------- ________________ બા.બ.પૂ. મુક્તાબાઈ મહાસતીજી તથા તેમનું સતીવૃંદ, ખંભાત સંપ્રદાયના બા. પૂ. મૃગેન્દ્રમુનિ. અન્ય સાધુ ભગવંતો તેમજ . પૂજ્ય શ્રી રોહિતાશ્રીજી મ.સા.નાં સુશિષ્ય પૂ. શ્રી ચંદદનબાળાશ્રીજી જેઓએ શોધનિબંધની શરૂઆતમાં જ પ્રોત્સાહન સાથે યોગસંબંધી અનેક પુસ્તકો પણ મેળવી આપ્યા તેમની હું ખુબ ઋણી છું. મૂર્તિપૂજકનાં મહાસતીજીઓનું પણ આવશ્યક માર્ગદર્શન મળતું રહ્યું છે. પૂ. શ્રી રોહિતાશ્રીજી મ. સા.નાં સુશિષ્યા પૂ. શ્રી ચંદનબાળાશ્રીજી જેઓએ શોધનિબંધની શરૂઆતમાં જ પ્રોત્સાહન સાથે યોગસંબંધી અનેક પુસ્તકો પણ મેળવી આપ્યા. તેમની હું ખુબ ઋણી છું. મારા સહાધ્યાયી હીનાબહેન શાહ તથા ડૉ. શીતલબેનની ખુબ આભારી છું. ચર્ચા વિચારણા દ્વારા સતત પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા છે. વિદ્યાપીઠ ગ્રંથાલય, જૈનદર્શન વિભાગ ગ્રંથાલય, આચાર્યશ્રી જંબુવિજયજી મહારાજસાહેબ જૈન ‘ઈ’ લાયબ્રેરીના સેટમાંના ગ્રંથો પ્રોજેક્ટના તેમજ સમયસરની પુસ્તકની માહિતી સાથે પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડનાર શ્રી ભદ્રબાહુ વિજયજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ લઘુશોધ નિબંધમાં સૌથી વધુ ઉપયોગી નીવડનાર અમૂલ્ય ગ્રંથોના તથા પુસ્તકોનાં રચયિતા અને વિવેચનકાર વગર મારું કાર્ય ક્યારેય પૂર્ણ થયું ન હોત તેમની જ્ઞાનગંગા અને અનુભવોનાં નિચોડથી મારું કાર્ય સુલભ બન્યું તે બધા ગ્રંથકાર, સંકલનકાર અનુવાદક વગેરેનો હું હૃદય પૂર્વક ઋણ સ્વીકાર કરું છુ. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના ગ્રંથપાલની તેમજ કર્મચારી ગણની આભારી છું. શ્રી કૈલાસસાગરસૂરિજીની કોબાની લાઈબ્રેરીમાંનાં શ્રી હીરલભાઈએ સમય સમય પર પુસ્તકો મેળવી આપ્યા છે તેમનો ખૂબ આભાર માનું છું. નામી-અનામી જેઓનો સહાકર મળ્યો છે, તેમનો આભાર માનું છું. જ્ઞાનીજનોનો પ્રત્યુપકા ક્યારેય વાળી શકાતો નથી. તેઓએ શાશ્વત સુખનો, પરમ સુખનો માર્ગ દર્શાવ્યો છે. યાકિની મહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના પાવન ચરણોમાં આ લઘુશોધ નિબંધ સમર્પિત કરી કૃતાર્થ થવા ઈચ્છું છું. જેઓએ યોગનાં અધિકારીના ગુણો કેળવવાની પ્રેરણા પૂરી પાડી છે. અને એક નવી દ્રષ્ટિ આપી છે. કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે શક્ય એટલી માહિતી મેળવવાની કોશિશ કરી છે. મારાથી મારા નિબંધમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો નમ્રતાપૂર્વક ક્ષમા યાચું છું. આ લઘુશોધ નિબંધથી કોઈને પણ જો સાચી દિશા, સાચી દ્રષ્ટિ મળે તો મારું કાર્ય સફળ થવા શક્ય બનશે. તા. ૩૦/૦૭/૨૦૧૧ જાગૃતિ નલિન ઘીવાલા Page #11 -------------------------------------------------------------------------- ________________ 'ESS પ્રકરણ-૧ જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય ૧.૧ ત્રિપદી ૧.૨ છ દ્રવ્ય ૧.૩ નવ-તત્વ ૧.૪ કર્મવાદ ૧.૫ અનેકાંતવાદ ૧.૬ મોક્ષમાર્ગ ૧.૭ શ્રમણા ચાર ૧.૮ શ્રાવકાચાર : દેશવિરતિ ચારિત્ર આચાર Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ : જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય सिध्धाणं णमो किच्चा, संजयाणं च भावओ ।' સિદ્ધ ભગવંતોને સંયત મહાત્માઓ - યોગી મહાત્માઓને ભાવપૂર્વક નમસ્કાર. જૈનદર્શન એ વિશેષ જીવન જીવવાની એક રીત છે. ધર્મદૃષ્ટિ ખુલતાં જીવનદર્શનની ક્ષિતિજોનો વિસ્તાર થાય છે. તેનું અનુસરણ કરતાં જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહોંચવાનું શક્ય બની શકે છે. જૈનદર્શન માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ છે, અનંત છે, શાશ્વત છે. જીવો અર્થાત્ આત્મા અનંતાનંત છે. અનાદિ-અવિનાશી છે. આત્મા સંસારના બંધનોમાંથી સર્વથા મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. ત્યાં સુધી એ ચોર્યાસી લાખ પ્રકારની જીવાયોનિમાં પોતાના કર્મ અનુસાર દેહ ધારણ કર્યા કરે છે. અને પરિભ્રમણ થયા કરે છે. જન્મ જન્માંતરની ગતિ આત્માને પોતાના કર્મના ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને આત્મા જ રાગ-દ્વેષને જીતી મુક્તિનો-મોક્ષનો અધિકારી બને છે. ‘જિન’ અને ‘જૈન' : ‘જિન’ શબ્દ ઉપરથી ‘જૈન’ શબ્દ બનેલો છે. “નિ” ધાતુ પરથી બનેલું ‘જિન’ નામ એ પોતાની ઈન્દ્રિયો જીતનાર, રાગ-દ્વેષ આદિ સર્વ દોષોથી રહિત છે તેવા તીર્થંકર - પરમાત્માનો પર્યાયવાચી શબ્દ છે. - ‘જિન’. અને જિનના ભક્તો જૈન કહેવાય છે. જિન પ્રતિપાદિત ધર્મ જૈનદર્શન કહેવાય છે. જૈનદર્શનનો અતધર્મ, અનેકાંત દર્શન, નિથશાસન, વીતરાગ માર્ગ એવા અનેક નામોથી વ્યવહાર કરવામાં આવે છે. છ દ્રવ્ય, નવ-તત્વ, કર્મવાદ, અનેકાંતવાદ, મોક્ષમાર્ગ વગેરે જૈનદર્શનના પ્રતિપાદ્ય વિષયો છે. ૧.૧ ત્રિપદી તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીએ વૈશાખ સુદ-૧૧ ના રોજ આજના બિહાર રાજ્યના મધ્યમાં પાવાપુરી નગરીનાં ઉપવનમાં ધર્મતીર્થની સ્થાપના કરી. આ સમયે તેઓએ પોતાના મુખ્ય ૧૧ ગણધરોને ત્રણ વાક્યોમાં ઉપદેશ આપ્યો. આ ત્રણ વાક્યો જૈન વાઙમયમાં ‘ત્રિપદી’ થી પ્રસિધ્ધ છે. જેમાં સંપૂર્ણ તત્વજ્ઞાન સમાવિષ્ટ છે. વસ્તુ ઉત્પન્ન થાય છે. (ઉત્પત્તિ) વસ્તુ વિગમ પામે છે. (નાશ) વસ્તુ ધ્રુવપણે સ્થિર રહે છે. (સ્થિત) उपन्नइवा विगमवा धुवड्वा Page #13 -------------------------------------------------------------------------- ________________ જે સતું છે તે દ્રવ્ય છે. જુદી જુદી અવસ્થાઓ, પર્યાયો બદલાવા છતાંય જેનું મૌલિક રૂપ અને શક્તિ ધ્રુવપણે યથાવત રહે છે. તે દ્રવ્ય છે. દ્રવ્યના દરેક અંશમાં પ્રતિપળે પરિવર્તન થતું રહે છે. ઉત્પત્તિ અને નાશની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરંતુ દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ સ્થિર રહે છે. ૧.૨ છ દ્રવ્ય જૈનાચાર્યો સત, તત્વ, અર્થ, દ્રવ્ય, પદાર્થ, તત્વાર્થ આદિ શબ્દોનો પ્રયોગ પ્રાયઃ એક જ અર્થમાં કરતા રહ્યા છે. જેનદર્શનમાં તત્વ સામાન્ય માટે આ બધા શબ્દોનો પ્રયોગ થયો છે. જૈનદર્શન તત્વ અને સત્ ને એકર્થક માને છે. બંનેમાં કોઈ ભેદ નથી. તે ઉમાસ્વાતિજીના ‘તત્વાર્થસૂત્ર' નાં સત દ્રવ્યનક્ષત સૂત્રથી સિદ્ધ થાય છે. જૈન વાડમયમાં વિભિન્ન અપેક્ષાએ દ્રવ્યનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. (૧) “ ગુમાસમો જે ગુણોનું આશ્રયસ્થાન છે, તે દ્રવ્ય છે; અનંત ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. તેને જ સ્પષ્ટ કરતાં તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, (૨) “ત્પાદ્રવ્ય પ્રૌવ્યયુi સત છે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. તે સત છે. તે દ્રવ્ય છે. પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે. નષ્ટ થાય છે અને સ્થિર રહે છે. – ऊप्पन्नेइ वा, विगमई वा, धुवड़वा ।' (૩) ગુખ પર્યાયવત્ દ્રવ્યમ જે ગુણ અને પર્યાયવાન છે તે દ્રવ્ય છે. સંક્ષેપમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય નામ, સંખ્યા અને લક્ષણની દ્રષ્ટિએ જુદા પડે છે. ત્રણેનાં નામ અલગ અલગ છે. દ્રવ્યની સંખ્યા છ છે, જ્યારે તેના ગુણો અને પર્યાયોની સંખ્યા અનંત છે. દ્રવ્ય જુદા જુદા પદાર્થોમાં ગમન કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યરૂપ લોક છે. મુખ્ય દ્રવ્ય જીવ અને અજીવ છે. (૧) ધર્માસ્તિકાય દ્રવ્ય : - ગતિમાં સહાયક થવું એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. સર્વવ્યાપી છે. અરૂપી છે. નિત્ય સ્થિત છે. ગતિનો અર્થ છે એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયા. ધર્માસ્તિકાય આ ગતિ યા ક્રિયામાં સહાયક છે. માછલી સ્વયં તરે છે. આ ક્રિયા પાણી વિના શક્ય નથી. પાણી તરવામાં સહાયક છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્ય : સ્થિતિમાં સહાયક થવું એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. અધર્માસ્તિકાય પણ સમસ્ત લોકવ્યાપી છે. અરૂપી છે. નિત્ય સ્થિત છે. જેમ વૃક્ષની છાયા મુસાફરને વિશ્રામ કરવામાં સહાયક બને છે. તેમ અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદગલને સ્થિતિ કરવામાં સહાયક બને છે. - 2 - Page #14 -------------------------------------------------------------------------- ________________ આકાશાસ્તિકાય દ્રવ્ય : સર્વ દ્રવ્યોનું આધારભૂત આકાશાસ્તિકાય દ્રવ્ય છે. અને તે અવગાહન પ્રદાન લક્ષણવાળું છે. તે સર્વવ્યાપી છે. અમૂર્ત છે. અને અનંત પ્રદેશોવાળું છે. તેમાં જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને કાળ બધા દ્રવ્યો રહે છે, તે અરૂપી છે. તેના બે વિભાગ છે : (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. (3) જીવાસ્તિકાય દ્રવ્ય : ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપયોગ, તે જીવ દ્રવ્યનાં જ લક્ષણો છે. અન્ય દ્રવ્યોમાં આ ગુણો હોતા નથી. णाणं च दंसणं चेव, चरितं च तवो तहा । (૪) વીયિં ોનો ય, વં નીવફ્સ નવશ્ર્વનું ।। ઉ. સૂત્ર ૨૮/૧૧. સામાન્ય રીતે જીવનાં બે ભેદો પડે છે. (૧) સંસારી (૨) મુક્ત સંસારી જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવો સંસારી જીવો. સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષગતિના જીવો મુક્ત જીવો. જીવનાં બે ભેદ સ્થાવર (પોતાની જાતે ગતિ કરી શકતા નથી) 1 પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય બાદર સ (જે ગમનાગમન કરી શકે છે) Į મુક્તજીવ 3 દ્વીઈન્દ્રિય, ત્રિરિન્દ્રય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય સંજ્ઞી સૂક્ષ્મ (૫) પુદ્દગલાસ્તિકાય દ્રવ્ય : શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને તપ તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુદ્દગલનાં લક્ષણ છે.” ‘પુદ્દગલ’ શબ્દ જૈનદર્શનમાં જડ પદાર્થો માટે વપરાતો પારિભાષિક શબ્દ છે. ‘પુદ’ = ભેગું થવું, ‘ગલ’ = વિખેરાવું. જે ભેગા થાય અને વિખેરાય તે પુદ્દગલ દ્રવ્ય છે. તેમાં નવા નવા રૂપો ઉત્પન્ન થાય છે. અને વિનિષ્ટ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૮માં મોક્ષમાર્ગ ગતિનાં અધ્યયનની ૧૨મી ગાથામાં પુદ્દગલનાં ૧૦ લક્ષણો બતાવ્યા છે. તેમાં વર્ણ - અસંજ્ઞી Page #15 -------------------------------------------------------------------------- ________________ ગંધ - રસ - સ્પર્શ એ ચાર પુદગલનાં ગુણ છે. અને શબ્દ - અંધકાર - ઉદ્યોત - પ્રભા - છાયા અને આતપ આ છ પુદગલનાં પરિણામ યા કાર્ય છે. આ પુદગલનાં ગુણ અને પરિણામોનું સંકલન છે. જેમાં ગુણ હંમેશા દ્રવ્યની સાથે રહે છે. અને પરિણામ યા કાર્ય નિમિત્ત મળે પ્રગટ થાય છે. પુદગલ દ્રવ્યનાં બે ભેદ છે. (૧) પરમાણુ – પુદગલ દ્રવ્યનો અવિભાજ્ય અંશ તે ‘પરમાણુ (૨) સ્કંધ – બે કે તેથી વધુ પરમાણું ભેગા મળીને જે રૂપ ધારણ કરે તે “સ્કંધ (૬) કાળ : પરિવર્તનનું જ કારણ છે તેને અધ્ધાસમય યા કાળ કહે છે. મુહુર્ત, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા કાળના વિભાગો છે. નવા નવા રૂપાંતર, ભિન્ન - ભિન્ન પરિવર્તન, જુદા જુદા પરિણામ કાળને આભારી છે. ૧.૩ નવ-તત્વ આત્માને કર્મોનો બંધ કેવી રીતે થાય છે. જીવ સંસારમાં કેવી રીતે પરિભ્રમણ કરે છે. અને કર્મનો ક્ષય કરી આત્મા કેવી રીતે મુક્તિ પામે છે. ઈત્યાદિની વિચારણા જૈનદર્શનમાં નવતત્વો દ્વારા ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે. આ નવ તત્વો આ પ્રમાણે છે. ગીવા, મનીવા, , પાવું. માવો, સંવરો, ળિક્નરો, વંધો, મોવો | (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા. (૮) બંધ અને (૯) મોક્ષ (૧) જીવતત્વ : ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, જીવનું લક્ષણ ઉપયોગ છે. અર્થાત ચેતના છે. જ્ઞાન - દર્શન રૂપી ઉપયોગ, સુખદુઃખ કે અનુકુળતા-પ્રતિકુળતાની અનુભૂતિ તેમજ સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઈન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે. જીવો અનંત છે. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવનાં ભેદપ્રભેદનું આગળ વર્ણન થઈ ચૂક્યું છે. (૨) અજીવતત્વ : જેમાં ચેતના નથી, સુખ-દુઃખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય છે. અજીવનાં પાંચ પ્રકાર દ્રવ્યમાં સમાવિષ્ટ છે. (૩) પુણ્ય તત્વ : જે તત્વ આત્માને શુભ તરફ લઈ જાય છે, તે પુણ્ય તત્વ. મન-વચન-કાયાથી થતાં શુભ કર્મો તે પુણ્ય, દાન, શીલ, તપ, શુભભાવથી પુણ્ય બંધાય છે. પરિણામે ઉત્તમ કુળ, આરોગ્ય, રૂપ, સંપત્તિ, કીર્તિ, સારો પરિવાર, શુભ સંયોગો, દીર્ધાયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. પુણ્યના નવ પ્રકાર નીચે મુજબ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧) અન્ન પુણ્ય (૪) લયન પુણ્ય (ઘરનો આશ્રય) (૫) શયન પુણ્ય (૨) પાન પુણ્ય (૩) વસ્ત્ર પુણ્ય (૬) મન પુણ્ય (નિયંત્રણ) (૯) નમસ્કાર શુભકર્મ કે પુણ્ય મોક્ષપ્રાપ્તિ પ્રક્રિયાને સુગમ બનાવે છે. અહીં મોક્ષ માત્ર માનવ-આદર્શ નથી, પરંતુ સમગ્ર જીવનો આદર્શ છે.૨ (૪) પાપ તત્વ : જે તત્વ આત્માને અશુભ તરફ લઈ જાય છે. તે પાપ તત્વ. મન-વચન-કાયાથી થતાં અશુભ કર્મો તે પાપ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, કષાયો વગેરેથી પાપ બંધાય છે. પાપને પરિણામે જીવ વિવિધ પ્રકારનાં દુઃખો ભોગવે છે. પાપનાં ૧૮ પ્રકારો છે. (૧) પ્રાણાતિપાત (૭) માન (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) અબ્રહ્મચર્ય (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૮) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) કલેશ આસક્તિ શુભાશુભ કર્મોનું અંતિમ કારણ છે, અને વ્યક્તિને બંધનમાં રાખે છે. તેથી જ તીર્થંકર મહાવીરે કહ્યું છે કે, “પુણ્ય અને પાપ બંનેના ક્ષયથી જ મુક્તિ-મોક્ષ મળે છે.” આધ્યાત્મિક પૂર્ણતા-પંથના પ્રવાસીએ અનાસક્ત-વિરક્ત વલણ અપનાવવું જોઈએ. (૫) આશ્રવ તત્વ : (૬) (૭) વચન પુણ્ય (૮) શરીર પુણ્ય પુણ્ય કે પાપરૂપી કર્મોનો આત્મા સાથે સંબંધ થવાનાં નિમિત્તો કે કારણોને આસ્રવ કહે છે, મન-વચન-કાયાના શુભ કે અશુભ વ્યાપારોથી કર્મના પુદ્દગલો જે દ્વારથી આત્મામાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આશ્રવ તત્વ. આશ્રવનાં બે પ્રકારો છે. (૧) ભાવાશ્રવ (૨) દ્રવ્યાશ્રવ (૧) પ્રકૃતિબંધ. (૨) પ્રદેશબંધ (6) (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશુન્ય (૧૫) પર - પરિવાદ (૧૬) રતિ - અરતિ (૧૭) માયામોષો (૧૮) મિથ્યાદર્શનશલ્ય બંધ તત્વ : કર્મના પુદ્દગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. દૂધ અને પાણીના જેવો કર્મનાં પુદ્દગલો અને આત્મા સાથે યોગ થાય છે બંધના ૪ પ્રકારો છે. સ્થિતિબંધ (3) (૪) અનુભાગ / અનુભાવ બંધ આત્માની પ્રવૃતિ ભાવાશ્રવ છે. → આત્મામાં પ્રવેશતું કર્મ દ્રવ્યાશ્રવ છે. ઉમાસ્વાતિજી આશ્રવને માત્ર મન-વચન અને કાયાનું કાર્ય જ માને છે. સંવર તત્વ : આશ્રવનો નિરોધ એટલે સંવર. જે નિમિત્તોથી કર્મો બંધાય છે. તે નિમિત્તો ને રોકવા તેનું નામ સંવર તત્વ, કર્મ બંધાતું અટકે તે ‘સંવર’ છે. ‘દ્રવ્યસંગ્રહ' નામના ગ્રંથમાં સંવરના પ્રકારો નીચે મુજબ છે. 5 Page #17 -------------------------------------------------------------------------- ________________ સંવરના પ્રકારો (૧) (૨) (૩) (૪) | (૫). (૬) I ! ! ! વત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિષજય ચારિત્ર (૮) નિર્જરા તત્વ: પૂર્વ બંધાયેલા કર્મોનાં ક્ષયની પ્રક્રિયા તે નિર્જરા તત્વ નિર્જરાનાં બે ભેદ છે. સકામ નિર્જરા > જે તપ, સંયમ, ધ્યાન દ્વારા કર્મની નિર્જરા થાય છે. અકામ નિર્જરા > જે બંધાયેલા કર્મો અપરિપક્વ થઈને ક્ષય થઈ જાય છે. સ્વભાવિક કર્મક્ષય તે અકામ નિર્જરા છે. ૧.૪ કર્મવાદ ભારતીય તત્વચિંતનમાં કર્મવાદ કે કર્મસિદ્ધાંત અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. ચાર્વાક દર્શન સિવાય સર્વ ભારતીય દર્શનો ‘કર્મવાદ' સ્વીકારે છે. જૈનદર્શન કર્મ - સિદ્ધાંતનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વગપૂર્ણ નિરૂપણ કરે છે. જૈન સાહિત્યમાં આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવયાંગ સૂત્ર, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) અને ઉત્તરાધ્યયન સુત્રમાં આ સિદ્ધાંત અંગે વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ કર્મવાદ ઉપર ઉપલબ્ધ છે. જૈનકર્મવા આલસ્યવાદ કે નિરૂદ્યમવાદ નથી, પણ યોગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્નને અવકાશ આપતો ઉપયોગી સિદ્ધાંત છે." જીવાત્માઓ પ્રતિક્ષણ જાગતા કે ઉંઘમાં, મન-વચન-કાયાનાં યોગ અને અધ્યવસાયથી જે જે શુભ – અશુભ કર્મો કરે છે. તે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદગલ-પરમાણુઓને પોતાના આત્મા પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે. ત્યારે આત્માને ચોંટેલા તે પુદગલો ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. ત્યારે બાકીનાં કર્મ પુદ્ગલ-પરમાણુઓને સાથે લઈ જાય છે, આમ નવા કર્મો બંધાવાની અને જૂના કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર જન્મ - જન્માંતર ચાલ્યા જ કરે છે. કર્મો આઠ પ્રકારના છે. અને આઠેય કર્મો પુરુષાર્થ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય થાય છે. ત્યારે આત્મા મુક્તિપદ પામે છે મોક્ષમુક્તિ પછી આત્માને ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી. તે આઠ કર્મો નીચે પ્રમાણે છે : માવો નાન – ટર્શનાવરણ – વેનીસ – મોનીયાયુદ્ધ - નામ - ગોત્રીન્તરાયાઃ is (૧) જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનાવરણીય કર્મ (3) વેદનીય કર્મ (૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ (૧) નામ કર્મ (૭) ગોત્ર કર્મ (૮) અંતરાય કર્મ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧.૫ અનેકાંતવાદ અનેકાંતવાદ એ જૈનદર્શનનો એક મહત્વનો સિદ્ધાંત છે. અનેકાંતવાદ એટલે અનેક દ્રષ્ટિબિંદુથી કથન. અનેકાંતવાદ પદાર્થની અનેકાત્મકતા અભિવ્યક્તિ છે. પ્રત્યેક પદાર્થ અનંત લક્ષણ યુક્ત છે. કોઈપણ વસ્તુનાં અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુનાં પ્રત્યેક ધર્મને, ગુણને, અંતને પુરી રીતે તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું તે અનેકાંતવાદ. કોઈપણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઈત્યાદિને વધુમાં વધુ ઉંડાણથી તપાસવાં અને તેમાં દેખાતા પરસ્પર વિરોધી એવા તત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે. પરંતુ તેના સ્વરૂપ અનંત હોઈ શકે છે. સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંતવાદ. અનેકાંતવાદ માટેનો પારિભાષિક શબ્દ છે. “સ્યાદવાદ'. ચાત એટલે કથંચિત, કેટલુંક જાણવા મળ્યું છે. પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને અમલમાં મુકવાની રીત, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્વાદ છે. અનેકાંતવાદ ને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે. વિસંવાદ દૂર થાય છે, કલેશ ઓછો થાય છે. સમભાવ જન્મે છે. મિત્રતા વિકસે છે. અને સંવાદ-શાંતિ સ્થપાય છે. આથી, જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે છે. ૧.૭ મોક્ષમાર્ગ મોક્ષ એટલે સર્વથા કર્મબંધનથી મુક્તિ. સર્વથા કર્મના બંધનથી મુક્ત થઈને પોતાના શુદ્ધ આત્માસ્વરૂપમાં સ્થિર થવું તેનું નામ મોક્ષ. મોક્ષના સાક્ષીરૂપ ઉત્તરાધ્યયન સૂત્રનો શ્લોક : अत्थि एवं ध्रुवं ठाणं, लोग्गम्मि दुशरुह । – નત્રિ ગરા મળ્યું, વાદિળો વેરશૂળી તા | - અધ્યયન ૧૨. ગાથાર્થ ઃ આ લોકમાં એક જ ધૃવસ્થાન છે. ચઢવું કઠીન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના નથી. આ મોક્ષમાર્ગનો પાયો છે સમ્યકત્વ. “સમ્યકત્વ' અર્થાત આત્માની સુંદરતા, સારાપણું, સાચાપણું. તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે – સીગદર્શન જ્ઞાન પરિત્રાળ મોક્ષમાર્ગ ' (સૂત્ર-૧.૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષમાર્ગ છે. રત્નત્રય એ આત્માના જ મૂળ ગુણ છે અને એ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે. અને એમાંથી કોઈપણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ દર્શન : ઉમાસ્વાતિજી સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપતા કહે છે કે तत्वार्थश्रध्धानं સભ્યન્તર્શનમ્ા(સૂત્ર-૧.૨) સમ્યગદર્શન એટલે દેવ, ગુરૂ અને ધર્મમાં સાચી શ્રદ્ધા, સાચી રુચિ જીવાદિ તત્વોને એનાં મૂળ સ્વરૂપમાં સમજવા અને તેમાં શ્રદ્ધા રાખવી. સમ્યક્ જ્ઞાન : નય અને પ્રમાણથી થનારું જીવાદિ નવ તત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યગ્ જ્ઞાન. જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન વડે જ આત્મા પદાર્થને જાણે છે. જ્ઞાન વડે જ આત્મા પોતાનું હિતાહિત સમજી-જાણી પાપકાર્યોથી નિવૃત્ત થતાં શુભકાર્યોમાં પ્રવૃત થાય છે. અને આત્મા વિશુદ્ધ થાય છે. અને દર્શનમાં દૃઢ થાય છે. સમ્યક્ ચરિત્ર : તત્વજ્ઞાનનું ફળ પાપકર્મથી હઠવું એ છે સમ્યક્ચારિત્ર. મોક્ષ માટે સમ્યગ્નાનની સાથે સમ્યક્ચારિત્રની આવશ્યકતા છે. ક્રિયાવિહીન જ્ઞાન કે અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રનાં વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે. તપ, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જૈનદર્શનમાં આચાર ધર્મનું મહત્વ દર્શાવ્યું છે. આ આચારધર્મ બે વિભાગમાં વિભાજીત છે. જેનું વર્ણન આગળનાં એકમમાં કરવામાં આવ્યું છે. શ્રમણાચાર સમ્યક્ ચારિત્રના પાલન માટે જે વિધિ નિયમોનું પાલન કરાય તે આચાર છે. માપવારો પ્રથમો ધર્મઃ । સાધકની સાધ્ય સિદ્ધિ આચારથી જ થાય છે. તેથી આચાર તે સાધુજીવનનો પ્રાણ છે. ધર્મના પ્રયોજનભૂત મોક્ષની જ કામના કરનાર નિગ્રંથ શ્રમણાચારનાં પાંચ મહાવ્રત આ પ્રમાણે છે. મહાવ્રતનું પાલન એ શ્રમણજીવનની સાધના છે. કારણ કે તેઓ હિંસા વગરેના પૂર્ણતઃ ત્યાગી હોય છે. (૧) ૧.૭ પ્રાણાતિપાત વિરમણ વ્રત (અહિંસા મહાવ્રત) : જૈનદર્શન પ્રમાણે આત્મતત્વની દ્રષ્ટિએ બધા જીવો સમાન છે. જ્યારે જૈન સાધુસાધ્વીઓ અહિંસાવ્રત લે છે. ત્યારે તેઓ જીવકાયની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. અહિંસાના સ્વરૂપને સમજીને શ્રમણ જાણતા-અજાણતા બંને પ્રકારની હિંસાનો ત્યાગ કરે છે. જાણતા એટલે સંકલ્પપૂર્વકનો હિંસાત્યાગ. અજાણતા એટલે અયતના, અવિવેકથી પણ હિંસા-ત્યાગ. (૨) સર્વવિરત પૃષાવાદ વિરમણ વ્રત (સત્ય મહાવ્રત) : સર્વવિરત શ્રમણ મૃષાવાદ-અસત્યનો પણ ત્યાગ કરે છે. તેઓ ક્રોધ, ભય, માન, માયા, લોભ, હાસ્ય વગેરે કોઈપણ કારણથી અસત્યનો સર્વથા ત્યાગ કરે છે. 8 Page #20 -------------------------------------------------------------------------- ________________ (3) સર્વવિરત અદત્તાદાન વિરમણ વ્રત (અસ્તેય મહાવત) - આ વ્રતયુક્ત શ્રમણ કોઈપણ નહિ આપેલ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેઓ અનુમતિ વિના એક તૃણને ઉઠાવવાને પણ ચોરી માને છે. ભિક્ષામાં પણ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ લેવી એ પણ વ્રતનાં ભંગ સમાન માને છે." (૪) સર્વવિરત મૈથુન વિરમણ વ્રત (બ્રહ્મચર્ય મહાવ્રત) શ્રમણ માટે મૈથુનનો સંપૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેઓ મન-વચન-કાયાથી શુદ્ધ અને સંપૂર્ણ પાલન કરે છે. અબ્રહ્મચર્યમાં જીવહિંસા રહેલી છે. એટલું જ નહિ, આત્મોન્નતિમાં તે બાધક છે. હિંસાદિ દોષો અને કલહ-સંઘર્ષ-વિગ્રહનો જન્મ થાય છે. આ બધું સમજીને નિગ્રંથ મુનિ મૈથુનનો સર્વથા ત્યાગ કરે છે.૨૨ (૫) અપરિગ્રહ મહાવતઃ સર્વવિરત શ્રમણ માટે સર્વ પરિગ્રહ વિરમણ પણ અનિવાર્ય છે. કોઈપણ વસ્તુનો મમત્વમૂલક સંગ્રહ પરિગ્રહ છે. શ્રમણ પૂર્ણપણે અનાસક્ત અને અકિંચન હોય છે. એટલું જ નહિ, તે પોતાના શરીર ઉપર પણ મમત્વ રાખતા નથી. મમત્વ અથવા આસક્તિ આંતરિક ગ્રંથિ છે. જે સાધન આ ગ્રંથિનું છેદન કરે છે તે નિર્ગથ મુનિ કહેવાય છે. (૬) રાત્રિભોજન ત્યાગ : સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત રાત્રિ દરમ્યાન શ્રમણ સર્વ પ્રકારનાં આહારનો પૂર્ણપણે ત્યાગ કરે છે તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. દશવૈકાલિક સૂત્રના ષડજીવનિકાય નામના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતોની સાથે રાત્રિભોજન વિરમણનું પ્રતિપાદન છે. અને તેને છઠું વ્રત કહ્યું છે. સર્વવિરતિ શ્રમણ પંચમહાવ્રતોનાં પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, બાર ભાવના, દસ યતિધર્મ ઈત્યાદિનું પાલન કરે છે. આગમગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વિશદ વર્ણન પરિશિષ્ટ-૧માં આપવામાં આવેલ છે. ૧.૮ શ્રાવકાચાર : દેશવિરતિ ચારિત્ર આચાર જૈન આચારશાસ્ત્રમાં વ્રતધારી ગૃહસ્થ શ્રાવક, ઉપાસક, અણુવતી, દેશવિરત, સાગાર આદિ નામે ઓળખાય છે. તે શ્રદ્ધાપૂર્વક પોતાના ગુરુજનો અર્થાત્ શ્રમણો પાસેથી નિગ્રંથ - પ્રવચનનું શ્રમણ કરે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પાર -ત્રણ દિવત પાંચ મહાવ્રતોનું શ્રમણો જેટલું કઠીન પાલન કરી શકે તેટલું કઠીન પાલન ગૃહસ્થશ્રાવકો કરી શકે નહી. એ મહાવ્રતોના પાલનમાં થોડીક છૂટ મુકવામાં આવી છે. તેથી ગૃહસ્થે પાળવાનાં એ પાંચ વ્રતો ‘અણુવ્રતો' તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત શ્રાવકે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે. સ્થૂલ પ્રાણાતિપાત સ્થૂલ મૃષાવાદ શ્રાવકાર શિ પરિમાણવ્રત (૧) પાંચ અણુવત સ્થૂલ અદત્તાદાન ત્રણ ગુણવ્રતો આચાર્ય સામંતભદ્રજી ત્રણ ગુણવ્રતોનો ઉલ્લેખ કરે છે. જે આ વ્રતો અણુવ્રત પાલનમાં સહાયરૂપ થવા માટેના પૂરક વ્રતો છે. ત્રણ ગુણવ્રત ધ ઉપભવત ચાર શિક્ષાવ્રત Restiamentele . સ્થૂલ મૈથુન 10 પરિગ્રહ પરિમાણ ત દિક્ પરિમાણ વ્રત : વેપાર, વ્યવહાર, ઈત્યાદિ માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી જુદી દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધી લેવી. (૨) ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત : ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નોકર, ચીજવસ્તુઓ ઈત્યાદિ ભોગ - ઉપભોગ વસ્તુનાં ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૩) અનર્થ - દંડ વિરમણ વ્રત : અનર્થદંડ અર્થાત નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત રહેવું. તે ત્રીજું ગુણવત છે. કોઈને શસ્ત્રો આપવા, પ્રાણીઓ લડાવવા, ઈત્યાદિ કાર્યો જેમાં સ્કૂલ - સૂક્ષ્મ હિંસા રહેલી હોય તેવા અનાવશ્યક કાર્યો ન કરવા. ચાર શિક્ષાવત : શિક્ષાનો અર્થ છે અભ્યાસ. શ્રાવકને કેટલાક વ્રતોનો પુનઃ પુનઃ અભ્યાસ કરવાનો હોય છે. અણુવ્રત અને ગુણવત એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે શિક્ષાવત વારંવાર ગ્રહણ કરવામાં આવે છે. શિક્ષાવ્રત ચાર છે. ( શિક્ષાદિત - ૬ વ . પષય ના T દેશાવગાસિક અતિથિ વતી સૈવિભાવત (૧) સામયિક વ્રત : શુદ્ધ થઈને ૪૮ મિનિટમાં નિશ્ચિત સમય માટે એક આસન પર બેસીને સર્વ પાપક્રિયાઓ નો ત્યાગ કરી તથા ઈન્દ્રિયોને મનને સંયમમાં રાખી પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં કે સ્વાધ્યાય કરતાં કરતાં શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું વ્રત છે. સામયિક કરનાર ગૃહસ્થ એટલો સમય સાધુ સમાન ગણાય છે. (૨) દેશાવગાસિક વ્રત : અન્ય વ્રતોમાં જે મર્યાદા બાંધી હોય તેમાં પણ જ્યાં અસંયમ જણાતો હોય ત્યાં સંયમમાં રહેવા માટે એ મર્યાદાઓ ક્રમે ક્રમે ઓછી કરતાં જવું એ માટે આ વ્રત છે. (૩) પૌષધ વ્રત : વિશેષ નિયમપૂર્વક ઉપવાસ કરવા એટલે કે આત્મચિંતન માટે બધી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરી શાંતિપૂર્ણ સ્થાને બેસીને ઉપવાસપૂર્વક, ધાર્મિક ક્રિયાઓમાં રત રહી સાધુ જેવું જીવન અંગીકાર કરવાનું હોય છે. (૪) અતિથિ સંવિભાગ વૃત : સાધુ અને સાધ્વી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર ઈત્યાદિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું તે આ વ્રત. શ્રમણો અને શ્રાવકોએ પોતાનાં વ્રતનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રત પાળવાનું હોય છે. પરમ તત્વને પામવા માટે, કર્મનો સર્વથા ક્ષય કરવા માટે અનેક ઉપાયો જૈનદર્શનમાં દર્શાવેલ છે. તેમાનું એક સર્વોત્કૃષ્ટ ઉપાય તે યોગ છે. જે મનુષ્યને જીવમાંથી શિવ બનાવે છે. આત્મામાંથી પરમાત્મા બનાવે છે. આ યોગનું જૈન સાહિત્યમાં શું સ્થાન છે તે પ્રકરણ-રમાં દર્શાવેલ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ (૧) (૨) ૩) ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨/૧, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી. જૈનધર્મ, લેખક : રમણલાલ ચી. શાહ, સંપાદક : વાડીલાલ ડગલી, ૫-૩ જૈનધર્મ દર્શન, લેખક : ડૉ. મોહનલાલ મહેતા, અનુવાદક : ડૉ. નગીન જી. શાહ, પૃ. ૭૫ તત્વાર્થસૂત્ર, અધ્યાય ૨/૨૯. (૫) ઉત્તરાધ્યયન સૂત્ર, ભાગ-૨, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી. પૃ-૧૩૮ તત્વાર્થસૂત્ર, અધ્યાય ૫/૩૦. (૭) એજન, ૫/૩૮. (૮) એજન, એજન (૯) જૈનદર્શન, લેખક : પ્રા. ઝવેરીલાલ વિઠ્ઠલદાસ કોઠારી, પૃ.-૮૩ (૧૦) ઉત્તરાધ્યયન સૂત્ર, ભાગ-૨, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી. પૃ.-૧૩૮ (૧૧) એજન, એજન પૃ.-૧૩૯ (૧૨) જૈનદર્શન, લેખક : પ્રા. ઝવેરીલાલ વિઠ્ઠલદાસ કોઠારી, પૃ-૧૩૪ (૧૩) એજન, એજન પૃ-૧૩૫ (૧૪) એજન, એજન પૃ.-૧૩૮ (૧૫) એજન, એજન પૃ-૩૦૪ (૧૬) તત્વાર્થસૂત્ર, ઉમાસ્વામીવિરચિત. (૧૭) જૈનધર્મ પરિચય પુસ્તિકા, પુસ્તિકાર પ્રવૃત્તિ : રમણલાલ ચી. શાહ, પૃ.-૨૯ (૧૮) જૈનદર્શન, લેખક : પ્રા. ઝવેરીલાલ વિઠલદાસ કોઠારી, પૃ.-૩૨૦ (૧૯) જૈનદર્શન, ખંડ પહેલો અને બીજો, લેખક: મુનિ ન્યાયવિજયજી, ૫-૫૪ (૨૦) દશવૈકાલિક સૂત્ર, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી, અધ્યયન-૬.૧૨, પૃ. ૨પ૦ (ર૧) જૈનધર્મ પરિચય પુસ્તિકા, પુસ્તિકાર પ્રવૃત્તિ : રમણલાલ ચી. શાહ, પૃ-૧૮ (૨૨) શ્રી દશવૈકાલિક સૂત્ર, સંપાદિકા - પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી. (૨૩) શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યાય-૬/૧૬-૧૭, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી. (૨૪) જૈનદર્શન, લેખક : પ્રા. ઝવેરીલાલ વિઠ્ઠલદાસ કોઠારી, પૃ-૨૬૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-ર | જૈન સાહિત્યમાં યોગ ૨.૧ “યોગ' શબ્દનો અર્થ અને યોગનું લક્ષણ ૨.૨ આગમયુગમાં યોગ (ઈ.સ. પૂર્વ કઠી થી ઈ.સ.ની ૭મી સદી સુધી) ૨.૩ મધ્યયુગમાં યોગ (ઈ.સ. ૮મી સદીથી ૧૪મી સદી) ૨.૪ અર્વાચીન યુગમાં યોગ (ઈ.સ. ૧૫મી સદીથી વર્તમાન સમય) ૨.૫ યોગનાં ભેદ-પ્રભેદ ૨.૬ યોગીઓના પ્રકાર SS Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ઃ જૈન સાહિત્યમાં યોગ જૈનદર્શનમાં વિશ્વનો પ્રત્યેક આત્મા અનંત તેમજ અપરિમિત શક્તિઓનો પ્રકાશ પુંજ છે. જેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય અંતનિહિત છે. આત્મા પોતે જ જ્ઞાનવાન છે, જ્યોર્તિમય છે, શક્તિ સંપન્ન છે, મહાન છે. તેમાં યોગસ્થિરતાનો અભાવ અસફળતાનું મૂળ કારણ છે. આ અંગત શક્તિઓને અનાવૃત કરવા, પોતાનાં લક્ષ્ય સુધી પહોંચવા માટે મન - વચન - કર્મમાં એકરૂપતા, એકાગ્રતા, તન્મયતા તેમજ સ્થિરતા આવશ્યક છે. અને આ આત્મચિંતનમાં સ્થિરતા લાવવાનું નામ જ “યોગ” છે. ડૉ. સી. ડી. શર્મા તેમની ઈન્ડીઅન ફીલોસોફીમાં જણાવે છે કે, “The word Yoga' literally means union”. આત્મવિકાસ માટે યોગ એક પ્રમુખ સાધના છે. ૨.૧ “યોગ' શબ્દનો અર્થ અને યોગનું લક્ષણ “યોગ' શબ્દ ચુન ધાતુ અને ઘન પ્રત્યયથી બન્યો છે. સંસ્કૃત વ્યાકરણમાં “યુગ' ધાતુનાં બે અર્થ છે. અર્થાત મન-વચન-કાયાનો વ્યાપાર-પ્રવૃત્તિ તે યોગ. આ અર્થ પ્રમાણે સારી કે ખરાબ પ્રવૃત્તિને યોગ કહે છે. આ યોગ પ્રવૃત્તિરૂપ હોવાથી બંધનું કારણ બને છે. યુગ અર્થાત : જોડવું, સંયોજિત કરવું, “યુનુ યોગે !' યુગ અર્થાત્ : સમાધિ, મનની સ્થિરતા. “નિંગ સમાધિ !' આજ અર્થને પાતાંજલ યોગસૂત્ર-૧નાં ભાષ્યમાં જરા જુદી રીતે સ્પષ્ટ કર્યો છે. જે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની સમાધિ પ્રાપ્ત થવી તે યોગ છે. ભારતીય યોગદર્શનમાં ‘યોગ' શબ્દનો બંને અર્થમાં પ્રયોગ થયો છે. તે ઉપરાંત ભિન્ન ભિન્ન સંદર્ભમાં ભિન્ન ભિન્ન અર્થમાં પણ “યોગ' શબ્દપ્રયોગ છે. આચાર્ય હરિભદ્રસુરિજી જેઓને જૈનપરંપરામાં યોગ વિષયક અવધારણાને પરમાર્જિત કરવાનું શ્રેય જાય છે. તેઓ પોતાનાં યોગ વિષયક ગ્રંથોમાં “મુવેબ ચોનના ગોળો | અર્થાત “મોક્ષની સાથે જોડે તે યોગ. - આ યોગની પ્રચલિત વ્યાખ્યાનાં આધારે યોગનું લક્ષણ બતાવતાં કહે છે કે, “પરિશુધ્ધ ધર્મવ્યાપાર આત્માને મોક્ષની સાથે જોડતો હોવાથી તે “પરિશુધ્ધ ધર્મવ્યાપાર' તે યોગ છે.' અહીં પરિશુદ્ધ એવા વિશેષણ થી વિશિષ્ટ ધર્મવ્યાપારને યોગ તરીકે ઓળખાવ્યો છે. આ પરિશુધ્ધ પદની વ્યાખ્યા કરતાં સૂરિજી “ષોડશક ગ્રંથનાં આધારે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજય, સિધ્ધિ અને વિનિયોગરૂપ આશયપંચકનું વિશદ વર્ણન કરીને આ આશયપંચક એ પાંચ શુભાશયથી પરિશુધ્ધ બનેલ ધર્મવ્યાપાર તે યોગ છે. તેમ સિધ્ધ કરીને આવો યોગ શુધ્ધિ સાથે સાધક આત્માનું મોક્ષ સાથે ચોક્કસ જોડાણ કરી આપે છે. તેમ સિધ્ધ કરી બતાવ્યું છે. 13 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦મી “યોગલક્ષણ બત્રીસી' માં પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ યોગનું લક્ષણ બતાવતાં કહ્યું કે, “મોક્ષમુળહેતુવ્યાપIR " મોક્ષનાં મુખ્ય હેતુનો વ્યાપાર તે “યોગ છે. આમ મોક્ષનાં મુખ્ય કારણરૂપ બનતો આત્મવ્યાપાર તે યોગનું લક્ષણ છે. ૨.૨ આગમયુગમાં યોગ (ઈ.સ. પૂર્વ કચ્છી થી ઈ.સ.ની ૭મી સદી સુધી) જૈનયોગની પરંપરા તેમજ વિકાસક્રમ જાણવા માટે જનયોગ સંબંધી ઈતિહાસ જાણવો જરૂરી છે. જે આગમળયુગ, મધ્યયુગ અને અર્વાચીનયુગ તેમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આગમયુગમાં મુખ્યત્વે તપ અને ધ્યાન ઉપર જ આધ્યાત્મિક સાધના અવલંબિત હતી. જૈનાગમોમાં ‘યોગસાધના' ના અર્થમાં “ધ્યાન' શબ્દ પ્રયુક્ત છે. જેનું વિસ્તૃત વર્ણન આગળનાં પ્રકરણમાં આપવામાં આવેલ છે. આગમો ઉપરાંત નિર્યુક્તિ, ચૂર્ણિ તેમજ ભાષ્યોમાં પણ આગમ સંમત યોગસાધનાનું વિસ્તૃત વર્ણન છે. જેમાં વિશેષથી આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય તેમજ આવશ્યક સૂત્રવૃત્તિમાં પણ ધ્યાનનું સ્વરૂપ, લક્ષણો, ભેદ - પ્રભેદ તેમજ સાધનાનું વિસ્તૃત વર્ણન છે. આ યુગમાં આગમ ઉપરાંત અનેક મહાન આચાર્યોએ અનેક યોગ વિષયક ગ્રંથોની રચના કરેલ છે. જેમાં ઈ.સ.ની પહેલી સદીમાં દિગંબર પરંપરાનાં આચાર્ય કુંદકુંદ સ્વામીએ પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે અધ્યાત્મગ્રંથોની રચના કરી જેમાં સાધનાનાં નવા ક્ષેત્ર અંતર્ગત ૫૦૩ ગાથાનો ‘અષ્ટપાદુડ ગ્રંથમાં મોક્ષપ્રાભૃત પ્રકરણમાં ૧૦૬ ગાથાઓ દ્વારા “ધ્યાન” તેમજ “યોગ' નું વર્ણન મળે છે. ઈ.સ.ની બીજી સદીમાં જૈનપરંપરામાં સંસ્કૃત ભાષામાં ગ્રંથરચનાઓમાં સર્વપ્રથમ આચાર્ય ઉમાસ્વાતિજી રચિત ‘તત્વાર્થ સૂત્ર માં જૈન મોક્ષમાર્ગ સંબંધિત તત્વચિંતન છે. યોગ નિરૂપણમાં પણ પ્રાયઃ સમ્યક ચારિત્રનું તત્વચિંતન છે. ઈ.સ.ની પમી કઠી સદીમાં પૂજ્યપાદ દેવનંદીજી જેઓ મૂલસંઘમાં નંદીસંઘના પ્રમુખ આચાર્ય હતા. તેઓએ “ઈબ્દોપદેશ’ અને ‘સમાધિ શતક' જેવા યોગવિષયક ગ્રંથોની રચના કરી. ઈબ્દોપદેશની ગાથા ૫૧માં યોગ સાધકની એ ભાવનાઓ જેમાં સાધક એકાગ્ર ચિત્તમાં લીન બની જાય છે તેનું નિરૂપણ છે. ગાથા - ૪૭માં “યોગી વ્યવહારથી દૂર રહી આત્માનુષ્ઠાન માં સ્થિર થઈને પરમાનંદને પામે છે' તેનું વર્ણન છે. ઈ.સ.ની છઠ્ઠી - ૭મી સદીમાં યોગીન્દુ દેવએ અપભ્રંશ ભાષાગ્રંથોની રચના કરી, તેમની યોગવિષયક પ્રસિધ્ધ રચના “પરમાત્મા પ્રકાશ’ અને ‘યોગસાર'માં આચાર્ય કુદકુંદદેવકૃત મોક્ષપ્રાકૃત અનુસાર આત્માનાં ત્રિવિધ સ્વરૂપો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માને દર્શાવી કહે છે કે, “શુધ્ધ આત્માનું મનન જ મોક્ષમાર્ગ છે તે સાથે આત્મા સંબંધી ધ્યાનમાં ચાર પ્રકાર વર્ણવતા જણાવે છે કે, “હે જીવ! જિનેન્દ્ર દ્વારા વર્ણવાયેલા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનને તું સમજ. જેનાથી આત્મા શીઘ પરમ પવિત્ર બની શકે"૧૦ 14 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મધ્યયુગમાં યોગ (ઈ.સ. ૮મી સદીથી ૧૪મી સદી) મધ્યકાલથી તુલનાત્મક અધ્યયનનો પ્રારંભ થયો. વૈદિક અને બૌધ્ધયોગની સાથે સમન્વય સાથે પોતાની વિશિષ્ટતા દર્શાવવી એ મધ્યમયુગમાં જેનાચાર્યોની વિશિષ્ટતા રહી તે સાથે પારિભાષિક તેમજ સમાંતર શબ્દપ્રયોગ પણ આ જ યુગમાં થયો હતો. આ સમય દરમ્યાન રચાયેલ જૈનયોગ સાહિત્યનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે. ઈ.સ. ૮મી સદીમાં વૈદિક તેમજ બૌધ્ધ સાહિત્યમાં વર્ણિત યોગ પધ્ધતિઓ તેમજ પરકિભાષાઓને જૈનપધ્ધતિથી સમન્વય સ્થાપિત કરી જનયોગ પરંપરામાં એક નવી દિશા પ્રદાન કરનાર મહાન વિભૂતિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સમસ્ત સંસારી જીવોને પાપ - અજ્ઞાન - દુઃખમય જીવનથી મુક્તિ માટે આચાર, ન્યાય, તર્ક, અનેકાન્ત, યોગ, કથા, સ્તુતિ તથા જ્યોતિષ વગેરે અનેક વિષયો પર મૌલિક ગ્રંથોની રચના કરી. જૈન આગમગ્રંથો ઉપર સંસ્કૃતમાં વૃત્તિ લખવાનું કાર્યની પણ શરૂઆત કરી. તેમનું સંસ્કૃત – પ્રાકૃત બંને ભાષામાં ગદ્ય - પદ્ય ગ્રંથોની રચના કરી." ઈ.સ. ૮-૯મી સદીમાં આચાર્ય ગણભદ્રજી કૃત ‘આત્માનુશાસનમાં મનને બાહ્ય વિષયોથી હટાવી શુધ્ધ આત્મસ્વરૂપ તરફ મોક્ષસુખનાં કારણરૂપ રત્નત્રયની આરાધનાનું વર્ણન છે. ઈ.સ.ની ૧૦મી સદીમાં દિગંબર પરંપરાનાં આચાર્ય અમિતગતિએ “સુભાષિત રત્ન સંદોહ', યોગસાર પ્રાભૃતમાં નૈતિક તેમજ આધ્યાત્મિક ઉપદેશ સાથે શ્રમણ તેજમ શ્રાવકનાં વ્રત, ધ્યાન, ચારિત્રનું વિસ્તૃત વર્ણન કરેલ છે. ઈ.સ.ની ૧૧મી સદીમાં જૈનાચાર તેમજ યોગનું વિસ્તૃત વર્ણન કરનારો ગ્રંથ આચાર્ય શુભચંદ્ર કૃત ‘જ્ઞાનાર્ણવ' છે. ૪૨ સર્ગનાં ગ્રંથમાં ૨૦૦૦ શ્લોક છે. જેમાં સર્ચ ૨૯ થી ૪૨ સુધી પ્રાણાયામ તથા ધ્યાનનું વિસ્તૃત વર્ણન છે." ઈ.સ.ની ૧૧-૧૨મી સદીમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય થઈ ગયા. તેઓએ અનેકગ્રંથોની રચના કરી હતી. તે સમયનાં રાજા કુમારપાળ હંમેશા સ્વાધ્યાય કરે તે હેતુથી યોગશાસ્ત્રની રચના કરી જેમાં ૧૨ પ્રકાશ અંતર્ગત ગૃહસ્થ ધર્મનાં નિરૂપણ સાથે પ્રાણાયામ, ધ્યાન, મંત્ર, જપ વગેરેનું વિસ્તૃત અને સ્પષ્ટ નિરૂપણ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે જૈનયોગનાં નિરુપણ સાથે પાતાંજલ યોગદર્શનમાં નિર્દિષ્ટ “પરકાય પ્રવેશ' તથા ‘યોગસિધ્ધિ વગેરેનું સુંદર વિસ્તૃત વર્ણન છે. તેમાં સમ્યકજ્ઞાન, શ્રધ્ધા અને ચારિત્રરૂપ ત્રણ રત્નોને યોગ કહે છે. આ ઉપરાંત ૧૨, ૧૩ અને ૧૪મી સદીમાં પણ પંડીત આશાધરજી - અધ્યાત્મ રહસ્ય, શ્રી રત્નશેખરસૂરિજી - યોગદીપન, અજ્ઞાતકર્તા - યોગપ્રદીપ વગેરે અનેક આચાર્યોએ ધ્યાન અને યોગવિષયક ગ્રંથોની રચના કરી હતી. 15. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨.૪ અર્વાચીન યુગમાં યોગ (ઈ.સ. ૧૫મી સદીથી વર્તમાન સમય) અર્વાચીન યુગમાં આગમકાળ તેમજ મધ્યકાળમાં પ્રચલિત પરંપરાને ધ્યાનમાં રાખી ‘યોગ’ વિષયની અધિક સ્પષ્ટતાની શરૂઆત થઈ. જૈનાચાર્યો દ્વારા વૈદિક ગ્રંથો પર ટીકા લખવાનું કાર્ય પણ આ સમયમાં શરૂ થયું. આ સમયનાં જૈનયોગ, સાહિત્યનું વિવરણ આ પ્રમાણે છે. ૧૫મી સદીની કૃતિ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' જેના કર્તા મુનિ સુંદરસૂરિજી છે. આ ગ્રંથમાં મુમુક્ષુઓને મમતાનો પરિત્યાગ, કષાય વગેરેનાં નિવારણ તેમજ મનોવિજય થી વૈરાગ્ય પથનાં અનુરાગી બનવા તેમજ સમતા અને સામ્યનું સેવન કરવાનાં ઉપદેશ દ્વારા યોગનું નિરુપણ છે. આચાર્ય ભાસ્કરનંદી (૧૬મી સદી) એ સંસ્કૃત ભાષામાં ધ્યાનસ્તવ” નામના ગ્રંથની રચના કરી છે. જેમાં ૧૦૦ ગાથા છે. આ કૃતિમાં પોતાના ચિત્તની એકાગ્રતા વિષેનું સુંદર વર્ણન છે. વિ.સં. ૧૭૬૬ માં ખરતર ગચ્છનાં આચાર્યશ્રી દેવીચન્દ્રજીએ ગુજરાતમાં ધ્યાન દીપિકા' નામના ગ્રંથની રચના કરી. જેમાં ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનાં ભેદ - પ્રભેદ વગેરે પર વિચાર વિસ્તાર છે. ઈ.સ.ની ૧૬મી સદીમાં કવિ રાજમલ્લ કૃત ‘અધ્યાત્મ કમલ માર્તંડ'માં ૨૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ ચાર પરિચ્છેદમાં વિભક્ત છે. પ્રથમ પરિચ્છેદમાં મોક્ષ તેમજ મોક્ષમાર્ગ, દ્વિતીય પરિચ્છેદમાં દ્રવ્ય સામાન્યનાં લક્ષણ, તૃતીય પરિચ્છેદમાં દ્રવ્ય વિશેષ તથા ચતુર્થ પરિચ્છેદમાં જીવ - અજીવ સાત / નવ પદાર્થોનું નિરુપણ થયેલું છે. ઈ.સ. ૧૭૯૬માં ભાવવિજયજી કૃત ‘ધ્યાન સ્વરૂપ’ની રચના થઈ. જેમાં મુખ્યત્વે ધ્યાનનું વર્ણન છે. ઈ.સ. ૧૬-૧૭મી સદીમાં મહોપાધ્યાય યશોવિજયજી આચાર્યનું પદાર્પણ થયું. જેઓએ યોગ વિષયક અનેક ગ્રંથોની રચના કરી અને યોગની ધારા પ્રવાહિત કરી. જેમાં ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘દ્વાત્રિંશત દ્વાત્રિંશિકા (બત્રીસ બત્રીસી)', ‘પાતાંજલ યોગસૂત્ર વૃત્તિ’, ‘યોગવિંશિકા ટીકા’ તથા ‘જ્ઞાનસાર' (અષ્ટક) વગેરે નાના-મોટા લગભગ ૫૦૦ ગ્રંથોની રચના કરી છે. ઉપાધ્યાય યશોવિજયજી પણ આચાર્ય હરિભદ્રસૂરિજી સમાન વિભિન્ન ભારતીય ધર્મ, દર્શન તેમજ યોગ સાધનાની પરંપરાઓનાં પ્રબળ પોષક હતા. તેઓએ પ્રમાણ, પ્રમેય, નય, તર્ક, આચાર, મુક્તિ, યોગ, ભક્તિ વગેરે અનેક વિષયો પર ગ્રંથ રચના કરી છે. તેમની કૃતિઓમાં ખંડન - મંડન અને સમન્વય ત્રણેનો સમાવેશ છે. 16 Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ સાર' માં સાત પ્રકરણો છે જેમાં ૩૧ અધિકારોમાં કુલ ૧૪૬ બ્લોક છે. જ્યાં વિવિધ ધર્મશાસ્ત્રોમાંનાં અધ્યાત્મનાં બધા વિષયોનું વર્ણન છે. પાંચમાં પ્રકરણમાં યોગ, ધ્યાન અને ધ્યાનની સ્તુતિ વર્ણિત છે. અધ્યાત્મોપનિષદ'માં સંસ્કૃત ભાષામાં ૨૩૧ શ્લોક છે. જેમાં વૈદિક, ન્યાયાયિક, સાંખ્ય, મીમાંસા, બૌધ્ધ તેમજ જૈનમતનાં સમન્વય પૂર્વક યોગવશિષ્ઠ તથા આચાર્ય હરિભદ્રસૂરિજીનાં ગ્રંથોનાં આધાર સાથે સ્વમતની પુષ્ટિ કરવામાં આવી છે. ‘ાત્રિશંતદ્વાત્રિશિકા' ગ્રંથમાં યોગલક્ષણ, યોગવિવેક, યોગમાહાય વગેરે બત્રીસ વિષયોનું યથાર્થ સ્વરૂપ દર્શાવી બત્રીસ શ્લોકના વિભાજન કર્યા છે. આ કૃતિમાં મુખ્યરૂપથી પાતાંજલ યોગસૂત્ર તેમજ આચાર્ય હરિભદ્રસૂરિજીના યોગગ્રંથોની સરળ વ્યાખ્યા હોવાથી વિશેષ ઉપયોગી છે. ‘પાતાંજલ યોગ સૂત્ર વૃત્તિ’ આ કૃતિનો વિષય આચાર ન હોઈ ને તત્વજ્ઞાન છે. જેમાં રાજયોગ, કર્ભાશય, આત્મા તથા મોક્ષ વિષયક સિધ્ધાંતોની વિશદ ચર્ચા છે. ૧૮મી સદીમાં શ્રી વિનય વિજયજી એ “શાંત સુધારસની રચના કરી જે ભાવના યોગની સુંદર કૃતિ છે. ૨૦-૨૧મી સદીમાં વિ.સં. ૨૦૧૮માં આચાર્યશ્રી તુલસીએ ‘મનોનુશાસનમ' નામના ગ્રંથની રચના કરી. જેમાં જૈનયોગની એક નવી શૈલીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેઓ પેક્ષાધ્યાન' ના રૂપમાં જૈનયોગની એક મહત્વપૂર્ણ પદ્ધતિ રૂપે પ્રચલિત બન્યા છે. ૨૦મી સદીમાં જ આત્મારામજી મહારાજ દ્વારા “જૈનાગમોમાં અષ્ટાંગયોગ' નામની નાની કૃતિની રચના થઈ છે. ત્યારબાદ લગભગ ૫૦ વર્ષ પછી ૧૯૮૩માં આ કૃતિનાં આધારથી જૈનયોગ સિધ્ધાંત અને સાધના' નામના બૃહદ ગ્રંથની રચના કરી જેમાં ખુબ સુંદર શૈલીમાં પરતીય યોગવિદ્યામાં તુલનાત્મક ચિંતન દ્વારા જૈનયોગની વિશેષતા ઉપર પ્રકાશ પાડ્યો છે. જૈનસાહિત્યનાં બૃહદ ઇતિહાસમાં યોગ વિષયક કેટલાંક અન્ય ગ્રંથોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે જૈન પરંપરામાં યોગવિષયક વિપુલ સાહિત્યની રચના થઈ છે. આગમયુગથી લઈને વર્તમાન સમય સુધી એ ત્રણે સમયમાં જૈન સાહિત્યમાં યોગવિષયક ગ્રંથ રચનાઓમાં આચાર્ય હરિભદ્રસૂરીજી, આચાર્ય શુભચન્દ્રજી, આચાર્ય હેમચન્દ્રસૂરિજી તેમજ મહોપાધ્યાય યશોવિજયજી કૃત યોગગ્રંથો માત્ર જૈનસમાજમાં જ નહીં પરંતુ જૈનેત્તર સમાજમાં પણ ખુબ પ્રસિધ્ધ છે. 17 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨.૫ યોગનાં ભેદ-પ્રભેદ યોગ એટલે મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિ અને તે પરિણતિ તરતમતાનાં ભેદથી અનેક ભેદવાળી છે. યોગનાં વિવિધ પ્રકારે અનેક ભેદોનું વર્ણન યોગબિંદુ, યોગવિંશિકા, ષોડશક, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, યોગભેદ દ્વાત્રિશિકા વગેરે યોગગ્રંથોમાં મળે છે. જે આ પ્રમાણે છે. યોગભેદ દ્વત્રિશિકા નીચે પ્રમાણે યોગના પ્રકારોનું વર્ણન આપવામા આવેલ છે." (૧) અધ્યાત્મ યોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાન યોગ (૪) સમતાયોગ અને (૫) વૃત્તિસંક્ષય યોગ એમ પાંચ પ્રકારના યોગ છે. તે ઉપરાંત - (૧) સ્થાનયોગ (૨) ઊર્ણયોગ (૩) અર્જયોગ (૪) આલંબનયોગ અને (૫) નિરાલંબન યોગ એમ પાંચ પ્રકારના યોગ છે. તે ઉપરાંત - (૧) ઈચ્છા યોગ (૨) પ્રવૃત્તિયોગ (3) ધૈર્ય યોગ અને (૪) સિદ્ધિયોગ એમ ચાર પ્રકારનો યોગ છે. તે ઉપરાંત - (૧) યોગાવંચક યોગ (૨) ક્રિયાવંચક યોગ (૩) ફલાવંચક યોગ એમ ત્રણ પ્રકારના અવંચક યોગ છે તે ઉપરાંત - (૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્ય યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે. (૧) જ્ઞાનયોગ (૨) દર્શનયોગ અને (૩) ચરિત્ર યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે (૧) મનયોગ (૨) વચનયોગ અને (૩) કાય યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે. યોગભેદ દ્વાત્રિશિકામાં આ દરેક બે પ્રકારનાં યોગના નામો નીચે પ્રમાણે છે (૧) તાત્વિક યોગ અને ૨) અતાત્વિક યોગ (૨) સાનુબંધ યોગ અને ૨) નિરાનુબંધ યોગ (૩) સાશ્રવ યોગ - અને ૨) અનાશ્રવ યોગ (૪) સાપાય યોગ અને ૨) નિરપાય યોગ (૫) સોપક્રમ યોગ અને ૨) નિરુપક્રમ યોગ (૬) સબીજ યોગ અને ૨) નિબીજ યોગ (૭) સાલંબન યોગ અને ૨) નિરાલંબન યોગ (૮) દ્રવ્ય યોગ અને ૨) ભાવ યોગ (૯) નૈશ્ચયિક યોગ અને ૨) વ્યવહારિક યોગ (૧૦)સંપ્રજ્ઞાત યોગ અને ૨) અસંપ્રજ્ઞાત યોગ (૧૧) કર્મયોગ અને ૨) જ્ઞાન યોગ 18. Page #31 -------------------------------------------------------------------------- ________________ બીજા પણ જ્ઞાનયોગ, તપોયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, હઠયોગ, લયયોગ, નાદયોગ, આનંદયોગ, કર્મયોગ, સમાધિયોગ, ઉપાસના - ભૂમિકાયોગનું વર્ણન મળે છે. પાતાંજલ યોગસૂત્રમાં અષ્ટાંગયોગનું પણ વર્ણન આવે છે. જેમકે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ બધા ભિન્ન ભિન્ન પ્રકારનાં યોગોનું વર્ણન સ્વ-પર દર્શનનાં ગ્રંથોમાં જોવા મળે છે. ૨. યોગીઓના પ્રકાર યોગીનાં કુલ ચાર પ્રકાર છે (૧) ગોત્રયોગી (૨) કલયોગી (૩) પ્રવૃતચક્ર યોગી (૪) નિષ્પન્ન યોગી (૧) ગોત્રયોગી અહીં ગોત્ર એટલે કે નામમાત્ર, જેઓ નામમાત્રથી યોગી છે. પરંતુ વાસ્તવમાં યોગની સાથે કંઈ સંબંધ નથી. સામાન્યથી તેમના પૂર્વજો કેટલાક વર્ષ પહેલા યોગી થતા હોવાને કારણે તેઓ ભૂમિભવ્ય એટલે કે સુંદર ગોત્રવાળા થયા પછીથી સાધના નીકળી ગઈ તેમને અંશમાત્રથી પણ યોગની અપેક્ષા નથી. તેઓ ગોત્રયોગી કહેવાય છે. (૨) કુલયોગી જેઓ યોગીઓનાં પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા છે. અને યોગદશા પોતાનામાં પણ આવે તેવી ભાવનાવાળા છે. યોગ પ્રાપ્તિના પ્રવેશને યોગ્ય ગુણો જે નીચે પ્રમાણે છે. (૧) સર્વત્ર અદ્વેષ (૨) ગુરૂપ્રિય (૩) દ્વિજપ્રિય (૪) દેવપ્રિય (૫) દયાવાન (૬) જ્ઞાનવાન (૭) વિનીત (૮) ઈન્દ્રિય દમન ઉપરોક્ત આઠ ગુણોથી ગુતિ છે. તેઓ કુલયોગી છે. (૩) પ્રવૃતચક્ર યોગી જેઓ યોગદશા સાધવાના ચક્રોમાં એટલે કે ધર્માનુષ્ઠાન સમુહમાં પ્રવૃત હોય છે. અને ઈચ્છાયોગ તથા પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે. તથા સ્થિરતાયોગ અને સિદ્ધિયોગનાં જેઓ અર્થી છે. તેઓ પ્રવૃતચક્ર યોગી છે. અર્થાત યોગદશાની સાધનામાં વર્તનારા પ્રવૃતચક્ર યોગી છે. યોગદશાની સાધનામાં પ્રવૃત્ત યોગીમહાત્માનું ચિત્ર પરિશિષ્ટ-૨માં આપવામાં આવેલ છે. (૪) નિષ્પન્ન યોગી જેઓ યોગદશા પ્રાપ્ત કરી ચૂક્યા છે. સાધવાનું પ્રયોજન સમાપ્ત થઈ ગયું છે. તેઓ નિષ્પન્ન યોગી કહેવાય છે. - 19 ) Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત ચાર પ્રકારનાં યોગીમાંથી ગોત્રયોગી તો નામ માત્રનાં યોગી છે. પરંતુ યોગ સાથે કોઈ સંબંધ નથી કે યોગની તો અલ્પ પણ મનોવૃત્તિ નથી, તેમજ નિષ્પન્ન યોગી તો નિષ્પન્ન થઈ ચૂક્યા છે. તેઓ યોગ સાધી ચૂકેલ હોય છે. તેથી કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગી યોગદશાની સાધનાનાં સાધક હોય છે. તેઓને યોગનાં મર્મનો બોધ જાણવો હોય છે. યોગનાં અર્થી સાધક જીવ શાસ્ત્રવચનથી યોગનો અભ્યાસ કરતાં કરતાં સામર્થ્યની યોગદશામાં પહોંચવા સક્ષમ બનતા હોય છે. યોગનું એક અંગ ધ્યાન છે. આત્માને શુભમાંથી શુધ્ધ થવા માટે ધ્યાન અનિવાર્ય છે. જૈનદર્શનમાં દર્શાવેલ ચૌદ ગુણસ્થાનકમાંથી બારમાં ગુણસ્થાનકને અંતે આત્મા ક્ષાયિક સમકિતિ થાય છે. અને ત્યારબાદ તે સતત ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. તેમને ધ્યાન કરવું પડતું નથી. સહજ સાધ્ય છે અને છેલ્લે મોક્ષ પદને પામે છે. ધ્યાન સાધના દ્વારા ચૌદ ગુણસ્થાનકના સોપાનો સર કરતા ધ્યાન યોગી મહાત્મા ધ્યાન સાધના દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે તેનું ચિત્ર પરિશિષ્ટ-૩માં દર્શાવેલ છે. આ ધ્યાનનું જૈનદર્શનમાં શું મહત્વ છે, તે પ્રકરણ-૩ “જૈનયોગમાં ધ્યાનનું મહત્વ દર્શાવેલ છે. 20. Page #33 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ ध्यान योग रुप और दर्शन, संपादक, डॉ. नरेन्द्र भागवत, पृ. २६ योन, એજન योगश्चित वृत्ति निरोधः । पातांजल योग सूत्र १/२ मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवापारो । परिसुध्धा विन्नेओ, ठाणाइगओ विसेसेण || योगविंशिका गाथा-१ (4) યોગદ્રષ્ટિ સમુચ્ચય, અનુવાદક :મહેતા ધીરજલાલ ડાહ્યાલાલ, પ્રસ્તાવના પૃ.-ર (5) पातांजल योग एवं जैनयोग. संपादिका अरुणा आनंद, पृ. ७ ध्यान योग रूप और दर्शन, श्री प्रेम सुमन जैन, पृ. १७७ (८) तत्वार्थ सूत्र, विवेय: पंडित सुजलाल, पृ.११ (c) ध्यान योग रूप और दर्शन, श्री प्रेम सुमन जैन, पृ. १७९ (१०) जो पिंडत्थु, पयत्थु बुह, रुवत्थु वि जिण उत्तु । रुवातीतु मुणेहि लह, जिन पर होहि पवितु ।। योगीन्छु हेव कृत योगसार, गाथा-स्ट. (११) पातांजल योग एवं जैनयोग, संपादिका : अरुणा आनंद, पृ. २२, २३ (१२) खात्मानुं शासन, श्लो४-२३४ (13) ध्यान योग रूप और दर्शन, श्री प्रेम सुमन जैन, पृ. १८० (१४) योगशास्त्र, अध्याय- १/१५ (१५) योगलेह द्वात्रिंशिका : पंडितश्री प्रविशचंद्र भोता, पृ. २ (૧૬) યોગદ્રષ્ટિ સમુચ્ચય, અનુવાદક : મહેતા ધીરજલાલ ડાહ્યાલાલ (१) (२) (3) (४) (6) 21 Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ જૈનયોગમાં ધ્યાનનું મહત્વ ૩.૧ ધ્યાનનો અર્થ અને પરિભાષા ૩.૨ ધ્યાનનું સ્વરૂપ ૩.૩ ધ્યાનનાં ચાર પ્રકારો ૩.૪ ધ્યાનની સફળતાનાં સાધનો ૩.૫ ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી ૩. પ્રેક્ષાધ્યાન – વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ ૩.૬.૧પેક્ષાનો અર્થ - વ્યંજના ૩.૬.૨ પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્વ fi. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ : જૈનયોગમાં ધ્યાનનું મહત્વ જૈનયોગ સાધના પદ્ધતિમાં ધ્યાનનું સ્થાન સર્વોપરી છે. અન્ય રીતે એમ પણ કહી શકાય કે ધ્યાન સાધના એ જનયોગ સાધનાનો પર્યાય છે. યોગ એ મન - વચન - કાયાની પ્રવૃત્તિને સ્થિર કરે છે. અને મન - વચન - કાયાથી થતાં કર્મોને અટકાવે છે. યોગ જ સાધકને ધ્યાન તરફ પ્રવેશ આપે છે. સ્વમાં લીન કરે છે. ધ્યાનનાં માધ્યમથી સાધકમાં માનસિક શક્તિ અને સામર્થ્યનો પુંજ પ્રગટ થાય છે. અર્થાત માનવીની બધી જ શક્તિઓ જાગ્રત થાય છે. જેનાથી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. જેને પૂર્ણ આત્મિક સુખ માનવામાં આવે છે. ‘આત્માનુશાસન' માં કહે છે કે જેનાથી અસુખ લેશમાત્ર પણ ન હોય તેને જ યથાર્થ સુખ કહે છે. એવું સુખ જીવને કર્મ-બંધનથી રહિત થઈને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. યોગ - ધ્યાન - મુક્તિ ૩.૧ ધ્યાનનો અર્થ અને પરિભાષા ધ્યાન શબ્દ “ી વિન્તયાન ધાતુથી નિષ્પન્ન થાય છે. જેનો અર્થ છે અંતઃકરણમાં વિચાર કરવો, ચિંતન કરવું શ્વાસ - ઉચ્છવાસને રોકીને શરીરને સમાધિસ્થ કરી લેવું તે જ માત્ર ધ્યાન નથી. કાયાનાં યોગોની સ્થિરતા ધ્યાન માટે આવશ્યક છે. જે કાર્યોત્સર્ગ અંતર્ગત છે જ. વસ્તુતઃ કોઈ એક વસ્તુ કે વિષય પર ચિત્તને લગાવવું, એકાગ્રતા પૂર્વક વિચાર કરવો તે ધ્યાન છે. ધ્યાન એક આંતરિક મહાન શક્તિ છે. જે સમસ્ત સિદ્ધિઓનાં દાતા છે. આચાર્ય હસ્તીમલજી જણાવે છે કે... “વિષયાભિમુખ મનને વિષયોથી દૂર કરી સ્વરૂપાભિમુખ કરવાની સાધનાનું નામ જ યોગ અથવા ધ્યાન છે. ઉમાસ્વાતિજી તત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે, “કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન'. ધ્યાન મનની બહુમુખી ચિંતનધારાને એક તરફ પ્રવાહિત કરે છે. જેનાથી સાધક અનેક ચિત્તથી દૂર હટી એક ચિત્તમાં સ્થિત થાય છે. તે જ ધ્યાન છે. એ જ ગાથામાં આગળ કહે છે કે, ઉત્તમ સંહનન ધરાવનારનું એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન છે.” સંહનન = હાડકાની મજબૂતાઈ, સંહનનના છ પ્રકાર જે નીચે પ્રમાણે છે. સંહનનનાં છ પ્રકાર | | | વજઋષભનારાય કાલિકા 2ષભનારાય અર્ધનારાજ સમૂવર્તકાપ પ્રથમ ત્રણ સંહનન ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. સહુથી પ્રથમ વ્રજઋષભનારાય સંવનન સર્વોત્તમ છે. ત્યારબાદ ઉત્તરોત્તર હાડકાની મજબૂતાઈ ઘટતી જાય છે. આ પ્રમાણે ધ્યાનમાં સ્થિર અધ્યવસાયને ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. નારાજ - 22 - Page #36 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની પરિભાષા (ક) ધ્યાનશતક: એકાગ્રતાને પ્રાપ્ત મન જ ધ્યાન છે." (ખ) તત્વાનુશાસન : “સંવર અને નિર્જરાનું કારણ ધ્યાન છે." (ગ) તત્વાનુશાસન : ધ્યાન જ યોગ છે અને એ પ્રસંખ્યાન સમાધિમાં નામથી પણ જાણવામાં આવે છે. (ઘ) તત્વાર્થાધિગમ ભાષ્ય : “વચન - કાય અને ચિત્તનો નિરોધ જ ધ્યાન છે.* અહીં સ્પષ્ટ થાય છે કે જેન પરંપરામાં ધ્યાનનો સંબંધ માત્ર મનથી નહી. પરંતુ તે કાયા, વચન અને મન ત્રણેથી સબંધિત છે. જે આ પ્રમાણે છે. (૧) કાયા : શરીરનું શિથીલીકરણ કે સ્થિરીકરણ તે કાયિક ધ્યાન છે. (૨) વચન : વાણીનો ધ્યેય સાથે યોગ / બંનેમાં એકરસતા તે વાચિક ધ્યાન છે. (૩) મન : મનનો ધ્યેય સાથે યોગ તે માનસિક પ્લાન છે. આમ જૈનદર્શનમાં મન-વચન-કાયાની એકાગ્ર પ્રવૃત્તિને જ ધ્યાન માનવામાં આવે છે. જ્યાં મન એકાગ્ર તેમજ પોતાનાં લક્ષ્ય પ્રતિ વ્યાપ્ત થાય છે. તથા શરીર અને વાણી પણ એ જ લક્ષ્ય પ્રતિ વ્યાપ્ત થાય છે. ૩.૨ ધ્યાનનું સ્વરૂપ ધ્યાન જ્યારે વ્યવહારિક ક્ષેત્રથી હટીને શુધ્ધ આધ્યાત્મિક અર્થમાં આવે છે, ત્યારે તેની સાથે કંઈક નવો અર્થ, નવુ સ્વરૂપ પણ લાવે છે. અધ્યાત્મ તેમજ યોગસાધનાનાં ક્ષેત્રમાં ધ્યાનનો અર્થ અને સ્વરૂપ બંને બદલાય છે. અધ્યાત્મ ક્ષેત્રનાં મહાન આચાર્યો શ્રી સિધ્ધસેન દિવાકરજી, શ્રી હરિભદ્રસૂરિજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી તેમના યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ને ધ્યાનની સીમા પરથી હટાવીને માત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને જ સ્થાન આપે છે. ત્યાં ચિત્તની એકાગ્રતા માત્રને ધ્યાન નહીં પરંતુ શુભ વિષયમાં ચિત્તની એકાગ્રતાને જ ધ્યાન યોગ કહે છે. આચાર્ય સિધ્ધસેન દિવાકરજી કહે છે, “શુમૈવ પ્રત્યે ધ્યાન દિપકની સ્થિર લી સમાન શુભલક્ષ્યમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન દર્શાવે છે. દ્રવ્યસંગ્રહમાં બતાવ્યું છે કે, “ગપ્પા મણૂમિ રમો રૂમેવ પરં જ્ઞાનું ” આત્માનું આત્મામાં લીન થઈ જવું જ પરમ ધ્યાન છે.” ૩.૩ ધ્યાનનાં ચાર પ્રકારો નાગમોમાં મુખ્ય રૂપ થી બે પ્રકારનાં ધ્યાનનું વર્ણન છે. અપ્રશસ્ત ધ્યાન અને પ્રશસ્ત ધ્યાન. અશુભ પરિણામોથી થતું ધ્યાન અપ્રશસ્ત ધ્યાન છે અને શુભ પરિણામોથી થતું ધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. એ બંને ધ્યાનમાં ૨- ૨ ભેદ છે. (૧) અપ્રશસ્ત ધ્યાન: આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. (૨) પ્રશસ્ત ધ્યાન : ધર્મધ્યાન અને શુક્લધ્યાન. 23 Page #37 -------------------------------------------------------------------------- ________________ જેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત ધ્યાન હોવાથી સંસારનાં કારણ - સંસાર વધારનાર રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રશસ્ત ધ્યાન હોવાથી સંસારની મુક્તિનું કારણ તેમજ સર્વકર્મક્ષય કરી મોક્ષ - હેતુનાં સ્વરૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્થાનાંગસૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, મૂલાચાર, સમણભૂતમ વગેરે ગ્રંથો તેમજ અનેક જૈનાચાર્યોની ધ્યાન વિષયક રચનાઓમાં ધ્યાનમાં પ્રકારો આ પ્રમાણે છે. ધ્યાનનાં ભેદ - પ્રભેદ અપ્રશસ્ત ધ્યાન (અશુભ ધ્યાન) પ્રશસ્ત ધ્યાન (શુભ ધ્યાન) આર્તધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુક્લધ્યાન - અમનોજ્ઞ સંપ્રયોગ હિંસાનંદી આજ્ઞા વિચય પૃથ્થકત્વ વિતર્ક સવિચાર મનોજ્ઞ સંપ્રયોગ મૃષાનુબંધી અપાય વિચય એક વિતર્ક અવિચાર આતંક સંપ્રયોગ તેયાનુબંધી વિપાક વિચય સૂક્ષ્મક્રિર્યા નિવર્તિ કામભોગ સંપ્રયોગ સંરક્ષણાનુબંધી સંસ્થાન વિચય સંમૂચ્છનક્રિયા પ્રતિપાતી ૩.૪ ધ્યાનની સફળતાનાં સાધનો ધ્યાન સાધનાની સફળતા માટે જૈનગ્રંથોમાં ધ્યાનની સામગ્રી બતાવવામાં આવી છે જે આ પ્રમાણે છે. (ક) તત્વાનુશાસન : પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, વ્રત-ધારણ, મન તથા ઈન્દ્રિયોનો સંયમ વગેરે. (ખ) તવાનુશાસન : ધ્યાનની સિધ્ધિ માટે સદગુરુ, સમ્યફ-શ્રધ્ધાન, નિરંતર અભ્યાસ તથા મનની સ્થિરતા. (ગ) યોગસાર : સાધકનો વાણી પરનો સંયમ તથા શરીરની ચંચળતાનો નિષેધ. (ઘ) ભગવતી આરાધના : નાકનાં અગ્રભાગ પર દ્રષ્ટિને સ્થિર કરીને એક વિષયનું ટીકા પરોક્ષજ્ઞાનમાં ચૈતન્યને રોકીને શુધ્ધ પોતાના આત્મામાં સ્મૃતિનું અનુસંધાન. - 24 - Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩.૫ ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી ધ્યાનનાં પ્રમુખ ત્રણ અંગ કે તત્વ માનવામાં આવે છે. ધ્યાતા : ધ્યાન કરનારા સાધક ધ્યેય : સાધક કોઈ વસ્તુ કે તત્વનું આલંબન લે છે તે. ધ્યાન : આલંબન દ્વારા ચિત્તની એકાગ્રતા. જ્ઞાનાર્ણવમાં ધ્યાનનાં લક્ષણને નિરૂપિત કરતાં ધ્યાતામાં આઠ ગુણ હોવા જરૂરી છે. તો જ ધ્યાનની સિધ્ધિ પ્રાપ્ત થાય છે. “મુમુક્ષુર્જન્મનિર્વિઘણ: શરતો ચિરાજી ધ્યાતાનાં આઠ ગણો (૧) ધ્યાતા મુમુક્ષ હોય (૫) સ્થિર હોય (૨) સંસારથી વિમુક્ત હોય (૬) જિતેન્દ્રિય હોય (૩) ક્ષોભરહિત તેમજ શાંતચિત્ત હોય (૭) સંવર યુક્ત હોય (૪) વશી હોય (૮) ધીરગંભીર હોય આ પ્રકારે ધ્યાન જે વ્યવહારિક ક્ષેત્રમાં મનની એકાગ્રતાના અર્થમાં પ્રચલિત છે તે આધ્યાત્મિક સાધનાનાં ક્ષેત્રમાં એક બહુ જ વ્યાપક સાધના અને આત્મશક્તિઓને પ્રબધ્ધ કરી સ્વરૂપ દશાને પ્રાપ્ત કરવા માટે એક અમોધ શસ્ત્ર માનવામાં આવે છે. ધ્યાન કરનાર ધ્યાતા ક્રમશઃ પોતે જ ધ્યેય સ્વરૂપને પ્રાપ્ત કરતાં ધ્યાતા જ ધ્યાન બની જાય છે. આ દશામાં ધ્યાતા જે પહેલા ‘દાસીડહું નો જાપ કરે છે તે હવે “સોડહં' નો ધ્વનિ કરવા લાગે છે. અને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ધ્યાતાનું-ધ્યેયમાં સ્થિર થવું-ધ્યાન છે.આ ત્રિપુટીથી મોક્ષપદની પ્રાપ્તિ શક્ય બને છે. ૩.પ્રેક્ષાધ્યાન - વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ પ્રેક્ષા-ધ્યાન' એ એક જૈન સાધના પદ્ધતિનું આધુનિક નામ છે. તે નામ તેરાપંથનાં નવમાં આચાર્ય શ્રી તુલસીનાં સાન્નિધ્યમાં યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી એ ઈ.સ. ૧૯૭૫માં જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન આપ્યું. પ્રેક્ષાનો અર્થ છે પોતે પોતાને જોવું એટલે કે પોતાને જોવાની પ્રક્રિયા તે “પ્રેક્ષા' છે. પ્રેક્ષાનો ઉદ્દઘોષ છે. આત્માથી આત્માને જોવો. ૩.૬.૧ પ્રક્ષાનો અર્થ - વ્યંજના ‘પ્રેક્ષા' શબ્દ રચનાની દ્રષ્ટિએ ‘પ્ર’ ઉપસર્ગ અને “કું' ધાતુનાં સંયોગથી બનેલ છે. જેનું તાત્પર્ય છે ઉંડાણથી જોવું, ધ્યાનથી જોવું. પ્રેક્ષામાં ઉંડાણથી, ધ્યાનથી જોવું અર્થાત અંતરજ્ઞાનથી જાણવું, અનુભવ કરવો, સાક્ષાત્કાર કરવો. | 25 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩.૬.૨ પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્વ અનુભૂતિ ચેતનાનું લક્ષણ છે. કર્માવરણથી ચેતનાનાં મૂલ ગુણ આવૃત્ત થાય છે. આ આવરણને ક્ષીણ કરવા માટે પ્રેક્ષાધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેક્ષાધ્યાન એ અપ્રમાદ છે. અર્થાત્ વર્તમાનમાં રહેવું. પ્રેક્ષાની સમસ્ત ક્રિયાઓમાં એક જ તત્વ છે કે વ્યક્તિની ચેતના રાગ - દ્વેષથી મુક્ત થઈને વર્તમાનમાં રહે અને વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન :આધાર અને સ્વરૂપ પુસ્તકમાં બાર તત્વોની ચર્ચા કરી છે.” જે નીચે પ્રમાણે છે. (૧) કાર્યોત્સર્ગ ચૈતન્ય કેન્દ્ર, પ્રેક્ષા (૯) સંયમ લેશ્યા-ધ્યાન (૧૦) ભાવના વર્તમાન (૧૧) અનુપ્રેક્ષા વિચાર પ્રેક્ષા અને સમતા (૧૨) એકાગ્રતા ધ્યાનના વર્ણન બાદ જૈનયોગમાં એક નવા અધ્યાયનો સૂત્રપાત કરનાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જેઓ ‘યોગશતક ગ્રંથ’ના કર્તા છે. તેમનું જીવન અને કવન આગળનાં પ્રકરણમાં આપવામા આવેલ છે. (૨) અન્તર્યાત્રા (3) શ્વાસ પ્રેક્ષા (૪) શરીર પ્રેક્ષા (૫) (૬) (6) (૮) 26 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮ ૮ ૯ & S ૭૨૭૭ દ પાદટીપ ધ્યાન યોગ રુપ સૌર વર્શન, સંપા, ડૉ. નરેન્દ્ર માનવત, પૃ.૨૬ યોગદ્રષ્ટિ સમુચ્ચય, વિવેચક, શ્રી ધીરજલાલ મહેતા, પ્રસ્તાવના પૃ.૨ યોગવિંશિકા, ગાથા-૧ યોગભેદ દ્વાત્રિંશિકા, વિવેચક :પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર મોતા, પૃ.-૨ યોગદ્રષ્ટિ સમુચ્ચય, અનુવાદક :મહેતા ધીરજલાલ ડાહ્યાલાલ, ગાથા-૨૦૮-૨૦૯, પૃ. ૫૫૨. શતક સંદોહ, ધ્યાન શતક, ગાથા-૨ તત્વાનુશાસન, તદ્દધ્યાન નિર્ઝર હેતુઃ સંવરસ્ય = ળમ્। ગાથા-૫૬. એજન, ગાથા-૬૧ તત્વાર્થાધિગમ ભાષ્ય, ભાગ-૨, સિધ્ધસેન ગણિ ૯/૨૦ (૧૦) દ્રવ્યસંગ્રહ, સંપાદિકા : ડૉ. નિરંજનાબહેન વોરા (૧૧) સ્થાનાંગસૂત્ર, સ્થાન-૪ ઉદ્દેશક-૧ સમવાયાંગસૂત્ર, સમવાય-૪ ભગવતીસૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-૭ ઔપપાતિકસૂત્ર, પ્રથમ વિભાગ, સમવસરણ મૂલાચાર ગ્રંથ, અધિકાર, ૫, પંચાચાર સમણસૂત્તમ, ખંડ-૨, મોક્ષમાર્ગ, પ્રકરણ-૨૯ (૧૨) નૈન વં વૌદ્ધ ચોન, પૃ.-૧૮૫ તત્વાનુશાસન, શ્લોક-૭૫,૨૧૮, યોગસાર, શ્લોક-૧૬૩, ભગવતી આરાધના ટીકા, શ્લોક-૧૭૦૧. (૧૩) જ્ઞાનાર્ણવ, ૪/૫, યોગશાસ્ત્ર, ૭/૧ (૧૪)પ્રેક્ષાવ્યાન વ્ઝ પરિવય, મુનિ શિનલાલ, 27 Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જીવન અને કવન ૪.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની રૂપરેખા ૪.૧.૧ જન્મસ્થાન ૪.૧.૨ માતા-પિતા ૪.૧.૩ સમય ૪.૧.૪ વિદ્યાભ્યાસ ૪.૧.૫ ‘ભવવિરહ’ – મુદ્રાલેખ ૪.૧.૬ પોરવાડ જ્ઞાતિની સ્થાપના ૪.૧.૭ સમાધિ મરણ ૪.૨ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના વિશિષ્ટ પાંચ ગુણો ૪.૨.૧ સમત્વ ૪.૨.૨ તુલના ૪.૨.૩ બહુમાનવૃતિ ૪.૨.૪ સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ ૪.૨.૫ અંતર સાધવાનો કીમિયો ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની યોગશતકમાં તુલનાદ્રષ્ટિ ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસુરિજી રચિત ગ્રંથો ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના ગ્રંથોની સૂચિ ૪.૩.૧. આગમિક ગ્રંથ ૪.૩.૨ આચાર, ઉપદેશ સંબંધી ગ્રંથ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪.૩.૩ દાર્શનિક ગ્રંથ ૪.૩.૪ યોગવિષયક ગ્રંથ ૪.૩.૫ કથાસંબંધી ગ્રંથ ૪.૩.૬ જ્યોતિષ સંબંધી ગ્રંથ ૪.૩.૭ સ્તુતિ વિષયક ગ્રંથ ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીને જિનાગમો પરનું બહુમાન ૪.૫ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય ૪.૫ ષોડશક Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જીવન અને કવન ૪.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની રૂપરેખા mોગશતક ગ્રંથ નાં ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી છે. જેઓ શ્વેતાંબર જૈન સંપ્રદાયનાં લબ્ધતિ આચાર્ય હતા. યાકિની નામના પરમવિદુષી જૈન સાધ્વીજીનાં ધર્મપુત્ર તરીકે પ્રખ્યાત હતા. એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આત્મવિકાસનાં અનુપમ સાધનરૂપ એવા ‘યોગશતક' ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ૧૦૦ શ્લોક પ્રમાણે છે. છતાં સંક્ષેપથી યોગની પ્રારંભિક ભૂમિકાથી આરંભી અંતિમ ભૂમિકા જીવનપર્યતનું બધુ વર્ણન સમાવિષ્ટ છે. આ ગ્રંથમાં વ્યવહારથી અને નિશ્ચયથી યોગની વ્યાખ્યા બતાવી યોગનાં અધિકારી તરીકે અપુનર્બન્ધક, અવિરત સમ્યગષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર બતાવ્યા છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવન અને કાર્યને સૂચવતાં અને તેનું વર્ણન કરતાં સાહિત્ય, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી જર્મન અને અંગ્રેજી ભાષાઓમાં અનેક વિદ્વાનો અને લેખકોએ પ્રકાશિત કર્યા છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનને લગતી માહિતી આપતા સાહિત્યોની સૂચિ પરિશિષ્ટ-૪માં આપવામાં આવેલ છે.' ૪.૧.૧ જન્મસ્થાન આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનાં જીવનની માહિતી આપનાર ગ્રંથોમાં સહુથી પ્રાચીન મનાતી ભદ્રેશ્વર કૃત ‘કહાવલી' નામના પ્રાકૃતિ કૃતિ છે. કહાવલીની રચનાનો સમય નિશ્ચિત નથી. પરંતુ ઇતિહાસ એ કૃતિને વિક્રમના બારમા સૈકાની આસપાસ માને છે. કહાવલી અનુસાર તેમનું જન્મસ્થાન ‘પિવુંબઈ બંભપુણી’ છે. જ્યારે અન્ય ગ્રંથોમાં એમનું જન્મસ્થાન ‘ચિત્તોડ - ચિત્રકુટ' માનવામાં આવે છે. આ બે નિર્દેશો જુદા હોવા છતાં વસ્તુતઃ એમાં ખાસ વિરોધ જેવું નથી લાગતું. કારણ કે સંભવતઃ બંભyણી જેનો સંકેત બ્રહ્મપુરીનો મળે છે. તેનો સંબંધ ચિત્તોડ કે તેની નજીક કોઈ બ્રાહ્મણ વસતી સાથે હોઈ શકે. આ રીતે બ્રહ્મપુરી કોઈ નાનું ગામ કે વસ્તી કે કસબો હોય જે ચિત્તોડની આસપાસ હશે, તેથી જે ઉત્તરકાલીન ગ્રંથોમાં વધારે પ્રખ્યાત ચિત્તોડનો નિર્દેશ સચવાઈ રહ્યો હોઈ શકે." ૪.૧.૨ માતા-પિતા આચાર્યશ્રી હરિભદ્રસુરજીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ શંકર ભટ્ટ અને માતાનું નામ ગંગા હતું. ગણધરસાધશતકની સુમતિગણિકૃત વૃતિ રચના સં. ૧૨૯૫માં તો હરિભદ્રજીનો બ્રાહ્મણ તરીકે સ્પષ્ટ નિર્દેશ થાય છે. આચાર્ય હરિભદ્રસુરજી અદ્દભુત પ્રતિભાશાળી સંપન્ન વિદ્વાન હતા તેથી તેમને ચિત્તોડ રાજ્યનાં જિતારી રાજાનાં પુરોહિત બનવાનો અવસર મળ્યો. રાજદરબારમાં ખુબ જ પ્રતિષ્ઠિત અને સન્માનીય હતા. 28. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪.૧.૩ સમય આચાર્યશ્રી હરિભદ્રસુરજીનો સમય પૂર્વથી આવેલી માન્યતા પ્રમાણે વિ. સં. ૫૩૦ થી ૫૮૫ ગણાતો. ડૉ. યાકોબી ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની પ્રસ્તાવનામાં વિક્રમની નવમી - દશમી સદી જણાવે છે. શ્રી કલ્યાણવિજયજીએ અનેક બાહ્ય તેમજ આંતર પ્રમાણોની સમાલોચના કરી તેમનો સમય વિ. સ. ૭૫૭ થી ૮૨૭ નિશ્ચિતપણે સાબિત કર્યો છે. એ નિર્ણય દરેક ઐતિહાસિક સ્વીકાર્યો છે. આ સમય સાથે પૂર્ણપણે મેળ ખાય એવા ઉલ્લેખો આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં વિવિધ ગ્રંથોમાં મળે છે. અને તેથી વિ.સં. ૭૫૭ થી ૮૨૭ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનો સત્તાસમય નિર્વિવાદ સિદ્ધ થયો છે. ૪.૧.૪ વિદ્યાભ્યાસ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનો વિદ્યાભ્યાસ પ્રાચીન બ્રાહ્મણ પરંપરા પ્રમાણે સંસ્કૃતભાષાથી શરૂ કરેલો. તેઓએ કોઈને કોઈ બ્રાહ્મણ વિદ્યાગુરૂએ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને ધર્મશાસ્ત્ર વગેરે સંસ્કૃતપ્રધાન વિદ્યાઓનું પાકે પાયે પરિશીલન કરેલું. તેઓ પંડિતોમાં અગ્રણી હતા. તેઓએ ષડ્રદર્શનોમાં ‘તલસ્પર્શી' પાંડિત્ય અને વેદ-વિદ્યાઓમાં પરમ - નિષ્ણાંતતા પ્રાપ્ત કરી હતી. તે કારણે તેઓનું ‘વાદીન્દુ’ અને ‘વિદ્વત-શિરોમણી' કહેવામાં આવતા હતા. પોતાની અસાધારણ પ્રતિભા પર તેમને ખુબ ગર્વ હતો. પોતાને વિશ્વાસ હતો કે સંસારમાં એવી કોઈ પણ વિદ્યા નથી જેને પોતે ન જાણતા હોય. કહેવાય છે કે “સમસ્ત જમ્બુદ્વીપમાં તેમના જેવો કોઈ વિદ્વાન નથી.’ એ ઘોષિત કરવા આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પોતાના હાથમાં જમ્બુ વૃક્ષની ડાળી રાખતા હતા. પોતાની એ પ્રતિજ્ઞા હતી કે જો કોઈ પણ શાસ્ત્ર કે વચનનો અર્થ સમજવામાં નિષ્ફળતા મળે તો તે સમજવા માટે તેમનું શિષ્યત્વ સ્વીકારવામાં પોતે કોઈ સંકોચ નહી રાખે.” સંયોગવશ એક દિવસ એવું બન્યું. એક નાની ઘટનાથી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન થયું." એકવાર તેઓ ચિત્તોડમાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ઉપાશ્રયમાં યાકિની મહત્તારા નામના જૈન સાધ્વીજી આગમોના પાઠ કરી રહ્યા હતાં. તેમના દ્વારા બોલાતી પાકૃત ગાથા એમના કાને પડી. चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।१२ આ ગાથા તેઓએ સાંભળી. અર્થ સમજાયો નહીં આર્યશ્રી હરિભદ્રસુરિજી મૂળે જીજ્ઞાસાની મૂર્તિ એટલે તેઓ ઉપાશ્રયમાં ગયા. સાધ્વીજીને અર્થ પૂછ્યો. તેઓએ અર્થ સમજાવ્યો. “પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચકી, તે પછી કેશવ અને ચક્રવર્તી ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.” અર્થ સાંભળી પોતાની પ્રતિજ્ઞાનુસાર શિષ્યત્વ પ્રદાન કરવાની પ્રાર્થના કરી. સાધ્વીજીએ તેમને પોતાના ગુરુ આચાર્યશ્રી જિનદત્તસૂરિજી જેઓ વિદ્યાધરકુળનાં આચાર્યશ્રી જિનભટ્ટજીનાં 29 - Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભાઈ હતાં. તેમની પાસે જવા કહ્યું. સવાર થતાં જ હરિભદ્રસુરિજી આચાર્ય જિનદત્તસૂરિજી પાસે પહોંચ્યા. તે સમયે માર્ગમાં તે જૈનમંદિર પણ આવ્યું. જ્યાં એકવાર ઉન્મત્ત હાથીથી બચવા આશ્રય લીધો હતો અને ‘વ,રેવ તવાપરે પમિષ્ટાન્ન મોનનમ્ (તમારું શરીર કહે છે કે તમને મિષ્ટાન્ન ભોજન છે) કહીને જિનપ્રતિમાનો ઉપહાસ કર્યો હતો. આજે આ વાક્યનું સ્મરણ એકદમ જુદુ જ દેખાયું. આચાર્યશ્રી જીનદત્ત સુરિજી પાસે પહોંચ્યા. સૂરિજીએ સંતોષ થાય એ રીતે વાત કરી કહ્યું કે “જો પ્રાકૃત શાસ્ત્ર અને જૈન પરંપરાનો પૂરેપૂરો અને પ્રમાણિક અભ્યાસ કરવો હોય તો તે માટે જૈન દીક્ષા આવશ્યક છે.” આચાર્યશ્રી હરિભદ્રસુરિજી સ્વભાવે તદ્દન સરળ અને સ્વપ્રતિજ્ઞામાં દ્રઢ: એટલે તેઓએ આચાર્ય જિનદત્તસૂરિજી પાસે જૈન દીક્ષા રી. અને સાથે જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પોતાને એ સાધ્વીજીનાં ધર્મપુત્ર તરીકે જાહેર કર્યા. સાધ્વીજીનું નામ યાકિની હતી. કોઈપણ પુરુષે તો પુરુષ પાસે જ દીક્ષા લે એટલે તેમણે દીક્ષા આચાર્યશ્રી જિનદત્તસૂરિજી પાસે લીધી. સાથે સાથે મહત્તરા યાકિની સાધ્વીજીનું ધર્મ-ઋણ ચૂકવવા પોતાને ઘર્મતી યાની મતાસુન" તરીકે ઓખાવવામાં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ ગૌરવ અનુભવ્યું. આ સાથે તેમના જીવનમાં વળાંક આવી ગયો. હરિભદ્રસુરિજીએ વૈદિક દર્શનનાં પારગામી વિદ્વાન તો હતા જ. જૈન દીક્ષા અંગીકાર કર્યા પછી તેઓ જૈનપરંપરાના અનેકવિધ શાસ્ત્રોનું પણ પારગામી અવગાહન કર્યું. અને હવે તેઓએ સંસ્કૃત પ્રધાન સર્વતોમુખી પ્રતિભા, વિદ્વતા તેમજ યોગ્યતાથી પ્રભાવિત થઈને ગુરૂએ તેમને પોતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા અને આચાર્યપદ પર નિયુક્ત કર્યા.૧૫ અને હવે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીથી સન્માનિત થયા. જેમ જેમ શ્રી હરિભદ્રજીને જૈનદર્શનના ગૂઢ રહસ્યોનું જ્ઞાન મળતું ગયું તેમ તેમ તેમના આત્મામાં વૈરાગ્ય અને સંવેગની તીવ્ર ભાવના પ્રબળ થતી ગઈ. તેઓએ પરિશ્રમ, નિષ્ઠા અને ગુરુભક્તિની સાથે અધ્યયન કરતાં બહુ થોડા સમયમાં જ જિનાગમના સૂક્ષ્મ સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ રીતે એમણે પોતાના જીવનમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની વિદ્યાઓને એકરસ કરી મહત્વનાં આગમ - ગ્રંથો ઉપર સંસ્કૃત ટીકા લખી પ્રાકૃતભાષામાં વિવિધ પ્રકારનું પુષ્કળ સાહિત્ય પણ રચ્યું. ૪.૧.૫ “ભવવિરહ' - મુદ્રાલેખ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના ઉપનામ તરીકે બીજું એક વિશેષણ પ્રસિદ્ધ છે અને તે છે મવર' એમણે પોતે જ પોતાની કેટલીક રચનાઓમાં ‘ભવવિરહ ના ઇચ્છનારા' તરીકે પાતાને નિર્દેશ્યા છે. ‘ભવવિરહ’ શબ્દ પાછળ મુખ્ય ત્રણ ઘટનાઓનો સંકેત છે. (૧) ધર્મ સ્વીકારવાનો પ્રસંગ યાકિની મહત્તરાએ જ્યારે શ્રી હરિભદ્રજીને પોતાના ગુરુશ્રી જિનદત્તસૂરિજી પાસે મોકલ્યા અને ગુરુશ્રી જિનદત્તરસૂરિજીએ શ્રી હરિભદ્રજીને પ્રાકૃત ગાથાનો અર્થ સમજાવ્યો, ત્યારબાદ શ્રી 30 Page #46 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રજીએ પૂછ્યું કે, “ધર્મ એટલે શું ? અને તેનું ફળ શું ?" ગુરુજીએ જવાબ આપ્યો કે, “સકામ અને નિષ્કામ એમ બે ધર્મ છે. સકામ “ધર્મનું ફળ સ્વર્ગાદિ છે. જ્યારે નિષ્ઠામ ધર્મનું ફળ તો ભવનો-સંસારનો વિરહ એટલે મોક્ષ છે. શ્રી હરિભદ્રજી કહ્યું કે, “હું તો ભવવિરહ-મોક્ષ પસંદ કરું છું.” આથી તેમણે ગુરુજી પાસે જૈન પ્રવજ્યા લીધી. મોક્ષનાં ઉદ્દેશથી જ પ્રવજ્યા ભણી વળ્યા, તેથી એમનો મુદ્રાલેખ ‘ભવવિરહ' બની ગયો. (ર) શિષ્યોનાં વિયોગનો પ્રસંગ ચિત્તોડમાં જ બૌધ્ધ પરંપરાનો પણ વિશિષ્ટ પ્રભાવ હતો. એ પરંપરાનો અભ્યાસ કરવા ગયેલા પોતાના જિનભદ્ર અને વીરભદ્ર એ બે શિષ્યોનું ધર્મદ્રષને પરિણામે મૃત્યુ થયું. આથી શ્રી હરિભદ્રસુરિજી ઉદ્દીગ્ન થયા. પણ શિષ્યોની જેમ ગ્રંથો પણ એક મહાન ધર્મવારસો છે. એમ સમજી તેઓ ગ્રંથરચનામાં વિશેષ ઉઘુક્ત થયા. એમનો જે દીક્ષાકાલીન ‘ભવવિરહ' મુદ્રાલેખ હતો તે તેમના મનમાં રમી રહ્યો હતો અને આ આઘાત સમાવવાનું બળ પણ તે મુદ્રાલેખમાંથી મળી ગયું. તેમને લાગ્યું કે સંસાર તો અસ્થિર જ છે. એમાં ઇષ્ટનો વિયોગ એ કોઈ અસ્વાભાવિક ઘટના નથી એટલે એ વિયોગ માટે અનુતાપ કરવો તે કરતાં ભવવિરહમોક્ષધર્મને ઉદ્દેશી ગ્રંથરચનામાં એકાગ્ર થઈ જવું એ જ કર્તવ્ય છે. ઉપરોક્ત વિગત “કહાવલી' અનુસાર છે. તે ઉપરાંત અન્ય ગ્રંથોમાં હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની વિગત છે. જેઓ બૌદ્ધ સિદ્ધાંતોનું અધ્યયન કરવા બૌદ્ધમઠમાં ગયા હતા. બંને શિષ્યોને બૌદ્ધોએ ધર્મદ્રેષને કારણે મારી નાંખ્યા. આચાર્યશ્રી કલ્યાણવિજયજીનાં મત અનુસાર ‘કહાવલી’ નું લખાણ પ્રાચીન અને પ્રામાણિક છે. (3) યાચકોને અપાતા આર્શીવાદનો અને તેના દ્વારા બોલાતા જય-જયકારનો પ્રસંગ આ વિષેની જે ખાસ ઘટના ‘કહાવલી’માં છે. તે લલ્લિગ નામનાં શ્રાવક શ્રી હરિભદ્રસુરિજી પ્રત્યે અનન્ય આદર ધરાવતા હતા. તે રોજ મુનિઓની ભિક્ષા સમયે શંખ વગાડતા હતા. તે સાંભળી યાચકો આવતા. લલિગ તેઓને ભોજન કરાવતા. પાછા વળતાં તેઓ શ્રી સુરિજીને વંદન કરતા અને શ્રી સુરિજી તેમને “ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાઓ એમ આર્શીવાદ આપતા. આ સાંભળી ‘ઘણું જીવો ભવવિરહસૂરિજી આમ બોલતાં તેઓ પોતાને સ્થાને જતાં, આ રીતે આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ‘ભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા. ઉપરોક્ત ત્રણ મુખ્ય ઘટનાઓ બાદ આચાર્ય પોતાના પ્રત્યેક ગ્રંથના અંતમાં કોઈને કોઈ રીતે અર્થસંબંધ જોડીને ‘ભવવિરહ' અથવા ‘વિરહ’ શબ્દનો પ્રયોગ અવશ્ય કર્યો છે. તેથી આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ‘વિરહાંક કવિ' પણ કહેવાયા છે. તેઓનાં ગ્રંથોનું લખાણ કરાવવાનું કામકાજ લલ્લિગ શ્રાવક કરતાં હતાં. તેણે આ ગ્રંથલેખનમાં અઢળક દ્રવ્ય ખર્ચ્યુ છે. ૪.૧.૬ પોરવાડ જ્ઞાતિની સ્થાપના આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ મેવાડમાં પોરવાડ વંશની સ્થાપના કરી અને તેઓએ જૈન પરંપરામાં દાખલ કર્યા. એવી અનુશ્રુતિ જ્ઞાતિઓનાં વંશજોએ સાચવી રાખી છે.રર 3 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪.૧.૭ સમાધિ મરણ જૈન સાધનાની ચરિતાર્થતા મૃત્યુના સમયે જોવા મળે છે. ભલે શ્રાવક હોય કે શ્રમણ સર્વને માટે જીવનના અંત સમયે સંથારો-સંલ્લેખના વ્રતનું ખુબ મહત્વ છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પણ પોતાના જીવનના અંતિમ સમયે અનશન આદરી શાંત ચિત્તે કાલગત થયા, ૪.૨ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના વિશિષ્ટ પાંચ ગુણો આચાર્યશ્રી હરિભદ્રસુરિજી સરળ તેમજ સૌમ્ય પ્રકૃતિના પુરુષ હતા. જૈનદર્શન પ્રત્યે તેઓની શ્રદ્ધા અનંત હતી. તેમનું હૃદય નિષ્પક્ષતાપૂર્ણ હતું. તેઓ ઉદારવંત સાધુ તેમજ સત્યના ઉપાસક હતા. ધર્મ અને તત્વના વિચારોનાં ઉહાપોહ સમયે પણ તેઓએ મધ્યસ્થતા તમજ ગુણાનુરાગતાની જરાપણ ઉપેક્ષા કરી નથી. તેમના સમસ્ત ગ્રંથોમાં તેમની સર્વતોમુખી પ્રતિભાના દર્શન થાય છે. તેમની ઉદાત્ત દ્રષ્ટિ, અસંપ્રદાયિક વૃતિ, નિર્ભય અને નમ્રતાનાં ગુણો પ્રગટ થાય છે. તે ઉપરાંત તેમના ગ્રંથોમાં જોવા મળતાં પાંચ વિશિષ્ટ ગુણો આ પ્રમાણે છે. ૪.૨.૧ સમત્વ આધ્યાત્મિકતાનું પરમ લક્ષ્ય સમભાવ તેમજ નિષ્પક્ષતા છે જે તેમના દર્શન અને યોગને લગતા ગ્રંથોમાં સ્પષ્ટ દેખાય છે. તેમની પ્રસિદ્ધ ગાથા દ્વારા સમત્વ-તટસ્થતાના બીજ જણાય છે. पक्षपातो न मे वीरे न द्वेषः कापिलादिषु । મદ્રવપતં ચ તસ્ય કાર્ય પર૬: T30ા લોકતત્વ નિર્ણય. ગાથાર્થ : ‘વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી. યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે. ૪.૨.૨ તુલના આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પરાપૂર્વથી ચાલી આવતી ખંડન-મંડનની પરિપાટીમાં તુલનાદ્રષ્ટિનો ઉમેરો કર્યો છે. સત્યની વધારેમાં વધારે નજીક પહોંચી શકાય એ હેતુથી તેઓએ પરવાદીના મંતવ્યોના હૃદયમાં વધુ ને વધુ ઉંડા ઉતરવા પ્રયત્ન કર્યો છે. અને પોતાના મંતવ્ય સાથે તે પરવાદી મંતવ્ય, પરિભાષા ભેદ કે નિરૂપણ હોવા છતાં કઈ રીતે સામ્ય ધરાવે છે. તે એમણે સ્વ-પરમતતી તુલના દ્વારા અનેક સ્થળે દર્શાવ્યું છે. તત્વચિંતન, આચાર કે યોગના વિષયમાં તુલના તેમજ સમન્વય દ્વારા નિરૂપણ કરવાનું પ્રસ્થાન ભારતીય વાડમયમાં તેમણે જ પ્રારંવ્યું છે.૪ ૪.૨.૩ બહુમાનવૃતિ ક્યારેક પરવાદી મંતવ્યોથી જુદા પડવા છતાં તેમના પ્રત્યે જે વિરલ બહુમાન અને આદર દર્શાવે છે. તેમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપેલી વિરલ ભેટ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું બહુશ્રુત વ્યક્તિત્વ વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાના ગંભીર અધ્યયનમાં - 32 - Page #48 -------------------------------------------------------------------------- ________________ ઓતપ્રોત હતું. તેમની આ મહાન વિશેષતા હતી કે જેટલી સફળતા સાથે જૈનદર્શન પર લખ્યું તેટલી ગંભીરતા સાથે બૌદ્ધ અને વૈદિક વિષયો પર પણ પોતાની લેખનીની ચલાવી. ખંડનમંડન સમયે પણ મધુર ભાષાનો પ્રયોગ કરતા હતા. ૪.૨.૪ સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ તેઓએ પરવાદીઓ કે પરંપરાઓ સાથેના વ્યવહારમાં જે તટસ્થવૃતિ અને નિર્ભયતા દર્શાવી છે. તેવી જ સ્વપરંપરા પ્રત્યે પણ દર્શાવી છે. ૪.૨.૫ અંતર સાધવાનો કીમિયો તેઓએ પોતાના દર્શન અને યોગ પરંપરાનાં ગ્રંથોમાં એવી શૈલી સ્વીકારી છે કે જેન પરંપરામાં મૌલિક ગણાય એવા સિદ્ધાંતો સર્વ સમજી શકે. ભિન્ન ભિન્ન સંપ્રદાયો વચ્ચે બની શકે તેટલું અંતર ઓછું કરવાનો યોગીગમ્ય માર્ગ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ વિકસાવ્યો છે. અને સૌ એકબીજામાંથી વિચાર-આચાર મોકળે મને ગ્રહણ કરી શકે એનું દ્વાર ખુલ્લું કર્યું છે જે સાચે જ વિરલ છે. આ જ રીતે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના વિશિષ્ટ ગુણોથી વિચાર-વર્તનની નવી દિશા ઉઘાડી છે. તે આજનાં યુગનાં અસાંપ્રદાયિક અને તુલનાત્મક અધ્યયનમાં ખુબ ઉપકારક છે. ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની યોગશતકમાં તુલનાદ્રષ્ટિ તેઓએ યોગશતકમાં યોગનું લક્ષણ કે સ્વરૂપ ત્રણ દ્રષ્ટિઓથી રજુ કરી તુલનાનું દ્વાર ઉઘાડ્યું છે. યોગ એ શ્રેયઃ સાધવાનો દીર્ધતમ ધર્મવ્યાપાર છે. એમાં બે અંશો છે. (૧) નિષેધભાગીય (૨) વિધિભાગીય કલેશોને નિવારવા તે નિષેધ બાજુ તેને લીધે પ્રગટતી શુધ્ધિને કારણે ચિત્તની કુશળમાર્ગીય પ્રવૃત્તિ તે વિધિ બાજુ. આ બંને બાજુઓને આવરતો ધર્મવ્યાપાર એ જ ખરી રીતે પૂર્ણ યોગ છે. પણ આ યોગનું સ્વરૂપ પતંજલિએ ‘ચિત્તવૃત્તિ નિરોધ૫ શબ્દથી પ્રધાન પણે અભાવમુખ સૂચવ્યું છે. જ્યારે બૌધ્ધ પરંપરાએ “કુશળ ચિત્તની એકાગ્રતા યા ઉપસંપદા જેવા શબ્દો દ્વારા પ્રધાનપણે ભાવમુખે સૂચવ્યું છે. બંને લક્ષણોને તુલના દ્રષ્ટિએ નિર્દેશ્યા છે. અને અંતે જૈનસંમત લક્ષણ જે તેઓએ બધા ગ્રંથોમાં યોજ્યું છે. બંને લક્ષણોનો દ્રષ્ટિભેદ સમાવેશ સૂચવ્યો છે. તેમનું અભિપ્રેત લક્ષણ એ છે કે જે ધર્મવ્યાપાર મોક્ષ તત્વ સાથે જોડાણ કરી આપે તે યોગ” આ એમનું લક્ષણ સર્વગ્રાહી હોઈ તેમાં નિષેધભાગીય અને વિધિભાગીય બંને સ્વરૂપો આવી જાય છે. - ઉમાસ્વાતિજી, સિધ્ધસેન દિવાકરજી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જે પ્રકરણાત્મક પદ્ધતિનું પ્રચલન કર્યું હતું એ પ્રકરણ રચનાઓને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ વ્યવસ્થિત રૂપ આપ્યું. તેમના સમસ્ત સાહિત્યમાં બધી ભારતીય ચિંતન પરંપરાઓનો પર્યાપ્ત ઉલ્લેખ જોવા મળે છે. એટલું જ નહી પરંતુ વ્યવહારિક તેમજ તલનાત્મક દ્રષ્ટિકોણનાં આધાર પર આચાર્યશ્રી - 33 - Page #49 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિજીએ જનધર્મની જે જે વિશિષ્ટતાનો અનુભવ કર્યો. તેને તટસ્થ ભાવથી પોતાના ગ્રંથોમાં પ્રગટ પણ કર્યો. ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસુરિજી રચિત ગ્રંથો આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્વેતાંબર જૈનસંપ્રદાયના લબ્ધ કીતિ આચાર્ય હતા. તેઓ પંડિતોમાં અગ્રણી હતા. જેન દીક્ષા અંગીકાર કર્યા બાદ ખુબ જ પરિશ્રમ, નિષ્ઠા અને ગુરુભક્તિની સાથે અધ્યયન કરતાં બહું થોડા જ સમયમાં જૈનાગમોનાં સૂક્ષ્મ સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જૈનાગમ ગ્રંથો પર સંસ્કૃત ભાષામાં વૃતિ લખવાનું કાર્ય સર્વ પ્રથમ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ જ કર્યું. સત્યની અધિકાધિક નજીક પહોંચી શકાય તે દ્રષ્ટિથી તેઓએ જૈનેતર દર્શનોનાં વિચારોને પણ પોતાના હૃદયમાં ઉંડાણપૂર્વક ઉતારવા પ્રયાસ કર્યો. તેઓ અનેકાંતવાદના વિશેષ પોષક હતાં દાર્શનિક પરંપરામાં અનેકાંતવાદને વ્યવહારિક રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે “યુક્તિની કસોટી પર જે પણ તત્વ પરિક્ષણમાં ખરા ઉતરે તેને નિઃસંકોચ તટસ્થભાવથી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના અને અન્ય મતોમાં સામ્ય દર્શાવવા જે તુલનાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો તે તેમની વ્યાપક તેમજ ઉદાર દ્રષ્ટિના પરિચાયક છે. પ્રત્યેક લેખકની પોતાની વિશિષ્ટ શૈલી હોય છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની પણ પોતાની આગવી શૈલી છે. જે પ્રતિભાત્મક તેમજ ભાષાસૌષ્ઠવથી પરિપૂર્ણ છે. તેમના ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. પૂર્વ પરંપરા પ્રમાણે તેઓ ૧૪૦૦, ૧૪૪૦ અને ૧૪૪૪ ગ્રંથોના કર્તા મનાય છે. શ્રી ગુણરત્નસુરિજી, મણિભદ્રસુરીજી અને વિદ્યાતિલકજી આ ત્રણે વ્યાખ્યાકારોએ ખૂબ આદર સાથે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં નામ સાથે સ્વીકાર કરે છે કે તેઓએ ૧૪૦૦ ગ્રંથોની રચના કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં તેમજ ગદ્ય અને પદ્ય બંને શૈલીમાં લખ્યું છે. તેઓએ માત્ર અનેક ગ્રંથો જ નથી લખ્યા, પરંતુ અનેકવિધ વિષયો પણ મૌલિક રીતે સ્પર્યા છે. તેઓએ ચારેચાર અનુયોગવિષયક ગ્રંથો લખ્યાં છે. જેમ કે, - - ધર્મસંગ્રહણી, ષડદર્શન, સમુચ્ચય આદિ ક્ષેત્રસમાસ આદિ પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, ઉપદેશપદ, સંબોધપ્રકરણ આદિ સમરાઈય્યાહા, ધૂર્તાખ્યાન, કથાકોષ આદિ અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ન્યાયપ્રવેશ વૃતિ આદિર દ્રવ્યાનુયોગ વિષયક ગણિતાનુયોગ વિષયક ચરણકરણાનું યોગ વિષયક ધર્મકથાનુયોગ વિષયક ન્યાય વિષયક 34 Page #50 -------------------------------------------------------------------------- ________________ આમ અનેક યોગશાસ્ત્રોનાં દોહનરૂપ તેમજ જૈનયોગ સાહિત્યમાં એક નવો જ ચીલો પાડનાર તેના યોગવિષયક ગ્રંથો યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશતક વગેરે વિષય વૈવિધ્યમાં ઉમેરો કરે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની કૃતિઓમાં વિસ્તાર, વિવિધતા અને ગુણવત્તા આ ત્રણ દ્રષ્ટિઓ વિશેષરૂપે સમાયેલી છે. તેમની કૃતિઓની સંખ્યામાં અતિશયોક્તિઓ (મતભેદ) હોઈ શકે છે. પરંતુ એ નિર્વિવાદ સત્ય છે કે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પોતાના જીવનમાં જૈનસાહિત્યને ખૂબ જ સમૃદ્ધ કર્યો છે. વર્તમાનમાં ઉપલબ્ધ તેમના ગ્રંથોમાંથી વિશેષ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ગ્રંથોની સૂચિ નીચે આપવામાં આવી છે. ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના ગ્રંથોની સૂચિ ૪.૩.૧ આગમિક ગ્રંથ ક્રમ ગ્રંથનું નામ ભાષા ઉપલબ્ધ / અનુપલબ્ધ ૧. | અનુયોગદ્વાર વૃતિ સંસ્કૃત ઉપલબ્ધ ૨. | આવશ્યક બૃહદ્ ટીકા અનુપલબ્ધ આવશ્યક સૂત્ર વિવૃતિ ઉપલબ્ધ | ચૈત્યવંદનસૂત્રવૃતિ અથવા લલિતવિસ્તરા ઉપલબ્ધ ૫. | જીવાભિગમસૂત્ર લઘુવૃતિ ઉપલબ્ધ ૬. | દશવૈકાલિક ટીકા ઉપલબ્ધ નંદધ્યયન ટીકા (શિષ્ય બોધિની) ઉપલબ્ધ ૮. | પિંડનિર્યુક્તિ વૃતિ અનુપલબ્ધ પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા ઉપલબ્ધ |=|-|=|=|-|=| ૯. | ભાષા સંસ્કૃત ઉપલબ્ધ / અનુપલબ્ધ ઉપલબ્ધ પ્રાકૃત અનુપલબ્ધ ઉપલબ્ધ સંસ્કૃત ૪.૩.૨ આચાર, ઉપદેશ સંબંધી ગ્રંથ ક્રમ ગ્રંથનું નામ | અષ્ટક પ્રકરણ - ઉપદેશપદ 3. | ધર્મબિંદુ પંચવસ્તુ-સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાયુક્ત | પંચસૂત્ર વ્યાખ્યા પંચાશક ભાવનાસિદ્ધિ લધુક્ષેત્ર સમાસ યા જંબુદ્વીપક્ષેત્રસમાસવૃતિ ઉપલબ્ધ 8 | - પ્રાકૃત સંસ્કૃત ઉપલબ્ધ ઉપલબ્ધ ૭. પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત અનુપલબ્ધ ઉપલબ્ધ { 35 - Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯. |વર્ગકેવલિ સૂત્રવૃતિ ૧૦. | વીસ વીશીઓ ૧૧. શ્રાવક ધર્મવિધિ પ્રકરણ ૧૨. ૧૩. | સંબોદ પ્રકરણ ૧૪. હિંસાષ્ટક - સ્વોપજ્ઞ અવસૂરિયુક્ત શ્રાવક પ્રજ્ઞપ્તિ વૃતિ ૪.૩.૩ દાર્શનિક ગ્રંથ ક્રમ ૧. ૨. 3. ૪. | આત્મસિદ્ધિ ૫. | તત્વાર્થસૂત્ર લઘુવૃતિ ૬. |જિવદન ચપેટા ૭. ધર્મસંગ્રહણી ૮. |ન્યાયપ્રવેશટીકા ગ્રંથનું નામ અનેકાંત જયપતાકા-સ્વોપજ્ઞ ટીકાયુક્ત અનેકાંતવાદ પ્રવેશ અનેકાંત સિદ્ધિ ૯. ન્યાયવતારવૃતિ ૧૦. લોકત્વનિર્ણય ૧૧. | શાસ્ત્રવાર્તા સમુચ્ચય-સોપજ્ઞ ટીકાયુક્ત ૧૨. | ષડદર્શન સમુચ્ચય ૧૩. | સર્વજ્ઞસિદ્ધિ-સ્વોપજ્ઞ ટીકાયુક્ત ૧૪. સ્વાદ્વાદચૌદ્યપરિહાર ૪. ૫. ૪.૩.૪ યોગવિષયક ગ્રંથ ક્રમ ગ્રંથનું નામ યોગદ્રષ્ટિ સમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકાયુક્ત ૧. ૨. | યોગબિંદુ 3. યોગવંશિકા પ્રાકૃત - સ્વોપજ્ઞ ટીકાયુક્ત યોગશત ષોડશક પ્રકરણ 36 સંસ્કૃત પ્રાકૃત પ્રાકૃત સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત ભાષા સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત ભાષા સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ / અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ અનુપલબ્ધ અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ અનુપલબ્ધ ઉપલબ્ધ / અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ Page #52 -------------------------------------------------------------------------- ________________ મ ભાષા | ઉપલબ્ધ / અનુપલબ્ધ પ્રાકૃત ઉપલબ્ધ પ્રાકૃત ઉપલબ્ધ ૪.૩.૫ કથાસંબંધી ગ્રંથ ગ્રંથનું નામ | ૧ | ધૂર્તાખ્યાન ૨. | સમરાદિત્ય કથા ૪.૩.જ્યોતિષ સંબંધી ગ્રંથ ગ્રંથનું નામ ૧. લગ્નશુદ્ધિ - લગ્નકુંડલિયા ૪.૩.૭ સ્તુતિ વિષયક ગ્રંથ ક્રમ ગ્રંથનું નામ ૧. | વીરસ્તવ ૨. | સંસારદાવાનલ સ્તુતિ ક્રમ ભાષા ઉપલબ્ધ / અનુપલબ્ધ ઉપલબ્ધ પ્રાકૃત ભાષા સંસ્કૃત સંસ્કૃત-પ્રાકૃત ઉપલબ્ધ / અનુપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ક્રમ ૬ Tદ છa. ૧૦ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત અન્ય ગ્રંથોની નામાવલિ આ ઉપરાંત “શ્રી યોગશતક' શ્રી ધીરજલાલ મહેતાનાં પુસ્તકમાં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના ગ્રંથોની સૂચિ પ્રાપ્ત થઈ છે. જે વિષયવાર વિભાજિત કરવાનો પ્રયત્ન કરેલ છે. આગમિક પ્રકરણ ગ્રંથો ક્રમ ગ્રંથનું નામ ગ્રંથનું નામ અનુયોગદ્વારસૂત્ર - લઘુવૃતિ | દશવૈકાલિકસૂત્ર - બૃહદ્દવૃતિ || આવશ્યક સૂત્ર - લધુવૃતિ | ૭ | દશવૈકાલિકસૂત્ર - લઘુવૃતિ જંબુદ્વીપ સંગ્રહણી ૮ | નંદીસૂત્ર - લધુવૃતિ ૪ | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા | વિશેષાવશ્યક ભાષ્યવૃતિ ૫ | ડુપડુપિકા (તત્વાર્થ ટીકા) પ્રજ્ઞાપનોપાંગ વૃતિ આચાર ઉપદેશ સંબંધી ક્રમ | ગ્રંથનું નામ ક્રમ ગ્રંથનું નામ ૧ | ઉપદેશ પ્રકરણ સાધુ સમાચારી ૨ | પંચઠાણગ (પંચસ્થાન) હિંસાષ્ટક ૩ | પંચવત્યુગ | શ્રાવક ધર્મ મંત્ર ૪ | પંચકસૂત્ર ૧૧ | શ્રાવક ધર્મ સમાસ ૫ સંબોધ સપ્તતિ શ્રાવક ધર્મ સમાસ વૃતિ સમ્યકત્વસપ્તતિ ૧૩ | શ્રાવક પ્રજ્ઞપ્તિ ૭ | સાધુ પ્રવચન સાર પ્રકરણ ૧૪ | શ્રાવક સમાચારી - 37 | | ૧o | | ૧૨. Page #53 -------------------------------------------------------------------------- ________________ - દાર્શનિક ગ્રંથો કમ ' ગ્રંથનું નામ કમ ગ્રંથનું નામ | અનેકાન્ત જય પતાકા ઉદ્યોત દીપિકા | ૫ | દંસણ સુધ્ધિ અનેકાન્ત પ્રઘટ્ટ | ષડ્રદર્શની તત્વતરંગિણી ૭ | આત્માનુશાસન ન્યાયમૂર્તિ તરંગિણી 0 | U | = T ક્રમ ગ્રંથનું નામ ક્રમ ૧ | શતશતક ધ્યાન શતક વૃતિ યોગવિષયક ગ્રંથ ગ્રંથનું નામ ૩. | યોગદ્રષ્ટિ સમુચ્ચય ટીકા | -- |-- -- -- -- સ્તુતિ વિષયક ગ્રંથ ગ્રંથનું નામ ૨ | શાશ્વત જિન સ્તવન -- ક્રમ ગ્રંથનું નામ ક્રમ ૧ | જિન સ્તવ 30 ૩૧ ૩૨ ૩૩ અન્ય ગ્રંથો ક્રમ ગ્રંથનું નામ ] ક્રમ) ગ્રંથનું નામ ૧ | કિતવક કથાનક પંચક | ૧૫ | સંસ્કૃત આત્માનુશાસન ૨ | કુલકો ૧૬ | અનેકાંતપ્રઘટ્ટ ૩ | ક્ષમાવલી બીજ ૧૭ | અહંચૂડામણિ ૪ | દિન શુદ્ધિ ૧૮ | કથાકોશ ૫ | દેવનરેન્દ્ર પ્રકરણ ૧૯ | કર્મસ્તવવૃતિ ધર્મસાર ટીકા - | ૨૦| ચૈત્યવંદનભાષ્ય ૭. | નાનાચિત્રક | ૨૧ | જ્ઞાનપંચક વિવરણ જ્ઞાનાદિત્ય પ્રકરણ ૨૨ | દર્શનસપ્તતિકા પ્રતિષ્ઠાકલ્પ ૨૩ | ધર્મલાભસિધ્ધિ ૧૦ | પ્રશમરતિ ટીકા ૨૪ | ધર્મસાર ૧૧ | ભાવાર્થ માત્રા-વેદીની | ૨૫ | નાણાયાત્તક ૧૨ | મુણિવઐરિય ૨૧ | નાનાચિત્તપ્રકરણ ૧૩ | લોકબિંદુ | ૨૭] ન્યાયવિનિશ્ચય ૧૪ | વિમાણનારયઈંદ પરલોકસિદ્ધિ ક્રમ | ગ્રંથનું નામ ૨૯ | પંચનિયકી પંચલિંગી પ્રતિષ્ઠાકલ્પ બહુમેિથ્યાત્વમંથન બોટિકપ્રતિષેધ૩૦ ૩૪ | યતિદિનકૃત્ય યશોધરચરિત્ર વીરાંગદકથા ૩૭ | વેદબાહ્યતાનિરાકરણ ૩૮ | સંગ્રહણિવૃતિ સંપચારિક્તરી ૪૦] સંસ્કૃત આત્માનુશાસન | વ્યવહારકલ્પ ૮. 3 ન 38 - 38. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીને જિનાગમો પરનું બહુમાન આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ધુરંધર યુગપુરુષ હતા. તેમના મૌલિક શાસ્ત્રો ઉપરાંત આગમ વિવેચનોનાં એમના વચનોને પછીના આચાર્યો પોતાના ગ્રંથમાં ઉદ્ધરણ તરીકે લે છે. એમના પોતાના વાક્યો સૂત્રો જેવા છે. જેના પર સારું વિવેચન થઈ શકે. આ રચનાનો બધો પ્રતાપ તેઓ જિનાગમોનો જ માને છે. તેઓ એક સ્થાને લખે છે કે “હા ! અહાહા કહું હું તા, હા ! જઈ ણ હું તો જિણાગમો,” અર્થાત્ અરે ! જો આ જિનશાસનના આગમો ન મળ્યા હોત તો ઘોર સંસારસાગરમાં મારું શું થાત ? અજ્ઞાન મિથ્યાત્વના અંધકારમાં અહત્વ અને મિથ્યા પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહી શેષ ભાવના ગુણાકાર કર્યા હોય ! આ ઉદ્દગાર સૂચવે છે કે એમને જિનાગમ પર ભારોભાર અને અનન્ય બહુમાન હતું. તેમજ શાસ્ત્રો રચવામાં પણ ઉપયોગી બોધ અને પ્રેરણા એમણે જિનાગમોથી લીધી હતી. તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા અને એ કુળના જે સંસ્કાર તથા એ કુળની વિદ્યા (વેદ, પુરાણ વગેરે) પામેલા ! તેઓને જિનાગમ વગેરે ન મળવાનું મળી ગયું. એટલે એમને નવાઈનો પાર ન રહ્યો અને જિનાગમ પર અથાગ રાગ બંધાઈ ગયો. અહો ! આ વિશ્વોતમ જિનાગમની પ્રાપ્તિ! “નિરંતર આ અહોભાવને લીધે જિનાગમમાંથી રત્નો લઈ લઈને મૂળ શાસ્ત્રો અને ટીકાની રચનાઓ જ કરતાં રહ્યા. ૪.૫ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય જૈનશાસ્ત્રોમાં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના સમય પહેલા આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન ચૌદ ગુણસ્થાનકરૂપે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપે અથવા ધર્મધ્યાન શુક્લધ્યાનરૂપે મળે છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજી જ જૈનપરંપરામાં સર્વપ્રથમ આત્માના વિકાસનું યોગરૂપે વર્ણન કરે છે. એટલું જ નહિ. પરંતુ પરિભાષા તેમજ વર્ણનશૈલી સુદ્ધાં નવી જ યોજે છે. “મોક્ષેખ યોની યોગ” “આત્માને મોક્ષ સાથે જોડી આપે તેવો વ્યાપાર તે યોગ”. આવો અર્થ કરી આત્માના વિકાસનું વર્ણન યોગરૂપે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ સર્વપ્રથમ કરેલ છે. તેઓએ માત્ર જૈન પરંપરાના સાહિત્યમાં જ નહિ, પરંતુ સમગ્ર આધ્યાત્મિક પરંપરાના સાહિત્યમાં એક નવી જ કેડી પાડી છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં યોગવિષયક મુખ્ય ગ્રંથો ચાર છે. (૧) યોગબિંદુ, (૨) યોગદ્રષ્ટિ સમુચ્ચય, (૩) યોગશતક, (૪) યોગવિશિકા ૫) બ્રહ્મસિધ્ધિ સમુચ્ચય અને ૬) ષોડશકનાં કેટલાંક પ્રકરણો જેમ કે ૧૦, ૧૪ અને ૧૬ મું પ્રકરણ યોગવિષયક છે. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. 39. Page #55 -------------------------------------------------------------------------- ________________ (૧) યોગબિંદ (સંસ્કૃત) અનુષુપ છંદમાં રચાયેલ પ૨૭ ગાથાની આ કૃતિ અધ્યાત્મ ઉપર પ્રકાશ પાડે છે. તેમાં વિવિધ વિષયોનું નિરૂપણ છે. માં સૌ પ્રથમ યોગનાં અધિકારી તેમજ અનાધિકારીની ચર્ચા કરતાં ક્રમશઃ ૩૧મી ગાથામાં પાંચ પ્રકારના યોગથી મોક્ષનું નિરૂપણ છે. “अध्यात्मा भावना ध्यानं समता वृतिसंक्षयः । मोक्षेण योजनाद योग एव श्रेष्ठो यथोतरम् ।। ગાથાર્થ : ૧) અધ્યાત્મ ૨) ભાવના ૩) ધ્યાન ૪) સમતા ૫) વૃત્તિસંક્ષય આ પાંચ મોક્ષમાર્ગના અંગ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જોડે છે. આ અંગો એક એકથી શ્રેષ્ઠ છે. ભાવના ના સંક્ષય સમતા ધ્યાન (૧) અધ્યાત્મ યોગ : ઉચિત પ્રવૃતિપૂર્વક અણુવ્રત કે મહાવ્રતયુક્ત મૈત્રી, કરૂણા, મુદિતા, ઉપેક્ષા એ ચાર ભાવનાયુક્ત એવું તત્વચિંતન તે આધ્યાત્મ યોગ છે. યોગફળ ? આ તત્વચિંતનથી પાપક્ષય, સત્વ, શીલ, શાશ્વત, ભાવે પ્રગટે છે. અને અમૃત સમાન જ્ઞાનાદિનો સત્ય અનુભવ પ્રાપ્ત થાય છે. શ્લોક ૩૫૯ (ર) ભાવનાયોગ : આધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ કરતાં અનુક્રમે પ્રાપ્ત થતી મનની સ્થિરતાને ભાવનાયોગ કહેવાય છે. યોગફળ : ભાવનાયોગથી કામ, ક્રોધ, આદિ અશુભ ભાવોની નિવૃતિ અને જ્ઞાન આદિ શુભ ભાવોની પુષ્ટિ અને શુદ્ધ ચિતની વૃદ્ધિ થાય છે. શ્લોક ૩૬૧ (3) ધ્યાનયોગ : શુભ એક આલંબનથી સ્થિર પ્રદીપ જેવું અને સૂક્ષ્મોપયોગ યુક્ત ચિત્તને ધ્યાન કહે છે. યોગફળ : સર્વકાર્યોમાં સ્વાધીનતા, સ્થિરભાવ, અનુબંધ, વ્યવચ્છેદવાળા ધ્યાનથી મિથ્યાચારનો પરિત્યાગ થાય છે. શ્વાસોશ્વાસથી મંત્ર ઉપર લક્ષ રહે છે. વૃતિનો વિચ્છેદ થતાં શુદ્ધિ થાય છે. ન 40 - Page #56 -------------------------------------------------------------------------- ________________ : અનાદિ અવિદ્યા કલ્પિત એવી ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે વિવેકપૂર્વક તટસ્થતા કેળવવી તે સમતા યોગ છે. યોગફળ : યોગથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમજ સૂક્ષ્મ કર્મનો ક્ષય થાય છે. (૫) વૃતિસંક્ષય યોગ : વિજાતીય દ્રવ્યથી ઉદ્દભવેલ ચિત્તની વૃતિઓનો જડમૂળથી નાશ કરવો તે વૃતિસંક્ષય. યોગફળ : વૃતિસંક્ષયથી કેવળજ્ઞાન, શૈલેષીપદ પ્રાપ્તિ અને સદાનંદાયિની અનાબાધિત મોક્ષ પ્રાપ્તિ ઉદ્દભવે છે.૩૫ (૪) સમતાયોગ આમ અધ્યાત્મ, તેથી ભાવના, તેથી ધ્યાન તેથી સમતા અને તેથી વૃતિક્ષય અને વૃતિક્ષય થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ યોગભૂમિકાઓ પૈકી પહેલી ચારને આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પતંજલિ સંમત સંપ્રજ્ઞાત સમાધિ સાથે અને છેલ્લીને અસંપ્રજ્ઞાત સાથે સરખાવે છે. યોગિક અનુષ્ઠાનોથી તેની પ્રશસ્તા, અપ્રશસ્તાના આધાર પર પાંચ વિભાગમાં વિભાજિત છે. • વિષ ગર અનુષ્ઠાનના પાંચ ભેદ * આ ભવમાં ભાવિમાં ધન-પુત્ર-યશલાભનાં આશયથી થતાં ધર્માનુષ્ઠાન તે વિષ. * પરભવમાં દેવ-ઈન્દ્રચક્રવર્તીપણાનાં આશયથી થતાં ધર્માનુષ્ઠાન તે ગર. * કોઈપણ જાતનાં ઉપયોગશૂન્ય જે અનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન. ઉત્તમાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું પ્રાથમિક ધર્માનુષ્ઠાન તે તદ્દહેતુ. આ અનુષ્ઠાન જિનેશ્વર કથિત છે. એવા ભાવપૂર્વક અને અતિશય સંવેગપૂર્વક કરાતું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન. અનનુષ્ઠાન તદ્દહેતુ અમૃતાનુષ્ઠાન . * પહેલાં ત્રણ અસદ્દનુષ્ઠાન છે, જ્યારે છેલ્લા બે સદ્દનુષ્ઠાન છે. અપુનર્બન્ધક આદિ યોગધિકારીઓને સદ્દનુષ્ઠાન જ હોય છે. આ ગ્રંથમાં અનેક સ્થાનો પર પાતાંજલ યોગ તેમજ બૌદ્ધયોગ સાથે તુલનાત્મક અધ્યયન દ્વારા પરસ્પર સમનવ્ય સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ યોગ નિરૂપણ સાથે અનેક દાર્શનિક તત્વોની સમીક્ષા કરવામાં આવી છે. (૨) યોગદ્રષ્ટિ સમુચ્ચય (સંસ્કૃત) આ કૃતિ ૨૭૭ શ્લોક પ્રમાણે છે. જે અનુષ્ટુપ છંદમાં છે. આ ગ્રંથમાં જીવનાં આધ્યાત્મિક વિકાસક્રમનું નિરુપણ નવીન દ્રષ્ટિકોણથી કરતાં વિકાસાવસ્થાને યોગદ્રષ્ટિઓના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. યોગબિંદુમાં વર્ણિત ‘પૂર્વસેવા’ નું જ વિસ્તૃત નિરૂપણ ‘યોગબીજ' નાં રૂપમાં કરવામાં આવ્યું છે. તે અતિરિક્ત યોગ્યતાભેદનાં આધાર પર પ્રથમ યોગનાં ૩ ભેદ દર્શાવ્યા છે. 41 Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગનાં ભેદ ઇચ્છી સંક્ષિપ્ત પરિભાષા (૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ સામર્થ્યયોગનાં ભેદ ♦ (૧) ધર્મ સન્યાસ રોણ : જે યોગમાં ઈચ્છા પ્રધાન હોય, પ્રમાદાદિને લીધે શાસ્ત્રનુસારિતા અલ્પ હોય તે ઈચ્છાયોગ. : અપ્રમત્તતાને લીધે શાસ્ત્રકલક્ષિતાથી શાસ્ત્રીય અનુષ્ઠાનો થાય તે શાસ્ત્રયોગ. (૩) સામર્થ્ય યોગ : શાસ્ત્રયોગનો ચિરકાળથી અભ્યાસ થવાના લીધે આત્મામાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટે છે કે જેના લીધે જીવ શાસ્ત્રોક્ત યોગથી ઘણો આગળ વધી જાય છે. તે સામર્થ્ય યોગ છે. અને તે શબ્દજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો નહીં પરંતુ અનુભવજ્ઞાનનો વિષય બની રહે છે. દરેક યોગસાધનાની પરાકાષ્ટાએ સામર્થ્યયોગ પ્રગટે છે. સંયમયોગ, તપોયોગ, જ્ઞાનયોગ વગેરે પ્રકૃષ્ટ બને ત્યારે તે જ સામર્થ્ય યોગ બને છે. (૨) યોગ સન્યાસ ીિર્થ ધર્મસાર સાપ હોઈ 42 સામ : ધર્મ એટલે ક્ષાયોપશમિક ગુણો. તેનો સન્યાસ અર્થાત્ ત્યાગ કરવો, તેનું નામ ધર્મસન્યાસ છે. મોક્ષને અનુકુળ તે આત્મા પોતાના ફળ સ્વભાવ રૂપ ક્ષાયિકભાવનાં ક્ષમાદિ ગુણો ધર્મો જેનાથી પ્રગટ થાય છે તે ધર્મસન્યાસ નામનો સામર્થ્ય યોગ છે. = : સંપૂર્ણ શુદ્ધ એવો આ યોગ છે. કાર્યાદિ ક્રિયાઓનાં યોગોનો ત્યાગ યોગસન્યાસ નામના સામર્થ્ય યોગમાં થાય છે. જે જીવની શૈલેષી અવસ્થા છે. આ શૈલેષી અવસ્થાની પ્રાપ્તિરૂપ બીજો સામર્થ્ય યોગ છે. “मित्रा तारा बला दीप्रा स्थिरा कांता प्रभा परा । નામાનિ યોનદ્રષ્ટિના લક્ષનું ૫ નિોપિત ।।” -શ્લોક ૧૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૧) મિત્રા, (૨) તારા (૩) બલા (૪) દીપા : આ ચાર દ્રષ્ટિઓને મિથ્યાત્વનો અલ્પ અંશ હોય છે. (૫) સ્થિરા, (૬) કાંતા (૭) પ્રભા (૮) પરા : આ ચાર દ્રષ્ટિઓને મિથ્યાત્વનો અભાવ હોય છે. આ વિભાગ અનુક્રમે પાતાંજલદર્શન પ્રસિદ્ધ યમ, નિયમ આદિ આઠ યોગાંગને આધારે તેમજ ખેદ, ઉદ્વેગ આદિ બૌદ્ધ પરંપરા પ્રસિદ્ધ આઠ દોષોના ત્યાગને આધારે અને અદ્વેષ, જિજ્ઞાસા આદિ આઠ યોગગુણનાં પ્રાગટ્યને આધારે કરવામાં આવેલ છે. આ આઠ ભૂમિકામાં વર્તતા સાધકનાં સ્વરૂપનું ત્યારબાદ વિગતે વર્ણન છે. યોગની આઠ દ્રષ્ટિઓનું કોષ્ટક આ પ્રમાણે છે. યોગની આઠ દ્રષ્ટિઓનું કોષ્ટક ક્રમ | યોગદ્રષ્ટિ | યોગાંગ | દોષ-ત્યાગ | ગુણ-પ્રાપ્તિ બોધઉપમાં | વિશેષતા મિત્રા ખેદ | અષ | તૃણાગ્નિ કણ | મિથ્યાત્વ તારા નિયમ ઉદ્વેગ જીજ્ઞાસા | ગોમય અગ્નિકણ | મિથ્યાત્વ બલા આસન સુશ્રુષા કાષ્ઠ અગ્નિકણ | મિથ્યાત્વ દીપા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપપ્રભા મિથ્યાત્વ સ્થિરા પ્રત્યાહાર ભ્રાન્તિ | બોધ રત્નપ્રભા સમ્યકત્વ કાંતા ધારણા અન્યમુદ્દ મીમાંસા તારાપ્રભા સમ્યકત્વ પ્રભા ધ્યાન ફુગ | પ્રતિપતિ સૂર્યપ્રભા સમ્યકત્વ પરા સમાધિ | આસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા સમ્યકત્વ ક્ષેપ ત્યારબાદ ત્રીજા વર્ગીકરણમાં યોગીઓને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે પૂર્વનું એકમ ૨.૬માં સમજૂતી આપેલ છે. (૩) યોગવિંશિકા (પ્રાકૃત). આચાર્યશ્રી વસુબંધુજીએ વિજ્ઞાનવાદનું નિરૂપણ કરવા માટે વિશિંકા, ત્રિશિકા જેવા ગ્રંથોની રચના કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પણ એવી રચનાઓનું અનુકરણ કરી પ્રાકૃતમાં વિંશિકાઓનું પ્રણયન કર્યું. ‘વિંશતવિંશિકા' નામના પ્રકરણ અંતર્ગત “યોગવિંશિકા' યોગવિષયક એક એવું નાનું પ્રકરણ છે. જેમાં ૨૦ પ્રાકૃતગાથાઓનાં માધ્યમથી યોગની વિકસિત અવસ્થાઓનું નિરુપણ છે. યોગનાં મુખ્ય અધિકારીનાં રૂપમાં ચારિત્રીનો નિર્દેશ કરતાં તેના સર્વ ધર્મવ્યાપારોને યોગ કહી આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પોતાની વ્યાપક તેમજ ઉદાર દ્રષ્ટિનો પરિચય આપ્યો છે. જે પ્રવૃતિ મુક્તિ તરફ લઈ જાય તે યોગ છે.” કહી યોગની પાંચ ભૂમિકાઓ દર્શાવી છે. 43 Page #59 -------------------------------------------------------------------------- ________________ : સ્થિર કહી શકાય તે સ્થાન. કાર્યોત્સર્ગ, પદ્દમાસન વગેરે આસન. : સૂત્રનું ઉચ્ચારણ, મંત્ર, જાપ વગેરે. : સૂત્રનાં પદનો વાચ્યાર્થ (૪) આલંબન : પ્રતિમાદિ સ્વરૂપ રૂપી દ્રવ્ય પર મનનું કેન્દ્રિત કરવું. (૫) અનાવલંબન : શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન. તેમાંથી પ્રથમ બે કર્મયોગ છે. અને બાકીના ત્રણ જ્ઞાનયોગ છે.” આ પાંચ પ્રકારોમાંથી પ્રત્યેકના ચાર ભેદ છે. ઈચ્છા, પ્રવૃતિ, સ્વૈર્ય અને સિદ્ધિ. આ ગ્રંથમાં યોગનાં ૮૦ ભેદોનું નિરુપણ છે.૪૩ (૧) સ્થાન (૨) ઉર્ણ / વર્ણ (૩) અર્થ अणुकपा निव्वेओ, संवेगो होइ तह य पसमु ति । सिं अणुभावा, इच्छाईणं जहासंखं ||८|| ગાથાર્થ : અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ તે ઈચ્છાદિનાં યથાસંખ્ય અનુભાવો છે. (૧) અનુકંપા : દ્રવ્યથી અને ભાવથી દુઃખી જીવોના દુઃખને યથાશક્તિ દૂર કરવાની ઈચ્છા. (૨) નિર્વેદ સંસારની નિર્ગુણતાનાં કારણે ભવ પ્રત્યેની વિરક્તતા નિર્વેદ છે. પ્રવૃતિયોગનું કાર્ય નિર્વેદ છે. : (૩) સંવેગ : સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, સ્વૈર્યયોગનું કાર્ય સંવેગ છે. (૪) પ્રશમ : ક્રોધ, કષાય અને વિષયની તૃષ્ણાનો ઉપશમ પ્રશમ છે. આમ અહીં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની તત્વાર્થસૂત્રની ટીકાની જેમ સમ્યકત્વનાં આસ્તિક્ય વગેરે પાંચ લક્ષણો પશ્ર્ચાદનુપૂર્વીથી આપવામાં આવ્યા છે. તે સાથે જ સદ્દનુષ્ઠાનનાં પ્રીતિ, ભક્તિ, વચન અને આસંગ આ ચાર ભેદોનું નિરુપણ પણ આ નાનીકૃતિમાં વિદ્યમાન છે. (૪) બ્રહ્મસિદ્ધિ સમુચ્ચય આ ગ્રંથના પ્રણેતા આચાર્ય હરિભદ્રસૂરિજી છે. એમ મુનિ પુણ્યવિજયજી નો મત છે.” તેની એક ખંડિત તાડપત્રીય પ્રત જે તેમને મળી હતી. આ સંસ્કૃત ગ્રંથના ૪૨૩ પદ્ય જ મુશ્કેલીથી મળ્યા છે અને તે પણ પૂર્ણ નથી. આદ્ય પદમાં ભગવાન મહાવીરને નમસ્કાર કરીને બ્રહ્માદિની પ્રક્રિયા તેમના સિદ્ધાંત અનુસાર સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે. આ ગ્રંથનું મહત્વ એ છે કે તેમાં સર્વ દર્શનોનો સમન્વય સાધવામાં આવ્યો છે. શ્લોક ૩૫માં અદ્વેષ, જિજ્ઞાસા વગેરે યોગથી પ્રાપ્ત થતાં ગુણોનો ઉલ્લેખ છે. શ્લોક ૫૪માં અપુનર્બન્ધકનો ઉલ્લેખ છે. શ્લોક ૧૮૮-૧૯૧માં નમસ્કાર યોગનાં ત્રણ પ્રકારોઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્ય યોગનો ઉલ્લેખ છે. 'नमस्कारादिको योगः सर्वोऽपि विविधो मतः । सदिच्छा शास्त्र - સામર્થ્યયોમેટેન તત્વતઃ ।।૧૮૮Ī] બ્રહ્મસિધ્ધિ સમુચ્ચય. 44 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪.૫ ષોડશક પ્રસ્તુત ગ્રંથ ૧૬ પ્રકરણોમાં વિભાજીત છે. જેમાં કુલ ૨૫૬ શ્લોક છે. ગ્રંથનું ૧૪ અને ૧૬ મું પ્રકરણ યોગવિષયક છે. ૧૪માં પ્રકરણમાં સાલંબન - નિરાલંબન ધ્યાન-યોગની વાત કરી છે. ધ્યાનનાં અધિકારી તરીકે પ્રવૃતચક્ર યોગીને જણાવ્યા છે. જેઓ દિવસ-રાત યોગચક્રમાં પ્રવૃત હોય છે. ઉપરાંત યોગ - સાધનાનાં બાધક ખેદ, ઉદ્વેગ આદિ દોષોનું વર્ણન છે. ૧૬માં પ્રકરણમાં દોષોના પ્રતિપક્ષી અદ્વેષ, જિજ્ઞાસાદિ ગુણોનું નિરુપણ અને તેનાં ફળમાં મોક્ષ, પરિણામી આત્મા કર્મનો વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેના ઉપસંહારમાં અન્ય દર્શનીના વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેના ફળમાં મોક્ષ, પરિણામી આત્મા કર્મનો વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ અન્યદર્શનીના આગમો પર પણ દ્વેષ નહીં તેની પ્રેરણા છે. બાલ - મધ્યમ ને પંડિત કક્ષાના જીવોથી શરૂ થયેલો ગ્રંથનો વિષયભાગ અંતે નિરાલંબન ધ્યાનયોગ અને તલરૂપ મોક્ષમાં પર્યવસિત થાય છે. આ ઉપરથી જોઈ શકાશે કે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ યોગમાર્ગને અનુરૂપ એવી સર્વસાધારણ નવિ પરિભાષામાં જૈનપરંપરા પ્રસિધ્ધ આધ્યાત્મિક વિકાસક્રમનું યોગરૂપે નિરૂપણ કરવામાં પહેલ કરી છે. આ ગ્રંથ પર આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી કૃત ટીકા ઉપરાંત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દીપિકાવૃતિ છે. ‘ષોડશક પ્રકરણ’ એક સંગ્રહગ્રંથરૂપ હોવાથી ઘણાં વિષયો આવરી લેવાયા છે. આચાર્યશ્રી શીલપૂર્ણાશ્રીજી, મુનિ શ્રી પુણ્યવિજયજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ અનેક આચાર્યએ તથા શ્રી પ્રવિણચંદ્ર, શ્રી ધીરજલાલ વગેરે વિદ્વાનોએ યોગશતક ગ્રંથ પર અનેક વિવેચનો અને અનુવાદો કરેલ છે. તે યોગશતક ગ્રંથની કૃતિઓની સૂચિ પરિશિષ્ટપમાં દર્શાવેલ છે. યોગશતક ગ્રંથનો પરિચય આગળના પ્રકરણમાં વિસ્તારથી કરેલ છે. 45 Page #61 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ ૧. સમદર્શી આચાર્ય હરિભદ્ર, લેખક : પંડિત સુખલાલજી, પૃ.-૧૪૪ ૨. ‘કહાવલી’ કૃત અમુદ્રિત છે. જેની હસ્તલિખિત પ્રત પાટણનાં જૈનભંડારમાં ઉલપબ્ધ છે. 3. પિવ સંમપુળી” સંઘવી પાડો, જૈનભંડાર, પાટણ, વિ.સં. ૧૪૬૭માં ઉલ્લિખિત તાડપત્રીય હસ્તપ્રત ખંડ-૨, પત્ર-૩00. નીચેના પ્રાચીન ગ્રંથોમાં જન્મસ્થાન તરીકે ચિત્તોડ-ચિત્રકુડનો ઉલ્લેખ મળે છે. ૧) આચાર્યશ્રી હરિભદ્રસૂરિ કૃતા ઉપદેશ પદ' પર ચંદ્રપ્રભુસૂરિકૃત ટીકા, વિ.સં. ૧૧૭૪ ૨) ‘ગણધરસાર્ધ શતક’ પર સુમતિગણિતકૃત વૃતિ, વિ.સં. ૧૨૯૫ ૩) પ્રભાચંદ્રસૂરિકૃત ‘પ્રભાવકચરિત્ર’ શૃંગ-૯, શ્લોક-૫, વિ.સં. ૧૩૩૪. ૪) રાજશેખરસૂરિષ્કૃત ‘પ્રબંધકોષ’, પૃ.-૬૦, વિ.સં.૧૪૦૫. સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિજી, લેખક :પંડિત સુખલાલજી, પૃ.-૮ संकरो नाम भटो, तस्स गंगा नाम भट्टिणी । ति हरिभद्धो नाम पंडिओ पुत्तो ।। द्रष्टव्यः कहावली, पत्र- 300. “અતિતરવસતિ – પુરોહિતોપ્ચ્યૂનૃપવિવિતો હરિમદ્રનામવિતઃ ।”, પ્રભાવકચરિત્ત શૃંગ-૯, હરિભદ્રસૂરિજી રચિત. શ્લોક-૮. જૈન સાહિત્ય સંશોધક ભાગ-૧, અંક-૧, લેખકનું નામ :હરિભદ્રસૂરિકા સમય નિર્માણ’ પૃ.-૫૩, पाताञ्ञल योग एवं जैनयोग का तुलनात्मक अध्ययन, संपादिका अरुणा आनन्द, ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. પૃ.-૨૦ स्फुटति जठरमत्र शास्त्रपूराजिति स दधावुदरे सुवर्णपट्टम् । मम सम्मतिरस्तित नैव जम्बक्षितिवलये बहते तता च जम्बवाः । प्रभावकचरित् ૬/૨-૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.-૧૫૭ આવશ્યક નિયુક્તિ, ગાથા-૪૨૧, પ્રભાવકચરિત્ર ૯/૧૧ वपुवे तवाचष्टे भगवन ! वीतरागताम् । न हि कोठरसंस्थेडम्नौ तरुभवति शाद्वलः । प्रभावक चरित्र ९ / २९ ૧) આવશ્યક ટીકાની પ્રશસ્તિઃ “સમાપ્તા ઘેય શિષ્યહિતો નામ માવશયટીવા वृतिः सिताम्बराचार्य जिनभट्टनिगदानुसारिणो “विद्याधर” कुत्रतिनकाचार्य जिनदतशिष्यस्य धर्मतो जाइणीमहत्तरासूनोरल्यमतेराचार्यहरिभद्रस्य” ૨) ઉપદેશપદની પ્રશસ્તિઃ નાળિમયરિમાણ રડ્યા પણ 5 ધમ્મપુતેળ । हरिभद्रयरिएणं वविरहं इच्छामाणंणं ।। ' 46 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩) પંચસૂત્ર વિવરણની પ્રશસ્તિ વિકૃત ચવિની મફતરસૂનું શ્રી મદ્રપાર્થ” ૧૫. સમરાદિત્યકથા, સંપાદક: જકોબી પ્રસ્તાવના, ૫-૩૬૫. ૧૬. સમદર્શી આચાર્ય હરિભદ્ર, પંડિત સુખલાલ સંઘવી, પૃ.-૧૪. કાવલી પત્ર-૩૦૦ : દરિદ્રો મારૂ મચ પિs મે મા વિરહો 'પૃ-૧૩ ૧૮. પ્રભાવક ચરિત્ર શૃંગ-૯. ૧૯. યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, ૫-૧૨ ૨૦. “કહાવલી પત્ર-૩૦૧ અ. વિર નીવરમવિરહ જૂના વિરહશબ્દેન હરિદ્રાવાર્થવૃત્વ પ્રકાશાહિતન, વિદ્ધાંવત્યા રીમદ્રસૂતિ | અષ્ટક પ્રકરણ, ટીકા, પૃ-૧૦૪. ૨૨. પંડિતજી કલ્યાણવિજયજી, “ધર્મસંગ્રહિણી પ્રસ્તાવના, પૃ-૭ ૨૩. યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, ૫-૧૫ ૨૪. પ્રભાવક ચરિત્ર શ્લોક-૭૫, પ્રબંધ કોશ, પૃ-ર૬. ૨૫. યોજિત વૃત્તિ નિરોધઃ | યોગસૂત્ર-૧.૨ ૨૬. સવ્વપાપા મવાર સંક્સ ૩૫સંપાવા ! સવિત રિયોપનું તં વુલન સાસન || ધર્મોપદ-૧૪.૫ ૨૭. પાંતાંન્ગલ પર્વ મૈનચાગ-સાધના પદ્ધતિ સઃ મUા માનન્દ, પૃ.-૨૧૩ ૨૮. ૧) પ્રથમ મુનિચંદ્રસૂરિની ઉપદેશપદની ટીકા વિ.સં. ૧૧૭૪માં ૧૪૦૦ ગ્રંથ ૨) પંડિત બેચરાસત જૈનદર્શનની પ્રસ્તાવના, પૃ.-૪, ૭. ૧૪૦૦ ગ્રંથ. 3) चुतदर्शशत संख्याशास्त्र विरचनाडजनितज गज्जनतूऽपकारः - श्री हरिभद्रसूरिः । षडदर्शन समुच्चय, गुणरत्नसूरिकृत टीका, प.-१ ४) चतुर्शशत प्रकरणोयकृत जिनधर्मो भगवान श्री हरिभद्रसूरिः । षडदर्शन समुच्चय मणिभद्रकृत टीका, उपोदघात । ५) षडदर्शन समुच्चय सौमतिलक (विद्यातिलक) कृत लघुवृत्ति, उपोदघात । ૬) રાજશેખર સૂરિ, પ્રબ કોશ-૧૪૪૦ ગ્રંથ. ૭) રત્નશેખર સૂરિ, શ્રાદ્ધ પ્રતિક્રમણાર્થ દીપિકા - ૧૪૪૪ ગ્રંથ. ૨૯. યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, પૃ-૧૩ ૩૦. જૈનસાહિત્ય સંશોધક, ભાગ-૧, અંક-૧, પૃ-૨૩. ૩૧. યોગદ્રષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો ભાગ-૧, સંપાદક : પંન્યાસશ્રી પદ્મસેનવિજયજી, પૃ.-૨ ૩૨. યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, પૃ.-૪૭ ૩૩. યોગશતક, અનુવાદક : પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પ્રાક. કથન, પૃ-૧૦. ૩૪. યોગબિંદુ ગાથા-૩૧ 41 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૫. યોગબિંદુ ગાથા-૩૫૮ થી ૩૬૫ विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम । ગુર્વાવિ પૂનાનુષ્ઠાન – મપેક્ષાવિવિધાનતઃ ।। યોગબિંદુ, ગાથા-૧૫૫ ૩૭. યોગદ્રષ્ટિ સમુચ્ચય, શ્લોક ૩-૫. ૩૮. યોગવિવેક દ્વાત્રિંશિકા, વિવેચક :પંડિતશ્રી પ્રવિણચંદ્ર મોતા, પૃ.-૩૪ ૩૯. યોગદ્રષ્ટિ સમુચ્ચય, ડૉ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા, પૃ. ૬૮૧ થી ૭૦૭ ૪૦. पांताज्जल एवं जैनयोग का तुलनात्मक अध्ययन | संपादक – ઝરુળા માનન્દ્ર, પૃ.૨૭ જૈનસાહિત્યનો બૃહદ ઇતિહાસ, ભાગ-૪, સંપાદક - ડૉ. નગીન શાર, ડૉ. રમણિક શાહ, પૃ.-૨૩૮, તેમજ યોવંશિકા, ગાથા-૨. ૪૧. યોવંશિકા, ગાથા-૨, પ્રકાશક - શ્રી ૧૦, જૈનતીર્થદર્શન ભવન ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ સંસ્કરણ, ઈ.સ. ૨૦૦૪. યોગવંશિકા વિવેચક, પંડિત પ્રવીણચંદ્ર મોતા, પૃ.-૧૬ યોગશતક, અનુવાદક : પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ-૧૩૮-૧૩૯ ૮૦ ભેદ સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન, નિરાવલંબન એમ પાંચ યોગનાં ઈચ્છા - પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ ચારચાર ભેદો થતાં ૨૦ અને તે વીસ ભેદોમાં પ્રીતિ, ભક્તિ, વચન અને આસંગ એમ ચાર - ચાર ભેદો થતાં કુલ ૮૦ ભેદ. ૪૫. ષોડશક, પ્રકરણ ૧૪ - ૧૬ 39. ૪૨ ૪૩. ૪૪. = 48 Page #64 -------------------------------------------------------------------------- ________________ (૯) , ૧ પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૧ ૫.૧ યોગશતક ગ્રંથનો પરિચય ૫.૨ યોગનું સ્વરૂપ : નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ ૫.૨.૧ નિશ્ચય નયથી યોગ ૫.૨.૨ વ્યવહાર નયથી યોગ ૫.૩ યોગમાર્ગનાં પ્રથમ અધિકારી - અપુનર્બન્ધ ૫.૩.૧ અપુનર્બન્ધક જીવોનાં લિંગો ૫.૩.૨ અપુનર્બન્ધક જીવોને આશ્રયી ઉપદેશનાં કથનનું સ્વરૂપ ૫.૪ યોગમાર્ગનાં દ્વિતીય અધિકારી - સમ્યદ્રષ્ટિ ૫.૪.૧ ઉપદેશના અંગો ૫.૪.ર ઉપદેશનાં કારણો ૫.૫ યોગમાર્ગનાં તૃતીય અધિકારી ચારિત્રી ૫.૫.૧ યોગમાર્ગનાં પંથે દેશવિરત ચારિત્રવાન ૫.૫.૨ યોગમાર્ગનાં પંથે સર્વવિરત ચારિત્રવાન ૫.૩ યોગસાધના દ્વારા ગુણસ્થાનકે જવાની વિધિ ૫.૬.૧ નવા ગુણસ્થાનકમાં પ્રવેશવાની વિધિ ૫.૬.૨ અપૂર્વગુણસ્થાનકનો પ્રાપ્તિ માટે વિશેષવિધિ પ.વ.૩ કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ - પ.૭ યોગના અધિકારનાં વિશેષ ઉપાયો હાર Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૧ પ.૧ યોગશતક ગ્રંથનો પરિચય પ્રસ્તુત યોગશતક ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. શ્રી હરિભદ્રસૂરિ નામના અનેક આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. તે બધામાં જે યાકિની મહારાસૂનું તરીકે પ્રસિદ્ધ છે. અને સમયની દ્રષ્ટિએ સૌથી પહેલા મનાય છે. આ યોગગ્રંથ વિષયની દ્રષ્ટિએ “યોગબિંદુ' સાથે સૌથી વધારે સામ્ય ધરાવે છે. યોગબિંદુની ઘણીખરી યોગવસ્તુ યોગશતકમાં સંક્ષેપમાં આવી જાય છે. સંશોધક વિદ્વાન મુનિ પુણ્યવિજ્યજીએ ખંભાતના તાડપત્રીય ભંડારમાંથી અત્યાર સુધી અપ્રાપ્ય એવી વ્યોગશતકની પ્રતિ મેળવી હતી. શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડારની હસ્તપ્રત પરિશિષ્ટ-૬માં આપવામાં આવેલ છે. ગાથા ૧ થી ૭માં યોગનાં સ્વરૂપને બતાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રારંભના મંગલાચરણમાં યોગીનાથ એવા શ્રી તીર્થકર મહાવીર પ્રભુને નમસ્કાર કરીને યોગનાં લેશમાત્રનું સ્વરૂપ દર્શાવે છે. ત્યારબાદ નિશ્ચયયોગ અને વ્યવહાર યોગનું વર્ણન કરતાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમયગ્યારિત્રએ રત્નત્રયનો આત્મા સાથેનો સંબંધ એ નિશ્ચય યોગ છે. જ્યારે એ ત્રણેનાં કારણો વ્યવહાર યોગ છે. તદુપરાંત વ્યવહારયોગની ઉપયોગિતા શું છે તે આચાર્યશ્રી જણાવે છે. મોક્ષ પ્રત્યે ઉપાદાન કારણરૂપ જીવની પરિણતિ નિશ્ચયનયથી યોગ અને ભાવપરિણતિનું નિમિત્તકારણ, વ્યવહારનયથી યોગ દર્શાવતું ચિત્ર આપવામાં આવેલ છે. જેમાં યોગની પહેલી ચાર દ્રષ્ટિની અવાંતર પરિણતિઓ છે. બાજુમાં ચિત્ર નં-૨માં વિસ્તારરૂપે બતાવેલ છે. અપુનબંધકની અનેક અવાંતર પરિણિતિઓનો યોગની ચાર દ્રષ્ટિરૂપે નિર્દેશ પરિશિષ્ટ-૭માં દર્શાવેલ છે. કોઈને કોઈ રીતે જીવમાં અનુપબધન્કની પરિણતિ પ્રગટે છે. ત્યારે પ્રથમ ભૂમિકાની ઉચિત ક્રિયા કરીને સાધક ઉપર ઉપરની યોગની પરિણતિને પ્રાપ્ત કરે છે. આ ક્રમથી બાહ્યક્રિયા અંતરંગ પરિણતિ પ્રત્યે નિમિત્ત કારણ છે, અને પૂર્વની અંતરંગ પરિણતિ ઉત્તર પરિણતિરૂપે થાય છે. આમ મોક્ષનાં કારણરૂપે માન્ય એવી અપુનર્બન્ધકથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમય સુધીની સર્વ પરિણતિઓ પ્રત્યે વ્યવહારનયની ક્રિયા નિમિત કારણરૂપે છે. ગાથા ૮ થી ૧૨માં ગ્રંથકારશ્રી આગળ યુક્તિથી કહે છે કે, અધિકારી આત્મા જો ઉપાયમાં યત્ન કરે તો ફળની પ્રાપ્તિ કરે છે. તેથી પ્રસ્તુત યોગમાર્ગનાં અધિકારી કોણ ? તે બતાવે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ • આ ગ્રંથમાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ યોગનાં અધિકારી રૂપે અપુનર્બન્ધક| યોગમાર્ગમાં પ્રથમ અધિકારી જેઓ ભવાભિનંદી દોષોથી વિરોધી સારા ગુણોવાળા અને અભ્યાસ યોગે ગુણોની ઉત્તરોત્તર વૃધ્ધિ કરનારી | સમ્યદ્રષ્ટિ | યોગમાર્ગમાં દ્વિતીય અધિકારી તત્વભૂત અર્થોનુ યથાર્થ શ્રધ્ધાન કરનાર. દેશવિરતિ યોગમાર્ગમાં તૃતીય અધિકારી અણુવ્રતધારી ગૃહસ્થ - શ્રાવક. સર્વવિરતિ | યોગમાર્ગમાં ચતુર્થ અધિકારી મહાવ્રતધારી શ્રમણ - નિગ્રંથમુનિ. આ રીતે યોગનાં અધિકારી બતાવ્યા પછી તે અધિકારીના લિંગો ગાથા ૧૩-૧૪-૧૫માં ક્રમસર બતાવ્યા છે. (૧) અપુનર્દકના લક્ષણો તીવ્રભાવે પાપ કરે નહિ સંસારનું અબહુમાન સર્વત્ર ઉચિત આચરણ શુભૂષા. (૨) સમ્યગ્દષ્ટિનાં લક્ષણો - ધર્મરાગ - ચિત્તની સમાધિ રહે તે માટે દેવ-ગુરૂની સેવા (૩) ચારિત્રવાનનાં લક્ષણો માર્ગાનુસારી શ્રધ્ધાવાન પ્રજ્ઞાપનીય ચારિત્રવાન આત્મા ક્રિયાતત્પર ગુણાનુરાગી શક્યારંભયુક્ત ન 50 | Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ ગાથા ૧૬ થી ૨૦માં સામાયિક ચારિત્રનું વિશદ વર્ણન કરેલ છે. સામાયિક એટલે સમતાભાવની પ્રાપ્તિ, તે ઈત્વરકથિત (અલ્પકાલીન) અને તેનાથી ઈતર યાવત્કથિતના અંગીકરણ દ્વારા સામાયિકની શુધ્ધિનાં ભેદને કારણે દેશવિરતિ - સર્વવિરતિ ચારિત્ર બે ભેદવાળુ છે. અને તે બંને ચારિત્ર પણ અવાંતર ભેદની અપેક્ષાએ અનેક પ્રકારનાં છે. જેનું વિગતે વર્ણન આગળનાં એકમમાં ૫.૫.૧ માં આપવામાં આવેલ છે. આ પ્રમાણે અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારનાં યોગનાં અધિકારી જીવોનું વર્ણન છે. ગાથા ૨૧ થી ૨૩માં જીનેશ્વર ભગવંતની આજ્ઞાયુક્ત ધર્મનુષ્ઠાન યોગનું વર્ણન કરેલ છે. જે નીચે પ્રમાણે છે. ધર્માનુષ્ઠાન યોગનું સ્વરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ કુશળ પ્રવૃત્તિ મોક્ષની સાથે આત્માનું યુજન અપુનર્બન્ધકથી વીતરાગ સુધીનાં જીવોનાં જિનાજ્ઞાયુક્ત અનુષ્ઠાનમાં યોગનાં લક્ષણનો યોગ છે. ચિત્તવૃત્તિનો નિરોધ છે. અને તે પ્રકારની કુશલ પ્રવૃત્તિ દ્વારા આત્માને મોક્ષની સાથે જોડે છે. આ ચારે યોગપાત્રો અપુનર્બન્ધક, સમ્યદ્રષ્ટિ, દેશવિરત અને સર્વવિરતની ઉચિત અનુષ્ઠાની પ્રવૃત્તિ પ્રાયઃ જિનેશ્વર પ્રભુ પ્રત્યેનાં બહુમાનથી દ્રઢતાપૂર્વકની હોવાથી સુપરિશુદ્ધ બને છે. ગાથા ૨૫ થી ૩૫માં લિંગો દ્વારા ઉપરોક્ત અધિકારીને જાણીને ઉપદેશક દરેકની ભૂમિકા પ્રમાણે યથોચિત ઉપદેશ આપે છે. અને તે ઉપદેશ કેવો આપવો જોઈએ તેનું વિગતથી વર્ણન આગળના એકમોમાં સમજાવેલ છે. ગાથા ૩૬ થી ૩૭માં જે ઉપદેશકો માત્ર ‘મારે ભગવાનનું વચન કહેવું છે' તેમ વિચારીને અપાત્ર કે શ્રોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગરનો વિપરીત એવો ઉપદેશ કર્મબંધનું કારણ બને છે. યોગ્ય પાત્ર વ્યક્તિને અપાતો યથોચિત ઉપદેશ તે યોગ છે. તેમ જણાવે છે. અયોગિ એટલે કે ભવાભિનંદી જીવોમાં કરાયેલો યોગનો ઉપદેશ દારુણ વિપાક આપનાર બને છે. ગાથા ૩૮ થી ૪૫માં પૂર્વોક્ત ગાથાઓમાં ઉપદેશ આપવાની તમામ વિધિ સવિસ્તર સમજાવીને આગળનો કાર્યગત વિધિમાર્ગ પ્રાયઃ સાધારણપણે અતિશય નિપુણતાપૂર્વક શ્રોતાઓએ પોતે જ જાણવા જેવો છે તેનું વર્ણન છે. ગાથા ૪૬ થી ૫૦ સુધી અકુશલ કર્મના ઉદયથી ગુણસ્થાનક સ્વીકાર્ય પછી અરતિ થાય તો તે અરતિના નિવારણના ઉચિત પ્રયત્નોનું નિરૂપણ છે. જેથી સ્વીકારાયેલું ગુણસ્થાનક માત્ર ગ્રહણરૂપ ન રહે. પરંતુ ઉચિત પ્રવૃત્તિ દ્વારા ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને. આમ ભયાદિ પ્રસંગે શરણાદિના ઉપાયોનું વિસ્તૃત વર્ણન છે. ત્યારબાદ કર્મોનો ઉપક્રમ કરવા સ્વરૂપ ગુણસ્થાનકને સમ્યક્ સ્થિર કરવાની સાધક વિધિ દર્શાવે છે. 51 - Page #68 -------------------------------------------------------------------------- ________________ સાધક વિધિ અરિહંતાદિ ચારનું શરણું - દુષ્કતની ગઈ સુકતની અનુમોદના ઉપરોક્ત ત્રણે સમુહનું નિરંતર સેવન કલ્યાણનું કારણ છે. ગાથા ૫૧ થી પ૩માં વિશેષ યોગદશા પ્રાપ્ત કરવા માટેના વિશેષ-વિશેષ ઉપાયો૧) રાગાદિના પ્રતિપક્ષનાં ભાવનનું કારણ બને એવા ભાવનાશ્રુતનો પાઠ. ૨) વારંવાર ભાવનામૃતના પાઠ દ્વારા રાગાદિ દોષોને ઓળખવા તીર્થશ્રવણ. ૩) ભાવનાશ્રુતના પાઠથી તેના અર્થબોધથી, પુનઃ પુનઃ તીર્થશ્રવણથી અતિનિપુણતાપૂર્વક આત્મસંપ્રેક્ષણનું વર્ણન છે. ગાથા ૫૪ થી ૫૮ માં ઉપરોક્ત ગાથામાં આત્માને મલિન કરનારા રાગ - દ્વેષ - મોહ છે જે કર્મનાં ઉદયથી જનિત છે. તેથી ગ્રંથકારશ્રી કર્મના સ્વરૂપનું વર્ણન કરે છે. અને આત્માથી અતિરિક્ત કર્મને સ્વીકારવાથી કર્મબંધ અને કર્મમુક્તિ બંને ભાવો ઉપચાર વિના સહજ રીતે ઘટી શકે છે તેનું સ્થાપન કરેલ છે. ગાથા ૫૯ થી ૧૧મા યોગી મહાત્માને રાગ - દ્વેષ અને મોહમાંથી કોણ વિશેષ પીડે છે ? તેનું કેવી રીતે નિરીક્ષણ કરવું ? તેમાંથી પોતાને જે દોષ બાધક હોય તેનું પ્રતિપક્ષ ચિંતવન કરવાનું ત્યારબાદ તે વિધિ પ્રમાણે રાગાદિ પ્રતિપક્ષનું ભાવન કરવામાં આવે તો તે યોગી આત્મામાં રાગાદિ ભાવો અલ્પ બને અને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેનું વર્ણન કરેલ છે. ગાથા ડર થી ફકમાં રાગ-દ્વેષ-મોહ આદિનાં પ્રતિપક્ષ ભાવની વિધિનું સવિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. દેવ-ગુરૂને પ્રણામથી અનુગ્રહ અને અનુગથી તત્વચિંતનની સિધ્ધિનું દ્રષ્ટાંત પૂર્વક નિરૂપણ છે. તદુપરાંત સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારના યોગો તેના પ્રતિભેદો વગેરેનું વર્ણન છે. ગાથા ક૭ થી ૭૭માં રાગ-દ્વેષ-મોહ આદિ સ્વરૂપનાં ચિંતનના વર્ણન સાથે પરિણામ અને વિપાકનું વર્ણન છે. તથા નિપુણતાપૂર્વક રાગાદિનું પ્રતિપક્ષ ભાવના દ્વારા તેમજ એકાંતમાં આવતા બાધકપ્રમાણ (દોષો) જણાવી સ્વપક્ષ એટલે કે અનેકાન્તવાદની સિધ્ધિનું સચોટ નિરૂપણ છે. ગાથા ૭૮ થી ૮૦ માં સ્વીકારેલા ગુણસ્થાનકની વિધિ માટે અન્ય વિધિ દર્શાવે છે. જેમાં પરમ સંવેગપૂર્વક મૈત્રી આદિ યોગભાવનાઓ ભાવે છે. અને પ્રણિધાનપૂર્વક કરાયેલી મૈત્રીપ્રમોદ-કરુણા-માધ્યસ્થ ભાવનાઓ અવશ્ય ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે. - 52 - Page #69 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૧ થી ૮૪માં યોગીમહાત્માઓની આહાર વિધિનું વર્ણન છે. ચતુઃ શરણગમનાદિનું ભાવન, રાગાદિ પ્રતિપક્ષ ભાવના અને મૈથ્યાદિ ચાર યોગભાવનાના ભાવનથી વાસિત શુકલાહાર” સ્વરૂપનું પ્રતિપાદન છે. ગાથા ૮૫માં યોગની વૃદ્ધિ થવાથી અથવા તો ઉપરોક્ત ભાવનાનાં ભાવનથી યોગના ફળનું નિરૂપણ છે. જે ફળ પ્રકર્ષ પામીને અનુક્રમે મોક્ષરૂપ ફળપ્રાપ્તિનું કારણ બને છે. ગાથા ૮૬ થી ૮૯માં અન્યદર્શનકારોએ પણ એમના શાસ્ત્રોમાં જે આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે તેમજ અધિકૃત ભાવનાથી કઈ રીતે મોક્ષ મળે છે, તેનું બૌદ્ધદર્શનની પરિભાષાથી સ્પષ્ટીકરણ કરેલ છે. અને છેલ્લી ચોથી ગાથામાં તેનો જૈનદર્શનની સાથે ઉપસંહાર કરેલો છે. ગાથા ૯૦માં યોગવિકાસ અને ભાવનાથી સામાયિકની શુધ્ધિ પ્રાપ્ત થાય છે. તેનાથીપ શુક્લધ્યાન અને અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેનું વર્ણન છે. ગાથા ૯૧માં મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય કારણ સામાયિક છે. તેના સ્વરૂપનું વર્ણન છે. અન્ય સર્વ કુશળ આશયો કરતાં સામાયિક શ્રેષ્ઠ આશય છે અને મોક્ષ પ્રત્યે તે પ્રધાન કારણ છે. તેનું વિસ્તૃત વર્ણન છે. - ગાથા ૯૨ થી ૯૪માં પૂર્વમાં વર્ણિત યોગનાં સેવનથી તે ભવમાં મુક્તિ થાય છે. કદાચ તે ભવમા મોક્ષ ન થાય તો અન્ય ભવમાં ફરી યોગનો પ્રારંભ કરીને યોગનો અભ્યાસ શરૂ થાય છે અને અંતે મોક્ષપદને પામે છે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. '' ગાથા ૯૫મા સામાયિકના પરિણામમાં કરેલા યત્નથી ક્રમે કરીને મોક્ષ થાય છે. તેથી મોક્ષના અર્થી યોગીમહાત્માએ સામાયિકમાં કઈ રીતે યત્ન કરવો જોઈએ તેનું નિરૂપણ છે. ગાથા ૯૬ થી ૯૮માં મોક્ષ લક્ષ્યમાં પ્રવૃત્ત મુનિએ અંત સમયે કઈ રીતે અનશન કરવું જેથી ઉત્તરભવમાં પણ યોગમાર્ગની પ્રવૃત્તિ અખ્ખલિત પ્રાપ્ત થાય છે. તેથી અંત સમયે અનશન કરવા અર્થે મરણકાળનાં જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. તેમજ મરણકાળનું જ્ઞાન જાણીને યત્નાતિશયથી અનશનશધ્ધિ દર્શાવેલ છે. ગાથા ૯૯માં અનશનશુધ્ધિની પ્રવૃત્તિમાં લેશ્યાનું પ્રધાનપણું છે. તો પણ જો તે આજ્ઞાયુક્ત ન હોય તો કલ્યાણની પરંપરાનું કારણ બને નહી તેથી યોગીને અનશન સમયે જેમ લેગ્યામાં યત્ન કરવાનો છે. તેમ આજ્ઞા શુદ્ધિમાં પણ યત્ન કરવાનો છે. તેવું વર્ણન છે. આ સાથે છ લશ્યાનું દ્રષ્ટાંતરૂપ ચિત્ર પરિશિષ્ટ-૮ તેમજ લેગ્યા દ્વારાનું ગતિ, સ્થિતિ દર્શાવતું ચિત્ર પરિશિષ્ટ-૯માં આપવામાં આવેલ છે. ગાથા ૧૦૦માં ગ્રંથનો ઉપસંહાર કરતા આચાર્યશ્રી જણાવે છે કે તે કારણથી અયોગીપણનાં અર્થીજીવે પ્રભુની આજ્ઞાયોગમાં જ અતિશયવિશેષ સમ્યગ પ્રયત્ન જ ભવનો વિરહ અને મુક્તિનો સદા અવિરહ કરાવનાર છે.” 53 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫.૨ યોગનું સ્વરૂપ નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ યાકિની નામના પરમવિદુષી - પૂજ્ય સાધ્વીજી મહારાજનાં ધર્મપુત્ર એવા શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા રચિત યોગશતક ગ્રંથમાં ૐ એવા મન્નાક્ષર પૂર્વક શ્રી સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ થી પ્રારંભ કરતા કહે છે કે “યોગીઓના નાથ તથા ઉત્તમ યોગમાર્ગનાં ઉપદેશક એવા મહાવીર પ્રભુને નમસ્કાર કરીને યોગ સંબંધી શાસ્ત્રોને અનુસાર યોગમાર્ગના લેશમાત્રને જણાવીશ. ગ્રંથના મંગલાચરણમાં પ્રભુવીરનું સ્વરૂપ યોગીનાથ સુયોગ સંદર્શક યોગીનાથ શ્રી અરિહંત પરમાત્મા એ સર્વ યોગીઓના નાથ છે.” કારણ કે તેઓ વીતરાગ દશાથી પ્રારંભીને અપુનર્બન્ધક સુધીનાં સર્વ કોઈ સાધક આત્માઓને તેમની ભૂમિકાને અનુરૂપ ઉપકાર કરવા દ્વારા રક્ષણ કરનારા છે. સુયોગ સંદર્શક “શ્રી અરિહંત પરમાત્મા સુયોગના સંદર્શક છે.” તીર્થંકર ભગવંતો પોતે આવા પ્રકારનાં ઉત્તમયોગનું આસેવન કરવા દ્વારા અને યથોચિત ઉપદેશ આપવા દ્વારા યોગનું સ્વરૂપ બતાવનારા જે તીર્થંકર પ્રભુ તે સંદર્શક પ્રભુ કહેવાય છે. . ગ્રંથકાર આરંભમાં એવું સૂચન કરે છે કે, “યોગના સંક્ષિપ્ત સ્વરૂપનું વર્ણન કરવું” જે યોગશતક ગ્રંથનો વિષય છે. ઉચિત પ્રવૃત્તિ કરવા પૂર્વક અણુવ્રત અને મહાવ્રતોથી યુક્ત એવા સાધક આત્માનું સૂક્ષ્મ તત્વચિંતન એ જ અધ્યાત્મ છે. અને “આ અધ્યાત્મ એ જ યોગ છે.’ યોગનાં મુખ્યતઃ બે ભેદ કહ્યા છે જે નીચે પ્રમાણે છે. યોગ નિશ્ચય નયથી યોગ વ્યવહાર નયથી યોગ ૫.૨.૧ નિશ્ચય નયથી યોગ નિશ્ચય નય અથવા સત્ય દ્રષ્ટિબિંદુ. નિશ્ચયનયની અપેક્ષાએ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, અને સસ્કચારિત્રનો આત્મા સાથે સંબંધ થવો તે યોગ છે. જે યોગીનાથ એવા તીર્થંકર પરમાત્માઓ વડે નિશ્ચયથી કહેવાયેલો છે. ઉમાસ્વાતિજી એ તત્વાર્થ સૂત્રનાં પ્રારંભમાં જ કહ્યું છે કે, “સન્ગર્શન સીન પરિત્રાળ મોક્ષમા” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને - 54 - Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્યારિત્ર ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે. સૂત્રમાંનો સમ્યક શબ્દ માત્ર ‘દર્શનનું જ નહીં પણ “જ્ઞાન” અને “ચારિત્રનું પણ વિશેષણ છે. આ ત્રણને નચિંતકો “રત્નત્રય' કહે છે. કુંદકુંદાચાર્યની કૃતિઓ, ખાસ કરીને નિયમસારમાં વિગતવાર તેનું નિરૂપણ છે. આચાર્ય અમૃતચંદ્રના પુરુષાર્થસિધ્ધયુપાય નામના પુસ્તકનો વિષય પણ રત્નત્રય જ છે. પ્રાયઃ લગભગ બધા જ જૈન ધર્મગ્રંથમાં આ વિષયનું નિરૂપણ છે. કારણ કે તે જ મોક્ષમાર્ગનો સાર છે. • સમ્યજ્ઞાનાદિનું લક્ષણ - વસ્તુ સંબંધી યથાર્થ બોધ તે સમ્યજ્ઞાન. - તત્વભૂત અર્થોમાં યથાર્થ શ્રધ્ધાતે સમ્યગ્દર્શન. - વિધિ-પ્રતિષેધને અનુસરનારું આગમાનુસારી ફિયાસ્વરૂપ ધર્માનુષ્ઠાન તે સમ્યગ્યારિત્ર. આ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ રત્નત્રયીનો આ જ ઉત્પત્તિક્રમ છે. કારણ કે નિશ્ચયનયથી આ રત્નત્રયી આ રીતે જ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે કે, પદાર્થને જાણ્યા વિના શ્રધ્ધા થતી નથી અને શ્રધ્ધા વિનાના જીવને યથાર્થ વિધિનિષેધાનુસારી અનુષ્ઠાન હોતું નથી.’ આ પ્રમાણે નિશ્ચયનય પ્રધાન હોવાથી પ્રારંભમાં તે નિશ્ચયનયના મતે યોગનું લક્ષણ સમજાવીને હવે વ્યવહારનય ના મતે યોગનું લક્ષણ કહે છે. ૫.૨.૨ વ્યવહાર નયથી યોગ આ રત્નત્રયીના કારણો જે ગુરુવિનયાદિ છે તેની સાથે આત્માનો જે સંબંધ તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી વ્યવહારના મતે યોગ કહેવાય છે. વ્યવહારનયથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જે યોગ કહેવામાં આવ્યો છે તે કારણો બે પ્રકારનાં છે. (૧) અનન્તર કારણ (૨) પરંપર કારણ ગ્રંથકારશ્રી આ બંને પ્રકારનાં કારણો માટે વ્યવહારિક દ્રષ્ટાંત આપે છે. - (૧) “ધી એ જ આયુષ્ય છે.” એટલે કે ઘી આદિ પૌષ્ટિક પદાર્થો આયુષ્યની સ્થિરતાનું અનન્તર કારણ બને છે. માટે ઘી આયુષ્યનું કારણ હોવાથી ધી એજ આયુષ્ય છે. આ અનન્તરકારણમાં કાર્યોપચાર થયો. તેવી રીતે રત્નત્રયીના અનન્તરકારણ એ ગુરુ વિનયાદિની સાથે આત્માનો જે સંબંધ તે યોગ કહેવાય છે. વરસાદ તંદુલ વરસાવે છે.” આ દ્રષ્ટાંતમાં હકીકતથી તંદુલનો વરસાદ કદાપિ થતો નથી. વરસાદ તો સદા પાણી વરસાવે છે. છતાં વરસાદનું તે પાણી તંદુલનાં પાકનું કારણ બને છે. તેથી તંદુલ વરસાવે છે તેમ કહેવાય છે. તે પરંપરા કારણ એવા વરસાદમાં તંદુલકાર્યનો ઉપચાર કરેલ છે. તેવી રીતે રત્નત્રયીનાં અનન્તર કારણ તે ગુરુ વિનયાદિ અને પરંપર કારણ તે ગુરુ વિનયાદિનાં જે કારણો મ કે સેવા, ભક્તિ, વૈયાવચ્ચ આદિ તે કારણના પણ કારણ છે. તેથી તે પરંપરા કારણ થી યોગ છે. (૨) 55 Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યવણર યોગનું સ્વરૂપ (૧) ગુરુજીનો વિનય કરવો - જેમ કે ગુરુજીનાં આહાર પાણી ઔષધિ આદિની પરિચય કરવી તથા તેમના કાર્યોમાં સહાયક થવું. (૨) શુશ્રષાદિ - ધર્મ શાસ્ત્રો સાંભળવાની અતિશય ઉત્કંઠા, સૂક્ષ્મદ્રષ્ટિથી ચિંતન, પ્રાપ્ત જ્ઞાન કંઠસ્થ કરવું વગેરે. (૩) વિધિપૂર્વક - આગમાનુસાર જ્ઞાન પ્રાપ્તિ આદિ સમ્યગ્યારિત્રપૂર્વક વિધિથી જ્ઞાનાભ્યાસ. સ્થાનશુધ્ધિ : મકાન-ઉપાશ્રયાદિ અપવિત્ર વાતાવરણથી દોષિત ન હોવા જોઈએ. શરીરશુધ્ધિ : મળ-મૂત્ર-રૂધિર રહિતની શુધ્ધિ. મનશુધ્ધિ : ક્રોધાદિ કષાયો અને બાહ્યભાવોનાં રાગાદિથી દૂષિત નહી તે દ્રવ્ય - ક્ષેત્ર કાળ - ભાવાદિની શુધ્ધિથી ધર્માનુષ્ઠાન શુશ્રષા આદિ પદથી શ્રવણ, ગ્રહણ, વિજ્ઞાન, ધારણા, ઊહ, અપોહ અને તત્વભિનિવેષનું ગ્રહણ કરવાનું છે. સાંભળવાની ઈચ્છા શુશ્રુષા સાંભવાની પ્રવૃત્તિ. શ્રવણ ગુરુભગવંતના શ્રીમુખે સૂત્ર - અર્થ નું ગ્રહણ. ગ્રહણ તે સૂત્ર અર્થનો બોધ. વિજ્ઞાન તે સૂત્ર અર્થનું વિસ્મરણ ન થાય તેથી સ્વાધ્યાયાદિ ધારણા સમજેલા અર્થની યુક્તાયુક્તતાની વિચારણા. ઊહ વિચારણા દરમ્યાન જણાતી અયુક્તતાને દૂર કરવાની પ્રવૃત્તિ અપોહ અને આ રીતે તત્વસ્વરૂપનો નિર્ણય કર્યા પછી “આ આ પ્રમાણે જ છે' આવી જાતનાં નિર્ણયને તત્વાભિનિવેશ કહેવાય છે.” યોગીની જિજ્ઞાસા આ રીતે તત્વાભિનિવેશ થાય ત્યારે યોગની જિજ્ઞાસા, શુશ્રષા, વગેરે યોગનાં કારણરૂપ સફળ બની શકે. તત્વોનો અભિનિવેશ એ બુધ્ધિનો ગુણ જે તત્વને સમજ્યા પછી અતત્વ થી દૂર જ રહી તે ગુણને ઉત્કૃષ્ટ બનાવી યોગમાર્ગે આગળ વધે છે. અધ્યાત્મ યોગમાં સ્થાનાદિનું વિસ્તૃત વર્ણનનું યોગવંશિકા માં નિરૂપણ છે. આ પ્રમાણે વિધિપૂર્વક ગુરુવિનય અને શુશ્રુષા તથા વિધિપૂર્વક શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન એ વ્યવહારથી યોગ છે. અને અવિધિથી કરાયેલું યોગનું સેવન અનર્થનું કારણ બને છે. અને તેથી વિધિપૂર્વકનું અનુષ્ઠાન એ યોગ છે. આ વ્યવહરયોગથી જ કાળક્રમે પ્રકૃષ્ટ સ્વરૂપવાળા ક્ષાયિક સમ્યજ્ઞાનાદિ ગુણોની નિયમા સિધ્ધિ થાય છે. તથા ભવોભવમાં ઉત્તરોત્તર વૃધ્ધિ થવા રૂપ અનુબંધપણે રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વ્યવહારયોગ પણ નિશ્ચયયોગનું જ અંગ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ગમનક્રિયાની શક્તિયુક્ત પુરુષ શક્તિને અનુસારે સમ્યક પ્રકારે માર્ગમાં ચાલતો જેમ ઈષ્ટનગરનો પથિક કહેવાય છે તેમ ગુરુ વિનયાદિમાં પ્રવર્તતાં સાધક યોગી કહેવાય છે. નિશ્ચયનયથી દેશવિરતિધર, સર્વવિરતિધર ચારિત્રીને જ યોગ છે. વ્યવહારનયથી અપુનર્બન્ધકને અને ઉપલક્ષણથી સમ્યદ્રષ્ટિને અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યોગ હોય છે. ગ્રંથકારશ્રી આગળ જણાવે છે કે, “સમસ્ત વસ્તુમાં તે તે કાર્યને યોગ્ય જીવો તે તે કાર્યનાં ઉપાયપૂર્વક જો પ્રવૃત્તિ કરે તો ફલ પ્રકર્ષ થવાથી અવશ્ય સિધ્ધિ પામે છે. તે જ રીતે યોગમાર્ગમાં પણ વિશેષ સિદ્ધિ થાય છે.”૧૨ ૫.૩ યોગમાર્ગનાં પ્રથમ અધિકારી - અપુનર્બન્ધક અપુનર્બન્ધક અવસ્થાથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનકમાં ચરમ સમય સુધીની મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવા જીવની જે પરિણતિ તે યોગ છે. તેમજ આ યોગપ્રાપ્તિમાં અનુપર્બન્ધકાદિ જીવો જ અધિકારી છે. તથા કર્મ પ્રકૃતિઓનું બળ જેમ જેમ નિવૃત્ત પામે છે. તેમ તેમ તે જીવ વિશેષ અધિકારી બને છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર નીચે પ્રમાણે બતાવ્યા છે. યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર અપુનબંધન્ક સમ્યદ્રષ્ટિ ચારિત્રી પ્રકૃતિનો અધિકાર સર્વથા નિવૃત્ત ન થયેલો હોવાથી પ્રકૃતિને પરતંત્ર એવા ભવાભિનંદી જીવો. દેશવિરતિ સર્વવિરતિ આમ, મોક્ષમાર્ગનાં ત્રણ પ્રકારનાં અધિકારી દર્શાવે છે. મોક્ષમાર્ગ એ રત્નત્રયીની પરિણતિરૂપ છે અને એ પરિણતિની પૂર્વભૂમિકા યોગમાર્ગનાં પ્રથમ અધિકારી અપુનર્બન્ધકમાં છે. પરંતુ જે જીવોમાં પૂર્વબદ્ધ તીવ્ર કર્મપ્રકૃતિઓનું પ્રાબલ્ય નિવૃત્તિ પામ્યું નથી, જે જીવો કર્મને પરતંત્ર જ છે. અને જે જીવો અતિશય રાગી છે. તેઓ યોગની પ્રાપ્તિ માટે અધિકારી નથી તેમ આચાર્યશ્રી આ ગ્રંથમાં જણાવે છે. જીવનનાં અનાદિ પ્રવાહમાં વિવિધ કારણોને લીધે કર્મબળ ઘટતાં ઘટતાં એક એવો સમય આવે છે જ્યારે જીવનું મુખ્ય વલણ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ થવા લાગે છે. અને ત્યારબાદ તેની વૃત્તિ ઉત્તરોત્તર કાંઈક શુધ્ધ થતી જાય છે. જેને લીધે તેની રાગ-દ્વેષની તીવ્રતા ઘટતી-ઘટતી જાય છે. આવા સમયને જૈન પરિભાષામાં ‘ચરમાવર્ત' કહે છે. જ્યારે જીવને છેલ્લો જ સાંસારિક કાળખંડ વિતાવવાનો બાકી રહે છે. ત્યારે તે ચરમ-છેલ્લામાં છેલ્લા 57 Page #74 -------------------------------------------------------------------------- ________________ આવર્ત તરીકે ઓળખાય છે. સાંસારિક જીવનનાં એ કાળખંડમાં પ્રવેશ થતાં જ જીવની દશા બદલાય છે. તે વખતે એ અપુનર્બન્ધક બને છે. અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જ યોગનાં અધિકારી બને છે. ત્યારબાદ શુધ્ધિનાં વિકાસક્રમમાં જે જે અવસ્થાઓ આવે તે બધી અવસ્થાવાળા જીવો યોગમાર્ગનાં અધિકારી જ છે. આ અધિકારીપણું જાણવું અતિશય દુષ્કર છે. એ જ વાત આચાર્યશ્રી જણાવે છે કે, “યોગ માટેનું આ અધિકારીપણું નિશ્ચયથી અતિશય જ્ઞાની એવા કેવલી ભગવાન જ જાણે છે, પરંતુ અતિશય જ્ઞાન વિનાનાં એવા ઈતર એટલે છદ્દમસ્થ જીવો પણ કેવલી ભગવાન વડે જ કહેવાયેલા એવા લિંગો દ્વારા ઉપયોગવાળા થયા બાદ અધિકારીપણાને જાણી શકે છે.”૧૫ ૫.૩.૧ અપુનર્બન્ધક જીવોનાં લિંગો યોગશતક ગ્રંથમાં યોગમાર્ગનાં અધિકારી તરીકે અપુનર્બન્ધકાદિ જીવોને વર્ણવ્યા છે. તે અધિકારી આત્માઓનાં સ્વરૂપનું વર્ણન છે. તેમનાં મુખ્ય ત્રણ લિંગોનો ઉલ્લેખ કરેલ છે. “पावं न तिव्वाभावा कुणइ, ण बहुमण्णाई भवं घोरं । उचियट्ठिइं च सेवइ, सव्वथ्य वि अपुणबंधो ति ||१३|| " ગાથાર્થ: જે આત્મા તીવ્રભાવે પાપ કરે નહિ, ઘોર એવા સંસારને બહુમાન આપે નહિ અને સર્વત્ર ઉચિત આચરણ આચરે તે આત્મા અપુનર્બન્ધક છે. અપુનર્બન્ધક જીવનાં લિંગો તીવ્રભાવે પાપોનું (૧) ઘોર એવા સંસારનું અબહુમાન અકરણ યોગી તીવ્રભાવે પાપ કરે નહિ : હિંસા, અસત્ય, ચોરી વગેરે પાપો પ્રસિધ્ધ છે. અનાદિકાળથી એ પાપોની પ્રવૃત્તિ થોડાઘણા અંશે પ્રાણીમાત્રની ચાલતી જ આવી છે. અપુનર્બન્ધક દશાને પામેલા જીવોએ પાપો તીવ્રભાવે કરતાં નથી. કર્મનાં દોષથી અહીં પાપની પ્રવૃત્તિ હોવા છતાં તેની ભયંકરતાનાં વાસ્તવિક ખ્યાલથી પાપ પ્રત્યેનો તીવ્રભાવ નાશ પામે છે. યોગમાર્ગનાં અર્થી આત્માઓમાં આ લક્ષણ ન હોય તેઓ નિઃસંદેહ યોગમાર્ગનાં અધિકારી નથી. અપુનર્બન્ધક દશામાં તીવ્રભાવે પાપાકરણતા પ્રાપ્ત થવાથી જ ભવની પ્રત્યે બહુમાન હોતું નથી. જે યોગમાર્ગનાં પ્રથમ અધિકારીનું બીજું લિંગ છે. (૨) સર્વત્ર ઉચિત આચરણ ઘોર એવા સંસારનું અબહુમાન : આ સંસારમાં પ્રાપ્ત થયેલ સ્ત્રી, પુત્ર, ધન, ગૃહાદિ સર્વ વસ્તુઓને ચિત્તની પ્રીતિથી બહુમાન આપે નહિ. કર્મને પરવશ થયેલાં જીવો જેમાં ઉત્પન્ન થાય, જન્મ-મરણ પામે તે ભવ કહેવાય છે. આ સંસાર અનંત દુઃખોની ખાણ છે. ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગથી ભરેલો 58 Page #75 -------------------------------------------------------------------------- ________________ છે. એમ સમજી હૃદયથી તે સંસારને, સાંસારિક ભાવોને બહુમાન આપે નહિ. સંસારની પ્રવૃત્તિ હોવા છતાં મનની પ્રીતિ ન હોવાથી ભવ પ્રત્યે બહુમાનનો અભાવ હોય છે. આથી જ ભવનાં વિરહ માટે ધર્માદિનાં વિષયમાં સર્વત્ર ઉચિત આચરણનું સેવન હોય છે. જે અપુનર્બન્ધક દશાનું ત્રીજુ લિંગ છે. (3) સર્વત્ર ઉચિત આચરણ અપુનર્બન્ધક જીવાત્મા સર્વ સ્થાનોમાં ઉચિત આચરણ જ કરે, ધાર્મિક કાર્યોમાં પોતાની શક્તિ ન છુપાવે તદુપરાંત વ્યવહારિક કાર્યોમાં પણ ધર્મની નિંદા થાય તેવું આચરણ ન કરે. આવા પ્રકારનાં ત્રણ લક્ષણોવાળા જીવ માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરવાથી મયુરશિશુ સમાન અપુનર્બન્ધક કહેવાય છે. મયુરનું નાનું બચ્યું એટલે કે ઢેલનું બચ્ચું બરાબર માતાની પાછળ પાછળ જ ચાલે. તેને ન ટોકવું પડે કે ન શીખવાડવું પડે તેવી રીતે આ આત્મા પણ સરળ પરિણામી બનવાથી બરાબર માર્ગને અભિમુખ જ ચાલે. પંન્યાસજી શ્રી ચન્દ્રશેખર વિજયજીનાં લખાયેલા “શૂન્ય બનીને પૂર્ણ બનો” પુસ્તકમાં સર્વત્ર ઉચિત આચરણની બાબતમાં આ પ્રમાણે વધુ સ્પષ્ટ નિર્દેશ પ્રસંગોપાત કરેલ છે. • પુરુષનો સ્વધર્મ : માતા પ્રત્યે ભક્તિ, પત્ની પ્રત્યે પ્રીતિ, સદાચાર, નારી સન્માન, બાળશિક્ષણ અને રાષ્ટ્ર પ્રતિ સન્માન • રાજાનો સ્વધર્મ : દુષ્ટોને દંડ, સજ્જનોની સેવા-નિષ્પક્ષતા, રાષ્ટ્રની સેવા, ન્યાયમાર્ગે અર્થ સંવર્ધન • સ્ત્રીનો સ્વધર્મ : શીલપાલન, બાળસંરક્ષણ, પતિસેવા, કુટુંબસંભાળ. • ગુરુનો સ્વધર્મ : શિષ્ય પ્રત્યે વાત્સલ્યભાવ. • શિષ્યનો સ્વધર્મ : ગુરુ પ્રત્યે સમર્પણભાવ. ઈત્યાદિ..... ૫.૩.૨ અપુનર્બન્ધક જીવોને આશ્રયી ઉપદેશનાં કથનનું સ્વરૂપ ગુરુ ઉપરોક્ત લક્ષણો દ્વારા અપુનર્બન્ધક જીવોની પાત્રતા જાણીને જે ઉપદેશ આપે છે તેનું સ્વરૂપ આ પ્રમાણે હોય છે.. ગુરુ દ્વારા અપાતા લોકવિષયક ધર્મનો ઉપદેશનું સ્વરૂપ લોકવિષયક ગુરુ-દેવાદિને આશ્રયીને ઉપદેશ ઉપદેશ ૧) પરપીડા ન કરવી ૧) ગુરુ-દેવ-અતિથિની પૂજા કરવી ૨) સત્ય બોલવું ૨) ગુરુ-દેવ-અતિથિનો સત્કાર કરવો ૩) ગુર-દેવ-અતિથિનું સ્નામાન કરવું દીન-દાનાદિને આશ્રયીને ઉપદેશ ૧) દીનને દાન આપવું ૨) તપસ્વીઓનું બહુમાન ૩) રાત્રિભોજન ન લેવુ ૪) માંસ ન ખાવું ૫) વ્યભિચાર ન સેવવો _ Page #76 -------------------------------------------------------------------------- ________________ આમ, ગુરુદેવ અપુનર્બન્ધક જીવાત્માની પાત્રતાવાળા જીવોને લૌકિક ધર્મમાર્ગમાં સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે. આગળની ગાથામાં લૌકિક ઉપદેશનાં કારણો જણાવતા આચાર્યશ્રી કહે છે કે, “જેમ જંગલમાં માર્ગથી ભૂલો પડેલો માનવી (માર્ગાભિમુખ એવા) ઉન્માર્ગે ચાલતા છતાં પણ માર્ગમાં આવે છે. તેમ અપુનર્બન્ધકાદિ મંદમિથ્યાત્વી જીવોનું આવા ઉપદેશથી જ માર્ગમાં આવવાનું કારણ બને છે.” આ પ્રથમ કાલે તો આવા જીવોને લૌકિક ધર્મમાં જ વધુ સ્થિર કરવા માટેનાં ત્રણ કારણો છે. લૌકિક ધર્મમાં સ્થિર કરવાનાં કારણો વિશિષ્ટ બુધ્યભાવ જેમ પહેલી-બીજી કક્ષાનાં બાળકને બારમા ધોરણનું ગણિત-વિજ્ઞાન સમજાવવું નિરર્થક રહે છે. તેમ લોકોત્તર ધર્મની ઠંડી સૂક્ષ્મ વાતોથી તેમનો બુદ્ધિ ભેદ નિરર્થક બને છે. અપુનર્બન્ધકાદિ જીવોમાં જે સરળતા, ગુણગ્રાહિતા, લોકધર્મ, પ્રીતિમતા, ભદ્રિકતા આદિ ભાવો છે તે જ તેઓને કાલાન્તરે સત્યમાર્ગે ચડાવવાનાં મહાન કારણો બને છે. અપુનર્બન્ધક જીવ એ પ્રથમ ગુણસ્થાન-મિથ્યાત્વ ગુણસ્થાનની હીયમાન - ઘટતી જતી અવસ્થા અને ચતુર્થ ગુણસ્થાન-અવિરતસમ્યદ્રષ્ટિ ગુણસ્થાનની કે ગ્રંથિભેદની પૂર્વસ્થિતિમાં હોય છે. આ અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારના યોગી જીવો વડે પોતપોતાની ભૂમિકાને ઉચિત જે જે અનુષ્ઠાનો જિનેશ્વરભગવાનની આજ્ઞાયુક્ત કરાય તે સર્વ અનુષ્ઠાન યોગ છે. કારણ કે શાસ્ત્રમા કહેલા યોગના લક્ષણો - અકુશળએવી ચિત્તવૃત્તિનો નિરોધ, કુશળ ચિત્તવૃત્તિમાં પ્રવૃત્તિ અને મોક્ષની સાથે આત્માનું ગુંજન, એમ ત્રણેય લક્ષણો વડે યુક્ત હોવાથી આ ધર્માનુષ્ઠાનોને યોગ કહે છે.૧૯ વિક્ષેપનો અભાવ તેમનાં માનેલા ધર્મમાં ગુરુદેવ વિક્ષેપ કરતાં નથી ગુણમાત્રરાગ ભાવ ગુણીજીવોનાં ગુણ ઉપરનો રાગ જ કાલાન્તરે સત્યધર્મ પ્રાપ્તિનું મહાબીજ બને છે ૫.૪ યોગમાર્ગનાં દ્વિતીય અધિકારી - સમ્યદ્રષ્ટિ યોગમાર્ગનાં બીજા અધિકારી સભ્યદ્રષ્ટિ છે. સમ્યદ્રષ્ટિને યોગમાર્ગને સમજવા માટેની નિર્મળ દ્રષ્ટિ પ્રગટેલી છે. તેને યોગ્ય ઉપદેશ સામગ્રી મળે તો ક્રમસર દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકને પણ પામવા સમર્થ બની શકે છે. આચાર્યશ્રી સમ્યગ્રષ્ટિનાં લક્ષણો જણાવે છે. 60 Page #77 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક અને તેનાં મુખ્ય લક્ષણો પરિશિષ્ટ-૧૦માં આપેલ છે. સઝષ્ટિનાં લિંગો શુષા ધર્મરાગ યથાશક્તિ ગુરુ અને દેવની વૈયાવચ્ચનો નિયમ (૧) શુશ્રષા ધર્મશાસ્ત્રોનાં વિષયમાં સાંભળવાની અતિશય ઉત્કંઠાને શુશ્રષા કહેવાય છે. જે ચોથા ગુણસ્થાનાદિ સમ્પન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓનું પ્રથમ લિંગ છે. (૨) ધર્મરાગ ધર્મને વિષે અત્યંત આસક્તિ, પક્ષપાત, શારીરિક, પારિવારિક, સમયની અને સહકારી સાધનોની અનુકૂળતા ઈત્યાદિ સામગ્રીની વિકલતાનાં કારણે કદાચ તે તે ધર્મકાર્યો ન કરી શકે તો પણ ધર્મકાર્યો પ્રત્યે મજાનો સંપૂર્ણ અનુબંધ, પ્રીતિવિશેષ તે ધર્મરાગ છે. જેમ કોઈ દરિદ્ર બ્રાહ્મણ વિશેષને ઘીથી ભરપુર ઘેબરનું ભોજન મળે તેના ઉપર તે બ્રાહ્મણને જેવો રાગ હોય તેનાથી પણ અધિક રાગ ધર્મકાર્યોમાં હોય તેને ધર્મરાગ કહે છે. (૩) ગુરુ-દેવાદિની યથાશક્તિ વૈયાવચ્ચ સમ્યગ્દષ્ટિને ચારિત્ર પ્રત્યે અત્યંત રાગ હોય છે તેથી ચારિત્રને બતાવનારા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોય છે. ધર્મ પ્રત્યે અત્યંત રાગનાં કારણે જ પોતાને એવા પ્રકારનાં ઉત્તમોત્તમ ધર્મને સમજાવનારા અને પ્રાપ્ત કરાવનારા ગુરુદેવનું વૈયાવૃત્ય અત્યંત ઉત્સાહથી કરે છે. જે આત્માને ધર્મ ગમે, તેને ધર્મના ઉપદેશક પણ ગમે જ. ગુરુ અનંતર ઉપદેશક છે. દેવ પરંપરાએ ઉપદેશક છે. માટે તે ગુરુ અને દેવ પણ ગમે જ. તેઓ ઉપર ભક્તિ - બહુમાનભાવ આવે જ તેથી આ વૈયાવચ્ચે ત્રીજું લક્ષણ છે. ચિંતામણી રત્નનાં ગુણને જાણનારને ચિંતામણી પ્રત્યે જેવી ભક્તિ છે. તેનાં કરતાં અનંતગણી ભક્તિ, ગુણવાન અને ગુરુ અને પરમાત્માનાં વૈયાવચ્ચનાં ફળને જાણનારા સમ્મદ્રષ્ટિ જીવને દેવ - ગુરુ પ્રત્યે હોય છે. આ પ્રમાણે શઋષા, ધર્મરાગ અને ગુરૂદેવનાં વૈયાવચ્ચનો નિયમ સમ્યઝષ્ટિનાં લિંગો છે. શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા તત્વનાં વિષયમાં સમ્યક્ઝષ્ટિ જીવોને તીવ્રભાવ હોય છે. ૫.૪.૧ ઉપદેશના અંગો સમ્યદ્રષ્ટિ જીવોને લોકોત્તર ધર્મવિષયક અણુવ્રતાદિને આશ્રયીને શ્રોતાનાં તેવા પ્રકારનાં ભાવને પ્રાપ્ત કરીને, પરિશુધ્ધ આજ્ઞાયોગથી ગુરુદેવ ઉપદેશ આપે છે. - 61 - Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્યઝષ્ટિને લોકોત્તર ધર્મવિષયક અણુવ્રતાદિને આશ્રયીને અપાતા ઉપદેશનાં અંગો ઉપદેશનો વિજય T) (39) ગુણવત શિક્ષાવૃત ઉપદેશ આપવાની પદ્ધતિ J૪) પરિશુધ્ધ આજ્ઞાયોગથી શ્રોતાનાં અભિપ્રાયથી અણુવ્રત ૫ અણુવ્રતોનું અણુવ્રતોને આઠવતોમાં (આગમ અનુસાર) શ્રોતાના હૈયાનાં સેવન ગુણ કરે તેવા સેવન દ્વારા મન-વચન-કાયાથી તથાભાવ અભિપ્રાય ૩ ગુણોનું સંયમ તરફ અતિશય શુદ્ધ જિનેશ્વર રુચિ વિશેષ જાણીને સેવન જવા માટે આજ્ઞા અનુસાર શક્તિસંચય ૫.૪.૨ ઉપદેશનાં કારણો ધર્મ સાંભળવાને અભિમુખ થયેલાં સમ્મદ્રષ્ટિ જીવને શ્રાવકધર્મનું આસન્નપણું હોવાથી, ઉપદેશાદિ સામગ્રી મળે તો શીધ્ર પરિણમન થતું હોવાથી અને સમ્યફ પરિપાલન થતું હોવાથી ગરૂદેવ શ્રાવકધર્મનો ઉપદેશ આપે છે. સમ્યદ્રષ્ટિને પ્રથમ શ્રાવક ધર્મનો ઉપદેશ આપવાનાં કારણો શ્રાવક ધર્મ સમ્યકત્વને શ્રાવકધર્મમાં શીધ્રપરિણમન સમ્યક પરિપાલન આસન્ન હોવાથી દ્રઢતાને યોગ હોવાથી સમ્યઝષ્ટિ આત્માને શ્રાવક ધર્મ નજીક હોવાથી, તેને વિષે મજબૂત પક્ષપાત હોવાથી, તુરત પરિણામ આપતો હોવાથી અને તેનું સારી રીતે પાલન થતું હોવાથી સાધુધર્મ નહીં પરંતુ પાંચમાં ગુણસ્થાનક શ્રાવકધર્મનો ઉપદેશ અપાય છે.” ૫.૫ યોગમાર્ગનાં તૃતીય અધિકારી ચારિત્રી - યોગમાર્ગનાં ત્રીજા અધિકારી ચારિત્રી છે. તે ચારીત્રી દેશથી (શ્રાવક) અને સર્વથી (શ્રમણ) એમ બે પ્રકારનાં છે. અને તેઓને પણ ઉપદેશાદિની સામગ્રી મળે તો વ્યવહારની ઉચિત ક્રિયાઓ કરીને તેઓ ઉત્તર-ઉત્તરની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. જે ક્રમે કરીને મોક્ષનું કારણ બને છે. ચારિત્રીનાં લિંગો માર્ગાનુસારી શ્રધ્ધાવાન પ્રજ્ઞાપનીય ક્રિયામાં તત્પર ગુણરાગી શક્યારંભ સંગત Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧) માર્થાનુસારી ચારિત્રવાળા જીવને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ હોય છે. તેથી ચારિત્રી મોક્ષમાર્ગને અનુસરનારા હોય છે. માર્ગાનુસારીનાં ૩૫ ગુણ પરિશિષ્ટ-૧૧માં આપેલ છે. (૨) શ્રધ્ધાવાન માર્ગાનુસારી જીવો શ્રધ્ધાવાન હોય છે. કારણ કે તત્વશ્રધ્ધા માટે પ્રતિકુળ એવા ફ્લેશોનો હ્રાસ થયો હોવાથી માર્ગાનુસારી જીવો તત્વ પ્રત્યે પરમ શ્રધ્ધા ધરાવતાં હોય છે. તેઓને અપ્રીતિ - દ્વેષ - ઉદવેગ – શારીરિક પરિશ્રમ આદિ શત્રુતુલ્ય ભાવો હોતા નથી. (૩) પ્રજ્ઞાપનીય ઉપરોક્ત બે ગુણો આવવાથી આત્મભંડાર મેળવવાની એવી તાલાવેલી લાગે છે કે ગુરુ પ્રત્યે સમર્પિત બને છે. સરળ બને છે. નમ્ર બને છે. - આ વિષય પરનું દ્રષ્ટાંત : સુંદર ભંડાર મેળવવામાં પ્રવર્તેલા અને ભાવિમાં ભોક્તા બનનાર વ્યક્તિને તે ભંડાર સંબંધી વિધિમાં અપૂર્વ શ્રધ્ધા થવાથી તે વિધિ સમજાવનાર પ્રત્યે જેમ અતિશય બહુમાન થાય છે. જરા પણ તર્ક-વિતર્ક કરતાં નથી. તેની જેમ પ્રજ્ઞાપનીય ગુણનાં કારણે ગુરુ જે સમજાવે તે સમજવા નમ્રપણે તૈયાર હોય છે. સાચી શ્રધ્ધાનું આ જ (પ્રજ્ઞાપનીયતા) ફળ છે. (૪) ક્રિયામાં તત્પરતા આત્માને હિતકારી એવા ધર્મકાર્યોમાં પ્રમાદ વિના સદા તત્પરતા ચોથું લિંગ છે. જે જીવ માર્ગાનુસારી હોય તે જીવો માર્ગવિહિત અને નિષિદ્ધ તે તે અનુષ્ઠાનોમાં અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિને આશ્રયીને તત્પર હોય છે. આ પ્રમાણે યોગનાં પ્રસંગથી ઉત્તરોત્તર ફળવિધિને જણાવીને એટલે કે માર્ગાનુસારિતાનું પોતાનું ફળ શ્રધ્ધવત્વ, શ્રધ્ધાવત્વનું પોતાનું ફળ પ્રજ્ઞાપનીયતા અને પ્રજ્ઞાપનીયતાનું પોતાનું ફળ ક્રિયાતત્પરતા ઈત્યાદિ પોતપોતાનાં ફળ જણાવીને હવે શ્રી હરિભદ્રસૂરિજી પાંચમું લિંગ જણાવે છે. (૫) ગુણરાગી વિશુધ્ધ આશયવાળા હોવાથી ગુણોનાં જ રાગી, આટલી ઊંચી કક્ષાએ આવનાર આત્મા નિર્મળ હૃદયવાળા હોવાથી બીજાનાં ફક્ત ગુણોના જ પ્રેમી હોય છે. (૬) શક્યારંભ સંગત પોતાનાથી બની શકે તેટલા જ ધર્મકાર્યોનો આરંભ કરનાર, જે ધર્મકાર્ય પોતાનાથી કરવું અશક્ય છે. તેનો આરંભ કરે તો પણ કંઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે તે કાર્ય બનવાનું જ નથી. તો તેવા ફળપ્રાપ્તિની અપેક્ષાએ વધ્ય કાર્યોનો આરંભ કરવાની ઈચ્છા જેના હૃદયમાંથી નિવૃત્તિ પામેલી છે તે છઠું લિંગ છે. આ પ્રમાણે ચારિત્રવાન આત્માનાં કુલ છ લિંગ છે. 63. Page #80 -------------------------------------------------------------------------- ________________ અહીં ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિજી બહુ સુંદર અને સ્પષ્ટ રીતે ચારિત્રીના વિભાજન કરે છે. (૧) દેશવિરતિ ચારિત્રવાન (૨) સર્વવિરતિ ચારિત્રવાના ૫.૫.૧ યોગમાર્ગનાં પંથે દેશવિરત ચારિત્રવાન યોગમાર્ગનાં પંથી ચારિત્રવાન આત્મા દેશ અને સર્વ ચારિત્રનાં ભેદથી અનેકવિધ છે. તે પ્રકારનું વર્ણન કરતાં કહે છે કે, “આજ્ઞાપરિણતિનાં ભેદને કારણે સામાયિક શુધ્ધિનાં ભેદથી આ ચારિત્રવાન આત્મા અનેક પ્રકારે છે. અંતે તે સર્વ જીવો યાવત ક્ષાયિક વીતરાગ છે.” ચારિત્ર દેશચરિત્રવાન (શ્રાવક) સર્વચરિત્રવાન (શ્રમણ) ઇવરકાલિક અલ્પકાલીન યાવત્કાલિક સામાયિક પરિહારવિશધ્ધિ યથાખ્યાત કાયમી ચારિત્ર છેદોપસ્થાપનીય સૂક્ષ્મસંપરાય ઈવરંકાલિક યાવથિક પ્રથમ અને અંતિમ મધ્યના ૨૨ જિનનાં મુનિઓ તથા તીર્થંકરનાં મુનિઓ મહાવિદેહ ક્ષેત્રનાં મુનિઓ સામાયિક એટલે સમતભાવની પ્રાપ્તિ. ઈવરકથિત (અલ્પકાલીન) અને તેનાથી ઈતર (યાવસ્કથિત = ચાવજીવ)ના અંગીકરણ દ્વારા સામાયિકની શુધ્ધિનાં ભેદને કારણે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્ર બે ભેદવાળું છે. અને તે બંને ચારિત્ર પણ અવાંતર ભેદની અપેક્ષાએ અનેક પ્રકારનાં છે જે ઉપર દર્શાવેલ છે. દેશચારિત્રવાન ગૃહસ્થ શ્રાવક પહેલી દર્શન પ્રતિમાથી પ્રારંભીને ક્રમશઃ અગિયાર પ્રતિમા સુધી અનુક્રમે અનેક ભેદવાળું છે. અગિયાર પ્રતિમા - - (૧) દર્શન પ્રતિમા (૫) સચિત્ત ત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહ ત્યાગ (૨) વ્રત પ્રતિમા () રાત્રિભોજન ત્યાગ (૧૦) અનુમતિ ત્યાગ (૩) સામાયિક પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા (૧૧) ઉદિષ્ઠ ત્યાગ (૪) પૌષધ પ્રતિમા (૮) આરંભ ત્યાગ વ્રતનાં ઈવરકાલિક અને યાવત્કથિતનાં ભેદથી સામાયિકની શુદ્ધિનાં ભેદ છે. અને ૧૧મી પ્રતિમા પછી સર્વવિરતિ સામાયિક પરિણામ શરૂ થઈ જાય છે. સર્વવિરતિ ચારિત્ર્યવાન શ્રમણમાં નીચેના પાંચ ભેદોથી અનેક ભેદોવાળું છે. 6A Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧) સામાયિક ચારિત્ર સમતાભાવની પ્રાપ્તિ. સંસારનાં સર્વ સંજોગોનો ત્યાગ કરી સાધુજીવન. પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુનાં શાસનમાં જે લધુ દીક્ષા અપાય છે તે ઈવરકથિત સામાયિક તથા મધ્યનાં ૨૨ તીર્થંકરનાં મુનિઓનું જીવનપર્યતનું ચારિત્ર તે યાવન્કથિત સામાયિક. (ર) છેદોપસ્થાપ્ય ચારિત્ર એકવાર ચારિત્ર લીધા પછી નવું ચારિત્ર આરોપણ કરાય તે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી યોગ્યતા જણાય તો વડી દીક્ષા પછીનું જે ચારિત્ર તે છદોપસ્થાપનીય ચારિત્ર. (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પરિહાર એટલે તપવિશેષ તેનાથી થનારી જે શુધ્ધિ વિશેષ તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૨ (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર જ્યાં માત્ર સૂક્ષ્મલોભ કષાય જ બાકી છે. બીજા કષાયો ઉપશમાવ્યા છે તે અવસ્થાનું ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૫) યથાખ્યાત ચારિત્ર સંપૂર્ણપણે કષાય વિનાનું વીતરાગ અવસ્થાનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. આ પ્રમાણે પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનું ચારિત્ર વિશેષ શુધ્ધિવાળું છે. ચારિત્રનાં સર્વ ભેદોમાં અંતિમ ભેદ વીતરાગ ચારિત્રનો છે. તે વીતરાગમાં પણ ઔપશમિક વીતરાગ અને અંતિમ ક્ષાયિક વીતરાગ છે. પરંતુ સમતાભાવવાળુ સામાયિક અનેકવિધ શુદ્ધિવાળું કહ્યું છે. શ્રી સૂરિજી કહે છે કે, “શાસ્ત્રોમાં જે નિષિદ્ધ ભાવો છે તેના ઉપર અલ્પદ્રેષ કરવાથી કે રાગ કરવાથી જે સામાયિક છે તે અશુદ્ધ છે.” ઉરોક્ત જણાવેલ શુદ્ધ સામાયિક ચૌદ પૂર્વાદિનાં વિશિષ્ટજ્ઞાનથી અને ચારિત્ર્ય મોહનીયરૂપ આવરણકર્મને ભેદવાથી શુદ્ધ સામાયિકની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સમભાવવાળા આયા યોગી મુનિઓની ભિક્ષાટન એટલે કે - આહાર, નિહાર અને વિહાર આદિ સર્વ ધર્મક્રિયા આજ્ઞાયોગથી અથવા પૂર્વસંસ્કારોથી થાય છે. જે કારણથી પૂર્વસંસ્કારોને લીધે આ ધર્મક્રિયાઓ આત્મસાત થયેલી છે. તેઓને કોઈ વાંસલાથી છેદે કે કોઈ ચંદનથી પૂજે તે બંને અવસ્થામાં સમભાવવાળા, સુખ અને દુઃખ બંને અવસ્થા સમાન છે, સંસાર અને મોક્ષ બંને વિશે અપ્રતિબદ્ધ સ્વભાવવાળા હોઈ તેઓને મુનિ કહ્યા છે. - દેશવિરતિ ચારિત્રવાનને અપાતા ઉપદેશનું સ્વરૂપ ત્રીજા મોક્ષપથિક દેશવિરતિધર આત્માને જુદા જુદા પ્રકારનો જે પ્રકારે સર્વવિરતિને પ્રાપ્ત કરવાનું કારણ બને તે પ્રકારે અધિક અધિક ઉત્તમયોગોના સાધક, સામાયિક આદિના વિષયવાળા, નય નિપુણ ભાવપ્રધાન ઉપદેશ સદ્દગુરુ દ્વારા આપવામાં આવે છે. 65 Page #82 -------------------------------------------------------------------------- ________________ દેશચારિત્રીને અપાતા ઉપદેશનું સ્વરૂપ ઉત્તર સુયોગનો સાધક નયનિપુણ ભાવસાર જધન્ય દેશત્યાગીને મધ્યમ જે પ્રકારે આત્માનું હિત ઉપદેશ અનુસાર સદગુરુ દેશ ત્યાગનો તેમ થાય તે પ્રકારે તે દ્વારા સંવેગ, નિર્વેદ અને ઉત્તરોત્તરનાં વિકાસનો ઉપદેશ આત્માને ધર્મ ઉપદેશ સમતાદિથી મધુર વાણીથી નિપૂણતા પૂર્વક અપાતો ઉપદેશ એક વ્રત ગ્રહણ કરનાર જધન્ય દેશત્યાગી. બે-પાંચથી યાવત્ બાર વત ગ્રહણ કરનાર મધ્યમ દેશ ત્યાગી. બાર વ્રત સાથે અગિયાર પ્રતિમા ધારણ કરનાર ઉત્કૃષ્ટ દેશત્યાગી. ઉપરોક્ત સ્વરૂપને વધુ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી ૩૦મી ગાથામાં ફરમાવે છે દેશચારિત્રવાન જીવાત્માને ઉચિત આચરણનાં ઉપેદશનું સ્વરૂપ (૧) (૨) ( ૩) (૪) (૫) () સદ્દધર્મને બાધા સુવિશુદ્ધ જિનેશ્વર પ્રભુની વિધિપૂર્વક નિત્ય સંધ્યા યોગધર્મનું ન આવે તેવી દાન પૂજા ભોજન નિયમ સ્મરણ આજીવિકા (અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન) આ પ્રમાણે દેશવિરતિધર શ્રાવકને સામયિકાદિ વિષયક ઉપરોક્ત સમયાનુસાર અનુષ્ઠાન જે મોક્ષસાધક હોવાથી ‘યોગ’ રૂપ છે. તે કારણસર ગુરુદેવ શ્રાવકને ઉપદેશ આપે છે. ગૃહસ્થ શ્રાવકને યોગનો સંભવ ન હોવાથી યોગનાં ઉપદેશનું કારણ જણાવે છે. મોક્ષનાં કારણરૂપ દેશવિરતિધરનાં યોગનું સ્વરૂપ ધર્મવિષયક ભાવનામાર્ગ ઉલ્લાસપૂર્ણ ચૈત્યવંદન યતિવિશ્રામણા (સાધુવૈયાવૃત્ય) શ્રવણ ચૈત્યવંદન, મુનિસેવા, ધર્મવિષયક શ્રવણ આ બધી પ્રવૃત્તિઓ ગૃહસ્થને માટે યોગરૂપ છે. અને ભાવનાઓનું ચિંતન ઇત્યાદિ નૈતિક દૈનિક કાર્યોનાં નિયોગથી શ્રાવકને પણ યોગ હોય છે.જ 66. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫.૫.૨ યોગમાર્ગનાં પંથે સર્વવિરત ચારિત્ર્યવાન ગુરુદેવ શ્રાવકને અણુવ્રતાદિનાં વિષયવાળો ઉપદેશ આપે છે. તેમજ સર્વવિરતિધર મુનિઓને સાધુ સમાચારીનો ઉપદેશ આપે છે. • સર્વવિરત ચારિત્રવાન મુનિને અપાતા ઉપદેશનું સ્વરૂપ (૧) ગુરુકુળવાસ ગુરુકુળવાસ એ સાધુસંતોનો મૂલગુણ છે. ગુરુની સાથે વસવું. ભગવતી સૂત્રમાં બુર્ત મયા માવત” અર્થાત “ભગવાનની સાથે વસતા એવા મારા વડે સાંભળવું” આ પ્રકારનો પાઠ ગુરુકુળવાસમાં પ્રમાણભૂત છે. ગુણિયલ ગુરુની નિશ્રામાં આ આત્મા વિચરે તો જ્ઞાનીના યોગથી યોગમાર્ગમાં ઉત્તમ પરિણામ શક્ય બને છે. ગુરુને આત્મસમર્પણ અને સત્યપાલનએ ગુરુકુળવાસનો મર્મ છે. (૨) ઉચિત વિનયકરણ સદ્દગુરુને પરતંત્ર રહી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃધ્ધિ થાય તેવા પ્રકારનાં ઉચિત વિનયકરણ દ્વારા સર્વ ધર્મક્રિયાઓમાં અનંત ઉપકારી પરમાત્માની આજ્ઞા અનુસરવાની છે. (૩) વસતિ પ્રમાર્જનાદિ દેશવિરતિ શ્રાવકનાં જીવન કરતાં સર્વવિરતિ મુનિનું જીવન મોક્ષ માટે નિકટનું કારણ છે. તેથી જ ત્યાં ક્રિયામાર્ગ સવિશેષ છે. તેથી જે જે સમયે મુનિજીવનમાં વસતિ પ્રમાર્જના, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ ધર્મકાર્યોમાં કાળની અપેક્ષાએ બહુમાન સહિત યથાયોગ્ય પ્રવૃત્તિ થાય છે. (૪) શારીરિક બળનું અનિગૂહન | સર્વવિરતિધર જીવાત્મા ઉચિત પ્રવૃત્તિમાં શરીરબળને ગોપવતાં નથી. યથાશક્તિ તપ અને સંયમમાં પ્રવર્તે છે. (૫) પ્રશાંતભાવે પ્રવર્તન - - સાધ્વાચારની સર્વ પ્રવૃત્તિમાં પ્રતિકુળ કે સાનુકૂળ સંજોગોમાં મનની સમવૃત્તિથી પ્રશાંત ચિત્તથી પ્રવર્તન કરે છે. (૬) ગુરઆજ્ઞામાં નિજલાભ ચિંતન ગુરુજીનાં વચનને અનુસરવામાં જ કર્મોની નિર્જરા થવા સ્વરૂપ નિકલાભ ચિંતન મારા આત્માને હિતકારી છે એવું ચિંતન રાખે છે. (૭) સંવરમાં નિછિદ્રતા સાધુજીવનમાં કર્મોન રોકવા માટે પ૭ ભેદોવાળો સંવર - ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષહો અને ૫ ચારિત્ર જો આ પ્રાપ્ત સંવરધર્મ છિદ્રવાળો બને તો ઊંચા એવા Page #84 -------------------------------------------------------------------------- ________________ પર્વતના શિખર ઉપરથી પાતાળનાં તળીએ પડવા જેવું બને. માટે પોતાના આત્મહિત લક્ષે તેમાં છિદ્રના પડે નહી તેવી સાવધતા રાખે છે. શ્રી ધર્મદાસગણિજીએ ઉપદેશમાલામાં પાંચ મુખ્ય છિદ્રો દર્શાવ્યા છે." શ્રી ધર્મદાસગણિજી તીર્થંકર મહાવીર સ્વામીનાં હસ્તદીક્ષિત હતા. (૧) આત્મપ્રશંસા (૨) પરનિન્દા (3) રસલાલસા (૪) કામવાસના (૫) કષાયો. (૮) શુધ્ધ ઉચ્છજીવન - ગોચરીચર્યા જીવન શુધ્ધ એટલે કલ્પનીતિ મુજબ જે જે કાળે અને જે જે કારણે જે રીતે ભિક્ષાચર્યા વિહિત છે, તે તે કારણે તેજ રીતે ભિક્ષાગમન અને તે સમયે દોષોનાં પરિત્યાગ સાથેનું ભિક્ષા ગ્રહણ તે સુપરિશુધ્ધ શુધ્ધોઋજીવન મુનિ ભગવંત જીવે છે. (૯) વિધિપૂર્વક સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પરિવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા સ્વરૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય વિધિપૂર્વક એટલે કે ભક્તિ-બહુમાનથી દેવ-ગુરુને પ્રમાણ સાથે, હૈયામાં પૂજ્યતાની પરાકાષ્ઠા ધારણ કરીને, જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનો પ્રત્યે અતિશય આદરમાનથી સાધુ ભગવંત નિત્ય સ્વાધ્યાય આદરે છે. વિધિપૂર્વકનો સ્વાધ્યાય અપ્રમત્તતાનું એક અદ્દભૂત સાધન છે. યતિજનો માટેનાં ઉપદેશનો એ વિષય છે. (૧૦) મરણાદિ અપેક્ષણ મરણનાં બે પ્રકાર દ્રવ્યમરણ : ઇન્દ્રિયાદિ દશવિધ દ્રવ્યપ્રાણોનો જે વિયોગ તે દ્રવ્યમરણ. ભાવમરણ : આત્માનું પૌદ્દગલિક ભાવોમાં અંજાવું, સાંસારિક સુખોની અતિશય આસક્તિ તે પ્રમાદ છે. ભાવમરણ છે. પોતાની દરરોજની અપ્રમતપણે પ્રવર્તતી રત્નત્રયીની સાધનાનાં કાળ દરમ્યાન મરણાદિનું અપેક્ષણ કરવાથી શક્ય પ્રયત્ને રત્નત્રયીની સાધના ઉત્કટ બનાવવાની સરળતા થાય છે. આ પ્રમાણે યોગશતક ગ્રંથમાં કહેલો સંક્ષેપમાં કુલ-૧૦ પ્રકારનો સદુપદેશ ઉત્તમ સદ્દગુરૂદેવ પોતાના શિષ્યોને તેઓનાં આત્મહિત માટે નિસ્પૃહભાવે આપે છે. ઉપદેશક ગુરૂદેવ અવિષયમાં ઉપદેશ, વિષયમાં વિપરીત ઉપદેશ તે અનુપદેશ છે. અને બંધનું નિમિત્ત બને છે. તેમજ ઉચિત ઉપદેશ યોગ થાય છે. (૧) (૨) આ પ્રમાણે દરેકની ભૂમિકાને યોગ્ય ઉપદેશ આપવાથી મહાન લાભ થાય છે. પરંતુ અયોગ્ય-ભવાદિનંદી જીવોને આપેલો ઉપદેશ, તેમ જ ભૂમિકાની યોગ્યતા વિના આપેલો ઉપદેશ નિષ્ફળ જાય છે. એટલું જ નહિ, પણ કવચિત્ મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. પૂર્વોક્ત ગાથાઓમાં ઉપદેશ આપવાની તમામ વિધિના વિસ્તૃત નિરૂપણ બાદ આગળની કાર્યગત વિધિમાર્ગ પ્રાયઃ સાધારણ પણે અતિશય નિપુણતાપૂર્વક શ્રોતાઓએ પોતે જ જાણવા જેવો છે તેનું નિરૂપણ છે.૨૦ 68 Page #85 -------------------------------------------------------------------------- ________________ પાડ યોગસાધના દ્વારા ગુણસ્થાનકે જવાની વિધિ સમ્યગ ઉપદેશ સાંભળીને દેશવિરતિ ચારિત્રવાન કે સર્વવિરતિ ચારિત્ર્યવાન આત્માઓમાં પરિણામ પામ્યા પછીની કાર્યગત વિધિ જાણવા માટે આચાર્યશ્રી ઉપદેશ પરિણત થયે છતે; પોતાની ભૂમિકા મુજબ અધિક ગુણસ્થાનમાં પ્રવર્તતી વિધિ સામાન્યથી અત્યંત નિપુણપણે જ્ઞાન મેળવવાનું કહે છે. આ સામાન્ય વિધિમાર્ગ દેશચારિત્રવાન અને સર્વચારિત્રવાન એમ પાછળનાં બે યોગીઓને જ વિચારવાનો છે. કારણ કે તેઓ તેટલી ઉચ્ચ ભૂમિકા એ છે. ગુણસ્થાનકની યોગ્યતા જાણવાનાં ઉપાયભૂત ત્રણ કારણો (૧) નિજસ્વભાવ આલોચન પોતાના સ્વભાવાદિનું અવલોકન કરવા દ્વારા તે તે ગુણસ્થાનકે પ્રવૃત્તિ કરવી. (૨) જનવાદાગમ પોતાનામાં કયા ગુણસ્થાનકની સંભાવના લોકો કરે છે તે જાણી તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી કારણ કે શિષ્ટ પુરૂષો સદા માનનીય હોય છે. (૩) યોગશુધ્ધિ મન - વચન - કાયાની પ્રવૃત્તિની શુધ્ધિ. પોતાનાં મનવચનકાયાનાં યોગો કયા ગુણસ્થાનકની સિધ્ધિમાં સાધક બનશે. તેનાં વિચારોથી યોગશુધ્ધિનું નિયમિત ચિંતન, પોતાના યોગોને પ્રતિકુળ ગુણસ્થાનક અનિષ્ટ ફળ આપનાર બની શકે છે. ગુણસ્થાનકનાં સ્વીકારને અનુરૂપ યોગશુધ્ધિ કરવાના ઉપાયો નિરવદ્ય ગમનાદિથી નિરવદ્ય વચનપ્રયોગથી શુભ ચિંતવન દ્વારા કાયાની શુધ્ધિ - વચનની શુધ્ધિ મનની શુધ્ધિ ૧. કાયાની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ: ગમન, આસન, સ્થાન કાયા ગમનમાં પ્રવર્તે ત્યારે ઈર્ષા સમિતિ સાચવવી. આસનાત્મક બને ત્યારે પદ્માસન - પર્યકાસન આદિ આસનો સાચવવા. સ્થાનાત્મક બને ત્યારે વિવેક યુક્ત કાયા રાખવી. પ્રાપ્ત ગુણસ્થાનક શોભાયમાન બને અને સ્વીકાર્ય ગુણસ્થાનક નિકટ આવે તેવી કાર્યશુદ્ધિ જાળવવી. ૨. વચન શુધ્ધિ દ્વારા પ્રિય (મીઠું-મધુર), પથ્ય (સ્વ-પરહિતકારી), તથ્ય (સત્ય-યથાર્થ) એવા વચનો બોલવા. ૩. મનગુપ્તિ પાળવા દ્વારા મનની શુધ્ધિ સાચવવી. Page #86 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શનકારોના મતાંતરથી યોગશુધ્ધિ કરવાનાં ઉપાયો શુભસંસ્થાનથી શુભસ્વરથી શુભસ્વપ્નથી કાયાશુધ્ધિ વચનશુધ્ધિ મનશુધ્ધિ અન્ય દર્શનકારો ઉપરોક્ત ત્રણ પ્રકારની યોગશુધ્ધિ જણાવે છે. શ્રી હરિભદ્રસૂરિજી ઉપરોક્ત મતને સ્વીકારે તો છે. પરંતુ તે બાહ્ય શુધ્ધિ સાથે જનમત અત્યંતર યોગશુધ્ધિ એમ ઉભય યોગશુધ્ધિને સોનામાં સુગંધ માને છે. આ પ્રમાણે પ્રાપ્ત ગુણસ્થાનકની સામાન્યથી વિધિ જણાવીને હવે સ્વીકાર્ય ગુણસ્થાનક સંબંધી ઊચિતતાનું વર્ણન કરેલ છે. ૫.૬.૧ નવા ગુણસ્થાનકમાં પ્રવેશવાની વિધિ ઉપરની ભૂમિકામાં પ્રવેશવા માટે જરૂરી એવી વિધિનું વર્ણન કરતાં આચાર્યશ્રી જણાવે છે કે, “શુભદ્રવ્યાદિમય નિમિત્તોના સમૂહને અંગીકાર કરીને સુગુરુની સમીપે વિધિપૂર્વક ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે તે જ સાચો ઉપાય છે. (૧) શુભદ્રવ્ય : ઉત્તમ વસ્ત્ર પરિધાન, શુધ્ધ અક્ષત, શ્રીફળ, આસોપાલવાદિ ઉત્તમ દ્રવ્યોનો મંડપ ઈત્યાદિ હોય ત્યાં ઉપરનું ગુણસ્થાનક સ્વીકારે. (૨) શુભક્ષેત્ર : તીર્થક્ષેત્ર, તીર્થંકરની કલ્યાણક ભૂમિઓ, વારંવાર સામાયિકાદિ ધર્માનુષ્ઠાનો કરાતાં હોય તેવા સ્થાનકો ઈત્યાદિ. (3) શુભકાળ .: શુભમુહુર્ત, સારો દિવસ, સારું નક્ષત્ર, સારો યોગ ઈત્યાદિ. જોઈને ગુણસ્થાનક સ્વીકારે. (૪) શુભ ભાવ : સ્વીકારવામાં પોતાનો વધતો જતો ઉત્સાહ. (૫) વિધિપૂર્વક પ્રવૃત્તિ : ભાવથી પોતાનાથી અધિક ગુણવાળા, વિધિનાં જાણકાર, મહાપુરુષ એવા સુગુરુ પાસે વ્રત સ્વીકારે. (6) વિધિપૂર્વક પ્રવૃત્તિ : વ્રત સમ્યક પરિણમનમાં વિધિની પ્રધાનતા છે. પ..૨ અપૂર્વગુણસ્થાનકનો પ્રાપ્તિ માટે વિશેષવિધિ વ્રતગ્રહણ એ જીવનનું એક અમૂલ્ય કાર્ય છે. તેથી તેની પૂર્વે ઉપરોક્ત માંગલિક કાર્યો કરવા પૂર્વકનું વ્રતગ્રહણ થાય છે. વ્રતગ્રહણ કરતી વખતે અને કરાવતી વખતે વંદનાદિની આ વિધિ નિમિત્ત શુધ્ધિની પ્રધાનતા પૂર્વક સમ્યક પ્રકારે કરાયેલી વિધિ જ અપૂર્વ બની રહે છે. અન્યથા કરાયેલી વિધિ તે વિધિ રહેતી નથી. એટલે કે, અણુવ્રત અથવા મહાવ્રતાદિ વ્રતો ગ્રહણ કરવા સમયે પ્રથમ ક્ષેત્રશુધ્ધિ, ગુરુજીના વસ્ત્ર-પાત્ર-આહાર-ઔષધાદિ વહોરાવવા પૂર્વક સત્કાર કરી ગુરુદેવને વંદન કરી ચૈત્યવંદન-ગુરુવંદન અને યથાયોગ્ય કાર્યોત્સર્ગાદિ રૂપ 70. Page #87 -------------------------------------------------------------------------- ________________ મંગલભૂત કાર્યો કરવા. આ સમયે શુભ નિમિત્તોનો આશ્રય કરવો અને અશુભ નિમિત્તોનો ત્યાગ કરવામાં આવે છે. વ્રતગ્રહણ પૂર્વની વિધિ + ક્ષેત્રશુદ્ધિ ગુરુસત્કાર વ્રતગ્રહણ વિધિ જિનપૂજા ચૈત્યવંદન ગુરુવંદન કાર્યોત્સગ ભાવિનાં ઈષ્ટ-અનિષ્ટ સૂચક નિમિત્તો છે. તેથી નિમિત્તશુદ્ધિ પૂર્વક અપૂર્વ ગુણસ્થાનક સ્વીકારે છે. વ્રતગ્રહણ કરતી વખતે અને કરાવતી વખતે વંદનાદિની આ વિધિ નિમિત્ત સુદ્ધિની પ્રધાનતા પૂર્વક સમ્યક પ્રકારે આચરે છે. અન્યથા કરાયેલી વિધિ પણ વિધિ રહેતી નથી. (૧) પ્રમાદ દૂર રહે છે. (૨) વિષયો શાંત થાય છે. (૩) સ્વાધ્યાયની વૃદ્ધિ થાય છે. ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી પોતાની અધિક ગુણવાળાઓની જ સાથે અથવા સમાન ગુણવાળાઓની સાથે નિત્ય સહવાસ રાખી તે તે ગુણસ્થાનકે યોગ્ય ક્રિયાઓ અવશ્ય પાળવાની જ છે. તેવા પ્રકારની નિરંતર સ્મૃતિ યુક્ત રહેવાનું આચાર્ય શ્રી જણાવે છે. તેમ કરવાથી વ્રતગૃહણ સમયની વિધિ (૪) (૫) (૬) સ્વચ્છંદતાનો નાશ થાય છે. કષાયો હળવા થઈ જાય છે. સાંસારિક વિકથાઓ અટકી જાય છે. ઇત્યાદિ અનેકવિધ લાભો થાય છે. અને નવા ગુણસ્થાનકનાં અનુષ્ઠાનમાં લીન રહે છે. મુમુક્ષુ અને આત્માર્થી એવા આત્માએ જે અપૂર્વ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું છે તેને ટકાવી રાખવા માટે તથા તેમાં વધુ સ્થિર થવા ઉપરોક્ત ગાથામાં ગુણીજનોનો સહવાસ અને કર્તવ્ય પરાયણતા એમ બે ઉપાયો કહ્યા તે રીતે આગળની ગાથામાં બીજા ત્રણ ઉપાયો દર્શાવે છે. (૧) ઉત્તરગુણ બહુમાન (૨) સમ્યગપ્રકારે ભવરૂપ ચિંતન અને (૩) અરતિ પ્રસંગે અરિહંત પરમાત્મા આદિનું ભાવશરણ સ્વીકારવાના વિશેષ પ્રયત્નો કરે છે.શ્ય દેશવિરતિ ગુણસ્થાનક સ્વીકારનાર તે શ્રાવકના ઉત્તરભાવિનાં પરિણામો તેમજ સર્વવિરતિધર મુનિનાં પરિણામો કેવા લોકોત્તમ સ્વરૂપનાં છે, તે તે ઉપરના ગુણસ્થાનકનાં સૂક્ષ્મભાવોને વારંવાર શાસ્ત્રોથી જાણે અને પોતે પણ આવુ સત્વ ક્યારે પ્રાપ્ત કરશે કે જેથી સંસારનો ઉચ્છેદ થાય. આ પ્રકારે આલોચના કરીને ઉત્તરગુણનાં બુહમાનને પ્રગટ કરે છે. 71 સર્વવિતરિધર મુનિ પોતાના ઉત્તમ ચારિત્રનું પાલન કરતા કરતા પણ અસંગભાવવાળા સંયમીને વારંવાર યાદ કરે અને વિચારે કે “સંપૂર્ણ અસંગભાવ વગર કોઈ વીતરાગ થતું નથી. અને વીતરાગતા વિના કેવળજ્ઞાન પ્રગટ થતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થયા વિના મોક્ષની Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થતી નથી.” માટે પોતે પણ પોતાના યતિધર્મમાં તે રીતે ઉદ્યમ કરવાની ભાવના સેવે જેથી શીઘ્ર અસંગભાવની પ્રાપ્તિ શક્ય બને. સર્વવિરતિથી અસંગભાવ વીતરાગતા → કેવળજ્ઞાન -> મોક્ષ આ પ્રકારે ચિંતન કરીને દેશવિરતિધર કે સર્વવિરતિધર સ્વસ્વના ઉત્તરગુણનાં બહુમાનને પ્રગટ કરે છે, સાથે સાથે સંસારમાં.... ૧) જન્મ અસાર છે ૨) જરાદિનો આશ્રય છે ૩) દુઃખનો સમુદાયી વ્યાપ્ત છે ૪) ધન, યશ, માન, મોભાદિ નાશવંત છે ૫) સ્નેહ અનવસ્થિત છે – - ૬) વિષયો ભવોભવમાં પરિભ્રમણ કરાવનાર છે ૭) પાપ કર્મનો વિપાક ભયંકર છે ૮) તીવ્ર પીડાકારી છે ૯) સુખ મિથ્યા વિકલ્પરૂપ છે ૧૦)મૃત્યુ સદા પ્રવૃત્ત છે. આવા સ્વરૂપવાળા ભવસ્વરૂપનું ચિંતન કરે છે અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરે છે. અરિહંત પરમાત્માદિનું ભાવપૂર્વક શરણ એ જ અરતિ - ઉદ્દવેગને ટાળનાર છે. તેવા ચિંત્તવનથી તેઓ સદા જાગ્રત રહે છે. તદુપરાંત પ્રાપ્ત ગુણસ્થાનકમાં વિચિત્ર કર્મનાં ઉદયથી જો અરતિ થાય તો ભાવથી શરણુ સ્વીકારવાનાં પ્રયત્નોનું કારણ જણાવતા આચાર્યશ્રી જણાવે છે કે, “આ અરતિનું પૂર્વ સ્વરૂપ અકુશલ કર્મનો ઉદય છે. એ પ્રમાણે શ્રી વીતરાગ પરમાત્મા કહે છે કે એ અકુશલ કર્મોદય ભયાદિમાં (ભય-રોગ-વિષમાં) પ્રસિદ્ધ છે. અને તે કર્મોદય ઉપાયોથી સાધ્ય છે.” જે નીચે પ્રમાણે દર્શાવેલ છે. કારણ કાર્ય શરણ ભય મોહનીયનો નાશ ચિકિત્સા અસાતાવેદનીયનો નાશ મંત્ર વિષ (આયુષ્યની અપવર્તના)નો નાશ આ ગાથા દ્રષ્ટાંતરૂપ છે. દ્રષ્ટાંત સમજાવીને દાર્રાન્તિકમાં જોડતાં કહે છે, “અકુશલ કર્મોદય ઉપસ્થિત થાય ત્યારે ગુરુદેવ જ શરણરૂપ છે, કર્મોદયજનિત રોગ ઉપસ્થિત સામે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ રૂપ ક્રિયા ચિકિત્સા છે, અને કર્મજન્ય અજ્ઞાનસ્વરૂપ વિષ સામે સ્વાધ્યાય એ જ મંત્ર છે. તથા આ સ્વાધ્યાય રૂપ મંત્ર જ મોહરૂપ વિષનો પ્રગટ વિનાશક છે. ઉપરોક્ત ત્રણ ઉપાયો-ગુરુશરણ, તપ, સ્વાધ્યાયમાં યત્નવિશેષ કરવાથી પ્રાયઃ તે પાપકર્મોનો ઉપક્રમ થવાથી ભાવિમાં કોઈ વિઘ્ન આવતું નથી. પરંતુ ગુણ જ પ્રાપ્ત થાય છે. આજ સાચો પરમાર્થ છે. હવે આચાર્યશ્રી કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ જણાવે છે. 72 Page #89 -------------------------------------------------------------------------- ________________ પ.વ.૩ કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ આરહંતાદિ ચારનું શરણ સ્વીકારવું, દુષ્કૃતની ગર્ણ કરવી અને સુકૃતની અનુમોદના કરવી આ ત્રણેનો સમુહનું નિરંતર સેવન આવશ્યક છે, કારણ કે તે કલ્યાણનું કારણ છે. યોગનાં અધિકારીની સાધકવિધિ ચતુઃ શરણ દુઝુર્ત ગર્ણ સુકૃત અનુમોદના અરિહંત પરમાત્માનું સિદ્ધ પરમાત્માનું સાધુ ભગવંતનું કેવલિ પ્રરૂપિત ધર્મનું શરણ શરણ શરણ શરણ આ ચારનું શરણ એ કર્મોનાં ઉપક્રમોનું પરમ સાધન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “રિહંતા સર, સિતા સર, સાર્દૂ સરળ, વૈભિપન્મતં ઘન્મ સ૨i 20 ૫.૭ યોગના અધિકારનાં વિશેષ ઉપાયો ઘટમાનયોગીને અને પ્રવૃત્તયોગીને યોગ સાધવાનો આ ઉપાય સમજાવ્યો છે. પરંતુ આ યોગ પ્રધાનપણે પ્રવૃત્તયોગી અર્થે છે.” “રાગાદિને દૂર કરનારી ભાવનાને જણાવનારા શ્રતનું વિધિપૂર્વક અધ્યયન કરવું, જિનેશ્વર પ્રભુની વાણીનું વારંવાર શ્રવણ કરવું. આ રીતે ભાવનાશ્રુત અર્થનું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ રાગાદિ દોષોની અપેક્ષાએ અત્યંત નિપુણતાપૂર્વક આત્મનિરીક્ષણ કરવું ઉપરોક્ત બંને ગાથાઓમાં યોગીઓનાં પ્રકાર દર્શાવી પ્રવૃત્તયોગીને પ્રધાનતર વિધિનું નિરૂપણ થયેલું છે. યોગીઓનાં પ્રકાર ઘટમાન યોગી પ્રવૃત્તયોગી નિષ્પન્ન યોગી અપુનર્બન્ધક સર્વવિરતિધર યાવતું સમ્યગદ્રષ્ટિ દેશવિરતિધર સર્વવિરતિધર કેવલી ભગવંત (૧) ઘટમાનયોગી : યોગમાર્ગમાં હજુ પ્રવૃત્તિ શરૂ થઈ નથી, તેથી તેવી પ્રવૃત્તિ કરવા અર્થે આત્માને કેળવવાની (ઘડવાની ક્રિયા કરનાર. (૨) પ્રવૃત્તયોગી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર રૂપ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર. 13 Page #90 -------------------------------------------------------------------------- ________________ (3) નિષ્પન્ન યોગી યોગમાં સમ્યક પ્રવૃત્તિ દ્વારા યોગ જેઓએ પ્રકૃતિરૂપે નિષ્પન્ન કર્યો છે. તેવા સર્વવિરતિધર યાવત કેવળી ભગવંતો. નિષ્પન્ન યોગી મહાત્મા કેવલી ભગવંતનું ચિત્ર પરિશિષ્ટ-૧૨માં આપવામાં આવેલ છે. પ્રવૃત્તયોગીને પ્રધાનતર વિધિ વિધિપૂર્વક ભાવનાશ્રુત વાંરવાર તીર્થ શ્રવણ આત્મદોષની અપેક્ષાએ નો પાઠ અત્યંત નિપુણતાથી આત્મ નિરીક્ષણ યોગમાર્ગમાં આત્માને દૂષણ કરનારા દોષ અભિવંગરૂપ રાગ અપ્રીતિરૂપ દ્વેષ વિપરીત જ્ઞાનરૂપ મોહ આત્મનિરીક્ષણ કરનાર આત્મજ્ઞાનયોગી જ હોય છે. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ આત્માને દૂષત કરનારા દોષો છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયથી થયેલા આત્માના આ ત્રણ વૈભાવિક પરિણામો છે. પરંતુ ભદ્રિકભાવે આ યોગીમહાત્મા થાપ ન ખાય જાય માટે અતિનિપુણતાપૂર્વકનું આત્મનિરીક્ષણ કરવાનું શ્રી સૂરિજી જણાવે છે. આ રાગાદિ પરિણામો કર્મોના ઉદયથી જનિત છે તેથી કર્મોના સ્વરૂપનું વર્ણન યોગશતક અધ્યયન ભાગ-૨માં કરવામા આવેલ છે. 14 Page #91 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ : ભાગ-૧ ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ.-૮૮૨ યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, પૃ.-૪ યોગબિંદુ ગાથા-૧૭૮ યોગબિંદુ ગાથા-૧ યોગબિંદુ ગાથા-૨ જૈનદર્શન, ટી. કે. તુકોલ, પૃ.-૧૩૬ યોગશતક ગાથા-૩ યોગશતક, અનુવાદક પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ-૧૬ યોગશતક, ગાથા-૪ शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । उहोऽपोहोऽर्थविज्ञानं तत्वज्ञानं च धिगुणाः । યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, પૃ.-૧૮ યોગવિંશિકા, ગાથા ૩-૪ યોગશતક, ગાથા-૬ થી ૮ યોગશતક, ગાથા-૯ થી ૧૦ ૧૪. યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, પૃ-૧૦ યોગશતક, ગાથા-૧૨ યોગશતક, ગાથા-૧૩ યોગશતક, અનુવાદક : પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ-૩૪ યોગશતક, ગાથા-૨૪ થી ૨૬ યોગશતક, ગાથા-૨૧, ૨૨ ૨૦. યોગશતક, ગાથા-૧૪, ૨૭, ૨૮ ૨૧. યોગશતક, ગાથા-૧૫ ૨૨. શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ-૨૮૧ યોગશતક, ગાથા-૧૭ થી ૨૦ ૨૪. યોગશતક, ગાથા-૨૯ થી ૩૧ ૨૫. સુકુ વિ કન્નમમાd, gવેવ વરિંતિ કરતાં સમi | મUશુકું ઘરનિંદ્રા, નિઓવત્યા વસાયા ૨ || ઉપદેશમાલા, ગાથા-૭૨ ૨૬. યોગશતક એક પરિશિલન, પરિશીલન પૂ.આ.શ્રી ચંદ્રગુપ્તસૂરિજી, પૃ.-૯૫ ૨૭. યોગશતક, ગાથા-૩૨ થી ૩૮ યોગશતક, ગાથા-૩૯ થી ૪૫ S - 75 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૯. 30. ૩૧. ૩૨. છું યોગશતક, ગાથા-૪૬ થી ૪૯ યોગશતક, ગાથા-૫૦ યોગશતક, ગાથા-૫૧-૫૨ યોગશતક, ગાથા-૫૩ 76 Page #93 -------------------------------------------------------------------------- ________________ EL પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૨ ૫.૮ જીવ - કર્મનો સંબંધ અનાદિ સાત ૫.૯ રાગ - દ્વેષ - મોહનું સ્વરૂપ ૫.૯.૧ રાગ - દ્વેષ - મોહનાં પ્રતિપક્ષ ભાવનથી પ્રગટ થતાં તત્વભાસનનું સ્વરૂપ : ૫.૧૦ ચાર યોગભાવનાનું વર્ણન ૫.૧૧ યોગીના આહારની વિધિ પ.૧૨ યોગપ્રભાવથી પ્રાપ્ત થતી લબ્ધિ અને તેનું ફળ ૫.૧૩ મોક્ષનું પ્રધાન અંગ - સામાયિક ૫.૧૪ મરણકાળ જાણવાનાં ઉપાયો Gજ 2010 Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૨ પ.૮ જીવ - કર્મનો સંબંધ અનાદિ સાન્ત અનંતકાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે. તે ઉપરાંત પ્રત્યેક ક્ષણે નવા કર્મદ્રવ્યનાં પ્રવાહમાં તે ખેંચાતો હોય છે. કર્મનો જીવ સાથે સંબંધ અનાદિ છે. જૈનધર્મનો પાયાનો સિદ્ધાંત છે કે પ્રત્યેક જીવ ચેતન છે, અને દર્શન અને જ્ઞાનરૂપી ‘ઉપયોગ ધરાવે છે. તેને આકાર નથી. પણ તે બધા કાર્યોનો કર્તા છે, જે શરીરમાં પોતાનો નિવાસ હોય તે શરીરનાં પરિણામ જેટલો પોતાનો વિસ્તાર કરવાની તેનામાં શક્તિ છે, તે કર્મફળનો કર્તા અને ભોક્તા છે. તેની વૃત્તિ ઉર્ધ્વગતિ કરવાની હોય છે. અને ઉત્તમસંયમ પુરુષાર્થથી મુક્તિની દશા પ્રાપ્ત થતાં સિદ્ધ બને છે. યોગશતક ગ્રંથની ગાથા ૫૪ થી ૫૮માં કર્મવાદ અને આત્મવાદનાં યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે. આચાર્યશ્રી જણાવે છે કે, “કર્મ એ ચિત્ર-વિચિત્ર પુદગલ સ્વરૂપ છે. જીવની સાથે અનાદિકાળથી જોડાયેલું છે. મિથ્યાત્વાદિ નિમિત્તોથી બંધાય છે. અને ન્યાયપૂર્વક અતીત કાળની સમાન છે.” કર્મની વ્યાખ્યા આ સમસ્ત વિશ્વમાં પુદ્ગલ દ્રવ્ય ઠસોઠસ ભરેલું છે. જેમાં પરમાણુંઓનું પૂરણ-જોડાવું અને ગલન-વિખરાવું બને તે પુદ્ગલ દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય નિર્જીવ છે. વર્ણ-ગંધ-રસસ્પર્શવાળું રૂપી દ્રવ્ય છે. રજકણોની જેમ અણુસમૂહ રૂપ છે. અણુઓનો સમૂહ તે “ધ' છે. એક એક સ્કંધમાં બે અણુઓનાં સમૂહથી યાવત સંખ્યાત-અસંખ્યાત અને અનંત અણુઓનાં સમૂહ પણ હોય છે. તેથી તેના વર્ગીકરણરૂપે જૈનાગમોમાં આઠ ભેદો દર્શાવ્યા છે. અણુસમૂહનું વર્ગીકરણ (વર્ગણા) ઔદારિક વૈક્રિય આહારક તૈજસ શ્વાસોશ્વાસ ભાષા મન કાર્પણ આ વર્ગણાઓમાં આઠમી કાર્મણ વર્ગણા છે. આત્મા સાથે કર્મનો ક્ષીર-નીર સમાન સંબંધ થવો તેનું નામ કર્મબંધ છે. જીવ સ્વયં કર્મબંધ તથા કર્મભોગનો અધિષ્ઠાતા છે. આ સિવાયના જે હેતુઓ દ્રષ્ટિગોચર થાય છે તે સર્વ સહકારી કે નૈમિતિક જ છે. આત્મા સાથે કર્મ પુદ્ગલોને જોડી દેવાનું કામ નીચેના પાંચ હેતુઓ દ્વારા થાય છે. મિથ્યાદર્શના-ડવિરતિ-પ્રભાकषाय-योगा बन्धहेतवः । કર્મબંધના હેતુઓ હેતુઓ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ત્રણેનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. આથી જ કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં કષાય અને યોગ એ બે ને જ કર્મબંધના કારણ કહ્યાં છે.” જ્યારે આત્મામાં ઉપરોક્ત મિથ્યાત્વાદિ કારણો પ્રગટ થાય છે. તેનાથી આ આત્માને કાર્મણવર્ગણાનાં અણુઓનો એકમેક થઈ ચિત્ર-વિચિત્ર અનેક સ્વરૂપે પરિણામ પામે છે. તે સમૂહો જ્ઞાન ગુણને ઢાંકવાનાં સ્વરૂપે-જ્ઞાનવરણીય કર્મ, દર્શનગુણને ઢાંકવાનાં સ્વરૂપેદર્શનાવર્ષીય કર્મ વગેરે સામાન્યથી મૂળથી આઠ ભેદવાળું છે. અને અવાંતર ભેદથી ૧૫૮ ભેદો છે. પહેલા એ કાર્પણવર્ગણા કહેવાય છે. આત્મા સાથે ચોંટ્યા પછી તેને જ કર્મ કહેવાય છે. ક્ષીર-નીર જેમ આત્મા અને કર્મ એકમેક થાય છે. આત્માનાં પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત થાય છે. કર્મ ક્યારેય નિમિત્ત લીધા વિના ઉદયમાં આવતું નથી. કર્મના ઉદય માટે પાંચ નિમિત્તો છે : દ્રવ્ય, ક્ષત્ર, કાળ, ભવ અને ભાવ પ્રબળ કર્મનો ઉદય આવે તો નિમિત તો લે જ છે.૫ ન્યાયાપૂર્વક પ્રવાહથી કર્મ અતીતકાળ સમાન છે તે કથનને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, “ટલો અતીતકાળ છે તે બધો જ અતીતકાળ વર્તમાનતાને પ્રાપ્ત કરી લીધેલો છે. (દા.ત. ૧૦ વર્ષ પહેલા ૨૦૦૧ તે સમયે વર્તમાન અને અત્યારે અતીતકાળ થઈ ગયો છે.) આથી તે અતીતકાળ પ્રવાહથી અનાદિ છે. કારણ કે કાળશૂન્ય લોકનો સંભવ જ નથી. કર્મોમાં જે મિથ્યાત્વ આદિ હેતુઓથી કૃતકપણુ છે. તે અતીતકાળની વર્તમાનતા જેવું છે. જેમ વિજ્ઞાનબુદ્ધિ અમૂર્ત છે. છતાં મદિરાપાનથી તેને ઉપઘાત (નાશ) થાય છે. અને બ્રાહ્મી આદિ ઔષધિ થી અનુગ્રહ થાય છે. તેમ અહીં અમૂર્ત એવા જીવને મૂર્ત એવા કર્મ (શુભાશુભ કર્મ) વડે ઉપઘાત અનુગ્રહ પણ ઘટી શકે છે. અર્થાત્ કર્મને અનાદિ માનવા જ પડે અન્યથા નહી. દા.ત. મરૂદેવા માતા, ભરતચક્રવર્તીને ઉપચાર વિના કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા પરંતુ પૂર્વભવનાં સંસ્કારો તો હતા જ. જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છોડે છે, પણ પ્રવાહ થકી કર્મબંધ અનાદિ છે. વિજ્યજી ‘દ્રાવિંશદ્દ દ્વાત્રિંશિકા’ ગ્રંથનું ૨૬મું પ્રકરણ “યોગમાહાત્મય દ્વાત્રિંશિકા'માં શ્રી હરિભદ્રસૂરીજી જણાવે છે કે “ભરતક્ષેત્રનાં સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ એવા ભરત મહારાજા યોગનાં માહાત્મયથી તત્કાળ કેવળલક્ષ્મીને પામ્યા” શ્રી ભરત મહારાજાએ પૂર્વભવોમાં ઘણા ભવો સુધી યોગનો અભ્યાસ કરીને શક્તિ સંચય કરેલો તેથી ક્ષણમાં યોગનાં પ્રકર્ષને પામી શક્યા. પરંતુ જેમણે પૂર્વભવમાં યોગનો અભ્યાસ પણ કર્યો નથી તેવા મરૂદેવા માતા ક્ષણમાં યોગનાં પ્રભાવથી પરમપદને પામ્યા છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે, “પૂર્વમાં અપ્રાપ્ત ધર્મવાળા પણ પરમાનદંથી આનંદિત થયેલા મરુદેવા માતા યોગનાં પ્રભાવથી પરમપદને પામ્યા. આત્મા પણ અનાદિ છે. કર્મ પણ અનાદિ છે અને આત્મા-કર્મનો સંબંધ પણ અનાદિનો છે. ‘કંચન અને ઉપલ (માટી)ની જેમ જીવ-કર્મનો આ સંબંધ અનાદિ છે. તો પણ ઉપાય વડે આ બંનેનો વિયોગ પણ અવશ્ય થાય છે. કર્મબંધ તે અનાદિ છે. અનાદિ સંયોગનો વિયોગ 78 Page #96 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જેમ કંચન અને ઉપલનો સંયોગ અનાદિનો છે. તેનો તથાવિધ સામગ્રી વિષે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયોગ થાય છે. ફરી તેને પાછો સંયોગ ન થાય. વ્હાત્વનોપતવત્ ।° આ જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતા સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની ઉપાસના અને સમતાભાવ રૂપ સામાયિકની આરાધના વડે અંત આવી શકે છે અને તેનું શુધ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે જ કર્મબંધ અને મોક્ષ બંને ભાવો ઉપચાર વિના સહજ રીતે ઘટી શકે છે. સુખ, દુઃખ પણ જે દેખાય છે તે પણ ઘટી શકે છે. કારણ કે તેનું મુખ્ય કારણ કર્મ છે. અન્યથા ઘટતા નથી. આત્માથી અતિરિક્ત કર્મને સ્વીકારવાથી નિરુપચરિત બંધ અને મોક્ષની સિધ્ધિનું સ્થાપન થાય છે. ૫.૯ રાગ - દ્વેષ - મોહનું સ્વરૂપ જ્યાં ‘આસક્તિ’ એ રાગ છે. ‘અપ્રીતિ’ એ દ્વેષનું લક્ષણ છે. અને ‘અજ્ઞાન’ એ મોહ છે. આ ત્રણ દોષોમાંથી કયો દોષ અતિશય પીડા આપે છે. એવું આત્મસંપ્રેક્ષણ યોગીમહાત્મા કરે છે.” • રાગ રઞનમિતિ રામ: જે રંજન પરિણતિ છે તે રાગ છે. ઈષ્ટવસ્તુઓ પ્રત્યેની જે આસક્તિ, મમતાની બુદ્ધિ તે રાગ. અભિષ્યંગ આસક્તિ તે આત્માને રંગે છે. ઉદાસીનતામાંથી રાજી રાજી કરી નાંખે છે. મુખાકૃતિ જ બદલાય જાય છે. માટે તેને રાગ કહે છે. મોહનીયાદિ કર્મોનાં ઉદયથી ઉત્પન્ન થયેલી આસક્તિરૂપ આત્માની પરિણતિ જે ભાવાત્મક છે. • દ્વેષ “મપ્રીતિ લક્ષનો દ્વેષઃ” અપ્રીતિ લક્ષણ તે દ્વેષ છે. સ્વરૂપને જ લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે. એ દ્વેષ પણ ભાવાત્મક આત્મા પરિણામ સ્વરૂપને સમજવાનું કહે છે. • મોહ ‘મોહન મોહ્રઃ આત્માને મૂંઝવવાની પરિણતિ તે મોહ છે” આત્માને હિતાહિતમાં જે મુંઝવે છે. વિવેકશૂન્ય બનાવે છે. તે મોહ છે." ઠાણાંગસૂત્રમાં રાગ-દ્વેષજનિત બે પ્રકારની મૂર્છાનું વર્ણન છે. કર્તવ્યાકર્તવ્યના વિવેકનો નાશ કરે તે મૂર્છા. મોહ જ મૂર્છારૂપ છે. આ મૂર્છા રાગના કારણે ઉદ્દભવે તે રાગપ્રત્યયા મૂર્છા, અને તે માયા અને લોભરૂપ છે. તેમજ દ્વેષના કારણે મૂર્છા ઉદ્દભવે તો તે દ્વેષ પ્રત્યયા મૂર્છા છે. જે ક્રોધ અને માનરૂપ છે.૨ આત્મસંપ્રેક્ષણ કરનાર યોગીમહાત્મા વિચારે છે કે ઉપરોક્ત આ રાગાદિ દોષોમાં મોક્ષની સાધનામાં આગળ વધવા કયો દોષ અતિશય પીડે છે. સ્વપ્નમાં જોયેલા શણગારો પ્રતિબુધ્ધ (જાગૃત) અવસ્થામાં દર્પણમાં જોતા જેમ શૂન્ય દેખાય છે. એ ન્યાયે આ સંસારસુખ પણ ક્ષણિક છે. આવા ઉત્તમ વિચારો જ્ઞાનયોગી મહાત્માઓ કરે છે. ઉપરોક્ત રાગ-દ્વેષ-મોહનાં દોષોને આશ્રયીને આત્મનિરીક્ષણ પછીની ચિંતન પદ્ધતિ ગ્રંથકારશ્રી જણાવે છે. તે નીચે પ્રમાણે છે. 79 Page #97 -------------------------------------------------------------------------- ________________ રાગાદિ વિષયભૂત ચિંતન તેના વિપાકનું ચિંતન પોતાના આત્માને રાગાદિમાન જાણીને મુક્ત બનવા શ્રી વીતરાગ પરમાત્માનાં વચનાનુસાર દ્રઢતાપૂર્વક એકાંતમાં સમ્યગ્ ઉપયોગપૂર્વક આ રાગ-દ્વેષ-મો એ જ સાચા ત્રણ દોષો છે. અને તેને દૂર કરવા ૧) સ્વરૂપ ચિંતન ૨) પરિણામ ચિંતન ૩) વિપાક દોષ ચિંતન એમ ક્રમશઃ એકેક દોષોનું ત્રણ ત્રણ રીતે તત્વચિંતન કરે છે. વિશેષ ચાર પ્રકારની વિધિ ગુરુદેવતાને પ્રણામ કરીને તત્વ ચિંતન રાગાદિ દોષવિષયક ચિંતન પદ્ધતિ + તેની પરિણતિનું ચિંતન → પદ્માસનાદિ આસન વિશેષપૂર્વક તત્વચિંતન ડાંસ-મચ્છર આદિને ગણકાર્યા વગર તત્વચિંતન સર્વકાર્યોમાં વિધિની અપેક્ષા હોય જ છે. એ કથન ગ્રંથકારશ્રી ઉદાહરણ દ્વારા સમજાવે છે. માટીનો ઘટ બનાવવો હોય તો તેના સાધનો ભેગા કરવા. યથાસ્થાને ગોઠવવાં, તેનો વ્યવસ્થિપણે ઉપયોગ કરવો ઘટ બનાવતાં મન તે જ ક્રિયામાં જ લીન કરવું ઈત્યાદિ વિધિ સચવાય તે આવશ્યક છે. તે જ રીતે તત્વચિંતનનો વિષય અને વિધિનાં નિરૂપણ બાદ ઉપરોક્ત બંને ગાથાઓમાં આવેલા એકેક વિષયનો અર્થ મુખ્ય પ્રયોજનો દ્વારા ગ્રંથકારશ્રી સમજાવે છે. ગુરુ અને દેવતાને પ્રણામકરવાથી............ ગુરુ અને દેવતાનાં અનુગ્રહની પ્રાપ્તિ થાય છે. અધિકૃત તત્વચિંતનની સિદ્ધિ થાય છે. ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે જેમ મંત્ર કે ચિંત્તામણિ રત્ન વગેરેથી તેની વિધિપૂર્વક આરાધના કરનાર ભવ્યજીવોને ઉપકાર થતો નહિ હોવા છતાં અચેતન એવા મંત્રાદિનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તેમ ગુરુદેવતાથી ઉપકાર થતો નહિ હોવા છતાં તેઓશ્રીથી અનુગ્રહ થાય છે. આગળની ગાથામાં આચાર્યશ્રી પદ્માસન આદિ સ્થાનોનાં ગુણો જણાવતાં કહે છે કે, “પદ્માસનાદિ આસનવિશેષથી કાયાનો નિરોધ થાય છે. અને તે યોગનું સેવન કરનારા અન્ય યોગીમહાત્માઓ પ્રત્યે બહુમાનનો ભાવ થાય છે. તથા દંશાદિને નહિ ગણકારવામાં વીર્યોલ્લાસની વૃદ્ધિ અને ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે.” જેઓનું ચિત્ત ચલિત ન થાય એટલા બધા ચિંતનમાં એકાકાર બની જાય ત્યારે જ તે વિષયનું સાંગોપાંગ યથાર્થ તત્વભાસન પ્રાપ્ત થાય છે. અને આ તત્વજ્ઞાન જ ઈષ્ટસિદ્ધિનું યોગદશાની સિધ્ધિનું પ્રધાનત્તર અંગ છે. તત્વ જાણવા માટે તે જ ચિંતનમાં લયલીન થઈ તત્વચિંતન 80 Page #98 -------------------------------------------------------------------------- ________________ (૪) ૫.૯.૧ રાગ - દ્વેષ - મોહનાં પ્રતિપક્ષ ભાવનથી પ્રગટ થતાં તત્વભાસનનું સ્વરૂપ : ગાથા-૬૬માં આચાર્યશ્રી તત્વશાસનનું નીચે પ્રમાણે સ્વરૂપ જણાવે છે. શ્રુતજ્ઞાન અને ચિંતામય જ્ઞાનનો નિરાસ કરીને ત્રીજું ભાવનામય જ્ઞાન પ્રગટ થાય છે. જે પરમ કલ્યાણનું કારણ છે. (૨) અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરાવનારું આ તત્વજ્ઞાન છે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાનને કારણે જે યોગમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ થતી હતી તેમાં આ તત્વજ્ઞાનને કારણે નિવૃત્તિ ઉત્પન્ન થાય છે. (૩) ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. પરમ કલ્યાણકારી એવું આ તત્વજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવનમાંથી જેમ અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ થાય છે તેમ તેમ ચિત્ત વધારેને વધારે સ્થિર થાય છે. તત્વજ્ઞાન લોકદ્રય સાધક છે. સમ્યફ પ્રકારનાં ઉપયોગથી રાગ-દ્વેષ-મોહનાં પ્રતિપક્ષ ભાવનને કારણે મન મેરુ જેવુ નિષ્પકંપ બનવાથી જ સિદ્ધિ થાય છે. સુગતિની પરંપરા દ્વારા મોક્ષફળ મળે છે. કરાણ કે સતત શુભ સંસ્કારોનું જ સિંચન થતાં કેવળ કુશળ એવા પુણ્યકર્મોનો જ અનુબંધ થાય છે અને તે કુશળકર્મોનો અનુભવ ભવાંતરે ઉદયમાં આપવાથી ભવાંતરમાં પણ અનાસક્તિ ભાવજ વૃદ્ધિ પામવાથી પરલોકમાં પણ આત્મહિતની જ સિદ્ધિ થાય છે. સચેતન વસ્તુમાં થતાં રાગનાં પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે કોઈ સંયમીને સ્ત્રી રાગ બાધા કરતો હોય તો તેઓનું તત્વ કાદવ, માંસ, લોહી, મળ, હાડકામય છે. એ પ્રકારનું સમ્યબુદ્ધિથી ચિંતન કરે છે. અચેતન વસ્તુમાં થતા રાગનાં પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે અર્થ વિષયક રાગ થાયે છે તે ધન અર્ચન-રક્ષણ-ક્ષય-ભોગાદિ સેંકડો દુઃખોથી યુક્ત, ગમન પરિમામ યુક્ત અને કુગતિ વિપાકવાળું સ્વરૂપ ચિંતન કરે છે. સચેતન-અચેતન વિષે દ્વેષ થયે છતે પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે, જીવવિષયક દેષ થવાથી જીવોનું વિભિન્ન પણું એટલે કે જેના પ્રત્યે રાગ છે અને જેના પ્રત્યે દ્વેષ થાય છે, તે બંને પોતાના માટે ભિન્ન રૂપે સરખા છે. તેવી બુધ્ધિ થવાથી રાગનાં પાત્ર પ્રત્યે રાગ દૂર થાય છે. અને તેના કારણે દ્વેષનાં પાત્ર પ્રત્યે દ્વેષ પણ દૂર થાય છે. તે જ રીતે પુદ્ગલવિષે ચિંતન તેમજ કોઈપણ જીવ કે પુદ્ગલ પદાર્થ પ્રત્યે દ્વેષ થાય તો તેમાંથી બંધાયેલું કર્મ પરલોકમાં પોતાને ન ગમે તેવા ભાવ સાથે સંબંધ કરાવી આપે છે. તેથી દ્વેષનું ફળ પણ જીવ માટે પ્રતિકૂળ છે. મોહ = અજ્ઞાન દોષને આશ્રયી પ્રતિપક્ષ ભાવનાના સ્વરૂપનું નિરૂપણ છે. તેવું ચિંતન મોહની બાબતમાં પણ સામાન્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવતા યુક્ત એવું વસ્તુનું સ્વરૂપ અનુભવ પૂર્વક યુક્તિને અનુસરે સમ્યપ્રકારે વિચારે છે. વિશ્વમાં કોઈપણ કાળે 81 Page #99 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યમાન હોય તેવી વસ્તુ ઉત્પન્ન થતી નથી. દા.ત. માટીમાંથી ઘટ બનવાને બદલે પટ-વસ્ત્ર નથી બની જતી સૂતરમાંથી પટ બનવાને બદલે ઘટ-મઠ નથી બની જતી. અને જે વસ્તુ વિદ્યમાન હોય છે તે દરકે મૂળ સ્વરૂપે પૃવ હોય છે. અને પર્યાયને લઈને ઉત્પન્ન તથા નાશ થાય છે આ રીતે સાધક આત્મા પોતાના ચિત્તમાં રહેલા રાગ, દ્વેષ કે મોહજન્ય ચપળવૃત્તિઓ પર કાબૂ મેળવી ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વીતરાગ પરમાત્માની આજ્ઞા અનુસાર તત્વોનું ચિંતન કરવાથી નિયમા દ્રષ્ટ ફળ તત્વોનો બોધ પ્રગટ થાય છે. ભાવગુણોનાં મહાસાગર એવા પરમાત્મા પ્રત્યેનાં બહુમાનથી જ રાગ - દ્વેષ - મોહ આદિનાં પ્રતિપક્ષ કર્મોનો પરમ ક્ષય થાય છે." તે ઉપરાંત એકાંત અવસ્થાવાળા ક્ષેત્રનાં લાભો જણાવતાં આગળની ગાથા-૭૫માં આચાર્યશ્રી જણાવે છે કે, “અનવ્યસ્ત યોગવાળા યોગીઓને એકાંતસ્થાનમાં આવા પ્રકારનાં તત્વચિંતનમાં રાગાદિ પ્રતિપક્ષ ભાવનાના વિક્ષેપ થતો નથી. અને પ્રશસ્ત એવી યોગવશિતા પ્રાયઃ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિધિ અનુસાર એકાંતમાં બેસીને ચિંતવનની વિધિ હોવાથી તે વિધિ પ્રત્યેનાં બહુમાનને કારણે પ્રશસ્ત એવા યોગનાં અભ્યાસનું સામર્થ્ય પ્રગટે છે તે પ્રશસ્ત યોગવશિતા છે. સિદ્ધિની સમીપતાનો યોગ કરાવનાર પૂર્વે કહેલી ક્રિયાઓના વિષયવાળો અને સર્વ સ્થાને યથાર્થભાવવાળો એવા જ્ઞાનની એકાગ્રતાનો ઉપયોગ કર્યો છે. આ પ્રમાણે ઉપરોક્ત વિધિ મુજબ યોગના અભ્યાસથી રાગાદિવિષયક યથાર્થતત્વ પરિણતિ અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે ચિત્તની સ્થિરતા ભવાંતરમાં પણ સાથે આવે છે. તથા પરંપરાએ મુક્તિ પ્રાપ્તિનું પરમપ્રધાન કારણ બને છે." ૫.૧૦ ચાર યોગભાવનાનું વર્ણન પૂર્વક્ત જણાવ્યા મુજબ રાગ-દ્વેષ-મોહ આદિનું ચિંતન કરવાથી જેમ યોગની પ્રાપ્તિ થાય છે, તેમ ચપળ વૃત્તિઓને સ્થિર કરવામાં અન્ય ઉપાય તરીકે મૈત્રી આદિ ચારભાવનાના સેવનનું વર્ણન છે. જેને ચાર યોગભાવના કહે છે. સામાન્યથી પૂર્વે કહેલ પદ્માસનાદિ વિધિ સાચવવા પૂર્વક જ પરમસંવેગી બનેલા આ યોગી આત્માઓ સત્વાદિમાં મૈત્રી આદિ ગુણોની ભાવના ભાવે છે. સર્વે જીવો વિષે મૈત્રી, ગુણાદિકને વિષે પ્રમોદ તથા કિલશયમાન અને અવિનીત જીવોને વિષે અનુક્રમે કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ ભાવે છે. અહીં ગ્રંથકારશ્રી વિધેયાત્મક બીજો માર્ગ બતાવે છે. જેને સામાયિક-પ્રતિક્રમણ-પૂજાતીર્થયાત્રા-પચ્ચકખાણ-સાધુસંતોની વૈયાવચ્ચ ઈત્યાદિ ઉપાદેય ભાવોની ઉપાસના એ વિધેયાત્મક ભાવે ગુણો છે. તે જ રીતે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ મુક્તિ પ્રાપ્તિનો બીજો ઉપાય છે. (૧) મૈત્રી ભાવના : સર્વ જીવોને વિષે કોઈપણ જાતના ભેદભાવ વિના પોતાના આત્મ વત મૈત્રી ભાવનાથી ભાવિત સાધક સર્વ જીવો પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરે, હિતચિંતા કરે. 82 Page #100 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રમોદ ભાવના : પોતાની અપેક્ષાએ અધિક ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે બહુમાન ભાવ સ્વરૂપ ભાવના. (૩) કરુણા ભાવના : રાગાદિથી કલશ પામતા જીવોમાં કરુણાભાવના કરે જે કઠોરતાનાં પરિણામનાં ક્ષયોપશમ ભાવરૂપ છે. માધ્યસ્થ ભાવના : ભારે કર્મોથી અનુચિત પ્રવૃત્તિ કરનારા અયોગ્ય - અવિનીત જીવો પતિ વેષ ન આવે તે માટે માધ્યસ્થ ભાવનાથી ભાવિત બને. આ ચારેય ભાવનાઓ વિષે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે. मैत्री प्रमोदकारुण्य - माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ।।२।। તીર્થંકર ભગવંતોએ મૈત્રી વગેરે ચાર સુંદર ભાવનાઓ “ધર્મધ્યાન' નું અનુસંધાન કરવા માટે નિદર્શિત કરી છે. મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચારે ભાવનાઓ ને ધર્મધ્યાનની પ્રસ્તુતિ માટે નિયોજિત છે. કારણ કે ભાવનાનો પુટ પામીને જ ધર્મધ્યાન રસાયણ બને છે. તદુપરાંત મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવનાર વ્યક્તિની યોગ્યતા માટે “યોગબિંદુ' ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા વિવેક યુક્ત વિવેકની પરિભાષા - નદWપરમાર્થ વિમર્શ કરવામાં આવી છે. એટલે કે જેઓએ પરમાર્થનું ચિંતન કર્યું છે. પરમાર્થ એટલે આત્મા. પરમાર્થ એટલે મોક્ષ. આત્મદ્રષ્ટિ અને મોક્ષદ્રષ્ટિ જેની ખુલી ગઈ છે. તે આ પારમાર્થિક ચિંતન પણ આગમાનુસારી હોય છે. • જે ગંભીર ચિત્તયુક્ત આ મહામનયુક્ત યોગી હર્ષ-શોક-વિષાદને અણદેખ્યા કરી એમના પ્રત્યે ઉચિત ભાવના જ રાખે છે. • સમ્યગ માર્ગાનુસારી - મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરનાર શુધ્ધ નિર્વાણપથ પર ચાલે છે. મૈત્રીભાવનાનાં ચાર પ્રકાર : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી “ષોડશક' નામના ગ્રંથમાં મૈત્રીભાવનાનાં ચાર પ્રકારો બતાવ્યા છે. 22 (૧) ઉપકાર મૈત્રી (માધ્યમ પ્રકાર) (૨) સ્વજન મૈત્રી (ઉપકાર ન હોય તો પણ) (૩) પરિજન મૈત્રી (સ્વજન સંબંધ નિરપેક્ષ) (૪) પરહિત ચિંતારૂપી મૈત્રી (સંબંધ નિરપેક્ષ, સર્વ પરિચિતો પ્રત્યે) મેત્રીઆદિ ચાર ભાવનાઓ અન્ય સાથેના વ્યવહારની ભાવનાઓછે. ભાવનાઓમાં અનર્ગળ શક્તિ રહેલી છે. ભાવનાઓ મનુષ્યનું સમગ્ર વ્યક્તિત્વને પલટી નાખે છે. તેનાથી ક્રમે ક્રમે જીવનનો અભિગમ બદલાય જાય છે. આત્મા ઉપર પડેલા કર્મનાં સાહચર્યને તોડી નાખવાની ભાવનામાં ઘણી તાકાત છે. અશુભ સાથેના સાહચર્યને તોડીને શુભ કે શુધ્ધ સાથેનું સાહચર્ય વધારવા માટે સમસ્ત ભાવનાયોગ છે. ચિત્તની શુધ્ધિ માટે ભાવનાયોગ સરળ સાધન છે. 83. Page #101 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સર્વ જીવોમાં મૈત્રી, ગુણાધિકમાં પ્રમોદ, કિલશ્યમાનોમાં કરુણા અને અયોગ્યમાં માધ્યસ્થ એ પ્રકારનાં ક્રમથી ભાવના ભાવે છે. ભાવનાઓ ભાવવાની બાબતમાં આ જ ક્રમ ઉચતિ પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી સમ્યગ્ કહેલો છે. અન્યથા = ઉલટ સુલટ કરતાં તે પ્રકારે અસ્થાને વિનિયોગ થવાથી ‘અસમંજસતા જ પ્રાપ્ત થાય છે. દોષની પ્રાપ્તિ થાય છે. માટે આ ક્રમની અગત્યતા જરૂરી છે. (૧) (૨) (૩) (૪) મૈત્રી ભાવના સામાન્યથી સર્વજીવોને વિષે જ ઉચિત છે. પ્રમોદ ભાવના ગુણાધિક જીવોને વિષે જ ઉચિત છે. કરુણા ભાવના કિલશ્યમાન જીવોને વિષે જ ઉચિત છે. માધ્યસ્થ ભાવના અવિનીત જીવોને વિષે જ ઉચિત છે. આ ચારે ભાવનાઓ આ રીતે યથાસ્થાને જ સાચો ન્યાય માર્ગ છે. તેમ આચાર્યદેવ કહે છે. અને તે રીતે યોગીજનો ચાર ભાવનાનાં ચિંતનથી પણ રાગ, દ્વેષ અને મોહની ચંચળવૃત્તિઓને નાશ કરે છે. અને ચિત્ત પર સ્થિરતા પ્રાપ્ત કરે છે. ૫.૧૧ યોગીના આહારની વિધિ યોગની સાધના શારીરિક સ્વાસ્થ્યની ખાસ અપેક્ષા રાખે છે. યોગમાર્ગમાં સર્વયોગી મહાત્માઓની સામાન્યથી સર્વ અવસ્થામાં સાધારણ વિધિ એ છે કે યોગીનો આહાર શુક્લ હોય છે. અહીં શુક્લાહાર ‘સર્વ સમ્યત્કરી ભિક્ષા સ્વરૂપ છે. ભાવનાશ્રુતપાઠ, તત્વશ્રવણ, આત્મસંપ્રેક્ષણ, રાગ-દ્વેષ-મોહનાં સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓનું વર્ણન વગેરે યોગદશાની પ્રાપ્તિ માટેનાં સર્વ વર્ણન બાદ “યોગીનો આહાર કેવો હોય” એ આહારવિધિ જણાવતા શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે, “સર્વયોગીઓ માટે આ સાધારણ વિધિ છે કે આ યોગીનો આહાર ‘શુકલાહાર’ હોય છે. તેમજ આ શુકલાહાર સાર્થક છે. તેથી જ મુનિની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે. યોગદશાની પ્રાપ્તિ માટે મનની નિર્મળતા જેમ આવશ્યક છે. તેમ તનની નિરોગિતા પણ સહાયક છે. મનની નિર્મળતા માટે રાગાદિ દોષોનાં સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી જેમ પ્રધાન કારણ છે. તેમ તનની નિરોગિતા માટે ‘આહાર શુદ્ધિ’ પ્રધાનતર કારણ છે. યોગી મહાત્માઓનો ‘શુકલાહાર’ અર્થાત્ આહારની પૂર્વાવસ્થા, વર્તમાનવસ્થા અને પશ્ચાદવસ્થા એમ ત્રણે જેનો શુદ્ધ છે. તે આહાર શુકલાહાર, અત્યંત નિર્દોષ આહાર જે આહાર આ આત્માને સર્વ પ્રકારની સંપત્તિ આપનાર બને તે શુકલાહારનું બીજું નામ સર્વ સંપત્કારી ભિક્ષા કહેવાય છે. શુધ્ધ અનુષ્ઠાનથી સાધ્ય શુક્લાહારનું સ્વરૂપ + શુધ્ધ અનુષ્ઠાનનો હેતુ 84 સ્વરૂપશુધ્ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૧) સર્વ સંપત્કારી ભિક્ષા શાસ્ત્ર વિધિ પ્રમાણે યત્નાપૂર્વક ગર્વષણા દ્વારા આહાર તે શુધ્ધ અનુષ્ઠાનથી સાધ્ય છે. (૨) જે આહાર વાપર્યા પછી શુધ્ધ અનુષ્ઠાનોનું કારણ બને, ધર્મની સાધનામાં શરીર ઉપયોગી બને તે શુદ્ધાનુષ્ઠાન હેતુ આાર છે. (૩) આ આહાર તીર્થકર ભગવંતના વચનાનુસાર ગ્રહણ કરાયેલો હોય અને વાપરતાં સુધી કોઈ અશુદ્ધિ થઈ ન હોય તે સ્વરૂપ શુધ્ધ આહાર છે. આવા પ્રકારનાં શુકલાહારનાં સેવનથી યોગીની યોગપ્રવૃત્તિ યોગાંગ બને છે. ઉપરોક્ત વર્ણનમાં મુનિની કાયાને જે જે ઉચિત આહાર યોગી મુનિ ગૃહસ્થોના ઘરોથી નિર્દોષ જે આહાર મળે તેને જ લેવાવાળા મુનિને શુક્લાહાર સંબંધી જ આચાર્યશ્રી વિશેષ જણાવે છે કે, “વ્રણલેપની ઉપમાને અનુસાર આહાર સંબંધિત ઉચિતતા જાળવવી જરૂરી છે. અન્યથા અઘટિત આહારનો હોય દોષફળ આપનાર બને છે. પોતાના દેહને ઉચિત એવો આહાર લેવાથી જ યોગની સાધના બરાબર થઈ શકે છે. જેમ કોઈ વ્રણ (ગુમડું) લીમડાનાં કટુ તેલથી નાશ પામી જાય, કોઈ ગાયનાં ધીનાં લેપથી મટી જાય. તેમ કોઈ યોગીનું શરીર શુષ્ક આહાર વડે નભી શકે છે, કોઈનું શાલી-ચોખાથી, તો કોઈનું પૌષ્ટિક આહારથી ટકી શકે છે. માટે યોગીજન પોતાનાં શરીરને યોગ્ય પથ્યકારી આહાર લે છે. “યોગનાં પ્રભાવથી જ આ મહાત્માઓને સુંદર આહારની પણ અપ્રાપ્તિ પ્રાયઃ હોતી નથી, તથા શાસ્ત્રોમાં યોગમુનિઓને તો યોગના પ્રભાવથી લબ્ધિઓની પ્રાપ્તિ હોય છે. જેનું વર્ણન આગળના એકમમાં છે. ૫.૧૨ યોગપ્રભાવથી પ્રાપ્ત થતી લબ્ધિ અને તેનું ફળ જેમ જેમ યોગદશાની વૃદ્ધિ થાય છે તેમ તેમ રત્નાદિ લબ્ધિઓ અણિમાદિ લબ્ધિઓ તથા આમર્ષોષધિ આદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.” પાતંજલ યોગદર્શનમાં “ચાન્યુનિમન્નઈ સંગાર્મચાવીર પુનનિ પ્રસંગત (૩.૫૧) સૂત્ર છે. જેનો અર્થ છે, યોગીઓને તેમની સાધનામાં પ્રભાવે દેવતાઓ પાસે જઈને જ્યારે ભોગાદિનું નિમંત્રણ કરે ત્યારે તેઓ ભોગોને જોઈને સંગ કરતાં નથી. તેમજ પોતે એ પ્રકારનો સ્મય એટલે કે ગર્વ પણ કરતાં નથી. દેવતાઓનું નિમંત્રણ બ્લોગનો પ્રભાવ છે. કારણ કે સંગ કે સ્મય કરવાથી અનિષ્ટનો પ્રસંગ આવશે. આ સૂત્રનાં પ્રામાણ્યથી સમજાય છે કે દેવતાઓ યોગીઓને રત્નાદિ ગ્રહણ કરવા માટે જે ઉપનિમંત્રણ કરે છે. તે યોગીજનોને પ્રાપ્ત થયેલી રત્નાદિ લબ્ધિઓ છે તેમજ તે યોગદર્શના પ્રભાવથી અણિમાદિ લબ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે. જે પ્રકારે પોતાની ભૂમિકા છે. તે પ્રકારે નીચેની લબ્ધિઓ યોગી મહાત્માને પ્રગટ થાય છે. (૧) અણિમા લબ્ધિ : જે સિધ્ધિનાં સામર્થ્યથી મહાન પરિણામવાળા યોગી અણુપરિણામવાળા બને છે. (૨) મહિમા લબ્ધિ : લઘુ કાયાવાળા પણ યોગી હાથી, પર્વત વગેરે જેવા મોટા થઈ શકે છે. - 85 - Page #103 -------------------------------------------------------------------------- ________________ (૩) લધિમા લબ્ધિ : વજનદાર શરીર રૂના પિંડની જન્મ હલકું બનાવી શકે છે. (૪) પ્રાપ્તિ લબ્ધિ : ભૂમિ પર રહીને પણ અંગુલિના અગ્રભાગથી ચંદ્રમાને પણ સ્પર્શ કરી શકે છે. (૫) પ્રાકામ્ય લબ્ધિ : સિદ્ધિનાં કારણે યોગીજનોની ઈચ્છા કોઈપણ રીતે હણાતી નથી. તેથી તેઓ ધારે તો પાણી પર પણ ચાલી શકે છે. () ઈશિતા લબ્ધિ : ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કરવાનું સામર્થ્ય ઇશિતાસિધ્ધિના કારણે મળે છે. (૭) વશિતા લબ્ધિ : બધા જ ભૂતો = જીવો, તેના વચનનું અતિક્રમણ ન કરે તેવી લબ્ધિ તે વશિતા લબ્ધ છે. (૮) કામાવસાયિતા : પોતાની ઈચ્છા મુજબ ભૂત વગેરેને પ્રવર્તાવી શકે છે. જેથી યોગી ધારે લબ્ધિ તો અમૃતને બદલે વિષથી પણ માણસને બેઠો કરી શકે છે. આ જૈનદર્શનમાં પણ આવશ્યક નિર્યુક્તિમાં તથા તેના જ ઉપર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચિત “શ્રી વિશેષાવશક્યક મહાભાષ્યમાં” પણ આમષષધિ આદિ લબ્ધિઓ યોગદશાથી પ્રાપ્ત થાય છે તે જણાવેલું છે • આમષષધિ લબ્ધિઓનું સ્વરૂપ (૧) આમર્ષોષધિ લબ્ધિ : યોગીનાં શરીરના સ્પર્શ માત્રથી રોગીઓનાં રોગોનો નાશ થાય તેવી લબ્ધિ. (૨) વિપ્રષધિ લબ્ધિ : યોગીના શરીરનો મળ સ્પર્શ થતાં રોગીઓનાં રોગ મટી જાય તેવી લબ્ધિ. (૩) શ્લેખૌષધિ લબ્ધિ : યોગીનાં શરીરનાં શ્લેષ્મનાં સ્પર્શથી રોગીઓનાં રોગ મટી જાય તેવી લબ્ધિ. પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાત્મય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી તેમના યોગમહામ્ય ગ્રંથમાં જણાવતા કહે છે કે, “યૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. ભૂતજયથી અણિમાદિ અને કાયાની સંપત્તિ અને કાયાનાં ધર્મનો અનત્મિઘાત થાય છે.” પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનાં જયને કારણે યોગીને અણિમાદિ આઠ શક્તિઓ તેમજ ઉત્તમ રૂપાદિ સ્વરૂપ કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી યોગીનું રૂપ, લાવણ્ય, બળ અતિશયવાળું થાય છે. અને વ્રજ જેવું સંઘયણ બળ થાય છે. તેમજ પાંચભૂતોનાં જયને કારણે કાયાનાં ધર્મો રૂપાદિ છે, તેનો નાશ થતો નથી. તેથી યોગીનું શરીર અગ્નિથી બળીને ભસ્મ થતું નથી, પાણીથી ભીંજાતુ નથી અને વાયુથી શોષણ પામતું નથી. આ સર્વ કાર્યો યોગના પ્રભાવથી થાય છે. યોગબિંદુગ્રંથમાં પણ યોગનું ફળ જણાવતા શ્રી સૂરિજી કહે છે કે, યોગ જ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે અને યોગ જ ઉત્કૃષ્ટ ચિંતામણી છે. યોગ જ સર્વધર્મમાં પ્રધાન છે તેમજ યોગ અણિમાદિ સર્વ સિદ્ધિઓનું ઘર છે.” 86. Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગનું ફળ અધિકૃત યોગદશાની અવસ્થા પામેલા મુનિને આ યોગદશાની અવસ્થાનું શું ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે, આ યોગની વૃદ્ધિમાં કારણે જ સારી રીતે અશુભકર્મનો ક્ષય કરનાર તરીકે યોગી સંગત થાય છે. તેમજ શુભકર્મોના બંધક થાય છે અને કર્મ કરી સુખે સુખે મોક્ષગામી બને છે. જૈનધર્મની કરાતી તમામક્રિયાઓ મોહનાં નાશનો હેતુ હોવાથી અશુભ કર્મોનો ક્ષય કરાવે છે. પરંતુ ચતુદશરણાદિની ભાવનાઓ રાગાદિના પ્રતિપક્ષની ભાવનાઓ અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત બનેલી પરિણતિમાં અનેકગણું બળ છે. જે આત્માને કર્મોથી અત્યંત હળવો બનાવે છે. અશુભ પ્રવૃત્તિઓ અને પરિણિતિઓ મૂળથી જ નષ્ટ થઈ જતાં નવા અશુભકર્મબંધ થતો જ નથી અને પૂર્વે થયેલો અશુભકર્મો નો બંધ ક્ષીણ થઈ જાય છે. આચાર્યશ્રી શ્રીહૅરિસૂરિજી તાત્રિશદ્વાત્રિશિકાનાં ર૬માં પ્રકરણમાં જણાવે છે કે, “શાસ્ત્રનું રહસ્ય યોગ છે, મોક્ષનો માર્ગ યોગ છે, અપાયનું શમન યોગ છે, કલ્યાણનું કારણ યોગ છે, તે જ રીતે આગળ કહે છે કે, આ જન્મમાં પણ વિવિધ પ્રકારની લબ્ધિઓ અને પરભવમાં ઉત્તમકુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય અને શ્રેષ્ઠ સ્વાધીનતા જ યોગકલ્પવૃક્ષનું ફળ છે. યોગની વૃદ્ધિથી જ યોગી મહાત્માઓ શુભકર્મનાં બધેક થાય છે તેથી તેઓ શુભકર્મનાં ઉદયથી ભવાન્તરમાં વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કુળ અને વિશિષ્ટ જાતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ રીતે તે તે યોગસાધક સામગ્રીને પ્રકૃષ્ટ રીતે પ્રાપ્ત કરવાથી ઉત્તરોત્તર શુભ - શુભતર પ્રવૃત્તિથી ઉત્તમોત્તમ ફળને પ્રાપ્ત કરવા વડે સુખે સુખે યોગીજનો મોક્ષને પ્રાપ્ત કરી ભવનો અંત કરનારા બને છે. ત્યારબાદની ચાર ગાથાઓ ૮૬ થી ૮૯ એક પ્રકરણનાં સંદર્ભમાં પ્રતિબધ્ધ છે. જેમાં અધિકૃત ભાવનાથી કઈ રીતે મોક્ષ મળે છે. તેનું બૌદ્ધદર્શનની પરિભાષાથી સ્પષ્ટીકરણ કરેલ છે. અહીં ભાવના દ્વારા જે કર્મક્ષય થાય છે તે “મંડુક ભસ્મ” તુલ્ય જે કર્મની અપેક્ષાએ ફરીને ઉત્તન્ન થતા નથી. પરંતુ ભાવના રહિત માત્ર કાયિકી ક્રિયાથી થતો કર્મક્ષય એ “મંડુકચૂર્ણ' સમાન છે, જે ફરીથી ઉત્પન્ન થઈ શકે છે.બૌધ્ધમતથી પુણ્ય પણ કર્મક્ષયની જેમ બે પ્રકારનું છે. ૧) માટીનાં કળશ જવું અને ૨) સુવર્ણનાં કળશ જેવું. ભાવના વિનાનું માત્ર કાયાથી બંધાયેલું પુણ્ય માટીનાં કળશ સમાન છે. જે માત્ર જળધારણની ક્રિયા જેમ અલ્પ ફળ આપનારું છે. બીજી રીતે તે મિથ્યાદ્રષ્ટિથી જન્ય છે. તે અપરિશુદ્ધ છે, અને ફળ પ્રાપ્ત કરાવવામાં માટીનાં ઘડા જેવું છે. બીજું જે પુણ્ય છે તે સુવર્ણ કળશ સમાન છે. જેમ સુવર્ણ કળશ ભાંગી જવા છતાં સોનાની કિંમત પહેલા જેટલી જ ઉપજે છે. તેમ વિશિષ્ટ ભાવનાજન્ય પુણ્ય ઉત્તરોત્તર પ્રકૃષ્ટ ફળનું સાધક હોય છે. બીજી રીતે તે સમ્યગદ્રષ્ટિથી જન્ય છે પરિશુધ્ધ છે અને ફલપ્રદાનમાં સુવર્ણ કળશ સમાન છે. “બોધિસત્વો કાયપાતી હોય છે, ચિત્તપાતી હોતા નથી. આશ્રવ વિનાનાં કર્મનું આ ફળ છે.” ચિત્ત વિના માત્ર 87. Page #105 -------------------------------------------------------------------------- ________________ કાયાથી કરાતી ક્રિયાથી તેવા પ્રકારનો કર્મબન્ધ થતો નથી, તે નિરાશ્રવ કર્મ છે, હૃદયમાં શાસ્ત્ર પ્રત્યે બહુમાન રાખી અને આદર ભાવોલ્લાસપૂર્વક કરેલી ક્રિયા “અમૃત ક્રિયા” કહેવાય છે અને તે તાત્કાલિક ફળ આપે છે. આ પ્રકારે યોગવિકાસ અને ભાવનાની વૃદ્ધિ થવાથી આ આત્માને સામાયિકની શુદ્ધિ થાય છે. તેનાથી શુક્લ ધ્યાન અને અનુક્રમે કેવળજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે." ૫.૧૩ મોક્ષનું પ્રધાન અંગ - સામાયિક સામાયિક એ જ પ્રધાનપણે મોક્ષનું અંગ ગણાવતાં કહે છે કે, “ક્વાસીચંદનકલ્પ એટલે કે સર્વ - માધ્યસ્થભાવ અહીં મોક્ષની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. તેથી વિદ્વાનોએ તેને આશયરત્ન તરીકે વર્ણવ્યું છે. તેનાથી અન્યથા જે સામાયિક હોય તે કંઈક દોષવાળુ પણ હોય છે, કોઈ મનુષ્ય મુનિના હાથને ચંદનનું વિલેપન કરે કે કોઈ વાંસલાથી તેને છોલે. (માનસિક સાતાંઅસાતા રૂપે, કોઈ સ્તુતિ કરે કે કોઈ નિન્દા કરે. પરંતુ મુનિઓ બંને પ્રત્યે સમભાવવાળા જ રહે છે. આથી જ શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટક પ્રકરણમાં પણ ફરમાવ્યું છે કે, “શ્રી સર્વજ્ઞ ભગવંતોએ જણાવેલું સામાયિક, વાસીચંદનકલ્પ એવા મહાત્માઓને માટે મોક્ષનું અંગ તરીકે કહ્યું છે. (૧) “સર્વયોગોની વિશુદ્ધિને લઈને કુશલાશય સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે એ સામાયિક એકાંતે નિરવદ્ય છે.” બ્લોકની દ્રષ્ટિએ જે કુશલચિત્ત તરીકે વ્યવસ્થિત થયું છે, તેમાં ઔદાર્ય જણાતું હોવા છતાં તે અંગે વિચાર કરતાં તે ચિત્ત કુશલ જણાતું નથી.” જેમકે, જગતનું દુશરિત્ર મારામાં આવી પડે અને મારા સચ્ચારિત્રનાં યોગે સર્વ પ્રાણીઓની મુક્તિ થાય.” “આ જે વસ્તુ છે તે અસંભવી છે, કારણ કે એકની પણ મુક્તિ બાકી હોય ત્યાં સુધી આ ઉદારતા બનાવનારની મુક્તિ થશે નહીં. માટે આવું કુશળ ચિત્ત ઉદારતાવાળું જરૂર છે. પરતું સદોષ છે, માટે આશયરત્ન નથી જ.” તેથી આ પ્રમાણે બધાની મુક્તિનું ચિંતન કરવું એ ન્યાયની દ્રષ્ટિએ મોહ સંગત છે.” (૬) જેમ તીર્થકર ભગવંત વીતરાગ હોવાથી આપણા સુખ - દુખનાં કર્તા ભોક્તા કે દાતા નથી. છતાં ભક્તિને વશ આપણે બોધિબીજની પ્રાર્થના કરીએ છીએ. “રુI-વહિનામાં સમાવિરમુત્તમં રિંતુ ઈત્યાદિની જેમ આ વિચારવાળું કુશલ ચિત્ત પૂર્વાવસ્થામાં ઉપયોગી છે. (૭) અપકાર કરનાર “મારા કર્મો તોડવામાં નિમિત્ત હોવાથી ઉપકારી જ છે, તે વિચારવાળી સદ્દબુદ્ધિ સ્વકર્મક્ષયને સાધનાર હોવાથી જરૂરી સારી છે. પરંતુ સામી વ્યક્તિનાં તે કર્મબંધન ભાવિના તેના દુઃખોની વિચારણા નહી કરાતા ઉપેક્ષા જ કરાય છે. માટે કંઈક દોષિત છે. એવા આશય કરતા સામાયિકના આશયની શ્રેષ્ઠતા છે. (૫) તથા " 88. Page #106 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સામાયિકને છોડીને બીજી અવસ્થામાં એકાંતે ભદ્રક એવું ચિત્ત હોય છે. આદ્ય ભૂમિકામાં અપકારીએ નિર્જરામાં ઉપકારી માનવો તે શ્રેષ્ઠ હોવા છતાં મોક્ષનું સાક્ષાત કારણ પરમ માધ્યસ્થભાવરૂપ સામાયિક છે. (૮) યોગી મહાત્માઓ માટે તો સામાયિકનું ખુબ જ મહત્વ છે. મોક્ષનું પ્રધાન અંગ છે. તે રીતે શ્રાવક માટે પણ નિત્ય આવશ્યકની આરાધના જીવનશુધ્ધિની સાધના છે. છ આવશ્યકમાં પ્રથમ સ્થાન સામાયિકનુ છે. પાંચ ચારિત્રમાં સામાયિક ચારિત્ર પ્રથમ છે. દેશવિરતિ કે સર્વવિરતિ ચરિત્રનો પ્રારંભ સામાયિક થી જ થાય છે. સાધક સર્વ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવની પ્રાપ્તિ લક્ષે સામાયિકમાં સ્થિત થાય ત્યાર પછી સાધનાનો પ્રારંભ થાય છે. સાધકનાં સર્વ ધર્માનુષ્ઠાનો સમભાવની પ્રાપ્તિ માટે જ છે. સમગ્ર સાધના સામાયિકને કેન્દ્રમાં રાખીને જ કરવાની હોય છે. તેથી જ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં સામાયિકને ચૌદપૂર્વનાં અર્થપિંડ રૂપ કહે છે. સામાયિકની શુદ્ધિ દ્વારા અંતિમ મહાફળ “જો તે ભવમાં જ યોગની સમાપ્તિ થાય તો અયોગ અવસ્થાને પ્રાપ્ત કરવા વડે જન્મ જરાદિ દોષરહિત, સદા વિદ્યમાન અને એકાન્ત વિશુધ્ધ એવી મુક્તિને પામે છે.” પરંતુ જે જીવોની સામગ્રીનાં અભાવે આ જ ભવમાં યોગસાધના પૂર્ણ થઈ શકી નથી. તેઓ દેવાદિ ઉચ્ચ ગતિમાં જઈ, વિશિષ્ટ કુળ વગેરેમાં ઉત્પન્ન થઈ, પૂર્વ સંસ્કારનાં યોગે ફરી યોગસાધનામાં તત્પર બને છે. અને અનુક્રમે યોગની પૂર્ણતા કરી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. જેમ દિવસે અભ્યાસ કરેલો વિષય રાત્રિમાં સ્વપ્નમાં જુએ છે, તેવી રીતે આ જન્મમાં અભ્યાસ કરેલો વિષય ભવાન્તરમાં પણ જીવો પ્રાપ્ત કરે છે. જે કારણથી આ ભવનાં દ્રઢ સંસ્કારો પરભવ માં જન્મતા જ વિકાસને પ્રાપ્ત કરે છે. તે માટે આ જન્મમાં શુધ્ધ યોગમાર્ગને ઉચિત એવા સંયમ સ્થાનોમાં વર્તન સાથે આલોક, પરલોક, જીવન - મરણ વિશે સ્મૃતિવાળા બનવાનું આચાર્ય શ્રી ફરમાવે છે.૭ ૫.૧૪ મરણકાળ જાણવાનાં ઉપાયો મોક્ષ માટે યત્ન કરતા યોગીએ અંત સમયે કઈ રીતે અનશન કરવું જોઈએ કે જેથી ઉત્તર ભવમાં પણ યોગમાર્ગની પ્રવૃત્તિ અસ્ખલિત પ્રાપ્ત થાય તે જણાવતાં આચાર્યશ્રી કહે છે કે, “પરિશુધ્ધ ચિત્તરત્ન છે જેનું તે આત્મા અંતકાળે પણ મરણનો કાળ નજીક છે. - એમ જાણીને વિશુધ્ધ એવા અનશનની વિધિથી શરીરનો ત્યાગ કરે છે.” અતિશય શુધ્ધ છે, સામાયિક રત્ન જેનું એવા મહાયોગી નીચેના ચિહ્નોથી મરણને નજીક આવેલું જાણીને તીર્થંકર ભગવંતોની આજ્ઞાપાલન પૂર્વક અને આજ્ઞા પ્રત્યેના અતિશય બહુમાનથી ભરેલી શુભલેશ્યા દ્વારા તથા વિશુધ્ધ એવી અનશનવિધિ આદરવાપૂર્વક દેહત્યાગ કરે છે.૨૮ 89 Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧) આગમથી (૨) દેવતાનાં કથનથી (૩) પ્રતિભાથી (૪) સ્વપ્નથી (૫) અરૂંધતી આદિના અદર્શનથી ઇત્યાદિ આસન્નમૃત્યુના લિંગો છે. આ પ્રમાણે મહાયોગી ઉપરોક્ત લક્ષણો થકી પોતાનું મૃત્યુ આસન્ન આવેલું જાણીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, રોગાદિની પીડા હોવા છતાં સામાયિક રત્નઃપરમ સમભાવની અલ્પ પણ ક્ષતિ ન આવે તે રીતે પોતાના દેહનો ત્યાગ કરે છે. (૬) નાસિકા - આંખ - કીકીનાં અદર્શનથી. (૭) કાનથી અગ્નિના અશ્રવણથી. (૮) સમુદ્રની ભરતીનાં મોજાઓનાં ખળભળાટનું શ્રવણ. (૯) શરીરનાં દશ સાંધાઓનું ફરકવું. (૧૦) અ-આ-ઇ-ઈ ઈત્યાદિ બાર અક્ષરોનાં મંત્રજાપનું અસ્મરણ. · મરણકાળનાં જ્ઞાન સંબંધી વિશિષ્ટ વર્ણન યોગશાસ્ત્રનાં પાંચમાં પ્રકાશમાં છે. પૂર્વગાથામાં જણાવ્યા પ્રમાણે મહાયોગી મરણકાળનું જ્ઞાન થયા પછી અનશનવિધિમાં અતિશય પ્રયત્ન કરે છે. કારણ કે ફળપ્રધાન સમારંભ હોય છે. તેથી સંયમજીવનમાં યત્ન કરે, અનશનમાં તેના કરતાં પણ વધારે યત્ન કરે છે. જેથી ઉત્તમ ફળ મળે. તેથી જ આચાર્યશ્રી આગળ જણાવે છે કે, “આ કારણથી આ જ ભવમાં અનશનની શુદ્ધિ માટે અતિશય પ્રયત્ન વિશેષ કરવો જોઈએ, કારણ કે આ આત્મા જે લેશ્યાએ મરે છે એ જ લેશ્યાએ વાળા ભવોમાં જ ઉત્પન્ન થાય છે.૧૩૦ મરણકાળે લેશ્માની પ્રધાનતા સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રમાં લેશ્યાના સંબંધમાં વિસ્તારથી નિરૂપણ છે. આગમયુગ પછી દાર્શનિક યુગના સાહિત્યમાં પણ લેશ્યાના સંબંધમાં વ્યાપક રૂપથી ચિંતન થયું છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકો પણ આભામંડળનાં રૂપમાં તેના ઉપર ચિંતન કરી રહ્યા છે. • સામાન્ય રૂપે મન આદિ યોગોથી અનુરંજિત તથા વિશેષરૂપથી કષાયાનું રંજિત જે આત્મ પરિણામો થાય છે, તે જ લેશ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં લેશ્યાની સાથે કર્મ શબ્દનો પ્રયોગ કરી લેશ્યાને કર્મલેશ્યા કહી છે. કર્મબંધના હેતુ, રાગાદિ ભાવ કર્મલેશ્યા છે. તે લેશ્યાઓ ભાવ અને દ્રવ્યનાં રૂપથી બે પ્રકારની છે. જે લેશ્યામાં જીવ મરે છે તે લેશ્યાવાળા જ દેવતાદિ ભવોમાં તે ઉત્પન્ન થાય છે. તેવો નિયમ છે. તેથી ઉત્તમ ભવની પ્રાપ્તિ અર્થે મૃત્યુ વખતે અત્યંત નિર્લેપતા જાળવે છે. જેમ નિર્લેપ પરિણતિ અધિક તેમ શુભલેશ્યા અધિક અને જેમ શુભલેશ્યા અધિક તેમ ઉંચા દેવલોકની પ્રાપ્તિ થાય. દેવોમાં ભવનપતિ અને વ્યંકર દેવોને પ્રથમ ચાર લેશ્યા - કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, તેજો લેશ્યા, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ચોથી તેજો લેશ્યા. 90 Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ચોથા અને પાંચમાં દેવલોકમાં પાંચમી - પદ્મ લેશ્યા. છઠ્ઠા લાંતક દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છઠ્ઠી - શુક્લ લેશ્યા. તેથી અનશન વખતે કરાયેલા અપ્રમાદભાવને કારણે ઊંચા દેવભવમાં વિશેષ શક્તિઓ મળેલી હોવાથી પોતાના ભવને અનુરૂપ વિશેષ પ્રકારની યોગસાધના પણ ત્યાં થાય છે. અને તેથી દેવભવમાં ઘણી શક્તિનો સંચય કરીને મનુષ્યભવની પ્રાપ્તિ કરી શીઘ્ર સંસારનો ઉચ્છેદ કરી મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે ગ્રંથકાર શ્રી મરણકાલે લેશ્માની પ્રધાનતા જણાવે છે. પરંતુ એટલા માત્રથી જ આ મરણ મનોહર થતું નથી. તે સ્પષ્ટ પણે જણાવતા કહે છે, “આવી શુભલેશ્યા હોવા છતાં પણ પ્રભુની આજ્ઞાપૂર્વક વર્તે તો જ અહીં મરણકાળે આરાધક કહેવાય છે. અન્યથા તો આવી શુભલેશ્યા અનાદિ સંસારમાં અનેકવાર આવેલી છે.” શ્રી સૂરિજી આ ગાથાથી સજાગ કરે છે કે, “શુભલેશ્યા હોવા છતાં પણ મૃત્યુ સમયે ચતુઃશરણાદિ ભાવનાનાં સેવન સાથે સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અને સમ્યપ્ચારિત્રનો અવિચલ પરિણામ યોગ રાખે છે તે આરાધક છે. આ રીતે આજ્ઞાયોગ પૂર્વકની જ શુભલેશ્યાએ સમાધિમૃત્યુ પ્રાપ્ત કરી, દેહત્યાગ કરી, આરાધકપણુ મેળવી માનવજીવનને સાર્થક કરે છે. અન્યથા તો આવી શુભલેશ્યા અનાદિ સંસારમાં અનેકવાર આવેલી છે.”3 • ગ્રંથનો ઉપસંહાર યોગશતક ગ્રંથનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર શ્રી યોગોનો સાર-નિષ્કર્ષ આ પ્રમાણે હિતશિક્ષા રૂપે ફરમાવે છે, “અયોગી અવસ્થાના અર્થી આત્માઓ પ્રભુની આજ્ઞાયોગમાં જ અતિશય વિશેષ સભ્યપ્રયત્ન કરે છે. આજ્ઞાની આરાધના એ જ મોક્ષ છે. શાશ્વત સુખનો સંયોગ છે. ભવનો વિરહ છે અને મુક્તિનો સદા અવિરહ કરાવનાર છે.” આત્માની પરિણતિને સ્થૂળતાથી સૂક્ષમતા તરફ ગતિ કરાવતો આ ગ્રંથ અમૂલ્ય છે. દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે, અને તે પ્રાપ્તિ તરફ આગળ વધવા માટે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શનરૂપ ગ્રંથ છે. 91 Page #109 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ : ભાગ-૨ ૧. યોગબિંદુ, ગાથા-૧૦, વિવેચન શ્રી ઋદ્ધિસાગરસૂરિજી, પૃ.-૩૨ ૨. જનદર્શન, લેખક શ્રી ટી. કે. (કોલ, પૃ.-૭૮. જનદર્શન, લેખક: ઝવેરીલાલ વિઠલદાસ કોઠારી, પૃ.-૨૯૬. તત્વાર્થાધિગમ સૂત્ર, વિવેચક : પૂ. આ.શ્રી. ચંદ્રશેખરસૂરિજી, પૃ.-૩૪૧ જૈનધર્મનું હાર્દ, લેખક : ચંદ્રહાસ ત્રિવેદી, પૃ.-૮૦ ૬. કર્મગ્રંથસાર્થ, ભાગ-૧, શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ વિરચિત, ૫-૫ કર્મગ્રંથસાર્થ, સંકલન : શ્રી જીવવિજયજી, પૃ.-૬ યોગશતક, ગાથા-૫૪ થી ૨૮ ૯. યોગશતક, અનુવાદક : શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ.-૧૪૭ ૧૦. યોગશતક, વિવેચક : પંડિત શ્રી પ્રવિણચંદ્ર મોતા, પૃ.-૨૯૮ ૧૧. તત્વાર્થાધિગમ સૂત્ર, વિવેચક : પંડિત શ્રી પ્રવિણચંદ્ર મોતા, પૃ.-૩૫૩ શ્રી ઠાણાંગસૂત્ર, સ્થાન-૨, ઉદ્દેશક-૪/૧૬. યોગશતક, ગાથા-૫૯ થી ૬૫ ૧૪. યોગશતક, ગાથા-૯૬ થી ૭૪ યોગશતક, ગાથા-૭૫ થી ૭૮ ૧૬. શાંત સુધારણ ભાગ-૩ પ્રવચનકાર : શ્રી ભદ્રસૂગુપ્તસૂરિજી. ૫-૧૦૩ ૧૭. યોગબિંદુ, ગાથા-૪૦૨, ૪૦૩ યોગશતક, ગાથા-૭૯ થી ૮૦ ૧૯. યોગશતક, ગાથા-૮૧ થી ૮૩ યોગશતક, ગાથા-૮૪ ૨૧. શૂટિસંયમદ્ ભૂતનોડર્મણિમામ્િ વાચસંપઘ તર્માનમપાતજ ગાયતે | યોગમહામ્ય દ્વાત્રિશિકા, ગાથા-૧૫. ૨૨. યોગશતક, અનુવાદક : શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ.-૨૦૩ યોગશતક, વિવેચક : પંડિત શ્રી પ્રવિણચંદ્ર મોતા, પૃ.-૩૮૩ ૨૪. યોગબિંદુ, ગાથા-૩૭ યોગશતક, ગાથા-૮૫ થી ૯૦ ૨૬. શ્રી આવશ્યકસૂત્ર, સંપાદિકા : પૂ. લીલમબાઈ મહાસતીજી, પૃ-૫૧ ૨૭. યોગશતક, ગાથા-૯૧ થી ૫ યોગશતક, ગાથા-૯૬ થી ૯૭ ૨૯. યોગશાસ્ત્ર, પાંચમો પ્રકાશ, ગાથા-૭૨ થી ૧૭૨ 4 92 | Page #110 -------------------------------------------------------------------------- ________________ હું છું હું છું ૩૧. યોગશતક, ગાથા-૯૮ સમવાયાંગ સૂત્ર, સમવાય ૬/૧, સંપાદિકા : પૂ. લીલમબાઈ મહાસતીજી, પૃ.-૨૬ ઉત્તરાધ્યાનસૂત્ર, ભાગ-૨, અધ્યયન-૩૪, સંપાદિકા : પૂ. લીલમબાઈ મ.સ., પૃ.-૩૪૯ યોગશતક, ગાથા-૯૯ યોગશતક, ગાથા-૧૦૦ 93 Page #111 -------------------------------------------------------------------------- ________________ A પ્રકરણ-૬ ઉપસંહાર 66 KES ©ણ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ઉપસંહાર अज्ञान तिमिरान्धानाम् ज्ञानांजन शलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरुवे नमः ।। ગાથાર્થઃ અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાન શલાકાના અંજન દ્વારા અંધકારને દૂર કરી જેમણે મારા નેત્ર ઉદ્દઘાટિત કર્યા તે ગુરુદેવને મારા નમસ્કાર હો.. આ આર્યાવર્ત પ્રાચીન સમયથી યોગવિદ્યાની પરાકાષ્ટાએ પહોંચેલો હતો. અનેક તીર્થકર ભગવંતો તેમના ગણધર ભગવંતો તેમજ અનેક મોક્ષગામી મહાત્માઓ યોગવિદ્યામાં કુશળ હતા. અનેક લબ્ધિઓ અને સિધ્ધિઓના યોગથી આત્માની અસ્તિત્વતાની ઉંડી છાપ પાડતાં હતા. તેમજ આત્માની જ્ઞાનાદિ શક્તિઓનું ભાન કરાવતાં હતાં. આવા અનેક યોગી, મહાત્માઓ, પૂર્વમાં થઈ ગયા. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આ યોગવિદ્યા પ્રાયઃ નામશેષ થવા જઈ રહી છે. કારણ કે વર્તમાનમાં મનુષ્યોનું આત્મભાવ તરફ લક્ષ્ય ઓછું જોવા મળે છે. મોજશોખના સાધનોની શોધખોળ રોજબરોજ વધુને વધુ થઈ રહી છે. યૌગિક જાગૃતિ ઘટતી જ રહી છે. ભૌતિકવાદની દુનિયામાં યોગનું સ્થાન દિન-પ્રતિદિન લુપ્ત થતું જાય છે તેવું લાગે છે. અત્યારે ભૌતિકવાદની દુનિયામાં લોકો પોતાની શરીરની તંદુરસ્તી માટે યોગ કરે છે. બાબા રામદેવ દ્વારા યોગની જાગૃતિ ઘણી વધતી રહી છે. રોજ સવાર સાંજ ટીવી પર, અખબાર પત્ર દ્વારા, જુદા જુદા ગામ - શહેરોમાં યોજાતી શિબિરો દ્વારા લોકો યોગ તરફ વળ્યા છે. પરંતુ તે શરીરનાં રોગો પર નિયમન કરવા, શરીરની તંદુરસ્તી વધારવા માટે, પરંતુ તેનાથી આગળ વધીને વચનશુદ્ધિ, મનશુદ્ધિ દ્વારા આધ્યાત્મિકતા તરફ મોક્ષમાર્ગી બનવાની પ્રવૃત્તિ રૂપ યોગ પ્રાયઃ જોવા મળતો નથી. અંતર્મુખ થઈને પોતાનું અંતર તપાસવા રૂપ આધ્યાત્મિકતાથી દૂર થઈ રહ્યા છીએ. પૂર્વમાં મહાપુરુષોનો સમાગમ અને અનેક તેમનો સતત અભ્યાસ, સંતપુરુષોનો સમાગમ અને અનેક ઉત્તમ નિમિત્તો મળવા રૂપ સતત પુરુષાર્થ દ્વારા મોક્ષાભિમુખ બનતા હતા અને અત્યારે પણ આત્મજીવનને ઉચ્ચ કરવા માટે તે માર્ગની જ જરૂર છે. તે મોક્ષમાર્ગનાં પથિક બન્યા સિવાય જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવાનું શક્ય જ નથી. આ દુનિયાનાં જણાતા ભૌતિક સુખો ક્ષણિક છે. તેના અંતમાં દુઃખ જ છે તેથી સાચું સુખ શેમાં ? તે વિચારવાનું છે. - 94 - Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ગ્રંથના અધ્યયનથી સતત સમભાવની કેળવણી દ્વારા યોગમાર્ગના ગુણોની પ્રાપ્તિ કરવાની એક નવી જ દ્રષ્ટિ મળે છે. મૈત્રી આદિ ચાર યોગભાવનાને જીવનમાં ઘૂંટવાથી આપણને વિશ્વશાંતિનો સંદેશ મળે છે. કર્મબંધથી સંવરનો સંદેશ મળે છે. રાગ-દ્વેષ-મોહનાં સ્વરૂપ-પરિણામ અને વિપાકને વિચારવાથી આપણને સમત્વભાવ કેળવવાનો સંદેશ મળે છે. વર્તમાન સમયમાં રોજ બરોજ અખબારપત્ર દ્વારા ખૂન, અપહરણ, બળાત્કાર, આતંકવાદના જ સમાચાર મળતા હોય છે. વિશ્વમાં, દેશમાં જાણે અશાંતિ જ ફેલાયેલી હોય છે તેમ લાગે છે. - યોગી મહાત્માનાં આહારનાં વર્ણનથી શુધ્ધ સાત્વિક આહારની સાવધતા રાખવાની કેટલી જરૂર છે તેનો ચોક્કસ વિચાર આવે છે. કારણ કે હાલના સમયમાં જંકફૂડ, પીઝા, બર્ગર, બ્રેડ વગેરેનો વપરાશ ઘણો વધી રહ્યો છે. લોકો બિનજરૂરી માનસિક તણાવમાં રહીને કસમયે આવો જ ખોરાક લઈ રહ્યા છે. તેનાથી પાછા ફરીને સાત્વિક આહાર તરફ વળવાનું છે. તેનો સંદેશ મળે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગશતક ગ્રંથમાં યોગની કેટલી બધી સૂક્ષ્મ વાતો મૂકી છે. જે લોકો માટે જાણવા જેવી, જીવનમાં ઉતારવા જેવી અમૂલ્ય છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં ઘણા સૂક્ષ્મ વિચારો સાથે ડૂબી જવાનો અવસર મળ્યો જેનાથી એવો અહેસાસ થયા છે કે સાતમી - આઠમી સદીના મહાન આચાર્યનાં ચરણોમાં હૃદય અને શીશ નતમસ્તક થઈ જાય છે. હું મારી જાતને ખૂબ જ સદભાગી માનું છું કે મને આવો સુઅવસરથી પણ અમૂલ્ય સાધકની સાધના જેવું અધ્યયન કરવાનો મોકો મળ્યો. તેમનું જીવન અને કવન થી પ્રભાવિત થઈ ભૂતકાળમાં અનેક આચાર્ય ભગવંતોએ સમય સમય પર અનેક સ્થાને સમાજને પ્રદાન કર્યું છે. જેમાં ખાસ કરીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી લોકોમાં ‘લઘુહરિભદ્ર' ની પ્રસિધ્ધિ ને પામેલા છે. તેમની બહુમુખી પ્રતિભાએ ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હશે તેવું વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. વર્તમાન સંદર્ભમાં પણ જોઈએ તો શ્રી સૂરીજી બ્રાહ્મણમાં જન્મ લઈને જૈનસાધુ થયા તે તેમના ઘણાબધા ગુણો ઉલ્લેખનીય છે. તેમાંથી કેટલાક ગુણો જેમ કે... (૧) નમ્ર ગુણ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની ઝાંખી જોતાં એવું અનુભવાય છે કે તેમનામાં એક મહાન ગુણ હતો. જેમ કે તે સમયનાં તેઓ પ્રખર, પ્રકાંડ વિદ્વાન પંડીત હતા. ચારેબાજુ તેમની પ્રસિદ્ધિ હતી... તેઓ જ્યાં પણ વિચરતા ત્યારે લોકો તેમના જ્ઞાનગુણ માટે બહુમાન કરતા. તેમના હાથમાં જબૂવૃક્ષની ડાળી દંડ તરીકે રાખતા હતા. કારણ કે તેમને હતું કે તેઓ જ્ઞાનપદમાં સર્વશ્રેષ્ઠ છે. મહાન છે. આવું વિશાળ જ્ઞાન હોવા છતાં પણ તેમણે તેમના જીવનમાં 95 Page #114 -------------------------------------------------------------------------- ________________ એક દ્રઢ સંકલ્પ કરેલ કે જે પણ વ્યક્તિ કે જેઓ જ્ઞાની ગર્ભિત હોય અને તેમના દ્વારા પોતાની - હરિભદ્રજીની સમજમાં ન આવે તો તેમના શિષ્ય બની જવું તેવો નિર્ણય લીધેલ. અને એ આવા નિર્ણય પર ટકી રહ્યા. એકવાર જ્યારે વિચરતા હતા. નજીકના ઉપાશ્રયમાંથી યાકિની મહત્તરા ગાથા ઉચ્ચારતા હતા. ત્યારે તે ગાથાનો અર્થ તેમની સમજમાં ન આવતા તેઓ એ જ સમયે નમ્રતા પૂર્વક ભાવથી તેમના શિષ્ય થવાની વિનંતી કરી. આ છે એમના જીવનનો એક મહાન ગુણ.....! આજના સંદર્ભમાં આ ગુણ કેટલો ઉપયોગી છે. આવી સરળતા અને નમ્રતા દ્વારા સમાજમાં સંવાદિતા સ્થાપિત થઈ શકે છે. અત્યારે જે કાવાદાવા, હુંસાતુંસી, વાદવિવાદ જોવા મળે છે. થોડા પણ જ્ઞાનથી ગર્વ ભરાય જાય છે તેની જગ્યાએ સાલસતા પ્રગટ થઈ શકે છે. (૨) સ્ત્રીનું સન્માન... યાકિની મહત્તરા પોતે જ સાધ્વીજી હતા. તેમની ગાથાનો અર્થ બ્રાહ્મણ હરિભદ્રજીને નહી સમજાતાં વિનમ્રતાથી તેમની પાસે ગયા. ગાથાનો અર્થ સમજ્યા અને તે સાથે વિનયપૂર્વક તેમના શિષ્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ જ દર્શાવે છે કે એક જૈન સ્ત્રી સાધ્વીજી પાસે પણ હરિભદ્રસૂરિજીની કેટલી વિનમ્રતા, અને તે પ્રસંગ બાદ પોતે વિદ્વાન બ્રાહ્મણ હોવા છતાં મહત્તરાજીનાં ગુરૂદેવ શ્રી જિનદત્તસૂરિજી પાસે જૈન પ્રવજ્યા અંગીકાર કરી. તદુપરાંત સાધ્વીજી પ્રત્યેનું ઋણ અદા કરવા તેઓ યાકિનીજીનાં “ધર્મપુત્ર તરીકે ગણાવી આદર સન્માન કર્યું. શ્રી હરિભદ્રસૂરિજી એ પોતાની પ્રત્યેક સાહિત્યકૃતિમાં “યાકિની મહત્તરાસૂનુ (પુત્ર) તરીકે ઓળખાવી - તે સર્જન સાધ્વીજીને અર્પણ કર્યું, ધન્ય છે આવા મહાન આત્માને..! આજની વર્તમાન પરિસ્થિતિમાં સ્ત્રીનું માન ઘણું જ ઓછું જોવા મળે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ, ઘર, બાળકો અને પરિવારની સંભાળ સાથે સાથે ખેતરે જઈને પતિને પણ મદદ કરે છે છતાં પણ સ્ત્રીની માનહાનિ કરવામાં પુરૂષ વિચાર સરખો પણ કરતો નથી. તેમજ શહેરોમાં પણ દહેજપ્રથાને કારણે સ્ત્રીને સન્માનની વાત તો દૂર રહી પરંતુ તેમનું શોષણ એટલી હદે કરે છે કે, શારીરિક-માનસિક-આર્થિક ત્રાસ આપ્યા બાદ પણ કેટલાક કિસ્સામાં તો બાળી પણ નાખવામાં આવે છે. બીજી પણ કરુણજન્ય પરિસ્થિતિ એ જોવા મળે છે કે ગર્ભમાં જ જો બાળકી હોય તો તેનો જન્મ થયા પહેલા જ તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે, કેવી છે આ કરુણજન્ય સ્થિતિ...! (૩) નિષ્પક્ષતા.. શ્રી સૂરિજીની જૈનધર્મ પ્રત્યેની શ્રધ્ધા ઉંડાણપૂર્વક હતી. તેમના યોગ વિષયક ગ્રંથોમાં પતંજલિ યોગ અને બૌદ્ધ દર્શન યોગનો પણ નિષ્પક્ષપાત થી સમન્વય કરેલ છે. -- 96 - Page #115 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સંદર્ભમાં જોઈએ તો રાજકારણમાં કેટલા કાવાદાવા ચાલી રહેલા રોજના વર્તમાન પત્રમાં સમાચાર જાણવા મળે છે. નેતાઓ બીજા પક્ષ સાથે તો પક્ષપાત રાખે જ છે. પરંતુ તેઓ પોતે પણ પક્ષ બદલી નાખે છે. જો દરેક પક્ષ વચ્ચે નિષ્પક્ષપાતનું વલણ આવે તો સમાજ - રાષ્ટ્રમાં કેટલી સંવાદિતા જળવાય. તેવી જ રીતે નાત - જાતનાં વાડાઓ બંધાઈ ગયા છે. હિંદુ-મુસલમાન, શીખ, ઈસાઈ વચ્ચે ખેલદિલી પૂર્વક એકતા જાળવે અને ભાઈચારો કેળવે તો આ બધી કિન્નાખોરી, કલહનો અંત આવી શકે તેમજ કેવી સુંદર કોમી એકતા રહે... • મૈત્રી આદિ ચાર યોગભાવના દ્વારા વિશ્વશાંતિનો સંદેશ.... વર્તમાનમાં માનવી કુદરતી આફતો અને માનવસર્જીત આપત્તિઓ વચ્ચે મુંઝવણમાં જીવી રહ્યો છે. કુદરતી આફતો જેમ કે ગ્લોબલ વોર્મિંગ, સુનામી, ધરતીકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ટોનેડ વગેરે તેમજ માનવસર્જિત આપત્તિઓ જેમ કે આતંકવાદ, ચોરી, લૂંટફાટ, કોમી તોફાન, રાજકારણનાં કાવાદાવા, વધુ પડતી વધતી મોંઘવારી વગેરે સામાન્ય પ્રજાને ખૂબ પીડા આપી રહી છે. ત્યારે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ચારે યોગભાવનાઓ જીવનમાં ખૂબ જરૂરી બની જાય છે. આ ભાવનાઓ સમાજલક્ષી અને સંસારનાં જીવમાત્ર સાથેના વ્યવહારની છે. આ ભાવનાઓથી દુનિયામાં સમાજમાં એકબીજા સાથેનો વ્યવહારમાં શાંતિનું વાતાવરણ શક્ય બની શકે છે. (૧) મૈત્રી ભાવના મૈત્રી ભાવના એવો સંબંધ છે કે જે સર્વ સાથે સ્થાપિત થઈ શકે. દુનિયાનાં દેશો એકબીજા સાથે મિત્રતા રાત્રે તેમજ ભારતમાં પણ અંદરોઅંદર એકબીજા રાજ્ય સાથે પણ મૈત્રીભાવના દ્વારા સંબંધો દ્રઢ થાય તેમજ રચનાત્મક કાર્યોમાં પણ વિકાસ થાય, સમાજનું સંગઠન મજબૂત થાય અને મૈત્રી દ્વારા વેર - વિગ્રહો શાત થતા જાય છે. બધાને એકબીજા સાથે પ્રેમભરી ભાવના કેળવાય છે. જે દરેક માટે ખૂબ લાભદાયી છે. (૨) પ્રમોદ ભાવના... પ્રમોદ ભાવના દ્વારા દ્વેષભાવ ઘટે છે. દુનિયામાં સ્વભાવિક છે કે લોકો પોતાના દોષ સ્વીકારવા જ તૈયાર નથી હોતા ત્યારે આ દોષો ઘટાડવાનું નિરાકરણ પ્રમોદભાવના દ્વારા આવે. પ્રમોદ ભાવના ગુણગ્રાહી ભાવના છે. પ્રમોદ ભાવના જીવનમાં ઘુંટવાથી બીજાના ગુણો જોવાની દ્રષ્ટિનો વિકાસ થાય છે, અને બીજાના ગુણો જોવાની દ્રષ્ટિનો વિકાસ થાય ત્યારે સહજભાવે હદયનો ઉલ્લાસ પણ થતો રહે છે. આ ભાવના દ્વારા અશુભ કર્મબંધન અટકે છે. 91 Page #116 -------------------------------------------------------------------------- ________________ (૩) કરુણા ભાવના.... વિશ્વમાં આતંકવાદ જે રીતે વકરી રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં બોમ્બ બ્ાસ્ય થયો. . કેટલાય મરાયા તો કેટલાય ઘવાયા. આમાં સામાન્ય પ્રજાનો શો વાંક? તેઓમાં દયા, કરુણા દ્રષ્ટિ આવે તો આવા બનાવો ઘટી શકે છે. કરુણા ભાવનાથી જે જીવ વાસિત થયેલો હોય તે સૌના સુખ-શાંતિ-સ્વાથ્યનો વિચાર કરશે. કરુણાભાવનામાં શાંત રસ છે. કરુણા ભાવનાનો વિકાસથી જ વિશ્વમાં શાતિની સ્થાપના થઈ શકે..! (૪) માધ્યસ્થ ભાવના માધ્યસ્થ ભાવના એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પરિસ્થિતિમાં કે કોઈ વસ્તુ માટે. ન રાગ.. ન ષ... પ્રમોદમાં અન્યનાં ગુણો જોઈ આનંદવાની વાત છે. તો માધ્યસ્થમાં અન્યના દોષોની ઉપેક્ષા કરવાની વાત છે. આજની સમસ્યાઓ જોતા અન્યનાં દોષોની ઉપેક્ષા એ પણ શાંતિનો સંદેશ આપે છે...! આમ ભાવના એ પણ યોગ છે. ભાવનાયોગ વિશેષતઃ કર્મના સંવરની સાધના છે. જ્યારે ધ્યાનયોગ કર્મની નિર્જરાની સાધના છે. સાધક માટે આરાધનાના માર્ગમાં સંવર અને નિર્જરા બંનેનું ખૂબ જ મહત્વ છે. શુધ્ધ ચિત્ત વિના ધ્યાનની સિધ્ધિ નથી અને ચિત્તની શુધ્ધિ માટે સરળ સાધન ભાવના છે. ધ્યાનયોગ સહુને માટે સુલભ નથી. પરંતુ ભાવના યોગ સહુ કોઈને સુલભ છે. સહુ પ્રાણી આ સંસારના સન્મિત્ર મજ વ્હાલા થજો, સદગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો, દ:ખિયા પ્રતિ કરણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ-ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા. આત્મશુધ્ધિનો માર્ગ સામાયિક યોગશતક ગ્રંથના અધ્યયનમાં સામાયિકનું વર્ણન આવતાં એ વિચારો આવે છે કે સામાયિક અર્થાત સમતાભાવની પ્રાપ્તિ. જો દરેક વ્યક્તિ પોતાની દિનચર્યાની પ્રવૃત્તિમાં સમભાવ કેળવે તો આત્મશુધ્ધિ તરફ વિકાસ પામે છે. તીર્થકર મહાવીરે પોતાની સાધનાની શરૂઆત જ સમભાવથી કરી હતી. હર એક પળ સમત્વની સાધના દ્વારા ક્રમશઃ કર્મોની નિર્જરા કરતા કરતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. આજની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સામાયિક એક યંત્રવત વિધિથી જ અટકી છે. તે અંતર્મુખી કે સમભાવની સાધનાથી વંચિત જ રહી છે. આ ગ્રંથથી એવો સંદેશ મળે છે કે સામાયિક તો જીવનની દરેક પરિસ્થિતિમાં આદરવા જેવી છે. જેથી કર્મનિર્જરા માટે આ એક 98 Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ સાધના છે. દરેક માનવીમાં જો આ ગુણ વિકસે તો સમભાવનાં સાધન દ્વારા જ તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. યોગશતક ગ્રંથ દ્વારા પ્રાપ્ત માનવગુણોનો વિકાસ.... સર્વ પ્રથમ યોગનો અર્થ સમજાવીને તેઓએ મન-વચન-કાયાની પ્રવૃત્તિને યોગ કર્યો. જે અશુભ અને શુભ હોઈ શકે. તેમનો હેતુ અને ધ્યેય તો “દરેક જીવાત્માને અશુભમાંથી શુભમાં લઈ જઈને મોક્ષ તરફ વિકાસ કરે” તે આ ગ્રંથ યોગશતકમાંથી જાણવા મળે છે. તેમની દ્રષ્ટિએ તો મન વચન - કાયાના યોગથી ચિત્તને શુદ્ધથી.... શુધ્ધતર તરફ અને શુધ્ધતરથી... શુધ્ધતમ તરફ લઈ જવા વિવિધ વિષયો દ્વારા બહુ જ સરળ અને સુંદર રીતે સમજૂતી આપે છે. જો માનવનું આચારણ અને ધ્યેય મનશુધ્ધિ.... વચન શુધ્ધિ. અને કાયાશુધ્ધનું હોય તો તે કોઈપણ વ્યક્તિને દુઃખી કરી શકતો નથી અને સાથે સાથે તેનો વિકાસ મોક્ષ તરફ જ હોય છે. આવી વ્યક્તિ ભોગાભિમુખથી યોગાભિમુખ થઈ જાય છે અને પરિવારમાં તથા સમાજમાં શાંતિનું વાતાવરણ જ ફેલાવે છે. આ રીતે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી તેમના યોગશતક ગ્રંથમાં દરેક ગાથામાં માનવજીવન તથા માનવગુણોના વિકાસ માટે કાંઈ ને કાંઈ સંદેશ આપે છે, તેવું અનુભવાય છે. આ સો ગાથાના ગ્રંથમાં યોગ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ એક સાધક માટેની મોક્ષની અભિલાષા, સુખી સમાજીવન, સુખી માનવજીવન તથા માનવજીવનનાં ગુણોનાં વિકાસ માટેનું સુંદર દ્રષ્ટિબિંદુ આપે છે. જે કોઈપણ સમય અથવા યુગ માટે એક પથદર્શક તરીકે હંમેશા ઉપયોગી બની રહેશે. ભવિષ્યનાં વિદ્વાનો માટે પણ આ ગ્રંથમાથી અનેક સંશોધનનાં વિષયો આમાંથી મળી રહેશે. - આ આખા ગ્રંથના અધ્યાયન કર્યાબાદ મારા મન પર અસર થતી અનુભૂતિ - મહત્વના પાસા જેનાથી આજની સમસ્યાઓનો ઉકેલ મળે છે. સાથે સાથે બાહ્ય જગતના આકર્ષણોમાંથી અંતરમન તરફ એક અલૌકિંક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. જેના કારણે રોજબરોજની સમસ્યાઓનો સમદ્રષ્ટિપૂર્વક સમાધાન કરવાની એક કળા પ્રાપ્ત થાય છે. સમસ્યાઓ જેમ કે, મન - વચન - કાયા દ્વારા અશુભપ્રવૃત્તિઓથી સાવધાન થઈને મનને વાળીને શુભપ્રવૃત્તિ તરફ લઈએ છીએ. જે આ ગ્રંથના સારની સાર્થકતા છે. 99 Page #118 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથ સૂચિ हिन्दी संदर्भग्रंथ सूचि उत्तराध्ययन सूत्र पद्यानुवाद - पण्डित शशिकान्त झा प्रकाशक : सम्यग्ज्ञान प्रचारक मण्डल जयपुर, तृतीयावृति, सन् २००२ ध्यान योग रुप और दर्शन, संपादक : डॉ. नरेन्द्र भागवत प्रकाशक : सम्यग्ज्ञान प्रचारक मण्डल जयपुर, वर्ष-२९, अंक-१, २, ३ पाताल योग एवं जैनयोग तुलनात्मक अध्ययन, लेखिका : अरुणा आनन्द प्रकाशक : मोतीलाल बनारसीदास, दिल्ली प्रथम आवृति, ई.स. २००२. जैन एवं बौध्ध योग, लेखिका : डॉ. सुधा जैन प्रकाशक : पार्श्वनाथ विद्यापीठ, वारासणी, प्रथम आवृत्ति आचार्य भिक्षु स्मृति ग्रन्थ - लेखक : मुनि नथमलजी प्रकाशक : जैन श्वे. तेरापंथी महासभा कलकत्ता-१, प्रथम आवृति - १९६१ प्रेक्षाध्यान परिचय, लेखक : मुनि किशनलाल प्रकाशक : जैन विश्वभारती प्रकाशन, लाइनू - राजस्थान, २००२ जैनधर्म में ध्यान स्वरूप और साधना, लेखक : मुनि श्री सुशीलकुमार जी प्रकाशक : संका चेरीटेबल ट्रस्ट, मुंबई-१, प्रथम संस्करण, जुलाई १९७५ (८) पातांजल 'योगसूत्र' अनुवादक : रमेशचंद्रजी गूह, सर्यकांत त्रिपाठी, प्रकाशक : रामकृष्ण आश्रम, नागपुर, ई.स. १९७५ जैनयोग, युवाचार्य महाप्रज्ञजी, संपादक : दुल्हराज, प्रकाशक : आदर्श साहित्य संघ चरू, द्वितीय आवृति, ई.स. १९८० ગુજરાતી સંદર્ભગ્રંથ સૂચિ (२) नधर्म, aus : रमलाल थी. शाह, संपा६ : वाडीला SIcी, HAN : यशवंत वशी, पश्यिय ट्रस्ट-मुंबई, बी0 आवृति, .स. १८७७. नर्शन, Ans : प्रा. प्रवेशलाल OBCIA 3161री, प्राश : आर. पी. गुप्ता, युनसिट थलिए बोs, गु४रात राज्य, समहावा. द्वितीय मावृति, 8. स. २००५. महर्शन Vis-१, २, ams : भुलि न्याय४ि७, प्राश : श्री हेमयंदायार्थ नसला, पाय, गु४ात. આવૃત્તિ નવમી. (3) - 100/ 100 Page #119 -------------------------------------------------------------------------- ________________ (૪) (૫) ગ (9) (૭) જૈનસાહિત્યનો બૃહદ ઇતિહાસ ભાગ-૪, સંપાદક : ડૉ. નગીનશાહ, ડો. રમણિક શાહ પ્રકાશક : ૧૦૮, જૈનતીર્થ દર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા. પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લેખક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, મુંબઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૮૯ (૯) સ્થાનાંગ સૂત્ર, દીપરત્ન સાગર, આગમદીપ ભાગ-૧ થી ૬. પ્રકાશક : આગમદીપ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૯૭. ઉતરાધ્યયન સૂત્ર ભાગ-૨, સંપાદિકા : પૂ.શ્રી લીલમબાઈ મહાસતીજી, (૮) પ્રકાશક : શ્રી પ્રાણગુરુ ફાઉન્ડેશન, ‘પારસધામ', ઘાટકોપર. દ્વિતીય આવૃત્તિ, ઈ.સ. ૨૦૦૯ શ્રી સમવાયાંગ સૂત્ર : સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી, પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, ‘પારસધામ’ ઘાટકોપર, મુંબઈ, દ્વિતીય આવૃત્તિ, ઈ.સ. ૨૦૦૯. સ્થાનાંગ સૂત્ર, સંપાદિકા : પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી, પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, ‘પારસધામ' ઘાટકોપર, મુંબઈ, દ્વિતીય આવૃત્તિ, ઈ.સ. ૨૦૦૯. (૧૦) જ્ઞાનાર્ણવ : શુભચન્દ્ર વિરચિત, અનુઃ પંડીત બાલચંદ્રજી શાસ્ત્રી, પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, પ્રથમ સંસ્કરણ, ૧૯૭૭. (૧૧) ‘શાંતસુધારસ' અનુ. કાપડિયા મોતીલાલ ગિરધરલાલ, વિનયવિજયજી, પ્રકાશન : જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૩૬. (૧૨) અધ્યાત્મકલ્પદ્રુમ, અનુઃ કાપડિયા મોતીલાલ ગિરધરલાલ, સુંદરસુરિ. પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૬ઠ્ઠી આવૃત્તિ ઈ.સ. ૧૯૭૬. (૧૩) આત્માનુશાસન, અનુ. ચરણાનુરાગી ગુણભદ્રાચાર્ય. શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ, પ્રથમ આવૃત્તિ, વડવા વિ. સ. ૧૯૭૬. (૧૪) તત્વાર્થસૂત્ર, વિવેચક : પંડિત સુખલાલજી, પ્રકાશક : જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૩૦ (૧૫) યોગદ્રષ્ટિ સમુચ્ચય અનુવાદ : પંડિત શ્રી ધીરજલાલ મહેતા, પ્રકાશક : જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત, દ્વિતીય આવૃત્તિ, વિ. સં. ૨૦૫૭. 101 Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૬) યોગબિન્દુ : વિવેચક: ૫ પૂ. આચાર્યશ્રી પ્રધ્ધિસાગરસૂરિજી, પ્રકાશક : શ્રી બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર, વિજાપુર, . વિ. સં. ૨૦૦૭, ઈ.સ. ૧૫૭. (૧૭) યોગશાસ્ત્ર ભાષાન્તર, ભાષાન્તર કર્તા : પન્યાસજી શ્રી કેશરવિજયજી ગણિ, પ્રકાશક: શ્રી વિજયકમલકેશર ગ્રંથમાલા, આવૃત્તિ ચોથી વિ.સં. ૧૯૮૦ (૧૮) યોગશતક, ગુર્જરભાષાનુવાદ તથા વિવેચક : શ્રી વિજય કલાપૂર્ણ સૂરિજી, પ્રકાશક : શ્રી મહાવીર તત્વજ્ઞાન પ્રચારક મંડળ, અંજાર - કચ્છ, વિ.સં. ૨૦૨૯, ઈ.સ. ૧૯૭૩. (૧૯) શ્રી યોગશતક, અનુવાદક : પંડિત ધીરજલાલ મહેતા, પ્રકાશક : જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત. દ્વિતીય આવૃત્તિ, વિ. સં. ૨૦૫૫ ઈ.સ. ૧૯૯૯. (૨૦) યોગશતક, વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર મહેતા, પ્રકાશક : ગીતાર્થ ગંગા, પાલડી, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૧૧ (૨૧) યોગશતક, સંપાદક : ડો. ઈન્દુકલા ઝવેરી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પહેલી આવૃત્તિ. (રર) યોગશતક એક પરિશીલન, પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્તસૂરિજી, પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન, મુંબઈ, પ્રથમ સંસ્કરણ, વિ. સં. ૨૦૫s. (૨૩) શતકસંદોહ, શ્રી હરિભદ્રસૂરિજી, અનુવાદક : જયરત્નવિજયજી, પ્રકાશક : પદ્મવિજયજીગણિ જૈન ગ્રંથમાલા અમદાવાદ, વિ.સં. ૨૦૧૬. (૨૪) ધ્યાન એક અધ્યયન, આચાર્યશ્રી હસ્તીમલજી, પ્રકાશક : સમ્યજ્ઞાન ચારિત્ર મંડળ, જયપુર, પ્રથમ આવૃત્તિ, (૨૫) તત્વાર્થાધિગમ ભાગ, ભાગ-૨, પૂ. શ્રી સિધ્ધસેન ગણિ, પ્રકાશક : જીવનચંદ્ર સાકરચંદ ઝવેરી, સુરત, ઈ.સ. ૧૯૩૦. (૨૬) યોગભેદ દ્વાત્રિશિકા, વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર મહેતા, પ્રકાશક : ગીતાર્થ ગંગા, પાલડી, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૧૩. 102 Page #121 -------------------------------------------------------------------------- ________________ (૨૭) યોગવિવેક દ્વાત્રિંશિકા, વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર મહેતા, પ્રકાશક : ગીતાર્થ ગંગા, પાલડી, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૬૩. (૨૮) યોગ માહાત્મ્ય દ્વાત્રિંશિકા, વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર મહેતા, પ્રકાશક : ગીતાર્થ ગંગા, પાલડી, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૭૪, (૨૯) પ્રભાવક ચરિત્ર, અનુવાદ : અજ્ઞાત જૈન, પ્રકાશક : આત્માનંદ જૈનસભા, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૧૯૮૭ (૩૦) પ્રબંધ કોશ, સંપાદક : હિરાલાલ રસિકદાસ કાપડીયા, પ્રકાશક : ફાર્બસ, ગુજરાતી સભા, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૧૯૮૮ (૩૧) ધર્મસંગ્રહણી, કર્તા શ્રી હરિભદ્રસુરિજી, સંપાદક : શ્રી કલ્યાણવિજયજી, પ્રકાશક : દેવચંદ્રલાલભાઈ જૈન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૧૯૭૩ (૩૨) જૈનસાહિત્ય સંશોધક, ભાગ-૧, અંક-૧, ૧૯૧૯ની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સમાં આચાર્ય જિનવિજયજી (33) જૈનધર્મ પરિચય પુસ્તિકા, પ્રકાશક : રમણલાલ ચી. શાહ, મુંબઈ, (૩૪) સમદર્શી આચાર્ય હરિભદ્ર, વ્યાખ્યાતા : પંડિત સુખલાલજી સંઘવી, પ્રકાશક : મુંબઈ યુનિવર્સિટી, ઈ.સ. ૧૯૬૧ (૩૫) ષોડશક ૧-૨ કર્તા : હરિભદ્રસૂરિજી, સંપાદક : યશોવિજયજી, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, અમદાવાદ. દ્વિતીય આવૃત્તિ, વિ.સં. ૨૦૫૭. (૩૬) યોગદ્રષ્ટિ સમુચ્ચય, ડૉ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા, પ્રકાશક - શ્રીમદ્ રાજચંદ્ર, મુંબઈ. વિ.સં. ૨૦૦૬ (૩૭) યોગવિંશિકા, વિવેચક : પંડિતશ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા પ્રકાશક : ગીતાર્થગંગા, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, વિ. સં. ૨૦૦૪. (૩૮) શાંત સુધારસ ભાગ-3, પ્રવચનકાર : આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીજી પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મેહસાણા, પ્રથમ પ્રકાશન, ઈ.સ.૧૯૯૭ (૩૯) જૈનધર્મ, ભદ્રબાહુવિજય, પૃ.-૩૪ પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા. માર્ચ-૧૯૯૦. (૪૦) માર્ગાનુસારીનાં પાંત્રીસ ગુણો, પુસ્તિકકા-૪ શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ સ્મૃતિ શ્રેણી, સંચયકાર : મુનિકુશલચંદ્ર, મુંબઈ-૧૯૮૩. 103 Page #122 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સૂચિ પરિશિષ્ટ વિગત પરિશિષ્ટ-૧ | આગમગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વિશદ વર્ણન પરિશિષ્ટ-૨ | યોગદશાની સાધનામાં પ્રવૃત્ત યોગીમાત્માનું ચિત્ર પરિશિષ્ટ-3 | ધ્યાન સાધના દ્વારા ગુણ સ્થાનના સોપાનો સર કરતાં ધ્યાન યોગીમાત્મા પરિશિષ્ટ-૪ | | આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનને લગતી માહિતી આપતા | સાહિત્યોની સૂચિ પરિશિષ્ટ-૫ | યોગશતક ગ્રંથની કૃતિઓની સૂચિ પરિશિષ્ટ-૬ | શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડારની હસ્તપ્રત પરિશિષ્ટ-૭ અપનબંધકની અનેક અવાંતર પરિણતિઓનો યોગની ચાર દ્રષ્ટિરૂપે | નિર્દેશ પરિશિષ્ટ-૮ | છ લેશ્યાનું દ્રષ્ટાંતરૂપ ચિત્ર પરિશિષ્ટ-૯ | લેયા દ્વારનું ગતિ, સ્થિતિ કોષ્ટક પરિશિષ્ટ-10 | ચૌદ ગુણસ્થાનક અને તેનાં મુખ્ય લક્ષણો પરિશિષ્ટ-૧૧ | માર્ગાનુસારીનાં ૩૫ ગુણ પરિશિષ્ટ-૧ર | | નિષ્પન્ન યોગી મહાત્મા કેવલી ભગવંતનું ચિત્ર Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ આગમ ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વિશદ વર્ણન શ્રી ‘દશવૈકાલિક સૂત્રમાં અનેક સ્થળે રાત્રિભોજન ત્યાગનું કથન છે. (૧) અધ્યયન-૩માં રાત્રિભોજન નિગ્રંથ માટે અનાચરણીય કહ્યું છે. (૨) અધ્યયન-૪/૧૨માં પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહ્યું છે. (૩) અધ્યયન-૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ મુનિને નિગ્રંથપણાનાં ભાવથી ભ્રષ્ટતાની વાત છે. તથા રાત્રિભોજનમાં દોષોનું કથન પણ છે. અધ્યયન-૮માં સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રિમાં શ્રમણ માટે આહારની મનથી પણ ઈચ્છા કરવાનો નિષેધ છે. રે અન્ય આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન ૧૯૩૧માં સંયમની દુષ્કરતાનાં વર્ણનમાં રાત્રે ચારે પ્રકારનાં આહારનો ત્યાગને અત્યંત દુષ્કર કહ્યું છે. (૨) ‘ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨માં રાત્રિભોજનનો ત્યાગથી જીવનો આશ્રવ ઘટવાનું અને અનાશ્રવ થવાનું કહ્યું છે. (3) ‘ઠાણાંગ સૂત્ર' સ્થાન ૩ તથા પમાં રાત્રિભોજનનું અનદ્ધાતિક (ગુરુ) પ્રાયશ્ચિત કહ્યું છે. (૪) “સૂયગડાંગ સૂત્ર શ્રુત-૧, અધ્યયન-૨, ઉદ્દેશક-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે કરી છે, આ રીતે અહીં રાત્રિભોજન ત્યાગનું મહત્વ પંચમહાવ્રતની સમાન દર્શાવેલ છે. ‘સૂયગડાંગ સૂત્ર અધ્યયન-ક વીર સ્તુતિમાં કહ્યું છે કે મહાવીર સ્વામીએ દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. બૃહતકલ્પ સૂત્ર ઉદ્દે-૧માં રાત્રિમાં અને વિકાલમાં સંધ્યા સમયે) ચારે પ્રકારનાં આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. બૃહતકલ્પ સૂત્ર’ ઉદ્દે-પમાં કહ્યું છે કે આહાર કરતાં સમયે શ્રમણને એવો ખ્યાલ આવે છે કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો મોઢામાં નાંખેલ આહારનો કોળિયો બહાર કાઢી નાંખવો અને પરઠી દેવો જોઈએ. તથા રાત્રિમાં આહાર પાણી યુક્ત દતિ = બતાવ્યું છે. અર્થાત તે પિત્તને જયણાપૂર્વક બહાર કાઢી નાખવું જોઈએ. (૮) ‘દશાશ્રુતસ્કંધસૂત્ર' દશા-૨ તથા સમવાયાંગ સૂત્ર સમવાય-૨૧માં રાત્રિભોજનની “શબલ દોષ'માં ગણના કરી છે. (૯) બૃહતકલ્પ સૂત્ર ઉદ્દેશક-૪માં રાત્રિભોજનનું અનુદ્દઘાતિક (ગુરુ-ભારે) પ્રાયશ્ચિત કહ્યું છે. છે કે Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ‘નિશીથ સૂત્ર' ઉદ્દેશક-૧૧માં રાત્રિભોજનનું અને તેની પ્રશંસા-અનુમોદન કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહ્યું છે. (૧૧) ‘દશાશ્રુતસ્કંધસૂત્ર'માં શ્રાવકની અગિયાર પ્રતિમાનું નિરૂપણ છે. તે વર્ણનાનુસાર શ્રાવકોને ચાર પ્રતિમા સુધી રાત્રિભોજન ત્યાગ સ્વૈચ્છિક હોય છે. પરંતુ પાંચમીથી અગિયારમી પ્રતિમાની આરાધનામાં રાત્રિભોજન ત્યાગ આવશ્યક હોય છે. અન્ય ગ્રંથોમાં વર્ણન કાર્તિકેયાનુપ્રેક્ષા-૩૮૩ માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહીનાના ઉપવાસ સાથે કરી છે. મહાભારતનાં ‘શાંતિ પર્વ'માં નરકમાં જવાના ચાર કારણ કહ્યા છે. (૧) પ્રથમ કારણ રાત્રિભોજન છે. અન્ય ત્રણ - (૨) પરસ્ત્રી ગમન, (૩) આચારઅથાણા ખાવા, (૪) કંદમૂળ ભક્ષણ. વેદવ્યાસનાં ‘યોગશાસ્ત્ર’ અધ્યાય-૩ માં ‘રાત્રિમાં ખાનારો મનુષ્ય બિલાડી, ગીધ, ડુક્કર, સર્પ, વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે.’ (૪) ‘મનુસ્મૃતિ’માં રાત્રિ રાક્ષસી હોય છે. તેથી રાત્રિનાં સમયે શ્રાદ્ધ કરવું નહી. (૫) ‘યોગશાસ્ત્ર’ અધ્યાય-૩ : નિત્ય રાત્રિભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું તેમજ તીર્થયાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને ભોજન રાત્રિમાં કરાતા નથી. કીડી, પતંગિયા આદિ અનેક જીવોનું ઘાતક રાત્રિભોજન અતિ નિંદિત છે. (9) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી લેવા સમાન અને રાત્રિમાં ખાવાને (૧) (૨) (3) (^) (૮) - ઘુવડ, કાગડો, માંસ ખાવા સમાન કહી દીધું છે. બૌદ્ધ મતનાં ‘માિમ નિાય’ તેમજ ‘લક્કુટિìપમનુત્ત' માં રાત્રિભોજનનો નિષેધ છે. હેમચંદ્રાચાર્યે દિવસમાં અને રાત્રિમાં કાંઈપણ રોકટોક વિના ખાનારાઓને શિંગડા અને પૂંછડા વિનાના પશુ કહ્યા છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ शील क्षमा संयम सन्तोष પરિશિષ્ટ-ર | યોગદશાની સાધનામાં પ્રવૃત્ત યોગી મહાત્માનું ચિત્ર Page #126 -------------------------------------------------------------------------- ________________ ( 2 * * ITI/ T T GIRITY -3 | ધ્યાન સાધના દ્વારા ગુણ સ્થાનના સોપાનો સર કરતાં ધ્યાન યોગીમહાત્મા Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનને લગતી માહિતી આપતું સાહિત્ય (૧) અનેકાન્ત જયપતાકા - પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક : શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રકાશક : ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા. (૨) આવશ્યક સૂત્ર - શિષ્યહિતા ટીકા (સંસ્કૃત) કર્તા : હરિભદ્રસૂરિ, પ્રકાશક : આગમોદય સમિતિ, ગોપીપુરા, સુરત. ઉપદેશપદ ટીકા (સંસ્કૃત) કર્તા : મુનિચન્દ્રસૂરિ, પ્રકાશક : મુક્તિકમલ જૈન મોહનમાલા વડોદરા. (૪) ઉપમિતિભવ પ્રપંચાકથા - પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક : ડો. હર્મન જેકોબી, પ્રકાશક : એસિયાટીક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા. (૫) કહાવલી (પ્રાકૃત), કર્તા : ભદ્રેશ્વરસૂરિ (અપ્રગટ) (૬) કુવલયમાલા (પ્રાકૃત) કર્તા : ઉધ્ધોતનસૂરિ, અપરનામ દાક્ષિણ્યચિહ, સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ-૭. (૭) ગણધરસાર્ધશતક (સંસ્કૃત) કર્તા : સુમતિવણી, પ્રકાશક : ઝવેરી ચૂનીલાલ પન્નાલાલ, મુંબઈ. (૮) ગુર્નાવલી (સંસ્કૃત) કર્તા : મુનિ સુન્દરસૂરિ, પ્રકાશક : શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, બનારસ. (૯) ચતુર્વિશતિપ્રબંધ (સંસ્કૃત) કર્તા : રાજશેખરસૂરિ, પ્રકાશક : સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ-૭. (૧૦) જૈનદર્શન - પ્રસ્તાવના (ગુજરાતી) : લેખક પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી, ઠે. ૧૨બ, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ(૧૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, પાયધુની, મુંબઈ-2 (12) તત્વાર્થસૂત્ર (ગુજરાતી વિવેચન) પ્રસ્તાવના : લેખક પં. શ્રી સુખલાલજી, પ્રકાશક ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (૧૩) ધર્મસંગ્રહણી - પ્રસ્તાવના (સંસ્કૃત) : લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી, પ્રકાશક શ્રી દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. (14) પંચાશકટીકા (સંસ્કૃત) : કર્તા અભયદેવસૂરિ, પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રભાવકચરિત્ર (સંસ્કૃત) : કર્તા પ્રભાચન્દ્રસૂરિ, પ્રકાશક સિંધી જન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ-૭. (૧૬) પ્રભાવક ચરિત્ર (ગુજરાતી ભાષાન્તર) પ્રસ્તાવના : લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી, પ્રકાશક આત્માનદ જૈન સભા, ભાવનગર. (૧૭) હરિભદ્રસૂરિકા સમયનિર્ણય (જેન સાહિત્ય સંશોધક, ભાગ-૧, અંક-૧)માં પ્રકાશિત નિબંધ) :લેખક મુનિ શ્રી જિનવિજયજી, ઠે. અનેકાન્ત વિાર, અમદાવાદ-૯. (૧૮) હરિભદ્રસૂરિચરિત્ર (સંસ્કૃત) : લેખક પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠ, પ્રકાશક શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર. (૧૯) સમરાઈકહા - પ્રસ્તાવના (અંગ્રેજી) : લેખક ડૉ. હર્મન જેકોબી, પ્રકાશક એસિયાટીક સોસાયટી ઑફ બેંગાલ, કલકત્તા. Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर द्वारा प्रस्तुत योगशतक पर प्रकाशन लीस्ट क्रम | संस्करण | प्रकाशन वर्ष पुस्तक शहर नाम प्रकाशक नाम बा२०५६त योगशतकग्रथ परना प्रवचनों अज्ञात अज्ञात जैन बा२०५६त योगशतक ग्रंथ परना जयघोषसूरीश्वरजीना प्रवचनो अज्ञात अज्ञात जैन बा२०५६त योगशतक एक परिशीलन अहमदाबाद अनेकांत प्रकाशन जैन रिलीजियस ट्रस्ट बा२०१५त भावनाशतक तथा कर्म अने आत्मानो संयोग राजकोट कडवीबाई विराणी स्मारक ट्रस्ट योगसार एवं वैराग्य शतक भीनमाल गुरु रामडंद्र प्रकाशन समिति सविवेचन योगसार एवं वैराग्य शतक भीनमाल गुरु रामडंद्र प्रकाशन समिति बा२०६५त योगशतक अहमदाबाद |जिनाजा प्रकाशन बा२०६५त योगशतक सह (सं.) स्वोपज्ञवृति अहमदाबाद जिनाज्ञा प्रकाशन बा२०५५त योगशतक सुरत जैन धर्म प्रसारण ट्रस्ट बा२०५०त योगशतक सुरत धीरजलाल डाह्यालाल महेता बा२०५०त योगशतक सह स्वो. (सं.) टीका, (गु.) अनुवाद व (गु.) विवेचन सुरत धीरजलाल डाह्यालाल महेता १२ बा२०५६त योगशतक सह (गु.) अनुवाद अहमदाबाद |पद्मविजयजीगणि जैन ग्रंथमाला बा२०२९त योगशतक अजार महावीर तत्वज्ञान प्रचार मंडल बा२०३९त योगशतक योगासार अजार महावीर तत्वज्ञान प्रचार मंडल बा२०२९त योगशतक सह (गु.) अनुवाद तथा विवेचन अजार महावीर तत्वज्ञान प्रचार मंडल बा२०३९त योगशतक, योगसार सह (गु.) अनुवाद अंजार महावीर तत्वज्ञान प्रचार मंडल योगशतक चांदखेडा राजेंद्रसूरीश्वरजी जैन धर्मप्रचारक ट्रस्ट बा१९६५त योगशतक एवं ब्रह्मसिद्धांतसमुच्चय अहमदाबाद लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर बा१९७५त लघुयोगवासिष्ठसार अने समाधिशतक - विवेचन अगास श्रीमद्द राजचंद्र जैन शास्त्रमाला बा२०१३त आयुर्वेद योगशतक सस्तुं साहित्य वर्धक कार्यालय २१ । बा१९७०त योगिनीशतक बंबई हरिप्रसाद भगीरथीजी पुस्तकालय २२ बा१९७०त योगनीशतक सह (हि.) भाषानुवाद बंबई हरिप्रसाद भगीरथीजी पुस्तकालय मुबई | પરિશિષ્ટ-૫ | યોગશતક ગ્રંથની કૃતિઓની સૂચિ Page #130 -------------------------------------------------------------------------- ________________ क्रम कृति संक्षिस स्वरूप भाषा प्रकार संवत गय. बा1965त 24 25 योगशतक - (सं.) अवचूरि योगशतक - (सं.) आधुनिक अध्ययन योगशतक - (सं.) टीका अवचूरि. आधु.अ. विद्वान अज्ञात' पुण्यवियजी पूर्णसेन गय. 26 गय. 27 योगशतक - (सं.) टीका अज्ञात' गय. 28 योगशतक - (सं.) टीका गय. 29 योगशतक - (सं.) टीका गय. 30 योगशतक - (सं.) स्वोपज्ञ टीका गय. 31 योगशतक - संपादन आधु.अ. गय. बा1965त 32 योगिनीशतक 33 योगशतक अज्ञात जैने श्रमण' अज्ञात' हरिभद्रसूरि पुण्यवियजी नारायणप्रसाद मिश्र इंदुकला हीराचंद झवेरी छगनलाल शास्त्री डॉ. रविपद्मासागरजी म. सा. दुलहराज छगनलाल शास्त्री डॉ. नारायणप्रसाद मिश्र गय. बा21वी विव. गद्य. बा2038त 35 अनु. गय. 34 योगशतक - (हिं.) विवेचन योगशतक - (हिं.) अनुवाद 36 योगशतक - (हिं.) अनुवाद 37 योगशतक : (हिं.) अर्थ 38 योगिनीशतक - (हि.) अनुवाद अनु. गद्य. बा1995त गय. बा2038त अर्थ अनु. गद्य. Page #131 -------------------------------------------------------------------------- ________________ क्रम 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 3 14 (गु.) विवेचन योगशतक (गु.) विवेचन योगशतक (गु.) विवेचन योगशतक* योगशतक (मा.गु.) अर्थ 15 योगशतक (मा.गु.) टबार्थ 18 ∞ 19 20 21 22 कृति योगशतक एक परिशीलन योगशतक का (गु.) आधुनिक अध्ययन योगशतक (गु.) अनुवाद योगशतक - (गु.) अनुवाद योगशतक (गु.) अनुवाद योगशतक (गु.) अनुवाद योगशतक (गु.) अनुवाद योगशतक (गु.) गाथार्थ (गु.) विवेचन योगशतक योगशतक - 23 - 16 योगशतक (मा.गु.) टबार्थ 17 • - आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर द्वारा प्रस्तुत योगशतक पर कृति लीस्ट संक्षिप्त स्वरूप भाषा विद्वान योगशतक - (मा.गु.) टबार्थ @ योगशतक (मा.गु.) बालाबोध योगशतक - (मा.गु.) बालाबोध @ योगशतक - (मा.गु.) भाषाटीका गोरक्षशतक योगविनिर्णये योगशतक योगशतक* आधु.अ. आधु.अ. अनु. अनु. अनु. अनु. अनु. अनु. अनु. अनु. आधार विव. भू. अनु. टबा. टबा. टबा. बा. बा. अनु. भू. मू. मू. गु. गु. गु. गु. गु. गु. गु. गु. गु. गु. गु. गु. प्रा. मा.गु. मा.गु. मा.गु. मा.गु. मा.गु. मा.गु. मा.गु. सं. स. स. चंद्रगुप्तसूरि चंद्रगुप्तसूरि जयरत्नविजय | शीलपूर्णाश्रीजी म. सा. धीरजलाल डाह्यालाल महेता कलापूर्णसूर अज्ञात जैन इदुकला हीराचंद झवेरी कलापूर्णसू धीरजलाल डाह्यालाल महेता गुणहंसविजय इंदुकला हीराचंद झवेरी हरिभद्रसूरि अज्ञात* अज्ञात* अज्ञात जैनश्रण* अज्ञात* अज्ञात जैनेतर अज्ञात * ज्ञानमेरु अज्ञात* अज्ञात जैनेतर धन्वंतरी प्रकार गय. गद्य. गद्य. गद्य. गय. गद्य. गद्य. गद्य. गय. गय. गय. गद्य. गद्य. गद्य. गद्य. गय. गय. गद्य. गय. गय. गद्य. गद्य. गद्य. वर्ष वि. वि. वि. वि. वि. वि. वि. वि. संवत बा2050त बा2029त बा2039त बा2012त बा2029त बा2050त बा21यीअ बा2012त Page #132 -------------------------------------------------------------------------- ________________ चकमारवयका शाहाणारासाउ नानामसुर मात्रा पद सुहाना वा ननि मियानगासनमा राति रुसण्डा विहिपरिस विद्यारा ॥४ रुवाय लिगनियमा माझमा होगा विधान शयनातिसमागमालाशियोगासीवाद‍ सिताविसावागमद्यमिद्धिगमता यादव पाव पर सफल होला नासा की ते माझी जागिना है। जाग देस गमदावी सापाला मिजाग लिसोजाग ●एममारक जागा निद्दिहा जागा हि दि॥ पाह दात आशववहार मानिसका ताजा सर्वासा विद्याव विदिशा जम्मा हा विहिप डिसामना चिर सिहीपगिडेर वाणासनाणा शातिहा जाय योगशतकनी ताडपत्रीय प्रति — लेखन सं० ( अनुमाने ) १२ मी शताब्दीनो अंत खंभात-श्री शान्तिनाथ ताडपत्रीय जैन भंडार परिशिष्ट-9 શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડારની હસ્તપ્રત Page #133 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧ મોક્ષ ઉધની ચરમક્ષણ = અક્ષેપફલધક નિશ્ચયનયથી યોગા | યોગનિરોધ - અક્રિયા ૧૪ કેવળજ્ઞાન 3 કેવળજ્ઞાન વખતે થતી સહજક્રિયા ક્ષપકશ્રેણી અસંગઅનુષ્ઠાન નિર્વિકલ્પચારિત્ર સર્વવિરતિ ચિત્ર નં. ૨ ચિત્ર - ૧ ના નીચેના નં. ૧ અપુનબંધકઅવસ્થાનો યોગની ચાર દૃષ્ટિ બતાવવા દ્વારા વિસ્તાર દેશવિરતિ શ્રાવક અવિરતસમ્યગ્દષ્ટિ અપુનબંધકની અનેક અવાંતર પરિણતિઓનો યોગની ચાર દ્રષ્ટિરૂપે નિર્દેશ અવિરતસમ્યગ્દષ્ટિ 1. 1/ \/ અપુનબંધકની ઉચિતક્રિયા કે જે ઉત્તરની પરિણતિ માટે કારણ છે. અપુનર્ભધક અપુનર્ભધકઅવસ્થા | પરિશિષ્ટ-૭ | અપુનબંધકની અનેક અવાંતર પરિણિતિઓનો યોગની ચાર દ્રષ્ટિરૂપે નિર્દેશ Page #134 -------------------------------------------------------------------------- ________________ લઇsiળીનાંદો 1 SS C om) નીલ ૯હ્યા ગુચછાનો છેદ SE ? સારી ડાળીel છટ 8 કાપાંત લેગ્યા ફુગ્ગલેશ્યા 'પવૈશ્ય કલલયા gt htધપૂST, જાંબૂમાટે જાળમાંથી છેઠ જથી લેયા સુગંધી ફૂલની ગંધથી અનંતગણ શુભ છે. રy પાકી ૧થી ૩ લેયા મરેલા સર્પના ગંધથી અનંતગુણ અભ Dચે પડેલા જાંબભક્ષણ 5-A પરિશિષ્ટ-૮ | છ લશ્યાનું દ્રષ્ટાંતરૂપ ચિત્ર Page #135 -------------------------------------------------------------------------- ________________ કાળો સ્પર્શ પરિશિષ્ટ-૯ લેશ્યા દ્વાર બાર | ૧ | ૨ | ૩ | નામ કચ્છ લડયા | નીલ લડ્યા | કાપો લેયા | તેજ લેયા | પદ્મ લેયા | શુકલ લેયા | વર્ણ અંજન જેવો | વૈર્ય રત્ન | કબૂતરની ડોક ઉગતા સૂર્ય હળદર જેવો | શંખ જેવો જેવો નીલો જેવો આસમાની | જેવો લાલ પીળો શ્વેત રસ | કડવો તીખો |ખાટોતૂરો |ખાટોમીઠો મીઠોસ્તૂરો | મીઠો ગંધ સર્પાદિના મૃતહેથી અનંતગણી દુર્ગંધ કેવડો વગેરે પુષ્પથી અનંતગણી સુગંધ કરવત, ગાયની જીભ વગેરેથી અનંત ગુણો | પુષ્પ, નવનીત વગેરેથી અનંત ગણો સંવાળો કર્કશ પરિણામ | જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ તે ત્રણભેદ અને તેના ત્રણ ત્રણ ભેદ, તેથી ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે સંખ્યાતા લક્ષણ ફૂર, હિંસક, | ઈર્ષાળુ, | વક, માયાવી, નમ.. અલ્પકષાયી, | ધર્મધ્યાન, અજીતેન્દ્રિય, | કદાગ્રહી, | દુર્વચની, ચોરી અમાયાવી, પ્રશાંત, શુક્લધ્યાન તીવઆરંભ | રસલોલુપ, | કરનાર વિનીત, દમિતેન્દ્રિય, કરનાર, કરનાર, ક્ષુદ્ર, | ધૂર્ત, દમિતેન્દ્રિય, મિતભાષી સમિતિ સાહસિક પ્રમાદી, હી યોગવાન, પ્રિયધર્મી, ગુપ્તિયુક્ત, રહિત, વૃદ્ધ, તપસ્વી, દ્રઢધર્મી જિતેન્દ્રિય દ્વેષભાવ પાપભીરૂ અલ્પરાગી યુક્ત કે વીતરાગી સ્થાન | કાલથી - અસંખ્યાત ઉત્સપિણી - અવસર્પિણીના સમયપ્રમાણ ક્ષેત્રથી - અસંખ્યાત લોકાકાશના પ્રદેશપ્રમાણ સ્થિતિ અંતમુર્ત | પલ્યનો | પલ્યનો પલ્યનો અંતમુહુર્ત અંતમુહુર્ત (ઉત્કૃષ્ટ) | અધિક ૩૩ | અસંખ્યાત | અસંખ્યાતભાગ | અસંખ્યાતભાગ અધિક દશ અધિક ૩૩ સાગરોપમ 1 ભાગ | ભાગ | અધિક ત્રણ અધિક બે સાગરોપમ | સાગરોપમ અધિક દશ | સાગરોપમ સાગરોપમ સાગરોપમ (જધન્ય) | છ એ લેગ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહર્તની છે. ગતિ | પહેલી ત્રણ અશુભ લેયા દર્ગતી ગામિની પાછલી ત્રણ શુભ લેયા શુભ લેયા સુગતિશનિની. આયુષ્ય લેયા પરિણામનું અંતર્મુહર્ત વ્યતીત થયા પછી અને અંતમુહર્ત શેષ રહે ત્યારે જીવ આયુષ્ય પૂર્ણ કરી પરલોકમાં જાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૦ - ચૌદ ગુણસ્થાનકો અને તેના મુખ્ય લક્ષણો : मिच्छे सासण मीसे अविश्य देसे पमत अपमते । निअट्ठि-अनियट्ठि सुहुमुवसम-खीण-सज्जोणि-अजोणि गुणा ॥ ક્રમ ચૌદ ગુણસ્થાનકો મુખ્ય લક્ષણો ઘોર અજ્ઞાન | ૧. | મિથ્યાત્વ ૨. | સાસાદન લુપ્ત થતું દર્શન એટલે કે ચોથાથી પહેલાં ગુણસ્થાન પર લપસતી વખતે હોય તેવી મનની સ્થિતિ. ૩. | મિશ્ર સમ્યકદર્શન અને મિથ્યા દર્શન-મિશ્ર અવસ્થા. ૪. | અવિરત સમ્યક્ઝષ્ટિ તપ વિનાનું સમ્યકદર્શન ૫. | દેશવિરતિ ૬. | પ્રમત્તસંયત ૭. | અપ્રમતસંયત ૮. | અપૂર્વકરણ ૯. | અનિવૃત્તિકરણ ૧૦. | સૂક્ષ્મકષાય ૧૧. | ઉપશાંતકષાય (મોહ) ૧૨. | ક્ષીણકષાય (મોહ) સમ્યક્યારિત્રનો પ્રારંભ આહારક શરીરની રચના અને વ્રતોનું પાલન, પરંતુ પ્રમાદ સહિત મુનિ જીવનની પહેલી અવસ્થા. પ્રમાદનો લોક અને સ્વાભાવિક આનંદની આંશિક પ્રાપ્તિ મનની શુધ્ધિને કારણે નવી વિચાર પ્રવૃત્તિઓ વધુ આગળ વધેલી મનની પ્રવૃત્તિઓ. થોડા લોભ પર અંકુશ મેળવવો બાકી. | બાકી રહેલા લોભનો ત્યાગ. લોભનો સંપૂર્ણ ત્યાગ, પરિણામે તૃષ્ણારહિત સ્થિતિ અને પૂર્ણ સમ્યક્યારિત્ર સર્વજ્ઞત્વ, કેવળજ્ઞાનનો સાક્ષાત્કાર. ત્રણ “યોગ'નો અંત અને નિર્વાણપદ. ૧૩. | સયોગ કેવલી ૧૪. અયોગ કેવલી Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ માર્ગાનુસારીનાં ૩૫ ગુણ: માણસનું મૂલ્ય અને માન તેના ચારિત્રથી છે. ચારિત્રવાન વ્યક્તિ મોક્ષનો પંથ ઝડપથી પાર કરી શકે છે. આથી જેન મહર્ષિઓએ ચારિત્રનિર્માણના ૩૫ ગુણો સૂચવ્યા છે. તે ગુણોનાં ધારણ અને વિકાસથી આત્માનાં ૩૫ ગુણો આ પ્રમાણે છે. ૧. ન્યાયોપાર્જિત ધન : ન્યાય-નીતિ-પ્રમાણિકતાથી આજીવિકા રાખવી. ૨. ઉચિત વિવાહ -: કુળ-જાતિ, સ્વભાવ તેમજ ધર્મ વગેરેને સાનુકુળ પાત્ર સાથે લગ્ન કરવા. ૩. શિષ્ટ પ્રશંસા : સજ્જન, સંસ્કારી, સદાચારીનાં ગુણોનું અભિવાદન અને પ્રસંશા કરવી. ૪. શત્રુત્યાગ : કોઈની પણ સાથે વેરભાવ - શત્રુતા રાખવી નહી. ઈન્દ્રિયવિજય ઈન્દ્રિયોની વૃત્તિ-પ્રવૃત્તિ પર સંયમ રાખવો. ૬. અનિષ્ટ સ્થાન ત્યાગ : જાન-માલ ભયમાં મૂકાય, ધર્મસાધના ડહોળાય તેવા સ્થાનનો ત્યાગ. ૭. ઉચિત ગૃહ : ધર્મસાધનામાં સહાયક થાય તેવા પાડોશ - વાતાવરણમાં ઘર રાખવું પાપભય નાના-મોટા કોઈપણ પ્રકારનાં પાપોથી ડરવું. ૯. દેશાચાર પાલન : સમાજ-રાષ્ટ્રનાં ઉચિત વ્યવહારો, પ્રથાઓનું પાલન કરવુ. ૧૦. લોકપ્રિયતા સત્કાર્યો અને સેવાભાવથી સહુ કોઈનાં દિલ જીતી લેવા. ૧૧. ઉચિત વ્યય : આવક અનુસાર ખર્ચ કરવો. ૧૨. ઉચિત વ્યવહાર : સમય-સંજોગો અનસાર વર્તન-વ્યવહાર રાખવા. ૧૩. માતા-પિતા પૂજન : માતા-પિતા, વડીલોની સેવા કરવી. ૧૪. સત્સંગ : સાધુ-સંતો, સજ્જનો સાથે સત્સંગ કરવો. ૧૫. કૃતજ્ઞતા - : ઉપકારીનાં ઉપકારને યાદ રાખવા. યથા સમયે સહાયક થવા તત્પર રહેવું. ૧૬. અજીર્ણમાં ભોજન ત્યાગ: પેટ પગડે ત્યારે ખાવું નહી બને તો ઉપવાસ કરવો. ૧૭. ઉચિત ભોજન : તન-મન અને આત્માનાં આરોગ્ય અર્થે શુદ્ધ-સાત્વિક, ભોજન કરવું. ૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનોનું આદર, સન્માન, પૂજા કરવી. ૧૯. નિંદા કાર્ય ત્યાગ : દેશ, કુળ, ધર્મની અપેક્ષાએ જે કાર્યો નિંદિત ગણાતા હોય તે કરવા નહી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલા સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ. ૨૧. દીર્ધદ્રષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત બનાવનાર ધર્મનું સદા શ્રવણ કરવું. ૨૩. દયા : જીવનમાત્ર પર કરુણા ચિંતવવી, દયા ધર્મનું મૂળ છે. ૨૪. બુદ્ધિ : દરેક બાબતનો સમગ્રતયા વિચારથી નિર્ણય-અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત : ગુણાનુરાગી બનવું. ૨૬. દુરાગ્રહત્યાગ : હઠ, જીદ, કદાગ્રહનો ત્યાગ કરવો. ૨૭. જ્ઞાનાર્જન _: દરરોજ કંઈક નવું જ્ઞાન મેળવવા, સ્વાધ્યાયનો નિયમ કરવો. ૨૮. સેવાભક્તિ : ઉપકારીઓની, દીન-દુઃખીજનોની, વૃદ્ધ-અપંગની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ. ત્રણ પુરુષાર્થોનું સમુચિત સંતુલન રાખવું. ૩૦. દેશકાળનું જ્ઞાન : સમય-સંજોગોને સારી રીતે ઓળખવા, ભાવિનો વિચાર કરવો. ૩૧. બલબલ વિચારણા : પોતાની શક્તિ - રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું. ૩૩. પરોપકાર : દીન-દુઃખી, સ્વજનો, તેમજ અપકારી ઉપર પણ ઉપકાર કરવો. ૩૪. લજ્જા : વડીલ-ગુરુજનોની અદબ જાળવવી, મર્યાદાઓનું પાલન કરવું. ૩૫. સૌમ્યતા હર હાલતમાં ખુશહાલ રહેવું ધીરજ અને સમતા ધારણ કરવી. Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ર નિષ્પન્ન યોગી મહાત્મા કેવલી ભગવંતનું ચિત્ર PARSHOTAM SINGH Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૩ યોગશતકગ્રંથની ૧૦૦ ગાથાઓ णमिऊण जोगिणाहं, सुजोगसंदंसगं महावीरं । वोच्छामि जोगलेसं, जोगज्ज्ञयणाणुसारेणं ।।१।। निच्छयओ इह जोगो सण्णाणाईण तिन्ह संबंधो । मोक्खेण जोयणाओ णिद्दिट्ठो जोगिनाहेहिं ||२|| सण्णाणं वत्थुगओ बोहो, सद्दंसणं तुं तत्थ रुई । सच्चरणमणुट्ठाणं विहि- पडिसेहाणुगं तत्थ ||३|| ववहारओ उ एसो विन्नेओ एयकारणाणं पि । जो संबंधो सो वि य कारण कज्ज़ोवयाराओ ||४|| गुरुविणओ सुसाइया य विहिणा उ धम्मसत्थेसु । तह चेवाणुट्ठाणं विहि - पडिसेहेसु जहसत्तिं ||५|| एत्तो च्चिय कालेणं नियमा सिद्धी पगिट्ठरुवाणं । सण्णाणाईण तहा जाय अणुबंधमावेणं ||६|| मग्गेणं गच्छंतो सम्मं सत्तीए इट्ठपुरपहिओ । जह तह गुरुविणयाइसु पयट्टओ एत्थ जोगि त्ति ||७|| अहिगारिणो उवाण होइ सिद्धी समत्थवत्थुम्मि | फलपगरिसभावाओ विसेसओ जोगमग्गम्मि ||८|| अहिगारी पुण एत्थं विण्णेओ अपुणबंधगाइ ति । तह तह णियत्तपगईअहिगारो णेगमेओ त्ति ||९|| अणियत्ते पुण तीए एगंतेणेव हंदि अहिगारो । तप्परतंतो भवरागओ दढं अणहिगारि ति ||१०|| Page #141 -------------------------------------------------------------------------- ________________ तप्पोग्गलाण तग्गहणसहावावगमओ य एयं ति । इय दट्ठव्यं, इहरा तहबंधाई न जुज्जंति ||११|| एयं पुण णिच्छयओ अइसयणाणी वियाणए णवरं । इयरो वि य लिंगेहिं उवउत्तो तेण भणिएहिं ।।१२।। पावं न तिव्वभावा कुणइ, ण बहुमण्णई भवं घोरं । उचियट्ठिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो ति ।।१३।। सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए | वेयावच्चे णियमो सम्मद्दिट्ठिस्स लिंगाइं ।।१४।। मग्गणुसारी सद्धो पण्णवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभसंगओ तह य चारिती ।।१५।। एसो सामइयसुद्धिभेयओ णेगहा मुणेयव्यो । आणापरिणइमेया अंते जा वीयरागो ति ||१६|| पडिसिद्धेसु अदेसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ||१७|| एयं विसेसणाणा आवरणावगममेयओ चेव । इय दट्ठवं पढमं भूसणठाणाइपत्तिसमं ।।१८।। किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स | आणाजोगा पुव्वाणुवेहओ चेव णवरं ति ||१९|| वासी चंदणक्पो समसुह – दुक्खो मुणी समक्खाओ । भव - मोक्खापडिबद्धो अओ य पाएण सत्थेसु ।।२०।। एएसिं णियणियभूमियाए उचियं जमेत्थऽणुठ्ठाणं । आणामयसंयुत्तं तं सव्वं चेव योगो ति ||२१|| तल्लक्खणयोगाओ उ चित्तवित्तीणिरोहओ चेव । तह कुसलपवित्तीए मोक्खेण उ जोयणाओ ति ।।२२।। Page #142 -------------------------------------------------------------------------- ________________ एएसि पि य पायं बज्झाणायोगओ उ उचियम्मि । अणुठाणम्मि पवित्ती जायइ तहसुपरिसुद्ध ति ।।२३। । गुरुणा लिंगेहिं तओ एएसिं भूमिगं मुणेऊण । उवएसो दायव्यो जहोचिंय ओसहाऽऽहरणा ।।२४।। पढमस्स लोगधम्मे परपीडावज्जणाइ ओहेणं । गुरु-देवा-ऽतिहिपूयाइ दीणदाणाइ अहिगिच्च ।।२५।। एवं चिय अवयारो जायइ मग्गम्मि हंदि एयस्स । रण्णे पहपब्भट्ठोऽवट्टाए वट्टमोयरइ ।।२६।। बीयस्स 3 लोगुत्तरधम्मम्मि अणुव्वयाइ अहिगिच्च । परिसुद्धाणायोगा तस्स तहाभावमासज्ज ||२७।। तस्साऽऽसण्णतणओ तम्मि दढं पक्खवायजोगाओ । सिग्धं परिणामाओ सम्मं परिपालणाओ य ।।२८।। तइयस्स पुण विचित्तो तहुत्तरसुजोगसाहगो णेओ । सामाइयाइविसओ णयणिठणं भावसारो ति ।।२९।। सद्धम्माणुवरोहा वित्ती दाणं च तेण सुविसुद्धं । जिणपूय - भोयणविही संझाणियमो य जोगंतो ||३०|| चिइवंदण जइविस्सामणा य सवणं च धम्मविसयं ति । गिहिणो इमो वि जोगो, किं पुण जो भावणामग्गो ? ||३१|| एमाइवत्थुविसओ गिहीण उवएस मो मुणेयव्यो । जइणो उण उवएसो सामायारी जहा सव्वा ||३२|| गुरुकुलवासो गुरुतंतयाय उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जतो तहकालवेक्खा ||३३।। अणिगृहणा बलम्मी सव्वत्थ पवत्तणं पसंतीए । नियलामचितणं सइ अणुग्गहो मे ति गुरुवयणे ।।३४।। Page #143 -------------------------------------------------------------------------- ________________ संवरणिविच्छङतं सुछुज्जीवणं सुपरिसुद्धं । विहिसज्झाओ मरणादवेक्खणं जइजणुवएसो ||३५|| उव सोऽविसयम्मी विसए वि अणीइसो अणुवएसो । बंधनिमित्तं णियमा जहोइओ पुण भवे जोगो ||३६|| गुरु अजोगिजोगो अच्चंतविवागदारुणो णेओ । जोगिगुणहीलणा णट्ठणासणा घ म्मलाघवओ ||३७|| एयममि परिणयम्मि पवत्तमाणस्स अहिगठाणेसु । एस विही अइणिउणं पायं साहारणो णेओ ||३८|| निययसहावालोयण जणवायावगम - जोगसुद्धीहिं । उचियत्तं णाऊणं निमित्तओ सइ पयट्टेज्जा ||३९|| गमणाइएहिं कायं णिरवज्जेहिं, वयं च भणिएहिं । सुहचिंतणेहिं यमणं, सोहेज्जा जोगसुद्धि ति ||४०|| सुहसंठाणा अण्णे कायं, वायं च सुहसरेणं तु । सुहसुविणेहिं च मळं, जाणेज्जा साहु सुद्धि त्ति ।।४१।। एत्थ उवाओ य इमो सुहदव्वाइसमवायमासज्ज । पडिवज्जइ गुणठाणं सुगुरुसमीवम्मि विहिणा तु ||४२|| वंदनमाई 3 विही णिमित्तसुद्धी पहाण मो णेओ । सम्मं अवेक्खियव्या एसा, इह रा विही ण भवे ||४३|| उड्ढं अहिगगुणेहिं तुल्लगुणेहिं च णिच्च संवासो । तग्गुणठाणोचियकिरियपालणास समाउत्तो ||४४|| उत्तरगुणबहुमाणो सम्मं भवरूवचिंतणं चित्तं । अरईप अहिगयगुणे तहा तहा जत्तकरणं तु ||४५ || अकुसलकम्मोदयपुव्वरूवमेसा जओ समक्खाया । सो पुण उवायसज्झो पाएण भयाइसु पसिद्धो ||४६ || Page #144 -------------------------------------------------------------------------- ________________ सरणं भए उवाओ, रोगे किरिया, विसम्मि मंतो त्ति | एए वि पावकम्मोवक्कमभेया उ तत्तेणं ॥ ४७॥ सरणं गुरु उ इत्थं, किरिया उ तवो त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ मोहविसविणासणो पयडो ||४८ || एएस जत्तकरणा तस्सोवक्कमणभावओ पायं । नो होइ पच्चवाओ, अवि य गुणो, एस परमत्थो || ४९|| चउसरणगमण दुक्कडगरहा सुकडाणुमोयणा चेव । एस गणो अणवरंय कायव्वो कुसलहेउ ति ||५०|| घडमाण पवत्ताणं जोगीणं जोगसाहणोवाओ । एसो पहाणतरओ णवर पवत्तस्स विण्णेओ || ५१|| भावणसुयपाढो तित्थसवणमसतिं तयत्थजाणम्मि | तत्तो य आयपेहणमतिनिउणं दोसवेक्खा || ५२ || रागो दोसो मोहो एए एत्थाऽऽयदूसणा दोसा । कम्मोदयसंजणिया विण्णेया आयपरिणामा ||५३ || कम्मं च चित्तपोग्गलरूवं जीवस्सऽणाइसंबद्धं । मिच्छत्तादिनिमित्तं णाएणमतीयकालसमं ||५४ || अणुभूयवत्तमाणो सव्वो वेसो पवाहओऽणादी । जह तह कम्मं णेयं, कयकत्तं वत्तमाणसमं ||५५ || मुत्तेममुत्तिमओ उवधायाऽणुग्गहा वि जुज्जंति । जह विण्णाणस्स इहं महरापाणोसहांदीहिं ||५६|| एवमणादी एसो संबंधो कंचणोवलाणं व । यामुवाणं तह वि विओगो वि हवइ त्ति ||१७|| एवं तु बंध- मोक्खा विणोवयारेण दो वि जुज्जति । सुह- दुखाई यदिट्ठा, इहरा ण, कयं पसंगेण || ५८ || Page #145 -------------------------------------------------------------------------- ________________ तत्थाभिस्संगो खलु रोगो, अप्पीइलक्खणो दोसो । अण्णाणं पुण मोहो, को पीडइ मं दढमिमेसि ? ||५९|| णाऊण ततो तव्यिसयतत-परिणइ-विवागदोसे ति । चितेज्जाऽऽणाए दढं परिक्के सम्ममुवउत्तो ||६०।। गुरु-देवयापणांम काउं परमासणाइठाणेण । दंस-मसगाइ काए अगणेतो तग्गयऽज्झप्पो ||१|| गुरु-देवयाहि जायइ अणुग्गहो, अहिगयस्स तो सिद्धी । एसो य तन्निमितो तहाऽऽयभावाओ विण्णेओ ||६२।। जह चेव मंत-रयणाइएहिं विहिसेवगस्स भव्वस्स । उवगाराभावम्मि वि तेसिं होइ ति तह एसो ||६३|| ठाणा कायनिरोहो तक्कारीसु बह्माणभावो य । दंसादिअगणणम्मि वि वीरियजोगो य इट्ठफलो ।।६४।। तग्गयचित्तस्स तहोवओगओ ततभासणं होति । एयं ए त्थ पहाणं अंगं खलु इट्ठसिद्धिए ||६५।। एयं खु ततणाणं असप्पवितिविणिवित्तिसंजणगं । थिरचित्तगारि लोगदुगसाहगं वे ति समयण्णू ।।६६।। थीरागम्मी ततं तासिं चिंतेज्ज सम्मबुद्धीए । कलमलग - मंस - सोणिय - पुरीस - कंकालपायं ति ।।६७।। रोग-जरापरिणामं णरगादिविवागसंगयं अहवा । चलरागपरिणतिं जीयनासणविवागदोसं ति ||६८।। अत्थे रागम्मि उ अज्जणाइदुक्खसयसंकुलं ततं । गमणपरिणामजुत्तं कुगइविवागं च चिंतेज्जा ||६९।। दोसम्मि 3 जीवाणं विभण्णयं एव पोग्गलाणं च । अणवट्ठियं परिणतिं विवागदोसं च परलोए ||७०।। Page #146 -------------------------------------------------------------------------- ________________ चिंतेज्जा मोहम्मी ओहेणं ताव वत्थुणो ततं । उप्पाय-वय धुवजुंय अणुहवजुतीए सम्म ति ||७१।। नाभावो च्चिय भावो अतिप्पसंगेण जुज्जइ कयाइ । ण य भावोऽभावो खलु तहासहावतऽभावाओ ||७२।। एयस्स उ भावाओ णिविति - अणुवित्तिजोगओ होति । उप्पायादी णेवं अविगारी वऽणुहवविरोहा ||७३।। आणाए चिंतणम्मी ततावगमो णिओगओ होति । भावगुणागरबहुमाणओ य कम्मक्खओ परमो ||७४।। पइरिक्के वाघाओ न होइ पाएण योगवसिया य । जायइ तहापसत्था हंदि अणब्भत्थजोगाणं ||७५।। उवओगो पुण पत्थं विण्णेओ जो समीवजोगो ति । विहियकिरियागओ खलु अवितहभावो उ सव्वत्थ ||७६|| एवं अब्भासाओ ततं परिणमइ चित्तथेज्जं च । जायइ भवाणुगामी सिवसुहसंसाहगं परमं ।।७७।। अहवा ओहेणं चिय भणियविहाणाओ चेव भावेज्जा । सत्ताइएसु मेताइए गुणे परमसंविग्गो ||७८।। सत्तेसु ताव मेत्तिं, तहा पमोयं गुणाहिएK ति । करुणा - मज्झत्थत्ते किलिस्समाणाऽविणेएसु ।।७९|| एसो चेवेत्थ कमो उचियपवित्तीए वण्णिआ साहू | इहराऽसमंजसत्तं तहातहाऽठाणविणिओया ||८०|| साहारणो पुण विही सुक्काहारो इमस्स विण्णेओ । अण्णत्थओ य एसो उ सव्वसंपकरी भिक्खा ||८१।। वणलेवोमवम्मेणं उचियतं तग्गयं निओएणं । एत्थं अवेक्खियव्वं, इहराऽयोगो ति दोसफलो ।।८।। Page #147 -------------------------------------------------------------------------- ________________ जोगाणुभावओ च्चिय पायं ण य सोहणस्स वि अलाभो । लद्धीण वि संपत्ती इमस्स जं वण्णिया समए ||८३ || रयणाई लद्धीओ अणिमादीयाओ तह य चित्ताओ | आमोसाइयाओ तहातहायोगबुडढिए || ८४॥ एतीए एस जुत्तो सम्मं असुहस्स खवग मो णेओ । इअरस्स बंधगो तह सुहेणमिय मोक्खगामि ति ||८५ || कायकिरियाए दोसा खविया मंडुक्कचुण्णतुल्ल ति । ते चेव भावणाए नेया तच्छारसरिस त्ति ||८६|| एवं पुणं पि दुहा मिम्मय - कणयकलसोवमंभणिय | अहि वि इह मग्गे नामविवज्जासभेएणं ||८७ || तह कायपाइणो ण पुण चित्तमहिकिच्च बोहिसत्त ति । होंति तहभावणाओ आसययोगेण सुद्धाओ ||८|| एमाइ जहोइयभावणाविसेसाठ जुज्जए सव्वं । मुक्काहिनिवेसं खलु निरुवियव्वं सबुद्धीए ||८९ एएण पगारेणं जायइ सामाइयस्स सुद्धि त्ति । तत्तो सुक्कज्झाणं, कमेण तह केवलं चेव ||१०|| वासी-चंदणकप्पं तु एत्थ सिट्ठअओ च्चिय बुहेहिं । आसयरयणं भणियं, अओऽण्णहा ईसि दोसो वि ।। ९९ ।। जड़ तब्भवेण जायइ जोगसमत्ती अजोगयाए तओ । जम्मादिदोसरहिया होड़ सदेगंतसिद्धि त्ति ||१२|| असमत्तीय उ चित्तेसु एत्थ ठाणेसु होइ उप्पाओ | तत्थ वि य तयणुबंधो तस्स तहऽब्भासओ चेव ||१३|| जह खलु दिवसऽब्भत्थं रातीए सुविणयम्मि पेच्छति । तह इहजम्मऽब्भत्थं सेवंति भवंतरे जीवा ||१४|| Page #148 -------------------------------------------------------------------------- ________________ ता सुद्धजोगमग्गोच्चियम्मि ठाणम्मि एत्थ वट्टेज्जा । इह-परलोगेसु दढं जीविय - मरणेसु य समाणो || १५ || परिसुद्धचित्तरयणो चएज्ज देहं तहंतकाले वि । आसण्णमिणं गाउं अणसणविहिणा विसुद्धेणं ॥ ९६ || णाणं चाऽऽगम-देवय-पइहा- सुमिणंधरादऽ दिट्ठीओ | णास -ऽच्छि-तारगादं सणाओ कण्णग्गऽसवणाओ ||९७|| अणसणसुद्धी इहं जत्तोऽतिसएण होइ कायव्वो । जल्लेसे मरइ जओ तल्लेसेसुं तु उववाओ ।।९८।। लेसाय वि आणाजोगओ उ आराहगो इहं नेओ । इहरा असतिं एसा वि हंतऽणाइम्मि संसारे ||१९|| ता इय आणाजोगे जइयव्वमजोगअत्थिणा सम्मं । एसो चिय भवविरहो सिद्धीए सया अविरहो य ||१०० || Page #149 --------------------------------------------------------------------------  Page #150 -------------------------------------------------------------------------- _