Page #1
--------------------------------------------------------------------------
________________
વૈશાથથશતક ઈન્ડિથપાજથીds
(સટીક ભાષાંતર સહિત)
સં. મુનિ પુણ્યકીર્તિ વિજય
Page #2
--------------------------------------------------------------------------
________________
शिवमस्तु सर्वजगतः ऐं नमः
॥ શ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ II
વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક
સટીક ભાષાંતર સહિત
: દિવ્યકૃપા :
દીક્ષાના દાનવીર, દીક્ષાયુગપ્રવર્તક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
: આજ્ઞા અને આશીર્વાદ :
સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા
: સંપાદક :
પૂજ્યપાદશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દર્શનભૂષણ વિ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પુણ્યકીર્તિ વિજય
HES
ગમાર્ગ
: પ્રકાશક :
સન્માર્ગ પ્રકાશન
Page #3
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક
ISBN - 81 - 87163 - 46-1
: પ્રકાશક :
સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન સન્માર્ગ પ્રકાશન
શ્વે. મૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૧૩૫૨૦૭૨ Email : sanmargp@Icenet.net
નકલ : ૩૦૦૦
પ્રકાશન : વિ. સં. ૨૦૫૮, ઈ.સન-૨૦૦૨.
આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રગટ કરેલ છે તેથી ગૃહસ્થે યોગ્ય નકરો ભરી ઉપયોગ કરવો.
કિંમત રૂા. ૭૦-૦૦
»k<889+++ vs સંપર્કસ્થાન
પ્રાપ્તિસ્થાન 0803)009
: અમદાવાદ :
સન્માર્ગ પ્રકાશત કાર્યાલય
: મુંબઈ :
જી. એસ. જ્વેલર્સ એન્ડ કું.
૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૬૨-૬૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (O) 36 30 340 (R) 36 91 148
ઃ સુરતઃ
વિપુલ ડાયમંડ
205-206, આનંદ, બીજે માળ, જદાખાડી,
મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 220405
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
।। ટીંટોઈમંડનશ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ II
વિષય અને કષાયની આગની જ્વાળાઓએ જ્યારે આત્માના ગુણોને બાળીને ખાખ કરવાની તૈયારી કરી છે ત્યારે એ જ્વાળાઓ આત્મગુણોને નુકસાન ન કરે તે માટે મહાપુરુષોએ વૈરાગ્યશતક અને ઇન્દ્રિયપરાજયશતક ગ્રંથની ભેટ આપી આપણા જેવા અબુદ્ધ જીવો ઉ૫૨ મહાન ઉપકાર કર્યો છે. આજના ભૌતિકવાદના જમાનામાં અધ્યાત્મવાદની સુનક્કર ઇમારતની એક કાંકરી પણ ન ખરે અને આત્મા સ્વભાવમાં રમણ કરી શકે માટે સંસારના સ્વભાવનું અને ઇન્દ્રિયના સ્વરૂપનું ભાન કરાવી આત્માને સુંદર શિખામણ આપી છે.
શ્રી વૈરાગ્યશતક ગ્રંથે સંસારના સંબંધો કેવા છે ? અને સંસારનું સુખ કેવું છે ? એનું સ્પષ્ટ માર્ગદર્શન આપી સંસાર પરથી વૈરાગ્ય પેદા કરાવ્યો છે. એ ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પ્રકાશિત રાખવામાં આત્માનું ગુણસ્વરૂપ જ્ઞાન એ ઉપાદાન કારણ છે. અને ઇન્દ્રિયનો વિજય એ સહકારી કારણ છે. વૈરાગ્ય માટે સ્ત્રી એ મહાવિઘ્નભૂત છે. શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાએ પરિસહ અધ્યયનમાં સ્ત્રીપરિસહની પ્રસ્તાવનામાં ‘પાપનો ત્યાગ એ વ્રત છે અને પાપમાં હેતુભૂત રાગ અને દ્વેષ છે તથા રાગ અને દ્વેષનું મૂલ સ્ત્રી છે' એમ જણાવ્યું છે. આ વચન વડે એ રાગદ્વેષનું મૂળ તોડવા ઇન્દ્રિયનો પ્રભાવ આત્મ પરથી તોડવા જે ઉપાયભૂત ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ અદ્ભુત કોટિનો છે. શ્રી વૈરાગ્યશતક ગ્રંથની ટીકા સંપાદિત થયેલ છે પણ તેનું ભાષાંતર આજ સુધી અપ્રગટ હતું. તથા શ્રીઇન્દ્રિયપરાજયશતકની ટીકા વિ.સં. ૨૦૫૨માં પ્રગટ થયેલ તેનું ભાષાંતર અપ્રગટ હતું એ બંને ગ્રંથનું ભાષાંતર ભવ્ય જીવોને ખૂબ ઉપકારક બને એવું છે. આ બંને ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ ઉપર વાચનાચાર્ય શ્રી ગુણવિનયગણિએ જે ટીકા રચી છે તે મહાપુરુષનો ઇતિહાસ નીચે પ્રમાણે છે.
વાચનાચાર્ય શ્રીગુણવિનયણ આહીરવિજયસૂરિના સમકાલીન ખરતરગચ્છના આ શ્રી જિનચંદ્રસૂરિનાસામ્રાજ્યમાં પાઠક શ્રી ક્ષેમરાજગણિવર થયા, તેમના શિષ્ય વાચકવર્ય શ્રી પ્રમોદમાણિક્યગણિવરના અન્હેવાસી વાદગજકેસરિશ્રી જયસોમ ગણિ હતા. તેમણે સં. ૧૬૫૦માં લાહોરમાં ‘કર્મચંદ્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર'ની રચના કરી અને તેમના શિષ્ય કે સમ્રાટ અકબરની સમક્ષ વાચનાચાર્ય પદથી વિભૂષિત કરેલ.
આ તેમણે વૈરાગ્યશતકની ટીકા સં. ૧૯૪૭માં અને ઇન્દ્રિય પરાજય શતકની ટીકા ૧૯૬૭માં કરી. આ સિવાય ગ્રંથકારની વિદ્વત્તા સૂચવતા બીજા પણ અનેકગ્રંથો છે જેમાં સંબોધ સપ્તતિ, રઘુવંશ જીતકલ્પવૃત્તિ, નેમિદૂત આદિની ટીકા મુખ્ય છે. સં. ૧૯૫૫માં કર્મચંદ્ર ચોપાઈ રચી છે.
ઇન્દ્રિયપરાજયશતક ગ્રંથના સંશોધનમાં ખંભાતની એક હસ્તલિખિત પ્રત અને ડહેલાનો ઉપાશ્રય અમદાવાદની ત્રણ પ્રતનો ઉપયોગ કરેલ છે જેને અનુક્રમે ૩, ૩, ૬, ૩, સંજ્ઞા આપેલ છે. તથા છપાયેલા પુસ્તકોમાં જે પાઠભેદ છે તે મુદ્રિતે લખીને જણાવેલ છે.
પ્રસ્તુત ગ્રંથમાં સંસારના સુખોને અને ઇન્દ્રિયોને આધીન બનનારની દશા કેવી થાય છે. તેનું આબેહૂબ વર્ણન કરી પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. આપણે સહુ સંસારના સુખનો ત્યાગ અને ઈન્દ્રિયોનો પરાજય કરી આત્માને કર્મબંધનથી મુક્ત કરી મુક્તિપદને નજીક બનાવીએ એ જ આશા. પોપટલાલ હેમચંદ જૈનનગર ઉપાશ્રય
- મુનિ પુણ્યકીર્તિ વિજય પાલડી અમદાવાદ વિ.સં. ૨૦૫૮ ફા.વ.૪ (સ્મૃતિમંદર-સાબરમતી પ્રતિષ્ઠા વર્ષ)
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
। टीण्टोइमण्डनश्रीमुहरीपार्श्वनाथाय नमः ।। ।। श्रीमद्विजय दान-प्रेम-रामचन्द्र-महोदय-दर्शनभूषण विजय सद्गुरुभ्यो नमः ।।
।। श्रीमदकब्बरसुरत्राणमुपदिश्याऽऽषाढीयाष्टाहिकाऽमारिप्रवर्तापकाणां । क्रियोद्धारकरणेन समादृतकठोरतरसाधुक्रियाणां-श्रीसाहिदत्तयुगप्रधानपदधारकाणां श्रीजिनचन्द्रसूरीश्वराणां साम्राज्यवर्ति- पाठकावतंस श्रीक्षेमराजगणिशिष्यवाचकवर्यश्रीमत्प्रमोदमाणिक्यगणिवरान्तेवासि-वादिगजकेसरि
महोपाध्यायश्रीजयसोमगणिशिष्यरत्न-सम्बोधसप्ततीन्द्रिपराजयशतकरधुवंशवृत्याद्यनल्पग्रन्थसोधसूत्रणसूत्रधारश्रीसाहिसमक्षप्रदत्तवाचनाचार्यपदविभूषित-श्रीमद्गुणविनयगणिवरसङ्कलितया व्याख्यया समलङ्कतं
पूर्वसूरिप्रवरविनिर्मितम् । ।। "वैराग्यशतकम्" ।।
XXXXXXXXXXXXXXXXXXXXXX
વૈરાગ્યશતક
૧
Page #9
--------------------------------------------------------------------------
________________
तत्राऽऽद्यगाथेयम् -
गाथा - संसारंमि असारे, नत्थि सुहं वाहिवेयणापउरे । जाणतो इह जीवो, न कुणइ जिणदेसियं धम्मं ॥ १ ॥
व्याख्या 'असारे' अप्रधाने, 'संसारे' चातुर्गतिकरूपे, तत्त्ववृत्त्या प्रायो वा किञ्चिदपि 'सुखं' सातवेद्यं कर्म, 'नास्ति' न विद्यते, असारत्वे कारणमाह-यतः किम्भूते संसारे ?, व्याधिश्च शरीरमन्दता, वेदना चमानसं दुःखं, ताभ्यां 'प्रचुरे' बहुले, अस्मिन् संसारे केवलं जन्तूनां व्याधिवेदने एव विद्येते एवं जानन्नपि 'इह' संसारे, 'जीवः' प्राणी, प्राप्तमपि जिनैस्तीर्थकृद्भिः 'देशितं' उपदिष्टं, 'धर्मं' दुर्गतौ पततः प्राणिनो धरतीति धर्मस्तं, 'न करोति' न विधत्ते, कर्मबहुलत्वादिति । । १ । ।
“वैराग्यशतकम्”
प्रणम्य श्रीधरं पार्श्व, पूर्वसूरिविनिर्मितम् । वैराग्यशतकं सम्यग् विवृणोमि यथामति ॥ १ ॥
-
व्याख्या
गाथा अज्जं कलं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपतिं । अंजलिगयं व तोयं, गलंतमाउं न पिच्छंति ॥ २ ॥
-
अद्यादिपदेषु प्राकृतत्वादनुस्वारः, 'पुरुषाः ' मूढा नराः, अद्य दिने 'कल्ये' आगामिदिने, ‘परस्मिन् आगामिवर्षे 'परारिं' परस्मिन् वर्षे (वा) 'अर्थसम्पत्ति' द्रव्यसम्पदं - अर्थसम्प्राप्तिं वा, 'चिन्तयन्ति' विचारयन्ति, यथाऽद्य दिने द्रव्यसम्पद् भविष्यति कल्ये वा परस्मिन् वा परारिं वा भविष्यति, इत्येवमाशाग्रस्तास्तिष्ठन्ति परं ते 'अञ्जलिगतं' अञ्जलिप्राप्तं, ‘तोयमिव' जलमिव, ‘गलत्' क्षरत्, आयुः 'न पश्यन्ति' न प्रेक्षन्ते-न विचारयन्ति, यथाऽञ्जलिगतं तोयं न कमपि कालं तिष्ठति तथेदमायुरपि क्षणे
२ वैराग्यशतकम्
Page #10
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યશતક
ગાથાર્થ - કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને ધારણ કરનારા, શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમસ્કાર
કરીને પૂર્વના આચાર્ય વડે રચાયેલા વૈરાગ્યશતકને સારી રીતે મારી બુદ્ધિની ક્ષમતા પ્રમાણે વર્ણન કરું છું.
ત્યાં પ્રથમ ગાથા આ પ્રમાણે - ગાથાર્થ - વ્યાધિ અને વેદનાથી ભરેલા અસાર એવો સંસારમાં સુખ નથી એમ
જાણતો હોવા છતાં પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતે કહેલા ધર્મને કરતો નથી. ૧૫.
ભાષાંતર - અસાર એટલે કે અપ્રધાન એવા ચારગતિરૂપ સંસારમાં તાત્ત્વિકરીતે
અથવા ઘણું કરીને, શાતા વેદનીય કર્મથી ભોગ્ય એવું કાંઈપણ સુખ વિદ્યમાન નથી. સંસારના અસારપણાનું કારણ કહેતા કહે છે કે કેવા સંસારમાં ? વ્યાધિ એટલે કે શરીરની માંદગી વેદના એટલે કે માનસિક દુ:ખ આ બન્નેથી ભરેલા એવા આ સંસારમાં પ્રાણીઓને ફક્ત વ્યાધિ અને વેદના જ વર્તે છે. એ પ્રમાણે જાણતો એવો પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતો વડે કહેવાયેલા અને પોતે પ્રાપ્ત કરેલા એવા ધર્મને કર્મની બહુલતા હોવાને કારણે કરતો નથી. ધર્મ કોને કહેવાય ? - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરે તે ધર્મ. //ના.
ગાથાર્થ - મૂઢ પુરુષો આજે કાલે, આવતા વર્ષે, અથવા પછીના વર્ષમાં મને
અર્થસંપત્તિ થશે એમ વિચારે છે પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ
ગળતા એવા આયુષ્યને જોતા નથી. !!! ભાષાંતર – “ઘ” આદિપદોમાં પ્રાકૃત હોવાથી અનુસ્વાર કરેલો છે. મૂઢ
મનુષ્યો આજે, કાલે, આવતા વર્ષમાં અથવા પછીનાં વર્ષોમા મને ધનની પ્રાપ્તિ થશે એમ વિચારે છે. જેમ કે- આજના દિવસે મને દ્રવ્યસંપત્તિ મળશે, અથવા કાલે મળશે અથવા આવતા વર્ષે મળશે અથવા પછીના વર્ષે મળશે એ પ્રમાણે આશાથી બંધાયેલા રહે છે. પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ ગલતા એવા આયુષ્યને
વિચારતા નથી. જેમ અંજલિમાં રહેલું પાણી થોડા પણ કાલ સુધી ઝઝઝઝઝઝઝઝઝઝઝ
વૈરાગ્યશતક ૨
Page #11
--------------------------------------------------------------------------
________________
क्षणे आधीचिमरणेन' क्षीयमाणं कियन्तं कालं स्थास्यतीत्येवं मूढत्वान्न जानन्तीति भावः ।।२।।
व्याख्य
गाथा - जं कल्ले कायव्, तं अज्जं चिय करेह तुरमाणा ।
बहुविग्यो हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ।।३।। हे प्राणिनः ! यत् ‘कल्ये' आगामिदिने, कर्तव्यं धर्मकरणीयमिति गम्यते, तद्धर्मकरणीयं त्वरमाणाः' विलम्बमकुर्वन्तः सन्तः ‘चिय' शब्दस्य एवकारार्थत्वादद्यैव कुरुध्वं, यतो 'हु' निश्चये, ‘बहवः' प्रचुरा, 'विघ्ना' अन्तरायाः सन्त्यस्मिन्निति बहुविघ्न एव 'मुहूर्त्तः' कालविशेषः, अतो मा 'अपराहँ' सायन्तनसमयं, 'प्रतीक्षध्वं' विलम्बध्वं, “श्रेयांसि बहुविघ्नानी"ति वचनात् पुण्ये कर्मणि प्रवर्तमानानां पुंसां बहवोऽन्तराया उत्तिष्ठन्त्यतो धर्मकर्मविधाने मा विलम्बंकुरुध्वमिति, तथा च वेदेऽप्येवमेवोक्तम्“न श्वः श्वः समुपासीत्, को हि मनुष्यस्य श्वो वेदेति” ।।३।।
गाथा - ही !! संसारसहावं, चरियं नेहाणुरागरत्ता वि ।
जे पुवण्हे दिट्ठा, ते अवरण्हे न दीसंति ।।४।। व्याख्या - मकारोऽलाक्षणिकः, संसारस्वभावस्य चरितं' आचरणं,
संसारस्वभावचरितं दृष्ट्वा 'हो' इति विषादो मम, कथं विषादः ? इत्याह
१. "तत्र वीचिविच्छेदस्तदभावादवीचि [स्तदेवआवीचि] स्तेन मरणम [आ] वीचिमरणं,
तत्पञ्चधा-द्रव्य १ क्षेत्र २ काल, ३ भव ४ भाव ५ भेदात् । तत्र यन्नारकतिर्यग्नरामराणामुत्पत्तिसमयात्प्रभृति निजनिजायुः कर्मदलिकानामनुसमयमनुभवनाद् विचटनं तद् द्रव्यावीचिमरणं, तञ्च नारकादिगति-चातुर्विध्याश्चतुर्विधम् । एवं नरकादिचतुर्गतिविषयक्षेत्रप्राधान्यापेक्षया क्षेत्राविचिमरणमपि चतुर्द्धव । देवादिष्वद्धाकालस्यासम्भवाद् देवाऽऽयुष्ककालादिचतुर्भेदप्राधान्यापेक्षया कालावीचिमरणमपि चतुर्विधम् । एवं देवादिचतुर्विधभवापेक्षया भावावीचिमरणं चतुर्दा । तथा देवादीनां चतुर्विधायुः क्षयलक्षणभावप्राधान्यापेक्षया भावावीचिमरणमपि चतुर्द्धवेति" उत्तराध्ययनसर्वार्थसिद्धिवृत्तौ १३५ पत्रे
खरतरगच्छगगनाङ्गनभोमणयः श्रीकमलसंयमो-पाध्यायपादाः । KKRKEREKKEEKKAKEkkkkkkkkkkkk ३ वैराग्यशतकम्
Page #12
--------------------------------------------------------------------------
________________
રહેતું નથી. તે પ્રમાણે આયુષ્ય પણ આવી ચિમરણ વડે ક્ષણે ક્ષણે ક્ષય થાય છે તે આયુષ્ય કેટલા કાળ સુધી રહેશે ? એ પ્રમાણે
મૂઢપણાથી જીવો જાણતા નથી. રા. ગાથાર્થ - જે કાલે કરવા યોગ્ય છે તે આજે જ જલ્દીથી કરો, સાંજના સમયની રાહ
ન જુઓ કારણ કે મુહૂર્ત ઘણા વિદનવાળું છે. ૩.
ભાષાંતર - હે પ્રાણીઓ ! જે પછીના દિવસે કરવા યોગ્ય ધર્મકરણી છે, તે
વિલંબકર્યા વગર આજે જ કરો (અહિં વિય શબ્દનો એવકાર અર્થ છે.) કારણ કે નિચ્ચે ઘણા અંતરાય છે જેમાં એવું બહુ વિપ્નવાળું મુહૂર્ત એટલે કાળ છે. આથી સાંજના સમય સુધી વિલંબ ન કરો. (હુ શબ્દનો નિશ્ચય અર્થ છે) “શ્રેસિ વવિન” આ પ્રમાણેના વચનથી એટલે કે પુણ્યકર્મમાં પ્રવૃત્ત થયેલા પુરુષોને ઘણાં અંતરાયો ઉત્પન્ન થાય છે. આથી ધર્મકાર્ય કરવામાં વિલંબ ન કરવો જોઈએ. તથા વેદમાં પણ આ પ્રમાણે જ કહેલું છે. “આવતી કાલે આવતી કાલે એમ ઉપાસના ન કરવી કારણ કે મનુષ્યની
આવતી કાલ કોણ જાણે છે ?” III. ગાથાર્થ – સંસારના સ્વભાવનું ચરિત્ર કેવું છે ? ખેદ સૂચક છે. કારણ કે સ્નેહના
અનુરાગથી આસક્ત પણ સ્વજનાદિ જે પ્રાત:કાલે જોવાયેલા છે, તે
સંધ્યાનાં સમયે દેખાતા નથી. જો ભાષાંતર – “મ' કાર અલાક્ષણિક છે. સંસારના સ્વભાવનું આચરણ જોઈને ખરેખર
મને વિષાદ થાય છે. શામાટે વિષાદ થાય છે ? તો કહે છે કે બીજા * ત્યાં વીચિ એટલે છેદ તેનો અભાવ અવીચિ તે જ આવીચિ તેના વડે મરણ તે
આવી ચિમરણ. તે પાંચ પ્રકારે છે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ (૪) ભવ (૫) ભાવ તેમાં (૧) જે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવોને ઉત્પત્તિ સમયથી માંડીને પોતપોતાના આયુષ્યના
કર્મદળિયાનો અનુભવ થતો હોવાથી ખપતું હોવાથી તે દ્રવ્ય આવી ચિમરણ અને તે નરકાદિ
ચાર ગતિ હોવાથી ચાર પ્રકારે છે. (૨) એ પ્રમાણે નારકાદિ ચાર ગતિના વિષયવાળા ક્ષેત્રની મુખ્ય અપેક્ષા વડે ક્ષેત્ર આવીચિમરણ
પણ ચાર પ્રકારે જ છે. (૩) દેવાદિમાં અદ્ધાકાળનો અસંભવ હોવાથી દેવનું આયુષ્યરૂપ કાળ એમ ચારે ગતિમાં આયુષ્યના
કાળની મુખ્ય અપેક્ષા વડે કાલ આવી ચિમરણ પણ ચાર પ્રકારે છે. (૪) એ પ્રમાણે દેવાદિ ચાર પ્રકારના ભવની અપેક્ષા વડે ભવ આવીચિમરણ ચાર પ્રકારે છે. (૫) તથા દેવ આદિ ચાર પ્રકારના આયુષ્યના ક્ષય સ્વરૂપ ભાવની મુખ્ય અપેક્ષા વડે ભાવ
આવીચિમરણ પણ ચાર પ્રકારે છે. આ વાત ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિ જે ખરતરગચ્છ રૂપ આકાશના આંગણામાં ચંદ્ર સમાન એવા ઉપાધ્યાય કમલસંયમ મુનિએ કરેલ છે તેના ૧૩પમા પાના ઉપર છે.
વૈરાગ્યશતક
૩
Page #13
--------------------------------------------------------------------------
________________
- 'स्नेहानुरागेण' प्रेमबन्धेन रक्ता अपि, आसतामन्ये, ये स्वजनादयः 'पूर्वाह्ने' प्रातःकाले, दृष्टास्त एव 'अपराह्ने' सन्ध्यायां न दृश्यन्ते, स्नेहानुरागरक्तानां किल वियोगासंभवात्त एवोक्ताः, परं संसारस्य क्षणदृष्टनष्टत्वात्तेऽपि वियुज्यन्त इति भावः ।।४।।
गाथा - मा सुअह जग्गियव्वे, पलाइयव्वंमि कीस वीसमेह ।
तिण्णि जणा अणुलग्गा, रोगो अजरा अमच्चू अ ।।५।।
व्याख्या - भो लोका ! जागरितव्ये-धर्मकर्मणि कर्तव्ये इति भावः, तत्र ‘मा स्वपिथ' मा
शेध्वं, न प्रमादितव्यमिति भावः, ‘पलायितव्ये' अस्मात्संसारात् 'प्रनष्टव्ये, 'कस्माद्विश्राम्यथ ?' कथमस्मिन् संसारे खेदापनयनं कुरुध्वमिति भावः, कथं ?, यतस्त्रयो जना भवतां 'अनुलग्नाः' पृष्ठतो लग्नाः-प्रवृत्ताः, वर्तन्त इति शेषः, ते के ? इत्याह ‘रोगश्च' अतीसारादिः, जरा च' वयोहानिः, ‘मृत्युश्च' मरणं, एवंविधास्त्रयोऽपि जना अनुलग्ना, अतो धर्मे न प्रमादो विधेय इति भावः, अन्योऽपि जागरितव्ये स्थाने न स्वपिति पलायितव्ये च न विश्राम्यतीति छाया[भावा]र्थः, जना इति लोकोक्त्या उक्तं, अन्यथैषामात्मधर्मत्वादिति ।।५।।
गाथा - दिवसनिसाघडिमालं, आउस्सलिलं' जियाण घेत्तूणं ।
चंदाइञ्चबइल्ला, कालऽरहट्टे भमाडंति ।।६।। व्याख्या - ‘चन्द्रादित्यावेव' शशिभास्करावेव, ‘बलीवर्दी' वृषभौ,
प्राकृतत्वाद्विभक्तिपरिणामो, 'दिवसाश्च निशाश्च' [दिवसनिशा], ता एव 'घटिमाला' कुम्भपङ्क्तिस्तया, जीवानां ‘आयुः' जीवितमेव सलिलं 'गृहीत्वा' आदाय काल:' परिवर्तनालक्षणः, स एव अरघट्टस्तं भ्रमयतः' परिवर्तयतः, पुनरुच्चैः पुनर्नीचैरित्येवमिति ।।६।।
१. षान्तस्य नशेर्णत्वाभावः “मस्जिनशोझलि [७-१=६०] इति [पाणिनीय सूत्रेण] नुम् ।
२. आउं सलिलं मुद्रितप्रते ।
४
वैराग्यशतकम्
Page #14
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
ભાષાંતર - હે જીવો ! કર્તવ્યરૂપ ધર્મકાર્યના અવસરે તમે સૂઈ ન રહો. પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસા૨થી નાશી જવા યોગ્ય છે. તો કયા કારણથી તમે સંસારમાં વિસામો ખાવા બેઠા છો ? અર્થાત્ કે આવા સંસારમાં તમે ખેદને કેવી રીતે દૂર કરશો ? જે કારણથી ત્રણ મનુષ્યો તમારી પાછળ લાગેલા છે. તે કયા ત્રણ મનુષ્યો ? તો કહે છે કે રોગ-અતિસારાદિ, જરા-વયની હાનિ, અને મૃત્યુ આ ત્રણે પાછળ પડેલા છે. આથી ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ વ્યવહા૨માં પણ લોક જાગવા યોગ્ય સ્થાનમાં સૂતો નથી અને નાશી જવા યોગ્ય સ્થાનમાં વિશ્રામ નથી કરતો. અહી રોગ-જરા-અને મૃત્યુ એ ત્રણ ને “જન” એ પ્રમાણે લોકઉક્તિ વડે જ કહેવાયેલું છે. વાસ્તવિક રીતે તેઓ આત્માના (વૈભાવિક) ધર્મ સ્વરૂપે છે.
ગાથાર્થ
સામાન્ય મનુષ્યો તો દૂર રહો પણ જે પ્રેમના બન્ધન વડે રાગી થયેલા સ્વજનાદિઓ પણ જેઓ પ્રાત:કાલે જોવાયેલા છે તેઓ તેવા જ સ્વરૂપે સન્મ્યાના સમયે દેખાતા નથી. સ્નેહના અનુરાગથી રક્ત થયેલાઓનો ખરેખર વિયોગ ન થતો હોવાથી અહિં સ્વજનો ગ્રહણ કર્યા છે. પરંતુ સંસારમાં ક્ષણવાર પહેલા જોવાયેલું પણ નષ્ટ થતું હોવાથી સ્વજનોનો પણ વિયોગ થાય છે. તેમાં કાંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. II૪l હે જીવો જાગવાને ઠેકાણે સૂઈ ન રહો. જ્યાંથી નાશી જવું જોઈએ ત્યાં વિસામો ખાવા કેમ બેઠા છો ? કારણ કે રોગ જરા અને મૃત્યુ એ ત્રણ મનુષ્યો તમારી પાછળ પડ્યા છે. IIII
-
ચન્દ્ર અને સૂર્યરૂપી બળદો દિવસ અને રાત્રિ રૂપી ઘડાઓની પંક્તિ વડે જીવોના આયુષ્ય રૂપી પાણીને ગ્રહણ કરી કાળ રૂપી રેંટને ફેરવે છે. કા
ભાષાંતર – ચન્દ્ર અને સૂર્યરૂપી બળદો (અહીં પ્રાકૃત હોવાથી બહુવચન કરેલું છે) દિવસ અને રાત્રિ રૂપી ઘડાઓની પંક્તિ વડે જીવોના આયુષ્ય રૂપી પાણીને ગ્રહણ કરીને પરિવર્તન સ્વરૂપ જે કાળ છે, તે કાળ રૂપ રેંટને ફેરવે છે, અર્થાત્ કે ઘડીકમાં ઊંચે ઘડીકમાં નીચે ફેરવે છે. IIઙા
વૈરાગ્યશતક ૪
Page #15
--------------------------------------------------------------------------
________________
गाथा
व्याख्या
गाथा
व्याख्या
गाथा
1
-
साथ कला तं नत्थ, उसहं तं नत्थि किंपि विन्नाणं ।
जेण धरिज्जइ काया, खज्जंती कालसप्पेण ||७||
सा नास्ति कला द्वासप्ततेरन्यतरा, तच्च 'औषधं' अगदो नास्ति, तत् किमपि 'विज्ञानं ' शिल्पं नास्ति, येन कलादिना 'कालो' मृत्युरेव सर्पस्तेन 'खाद्यमानो' भक्ष्यमाणः 'कायो' देहो 'ध्रियते' तत्खादनाद्रक्ष्यते ।।७।।
दीहरफणिंदनाले, महियरकेसरदिसामहदलिल्ले । ओ ! पियइ कालभमरो, जणमयरंदं पुहविपउमे ||८||
'ओ' इति पश्चात्तापे अव्ययं, काल एव 'भ्रमरो' भृङ्गः, पृथिव्येव पद्मं, तस्मिन् 'जना' लोका एव 'मकरन्दो' रसस्तं पिबति, अन्योऽपि भ्रमरः पद्मे मकरन्दं पिबत्येव, तथाऽयं काल एव भृङ्गो भूरूपकमले जनमकरन्दं ग्रसत इति भावः, यतः
'दुपयं चउप्पयं बहु-पयं च अपयं समिद्धमहणं वा ।
अणवक विकतो, हरइ हयासो अपरितंतो । । १ । । "
किंभूते पृथ्वीपद्मे ?, 'दीर्घं' आयतं 'फणीन्द्र एव' शेष एव 'नालं' मृणालं, यस्य तत्तस्मिन् दीर्घफणीन्द्रनाले, इदं च लोकोक्त्या विशेषणं, तथा 'महीधराः ' पर्वता एव 'केसराणि किञ्जल्कानि यत्र तत्तस्मिन् महीधरकेसरे, प्राकृतत्वाद्विभक्तिलोपः, तथा 'दिश एव' आशा एव, 'महान्ति, बृहन्ति, 'दलानि पत्राणि यस्मिन् तत्तस्मिन् दिङ्महाले, स्वार्थे इल्लप्रत्ययः, “ओ सूचनापश्चात्तापे” [४-२-२०३] इति [ हैम ] प्राकृतव्याकरणे।।८।।
छायामिसेण कालो, सयलजियाणं छलं गवेसंतो ।
पास कहवि न मुंचइ, ता धम्मे उज्जमं कुणह ।।९।।
१. ओसहं मुद्रितप्रते । २. उअ इत्यपि पाठः ।
वैराग्यशतकम्
Page #16
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ – કાળરૂપી સર્પ વડે ભક્ષણ કરાતી કાયા, જે રક્ષણ કરી શકાય એવી
કોઈ કલા નથી, એવું કોઈ ઔષધ નથી, એવું કોઈ વિજ્ઞાન પણ
નથી. ૭ll ભાષાંતર - બહોતેર કળામાંથી એવી કોઈ કળા નથી, અને તેનું કોઈ ઔષધ નથી,
તેમજ તેવું કોઈ શિલ્પ આદિ વિજ્ઞાન પણ નથી કે જે કળા આદિવડે “કાલ” એટલે કે મૃત્યુ, તે રૂપી જે સર્પ તેના વડે ભક્ષણ કરાતી કાયા ધારણ કરી
શકાય એટલે કે ખાતા એવા કાલ રૂપી સર્પ વડે રક્ષણ કરી શકાય. ll૭ી ગાથાર્થ – ઘણા ખેદની વાત છે કે શેષનાગ રૂપ મોટા નાળચાવાળા પર્વત રૂપી
કેસરાવાળા, દિશા રૂપ વિશાળ પાંદડાવાળા, પૃથ્વી રૂપી કમળમાં કાળ રૂપ ભ્રમર મનુષ્ય રૂપ રસને પીવે છે
ભાષાંતર - “મો” અવ્યય ખેદ અર્થમાં છે. કાલ રૂપ ભમરો,પૃથ્વી રૂપ જે
કમલ, તે કમળમાં લોક રૂપી રસને પીવે છે અન્ય એટલે કે પ્રાણી રૂપ ભ્રમર પણ કમળમાં રસને પીવે છે. તે પ્રમાણે કાલરૂપ ભ્રમર પૃથ્વી રૂપ કમળમાં મનુષ્ય રૂપી રસને પીવે છે. એ પ્રમાણે કહેવાનો ભાવ છે. અપરાધ નહીં કર્યો છતે પણ દ્વિપદ-ચતુષ્પદ-બહુપદ-અપદ-સમૃદ્ધ અને નિર્ધનને અપકાર નહિ કરનારને પણ હતાશ (આશા વગેરનો અપેક્ષા વગરનો) એવો યમ સતત હરણ કરે છે. કેવા પ્રકારના પૃથ્વી રૂપી કમલમાં ? લાંબા શેષનાગ રૂપી નાળચાવાળા કમળમાં. આ વિશેષણ લોકોકિત વડે કરેલું છે. તથા પર્વતો રૂપી કેસરા જેને વિષે છે તેવા કમળમાં. અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ કરેલો છે. તથા દશ દિશા રૂપી મોટા પાંદડા જેને વિષે છે તેવા પૃથ્વીરૂપી કમલમાં. “હિસાહસ્તેિ અહીં સ્વાર્થમાં રૂટ્સ પ્રત્યય લાગેલો છે. “કો || ગો અવ્યય સૂચના અને પશ્ચાત્તાપ અર્થમાં હેમ પ્રાકૃત વ્યાકરણ (૮-૨-૨૦૩)માં કહેલો છે. અહીં પશ્ચાત્તાપ અર્થમાં ગ્રહણ કરેલ છે.
ગાથાર્થ - પડછાયાના બહાના વડે સઘળા જીવોના છલને શોધતો એવો કાલ કોઈના
પણ પડખાને મૂકતો નથી. તે કારણથી તમે ધર્મમાં ઉદ્યમને કરો. હલા
વેરાગ્યશતક
૫
Page #17
--------------------------------------------------------------------------
________________
व्याख्या - हे प्राणिनः ! 'छायामिषेण' निजनिजशरीरप्रतिबिम्बदम्भेन, अयं 'कालो'
यमः सकलजीवानां ‘छलं' रन्ध्र ‘गवेषयन्' अवलोकयन् सन् ‘पार्श्व' प्राणिसमीपं कथमपि न मुञ्चति' न त्यजति, शरीरिणामियं छाया न भवति किन्तु यम एव रन्ध्र गवेषयति, कदाऽसौ स्खलेत् कदाऽहं गृह्णामीति वाञ्छया, “ता" इति तस्मात् यूयं 'धर्म' जिनप्रणीतेऽहिंसादिरूपे उद्यमं कुरुध्वं, यावद्यमेन गृहीता न वर्तध्वे तावत्किञ्चित्पुण्यं विदध्वमिति भावः ।।९।।
गाथा - कालंमि अणाइए, जीवाणं विवहकम्मवसगाणं ।
तं णत्थि संविहाणं, संसारे जं न संभवइ ।।१०।।
व्याख्या - ‘अनादौ' आदिरहिते ‘काले' परिवर्तनालक्षणे 'विविधकर्मवशगानां'
विविधकर्मायत्तानां ‘जीवानां' प्राणिनां संसारे तत् ‘संविधानं' भेदो नास्ति यत् 'न सम्भवति' न घटते, अपि तु सर्वमपि घटत इत्यर्थः, जन्तुभिर्नानाजातिष्वनेकविधकर्मप्रेरितैः सर्वेऽपि भेदा एकेन्द्रियादयः प्राप्ता इत्यर्थः ।।१०।।
गाथा - बंधवा सुहिणो सव्वे, पियमायापुत्तभारिया ।
पेयवणाउ नियत्तंति, दाऊणं सलिलंऽजलिं ।।११।। व्याख्या - सर्वेऽपि ‘बान्धवाः' स्वजनाः, 'सुहृदो' मित्राणि, मातापितरौ, प्राकृतत्वात्सूत्रे
विपर्ययः, पुत्रभार्या, मृतं प्रति 'सलिलाञ्जलिं' जलतर्पणं, दत्त्वा 'पितृ प्रेत]वनात्' स्मशानात्, “निवर्तन्ते' व्याघुट्य स्वगृहमायान्ति, न
पुनस्तेन सहाऽनुयान्तीति भावः ।।११।। गाथा - विहडंति सुआ विहडंति, बंधवा वल्लहा य विहडंति ।
इक्को कहविन विहडइ, धम्मो रे जीव ! जिणभणिओ ।।१२।। व्याख्या - ‘रे जीव !' आत्मन् !, 'सुताः' पुत्रा ‘विघटन्ते' वियुज्यन्ते, स्वस्मात्तेषां
पूर्वमेव मृतत्वात्, तथा 'बान्धवाः' स्वजना विघटन्ते, तथा 'वल्लभाश्च' १. पेयवणाओ मुद्रितप्रते।
६
वैराग्यशतकम
Page #18
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે પ્રાણીઓ ! પોતપોતાના શરીરના પ્રતિબિમ્બના દંભ વડે આ યમરાજા
સઘળા જીવોના છિદ્રને શોધતો પ્રાણીની ક્યારેય પણ કેડ – છેડો મૂકતો નથી. વાસ્તવિક રીતે તો પ્રાણીઓની આ છાયા નથી પરંતુ યમ જ પ્રાણીઓના છિદ્ર અર્થાત્ દોષોને શોધે છે. ક્યારે આ જીવ સ્કૂલના પામે અને ક્યારે હું તેને ગ્રહણ કરું એ પ્રમાણેની ઇચ્છાથી તે દરેક જીવની પાછળ પડેલો છે. તે કારણથી તમે જીનેશ્વર ભગવંતે કહેલા અહિંસાદિ રૂપ ધર્મમાં ઉદ્યમ કરો. જ્યાં સુધી યમ વડે ગ્રહણ કરાયેલા નથી ત્યાં સુધી
કાંઈક પુણ્યને કરો. ગાથાર્થ – અનાદિકાલિન એવા આ સંસારમાં વિવિધ પ્રકારના કર્મને વશ થયેલા
જીવોને એવો કોઈ સંબંધ નથી કે જે ન સંભવે, અર્થાત્ કે સમગ્ર સંબંધોથી જીવો સંસારમાં ભટક્યા છે. ./૧૦
ભાષાંતર – જેની આદિ એટલે કે શરૂઆત નથી એવા અનાદિ તેમજ પરિવર્તન
સ્વરૂપ એવા કાળમાં આ સંસારમાં વિવિધ પ્રકારના કર્મને આધીન પ્રાણીઓને તેવો કોઈ જીવનો ભેદ નથી કે જે ન ઘટતો હોય અર્થાતુ કે સર્વે ભેદોથી સર્વે સંસારી જીવો ઘણીવાર જોડાયેલા છે. વિવિધ પ્રકારના કર્મથી પ્રેરાયેલા જીવો વડે જુદા જુદા પ્રકારની જાતિઓમાં સર્વે પણ
એકેન્દ્રિય -બેઇન્દ્રિય આદિ ભેદો પ્રાપ્ત કરાયા છે. ગાથાર્થ – સ્વજનો, મિત્રો, માતા, પિતા, પુત્ર, સ્ત્રી એ સર્વે વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી
પાણીની અંજલી આપી સ્મશાનથી પાછા જાય છે ||૧૧||
ભાષાંતર - સર્વે પણ બાંધવો એટલે સ્વજનો, મિત્રો, માતા, પિતા (પ્રાકૃત હોવાથી
સૂત્રમાં પિતા-માતા આ પ્રમાણે વિપર્યય છે.) પુત્ર, પત્ની વગેરે મૃત્યુ પામેલ વ્યક્તિને પાણીની અંજલી આપીને સ્મશાનથી પોતાના ઘરે પાછા
જાય છે. પરંતુ મૃત્યુ પામેલ વ્યક્તિની પાછળ જતા નથી. ગાથાર્થ – હે જીવ ! પુત્રો વિખૂટા પડે છે, બાન્ધવો વિખૂટા પડે છે, સ્ત્રીઓ પણ
વિખૂટી પડે છે પરંતુ એક ધર્મ, જે જિનેશ્વર ભગવંતે કહેલો છે તેનો
ક્યારે પણ વિયોગ થતો નથી. ૧૨ ભાષાંતર – હે આત્મા ! પુત્રો વિખૂટા પડે છે. પોતાના કરતા પુત્રોનું મરણ કોઈવાર
પહેલાં થાય છે. તથા સ્વજનો વિખૂટા પડે છે. તથા સ્ત્રીઓ વિખૂટી પડે
વૈરાગ્યશતક
તુ
Page #19
--------------------------------------------------------------------------
________________
गाथा - अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ।। १३ ।।
व्याख्या
हे आत्मन् ! अष्टसंख्यानि कर्माण्येव पाशास्तैः 'बद्धः' संयतोऽयं 'जीवः' प्राणी 'संसारचारके' भवरूपे बन्दिगृहे, 'तिष्ठति' आस्ते, अष्टकर्मपाशेम्यो 'मुक्तो' रहित आत्मा 'शिवमन्दिरे' मोक्षसौधे तिष्ठति, यदा आत्मा कर्मरहितो भवति तदैकसमयेन क्षेत्रान्तरमस्पृशन् मोक्षं प्रयातीति ।। १३ ।।
गाथा - विहवो सज्जणसंगो, विसयसुहाइं विलासललियाई । नलिनीदलग्गघोलिर-जललव-परिचंचलं सव्वं ।। १४ ।।
स्त्रियो विघटन्ते, तस्याः मरणेनाऽन्येन सह संयोगाद्वा, अन्यत्सर्वं विघटते, परमेको 'जिनभणित' स्तीर्थकृत्प्रणीतो धर्मः कथमपि विघटते, धर्मस्तु इहामुत्राऽपि सुखकारणत्वादात्मनो न वियुज्यत इति
भावः ।। १२ ।।
व्याख्या 'विभवो' धनं, तथा 'सज्जनानां' पितृमातृभ्रातृभार्यादीनां, ‘सङ्गः' सम्बन्धः, तथा 'विलासेन' लीलया 'ललितानि' मनोज्ञानि, 'विषयसुखानि' विषयसौख्यानि, एतत्सर्वं 'नलिनीदलाग्रे' पद्मिनीपत्रप्रान्ते, “घोलिरो” दोलनशीलो यो 'जललवः ' पानीयबिन्दुस्तद्वत् 'परिचञ्चलं' अतिशयेनाऽस्थिरं, यथा नलिनीपत्रप्रान्ते जलबिन्दुः स्तोकं कालमेव तिष्ठति, वायुना शीघ्रमेव पतनात्, तथा विभवादिकं सर्वमप्यस्थिरमित्यर्थः, “घूर्णो घुलल-घोल-घुम्म-पहल्लाः [८-४-११७]” इति [ हैम प्रा०] सूत्रेण घूर्णघातोर्घोल आदेशस्ततः शीलार्थे इरप्रत्ययः ।। १४ ।।
गाथा
-
-
[अथ] कानपि पूर्वं यूनो बलाद्युपेतान् दृष्ट्वा पश्चात्तानेव जरतो गलितशरीरान् वीक्ष्योपदेशमाह
तं कत्थ बलं तं कत्थ, जुव्वणं अंगचंगिमा कत्थ ? | सव्वमणिच्चं पिच्छह, दिट्ठे नट्टं कयंतेण ।। १५ ।।
७ वैराग्यशतकम्
Page #20
--------------------------------------------------------------------------
________________
છે. સ્ત્રીઓનો મરણ વડે વિયોગ થાય છે. અથવા તો અન્ય પુરુષની સાથે સંયોગ થવાથી વિયોગ થાય છે. અન્ય સર્વે વસ્તુનો વિયોગ થાય છે. પરંતુ એક શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મનો ક્યારેય વિયોગ થતો નથી. ધર્મ આલોક અને પરલોકમાં પણ સુખનું કારણ હોવાથી આત્માથી
તે ક્યારેય છૂટો પડતો નથી. ગાથાર્થ - આઠ કર્મરૂપ પાશથી બંધાયેલો એવો જીવ સંસારરૂપ કેદખાનામાં રહે છે.
આઠ કર્મરૂપ પાશથી મૂકાયેલો જીવ મોક્ષમંદિરમાં જઈને રહે છે. ./૧૩.
ભાષાંતર - હે આત્મા ! આઠ પ્રકારના કર્મરૂપી જે પાશા છે તેના વડે બંધાયેલો
એવો આ જીવ સંસારરૂપ કેદખાનામાં રહે છે. આઠ પ્રકારના કર્મ રૂપ પાશથી રહિત થયેલો આત્મા મોક્ષ રૂપ મહેલમાં રહે છે. જ્યારે આત્મા કર્મરહિત થાય છે ત્યારે એક સમય વડે અન્ય ક્ષેત્રને સ્પર્શ કર્યા વગર - મોક્ષમાં જાય છે.
ગાથાર્થ - વૈભવ સ્વજનોના સંબંધ, વિલાસ વડે મનોહર વિષય સુખો આ સર્વે
કમલના પત્રના અગ્રભાગમાં રહેલા ચંચળ પાણીના બિંદુની જેમ અતિશય
ચંચળ છે. ૧૪ ભાષાંતર - વૈભવ એટલે ધન, તથા પિતા, માતા, ભાઈ, પત્ની વિગેરે સ્વજનોનો
સંબંધ તથા લીલા વડે મનોહર વિષયસુખો આ સર્વે, કમળના પાંદડાના છેડે રહેલું, કંપવાના સ્વભાવવાળું જે પાણીનું બિન્દુ છે તેની જેમ અતિશય અસ્થિર છે. જે પ્રમાણે કમલના પાંદડાના છેડાના ભાગમાં રહેલું જલનું બિન્દુ પવન વડે થોડા જ સમયમાં પડી જતું હોવાથી અલ્પકાલ જ રહે છે તેની જેમ વૈભવાદિ સર્વે પણ અસ્થિર છે. “પૂ પુત્ર-પૌત્ર-પુ-પચ્છ: (૮-૪-૧૧૭)” આ પ્રમાણેના હૈમ પ્રાકૃત વ્યાકરણના સૂત્ર વડે ઘૂર્ણ ધાતુનો ઘોલ આદેશ કરી શીલ એટલે સ્વભાવ અર્થમાં ટુર પ્રત્યય કરેલો છે. ll૧૪ હવે પહેલા કોઈપણ બળાદિથી યુક્ત કેટલાક યુવાનોને જોઈને પાછળથી
તેઓને જ ગળી ગયેલા શરીરવાળા જોઈને ઉપદેશ આપતા કહે છે કેગાથાર્થ - શરીરનું તે બળ ક્યાં ગયુ? તે જુવાની ક્યાં ગઈ? શરીરનું સૌન્દર્ય ક્યાં
ગયું? કાળ વડે તે સર્વે થોડા જ વખતમાં હતું ન હતું કરાયું છે. આથી તે સર્વે અનિત્ય છે તેમ જુઓ ૧પો.
વૈરાગ્યશતક
૭
Page #21
--------------------------------------------------------------------------
________________
व्याख्या - हे प्राणिनः ! 'तद्' इति तारुण्यावस्थायां यद् ‘बलं' पराक्रममासीत्, तद्बलं
तव कुत्र गतं ?, तथा तद् यौवनं' तारुण्यं कुत्र ?, तथा 'अङ्गचङ्गिमा' शरीरोत्कृष्टता, कुत्र ? तस्मात् 'कृतान्तेन' कालेन, कृत्वा 'दृष्टनष्टं' पूर्वं दृष्टं पश्चान्नष्टमिति दृष्टनष्टं 'सर्व' समस्तं 'अनित्यं' अशाश्वतं पश्यत' अवलोकयत, पूर्वं यच्छरीरमेवंविधमासीत्तदेव सम्प्रति कालेनैवंविधं विहितमिति का तत्र शरीरे आस्थेति भावः ।।१५।।
गाथा - घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ ।
पावइ बिडंबणाओ, जीवो को इत्थ सरणं से ।।१६।।
व्याख्या - हे प्राणिन् ! अयं 'जीवः' प्राणी 'घनानि' प्रचुराणि, यानि कर्माणि तान्येव
'पाशा' बन्धनग्रन्थयस्तैः ‘बद्धः' संयतः सन् ‘भव'श्चातुर्गतिकसंसार एव नगरचतुष्पथानि, तेषु 'विविधा' अनेकप्रकाराः शरीरमनोदुःखदायिन्यो 'विट[विडम्बना' विगोपनानि वधबन्धादिरूपाणि प्राप्नोति, अतः “एत्थ" एतस्मिन्, संसारे "से" तस्य प्राणिनः कः शरणं ?, यदवष्टम्भाद्विगोपनानि
स न प्राप्नुयादिति ।।१६।। गाथा - धोरंमि गब्भवासे, कलमलजंबालअसुइबीभच्छे ।
वसिओ अणंतखुत्तो, जीवो कम्माणुभावेणं ।।१७।। व्याख्या - 'घोरे' रौद्रे 'गर्भवासे' जनन्युदरैकदेशे अयं जीवः ‘कर्मणां' शुभाशुभरूपाणां
'अनुभावेन' प्रभावेण 'अनन्तकृत्वः' अनन्तवारान्, 'उषितः' स्थितः, किम्भूते गर्भवासे ?, 'कलमलो' जठरद्रव्यसमूहः, स एव 'जम्बाल:' कर्दमस्तेन 'अशुचि'रुद्वेजनीय-उद्वेगकारी, बिभत्सो' भयजनकस्तस्मिन् ।।१७।।
गाथा - चुलसीई किर लोए, जोणीणं पमुहसयसहस्साइं ।
इक्किकमि अ जीवो, अणंतखुत्तो समुपनो ।।१८।। व्याख्या - किलेत्यागमोक्तौ, 'लोके योनीनां' जीवोत्पत्तिस्थानानां, चतुरशीतिः
'प्रमुखशतसहस्राणि' भेदलक्षाणि विद्यन्ते, 'जीवः' प्राणी, एकैकस्यां च योनावनन्तवारान् समुतान्नः ।।१८।।
८
वैराग्यशतकम्
Page #22
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે પ્રાણીઓ ! તરુણાવસ્થામાં જે તમારું બળ એટલે પરાક્રમ હતું તે ક્યાં
ગયું ? તથા તે યૌવન એટલે કે તરુણપણું ક્યાં ગયું ? તથા શરીરની ઉત્કૃષ્ટતા ક્યાં ગઈ! પૂર્વે જે જે વસ્તુ જે સ્વરૂપે જોવાયેલી હતી તે તે વસ્તુ તે સ્વરૂપે પાછળથી કાળ વડે નષ્ટ કરાયેલી છે. તે કારણથી તે સર્વે પદાર્થોને અનિત્ય સ્વરૂપે જુઓ. પૂર્વે જે શરીર બળ, સૌન્દર્ય અને જુવાનીથી યુક્ત હતું, તે જ શરીર હમણાં કાળ વડે બળ, સૌન્દર્ય અને જુવાનીથી રહિત
કરાયું છે. તેથી તે શરીરમાં શ્રદ્ધા કેવી રીતે થાય ? ૧પા ગાથાર્થ – ગાઢ કર્મરૂપ પાશથી બંધાયેલો જીવ આ સંસારરૂપ નગરના ચારગતિ
રૂ૫ માર્ગમાં અનેક પ્રકારની વિડમ્બનાને પામે છે, અહીં તેનું કોણ
શરણ છે ? ૧૯ ભાષાંતર - હે જીવ! આ આત્મા ગાઢ કર્મ રૂપ જે બન્ધનો છે, તેના વડે બંધાયેલો,
સંસાર રૂપી નગરના ચારગતિ રૂપ જે માર્ગો તે માર્ગમાં અર્થાત્ કે ચારેગતિમાં, વિવિધ એટલે શરીર અને મનને દુ:ખ આપનારી અનેક પ્રકારની વધ-બન્ધનાદિ રૂપ વિડમ્બનાઓ પામે છે. આથી આ સંસારમાં પ્રાણીઓને કોણ શરણ છે ? કે જેના અવલમ્બનથી તેઓ વિડંબનાને ન
પામે ! ||૧૬ ગાથાર્થ – કર્મના પ્રભાવ વડે આ જીવ વિર્ય અને મળ રૂપ કાદવની અશુચિથી
ભયાનક અને રૌદ્ર એવા ગર્ભવાસમાં અનંતી વાર વસ્યો છે. ૧૭ll
ભાષાંતર - ઘોર એટલે રૌદ્ર એવા ગર્ભવાસ એટલે માતાના ઉદરના એક ભાગમાં,
આ જીવ શુભાશુભ કર્મના પ્રભાવ વડે અનંતીવાર વસ્યો છે. કેવા પ્રકારના ગર્ભવાસમાં ? વીર્ય અને મળ રૂપ જઠરના દ્રવ્યના સમૂહ રૂપ જે કાદવ, તે રૂપ અશુચિથી ઉગ કરનાર અતિ ભયજનક એવા
ગર્ભાવાસમાં જીવ વસ્યો છે. ll૧૭ી ગાથાર્થ – લોકને વિષે જીવને ઉત્પન્ન થવાના સ્થાન રૂપ યોનિ ચોરાશી લાખ છે. તે
એક એક યોનિમાં આ જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. ll૧૮ ભાષાંતર - કિલ એટલે કે ખરેખર, આગમમાં કહેવું છે કે લોકમાં જીવના
ઉત્પત્તિસ્થાનો રૂપ યોનિના ચોરાશી લાખ ભેદ વિદ્યમાન છે, તે ઉત્પત્તિસ્થાનોને યોનિ કેહવાય છે. તે એક એક યોનિમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયો છે. ૧૮
વૈરાગ્યશતક
૮
Page #23
--------------------------------------------------------------------------
________________
गाथा - मायापियबंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ ।
बहुजोणिनिवासीहिं, न य ते ताणं च सरणं च ।।१९।।
व्याख्या - ‘बहुयोनिनिवासिभि'श्चतुरशीतिलक्षप्रमाणयोनिवासिभिः, 'संसारस्थै' भव
स्थितैर्मातापितृबन्धुभिरयं लोकः 'पूरितो' भृतः, अमी जन्तवः सर्वेऽपि कदाचिन्मातृत्वेन कदाचित्पितृत्वेन कदाचिद्वन्धुत्वेन जाता इति, न च ते संसारस्था मात्रादयस्त्राणं भवन्ति, आपत्तरणसमर्थं त्राणमुच्यते, यथा महास्रोतोभिरुह्यमाणः सुकर्णधाराधिष्ठितं प्लव(पोत)- मासाद्याऽऽपस्तरतीति, न च ते शरणं भवन्ति, शरणं पुनर्यदवष्टम्भान्निर्भयैः स्थीयते, तत्पुनर्दुर्ग पर्वतः पुरुषो वेति, तथाऽत्र न कश्चिदस्तीति, उक्तं च“जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते ।। जिनवचनादन्यत्र तु नास्ति [च] शरणं क्वचिल्लोके ।।१।।" ।।१९।।
गाथा - जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडप्फडए ।
सयलो विजणो पिच्छइ, को सक्को वेयणाविगमे ? ।।२०।।
व्याख्या - जीवो 'व्याधिभी' रोगैः ‘विलुप्तोऽभिद्रुतो 'निर्जले' जलरहितप्रदेशे 'शफर
इव' मत्स्य इव "तडप्फडए” त्ति आकुलीभवति, तथाविधं रोगैः पीड्यमानं जनं सकलोऽपि जनः ‘पश्यति' अवलोकते, परं तस्य 'वेदनायाः' पीडायाः, 'विगमे' विनाशे, कः पुरुषः ‘शक्तः' समर्थः ?,
अपि तु न कोऽपि तत्पीडामपगमयतीत्यर्थः ।।२०।। गाथा - मा जाणसि जीव ! तुम, पुत्तकलत्ताई मज्झ सुहहेउ ।
निउणं बंधणमेयं, संसारे संसरंताणं ।।२१।। १. पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ इत्यपि पाठः ।
९
वैराग्यशतकम्
Page #24
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - સંસારમાં રહેલા અને ચોરાશી લાખ યોનિમાં વસતા એવા માતા-પિતા અને બન્ધુઓ વડે આ લોક ભરેલો છે, પણ તે કોઈ તારું રક્ષણ કરનાર નથી તેમજ શરણ આપનાર પણ નથી ।।૧૯।।
ભાષાંતર - ચોરાશી લાખ પ્રમાણવાળી યોનિમાં વસતા અને સંસારમાં રહેલા એવા માતા-પિતા અને બન્ધુઓ વડે આ ચૌદરાજ લોક પૂરાયેલો છે. આ સર્વે જન્તુઓ ક્યારેક માતા પણે ઉત્પન્ન થાય છે, ક્યારેક પિતાપણે તો ક્યારેક બન્ધુપણે ઉત્પન્ન થાય છે, અને તે સંસારમાં રહેલા માતાદિ સ્વજનો ૨ક્ષણ રૂપ થતા નથી. આપત્તિમાંથી તારવામાં જે સમર્થ હોય તેને ત્રાણ કહેવાય છે, જે પ્રમાણે મહાપ્રવાહો વડે તણાઈ જતો વ્યક્તિ હોંશિયાર એવા નાવિક વડે અધિષ્ઠિત એવા વહાણને પ્રાપ્ત કરીને પાણીને તરી જાય છે, એની જેમ માતાપિતાદિ સ્વજનો સંસાર રૂપ સમુદ્રને પાર ઉતરવામાં સમર્થ થતા નથી. અને તેઓ શરણરૂપ પણ નથી. જેના આલંબનને પામીને નિર્ભયપણે રહેવાય તે શરણ કહેવાય. મહાપ્રવાહમાં તણાતા પ્રાણીઓને કિલ્લો, પર્વત અથવા પુરુષ પણ શરણ રૂપે ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ સંસારરૂપ મહાસમુદ્રમાં તણાતા જીવોને માતાપિતાદિ કોઈ શરણ રૂપ થતુ નથી. કહેલું છે કે જન્મ-જ૨ામરણના ભયોથી ઉપદ્રવ પામેલા અને વ્યાધિ અને વેદનાદિ ગ્રસ્ત થયેલા એવા આ લોકમાં જિનવચનથી અન્ય બીજું કોઈ શરણ નથી. ।।૧૯।।
ગાથાર્થ – જ્યારે રોગોથી ઘેરાયેલો આ જીવ, જલ વિનાના માછલાની જેમ તડફડે છે ત્યારે સર્વે પણ સ્વજનો તેને રોગોથી પીડાતો દેખે છે, છતાં તેમાંથી કોણ તેની વેદના દૂર કરવાને સમર્થ થાય છે ? ।।૨૦।
ભાષાંતર - વિવિધ પ્રકારના રોગોથી ઘેરાયેલો જીવ, જલ રહિત પ્રદેશમાં રહેલા માછલાની જેમ તડફડે છે, એટલે કે આકુળ-વ્યાકુળ થાય છે. રોગો વડે પીડાતા તેવા પ્રકા૨ના જીવને સઘળા સ્વજનો દેખે છે. પરંતુ તેની પીડાને દૂર ક૨વામાં કોણ પુરુષ સમર્થ થાય ? અર્થાત્ કે કોઈપણ સ્વજન તેની પીડાને દૂર કરી શકતું નથી. I૨૦
ગાથાર્થ
–
હે જીવ ! તું આ સંસારને વિષે પુત્ર સ્ત્રી વિગેરે, મને સુખના હેતુ થશે એમ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર-સ્ત્રી વિગેરે ગાઢ સંસાર બંધનનું કારણ થાય છે. ।।૨૧।
વૈરાગ્યશતક
૯
Page #25
--------------------------------------------------------------------------
________________
व्याख्या हे 'जीव!' आत्मन् !, त्वं 'मा जानीहि ' माऽवबुध्यस्व, यथा मम
पुत्रकलत्रादिः सुखहेतुर्भविष्यति, तर्हि किं जाने ? इत्याह- 'संसारे' भवे ‘संसरतां’ नारकतिर्यग्भवादिरूपेण पर्यटतां जीवानामेतत् पुत्रकलत्रादिकं 'निपुणं' गाढं बन्धनं, एतद्बन्धनबद्धा एव जन्तवः संसारे तिष्ठन्तीत्येवं जानीहीति भावः ।। २१ ।।
गाथा
व्याख्या
-
-
-
जणणी जाय जाया, जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा सव्वजीवाणं ।। २२ ।।
हे प्राणिन् ! संसारे 'कर्मवशात्' कर्मपरतन्त्रतया, 'सर्वजीवानां' सकलप्राणिनां, ‘अनवस्था' अनैयत्यं, तामेवाऽऽह-या 'जननी' माता, सैव भवान्तरे 'जाया' पत्नी 'जायते' उत्पद्यते, या जाया सा माता जायते, तथा कर्मवशात् पिता च पुत्रो भवति, च शब्दात्पुत्रश्च पिता भवति, अतोऽनवस्थैव, यदा जननी जनन्येव जाया जायैव भवान्तरेऽपि भवेत्तदाऽवस्था-नैयत्यं भवेत्, तथा नास्ति, अतोऽनवस्था, तथा चोक्तं श्रीमद्भगवत्यां
“अयं णं भंते ! जीवे सव्वजीवाणं मातित्ताए पियत्ताए भाइत्ताए भगिणित्ताए भज्जत्ताए पुत्तत्ताए धुतत्ताए सुत्ताए उववण्णपुव्वे ?, हंता गोयमा ! असतं अदुवा' अतखुत्तों । सव्वजीवा विणं भंते ! इमस्स जीवस्स मातित्ताए जाव उववण्णपुव्वा ?, हंता गोयमा ! जाव अणंतखुत्तो । अयं णं भंते ! जीवे सव्वजीवाणं अरित्ताएँ वेरियत्ताएँ घातयत्ताएँ वहगत्ताएँ पडिणीयत्ता पच्चामित्तत्ताएं उववण्णपुव्वे ? हंता गोयमा ! जाव अणंतखुत्तो । सव्वजीवा वि णं भंते !, एवं चेव । अयं णं भंते ! जीवे सव्वजीवाणं रायत्ताए जुवरायत्ताए जाव सत्थवाहत्ताए उववण्णपुव्वे ?, हंता गोयमा ! असई जाव अ । सव्वजीवा विणं एवं चेव । अयं णं भंते ! जीवे सव्वजीवाणं
१. असकृत्-अनेकशः । २ अथवा । ३ अनन्तकृत्वः - अनन्तवारान 1 ४ सामान्यतः
शत्रुभावेन । ५ वैरिकः शत्रुभावानुबन्धयुक्तस्तत्त या । ६ मारकतया । ७ व्यथकतयाताडकतयेत्यर्थः । ८ प्रत्यनीकतया - कार्योपघातकतया । ९ अमित्रसहायतया । ( इति वृत्ती श्रीमदभयदेवसूरिमिश्राः)
१० वैराग्यशतकम्
Page #26
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે આત્મા ! તું એ પ્રમાણે જાણ નહીં કે પુત્ર-સ્ત્રી વિગેરે મને સુખના હેતુ થશે.તો શું જાણવું ? તો કહે છે કે આ સંસારમાં ના૨ક તિર્યંચ આદિ વિવિધ રૂપ વડે ભ્રમણ કરતા જીવોને પુત્રી-સ્ત્રી વિગેરે ગાઢ બંધન રૂપ છે. આ બંધનથી બંધાયેલા જીવો જ સંસારમાં રહે છે. એ પ્રમાણે જાણ. ।।૨૧।
-
ગાથાર્થ – સંસારમાં કર્મના વશથી સર્વે જીવોને અનવસ્થા છે કે જે, ભવમાં માતા હોય છે તે ભવાન્તરમાં સ્ત્રી થાય છે, જે સ્ત્રી હોય છે તે માતા રૂપે થાય છે, પિતા હોય તે પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે અને પુત્ર હોય છે તે ભવાંતરમાં પિતા રૂપે થાય છે. II૨૨૫
ભાષાંતર -હે જીવ ! સંસા૨માં કર્મના વશથી એટલે કર્મની પરાધીનતાથી સર્વે જીવોને અનિયમિતપણું હોય છે. તેને જ કહે છે કે જે આ ભવમાં માતા હોય છે તે જ અન્યભવમાં પત્નીપણે ઉત્પન્ન થાય છે., જે પત્ની હોય છે તે માતા રૂપે ઉત્પન્ન થાય છે તથા કર્મના વશથી પિતા પુત્ર રૂપે થાય છે અને પુત્ર અન્યભવમાં પિતા રૂપે થાય છે. આથી અનિયમિતપણું જ છે. જો માતા હોય તે માતા રૂપે જ ભવાંતરમાં થાય અને પત્ની હોય તે પત્ની રૂપે જ થાય તો નિયમિતપણું કહેવાય પણ તે પ્રમાણે તો થતું નથી. આથી જ તે અનવસ્થા અર્થાત્ અનિયમિતપણું કહેવાય. તથા શ્રીમદ્ ભગવતીમાં આ પ્રમાણે કહેલું છે - હે ભગવંત ! જીવો સર્વે જીવોના માતાપણે, પિતાપણે, બંધુપણે, બહેનપણે, પત્નીપણે, પુત્રપણે, પુત્રીપણે, પૂર્વ ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનેક પ્રકારે અથવા અનેકવાર. હે ભગવંત ! સર્વે જીવો આ જીવના માતાપિતાદિપણે પહેલા ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! સર્વે જીવો આ જીવના માતાદિપણા વડે અનેકવાર ઉત્પન્ન થયા છે. હે ભગવંત ! જીવો, સર્વે જીવોના સામાન્યથી શત્રુભાવ વડે કરીને, વૈરિપણા વડે કરીને, મા૨ના૨પણા વડે કરીને, વ્યથકપણા વડે કરીને, પ્રત્યનીકપણા વડે કરીને, મિત્ર તરીકે સહાયપણું નહિ કરવા દ્વારા પહેલા ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનંતીવાર ઉત્પન્ન થયેલા છે. હે ભગવંત ! સર્વે જીવો આ જીવના એ જ પ્રમાણે ઉત્પન્ન થયા છે. હે ભગવંત ! જીવો સર્વે જીવોના રાજાપણે. યુવરાજપણે યાવત્
વૈરાગ્યશતક ૧૦
Page #27
--------------------------------------------------------------------------
________________
दासत्ताएं" पेसत्ताएं भयगत्ताएं २ भातिल्लगत्ताए३ भोगपुरिसत्ताएं। सीसत्ताएं५ वेसत्ताएँ६ उववण्णपुव्वे ?, हंता गोयमा ! जाव अणंतखुत्तो । एवं सव्वजीवा वि अणंतखुत्तो” (इति) द्वादशशतके सप्तमोद्देशके ।।२२।।
गाथा - न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं ।
न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ।।२३।।
व्याख्या - संसारे सा 'जातिः' क्षत्रियादिर्न, तथा सा 'योनि' जीवोत्पत्तिस्थानं न,
तथा तत् 'स्थानं' आकाशक्षेत्रं न, तथा चोक्तं श्रीभगवत्यां
“एयंसि णं भंते ! महालगंसि लोगंसि अस्थि भंते ! केती परमाणुपोग्गलमत्ते वि पएसे, जत्थ णं अयं जीवे ण जाते न मते वा वि ? गोयमा ! णो तिणटे समढे, से केणतुणं भंते एवं वुञ्चति ?, एयंसि णं ए महालयंसि लोगंसि णत्थि केई परमाणुपोग्गलमेत्ते वि पएसे जत्थ णं अयं जीवे ण जाते ण मते वा वि?, गोयमा ! से जहा नामए केइ पुरिसे अयासयस्स एगं महं अयावयं करेजा, से णं तत्थ जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं अयासहस्स' पक्खिवेज्जा, ताओ णं तत्थ पउरगोयराओ" पउरपाणियातो जहण्णेणं एगाहं वा दयाहं वा तियाहं वा उक्कोसेणं छम्मासे परिवसेज्जा, अत्थि णं गोयमा ! तस्स अयावयस्स केती परमाणपोग्गलमत्ते वि पएसे जे णं तासिं अयाणं उच्चारेण वा पासवणेण वा खेलेण वा
सिंघाणएण वा वंतेण वा पित्तेण वा पूएण वा सुक्केण वा सोणिएण वा १०. गृहदासीपुत्रतया । ११. प्रेष्यतया-आदेश्यतया । १२. भृतकतया-दुष्कालादौ पोषिततया । १३. कृष्यादिलाभस्य भागग्राहकतया । १४. अन्यैरुपार्जितार्थानां भोगकारिनरतया । १५. शिक्षणीयतया १६. द्वेष्यतयेति । १७. षष्ट्याश्चतुर्थ्यर्थत्वात्, अजाशताय । १८. अजाव्रजअजावाटकम् । १९.यदिहाऽजाशतप्रायोग्ये वाटके उत्कृष्टेणाऽजासहस्र-प्रक्षेपणमभिहितं तत्तासामतिसङ्कीर्णतयाऽवस्थानख्यापनार्थम् [इति वृत्तौ श्रीमदभयदेवसूरिपूज्याः] २०. प्रचूरचरणभूमयः प्रचुरपानीयाश्च, अनेन च तासां प्रचुरमूत्रपुरीषसंभवो बुभुक्षापिपासा विरहेण सुस्थतया चिरंजावित्व चाक्तम् [इति वृत्ता]
११
वैराग्यशतकम्
Page #28
--------------------------------------------------------------------------
________________
સાર્થવાહપણે પહેલા ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! અનેક વાર થાવત્ અનંતવાર. એ જ પ્રમાણે સર્વે જીવો જીવના રાજાદિપણા વડે ઉત્પન્ન થયા છે. એ જ પ્રમાણે હે ભગવંત ! જીવો સર્વે જીવોના દાસપણે, પ્રેષ્યપણે, ભૂતકપણે ભાગ ગ્રહણ કરવાપણે ભોગિક પુરુષપણે શિષ્યપણે દ્રષ્યપણે પહેલા ઉત્પન્ન થયા છે ? હે ! ગૌતમ ! યાવતુ અનંતીવાર. આ પ્રમાણે સર્વે જીવો અનંતીવાર
થયેલા છે. એ પ્રમાણે બારમા શતકના સાતમા ઉદ્દેશામાં છે. કેરી ગાથાર્થ – સંસારમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન
નથી, એવું કોઈ કુલ નથી કે જ્યાં સર્વે જીવો અનંતીવાર જન્મ્યા ન હોય
અને અનંતીવાર મૃત્યુ પામ્યા ન હોય. /ર૩ll ભાષાંતર - સંસારમાં ક્ષત્રિયાદિ એવી કોઈ જાતિ નથી, જીવોના ઉત્પત્તિસ્થાન રૂપ
એવી કોઈ યોનિ નથી, એવું કોઈ આકાશપ્રદેશરૂપ સ્થાન નથી. તથા શ્રી ભગવતી સૂત્રમાં કહેવું છે કે “મહાન એવા લોકમાં હે ભગવંત ! કેટલા પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ છે કે જ્યાં આ જીવ જન્મ્યો ન હોય કે મર્યો ન હોય ? હે ગૌતમ ! તે કાર્ય માટે એક પણ પ્રદેશ સમર્થ નથી. હે ભગવંત ! શા માટે આપ એ પ્રમાણે કહો છો કે આ મહાન લોકમાં કોઈપણ પરમાણું પુદ્ગલમાત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય ? હે ગૌતમ ! કોઈક નામના કોઈક પુરૂ ષે સો બકરીઓ માટે એક મોટો બકરીઓનો વાડો કર્યો. તે તેમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરાઓને નાખે. તેઓ ત્યાં ઘણી ચરવાની ભૂમિથી અને ઘણા પાણીથી (ખોરાક મેળવે) પછી એક દિવસ અથવા બે દિવસ અથવા ત્રણ દિવસ અથવા ઉત્કૃષ્ટથી છ માસ સુધી વસે, તો તે ગૌતમ! બકરીઓના વાડાના કેટલા પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ તે બકરીઓના મળ વડે, મૂત્ર વડે, ગ્લેખ વડે, કાનના મેલ વડે, વમન વડે, પિત્ત વડે, પરુ વડે, વીર્ય વડે, લોહી વડે, ચર્મ વડે, રોમ વડે, શીંગડા વડે, ખરી વડે, નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે ? ભગવન્! તે સમર્થ નથી (એક પણ આકાશપ્રદેશ સ્પર્શાયા વગર બાકી ન રહે) ગૌતમ ! તે બકરીના વાડાના કેટલાક પરમાણુપુલમાત્ર પ્રદેશ બાકી રહે છે તે બકરીઓના મળ વડે ઝઝઝઝઝઝઝઝઝ
વૈરાગ્યશતક ૧૧
Page #29
--------------------------------------------------------------------------
________________
चम्मेहिं वा रोमेहिं वा सिंगेहिं वा खुरेहिं वा णहेहिं वा अणक्कंतपुव्वे भवति ?, भगवं ! णो तिणट्टे समट्ठे, होज्जा - वि णं गोतमा ! तस्स अयावयस्स केई परमाणुपोग्गलमेत्ते वि पएसे जे णं तासिं अयाणं उच्चारेण वा जाव नहेहिं वा अणक्कंतपुव्वे, णो चेव णं एयंसि ए महालयंसि लोगंसि, लोगस्स य सासयं भावं संसारस्य य अणादिभावं जीवस्स य णिच्चभावं कम्मबहुत्तं जम्मणमरणबाहुलं च पडु णत्थि केई परमाणुपोग्गलमेत्ते वि पदेसे जत्थ णं अयं जीवे ण जाते वाण मते वा वि, से तेणद्वेणं तं चेव जाव ण मते वा वि” (इति) द्वादशशते सप्तमोद्देशके, तथा तत्कुलमुग्रादि न, यत्र जात्यादिषु सर्वे जीवा 'अनन्तशो' अनन्तवारान् 'न जाता' नोत्पन्ना, 'न मृता' न परासुत्वं प्राप्ता इति एतावता व्यवहाराराशिमुपगतानां येषां जीवानामनन्तः कालो वृत्तो विद्यते तेषां सर्वेष्वपि जात्यादिषु अनन्तश उत्पत्तिर्जातैव भविष्यतीति सम्भाव्यते, पुनरेतदभिप्रायं बहुश्रुता एव विदन्तीति ।। २३ ।।
गाथा - तं किं पिनत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तं पि । जत्थ न जीवा बहुसो, सुहदुक्खपरंपरंपत्ता' ।। २४ ।।
व्याख्या
गाथा सव्वाओ रिद्धीओ, पत्ता सव्वे वि सयणसंबंधा ।
व्याख्या
१२
हे प्राणिन् ! लोके तत्किमपि 'वालाग्रकोटिमात्रं' केशाग्रप्रान्तमात्रमपि ‘स्थानं' क्षेत्रं नास्ति, बह्वास्तां, यत्र वालाग्रकोटिमात्रेऽपि स्थाने 'बहुशो ' बहून् वारान् ‘जीवाः' प्राणिनः, 'सुखदुःखपरम्परां' सातासातपरिपाटी न प्राप्ताः, एतावता जीवाः कर्मवशगाः सर्वत्र कदाचित्सुखं कदाचिद्दुःखं प्रापुरित्यर्थः ।।२४।।
-
संसारे ता विरमसु तत्तो जइ मुणसि अप्पाणं ।। २५ ।।
"
हे आत्मन् ! संसारे पर्यटता भवता सर्वा 'ऋद्धयः' सम्पदः, प्राप्ता, अपि शब्दश्चार्थश्च पुनस्त्वया सर्वे स्वजनसम्बन्धा मातापितृभ्रात्रादिभेदभिन्नाः
वैराग्यशतकम्
Page #30
--------------------------------------------------------------------------
________________
યાવતુ નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે જ્યારે આ મોટા લોકમાં એવો એક પ્રદેશ પણ બાકી ન રહે. લોક શાશ્વત છે અને સંસાર અનાદિ છે. જીવ નિત્ય છે, કર્મનું બહુલપણું છે. જન્મ-મરણની બહુલતાએ બધાને આશ્રયીને કોઈ પરમાણુ પુદ્ગલમાત્ર પ્રદેશ નથી
જ્યાં જીવ જન્મ્યો ન હોય તે કારણથી એક પણ પુદ્ગલમાત્ર પ્રદેશ આખા મોટા લોકમાં નથી કે જ્યાં જીવ જન્મ્યો ન હોય અને મર્યો ન હોય એ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રના બારમા શતકમાં સાતમા ઉદ્દેશામાં કહેલું છે. તથા ઉગ્રાદિ એવું કુલ નથી જેમાં જાતિ આદિમાં સર્વે જીવો અનંતવાર જન્મ્યા ન હોય એટલે કે ઉત્પન્ન ન થયા હોય અને મર્યા ન હોય એટલે કે પ્રાણનો ત્યાગ ન કર્યો હોય. આના વડે વ્યવહારરાશિમાં આવેલા જે જીવો અનંતકાળ રહેલા વિદ્યમાન છે, તેઓની સર્વે પણ જાતિ આદિમાં ઉત્પત્તિ થયેલી જ છે એ પ્રમાણે સંભવે છે વિશેષ આ અભિપ્રાયને તો બહુશ્રુતો જ જાણે છે. /ર૩
ગાથાર્થ - લોકને વિષે વાલના અગ્રભાગના અસંખ્યાતા ભાગ જેટલું પણ એવું
કોઈ સ્થાન નથી કે જ્યાં જીવો ઘણી વાર સુખ દુઃખની પરંપરાને ન
પામ્યા હોય. ર૪ ભાષાંતર – હે જીવ ! લોકને વિષે કોઈ મોટું ક્ષેત્ર તો દૂર રહો, પણ એક વાલના
અગ્રભાગના છેડા માત્ર એટલું પણ ક્ષેત્ર નથી કે જ્યાં વાળના અગ્રભાગના છેડા માત્ર જેટલા સ્થાનમાં ઘણીવાર જીવોએ શાતા આશાતા રૂપ સુખદુ:ખની પરંપરાને અનેકવાર પ્રાપ્ત ન કરી હોય. કર્મને આધીન થયેલા જીવોએ સર્વત્ર ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ ને
પ્રાપ્ત કર્યું છે. ર૪ો. ગાથાર્થ - હે જીવ ! સંસારને વિષે સર્વે સંપત્તિઓ અને સર્વેની સાથે સ્વજનના
સંબંધો પામ્યો છે, પણ હજુ સુધી સુખી થયો નથી. તેથી જો આત્માના સ્વરૂપને જાણવા ઇચ્છતો હોય તો તે રિદ્ધિ તથા સંબંધોથી
વિરામ પામ //રપા ભાષાંતર - હે આત્મા ! સંસારમાં ભટકતા એવા તારાવડે સર્વે સંપત્તિઓ પ્રાપ્ત
કરાઈ છે. અહીં ગવ શબ્દ ૨ અર્થમાં છે. વળી તારાવડે સર્વે માતા
વૈરાગ્યશતક ૧૨
Page #31
--------------------------------------------------------------------------
________________
प्राप्ताः, यतः“मातापितृसहस्राणि, पुत्रदारशतानि च । युगे युगे व्यतीतानि, मोहस्तेषु न युज्यते ।।१।।" अयुक्तत्वं च "दाराः परिभवकारा, बन्धुजनो बन्धनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो ?, ये रिपवस्तेषु सुहृदाशा ।।२।।" “ता" इति तस्मात्कारणात् यद्यात्मानं सुखिनं भवन्तं जानासि तदा तदृद्धिस्वजनसम्बन्धेभ्यो ‘विरमस्व' निवर्तस्व, विरतेः सुखकारणत्वादिति
।।२५।।
गाथा - एगो बंधइ कम्मं, एगो वहबंधमरणवसणाई ।
विसहइ भवंमि भमडइ, एगुच्चिय कम्मवेलविओ ।।२६।।
व्याख्या - ‘एक एव' असहाय एव जीवः 'कर्म' ज्ञानावरणीयादि, ‘बघ्नाति' आत्मना
सह संश्लिष्टं करोति, तथा एक एव भवान्तरे वध'स्ताडनं, ‘बन्धो' रज्ज्वादिना संयमनं, 'मरणं' प्राणच्यवनं, 'व्यसनं' आपत्, ततो वधश्च बन्धश्च मरणं च व्यसनं च, तानि 'विषहते' अनुभवति, वधबन्धादिकं नरकादौ प्राप्नोतीत्यर्थः, तथा एक एव कर्मभि“वेलविओ" त्ति वञ्चितःपुण्यकरणाद्विप्रलब्धः सन् भवे'
संसारे भ्रमति, वञ्चेर्वेलवादेशो भवति ।।२६।। गाथा - अनो न कुणइ अहियं, हियं पि अप्पा करेइ न हु अन्नो ।
अप्पकयं सुहदुक्खं, भुंजसि ता कीस दीणमुहो ? ।।२७।।
व्याख्या - हे प्राणिन् ! 'अहितं' अनिष्टं वधबन्धादिकं अन्यः कोऽपि न कुरुते,
यथाऽनेनाऽहं ताडित इत्यादि परकृतं मा चिन्तयेति भावः, तथा ‘हितमपि' इष्टमप्यात्मनः सुखकारणकदम्बकं आत्मैव करोति, 'हुनिश्चये, नैव ‘अन्यः' परः करोति, “ता" इति तत, 'आत्मकृतं' आत्मना शुभाशुभकर्मप्रेरितेन ‘कृतं' विहितं, सुखदुःखं 'भुनक्षि' अनुभवसि, ततः कस्माद् ‘दीनमुखो' विच्छायवदनः ?, यदि परेण
१३
वैराग्यशतकम्
Page #32
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
ગાથાર્થ
પિતા ભાઈ વિગેરે ભેદોથી ભિન્ન સ્વજનોના સંબંધો પ્રાપ્ત કરાયા છે. જે કારણથી કહ્યું છે કે “દરેક યુગમાં હજારો માતાપિતા સેંકડો પુત્ર અને પત્નીઓ વ્યતીત થયેલા છે. તેથી તેઓને વિષે મોહ કરવો તે યોગ્ય
નથી” (૧) અને અયોગ્યપણું આ છે કે પત્નીઓ પરાભવ કરનારી છે, બધુંજનો બંધન રૂપ છે, વિષયો વિષ સ્વરૂપ છે, તો પણ લોકનો આ કેવો મોહ કે જે શત્રુઓ છે તેઓને વિષે મિત્રની આશા રાખે છે (૨) તે કારણથી જો તું આત્માને સુખી કરવા ઇચ્છે છે તો તે સંપત્તિ અને સ્વજનોના સંબંધોથી વિરામ પામ એટલે કે પાછો ફર. વિરામ (વિરતિ) સુખનું કારણ છે. ૨૫॥
ભાષાંતર - અસહાય એવો એકલો જ જીવ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને બાંધે છે, એટલે કે આત્માની સાથે એકમેક કરે છે. તથા એકલો જ ભવાંતરમાં વધ એટલે તાડન, બંધ એટલે દોરડાદિ વડે બંધન, પ્રાણના ત્યાગ રૂપ મરણ, તથા આપત્તિને સહન કરે છે, અનુભવે છે. નરકાદિ ગતિમાં વધબન્ધાદિ પ્રાપ્ત કરે છે. તથા એકલો જ કર્મોથી ઠગાયેલો એટલે પુણ્ય કરવાથી ઠગાયેલ સંસારમાં ભમે છે. વચ્ ધાતુનો વેલવ આદેશ થાય છે. ૨૬ા
-
આ જીવ એકલો જ કર્મબંધ કરે છે. વધ, બંધ મરણ અને આપત્તિને એકલો જ સહન કરે છે. વળી કર્મથી ઠગાયેલો એકલો જ આ જીવ સંસારમાં ભમે છે. ।।૨૭।
હે જીવ ! અન્ય કોઈપણ તારુ અહિત કરતું નથી, હિત પણ આત્મા પોતે જ કરે છે, અન્ય કોઈ કરતું નથી. પોતે જ કરેલા (કર્મે કરીને) સુખ-દુઃખને તું ભોગવે છે, તો શા માટે દીન મુખવાળો થાય છે. ।।૨૭।।
ભાષાંતર - હે આત્મા ! વધબન્ધાદિક અનિષ્ટને અન્ય કોઈ પણ કરતું નથી, જે હું આના વડે મરાયો ઇત્યાદિ બીજાએ કરેલું છે એમ તું ન વિચાર. તથા સુખના કારણોના સમૂહને પણ આત્મા પોતે જ કરે છે. ‘દુ’ નિશ્ચય અર્થમાં છે એટલે બીજું કોઈ જ કરતું નથી, તેથી શુભાશુભ કર્મોથી પ્રેરિત એવા આત્મા વડે કરાયેલા સુખદુઃખને તું ભોગવે છે, તો શા માટે તું વિલખા મુખવાળો થાય છે ? જો બીજા વડે કાંઈક ઈષ્ટ અથવા અનિષ્ટ કરાયેલું હોય તો તારે તે બંને ઉપર રાગ-દ્વેષ કરવો ઉચિત
વૈરાગ્યશતક ૧૩
Page #33
--------------------------------------------------------------------------
________________
गाथा
व्याख्या
व्याख्या
1
१४
-
किञ्चिदिष्टमनिष्टं वा कृतं स्यात्तदा तव तयोरुपरि रागद्वेषकरणमुचितं स्यात् परं स्वात्मैव सर्वं करोतीति, तथा चोक्तं श्रीउत्तराध्ययनेषु
"
'अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली ।
अप्पा कामदुहा धेणु, अप्पा मे नंदणं वणं ।।१।।
अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपट्ठिओ ।।२ ।। " ।।२७।। बहुआरंभविढत्तं वित्तं विलसंति जीव ! सयणगणा । तज्जणियपावकम्मं, अणुभवसि पुणो तुमं चेव ।।२८।।
गाथा - अह दुक्खियाईं तह भु-क्खियाईं, जह चिंतियाईं डिंभाई । तह थोवं पिन अप्पा, विचिंतिओ जीव ! किं भणिमो । । २९ ।।
हे 'जीव !' आत्मन् !, त्वया 'बहुना आरम्भेण' कृष्यादिरूपेण, “विढत्तं” उपार्जितं ‘वित्तं' धनं 'स्वजनगणाः' पितृमातृभ्रातृपुत्रादयो ‘विलसन्ति' अनुभवन्ति-तत्फलभोक्तारो भवन्तीति भावः तेन आरम्भेण 'जनितं' उत्पादितं 'पापं' अशुभप्रकृतिरूपं 'कर्म' ज्ञानावरणीयादि, त्वमेव एककः पुनर्नरकादौ, आर्षवचनत्वाद्, “वर्तमानसामीप्ये वर्तमानवद्वे 'ति वचनाद्वा भविष्यति वर्तमाना[ देशः], 'अनुभविष्यसि' तत्फलस्वादं लप्स्यसे इत्यर्थः ।। २८ ।।
-
,
हे आत्मन् ! त्वया यथा मोहवशगेन 'डिम्भा' बाला अथ 'दुःखिताः' शीतत्राणाद्यभावेन पीडिता वर्तन्ते, तथा 'बुभुक्षिताः' क्षुधिता वर्तन्त इति 'चिन्तिता' अहर्निशं तच्चिन्ताकुलिततया विचारिताः परं हे जीव ! त्वया 'स्तोकमपि' अल्पमपि 'आत्माऽकृतपुण्यः परलोके कथं भविष्यतीत्येवं' न विचिन्तितोऽतस्त्वां किं भणामः' किं वच्मः ?, योग्यस्यैवोपदेशार्हत्वात्, त्वं च परार्थचिन्तको जातो, न स्वार्थचिन्तक, इत्यतो मूर्खः “स्वार्थभ्रंशो हि मूर्खते" ति वचनात्.
।।२९ ।।
वैराग्यशतकम्
Page #34
--------------------------------------------------------------------------
________________
ગણાય, પરંતુ પોતાનો આત્મા જ સર્વે કરે છે. તથા શ્રી ઉત્તરાધ્યયનમાં કહેલું છે કે આત્મા એ જ વૈતરણી નદી છે. આત્મા એજ કૂટ શાલ્મલી વૃક્ષ છે. (નરકમાં રહેલું વૃક્ષ) આત્મા જ કામધેનું ગાય છે. અને આત્મા જ નંદનવન છે (૧) આત્મા જ સુખ અને દુ:ખનો કર્તા અને વિકર્તા એટલે નાશ કરનારો છે. દુઃપ્રસ્થિત અને સુપ્રસ્થિત એવો
આત્મા એ જ અનુક્રમે શત્રુ અને મિત્ર છે. ર૭ll ગાથાર્થ - હે જીવ ! તેં ઘણા આરંભો કરીને ઉપાર્જન કરેલા ધનને સ્વજનો
ભોગવે છે. પણ તે ધન ઉપાર્જન કરતાં બાંધેલા પાપકર્મો તારે જ
ભોગવવાં પડે છે પર૮ ભાષાંતર - હે આત્મા ! તારા વડે ખેતી વ્યાપારાદિ રૂપ ઘણા આરંભ વડે
ઉપાર્જન કરેલા ધનને પિતા-માતા-ભાઈ-પુત્રાદિ સ્વજનો ભોગવે છે અર્થાતુ કે ધનના ફલને ભોગવનારા સ્વજનો થાય છે, અને તે આરંભ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિ અશુભપ્રકૃતિ રૂપ કર્મને નરકાદિ દુર્ગતિમાં તું એકલો જ અનુભવે છે. વર્તમાનના સામીપ્યપણા થી “વર્તમાનકામીણે વર્તમાનવ૬ વા" એટલે કે વર્તમાનની નજીકમાં રહેલું ભવિષ્ય વર્તમાનની જેમ થાય છે. આ પ્રમાણેના આર્ષવચનથી અહીં ભવિષ્યકાળના અનુપવિષ્યસિ રૂપને બદલે અનુમસ વર્તમાનકાળનું રૂપ કરેલું છે એટલે કે ધન ઉપાર્જન કરતાં
બાંધેલા પાપકર્મોના ફળનો આસ્વાદ તું એકલો જ પામીશ. ૨૮ ગાથાર્થ - હે આત્મા! તારા વડે આ મારા બાળકો દુઃખી છે, ભૂખ્યા છે ઇત્યાદિ ચિંતા
કરાઈ, પણ તારા આત્માની થોડી પણ ચિંતા કરાઈ નહીં, આથી તને અમે
શું કહીએ?!ારા ભાષાંતર – હે આત્મા! મોહને વશ તારાવડે મારા બાળકો ઠંડીમાં વસ્ત્રાદિ રક્ષણના
અભાવે પીડા પામે છે. તથા સુધાથી ભૂખ્યા થયેલા છે, એ પ્રમાણે રાતદિવસ ચિંતાથી આકુલ તારા વડે વિચારાયું, પરંતુ હે જીવ ! તારા વડે થોડી પણ ચિંતા પોતાની ન કરાઈ કે પુણ્યરહિત એવા મારા આત્માનું પરલોકમાં શું થશે ? ખરેખર યોગ્ય જીવ જ ઉપદેશને યોગ્ય હોવાથી અમે તને શું કહીએ ? અને તું પારકાની ચિંતા કરનારો થયો પણ પોતાના આત્માની ચિંતા કરનાર ન થયો, આથી તું મૂર્ખ બન્યો છે. કારણ કે જે સ્વાર્થથી ભ્રષ્ટ થયેલો હોય તે મૂર્ખ છે, એ પ્રમાણેનું વચન છે. ૨૯
વૈરાગ્યશતક
૧૪
Page #35
--------------------------------------------------------------------------
________________
गाथा - खणभंगुरं शरीरं, जीवो अन्नो य सासयसरूवो ।
कम्मवसा संबंधो, निब्बंधो इत्थं को तुज्झ ।।३०।।
व्याख्या - हे आत्मन् ! इदं शरीरं 'क्षणभङ्गुरं' क्षणविध्वंसि, यत उक्तं श्रीआचारांगे
[लोकसाराध्ययने द्वितीयोद्देशके] “भेउरधम्मं विद्धंसणधम्म अधुवं अणितयं असासयं चयावचइयं विपरिणामधम्म" मित्यादि, एतट्टीका “अपि चैतदौदारिकं शरीरं सुचिरमप्यौषधरसायनाधुपबंहितं मृण्मयाऽऽमघटादपि निस्सारतरं सर्वथा सदा विशराविति दर्शयन्नाह - “भेउरधम्म" मित्यादि, यदि वा पूर्वं पश्चादप्येतदौदारिकं शरीरं वक्ष्यमाणधर्मस्वभावमित्याह-“भेउरधम्म” मित्यादि, स्वयमेव भिद्यत इति भिदुरः, स धर्मोऽस्य शरीरस्येति भिदुरधर्ममिदमौदारिकं शरीरं सुपोषितमपि वेदनोदयाच्छिरउदर-चक्षुरुरःप्रभृत्यवयवेषु स्वत एव भिद्यत इति भिदुरं, तथा 'विध्वंसनधर्म' पाणिपादाद्यवयवविध्वंसनात्, तथा अवश्यम्भावसम्भावितं त्रियामान्ते सूर्योदयवध्रुवं, न तथा यत्तदध्रुवं, तथा अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया कूटस्थनित्यत्वेन व्यवस्थितं सन्नित्यं, नैवं यत्तदनित्यमिति, तथा तेन तेन रूपेणोदकधारावच्छश्वद्भवतीति शाश्वतं, ततोऽन्यदशाश्वतं, तथेष्टाहारोपभो गतया धृत्युपष्टम्भादौदारिकशरीरवर्गणापरमाणूपचयाञ्चयस्तद भावेन तद्विचटनादपचयः, चयापचयौ विद्येते यस्य तञ्चयापचयिकं, अत एव विविधः 'परिणामो' अन्यथाभावात्मको धर्मः' स्वभावो यस्य तद्विपरिणामधर्म" [इति सिद्ध० सा० प्र० स० मुद्रिते १८७ पत्रे), यतश्चैवम्भूतमिदं शरीरकं, तथा 'शाश्वतस्वरूपो' अप्रच्युतानु-त्पन्नस्वरूपो 'जीव' आत्मा 'अन्यः' शरीराद् भिन्नस्तदपगमे तदनपगमात्, तर्हि परस्परं विभेदे अनयोः शरीरात्मनोः परस्परं सम्बन्धः, कथं ? इत्याह - 'कर्मवशात्' कर्मपरतन्त्रतयाऽनयोः ‘सम्बन्धः' संयोगः, अतस्तवाऽस्मिन् शरीरे को 'निर्बन्धः' अनुबन्धः-का मूर्छा ?, उक्तं च- "मंसऽट्ठिरुहिरण्हारूवणद्धकलमलयमेयमज्जासु । पुण्णमि चम्मकोसे, दुग्गंधे असुइबीभच्छे ।। १ ।। संचारिमजंतगलंतवञ्चमुत्तंतसययपुण्णंमि । देहे होज्जा ? किं रागकारणं असुइहेउम्मि ।।२।।” अतः शरीरेऽनुबन्धं परित्यज्य किञ्चिद्धमें उद्यम कुर्विति भावः ।।३०।।
१५
वैराग्यशतकम्
Page #36
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ – આ શરીર ક્ષણભંગુર છે અને આત્મા તેથી જુદો શાશ્વત સ્વરૂપ છે. કર્મના
વશથી તારો તેની સાથે સંબંધ થયો છે, તો તે શરીરને વિષે તારી મૂચ્છ શી
છે ? Iકoll ભાષાંતર - હે આત્મા ! આ શરીર ક્ષણવિનાશી છે. શ્રી આચારાંગમાં લોકસાર
અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહેવું છે કે “૩રથમં વિદ્ધસધમ્મ મધુવં
બતયં મસાયં વાવયં વિપરિણામધુમ્મ” મિર્યાદિ, આની ટીકા આ પ્રમાણે - આ ઔદારિક શરીર લાંબો કાળ ઔષધ-રસાયનાદિથી સંસ્કારિત કરવા છતાં માટીના કાચા ઘડાથી પણ અત્યંત નિસાર છે, સર્વથા સદા નાશ પામવાના સ્વભાવવાળું છે, તે બતાવે છે અથવા તો પહેલા અથવા પાછળથી પણ આ ઔદારિક શરીર હવે જે કહેવાશે તે સ્વભાવવાળું છે. પોતાની મેળે જ જે ભેદાય તે ભિદુર, તે ધર્મ આ શરીરનો છે. એ પ્રમાણે નાશ પામવાના સ્વભાવવાળું આ ઔદારિક શરીર સારી રીતે પોષવા છતાં પણ મસ્તક પેટ, ચક્ષુ, છાતી વગેરે અવયવોમાં વેદનાના ઉદયથી પોતાની જાતે જ ભેદાય છે, તેથી ભિદુધર્મવાળું, તથા હાથ-પગાદિ અવયવનો ધ્વંસ એટલે કે નાશ થતો હોવાથી વિધ્વંસન ધર્મવાળું છે. અવશ્ય થનારું હોય તે ધ્રુવ કહેવાય. જેમ ત્રણ પ્રહરના અંતે સૂર્યોદય, પણ આ શરીર તેવું નથી તેથી અધ્રુવ, જે નાશ ન પામે, ઉત્પન્ન ન થાય, અને સ્થિર એક સ્વાભાવપણાથી કૂટસ્થ નિત્યપણે જે રહે તે નિત્ય અને આ શરીર તેવું નથી તેથી તે અનિત્ય છે. તથા તે તે રૂપ વડે પાણીની ધારાની જેમ જે સતત પડે છે. (અવિચ્છન્નપણે) તે શાશ્વત, આ શરીર તેવું નથી, તેથી તે અશાશ્વત તથા ઇષ્ટ આહરના ઉપભોગપણાથી ઔદારિક શરીરની વર્ગણા-અને પરમાણુની વૃદ્ધિ થતી હોવાથી ચય થવો એ ધીરજના ટેકા રૂપ છે. અને ઇષ્ટાહારાદિના રહિતપણાથી શરીરની વર્ગણાદિનો નાશ થતો હોવાથી અપચય, તે ચયાપચય જેમાં વિદ્યમાન છે તે ચયાપચયક, આથી જ વિવિધ એવા પરિણામ રૂપ એટલે બીજા સ્વરૂપે થવું તે સ્વભાવ જેનો છે તે વિપરિણામ ધર્મ, (ઇતિ સિદ્ધ. સા.પ્ર. સ. મુદ્રિતે ૧૮૭ પત્રે) જેથી શરીર આવા પ્રકારનું છે. અને શાશ્વતરૂપ એટલે નાશ ન પામે તેવા, ઉત્પન્ન ન થાય તેવા સ્વભાવવાળો આત્મા શરીરથી અન્ય છે, કારણ કે શરીરના નાશમાં આત્માનો નાશ થતો ન હોવાથી. તો પછી કયા કારણથી પરસ્પર ભેદવાળા શરીર અને આત્માનો સંબંધ છે ? તો કહે
વેરાગ્યશતક ૧૫
Page #37
--------------------------------------------------------------------------
________________
गाथा - कह आयं कह चलियं, तुमं पि कह आगओ कहं गमिही ।
___ अनुन पि न याणह, जीव ! कुडुंब कओ तुज्झ ? ।।३१।।
व्याख्या - हे जीव !, आत्मन् ! इदं 'कुटुम्बं' मातृपितृभ्रात्रादि कुत आगतं ?,
तथा 'कुत्र चलितं' इतो मृत्वा कुत्र गतं ?, त्वमपि कुत आगतः कुत्र गमिष्यसीति ‘अन्योऽन्यमपि' परस्परमपि युवां 'न जानीथे' न बुध्येथे, यत उक्तं श्रीआचाराङ्गे [शस्त्रपरिज्ञाऽध्ययने प्रथमोद्देशके] "इह मेगेसिं णो सन्ना भवति, तं जहा-पुरच्छिमाओ वा दिसाओ आगओ अहमंसि, दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि, पञ्चत्थिमाओ आगओ अहमंसि, उत्तराओ वा दिसाओ आगओ अहमंसि, उड्डाओ वा दिसाओ आगओ अहमंसि, अहो दिसाओ वा आगओ अहमंसि, अन्नयरीओ वा दिसाओ अणुदिसाओ वा आगओ अहमंसि, एवमेगिसिं णो नातं भवति-अस्थि मे आया उववाइए, णत्थि में आया उववाइए, के अहं आसी ? केवा इओ चुए इह पेच्चा भविस्सामि ?, से जं पुण जाणेज्जा सहसंमदियाए परवागरणेणं अण्णेसिं वा सोञ्चा" इत्यादि, अतस्तव कुतः कुटुम्बं?, परस्परमपि गमनागमनाद्यनवगमात् ।।३१।।
गाथा - खणभंगुरे शरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे ।
सारं इत्तियमेत्तं, जं किरइ सोहणो धम्मो ॥३२।।
१६
वैराग्यशतकम्
Page #38
--------------------------------------------------------------------------
________________
છે કે કર્મના પરતંત્રપણાથી શરીર અને આત્માનો સંબંધ છે, આથી તને આ શરીરમાં કેવો રાગ ? કેવી મૂચ્છ ? કહ્યું છે કે માંસ, હાડકા લોહી, અને સ્નાયુ વડે આચ્છાદિત, કલમલ, ચરબી, અને મજ્જાથી ભરેલ ચામડીની કોથળી રૂ૫, ફરતા એવા યંત્રમાંથી ઝરતા એવા મળ-મૂત્ર વડે જે સતત પૂર્ણ છે, દુર્ગધ અને અશુચિ વડે બીભત્સ, અને અશુચિનાં કારણ રૂપ દેહમાં રાગનું કારણ શું થાય ? આથી શરીરને વિષે રાગને છોડીને ધર્મમાં કાંઈક ઉદ્યમ કરો. ૩oll
ગાથાર્થ - હે આત્મા ! આ કુટુંબ ક્યાંથી આવેલું છે અને ક્યાં ગયું ? તું પણ
ક્યાંથી આવ્યો છે અને ક્યાં જઈશ ? પરસ્પર તમે બન્ને આ જાણતા
નથી તો તારું કુટુંબ ક્યાંથી ? I૩૧|| ભાષાંતર - હે આત્મા ! આ માતા-પિતા-ભાઈ વગેરે કુટુંબ ક્યાંથી આવેલું છે ?
તથા અહીંથી મરીને ક્યાં ગયું ? તું પણ ક્યાંથી આવેલો છે અને
ક્યાં જઈશ ? એ પ્રમાણે પરસ્પર પણ તમે બન્ને એકબીજાને જાણતા નથી, જેથી આચારાંગમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં પહેલા ઉદ્દેશામાં કહેલું છે કે અહીં કેટલાકને સંજ્ઞા હોતી નથી, તે આ પ્રમાણે જેમ કે હું પૂર્વ દિશાથી આવ્યો છું કે દક્ષિણ દિશાથી આવ્યો છું ? પશ્ચિમ દિશાથી આવ્યો છું કે ઉત્તર દિશાથી આવ્યો છું ? ઉર્ધ્વ દિશાથી આવ્યો છું કે અધો દિશાથી આવ્યો છું ? અધો દિશાથી આવ્યો છું કે કોઈ પણ એક દિશાથી અથવા અનુદિશાથી હું આવ્યો છું ? આ પ્રકારે કોઈ જીવોને ખબર નથી હોતી. મારો આત્મા જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થવાવાળો છે અથવા મારો આત્મા જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થવાવાળો નથી, હું કોણ હતો ? અને આ શરીરથી છૂટીને આ સંસારમાં બીજા જન્મમાં શું હોઈશ ? તે પુરુષ સ્વયં સૂક્ષ્મ બુદ્ધિથી તથા તીર્થકર આદિના ઉપદેશથી અથવા બીજાની પાસેથી સાંભળીને ફરીથી પૂર્વોક્ત વાતોને જાણી લે છે. પણ પરસ્પર
ગમનાગમન નહીં જાણતા હોવાથી તારું કુટુંબ ક્યાંથી ? Il૩૧ ગાથાર્થ - વાદળાના સમૂહ સમાન મનુષ્યભવમાં અને ક્ષણભંગુર દેહને વિષે જે
સુંદર ધર્મ કરાય છે, તેટલો જ માત્ર સાર છે. ૩રા
વૈરાગ્યશતક ૧૭
Page #39
--------------------------------------------------------------------------
________________
व्याख्या - हे आत्मन् ! 'शरीरे' देहे 'क्षणभङ्गुरे' क्षणं क्षणं विशरारुणि, तथा
मनुष्यभवे 'अभ्रपटलसदृक्षे' मेघसमूहसमाने, वायुना शीघ्रमेव यथाऽभ्रवृन्दं विनश्यति, तथाऽयं मनुष्यभवोऽपि देवभवाद्यपेक्षया अल्पकालावस्थायी, अतोऽत्र 'एतावन्मात्र मियत्प्रमाणमेव ‘सारं' न्याय्यंन्यायोपपेतं-युक्तमित्यर्थः, यत् 'शोभनः पञ्चाश्रवाद्विरतिरूपो 'धर्मो' जिनप्रणीतः क्रियते, “सारं तु द्रविणन्याय्यवारिषु" इत्यनेकार्थः ।।३२।।
गाथा - जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य ।
अहो ! दुक्खो हुसंसारो, जत्थ कीसंति पाणिणों ।।।३३।। व्याख्या - अहो । इति जीवसम्बोधने आश्चर्य वा, संसारे पर्यटतां जन्तूनां
तन्नाऽस्ति यदुःखरूपं न, तथाहि-जन्मदुःखं, दुःखहेतुत्वाद्दुःखं, तथा चोक्तं - "सूईहिं अग्गिवण्णाहिं, संभिण्णस्स निरंतरं । जारिसी वेयणा होइ, गब्भे अट्ठगुणा तहा ।।१।। अइविस्सरं रसंतो, जोणीजंताउ कहवि निष्फडइ । माऊइ अप्पणो वि य, वेयणमउलं जणेमाणो ।।२।। जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संतत्तो, न सरइ जाइमप्पणो ।।३।।" तथा 'जरा' वयोहानिर्दुःखं, तथा चोक्तं“थरहरइ जंघजुयलं, झिज्जइ दिट्ठी पणस्सई सई वि । भजइ अंगं वारण होइसिं भो ! विअइ पउरो ।।१।। लोयंमि अणाइज्जो हसणिज्जो होइ सोअणिज्जो उ । चिट्ठइ घरस्स कोणे, पडिओ मंचंमि कासंतो ।।२।। वुड्डत्तर्णमि भज्जा, पुत्ता धूआ य बहुजणो वा वि । जिणदत्तसावगस्स व, पराभवं कुणइ अइदुसहं ।।३।।" तथा चोक्तं श्रीआचाराङ्गे-[लोकविजयाध्ययने प्रथमोद्देशके] "जेहिं वा सद्धिं संवसति ते वि णं एगया नियगा तं पव्विं परिवयंति, सो वा ते नियगे पच्छा परिवएज्जा, नालं ते तव ताणाए सरणाए वा, तुमं पि तेसिं नालं ताणाए वा सरणाए वा"
एतट्टीका-“वा शब्दः पक्षान्तरद्योतकः, आस्तां तावदपरे लोका, यैः १. जंतुणो इत्यपि पाठः ।
१७
वैराग्यशतकम
Page #40
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર – હે આત્મા ! ક્ષણે ક્ષણે નાશ પામવાવાળા આ શરીરમાં તથા પવન વડે
વાદળોનો સમૂહ જલ્દીથી નાશ પામે છે, તે પ્રમાણે દેવાદિ ભવની અપેક્ષાથી અલ્પકાલ રહેવાવાળો આ મનુષ્ય ભવ પણ મેઘના સમૂહ સમાન છે. આથી આ મનુષ્ય ભવ પણ મેઘના સમૂહ સમાન છે. આથી આ મનુષ્યભવમાં પાંચઆશ્રવની વિરતિરૂપ જિનેશ્વરોએ કહેલ જે ધર્મ છે, તે ધર્મ કરાય તેટલો જ માત્ર સાર છે. “(સારનો વળી દ્રવિણ ન્યાય,
પાણી વિગેરે અનેક અર્થ થાય છે) li૩રા/ ગાથાર્થ - જન્મનું દુઃખ, જરાનું દુ:ખ, રોગો અને મરણો છે. અહો ! સંસાર જ
દુઃખરૂપ છે કે જ્યાં જીવો પીડા અનુભવે છે. ૩૩ ભાષાંતર – અહો ! એ અવ્યય તે જીવના સંબોધન અર્થમાં અથવા આશ્ચર્ય અર્થમાં
છે. સંસારમાં ભટકતા જીવોને તેવું કાંઈપણ નથી જે દુ:ખરૂપ ન હોય, તે આ પ્રમાણે જન્મ એ દુ:ખ, દુ:ખનાં હેતુ હોવાથી તે દુઃખ કહેવાય છે. તથા કહેલું છે કે અગ્નિ જેવા લાલ વર્ણવાળી સોય વડે નિરંતર ભેદાતાને જેવા પ્રકારની વેદના છે તેનાં કરતાં આઠ ગુણી વેદના ગર્ભમાં હોય છે. તેના અતિ વિસ્વરથી રડતો માતાને અને પોતાને અતુલ વેદના ઉત્પન્ન કરતો યોનિરૂપી યંત્રમાંથી જીવ કોઈપણ રીતે નીકળે છે. રા/ જન્મતા અને મરણ પામતા પ્રાણીને જે દુ:ખ છે તે દુ:ખ વડે તપેલા પોતાને જાતિસ્મરણ જ્ઞાન થતું નથી llall તે પ્રમાણે વયની હાનિ રૂપ દુ:ખ, તથા કહેલું છે કે અહો ! જંઘાયુગલ થરથરે છે, દૃષ્ટિ ક્ષીણ થાય છે, સાંભળવાની શક્તિ નાશ પામે છે, વાયુ વડે અંગ તૂટે છે, આ પ્રચુર વિકૃતિ વાળો થાય છે. લોકમાં અનાદય થાય છે, હસવા યોગ્ય થાય છે, શોક કરવા યોગ્ય થાય છે, ઘરના ખૂણામાં રહે છે અને ઉધરસ ખાતો ખાટલામાં બેસી રહે છે //રા. વૃદ્ધપણામાં જિનદત્ત શ્રાવકની જેમ પત્ની, પુત્રો, પુત્રી, અને ઘણા જનોથી અતિ દુ:સહ પરાભવને પામે છે. all તથા શ્રી આચારાંગમાં લોક વિજય નામના અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે “વા’ શબ્દ બીજા પક્ષને બતાવનાર છે. બીજા અન્ય જનો તો દૂર રહો, પરંતુ જે પુત્ર,
સ્ત્રી, વિગેરેની સાથે વસે છે તે પુત્ર, સ્ત્રી વગેરે આત્મીય જનો જે જીવ વડે પૂર્વે સમર્થ અવસ્થામાં પોષેલા હતા તેઓ જ વૃદ્ધાવસ્થા પામેલા જીવને નિંદે છે (ાં તે વાક્યાલંકારમાં વપરાયેલ છે) અને બોલે છે કે આ
વેરાગ્યશતક ૧૭
Page #41
--------------------------------------------------------------------------
________________
पुत्रकलत्रादिभि; 'सार्धं' सह, संवसति, त एव भार्यापुत्रादयो, ‘ण मिति वाक्यालङ्कारे, ‘एकदेति वृद्धावस्थायां “नियगा" आत्मीया, ये तेन समर्थावस्थायां पूर्वमेव पोषितास्ते तं 'परिवदन्ति' परि-समन्ताद्वदन्तियथाऽयं न म्रियते नाऽपि मञ्चकं ददाति, यदि वा परिवदन्ति' परिभवन्तीत्युक्तं भवति, अथवा किमनेन वृद्धेनेत्येवं परिवदन्ति, न केवलमेषां, तस्याऽऽत्माऽ[शरीरम]पि तस्यामवस्थायामवगीतो भवतीति, आह च“वलिसंततमस्थिशेषितं, शिथिलस्नायुधृतं कडेवरम् । स्वयमेव पुमान् जुगुप्सते, किमु कान्ता कमनीयविग्रहा ? ।।१।।" गोपालबालाङ्गनादीनां च दृष्टान्तद्वारेणोपन्यस्तोऽर्थो बुद्धिमधितिष्ठतीत्यतस्तदाविर्भावनाय कथानकं-कौशाम्ब्यां नगर्यामर्थवान् बहुपुत्रो धनो नाम सार्थवाहस्तेन चैकाकिना नानाविधैरुपायैः स्वापतेयमुपार्जितं, तञ्चाऽशेषदुःखितबन्धुजनस्वजनमित्रकलत्र-भ्रातृपुत्रादिभोग्यतां निन्ये, ततोऽसौ कालपरिपाकवशाद् वृद्धभावमुपगतः सन् पुत्रेषु सम्यक्पालनोपचितकलाकुशलेषु समस्तकार्यचिन्ताभारं निचिक्षेप, तेऽपि 'वयमनेनेदृशीमवस्था नीताः सर्वजनाग्रेसरा विहिताः (कृता)' इति स्मृतोपकाराः सन्तः कुलपुत्रतामवलम्बमानाः स्वतः क्वचित्कार्य-व्यासंगात्स्व-भार्याभिस्तमकल्पं वृद्धं प्रत्यजीजागरत् , ता अप्युद्वर्तनस्नानभोजनादिना यथाकालमषणं विहितवत्यस्ततो गच्छत्सु दिवसेषु वर्धमानेषु पुत्रभाण्डेषु प्रौढीभवत्सु भर्तृषु जरवृद्धे च विवशकरणपरिचारे सर्वाङ्गकम्पिनि गलदशेषस्रोतसि सति शनैः शनैरुचितमुपचारं शिथिलतां निन्युः, असावपि मन्दप्रतिजागरणतया चित्ताभिमानेन विस्रसया च सुतरां दुःखसागरावगाढः सन् पुत्रेभ्यः स्नुषाक्षूणान्याचचक्षे, ताश्च स्वभर्तृभिश्चेखिद्यमानाः सुतरामुपचारं परिहतवत्यः, यत उक्तं“अइतज्जणा न कीरइ, पुत्तकलत्तेसु भित्तमित्तेसु । दहियं पि महिजंतं, चयइ सिणेहं न संदेहो ।।१।।" ततस्ताः सर्वाश्च पर्यालोच्यैकवाक्यतया स्वभर्तृनभिहितवत्यः
क्रियमाणेऽप्ययं प्रतिजागरणे वृद्धभावाद्विपरीतबुद्धितयाऽपहृते, यदि १. न्यूनतारहितम् ।
१८
वैराग्यशतकम्
Page #42
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ મરતો નથી, ખાટલો પણ છોડતો નથી. આ પ્રમાણે પરાભવ કરે છે, અથવા હવે આ વૃદ્ધ વડે શું ? એ પ્રમાણે બોલે છે. આ અન્યજનોનો કેવલ પરાભવ નથી, તેના આત્માને પણ અથવા શરીરને પણ નિંદે છે. કહ્યું છે કે કરચલીઓથી યુક્ત જેમાં ફક્ત હાડકા જ રહ્યા છે, તેવા શિથિલ થયેલા સ્નાયુ વડે ધારણ કરાયેલ શરીરને સ્વયં પોતે જ નિંદે છે, તો પછી સુંદર શરીરવાળી સ્ત્રીઓ તો શા માટે દુર્ગંછા ન કરે ? ગોપાલ, બાળ અને સ્ત્રી વિગેરેના દૃષ્ટાન્ત દ્વારા સ્થાપિત કરેલ અર્થ બુદ્ધિમાં સ્થિર થાય છે. આથી તેને પ્રગટ કરવા માટે કથાનકને કહે છે.
કૌશામ્બી નગરીમાં ઘણાં ધનવાળો ઘણા પુત્રવાળો ધન નામનો સાર્થવાહ હતો એકલા તેના વડે વિવિધ ઉપાયો વડે ઘણાં ધનને ઉપાર્જિત કરાયું અને તેનાથી સમસ્ત દુ:ખિત બંધુજન સ્વજન, મિત્ર, પત્ની, ભાઈ, પુત્રાદિ ભોગ્યતાને પામ્યા. ત્યાર પછી કાલના પરિપાકના વશથી વૃદ્ધભાવને પામેલા તેણે સારી રીતે પાલન કરવાથી પ્રાપ્ત કર્યું છે કલાઓમાં કુશલપણું એવા પુત્રો ઉ૫૨ સમસ્ત કાર્યના ચિન્તાના ભારને નાખ્યો. તે પુત્રો પણ અમે પિતા વડે આવી ઉત્તમ દશાને પામ્યા, સર્વજનોથી અગ્રેસર કરાયા એ પ્રમાણે ઉપકારને સ્મરણ કરતા કુલપુત્રપણાને અવલંબન કરતા હતા. પોતે કોઈ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે પોતાની ભાર્યાઓ વડે તે અસમર્થ એવા વૃદ્ધની સેવા કરાવતા હતા. તે સ્ત્રીઓ પણ વિલેપન, સ્નાન, ભોજનાદિ દરેક કાર્યને યથાવસ૨ ન્યૂનતા રહિત કરતી હતી. ત્યાર બાદ કેટલાક દિવસો પસાર થયે છતે, પુત્રો વૃદ્ધિ પામતે છતે, પતિઓ પ્રૌઢતાને પામ્યે છતે, જીર્ણ એવા ઘડપણના કારણરૂપ ઇન્દ્રિયનો પ્રચાર પરાધીન થયે છતે સર્વે અંગો જેના કંપે છે અને સમસ્ત અશુચિ સ્થાનોમાંથી અશુચિ વહી રહી છે, કરાતી સેવામાં વિહ્વળ થયેલા એવા અત્યંત ઘરડા થયેલા તે સાર્થવાહની ઉચિત સેવામાં તે સ્ત્રીઓ ધીમે-ધીમે શિથિલતાને પામી. આ વૃદ્ધ પણ ક્ષીણતાને પામેલી સેવા વડે અને વિશ્વાસ વડે ચિત્તના અભિમાન વડે અત્યંત દુઃખસાગરમાં ડૂબેલા એવા તેણે પુત્રવધૂની ન્યૂનતાને પુત્રોને કહી અને પોતાના પતિ વડે ખેદ પમાડાતી તે સ્ત્રીઓએ વૃદ્ધની સેવાને સંપૂર્ણ ત્યજી . જે કારણથી કહેલું છે કે પુત્ર સ્ત્રી, નોકર, અને મિત્રને વિષે અતિ તર્જના ન કરવી, મંથન કરાતું દહીં પણ સ્નેહને તજે છે તેમાં સંદેહ નથી. ત્યાર પછી તે
વૈરાગ્યશતક ૧૮
Page #43
--------------------------------------------------------------------------
________________
१९
भवतामप्यस्माकमुपर्यविस्रम्भस्ततोऽन्येन विश्वसनीयेन निरूपयत, तेऽपि तथैव चक्रुः, तास्तु तस्मिन्नवसरे सर्वा एव सर्वाणि कार्याणि यथाऽवसरं विहितवत्यः, असावपि पुत्रैः पृष्टः पूर्वविरूक्षितचेतास्तथैव ताअपवदतिनैता मम किञ्चित्सम्यक्कुर्वन्ति, तैस्तु प्रत्ययिकवचनादवगततत्त्वैर्यथाऽयमुपचर्यमाणोऽपि वार्धक्याद्रोरुद्यते [ इति प्रत्ययितं], ततस्तैरप्यवधीरितोऽन्येषामपि यथाऽवसरे ते तद्भण्डनस्वभावतामाचचक्षिरे, ततोऽसौ पुत्रैरवधीरितः स्नुषाभिः परिभूतः परिजनेनाऽवगीतो वाङ्मात्रेणाऽपि केनचिदप्यननुवर्त्यमानः सुखितेषु दुःखितः कष्टतरामायुः शेषामवस्थामनुभवतीति, एवमन्योऽपि जारिभिभूतविग्रहस्तृणकुब्जीकरणेऽप्यसमर्थः सन् कार्यैकनिष्ठलोकात्परिभवमाप्नोतीति, आह च
" गात्रं संकुचितं गतिर्विगलिता दन्ताश्च नाशं गता, दृष्टि - भ्रंश्यति रूपमेव हसते वक्रं च लालायते ।
वाक्यं नैव करोति बान्धवजनः पत्नी न शुश्रूषते, धिक्कष्टं जरयाऽभिभूतपुरुषं पुत्रोऽप्यवज्ञायते || १ || "
इत्यादि, तदेवं जराऽभिभूतं निजाः परिवदन्ति । असावपि परिभूयमानस्तद्विरक्तचेतास्तदपवादान् जनायाऽऽचष्टे, आह च-“सो वा” इत्यादि, वा शब्दः पूर्वापेक्षया पक्षान्तरं दर्शयति, ते वा निजास्तं परिवदन्ति, स वा जराजर्जरितदेहस्तान् निजाननेकदोषोद्धट्टनतया परिवदेन्निन्देद्, अथवाऽविद्यमानार्थतया तानसाववज्ञायति परिभवतीत्यर्थः, येऽपि पूर्वकृतधर्मवशात्तं वृद्धं न परिवदन्ति तेऽपि तद्दुःखापनयनसमर्था न भवन्तीत्याह च-नाऽलमित्यादि, 'नाऽलं' न समर्थास्ते पुत्रकलत्रादयस्तवेति प्रत्यक्षभावमुपगतं वृद्धमाह - त्राणाय शरणाय वेति, तत्राऽऽपत्तरणसमर्थं त्राणमुच्यते, यथा महाश्रोतोऽभिरूह्यमानः सुकर्णधाराधिष्ठितं प्ल वमासाद्याऽऽपस्तरतीति, शरणं पुनर्यदवष्टम्भान्निर्भयैः स्थीयते तदुच्यते, तत्पुनर्दर्गं पर्वतः पुरुषो वेति, एतदुक्तं भवति जराभिभूतस्य न कश्चित्त्राणाय शरणाय वा त्वमपि तेषां नाऽलं त्राणाय शरणाय वेति" । तथा रोगाश्च दुःखं, तथा चोक्तं श्री आचारङ्गे [धूताख्येऽध्ययने प्रथमोहे शके]
源鮮
वैराग्यशतकम्
3223
Page #44
--------------------------------------------------------------------------
________________
સર્વે સ્ત્રીઓએ એકી સાથે વિચારણા કરીને પોતાના પતિને કહ્યું કે આ વૃદ્ધ સેવા કરવા છતાં પણ વૃદ્ધપણામાં વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થવાથી અમોને નિંદે છે. જો તમોને પણ અમારા ઉપર અવિશ્વાસ હોય તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને નિરૂપણ કરો. તે પુત્રોએ પણ તે પ્રમાણે કર્યું. વળી તેઓ પણ સર્વે સર્વ કાર્યોને યથાવસર કરતી હતી. પુત્રો વડે પૂછાયેલો આ વૃદ્ધ પણ પૂર્વેના વિલખા ચિત્તપણાથી તે સ્ત્રીઓને પણ નિંદે છે કે આ સ્ત્રીઓ પણ મારું કંઈપણ ઉચિત કાર્ય કરતી નથી. વળી વિશ્વાસનીય વ્યક્તિના વચનથી જાણેલા તત્વવાળા એવા પુત્રો વડે આ સેવા કરાતો પણ વૃદ્ધપણાથી સર્વેને નિંદે છે એ પ્રમાણે નિશ્ચિત કર્યું. ત્યાર પછી પુત્રો વડે પણ તિરસ્કૃત કરાયેલો તે વૃદ્ધ બીજાઓને પણ યથાવસરે તે પુત્રોના તર્જનાના સ્વભાવને કહેતો હતો. ત્યાર પછી આ પુત્રો વડે તિરસ્કૃત કરાયેલો, પુત્રવધૂઓ વડે પરાભવ પામેલો સ્વજનો વડે વાણી માત્ર વડે પણ નિંદાયેલો, કોઈના વડે પણ નહીં લેવાતો, સુખી અવસ્થામાં પણ દુ:ખી થયેલો બાકી રહેલા આયુષ્યની અવસ્થાને અત્યંત કષ્ટપૂર્વક અનુભવે છે. એ પ્રમાણે અન્ય પણ જરાથી પરાભૂત થયેલા શરીરવાળા, ઘાસને પણ વાળવામાં અસમર્થ થયા છતાં કાર્યમાં જ એક નિષ્ઠતાને પામેલા લોકોથી પરાભવને પામે છે, અને કહ્યું છે કે જરા વડે પરાભવ પામેલા પુરુષને ધિક્કાર થાઓ, કે જેને વૃદ્ધપણાથી શરીર સંકોચાય છે, ગતિ શિથિલ થાય છે, દાંતો નાશ પામે છે, નેત્રોનું તેજ ઘટે છે, રૂપ ક્ષણ થાય છે. મુખમાંથી લાળ પડે છે બાંધવજન બોલાવતો નથી, પત્ની પણ સેવા કરતી નથી પુત્ર પણ અવજ્ઞા કરે છે. આ પ્રમાણે જરાથી પરાભવ પામેલાને પોતાના સ્વજનો પણ નિંદે છે. આ વૃદ્ધ પણ પરાભવ પામતો, વિરક્ત ચિત્તવાળો તે પુત્રોએ કરેલા અપરાધો લોકોને કહે છે. કહ્યું છે કે તે વૃદ્ધ પણ પુત્રોને આ પ્રમાણે (વા શબ્દ પૂર્વની અપેક્ષાથી બીજા પક્ષને બતાવે છે.) તે સ્વજનો પણ તે વૃદ્ધને નિંદે છે. અને તે વૃદ્ધ પણ જરાથી જર્જરિત થયેલા દેહવાળો તે પોતાના સ્વજનોના અનેક દોષોને બતાવવા વડે નિંદે છે. અથવા તો અવિદ્યમાન અર્થથી તેઓની આ અવજ્ઞા કરે છે. જેઓ પૂર્વે કરેલા ધર્મના વશથી તે વૃદ્ધને નિંદતા નથી, તેઓ પણ તેના દુ:ખને દૂર કરવામાં સમર્થ થતા નથી. તે પુત્ર-પત્ની વિગેરે તને એટલે ક વૃદ્ધને રક્ષણ માટે કે શરણ માટે થતા નથી. ત્યાં આપત્તિથી તારવામાં
વૈરાગ્યશતક ૧૯
Page #45
--------------------------------------------------------------------------
________________
"गंडी अदुवा कोढी', रायंसी' अवमारियों । ‘काणियं झिमियं चेव, कुणियं खुज्जियं तहा ।।१।।
उदरिं च पास "मूयं च, "सूणियं च गिलासाणिं । वेवइया पीढसप्पिं च, सिलिवयं५ मधुमेहण६ ।।२।।
१. “वातपित्तश्लेष्मसत्रिपातजं चतुर्द्धा गण्डं, तदस्यास्तीति गण्डी-गण्डमालावानित्यादि ।
अथवेत्येतत्प्रतिरोगमभिसम्बध्यते । २ तथा 'कुष्ठी' कुष्ठमष्टादशभेदं, तदस्यास्तीति कुष्ठी । ३ राजांसो-राजयक्ष्मा, सोऽस्यास्तीति राजांसी-क्षयीत्यर्थः । ४ अपस्मारो वातपित्तश्लेष्मसन्निपातजत्वाचतुर्द्धा, तद्वानपगतसदसद्विवेको भ्रममूर्छादिकामवस्थामनुभवति प्राणीति । ४. अक्षिरोगः-एकाक्षिकत्वादि । ६. जाड्यता-सर्वशरीरावयवानामवशित्वमिति । ७. गर्भाधानदोषाद् हस्बैकपादो न्यूनैकपाणिर्वा कुणिः । ८. कुब्जं पृष्ठादावस्यास्तीति कुब्जी,
मातिपितृशोणितशुक्रदोषेण गर्भस्य दोषोद्भवाः कुब्जवामनकादयो दोषा भवन्तीति । ९. वातपत्तादिसमुत्थमष्टधोदरं तदस्यास्तीत्युदरी, तत्र जलोदर्यसाध्यः, शेषास्त्वचिरोत्थिताः साध्या
इति ।१०. "पासमय च"त्ति पश्य-अवधारय मूकं मन्मनभाषिणंवा, गर्भदोषादेव जातंतदुत्तरकालं च । ११ शूनत्वं-वेपथुर्वातपित्तश्लेष्मसनिपातरक्ताभिधातजोऽयं षोढेति । १२. "गिलासणि"ति भस्मको व्याधिः, स च वातपित्तोत्कटतया श्लेष्मन्यूनतयोपजायत इति । १३. वातसमुत्थः शरीरावयवानांकम्प इति ।१४.जन्तुर्गर्भदोषात्पीठसर्पित्वेनोत्पद्यते, जातोवा कर्मदोषाद्भवति । १३ श्लीपदं-पादादौ काठिन्यं, तद्यथा-प्रकुपितवातपित्तश्लेष्माणोऽधःप्रपन्नावक्ष्णो (वंक्षो) रुजङ्घास्ववतिष्ठमानाः कालान्तरेण पादमाश्रित्य शनैः शनैः शोफमुपजनयन्ति तच्छ्लीपदमित्याचक्षते-"पुराणोदकभूमिष्ठाः, सर्वर्तुषु च शीतलाः । ये देशास्तेषु जायन्ते, श्लीपदानि विशेषतः ।।१।। पादयोर्हस्तयोश्चापि, श्लीपदं जायते नृणाम् । कर्णोष्ठनाशास्वपि च, केचिच्छिन्दन्ति तद्विदः ।।२।।" । १६. मुधुमेहो-बस्तिरोगः, स विद्यते यस्यासौ मधुमेही,
मधुतुल्यप्रस्राववानित्यर्थः" । [इति टीकायां शीलाङ्काचार्यमिश्राः । (૧) ગંડ ચાર પ્રકારે છે ૧.વાયુથી થયેલ ૨. પિત્તથી થયેલ ૩.શ્લેષમથીથયેલ૪.સન્નિપાતથી થયેલ
આવું ગંડ જેને છે તે ગંડી એટલે કે ગંડમાલવાળો ઇત્યાદિ, અથવા આ દરેક રોગ સાથે સંબંધિત छ.(२) तथा 'ओढी' ओढ मा२ मेवाणो छ.ते ने छते ओढी उपाय छे.(3) २N२ययम ते ने छते २०४ांशी-क्षय (टी.बी.) वाणो वाय. (४) अपस्मार-वात, पित्त, શ્લેષ્મ અને સન્નિપાત થઈ ઉત્પન્ન થતો હોવાથી ચાર પ્રકારે છે. તે અપસ્મારવાળો - સાચા ખોટાનો વિવેક જેનો ચાલી ગયો છે તે, જેમાં પ્રાણી ભ્રમ, મૂચ્છ આદિ અવસ્થાને અનુભવે છે. (५) मनोरोग - . inbij (su) (5) nऽयता - सर्व शरीरीना सवयवोन અવશીપણું પરાધીનપણું (૭) ગર્ભાધાનના દોષથી એક પગ ટૂંકો અથવા એક હાથ ટૂંકો તે કુણિ (૮) કુન્નપીઠ આદિમાં કૂબડાપણું છે તે કુબડો, માતાપિતાના રક્ત અને વીર્યના દોષ વડે ગર્ભને દોષ ઉત્પન્ન થાય તે કૂબડાપણું અને ઢીંગણાપણું દોષો થાય છે. (૯) વાત, પિત્ત આદિથી થયેલ આઠ પ્રકારે પેટ છે જેને તે ઉદરી તેમાં જલોદરી સાથે છે. બાકી તો તુરતના ઉત્પન્ન થયેલા
२०
वैराग्यशतकम्
Page #46
--------------------------------------------------------------------------
________________
સમર્થ હોય તેને ત્રાણ કહેવાય છે. જેમ મહાપ્રવાહો વડે વહન કરાતા, સારા નાવિકો વડે અધિષ્ઠિત એવા વહાણને પામીને નદી તરે છે અને શરણ તેને કહેવાય જેના ટેકાથી નિર્ભયપણે રહેવાય. તે વળી કિલ્લો, પર્વત, અથવા પુરુષ શરણ કહેવાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જરાથી પરાભવ પામેલાને કાંઈપણ રક્ષણને માટે અથવા શરણ માટે થતું નથી. અને તું પણ તેઓના રક્ષણ માટે કે શરણને માટે થતો નથી તે પ્રમાણે રોગો પણ દુ:ખને માટે છે. તથા શ્રી આચારાંગમાં ધૂત નામના અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે કોઈ ગંડમાલના રોગથી યુક્ત છે. કોઈ કોઢી છે. કોઈ ક્ષય રોગવાળા અને કોઈ મૃગી રોગથી યુક્ત હોય છે, કોઈ કાણા અને કોઈ જડ, કોઈ એક હાથ ટૂંકો હોય તેવા અને એક પગ ટૂંકો હોય તેવા અને કોઈ કુબડા હોય છે, કોઈ મોટા પેટવાળા, કોઈ મૂંગા, કોઈ સોજા યુક્ત શરીરવાળા, અને કોઈ ભસ્મક રોગથી યુક્ત હોય છે, કોઈ ધ્રુજતા શરીરવાળા કોઈ પીઠના ટેકાથી ચાલવાવાળા, કોઈ શ્લીપદના રોગથી યુક્ત, કોઈ મધુપ્રમેહના રોગથી યુક્ત હોય છે, આ સોળ રોગ ક્રમશ: કહેલા છે તેને દેખો. આતંક, રોગ અને જીવનને શીધ્ર નષ્ટ કરવાવાળા ફૂલ આદિ રોગ અને બીજા દુ:ખ તથા મરણોના દુઃખો પ્રાણીઓને ઉત્પન્ન થાય છે અનેક ભવની અપેક્ષા વડે બહુવચન કરેલું છે જે કારણથી કહેવું છે કે
સાધ્ય છે. (૧૦) જુઓ - અવધારણ કરો મૂકને – મૂંગાને - મન્મન બોલનાર, ગર્ભદોષથી જ થયેલું અને તેના પછી ઉત્તરકાલમાં થયેલું (૧૧) શૂનત્વ - વાત - પિત્ત - કફ - સન્નિપાત - રક્ત અને અભિઘાતથી એમ છ પ્રકારે ઉત્પન્ન થયેલા સોજા (૧૨) ભસ્મક રોગ-તે વાત અને પિત્તની ઉત્કટતા વડે તથા કફની શૂન્યતાના કારણે ઉત્પન્ન થયેલો - (૧૩) વાયુથી ઉત્પન્ન થયેલ શરીર અવયવોનો કંપ (૧૪) જીવ, ગર્ભના દોષથી પીઠના ટેકાથી ચાલવાવાળા થાય છે. અથવા કર્મના દોષથી આવે છે.(૧૫) શ્લીપદ-પગ આદિમાં કઠિનતા, એ આ પ્રકારે - પ્રકોપેલા વાત, પિત્ત, શ્લેષ્મ આંખ સાથળ અને જંઘામાં રહેલા કાલાન્તરે પગને આશ્રયીને ધીરે ધીરે સોજા થાય છે. તે શ્લીપદ કહેવાય છે. જૂના પાણીવાળી ભૂમિમાં રહેલા જે દેશો તે સર્વ ઋતુમાં શીતલ હોય છે ત્યાં વિશેષથી શ્લીપદ થાય છે. તેના પગમાં અને હાથમાં માણસોને શ્લીપદ થાય છે. કાન, હોઠ અને નાકમાં પણ થાય છે તેને જાણનારાઓ કેટલાક છેદે છે. જીરા (૧૬) મધુમેહબસ્તિરોગ છે જેને વિદ્યમાન હોય તેને મધુમેહી કહેવાય. જેમાં મધ સમાન પ્રસા થતો હોય છે. (એ પ્રમાણે શીલાંકાચાયામશ્ર ટીકામાં છે.)
વૈરાગ્યશતક ૨૦
Page #47
--------------------------------------------------------------------------
________________
सोलस एए रोगा, अक्खाया अणुपुव्वसो । अह णं कुसंति आयंका, फासा य असमंजसा ।।३।।" तथा मरणानि च दुःखं, अनेकभवमरणापेक्षया बहुवचनं, यदुक्तं-“आउं संविलंतो, सिढिलतो बंधाणाई सव्वाइं । देहट्टिइं मुयंतो, झायइ कलुणं बहु जीवो ।।१।। इक्कं पि नत्थि जं सुठ्ठ, सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणंते, मंदपुनस्स ।।२।।" तथा “कथं दुष्कृतकर्माणः सुखं रात्रिषु शेरते ? । मरणान्तरिता येषां, नरके तीव्रवेदना ।।१।।" तथा"सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिजिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वजयंति णं ।।१।।" [दश० अ० ६ गाथा ११], एतदधिकृत्यैव भगवताऽप्याचाराङ्गे [सम्यक्त्वाख्येऽध्ययने प्रथमोद्देशके] उक्तं“से बेमि जे य अतीया जे य पडुप्पण्णा जे आगमिस्सा अरहंतो भगवंतो ते सव्वे एवमाइक्खंति एवं भासंति एवं पण्णवेंति एवं परूवेंति-सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा, न आणावेतव्वा, न परिघेतव्वा, न परितावेतव्वा, न उद्दवेतव्वा, एस धम्मे सुद्धे णितिए सासए समिञ्च लोयं खेदन्नेहिं पवेदिते” एतावता 'न हन्तव्या' इत्यादि कथनेन तेषां मरणं दुःखकरमिति ज्ञापितं, ततः किमित्याह-“दुक्खो हु" त्ति दुःखहेतुरेव संसारो जन्मादिनिबन्धनत्वात्तस्य, यत्र चातुर्गतिके संसारे प्राणिनः 'क्लिश्यन्ते' बाधामनुभवन्ति, “जन्मादि दुःखैरेवेति गम्यं, यद्वाऽनेके द्रव्योपार्जनाद्यर्थं क्लिश्यन्ते, यदुक्तं“अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थं दुःखसाधनम् ।।१।।" ।। ३३ ।।
२१
वैराग्यशतकम्
Page #48
--------------------------------------------------------------------------
________________
“આયુષ્યને પૂર્ણ કરતો સર્વ બંધનોને શિથિલ કરે છે અને દેહની સ્થિતિને છોડતો જીવ ઘણા પ્રકારને કરૂણતાનું ધ્યાન કરે છે. એક પણ કાર્ય એવું નથી આચરેલું જે સારું હોય, જેથી મને એનું બળ હોય ! તો મંદપુણ્યવાળા એવા મને મરણાંતે ખરેખર દૃઢતા કેવી રીતે આવે ? તથા મરણની પછી જેઓને નરકમાં તીવ્રવેદના છે, તેવા દુષ્કર્મ કરનાર રાત્રિમાં સુખપૂર્વક કેવી રીતે સૂઈ જાય ? તથા સર્વે જીવો જીવવાને માટે ઈચ્છે છે મરવા માટે નહીં, તે કારણથી નિદ્રંથો ધોર એવા પ્રાણીના વધને કરતા નથી. (દશ. અ. ૬-ની ગાથા ૧૧) આને સ્વીકારીને જ ભગવાન વડે આચારાંગમાં સમ્યક્ત્વ નામના અધ્યયનમા પ્રથમ ઉદ્દેશામાં કહેવાયેલું છે કે “હું કહું છું કે જે અરિહંત ભગવાન પૂર્વકાલમાં થઈ ગયા છે અને વર્તમાનકાળમાં જે વિદ્યમાન છે તથા જે ભવિષ્યકાળમાં થશે તે સર્વ આ પ્રકારે બોલે છે, આ પ્રકારે પ્રજ્ઞાપન કરે છે. આ પ્રકારે પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણી, સર્વ ભૂતો, સર્વ જીવો, સર્વે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળા જીવોને ન મારવા જોઈએ, આજ્ઞા ન કરવી જોઈએ. ગ્રહણ ન કરવા જોઈએ. તેને પરિતાપ ન આપવો જોઈએ, તેના પ્રાણોનો નાશ ન કરવો જોઈએ,
,
આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકને કેવલજ્ઞાન દ્વારા જોઈને તીર્થંકરો દ્વારા આ કહેવાયેલ છે. આ જીવોને ન હણવા જોઈએ. આ પ્રમાણે કહેવા વડે તે જીવોનું મરણ દુ:ખ રૂપ છે તે જણાવાયું. તો શું કહેવા ઇચ્છે છે ? તો કહે છે કે જન્માદિનું કારણ હોવાથી સંસાર દુ:ખનો હેતુ જ છે, જ્યાં ચાર ગતિ રૂપ સંસારમાં પ્રાણીઓ જન્માદિ દુઃખ વડે ક્લેશને પામે છે, અથવા દ્રવ્યોપાર્જનાદિ માટે અનેક જીવો ખેદને પામે છે જે કારણથી કહ્યું છે કે પૈસાને મેળવવામાં દુ:ખ, મેળવાયેલાના રક્ષણમાં દુ:ખ, લાભમાં દુ:ખ, નાશમાં દુ:ખ, દુ:ખના સાધનરૂપ એવા અર્થને ધિક્કાર થાઓ. ।।૩૩।।
વૈરાગ્યશતક ૨૧
Page #49
--------------------------------------------------------------------------
________________
गाथा
व्याख्या
गाथा
-
२२
जाव न इंदियहाणी, जाव न जरारक्खसी परिप्फुरइ । जाव न रोगवियारा, जाव न मच्चू समुल्लियइ ।।३४।।
-
आत्मन् ! यावद् ‘इन्द्रियाणां’ श्रोत्रादीनां 'हानिः ' स्वस्वविषयग्रहणप्रतिघातो न जातोऽस्ति तथा यावच्छरीरे जरैव राक्षसी, शरीरसर्वस्वग्रसनात्, 'न परिस्फुरति' नाऽऽगच्छति, तथा यावद् ‘रोगाणां’ व्याधीनां, ‘विकारा' असद्रूपाः समुल्लासा न वर्तन्ते, तथा यावन् 'मृत्युः ' कालो, न समाश्लिष्यति न मरणं जायते तावद्धर्मे उद्यमं कुर्वित्यर्थस्तथा चोक्तं भर्तृहरिणा“यावत्स्वस्थमिदं कलेवरगृहं यावज्जरा दूरतो, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नाऽऽयुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान्, प्रोद्दीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमः कीदृशः । । १ ।।” ।।३४।।
व्याख्या यथा गेहे 'प्रदीप्ते' अग्निप्रकोपे जाते सति कोऽपि कूपं खनितुं 'न शक्नोति' न समर्थो भवति, तथा 'मरणे' परलोकगमने, 'सम्प्राप्ते' आसन्ने जाते हे 'जीव आत्मन् ! धर्मः कथं क्रियेत ?, यदा धर्मस्य करणावसरोऽभूत्तदा न कृतः, सम्प्रति मृत्यूत्सङ्गतः किं विधास्यसीति
भावः ।। ३५ ।।
जह गेहंमि पलित्ते, कूवं खणिउं न सक्कए कोइ । तह संपत्ते मरणे, धम्मो कह कीरए ? जीव ! ।। ३५ ।।
,
,
,
गाथा - रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीयं ।
वैराग्यशतकम्
संझाणुरागसरिसं, खणरमणीयं च तारुण्णं ।। ३६ ।।
涨涨涨涨涨
Page #50
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - જ્યાં સુધી ઇંદ્રિયોની હાનિ થઈ નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા રૂપી
રાક્ષસી પ્રગટ થઈ નથી, જ્યાં સુધી રોગના વિકારો ઉત્પન્ન થયા નથી અને જ્યાં સુધી મૃત્યુ ઉલ્લસિત થયું નથી, ત્યાં સુધીમાં તે આત્મા ! ધર્મનું સેવન કરી લે. ૩૪
ભાષાંતર - હે આત્મા ! જ્યાં સુધી કર્ણાદિ ઇન્દ્રિયોની પોતપોતાના વિષયને ગ્રહણ
કરવાની શક્તિના નાશ રૂપ હાનિ થઈ નથી, તથા જ્યાં સુધી શરીરના સર્વસ્વનો નાશ કરતી હોવાથી જેને રાક્ષસીની ઉપમા આપી શકાય તેવી જરા રૂપી રાક્ષસી પ્રાપ્ત થઈ નથી, તથા જ્યાં સુધી રોગોના વિકારો ઉલ્લસિત થયા નથી, તથા જ્યાં સુધી મરણ સમયને ભેટવાનું થયું નથી, ત્યાં સુધી ધર્મને વિષે ઉદ્યમને કરો. તથા ભર્તુહરિઋષિ વડે કહેવાયેલું છે કે “જ્યાં સુધી આ શરીર રૂપી ઘર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ નથી, જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં જ પંડિતો વડે આત્માના કલ્યાણમાં મોટો પ્રયત્ન કરવા યોગ્ય છે. ખરેખર ઘર બળતે છતે કૂવાને ખોદવાનો ઉદ્યમ કેવા પ્રકારનો કહેવાય !, l૩૪.
ગાથાર્થ – હે જીવ! જેમ ઘર બળતું હોય ત્યારે કૂવો ખોદવાને કોઈ શક્તિમાન ન થાય
તેમ મરણ નજીક આવતાં ધર્મ શી રીતે કરી શકાય ? રૂપા.
ભાષાંતર – જેમ ઘર અગ્નિથી બળતું હોય ત્યારે કૂવાને ખોદવા માટે કોઈ શક્તિમાન
થતું નથી, તેમ પરલોકગમન રૂપ મરણ નજીક આવે ત્યારે તે આત્મા ! ધર્મ કેવી રીતે કરાય ? જ્યારે ધર્મ કરવાનો અવસર હતો ત્યારે ન કર્યો, તો હમણાં મૃત્યુના ખોળામાં પ્રાપ્ત થયેલો તું શું કરીશ ? રૂપા
ગાથાર્થ - આ રૂ૫ અશાશ્વત છે. જગતમાં જીવિત વિદ્યુતની વેલડી જેવું ચપલ છે,
અને યૌવન સંધ્યાના રંગની જેમ ક્ષણ માત્ર રમણીય છે. ૩૬
વૈરાગ્યશતક ૨૨
Page #51
--------------------------------------------------------------------------
________________
व्याख्या
गाथा
-
व्याख्या -
हे आत्मन् ! एतद्रूपं शरीरसौन्दर्यं अशाश्वतं शश्वद्भवतीति शाश्वतं न शाश्वतमशाश्वतमनित्यं, रोगादिभिः कारणैरस्य विनाशात्सनत्कुमारचक्रवर्त्यादेरिव, तथा चोक्तं
www.
"
"थोवेण वि सप्पुरिसा, सणकुमारुव्व केइ बुज्झति ।
देहे खणपरिहाणी, जं किर देवेहिं से कहियं । । १ । । ” तथा जगति विद्युल्लतावत् 'चञ्चलं' चपलं, 'जीवितं' प्राणधारणं, यथा विद्युल्लता क्षणदृष्टनष्टा तथे जीवितमपि, 'च' पुनस्तारुण्यं' यौवनं सन्ध्यानुरागसदृशं क्षणं यावद् 'रमणीयं' सुन्दरं, यथा सन्ध्यायामभ्रपटलानि विधिधवर्णभाजि भवन्ति, पुनर्वायुप्रयोगाद्विनश्यन्ति, तथेदं तारुण्यमपि पञ्च दिनानि भवन्ति, ततो जरैव तद्विनाशिनी समुल्लसत्यतस्तारुण्ये को मदः ? ।। ३६ ।।
गयकण्णचंचलाओ, लच्छीओ तियसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ।। ३७ ।।
हे जीव ! - आत्मन् !, यासां लक्ष्मीणां त्वं मदं धत्से 'एता मम यावज्जीवं पार्श्व न मोक्षन्त्ये'वं परं ता 'लक्ष्म्यः' श्रियो, गजकर्णवत् चञ्चला, न चिरस्थायिन्यो भवन्ति, सम्प्रत्यपि पूर्वं श्रीमन्तो दृष्ट्वा पश्चात्त एव निःश्रीका भूयांसो वीक्ष्यन्त इत्यतः श्रीणां स्थिरत्वं न, तथा जीवानां 'विषयसुखं' शब्दादिसुखं ‘त्रिदशचापसदृक्षं' इन्द्रधनुर्वचञ्चलं, अतो 'रे जीव !' आत्मन् ! एवं चञ्चलस्वभावं सर्वं ज्ञात्वा 'बुध्यस्व' धर्मे बोधं कुरु, 'मा मुह्यस्व' मा मोहं प्राप्नुहि, पुनरेतादृक्सामग्र्या योगस्य दुष्प्राप्यत्वात् ।। ३७।।
गाथा जह संझाए सउणा - ण संगमो जह पहे अ पहियाणं । सयणाणं संजोगा, तहेव खणभुंगुरा जीव ! ।। ३८ ।।
९. संजांगो तहेव खणभंगुरो इत्यपि पाठः ।
२३ वैराग्यशतकम्
Page #52
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે આત્મા ! આ શરીરની સૌંદર્યતા અશાશ્વત છે. જે સદાકાળ રહે તે શાશ્વત કહેવાય, જે શાશ્વત ન હોય તે અશાશ્વત, અનિત્ય કહેવાય. રોગાદિ કારણોથી શરીરનો વિનાશ થતો હોવાથી, આ શરીર અશાશ્વત છે. સનતકુમાર ચક્રવર્તી વિગરેની જેમ તે અનિત્ય છે. તથા કહેવાયેલું છે કે થોડા પણ નિમિત્ત વડે કેટલાક સત્પુરુષો સનતકુમારની જેમ બોધ પામે છે. દેવો વડે દેહમાં ક્ષણભરમાં રોગો રૂપ હાનિ થઈ છે એમ કહેવાયું, અને આત્મા બોધ પામી ગયો તેમ બોધ પામે છે. તથા જગતમાં વિજળીની વેલની જેમ પ્રાણને ધારણ કરવા રૂપ જીવિત ચંચળ છે, જેમ વિદ્યુતની વેલ ક્ષણવાર પહેલા જોવાયેલી જ ક્ષણવારમાં નષ્ટ થાય છે, તે પ્રમાણે જીવન પણ ક્ષણિક છે. વળી યૌવન સંધ્યાના રંગ સમાન ક્ષણ માત્ર જ સુંદર છે. જેમ સંધ્યા સમયે વાદળોના સમૂહો વિવિધ રંગોને ભજનારા થાય છે. વળી પવનના ઝપાટાથી ક્ષણ માત્રમાં જ નાશ પામે છે તે પ્રમાણે યૌવન પણ પાંચ-દિવસ જેટલા કાળ સુધી રહે છે, ત્યાર પછી યૌવનને નાશ કરનાર એવા ઘડપણનો ઉદય થાય છે આથી ઉગતા તારુણ્યમાં મદ કેવો ? ।।૩૬।।
ગાથાર્થ
લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે. રે જીવ ! તું સમજ અને મોહ ન પામ II3II
ભાષાંતર – હે જીવ ! હે આત્મા ! જે લક્ષ્મીનો તું મદ ધારણ કરે છે કે આ લક્ષ્મી જીવન પર્યંત મારા પડખાને મૂકશે નહીં, પરંતુ તે લક્ષ્મી હાથીના કાનની જેમચંચલ છે,લાંબા સમય સુધી રહેવાવાળી નથી, હમણાં પણ, પહેલાં જેમને શ્રીમંત તરીકે જોયેલા તેજ શ્રીમંતો પાછળથી લક્ષ્મી વગરના ઘણા જોવાયછે.આથી લક્ષ્મીનું સ્થિ૨૫ણું નથી, તથા જીવોના શબ્દાદિ વિષયસુખ ઇન્દ્રધનુષ્યની જેમ ચંચળ છે. આથી તે જીવ ! હે આત્મા ! આ પ્રમાણે સર્વેને ચંચળ સ્વભાવવાળા જાણીને ધર્મમાં બોધને ક૨, મોહ ન પામ, ફરી આવા પ્રકા૨ની સામગ્રીનો યોગ દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવો છે. II૩૭ના હે જીવ ! જેમ સંધ્યા સમયે પંખીઓનો સંગમ અને માર્ગમાં જેમ પથિકોનો સમાગમ ક્ષણિક છે, તે જ પ્રકારે સ્વજનોનો સંયોગ પણ ક્ષણભંગુર છે. ૩૮ના
ગાથાર્થ
વૈરાગ્યશતક ૨૩
Page #53
--------------------------------------------------------------------------
________________
व्याख्या - यथा 'सन्ध्यायां' सायन्तनसमये 'शकुनानां' पक्षिणां 'सङ्गमः' सम्बन्धः,
सन्ध्यासमये एकस्मिंस्तरौ यथा भूयांसः सर्वदिग्भ्यः पक्षिणो मिलन्ति, रात्रावुषित्वा पुनः प्रातर्यथेच्छं यान्ति च, पुनर्यथा 'पथि' मार्ग, 'पथिकानां' अध्वगानां, सङ्गमो, यथा पथि पथिका रात्रावेकत्र स्थित्वा प्रातःकाले स्वस्वेष्टग्रामादिकं प्रति पृथक् पृथग् यान्ति, तथेति यथा तेषां 'तथैव' तेनैव प्रकारेण, 'हे जीव !' आत्मन् ! ‘स्वजनानां' सम्बन्धिनांमाता[मातृपितृभ्रात्रादीनां, संयोगाः ‘क्षणभङ्गराः' क्षणेन विनशनशीलाः, तेऽपि कियन्तं कालं संयुज्य पुनरायुःक्षये वियुज्यन्तेऽतस्तेषु मा मोहं
गच्छेरिति भावः ।।३८।। गाथा - निसाविरामे परिभावयामि, गेहे पलित्ते किमहं सुयामि ।
डझंतमप्पाणमुविक्खयामि, जंधम्मरहिओ दिअहे गमामि ।।३९।। व्याख्या - 'निशाया' रात्रे विरामे' अवसाने, जागरितः सन्नेवं 'परिभावयामि'
चिन्तयामि, किं तद् ?, यदहं धर्मेण रहितो दिवसान् ‘गमयामि'
अतिवाहयामि, तद् 'गेहे' गृहे, 'प्रदीप्ते' अग्निज्वालावलीढे, किं ? 'स्वपिमि' शये-निद्रां करोमीति यावत्, तथा 'दह्यन्तं' अग्निज्वालयाऽवलेह्यमानं 'आत्मानं' शरीरं 'उपेक्षे' अवगणयामि, दह्यते चेत्तदा दह्यतामित्युपेक्षां विदधामीत्यर्थः, एतावता धर्मरहितदिनान्यतिवाहयता मया कर्माग्निना दह्यमानः स्वात्मा उपेक्षित
इति ज्ञापितम् ।।३९।। गाथा - जा जा वचाइ रयणी, न सा पडिनियत्तइ ।।
अधम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥ व्याख्या- या या व्रजति 'रजनी' रात्रिः न सा 'प्रतिनिवर्तते' पुनरागच्छति, ताश्चाऽधर्म
कुर्वतो, जन्तोरिति गम्यते, ‘अफला' धर्मरूपफलरहिता रात्रयो यान्ति ।।४०।। गाथा - जस्सऽत्थि मझुणा सक्खं, जस्स चाथि पलायणं ।
जो जाणइन मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥४१।। १. दिअहा इत्यपि पाठः । २. जाणे इत्यपि पाठः । *************************** २४ वैराग्यशतकम्
Page #54
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર – જેમ સાંજના સમયે એક વૃક્ષમાં ઘણા પંખીઓ સર્વે દિશામાંથી આવીને
મળે છે, રાત્રિમાં તે વૃક્ષમાં વસીને ફરી સવારે પોતાના ઇચ્છિત સ્થાનમાં ઊડી જાય છે, જેમ માર્ગમાં મુસાફરો રાત્રિમાં એક સ્થાનમાં રહીને પ્રાત:કાળે પોતપોતાના ઇષ્ટ એવા ગામાદિ તરફ જુદા જુદા જાય છે, જેમ તેઓનો સંગમ ક્ષણિક છે, તે જ પ્રકાર વડે હે જીવ ! હે આત્મા ! માતાપિતા-ભાઈ વિગેરે સ્વજનોના સંયોગો ક્ષણવારમાં જ વિનાશ પામવાના સ્વભાવવાળા છે. તે સ્વજનો પણ કેટલોક કાળ સાથે રહીને ફરી આયુષ્યનો ક્ષય થયે છતે વિખૂટા પડે છે. આથી તે સ્વજનોને વિષે તું મોહ ન પામ. Il૩૮
ગાથાર્થ – રાત્રિના અંતે ફરી ફરીને વિચારું છું કે, બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો
છું? દાઝી રહેલા આત્માને હું કેમ ઉપેક્ષા કરી રહ્યો છું ! અને ધર્મરહિત
દિવસો પસાર કરું છું. ૩૯ ભાષાંતર – રાત્રિના અંતે જાગૃત થયેલો હું વિચારું છું. શું વિચારું છું ? હું ધર્મ રહિત
દિવસોને કેમ પસાર કરું છું ? અગ્નિની જ્વાલાથી યુક્ત ઘર બળતે છતે હું કેમ નિદ્રાને કરું છું ? તથા અગ્નિની જ્વાલા વડે બળતા એવા આત્માની કેમ અવગણના કરું છું ? જો બળે છે તો ભલે બળતું, એ પ્રમાણે ઉપેક્ષાને કેમ કરું છું? ધર્મરહિત આટલા દિવસો પસાર કરતા મારા વડે કર્મ રૂપી અગ્નિથી બળતો એવો પોતાનો આત્મા ઉપેક્ષા કરાયેલો છે એ પ્રમાણે જાણવું. ll૩૯ો.
ગાથાર્થ – જે જે રાત્રિ જાય છે તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ
અફળ જાય છે. Ivol
ભાષાંતર - જે જે રાત્રિ પસાર થાય છે તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારને
તે રાત્રિ ધર્મના ફલથી રહિત એટલે નિષ્ફળ થાય છે..૪ll
ગાથાર્થ - જેને મૃત્યુ સાથે મિત્રતા છે, અથવા જે મૃત્યુથી પલાયન થઈ શકે છે, અથવા
જે જાણે છે કે હું મરવાનો નથી, તે આવતી કાલે ધર્મ થશે એવી ઇચ્છા કદાચિત્ કરે. II૪૧||
વૈરાગ્યશતક ૨૪
Page #55
--------------------------------------------------------------------------
________________
व्याख्या - यस्य 'अस्ति' विद्यते, मृत्युना सह 'सख्यं' मैत्री, यस्य चाऽस्ति 'पलायनं'
नाशनं, मृत्योरिति प्रक्रमस्तथा यो जानीते यथाऽहं न मरिष्यामि' “सो हु" स एव, ‘काङ्क्षति' प्रार्थयते, 'श्वे' आगमिनि दिने ‘स्याद्, भविष्यतीदमिति
गम्यते, ततोऽद्यैव धर्मं कुरुष्वेति भावः ।।४।। गाथा - दंडकलियं करिता, वशंति हु राइओ अ दिवसा य ।
आउससंविलिंता,' गया य न पुणो नियत्तंति ।।४२।। व्याख्या - हे आत्मन् ! “दण्डकलिय" दण्डरीतिं 'कुर्वन्तो' विदधत ‘आयु'जीवितं
'संवेष्टयन्तः' सन्निहितोपक्रमकारणैर्लघुकुर्वन्तो, 'हुनिश्चये, रात्रयश्च दिवसाश्च व्रजन्ति, अयं भावो-यथा कोलिकदण्डः सूत्रमुद्वेष्टते निखिलमपि तथा आयुरुद्वेष्टयन्तो रात्रिवासराः प्रयान्तीत्यर्थः, परं ते
रात्रिदिवसा गताश्च न पुन निवर्तन्ते' प्रत्यागच्छन्ति ।।४२।। गाथा - जहेह सीहो व मियं गहाय, मयू णरं णेइ हु अंतकाले ।
ण तस्स माया व पिया व भाया, कालंमि तंमिंऽसहरा भवंति।।४३।। व्याख्या - यथेत्यौपम्ये, ‘इहे ति लोके सिंहो' मृगपतिर्वेति पूरणे, ‘मृगं' कुरङ्गं गृहीत्वा
प्रक्रमात्परलोकं नयतीति सम्बन्धः, एवं मृत्युः कृतान्तो नरं' पुरुषं नयति, 'हुरवधारणे, ततो नयत्येव 'अन्तकाले' जीवितव्यावसानसमये न 'तस्य' मृत्युना नीयमानस्य माता वा पिता वा “भाय"त्ति वा शब्दस्येह गम्यमानत्वाद् भ्राता वा 'काले' तस्मिन् जीवितान्तरूपे 'अंशं' प्रक्रमाजीवितभागं 'धारयन्ति' मृत्युना नीयमानं नरं रक्षन्तीत्यंशधरा भवन्तीत्युक्तं हि"न पिता भ्रातरः पुत्रा, न भार्या न च बान्धवाः
न शक्ता मरणात्रातुं, मग्नाः संसारसागरे ।।१।।” इति ।। ४३ ।। गाथा - जी जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ ।
सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करेजासु' ।।४४।। व्याख्या - हे आत्मन् ! 'जीवितं' प्राणधारणं 'जलबिन्दुसमं' कुशाग्रप्राप्ताम्भो
बिन्दुवञ्चञ्चलं, तथा 'सम्पत्तय' ऋद्धय स्तरङ्ग'वद्वीचीवल्लोला' १. आउसं संविलंता इत्यपि पाठः । २. करिज्झासु इत्यपि पाठः ।
२५
वैराग्यशतकम्
Page #56
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - જેને મૃત્યુની સાથે મિત્રતા છે, જે મૃત્યુથી ભાગી શકે છે તથા જે જાણે છે કે હું મરીશ નહીં, તે જ આવતી કાલે ધર્મ થશે એ પ્રમાણે કદાચ ઇચ્છા કરી શકે, પરંતુ આવું તો કાંઈ બનતું નથી માટે આજે જ ધર્મને કરો. ૪૧||
ગાથાર્થ
-
ગાથાર્થ
હે આત્મા ! દંડથી ઉકેલાતા સૂત્રની જેમ રાત્રિ-દિવસો આયુષ્યને ઉખેળી રહ્યા છે, પરંતુ ગયેલા તે ફરી પાછા આવતા નથી. ।।૪૨।।
ભાષાંતર – હે આત્મા ! દંડની રીતને ધારણ કરતા, પ્રાપ્ત થયેલા ઉપક્રમના કારણો વડે આયુષ્યને ટૂંકુ કરતા રાત્રિ અને દિવસો નિશ્ચે પસાર થાય છે. જેમ કોલિક દંડ સઘળા સૂત્રને ઉકેલે છે, તેમ રાત્રિ-દિવસો પણ આયુષ્યને ઉકેલે છે અર્થાત્ કે આયુષ્યને ઓછું કરતા એવા રાત્રિ-દિવસો પસાર થાય છે. પરંતુ તે ગયેલા રાત્રિ-દિવસો ફરી પાછા આવતા નથી. I॥૪૨॥
આ લોકમાં જેમ સિંહ મૃગને પકડીને લઈ જાય છે. તેમ મૃત્યુ અંત સમયે માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા-પિતા કે ભાઈ સહાયક બનતા નથી. ।।૪૩મા
ભાષાંતર - જેમ લોકમાં સિંહ હરણને ગ્રહણ કરીને પરલોકમાં લઈ જાય છે. (અહીં યથા-ઉપમા અર્થમાં છે. અને વા વાક્યપૂર્તિ માટે છે.) એ પ્રમાણે મૃત્યુ જીવનના અંત સમયે માણસને પકડીને પરલોકમાં લઈ જાય છે. તે સમયે મૃત્યુ વડે લઈ જવાતા જીવને, માતા-પિતા-ભાઈ વિગેરે કોઈપણ રક્ષણ કરનાર થતા નથી. એટલે કે મરતા જીવના આયુષ્યના અંશને તેઓ ધારણ કરતા નથી. એ પ્રમાણે કહેલું છે કે સંસાર સાગરમાં ડૂબેલા પિતા, ભાઈઓ, પુત્રો, ભાર્યા, બાન્ધવો મરણથી રક્ષણ ક૨વા માટે શક્તિમાન નથી ||૪||
ગાથાર્થ – જીવિત જલબિંદુ જેવું છે. સંપત્તિઓ જળના તરંગની જેમ ચંચળ છે અને સ્નેહ સ્વપ્ન સમાન છે. જે જાણે તે પ્રમાણે તું કર. ૪૪॥
ભાષાંતર - હે આત્મન્ ! જીવન ઘાસના અગ્રભાગ પર પ્રાપ્ત થયેલા પાણીના બિંદુની જેમ ચંચળ છે તથા સંપત્તિઓ જલ્દીથી અન્યત્ર ચાલી જતી હોવાથી
વૈરાગ્યશતક ૫
Page #57
--------------------------------------------------------------------------
________________
गाथा - संझरागजलबुब्बुओवमे, जीविए य जलबिंदुचंचले । जुव्वणेय नइवेगसंनिभे, पावजीव ! किमियंन बुज्झसि ? ।। ४५ ।।
व्याख्या
-
गाथा
गाथा अन्नत्थ सुआ अन्नत्थ, रोहिणी परियणो वि अन्नत्थ । भूयबलिव्व कुटुंबं, पक्खितं हयकयंतेण ।। ४६ ।
व्याख्या
B
श्चपलास्त्वरितमन्यत्र संक्रामन्तीत्यर्थश्च पुनः 'प्रेम' स्त्र्यादीनां स्नेहः 'स्वप्नसमं' क्षणदृष्टनष्टमित्यर्थस्तस्माद्यज्जानीषे तथा कुरुष्वेति एतावतैषामस्थिरत्वं ज्ञात्वा स्थिरे श्रीजिनधर्मे उद्यमं कुर्विति सूचितम् ।।४४।। रूपकम् ।।
व्याख्या 'अन्यत्र' अन्यस्यां गतौ 'सुताः ' पुत्राः, अन्यत्र 'गेहिनी' कलत्रं, 'परिजनोऽपि' परिवारोऽपि अन्यत्र 'हतकृतान्तेन' निन्द्ययमेन, सुतादिरूपं कुटुम्बं भूतेभ्यो बलिरिव 'प्रक्षिप्तं' इतस्ततः पर्यस्तं, यथा भूतेभ्यो बलिः प्रक्षिप्यते तथेदं कुटुम्बमपि सर्वं कृतान्तेन भिन्नां भिन्नां गतिं प्रापितमिति ।। ४६।।
W
सन्ध्यारागश्च जलबुद्बुदश्चेति द्वन्द्वस्ताभ्यामुपमा यस्य तस्मिन्नेवंविधे 'जीविते' आयुषि च शब्दो व्यवहितः सम्बन्धो 'जलबिन्दुचञ्चले च' कुशाग्रादिलग्नतोयलववच्चपले चेत्यर्थः, उपमात्रयाभिधानमतितरलतादर्शनार्थं, 'यौवने' तारुण्ये, च शब्दाद्रव्यनिचयादौ च 'नदीवेगसन्निभे' सरिज्जलतुल्ये सति, हे 'पापजीव !' दुरात्मन् ! किमिदं न बुध्यसे ? पश्यन्नपीति ।। ४५ ।
-
जीवेण भवे भवे, मिलियाइ देहाइ जाइ संसारे ।
ताणं न सागरेहिं, कीरइ संखा अनंतेहिं ।। ४७ ।।
-
हे आत्मन् ! यच्छरीरार्थं त्वमेवंविधानि पापानि कुरुषे परं ये देहाः संसारे जीवेन 'भवे भवे' जन्मनि जन्मनि 'मुक्ता' स्त्यक्तास्तेषां देहानां
९. बुज्झसे इत्यपि पाठः । २. भवभवे मिहियाइं देहाइ जाइ इत्यपि
२६ वैराग्यशतकम्
Page #58
--------------------------------------------------------------------------
________________
પાણીના તરંગોની જેમ ચપલ છે અને વળી સ્ત્રી આદિનો સ્નેહ, સ્વપ્ન સમાન છે. એટલે ક્ષણવાર પહેલાં જે જોવાયેલો છે તે ક્ષણમાં નષ્ટ થાય છે. તે કારણથી જે તું જાણે તે પ્રમાણે કર. આ પ્રમાણે સર્વે વસ્તુનું અસ્થિરપણું જાણીને, સ્થિર એવા શ્રી જિનેશ્વરે કહેલા ધર્મમાં ઉદ્યમ કર. એ પ્રમાણે સૂચિત કરેલું છે. I૪૪ll.
ગાથાર્થ – સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સમાન જીવિત જળબિંદુ જેવું ચંચળ
હોવા છતાં અને યોવન નદીના પૂર જેવું હોવા છતાં, હે પાપી જીવ! તું બોધ
કેમ પામતો નથી?I૪પા. ભાષાંતર – સંધ્યારાગ અને પાણીના પરપોટા આ દ્વન્દ સમાસ છે. તે બન્ને વડે ઉપમા
જેની છે, તેવા આયુષ્યમાં (શબ્દ વ્યવહિતનો સંબંધ કરે છે) અને ઘાસના અગ્ર ભાગ પર લાગેલા પાણીના બિંદુની જેમ ચપલ એવું આયુષ્ય હોતે છતે, અહીં ત્રણ ઉપમા આયુષ્યની અતિ ક્ષણભંગુરતા બતાવવા માટે છે. તેમજ યૌવન અને શબ્દથી દ્રવ્યનો સમૂહ, નદીના પૂર જેવો હોવા છતાં, તે પાપાત્મા ! દુરાત્મા ! આ પ્રમાણે જોવા છતાં
પણ તું બોધ કેમ પામતો નથી ? પો. ગાથાર્થ – હા! નિંદનીય એવા યમે ભૂતને ફેંકાતા બલિની જેમ પુત્રને અન્યત્ર,
પત્નીને અન્યત્ર, અને સ્વજનોને પણ અન્યત્ર, એ પ્રમાણે કુટુંબને છુટું
છુટું ફેંક્યું છે Iકા ભાષાંતર – હા ! ખેદની વાત છે કે યમરાજા વડે ભૂતને ફેંકાતા બલિની જેમ પુત્રો
અન્ય ગતિમાં, પત્ની અન્ય ગતિમાં, પરિવાર પણ અન્ય ગતિમાં મોકલાયેલો છે. અર્થાત્ કે ભૂતને ફેંકાયેલો બલિ જેમ જુદા જુદા સ્થાને પડે છે, તેમ આખું કુટુંબ ક્રૂર એવા યમરાજા વડે ભિન્ન-ભિન્ન ગતિને
પ્રાપ્ત કરાયેલું છે. ll૪ll ગાથાર્થ – સંસારમાં ભવે ભવે જે શરીરો, જીવો વડે પ્રાપ્ત કરાયા છે, તેની સંખ્યા
અનંત સાગરોપમથી કરી શકાતી નથી I૪૭
ભાષાંતર - હે આત્મા ! જે શરીરને માટે તું આવા પ્રકારના પાપોને કરે છે, પરંતુ
જે દેહો સંસારમાં ભટકતા જીવ વડે દરેક જન્મમાં મૂકાયેલા છે, તે દેહોની અન્નત સાગરોપમ વડે પણ સંખ્યા કરી શકાતી નથી. કારણકે
વૈરાગ્યશતક
૨૭
Page #59
--------------------------------------------------------------------------
________________
'अनन्तैरनन्तसंख्यैः ‘सागरैः' समुद्रेः संख्या न क्रियते,
अनन्तसंख्यसागरबिन्दुभ्योऽपि पूर्वपूवभवजीवमुक्तशरीराणामनन्तत्वाद्, यद्वाऽनन्तैः ‘सागरैः' सागरोपमसमयैः, शेषं पूर्ववत्तथा चोक्तं"जीवेण जाणि उ विसज्जियाणि जाइसएसु देहाई । थेवेहिं तओ सयलं, पि तिहुयणं हुज्ज पडिहत्यं ।।१ ।।" ।।४७।।
गाथा - नयणोदयं पि तासिं, सागरसलिलाओ बहुयरं होई।
गलियं रुयमाणीणं, माउणं अन्नमत्राणं ॥४८।। व्याख्या - हे आत्मन् ! तासां रुदन्तीनां 'मातृणां' जननीनां, ‘अन्यान्यासां'
अपरापरजन्मभाविनीनां ['गलितं' पतितं] 'नयनोदकं' अश्रुजलमपि 'सागरसलिलात्' समुद्रपानीया द्वहुतरं' अधिकतरं, भवति, ताभी रुदतीभिरश्रुजलमेतावद् ग[गा]लितं पातितं, यत्संख्या समुद्राम्भसाऽपि
कर्तुं न शक्यत इत्यर्थः ।।४८।। गाथा - जं नरए नेरइया, दुहाई पावंति घोरऽणंताई ।
तत्तो अणंतगुणियं, निगोयमझे दुहं होइ ।।४९।। व्याख्या - हे आत्मन् ! यनरयिका' नारका नरके 'घोराणि' रौद्राणि च तान्य'नन्तानि'
अप्राप्तापरभागानि घोरानन्तानि, 'दुःखानि' असातवेद्यानि, प्राप्नुवन्ति, तथा चोक्तं"तह फालिया वि उक्कत्ति-आ वि तलिआ वि च्छिन्नभिन्ना वि । दड्डा भग्गा मुडिया, तोडिया तह वीलीणा य ।। १ ।। पावोदएण पुणरवि, मिलंति तह चेव पारयरसुव्व । इच्छंता वि हु न मरंति, कह वि ते नारय वराया ।।२।। पभणति तओ दीणा, मा मारेह सामि ! पहु नाह ! । अइदुसहं दुक्खमिणं, पसिअह मा कुणह एत्ताहे ।।३।। एवं परमाहम्मिय-पाएसु पुणो पुणो वि लग्गति । दंतेहिं अंगुलीओ, गिण्हंति भणंति दीणाई ।।४।।
१. सागरसलिलाउ बहुयरं होई इत्यपि पाठः ।
२७
वैराग्यशतकम्
Page #60
--------------------------------------------------------------------------
________________
જીવે પૂર્વ-પૂર્વ ભવોમાં છોડેલા શરીરો અનન્ત સંખ્યાવાળા સાગરના પાણીના બિંદુથી તથા અનન્ત સાગરોપમના સમયોથી પણ અનન્ત છે. તથા કહેલું છે કે, “જીવ વડે સેંકડો જાતિઓમાં જેટલા શરીરો વિસર્જન કરાયા છે, તે ભેગા કરીએ તો થોડા શરીરો વડે જ આખું જગત ભરાઈ
જાય. //૪૭ll. ગાથાર્થ – અન્ય-અન્ય જન્મોમાં મળેલી માતાઓના નયનમાંથી રડતી સમયે વહેતું
જલ-પણ સાગરના જળથી અધિક હોય છે. II૪૮.
ભાષાંતર - હે આત્મા ! અન્ય-અન્ય ભવોમાં મળેલી અને રડતી એવી માતાઓના
નયનમાંથી પડેલાં આંસુનાં પાણી પણ સાગરના પાણીથી અધિક થાય છે. રડતી એવી માતાઓ વડે અશ્રુનું જલ એટલું મૂકાયેલું છે કે જેનું માપ સમુદ્રના પાણી વડે પણ કરવાને માટે શક્ય નથી. I૪૮
ગાથાર્થ – નરકમાં નારકો જે ઘોર અને અનંત દુ:ખો પામે છે, તેથી અનંતગણું દુઃખ
નિગોદની મધ્યમાં હોય છે. એકલા ભાષાંતર - હે આત્મા ! નારકમાં રહેલા નારકો ઘોર અને અનન્ત દુ:ખો પામે
છે. જેના સમાન અન્ય કોઈ ન હોય તે ઘોર અને અનન્ત કહેવાય. અને અશાતા વેદનીય કર્મથી ભોગવાતું તે દુઃખ કહેવાય છે. કહ્યું છે કે – બિચારા નારકના જીવો ફાડી નાખેલા, ઉત્કીર્તન કરાયેલા, તળી નખાયેલા, છિન્નભિન્ન કરાયેલા, બાળી નખાયેલા, ભાંગી નખાયેલા, વાળી નખાયેલા તોડી નખાયેલા અને વિલીન કરાયેલા, પણ મરવાની ઇચ્છાવાળા હોવા છતાં મરતા નથી, પરંતુ પાપના ઉદય વડે ફરી પાછા પારાની જેમ મળી જાય છે ||૧,રો ત્યાર પછી દીન થયેલા કહે છે, હે સ્વામી! મને મારીશ નહિ, હે પ્રભુ ! હે નાથ !
આ દુ:ખ અતિદુસ્સહ છે. મહેરબાની કરીને આ પ્રમાણે મને ના કર તેવાં આ પ્રમાણે પરમાધામીના પગમાં વારંવાર પડે છે. દાંત વડે આંગળીઓને ગ્રહણ કરે છે અને દીનવચનોને બોલે છે. જો ત્યાર પછી નરકપાલો કહે છે - રે જીવ ! આજે તને આ દુ:ખ દુસ્સહ લાગે છે, પરંતુ જ્યારે પાપને કરતો હતો ત્યારે ખુશ થયેલો, આ પ્રમાણે કહેતો હતો પણ જે કારણથી સર્વજ્ઞ નથી અથવા અહીં હું
વૈરાગ્યશતક ૨૭
Page #61
--------------------------------------------------------------------------
________________
तत्तो अ निरयपाला, भणंति रे ! अज्ज दूसहं दुक्खं । जइआ पुण पावाई, करेसि तुट्ठो तया भणसि ।।५।। नत्थि जए सव्वन्नू, अहवा अहमेव एत्थ सव्वविऊ । अहवा वि खाह पिअह, दिट्ठो सो केण परलोओ ? ।।६।। खंता पियंता इह जे मरंति, पुणो वि ते खंति पियंति राई । खुहाई तत्ता पुण जे मरंति, पुणो वि तप्पंति खहाई ते ऊ ।।७।। नत्थि अ पुण्णं पावं, भूअऽब्भहिओ अ दीसइ न जीवो । इञ्चाइ भणसि तइया, वायालत्तेण परितुट्ठो ।।८।। मंसरसंमि य गिद्धो, जइया मारेसि निग्घिणो जीवे । भणसि तया अम्हाणं, भक्खमिणं निम्मियं विहिणा ।।९।। वेयविहिया न दोसं, जण्णे अहिंस त्ति अहव जंपेसि । चरचरचरस्सतो फा-लिऊण खाएसि परमंसं ।।१०।। लावयतित्तिरिअंडय-रसवसमाईणि पियसि अइगिद्धो । इण्डिं पुण पुक्कारसि, अइदुसंह दुक्खमेयंति ।।११।। अलिएहिं वंचसि तया, कूडक्कयमाइएहिं मुद्धजणं । पेसुण्णाईण करे-सि हरिसिओ पलवसि इयाणिं ।। १२ । । तइआ खणेसि खत्तं, घायसि वीसंभियं मुससि लोयं । परधणलुद्धो बहुदे-सगामनगराई भंजेसि ।।१३।। तेण वि पुरिसयारे-ण विनडिओ मुणसि तणसमं भुवणं । परदव्वेणं विलसेसि, कुणसि पुक्कार किं पुणिण्हिं ? ।।१४।। मा हरसु परधणाई, सिक्खविओ भणसि धिट्ठयाए अ । सव्वस्स वि परकीयं, सहोअरं कस्स वि न दव्वं ।।१५।। तइया परजुवईणं, चोरियरमियाइं मुणसि सुहाई । अइरत्तो वि हु तासिं, मारसि भत्तारपमुहे अ ।।१६।। सोहग्गे ण य नडिओ, कूडविलासेहिं (?) कुणसि ताहिं समं । इण्हिं तु तत्ततंबय-डिउल्लियाणं पलाएसि ।।१७।। परकीयच्चिय भज्जा, भुजइ निअया उ माउभइणीओ ।
एवं च दुविअड्डत्त-गव्विओ वयसि सिक्खविओ ।।१८।। १. अस्ति सर्वास्वपि प्रतिष्वयं वर्णः, परमर्थसङ्गतिरस्याभावे एवेति मे मति : । *MEREKKHAREKKREKKREk २८ वैराग्यशतकम्
Page #62
--------------------------------------------------------------------------
________________
જ સર્વજ્ઞ છું અથવા ખાઓ, પીઓ, કોના વડે પરલોક જોવાયો છે ? HIકો જે અહીં ખાતા અને પીતા મરે છે ફરીથી તેઓ રાત્રે ખાય છે અને પીએ છે. વળી જેઓ ભૂખથી દુઃખી થયેલા મરે છે તે બીજા ભવમાં પણ ભૂખથી દુઃખી થાય છે. કા ત્યારે વાચાળપણાથી ખુશ થયેલો પુણ્ય નથી, પાપ નથી, અને પાંચ ભૂતથી અધિક જીવ દેખાતો નથી વગેરે તું બોલતો હતો. ll૮ માંસના રસમાં વૃદ્ધ-આસક્ત થયેલો જ્યારે તું નિર્દય જીવોને મારતો હતો ત્યારે અમને કહેતો હતો, આ ખાવા માટે તો કુદરતે બનાવેલું છે માટે ભક્ષ્ય છે ll વેદમાં કહેલું છે એટલે દોષ નથી, અથવા યજ્ઞમાં હોમવામાં આવે તે અહિંસા છે તે પ્રમાણે બોલતો હતો અને જીવોને ચર-ચર એ પ્રમાણે ફાડીને બીજાના માંસને ખાતો હતો. ૧૦ અતિઆસક્ત એવો તું લાવકપક્ષી અને તિત્તરિના ઇંડાનો રસ અને ચરબી આદિને પીતો હતો અને અહીં પોકાર કરે છે કે આ અતિદુસ્સહ દુ:ખ છે. ||૧૧|| ત્યારે ખોટા ધંધા અને જૂઠા વચન વડે ત્યારે મુગ્ધજનને ઠગતો હતો, હર્ષ પામેલો પશુન્યાદિ-ચાડીઆદિ અઢાર પાપ કરતો હતો અને અત્યારે અતિદુસ્સહ દુઃખ છે એમ પ્રલાપ કરે છે. ||૧૨|| ત્યારે ખાતરને ખણતો હતો, વિશ્વાસ મૂકનારનો ઘાત કરતો હતો, લોકોને ચોરતો હતો અને પારકા ધનમાં લોભી બનેલો ઘણા દેશગામ-નગરોને તું ભાંગતો હતો. [૧૩] તે પુરુષાર્થ વડે અભિમાન પામેલો આખા ત્રણ જગતને તૃણ સમાન જાણતો હતો. પારકા દ્રવ્યો વડે વિલાસ કરતો હતો. તો હવે અહીં કેમ પોકાર કરે છે ? I૧૪ો. તું પરદ્રવ્યને હરણ ન કર એ પ્રમાણે શિખામણ અપાતી હતી, ત્યારે ધિષ્ઠાઈથી કહેતો હતો, બધાને પારકુ જ છે ક્ત દ્રવ્ય નહિ, ભાઈ પણ કોનો છે ? (કોઈ કોઈનું નથી એટલે દ્રવ્ય પોતાનું છે જ નહિ. પોતાનો આત્મા જ છે.) ૧પા ત્યારે પરસ્ત્રીની સાથે ચોરી છુપીથી ક્રિીડા કરી તેમાં સુખ માનતો હતો અને તે સ્ત્રીમાં અતિરક્ત બનેલો તેના પતિ વગેરેને મારતો હતો. ૧૬ો તે સ્ત્રીઓની સાથે કુટ વિલાસ કરતો હતો. ત્યાં સૌભાગ્યને વિષે સ્મલિત ન થયો અને અહીં તો તપેલા તાંબામાં ડૂબાડવામાં આવે તો કેમ ભાગી જાય છે ? ૧૭. ખોટી હોંશિયારીથી ગર્વિત થયેલો, શીખવાડાયેલો તે બીજાની પત્ની ભોગવવા યોગ્ય છે અને માતા-બેન પણ ભોગવવા યોગ્ય છે એ પ્રમાણે તું બોલતો હતો. ૧૮ તથા મૂઢ, અસંતુષ્ટ એવો ઘણા
વેરાગ્યશતક
૨૮
Page #63
--------------------------------------------------------------------------
________________
पिंडेसि असंतुट्ठो, बहु पावपरिग्गहं तहा मूढो । आरंभेहि अ तूससि, रूससि ? किं इत्थ दुक्खेहिं ।।१९।। आरंभपरिग्गहव-ज्जियाण निव्वहइ अम्ह न कुडुंबं । इय भणियं जस्स कए, तं आणसु दुहविभागऽत्थं ।।२०।। भरियं पिवीलियाइ-ण सीविअंजइ मुहं तुहऽम्हेहिं । ता होसि पराहुत्तो, भुंजसि रयणीइ पुण मिटुं ।।२१।। पियसि सुरं गायंतो, वक्खाणंतो भुआहि नञ्तो । इह तत्ततिल्लतुंब-तउणि किं पीअसि? न हयास ! ।।२२।। गुरुदेवाणुवहासो, विहिआ आसायणा वयं भग्गं । लोगो अ गामकूड-तणाइभावेसु संतविओ ।।२३।। इय जइ नियहत्थारो-वियस्स तस्सेव पावविडवस्स । भुंजसि फलाई रे दुठ्ठ !, अम्ह ता इत्थ को दोसो ? ।।२४।। इञ्चाइ पुव्वभवदु-क्कयाइँ सुमराविउं निरयपाला । पुणरवि वियणा उ उई-रयंति विविहप्पयारेहिं ।।२५।। उक्कत्तिऊण देहा-उ ताण मंसाइ चडप्फडताण । ताणं चिय वयणे प-क्खिवंति जलणम्मि भुंजेउं ।।२६ ।। रे रे ! तुह पुव्वभवे, संतुट्ठी आसि मंसरसिएहिं । इअ भणिउं तस्सेव य, मंसरसं गिहिउं दिति ।।२७।। तिरियाण य भारारो-वणाणि समुराविऊण खंधेस । चडिऊण सुरा तेसिं, भरेण भंजंति अंगाई ।।२८ ।। दीणा सव्वनिहीणा, नपुंसगा सरणवज्जिया खीणा । चिट्ठति नरयवासे, नेरइया अहव किं बहुणा ।।२९ ।। अच्छि निमिलणमित्तं, नत्थि सुहं दुक्खमेव अणुबद्धं । नरए नेरइयाणं, अहोनिसं पञ्चमाणाणं ।।३०।। तत्थ य सम्मट्टी, पायं चिंतंति वेयणाऽभिहया । मुत्तुं कम्माइ तुमं, मा रूससु जीव ! जं भणियं ।।३१।। सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ।।३२।। धारिजंतो जलनिहि, वीचीकल्लोलभिन्नकुलसेलो । न हु अनजम्मनिम्मिअ, सुहासुहो दिव्वपरिणामो ।।३३।।
२९
वैराग्यशतकम्
Page #64
--------------------------------------------------------------------------
________________
પાપ-પરિગ્રહને એકઠા કરતો હતો અને આરંભ વડે સંતોષ પામતો હતો તો અહીં દુઃખ વડે કેમ રોષ પામે છે ? ૧૯ો આરંભ અને પરિગ્રહને છોડીને અમારા કુટુંબનો નિર્વાહ ન થાય, એવું જેના માટે તું બોલતો હતો તેને દુ:ખનો ભાગ કરવા માટે બોલાવ ૨૦ રાત્રે મિષ્ટાન ખાતો હતો, એના બદલામાં અમારા વડે જ્યારે તારું મુખ કીડી આદિથી ભરીને સીવાયું, ત્યારે પરામુખ કેમ થાય છે. |૧| સ્ત્રીઓને નચાવતો, વખાણતો, ગાતો મદિરાને પીએ છે. તો તે હતાશ ! અહીં તપેલા તલ તાંબા અને સીસાને કેમ પીતો નથી ?
૨૨ ગુરુ ભગવંતોની મશ્કરી તથા આશાતના કરી, વ્રતનો ભંગ કર્યો. શૂદ્રપણાદિના ભાવને પામેલો તું લોકોને હેરાન કરતો હતો. /૨૩ll એ પ્રમાણે જો પોતાના હાથે રોપેલા એવા તે પાપવૃક્ષના ફળોને ભોગવે છે તો રે દુષ્ટ એમાં અમારો શું દોષ ? ||૨૪ll. ઇત્યાદિ પૂર્વભવના દુષ્કતોને યાદ કરાવીને નરકપાલો ફરીથી પણ વિવિધ પ્રકારે વેદના ઉત્પન્ન કરે છે. રપા તડફડતા તેના દેહમાંથી માંસ ઉખેડીને અગ્નિમાં પકાવીને તેના જ મુખમાં નાખે છે. R/૨૬ો રે રે જીવ ! પૂર્વભવમાં તને માંસના રસ વડે સંતોષ થતો હતો એ પ્રમાણે કહીને માંસના રસને ગ્રહણ કરીને આપે છે. ર૭ા પશુઓના કંધ-ખભા ઉપર ભાર આરોપણ કરતો હતો, તેને યાદ કરાવીને દેવો તેની ઉપર ચડીને ભાર વડે અંગોને ભાંગી નાખે છે. ll૨૮ સર્વ નિધિ વડે દીન થયેલા નપુંસકો, શરણથી મૂકાયેલા, ક્ષીણ થયેલા નરકના જીવો નરકના આવાસમાં રહે છે. એનાથી બીજું શું (દુ:ખ વર્ણવવું ?) |રા નરકમાં દિવસ રાત પકાવાતા એવા નારકીના જીવોને આંખના નિમેષ માત્ર પણ સુખ નથી. દુ:ખ જ સતત ભોગવ્યા કરે છે. ૩૦ ત્યાં વેદનાથી હણાયેલા સમ્યગ્દષ્ટિ જીવો પ્રાય: વિચાર કરે છે કે રે જીવ ! કર્મને છોડીને તેમની ઉપર રોષ ન કર. કારણ કે કહ્યું છે કે l૩૧ી સર્વ જીવો અપરાધોને વિષે અને ગુણોને વિષે પૂર્વ કરેલા કર્મના ફળના વિપાકને પામે છે બીજો વ્યક્તિ નિમિત્ત માત્ર હોય છે. ૩રા. સમુદ્રના તરંગ અને કલ્લોલથી ભેદાયેલ કુલપર્વતને ધારણ કરવો સહેલો છે પણ અન્ય જન્મમાં નિર્માણ કરેલ શુભ કે અશુભ ભાગ્યના પરિણામને ધારણ કરવું સહેલું નથી. ૩૩ ગુરુવડીલજન વડે અટકાવાતો પણ ત્યારે તું પાપને કરતો હતો અને પોત જ દુ:ખને ગ્રહણ કરતો હતો. તો હે જીવ! અહીં કોની ઉપર
વૈરાગ્યશતક
૨૯
Page #65
--------------------------------------------------------------------------
________________
वारिजंतो वि हु गुरुजणेण तइआ करेसि पावाइं । सयमेव किणिय दुक्खे, रूससि रे जीव ! कस्सिहिं ? ।।३४।। सत्तमियाओ अन्ना,, अट्ठमिआ नत्थि नरयपुढवि त्ति । एमाइ कुणसि कूडु-त्तराइ इण्हिं किमुब्वियसि ? ।।३५ ।। इय चिंताए तह वे-अणाहिं खविऊण असुहकम्माइं । जायंति रायभवणा-इएसु कमसो अ सिझंति ।। ३६ ।। अन्ने अवरुप्परकलह-भावओ तह य कोवकरणेणं । पावंति तिरिअभावं, भर्मति तत्तो भवमणंतं ।।३७।।" ततो नरकदुःखेभ्यो 'निगोदाः' साधारणवनस्पतिविशेषास्तेषां मध्ये 'अनन्तगुणितं' अनन्तगुणं, पुनः पुनर्जन्ममरणरूपं दुःखं भवति, यत उक्तं"गोला हुंति असंखा, हुंति निगोआ असंखआगोले । इक्विको अनिगोओ, अणंतजीवो मुणेयव्यो ।।१।। एगूसासम्मि म[ओ)उं (?) सत्तरसवाराउऽणंतखुत्तो वि । खुडगभवगहणाओ, एएसु निगोयजीवेसु ।।२।।"४९।।
गाथा - तंमि वि निगोअमज्झे, वसिओ रे जीव ! विवहकम्मवसा ।
विसहंतो तिक्खदुहं, अणंतपुग्गलपरावत्ते ।।५०।। व्याख्या - ‘रे जीव !' हे आत्मन् ! 'तस्मिन्नपि' नारकदुःखातिशायि दुःखसङ्कुले
निगोदम्ध्ये 'उषितः स्थितः, कस्मात् ?, 'विविधकर्मवशात्' अनेकविधज्ञानावरणीयादि-कर्मपरतन्त्रतया, यत उक्तं"जया मोहोदओ तिव्वो, अण्णाणं खु महब्भयं । कोमलं वेयणीयं नु, तया एगिंदियत्तणं ।। १।।" किं कुर्वन् तत्रोषित ? इत्याह-अनन्तान् सूक्ष्मक्षेत्रपुद्गलपरावर्तान् यावत् 'तीक्ष्णं' उग्रं 'दुःखं' एकस्मिन् श्वासोच्छ्वासे साधिकसप्तदशमवात्मकं 'विषहमाणो' अनुभवन्, उक्तं च"सत्तरससमहिया किर, इगाणुपाणंमि हुंति खुड्भवा । सगतीससयतिहुत्तर-पाणू पुण इगमुहुत्तंमि ।।१।। पणसट्ठिसहसपणसइ-छत्तीसा इगमुहुत्तखुड्डुभवा । आवलियाणं दोसय-छप्पन्ना एगखुटुभवे ।।२।।" !!५० ।।
३०
वैराग्यशतकम्
Page #66
--------------------------------------------------------------------------
________________
રોષ કરે છે ? (૩૪સાતમીથી બીજી આઠમી નરકની પૃથ્વી નથી ને ? એ પ્રમાણે ખોટા ઉત્તર આપતો હતો. હવે અહીં કેમ ઉદ્વેગ પામે છે ? રૂપા એ પ્રમાણે ચિંતા વડે તથા વેદનાઓ વડે અશુભકર્મોને ખપાવીને રાજભવનાદિમાં ઉત્પન્ન થાય છે અને ક્રમે કરીને સિદ્ધ થાય છે. રૂકા સમ્યગ્દષ્ટિ સિવાયના બીજા જીવો પરસ્પર ઝઘડો કરીને તથા કોપ કરવા વડે તિર્યચપણાને પામે છે, અને ત્યાર પછી અનંત ભવ ભમે છે. I૩૭ી. ત્યાર પછી નરકના દુઃખ કરતાં નિગોદમાં એટલે સાધારણ વનસ્પતિકાયમાં ફરી-ફરી જન્મ-મરણ રૂપ અનન્ત દુ:ખ હોય છે. જે કારણથી કહેલું છે કે “નિગોદના ગોળા અસંખ્યાતા હોય છે એકએક ગોળામાં અસંખ્યાતા નિગોદના શરીર હોય છે અને એક-એક નિગોદના શરીરમાં અનંત જીવો હોય છે. ૧ એક શ્વાસોચ્છવાસમાં મરીને સત્તર વાર ક્ષુલ્લક ભવ રૂપને ગ્રહણ કરવા વાળી આ નિગોદમાં જીવ અનંતી વાર ઉત્પન્ન થયેલ છે. I૪૯ાા
ગાથાર્થ – હે આત્મા!વિવિધ કર્મની પરાધીનતાથી તે નિગોદમાં પણ અનંત પુદ્ગલ
પરાવર્ત સુધી તીક્ષ્ણ દુઃખ સહન કરતો તું રહ્યો. પol
ભાષાંતર - હે જીવ ! હે આત્મા ! નરકના દુઃખથી પણ અતિશય દુ:ખના સમૂહરૂપ
નિગોદમાં તું કયા કારણથી વસ્યો ? જ્ઞાનાવરણીયાદિ વિવિધ કર્મોની પરાધીનતાથી વસ્યો છે. જે કારણથી કહેલું છે કે જ્યારે તીવ્ર મોહનો ઉદય, મહાભયાનક અજ્ઞાન, અને અસાર-અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, ત્યારે જીવ એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. શું કરતો ત્યાં વસ્યો ? તો કહે છે કે વિવિધ કર્મોની પરવશતાથી અનંત સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત જેટલા કાળ સુધી એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર ભવ રૂપ તીક્ષ્ણ દુ:ખોને અનુભવતો રહેલો છે. કહ્યું છે કે એક શ્વાસોચ્છવાસમાં કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવો નિશ્ચયે થાય છે અને એક મુહૂર્તમાં સાડત્રીશસો તહોંતેર (૩૭૭૩) શ્વાસોચ્છવાસ થાય છે. //// એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો અને છત્રીસ (૩૫, ૫૩૩) શુલ્લક ભવો થાય છે અને ક્ષુલ્લક ભવને વિષે બસો છપ્પન્ન (૨૫) આવલિકા થાય છે. રા૫oll
વૈરાગ્યશતક
૩૦
Page #67
--------------------------------------------------------------------------
________________
गाथा - नीहरिय कह वि तत्तो, पत्तो मणुयत्तणं पि रे जीव ! ।
तत्थ वि जिणवरधम्मो, पत्तो चिंतामणिसरिच्छो ।।५१।। व्याख्या- रे जीव ! त्वं 'कथमपि' महता कष्टेन 'ततो' निगोदानिःसृत्य 'मनुष्यत्वं'
मनुजत्वमपि प्राप्त'स्तत्राऽपि' मनुष्यत्वेऽपि चिन्तामणिसदृक्षो, मनोभिलाषपूरकत्वात्, श्रीजिनवरधर्मः पुण्यवशात्प्राप्तः, “निसरेणीहर-नीलधाड-वर-हाडा" इति [८-४-७९ हैमप्राकृतसूत्रेण] निःसरेधहरादेशः ।।५।।
गाथा - पत्ते वि तंमि रे जीव !, कुणसि पमायं तुम तयं चेव ।
जेणं भवंधकूवे, पुणो वि पडिओ दुहं लहसि ।।५२।।
व्याख्या - रे जीव !, 'तस्मिन्' दुष्प्रापे श्रीजिनधर्मे 'प्राप्तेऽपि' लब्धेऽपि, त्वं तमेव
'प्रमादं' निद्राविकथादिकं करोषि, येन प्रमादेन भव एवाऽन्धकूपस्तस्मिन्पुनरपि पतितो 'दुःखं' नरकादावसातमेव - लभसे, आर्षवचनत्वाद्भविष्यत्यर्थे वर्तमानता, परं हारितं जिनधर्मं पुनर्न लप्स्यस इत्यर्थ : ।।५२।।
गाथा - उवलद्धो जिणधम्मो, न य अणुचित्रो पमायदोसेणं ।
हा! जीव ! अप्पवेरिअ! सुबहंपुरओ विसूरिहिसि ।।५३।। व्याख्या - हे जीव ! त्वया दैवयोगाजिनधर्म ‘उपलब्धः' प्राप्तः, परं 'प्रमाददोषेण'
आलस्यादिवैगुण्येन च 'नाऽनुचीर्णो' न सेवितो, 'हा' इति खेदे, 'आत्मवैरिन् !' स्वजीवशत्रो ! हे जीव ! 'पुरतो' मरणावसाने-परलोके वा, ‘सुबहुं' अतिशयेन, शशिराजवत् 'खेत्स्यसे' खेदं प्राप्स्यसिशोचिष्यसीत्यर्थः, 'खिदे—रविसूरा" विति [८-४-१३२ हैमप्राकृतसूत्रेण]
खिदेविसूरादेशः ।।५३।। गाथा - सोयंति ते वराया, पच्छा समुवट्ठियंमि मरणंमि ।
पावपमायवसेणं, न संचियो जेहि जिणधम्मो ।।५४।। व्याख्या - ते 'वराका' रङ्कास्तपस्विनः, पश्चान् मरणे ‘समुपस्थिते' प्राप्ते सति
३१
वैराग्यशतकम्
Page #68
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ – હે જીવ! ત્યાંથી કોઈપણ રીતે નીકળીને મનુષ્યપણું પણ તું પામ્યો. તેમાં
પણ ચિંતામણિ રત્ન સમાન જિનધર્મ તને પ્રાપ્ત થયો. પ૧
ભાષાંતર – હે જીવ!તું મહાન કષ્ટ વડે તે નિગોદમાંથી નીકળીને મનુષ્યપણું પામ્યો,
મનુષ્ય ભવમાં પણ મનની ઇચ્છાઓને પૂર્ણ કરતો હોવાથી ચિત્તામણિ રત્ન સમાન શ્રી જીનેશ્વરે કહેલો ધર્મ પણ પુણ્યના યોગે પામ્યો. “નીસરેદર-નીસ્ટ-ધાડ-વર-હાડા રૂતિ (૮-૪-૭૬ દે પ્રતિસૂત્રેજ) નિઃસર નો
નીહર આદેશ થયેલો છે. પ૧ ગાથાર્થ - હે જીવ ! તે ધર્મ પ્રાપ્ત થવા છતાં પણ તે જ પ્રમાદ તું કરે છે કે
જે પ્રમાદથી ભવરૂપી અંધકૃપમાં ફરી વાર પણ પડેલો તું દુઃખ પામે
છે પરા ભાષાંતર - હે જીવ! તે દુ:ખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવા શ્રી જિનેધર્મને પ્રાપ્ત
કરવા છતાં પણ તું, તે જ નિદ્રા-વિકથાદિ પ્રમાદને કરે છે કે જે પ્રમાદ વડે ભવ રૂપી અંધ કૂપમાં પડેલો ફરી પણ નરકાદિમાં દુ:ખને જ મેળવે છે. (અહીં આર્ષ વચનથી ભવિષ્યકાળના અર્થમાં વર્તમાન કાળ કરેલ છે.) પરંતુ હારેલા એવા જિનધર્મને ફરી પ્રાપ્ત કરી શકાય નહીં. આ પ્રમાણે અર્થ છે. પ૨
ગાથાર્થ - હે જીવ! જિનધર્મ પ્રાપ્ત થયો પરંતુ પ્રમાદના દોષથી તેનું આચરણ કર્યું
નહીં. અરે આત્મવેરી! પરલોકમાં તું ખૂબ ખેદ પામીશ. પ૭ll
ભાષાંતર - હે જીવ! તારા વડે ભાગ્યના યોગથી શ્રી જિનધર્મ પ્રાપ્ત કરાયો, પરંતુ
આલસાદિ પ્રમાદના દોષથી તે ધર્મનું સેવન કર્યું નહીં. હા ખેદની વાત છે કે હે આત્મ વૈરી ! તું પરલોકમાં શશિરાજાની જેમ અતિશય ખેદને પામીશ. “વિવેનૂરવિસૂરા” વિતિ (૮-૪-૨રૂર રેપ્રાકૃતસૂત્રે) અહીં વિદ્ ધાતુનો વિસૂર આદેશ કરેલો છે. આપણા
ગાથાર્થ – પાપ રૂપ પ્રમાદને આધીન થઈને જેઓએ જિનધર્મનો સંચય નથી કર્યો,
તેઓ બિચારા મરણ ઉપસ્થિત થયે છતે શોક કરે છે. પકો
ભાષાંતર – દુષ્ટાલસ - નિદ્રા - વિથાદિ પાપી એવા પ્રમાદને આધીન થયેલા
વૈરાગ્યશતક
૩૧
Page #69
--------------------------------------------------------------------------
________________
' शोचन्ति ' शोकं कुर्वन्ति, ते के ?, यैर्वराकैः 'पापप्रमादवशेन' दुष्टालस्यादिपरतन्त्रतया जिनधर्मो न 'सञ्चितः ' स्वात्मनि न सम्भृतो 'हा ! हा !! वयमकृतधर्माणः परलोके कथं सुखिनो भविष्याम' इति शोकं विदधतीति भावः । ५४||
-
गाथा - धी- धी धी संसारं,' देवो मरिऊण जं तिरी होइ । मरिऊण रायराया, परिपच निरयजालाहिं । । ५५ ।।
व्याख्या संसारं चातुर्गतिकरूपं-भवं धिग् धिग्, धिक्याभिधानं तु निन्द्यतमत्व सूचनार्थं, संसारस्य धिक्त्वे कारणमाह यस्माद्देवः' सुरो 'मृत्वा' च्युत्वा ‘तिर्यक्' पृथिव्यादिर्भवति, तथा 'राजराजो' वासुदेवादिर्मृत्वा निरयज्वालाभिः परिपच्यते, यत उक्तं
गाथा - जाइ अणाहो जीवो, दुमस्स पुष्पं व कम्मवायहओ । धणधन्नाहरणाइं, घरसयणकुडुंबमिल्हेवि ।। ५६ ।।
व्याख्या
गाथा
व्याख्या
-
३२
'मीरासु संठएसु य, कुडुसु अ पयणगेसु कुंभीसु ।
लोहीसु अ पलवंते, पयंति कालाउ नेरइए ।। १ ।। " ।। ५५ ।।
-
हे आत्मन् ! त्वया 'संसारे' भवे, 'संसरता' इतस्ततः पर्यटता सता कदाचिद् 'गिरिषु' पर्वतेषु 'उषितं' स्थितं, कदाचिद् 'दरीषु' कन्दरेषूषितं, ९. संसारे इत्यपि पाठः ।
वैराग्यशतकम्
हे जीव ! अयं 'जीव' आत्मा कर्मैव' वातो' वायुस्तेन' हतः 'प्रतिहतो, 'अनाथो' अस्वामिको-अनाधारः सन् 'द्रुमस्य' तरोः पुष्पमिव याति परलोकमिति गम्यते, यथा द्रुमस्य पुष्पं वातप्रेरितं सद्यात्यधः पतति, तथा जीवोऽपि, किं कृत्वा ?, धनधान्याभरणानि गृहं स्वजनकुटुम्बं च मुक्त्वा, अनुक्तोऽप्यत्र चकारो बोद्धव्यः, प्राकृतत्वाद्विभक्तिलोपश्च ।।५६।।
वसिय गिरीसु वसियं, दरीसु वसियं समुद्दमज्झम्मि । रुक्खऽग्गे यवसियं, संसारे संसरंतेणं । ५७ ।।
Page #70
--------------------------------------------------------------------------
________________
હોવાથી, જેઓ વડે જિનધર્મનો પોતાના આત્માને વિષે સંચય કરાયો નથી, તેઓ બિચારા પાછળથી મરણ ઉપસ્થિત થયે છતે શોક કરે છે. તે શોક કેવા પ્રકારનો છે ? તો કહે છે કે હા ! હા ! નહીં સેવેલા
જિનધર્મવાળા અને પરલોકમાં કેવી રીતે સુખી થઈશું ? ૫૪ ગાથાર્થ - તે સંસારને ધિક્કાર હો! ધિક્કાર હો! ધિક્કાર હો! જે સંસારમાં દેવો મૃત્યુ
પામીને તિર્યંચ બને છે અને રાજાધિરાજ મરણ પામીને નરકની જ્વાલાથી
અત્યંત પકાવાય છે પિપા ભાષાંતર - ચાર ગતિ રૂપ સંસારને ધિક્કાર હો ! ધિક્કાર હો ! ધિક્કાર હો !
અત્યંત નિન્દકપણું બતાવવા માટે અહીં ત્રણ વાર ધિક્ શબ્દ વાપરેલો છે. સંસારના ધિક્કારપણાના કારણને કહે છે. જે કારણથી દેવ મરીને પૃથ્વી આદિ રૂપ તિર્યંચ થાય છે, તથા વાસુદેવાદિ રાજાઓ મરીને નરકની જ્વાલઓ વડે અત્યંત પકાવાય છે, જેથી કહેવાયેલું છે કે “મીરા સંસ્થાનવાળી અને ઘડાના આકારવાળી એવી પકાવનારી કુંભમાં નરકમાં ઘણા કાળ સુધી જીવ પકાવાય છે અને
લોહીમાં આળોટે છે. પપા ગાથાર્થ - કર્મ રૂપી પવનથી હણાયેલો આત્મા ધન, ધાન્ય, અલંકાર, ઘર, સ્વજન
અને કુટુંબ મળવા છતાં પણ તેને મૂકીને પવનથી પડી ગયેલા વૃક્ષના
પુષ્પની જેમ અનાથ બનીને જાય છે. પકા ભાષાંતર - હે જીવ! આ આત્મા કર્મરૂપી પવનથી હણાયેલો અનાથ બનેલો છતાં
જેમ પવનથી પ્રેરાયેલા વૃક્ષના પુષ્પો જલ્દીથી નીચે પડે છે તેમ, જીવ પણ પરલોકમાં એકલો જાય છે. જીવ શું કરીને પરલોકમાં એકલો જાય છે ? તો કહે છે કે ધન, ધાન્ય, આભરણો, ઘર, સ્વજન, અને કુટુંબને મૂકીને જાય છે. (નહીં આપેલો હોવા છતાં અહીં વકાર જાણવો) પ્રાકૃત હોવાથી
વિભક્તિનો લોપ કરેલો છે. પકો ગાથાર્થ – હે આત્મા!સંસારમાં પર્યટન કરતાં તુ પર્વત પર વસ્યો છે, ગુફામાં વસ્યો છે,
સમુદ્રની મધ્યમાં વસ્યો છે અને વૃક્ષની ટોચ પર પણ વસ્યો છે. પ૭l.
ભાષાંતર - હે આત્મા ! સંસારમાં ભટકતા એવા તારા વડે ક્યારેક પર્વતોને વિષે
| નિવાસ કરાયો, ક્યારેક ગુફાઓને વિષે, ક્યારેક સમુદ્રની મધ્યમાં, તો
વૈરાગ્યશતક
૩૨
Page #71
--------------------------------------------------------------------------
________________
कदाचित्समुद्रमध्ये उषितं, कदाचिद्वृक्षाग्रेषु चोषितं, अनवस्थितत्वाज्जीवस्य ।।५७।। किञ्चाऽयमात्मा नटवदपरापररूपैः परावर्तते, ततः कः कुलाभिमानावकाश ? इत्याह -
गाथा - देवो नेरइओ ति य, कीडपयंगों त्ति माणुसो एसो ।
रुवस्सी य विरूवो, सुहुभागी दुक्खभागी य ।।५८।।
व्याख्या - 'देवो' विबुधो, नारकः प्रतीत एव, इति शब्दाः सर्वे उपप्रदर्शनार्थाश्च शब्दाः
समुच्चयार्थाः स्वगतानेकभेदसूचका वा, तथा 'कीट:' कृम्यादिः, 'पतङ्गः' शलभस्तिर्यगुपलक्षणं चैतन् ‘मानुषः' पुमान्, एष जीवः, परावर्तत इति सर्वत्र क्रिया, “रूवस्सि"त्ति कमनीयशरीरो ‘विरूपो' विशोभः ‘सुखं' सातं भजते तच्छीलश्चेति सुखभागी, एवं दुःखभागी ।।५८।।
गाथा - राउत्तिय दमगो त्ति य, एस सपागो त्ति एस वेयविऊ ।
सामी दासो पुजो, खलोत्ति अधणो धणवइत्ति ।।५९।। व्याख्या - तथा 'राजा' पृथिवीपतिर्द्रमको' निःस्व, एष जीवः ‘श्वपाक श्चाण्डाल:
तथैष एव 'वेदवित्' सामादिवेदानां वेत्ता-प्रधानब्राह्मण इत्यर्थः, असकृदेषशब्दग्रहणं पर्यायनिवृत्तावपि जीवद्रव्यस्याऽनुवृत्तिज्ञापनार्थं, एष एवैको नानारूपेष्वेवं परावर्तते न सर्वथाऽन्यो भवतीत्यर्थः, तथा 'स्वामी' स्वपोष्यापेक्षया नायको, 'दासो' व्यक्षरकः, 'पूज्यो' अभ्यर्चनीय-उपाध्यायादिः, 'खलो' दुर्जनो, 'अधनो' निर्द्रव्यो,
'धनपति'रीश्वरः ।।५९।। गाथा - नवि इत्थ कोइ नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्ठो ।
अन्नान्नरूववेसो, नडोव परिअत्तए जीवो ॥६०।।। १. नेरइउ इत्यपि पाठः । कीडपयंगु इत्यपि पाठः । ३. दमगु इत्यपिपाठः । ४. सपागु
इत्यपि पाठः ५. अन्नुन्नरूववेसी नडुब्ब इत्यपि पाठः ।
३३
वैराग्यशतकम्
Page #72
--------------------------------------------------------------------------
________________
ક્યારેક વૃક્ષની ટોચ પર નિવાસ કરાયો છે. જીવને એક સ્થાને રહેવાનું નિશ્ચિત ન હોવાથી જુદા જુદા સ્થાને નિવાસ કરાયો છે. આ આત્મા નટની જેમ અન્ય-અન્ય રૂ૫ વડે પરાવર્તન પામે છે. તેથી કુળના અભિમાનને અવકાશ ક્યાંથી હોય ? તે માટે કહે છે - પછી
ગાથાર્થ – હે જીવ!તું દેવ બન્યો છે અને નારક બન્યો છે. કીડો અને પતંગિયું થયો છે
અને મનુષ્ય પણ થયેલો છે. તું સુંદર રૂપવાળો અને કુરૂપવાળો બન્યો છે.
સુખી બન્યો છે અને દુઃખી બન્યો છે. પટો ભાષાંતર - અહીં ઇતિ શબ્દ સર્વે ભેદોને બતાવવા માટે છે અને શબ્દ પોતે
પ્રાપ્ત કરેલા અનેક ભેદોનો સૂચક છે હે જીવ ! તું દેવ અને નારક બન્યો છે. કીડો - કૃમિ આદિ અને પતંગીયું બનેલો છે. ઉપલક્ષણથી દરેક તિર્યમ્ જાતિમાં ઉત્પન્ન થયો છે, મનુષ્ય પણ થયેલો છે અર્થાત્ કે અન્ય-અન્ય રૂપે આ જીવ પરાવર્તન પામે છે એમ દરેક ઠેકાણે ક્રિયાપદ સમજવું. વળી ક્યારેક સુંદર રૂપવાળો એટલે કે શરીરવાળો તો ક્યારેક કુરૂપવાળો, શોભા વગરનો બન્યો છે, વળી ક્યારેક
સુખને ભજનારો છે તો ક્યારે દુ:ખનો ભાગી થયો છે. પિતા ગાથાર્થ – હે જીવ! તું રાજા અને ભિખારી બન્યો છે. એ જ તું ચંડાળ અને વેદપાઠી,
સ્વામી અને દાસ, પૂજ્ય અને દુર્જન, નિર્ધન અને ધનવાન થયો છે. પહેલા
ભાષાંતર – તે પ્રમાણે આ જીવ રાજા અને ભિખારી બન્યો છે. તથા તે જ
પ્રમાણે આ જીવ ચંડાળ અને સામાદિ વેદોને જાણનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ થયો છે. અહી વારંવાર “G” શબ્દનું ગ્રહણ અનેક પર્યાયો બદલાતા હોવા છતાં જીવદ્રવ્ય અર્થાત્ આત્મા એક સ્વરૂપે જ રહે છે, તે જણાવવા માટે કર્યું છે. આ એક આત્મા જ અન્ય-અન્ય રૂપોમાં પરાવર્તન પામે છે, તે આત્મદ્રવ્ય બદલાતું નથી. તથા આ જીવ સ્વામી એટલે કે પોતાના નોકરની અપેક્ષાએ નાયક અને બે અક્ષરવાળો દાસ થયો છે. ઉપાધ્યાયાદિ રૂપે પૂજ્ય અને દુર્જન,
ધનરહિત અને ધનવાન થયો છે. //પલા ગાથાર્થ – પોતે કરેલા કર્મની રચના પ્રમાણે ચેષ્ટા કરતો જીવ અન્ય-અન્ય રૂ૫ અને
વેશ ધારણ કરીને નટની જેમ પરાવર્તન પામે છે. એમાં કોઈ નિયમ નથી. (કે પુરુષ મરીને પુરુષ થાય) ૬oll
વૈરાગ્યશતક ૩૩
Page #73
--------------------------------------------------------------------------
________________
व्याख्या - किञ्च 'नाऽपि' न सम्भाव्यतेऽत्र कश्चि नियमो'ऽवश्यम्भावो, यथा परे
मन्यन्ते-“पुरुषः पुरुषत्वमश्नुते, पशवः पशुत्व" मित्यादिरूपः, प्रमाणबाधित्वात्, कर्मवैचित्र्येण भववैचित्र्योपपत्तेः, किं तर्हि ?, स्वकर्मविनिविष्टसदृशकृतचेष्टः परावर्तते जीव इति सम्बन्धः, तत्र क्रियत इति कर्म-ज्ञानावरणीयादि, स्वस्याऽऽत्मनः कर्म स्व कर्म, तस्य विनिविष्टं विनिवेशः, प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकं रचनमित्यर्थः, तस्य सदृशीतदनुरूपा कृता-निर्वर्तिता चेष्टा-देवादिपर्यायाध्यासरूपो व्यापारो येन स तथेति समासो, दृष्टान्तमाह 'अन्यान्यरूपो' नानाऽऽकारो 'वेषो' नेपथ्यवर्णकविच्छित्त्यादिलक्षणो यस्याऽसावन्यान्यरूपवेषः, कोऽसौ ?, नटः, स इव ‘परावर्तते' परिभ्रमति 'जीव' आत्मेति, तदिदं संसारेऽनवस्थितत्वमालोच्यं, तथा चोक्तं-श्रीआचाराङ्गे"से असई उञ्चागोए, असतिं नीयागोए, नो हिणे णो अतिरित्ते, णोऽपीहए, इति संखाय को गोयावादी ? को माणावादी ? कंसि वा एगे गिज्झे तम्हा पंडिए नो हरिसे णो कुज्झे" [एतट्टीका] “इति" संसार्यसुमान् 'असकृद्' अनेकश 'उच्चैर्गोत्रे' मानसत्कारार्हे, उत्पन्न इति शेषः, तथाऽसकृन्नीचैर्गोत्रे' सर्वलोकावगीते, पौनःपुन्येनोत्पन्न इति, तथाहि नीचैर्गोत्रोदयादनन्तमपि कालं तिर्यक्ष्वास्त इति, स चाऽनन्ता उत्सर्पिण्यवसर्पिणीः, आवलिकाकालासंख्येयभागसमयसंख्यान् पुद्गलपरावर्तानिति xxx तदेवमुञ्चावचेषु गोत्रेष्वसकृदुत्पद्यमानेनाऽसुमता x x x न मानो विधेयो नाऽपि दीनतेति, तयोश्चोञ्चावचयोर्गोत्रयोर्बन्धाध्यवसायस्थानकण्डकानि तुल्यानीत्याह- “णो हीणे णो अतिरित्ते" यावन्त्युचैर्गोत्रेऽनुभावबन्धाध्य-वसायस्थानकण्डकानि, नीचैर्गोत्रेऽपि तावन्त्येव, तानि च सर्वाण्यप्यसुमताऽनादिसंसारे भूयोभूयः स्पर्शितानि, तत उच्चैर्गोत्रकण्डकार्थतयाऽसुभृन्न हीनो नाऽप्यतिरिक्तः, एवं नीचैर्गोत्रकण्डकार्थतयाऽपीति, xxx यतश्चोञ्चावचेषु स्थानेषु कर्मवशादुत्पद्यन्ते, बलरूपलाभादिमदस्थानानां चाऽसमञ्जसतामवगम्य किं कर्तव्यमित्याह-“णोऽपीहए", 'अपिः' सम्भावने, स च भिन्नक्रमो, जात्यादीनां मदस्थानानामन्यतममपि 'नो ईहेताऽपि, नाऽभिलषेदपि, अथवा नो स्पृहयेन्नाऽवकाङ्क्षदिति, तत्र यद्युञ्चावचेषु स्थानेष्वसकृदुत्पन्नोऽसुमांस्ततः किमित्याह-“इति संखाय" इत्यादि, इतिरुपप्रदर्शने, इत्येतत्पूर्वोक्तनीत्योञ्चावचस्थानोत्पादादिकं 'परिसंख्याय' ज्ञात्वा को गोत्रवादी भवेद् ?' यथा ममोञ्जेगोत्रं
३४
वैराग्यशतकम्
Page #74
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર – અન્ય દર્શનવાળા આ પ્રમાણે માને છે કે પુરુષ હોય તે પુરુષપણાને જ
પામે છે. પશુઓ હોય તે પશુપણાને પામે છે, પરંતુ પ્રમાણથી બાધિત હોવાથી અને કર્મના વિચિત્રપણાથી ભવની ઉત્પત્તિ થતી હોવાથી એમાં કોઈ અવશ્ય થવા રૂપ નિયમ નથી. તો શું નિયમ છે ? તો કહે છે કે કરાય તે કર્મ જ્ઞાનાવરણીયાદિ. પોતાનું કર્મ તે સ્વકર્મ. તેનો વિનિવેશ એટલે કે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ સ્વરૂપ રચના. તે કર્મને અનુરૂપ એવી કરેલી ચેષ્ટા એટલે કે દેવાદિ પર્યાયને પામવા રૂપ વ્યાપાર. અર્થાત્ જીવે પોતે કરેલા જ્ઞાનાવરણીયાદિ કર્મ, તેનાથી નિશ્ચિત્ત કરેલા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી કરેલા કર્મની રચના પ્રમાણે તેને અનુરૂપ દેવાદિ પર્યાયોમાં વ્યાપાર વડે ચેષ્ટા કરતો જીવ ભમે છે. અહીં દૃષ્ટાન્તને કહે છે- જેમ અનેક પ્રકારની વેષભૂષા, વર્ણ, કાન્તિ વિગેરે સ્વરૂપવાળા વેષને ધારણ કરતો નટ ભમે છે, તેમ આત્મા પણ આ સંસારમાં ભમ્યા કરે છે. આ પ્રમાણે ચાર ગતિ રૂપ સંસારમાં ભટકતા જીવનું અનવસ્થિતત્વપણું કહ્યું. તથા શ્રી આચારાંગમાં કહેલું છે કે “સંસારી જીવ અનેકવાર માન-સત્કારને યોગ્ય ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થાય છે, તથા અનેકવાર સર્વલોકમાં નિંદિત એવા નીચગોત્રમાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - નીચગોત્રના ઉદયથી અનંત કાલ તિર્યંચના ભાવમાં રહે છે. આવલિકા કાલના અસંખ્યાતમા ભાગના સમયની સંખ્યાવાળા પુદ્ગલ પરાવર્તી રૂપ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી ઉચ્ચ-નીચ ગોત્રમાં અનેકવાર ઉત્પન્ન થતા જીવ વડે માન પણ કરવા યોગ્ય નથી અને દીનતા પણ કરવા યોગ્ય નથી. ઉચ્ચનીચગોત્રના અધ્યવસાય સ્થાનના કંડકો તુલ્ય છે. હીન પણ નથી અને અધિક પણ નથી. જેટલા ઉચ્ચગોત્રમાં અનુભાવ બન્ધાધ્યવસાય સ્થાન કંડકો છે તેટલા જ નીચગોત્રમાં છે અને તે સર્વ સ્થાનો પ્રાણી વડે અનાદિ રૂપ સંસારમાં ફરી-ફરી સ્પર્શાવેલા છે. તેથી ઉચ્ચગોત્રના કંડકના અર્થપણા વડે પ્રાણી હીન નથી, અધિક પણ નથી. એ પ્રમાણે નીચગોત્રના દંડકના અર્થપણા વડે પણ હીનાધિક નથી. જે કારણથી ઉચ્ચ-નીચ સ્થાનમાં કર્મના વશથી ઉત્પન્ન થાય છે. અને બલ-રૂપલાભાદિ મદDોનોનું વિચિત્રપણું જાણીને શું કરવા યોગ્ય છે ? જોડવીદg' અહીં ‘પ' સંભાવના અર્થમાં છે અને તે ભિન્ન જગાએ જોડવાનો છે. તે આ પ્રમાણે – મદસ્થાનોમાંથી કોઈને પણ ન ઇચ્છે
વૈરાગ્યશતક
૩૪
Page #75
--------------------------------------------------------------------------
________________
सर्वलोकमाननीयं [तथा] नाऽपरस्येत्येवंवादी को बुद्धिमान् भवेत् ?, तथाहि - मयाऽन्यैश्च जन्तुभिः सर्वाण्यपि स्थानान्यनेकशः प्राप्तपूर्वाणीति, तथोच्चैर्गोत्रनिमित्तमानवादी वा को भवेत् ?, न कश्चित्संसारस्वभावपरिच्छेदीत्यर्थः, किञ्च “कंसि वा एगे गिज्झे" अनेकशोऽनेकस्मिन् स्थानेऽनुभूते सति तन्मध्ये कस्मिन्वा एकस्मिन्नुच्चैर्गोत्रादिकेऽनवस्थिते स्थाने रागादिविरहादेकः कथं गृध्येत् ?, तात्पर्यं-आसेवां विदितकर्मपरिणामो विदध्याद्, युज्येत गार्ध्यं, यदि तत्स्थानं प्राप्तपूर्वं नाऽभविष्यत्, तच्चाऽनेकशः प्राप्तपूर्वम्, अतस्तल्लाभालाभयोर्नोत्कर्षापकर्षो विधेयाविति, आह च " तम्हा" इत्यादि, यतोऽनादौ संसारे पर्यटताऽसुमताऽदृष्टायत्तान्यसकृदुचावचानि स्थानान्यनुभूतानि, तस्मात्कथञ्चिदुच्चादिकं मदस्थानमवाप्य 'पण्डितो' हेयोपादेयतत्त्वज्ञो 'न हृष्येन हर्षं विदध्याद्, उक्तं च
'सर्वसुखान्यपि बहुशः, प्राप्तान्यटता मयाऽत्र संसारे । उच्चैःस्थानानि तथा, तेन न मे विस्मयस्तेषु ।। १ ।। जई' सो वि णिज्जरमओ, पडिसिद्धो अट्टमाणमहणेहिं । वसेसमयट्ठाणा, परिहरियव्वा पयत्तेणं ।।२।।”
नाऽप्यवगीतस्थानावाप्तौ वैमनस्यं विदध्याद् आह च- " णो कुज्झे" अदृष्टवशात्तथाभूतलोकासम्मतं जातिकुलरूपबललाभादिक मधममवाप्य 'न कुप्येन्न' क्रोधं कुर्यात्, कतरन्नीचस्थानं शब्दादिकं वा दुःखं मया नाऽनुभूतमित्येवमवगम्य नोद्वेगवशगेन भाव्यमुक्तं च
‘अवमानात्परिभ्रंशाद्वधबन्धधनक्षयात् ।
प्राप्ता रोगाश्च शोकाश्च जात्यन्तरशतेष्वपि ।।१।।
संते य अविम्हईउं, असोइउं पंडिएण य असंते । सक्का हु दमोवमियं, हियएण हियं धरंतेणं ।।२।।
होऊण चक्वट्टी, पुहुइवती विमलपंडुरच्छत्तो । सो चेव नाम भुज्जो, अणाहसालालओ होइ ।।३।।” ।।६०।।
१. यदि सोऽपि निर्जरामदः, प्रतिषिद्धोऽष्टमानमथनैः । अवशेषमदस्थानानि, परिहर्तव्यानि प्रयत्नेन ।। १ ।।
२. सत्सु चाविस्मेतुमशोचितुं पण्डितेन चाऽसत्सु । शक्यं हि द्रुमोपमितं, हृदयेन हितं धरताम् ।।२।। भूत्वा चक्रवर्ती, पृथिवीपतिर्विमलपाण्डुरच्छत्रः । स एव नाम भूयोऽनाथशालायो भवति । । ३ । ।
३५ वैराग्यशतकम्
Page #76
--------------------------------------------------------------------------
________________
અથવા તો તેની સ્પૃહા ન કરે. ત્યાં જો ઉચ્ચ-નીચ સ્થાનોમાં પ્રાણી વારંવાર ઉત્પન્ન થાય છે તો શું ? “તિ સંય' ઇતિ એ ઉપપ્રદર્શન અર્થમાં છે, એટલે કે પૂર્વે કહેલું છે તે પ્રમાણે ઉચ્ચ-નીચ સ્થાનમાં ઉત્પાદાદિકને જાણીને કોણ બુદ્ધિમાન મારું ગોત્ર સર્વલોકમાં માનનીય છે બીજા કોઈનું નહીં એ પ્રમાણે ગોત્રવાદી થાય ? તથા મારા વડે અને અન્ય જીવ વડે સર્વે પણ સ્થાનો પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરાયેલા છે, તેથી ઉચ્ચગોત્રના નિમિત્તે માનવાદી કોણ થાય ? તો કહે છે કે સંસારના સ્વભાવને જાણનાર કોઈપણ ન થાય. અનેક વાર અનેક સ્થાન અનુભવાય છતે તેની મધ્યમાં અથવા કોઈપણ એક ઉચ્ચગોત્રાદિક સ્થાન નહીં પ્રાપ્ત કરાયે છતે રાગાદિના વિરહથી એકની શા માટે ઈચ્છા કરે ? તાત્પર્ય આ પ્રમાણે છે કે- જાણેલા કર્મપરિણામવાળો વિચારે, જો તે સ્થાન મેં પૂર્વે પ્રાપ્ત ન કર્યું હોય તો તેમાં ગૃદ્ધિ કરવી યોગ્ય છે, અને આવું તો બનતું નથી. એ સ્થાન પણ પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરેલું છે. આથી તેના લાભ અથવા અલાભમાં ઉત્કર્ષ કે અપકર્ષ કરવા યોગ્ય નથી. અને કહ્યું છે કે જે કારણથી અનાદિ સંસારમાં ભટકતા પ્રાણી વડે અનેકવાર તે અદૃષ્ટને આધીન એવા ઉચ્ચનીચ સ્થાનો અનુભવાયેલા છે. તેથી કોઈપણ ઉચ્ચાદિક મદસ્થાનને પામીને પંડિત એટલે કે હેયોપાદેય તત્વને જાણનાર હર્ષને ન કરે. અને કહેલું છે કે અહીં સંસારમાં ભટકતા મારા વડે સર્વે સુખો પણ બહુવાર પ્રાપ્ત કરાયા છે. તથા ઉચ્ચ સ્થાનો પણ બહુવાર પ્રાપ્ત કરાયા છે તેથી તેઓને વિષે મને વિસ્મય નથી //આંઠ માનના સ્થાનને મથન કરવા દ્વારા ઉત્પન્ન થયેલી નિર્જરા છે. જો તે નિર્જરાનો મદ પણ કરવાની ના પાડી હોય તો બાકીના મદસ્થાનોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ” અને વળી નિંદિત એવા નીચ સ્થાનોની પ્રાપ્તિ થયે છતે વૈમનસ્યપણું ન કરવું જોઈએ. તેથી જ કહ્યું છે કે, ભાગ્યના વશથી તેવા પ્રકારના લોકમાં અસંમત અને નિંદનીય એવા જાતિ-કુલ-રૂપ-બલ લાભાદિ પ્રાપ્ત કરીને ક્રોધ ન કરવો જોઈએ, કેટલા નીચસ્થાનો અથવા શબ્દાદિક દુ:ખ મારા વડે નથી અનુભવાયા, એ પ્રમાણે જાણીને ઉદ્વેગને વશ થઈને વિચારવું ન જોઈએ અને કહેલું છે કે અપમાનથી પરિભ્રંશથી, વધ-બન્ધનથી અને ધનના ક્ષયથી પૂર્વ સેંકડો જાતિમાં રોગો અને લોકો પ્રાપ્ત કરેલા છે.
વૈરાગ્યશતક
૩૫
Page #77
--------------------------------------------------------------------------
________________
गाथा - नरएसु वेयणाओ, अणोवमाओ असायबहुलाओ । रे जीव ! तए पत्ता, अनंतखुत्तो बहुविहाओ ।। ६१ ।।
व्याख्या रे जीव ! त्वया ‘अनन्तकृत्वो'ऽनन्तवारान्, 'नरकेषु' रत्नप्रभादिषु सप्तसु 'बहुविधा' अनेकप्रकारा 'अनुपमा' अनन्यसदृशा असातेन दुःखेन बहुलाव्याप्ता वेदना - असातावेदनीयकर्मजनिताः पीडाः प्राप्ता, यत उक्तं
-
३६
'नेरइयाणं भंते ! कइविई वेयणं पचणुभवमाणा विहरंति ?, गोयमा ! दसविहं, तं जहा-सीयं १ उसिणं २ सुहं ३ पिवासं ४ कंडूयं ५ परज्झं ६ जरं ७ दाहं ८ भयं ९ सोगं १०”
गाथा - देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं । भीसणदुहं बहुविहं, अणंतखुत्तो समणुभूयं ।। ६२ ।।
[ एतट्टीका] - " तत्र शीतोष्णे प्रतीते, क्षुत्पुनर्नारकाणां सदा स्थायिनी, ते हि क्षुद्वेदनादह्यमानाः सकलजगदुद्धृतादिपुद्गलाहारेऽपि न तृप्यन्ति, पिपासा तु नित्यं कण्ठोष्ठतालुजिह्वादिशोषविधायिनी सकलजलधिजलपानेऽपि नो शाम्यति, कण्डूः क्षुरकादिभिरप्यनुच्छेद्या, "परज्झं" पारवश्यं, ज्वरो यावज्जीवमत्रत्यादनन्तगुणो, दाहभयशोका अप्यत्येभ्योऽनन्तगुणा
इति" ।। ६१ ।।
व्याख्या रे जीव ! त्वया 'देवत्वे' देवभवप्राप्तौ तथा 'मनुजत्वे' 'मनुष्यभवप्राप्तौ, 'परे' स्वस्मादन्ये देवा मनुजाश्च तेषां 'अभियोगत्वं' परतन्त्रत्वं,
-
वैराग्यशतकम
发 发
Page #78
--------------------------------------------------------------------------
________________
“પંડિત વડે વિદ્યમાન પદાર્થને વિષે આશ્ચર્ય ન કરવો એ શક્ય છે અને અવિદ્યમાન પદાર્થને વિષે શોક ન કરવો એ શક્ય છે. કારણ કે વૃક્ષની ઉપમાને જાણે છે. (પીપળ પાન ખરંતા હસતી કૂપળિયાં, મુજ વીતી તુજ વિતશે ધીરી બાપડિયા) એટલે હૃદય વડે હિતને ધારણ કરો” ના. “નિર્મલ અને ઉજ્જવળ છત્રવાળો રાજા ચક્રવર્તી થઈને તે જ ખરેખર
ફરીથી અનાથશાલાનું સ્થાન થાય છે. કoll ગાથાર્થ – હે જીવ ! અશાતા રૂ૫ દુ:ખથી ભરપૂર અને ઉપમારહિત બહુવિધ
વેદનાઓ નારકીમાં અનંતવાર તે પ્રાપ્ત કરી છે.
ભાષાંતર - હે જીવ ! તારા વડે રત્નપ્રભાદિ સાત નરકમાં અનન્તવાર, અનેક
પ્રકારની, ઉપમા ન આપી શકાય તેવી અશાતાવેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી વેદના પ્રાપ્ત કરાઈ છે. જેથી કહેવું છે કે હે ભગવંત! નારકી કેટલા પ્રકારની વેદના અનુભવતા રહેલા છે ? હે ગૌતમ ! દશ પ્રકારની વેદના અનુભવતા નારકો રહેલા છે. તે આ પ્રમાણે ૧, શીત, ૨, ઉષ્ણ, ૩, સુધા, ૪, તૃષા, ૫, ખણજ, ૩, પરવશતા, ૭, જ્વર, ૮, દાહ, ૯, ભય, ૧૦, શોક. આની ટીકા આ પ્રમાણે - ત્યાં અનંતી ઠંડી અને ગરમી હોય છે તે પ્રતીત છે. સુંધા વળી નારકોને હંમેશાં રહેનારી છે. તે ક્ષુધા વેદનાથી બળતા નારકો જગતમાં રહેલા સઘળા ઘી વિગેરે પુગલોના આહારથી પણ તૃપ્ત ન થાય, વળી તેઓને હંમેશાં તૃષા પણ ગળું, ઓઠ, તાળવું જીભાદિને સૂકાવનારી હોય છે. જે તૃષા સઘળા સમુદ્રનું પાણી પીવા છતાં પણ શાંત ન થાય તેવી હોય છે. છરીથી ખણવા છતા પણ શાંત ન થાય તેવી ખણજ હોય છે, સદાકાળ પરવશપણું હોય છે. અહીંયા થતા જ્વર કરતાં ત્યાં માવજીવ સુધી અનંતગુણ વર હોય છે. દાહ, ભય, શોક
પણ અહીંયા કરતા અનંતગુણા હોય છે. ૬૧// ગાથાર્થ – દેવભવમાં અને મનુષ્યભવમાં તેના પરાધીનપણાને પામેલા તે અનેક
પ્રકારનું ભીષણ દુઃખ અનંતવાર અનુભવ્યું છે. Iકરા
ભાષાંતર - હે જીવ! તારા વડે દેવભવમાં તથા મનુષ્યભવમાં તારાથી અન્ય એવા
જે દેવો અને મનુષ્યો તેઓનું પરવશપણું પ્રાપ્ત કરીને તેનાથી
વૈરાગ્યશતક
૩૬
Page #79
--------------------------------------------------------------------------
________________
'उपगतेन' प्राप्तेन सता पारवश्याद् ‘अनन्तकृत्वो'ऽनन्तवारान् ‘बहुविधं' अनेकप्रकारं 'भीषणं' भयानकं 'दुःखं' असातं 'समनुभूतं' वेदितम्
।।६२।। गाथा - तिरियगई अणुपत्तो, भीममहावेयणा अणेगविहा ।
जम्मणमरणऽरघट्टे, अणंतखुत्तो परिब्भमिओ ।।६३।। व्याख्या - हे जीव ! त्वं तिर्यग्गतिमनुप्राप्तोऽनेकविधा 'भीममहावेदना'
रौद्रमहापीडा, विषहमाणः, सन्निति गम्यते, जन्ममरणारघट्टेऽनन्तकृत्वः 'परिभ्रान्तः' पर्यटित, उक्तं च"तिरिया कसंकुसारा, निवायवहबंधमारणसयाइं ।
नवि इहयं पावंता, परत्थ जइ नियमिया हुंता ।।१।।" ।।६३।। गाथा - जावंति के वि दुक्खा, सारीरा माणसा व संसारे ।
पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ।।६४।। व्याख्या - हे आत्मन् ! संसारकान्तारे यावन्ति कान्यपि 'शारीराणि'
शरीरसम्बन्धीनि 'मानसानि' मनोभवानि वा दुःखानि, तानि सर्वाण्यप्ययं
जीवोऽनन्तकृत्वः प्राप्तः ।।६४।। गाथा - तण्हा अणंतखुत्तो,संसारे तारिसी तुमं आसी।
जं पसमेउं सव्वो-दहीणमुदयं न तीरिजा ।।५।। व्याख्या - रे जीव ! संसारे तव तादृशी 'तृष्णा' तृषाऽनन्तवारानासीत्, नरके
इति गम्यते, यां तृष्णां प्रशमितुं 'सर्वोदधीनां' सकलसमुद्राणां 'उदकं'
जलं न शक्नुयात्' न समर्थं भवेत् ।।६५।। गाथा - आसी अणंतखुत्तो, संसारे ते छुहा वि तारिसिया ।
जं पसमेउं सम्बो, पुग्गलकाओ वि न तरिजा ।।६६।। व्याख्या - रे जीव ! तव 'संसारे' नरकभवे, अनन्तकृत्वस्तादृशी 'क्षुधा' बुभुक्षा
आसीद्, यां क्षुधां ‘प्रशमितुं' निवर्तयितुं सर्वोऽपि पुद्गलकायो घृतादिरूपो न शक्नुयात् ।।६६।।।
३७
वैराग्यशतकम्
Page #80
--------------------------------------------------------------------------
________________
અનંતવાર, અનેક પ્રકારનું ભયાનક અશાતાવેદનીય રૂ૫ દુ:ખ અનુભવાયેલું છે. Iકરો
ગાથાર્થ - અનેક પ્રકારની મહાભયંકર વેદના યુક્ત તિર્યંચગતિને પામીને ત્યાં જન્મ
મરણ રૂ૫ રેંટમાં અનંતવાર તેં પરિભ્રમણ કર્યું છે. કal
ભાષાંતર - હે જીવ! તું તિર્યંચગતિને પામેલો, અનેક પ્રકારની મહાભયંકર વેદનાને
સહન કરતો છતો જન્મ-મરણ રૂપ રેંટમાં અનંતવાર ભયેલો છે. અને કહેલું છે કે “પરલોકમાં જે નિયમવાળા થયેલા હોય છે તે તિર્યંચના જીવો આ લોકમાં અસાર એવી ચાબૂક, અને સેંકડો નિપાત વધ-બંધ અને મરણને પામતા નથી. IIકall
ગાથાર્થ – સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુઃખો છે, તે સર્વે દુ:ખો જીવે
ભવાટવીમાં અનંતવાર પ્રાપ્ત કર્યા છે. જો
ભાષાંતર - હે આત્મા! આ સંસાર રૂપી જંગલમાં જેટલા શરીર સમ્બન્ધી દુ:ખો અને
મનથી ઉત્પન્ન થયેલા દુઃખો છે, તે સર્વે દુ:ખો આ જીવે અનંતવાર પ્રાપ્ત કરેલા છે. ૪.
ગાથાર્થ – સંસારમાં અનંતવાર તને એવી તૃષા થઈ હતી કે જેને શમાવવાને સકલ
સાગરનું પાણી અસમર્થ થાય. IIકપા.
ભાષાંતર - હે જીવ ! સંસારમાં અર્થાતુ કે નરકમાં તને તેવા પ્રકારની તૃષા
અનન્તવાર પ્રાપ્ત થયેલી હતી કે જે તૃષાને શાંત કરવા માટે સઘળા
સમુદ્રોનું પાણી પણ શક્તિમાન ન થાય. ગાથાર્થ – સંસારમાં અનંતવાર તારી ભૂખ પણ એવા પ્રકારની હતી કે જે શમાવવાને
સર્વ પુદ્ગલો પણ સમર્થ ન થાય. કડા
ભાષાંતર – હે જીવ!તને સંસારમાં અર્થાતુ કે નરક ભવમાં અનંતવાર તેવા પ્રકારની
ભૂખ પ્રાપ્ત થયેલી હતી કે જેને શાંત કરવા માટે સર્વે ઘી વિગેરે પુદગલો પણ સમર્થ થાય નહીં.
વૈરાગ્યશતક
૩૭
Page #81
--------------------------------------------------------------------------
________________
गाथा - काऊणमणेगाई, जम्मणमरणपरियट्टणसयाइं ।
दुक्खेण माणुसत्तं, जइ लहइ जहिच्छियं जीवो ।।६७।। व्याख्या - हे जीव ! ‘अनेकानि' अनन्तानि, जन्ममरणानां परावर्तनशतानि
कदाचिजन्म कदाचिन्मरणमित्येवंरूपाणि कृत्वा 'दुःखेन' कष्टेन, अयं 'जीव' आत्मा, यदि यदृच्छिकं]च्छया (?) 'मानुषत्वं मनुजत्वं लभते, न तु सुखेन, कुशलपक्षकारी पुनः सुखेन मृत्वा सुखेनैव लभत इति
गाथार्थः ।।६७।। .. . गाथा - तं तह दुल्लहलंभं, विजुलया चंचलं च मणुअतं ।
___धम्मंमिजो विसीयइ, सो काउरिसोनसप्पुरिसो।।६८।। व्याख्या - तन्मनुजत्वं तथा चुल्लकादि दशोपनयव्यवस्थया 'दुर्लभलाभं' दुर्लभप्राप्तिं तथा
विद्युल्लतावञ्चञ्चलं च, लब्ध्वेति गम्यते, यो मनुजो 'धर्म' जिनप्रणीते, अदृष्टवशात् प्राप्ते विषीदति' विषण्णो भवति, धर्मं न सम्यगनुतिष्ठतीत्यर्थः, स
'कापुरुषः' कुत्सितपुरुषो, न सत्पुरुषः ।।६८ ।। गाथा - मणुस्सजम्मे तडिलद्धयंमि, जिणिंदधम्मो न कओय जेणं ।
तुटुंगुणेजह धाणुक्कएणं, हत्था मलेव्वा य अवस्सतेणं ।।६९।। व्याख्या - मनुष्यजन्मनि संसाराम्भोनिधितटप्राये लब्धे सति येन मनुष्येण, चः
पादपूरणार्थो, जिनेन्द्रधर्मोऽहिंसादिरूपो 'न कृतो' नानुचीर्णस्तेन मनुष्येण 'अवश्यं' निश्चितं, मरणावसाने हस्तौ 'मृदितव्यौ' घृष्टव्यौ, “हा ! हा ! मया सत्यां सामग्र्यां धर्मरूपं पाथेयं न जगृहे, अथाहं किं करोमीति", कस्मिन् केनेव ?, यथा 'गुणे' प्रत्यञ्चायां त्रुटिते सति रणभूमौ 'धानुष्केण' धनुर्धरेण, हस्तौ मृदितव्यौ भवतस्तथा तेनाऽपि, मृदातेर्मल इत्यादेशः ।।६९।।
गाथा - रेजीव ! निसुणिचंचलसहाव, मिल्हेविणुसयल वि बज्झभाव ।
नवभेय परिग्गह विविहजाल, संसारि अस्थि सहुइंदयाल ७०।। १. इंदियाल इत्यपि पाठः । .
३८
वैराग्यशतकम्
Page #82
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - અનેક જન્મ મરણોના સેંકડો પરાવર્તનો કરીને મહાકષ્ટ વડે જ્યારે જીવ
મનુષ્યપણું પામે છે, ત્યારે તેનું યથેચ્છિત તે પ્રાપ્ત કરે છે. Iકા ભાષાંતર – હે જીવ! અનેક એટલે કે અનંત જન્મ મરણનાં, ક્યારેક જન્મ તો
ક્યારેક મરણ, એ રૂપે સેંકડો પરાવર્તન કરીને દુ:ખ વડે આ જીવ, ઇચ્છા મુજબનું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. સુખ વડે નહિ અર્થાતુ કે સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. જે કુશલ પક્ષને કરનાર હોય છે તે વળી સુખ
વડે મરીને સુખવડે જ ફરી પ્રાપ્ત કરે છે. કોઈ ગાથાર્થ – પરંતુ તે દુર્લભ અને વિદ્યુલ્લતા જેવું ચપળ મનુષ્યપણું પામીને જે
ધર્મકાર્યમાં ખેદ કરે છે, તે ક્ષુદ્ર પુરુષ છે, સપુરુષ નહિ. ૧૮
ભાષાંતર – ચુલ્લકાદિ દશ દૃષ્ટાંતની વ્યવસ્થા વડે દુર્લભ તથા વીજળીના પલકારાની
જેમ ચંચળ એવું મનુષ્યપણું પ્રાપ્ત કરીને, (એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) જે મનુષ્ય ભાગ્યના વશથી પ્રાપ્ત થયેલા, જિનેશ્વરે કહેલા ધર્મમાં પ્રમાદ કરે છે અર્થાત્ કે ખેદને ધારણ કરીને ધર્મને સારી રીતે
આચરતો નથી તે શુદ્ર પુરુષ છે, સપુરુષ નહિ. ૬૮ ગાથાર્થ - ધનુષ્યની દોરી તૂટી ગયા પછી જેમ ધનુર્ધારીને અવશ્ય હાથ ઘસવા પડે
છે, તેમ સંસાર સાગરના કિનારા રૂપી માનવજન્મને પામીને જેણે જિનેન્દ્ર
કહેલા ધર્મનું સેવન ન કર્યું, તેને અવશ્ય હાથ ઘસવા પડશે. એકલા ભાષાંતર - સંસાર સાગરના કિનારા રૂપી મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છતે જે મનુષ્ય વડે
(ા પાદપૂર્તિ માટે છે) જિનેશ્વરે કહેલા અહિંસાદિ રૂપ ધર્મનું આચરણ કરાયું નથી, તે મનુષ્ય વડે નિચ્ચે મરણ સમય પ્રાપ્ત થયે છતે હાથ ઘસવા યોગ્ય છે કે હા!હા!મારાવડે સામગ્રીને પ્રાપ્ત કરવા છતાં ધર્મરૂપ ભાતુ એકઠું ન કરાયું, હવે હું શું કરું ? કોના વિષે કોની જેમ આ હાથ ઘસવા જેવું છે? તો કહે છે કે જેમ ધનુષ્યની દોરી તૂટી ગયા પછી યુદ્ધભૂમિમાં ધનુર્ધારી વડે હાથ ઘસવા પડે છે, તેની જેમ આ જીવ વડે પણ અવશ્ય હાથ
ઘસવાનું રહેશે. અહીં મૃાતિ નો “મ” આદેશ થયો છે. IIકા ગાથાર્થ – રે આત્મા ! સાંભળ, ચંચળ સ્વભાવવાળા સકળ બાહ્ય ભાવોનો અને નવ
પ્રકારની પરિગ્રહની વિવિધ જાળને મૂકીને જવાનું છે. માટે સંસારમાં સઘળું ઇંદ્રજાળ જેવું છે. કoll
વૈરાગ્યશતક
૩૮
Page #83
--------------------------------------------------------------------------
________________
व्याख्या - ‘रे जीव !' आत्मन् !, त्वं 'शृणु' आकर्णय, किं तदित्याह
'चञ्चलस्वभावान्' चपलस्वरूपान्, सकलानपि बाह्यभावान् शरीरादीन् तथा 'नवभेदो' नवप्रकारो य: ‘परिग्रहो' धनधान्यक्षेत्रवास्तुरूप्यसुवर्णकुप्यद्विपदचतुष्पदरुपस्तस्य यद् 'विविधजालं' अनेकप्रकारसमूहस्तञ्च मुक्वा परलोके यास्यसीति गम्यते, अतः संसारे यदस्ति धनधान्यादिकं तत्सर्वं ‘इन्द्रजालमिव' तन्त्रबलेनाविद्यमानवस्तुप्रकाशनमिव, इन्द्रजालं वस्तुगत्याऽसदित्यर्थः ।।७।।
गाथा - पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइअ सवि नियसुहसहाय ।
नवि अत्थि कोईतुहसरणिमुक्ख, इक्कल्लुसहसि तिरिनरयदुक्ख ।।७१।।
व्याख्या - हे 'मूर्ख !' अज्ञानिन् !-आत्मन् !, यदर्थं त्वं द्रव्याधुपार्जने
परवञ्चनादिकं कुरुषे तत्सर्वमैहलौकिकं पितापुत्रमित्रगृहिणीनां 'जातं' समूहस्तव नरकादौ प्राप्तस्य 'शरणे' निर्भयत्वस्थापने, 'निजशुभसहाय' आत्मकल्याणनिमित्तं न कोऽप्यस्ति, न कोऽपि तत्र त्रातेत्यर्थः, केवलं जन्मान्तरे ‘एक एव' एकाक्येव, तिर्यङ्नरकदुःखानि सहिष्यसे, ये वर्तमाने काले प्रसिद्धास्ते भूते भविष्यत्यपि भवन्तीति वचनाददुष्टः प्रयोगः ।।७१।।
गाथा - कुसऽग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए ।
एवंमणुआणजीवियं, समयंगोयम !मा पमायए ।।७२।।
व्याख्या - कुशाग्रे यथा अवश्यायबिन्दुकः' शरत्कालभाविश्लक्षणवर्षबिन्दुः, स्वार्थे कः
प्रत्ययः, 'स्तोकं' अल्पं, कालमिति गम्यते, तिष्ठति लम्बमानक, एवं मनुजानां जीवितं, अतः समयमपि गौतम ! मा प्रमादीरिति सूत्रार्थः ।।७२।।
१. निरयदुक्ख इत्यपि पाठः ।
३९
वैराग्यशतकम्
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે જીવ! હે આત્મા ! તું સાંભળ, શું સાંભળ ? તો કહે છે કે ચંચળ
સ્વભાવવાળા એટલે ચપલ સ્વરૂપવાળા સઘળા શરીરાદિ બાહ્યભાવો તથા નવ પ્રકારનો જે પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રુપ્ય, સુવર્ણ કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ રૂપ જે અનેક પ્રકારનો સમૂહ છે, તેને મૂકીને તું પરલોકમાં જઈશ. (એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) અહીં સંસારમાં જે ધનધાન્યાદિક છે, તે ઇન્દ્રજાલ સમાન છે. વસ્તુ સ્વરૂપે જે વાસ્તવિક રીતે ન હોય, પરંતુ તાત્રિક પ્રયોગથી જે અવિદ્યમાન વસ્તુને પ્રકાશિત
કરે તે ઇન્દ્રજાલ કહેવાય. ll૭૦ ગાથાર્થ - હે મૂર્ખ ! આ લોકમાં પિતા, પુત્ર, મિત્ર, પત્ની વિગેરેનો સમૂહ પોતાનું સુખ
શોધવાના સ્વભાવવાળો છે. કોઈ તને શરણરૂપ નથી. તિર્યંચ અને નરકના
દુઃખો તું એકલો જ સહન કરીશ. ૭૧ ભાષાંતર - હે મૂર્ખ ! હે અજ્ઞાની ! હે આત્મા! જે પિતા, પુત્ર, મિત્ર, પત્નીને માટે
તું દ્રવ્ય ઉપાર્જન કરવામાં બીજાને ઠગવું, અનીતિ, અન્યાયાદિ કરે છે, પરંતુ તે સ્વજનો ફક્ત આલોક સંબંધી જ છે. પરલોકમાં નરકાદિ ગતિમાં પ્રાપ્ત થયેલા તને શરણરૂપ એટલે નિર્ભયપણુ આપવા માટે સમર્થ નથી. તારા આત્મ કલ્યાણને માટે કોઈ પણ નથી. તેઓ પોતાનું સુખ શોધવાના સ્વભાવવાળા છે. પરલોકમાં તું એકલો જ તિર્યંચ, નરકાદિનાં દુ:ખો સહન કરીશ. ત્યાં તને કોઈ રક્ષણ કરનાર નથી. જે વર્તમાન કાલમાં પ્રસિદ્ધ હોય તે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ થાય છે. એ વચનથી અહીં સૌંસ પ્રયોગ વર્તમાનકાળનો કર્યો હોવા છતાં
દુષ્ટ નથી. ||૭૧ી. ગાથાર્થ – જેમ ડાભના અગ્રભાગે રહેલું ઝાકળ (પાણી)નું લટકતું બિંદુ થોડી જ
વાર ટકે છે, તેમ મનુષ્યનું જીવિત પણ અલ્પકાળ રહે છે. માટે હે
ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કર. ૭૨. ભાષાંતર – જે પ્રમાણે ઘાસના અગ્રભાગ પર લટકતું શરદઋતુમાં થનારું પાતળું
ઝાકળનું વર્ષાનું બિંદુ અલ્પકાળ રહે છે. (અહીં સ્વાર્થમાં પ્રત્યય કરેલો છે અને કાળ એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) એ પ્રમાણે મનુષ્યનું જીવન પણ અલ્પકાળ રહેવાના સ્વભાવવાળું છે આથી હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કર. ૭૨
વૈરાગ્યશતક
૩૯
Page #85
--------------------------------------------------------------------------
________________
गाथा - संबुज्झह किं न बुज्झह ?, संबोहि खलु पेच्च दुल्लहा ।
नो हूवणमंति राइओ, नो सुलहं पुणरवि जीवियं ।।७३।।
व्याख्या - श्री सूत्रकृताङ्गे वैतालीयाध्ययने भगवानादितीर्थकरो भरततिरस्काराग
तसंवेगान् स्वपुत्रानुद्दिश्येदमाह, यदि वा सुरासुरनरोरगतिरश्चः समुद्दिश्याऽऽह, यथा-'सम्बुध्यध्वं' यूयं धर्मे बोधं कुरुत, 'किं न बुध्यध्वं ?' एवंविधसामग्र्यां सत्यां कस्माद्धर्मे बोधो न क्रियत ? इत्यर्थः, यतोऽकृतधर्माणां ‘प्रेत्य' परलोके सम्बोधिर्धर्मप्राप्तिरूपा पुनर्दुर्लभा, खलु शब्दस्याऽवधारणार्थत्वात् सुदुर्लभैव, नो 'हु निश्चये, नैवाऽतिक्रान्ता रात्रय 'उपनमन्ति' पुनढोकन्ते, नातिक्रान्तो यौवनादिकालः पुनरावर्त्तत इति भावः, पुनरपि ‘जीवितं' संयमजीवितं, 'नो' नैव, सुलभं, यदि वा ‘जीवितं' आयुस्रुटितं तत्सन्धातुं न शक्यत इत्यायुषोऽनियतत्वमाह ।।७३।।
गाथा - डहरा बुड्डा' य पासह, गब्भत्था वि चयंति माणवा ।
सेणे जह वट्टयं हरे, एवं आउखयंमि तुट्टइ ।।७४।।
व्याख्या - “डहरा" बाला एव एके-केचिज्जीवितं त्यजन्ति, तथा वृद्धाश्च, गर्भस्था अपि
मानवा, उपदेशयोग्यत्वान्मानवग्रहणं, एतत् पश्यत्यूयं, यत्सर्वास्वप्यवस्थासु प्राणी जीवितं त्यजतीति, तथाहि-त्रिपल्योपमायुष्कस्याऽपि पर्याप्त्यनन्तरमन्तर्मुहूर्तेनैव कस्यचिन्मृत्युरुपतिष्ठतीत्यत्र दृष्टान्तमाह-यथा श्येनो 'वर्तकं' तित्तिरिजीवं 'हरते' हन्ति, एवमायुःक्षये प्राणान्मृत्युरपहरेदायुःक्षये वा त्रुट्यति जीवितम् ।।७४ ।।
गाथा - तिहुयणजणं मरंतं, दगुण नयंति जे न अप्पाणं ।
विरमंति न पावाओ, धिद्धि धिद्वत्तणं ताणं ।।७५।। १. हु उवणमंति इत्यपि पाठः । २. वट्ठा इत्यपि पाठः ।३. वढायं हरे एवमाउक्खयंमि इत्यपि पाठः ।
४०
वैराग्यशतकम्
Page #86
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
ભાષાંતર - શ્રી સૂયગડાંગ સૂત્રના વૈતાલીયાધ્યયનમાં ભગવાન શ્રી આદિનાથ, ભરત ચક્રવર્તીના તિરસ્કારથી સંવેગ પામેલા પોતાના પુત્રોને ઉદ્દેશીને કહે છે, અથવા સુર-અસુર-મનુજ ઉરગ તિર્યંચોને ઉદ્દેશીને કહે છે કે બોધ પામો, આવી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થવા છતાં કયા કારણથી ધર્મને વિષે બોધ નથી પામતા ? જે કારણથી નહીં કરેલા ધર્મવાળાઓને પરલોકમાં ધર્મની પ્રાપ્તિરૂપ બોધિ દુર્લભ છે. વહુ શબ્દનો અવધારણ અર્થ હોવાથી સુદુર્લભ જ છે. “દુ” નિશ્ચય અર્થમાં છે. પસાર થયેલા રાત્રિ-દિવસો ફરી પાછા આવતા નથી, અર્થાત્ કે પસાર થયેલો યૌવનાદિ કાલ પાછો આવતો નથી. તેમ સંયમ જીવન પણ ફરી-ફરી સુલભ નથી, અથવા તો ત્રુટિત થયેલા આયુષ્યને સાંધવાને કોઈ શક્તિમાન નથી. આ પ્રમાણે આયુષ્યનું અનિત્યપણું કહ્યું. II૭૩]
ગાથાર્થ જુઓ ! બાળકો, વૃદ્ધો અને ગર્ભમાં રહેલા મનુષ્યો પણ મૃત્યુ પામે છે. બાજ પક્ષી જેમ તેતર પક્ષીનું હરણ કરે છે તેમ આયુષ્યનો ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે. ૭૪॥
તમે બોધ પામો. તમે કેમ બોધ પામતા નથી ? ખરેખર પરલોકમાં બોધિબીજ દુર્લભ છે. જેમ ગયેલા રાત્રિ-દિવસો નિશ્ચે પાછા આવતા નથી, તેમ જીવન ફરી-ફરી સુલભ નથી. Ilesl
-
ગાથાર્થ
-
ભાષાંતર – જુઓ કેટલાક બાળકો જીવિતને ત્યજે છે તથા કેટલાક વૃદ્ધો અને ગર્ભમાં રહેલા માનવો પણ જીવિતને ત્યજે છે. મનુષ્ય ઉપદેશને યોગ્ય હોવાથી અહીં તેઓનું ગ્રહણ કર્યું છે. જેથી સર્વ અવસ્થામાં પ્રાણી જીવિતને ત્યજે છે. તે આ પ્રમાણે – ત્રણ પલ્યોપમના આયુષ્યવાળાને પણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત વડે જ કેટલાકનું મૃત્યુ ઉપસ્થિત થાય છે. દૃષ્ટાન્તને કહે છે - જેમ બાજ પક્ષી તિતિર પક્ષીને હણે છે, તેમ આયુષ્યનો ક્ષય થયે છતે પ્રાણોને યમદેવ-મૃત્યુ હણે છે, અથવા તો આયુષ્યના ક્ષયમાં જીવિત નષ્ટ થાય છે. [૭૪
-
ત્રણ ભુવનમાં માણસોને મરતા જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગે દોરતા નથી અને પાપથી અટકતા નથી, તેમની ધૃષ્ટતાને ધિક્કાર થાઓ. II૭૫ા
વૈરાગ્યશતક ૪૦
Page #87
--------------------------------------------------------------------------
________________
व्याख्या - 'त्रिभुवनजनान्' समस्तलोकान्, म्रियमाणान् दृष्ट्वा य आत्मानं प्रक्रमाद्धर्मे
'न नयन्ति'न प्रापयन्ति, तथा पापाञ्च हिंसादेन विरमन्ति' न निवर्तन्ते,
तेषां ‘धृष्टत्वं' धाष्टर्यं, धिग् धिक् ।।७५ ।। गाथा - मा मा जंपह बहुअं, जे बद्धा चिक्कणेहि कम्मेहिं ।
सव्वेसि तेसि जायइ, हियोवएसो महादोसो ।।७६।। व्याख्या - खल्वेवममी पुनः पुनः प्रतिबोध्यमाना अपि किमिति न प्रतिबुध्यन्त इति
'बहुकं' बहुलं, ‘मा मेति' निषेधे, 'जल्पत' वदत, यद्वा अयोग्यान् प्रत्युपदिशतो गुरून्प्रति साधूनामिदं वाक्यं-हे गुरवो ! मा मा बहुकं हितोपदेशादिकं जल्पत, कुतो ?, यतो ये प्राणिनश्चिक्कणे निबिडैः 'कर्मभिर्ज्ञानावरणीयादिभिर्बद्धा' आश्लिष्टास्तेषां प्राणिनां हितोपदेशो' धर्मोपदेशो महादोषो महाद्वेषो वा, दोषस्तु-"आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाहारं विणासेइ ।।१।।" इत्यादिको, दर्पान्मामप्ययमेवमनुशास्तीत्यादिरूपो द्वेषो वा 'जायते' भवति, ब्रह्मदत्तचक्रवर्त्यादिवद्, यत उक्तं“उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां, केवलं विषवर्धनम् ।।१।।" ततश्च यस्मानिबिडकर्मणां हितोपदेशो महादोषो महाद्वेषो वा जायते तस्मात्तान् प्रति मा बहु बहु जल्पतेत्यर्थः ।।७६।।
गाथा - कुणसि ममत्तं धणसय-णविहवपमुहेसुऽणंतदुक्खेसु ।
सिढिलेसि आयरं पुण, अणंतसुक्खंमि मुक्खंमि ।।७७।।
व्याख्या - रे मूढात्मन् ! त्वं 'अनन्तदुःखेषु' अनन्तदुःखकारणेषु,
धनस्वजनविभवप्रमुखेषु, धनं-हिरण्यादिः, स्वजनो मात्रादिः, विभवोहस्त्यश्वादिस्तत्प्रभृतिषु 'ममत्वं' ममीकारं करोषि, तथा चोक्तं श्रीआचाराङ्गे [लोकविजयाध्ययने प्रथमोद्देशके]
४१
वैराग्यशतकम्
Page #88
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - ત્રણે ભુવનમાં સમસ્ત લોકને મરતા જોઈને, જેઓ આત્માને ધર્મ માર્ગમાં
જોડતા નથી તથા હિંસાદિ પાપથી અટકતા નથી તેઓની ધૃષ્ટતાને
ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. li૭પા ગાથાર્થ – જેઓ ચીકણાં કર્મથી બંધાયેલા છે, તેમને બહુ બોધ ન આપો. તે સર્વેને
હિતોપદેશ મહાષમાં પરિણમે છે ૭૬il
ભાષાંતર - ખેદની વાત છે કે આ લોકો ફરી ફરી બોધ પમાડવા છતાં પણ શા માટે
બોધ પામતા નથી ? આ પ્રમાણે બોલો નહીં. અથવા અયોગ્યની પ્રતિ ઉપદેશ આપવાથી ગુરુઓની પ્રતિ શિષ્યો આ પ્રમાણેના વાક્યને કહે છે. હે ગુરુ ! બહુ હિતકારી ઉપદેશ ન આપો. કયા કારણથી ? કે જે પ્રાણીઓ અત્યંત ગાઢ જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે જે કારણથી બંધાયેલા છે. તેઓને ધર્મનો ઉપદેશ મહાદોષ અથવા મહાદ્વેષને માટે થાય છે. દોષ વળી આ પ્રમાણે - “કાચા ઘડામાં સ્થાપન કરેલું પાણી જેમ પાણીનો અને ઘડાનો વિનાશ કરે છે તેમ આ સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળાને કે જે પચાવી ન શકે તેને આપવામાં આવે તો તેની જેમ નાશ થાય છે. ગાઢ કર્મોથી બંધાયેલા જીવોને અભિમાનથી મને પણ આ એ પ્રમાણે ઉપદેશ આપે છે ઇત્યાદિ રૂપ દ્વેષ થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્યાદિની જેમ. જેથી કહેવું છે કે “ખરેખર મૂર્તોને અપાતો ઉપદેશ કોપને માટે થાય છે, પરંતુ શાન્તિને માટે થતો નથી. સર્પોને કરાવાતું દૂધનું પાન કેવલ વિષને વધારનારું છે ||૧|| અને જે કારણથી ગાઢ કર્મોવાળાને હિતોપદેશ મહાદોષ અથવા મહાદ્વૈષ માટે થાય છે. તે
કારણથી તેવા જીવોને બહુ બોધ આપો નહીં. ll૭કા ગાથાર્થ – અનંત દુઃખના કારણ રૂપ એવા ધન, સ્વજન અને વૈભવ વિગેરેમાં તું
મમત્વ કરે છે, પરંતુ અનંત સુખ-રૂપ મોક્ષમાં તું આદરને શિથિલ કરે
છે. I૭૭. ભાષાંતર - હે મૂઢાત્મા ! તું અનંત દુ:ખના કારણ રૂપ સોનું-રૂપુ વિગેરે ધન, માતા
પિતાદિ સ્વજન તથા હાથી, ઘોડાદિ વૈભવને વિષે મમત્વ કરે છે તથા શ્રી આચારાંગમાં લોકવિજય અધ્યયનમાં પહેલા ઉદ્દેશામાં) કહેલું છે કે મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બેન, મારી પત્ની, મારા
વેરાગ્યશતક
૪૧
Page #89
--------------------------------------------------------------------------
________________
"माया मे पिया मे भाया मे भगिणी मे भज्जा मे पुत्ता मे धूता मे सुण्हा मे सहिसयणसंगंथसंथुया मे विवित्तोपकरणपरियट्टणभोयणच्छायणं मे, इञ्चत्थं गड्डिए लोए वसे पमत्ते अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठाई संजोगऽट्ठी अट्ठालोभी" [एतट्टीका] - “मातृविषयो रागः संसारस्वभावादुपकारकर्तृत्वाद्वोपजायते, रागे च सति मदीया माता क्षुत्पिपासादिकां वेदनां मा प्रापदित्यतः कृषिवाणिज्यसेवादिकां प्राण्युपघातरूपां क्रियामारभते, तदुपघातकारिणि च तस्यां वाऽकार्यप्रवृत्तायां द्वेष उपजायते, तद्यथा - अनन्तवीर्यप्रसक्तायां रेणुकायां रामस्येवेति, एवं पिता मे, पितृनिमित्तं रागद्वेषौ भवतो, यथा रामेण पितरि रागात्तदुपहन्तरि च द्वेषात्सप्तकृत्वः क्षत्रिया व्यापादिताः, सुभूमेनापि त्रिःसप्तकृत्वो ब्राह्मणा इति, भ्राता मे, भगिनी निमित्तेन च क्लेशमनुभवति प्राणी, तथा भार्यानिमित्तं रागद्वेषोद्भवस्तद्यथा-चाणाक्येन भगिनीभगिनीपत्याद्यवज्ञातया भार्यया चोदितेन नन्दान्तिकं द्रव्यार्थमुपगतेन कोपानन्दकुलं क्षयं निन्ये, तथा पुत्रा मे न जीवन्तीत्यारम्भे प्रवर्तते, एवं दुहिता मे दुःखिनीति रागद्वेषोपहतचेताः परमार्थमजानानस्तत्तद्विधत्ते येनैहिकामुष्मिकानपायानवाप्नोति, तद्यथा-जरासन्घो जामातरि कंसे व्यापादिते स्वबलावलेपादपसृतवासुदेव-पदानुसारी सबलवाहनः क्षयमगात्, स्नुषा मे न जीवतीत्यारम्भादौ प्रवर्तते, 'सखिस्वजनसंग्रन्थसंस्तुता मे' सखामित्रं, स्वजनः पितृव्यादिः, संग्रन्थ :- स्वजनस्यापि स्वजनः पितृव्यपुत्रशालादिः, संस्तुतो भूयो भूयो दर्शनेन परिचितोऽथवा पूर्वसंस्तुतोमातृपित्रादिभिरभिहितः, पश्चात्संस्तुतः-शालकादिः, स इह गाह्यः, स च मे दुःखित इति परितप्यते, विविक्तं शोभनं प्रचुरं वा, उपकरणंहस्त्यश्वरथासनमञ्चकादि, परिवर्तनं-द्विगुणत्रिगुणादिभेदभिन्नं तदेव, भोजनंमोदकादि, आच्छादनं-पट्टयुगादि, तञ्च मे भविष्यति नष्टं वा, “इञ्चत्थ" मिति, इत्येवमर्थं गृद्धो लोकस्तेष्वेव मातृपित्रादिरागादिनिमित्तस्थानेष्वामरणं, प्रमत्तो-ममेदमहमस्य स्वामी पोषको वेत्येवं मोहितमना 'वसेत्' तिष्ठेदिति, उक्तं च
४२
वैराग्यशतकम्
Page #90
--------------------------------------------------------------------------
________________
પુત્રો, મારી દીકરી, મારી પુત્રવધૂ, મારા મિત્ર-સ્વજન-સંગ્રંથ-સંસ્તુત, મારા સુંદર ઉપકરણ-પરિવર્તન-ભોજન-આચ્છાદન એ પ્રમાણે વૃદ્ધ એવો મોહિત મનવાળો લોકમાં વસે છે. રાત દિવસ દુ:ખી થતો કાલ અકાલને જોયા વગર પ્રવૃત્તિ કરે છે. સંયોગનો અર્થી અને અર્થનો લોભી હોય છે. - તેની ટીકા આ પ્રમાણે - માતા વિષયક રાગ, સંસારના સ્વભાવથી અથવા તે માતા ઉપકાર કરતી હોવાથી થાય છે અને રાગ થયે છતે મારી માતા સુધા-પિપાસાદિ વેદનાને ન પામે, આથી ખેતી, વેપારાદિ પ્રાણીઓનો નાશ કરનારી ક્રિયાને આરંભે છે. માતાને ઉપઘાત કરનારની ઉપર અથવા તો માતા અકાર્યમાં પ્રવૃત્ત થાય તો તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. તે આ પ્રકારે અનંતવીર્યની ઉપર રાગી બનેલી રેણુકાને વિષે રામને દ્વેષ ઉત્પન્ન થયો તેમ. એ પ્રમાણે આ મારા પિતા છે એ પ્રમાણે પિતા નિમિત્તે રાગ-દ્વેષ થાય છે. જેમ રામ વડે પિતા ઉપરના રાગથી અને તેમના હણનારને વિષે દ્વેષથી સાત વાર ક્ષત્રિયોને મરાવ્યા. સુભૂમ વડે પણ એકવીસ વાર બ્રાહ્મણોને મરાયા. આ પ્રમાણે આ મારા ભાઈ છે બહેન છે, એ નિમિત્તે પ્રાણી ક્લેશને અનુભવે છે. તથા પત્ની નિમિત્તક રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - બહેન અને બનેવી આદિથી અવજ્ઞા પામેલી ભાર્યાથી પ્રેરાયેલા, અને દ્રવ્યને માટે નંદની પાસે ગયેલા ચાણક્ય વડે કોપથી નંદ કુલનો ક્ષય કરાયો. તથા મારા પુત્રો જીવતા નથી, આથી આરંભમાં પ્રવર્તે છે. એવી જ રીતે મારી પુત્રી દુ:ખી છે, એ પ્રમાણે રાગ-દ્વેષથી હણાયેલા ચિત્તવાળા, પરમાર્થને નહીં જાણતા તેવા-તેવા અકાર્યોને કરે છે કે જેના વડે આલોક સંબંધી અને પરલોક સંબંધી અપાયોને પામે છે. તે આ પ્રમાણે - જમાઈ કંસ મરાતે છતે પોતાના બલના અવલેપથી પાછા ફરેલા વાસુદેવની પાછળ જનાર બલ-વાહન સહિત જરાસંઘ ક્ષયને પામ્યો. પુત્રવધૂ મારી જીવતી નથી ઇત્યાદિ આરંભમાં પ્રવર્તે છે. મારા-મિત્રો, કાકાદિ સ્વજનો, સંગ્રન્થ એટલે કે સ્વજનોના સ્વજન એટલે કાકાના પુત્ર, સાળો વગેરે, સંસ્તુત એટલે કે ફરી-ફરી દર્શન વડે પરિચિત અથવા પૂર્વ સંસ્તુત માતા પિતાદિ વડે કહેવાયેલા, પશ્ચાતુ સંસ્તુત સાળાદિ મારા દુ:ખિત છે, એમ ખેદને પામે છે. સુંદર અથવા પ્રચુર હાથી-રથ-આસન-પલંગાદિ, મોદકાદિ ભોજન, પટ્ટયુગાદિ આચ્છાદન તે મારું નષ્ટ થશે એ પ્રમાણે અર્થમાં જ આસક્તિવાળો થયેલો લોક માતા-પિતાદિ રાગાદિ નિમિત્તક સ્થાનોને વિષે મરણ પર્યત આ મારા સ્વજનો અથવા તો હું આ લોકોનો
વૈરાગ્યશતક
૪૨
Page #91
--------------------------------------------------------------------------
________________
'पुत्रा मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे । इति कृतमेमेशब्दं, पशुमिव मृत्युर्जनं हरति ।।१।। पुत्रकलत्रपरिग्रह-ममत्वदोषैर्नरो व्रजति नाशम् ।। कृमिक इव कोशकारः, परिग्रहाद्दुःखमाप्नोति ।।२।।' तदेवं कषायेन्द्रियप्रमत्तो मातृपित्राद्यर्थमर्थोपार्जनरक्षणतत्परो दुःखमेव केवलमनुभवतीत्याह च-“अहो" इत्यादि, अहश्च सम्पूर्ण रात्रिं च, च शब्दात्पक्षं मासं च निवृत्तशुभाध्यवसायः परिसमन्तात्तप्यमानः परित्तप्यमानः सन् तिष्ठति, तद्यथा-'कईया' वच्चइ सत्थो ?, किं भंडं ? कत्थ केत्तिया भूमी ? । को कयविक्कयकालो ?, निव्विसई किं कहिं केण ? ।।१।।' इत्यादि, स च परितप्यमानः किम्भूतो भवतीत्याह'काले'त्यादि, काल:-कर्तव्यावसरस्तद्विपर्यासोऽकालः, सम्यगुत्थातुंअभ्युद्यन्तुं शीलमस्येति समुत्थायीति पदार्थो, वाक्यार्थस्तु कालेकर्तव्यासरे अकालेन-तद्विपर्यासेन समुत्तिष्ठतेऽभ्युद्यतमनुष्ठानं करोति, तच्छीलश्चेति, कर्तव्यावसरे न करोतीत्यन्यदा च विदधातीति, यथा वा काले करोत्येवमकालेऽपीति, यथा वाऽनवसरे न करोत्येवमवसरेऽपीति, अन्यमनस्कत्वादपगतकालाकालविवेक इति भावना, यथा प्रद्योतेन मृगापतिरपगतभर्तृका सती ग्रहणकालमतिवाह्य कृतप्राकारादिरक्षा जिघृक्षितेति, यस्तु पुनः सम्यक्कालोत्थायी भवति स यथाकालं परस्परानाबाधया सर्वा क्रियाः करोतीति, तदुक्तं'मासैरष्टभिरह्ना च, पूर्वेण वयसाऽऽयुषा । तत्कर्तव्यं मनुष्येण, येनाऽन्ते सुखमेधते ।।१।।' धर्मानुष्ठानस्य च न कश्चिदकालो मृत्योरिवेति, किमर्थं पुनः कालाकालसमुत्थायी भवतीत्याह-“संजोगट्ठी' संयुज्यते संयोजनं वा संयोगोऽर्थः-प्रयोजनं संयोगार्थः, सोऽस्याऽस्तीति संयोगार्थी, तत्र धनधान्यहिरण्यद्विपदचतुष्पदराज्यभार्यादिः संयोगस्तेनाऽर्थी-तत्प्रयोजनी, अथवा शब्दादिविषयः संयोगो मातापित्रादिभिर्वा, तेनाऽर्थी कालाकालसमुत्थायी भवतीति, किञ्च "अठ्ठालोभी" अर्थो-रत्नकुप्यादिस्तत्र आ-समन्ताल्लोभोऽर्थालोभः, स विद्यते यस्येत्यसावपि कालाकालसमुत्थायी भवति,
मम्मणवणिग्वत्तथाहि१. कदा व्रजति सार्थः, किं भाण्डं कुत्र कियती भूमिः । कः क्रयविक्रयकालो, निविंशति
(निर्गच्छति) किं क्व केन ? ॥१॥
४३
वैराग्यशतकम्
Page #92
--------------------------------------------------------------------------
________________
સ્વામી અથવા પોષણ કરનાર, એ પ્રમાણે મોહિત મનવાળો વસે છે. તથા કહેલું છે કે મારા પુત્રો, મારા ભાઈ, મારા સ્વજનો, મારું ઘર, મારી પત્નીવર્ગ એ પ્રમાણે મારું મારું આવા શબ્દોને બોલતા જનને મૃત્યુ પશુની જેમ હરે છે. તેના પુત્ર-ભાર્યા અને પરિગ્રહના મમત્વ દોષો વડે મનુષ્ય નાશ પામે છે, રેશમના કીડા (કોશેટાના કીડા)ની જેમ પરિગ્રહથી દુ:ખને પામે છે. રાઈ તથા એ જ પ્રમાણે કષાય અને ઇન્દ્રિયમાં પ્રમત્ત એવો માતા-પિતાદિને માટે અર્થને ઉપાર્જન કરવામાં અને રક્ષણમાં તત્પર કેવલ દુ:ખને જ અનુભવે છે. અને કહ્યું છે કે અહો ! રાત્રિ-દિવસ-પક્ષ-માસમાં નિવૃત્ત થયેલા શુભાધ્યવસાયવાળો જીવ ચારે બાજુથી દુ:ખી થતો રહે છે. તે આ પ્રમાણે - સાથે ક્યારે જાય છે ? કરિયાણું ક્યાં છે ? ક્યાં કેટલી ભૂમિ છે ? કય-વિક્રયનો કાળ કયો છે ? કોના વડે ક્યાં તે કેમ નીકળે છે ? લો અને તે ખેદ પામતો કેવા પ્રકારનો થાય છે ? તો કહે છે કે કાલ એટલે કે કર્તવ્ય અવસર, તેનાથી વિપરીત અકાલ વડે અનુષ્ઠાનને કરે છે. અર્થાત્ કરવાના સમયે કાર્ય ન કરે અને અન્યદા કરે, અથવા તો જે પ્રમાણે કાલે કરે છે તેમ જ અકાલે પણ કરે. છે અને જેમ અનવસરે ન કરે એમ અવસરે પણ ન કરે. આ પ્રમાણે અન્યમાં મન હોવાથી દૂર થયો છે કાલાકાલનો વિવેક જેણે તે આ પ્રમાણે કરે છે, “જેમ ચાલી ગયેલો છે સ્વામી જેનો અને કરી છે કિલ્લા આદિથી રક્ષા જેણે એવી મૃગાવતીએ પકડાવાના કાલને પસાર કરીને પ્રદ્યોતરાજા વડે ગ્રહણ કરાઈ. જે વળી સમ્યકકાલ ઉત્થાયી હોય છે, તે યથાકાલ પરસ્પરને બાધા ન થાય તેમ સર્વે ક્રિયા કરે છે. તથા કહેલું છે કે “આઠ માસ વડે, તે રીતે કરવું જોઈએ કે ચાર માસ શાન્તિથી પસાર થાય. દિવસે તે રીતે કરવું જોઈએ જેથી રાત્રિ સુખેથી પસાર થાય. તેવી જ રીતે પૂર્વ ક્રોડના આયુષ્ય વડે તે પ્રમાણે કરવું જોઈએ કે જેથી અંતે સુખી થવાય. અને ધર્માનુષ્ઠાનને કાંઈ પણ અકાલ નથી, જેમ મૃત્યુને અકાલ હોતો નથી તેવી રીતે. વળી કયા અર્થે કાલાકાલ સમુત્થાયી થાય છે, તો કહે છે સંયોગનું પ્રયોજન જે છે તે સંયોગાર્થી કહેવાય છે. ત્યાં ધન-ધાન્ય-હિરણ્ય દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, પન્યાદિ સંયોગ તેના વડે પ્રયોજન છે જેને તે, અથવા શબ્દાદિ વિષયોના સંયોગનો અર્થી અથવા માતા-પિતાદિના સંયોગનો અર્થી હોય, તે કાલાકાતે કાર્ય કરવાવાળો થાય છે.
વૈરાગ્યશતક ૪૩
Page #93
--------------------------------------------------------------------------
________________
असावतिक्रान्तार्थोपार्जनसमर्थयौनवया जलस्थलपथप्रेषितनानादेशभाण्डभृतबोहित्थगन्तृकोष्ट्रमण्डलिकासम्भृतसम्भारोऽपि प्रावृषि सप्तरात्रावच्छिन्नमुशलप्रमाणजलधारावर्षनिरुद्धसकलप्राणिगणसञ्चारमनोरथायां महानदीजलपुरानीतकाष्ठानि जिघृक्षुरुपभोगधर्मावसरे निवृत्तापराशेषशुभपरिणामः केवलमर्थोपार्जनप्रवृत्त इति, उक्तं च"उक्खणई खणइ निहणइ, रतिं ण सुअति दिया वि य ससंको । लिंपइ ठएइ सययं, लंछियपडिलंछियं कुणइ ।।१।। भुंजसु न ताव रिक्को, जेमेउं नवि य अज्ज मज्जीहं । न वि य वसीहामि धरे, कायव्वमिणं बहुं अज्ज ।।२।।" अथ प्रकृतार्थो-अनन्तसौख्ये मोक्षे पुनरादरं' अनुरागं, 'शिथिलयसि' शिथिलं कुरुषे, मोक्षगमनाय तद्धेतुष्वहिंसादिषु न प्रवर्तसे इति भावः
||७७।।
गाथा - संसारो दुहहेऊ, दुक्खफलो दुस्सहदुक्खरूवो य।
न चयंति तं पि जीवा, अइबद्धा नेहनिअलेहिं ।।७८ ।।
व्याख्या - व्याख्या-हे जीव ! अयं संसारो दुःखस्य हेतुः-कारणं, तथा दुःखमेव फलं
यस्याऽसौ दुःखफलः, च पुनः 'दुस्सहं, सोढुमशक्यं यद्दुःखं
तद्रूपस्तत्स्वरूपः, तमपि संसारं 'जीवाः' प्राणिन; 'स्नेहनिगडैः' १. उत्खनति खनति निदधाति (निहन्ति), रात्रौ न स्वपिति दिवाऽपि च सशङ्कः । लिम्पति
स्थगयति सततं, लाञ्छितप्रतिलाञ्छितं करोति ।।१।। भुझ्व न तावद्रिक्तः (निर्व्यापारो),
जिमितुं नाऽपि चाद्य मक्ष्यामि । नाऽपि च वत्स्यामि गृहे, कर्तव्यमिदं बह्वद्य ।।२।। KRRIERRRRRRREKKKRREKKEKREKRKEXXX ४४ वैराग्यशतकम्
Page #94
--------------------------------------------------------------------------
________________
અને વળી અર્થ તે રત્ન-કુખ્યાદિ, તેનો સમસ્ત પ્રકારે લોભ જેને છે, તે અર્થનો લોભી પણ મમ્મણ શેઠની જેમ કાલ અને અકાલે કાર્ય કરનાર થાય છે. તે મમ્મણ શેઠની કથા આ પ્રમાણે - આ શેઠ કેવા પ્રકારનો છે ? તો કહે છે કે અર્થને ઉપાર્જન કરવામાં સમર્થ એવી યૌવનવય પ્રસાર થઈ ગઈ છે જેને તેવો, જલ-સ્થલ માર્ગે મોકલેલા છે અનેક દેશોમાં કરિયાણાથી ભરેલા વહાણોવાળો, તથા ગાડા અને ઊંટના સમૂહથી ભરેલા ભારવાળો પણ, સાત રાત્રિ સુધી નિરંતર મુશલની ધારા સમાન જલધારા, વરસતે છતે અને રોકાઈ ગયો છે સકલ પ્રાણીઓના સમૂહનો સંચારનો મનોરથ એવી વર્ષાઋતુમાં, મહાન નદીઓના પાણીનાં પૂરથી આવેલા લાકડાને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો, ઉપભોગ અને ધર્મને આરાધવાના અવસરે પણ સમસ્ત શુભ પરિણામથી પરાભુખ થયેલો ફક્ત અર્થને ઉપાર્જન કરવામાં જ પ્રવૃત્ત થયેલો છે. કહ્યું છે કે “ઉડે સુધી ખોદે છે, ખોદે છે અને નિધાન રૂપે દાટે છે, રાત્રે સૂતો નથી અને દિવસે પણ કોઈ લઈ જશે એવી શંકાવાળો રહે છે. જ્યાં ધન દાટેલું છે ત્યાં લીંપે છે. તેને સ્થિર કરે છે, અને ક્યાં સંતાડ્યું છે એ જણાય તે માટે ચિહ્ન કરે છે. વારંવાર ચિહ્ન કરે છે. ખાલી થઈ જવાના ભયથી ભોગવતો નથી, ખાવા માટે પણ સમર્થ થતો નથી. આજે ઘરે પણ રહીશ નહીં, આજે ઘણું કામ કરવા યોગ્ય છે. આ પ્રમાણે અનંત સુખ રૂપ મોક્ષમાર્ગમાં તું આદરને શિથિલ કરે છે, પરંતુ મોક્ષે
જવાને માટે તેના હેતુરૂપ અહિંસાદિમાં પ્રવર્તતો નથી. ૭૭ ગાથાર્થ – દુઃખનું જ કારણ છે, દુઃખનું જે ફલ છે અને જે અત્યંત દુઃખે કરીને સહન
થાય તેવા દુઃખરૂપ છે, તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય
બંધાયેલા જીવો ત્યજતા નથી. ૭૮ ભાષાંતર - હે જીવ ! આ સંસાર દુ:ખનો હેતુ છે તથા દુ:ખ જ છે ફલ જેનું તેવો
દુ:ખફલક છે અને વળી જે સહન કરવા માટે પણ અશક્ય હોય તેવા દુ:ખના સ્વરૂપવાળો છે, તેવા ભયંકર સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા જીવો, બ્રહ્મદત્તાદિની જેમ ત્યજતા નથી. મરણ રૂપી અંત આવે તેવા રોગાદિની વેદના વડે પરાભૂત થયેલો બ્રહ્મદત્ત સંતાપના અતિશયપણાથી સ્પર્શ કરતી પોતાની પ્રિયાની જેમ વિશ્વાસના સ્થાન
વેરાગ્યશતક
૪૪
Page #95
--------------------------------------------------------------------------
________________
प्रेमशृङ्खलाभिः ‘अतिबद्धा' अतिशयेन गृहीता न त्यजन्ति, ब्रह्मदत्तादिवत्, ब्रह्मदत्तो मारणान्तिकरोगवेदनादिभिरभिभूतः सन्तापातिशयात् स्पृशन्ती प्रणयिनीमिव विश्वासभूमिं मूर्छा बहुमन्यमानस्तथा हस्तीकृतो विहस्ततया, विषयीकृतो वैषम्येण, गोचरीकृतो ग्लान्या, दष्टो दुःखासिकया, क्रोडीकृतः कालेन, पीडितः पीडाभिर्निरूपितो नियत्या, आदित्सितो दैवेन, अन्तिकेऽन्त्योच्छ्वासस्य, मुखे महाप्रवासस्य, द्वारि दीर्घनिद्राया, जिह्वाग्रे जीवितेशस्य वर्तमानो, विरलो वाचि, विह्वलो वपुषि, प्रचुरः प्रलापे, जितो जृम्भिकाभिरित्येवम्भूतामवस्थामनुभवन्नपि महामोहोदयाद्भोगांश्चिकाङ्क्षिषुः पार्बोपविष्टां भार्यामनवरतवेदनावशगलदश्रुरक्तनयनां कुरुमति ! कुरुमतीत्येवं व्याहरन्नधः सप्तमी नरकपृथ्वीमगात्, तत्राऽपि तीव्रतरवेदनाऽभिभूतोऽप्यविगणय्य वेदनां तामेव कुरुमती व्याहरतीत्येवम्भूतो भोगाभिष्वङ्गो दुस्त्यजो भवति केषाञ्चिद्, अन्येषां पुनर्महापुरुषाणामुदारसत्त्वानामात्मनोऽन्यच्छरीरमित्येवमवगततत्त्वानां सनत्कुमारादीनामिव यथोक्तरोगवेदनासद्भावे सत्यपि मयैवैतत् कृतं सोढव्यमपि मयैवेत्येवं जातनिश्चयानां कर्मक्षपणोद्यतानां न मनःपीडोत्पद्यते इति, उक्तं च“उप्तो यः स्वत एव मोहसलिलो जन्मालवालो ऽशुभो रागद्वेषकषाय-सन्ततिमहानिर्विघ्नबीजस्तया । रोगैरङ्कुरितो विपत्कुसुमितः कर्मद्रुमः साम्प्रतं, सोढा नो यदि सम्यगेष फलितो दुःखैरधोगामिभिः ।।१।। पुनरपि सहनीयो दुःखपाकस्तवायं, न खलु भवति नाशः कर्मणां सञ्चितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यक्, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्त्यः ।।२।।" ।।८।।
गाथा - नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणे घोरे ।
का का विडंबणाओ, न पावए दुसहदुक्खाओ ।।७९।। KKEREKKAKKAKKAREKKEKKEREKKEREKKEKREKKEREK ४५ वैराग्यशतकम्
Page #96
--------------------------------------------------------------------------
________________
સમાન મૂર્છાનું બહુમાન કરતો, વેંતપણા વડે હાથને ક૨તો (નાનાને મોટું કરતો) વિષમતા વડે વિષયભૂત કરાયેલો, ગ્લાનિ વડે વિષય કરાયેલો, દુઃખાસિકા વડે દંશાયેલો, કાલ વડે ખોળામાં કરાયેલો, પીડાઓ વડે પીડાયેલો, નિયતિ વડે નિરૂપણ કરાયેલો, ભાગ્ય વડે ખાવાની ઇચ્છા કરાયેલો અન્ય શ્વાસોચ્છવાસની નજીકમાં, મહાપ્રવાસના મુખમાં, દીર્ઘ નિદ્રાના દ્વારમાં, યમની જિલ્લાના અગ્રભાગમાં ૨હેલો, વાણીમાં વિરલ થયેલો, શરીરમાં વિત્વલ થયેલો, પ્રલાપ ક૨વામાં પ્રચૂર, બગાસાદિ વડે જીતાયેલો આ પ્રમાણેની અવસ્થાને અનુભવતો હોવા છતાં પણ મહામોહના ઊદયથી ભોગોને ભોગવવાની ઇચ્છાવાળો સતત વેદનાના વશથી ઝરતા આંસુથી લાલ થયેલા લોચનવાળી અને પાસે બેઠેલી ભાર્યાને હે કુરુમતિ ! કુરુમતિ એ પ્રમાણે બોલતો સાતમી નરકની પૃથ્વીમાં ગયો. ત્યાં નરકમાં પણ તીવ્રતર વેદનાથી પરાભૂત થયેલો તે વેદનાને પણ અવગણીને તે જ પ્રમાણે કુરુમતીને બોલાવે છે આ પ્રમાણે ભોગોનો રાગ કેટલાકને દુખે કરીને ત્યાજ્ય થાય છે. અને વળી ઘણા સત્ત્વવાળા આત્માથી શરીર અન્ય છે, એમ જાણેલા તત્ત્વવાળા કેટલાક મહાપુરુષોને સનતકુમારાદિની જેમ વેદનાનો સદ્ભાવ હોવા છતાં પણ મારા વડે જ આ કરાયેલ કર્મ સહન કરવા યોગ્ય છે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા નિશ્ચયવાળા અને કર્મને ખપાવવામાં ઉદ્યત થયેલાઓને મનમાં પીડા ઉત્પન્ન થતી નથી. કહેલું છે કે જે સ્વયં જ વાવેલું, મોહરૂપી પાણીથી સિંચાયેલું, જન્મ રૂપી ક્યારાથી અશુભ, રાગ-દ્વેષ-કષાયોની પરંપરા રૂપ મહાનિર્વિઘ્ન બીજવાળું, રોગો વડે અંકુરિત થયેલું, વિપત્તિઓથી પુષ્પિત થયેલું એવું આ કર્મ રૂપી વૃક્ષ હમણાં છે તે સહન ક૨વા યોગ્ય છે. જો હમણાં સહન ન કરાય તો અધોગામિ (નરકાદિના) દુ:ખો વડે આ કર્મવૃક્ષ સારી રીતે ફલવાળુ થશે. ।।૧।
-
અને વળી તારે આ દુ:ખોનો વિપાક સહન કરવા યોગ્ય છે. એકઠા કરેલા કર્મોનો ખરેખર નાશ થતો નથી. એ પ્રમાણે ગણીને જે-જે દુ:ખ આવે છે, તેને સારી રીતે સહન કર. આવો સદ્-અસનો વિવેક અન્ય ગતિમાં ફરી ક્યાંથી થાય ? ll૭૮૫
ગાથાર્થ ઘોર સંસાર અટવીમાં પોતાના કર્મ રૂપી પવનથી ચલિત થયેલો જીવ અસહ્ય વેદના યુક્ત કઈ કઈ વિટંબણાઓ પામતો નથી ? ।।૯।।
વૈરાગ્યશતક ૪૫
Page #97
--------------------------------------------------------------------------
________________
व्याख्या अयं 'जीव' आत्मा 'घोरे' रोद्रे 'संसारकानने' भवकान्तारे ‘निजकर्मपवनचलित’ आत्मीयज्ञानावरणीयादिकर्मवायुप्रेरितो 'दुस्सहं' सोढुमशक्यं दुःखं याभ्यस्ता दुस्सहदुःखा, एवंविधाः काः का 'विडम्बना ' वधबन्धादिरूपाणि विगोपनानि न प्राप्नुयात् ?, अपि तु सर्वा अपि ।। ७९ ।। गाथा - सिसिरंमि सीयलानिल- लहरिसहस्सेहि भिन्नघणदेहो । तिरियत्तणंमि रण्णे, अनंतसो निहणमणुपत्तो ।। ८० ।।
-
व्याख्या - हे जीव ! त्वं 'तिर्यक्त्वे' तिर्यग्भवे 'अरण्ये' कान्तारे 'शिशिरे' शीतकाले 'शीतलानिललहरिसहस्रै र्हेमन्तवातप्रवाहसहस्रै र्घनं ' प्रचुरं यथा स्यात्तथा 'भिन्नो' व्यथितो देहो यस्य स भिन्नधनदेहः, प्राकृतत्वाद् व्यत्ययः, एवंविधः सन् 'अनन्तशो' अनन्तवारान्, याव' न्निधनं' विनाशमनुप्राप्तः ।।८०।। गिम्हायवसंतत्तो, रण्णे छुहिओ पिवासिओ बहुसो । संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ।। ८१ । । व्याख्या रे जीव ! त्वं तिर्यग्भवे ' अरण्ये' अरण्यान्तः पतितो, 'ग्रीष्मातपेन' उष्णकालातपेन, ‘सन्तप्तः' सन्तापितः-पीडितः सन् ‘बहुशो' बहून्वारान् 'क्षुधितो' बुभुक्षितः, 'पिपासित 'स्तृषितो, 'बहु' अतिशयेन, खिद्यमानो मरणदुःखं सम्प्राप्तः ।। ८१ ।।
गाथा
-
गाथा - वासासु रण्णमज्झे, गिरिनिज्झरणोदगेहि वुज्झतो' । सीआनिलडज्झविओ, मओसि तिरियत्तणे बहुसो ।।८२ ।।
व्याख्या रे जीव ! त्वं अरण्यमध्ये 'तिर्यक्त्वे' तिर्यग्भवे 'वर्षासु' वर्षाकाले, गिरीणां यानि 'निर्झरणोदकानि' प्रश्रवणजलानि, तैः 'ऊह्यमान 'स्ततः स्थलादन्यत्र नीयमानः 'शीतलानिलेन' हिमवातेन दग्धः सन् 'बहुशो ' वारंवारं 'मृतोऽसि' पञ्चत्वं प्राप्तोऽसि ।।८२ ।।
गाथा - एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसिओ अणंतखुत्तो, जीवो भीसणभवारण्णे ||८३ || १. वज्झतो इत्यपि पाठः ।
४६ वैराग्यशतकम्
-
Page #98
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર – આ આત્મા ભયંકર સંસાર રૂપી અટવીમાં પોતાના જ્ઞાનાવરણીયાદિ કર્મ
રૂપી વાયુથી ચલિત થયેલો જે સહન કરવા માટે અશક્ય છે એવા પ્રકારની વધ-બન્ધનાદિ રૂપ કઈ-કઈ વિટંબણાઓ પામતો નથી ? અર્થાતુ કે સર્વે પણ વેદનાને જીવ પામે છે. ll૭૯ો.
ગાથાર્થ – તિર્યંચ ભવમાં જંગલમાં, શિશિર ઋતુના શીતલ પવનના હજારો
સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયો છે અને અનન્તવાર તું મૃત્યુને પામ્યો છે. llcol
ભાષાંતર - હે જીવ ! તિર્યંચ ભવમાં અરણ્યમાં, શિયાળાના ઠંડા પવનના હજારો
સુસવાટાથી તારો દેહ પ્રચુર ભેદાયો છે, અર્થાતુ કે તું પુષ્ટ દેહવાળો હોવા છતાં ઘણીવાર ભેદાયેલા શરીરવાળો થયો છે. અહીં પ્રાકૃત હોવાથી પિત્ત અને વળદો શબ્દ વ્યત્યય થયેલ છે. એ પ્રમાણે થયો છતો
અનંતવાર મૃત્યુને પણ પામ્યો છે. ટoll ગાથાર્થ – તિર્યંચ ભવમાં અરણ્યમાં ગ્રીષ્મ ઋતુના તાપથી અત્યંત તપેલો અનેકવાર
સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો મરણનું દુઃખ પામ્યો છે. ૮૧
ભાષાંતર – હે જીવ! તું તિર્યંચ ભવમાં અરણ્યની અંદર પડેલો ગ્રીષ્મઋતુના તાપથી
તેપેલો ઘણી વાર સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો મરણનું દુ:ખ પામ્યો છે. ll૮૧TI
ગાથાર્થ – તિર્યચભવે અટવીમાં વર્ષાઋતુમાં પર્વતના ઝરણાના જળથી તણાતો અને
શીતળ વાયુથી દાઝેલો તે અનેક વાર મૃત્યુ પામ્યો છે. ll૮૨ી. ભાષાંતર - હે જીવ! તું તિર્યંચભવે અટવીમાં વર્ષાઋતુમાં પર્વતોના ઝરણાનાં
પાણીથી તણાતો અર્થાતું કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતો અને શીતલ વાયુથી દાઝેલો અનેક વાર પંચત્વને એટલે મૃત્યુ પામ્યો
છે. ll૮૨ા. ગાથાર્થ – એ પ્રમાણે ભીષણ ભવનને વિષે તિર્યંચ ભવમાં જીવ એવી રીતે લાખો
દુઃખોથી પીડાતો, અનંતી વાર વસેલો છે. I૮all
વૈરાગ્યશતક
૪૦
Page #99
--------------------------------------------------------------------------
________________
व्याख्या - ‘एवं' पूर्वोक्तप्रकारेण तिर्यग्भवेषु जीवो दुःखशतसहस्रैः ‘क्लिश्यन्' क्लेशं
प्राप्नुवन् सन् अनन्तवारान् भीषणभवारण्ये 'उषितः' स्थितः ।।८३।। गाथा - दुट्ठकम्मपलया-निलपेरिउ भीसणंमि भवरण्णे ।
हिंडंतो नरएसु वि, अणंतसो जीव ! पत्तोऽसि ।।८४।। व्याख्या - हे जीव ! त्वं 'भीषणे' भयजनके भवारण्ये 'उषितः' स्थितः,
संसारकान्तारे 'दुष्टानि' दुष्टफलानि यान्यष्टसंख्यानि कर्माणि ज्ञानावरणीयादीनि, तान्येव 'प्रलयानिल:' प्रलयपवनस्तेन 'प्रेरितो' दोलितो 'हिण्डमानः' परिभ्रमन् सन्नरकेष्वपि 'अनन्तशो' अनन्तवारान्,
पक्रमाद्दुःखं प्राप्तोऽसि ।।८४ ।। गाथा - सत्तसु नरयमहीसुं, वजानलदाहसीअविअणासुं ।
वसिओ अणंतखुत्तो, विलवंतो करुणसद्देहिं ।।८५।।
व्याख्या - रे जीव ! त्वं 'सप्तसु' सप्तसंख्यासु नरकपृथ्वीषु रत्नप्रभादिषु 'वज्रानलस्य'
वज्राग्ने र्दाघस्य' उष्णस्य 'शीतस्य' च, हिमस्य, या 'वेदनाः' पीडास्तासु 'करुणशब्दैः' दयाजनकरुनै विलपन्' विलापं कुर्वन् सन् ‘अनन्तकृत्वो' अनन्तवारान् ‘उषितः' स्थितः, नरकेषूष्णवेदनायाः शीतवेदनायाश्च स्वरूपमेवमागमज्ञाः प्रज्ञापयन्ति, तथाहि-निदाघचरमसमये नभोमध्यमधिरूढे चण्डमहसि, मेघनिर्मुक्ते नभसि, कस्यापि पुंसो अत्यन्तपित्तप्रकोपाभिभूतस्य निषिद्धातपवारणस्य सर्वतो दीप्तवह्निज्वालाकरालस्य यादृगुष्णवेदना जायते ततोऽप्युष्णवेदनेषु नरकेषु नारकाणामनन्तगुणा, अपि च यदि नारका उष्णवेदनेभ्यो नरकेभ्य उत्पाट्य ज्वलत्खादिराङ्गारराशौ प्रक्षिप्य ध्मायन्ते तदा चन्दनलिप्ता इवाऽत्यन्तसुखान्निद्रामपि लभेरन् । तथा पौषे माघे वा रात्रौ निरभ्रे नभसि हृदयादिकम्पकृति वाति मारुति हिमाचलस्थलीकृतस्थितेनिरग्नेनिराश्रयस्य निरावरणस्य तुषारकणसिक्ताङ्गस्य पुंसो या शीतवेदना ततोऽपि शीतवेदनेषु नरकेषु नारकाणामनन्तगुणा, किञ्च यदि नारकाः शीतवेदनेभ्यो नरकेभ्य उत्पाट्य यथोक्तपुरुषस्थाने स्थाप्यन्ते तदा ते
प्राप्तात्यन्तनिर्वातस्थाना इव निरुपमसुखान्निद्रामप्यासादयेयुरिति ।।८५ ।। XREKKERARIKEKIKEKRREKKEKKEREKKEREKKEKEEKERS ४७ वैराग्यशतकम्
Page #100
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - પૂર્વે કહેલા પ્રકારો વડે તિર્યંચ ભવમાં જીવ લાખો દુ:ખોથી ખેદ પામતો
છતો અનંતી વાર ભયંકર એવા ભવ વનમાં વસેલો છે. I૮all ગાથાર્થ – હે જીવ! દુષ્ટ એવા આઠ કર્મ રૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ
ભવાટવીમાં ભટકતાં નારકીમાં પણ તે અનંતી વાર ગયેલો છે. I૮૪ો ભાષાંતર – હે જીવ ! તું ભયજનક એવા ભવારણ્યમાં રહેલો, દુષ્ટ ફલને
આપવાવાળા જ જ્ઞાનાવરણીયાદિ આઠ સંખ્યાવાળા કર્મો, તે જ કર્મો રૂપી પ્રલયકાલના પવનથી પ્રેરાયેલો છતો રખડતો નારકીમાં પણ અનંતી વાર દુ:ખને પામ્યો છે. ll૮૪
ગાથાર્થ – જ્યાં વજના અગ્નિ સમાન દાહ છે અને અતિશય ઠંડી ની વેદના છે તેવી
સાત નરકની પૃથ્વીને વિષે કરુણ શબ્દોથી વિલાપ કરતો તું અનંતી વાર
વસેલો છે. ll૮પો. ભાષાંતર - હે જીવ! તું વજના અગ્નિ સમાન દાહની વેદના અને અતિશય ઠંડીની
વેદના જ્યાં છે તેવી સાત નરકની પૃથ્વીને વિષે કરુણ શબ્દોથી એટલે દયાજનક અવાજ વડે વિલાપ કરતો અનંતી વાર વસેલો છે, નરકને વિષે ઉષ્ણવેદના અને શીતવેદનાના સ્વરૂપને આગમને જાણનારા જણાવે છે. તે આ પ્રમાણે - ઉનાળાનાં અંત સમયે આકાશના મધ્યભાગમાં સૂર્ય આવતે છતે અને મેઘથી રહિત આકાશ હોય ત્યારે અત્યંત પીતના પ્રકોપથી પીડાતા, દૂર કર્યા છે, મસ્તક પરથી સર્વપ્રકારના છત્રને જેને એવા, અને જેની ચારે બાજુ ભયંકર અગ્નિની જ્વાલા બળી રહી છે એવા પુરુષને જેવા પ્રકારની ઉષ્ણ વેદના થાય છે, તેનાથી પણ ઉષ્ણવેદનાથી યુક્ત નરકમાં, નારકોને અનંતગુણી ઉષ્ણવેદના હોય છે. અને વળી ઉષ્ણવેદનાવાળી નરકથી નારકોને ઉપાડીને બળતા ખદિરના અંગારાના સમૂહમાં નાખીને બળાય, તો ચંદનથી જાણે લેપ કર્યો હોય તેમ અત્યંત સુખેથી નિદ્રાને પ્રાપ્ત કરે. તથા પોષ અથવા મહા મહિનાની રાત્રિમાં, વાદળ રહિત આકાશ હોતે છતે, હૃદયાદિને કંપાવનારો પવન વાતે છતે, હિમાચલની પૃથ્વીમાં રહેલા, અગ્નિ રહિત, આશ્રય રહિત, ગવરણ રહિત અને ઝાકળના
વૈરાગ્યશતક ૪૭
Page #101
--------------------------------------------------------------------------
________________
गाथा - पियमायसयणरहिओ, दुरंतवाहिहिं पीडिओ बहुसो ।
मणुयभवे निस्सारे, विलविओं किं न तं सरसि ? ।।८६।। व्याख्या - रे जीव ! 'निस्सारे'असारे मनुष्यभवे त्वं मातृपितृस्वजनै 'रहितो'
वियुक्तः, प्राकृतत्वाद्विपर्ययो, 'दुरन्तव्याधिभिः' दुःखेनान्तोऽवसानं येषां ते दुरन्ता, एवंविधा ये व्याधयस्तैः पीडितः सन् ‘बहुशो' बहुभिः प्रकारै विल(पितो) प्तो' विलापं कृतवान्, तं विलापं किं न ‘स्मरसि' विचारयसि ?, अन्यत्रापि मनुष्यभवदुःखाधिकारे उक्तं“नत्थि घरे मह दव्वं, विलसइ लोओ पयट्टइ च्छणुत्ति । डिंभाइ रुअंति घरे, हद्धी किं देमि ? घरणीए ।।१।। दिति न मह ढोअं पि हु, अत्तसमिद्धीइ गव्विया सयणा । सेसा वि हुणो धणिणो परि-हवंति न हु दिति अवगासं ।।२।। अज्ज घरे नत्थि घयं, तिलं लोणं च इंधणं वत्थं । जाया उ अज्ज तउणी, कल्ले किह होही ? कुटुंबं ।।३।। वट्टइ घरे कुमारी, बालो तणओ विढप्पइ न अत्थं । रोगबहुलं कुटुंबं, ओसहमुल्लाइयं नस्थि ।।४।। उड्डोआ मह घरणी, समागया पाहूणा बहु अन्ज । जिण्णं घरं च हट्ट, झरइ जलं गलइ सव्वं पि ।।५।। कलहकरी मह भज्जा, असंवुडो परिअणो पहू विसमो । देसो अधारणिज्जो, एसो वञ्चामि अन्नत्थ ।।६।। जलहिं पविसेमि महिं, भमेमि धाउं धमेमि अहवा वि ।
विजं मंत साहे-मि देवयं वा वि अञ्चमि ।।७।। १. विलाविओ इत्यपि पाठः ।
४८
वैराग्यशतकम्
Page #102
--------------------------------------------------------------------------
________________
કણોથી સીંચાયેલું છે શરીર જેને એવા પુરુષને જે શીત વેદના છે તેના કરતાં પણ શીત વેદનાથી યુક્ત ન૨કમાં ના૨કોને અનંતગણી શીત વેદના હોય છે. અને વળી જો શીત વેદનાથી યુક્ત નરકથી ઉપાડીને નારકોને ઉ૫૨ કહેલા શીતવેદનાથી યુક્ત પુરુષના સ્થાનમાં સ્થપાય ત્યારે તે ના૨કો અત્યંત પવનરહિત સ્થાનને જાણે પ્રાપ્ત કરેલુ હોય તેની જેમ, ઉપમા ન આપી શકાય તેવા સુખથી નિદ્રાને પણ પ્રાપ્ત કરે. ॥૮॥
ગાથાર્થ – નિસ્સાર માનવભવમાં, પિતા, માતા, અને સ્વજન વગરનો તથા દુરંત વ્યાધિથી અનેક વાર પીડાતો તું વિલાપ કરતો હતો, તે તું કેમ યાદ કરતો નથી ? ॥૮ઙા
ભાષાંતર – હે જીવ ! તું અસાર એવા મનુષ્ય ભવમાં માતા-પિતા સ્વજનો વડે રહિત, (અહીં પ્રાકૃત હોવાથી વિપર્યય એટલે પિયમાય શબ્દ છે) દુ:ખેથી અંત લાવી શકાય તેવી વ્યાધિઓથી પીડાતો છતો ઘણા પ્રકારે વિલાપ કરતો હતો, તે તું કેમ યાદ કરતો નથી ? અન્યત્ર પણ મનુષ્યભવ દુ:ખાધિકારમાં કહેલું છે. “મારા ઘરમાં દ્રવ્ય નથી, લોક વિલાસ કરે છે., મહોત્સવ પ્રવર્તે છે. બાળકો ઘરમાં રોવે છે, હા ! હું ઘરની સ્ત્રીને શું આપીશ ? ||૧|| પોતાની સમૃદ્ધિથી ગર્વિષ્ઠ થયેલા સ્વજનો મને મારું સ્થાપન કરેલું પણ આપતા નથી. બાકીના ધનવાનો પણ પરાભવ કરે છે, અવકાશ પણ આપતા નથી. ।।૨।। આજે ઘરમાં ઘી, તેલ, મીઠું, બળતણ અને વસ્ત્ર નથી સ્ત્રી ગર્ભવતી છે. આવતી કાલે કુટુંબ કેવી રીતે રહેશે, ॥૩॥ ઘરમાં કુમારિકા વર્તે છે દીકરો હજી બાળ છે ધન ઉપાર્જન કરતો નથી. ઘણા રોગોથી વ્યાપ્ત કુટુંબ છે. દવા લાવવા માટે પૈસા નથી ।।૪। આજે ઘણા મહેમાન આવી ગયા છે, ઘર અને દુકાન જીર્ણ થઈ ગયા છે, પાણી ઝરે છે અને સર્વે ગળી ગયું છે ॥૫॥ મારી પત્ની ઝઘડાખોર છે. પરિજન અસંવૃત છે, સ્વામીની દૃષ્ટિ વિષમ છે, દેશ ધારણ કરવા યોગ્ય નથી રહ્યો એટલે હવે બીજે ઠેકાણે જાઉં છું IIઙા સમુદ્રમાં પ્રવેશ કરું ? પૃથ્વી ઉપર ભ્રમણ કરું ? ધાતુને ધમાવું ? અથવા વિદ્યા કે મંત્રની સાધના કરું કે દેવની પૂજા કરું ? III આજે પણ શત્રુઓ જીવે છે, મરી ગયો હોત તો સારું ! સ્વામી મારી ઉપર રુષ્ટ
વૈરાગ્યશતક ૪૮
Page #103
--------------------------------------------------------------------------
________________
जीवइ अन्ज वि सत्तू, मओ अ इट्ठो पहू अ मह रुट्ठो । दाणिग्गहणं मग्गं-ति विहविणो कत्थ वञ्चामि ? ।।८।। इञ्चाइ महाचिंता, जरगहिया णिञ्चमेव य दरिद्दा । किं अणुहवंति सुक्खं ?, कोसंबीनयरिविप्पुव्व ।।९।।" तत्कथानकमिदं कौशाम्ब्यां सोमिलो द्विज आजन्मदरिद्रो भार्यापुत्रपुत्रिकादिकुटुम्बबहुलोऽन्यदा धनार्जनाय देशान्तरे गतः सन् वाणिज्यादिव्यापाररहितं सदानभोगं योगिनमेकमद्राक्षीत्, स च तं द्विजं चिन्तातुरं पृच्छति-का चिन्ता ?, तेनोक्तं-दारिद्यं चिन्ताकारी, योगी स्माह-त्वामीश्वरं करोमि, यदहं कथयामि तत्त्वया कार्य, ततो द्वावपि पर्वतनिकुञ्ज गती, योगी प्राह-एष स्वर्णरसः शीतवातातपादिसहमानैः शुष्ककन्दमूलफलाशिभिः शमीपत्रपुटैर्मील्यते, द्वाभ्यामपि ततस्तथैव गृहीतो रसः, भृतं तम्बं, विनिर्गतौ वनात्, योगी स्माह-भो ! अप्रमत्तेन तुम्बकं धार्य, दुःखेन षण्मासैर्मीलितोऽस्ति रसोऽयं, इत्येवं पुनः पुनः कथने रुष्टो विप्रो, ढोलितं तुम्ब, सागपत्रेरितस्ततः क्षिप्तो रसो गतः सर्वः, ततोऽयोग्योऽयमिति परित्यक्तः पृथिव्यां भान्त्वा मृत इति ।।८६।।
गाथा - पवणुव्व गयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो ।
ठाणट्ठाणंमि समु-ज्झिऊण धणसयणसंघाए ।।८७।।
व्याख्या - हे आत्मन् ? अयं 'जीवः' प्राणी स्थाने स्थाने धनस्वजनसंघातान्
"समुझिऊण"त्ति समुज्झ्य-त्यक्त्वा भववने अलक्षितो' अज्ञातस्वरूपः सन् 'भ्रमति' पर्यटति, कस्मिन् क इव ?, 'गगनमार्गे' नभोवम॑नि पवन इव, यथा
गगने पवनो' वातो अलक्षितो' अदृश्यरूपः सन्भ्रमति, तथाऽयंजीवोऽपि ।।८७ ।। गाथा - विधिज्जंताअसयं, जम्मजरामरणतिक्खकुंतेहिं ।
दुहमणुहवंति धोरं, संसारे संसरंत जिया ।।८८।। १. तुम्बस्तम्बादय इति निपात्यन्तं, तुम्बमलावु । २. विद्धिज्जता इत्यपि पाठः । KKAKKAREKARKIRKEKKEKREKKKKREKKIKAKKAKE ४९ वैराग्यशतकम्
Page #104
--------------------------------------------------------------------------
________________
છે. વૈભવવાળા આપેલાને ગ્રહણ કરવા માટે ઉઘરાણી કરે છે. IIટા ઇત્યાદિ વરાથી ગ્રહિત મોટી ચિંતાઓ છે અને નિત્ય દરિદ્ર છે તે કૌસંબી નગરના બ્રાહ્મણની જેમ કેવી રીતે સુખનો અનુભવ કરે ? તેનું કથાનક આ પ્રમાણે – કૌશામ્બી નગરીમાં જન્મથી માંડીને દરિદ્ર, પત્ની-પુત્ર-પુત્રાદિ મોટા કુટુમ્બવાળો, સોમિલ નામનો બ્રાહ્મણ હતો. ધન મેળવવા માટે દેશાંતરમાં ગયેલા તેણે વાણિજ્યાદિ વ્યાપારથી રહિત, દાન કર્યા પછી જમવાવાળા એક યોગિને જોયો અને તે યોગી ચિંતાતુર તે બ્રાહ્મણને પૂછે છે, તને શી ચિંતા છે ? તેના વડે કહેવાયું દરિદ્રતાની ચિંતાવાળો છું, યોગીએ કહ્યું તને હું સમર્થ કરું છું, પરંતુ જે હું કહું તે તારા વડે કરવા યોગ્ય છે. ત્યાર પછી બન્ને પર્વતની ઝાડીમાં ગયા યોગીએ કહ્યું, - આ સુવર્ણરસ ઠંડી-ગરમી સહન કરવા વડે, શુષ્ક કંદમૂલ-ફલાદિ ખાવા વડે શમીવૃક્ષનાં પત્રના પુટ વડે મળે છે. બંને વડે પણ ત્યાર પછી તે જ પ્રમાણે રસ ગ્રહણ કરાયો. તુમ્બડું ભરાયું. વનથી તે બંને નીકળ્યા, યોગીએ કહ્યું - હે ! તારા વડે અપ્રમત્તપણે તુંબડું ધારણ કરવા યોગ્ય છે. આ રસ દુ:ખ વડે ઘણી મહેનતે છ માસથી મળેલો છે, એ પ્રમાણે ફરી ફરી કહેવાતે છતે બ્રાહ્મણ રુષ્ટ થયો. તુંબડું ઢોળી નાખ્યું. સાગનાં પત્રો વડે ચારે બાજુ નખાયેલો સર્વ રસ ઢળી ગયો.
ત્યાર પછી આ અયોગ્ય છે એ પ્રમાણે યોગી વડે ત્યજાયેલો તે દરિદ્ર
પૃથ્વીમાં ભમીને મૃત્યુ પામ્યો. ll૮l ગાથાર્થ – સ્થાને-સ્થાને ધન અને સ્વજનના સમૂહને મૂકીને ભવવનમાં નહીં
ઓળખાયેલો જીવ, આકાશ માર્ગમાં પવનની જેમ અદશ્ય રહીને ભમે
છે. ૮૭ll ભાષાંતર – હે આત્મા! આ જીવ દરેક સ્થાનમાં ધન અને સ્વજનોના સમૂહને છોડીને
ભવવનને વિષે અદૃશ્ય સ્વરૂપવાળો ભમે છે. કયા સ્થાનમાં અને કોની જેમ ભમે છે ? જેમ આકાશ માર્ગમાં પવન. જે પ્રમાણે આકાશમાં અદૃશ્ય રૂપવાળો પવન ભમે છે તે પ્રકારે આ જીવ પણ ભમે છે. ll૮૭
ગાથાર્થ – સંસારમાં ભટકતા જીવો જન્મ, જરા અને મૃત્યુ રૂ૫ તીણ ભાલાઓથી
અનેક વાર વીંધાતા ઘોર દુઃખ અનુભવે છે. ૮૮
વૈરાગ્યશતક
૪૯
Page #105
--------------------------------------------------------------------------
________________
व्याख्या - हे आत्मन् ! अमी जीवाः संसारे चातुर्गतिकरूपे संसरन्त' इतस्ततः पर्यटन्तः
सन्तो 'असकृद्' वारंवारं 'घोरं' रौद्र'दुःखं' असातं 'अनुभवन्ति' प्राप्नुवन्ति किम्भूता जीवाः ?, जन्मजरामरणान्येव 'तीक्ष्णा' निशिता, ये 'कुन्ताः'
प्रासास्तै विध्यमाना' भेद्यमाना, अत एव दुःखानुभवनं जीवानाम् ।।८८ ।। गाथा - तह वि खणं पि कया वि हु, अनाणभुअंगडंकिआ जीवा ।
संसारचारगाओ, न य उबिज्जंति' मूढमणा ।।८९।।
व्याख्या - यद्यप्येवं दुःखमनुभवन्ति तथाऽपि, ‘हु निश्चये, ‘कदाऽपि' कस्मिन्नपि
प्रस्तावे, अमी 'मूढमनसो' मूर्खा जीवा, अज्ञानमेव भुजङ्गस्तेन 'दष्टा'भक्षिता, अज्ञानान्धा इत्यर्थः, 'क्षणमपि' स्तोककालमपि, संसार
एव 'चारको' गुप्तिगृहं, तस्मात् 'न चोद्विजन्ते' नोद्विग्ना भवन्ति ।।८९ ।। गाथा - कीलसि कियंत वेलं, सरीरवावीइ जत्थ पइसमयं ।
कालरहट्टघडीहिं, सोसिजइ जीवियंऽभोहं ।।१०।।
व्याख्या - रे जीव ! त्वं 'शरीरवाप्यां' देहरूपदीर्धिकायां कियती 'वेलां' समयं
यावत् क्रीडिष्यसि' रंस्यसे ?, कियन्तं कालं स्थास्यसीत्यर्थः, यत्र शरीरवाप्यां 'प्रतिसमयं' प्रतिक्षणं कालारघट्टघटीभिर्जीविताम्भ ओघो' जीवितजलप्रवाहः शोष्यते, यथा वापी अरहट्टघटीभिः प्रतिसमयं निर्वास्यमानजलेन शोषमासादयति, तथेदं शरीरमपि प्रतिसमयं
कालातिक्रमणेन जीवितजलशोषणाद्रिक्तं जायत इत्यर्थः ।।१०।। गाथा - रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव ! ।
किं परलोए गुरुदुक्ख, - भायणं होहिसि ? अयाण ! ।।११।। व्याख्या - 'रे जीव !' आत्मन् ! त्वं 'बुध्यस्व' धर्मे बोधं करु, ‘मा मुह्य' मा
मोहमाप्नुहि, ‘रे पाप !' दुष्टात्मन् !, अदृष्टवशात्प्राप्ते धर्मे मा ‘प्रमादं' मा आलस्यं कुरु, हे 'अज्ञान !' मूढ ! ‘परलोके' परभवे 'गुरुदुःखानां' महदसातवेदनीयकर्मजन्यपीडानां 'भाजनं' पात्रं किं भवसि ?,
वर्तमानायां भविष्यत्प्रयोगः प्राकृतत्वात् ।।११।। १. उववज्जति इत्यपि पाठः ।
५०
वैराग्यशतकम्
Page #106
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર – હે આત્મા ! આ જીવો ચારગતિ રૂપ સંસારમાં આમ-તેમ ભટકતા
વારંવાર ઘોર દુ:ખ રૂપ અશાતાને પ્રાપ્ત કરે છે. કેવા પ્રકારના જીવો દુ:ખને અનુભવે છે ? જન્મ-જરા-મરણ રૂપ તીક્ષ્ણ ભાલાઓ વડે વીંધાતા એવા જીવો દુ:ખને અનેક વાર પ્રાપ્ત કરે છે. I૮૮.
ગાથાર્થ - તો પણ અજ્ઞાન સર્પથી ડસાયેલા મૂઢ મનવાળા જીવો સંસાર રૂપી કારાગૃહથી
ક્યારે પણ ક્ષણ માત્ર ઉદ્વેગ પામતા નથી એ ખેદની વાત છે તો
ભાષાંતર - આમ અનેક પ્રકારે જીવો દુ:ખને અનુભવે છે તો પણ ખેદની વાત છે
કે ક્યારે પણ મૂઢ મનવાળા તેઓ અજ્ઞાન રૂપી સર્પથી ડસાયેલા અર્થાત્ કે અજ્ઞાનથી અંધ થયેલા ક્ષણ માત્ર પણ સંસાર રૂપી કારાગૃહથી ઉદ્વેગ પામતા નથી. Iટલા
ગાથાર્થ – દેહ રૂપી વાવડીમાં તું કેટલો સમય ક્રિીડા કરીશ? જેમાંથી દરેક સમયે
કાળ રૂપી રેંટની ઘડીઓ વડે જીવિત રૂપી પાણીનો પ્રવાહ શોષાઈ
જાય છે. alol ભાષાંતર - હે જીવ! તું શરીર રૂપી વાવડીમાં કેટલો સમય ક્રીડા કરીશ ? અર્થાત્
કે કેટલો કાળ રહીશ ? જે શરીર રૂપી વાવડીમાંથી દરેક સમયે કાળ રૂપી રેંટના ઘડાઓ વડે જીવિત રૂપી પાણીનો પ્રવાહ શોષાય છે. જેમ વાવડી પ્રતિ સમયે રેંટના ઘડાઓ વડે બહાર કઢાતા પાણીથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે આ શરીર પણ પ્રતિ સમયે, કાળ પસાર થયે છતે, જીવિત રૂપી જલ સૂકાઈ જવાથી ખાલી થઈ જાય છે, નાશ પામે છે. alol
ગાથાર્થ – હે જીવ! બોધ પામ, મોહ ન કર. હે પાપી! પ્રમાદ ન કર. હે અજ્ઞાન !
પરલોકમાં ભારે દુઃખનું ભાજન શા માટે થાય છે ? ૯૧
ભાષાંતર - હે જીવ! આત્મા ! તું ધર્મને વિષે બોધ પામ. મોહ ન પામ. હે પાપી !
હે દુષ્ટાત્મા ! ભાગ્યના યોગે પ્રાપ્ત થયેલા ધર્મમાં આળસ ન કર, હે અજ્ઞાન ! હે મૂઢ ! પરલોકમાં મહાન અશાતાવેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી પીડાનું ભાજન શા માટે થાય છે ? (પ્રાકૃત હોવાથી વર્તમાન કાળમાં ભવિષ્યત્તિનો પ્રયોગ છે) II૯૧છે.
વૈરાગ્યશતક
૫૦
Page #107
--------------------------------------------------------------------------
________________
गाथा - बुज्झसुरे जीव ! तुमं, मा मुज्झसु जिणमयम्मि नाऊणं । जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ।। ९२ ।।
व्याख्या रे जीव ! त्वं 'बुध्यस्व' धर्मे - बोधं कुरु, 'ज्ञात्वा 'यथास्वरूपमवबुध्य 'जिनमते' सर्वज्ञशासने 'मा मुह्य' मा मोहं याहि, जिनमतं सम्यक् प्रतिपद्यस्वेत्यर्थः, यस्माद् हे जीव ! 'पुनरपि' एकशः काकतालीयन्यायेन प्राप्ता विद्यते, परं भूयोऽप्येषा सामग्री
साधुश्राद्धादिरूपा,
१. संकेतः ।
2
-
५१
“चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुइ सद्धा, संजमम्मि य वीरियं । । १ । । ”
इति रूपा वा, 'दुर्लभा' दुष्प्रापा, चक्रवेधवत्तथाहिइंदपुरं नगरं, इंददत्तो राया, तस्स इट्ठाणं वराणं देवीणं बावीसं पुत्ता, अण्णे भांति एक्काए चेव देवीए पुत्ता, ते सव्वे राइणोणं पाणसमा, अण्णा एक्का अमच्चधूया, सा परंपरिणतेण दिठ्ठिल्लिया, सा अण्णता कयाइ रिउण्हाता समाणी अच्छति, रायणा य दिट्ठा, का एस त्ति ?, तेहि भणितं तुज्झ देवी एसा, ताहे सो ताए समं रत्तिं एक्कं वसितो, सा य रितुहाता, तीसे गब्भो लग्गो, सा य अमचेण भणिल्लिता जधा तुभं गब्भो आहूतो भवति तदा ममं साहेज्जसु, ताए तस्स कथितं दिवसो मुहुत्तो जं च रायण उल्लवितं सोतियंकारो, तेण तं पत्त लिहितं, सो य सारवेति, णवण्हं मासाणं दारओ जातो, तस्स दासचेडाणि तद्दिवसं जाताणि, तंजहा - अग्गियओ पव्वतओ बहुलियो सागरो य, ताणि सह जाताणि, तेण कलायरिअस्स उवणीतो, तेण लेहाइताओ गणियप्पधाणाओ बावत्तरिं कलाओ गाहितो, जाघे ताओ गाहिंति आयरिया ताधे ताणि तं क ंति वाउल्लंति य, पुव्वपरिचएणं ताणि रोडंति, तेण ताणि णो चेव गणिताणि, गहिताओ कलाओ, ते अ अण्णे बावीसं कुमारा गाहिज्जंता तं आयरियं पिट्टंति, अवयणाणि भांति, जति सो आयरियो पिट्टेति ताधे गंतूण माऊणं साहंति, ताहे ताओ आयरियं खिसंति-कीस आहणसि ?, किं सुलभाणि पुत्तजम्माणि ?, ततो ते ण सिक्खियाओ । इओ य महुराए पव्वओ राया, तस्स सुता णिधुति नाम
वैराग्यशतकम्
Page #108
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ – હે જીવ! બોધ પામ, જિનમતને જાણીને તું મોહન પામ. કારણ કે હે જીવ
! આ સામગ્રી ફરી મળવી દુર્લભ છે. I૯૨ા.
ભાષાંતર - હે જીવ! તું બોધ પામ, જિનમતને યથા સ્વરૂપે જાણીને સર્વજ્ઞના
શાસનમાં મોહ ન પામ અર્થાત્ કે જિનમતને સમ્યક્ પ્રકારે સ્વીકાર. જે કારણથી હે જીવ!*કાકતાલીય ન્યાય વડે આ ઉત્તમ સાધુ-શ્રાવકાદિ રૂપ સામગ્રી એક વાર પ્રાપ્ત થયેલી છે. પરંતુ ફરી આ સામગ્રી મળવી દુર્લભ છે. આ સંસારમાં પ્રાણીઓને ૧, મનુષ્ય જન્મ, ૨, ધર્મનું શ્રવણ, ૩, ધર્મની શ્રદ્ધા, અને ૪, સંયમને વિષે પુરુષાર્થ એ રૂપ ચાર શ્રેષ્ઠ અંગો દુર્લભ છે. એટલે કે ચક્રના વેધની જેમ દુ:ખે કરીને પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારેઇંદ્રપુર નામનું નગર હતું, તેમાં ઇંદ્રદત્ત રાજા હતો. તેને ઇષ્ટ અને શ્રેષ્ઠ એવી દેવીઓને બાવીસ પુત્રો હતા. કેટલાક કહે છે કે – એક જ દેવીને પુત્રો હતા. તે સર્વે પુત્રો રાજાને પ્રાણની જેમ પ્રિય હતા-બીજી એક અમાત્યની દીકરી હતી. તે પરણતી વખતે જોવાયેલી હતી. તે અન્યદા ક્યારેક ઋતુસ્નાતા થયેલી આવે છે. રાજા વડે જોવાઈ, “આ કોણ છે ? એમ પૂછાયું, મંત્રી વડે કહેવાયું આ તારી દેવી છે. ત્યારે તે તેણીની સાથે એક રાત્રિ વસે છે. તે ઋતુસ્નાતા હતી તેથી તેને ગર્ભ રહ્યો. તેણી અમાત્ય વડે કહેવાઈ કે જ્યારે તને ગર્ભ રહે ત્યારે મને કહેજે. તેણી વડે તેને તે દિવસ અને મૂહૂર્ત કહેવાયું. જે રાજા વડે કહેવાયેલા સંકેત કરનાર હતો તેના વડે પત્રમાં લખાયું. તે તેને સાચવી રાખે છે. નવ માસ પૂરા થયે પુત્ર જન્મ્યો. તેના દાસીને પણ તે જ દિવસે બાળકો જન્મ્યા તે આ પ્રમાણે – (૧) આગ્નેયક (૨) પર્વતક (૩) બહુલિક (૪) સાગર, તે સાથે ઉત્પન્ન થયેલા હતા. મંત્રી વડે કલાચાર્યની પાસે દીકરીના બાળકને લેખનાદિ ગણિત પ્રધાન બહોત્તેર કળાઓ ગ્રહણ કરાવાઈ.
જ્યારે તે ચાર બાળકો ગ્રહણ કરાવાય છે, ત્યારે તેઓ આચાર્યને હેરાન કરે છે અને વ્યાકુળ કરે છે. પૂર્વના પરિચય વડે તેઓ અવાજ કરે છે.
કલાચાર્ય તેને ગણતા નથી અને કલાઓ ગ્રહણ કરાઈ. તે બીજા બાવીશ ૧. કાકતાલીય ન્યાય એટલે કાગડાનું બેસવુ અને ડાળનું પડવું થાય તેમ સાધુસાધ્વી શ્રાવકશ્રાવિકા
રૂપ સંય પ્રયત્ન વિના મળી ગયો છે.
વૈરાગ્યશતક
૫૧
Page #109
--------------------------------------------------------------------------
________________
दारिया, सा रण्णो अलंकिया उवणीया, राया भणति जो तव रोयति [सो ते] भत्तारो, ततो ताए णातं जो सूरो वीरो विक्कतो सो मम भत्ता होउ, से पुण रज्जं दिज्जा, ताधे सा य बलवाहणं गहाय गता इंदपुरं नगरं, तस्स इंददत्तस्स रण्णो बहवे पुत्ता (सुएल्लिया), इंददत्तो तुट्ठो चिंते-णूणं अण्णेहिंतो राईहिंतो लट्ठो तो आगमितो, ततो तेण उस्सितपडागं नगरं कारितं, तत्थ एक्कम्मि अक्खे अट्ठ चक्काणि, तेसिं परतो धीयल्लिया, सा अच्छिम्मि विंधितव्वा, ततो इंददत्तो राया संनद्धो णिग्गतो सहपुत्तेहिं, सा वि कण्णा सव्वालंकारविभूसिया एगंमि पएसे अच्छति, सो रंगो रायाणो, ते य दंडभडभोइया, जारिसो दोवतीए, तत्थ रणो जेट्ठी पुत्तो सिरिमाली णाम कुमारो, सो भणितो - पुत्त ! एसा दारिया रज्जं च धेत्तव्वं अतो विंध एतं पुत्तलियं ति, ताधे सो अकतकरणो तस्स समूहस्स मज्झे धणूं चेव हितुं ण तरति, कहंचिऽणेण गहितं, तेण जत्तो वचउ तत्तो वच्चउत्ति मुक्को सरो, सो चक्के अप्फडितूण भग्गो, एवं कस्स एक्कं अरगंतरं वोलीणो, कस्सइ दोन्हि कस्सइ तिहि, अण्णेसिं बाहिरेणं चेव णींति, ताधे राया अधितिं पगतो, अहो !! अहं एतेहिं धरिसितो त्ति, ततो अमचेण भणितो कीस अधितिं करेह ?, राया भणति - एतेहिं अहं अप्पधाणो कतो, अमो भणति अस्थि पुणो अण्णो तुज्झ पुत्तो मम धूताए तणओ भणाइओ सुरिंददत्तो नाम, सो समत्यो विंधेडं, अभिण्णाणाणि से कहिताणि, कहिं सो ?, दरिसितो, तत्तो राइणा अवगूहितो भणितो - सेयं तव एए अट्ठरहचक्के भेत्तूण पुत्तलियं अच्छिम्मि विधित्ता रज्जसुहं णिव्वुतिं दारियं संपावित्तए, ततो कुमारो जघा आणवेह त्ति भणित्तूण ठाणं ठाइत्तूण धणुं गेण्हति, लक्खाभिमुहं सरं सज्जेति, ताणि य दासरुवाणि चउद्दिसि ठिताणि रोडंति, अण्णे य उभयतो पासिं गहितखग्गा, जति कहवि लक्खस्स चुक्कति ततो सीसं छिंदितव्वं ति, सो वि से उवज्झाओ पासे ठिओ भयं देति मारिज्जसि जइ चुक्कसि, बावीसं पि कुमारा एस विधिस्सति त्ति विसेसं उठाणि विघाणि करेंति, ततो ताणि चत्तारि ते य दो पुरिसे बावीसं च कुमारे अगणितेण ताणं अट्ठण्हं रहचक्काणं अंतरे जाणिऊण तंमि लक्खे णिरुद्धा दिट्ठीए
५२ वैराग्यशतकम्
Page #110
--------------------------------------------------------------------------
________________
કમારો કળાને ભણાવતી વખતે તે આચાર્યને મારે છે. ખરાબ વચનો બોલે છે. જ્યારે તે આચાર્ય તેઓને શિક્ષા કરે છે. ત્યારે તેઓ જઈને માતાને કહે છે ત્યારે તે માતાઓ આચાર્યની હીલના કરે છે. કે “કેમ હણો છો ? પુત્રનો જન્મ શું સુલભ છે ? તેથી તેઓ શિક્ષા ન અપાયા. આ તરફ મથુરામાં પર્વત રાજા હતો તેને નિવૃત્તિ નામની દીકરી હતી. શણગારેલી તે રાજા પાસે લવાઈ. રાજાએ કહ્યું- “જે તને ગમે તે તારો પતિ થાય” ત્યારે તેના વડે જણાવાયું “જે શૂર, વીર અને પરાક્રમવાળો હોય તે મારો પતિ થાઓ. તને વળી રાજ્ય અપાય. ત્યારે તે સૈન્ય અને વાહનને ગ્રહણ કરીને ઇન્દ્રપુર નગર તરફ ગઈ. ત્યાં ઇંદ્રદત્ત રાજાના ઘણા પુત્રો તેણે સાંભળ્યા હતા.ખુશ થયેલો ઇંદ્રદત્ત વિચારે છે “ખરેખર ત્યાર પછી, તેણે નગરને ઉંચી ધજાઓથી શણગાર્યું. ત્યાં એક પૈડામાં આઠ ચક્રો છે. તેની પાછળ પૂતળી છે. તેને આંખમાં વીંધવાની છે. ત્યાર પછી તૈયાર થયેલો ઇંદ્રદત્ત રાજા પુત્રો સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વ અલંકારથી વિભૂષિત એક પ્રદેશમાં રહે છે. તે રાજાનો રંગમંડપ છે. તે દંડિક રાજા સૈન્ય અને ભોગિક રાજા છે, જેવો દ્રૌપદીમાં સ્વયંવર મંડપ રચાયેલ તેવો મંડપ રચાયેલ છે. ત્યાં રાજાનો મોટો પુત્ર શ્રીમાળી નામનો હતો તે કહેવાયો “હે પુત્ર ! આ પુત્રી અને રાજ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. તેથી આ પૂતળીને તું વીંધી નાખ. ત્યારે આવા કાર્ય માટે જેણે પ્રયત્ન-મહેનત નથી કરી તેવો તે સમૂહની મધ્યમાં ધનુષ્યને ગ્રહણ કરવા માટે પણ શક્તિમાન ન થયો. બીજા કેટલાક પુત્રોએ ધનુષ્યને ગ્રહણ કર્યું. તેના વડે “જ્યાં જવું હોય ત્યાં જાઓ' એ પ્રમાણે બાણ મૂકાયું.તે ચક્રમાં અથડાઈને ભાગી ગયુંએ પ્રમાણે કોઈકને એક આરાની વચ્ચેથી પસાર થયું, કોઈકને બે અને કોઈકને ત્રણ, કેટલાકનું ચક્રની બહાર જાય છે. ત્યારે રાજા અવૃતિને પામ્યો. અરે ! હું આ પુત્રો વડે અપમાનિત કરાયો. ત્યારે અમાત્ય વડે કહેવાયું. “શા માટે અતિને કરો છો ?' રાજા કહે છે “આ પુત્રો વડે હું હલકો કરાયો. ત્યારે મંત્રી કહે છે. “આપનો બીજો પણ પુત્ર છે, જે મારી દીકરીથી ઉત્પન્ન થયેલ સુરેન્દ્રદત્ત નામનો છે. તે શિક્ષા અપાયેલો છે. તે વિંધવા માટે સમર્થ છે. તેની જાણકારી કહેવાઈ. રાજાએ પૂછયું “તે ક્યાં છે?” તે બતાવાયો. ત્યાર પછી પ્રગટ કરાયેલો તે રાજા વડે કહેવાયો કે તારે આ આઠ રથના ચક્રોને ભેદીને પૂતળીને આંખમાં વીંધીને રાજ્યનું સુખ અને નૃવૃત્તિ રાજકન્યાને ગ્રહણ કરવા માટે શ્રેયસ્કર છે. ત્યાર પછી કુમારે
વૈરાગ્યશતક
પર
Page #111
--------------------------------------------------------------------------
________________
अण्णमतिं अकुणमाणेण सा धीइल्लिया वामे अच्छिम्मि विद्धा, ततो लोकेण उक्किट्ठकलुकलुम्मिस्सो साधुक्कारो कतो, जघा तं चक्कं दुखं भेत्तुं, एवं एसा सामग्गी वि ।।१२।।
गाथा - दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य ।
दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ।।१३।। व्याख्या - हे जीव ! अयं 'जिनधर्मः' तीर्थकृत्प्रणीतो धर्मो अहिंसादिरेकशो लब्ध
इति गम्यते, पुनर्दुर्लभो' दुष्प्रापः, त्वं च 'प्रमादाकर' आलस्यादिखानिः, आलस्याधुपहतो हि धर्मं न प्राप्नोति, प्राप्तमपि सम्यग् नाऽनुतिष्ठति, यत उक्तं श्रीआवश्यकनिर्युक्तौ"आलस्स- मोह-ऽवण्णा, थंभा कोहा'-पमार्य-किविणत्ता । भय-" सोगा अण्णाणा",-ऽवक्खेव" कुतूहला रमणा ।।१।। आलस्यान साधुसकाशं गच्छति शृणोति वा, मोहाद् गृहकर्तव्यतामूढो वा, अवज्ञातो वा-किमेते विजानन्तीति, स्तम्भाद्वा-जात्याद्यभिमानात्, क्रोधाद्वासाधुदर्शनादेव कुप्यति, प्रमादाद्वा-मद्यादिलक्षणात्, कृपणत्वाद्वा दातव्यं [भविष्यति] किञ्चिदिति, भयाद्वा-नारकादिभयं वर्णयन्तीति, शोकाद्वाइष्टवियोगजात्, अज्ञानात्-कुदृष्टिमोहतः, व्याक्षेपाबहुकर्तव्यतामूढः, कुतूहलान्नटादिविषयात्, रमणात्-लावकादि खेड्डेनेति गाथार्थः, एतेहिं कारणेहिं, लद्भूण सुदुल्लहं पि माणुस्सं । न लहइ सुतिं हियकरिं, संसारुत्तारिणिं जीवो ।।२।।" तथा त्वं सुखैषी च एहिकसुखवाञ्छकः, नरकदुःखं च दुस्सहं' सोढुमशक्यं, अतस्त्वं कथं भविष्यसि परलोके तन्न जानीमः ।।९३।।
५३
वैराग्यशतकम्
Page #112
--------------------------------------------------------------------------
________________
જેવી આપની આજ્ઞા એ પ્રમાણે કહીને સ્થાને બેસીને ધનુષ્યને ગ્રહણ કરે છે. લક્ષ્યને અભિમુખ બાણ તૈયાર કરે છે. ને દાસના બાળકો ચાર દિશામાં રહેલા અવાજ કરે છે. બીજા પણ બંને પડખે હાથમાં તલવાર લઈને ઉભા છે કે કોઈપણ રીતે લક્ષ્યને ચૂકે તો તેનું શિર છેદી નાખવું.તે ઉપાધ્યાય પણ પડખે રહેલો ભય આપે છે - જો ચૂકી જઈશ તો મરાઈશ. તે બાવીશ કુમારો પણ “આ વીંધશે' એ પ્રમાણે વિશેષ ઉલ્લેઠ એવા વિનો કરે છે. ત્યાર પછી તે ચાર અને તે બાવીશ કુમારોને નહિ ગણતો તે આઠ રથના ચક્રોના અંતરને જાણીને તે લક્ષ્યમાં અવરોધ વગરની દૃષ્ટિ વડે અન્યમતિ નહિ કરવા વડે તે પૂતળી ડાબી આંખમાં વીંધાઈ. ત્યારે લોક વડે મોટા કલકલ અવાજ વડે પ્રશંસા કરાઈ. જે પ્રમાણે તે ચક્રને ભેદવું દુષ્કર છે એ પ્રમાણે
આ સામગ્રી પણ દુર્લભ છે. ૯રો. ગાથાર્થ - જિનધર્મની ફરી પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રમાદી અને સુખનો અભિલાષી છે,
નરકનું દુઃખ દુઃસહ છે. તારું શું થશે તે અમે જાણતા નથી. ૯૭ll. ભાષાંતર – હે જીવ! જીનેશ્વરે કહેલો, અહિંસાદિ રૂપ, એક વાર પ્રાપ્ત થયેલો (એ
અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) આ ધર્મ ફરી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. તું આળસાદિ તેર કાઠિયાની ખાણ છે. આલસાદિથી હણાયેલો ધર્મને પ્રાપ્ત કરતો નથી અને થઈ જાય તો પ્રાપ્ત થયેલા એવા આ ધર્મને ખરેખર સારી રીતે આચરતો નથી. જેથી આવશ્યક નિર્યુક્તિમાં કહેલું છે કે ૧. આળસ ૨. મોહ ૩. અવજ્ઞા ૪. માન ૫. ક્રોઘ ૬. પ્રમાદ ૭ કૃપણતા ૮. ભય ૯. શોક ૧૦. અજ્ઞાન ૧૧. વ્યાક્ષેપ ૧૨. કૂતુહલ ૧૩. ૨મત આ તેર કાઠીયા છે. ૧. આલસથી સાધુની પાસે જતો નથી. ૨. ઘરના કાર્યમાં જ મૂઢ મોહથી, ધર્મને સાંભળતો નથી, ૩. આ સાધુઓ શું જાણે ? એ પ્રમાણે અવજ્ઞા કરે છે. ૪. જાતિ-બળાદિના અભિમાનથી સ્તબ્ધ રહે છે. ૫. સાધુના દર્શનથી જ કોપ કરે છે. હું મઘાદિ પ્રમાદને વશ થાય છે. ૭. કપણતાથી કોઈને કાંઈપણ આપતો નથી. ૮. નારકાદિના વર્ણનથી ભય પામે છે. ૯. ઇષ્ટના વિયોગ રૂપ શોકથી ૧૦. કુદૃષ્ટિ રૂપ અજ્ઞાનતાથી ૧૧. વ્યાક્ષેપપણાથી ૧૨ કૂતુહલ રૂપનટાદિ વિષયોથી, ૧૩. રમણતાથી -શોખથી-ત્તિત્તિરાદિ પક્ષીઓના શિકાર વડે. આ બધા કારણોથી સુદુર્લભ એવા પણ મનુષ્ય ભવને મેળવીને જીવ સંસારથી પાર ઉતારનારા અને હિતકારી એવા શ્રવણને પામતો નથી. અને વળી તું આલોકના સુખની લાલસાવાળો છે. વળી નરકનું દુ:ખ દુઃસહ છે એટલે સહન કરવું અશક્ય છે. આથી ! પરલોકમાં તારું શું થશે ? તે અમે જાણતા નથી. l૯૩ી.
વૈરાગ્યશતક ૫૩
Page #113
--------------------------------------------------------------------------
________________
गाथा - अथिरेण थिरो समले-ण, निम्मलो परवसेण साहीणो ।
देहेण जइ विढप्पइ, धम्मो ता किं न पजत्तं ? ॥९४।। व्याख्या - रे जीव ! अस्थिरेण' अशाश्वतेन देहेन यदि 'स्थिरः' परलोकानुगामी, धर्म
उपाय॑ते तदा किं न पर्याप्तं ?' किं न परिपूर्ण ?-किं न सम्पन्नमित्यर्थः, तथा 'समलेन' पुरीषप्रश्रवादिपूर्णेन देहेन निर्मलो' निर्दोषो धर्मो यद्ययंते तदा किं न पर्याप्तं ?, तथा परवशेन' रोगाद्यायत्तेन देहेन यदि ‘स्वाधीनः' स्वात्मायत्तो
धर्मोऽयंते तदा किं न पर्याप्तम् ? ।।१४।। गाथा - जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं ।
गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणं पि ।।१५।। व्याख्या - 'यथा' येन प्रकारेण 'चिन्तामणिरत्न' प्रतीतं ‘सुलभं' सुप्रापं 'न हु' नैव
'भवति' जायते 'तुच्छविभवानां' तुच्छः-स्वल्पो विभवः-कारणे कार्योपचाराद्विभवकारणं पुण्यं येषां ते तुच्छविभवाः-स्वल्पपुण्या इत्यर्थस्तेषां, तथाविधपशुपालवत्, तथा 'गुणा' अक्षुद्रतादयस्तेषां विशेषेण 'भवनं' सत्ता गुणविभवो, अथवा गुणा एव विभवो' विभूतिर्गुणविभवस्तेन 'वर्जितानां' रहितानां ‘जीवानां' पञ्चेन्द्रियप्राणिनामुक्तं च"प्राणा द्वित्रिचतुः प्रोक्ता, भूतानि तरवः स्मृताः । जीवाः पञ्चेन्द्रिया ज्ञेयाः शेषाः सत्त्वा इतीरिताः ।।१।।" अपि शब्दस्य वक्ष्यमाणस्येह संबन्धादेवं भावना कार्या एकेन्द्रियविकलेन्द्रियाणां तावद्धर्मप्राप्तिर्नाऽस्ति, पञ्चेन्द्रियजीवानामपि तद्योग्यताहेतुगुणसामग्रीविकलानां 'तथा' तेन प्रकारेण धर्मरत्नं सुलभं न भवतीति प्रकृतसंबन्ध इति, पूर्वसूचितपशुपाल-दृष्टान्तश्चाऽयं "बहुविबुधजनोपेतं, हरिरक्षितमप्सरः शतसमेतम् । इह अस्थि हत्थिणपुरं, पुरं पुरन्दरपुरुव्व वरं ।।१।। तत्र श्रेष्ठिगरिष्ठः, पुन्नागो नागदेवनामाऽऽसीत् । निम्मलसीलगुणधरा, वसुंधरा रोहिणी तस्स ।।२।। तत्तनयो विनयोज्ज्वल-मतिविभवभरो बभूव जयदेवः । दक्खो रयणपरिक्खं, सिक्खइ सो बारससमाओ ।।३।।
५४ वैराग्यशतकम्
Page #114
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - અસ્થિર, મલિન અને પરાધીન દેહથી જો સ્થિર નિર્મળ અને સ્વાધીન ધર્મ
ઉપાર્જન થઈ શકે છે, તો તમે શું પ્રાપ્ત નથી થયું?૯૪ ભાષાંતર - હે જીવ! અશાશ્વત એવા શરીર વડે જો પરલોકમાં પણ સાથે આવનાર
ધર્મ ઉપાર્જન થઈ શકે છે, તો શું પ્રાપ્ત નથી થયું ? અર્થાતું કે શું પૂર્ણ નથી થયું ? તથા વિષ્ટા અને મૂત્રાદિ અશુચિથી પૂર્ણ એવા દેહ વડે જો નિર્મલ એવો ધર્મ ઉપાર્જન કરી શકાય છે, તો શું પ્રાપ્ત નથી કરાયું ? તથા રોગાદિથી આધીન એવા દેહ વડે આત્માને સ્વાધીન ધર્મ મેળવી
શકાય છે, તો શું નથી મેળવાયું ? ૯૪ો. ગાથાર્થ – તુચ્છ વૈભવવાળાઓને જેમ ચિંતામણિ રત્ન સુલભ નથી હોતું, તેમ ગુણ
રૂપી વૈભવથી રહિત જીવોને ધર્મરત્ન પણ સુલભ થતું નથી. પણ
ભાષાંતર – જે પ્રકારે ચિંતામણિ રત્ન તુચ્છ વૈભવવાળાને અર્થાત્ અલ્પ
પુણ્યવાળાને સુલભ થતું નથી. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલો છે. વૈભવનું કારણ જે પુણ્ય છે, તે તુચ્છ વૈભવવાળાને અલ્પ હોય છે. અહીં કારણ પુણ્ય અને કાર્ય વૈભવ છે તે કારણ (પુણ્ય)માં કાર્ય (વૈભવ)નો ઉપચાર કરેલો છે. તેવા પ્રકારના પશુપાલકની જેમ. તે જ પ્રકારે અક્ષુદ્રતાદિ ગુણોનું હોવું એટલે તેની સત્તા તે ગુણવૈભવ તથા ગુણ એ જ વૈભવ તે ગુણવૈભવ, તેવા ગુણ વૈભવથી રહિત જીવોને ધર્મ રૂપી રત્ન પણ સુલભ થતું નથી. અને કહેલું છે કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયોને પ્રાણીઓ કહેવાય, વનસ્પતિકાયને ભૂત કહેલા છે. પંચેન્દ્રિય હોય તે જીવો જાણવા. તે સિવાયના સર્વે સન્ત કહેવાયેલા છે. તેવા અપિ શબ્દ જે કહેવાયેલ છે, તેનો અહીં સંબંધ હોવાથી આ પ્રમાણે અર્થ કરવો કે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયોને ધર્મની પ્રાપ્તિ નથી. ધર્મની યોગ્યતાના કારણભૂત ગુણોથી રહિત પંચેન્દ્રિય જીવોને પણ ધર્મરત્ન સુલભ નથી. એ પ્રમાણે સંબંધ જોડવો. પૂર્વે સૂચિત કરાયેલું પશુપાલનું દૃષ્ટાંત આ પ્રમાણે – “ઘણા પંડિતજનોથી યુક્ત, પ્રભુથી રક્ષિત, સેંકડો અપ્સરાઓથી યુક્ત, ઇન્દ્રના નગરની જેમ શ્રેષ્ઠ એવું હસ્તિનાપુર નામનું નગર છે. ll૧. ત્યાં શ્રેષ્ઠીઓમાં ઉત્તમ, પુણ્યશાળી નાગદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને નિર્મલ એવા શીલ રૂપ ગુણને ધારણ કરનારી વસુંધરા નામની પત્ની હતી. રા તેમનો વિનય અને ઉજ્જવળ મતિ રૂપ વૈભવને ધારણ કરનારો જયદેવ પુત્ર હતા. If
વૈરાગ્યશતક ૫૪
Page #115
--------------------------------------------------------------------------
________________
विजितान्यमहसममलं, विशदं सञ्चिन्तितार्थदानपटुम् । चिंतामणिं पमुत्तुं, सेसमणी गणइ उवलसमे ।।४।। चिन्तामणिरत्नकृते, सुकृती स कृतोद्यमः पुरे सकले । हट्टं हट्टेण घरं, घरेण भमिओ अपरितंतो ।।५।। न च तमवाप दुरापं, पितरावूचेऽथ यन्मयाऽत्र पुरे । चिंतामणी न पत्तो, तो जामि तयत्थमन्नत्थ ।।६।। ताभ्यामभाणि वत्स !, स्वच्छमते ! कल्पनैव खल्वेषा । अन्नत्थ वि कत्थइ नत्थि एस परमत्थओ भुवणे ।।७।। तद्रत्नैरसपत्नैर्यथेष्टमन्यैरपि व्यवहरस्व । निम्मलकमलाकलियं, भवणं ते होइ जेणमिणं ।।८।। इत्युक्तोऽपि स चिन्तारत्नाप्तौ रचितनिश्चयश्चतुरः । वारिजंत पियरे-हिं निग्गओ हत्थिणपुराओ ।।९।। नगनगरग्रामाकरकर्बटपत्तनपयोधितीरेषु । तम्मग्गणपउणमणो, सुइरं भंतो किलिस्संतो ।।१०।। तमलभमानो विमनाः, दध्यौ किं नाऽस्ति सत्यमेवेदम् । अहवा न तस्स चिंतं, न अन्नहा होइ सत्युत्तं ।।११।। इति निश्चित्य स चेतसि, निपुणं बम्भ्रमितुमारभत भूयः । पउराउ मणिखणीओ, पुच्छापुच्छिं नियच्छंतो ।।१२।। वृद्धनरेणैकेन च, सोऽभाणि यथा मणीवतीहाऽस्ति । खाणी मणीण तत्थ य, पवरमणी पावइ सपुन्नो ।।१३।। तत्र च जगाम मणिगणममलमनारतमथो मृगयमाणः । एगो य तस्स मिलिओ, पसुवालो बालिसो अहियं ।।१४।। जयदेवेन निरैक्ष्यत, वर्तुल उपलश्च करतले तस्य । गहिओ परिच्छिओ तह, नाओ चिंतामणि त्ति इमो ।।१५।। सोऽयाचि तेन समुदा, पशुपालः प्राह किममुना कार्यम् ? | भणइ वणी सगिहगओ, बालाणं कोलणं दाहं ।।१६।। सोऽजल्पदीदृशा इह, ननु बहवः सन्ति किं न गृह्णासि ? । सिट्ठिसुओ भणइ अहं, समुस्सुओ निययगिहगमणे ।।१७ ।। तद्देहि मह्यमेनं, त्वमन्यमपि भद्र ! लप्स्यसे ह्यत्र । अपरोवयारसीलत्तणेण तह वि हु न सो देइ ।।१८ ।।
५५ वैराग्यशतकम्
Page #116
--------------------------------------------------------------------------
________________
હોંશિયાર એવો તે બાર વર્ષ સુધી રત્નની પરીક્ષા શીખ્યો હતો. જેણે અન્યના તેજને જીતી લીધું છે, નિર્મલ, ચિંતવેલા અર્થને આપવામાં હોંશિયાર એવા વિશાળ ચિંતામણિ રત્નને છોડીને બીજા મણિઓને તે પત્થર સમાન માને છે. જો તે ઉદ્યમશીલ એવો જયદેવ સમગ્ર નગરના ઘરે ઘરે અને દુકાને દુકાને ભમતો થાક્યા વગર ચિંતામણિ રત્નની શોધ માટે ઉદ્યમ કરે છે. પીદુ:ખે કરીને પ્રાપ્ત થાય તેવું ચિંતામણી રત્ન તેને પ્રાપ્ત ન થયું. એટલે માતાપિતાને કહે છે કે મારા વડે અહીં નગરમાં ચિંતામણિ રત્ન પ્રાપ્ત ન કરાયું તેથી તેને શોધવા માટે હું અન્ય ઠેકાણે જાઉ છું. કોઈ તેઓ વડે કહેવાયું છે સ્વચ્છ મતિવાળા વત્સ ! સમગ્ર ભુવનમાં અન્યત્ર કોઈ ઠેકાણે આવું ચિંતામણિ રત્ન નથી. ખરેખર આ ચિંતામણિ રત્ન કાલ્પનિક છે. i૭ll તેથી તેના સમાન બીજા રત્ન વડે ઇષ્ટ વસ્તુને મેળવવા વ્યવહાર કર, જેથી નિર્મલ કમલથી યુક્ત ભવન તને થશે. ll૮ આ પ્રમાણે કહેવા છતાં પણ તે ચિંતામણિરત્નની પ્રાપ્તિ માટે કરેલો છે નિશ્ચય એવો તે બુદ્ધિમાન માતાપિતાએ અટકાવ્યો હોવા છતાં હસ્તિનાપુરથી નીકળ્યો છે. પર્વત, નગર, ગામ, ખાણ, કર્બટ, પત્તન, સાગરના કિનારાને વિષે તેને શોધવા માટે તૈયાર થયેલા મનવાળો લાંબો સમય ભમતો, દુ:ખને પામતો. ./૧૦માં પણ તેને પ્રાપ્ત નહિ કરતો વૈમનસ્યવાળો વિચારે છે ખરેખર આવું રત્ન જગતમાં નથી એ વાત શું સાચી છે ? અથવા તેની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રમાં કહેલું અન્યથા-ફોગટ હોતું નથી. ll૧૧ી એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને ફરીથી ભમવા માટે શરૂ કરે છે. ઘણી મણીની ખાણોને વારંવાર પૂછતો નિશ્ચય કરતો ૧રી એક વૃદ્ધ પુરુષ વડે તે કહેવાયો કે અહીં મણીવાળી ખાણ છે. મણીઓમાં શ્રેષ્ઠમણિ પુષ્યવાળો જ પામે છે. I૧૩ી તે ત્યાં ગયો અને નિર્મલ એવા મણિના સમુદાયને શોધતો હતો, એટલામાં એક અધિક મૂર્ખ એવો પશુપાલ તેને મળ્યો |૧૪ો જયદેવ વડે તેના હાથના તળિયામાં વર્તુળ એવો પત્થર જોવાયો, ગ્રહણ કર્યો તે પ્રમાણે પરીક્ષા કર્યો અને એ પત્થર ચિંતામણિ રત્ન છે એમ જાણ્યું નપા અને આનંદિત થયેલા એવા તેણે તે માગ્યું. પશુપાલે કહ્યું “આના વડે શું કામ છે ?” તેણે કહ્યું. ઘરે ગયેલો હું બાળકને રમવા માટે આપીશ. I૧૯l. તે પશુપાલે કહ્યું “આવા ઘણા પત્થર અહીં છે તેને તું કેમ ગ્રહણ કરતો નથી ? શ્રેષ્ઠિપુત્રે કહ્યું. હું મારા ઘરે જવા માટે ઉત્સુક થયો છું. ૧૭
વૈરાગ્યશતક
૫૫
Page #117
--------------------------------------------------------------------------
________________
तत एतस्याऽपि च वर-मयमुपकर्ताऽस्तु मास्म भूदफलः । इय करुणारसियमई-सिट्ठिसुओ भणइ आभीरं ।।१९।। यदि भद्र ! मम न दत्से, चिन्तामणिमेनमात्मनाऽपि ततः । आराहसु जेण तुहं, पि चिंतियं देइ खलु एसो ।।२०।। इतरः प्रोचे यदि सत्यमेष चिन्तामणिर्मयाऽचिन्ति । ता बोरकयरकञ्चरपमुहं मह देउ लहु बहुयं ।।२१।।
अथ हसितविकसितमुखः, श्रेष्ठिसुतः स्माह चिन्त्यते नैवम् । किंतुववासतिगंऽतिम-रयणिमुहे लित्तममाहिवीढे ।।२२।। शुचिपट्टनिहितसिचये, स्नपितविलिप्तं मणिं निधायोच्चैः । कप्पूरकुसुममाई-हि पूइउं नमिय विहिपुव्वं ।।२३।। तदनु विचिन्त्यत इष्टं, पुरोऽस्य सर्वमपि लभ्यते प्रातः । इय सोउं सो वाले-वि छालिया गाममभिचलिओ ।।२४ ।। न स्थास्यति हस्ततले-ऽस्य मणिर(यं)नूनमूनपुण्यस्य । इय चिंतिय सिट्ठिसुओ, वि तस्स पुटिं न छड्डेइ ।।२५।। गच्छन् पथि पशुपालः, प्राह मणे ! छागिका इमा अधुना । विक्किणिय किणिय घणसारमाइ काहामि तुह पूयं ।।२६।। मम चिन्तितार्थपूर्त्या, सान्वयसंज्ञो भवेस्त्वमपि भुवने । एव मणिमुल्लवंते-ण तेण भणियं पुणो एयं ।।२७ ।। दूरे ग्रामस्तावन्, मणे ! कथां कथय काञ्चन ममाग्रे । अह न मुणसि तोऽहं तुह, कहेमि निसुणेसु एगग्गो ।।२८।। देवगृहमेकहस्तं, चतुर्भुजो वसति तत्र देवस्तु । इय पुणरुत्तं वुत्तो, वि जंपए जाव नेव मणि ।।२९।। तावदुवाच स रुष्टो, यदि हुङ्कतिमात्रमपि न मे दत्से । ता चिंतियऽत्थसंपा-यणम्मि तुह केरिसी आसा ? ।।३०।। तञ्चिन्तामणिरिति ते, नाम मृषा सत्यमेव यदि वेदम् । जं तुह संपत्तीए, वि न मह फिट्टइ मणे ! चिंता ।।३१।। किञ्च क्षणमपि योऽहं, रब्बातविना नहि स्थातुम् ।। सत्तो सोऽहं कहमिह, उववासतिगेण न मरामि ? ।।३२।। तन्मम मारणहेतोर्वणिजा रे ! वर्णितोऽसि तद्गच्छ । जत्थ न दीससि इय भणिय नंखिओ तेण सो सुमणी ।।३३।।
५६
वैराग्यशतकम्
Page #118
--------------------------------------------------------------------------
________________
તેથી તું મને તે આપ અને હે ભદ્ર ! અહીં તું બીજો પણ પ્રાપ્ત કરી લેજે છતાં પણ પરોપકાર કરવાનો સ્વભાવ નહિ હોવાથી તે આપતો નથી. I/૧૮ તેથી આ પશુપાલને ચિંતામણિ રત્ન મળે તે પણ શ્રેષ્ઠ છે એને ઉપકાર કરનાર થાઓ પણ ૨ત્ન અફળ ન થાઓ. તેથી કરુણાથી પરિકર્મિત થયેલી બુદ્ધિવાળો શ્રેષ્ઠિપુત્ર પશુપાલને કહે છે ||૧૯ો ભદ્ર ! જો તું મને નથી આપતો તો આ ચિંતામણિને તું પોતે આરાધના કર જેનાથી તારી ઈચ્છાને તું પૂરી કરશે. ૨૦ણી ત્યારે પશુપાલે કહ્યું જો આ સાચો ચિંતામણિ છે તો મારા વડે ઇચ્છા કરાય છે કે બોર-કેરડા-કચરા પ્રમુખ મને ઘણું આપો. ll૧ી ત્યારે હસતા અને વિકસિત મુખવાળા શ્રેષ્ઠિપુત્રે કહ્યું. આ પ્રમાણે ઇચ્છા ન કરાય. પરંતુ ત્રણ ઉપવાસ કરી છેલ્લા ઉપવાસની રાત્રિમાં પૃથ્વીને લીપી પવિત્ર વસ્ત્ર ઉપર સ્નાન અને વિલેપન કરેલા મણિને સ્થાપન કરીને કપૂર અને પુષ્પાદિ વડે પૂજીને વિધિપૂર્વક નમસ્કાર કરીને આરાધના કરવામાં આવે છે/૨૨, ૨૩ પછી જે ઇચ્છિતની માગણી કરાય, તે આ રત્નની આગળ સર્વ પ્રાપ્ત કરાય, એ પ્રમાણે સાંભળીને મણિને ઉછાળતો પશુપાલ ગામ તરફ ચાલ્યો. //ર૪ll ન્યૂનપુણ્યવાળા એવા આ પશુપાલના હાથના તળિયામાં આ ચિંતામણિ રત્ન ટકતું નથી. એ પ્રમાણે વિચારીને શ્રેષ્ઠીપુત્ર તેની કેડને છોડતો નથી. ૨૫ણી રસ્તામાં જતા પશુપાલે કહ્યું હે મણિ ! આ અહીં છાણા પડ્યા છે તેને વેચ અને વેચીને કપૂરાદિ લાવ. જેથી તારી પૂજાને કરું પરફો મારા ઇચ્છિતને પૂરા કરવા વડે તું પણ ત્રણ ભુવનમાં સાર્થક નામવાળો થા. આ પ્રમાણે મણિને કહેવાય છતે મણિએ કાંઈ જવાબ ન આપ્યો. ર૭ ગામ હજી દૂર છે, તો હે મણિ ! મારી આગળ તું કથાને કર. હવે જો તું નથી જાણતો તો હું તને કહું છું. તું એકલો સાંભળ. ૨૮ એક દેવગૃહ એક હાથનું હતું તેમાં ચાર હાથનો ત્યાં દેવ વસે છે. એ પ્રમાણે ફરી કહ્યું તો પણ મણિ કાંઈ બોલતો નથી ૨૯ો તેટલામાં ગુસ્સે થઈને તેણે કહ્યું જો હુંકાર માગ પણ મને આપતો નથી તો ઇચ્છિત અર્થને સંપાદન કરવામાં તારી પાસે કેવી રીતે આશા રખાય ? |૩oll તેથી ચિંતામણિ એ પ્રમાણે તારું નામ ફોગટ છે. સત્ય જો હોય તો તારી પ્રાપ્તિ થયે છતે મારી ચિંતા દૂર કેમ ન થાય ? ૩૧વળી ક્ષણ માટે પણ હું જે રાબ અને છાશ વિના રહેવા માટે શક્તિમાન નથી, તો શું હું ત્રણ ઉપવાસ વડે મરી ન જાઉં ?
વેરાગ્યશતક પલ
Page #119
--------------------------------------------------------------------------
________________
जयदेवो मुदितमनाः, सम्पूर्णमनोरथः प्रणतिपूर्वम् । चिंतामणिं गहित्ता, नियनयराभिमुहमह चलिओ ।।३४ ।। मणिमाहात्म्यादुल्लसितवैभवः पथि महापुरे नगरे । रयणवइनामधूयं, परिणीय सुबुद्धिसिट्ठिस्स ।।३५ ।। बहुपरिकरपरिकरितो, जननिवहैर्गीयमानसुगुणगणः । हत्थिणपुरम्मि पत्तो, पणओ पियराण चलणेसु ।।३६ ।। [युग्मम् ।। अभिनन्दितः स ताभ्यां, स्वजनैः सम्मानितः सबहुमानैः । थुणिओ सेसजणेणं, भोगाणं भायणं जाओ ।।३७।। ज्ञातस्यास्योपनयोऽयमुच्चकैरमरनरकतिर्यक्षु । इयरमणीण खणीसु व, परिब्भमंतेण कह कह वि ।।३८ ।। जीवेन लभ्यत इयं, मनुजगतिः सन्मणीखनीतुल्या । तत्थ वि दुलहो चिंतामणिव्व जिणदेसिओ धम्मो ।।३९ ।। पशुपालोऽत्र यथा खलु, मणिं न लेभेऽनुपात्तसुकृतधनः । जह पुण्णवित्तजुत्तो, वणिपुत्तो पुण तयं पत्तो ।।४०।। तद्वद्गतगुणविभवो, जीवो न लभते धर्मरत्नमिदम् । अविकलनिम्मलगुणगणविहवभरो पावइ तयं तु ।।८१।। (श्रीधर्मरत्नप्रकरणवृत्तौ श्रीदेवेन्द्रसूरिकृतायां) ।।९५ ।।
गाथा - जह दिट्ठीसंजोगो, न होइ जगंधयाण जीवाणं ।
तह जिणमयसंजोगो, न होइ मिच्छंधजीवाणं ।।१६।। व्याख्या - यथा 'जात्यन्धानां' आजन्मतोऽन्धीभूतानां 'जीवानां' प्राणिनां
'दृष्टिसंयोग' श्चक्षुस्सम्बन्धो न भवति, तथा 'मिथ्यात्वेन' कुवासनया 'अन्धा' विवेकविकला ये जीवास्तेषां 'जिनमतस्य' श्रीजिनशासनस्य
'संयोगः' प्राप्तिर्न भवति ।।१६।।। गाथा - पञ्चक्खमणंतगुणा', जिणिंदधम्मे न दोसलेसोऽवि ।
तहवि हु अनाणंऽधा, नरमंति कयावि तम्मि जिया ।।१७।। १. गुणे इत्यपि पाठः ।
५७ वैराग्यशतकम्
Page #120
--------------------------------------------------------------------------
________________
(૩રા તેથી મને મારવાના હેતુથી વાણિયાએ વર્ણન કર્યું છે. જેથી તને કોઈ જુવે નહિ, ત્યાં જા. એ પ્રમાણે કહીને તેના વડે તે મણિ નાખી દેવાયો. ૩૩ હર્ષિત થયેલ મનવાળો જયદેવ સંપૂર્ણ મનોરથવાળો નમસ્કારપૂર્વક ચિંતામણિને ગ્રહણ કરીને હવે પોતાના નગર તરફ ચાલ્યો. ૩૪/ મણિના પ્રભાવથી ઉલ્લસિત વૈભવવાળો મહાપુર નગર તરફ જતાં રસ્તામાં સુબુદ્ધિનામના શ્રેષ્ઠીની રત્નાવતી નામની કન્યાને પરણીને બહુ પરિવારથી પરિવરેલા જન સમુદાય વડે ગુણો ગવાતો હસ્તિનાપુર પહોંચ્યો અને માતા-પિતાના ચરણોમાં પડ્યો. ૩૫,૩વા તે બંનેના સ્વજનો વડે અભિનંદન અપાતો બહુમાન વડે સન્માન કરાયેલ અને બાકીના માણસો વડે પ્રશંસા કરાયેલો ભોગોનું ભાજન થયો. આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે - દેવ, નરક અને તિર્યંચ ગતિ એ બીજા મણિઓની ખાણની જેમ છે. કોઈપણ રીતે પરિભ્રમણ કરવા વડે જીવ વડે આ સારા રત્નની ખાણ સમાન મનુષ્યગતિ મેળવાઈ છે. તેમાં પણ દુર્લભ એવા ચિંતામણિ રત્ન સમાન પરમાત્માએ ઉપદેશેલ ધર્મ છે. ૩૯ો અહીં પશુપાલની જેમ જેણે સુકત રૂપી ધન નથી મેળવ્યું તે મણિને મેળવી શકતો નથી. જ્યારે પુણ્યરૂપી ધનથી યુક્ત વણિકપુત્ર જયદેવે તે પ્રાપ્ત કર્યું. [૪૦] તેવી જ રીતે જેની પાસે ગુણવૈભવ નથી. તે આ ધર્મરત્નને મેળવતો નથી. સંપૂર્ણ અને નિર્મલ ગુણના સમુદાયના વૈભવવાળો ધર્મરત્નને પ્રાપ્ત કરે છે. ૪૧al [શ્રી ધર્મરત્ન પ્રકરણની દેવેન્દ્રસૂરિકૃત ટીકામાં] l૯૫ll
ગાથાર્થ – જન્માંધ જીવોને જેમ ચક્ષુનો યોગ ન હોય તેમ મિથ્યાત્વથી અંધ જીવોને
જિનધર્મનો યોગ ન હોય. આવા
ભાષાંતર – જેમ જન્મથી જ અંધ હોય તેવા જીવોને ચક્ષુનો યોગ હોતો નથી. તે જ
પ્રકારે કુવાસના રૂપી મિથ્યાત્વથી જે વિવેકથી રહિત જીવો છે તેઓને શ્રી જિનશાસનની પ્રાપ્તિ થતી નથી. ૯૬l
ગાથાર્થ – શ્રી જિનેન્દ્રધર્મમાં પ્રત્યક્ષ અનંતગુણો છે અને દોષ લેશમાત્ર નથી.
ખેદની વાત છે કે તો પણ અજ્ઞાનથી અંધ જીવો તેમાં રમણતા કરતા નથી. ૧૯૭l.
વૈરાગ્યશતક પ૭
Page #121
--------------------------------------------------------------------------
________________
व्याख्या - श्रीजिनेन्द्रधर्मे 'प्रत्यक्षं' साक्षादनन्तगुणा इहलोके यशःप्रभृतिप्राप्तिः परलोके
च स्वर्गमोक्षसौख्यावाप्तिः, नाऽस्मिन् दोषाणां-अयशःप्रभृतीनां 'लेशोऽपि' लवोऽपि' लवोऽपि, तथापि, ‘हुः निश्चये 'अज्ञानेन' यथावत्स्वरूपानवबोधेन, अन्धा जीवाः कदाऽपि तस्मिन्' जिनेन्द्रधर्मे 'न रमन्त एव' न धृति बन्धन्त्येव, अज्ञानित्वादेव ।।९।।
गाथा - मिच्छे अणंतदोसा, पयडा दीसंति नवि य गुणलेसो ।
तहवि य तं चेव जिया, ही ! मोहंधा निसेवंति ।।१८।।
व्याख्या - 'मिथ्यात्वे' कुगुरुकुदेवकुधर्माङ्गीकाररूपाध्यवसाये अनन्तदोषा नरक
पातादयः 'प्रकटाः' स्पष्टा दृश्यन्ते, नापि च गुणस्य 'लेशो' लवो दृश्यते, 'तथापि च' एवं जानन्तोऽपि 'ही' इति विस्मये विषादे वा, मोहेन'
अज्ञानेनाऽन्धाः सन्तो जीवास्तदेव मिथ्यात्वं 'निषेवन्ते' आश्रयन्ति ।।९८ ।। गाथा - धिद्धी ताण नराणं, विनाणे तह गुणेसु कुसलत्तं ।
सुहसञ्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ।।१९।। व्याख्या - तेषां नराणां 'विज्ञाने' शिल्पे 'कुशलत्वं' नैपुण्यं धिग् धिक्, किं तेषां
शिल्पकौशलेन ?, तथा ‘गुणेषु' शौर्योदार्यधैर्यादिषु कुशलत्वं धिग् धिक्, कथं तेषां धिक्त्वमित्याह-ये पुरुषाः 'शुभं' शुभकारि, तथा 'सत्यं' सत्यरूपं, एवंविधं यद्धर्मरत्नं, तस्मिन् ‘सुपरीक्षां' सत्परीक्षणं, 'न जानन्ति' नाऽवबुध्यन्ते, यथाऽयं धर्मः श्रेयान् उतायं धर्म इति परीक्षाविकलास्तेषामन्यत्र कुशलत्वमपि धिग्, यदुक्तं“बावत्तरिकलाकुसला, पंडियपुरिसा अपंडिया चेव । सव्वकलाणं पवरं, जे धम्मकलं न याणंति ।।१।।" ।।९९।।
गाथा - जिणधम्मोऽयं जीवाणं, अपुब्बो कप्पपायवो ।
सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ।।१०।। १. धी धी इत्यपि पाठः ।
५८
वैराग्यशतकम्
Page #122
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - શ્રી જિનેન્દ્રના ધર્મમાં આ લોકમાં યશ વિગેરેની પ્રાપ્તિ અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષના સુખની પ્રાપ્તિ વિગેરે સાક્ષાત્ અનંતગુણો છે તથા અયશ વિગેરે લેશમાત્ર પણ દોષ નથી, તો પણ ખેદની વાત છે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપને નહીં જાણનારા, અજ્ઞાનથી અંધ બનેલા જીવો, ક્યારે પણ જિનેશ્વરે કહેલા ધર્મમાં ૨મણતા કરતા નથી, અજ્ઞાન પણાથી જ તેઓ વસ્તુના સાચા સ્વરૂપને સમજી શકતા નથી. Il૯૭॥ મિથ્યાત્વમાં અનંત દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણનો લવલેશ પણ નથી. ખેદની વાત છે કે છતાં પણ મોહથી અંધ બનેલા જીવો મિથ્યાત્વને જ સેવે છે. ૯૮
ગાથાર્થ
ભાષાંતર - કુદેવ, કુગુરુ અને કુધર્મના સ્વીકાર કરવાના અધ્યવસાય રૂપ મિથ્યાત્વના સેવનમાં ન૨કપાતાદિ અનંત દોષો સ્પષ્ટ દેખાય છે અને ગુણનો લેશ પણ દેખાતો નથી. આશ્ચર્યની કે ખેદની વાત છે કે તો પણ અજ્ઞાનથી અંધ બનેલા જીવો તે મિથ્યાત્વને જ સેવે છે - આશ્રય કરે છે. [૯૮
ગાથાર્થ – જેઓ સુખદ સત્ય ધર્મ રૂપ રત્નની સારી રીતે પરીક્ષા નથી કરી શકતા, તે પુરુષોની વિજ્ઞાનની અને ગુણોની કુશળતાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ।।૯।।
ભાષાંતર – તે પુરુષોના વિજ્ઞાન રૂપ શિલ્પના કુશલપણાને ધિક્કાર થાઓ, તેઓના શિલ્પના કુશલપણા વડે શું ? તથા શૂરવીરતા, ઉદારતા, ધીરતાદિ ગુણોમાં રહેલા કુશલપણાને પણ ધિક્કાર હો, શા માટે તેઓનું ધિક્કારપણું કહ્યું ? તો કહે છે કે જે પુરુષો સુખને આપનારા સત્યરૂપ ધર્મરત્નની પરીક્ષા કરી શકતા નથી કે આ ધર્મ જ કલ્યાણકારી છે કે બીજો ? એ પ્રમાણે ધર્મની પરીક્ષાથી રહિત તેઓનું અન્ય ઠેકાણે રહેલું કુશલપણું પણ ધિક્કારને પાત્ર જ છે. જેથી કહેલું છે કે સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જેઓ જાણતા નથી તેવા બહોંત્તેર કળાઓમાં કુશલ પણ પંડિત પુરુષો અપંડિત જ છે અર્થાત્ કે મૂર્ખ જ છે. Il૯૯૫
ગાથાર્થ આ જિનધર્મ જીવોને માટે અપૂર્વ કલ્પતરુ છે, સ્વર્ગ અને મુક્તિના સુખ રૂપ ફલને તે આપનાર છે. ૧૦૦
-
વૈરાગ્યશતક ૫૮
Page #123
--------------------------------------------------------------------------
________________
व्याख्या रे जीव ! 'जीवानां' प्राणिनां अयं जिनधर्मश्च 'अपूर्वो' अभिनवः ‘कल्पपादपः’ कल्पवृक्षः, कथमपूर्वत्वं ?, इत्याह-यतः किम्भूतः ?, स्वर्गापवर्गसौख्यानां फलानां 'दायको' दाता, अन्यो हि कल्पवृक्ष एवंविधफलानां दाता न भवति, अयं चैषामप्यतोऽन्यस्मात्कल्पपादपादयमपूर्व इति ।। १०० ।।
गाथा
व्याख्या
-
व्याख्या
"
-
धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमो गुरू । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो । । १०१ । ।
गाथा - चउगइऽणंतदुहानल - पलित्तभवकाणणे महाभीमे । सेवसु रे जीव ! तुमं, जिणवयणं अमियकुंडसमं । । १०२ ।। व्याख्या - रे जीव ! त्वं 'महाभीमे ' महारौद्रे, चतसृणां गतीनां नरकादिरूपाणामनन्तानि यानि दुःखानि तान्येव 'अनलो' वह्निस्तेन 'प्रदीप्तं ' ज्वलितं यद्भवकाननं तस्मिन् 'जिनवचनं' श्रीसिद्धान्तममृतकुण्डसमं ‘सेवस्व’ भजस्व, सिद्धान्तोक्तमनुष्ठानं कुरुष्वेत्यर्थः । । १०२ ।। गाथा - विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुमं जीव ! सिवसुहदं ।। १०३ ।।
रे जीव ! अयं श्रीजिनधर्मो 'बन्धुरिव' भ्रातेव यथा भ्राता आपदि साहाय्यं ददाति तथाऽयं धर्मोऽपि भवापदि त्राता, 'च' पुनरयं धर्मः 'सुमित्र' सुसखा,' यथा सुमित्रं हितार्थसम्पादनात् सुखयति तथाऽयं धर्मोऽपि, तथाऽयं धर्मश्च 'परमः' प्रकृष्टो गुरुः, यथा गुरुरसन्मार्गान्निवर्तयति तथाऽयं धर्मोऽपि नरकतिर्यङ्मार्गान्निवारयिता, तथा 'मोक्षमार्गप्रवृत्तानां' शिवपथप्रचलितानां जीवानामयं धर्मः परमः 'स्यन्दनो' रथो यथा स्यन्दनेन मार्गे सुखेन गम्यते तथा धर्मेणाऽपि मोक्षमार्गे प्रवृत्ताः पुरुषाः सुखेन शिवपुरीं गच्छन्ति ।। १०१ ।।
1
हे जीव ! त्वं 'विषमे' दुस्सञ्चारे, तथाऽनन्तदुःखान्येव ग्रीष्मतापस्तेन 'सन्तप्ते' उपद्रुते, एवंविधे भव एव संसार एव 'मरुदेशो' मरुस्थलं, तस्मिन् १. बंधू इत्यपि पाठः । २. न पूजनादिति [ ५-४-६९ पा.] स्वतिभ्यां न टच् ।
५९ वैराग्यशतकम्
Page #124
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર - હે જીવ ! પ્રાણીઓને આ જિનધર્મ અપૂર્વ નવા કલ્પવૃક્ષ સમાન છે. શા
માટે તેનું અપૂર્વપણું કહ્યું ? તો કહે છે કે આ કેવા પ્રકારનું છે ? આ ધર્મ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને મોક્ષના સુખ રૂપ ફલને આપનાર છે. ખરેખર અન્ય કલ્પવૃક્ષ આવા ઉત્તમ ફલને આપનાર નથી થતું. આ ધર્મ રૂપી કલ્પવૃક્ષ એને પણ આપનાર થાય છે. તેથી આ ધર્મ રૂપી કલ્પવૃક્ષનું
અન્ય કલ્પવૃક્ષોથી અપૂર્વપણું છે. /૧૦૮ll. ગાથાર્થ – ધર્મ બંધુ અને સુમિત્ર છે અને પરમ ગુરુ છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત
થયેલાઓને પરમ રથ સમાન છે. ૧૦૧૫.
ભાષાંતર – હે જીવ ! આ જિનધર્મ બંધુ જેવો છે. જેમ બંધુ આપત્તિમાં સહાય કરે
છે, તે જ પ્રકારે આ ધર્મ પણ ભવરૂપી આપત્તિમાં રક્ષણ કરનાર છે. વળી આ ધર્મ સુમિત્ર છે. જેમ સુમિત્ર હિતાર્થનાં સંપાદનથી સુખને આપે છે, તેમ આ ધર્મ પણ સુખને આપે છે. તથા આ ધર્મ પરમગુરુ છે. જેમ ગુરુ ખરાબ માર્ગથી પાછા વાળે છે, તે પ્રમાણે આ ધર્મ પણ નરકતિર્યંચાદિ રૂપ દુર્ગતિ માર્ગોથી પાછા વાળે છે. અર્થાત્ કે દુર્ગતિમાં પડતા જીવોને બચાવે છે. તથા મોક્ષમાર્ગમાં ચાલતા જીવોને આ ધર્મ રથ સમાન છે. જેમ રથ વડે માર્ગમાં સુખેથી જવાય છે તેમ ધર્મ રૂપી રથ વડે પણ
મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા પુરુષો સુખ વડે શિવપુરીમાં જાય છે. ૧૦૧ ગાથાર્થ – હે જીવ! ચાર ગતિ રૂપ અનંત દુખાગ્નિથી બળતા એવા આ મહાભયંકર
ભવવનમાં અમૃતકુંડ સમાન જિનવાણીનું તું સેવન કર../૧૦૨ા
ભાષાંતર - હે જીવ ! મહાભયંકર, નરકાદિ ચારગતિ રૂપ જે ભવવન છે, તે વન
અનંત દુ:ખો રૂપી અગ્નિથી બળી રહ્યું છે. તેમાં અમૃતના કુંડ સમાન શ્રી જિનવાણીનું એટલે કે શ્રી સિદ્ધાંતનું સેવન કર અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલા
અનુષ્ઠાનનું તું આચરણ કર. /૧૦૨ી. ગાથાર્થ - હે જીવ! અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત અને વિષમ એવા
સંસારરૂપ મરુદેશમાં શિવસુખને આપનાર જિનધર્મરૂપી કલ્પવૃક્ષનું તું
સ્મરણ કર. ll૧૦૩ ભાષાંતર – હે જીવ! વિષમ એટલે કે જેમાં દુ:ખે કરીને ફરી શકાય તેવા તથા અનંત
દુ:ખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી બળતા એવા આ સંસાર રૂપ મરુદેશમાં
વૈરાગ્યશતક
પલ
Page #125
--------------------------------------------------------------------------
________________
भवमरुदेशे, जिनधर्म एव कल्पवृक्षस्तं 'स्मर' विचिन्तय, रक्षकत्वेनेति, किम्भूतं जिनधर्मकल्पवृक्षं ?-'शिवसुखानि' मोक्षसौख्यानि ददातीति
शिवसुखदस्तम् ।।१०३।। गाथा - किं बहुणा जिणधम्मे, जइयव्वं जह भवोदहिं धोरं ।
लहु तरिउमणंतसुहं, लहइ जिओ सासयं ठाणं ।।१०४।।
व्याख्या - किं ‘बहुना' बहूक्तेन ?, हे जीव ! तथा ‘जिनधर्मे' जिनप्रणीते धर्म,
'यतितव्यं' प्रयत्नः कार्यों, यथा 'जीवः' स्वात्मा 'लघु' शीघ्रं 'घोरं' रौद्रमनाद्यनन्तत्वाद् भव एव 'उदधिः' समुद्रस्तं ती| 'अनन्तसुखं' अनवसानसौख्यं शाश्वतस्थानं मोक्षलक्षणं लभते, तदवस्थायां च शरीरादिदुःखकारणाभावात् केवलं सुखभाग्भवत्यात्मा, यदुक्तं श्रीआचाराङ्गे लोकसारनानि पञ्चमाध्ययने [षष्ठोद्देशके] - "से न दीहे न हस्से न वट्टे न तंसे न चउरंसे न परिमंडले, न किण्हे न नीले न लोहिए न हालिद्दे न सुकिल्ले, न सुरभिगंधे न दुरभिगंधे, न तित्ते न कडुए न कसाए न अंबिले न महुरे, न कक्खडे न मउए न गुरुए न लहुए न सीए न उण्हे न निद्धे न लुक्खे, न काऊ न रुहे न संगे न इत्थी न पुरिसे न अनहा, परिण्णे सन्ने, उवमा न विजए, अरूवी सत्ता, अपयस्स पयं नत्थि, से न सद्दे न रूवे न गंधे न रसे न फासे इति" [एतट्टीका]- (*"स-परमपदाध्यासी लोकान्तक्रोशषड्भागक्षेत्रावस्थानोऽनन्तज्ञानदर्शनोपयुक्तः संस्थानमाश्रित्य न दीर्घो न ह्रस्वो न वृत्तो न यस्रो न चतुरस्रो न परिमण्डलो, वर्णमाश्रित्य न कृष्णो न नीलो न लोहितो न हारिद्रो न शुक्लो, गन्धमाश्रित्य न सुरभिगन्धो न दुरभिगन्धो, रसमाश्रित्य न तिक्तो न कटुको न कषायो नाम्लो न मधुरः, स्पर्शमाश्रित्य न कर्कशो न मृदुर्न लघुर्न गुरुर्न शीतो नोष्णो न स्निग्धो न रूक्षो) “न काऊ' इत्यनेन लेश्या गृहीता, यदिवा न कायवान्, (*यथा वेदान्तवादिनां'एक एव मुक्तात्मा, तत्कायमपरे क्षीणक्लेशा अनुप्रविशन्ति, आदित्यरश्मय इवांशुमन्तमिति' तथा न, “रुह' बीजजन्मनि प्रादुर्भावे च, रोहतीति रुहः, न रुहोऽरुहः कर्मबीजाभावादपुनर्भावीत्यर्थः, न पुनर्यथा शाक्यानां
दर्शननिकारतो मुक्तात्मनोऽपि पुनर्भवोपादानमिति, उक्तं च*शोधनार्थसंगृहीतेषुचतुर्खप्यादर्शषुत्रुटितोऽस्त्यत्रवृत्तिपाठः, अतोऽयंकॉउंसस्थःपाठस्ततउद्धृत इति।
६०
वैराग्यशतकम्
Page #126
--------------------------------------------------------------------------
________________
જિનધર્મ જ કલ્પવૃક્ષ સમાન છે, તે જ રક્ષણ કરનાર છે, એમ તુ વિચાર. જિનધર્મ રૂપી કલ્પવૃક્ષ કેવા પ્રકારનું છે ? તે જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મોક્ષસુખોને આપે છે. ૧૦૩
ગાથાર્થ – ઘણું કહેવા વડે શું ! ઘોર ભવોદધિને સહેલાઈથી તરીને અનંત સુખનું શાશ્વત સ્થાન જે રીતે જીવ પ્રાપ્ત કરે તે રીતે જિનધર્મમાં યત્ન કરવો જોઈએ. II૧૦૪
ભાષાંતર - હે જીવ ! ઘણું કહેવા વડે શું ? તે પ્રકારે જિનેશ્વરે કહેલા ધર્મમાં યત્ન ક૨વા યોગ્ય છે, જેથી આત્મા ઘોર અને અનાદિ અનંત હોવાથી અપાર એવા ભવ રૂપી સમુદ્રને તરીને અનંત સુખ રૂપ, એટલે જ્યાં સુખનો અંત નથી એવા શાશ્વત સ્થાનને મેળવે. તે અવસ્થામાં શરીરાદિ દુ:ખનાં કા૨ણોનો અભાવ હોવાથી આત્મા કેવલ સુખને ભજનારો જ હોય છે. શ્રી આચારાંગમાં લોકસાર નામના પાચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશામાં કહેલું છે કે તે પરમ પદ રૂપ મોક્ષમાં રહેલ પુરુષ, અનંતજ્ઞાન અને અનંત દર્શનથી યુક્ત હોય છે. આકા૨ને આશ્રયીને તે લાંબો હોતો નથી, નાનો હોતો નથી, ગોલ, ત્રિકોણ ચતુષ્કોણ અને પરિમંડલાકારે સંસ્થાનને આશ્રયીને હોતો નથી. વર્ણને આશ્રયીને કાળો-લીલો-લાલ-પીળો અને સફેદ હોતો નથી. ગંધને આશ્રયીને સુગંધ અથવા દુર્ગંધવાળો હોતો નથી. રસને આશ્રયીને તીખો-કડવો તો-ખાટો અને મીઠો હોતો નથી. સ્પર્શને આશ્રયીને કઠો૨-કોમળ, હલકો-ભારે, ઠંડો-ગરમ, ચીકણોલુખ્ખો હોતો નથી. તે લેશ્યાવાળો તેમજ શરીરધારી પણ હોતો નથી. (વેદાન્તવાદિ આ પ્રમાણે માને છે કે એક જ મુક્તાત્મા છે અને તેની કાયામાં બીજા ક્ષીણ ક્લેશવાળા જીવો પ્રવેશે છે. જેમ સૂર્યનાં કિરણો સૂર્યમાં પ્રવેશે તેમ, પરંતુ આ પ્રમાણે હોતું નથી. રુદ્ઘ ધાતુ બીજ રૂપ જન્મમાં અને પ્રાદુર્ભાવમાં છે. રુદ્ઘ એટલે ઉગે છે અને અરુહ એટલે ઉગતો નથી તથા કર્મરૂપી બીજનો અભાવ હોવાથી પુનર્જન્મવાળા નથી. (વળી શાક્ય દર્શનવાળા તીર્થનો ઉદ્ધાર કરવા માટે મુક્તાત્માઓ ફરી જન્મને ધા૨ણ કરે છે તેમ માને છે) કહ્યું છે કે
“તારું શાસન છિન્નભિન્ન થયે છતે પાર્થ માટે શૂરવીર એવો, મુક્ત હોવા છતાં કર્યો છે ભવ જેને એવો તું, નથી ધારણ કરાઈ ભયની નિષ્ઠા જેમાં એવા નિર્વાણનું મથન કરીને કર્મ રૂપી ઇંધન બળી જવા છતાં મોહરાજ્યવાળા સંસારને ફરી પામે છે. તથા તે અમૂર્ત
વૈરાગ્યશતક ૬૦
Page #127
--------------------------------------------------------------------------
________________
छाया
गाथा ते धन्ना ते साहू, तेसिं च नमो अकज्जपडिविरया ।
-
'दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य, निर्वाणमप्यनवधारितभीरुनिष्ठं । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।१।। ' तथा न विद्यते सङ्गोऽमूर्त्तत्वाद्यस्य स तथा, न स्त्री न पुरुषो) न 'अन्यथे 'ति [न] नपुंसकः, "परिण्णे" इति केवलं सर्वैरात्मप्रदेशैः परिसमन्ताद्विशेषतो जानातीति परिज्ञः, तथा सामान्यतः सम्यग् जानातीति- पश्यतीति संज्ञः, ज्ञानदर्शनयुक्त इत्यर्थः, यदि नाम स्वरूपतो न ज्ञायते मुक्तात्मा तथाप्युपमाद्वारेणाऽऽदित्यगतिरिव ज्ञायत एवेत चेत्तन्न,
यत आह
-
“उवमा ण विज्जए” उपमीयते - सदृशात्परिच्छिद्यते यया सा उपमा-तुल्यता, सा मुक्तात्मनस्तज्ज्ञानसुखयोर्वा न विद्यते, लोकातिगत्वात्तेषां, कुत एतदिति चेदाह-“अरूवी सत्ता" तेषां मुक्तात्मनां या सत्ता साऽरूपिणी, अरूपित्वं च दीर्घादिप्रतिषेधेन प्रतिपादितमेव, किञ्च " अपयस्स" इत्यादि, न विद्यते पदं - अवस्थाविशेषो यस्य सोऽपदस्तस्य, पद्यते गम्यते येनाऽर्थस्तत्पदम्-अभिधानं, तच्च 'नाऽस्ति' न विद्यते, वाच्यविशेषाभावात्, तथाहि - योऽभिधीयते स शब्दरूपरसगन्धस्पर्शान्यतरविशेषेणाऽभिधीयते, तस्य च तदभाव इत्येतद्दर्शयितुमाह - " से ण सद्दे " इत्यादि, 'स' मुक्तामा न शब्दरूपो न रूपात्मा न गन्धो न रसो न स्पर्श इत्येतावन्त एव वस्तुनो भेदाः स्युः, तत्प्रतिषेधाच्च नापरः कश्चिद्विशेषः सम्भाव्यते नाऽसौ व्यपदिश्येति भावार्थ:' [इत्याचाराङ्गवृत्तौ]।।१०४ ।।
धीरा वयमसिहारं, चरंति जह थूलभद्दमुणी । । १०५ ।।
(ते धन्यास्ते साधवः, तेषां च नमः (ये) अकार्यप्रतिविरताः । धीरा व्रतमसिधारं चरन्ति यथा स्थूलभद्रमुनिः )
।। इति वैराग्य शतकं सटीकम् ।।
६१ वैराग्यशतकम्
""
"
Page #128
--------------------------------------------------------------------------
________________
હોવાથી સંગ વિદ્યમાન નથી હોતો. તે સ્ત્રી વેદ પુરુષ વેદ અને નપુંસક વેદથી રહિત હોય છે. એ પ્રમાણે કેવલ સર્વે આત્મપ્રદેશો વડે સર્વ પ્રકારે વિશેષથી જાણે છે. આથી પરિજ્ઞ તથા સામાન્યથી પણ સારી રીતે જાણે છે અર્થાત્ કે દેખે છે. આથી સંજ્ઞ એટલે કે જ્ઞાન-દર્શનથી યુક્ત છે આ પ્રમાણેનો અર્થ થયો. જો નામ અને સ્વરૂપથી મુક્તાત્મા જણાતો નથી તો શું ઉપમા આપવા દ્વારા સૂર્યની ગતિની જેમ જાણી શકાય છે કે નહીં ? એ પ્રકારે કોઈ માનતું હોય તો કહે છે કે ઉપમા દ્વારા પણ જાણી શકાતો નથી. જેથી કહ્યું છે કે જેના સદશપણાથી અન્ય જાણી શકાય તે ઉપમા કહેવાય પરંતુ તે મુક્તાત્માના જ્ઞાન અથવા સુખની તુલના કરવા માટે કોઈ ઉપમા નથી. તેઓનું લોકાતિગપણું છે. કયા કારણથી તેઓનું લોકાતિગપણું છે ? તે મુક્તાત્માની સત્તા રૂપ રહિત છે. અને વળી તેઓનું અરૂપીપણું દીર્ધાદિના નિષેધ વડે પ્રતિપાદન કરેલું જ છે. તે આત્માની કોઈ અવસ્થા વિશેષ પણ નથી. આથી તે અપદ છે એટલે કે તેનું કોઈ વાચક પદ નથી. પદો દ્વારા જેનું કથન કરાય છે તેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિમાંથી કોઈપણ અવશ્ય હોય છે. પરંતુ મુક્તાત્મામાં આમાંથી બધાનો અભાવ છે. અને તેનો અભાવ બતાવવા માટે કહે છે કે તે મુક્તાત્મા શબ્દરૂપ નથી, રૂપ સ્વરૂપ નથી, ગબ્ધ રૂપ નથી રસ રૂપ નથી, સ્પર્શ રૂપ નથી, આટલા જ વસ્તુના ભેદો હોય, પરંતુ તેનો પ્રતિષેધ હોવાથી મુક્તાત્મામાં કોઈપણ વિશેષ સંભવતો નથી કે જેના વડે આ વ્યપદેશ કરી શકાય. આ પ્રમાણે આચારાંગની ટીકામાં કહેલું છે. ૧૦૪
ગાથાર્થ - અકાર્યથી વિરત થયેલા અને ધીર એવા તે સાધુઓ ધન્ય છે. તેઓને
નમસ્કાર થાઓ, જેઓ તલવારની ધાર સમાન દુષ્કર એવા વ્રતને સ્થૂલભદ્ર મુનિની જેમ આચરે છે. II૧૦પા.
જે આ પ્રમાણે વેરાગ્યશતક ટીકા સહિત છે.
વૈરાગ્યશતક
૯૧
Page #129
--------------------------------------------------------------------------
________________
ग्रन्थकृत्प्रशस्ति :
व्याख्या श्रीगुरुखरतरगच्छे, श्रीमज्जिनचन्द्रसूरिराजानां ।
-
राज्ये विराजमाने, "मुनिवार्धिर से दुमितवर्षे (१६४७) ।।१।। श्रीक्षेमराजाभिधपाठकानां, शिष्या विशिष्या क्षमया क्षमाभाः । क्षमाधराक्षोभ्यविनेयवृन्दाः, श्रीवाचकाः कीर्त्तिमहीजकन्दाः ।।२।। प्रमोददमाणिक्यसुनामधेया-स्तेषां च सन्त्यद्भुतभागधेयाः । शास्त्रार्थसर्वस्वकलापविज्ञा, जयन्ति सुज्ञा जयसोमसंज्ञाः ।।३।। तेषां शष्येणेयं, गुणविनयाख्येन निर्ममे व्याख्या । काऽपि यथादर्शमणु-स्त्वरितं वैराग्यशतकस्य ।।४।। यद्यत्प्राकृतसूत्र -र्न मिलति तत्रापि पूर्वसूरिगिराम् । प्रामाण्यादिति विबुधैः, सर्वं सत्यं समाधेयम् ।।५।।
। इति श्रीभववैराग्यशतकं सम्पूर्णम् ।
ग्रन्थाग्रं ९९५ । यथाप्रति संवत् १६६३ वर्षे कार्त्तिकवदिषष्ठी भृगुलिखितं । सर्वत्र यो मोहनलालजीति, प्राप्तः प्रसिद्धिं परमां महात्मा !
स्वर्गं गतं सच्चरितं पवित्रं, नमामि नित्यं मुनिमोहनं तम् ।।१।।
वाचनाचार्यपपदविभूषित- श्रीमद् गुणविनयगणिवरसंकलितवृत्त्या समलंकृतं पूर्वसूरिप्रवरविनिर्मितम्
।। इन्द्रियपराजयशतकम् ।
麻
६२ वैराग्यशतकम
Page #130
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી થી યુક્ત પ્રધાન એવા ખરતરગચ્છમાં શ્રીમદ્ જિનચંદ્રસૂરિ રાજાનું રાજ્ય બિરાજમાન હોતે છતે ૧૬૪૭ વર્ષે /૧// શ્રી ક્ષેમરાજ નામના પાઠકના શિષ્ય, વિશેષ કરીને ક્ષમા વડે ક્ષમા સમાન, ક્ષમાને ધારણ કરવાવાળા અને ક્ષોભ ન પામે એવા શિષ્યસમૂહવાળા, કીર્તિરૂપી વૃક્ષના કંદ સમાન //રા શ્રી વાચક પ્રમોદ માણિક્યના નામને ધારણ કરનારા હતા. તેઓના અદૂભુત ભાગ્યને ધારણ કરનારા, શાસ્ત્રાર્થના સર્વસ્વ સમૂહને જાણનારા, સુજ્ઞ જયસોમ નામના શિષ્ય જય પામે છે. llફ તેઓના શિષ્ય ગુણવિનય વડે જે પ્રકારે પ્રતમાં હતું તેવા વૈરાગ્યશતકની આ ટીકા રચાઈ છે. જો તેમાં જે જે પ્રાકૃત સૂત્રો સાથે ન મળતું હોય ત્યાં પણ પૂર્વના આચાર્યોની વાણીના પ્રમાણપણાથી પંડિતો વડે સર્વ સત્યનું સમાધાન કરવું જોઈએ.
આ પ્રમાણે શ્રીભવવેરાગ્યશતક સંપૂર્ણ થયું. ) ગ્રંથાગ્ર - ૯૯૫, જે પ્રમાણે પ્રતમાં હતું તે પ્રમાણે વિ.સં. ૧૯૭૩ વર્ષે કારતક વદી-૬ ના રોજ લખ્યું છે.
સર્વ ઠેકાણે જે મોહનલાલજી મહારાજ એ પ્રમાણે શ્રેષ્ઠ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે તે, સ્વર્ગે ગયેલા અને પવિત્ર સચ્ચારિત્રવાળા તે મોહનલાલજી મહારાજને હું નિત્ય નમસ્કાર કરું છું.
ઇન્દ્રિયપરાજયશતક
વૈરાગ્યશતક
ફ૨
Page #131
--------------------------------------------------------------------------
________________
।। इन्द्रियपराजयशतकम् ।।
गाथा : प्रणम्य मृगलक्ष्माणं, पञ्चमं चक्रधारिणम् । श्री शान्तिमचिरासूनुमचिराच्छान्तिकारिणम् ।।१।। गाथा : वाञ्छितार्थप्रदाने यश्चिन्तामणिसमक्रियः ।
श्रीचिन्तामणिपावों मे, स्ताद्विघ्नध्वंसकारकः ।।२।। गाथा : सन्निधत्तां गिरां सम्यगीश्वरा शारदाभिधा ।
यस्याः प्रसादतः शास्त्रबोधे स्याद्विशदा मतिः || ३ || गाथा : योगिनीनां चतुष्षष्टिर्येन जिग्ये महात्मना ।
स श्रीमात्र जिनदत्ताह्वः प्रसीदतु दयानिधिः ||४॥ गाथा : पथि पाथः प्रदानेनापथो * नीवृति पप्रथे ।
यद्यशोराशिरुन्निद्रबोधाय कुशलप्रभुः ।।५।।
गाथा : युगप्रधान सूरीन्द्रजिनचन्द्रगुरुर्गुरुः ।
गाथा : अनूचानसमीचीनपदप्रौढिभृतो गुरोः ।
सौम्यां दृष्टिं विधत्तां मे शुभयोगो हि सिद्धिदः । । ६ ।।
श्रीमज्जयसोमाख्यस्यादेशाल्लेशेन लिख्यते ।।७। प्राच्याचार्यविनिर्मितखशतकविवृतिर्विचार्य निजमत्या । स्वपरावबोधहेतोः श्रमं महान्तः सफलयन्तु ।।८ । । युग्मम् ।। तत्रादौ गाथेयम्
।
गाथा : सोझिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो नि इंदिअचोरेहि सया, न लुंटिअं जस्स चरणधणं ॥ | १ ||
व्याख्या : स एव शूरश्चारभटः । तथा चः समुच्चये, एवोऽवधारणे, स एव पण्डितः । पण्डा तत्त्वानुगामिनी मतिर्यस्य स पण्डितः । तथा तं नित्यं
१. सुचिय मुद्रिते । २. चोरेहिं मुद्रिते ।
*
निवृदिति समृद्धो देशः, राजधानी, राज्यविभागते वा इति शब्दरत्नमहोदधौ । ] अनूचानः प्रवचने साङ्गेधीती गणिश्च स इति अभिधानचिन्तामणी ७८ तमश्लोके ।
इन्द्रियपराजयशतकम्
६३
-
Page #132
--------------------------------------------------------------------------
________________
|| ઇન્દ્રિયપરાજયશતકમ્ ॥
ગાથાર્થ : હરણના ચિહ્નવાળા, પાંચમા ચક્રવર્તી, અચિરા માતાના પુત્ર, વિલંબ વિના શાંતિને કરનારા શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરીને. ॥૧॥
ગાથાર્થ : ઈચ્છિતને આપવામાં જેની ચિંતામણિ રત્ન સમાન ક્રિયા છે, એવા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન મારા વિઘ્નોનો નાશ કરનાર થાઓ. ।।૨।।
ગાથાર્થ વાણીની સમ્યગ્ માલિક એવી શારદા-સરસ્વતી નામની દેવી છે. જેની કૃપાથી શાસ્ત્રના બોધમાં (મારી) મતિ વિશાળ થાય, તે મને સાનિધ્ય કરો. IIII
ગાથાર્થ
:
: ચોસઠ યોગીનીઓ જે મહાત્મા વડે જીતાઈ છે એવા તથા દયાના ભંડાર એવા તે શ્રીમાન જિનદત્ત નામના આચાર્ય કૃપા કરો. II૪
ગાથાર્થ : જેમણે માર્ગમાં પાણી આપવા વડે *માર્ગ વગરની યશની રાશિને વિસ્તારી એવા શ્રી જિનકુશલસૂરી પ્રભુ વિકસિત બોધને માટે થાઓ.
ગાથાર્થ
ગાથાર્થ : વડીલ, યુગપ્રધાન અને આચાર્યોમાં ઈન્દ્રસમાન એવા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મારી ઉપર સૌમ્ય દૃષ્ટિને કરો. કારણ કે, શુભનો યોગ સિદ્ધિને આપનાર છે. કા
:
અંગસહિત પ્રવચનનો અભ્યાસ કરનાર, સારી રીતે પદનું જ્ઞાન કરવામાં પ્રોઢતાને ધારણ કરનાર એવા શ્રી જયસોમ નામના ગુરુના આદેશથી પ્રાચીન આચાર્ય દ્વારા રચાયેલી ઈન્દ્રિયશતકની ટીકાને પોતાની મતિ વડે વિચારીને સ્વ અને પરને બોધ થાય એ હેતુથી કાંઈક લખાય છે. મહાન પુરુષો શ્રમને સફળ કરો. II૭,૮
ત્યાં પ્રથમ ગાથા આ પ્રમાણે
ગાથાર્થ : જેનું ઈન્દ્રિય રૂપી ચૌરો વડે શાશ્વત એવું ચારિત્ર રૂપી ધન લૂંટાયું નથી, તે જ શૂરવીર છે. તે જ પંડિત છે, તેની નિત્ય પ્રશંસા કરીએ છીએ.
ભાષાંતર: તે જ શૂરવીર છે. શ્લોકમાં TM સમુચ્ચય અર્થમાં છે. ‘વ’ અવધારણનિશ્ચય અર્થમાં છે. અર્થાત્ તે જ પંડિત છે. અર્થાત્ તત્ત્વને અનુસરનારી જેની મતિ છે, તે પંડિત કહેવાય છે. તથા તેની નિત્ય-સદા અમે પ્રશંસા કરીએ છીએ - સ્તવના કરીએ છીએ.
જંગલમાં જતા સંઘને મંત્રશક્તિ વડે પાણી આપવા દ્વારા જેમણે યશની રાશિ વિસ્તારી એમ અનુમાન કરાય છે.
ઈન્દ્રિયપરાજયશતક
25
Page #133
--------------------------------------------------------------------------
________________
सदा प्रशंसामः संस्तुमः । तच्छब्दो यच्छब्दमपेक्षत इति यस्य महात्मनः सदा-शश्वत् इन्द्रियचौरैरक्ष तस्करैश्चरणधनं चारित्रद्रव्यं न लुण्टितं नाऽपजहे । इन्द्रियाण्येव हि जीवस्य धर्मसर्वस्वमपहरन्ति किङ्करीभावं च प्रगुणयन्तीन्द्रियाण्येव यतः'आत्मभूपतिरयं चिरन्तनः पीतमोहमदिराविमोहितः । किङ्करस्य मनसोपि किङ्करैरिन्द्रियैरहह किङ्करीकृतः ॥ [ ] 'सोच्चिये'त्यत्र ‘णइ-चेअ-चिय-चअवधारणे' (सि० ८-२-१८४) इत्यनेन चियेति प्रयुक्तः सेवादित्वाद् द्वित्वमपि ‘ते च्चिय धन्ना ते चेय सुपुरिसा' इतिवत् । 'लुटिअ' मिति लुण्टण स्तेये । अत्र ग्रन्थका मङ्गलं सत्प्रशंसैव निरदेशि, मङ्गलं विनाऽऽरब्धं शास्त्रं न समाप्तिमासादयति, अन्यञ्चादौ शूरपण्डितशब्दप्रयोग एतदध्येतृणामिन्द्रियजयकेवलज्ञाने भूयास्तामित्येतदर्थम् । तथा च वार्तिककारेणादौ प्रयुक्तौ यः सिद्धशब्दस्तद्व्याख्यासमये भाष्ये उक्तं “माङ्कलिक आचार्यो महतः शास्त्री घस्य मङ्गलार्थं सिद्धशब्दमादितः प्रायुत, मङ्गलादीनि शास्त्राणि प्रथन्ते वीरपुरुषकाणि, भवन्ति आयुष्मत्पुरुषकाणि च, 'अध्येतारश्च सिद्धाः स्युरिति” । इति प्रथमगाथार्थ : ।।१।।
+ अक्षशब्दः अकारान्तोऽपि शब्दरत्नमहोदधौ विद्यते । * सेवादौ वा (सि० ८-२-९९) इति सूत्रे
गणपाठे चिअ, शिअ इत्युदाहरणमस्ति । SEEEEEEEKRkkkkkkkkkkkkkkkkk ६४ इन्द्रियपराजयशतकम्
Page #134
--------------------------------------------------------------------------
________________
(તર્ શબ્દ યર્ શબ્દને સાપેક્ષ હોય છે. આથી તદ્ શબ્દથી અભિપ્રેત પંડિત છે અને હવે થવું શબ્દથી અભિપ્રેય વસ્તુને જણાવે છે.)
જે મહાત્માનું ઈંદ્રિય રૂપી ચોરો વડે શાશ્વત એવું ચારિત્ર રૂપી ધન હરાયું નથી - લૂંટાયું નથી, તેની પ્રશંસા કરીએ છીએ.
ઈન્દ્રિયો જ જીવના ધર્મરૂપ સર્વસ્વને હરી લે છે અને ઈંદ્રિયો જ કિંકરી ભાવને પેદા કરે છે. અર્થાત્ ઈંદ્રિયો જ જીવને નોકર જેવો બનાવે છે. આથી કહ્યું છે કે – અરે ! પીધેલી મોહ રૂપી મદિરાથી મોહિત થયેલો આ નવો આત્મા રૂપી રાજા કિંકર એવી ઈન્દ્રિયો વડે કિંકર એવા મનનો પણ નોકર કરાયો છે.
કહેવાનો આશય એ છે કે, ઈન્દ્રિયો અને મન વડે આત્મા નોકર જેવો કરાયો છે.
‘સોશ્ચિય’ એ પ્રમાણે અહીં ‘ખરૂ વેગ-વિય-ગ્નઅવધારણે' (સિ.હે. ૮-૨૧૮૪) સૂત્રથી ‘વિય’ પ્રત્યય લગાવેલ છે અને ‘સેવાવો’ (સિ. ૮-૨-૯૯) સૂત્રથી દ્વિત્વ થયેલ છે. તે જ ધન્ય છે તે જ સત્પુરુષ છે એની જેમ સમજવું. ‘હુંટિગં એ પ્રમાણે હુટર્ - સ્તેય (ચોરી) અર્થમાં વપરાયેલ છે.
અહીં ગ્રંથકારે સત્પ્રશંસા પદ વડે મંગલનો નિર્દેશ કરેલ છે. મંગલ વિના પ્રારંભ કરેલ શાસ્ત્ર સમાપ્તિને પ્રાપ્ત કરતું નથી અને બીજું શરૂઆતમાં શૂર-પંડિત શબ્દના પ્રયોગ દ્વારા એ સૂચવે છે કે, આ ગ્રંથ ભણનારાઓને ઈન્દ્રિયનો જય અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાઓ - આ પ્રમાણે અર્થ છે. (શૂર શબ્દથી વિજયની વાત કરી અને પંડિત શબ્દથી જ્ઞાનની વાત કરી.) તથા વાર્તિકકાર વડે શરૂઆતમાં સિદ્ધ શબ્દ જે પ્રયોજેલો છે, તે વ્યાખ્યા સમયના ભાષ્યમાં કહેલ છે કે - ‘માંગલિક' આચાર્ય મોટા શાસ્ત્રના સમૂહને મંગલ માટે સિદ્ધ શબ્દ શરૂઆતમાં પ્રયોજે છે અને વીર પુરુષો મંગલ આદિ શાસ્ત્રોને વિસ્તારે છે.
તમે પણ પુરુષાર્થ કરનારા થાઓ છો. ‘અધ્યેતારર્થે સિદ્ધા સ્યુઃ' અર્થાત્ ભણનારાઓ સિદ્ધ થાય. એ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. ૧
7 અહીં શ્લોકમાં સત્પ્રશંસા શબ્દથી ગ્રંથકારે મંગલ કરેલ છે. આ ગ્રંથનો વિષય (અભિધેય) ઈન્દ્રિયજ્ય છે અને સર્વે જીવો ઈન્દ્રિયનો જ્ય કરનારા થાઓ, એ પ્રયોજન છે અને વાચ્યવાચક સ્વરૂપ સંબંધ છે. આ રીતે પ્રથમ શ્લોક મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધને ણાવે છે.
ઈન્દ્રિયપરાજયશતક ૭૪
Page #135
--------------------------------------------------------------------------
________________
अथेन्द्रियाणामेव जयप्रकारमाहगाथा : इंदियचवलतुरंगे, दुग्गइमग्गाणुधाविरे निछं ।
भाविअभवस्सरूवो, रुंभइ जिणवयणरस्सीहिं ।।२।।
व्याख्या : भावितभवस्वरूपः भावितं धातूनामनेकार्थत्वात्परिच्छिन्नं जिनोपदिष्ट
विशिष्टवैराग्यतरङ्गितशास्त्राभ्यासजनितसंवेगोल्लासवासनया भवस्वरूपं संसारस्वभावः संयोगवियोगात्मको येन स भावितभवस्वरूपः पुरुषः । इन्द्रियचपलतुरङ्गान्-इन्द्रियाणि श्रोत्रादीनि चपलतुरङ्गाश्चञ्चलाश्वास्तान्, इन्द्रियाणां स्वस्वविषयग्रहणलोलुपतया चपलतुरङ्गमोपमानं घटत एव, अत एव तेषां रोधो दुष्करः । जिनवचनरश्मिभिस्तीर्थकृत्प्रणीतागमरज्जुभिः, 'रुंभइ त्ति प्राकृतत्वालिङर्थे लट् रुन्ध्यात् कुवफ्नो निवारयेत् । किंभूतान् इन्द्रियचपलतुरङ्गान् ? नित्यं दुर्गतिमार्ग नरकतिर्यगादिवर्त्म *प्रत्यनुसरणशीलान् यानि दुार्गे संचारितानि दुर्गतिं नयन्तीति भावः, 'रुंभइत्ति 'रुधोन्धम्भौ च' (सि० ८-४-२१८) इति रुन्धइ, रुम्भइ, इति । 'अणुधाविरे' इति, शीलाद्यर्थस्येरः (सि०८-२-१४५) इति शीलधर्मसाध्वर्थे विहितस्य प्रत्ययस्य इर इत्यादेशो भवति ।।२।।
१. तुरंगो मुद्रिते । २. नुसारण. खडड, । * अत्र संचारितशब्दः स्वार्थण्यन्तो ज्ञातव्यः, अथवा "संचारितानि = दुर्मार्गे गन्तुं दत्तावकाशानि"
इत्यर्थः कार्यः ।
६५
इन्द्रियपराजयशतकम्
Page #136
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
હવે ઈન્દ્રિયોના જ વિજયના પ્રકારને કહે છે -
-
: ભવનું સ્વરૂપ જેણે અનુભવ્યું છે, એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનારા ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓને જિનવચન રૂપી દોરડાઓ વડે હંમેશાં રોકે છે. રા
ભાષાંતર : અહીં ધાતુઓનો અનેક અર્થ હોવાથી ‘માવિતં’ પદથી પરિચ્છિન્ન' અર્થ લેવાનો છે. અર્થાત્ જાણ્યું છે ભવનું સ્વરૂપ. જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલા વિશિષ્ટ વૈરાગ્યથી તરંગિત થયેલા શાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ સંવેગના ઉલ્લાસની વાસના વડે સંયોગ અને વિયોગ સ્વરૂપ સંસારના સ્વભાવને જેણે જાણ્યો છે, તે પુરુષ ભવના સ્વરૂપને જાણનાર કહેવાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયો રૂપ ચપલ અશ્વોને તેઓનું ચપલપણુંચંચળપણું હોવાથી અટકાવવા દુષ્કર છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ ક૨વામાં લોલુપ હોવાથી તેને ચપલ ઘોડાની ઉપમા ઘટે છે અર્થાત્ ચપલ ઘોડાને માર્ગમાં સ્થિર ક૨વા કઠીન હોય છે, તેમ ઇન્દ્રિયોને અનાદિ વાસનાના કારણે સ્વ-સ્વ વિષયમાં જતી અટકાવવી દુષ્કર છે. (આ ઇન્દ્રિયો રૂપી ચપલ ઘોડાઓને તીર્થંકરે પ્રરૂપેલા આગમ રૂપી દોરડાઓ વડે ખોટા માર્ગથી અટકાવવી જોઈએ. ‘મ' એ પ્રાકૃત હોવાથી લિંગ અર્થે દ્ પ્રત્યય લાગે છે. હવે ઇન્દ્રિયરૂપી ચપલ ઘોડાઓ કેવા પ્રકારના છે ? હંમેશાં નરક-તિર્યંચાદિ દુર્ગતિના માર્ગ તરફ અનુસરવાના સ્વભાવવાળા છે અર્થાત્ નકતિર્યંચ દુર્ગતિના જેટલા માર્ગો છે, તેટલા માર્ગો તરફ આ ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓ જીવને લઈ જાય છે. અહીં “હંમફ” એ ‘મોન્કમ્મો’ ‘વ’ (સિ.હે. ૮-૪-૨૧૮) સૂત્રથી રુન્યજ્ઞ, રુમ્મજ્ઞ બનેલ છે. તથા ‘અનુધાવિરે’ અહીં શીવિ અર્થમાં જ્ઞર એવો પ્રત્યય ‘શીહાઇર્થચેર’ (સિ.૮-૨-૧૪૫) સૂત્ર થી થાય છે. એ પ્રમાણે સ્વભાવ, ધર્મ અને સાધુ અર્થમાં ‘ફર’ પ્રત્યય કહેલો છે એટલે ‘અણુધાવિરે’ રૂપ આ સૂત્રથી સિદ્ધ થાય છે. ૨
ઈન્દ્રિયપરાજયશતક ૭પ
Page #137
--------------------------------------------------------------------------
________________
गाथा : इंदियधुत्ताणमहो, तिलतुसमित्तंपि देसु मा पसरं ।
जइ दिनो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमों ।।३।।
व्याख्या : रे आत्मन् 'अहो' इति आश्चर्ये । इन्द्रियधूर्तानां इन्द्रियाण्येव धूर्ताः
कितवास्तेषाम् । तिलतुषमात्रमपि अत्यल्पमपीत्यर्थः । मा इति निषेधे । प्रसरं = स्वस्वविषयेषु प्रवर्तनम् । मा देसु मा दद्याः । इन्द्रियधूर्तवशगो मा भूया इत्यर्थः । यदि त्वया तत्र प्रसरो दत्तस्तदा त्वं तत्र नीतः प्रापितो यत्र नरकादौ क्षणः कालविशेषो नाडिकाषष्ठांशो मुहूर्तो वा वर्षकोटिसमो वर्षकोट्या संवत्सरशतसहस्रेण समस्तुल्यः, यत्रैकोपि क्षणो दुःखाकुलतया वर्षकोटिसमानो भवतीति भावः । सुस्थितानां गच्छन्नपि कालो नाकलनीयः स्यादनुत्तरवासिदेवानामिव, नरकावस्थितानां च क्षणोऽपि न पूर्तिमायाति, अत एव ते ततो निर्गमनमीहमाना अपि नारका न निर्गन्तुमीशते, तथा चोक्तं श्रीराजप्रश्नीयोपाङ्गे :चउहि ठाणेहिं पएसी ! अहुणोववत्रए नरएसु नेरइए इच्छेन माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ १ अहुणोव्वत्रए नरए नेरइए से णं तत्थ सुमहन्भूए वेयणं वेदेमाणे इच्छेज माणुसं लोगं हव्वमागच्छित्तए नो चेव णं संचाएइ २, अहुणोववत्रए नेरइए णरयपालेहिं भुजो भुजो समाहिद्विजमाणे इच्छइ माणुसं लोगं हब्वमागच्छित्तए नो चेव णं संचाएइ ३ अहुणोववन्नए* (एवं) णरएसु णेरड़ए णरयाउयंसि कम्मंसि अखीणंसि अवेइअंसि अणिजिनसि इच्छइ माणुसं लोगं णो चेव णं संचाएइ ४ 'इछेइएहिं चउहिं ठाणेहि पएसी ! अहुणोववने नरएसु नेरइए इच्छइ माणुसं लोग.... नो चेव णं संचाएइत्ति ।।३।।
१. वरस० मुद्रिते । २. तदासत्तिं खडड | ३. क्षणो न खड़,
नरएसु नरइए णिरयवेयणिजंसि कम्मंसि अक्खीणंसि अवेइयंसि, अणिज्जिनंसि इच्छइ माणुसं लोगं
हव्वमागच्छतिए नो चेव णं संचाएइ ३ । + हव्वमागच्छित्तए इति राजप्रश्नीयोपाङ्गे ।
६६
इन्दियपराजयशतकम
Page #138
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : અરે આત્મા, ઇન્દ્રયો રૂપી ધૂર્તોનો તણખલા માત્રનો પણ – અલ્પ પણ
પ્રસાર ન થવા દે. (કારણ કે) જો પ્રસાર આપ્યો તો તને જ્યાં એક
ક્ષણ ક્રોડ વર્ષ સમાન છે તેવી નરકમાં લઈ જશે. Imall ભાષાંતરઃ હે આત્મા ! અહીં ‘મહો' આશ્ચર્યમાં છે. ઇન્દ્રિયો રૂપી ધૂર્તાને અર્થાત્
ઇન્દ્રિયોને જ અહીં ઠગારી કહી છે. તેને તલના તણખલા માત્ર પણ અર્થાત્ અત્યંત અલ્પ પણ પોતપોતાના વિષયમાં પ્રવર્તવા ન દે. “મા'નિષેધ અર્થમાં છે. ઇન્દ્રિયો રૂપી ધૂર્તોને વશ થનારો તું ન થા એ પ્રમાણે અર્થ છે. જો તારા વડે ત્યાં પ્રવર્તાઈ, તો તે તને તેવી નરકમાં લઈ જશે, જે નરકાદિમાં એક ક્ષણ ક્રોડ વર્ષ સમાન થશે. અહીં ક્ષણ એ કાલવિશેષ છે. ક્ષણ=નાડિકાનો ષષ્ઠાંશ ભાગ અથવા મુહૂર્ત જાણવું. જે નરકાદિમાં એક પણ ક્ષણ દુ:ખથી આકુલ હોવાથી વર્ષકોટી સમાન થાય છે, એમ કહેવાનો ભાવ છે. સારી અવસ્થામાં રહેલાને અનુત્તરવાસી દેવોની જેમ પસાર થતો કાળ ખબર પડતો નથી. નરકમાં રહેલા જીવોને ક્ષણ પણ પૂરાતી નથી, અર્થાત્ ક્ષણ પણ પસાર કરવી કઠિન પડે છે, આથી જ તે નરકના જીવો તેમાંથી નીકળવાને ઇચ્છતાં હોવા છતાં પણ નીકળવા માટે સમર્થ થતા નથી. શ્રી રાજપ્રજ્ઞીય ઉપાંગમાં કહ્યું છે કે ! હે પ્રદેશી ! ચાર સ્થાન વડે. ૧. નરકમાં હમણાં જ ઉત્પન્ન થયેલો નારકનો જીવ મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છા કરે છે પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૨. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ ત્યાં ઘણી મોટી વેદનાને ભોગવતો, મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૩. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ નરકપાલ વડે વારંવાર પકડી રખાયે છતે મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છા કરે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૪. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ આ પ્રમાણે નરકનું આયુષ્ય કર્મ ક્ષીણ થયા વગર, કર્મ ભોગવ્યા વગર, કર્મ જીર્ણ થયા વગર મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ઇત્યાદિ ચાર સ્થાન વડે તે પ્રદેશી ! હમણાં નરકમાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ મનુષ્યલોકમાં આવવા માટે ઇચ્છે છે પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી ૩||
ઈન્દ્રિયપરાજયશતક
૧૯
Page #139
--------------------------------------------------------------------------
________________
गाथा : अजिइंदिएहि चरणं, कटुं व घुणेहि कीरइ असारं ।
तो धम्मत्थीहि दढं, जइयव्वं इंदियजयंमि ।।४।।
व्याख्या : अजितेन्द्रियैर्न जितानि स्ववशं नीतानीन्द्रियाणि यैस्ते अजितेन्द्रियास्तैश्चरणं
चारित्रं सिद्धिसौधशिखरसंप्रापकं काष्ठमिव दाविव घूणैः काष्ठकीटैः असारं निःसारं क्रियते अफलं जायत इत्यर्थः । गोवालो भंडवालो वा जहा तहव्वऽनिस्सरो । एवं अणिस्सरो तंपि सामण्णस्स भविस्ससि ? [उत्त० अध्य० २२गा०-४५] ततो धार्थिभिर्धर्मं सम्यक्त्वश्रुतदेश-सर्व्वविरतिरूपं अर्थयन्ते अभिलषन्तीत्येवंशीला धार्थिनस्तैः धर्मकरणशीलैदृढं स्थिरं स्यात्तथा इन्द्रियजये इन्द्रियवशकरणे यतितव्यं यत्नो विधेयः, इन्द्रियजयादेव धर्मप्राप्तेः । यतःजयो यद्बाहुबलिनि विभङ्गो दशकन्धरे । जिताजितानि राजेन्द्र ! ह्रषीकाण्यत्र कारणम् ।।४।।
गाथा : जह कागिणीइ हेडं, सहस्सं हारई नरो ।
तह तुच्छविसयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ।।५।। व्याख्या : यथेत्युदाहरणोपन्यासार्थः । काकिण्या रुपकाशीतितमभागरूपाया 'हेउंति
हेतोः कारणात्सहस्रं दशशतात्मकं कार्षापणानामिति गम्यते, हारयेन्नाशयेन्नरः पुरुषः । अत्रोदाहरणसंप्रदायः - एगो दमगो, तेण वित्तिं करेंतेण सहस्सं काहावणाण अज्जियं, सो तं गहाय
१. इंदिएहिं मुद्रिते । २. धम्मत्थीहिं मुद्रिते । ३. कोडि रयणाण हारए कोई K। - एको द्रमकस्तेन वृत्तिं कुर्वता सहस्रं कार्षापणानामर्जितं, स तद् गृहीत्वा सार्थेन समं स्वगृहं
प्रस्थितः, ततः भोजनादिनिमित्तं रुप्यकः काकिणीभ्यो भिन्नः, ततो दिने दिने काकिण्या भुते, तस्य चावशेषा एका
६७ इन्द्रियपराजयशतकम्
Page #140
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : કાષ્ટનો કીડો કાષ્ટને અસાર કરે છે, તેમ નહીં જિતાયેલી ઇન્દ્રિયો વડે
ચારિત્ર અસાર થાય છે, તેથી ધર્મના અર્થીઓ વડે ઇન્દ્રિય ઉપર વિજય
મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો ભાષાંતરઃ કાષ્ટનો કીડો જેમ કાષ્ટને અસાર-નિ:સાર કરે છે. તેમ નહિ જીતાયેલી -
પોતાના વશમાં નહિ કરાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર કે જે સિદ્ધિ નામના મહેલના શિખરને પ્રાપ્ત કરાવનારું છે તે ચારિત્ર, અસાર કરાય છે અર્થાત્ નિષ્ફળ કરાય છે. અને કહ્યું છે કે ગોવાળ જે પરની ગાયને પાળે છે અથવા ભંડપાલ જે બીજાના વાસણોનું રક્ષણ કરે છે, તો પણ જે પ્રમાણે તે દ્રવ્યનો માલિક થતો નથી, એ પ્રમાણે શ્રમણ ફક્ત ક્રિયાકલાપ કરે અને ઇન્દ્રિય ઉપર વિજય ન મેળવે તો શ્રમણપણાનો માલિક થતો નથી. તેથી ધર્મના અર્થીઓ વડે સમ્યકત્વશ્રત દેશવિરતિ, સર્વવિરતિ રૂપ ધર્મની માગણી કરાય છે, ઇચ્છા કરાય છે. તેઓ વડે અર્થાત્ ધર્મ કરવાના સ્વભાવવાળાઓ વડે સ્થિર જે પ્રમાણે થવાય તે પ્રમાણે ઇન્દ્રિય જયમાં - ઇન્દ્રિયને વશ કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઇન્દ્રિયના વિજયથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે... હે રાજેન્દ્ર ! જે બાહુબલીનો જય અને રાવણનો વિભંગ (થયો હતો, ત્યાં ઇન્દ્રિયોનો જય અને અજય કારણ હતો I૪.
ગાથાર્થ ? જેમ કાકિણી માટે હજાર કષુપણને માણસ હારે છે, તેમ તુચ્છવિષયમાં
આસક્ત જીવો સિદ્ધિ સુખને હારે છે. આપણે
ભાષાંતરઃ શ્લોકમાં નદયથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. રૂપિયાના
એંસીમા ભાગને કાકિણી કહે છે. કાકિણીને માટે એક હજાર કાર્દાપણોને માણસ હારે છે; શ્લોકમાં કાર્દાપણ આપેલ નથી, પણ તે અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે છે. એક ગરીબ માણસ હતો. આજીવિકાને મેળવતા તેના વડે એક હજાર કાર્દાપણ પ્રાપ્ત કરાઈ, તેણે તેને ગ્રહણ કરીને સાર્થની સાથે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. તેમાંથી ભોજનાદિ નિમિત્તે એક રૂપિયામાંથી કાકિણીઓ ખરીદી. ત્યાર બાદ દિવસે દિવસે કાકિણી વડે ભોજન
ઈન્દ્રિયપરાજયશતક
૧૭
Page #141
--------------------------------------------------------------------------
________________
सत्थेण समं सगिह पट्ठि ओ, तओ भोयणाइनिमित्तं रुवगो कागिणिहिं भिन्नो तओ दिणे दिणे कागिणीए भुंजइ, तस्स य अवसेसा एगा कागिणी, सा विस्सारिया, सत्थे पहाविए सो चिंतेइ ‘मा में रुवगो भिंदियव्वो होइ'त्ति नउलगं एगत्थ गोवेउं, कागिणीनिमित्तं नियत्तो, सावि कागिणी अन्नेण हडा सोवि नउलओ अन्नेण दिट्ठो ठविजंतो, सो तं घेत्तूण नट्ठो, पच्छा सो घरं गओ सोअइ । एस दिदंतोतथेति सादृश्ये, तुच्छविषयगृद्धाः तुच्छेष्वसारेषु विषयेषु शब्दादिषु पञ्चसु गृद्धा मूर्छिताः कामासक्ता इति यावत् । जीवाः सत्त्वाः सिद्धिसुखं = मुक्तिसौख्यं हारयन्ति निर्गमयन्ति । अयं भावः - काकिणीसदृशा मनुष्याणाममी विषया रत्नकोटिसमसिद्धिसुखानां पुरतः, ततस्तदर्थिभिः सिद्धिसुखानि हार्य्यन्त इति । क्वचित्तु “कोडिं रयणाण हारए कोई त्ति पाठस्तत्र रत्नानां कर्केतनादीनां कोटिं शंतलक्षरूपां कश्चिद्धारयेदिति ।।५।।
गाथा : तिलमित्तं विसयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं ।
भवकोडीहिं न निट्ठइ, जं जाणसु तं करिजासु ।।६।।
व्याख्या : तिलमात्रं अरण्यजप्रमाणं अतितुच्छमित्यर्थः । विषयसुखं शब्दादिविषयजन्यं
सुखम् । दुःखं च नरकादावसातानुभवरूपं गिरिराजशृङ्गतुङ्गतरं गिरिराजः
सुवर्णाचलस्तस्य यत् शृङ्गं शिखरं तद्वत्तुङ्गतरं अतिशयेनोच्चम् । १. समं गेहं ड । २. मा से ड। ३. इति भावः खडड ड ।
काकिणी, सा विस्मृता, सार्थे प्रधाविते स चिन्तयति ‘मा मे रूप्यकः भेत्तव्यो भवति' इति, नकुलकमेकत्र गोपयित्वा काकिणीनिमित्तं निवृत्तः, साऽपि काकिणी अन्येन हृता, सोऽपि नकुलकोऽन्येन दृष्टः स्थाप्यमानः, स तं गृहीत्वा नष्टः, पश्चात् स गृहं गतः शाचति, एष दृष्टान्तः । -उदाहरणमिदम्, उत्तराध्ययने 'जहा कागिणीए हेउ सहस्सं हारए नरो । अपत्थं अंबगं भोझा राया रजं तु हारए ।।७-११।। गाथायाः श्रीवादिवेतालशान्तिसूरिटीकातोऽक्षरशः उद्धृतं प्रतिभाति ।
६८
इन्द्रियपराजयशतकम्
Page #142
--------------------------------------------------------------------------
________________
કરે છે. તેમાં એક કામિણી બાકી રહી અને તે રસ્તામાં ભૂલી ગયો. સાર્થમાં આગળ વધતે છતે તેણે વિચાર્યું કે મારે (બીજો) રૂપિયો ભાંગવો પડશે. આથી કાર્દાપણની નળીને એક ઠેકાણે સંતાડીને કાકિણીને શોધવા ગયો. તે કાકિણી અન્ય વડે ચોરાઈ ગયેલી. અને (આ બાજુ) કાર્દાપણથી ભરેલ નળી પણ સંતાડતી વખતે અન્ય વડે જોવાઈ હતી, તે તેને ગ્રહણ કરી અને નાઠ્યો. પાછળથી તે ગરીબ ઘરે જઈને શોક કરે છે. આ દૃષ્ટાંત છે.* અહીં તથા, સાદશ્ય અર્થમાં છે. તેની સમાન તુચ્છ વિષયમાં આસક્ત - તુચ્છ અસાર શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્ત જીવો મુક્તિના સુખને હારે છે. ભાવાર્થ એ છે કે રત્નકોટી સમાન સિદ્ધિના સુખોની આગળ કાકિણી સમાન મનુષ્ય સંબંધી આ વિષયો છે. કાકિણી જેવા તુચ્છ વિષયોના અર્થીઓ વડે કાર્દાપણની કોથળી જેવા સિદ્ધિના સુખો હિરાય છે. ક્વચિત્ “ોડુિં રયTM દીરઢોર્ડ' આ પાઠ છે, ત્યાં કકતનાદિ જે સો લાખ રૂ૫ ક્રોડ કિંમતના છે, તે રત્નોને એક કાકિણી મેળવવા માટે હારે છે. એ પ્રમાણે અર્થ કરવો. પા.
ગાથાર્થ : તિલ માત્ર વિષય સુખના બદલામાં ગિરિરાજના અતિશય ઊંચા શિખર
સમાન દુઃખ ભવ કોડી વડે - ક્રોડો ભવો વડે નાશ પામતું નથી. - પૂર્ણ થતું
નથી. જે જાણે તે કર. કા. ભાષાંતરઃ શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થયેલ વિષય સુખ તિલ માત્ર એટલે
અરણ્યમાં ઉત્પન્ન થયેલ પ્રમાણવાળ અતિતુચ્છ છે. અને તેના બદલામાં નરકાદિમાં અશાતાને અનુભવવા સ્વરૂપ સુવર્ણાચલનું ઉચું જે શિખર તેની જેમ અતિશય મોટા દુ:ખો છે, જે ક્રોડ જન્મો વડે પણ નાશ પામતા નથી. અર્થાત્ દુ:ખ પૂર્ણ થતું નથી. અનેકાર્થ સંગ્રહ ૨-૧૦૮માં નિષ્ઠાના અનેક અર્થ બતાવેલ છે. જેમકે ઉત્કર્ષ વ્યવસ્થા,
ક્લેશ, નિષ્પત્તિ, નાશ, અંત, નિર્વાહ યાચન અને વ્રત. અહીં નિષ્ઠાનો “નાશ' અર્થ અભિપ્રેત છે. તેથી જે પ્રમાણે તને બોધ થાય,
* આ ઉદાહરણ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવે છે.
ઈન્દ્રિયપરાજયશતક
૯૮
Page #143
--------------------------------------------------------------------------
________________
भवकोटिभिर्जन्मकोटिभिरपि । 'न निट्ठइ' त्ति न निष्ठां नाशं याति न पूर्णीभवतीत्यर्थः । तथाचानेकार्थः - निष्ठोत्कर्षव्यवस्थयोः ।। क्लेशे निष्पत्तौ नाशेऽन्ते निर्वाहे याचने व्रते' [अनेकार्थसंग्रहे २-१०८] ततो यज्जानीषे यदुध्यसे तत्कुरुष्व उभयमप्यवलोक्य यदात्महितं तद्विधेहीति गुरूपदेशः, गुरवश्च यत्परिणामसुखमापातेऽप्रियं तत्प्ररूपयन्ति । यदुक्तम् - वैद्यो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । शरीरधर्मकोशेभ्यः, क्षिप्रंस परिहीयते ।१।।६।।
गाथा : भुंजंता महुरा विवागविरसा किंपागतुल्ला इमे ।
कच्छूकंडुअणं व दुक्खजणया दाविति बुद्धिं सुहे ।।७।।
व्याख्या : इमे प्रकरणात् सकलसंसारिजीवप्रत्यक्षाः कामाः ‘भुंजंता' इति भुज्यमाना
अनुभूयमाना मधुरा मृष्टा मुखे सुखकारिणो भवन्ति विपाके (च) तत्फलोदयावस्थायां विरसा वैरस्यभाजो विरागताजनका इत्यर्थः. । किम्पाकतुल्याः किम्पाकफलोपमा यथा किम्पाकफलानि भुज्यमानानि=
आस्वाद्यमानानि रसेन वर्णेन शब्दाद् गन्धादिना च मनोरमाण्यपि विपाके विरसताहेतवस्तथाऽमी कामा अपि । तथा कामाः कच्छूकण्डूयनानीव पामाकण्डूया इव दुःखजनकाः । सुखे बुद्धिं ‘दाविंति' त्ति दर्शयन्ति यथा *पामां कण्डूयमानो नखादिभिः दुःखं तदुपतप्तिरूपं मन्यते सौख्यं तथा मोहातुराः कामदुःखं सुखं ब्रुवते 'स्वतोषात्परस्मै कथयन्ति । 'दाविंतित्ति दृशेर्दावदंसदक्खवाः (सि० ८-४-३२) इति दृशेर्ण्यन्तस्य दावाऽऽदेशः ।।७।।
-
१. स्वातोषा. ड। * ताभ्यां वाऽऽप् डित् (सि० २-४-१५) सूत्रेण मत्रन्ताच्छब्दात् स्त्रियां डाप् वा भवति, अतः
पामन्वत् पामाशब्दोऽप्यस्ति ।
६९
इन्द्रियपराजयशतकम्
Page #144
--------------------------------------------------------------------------
________________
તે પ્રમાણે કર. વિષયથી થતા સુખ અને દુઃખ એ બંને બાજુઓને જોઈને જ્યાં આત્મહિત થાય તે કર. એ પ્રમાણે ગુરુનો ઉપદેશ છે. ગુરુઓ જે પરિણામે સુખ-રૂપ હોય અને દેખાવમાં કદાચ અપ્રિય પણ હોય, છતાં તેની પ્રરૂપણા કરે છે. વળી કહ્યું છે કે “વૈદ્ય, ગુરુ અને મંત્રી જે રાજાનું પ્રિય બોલનારા છે, તે રાજા શરીર, ધર્મ અને કોશથી જલદી હીન થાય છે. કા.
ગાથાર્થ ? આ (કામો) ભોગવતાં મધુર અને વિપાકે વિરસ છે. કિંપાક ફલની સમાન
છે. ખરજવાની ખણજની જેમ દુઃખને ઉત્પન્ન કરનારા છે, છતાં પણ સુખ
આપનારા છે એવી બુદ્ધિને પેદા કરે છે. ભાષાંતરઃ આ એટલે કે સકલ સંસારી જીવોને પ્રત્યક્ષ એવા વિષયો અનુભવ
કરતાં મીઠા લાગે છે અર્થાત્ મુખમાં સુખ કરનારા લાગે છે, પણ વિપાકમાં અર્થાત્ તેના ફલના ઉદયની અવસ્થામાં વિરસ હોય છે. વિરાગતાને ઉત્પન્ન કરનારા હોય છે અને વળી તે વિષયો કિંપાક ફલની સમાન છે. જે પ્રમાણે કિંપાક ફલો ભોગવતાં રસ વડે, વર્ણ વડે, શબ્દથી, અને ગંધાદિ વડે મનોરમ છે, પણ વિપાકમાં વિરસતાના હેતુ છે તે પ્રમાણે આ વિષયો પણ વિપાકમાં વિરસ છે, તથા વિષયો ખરજવાની ખણજના જેવા દુ:ખને ઉત્પન્ન કરનારા છે. સુખમાં બુદ્ધિ પેદા કરે છે, જેમકે ખરજવાને નખાદિ વડે ખણતો ઉપતતિ (સંતાપ) રૂપ દુ:ખને સુખ માને છે. તે પ્રમાણે મોહથી પીડાતા જીવો વિષયના દુ:ખને સુખ કહે છે અને પોતાને સંતોષનો અનુભવ થતો હોવાથી બીજાને પણ ભોગોના દુ:ખને સુખ છે એમ જણાવે છે. દશર્વાવલંgવા. (સિ. ૮-૪-૩૨)થી દશ ધાતુને “નિ' પ્રત્યય લાગી રાવ આદેશ થાય છે. છા
ઈન્દ્રિયપરાજયશતક
૧૯
Page #145
--------------------------------------------------------------------------
________________
गाथा : मज्झण्हे मियतिण्हिअव्व सययं मिच्छाभिसंधिप्पया ।
भुत्ता दिति कुजम्मजोणिगहणं भोगा महावेरिणो ।।८।।
व्याख्या : मध्याह्ने 'दिवसयौवने "मृगतृष्णेव मरुमरीचिकेव सततं-निरन्तरं भोगा इति
भुज्यन्त इति भोगाः शब्दादयो मिथ्याभिसन्धिप्रदाः मिथ्याभिसन्धिं मिथ्याभिप्रायमसद्बुद्धिं' प्रददतीति मिथ्याभिसन्धिप्रदाः । स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमिती, मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । श्रवन्मूत्रक्लिन्नं करिवरकरस्पर्द्धिजघनं, मुहुनिन्धं रूपं कुकविकुविकल्पैर्गुरुकृतम् ।।१।। [भर्तृ० वैराग्यशतक गाथा-२०] यथा मध्याह्ने मृगतृष्णा असती जलबुद्धिं जनयति तथाऽमी भोगा दुःखरूपा अपि सुखबुद्धिं जनयन्तीति भावः । तथा भोगा भुक्ताः सेविताः सन्तः कुजन्मयोनिग्रहणं कुत्सितं एकस्मिन् श्वासोच्छ्वासे साधिकसप्तदशवारजननमरणरूपं जन्मोत्पत्तिर्यासु, एवंविधा योनयो भूजलादिरूपोत्पत्तिस्थानानि, तासां ग्रहणं स्वीकारस्तद्ददति । कुजन्मयोनिगहनं कुजन्मयोनिकान्तारमिति वा व्याख्येयं, कामाऽऽसक्तो जन्तुविविधयोनिषूत्पद्यत इत्यर्थः । अत एव महावैरिण इव महावैरिणः यथा महावैरिणो दुःखं जनयन्ति, तथाऽमी भोगाः कुयोनिजननद्वारा दुःखीकुवन्तीति भावः ।।८।।
गाथा : सक्का अग्गी निवारेउं, वारिणा जलिओवि हु' ।
सव्वोदहिजलेणावि, कामग्गी दुनिवारिओ ।।९।। १. दिनयौवने डड, । २.० मसत्तद्बुद्धि डड डड, ३. वारिणो जलओ मुद्रिते । ४. दुनिवारओ मुद्रिते । * स्वार्थकप्रत्ययान्तस्य मृगतृष्णिकाशब्दस्य मृगतृष्णाशब्दत एव निष्पत्तेः द्वावपि शब्दौ सिद्धावेव ।
७०
इन्द्रियपराजयशतकम्
Page #146
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : મધ્યાહ્નમાં મૃગતૃષ્ણા જેવા ભોગો સતત મિથ્યાત્વના જોડાણને કરનાર છે અને ભોગવાતા ભોગો ખરાબજન્મરૂપ યોનિ ગ્રહણ કરાવે છે. આ પ્રમાણે ભોગો મહાવૈરી છે. ૮।।
ભાષાંતર: સતત એટલે નિરંતર અને ભોગવાય તે ભોગ. મધ્યાહ્ન એટલે દિવસના યૌવન સમયે મૃગતૃષ્ણા એટલે ઝાંઝવાના નીરની જેમ શબ્દાદિ ભોગો મિથ્યા અભિપ્રાયને આપે છે અર્થાત્ અસત્ બુદ્ધિને પેદા કરે છે. અર્થાત્ મધ્યાહ્ન સમયે મરુદેશમાં દેખાતા ઝાંઝવાના નીર અસત્ છે, તેમ સતત ભોગવાતા શબ્દાદિ ભોગો અસત્ છે અને ઝાંઝવાના નીરની જેમ મિથ્યા અભિપ્રાયને પેદા કરે છે, તેમ ભોગો પણ મિથ્યા અભિપ્રાય ને પેદા કરે છે. કયા મિથ્યા અભિપ્રાયોને પેદા કરે છે ? તે કહે છે -
ભર્તૃહ૨ી વૈરાગ્યશતક ગાથા-૨૦ માં કહેલ છે કે કનકના કળશની ઉપમા અપાય એવા બે સ્તનો આખરે માંસના લોચા છે. ચંદ્રની સાથે સરખાવાતું મુખ એ શ્લેષ્મનું ઘર છે. કુકુવિના કુવિકલ્પો વડે મોટું ગણાવાયેલું લિંગ (પુરુષ ચિહ્ન) આખરે ઝરતા એવા મૂત્રથી ભીનું, હાથીના સૂંઢની સ્પર્ધા કરતું, વારંવાર નિંદા કરવા યોગ્ય રૂપવાળું છે. જે પ્રમાણે મધ્યાહ્નમાં ઝાંઝવાનું નીર અસત્ જલબુદ્ધિને ઉત્પન્ન કરે છે, તેમ દુ:ખ રૂપ ભોગો પણ સુખની બુદ્ધિને ઉત્પન્ન કરે છે, તથા સેવાતા ભોગો કુત્સિત જન્મની યોનિના ગ્રહણને આપે છે. તે કયા જન્મોને આપે છે ? તેના જવાબમાં કહે છે કે - એક શ્વાસોચ્છ્વાસમાં સત્તર વારથી અધિક જન્મમરણ રૂપ ઉત્પત્તિ જેમાં છે, તેવી પૃથ્વી જલાદિ રૂપ ઉત્પત્તિ સ્થાનોને ગ્રહણ કરાવી આપે છે. અથવા કુજન્મયોનિગહન અર્થાત્ કુજન્મ રૂપ યોનિ સ્વરૂપ કાન્તાર જંગલને આપે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરવી જોઈએ.
કામમાં આસક્ત જીવ વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે. આથી કામોનેભોગોને કુજન્મ યોનિના આપનારા કહેલ છે. આથી જ તે ભોગો મહાવૈરી છે. જે પ્રમાણે મહાવૈરી દુ:ખને ઉત્પન્ન કરે છે, તે પ્રમાણે આ ભોગો કુયોનિમાં ઉત્પન્ન કરવા દ્વારા દુઃખી કરે છે. ૮॥
ગાથાર્થ : સળગેલો પણ અગ્નિ પાણી વડે નિવારવા માટે - શાંત કરવા માટે શક્ય છે. (પરંતુ) કામ રૂપી અગ્નિ સર્વ સમુદ્રોના પાણી વડે પણ બુઝાવી શકાય તેમ નથી. Ile
ઈન્દ્રિયપરાજયશતક ७०
Page #147
--------------------------------------------------------------------------
________________
व्याख्या : हुनिश्चये ज्वलितोऽपि घृतमधुसेकादुद्दीपितोऽप्यग्निर्विभावसुर्वारिणा जलेन
निवारयितुं शमयितुं शक्यः । परमयं कामाग्निर्वामधूभूविक्षेपाधुद्दीपितः सर्बोदधिजलेनापि समग्रपारावारवारापि दुनियों न शाम्यति अग्नित्वसाम्यादेवं वचनोपन्यासोऽन्यथा सर्वोदधिवारिणापि दुनिर्वार्य
इत्येतदनुचितमेव कथनम् ।।९।। गाथा : विसमिव मुहंमि महुरा, परिणामनिकामदारुणा विसया ।
कालमणंतं भुत्ता, अज्जवि मुत्तुं न किं जुत्ता ।।१०।। व्याख्या : रे आत्मन् ! अमी विषया विषमिव क्ष्वेड इव मुखे आपाते मधुरा मृष्टाः ।
परं 'परिणामनिकामदारुणाः' परिणामे तद्विपाककाले निकाममतिशयेन दारुणा रौद्राः, क्षेत्रजाऽन्योन्यकृतायुधज-परमाधार्मिकजनितनरकदुःखजनकत्वेन रौद्रता तेषाम्, यथा विषं मुखे प्रथमं रसनायोगे माधुर्यं दर्शयति, परं विपाके दुःखजनकम्, तथाऽमी अपि कमप्युपदेशविषयीकृतं पुरुषमुपदिशति - रे भव्य ! देवानुप्रिय ! अनन्तमपर्यन्तकालं भुक्ता अपि अमी विषया अद्यापि मोक्तुं 'किं' क्षेपे क्षेपो निन्दा न युक्ता=न घटन्ते । अयमर्थोऽनन्तकालं भुक्ता अपि विषयास्तृप्तिं न चक्रुस्तर्हि अल्पकालमासेव्यमाना मानुषे भवे कां तृप्तिं जनयिष्यन्ति ततस्त्याज्या एवेत्युपदेशः ।।१०।।।
गाथा : विसयरसासवमत्तो, जुत्ताजुत्तं न याणइ जीवो ।
झूरइ कलुणं पच्छा, पत्तो नरयं महाघोरं ।।११।। व्याख्या : अयं जीवो विषयरस एव आसवो मैरेयस्तेन मत्तो विकलतामाप्तो युक्ताऽयुक्तं
सदसद्रूपं न जानाति न परिच्छिनत्ति यथाऽऽसवपानेन' पारवश्यमाप्तो न सदसती विचारयति तथाऽयमपि विषयासक्त इति । पश्चान्मरणानन्तरं महाघोरमतिरौद्रं नरकं प्राप्तः । करुणं विवेकिनां कृपाकारणं दीनवाक्यं यथा स्यात्तथा । 'झूरइ' त्ति स्मरति, 'किमिति मया मनुष्यभवे लब्ध्वा धर्मसामग्री विषयासक्तिर्विहिता येन दुःखितोऽन्वहं तिष्ठामि' इति स्मरणम् । कलुणमिति
"हरिद्रादौ लः” (सि० ८-१-२५४) ।।११।। १. यथा मदपानेन ड। RRRRRRRRRRRRRRRRRRRREk ७१ इन्द्रियपराजयशतकम्
Page #148
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ “હુ' નિશ્ચય અર્થમાં છે. સળગેલો પણ અર્થાત્ ઘી-મધુના સિંચનથી ઉદ્દીપ્ત
થયેલો પણ અગ્નિ પાણી વડે શાંત પાડવા માટે શક્ય છે, પરંતુ સ્ત્રીના ભ્રમરના કટાક્ષથી ઉદ્દીપ્ત થયેલો આ કામાગ્નિ સમગ્ર સમુદ્રના પાણી વડે પણ શાંત થતો નથી. અહીં કામનું અગ્નિની સાથે સામ્ય છે આથી આવા વચનનો ઉપન્યાસ કર્યો છે. અન્યથા સમગ્ર સમુદ્રના પાણી વડે દુર્નિવારિત
છે, તે કથન અનુચિત થાત. લા. ગાથાર્થ : વિષ જેવા વિષયો મુખમાં (શરૂઆતમાં) મધુર છે. (પરંત) પરિણામે
અતિશય દારુણ છે. અનંતકાલ ભોગવેલા પણ તૃપ્તિ આપતા નથી, તો શું
આજે પણ મૂકવા યોગ્ય નથી ? ૧oll ભાષાંતરઃ હે આત્મા ! આ વિષયો કે જે વિષ જેવા છે તે મુખમાં એટલે કે દેખાવમાં
મધુર છે, પરંતુ પરિણામે - તેના વિપાકના કાલે અતિશય દારુણ-રૌદ્ર છે. ક્ષેત્રથી ઉત્પન્ન થયેલ, પરસ્પર કરાયેલ, શસ્ત્રોથી ઉત્પન્ન થયેલ અને પરમાધામીથી ઉત્પન્ન કરાયેલ, જે નરકમાં દુ:ખ છે, તે દુ:ખ ઉત્પન્ન થવાનું કારણ વિષયહોવાથી તે ભયંકર છે, જે પ્રમાણે વિષ, મુખમાં જીભનો સંયોગ થયે છતે મુધરતા બતાવે છે, પરંતુ વિપાકે દુ:ખને ઉત્પન્ન કરે છે. તે પ્રમાણે આ વિષયો પણ જાણવા. કોઈપણ પુરૂષને ઉપદેશનો વિષય કરીને ઉપદેશ આપે છે કે હે ભવ્ય ! હે દેવાનુપ્રિય ! અનંતકાલ ભોગવીને પણ આ વિષયો આજે પણ મૂકવા માટે શું યોગ્ય નથી?અહીં શ્લોકમાં ‘વિક્ર' નો પ્રયોગ નિંદા અર્થમાં છે અર્થાત્ અનંતકાલ સુધી ભોગવેલા પણ વિષયોએ જો તૃપ્તિને ન કરી, તો અલ્પકાલ મનુષ્ય ભવમાં સેવાતા વિષયો
શું તૃપ્તિને ઉત્પન્ન કરશે ? અર્થાત્ નહીં કરે આથી ત્યાજ્ય છે. ૧૦ ગાથાર્થ : વિષયરસ રૂપી દારૂથી મત્ત જીવ યોગ્ય-અયોગ્યને જાણતો નથી. પાછળથી
મહાભયંકર નરકને પ્રાપ્ત કરે છે. અને (વિવેકા) કરુણતા પૂર્વક
(મનુષ્યભવમાં મળેલી ધર્મસામગ્રીને) યાદ કરે છે. ભાષાંતરઃ આ જીવ વિષયરસ કે જે દારૂ (આસવ) છે, તેનાથી મત્ત થયેલો
ગાંડપણને પામેલો યુક્ત-અયુક્ત અસતુને જાણતો નથી. જે પ્રમાણે દારૂના પાન વડે પરવશતાને પામેલો સદ્અસને વિચારતો નથી. તે પ્રમાણે વિષયાસક્ત પણ સ-અસનો વિચાર કરતો નથી. પાછળથી મરણ પછી અતિરૌદ્ર નરકને પ્રાપ્ત કરે છે. જીવ સ્મરણ કરે છે કે મારા વડે મનુષ્યભવમાં ધર્મસામગ્રી ને પ્રાપ્ત કરીને વિષયાસક્તિ કરાઈ જેથી હંમેશાં દુખી થયેલો રહું છું દીનવાક્યને તેવી રીતે બોલે છે, જે કારણે વિવેકીઓને કૃપાનું કારણ બને છે. હરિદ્રાનો સ્ત્ર: (સિ. ૮-૧-૨૫૪) સૂત્રથી રનો ૪ થવાથી ‘હુ' એ પ્રમાણે બનેલ છે. [૧૧]
ઈન્દ્રિયપરાજયશતક
૭૧
Page #149
--------------------------------------------------------------------------
________________
गाथा : जह निंबडुमुप्पण्णो', कीडो कडुअंपि मन्त्रए महुरं ।
तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं बिंति ।।१२।।
व्याख्या : यथा निम्बुद्रुमोत्पन्नः निम्बद्रुमोऽरिष्टवृक्षस्तस्मादुत्पन्नो जातः । कीट:
क्षुद्रजन्तुः । कटुकमपि ओषणमपि रसम् । मधुरं गुल्यम् । मन्यते मनुते आलोचयत इत्यर्थः । तथेति सादृश्ये । सिद्धिसुखपरोक्षाः सिद्धिसुखं मुक्तिसौख्यं परोक्षमप्रत्यक्षं येषां ते सिद्धिसुखपरोक्षाः सिद्धिसुखानिच्छव इत्यर्थः । संसारदुःखं धनोपार्जनादिरूपम् । सुखमिति ‘बिंति'त्ति ब्रुवन्ति कथयन्ति परेषां पुरत इति । यतः - अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
आये दुःखं व्यये दुःखं धिगर्थं दुःखसाधनम् ।।१२।।। ] गाथा : अथिराण चंचलाण य खिणमित्तसुहंकराण पावाणं ।
दुग्गइनिबंधणाणं विरमसु एयाण भोगाणं ।।१३।। व्याख्या : रे आत्मन् ! ‘एयाण भोगाणं ति पञ्चम्यर्थे षष्ठी, “क्वचिद् द्वितीयादेः” इति
द्वितीयादीनां विभक्तीनां स्थाने षष्ठी भवति, 'चौरस्स बीहइ = चोराद्विभेतीत्यर्थः' इतिवत्, एतेभ्यो भोगेभ्यस्त्वं विरम निवर्तस्व । अथ निवर्त्तनोपदेशदाने कारणमाह- किं भूतेभ्यो भोगेभ्यः ? अस्थिरेभ्योऽचिरस्थायिभ्यस्तथा चञ्चलेभ्यश्चटुलेभ्य एकार्थिकाविमावतिशयद्योतनार्थी अतिशयेन चञ्चलेभ्य इत्यर्थः । तथा क्षणमात्रं क्षणं यावत् सुखकरान् प्रियंकरान् प्राकृतत्वादलाक्षणिको मुमागमः, तथा पापेभ्य; पापरूपेभ्य; अनिष्टरूपेभ्य इत्यर्थः, तथा दुर्गतिनिबन्धनेभ्यो नरकादिदुर्गतिकारणेभ्यश्चञ्चलत्वं क्षणसुखकारित्वं पापत्वं दुर्गतिकारणत्वं च भोगानां विरमणे हेतुरिति ।।१३।।
१. निंबदुमु० मुद्रिते ।
७२
इन्द्रियपराजयशतकम्
Page #150
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : જે પ્રમાણે લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કીડો, કડવા પણ રસને
મધુર માને છે. તે પ્રમાણે સિદ્ધિ સુખથી પરોક્ષ જીવ સંસારના દુઃખને
સુખ કહે છે. II૧૨ા. ભાષાંતરઃ જે પ્રમાણે લીમડાના વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ કીડો (સુદ્રદુંતુ) કડવા પણ
રસને મધુર માને છે – વિચારે છે. તથા સદશ્ય અર્થમાં છે. તે પ્રમાણે મુક્તિનું સુખ પરોક્ષ-અપ્રત્યક્ષ છે જેઓને, એવા તે જીવો મુક્તિના સુખને નહીં ઇચ્છતા ધન ઉપાર્જનાદિ સ્વરૂપ સંસારના દુ:ખને પણ બીજાઓની આગળ સુખ કહે છે. જેથી કહ્યું છે કે - ધનની પ્રાપ્તિમાં દુ:ખ, મેળવેલાનું રક્ષણ કરવામાં દુઃખ, લાભમાં દુઃખ, વ્યયમાં દુઃખ (આમ) દુ:ખના સાધન એવા અર્થને ધિક્કાર છે. II૧રો
ગાથાર્થ : અસ્થિર, ચંચલ, ક્ષણમાત્ર સુખને કરનારા, પાપસ્વરૂપ, દુર્ગતિના કારણ
એવા આ ભોગોથી વિરામ પામ. I૧૭ll
ભાષાંતર: હે આત્મા!“આ ભોગોથી' ત્યાં પંચમીના અર્થમાં ષષ્ઠી થઈ છે. ‘વદ્
દ્વિતીયા ' સૂત્રથી ક્યારે દ્વિતીયાદિ વિભક્તિને સ્થાને ષષ્ઠી થાય છે, જેમકે વીરસ્ય વીદ = ચોરથી ગભરાય છે. આ પ્રમાણે ફેરફાર થાય છે. તે આત્મા આ ભોગોથી તે વિરામ પામ-પાછો ફર. હવે પાછા ફરવાનો ઉપદેશ આપવામાં કારણ બતાવે છે. ભોગો કેવા પ્રકારના છે ? આ ભોગો લાંબો સમય રહેનાર નથી એટલે અસ્થિર છે. ચંચલ છે અર્થાત્ ચટુલ છે. અસ્થિર અને ચંચલ એ બે શબ્દો એક જ અર્થને સૂચન કરનારા છે, એટલે એક અર્થવાળા શબ્દનો બે વાર ઉપયોગ કરેલ છે. તે ભોગો અતિશય ચંચળ છે તે જણાવવા માટે છે. તથા ક્ષણ માત્ર સુખ કરનારા છે. એટલે પ્રિય કરનારા છે. અહીં પ્રાકૃત હોવાથી મ નો આગમ અલાક્ષણિક છે, તથા પાપ રૂપ - અનિષ્ટ રૂપ છે અર્થાત્ એનું કોઈ કાર્ય નથી. એ ભોગો નરકાદિ દુર્ગતિના કારણ છે અહીં ચંચલપણું, ક્ષણસુખકારીપણું, પાપપણું, દુર્ગતિકારણપણું એ ભોગોના વિરમણમાં હેતુ છે. ૧૩
ઈન્દ્રિયપરાજયશતક
૭૨
Page #151
--------------------------------------------------------------------------
________________
गाथा : पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तह य मणुएसुं ।
नय तुज्झ जीव ! तित्ती, जलणस्स व कट्ठनियरेण ।।१४।।
व्याख्या : रे जीव ! त्वया सुरेषु वैमानिकदेवेषु तथा असुरेषु पातालवासिषु दशसु
भवनपतिषु देवेषु । तथैव चोऽवधारणे । मनुष्येषु कामभोगाः काम्यन्त इति कामाः शब्दादयस्त एव भोगाः कामभोगाः, यद्वा कामाः शब्दरूपाणि भोगाः गन्धरसस्पर्शाः पश्चाद् द्वन्द्वः, कामभोगाः प्राप्ताः लब्धाः, चः पादपूरणे, परं तृप्तिर्वाञ्छानिवृत्तिर्न च जाता, यतः - अन्नेषु जीवितव्येषु, भोगेषु च धनेषु च । अतृप्ता जन्तवः सर्वे, याता यास्यन्ति यान्ति च ।।१।।[ ] केन ? कस्येव ? काष्ठनिकरेण दारुसमूहेन, ज्वलनस्येवाऽग्नेरिव, यथा काष्ठवृन्देन नाग्निः शाम्यति । यतः - नाग्निस्तृप्यति काष्ठानां नापगानां महोदधिः ।। नान्तकः सर्वभूतानां न पुसां वामलोचना ।।२।।१४।।
[भर्तृ० सुभाषितसंग्रह
गाथा : जहा य किंपाकफला, मणोरमारसेण वण्णेणय भुंजमाणा।
तेखुट्टए जीविअ पञ्चमाणा, एओवमा कामगुणाविवागे।।१५।।
व्याख्या : यथा च यथैव । किम्पाकफलानि, अपेर्गम्यमानत्वात् मनोरमाण्यपि रसेन
वर्णेन, च शब्दाद् गन्धादिना च भुज्यमानानि । तानि लोकप्रतीतानि । 'खुट्टईत्ति आर्षत्वात् क्षोदयन्ति विनाशयन्ति । जीवितं पच्यमानानि विपाकावस्थाप्राप्तान्येतदुपमाः कामगुणा विपाके विपाकदारुणतासाम्येन तत्तुल्या इति ।।१५।।
-
१. खुड्डए मुद्रिते । २. एसोवमा मुद्रिते । * तृप्यति-तृप्तिमनुभवति = अग्निः काष्ठानां तृप्तिं नानुभवति, अर्थात् काष्ठेर्न तृप्यति इति ।
७३
इन्द्रियपराजयशतकम्
Page #152
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
:
હે જીવ તારા વડે વૈમાનિક દેવલોકમાં ભવનપતિમાં તેમજ મનુષ્યલોકમાં કામ,ભોગો પ્રાપ્ત કરાયા છે. (પણ તૃપ્તિ થઈ નથી) (જેમકે) લાકડાના સમૂહ વડે અગ્નિને તૃપ્તિ થતી નથી. (અર્થાત્ લાકડાના સમૂહ વડે અગ્નિ શાંત પડતો નથી, પણ વધે છે.) ૧૪
ભાષાંતર: હે જીવ ! તારા વડે વૈમાનિક દેવલોકમાં તથા પાતાલવાસી ભવનપતિ દેવલોકમાં અને મનુષ્યજન્મમાં કામભોગો પ્રાપ્ત કરાયા છે અને પરંતુ તૃપ્તિ થઈ નથી અર્થાત્ ઇચ્છાનો નિરોધ થયો નથી જે જીવોને તૃપ્તિ એટલે ઇચ્છાનો નિરોધ થતો નથી અહીં ‘તય'માં 7 છે તે અવધા૨ણ અર્થમાં છે. જેની ઇચ્છા કરાય તે કામ અને શબ્દાદિ તે ભોગો, અથવા શબ્દ અને રૂપ એ કામ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ભોગ છે. એ બંનેનો દ્વન્દ્વ સમાસ છે એટલે કામ અને ભોગ. શ્લોકમાં ૬ પાદપૂરણ માટે છે. તેવા જીવો માટે કહ્યું છે કે - અન્નને વિષે, જીવનને વિષે, ભોગને વિષે, ધનને વિષે તૃપ્ત નહિ થયેલા જીવો સર્વ જગ્યાએ ગયા છે, જશે અને જાય છે.
જીવને કામભોગો શાંત થતા નથી કોના વડે અને કોની જેમ ?તે ઉપમા દ્વારા બતાવે છે.લાકડાના સમૂહ વડે અગ્નિ જેમ શાંત થતો નથી.તેમ જીવના કામ અને ભોગો શાંત થતા નથી. (પણ ઉલટાના વધે છે. વાંછા વધે છે) ભર્તૃહરી સુભાષિત સંગ્રહમાં કહ્યું છે કે લાકડાઓ વડે અગ્નિ તૃપ્ત થતો નથી. નદીઓ - વડે સાગર તૃપ્ત થતો નથી. યમદેવ સર્વ પ્રાણીઓ વડે તૃપ્ત થતો નથી. પુરૂષો વડે સ્ત્રી તૃપ્ત થતી નથી. ।।૧૪।
:
ગાથાર્થ જે પ્રમાણે રસ વડે અને વર્ણ વડે મનોરમ પણ કિંપાકના ફળો ખાનારના જીવિતનો નાશ કરે છે (તે પ્રમાણે) વિપાક સ્થાનને પ્રાપ્ત કરેલા કામગુણો વિપાકમાં કિંપાકફળ સમાન છે. ।।૧૫।।
ભાષાંતર: યથા - જે પ્રમાણે અને 7 એ વ અર્થમાં છે. શ્લોકમાં મોરમા સાથે અપિ નો પ્રયોગ ન હોવા છતાં તે અધ્યાહારથી ગ્રહણ કરવાનો છે. આથી ૨સ વડે, વર્ણ વડે અને ય શબ્દથી ગંધ વડે ભોગવાતા મનોરમ પણ કિંપાકના ફળો જીવિતનો નાશ કરે છે. અહીં ‘છુટ્ટ’ એ આર્ષ પ્રયોગ હોવાથી નાશ કરે છે એમ અર્થ છે. તેવી રીતે વિપાક સ્થાનને પ્રાપ્ત કરાયેલા કામગુણો વિપાકમાં કિંપાક ફલની ઉપમાવાળા છે અર્થાત્ કિંપાક ફળ અને કામગુણોનું ફળ ભયંકરતાની વિપાક દારુણતાની સામ્યતાએ તુલ્ય છે એટલે કે બંનેનો વિપાક દારુણ છે ॥૧૫॥
ઈન્દ્રિયપરાજયશતક ૭૩
Page #153
--------------------------------------------------------------------------
________________
गाथा : सव्वं विलविअंगीअं, सव्वं नर्से विडंबियं ।
सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ।।१६।। व्याख्या : सर्वं विलपितं विलपितप्रायं निरर्थकतया गीतम्, मत्तबालकगीतवत् । सर्वं
नृत्यं विडम्बितं विडम्बनाप्रायम्, यक्षाधिष्ठपीतमद्याद्यङ्गविक्षेपवत्" सर्वाण्याभरणानि भारास्तत्त्वतो भाररूपत्वात्तेषाम्, तथाहि-कस्यचित् श्रेष्ठिपुत्रस्य भार्या प्रणयवत्यासीत्, साऽन्यदा निजश्वश्चा शिलापुत्रकं गृहमध्यादानायिता, तयोक्तं न शक्नोम्यहमेनमतिभारकमानेतुम्, ततस्तद्भर्त्ता तच्छ्रुत्वा 'अहो एतस्याः शरीरव्यायामरक्षणायालीकवनोत्तरदानम्, तच्छिक्षयाम्येनाम्, इति विचिन्त्य, ‘मठयित्वाऽसौ शिलापुत्रकः सुवर्णेन समर्पितस्तस्याः, तया च कण्ठाभरणीकृतः । अन्यस्मिन्नहनि स्मारितं तद्वचस्तेनेषत् स्मित्वा तस्याः । विलक्षीभूताऽसाविति । तथा सर्वे कामा दुःखावहा मृगादीनामिवायतौ दुःखहेतुत्वान्नरकहेतुत्वाञ्चेति ।।१६।।
गाथा : देविंदचक्कवट्टित्तणाइ, रज्जाइ उत्तमा भोगा ।
पत्ता अणंतखुत्तो, न य हुं तत्तिं गओ तेहिं ।।१७।। व्याख्या : रे जीव ! त्वया 'देवेन्द्रचक्रवर्तित्वे राज्यानि, चस्य गम्यमानत्वाद्,
उत्तमाः प्रधाना भोगाश्च अनन्तकृत्वोऽनन्तवारान् प्राप्ताः । प्रकरणात् देवत्वे मनुष्यत्वे च, देवत्वमनुष्यत्वयोर्जातेरनन्तवारान् प्राप्तेर्घटनाद्रो
गानामप्यनन्तकृत्वः प्राप्तिर्घटत एव यतः१. निक्षेपवत् ख । २ वष्टोत्तर खडड ड, । ३. हं मुद्रिते । ४. देवेन्द्रत्वे चक्रवर्तित्वे च राज्यादि
- आदिशब्दाद्विषयसुखानि विभक्तिविपरिणामात् । प्राप्तं-लब्धम्, तथा चस्य... ड, । * विक्षेपः = धमपछाड, लथडीया इति भाषायाम् । + मठयित्वा = मठारीने इति भाषायाम् ।
७४ इन्द्रियपराजयशतकम्
Page #154
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : સર્વ ગીત વિલાપ સમાન છે. સર્વ નૃત્ય વિડંબના પ્રાય છે. સર્વે આભૂષણો ભાર સમાન છે. સર્વે કામો દુઃખને વહન કરનારા છે. ૧૯૫
ભાષાંતર: સર્વ ગીત નિરર્થક હોવાથી વિલાપ જેવા છે એટલે કે મત્ત બાલકના ગીત જેવા નિરર્થક છે. સર્વ નૃત્ય વિડંબના પ્રાય છે, જેમ યક્ષથી અધિષ્ઠિત અને દારૂ આદિ માદક દ્રવ્ય પીધેલાના અંગના ધમપછાડા વિડંબના પ્રાય છે, તેમ સર્વ નૃત્ય વિંડબના પ્રાય છે. સર્વ આભૂષણો ભાર સમાન છે, તે આ પ્રમાણે—
કોઈક શ્રેષ્ઠિપુત્રને ભાર્યા પ્રિય હતી, તેણી એક વાર પોતાની સાસુ વડે ઘરના મધ્યમાંથી ખલ વાટવાના પત્થરને લાવવા માટે બોલાવાઈ, તેણી વડે કહેવાયું કે અતિભા૨વાળા તે પત્થરને લાવવા માટે હું સમર્થ નથી, તેથી તેના પતિએ તે સાંભળીને (વિચાર્યું કે) અરે ! આને શરીરના વ્યાયામના રક્ષણ માટે એટલે શરીરને તકલીફ ન પડે તે માટે ખોટો અને વક્ર ઉત્તર આપ્યો છે, તેથી તેણીને શિક્ષા કરું એ પ્રમાણે વિચારીને ખલ વાટવાના પત્થરને સુવર્ણ વડે મઠારીને તેણીને આપ્યું અને તેણી વડે તે કંઠનું આભરણ કરાવ્યું. એક દિવસે તે શ્રેષ્ઠિપુત્ર વડે સ્મિત કરીને તેણીના તે વચનને યાદ કરાવ્યું. તે વિલખી પડી ગઈ. આ પ્રમાણે સર્વે કામો દુ:ખને વહન કરનારા છે અર્થાત્ દુઃખને આપનારા છે. મૃગાદિની જેમ આગામી કાળે દુઃખના હેતુ હોવાથી અને નરકના હેતુ હોવાથી દુ:ખને વહન કરનારા છે. જેમ મૃગ ગીતમાં આસક્ત થાય છે તો બંધન રૂપ દુ:ખ પામે છે. તેમ કામમાં આસક્ત જીવ દુઃખ પામે છે. II૧૬॥
ગાથાર્થ : દેવેન્દ્રપણામાં ચક્રવર્તિપણામાં રાજ્યો અને ઉત્તમ ભોગો અનંત વાર પ્રાપ્ત કરાયા (પણ) તે ભોગો વડે તૃપ્તિ પ્રાપ્ત ન થઈ. ।।૧૭।।
ભાષાંતર: હે જીવ ! તારા વડે દેવેન્દ્રપણામાં અને ચક્રવર્તીપણામાં રાજ્યો અને ઉત્તમ-પ્રધાન ભોગો અનંત વાર પ્રાપ્ત કરાયા છે. શ્લોકમાં ૬ ન હોવા છતાં અધ્યાહારથી ગ્રહણ કરવાનો છે એટલે રાજ્ય અને ઉત્તમ ભોગો એમ અર્થ કરેલ છે. પ્રકરણથી દેવપણામાં અને મનુષ્યપણામાં બંનેમાં લેવાનું છે. દેવપણાની અને મનુષ્યપણાની જાતિની અનંતી વા૨ પ્રાપ્તિ ઘટતી હોવ'થી ભોગો પણ અનંત વાર પ્રાપ્ત કરાયેલા છે, તે ઘટે છે. કહ્યું છે કે- દે વપણું, ચક્રવર્તિપણું, તીર્થંકરપણું અને અણગારપણાના
ઈન્દ્રિયપરાજયશતક ૭૪
Page #155
--------------------------------------------------------------------------
________________
“देविंदचक्वट्टि-तणाइ मोत्तूण तित्थकरभाव । अणगारभाविया विय, सेसा य अणंतसो पत्ता" ।। [ ] इति । हुं इति पृच्छायां त्वं पृच्छ्यस इत्यर्थः, न च तैः राज्यैः भोगैश्च तृप्ति गतः प्राप्तः । “हुं दानपृच्छानिवारणे" (सि०८-२-१९७) इति, दाने हुं गेण्ह अप्पणो चिय' । पृच्छायां हुं साहसु सब्भावं । निवारणे 'हुं निल्लज्ज ! समोसर' इति ।।१७।।
गाथा : संसारचक्कवाले, सव्वे वि य पुग्गला मए बहुसो ।
आहारिआ य परिणा-मिआ य न य तेसु तित्तोहं ।।१८।। व्याख्या : संसारचक्रवाले = भवचक्रे, मया नानायोनिषु पर्यटता, सर्वेऽपि, चः
समुञ्चये, बहुशो = बहून् वारान्, पुद्गला = पूरणगलनधर्माणः, पुद्गला घृतादयः, आहारिता* = भुक्ताः परिणामिताश्च खलरसभावेन प्रापिताश्च । न तेषु घृतादिपुद्गलेषु तृप्तोऽहम् । यतः - हिमवंतमलयमंदरदीवोदहिधरणिसरिसरासीओ । अहियरो आहारो छुहिएणाहारिओ हुजा ।।१।। जनेण जलं पीअं घम्माऽऽयवजगडिएण तं पि इहं । सब्वेसु वि अगडतलायनइसमुद्देसु न वि हुज्जा ।।२।। पीअंथणयरच्छीरं सागरसलिलाओ बहुअरं हुज्जा । संसारंमि अणंते माऊणं अन्नमत्राणमिति ।।३।।१८।। ]
गाथा : उवलेहो होइ भोगेसु, अभोगी नोवलिप्पइ ।
भोगी भमइ संसारे, अभोगी विप्पमुई ।।१९।। व्याख्या : ‘भोगेसु' त्ति तृतीयायाः स्थाने सप्तमी, भोगैरात्मनः कर्मभिरुपलेप =
____ आश्लेषो भवति, आत्मा भोगैः कृत्वा कर्मसम्बद्धो भवतीत्यर्थः । १. राज्यादिप्रधानभोगैश्च ड़, । २. आहरिया मुद्रिते । ३. तत्तोहं मुद्रिते । ४. घणय० डड, । * नैकेषु स्थलेषु स्वार्थे णिदृश्यते, तदुदाहरणमेवैतत् ।
७५ इन्द्रियपराजयशतकम्
Page #156
--------------------------------------------------------------------------
________________
ભાવમાં તીર્થંકર ભાવને મૂકીને બાકીના ભાવો અનંતી વાર પ્રાપ્ત કરાયા છે. હું એ અવ્યય પૃચ્છા અર્થમાં છે એટલે તું પૂછાય છે કે તે રાજ્ય અને ભોગો વડે, તું તૃપ્તિને નથી પામ્યો ? (સિ. ૮-૨-૧૯૭) સૂત્રથી ‘હું’ દાન પૃચ્છા અને નિવારણ અર્થમાં વપરાય છે. દાનમાં અરે ગ્રહણ કર પોતાનું જ છે. પૃચ્છામાં અરે ! સદ્ભાવને કહે, નિવારણમાં અરે ! નિર્લજ્જ ! ખસ. એ પ્રમાણે ઉદાહરણ છે. ||૧૭
ગાથાર્થ : ભવચક્રમાં મારા વડે સર્વે પણ પુદ્ગલો બહુ વાર ભોગવાયા અને પરિણમાયા (મૂકાયા) (તો પણ) તેઓને વિષે હું તૃપ્ત થયો નથી. II૧૮
ભાષાંતર: સંસાર ચક્રવાલમાં એટલે કે ભવચક્રમાં મારા વડે અનેક પ્રકારની યોનિઓમાં ભટકતાં સર્વે પણ ઘી વગેરે પુદ્ગલો કે જે પૂરણ, ગલનના સ્વભાવવાળા છે. તે પુદ્ગલોનો બહુ વાર આહાર કર્યો અર્થાત્ ભોગવ્યા અને ખલ-૨સ ભાવ વડે પરિણમાવ્યા તો પણ તે ઘી આદિ પુદ્ગલોમાં હું તૃપ્ત થયો નથી. જેથી કહ્યું છે કે
ગાથાર્થ
હિમવંત પર્વત, મલય પર્વત, મેરુ પર્વત, દ્વીપ, સાગર અને પૃથ્વીની સમાન અથવા એનાથી પણ અધિકતર એવો આહાર ભૂખ્યા વડે ખવાયો હોય (૧) બાફ અને આતપથી પીડા પામેલ વડે જેટલું પાણી પીવાયું હોય તે સર્વે કૂવાઓ, તળાવો, નદીઓ, સમુદ્રો જેટલું પણ ન થાય અર્થાત્ તેનાથી અધિક થાય તો પણ જીવને તૃપ્તિ થઈ નથી. અનંત સંસારમાં ભમતાં એકબીજી માતાઓના સ્તનનું એટલું દૂધી પીધું છે કે જો તેની ગણત્રી કરવામાં આવે તો સાગરના પાણીથઈ પણ અધિકતર થાય. (૩) ॥૧૮॥
:
ભોગો વડે કરીને (આત્મા) લેપાય છે, અભોગી લેપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. ।।૧૯।
ભાષાંતર: ‘મોનેસુ’ તૃતીયાના સ્થાને સપ્તમી થયેલી છે. ભોગો વડે આત્માનો કર્મની સાથે આશ્લેષ-સંબંધ થાય છે. અર્થાત્ આત્મા ભોગો વડે કરીને કર્મથી બંધાયેલો થાય છે. (સિ. ૮-૩-૧૩૫) સૂત્રથી દ્વિતીયા અને તૃતીયાના સ્થાને ક્યારેક સપ્તમી થાય છે. જેમકે ગામમાં રહું છું, નગર તરફ જતો
ઈન્દ્રિયપરાજયશતક ૭૫
Page #157
--------------------------------------------------------------------------
________________
'द्वितीयातृतीययोः सप्तमी (सि० ८-३-१३५) इति द्वितीयातृतीययोः स्थाने क्वचित् सप्तमी भवति । गामे वसामि, नयरे न जामि, अत्र द्वितीयायाः । *मइ वेविरीए मलिआई, तिसु तेसु अलंकिआ पुहई, अत्र तृतीयायाः । अभोगी = भोगेभ्यो विरतो नोपलिप्यते न काश्लिष्टो भवतीति । भोगी संसारे भ्रमति, अभोगी विप्रमुच्यते कर्मेभ्यः आत्मा वियुज्यत इत्यर्थः ।।१९।।
गाथा : अल्लो सुक्को अ दो छूढा' गोलया मट्टियामया ।
दोवि आवडिया कूडे, जो अल्लो सो तत्थ लग्गई ।।२०।। एवं लग्गति दुम्मेहा जे नरा कामलालसा । विरत्ताओ न लग्गति, जहा सुक्के अ गोलए ।।२१।।
व्याख्या : आर्द्रः शुष्कश्च द्वौ मृन्मयौ गोलको वृत्ताकारौ, केनचित् क्षिप्तौ = करान्मुक्तो,
द्वावपि कुड्ये = भित्तौ, आपतितौ = आश्लिष्टौ, तत्र य आर्दो गोलकः स तत्र लगति कुड्येन सह संपृक्तो भवति । एवमनेन प्रकारेण ये नराः कामलालसाः = कामलम्पटा: दुर्मेधसो दुर्बुद्धयस्ते लगन्ति स्त्र्यादिभिः सह संयुज्यन्त इत्यर्थः । विरक्ताः पुनः शिवकुमारवत् स्रीभिः परिवृत्ता अपि न लगन्ति, न तास रागमतिं कुर्वन्तीति भावः । किंवत् ? यथा शुष्कश्च गोलकश्च, शुष्कगोलको हि कुड्ये न लगति, तथा विरक्ता इति । शिवकुमारकथा चेयम्इतश्च भवदत्तस्य जीवः स्वर्गात्परिच्युतः । विजये पुष्कलावत्यां विदेहोवीशिरोमणौ ।।१।। नगर्यां पुण्डरीकिण्यां, वज्रदत्तस्य चक्रिणः । यशोधराभिधानाया, राज्याः कुक्षाववातरत् ।।२।। युग्मम् ।। तस्मिन्नुपागते कुक्षिसरोवरमरालताम् । अभूद्यशोधरादेव्या, दोहदोऽम्भोधिमज्जने ।।३।। ततश्चाऽम्भोधिसध्रीच्यां", सीतानद्यां महीपतिः ।
क्रीडयित्वा महादेवीं तद्दोहदमपूरयत् ।।४।। १. छड्डा मुद्रिते । * तृतीयाया अर्थे सप्तमी भवति "मया वेपमानया मर्दितानि, तैः त्रिभिः अलङ्कता
पृथ्वी । ** सह अञ्चति = गच्छति इति क्विप्, 'सहसमः सघ्रिसमि' (सि०३-२-१२३) सूत्रेण
सहादेशः सघ्रिः, 'अञ्चः' (सि०२-४-३) सूत्रेण स्त्रीलिङ्गे डीः, अश्व प्राग्दीर्घश्च' (सि० २-१_१०४) सूत्रेण अलोपे पूर्वदीर्घत्वे च सघ्रीची = सहचरी, भार्या, सखी वा ।।
७६ इन्द्रियपराजयशतकम्
Page #158
--------------------------------------------------------------------------
________________
નથી. અહીં દ્વિતીયાના સ્થાને સાતમી થઈ છે. અને “ધ્રુજતી એવી મારા વડે મર્દન કરાયા” “તે ત્રણ વડે પૃથ્વી અલંકૃત કરાઈ છે.” અહીં તૃતીયાના સ્થાને સપ્તમી થઈ છે. અભોગી એટલે કે ભોગોથી વિરામ પામેલો લપાતો નથી, કર્મથી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી કર્મોથી મૂકાય છે અર્થાત્ આત્મા
કર્મોથી મૂકાય છે. ૧૯ ગાથાર્થ : એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા કોઈ વડે ભીંત ઉપર
ફેંકાયા. બંને ભીંતને વિષે પડ્યા એમાંથી જે ભીનો હતો, તે ભીંત ઉપર ચોંટી જાય છે. એ જ પ્રમાણે જે પુરુષો કામમાં લમ્પટ અને દુર્બુદ્ધિવાળા હોય છે તે (ભીના ગોળાની જેમ) સ્ત્રી આદિની સાથે લાગે છે અને જેઓ
વિરક્ત હોય છે, તેઓ સૂકા ગોળાની જેમ લાગતા નથી. ૨૦-૨૧ ભાષાંતરઃ ભીનો અને સૂકો એમ બે ગોળાકાર માટીના ગોળા કોઈના વડે હાથથી
ભીંત ઉપર ફેંકાયા. બંને ભીંત ઉપર પડ્યા, એમાંનો જે ભીનો ગોળો હતો, એ ભીંતની સાથે ચોંટી જાય છે, એ જ પ્રકાર વડે જે લોકો કામ લાલસાવાળા એટલે કે કામમાં લખ્યુટ હોય છે, દુર્બુદ્ધિ હોય છે, તેઓ સ્ત્રીઓની સાથે જોડાય છે એટલે કે આસક્ત થાય છે. જ્યારે જેઓ વિરક્ત છે, તેઓ શિવકુમારની જેમ સ્ત્રીઓ વડે પરિવરેલા હોવા છતાં તેઓને વિષે રાગની બુદ્ધિ કરતા નથી. કોની જેમ ? જેમ સૂકો માટીનો ગોળો ભીંત ઉપર નથી ચોંટતો એમ વિરાગી જીવો સ્ત્રીઓ વિષે રાગ કરતા નથી. શિવકુમારની કથા આ પ્રમાણે છે - ભવદત્તનો જીવ સ્વર્ગમાંથી ઔવેલો પુષ્કલાવતી વિજયની મહાવિદેહ ક્ષેત્રની પૃથ્વીને વિષે શિરોમણિ એવી પુંડરિકિણી નગરીમાં વજદત્ત ચક્રીની યશોધરા નામની રાણીની કુક્ષિમાં અવતર્યો I/૧,ી તે ગર્ભ, કુક્ષિ રૂપી સરોવરમાં હંસપણાને પામે છતે યશોધરાદેવીને સમુદ્રમાં સ્નાન કરવાનો દોહદ થયો (૩) અને રાજાએ સમુદ્રની પત્ની એવી સીતા નદીમાં મહાદેવીને ક્રીડા કરાવીને તે દોહદ પૂર્ણ કર્યો. (૪) સંપૂર્ણ થયેલા દોહદવાળી યશોધરા
ઈન્દ્રિયપરાજયશતક
૭૬
Page #159
--------------------------------------------------------------------------
________________
सम्पूर्णदोहदा साऽथ, महादेवी यशोधरा । वल्लीव कलयामास लावण्यमधिकाधिकम् ।।५।। पूर्णे च समयेऽसूत, महिषी चक्रवर्तिनः । उत्तमं तनुजन्मानं, गङ्गेव कनकाम्बुजम् ।।६।। यशोधराया उत्पन्नदोहदानुगतां नृपः । सागरदत्त इत्याख्या, तस्याऽकृत शुभेऽहनि ।।७।। धात्रीभिर्लाल्यमानश्च पयःपानादिकर्मभिः ।। शाखीवासादयवृद्धिं, राजपुत्रः क्रमेण सः ।।८।। वक्तुं प्रवीणतां प्राप्तः, स कुमारोऽध्यजीगपत् । उद्यम्य काञ्चनलतामुत्सुकः शुकशारिकाः ।।९।। प्रौढीभवन् सुहृद्भिश्च, रेमे रत्नकरण्डकैः । पीनांऽसभूमिकारङ्गनृत्यन्माणिक्यकुण्डल: ।।१०।। समये स नरेन्द्रेण, नियुक्तो गुरुसन्निधौ । गुरोः कलाः परिपपौ, कूपादप इवाध्वगः ।।११।। विश्वस्यापि भृशं नेत्रकैरवाणि प्रमोदयन् । शशीव सम्पूर्णकलः, प्रतिपेदे स यौवनम् ।।१२।। स्वयंवरागताः कन्याः, पितृभ्यां पर्यणायि सः । एता हि पात्रमायान्ति रत्नाकरमिवापगाः ।।१३।।
। अनड्वाहीभिरुक्षेव, करेणुभिरिव द्विपः । ताराभिरिव शीतांशुस्ताभिः सममरंस्त सः ।।१४ ।। नारीभिरन्यदा क्रीडन्, प्रासादे मदनोपमः । मेरुसन्निभमाकाशे, स ददर्शाभ्रमण्डलम् ।।१५।। अचिन्तयञ्च यादृक् हि, श्रूयते मेरुरागमे । तादृगभ्रमयः सोऽयं, काप्यहो रमणीयता ।।१६।। एवं मेरुनिभं मेघमण्डलं तस्य पश्यतः, ।
नाभूदवाग्मुखीदृष्टिविलनेव तदन्तरे ।।१७।। १. स रेमे रत्नकरण्डकैः खडड, । २. अनडुहीभि ख । + ङ. परे णौ "णौ सन्डे वा"(सि० ४-४-२७) सूत्रेणेधातोर्गादेशे, “अतिरीलीही०" (सि० ४
२-२१) सूत्रेण पागमे, "उपान्त्यस्याऽसमान." (सि० ४-२-३५) सूत्रेण गाप उपान्त्यहस्वत्वेऽद्यतन्यां तृतीयपुरुषैकवचनम् : अध्यजीगपत् = पाठ्यन्नासीदित्यर्थः । 0 अनड्वाह्यनडुह्युषा ।।१२६५ ।। इत्यभिधानचिन्तामणिनिर्देशादनडुहीवदनड्वाही शब्दोऽपि विद्यते ।
७७ इन्द्रियपराजयशतकम्
Page #160
--------------------------------------------------------------------------
________________
દેવીએ, પૂર્ણ થયેલા દોહદવાળી વેલડીની જેમ અધિક અધિક લાવણ્યને પ્રાપ્ત કર્યું. (૫) પૂર્ણ સમય ચક્રવર્તીની રાણીએ, ગંગા જેમ સુવર્ણ કમળને ઉત્પન્ન કરે એમ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. () યશોધરાને ઉત્પન્ન થયેલા દોહદને અનુસાર એક શુભ દિવસે તેનું “સાગરદત્ત' એવું નામ રાખ્યું. (૭) ધાત્રીઓ વડે સ્તનપાનાદિ કર્મ વડે લાલન કરાતો તે રાજપુત્ર ક્રમ વડે કરીને વૃક્ષની જેમ વૃદ્ધિને પામ્યો. (૮) બોલવામાં પ્રવીણતાને પ્રાપ્ત થયેલો, ઉત્સુક એવો કુમાર સુવર્ણ લતાને ઊંચી કરીને પોપટપોપટીઓને ભણાવતો હતો. (૯) વૃદ્ધિને પ્રાપ્ત કરતો, પુષ્ટ એવા ખભા રૂપી રંગભૂમિકાને વિષે નૃત્ય કરતા માણેકના કુંડલો રહેલા છે જેને એવો તે, મિત્રોની સાથે રત્નકરંડક વડે રમતો હતો. (૧૦) અવસર પ્રાપ્ત થયે છતે તે રાજા વડે ગુરુની પાસે મોકલાવાયો અને મુસાફર જેમ કૂવામાંથી પાણીને પીએ, તેમ તે ગુરુ પાસેથી કલાઓને પીતો હતો. (૧૧) સમગ્ર વિશ્વના નેત્રરૂપી કમળોને અત્યંત પ્રમોદને કરાવતા, ચંદ્રની જેમ સંપૂર્ણ કલાવાળા તેણે યૌવનને પ્રાપ્ત કર્યું. (૧૨) સ્વયંવરથી આવેલી એવી કન્યાઓ સાથે માતાપિતા વડે તે પરણાવાયો. નદીઓ જેમ સમુદ્ર પાસે, તેમ આ બધી કન્યાઓ પણ યોગ્ય પાસે જ આવે છે. (૧૩) બળદ જેમ ગાયની સાથે, હાથી જેમ હાથણી સાથે, ચંદ્ર જેમ તારાઓની સાથે તેમ તે કન્યાઓની સાથે રમતો હતો. (૧૪) કામદેવની ઉપમાવાળો તે સ્ત્રીઓની સાથે મહેલમાં ક્રીડા કરતા એક વખત આકાશમાં મેરુ જેવા ઉન્નત અભ્રમંડલને જોયું (૧૫) અને એણે વિચાર્યું કે આગમમાં જે પ્રકારનો મેરુ સંભળાય છે, તે જ પ્રકારનો વાદળમય મેરુ છે. અહો કેવી રમણીયતા! (૧૦) એ પ્રમાણે મેરુ જેવા મેઘમંડલને જોતા એવા તેની દૃષ્ટિ જાણે મેઘમંડલની મધ્યમાં લાગી ગઈ હોય એમ નીચે જોનારી ન થઈ. (૧૭) ઊચું જોતાં કુમારે જેટલામાં મેઘમંડલને જોયું એટલામાં તો પાણીના પરપોટાની જેમ તે વિલીન થઈને
ઈન્દ્રિયપરાજયશતક
૭૭
Page #161
--------------------------------------------------------------------------
________________
कुमारोऽपश्यदुत्पश्यो, यावत्तन्मेघमण्डलम् । वारिबुद्बुदवत्तावद्विलीय प्रययौ क्वचित् ।।१८।। कुमारोऽचिन्तयञ्चैवं, क्षणिकोऽयं यथाम्बुदः । तथा शरीरमप्येतत्, का कथा सम्पदा पुनः ।।१९।। यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तनिशि । निरीक्षिते भवेऽस्मिन् ही पदार्थानामनित्यता ।।२०।। विवेकजलसिक्तस्य, मर्त्यजन्ममहीरुहः । सकामनिर्जरासारं, तद् गृह्णामि व्रतं फलम् ।।२१।। सुधीः सागरदत्तोऽप्यपरं वैराग्यमुद्वहन् । व्रतादानाय पितरावापप्रच्छ' कृताञ्जलिः ।।२२।। पितरावूचतुर्वत्स!, यौवनेऽपि व्रताग्रहः । वीणायां वाद्यमानायां, शास्त्रपाठ इवैष ते ।।२३।। इदानीं युवराजस्त्वं, राजापि त्वं भविष्यसि । राज्यं चिरं पालयित्वा, गृह्णीयाः समये व्रतम् ।।२४ ।। सागरो व्याहरत् पूज्याः, प्रत्याख्याता मया श्रियः । परिव्रज्यामुपादातुं, तदादिशथ किं न माम् ।।२५।। इत्याग्रहकुठारेण, प्रेमपाशं तयोः सुधीः । चिच्छेदेऽथान्वमन्येथां तौ व्रतग्रहणाय तम् ।।२६।। अनेकराजतनयपरिवारोऽथ सागरः । आददे व्रतममृतसागराचार्यसन्निधौ ।।२७।। विधिधाभिग्रहधरो, गुरुसेवापरायणः । क्रमात्सागरदत्तो-भूच्छ्रुतसागरपारगः ।।२८।। न दूरे तपसः किञ्चिदिति प्रत्ययकारणम् । अवधिज्ञानमुत्पेदे सागरस्य तपस्यतः ।।२९।। भवदेवस्य जीवोऽपि, पूणे काले दिवश्च्युतः । तत्रैव विजये वीतशोकायां पूःशिरोमणौ ।।३० ।। पद्मरथाभिधानस्य, महद्धेरवनीपतेः ।
महिष्यां वनमालायां, शिवो नाम सुतोऽभवत् ।।३१ ।। युग्मम् ।। १. ०पप्रच्छे खडडड। * 'त्तावत्तद्विलीय ययो' परिशिष्टपर्वणि (१-४०७) । + 'निरीक्ष्यते' परिशिष्टपर्वणि (१-४०९) । व्रतममृतं परिशिष्टपर्वणि (१-४१६) ।
७८ इन्द्रियपराजयशतकम्
Page #162
--------------------------------------------------------------------------
________________
ક્યાંક જતું રહ્યું (૧૮) અને કુમારે આ પ્રમાણે વિચાર્યું, જે રીતે આ મેઘ ક્ષણિક છે, તે જ રીતે આ શરીર પણ ક્ષણિક છે અને વળી સંપત્તિની તો શું વાત ? (૧૯) જે સવારે છે તે બપોરે નથી દેખાતા, જે બપોરે છે તે રાત્રિમાં નથી દેખાતા. આ સંસારમાં ખરેખર પદાર્થોની અનિત્યતા કેવી છે? Ilરવા વિવેક રૂપી પાણી વડે સિંચાયેલા મનુષ્ય જન્મ રૂપી વૃક્ષના, સકામનિર્જરા પ્રાપ્ત થાય એવા સારવાળા વ્રત રૂપી ફળને હું ગ્રહણ કરું. (૨૧) સુંદર બુદ્ધિવાળો, ઉત્કૃષ્ટ વૈરાગ્યને વહન કરતા સાગરદત્તે અંજલિ કરીને વ્રતને ગ્રહણ કરવા માટે માતાપિતાને પૂછ્યું. (૨૨) માતાપિતાએ તેને કહ્યું હે વત્સ ! યૌવનમાં આ તારો વતનો આગ્રહ તે વીણા વાગતે છતે શાસ્ત્રપાઠ જેવો છે. (૨૩) અત્યારે તે યુવરાજ છે, રાજા પણ તું થશે. રાજ્યનું લાંબા કાળ સુધી પાલન કરીને સમય આવે છતે વ્રતને ગ્રહણ કરજે. (૨૪) સાગરે પણ કહ્યું “હે પૂજ્યો ! મારા વડે લક્ષ્મીનું પચ્ચખાણ કરાયું છે તો સંયમને ગ્રહણ કરવા માટે મને શા માટે આદેશ નથી આપતા! (૨૫) આ પ્રમાણે સુબુદ્ધિવાળા એવા તેણે આગ્રહરૂપી કુહાડા વડે માતાપિતાના પ્રેમ રૂપી પાશને છેદી નાખ્યો. હવે તે બંનેએ તેને વ્રત ગ્રહણ કરવા માટે અનુમતિ આપી. (૨૬) અનેક રાજપુત્રોના પરિવારવાળા એવા સાગરે અમૃતસાગર નામના આચાર્યની પાસે વ્રતને ગ્રહણ કર્યું. (૨૭) વિવિધ અભિગ્રહને ધારણ કરતો, ગુરુસેવામાં પરાયણ એવો સાગરદત્ત શ્રુતસાગરનો પાર પામનારો થયો. (૨૮) “તપથી દૂર કંઈ નથી” એ સૂક્તિની ખાતરીનું કારણ એવું અવધિજ્ઞાન તપને કરતા એવા સાગરને ઉત્પન્ન થયું. (૨૯) હવે પૂર્ણ કાલે ભવદેવનો જીવ પણ દેવલોકમાંથી વેલો તે જ વિજયમાં, નગરીઓમાં શિરોમણિ એવી વીતશોકા નામની નગરીમાં પધરથ નામના મહા-ઋદ્ધિવાળા રાજાની વનમાલા નામની રાણીને વિષે શિવ નામનો પુત્ર થયો. (૩૦, ૩૧) યત્ન વડે કરીને પાલન કરાતો તે કલ્પવૃક્ષની જેમ મોટો થયો. ક્રમે કરીને વૃદ્ધિને પામતો એવો તે માથામાં ચોટલીને ધારણ કરનારો થયો. (૩૨) પરસ્પર ગ્રહણ કરાયેલા
ઈન્દ્રિયપરાજયશતક
૭૮
Page #163
--------------------------------------------------------------------------
________________
स पाल्यमानो यत्नेन, कल्पद्रुम इवोद्गतः । क्रमेण कलयन् वृद्धिं, 'काकपक्षधरोऽभवत् ।। ३२ ।। साक्षिमात्रीकृतगुरौ तस्मिन् प्राज्ञशिरोमणी । मिथो गृहीतसङ्केता, इव सञ्चक्रमुः कलाः ।। ३३ ।। यौवने पर्यणैषीत्स, राजकन्याः कुलोद्भवाः । सम्पृक्तश्चाऽशुभत् ताभिर्लताभिरिव पादपः । । ३४।। सकलत्रस्य चाऽन्येद्युः, प्रासादे तस्य तस्थुषः । सागरर्षिः पुरीबाह्योपवने समवासरत् ।।३५।। तत्र कामसमृद्धाख्यः, सार्थवाहो महामुनिम्' । तं प्रत्यलाभयद्भक्त्या, मासक्षपणपारणे ।। ३६ ।। गृहे कामसमृद्धस्य, पात्रदानप्रभावतः । वसुधाराऽपतद्व्योम्नः, पात्रे दानाद्धि किं नहि ? ।।३७।। शिवस्तदद्भुतं श्रुत्वा गत्वाऽवन्दत तं मुनिम् । निषसाद च तत्पादपद्मान्ते राजहंसवत् ।। ३८ ।। चतुर्दशानां पूर्वाणामाकरः सागरोऽपि हि । शिवस्य सपरीवारस्याऽऽचख्यौ धर्ममार्हतम् ।। ३९ ।। विशेषतश्च संसाराऽसारतां तस्य धीमतः । गमयामास स मुनिर्मनसि स्फटिकामले ।।४०।। शिवोऽपृच्छच्च तमृषिं, किं प्राग्भवभवः प्रभोः । स्नेहो मे पश्यतो यत्त्वां, हर्षोऽयमधिकाधिकः ।।४१।। ज्ञात्वा चाऽवधिनाऽऽचख्यौ मुनिस्त्वं पूर्वजन्मनि । कनिष्ठोऽभूर्मम भ्राता, प्राणेभ्योऽप्यतिवल्लभः ।। ४२ ।। मया प्रव्रजितेन त्वमनिच्छन्नपि हि व्रतम् ।
उपायेन ग्राहितोऽसि परलोकहितेच्छया ।। ४३ ।। अभूव च सुरावावां, सौधर्मे परमर्द्धिकौ । कुमुदेन्दोरिव प्रीतिस्तत्राऽप्यभवदावयोः ।।४४।। भवेऽस्मिन् वीतरागोऽहं, स्वे परे वा समानदृक् । त्वं त्वद्यापि सरागत्वात् प्राग्भवस्नेहभारमयि ।। ४५ ।।
७९
1
१. धूरो० ड । २. मुनि ड । ३. हितं व्रतम् ड । छात्रादिबालानां या चूडा (= चोटली इति
*
९
भाषायाम्) सैव काकपक्षः इति ५७२ तमश्लोकेऽभिधानचिन्तामणौ ।
इन्द्रियपराजयशतकम्
Page #164
--------------------------------------------------------------------------
________________
સંકેતવાળી જ ન હોય એમ બુદ્ધિશાળીઓમાં શિરોમણિ, સાક્ષીમાત્ર કર્યા છે ગુરુને જેણે એવા તેને વિષે બધી કલા સંક્રમિત થઈ. (૩૩) યૌવનમાં તે કુલમાં ઉત્પન્ન થયેલી રાજકન્યાઓને પરણ્યો. લતાની સાથે સંપર્કવાળા વૃક્ષની જેમ તે કન્યાઓ સાથે શોભતો હતો. (૩૪) એક વખત પત્નીઓ સહિત તે મહેલમાં રહે છતે સાગર ઋષિ નગરીની બહાર ઉપવનમાં સમવસર્યા. (૩૫) ત્યાં કામસમૃદ્ધિ નામના સાર્થવાહ માસક્ષમણને પારણે ભક્તિપૂર્વક તે મહામુનિને વહોરાવ્યું. સુપાત્ર દાનના પ્રભાવથી કામસમૃદ્ધિના ઘરે આકાશમાંથી વસુધારા થઈ. સુપાત્રદાનથી શું ન થાય ? (૩૭) શિવ તે ચમત્કારને સાંભળીને, જઈને તે મુનિને વંદન કર્યું અને તેમના પદકમળની પાસે રાજહંસની જેમ તે બેઠો. (૩૮) ચૌદ પૂર્વધર એવા સાગર મુનિએ પરિવાર સહિત શિવને અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મને કહ્યો. (૩૯) તે મુનિએ તે બુદ્ધિશાળીના સ્ફટિક જેવા નિર્મળ મનમાં સંસારની અસારતાને વિશેષથી સમજાવી (૪૦) અને શિવે તે મુનિને પૂછ્યું “શું પ્રભુ ઉપર આ સ્નેહ પૂર્વના ભવનો છે ? જે તમને જોતા મને આ હર્ષ અધિકાધિક થાય છે.” (૪૧) અવધિજ્ઞાન વડે જાણીને મુનિએ કહ્યું કે પૂર્વ જન્મમાં તું પ્રાણોથી પણ અતિવલ્લભ એવો મારો નાનો ભાઈ હતો. (૪૨) દીક્ષા ગ્રહણ કરાયેલા એવા મારા વડે પરલોકના હિતની ઇચ્છા વડે ઉપાય વડે નહિ ઇચ્છતો એવો પણ તુ વ્રત ગ્રહણ કરાવાયો. (૪૩) આપણે બંને સૌધર્મમાં પરમદ્ધિક દેવ થયા. ત્યાં પણ કુમુદ અને ચન્દ્રની જેમ આપણા બંનેની પ્રીતિ થઈ. (૪૪) આ ભવમાં સ્વ અને પરને વિષે સમાન દૃષ્ટિવાળો એવો હું વિતરાગ છું, તું આજે પણ રાગ સહિત હોવાથી મારા વિષે પૂર્વભવના સ્નેહને ભજનારો છે. (૪૫) શિવે કહ્યું કે પહેલા પણ હું વ્રતને ગ્રહણ કરવાથી દેવ થયો, તો પૂર્વભવની જેમ આ ભવમાં પણ મને વ્રતને આપો. (૪૬) માતાપિતાને પૂછીને વ્રતને માટે હું જેટલામાં આવું ત્યાં સુધી હે પૂજ્ય, જો તમે કૃપાલું
ઈન્દ્રિયપરાજયશતક
૭૯
Page #165
--------------------------------------------------------------------------
________________
शिवोऽवदद् व्रतादानाद्देवोऽभूवं पुराप्यहम् । तदिहापि भवे पूर्वभववदेहि मे व्रतम् ।।४६।। आपृच्छय पितरौ यावदायामि व्रतहेतवे । पूज्यास्तावदिहैवाऽऽद्ध्वं, यदि यूयं कृपालवः ।।४७ ।। गत्वा शिवकुमारोऽपि, पितृपादान् व्यजिज्ञपत् । अद्य सागरदत्तः, शुश्रुवे देशना मया ।।४८।। तत्प्रसादादधिगता, भवस्याऽसारता मया । ततस्तस्माद्विरक्तोस्मि, वीवधादिव भारिकः ।।४९।। तत् सर्वथाऽनुजानीथ, प्रव्रज्याग्रहणाय माम् । प्रत्यूषो मोहतमसः, शरणं सागरोऽद्य मे ।।५०।। पितरावूचतुर्वत्स ?, व्रतं माऽऽदत्स्व यौवने । नाऽद्यापि पूर्यतेऽस्माकं त्वत्क्रीडाऽऽलोकजं सुखम् ।।५१।। अत्यन्तं निर्ममोऽभूस्त्वं कथमेकपदेऽपि हि । असंस्तुतानिवाऽऽयुष्मन् !, यदस्मान्विजिहाससि ।।५२।। यदि भक्तोऽसि यद्यस्मानापृच्छय च गमिष्यसि । तन्नकारैकवातूला, भवित्री रसनाऽऽवयोः ।।५३।। इत्यनादिशतोः पित्रोः, शिवो गन्तुमनीश्वरः । तत्रैव सर्वसावधनियमाद्भावयत्यभूत् ।।५४ ।। मुनेः सागरदत्तस्य, शिष्योहमिति निश्चयी । तस्थौ स मौनमालम्ब्य, मौनं सर्वार्थसाधकम् ।।५५ ।। बलादप्यासितो भोक्तुं, न किञ्चिद् बुभुजे च सः । मह्यं न रोचते किञ्चिदित्येवमवदन्मुहुः ।।५६।। एवमुद्वेजितो राजा, शिवेन शिवकाक्षिणा । इभ्यपुत्रं दृढधर्मं समाहूय समादिशत् ।।५७ ।। व्रतार्थमविसृष्टेन, शिवेन तनयेन मे । मौनमालम्बितं वत्स!, ग्रावनिष्ठुरचेतसा ।।५८ ।। मोघफाल इव द्वीपी, करीव प्रभवन् मदः ।
भोजनायापि यतते, न स चाटुशतैरपि ।।५९।। १. यद्यस्माननापृच्छ्य खडड ड । * यूयं मयि कृपालवः परिशिष्टपर्वणि (१/४३६) । KAKKKEREKKEKKEKKREKKEREKKEKREKKKREKKEk ८० इन्द्रियपराजयशतकम् |
Page #166
--------------------------------------------------------------------------
________________
છો તો તમે અહીં જ રહો, (૪૭) શિવકુમારે પણ જઈને પૂજ્ય પિતાને વિનંતિ કરી કે આજે મારા વડે સાગરદત્ત ઋષિ પાસેથી દેશના સંભળાઈ. (૪૮) તેમની કૃપાથી મારા વડે ભવની અસારતા જણાઈ, ભારથી જેમ ભારિક વિરક્ત થાય તેમ તેથી હું સંસારથી વિરક્ત થયો છું (૪૯) તે કારણથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે મને અનુજ્ઞા આપો. મોહ રૂપી અંધકારવાળા મારે હવે પ્રભાત જેવા સાગરમુનિ જ શરણ છે. (૫૦) માતાપિતાએ કહ્યું “હે વત્સ ! યૌવનવયમાં તું વ્રતને ગ્રહણ ન કર. હજી પણ તારી ક્રીડાને જોવાથી અમને મળતું સુખ પૂરું નથી થતું. (૫૧) હે આયુષ્યમાનું !અચાનક તું અત્યંત નિર્મમ કેવી રીતે થઈ ગયો કે જે નહિ ઓળખતાની જેમ અમને તું છોડી જવાને ઇચ્છે છે. (૫૨) જો તું ભક્ત છે અને જો તું અમને પૂછીને જ જવાનો છે તો અમારા બંનેની જીભ તો એક ન' કારને જ બોલનારી થશે. (૫૩) આ પ્રમાણે માતાપિતા આદેશ ન આપતે છતે શિવ જવા માટે અસમર્થ થયો, પણ ત્યાં જ સર્વ સાવદ્યનો નિયમ કરીને તે ભાવ યતિ થયો. (૫૪) હું મુનિ સાગરદત્તનો શિષ્ય છું એ પ્રમાણે નિશ્ચિત થયો અને મૌન લઈને રહ્યો. મૌન બધા અર્થનું સાધક છે. (૫૫) બળપૂર્વક પણ ભોજન માટે બેસાડાયેલા એવા શિવકુમાર કંઈ પણ વાપરતા નથી. “મને કંઈ ગમતું નથી' એ પ્રમાણે વારંવાર બોલતા હતા. (પ) આ પ્રમાણે મોક્ષની ઇચ્છાવાળા શિવકુમાર વડે ઉદ્વિગ્ન કરાયેલા રાજાએ શ્રેષ્ઠીપુત્ર દઢધર્મને બોલાવીને આદેશ કર્યો, (૫૭) કે હે વત્સ ! વ્રત માટે રજા નહિ અપાયેલા, પત્થર જેવા નિષ્ફર હૃદયવાળા એવા મારા પુત્ર શિવ વડે મૌન કરાયું છે. (૫૮) નિષ્ફળ ગયેલી ફાળવાળો દીપડો હોતે છતે સમર્થ થતા મદવાળા હાથીની જેમ તે સેંકડો મધુર વચનો વડે પણ ભોજન નથી કરતો. (૫૯) તું જે રીતે પણ જાણે એ રીતે મારા પુત્ર શિવને ભોજન કરાવ, અને આમ કરતા એવા તારા વડે મારો શું શું ઉપકાર નહીં કરાય ? (એટલે કે મોટો ઉપકાર થશે)
ઈન્દ્રિયપરાજયશતક ૮૦
Page #167
--------------------------------------------------------------------------
________________
यथा वेत्सि तथा वत्स!, वत्सं भोजय मे शिवम् । त्वया चैवं कृतवता, किं किं नोपकृतं मम ? ।।६।। मज्जीवपक्षिणं कायकुलायाद् गन्तुमुत्सुकम् । प्रत्याशापाशबन्धेन, नियन्त्रय महाशय! ।।६१।। दृढधर्मोऽपि तामाज्ञामुररीकृत्य भूपतेः । ययौ शिवकुमारस्याभ्यणे बुद्धिजलार्णवः ।।६२ ।। कृत्वा नैषेधिकीं तस्य, सदनान्तः प्रविश्य च । क्रमज्ञः प्रतिचक्राम, स एर्यापथिकी सुधीः ।।६३।। वन्दनं द्वादशावर्त, दत्त्वा भूमिं प्रमाय॑ च । निषसाद वदन्नुञ्चैरनुजानीहि मामिति ।।६४।। शिवोऽवददहो इभ्य ! साधूनामुपसागरम् । विनयोऽयं मया दृष्टः, स कथं मयि युज्यते ? ।।६५ ।। इभ्यपुत्रोऽभ्यधात् सम्यग्दृष्टीनां यत्र कुत्रचित् । समभावो हि योग्यः स्यात्, सर्वस्य विनयस्य भोः ! ।।६६।। यस्य कस्यापि हि स्वान्तं समभावाधिवासितम् । स वन्दना: भवति, दोषाशङ्कापि नेह भोः ! ।।६७ ।। कुमार ! किंतु पृच्छामि, प्रष्टुमेवाहमागमम् । रसज्वरातुरेणेव किं त्वयाऽत्याजि भोजनम् ।।६८।। शिवोवदद्विसृजतो, व्रताय पितरौ न माम् । ततो भावयतीभूय स्थितोऽस्मि विरतो गृहात् ।।६९।। यथा ह्युद्विज्य पितरौ, विहाय ममतां मयि । व्रतार्थमादिशतो मामतः कुर्वे न भोजनम् ।।७०।। इभ्योऽभ्यधत्त यद्येवं, तद्भुञ्जीथा महाशय ! । धर्मो ह्यधीनो देहस्य, देहश्चाहारसम्भवः ।।७१।। आहारं निरवद्यं हि, गृह्णन्त्यपि महर्षयः । शरीरे तु निराहारे, दुष्करा कर्मनिर्जरा ।।७२ ।। कुमारोऽप्यभ्यधादिभ्यसूनो सम्पद्यते मम । नाहारोऽप्यनवद्योऽत्रेत्यस्माद्वरमभोजनम् ।।७३।।
१. क्रमशः खडड, ड ।
८१
इन्द्रियपराजयशतकम्
Page #168
--------------------------------------------------------------------------
________________
(૬૦) હે મહાશય ! મારું જીવ રૂપી પક્ષી આ કાયા રૂપી પિંજરામાંથી જવા માટે ઉત્સુક થયું છે (૬૧) તો આશા રૂપી પાશના બંધન વડે કરીને તું એ જીવ રૂપી પક્ષીને રોકી લે”. બુદ્ધિનો સાગર એવો દૃઢધર્મ પણ રાજાની તે આજ્ઞાનો સ્વીકાર કરીને શિવકુમારની પાસે ગયો. (૩૨) નિસીહિ કરીને તેના ઘરની અંદર પ્રવેશ કરીને ક્રમને જાણનાર સુબુદ્ધિ એવા તેણે ઇરિયાવહિયા કરી. (૬૩) દ્વાદશાવર્ત્ત વંદન કરીને ‘મને અનુજ્ઞા આપો' એમ બોલતો ભૂમિની પ્રમાર્જના કરીને દૃઢધર્મ બેઠો. (૬૪) શિવ બોલ્યો ‘અહો શ્રેષ્ઠી ! સાધુઓનો આવો વિનય સાગરમુનિની પાસે મારા વડે જોવાયો હતો. તે વિનય મારા વિષે કેવી રીતે યોગ્ય છે ? (૬૫) શ્રેષ્ઠીપુત્ર બોલ્યો “સમ્યગ્દષ્ટિ જીવોને જ્યાં ક્યાંય (જે પણ કોઈ વ્યક્તિમાં) સમભાવ છે તે (તે વ્યક્તિ) સર્વ વિનયને યોગ્ય થાય છે. (૬૬) જે કોઈનું પણ અન્તઃકારણ સમભાવથી વાસિત છે તે વંદનને યોગ્ય થાય છે. એમાં દોષની શંકા પણ નથી. (૬૭) પણ હે કુમાર ! હું પૂછું છું અને પૂછવા માટે જ અહીં આવ્યો છું કે રસજ્વરના રોગીની જેમ તારા વડે ભોજન શા માટે ત્યાગ કરાયું છે ?” (૬૮) શિવે કહ્યું “માતાપિતા મને વ્રતને માટે રજા નથી આપતા તે કારણથી ભાવયતિ થઈને ઘરથી વિરામ પામેલો હું રહ્યો છું.(૬૯) જેથી માતાપિતા કંટાળીને મારા ઉપરની મમતાને છોડીને વ્રત માટે મને આદેશ આપે, તે કારણથી હું ભોજન નથી કરતો” (૭૦) શ્રેષ્ઠીએ કહ્યું,” જો એમ છે તો હે મહાશય ! તું ભોજન કરી લે. કેમ કે ધર્મ, દેહને આધીન છે અને દેહ આહાર વડે જ ટકે છે. (૭૧) મહર્ષિઓ પણ નિરવઘ આહારને ગ્રહણ કરે છે. વળી આહાર વગરનું શરીર હોતે છતે કર્મનિર્જરા દુષ્કર છે. (૭૨) કુમારે પણ શ્રેષ્ઠીપુત્રને કહ્યું “મને અનવદ્ય ભોજન અહીં પ્રાપ્ત નહીં થાય, એથી ભોજન ન ક૨વું એ જ શ્રેષ્ઠ છે.” (૭૩) શ્રેષ્ઠીએ કહ્યું “હવેથી તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. જે પણ ઇચ્છશો તે
ઈન્દ્રિયપરાજયશતક ૨૧
Page #169
--------------------------------------------------------------------------
________________
इभ्योऽवादीद्गुरुस्त्वं मे, शिष्यस्तेऽहमतः परम् । सर्वं सम्पादयिष्यामि, निरवद्यं यदिच्छसि ॥७४।। व्याजहार कुमारोऽपि, सखे । तर्हि निरन्तरम् । षष्ठं कृत्वा करिष्येऽहमाचामाम्लेन पारणम् ।। ७५ ।। शिवस्य भावयतिनस्तदाद्यपि महेभ्यसूः । विनयं कर्तुमारेभे, सामाचारीविचक्षणः ।। ७६ ।। तपस्यतः शिवस्यापि, ययौ द्वादशवत्सरी । मोहात्पितृभ्यां न पुनर्व्यसर्जि गुरुसन्निधौ ।।७७।। मृत्वा शिवकुमारोऽभूद् ब्रह्मलोके महाद्युतिः । विद्युन्माल्यभिधानोऽयमिन्द्रसामानिकः सुरः । । ७८ ।। * इति ।।२०,२१।।
गाथा : तणकट्ठेहिव' अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ।। २२ ।।
व्याख्या : अयं जीवः कामभोगैस्तर्पयितुं प्रीणयितुमाशापूरणेन तोषयितुं न शक्यः = न सह्यः, कामभोगैरस्याशा न पूर्यत इत्यर्थः । कैः क इव ? तृणकाष्ठैरग्निरिव, तृणं च किलिञ्चादि, काष्ठानि च दारुखण्डानि, तैर्यथा अग्निस्तर्पयितुं न शक्यते, तथा नदीसहस्रैः सहस्रमित्युपलक्षणमनेकाभिरप्यापगाभिः समुद्रो लवणादिर्यथा न तर्प्पयितुं शक्यस्तथाऽयं जीवः कामभोगैरिति ।। २२ ।।
गाथा : भूत्तूणवि भोगसुहं, सुरनरखयरेसु पुण पमाणं । पिज्जइ नर भेरव - कलकल - तउतंबपाणाई ।। २३ ।।
व्याख्या : पुनर्विशेषे, विशेषेण प्रमादेन = निद्राविषयादिरूपेण, सुरनरखचरेषु सुराश्च खचराश्च=विद्याधरादयस्तेषु भोगसुखं भुक्त्वाप्यनुभूयापि कालान्तरे नरके भैरवकलकलत्रपुताम्रपानानि भैरवाणि रौद्राणि भयजनकानि कलकलेत्य१. वि खडड, ड, । २. नरएसु मुद्रिते
+ आ अपगच्छति, आपऊंअब्धिं गच्छति, अप्सम्बन्धिना वेगेन गच्छतीति आपगा । इमेऽष्टसप्ततिश्लोकाः परिशिष्टपर्वण उद्धृताः ।
*
इन्द्रियपराजयशतकम्
८२
Page #170
--------------------------------------------------------------------------
________________
બધું હું નિરવદ્ય પ્રાપ્ત કરાવી આપીશ. (૭૪) કુમારે પણ કહ્યું ‘તો હે મિત્ર ! નિરન્તર છઠ્ઠ કરીને આયંબિલ વર્ડ પા૨ણું કરીશ. (૭૫) ત્યારથી સામાચારીમાં કુશળ એવા શ્રેષ્ઠીપુત્રે ભાવયતિ એવા શિવનો વિનય ક૨વા માટે શરૂ કર્યું. (૭૬) તપ તપતા શિવકુમારના બાર વર્ષ પસાર થઈ ગયા. મોહથી માતાપિતા વડે તે ગુરુ પાસે ન જવા દેવાયા. (૭૭) મરીને આ શિવકુમાર બ્રહ્મલોકમાં (૫મા દેવલોકમાં) મહાવ્રુતિવાળો વિદ્યુતમાલી નામનો ઇન્દ્રનો સામાનિક દેવ થયો. (૭૮) ૨૦,૨૧॥
ગાથાર્થ : તૃણ અને કાષ્ઠ વડે જેમ અગ્નિ, હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર, તેમ કામભોગો વડે આ જીવ સંતોષ પમાડવા માટે શક્ય નથી. II૨૨॥
ભાષાંતર: આ જીવ કામભોગો વડે, આશા પૂરવા વડે ખુશ કરવા દ્વારા સંતોષવો શક્ય નથી. કામભોગો વડે પણ આ જીવની આશા પૂરાતી નથી. કોના વડે કરીને કોની જેમ ? ઘાસ અને લાકડાના અનેક ટુકડા વડે જેમ અગ્નિ સંતોષવો શક્ય નથી અને હજારો નદીઓ વડે એટલે કે ઉપલક્ષણથી અનેક નદીઓ વડે લવણાદિ સમુદ્રો સંતોષાતા નથી તે રીતે આ જીવ અનેક કામભોગો વડે સંતોષાતો નથી. II૨૨।।
ગાથાર્થ
: વળી સુર નર અને ખેચરના (ભવોમાં) પ્રમાદ વડે ભોગસુખના અનુભવ કરનારને પણ કાલાંતરે નરકમાં ભયાનક ‘કલકલ’ ઉકળતા સીસા અને તાંબાનો રસ પીવડાવાય છે. II૨૩॥
ભાષાંતરઃ વળી નિદ્રા, વિષયાદિ પ્રમાદ વડે સુર, નર અને વિદ્યાધરોના (ભવમાં) ભોગસુખને ભોગવીને એટલે કે અનુભવીને પણ કેટલાક કાળ પછી તો કર્મોનો ઉદય થવાથી ન૨કમાં ભૈરવ એટલે કે રૌદ્ર, ભયજનક ‘કલકલ’ એ અનુકરણ શબ્દ છે. એટલે કે ઉકળતા એવા ‘કલકલ' એ પ્રમાણે અવાજને મૂકતા એવા સીસુ અને તાંબાના પાનીય - ૨સ તે પીવડાવાય છે. જે પીવાય તે પાન, પાનીય ॥૨૩॥
ઈન્દ્રિયપરાજયશતક ૮૨
Page #171
--------------------------------------------------------------------------
________________
नुकरणशब्दोऽयं उत्काल्यमानानि कलकलेति ध्वनिं मुञ्चन्ति* त्रपुताम्राणां यानि पानानि पानीयानि तानि पीयन्ते आचम्यन्ते । पीयत इति पानं
पानीयम् ।।२३।। गाथा : को लोभेण न निहओ, कस्स न रमणीहि भोलियं हिअयं ।
को मझुणा न गहिओ, को गिद्धो नेव विसएहिं ।।२४।।
व्याख्या : लोभेन विविधवस्तुवाञ्छया को न निहतः ? को न व्यथितः ? लोभस्य
सर्वदोषेभ्योऽप्यधिकदोषत्वात् यदुक्तं भर्तृहरिणालोभश्चेदगुणेन किं ? पिशुनता यद्यस्ति किं पातकैः ?, सत्यं चेत्तपसा च किं ? शुचिमनो यद्यस्ति तीर्थेन किम् ? । सौजन्यं यदि किं निजैः ? स्वमहिमा यद्यस्ति किं मण्डनैः ? सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ? ।।१।। नीतिशतक गाथा-५५] कस्य पुरुषस्य रमणीभिः कामिनीभिर्हदयं चित्तं न भोलियं' ति न मोहितं न वशीकृतः ? इत्यर्थः । मृत्युना यमेन को न गृहीतः ? को न स्वदंष्ट्रायां क्षिप्तः ? यतः - दुपयं चउप्पयं बहुपयं च अपयं समिद्धमहणं वा । अणवकए वि कयंतो हरइ हयासो परितंतो ।।१।। प्रत्यहं नीयमानेषु जनेषु यमकिङ्करैः । स्वस्थावस्थं जगत्सर्वं किमाश्चर्यमतः परम् ? ॥२।। स्वतोऽन्यत इतस्ततोऽभिमुखधावमानापदा, महो निपुणता नृणां क्षणमपीह यजीव्यते । मुखे फलमतिक्षुधा सरसमल्पमायोजितं, कियचिरमचर्वितं दशनसङ्कटे स्थास्यति ? ॥३॥[ ] 'विसएहिं' ति सप्तम्यर्थे तृतीया, विषयेषु को नैव गृद्धो मूर्छितः ? ।।२४ ।।
१. रमणीहिं मुद्रिते । २. व खः । * "पानानि" इत्यस्य विशेषणमेतत् ।
KKREEEXEKXEEEEEEKREEKREEKREE* ८३ इन्द्रियपराजयशतकम्
Page #172
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
લોભ વડે કોણ નથી હણાયો ? સ્ત્રીઓ વડે કોનું ચિત્ત વશીકૃત નથી કરાયું ? મૃત્યુ વડે કોણ ગ્રહણ નથી કરાયો ? વિષયોમાં કોણ મૂર્છા નથી પામ્યું ? (એટલે કે બધા જ) ॥૨૪॥
?
ભાષાંતર: લોભ વડે એટલે કે વિવિધ વસ્તુની ઇચ્છા વડે કોણ નથી હણાયો ? એટલે કે કોણ વ્યથા નથી પામ્યો ? કારણ કે લોભ સર્વ દોષોમાં અધિક દોષ છે. જે ભતૃહિર વડે કહેવાયું છે કે “જો લોભ (મોટો દુર્ગુણ) છે તો દુર્ગુણો વડે શુ ? જો ચાડીયાપણું છે તો (અન્ય) પાપો વડે શું ? જો સત્ય છે તો તપ વડે કરીને શું ? જો પવિત્ર મન છે તો તીર્થ વડે સર્યું, જો સૌજન્ય છે તો સ્વજનો વડે સર્યું. જો સ્વમહિમા છે તો આભૂષણો વડે શું ? જો સદ્વિદ્યા છે તો ધન વડે શું ? અને જો અપયશ છે તો મૃત્યુ વડે શું ? (નીતિશતક ગાથા ૫૫)
કયા પુરુષનું ચિત્ત ૨મણીઓ-સ્ત્રીઓ વડે નથી ભોળવાયું ? નથી મોહિત કરાયું ? અથવા વશીકૃત નથી કરાયું ? મૃત્યુ એટલે કે યમરાજા વડે કોણ ગ્રહણ નથી કરાયું ? એટલે કે પોતાની દાઢામાં કોણ નથી નંખાયું ? જેથીદ્વિપદ, ચતુષ્પદ, બહુપદ કે અપદ, સમૃદ્ધ હોય કે નિર્ધન દરેકને, થાકેલો અને હતાશ થયેલો યમદેવ અપકાર ન કર્યો હોય તો પણ હરણ કરી લે છે. (૧) યમરાજાના નોકરો વડે દરરોજ લોકો લઈ જવાતે છતે પણ આખું જગત સ્વસ્થ રહેલું છે આથી વધારે શું આશ્ચર્ય ? (૨) પોતાનાથી કે અન્યથી આ બાજુથી અને તે બાજુથી પોતાને અભિમુખ દોડતી આપત્તિવાળા મનુષ્યોની કેવી નિપુણતા છે કે તેના વડે ક્ષણ માટે પણ જીવાય છે. કારણ કે અતિભૂખ્યા વડે અતિમધુર અને અલ્પ એવું મોઢામાં મૂકાયેલું ફળ ચવાયા વગરનું, બે દાંતની વચ્ચે કેટલો કાળ રહી શકે ? તાત્પર્ય એ કે જેમ આવી અવસ્થામાં ફળ તરત જ ચવાઈ જાય તેમ સંસારમાં આટલી આપત્તિથી ઘેરાયેલો જીવ કેટલો કાળ ભાવ મરણથી બચી શકે ?
ગાથામાં ‘વિસä’ એ પ્રમાણે સપ્તમી વિભક્તિના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. એટલે કે વિષયોમાં કોણ આસક્ત ન થાય ? ।।૨૪।।
ઈન્દ્રિયપરાજયશતક ૮૩
Page #173
--------------------------------------------------------------------------
________________
गाथा : खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा ।
संसारमुक्खस्स विपक्खभूआ, खाणी अणत्थाण उ कामभोगा ।।२५।। व्याख्या : क्षणमात्रसौख्याः क्षणमात्रं सौख्यं येषु । तथा 'बहुकालदुक्खा' बहुकालं
नरकादिषु दुक्खं शारीरादि येभ्यस्ते । प्रकामदुःखा अतिशयदुःखाः । अनिकामसौख्या अप्रकृष्टसुखाः । संसारमोक्षस्य संसारान्मोक्षो वियोगो यस्मात्स संसारमोक्षो मुक्तिस्तस्य प्रतिबन्धकतया प्रतिकूलाः । किमित्येवंविधाः ? (तत) इत्याह 'खनिराकरोऽनर्थानां, तु शब्दोऽवधारणे भिन्नक्रमश्च, ततः खनिरेव कामभोगा उक्तरूपाः ।।२५।।
गाथा : सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी ।
कामग्गहो दुरप्पा, जेणभिभूअं जगं सव्वं ।।२६।।
व्याख्या : सर्वग्रहाणां समस्तोन्मादानां प्रभव उत्पत्तिस्थानम् । महाग्रहः बृहदुन्मादः ।
'सव्वदोसपायट्टि' त्ति सर्वदोषाणां परदाराऽऽकर्षणादीनां प्रवर्तक इत्यर्थः । कोऽसौ ? कामग्रहो मदनचित्तभ्रमो दुरात्मा दुष्टस्वभावो येनाभिभूतं वशीकृतं जगत्सर्व्वमिति ।।२६।।
गाथा : जह कच्छुल्लो कच्छं, कंडुअमाणो दुहं मणइ सोक्खं ।
मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ।।२७।। व्याख्या : ‘जह कच्छुल्लो कच्छु' ति यथा पामावान् पामां कण्डूयमानो नखादिभिः दुःखं
तदुपतप्तिरूपं मन्यते सौख्यम् । मोहातुरा=मदनविपर्यासविह्वला
मनुष्या जीवास्तथा कामदुःखं सुखं ब्रुवते स्वतोषात्परस्मै कथयन्ति ।।२७।। १. ०मोक्खस्स मुद्रिते । २. तत खडड ड । ३. मुणइ सुक्खं मुद्रिते ।
"ते" इत्यध्याहारोऽत्र सुगम एव । + "स्यादाकरः खनिः खानिः" इति अभिधानीय १०३६ तमश्लोकात् खनिखानिशब्दौ सिद्धावेव ।
८४
इन्द्रियपराजयशतकम्
Page #174
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા, ઘણા કાલ સુધીના દુઃખને
આપનારા, અતિશય દુ:ખવાળા, તુચ્છ સુખવાળા, મોક્ષને પ્રતિકૂળ અને
અનર્થોની ખાણ જ છે. IFરપા ભાષાંતરઃ ક્ષણ માત્ર એટલું જ સુખ છે જેમાં એવા ક્ષણ માત્ર સુખવાળા, ઘણા
કાળ સુધી શરીર સંબંધી નરકાદિમાં દુ:ખ છે જેનાથી એવા બહુકાલ દુ:ખવાળા, પ્રકામ એટલે કે અતિશય દુ:ખવાળા, અનિકામ એટલે અપ્રકૃષ્ટ-તુચ્છ સુખવાળા, સંસારથી મોક્ષ એટલે કે સંસારથી વિયોગ છે જેમાં તે સંસારમોક્ષ એટલે કે મુક્તિ, એ મુક્તિને અટકાવતા હોવાથી પ્રતિકૂળ છે, માટે સંસારમોક્ષના વિપક્ષભૂત છે. એવા પ્રકારના કેમ છે ? તો કહે છે કે - કહેવાયેલા સ્વરૂપવાળા કામભોગો અનર્થોની ખાણ જ છે. “તુ' (૧) શબ્દ અવધારણમાં છે અને ભિન્ન જગાએ જોડવાનો છે. તેથી
કામભોગો અનર્થોની ખાણ જ છે. રિપો ગાથાર્થ : જેના વડે આખું જગત વશીકૃત કરાયેલું છે એવો કામ નામનો ગ્રહ,
સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન છે, મોટો ઉન્માદ છે, સર્વ દોષોને
પ્રવર્તાવનાર છે. સરકા ભાષાંતરઃ સર્વગ્રહોનો પ્રભાવ એટલે કે સમસ્ત ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ
એટલે કે મોટો ઉન્માદ અને સર્વદોષનો પ્રવર્તક, સર્વદોષ - પરસ્ત્રીને આકર્ષણ વિગેરે જે દોષો તેનો પ્રવર્તક એવો કોણ છે ? કામગ્રહ-એટલે કે મદન વડે થયેલો ચિત્તનો ભ્રમ. વળી કેવો છે ? દુરાત્મા એટલે દુષ્ટ સ્વભાવવાળો, જેના વડે આખું જગત અભિભૂત એટલે કે વશીકૃત કરાયું
છે. //રકા ગાથાર્થ : જેમ ખરજવાના રોગવાળો ખરજવાને ખણતો ઉત્પન્ન થયેલા દુઃખને સુખ
માને, તે જ રીતે મોહથી વિહવળ થયેલા મનુષ્યો કામથી જનિત દુઃખને
સુખ કહે છે. l૨૭ ભાષાંતરઃ જેમ ખરજવાના રોગવાળો ખરજવાને નખાદિ વડે ખણતો અને
ખણવાથી ઉત્પન્ન થયેલા દુ:ખને સુખરૂપ માને છે. તેવી જ રીતે મોહાતુર એટલે કે મદન જનિત વિપર્યાસ એટલે કે કામથી ઉત્પન્ન થયેલી વિપરીત બુદ્ધિ વડે વિહ્વળ થયેલા મનુષ્યો પણ કામ જનિત દુઃખને “પોતે સંતુષ્ટ થયો” એમ માનતો બીજાને સુખ રૂપે કહે છે. ll૨૭ll
ઈન્દ્રિયપરાજયશતક ૮૪
Page #175
--------------------------------------------------------------------------
________________
गाथा : सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ।
कामे पत्थेमाणा', अकामा जंति दुग्गइं ।।२८।।
व्याख्या : शल्यमिव शल्यं कामाः, विषमिव विषंकामाः, यथा विषं भुज्यमानं
मधुरमिवापाते आभात्यथ च परिणतौ दारुणम्, एवमेते कामाः । कामा आशीविषोपमाः आश्यो दंष्ट्रास्तासु विषमस्येति आशीविषः सर्पस्तदुपमाः । किंच कामान् प्रार्थयमाना अपेर्गम्यमानत्वात् पार्थयमाना अपि अकामा अपूर्यमाणकामा इष्यमाणकामाऽभावाद्यान्ति दुर्गतिमिति द्रमकवत्, यथाभोगे अभुंजमाणावि केवि मोहा पडंति अहरगई । कुविओ आहारत्थी जत्ताइ जणस्स दमगुव्व ।।१॥[ ] राजगृहे महोत्सवे गते वैभारगिरिमुद्यानिकायां लोके भिक्षामलभमानः कश्चिद्रङ्कः श्रुत्वाऽऽरक्षकेभ्यो गतस्तत्रैव, तत्रापि प्रमत्ततया लोकस्याऽलब्धभिक्षस्य जातोऽस्य तीव्रकोपः चूर्णयाम्येनं सर्वं दुरात्मानं जनमिति चिन्तयंश्चटितः पर्वतं खनित्रेणोन्मूलितो गण्डशैलः, तेन च पतता स एव प्रवर्द्धमानरौद्रध्यानश्चूर्णितो गतः सप्तमनरकं, लोकस्तु नष्ट इति ।।२८।।
गाथा : विसए अवइक्खंता, पडंति संसारसायरे घोरे ।
विसएसु निराविक्खा, तरंति संसारकंतारं ।।२९।। व्याख्या : विषयान् अपेक्षमाणा=विषयासङ्गं कुर्वाणाः । घोरे रौद्रे संसारसागरे
भवसमुद्रे पतन्ति । विषयेषु निरपेक्षास्तत्प्रतिबन्धमविदधानाः, संसारकान्तारं संसाराटवीं, तरन्ति=लङ्घन्ते सिद्धिसौधमध्यमध्यासत
इत्यर्थः ।।२९।। १. कामे य पत्थेमाणा मुद्रिते । २. मानमधुर ख । ३. कामा खडड, ड, । ४. ०कंतारे मुद्रिते ।
८५ इन्द्रियपराजयशतकम्
Page #176
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : કામા તે શલ્ય છે, કામો વિષ છે. કામો સર્પ જેવા છે. કામોની પ્રાર્થના કરતા મનુષ્યો અકામા એટલે નહિ પૂરી થયેલી ઇચ્છાવાળા દુર્ગતિમાં જાય છે. ૨૮॥
ભાષાંતર: કામો તે શલ્ય-કાંટા છે, કામો તે વિષ જેવા છે, જેમ ખવાતું એવું ઝેર શરૂઆતમાં મધુર લાગે છે અને પરિણતિમાં દારુણ એટલે કે મોત નિપજાવતું હોવાથી ભયંકર છે, એ રીતે આ કામો પણ એવા જ છે. વળી કામો આશીવિષની ઉપમાવાળા છે. આશી એટલે દાઢ અને દાઢમાં છે વિષ જેને એ આશીવિષ, એટલે કે સર્પ તેની ઉપમવાળા કામો છે. વળી કામને માટે પ્રાર્થના કરતા પણ ‘અકામા' એટલે કે નથી પૂરી થતી ઇચ્છાઓ જેની; ઇચ્છાયેલા કામોનો અભાવ થવાથી અકામ એવા મનુષ્યો દ્રમકની જેમ દુર્ગતિમાં જાય છે, જે પ્રમાણે
આહાર મેળવવા માટે લોકો ઉપર ગુસ્સે થયેલા ભિખારીની જેમ ભોગોને નહિ ભોગવવા છતાં મોહાતુર મનુષ્યો અધોગતિમાં પડે છે.
રાજગૃહી નગરીમાં મહોત્સવમાં લોકો વૈભારિગિર ઉપર રહેલા ઉદ્યાનમાં ગયે છતે, ભિક્ષાને નહીં પ્રાપ્ત કરતો એવો કોઈક ભિખારી આરક્ષકો પાસેથી સાંભળીને તે જ ઉદ્યાનમાં ગયો. ત્યાં પણ લોકો મહોત્સવમાં રક્ત બનેલા હોવાથી લોકોના પ્રમાદ વડે નહીં પ્રાપ્ત થયેલી ભિક્ષાવાળો આ ભિખારી લોકો ઉપર તીવ્ર ક્રોધવાળો થયો. આ બધા દુરાત્મા લોકોને હું ચૂરી નાખું', એ પ્રમાણે વિચારતો એ પર્વત ઉપર ચઢ્યો. કોદાળી વડે મોટો પત્થર ખોદીને કાઢ્યો, પોતાની ઉપર પડતા એવા તે પત્થર વડે વધતા એવા રોદ્રધ્યાનવાળો એવો તે ભિખારી જ ચૂરાઈ ગયો અને સાતમી નરકમાં ગયો. લોકો નાશી ગયા. ॥૨૮॥
ગાથાર્થ : વિષયોની અપેક્ષા કરતા (મનુષ્યો) ઘોર એવા સંસારરૂપી સાગરમાં પડે છે અને વિષયોને વિષે નિરપેક્ષ (મનુષ્યો) સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે. ૨ા
ભાષાંતર: વિષયોની અપેક્ષા કરતા એટલે કે વિષયના સંગને કરતા મનુષ્યો ઘોર એટલે કે રૌદ્ર-ભયંકર એવા સંસારસાગર ભવસમુદ્રમાં પડે છે. વિષયોને વિષે નિરપેક્ષ એવા મનુષ્યો એટલે વિષયોમાં રાગને નહિ કરતા સંસારરૂપી અટવીને તરે છે-ઓળંગી મહેલમાં રહે છે. ।।૨૯।
જાય છે. સિદ્ધિ રૂપી
-
ઈન્દ્રિયપરાજયશતક ૮૫
Page #177
--------------------------------------------------------------------------
________________
गाथा : छलिआ अवइक्खंता, निरावइक्खा गया अविग्घेणं ।
तम्हा पवयणसारे, निरावइक्खेण होयव्वं ।।३०।। व्याख्या : विषयानिति गम्यमानत्वात् विषयान् अपेक्षमाणाश्छलिता मोक्षसुखाद्वञ्चिताः ।
विषयेषु निरपेक्षा अविघ्नेन मुक्तिं गताः । तस्मात् प्रवचनसारे प्रवचनस्य जिनशासनस्य सारस्तत्त्वरूपः संयमस्तस्मिन्, द्वितीयार्थे सप्तमी, प्राप्येति गम्यते, संयमं प्राप्य विषयेषु निरपेक्षेण भवितव्यम् ।।३०।।
गाथा : विषयाविक्खो निवडइ, निरविक्खो तरइ दुत्तरभवोहं ।
देवी-दीव-समागय-भाउअ-जुअलेण दिद्रुतो ।।३१।। व्याख्या : विषयापेक्षो निःपतति, संसारसमुद्रमिति गम्यते, विषये निरपेक्षो दुस्तरभवौघं
दुस्तरभवसागरप्रवाहं तरति, तत्र सूत्रकार एव दृष्टान्तमावेदयति देवीदीवसमागयभाउअजुअलेण दिटुंतो, देवीद्वीपसमागतं यत् भ्रातृयुगलं जिनपालितजिनरक्षितलक्षणं तेन दृष्टान्तो निदर्शनं तथाहि*एवं खलु जंबू ! तेणं कालेणं२ चंपा णाम नयरी, पुण्णभद्दे चेइए, तत्थ णं मायंदी णामं सत्थवाहे परिवसइ अड्डे तस्स णं भद्दा नामं भारिया । तीसे णं भद्दाए अत्तया दुवे सत्थवाहदारया होत्था, तं जहा जिणपालिए य जिणरखिए य, तते णं तेसिं मागंदियदारयाणं कयाइ एगओ सहियाणं इमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पाज्जित्था ।
* एवं खलु जम्बु ! तस्मिन् काले तस्मिन् समये चम्पा नाम नगरी, पूर्णभद्रं
चैत्यं तत्र माकन्दिर्नाम सार्थवाहः परिवसति आढ्यः, तस्य भद्रा नाम भार्या, तस्या भद्राया आत्मजौ द्वौ सार्थवाहदारको अभवताम् । तद्यथाजिनपालितश्च जिनरक्षितश्च, ततस्तयोर्माकन्दिकदारकयोः कदाचित् एकतः सहितयोरयमेतद्रूपो मिथः कथासमुल्लापः समुदपद्यत ।
१. अलिआ० मुद्रिते । २. भवोघं मुद्रिते । ३. भाउ डड, । ४. प्रवादं ड । ५. भाउजुअलेण खडड,
ड । ६. अट्टे ड। REKKEKAKKAREKKERKKRREKKERREKKERKHEREKk ८६ इन्द्रियपराजयशतकम्
Page #178
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : (વિષયોની) અપેક્ષા કરતા (મનુષ્યો) ઠગાયા છે અને (વિષયોને) વિષે
નિરપેક્ષ (મનુષ્યો) વિદન વગર (મુક્તિમાં) ગયા છે તે કારણથી પ્રવચનના
સારને પામીને (સંયમ પ્રાપ્ત કરીને) નિરપેક્ષ થવા યોગ્ય છે. ૩૦ ભાષાંતરઃ “વિષયો” શબ્દ મૂળમાં ન આપેલો હોવા છતાં જણાતો હોવાથી વિષયોની
અપેક્ષા રાખતા મનુષ્યો ઠગાય છે. એટલે કે મોક્ષના સુખથી વંચિત રખાય છે અને વિષયોને વિષે નિરપેક્ષ મનુષ્યો વિઘ્ન વિના મુક્તિમાં ગયા છે. તે કારણે પ્રવચનસારમાં એટલે કે જિનશાસનનો જે સાર એટલે કે તત્વ રૂપ જે સંયમ, તે સંયમને પ્રાપ્ત કરીને વિષયોને વિષે નિરપેક્ષ થવા યોગ્ય
છે. અહીં દ્વિતીયાના અર્થમાં સપ્તમી છે. ૩૦ ગાથાર્થ : વિષયની અપેક્ષાવાળો (સંસાર સમુદ્રમાં) પડે છે, વિષયોની અપેક્ષા નહિ
રાખતો દુખેથી કરી શકાય એવા ભવસમુદ્રના પ્રવાહને તરી જાય છે.
દેવીદ્વીપ ઉપર આવેલા ભ્રાતૃયુગલનું અહીં દૃષ્ટાંત છે. [૩૧] . ભાષાંતરઃ વિષયોની અપેક્ષા રાખતો (મનુષ્ય) સંસાર સમુદ્રમાં પડે છે, અહીં
સંસાર સમુદ્રને અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. વિષયમાં નિરપેક્ષ એવો દુસ્તરભવોઘ એટલે કે દુ:ખેથી તરી શકાય એવા ભવ સમુદ્રના પ્રવાહને તરી જાય છે. એમાં સૂત્રકાર જ દેવીદ્વીપમાં આવેલા બે ભાઈઓ-જિનપાલિત અને જિનરક્ષિતનું દૃષ્ટાંત જણાવે છે. તે આ પ્રમાણેએ પ્રમાણે નિચ્ચે જંબુ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં માકન્દિ નામનો ઋદ્ધિમંત સાર્થવાહ રહેતો હતો. તેની ભદ્રા નામની પત્ની હતી. તે ભદ્રાને બે સાર્થવાહપુત્રો હતા. તે આ પ્રમાણે - એક જિનપાલિત નામનો અને બીજો જિનરક્ષિત નામનો. ક્યારેક એક જગ્યાએ સાથે રહેલા એવા તે બંને માકદિપુત્રોનો પરસ્પર આ પ્રમાણેનો વાર્તાલાપ થયો.
ઈન્દ્રિયપરાજયશતક ૮૬
Page #179
--------------------------------------------------------------------------
________________
एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारा तं चेव जाव निययं घरं हव्वमागया तं इच्छामो णं अम्मयाओ ! तुन्भेहिं अब्भणुन्नाया समाणा दुवालसं लवणसमुदं पोयवहणेणं ओगाहित्तए । तते णं ते मागंदियदारए अम्मापियरो एवं वयासी - इमे भो जाया अज्जगपज्जगपिउपज्जयागए सुबहुहिरण्णे य, सुवन्ने य, कंसे य, दूसे य, विउलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइए संतसारसावइज्जे, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, तं अणुहोह ताव जाया ! विउले माणुस्सए इड्डीसक्कारसमुदए, किं भे सपञ्चवाएणं निरालंबणेणं लवणसमुद्दोत्तारेणं ? एवं खलु पुत्ता दुवालसमी जत्ता सोवसग्गा यावि भवति, तं माणं तुब्भे दुवे पुत्ता दुवालसंपि लवण जाव ओगाहेह, मा हु तुझं सरीरस्स वावत्ती भविस्सति ।
एवं खलु आवां लवणसमुद्रं पोतवहनेन एकादशवारान् अवगाढौ, सर्वत्रापि च लब्धार्थी, कृतकार्यों अनघसमग्रौ पुनरपि निजगृहं शीघ्रमागतो, तत् श्रेयः खलु आवयोः देवानुप्रिय ! द्वादशमपि (वारं) लवणसमुद्रं पोतवहनेनावगाहयितुमिति कृत्वाऽन्योऽन्यस्यैतमर्थं प्रतिशृणुतः, प्रतिश्रुत्य यत्रैव अम्बापितरौ तत्रैवोपगच्छतः, उपगम्यैवमवदताम्, एवं खलु आवां पितरौ ! एकादश वारान् तच्चेव यावत् निजकं गृहं शीघ्रमागतौ तत् इच्छावः पितरौ ! युवाभ्यामनुज्ञातौ सन्तौ द्वादशं (वारं) लवणसमुद्र पोतवहनेनावगाहयितुम् । ततस्तौ माकन्दिकदारको अम्बापितरौ एवमवदतामिदं जातौ ! आर्यकप्रार्यकपितृपर्यायागतं सुबहुहिरण्यं च सुवर्ण च कांस्यं च दुष्यं च विपुलधनकनकरत्नमणिमौक्तिकशङ्ख-शिलाप्रवालरक्तरत्नादिकं सत्सारस्वापतेयं अलं यावत् आसप्तमात् कुलवंशात् प्रकामं दातुं प्रकामं भोक्तुं (प्रकामं परिभाजयितुं) तदनुभवतं तावत् जातौ ! विपुलमानुष्यकऋद्धिसत्कारसमुदयं किं युवयोः सप्रत्यपायेन निरालम्बनेन लवणसमुद्रोत्तारेण ? एवं खलु पुत्रौ ! द्वादशी यात्रा सोपसर्गा चाऽपि भवति, तद् मा युवां द्वौ पुत्रौ द्वादशमपि (वारं) लवणसमुद्रं (पोतवहनेन) अवगाहयतम्, मा हु युवयोः शरीरयो:व्यापत्तिर्भविष्यति,
८७
इन्द्रियपराजयशतकम्
Page #180
--------------------------------------------------------------------------
________________
અનુ ઉતરવા માટે કહ્યું - BY
“એ રીતે ખરેખર આપણે બંને વહાણ વડે અગિયાર વાર લવણસમુદ્રમાં ઊતર્યા અને બધે જ પ્રાપ્ત કરેલા અર્થવાળા, કરાયેલા કાર્યોવાળા, પુણ્યશાળી એવા આપણે પાછા સ્વગૃહે જલ્દી આવી ગયા. તેથી હે દેવાનુપ્રિય ! બારમી વાર પણ લવણસમુદ્રમાં ઉતરવું તે આપણા બંનેનું કલ્યાણ જ છે. એમ કરીને અન્યોન્ય એ પ્રયોજનને (વાતને) બંનેએ સ્વીકારી અને સ્વીકારીને જ્યાં માતાપિતા હતા, ત્યાં પાસે ગયા. પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, હે માતાપિતા ! અમે બંને અગિયાર વાર જઈને શીધ્ર ઘરે પાછા આવ્યા તેથી તે માતાપિતા! તમારા બંને વડે અનુજ્ઞા અપાયેલા એવા અમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં વહાણ વડે ઉતરવા માટે ઇચ્છીએ છીએ. ત્યાર બાદ માતાપિતાએ તે માકન્દિપુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! મહાપિતા-માતા અને પિતાની પરંપરાથી આવેલું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્રો, વિપુલ ધન, કનક, રત્નમણિ, મૌક્તિક, શંખશિલા, પ્રવાલ રક્તરત્નાદિ બધું સારભૂત અને પોતાની જ માલિકીનું છે, તે સાત પેઢી સુધી ઘણું આપવા માટે, અત્યંત ભોગવવા માટે અને અત્યંત પરિભોગવવા માટે પૂરતું છે, તો તેને જ ભોગવો. હે પુત્રો ! તમને વિપુલ એવી મનુષ્ય સંબંધી ઋદ્ધિ અને સત્કારનો સમુદય છે, તો વિપ્નવાળા અને જરૂર વગરના એવા લવણસમુદ્રના ઉતારણ વડે તમને શું ? (કંઈ પ્રયોજન નથી) અને વળી હે પુત્રો ! બારમી યાત્રા ઉપસર્ગવાળી પણ થાય, તેથી તમે બે પુત્રો બારમી વાર વહાણ વડે લવણ સમુદ્રને ન ઉતરો. જેથી તમારા બંનેના શરીરને આપત્તિ ન થાય.
ઈન્દ્રિયપરાજયશતક ૮૭
Page #181
--------------------------------------------------------------------------
________________
तते णं च ते मागंदियदारगा अम्मापियरो दोचंपि तञ्चं पि एवं वयासी एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारा लवण० जाव ओगाहित्तए तते णं ते मागंदियदारए अम्मापिअरो जाहे नो संचाएंति बहूहिं आघवणाहि य पन्नवणाहि य आघवित्तए वा पण्णवित्तएए वा, ताहे अकामया चेव एयमढें अणुमनित्था । तते णं ते मागंदियदारगा अम्मापिउहिं अब्भणुनाया समाणा गणिमं च मेजं च पारिच्छेज्जं च जहा अरहन्नगस्स, जाव लवणसमुदं बहुतिं जोयणसयातिं
ओगाढा (सूत्र-७९)। ततश्च तो माकन्दिकदारकावम्बापितरौ द्वितीयमपि तृतीयमपि (वार) एवमवदताम्, एवं खलु आवां पितरौ ! एकादश वारान् लवणसमुद्र (पोतवहनेन) अवगाढौ, (सर्वथापि च लब्धार्थी कृतकार्यो अनघसमग्रौ पुनरपि निजगृहं शीघ्रमागतो, ततः इच्छावः पितरौ ! युष्माभिरभ्यनुज्ञातौ सन्तौ द्वादश मपि (वारं) लवणसमुद्र पोतवहनेनावगाहयितुम्) ततस्तौ माकन्दिकदारको अम्बापितरौ यदा न शक्नुतः बह्वीभिराख्यापनाभिश्च प्रज्ञापनाभिश्च आख्यापयितुं वा प्रज्ञापयितुं वा तदा अकामौ चैव एतदर्थमन्वज्ञापयताम्, ततस्तौ माकन्दिकदारको अम्बापितृभ्यामभ्यनुज्ञातौ सन्तौ गणिमं च (धरिमं च) मेयं च पारिच्छेद्यं च यथाऽरहन्नकस्य यावत् (भाण्डकं गृहीतः, गृहीत्वा शकटशाकटिकं च सज्जयतः, सज्जयित्वा गणिमस्य च धरिमस्य च मेयस्य च पारिच्छेद्यस्य च भाण्डकस्य शकटशाकटिकं बिभृतः, भृत्वा शोभने तिथिकरणनक्षत्रमुहूर्ते विपुलमशनं च पानकं च खादिमं च स्वादिमं च उपस्कारयतः, उपस्कार्य मित्रज्ञातिनिजकस्वजनसम्बन्धिपरिजनं आमन्त्रयतः, आमन्त्र्य ततः पश्चात् स्नातौ विपुलेन पुष्पवस्त्रगन्धमालाऽलङ्कारादिना सत्कारयतः सन्मानयतः, सत्कार्य सन्मान्य च तमेव मित्रज्ञातिनिजकस्वजनसम्बन्धिपरिजनं यावद् आपृच्छतः, आपृच्छ्य शकटशाकटकिं योजयतः, योजयित्वा चम्पाया नगर्या मध्यमध्येन यत्रैव गम्भीरपोतपत्तनम्, तत्रैवोपागच्छतः, उपागत्य शकटशाकटिकं मोचयतः, मोचयित्वा पोतवहनं सज्जयतः, सज्जयित्वा गणिमेन च यावत् चतुर्विधेन भाण्डकेन बिभृतः, तण्डूलैश्च समितेन च तैलेन च गुडस्य च घृतेन च गोरसेन
८८
इन्द्रियपराजयशतकम्
Page #182
--------------------------------------------------------------------------
________________
ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રોએ માતાપિતાને બીજી અને ત્રીજી વાર પણ આજ્ઞા આપવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે - અમે અગિયાર વાર લવણસમુદ્રને ઉતર્યા છીએ (અને બધી વાર સફળતા મળી છે, માટે અમને આજ્ઞા આપો) જ્યારે ઘણું કહેવા વડે અને સમજાવવા વડે પણ કહેવા કે સમજાવવા માટે અસમર્થ થયા, ત્યારે નહિ ઇચ્છતા એવા માતાપિતાએ જવા માટે અનુજ્ઞા આપી. ત્યાર બાદ માતાપિતા વડે અનુજ્ઞા અપાયેલા તે બંનેએ અરહિન્નકની જેમ ગણિમ, ધરિમ, મેય, પારિછેદ્ય કરિયાણાને ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને સજ્જ કર્યું, સજ્જ કરીને ગણિમ, ધરિમ, મેય અને પારિછેદ્ય કરિયાણાના ગાડા ભર્યા, ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તે ઘણુ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવડાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન સંબંધિ, પરિજનને આમંત્રણ કરીને, સ્નાન કરેલા તે બંનેએ ઘણા પુષ્પ, વસ્ત્ર, ગન્ધમાલા, અલંકારાદિ વડે તેઓનો સત્કાર કર્યો. સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રજ્ઞાતિ, પોતાના સ્વજન સંબંધિ અને પરિજનને પૂછ્યું, પૂછીને ગાડાને જોડ્યા, જોડીને ચંપા નગરીના જ્યાં ગંભીરપત નામનું પત્તન હતું ત્યાં ગયા. જઈને ગાડાદિને છોડ્યા. છોડીને વહાણને સજ્જ કર્યું. સજ્જ કરીને ગણિમાદિ ચારે પ્રકારના કરિયાણા વડે ભર્યું. ચોખા, ઈંધણ, તેલ, ગોળ, ઘી, ગોરસ, પાણી, પાણીના ભાજનો, ઔષધો, તૃણ, કાષ્ઠ, આભરણ, શસ્ત્ર, અને અન્ય પણ ઘણા વહાણને યોગ્ય દ્રવ્યો વડે વહાણ ભર્યું. શુભ તિથિ, કરણ, નક્ષત્ર મુહૂર્ત ઘણા અશન પાન સ્વાદિમ અને ખાદિમ તૈયાર કરાવ્યા. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજનસંબંધિ પરિજનને પૂછ્યું. પૂછીને જ્યાં વહાણનું સ્થાન હતું ત્યાં બધા ગયા. ત્યાં તે બંનેનો પરિજન ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ; ઉદાર, કલ્યાણવાળી, શિવવાળી, ધન્ય મંગલ કરવામાં કુશળ, શોભાવાળી, હૃદયંગમ, હૃદયને આનંદદાયી, મિત, મધુર અને મંજુલ વાણી વડે સ્ત્રીઓની સાથે અભિનંદન કરતો અને સ્તુતિ કરતો (પરિજન) આ પ્રમાણે બોલ્યો - હે આર્ય ! હે તાત ! હે ભાઈ! હે
ઈન્દ્રિયપરાજયશતક ૮૮
Page #183
--------------------------------------------------------------------------
________________
चोदकेन चोदकभाजनैःश्चौषधैश्च भेषजैश्च तृणेन च काष्ठेन चाभरणैश्च प्रहरणैश्चान्यैश्च बहुभिः पोतवहनप्रायोग्यैर्द्रव्येः पोतवहनं बिभृतः । शोभने तिथिकरणनक्षत्रमुहूर्ते विपुलमशनं च पानं च स्वादिमं च खादिमं चोपस्कारयतः, उपस्कार्य मित्रज्ञातिनिजकस्वजनसम्बन्धिपरिजनमापृच्छतः, आपृच्छ्य यत्रैव पोतस्थानम्, तत्रैवोपागच्छन्ति, ततस्तयोः माकन्दिकदारकयोः परिजनः ताभिरिष्टाभिः कान्ताभिः प्रियाभिर्मनोज्ञाभिरुदाराभिः कल्याणाभिः शिवाभिर्धन्याभिर्मङ्गलकरणे प्रवणाभिः सश्रीकाभिर्हदयङ्गमाभिर्हृदयप्रह्लादनीयाभिर्मितमधुरमञ्जुलाभिस्तादृशीभिर्वाग्भिरभिनन्दन् चाभिसंस्तुवन् चैवमवदत् - आर्य ! तात ! भ्रातः ! मातुल ! भागिनेय ! भगवता समुद्रेण अनभिखेद्यमानौ अनभिखेद्यमानौ चिरं जीवतम् भद्रं च युवयोः, लब्धार्थी कृतकार्यौ अनघसमग्रौ निजकं गृहं शीग्रमागतौ पश्यामः' इति कृत्वा ताभिः सौम्याभिः स्निग्धाभिदीर्घाभिः : सपिपासाभिः प्रप्लुताभिर्दृष्टिभिर्निरीक्षमाणो मुहूर्तमात्रं संतिष्ठति । ततः समापितेषु पुष्पबलिकर्मसु दत्तेषु सरसरक्तचन्दनदर्दरपञ्चाङ्गलितलेषु अनुक्षिप्ते धूपे, पूजितेषु समुद्रवातेषु संसारितासु वलयबाहासु उच्छ्रितेषु सितेषु ध्वजाग्रेषु, पटुप्रवादितेषु तूर्येषु, जयिकेषु सर्वशकुनेषु, गृहीतेषु राजवरशासनेषु, महता उत्कृष्टिसिंहनादबोलकलकलरवेण प्रक्षुब्धमहासमुद्ररवभूतामिव मेदिनीं कुर्वाणौ एकदिशं माकन्दिकदारकौ नावमारूढौ । ततः पुष्यमाणवः वाक्यमुदाहरत् “हंहो सर्वेषामपि अर्थसिद्धिः, उपस्थितानि कल्याणानि, प्रतिहतानि सर्वपापानि, युक्तः पुष्यः, विजयो मुहूर्तः, अयं देशकालः” । ततः पुष्यमाणवेन वाक्ये उदाहृते हष्टतुष्टा... कुक्षिधारकर्णधारगर्भजसंयात्रानौकावाणिजकाः व्यापिपरुः, तां नावं पूर्णात्सङ्गां पूर्णमुखां बन्धनेभ्यः मुञ्चन्ति । ततः सा नौः विमुक्तबन्धना पवनबलसमाहता उच्छ्रितसिता विततपक्षा इव गरुडयुवतिः, गङ्गासलिलतीक्ष्णश्रोतोवेगैः संक्षुभ्यन्ती संक्षुभ्यन्ती ऊर्मिमालासहस्राणि समतिक्रामन्ती समतिक्रामन्ती कतिभिरहोरात्रैः) लवणसमुद्रं बहूनि योजनशतानि अवगाढा, (सूत्र - ७९)
८९ इन्द्रियपराजयशतकम्
Page #184
--------------------------------------------------------------------------
________________
માતુલ ! હે ભાણેજ ! ભગવાન એવા સમુદ્ર વડે નહિ ખેદ કરાયેલા એવા તમે બંને લાંબુ જીવો. તમારા બંનેનું કલ્યાણ થાઓ. પ્રાપ્ત કરેલા અર્થવાળા, પૂર્ણ કરાયેલા કાર્યોવાળા, પુણ્યશાળી એવા તમને બંનેને પોતાના ઘરે શીધ્ર પાછા આવેલા અમે જોઈએ. એ પ્રમાણે કરીને તે સૌમ્ય, સ્નિગ્ધ, દીર્ઘ આÁ દૃષ્ટિઓ વડે જોતો પરિજન ક્ષણ માત્ર રહે છે. ત્યાર બાદ પુષ્પ બલિકર્મ અપાયે છતે, પૂરું થયે છત, સરસ લાલ ચંદનના લેપવાળી હથેળીઓ અપાયે છતે, ધૂપ કરાયે છતે, સમુદ્રવાત પૂજાયે છત, વલયબાહો ફેલાવાયે છતે, શ્વેત ધ્વજાઓ ઊંચી કરાયે છતે, વાજિંત્રો વગાડાય છત, સર્વ શુકનો જય પામતે છતે, રાજાનું શ્રેષ્ઠ શાસન ગ્રહણ કરાયે છતે, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદના બોલના કલકલ અવાજ વડે, ખળભળ થયેલા સમુદ્રના અવાજવાળી જ ન હોય, એવી પૃથ્વીને કરતા માકદ્ધિપુત્રો એકદિશા તરફ નાવમાં ચા. ત્યાર બાદ પુષ્યમાણવે વાક્યને કહ્યું. બધાને અર્થ સિદ્ધિ છે. કલ્યાણો ઉપસ્થિત છે. સર્વપાપો હણાઈ ગયા છે, પુષ્ય યુક્ત વિજય મુહૂર્તવાળો દેશકાળ છે. ત્યાર બાદ પુષ્યમાણવ વડે ઉચ્ચારાયે છતે હર્ષિત અને સંતુષ્ટ થયેલા કુક્ષિધાર, કર્ણધાર, ગર્ભમાં રહેલા સંયાત્ર, નૌકવણિજો વ્યાપારિત થયા. તે પૂર્ણ ભરેલી એવી નાવને બંધનથી તેઓએ મૂકી. ત્યાર બાદ તે છોડાયેલા બંધનવાળી, પવનના બળથી પ્રેરાયેલી, ઊંચા થયેલા સઢવાળી, જાણે પહોળી કરેલી પાંખવાળી ગરુડી ન હોય તેવી, ગંગાના પાણીના તીણ પ્રવાહના વેગો વડે વારંવાર ખળભળતી, હજારો તરંગોની શ્રેણીને ઓળગતી, કેટલાક દિવસ રાત વડે લવણ સમુદ્રમાં સેંકડો યોજન ઊતરી.
ઈન્દ્રિયપરાજયશતક ૮૯
Page #185
--------------------------------------------------------------------------
________________
तते णं तेसिं मागंदियदारगाणं अणेगाइं जोयणसयाति ओगाढाणं समाणाणं अणेगाइं उप्पाइयसयाति पाउन्भूयातिं तं जहा :अकाले गज्जियं अकाले विज्जुयं थणियसद्दे कालियवाते तत्थ समुट्ठिए । तते णं सा णावा तेणं कालियवातेणं आहुणिज्जमाणी २ संचालिज्जमाणी संखुभिज्झमाणी सलिलतिक्खवेगेहिं अणियट्टिजमाणी२ कोट्टिमकरतलाहते विव तिंदूसए तत्थेवर अवयप्पयंती२ उप्पयमाणीय उप्पयमाणी विव धरणितलाओ "सिद्धविज्जविज्जाहरकन्नागा ओवयमाणी विव गगणतलाओ भट्ठविज्जा विज्जाहरकन्नगा, विव पलायमाणी विव महागरुलवेगवित्तासिया भुयगवरकन्नगा, धावमाणी विव महाजणरसियद्द वित्तत्था, ठाणभट्ठा आसकिसोरी णिगुंजमाणी विव गुरुजणदिट्ठाऽवराहा सुजणकुलकन्नगा, घुण्णमाणी विव वीचीपहारसततालिया, गलियलंबणा विव गगणतलाओ रोयमाणी विव “सयलगंठिविप्पइरमाणघोरसुवेहिं णववहुउवरतभत्तुया विलवमाणी विव परचक्करायाभिरोहिया परममहब्भया महापुरवरी ततस्तयोः माकन्दिक-दारकयोरनेकानि योजनशतान्यवगाढयोः सतोरनेकान्यौत्पातिकशतानि प्रादुर्भूतानि तद्यथा-अकाले गर्जितमकाले विद्योतितं यावत् स्तनितशब्दः, कालिकवातस्तत्र समुत्थितः । ततः सा नौस्तेन कालिकवातेन आधूयमाना आधूयमाना सञ्चाल्यमाना सञ्चाल्यमाना संक्षोभ्यमाना संक्षोभ्यमाना सलिलतीक्ष्णवेगैरावय॑माना कुट्टिमकरतालहतः कन्दूक इव तत्रैव तत्रैव अधःपतन्ती, अधःपतन्ती इव धरणितलात् सिद्धविद्याविद्याधरकन्यका, अवपतन्ती इव गगनतलात् भ्रष्टविद्या विद्याधरकन्यका, पलायन्ती इव महागरुडवेगवित्रासिता भुजगवरकन्यका, धावन्ती इव महाजनरसितशब्दवित्रस्ता स्थानभ्रष्टा अश्वकिशोरी, निगुञ्जन्ती इव गुरुजनदृष्टापराधा सुजनकुलकन्यका, घूर्णयन्ती इव वीचिप्रहारशतताडिता गलितलम्बना इव गगनतलात् रुदती इव सकलग्रन्थिविप्रकीरद्घोराश्रुपातैः नववधूः उपरतभर्तृका, विलपन्ती इव
परचक्रराजाऽभिरोधिता परममहाभया (अभिद्रुता) महापुरवरी, १. उप्पाईयसयातिं अणेआई ज्ञाताधर्मकथाङ्गे । २. जाव तत्थ ज्ञाताधर्मकथाङ्गे । ३. कोट्टिमंसि
ज्ञाताधर्मकथाङ्गे । ४.ओवयमाणीज्ञाताधर्मकथाले । ५. सिद्धविजाहरकनगाज्ञाताधर्मकथाङ्गे।६. विचपलायमाणी D2 । ७. घुम्ममाणी ज्ञाताधर्मकथाङ्गे । ८. सलिलगंठि ज्ञाताधकथाङ्गे । ९. परममहब्भयाभिदुया ज्ञाताधर्मकथाङ्गे ।
९०
इन्द्रियपराजयशतकम्
Page #186
--------------------------------------------------------------------------
________________
ત્યાર બાદ તે માકન્દિપુત્રો સેંકડો યોજન અંદર ઊતરે છતે સેંકડો ઉત્પાત ઉદ્દભવ્યા તે આ પ્રમાણે - અકાલે ગર્જના, અકાલે વીજળી, મેઘનો ગડગડાટ, કાલિક વંટોળીયો થયો. ત્યાર બાદ તે નાવ, તે વંટોળિયા વડે વારંવાર હડસેલાતી વારંવાર ખળભળાતી, પાણીના તીવ્ર વેગ વડે ફેરવાતી, જાણે ભીંત ઉપર હાથ વડે હણાયેલા દડાની જેમ, ત્યાંને ત્યાં જ વારંવાર ઊંચે જતી, જાણે ધરણીતલથી ઉડતી, વિદ્યાને સિદ્ધ કરેલી વિદ્યાધર કન્યા ન હોય ! અને વારંવાર નીચે પડતી જાણે ભ્રષ્ટવિદ્યાવાળી ગગનતલથી નીચે પડતી વિદ્યાધર કન્યા ન હોય ! પલાયન થતી હતી જાણે મહાગરુડના વેગથી ત્રાસ પામેલી સર્પિણી ન હોય ! અને દોડતી હતી જાણે ઘણા લોકોના મોટા અવાજથી ત્રાસ પામેલી, સ્થાનથી ભ્રષ્ટ થયેલી બાલઘોડી ન હોય ! નિગુંજન કરતી હતી જાણે વડીલો વડે બતાવાયો છે અપરાધ જેને એવી સુજનકુલની કન્યા ન હોય ! વળી ભમતી હતી જાણે તરંગોના સેંકડો પ્રહાર વડે તાડન કરાતી ના હોય ! જાણે ગગનમાંથી છૂટી ગયેલા આધારવાળી ન હોય ! અને વળી પતિના વિયોગવાળી, બધી ગ્રન્થિઓમાંથી ઝરતા ઘોર અશ્રુપાત વડે નવવધૂની જેમ રડતી અને વળી શત્રુરાજા વડે ઘેરાઈ ગયેલી, ૫૨મ ભયવાળી મહાનગરીની જેમ વિલાપ કરતી,
ઈન્દ્રિયપરાજયશતક ८०
Page #187
--------------------------------------------------------------------------
________________
जायमाणी विव 'कवडच्छोमणपउयजुत्ता जोग परिवाइयाणी समाणी' विव महाकत्तारविणिग्णयपरिस्संता परिणयक्या अम्मयासोयमाणी विव तवचरणरवीणपरिभोगा चयणकाले देववरबहुसंचुन्निय-कढुकूवरा भग्गमेढिमोडिय सहस्समाला सूलाइया वंकपरिभासा फलहंतरतडतडेतफुटुंतसंधिवियलंतलोहरवीलिया सव्वंगवियंभिया परिसडिय रज्जुविसरत्तसव्वगत्ता आममल्लगभूया अकयपुनजणमणोरहो विव चिंतिजमाणगुरुवी हाहाकयकन्नधारणा वियवाणिग'जण कम्मकरविलविया णाणाविहरयणपणियसंपुन्ना बहुहिं पुरिसएहि रोयमाणेहिं कंद. सोय. तिप्प. विलवमाणेहिं एगं महं अंतो जलगयगिरिसिहरमासाइत्ता संभग्गकूवतोरणे मोडियझयदंडा, वलयसयखंडिया करकरस्स तत्थेव विद्दवं च उवगया ततेणं तीए णावाए भिज्जमाणीए ते बहवे पुरिसा विपुलपणियभंडमायाए अंतो "जलंमि णिवजविप्पयाया वि होत्था
ध्यायन्ती इव कपटच्छद्मप्रयोगयुक्ता योगपरिव्राजिका, निःस्वसन्ती इव महाकान्तारविनिर्गतपरिश्रान्ता परिणतवया अम्बा, शोचन्ती इव तपश्चरणक्षीणपरिभोगा च्यवनकाले देववरवधूः, संचूर्णितकाष्टकूपारा भग्नमेढिमोटितसहस्रमाला शूलायितवक्र-परिमर्शा फलकान्तरतटतटायमानस्फुटत्सन्धिविगलद्लोहकीलिका सर्वाङ्गविजृम्भिता परिशटितरज्जुविशीर्यमाणसर्वगात्रा आममल्लकभूता अकृतपुण्यजनमनोरथ इव चिन्त्यमानगुर्वी हाहाकृतकर्णधारकावित्त-वाणिजकजनकर्मकरविलपिता नानाविधरत्नपण्यसंपूर्णा बहुभिः पुरुषशतैः रुदद्भिः शोचद्भि-स्तर्पद्भिर्विलपद्भिरेकं महद् जलान्तर्गतं गिरिशिखरमासाद्य संभग्नकूपतोरणा मोटितध्वजदण्डा वलयशतखण्डिता करकर इति कृत्वा तत्रैव विद्रवं च उपगता । ततस्तस्यां नौकायां भिद्यमानायां ते बहवः पुरुषाः विपुलपण्यभाण्डमादाय अन्तःजले निमग्ना विप्रजाता अप्यभवन् ।
१. कवडच्छोमप्पओग. ज्ञाताधर्मकथाङ्गे । २. जिसासमाणी ज्ञाताधर्मकथाङ्गे । ३. खेचरबहु ख ।
४. विसरंतसव्वगत्ता ज्ञाताधर्मकथाङ्गे । ५. गुरुई ज्ञाताधर्मकथाङ्गे । ६. वाणियगं
ज्ञाताधर्मकथाङ्गे । ८. जलंमि णिमज्जावि यावि होत्था ज्ञाताधर्मकथाङ्गे । PAKKKKRXXXKAKKKKAKKAREKKERAKAR ९१ इन्द्रियपराजयशतकम्
Page #188
--------------------------------------------------------------------------
________________
કપટ અને માયાના પ્રયોગથી યુક્ત એવી યોગ પરિવ્રાજિકાની જેમ ધ્યાન કરતી, વળી મહા અટવીમાંથી નીકળેલી, ખૂબ થાકી ગયેલી, વૃદ્ધ માતાની જેમ શ્વાસ લેતી અને વળી તપ અને ચારિત્ર વડે (ઉપાર્જન કરેલા પુણ્યના) ક્ષીણ થઈ ગયેલા પરિભોગવાળી, ચ્યવનકાળે ઇન્દ્રાણીની જેમ શોક કરતી, સંપૂર્ણ ચૂર્ણ થઈ ગયેલા લાકડાના ફૂપારવાળી, ભાંગી ગયેલી, મેઢી અને વાંકી થયેલી સહસ્રમાલાવાળી, વીંધાઈ ગયેલા વાંકા પરિમર્શવાળી, (નૌકાનું લાકડું) ફલકની અંદર તત્ તત્ અવાજ કરતી, તૂટતા સાંધાવાળી, નીકળી જતી છે લોખંડની ખીલ્લીઓ જેની, સર્વ અંગ પ્રગટ થઈ ગયા છે જેના એવી, નાશ થયેલી રજૂને કારણે છૂટા પડી ગયેલા સર્વગાત્રવાળી, કાચા પાત્ર જેવી થઈ ગયેલી, નહીં કરેલા પુણ્યવાળા મનુષ્યના મનોરથની જેમ વિચારવામાં જ મોટી, હાહાકાર કરાયો છે કર્ણધાર વડે જેમાં, ધનના વ્યાપારી અને કર્મકર વડે કરાયો છે વિલાપ જેમાં એવી, વિવિધ રત્નો અને કરિયાણા વડે સંપૂર્ણ, રડતા, શોક કરતા, દુ:ખી થતા, વિલાપ કરતા એવા સેંકડો પુરુષોની સાથે એક મોટા પાણીની અંદર રહેલા ગિરિના શિખરને પ્રાપ્ત કરીને ભાગી ગયેલા કૂપના તોરણવાળી, મરડાઈ ગયેલા ધ્વજદંડવાળી, સેંકડો આવોં વડે ખંડિત થઈ ગયેલી કરકર એ પ્રમાણે કરીને ત્યાં જ વિનાશને પામી. ત્યાર બાદ ભેદાતી એવી તે નૌકામાં રહેલા તે ઘણા પુરુષો ઘણા કરિયાણા અને ભાણ્ડને ગ્રહણ કરીને જળની અંદર નિમિગ્ન થયેલા વિપ્રની જાતિવાળા (અર્થાત્ ફક્ત લંગોટને ધારણ કરનારા) પણ થયા.
ઈન્દ્રિયપરાજયશતક
૯૧
Page #189
--------------------------------------------------------------------------
________________
तणं ते मागंदियदारगा छेया दक्खा पत्तट्ठा कुसलमेहावी णिउणसिप्पोवगया बहूसु पोयवहणसंपराएसु य कयकरणालद्धविजया अमूढा अमूढहत्था एवं महं फलगखंडं आसादेंति जंसि च णं पदेसंसि से पोयवहणे विवन्ने तेसिं च णं पदेसंसि एगे महं पयणद्दीवे णामं दीवे होत्था अणेगाई जोयणाई आयामविक्खंभेणं अणेगाई जोयणाई परिक्खेवेणं णाणादुमसंडमंडउद्दे सस्सिरीए पासाईए । । ४ । । तस्स णं बहु मज्झदेसभाए तत्थ णं महं= एगे पासायवडेंसए होत्था अब्भुग्गयमूसिए जाव सस्सिरीयरूवे पासाईए तत्थ पासायवडेंसए रयणद्दीवदेवता णामं देवया परिवसइ पावा चंडा रुद्दा खुद्दा साहस्सिया तस्स णं पासायवडेंसयस्स चउद्दिसिं चत्तारि वणसंडा किन्हा किण्होभासा' तते णं ते मागंदियदारगा तेणं फलयखंडेणं उवुज्झमाणा२ रयणदीवं तेणं संवूढा यावि होत्था तते णं ते मागंदियदारगा' थारल हत्ति मुहुत्ततरं आससंति फलगखंडं विसज्जेन्ति२ रयणदीवं उत्तरंति२ फलाण मग्गणगवेसणं करेंति फलाई आहारेंति २
९२
ततस्तौ माकन्दिकदारकौ छेकौ दक्षौ प्राप्तार्थौ कुशलमेधाविनौ निपुणशिल्पोपगतौ बहुषु पोतवहनसंपरायेषु च कृतकारणलब्धविजयौ अमूढौ अमूढहस्तौ एकं महत् फलकखण्डमासादयतः यस्मिन् च प्रदेशे तद् पोतवहनं व्यापन्नं तस्मिंश्च प्रदेशे एको महान् रत्नद्वीपो नाम द्वीपोऽभवत्, अनेकानि योजनानि आयामविष्कम्भे अनेकानि योजनानि परिक्षेपेण नानाद्रुमखण्डमण्डितदेशे सश्रीकः प्रासादीयः । । ४ । । तस्य बहुमध्यदेशभागे तत्र महान् एकः प्रासादावतंसकोऽभवत् । अभ्यद्गतोच्छ्रितकः यावत् सश्रीकरूपः प्रासादीयः, तत्र प्रासादावतंसके रत्नद्वीपदेवता नाम देवता परिवसति । पापा चण्डा रुद्रा क्षुद्रा साहसिकी । तस्य प्रासादावतंसकस्य चतुर्दिशि चत्वारि वनखण्डानि कृष्णानि कृष्णभासानि ... (आसन्), ततस्तौ माकन्दिकदारकौ तेन फलकखण्डेनोपोद्यमानौ रत्नद्वीपान्तेन संव्यूढौ चापि अभवताम्, ततस्तौ माकन्दिकदारकौ स्थाघं लभेते मुहूर्ततरं आश्वस्यतः, आश्वस्य फलकखण्डं विसृजतः, विसृज्य रत्नद्वीपमुत्तरतः, उत्तीर्य फलानां मार्गणगवेषणां कुरुतः, कृत्वा ( फलानि गृह्णन्ति, गृहीत्वा ) फलान्याहरतः,
१. किण्हाभासा ख २. थालं लभत्ति ज्ञाताधर्मकथाङ्गे । ३. फलाई गिण्हंतिर आहारेंति३ ज्ञाताधर्मकथाङ्गे ।
इन्द्रियपराजयशतकम्
223
Page #190
--------------------------------------------------------------------------
________________
ત્યાર બાદ તે બંને માકદિપુત્રો ચતુર, દક્ષ, પ્રાપ્ત થયેલા અર્થવાળા, કુશળબુદ્ધિવાળા, નિપુણ શિલ્પને પ્રાપ્ત કરેલા, ઘણા વહાણના સંગ્રામમાં કરાયેલા (પરાક્રમ)ના હેતુથી પ્રાપ્ત કરેલા વિજયવાળા, અમૂઢ હાથવાળા એક મોટા ફલકના ટૂકડાને પ્રાપ્ત કરે છે. જે પ્રદેશમાં તે વહાણ નાશ પામ્યું તે જ પ્રદેશમાં એક મહાન રત્નદ્વીપ નામનો દ્વીપ હતો. લંબાઈ અને પહોળાઈમાં અનેક યોજન, ઘેરાવામાં અનેક યોજનવાળો, વિવિધ વૃક્ષોના વનો વડે શોભતા દેશવાળો, શોભા સહિતનો, આનંદને ઉત્પન્ન કરનારો હતો. તે દ્વીપના મધ્યભાગમાં એક મહાન પ્રાસાદ રૂપી ઘરેણું હતું. તે મહેલ અત્યંત ઊંચો, શોભાવાળો અને આનંદને ઉત્પન્ન કરનારો હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્વીપદેવતા નામની દેવી વસતી હતી. તે પાપી, ચંડ, રુદ્ર (ભયંકર), ક્ષુદ્ર, સાહસી હતી. તેના મહેલની ચારે દિશામાં ચાર કાળી આભાવાળા કાળા વનો હતા. ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રો તે ફલકના ટુકડા વડે વહન કરાતા રત્નાદ્વીપની નજીક વહન કરાયેલા થયા. ત્યાર બાદ તે બંને માકદિપુત્રોએ કિનારાને પ્રાપ્ત કર્યો. મુહૂર્તમાં આશ્વાસન પામ્યા, આશ્વાસન પામીને ફલક ખંડને છોડી દીધો, છોડીને રત્નદ્વીપમાં ઊતર્યા, ઊતરીને ફળોની શોધ કરી, કરીને ફળોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તેનો આહાર કર્યો,
ઈન્દ્રિયપરાજયશતક
૯૨
Page #191
--------------------------------------------------------------------------
________________
णालिएराणं मग्गणगवेसणं करेत्ति णालियराइं फोडेत्ति २ णालियरतेल्लेणं अन्नमन्नस्स गत्ताइं अब्भंगेत्ति २ पोक्खरिणी ओगाहिंति जलमज्जणं करेंति जाव पञ्चत्तरंति पुढविसिलापट्टयंसि निसीयंति २ आसत्था वीसत्था सुहासणवरगया चंपनयरिं अम्मापिउआपुच्छणं च लवणसमुद्दोत्तारं च कालियवाइयसंमुत्थणं च पोयवहणविवत्तिं च फलयखंडयस्सासयणं च रयणुद्दीवुत्तारं च अणुचित्तेमाणा २ ओहयमणसंकप्पा जावज्झियायत्ति तते णं सा रयणदीवदेवता ते मागंदियदारए ओहिणा आभोएइ असिफलवग्गहत्था सत्तट्ठ तलप्पमाणं उड्डुं वेहासं उप्पयइ २ ता ते उक्किट्ठाए जाव देवगतीए वीयमाणी २ जेणेव मागंदियदारगे तेणेव उवागच्छइ आसुरत्ता ते मागंदियदारए खरफरुसनिडुरवयणेहि एवं वयासी हं भो मार्गदियदारए अप्पत्थियपत्थिया
तुझे सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा विरह तो अ जीवयं अहणं तुझे म सिद्धिं विउलाई नो विहरह तो भे इमेणं नीलुप्पलगवलगुलियजावखुरधारेणं असिणा रत्तगंडमंसुयाई माउयाहिं उवसोहिआई तालफलाणीव सीसाइ एगत्तो पाडेमि'
आहृत्य नालिकेराणां मार्गणगवेषणा कुरुतः, कृत्वा नालिकेराणि स्फोटयतः, स्फोटयित्वा नालिकेरतैलेनाऽन्योऽन्यस्य गात्राणि अभ्यङ्कः, अभ्यज्य पुष्करिणीमवगाहयतः, जलमज्जनं कुरुतः, कृत्वा यावत् प्रत्युत्तरतः, प्रत्युत्तीर्य पृथ्वीशिलापट्टके नीषीदतः, निषद्य आश्वस्तौ विश्वस्तौ सुखासनवरगतौ चम्पानगरीमम्बापित्राप्रच्छनं च लवणसमुद्रोत्तारं च कालिकवातसमुत्थानं च पोतवहनविपत्तिं च फलकखण्डकस्यासादनं च रत्नद्वीपोत्तारं चानुचिन्तयमानौ अपहतमनःसंकल्पौ यावत् ध्यायतः, ततः सा रत्नद्वीपदेवता तौ माकन्दिकदारकौ अवधिनाऽऽभोगयति, असिफलकव्यग्रहस्ता सप्ताष्टतलप्रमाणमूर्ध्वं विहायसि उत्पतति, उत्पत्य ततः तया उत्कृष्टया यावत् देवगत्या समतिक्रामन्ती समतिक्रामन्ती यत्रैव माकन्दिकदारकौ तत्रैवोपागच्छति । आशुरक्ता सा माकन्दिकदारको खरपुरुषनिष्ठुरवचनैरेवमवदत्भो ! माकन्दिकदारकौ ! अप्रार्थितप्रार्थकौ ! यदि युवां मया सार्धं विपुलान् भोगभोगान् भुञ्जन्तौ विहरतम्, ततः भो ! अस्ति जीवितम्, अथ युवां मया सार्धं विपुलान् नो विहरतम्, तदा युवयोः एतेन नीलोत्पलगवलगुलिकायावयुत्क्षुरप्रधारेण असिना रक्तगण्डश्मश्रुणी मातृकाभिरुपशोभिते ताडफले इव शीर्षे एकतः पातयामि ।
१. एगंते एडेमि ज्ञाताधर्मकथाङ्गे ।
९३ इन्द्रियपराजयशतकम्
Page #192
--------------------------------------------------------------------------
________________
આહાર કરીને નાળિયેરની શોધ કરી, કરીને નાળિયેરને ફોડ્યા, ફોડીને નાળિયેરીના તેલ વડે એકબીજાના ગાત્રોને અભંગન (ચોળ્યા) કર્યું. અભંગન કરીને વાવડીમાં અવગાહન કર્યું, પાણીમાં મજ્જન કર્યું, કરીને બહાર આવ્યા, બહાર આવીને પૃથ્વીની શિલાના પટને વિષે બેઠા, બેસીને આશ્વાસન પામેલા વિશ્વાસને પામેલા, શ્રેષ્ઠ સુખાસનમાં રહેલા, ચંપાનગરી, માતાપિતાને પૂછવું, લવણ સમુદ્રનું ઉતરવું, કાલિક વંટોળિયાનું ઉત્પન્ન થવું, વહાણનું નાશ પામવું, ફલક ખંડનું પ્રાપ્ત થવું અને રત્નદીપમાં ઊતરવું, આ બધું વિચારતાં, હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા ધ્યાન કરે છે. ત્યાર બાદ તે રત્નદ્વીપ દેવતા તે બંને માકાન્તિપુત્રોને અવધિ વડે જાણે છે, તલવાર અને ફલકથી યુક્ત હાથવાળી, સાત આઠ તલ પ્રમાણ ઊંચે આકાશમાં ઊડે છે, ઊડીને તે ઉત્કૃષ્ટ દેવગતિ વડે (માર્ગને) ઓળંગતી ઓળગતી જ્યાં માકદિપુત્રો હતા
ત્યાં જ આવી. ક્રોધિત થયેલી તેણીએ માકદિપુત્રોને કર્કશ, કઠોર અને નિષ્ફર વચનો વડે આ પ્રમાણે કહ્યું “હે માકદિપુત્રો ! મૃત્યુને પ્રાર્થના કરતા ! જો તમે મારી સાથે વિપુલ ભોગોને ભોગવતા વિચરો, તો જ તમારું જીવિત છે, હવે તમે મારી સાથે વિપુલ ભોગોને ભોગવતા નહીં વિચરો તો તમારા બંનેના નીલોત્પલ, પાડો અને ગુલિકા જેવી કાળી, સુરપ્ર જેવી (તીણ) ધારવાળી તલવાર વડે, લાલ ગાલ, દાઢી અને મૂછ વડે શોભતા એવા મસ્તકને વિષે નાળિયેરીના ફળની જેમ એક પ્રહાર આપીશ.
ઈન્દ્રિયપરાજયશતક ૯૩
Page #193
--------------------------------------------------------------------------
________________
तते णं ते मागंदियदारगा' रयणद्दीवदेवयाए अंतिए एयमटुं सोचा भीया करयल एवं जनं देवाणुप्पिया वत्तिस्सइ तस्स आणाउववायवयणणिद्देसे चिट्ठिस्सामो तते णं सा रयणदीवदेवया ते मागंदियदारए गेण्हइ जेणेव पासायवडेंसए तेणेव २ उवागच्छइ असुभपुग्गलावहारं करेइ २ सुहपोग्गलपक्खेवं करेइ २ ततो पच्छा तेहिं सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरइ कल्लाकलिं च अमयफलाई उवणेति (सूत्र-८०) तते णं सा रयणदीवदेवया सक्कवयणसंदेसेणं सुट्ठिएणं 'लवणसमुद्दे तिसत्तखुत्तो अणुपरियट्टियव्वेत्ति जंकिंचि तणं वा पत्तं वा कटुं वा कयवरं वा असुइ पूयदुरभिगंधमचोक्खं तं सव्वं आहुणिय २ तिसत्तखुत्तो एगंत एडेयत्ति कट्ट' णिउत्ता तते णं सा रयणदीवदेवया ते मागंदियदारगे एवं वयासी एवं खलु अहं देवाणुप्पिया सुट्ठियतं चेव जाव णिउत्ता, तं जाव अहं देवा० लवणसमुद्दे जाव पाडेमि ताव तुझे इहेव पासायवडेंसए सुहेणं अभिरममाणा चिट्ठह
ततस्तौ माकन्दिकदारको रत्नद्वीपदेवताया अन्तिके एतमर्थं श्रुत्वा भीती करतल एवं यद् देवानुप्रिये ! वदिष्यति तव आज्ञोपपातवचननिर्देशे स्थास्यावः, ततः सा रत्नद्वीपदेवता तौ माकन्दिकदारको गृह्णाति, यत्रैव प्रासादावतंसकः तत्रैवोपागच्छति, उपागत्य अशुभपुद्गलापहारं करोति, कृत्वा शुभपुद्गलप्रक्षेपं करोति, कृत्वा ततः पश्चात् ताभ्यां सार्धं विपुलान् भोगभोगान् भुञ्जन्ती विहरति । प्रतिदिनं च अमृतफलानि उपनयति (सू.८०) ततः सा रत्नद्वीपदेवता शक्रवचनसन्देशेन सुस्थितेन लवणसमुद्रः त्रिसप्तकृत्वोऽनुपरिवर्तयितव्य इति यत् किञ्चित् तृणं वा पत्रं वा काष्ठं वा कचवरं वा अशुचिपूति दुरभिगन्धि अचोक्षं तत् सर्वं आधूय आधूय त्रिसप्तकृत्वः एकान्ते निक्षेप्तव्यमिति कृत्वा नियुक्ता । ततः सा रत्नद्वीपदेवता तो माकन्दिकदारको एवमवदत् - एवं खलु अहं देवानुप्रियो ! शक्र...यावत् नियुक्ता, तद् यावदहं देवानुप्रियौ ! लवणसमुद्रे यत् किञ्चित्... यावत् पातयामि तावत् युवामिहैव प्रासादावतंसके सुखेन अभिरममाणौ तिष्ठतम् ।
१. रयणदीव अंतिए खडड ड । २. लवणाहिवहिणा लवणसमुद्दे - ज्ञाताधर्मकथाङ्गे । ३. पूतियं
ज्ञाताधर्मकथाङ्गे । ४. एडेयव्वं तिकट्ट ज्ञाताधर्मकथाङ्गे।
९४
इन्द्रियपराजयशतकम्
Page #194
--------------------------------------------------------------------------
________________
ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રો રત્નદ્વીપદેવતા પાસેથી આવા પ્રયોજનને સાંભળી ગભરાઈ ગયા, જાણે હાથવેંતમાં મૃત્યુ હોય ! (કહ્યું કે, હે દેવાનુપ્રિયા ! જે કહેશો તે, રીતે તારી આજ્ઞા રૂપે પ્રાપ્ત થયેલા વચન પ્રમાણે રહીશું. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવતા તે બંને માકન્દિપુત્રોને ગ્રહણ કરે છે. જ્યાં મહેલ હતો ત્યાં આવે છે. આવીને અશુભ પુદ્ગલો દૂર કરે છે, કરીને શુભપુગલોનો પ્રક્ષેપ કરે છે, કરીને ત્યાર પછી તે બંનેની સાથે વિપુલ ભોગોને ભોગવતી વિચરે છે. દરરોજ અમૃત ફળોને લાવે છે. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવી ઇન્દ્રના વચનના સંદેશ વડે સુસ્થિત દેવ વડે નિયોગ કરાઈ કે લવણ સમુદ્ર એકવીશ વાર ફરવા યોગ્ય છે એ પ્રમાણે જે કંઈ પણ તૃણ અથવા પત્ર, અથવા કાષ્ઠ અથવા કચરો અથવા અશુચિપૂતિ, દુરભિગન્ધવાળી અશુચિ હોય તે સર્વ દૂર કરવી, કરીને એકવીશ વાર એકાન્ત જગ્યાએ નાખવું. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવતાએ તે બંને મા કન્દિપુત્રોને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય ! શક્રના આદેશથી સુસ્થિત વડે હું નિયોગ કરાઈ છું. એટલામાં હું હે દેવાનુપ્રિય ! હું લવણ સમુદ્રમાં જે કંઈ અશુચિને દૂર કરું ત્યાં સુધી તમારે બંનેએ અહી જ આ મહેલમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેવું.
ઈન્દ્રિયપરાજયશતક
૯૪
Page #195
--------------------------------------------------------------------------
________________
जति णं तुज्झे एयंसि अंतरंसि उव्विग्गा वा उस्सुया वा उप्पुया वा भवेज्जाह णं तुझे पुरथिमिल्लं वणसंडं गच्छेज्जाह तत्थ णं दो ऊऊ सया साहीणा तं पाउसे य वासारत्ते य तत्थ उ कंदलसिलिंधदत्तो निउरवरपुप्फपीवरंकरो । कुडयज्जुणणीवसुरभिदाणो पाउसउऊगयवरो साहीणो ।। १ ।। तत्थ सुरगोयमणि विचित्तो दहुरकुलरसियउज्झरवो वरहिणविंदपरिणद्धसिहरो वासारत्त उऊ पव्वउ साहीणो ।। २ ।। तत्थ णं तुझे देवाणुप्पिया बहुसु वावीसु य जाव सरसरपंत्तियासु य बहुसु आलीघरएसु य जाव कुसुमघरएसु य सुहंसुण अभिरममाणा २ विहरिज्जाह जइ णं तुज्झे तत्थ विउव्विग्गा वा उस्सुया वा उप्पुया वा भवेज्जाह ताणं तुज्झे उत्तरिल्लं वणसंडं गच्छेज्जाह तत्थ दो ऊऊसया साहीणा तं सरदो य हेमंतो य तत्थ उ सणसत्तिवन्नकओहो णीलुप्पलपउमर्णालणसंगो सारसचक्कायरवितघोसो सरयऊऊ गोवती साही । । १ । । तत् य सियकुंदधवलजुन्हो कुसुमियलु द्धवणसंडमंडलतलो । तुसारदगधारपीवरकरो हेमंत ऊऊ ससी सया साहीणो ।।२ ।। तत्थ णं तुझं देवा. वावीसु य जाव विहरेज्जाह जते णं तुज्झे तत्थ वि उव्विग्गा वा जाव उस्सुया वा भवेज्जाह तो णं तुज्झे अवरिल्लं वणसंडं गच्छेज्जाह
यदि युवामत्रान्तरे उद्विग्नौ वौत्सुकौ वा उत्प्लुतौ वा भवेतम्, तर्हि युवां पौरस्त्यं वनखण्डं गच्छतम्, तत्र द्वौ ऋतू सदा स्वाधीने तद्यथा प्रावृट् च वर्षारात्रश्च तत्र तु कन्दलसिलिन्प्रदत्तनिकुरवरपुष्पपीवरकरः कुटभर्जुननीयसुरभिदानः प्रावृऋतुगजवरः स्वाधीनः ।।१।। तत्र सुरगोपमणिविचित्रः दर्दुरकुलरसितोज्झररवो बर्हिणवृन्दपरिणद्धशिखरः वर्षारात्रः ऋतुः प्रव्रजतु स्वाधीनः ।।२।। तत्र युवां देवानुप्रियौ ! बहुषु वापीसु च यावत् सरस्सरपङ्किषु च बहुषु जालिगृहेषु च यावत् कुसुमगृहेषु च सुखसुखेनाभिरममाणौ अभिरममाणौ विहरतम्, यदि युवां तत्रापि उद्विग्नौ वोत्सुकौ वोत्प्लुतौ वा भवेतम्, तदा औतराहं वनखण्डं गच्छतम्, तत्र द्वौ ऋतू सदा स्वाधीनौ तद् शरच्च हेमन्तश्च । तत्र तु शरणशक्तिवर्णकौघः नीलोत्पलपद्यनलिनसङ्गः सारसचक्रवाकरवितघोषः शरदर्तुर्गोपतिः स्वाधीनः ।। १ ।। श्वेतकुन्दलज्योत्स्नः कुसुमितलब्धवनखण्डमण्डलतलः तुषारदकधार - पीवरकरः हेमन्तः ऋतुः शशी सदा स्वाधीनः ।।२।। युवां देवानुप्रियौ वापीषु च यावत् विहरतम् । यदि युवां तत्रापि उद्विग्नौ वा यावत् उत्सूकौ वा भवेतं तदा युवामपाचीनं वनखण्डं गच्छतं,
तत्र
23232323232 ९५ इन्द्रियपराजयशतकम्
Page #196
--------------------------------------------------------------------------
________________
જો તમે બંને વચ્ચે ક્યારેય ઉદ્વિગ્ન અથવા ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ, તો તમારે બંનેએ પૂર્વ તરફના વનખંડમાં જવું. ત્યા બે ઋતુ હંમેશાં સ્વાધીન છે. તે આ પ્રમાણે - પ્રાવૃત્ અને વર્ષારાત્ર, તેમાં વળી અંકુરાવાલા સિલિંધ (વૃક્ષ વિશેષ) વડે સ્થાપન કરાયેલો, નિકુરના (વૃક્ષવિશેષ) શ્રેષ્ઠ પુષ્પોને પુષ્ટ કરવાવાળો (સૂંઢવાળો) કુટભ, અર્જુન નીવ વિગેરે વૃક્ષોને સુરભિને આપનાર, આવી વર્ષા ઋતુ રૂપી ગજવર સ્વાધીન છે. ત્યાં સુરગોપ (એક પ્રકારનું જીવડું) રૂપ મણિ વડે વિચિત્ર, દેડકાના સમૂહ વડે નીકળેલા અંદરના અવાજવાળી, મો૨ના વૃન્દથી વીંટળાયેલા શિખરોથી યુક્ત એવી વર્ષાઋતુ સ્વાધીન વર્તો. ત્યાં તમારે હે દેવાનુપ્રિય ! ઘણી વાપીઓમાં, સરોવરોની પંક્તિઓને વિષે, જાલિગૃહને વિષે, કુસુમગૃહને વિષે, સુખ સુખપૂર્વક રમતા વિચરવું. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અથવા, ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ ત્યારે ઉત્તરમાં ૨હેલા વનખંડમાં જવું. ત્યાં બે ઋતુ હંમેશાં સ્વાધીન છે તે શરદ અને હેમન્ત, તેમાં શણ (એક જાતનું ઘાસ), શક્તિ (વૃક્ષવિશેષ) અને ચંદનના સમૂહવાળી, નીલોત્પલ, પદ્મ અને નલિનીના સંગવાળી, સારસ અને ચક્રવાકના અવાજથી ઘોષિત થયેલી એવી શરદઋતુ રૂપી સૂર્ય સ્વાધીન છે અને ત્યાં શ્વેત કુન્દલ (પુષ્પ)ની જ્યોત્સ્નાવાળી, કુસુમિત થવાથી પ્રાપ્ત થયેલા વનખંડના મંડલવાળી પૃથ્વીથી યુક્ત બરફના પાણીની ધારાને પુષ્ટ કરનારી હેમન્તઋતુ રૂપી ચંદ્ર સ્વાધીન છે. ત્યાં તમારે બંનેએ હે દેવાનુપ્રિય ! વાપીઓને વિષે વિચરવું. જો તમે બંને ત્યાં પણ ઉદ્વિગ્ન અથવા ઉત્સુક થાઓ ત્યારે તમારે પશ્ચિમ તરફના વનખંડમાં જવું
ઈન્દ્રિયપરાજયશતક ૯૫
Page #197
--------------------------------------------------------------------------
________________
तत्थ णं दो ऊऊ सुसाहीणा तं वसंते य गिम्हे य, तत्थ उ सहकारचारुहारो किंसुयकण्णियारासोगमउडो । ऊसिततिलगवउलायवत्तो वसंतउऊणरवती साहीणो ।।१।। तत्थ य पाडलसिरीससलिलो माल्लियावासंत्तियधवलवेलो सीयलसुरभिअनिलमगरचरिओ गिम्हऊऊ सागरो साहीणो ।।२।। तत्थ णं बहुसु जाव विहरेज्जाह जइ णं तुझे देवाणुप्पिया तत्थ विउव्विग्गा उस्सुया उप्पुया भवेज्जाह ततो णं तुझे जेणेव पासायवडेंसए तेणेव उवागच्छेजाह ममं पडिवालेमाणा २ चेद्वेज्जाह मा णं तुझे दक्खिणिल्लं वणसंडं गच्छेज्जाह तत्थ णं महं एगे उग्गविसे चंडविसे घोरविसे महाविसे अइकायमहाकाएं मसिमहिसमूसाकालएणयणविसरोसपुन्नए अंजणपुंजनियरप्पगासे रत्तत्थे जेमलजुयलचंचलचलंतजीहे धरणियवेणिभूए उक्कडफुडकुडिलजडिलकक्खडवियडफुडाडोवकरणदच्छे लोहागरधम्ममाणधमधमेंतघोसे अणागलियचंडतिव्वरोसे समुहिं तुरियं चवलं धमत्ते दिट्ठीविसे सप्पे परिवसइ मा णं तुझं सरीरगस्स वावत्ती भविस्सति ते मागंदियदारए दोञ्चं पितञ्चं पि एवं वदंति २ वेउव्वियसमुग्धाएणं समोहन्नइ २ ताए उक्किट्ठाए लवणसमुदं तिसत्तखुत्तो अणुपरियट्टेउं पयत्ता यावि होत्था (सूत्र-८१) तत्र द्वौ ऋतू सुस्वाधीनौ तद् वसन्तश्च ग्रीष्मश्च, तत्र तु सहकारचारुहारः किंशुककर्णिकाराशोकमुकुट: उच्छ्रिततिलकबकुलातपत्रः वसन्तऋतुनरपतिः स्वाधीनः ।।१।। तत्र च पाटलाशिरीषसलिल: मल्लिकावासन्तिकधवलवेल: शीतलसुरभि अनिलमगरचरितः ग्रीष्मर्तुः सागरः स्वाधीनः ।।२।। तत्र बहुषु यावत् विहरतं, यदि युवां देवानुप्रियौ ! तत्रापि उद्विग्नौ उत्सुकौ उत्प्लुतौ भवेतं, ततः युवां यत्रैव प्रासादावतंसः तत्रैवोपगच्छतं, मां प्रतिपाल्यन्तौ प्रतिपाल्यन्तौ तिष्ठतं मा युवां दाक्षिणात्यं वनखण्डं गच्छतं तत्र महान् एकोनविषः, चण्डविषः, घोरविषः, महाविष; अतिकायमहाकायः मसिमहिषमुषाकालकनयन-विषरोषपूर्णोऽञ्जनकुञ्जनिकरप्रकाशः रक्ताक्षः यमलयुगलचञ्चलचलन्तजिह्वः धरणितलवेणीभूतः उत्कटस्फुटकुटिल-जटिलकर्कशविक्टस्फुटाटोपकरणदक्षः लोहकारध्यायमानधमधमायमान-घोषोऽनर्गलितचण्डतीव्ररोषः श्वमुखी त्वरितं चपलं धमन् दृष्टिविषः सर्पः परिवसति, मा युवां शरीरस्य व्यापत्तिर्भविष्यति, तौ माकन्दिकदारको द्वितीयवारं तृतीयवारमप्येवं वदति, उक्त्वा वैक्रियसमुद्धातेन समुद्धन्ति, समुद्धत्य तया उत्कृष्टया
लवणसमुद्रं त्रिसप्तकृत्वोऽनुपरिवर्तयितुं प्रवृत्ता चापि अभवत् (सूत्र ८१) १. महाकाए जहा तेयनिसग्गे मसि. ज्ञाताधर्मकथाङ्गे । २. उत्तरिल्लेहि ख । HEREKKERRIEREKKKREKKAKKAKKARMER २६ इन्द्रियपराजयशतकम्
Page #198
--------------------------------------------------------------------------
________________
ત્યાં બે ઋતુઓ સ્વાધીન છે તે વસંત અને ગ્રીષ્મ, ત્યાં વળી સહકાર વૃક્ષ રૂપી સુંદર હારવાળી, કિંશુક (વૃક્ષ વિશેષ), કર્ણિકાર (વૃક્ષ વિશેષ) અને અશોક વૃક્ષ રૂપી મુગટવાળી, ઊંચા એવા તિલક અને બકુલ વૃક્ષરૂપી છત્રવાળી વસંત ઋતુરાજ સ્વાધીન છે. અને ત્યાં પાટલા (વૃક્ષ), શિરીષ (વૃક્ષ) રૂપી પાણીવાળી, મલ્લિકા, વાસન્તિક વિગેરે પુષ્પો રૂપી શ્વેત તરંગોવાળી, શીતલ સુગંધી એવા પવન રૂપી મગર વડે આશ્રય કરાયેલી ગ્રીષ્મઋતુ રૂપી સાગર સ્વાધીન છે. ત્યાં ઘણીવાર વિચરતાં જો તમે બંને હે દેવાનુપ્રિય ! ત્યાં પણ ઉદ્વિગ્ન, ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ, ત્યાંથી તમારે બંનેએ અહીં જ મહેલમાં આવી જવું, મારી જ રાહ જોતા જોતા રહેવું, પણ તમારે બેઉ જણે દક્ષિણ તરફના વનખંડમાં ન જવું, ત્યાં મહાન્ એક ઉગ્ર વિષવાળો, ચંડ વિષવાળો, ઘોર વિષવાળો, અતિકાય મહાકાયવાળો, ભેંસ પાડો, આંખમાં વ્યાપેલા ૨ોષથી પૂર્ણ અને મુસાજેવો કાળો તથા અંજનના ઢગલાના સમુદાયના પ્રકાશવાળો, લાલ આંખવાળો,... ચંચલ ચાલતી જીભવાળો, પૃથ્વીના તલને વેણીરૂપ કરેલી છે જેને એવો, ઉત્કટ, ફૂટતા, કુટિલ અને જટિલ તથા કર્કશ અને વિકટ આવો પ્રગટ આડંબર કરવામાં હોંશિયાર, લુહાર વડે ફૂંકાતી ધમધમ થતી ધમણ જેવા અવાજવાળો, મર્યાદા વગરના પ્રચંડ તીવ્ર રોષવાળો પોતાના મુખ ત૨ફ જોનાર ઉપર ત્વરિત અને ચપલ રીતે ધમતો એવો દૃષ્ટિવિષ સાપ વસે છે. તમારા બંનેના શરીરને બાધા ન થાઓ. એ પ્રમાણે તે માકન્દિના બે પુત્રોને બે વાર ત્રણ વાર પણ આ પ્રમાણે કહ્યું. કહીને વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાત કરે છે. સમુદ્દાત કરીને ઉત્કૃષ્ટ એવી તેણી વડે લવણ સમુદ્રને ૨૧ વાર પરિભ્રમણ કરવા માટે પ્રવૃત્ત પણ થવાયું.
ઈન્દ્રિયપરાજયશતક ૯૭
Page #199
--------------------------------------------------------------------------
________________
तते णं ते मागंदियदारया तओ मुहुत्तंतरस्स पासायवडेंसए सई वा रइं वा धिइं वा अलभमाणा अन्नमन्नं एवं वयासी एवं खलु देवा. रयणदीवदेवया अम्हे एवं वयासी एवं खलु अहं सक्कवयणसंदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा जाव वावत्ती भविस्सइ तं सेयं खलु अम्हे देवाणुप्पिया पुरथिमिलं वणसंडं गमित्तए अन्नमन्नस्स एयमटुं पडिसुणेत्ति जेणेव पुरित्थमिल्ले वणसंडे तेणेव उवा० तत्थ णं वावीसु य० जाव आलीघरएसु य जाव विहरंति तते णं ते मांगदियदारगा तत्थ वि सई वा जाव अलभमाणा जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवार जाव विहरंति तते णं ते मागंदियदारया तत्थ वि सई वा जाव अलभ० जेणेव पञ्चत्थिमले वणसंडे तेणेव उवा. जाव विहरंति, तते णं ते मागंदियदारगा तत्थ वि सतिं वा जाव अलभ० अन्नमन्नमेवं वयासी एवं खलु देवा. अम्हे रयणदीवदेवया एवं वयासी एवं खलु अम्हे देवाणुप्पिया सक्कस्स वयणसंदेसेणं सुट्ठिएणं लवणाहि. जावमा णं तुझं सरीरगस्स वावित्ती भविस्सइतं भवियव्वं
ततस्तौ माकन्दिकदारको ततः मुहूर्तान्तरं प्रासादावतंसे स्मृतिं वा रतिं वा धृतिं वाऽलभमानौ अन्योऽन्यमेवमवदतं, एवं खलु देवानुप्रियः रत्नद्वीपदेवता आवामेवमवदत्, एवं खल्वहं शक्रवचनसन्देशेन सुस्थितेन लवणाधिपतिना यावत् व्यापत्तिर्भविष्यति, तच्छ्रेयः खल्वावां देवानुप्रिये ! पौरस्त्यं वनखण्डं गन्तुं, अन्योऽन्यस्यैतदर्थं प्रतिशृण्वतः, प्रतिश्रुत्य यत्रैव पौरस्त्यं वनखण्डं तत्रैवोपगच्छतः, उपगम्य तत्र वापीषु च यावत् जालीगृहेषु च यावत् विहरतः, ततस्तौ माकन्दिकदारको तत्रापि स्मृतिं वा यावदलभमानौ यत्रैव औतराहं वनखण्डं तत्रैवोपगच्छतः, उपगम्य यावद् विहरतः, ततस्तौ माकन्दिकदारको तत्रापि स्मृतिं वा यावदलभमानौ अन्योऽन्यमेवमवदत्, एवं खलु देवानुप्रिय ! आवां रत्नद्वीपदेवता एवमवदत्, एवं खल्वहं देवानुप्रियो ! शक्रवचनसन्देशने सुस्थितेन लवणाधिपतिना यावत् मा युवयोः शरीरस्य व्यापत्तिर्भविष्यति तद् भवितव्यम्,
१. धमधमेति ज्ञाताधर्मकथाले । २. अम्हे ख । XXXXXXXXXXXXXXkkkkkkkkkkkkk ९७ इन्द्रियपराजयशतकम्
Page #200
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી તે બે માકન્દીના પુત્રો મુહૂર્ત પછી પ્રધાન મહેલમાં સ્મૃતિને, રતિને, ધૃતિને નહિ પામતા બંનેએ એકબીજાને આ પ્રમાણે કહ્યું “ખરેખર ! દેવાનુપ્રિય ! રત્નદ્વીપના દેવાતાએ આપણને બેને આ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે ખરેખર હું શક્રના વચન દ્વારા સંદેશ વડે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત વડે આજ્ઞા કરાઈ યાવત્ શરીરને બાધા થશે. તેથી હે દેવાનુપ્રિય ! પૂર્વ તરફના વનખંડ તરફ આપણે બંને જવું ખરેખર શ્રેયસ્કર છે. બંને એકબીજાની આ વાતને સાંભળે છે અને સાંભળીને જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે, ત્યાં જાય છે. જઈને ત્યાં વાવડીમાં યાવત્ જાલીગૃહમાં વિચરે છે. ત્યાર પછી તે બંને માકન્દિના પુત્રો ત્યાં પણ સ્મૃતિ વગેરેને નહિ પામતા, જ્યાં ઉત્તર તરફનું વનખંડ છે ત્યાં જાય છે. ત્યાં જઈને યાવત્ વિચરે છે ત્યાં પણ તે માકન્દીના બે પુત્રો સ્મૃતિ વગેરેને નહિ પામતા જ્યાં પશ્ચિમ તરફનું વનખંડ છે ત્યાં જાય છે અને યાવત્ વિચરે છે. ત્યાર પછી ત્યાં પણ માર્કન્દના બંને પુત્રો સ્મૃતિ વગેરેને નહિ પામતા એકબીજાને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિય ! આપણને બંનેને રત્નદ્વીપના દેવતાએ ખરેખર આ પ્રમાણે ક્યું છે “હે દેવાનુપ્રિય ! ખરેખર આ પ્રમાણે શક્રના વચન દ્વારા સંદેશ વડે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવ વડે આજ્ઞા કરાઈ યાવતુ તમારા બન્નેના શરી૨ને બાધા ન થાઓ, પરંતુ તે થનારી છે,
-
ઈન્દ્રિયપરાજયશતક
62
Page #201
--------------------------------------------------------------------------
________________
एत्थ कारणेणं तं सेयं खलु अम्हं दक्खिणिमल्लं वणसंडं गमित्त त्ति कट्टु अन्नमन्नस्स एयमद्वं पडिसुणेत्ति जेणेव दक्खिणिले वणसंडे तेणेव पहारित्थ गमणा ते तओ णं गंधे णिद्धाइ से जहा नामए अहिमडेति वा जाव अणिट्ठतराए तते णं ते मागंदियदारया तेणं असुभेणं गंधेणं अभिभूया समाणासएहि २ उत्तरिज्जेहिं१ आसातिं पेहिंति२ जेणेव दक्खिणिले वणसंडे तेणेव उवागया तत्थ णं महं एगं आघतणं पासंति उट्ठियरासिसंतसंकुलं भीमदरसणिज्जं एगं च तत्थ सूलाइयं पुरिसं कलुणायं कट्ठाई विरसराई कुव्वमाणं पासंति२ भीया जाव संजायभया जेणेव से सूलातिए पुरिसे तेणेव उवागच्छंति२ तं सूलाइयं एवं वदासी एसणं देवा. कस्साघयणे तुमं च णं के कउ वा इहव्वमागए केण वा इमेयारूवं से केउवाइ आवयं पाविए ? तते णं से सूलाइए पुरिसे ते मागंदियदारए एवं वयासी एस णं देवाणु रयणदीवदेवयाए आघयणे अहं देवाण जंबुद्दीवाओ भारहाओ वासाओ कागंदए आसवाणिअए विपुलपणियभंडयाए पोयवहणेण लवणसमुद्दं उ याए तते णं हं पोयवहणविवत्तीए णिव्वुडाभंडसारे एगं फलगखंडं आसाएमि तते णं अहं उबुज्झमाणे २ रयणदीवंते णं संवूढे तते णं रयणदीवदेवया ममं पासति' २ म गेहइ २ मए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहर
अत्र कारणेन तच्छ्रेयः खल्वावयोः दाक्षिणात्यं वनखण्डं गन्तुमिति कृत्वाऽन्योऽन्यस्यैतमर्थं प्रतिश्रुत्य यत्रैव दाक्षिणात्ययं वनखण्डं तत्रैव प्राधारयतां, गत्वा तौ ततः गन्धः निर्धावति यथा नाम अहिमृतक इति वा यावदनिष्टतरः, ततस्तौ माकन्दिकदारकौ तेनाशुभेन गन्धेनाभिभूतौ सन्तौ स्वैः स्वैः उत्तरीयैः आस्ये पिदधतः यत्रैव दाक्षिणात्यं वनखण्डं तत्रैवोपगतौ, तत्रैकं महत् आघातनं पश्यतः, (दृष्ट्वा) अस्थिकराशिशतसंकुलं भीमदर्शनीयमेकं च तत्र शूलाभिन्नं पुरुषं करुणकं कष्टानि विस्वरानि कूजन्तं पश्यतः, दृष्ट्वा भी यावत् संजातभयौ यत्रैव शूलाभिन्नः पुरुषः तत्रैवोपगच्छतः, (उपगम्य) तं शूलायितमेवमवदत्, एष देवानुप्रिय ! कस्याघातनम् ? त्वं च कः कुतो वा इह शीघ्रमागतः ? केन वा इमामेतद्रूपां आपदं प्रापित, ततः स शूलायितः पुरुषस्तौ माकन्दिकदारकौ एवमवदत् एष देवानुप्रियौ रत्नद्वीपदेवताया आघातनं अहं देवानुप्रियो ! जम्बूद्वीपात् भारताद् वर्षात् काकन्द्या अश्ववाणिजकः विपुलपण्यभाण्डकः पोतवहनेन लवणसमुद्रं तु यातः, ततोऽहं पोतवहनविपत्तौ निब्रुडितभाण्डसार एकं फलकखण्डमासादयामि, ततोऽहमुदुह्यमान उदुह्यमाना रत्नद्वीपान्तः संव्यूढः, ततः रत्नद्वीपदेवता मां पश्यति, मां गृह्णाति, मया सार्द्धं विपुलान् भोगभोगान् भुञ्जन्ती विहरति ।
१. विस्सरातिं कठ्ठातिं ज्ञाताधर्मकथा । २. ममं ओहिणा पासइ ज्ञाताधर्मकथा ।
१८ इन्द्रियपराजयशतकम्
Page #202
--------------------------------------------------------------------------
________________
આથી આપણા બંનેને દક્ષિણ તરફના વનખંડ તરફ જવા માટે શ્રેયસ્કર છે. એ પ્રમાણે કરીને એકબીજાએ તે વાતને સ્વીકારીને જ્યાં દક્ષિણ તરફનું વનખંડ છે ત્યાં પધાર્યા. જઈને તે બંનેએ અહીં સાપનું મડદું-મૃતક પડેલું છે, ત્યાંથી ગંધ આવે છે, જે અનિષ્ટતર છે તેથી તે ગંધથી પરાભવ પામેલા તે બે માકંદીપુત્રોએ પોતપોતાના ખેસ વડે મુખને ઢાંકતા જ્યાં દક્ષિણ તરફનું વનખંડ છે, ત્યાં આવ્યા. ત્યાં એક મોટું... વધનું સ્થાન જુએ છે. જોઈને ત્યાં સેંકડો હાડકાના ઢગલાથી વ્યાપ્ત, મયંકર દેખાવવાળા શૂલાથી ભેદાયેલા કરુણ રીતે વિસ્વર રીતે કણસતા એક પુરુષને જુએ છે. તેને જોઈને ગભરાયેલા યાવતુ ભયવાળા જ્યાં શૂલાથી ભેદાયેલ પુરુષ છે, ત્યાં તે બંને આવે છે, આવીને તે શૂલાથી ભેદાયેલા પુરુષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આ કોનું વધનું સ્થાન છે ? તું કોણ છે ? અને અહી શીઘ્ર ક્યાંથી આવ્યો છે ? કોના વડે આવા પ્રકારની આ આપત્તિ પ્રાપ્ત કરાયો ? ત્યારે તે શૂલાથી ભેદાયેલા પુરુષે તે બે માકંદિના પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આ રત્નદ્વીપદેવતાનું વધનું સ્થાન છે. હે દેવાનુપ્રિય ! હું જંબૂદ્વીપથી ભારત વર્ષથી કાકંદી નગરીનો ઘોડાનો વેપારી ઘણા કરિયાણાના સાધનવાળો વહાણ વડે લવણ સમુદ્રમાં ગયો હતો, ત્યાં હું વહાણની આપત્તિમાં ડૂબી ગયેલા કરિયાણાવાળા મેં એક પાટિયાને પ્રાપ્ત કર્યું. ત્યાંથી તણાતો તણાતો હું રત્નદ્વીપની અંદર આવ્યો. ત્યાં રત્નદ્વીપદેવતાએ મને જોયો. મને ગ્રહણ કર્યો, મારી સાથે વિપુલ ભોગોને ભોગવતી તે દેવી રહેલી છે.
...
ઈન્દ્રિયપરાજયશતક ૯૮
Page #203
--------------------------------------------------------------------------
________________
ततेणं सारयणदीवदेवया अन्नया कयाइ अहालहुसगंसि अवराहसि परिकुविया समाणी ममं एयारूवं आवई पावेइ तं ण णजइ णं देवाण. तुझंपि इमंसि सरीरगाणं का मन्ने आवई भविस्सइ ? तते णं ते मागिदियदारगा तस्स सूलाइगस्स अंतिए सोचा णिसम्म बलियतरं भीया जाव संजायभया सलाइतयं पुरिसं एवं व०-कहनं देवाणु अम्हे रयणदीवदेवयाए हत्थाए साहत्थि णित्थरिज्जामो ? तते णं से सूलाइए पुरिसे ते मागंदिय० एवं वयासी - एस णं देवाणु. पुरथिमिल्ले वणसंडे सेलगस्स जक्खाययणे सेलए णामं आसरूवधारी जक्खो परिवसइ तते णं से सेलए जक्खे चाउद्दसट्ठमुदिट्ठपुनमासिणीसु आगयसमए पत्तसमए महयार सद्देणं एवं वदति कं तारयामि कं पालयामि? तं गच्छह णं तुझे देवा. पुरथिमिल्लं वणसंडं सेलगस्स जक्खस्स महरिहं पुष्फञ्चणियंकरेहर जन्नुपायवडिया पंजलिउडा विणएणं पज्जुवासमाणा विहरह जाहे णं से सेलए जक्खे आगयसमए पत्तसमए एवं वदेज्जा कं तारयामि कं पालयामि? ताहे तुज्झे वइजह अम्हे तारयाहि अम्हे पालयाहि, सेलए से जक्खे परंरयणदीवदेवयाओ हत्थाओ साहत्थिं निच्छारिज्जा अन्नहा भेन याणामि इमेसिं सरीरगाणं का मन्ने आवई भविस्सइ ? (सूत्र ८२) ततः सा रत्नद्वीपदेवता अन्यदा कदापि यथा लघुस्वकेऽपराधे परिकुपिता सती मां एतद्रुपामापत्तिं प्रापयति, तत्र ज्ञायते देवानुप्रियौ ! युवयोरपि अनयोः शरीरकयोः का मन्ये आपत्तिर्भविष्यति ? ततस्तौ माकन्दिकदारको तस्य शूलायितस्यान्तिके श्रुत्वा, निशम्य बलिकतरं भीतौ यावत् संजातभयौ शूलायितं पुरुषमेवमवदतां, कथं देवानुप्रिय ! आवां रत्नद्वीपदेवतायाः हस्तात् स्वहस्तेन निस्तरावः, ततः स शूलायितः पुरुषस्तौ माकन्दिकदारको एवमवदत्, एष देवानुप्रियौ ! पौरस्त्ये वनखण्डे शैलकस्य यक्षायतने शैलको नामाश्वरूपधारी यक्षः परिवसति, ततः स शैलको यक्षश्चतुर्दश्यष्टम्युद्दिष्टपौर्णमासीषु आगतसमये प्राप्तसमये महता शब्देनैवं वदति-कं तारयामि ? कं पालयामि ? तद् गच्छतं युवां देवानुप्रियौ पौरस्त्यं वनखण्डं शैलकस्य यक्षस्य महार्हं पुष्पार्चनिकां कुरुतं, कृत्वा जानुपादपतितौ प्राञ्जलिपुटौ विनयेन पर्युपासमानौ विहरतं, यदा स शैलको यक्षः आगतसमये प्राप्तसमये एवं वदिष्यति-कं तारयामि ? कं पालयामि ? तदा वदेतं-आवां तारय, आवां पालय । शैलको युवां यक्षः परं (समर्थः) रत्नद्वीपदेवतायाः हस्तात् स्वहस्तेन निस्तारयेत्, अन्यथा युवयोः न जानाम्यनयोः शरीरकयोः का मन्ये आपत्तिर्भविष्यति (सू. ८२)
१. अंतिए एयमटुं सोचा ज्ञाताधर्मथाङ्गे । २. इत्थाह ख इत्थाओ ज्ञातायाम् । ३. सेलगस्स जक्खस्स
जक्खा. ज्ञातायाम् । ४. चिट्ठह ज्ञातायाम् ।
९९
इन्द्रियपराजयशतकम्
Page #204
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ એક વાર કોઈ નાના અપરાધમાં કોપ પામેલી થકી આ પ્રકારની આપત્તિ પ્રાપ્ત કરાવી છે. તે દેવાનુપ્રિય ! ત્યાં જણાય છે કે તમને બંનેને પણ આ શરીરને કોઈ આપત્તિ થશે એમ હું માનું છું. ત્યાર પછી તે બે માકંદીના પુત્રોએ તે શૂલાથી ભેદાયેલ પુરુષની પાસેથી સાંભળીને વધારે ગભરાયેલા યાવતું ઉત્પન્ન થયેલા ભયવાળા તે બેએ શૂલાથી ભેદાયેલા પુરુષને આ પ્રમાણે પૂછ્યું - હે દેવાનુપ્રિય ! અમે બે કેવી રીતે રત્નદ્વીપની દેવીના હાથમાંથી પોતાના હાથે ઉદ્ધરી શકીએ ? ત્યારે તે શૂલાથી ભેદાયેલા પુરુષે તે બે માકંદિના પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! પૂર્વ તરફના વનખંડમાં શૈલક નામના યક્ષના મંદિરમાં શૈલક નામના ઘોડાના રૂપને ધારણ કરનાર યક્ષ વસે છે. ત્યાર પછી તે શૈલક યક્ષ ચૌદશ, આઠમ અને ઉદિષ્ટ એવા પૂનમે સમય પ્રાપ્ત થયે છતે સમય આવે ત્યારે મોટા શબ્દ વડે આ પ્રમાણે બોલે છે - કોને તારું ? કોનું રક્ષણ કરું ? તેથી હે દવાનુપ્રિય ! તમે બે ત્યાં પૂર્વ તરફના વનખંડ તરફ જાઓ અને શૈલક યક્ષને મોટા પુરુષને યોગ્ય એવી પુષ્પાદિ વડે પૂજાને કરો. કરીને ઢીંચણ વડે પગે પડેલા, અંજલિને જોડીને વિનય વડે તેમની ઉપાસના કરતા વિચરો. જ્યારે તે શૈલક યક્ષ સમય પ્રાપ્ત થયે છતે, સમય આવે ત્યારે આ પ્રમાણે બોલશે - કોને તારું ? કોનું રક્ષણ કરું ? ત્યારે તમે બે કહેજો - અમને બેને તારો, અમારા બેનું રક્ષણ કરો. સમર્થ એવો શૈલક યક્ષ તમને બેને રત્નદ્વીપની દેવીના હાથમાંથી પોતાના હાથે વિસ્તાર કરશે. એ સિવાય જાણતો નથી કે તમારા બેના આ શરીરની કઈ આપત્તિ થશે. એમ હું માનું છું.
ઈન્દ્રિયપરાજયશતક ૯૯
Page #205
--------------------------------------------------------------------------
________________
तते णं से मागंदियदा० तस्स सूला. अंतिए णिसम्म' सिग्घं चंडं चवलं तुरियं चेइयं जेणेव पुरत्थिमिल्ले वणसंडे जेणेवर पोक्खरिणि तेणेव उवाग. पोक्खरिणी ओगाहंति २ जलमज्जणं करेंति जाई तत्थ उप्पलाई जाव गेण्हइ२ जेणेव सेलगस्स जक्खाययणे तेणेव उवार आलोए पणामं करेंति महरिहं पुप्फञ्चणियं करेंत्ति २ जुन्नुपायवडिया सुस्सूसमाणा नम॑समाणा पज्जुवासंति, तते
से सेल जक्खे आगतसमए पत्तसमए एवं वयासी कं तारयामि कं पालयामि ? तते णं ते मागंदियदारया उट्ठाए उट्ठेति करयल एवं व० अम्हे तारयाहि अम्हे पालयाहि, तते णं से सेलए जक्खे मागंदिया० एवं वयासी एवं खलु देवाणुप्पिया तुज्झं मए सद्धिं समुद्दमज्झं वीयवयमाणाणं सा रयणदीवदेवया पावा चंडा रुद्दा खुद्दा लुद्धा सासस्सिया बहूहिं खरएहि य मउएहि य अणुलोमेहि य पडिलोमेहि य सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गं करेहीति जइणं तुझे देवाणुप्पिया रयणदीवदेवयाए एयमट्टं आढाह वा परियाणाह वा अवयक्खह वा तो भे अहं पिट्ठातो विहूणामि, अह णं तुज्झे रणदीवदेवया एयमट्ठे नो आढाह णो परियाणह णो अवयक्खह तो भे रणदीवदेवयाहत्थाओ साहत्थिं नित्थारेमि
ततस्तौ माकन्दिकदारकौ तस्यं शूलायितस्यान्तिके ( एतमर्थं श्रुत्वा ), निशम्य शीघ्रं चण्डं चपलं त्वरितं चेतितं यत्रैव पौरस्त्यं वनखण्डं यत्रैव पुष्करिणी तत्रैवोपगच्छतः, यत्रैव पुष्परीणीमवगाहयतः जलमज्जनं कुरुतः, यानि तत्रोत्पलानि यावत् गृह्णीतः, गृहीत्वा यत्रैव शैलकस्य यक्षायतनं तत्रैवोपगच्छतः आलोके प्रणामं कुरुतः, कृत्वा महार्हं पुष्पार्चनिकां कुरुतः, कृत्वा जानुपादपतितौ शुश्रूषन्तौ नमस्यन्तौ पर्युपासाते, ततः स शैलको यक्षः आगतसमये प्राप्तसमये एवमवदत् - कं तारयामि, कं पालयामि ? ततस्तौ माकन्दिकदारकौ उत्थया उत्तिष्ठतः करतल. एवमवदतां आवां तारय, आवां पालय, ततः स शैलको यक्षः माकन्दिकौ एवमवदत् एवं खलु देवानुप्रियो ! युवां मया सार्द्धं समुद्रमध्यं व्यतिव्रजन्तौ सा रत्नद्वीपदेवता पापा चण्डा रुद्रा क्षुद्रा लुब्धा साहसिका बहुभिः खरकैश्च मृदुकैश्चानुलोभेश्च प्रतिलोमैश्च शृङ्गारैश्च करुणैश्चौपसर्गाश्चोपसर्गं करिष्यतीति, यदि युवां देवानुप्रियो ! रत्नद्वीपदेवताया एतमर्थमाद्रियेथे वा परिजानाथे वाऽपेक्षेथे वा ततः युवामहं पृष्ठात् विधूनोमि, अथ युवां रत्नद्वीपदेवतैतमर्थं नो आद्रियेथे नो परीजानाथे नोऽपेक्षेथे ततः युवां रत्नदीपदेवताहस्तात् स्वहस्तेन निस्तारयामि १ अंतिए णिसम्म ज्ञातायाम् ।
१०० इन्द्रियपराजयशतकम्
-
-
Page #206
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી તે બે માકદિના પુત્રો તે શૂલાથી ભેદાયેલા પુરુષની પાસે આ અર્થને સાંભળીને જલ્દી પ્રચંડ, ચપલ, ત્વરાથી ચૈતન્યપૂર્વક ગતિ વડે જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે અને જ્યાં પુષ્કરિણી છે ત્યાં જ આવે છે. જ્યાં પુષ્કરિણી છે એનું અવગાહન કરતાં પાણીમાં સ્નાન કરે છે. ત્યાં જે કમળો છે તેને યાવત્ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું મંદિર છે ત્યાં જ આવે છે અને દર્શન થતાં બંને પ્રણામ કરે છે. કરીને મહાપુરુષને યોગ્ય એવી પુષ્પની પૂજા કરે છે, કરીને ઢીંચણ સુધી નમીને પગે પડેલા, સેવા કરતા, નમસ્કાર કરતા, ઉપાસના કરતા રહેલા છે. ત્યાર પછી તે શૈલક યક્ષ સમય પ્રાપ્ત થયે છતે સમય આવે ત્યારે કોને તારું ? કોનું રક્ષણ કરે ? એ પ્રમાણે કહ્યું. ત્યાર પછી તે બે માકંદિના પુત્રોએ ઉભા થઈને હાથના તળિયા વડે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું – અમને બેને તારો, અમારા બેનું પાલન કરો. ત્યાર પછી તે શૈલક યક્ષે માર્કદિના બે પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય !ખરેખર આ પ્રમાણે છે તો તમે બે મારી સાથે સમુદ્રની મધ્યમાં પાછા આવતાં તે પાપી, પ્રચંડ, ભયંકર, ક્ષુદ્ર, લોભી અને સાહસિક એવી રત્નદ્વીપની દેવી ઘણા કઠોર અને કોમળ, અનુકૂળ અને પ્રતિકૂળ શૃંગાર અને કરુણ એવા ઉપસર્ગો વડે ઉપસર્ગ કરશે. હે દેવાનુપ્રિય ! જો તમે બંને રત્નદ્વીપદેવીની એ વાતને આદરશો, જાણશો અથવા અપેક્ષા કરશો, તો ત્યારે હું તમને બંનેને પાછળથી પાડી નાખીશ. અને તમે રત્નદ્વીપ દેવીના તે અર્થને નહિ આદરો, નહિ જાણો અને અપેક્ષા નહિ કરો તો તમને બંનેને રત્નદ્વીપદેવીના હાથમાંથી પોતાના હાથે નિસ્તાર કરીશ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૦
Page #207
--------------------------------------------------------------------------
________________
तते णं ते मागंदियदारगा सेलगं जक्खं एवं वयासी जन्नं देवाणु वइस्संत्ति तस्स णं उवावाय वयणणिद्देसें चिट्ठिस्सामो तते णं से सेलए जक्खे उत्तरपुरित्थमं दिसीभागं उवक्कमति वेउब्वियसमुग्धाएणं समोहन्नइ २ संखेज्जाइं जोयणाई दंडं णिस्सिरइ दोञ्चंपि' वेउव्वियं समुग्घाएण एगं महं आसरूवं विउव्वइ२ ते मागंदियदारए एवं वयासी हं भो मागंदियदारया आरुहह णं देवाणुप्पिया मम पटुंसि तते णं ते मागंदिय. हट्ठ ! सेलगस्स जक्खस्स पणामं सेलगस्स पिटुं दुरूढा तते णं से सेलए मागंदिय. दुरूढे जाणित्ता सत्तढुंतालप्पमाणमेत्ताई उड्डे वेहासं उप्पयतिर ताए उक्किट्ठाते तुरियाए दिव्वा लवणसमुदं मुझ२ जेणेव जंबुद्दीवे२ जेणेव भारहे जेणेव चंपानयरी तेणेव पाहारेत्थ गमणाए (सूत्र-८३) तए णं सा रयणदीवदेवया लवणसमुदं तिसत्तखुत्तो अणुपरियट्टइ जं तत्थ तणं वा जाव पाडेइ जेणेव पासायव.सए
ततस्तौ माकन्दिकदारको शैलकं यक्षमेवमवदतं, यद् देवानुप्रियाः ! वदिष्यन्ति तस्योपपातावक्रम्य वचननिर्देशे स्थास्यावः, ततः स शैलको यक्ष उत्तरपौरस्त्यं दिशिभागमुपक्रामति, उपक्रम्य वैक्रियसमुद्धातेन समुद्धन्ति, समुद्धत्य सङ्ख्येयानि योजनानि दण्डं निस्सारयति, निःसार्य द्वितीयमपि (तृतीयमपि वारं) वैक्रियसमुद्धातेन एकं महदश्वरूपं विकरोति, विकुळ तौ माकन्दिकदारको एवमवदत्-हंहो माकन्दिकदारको ! आरोहतं देवानुप्रियौ मम पृष्ठे, ततस्तौ माकन्दिकरादको हृष्टौ... शैलकस्य यक्षस्य प्रणामं कुरुतः, कृत्वा शैलकस्य पृष्ठं दुरूढौ, ततः स शैलको माकन्दिकदारकौ दुरूढौ ज्ञात्वा सप्ताष्टतालप्रमाणमात्राणि ऊर्ध्वं विहायसि उत्पतति, उत्पत्य तया उत्कृष्टया त्वरितया दिव्यया लवणसमुद्रं मध्यंमध्येन यत्रैव जम्बूद्वीपः यत्रैव भारतः, यत्रैव चम्पानगरी, तत्रैव प्राधारयत् गमनाय (सू. ८३) ततः सा रत्नद्वीपदेवता लवणसमुद्र त्रिसप्तकृत्वोऽनुपरिवर्तयति, यद् तत्र तृणं वा यावत् पातयति, यत्रैव प्रासादावतंसकः
१. दोच्चंपि तच्चंपि ज्ञातायाम् । KRkRREKKINEKHAKERBERAREEKERNETREKKitke १०१ इन्द्रियपराजयशतकम्
Page #208
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી માર્કદિના તે બે પુત્રોએ શૈલક યક્ષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! જે આપ કહેશો તેના ઉપસર્ગને ઓળંગીને આપના વચનના નિર્દેશ મુજબ રહીશું. ત્યાર પછી તે શૈલક યક્ષ ઉત્તરપૂર્વ એટલે ઇશાન દિશાના ભાગ તરફ જાય છે, જઈને વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્યાત કરે છે, સમુદ્યાત કરીને સંખ્યય યોજનના દંડને બહાર કાઢે છે, બહાર કાઢીને બે વાર, ત્રણ વાર વૈક્રિય સમુદ્દાત વડે એક મોટા ઘોડાના રૂપને વિદુર્વે છે. વિકર્વીને તે માકંદિના બે પુત્રોને આ પ્રમાણે કહ્યું – અરે હે માકંદિના પુત્રો ! દેવાનુપ્રિય ! મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યાર પછી તે માકંદિના બે પુત્રો યાવતું હર્ષ પામ્યા. શૈલક યક્ષને પ્રણામ કરે છે કરીને શૈલકની પીઠ ઉપર આરૂઢ થયા. ત્યાર પછી તે શૈલક માકંદિના બે પુત્રો બરાબર આરૂઢ થયા છે એ જાણીને સાત-આઠ તાડ પ્રમાણ રૂપ કરીને ઉપર આકાશમાં ઉડે છે. ઉડીને તે ઉત્કૃષ્ટ, ત્વરિત અને દિવ્ય ગતિ વડે લવણ સમુદ્રના મધ્ય મધ્યભાગ વડે જ્યાં જંબુદ્વીપ છે જ્યાં ભરતક્ષેત્ર છે જ્યાં ચંપાનગરી છે ત્યાં જવા માટે ધારણા કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી લવણસમુદ્રને ૨૧ વાર પરિભ્રમણ કરી અને ત્યાં જે કાંઈ પણ ઘાસ આદિ છે તેને દૂર કરી જ્યાં તેનો પ્રધાન મહેલ છે ત્યાં આવે છે
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૧
Page #209
--------------------------------------------------------------------------
________________
तेणेव उवागच्छइ२ ते मागंदिया पासायवडेंसए अपासमाणी जेणे पुरथिमिले वणसंडे जाव सव्वओ समंता मग्गणगवेसणं करेइ२ तेसिं माइंदियदारगाणं कत्थइ सुइं वार अलभमानी जेणेव उत्तरिल्ले एवं चेव पञ्चत्थिमिल्ले वि जाव अपासमाणी ओहिं पउंजइ ते मार्गदियदारए सेलएण सद्धिं लवणसमुहं मज्झं मज्झेणं वीतीवयमाणे२ पासति आसुरत्ता असिखेडगं गेण्हइ२ सत्तट्ठ जाव उप्पयइ२ ताए उक्किट्ठाए जेणेव मागंदिय तेणेव उवा. २ एवं व०-हं भो मागिंदिय उपत्थियपत्थिया किन्नं तुब्भे जाणह ममं विप्पजहाय सेलएणं जक्खेणं सद्धिं लवणसमुद्दं मज्झं मज्झेणं वीतीवयमाणा तं एवमवि गए जति णं तुझे म अवयक्खह तो भे अत्थि जीवियं अहण्णं णावयक्खह तो भे इमेणं नीलुप्पलगवल जाव पाडेमि तते णं ते मागिंदिय. रयणदीवदेवया अंतिए' सो. सि भीया अतत्था अणुव्विग्गा अक्खुभिया असंभंता रयणदीवदेवयाए एयमट्ठणो आढंति नो परि णो अवयक्खंति अणाढेमाणा अपरि० अणवयक्खमाणा सेलएणं जक्खेण सद्धिं लवणसमुद्दं मज्झं मज्झेणं वीवयंति
तत्रैवोपगच्छति, उपगम्य तौ माकन्दिकदारकौ प्रासादावतंसके अपश्यन्ती यत्रैव पौरस्त्यं वनखण्डं यावत् सर्वतः समन्तात् मार्गणगवेषणां करोति, कृत्वा तयोः माकन्दिकदारकयोः कुत्रचित् श्रुतिं वाऽलभमाना यत्रैव औतराहः एवं चैवापाचीनोऽपि यावदपश्यन्ती अवधिं प्रयुङ्क्ते, (प्रयुज्य) तौ माकन्दिकदारकौ शैलकेन सार्द्धं लवणसमुद्रं मध्यंमध्येन व्यतिव्रजन्तौ पश्यति, आशुरक्ता असिफलकं गृह्णाति गृहीत्वा सप्ताष्टौ यावदुत्पतति, उत्पत्य तया उत्कृष्टया यत्रैव माकन्दिकदारकौ तत्रैवोपगच्छति, उपगम्यैवमवदत्, हंहो अप्रार्थितप्रारर्थकौ ! किं न युवां जानीथः, मां विप्रहाय शैलकेन यक्षेन सार्द्धं लवणसमुद्रं मध्यंमध्येन व्यतिव्रजन्तौ तदेवमपि गते यदि युवां मामपेक्षयाथां, ततः युवायोरस्ति जीवितं, अथ नापेक्षेतां ततः युवामनेन नीलोत्पलगवल... यावत् पातयामि, ततस्तौ माकन्दिकदारकौ रत्नद्वीपदेवताया अन्तिके ( एतमर्थं ) श्रुत्वा अभीतौ अत्रस्तौ अनुद्विग्नौ अक्षुभितावसम्भ्रान्तौ रत्नद्वीपदेवताया एतमर्थं नाद्रियेते नो परिजानाते नो अपेक्षाते, अनाद्रियमाणौ, अपरिजानानौ अनपेक्षमाणौ शैलकेन यक्षेन सार्द्धं लवणसमुद्रं मध्यमध्येन व्यतिव्रजन्ति,
१. अंतिए एयमहं सो. ज्ञातायाम् ।
१०२ इन्द्रियपराजयशतकम्
Page #210
--------------------------------------------------------------------------
________________
અને આવીને તે પ્રધાન મહેલમાં તે માર્કદિના બે પુત્રોને નહીં જોતી જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે ત્યાં જાય છે યાવતું સર્વ ઠેકાણે ચારે બાજુ માર્ગની ગવેષણાને કરે છે. કરીને માકંદિના તે બે પુત્રોના કાંઈ સમાચારને નહીં પ્રાપ્ત કરતી જ્યાં ઉત્તર તરફનું વનખંડ છે એ પ્રમાણે પશ્ચિમમાં પણ વાવ નહીં જોતી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. ઉપયોગ મૂકીને માકદિના તે બે પુત્રો શૈલકની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્યભાગ વડે જતા જુએ છે. તરત કોપાયમાન થયેલી તલવાર અને ઢાલને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સાત-આઠ ડગલા જેટલામાં ઉડે છે, ઉડીને ઉત્કૃષ્ટ ગતિ વડે જ્યાં માર્કદિના બે પુત્રો છે ત્યાં જ આવે છે. આવીને આ પ્રમાણે કહ્યું અરે ! મૃત્યુની પ્રાર્થના કરનારા ! શું તમે બંને જાણતા નથી કે જેથી મને છોડીને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જઈ રહ્યા છો. આ પ્રમાણે ગયે છતે પણ જો તમે બંને મારી અપેક્ષા કરશો તો તમારા બંનેનું જીવન છે અને જો મારી અપેક્ષા નહિ કરો તો તમને બંનેને લીલાકમળ, પથ્થરની જેમ યાવતું મસ્તકને પાડીશ. ત્યાર પછી તે માનંદિના બે પુત્રોએ રત્નદ્વીપ દેવીની પાસે આ અર્થ સાંભળીને નહી ગભરાયેલા, ત્રાસ નહીં પામેલા, ઉદ્વેગને નહીં પામતા, ક્ષોભને નહિ પામેલા, સંભ્રમવાળા નહિ થયેલા તે બંને રત્નદ્વીપની દેવીની તે માગણીનો સ્વીકાર કરતા નથી, જાણતા નથી અને અપેક્ષા કરતા નથી. સ્વીકાર નહિ કરતા, નહિ જાણતા અને અપેક્ષા નહિ કરતા શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જાય છે
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૨
Page #211
--------------------------------------------------------------------------
________________
तते णं सा रयणदीवदेवा ते मार्गदिए. जाहे नो संचाएति बहुहि पडिलोमेहि य उवसग्गेहि य चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा ताहे महुरेहिं सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गेउं पयत्ता यावि होत्था हं भो मागंदियदारगा जइणं तुज्झेहिं देवाणुप्पिया मए सद्धिं हसियाणि य रमियाणि य लेलियाणि य कीलियाणि य हिंडियाणि य मोहियाणि य ताहे णं तुझे सव्वाति अगणेमाणा ममं विप्पजहाय सेलएण सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं वीतीवयह, ततेणं सा रयणदीवदेवया जिणरक्खियस्स मणं ओहिणा आभोएति आभोएत्ता एवंवयासी-णिञ्चं पि यणं अहं जिणपालियस्स अणिट्ठा जतिणं निञ्चं मम जिणपालिए अणिढे, निश्चंपि य णं ममं जिणरक्खिए इटे, जति ण मम जिणपालिए रोयमाणी कंदमाणी सोमाणी तिप्पमाणिं विलवमाणी णावयक्खति किन्नं तुमंपि जिणरक्खिय ! ममं रोयमाणिं जाव नावयक्खसि, तते णं-सा पवररयणदीवस्स देवया ओहिणा जिणरक्खियस्स मणं । णाऊण वधनिमित्तं उवरिं मागिंदियदारगाणं दोण्हं पि ।।१।।। दोसकलिया सललियं णाणाविहचुण्णवासमीसं दिञ्चं । याण मणनिव्वुइकरं सव्वं उउ य सुरभिकुसुमवुद्धिं पमुंचमाणी ।।२।। णाणामणिकणगरयणघंटिय खिखिणिणेउरमेहलभूसणरवेणं । दिसाउ विदिसाउ पूरयंती वयणमिणं बेंति सा सकलुसा ।।३।। ततः सा रत्नद्वीपदेवता तौ माकन्दिको यदा नो शक्नोति । बहुभिः प्रतिलोमैश्चोपसगैश्चालयितुं वा क्षोभयितुं वा विपरिणामयितुं वा तदा मधुरैः शृङ्गारैश्च करुणैश्चोपसगैश्चोपसर्गयितुं प्रवृत्ता चापि अभवत् ! हंहो माकन्दिकदारको ! यदि युवाभ्यां देवानुप्रियौ मया सार्द्ध हसितानि रतानि च ललितानि ! क्रीडितानि च हिण्डितानि च मोहितानि च तदा युवां सर्वाणि अगणयन्तौ मां विप्रहाय शैलकेन सार्धं लवणसमुद्रं मध्यंमध्येन व्यतिव्रजथः, ततः सा रत्नद्वीपदेवता जिनरक्षितस्य मनोऽवधिनाऽऽभोगयति, आभोग्य एवमवदत् - नित्यमपि चाहं जिनपालितस्यानिष्टा यदि नित्यमपि च मां जिनपालितस्यानिष्टः, नित्य चाहं जिनरक्षितस्य इष्ट: नित्यमपि च मम जिनरक्षित इष्टः, मां जिनपालितः रुदतीं क्रन्दतीं शोचन्तीं तेपयन्ती वीजयन्ती नापेक्षते, किं त्वमपि जिनरक्षितः ? मम रुदतीं नापेक्षसे, ततः सा प्रवररत्नद्वीपस्य देवताऽवधिना जिनरक्षितस्य मनो ज्ञात्वा वधनिमित्तं उपरि माकन्दिकदारकयोः द्वयोरपि ।।१।। द्वेषकलिता सललिकं नानाविधचूर्णवासमिश्रं दिव्यं, घ्राणमनोःनिवृत्तिकरं सवर्तुकसुरभिकुसुमवृष्टिं प्रमुञ्चन्ती ।।२।। नानामणिकनकरत्न-घण्टितखिविणीनुपूरमेखलाभूषण
रवेण । दिशः विदिशः पूरयन्ती वचनमिदं ब्रवीति सा सकलुषा ।।३।। १. तए वा लोभित्तए वा ज्ञातायाम् ।
१०३ इन्द्रियपराजयशतकम्
Page #212
--------------------------------------------------------------------------
________________
ત્યારે રત્નદ્વીપની દેવી માદિના તે બે પુત્રોને ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો વડે ચલાવવા માટે, ક્ષોભ પમાડવા માટે અને પરિણામ બદલાવવા માટે શક્તિમાન ન થઈ ત્યારે મધુર શૃંગાર અને કરુણ ઉપસર્ગ વડે હેરાન કરવા માટે પ્રવૃત્ત પણ થઈ. અરે ! માકંદિના બે પુત્રો ! હે દેવાનુપ્રિય ! જો તમારા બંને વડે મારી સાથે હસવાની ક્રીડા, રતિની ક્રીડા, મનોહર એવી ક્રીડાઓ, ફરવાનું અને મોહની ક્રીડા કરાઈ છે અને તે સર્વની અવગણના કરતા તમે બંને મને છોડીને શૈલકની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે શા માટે જઈ રહ્યા છો ? ત્યારે તે રત્નદ્વીપની દેવી જિનરક્ષિતનું મન અવધિજ્ઞાન વડે જાણે છે. જાણીને આ પ્રમાણે કહ્યું - હું હંમેશાં જિનપાલિતને અનિષ્ટ હતી અને મને પણ હંમેશાં જિનપાલિત અનિષ્ટ હતો. હું હંમેશાં જિનરક્ષિતને ઇષ્ટ હતી અને હંમેશાં જિનરક્ષિત મને પણ ઇષ્ટ હતો. જિનપાલિત રોતી, આક્રંદન કરતી, દુ:ખી થતી અને વિલાપ કરતી મને અપેક્ષા નથી કરતો પણ શું જિનરક્ષિત તું પણ રોતી એવી મને સ્વીકાર કરતો નથી ?
ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના મનને જાણીને તે માકંદિના બંને પુત્રો ઉપર વધને માટે દ્વેષથી યુક્ત બનેલી લીલાપૂર્વક જુદા જુદા ચૂર્ણ અને ગંધથી મિશ્ર એવી દિવ્ય તેમ જ નાક અને મનને આનંદ ક૨ના૨ી સર્વઋતુના સુગંધી એવી પુષ્પની વૃષ્ટિને વરસાવતી તથા જુદા જુદા પ્રકારના મણિ સોના રત્નથી રચેલી ખીખી અવાજ કરતી એવા ઝાંઝર અને કેડના દોરા રૂપ આભૂષણના અવાજ વડે દિશા અને વિદિશાઓને પૂરતી, ક્લેશવાળી, તે આ પ્રમાણે વચનને બોલે છે
-
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૩
Page #213
--------------------------------------------------------------------------
________________
'हालसुलगोलणाहदयित पिय रमणकंत सामिय णिग्विण णित्थक्कं छिण्ण णिक्किव अकयन्नु य सिढिलभावणिल्लज्ज लुक्क अकलुण जिणरक्खिय मज्झ हिययरक्खगा मण हु जुज्जसि एक्कयं अणाहं अबंधवं तुज्झचलणओवायकारियं उज्झिउं मधन्नं । गुणसंकर ! हं तुमे विहुणा ण समत्था जीवि खणंवि ।।५।। इमस्स उ अणेगज्झसमगरविविधसावयसयाओलघरस्स । रयणागरस्स मज्झे अप्पाणं बहेमि तुज्झ पुरओ एहि णित्ताहि इसि वि क्खमाहि एक्कावराहं मे ।।६।। तुज्झ य विगयघणविमल ससिमंडलागारसिस्सिरीयं सारयणवकमलकुमुदकुवलयविमल-दलणिक
सरिसनिभं । नयणं वयणं पिवासागयाए सद्धा मे पिच्छिउं जे अवलोएहि ता इओ ममं णाह जा ते पिच्छामि वयणकमलं ।।७।। एवं सप्पणयसरलमहुरातिं पुणो २ `कलुणाई जंपमाणी पावामग्गओ समण्णेइ पावहिया ।।८।। त णं से जिणरक्खिए चलमणे तेणेव भूसणरवेणं कन्नसुहमणहरेण जेहि य सप्पणयसरलमहुरभणिएहिं संजायविउणराए रयणदीवस्स देवयाए तीसे सुंदरथणजघणवयणकरचरणनयणलायन्नरूवज्जोव्वणसिरिं च दिव्वं सरभसउवगूहियाइं जातिं विब्बयविलसियाणि
होल ! सुल ! गोल ! नाथ ! प्रिय ! रमण ! कान्त ! स्वामिन् ! निर्घुण ! अनवसरज्ञ ! स्त्यान ! अकृतज्ञ ! च शिथिलभाव ! निर्लज्ज ! रुक्ष ! निलीन ! अकरुण ! जिनरक्षित ! मम हृदयरक्षक ! न खु अर्हसि एककां अनाथां अबान्धवां तव चरणोपपातकारिकामुज्झितुं मां गुणशङ्कर ! अहं त्वया विहीना न समर्था जीवितुं क्षणमपि ।। ५ ।। अनेकझषमकरविविधश्वापदशताकुलगृहस्य रत्नाकरस्य मध्ये आत्मानं हन्मि तव पुरतः, एहि, निवर्त्तस्व, यद्यसि कुपितः क्षमस्व एकापराधं मे ।। ६ ।। तव च विगतधनविमलशशिमण्डलाकार- सश्रीकशारदनवकमलकुमुदकुवलय विमलदलनीकरीसदृशनिभं नयनं वदनं पिपासाऽऽगतायाः श्रद्धाः मे प्रेक्षितुं अवलोकय तावदितः मां नाथ ! यावत् ते प्रेक्षे वदनकमलम् ।।७।। एवं सप्रणयसरलमधुरानि पुनः पुनः करुणानि जल्पन्ती पापा मार्गतः समन्वेति पापहृदया ।।८।। ततः स जिनरक्षितः चलमनाः तेनैव भूषणरवेण कर्णसुखमनोहरेण यैश्च सप्रणयसरलमधुरभणितैः संजातविगुणरागः रत्नद्वीपस्य देवतायास्तस्याः सुन्दरस्तनजघनवदनकरचरणनयनलावण्यरूपयौवनश्रियं च दिव्यं सरभसोपगूहितानि यानि विब्बोकविलसितानि
,
१. होल वसुल ज्ञातायाम् । २. कलुणाई वयणातिं जंप. ज्ञातायाम् ।
*
१०४ इन्द्रियपराजयशतकम्
Page #214
--------------------------------------------------------------------------
________________
હાલ ! સુલ ! ગોલ ! નાથ ! દયિત ! પ્રિય ! રમણ ! કાન્ત ! સ્વામી ! નિર્દય ! અવસરને નહિ જાણનાર ! જડ ! કૃપા વગરના ! અકૃતજ્ઞ ! શિથિલભાવવાળા ! નિર્લજ્જ રુક્ષ! નિલીન ! કારુણ્યહીન ! હે જિનરક્ષિત ! હે મારા હૃદયના રક્ષક !અનાથ, અબાધવ એકલી જે તારા ચરણના પડખાની સેવિકા એવી મને છોડવા માટે તેને યોગ્ય નથી. હે ગુણોમાં શંકર સમાન ! હું તારા વગર ક્ષણ વાર પણ જીવવા માટે સમર્થ નથી. અનેક જલચર પ્રાણી મગર અને વિવિધ સેંકડો પ્રાણીઓથી વ્યાપ્ત એવા ઘર સમાન સમુદ્રની મધ્યમાં હું તારી આગળ આત્મઘાત કરું છું, આવ, પાછો વળ. જો તું મારા પર કુપિત થયો છે તો મારા એક અપરાધની ક્ષમા કર. ચાલી ગયેલા વાદળથી નિર્મલ થયેલી, ચંદ્રના મંડલના આકારવાળી તથા શોભા સહિત શરદઋતુના નવા કમળ, કુમુદ, કુવલયના નિર્મલ પાંદડાના સમૂહ સમાન તારું નયન અને વદન બતાવ. પિપાસાથી આવેલી એવી મને તે જોવા માટે શ્રદ્ધા છે તેથી આ તરફ હે નાથ ! જુઓ, એટલામાં તમારા વદન રૂપી કમલને જોઉં. આ પ્રમાણે પ્રેમપૂર્વક સરલ અને મધુર એવા કરુણસ્વરોને વારંવાર બોલતી, પાપીહૃદયવાળી તેવી પાપી માર્ગની સામે આવે છે. ત્યાર પછી તે કર્ણને સુખ આપનાર, મનોહર એવા આભૂષણના અવાજ વડે તથા પ્રેમપૂર્વકના સરલ અને મધુર વચન વડે ચલિત થયું છે જેનું મન એવો જિનરક્ષિત તે રત્નાદ્વીપની દેવીના સુંદર સ્તન, યોનિ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય રૂપ સ્વરૂપ યૌવનની દિવ્ય એવી શોભાને
ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝ
ઈદ્રિયપરાજયશતક ૧૦૪
Page #215
--------------------------------------------------------------------------
________________
य विहसिय सकडक्खदिट्ठिनिस्ससियमलिया 'उवललियाणि य गमणपणपरि-वज्जियवसाइयाणि य सरमाणे रागमोहियमती अवसे कम्मवसगए अवयक्खति मग्गतो साविलियं तते णं जिणरक्खियं समुप्पन्नकलुणभावं मञ्चुगलच्छल्लणोल्लियमई अवयक्खं तं तहेव जक्खे य सेलए जाणिऊण सणियं २ उव्विहति णियगपट्ठाहि विगयसते तते णं सा रयणदीवदेवया णिस्सीला कलुणं जिणरक्खियं सकलुसा सेलगपट्ठाहि उवयंतं दास ! मउसित्ति जंपमाणी अपत्तं सागरसलिलं गिण्हिय बाहाहिं आरसंतं उठें उव्विहइ अंबरतलेहिं उवयमाणं च मंडलग्गेण पडिच्छित्ता नीलुप्पलगवलयअयसिप्पगासेण असिवरेण खंडाखंडिं करेतिर तत्थ विलवमाणं तस्स य सरसबहियस्स घेत्तूण अंगमंगाई उक्खित्तबलिं चउद्दिसिं करेति सा पंजली पहट्ठा (सूत्र ८४) एवमेव समाणाउ सो जो अम्हं णिग्गंथाण वा णिग्गंथीण वा अविय पव्वइए समाणे पुणरवि माणुस्सए कामभोए आसयति पच्छियइ पीहेइ अभिलसइ से णं इह भवे चेव बहुणं समणाण जाव संसारं अणुपरियट्टिस्सइ जहा वासे जिणरक्खिए छलिओ अवयक्खंतो निरावयक्खो गओ अविग्घेणं । तम्हा पवयणसारे निरावयक्खेण भवियव्वं ।।१।। च विहसितसकटाक्षदृष्टि - निःश्वसितमिलितोपललितानि च गमनप्रणयरुष्टप्रसादितानि च स्मरन् रागमोहितमतिरवशः कर्मवशगतः अपेक्षते मार्गतः सव्यलीकं ततः जिनरक्षितं समुत्पन्नकरुणभावं मृत्युगलछलेण नोदितमतिमपेक्षमाणं तथैव यक्षश्च शैलकश्च ज्ञात्वा शनैरुद्विजहाति निजपृष्ठात् विगतस्वास्थ्यं । ततः सा रत्नद्वीपदेवता नृशंसा करुणं जिनरक्षितं सकलुषा शैलकपृष्ठादवपतन्तं 'दास ! मृताऽसि' इति जल्पन्ती अप्राप्तं सागरसलीलं गृहीत्वा बाहुभ्यामारसन्तमद्विजहाति, अम्बरतलादवपतन्तं च मण्डलाग्रेण प्रतीच्छ्य नीलोत्पलगवलातसिप्रकाशेनासिवरेण खण्डखण्डं करोति तत्र विलपन्तं, तस्य सरसवधितस्य गृहीत्वाऽङ्गानि उत्क्षिप्तबलिं चतुर्दिशं करोति सा प्राञ्जली प्रहष्टा (सूत्र ८४) एवमेव श्रमणायुषः यः अस्माकं निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा अन्तिके प्रव्रजितःसन् पुनरपि मानुष्यकान् कामभोगानासादयति प्रेहति, अभिलषति, स इहभवे चैव बहूनां श्रमणानां यावत् संसारमनुपरिवर्तिष्यति, यथा वा स जिनरक्षितः छलितोऽपेक्षमाणः निरपेक्षः गतोऽविघ्नेन, तस्मात् प्रवचनसारे निरवकाक्षेण भवितव्यम् ।।१।।
१. उवललियठियगमणपणय. ज्ञातायाम् । २. विगयसत्थं ज्ञातायाम् । ३. अंतिक ज्ञातायाए ।
१०५ इन्द्रियपराजयशतकम्
Page #216
--------------------------------------------------------------------------
________________
તથા એકદમ ગૂઢ છે તથા મશ્કરી સહિતની કટાક્ષ દૃષ્ટિના નિશ્વાસથી મળેલા વિલાસો અને ગમન, પ્રેમ અને રીસાયેલને મનાવવા આદિને યાદ કરતો, રાગથી મોહિત બનેલી છે મતિ જેની એવો, આત્માને વશમાં નહિ રાખનાર, કર્મને વશ બનેલો ખોટી રીતે તેની અપેક્ષા કરે છે. ત્યાર પછી માર્ગમાં ઉત્પન્ન થયેલો છે કરુણાભાવ જેને, મૃત્યુ રૂપી ગલના છળ વડે પ્રેરાઈ રહી છે મતિ જેની, જેનું સ્વાસ્થ ચાલ્યું ગયું છે તેવા, અપેક્ષા કરતા જિનરક્ષિતને જાણીને શૈલક યક્ષ ધીમેથી પોતાની પીઠ ઉપરથી તેનો ત્યાગ કરે છે. ત્યાર પછી પુરુષની હિંસક, ક્લેશ સહિત તે રત્નદ્વીપની દેવી શૈલકની પીઠથી પડતા એવા જિનરક્ષિતને “દાસ ! તું મરેલો છે” એ પ્રમાણે બોલતી સમદ્રના પાણીમાં પહોંચે તે પહેલા ગ્રહણ કરીને બે બાહુ વડે આકાશના તળિયાથી નીચે પડતા અને રોતા એવા તેને, તલવારના અગ્રભાગ વડે ગ્રહણ કરીને નીલોત્પલ, પત્થર અને અતસિની જેમ શ્યામ પ્રકાશવાળી એવી તલવાર વડે તેના ટૂકડે ટૂકડા કરે છે. સારી રીતે વધ કરાયેલા તેના અંગોને ગ્રહણ કરીને ચારે દિશામાં બલિને નાખવાની જેમ નાખે છે. તે અંજલીપૂર્વક અત્યંત હર્ષને પામે છે. એ પ્રમાણે જે આયુષ્યનું શ્રમણ નિગ્રંથ અથવા નિર્ગથી એવા અમારી પાસે પ્રવ્રજિત થયેલો ફરીથી પણ કામ ભોગોને પામે છે, અપેક્ષા રાખે છે, ઇચ્છા રાખે છે તે આ ભવમાં બહુ શ્રમણોના યાવતું સંસારનું પરિભ્રમણ કરે છે. જે પ્રમાણે અપેક્ષા રાખતો જિનરક્ષિત છલના પમાયો અને નિરપેક્ષ એવો જિનપાલિત વિદન વિના મુક્તિને પામ્યો તે કારણથી પ્રવચનના સારમાં અપેક્ષા વગરના થવું જોઈએ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૫
Page #217
--------------------------------------------------------------------------
________________
भोगे अवयक्खंता पडेंति संसारसागरे घोरे । भोगेहिं निरवयक्खा तरंति संसारकंतारं ।।२।। (सत्र-८५) तते णं सा रयणदीवदेवया जेणेव जिणपालिए तेणेव उवा०२ बहुहि अणुलोमेहि य पडिलोमेहि य खरमउसिंगारेहि य कलुणेहि य जाहे नो संचाएत्ति चालित्तए वा खोभित्तए वा विप्प० । ताहे संता तंता परितंता णिव्विन्ना समाणा जामेव दिसं पाउ० तामेव दिसि पडिगया, तते णं से सेलए जक्खे जिणपालिएण सद्धिं लवणसमुदं मज्झं २ वीतीवयतिर जेणे व चंपानयरी तेणेव चंपानयरी तेणेव उवा० २ चंपाए नयरीए अग्गुज्जाणंसि जिणपालियं पिट्ठतो उयारेइर एवं व०२ एस णं देवा० चंपानयरी दीसइ त्ति कट्ट जिणपालियं पुच्छति जामेव दिसिं पाउब्भूते तामेव दिसिं पडिगते (सूत्र-८६) तते णं जिणपालिए चंपं अणुप्पविसइ जेणेव सए गेहे जेणेव अम्मापियरो तेणेव उवा०२ अम्मापिऊणं रोयमाणे जाव विलवमाणे जिणरक्खियवावत्तिं निवेदइ, तते णं जिणपालिए अम्मापियरो मित्तणाइ जाव परियणेण सद्धिं रोयमाणाई बहुइं लोईयाइ मयकिञ्चाई करेंति २
भोगनवकाङ्क्षन्तः पतन्ति संसारसागरे घोरे, भोगैः निरवकाङ्क्षास्तरन्ति संसारकान्तारम् ।।२।। (सू. ८५) ततः सा रत्नद्वीपदेवता यत्रैव जिनपालितः तत्रैवोपगच्छति, उपगम्य बहुभिरनुलोमैश्च प्रतिलोमैश्च खरमृदुशृङ्गारैश्च करुणैश्च यदा नो संशक्नोति चालयितुं वा क्षोभयितुं वा विपरिणामयितुं वा । तदा शान्ता तान्ता परितान्ता निर्विण्णा सती यतः एव दिश : प्रादुर्भूता तामेव दिशं प्रतिगता, ततः स शैलको यक्षः जिनपालितेन सार्द्ध लवणसमुद्रं मध्यं मध्येन व्यतिव्रजति, यत्रैव चम्पा नगरी तत्रैवोपागच्छति, उपागम्य चम्पायाः नगर्या अग्रोद्याने जिनपालितं पृष्ठत उत्तारयति, उत्तार्य एवमवदत् एषा देवानुप्रिय ! चम्पानगरी दृश्यते, इति कृत्वा जिनपालितं आपृच्छति, आपृच्छ्य यत एव दिशः प्रादुर्भूतः तामेव दिशं प्रतिगतः (सू. ८६) ततो जिनपालितः चम्पामनुप्रविशति, अनुप्रविश्य यत्रैव स्वं गृहं यत्रैवाम्मापितरौ तत्रैवोपागच्छति, अम्मापितृभ्यां रुदन् विलपन् जिनरक्षितव्यापत्तिं निवेदयति, ततो जिनपालितः अम्मापितरौ मित्रज्ञाति यावत् परिजनेन सार्द्धं रुदन्तः बहूनि लौकिकानि मृतकृत्यानि कुर्वन्ति,
१०६ इन्द्रियपराजयशतकम्
Page #218
--------------------------------------------------------------------------
________________
ભોગોની આકાંક્ષા રાખનાર ઘોર સંસાર સાગ૨માં પડે છે. અને ભોગો વડે નિરાકાંક્ષ થયેલો સંસાર અટવીને તરે છે.
ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યાં જિનપાલિત છે, ત્યાં જાય છે. જઈને ઘણા અનુકૂળ અને પ્રતિકૂળ, કઠોર અને કોમળ તેમ જ શૃંગાર અને કરુણ ઉપસર્ગો વડે ચલાવવા માટે, ક્ષોભ પમાડવા માટે, પરિણામ બદલાવવા માટે સમર્થ ન થઈ ત્યારે શાન્ત થયેલી, થાકેલી, એકદમ થાકેલી, ખેદ પામેલી જે દિશામાંથી આવેલી તે દિશામાં યાલી ગઈ.
તે શૈલક યક્ષ જિનપાલિતની સાથે લવણસમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જાય છે જ્યાં ચંપા નગરી છે ત્યાં આવે છે. આવીને ચંપા નગરીના અગ્ર ઉદ્યાનમાં જિનપાલિતને પીઠ ઉપરથી ઉતારે છે, ઉતારીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ ચંપા નગરી દેખાય છે ? એ પ્રમાણે કરીને જિનપાલિતને પૂછે છે. પૂછીને જે દિશામાંથી આવેલો તે દિશામાં પાછો જાય છે.
-
ત્યાર પછી જિનપાલિત ચંપા નગરીમાં પ્રવેશે છે. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર અને જ્યાં પોતાના માતાપિતા છે ત્યાં આવે છે. રોતો યાવત્ વિલાપ કરતો માતાપિતાને જિનરક્ષિતના મરણને જણાવે છે. ત્યાર પછી જિનપાલિત માતાપિતા, મિત્રજ્ઞાતિ યાવતુ સંબંધીઓ સાથે રોતા ઘણા લૌકિક એવા મૃતકાર્યોને કરે છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૬
Page #219
--------------------------------------------------------------------------
________________
कालेणं विगयसोया जाया, तते णं जिणपालियं अन्नया कयाई सुहासणवरगयं अंम्मापियरो एवं वयासी कहणं पुत्ता जिणरक्खिए कालगए ? तते णं से जिणपालिए अम्मापिऊण लवणसमुद्दोत्तारं च कालियसंमुत्थणं च पोयवहणविवत्तिं फलहखंड आसायणं च रयदीवृत्तारं च रयणदीवदेवयागिम्हणं च भोगविभोइं च रयणदीवदेवयाआघतणं च सूलाइयपुरिसदरिसणं च सेलगजक्खआरुहणं च रयणदीवदेवयाउवसग्गं च जिणरक्खियविवत्तिं च लवणसमुद्दतरणं च चंपागमणं च सेलगजक्ख आपुच्छणं च जहाभूयमवितहमसंदिद्धं परिकहेइ, तते णं जिणपालिए जाव अप्पासोगे जाव विपुलाइ भोगेभोगाई भुंजमाणे विहरइ (सू. ८७) तेणं काणं समणे भगवं महावीरे समोसढे धम्मं सोच्चा पव्वतिए एक्कारसंगवी मासिएणं सोहम्मे कप्पे दो सागरोपमे महाविदेहे सिज्जहि त्ति । एवं समणाउसो जाव माणुस्सए कामभोगे णो पुणरवि आसाइ सेणं जाव वीतीवयतिस्सति जहा वा से जिणपालिए इति * । । ३१ । ।
कालेन विगतशोका जाताः, ततो जिनपालितमन्यदा कदाचित् सुखासनवरगतमम्मापितरावेवमवदतं कथं पुत्र ! जिनरक्षितः कालगतः ? ततः स जिनपालितोऽम्मापितृभ्यां लवणसमुद्रोत्तारं च कालिकसमुत्थानं च पोतवहनविपत्तिं च फलकखण्डासादनं च रत्नद्वीपोत्तारं च रत्नद्वीपदेवताग्रहणं च भोगविभूतिं च रत्नद्वीपदेवताऽऽघातनं च शूलायितपुरुषदर्शनं च शैलकयक्षारोहणं च रत्नद्वीपदेवतोपसर्गं च जिनरक्षितविपत्तिं च लवणसमुद्रोत्तरणं च चम्पाऽऽगमनं च शैलकयक्षापृच्छनं च यथाभूतमवितथं चासंदिग्धं परिकथयति, ततो जिनपालितः यावदल्पशोकः ( आत्मशौचः ) यावत् विपुलान् भोगोपभोगान् भुञ्जन् विहरति (सूत्र ८७) तस्मिन् काले श्रमणः भगवान् महावीरः समवसृतः, धर्मं श्रुत्वा प्रव्रजितः, एकादशाङ्गवित् मासिकेन सौधर्मे कल्पे द्वौ सागरोपमौ महाविदेहे सेत्स्यतीति । एवं श्रमणायुषः यावत् मानुष्यकान् कामभोगान् नो पुनरपि आस्वादयति सः यावत् व्यतिव्रजिष्यति यथा वा सः जिनपालितः इति । ।। ३१ । ।
*
१. कालियवायसमुत्थणं ज्ञातायाम् । २. देवयागिहं ज्ञातायाम । नवमाध्ययनरूपा विद्यते ।
इयं कथा ज्ञाताधर्मकथाङ्गस्य
१०७ इन्द्रियपराजयशतकम्
Page #220
--------------------------------------------------------------------------
________________
કાલ વડે શોક વગરના થયા. ત્યારે એકવાર શ્રેષ્ઠ એવા સુખાસાનને પામેલા એવા જિનપાલિતને ક્યારેક માતાપિતાએ આ પ્રમાણે પૂછ્યું હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે મૃત્યુને પામ્યો ? ત્યારે તે જિનપાલિતે માતાપિતાને લવણસમુદ્રનું ઉતરવું, કાલિક વાત ઉત્પન્ન થવો, વહાણની આપત્તિ, ફલકના ટુકડાનું પ્રાપ્ત થવું, રત્નદ્વીપમાં ઉતરવું, રત્નદ્વીપદેવી દ્વારા ગ્રહણ થવું, ભોગનો વૈભવ મળવો, રત્નદ્વીપદેવીના વધનું સ્થાન શૂલાથી ભેદાયેલ પુરુષનું દર્શન થવું, શૈલક યક્ષ ઉપર આરોહણ અને રત્નદ્વીપની દેવીનો ઉપસર્ગ થવો, જિનરક્ષિતનું મરણ, લવણ સમુદ્ર ઉતરવો, ચંપા નગરીમાં આગમન, શૈલક યક્ષનું પૂછવું, આ પ્રમાણે જે થયેલું તે સત્ય હકીકત શંકા વગર કહી. ત્યાર પછી જિનપાલિત યાવત્ અલ્પશોકવાળો થયેલો વિપુલ એવા ભોગોને ભોગવતો રહે છે. તે કાળને વિષે શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા. ધર્મ સાંભળીને જિનપાલિતે દીક્ષા ગ્રહણ કરી, અગીયાર અંગનો જાણકાર થયો, માસિક અનશન વડે સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યળો દેવ થયો અને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે આયુષ્મન્ એવો શ્રમણ યાવત્ મનુષ્યના કામભોગોને ફરી પણ આસ્વાદ કરતો નથી તે યાવત્ મોક્ષને પામે છે જે પ્રમાણે જિનપાલિતે મોક્ષને પ્રાપ્ત કર્યો તેમ. II૩૧II
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૭
Page #221
--------------------------------------------------------------------------
________________
गाथा : जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोयंमि ।
तं जाणसु विसयाणं, वुड्डिक्खयहेउअं सव्वं ।।३२।। व्याख्या : यत् अतितीक्ष्णं अत्युग्रं दुःखं नरकादौ, यञ्च उत्तमं सुखं त्रय एव
लोकालोक्यं तस्मिन् त्रैलोक्ये तत्सर्वं जानीहि अवबुद्ध्यस्व विषयाणां वृद्धिक्षयहेतुकम्, वृद्धिश्च क्षयश्च वृद्धिक्षयौ, तावेव हेतुर्यत्र तत् वृद्धिक्षयहेतुकम्, विषयाणां वृद्धौ अतितीक्ष्णं दुःखं विषयाणां क्षये च उत्तम सुखमिति ।।३।।
गाथा : इंदियविसयपसत्ता, पडंति संसारसायरे जीवा ।।
पक्खिव्व छिन्त्रपक्खा', सुसीलगुणपेहण-विहूणा' ।।३३।। व्याख्या : इन्द्रियविषयेषु प्रसक्ता आसक्ताः, संसारसागरे पतन्ति निमज्जन्ति ।
किंभूतास्ते ? "सूसीलगुणपेहणविहूण" त्ति सुशीलस्य शोभनाचारस्य, ये गुणाः सङ्घसत्कारादयस्तेषां यत्प्रेक्षणमवलोकनम्, तेन विहीना रहिता सुशीलगुणप्रेक्षणविहीनाः । विषयासक्ताः सुशीलगुणान प्रेक्षन्त इत्यर्थः । कीदृशाः के इव ? छिन्नपक्षाः * = उलूनच्छदाः, पक्षिण इव=विहगा इव, यथा
छिन्नपक्षाः पक्षिणः पतन्ति तथाऽमी अपि ।।३३।। गाथा : न लहइ जहा लिहंतो, महल्लियं अट्ठिअंतहा सुणओ ।
सोसइ तालुयरसियं, विलिहंतो मन्नए सुक्खं ।।३४।। महिलाण कायसेवी, न लहइ किंचि वि सुहं तहा पुरिसों ।
सो मन्त्रए वराओ, सयकायपरिस्समंसुक्खं ।।३५।।युग्मम् ।। व्याख्या : तथाऽश्वा=अस्थिभुक्, ‘महल्लियं' ति महत् स्वार्थे इल्लप्रत्ययः, अस्थि कीकसं
लिहन आस्वादयन्, सुखं निर्वृत्तिम्, न लभते नासादयति, यथा हड्डु विलिहन् तालुकरसिकं घण्टिकास्थितलालाजलं शोषयति तत् सौख्यं
मन्यते । आत्मना सुखं मानयति रस एव रसिकः, स्वार्थे ठन्** ।।३४।। १. छिन्नपंखा मुद्रिते । २. पेहुण खडड ड, । ३. महिल्लयं खडड ड, मुहल्लियं अट्टिअं जहा मुद्रिते ।
४ पुरिसं मुद्रिते । * अत्र द्वीप्रश्नो, प्रथमस्तावत् के इव ? तदुत्तरम् - पक्षिण इव, द्वितीयः किं स्वरूपाः (कीदृशाः) पक्षिण
इव ? तदुत्तरम् - छिन्नपक्षाः पक्षिण इव । ** पाणिनि व्याकरणे "इक" प्रत्ययस्य ठन् संज्ञा विद्यते ।
१०८ इन्द्रियपराजयशतकम्
Page #222
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : ત્રણ લોકમાં જે અતિ-તીક્ષ્ણ દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયોની વૃદ્ધિ અને વિષયોના ક્ષય રૂપ હેતુવાળા છે તે તુ જાણ. II૩૨॥
ભાષાંતર: જે અતિતીક્ષ્ણ એટલે કે અતિ ઉગ્ર નરકાદિ વિષયવાળું દુ:ખ અને જે ઉત્તમ સુખ ત્રણ એવા જે લોક એ ત્રિલોક તે સંબંધી ત્રૈલોક્ય તેમાં-તે સર્વ (સુખ અને દુ:ખ) તું જાણ કે વિષયોની વૃદ્ધિ અને ક્ષયના હેતુવાળા છે. એટલે કે વૃદ્ધિ અને ક્ષય તે વૃદ્ધિ ક્ષય અને તે બંને છે હેતુ જેમાં તે વૃદ્ઘિક્ષયહેતુક કહેવાય છે. તાત્પર્ય એ કે વિષયોની વૃદ્ધિમાં અતિ તીક્ષ્ણ દુઃખ અને વિષયોના ક્ષયમાં ઉત્તમ સુખ છે. II૩૨॥
ગાથાર્થ : ઇન્દ્રિયોનાવિષયોમાં આસક્ત,સુશીલવાળાના ગુણોને નહિ જોતા એવા જીવો કપાઈ ગયેલી પાંખવાળા પક્ષીની જેમ સંસાર રૂપી સાગરમાં પડે છે. II૩૩।। ભાષાંતરઃ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત સંસાર સાગરમાં પડે છે એટલે કે ડૂબે છે. કેવા જીવો ? ‘સુસીમુળપેદળ વિસ્તૂળ' એટલે કે સુંદર આચારવાળાના જે ગુણો-સંઘ સત્કારાદિ તેઓનું જે જોવું તેનાથી રહિત. વિષયોમાં આસક્ત જીવો સુશીલના ગુણોને જોતા નથી. કેવા પ્રકારના કોની જેમ ? (તેઓ પડે છે ?) છેદાઈ ગયેલી પાંખવાળા પક્ષીઓની જેમ. જેમ છેદાયેલી પાંખવાળા પક્ષીઓ પડે તેમ આવા જીવો પણ પડે છે. II૩૩મા
ગાથાર્થ : જેમ મોટા એવા હાડકાને ચાટતો કૂતરો સુખ પ્રાપ્તિ નથી કરતો પણ તાળવામાં રહેલી લાળને જ ચૂસતો એ સુખ માને છે, તે જ રીતે સ્ત્રીઓના શરીરને સેવનારો પુરુષ જરા પણ સુખ પ્રાપ્ત કરતો નથી, પણ તે બિચારો તેના ભોગથી પોતાના દેહને થતા પરિશ્રમ રૂપ દુઃખને જ સુખ માની લે છે. II૩૪,૩૫।।
ભાષાંતર: જેમ શ્વાન-હાડકું ખાનારો - ચાટતો મહશ્રિયં એટલે મોટા, સ્વાર્થમાં ‘ફ્ક’ પ્રત્યય છે. અસ્થિ એટલે કીકસ, -હાડકું તેને ખાતો - ચાટતો - સુખને તૃપ્તિને પામતો નથી કારણ કે હાડકાને ચાટતો તાલુના રસને ઘંટિકામાં રહેલી લાળને ચૂસે છે, તેને જ સુખરૂપે માને છે, આત્માને સુખી માને છે. ‘રસ’ એજ ‘રસિક સ્વાર્થમાં ઠનુ () પ્રત્યય લાગ્યો છે.
તે જ રીતે મહિલા એટલે સ્ત્રીઓનો કાયસેવી એટલે તેઓના શરીરના પરિભોગને કરતો પુરુષ જરાક પણ એટલે કે અલ્પ પણ સુખને પ્રાપ્ત
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૮
Page #223
--------------------------------------------------------------------------
________________
तथा महिलानां स्त्रीणां कायसेवी शरीरपरिभोगविधायी पुरुषः किंचिदपि अल्पमपि सुखं न लभते । 'पुरुष' इति उपदेशार्हत्वात्पुरुषाणां तन्निवृत्तेश्च संभवात्, चस्य गम्यमानत्वात्, स च वराकस्तपस्वी स्वकायपरिश्रमं = तद्भोगे निजशरीरखेदं सुखं मन्यते । मोहवशगस्य भ्रान्तिरेव सर्वत्र विलसति ।।३५।।
गाथा : सुट्ठवि मग्गिज्जंतो, कत्थवि केलीई नत्थि जह सारो ।
इंदियविसएसु तहा, नत्थि सुहं सुट्ठवि गविलृ ।।३६।। व्याख्या : यथा कदल्यां = रम्भायाम, सुष्टुप्यतिशयेन, मार्यमाणोऽपि=
विलोक्यमानोऽपि, कुत्रापि तत्प्रेदेशे सारो बलं नास्ति, तथा इन्द्रियविषयेषु सुष्वपि 'गविलृति विलोकितं सुखं नास्ति 'गवेषण मार्गणे' (है० धातुपाठ - १९१९] क्तरूपम्, कवली केलीति प्राकृते ।।३६ ।।
गाथा : सिंगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए ।
के के जयंमि पुरिसा, नारीनईए न बुटुंति ।।३७।। व्याख्या : एवंविधायां नारीनद्यां नायेव नदी = सरित्तस्यां के के पुरुषा नरा जगति न
ब्रुडन्ति न निमज्जन्ति ? सर्वेऽपि स्त्रीवशगा भवन्तीति भावः । यदुक्तं भर्तृहरिणा - संसार ? तव निस्तार-पदवी न दवीयसी । अन्तरा दुस्तरा न स्युर्यदि रे मदिरेक्षणाः ।।१।। शृङ्गारशतका यां चिन्तयामि सततं मयि सा विरक्ता, साऽप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक्तां च तं च मदनं च इमां च मां च ।।२।। नीतिशतक गाथा-२] किंभूतायां नारीनद्याम् ? शृङ्गारा एव तरङ्गा = वीचयो यस्यां सा तथा
१. कयलीइ मुद्रिते । २ विलासवेलाए खडड, ।
१०९ इन्द्रियपराजयशतकम्
Page #224
--------------------------------------------------------------------------
________________
કરતો નથી “પુરુષ' શબ્દ એટલા માટે કે પુરુષ ઉપદેશને યોગ્ય છે અને પુરુષોનો જ તેનાથી (કાયસેવનથી) પાછા ફરવાનો સંભવ હોવાથી. અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાનો હોવાથી અને વળી તે બિચારો (સ્ત્રીકાયસેવી) સ્વીકાયના પરિશ્રમને એટલે કે તેના ભાગમાં પોતાના શરીરનો જે ખેદ તેને જ સુખરૂપ માને છે. મોહને વશ થયેલાને ભ્રાન્તિ
જ બધે વિકસે છે. [૩૪, ૩પી. ગાથાર્થ ? જે રીતે કેળના ઝાડમાં સારી રીતે જોવાયા છતાં પણ તેના કોઈ પણ
પ્રદેશમાં સાર નથી (દેખાતો) તે જ રીતે ઇન્દ્રિયના વિષયોને વિષે પણ સારી
રીતે જોવાયા છતાં પણ સુખ નથી દેખાતું. /કાં ભાષાંતરઃ જે રીતે, કદલીને વિષે સારી રીતે પણ એટલે અતિશય રીતે જોવાયા છતાં
પણ ક્યાંય પણ કોઈ પણ પ્રદેશને વિષે સાર એટલે કે બળ નથી, તે જ રીતે ઇન્દ્રિયના વિષયોમાં પણ સારી રીતે જોવાયા છતાં ગવેષણા કરવા છતાં ક્યાંય પણ સુખ નથી દેખાતું. વેષ માને (હે. ધાતુપાઇ ૧૯૧૯) સૂત્રમાં માર્ગણા અર્થમાં ગવેષણું ધાતુ છે તથા સ્ત્રીનું પ્રાકૃત કેવી તથા
કેલી થાય છે. ૩ડા ગાથાર્થ : શૃંગારરૂપી તરંગોવાળી, વિલાસરૂપી વેલાવાળી, યૌવન રૂપ જળવાળી
એવી નારી રૂપી નદીમાં જગતમાં કયા કયા પુરુષો નથી ડૂબતા? I૩૭ ભાષાંતરઃ આ પ્રકારની નારી રૂપ નદીમાં ક્યા કયા પુરુષો જગતમાં ડૂબતા
નથી ? સર્વ પણ પુરુષો સ્ત્રીને વશ થનારા હોય છે. જે કારણે ભર્તુહરિ વડે કહેવાયું છે કે જો વચ્ચે દુસ્તર એવી સ્ત્રીઓ ન હોત તો હે સંસાર ! તારા નિસ્તારની પદવી (મોક્ષ) તે દૂર નથી, |૧|| (શૃંગારશતક) જેનો વિચાર હું કરું છું તે મારા વિષે વિરક્ત છે, તેણી વળી અન્ય જનને ઈચ્છે છે, તે જન અન્ય ઉપર આસક્ત છે. કોઈક અન્ય સ્ત્રી વળી મારા માટે ઇચ્છા કરે છે. ખરેખર તેને ધિક્કાર થા ઓ, તે જનને, તે મદનને, આને (જેનો વિચાર હું કરું છું, અને મને પણ ધિક્કાર થાઓ. મેરા (નીતિશતક ગાથા) કેવા પ્રકારની નારી રૂપી નદીઓમાં ડૂબે છે? શૃંગાર રૂપી તરંગોવાળી એટલે કે શૃંગાર રૂપી તરંગો છે જેણીમાં એવી તે પતિપત્નીનું પરસ્પર રતિનું વારંવાર વર્ણન કરવું તે શુંગાર કહેવાય. તથા વિલાસ એટલે કે સ્થિર
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૯
Page #225
--------------------------------------------------------------------------
________________
तस्याम्। जायापत्योमिथो रत्याऽऽवृत्तिः शृङ्गार उच्यते । रतेः पुनः पुनरनुशीलनं परस्परवर्णनं' रत्याऽऽवृत्तिः । तथा विलसनं विलासः स्थान-गमनादि-वैशिष्ट्यं स एव वेला जलवृद्धिर्यस्यां सा तथा तस्यां वेलायाः समुद्रधर्मत्वेऽपि सागमिन्यां सरिति न तदसम्भवः, तथा यौवनं तारुण्यमेव जलं नीरं यस्यां सा तथा तस्याम् ।।३७।।
गाथा : सोयसरी दुरिअदरी, कवडकुडी महिलिया किलेसकरी ।
वयर-विरोअण-अरणी , दुःक्खखणी सुक्खपडिवक्खा ।।३८।।
व्याख्या : एवंविधा नारी वर्त्तत इत्यध्याहारः किंभूता ? शोकः इष्टवियोगजनितं
मनोदुःखम् तस्य सरिदिव=नदीव शोकसरित् शोकोऽस्यामन्वहं प्रवर्तत इत्यर्थः । इयं दुश्शीलाऽकथितकारिणी । 'वन्ध्या वेत्यादिविलोकनाच्छोक एव परिणेतुर्भवतीति भावः तथा दुरितस्य पापस्य दरी-कन्दरा तथा कपटस्य कूटस्य कुटी=मन्दिरम्, यतः - देवाण दाणवाणं, मन्तंमन्तंतिमंतनिउणा जे इत्थीचरिअंमि पुणो, "ताण विमंता कहिं नट्ठा ।।१।। । स्त्रीणां कपटनाटकपाटवे कथानकमिदम् - तद्यथैको युवा स्वगृहानिर्गत्य “वैशिककामशास्त्रमध्येतुं पाटलिपुत्रं प्रस्थितः । तदन्तरालेऽन्यतरग्रामवर्तिन्यैकया योषिताऽभिहितस्तद्यथा - 'सुकुमारपाणिपादशोभनाकृतिस्त्वं क्व प्रस्थितोऽसि ?' तेनापि यथावस्थितमेव तस्याः कथितम् । तया चोक्तम् - 'वैशिकं पठित्वा मम मध्येनागन्तव्यम् । तेनापि तथैवाभ्युपगतम् । अधीत्य चासौ मध्येनायातः । तया च स्नानभोजनादिना सम्यगुपचरितो विविधहावभावैश्चापहतहृदयः संस्तां हस्तेन गृह्णाति । ततस्तया महता शब्देन पूत्कृत्य, जनाऽऽगमनाऽवसरे मस्तके वारिवर्द्धनिका प्रक्षिप्ता । ततो लोकस्य समाकुलेयमाचष्टे यथाऽयं गले लग्नेन गोदकेन मनाक् न मृतः, ततो मयोदकेन
सिक्त इति । गते च लोके सा पृष्टवती 'किम् ? त्वया वैशिकशास्त्रोपदेशेन १. शृङ्गारमुच्यते ख । २. परस्परवर्णनमित्यावृत्तिः ख । ३. ०मिव ड । ४. दुहखाणी - मुद्रिते ५. ___ वन्थ्यादिविलो० छ। ६. कन्दरः ख । ७. ताए ड । * वेश्यासम्बन्धिकामशास्त्रमित्यर्थः । ** कदल्यामद्रुमे (सि०८-१-२२०) सूत्र टीकायां इमे वे अपि रूपे निर्दिष्टे स्तः ।
११० इन्द्रियपराजयशतकम्
Page #226
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
રહેવાની કે ગમન કરવામાં જે વિશિષ્ટતા તે રૂપ જે વેલા એટલે કે જળવૃદ્ધિ છે જેમાં (જે નારી રૂપ નદીમાં) તે તથા તેવીને વિષે. વેલા તે સમુદ્રમાં જ હોવા છતાં વહેણવાળી (આગમ સહિતની) નદીમાં વેલાનો અસંભવ નથી. તથા યૌવન એટલે કે તારુણ્ય તે રૂપ જે જલ તે છે જેમાં (જે નારીરૂપનદીમાં તે તથા તેવીને વિષે. કોણ નથી goal? 113911
:
નારી તે શોકની નદી, દુરિતોની ગુફા, કપટનું મંદિર, ક્લેશને ઉત્પન્ન કરનારી, વેર રૂપી અગ્નિ માટે અરણિના લાકડા જેવી, દુઃખની ખાણ અને સુખની વૈરિણી છે. I॥૩૮॥
ભાષાંતર: નારી આ પ્રકારની છે એ અધ્યાહાર કરવું. કેવી છે ? શોક એટલે કે ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન થતું મનનું દુઃખ તેની નદી, એટલે કે શોક નારીમાં હંમેશાં પ્રવર્તે છે. આ દુષ્ટ શીલવાળી અર્થાત્ નહીં કહેલું કરનારી અથવા વન્ધ્યા છે વિગેરે એ પ્રમાણે જોવાતી હોવાથી તેને પરણનારને પણ શોક જ થાય છે. તથા દુરિત એટલે પાપ તેની દરી એટલે કન્દરા (ગુફા) છે, તથા કપટની એટલે કૂટની કુટી એટલે મંદિર (કપટનું સ્થાન) છે. જે કારણથી કહ્યું છે કે - મંત્ર તંત્રમાં નિપુણ એવા જેઓ, દેવો અને દાનવોના મંત્રને મંત્રે છે, તેઓના પણ મંત્રો સ્ત્રીચરિત્રના વિષયમાં ક્યાંય નાશી જાય છે. હવે સ્ત્રીઓની કપટ નાટકની ચતુરાઈ ઉપર આ કથાનક છે. તે આ પ્રમાણે -
એક યુવાન પોતાના ઘરેથી નીકળીને વૈશિક (વૈશ્યા સંબંધી) કામશાસ્ત્રને ભણવા માટે પાટલિપુત્ર તરફ ચાલ્યો. વચ્ચે કોઈ ગામમાં રહેલી એક સ્ત્રી વડે તે આ પ્રમાણે કહેવાયો. કોમળ એવા હાથ અને પગ વડે સુંદર આકૃતિવાળો એવો તું ક્યાં જાય છે ? યુવાન વડે જેવું હતું તેવું તેણીને કહેવાયું. તેણી વડે કહેવાયું ‘વૈશિક કામશાસ્ત્રને ભણીને મારી પાસે આવવું. યુવાન વડે પણ સ્વીકારાયું. ભણીને તે વચ્ચે પાછો આવ્યો. તેણી વડે સ્નાન ભોજનાદિ વડે સારી રીતે સત્કાર કરાયો. વિવિધ હાવભાવો વડે હરણ કરાયેલા હૃદયવાળો તે થયો છતો તેણીને હાથ વડે ગ્રહણ કરે છે. ત્યાર બાદ તેણી એ મોટા અવાજ વડે પોકાર કરીને લોક આવવાના સમયે મસ્તક ઉપર પાણીની ધાર નાખી હાંફળી ફાંફળી થયેલી લોકોને કહે છે કે આ ગળામાં લાગેલા ગોદક નામના પ્રાણીથી જરાકમાં તે ન મર્યો (સ્હેજમાં બચી ગયો.) હવે ઝેર આગળ ન વધે તેથી મેં પાણીથી
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૦
Page #227
--------------------------------------------------------------------------
________________
स्त्रीस्वभावानां किं परिज्ञातम् ? इत्येवं स्त्रीचरित्रं दुर्विज्ञेयमिति, नाऽत्रास्था कर्तव्येति तथा चोक्तम् हद्यन्यद्वाच्यन्यत्कर्मणाऽन्यत् पुरोऽथ पृष्टेऽन्यत् । अन्यत्तव मम चान्यत् स्त्रीणां सर्वं किमप्यन्यद् ।।१।। इति [ ] तथा क्लेशकरी-क्लेशजनयित्री । तथा वैरमेव विरोचनोऽग्निस्तस्य जनने अरणिरिव या सा वैरविरोचनारणिः अरणिरग्निमथनकाष्टम्, तथा दुःखानां खनिः= आकरः एतास्वासक्तानां दुःखानि सुलभान्येव पातालसुन्दरीप्रसक्तसार्थवाहवत् । तथा सुखस्य स्वर्गमोक्षसौख्यस्य प्रतिपक्षा-वैरिणी
।।३८।।
गाथा : अमुणिअ-मणपरिकम्मो, सम्मं को नाम नासिउं तरइ ।
वम्मह-सर-पसरोहे, दिट्ठिच्छोहे मयच्छीणं ।।३९।।
व्याख्या : मृगाक्षीणां सुभ्रुवाम्, दृष्टिक्षोभे दृशोरपाङ्गसञ्चारे जाते सति, 'कः' इति
सामान्योक्तिःसर्वव्याप्तिसूचिका, नामेति कोमलामन्त्रणे, सम्यक् नंष्टुं पलायितुम्, तरति शक्नोति न कोऽपीत्यर्थः । सर्वेऽपि तद्वशगा भवन्तीति भावः । किं भूतः कः ? 'अमुणिअमणपरिकम्मु' त्ति अज्ञातमनःपरिका , न ज्ञातं मनःपरिकर्मा मनोव्यापारो येन सः, यथा मनस्तावत् स्रीष्वेव प्रसरति ।। यतःपुष्फफलाणं च रसं सुराइ मंसस्स महिलियाणं च । जाणंता जे विरया ते दुक्करकारए वंदे ।।१।।। । एवं च स न जानीते किमेतासां दर्शने मम भविष्यतीति, यदि मनोव्यापारमेवंविधं जानीयात्तदा कथमसौ तददृष्टिसञ्चारे तिष्ठेदिति । किं भूते दृष्टिक्षोभे ? मन्मथशरप्रसरौधे मन्मथशराणां उन्मादनमोहनतापनशोषणमारणाख्यानं पञ्चानां कामबाणानां प्रसरौघः प्रवृत्तिप्रवाहो यत्र स
तथा तस्मिन् ।।३९।। १. नारणिरग्निमथन० ड । २. मथनकाष्ठो ड । ३. पसरोहो मुद्रिते । ४. कारया ख । * यथेत्यव्ययमपप्रदर्शने कीदृशः मनोव्यापारः येन न ज्ञातः ? तदेवोपदर्शयति- मनस्तावत स्त्रीष्वेव
प्रसरतीत्यादि । + कालिकापुराणे हर्षणरोचनद्रावणशोषणमारणाख्यपञ्चबाणोक्तिः काममन्मथकन्दर्पमकरध्वजमीन केत्वितिनामपञ्च-कनिरुक्तिश्च द्वितीयाध्याये वर्तते । ब्रह्मवैवर्तपुराणे श्रीकृष्णजन्मखण्डे ३२तमेऽध्याये... सम्मोहनोन्मादनौ च शोषणस्तापनस्तथा । स्तम्भनश्चेति
कामस्य पञ्च बाणाः प्रकीर्तिताः ।। इत्यादि पञ्चानां वर्णनं समस्ति । KKKKKKRREKKERRRRRRRRRRRRRRRRRRRREAK १११ इन्द्रियपराजयशतकम्
Page #228
--------------------------------------------------------------------------
________________
ભીંજવ્યો. લોકો વિખરાયા એટલે તેણીએ પૂછ્યું કેમ ભાઈ તેં વેશ્યા સંબંધી કામશાસ્ત્રના માર્ગદર્શનથી સ્ત્રીઓના સ્વભાવને વિષે શું જાણ્યું ? એ પ્રમાણે સ્ત્રીનું ચરિત્ર દુઃખે કરીને જાણી શકાય એવું છે. અહીં વિશ્વાસ કરવા યોગ્ય નથી. અને કહ્યું છે કે – “હૃદયમાં જૂદું, વાણીમાં જૂદું, કાર્ય વડે જૂદું અને વળી આગળ જૂદું પાછળ જૂદું, તને જૂઠું અને મને પણ જૂદું સ્ત્રીઓનું સર્વ પણ જૂદું” તથા ક્લેશકરી એટલે કે ક્લેશને ઉત્પન્ન કરનારી તથા વૈર રૂપી વિરોચન એટલે અગ્નિ, તેને ઉત્પન્ન કરવામાં અરણિ જેવી જે છે તે વૈરવિરોચનારણિ. “અરણિ, એટલે અગ્નિને મથન કરનારું કાષ્ઠ', તથા દુ:ખોની ખાણ એટલે આકર. સ્ત્રીઓને વિષે આસક્ત લોકોને દુ:ખો સુલભ જ છે. પાતાલસુંદરી ઉપર આસક્ત થયેલા સાર્થવાહની જેમ. તથા સુખની એટલે કે સ્વર્ગ-મોક્ષસુખની પ્રતિપક્ષા છે એટલે કે વૈરિણી છે માટે
સ્ત્રીને સુખપ્રતિપક્ષા ક્કી છે. ll૩૮ ગાથાર્થ ઃ સ્ત્રીઓના મન્મથના બાણોના પ્રસરતા પ્રવાહ જેવો દષ્ટિનો ક્ષોભ થયે છતે,
નથી જાણ્યો મનનો પરિકર્મ જેણે એવો કોણ નાશી જવા સમર્થ થાય?(કોઈ
નહીં) ૩૯. ભાષાંતરઃ મૃગાક્ષીઓ એટલે કે સ્ત્રીઓનો દૃષ્ટિક્ષોભ, એટલે દૃષ્ટિનો
અપાંગસંચાર (અસ્વભાવિક રીતે દૃષ્ટિને નાંખવી) થયે છતે ‘જો' “કોણ” એ સર્વવ્યાપ્તિને સૂચવનારી સામાન્ય ઉક્તિ છે. “નામ' એ કોમળ આમંત્રણ માટેનો શબ્દ છે, સમ્યક્ (કુશળતાપૂર્વક) નાશવા માટે-પલાયન થવા માટે શક્યમાન છે ? કોઈપણ નહીં. બધા જ સ્ત્રીને વશ થનારા હોય છે એ ભાવ છે. જે શક્તિમાન નથી તે કેવો છે ? નથી જાણ્યો મનનો પરિકર્મ જેણે એટલે કે નથી જાણ્યો સ્ત્રીના મનનો વ્યાપાર જેણે એવો. મનનો વ્યાપાર કેવો છે ? મન હંમેશાં સ્ત્રીમાં જ પ્રસાર પામે છે. આવો મનનો વ્યાપાર જેણે જાણ્યો નથી, તે સ્ત્રીના દષ્ટિના ક્ષોભથી નાશી જવા માટે સમર્થ નથી. કહ્યું છે કેપુષ્પ, ફળો, મંદિરા માંસ, અને મહિલાઓના રસને જાણતા એવા પણ જે વિરત છે (તેનાથી અટકેલા છે) તે દુષ્કર કરનારને હું વંદું છું. એ રીતે તે જાણતો નથી કે આ સ્ત્રીઓનું દર્શન થયે છતે મારું શું થશે ? જો સ્ત્રીઓના આ પ્રકારના મનોવ્યાપારને તે જાણતો હોય, તો એ કેવી રીતે તેણીનો એવો દૃષ્ટિસંચાર થયે છતે ત્યાં રહે ? કેવા
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૧
Page #229
--------------------------------------------------------------------------
________________
गाथा : परिहरसु तओ तासिं, दिढि दिट्ठीविसस्स व अहिस्स ।
जं रमणिनयणबाणा, चरित्तपाणा' विणासंति ।।४०।।
व्याख्या : ततस्तस्माद्धेतोस्तासां मृगाक्षीणां दृष्टिं परिहर, तासां दृग्गोचरे मा
गच्छेरित्यर्थः । कस्येव दृष्टिविषस्याहेरिव, यथा दृष्टिविषाहेर्दृष्टिविषयता परिहार्या, तथा 'तासामपि । तत्र हेतुमाह - यद् यस्माद्रमणीनयनबाणाश्चारित्रप्राणान् विनाशयन्ति । स्त्रीभिः कटाक्षिताः के न चारित्रं त्यजन्ति ? ।।४०।।
गाथा : सिद्धंतजलहिपारंगओवि, विजिइंदिओ वि सूरो वि ।
दढचित्तो वि छलिजइ, जुवइपिसाईहि खुड्डाहिं ।।४१।। व्याख्या : एवंविधोऽपि पुरुषो युवतिपिशाचीभिश्छल्यते = वञ्यते सन्मार्गाच्चाव्यत
इत्यर्थः । किंभूताभिः ? क्षुद्राभिरुत्तानमतिभिः । किंभूतः सः ? सिद्धान्तजलधिपारगतोऽपि = सिद्धान्तजलधेः पारं प्राप्तोऽपि, अलाक्षणिको *"मुमागमः ।। तथा विजितानि वशीकृतानीन्द्रियाणि येन स विजितेन्द्रियः एवंविधोऽपि, तथा शूरोऽपि वीरोऽपि, तथा दृढचित्तोऽपि दृढं चित्तं यस्येति एवंविधोऽपि ।।४१।।
१. चरित्तपाणे मुद्रिते २. तथा साऽपि ड । ३. पिसाइहिं खुहाहिं मुद्रिते । ___ अत्र 'रमणि' इति हूस्वत्वं 'दीर्घह्रस्वौ मिथो वृत्तौ' (सि. ८-१-४) सूत्रेण संमतमस्ति ** लक्षणेन = केनापि व्याकरणसूत्रेणाऽनिर्दिष्टः, आर्षप्रयोगे लोकाद्वा ज्ञायमानः कोऽपि
प्रयोगोऽलाक्षणिक उच्यते ।
११२
इन्द्रियपराजयशतकम्
Page #230
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ
પ્રકારનો દૃષ્ટિનો ક્ષોભ ? - મન્મથ એટલે કામદેવ, તેના શર એટલે બાણ, *ઉન્માદન, મોહન, તાપન, શોષણ અને મારણ એ નામના પાંચ બાણો, તેઓના પ્રસ૨નો ઓઘ એટલે પ્રવૃત્તિનો પ્રવાહ છે જેમાં એવો દૃષ્ટિનો ક્ષોભ થયે છતે, ત્યાં તે કેવી રીતે રહે ? ૩૯૫
ભાષાંતર: તે કારણથી તેઓની એટલે સ્ત્રીઓની દૃષ્ટિનો ત્યાગ કર એટલે કે તેઓની દૃષ્ટિના વિષયમાં ન જા. કોની જેમ ? દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેમ, જે રીતે દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિનું વિષયપણું ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે સ્ત્રીઓની દૃષ્ટિનું વિષયપણું પણ ત્યાગ કરવા યોગ્ય છે. તેમાં કા૨ણ કહે છે - જે કારણથી નયન રૂપી બાણોવાળી સ્ત્રીઓ ચારિત્ર રૂપી પ્રાણોનો નાશ કરે છે. સ્ત્રીઓ વડે કટાક્ષ કરાયેલા એવા કોણ ચારિત્રનો ત્યાગ નથી કરતા ? (બધા કરે છે) II૪ll
:
જે કારણથી સ્ત્રીના નયનબાણો ચારિત્ર રૂપી પ્રાણોનો નાશ કરે છે. તે કારણથી દષ્ટિવિષસર્પના જેવી સ્ત્રીઓની દૃષ્ટિને પરિહર કર. II૪૦ના
ત્યાગ
ગાથાર્થ : ક્ષુદ્ર એવી યુવતિ પિશાચીઓ વડે સિદ્ધાન્ત રૂપી સમુદ્રને પાર પામેલો પણ, જિતેન્દ્રિય એવો પણ, શૂરવીર એવો પણ, દઢચિત્તવાળો પણ (પુરુષ) ઠગાય છે. II૪૧|
ભાષાંતરઃ આવા પ્રકારનો પણ પુરુષ યુવતિ રૂપી પિશાચીઓ વડે ઠગાય છે. સન્માર્ગથી દૂર કરાય છે. કેવી સ્ત્રીઓ વડે ? ક્ષુદ્રા એટલે છીછરી બુદ્ધિવાળી સ્ત્રીઓ વડે. કેવો પુરુષ ? સિદ્ધાંતરૂપી સમુદ્રને પાર પામેલો પણ, ગાથામાં ‘પારંઅે' એ શબ્દમાં અલાક્ષણિક મૈં નો આગમ છે.
⭑
+ કાલિકાપુરાણમાં હર્ષણ, રોચન, દ્રાવણ, શોષણ અને મારણ નામના પાંચ બાણ કહેવાયેલા છે. અને કામ, મન્મથ, કન્દર્પ, મકરધ્વજ અને મીનકેતુ એ પાંચ નામ બીજા અધ્યાયમાં છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં શ્રીકૃષ્ણજન્મખંડના ૩૨મા અધ્યાયમાં સમ્મોહન, ઉન્માદન, શોષણ તાપન અને સ્તમ્ભન એ પાંચ કામના બાણો કહેવાયા છે.
**
ગાથામા ‘રળિ’ હસ્વપણું “ટીર્ઘત્વો મિથો વૃત્તો” (સિ.૮-૨-૪) સૂત્રથી થયું છે.
કોઈપણ વ્યાકરણ સૂત્ર વડે નિર્દેશ નહીં કરાયેલો, આર્ષપ્રયોગમાં અથવા લોકથી જણાતો કોઈ પણ પ્રયોગ અલાક્ષણિક કહેવાય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૨
Page #231
--------------------------------------------------------------------------
________________
गाथा : मयण-नवणीय-विलओ, जह जायइ जलणसंनिहाणंमि । तह रमणि - संनिहाणे, विद्दवइ मणो मुणीणं पि ।। ४२ ।।
व्याख्या : यथा ज्वलनसन्निधानेऽग्निसामीप्ये * मदननवनीतविलयो जायते मदनस्य सिक्ककस्य' नवनीतस्य च विलयो भवति काठिन्यमपयातीत्यर्थः, तथा रमणीसन्निधाने स्त्रीसंयोगे मुनीनामपि मनो विद्रवति विलीनं भवति दा परित्यज्य शिथिलं भवतीत्यर्थः ।।४२।।
गाथा : नीयंगमाहिं सुपयोहराहिं, उप्पेच्छ- मंथरागईहिं । महिलाहि निमग्गाहिव, गिरिवरगुरुआ वि भिज्जन्ति ॥ ४३ ॥
व्याख्या : एवंविधाभिर्महिलाभिः = स्त्रीभिर्निम्नगाभिरिव गिरिवरगुरुका अपि, (भिद्यन्ते) किं भूताभिर्महिलाभिः ? नीचगामिनीभिरुच्चं जनं परित्यज्य नीचैः सह संयुज्यन्त इत्यर्थः । तथा शोभनौ पीनौ पयोधरौ कुचौ यासां तास्ताभिः सुपयोधराभिः, तथा उत्प्रेक्ष्या ऊर्ध्वमुचैर्भूय प्रकर्षेण अवलोकनयोग्या मन्थरा सविलासा गतिर्यासां तास्ताभिः । नद्योप्येवं नीचगामिन्यः, शोभनं पयः पानीयं धरन्तीति सुपयोधराः, मन्थरगतयश्च भवन्तीति ।। ४३ ।।
=
गाथा : विसयजलं मोहकलं, विलासविव्वोअजलयराइन्नं । मयमयरं उत्तिन्ना, ' तारुण्णमहन्नवं धीरा ||४४॥
१. सिक्तस्य ख । २. उप्पित्थमंथरगईहिं मुद्रिते । ३. महिलाहिं मुद्रिते । ४. उत्प्रेक्षा उत्प्रेश्रा ख । ५. तारुन्नं ड । * 'पीण' इति भाषायाम् ।
११३ इन्द्रियपराजयशतकम्
Page #232
--------------------------------------------------------------------------
________________
તથા વિજિત કરાઈ છે એટલે કે વશ કરાઈ છે ઇન્દ્રિયો જેના વડે તે વિજિતેન્દ્રિય એવો પણ તથા શૂર એટલે કે વી૨ એવો પણ, તથા દૃઢચિત્તવાળો પણ પુરુષ સ્ત્રીઓ વડે ઠગાય છે
૪૧
ગાથાર્થ ઃ જે રીતે અગ્નિના સંપર્કમાં મીણ અને માખણ વિલીન થઈ જાય છે, તે જ રીતે રમણીના સંનિધાનમાં મુનિનું પણ મન વિદ્રવે છે. ૪૨
ભાષાંતરઃ જે રીતે અગ્નિનું સમીપપણું હોતે છતે, મદન અને નવનીત વિલયને પામે છે એટલે કે મીણ અને માખણનું કઠિનપણું દૂર થાય છે, તે જ રીતે ૨મણીસંનિધાનમાં એટલે કે સ્ત્રીના સંયોગમાં મુનિઓનું પણ મન વિદ્રવે છે, વિલીન થાય છે. દઢપણું છોડીને શિથિલ થાય છે. II૪૨॥ I
:
ગાથાર્થ ઃ જેમ નીચે જનારી, સારા પાણીને ધારણ કરનારી, મંથર ગતિવાળી નદીઓ વડે ગિરિવર ભેદાય છે, તે જ રીતે ઊંચા લોકનો ત્યાગ કરીને નીચ લોકની સાથે સંયોગ કરનારી, પુષ્ટ પયોધરવાળી, ઊંચા થઈને અત્યંત જોવા યોગ્ય મંથરગતિવાળી સ્ત્રીઓ વડે ગિરિવર જેવા મહાન પુરુષો પણ ભેદાય 99.118311
ભાષાંતરઃ આ પ્રકારની મહિલાઓ વડે નદીઓની જેમ ગિરિવર જેવા મહાન પણ ભેદાય છે. કેવી મહિલાઓ વડે ? નીચગામિની એટલે કે ઊંચા લોકનો ત્યાગ કરીને નીચ લોકના સંયોગને કરતી તથા શોભન એટલે કે પુષ્ટ પયોધર એટલે કે સ્તન છે જેણીના એવી સુપયોધરવાળી તથા ઉત્પ્રેક્ષ્ય એટલે ઊંચા થઈને પ્રકર્ષ વડે (અત્યંત રીતે) અવલોકન કરવા યોગ્ય એવી, મંથર એટલે કે વિલાસવાળી ગતિ છે જેઓની, એવી સ્ત્રીઓ વડે મહાન પુરુષ પણ ભેદાય છે. નદીઓ પણ એ જ રીતે નીચે (નીચુ વહેણ હોવાથી) જનારી હોય છે, શોમાં પયઃ એટલે સારા પાણીને ધારણ ક૨ના૨ી એટલે સુપયોધરા અને મન્થર (ધીમીધીમી) ગતિવાળી હોય છે. અહીં સ્ત્રીને નદીની ઉપમા આપી છે. નીચે જનારી, સુપયોધરવાળી, મંથર ગતિવાળી એ ત્રણની સાથે અત્રે સામ્યતા બતાવી છે. ૪૩।। ગાથાર્થ : વિષયો રૂપી જળવાળા, મોહ રૂપી કલ (મધુર અવાજ) વાળા, વિલાસ અને વિવ્લોક રૂપી જળચરો વડે વ્યાપ્ત, મદ રૂપ મગરો છે જેમાં એવા તારુણ્ય રૂપી મહાસમુદ્રનો ધીર પુરુષો પાર પામે છે. ૫૪૪॥
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૩
Page #233
--------------------------------------------------------------------------
________________
व्याख्या : धीरा=मनोदार्ढ्यधारिणः पुरुषा एवंविधं तारुण्यमहार्णवं यौवनसमुद्रं उत्तीर्णाः पारगामिनो जाताः । किंभूतं तारुण्यमहार्णवम् ? विषयजलं विषया एव जलं यत्र स तम् । तथा मोह एव कलमव्यक्तमधुरध्वानो यत्र स तथा तम् । तथा विलासः * स्थानगमनादिवैशिष्ट्यम्, विव्वोक: सौभाग्यगर्वादिष्टेऽप्यवज्ञा, तावेव जलचरा-मत्स्यास्तैराकीर्णं व्याप्तम् । तथा मदो 'जात्यादिरष्टविधः स एव मकरा जलचरविशेषाः यत्र स तथा तम् । तारुण्ये ह्येते विषयमोहविलासविव्वोकमदाख्या भावा भवन्ति, भवन्ति, समुद्रेऽपि जलकलजलचरमकराः स्युरिति तारुण्येऽम्बुधिसाम्यमापादितम् । कलं च जीर्णरेतसोः अव्यक्तमधुरध्वाने (२-४८८) इत्यनेकार्थः ।। ४४ ।।
=
=
गाथा : जइ वि परिचत्तसंगो, तवतणुअंगो तहा वि परिवडइ । महिलासंसग्गीए, कोसाभवणोसियमुणिव्व ।। ४५ ।।
व्याख्या : यद्यपि परित्यक्तसङ्गः परित्यक्तः परिहृतः स्त्रीणां सङ्गः समीपस्थायित्वं येन सः । तथा तपसा षष्ठाष्टमादिविधानेन तनु- कृशमङ्ग- शरीरं यस्य एवंविधस्तथापि महिलासंसर्ग्या' - स्त्रीसङ्गेन परिपतति संयमाद् भ्रश्यति । क इव ? कोशाभवनोषितमुनिरिव, कोशाभवने उषितः स्थितो यो मुनिः सिंहगुहावासिसाधुः, स इव । तत्कथेयम् :
#
१. भवणूसिय मुद्रिते । लीला विलासोविच्छित्तिर्विव्वोकः किलिकिञ्चितम् ।।५.७ ।। मोटायितं कुट्टुमितं ललितं विहृतं तथा विभ्रमश्चेत्यलंकाराः स्त्रीणां स्वाभाविका दश ।।५०८ ।। वाग्वेषचेष्टितैः प्रियस्यानुकृतिर्लीला, स्थानगमनादिवेशिष्ट्यं विलासः, शोभाकृद्गर्वादल्पाकल्पविन्यासो विच्छित्तिः, सौभाग्यगर्वादिष्टेष्ववज्ञा विव्वोकः, सौभाग्यगर्वात् स्मितादीनां संकरः किलिकिञ्चितम्, प्रियकथादौ तद्भावभावनोत्था चेष्टा मोटायितम्, अधरादिग्रहणाद् दुःखेऽपि हर्षः कुट्टुमितम्, मसृणाङ्गन्यासो ललितम्, भाषणावसरे व्याजादभाषणं विहृतम्, सौभाग्यगर्वाद् वचनादीनामन्यथा निवेशो विभ्रमः । इति अभिधानचिन्तामणितट्टीकयोः । + " जाई - कुल-बलरुवे तव-ईसरिए सुए लाहे” त्ति आवश्यकनिर्युक्तिचतुर्थाध्ययने हारिभद्रीयायाम् मदविभागः ।
११४ इन्द्रियपराजयशतकम्
Page #234
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર: ધીર એટલે કે મનની દૃઢતાને ધારણ કરનારા પુરુષો, આવા પ્રકારના
તારુણ્ય મહાર્ણવ એટલે કે યૌવન રૂપી સમુદ્ર ઉત્તીર્ણ કરે છે એટલે કે તેના પારગામી (પાર પામનારા) થાય છે. કેવા તારુણ્ય મહાર્ણવને ? વિષયો રૂપી પાણી છે જેમાં, તથા મોહ રૂ૫ કલ એટલે કે અવ્યક્ત મધુર અવાજ છે જેમાં, તથા વિલાસ - સ્થિર રહેવું કે ગમન કરવા આદિમાં વિશિષ્ટપણું, વિબ્લોક એટલે સૌભાગ્યના ગર્વથી ઇષ્ટને વિષે પણ અવજ્ઞા અને *વિલાસ અને વિવેક રૂપી જલચરો માછલા વિગેરે તેઓ વડે આકીર્ણ એટલે વ્યાપ્ત તથા મદજાતિ આદિ આઠ પ્રકારનો તે મદ રૂપી મગરો જલચરવિશેષ છે જેમાં એવા યૌવનપણામાં આ વિષય, મોહ, વિલાસ, વિવોક, મદ નામના ભાવો હોય છે. સમુદ્રમાં પણ જળ, કલ (મધુર અવાજ), જલચર,મગરો હોય છે માટે તારુણ્યમાં સમુદ્રનું સામ્ય પ્રાપ્ત કરાવાયું છે. કલ શબ્દ જીર્ણ, રેતસુ અને અવ્યક્ત મધુર અવાજ એ પ્રમાણે અનેક અર્થમાં છે. અહીં યુવાનીને સમુદ્ર સાથે સરખાવી છે. યુવાનીમાં વિષય, મોહ, વિલાસ વિડ્વોક, મદના ભાવોને જલ, કલ, જલચર અને મગર સાથે
સરખાવ્યા છે. II૪૪ો. ગાથાર્થ ? જો કે ત્યાગ કરાયેલા સંગવાળો અને તપ વડે કશ થઈ ગયેલા
અંગવાળો હોય તો પણ કોશાના ભવનમાં રહેલા મુનિની જેમ
મહિલાના સંસર્ગથી પડે છે. ૪પો ભાષાંતરઃ જો કે ત્યાગ કરાયો છે સ્ત્રીઓનો સંગ એટલે કે નજીક રહેવાપણું
જેના વડે એવો, તથા તપ વડે એટલે કે છઠ્ઠ, અઠ્ઠમાદિ કરવા વડે જેનું શરીર કૃશ-દુબળું થઈ ગયું છે તેવો પણ મહિલાના સંસર્ગથી પડે છે એટલે સંયમથી ભ્રષ્ટ થાય છે. કોની જેમ ? કોશાના ભવનમાં
રહેલો જે મુનિ, સિંહગુફાવાસી સાધુ, તેની જેમ. તેની કથા આ * લીલા, વિલાસ, વિચ્છિત્તિ, વિબ્લોક, કિલિકિંચિત, મોટાયિત, કુટુંમિત, લલિત, વિહત
અને વિભ્રમ એ દશ સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો છે. એમાં વાણી અને વેષની ચેષ્ટાઓ વડે પ્રિયનું અનુકરણ તે લીલા, સ્થિર રહેવામાં કે ગમન આદિ કરવામાં વિશિષ્ટતા તે વિલાસ, શોભાને કરનારા એવા ગર્વથી અલ્પ વસ્ત્રને પહેરવા તે વિચ્છિત્તિ, સૌભાગ્યના ગર્વથી ઇષ્ટની પણ અવજ્ઞા તે વિવોક, સૌભાગ્યના ગર્વથી સ્મિતાદિનું જે મિશ્રણ તે ફિલિકિંચિત, પ્રિયની કથાદિમાં તેના સભાવની ભાવનાથી ઉત્પન્ન થતી જે ચેષ્ટા તે મોટાયિત, અધરાદિના ગ્રહણથી દુ:ખ થતું હોવા છતાં જે હર્ષ તે કુમિત, કોમળ રીતે અંગને સ્થાપવું તે લલિત, બોલવાના અવસરે બહાનાથી ન બોલવું તે વિહત, સૌભાગ્યના ગર્વથી વચનાદિનો જુદી રીતે પ્રયોગ તે વિભ્રમ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૪
Page #235
--------------------------------------------------------------------------
________________
*थूलभद्दसामी वि संभूयविजयाणं सगासे घोरागारं तवं करेइ विहरन्तो पाडलिपुत्तमागओ । तिन्नि अणगारा अभिग्गहं गेण्हंति, एगो सीहगुहाए, तं पेच्छंतो सीहो उवसंतो । अन्नो सप्पवसहीए सो वि दिह्रिविसो उवसंतो । अन्नो कूवफलए । थूलभद्दो कोसाए घरे । सा तट्ठा परिसहपराजिओ आगउत्ति, भणियं 'किं करेमि ?' । 'उज्जाणगे ठायं देहि' दिनो, रत्ति सव्वालंकारविभूसिया आगया चाडं पकया । सो मंदरो इव निप्पकंपो न सक्कइ खोभेउं ताहे सब्भावेण पज्जुवासइ, भगवया वि पडिबोहिया, कहं ? सरिलक्खेहि समुद्दो बहुहि कट्ठासणेहि जइ जलणो तो सिज्जइ ता जीवो विसएहि, अतित्त-पुव्वो त्ति ।। सुइरं वसिउं सह बन्धवेहि, रमिऊण हिययईटेहिं । सुईरं च सरीरं लालियं पि छड्डे वि गंतव्वं ।। इट्टजणं घणधन्नं विसया पंचगवल्लहं देहो एक्कपए मोत्तव्वं तहा वि दीहाऽऽस जीवाणं ।। एवमाइ सोऊण सुसाविगा जाया, भणइ “जइ रायवसेणं अन्नेण समं वसेज्जा, इयरहा बंभचारिणी" । पुन्ने य अभिग्गहे ताहे सीहगुहाए साहू आगओ चत्तारि मासे उववासं काउण, आयरिएहिं ईसित्ति अब्भुट्ठिओ भणियं 'सागयं दुक्करकारयस्स' त्ति । एवं सप्पइ-त्तोवि' कूवफलगइत्तो वि । थूलभद्दसामी वि तत्थेव गणियाघरे पइदिणं सव्वकामगुणियमाहारं गेण्हति, सो वि चउसु मासेसु पुग्नेसु आगओ । आयरिया संभमेण अब्भुट्ठिया * स्थूलभद्रस्वाम्यपि संभूतविजयानां सकाशे घोराकारं तपः करोति, विहरन् पाटलीपुत्रमागतः त्रयोऽनगारा अभिग्रहान् गृह्णन्ति-एक: सिंहगुहायां, तं प्रेक्षमाणः सिंह उपशान्तः, अन्यः सर्पवसतौ सोऽपि दृष्टिविष उपशान्तः, अन्यः कूपफलके, स्थूलभद्रः कोशायाः गृहे, सा तुष्टा, परिषहपराजित आगत इति, भणति- 'किं करोमि' ? उद्यानके स्थानं देहि, दत्तः, रात्रौ सर्वालंकारविभूषिता आगता, चाटुप्रकृता स मन्दर इव निष्प्रकम्पः, न
शक्नोति क्षोभयितुं तदा सद्भावेन १ क्खेहि खडड, ड, २. मुइरं व डड । ३. देहा ड, ४. महा ड । ५. मासं उवावसं ड। * अत्र स्त्रीलिङ्गः संसर्गीशब्दः केन नियमेन संस्कृतच्छाययाऽवातारि ? तन्न जानीमहे । + ठायशब्दः पुंलिङ्गस्थानवाची च प्राकृतशब्दमहार्णवे । - चाटूनि यथा स्युस्तथेति क्रियाविशेषणम्, प्रकृते चाऽकर्मकात् कर्तरिक्तः चाटुनि कर्तुं प्रवृत्ता इत्यर्थः । ** 'तर्हि जीवो विषयस्तोषयितुं कथं शक्यते ? यतः पूर्वं कदापि तृप्तो नास्ति' इत्थं यतोऽर्थे इति
प्रयोगः । ++ "सर्पबिलसत्कोऽपि" इत्यर्थं कुर्वन्ति सागरानन्दसूरयः वादिवेतालियोत्तराध्ययनटीकाछायायाम् ।
११५ इन्द्रियपराजयशतकम्
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે - સ્થૂલભદ્રસ્વામી પણ સંભૂત વિજયની પાસે ઘોર આકારવાળા તપને કરે છે. વિહાર કરતા તે પાટલીપુત્રમાં આવ્યા. ત્રણે પણ સાધુ ભગવંતો અભિગ્રહોને ગ્રહણ કરે છે. એક સિંહગુફામાં, તેને જોતો સિંહ ઉપશાન્ત થયો. અન્ય સાધુ સર્પની વસતિમાં, તે દૃષ્ટિવિષ સર્પ પણ ઉપશાન્ત થયો; અન્ય કૂવાના ભારવટા ઉપર. સ્થૂલભદ્ર કોશાના ઘરે. તે ખુશ થઈ, કે પરિષહોથી પરાભવ પામેલો અહીં આવ્યો છે. તેને કહે છે હું શું કરું ? “ઉદ્યાનમાં મને સ્થાન આપ.” તેણી વડે અપાયું. રાત્રિમાં સર્વ અલંકારથી વિભૂષિત થયેલી આવી, મધુર વચનો બોલવાનું શરૂ કરાયું. તે મેરું જેવા નિષ્પકમ્પ રહ્યા. તેને ક્ષોભ પમાડવા અસમર્થ થઈ ત્યારે સભાવ વડે સેવા કરે છે. ભગવંત વડે પણ તે પ્રતિબોધ કરાઈ. કેવી રીતે ? - જો લાખો નદીઓ વડે સમુદ્ર, ઘણા કાષ્ઠના ભક્ષણ વડે અગ્નિ સંતોષ પામે તો પૂર્વે ક્યારેય તૃપ્તિ નહીં પામેલો જીવ વિષયો વડે સંતોષ પામે. લાંબા કાળ સુધી બંધુઓની સાથે વસીને, હૈયાની ઇષ્ટ વસ્તુઓ વડે રમીને - ભોગવીને લાંબા કાળથી લાલન કરાયેલું શરીર પણ છોડીને જ જવાનું છે. ઇષ્ટજન, ધનધાન્ય, વિષયો, પંચંગવલ્લભ, દેહ બધું એક સાથે જોડવાનું છે, તો પણ જીવોની આશા લાંબી હોય છે. આ બધું સાંભળીને કોશા સુશ્રાવિકા થઈ. કહે છે કે “જો રાજાના વશકી હોય તો જ અન્યની સાથે મારે વસવું, નહીં તો હું બ્રહ્મચારિણી રહીશ.” અભિગ્રહ પૂર્ણ થયે છતે ચાર માસના ઉપવાસ કરીને સિંહગુફાથી સાધુ પાછા આવ્યા, ત્યારે આચાર્ય વડે જરાક આ પ્રમાણે અભ્યત્થાન (સામે જવાયું) કરાયું કહેવાયું કે “દુષ્કર કરનારનું સ્વાગત છે.” એ પ્રમાણે સર્પના બિલની પાસેથી અને કૂવાના ભારવટા ઉપરથી આવેલા સાધુનું પણ જરાક અભ્યત્થાન કરાયું. સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ ગણિકાના ઘરે દરરોજ સર્વકામથી યુક્ત આહારને ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થયે છતે પાછા આવ્યા. આચાર્યએ સંભ્રમ વડે અદ્ભુત્થાન કર્યું અને
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૫
Page #237
--------------------------------------------------------------------------
________________
भणिओ य सागयं ते अइदुक्करदुक्करकारयस्स' । ते भणन्ति तिनिवि “पेच्छह आयरिया रागं करेन्ति ‘अमञ्चपुत्तो त्ति काउं एत्थवि लोइओ ववहारो, एस सुहंसुहेणं तत्थ ट्ठिओ 'तओ पसंसिज्जति" । बीए वरिसे सीहगुहाखमणो 'गणियाघरं वञ्चामि' त्ति अभिग्गहं गेण्हइ । आयरिया उवउत्ता, वारिओ, अप्पडिसुणंतो गओ, वसही मग्गिया, दिन्ना, सा सहावेण ओरालियसरीरा विभूसिया अविभूसिया वा धम्मं सुणेइ । तीसे सरीरे सो अज्झोववन्नो,
ओभासइ, सा नेच्छइ, पडिबोहणत्थं भणति जइ किंचि नवरि देसि' किं देमि 'सयसहस्सं' सो मग्गिउमारद्धो नेपालविसए सावग्गो राया जो तहिं जाइ तस्स सयसहस्समोल्लं कंवलगं देइ । सो तहिं गओ, दिन्नो रायणा* एएण । वंसदंडयविदारे' च्छोढूण एति । एगत्थ चोरेहिं पंथो बद्धो, सउणो वासइ पर्युपासति, भगवताऽपि प्रतिबोधिता, कथं सरिल्लक्षैः समुद्रः बहुभि काष्टाशनैः यदि ज्वलनः सिध्यति तदा जीवः विषयैः अतृप्तपूर्वः' इति सुचिरं क्लेषित्वा सह बान्धवैः रन्त्वा हृदयेष्टेः । सुचिरं च शरीरं लालितमपि गन्तव्यम् । इष्टजनं घणधनं विषयाः पञ्चाङ्गवल्लभ देहं एकपदे मोक्तव्यं तथापि दीर्घाशा जीवानाम् । एवमादि श्रुत्वा सुश्राविका जाता, भणति-यदि राजवशेनान्येन समं वसेयम् इतरथा, ब्रह्मचारीणि, पूर्णे चाभिग्रहे तदा सिहगुहाया आगतश्चतुरो मासान् उपवासं कृत्वा आचार्यैरीषदित्यभ्युत्थितः, भणितं स्वागतं दुष्करकारकस्येति एवं सर्पबिलसत्कोपि, कूपफलकसत्कोपि, स्थूलभद्रस्वाम्यपि तत्रैव गणिकागृहे प्रतिदिनं सर्वकामगुणिताहारं गृह्णाति, सोऽपि चतुर्पु मासेषु पूर्णेषु आगतः, आचार्याः संभ्रमेणोत्थिताः भणितश्च स्वागतं तेऽतिदुष्करकस्येति ते भणन्ति त्रयोऽपि पश्यत आचार्या रागं कुर्वन्ति अमात्यपुत्र इति कृत्वा अत्रापि लौकिक: व्यवहारः, एषः सुखंसुखेन तत्र स्थितस्ततः तपसं प्रशंसति । द्वितियवर्षे सिंहगुहाक्षपणो गणिकागृहं व्रजामीति अभिग्रहं गृह्णाति, आचार्या उपयुक्ताः वारितः, अप्रतिशृण्वन् गतः, वसतिर्गिता, दत्ता, सा स्वभावेनोदारशरीरा विभूषिता अविभूषिता वा, धर्मं शृणोति, तस्याः शरीरे सोऽध्युपपन्नः अवभाषयति (याचते), सा नेच्छति, प्रतिबोधार्थं भणति - यदि किञ्चिद नवरं ददासि, किं ददामि ? शतसहस्रं, स मार्गयितुमारब्धः,
१. तप संसिजति ड । * 'इर्जस्य णो णाडौ' (सि०८-३-५२) सूत्रवृत्तौ तृतीयैकवचनं "रायणा"
उदाहतमस्ति । + यस्य द्वौ विभागौ विदार्य कृतौ स विदारः इति प्राकृतशब्दमहार्णवे __वंशरूपदण्डकस्य च विशेषणमेतत् ।।
११६ इन्द्रियपराजयशतकम्
Page #238
--------------------------------------------------------------------------
________________
કહેવાયું કે “અતિદુષ્કર દુષ્કર કરનાર એવા તારું સ્વાગત છે.” તે ત્રણે સાધુ કહે છે “જુઓ અમાત્યપુત્ર છે એમ કરીને આચાર્ય રાગ કરે છે. અહીં પણ લૌકિક વ્યવહાર છે. આ સ્થૂલભદ્ર) સુખસુખપૂર્વક ત્યાં રહ્યો તો પણ પ્રશંસા કરાયો.” બીજે વર્ષે સિંહ ગુફાવાસી શ્રમણ “ગણિકાના ઘરે જઈશ” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. ઉપયુક્ત થયેલા આચાર્યએ એને વાર્યો (રોક્યો) પણ નહીં સાંભળતો તે ત્યાં ગયો. વસતિ માંગી. તેણી વડે અપાઈ. તેણી સ્વાભાવિક જ
ઔદારિકશરીરવાળી વિભૂષિત થયેલી અથવા અવિભૂષિત જ ધર્મને સાંભળે છે. તેણીના શરીર ઉપર તે (શ્રમણ) રાગી થયો, અને યાચના કરે છે. તેણી ઇચ્છતી નથી. પણ પ્રતિબોધ કરવા માટે કહે છે “પરંતુ જો તું કંઈક મને આપે તો”! “શું આપું ? “લાખ મૂલ્ય” તે (શ્રમણે) લાખ મૂલ્ય શોધવાનું શરૂ કર્યુ. નેપાલ દેશમાં શ્રાવક રાજા જે કોઈ ત્યાં જાય છે તેને લાખ મૂલ્યવાળું કંબલ આપે છે તે ત્યાં ગયો. એ રાજા વડે અપાયું. વંશના દંડના ભાગ કરીને પોલાણમાં કંબલને નાખીને તે આવે છે. એક જગ્યાએ ચોરો વડે માર્ગ રોકાયો. પોપટ બોલે છે “લાખ મૂલ્ય આવે છે” તે ચોરનો સેનાપતિ જાણે છે, પણ આવતા એવા સંયતને જુએ છે. અને પાછો ફરે છે. ફરી પોપટ બોલે છે, લાખ મૂલ્ય ગયું” તે ચોરના સેનાપતિ વડે જઈને બરાબર જોવાયું અને પૂછાયું. તેના વડે અભય અપાયે છતે શ્રમણ વડે કહેવાયું કે કંબલ છે, ગણિકા માટે લઈ જાઉં છું. છોડી દેવાયો. ત્યાર બાદ ગણિકાને અપાયું. તેણી વડે ખાળમાં નંખાયું. તે વારે છે, કે “તેને નષ્ટ ન કર' તેણી કહે છે “તું આ કંબલનો શોક કરે છે, આત્માનો શોક નથી કરતો. આ કંબલ જેવું જ તારા જેવાનું પણ થશે એ પ્રમાણે ઉપશાન્ત કરાયો, કેવી રીતે ? તરુણપણામાં દીર્ઘકાળ સુધી સુનિર્મલ શીલ પાળ્યું છે. ધ્યાન અને અધ્યયનથી (તેમજ) તપશ્ચર્યાઓથી પાપ રૂપી કાદવને પખાળ્યો = ધોઈ નાખ્યો છે. આવી (સુ) હલાહલ ઝેર જેવી વિષયની આશાને થંભાવી દે. (જેવો ઘાટ ઘડવો તેવો ઘડી શકાય અને મેલ-ભેળસેળ હોય એ નીકળી જાય એ માટે ઓગાળેલું =) ધમેલું ઉજ્જવળ વર્ણવાળું સોનું ફૂંકથી હારી ન જા અર્થાત્ ફૂંક મારે એટલી સેંકન્ડમાં હારી
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૬
Page #239
--------------------------------------------------------------------------
________________
'सयसहस्सं एइ' । सो चोरसेणावई जाणइ नवरं एजंतं संजयं पेच्छइ । वोलीण पुणो वि वासइ ‘सयसहस्सं गयं' तेण सेणावइणा गंतूण पलोइओ पच्छिओ य, अभये दिन्ने कहियं अस्थि कंबलो गणियाए नेमि' । मुक्को, तओ तीसे दिनो, ताए चंदणियाए, छूढो', सो वारेइ, मा विणासेहि, सा भणइ “तुमं एयं सोयसि ! अप्पयं न सोयसि ! तुम एरिसो चेव होहिसि" त्ति उवसामिओ । कहं ? - [सीलुसुनिम्मल दीहु कालतरुणत्तूणि पालिउ, ज्झाण ज्झयणिहिं पावपंक तवचरणिहि खालिउ ।। इय हालाहल विससरिच्छ विसया स निवारहि ऊज्जलवन्न सुवन्नधमिउ म फुकइ हारहिं ।। अज्झसिउ धीरपय नाणवर आवज्जिउ मुणिगण । ता संपइ उवसमि धरहि मणु आवइ तुरियं जरमरणु ।।२।। एवमाइ अणुसासिओ संवेगमावन्नो, अत्ताणं निंदतो, “पेच्छह परमनिग्गुणाण पसंसण-पियत्तं, अहवा संतगुणकित्तणेण वि पुरिसा लज्जंति जे महासत्ता, इयरा उ ण अलियपसंसणे वि, 'हियए न मायंति, ता किं कयाइ समो वि वन्नेण बगो कलहंसचरियाइ अणुगरेइ ? किं खज्जोओ तुलेइ तरणिमंडलं" ति पसंसंतो थूलभद्दमहामुणिं, 'इच्छामि अणुसटुिं' ति भणिऊणं, गओ गुरुमूलं, आलोइयपडिक्तो विहरइ । आयरिएहि वि - “वग्घो वा सप्पो वा सरीरपीडाकरा मुणेयव्वा । नाणं च दंसणं वा चरणं च न पञ्चला. भित्तुं ।। भयवं पि थूलभद्दो तिक्खे चंकमिउं न पुण छिन्नो । अग्गीसिहाए वच्छो चाउम्मासे न पुण दड्ढो ।। एवं दुक्कररकारओ थूलभद्दो, पुव्वपरिचिया उक्कडरागा अहियासिया, "इयाणिं सड्डी जाया अदिट्ठदोसा य तुमे “पत्थिय" त्ति उवालद्धो एवं ते विहरंति सा य गणिया जहा रहगस्स दिन्ना जहा थूलभद्दस्स गुणे पसंसेइ तहा कहाणयं आवस्सए दट्ठव्वं जहा थूलभद्देणित्थिपरिसहो अहियासिओ तहा अहियासियव्वो न उण जहा तेणं न अहिआसिउत्ती' । एतावता कोशाभवनोषितसाधुवत्के न स्त्रीभिः संयमभ्रंशं न लभन्ते ? इत्यर्थः ।।४५।। नेपालविषये श्रावक: राजा, यस्तत्र याति तस्मै शतसहस्रमूल्यं कम्बलकं ददाति, स तत्र गतः, दत्तः राज्ञा एतेन वंशदण्डकविदारे क्षिप्त्वैति - एकत्र चौरेः पन्था बद्धः शकुनो वासयति शतसहस्रमेति, स चौरसेनापतिर्जानाति नवरं यन्तं संयतं प्रेक्षते, वलितः,
पुनरपि वासयति - शतसहस्रं गतं, तेन सेनापतिना गत्वा प्रलोकितः, पृष्टश्च, १. हियये ख । २. दट्ठो छ । ३. एजतं ते संजय ख । ४. छूटो D बूढो छ । ५. इयाणि ख । * प्रत्यलाः = समर्था इत्यर्थः । + इयं प्राकृतकथा प्रायोऽक्षरशः श्रीवादिवेतालीयोत्तराध्ययन (२-१७) टीकातः उद्धृता प्रतिभाति ।
११७ इन्द्रियपराजयशतकम्
Page #240
--------------------------------------------------------------------------
________________
ન જા. ધીર પુરુષોના પગલા ઉપર અધ્યાસિત = આરૂઢ થા. ઉત્તમ જ્ઞાનવાળા મુનિગણને આવર્જિત કર (પ્રસન્ન કરો. અત્યારે સૌ પ્રથમ (તાવતુ=બાધકામ પડતા મૂકીને) મનને ઉપશમમાં લઈ જા (ધરહિ) (કારણ કે) ઘડપણ અને મરણ જલ્દી (દોડતું) આવી રહ્યું છે. આ પ્રમાણે અનુશાસન કરાયેલો સંવેગને પામ્યો. આત્માની નિંદા કરે છે. પરમનિર્ગુણ વ્યક્તિઓનું પ્રશંસાનું પ્રિયપણું જો અથવા વિદ્યમાન એવા ગુણો વડે જે મહાસત્ત્વશાળી પુરુષો લજ્જા પામે છે. જ્યારે બીજા ખોટી પ્રશંસામાં પણ લજ્જા પામતા નથી. પરંતુ આનંદ હૃદયમાં માતો નથી. અને શું ક્યારેય વર્ણ વડે સમાન એવો પણ બગલો કલહંસના ચરિત્રનું અનુકરણ કરી શકે ? શું ખજુઓ સૂર્યમંડલની તુલના કરી શકે ? એ પ્રમાણે સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરતો, “હું આજ્ઞાને ઇચ્છું છું” એ પ્રમાણે કહીને ગુરુની પાસે ગયો, આલોચના કરીને પ્રતિક્રમણ કર્યું, વિહાર કરે છે. આચાર્યો વડે પણ કહેવાયું “શરીરને પીડા કરનારો વાઘ અથવા સર્પ જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદવા માટે સમર્થ નથી. ભગવાન એવા સ્થૂલભદ્ર તીક્ષ્ણ (તલવાર) ઉપર વારંવાર ચાલ્યા વળી છેડાયા નહીં, અગ્નિની શિખા ઉપર ચાર માસ વસ્યા પણ બળ્યા નહીં” એ પ્રમાણે દુષ્કરદુષ્કર કરનાર એવા સ્થૂલભદ્ર છે. પૂર્વની પરિચિત, ઉત્કટ રાગી એવી તે સહન કરાઈ અને અત્યારે નથી જોવાયા દોષ જેમાં એવી શ્રાવિકા થઈ. તારા વડે તે (કોશા) પ્રાર્થના કરાઈ “એ રીતે ઠપકો અપાયો. એ પ્રમાણે તેઓ વિહાર કરે છે અને તે ગણિકા જે રીતે રથિકને અપાઈ, જે રીતે સ્થૂલભદ્રની પ્રશંસા કરે છે તે પ્રમાણે કથાનક આવશ્યક્યાં જોવા યોગ્ય છે. જે રીતે સ્થૂલભદ્રજી વડે સ્ત્રી પરિસહ સહન કરાયો તે રીતે તે સહન કરવો જોઈએ પણ તે રીતે નહીં જે રીતે તેના વડે (સિંહગુફાવાસી સાધુ) સહન ન કરાયો એ પ્રમાણે કોશાભવનમાં રહેલા સાધુની જેમ સ્ત્રીઓ વડે કોણ સંયમભ્રંશને નથી પ્રાપ્ત કરતા ? I૪પા.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૭
Page #241
--------------------------------------------------------------------------
________________
अभये दत्ते कथितं, अस्ति कम्बल:, गणिकायै नयामि, मुक्तः, ततस्तस्यै दत्तः, तंया चन्दनिकायां (व!गृहे) निक्षिप्तः, स वारयति, मा विनिनेशः, सा भणतित्वमेतं शोचसि, आत्मानं न शोचसि त्वमेतादृशश्चैव भविष्यसि इति उपशामितः, कथं ? शीलनिर्मलं दीर्घ कालतरुणत्वे पालितः, पालयित्वा ध्यानाध्ययनैः पापपत तपचरणैः क्षालयित्वा । एते हालाहलविससदृशा विषया शा निवारय, उज्ज्वलवर्णसुवर्णं धमित्वा मा फूत्कारेण हारय, धीरपदान् अध्यासय, ज्ञानवरान् आवर्जय मुनिगणान् तावत् संप्रति उपशमं धर मनसि, आयाति, तूर्तं जरामरणं । एवमादि अनुशासितः संवेगमापनः आत्मानं निन्दन पश्यत परमनिर्गुणस्य प्रशंसनप्रियत्वं अथवा सद्गुणकीर्तनेनापि पुरुषाः लज्जन्ति ये महासत्त्वा इतरस्तु न अलीकप्रशंसनेऽपि हृदये न मान्ति, तथा किं कदापि समोऽपि वर्णेन बकः कलहंसचरितानि अनुकरोति । किं खद्योतस्तुल्येत तरणिम्णडलं इति प्रशंसन् स्थूलभद्रमहामुनि, 'इच्छामि अनुशास्ति' इति भणित्वा गतो गुरुमूलं, आलोच्य प्रतिक्रान्तः विहरति । आचार्यैरपि एवं दुष्कर-दुष्करकारकः स्थूलभद्रः पूर्वपरिचिता, उत्कटरागा, अध्यासिता इदानीं श्राद्धी जाता अदृष्टदोषा च त्वया प्रार्थितेति उपालब्धः, एवं ते विहरन्ति, सा च गणिका यथा रथिकाय दत्ता, यथा स्थूलभद्रस्य गुणान् प्रशंसति तथा कथानकं आवश्यके दृष्टव्यं, यथा स्थूलभद्रेण
स्त्रीपरिषहोऽध्यासितस्तथाऽध्यासितव्यः न पुनर्यथा तेन नाध्यासित इति, गाथा : सव्वग्गंथविमुक्को, सीईभूओ पसंतचित्तो य ।
जं पावइ मुत्तिसुहं, न चक्कवट्टी वि तं लहइ ।।४६।।
व्याख्य : एवंविधः साधुर्यत्प्राप्नोति मुक्तिसुखं मुक्तिः - निर्लोभता, तस्याः सुखं 'तत्
चक्रवर्त्यपि चतुःषष्टिसहस्ररमणीभोगासक्तोऽपि न लभते सुखम् । किंभूतः साधुः ? सर्वस्माद् ग्रन्थाद् बाह्याभ्यन्तरपरिग्रहाद्विमुक्तस्तद्विरहित इत्यर्थः । ग्रथ्यते बध्यते आत्मा येन स ग्रन्थः, बाह्यपरिग्रहो धनधान्यहिरण्यद्विपदचतुष्पदादिरान्तरस्तु' "मिच्छत्तं वेयतिगं हासाईच्छक्कगं च बोधव्वं । कोहाईण चउक्कं चउदस अब्जिंतरा गंठी ।।१।। तथा शीतीभूतः रागाद्युत्पत्तिविरहितं शैत्यं प्राप्तः, प्रशान्तचित्तः =
उदितकषायाणां विफलीकरणात् ।।४६।। १. तत्र खडड१ ड२ । २. बाह्यपरिग्रहो धनधान्यादिरान्तरस्तु ख । AKKERKKEEKKERKEEKEEREKKAREKKEEKEk ११८ इन्द्रियपराजयशतकम्
Page #242
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : સર્વ ગ્રન્થથી મુક્ત થયેલો, શીતળ થયેલો, પ્રશાન્ત ચિત્તવાળો એવો (સાધુ) જે મુક્તિસુખને પામે છે તે સુખ ચક્રવર્તી પણ નથી પામતો. II૪૭
ભાષાંતરઃ આ પ્રકારનો સાધુ જે મુક્તિસુખ પ્રાપ્ત કરે છે. મુક્તિ એટલે નિર્લોભતા અને તેનું જ સુખ તે મુક્તિસુખ. તે (સુખ) ચક્રવર્તી પણ ચોસઠ હજાર સ્ત્રીઓના પરિભોગમાં આસક્ત એવો પણ નથી પામતો. કેવો સાધુ ?સર્વ ગ્રન્થથી-બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત એટલે તેનાથી રહિત, બંધાય છે આત્મા જેના વડે તે ગ્રન્થ, બાહ્ય પરિગ્રહ તે ધન, ધાન્ય, હિરણ્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ અને અત્યંતર વળી
મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણે વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા એ છ, કોધ, માન, માયા અને લોભ એ ચાર એમ ચૌદ અત્યંતર ગ્રન્થિ જાણવી (અને વળી કેવો ?) -
તથા શીતીભૂત એટલે કે રાગાદિની ઉત્પત્તિથી રહિત જે શીતળતા તેને પ્રાપ્ત થયેલો, પ્રશાન્તચિત્ત તે ઉદય પામેલા કષાયોને નિષ્ફળ કરવા વડે (ઉપાશાન્ત થયેલો એવો સાધુ) મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. ૪૬
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૮
Page #243
--------------------------------------------------------------------------
________________
गाथा : खेलंमि पडिअमप्पं, जह न तरइ मच्छिआ विमोएउं ।
तह विसयखेलपडिअं, न तरइ अप्पंपि कामंधो ।।४७।। व्याख्या : यथा मक्षिका श्लेष्मणि' = खटे' पतितमात्मानं स्वशरीरं विमोचयितुं श्लेष्मणो
विश्लेषयितुं न तरति=न शक्नोति, तथा कामान्धः पुमान् विषयश्लेष्मणि पतितं विषयश्लेष्मपतितमात्मानमपि विषयश्लेष्मणों विमोचयितुं = उद्धर्तुं विषयप्रतिबन्धात् त्याजयितुं न तरति न शक्नोतीति भावः ।।४७।।
गाथा : जं लहइ वीअराओ, सुक्खं तं मुणइ सुश्चिय न अन्नो ।
न हि गत्तासूअरओ, जाणइ सुरलोइअं सुक्खं ॥४८॥
व्याख्या : यद्वीतरागो गतविषयरागबुद्धिः सौख्यमाह्लादं लभते । तत् सुखं स एव
वीतराग एव लभते, । न अन्यः= न तस्मात्परः । न हि गर्त्ताशूकरक: सुरलोके भवं सौरलोकिकं अनुशतिकादित्वादुभयपदवृद्धिः, सौख्यं स्वर्गसम्बन्धिसुखं जानीते बुध्यते ।।४८।।
गाथा : जं अज्जवि जीवाणं, विसएसु दुहासवेसु पडिबंधो ।
तं नज्जइ गुरुआण वि', अलंघणिजो महामोहो ।।४९।। व्याख्या : यत् अद्यापि विषयविरक्ततोद्भावकश्रीजिनागमश्रवणवासितान्तः
करणत्वेऽपि । जीवानां दुःखाश्रवेषु दुःखान्याश्रवन्ति-प्रविशन्ति येभ्यस्ते दुःखाश्रवा दुःखोपादानकारणानि एवंविधेषु विषयेषु यः प्रतिबन्धः सातत्येन प्रवृत्तिः, केषां ? गुरूणामपि महाशयानामपि तत् ज्ञायते अलङ्घनीयो दुरतिक्रमणीयो महामोहः । महामोहस्य बलवत्तरत्वान्महतामपि न विषयेभ्यो
विरतिर्जायत इत्यर्थः, यतः१. अप्पमि ड । खेले ड । २. खेले ख । ३. श्लेष्मणा ड, । ४. प्रजयितुं ड । * खटः =
कफः इति अभिधानचिन्तामणौ । ५. गुरुआणि वि छ । ६. दुःखान्याश्रवन्ति-क्षरन्ति ये ते दुःखाश्रवास्तेषु विषयेषु यः प्रतिबन्धः सातत्येन... ख । * ये ये प्राप्त्यर्थास्ते ते ज्ञानार्था इति न्यायेन जानातीत्यर्थः कार्यः । + लोकोत्तरपदस्य च ठञ् वक्तव्यः (महाभाष्य ७९५) KAKKARKETREKKEEKEREKKKKARKEkkkkk ११९ इन्द्रियपराजयशतकम्
Page #244
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : જેમ શ્લેષ્મ (કફ)માં પડેલી માખી પોતાને એમાંથી છૂટી કરવા સમર્થ નથી
થતી તે જ રીતે કામાંધ પુરષ વિષય રૂપી શ્લેષ્મમાં પડેલો પોતાના આત્માને
તેમાંથી ઉદ્ધરવા સમર્થ થતો નથી. I૪૭ી ભાષાંતરઃ જે રીતે મક્ષિકા (માખી) શ્લેષ્મ એટલે ખટ (કફ)માં પડેલા પોતાના
શરીરને શ્લેષ્મમાંથી છૂટું કરવા સમર્થ નથી થતી, તે જ રીતે કામાંધ પુરુષ વિષય રૂપી શ્લેષ્મમાં પડેલા પોતાના આત્માને તેમાંથી વિમોચન કરવા એટલે કે ઉદ્ધાર કરવા માટે સમર્થ થતો નથી. એટલે કે વિષયનો રાગ હોવાથી આત્માને તેનો ત્યાગ કરાવવા માટે (વિષયોને જીતવા માટે)
સમર્થ થતો નથી..૪૭ી. ગાથાર્થ : જે સુખ વીતરાગ પ્રાપ્ત કરે છે તે સુખને તે જ (વીતરાગ) જાણે પણ અન્ય
નહિ. ખાબોચિયામાં રહેલું ભંડ-ડુક્કર તે દેવલોકના સુખને નિચ્ચે નથી
જાણતું. I૪૮. ભાષાંતરઃ વીતરાગ એટલે કે ચાલી ગઈ છે વિષયો ઉપરની રાગની બુદ્ધિ જેની એવો
જે, સુખને એટલે કે આલાદને પ્રાપ્ત કરે છે તે સુખ તે જ, એટલે વીતરાગ જ પ્રાપ્ત કરે છે (જાણે છે) પણ બીજો નહીં એટલે વીતરાગ સિવાયનો બીજો નથી જાણતો. ખાડામાં રહેલો ડુક્કર સુરલોકમાં થતું તે સૌરલૌકિક “અનુશતિકાદિ ગણપાઠનો હોવાથી ઉભયપદવૃદ્ધિ થઈ છે.
- સૌખ્ય એટલે સ્વર્ગ સંબંધી સુખને જાણતો નથી. I૪૮ ગાથાર્થ ઃ જે કારણથી હજી પણ દુઃખોના આશ્રવ રૂપ એવા વિષયોને વિષે જીવોને
જે પ્રતિબંધ (પ્રવૃત્તિનું સાતત્યપણું) છે, તે કારણથી જણાય છે કે મોટાઓને
પણ મહામોહ તે અલંઘનીય છે. I૪૯ો. ભાષાંતર જે કારણથી આજે પણ એટલે કે વિષયથી વિરક્તતાને ઉત્પન્ન કરનારા
શ્રી જિનાગમના શ્રવણ વડે વાસિત થયેલું અંત:કરણપણું હોતે છતે પણ, જીવોનો દુઃખાશ્રવ રૂપ એટલે કે દુ:ખો આશ્રવે છે, પ્રવેશ કરે છે જેનાથી તે દુ:ખાશ્રવો અર્થાત્ દુઃખોના ઉપાદાન (મુખ્ય) કારણભૂત એવા પ્રકારના વિષયોને વિષે જે પ્રતિબન્ધ એટલે કે સાતત્ય વડે (નિરંતર) પ્રવૃત્તિ છે, તે કારણથી જણાય છે કે મોટાઓને એટલે કે મહાશયોને પણ મહામોહ તે અલંઘનીય એટલે કે દુ:ખે કરીને ઉલંઘન કરાય (જીતી શકાય) એવો છે. મહામોહનું બળવત્તરપણું હોવાથી મોટાઓને પણ
વિષયોથી વિરતિ થતી નથી. જે કારણથી કહ્યું છે કે * જે જે “પ્રાપ્તિ અર્થવાળા છે તે તે “જ્ઞાન” અર્થવાળા છે એ ન્યાયથી અહીં જાણે છે એવો અર્થ કરવો યોગ્ય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૯
Page #245
--------------------------------------------------------------------------
________________
अक्खाण रसणी कम्माण मोहणी तह वयाण बंभवयं । गुत्तीण य मणगुत्ती चउरो दुःक्खेहि जिप्पंति ।।१।। जह मत्थय सूईएऽहयाएं हम्मई तलो ।
तह कम्माणि हम्मति मोहणीए खयं गए ।। २ ।। ४९ ।। । । गाथा : जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसंका ।
जे पुण जिणवयणरया, ते भीरू तेसु विरमंति ।।५०।। व्याख्या : ये कामान्धा जीवा जन्तवस्ते विगतशङ्काः । शङ्कया रहिता निःसंशयं विषयेषु
रमन्ते रज्यन्ति । ये पुनर्जिनवचनरतास्तीर्थकृदुपदिष्टाऽऽगमसेविनस्ते भीरवः संसारसागराद्विभ्यतीत्यर्थः । तेसु' त्ति पञ्चम्यर्थे सप्तमी । तेभ्यो विषयेभ्यो विरमन्ति निवर्तन्ते ।।५०।।
गाथा : असुइ-मुत्तमलपवाहरुवयं, वंतपित्तवसमज्जफोफसं ।
**मेअ-मंस बहु हड्डुकरंडयं, चम्ममित्तपच्छाइयं जुवइ अंगयं ।।५१।। मंसं इमं मुत्तपुरीसमीसं, सिंधाणखेलाइअ-निज्झरंतं । एअं अणिच्चं किमिआण वासं, पासं नराणं मइबाहिराणं
॥५२।। युग्मम् ।। व्याख्या : मतिबाह्यानां तत्त्वबुद्धिविकलानां नराणां एतावतेरङ्ग-शरीरं पाश इव
पाशः, पाशः पादबन्धनग्रन्थिः यतः
१. हरकरंडय चम्ममित्तपच्छाइय जुवइअंगय मुद्रिते । २. एव घुवतरङ्ग ड । ** द्वितीयचरणे गृहीतस्य वसाशब्दस्य, अत्रत्यस्य . मेदः शब्दस्य स्थूलं पर्यायशब्दत्वेऽपि ।
१२० इन्द्रियपराजयशतकम्
Page #246
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયોમાં રસના, કર્મોમાં મોહનીય કર્મ, તથા વ્રતોમાં બ્રહ્મવ્રત ગુપ્તિઓમાં મનોગુપ્તિ તે ચારે ય દુ:ખે કરીને જીતાય છે. જેમ મસ્તકને વિષે રહેલી સોય વૃક્ષનો અગ્ર ભાગ) હણાયે છતે તાલવૃક્ષ
હણાઈ જાય છે તેમ મોહનીય ક્ષય પામે છતે બધા કર્મો હણાય છે. ll૪૯ ગાથાર્થ : જે કામાન્ય જીવો છે તેઓ શંકા રહિત થતા વિષયોમાં રમે છે. જે વળી
જિનવચનમાં રત છે તેઓ ભીરુ થયેલા વિષયોથી વિરામ પામે છે. પol.
ભાષાંતરઃ જે કામાન્ધ જીવો એટલે કે જજુઓ વિગત શંકાવાળા અર્થાતુ શંકા રહિત
થયેલા છે તેઓ નિ:સંશયપણે વિષયોમાં રમે છે એટલે કે રાગ કરે છે. જેઓ વળી જિનવચનમાં રત એટલે કે તીર્થકર વડે ઉપદેશ કરાયેલા આગમને સેવનારા છે તેઓ, ભીરું એટલે કે સંસાર સાગરથી ગભરાયેલા છે તેઓ, તેથી એટલે તે વિષયોથી વિરામ પામે છે, પાછા ફરે છે. “તેસુ” તે પંચમીના અર્થમાં સપ્તમી કરી છે. પoll
ગાથાર્થ ઃ મતિબાહ્ય એવા પુરુષોને અશુચિ મૂત્રમળના પ્રવાહરૂપ, વમન, પિત્ત, માંસ,
ચરબી, ફેફસાવાળું, મેદ, માંસ અને ઘણા હાડકાના કરંડિયા રૂપ, ચામડી માત્ર વડે ઢંકાયેલું, સાક્ષાત્ માંસના પિંડ જેવું, મૂત્ર અને પુરીષથી મિશ્રિત થયેલું, શ્લેષ્મકફાદિ અશુચિને ઝરતું, અનિત્ય, કૃમીઓનું રહેઠાણ, એવું યુવતિનું અંગ તે પાશ (બધા) છે. પલા
ભાષાંતરઃ મતિબાહ્ય અર્થાત્ તત્ત્વબુદ્ધિથી રહિત એવા પુરુષોને આ યુવતિનું અંગ
શરીર તે પાશ છે એટલે પગને બાંધનારી ગ્રન્થિ જેવું છે. જે કારણથી કહ્યું છે કે
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૦
Page #247
--------------------------------------------------------------------------
________________
वारीगयाण* जालं तिमीणहरिणाण वग्गुरा चेव ।
पासा य सउणयाणं नराण बन्ध इत्थमित्थीओ |१| | J किभूतं युवत्यङ्गम् ? अशुचिमूत्रमलप्रवाहरूपकं अशुचिरपवित्रो मूत्रस्य प्रस्रावस्य, मलस्य च=विष्टाया यः प्रवाहः = सातत्यप्रवृत्तिस्तद्रूपं तत्स्वरूपम् । मलत्व ।। किट्टे कदये विष्टायामित्यनेकार्थः (२-५१७) ।। तथा ‘वान्तपित्तवसामज्जापुष्पसं' वान्तं वमनम्, पित्तं -मायुः, 'पीयते जलमनेन, पतति=स्रंसते वा पित्तम्, वसा-मांसजम्, मज्जा=अस्थिस्नेहः, पुष्पसः हृदयस्य वामपार्श्वे रक्तफेनाज्जातं मांसखण्डम्, ततो द्वन्द्वस्ते यत्र तत् । तथा मेदो=मांसमेदसोरवस्थाकृतो भेदः, मेदश्च मांसं च पललं बहूनि हड्डानि च कीकसानि तेषां करण्डकमाधारः करण्डकं पुष्पाद्याधारः लिङ्गानुशासनवृत्तौ । तथा चर्म्ममात्रेण त्वचैव प्रच्छादितमावेष्टितम् ।। ५१ ।। तथा युवत्यङ्गं 'इदं मांसं' मांसोपचित्वात् साक्षान्मांसपिण्ड इवेत्यर्थः । तथा मूत्र - पुरीष मिश्र मूत्रविष्टासंवलितं पुनः कथनमतिजुगुप्स्यताद्योतनार्थम् । तथा 'सिंङ्घाण - श्लेष्मादिकम्, निज्झरंतं' त्ति नितरामतिशयेन क्षरत्-गलत् क्षरेरेते षडादेशा भवन्ति खिरइ झरइ पज्झरइ - पचडइ - निचलइनिट्टुअइ' इति । शिङ्खाणो घ्राणसम्भवं मलं तथा अनित्यं अशाश्वतं तथा कृमीणां क्षुद्रजन्तूनां वासोऽवस्थानाश्रयः ।।५२।।
-
-
गाथा : पासेण पंजरेण य, बज्झति चउप्पया य पक्खी य । इअ जुवइपंजरेणं, बद्धा पुरिसा किलिस्संति ।। ५३ ।।
१. पायते । २. निट्टुअइ ख । ३. चउपया य पक्खीइ मुद्रिते । * ह्रस्वदीर्घो मिथो वृत्तौ (सि० ८१- ४) सूत्रेण वारिशब्दस्य दीर्घत्वम् । + अत्थंशब्दोऽत्रादेशः ।■ फुप्फुसेति उदरान्तर्वतन्यन्त्रविशेषरूपाणि, 'फेफसा' इति भाषायाम्, 'काळजु' शब्देन लोकप्रचलितं द्रव्यं चाऽत्र टीकायाम् । लिङ्गानुशासने पुंनपुंसकलिङ्गप्रकरणे एकादशश्लोकविवेचने । ** (सि० ८-४-१९७३) सूत्रेणैते भवन्ति ।
१२१ इन्द्रियपराजयशतकम्
絲
Page #248
--------------------------------------------------------------------------
________________
હાથીઓને પાણી, માછલાને જાળ, હરણને વર્ગીરા, પક્ષીઓને પાશ અને પુરુષોને સ્ત્રીઓ અહીં બંધન છે.
કેવું યુવતિનું અંગ પાશ છે ? અશુચિ મૂત્રમળના પ્રવાહરૂપ - અશુચિઅપવિત્ર મૂત્ર એટલે પ્રસ્રાવ, મલ તે વિષ્ટા એનો જે પ્રવાહ અર્થાત્ નિરંતર પ્રવૃત્તિ તે રૂપ અંગ છે.
મલ શબ્દ વળી અઘ, કિટ્ટ, કદર્ય, વિષ્ટા એમ અનેક અર્થમાં છે. (૨૫૧૭) તથા ‘વાન્તપિત્તવસામન્ના પુષ્પસં' વાન્ત એટલે વનમ પિત્ત એટલે માયુ અથવા પીવાય છે જળ આના વડે તે પિત્ત અથવા પડે છે તે પિત્ત, વસા એટલે માંસથી ઉત્પન્ન થયેલ ચરબી, મજ્જા એટલે હાડકાની ચિકાશ, પુષ્પસ તે હૃદયના ડાબા પડખે લોહીના ફેનથી થયેલો માંસનો ખંડ તે બધાનો દ્વન્દ્વ સમાસ તે વાન્તપિત્તવસામજ્જાપુષ્પસ, તે છે જેમાં એવું (અંગ) તથા મેદ તે માંસ અને મેદનો અવસ્થા વડે કરાયેલો ભેદ. માંસ તે પલલ અને ઘણા હાડકા એટલે કીકસ, તેઓનો કરંડક એટલે કે આધાર છે. કદંડક એટલે પુષ્પાદિનો આધાર એવો અર્થ લિંગાનુશાસનની ટીકામાં કરેલ છે. તથા ચર્મમાત્ર વડે ચામડી વડે જ આચ્છાદિત એટલે કે વીંટળાયેલું છે. તથા યુવતિનું અંગ માંસનો જથ્થો હોવાથી સાક્ષાત્ માંસપિંડ જ છે. તથા ‘મૂત્ર પુરીષ મિશ્ર' એટલે મૂત્ર અને વિષ્ટાથી યુક્ત અહીં મૂત્ર વિષ્ટાનું ફરીથી કથન કર્યું તે અતિ જુગુપ્સાને દેખાડવા માટે છે. તથા સિંધાણ - શ્લેષ્માદિ તેને નિજ્ઝરતું તે અતિશય ઝરતું, ગળતું. ધાતુના છ આદેશો થાય છે. (સિ. ૮-૮-૧૭૩) સૂત્રથી વિર, ફ્લર, પારડ્, પથ્થઽ, નિષ્પરૂ, નિકૢઅર્ એ પ્રમાણે સિંધાણ તે નાકમાં થતો મલ તથા અનિત્ય અર્થાત્ અશાશ્વત તથા કૃમી તે ક્ષુદ્ર (નાના) જન્તુઓનો વાસ, રહેઠાણ છે. ૫૧,૫૨
ગાથાર્થ : પાશ વડે ચતુષ્પદ અને પાંજરા વડે પક્ષી બંધાય છે. એ રીતે યુતિ રૂપી પાંજરા વડે બંધાયેલા પુરુષો ક્લેશને અનુભવે છે. II૫૩
૧. બ્યુસ તે પેટની અંદર રહેલું આંતરડું વિશેષ, ‘ફેફ્સ’, અને લોકમાં કાળજું શબ્દથી પ્રચલિત દ્રવ્ય તે અહીં ટીકામાં છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૧
Page #249
--------------------------------------------------------------------------
________________
व्याख्या : पाशेन बन्धनग्रन्थिना पञ्जरेण च वीतंसेन' क्रमेण चतुष्पदा मृगादयः,
पक्षिणश्च विहगा बध्यन्ते = नियन्त्र्यन्ते । एवं युवतिपञ्जरेण बद्धा वशीकृताः पुरुषाः क्लिश्यन्ति क्लेशमनुभवन्ति, न स्त्रीभ्यो मुच्यन्त इत्यर्थः ।।५३।।
गाथा : अहो मोहो महामल्लो, जेणं अम्हारिसा वि हु ।
जाणंता वि अणिच्चत्तं, विरमन्ति न खणं पि हु ।।५४।।
व्याख्या : अहो इति आश्चर्ये, मोहो मोहनीयकर्म, महामल्लो, महाबली, 'मल्लः कपाले
बलिनि मत्स्ये पात्रे.' (२-५१७) इत्यनेकार्थः येन कारणेन, अस्मादृशा अपि सकलशास्त्रार्थावबोधेन अनित्यत्वं शरीरादेर्जानन्तोऽपि न क्षणमपि, हुनिश्चये स्त्र्यादिसङ्गाद्विरमन्ति=निवर्तन्ते । मोहस्य दुस्त्यजत्वात्, यतः - मुण्डं शिरो, वदनमेतदनिष्टगन्ध, भिक्षाऽटनेन भरणं च हतोदरस्य । गात्रं मलेन मलिनं गतसर्वशोभं, चित्रं तथापि मनसो मदनेऽस्ति वाञ्छा ।।१।। भर्तृ. सुभाषितसंग्रह)
गाथा : जुवईहि सह कुणंतो, संसग्गिं कुणइ सयलदुःक्खेहिं ।
न हि मूसगाण संगो, होइ सुहो सह बिडालीहिं ।।५५।। व्याख्या : युवतिभिः सह संसर्ग सम्बन्धं कुर्वाणः सकलदुःखैः सह संसर्ग करोति ।
युवतिसम्बधे तपःशीलव्रतादि भङ्गात् सर्वदुःखानि जायन्त इत्यर्थः यतःसब्भावो वीसंभो, नेहो-रइवइयरो य जुवइजणे । सयणधर-संपसारो, तवसीलवयाइ फोडिज़ा ।।१।। यतो बिडालीभिर्माजारीभिः सह मूषकाणां आखूनां सङ्ग-संयोगो, नहि नैव
सुखः-सुखकर : ।।५५।। १. जुवइहिं मुद्रिते । २. मुसगाणं... विलाडेहिं मुद्रित ३. संसर्गि डड, ड । ४. शीलवृत्तादि ख । । + वीतंसी = जालः । प्राकृते "संसग्गी" शब्दो यद्यपि दीर्घान्तस्तथापि “हस्वोऽमि" (सि०८-३
३६) सूत्रेण स्त्रीलिङ्गमात्रं नाम अमि परे हस्वान्तं भवति ।
१२२ इन्द्रियपराजयशतकम्
Page #250
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ પાશ વડે અર્થાતુ બન્ધનગ્રન્થિ વડે, પંજર એટલે કે “વાંસ વડે અનુક્રમે
ચતુષ્પદ મૃગાદિ અને પક્ષીઓ-વિહગો બંધાય છે એટલે કે નિયંત્રિત કરાય છે. એ જ રીતે યુવતિ રૂપી પાંજરા વડે બંધાયેલા વશીકૃત થયેલા પુરુષો ક્લેશને અનુભવે છે. સ્ત્રીઓથી છૂટતા નથી. પ૩.
ગાથાર્થ ? ખરેખર (આશ્ચર્ય છે કે, મોહ તે મહામલ્લ છે, જે કારણથી અનિત્યત્વને
જાણતા એવા અમારા જેવાઓ પણ નિચ્ચે ક્ષણ માટે પણ (સ્ત્રીઆદિના
સંગથી) વિરામ નથી પામતા. ભાષાંતરઃ ‘ગદો' શબ્દ આશ્ચર્ય અર્થમાં છે. મોહ એટલે મોહનીય કર્મ, મહામલ્લ
અર્થાત્ મહાબલી છે. મલ્લ શબ્દ કપાલ, બલી, મત્સ્ય, પાત્ર (૨-૫૧૭) એમ અનેક અર્થમાં છે. (અભિધાન ચિંતામણિ) જે કારણથી અમારા જેવા પણ અર્થાત્ સકલ શાસ્ત્રના અવબોધ વડે શરીરાદિના અનિત્યપણાને જાણતા એવા પણ ક્ષણ માટે પણ સ્ત્રી આદિના સંગથી વિરામ નથી પામતા, પાછા નથી ફરતા. “દુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. મોહ તે દુ:ખે કરીને ત્યાગ કરી શકાય એવો છે. જે કારણે કહ્યું છે કેમસ્તક મુંડ છે, આ મુખ અનિષ્ટ ગંધવાનું છે, વરાક એવા આ પેટનું ભરણ ભિક્ષા માટે ફરવા વડે થાય છે, મેલ વડે મલિન અને ચાલી ગયેલી સર્વ શોભાવાળું આખું શરીર છે તો પણ આશ્ચર્ય છે કે મનને હજી કામની
ઇચ્છા છે. પ૪ો. ગાથાર્થ : યુવતીઓની સાથે સંસર્ગને કરતો (પુરુષ) સકલ દુઃખોની સાથે સંસર્ગ
કરે છે, જે કારણથી બિલાડીઓનો સંસર્ગ ઉંદરોને ક્યારેય સુખકર નથી
હોતો. પપા ભાષાંતર: યુવતીઓની સાથે સંસર્ગ એટલે કે સંબંધને કરતો સકલ દુ:ખોની સાથે
સંસર્ગ કરે છે. યુવતિના સંબંધમાં તપ; શીલ વ્રતાદિના ભંગથી બધા દુખો થાય છે. જે કારણે કહ્યું છે કે - શયન ઘરમાં પ્રસરતો એવો યુવતિજનને વિષે સદ્ભાવ, વિશ્વાસ, સ્નેહ, રતિનો વ્યતિકર, તે તપ, શીલ અને વ્રતાદિને ફોડે (ભાંગે) છે. જે કારણથી બિલાડીઓની સાથે મૂષક એટલે આખુઓનો સંગ એટલે કે સંયોગ નિચ્ચે સુખકર નથી હોતો. પપા
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૨
Page #251
--------------------------------------------------------------------------
________________
गाथा : हरिहर-चउराणण,-चन्दसूरखंदाइणो वि जे देवा ।
नारीण किंकरतं, कुणंति धिद्धी विसयतिण्हा ।।५६।। व्याख्या : हरिहरचतुराननचन्द्रसूर्यस्कन्दादयोपि देवा' नारीणां किंकरत्वं दासत्वं
कुर्वन्ति । धिक् धिक् विषयतृष्णां इन्द्रियार्थलोलताम् । लौकिकमते ह्यमी देवाः, ते च स्त्रीभिर्नवनवप्रकारैर्विनटिता तत्र हरिर्नारायणस्तस्य तु स्त्रीपारवश्यं रुक्मिणीपाणिग्रहप्रस्तावे बोद्धव्यम्, क्रीडालोलतया च गोपीषु तस्य तत्तद्विगोपकप्रकारा लौकिकप्रसिद्धत्वादनेकशो ज्ञेया यथा - राधा पुनातु जगदच्युतदत्तदृष्टि, मन्थानकं विदधती दधिरिक्तभाण्डे । तस्याः स्तनस्तबकलोलविलोचनालि, देहेपि दोहनधिया वृषभं निरुन्धन्
॥१॥ [ ] इत्यादि हरो=महेश्वरः, तस्य च पार्वतीविरहासहिष्णुतयाऽर्द्धनारीनाटेश्वरमूर्तिधारकत्वे स्पष्टमेव नारीकिंकरत्वम् । यदुक्तम्* मयणतणुदहणवइयरनिरप्पणो फुडमवीससंतीए । गउरीइं चंदचूडो निवेसिओ नियसरीरेण ।।१।।[ ] अन्यञ्च अम्बेयं नेयमम्बा नहि किलकपिलः श्वश्रुरस्या मुखाग्रे, तातोऽयं नैव तातः स्तनगुरुहृदयं नैव दृष्टं कदाचित् । केयं कोयं किमेतत्कथमिति सभयं याति सूनो विशाखे, देव्या सार्द्ध सहास्यं रहसि परिणतः पार्वतीशः पुनातु ।।२।।[ ] इत्यादि कियदुच्यते । चतुराननो ब्रह्मा, तद्वृत्तं चेदम् - किल प्रजापतिः पूर्वं कदाचित् काननं श्रितः । अध्युष्टाः "शरदां कोटीस्तपस्तेपे सुदुस्सहम् ।।१।। तज्ज्ञात्वा त्रिदशाधीशश्शुक्षोभ निजचेतसि । यद्येष क्रोधमाधत्ते मामपि भ्रंशयेत्पदात् ।।२।।
१. विसयतण्हा मुद्रिते । २. दयोऽपि ते देवा ख । * अनङ्गदहनवृत्तान्तेन निरात्मीयः अनात्मवशीभूतः इत्यर्थः । + कार्तिकेये इत्यर्थः । . अध्युष्टशब्दोऽर्धचतुर्थवाची शब्दरत्नमहोदधौ ।
१२३ इन्द्रियपराजयशतकम्
Page #252
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : જે કારણથી હરિ, હર, ચતુરાનન, ચન્દ્ર, સૂર્ય, સ્કંદાદિ જે દેવો પણ,
નારીનું કિંકરપણું (દાસત્વ) કરે છે. એ વિષતૃષ્ણાને ધિક્કાર થાઓ. //પકો.
ભાષાંતરઃ હરિ, હર, ચતુરાનન ચંદ્ર, સૂર્ય, સ્કંદાદિ દેવો પણ સ્ત્રીઓનું કિંકરવા
એટલે દાસત્વ કરે છે. ધિક્કાર છે એવી વિષયની તૃષ્ણાને અર્થાત્ ઇન્દ્રિયોની અર્થલોલતાને લૌકિક મતે જ આ બધા દેવો છે અને તેઓ સ્ત્રીઓ વડે જુદા જુદા પ્રકારે નચાવાયા છે. તેમાં હરિ એટલે નારાયણ (કૃષ્ણ) તેનું વળી સ્ત્રીનું પરવશપણું રુક્મિણીના પાણિગ્રહણના અવસરે જાણવા યોગ્ય છે અને ક્રીડાની લોલતા વડે ગોપીઓને વિષે તેના તે તે છેડતીના પ્રકારો લૌકિક પ્રસિદ્ધપણા વડે અનેક પ્રકારે જાણવા. જે આ પ્રમાણે અશ્રુત - કૃષ્ણને અપાયેલી છે દૃષ્ટિ જેના વડે, દહીંથી રિક્ત એવા ભાજનમાં (વાસણમાં) મન્થાનક (વલોવવાનું) ને કરતી એવી રાધા જગતને પવિત્ર કરો અને તેણીના સ્તનરૂપી ગુચ્છા ઉપર લોલ દૃષ્ટિ ભ્રમરવાળા દોહવાની બુદ્ધિવડે (ગાયને બદલે) વૃષભને બાંધતા એવા કૃષ્ણ પણ (પવિત્ર કરો) હર એટલે મહાદેવ, તેનું પણ પાર્વતીના વિરહને નહીં સહન કરવા વડે અર્ધનારી નારેશ્વરની મૂર્તિના ધારકપણામાં નારીનું કિંકરપણું સ્પષ્ટ જ છે. જે કારણથી કહેવાયું છે કે મદન વડે દેહના દહનના વ્યતિકર વડે વશમાં નહીં રહેલો ચંદ્રચૂડ (શંકર), ફુટ રીતે નહિ વિશ્વાસ (સહન) કરતી એવી ગૌરી (પાર્વતી) વડે પોતાના શરીર વડે વાસ કરાયો. આ શું અંબા છે ? ના આ અંબા નથી. આ કોઈ પુરુષ પણ નથી. આના મુખના અગ્રમાં દાઢી છે તો શું પિતા છે ? ના પિતા પણ નથી. સ્તન વડે મોટું હૃદય ક્યારેય જોવાયું નથી. આણી કોણ છે ? અથવા આ પુરુષ કોણ છે ? આ શું છે ? આ કેવી રીતે છે? એ પ્રમાણે ભય સહિત કાર્તિકેય ગયે છd, દેવીની સાથે હાસ્યપૂર્વક એકાન્તમાં પરિણત થયેલા પાર્વતીશ પવિત્ર કરો. એ પ્રમાણે કેટલું કહેવાય ? ચતુરાનન એટલે બ્રહ્મા તેનું વર્તન આ પ્રમાણે – પહેલા ક્યારેક પ્રજાપતિ જંગલમાં રહેતા હતા. શરદ ઋતુમાં અતિ દુ:સહ એવો સાડા ત્રણ કરોડ
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૩
Page #253
--------------------------------------------------------------------------
________________
न मेरौ रमते नैव नन्दनेऽप्यभिनन्दति । नो नाटकमभिष्टौति न प्रीणीते प्रिया अपि।।३।। इत्थं विगतचेतस्कमुपलक्ष्य बिडोजसम् । कृताञ्जलिपुटाः प्राहु रम्भाद्यास्त्रिदशस्त्रियः ।।४।। स्वाधीनसर्वसंपत्तेर्देवराज ! तवापि किम् ! । दुःसाध्यं विद्यते किंचिद्विषण्णो येन लक्ष्यसे ? ।।५।। यद्यपि स्त्री न मन्त्रार्हा स्वभावचपलाशया । तथापि हि हिते दुःखं निवेद्य सुखमाप्यते ।।६।। [ ] तदुक्तम् - सुहृदि निरन्तरचित्ते गुणवति भृत्ये प्रियासु नारीषु । स्वामिनि सौहृदयुक्ते “निवेद्य दुःखं सुखी भवति ।।७।। चतुर्दशजगत्स्स्रष्टा प्रजापतिरपि स्वयम् । यत्तपस्तप्यते तीव्र तेन मे कम्पते मनः ।।८।। 'कियन्मात्रमिदं स्वामिन् ? क्षोभयाम्: क्षणेन तम्' । इति ताः प्रतिजानाना विसृष्टास्तेन भूतले ।। ।।९।। सुराङ्गनाः सन्धिवृत्तिस्वरग्रामैकपेशलम् । संगीतं त्रयन्ति स्म पुरः संभूय वेधसः ।।१०।। तद्गीतनृत्यवादित्रव्याक्षिप्तसकलेन्द्रियः । निश्चेष्टकायतां प्राप ब्रह्मा हरिणवत्क्षणात् ।।११।। बभाषे तास्तपोन्यस्याः वृणीध्वं वरमीप्सितम् । तासु रम्भोपमानोरु रम्भोवाच पितामहम् ।।१२।। एता वयम्, असौ च्छागः सेयं कादम्बरी प्रभो । । अमीष्वाद्रियतामेकं यद्यस्मासु प्रसादभाक् ।।१३।। स्रष्ट्रा विमृष्टं भ्रंशाय तपसः सेविता ह्यमूः । छागश्च जीवघातोऽयमुचितो न तपस्विनाम् ।।१४।। सुरा तु सलिलाऽऽकारा न दुष्टा शिष्टचेतसाम् । अतस्तामुररीकृत्य पपौ निशङ्कमात्मभूः ।। ।।१५।। जातोन्मादः क्षुधाक्रान्तश्छागं हत्वा जघास सः ।
कामयामासिवांस्ताश्च परीक्षामिति चक्रिरे ।। ।।१६।। 'हद्धगसिन्धोः' (सि० ७-४-२५) सूत्रेण भाववाचकेऽणि परे सौहार्द-सौहृदयोरूभययोरपि सिद्धिः।
१२४ इन्द्रियपराजयशतकम्
Page #254
--------------------------------------------------------------------------
________________
વર્ષ સુધી તપ કર્યો. (૧) તે જાણીને ઇન્દ્ર પોતાના ચિત્તમાં ક્ષોભ પામ્યા. જો આ પ્રજાપતિ (બ્રહ્મા) ક્રોધને ધારણ કરે તો મને પણ પદથી ભ્રષ્ટ કરી દે. (૨) આ ચિંતાના કારણે મેરુને વિષે ૨મતા નથી, નંદનવનમાં પણ આનંદ નથી પામતા, નાટકની પણ પ્રશંસા નથી કરતા, પ્રિયાઓને પણ ખુશ નથી કરતા. (૩) આ પ્રમાણે શૂન્યમનસ્ક એવા ઇન્દ્રને ઓળખીને અંજલિનો પુટ જોડીને રંભા વિગેરે દેવીઓ બોલી. (૪) “હે દેવરાજ સર્વ સંપત્તિ સ્વાધીન છે તમને શું દુ:સાધ્ય છે ? જે કારણથી કંઈક ખેદવાળા દેખાઓ છો ? (૫) જો કે સ્વભાવે ચપળ આશયવાળી એવી સ્ત્રી રહસ્ય કહેવા માટે યોગ્ય તો નથી, તો પણ હિતમાં છે કે જેથી દુ:ખ કહીને સુખને પ્રાપ્ત કરાય. (૬) તે કારણથી કહ્યું છે કે ‘નિરંતર ચિત્તમાં રહેલા મિત્રને, ગુણવાન એવા સેવકને, પ્રિયા એવી નારીને, મૈત્રીથી યુક્ત એવા સ્વામીને દુ:ખ કહીને સુખી થવાય છે.’ (૭) ઇન્દ્રે કહ્યું “ચૌદ જગતનો સર્જનહાર પ્રજાપતિ સ્વયં જે તીવ્ર તપ તપે છે, તે કારણથી મારું મન કમ્પે છે. (૮) હે સ્વામિન્ ! આ કેટલું માત્ર છે ? ક્ષણમાં અમે એને ક્ષોભ પમાડીએ. એ પ્રમાણે પ્રતિજ્ઞાને કરતી એવી તે દેવીઓ ઇન્દ્ર વડે ભૂતલ ઉપર વિસર્જન કરાઈ. (૯) દેવીઓએ સાથે મળીને બ્રહ્માની આગળ સન્ધિવૃત્તિ સ્વરગ્રામ વડે અદ્વિતીય અને મનોહર એવા સંગીતને કર્યું, (૧૦) તે ગીત, નૃત્ય, વાદિત્ર વડે વ્યાક્ષિપ્ત થઈ ગયેલી સકલ ઇન્દ્રિયવાળા બ્રહ્મા ક્ષણમાં જ હરણની જેમ નિશ્ચેષ્ટ કાયાવાળા થયા. (૧૧) તપમાં રહેલી તે દેવીઓને કહ્યું “ઇચ્છિત વરને વો.' તેઓમાંની કેળની ઉપમાવાળા સાથળવાળી રંભાએ પિતામહને કહ્યું (૧૨) “આ અમે છીએ આ છાગ છે અને આ કાદમ્બરી (સુરા) છે હે પ્રભુ !જો તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો આ ત્રણમાંથી એકનો આદર કરો (સેવો) (૧૩)
બ્રહ્માએ વિચાર કર્યો સેવાયેલી આ દેવાંગનાઓ તપના ભ્રંશને માટે થાય, અને આ છાગ (બકરો) છે તેના જીવનો ઘાત ક૨વો તપસ્વિઓને ઊચિત નથી. (૧૪) અને વળી સુરા (મદિરા) તો પાણી જ છે તે શિષ્ટ ચિત્તવાળાઓને દુષ્ટ નથી. આથી મદિરાને સ્વીકારીને નિશંક થયેલા આત્માવાળા બ્રહ્માએ પીધી, (૧૫) ઉત્પન્ન થયેલા ઉન્માદવાળા, ક્ષુધાથી આક્રાન્ત થયેલા તેણે છાગને હણીને ખાધો અને તે દેવાંગનાઓની પણ ઇચ્છા કરી તેણીઓએ આ પ્રમાણે પરીક્ષા કરી. (૧૬) “આ બ્રહ્મા એકઠા કરાયેલા ભાવ તપથી તો નિશ્ચે ભ્રષ્ટ કરાયો છે. હવે પહેલાનો એકઠો કરાયેલો તપ કેવી રીતે ખરીદાય ?” (૧૭) એ પ્રમાણે વિચાર કરીને નૃત્ય
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૪
Page #255
--------------------------------------------------------------------------
________________
'चीयमानादसौ भावात्तपसो भ्रंशितो ध्रुवम् । विक्रीणीते कथं पूर्वाचीर्णं ध्यात्वेति तास्तदा ।। ।।१७।। नृत्यन्त्यो दक्षिणाशायां जग्मुर्देव्यस्ततो विधिः । मुखमेकं तपोवर्षकोट्या तत्सम्मुखं व्यधात् ।। ।।१८।। एवं द्वितीयकोट्या तु तृतीयं विदधे मुखम् । चतुर्थं चोत्तराशायां चक्रे तद्दर्शनोत्सुकः ।।१९।। अनुरागपरीक्षार्थं नृत्यन्त्यो गगने गताः । अर्धकोट्याऽथ संजज्ञे शीर्षे खरमुखं पुनः ।।२०।। नमस्कृत्योपहस्याऽथ गताः स्वर्गं सुराङ्गनाः । इत्थं चतुर्मुखो जातः स्त्रीदासत्वमियाय च ।।२१।। इन्द्रश्च किल ज्योतिष्केन्द्रपदवीप्राप्तिप्रस्तावे सुरासुरैः सपरिवारैर्नमस्करणार्थमागतैः रूपाहूतचित्तः सुरगुरुभार्यामभिगम्य बुधमजीजनत् सूर्यश्चतेजोऽसहमानां पश्चिमाशामाश्रित्य वडवारूपधारिणी रत्नादेवीनाम्नी भार्यामजस्रमभिगन्तुकामस्त्वष्ट्रा निजशरीरमततक्षत् । स्कन्धश्च कार्तिकेयः, स यद्यपि लौकिकानां ब्रह्मचारितयाऽभिमतस्तथापि देवश्चेदविरतत्वादुःशीलताभाजनमेवेति । आदिशब्दादहल्याजारतया प्रसिद्धा इन्द्रादयोऽपि ज्ञेयाः । यदुक्तम् - किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्य, स्त्रिदशपतिरहल्या तापसीं यत् सिषेवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मराग्ना, । वुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि? ॥ इति गाथाक्षरार्थः ।
।।५६।। [ ] गाथा : सीअं च उण्डं च सहंति मूढा, इत्थीसु सत्ता अविवेअवंता ।
इलाइपुत्त'व्व चयंति जाइ, जीअंच नासंति य रावणुव्व ।।।।५७।।
व्याख्या : स्त्रीषु सक्ताः = अभिष्वङ्गवन्तो मूढा मूर्खाः शीतं च शीतवेदनाम् उष्णं
चोष्णवेदनाम्, सहन्ते क्षमन्ते । किं भूताः ? अविवेकवन्तो विवेकविकलाः ।
तथा स्त्रीष्वासक्ताः इलातीपुत्र इव जाति स्वीयां सुकुलोत्पत्तिलक्षणां त्यजन्ति, १. वीय. ड२ । २. अहल्यां ख । ३. पुत्त चयंति ड। * अहल्याजारतया प्रसिद्धस्तिवन्द्र एक एव, न खलु सा बहुपतिगामिनी, इन्द्रादयोऽपीत्यत्रादिशब्देन
अहल्याभिनानां भरतया प्रसिद्धानां ग्रहणं कार्यम् ।
१२५ इन्द्रियपराजयशतकम्
Page #256
--------------------------------------------------------------------------
________________
કરતી તેણીઓ દક્ષિણ દિશામાં ગઈ. તેથી બ્રહ્માએ એક કોટી વર્ષના તપ વડે એક બીજું મુખ તેઓની સન્મુખ કર્યું. (૧૮) એ પ્રમાણે બીજા એક કોટી વર્ષના તપ વડે ત્રીજું મુખ કર્યુ અને તેણીઓના દર્શન માટે ઉત્સુક એવા તેણે ઉત્તર દિશામાં ચોથું મુખ કર્યું. (૧૯) અનુરાગની પરીક્ષા કરવા માટે નૃત્ય કરતી તેણીઓ ગગનમાં ગઈ. હવે અર્ધ કોટી વર્ષના તપ વડે વળી માથા ઉપર ગધેડાના મુખને બ્રહ્માએ કર્યુ. (૨૦) હવે નમસ્કાર કરીને, ઉપહાસ કરીને સુરાંગનાઓ સ્વર્ગમાં ગઈ. આ પ્રમાણે બ્રહ્મા ચતુરાનન થયો અને સ્ત્રીના દાસપણાને પણ પામ્યો. (૨૧)
-
અને ઇન્દ્ર પણ ખરેખર જ્યોતિષ્કના ઇન્દ્રની પદવીની પ્રાપ્તિના અવસરે પરિવાર સહિત નમસ્કાર કરવા માટે આવેલા સુરાસુરો વડે રૂપ વડે આકર્ષાયેલા ચિત્તવાળા એવા ઇન્દ્ર (ચન્દ્ર) સુરગુરુની (બૃહસ્પતિ) પત્નીને સેવીને બુધને જન્મ આપ્યો. અને સૂર્ય પણ – પોતાના તેજને નહીં સહન કરી શકતી પશ્ચિમ દિશાને આશ્રયીને ઘોડીના રૂપને ધારણ કરતી એવી રત્નાદેવી નામની ભાર્યાને નિરંતર સેવવાની ઇચ્છાવાળા તેણે રંધા વડે પોતાનું શરી૨ છોલી નાખ્યું. અને સ્કન્દ એટલે કાર્તિકેય, તેને જો કે લોકોએ બ્રહ્મચારી તરીકે માન્યો છે, તો પણ જો તે દેવ છે, તો અવિરતપણાને લીધે દુઃશીલતાનું ભાજન જ છે. આદિ શબ્દથી* અહલ્યાના જાર (વીટ) પણે પ્રસિદ્ધ એવા ઇન્દ્ર આદિ જાણવા. જે કારણે કહ્યું છે કે
“શુ કમળ જેવા નેત્રોવાળી દેવાંગનાઓ ન હતી કે ઇન્દ્રે અહલ્યા તાપસીને સેવી ? “હૃદય રૂપી ઘાસની કુટિરમાં કામાગ્નિ બળતે છતે પંડિત એવો પણ કોણ ઊચિત અથવા અનુચિતને જાણે ?” પડી
ગાથાર્થ : સ્ત્રીઓમાં આસક્ત એવા અવિવેકી મૂઢ પુરુષો ઠંડી અને ગરમીને સહન કરે છે, ઇલાતી પુત્રની જેમ જાતિનો ત્યાગ કરે છે અને રાવણની જેમ જીવનો પણ નાશ કરે છે. ૫૭ના
ભાષાંતર : સ્ત્રીઓને વિષે આસક્ત - અભિષ્યંગવાળા (રાગવાળા) મૂઢ અર્થાત્ મૂર્ખ પુરુષો શીત વેદના અને ઉષ્ણવેદનાને સહન કરે છે. તેઓ કેવા છે ? - અવિવેકવંત-વિવેકથી વિકલ અને સ્ત્રીમાં આસક્ત એવા ઇલાતીપુત્રની જેમ અહલ્યાના જા૨૫ણા વડે એક ઇન્દ્ર જ પ્રસિદ્ધ છે પણ તે બહુપતિ સેવનારી ન હતી. ઇન્દ્રાદિ પણ એ પ્રમાણે ‘આદિ’ શબ્દથી અહલ્યા સિવાયની સ્ત્રીઓના જા૨પણા વડે પ્રસિદ્ધ એવાઓનું ગ્રહણ કરવું.
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૫
Page #257
--------------------------------------------------------------------------
________________
*
यथा इलातीपुत्रेण स्वकुलं परित्यज्य रङ्गोपजीविसेवित्वमादृतम् तथाऽन्येपि त्यजन्ति । तत्रेलातीपुत्रदृष्टान्तश्चायम् - एगो धिज्झाइउ तहारुवाणं थेराणं अंतिए धम्मं सोचा समहिलिओ 'पव्वइओ उग्गं उग्गं पव्वज्जं करेइ, नवरमवरोप्परं पीती ण ओसरइ, महिला 'मणागं 'धिज्जातिणित्ति गव्वमुव्वहति, मरिऊण देवलोगं गया, जहाउगं भुत्तं । अतो य इलावद्धणे नगरे इला देवया तं चएगा सत्थवाही पुत्तकामी अलग्गइ, सो चविऊण पुत्तो से जाओ नामं च से क' इलापुत्तो 'ति । इयरी वि जातिगव्वदोसेणं ततो चुया लंखगकुले उप्पण्णा, दोवि जोव्वणं पत्ताणि । अन्नया तेण सा लंखचेडी दिठ्ठा, पुव्वभवरागेण अज्झोवन्नो सा मग्गिज्जंती वि न लब्भइ, जत्तिएण सुवण्णेण तुलई.", ताणि भति एषा अक्खयनिही, जइ सिप्पं सिक्खसि, अम्हेहि य समं हिंड, सो तेहिं समं पहिडिओ, सिक्खिओ य ताहे 'विवाहनिमित्तं रन्नो पेच्छणयं करेहि त्ति भणिते बेन्नायडं गयाणि, तत्थ राया' पेच्छई संऽतेउरो, इलापुत्तो खेल्लाओ करे इ रायस्स दिट्टं 'दारियाए, रायाणए अदेंते अण्णेवि न देंति, साहुक्काररावं वट्ठति', भणिओ लंख ! पडणं करेहि, तं च किर वंससिहरे अड्ड-कट्ठे कएल्लयं, " तत्थ खीलया, सो पाउयाउ बंधई मूले विद्धियाओ ततो असिखेटहत्थगओ आगासं उप्पइत्ता ते खीलगा पाउयाणालियाइ पवेसेयव्वा सत्तअग्गिमा सत्तपच्छिमाइट्ठे काऊण जइ फिट्टइ' ततो पडिओ सतहा खंडिज्जइ । तेणं कथं, राया दारियं पलोएइ, लोएण कलयलो कओ, ण य देति राया, राया चिंतेइ 'जइ मरइ तो अहं दारियं परिणेमि' । भणति 'न दिट्ठे' । पुणो वि कयं ।
एको धिग्जातीयस्तथारूपाणां स्थविराणामन्तिके धर्मं श्रुत्वा समहिलः प्रव्रजितः, उग्रामुग्रां प्रवज्यां कुरुतः, नवरं परस्परं प्रीतिर्नापसरति, महिला धिग्जातीयेति मनाक् गर्वमुद्वहति, मृत्वा देवलोकं गता, यथाऽऽयुष्कं भुक्तम् । इतश्चेलावर्धने नगरे इलादेवता, तामेका सार्थवाही पुत्रकामाऽवलगति, स च्युत्वा पुत्रस्तस्य जातः, नाम च तस्य कृतमिलापुत्र
१. समहिलिओ पव्वखं खड, । २. मणाग खडड, ड, । ३. एषो ख । ४. पिच्छइ K । ५. दारियाए
२
२
१
निवडीया ड, । ६. वट्टति । ७. पाउआई खडड, ड, । ८. जइ फिट्टइ काऊण जइ पोट्टइ खड, । * इयं कषाऽऽवश्यकनिर्युक्तौ ८४६ तमगाथाया हारिभद्रीयातोऽक्षरश उद्धृता । *** यावता सुवर्णेन तोलयति इत्यस्य " यावत् सुवर्णेन तोलयितुं सज्जो भवति" इत्यर्थः । ** वंशशिखरे तिर्यक्काष्ठं व्यवस्थाप्यते । तस्य काष्ठस्योभयपार्श्वयोर्द्वे द्वे कीलिके व्यवस्थाप्येते तत्रेयं स्थापना ततश्च स इलापुत्रः पादुके चरणयोः परिदधाति । ते च पादुके मध्यतलप्रदेशे एकैकच्छिद्रयुक्ते । ततोऽसौ खङ्गखेटकव्यग्रहस्तस्तिर्यक् काष्ठमध्यदेशे स्थित्वा आकाशतलमुत्प्लुत्य सप्ताग्रतो मुखानि सप्त पश्चान्मुखानि प्रस्तावाचरणानि दत्त्वा कीलिके वारं (२) पादुकानालिकायामिति पादुकाच्छिद्रयोः प्रवेशितवानित्यर्थः इत्युल्लेखः * ड, । 宗
१२६ इन्द्रियपराजयशतकम्
Page #258
--------------------------------------------------------------------------
________________
જાતિ અર્થાતુ પોતાની સુકુલમાં ઉત્પત્તિ રૂપ જે જાતિ તેનો ત્યાગ કરે છે. જે રીતે ઇલાતીપુત્ર વડે પોતાનું કુલ ત્યાગ કરીને, નાટક કરીને, આજીવિકા ચલાવનારા નટોનું સેવકપણું આદર કરાયું તે પ્રમાણે અન્ય પુરુષો પણ જાતિ આદિનો ત્યાગ કરે છે. ત્યાં ઇલાતિપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણેએક ધિજાતીય (બ્રાહ્મણ) સ્થિર થયેલા સ્થવિરોની પાસે ધર્મને સાંભળીને પત્ની સહિત દીક્ષા ગ્રહણ કરી. બંને ઉગ્રમાં ઉગ્ર પ્રવ્રજ્યાને કરે છે પણ પરસ્પર પ્રીતિ ઓછી થતી નથી. પત્ની તે બ્રાહ્મણપત્ની છું એ પ્રમાણે જરાક ગર્વને પણ વહન કરતી હતી. મરીને દેવલોકમાં ગયા. આયુષ્ય અનુસાર ભોગ ભોગવ્યા. આ બાજુ ઈલાવર્ધન નગરમાં ઈલાદેવી હતી. પુત્રને ઇચ્છતી એવી એક સાર્થવાહપત્ની તે દેવતાને સેવે છે. તે બ્રાહ્મણ ઍવીને તેણીનો પુત્ર થયો. તેણીએ “ઇલાતીપુત્ર' એ પ્રમાણે નામ કર્યું. બ્રાહ્મણની પત્ની પણ જાતિગર્વના દોષ વડે ત્યાંથી વેલી લખગકુલમાં (નટકુલ) ઉત્પન્ન થઈ. બંનેએ યૌવન પ્રાપ્ત કર્યું. એક વખત ઇલાપુત્ર વડે તે લખપુત્રી જોવાઈ. પૂર્વભવના રાગ વડે તે રાગવાળો થયો. સુવર્ણ વડે તોલીને માંગી તો પણ તે મળી નહિ. તેઓ બોલ્યા આ લખપુત્રી અક્ષયનિધિ છે. જો તું શિલ્પને શીખે અને અમારી સાથે ફરે તો તને મળે. તે તેઓની સાથે ફર્યો અને શીખ્યો. ત્યારે “વિવાહના નિમિત્તે રાજાના પ્રેક્ષણક (નાટક)ને કર” એ પ્રમાણે કહેવાય છતે બેનાતટ નગરમાં ગયા. ત્યાં અન્ત:પુર સહિત રાજા જુએ છે. ઈલાપુત્ર ક્રીડા કરે છે. રાજાની દૃષ્ટિ લખપુત્રી (નટી) ઉપર પડી. રાજા ધન નહીં આપતે છતે અન્ય લોક પણ આપતા નથી. વાહ, વાહ એવો અવાજ વર્તે છે. તે કહેવાયો હે લખ!પતનને કર. હવે પતન એટલે આ પ્રમાણે – વંશના શિખરે તીઠું લાકડું સ્થાપન કરાય. તે લાકડાની બંને બાજુ બે બે ખીલીઓ
સ્થપાય તે સ્થાપના આ રીતે. તે ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરે. તે બંને પાદુકાઓ તલિયાના મધ્યભાગમાં એક એક છિદ્રથી યુક્ત છે. ત્યાર બાદ આ ઇલાપુત્રે તલવારની મુઠ્ઠી વડે વ્યગ્ર હાથવાળા એવા તી લાકડાના મધ્યભાગમાં રહીને આકાશમાં ઊડી છલાંગ મારીને પાદુકાની નલિકામાં તે કાલિકા પ્રવેશ કરાવવાની, એ રીતે સાત વાર આગળ તરફ અને સાત વાર પાછળ પગને મૂકીને આ રીતે પાદુકાના છિદ્રમાં કલિકાને પ્રવેશ કરાવાય ત્યારે પતન નામની ક્રીડા પૂરી થાય. જો એ ચૂકે તો ત્યાંથી પહેલા તેના સેંકડો ખંડ થઈ જાય. ઇલાપુત્ર વડે તે કરાયું. રાજા નટીને જુએ છે. લોકો વડે કલકલ અવાજ કરાયો. રાજા આપતો નથી. રાજા વિચારે છે કે જો મરી જાય, તો હું આ નટીને પરણું. અને કહે છે કે નથી જોવાયું. વળી પાછું કરાયું ત્યારે પણ નથી જોવાયું',
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૭
Page #259
--------------------------------------------------------------------------
________________
तत्थ वि, 'न दिटुं' । ततियं पि वारं कयं । तत्थ वि 'न दिटुं' । चउत्थियाए वाराए भणिओ 'पुणो करेहि' । एसो विरत्तो ताहे सो इलाइपुत्तो वंसग्गे ठिओ विचिंतेइ ‘धिरत्थु भोगाणं, एस राया चिंतेइ एत्तियाहिं न तित्तो एयाए रंगोवजीवियाए लग्गिउं मग्गइ, एताए कारणा मं मारेउमिच्छइ । सो य तत्थ ठियओ एगत्थ सेट्ठघिरे साहुणो पडिलाभिज्जमाणे पासति सव्वालंकाराहिं इत्थियाहिं, साहुणो य विरत्तत्ते पलोयमाणे पेच्छइ । ताहे भणइ 'अहो धन्या निःस्पृहा विषयेषु, अहं सेट्ठिसुओ एत्थंपि एस अवत्था । तत्थेव विरागं गयस्स केवलनाणं उप्पन्नं । ताए वि चेडीए विरागो, विभासा । अग्गमहिसीए वि । रन्नो वि पुनरावत्ती जाया, विरागो, विभासा । एवं ते चत्तारि केवली जाया, सिद्धा य । एवं 'असक्कारेण' समाइयं लब्भइ इत्यधिकारे इलातीपुत्रेण स्त्रीवशगेन स्वकुलमपि परित्यक्तमिति । च = पुनः स्त्रीवशगा रावण इव जीवितव्यं नाशयन्ति । यतःअमरनर असुर विसरिस-पोरिस चरिओ वि पररमणिरसिओ। विसमदसं संपत्तो लंकाहिवई वि रंकुव्व ।।१।।। तथाहि - श्रीरावणः सीताऽपहारेण रावणलक्ष्मणसङ्ग्रामे बिभीषणादिबन्धुवर्गेण वियुज्य तादृग्जगज्जयार्जितोर्जस्विसाम्राज्यलक्ष्मीपरिभ्रष्टो रङ्क इव कृतान्तातिथितां प्राप्त इति । यत :परिहरत पराङ्गनानुषङ्ग बत यदि जीवितमस्ति वल्लभं वः । हरिहरिहरिणीदृशो निमित्तं दशदशकन्धरमौलयो लुठन्ति ।।१।।५७।। इति, इतरापि जातिगर्वदोषेण ततश्च्युता लडककुले उत्पन्ना, द्वावपि यौवनं प्राप्तौ, अन्यदा तेन सा लवकचेटी दुष्टा, पूर्वभवरागेण अध्युपपन्नः, सा मार्यमाणाऽपि न लभ्यते, यावता सुवर्णेन तुल्यते, ते भणन्ति - एषाऽक्षयनिधिः, यदि शिल्पं शिक्षसे अस्माभिश्च समं हिण्डसे, स तैः समं हिण्डितः शिक्षितश्च, तदा विवाहनिमित्तं राज्ञः प्रेक्षणकं कुर्विति भणिते बेनातटं गताः, तत्र राजा प्रेक्षते सान्तःपुरः, इलापुत्रः क्रीडा करोति, राज्ञो दृष्टिारिकायां, राज्यददति अन्येऽपि न ददति साधुकाररवो वर्त्तते, भणितोलक्षक ! पतनं कुरु, तत्र च वंशशिखरे तिर्यकाष्ठं कृतं, तत्र कीलिकाः, स पादके परिदधाति मूलविद्धे, ततोऽसिखेटहस्तगत आकाशमुत्पत्य ताः कीलिकाः पादुकानलिकासु प्रवेशयितव्याः, सप्ताग्राविद्धाः सप्त पश्चादाविद्धाः कृत्वा यदि स्खलति ततः पतितः शतधा खण्ड्यते, तेन कृतं, राजा दारिकां प्रलोकयति, लोकेन कलकलः कृतः, न च ददाति राजा, राजा चिन्तयति-यदि
म्रियते तदाऽहमेतां दारिकां परिणयामि, भणति-न दृष्टं, पुनरपि कृतं, १. राया चिंतेइ जइ एत्तियाहि ड । २. पलोयमालोयमाणे ख । ३. विसरस. खडड ड । ४. नुषङ्गाड ।
१२७ इन्द्रियपराजयशतकम्
Page #260
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વાર કરાયું ત્યારે પણ નથી જોવાયુ', ચોથી વારમાં કહેવાયો કે “ફરીથી કર”. ઇલાપુત્ર વિરક્ત થયો, ત્યારે તે ઇલાપુત્ર વંશના અગ્રભાગ ઉપર રહેલો વિચારે છે. “ભોગોને ધિક્કાર થાઓ. આ રાજા આટલી રાણીઓ વડે તૃપ્ત નથી. આ લખપુત્રીની સાથે લાગવાની ઇચ્છા કરે છે. આ સ્ત્રીના કારણે મને મરાવવાને ઇચ્છે છે. અને તે ત્યાં રહેલો એક શ્રેષ્ઠીના ઘરમાં સર્વ અલંકારવાળી સ્ત્રીઓ વડે પ્રતિલાભ કરતા (વહોરાવાતા) સાધુને જુએ છે. સાધુને વિરક્તપણા વડે જુએ છે. ત્યારે વિચારે છે કે અહો ! વિષયોને વિષે નિઃસ્પૃહ લોકોને ધન્ય છે. હું શ્રેષ્ઠીપુત્ર છું. તો પણ આ અવસ્થા છે. ત્યાં જ વૈરાગ્યને પામેલા એને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે નટીને પણ વૈરાગ્ય, કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, રાજાની અઝમહિષી (પટરાણી)ને પણ અને રાજાને પણ તે જ રીતે વૈરાગ્ય અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે તે ચારે પણ કેવલી થયા અને સિદ્ધ પણ થયા. આ પ્રમાણે ‘પ્રશ્નારે' સામયિં તૃમર્ એ અધિકારમાં સ્ત્રીને વશ ગયેલા ઇલાપુત્ર વડે પોતાનું કુલ પણ ત્યાગ કરાયું. અને વળી સ્ત્રીને વશ પામેલા રાવણની જેમ જીવિતવ્યનો નાશ કરે છે. જે કારણે કહ્યું છે કે – દેવ, માનવ, દાનવ જેવા પરાક્રમવાળો પણ પરસ્ત્રીનો રસિયો એવો લંકાધિપતિ રંકની જેમ વિષમદશાને પ્રાપ્ત થયો. તે આ પ્રમાણે - શ્રી રાવણ સીતાના અપહરણ વડે રાવણ-લક્ષ્મણના સંગ્રામમાં બિભીષણાદિ બન્ધ વર્ગથી વિયોગ કરાઈને તે પ્રકારના જગતને જય કરવા વડે પ્રાપ્ત થયેલી ઉર્જસ્વિ સામ્રાજ્ય રૂપી લક્ષ્મીથી પરિભ્રષ્ટ થયેલો રંકની જેમ યમરાજાના અતિથિપણાને પ્રાપ્ત થયો. જે કારણે કહ્યું છે કે – જો તમને જીવિત વ્હાલું છે તો પરસ્ત્રી સંગનો ત્યાગ કરો આશ્ચર્યની વાત છે કે વાનર સેનાના ઇન્દ્ર એવા રામની પત્ની સીતાને માટે રાવણના દશ મસ્તકો આળોટે છે. પણ तत्रापि न दृष्टं तृतीयमपि वारं कृतं, तत्रापि न दृष्टं, चतुर्थे वारे भणितः - पुनः कुरु, एष विरक्तः, तदा स इलापुत्रो वंशाग्रे स्थितः विचिन्तयति-धिगस्तु भोगान् एष राजा चिन्तयति - एतावतीभिर्न तृप्तः, एतया रङ्गोपजीविकया लगितुमभिलष्यति, एतस्याः कारणात् मां मारयितुमिच्छति स च तत्रस्थित एकत्र श्रेष्ठिगृहे साधून् प्रतिलम्भ्यमानान् पश्यति सर्वालङ्काराभिः स्त्रिभिः, साधूंश्च विरक्तत्वे प्रलोकयन् प्रेक्षते, तदा भणति- 'अहो धन्या निःस्पृहा विषयेषु' अहं श्रेष्ठिसुतः अत्रापि एतदवस्था, तत्रैव वैराग्यं गतस्य केवलज्ञानमुत्पन्नम् । तस्या अपि चेट्या वैराग्यं विभाषा, अग्रमहिष्या अपि, राज्ञोऽपि पुनरावृत्तिर्जाता वैराग्यं विभाषा, एवं ते चत्वारोऽपि केवलिनो जाताः सिद्धाश्च । 4મારા સામાયિૐ ગ્યતે I -
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૭
Page #261
--------------------------------------------------------------------------
________________
गाथा : वुत्तूण वि जीवाणं, सुदुक्कराइं ति पावचरियाई ।
भयवं जा सा सा सा, पच्चाएसो हु इणमो ते ।।५८।। व्याख्या : वक्तुमपि, जीवानां सुदुष्कराणि सुष्ठु दुःशक्यानि इत्येवं पापचरितानि
दुष्टचेष्टितानि भगवन् या सा सा सेत्यनेन दृष्टान्तं सूचयन् शिष्यं प्रत्याह 'प्रत्यादेशो दृष्टान्तो, हुः पूरणार्थोऽयमेवंभूतस्ते तव अतः पापचरितानि न कथञ्चित्कार्याणीत्यभिप्रायः । कथानकमधुना-महावीरस्य भगवतः समवसरणे भिल्लः कश्चिन्मनसा पृच्छति स्म । भगवानाह भद्र वाचा पृच्छ । स प्राह भगवन् या सा सा सेति ? भगवतोक्तं भद्र ! या सा सा सेति । गतो भिल्लः । ततो गौतमो लोकप्रबोधनार्थमाह - किमनेन पृष्टम् ? किं वा भट्टारकैः कथितम् ? । ततो भगवांस्तद्वृत्तान्तमाचचक्षे-वसन्तपुरेऽनङ्गसेननामा सुवर्णकारः स्त्रीलोलुपतया ईप्सितदानप्रदानेन निजरूपोपहसितामरसुन्दरीणां तरुणस्त्रीणां पञ्चशतानि पत्नीनां मीलयित्वापरतया प्रासादे निधाय रक्षन्नास्ते स्म । न च स्वपरिभोगवतीं विहायान्यासां संस्कारं कर्तुं ददावन्यदाऽनिच्छन्नीतो मित्रेण प्रकरणेऽवसरोयमिति कृत्वा कृतस्नानविलेपनाभरणनेपथ्या हस्तन्यस्तदर्पणाः क्रीडितुमारब्धाः पत्न्यः । समायातोऽसौ गतः कोपं गृहीत्वैका हता 'मर्मसु वियुक्ताऽसुभिश्चिन्तितमन्याभिरस्माकमप्येवं करिष्यति । भयेन मुक्ता युगपदादर्शकास्तस्योपरि मृतश्च । मृते च तस्मिन् सञ्जातः पश्चात्तापो नाऽन्या गतिः पतिमारिकाणामिति सञ्चिन्त्य प्रविष्टा ज्वलने । सामुदायिककर्मवशादेकत्र पल्लयां सञ्जाताश्चौरतयेति । प्रथमहतपत्नीजीवस्तु क्वचिद् ग्रामे जातो दारकः । सुवर्णकारस्तिर्यग्योनिषु पर्यट्य समुत्पन्नस्तद्भगिनीभावे । पूर्वभववासनावेधादतिमोहोत्कटतया रोदिति सा प्रतिक्षणम्, स्पृष्टा कथंचिदावाच्यदेशे दारकेण, तूष्णीं स्थिता, अयमुपाय इति पुनः पुनः उपस्थं स्पृशत्यसौ दृष्टः पितृभ्यां वारितोऽभितोऽतिष्ठन् निस्सारितो गेहाद्, गतः पल्ली सञ्जातस्तदधिपतिरितरापि वर्द्धमानप्रबलकामतर्षतया गता कंचिद् ग्रामम्, पतितास्तत्र ते चौराः, समर्पितस्तया किं मां न नयत' इति वचनेनात्मा, तेषां, जाता सर्वेषां पत्नी, तत्कृपया चानीता तैरन्यापि स्त्री, ममेयं
रतिविघ्नहेतुरिति सञ्चिन्त्य गतेषु क्षिप्ता तयाऽसौ कूपे, न दृष्टा १. इणमं खडड, ड, इणमा मुद्रिते । २. पापचरितानि दुष्टचेष्टितानि न कथञ्चित्कार्याणीत्यभिप्रायः
खडड । ३. प्रत्यादेशो ड । ४. भूतस्तो छ । ५. मर्मस्तु KI * "इदं तदेव संजातम्, यत् केनचिदुच्यते" इत्यर्थः । ६. पुनः पुनः नु उपस्थं ख।।
१२८ इन्द्रियपराजयशतकम्
Page #262
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : જીવોના પાપચરિત્રો કહેવા માટે પણ અતિદુષ્કર છે. “યવં ના સા
સા સા એ અહીં દૃષ્ટાંત છે. પ૮ ભાષાંતરઃ જીવોના પાપચરિત્રો દુગ્રેષ્ટિતા કહેવા માટે પણ સુદુષ્કર અર્થાતુ સારી રીતે
દુ:શક્ય છે. “ભગવાન્ જેણી તે છે તેણી તે છે?એના વડે દૃષ્ટાન્તને સૂચવતા શિષ્યને કહે છે. પ્રત્યાદેશ એટલે દૃષ્ટાન્ત,દુપૂરણ અર્થમાં. આ દૃષ્ટાન્ત) આ પ્રકારે છે. તારે એ કારણથી કોઈ પણ રીતે પાપ ચરિતો કરવા યોગ્ય નથી. એ અહીં અભિપ્રાય છે. હવે કથાનક - મહાવીર ભગવાનના સમવસરણમાં કોઈ એક ભીલ, મન વડે પૂછે છે. ભગવાને કહ્યું હે ભદ્ર ! વાણી વડે પૂછ' તેણે કહ્યું ભગવનું જેણી તે છે તેણી તે જ છે ? ભગવાન વડે કહેવાયું હે ભદ્ર ! જેણી તે છે તેણી તે છે. ભલ જતો રહ્યો, ત્યાર બાદ ગૌતમે લોકોને પ્રતિબોધ કરવા કહ્યું “એના વડે શું પૂછાયું ? અથવા આપ પૂજ્ય વડે શું કહેવાયું ?” ત્યાર પછી ભગવાને તેના વૃતાન્તને કહ્યો. વસંતપુરમાં અનંગસેન નામનો સુવર્ણકાર હતો. સ્ત્રીની લોલુપતા વડે ઇચ્છિત દાનને આપવા વડે પોતાના રૂપ વડે તિરસ્કૃત કરી છે દેવાંગનાઓને જેણે એવી પાંચસો યુવાન પત્નીઓને ભેગી કરીને ઇર્ષામાં તત્પરપણા વડે બધીને મહેલમાં સ્થાપન કરીને તેઓનું રક્ષણ કરતો રહેતો હતો. પોતાના પરિભોગ માટેની સ્ત્રી સિવાય બીજી કોઈ પણ સ્ત્રીઓને વસ્ત્રાભૂષણ વિગેરે વડે સંસ્કાર કરવા નહોતો દેતો. હવે એકવાર નહિ ઇચ્છતો એવો પણ તે મિત્ર વડે પ્રકરણમાં ક્યાંક પ્રસંગે) લઈ જવાયો. “આ અવસર છે” એમ કરીને કરાયેલા સ્નાન, વિલેપન, આભરણ અને નેપથ્થવાળી, હાથમાં લીધા છે દર્પણ જેણીઓએ એવી બધી પત્નીઓ ક્રીડા કરવા લાગી. સુવર્ણકાર પાછો આવ્યો. ક્રોધિત થયો. દર્પણ ગ્રહણ કરીને એક પત્નીને મર્મભાગને વિષે હણી. પ્રાણોથી વિયોગ કરાવાઈ. અન્ય પત્નીઓ વડે વિચારાયું આપણને પણ આ એ પ્રમાણે કરશે. ભયથી એક સાથે તેઓવડે બધા દર્પણો તેના ઉપર નંખાયા.તે મરી ગયો. તે મરે છતે પશ્ચાત્તાપ થયો. પતિને મારનારીઓની અન્ય ગતિ નથી, એમ વિચારીને દરેકે અગ્નિમાં પ્રવેશ કર્યો. સામુદાયિક કર્મના વશથી એક પલ્લીમાં બધી ચોર તરીકે થઈ. પહેલા હણાએલી પત્નીનો જીવ તે કોઈક ગામમાં બાળક થયો. સુવર્ણકાર તિર્યંચયોનિઓમાં ભમીને તે બાળકની બેન તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવની વાસનાના તીવ્રપણાથી અતિમોહની ઉત્કટતા વડે તેણી પ્રતિક્ષણ રડે છે. તે છોકરા વડે સહસા
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૮
Page #263
--------------------------------------------------------------------------
________________
द्वितीयाऽऽगतैस्तैस्ततोऽनयैतदनुष्ठितमिति विज्ञायैवं बहुमोहा किमियं सा मद्भगिनी भविष्यतीति सञ्जाताशङ्कः पल्लीपतिः श्रुत्वा मद्वार्तामेष समायातो न च शक्नोति प्रष्टुं तेनोक्तं या सा सा सेति । अस्यायमर्थो ‘याऽसौ मद्भगिनी सा किमेषा वनवर्तिनी पापा ? मयाऽपि कथितं या सा सेति तदाकर्पोऽहो दुरन्तो विषयसङ्गस्तदिदमायातं यदाह- कश्चित् - सर्वाभिरपि नैकोऽपि तृप्यत्येकाऽपि नाऽखिलैः । द्वितीयं द्वावपि द्विष्टः कष्टः स्त्रीपुंससङ्गमः ।।१।।। ] इति विगणय्य प्रतिबद्धा बहवः प्राणिन इति ।।५८।।
गाथा : जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो ।
तुच्छा य कामभोगा, निबंधणं दुःक्खलक्खाणं ।।५९।। व्याख्या : जललववत् कुशाग्रस्थिताऽवश्यायबिन्दुवत्तरलं चपलं जीवितव्यं जीवितम् ।
लक्ष्मीरप्यस्थिरा । तथा देहः शरीरं भङ्गरः स्वयमेव भज्यत इत्येवंशीलो भङ्गर
स्वयमेव विनशनशीलः । “भञ्जभासमिदोधुरच कर्मकर्त्तरि शीलार्थे । १. विषानं तत् ख । + इदं सूत्रं पाणिनीयं प्रतिभाति, तत्स्थाने सिद्धहेमे "भञ्जिभासिमिदो धुरः" (सि० ५-२-७४)
सूत्रमस्ति । देहं चैत्रः भनक्तीति कर्तरि प्रयोगः, देहश्चैत्रेण भज्यते, इति कर्मणि प्रयोगः, देहः स्वयमेव भज्यते इति कर्मकर्तरि प्रयोगः । कर्मकर्तर्यपि शीलार्थस्य मुख्यत्वेन स्वयमेव भज्यमानस्वभावः = भङ्गुरः इत्यर्थः ।
१२९ इन्द्रियपराजयशतकम्
Page #264
--------------------------------------------------------------------------
________________
જ તેણી ગુહ્ય પ્રદેશને વિષે સ્પર્શ કરાઈ. તે મૌન થઈ ગઈ. આ તેણીને રડતી બંધ કરવાનો ઉપાય છે એ પ્રમાણે વારંવાર આ છોકરો તેણીના ગુહ્યભાગને સ્પર્શે છે. માતાપિતા વડે જોવાયું. બધી રીતે વારણ કરવા છતાં નહીં અટકતો તે છોકરો ઘરમાંથી કાઢી મૂકાયો. તે પલ્લીમાં આવ્યો અને તેનો અધિપતિ થયો. પેલી છોકરી પણ (સુવર્ણકારનો જીવ) વધતી એવી પ્રબલ કામતૃષ્ણા વડે કોઈક ગામમાં ગઈ. તે ગામમાં પેલા ચોરો આવ્યા. તેણી વડે “મને કેમ નથી લઈ જતા ?' એવા વચન વડે પોતે તેઓને સમર્પિત થઈ. તે દરેકની તે પત્ની થઈ. તેણીની કૃપા વડે તે ચોરો વડે બીજી પણ સ્ત્રી લવાઈ. “આ સ્ત્રી મારી રતિક્રીડામાં વિપ્નના હેતુભૂત છે એ પ્રમાણે વિચારીને ચોરો ગયે છતે તેણી વડે પેલી બીજી સ્ત્રી કૂવામાં નંખાઈ. પાછા આવેલા ચોરો વડે બીજી ન જોવાઈ તેથી આ સ્ત્રી વડે જ આવું કરાયું છે એવું જાણીને આવી બહુમોહવાળી શું આ તે મારી બેન તો નહીં હોય ને ? એ પ્રમાણેની ઉત્પન્ન થયેલી શંકાવાળો પલ્લીપતિ મારું (ભગવાનનું) અહીં આગમન સાંભળીને અહીં આવ્યો અને બધાની વચ્ચે પૂછવા માટે શક્ય ન હતું તેથી તેના વડે કહેવાયું “જેણી તે છે તેથી તે જ છે' ? એનો અર્થ આ છે કે “જે મારી બહેન છે તે શું આ વનમાં રહેતી પાપિણી જ છે” ? મારા વડે પણ કહેવાયું કે – જેણી તે છે તેણી તે જ છે. એ પ્રમાણે તે સાંભળીને ખરેખર વિષયનો સંગ દુઃખદ અખ્તવાળો છે. તેથી આ પ્રમાણે કહેવાયેલું છે કેબધી સ્ત્રીઓ વડે એકલો પણ અને બધા પુરુષો વડે એકલી પણ તૃપ્ત નથી થતી. બીજું બંને પણ વૈરભાવવાળા હોય, સ્ત્રીપુરુષનો સંગમ ખરેખર કષ્ટ છે. આ પ્રમાણે વિચારીને ઘણા જીવો બોધ પામ્યા. પ૮.
ગાથાર્થ : જળના બિન્દુ જેવું ચંચળ જીવન છે, લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ
ભંગુર (નાશવંત) છે, કામભોગો પણ તુચ્છ છે અને લાખો દુઃખોનું
કારણ છે. I[પા ભાષાંતરઃ જળના લવની જેમ અર્થાત્ તૃણના અગ્ર ભાગ ઉપર રહેલા ઝાકળના
બિન્દુ જેવું તરલ એટલે કે ચપળ જીવિતવ્ય છે. લક્ષ્મી પણ અસ્થિર છે તથા દેહ-શરીર ભંગુર છે. સ્વયં જ ભાંગી જાય એ પ્રમાણેનો સ્વભાવ છે જેનો તે ભંગુર, સ્વયં જ વિનાશ પામવાના સ્વભાવવાળું.
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૯
Page #265
--------------------------------------------------------------------------
________________
च-पुनः, कामभोगास्तुच्छा असारा अल्पकालावस्थानात् दुःखलक्षाणां निबन्धनं कारणम् । यत; - प्राणिनां बाधकं चैतच्छास्त्रे गीतं महर्षिभिः । नालिका तप्तकणक-प्रवेशज्ञाततस्तथा । ।।१।। मूलं चैतदधर्मस्य भवभावप्रवर्द्धनम् । तस्माद्विषान्नवत् त्याज्यमिदं पापमनिच्छतेति ।।२।। ।।५९।।
गाथा : नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाभिसमेइ तीरं ।
एवंजिआकामगुणेसुगिद्धा, सुधम्ममग्गेनरयाहवंति ।।६०।।
व्याख्या : नागो हस्ती, यथेत्युपन्यासे, पङ्कप्रधानं जलं पङ्कजलं, तत्रावसन्नो निमग्नः
पङ्कजलावसन्नः सन् दृष्ट्वा स्थलं न-नैवाऽभिसमेति प्राप्नोति तीरं पारमपेर्गम्यमानत्वात्तीरमप्यास्तां स्थलमिति भावः, एवं जीवाः कामगुणेषु गृद्धाः सुधर्ममार्गे शोभनसाधुधर्मावर्त्मनि न रता आसक्ता भवन्ति ।।६० ।।
गाथा : जह विट्ठपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं ।
तह विसयासुईरसों, जीवो वि मुणइ सुहं मूढो ।।६१।। व्याख्या : यथा विष्टापुओ पुरीषोञ्चये, क्खुत्तो त्ति निमग्नः 'चहुट्टए खुत्त' (२-७४) त्ति
देश्यां,२ कृमिः सदाकालं सुखं मन्यते । इदमवस्थानं सुखकारीति विचारयति । तथा विषय एव अशुचिः अपवित्रात्मकत्वात्तत्र रक्तो मूढो जीवोऽपि विषयं सुखं मन्यते ।।६१।।
१. सयाऽसुइरत्तो ख । २. देश्यो ख, दृश्यां ड ।
१३० इन्द्रियपराजयशतकम्
Page #266
--------------------------------------------------------------------------
________________
*મગ્નમામિ ધુરમ્ ફર્મર્તરિ શીત્રાર્થે” એ સૂત્રથી મદ્ ધાતુને પુર પ્રત્યય શીલ અર્થમાં છે વળી કામભોગો તુચ્છ એટલે કે અસાર છે, અલ્પ કાળ માટે જ રહેતા હોવાથી અસાર કહ્યા અને લાખ દુઃખોનું કારણ છે. જે કારણે કહ્યું છે કે મહર્ષિઓ વડે શાસ્ત્રમાં કામ ભોગો નાલિકાતપ્તકણક પ્રવેશના દૃષ્ટાન્તથી જીવના બાધક કહેવાયેલા છે. આ અધર્મનું મૂળ છે, ભવભાવને વધારનારા છે, તેથી પાપને નહિ ઇચ્છતા એવા વડે વિષ મિશ્રિત અન્નની જેમ કામભોગ ત્યાગ કરવા યોગ્ય છે. પણ
ગાથાર્થ : જેમ કાદવવાળા પાણીમાં ખૂંપેલો હાથી સ્થળને જોતો છતો કિનારાને પણ
પ્રાપ્ત નથી કરી શકતો તે જ રીતે કામભોગને વિષે આસક્ત (વૃદ્ધ) એવા જીવો સુંદર ધર્મના માર્ગને વિષે રત (આસક્ત) નથી થતા. કon.
ભાષાંતરઃ નાગ એટલે કે હાથી, જે રીતે, પંક-કાદવ છે મુખ્યતાએ જેમાં એવું પાણી
તે પંકજલ, તેમાં અવસગ્ન અર્થાત્ નિમગ્ન થયેલો સ્થળને જોતો છતો તીર એટલે કે કિનારાને પ્રાપ્ત કરતો નથી. ‘મપિ' નો અર્થ અધ્યાહારથી ગ્રહણ કરવાનો હોવાથી સ્થળ તો દૂર રહો પણ તીર-કિનારાને પણ પ્રાપ્ત કરતો નથી. એ પ્રમાણે કામભોગોને વિષે ગૃદ્ધ અર્થાત્ આસક્ત જીવો સુધર્મમાર્ગ-સુંદર, સારા એવા ધર્મ માર્ગને વિષે રત એટલે કે
આસક્ત થતા નથી. કoll. ગાથાર્થ : જેમ વિષ્ટાના ઢગલામાં ખૂંપેલો કૃમિ હંમેશાં સુખ માને છે તેમ વિષય
રૂપી અશુચિમાં ખૂંપેલો મૂર્ખ જીવ સુખ માને છે. કલો.
ભાષાંતરઃ જેમ વિષ્ટાના પુંજમાં ખૂંપેલો કૃમિ હંમેશાં સુખ માને છે - આ મારું
રહેઠાણ સુખકારી છે એ પ્રમાણે તે વિચારે છે અહીં ‘કુત્તો' એટલે ખૂંપેલો, “વા ઉત્ત' (૨-૭૪)થી દેશ્ય શબ્દ બનેલ છે. તે જ રીતે વિષય રૂપી અશુચિ - વિષયો અપવિત્ર હોવાથી તેને અશુચિ કહ્યા. તેમાં
રક્ત એવો મૂઢ જીવ પણ વિષયોને સુખરૂપે માને છે. IIકલા. આ સૂત્ર પાણિની વ્યાકરણનું લાગે છે. તેના સ્થાને સિદ્ધ હેમ વ્યાકારણમાં “બ્બમમિકો પુર:” (સિ. ૧-૨-૭૪) સૂત્ર છે. “ચૈત્ર દેહને ભાંગે છે” તે કર્તરિ પ્રયોગ. ચૈત્ર વડે દેહ ભંગાય છે.” તે કર્મણિ પ્રયોગ ‘દેહ સ્વયં જ ભંગાય છે એ કર્મકર્તરિ પ્રયોગ, કર્મકર્તરિમાં પણ શીલ અર્થની મુખ્યતા હોવાથી સ્વયં જ ભાંગવાનો સ્વભાવ = ભંગુર.”
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૦
Page #267
--------------------------------------------------------------------------
________________
गाथा : मयरहरो व जलेहि, तहवि हु दुप्पूरओ इमो' आया ।
विसयाऽऽमिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तत्तिं ।।६२।। व्याख्या : यथा मकरधरो मकराकरः समुद्रो जलैरम्भोभिः दुष्पूरः पूरयितुमशक्यः ।
अपिरेवार्थस्तथैव हुर्निश्चये, अयमात्मा दूष्पूरः बहुभिरपि विषयसुखैः । यतो विषयामिषे विषयलक्षणभोग्यवस्तुनि गृद्धो मूर्छितो भवे भवे जन्मनि जन्मनि तृप्तिं न व्रजति नाप्नोति । आमिषं पले ।२-७७०।। सुन्दराकाररूपादौ सम्भोगे लोभलञ्चयोरित्यनेकार्थः । ‘वञ्चइत्ति व्रजनृतमदां चः' (सि० ८-४-२२५) इति एषा मन्त्यस्य द्विरुक्तः चो भवति वञ्चइ नञ्चइ मञ्चइ इति ।।६२।।
गाथा : विसयवसट्टा जीवा, उब्भडरूवाइएसु विविहेसु ।
भवसयसहस्सदुलहं, न मुणंति गयंपि नियजम्मं ।।६३।। व्याख्या : विषयस्य वशः पारतन्त्र्यं तेन ऋताः पीडिताः विषयवशार्ता जीवा विविधेषु
नानाप्रकारेषु उद्भटान्युदाराणि रूपादीनि तेषु गृद्धाः सन्तो गतमपि निजजन्म न जानते । किं भूतं निजजन्म ? भवशतसहस्रदुर्लभं जन्मलक्षदुःप्रापम् ।।६३ ।।
गाथा : चिटुंति विसयविवसा, मुत्तुं लजंपि के वि गयसंका ।
न गणंति केवि मरणं, विसयंकुससल्लिया जीवा ।।६४।। व्याख्या : केपि गतशङ्का निःसंशया लज्जां हियं मुक्त्वाऽपि विषयेषु विवशाः
पराधीनास्तिष्ठन्ति, तथा केऽपि जीवा विषयाङ्कुशेन शल्यिताः निखातशल्या अपेर्गम्यमानत्वान्मरणमपि न गणयन्ति विषयासक्तानां मरणमपि भवति । यतः
कम्प : स्वेदः श्रमो मूर्छा भ्रमिग्लानिर्बलक्षयः । १. रहवि D। २. इमे मुद्रिते । ३. विसट्टा मुद्रिते । ४. मुत्तूण मुद्रिते ।
१३१ इन्द्रियपराजयशतकम्
Page #268
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : મકરધર (સમુદ્ર) જેમ જલ વડે દૂષ્પર છે એટલે કે પૂરવા માટે અશક્ય છે તે જ રીતે વિષય રૂપ આમિષ (ભોગ્ય વસ્તુ)ને વિષે આસક્ત એવો આત્મા ભવે ભવે દરેક ભવમાં તૃપ્તિ નથી પામતો. II૭૨
ભાષાંતર: જેમ મક૨ધ૨-મકરાકર અર્થાત્ સમુદ્ર પાણી વડે દુષ્પર અર્થાત્ પૂરવા માટે અશક્ય છે. ‘પિ’ એ ડ્વ અર્થમાં છે, તે જ રીતે ‘દુ’ નિશ્ચય અર્થમાં, આ આત્મા ઘણા વિષયસુખો વડે દૂષ્પર છે, જે કારણથી વિષયામિષમાં-વિષય રૂપ ભોગ્યવસ્તુમાં આસક્ત એવો તે દરેક ભવમાં તૃપ્તિ નથી પામતો. આમિષ શબ્દ માંસ (૨-૭૭૦) સુંદર આકારવાળા રૂપાદિ, સંભોગ, લોભ, લાંચ એવા અનેક અર્થમાં છે.
‘વશ્વરૂ’ એ વ્રનનૃતમાં ૪ઃ' (સિ.૮-૪-૨૨૫) એ સૂત્રથી વ્રત્, નૃત અને મદ્ ધાતુઓના અન્ત્યને દ્વિરુક્તિવાળો 'વ' થાય છે. વારૂ નજીરૂ મસરૂ એ પ્રમાણે ૬૨॥
ગાથાર્થ : વિવિધ ઉદ્ભટરૂપોને વિષે ગૃદ્ધ વિષયના પારતન્ત્ય વડે પીડાતા જીવો લાખો ભવમાં દુર્લભ એવા ગયેલા એવા પોતાના જન્મને જાણતા નથી. II૬૩॥
ભાષાંતર: વિષયને વશ અર્થાત્ પારતન્ત્ય, તેના વડે પીડાતા તે વિષયવશાર્ત, એવા જીવો વિવિધ-જુદા જુદા પ્રકારના ઉભટ અર્થાત્ ઉદાર રૂપોને વિષે વૃદ્ધ થયા છતા, ગયેલા એવા પણ પોતાના જન્મને જાણતા નથી. કેવા પોતાના જન્મને ? લાખ ભવોમાં દુર્લભ લાખ જન્મ વડે પણ દુ:ખેથી પ્રાપ્ત કરાયેલા એવા પોતાના જન્મને જાણતા નથી. II૬૩॥
ગાથાર્થ : ચાલી ગયેલી શંકાવાળા એવા કેટલાક જીવો લજ્જાને મૂકીને પણ વિષયને વિવશ રહે છે. વિષય રૂપી અંકુશ વડે શસ્થિત (કાંટો વીંધાયેલો હોય એવા) કેટલાક જીવો મરણને પણ ગણતા નથી. ।।૩૪।।
ભાષાંતર: કેટલાક ચાલી ગયેલી શંકાવાળા નિ:સંશય લજ્જાને મૂકીને પણ વિષયોને વિષે વિવશ અર્થાત્ પરાધીન રહે છે, તથા કેટલાક જીવો વિષય રૂપી અંકુશ વડે શલ્પિત-અર્થાત્ રોપાયેલા શલ્યવાળા ‘પિ’નો અર્થ જણાતો હોવાથી, મરણને પણ ગણતા નથી (પરવા નથી કરતા) વિષયાસક્ત લોકોનું મરણ પણ થાય છે. જે કારણથી કહ્યું છે કે - કમ્પન, સ્વેદ, થાક, મૂર્છા, ચક્કર, ગ્લાનિ, બળનો ક્ષય, રાજયક્ષ્મ (ક્ષય) વિગેરે રોગો મૈથુન સેવવાથી થાય છે. (યોગશાસ્ત્ર દ્વિ.પ્ર.ગા-૭૮)
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૧
Page #269
--------------------------------------------------------------------------
________________
राज्यक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ।।१।। योगशास्त्र द्वि० प्र० गा०-६३] कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो, व्रणीपूयत्क्लिन्नः कृमिकुलशतैरावृततनुः । क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्पितगल', : शुनीमन्वेति श्वाहतमपि च हन्त्येवमदनः ।।६४॥शृङ्गारशतकगाथा-६३]
गाथा : विसयवसेणं जीवा, जिणधम्मं हारिऊण हा नरयं ।
वच्चंति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ।।६५।। व्याख्या : जीवा विषयवशेन विषयायत्ततया जिनधर्मं हारयित्वा, “हा” इति खेदे, नरकं
व्रजन्ति यत्राऽसह्यं क्रकचपाटनकुम्भीपाकादिकं परमाधार्मिकाऽऽपादितं, परस्परोदीरणाकृतं, स्वाभाविकं च दुःखम् । दृष्टान्तेन द्रढयति, यथा चित्रनिवारितो ब्रह्मदत्तनृपस्तदृष्टान्तश्च श्री उत्तराध्ययनसिद्धान्ते यथोक्तस्तथाह वृत्तिकारःजाईपराजिओ खलु कासि नियाणं तु हत्थिणपुरम्मि उ । चुलणीइ बंभदत्तो उववन्नो पउमगुम्माओ ।।१।। कंपिल्ले संभूओ चित्तो पुण जाओ पुरिमतालंमि । सट्ठिकुलंमि विसाले धम्मं सोऊण पव्वइओ ।।२।। कंपिल्लंमि य नयरे, समागया दोवि चित्तसंभूया । सुहदुःक्खफलववागं कहिंति ते इक्कमिक्कस्स ।।३।। चक्कवट्टी महिडिओ, बंभदत्तो महायसो । भायरं बहुमाणेण इमं वयणमब्बवी ।।४।। आसिमो भायरा दोवि, अन्नमन्नवसाणुगा । अन्नमनमणूरत्ता अन्नमन्नहिएसिणो ।।५।। दासादासन्ने आसी मिया कालिंजरे णगे ।
हंसा मयंगा तीराए चंडाला कासिभूमिए ।।६।। १. जीर्णपिठरकपालार्पितगलः ड । २. शुनीमन्येति ड । ३. विसयविसेणं मुद्रिते । ४. इमं गिहं ड। KKKKKAKKARKEKKERXXXREKKERREKKER १३२ इन्द्रियपराजयशतकम्
Page #270
--------------------------------------------------------------------------
________________
અને વળી કહ્યું છે કે – કૃશ, કાણો, લંગડો, બહેરો, કપાઈ ગયેલી પૂછડીવાળો, ઘામાંથી નીકળતી અશુચિ વડે ભીંજાયેલો, ભૂખ વડે ક્ષામ થયેલો, ઘરડો, જૂના એવા પિઠરના કપાલ ઉપર ગળું ટેકવીને રહેલો એવો પણ કૂતરો કૂતરીને અનુસરે છે. ખરેખર મદન (કામ) તે હણેલાને પણ હણે છે. કા.
ગાથાર્થ : ખેદની વાત છે કે વિષયને વશ જીવો જિનધર્મને હારીને નરકમાં જાય છે.
જેમ ચિત્ર વડે નિવારણ કરાયેલો બ્રહ્મદત્ત રાજા નરકમાં ગયો તેમ..કપા.
ભાષાંતરઃ વિષયને વશ અર્થાત્ વિષયની પરાધીનતાને કારણે જીવો જિનધર્મને
હારીને નરકમાં જાય છે. ‘હા’ શબ્દ ખેદ અર્થમાં છે. જ્યાં અસહ્ય એવા કરવત વડે ચીરાવું, કશ્મીમાં પકાવવું વિગેરે, પરમાધામીઓ વડે અપાયેલું, પરસ્પર ઉદીરણા કરાયેલું, અને સ્વાભાવિક દુ:ખ હોય છે. દૃષ્ટાન્ત વડે દઢ કરે છે. જે આ પ્રમાણે – ચિત્ર વડે નિવારણ કરાયેલો બ્રહ્મદત્ત રાજા. તે દૃષ્ટાન્ત શ્રી ઉત્તરાધ્યયન સિદ્ધાન્તમાં જે પ્રમાણે કહ્યું છે તે વૃત્તિકાર ભગવંત કહે છે – ચાંડાલજાતિથી પરાભવ પામેલા સંભૂતિએ હસ્તિનાપુરમાં નિદાનને કર્યું. પદ્મગુલ્મ વિમાનથી ઍવીને કાંપીલ્ય નગરમાં ચૂલણીની કુક્ષિમાં બ્રહ્મદત્ત તરીકે ઉત્પન્ન થયો. (૧) ચિત્ર વળી પુરિમતાલ નગરમાં વિશાળ એવા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી. (૨) એ ચિત્રનો જીવ અને સંભૂતનો જીવ બંને કાંપીલ્ય નગરમાં મળ્યા. (તેઓએ ઉપાય વડે એકબીજા ઓળખ્યા) તેઓ એકમેકને સુખદુ:ખ રૂપ ફળ વિપાકને કહે છે. (૩) મહાન ઋદ્ધિવાળા, મહાન યશવાળા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બહુમાન વડે ભાઈને (પૂર્વભવના) આ વચનો કહે છે. (૪) “આપણે બંને એકબીજાને અનુસરનારા, એકબીજામાં અનુરક્ત, એકબીજાનાના હિતને ઇચ્છનારા એવા ભાઈઓ હતા.(૫) (એ પછીના ભવમાં) દશાર્ણ નગરમાં દાસ થયા, (ત્યાર પછીના ભવમાં) કાલિંજર પર્વત ઉપર મૃગ થયા, પછી મૃતગંગાને કાંઠે હંસ થયા, તે પછી કાશી દેશમાં ચંડાલ થયા () અને
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૨
Page #271
--------------------------------------------------------------------------
________________
देवाय देवलोगंमि आसि अम्हे महड्डिया । इमाणो छट्टिया जाई, अन्नमन्त्रेण जा विणा ।। ७ ।। कम्मा नियाण पगडा तु राय विचिंतिया । तेसिं फलविवागेण, विप्पओगमुवागया । । ८ । । सव्वसोयप्पगडा कम्मा मए पुरा कडा । ते अज्ज परिभुंजामो किं नु चित्ते वि से तहा ।। ।।९।। सव्वं सुचिन्नं सफलं नराणं कडाण कम्माण न मुक्खु अत्थि । अत्थेहि कामेहि य उत्तमेहिं आया ममं पुन्नफलोववेयं ।।१०।। जाणासि संभूय महाणुभागं महिड्डियं पुन्नफलोववेयं । चित्तं पि जाणाहि तहेव रायं इड्ढीजुई तस्स वियप्पभूया ।। ११ । । महत्थरुवा वयणप्पभूया गाहाणुगीया नरसंघमज्झे ।
भिक्खुणीलगुणोवेया इहज्जयंते समणोमिजाओ ।।१२।। उच्चोयए महुक्के य बंभे, पव्वेइया आवसहायरम्मा | इमं 'गिरं चित्तधणप्पभूयं पसाही पंचाल गुणोववेयं । ।१३।। नट्टेहि गीएहि य वाइएहिं नारीजणाई परिवारयंतो । भुंजाहि भोगाइ इमाइ भिक्खू मम रोयई पव्वज्जा हु दुक्खं ।। १४ ।। तं पुव्वनेहेण कयाणुरागं नराहिवं कामगुणेसु गिद्धं । धम्मस्सिउ तस्स हियाणुपेही चित्तो इमं वयणमुदाहरित्था । । १५ ।। सव्वं विलवियं गीयं सव्वं णट्टं विडंबियं ।
सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ।। ।।१६।। बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोहणाणं जं भिक्खुणो सीलगुणे रयाणं ।। १७ ।। नरिंदजाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्वजणस्स वेसा वसीय सोवागनिवेसणेसु ।। १८ ।। तीसे य जाई इउ पावियाए वुच्छामु सोवागनिवेसणेसु । सव्वस्स लोगस्स दुगंछणिज्जा इहं तु कम्माइ पुरे कडाई ।। १९ ।। सो दाणिसिं राय महाणुभागो महिड्डिओ पुन्नफलोववेओ । चइत्तु भोगाई असासयाइं आदाणहेउं अभिनिक्खमाहि ।। २० ।। इह जीविए राय आसासयंमि घणियं तु पुन्नाइ अकुव्वमाणो । से सोयई ममुहोवणी धम्मं अकाऊण परंमि लोए ।। २१ । । १३३ इन्द्रियपराजयशतकम्
Page #272
--------------------------------------------------------------------------
________________
વળી દેવલોકમાં પણ આપણે બંને મહર્દિક દેવો થયા છીએ. આ જ એકબીજાના સંબંધ વિનાનો આપણો છઠ્ઠો ભવ છે.” (૭) (હવે ચિત્ર કહે છે) “તારા વડે વિચારીને (આર્તધ્યાન કરાઈને) નિદાન કર્મ બંધાયું. તે કર્મના ફલ-વિપાક વડે આપણે વિયોગ પામ્યા.” (૮) તેથી બ્રહ્મદત્ત (સંભૂતિનો જીવ) કહે છે” મારા વડે પહેલા કરાયેલા સત્ય, શૌચ (નિર્માયતા) વડે બંધાયેલા (શુભ) કર્મને હું આજે ભોગવું છું. શું ચિત્ર પણ તે (શુભકર્મને) તે પ્રમાણે ભોગવે છે ? (૯) હવે ભિક્ષુ હોવાથી નથી ભોગવતો માટે શું તારું શુભ કર્મ વિફલ થયું ? (ચક્રી એ કહ્યું ત્યારે આમ મુનિ (ચિત્રનો જીવ) બોલ્યો “મનુષ્યોનું બધું સારું કરાયેલું આચરણ સફળ જ છે. કરાયેલા કર્મોનો મોક્ષ નથી. ઉત્તમ અર્થ અને કામો વડે મારો આત્મા પુણ્યફળથી યુક્ત જ છે. (૧૦) હે સંભૂતિ ! તું જેમ પોતાને (પુણ્યફળથી યુક્ત) જાણે છે તે જ રીતે ચિત્રને મહાનુભાગ, મહર્દિક, પુણ્યફળથી યુક્ત જાણ. હે રાજન્ ! તેને પણ (ચિત્રને પણ) ઋદ્ધિ અને વ્રુતિ ઘણી જ છે. (૧૧)મહાન અર્થવાળી,વચન વડે અલ્પભૂત (થોડા જ વચનવાળી) ગાથા (દેશના) નરસંઘની વચ્ચે ગવાય છે જેનાથી (જે સાંભળીને) શીલ અને ગુણોથી યુક્ત એવા ભિક્ષુઓ અહીં (પ્રવચનમાં) યતના કરે (પ્રવર્તે) છે, હું પણ (તે સાંભળીને) શ્રમણ થયો. (મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચક્રી પોતાની સંપત્તિ વડે નિમંત્રણ કરતાં કહે છે.) (૧૨) ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય (‘વ’ શબ્દથી ગ્રહણ કર્યો) અને બ્રહ્મા એ પાંચ (પ્રધાન મહેલો) અને ૨મ્ય એવા બીજા ભવનો (વáકિરતન વડે મને) અપાયા. પંચાલ દેશના (અતિસમૃદ્ધ દેશ) ગુણોથી (ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોથી) યુક્ત, વિવિધ પ્રકારના ઘણા ધનવાળા એવા આ ઘરને તું પાળ (ભોગવ) (૧૩) અને વળી નૃત્યો, ગીતો અને વાજિંત્રો સહિત નારીજનથી પરિવરેલો એવો તું આ ભોગોને ભોગવ. હે ભિક્ષુ ! મને પ્રવ્રજ્યા નિશ્ચે દુઃખરૂપ લાગે છે.” (૧૪)પૂર્વ સ્નેહવડે કરાયેલા અનુરાગવાળો, કામભોગોમાં આસક્ત એવા તે રાજાને ધર્મમાં રહેલો અને તેના (ચક્રીના) હિતને ઇચ્છતો એવો ચિત્ર આવા વચન બોલ્યો (૧૫) સર્વ પણ ગીત તે વિલાપ છે, સર્વ નૃત્ય તે વિડંબના પ્રાયઃ છે, સર્વ પણ આભરણો ભારરૂપ છે, સર્વ કામો (ભોગો) તે દુઃખને આપનારા છે. (૧૬) મૂઢ પુરુષોને મનોહ૨, દુઃખને આપનારા એવા કામગુણોને વિષે હે રાજન્ ! તે સુખ નથી કે જે કામથી વિરક્ત થયેલા,તપોધન, શીલગુણમાં રક્ત એવા ભિક્ષુઓને છે. (૧૭) હે નરેન્દ્ર !
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૩
Page #273
--------------------------------------------------------------------------
________________
ज
सीहो व मियं गाय मच्चू नरं नेइ हु अंतकाले ।
न तस्स माया व पिया व भाया कालंमि तंमिं सहरा भवंति ।। २२ ।। न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा । इक्को सयंपव्वणुहोइ दुक्खं कत्तारमेव 'अणुजाइ कम्मं ।। २३ ।। चिच्चा दुपयं च चउप्पयं च खित्तं गिहं धणधन्नं च सव्वं । सकम्मबीओ अवसोपयाइ परं भवं सुंदर पावगं वा ।। ।।२४।। तं इक्कगं तुच्छसरीरगं से चिईगयं दहियउं पावगेण । भज्जा य पुत्तो वि य नायओ य दायारमन्नं अणुसंकर्मति ।। २५ ।। उवणिज्जइ जीवियमप्पमायं वन्नं जरा हरइ नरस्स रायं । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माइ महालयाई ।। २६ ।। अहंपि जाणामि जहेह साहू जं मे तुमे साहसिवक्कमेयं । भोगा इमे संगकरा भवन्ति जे दुज्जया अज्जो अम्हारिसेहिं ।। ।।२७।। हत्थिणपुरंमि चित्ता दट्ठूणं नरवई महीड्डीयं ।
कामभोगेसु गिद्धेणं नियाणमसुहं कडं ।।२८।। तस मे अडिक्कतस्स इमं एयारिसं फलं । जाणमाणो वि जं धम्मं कामभोगेसु मुच्छिओ ।। २९ ।।
नागो जहा पंकजलावसन्नो दट्टु थलं नाभिसमेइ तीरं ।
एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुणो मग्गमणुवयामो ।। ।। ३० ।। अच्चेइ कालो तरंति राइउ न या वि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति दुमं जहा खीणफलं व पक्खी ।। ।। ३१ ।। जइ तं सि भोगे चइउं असत्तो अज्जाई कम्माइ करेहि रायं ।
धम्मे ट्ठिओ सव्वपयाणुकंपी, तो होहिसि देवो इओ विव्वी ।।३२।। न तुज्झ भोगे चइऊण बुद्धी, गिद्धोसि आरंभपरिग्गहेसु ।
मोहं कओ इत्ति विप्पलावो, गच्छामि रायं आमंतिओसि ।। ।। ३३ ।। पंचालराया वि बंभदत्तो, साहुस्स तस्स वयणं अकाउं ।
अणुत्तरे भुंजिय कामभोए, अणुत्तरे से नरए पविट्ठी ।।३४।। चित्तो वि कामे वित्तकामो उदग्गचारित्त तवो महेसी । अणुत्तरं संजमं पालइत्ता अणुत्तरं सिद्धिगइं गओ तिबेमि ।। ३५ ।।
१. आणुजाइ ख ।
*发状况发
१३४ इन्द्रियपराजयशतकम्
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્વપાકજાતિ (ચંડાલ)ને પ્રાપ્ત થયેલા આપણા બંનેની મનુષ્યોમાં સૌથી અધમ જાતિ હતી. જ્યાં બધા લોકોને અપ્રીતિકર એવા આપણે ચંડાલના ઘરમાં જ રહ્યા. (૧૮) તે પાપી જાતિમાં બધા લોકોને જુગુપ્સનીય એવા આપણે બંને ચંડાલના ઘરે રહ્યા. આ જન્મમાં વળી પહેલા કરાયેલા કર્મો જ શુભ જાતિનું કારણ છે. (૧૯) (જે પહેલાં ચંડાલ ભવમાં સંભૂતિ મુનિ હતા) તે તું હાલમાં મહાન ઋદ્ધિવાળો, મહાનુભાગ અને પુણ્યફળથી યુક્ત એવો રાજા છે. અશાશ્વત એવા ભોગોનો ત્યાગ કરીને આદાન (ચારિત્ર)ના હેતુથી અભિનિષ્ક્રમણ કર (પ્રવજ્યા ગ્રહણ કર) (૨૦) હે રાજન! અહીં અશાશ્વત એવા જીવિતમાં ઘણા એવા પુણ્યને નહીં કરતો, મૃત્યુના મુખને પ્રાપ્ત થયેલો શોક કરે છે અને ધર્મને નહીં કરીને પરલોકમાં ગયેલો પણ શોકને કરે છે.) (૨૧) જેમ સિંહમૃગને તેમ મૃત્યુ અંતકાલે મનુષ્યને ગ્રહણ કરીને લઈ જાય છે અને તે કાલે તેને માતા, પિતા અથવા ભાઈ અંશધર - તેના ભાગને ધારણ કરનારા નથી થતા. (૨૨) તેના દુઃખનો જ્ઞાતિઓ નહીં, મિત્રવર્ગનહીં, પુત્રોનહીં કે બાંધવો પણ વિભાગ નથી કરતા.એકલો સ્વયં જ દુ:ખો અનુભવે છે. કર્મ કર્તાને જ અનુસરે છે. (૨૩) દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય બધું છોડીને પોતાનું કર્મ છે બીજું એવો એકલો જ પરાધીન એવો સુંદર અથવા પાપક અસુંદર એવા પરભવમાં જાય છે. (૨૪) તેના સંબંધી એકલા, ચિતામાં ગયેલા એવા તુચ્છ શરીરને અગ્નિ વડે બાળીને ભાર્યા, પુત્ર, જ્ઞાતિજન અથવા દાતાર પણ પાછળ જતો નથી. (૨૫) હે રાજનું!નરનું જીવિત પ્રમાદ વગર (નિરંતર) (મૃત્યુ તરફ) લઈ જવાય છે. જરા તેના વર્ણન કરે છે. હે પંચાલરાજા ! (આ) વચનને સાંભળ. (પંચેન્દ્રિયનો વધ વિગેરે) મહાન કર્મોને તું કરીશ નહિ. (૨૦) (હવે ચક્રી કહે છે)” હે સાધુ ! હું પણ જાણું છું, જે પ્રમાણે તું મને આ (ઉપદેશને) વાક્યને કહે છે.” હે આર્ય ! આસક્તિને કરાવનાર એવા આ ભોગો અમારા જેવા વડે દુ:ખે કરીને જીતવા યોગ્ય (ત્યાગ કરવા યોગ્ય) થાય છે. (૨૭) હે ચિત્ર!હસ્તિનાપુરમાં મહદ્ધિક એવા નરપતિને જોઈને કામભોગોમાં આસક્ત એવા મારા વડે અશુભ નિયાણું કરાયું. (૨૮) તેને (નિયાણાને) પ્રતિક્રમણ નહીં કરેલા એવા મને આ આવા પ્રકારનું ફળ મળ્યું કે જેથી ધર્મને જાણતો એવો પણ હું કામ ભોગોમાં મૂચ્છિત છું (આસક્ત છું). (૨૯) જેમ કાદવમાં ખૂંપેલો હાથી સ્થળને (નજીકમાં) જોતો છતો કિનારે પણ જવા સમર્થ નથી થતો, એ રીતે કામભોગમાં
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૪
Page #275
--------------------------------------------------------------------------
________________
यथा चित्रेण बहुभिरप्युपदेशैर्वारितोऽपि ब्रह्मदत्तचक्रवर्ती विषयानपरित्यज्य सप्तमं नरकं जगाम, तथाऽन्येऽपि विषयापरित्यागे नरकं व्रजन्तीति ।।६५ ।।
गाथा :धी धी ताण नराणं, जे जिणवयणामयं पि मोत्तूणं ।
चउगइविडंबणकर, पिअंति विसयासवं घोरं ।।६६।।
व्याख्या : तान् नरान् धिक् धिक् द्वितीयार्थे षष्ठी । ये जिनवचनामृतं मुक्त्वाऽपि चतुसृषु
गतिषु नरकादिषु विडम्बनकरं विगोपनविधायकं घोरं रौद्रं रौद्रनरककारणत्वात् विषयासवं विषयमैरेयं पिबन्ति धयन्ति । अमृतं परित्यज्य केन मद्यमास्वाद्यम् ? इति भावः ।।६६।।
गाथा : मरणे वि दीणवयणं, माणधरा जे नरा न जंपंति ।
ते वि हु कुणंति लल्लिं, बालाणं नेहगहगहिला ।।६७।। १. घिद्धी ... मुत्तूणं मुद्रिते ।
१३५ इन्द्रियपराजयशतकम्
Page #276
--------------------------------------------------------------------------
________________
આસક્ત એવા અમે ભિક્ષુના માર્ગને અનુસરી નથી શકતા (૩૦) (સાધુએ કહ્યું, “(યથાયુષ્ય) કાળ પસાર થાય છે. રાત્રિઓ જાય છે. વળી પુરુષોના - ભોગો પણ નિત્ય નથી, ભોગો સામે જઈને પુરુષનો ત્યાગ કરે છે, જેમ ક્ષીણફળવાળા વૃક્ષનો ત્યાગ પક્ષીઓ કરે તેમ. (૩૧) જો તું ભોગોને ત્યાગ કરવા અસમર્થ છે, તો હે રાજનું!(શિષ્ટ પુરુષને છાજે) એવા આર્ય કર્મને કરજે. સર્વ પ્રજા પ્રત્યે અનુકંપાવાળા ધર્મમાં રહેલો છે. અહીંથી (મરીને) વૈિક્રિય (શરીરવાળો) દેવ થઈશ. (૩૨) (હજી પણ) જો ભોગોને ત્યાગ કરવાની તને બુદ્ધિ નથી અને આરંભ પરિગ્રહમાં તું ગૃદ્ધ છે તો આટલો વિપ્રલાપ (ઉપદેશ રૂપ) તે નિષ્ફળ જ કરાયો. (જવાની આજ્ઞા માટે) તું આમંત્રણ કરાયેલો છે હે રાજનું ! હું જઉ છું.”(૩૩) પંચાલરાજા બ્રહ્મદત્ત પણ તે સાધુના વચનને નહિ ગણકારીને અનુત્તર (સર્વોત્તમ) ભોગોને ભોગવીને અનુત્તર (બધી નરકમાં મોટી-અપ્રતિષ્ઠાન નામની) નરકમાં પ્રવેશ્યો. (૩૪) કામભોગોથી વિરક્ત, ઉદાત્ત ચારિત્ર અને તપવાળો, મહર્ષિ એવા ચિત્ર મુનિ પણ અનુત્તર (સર્વોત્તમ) સંયમને પાળીને અનુત્તર એવી સિદ્ધિગતિને પ્રાપ્ત થયા. એમ હું કહું છું. (૩૫) જેમ ચિત્ર મુનિ વડે ઘણા ઉપદેશો વડે વારણ કરાયેલો પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી વિષયોને ત્યાગ નહીં કરીને સાતમી નરકમાં ગયો તેજ રીતે અન્ય પુરુષો પણ વિષયના અપરિત્યાગથી નરકમાં જાય છે. પણ
ગાથાર્થ ઃ તે પુરુષોને ધિક્કાર થાઓ કે જેઓ જિનવચન રૂપી અમૃતને મૂકીને
ચાર ગતિમાં વિડંબનાને કરાવનારી ઘોર એવી વિષય રૂપી મદિરાને
પીએ છે. કલા ભાષાંતરઃ તે નરોને ધિક્કાર છે દ્વિતીયાના અર્થમાં અહીં ષષ્ઠી કરી છે. કે જેઓ
જિનવચન રૂપી અમૃતને પણ મૂકીને ચાર ગતિ-નરકાદિને વિષે અર્થાત્ વિગોપન (કદર્થના)ને કરતો ઘોર-રૌદ્ર (ભયંકર) એવી નરકગતિનું કારણ હોવાથી ઘોર એવો વિષય રૂ૫ આસવ મૈરેય-મદિરાને પીએ છે.
અમૃત ત્યજીને કોના વડે મદ્ય આસ્વાદ કરાય ? Iકડા ગાથાર્થ ? જે માનને ધરનારા (ઉત્તમ) પુરુષો મરણ આવે તો પણ દીનવચનો
નથી બોલતા એવા પણ તેઓ સ્નેહના કદાગ્રહ વડે ગ્રહણ કરાયેલા બાળાઓને (સ્ત્રીઓને) લલ્લિ-રકની જેમ પ્રાર્થના કરે છે. IIક૭ll
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૫
Page #277
--------------------------------------------------------------------------
________________
व्याख्या : ये मानधरा उत्तमा नरा मरणेऽपि प्राणाऽवसानेपि दीनवचनं हीनवाक्यं न कथयन्ति ‘कथेर्व्वज्जरपज्जरोप्पाल पि सुवणसंघबोल्लचवजंपसीससाहाः' (सि. ८-४-२) इति प्राकृतव्याकरणसूत्रेण 'जंप' इति * जम्पन्ति । खलु निश्चयेन dsपि मानिनः स्नेहग्रहग्रहिलाः प्रेमकदाग्रहग्रस्ताः सन्तो बालानां स्त्रीणां लल्लिं कुर्व्वन्ति रङ्कवत्प्रार्थनाश्चाटुवाक्यान्युदीरयन्ति । मानधना मानो गर्व्वः, स धनं येषामिति त एवोत्तमाः यदुक्तम्
अधमा धनमिच्छन्ति धनमानौ हि मध्यमाः ।
उत्तमा मानमिच्छन्ति मानो हि महतां धनम् ।। इति अत्र च श्रीविजयपालनृपपद्मादृष्टान्तः । तथाहिपुरं पुरिमतालाख्यं यत्र सौधाग्रभूमिषु । आरूढस्त्रीमुखैरासीदकाले चन्द्रविभ्रमः ।।१।। राजा विजयपालाख्यस्तत्र मानिशिरोमणिः । तस्योद्यद्विभ्रमारम्भा नाम्नाऽस्ति वल्लभा ।।२।। अन्यदा गजमारुह्य, स व्रजन् राजपाटिकाम् । लक्ष्मीं श्रेष्ठिसुतां नाम्नाऽद्राक्षील्लक्ष्मीमिवापराम् ।।३।। तन्नेत्रवागुराकृष्टां व्यावृत्त्याऽऽगत्य सद्मनि । तत्पितुर्मार्गयित्वा तां पर्यणैषीन्नराधिपः ।।४।। अन्तःपुरममुञ्चानो रात्रिंदिवमनन्यधीः । तामेव रमते राजा त्यक्तराज्यव्यवस्थितिः ।।५।। तद्भोगनटितः कीट इव विस्मृतचेतनः । विवेकविकलः कालं कियन्तमपि सोऽनयत् ।। ६ ।। अन्यदा मन्त्रिणाऽभाणि स्वामिन् रागवशंगतः । सामान्योऽपि नरो याति लघुत्वं किमु पार्थिवः । । ७ ।। सेव्यमानाः क्रमेणैव धर्म्मकामार्थविस्तराः । फलन्ति वाञ्छितान् भोगानन्यथा निष्फला इमे ।।८।। रागोरुगरलान्धानां नश्यन्ति गुणिनां गुणाः । गुरूणामुपदेशाश्च प्रविशन्ति न कर्णयोः ।। ९ ।। शत्रवस्तव राजेन्द्र ! भवन्त्युद्यमशालिनः । तदासक्तिं विमुच्यात्मराज्यचिन्तां कुरु प्रभो ! ।। १० ।। आकर्णयाऽनभिज्ञोऽसि` मन्त्रिस्तेनेत्थमुच्यसे । निद्रालु-घूर्णमानः किं पट्टतूलीं * * प्रतीक्षते ।।११।।
१. रागोरुगरुजान्धानां ख । २ ऽनभिराज्ञोऽसि ड । ३. मुच्यते ड, ।
⭑
**⭑
'इति' ' इत्यस्य' इत्यर्थः । पल्यङ्कोपरि प्रस्तारितां शय्यामित्यर्थः ।
९३६ इन्द्रिययराजयशतकम्
Page #278
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ જે માનને ધરતા એવા અર્થાત્ ઉત્તમ પુરુષો મરણમાં પણ એટલે કે પ્રાણને ત્યાગ કરવાનો અવસર આવે તો પણ દીનવચન અર્થાત્ હીન વાક્ય બોલતા નથી ‘થેન્દ્રેખ્તરપખ્તરોપા વિ સુવળસંધવોજી નવખંપસીસપ્તાહા:' (સિ. ૮૪-૨) એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી ધ્ ના ઝંપ નું ‘નૃપતિ’ થયું છે. નિશ્ચે તે માનીઓ પણ સ્નેહગ્રહગહિલ અર્થાત્ પ્રેમના કદાગ્રહ વડે ગ્રહણ થયેલા છતાં બાળાઓને એટલે કે સ્ત્રીઓને લલ્લિ એટલે ટંકની જેમ પ્રાર્થના, કરે છે. ચાટુ વાક્યોને બોલે છે. માનધન-માન એટલે ગર્વ તે જ છે ધન જેઓનું તે માનધન તે જ ઉત્તમ છે. જે કા૨ણે કહ્યું છે કે -
અધમ પુરુષો ધનને ઇચ્છે છે. મધ્યમ પુરુષો ધન અને માન બંને ઇચ્છે છે અને ઉત્તમ પુરુષો માનને ઇચ્છે છે. માન જ મોટાઓનું ધન છે. અહીં શ્રી વિજયપાલરાજા અને પદ્માનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે - પુરિમતાલનામનું નગર હતું, જ્યાં મહેલની અગ્રભૂમિ (અગાસી) ઉપર ચઢેલી સ્ત્રીઓના મુખો વડે અકાલે ચન્દ્રનો વિભ્રમ થતો હતો. (૧) ત્યાં માનીઓમાં શિરોમણિ એવો વિજયપાલ નામનો રાજા હતો. તેને ઉઘત્વિભ્રમા એવી રંભા નામની પત્ની હતી. (૨) એક વખત હાથી ઉપર બેઠેલા,રાજમાર્ગ ઉપર જતા એવા તેણે જાણે બીજી લક્ષ્મી જ ન હોય એવી લક્ષ્મી નામની શ્રેષ્ઠીપુત્રીને જોઈ. (૩) પાછા ફરીને મહેલમાં આવીને તેના નેત્રરૂપ જાળ વડે ખેંચાયેલા તેણે તેના પિતા પાસે માંગીને રાજા તેણીને પરણ્યો.(૪)ત્યાગ કરી દીધો છે રાજ્યનો વ્યવહાર જેણે, અંતઃપુરને નહીં છોડતો, અન્યત્ર ક્યાંય બુદ્ધિ નથી જેની એવો રાજા રાત દિવસ તેણીની સાથે ૨મે છે. (૫) કીડાની જેમ તે ભોગોમાં રત, વિસ્મરણ થઈ ગયેલી ચેતનાવાળો,વિવેકરહિત એવો તે કેટલાક કાળને આમ પસાર કરે છે.(૬) એક વખત મંત્રી વડે કહેવાયું “હે સ્વામિન્ ! સામાન્ય માણસ પણ રાગને વશ ગયેલો લઘુપણાને પામે છે તો રાજાનું તો શું કહેવું ?” (૭) ક્રમ વડે સેવાતા એવા જ ધર્મ-કામ-અને અર્થનો સમૂહ ઇચ્છિત ભોગોને આપે છે અન્યથા આ બધા (ધર્મ-કામ અને અર્થ) નિષ્ફળ છે. (૮) રાગ રૂપ સર્પના ઝે૨થી અન્ધ થયેલા એવા ગુણીઓના ગુણો નાશ પામે છે. ગુરુઓના ઉપદેશ તેઓના કાનમાં પ્રવેશતા નથી. (૯) હે રાજેન્દ્ર ! તારા શત્રુઓ ઉદ્યમશાલી થાય છે (અર્થાત્ બળવાન થતા જાય છે.) હે પ્રભુ !તે કારણથી
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૯
Page #279
--------------------------------------------------------------------------
________________
पिपासुर्जलमासाद्य किं सुधार्थमुदीक्षते । तथा रामानुरक्तः किमन्यकार्येऽनुरज्यते ।।१२।। किन्तु यावन्मृगाक्षीयं वर्त्तते नेत्रगोचरे । तावजानीहि मे जीवं न कार्यं राजचिन्तया ।।१३।। इत्थं भूमिपतिं मत्वा राज्यचिन्ताबहिर्मुखम् । यावत्किमपि सम्भूय सूत्रयन्ति परस्परम् ।।१४।। तावत्प्राभातिकी वान्तिं प्राप सा नृपवल्लभा । आहूताश्च ततो राज्ञा संरम्भेण चिकित्सकाः ।।१५।। प्रतिक्रियाभिरत्यर्थं यावतोपचरन्ति ते । तावद्भानूदये जाते सहसा मृत्युमाप सा ।।१६।। राजा तत्कालमुन्मील्य मूर्छाविह्वलविग्रहः । पपात धरणीपीठे काष्ठवद्गतचेतनः ।।१७।। चान्दनैः सलिलैः सिक्तस्तालवृन्तैश्च वीजितः । प्राप्य चैतन्यमस्तन्य इव बालो रुरोद सः ।।१८।। क्व गताऽसि प्रिये देहि प्रतिवाचं ममोचिताम् । एवंविधमहं हास्यं न चिरं सोढुमीश्वरः ।।१९।। इत्यादिलपतस्तस्य तस्याः पार्श्वममुञ्चतः ।। देव ! तावन्मृतैवेयं संस्कारः कार्यतामतः ।।२०।। नृपतिः कुपितोऽवादीत्कोऽयं दौरात्म्यभाजनम् । तक्ष्णोति कटुकैर्वणैः 'कर्णी टङ्किकयेव मे ।।२१।। रे रे संस्कार्यतां पापाः स्वपुत्रप्रमुखो जनः । मम प्राणप्रिया त्वेषा जीविष्यति शतंसमाः ।। ।।२२।। तस्माद्वाक्यममाङ्गल्यं यो वक्ष्यति स मे रिपुः । इत्युपेक्ष्य नृपं गुप्तः संस्कारोऽस्या विनिर्ममे ।। ।।२३।। विशिष्य तामथापश्यंस्तदद्वैतनिमग्नधीः । निरुद्धेन्द्रियसञ्चारो योगात्मेवाभवन्नृपः ।। ।।२४।। यावनोपलभे प्राणप्रियायाः शुद्धिमुत्तराम् । तावन्न भोजनं कुद्धे प्रत्यज्ञासीदिदं नृपः ।।२५।। भोजनत्यागिनो राज्ञोऽतिक्रान्ता दश वासराः ।
मन्त्रिभिः शिक्षयित्वेति प्रेषि कोऽपि नृपान्तिके ।। ।।२६।। १. र्बाणैः ख
१३७ इन्द्रियपराजयशतकम्
Page #280
--------------------------------------------------------------------------
________________
આસક્તિને છોડીને રાજ્યની ચિન્તા કરો.(૧૦)રાજાએ કહ્યું. “હેમન્ત્રી ! સાંભળ તું અજ્ઞાન છે માટે આવું બોલે છે. નિદ્રાળુ, ઘોરતો એવો શું તું શપ્યાની રાહ જુએ છે? (૧૧) તરસ્યો પાણીને પ્રાપ્ત કરીને શું અમૃતની શોધ કરે ? તથા સ્ત્રીમાં અનુરક્ત થયેલો શું અન્ય કાર્યમાં અનુરાગવાળો થાય? (૧૨) કિંતુ જ્યાં સુધી આ સ્ત્રી આંખોના વિષયમાં વર્તે છે ત્યાં સુધી મારો જીવ છે, રાજ્ય ચિન્તા વડે મારે કંઈ કામ નથી. (૧૩) આ પ્રમાણે રાજચિંતાથી બહિર્મુખ એવા રાજાને માનીને કેટલામાં મંત્રીઓ ભેગા મળી પરસ્પર કંઈક મંત્રણા કરે તેટલામાં તે રાજાની પ્રિયાને સવારમાં ઉલટી થઈ. તેથી રાજા વડે વૈદ્યો બોલાવાયા.(૧૪,૧૫) તેઓ ઘણા ઉપચારો વડે જેટલામાં તેણીનો ઉપચાર કરે છે તેટલામાં સૂર્યોદય થયે છતે સહસા તેણી મૃત્યુ પામી. (૧૬) રાજા તત્કાળ જ આંખો બંધ કરીને ચાલી ગયેલી ચેતનાવાળો, કાષ્ઠની જેમ મૂચ્છ વડે વિહ્વળ શરીરવાળો પૃથ્વી ઉપર પડ્યો. (૧૭) ચંદનના દ્રવ વડે સિંચાયેલો, તાલવૃત્ત વડે વીંજાયેલો એવો તે ચૈતન્યને પ્રાપ્ત કરીને સ્તનપાન નહીં કરાયેલા બાળકની જેમ રડવા લાગ્યો. (૧૮) હે પ્રિયા!તું ક્યાં ગઈ છે?મને ઉચિત જવાબને આપ.આ પ્રકારની મશ્કરી લાંબા કાલ સુધી સહન કરવા માટે હું અસમર્થ છું. (૧૯) આ રીતે તે વિલાપ કરતે છતે તેણીનું પડખું નહીં મૂકતા એવા રાજાને મંત્રીએ કહ્યું હે દેવ!આ મૃત્યુ પામી છે, આથી સંસ્કાર કરાય. (૨૦) ગુસ્સે થયેલા રાજાએ કહ્યું આ દુષ્ટતાનું ભાજન એવો કોણ આવું બોલ્યો ? કટુકશબ્દો વડે ટાંકણાની જેમ મારા કર્મોને છોલી નાખે છે. (૨૧) રે રે પાપીઓ !તમારા પુત્રવિગેરે લોક સંસ્કાર કરાય, આ મારી પ્રાણપ્રિયા તો સો વર્ષ જીવશે.(૨૨) તે કારણે જે અમંગલ વાક્ય બોલશે તે મારો શત્રુ છે. આમ રાજાની ઉપેક્ષા કરીને એણીનો ગુપ્ત સંસ્કાર કરાયો. (૨૩) તેણીને નહીં જોતો રાજા વિશેષ રીતે બીજે ક્યાંય એકાગ્ર નહીં થયેલી (ફક્ત તેણીમાં જ રહેલી) બુદ્ધિવાળો, રુંધાઈ ગયેલી ઇન્દ્રિયનો સંચાર જેવો, યોગાત્માની જેવો રાજા થયો. (૨૪) જ્યાં સુધી પ્રાણપ્રિયાની ખબર નહીં મળે ત્યાં સુધી હું ભોજન નહીં કરું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. (૨૫) ભોજનનો ત્યાગ કરનારા રાજાના દશ દિવસો પસાર થયા. મસ્ત્રીઓ વડે શીખવાડાઈને કોઈ પુરુષ રાજા પાસે મોકલાવાયો. (૨૭) તેણે જઈને કહ્યું
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૭
Page #281
--------------------------------------------------------------------------
________________
देवाद्य वर्ध्यसे दिष्ट्या, प्रियायाः शुद्धिलब्धितः । पृच्छति क्षितिपो मोदात्स गीर्वाणगिरागृणोत् ।। ।। २७।। देव ! शक्रसभामध्यमध्यासीना तव प्रिया । मनीषितसुखैः पोषं धत्ते मत्तेभगामिनी ।। ।। २८ ।। त्वद्दर्शनमृते किन्तु ताम्यन्ती त्वामथाख्यत । तवापि तत्रावस्थातुं, मर्त्यलोके न युज्यते ।। ।।२९।। येनाधिव्याधिदौर्गन्ध्यबाधाभिः पिच्छिलो ह्ययम् । स्वर्गः सर्व्वेन्द्रियप्रीतिस्फातिकृद्भोगभासुरः ।। ।।३०।। तत्राथ चेन्मया कार्यं शीघ्रमत्र समेहि तत् । स्वाधीने नन्दने विद्वान् को नाम रमते मरौ ।। ।। ३१।। भो भो मन्त्रिजनाः शीघ्रं दर्श्यतां स्वर्गवर्त्म मे ।
येन गच्छामि पश्यामि प्रियाया वदनाम्बुजम् ।। ३२ ।। विधेहि भोजनं देव स्नानपानादिकं कुरु । साम्राज्यराज्यकोशादि' स्मर पुण्यं च साधय ।। ।।३३।। यावद्वदामि गत्वाऽहं तत्र यौष्माकमागमम् । इति तद्वचसा राजा भोजनादिकमाचरत् ।। ।।३४।। यतः निर्बुद्धी' रङ्को वा सुबुद्धिर्यदि वा नृपः । अलीकमपि रागेण वेत्ति सत्यतया पुमान् ।। ।। ३५ ।। चिरेण पुनरागत्य स पुमान्नृपतेः पुरः । नागरङ्गकलान्युच्चैरपूर्वाज्युपदामधात् ।। ३६ ।। देवीप्रहितकल्पद्रुफलानीमानि स ब्रुवन् । ययाचे तद्द्विरा भूपं, सर्व्वाङ्गाभरणानि च ।। ।। ३७ ।। दत्त्वास्मैतानि भूपस्य पश्यतो मङ्क्षु मन्त्रिणः । प्रच्छन्नं स्थापयामासुः कतिचिद्वासरानमुम् ।। ३८ ।। अतीतैर्वासरैः कैश्चिदेति याति मुहुर्मुहुः । कश्चिद्धूर्त्तनरोऽज्ञासीदमुं वृत्तान्तमन्यदा ।। ।।३९।। भूर्जपत्रमिव श्लक्ष्णं हेमपत्रं विधाय सः । मृगनाभिरसैर्बभ्रे तत्रोत्कीर्याक्षरावलीम् ।। ।।४०।। १. कोशादेः ड, कोशादिः खड । २ निर्बुद्धिर्वा रङ्को खड्ड ।
१३८ इन्द्रियपराजयशतकम्
Page #282
--------------------------------------------------------------------------
________________
“હે દેવ ! આજે આપ વર્ધાપન કરાઓ છો. ભાગ્યથી પ્રિયાની ખબર મળી છે.” રાજાએ હર્ષથી પૂછ્યું. પછી તે, તે દેવની વાણી વડે બોલ્યો. (૨૭)“હે દેવ ! શક્રની સભાની મધ્યમાં બેઠેલી તમારી પ્રિયા, મત્ત હાથીણીની જેવી ચાલવાળી ઇચ્છિત સુખો વડે પુષ્ટિને ધારણ કરે છે. (૨૮) પરંતુ તમારા દર્શન વગર દુ:ખી થાય છે. આથી તમને કહે છે કે તમારે પણ અહીં મૃત્યુલોકમાં રહેવું ઉચિત નથી. (૨૯) કારણ કે આધિ, વ્યાધિ, દુર્ગંધ વિગેરે બાધાઓ વડે આ મૃત્યુલોક સંકીર્ણ છે અને સ્વર્ગ સર્વે ઇન્દ્રિયોની પ્રીતિને વિસ્તારનારા ભોગો વડે ભાસુર છે.(૩૦) જો મારા વડે કાર્ય છે તો જલ્દીથી અહી આવ. નન્દન વન સ્વાધીન હોતે છતે પંડિત એવો કોણ મરુભૂમિમાં ૨મે (૩૧) રાજાએ કહ્યું “રે મન્ત્રીઓ ! મને જલ્દીથી સ્વર્ગનો રસ્તો દેખાડો. જે કારણથી હું જાઉં અને પ્રિયાના મુખકમળને જોઉં.(૩૨) મન્ત્રીએ કહ્યું “હે દેવ ! ભોજન કરો, સ્નાનપાનાદિ કરો. મોટા એવા રાજ્યના કોશાદિને યાદ કરો અને પુણ્યને સાધો (૩૩) જેટલામાં હું ત્યાં જઈને તમારું આગમન કહું છું.” આ વચનો વડે રાજાએ ભોજનાદિ કર્યુ. (૩૪) જે કારણથી નિર્બુદ્ધિ હોય કે સુબુદ્ધિ, રંક હોય કે રાજા, રાગ વડે કરીને પુરુષ ખોટા વચનો પણ સત્યપણે જાણે છે. (૩૫) લાંબા કાળ પછી તે પુરુષ નૃપતિની સામે આવીને અત્યંત અપૂર્વ એવા નાગરંગના ફળો ભેટણા તરીકે ધારણ કર્યા.(૩૬)“દેવી વડે મોકલાવાયેલા કલ્પવૃક્ષના આ ફળો છે” એમ બોલતા તેણે રાજાની પાસે દેવીની વાણી વડે (દેવીએ મંગાવ્યા છે એ રીતે) સર્વ અંગના આભરણો માગ્યા. (૩૭)રાજા જોતે છતે જલ્દીથી મન્ત્રીઓએ તે આભરણો આપ્યા. કેટલાક દિવસો સુધી આ વૃતાન્ત છૂપો રાખ્યો. (૩૮) કેટલાક દિવસો સુધી વારંવાર આવતા જતા કોઈ એક ધૂર્તે એક વખત આ વૃતાન્ત જાણ્યો. (૩૯) તાડપત્રની જેવા ચીકણા સુવર્ણપત્રને કરીને તેણે (ધૂર્તે) તેના ઉપ૨ અક્ષરો કોતરીને કસ્તુરીના રસને ભર્યો. (૪૦) ત્યાર બાદ લેખની જેમ વીંટાળીને રાજાના હાથમાં તે આપ્યો.“દેવી વડે સ્વર્ગથી મોકલાવાયેલો હું દૂત છું.”(૪૧) એ સાંભળીને એ લેખને ખોલીને રોમાંચના વિસ્તાર વડે ઊભા થયેલા રોમવાળો રાજા “આ દેવની સામગ્રી ધન્ય છે.” એ પ્રમાણે અતિ આનંદ પામતો વાંવા લાગ્યો.(૪૨)
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૮
Page #283
--------------------------------------------------------------------------
________________
ततो लेखमिवावेष्ट्य, नृपहस्ते तदार्पयत् । देव्या प्रस्थापितः स्वर्गाद्देवाहं लेखवाहकः ।।४१।। श्रुत्वेत्युन्मोच्य 'रोमाञ्च-प्रपञ्चोदञ्चिरोमभृत् । धन्येयं देवसामग्रीत्यति नन्दन्नवाचयत् ।। ।।४२।। स्वस्तिश्रीपुरिमताले पाकशासनतेजसः । श्रीमद्विजयपालस्य राज्ञः पादपयोरुहान् ।। ।।४३।। श्री स्वर्गादाश्रवा राज्ञी लक्ष्मीर्नत्वानुरागतः । विज्ञापयति सोत्कण्ठं यथाऽत्र कुशलं मम ॥४४॥ कार्यं च - गुरुभारवतीवाहं त्वया हृदयवासिना । न शक्नोमि समागन्तुमुत्कण्ठोत्कण्ठया युता ।। ।।४५।। तस्मादाभरणं स्वीयं सर्वाङ्गीणं प्रसद्य मे । प्रहेयं येन देवीषु पतिमानभरं वहे ।। ।। ४६ ।। अन्यच्च पक्षमासान्तः सद्वस्त्राभरणादिकम् । प्रेष्यमस्यैव वृद्धस्य हस्ते स्वश्रेयसा सह ।। ।। ४७ ।। भणिता मन्त्रिणो राज्ञा सारमाभरणं मम । वस्त्राङ्गरागसंयुक्तमस्य हस्ते वितीर्यताम् ।।४८ ।। यतः- वाचिकं लभते लक्षं लेखः कोटिं विशेषयेत् । दृष्टेः कोटिशतं मौल्यं निर्मूल्यः स्वेष्टसङ्गमः ।। ।। ४९।। अविमृश्यतया राज्ञो, ज्ञात्वा राज्यं विनश्वरम् । मन्त्रिभिर्मन्त्रयित्वाथ, विज्ञप्तः सादरं नृपः ।। ।। ५० ।। एष स्वर्गं कथं गन्ता ? ' राज्ञोचेऽत्राऽऽगतो यथा । देवीप्रसादतः स्वामिन्नत्राऽऽगाद्याति तत्कथम् ? ।। ।। ५१ ।। श्रुत्वेति राजा पप्रच्छ 'प्राक्तनः स कथं गतः ?' । वह्निदग्ध इति प्रोक्ते तथैनमपि चाऽऽदिशत् ।। ५२ ।। ततो जाज्वल्यमानाग्निपातनाय प्रचालितम् ।
तं दृष्ट्वा श्रेष्ठिना पद्मनाम्नाऽवाचि नरेश्वरः ।। ५३ ।।
एष देवातिवर्षीयान् बहुवाचिकभारितः ।
ननु गन्तुमक्षमः कोपि तत्प्रेष्यस्तरुणो नरः ।। ।।५४।।
३ रोमाञ्चपरंदोदञ्चि. ड । २. राज्ञो वेत्री ड।
*
तुल्यार्थैस्तृतीयाद्याः (सि० २ - २ - ११६) सूत्रेण इयं तृतीया, समार्थशब्दाध्याहारश्च ततः " मुखदोषेण समः अपराधः कश्चन न विद्यते " इत्यर्थः ।
32
2732
१३९ इन्द्रियपराजयशतकम्
絲絲
Page #284
--------------------------------------------------------------------------
________________
“શ્રી પુરિમતાલમાં ઇન્દ્ર જેવા તેજસ્વી શ્રીમદ્ વિજયપાલ રાજાના ચરણકમળોનું કલ્યાણ થાઓ. (૪૩) શ્રી સ્વર્ગથી રાણી લક્ષ્મી અનુરાગથી નમન કરીને ઉત્કંઠા સહિત વિનંતિ કરે છે, તે આ પ્રમાણે - અહીં મારુ કુશળ છે. (૪૪) હૃદયમાં રહેતા તમારા વડે હું જાણે મોટા ભારવાળી છું. ગળા સુધી આવેલી ઉત્કંઠાથી યુક્ત એવી હું ત્યાં આવવા માટે શક્તિમાન નથી. (૪૫) તે કારણથી પ્રસાદ કરીને મને તમારા સર્વ અંગના આભરણો મોકલવા યોગ્ય છે, એ પ્રમાણે કરવું જેથી દેવીઓને વિષે હું પતિના માનના સમૂહને વહન કરું. (૪૬) અને બીજુ એ કે સારભૂત એવા વસ્ત્ર આભરણાદિ પંદર દિવસ કે મહિનાની અંદર આ વૃદ્ધને હાથે પોતાના આશીર્વાદ સાથે મોકલવાં. (૪૭) રાજા વડે મસ્ત્રી કહેવાયા “મારા વસ્ત્ર, અંગરાગથી યુક્ત એવા સારભૂત આભરણ આના હાથમાં અપાય. (૪૮) જે કારણથી સંદેશો લાખ (મૂલ્ય) પ્રાપ્ત કરે, લેખ કોટિ વડે વિશેષિત કરાય, દર્શનનું કોટીશત મૂલ્ય છે અને ઇષ્ટની સાથે સંગમ તે અમૂલ્ય છે. (૪૯) રાજાના અવિચારીપણા વડે રાજ્યનો નાશ (થશે એમ) જાણીને મસ્ત્રીઓ વડે મંત્રણા કરાઈ અને હવે આદર સહિત રાજા વિનંતિ કરાયા. (૫૦) “આ સ્વર્ગમાં કેવી રીતે જવાનો છે?રાજા વડે કહેવાયું “જેવી રીતે અહીં આવ્યો એવી રીતે ?” “હે સ્વામી ! દેવીની કૃપાથી અહીં આવ્યો પણ જશે કેવી રીતે ?” (૫૧) સાંભળીને રાજાએ પૂછ્યું “પહેલી વાર તે કેવી રીતે ગયો હતો ?” “અગ્નિમાં બળાયો હતો” એ પ્રમાણે કહેવાય છતે “તે રીતે આને પણ (બળાય)” એમ આદેશ (રાજાએ) કર્યો. (૫૨) ત્યાર પછી બળતા અગ્નિમાં નાખવા માટે લઈ જવાતા તેને જોઈને પા શ્રેષ્ઠી વડે રાજા કહેવાયા. (૫૩) “હે દેવ ! આ બહુ વૃદ્ધ અને ઘણા સંદેશા (લઈ જવાના હોવાથી) ભારવાળો છે માટે ખરેખર જવા માટે અસમર્થ છે તે કારણે કોઈ યુવાન નર મોકલવા યોગ્ય છે.” (૫૪) સચિવો વડે આદર કરાયું (સ્વીકારાયું, “હે સ્વામી!આ (પદ્મશ્રેષ્ઠી) જ સારા ઉત્તરને આપનારો, મુખર (વાચાળ), શીધ્ર જનારો છે. દેવીની પાસે એને મોકલાવાય.” (૫૫) ત્યારે તે જ પ્રમાણે રાજાએ સ્વીકાર કરે છતે કસાઈ વડે જેમ પશે તેમ મન્ત્રીઓ વડે લઈ જવાતો (પા)
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૯
Page #285
--------------------------------------------------------------------------
________________
सचिवैरादृतं स्वामिन्नेष एव सदुत्तरः । मुखरः शीघ्रगो देव्याः पार्श्वत: प्रेष्यतामिति ।। ।।५५ ।। तथैव प्रतिपेदाने राज्ञि मन्त्रिजनैस्तदा । नियन्त्र्य नीयमानोऽसौ सौनिकेन पर्यथा ।। ।।५६।। पृष्टः सम्बन्धिभिर्दोषः को नामाऽनेन निर्मितः । तैरूचे मुखदोषेण नापराधोऽस्ति कश्चन ।। ५७।। सम्भूय स्वजनैर्मन्त्रिवर्गमामन्त्र्य भक्तितः । मोचितः प्रथमश्चापि कृपया तैरमुच्यत ।। ।।५८।। अन्यदा पुनराह स्म मन्त्रिवृद्धानराधिपः । स्वर्गादानाय्यतां देवीं दुःखितोऽहं विना तया ।। ।।५९।। इतश्चाविमृश्य सचिवैः काचिनृपालङ्कारधारिणी । नाम्ना लक्ष्मीनवोद्भिनयौवना नायिकोत्तमा ।। ।।६०।। स्थापिता बहिरुद्याने शिक्षयित्वा विचक्षणा । नृपाग्रेऽवाचि देव्यर्थं, स्वर्गेऽस्ति प्रेषितो जनः ।।६१।। द्वितीये दिवसे प्राप्तः पुमान्विज्ञप्तवान्नृपम् । उद्यानमागता देवी देवदिष्ट्याभिवर्ध्यसे ।। ।। ६२ ।। दत्त्वा सर्वाङ्गसंलग्नं तस्मै स्वाभरणादिकम् । सामा तु महत्याऽथ प्रापदुद्यानमादरात् ।। ।।६३ ।। दृष्ट्वा देवी नृपो हृष्ट आचष्ट सचिवोत्तमान् । स्वर्गवासो महादेव्या ज्ञापितो रूपसम्पदा ।। ।।६४।। पूर्वं श्यामा ह्रस्वकर्णा लम्बोष्ठी वक्रनासिका ।। आसीदेषाधुनाऽन्यादृक् सम्पन्ना चित्रकारणम् ।।६५ ।। का भ्रान्तिरत्र तत्रत्यभोजनं हि सुधारसः । इत एवानुयोक्तव्याः सर्वे भावा दिवौकसाम् ।।६६।। किञ्च तुष्टेन शक्रेण युष्मदीयोपरोधतः । सर्वाङ्गसुन्दरीकृत्य प्रहिता नाथ ! सुन्दरी ।। ।।६७ ।।
आनन्दमेदुरीभावमापनेन महीभुजा । निजेभस्कन्धमारोप्योपनिन्येऽऽन्तःपुरे रयात् ।। ।।६८।। प्रवर्द्धमानरागेण भुञ्जानस्तां दिवानिशम् । पृच्छति स्वर्गवार्ताश्च वक्ति साऽपि सुशिक्षिता ।। ।।६९।। एवं महामानधरा नरा ये तृणानुरूपाम् मणयन्ति पृथ्वीम् । तेऽपि स्मरावेशवशेन चाटु, शतानि कुर्वन्ति मनस्विनीनाम् ।।७० ।। इति स्नेहग्रहिलत्वे विजयपालनपदृष्टान्तः ।।६७।।
१४० इन्द्रियपराजयशतकम्
Page #286
--------------------------------------------------------------------------
________________
અટકાવાઈને સંબંધીઓ વડે પૂછાયું “આના વડે કયો દોષ કરાયો છે ?” તેઓ વડે કહેવાયું “મુખદોષ (વધુ બોલવું તે) જેવો બીજો કોઈ અપરાધ નથી.” (પક,૫૭) સ્વજનો વડે ભેગા થઈને મત્રી વર્ગને ભક્તિથી આમંત્રણ કરાયો અને તે (પા) છોડાવાયો. કૃપા વડે તેઓ (મસ્ત્રીઓ) વડે પહેલો (ધૂર્વ) પુરુષ પણ છોડી દેવાયો. (૫૮) એક દિવસ ફરીથી રાજાએ વૃદ્ધ મન્ત્રીઓને કહ્યું “સ્વર્ગમાંથી દેવી લઈ અવાય તેણી વિના હું દુઃખી છું.” (પ૯) આ બાજુ સચિવો વડે વિચાર કરીને કોઈક રૂપ અને અલંકારને ધારણ કરનારી, ઉત્તમ, નાયિકા નવયૌવનવાળી, નામ વડે લક્ષ્મી, વિચક્ષણ એવી શીખવાડીને બહાર ઉદ્યાનમાં સ્થાપન કરાઈ. રાજાને કહેવાયું “દેવીને (લાવવા) માટે સ્વર્ગમાં માણસ મોકલાવ્યો છે” (૯૦,૩૧) બીજે દિવસે આવેલા પુરુષે રાજાને કહ્યું “દેવી ઉદ્યાનમાં આવી છે. હે દેવ ! તમે ભાગ્ય વડે વધો છો” (૬૨) બધા અંગને વિષે રહેલા પોતાના આભરણાદિ તેને આપીને મોટી સામગ્રી સાથે આદરથી રાજા ઉદ્યાનમાં આવ્યા. (૬૩) દેવીને જોઈને ખુશ થયેલા રાજાએ સચિવોને કહ્યું “રૂપની સમ્મદા વડે જ દેવીનો સ્વર્ગવાસ જણાય છે. (૧૪) પહેલા શ્યામ, નાના કાન, લાંબા હોઠ, વક્રનાસિકા હતી, અને આશ્ચર્ય છે કે હવે તો આ બીજા જેવી પ્રાપ્ત થઈ છે. (૬૫) પણ એમાં સંશય શું હોય ? કારણ કે ત્યાંનું ભોજન જ સુધારસ છે, વિગેરે દેવોના બધા ભાવો જોડવા યોગ્ય છે.” (જે કારણથી આ આટલી રૂપવતી થઈ છે.) (૬૬) “અને વળી હર્ષ પામેલો ઇન્દ્ર વડે હે નાથ ! તમારા આગ્રહથી સર્વ અંગને સુંદર કરીને સુંદરી મોકલાવાઈ છે, એમ સચિવે કહ્યું. (૬૭) આનંદ વડે પુષ્ટ ભાવને પ્રાપ્ત થયેલા રાજા વડે પોતાના હાથીના સ્કંધ ઉપર બેસાડીને જલ્દીથી અંત:પુરમાં લઈ જવાઈ. (૧૮) વધતા એવા રાગ વડે રાત દિવસ તેણીને ભોગવતો રાજા તેણીને સ્વર્ગની વાર્તા પૂછે છે અને સારી રીતે શીખવાડેલી તેણી પણ કહે છે. (૧૯) આ પ્રમાણે મોટા માનને ધારણ કરનારા જે પુરુષો પૃથ્વીને તૃણ જેવી માને છે, તેઓ પણ કામના આવેશના વશથી સ્ત્રીઓને સેંકડો કાલાવાલા કરે છે (૭૦) એ પ્રમાણે સ્નેહ વડે ગ્રહણ થયેલા વિજયપાલરાજાનું દૃષ્ટાન્ત છે. IIકો .
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૦
Page #287
--------------------------------------------------------------------------
________________
गाथा : सक्को वि नेव खंडइ, माहप्पमडुप्फुरं जए जेसि ।
ते वि नरा नारीहिं, कराविया निययदासत्तं ।।६८।। व्याख्या : येषां पुरुषाणां माहात्म्यमडफ्फरं स्फूर्ति-गर्वं जगति संसारे शक्रोपि न
खण्डयति, आस्तां मनुष्यो, देवेन्द्रोपि येषामहंकारं निराकर्तुं न क्षमः, तेऽपि नरा नारीभिर्निजदासत्वं कारिताः । ये स्ववीर्यादहंयुतया शक्तमपि न गणयन्ति तेऽपि स्त्रीभिर्नानाभङ्गया विडम्बिता इति, अत्र च भुवनानन्दराज्ञीरिपुमर्दननृपदृष्टान्तमाहअस्तीह भरतक्षेत्रे सुखवासाभिधं पुरम् । यत्राभ्रंलिहसौधेषु तारकैरक्षतायितम् ।। ।।१।। तत्र मानोन्नतस्तीव्रप्रतापतपनान्वितः । सुमेरुरिवरत्नाढ्यो रिपुमर्दनभूपतिः ।। ।।२।। तस्यास्ति सचिवो बुद्धिसागरो न्यायसागरः । प्रेयसी प्रेमसर्वस्वं तस्यास्ति रिपुसुन्दरी ।। ।।३।। तत्रास्ते पूर्वदिग्भागे विमानोपसमुन्नतम् । श्रीमद्युगादिदेवस्य चैत्यमत्यन्तुसुन्दरम् ।। ।।४।। तत्पुरस्तादतिस्फारसहकारो द्रुमोत्तमः । तत्रास्ते कीरमिथुनं नरभाषाविशारदम् ।। ।।५।। अन्येद्युस्तनये जाते हर्षितौ कीरदम्पती । नरेन्द्रादधिकं स्वस्य साफल्यं दधतुर्भुवि ।। ।।६।। अन्यकीरीसमासक्तं पतिं मत्वाऽन्यदा शुकी । न प्रवेशमदानीडे गम्यतां यत्र ते प्रिया ।।७।।
अन्यासक्ते नरे प्रेम परायत्ताश्च सम्पदः । निर्विशेषज्ञसेवा च नृणामेषा विषत्रयी ।। ।।८।। अपुनःकियया भद्रेऽपराधः क्षम्यतां मम । शुकेनात्यर्थमुक्तापि नामन्यत तदा शुकी ।। ।।९।। शुकोऽवादीत्तदा देहि पुत्रं मे कुलकारणम् । यथेष्टं येन गच्छामि त्वमथाऽऽस्थ यथासुखम् ।। ।।१०।। अपराधान् स्वयं कृत्वा हन्त पुत्रं च याचसे ।
अतिदक्षोसि भो कीर ! किमु नीराजकं जगत् ? । ।।११।। १. निराजकंड।
१४१ इन्द्रियपराजयशतकम्
Page #288
--------------------------------------------------------------------------
________________
:
ગાથાર્થ જે પુરુષોના માહાત્મ્યના ગર્વને જગતમાં ઇન્દ્ર પણ ખંડિત નથી કરી શકતો એવા પણ પુરુષો નારીઓ વડે પોતાનું દાસપણું કરાવાયા છે. ૬૮
ભાષાંતરઃ જેઓના - જે પુરુષોના માહાત્મ્યના મડફ્ફરને અર્થાત્ શક્તિના ગર્વને જગતમાં અર્થાત્ સંસારમાં શક્ર પણ ખંડિત નથી કરતો એટલે કે મનુષ્યો તો દૂર રહો પણ દેવેન્દ્ર પણ જેઓના અહંકારને જીતવા માટે સમર્થ નથી તે પુરુષો પણ સ્ત્રીઓ વડે પોતાનું દાસપણું કરાવાય છે. સ્વવીર્ય વડે અભિમાનવાળા સમર્થ એવાની પણ ગણના નથી. તેઓ પણ શરીરની વિવિધ રચનાઓ વડે સ્ત્રીઓ વડે વિડંબના કરાવાયા છે. અહીં ભુવનાનંદા રાણી અને રિપુમર્દન રાજાનું દૃષ્ટાન્ત છે, તે આ પ્રમાણે -
આ ભરતક્ષેત્રમાં સુખવાસ નામનું નગર છે, જ્યાં અત્યંત ઉંચા મહેલોને વિષે તારાઓ વડે અક્ષતનું આચરણ કરાતું હતું. (૧) ત્યાં આગળ માન વડે ઉન્નત, તીવ્ર પ્રતાપ રૂપી સૂર્યથી યુક્ત એવા સુમેરુ (મેરુ પર્વત)ની જેમ રત્નો વડે સમૃદ્ધ એવો રિપુમર્દન રાજા હતો. (૨) તેને એક ન્યાયનો સાગર એવો બુદ્ધિસાગર નામનો મન્ત્રી હતો. તેને પ્રેમાળ એવી રિપુસુન્દરી નામની પત્ની હતી. (૩) ત્યાં આગળ પૂર્વ દિશામાં વિમાનને અડતું હોય એટલું ઊંચું અત્યંત સુંદર એવું શ્રીમદ્ આદિનાથ દેવનું ચૈત્ય હતું. (૪) તેની પૂર્વમાં અતિ વિશાળ એવું આંબાનું ઉત્તમ વૃક્ષ હતું. ત્યાં મનુષ્યની ભાષાને જાણતું એવું પોપટ મિથુન રહેતું હતું. (૫) એક વખત પુત્રનો જન્મ થયે છતે હર્ષિત થયેલા પોપટ દમ્પતી ભૂમિ ઉપર રાજાથી પણ અધિક પોતાની સફળતાને ધારણ કરતા હતા. (૬) એક વખત અન્ય પોપટીની ઉપર આસક્ત એવા પોતાના પતિને માનીને પોપટીએ ‘જ્યાં તારી પ્રિયા છે ત્યાં તારે જવાય” એ પ્રમાણે માળામાં પ્રવેશ ન કરવા દીધો. (૭) કહ્યું છે કે અન્યમાં આસક્ત એવા પુરુષ ઉપર પ્રેમ, બીજાને આધીન એવી સંપત્તિ અને કદર નહીં કરનારની સેવા એ પુરુષોને ત્રણ વિષ છે. (૮) “હે ભદ્રે ! બીજી વખત નહીં કરવાની કબૂલાત વડે મને ક્ષમા કર” એ પ્રમાણે પોપટ વડે અત્યંત રીતે કહેવાયા છતાં પણ જ્યારે પોપટી માની નહીં.' (૯) ત્યારે પોપટે કહ્યું કે “મારા કુળનું કારણ એવા મારા પુત્રને આપ જેથી હું ઇચ્છા મુજબ જઉં અને સૂખપૂર્વક તું અહીં રહે.” (૧૦) “સ્વયં અપરાધોને ક૨ીને પુત્રને પણ
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૧
Page #289
--------------------------------------------------------------------------
________________
एवं विवदमानौ तौ पुत्रार्थे जातसंशयौ ।। क्रमाद्राजकुलं प्राप्य स्वरूपं निजमूचतुः ।। ।।१२।। वप्ता क्षेत्रे यथाबीजमुप्तं सत्प्राप्यतेऽखिलम् । तथैव पित्रा लभ्येयमवश्यं पुत्रसन्ततिः ।। ।।१३।। इत्थं विचार्य कीराय भूभुजा दापितः सुतः । तां स्थितिं लेखयामास वहिकायां च कीरिका ।। ।।१४ ।। श्रुतज्ञानिनमासीनं सहकारतरोस्तले । वैराग्यगर्भिता स्वायुर्वन्दित्वा पृच्छति स्म सा ।। ।।१५।। इतो बद्धमनुष्यायुस्तृतीयदिवसे शुकि ! । मन्त्रिपुत्रीत्वमापाद्य राजभार्या भविष्यसि ।। ।।९६।। कदाचिद् दैवयोगेन दृष्ट्वा जातिस्मृतिर्भवेत् । इति साधूक्तवृत्तान्तं चैत्यभित्तावलेखयत् ।। ।।१७ ।। स्वयं गत्वा मुनेः पार्श्वे युक्तयाऽनशनमग्रहीत् । यथावत्पालयामास वर्द्धमानशुभाशया ।। ।।१८।। मन्त्रिणो रतिसुन्दर्या भार्यायाः कुक्षिपङ्कजम् । सुस्वप्नसूचिता श्रीमदधितस्थौ शुभोदया।। ।।१९।। उत्पन्ना समये देवी जयन्ती रूपसम्पदा । तनया भुवनानन्दा नाम्ना प्रौढिमवाप सा ।। ।।२०।। स्तोकैरेव दिनैः प्राप्य पुण्यस्य परिपाकतः । कलाकलापप्राविण्यं जग्राहे भारतीव सा ।। ।।२१।। अन्यदोद्यानशृङ्गारे चैत्ये दृष्ट्वाऽक्षरावलीम् । जातजातिस्मृतिः कीरभवस्य द्रुतमस्मरत् ।।२२।। तस्यैव श्रीजिनेशस्य प्रभावान्मन्त्रिसद्मनि ।। जाताहमिति तं नित्यं पूजयामास भक्तितः ।। ।।२३।। इतश्च - जातान्निजतुरङ्गीभिर्जातु मन्त्रितुरङ्गमान् । किशोरकानने कांस्तानन्यदाऽनाययन्नृपः ।। ।।२४ ।। न ददौ भुवनानन्दा दातुं यत्तातवाजिना । जाता एते यतो बीजं यस्य तस्यैव वस्तु तत् ।। ।।२५।।
१. नाम्नी ड।
१४२ । इन्द्रियपराजयशतकम्
Page #290
--------------------------------------------------------------------------
________________
માંગે છે અતિદક્ષ છે તે પોપટ ! શું જગત રાજા વગરનું (ન્યાય કરનાર વગરનું) છે ?” (૧૧) એ પ્રમાણે ઉત્પન્ન થયેલા સંશયવાળા તે બંને પુત્રને માટે વિવાદ કરતા ક્રમે કરીને રાજકુળમાં આવીને પોતાના સ્વરૂપને કહ્યું. (૧૨) “જે પ્રમાણે ખેતરમાં બીજ વવાયે છતે બધું જ વાવનારને મળે તે જ રીતે પુત્રની પરંપરા અવશ્ય પિતાને જ મેળવવા યોગ્ય છે.” (૧૩) આ પ્રમાણે વિચારીને રાજા વડે પુત્ર પોપટને અપાવાયો. પોપટીએ તે સ્થિતિને વાહિકામાં (ચોપડામાં) લખાવડાવી. (૧૪) આંબાના વૃક્ષની નીચે બેઠેલા શ્રુતજ્ઞાનીને વૈરાગ્ય વડે, ગર્ભિત એવી પોપટીએ વંદન કરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. (૧૫) “હે પોપટી ! બાંધ્યું છે મનુષ્યનું આયુષ્ય જેણે એવી તું આજથી ત્રીજે દિવસે મરીને મસ્ત્રીની પુત્રીપણાને પ્રાપ્ત કરીને રાજાની પત્ની થઈશ.” (૧૬) ક્યારેક ભાગ્યના યોગે જોઈને જાતિસ્મરણ થાય” એમ વિચારીને પોપટીએ સાધુએ કહેલા વૃતાન્તને ચૈત્યની ભીંત ઉપર લખાવ્યો. (૧૭) સ્વયં મુનિની પાસે જઈને યુક્તિપૂર્વક અનશનને ગ્રહણ કર્યું. (૧૮) વધતા એવા શુભ આશયવાળી તેણે જેવું લીધું એવું પાલન કર્યું. મત્રીની રતિસુન્દરી નામની પત્નીની કુક્ષિપંકજમાં સ્વપ્ન વડે સૂચવાયેલી, શુભોદયવાળી એવી તેણી અવતરી. સમયે ઉત્પન્ન થઈ. (૧૯) રૂપની સંપત્તિ વડે દેવીને જીતી લેતી, નામ વડે ભુવનાનન્દા પુત્રી એવી તેણીએ પ્રૌઢપણું પ્રાપ્ત કર્યું. (૨૦) પુણ્યના પરિપાકથી થોડા જ દિવસોમાં તેણીએ સરસ્વતીની જેમ કલાકલાપમાં પ્રવીણતાને મેળવી. (૨૧) એક વખત ઉદ્યાનના શૃંગારરૂપ ચૈત્યમાં અક્ષરાવલીને જોઈને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણવાળી એવી તેણીને તરત જ પોપટીનો ભવ યાદ આવ્યો. (૨૨) “તે શ્રી જિનેશ્વરના પ્રભાવથી જ મસ્ત્રીના ઘરે હું ઉત્પન્ન થઈ “એ પ્રમાણે ભક્તિથી નિત્ય તેની પૂજા કરતી હતી. (૨૩) આ બાજુ પોતાની ઘોડીઓ વડે મસ્ત્રીના ઉત્પન્ન થયેલા અનેક નાના ઘોડાઓને એક વખત રાજાએ મંગાવ્યા. (૨૪) “જે કારણથી આ બધા પિતાના ઘોડાઓ વડે ઉત્પન્ન થયા છે, જેથી “જેનું બીજ તેની જ તે વસ્તુ” એમ ભુવનાનન્દાએ આપવા ન દીધા. (૨૫) જો રાજા વિશ્વાસ ન કરે તો પોતાની વહિકાને જોવાય, જે
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૨
Page #291
--------------------------------------------------------------------------
________________
न प्रत्येति नृपश्चेत्तद्वीक्षतां वहिकां निजाम् । यत्कीरद्वन्द्वपुत्रस्य विवादे लिखितं स्वयम् ।। !!२६ !! तथैव तद्विलोक्याऽथ वहिकायां महीभुजा । विस्मयापनचित्तेन सा ज्ञाता बालपण्डिता ।। ।।२७।। दिनैः कैश्चिदतिक्रान्तै रिपुमर्दनभूपतिः । सामर्षो भुवनानन्दां परिणीयेदमादिशत् ।। ।।२८।। पण्डिताऽसि प्रिये तावन्नागन्तव्यं गृहे मम । सर्व्वलक्षणयुक् यावज्जातो भवति नो सुतः ।। ।।२९ ।। ईषत्स्मित्वा तयाऽप्युक्तं पुत्रे जाते ध्रुवं ह्यहम् ।। स्वामिंस्त्वद्नेहमेष्यामि किन्त्वेदमपरं शृणु ।। ।।३०।। तदाऽहं कापि चेत्त्वत्तो धावयामि निजौ पदौ । वाहयामि भवन्तं च स्वकीयोपानहाविति ।। ।।३१।। इति प्रतिज्ञामासूत्र्य गता निजपितुर्गृहे । कथयामास चैकान्ते वृत्तान्तं मन्त्रिणः पुरः ।। ।।३२।। वत्से ! कथमिदं याति दुर्घटं घटनापदम् । तात ! किं सुप्रयुक्ताया असाध्यं विद्यते मतेः ।। ।।३३।। यदुक्तं नीतौ - एकं हन्यान्न वा हन्यादिषुर्मुक्तो धनुष्मता । बुद्धिर्बुद्धिमतोत्सृष्टा हन्ति राष्ट्र सराजकम् ।। ।।३४ ।। मन्त्रिणाऽभाणि नो बुद्धया न दानैर्न च पौरुषैः । विधातुं शक्यते कार्यं मुक्त्वा दैवबलं परम् ।।३५ ।। भुवनानन्दया प्रोक्तमित्यमेव न संशयः । साऽपि कर्मवशाद् बुद्धिः प्राणिनामिह जायते ।। ।।३६ ।। परं तात ! नृपावासप्रत्यासन्नमहीतले । श्रीमन्नाभेयदेवस्य भवनं गुरु कार्यताम् ।। ।।३७ ।। शुभगा गीतवादित्रगीतैस्तत्र यथाङ्गनाः । सङ्गीतं कुर्वते तास्तत्रिकालं कार्यतां तथा ।। ।।३८ ।। अन्तर्विलासिनी गेहं कार्यतां मद्गृहं पुनः । तदुक्तं कारयामास मन्त्री मन्त्रमहोदधिः ।। ।।३९।। वाद्यमानैरथाऽऽतोद्यैर्गीयमानैश्च गीतकैः ।
ननर्त स्फारशृङ्गारा तत्र मन्त्रिसुता स्वयम् ।। ।।४०।। Kakkkkkkkkkkkkkkkkkkkkkkk १४३ इन्द्रियपराजयशतकम्
Page #292
--------------------------------------------------------------------------
________________
કીરયુગલના પુત્રના વિવાદ વખતે સ્વયં લખેલું હતું” (૨૬) વહિનામાં તે જ પ્રમાણે તે (લખેલું) જોઈને હવે વિસ્મય પ્રાપ્ત કરેલા ચિત્તવાળા રાજા વડે તેણી બાલપંડિતા જણાઈ. (૨૭) કેટલાક દિવસો પછી માત્સર્યવાળા રિપુમદન રાજાએ ભુવનાનન્દાને પરણીને આ પ્રમાણે આદેશ કર્યો. (૨૮) “હે પ્રિયા ! તું પંડિતા છે, તારે મારા ઘરે ત્યાં સુધી ન આવવું જ્યાં સુધી તેને સર્વ લક્ષણથી યુક્ત એવો પુત્ર ઉત્પન્ન થયેલો ન થાય, (૨૯) જરાક હસીને તેણી વડે પણ કહેવાયું “હે સ્વામી ! પુત્ર થયે છતે જ નિચ્ચે હું તમારા ઘરમાં આવીશ, પણ આટલું બીજું સાંભળો. (૩૦) જો એમ છે કે હું કંઈક છું તો તમારી પાસે મારા પગ ધોવડાવીશ અને તમારી પાસે મારા પગના જોડા ઉપાડાવીશ” (૩૧) આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પોતાના પિતાના ઘરે ગઈ. એકાન્તમાં મસ્ત્રીની આગળ વૃતાન્ત કહ્યો. (૩૨) “પુત્રી ! દુર્ઘટ એવું આ કેવી રીતે ઘટી શકે ?” “હે તાત ! સારી રીતે પ્રયોગ કરાયેલી બુદ્ધિને શું અસાધ્ય છે ?” (૩૩) જે કારણથી નીતિશાસ્ત્રમાં કહ્યું છે “ધનુર્ધારી વડે મૂકાયેલું બાણ એકને હણે અથવા ન પણ હણે પણ બુદ્ધિશાળી વડે ચલાવાયેલી બુદ્ધિ રાજા સહિત રાષ્ટ્રને હણે” (૩૪) મત્રી વડે કહેવાયું. “ફક્ત ભાગ્યના બળને છોડીને બુદ્ધિ વડે પણ નહીં, દાન વડે પણ નહીં અને પુરુષાર્થ વડે પણ આ કાર્ય કરવા માટે શક્ય નથી.” (૩૫) ભુવનાનન્દા વડે કહેવાયું “એમાં કોઈ જ સંશય નથી કે અહીં એવી બુદ્ધિ પણ પ્રાણીઓને કર્મના વશથી થાય છે. (૩૬) પણ હે તાત ! રાજાના મહેલની નજીકની પૃથ્વી ઉપર શ્રીમદ્ આદિનાથનું મોટુ ભવન કરાવાય. (૩૭) જે પ્રમાણે ત્યાં ત્રણે કાળ સૌભાગ્યવાળી સ્ત્રીઓ, ગીત, વાજિંત્રો વડે સંગીતને કરે તે પ્રમાણે કરાવાય. (૩૮) તે સ્ત્રીઓના ઘરની અંદર વળી મારું ઘર પણ કરાવાય. તેણીનું કહેલું મત્રોના સાગર એવા મસ્ત્રીએ કરાવ્યું. (૩૯) હવે વગાડાતા વાજિંત્રો, ગવાતા ગીતોની સાથે ઘણા શંગારવાળી એવી મસ્ત્રીપુત્રી (ભુવનાનન્દા) સ્વયં ત્યાં નૃત્ય કરતી. (૪૦) “ક્યારેક નામને સાંભળીને રાજા મને યાદ ન કરે. એમ વિચારીને તેણીએ “લીલાવતી'
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૩
Page #293
--------------------------------------------------------------------------
________________
१. द्वारे ड ।
कदाचिदभिधां श्रुत्वा माऽस्मरन्मां नरेश्वरः । लीलावतीत्यतो नाम बभाराऽपरमात्मनः ।। ।।४१।। कलपञ्चमकाकल्पा गीतान्यादि - जिनेशितुः । सौधाग्रभागमारूढः शुश्रुवे पार्थिवोऽन्यदा ।।४२।। सामान्यराजपुत्रस्य वेषमाधाय भूमिभृत् । तत्रैत्य पश्चिमद्वारों वीक्षते प्रेक्षणीयकम् ।। ।।४३।। नृत्यन्त्या नृपतिर्नेत्रक्षुरप्रेण तथा हतः । लीलावत्या यथा स्थानादुत्थातुमपि नाऽस्मरत् ।। ।।४४।। सुखासनेन सङ्गीतानन्तरङ्गतया तया । राजापि तद्गृहेऽनैषीत्क्षणदां क्षणिकामिव ।। ४५ ।। एवं प्रतिदिनं तत्र प्रेक्षते प्रेक्षणक्षणम् । रात्रिं नयति तत्रैव सत्रागारे मनोभुवः ।। ।। ४६ ।। यद्यद्विचेष्टते तत्र राजा सा तत् पितुः पुरः । ज्ञापयत्यखिलं सोऽपि लिलेख वहिकापटे ।। ।।४७।। अन्यदोपानहौ मुक्त्वा सा रुरोह सुखासने । उपानद्वाहिनी नास्ति तदेते त्वमुदाऽऽनय ।। ।।४८।। तेनापि शिरसाऽऽदाय समानीते तदङ्गणे । तथैव च निशीथिन्यां नर्त्तकी तमसूषुपत् ।। ।।४९।। अन्यदोक्तं तया स्वामिन् मत्पादौ दह्यतस्तमाम् । उत्थापय सखीं येन तलहस्तयतिक्षणम् ।। ।। ५० ।। तृतीयजनसञ्चारमसहिष्णुः स्वयं नृपः ।
तथा व्यश्रामयत्पादौ निदद्रौ सा यथासुखम् ।। ।।५१।। सम्पूर्णचन्द्रं सा प्रविशन्तं निजाऽऽनने । दृष्ट्वा जागरिताऽपश्यत्संवाहनपरं नृपम् ।। ।। ५२ ।। निवार्य सहसोत्थाय तस्याऽग्रे स्वप्नमाख्यत । नोक्तं तनयो भावी भद्रे सर्वोत्तमस्तव ।। ।।५३।। रात्रेर्विरामसंसूची शङ्खो दध्वान तावता ।
उत्थाय सत्वरं राजा जगाम निजमन्दिरम् ।।५४ ॥ धर्म्मध्यानं दधाना सा रजनीमत्यवाहयत् ।
उदिते भास्वति प्रातः प्राप सा जनकाऽऽलयम् ।।५५।।
१४४ इन्द्रियपराजयशतकम्
Page #294
--------------------------------------------------------------------------
________________
એ પ્રમાણે પોતાનું બીજું નામ ધારણ કર્યું. (૪૧) મનોહર પંચમક જેવા આદિજિનેશ્વરના ગીતો એક વખત મહેલના અગ્રભાગ ઉપર ચઢેલા રાજાએ સાંભળ્યા. (૪૨) સામાન્ય રાજપુત્રના વેષને પહેરીને રાજા ત્યાં પશ્ચિમ દ્વારે આવીને નૃત્યને જુએ છે. (૪૩) નૃત્ય કરતી લીલાવતી વડે નેત્રોરૂપી અસ્ત્રા વડે રાજા એ રીતે હણાયો કે તે સ્થાનથી ઉઠવાનું પણ એને યાદ ન આવ્યું. (૪૪) સંગીતમાં મગ્ન એવી તેણીની સાથે સુખાસન વડે રાજાએ પણ તેણીના ઘરે એક ક્ષણની જેમ રાત્રિને પસાર કરી. (૪૫) એ પ્રમાણે દરરોજ ત્યાં નૃત્યને જુએ છે અને રાતે ત્યાં જ કામદેવની દાનશાળામાં રાત્રિને પસાર કરે છે. (૪૬) ત્યાં રાજા જે જે ચેષ્ટા કરે છે તે બધું તેણી પિતાને જણાવે છે અને મસ્ત્રી પણ બધું વહિકાપટ ઉપર લખે છે. (૪૭) એક વખત પગરખાને મૂકીને તે પાલખીમાં ચઢી ગઈ. “પગરખાને લઈ જનારી (દાસી) નથી તો આ તમે ઉપર લઈ આવો” એ પ્રમાણે રાજાને કહ્યું. (૪૮) રાજા વડે પણ મસ્તક વડે તેના ઘરે લવાયા અને તે જ રીતે રાતે નર્તકીએ તેને ત્યાં સુવાડ્યો. (૪૯) એક વખત તેણી વડે કહેવાયું “હે સ્વામિ ! મારા પગ અતિશય બળે છે. તો સખીને ઉઠાડો જેથી એ મને થોડીવાર તળીયામાં હાથેથી માલિશ કરી આપે. (૫૦) ત્રીજા કોઈની હાજરીને નહી સહન કરતા રાજાએ પોતે જ પગને માલિશ કરી આપી. (૫૧) તેણી સુખપૂર્વક સૂઈ ગઈ. સ્વપ્નમાં સંપૂર્ણ ચન્દ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોઈને એ જાગી. (૫૨) કંઈક બોલવા જતા એવા રાજાને જોયો અટકાવીને સહસા ઉઠીને તેની આગળ સ્વપ્ન કહ્યું. રાજા વડે કહેવાયું “હે ભદ્ર ! તને સર્વોતમ એવો પુત્ર થશે” (પ૩) તેટલામાં રાત્રિના વિરામને સૂચવનારો શંખ વાગ્યો. જલ્દીથી ઊઠીને રાજા પોતાના મહેલમાં ગયો. (૫૪) ધર્મધ્યાનને કરતી તેણીએ રાત્રિને ઓળંગી. સવારમાં સૂર્ય ઊગે છતે તેણી પિતાના ઘરે આવી. (૫૫) પિતાને રાત્રીનો વૃતાન્ત કહીને ઘરના દ્વારને બંધ કરીને એકાન્તમાં રહેલી તે સુખપૂર્વક ગર્ભને પાળવા લાગી.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૪
Page #295
--------------------------------------------------------------------------
________________
उक्त्वा पितुर्निशावृत्तं गृहद्वारं पिधाय च । सुखेन पालयामास गर्भमेकान्तमाश्रिता ।। ।। ५६ ।। द्वितीयेऽह्नि नृपस्तस्याः पप्रच्छ प्रातिवेश्मिकीम् । लीलावती गता कुत्र ? न जानामीति साऽवदत् । ५७।। राजाऽपि विरहेणाऽस्याः सुतरां दुर्म्मनायितः । निर्गमय्य निशां कष्टात् प्रातः पप्रच्छ मन्त्रिणम् ।। ५८ ।। युष्मद्देवगृहे मन्त्रिन्याऽऽसीन्मूलविलासिनी । नाम्ना लीलावती साऽऽस्ते क्व गतेति निवेद्यताम् ।। ५९ ।। देव ! सा कुत्सिताचारा चैत्यान्निष्काशिता मया । येन कस्याऽपि गेहे सा गत्वा नयति शर्व्वरीम् ||६० ।। तस्मात्तदास्पदे कापि गवेष्यान्यास्ति नर्त्तकी । श्रुत्वेति मौनमालम्ब्य तस्थौ गुप्ताकृतिर्नृपः ।। ।।६१।। प्रासूत समये सापि सुतं सर्वाङ्गलक्षणम् ।
प्रच्छन्नं मन्त्रिणा नीतः कलापारीणतां क्रमात् ।। ।।६२।। अन्यदा तनयां मन्त्री सपुत्रां नीतवान् सभाम् । कृताऽवगुण्ठना केयं ? पप्रच्छेति च भूपतिः ।। ६३ ।। सैवेयं भुवनानन्दा मत्पुत्री तव वल्लभा । पुत्रस्ते मम दौहित्रश्चैष नाथावधार्यताम् ।।६४।। यावता भाषते भूपः किंचिद्विस्फुरिताधरः । अमात्यस्तावता तस्य हस्ते स्वां वहिकामदात् ।। ६५ ।। यत्कृतं जल्पितं यच्च तया सार्द्धं रहस्यपि । तत्सर्वं लिखितं दृष्ट्वा नृपश्चित्रार्पितोऽभवत् ।। ।।६६ ।। 'उपस्नेहरसोन्मिश्रो दृष्टिमार्गमनूर्ध्वयन् ।
स्मारं स्मारं निजं वृत्तं शिरश्चिरमधूनयत् ।। ।।६७।। सुतं सर्वाङ्गमालोक्य स्वीयाङ्कमधिरोप्य च ।
उवाच वत्स ! ते राज्यमिदं लक्ष्म्यस्तथाखिलाः ।। ६८ ।। रञ्जितो रञ्जितश्चाहं जनन्या यस्य हेलया । पुत्रोत्पत्या महासत्या प्रतिज्ञायाश्च पूरणात् ।। ।। ६९ ।।
१. सुपुत्रां डड, । २. नाथोऽव० ड्ड । ३. पुत्रस्नेह. ड । मापाद्य ड 1
१
१४५ इन्द्रियपराजयशतकम्
Page #296
--------------------------------------------------------------------------
________________
(૫૬) બીજે દિવસે રાજાએ તેણીની પડોશણને પૂછ્યું લીલાવતી
ક્યાં ગઈ ? તેણીએ કહ્યું “હું નથી જાણતી.” (૫૭) રાજા પણ એણીના વિરહ વડે દુઃખી મનવાળો થયો, રાત્રિ કષ્ટપૂર્વક પસાર કરીને સવારે મસ્ત્રીને પૂછ્યું. (૫૮) “હે મત્રી તારા ચૈત્યમાં પહેલા લીલાવતી નામની નર્તકી હતી, તે ક્યાં ગઈ ? એ નિવેદન કરાય.” (૫૯) “હે દેવ ! ખરાબ આચારવાળી એવી તે મારા વડે ચૈત્યમાંથી કાઢી મૂકાઈ. જેથી કોઈના પણ ઘરે જઈને તે રાત્રિ પસાર કરે છે. (૬૦) તેથી તેના સ્થાને કોઈ પણ બીજી નર્તકી શોધવા યોગ્ય છે.” એ પ્રમાણે સાંભળીને છૂપાવેલી આકૃતિવાળો રાજા મૌન રહ્યો. (૯૧) સમયે તેણીએ છૂપી રીતે સર્વાગ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. ક્રમે કરીને મત્રી વડે તે કલાઓમાં પારંગત બનાવાયો. (૩૨) એક વખત મત્રી પુત્ર સહિત એવી પુત્રીને રાજસભામાં લઈ ગયો. રાજાએ પૂછ્યું મુખ ઢંકાયેલી આ કોણ છે ? (૬૩) “આ એ જ મારી પુત્રી, તમારી વલ્લભા ભુવનાનન્દા છે. આ તમારો પુત્ર મારો દૌહિત્ર છે. તે નાથ ! અવધારણ કરાય. (૬૪) જેટલામાં સ્કુરાયમાન થયેલા છે હોઠ જેના એવો રાજા કંઈક બોલે એટલામાં અમાત્યએ તેના હાથમાં પોતાની વહિકા આપી. (૬૫) તેણીની સાથે એકાન્તમાં પણ જે કરાયું, અને જે બોલાયું તે બધું લખાયેલું જોઈને રાજા આશ્ચર્ય ચકિત થયો. (૬૭) પુત્રના સ્નેહના રસ વડે મિશ્ર એવા રાજાએ પોતાના વૃતાન્તને દૃષ્ટિના માર્ગ ઉપરથી દૂર નહીં કરતા, વારંવાર સ્મરણ કરી કરીને લાંબા સમય સુધી મસ્તકને ધુણાવ્યું. (૧૭) પુત્રના સર્વ અંગને જોઈને પોતાના ખોળામાં આરોપીને કહ્યું
હે પુત્ર ! આ રાજ્ય અને આ બધી લક્ષ્મી તારી છે, (૧૮) કે જેની માતા વડે લીલામાં પુત્રની ઉત્પત્તિ વડે હું રંજિત કરાયો અને મહાસતીની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી પણ હું રંજિત થયો છું. (૧૯) તે ધેર્ય, વીર્ય, શૌર્ય અને યશ સહિત એવા પણ મને | ધિક્કાર છે કે જે હું લીલા માત્રમાં એક સ્ત્રી વડે જિતાઈ ગયો.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૫
Page #297
--------------------------------------------------------------------------
________________
धिक्धिक् धैर्येण वीर्येण शौर्येण यशसाऽपि च । लीलया निर्जितो योऽहं हन्त पत्युत योषिता ।। ।।७।। मन्त्र्यूचे न विषत्तव्यं प्रतापोऽयं तवैव यत् । माहात्म्यं तद्रवेर्ध्वान्तं यत्तिरस्कुरुतेऽरुणः ।।७१।। परं वैराग्यमापद्य दत्त्वा राज्यं सुतस्य च । दीक्षामादाय राजेन्द्रः परमार्थमसाधयत् ।। ७२ ।। ईदृशोऽपि प्रचण्डात्मा रिपुमर्दनभूपतिः । दासत्वं कारितः पन्या परेषां गणना तु का ।। ।।७३।।
इति स्त्रीदासत्वे रिपुमर्दननृपकथा ।। ६८।। गाथा : जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो ।
रहनेमि 'राइमई-रायमई कासि ही विसया ।।६९।। व्याख्या : यदुनन्दनः श्रीसमुद्रविजयनरेन्द्रसूनुः महात्मा उपशान्तचित्तः जिनभ्राता
श्रीमनेमिजिनलघुबान्धवः व्रतधरो गृहीतदीक्षः चरमदेहस्तद्भव एव मोक्षगामी एवंविधोपि रथनेमी राजीमती रागमतीश्चकार । राजीमत्यां श्रीमदुग्रसेनात्मजायां रागोनुरागश्चेतः क्षोभस्तस्मिन्मतीः बुद्धीश्चक्रे । ही विषया इन्द्रियविकाराः खेदावहा दुर्लक्याः । को भावः ? यविषयैरेवंविधोपि रथनेमिर्विकाराकारतां प्रापितः । ते विषयाः केन जेतुं शक्यन्त इति गाथार्थः । भावार्थः कथानकगम्यस्तञ्चेदम् - राज्यं राजीमतिं चापि परित्यज्य विरक्तधीः । द्वाविंशः श्रीजिनो नेमिः प्रपन्नो रैवते व्रतम् ।।१।। रथनेमिर्लघुभ्राता पाणिग्रहणलिप्सया । राजीमतिं प्रति प्रेषीत्प्राभृतानि प्रसत्तये ।।२।। प्राभृतं प्रेषयत्येव स्वभ्रातुः प्रेमतो मयि । इति तत्स्नेहतः साऽपि निर्विकल्पतयाऽग्रहीत् ।।३।। विवाहाकाङ्क्षयान्येद्युः प्रार्थयन्तं नृपाङ्गजा । मदनं फलमाघ्राय वमित्वेति तमब्रवीत् ।।४।।
१. रायमई रायमई मुद्रिते।
१४६ इन्द्रियपराजयशतकम्
Page #298
--------------------------------------------------------------------------
________________
(૭૦) મન્ત્રીએ કહ્યું કે તમારે વિષાદ કરવા યોગ્ય નથી જે કારણથી આ તમારો જ પ્રતાપ છે. જેમ કે તે વિનું જ માહાત્મ્ય છે કે જે અરુણ અંધકારને દૂર કરે છે. (૭૧) શ્રેષ્ઠ એવા વૈરાગ્યને પ્રાપ્ત કરીને પુત્રને રાજ્ય આપીને રાજાએ દીક્ષા ગ્રહણ કરીને પરમાર્થને સાધ્યો. (૭૨) આવો પ્રચંડાત્મા એવો રિપુમર્દન રાજા પણ પત્ની વડે દાસપણું કરાવાયો તો બીજાની તો શું ગણના ? (૭૩) આ પ્રમાણે સ્ત્રીના દાસત્વ ઉપર રિપુમર્દન રાજાની વાર્તા છે. ૬૮॥
ગથાર્થ યદુનંદન, મહાત્મા, શ્રીનેમિજિનનો લઘુભ્રાતા, વ્રતને ધારણ કરનારા ચરમ શરીરી એવા રથનેમિએ રાજીમતીને વિષે રાગબુદ્ધિને કરી. ખરેખર વિષયો દુર્વ્યઘ્ય છે. ૬૯॥
ભાષાંતર: યદુનંદન શ્રી સમુદ્રવિજયરાજાના પુત્ર, મહાત્મા-ઉપશાન્ત ચિત્તવાળા જિનભ્રાતા-શ્રીનેમિજિનના લઘુબન્ધુ, વ્રતધર-ગ્રહણ કરેલી દીક્ષા છે જેમણે એવા, ચરમ શ૨ી૨ી-તે જ ભવમાં મોક્ષમાં જનારા એવા પણ રથનેમિએ રાજીમતીને વિષે રાગની મતિ કરી. અર્થાત્ શ્રીમદ્ ઉગ્રસેનની પુત્રી રાજીમતીને વિષે રાગ એટલે કે અનુરાગ વડે ચિત્તનો ક્ષોભ તેને વિષે મતિ અર્થાત્ બુદ્ધિને કરી. ‘હી’ એટલે ખરેખર વિષયો એટલે ઇન્દ્રિયના વિકારો ખેદને પ્રાપ્ત કરાવનારા છે, દુર્લથ્ય છે. ભાવ એ કે જે વિષયો વડે આવા પણ ૨થનેમિ વિકારના આકારને પ્રાપ્ત કરાવાયા તે વિષયો કોના વડે જીતવા માટે શક્ય છે.
કથાનક આ પ્રમાણે
રાજ્ય અને રાજીમતીને પણ છોડીને વિરક્ત બુદ્ધિવાળા બાવીશમા શ્રીજિન એવા નેમિએ રૈવતગિરિ ઉપર વ્રતને સ્વીકાર્યું. (૧) પાણિગ્રહણની ઇચ્છા વડે નાનાભાઈ ૨થનેમિએ રાજીમતીને પ્રસન્ન કરવા માટે ભેટણાઓ મોકલ્યા.(૨)“પોતાના ભાઈ ઉપરના પ્રેમને કારણે જ આ (૨થનેમિ)મને ભેટણા મોકલે છે” એ પ્રમાણે તેના (નેમિજિનના) પ્રેમથી રાજીમતી પણ કંઈ પણ વિકલ્પ કર્યા વિના તેને ગ્રહણ કરે છે. (૩)રાજીમતીએ એક વખત મદન ફલને સૂંઘીને વમન કરીને વિવાહની આકાંક્ષા વડે પ્રાર્થના કરતા તેને (૨થનેમિને) કહ્યું “આ (વનમ કરેલું) ખા.”(૪) (૨થનેમિએ કહ્યું) “શું હું કૂતરો છું કે પીડિતની જેમ આ વમેલું ખાઉં ?”(રાજીમતીએ કહ્યું)“તો પછી
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૭
Page #299
--------------------------------------------------------------------------
________________
भुक्ष्वेदम्, किमहं श्वानो भुओ यद्वान्तमार्त्तवत् । भ्रात्रा त्यक्तां कथं तर्हि मामुपभोक्तुमर्हसि ।।५।। को नाम गजमुज्झित्वा रासभं बहुमन्यते । को वा रत्नमनादृत्य काचेऽपि कुरुते मतिम् ।।६।। भ्रातृस्नेहानुगाम्येष इति प्राभृतमाददे । जन्मान्तरेपि नो भूयाद्वरो मे 'नेमितः परः ।।७।। उत्पन्ने केवलज्ञाने स्वामिनोऽथ पतिव्रता । उपादाय व्रतं राजीमती जज्ञे महत्तरा ।।८।। विहरन्नन्यदा स्वामी रैवते समवासरत् । ययुः सान्तःपुरास्तत्र कृष्णाद्या वन्दितुं प्रभुम् ।।९।। श्रृत्वा संसारवैराग्यजननीं धर्मदेशनाम् । रथनेमिरुपादत्त चारित्रं श्रीजिनान्तिके ।।१०।। राजीमत्यन्तिके स्त्रैणं* स्वस्य दीक्षामपालयत् । उत्तमार्थविधेयेषु शिथिलाः कृतिनः किमु ।।११।। अन्यदा नेमिनं नत्वा रथनेमिः पथि व्रजन् । बाधितो वृष्टिकायेन प्राविशत्कन्दरां गिरेः ।।१२।। राजीमत्यपि मेघाम्बुबाधिता तद्गुहान्तरे । रथनेमिमजानाना तत्रस्थं प्राविशत्तदा ।।१३।। तमदृष्ट्वा तमिस्रेण श्रोणिनिहितचक्षुषम् । वस्त्राणि परितोऽक्षप्सीदुद्वानाय महासती ।।१४ ।। स्वर्गलोकजयायेव साधयन्तीं तपःक्रियाम् । दृष्ट्वा विवसनां तन्वीं बभूवोत्कलिकाकुलः ।।१५।। पिण्डितं सृष्टि'सर्वस्वमिवासौ हा मृगेक्षणा । नैकशोपि मया भुक्ता धिग्मे जन्मनिरर्थकम् ।।१६।। भ्रातुर्वैरादिवाजघ्ने तथा कामेन मर्मसु । यथा विवशितस्वान्तः स्वात्मानमपि नाऽस्मरत् ।।१७।। ईषत्कम्प्रवपुर्भृत्य इवोत्थाय विसंस्थुलः ।
रथनेमिः पुरस्तस्यास्तस्थावुत्तानितेक्षणः ।।१८।। १. नेमिनः ड। २. सर्वस्वामिवासौ ड। * स्त्रैणं = स्त्रीणां समूहः । kkkkkkkkkkkkkkkkkkkkkkkkkk १४७ इन्द्रियपराजयशतकम्
Page #300
--------------------------------------------------------------------------
________________
ભાઈ વડે ત્યાગ કરાયેલી (વમન કરાયેલી) એવી મને ભોગવવા માટે તું કેવી રીતે યોગ્ય છે ?” (૫) હાથીને છોડીને ગધેડાનું બહુમાન કોણ કરે ? અથવા રત્નનો અનાદર કરીને કાચ વિષે પણ કોણ બુદ્ધિને કરે ? (૬) “ભાઈના સ્નેહને અનુસરનારા આ (ભટણા) છે' - એ પ્રમાણે મેં ગ્રહણ કર્યા. જન્માંતરમાં પણ નેમિ સિવાય બીજો કોઈ મારો વર ન થાઓ. (૭) સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે પતિવ્રતા એવા રાજીમતી વ્રત ગ્રહણ કરીને મહત્તરા થઈ. (૮) એક વખત વિહાર કરતા સ્વામી રૈવતગિરિ ઉપર સમવસર્યા. કૃષ્ણાદિ અન્તઃપુર સહિત પ્રભુને વંદન કરવા ગયા. (૯) સંસાર ઉપર વૈરાગ્યને ઉત્પન્ન કરનાર એવી ધર્મદેશનાને સાંભળીને શ્રી જિનની પાસે રથનેમિએ ચારિત્ર ગ્રહણ કર્યું. (૧૦) રાજીમતીની પાસે સ્ત્રીનો સમૂહ પોતાની દીક્ષા પાળતો હતો. ઉત્તમાર્થ માટે કરવા યોગ્ય કાર્યોમાં પંડિતો ક્યાંથી શિથિલ હોય ? (૧૧) એક વખત નેમિપ્રભુને નમીને રથનેમિ માર્ગમાં જતાં વૃષ્ટિ વડે બાધિત કરાયેલા ગિરિની ગુફામાં પ્રવેશ્યા. (૧૨) રાજીમતી પણ વૃષ્ટિ વડે બાધિત થયેલી ત્યારે ત્યાં રહેલા રથનેમિને નહીં જાણતી તે જ ગુફામાં પ્રવેશી. (૧૩) અંધકાર હોવાથી કટીપ્રદેશ ઉપર સ્થાપન કરેલા ચક્ષુવાળા એવા તેને (૨થનેમિને) નહીં જોઈને મહાસતીએ વસ્ત્રોને સૂકવવા માટે આજુબાજુ નાખ્યા. (૧૪) સ્વર્ગલોકને જીતવા માટે જ તપક્રિયાને સાધતી, પાતળી, નિર્વસ્ત્ર એવી તેણીને જોઈને તેઓ (૨થનેમિ) ઉભા થઈ ગયેલા રોમાંચ વડે આકુળ થઈ ગયા. (૧૫) સૃષ્ટિનું સર્વસ્વ જ જાણે પિડિત થયેલું હોય એવી આ મૃગેશણા ખેદ છે કે, “એક વખત પણ મારા વડે ન ભોગવાઈ, ધિક્કાર છે મને ! મારો જન્મ નિરર્થક છે.” (૧૬) ભાઈના વૈરથી જ જાણે ન હોય (અર્થાત્ નેમિપ્રભુને કામ જીતી ન શક્યો માટે વૈર હતું.) એમ ત્યારે કામ વડે મર્મને વિષે તે (રથનેમિ) તે રીતે હણાયા કે, જે રીતે વિવશ થયેલા અન્તઃકરણવાળા એવા તેઓ પોતાના આત્માને પણ ભૂલી ગયા. (૧૭) જરાક કંપતા શરીરવાળા, વિહ્વળ એવા તે રથનેમિ સેવકની જેમ ઉઠીને પહોળી થયેલી દૃષ્ટિવાળા એવા તે તેણીની આગળ ઉભા રહ્યા. (૧૮) “હે ભદ્ર ! સ્વેચ્છાપૂર્વક આવ. આપણે બંને જન્મને સફળ કરીએ. પાછલી ઉંમરમાં તપવિધિને
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૭.
Page #301
--------------------------------------------------------------------------
________________
आगच्छ स्वेच्छया भद्रे कुर्खहे सफलं तनुः । उभावपि वयःप्रान्ते चरिष्यावस्तपोविधिम् ।।१९।। श्रुत्वेत्यश्रव्यमव्याजचित्ता संवीय वाससी । सती स्पष्टमभाषिष्ट धारयित्वाऽथ धीरताम् ।।२०।। महानुभाव ! संरम्भः कोऽयं ते भवकारणम् ? संस्मर स्वप्रतिज्ञां तां प्रव्रज्यां मा स्म विस्मरः ।।२१।। संयतीप्रतिसेवादि यदुक्तं बोधिघातकम् । श्रीमता नेमिनाथेन तत्तवाऽद्यैव विस्मृतम् ।।२२।। यदुक्तम्- संयतीप्रतिसेवायां धम्मोड्डाहर्षिघातयोः । देवद्रव्यविनाशे च बोधिघातो निवेदितः ।।२३।। पूर्वं गृहस्थया यस्त्वं मया वाचाऽपि नेहितः । साहं व्रतप्रतिज्ञायां त्वामद्य कथमाद्रिये ।।२४ ।। अहं श्री भोजवंशीया त्वमन्धककुलोद्भवः । इदं चाऽनुचितं कर्म द्वयोर्तीडाविवर्धकम् ।।२५ ।। अगन्धनकुले जातास्तिर्यञ्चो ये भुजङ्गमाः । तेऽपि वान्तं न चाऽश्नन्ति तदिच्छुस्त्वं ततोऽधिकः ।।२६।। इदं हि सफलं जन्म निःकलङ्कस्य देहिनः । खण्डितब्रह्मचर्यस्य धिगिदं जीवितं पुनः ।।२७।। यदि स्त्रीसङ्कले लोके 'निरास्थं हृदयं तव । न क्वापि स्थितिमाप्नोति वातोन्मूलितवृक्षवत् ।।२८ ।। वराटिकाकृते तस्मान्मा स्म कोटिं विनाशय । तस्माद्धीरत्वमाधाय शुद्धं धर्मं समाचर ।।२९।। इत्यादिमदनोन्माददर्पसप्पैकजाङ्गुलीम् । तदुक्तियुक्तिमाकर्ण्य चिन्तयामा-सिवानिदम् ।।३०।। स्त्रीजातावपि धन्याऽसौ निधानं गुणसम्पदाम् । कुकर्मजलधौ मनो धिगहं पुरुषोऽपि हि ।।३१।। अहो धीरत्वमेतस्या गृहवासदशावधि** । कोऽथवा जात्यरत्नस्य वेत्ति मूल्यमियत्तया ।।३२।।
१. निरास्तु ख । २. तस्माद्वीरत्वमाधाय डड । ३. गृहे ड। ** 'गृहस्थाऽवस्थातः आरब्धम्' इत्यर्थः । Kkkkkkkkkkkkkkkkkkkkkkkkkk १४८ इन्द्रियपराजयशतकम्
Page #302
--------------------------------------------------------------------------
________________
આપણે આચરીશું.” (૧૯) નહીં સાંભળવા યોગ્ય એવું આવું સાંભળીને નિર્વિકલ્પ ચિત્તવાળી સતી વસ્ત્રને ધારણ કરીને હવે ધીરતાને ધારણ કરીને સ્પષ્ટ રીતે બોલી, (૨૦) “હે મહાનુભાવ ! ભવનું કારણ એવો આ તારો કેવો સંભ્રમ છે ? તે પ્રવજ્યાની પોતાની પ્રતિજ્ઞાને યાદ કર પણ એને ભૂલ નહીં. (૨૧) શ્રીમદ્ નેમિનાથ ભગવંત વડે જે કહેવાયું છે કે, સંયતીની પ્રતિસેવનાદિ (સાધ્વીનો સંસર્ગાદિ) બોધિનું ઘાતક છે, તે તને આજે જ વિસરાઈ ગયું ? (૨૨) જે કારણથી કહેવાયું છે કે, સંયતીની પ્રતિસેવનામાં, ધર્મના ઉડ્ડાહમાં, ઋષિઘાતમાં અને દેવદ્રવ્યના વિનાશમાં બોધિનો ઘાત નિવેદન કરાયો છે. (૨૩) પહેલા ગૃહસ્થ એવી પણ મારા વડે જે તમે વચન વડે પણ નહોતા ઈચ્છાયા, તે હું વ્રત પ્રતિજ્ઞામાં રહેલી આજે તમને કેવી રીતે આદર કરું ? (૨૪) હું શ્રી ભોજવંશની છું અને તમે અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયા છો. આ અનુચિત કર્મ બન્નેને લજ્જા વધારનારું છે. (૨૫) અગધનકુળમાં જન્મેલા તિર્યંચ એવા પણ જે સર્પો છે, તેઓ પણ વમેલું નથી ખાતા, તેનાથી અધિક એવા તમે તેની ઈચ્છા (વમેલાની ઈચ્છા કરનારા) કેવી રીતે કરો ? (૨૭) નિષ્કલંક જીવોનો જ આ જન્મ સફળ છે. ખંડિત થયેલા બ્રહ્મચર્યવાળા જીવોના જીવિતને વળી ધિક્કાર છે. (૨૭) જો સ્ત્રીઓથી વ્યાપ્ત એવા લોકમાં તમારું હૃદય અસ્થિર છે, તો પવનથી મૂળથી ઉખડી ગયેલા વૃક્ષની જેમ ક્યાંય પણ સ્થિરતા પ્રાપ્ત નહીં કરે. (૨૮) તે કારણથી વરાટિકા માટે કોટિનો નાશ ન કર. આથી ધીરત્વને સ્થાપીને શુદ્ધ ધર્મનું આચર. (૨૯) આ પ્રમાણે મદનના ઉન્માદના દર્પરૂપી સર્પને વશ કરવા ઉત્તમ જાંગુલી સમાન તેણીની ઉક્તિની યુક્તિને સાંભળીને રથનેમિ આ પ્રમાણે વિચારવા લાગ્યા. (૩૦) “સ્ત્રીના અવતારમાં પણ ગુણસંપત્તિના નિધાન રૂપ આને ધન્ય છે. કુકર્મરૂપી સમુદ્રમાં મગ્ન, પુરુષ એવા પણ મને ધિક્કાર છે. (૩૧) ગૃહસ્થપણાથી જ આણીનું ધીરત્વ કેવું છે ? અથવા જાત્યરત્નનું મૂલ્ય, પ્રમાણ (આટલું છે) વડે કોણ જાણી શકે ? (૩૨) મારા વડે પહેલાં પણ અને હમણાં પણ તેણીથી વિરુદ્ધ આચરણ કરાયું. ધિક્કાર છે ! અથવા તો પુરુષોની લઘુતા અને ગુરુતા બંને અવસ્થાના વશથી થાય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૮
Page #303
--------------------------------------------------------------------------
________________
मया पूर्वमिदानीं च धिगाचीर्णमनीदृशम् । यद्वाऽवस्थावशात्पुंसां लघुता गुरुतापि च ।।३३।। तस्मादेषैव बन्धुर्मे गुरुर्वापि न संशयः ।। उद्धृतोऽहं महासत्या यया नरककूपतः ।।३४ ।। भावयित्वेति पुण्यात्मा श्रीमन्नेमिपदान्तिके । गत्वा दुश्चीर्णमालोच्य तपस्यां 'गाढमग्रहीत् ।।३५ ।। चतुर्वर्षशतप्रान्ते छाद्मस्थ्यं वर्षमेककम् । प्रपाल्य केवली जातः पञ्चवर्षशतानि सः ।।३६।। वर्षाधिका नवशतीं शरदामखिलायुषः । प्रपूर्य सर्व्वशुद्धात्मा रथनेमिः शिवं ययौ ।।३७ ।। अहो दौरात्म्यमेतेषां विषयाणामनुत्तरम् । यैरसौ चरमात्मापि चक्रे निजवंशवदः ।।३८ ।।
इति श्रीरथनेमिकथा ।।६९।। गाथा : मयणपवणेण, जइ तारिसा वि सुरसेलनिचला चलिआ ।
ता पक्क-पत्त-सत्ताण, इयर-सत्ताण का वत्ता ? ।।७०।। व्याख्या : मदनपवनेन कन्दर्पवातेन यदि सुरशैलनिश्चला मेरुधीरास्तादृशा अपि
श्रीआईकनन्दिषेणरथनेमिप्रभृतयोपि महामुनयश्चलिताश्चञ्चलचित्ता जातास्तदा पक्वपत्रसदृशानामपि हीनसत्त्वानां सामान्यप्राणिनां का वार्ता ? न कापीत्यर्थः ।।७।।
गाथा : जिप्पंति सुहेणं चिय, हरि-करि-सप्पाइणो महाकूरा ।
इक्कुञ्चिय दुजेओ, कामो कय-सिवसुहविरामो ।।७१।। व्याख्या : महाक्रूरा दुष्टाऽध्यवसायाः हरिकरिसर्पादयः सिंहहस्तिभुजङ्गमप्रभृतयो
जीवाः सुखेनैव जीयन्ते तत्तदुपायैः पुरुषैर्वशीकृत्य दम्यन्ते परं कृतशिवसुखविरामो दलितमोक्षः, अत एव कामो मन्मथो दुर्जेयः जेतुमशक्यः, उक्तं च,मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः ।
१. गाढमब्रवीत् ड, । २. बलात्कारेणेत्यर्थेऽव्यमिदम् ।
१४९ इन्द्रियपराजयशतकम्
Page #304
--------------------------------------------------------------------------
________________
(૩૩) તે કારણથી આ જ મારો બંધુ, ગુરુ પણ આ જ છે. એમાં કોઈ સંશય નથી. મહાસતી એવી જેથી વડે નરક રૂપ કૂવામાંથી ઉદ્ધાર કરાયો. (૩૪) આ પ્રમાણે ભાવના કરીને પવિત્રાત્મા એવા તેમણે શ્રીમદ્ નેમિનિની પાસે જઈને દુષ્ટ આચરણની આલોચના કરીને ગાઢ તપશ્ચર્યા ગ્રહણ કરી, (૩૫) (જન્મથી) ચારસો વર્ષને અંતે એક વર્ષ છદ્મસ્થપણામાં રહીને પાંચસો વર્ષ સુધી તે કેવલીપણામાં રહ્યા. (૩૬) નવસો ને એક વર્ષનું આખું આયુષ્ય પૂર્ણ કરીને સર્વ શુદ્ધાત્મા રથનેમિ મોક્ષે પધાર્યા. (૩૭) આ વિષયોનું દુરાત્મપણું ખરેખર કેવું અનુત્તર છે કે, જેઓ વડે આ ચરમ શરીરી પણ પોતાને વશ કરાયા. (૩૮) એ પ્રમાણે શ્રી રથનેમિની કથા છે. IIકલા
ગાથાર્થ મદન રૂપી પવન વડે જો મેરુગિરિ જેવા નિશ્ચલ (ધીર) એવા પણ ચલિત
કરાયા, તો પાકેલા પાંદડા જેવા (હીન) સત્ત્વવાળા બીજા સામાન્ય
પ્રાણીઓની તો શું વાત ? I૭all ભાષાંતરઃ મદન પવન અર્થાત્ કંદર્પ રૂપી વંટોળિયા વડે જો સુરશૈલ નિશ્ચલ અર્થાત્
મેરુ જેવા ધીર એવા પણ શ્રી આદ્રક, નદિષેણ, રથનેમિ વગેરે મહામુનિઓ પણ ચલિત એટલે ચલચિત્તવાળા થયા. ત્યારે પાકેલા પાંદડા જેવા અર્થાતુ હીન સત્ત્વવાળા સામાન્ય પ્રાણીઓની તો શું વાત ? કોઈ જ
વાત ન થાય. અર્થાત્ તેઓ તો ચોક્કસ ચલિત થાય. /૭ll ગાથાર્થ : મહાક્રૂર એવા સિંહ, હાથી, સર્પ આદિ જીવો સુખપૂર્વક જ જીતાય છે.
શિવસુખમાં બાધા જેણે કરી છે એવો એક કામ જ દુર્જેય છે. ૭૧
ભાષાંતરઃ મહાક્રૂર, દુષ્ટ અધ્યવસાયવાળા એવા હરિ કરિ સર્પાદિ અર્થાત્ સિંહ, હાથી
અને ભુજંગમાદિ જીવો સુખપૂર્વક જ જીતાય છે. અર્થાત્ તે તે ઉપાય વડે પુરુષો વડે વશીકૃત કરીને દમન કરાય છે. પણ કરાયો છે શિવસુખનો વિરામ જેના વડે અર્થાત્ દળી નાખ્યો છે મોક્ષ જેણે એવો કામ-મન્મથ તે દુર્જેય અર્થાત્ જીતવા માટે અશક્ય છે. કહ્યું છે કે –
ઝઝઝઝઝઝઝઝ
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૯
Page #305
--------------------------------------------------------------------------
________________
किन्तुब्रवीमिकृतिनांपुरतःप्रसह्य कन्दर्पदर्पदलनेविरलामनुष्याः।।१।। [शुङ्गारशतक गाथा-५९परपित्यध्याहार्यम्, 'णियचेयचियञ्च अवधारणे' (सिल ८-२-१८४) इतिचियइतिगाथार्थः ।।७१।।
गाथा : विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ।
अइदुज्जेयाणि य इंदियाइं तह चंचलं चित्तं ।।७२।। अत्र ग्रन्थ इयमग्रिमा गाथा 'थेवमसार' मित्यादिरूपा नाऽलेखि, परं सम्बन्धानुवृत्त्या वृत्तिकारेण लिख्यतेथेवमसारं सत्तं, मोहणवल्ली अ महिलियाओ वि । इइ कहवि चलिअचित्तो, ठावए एवमप्पाणं ।। युग्मम् ।।
व्याख्या : जीवानां प्राणिनामनादिभवभावनयाऽभ्यस्तत्वेन विषमा विषयपिपासा
दुस्तरा भोगतृष्णा अति दुर्जेयानि चेन्द्रियाणि तथा चञ्चलं चित्तं चपलं नोइन्द्रियम् । ननु सत्त्वेन तृष्णां निरोत्स्यन्तीत्याहः- 'थेव' मिति स्तोकमत्यल्पम्, असारं क्षणभङ्गरं, सत्त्वं चित्तधाष्ट्र्यं महिलाश्च स्त्रियो मोहनवल्लयः स्वभावेनैव मोहोत्पादिका इति= एवंप्रकारैश्चलितचित्तः प्राणी, कथमपि, एवं पूर्वोक्तस्त्रीसंसर्गवर्जनभङ्गयाऽऽत्मानं स्थापयेत् । शीलभङ्गं न प्राप्नोतीत्यर्थः ।।७२।।
गाथा : कलमल-अरइ-अभुक्खा,-वाही-दाहाइ-विविहदुक्खाई ।
मरणं पि हु विरहाइसु, संपजइ कामतविआणं ।।७३।।
१. व्याणि इंदियाणि मुद्रिते । असुक्खं मुद्रिते । ३. मरणं पि अ विरहा... डड ड, ।
१५० इन्द्रियपराजयशतकम्
Page #306
--------------------------------------------------------------------------
________________
ભૂમિ ઉપર મત્ત હાથીના કુંભને દળી નાખવામાં ઘણા શૂરવીર હોય, કોઈ વળી પ્રચંડ એવા સિંહનો વધ કરવામાં હોંશિયાર હોય પરંતુ બળાત્કાર વડે પંડિતોની આગળ હું કહું છું કે કંદર્પના દર્પનું દલન કરનાર વિરલ મનુષ્યો જ હોય છે. II૭૧. “પરમ્’ શબ્દ અધ્યાહારથી લેવાનો છે. એટલે પરંતુ એક કામ જ દુર્જય છે. ળિયેવિય-વધારો (સિ.૮-૨-૧૮૪)એ સૂત્રથી વિય' અવધારણ
અર્થમાં છે. ગાથાર્થ : જીવોને અનાદિ ભવભાવના વડે (અભ્યાસ હોવાથી) વિષય પિપાસા વિષમ
(ભોગતૃષ્ણા દુસ્તર) છે તથા ઈન્દ્રિયો અતિ દુર્જય છે, ચિત્ત ચંચળ છે. (ખરેખર સત્ત્વથી તૃષ્ણા દૂર કરાતી હોવાથી આગળ કહે છે) - સત્ત્વ અલ્પ, અસાર છે. સ્ત્રીઓ મોહનવેલી છે. (મોહને ઉત્પન્ન કરનારી છે) એ પ્રમાણે (હોતે છતે) ચલિત ચિત્તવાળો પુરુષ આત્માને કેમ કરીને સ્થાપન કરે. અર્થાત્ શીલભંગને પ્રાપ્ત ન કરે. ll૭૨ અહીં ગ્રંથમાં આ આગળની ગાથા નથી, પણ સંબંધ બેસતો હોવાથી વૃત્તિકાર
ભગવંતે લખી છે. ૭૨ ભાષાંતરઃ જીવોને - પ્રાણીઓને અનાદિ ભવભાવના વડે અર્થાતુ અભ્યસ્તપણા
વડે વિષમ એવી વિષયપિપાસા અર્થાત્ દુતર - દુઃખે કરીને નિવારી શકાય એવી ભોગતૃષ્ણા અને અતિ દુર્જેય એવી ઈન્દ્રિયો તથા ચંચલ ચિત્ત એટલે કે ચપળ એવું મન છે. ખરેખર સત્ત્વ વડે જ તૃષ્ણાને નિવારી શકાય માટે કહે છે - “બેવ..' અતિ થોડું, અતિ અલ્પ, અસાર, ક્ષણભંગુર એવું સત્ત્વ છે. અર્થાત્ ચિત્તની દઢતા, સ્થિરતા છે. મહિલા સ્ત્રીઓ તે મોહનવેલીઓ છે. સ્વભાવથી જ મોહ ઉત્પાદિકા છે. આવા પ્રકારો વડે ચલિત ચિત્તવાળો જીવ કેમે કરીને આ પ્રમાણે પહેલા કહેવાયેલા સ્ત્રી સંસર્ગ વર્જનરૂપે આત્માને સ્થાપન
કરે ? અર્થાત્ શીલભંગથી બચેલો રહે ? II૭૨I ગાથાર્થ : કલમલ, અરતિ, ખોરાકની અરૂચિ વ્યાધિ, દાહ આદિ વિવિધ દુઃખો જ
નહીં, પરંતુ કામ વડે સંતપ્ત જીવોને નિચ્ચે (સ્ત્રીથી) વિરહાદિ હોતે છતે મરણ પણ પ્રાપ્ત થાય છે. I૭૩ll.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૦
Page #307
--------------------------------------------------------------------------
________________
व्याख्या : कलमलो= लाम्पट्यात्तदप्राप्तौ चित्तक्षोभः अरतिर्गादं चित्तक्षोभः, अबुभुक्षा
तत्तचिन्ताव्याकुलितान्तरत्वादरोचकम, व्याधिरादिसम्भवः, दाहस्तापोद्रेक: आदिशब्दान्मूर्छाद्यसुखानि, न केवलमेतानि जायन्ते मरणं= प्राणत्यागोऽपि, हुरवधारणे' कामसन्तप्तस्य विरहादिषु स्त्रीवियोगादिषु सम्पद्यन्ते मरणान्ता दशाऽप्यवस्थाः प्राणी स्मरातुरतयाऽनुभवति । यदुक्तम् - प्रथमे त्वभिलाषः स्याद् द्वीतीये ह्यर्थचिन्तनम् । अनुस्मृतिस्तृतीये च चतुर्थे गुणकीर्तनम् ।। ।।१।। उद्वेगः पञ्चमे ज्ञेयो विलापः षष्ठ उच्यते । उन्मादः सप्तमे ज्ञेयो भवेद् व्याधिरथाष्टमे ।। ।।२।। नवमे जडता प्रोक्ता दशमे मरणं भवेत् । तथा च - सव्याधेः कृशता, क्षतस्य रुधिरं, दष्टस्य लालास्रुतिः, सर्वं नैतदिहास्ति तत्कथमसौ पान्थो वराको मृतः ? आ ज्ञातं मधुलम्पटैर्मधुकरैराबद्धकोलाहले, नूनं साहसिकेन चूतमुकुले दृष्टिः समारोपिता ।। इति गाथार्थः ।।७३।।
गाथा : पंचिंदिय विसय पसंगरेसि, मणवयणकाय नवि संवरेसि ।
तंवाहिसि कत्तिय गल पएसिजं अट्ठ कम्म नवि निजरेसि ।।७४।। व्याख्या : अथ ग्रन्थकार आत्मानमेवानुशास्ति रे जीव पंचिंदियविसय पसंगरेसीत्यत्राक्षरच्युतकम्, करेसीत्यवसेयम् ।
अथ ग्रन्थकार आत्मानमेवानुशास्ति रे जीव पंचिंद्रियविसय पसंगरेसीत्यगाक्षरच्युतकम्, करेसीत्यवरेयम् ।। *नैषधेऽपि निपीय यस्य क्षितिरक्षिणः कथास्तथाद्रियन्ते न बुधाः सुधामपि" इत्यत्र वसुधामपि, इतिवत् । पञ्चेन्द्रियाणि विषयाश्च तेषु प्रसङ्गमासक्तिं यत् करोषि
विदधासि । तथा मनोवचःकायांश्च यन्न संवृणोषि मनोवाक्कायव्यापारान् १. स्तापोद्रेकः आदौ येषां, मूर्छादीनां एवंविधानि यानि दुःखानि मूर्छादिरूपानेकसुखानि न
केवलमेतानि ... ड। २. सुरवश्यं ख । ३. इति यत् ड। * श्री हर्षप्रणीतम् श्रीनैषधीयचरितमहाकाव्यम् ।
१५१ इन्द्रियपराजयशतकम्
Page #308
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ કલમલ અર્થાત્ લાંપસ્ય-આસક્તિ હોવાથી તે વિષય જો પ્રાપ્ત ન થાય
તો ચિત્તનો ક્ષોભ, અરતિ એટલે ગાઢ ચિત્તનો ક્ષોભ, અબુભક્ષા તે તે વિષયોની ચિંતા વડે વ્યાકુળ મન હોવાથી અરુચિપણું, વ્યાધિ તે વર આદિથી સંભવતુ દુઃખ, દાહ એટલે અતિશય તાપ, આદિ શબ્દથી મૂચ્છ આદિ અસુખને ગ્રહણ કરવા. ફક્ત આ જ (દુઃખો) નથી થતા પણ મરણ એટલે કે પ્રાણત્યાગ પણ થાય છે. “દુ' અવશ્ય અર્થમાં છે, કામમાં સંતપ્ત જીવોને વિરહાદિ અર્થાત્ સ્ત્રીના વિયોગાદિ હોતે છતે મરણ છે. અંતમાં એવી દશા-અવસ્થા પ્રાપ્ત કરે છે અને તે સ્મરની આતુરતા વડે જીવો અનુભવે છે. જે કારણે કહ્યું છે કે – (કામમાં આસક્ત જીવને) પહેલા અભિલાષ થાય છે. બીજે નંબરે પદાર્થનું ચિંતન, ત્રીજે એ પદાર્થની વારંવાર સ્મૃતિ, ચોથે એના ગુણોની પ્રશંસા થાય, પાંચમે ઉગ જાણવો, છછું વિલાપ કહેવાય છે, સાતમે નંબરે ઉન્માદ જાણવો અને વ્યાધિ આઠમે થાય, નવમે જડતા કહેવાયેલી છે અને દશમે મરણ થાય છે અને વળી કહ્યું છે કે – વ્યાધિગ્રસ્ત માણસ દુબળો હોય, છેડાયું હોય-ઘા પડ્યો હોય તો લોહી નીકળે, (સાપ) હંસેલા માણસને મોઢામાંથી લાળ ઝરે, અહીં (આ માણસમાં) આ બધું નથી, તો આ બિચારો મુસાફર શી રીતે મર્યો ? હા ! જણાયું. મધમાં લંપટ બનેલા ભમરાઓએ મચાવેલા કોલાહલવાળી આંબાની મંઝરી ઉપર દૃષ્ટિ સ્થાપના કરી. (તેથી ભમરાઓને એમ લાગ્યું કે આ મુસાફર મંઝરી લઈ લેશે, તેને
કરડ્યા, ઝેર ચડ્યું માટે મરી ગયો.) I૭૩ll ગાથાર્થ : (હે જીવ !) (જે તું) પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિને કરે છે. મન,
વચન અને કાયાને સંવરતો નથી (અને વળી) જે આઠ કર્મોની નિર્જરા પણ નથી કરતો, તે તું સ્વયં જ તારા ગળા ઉપર છરીને (ધારણ કરે
છે) મૂકે છે. ૭૪. ભાષાંતરઃ હવે ગ્રન્થકાર આત્માને શિખામણ આપે છે. રે જીવ ! “gવલિય-વિસર્ષ
પસંજસિ' અહીં એક અક્ષરથી વિકલ એવું પદ છે, માટે રેસિ એ પ્રમાણે લેવું. જેમ કે જે નળ રાજાની કથા સાંભળીને પંડિતજનો પૃથ્વીનો પણ તેટલો આદર કરતા નથી. અહીં સુધા અર્થાત્ વસુધા અર્થ કરવાનો છે. પંચેન્દ્રિયો અને તેના) જે વિષયો તેને વિષે પ્રસંગ અર્થાત્ આસક્તિને
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૧
Page #309
--------------------------------------------------------------------------
________________
असंयममार्गे यत्प्रवर्तयसीत्यर्थः । यद्वा पञ्चेन्द्रियविषयप्रसङ्गार्थं मनोवचःकायान् यन्न संवृणोषीति योगः । अपभ्रंशे तादये द्योत्ये रेसीति निपातः यदुक्तं प्राकृते शब्दानुशासने तादर्थ्य केहिते हिरेसि रेसिंताणे णा (सि० ८-४-४२५) इति । तथा यदष्टकर्माणि ज्ञानावरणीयादीनि, अपिरवधारणार्थः । नैव निर्जरयसि यन्न मूलत उन्मूलयसीत्यर्थः । तत् त्वं गलपदे= स्वीयनिगरणप्रदेशे, कर्तरी कृपाणी वाहयसि, गलकन्दले. कृपाणी च्छेदनाय ददासीत्यर्थः ।।७४ ।।
गाथा : किं तुमंधोसि किं वासि धत्तूरिओ,
अहव किं संनिवाएणआऊरिओ । अमयसमधम्मु जं विसं व अवमनसे,
विसयविसविसमअमयं व बहुमत्रसे ।।७५।। व्याख्या : रे आत्मन् तत् किं त्वमन्धोसि गताऽक्षोऽसि ? वा=अथवा, किं त्वं
धत्तूरितोऽसि* ? भक्षितमातुलपुत्रकबीजोऽसि ? अथवा सन्निपातेन = वातपित्तश्लेष्मणामेकत्रावस्थानं सन्निपातस्तेन किं आपूरितो व्याप्तोऽसि सन्निपातितो वर्तसे ? इत्यर्थः । यत् त्वं अमृतसमं पीयूषपानोपमं धर्म विषयनिवृत्तिरूपं विषमिव अवमन्यसे अवहेलयसि यथा विषमवगण्यते, तथा धर्ममपि सुधातुल्यं अवगणयसीत्यर्थः । तथा विषमं दुःसहं संयमजीवितव्यपरोपणाद्विषयविषं अमृतमिव बहु मन्यसे बहुमानयसि, अत्र ते अतत्त्वबुद्धिविलसितमेव बीजम्, भ्रान्तो हि सत् असदिव जानीते, असत् सदिव ।।७५।।
१. विसव मुद्रिते । २. अमियं व मुद्रिते । 3. मन्यते खडड ड । ** कदल्युपमे गले इत्यर्थः ।
१५२ इन्द्रियपराजयशतकम्
Page #310
--------------------------------------------------------------------------
________________
જે તું કરે છે અને મન, વચન અને કાયાને જે સંવરતો નથી. અર્થાત્ મનવચન-કાયાને અસંયમ માર્ગે પ્રવર્તાવે છે અથવા પંચેન્દ્રિયના વિષય ઉપર આસક્તિ હોવાથી મન, વચન અને કાયાને સંવરતો નથી એમ જોડવું. અપભ્રંશ, તાદર્થ્ય અને ઘોતિત કરવું એ અર્થમાં “સી” એ શબ્દનિપાત થયો છે. જે કારણે પ્રાકૃત શબ્દાનુશાસનમાં કહ્યું “તાવ ઋહિતે દિસિતાને
' (સિ. ૮-૪-૪૨૫) તથા જે જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોને, ‘આપ’ શબ્દ અવધારણ અર્થવાળો છે. અર્થાત્ અવશ્ય નિર્જરતો નથી અર્થાત્ મૂળથી તેઓનું ઉમૂલન નથી કરતો, તે બધું ગલપદે અર્થાત્ પોતાના ગળાના ભાગ ઉપર, કર્તરી એટલે (છરીને વહન કરાવે છે. અર્થાત્ કેળની ઉપમાવાળા
(કોમળ) ગળા ઉપર છેદવા માટે છરીને મૂકે છે. I૭૪ો. ગાથાર્થઃ રે આત્મા!તું શું આંધળો છે? અથવા શું ધતૂરાને તું ખાઈ ગયો છે? અથવા
શું સન્નિપાત વડે તું વ્યાપ્ત છે? કે જે કારણે અમૃત જેવા ધર્મને વિષની જેમ અવગણે છે અને વિષમ એવા વિષય રૂપી વિષને અમૃતની જેમ બહુમાને છે. (બહુમાન કરે છે.) છપા
ભાષાંતરઃ રે આત્મા ! તે શું તું આંધળો છે - ચાલી ગયેલી આંખવાળો છે ?
અથવા શું તું ધતૂરિત છે ? અર્થાત્ ખાધેલું છે માતુલ પુત્રક બીજા જેણે એવો છે ? અથવા સન્નિપાત વડે અર્થાત્ વાત, પિત્ત, ગ્લેખ એ ત્રણેનું એક સાથે રહેવું તે સન્નિપાત, તેના વડે આપૂરિત અર્થાત્ વ્યાપ્ત છે. એટલે તને શું સન્નિપાત થયો છે કે જે અમૃત જેવું, પીયુષના પાન (પીવા)ની ઉપમાવાળા ધર્મને અર્થાતુ વિષયથી નિવૃત્તિરૂપ જે ધર્મ તેને વિષની જેમ અપમાને છે, અવગણના કરે છે. જેમ વિષની અવગણના કરાય એ રીતે અમૃત જેવા ધર્મની અવગણના કરે છે, તથા વિષમ એટલે દુઃસહ, સંયમ જીવનનો નાશ કરતા હોવાથી વિષમ એવા વિષય રૂપી વિષને અમૃતની જેમ બહુમાને છે. અહીં તારી અતત્ત્વ બુદ્ધિનું જ ચેષ્ટિત (કાર્ય) મૂળમાં છે. ભ્રમવાળો જ અસને સત્ અને સતુને અસત્ અર્થાત્ સારાને ખરાબ અને ખરાબ વસ્તુને સારી જાણે. ૭પી.
ઈન્દ્રિયપરાજયશતક ઉપર
Page #311
--------------------------------------------------------------------------
________________
गाथा : तुज्झ तव-नाण-वित्राण-गुणडम्बरो,
जलणजालासु निवडन्तु जिअ निब्भरो ।। पयइ वामेसु कामेसु जं रजसे,
जेहि पुण पुण वि नरयानले पञ्चसे ।।७६।। व्याख्या : हे जीव ! आत्मन् ! तव तपोज्ञानविज्ञानगुणानां = तपश्च चतुर्थषष्ठाष्टमादि,
ज्ञानं च शास्त्रावबोधो, विज्ञानं च क्रियासु कौशलं, गुणाश्च धैयौदार्य्यदाक्षिण्यादयस्तेषां डम्बर आडम्बर आटोप इत्यर्थः । स 'नि:भरि' त्ति' तृतीयार्थे प्रथमा, निर्भरेणातिशयेन, ज्वलनज्वालासु अग्निशिखासु निपततु विशतु गुणगणस्तव सर्वोऽपि भस्मसाद् भवत्वित्यर्थः । 'निवडंतु' इत्यत्र बिन्दुलोपः* प्राकृतत्वात् । यत् त्वं प्रकृत्या स्वभावेन वामेषु मोक्षमार्ग प्रति प्रतिकूलेषु कामेषु शब्दादिविषयेषु रज्यसे “रञ्ज रागे" कर्मकर्त्तरि यक् - स्वयमेव रक्तो भवसि । विषयांस्त्यक्तुं न शक्नोषीत्यर्थः । यैः कामैस्त्वं पुनः पुनरपि भूयो भूयोऽपि नरकाऽनले नरकाग्नौ पच्यसे । कामैर्हि बहुशो नरकावाप्तौ, अग्निकुम्भीषु पचनं सुलभमेव ।।७६ ।।
गाथा : दहइ गोसीस सिक्खंड-छारक्कए छगल-गहण?मेरावणं ।
विक्कए कप्पतरु तोडि एरण्ड सो वावए, जुजि विसएहि मणुअत्तणं हारए ।।७७।।
१. तह मुद्रिते । *मातुको धत्तूरः, मातुलपुत्रकं-धत्तूरफलमि त्यर्थः । २. सिरिखंड मुदिते । ३ जू जि
मुद्रिते । * 'ह्रस्वः संयोगे' (सि०८-१-८४) सूत्रेण संयुक्तव्यञ्जनात्पूर्वः स्वरो हस्वो भवति । + "निवडंतु" इत्येतत् प्राकृतरूपम्, अतः बिन्दुलोपः कर्तुं शक्यत इत्यर्थः । पाणिनीये धातुपाठे
भ्वादिषु १०२४ तमोऽयं धातुः ।। 'कुषिरञ्जोः' (पाणिनि. १-३-९०) सूत्रेण, 'कुषिरओप्प्ये वा परस्मै च' (सि० ३-४-७४) सूत्रेण वा "रज्यति" सिध्यति ।
१५३ इन्द्रियपराजयशतकम्
Page #312
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ: હે જીવ! તારા તપ, જ્ઞાન, વિજ્ઞાન અને ગુણોનો વિસ્તાર અતિશય વડે
અત્યંત રીતે અગ્નિની જ્વાળામાં પડો. કારણે () વામ એવા (મોક્ષમાર્ગ માટે પ્રતિકૂળ એવા) કામોને વિષે સ્વભાવથી જ રજિત થાય છે અને જેઓ વડે (જે વિષયો વડે) ફરી ફરી નરકરૂપી અગ્નિમાં પકાવાય છે. આવા
ભાષાંતર: હે જીવ ! હે આત્મા ! તારા તપ, જ્ઞાન, વિજ્ઞાન અને ગુણોનો, તપ -
ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ, જ્ઞાન તે શાસ્ત્રનો અવબોધ, વિજ્ઞાન તે ક્રિયાઓમાં કૌશલ, ગુણો, વૈર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય આદિ ગુણો, તેઓનો. ડમ્બર અર્થાતું આડમ્બર, આટોપ વિસ્તાર તે ‘નિમર' એ તૃતીયાના અર્થમાં પ્રથમા છે. માટે “નિર્ભરે' અતિશય વડે (અત્યંત રીતે), જ્વલન જ્વાલા એટલે અગ્નિ શિખાઓને વિષે પડો, પ્રવેશ કરો. તારો સર્વ પણ ગુણોનો સમૂહ ભસ્મસાત્ થાઓ. (નિવડંતુ એ પ્રમાણે અહીં પ્રાકૃત હોવાથી બિન્દુનો લોપ શક્ય છે, પણ થયો નથી. જે તે પ્રકૃતિથી જ અર્થાત્ સ્વભાવથી જ વામ એટલે કે મોક્ષમાર્ગ માટે પ્રતિકૂળ એવા કામ અર્થાત્ શબ્દાદિ વિષયો તેને વિષે રાગ કરે છે. * “ર રા” કર્મકર્તરિ અર્થમાં યજ્ઞ પ્રત્યય માટે સ્વયં જ રાગવાળો થાય
છે. એ પ્રમાણે અર્થ છે. વિષયોનો ત્યાગ કરવા માટે શક્યમાન નથી. જે કામો વડે તું ફરી ફરી નરક રૂપી અગ્નિમાં પકાવાય છે. કામો વડે જ ઘણી વાર નરકની પ્રાપ્તિ થયે છતે અગ્નિકુમ્ભીઓમાં પકાવવું તે સુલભ
જ છે. ૭કો ગાથાર્થ : જે જે વિષયો વડે મનુષ્યત્વને હારે છે, તે ભસ્મને માટે ગોશીર્ષ (ચંદન) અને
શ્રીખંડને બાળવાનું કરે છે, એ રાવણ હાથીને વેચીને બોકડાને ખરીદવા જેવું કરે છે. કલ્પવૃક્ષને ઉખેડીને ત્યાં એરંડને વાવવાનું કરે છે. I૭૭
પાણિની ધાતુપાઠમાં આ સ્વાદિ ધાતુઓમાં ૧૦૨૪મો ધાતુ છે. સુષિરો (પનિ ૨-૩૧૦) સૂત્ર વડે અથવા “દિવ્ય વા પર ' (. રૂ-૪-૭૪) સૂત્ર વડે “ચંતિ' રૂપ સિદ્ધ થાય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૩
Page #313
--------------------------------------------------------------------------
________________
व्याख्या : 'जुज्जित्ति यो यो विषयैर्मनुजत्वं हारयति = विषयासक्ततया मानुषभवं
विफलयति, स्वर्गमोक्षफलप्राप्तिलक्षणफलहारणात्, स एवंविधो ज्ञेयस्तदेव दर्शयति, गोशीर्ष-हरिचन्दनं श्रीखण्डं-मलयजस्तयोः खण्डं शकलं क्षारकृते भस्मनिमित्तं दहति भस्मीकरोति । भस्मनिमित्तं गोशीर्षश्रीखण्डे ज्वलने क्षिपतीत्यर्थः । तथा छगलश्छागस्तद्ग्रहणार्थं ऐरावणं शक्रद्विपं विक्रीणीते शक्रगजं विक्रीय छगलं क्रीणातीत्यर्थः, तथा कल्पतरूं कल्पवृक्षं, त्रोटयित्वा=उल्लूय, एरण्डं पञ्चागुलं वपति तत्स्थाने आरोपयतीत्यर्थः, आर्षत्वाद्विभक्तिलोपः ।।७७।।
गाथा : अधुवं जीविअं नशा, सिद्धिमग्गं विआणिआ ।
विणिअट्टिज भोगेसु, आउं परिमियमप्पणो ।।७८।। व्याख्या : हे आत्मन् ! जीवितं प्राणान्, अध्रुवमशाश्वतम्,
तथा च हारिलवाचकःचलं राज्यैश्वर्यं धनकनकसारः परिजनो, नृपाद् वाल्लभ्यं च चलममरसौख्यं च विपुलम् । चलं रूपारोग्यं चलमिह वरं जीवितमिदं, जनो दृष्टो योऽसौ जनयति सुखं सोऽपि चपलः ।।१॥[ ] णञ्चा=ज्ञात्वा 'ज्ञो णव्व णज्जौ' (सि० ८-४-२५२) इति जानातेः कर्मभावे 'णञ्च णज्ज' इत्यादेशौ भवतः । सिद्धिमार्ग मुक्तिपथं सम्यग्ज्ञानदर्शनचारित्ररूपं शाश्वतसुखकारिणं विज्ञाय, तथा आत्मनः स्वस्य परिमितं प्रमाणोपेतं वर्षशतादिरूपं अतिशयेनाऽल्पमित्यर्थः, आयुर्ज्ञात्वा तृतीयार्थे सप्तमी भोगेभ्यो विनिवर्तस्व विरम, 'वर्तमान भविष्यन्त्योश्च 'ज ज्जा' (सि०८-३-१७७) इति वर्तमानाया भविष्यन्त्याश्च विद्यादिषु च विहितस्य प्रत्ययस्य स्थाने इत्येतावादेशौ वा भवतः, 'हसेज हसेज्जा हसतु हसेद्वेतिवत् ।।७८।।
१.
चरं ड । २ हसेज हसेज ख ।
१५४ इन्द्रियपराजयशतकम्
Page #314
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર :નુજ્ઞ જે જે વિષયો વડે મનુષ્યત્વને હારે છે અર્થાત્ વિષયમાં
આસક્તપણા વડે મનુષ્યનો ભવ નિષ્ફળ કરે છે - સ્વર્ગ-મોક્ષરૂપ ફળની પ્રાપ્તિરૂપ જે ફળ તેને હારી જવાથી નિષ્ફળ કરે છે, તે (પુરુષ) આવા પ્રકારનો જાણવો. તે બતાવતા કહે છે – ગોશીષ એટલે હરિચંદન અને શ્રીખંડ એ મલયગિરિમાં થતુ ઉત્તમ ચંદન તે બંનેનો ખંડ એટલે ટૂકડાને, તે ક્ષાર એટલે ભસ્મને મેળવવા માટે બાળે છે. એટલે કે ભસ્મ જેવી અસાર વસ્તુને માટે ગોશીષ શ્રીખંડને અગ્નિમાં નાખે છે તથા છગલ એટલે છાગ (બોકડો) તેને ગ્રહણ કરવા માટે ઐરાવણ તે ઈન્દ્રનો હાથી તેને વેચે છે. ઈન્દ્રના હાથીને (ઉત્તમ પ્રાણી) વેચીને છાગને (તુચ્છ પ્રાણીને) ખરીદે છે તથા કલ્પતરુને એટલે કલ્પવૃક્ષને તોડીને લણીને એરંડ એટલે પંચાંગુલને (તુચ્છ વનસ્પતિ) વાવે છે. અર્થાત્ તેના સ્થાને આરોપે છે. અહીં આર્ષપ્રયોગ
હોવાથી વિભક્તિનો લોપ થયેલ છે. II૭૭ી. ગાથાર્થ: હે આત્મા ! જીવિતને અધ્રુવ જાણીને, મુક્તિના માર્ગને જાણીને, પોતાના
પરિમિત આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ. ૭૮ ભાષાંતર હે આત્મા ! જીવિતને અર્થાત્ પ્રાણોને, અધ્રુવ - અશાશ્વત છે, એમ
જાણીને અને વળી હારિલવાચકે કહ્યું છે કે – રાજ્ય, ઐશ્વર્ય, ધન, કનક અને સારભૂત બધું, પરિજન, રાજાની મહેરબાની બધું અનિત્ય છે.વિપુલ એવું દેવનું સુખ પણ અનિત્ય છે, રૂપ અને આરોગ્ય પણ ચલ છે. શ્રેષ્ઠ એવું આ જીવિત પણ ચલ છે. જે આ દેખાતો લોક સુખને કરે છે, તે લોક પણ ચપળ છે.” જ્ઞો ધ્વ જ્ઞો' (સિ. ૮-૪-૨૫૨) એ સૂત્રથી જ્ઞ ધાતુનો કર્મભાવમાં
આદેશો થાય છે. સિદ્ધિમાર્ગ અર્થાત્ મુક્તિપથને - સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, શાશ્વત સુખને કરનારા એવા એ માર્ગને જાણીને તથા પોતાના પરિમિત અર્થાત્ પ્રમાણ સહિત સો વર્ષ વગેરે રૂપ પ્રમાણ અર્થાત્ અતિશય અલ્પ એવા આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ, નિવર્તન કર. “મોકલું' એ તૃતીયાના અર્થમાં થયેલી સપ્તમી વિભક્તિ છે.
• પાંચ આંગળીઓ જેવા પાંદડા છે જેના તે એરંડ તે જ પંચાગુલ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૪
Page #315
--------------------------------------------------------------------------
________________
गाथा : सिवमग्गसंठिआण वि, जह दुजेआ जियाण पुण विसया ।
तह अन्नं किं पि जए, दुजे नत्थि सयले वि ।।७९।। व्याख्या : यथा शिवमार्गे संस्थितानामपि जीवानां पुनर्विशेषे विशेषेण विषया
जेतुमशक्याः । तथा अन्यत्किमपि सकलेऽपि जगति दुर्जेयं नास्ति,
सुभटकोटिरपि सुजेया परं दुर्जेया विषया इति भावः ।७९ । गाथा : सविडंकुब्भडरूवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी ।
आयहि चिंतंता, दूरयरेणं परिहरंति ।।८।। व्याख्या : सविटङ्कोद्भटरूपा इत्यत्र विटङ्को विबन्धः शुभाध्यवसायस्खलनं,
'टकिबन्धन * ' इति वचनात् सह विटङ्केन वर्तत इति सविटङ्कमुद्भटमुदारं सविटङ्कमुद्भटं रूपं यस्याः सा तथा दृष्टा विलोकिता मोहयति विचित्ततां नयति या काचिन्मनोऽन्तःकरणं स्त्री योषित् तामात्महितं स्वपथ्यं चिन्तयन्तो गणयन्तः साधवः दूरतरेण गाढं दूरेण परिहरन्ति वर्जयन्तीति । यतः - 'वातोद्भूतो दहति हुतभुग्देहमेकनराणां, मत्तो नागः कुपितभुजगश्चैकदेहं निहन्ति । ज्ञानं शीलं विनयविभवौदार्यविज्ञानदेहान्, सर्वानर्थान् दहति वनिताऽऽमुष्मिकांश्चैहिकश्च ।।१।। इति । ।
१. पणविषया मुद्रिते। *** पाणिनीये धातुपाठे चुरादौ १०५ तमोऽयं धातुः । xkkkkkkkkkkkkkkkkkkkkkkkkk १५५ इन्द्रियपराजयशतकम्
Page #316
--------------------------------------------------------------------------
________________
વિટ્ટ' એ વર્તમાનમવિષ્યોશ' 4 3 વા’ (fસ. ૮-૨-૭૭) સૂત્રથી વર્તમાન અને ભવિષ્યત્તિના વિધિ વગેરેમાં થયેલા પ્રત્યય સ્થાને
' એ પ્રમાણે આદેશો વિકલ્પ થાય છે. હસેઝ, હસેHI - હસતુ, દક્ષેત્ થાય એની જેમ. II૭૮.
ગાથાર્થ : જે કારણે શિવમાર્ગમાં સારી રીતે સ્થિતિને કરેલા જીવોને પણ વિશેષ કરીને
વિષયો દુર્જેય છે, તે કારણથી આખા જગતમાં દુર્જેય બીજું કંઈ પણ નથી. Il૭૯.
ભાષાંતરઃ જે કારણે શિવમાર્ગમાં સંસ્થિત અર્થાત્ સારી રીતે સ્થિતિ કરેલા એવા
જીવોને પણ વિશેષ કરીને વિષયો દુર્જય છે, તે કારણે આખા પણ જગતમાં અન્ય કંઈ પણ *દુર્જય નથી. કરોડ સુભટો પણ સુજેય અર્થાત્
સારી રીતે જીતી શકાય, પણ વિષયોને જીતવા અતિ દુષ્કર છે. ll૭૯ll ગાથાર્થ : વિટંક સહિત અને ઉભેટ રૂપવાળી જોવાયેલી સ્ત્રી મનને મોહે છે.
આત્મહિતને વિચારતા (સાધુઓ તેને) અતિ દૂરથી જ ત્યાગ કરે છે. Iટol.
ભાષાંતરઃ સવિટોક્રેટ - અહીં વિટંક એટલે વિબન્ધ-વિશિષ્ટ બન્ધ અર્થાત્
શુભ અધ્યવસાયના સ્મલન રૂપ (બાધારૂપ) કારણ કે, “ટ' ધાતુ બન્ધન અર્થમાં છે અને વિટંકની સહિત વર્તે તે સવિટંક. ઉદુભટ એટલે ઉદાર, વિશાળ અને સવિટંક ઉભટ એવું રૂપ છે, જેણીનું એવી જોવાયેલી જે કોઈપણ સ્ત્રી, મન એટલે અંતઃકરણને મોહે છે અર્થાત્ વિચિત્તપણાને પમાડે છે. તેણીને આત્મહિત એટલે પોતાના પથ્યનો વિચાર કરતા એવા સાધુઓ (સજ્જન પુરુષો) દૂરતરથી અતિ દૂરથી જ પરિહરે છે, વર્જે છે. જે કારણે - પવનથી ફૂંકાયેલો અગ્નિ કેટલાક પુરુષોના શરીરને બાળે છે. મત્ત થયેલો હાથી અને ક્રોધ પામેલો સર્પ પણ કેટલાના શરીરને હણે છે, પણ સ્ત્રી તો આલોક અને પરલોક સંબંધી જ્ઞાન, શીલ, વિનય, વૈભવ, ઔદાર્ય, વિજ્ઞાનરૂપ સર્વ સારભૂત દેહોને બાળે છે. lcoll
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૫
Page #317
--------------------------------------------------------------------------
________________
गाथा : सचं सुअं पि सीलं, विन्नाणं तह तवं पि वेरुग्गं । as aणेण सव्वं, विसयवसेणं जईणं वि' ।। ८१ । ।
व्याख्या : सत्यमवितथवाक्यं श्रुतं आगमोऽपि शीलं अष्टादशशीलाङ्गसहस्त्रभेदभिन्नं ब्रह्म तथा विज्ञानं क्रियाकौशलं विशिष्टज्ञानं वा तथा तपोऽपि चतुर्थषष्ठाष्टमादि तथा वैराग्यं भवविरक्तता एतत्सर्व्वं यतीनामपि आस्तामन्येषां विषयवशेन विषयायत्ततया क्षणेन व्रजति अपयाति । विषयासक्तानां सर्व्वमप्येतद्विलीनं भवतीत्यर्थः ।।८१।।
गाथा : रे जीव ! स मइकप्पिय, निमेस सुहलालसो कहं मूढ ! । सासयसुहमसमतमं, हारसि ससिसोयरं च जसं ।।८२ ।।
व्याख्या : रे जीव ! भोः स्वात्मन् ! मतिविकल्पितं निजबुद्धिव्यवस्थापितं यत् निमेषसुखं चक्षुस्पन्दप्रमाणवैषयिकसुखलेशस्तत्र लम्पटः सन् मूर्ख असमतमं शाश्वतसुखं' शीलशीलनलभ्यमनन्तं मोक्षसुखं शशिसोदरं च चन्द्रनिर्मलं यशो हारयसि निर्गमयति यदुक्तम् - दत्तस्तेन जगत्यकीर्त्तिपटहो गोत्रे मषीकूर्चक,
चारित्रस्य जलाञ्जलिर्गुणगणाऽऽरामस्य दावानलः । सङ्केतः सकलापदां शिवपुरद्वारे कपटो दृढः, कामार्त्तस्त्यजति प्रबोधयति वा स्वस्त्रीं परस्त्रीं न यः ।। [सिन्दुर प्रकर० श्लो० ३७] इति गाथार्थः ।।८२।।
गाथा : पज्जलिओ विसयग्गी, चरित्तसारं डहिज्ज कसिणंपि । सम्मत्तं "पिअ विराहि, अणंतसंसारिअं कुज्जा ।। ८३ ।।
१. वेरग्गं मुद्रिते । २. विसयविसेण जइणं पि मुद्रिते ३. जाइविगप्पिय मुद्रिते । ४. हारिसि मुद्रिते । ५. सुखं शीलनलभ्य. ड । ६. महिज्ज ख । ७. समत्तंमि मुद्रिते ।
**
१५६ इन्द्रियपराजयशतकम्
Page #318
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : સત્ય, ઋત, શીલ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય - આ બધું વિષયના વશ થવા
વડે યતિઓનું પણ ક્ષણમાં જ ચાલ્યું જાય છે. I૮૧! ભાષાંતરઃ સત્ય અર્થાતુ અવિતથ વાક્ય, શ્રત તે આગમ, શીલ તે અઢારહજાર
શીલાંગના ભેદવાળું, બ્રહ્મ અને વિજ્ઞાન એટલે ક્રિયાનું કૌશલ અથવા વિશિષ્ટ જ્ઞાન અને તપ - ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમાદિ અને વૈરાગ્ય એટલે ભવ વિરક્તપણું - આ બધું યતિઓનું પણ, બીજાનું તો દૂર રહો પણ વિષયને વશ થવા વડે યતિઓનું પણ આ બધું ક્ષણમાં જ જાય છે, દૂર થઈ જાય છે. વિષયાસક્ત જીવોનું આ બધું વિલીન
(નાશ) થાય છે. II૮ના ગાથાર્થ કરે જીવ ! મતિથી કલ્પના કરાયેલા, આંખના પલકારા જેટલા સુખમાં લંપટ
થયો છતો મૂઢ એવો જેની સમાન બીજું કોઈ સુખ નથી, તેવા શાશ્વત સુખને
અને ચન્દ્ર જેવા નિર્મળ યશને શા માટે હારે છે ? I૮૨ા ભાષાંતરઃ રે જીવ! હે મારા આત્મા!મતિકલ્પિત અર્થાતુ પોતાની બુદ્ધિ વડે સ્થાપન
કરાયેલું સુખ તરીકે મનાયેલું) એવું જે નિમેષ સુખ એટલે આંખના પલકારા જેટલું વૈષયિક સુખના લેશમાં લંપટ થયો છતો મૂઢ એટલે કે મૂર્ખ એવો (૮) અસમતમ એટલે જેની સમાન બીજું નથી એવું શાશ્વત સુખ - શીલને સેવવાથી પ્રાપ્ત થયેલા અનંત એવા મોક્ષસુખને અને શશિસોદર એટલે ચન્દ્ર જેવા નિર્મળ યશને કેમ હારી જાય છે! કેમ દૂર હડસેલે છે ? જે કારણે કહ્યું છે કે – કામાર્ણ એવો જે સ્વસ્ત્રીને ત્યાગ કરે છે અથવા પરસ્ત્રીને પ્રબોધતો નથી. તેના વડે જગતમાં અકીર્તિનો પડહ અપાય છે. ગોત્રને વિષે મશીનો કૂચડો અપાયો છે, ચારિત્રને જ્યાંજલિ અપાઈ છે, ગુણોના સમૂહ રૂપી બાગને દાવાનળ અપાયો છે, સકલ આપત્તિઓને સંકેત (આવકાર)
અપાયો છે, શિવપુરના દ્વારને વિષે દઢ કપાટ અપાયો છે. I૮૨ા ગાથાર્થ : પ્રજ્વલિત થયેલી વિષય રૂપી અગ્નિ સકળ પણ ચારિત્ર રૂપી સારને બાળી
નાખે છે. સમ્યક્તને પણ વિરાધીને અનંત સંસારને કરે છે. ૮૩
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૭
Page #319
--------------------------------------------------------------------------
________________
व्याख्या : प्रकर्षेण ज्वलितो दीप्तो विषयाग्निविषयानलः कृत्स्नमपि सकलमपि चारित्रमेव
सारं द्रविणं चारित्रसारं दहेद्-भस्मीकुर्यात्, आस्तां चारित्रदहनं सम्यक्त्वमपि विराध्य तद्दोषोत्पादनेन मलिनीकृत्य मिथ्यात्वं प्राप्येत्यर्थः । अनन्तसंसारितां कुर्यात् अनन्तभवभ्रमणमपि लभेतेत्यर्थः ।।८३।।
गाथा : भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिण्हाओ ।
जाए नडिआ चउदस-पुव्वी वि रुलंति हु निग्गोए ।।८४।। व्याख्या : भीषणभवकान्तारे रौद्रसंसाराटव्यां जीवानां भवाभिनन्दिनां सत्त्वानां विषमा
दुस्सहा विषयतृष्णा विषयवाञ्छा यतःखलोल्लापाः सोढाः कथमपि तदाराधनपरै, निगृह्यान्तर्बाष्पं हसितमपि शून्येन मनसा । कृतश्चित्तस्तम्भः प्रतिहतधियामञ्जलिरपि त्वमाशे ! मोघाशे किमपरमतो नर्त्तयसि माम् ।।१।। वैराग्यशतक) यया विषयतृष्णया नाटिता विगोपिताश्चतुर्दशपूर्विणोपि चतुर्दशपूर्वधरा अपि आसतामन्ये, निगोदे सूक्ष्मबादरभेदभिन्ने अनन्तजीवात्मके श्रीजिनागमप्रसिद्धे, हुनिश्चयेन रुलन्ति लुठन्ति जीवा विषयासक्ततया पठनपाठनादिव्यासङ्गाभावाच्चतुर्दशाऽपि पूर्वाणि विस्मारयन्ति ततो निगोदे भ्रमन्तीति । यत उक्तं जीवानुशासनवृत्तौ - चतुर्दशधराः श्रुतकेवलिनोपि चानन्तकाये प्रतीते निवसन्ति तिष्ठन्ति पूर्वगतसूत्राभावे मृत्वेति शेषः, पूर्वसूत्रे पुनर्नेति । ।।४।।
गाथा : हा विसमा हा विसमा, विसया जीवाण जेहि पडिबद्धा ।
हिंडंति भवसमुद्दे, अणंतदुःक्खाइ पावंता ।।८५।।
१. जीए मुद्रिते । २. स्तत्राभावे ड, । ३. जेहिं मुद्रिते ४. दुःक्खाई मुद्रिते ।
१५७ इन्द्रियपराजयशतकम्
Page #320
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર પ્રકર્ષ વડે બળાયેલો, દિપ્ત થયેલો વિષયાગ્નિ અર્થાત્ વિષય રૂપી અનલ
કૃત્ન એટલે સકલ પણ ચારિત્રસારને અર્થાત્ ચારિત્ર રૂપ સારભૂત દ્રવ્યને બાળે છે. ભસ્મીભૂત કરે છે. ચારિત્રને બાળવાનું તો દૂર રહો, સમ્યક્તને પણ વિરાધીને - તેના દોષના ઉત્પાદન કરવા વડે મલિન કરીને અર્થાત્ મિથ્યાત્વને પ્રાપ્ત કરીને અનંત સંસારીપણાને કરે છે
અર્થાત્ અનંત ભવભ્રમણને પણ પ્રાપ્ત કરે છે. II૮૩. ગાથાર્થ : ભીષણ એવા ભવ રૂપી અટવીમાં જીવોની વિષય તૃષ્ણાઓ વિષમ છે.
જેના વડે નચાવાયેલા ચૌદ પૂર્વધર પણ નિચ્ચે નિગોદમાં ભમે છે. ll૮૪
ભાષાંતર: ભીષણ એવા ભવરૂપી કાન્તારમાં અર્થાતુ રૌદ્ર એવી સંસાર રૂપી અટવીમાં
જીવોની એટલે કે ભવાભિનન્દી પ્રાણીઓની વિષય તૃષ્ણા એટલે કે વિષયવાંછા તે વિષમ છે. અર્થાત્ દુઃસહ છે. જે કારણે કહ્યું છે કે – આશાના આરાધનમાં તત્પર એવાઓ વડે અંદરની વરાળ અને હસવાનું પણ રોકીને શૂન્ય મન વડે દુર્જન પુરુષોના ઉલ્લાપો કેમે કરીને સહન કરાયા, ચિત્તનો સ્તંભ કરાયો, હણાયેલી બુદ્ધિવાળાઓને પણ અંજલિ (પ્રણામ) કરાઈ તો હે આશા ! નિષ્ફળ આશા ! તું આનાથી વધારે હજી શું નચાવે છે ? જે વિષય તૃષ્ણા વડે નચાવાયેલા અર્થાત્ વિગોપન કરાયેલા એવા ચૌદપૂર્વીઓ પણ, બીજાની વાત તો દૂર રહો, - સૂક્ષ્મ અને બાદર એ બે ભેદવાળી નિગોદમાં – અનંત જીવોવાળી શ્રી જિનાગમમાં પ્રસિદ્ધ એવી નિગોદમાં, “દુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે નિચ્ચે રોળાય છે અર્થાત્ ગબડે છે. જીવો વિષયના આસક્તપણા વડે પઠન-પાઠન આદિની આસક્તિના અભાવથી ચૌદપૂર્વનું પણ વિસ્મરણ કરે છે અને ત્યાંથી નિગોદમાં ભમે છે. જે કારણે જીવાનુશાસન વૃત્તિમાં કહ્યું છે કે – પૂર્વના સૂત્રના અભાવમાં મરીને ચૌદપૂર્વી એવા શ્રુતકેવલી પણ પ્રસિદ્ધ એવા અનંતકાયમાં વસે છે, રહે છે. વળી પૂર્વના સૂત્ર હોતે છતે નહીં. II૮૪l.
ગાથાર્થ: (હા ખેદ અર્થમાં) ખેદની વાત છે કે, જીવોને વિષયો અત્યંત વિષમ છે,
કે જે વિષયોને વિષે આસક્ત થયેલા અનંત દુઃખોને પામતા ભવ સમુદ્રમાં ભમે છે. પ૮પા.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૭
Page #321
--------------------------------------------------------------------------
________________
व्याख्या : हा इति विषादे, जीवानां हा विषमा हा विषमा अत्यन्तवैषम्यद्योतनार्थं
द्विरुक्तिः विषयाः । सप्तम्यर्थे तृतीया", येषु विषयेषु प्रतिबद्धा आश्रिता भवसमुद्रे संसाराम्भोधौ हिण्डन्ते गच्छन्ति भ्रमन्तीत्यर्थः ‘हिडिङ् गतौ'' किं कुर्वन्तः ? अनन्तदुःखानि प्राप्नुवन्तः सन्तः ।।८५।।
गाथा : माइंदजाल' चवला, विसया जीवाण विजुतेअसमा ।
खणदिवा खणनट्ठा, ता तेसिं को हु पडिबंधो ।।८६।। व्याख्या : जीवानां विषया ईदृशाः मायेन्द्रजालं मायया शाठ्येन परवञ्चनाय यदिन्द्रजालं
कुहकं अवास्तवं तत्तद्वस्तूद्भुतोपदर्शनमित्यर्थः, तद्वञ्चपलाश्चञ्चलास्तथा विद्युत्तेजःसमा= अचिराप्रभोपमाः** क्षणदृष्टाः प्रथमक्षणे दृष्टाः द्वितीयक्षणे नष्टा इति अत एव विद्युत्तेजसोपमीयन्ते विषयाः 'ता' इति तस्मात्, सप्तम्यर्थे षष्ठी, तेषु विषयेषु, हुर्निश्चये, कः प्रतिबन्धः मनसोऽवष्टम्भः ? ।।८६।।
गाथा : सत्तू विसं पिसाओ, वेआलो हुअवहो वि पजलिओ ।
तं न कुणइ जं कुविआ, कुणंति रागाइणो देहे ।।८७।। व्याख्या : शत्रुर्वैरी, विषं गरः, पिशाचो व्यन्तरविशेषः वेतालो'' रजनिचरविशेषः,
प्रज्वलितो, घृतमधुसेकादुद्दीपितो हुतवहो वह्निरपि देहे तं विकारं न कुर्वन्ति यं विकारं कुपिता उद्रेकमाप्ता रागादयः कुर्वन्ति । विषादयो ह्येकश एव मृत्यु
ददते रागादयश्चानन्तशो मरणानि ददतीति भावः ।।८७।। १. जा इंदजाल मुद्रिते । २. का मुद्रिते । ३. पडिबंधा ड । ४. वेआला हुअवहो व मुद्रिते । * सप्तम्या द्वितीया (सि०८-३-१३७) सूत्रस्य स्वोपज्ञवृत्तौ - "सप्तम्याः स्थाने - x - आर्षे तृतीयाऽपि
दृश्यते, तेणं कालेणं, तेणं समएणं तस्मिन् काले, तस्मिन् समये, इत्यर्थः इत्युल्लेखेन ज्ञायते सप्तम्यर्थे
तृतीया । + 'हिडि गत्यनादरयोः' इति पाणीनीयधातुपाठे भ्वादौ २६९ तमो धातुरयम् । * अचिरप्रभा एव अचिरा, भीमो भीमसेन इति न्यायाद्, 'तेलुग्वा' (सि०३-२-१०८) सूत्राद्वा ज्ञेया । ++ भूताधिष्ठितं शबम् वेतालः इत्यमरकोशे ।
१५८ इन्द्रियपराजयशतकम्
Page #322
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર કહી એ શબ્દ વિષાદ અર્થમાં છે. ખેદની વાત છે કે, જીવોને વિષયો અત્યંત
વિષમ છે. અત્યંત વૈષમ્યને બતાવવા માટે ‘ટા વિસ'ની દ્વિરુક્તિ કરી છે. “નૈદિ' શબ્દ સપ્તમીના અર્થમાં તૃતીયાવાળો છે. જે વિષયોને વિષે પ્રતિબદ્ધ - આશ્રય કરેલા (જીવો) ભવ સમુદ્રમાં અર્થાત્ સંસાર રૂપી અબ્બોધિમાં હિડે છે, જાય છે, ભમે છે. “હિડિતો ' હિ ધાતુ ગતિ અર્થવાળો છે. શું કરતા એવા જીવો ? અનંત દુઃખોને પ્રાપ્ત કરતા ભવ
સમુદ્રમાં ભમે છે. II૮પી. ગાથાર્થ : જીવોને વિષયો માયા વડે રચાયેલી ઈન્દ્રજાળ જેવા ચપળ છે, વિદ્યુતના તેજ
જેવા ક્ષણમાં જોવાયેલા ક્ષણમાં નાશ પામતા છે, તે કારણથી તે વિષયોને
વિષે નિચ્ચે પ્રતિબંધ (આસક્તિ) કેવો ? ટકા ભાષાંતરઃ જીવોને વિષયો માયા-ઈન્દ્રજાળ જેવા છે. અર્થાત્ માયા વડે – શઠપણા
વડે બીજાને છેતરવા માટે જે ઈન્દ્રજાળ - જાદુ - અવાસ્તવને, તે તે વસ્તુના ઉદ્દભવનને દેખાડવું તે જેવા ચપળ છે અને વિદ્યુતના તેજ જેવા અચિરપ્રભા જેવા પ્રથમ તેજના ક્ષણમાં જોવાયેલા બીજી ક્ષણમાં નાશ પામતા, આથી જ વિષયો વિદ્યુતુના તેજની સાથે સરખાવ્યા છે. “તા' અર્થાત્ તેથી ‘સિ' તે વિષયોમાં (અહીં સપ્તમી અર્થમાં ષષ્ઠી થઈ છે.) દુ' શબ્દ નિચ્ચે અર્થમાં છે. માટે નિચ્ચે કેવો પ્રતિબંધ ? એટલે કે મનનો
ઉપખંભ અર્થાત્ રાગ શેનો ? I૮૬ll ગાથાર્થ શત્રુ, વિષ, પિશાચ, વેતાળ અને પ્રજ્વલિત થયેલો અગ્નિ એ બધા પણ દેહને
વિષે તે વિકારને નથી કરતા, જે કુપિત થયેલા રાગાદિ કરે છે. al૮૭l
ભાષાંતર: શત્રુ એટલે વૈરી. વિષ એટલે ગર, પિશાચ તે વ્યંતર વિશેષ, વેતાળ
તે ભૂત વડે અધિષ્ઠિત થયેલું શબ અથવા રજનીચર, વિશેષ પ્રજ્વલિત એટલે કે ઘી, મધુના સિંચન વડે ઉદ્દીપન થયેલો અગ્નિ પણ દેહને વિષે તે વિકારને નથી કરતા, જે વિકાર કુપિત થયેલા એટલે કે - ઉગ્રતાને પ્રાપ્ત કરેલા રાગાદિ કષાયો કરે છે. વિષ આદિ એક જ વાર મૃત્યુને આપે, જ્યારે રાગાદિ તો અનંતવાર મરણો આપે છે. I૮૭
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૮
Page #323
--------------------------------------------------------------------------
________________
गाथा : जो रागाईण वसे, वसंमि सो सयलदुःक्खलक्खाणं ।
जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ।।८८।। व्याख्या : यो रागादीनां वशे भवति अधीनो भवतीत्यर्थः । स सकलदुःखलक्षाणां वशे
स्यात्, रागादिपरवशो हि दुःखलक्षाण्यासादयतीत्यर्थः । यस्य वशे रागादयः, येन रागादयो जिता इत्यर्थः । तस्य वशे सकलसुखानि, समस्तसुखानि लभत इत्यर्थः । यतः - अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयंत्यक्ता ह्येते शमसुखमनन्तंविदधति ।।१।।८८ ।। [वैराग्यशतकम्गा.१६]
गाथा : केवल दुहनिम्मविए, पडिओ संसारसायरे जीवो ।
जं अणुहवइ किलेसं, तं आसवहेउअं सव्वं ।।८९।। व्याख्या : एवंविधे संसारसागरे पतितो जीवो यं क्लेशमसातावेद्यं दुःखमनुभवति
आस्वादयति । तं सर्वं क्लेशं आश्रवहेतुकं आश्रवन्ति गलन्ति कर्मजलमित्याश्रवाः पञ्च विषयास्त एव हेतवो निमित्तं यस्य स आश्रवहेतुकस्तं जानीहीति गम्यते । विषयेभ्यो हि क्लेशोत्पत्तेः । विषयाश्च किल दुस्त्यजाः यतः - भिक्षाशनं तदपि नीरसमेकवारं, शय्या च भूः परिजनो निजदेहे मात्रम् । वस्त्रं च जीर्णशतखण्डमयी, च कन्था, हा हा तथापि विषयान्न परित्यजन्ति ।।१।।८९।। वैराग्यशतक गाथा-१९]
गाथा : ही संसारे विहिणा, महिलारूवेण मंडिअंजालं ।
बझंति जत्थ मूढा, मणुआ तिरिआ सुरा असुरा ।।१०।।
१५९ इन्द्रियपराजयशतकम्
Page #324
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : જે પુરુષ રાગાદિને વશ છે, તે સકલ લાખો દુઃખોના વશમાં છે અને રાગાદિ
જેના વશમાં છે, તેના વશમાં સકલ સુખો છે. ૫૮૮ ભાષાંતરઃ જે રાગાદિને વશ છે અર્થાત્ તેને આધીન છે, તે સર્વ લાખો દુઃખોને વશ
થાય છે. અર્થાત્ રાગાદિને પરવશ ખરેખર લાખો દુઃખોને પ્રાપ્ત કરે છે. જેના વશમાં આ રાગાદિ છે અર્થાત્ જેના વડે રાગાદિ જીતાઈ ગયા છે, તેના વશમાં સકલ સુખો છે. એટલે કે એ સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. જે કારણે કહ્યું છે કે – લાંબા કાળ સુધી રહીને પણ વિષયો અવશ્ય જનારા છે. (તેઓના) વિયોગમાં એવો કયો ભેદ છે કે, જેથી લોક સ્વયં એને ત્યાગ નથી કરતો ? સ્વતંત્ર રીતે જતા એવા આ વિષયો મનને અતુલ સંતાપ માટે થાય છે. જ્યારે સ્વયં ત્યાગ કરાયેલા આ વિષયો અનંત શમસુખને કરે
છે. ll૮૮. ગાથાર્થ ઃ ફક્ત દુઃખ વડે જ નિર્માણ કરાયેલા સંસારસાગરમાં પડેલો જીવ જે
ક્લેશને અનુભવે છે તે સર્વ આશ્રવ (વિષયો)ના હેતુવાળો છે અર્થાત્
આશ્રવને લીધે જ ઉત્પન થયેલો છે (એમ તું જાણ) li૮૯ ભાષાંતરઃ આ પ્રકારના અર્થાત્ દુ:ખ વડે જ નિર્માણ કરાયેલા સંસાર સાગરમાં
પડેલો જીવ જે ક્લેશ એટલે કે અશાતા વડે વેદવા યોગ્ય એવા દુ:ખને અનુભવે છે તે સર્વ ક્લેશ આશ્રવહેતુક છે. કર્મ રૂપી જલને આશ્રવે અર્થાત્ ગળે તે આશ્રવ એટલે કે પાંચ વિષયો તે જ છે હેતુ અર્થાત્ નિમિત્ત જેના એવા ક્લેશ છે. તેને તું જાણ. વિષયોથી જ ક્લેશની ઉત્પત્તિ છે. અને વિષયો ખરેખર દુ:ખે કરીને ત્યાગ કરી શકાય એવા છે. જે કારણે કહ્યું છે કેભિક્ષા વડે પ્રાપ્ત થયેલું ભોજન અને તે પણ નીરસ અને એક જ વાર મળતું, ભૂમિ જ શય્યા છે, સ્વજન તે પોતાનો દેહ માત્ર જ છે, જીર્ણ અને સેંકડો થીગડાવાળું વસ્ત્ર છે અને (બેસવા માટે) કોથળો
છે. ખરેખર ખેદ છે કે તો પણ વિષયોને ત્યાગ કરતા નથી. Iટલા ગાથાર્થ : ખરેખર ખેદની વાત છે કે મહિલાનું રૂપ લીધેલા બ્રહ્મા વડે જાળ રચાઈ છે,
જ્યાં મૂઢ એવા મનુષ્યો, તિર્યંચો, સુર અને અસુરો બંધાય છે. ૯૦
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૯
Page #325
--------------------------------------------------------------------------
________________
व्याख्या : ही इति विषादे विस्मये वा ‘शतकृत्वोप्यधीयाना ही न विद्मो जडा वयम्'
'हतविधिललितानां ही विचित्रो विपाकः' इति विधिना ब्रह्मणा महिलारूपेण वनिताकारेण संसारे 'जालमानायो मत्स्यबन्धनं, मण्डितं विभक्तं रचितम्, यथा जालेन मत्स्या बध्यन्ते तथा स्त्रिया पुरुषा इति । 'रूपं तु श्लोकशब्दयोः पशावाकारे (२-३०१) इत्याद्येनकार्थः, यथा मनुष्यरूपेण मृगाश्चरन्तीति । यत्र स्त्रीरूपजाले मनुजास्तिर्यश्चः सुरा असुराश्च बध्यन्ते नियन्त्र्यन्ते ।।१०।।
गाथा : विसमा विसयभुअंगा, जेहिं डसिया जिआ भववर्णमि ।
कीसंति दुहग्गीहि, चुलसीई जोणिलक्खेसु ।।११।। व्याख्या : विषमा विषयभुजङ्गा यैर्विषयभुजङ्गैर्दष्टा भक्षिता जीवा भववने
दुःखाग्निभिः क्लिश्यन्ति दुर्मनीभवन्ति । क्व ? चतुरशीतियोनिलक्षेषु, तान्यमूनि - पृथ्व्यप्तेजोवायुकानां प्रत्येकं सप्तसप्तयोनीनां लक्षा भवन्ति, एवं प्रत्येकवनस्पतिकायस्य दश, अनन्तवनस्पतिकायस्य चतुर्दश, द्वित्रिचतुरिन्द्रियाणां प्रत्येकं द्वे द्वे, सुराणां नारकाणां पञ्चेन्द्रियतिरश्चां च प्रत्येकं चतस्रः चतस्रः, नराणां चतुर्दश, एवं सर्वमीलने चतुरशीतियोनिलक्षा भवन्ति ।।९१।। ।
गाथा : संसारचारगिम्हे, विसयकुवाएहि लुक्किया जीवा ।
हिअमहिअं अमुणंताऽणुहवंति अणंतदुक्खाई ।।१२।। व्याख्या : संसार एव चारः कारागृहं स एव ग्रीष्म आतपस्तस्मिन्, विषयैरेव
कुवातैरुष्णत्वातिशयात्सन्तापजनकैः कुमारुतैलूंकिता लूका मरुदेशप्रसिद्धो ग्रीष्मवातस्तां प्राप्ता लूकिताः, हितं सुखकारि, अहितं दुःखजनकं,
तदजानन्तोऽबुध्यमाना अनन्तदुःखान्यनुभवन्ति आस्वादयन्ति । यथा ग्रीष्मे १. जालमनाय ख । २. दुहअग्गीहिं इव ड.ड, । ३. विसय कुवाएण मुद्रिते ।
१६० इन्द्रियपराजयशतकम्
Page #326
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ રી' શબ્દ ખેદ અથવા વિસ્મય (આશ્ચર્ય) અર્થમાં છે જેમ કે સો વાર ભણેલા
એવા પણ ખેદ છે કે જડ એવા અમે જાણતા નથી. ‘હવિધિટિતાનાં ઢી વિવિત્રવિપાવ: દુરાશય એવી વિધિ (ભાગ્ય)વડે પોષાયેલાઓને આશ્ચર્ય છે કે આવો વિચિત્ર વિપાક છે. એ પ્રમાણે હી શબ્દ ખેદ અને આશ્ચર્ય એમ બંને અર્થવાળો જોવા મળે છે. વિધિ અર્થાત્ બ્રહ્મા, મહિલા એટલે કે વનિતાના રૂપને ધારણ કરેલા એવા બ્રહ્મા વડે સંસારમાં જાળને એટલે આનાય-મસ્યબંધન મંડલ કરાઈ છે, રચાઈ છે જે રીતે જાળ વડે માછલીઓ બંધાય છે તે રીતે સ્ત્રીઓ વડે પુરુષો બંધાય છે. “રૂપ' શબ્દ શ્લોક, શબ્દ, પશુ અને આકાર એવા અનેક અર્થમાં છે. જેમ કે મનુષ્યરૂપ વડે મૃગો ચરે છે. (ફરે છે) જે સ્ત્રીરૂપ જાળમાં મનુષ્યો, તિર્યંચો, સુર અને
અસુરો બંધાય છે નિયંત્રિત કરાય છે. ll૯Oll ગાથાર્થ : વિષય રૂપી ભુજંગો (સર્પો) વિષમ છે જેઓ વડે ડસાયેલા જીવો ચોરાશીલાખ
યોનિરૂપ ભવનમાં દુઃખરૂપી અગ્નિ વડે ક્લેશ પામે છે. ૯૧|| ભાષાંતરઃ વિષયરૂપી ભુજંગો વિષમ છે. જે વિષયરૂપી ભુજંગો વડે ડસાયેલા જીવો
ભવવનમાં દુ:ખરૂપી અગ્નિ વડે ક્લેશ પામે છે દુઃખી મનવાળા થાય છે.
ક્યાં રહેલા ? ચોરાશી લાખ યોનિમાં રહેલા. તે યોનિઓ આ પ્રમાણે પૃથ્વી, અપ, તેઉ અને વાયુ કાય પ્રત્યેકની સાત સાત લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિકાયની દશલાખ, અનન્તવનસ્પતિકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય પ્રત્યેકની બે લાખ, દેવો, નારક અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રત્યેકની ચાર ચાર લાખ યોનિઓ, મનુષ્યોની ચૌદ લાખ યોનીઓ
એ પ્રમાણે ચોરાશી લાખ યોનિઓ છે. આવા ગાથાર્થ : સંસારકારાગૃહરૂપી ગ્રીષ્મમાં વિષયરૂપી કુવાત (ખરાબ વાયુ) વડે
લૂકિન થયેલા અર્થાતુ લૂને પ્રાપ્ત થયેલા હિત અહિતને નહીં જાણતા
અનંતદુઃખોને અનુભવે છે. ૧૯૨ll ભાષાંતરઃ સંસાર એ જ ચાર કારાગૃહ તે રૂપ જે ગ્રીષ્મ - ઉનાળો તેમાં
વિષયરૂપી કુવાત ઉષ્ણ હોવાથી અતિસંતાપને ઉત્પન્ન કરનારા ખરાબ વાયુ વડે લૂતિ થયેલા. લૂ એ મરુદેશમાં પ્રસિદ્ધ એવો ઉનાળાનો વાયુ-લૂ તેને પ્રાપ્ત થયેલા જીવો હિત અર્થાત્ સુખકારી, અહિત તે દુ:ખજનકને નહી જાણતા અનંતદુ:ખોને અનુભવે છે,
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૦
Page #327
--------------------------------------------------------------------------
________________
लूकया व्यथिता हिताहितविभागमजानाना दुःखाविष्टास्तिष्ठन्ति तथाऽमी विषयात इति ।१९२।।
गाथा : हा हा दुरंत-दुट्ठा, विसयतुरंगा' कुसिक्खिआ लोए ।
भीसणभवाडवीए, पाडंति जिआण मुद्धाणं ।।१३।। व्याख्या : हा इति 'विषादशोकजुगुप्सासु अतिविषादद्योतनार्थं हाहेति, दुरन्ता
दुरवसानाश्च दुष्टाश्च दुरन्तदुष्टा, विषयतुरङ्गा विषयाश्वा लोके कुशिक्षिताः कुत्सितशिक्षा प्रापिताः प्रतिकूलगत्याऽविनीता भीषणभवाटव्यां द्वितीयार्थे षष्ठी मुग्धान् मूढान् जीवान् पातयन्ति = प्रवेशयन्ति । यथा कुशिक्षिता अश्वा अटवीं नयन्ति पुरुषान् तथा विषया भवाटवीं भ्रमयन्ति ।।९३।।
गाथा : विसयपिवासातत्ता, रत्ता नारीसु पंकिलसरंमि ।
दुहिआ दीणा खीणा, रुलंति जीवा भववणंमि ।।९४।।
व्याख्या : विषयपिपासया विषयतृषया तप्ताः सन्तापिताः नारीषु मृगेक्षणासु
पङ्किलसरसि कर्दमवत्सरस्यां रक्ता दुःखिता दीनाः क्षीणा जीवा भववने रुलन्ति लुठन्ति । यथा तृषाऽभिभूता पुरुषाः सरःपङ्के निमग्ना दुःखिता दीना क्षीणाश्च भवन्ति तथा विषयोदन्या तप्ता इति । दुःखं शारीरीं व्यथां प्राप्ता दुखिताः, दीना मनसि वैमनस्यं प्राप्ताः, क्षीणा वपुषि क्रशिमानं प्राप्ताः ।।९४ ।।
१. कुरंगा ख । क्रियतां तुलना - "हा विषादशोकार्तिषु" इति चादयोऽसत्त्वे (सि० १-१-३१) सूत्रस्य स्वोपज्ञबृहन्न्यासे । तथा “हा इति विस्मयविषादजुगुप्सार्तिषु, हा लब्धं पाटलिपुत्रम्, कन्यान्तः पुरमेव हा प्रविशति क्रुद्धो मुनिर्भार्गवः, हा प्रिये जानकि !, हा देवदत्त ! हा हतोऽस्मि मन्दभाग्यः" इति गणरत्नमहोदधौ चतुर्थश्लोकस्वोपज्ञवृत्तौ ।
१६१ इन्द्रियपराजयशतकम्
Page #328
--------------------------------------------------------------------------
________________
આસ્વાદ કરે છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં લૂ વડે વ્યથિત (દુ:ખી) થયેલા જુવો હિત શું અને અહિત શું ? એમ નહીં જાણતા દુ:ખો વડે વ્યાપ્ત થયેલા રહે છે તે જ રીતે આ વિષયથી પીડાતા જીવો પણ દુ:ખનો
અનુભવ કરે છે. ll૯રા ગાથાર્થ : ખેદની વાત છે કે લોકમાં દુરંત અને દુષ્ટ કુશિક્ષિત એવા વિષય રૂપી
અશ્વો મુગ્ધ જીવોને ભીષણ ભવાટવીમાં પાડે છે. ૯૩ll ભાષાંતર: ‘હા’ શબ્દ વિષાદ, શોક અને જુગુપ્સા એમ ત્રણ અર્થમાં છે. અતિ ખેદને
જણાવવા માટે ‘દા હૈ' એમ બે વાર છે. દુરન્ત અર્થાત્ દુ:ખદ છે અંત જેનો તે, અને દુષ્ટ એવા, વિષય રૂપી અશ્વો લોકમાં કુશિક્ષિત અર્થાત્ ખરાબ શિક્ષાને પ્રાપ્ત થયેલા – પ્રતિકૂળ ગતિ વડે અવિનીત એવા આ વિષય તરંગો ભીષણ ભવાટવીમાં મુગ્ધ એટલે કે મૂઢ જીવોને પાડે છે, પ્રવેશ કરાવે છે. “નિશા'એ દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી જાણવી. જેમ કુશિક્ષિત અશ્વો અટવીમાં પુરુષોને લઈ જાય તેમ વિષયો જીવોને
ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. Ileall ગાથાર્થ : વિષયની ઇચ્છા વડે સંતપ્ત થયેલા કાદવવાળા સરોવરની જેમ
નારીઓને વિષે રક્ત, દુઃખી, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવ વનમાં
ભમે છે. ૯૪ો. ભાષાંતર: વિષય પિપાસા અર્થાત્ વિષયો ભોગવવાની ઇચ્છા વડે તપ્ત એટલે કે
સંતાપને પ્રાપ્ત કરેલા જીવો, નારીઓને વિષે રક્ત થયેલા, કાદવવાળા સરોવરમાં રક્ત થયેલાની જેમ દુઃખિત થયેલા, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવવનમાં રખડે છે, ભમે છે, પડે છે. જેમ તરસ વડે પરાભવ પામેલા પુરુષો સરોવરના કાદવમાં નિમગ્ન થયેલા, ખૂંપી ગયેલા દુ:ખિત દીન અને ક્ષીણ થાય છે, તે જ રીતે વિષય પિપાસા વડે સંતપ્ત જીવો પણ થાય છે. દુ:ખ તે શારીરિક વ્યથા તેને પ્રાપ્ત થયેલા તે દુઃખિત દીન તે વૈમનસ્યને (વિપરીત મનને) પ્રાપ્ત થયેલા, ક્ષીણ તે શરીરને વિષે કુશપણાને પ્રાપ્ત થયેલા. ll૯૪
ઈન્દ્રિયપરાજયશતક ૧૯૧
Page #329
--------------------------------------------------------------------------
________________
गाथा : गुणकारिआई धणिअं, धिइरज्जुनिअंतिआई तुह जीव ।
निअयाइं इंदिआई, वल्लिनियत्ता तुरंगुव्व ।।१५।।
व्याख्या : रे जीव ! तव निजकानीन्द्रियाणि धृतिरेव रज्जुस्तया नियन्त्रितानि संयतानि
घणियं त्ति अतिशयेन गुणकारीणी मूलोत्तरगुणपोषकाणीत्यर्थः । धृत्वा इन्द्रियदमे हि संयमः पुष्यतीतिभावः । के कीदृशा इव ? वल्लिलता, तया निवृत्ता अपथगमनाद् व्यावृत्तास्तुरङ्गमा इवाश्वा इव, यथा तुरङ्गमा वल्लिरज्जुभिर्नियन्त्रिता गुणकारिणो भवन्ति, आरूढपुरुषस्याऽऽह्लादगुणं जनयन्तीति भावः । अथवा वलयः केशाः, अर्थाद्गवादिरोमाणि तैर्निष्पन्ना रज्जुरपि वल्लिः । वल्लिः वल्लरी विल्लरिउ केसेसु (७-३२ देशीनाममाला) इति देश्याम् ।।९५।।
गाथा : मणवयणकायजोगा, सुनिअत्ता ते वि गुणकरा हुंति ।
अनिअत्ता पुण भंजंति, मत्तकरिणुव्व सीलवणं ।।१६।।
व्याख्या : मनोवचनकाययोगाः मनोवाक्कायव्यापाराः सुष्ठु अब्रह्मणो निवृत्ताः, ये न
मनसा न वचसा न कायेनाऽब्रह्मसेवां विदधतीत्यर्थः । तेऽपि मनोवाक्काययोगा अपि गुणकराः संयमनैर्मल्यगुणविधायिनो भवन्ति । अनिवृत्ता अब्रह्मण इति गम्यते, पुनस्त एव योगा मत्तकरिण इव श्रवन्मदजलाविलगजा इव शीलवनं भञ्जन्ति आमईन्ति । यथा मत्तकरिणो वनं भञ्जन्ति तथा अनिवृत्ता अमी योगा अपि ।।९६।।
गाथा : जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं ।
तह तह विन्नायव्वं, आसन्नं से य परमपयं ।।९।।
१. ०आईं मुद्रिते । xkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk १६२ दन्दियपराजयशतकम्
Page #330
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ : હે જીવ! જેમ વલ્લી (રજુ) વડે નિયંત્રિત કરાયેલો અશ્વ ગુણકારી છે
તેમ ધૃતિરૂપી રજુ વડે નિયંત્રિત કરાયેલી તારી ઇન્દ્રિયો અતિશય
ગુણકારી છે. પણ ભાષાંતરઃ રે જીવ ! તારી ઈન્દ્રિયો ધૃતિરૂપી રજુ વડે નિયંત્રિત સંયત કરાયેલી
અતિશય ગુણકારિણી છે અર્થાત્ મૂલોત્તરગુણની પોષક છે. ધૃતિ વડે ઇન્દ્રિયના દમનમાં જ સંયમ પુષ્ટ થાય છે. કોણ કેવાની જેમ ? વલિ અર્થાત્ લતા, તેના વડે નિવૃત્ત કરાયેલા એટલે કે ખોટા માર્ગમાંથી પાછા વળાયેલા તુરંગમ એટલે અશ્વોની જેમ. જેવી રીતે અશ્વ વલ્લિ (રજ્જ) વડે નિયંત્રિત કરાયેલો ગુણકારી થાય છે, તેના ઉપર આરૂઢ થયેલા પુરુષને આનંદ કરે છે. અથવા વલ્લિ એટલે કેશ, અહીં ગાય આદિના રોમ તેના વડે બનાવાયેલી રજુ તે વલ્લિ. વ8 વર્શરી વિછરીસેસુ (૭-રૂર રેશીનામમાત્રા) એ પ્રમાણે દેશ્ય
શબ્દોમાં વલ્લિ શબ્દ કેશ માટે છે. ll૯પા ગાથાર્થ : સુનિવૃત્ત થયેલા એવા મન-વચન અને કાયાના યોગો પણ ગુણને કરનારા
છે. અનિવૃત્ત રહેલા વળી આ યોગો મત્ત હાથીની જેમ શીલરૂપી વનને ભાંગી
નાખે છે. ll૯૬ll. ભાષાંતરઃ મન વચન અને કાયાના યોગો અર્થાતુ મન, વચન અને કાયાના વ્યાપારો
સારી રીતે અબ્રહ્મથી નિવૃત્ત થયેલા (પાછા ફરેલા) અર્થાત્ જેઓ (જે પુરુષો) મન વડે, વચન વડે અને કાયા વડે પણ અબ્રહ્મને નથી સેવતા, તે પણ એટલે કે એવા મનવચનકાયાના યોગો પણ ગુણકર છે. સંયમની નિર્મળતા રૂપ ગુણને કરનારા છે. અબ્રહ્મથી નિવૃત્ત નહીં થયેલા એવા આ યોગો મત્ત હાથીની જેમ ઝરતા એવા મદના જલથી યુક્ત હાથીની જેમ શીલ રૂપી વનને ભાંગી નાખે છે મર્દન કરે છે. જેમ મત્ત હાથી
વનને ભાંગે તેમ અનિવૃત્ત એવા આ યોગો પણ શીલને ભાંગે છે. કા. ગાથાર્થ : જેમ જેમ રાગાદિ દોષો વિરામ પામે, જેમ જેમ વિષયોથી વૈરાગ્ય
થાય, તેમ તેમ જાણવું કે તેને (તે પુરુષને) પરમપદ નજીક છે. ૯૭
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૨
Page #331
--------------------------------------------------------------------------
________________
व्याख्या : यथा यथा दोषा रागादयो विरमन्ति निवर्तन्ते, यथा यथा विषयेभ्यो वैराग्यं
विरक्तता, ततो निवृत्तिरित्यर्थः भवति तथा तथा विज्ञातव्यं बोद्धव्यं तस्य पुरुषस्य परमपदं-निःश्रेयसं आसन्नं समीपस्थं आसनमुक्तिपदानामेव हि रागदिभ्य उपरमो विषयेभ्यो निवृत्तिश्च । यतःआसन्नकालभवसिद्धिअस्स जीवस्स लक्खणं इणमो । विषयसुहेसु न रज्जइ सव्वत्थामेसु उज्जमइ ।।१।।९७।।। ।
गाथा : दुक्करमेएहिं कयं, जेहिं समत्थेहि जुव्वणत्थेहिं ।
भग्गं इंदिअसिन्नं, धिइपायारं विलग्गेहिं ।।१८।। व्याख्या : एभिः पुरुषैर्दुष्करं दुःसाध्यं कर्म कृतं यौवनस्थैस्तरुणावस्थां प्राप्तैरपि
समथैरिन्द्रियदमे प्रभुभिरिन्द्रियसैन्यं इन्द्रियाण्येव सैन्यं सेना तद्भग्नं विदलितम् । तारुण्येऽपि यैरिन्द्रियाणि वशीकृतानीत्यर्थः । यतःअतिवाहितं मतिगहनं विनापवादेन यौवनं येन । दोषनिदाने जन्मनि किं न प्राप्तं फलं तेन ।।१।।।। किं भूतैयैः ? धृतिप्राकारं धृतिर्मनसोऽवष्टम्भः, सैव प्राकारो वप्रस्तं विलग्नैरारूढैः, धृतिप्राकारमारुह्य यैरिन्द्रियसेना जितेत्यर्थः । अन्योपि वप्रबलेन रिपुसेनां जयतीति घटत एव ।।९८ ।।
गाथा : ते धन्ना ताण नमो, दासोहं ताण संजमधराणं ।
अद्धऽच्छि-पिच्छरीओ, जाण न हिअए खुडुक्कंति ।।१९।।
१. खडुक्कंति मुद्रिते ।
१६३ इन्द्रियपराजयशतकम्
Page #332
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર: જેમ જેમ રાગાદિ દોષો વિરામ પામે અર્થાત્ નિવર્તે (પાછા ફરે) જેમ જેમ વિષયોથી વૈરાગ્ય એટલે કે વિરક્તપણું થાય તેનાથી નિવૃત્તિ થાય, તેમ તેમ જાણવું કે તે પુરુષને પરમપદ-નિ:શ્રેયસ (મોક્ષ) નજીકમાં છે. નજીક છે મુક્તિપદ જેને, એઓને જ રાગાદિથી અટકવાનું હોય છે. અને વિષયોથી પણ નિવૃત્તિ તેઓને જ હોય છે. જે કા૨ણે કહ્યું છે કે જે જીવનો ભવની સિદ્ધિનો આસન્નકાળ છે તેનું આ લક્ષણ છે કે સર્વ પરાક્રમ વડે તે ઉદ્યમ કરે કે જેથી વિષયસુખોમાં તે રાગી ન થાય. [૧૯૭૫
-
:
એઓ વડે (એ પુરુષો વડે) દુષ્કર કરાયું છે કે, યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા હોવા છતાં (ઇન્દ્રિય દમનમાં) સમર્થ એવા, ધૃતિરૂપી પ્રાકાર (કિલ્લા) ઉપર આરૂઢ થયેલા એવા જેઓ વડે ઇન્દ્રિયરૂપી સૈન્ય ભાંગી નંખાયું. Il૯૮ ભાષાંતરઃ એ પુરુષો વડે દુષ્કર અર્થાત્ દુ:ખે કરીને સાધી શકાય એવું કાર્ય કરાયું છે કે જેઓ વડે, યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા એવા પણ ઇન્દ્રિય દમનમાં સમર્થ એટલે કે પ્રભુ એવાઓ વડે ઇન્દ્રિય રૂપી જે સૈન્ય-સેના તે ભાંગી નંખાઈ, દળી નંખાઈ, એટલે કે તરુણ અવસ્થામાં પણ જેઓ વડે ઇન્દ્રિયો વશ કરાઈ તેઓએ દુષ્કર કર્યું છે. જે કારણથી દોષોના હેતુભૂત એવા આ જન્મમાં મતિ છે ગહન જેમાં એવું યૌવન જેના વડે અપવાદ વગર (કોઈ કલંક વગ૨) જ ઓળંગાયું તેના વડે કયું ફળ પ્રાપ્ત નથી કરાયું ? (અર્થાત્ બધું જ ફળ તેને મળ્યું છે)
ગાથાર્થ
-
કેવા થયેલા તેઓ વડે ? ધૃતિપ્રાકાર અર્થાત્ કૃતિ તે મનની ધીરતા તે રૂપ જે પ્રાકાર કિલ્લો તેની ઉપર ચઢેલા એવા. ધૃતિરૂપ કિલ્લા ઉપર ચડીને જેઓ વડે ઇન્દ્રિયરૂપી સેના જીતાઈ તેના વડે કયું ફળ નથી મેળવાયું ? બીજાઓ પણ કિલ્લાના બળે શત્રુની સેનાને જીતે છે માટે અહીં તે ઘટે જ છે. [૯૮૫
ગાથાર્થ : જેઓના હૃદયમાં અડધી આંખ વડે જોવાના સ્વભાવવાળી સ્ત્રીઓ નથી ફરકતી. તેઓ ધન્ય છે, તેઓને નમસ્કાર થાઓ. તે સંયમ કરનારાઓનો હું દાસ છું. ।।૯।।
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૩
Page #333
--------------------------------------------------------------------------
________________
व्याख्या : ते धन्याः श्रेष्ठाः चतुर्थ्यर्थे षष्ठी तेभ्यो नरेभ्यो नमः नमस्कारोऽस्तु । तेषां संयमधराणां चारित्रवतामहं दासोऽस्मि किंकरो वर्त्ते । येषां हृदये चित्ते अर्द्धाक्षिदर्शनशीला नयनार्द्धेन प्रेक्षणकारिण्यो मृगेक्षणा 'न खुडुक्कन्ति' = न खाट्कुर्व्वन्ति न हृदये स्फुरन्तीत्यर्थः । यतः
आवर्त्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां, दोषाणां सन्निधानं कपटशतगृहं क्षेत्रमप्रत्ययानाम् ।
स्वर्गद्वारस्य विघ्नं नरकपुरमुखं सर्वमायाकरण्डं,
स्त्रीयन्त्र केन सृष्टं विषममृतमयं प्राणिलोकस्य पाशः ।।१।। ।।९९ ।।। ]
गाथा :
किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं । ता पिअसु विसयविमुहो, संवेग- रसायणं निचं । । १०० ।। व्याख्या : किं बहुना = किं बहूक्तेन ? रे ! जीव यदि त्वं शाश्वतमनन्तम्, अरुजं रोगरहितं सुखं मुक्तिस्थायिपरमानन्दरूपं सातं यदि वाञ्छसि=ईहसे, ततस्त्वं विषयेभ्यो विमुख; पराङ्मुखः सन् नित्यं संवेग एव चित्तविरक्ततैव रसायनं जरामरणापहमौषधं पिब । अन्योपि योऽरोगतामिच्छति, स किल रसायनं पिबत्येव, तथा शिवमरुजं सुखं यदि कामयसे तदा संवेगरसायनपानं विधेयमित्यर्थः । ।१०० ।।
इतीन्द्रियपराजयशतकं व्याख्यानतः सिद्धिमलभत ।
ग्रन्थकारप्रशस्तिः
श्रीमत्खरतरगच्छे सक्रियसंविज्जलैरति स्वच्छे ।
पाठक'वाचकयतितति खेलत्सविलासवरवत्से ।। ।।१।।
विक्रमतोऽम्बुधिरस 'रस' शशि' (१६६७) वर्षे जगति जनितजनहर्षे ।
श्रीमद्युग्रपधान श्रीजिन- चन्द्रार्य्यसूरीन्द्रे ।। ।।२।।
विजयिनि वरजिनसिंह- श्रीमत्सूरिः प्रतिष्ठितः पट्टे ।
स्वीये येन प्रभुतावृद्धिविधानाय धिषणधिया ।। ।। ३।।
१. चत्ते अर्द्धा दर्शनशीला ड । २. वादक ड । ३. सुरेन्द्रे ड, । ४. ब्रह्मस्थानां ख ।
失失失失失失失失
१६४ इन्द्रियपराजयशतकम्
Page #334
--------------------------------------------------------------------------
________________
ભાષાંતરઃ તે ધન્ય છે, શ્રેષ્ઠ છે, - ચતુર્થીના અર્થમાં હવે ષષ્ઠી કરી છે કે તે પુરુષોને
નમસ્કાર થાઓ, તે સંયમ ધારણ કરનારાઓનો અર્થાત્ ચારિત્રીનો હું દાસ છું, કિંકર છું જેઓના હૃદયમાં એટલે કે ચિત્તમાં અર્ધાક્ષિદર્શનશીલા અર્થાત્ અર્ધ નયન વડે જોનારી તે સ્ત્રીઓ ખાટું નથી કરતી એટલે કે ફરકતી નથી. જેઓના હૃદયને સ્ત્રીઓ ચલાયમાન નથી કરતી. તેઓનો હું દાસ છું. જે કારણથી કહ્યું છે કે - સંશયોનું આવર્ત, અવિનયનું ભવન, સાહસોનું ગામ, દોષોનો ભંડાર, સેંકડો કપટોનું ઘર, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિજ્ઞ, નરકપુરના મુખ સમાન, સર્વમાયાનો કરંડિયો, અમૃતમય વિષ, પ્રાણીલોકને
બાંધનારું એવું આ સ્ત્રી રૂપ યન્ત્ર કોના વડે સર્જાયું ? ll૯૯ો ગાથાર્થ રે જીવ!વધારે કહેવા વડે શું? જો તું રોગરહિત એવા શાશ્વત સુખને ઇચ્છે
છે તો વિષયથી વિમુખ થયેલો તું સંવેગ રૂપી રસાયણને નિત્ય પી./૧૦oll ભાષાંતર: વધારે કહેવા વડે કરીને શું ? રે જીવ, જો તું શાશ્વત એટલે કે અનંત,
અરુજ અર્થાત્ રોગરહિત, સુખ અર્થાત્ મુક્તિમાં રહેલી પરમાનંદ રૂપ શાતાને ઈચ્છે છે, વાંછે છે તો તું વિષયોથી વિમુખ એટલે કે પરામુખ થયો છતો નિત્ય સંવેગ અર્થાત્ ચિત્તવિરક્તતા તે રૂપી રસાયણ અર્થાત્ જરા અને મરણને દૂર કરનારા ઔષધ તેને પી. અન્ય પણ જે આરોગ્યપણાને ઇચ્છે છે તે ખરેખર રસાયણને પીએ જ છે, તે જ રીતે શિવ એટલે કે અરોગરૂપ જે સુખ તેને જો ઇચ્છે છે, તો સંવેગ રસાયણનું પાન કરવા યોગ્ય છે. (૧૦) આ પ્રમાણે ઇન્દ્રિય-પરાજય-શતકના વિવરણથી સિદ્ધિ મળો. સક્રિયા અને જ્ઞાનરૂપી જલ વડે સ્વચ્છ એવા શ્રી ખરતરગચ્છમાં ક્રિીડા કરતા શ્રેષ્ઠ વિલાસસહિત વત્સ પાઠક, વાચક, યતિની પરંપરા હોતે છતે, શ્રીમદ્ યુગપ્રધાન સમ શ્રી જિનચંદ્રસૂરિનો વિજય હોતે છતે, વિક્રમથી ૧૯૬૭ વર્ષે જગતમાં લોકોને હર્ષ ઉત્પન્ન થયે છતે ચતુર બુદ્ધિ વડે સમર્થતાથી વૃદ્ધિ કરવા માટે પોતાના પટ્ટ ઉપર શ્રીમદ્ જિનસિંહસૂરિની પ્રતિષ્ઠા કરાઈ ત્યારે રમ્ય એવી વિજયાદશમીના દિવસે સૂત્રની પ્રતિમાને જોઈને મારા બોધ પ્રમાણે વિચારીને ઇન્દ્રિય
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૪
Page #335
--------------------------------------------------------------------------
________________
विजयदशम्यां रम्यां सूत्रप्रतिमस्य वीक्ष्य विहितेयम् । इन्द्रियशतके वृत्तिर्यथावबोधं विचार्य मया ||४|| श्रीजयसोमगुरूणां सदसद्भावावबोधन गुरूणाम् । पाठकपदवीं महतीं दधतां महतां सदाऽऽददताम् * ।। ।।५।। शिष्येण राजधान्यां श्रीगुणविनयेन वाचकरमायाः । प्रौढिं वहता तत्र च येऽज्ञानाद्भाषिता दोषाः ।। ।।६।। ते दूरेणोत्सार्य्याः प्रसादमाधाय मयि विशेषज्ञैः । ̈छद्मस्थानां यस्मान्न योगशुद्धिर्जिनैरुदिता ।।७।। नाऽस्य व्यलोकि वृत्तिः प्राच्यविपश्चिद्विनिर्मिता काऽपि । खशतकबोधाम्भोधेः पारप्राप्तौ गुरुः पोतः ।।८।। तत्राभून्मम सध्यङ् **तेनेयं वृत्तिराप सिद्धिपदम् । लेशेनेन्द्रियविजयं लब्ध्वा लभतां शिवं लोकः ।। ९ ।। पाठं पाठं श्रावं श्रावं वैराग्यगर्भितं शास्त्रम् । इदमवदातयशोभिर्धवलितभूवलयमानन्दात् ।।१०।।
विशोधितेयं गुरुभिर्मदीयैः सिद्धान्तसिन्धोः परपारमान्यैः । स्वर्णप्रकृत्या सुभगं हि भाग्याद्रत्नानुषङ्गे किमु वाच्यमार्य्या ।।११।।
श्रीजिनदत्तगुरूणां श्रीमज्जिनकुशलसूरिराजनाम् ।
परमप्रसादभावात् श्रीसुखसिद्धिः सदा भवतात् ।। ।।१२।।
।। श्री ।। ।। श्री ।। ।। श्री ।। श्री ।। ।। श्री ॥
* सत् = शोभनं गृह्णताम् ।
१६५ इन्द्रियपराजयशतकम्
'वृत्तिरचनायां पोतसमः गुरुः मम सहायोऽभवदित्यर्थः ।
**
Page #336
--------------------------------------------------------------------------
________________
શતક ઉપર આ ટીકા મારા વડે કરાઈ. સદસ૫દાર્થોના અવબોધ વડે મોટી પાઠક પદવીને ધારણ કરતા એવા ગુરુ શ્રી જયસોમગુરુ એવા મોટાઓનું શુભ ગ્રહણ કરો.
વાચક રૂપી લક્ષ્મીની પ્રૌઢતાને ધારણ કરતા શિષ્ય એવા શ્રીગુણવિજય વડે આ રચાઈ છે, તેમાં જે અજ્ઞાનથી દોષો કહેવાયા હોય તે મારા ઉપર કૃપા કરીને વિશેષજ્ઞો વડે દૂર કરવા યોગ્ય છે. કારણ કે જિનેશ્વર વડે છદ્મસ્થોને યોગની શુદ્ધિ કહેવાયેલી નથી. આ ઇન્દ્રિય પરાજય શતકની પ્રાચીન કે અર્વાચીન રચાયેલી એવી કોઈપણ ટીકા જોવાઈ નથી. ઇન્દ્રિયશતકના બોધ રૂપ સાગરને પાર પામવામાં ગુરુ એ વહાણ સમાન મને સહાયક થયા છે, તેના વડે આ વૃત્તિ સિદ્ધિપદને પામી છે. આનંદથી ભૂવલયને ઉજ્જવળ કર્યું છે તથા યશને વધારનારું આ વૈરાગ્યગર્ભિત શાસ્ત્રને ભણી ભણીને તથા સાંભળી સાંભળીને લેશ પણ ઇન્દ્રિયના વિજયને પ્રાપ્ત કરીને લોક સિદ્ધિને પ્રાપ્ત કરો.
સિદ્ધાંત રૂપ સાગરને પાર પામેલા મારા ગુરુ વડે આ સંશોધન કરાયેલી છે. સ્વર્ણની પ્રકૃતિની જેમ સુભગ ભાગ્યથી તેને રત્નનો અનુસંગ થાય તો શું કહેવાય ?
શ્રી જિનદત્તગુરુ અને શ્રીમદ્ જિનકુશલસૂરિરાજની પરમ કૃપાના ભાવથી સુખ અને સિદ્ધિ હંમેશાં થાઓ.
|| શ્રી | શ્રી | શ્રી | શ્રી | શ્રી ||
ઈન્દ્રિયપરાજયશતક ૧૯૫
Page #337
--------------------------------------------------------------------------
Page #338
--------------------------------------------------------------------------
________________ સલમાએ Horld Sanmarg prakashan Ph. 535 20 72 ISBN - 81 - 87163 - 46-1