Page #1
--------------------------------------------------------------------------
________________
| મૂલવાયકારn પૂ. આચાર્ય ભગવંતશ્રી ક્લીવિંભૂરીશ્ર્વરજી મ
ટીકાકાર a પૂ.આચાર્ય ભગવંત શ્રી સોમવલકશ્રુથ્વિરજી મ.
018જણાતાd 1 ભાવાનુવાદ
વાપરામાલા
- ભાવા] 1Eકાર નું પૂ. શ્રીમદ uિrટાણાજરુ ને
૦ પ્રકાટાક © શ્રી પા! વાિ આ સ્વર ભગવાન
જૈન દેર: તટસ્ટ મહીધરપુરા, છાપરીવાશેરી
સૂર-1 - ૩૯૫. 05
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણે-પદ્માવતી સંપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીદાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિસભ્ય નમઃ
છે નમ:
શીલોપદેશમાલા
(ગુજરાતી ભાષાંતર ) ..
: મૂલગ્રંથકાર : સકલસિદ્ધાંતસારવેદી પ. પૂ. આચાર્યદેવ શ્રી જયકીર્તિસૂરીશ્વરજી મહારાજ
: ટીકાકાર : શીતપ્રિય પ. પૂ. આચાર્યદેવ શ્રી સંમતિલકસૂરીશ્વરજી મહારાજા
: ભાવાનુવાદકાર : સિદ્ધાંતમહેદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પરમગાતાર્થ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પરાથપરાયણ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરિ મ. ને વિનેય
આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક :. શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટ
છાપરીયા શેરી–સૂરત
(પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી મહોદયસૂરિ મ. સા.ના પરમતારક ઉપદેશથી)
મૂલ્ય : રૂા. ૪૦=૦૦
-
:
"
.
" :.
વુિં મેં ૨૦૪૯
વીર સં. ૨૫૧૯
' ઈ. સ. ૧૯૩, નકલ ૧૦૦૦
* પ્રાપ્તિસ્થાન : શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પૈષધશાળા
મહીધરપુરા-છાપરીયા શેરી, સૂરત-૩લ્પ૦૦૩
સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત થયેલ હોવાથી પૂ. સાધુ-સાધ્વીજી કે જ્ઞાનભંડાર સિવાય કઈ પણ ગૃહસ્થ આ પુસ્તક વસાવવું હોય તે છાપેલી કિંમત ચૂકવીને જ વસાવવું, અન્યથા દેષના ભાગીદાર બની જવાય.
ભરત પ્રિન્ટરી ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ. ફોન : ૩૮૭૯૬૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પ્રશાંતમૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજયમહેાયસૂરીશ્વરજી મહારાજાના મોંગલ આશીર્વાદથી શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટ તરફથી આ શીલાપદેશમાલા” ગ્રંથનું પ્રકાશન કરતાં અમે હષ અનુભવી રહ્યા છીએ. આ ગ્રંથનું નામ યથાર્થ છે. શીલ એટલે બ્રહ્મચર્ય, શીલના-બ્રહ્મચર્યના ઉપદેશાની માલા તે શીલાપદેશમાલા. આ ગ્રંથમાં બ્રહ્મચર્યના ઘણા મહિમા ગાયા છે. શીલપાલન કરવાથી થતા લાભેાનું અને શીલભંગથી થતી હાનિનું અનેક દૃષ્ટાંતાપૂવ ક રોચક વર્ણન કરવામાં આવ્યું છે. આમાં આવેલી કથાએ સામાન્યજનને પણ વાંચવી ગમે તેવી છે.
ભૂતકાળમાં આ ગ્રંથ ઉપર થયેલી અનેક ટીકાઓની રચનાથી જાણી શકાય છે કે ભૂતકાળમાં આ ગ્રંથ ઘણા પ્રચલિત હતા. જિનદાસ શ્રાવકે ગુરુની પાસે સાત વષઁની વયે શીલાપદેશમાલાનું વ્યાખ્યાન સાંભળીને જીવનપર્યં ́ત એકાંતરે બ્રહ્મચર્ય વ્રત પાળવાના નિયમ લીધા હતા. એની પત્ની સુહાગદેવીએ પણુ લગ્ન પહેલાં સાધ્વીજી પાસે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધા હતા. જે દિવસે જિનદાસને વ્રતની છૂટ હતી તે દિવસે પત્નીને નિયમ હતા. જે દિવસે પત્નીને છૂટ હતી તે દિવસે જિનદાસને નિયમ હતા. આથી બંનેએ ગુરુની પાસે યાવજ્જીવ બ્રહ્મચર્ય વ્રતના સ્વીકાર કર્યાં હતા.
આ વિગત સેનપ્રશ્નગ્રંથમાં (સળંગ પ્રશ્નનંબર) ૩૯૬મા પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. આના ઉપરથી પણ સમજી શકાય છે કે પૂર્વે આ ગ્રંથ સામાન્ય જનસમાજમાં ઘણુંા પ્રચલિત હતા.
આજે જયારે જનસમાજમાં શીલના પ્રેમ ઘટવા લાગ્યા છે, શીલભંગના પ્રસંગા ખૂબ વધી રહ્યા છે, શીલની રક્ષા થાય તે માટે મહાપુરુષાએ બતાવેલી મર્યાદાઓને– નિયમના ભાંગીને ભુક્કો થઈ રહ્યો છે, પરિણામે કુમારીઓનુ કૌમાય` ખંડિત થવાના ભય ઉપસ્થિત થઈ રહ્યો છે, કામવાસના વધે તેવું વાતાવરણ સર્જાઈ રહ્યુ છે ત્યારે, શીલ ઉપર પ્રકાશ પાથરતા આ ગ્રંથ ઘણા ઉપચેાગી બની રહેશે.
શીલેાદેશમાલા ગ્રંથ મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં છે, અને તેના ઉપર “ શીલતર'ગિણી ” નામની સંસ્કૃત ટીકા છે. શીલેાપદેશમાલા મૂળગ્રંથના કર્તા આચાર્ય શ્રી જયસિંહસૂરિના શિષ્ય આચાર્ય શ્રી જયકીર્તિસૂરિ છે. તેઓશ્રીના જીવનની વિશેષ કાઈ માહિતી અમને પ્રાપ્ત થઇ નથી. શીલતર`ગિણી સ`સ્કૃત ટીકાની રચના રુદ્રુપલ્લીય ગચ્છના આચાય. શ્રી સંઘતિલકસૂરિના શિષ્ય આચાર્ય શ્રી સામતિલકસૂરિએ વિ.સ. ૧૩૪ માં કરી છે. તેમનું બીજું નામ વિદ્યાતિલક હતું. તેઓશ્રીએ બીજા પણ વીરકલ્પ, ષડ્ઝ નસૂત્રટીકા, લઘુસ્તવટીકા અને કુમારપાલદેવ ચરિત વગેરે ગ્રંથાની રચના કરી છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
[૪ ]
પ્રસ્તુત પ્રકાશનની પૂર્વભૂમિકા કાંઇક આ પ્રમાણેની છે: વ્યાખ્યાનવાચસ્પતિ, મહાન શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદપૂર્ણાંક તેઓશ્રીના લઘુ ગુરુખ' પરમગીતા સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ સ્વશિષ્યા સાથે સૂરત-છાપરીયાશેરી શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પૌષધશાળામાં ચાતુમાસાથે પધાર્યા. તેઓશ્રીના પ્રભાવે ચાતુર્માસમાં આરાધના-પ્રભાવનાની સુંદર સુવાસ ફેલાઇ. તેઓશ્રીને જ્ઞાનખાતાની રકમના સદુપયોગ કરાવવા માટે વિન`તિ કરતાં તેએશ્રીએ, જેએશ્રીના અનુવાદ ચતુર્વિધ સંઘમાં ખૂબ ઉપયાગી બની રહ્યા છે પૂજ્ય આચાર્ય દેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજે કરેલા, આ આ ટીકાસહિત શીલેાપદેશમાલા ગ્રંથના ભાષાંતરના પ્રકાશન તરફ અમારું લક્ષ દોર્યું. અમેાએ સહષ આ ભાષાંતરનું પ્રકાશન કરવાના નિણ ય કર્યાં. તેના ફળસ્વરૂપે આજે અમે આ ગ્રંથરત્નને શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પાષધશાલા અને શ્રી વમલચંદ્ર ખીમચ'ઢ સુતરીયા ઉપાશ્રયના જ્ઞાનદ્રવ્યની આવકમાંથી છપાવીને આપની સમક્ષ મૂકી શકયા છીએ.
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યના ઉપયોગ મુખ્યત્વે પ્રાચીન ગ્રંથાના હસ્તલેખન, જ્ઞાનભડારાનું સંરક્ષણુ, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતાની અધ્યયન વ્યવસ્થા વગેરેમાં સમુચિત રીતે જ કરવા ચેાગ્ય છે. આવા ગ્રંથાનુ પ્રકાશન કરવાનું કર્તવ્ય ો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યના ઉપયાગ અનિવાયૅ અને તે પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતા તથા શ્રીસ ંઘા હસ્તકના જ્ઞાનભંડારાને જ આ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થાએ આ ગ્રંથ વસાવવા હાય તેા તેનું પૂરુ' મૂલ્ય જ્ઞાનખાતે અણુ કરીને જ વસાવવા અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવા હાય તા તેના ચેાગ્ય નકરા જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કાઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.
પ. પૂ. આચાર્ય દેવ પ્રસશેાધન આદિ કાર્યો ખૂબ ચીવટથી કરી આપવા બદલ શ્રી લલિતશેખરસૂરિજી મ.સા., પ.પૂ. આચાર્ય દેવ શ્રી રાજશેખરસૂરિ મ. સા. અને પ.પૂ. મુનિરાજ શ્રી ધ શેખરવિજયજી મ. સા.ના અમે ઋણી છીએ,
સમયસર સુઉંદર મુદ્રણ કરી આપવા બદલ ભરત પ્રિન્ટરીના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહ વગેરેને પણ અમે ભૂલી શકીએ તેમ નથી.
પ્રાંતે-આ ગ્રંથનું વાંચન-ચિંતન-મનન કરીને સૌ કોઇ શીલના પ્રેમી બનીને શીલનું પાલન કરનારા અનેા એ જ પરમશુભેચ્છા.
–શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી રાજશેખરસૂરિ મહારાજના સરળ અને સુબેધ શૈલીમાં આલેખાયેલાં પ્રેરણાદાયી પુસ્તકે
૧ માતાપિતાની સેવા માતા–પિતાનો ઉપકાર કેટલે બધો મહાન છે? એમની સેવા કાજે કઈ કઈ ચીજોનું બલિદાન કરવું જોઈએ? વગેરે જાણવા આ પુસ્તિકા ઘણી ઉપયોગી છે. એની ત્રણ આવૃત્તિમાં ૧૬ હજાર નકલો પ્રગટ થઈ ચુકી છે. “મુંબઈ સમાચાર' અને “જન્મભૂમિ' વગેરે દૈનિકપત્રોએ પણ આને સારે આવકાર આપે છે.
રમૈત્રી સાધના મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ધર્મનું મૂળ છે, અને પ્રમોદાદિ ત્રણ ભાવનાઓનું મૂળ મૈત્રી છે. આવી મહિમાવંતી મૈત્રીના સ્વરૂપને અને મહિમાને જાણવા માટે આ પુસ્તિકા વાંચવી જરૂરી છે.
૩ પ્રમેદપુષ્પપરિમલ આમાં પ્રમોદભાવનાનું સરળ અને સુગમ વિવેચન કરવામાં આવ્યું છે. ગુણાનુરાગની ગરિમાને, ગુણ પ્રશંસાથી પ્રગટ થતા અનેકાનેક લાભોને, અને ગુણ-અવગુણને પારમાર્થિક સ્વરૂપને સમજવા માટે આ પુસ્તિકા અવશ્ય વાંચો.
૪ સત્સંગની સુવાસ આમાં સત્સંગના મહિમાનું અને કુસંગથી સજાતા અનર્થોનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સત્સંગ અનેકાનેક દષ્ટિથી કેટલો બધે જરૂરી છે અને લાભદાયી છે એનું પુણ્ય દર્શન મેળવવા માટે આ પુસ્તિકા અનેક રીતે આદરણીય છે.
૫ ભવભાવના આમાં બારભાવનાઓનું વર્ણન છે, પણ પાંચમી સંસારભાવનાનું વર્ણન ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું છે. આથી આ પુસ્તિકા દુઃખમાં સમાધિ માટે ટોનિક ઔષધતુલ્ય અને વૈરાગ્ય પિોષક છે. જૈનના દરેક ઘરમાં આ પુસ્તિકા હોવી જરૂરી છે. આની ત્રણ આવૃત્તિમાં ચાર હજાર નકલનું પ્રકાશન થયું છે.
૬ તવાર્થાધિગમસૂત્ર આમાં છવ વગેરે નવતાનું વિશદ છતાં સરળ અને સુગમ વિવેચન કરવામાં આવ્યું છે, જૈનશાસનના પ્રાણભૂત નવ તરોનું સ્પષ્ટતાથી અને વિસ્તારથી જ્ઞાન મેળવવા માટે આ પુસ્તકનું અવગાહન જરૂરી છે.
- પ્રાપ્તિસ્થાને
જયેન્દ્ર વેલજી હરણિયા, ૧૭ B, દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫ | (સૌરાષ્ટ્ર)
તત્વાર્થાધિગમસૂત્ર
મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાલામાં મળે છે.
અમૃતલાલ જીવરાજ . ૧૭ એમ; આઝાદરોડ, ફાતમાબાઈ કોર્ટ, જેકબસર્કલ
મુબઈ–૪૦૦ ૦૧૧
Page #7
--------------------------------------------------------------------------
________________
સાદર સમણુ
આ ગ્રંથનુ' ગુજરાતીમાં ભાષાંતર કરવા માટે મને જેએાશ્રીએ પ્રેમપૂ પ્રેરણા કરી તે કવિકુલિકરીટ પ. પૂ. આ. શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ્રશાંતમૂર્તિ ૫. પૂ. પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવરના કરકમલામાં સાદર સમણુ.
– રાજશેખરસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય
૩-૪
૫
વિષયાનુક્રમણિકા ગાથા પિજ વિષય
ગાથા પેજ મંગલાચરણ
૧ ૨ | શીલના કારણે સ્ત્રીઓ પણ પૂજ્ય છે. ૪૩ ૧૩૦ : શીલપાલનને ઉપદેશ.
૨ ૪ | શીલના કારણે ગૃહસ્થ શીલનું માહાસ્ય
પણ શ્રેષ્ઠ છે.
૪૪-૪૫ ૧૩૧ શીલ મોક્ષનું મુખ્ય કારણ
ચેર પણ શીલપાલનથી શીલવતાની પ્રશંસા ૬-૭ ૧૨ ! સદ્ગતિમાં જાય.
૪૬ ૧૩૮ તપસ્વીઓમાં પણ નિમલ
શીલવંતી સ્ત્રીની પ્રશંસા.
૪૭ ૧૪૪ શીલવાળા અ૫ હાય.
૮ ૧૩. | મહાસતીનું સ્વરૂપ
૪૮ ૧૫ તત્વજ્ઞાનીને પણ શીલપાલન દુષ્કર ૯ ૧૬ | | પરપુરુષને સેવનારી સ્ત્રી મહાસતી નથી. ૪૯ ૧૪૫ શીલપાલન બધાય ધર્મોથી અધિક દુષ્કર ૧૦ ૧૬ નિંદનીય પણ સ્ત્રીઓ શીલથી શીલપૂર્વક કરેલા દાનાદિ પ્રમાણભૂત છે. ૧૧ ૧૭
પ્રશંસનીય બને ૫૦ ૧૪૫ નિર્મલશીલો પ્રભાવ
૧૨ ૧૭
સીતા-સુભદ્રાની પ્રશંસા ૫૧-૫૨ ૧૪ તપસ્વી પણ શીલરહિત હોય તે
મહાસતીઓ સુખોમાં લોભાતી નથી. પ૩ ૧૫૧ મોક્ષ ન પામે. ૧૩ ૨૦ મહાસતીઓનાં દષ્ટાંતો
૫૪ ૧૫૮ શીલપાલનની દુષ્કરતા ૧૪-૧૫ ૨૧
પતિથી ત્યજાયેલી સતીઓનાં દ્રષ્ટાંત ૫૫ ૧૮૭ સુભટો પણ સ્ત્રીથી છતાય છે. ૧૬-૧૭ ૨૨
મહાસતીઓનાં દૃષ્ટાંત
૫૬ ૨૩૫ માની જીવ પણ સ્ત્રીને આધીન બને છે. ૧૮
શીલવંતને સંગ પણ બહુગુણકારી બને. ૫૭ ર૩૬ પંડિત પણ સ્ત્રીને આધીન બને છે. ૧૯ ૩૦ શીલરહિતના અનેકગુણે પણ ગુણ નથી ૫૮ ૨૫૬ સ્ત્રીથી થયેલી લૌકિક દેવોની વિડંબના ૨૦ શીલવાનને આ ભવમાં જ મળતાં ફળ. ૫૯ ૨૫૬ કામી દેવોને પૂજનારાઓને ઉપહાસ ૨૧ શીલથી ભ્રષ્ટ બનેલાઓનાં દૃષ્ટાંતો. ૬ થી ૬૨ ૨૫૭ કામી ગુરૂઓને પૂજનારાઓને ઉપહાસ, ૨૨ શીલથી ભ્રષ્ટ ફૂલવાલકનું દૃષ્ટાંત. ૬૩ ૨૫૭ ચોથાવતના ભંગમાં શેષગ્રતાને
વિષય તૃષ્ણાથી તપ પણ નિરર્થક બને. ૬૪ ૨૬૨ પણ ભંગ ૨૩થી ૨૫ પરસ્ત્રીગમનથી મહાન પણ લઘુ બને. ૬૫ ૨૬૬ વિષયાસક્ત જીવ ગુરુ ન હોઈ શકે. ૨૬ ૩૬ શીલવિનાશથી અપજશ ફેલાય. ૬૬ ૨૬૭ શાસ્ત્રમાં મૈથુનને એકાંતે નિષેધ. ૨૭ ૩૬ શીલમાં આદર કરવાને ઉપદેશ. ૬૭ ૨૮૦ ધીર પણ સ્ત્રીસંગના કારણે ધમથી
શીલરક્ષા વિષે દશવૈકાલિકની ભ્રષ્ટ બને, ૨૯-૩૦ ૩૭ ચાર ગાથા
૬થી૭૨ ૨૮૧ નંદિષેણ સ્ત્રીના કારણે ચારિત્રથી
શીલરક્ષા માટે સ્ત્રીત્યાગના ' ભ્રષ્ટ બન્યા. ૩૧ ૪૪ આગ્રહનો હેતુ
૭૩-૭૪ ૨૮૧ તદ્દભવમોક્ષગામીઓને પણ વિષયો દુષ્ક્રય છે. ૩૨ ૪૭ પોતાના આત્માને જ બોધપ્રદાન. ૭૫ ૨૮૨ કામદેવ દુજેય છે.
૩૩-૩૪ ૫૦ વિષયસુખમાં આસક્તને થતાં દુઃખ કામને જીતનારાઓની પ્રશંસા ૩૫થી૩૯ ૫૦
૭૬-૭૭ ૨૮૪ દષ્ટાંતથી શીલપાલનનું સમર્થન ૪૦ ૮૮ વિષયાકાંક્ષાને દૂર કરવાનો ઉપદેશ. ૭૮ ૨૮૫
સ્થૂલભદ્રના શીલની પ્રશંસા ૪૧ ૧૦૨ સ્ત્રીઓના દેનું વર્ણન. ૭૯થી૮૫ ૨૮૫ શીલમાં મક્કમ છવ લોભાતો નથી. કર ૧૧૪ સ્ત્રીએથી વિરક્ત બનેલાઓની પ્રશંસા. ૮૬ ૨૮૬
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષય ગાથા પેજ વિષય
ગાથા પેજ સ્ત્રીમાં વિશ્વાસ મૂકનારની દુર્દશા
મુનિ અને ગૃહસ્થને હિતશિક્ષા. ૧૦૧–૧૦૨ ૩૦૮ થાય. ૮૭ ૨૮૮ | સ્ત્રીઓને હિતશિક્ષા.
૧૦૩ ૩૦૯ સ્ત્રીઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. ૮૮-૮૯ ૩૦૪ કેવી સ્ત્રીઓ વિરલ હોય તેનું કથન ૧૦૪ ૩૦૯ પરસ્ત્રીના પ્રેમથી પોતાને ભાગ્યશાળી
મહાસતીઓ શીલમાં દઢ હોય છે. ૧૦૫ ૩૧૦ માનનારાઓને ઠપકે.. ૯૦ ૩૦૪ “સતી” શબ્દને અર્થ. -
૧૦૬ ૩૧૦ અનેક સ્ત્રીઓમાં આસક્તને શિવવધૂ
સતી ન હોવા છતાં પોતાને સતી ન ઈચ્છે.
૩૦૫ માનનાર સ્ત્રીઓની દુષ્ટતાનું કથન. ૧૦૭ ૩૦૨ મેક્ષ મેળવવા શીલપાલનને જ ઉપદેશ. ૯૨ ૩૦૫ ઉક્ત વિષયનું દષ્ટાંતથી સમર્થન. ૧૦૮ ૩૧૧ કામથી પીડાયેલાને દુઃખ જ છે. ૯૩-૯૪ ૩૦૫ મહાસતીનું લક્ષણ,
૧૦૯ ૩૨૮ સ્ત્રીઓનું શરીર પણ વૈરાગ્યનું કારણ છે. ૯૫ ૩૦૬ શીલ રક્ષાને ઉપાય.
૧૧૦ ૩૨૮ શીલનું માહાતમ્ય-શીલ રહિતની નિંદા.
સ્ત્રી સાથે એકાંતમાં રહેવાથી ૯૬-૯૭ ૩૦૬ દોષારોપણની સંભાવના.
૧૧૧ ૩૨૮ કેવો છવ શીલની રક્ષા કરે તેનું કથન. ૯૮ ૩૦૬ શીલ પાલનના ફળનું કથન. ૧૧૨ ૩૨૯ મુનિના શીલની રક્ષાને ઉપાય ૯૯ ૩૦૭| કેવો છવ શીલ પાળે તે જણાવે છે. ૧૧૩ ૩૨૯ ગૃહસ્થના શીલની રક્ષાને ઉપાય ૧૦૦ ૩૦૮ | મંગલ આશીર્વાદ.
૧૧૪ ૩૩૨
-૯૪ ૩૦/Sા વિષયનું
વૈરાગ્યનું કાર
ષ્ટાંત
પેજ ૨૪૭
૩૧ ૧૫૧ ૨૫ર
૩૧
૧૮૨
૪૮
દૃષ્ટતાની અકારાદિ અનુક્રમણિકા
પેજ | દૃષ્ટાંત અગડદત્ત
૨૮૯ નંદયંતી અંજનાસુંદરી
૧૬૩
પ્રદેશી રાજા આદ્રકુમાર
૩૮
બ્રહ્મા ઈન્દ્ર
મદનરેખા સતી ઋષિદત્તા
૧૮૭
મનોરમા કમલા
૨૧૯
મલિલનાથ ભગવાન કલાવતી
૨૨૪
મહાદેવ કુલવાલક
૨૫૮
રતિસુંદરી ગુણસુંદરી-પુણ્યપાલ
રહનેમિ
રિપુમર્દન-ભુવનાનંદા દત્તપુત્રી (શૃંગારમંજરી)
૨૭૬ રુકમિણી ( નારદના સંબંધમાં) દમયંતી
રોહિણી દ્વૈપાયનઋષિ
વજીસ્વામી દ્રૌપદી
વિશ્વામિત્ર ઋષિ ધનશ્રી સતી
વંકચૂલ નર્મદાસુંદરી
૧૭૨ શીલવતી નેમિનાથ (નવભવની વિગત)
સીતાજી નારદ
સુદર્શન શેઠ નૂપૂર પડિતા (અંતગત મહાવત–
સુભદ્રા સતી રાણુને પ્રસંગ) ૨૬૭ સુંદરી નંદિષણ
સ્થૂલભદ્ર
ચંદ્ર
૩૨
૨૨
૨૦૦
૧૩ ૨૬૨
૩૩૦
૧૭ ૨૫૨ ૧૧૪
૧૫ ૧૩૯ ૨૩૫ ૩૧૧ ૧૩૧ ૧૪૭
પર
૧૫૮ ૧૦૩
૪૪.
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણે પદ્માવતી સંપૂજિતાય છે. હું શ્રી શ્રીશંખેશ્વર પાશ્વનાથાય નમઃ
શ્રી દાન-પ્રેમ-હીરસૂરિગુરુભ્યો નમઃ
ઉં નમ:
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયકીર્તિસૂરિ વિરચિત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી સંમતિલકસૂરિ કૃત શીલતરંગિણું ટીકા સહિત
શીપદેશમાલા ગ્રંથનો આચાર્ય શ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ
ટીકાકારનું મંગલાચરણ ઉપદેશ આપવાના સમયે જેમના દાંતનાં કિરણોથી મિશ્રિત થયેલા અને ખભા ઉપર ફેલાતા કેશના અંકુરોએ સુવર્ણ પાત્રમાં રહેલા દહીંથી મિશ્રિત થયેલી અને લાંબી એવી દૂર્વાની (ધ્રોખડની) લીલાને (કચેષ્ટાને) ધારણ કરી, અર્થાત્ તેના જેવી શોભાને ધારણ કરી, તે આદિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ. (૧)
મૃગના લાંછનવાળા અને પૃથ્વીમંડલ ઉપર હર્ષ પામતા જીવોના પારમાર્થિક વિકાસને કરતા એવા જે શાંતિનાથ ભગવાન સંસાર ઉપર અરુચિભાવવાળા મક્ષના ઉત્તમ સાધનને (=ચારિત્રને) પામીને સ્થિર અને દેદીપ્યમાન લક્ષમીવાળા થયા, તે શાંતિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ.' (૨)
૧. આ શ્લોક ઠચર્થક હોવાથી તેના અર્થની ચંદ્ર અને શાંતિનાથ ભગવાન એ બેમાં ઘટના થાય છે. તે આ પ્રમાણે - જેમ (મૃગઈચ્છા = ) ચંદ્ર (કુમુદ્દો = ) ચંદ્રવિકાશી કમળાને ( વિરારા= ) યોગ્ય વિકાસ (ઘા = ) કરે છે, તેમ (પઢાન: રન = ) મૃગલાંછનવાળા થયા છતા (:= ) જે શાંતિનાથ ભગવાન ( મુરાંગ) પૃથવીમંડલ ઉપર હર્ષ પામતા જીના (ગુજં વિજ્ઞા= ) વાસ્તવિક વિકાસને (રઘાન:= ) કરે છે, જેમ ચંદ્ર (મથાતિ +માથંક) પાર્વતીને હિતકર ભાવવાળા (શિવોત્તમr=) મહાદેવના મસ્તકને (=મસ્તક રૂપ આશ્રયને) (595) પામીને (રિથરમાણુtી:) સ્થિર અને દેદીપ્યમાન શોભાવાળા (મમત= ) થયો, તેમ જે શાંતિનાથ ભગવાન (મનમાહિત+માર્ચ=) સંસાર વિષે અરુચિભાવવાળા (fહારમાÉ= ) મોક્ષના ઉત્તમ સાધનને=ચારિત્રને (=) પામીને (
રિમાણુ = ) સ્થિર અને દેદીપ્યમાન (અનંતસુખાદિરૂ૫) લક્ષ્મીવાળા (અમૂતeથયા, (fછ ર ત =) તે શાંતિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ.
Page #11
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથો મુક્તિરૂપી રમણીનું અન્યમાં ન હોય તેવા પ્રકારનું રૂપ જ્ઞાનરૂપી અરિસામાં જોઈને જેઓ બાલ્યાવસ્થાથી તેમાં જ મનવાળા થયા તે નેમિનાથ ભગવાન કલ્યાણની વૃદ્ધિવાળા ( કલ્યાણની વૃદ્ધિ કરનારા) થાઓ. (૩)
જેમના જ્ઞાનમાં અનેક ભાવોએ પ્રતિબિંબિત થઈને બાધા વિના નિવાસ કર્યો, અને (પરસ્પર વિરોધી એવા) સાત ન શત્રુતાનો (=વિરોધને) ત્યાગ કરીને ફણાના બહાને રહ્યા. તે પાર્શ્વનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ. (૪)
જે જિન ગર્ભમાં હોવા છતાં માતા-પિતાની લક્ષમી બધી તરફથી વૃદ્ધિ પામી તે સિદ્ધાર્થ રાજાના પુત્ર અંતિમ તીર્થકર મને સિદ્ધાર્યોના સમૂહથી શ્રેષ્ઠ કરે, અર્થાત્ મારાં સર્વ કાર્યોને સિદ્ધ કરે. (૫)
જે કલાવાન ગુરુઓના હસ્તના સંગથી (હસ્તના સ્પર્શમાત્રથી) જડ પણ મનુષ્ય દોષથી થયેલી દુર્દશાને નાશ કરે છે, અને રત્નોમાં ચંદ્રકાંત મણિની જેમ કલાવાન મનુષ્યમાં અગ્રપદને પામે છે, તે શ્રીગુરુઓ જય પામે. (૬)
પૂર્વે શ્રીજયસિંહસૂરિના શ્રી જયકીર્તિ નામના શિષ્ય જે શાસ્ત્રની રચના કરી છે તે શાસ્ત્રની સુખપૂર્વક સમજી શકાય તેવી વૃત્તિને સ્વ–પરના ઉપકાર માટે હું ચુ છું.
મૂલગ્રંથકારનું મંગલાચરણ અહીં જેમણે તપદેશરૂપ અમૃતના સારને એકઠો કર્યો છે એવા પ્રકરણકાર, પુણ્યરૂપી વેલડીના પલ્લવોનો વિકાસ કરવા મેઘના આરંભ સમાન શ્રી શીલપદેશમાળા નામના પ્રકરણના પ્રારંભમાં સાર-અસારને વિચાર કરવામાં કુશળ એવા ચતુર પુરુષના ચિત્તને ચમત્કાર પમાડવા માટે, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો પ્રવૃત્તિ કરે એ માટે, અને વિઘસમૂહની શાંતિ કરવા માટે, પિતાના ઈષ્ટદેવને નમસ્કાર કરવાપૂર્વક, અભિધેય, પ્રોજન અને સંબંધથી મનહર એવી પ્રથમ ગાથાને કહે છે -
आबालबंभयारिं, नेमिकुमारं नमित्तु जयसारं ।
सीलोवएसमालं, वुच्छामि विवेयकरिसालं ॥१॥ ૧. આ લોક ઠચર્થક હેવાથી તેને અર્થ ચંદ્રકાંત મણિ અને મનુષ્ય એ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે –(નરોડપિ રોવર) જેમ જડ પણ ચંદ્રકાંત મણિ (સ્ત્રાવતi=) ચંદ્રોના ( માત્ર) કિરણોના સંગથી (Rારિતોષદુ:= ) દોષોથી થયેલી દુર્દશાને નાશ કરે છે, અને ( જુ પુરિ થિર્તિક ) રત્નમાં અગ્રપદને (સમાનુજોક) મેળવે છે, તેમ (રાવતાં ચેષાં= ) કલાવાન જે ગુરુઓના ( માત્ર ) હસ્તસંગથી ( નરોડા નર = ) જડ પણ મનુષ્ય (નાશિતોષતુરા:= ) દોષોથી થયેલી દુર્દશાનો નાશ કરે છે અને હાથતાં પુરિ રિથસિંs) કલાવામાં અગ્રપદને (સમઝવુસેક) મેળવે છે, (૪તુ તે ગુજa:) તે ગુરુએ જય પામો.
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
ગાથાથ-બાલ્યાવસ્થાથી બ્રહ્મચારી અને જગત્કાર એવા બાવીસમા તીર્થંકર નેમિકુમારને નમીને વિવેકરૂપી હાથીની શાલા સમાન શીપદેશમલાને કહીશ.
. ટીકાથ-(બાવાજીનાવાર –) નિદેશ (=કથન) ભાવની પ્રધાનતાવાળા હોય છે, અર્થાત્ નિર્દેશમાં ભાવની મુખ્યતા હોય છે. આથી વાર શબ્દને બાલભાવ એવો અર્થ છે. આ એટલે આરંભીને. આવાસ એટલે બાલભાવથી (બાલ્યાવસ્થાથી) આરંભીને. બ્રહ્મચારી એટલે ચેથા વ્રતને ધારણ કરનારા. તેવા પ્રકારના મનોહરરૂપ રૂપી સંપત્તિથી ઈંદ્રાણીને જીતનાર રામતીનો ત્યાગ કરીને ગિરનાર પર્વતના શિખર ઉપર જલદી દીક્ષાને સ્વીકાર કર્યો હોવાથી નેમિનાથ ભગવાન બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચારી હતા. રાજીમતીના ત્યાગનું સ્વરૂપ તે આગળ કહેવામાં આવનારા શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રમાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવશે.
(૪ત્સાર :-) જગતમાં (= ત્રણ ભુવનમાં) સાર=પ્રધાન. અન્યમાં ન હોય તેવા દુર્ધર શીલરૂપી ધુરાના ભારને વહન કરનારા હોવાથી નેમિનાથ ભગવાન જગન્સ્ટાર હતા. અથવા જગતમાં સાર=રહસ્યભૂત, અર્થાત્ પરમ સ્વરૂપ વડે ધ્યાન કરવા ગ્ય. અથવા ગયા એવું જ સંસ્કૃતરૂપ સમજવું. જયથી સાર શ્રેષ્ઠ તે જયસાર. નેમિનાથ ભગવાન બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવવાથી શ્રેષ્ઠ હતા.
(જેમકુમાર:-) સંસારવાસમાં પણ ત્રણ વર્ષ સુધી સ્વયં સામે આવતી રાજ્યલક્ષમીને તૃણ સમાન ગણ હોવાથી તેમનાથ ભગવાનનું કુમારપણું જાણવું, અર્થાત્ રાજ્ય ન સ્વીકારવાથી નેમનાથ ભગવાન કુમાર કહેવાયા.
(રીસ્ટોરામટિ-) શીલ એટલે મૈથુનના ત્યાગરૂપ ચોથું વ્રત. તેના ઉપદેશ એટલે અન્વયવ્યતિરેકથી દૃષ્ટાંતે, અર્થાત્ અન્વયથી=શીલ પાલનથી થતા ગુણોને અને વ્યતિરેકથી=શીલનું પાલન ન કરવાથી થતાં દોષને જણાવનારાં દૃષ્ટાંતે કહેવા તે શીલપદેશ. તે શીલપદેશની માલા=શ્રેણિ તે શીલપદેશમાલા. અથવા માલા એટલે પુષ્પોની માલાના જેવી માલા. જેમ પુપોની માલાને હૃદય ઉપર (=છાતી ઉપર) અને કંઠપીઠમાં ( કંઠમાં) ધારણ કરવામાં આવે છે, તેમ શીલપદેશરૂપ પુ મોટા ભાગે હૃદયમાં અને કંઠમાં ધારણ કરવામાં આવે છે, આથી પુષ્પોની માલા અને શીલપદેશરૂપ પુષ્પ એ બંનેમાં સમાનતા હોવાથી શીલપદેશરૂપી પુપમાં માલાની ઉપમા યુક્ત છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે (જેમ માલામાં એક જ જાતિનાં પુષ્પ અનેક હોય છે તેમ) વિશેષ ઉપદેશ આપવાના હેતુથી કેટલાંક વચનોને ફરી ફરી કહેવામાં પણ દેષ નથી. કહ્યું છે કે
* આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે જેમ હાથી હસ્તિશાલામાં રહે છે, તેમ વિવેક શીલવંત પુરુષોમાં રહે છે. શીલરહિત પુરુષમાં પ્રાયઃ વિવેક ન હોય.
Page #13
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથનો सज्झाय-झाण-तव-ओसहेसु उवएस-श्रुह-पयाणेसु ।।
संतगुणकित्तणेसु य, न हुंति पुणरुत्तदोसाउ ॥१॥
સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઓષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને (અન્યમાં) વિદ્યમાન ગુણેનું કીર્તન કરવામાં પુનરુક્તિ દોષ લાગતો નથી.”
(વિવેરિફાસ્ટ :-) વિવેક એટલે હેય (=ત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (=સ્વીકારવા યોગ્ય) ને વિચાર. વિવેક એ જ કરિ=હાથી. આ શીલપદેશમાલા વિવેકરૂપી હાથીની શાલા સમાન છે. કારણ કે જેમ હાથી શાલામાં રહે છે, તેમ વિવેક શીલેપદેશમાલામાં રહે છે, અર્થાત્ જ્યાં શીલપદેશમાલા હોય છે ત્યાં વિવેક રહે છે.
અહીં વાચ્ય–વાચકરૂપ સંબંધ છે. પ્રકરણને અર્થ વાગ્ય છે અને પ્રકરણ વાચક છે. શીલ સંબંધી ઉપદેશ અભિધેય (=કહેવા યોગ્ય) છે. વિવેવરિરાઢાં એ શબ્દોથી પ્રોજન જણાવ્યું છે. પ્રયોજન કર્તાનું અને શ્રોતાનું એમ બે પ્રકારે છે. એ બંને પ્રજનના પરંપરા અને અનંતર એમ બે પ્રકાર છે. તેમાં કર્તાનું પરંપરા પ્રજન મોક્ષપ્રાપ્તિ છે. અનંતર પ્રયજન ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવો એ છે. શ્રેતાનું પણ પરંપર પ્રયજન મેક્ષગમન છે, અને અનંતર પ્રયજન પ્રકરણના અર્થનું જ્ઞાન થવું એ છે.
અહીં મંગલાચરણમાં અન્ય તીર્થકરોને નમસ્કાર ન કરતાં શ્રી નેમિનાથ ભગવાનને જ નમસ્કાર કર્યો તે ગ્રંથની શીલસંબંધી પ્રધાનતાને જ વ્યક્ત કરે છે.
અહીં તીર્થકરોના ચાર અતિશનું સૂચન આ પ્રમાણે છે:- કચરા એ પદથી અપાયાપગમ એ અતિશયનું સૂચન કર્યું છે. નાસા એ પદથી પૂજાતિશયનું સૂચન કર્યું છે. જ્ઞાનાતિશય વિના પૂજાતિશય ન હોય એથી પૂજાતિશયના સૂચનથી જ્ઞાનાતિશયનું પણ સૂચન કરી દીધું છે. જ્ઞાનાતિશયથી અવશ્ય ઉપદેશની પ્રવૃત્તિ થાય છે. આથી જ્ઞાનાતિશયના સૂચન દ્વારા વચનાતિશયનું સૂચન કરી દીધું છે. આ પ્રમાણે અહીં ચાર અતિશનું સૂચન કર્યું છે. [૧] હવે ફલ બતાવવાપૂર્વક શીલને જ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે –
निम्महियसयलहीलं, दुहवल्लीमूलउक्खणणकीले ।
कयसिबसुहसंमील, पालह निच्चं विमलसीलं ॥२॥ ગાથાથ – સર્વ પરાભને ચૂરો કરી નાખનાર, દુઃખરૂપી વેલડીએના ભૂલને ઉખેડી નાખવા કોદાળી સમાન અને મોક્ષસુખની પ્રાપ્તિ કરાવનાર નિર્મલ શીલનું તમે નિરંતર પાલન કરે
ટીકાથ:- જેવી રીતે રવૈયે દહીંના (માટીના) વાસણને ચૂરે કરી નાખે તેવી રીતે શીલ સર્વ પરાભવને ચૂરે કરી નાંખે છે. આથી જ શીલનું પાલન કરનારાઓને સિંહ, બલવાન હાથી, સાપ, યુદ્ધ આદિના પરાભવ પીડા કરતા નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
જેમ વેલડી જલવૃષ્ટિથી થાય છે તેમ દુઃખ કરૂપી જલની વૃષ્ટિથી થાય છે, માટે દુઃખને વેલડીની ઉપમા આપી છે. શીલ લાંખાકાળથી આચરેલાં ( =ઉત્પન્ન કરેલાં ) લાખા દુઃખાના નાશ કરે છે.
શીલનું નિરંતર પાલન કરવું જોઇએ. દાન, તપ, ભાવના વગેરે ધર્મો જેટલા કાળ પાળવામાં આવે તેટલા કાળ ફૂલ આપનારા થાય છે, પણ શીલ તેવી રીતે ફલ આપતુ નથી. કારણ કે શીલ લાંબા કાળ સુધી પાળીને એકવાર પણ શીલનું ખંડન કરવામાં આવે તે સંપૂર્ણ વ્રતના ભૃગ થાય છે. આથી શીલનું નિરંતર પાલન કરવુ જોઈએ. કહ્યું છે કે
“લેાકેા ભારને ઉપાડે છે, પણ વિસામેા લેતા હૈાય ત્યારે ભારને ઉપાડતા નથી. પણ આ શીલના ભાર તેા જાવજીવ વિસામા લીધા વિના ઉપાડવા જોઈએ.” [૨]
આ ભવમાં અને પરભવમાં પ્રાપ્ત થતા શીલના માહાત્મ્યને જ એ ગાથાઓથી કહે છેઃ लच्छी जसं पयावो, माहप्पमरोगया गुणसमिद्धी | सयलस मीडियसिद्धी, सीलाउँ इह भवेवि भवे ॥ ३ ॥ परलोएवि हु नरसुर- समिद्धिमुत्रभुंजिकण सीलभरा । तिहुयणचणमियचरणा, अरिणा पावंति सिद्धिसुहं ॥ ४ ॥
શબ્દાર્થ :-ભ વિના બ્રહ્મચર્યનું પાલન કરવાથી આ ભવમાં પણ લક્ષ્મી, યશ, પ્રતાપ, માહાત્મ્ય, આરોગ્ય અને ગુણસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ચાવત્ સલ વાંછિતાની પ્રાપ્તિ થાય છે.
વિશેષાથ :-લક્ષ્મી=ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને માંડલિક રાજા વગેરેની સ`પત્તિ. યશસ દિશાઓમાં ફેલાતી પ્રશ'સા. પ્રતાપ=આજ્ઞાનું ખંડન ન થાય તેવુ" ઐશ્વર્યાં. માહાત્મ્ય=સપ વગેરે પુષ્પમાલા આરૂિપે દેખાય. આરોગ્ય-જવર, અતિસાર, ભગંદર અને ક્ષય વગેરેની પીડા ન થાય. ગુણસમૃદ્ધિ=મહાવ્રતા અને અણુવ્રતાની પુષ્ટિ. ૩
શબ્દા :–સારી રીતે પાળેલા શીલના પ્રભાવથી મનુષ્ય દેવની લક્ષ્મીને ભાગવીને (અંતે) ત્રણ જગતને વંદનીય અને ઋણુરહિત બનેલા જીવા મેાક્ષસુખને પામે છે. વિશેષા:-અહીં ઋણુ શબ્દથી પૂર્વનાં શુભાશુભ કર્મો સમજવાં. કારણુ કે જેમ ઋણુ અવશ્ય ચૂકવુ પડે છે તેમ કર્યાં અવશ્ય ભાગવવા પડે છે. આથી ઋણરહિત . અનેલા એટલે સર્વ કર્માથી મુક્ત બનેલા. ૪
આ પ્રમાણે એ ગાથાના અ છે. ભાવા તા કથાથી જાણવા. તે વિષે અને પુણ્યપાલ એ બેનું દૃષ્ટાંત ખતાવવામાં આવે છે. તે આ પ્રમાણે :
ગુણસુદ દરી
Page #15
--------------------------------------------------------------------------
________________
શીલપદેશ માલા ગ્રંથને જબૂઢીપ નામને દ્વીપ છે. તે દ્વીપ-ચંદ્ર સૂર્યના બહાનાથી ચાર ચકોને ધારણ કરે છે એથી તે જાણે કે ચક્રવર્તીને પણ ઈશ્વર છે. તે જંબુદ્વીપમાં જ ભરતક્ષેત્ર છે. એ ભરતક્ષેત્રના દક્ષિણવિભાગમાં લક્ષમીથી વિભૂષિત શ્રીભદ્દિલપુર નામનું મનહર નગર છે. તેમાં અતિશય ઊંચા મહેલની ટોચ ઉપર રહેલે સૂર્ય સુવર્ણકુંભ જેવો દેખાય છે,
સ્વર્ગગંગા ધજા જેવી અને તારાઓ ઘુઘરીઓ જેવા દેખાય છે. તે નગરમાં અતિશય પરાક્રમથી સિંહ સમાન અરિકેશરી નામને રાજા હતો. (તે નગરમાં રહેલાં) રત્નો જાણે રાજાના પ્રતાપના કણિયા હતા એવી હું કલ્પના કરું છું. તે રાજાની જેનધર્મથી શોભતી, અખંડિત ભોગ-સૈભાગ્યવાળી અને કામદેવરૂપી હસ્તિનું લાલન કરનારી કમલમાલા નામની પટરાણ હતી. તે રાણથી અનેક દેવતાઓની અનેક માનતાઓથી લાંબા કાળે સે પુત્રની ઉપર એક પુત્રી જન્મી. પિતાને ધન્ય માનતા રાજાએ મહાન જન્મોત્સવ કરાવ્યું. પછી તેનું ગુણસુંદરી એવું સાન્વર્થ નામ રાખ્યું. કામવૃક્ષની લતાની જેમ પ્રતિદિન વધતી તે ચંદ્રકલાની જેમ સર્વને પ્રિયદર્શનવાળી થઈ તેના શરીરરૂપી વનમાં માદક ઉન્માદરૂપી ની કેથી સિચાયેલ અને હાવભાવરૂપી ફેલાતી છાયાવાળું યૌવનરૂપી વૃક્ષ વૃદ્ધિ પામ્યું. શા ભણીને તે એકવાર સર્વ અંગોમાં વિભૂષા કરીને માતાની આજ્ઞાથી પિતાના ચરણોમાં નમવાની ઈચ્છાથી રાજસભામાં આવી. ચોસઠ કળાઓથી પૂર્ણ, જાણે સાક્ષાત્ સરસ્વતી હોય તેવી અને વિનયથી અત્યંત નમ્ર બનેલી પુત્રીને રાજાએ મેળામાં બેસાડી. પછી મદપૂર્ણ શારીના જ તરંગવાળી સભાને જોતા તે રાજાએ મદથી ઉન્મત્ત બનેલા હાથીની જેમ જગતને તૃણ સમાન ગણ્યું. તે વિચારવા લાગે કે આ મારી સભા દેવસભા છે, આ સેવકે દેવે છે, મારી પાસે ઈચ્છિત લક્ષમી છે અને હું ઇંદ્ર છું. સ્વર્ગમાં શું આનાથી બીજું કાંઈ વિશેષ છે? અર્થાત્ નથી. ઈત્યાદિ ગવરૂપી ઘેબરના અતિશય અજીર્ણના કારણે રાજા, દંડથી આક્રમણ કરાયેલે સર્પ જેમ વિષને બહાર કાઢે તેમ, (મદરૂપી ઝેરવાળું) વચન બેલ્યોઃ હે લોકો ! તમે આ પૃથ્વી ઉપર દેવી કીડાથી દેવતાના જેવું સામ્રાજ્ય ભોગવે છે તે કોની મહેરબાનીથી ?
૧. જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોય છે. આથી ટીકાકારે અહીં કલ્પના કરી છે કેજબૂદીપ ચંદ્ર-સૂર્યના બહાનાથી ચાર ચકોને ધારણ કરે છે અને એથી તે ચક્રવર્તીને પણું ઈશ્વર છે. કારણ કે ચક્રવર્તીને એક ચક્ર હોય છે, જ્યારે જમ્બુદ્વીપને ચાર ચક્ર છે.
૨. નામ પ્રમાણે ગુણો હોય તેવા નામને સાન્વથ કહેવામાં આવે છે. સુંદરી એટલે સુંદર સ્ત્રી.. ગુણોથી સુંદર સ્ત્રી તે ગુણસુંદરી. તે ગુણોથી સુંદર હતી માટે તેનું ગુણસુંદરી એવું નામ સાન્વર્થ છે.
૩. જ્યારે હાથીના ગંડસ્થલમાં મદ વધી જાય છે ત્યારે હાથી મદથી ઉમત્ત બનીને ગમે તેમ પ્રવૃતિ કરે છે અને કોઈને ગણકારતો નથી.
૪, અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે:-કલાપ્રાણાયા મહેરબાનીરૂપી મહેલ ઉપર ચઢીને છાપેલી પ્રતમાં ઘણાવાણા-એમ જે છપાયું છે તેના સ્થાને કારાવાલા એમ જોઈએ.
Page #16
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
આ પ્રમાણે વચન સાંભળીને શિયાળાની જેમ સમકાળે આકુલ બનેલા સેવકે એ રાજાને કહ્યું: હે સ્વામી સદા આપની મહેરબાનીરૂપ કલ્પવૃક્ષની છાયામાં રહેલા અમે ભ્રમરોની જેમ ઈચ્છિત ફલાસ્વાદને પામીએ છીએ. આ સાંભળીને કર્મના મર્મને જાણનારી અને જૈનધર્મથી વાસિત થયેલી કુમારીએ, જાણે સેવકના આ કથનને દૂર કરતી હોય તેમ, માથું ધુણાવ્યું. વિસ્મય પામેલા રાજાએ મસ્તક ધુણાવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, હે પિતાજી ! શુભાશુભ ફળની પ્રાપ્તિમાં કર્મ જ કારણ છે. જેની મહેરબાનીથી લોકો ધનવાની ખુશામત કરે છે તે માત્ર એક લક્ષમી જ લાંબા કાળ સુધી જય પામે, બીજી વસ્તુથી શું? આ સાંભળીને અત્યંત ગુસ્સે થયેલા રાજાએ ભવાં ચઢાવીને કહ્યું: તું કે ની મહેરબાનીથી સદા આ પ્રમાણે સુખ ભેગવે છે? રાજપુત્રીએ કહ્યું: આ બધા જ લેકે પોતે કરેલાં કર્મોના ફળને ભેગવે છે, અન્ય તે માત્ર નિમિત્ત બને છે. રાજાએ તેને ખેાળામાંથી ઉતારીને તેની પાસેથી આભૂષણો વગેરે લઈ લીધું, લગભગ જરી ગયેલી અને મલિન સાડી પહેરાવી. પછી પોતાના સેવક દ્વારા જરી ગયેલા વસ્ત્રવાળા, ગરીબ અને કૃશકાયાવાળા કઠિયારાને બેલાવીને તેની સાથે ગુણસુંદરીનાં લગ્ન કર્યા. રાજાએ ગુણસુંદરીને કહ્યું : જા, પોતાના કર્મને ભગવ, પિતાની જીભનું (=વચનનું) ફલ પામ. પછી રાજાએ સેવકેને આજ્ઞા કરી કે જે આની પાછળ જશે તે મારો શત્રુ છે. અંતઃપુરની સ્ત્રીઓએ અને મંત્રીઓએ રાજાને કહ્યુંઃ બાળક અનુચિત આચરણ કરે તે પણ તેના ઉપર કેપ ન કરવો જોઈએ. બાલ્યાવસ્થામાં પત્નીના સ્તનને ખેંચતે પુત્ર શું મારવા ગ્ય થાય છે? ઈત્યાદિ ઘણી વિનંતિ કરવા છતાં રાજાએ કેઈનું પણ વચન ન માન્યું, બલકે સર્ષની જેમ ગુસ્સે થયે.
વિશેષ વિકસતા મુખરૂપી કમલવાળી, હું પિતાના પુણ્યકર્મોને ભેગવીશ એમ માનતી અને પુણ્યવંતી એવી તે જેમ રાજહંસી કાગડાની પાછળ જાય તેમ કઠિયારાની પાછળ ગઈ. ભિખારીના જીર્ણ થઈ ગયેલા ઘરમાં આવીને તેણે પતિને બેસવા માટે આસન આપ્યું. કઠિયારાએ તેને કહ્યું : હે રાજપુત્રી! તું તારી ઈચ્છા હોય ત્યાં જા. અહીં તારા લાયક શું છે? અર્થાત્ અહીં તારા લાયક કાંઈ જ નથી. સુવર્ણ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ધનને લાવે છે. (એમ તું બીજે જ્યાં જઈશ ત્યાં સુખી થઈશ.) ગુણસુંદરીએ કહ્યું : હે સ્વામી! આવું વચન ફરી ન બોલશે, ચિંતામણિરત્નસમાન આ૫ જ મારા શરણ છે. પછી વિનયથી નમેલા મુખવાળી ગુણસુંદરીએ પોતાના નખો અત્યંત કેમ હવા છતાં કઠિયારાના જટારૂપે રહેલા મસ્તકના કેશેને છેડવાનું શરૂ કર્યું, તેટલામાં તેને કેશોમાંથી ચંદનની સુગંધને અનુભવ થયે. આથી તેને આશ્ચર્ય થયું. તેણે વિચાર કરીને રહસ્ય જાણી લીધું. પછી તેણે પતિને પૂછયું : હે સ્વામી! આજે આપે લાકડાએને ભારે ક્યાં મૂક્યો છે? પતિએ કહ્યું ભેજન મેળવવા માટે કંદોઈની દુકાને મૂક્યો છે. તેથી તેની સાથે કંઈની દુકાને જઈને ભારે ઘરમાં મૂકાવ્યું. વાદળથી
Page #17
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને ઢંકાયેલે પણ સૂર્ય શું છે બને છે? ચંદનને ટુકડે લઈને ગુણસુંદરી સુગંધી દ્રવ્ય વેચનારની દુકાને ગઈ. ત્યાં ચંદનના ટુકડાને વેચીને મળેલા ધનથી વસ્ત્રો અને આભૂષણે લીધાં. પછી તેણે જાણે સાક્ષાત્ લેશે હોય તેવા પતિના મસ્તકના કેશને છૂટા કરીને શરીરે તેલથી મર્દન કર્યું. પછી હાથ, પગ અને નખને સ્વચ્છ કરવાપૂર્વક સ્નાન કરાવ્યું. પુણ્યથી રાજ પુત્રી મળી એથી કઠિયારાનું પુણ્ય જ પાલન કર્યું. આથી (લેકેએ) તેનું “પુણ્યથી જે પળાય=રક્ષણ કરાય તે પુણ્યપાલ” એમ સાર્થક પુણ્યપાલ” એવું નામ પાડયું.
પુણ્યપાલ જે વૃક્ષમાંથી ચંદનને ટુકડો લાવ્યા હતા તે વૃક્ષને ગુણસુંદરીએ ઘરે મંગાવ્યું. વ્યવહારથી બહાર કરાયેલા પુરુષોથી (=સાધુએથી) હમેશાં ઉપયોગમાં લેવાતાં મેરુપર્વતનાં શિખરો પણ સમય જતાં “ક્ષય પામે છે એમ જાણીને ગુણસુંદરીએ બધું ય ચંદન વેચીને હજાર સોનામહોરો મેળવી. એનાથી વેપાર કરીને વ્યવહાર ચલાવ્યું. કુશળ ગુણસુંદરી પતિને પશુની જેમ હેય-ઉપાદેયના જ્ઞાનથી રહિત જાણીને વિદ્યાભ્યાસ કરાવવા માટે બહારગામ લઈ ગઈ. ત્યાં બારાખડી ભણાવીને અક્ષરો શિખવાડડ્યા અને ગણિતના વ્યવહારમાં પણ કુશળ બનાવ્યું. વસ્ત્ર અને કરિયાણું વગેરેની પરીક્ષા કેવી રીતે કરવી તે શિખવાડયું. પછી એકાંતમાં હેય-ઉપાદેય કાર્યો સંબંધી સમજણ આપી. સર્વ વિદ્યાઓમાં કુશળ ગુણસુંદરીએ પતિને ચેડા જ દિવસેમાં ધર્મમાં અને વ્યવહારમાં અસાધારણ પ્રવીણ બનાવ્યા. ગુણસુંદરીએ પિતે સ્ત્રી હોવા છતાં પતિને તે રીતે કુશળ બનાવ્યો કે જેથી વિદ્વાનોના પણ ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. ક્રમે કરીને પતિ સ્વયં સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરવા લાગે ત્યારે નિશ્ચિત બનેલી ગુણસુંદરીએ એક પુસ્તક વાંચ્યું. તેમાં સાત ઔષધિઓને ભેગી કરી અમુક પ્રક્રિયા કરવાથી સુવર્ણની સિદ્ધિ થાય એવો પ્રયોગ જાણવામાં આવ્યું. આથી ઇંટે ભેગી કરીને તેમાં સાત ઔષધિઓ મેળવીને ઘણું સોનું બનાવ્યું. હવે તે જાણે અમૃતના સમુદ્રમાં ડૂબી હોય તેમ ચિતાથી વિશેષ મુક્ત બની; અને જેમ ભ્રમરી કમલમાં રમે તેમ તે ધર્મરૂપી ઉદ્યાનમાં અધિક રમવા માંડી. લક્ષમી વડે રાજાની જેમ વિલાસ કરતે પુણ્યપાલ પણ દાન અને ચતુરાઈપૂર્વકનાં કાર્યોથી ઘણી પ્રસિદ્ધિને પામ્યું. તેની લક્ષમી જે પ્રમાણે વધવા માંડી તે પ્રમાણે ધર્મ પણ ઉત્તરોત્તર વધવા માંડ્યો. ધર્મ વડે દાન અને દાનથી યશ ઉત્તરોત્તર વધવા માંડશે, અને તે પ્રમાણે તેની ચતુરાઈ પણ ઉત્તરોત્તર વધી. કહ્યું છે કે– જડ પણ મનુષ્યો લક્ષ્મીના પરિચયથી કુશળ બને છે, ચતુરાઈ ભરેલા ચરિત્રોવાળી સ્ત્રીઓને યૌવનને મદ જ લલિતને શુંગારવાળી ક્રીડાઓને
૧ આને ભાવ એ છે કે-જે નવું ધન મેળવવામાં ન આવે તે મેળવેલું ધન થોડા જ સમયમાં ખલાસ થઈ જાય માટે નવું ધન મેળવવું જોઈએ.
Page #18
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ શિખવાડે છે. ધર્મમાં બુદ્ધિવાળા પુણ્યપાલે ત્યાંના રાજાની અનુજ્ઞાથી જમીન લઈને ત્યાં ઊંચા દ્વારવાળું જિનમંદિર બંધાવ્યું.
સદા એક સ્થળે જ રહેવાથી મનુષ્ય જડ બને છે–તેની બુદ્ધિને વિકાસ થતું નથી એ કારણે રાજપુત્રીએ પતિને દેશાંતર જવાની ઈચ્છાવાળો કર્યો. દેશાંતર જવા માટે ઉત્સુક બનેલા પુણ્યપાલે ઘણું વાહનને અને સેંકડો કરિયાણુઓને લઈને સાર્થની મેટી (=સારી) ગોઠવણ કરી. પછી પટહ વગડાવીને ઘાષણ કરાવી કે સાર્થની સાથે આવનારાઓમાં જે ભાતા વિનાના હશે તેમને ભાતું અને જેમને વાહન જોઈતું હશે તેમને વાહન આપીશ. (સમય થતાં) તેણે ત્યાંના રાજાની રજા લીધી અને સ્તુતિપાઠકએ મંગલ કર્યું એટલે હાથીની જેમ દાન દેતે તે સિંહલદ્વીપ તરફ ચાલ્યો. સર્વ આડંબરથી માર્ગમાં જ તે “પુણ્યપાલ નામને નાયક જાણે જંગમ કલ્પવૃક્ષ છે” એમ બધા સ્થળે પ્રસિદ્ધિને પામ્યો. રસ્તામાં જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક જણ થયેલા જિનમંદિરને ઉદ્ધાર કરતા તેણે જાણે પોતાના પુણ્યપુંજ હોય તેવાં નવીન ચૈત્યોને બંધાવ્યાં. પૃથ્વી ઉપર યશને ફેલાવતા અને આનંદથી મનોહર લાગતે તે અનેક દેશોને ઓળંગીને અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યા. ત્યાં તેણે સેવકને અદ્દભુત માણેક૨થી બનાવેલા ઘણું આભૂષણેથી અલંકૃત કરીને જાણે શરીરધારી કલ્પવૃક્ષો હોય તેવા કર્યા. જાણે ઈંદ્રની સ્પર્ધા કરતે હોય તેમ તેણે તે જ ભાલેજ દેશમાં થયેલા લાખ અશ્વોને માણસ પાસેથી મંગાવ્યા. જાણે દાનની સ્પર્ધા કરવાથી અપરાધી થયા હોય તેમ ભદ્રજાતિના હજાર હાથીઓને પણ વિધ્યાચલ પર્વતમાંથી તેણે લીધા.
ઘણા વૈભવને અનુભવ કરાવીને હવે અવસર પામીને ગુણસુંદરીએ મધુરવાણીથી પતિને કહ્યું: હે સ્વામી! સૂર્યથી અત્યંત તપેલા પક્ષીઓના ગળાના જેવું ચંચળ ધન પ્રાપ્ત કરીને વિવેકી પુરુષે તેને જલદી સફલ કરવું જોઈએ. હે નાથ ! જે ધન પુણ્યના સાધનને પોષતું નથી અથવા સ્વજન અને સંબંધીઓના કૌતુક માટે થતું નથી તે ધનથી શું? તેથી જ્યાં અરિકેશરી રાજા છે ત્યાં જવું ઉચિત છે, જેથી તે પણ આંખો ફાડીને કર્મના ફલને જુએ ! ગુણસુંદરીનું કહેવું સાંભળીને તેના ભાવને સમજવામાં કુશળ અને પ્રબલ સામર્થ્યવાળા તેણે જલદી પ્રસ્થાન માટેની ભેરી વગડાવી. જાણે સમ્રાટ હોય તેમ માર્ગમાં સામે આવવું વગેરે રીતે રાજાઓના સત્કારને પગલે પગલે પામતો તે
૧. હાથીના ગણ્ડસ્થલમાંથી ઝરતા મદને દાન કહેવામાં આવે છે. આથી મદને ઝરાવતા હાથી દાન (=મદ) આપે છે એમ કહેવાય. જેમ હાથી દાન આપતો (=મદ ઝરાવતો) ચાલે તેમ પુણ્યપાલ રાજા દાન આપતા ચાલ્ય.
૨. પોતે દાન આપે છે અને હાથી પણ દાન આપે છે. (=મદ ઝરાવે છે.) આથી હાથીઓએ પિતાના દાનની સ્પર્ધા કરી માટે તે અપરાધી થયા એમ અહીં કવિની કલ્પના છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને આગળ ગયો. રસ્તામાં તીર્થને પામીને અતિશય દાન, સંઘપૂજા અને પ્રભાવના વગેરે કાર્યોથી જેનશાસનની ઉન્નતિ કરી. લેકે આશંકા કરવા લાગ્યા કે શું આ ચક્રવર્તી છે? અથવા પૃથ્વી ઉપર આવેલે ઇંદ્ર છે? અથવા મહાસૈન્યવાળે વાસુદેવ પૃથ્વીને સાધે છે? પછી એગ્ય યુક્તિથી વિચાર કરીને આ “મહાનાયક” છે એ પ્રમાણે તેને ઘણે પ્રસિદ્ધ કર્યો. કેમે કરીને શ્રી ભજિલપુરના સીમાડા સુધી આવીને તેણે જન્મભૂમિનાં પૂર્વનાં અનેક ચિહ્નોને જોયાં. પૂર્વના કઠિયારાના પ્રસંગને યાદ કરી કરીને “બ્રહ્માથી પણ કર્મની વિચિત્રતા દુર્લદય છે” એમ તેણે મિત્રની આગળ કહ્યું. શહેરની નજીકમાં સાર્થનો પડાવ નાખીને સ્વાર્થ અને પરાર્થને જાણનાર તેણે ત્યાં વિમાનસમાન ન મહેલ બનાવડાવ્યું. જાણે ગુણોને એકઠા કર્યા હોય તેમ રત્નોને થાળીમાં મૂકીને સાથેવાહે અરિકેશરી રાજાને ભેટશું આપ્યું. તે તે દેશાંતરમાં અનુભવેલા આશ્ચર્યકારી વૃત્તાંતથી રાજાના ચિત્તને વિરમયવાળું બનાવ્યું. રાજાઓ પણ આખી જીંદગી સુધી પણ જે ભાવ ન જુએ તે ભાવેને દેશાંતરમાં મુસાફરી કરનારાઓ સહેલાઈથી અનુભવે છે. રાજા ધનથી તમારા કેટલાક હાથીઓને લેવાની ઈચ્છા રાખે છે એમ મંત્રીએ કહ્યું એટલે ઉદાર અને શ્રેષ્ઠ એવા શેઠે કહ્યુંઃ ધનનું શું કામ છે ? આ બધું જ સ્વામીના ચરણમાં સમર્પી દીધું છે. માટે પ્રસન્ન થઈને ત્યાં જ આવીને મારા ઉપર અનુગ્રહ કરે. કૌતુકથી તેના વૈભવને જોવાની ઈચ્છાવાળો રાજા પણ છેડા પરિવારને સાથે લઈને સાર્થમાં ગયે. વિવિધ પોષાક પહેરીને પ્રવેશ કરતા અને નીકળતા તથા વિવિધ ભાષા બોલતા લોકેથી સાર્થને સ્વર્ગલેકના જે જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામે. તેટલામાં પુણ્યપાલે વિનયથી રાજાને નાનમંડપમાં લાવીને બાજોઠ ઉપર બેસાડ્યો.
દવઋદ્ધિથી સ્નાન કરીને ચીનાઈ (=ચીન દેશમાં બનેલાં) વસ્ત્ર પહેરીને જિનપૂજા કરવાની ઈચ્છાવાળો રાજા જિનમંદિરમાં ગયા. ત્યાં રાજાએ કપૂરથી પૂર્ણ કસ્તૂરી, ચંદન, અગરુચંદન અને કેશરથી તથા ઉત્તમ સ્તવનથી જિનેશ્વરની પૂજા કરી. પછી રાજા ભોજનશાળામાં બેઠો એટલે સેનાના બાજોઠ ઉપર રત્નની સુંદર થાળીઓ મૂકી. શ્રત વસ્ત્ર અને આભૂષણને ધારણ કરનારી જાણે દેવી હોય તેવી કેઈ એ પૂર્વદિશાના દ્વારથી આવીને થાળીમાં ફળ મૂક્યાં. ફરી લીલા રંગનાં વચ્ચે અને આભૂષણોને ધારણ કરનારી કોઈ સ્ત્રીએ દક્ષિણ દિશાના દ્વારથી નીકળીને મનોહર રસોઈ પીરસી. પીળાં વસ્ત્રો વગેરેથી મને હર કોઈ સ્ત્રીએ પશ્ચિમદિશાના દ્વારથી આવીને પકવાન્નો મૂક્યાં. રાતાં વોને ધારણ કરનાર કઈ રીએ ઉત્તરદિશાના દ્વારથી આવીને ઘી વગેરે મૂક્યું. એક જ રૂપવાળી ચાર સ્ત્રીઓને જોઈને રાજાએ આશ્ચર્ય થવાથી પૂછયું : તમારે કેટલી સ્ત્રીઓ છે? પુણ્યપાલે સ્મિત કરીને રાજાને કહ્યું : હે સ્વામી ! આપે જેની જે રીતે ધારણ કરી છે તે તે રીતે જ છે. ભોજન કર્યા પછી પરસ્પર આકર્ષાયેલ ચિત્તવાળા પુણ્યપાલ
જ અહીં તામ્ પ્રત્યય સ્વાથમાં લેવાથી તેને વિશેષ કોઈ અર્થ નથી. (સિદ્ધહેમ ૭-૩-૭)
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
ગુજરાતી ભાવાનુવાદ અને રાજા નવીન સ્નેહથી પૂર્ણ વાતમાં બેઠા. તે વખતે સમયની જાણકાર ગુણસુંદરી પૂર્વે પિતાએ આપેલી સાડી પહેરીને હર્ષથી ઉતાવળે ત્યાં આવી. તેને જોઈને ઓળખીને રાજા વિલો પડી ગયા અને તેની આ સંકેચાઈ ગઈ તે કમળતાપૂર્વક બોલ્યાઃ હે પુત્રી : સારે પોષાક પહેરીને મારા ખળાને અલંકૃત કર. ગુણસુંદરીએ તે પ્રમાણે કર્યું. પછી કર્મના ફળને માનતા રાજાએ કહ્યું: તું જ મને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં લાવી. ગુણસુંદરીએ કહ્યું: ભજનસમયે એક જ હું વારંવાર આવતી હતી. પણ ભિન્ન ભિન્ન ગાર કરીને આવતી હોવાથી આપે મને ન ઓળખી. હે પુત્રી ! આ પુણ્યપાલ કોણ છે? એમ રાજાએ ધીમેથી પૂછ્યું એટલે સતી ગુણસુંદરીએ છડીદાર પુરુષ દ્વારા પ્રારંભથી પોતાનું વૃત્તાંત જણાવ્યું. મંત્રી, સામંત અને અંતઃપુરની સ્ત્રીઓ વગેરે નગરજને આ વૃત્તાંતને સાંભળીને ઉત્કંઠાથી ત્યાં આવ્યા. આંસુઓથી ભિંજાયેલી આંખેવાળી માતાઓએ તેને આલિંગન કરીને કહ્યું : હે પુત્રી ! તારા મેળાપથી આજે આનંદે અમારામાં (=અમારા હૃદયમાં) પગ મૂક્યો છે. ધાવમાતાઓ અને બાલ્યાવસ્થાના સ્નેહથી તેને મળવા માટે ઉત્સુક બનેલી સખીઓ જોરથી હુંકાર કરવા લાગી અને પ્રેમથી પરાણે તેને ભેટી પડી. તેના વૈભવને સાંભળી સાંભળીને વિસ્મયથી બેલતી સ્ત્રીઓએ અતિશય કલાહલ કર્યો. ગુણસુંદરીએ પિતાના સેવકને હર્ષથી વસ્ત્રો, આભૂષણે અને તાંબૂલ આપીને સત્કાર કર્યો. જોકે એ પુણ્યપાલને પણ બીજના ચંદ્રની જેમ ઉત્કંઠાથી જે. તે પણ વિનયથી મસ્તક નમાવીને આદરથી સસરાને નમ્યા. પછી જમાઈ અને સસરે એ બંને હાથી ઉપર બેસીને અંતઃપુર અને પરિવારની સાથે મહાન આડંબરથી નગર તરફ ચાલ્યા.
રસ્તામાં શ્રીવર્ધમાનસૂરિની મધુર અને હિતકર ધર્મદેશના સાંભળીને રાજાએ જમાઈને કહ્યું કે, જો કે તમારા વૈભવને સાંભળીને જ મને વૈરાગ્ય થઈ ગયો છે, તે પણ હું વિસ્તારથી જૈનધર્મને સાંભળવાને ઈરછું છું. બધાએ ભેગા થઈને સૂરીશ્વરના ચરણમાં નમીને અતિશય સંવેગનું કારણ એવું ધર્મનું માહાભ્ય સાંભળ્યું. તે આ પ્રમાણે - લક્ષમી, યશ, સુકુલમાં જન્મ, પ્રતાપ અને પ્રિયનું મિલન– આ સર્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું ફળ છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વળી– ગુણસુંદરીએ (પૂર્વભવમાં) જે નિર્મલ શીલ પાળ્યું હતું, તેનું આ ભવમાં આ ફળ મળ્યું છે અને અંતે તે મેક્ષ પણ પામશે. દુઃખરૂપી તરંગોથી યુક્ત આ અપાર ભવરૂપી સમુદ્રને દીક્ષારૂપી નૌકાને આદર કર્યા વિના તરી શકાય તેમ નથી. આ સાંભળીને રાજાએ કહ્યું: હું આપના ચરણોનો આશ્રય સ્વીકારું છું. મહાત્માએ પણ કહ્યું પ્રમાદ ન કર. (નિવાસસ્થાને) જઈને મંત્રીઓની સાથે વિચારણા કરી. પછી દયાળુ રાજાએ કેદીઓને મુક્ત કર્યા. પિતાને પુત્ર ન હોવાથી રાજ્યસંપત્તિ જમાઈને આપી. અર્થીઓને વાંછિત આપ્યું. પછી મહાન આડંબરથી ચારિત્રને સ્વીકારીને નિરતિચારપણે પાળ્યું. નીતિમાં કુશળ પુણ્યપાલ રાજાએ જિનધર્મની
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
શીલપદેશમાલા ગ્રંથનો
પ્રભાવના કરતાં લાંબા કાળ સુધી સામ્રાજ્યનું પાલન કર્યું. એકવાર ગુણસુંદરીએ પુણ્યપાલને ઉપદેશ આપ્યઃ યૌવન નાશવંત છે, લક્ષ્મીને ઉત્કર્ષ ક્ષણભંગુર (ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળો) છે, કાયા સેંકડો કષ્ટોથી યુક્ત છે. માટે તમે ધર્મમાં મતિ કરો. સુલોચન નામના પુત્રને રાજય ઉપર બેસાડીને દંપતીએ મહોત્સવપૂર્વક દીક્ષા લીધી. તે બંને લાંબા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળીને શાશ્વત સુખવાળા, અવિનાશી અને અવિકારી (=જેમાં જરાપણ ફેરફાર ન થાય તેવા) મોક્ષને પામ્યા. જે ધીર મનુષ્ય આ શીલરૂપી માણિક્ય રત્નને અખંડપણે હૃદયમાં ધારણ કરે છે તે મનુષ્ય ગુણસુંદરીની જેમ આ લોકમાં અને પરલોકમાં વાંછિત અર્થની પ્રાપ્તિ થવાથી આનંદિત બને છે. [૩-૪].
મોક્ષના સાધક બીજાં ધર્મ કારણે હોવા છતાં પરમાર્થથી શીલ જ મોક્ષનું કારણ છે એમ કહે છેઃ
देवो गुरू य धम्मो, वयं तवं गुत्तिमवणिनाहोवि ।
पुरिसो नारी वि सया, सीलपवित्ताई अग्धंति ॥५॥ ગાથાથ – દેવ, ગુરુ, ધર્મ, વ્રત, તપ, ગુપ્તિ, પૃથ્વીનાથ, પુરુષ અને સ્ત્રી પણ સદા શીલથી પવિત્ર હોય તે જ ગૌરવને પામે છે.
ટીકાથ:- દેવ=તીર્થસ્થાપના વગેરે કરનાર. ગુરુ=ધર્માચાર્ય. ધર્મ=હેય-ઉપાદેયને ઉપદેશ. વ્રત–દીક્ષા સ્વીકાર. તપ=બાહા અને અત્યંતર એ બે ભેદને આશ્રયીને બાર ભેદવાળું. ગુપ્રિ=મન, વચન અને કાયાનું રક્ષણ કરવું. ગાથામાં નવનિષિ એ સ્થળે રહેલા અરિ શબ્દથી ભિખારીનું પણ ગ્રહણ કરવું. પુરુષ શબ્દથી ઘર્મી પુરુષ સમજ. શ્રી શબ્દથી એક્ષસાધન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નને ધારણ કરનારી સ્ત્રી સમજવી. આ બધા નિરંતર શીલથી પવિત્ર હોય તે જ ગૌરવને પામે છે, અર્થાત્ શીલવંતે જ પૂજય બને છે અને સુગતિમાં જવાને લાયક બને છે. [૫]
શીલમાં બીજા મનુષ્ય પ્રવૃત્તિ કરે એ માટે શીલવંતે દુષ્કર કાર્ય કરનારા છે એમ જણાવીને બે ગાથાઓથી શીલવંતેની જ પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે –
दायारसिरोमणिणो, के के न हुया जयंमि सप्पुरिसा । के के न संति किं पुण, थोवच्चिय धरियसीलभरा ॥६॥ छट्टहमदसमाई-तवमाणावि हु अईव उग्गतवं ।
अक्खलियसीलविमला, जयंमि विरला महामुणिणो ॥ ७ ॥ ગાથાર્થ –જગતમાં દાતારશિરોમણી સત્યપુરુષ કણ કણ નથી થયા? વર્તમાનમાં પણ દાતાર પુરુષે કણ કણ નથી? પણ શીલને ભાર ધારણ કરનારા થોડા જ હોય છે.
૧. મૂળ ગાથામાં રહેલા કિં કુળ શબ્દને પુનઃ એવો અર્થ જણાય છે. ટીકામાં એ સ્થળે પુનઃ એવો જ ઉલ્લેખ છે. પુનઃ શબ્દને કયારેક “પણ” એ અર્થ પણ થાય છે, અહીં “પણ” એ અર્થ જણાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩ ટીકાથ:- દયાથી આ (=ભિના) બની જવાના કારણે જેઓ (બીજાના રક્ષણ માટે) પિતાના જીવને (=શરીરને) પણ ત્રાજવાથી તેલે તેવા દાતાર પુરુષ ભૂતકાળમાં ઘણું થઈ ગયા છે. આ વિષે કહ્યું છે કે
कर्णश्चर्म शिविर्मासं, जीवं जीमूतवाहनः ।
ददौ दधीचिरस्थीनि, नास्त्यदेयं महात्मनाम् ॥ १ ॥ કણું રાજાએ ચામડી આપી, શિબિરાજાએ માંસ આપ્યું, જીમૂતવાહન રાજાએ પિતાના પ્રાણ આપ્યા, અને દધીચિ રાજાએ હાડકાં આપ્યાં. મહાત્માઓને ન આપવા લાયક કંઈ પણ નથી.”
વર્તમાનમાં પણ દાતાર પુરુષો ઘણું છે. કિંતુ પુરુષો પણ (=સપુરુષમાં પણ) શીલને ભાર ધારણ કરનારા થોડા જ હોય છે. [૬]
ગાથાથ - જગતમાં છઠ્ઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસ વગેરે અતિશય ઉગ્ર તપ તપનારા પણ (eતપ તપનારાઓમાં પણ) અખંડિત બ્રહ્મચર્યવાળા મહામુનિઓ અવશ્ય વિરલા જ હોય છે.
ટીકાથ:- તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા જ હોય છે. કારણ કે બ્રહ્મચર્યવ્રતનું પાલન દુષ્કર છે. આગમમાં કહ્યું છે કે-“ઇંદ્રિયમાં રસના, કર્મોમાં મેહનીય, વ્રતમાં બ્રહ્મચર્ય અને ગુણિએમાં મને ગુપ્તિ આ ચાર દુઃખથી જીતી શકાય છે.” [૭]
તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા હોય છે એ જ વિષયને લૌકિક દષ્ટાંતથી કહે છે –
जं लोए वि सुणिज्जइ, नियतवमाहप्परंजियजयावि ।
दीवायणविस्सामित्त-पमुहमुणिणोवि पन्भट्ठा ॥८॥ ગાથાર્થ – તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા હોય છે. જેથી લેકમાં પણ સંભળાય છે કે પોતાના તપના માહાભ્યથી જગતને આકર્ષવારા પણ દ્વૈપાયન, વિશ્વામિત્ર વગેરે મુનિએ પણ ભ્રષ્ટ બન્યા.
ટીકાથ- સુકાં પાંદડાં અને શેવાલનો આહાર કરનારા તથા પાણી પીનારા પણ દ્વૈપાયન, વિશ્વામિત્ર વગેરે મુનિઓએ સ્ત્રીની શૃંગાર ભરેલી ચેષ્ટાઓથી ચલિત બનીને શીલને ભ્રષ્ટ કર્યું. આ પ્રમાણે ગાથાને અર્થ છે. ભાવાર્થ તે કથાઓથી જાણુ. તે ભાવાર્થ આ પ્રમાણે છે –
દ્વૈપાયન ઋષિની કથા પાંડવોને પૂર્વજ, હસ્તિનાપુરને નાયક અને શિકારનો વ્યસની શાંતનુ રાજા જંગલમાં ગયે. ત્યાં પ્રેમથી સ્વપ્રિયાને આગળ કરીને હરણ પલાયન થઈ ગયું. દેડીને તેની પાછળ જ રાજા ઉત્તમ જંગલમાં પ્રવે. તેમાં આગળ સાત માળવાળો મહા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
શીલપદેશમાલા ગ્રન્થને
મહેલ જોઈને રાજા એ મહેલ ઉપર ચડ્યો. ત્યાં રહેલી બાળાએ રાજાના પગ ધોયા અને પૂજાની સામગ્રીથી રાજાની પૂજા કરી.
રાજા પ્રત્યે બાળાને સ્નેહ વધવા લાગે અને એથી તેની રોમરાજ વિકસ્વર બની. પછી સુંદર મુખવાળી તે બાળાને રાજાએ પૂછ્યું તું કેણ છે? કેમની પુત્રી છે? વનમાં એકલી કેમ છે? બાળાએ કહ્યું હું જનુ નામના વિદ્યાધર રાજાની ગંગા નામની પુત્રી છું. પતિની પ્રાપ્તિ થાય ત્યાં સુધી વનમાં રહેવું એવા તિષના વચનથી અહીં રહી છું. તેથી તે નાથ ! આપના વેગથી હમણાં તિષવચન મને ફળ્યું છે. પછી રાજા ગંગાને પરણીને પોતાના નગરમાં ગયે. કેમે કરીને ગંગાએ પુત્રને જન્મ આપ્યું. તેનું ગાંગેય નામ પાડયું. મેટા થયેલા તેને મામાએ ધનુર્વેદ (=બાણવિદ્યા) વગેરે વિદ્યા શિખવાડી. એકવાર શાંતનુએ યમુના નદીના કિનારે નાવમાં બેઠેલી સત્યવતી નામની કન્યાને જોઈને તેના પિતાની પાસે તેની માંગણી કરી. નૌકાસૈન્યના અધિપતિ તેના પિતાએ કહ્યું. આપના જેવો વર ક્યાંથી મળે? પણ આપને ગાંગેય નામને પુત્ર છે. આથી કન્યા આપવાને મને ઉત્સાહ થતો નથી. ગાંગેય રાજ્યને હક્કદાર હોવાથી મારી પુત્રીને પુત્ર રાજ્યને ક્યાંથી ભોગવી શકે? આ સાંભળીને આનંદ રહિત બનેલો રાજા પિતાની નગરીમાં ગયે. પિતાના ભાવને જાણનારા ગાંગેયે નાવિકને કહ્યું: હું (જીવનપર્યત) બ્રહ્મચર્ય પાળીશ અને રાજ્ય તારી પુત્રીના પુત્રને આપીશ. તેના આવા સાહસથી તુષ્ટ થયેલા દેએ પુષ્પવૃષ્ટિ કરી, અને “જય જય” એવા શબ્દો બોલીને (ભીષ્મપ્રતિજ્ઞા કરી હોવાથી) ગાંગેય ભીષ્મ છે એમ કહ્યું. અર્થાત્ ગાંગેયનું ભીષ્મ એવું નામ પાડયું નાવિકે જલદી કન્યા આપીને ભીષ્મને કહ્યું: એકવાર મેં આને (=સત્યવતી નામની બાળકીને) યમુનાનદીના કિનારે જઈ તે વખતે દેએ કહ્યું આ રત્નાંગદ રાજાની સત્યવતી નામની પુત્રી છે. પુત્ર વિનાની મારી પત્નીએ વાત્સલ્યથી એનું પાલન કર્યું. પછી આનંદથી ભીમે પિતાને સત્યવતી ભેટ કરી=સે પી. રાજાએ તેને પરણને કેવળ સુખને જ અનુભવ કર્યો. ક્રમે કરીને સત્યવતીએ અસાધારણ સાહસવાળા અને પરસ્પર વાત્સલ્યભાવવાળા ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામના બે પુત્રોને જન્મ આપ્યો. શાંતનુનું મૃત્યુ થતાં ભીમે ચિત્રાંગદને રાજ્ય ઉપર બેસાડ્યો. તે એકવાર યુદ્ધમાં નીલાંગદ નામના શત્રુથી હણાયે.
હવે ભીમે વિચિત્રવીર્યને પહેલાં રાજ્ય આપ્યું, પછી અંબિકા, અંબાલિકા અને અંબા નામની ત્રણ કન્યાઓ પરણાવી. વિચિત્રવીર્યને ક્ષયરોગને પામેલ તથા ધર્મ, કામ, અર્થ અને પુરુષાર્થ થી રહિત બને જેઈને ભીષ્મ કુલછેદની શંકાવાળ બને. આથી તેણે વિચાર્યું કેઈ પણ રીતે કુલની વૃદ્ધિ કરવી જોઈએ. આથી ભીમે સત્યવતીથી ઉત્પન્ન થયેલા અને અનુગ્રહવાળા દ્વૈપાયનઋષિને પ્રસન્ન કર્યા. ભીષ્મ હૈપાયન ઋષિને કહ્યું: હે બંધુ! તમે સમયજ્ઞ છે; માટે ક્ષય પામતા કુલને ઉદ્ધાર કરે. આ. પ્રમાણે પ્રાર્થના કરાયેલા તેણે ત્રણ વધૂઓને ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા. બંને આંખે પાટે
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫ બાંધીને દ્વિપાયન ઋષિની પાસે ગયેલી અંબાલિકાએ ધતરાષ્ટ્રને જન્મ આપે. શરીરે ચંદનનો લેપ કરીને ગયેલી અંબિકાએ પાંડુને જન્મ આપ્યો. શંકા વિના ગયેલી અંબાએ વિદુરને જન્મ આપ્યો. અતિશય દુષ્કર તપને કરતા આવા પણ મુનિ સહેલાઈથી ભ્રષ્ટ બન્યાં. ખરેખર ! વિષયે મુશ્કેલીથી જીતી શકાય છે. કહ્યું છે કે
कानीनस्य मुनेः स्ववान्धववधूवैधव्यविध्वंसिनो, नप्तारः किल तेऽपि गोलकसुताः कुण्डा: स्वयं पाण्डवाः । पञ्चैतेऽपि समानजायत इति प्रातः समुत्कीर्तनं, तेषां पावनमाः कथं नु विषमा धर्मस्य शून्या गतिः२ ॥१॥
વિશ્વામિત્ર ઋષિનું દષ્ટાંત આ પ્રમાણે સંક્ષેપથી કૈપાયન ઋષિનું દષ્ટાંત જે પ્રમાણે જાણ્યું છે તે પ્રમાણે કહ્યું. હવે વિશ્વામિત્રનું દષ્ટાંત કહેવામાં આવે છે - ક્ષત્રિયેનું ભૂષણ અને ગાધિરાજાના પુત્ર એવા વિશ્વામિત્રે વશિષ્ઠઋષિની સ્પર્ધાથી (=વશિષ્ટની સમાન થવા) તાપસી દીક્ષા લીધી. પછી તે પાકેલાં અને સુકાં પાંદડાં, પાણી અને શેવાલને આહાર કરીને ઘણું દુષ્કર તપ કરતો હતો. સૂર્ય સામે દષ્ટિ રાખતા હતા. સમય જતાં એને વસ્તુઓને ઉત્પન્ન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જ્ઞાની સૂચે તેને દરેક વસ્તુઓને ઉત્પન્ન કરે તે જાણીને તપથી ભ્રષ્ટ કરવા મેનકા નામની દેવાંગનાને પૃથ્વી પર મેકલી. મેનકાએ વસંતઋતુ વગેરે વિક્ર્વીને પૃથ્વીને સ્વર્ગ જેવી કરી દીધી. આમ કરીને તેણે વિશ્વામિત્રની પાંચે ઈન્દ્રિયને જલદી વિહલ બનાવી દીધી. કામથી વિહલ બનેલા આશયવાળા તેણે ધ્યાનને ભંગ કરીને અને પોતાની તપ ક્રિયાને ભૂલીને મેનકાને ગળે લગાડી. મિથ્યાષ્ટિઓના શાસ્ત્રમાં કહ્યું છે કે-“સારી રીતે કાબુમાં રાખેલી પણ ઈદ્રિયોને વિશ્વાસ ન કર. વિશ્વામિત્ર ઋષિએ પણ ઉત્કંઠાપૂર્વક મેનકાને ગળે લગાડી. * અતિશય
૧. આ વિષે વિશેષ વિગત આ પ્રમાણે છે:–ભીષ્મ અંબિકાને કહ્યું કે તું વસ્ત્ર રહિત થઈને યમુના નદીના કાંઠે તપ કરતા પાયન ઋષિની પાસે જા. અંબિકાએ વિચાર્યું કે, એ તે મારા જેઠ થાય. (દેપાયન સત્યવતીના પુત્ર છે અને ચિત્રવીર્ય પણ સત્યવતીને પુત્ર છે. આથી તે અંબિકા વગેરે ત્રણેને જેઠ થાય.) આથી વસ્ત્ર રહિત થઈને મારાથી તેમની પાસે કેમ જવાય ? આમ વિચારીને તે વસ્ત્ર રહિત કરેલા પોતાના દેહને સુખડ અને કેશર વગેરે ચેપડીને કૈપાયન ઋષિ પાસે ગઈ. કૈપાયન તેના ઉપર મોહિત થઈને આદર કરીને બોલ્યો કે તારે પુત્ર થશે પણ કાઢિયો થશે. બીજ દિવસે ભીમે અંબાલિકાને મોકલી તે પણ શરમના કારણે પિતાની આંખે પાટા બાંધીને ગઈ. તેથી તેને દૈપાયને કહ્યું કે તારે પુત્ર થશે પણ આંધળો થશે. ત્રીજા દિવસે ભીષ્મ અંબાને મોકલી. તે નિ:શંકપણે ગઈ. પછી તે ત્રણેને અનુક્રમે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર એ ત્રણે પુત્ર થયા.
૨. નીરજી મુજે ઈત્યાદિ શ્લોકને અર્થ મને બરાબર સમજાયું નથી માટે લખ્યો નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
શીલોપદેશમાલા ગ્રંથને, અનુરાગવાળી મેનકાને લાંબા કાળ સુધી ભોગવી. પછી ચૈતન્યને પામેલા તેણે ધ્યાનભંગમાં કેટલો કાળ પસાર થયે? એમ મેનકાને પૂછ્યું. તેણે કહ્યું: નવસે સાત વર્ષ છ મહિના અને ત્રણ દિવસ પસાર થયા. આ ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલે મહાતપસ્વી પણ વિશ્વામિત્ર તપથી ભ્રષ્ટ કરાયે. માટે નિર્મલપણે શીલનું પાલન દુષ્કર છે. અહીં ગ્રંથવિસ્તારના ભયથી સ્વરૂપમાત્ર કહ્યું છે. આ બંને દષ્ટાંતને વિસ્તાર તે મહાભારતમાંથી જાણ લે. અહીં ગાથામાં કહેલા “આદિ' શબ્દથી રેણુકા વગેરેમાં કામુકપણે પ્રસિદ્ધ થયેલા યમદગ્નિ વગેરે જાણવા. [૮]
મિથ્યાદષ્ટિ મુનિઓની વાત દૂર રહી, તત્વના જ્ઞાતાઓને પણ શીલપાલન દુષ્કર છે એમ જણાવે છે -
जाणति धम्मतत्तं, कहंति भावंति भावणाओ य ।
भवकायरावि सीलं, धरि पालंति नो पवरा ॥९॥ ગાથાર્થ-જેઓ ધર્મતત્વને જાણે છે અને બીજાઓને કહે છે, ભાવનાઓ ભાવે છે, સંસાર ભીરુ છે અને પ્રવર છે તેઓ પણ શીલ ધારણ કરીને તેનું પાલન કરતા નથી.
ટીકાથ –ધર્મતત્ત્વ = જિનેશ્વરએ કહેલે મોક્ષમાર્ગ. ધર્મતત્વને કહે છે એમ કહીને અહીં તત્ત્વજ્ઞાનની દઢતા (= નિશ્ચિતતા) જણાવી છે. (કારણકે અનિશ્ચિત જ્ઞાનવાળ બીજાને કહી ન શકે.) ભાવના = અનિત્ય વગેરે બાર પ્રકારની ભાવનાઓ. પ્રવર = ઉત્તમકુલ અને ઉત્તમ જાતિવાળા. આવા જીવો પણ સિંહની જેમ શીલ સ્વીકારીને પણ શિયાળની જેમ સવથી ચલિત થાય છે, અર્થાત્ જેવી રીતે શીલને સ્વીકાર કર્યો તે જ રીતે પાળી શકતા નથી. આગમમાં કહ્યું છે કે:-“ચાર પ્રકારના પુરુષો કહ્યા છે. તે આ પ્રમાણે -૧. કેટલાક પુરુષો સિંહની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. ૨. કેટલાક પુરુષે સિંહની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને શિયાળની જેમ તેનું પાલન કરે છે. ૩. કેટલાક પુરુષો શિયાળની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. ૪. કેટલાક પુરુષો શિયાળની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને શિયાળની જેમ તેનું પાલન કરે છે. આ ચાર ભાંગાઓમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગા શુભ છે અને બાકીના બે અશુભ છે. [૯] શીલપાલન બધા ય ધર્મોથી દુષ્કર છે એમ કહે છે –
दाणतवभावणाई-धम्माहितो सुदुकरं सीलं ।
इय जाणिय भो भव्वा, अइजत्तं कुणह तत्थेव ॥१०॥ ગાથાર્થ –દાન, તપ, ભાવના વગેરે ધર્મોથી શીલ દુષ્કર છે, એમ જાણીને હે ભવ્ય! તમે શીલમાં જ અતિશય આદર કરે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭ ટીકાથ-શીલ દુષ્કર છે એ અંગે કહ્યું છે કે–“ભાવના અને દાન ક્ષણિક છે, અર્થાત્ ભાવના અને દાન બહુ જ થોડીવાર કરી શકાય છે, ત પ પણ નિયત સ્થિતિવાળું છે, પણ શીલનું પરિશીલન તે યાજજીવ સુધી કરવાનું હોય છે, તેથી તેનું પાલન દુષ્કર છે.” હે ભવ્ય ! શીલ દુષ્કર છે એમ જાણીને શીલમાં જ પરમ આદર કરે, પણ દુષ્કર છે એમ માનીને તેની ઉપેક્ષા ન કરો.૧૦] શીલ જ પ્રમાણ છે, અર્થાત્ શીલ વિના કેઈ જ ધર્મ પ્રમાણ નથી એમ કહે છે -
तं दाणं सो य तवो, सो भावो तं वयं खलु पमाणं ।
जत्थ धरिजइ सीलं, अंतररिउहिययनवकीलं ॥११॥ ગાથા-ટીકાથ–તે જ દાન દાન તરીકે ગણાય છે. તે જ તપ તપ તરીકે ગણાય છે, તે જ ભાવ ભાવ તરીકે ગણાય છે, વ્રત પણ તે જ પ્રમાણ છે, જે દાન, તપ, ભાવ અને વ્રતમાં આંતરશત્રુના હૃદયને ભેદવા માટે નવા ભાલા સમાન શીલ ધારણ કરવામાં આવે. [૧૧]
અન્ય વ્રતમાં અતિચારો લાગવા છતાં શીલના નિરતિચાર પાલનનું માહામ્ય કહે છે...... कलिकारओवि जणमारओवि सावजजोगनिरओवि ।
____जं नारओवि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥१२॥ ગાથાથ -કલહ કરનારા, લેકેને મારનારા, અને સાવઘગમાં તત્પર એવા પણ નારદ જે સિદ્ધ થાય છે, તે ખરેખર ! શીલનો પ્રભાવ છે.
ટીકાથ-નારદ યુદ્ધની ઈરછાવાળા હોય છે, માટે કલહ કરનારા હોય છે, એથી જ લોકોને મારનારા છે, એટલે કે લેકેના સંહારના હેતુ છે. સાવદ્યગમાં તત્પર એટલે પરીનું અપહરણ કરાવવું અને શક્યને સંગ કરાવો વગેરે પાપપ્રવૃત્તિમાં આસક્ત. (અહિંસા વગેરે) બીજા વ્રતમાં શિથિલતા કરવા છતાં નારદ મોક્ષને પામે છે, તે નિર્મલ શીલને પ્રભાવ છે. આ પ્રમાણે ગાથાને અર્થ છે. વિસ્તૃત અર્થ તે કથાથી જાણો. તેમાં રુફિમણનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે છે -
નારદની કથામાં રુકિમણુનું દષ્ટાંત દ્વારિકા મહાનગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ હતે. બલદેવ સહિત તે મોટા રાજ્યનું પાલન કરતે હતે. એકવાર કલહ કરનાર, ક્રિીડાના પ્રેમી, કુતૂહલી અને (બ્રહ્મચર્યની) પ્રભાના વૈભવથી પ્રકાશ કરનારા નારદ ફરતાં ફરતાં કૃષ્ણના મહેલમાં આવ્યા. બલરામ સહિત કૃષ્ણ કેટલાક પગલા તેમની સામે ગયે. તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. પૂજાની સામગ્રીથી પૂજા કરી, નમસ્કાર કર્યો. ક્રીડાના પ્રેમી હોવાના કારણે ચંચળ એવા નારદ ત્યાં ક્ષણવાર રહીને અંતઃપુરમાં ગયા. દર્પણમાં મુખને જેતી સત્યભામાએ તેમની પૂજા
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
શીલપદેશમાલા ગ્રંથને ન કરી. આથી નારદે વિચાર્યું. ઇંદ્રાણીઓએ પણ મારી અવજ્ઞા કરી નથી. પણ આ અહંકારવાળી હોવાથી ઔચિત્ય પણ ન આચર્યું. ગુસ્સે થયેલા તે છલાંગ મારીને ઉડીને કુંડિનપુર ગયા. ત્યાં રુકિમણીએ તેમને સત્કાર કર્યો. નારદે તેની આગળ કૃષ્ણના ગુણે કહ્યા. કૃષ્ણ પ્રત્યે તેને અનુરાગવાળી બનાવીને પટમાં તેનું રૂપ આલેખ્યું. સત્યભામા પ્રત્યે દ્વેષના કારણે તે રૂપ જલદી કૃષ્ણને બતાવ્યું. આ દેવી કેણ છે એમ કુણે પૂછયું. નારદે કહ્યુંઃ રુમિણ નામની આ કન્યા છે અને સફમી નામના રાજાની નાની બહેન છે. વિસ્મયપૂર્વક તેના મોગરાનું ફૂલ અને ચંદ્ર જેવા મનહર ગુણેને સાંભળતા કૃષ્ણ રુકિમણી પ્રત્યે અતિશય અનુરાગ ધારણ કર્યો. આથી કૃષ્ણ નારદને કહ્યું: હે દેવર્ષિ ! જે રીતે આ મારી પ્રિયા થાય તે રીતે કરે. અથવા કલ્પવૃક્ષને કરેલી પ્રાર્થને શું ક્યારેય નિષ્ફલ થાય? નારદે કહ્યુંઃ ખેદ ન કરે. જે રીતે રુક્િમણ તમારી પત્ની થાય તેમ કરું છું. તમે (તમારી બહેન મને આપો એમ રુક્િમણીની માગણી માટે રુકિમ રાજા પાસે) દૂત મોકલે. રુમિ રાજા તમારા પ્રત્યે કેવું વર્તન કરે છે તે જોઈએ. હર્ષ પામેલા કુણે આ પ્રમાણે કહેતા નારદની પૂજા કરીને રુકિમણીની માગણી કરવા માટે રુમી રાજા પાસે દૂત મોકલ્યો. રુમીએ કહ્યુંઃ અમે બહેનને ગોવાળને નહિ આપીએ પહેલાં મહાપરાક્રમી શિશુપાલ આને વર પ્રાપ્ત થયા છે=શેળે છે. રત્ન સોનાની સાથે શોભે, પિત્તળની સાથે ન શોભે. રુમીએ દૂત દ્વારા કૃષ્ણને આ પ્રમાણે કહેવડાવ્યું. આ વખતે મિણીની ફેઈએ રુકિમણને કહ્યું હે પુત્રી ! પૂર્વે અતિમુક્ત મુનિએ તે કૃષ્ણની પટરાણી થશે એમ કહ્યું છે. આજે પ્રેમથી તારી માગણી કરવા છતાં કૃષ્ણને કોઇથી ના કહીને રુકમીએ હવે તને શિશપાલને આપી છે. મિણીએ પહેલાં નારદની પાસેથી શિશુપાલ ખરાબ રૂપવાળે છે એમ જાણ્યું હતું. આથી પોતે શિશુપાલને અપાઈ છે એમ સાંભળીને રુકિમણી વિષાદથી ઉદાસીન બની ગઈ. શું ક્યારે પણ જ્ઞાનીની વાણી નિષ્ફલ થાય? એમ બેલતી રુકિમણે કૃષ્ણ પ્રત્યે અનુરાગવાળી છે એમ ફેઈએ નિર્ણય કર્યો. આથી તેણે જલદી દૂત દ્વારા કૃષ્ણને જણાવ્યું કે, તમને અનુરૂપ એવી ક્રિમણ પ્રત્યે તમને અનુરાગ હોય તો તમે ગુસપણે જલદી આવે. હું મહા મહિનાની આઠમના રોજ નાગદેવની પૂજાના બહાને રુકિમણીને ઉદ્યાનમાં લાવીશ. આ તરફ કુંડિનપુરમાં વિવાહ નિમિત્તે કરેલા મહત્સવમાં મિણીને પરણવા માટે ઉત્સુક એવો શિશુપાલ આવ્યું. નારદના મુખથી શિશુપાલનું આગમન જાણીને બલદેવ અને કૃષ્ણ એ બંને બે રથ ઉપર બેસીને કંડિનપુર આવ્યા. પૂર્વે સંકેત કરેલા સ્થાનમાં કેઈએ આગળ કરેલી 'રુમિણીને જોઈને કૃષ્ણ વિચાર્યું. આ નારદે જેવી કહી હતી તેનાથી પણ વધારે સુંદર છે. પછી કૃષ્ણ રુકિમણને સ્નેહપૂર્વક કહ્યું: હે ભદ્રે ! સ્નેહને આધીન બનેલે અને એથી જેમ ભ્રમર કલ્પવૃક્ષની મંજરીને યાદ કરે તેમ તને યાદ કરતે હું દૂરથી આવ્યો છું. આથી વિલંબ
૧. અહીં ‘જીનોનમરમરથi એ પદને હેતુપૂર્વક અર્થ લખ્યો નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯ કર્યા વિના જલદી રથ ઉપર ચઢ. ફેઈથી આદેશ અપાયેલી રુક્િમણી પણ રથ ઉપર ચઢી. પિતાના દોષને છુપાવવા ફેઈએ પિકાર કર્યો કે હા હા ! કૃણ બળાત્કારે રુકિમણીને ઉઠાવી જાય છે! કાર્યની સારી રીતે સિદ્ધિ થવાથી ઉત્સાહિત બનેલા કૃષ્ણ જાણે શત્રુઓને ઉત્પાત ન હોય તેમ શંખ પૂરીને (=વગાડીને) બલદેવની સાથે ચાલ્યા. સંગ્રામ માટે વાગેલાં વાજિંત્રોના અવાજથી આકાશને ક્ષુબ્ધ બનાવતા અને શસ્ત્રોના સમૂહથી જાણે પૃથ્વીને ભોજનની લાલસાવાળી બનાવતા હોય તેવા શિશુપાલ અને રુફમી રાજાને સૈન્યસહિત પિતાને પાછી લાવવા આવતા જાણુને રુકમિણી ભયથી ધ્રુજવા લાગી. તેણે કૃષ્ણને કહ્યું: હે નાથ ! તમે બંને એકલા છે, તે બે અસંખ્ય સૈન્યથી પરિવરેલા છે. તમને બેને મારા નિમિત્તે આ કષ્ટ આવ્યું, આથી હું વ્યાકુળ છું. કૃષ્ણ કહ્યુંઃ હે પ્રિયા ! તું ભય ન પામ. શત્રુનો વિનાશ કરનારા મારા પરાક્રમને તું છે. તેને ભયને દૂર કરવા કૃષ્ણ એક હાથથી તાડના અનેક વૃક્ષોને ઉખેડી નાખ્યા. હે પ્રિયા ! બિચારા અને કાગડાના જેવા ચંચલ આ બે મારી આગળ કેણ છે ? આમ કહીને કૃષ્ણ વીંટીના વજાનું કપૂરની જેમ ચૂર્ણ કરી નાંખ્યું. ધથી કૃષ્ણને યુદ્ધને આરંભ કરતા જોઈને બલદેવ પ્રિયા સહિત કૃણને આગ્રહપૂર્વક આગળ મોકલીને પોતે ત્યાં જ રહ્યો. રુકિમણીથી પ્રાર્થના કરાયેલા કૃષ્ણ બળદેવને કહ્યુંઃ તારે યુદ્ધના મેદાનમાં કૂર પણ ફમી રાજાને જીવતે રાખ. વેગવાળા રથથી કૃષ્ણ પ્રિયાની સાથે ઘર તરફ ચાલ્યા એટલે જેમ મેરુપર્વતથી 'સમુદ્રનું મંથન થયું હતું તેમ બલદેવે વૈરીઓના સૈન્યરૂપ સમુદ્રનું મન્થન કર્યું. શત્રુઓના બલનો નાશ કરનાર બલદેવે ઇંદ્રવજની જેમ હળથી હાથીરૂપ પર્વતને પાડી નાખ્યા. યુદ્ધના મેદાનમાં મરેલા અના પુછડારૂપી ચામરોથી પૃથ્વીએ જાણે વીર પુરુષનું વાળવાળું બિછાનું કર્યું હતું. યુદ્ધમાં પરાક્રમી સુભટની સાથે પડેલા અનેક રથી યુદ્ધભૂમિ જાણે વેતાલે જેવા હાડપિંજરથી ભયંકર થઈ. શિયાળ જેવો શિશુપાલ ભય પામીને બગલાથી મુક્ત થયેલા માછલાની જેમ પિતાના સૈન્યની સાથે નાસીને ક્યાંક જતો રહ્યો. યુદ્ધ ક્રીડામાં કુતૂહલવાળા નારદ આ વખતે આકાશમાં શિશુપાલ ઉપર અતિશય હસતાં હસતાં તાળીઓ પાડીને નાચ્યા. હવે જેણે ધનુષને કાનનું કુંડલ કર્યું છે એ રુકમી રાજા સિંહની જેમ બળથી ફાળ મારીને બલદેવની સામે આવ્યું. રુકમી રાજાની બાણશ્રેણીને તીકણબાણથી ઉતાવળે છેદતા બલદેવરૂપી હજામે રુકમીના મુખસહિત મસ્તકને મુંડી નાખ્યું. બલદેવે તેને કહ્યું: તું બંધુપત્નીને ભાઈ હોવાથી બંધુપત્નીના વચનથી તને જીવતે છોડી દઉં છું. તેથી ભિક્ષુની જેમ આત્માનું પોષણ કર, પણ મર નહિ. શરમના કારણે કુંડિનપુર જવા માટે અસમર્થ રુફમી ત્યાં ભોજકટ નામનું નગર વસાવીને રહ્યો. યુગાંત સુધી કીર્તિસ્તંભ-સમાન તે નગર વસાવ્યું એટલે કૃતકૃત્ય બનેલો બલદેવ ત્યાંથી દ્વારિકાપુરી ગયે.
૧. વેદિક ધર્મમાં “શંકરે મેરુપવાને રવૈયો બનાવીને સમુદ્રનું મંથન કર્યું” એવી માન્યતા છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને આ તરફ દ્વારિકાની નજીક આવીને રુકિમણીની શરમને છોડાવતા કૃણે ફિમણીને મધુર શબ્દોથી કહ્યુંઃ મહેલની શ્રેણિઓમાં રહેલા રત્નોની કાંતિથી આકાશને પ્રકાશિત કરનારી અને દેએ બનાવેલી દેવપુરીની જેવી આ દ્વારિકા નગરી છે. અહીં નંદનવનમાં દેવાંગનાની જેમ કીડાગૃહ, ઉદ્યાને, સરોવરે અને મંદિરમાં કીડાઓ કરીને બગીચાને સફલ કર. આ વખતે અવસર પામીને રુકિમણીએ કૃષ્ણને કહ્યું હે સ્વામી! તમે નોકરડીની જેમ પકડીને મને અહીં લઈ આવ્યા. હું શું થઈશ? અર્થાત્ હવે મારી કેવી સ્થિતિ થશે? શેક્યના હાસ્યને મારે સહન કરવું પડશે. કૃણે તેને સર્વ રાણીઓમાં મુખ્ય બનાવીશ એમ કહીને સંતેષ પમાડ્યો. પછી જેમ વસંત (ઋતુ) મોગરાની વેલડીને રમાડે તેમ કૃષ્ણ વિલાસરૂપી સમુદ્રને તરવા નૌકાસમાન રુકિમણુને ગાંધર્વ વિવાહથી પરણીને રમાડી. કપટમાં કુશળ કૃણે ઉદ્યાનમાં લહમીદેવીના મંદિરમાં રહેલી જુની મૂર્તિને ખસેડીને ત્યાં રુકિમણીને રાખી, અને સૂચના કરી કે સત્યભામા આવે ત્યારે તારે લક્ષમીદેવીની જેમ નિમેષ રહિત રહેવું. આ પ્રમાણે રુક્િમણીને શિખામણ આપીને કૃષ્ણ સવારે ઘરે આવ્યા. અધિક ગુસ્સે થયેલી સત્યભામાએ પૂછયું: હે પૂર્ત ! સ્ત્રીને કયાં મૂકી ! કૃષ્ણ સ્પષ્ટ કહ્યું: બહાર લહમીદેવીના મંદિરમાં મૂકી છે. સંભ્રમ પામેલી સત્યભામાં પણ શક્યોની સાથે જલદી ત્યાં ગઈ. લક્ષમીદેવીના મંદિરમાં રુકિમણીને પ્રત્યક્ષ જેવા છતાં સત્યભામાએ આ લક્ષમીદેવી છે એમ માન્યું. તે બેલીઃ અહો ! ચિત્રકારનું કૌશલ્ય આશ્ચર્ય પમાડે તેવું છે. પછી તેના ચરણોમાં મસ્તક મૂકીને વિનંતિ કરી કે, હે લક્ષમીદેવી ! હું કૃષ્ણ નવી લાવેલી પત્નીના રૂપને જીતનારી બનું તેવી રૂપાળી મને બનાવ. મારી આ કામના પૂર્ણ થશે ત્યારે તારી પૂજા કરીશ. પછી આમ-તેમ જોઈને સત્યભામાએ કૃષ્ણને ફરી પૂછયું: હે ધૂર્ત ! પત્ની ક્યાં છે? કૃષ્ણ કહ્યું આગળ ચાલ, બતાવું. હવે રુક્િમણએ કૃષ્ણની આગળ ઊભી રહીને પૂછ્યું: આમાં મારે કેણુ નમવા લાયક છે? આથી કૃષ્ણ સત્યભામાને બતાવી. સત્યભામાએ કૃષ્ણને કહ્યું તમે જ આને (રુકિમણીને) કપટથી અતિશય ચતુરાઈ શિખવાડી છે. આ પણ નિર્લજજ છે કે જેથી એણે મને પિતાના ચરણોમાં નમાડી. કૃષ્ણ સ્મિત કરતાં કહ્યું: બહેનને વંદન કરવામાં શો દોષ છે? સંતોષ પામેલી આ જ તારા વાંછિતને પૂરશે. વાયુથી હલાવાયેલા પત્રની જેમ ક્રોધથી ધ્રુજતા શરીરવાળી સત્યભામા કૂદીને ખેદરૂપી સમુદ્રમાં ડૂબી. પછી તે પોતાના નિવાસમાં ગઈ. આ પ્રમાણે કૃષ્ણ રુમિણને સર્વ શક્યોથી અધિક સત્કાર કરવાપૂર્વક પટરાણી બનાવી. આ પ્રમાણે લોકોને નાશ કરતા અને અતિશયશવાળા શેક્યભાવને કરનારા પણ નારદ જે મોક્ષ પામે છે તે શીલને વિલાસ=પ્રભાવ છે. [૧૨] તપસ્વી પણ શીલરહિત હોય તે મેક્ષને પામતે નથી એ કહે છે –
दायावि तवस्सीवि हु, विसुद्धभावोवि सीलपरिभट्ठो । न लहइ सिवसुहमसम, ता पालह दुक्कर सीलं ॥१३॥
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧
ગાથા :-દાતા હાય, તપસ્વી હોય, અને વિશુદ્ધભાવવાળા હોય એવા પણ જીવ ને શીલથી ભ્રષ્ટ હોય તેા નિશ્ચયથી અસામાન્ય એવા મેાક્ષસુખને પામતા નથી. તેથી દુષ્કર શીલનું પાલન કરો.
ટીકા:-દાતા = સદા દાનમાં તત્પુર. તપસ્વી=છઠ્ઠું અને અઠ્ઠમ વગેરે દુષ્કર તપને કરવાના સ્વભાવવાળા, વિશુદ્ધભાવવાળા=નિર્મલ વિચારવાળા. અસામાન્ય=કેવલી પણ જેનું પૂર્ણ વર્ણન ન કરી શકે તેવું. શીલના આવા પ્રભાવ હાવાથી હે ભવ્યે! જો તમે મેાક્ષના અર્થી હા તેા દુષ્કર શીલનું પાલન કરેા. ઉદ્દેશ અને ઉપદેશમાં સંખ્યાની વિષમતા હાવા છતાં પ્રાકૃત ભાષા હેાવાથી દોષ' નથી. [૧૩]
હવે ફરી એ ગાથાએથી શીલપાલનની દુષ્કરતાને કહે છે ઃ– दीसंति अणेगे उग्गखग्गविसमंगणे महासमरे । भग्गेवि सयलसिन्ने, मंभीसादायिणो धीरा ॥ १४ ॥ दीसंति सीहपोरिस - निम्महणादलियमयगलगणा य । मयणसरपसरसमये, सपोरिसा केवि विरला य ॥१५॥
ગાથા: તીક્ષ્ણ તલવારોથી વિષમ આંગણુાવાળા મહાયુદ્ધમાં સકલસૈન્ય ભગ્ન થવા છતાં ભય ન પામેા એમ માલનારા ધીરપુરુષા દેખાય છે. (૧૪) સિંહના બળના નાશ કરનારા અને હાથીઓના સમૂહને ભેદી નાખનારાઓ પણ દેખાય છે. પણ કામદેવનું ખાણુ ફેલાય=વાગે ત્યારે કાઈક જ મર્દાનગીવાળા રહે છે. (૧૫)
ટીકા:-શત્રુના સુભટાએ પેાતાના સૈન્યને જુદી જુદી ક્રિશાએમાં પલાયન કરી દેવા છતાં સાહસ કરીને ગભરાએ નહિ, ભય ન પામે, એમ ખીજાઓને હિંમત આપે અને પોતે પણ યુદ્ધમાં ટકી રહે એવા પણ ધીરપુરુષા સંસારમાં હોય છે. કારણકે આવા જ પુરુષા સુભટની મર્યાદામાં પ્રવેશ કરી શકે છે, અર્થાત્ આવા જ પુરુષા સુભટ બની શકે છે. કહ્યું છે કે-“ મહાસુલટાનુ સૈન્ય ભગ્ન થવા છતાં જેઓ વેરીઆના સમૂહને લાત મારવામાં તત્પર છે, તેમને માતા મસ્તકે ધારણ કરે છે. કારણ કે તેવા સુભટો જ પૃથ્વીને ધારણ કરે છે. ” [૧૪]
સિંહના બળના નાશ કરનારા અને હાથીઓને ખંડિત કરનારા પણ ધીરપુરુષ સંસારમાં દેખાય છે, પણ કામદેવના ઉન્માદ જાગ્રત મને ત્યારે કોઈક જ મર્દાનગીવાળા રહે છે, અર્થાત્ કામરૂપી શસ્રના પ્રહાર થાય ત્યારે તેનાથી ખચવા માટે શીલરૂપી શસ્ત્રને ધારણ કરનારા વિરલા જ હાય છે. કહ્યું છે કે-દશ અવસ્થારૂપી દશમસ્તકવાળા અને દેવ-દાનવાથી દુજે ય એવા કામદેવરૂપી રાવણ શીલરૂપી શસ્ત્રથી જ જીતી શકાય છે.’ [૧૫]
૧. દાતા વગેરે ઉદ્દેશ એકવચનમાં છે, અને ‘પાલન કરે? એ ઉપદેશ બહુવચનમાં છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને, સુભટે પણ પ્રીથી જીતી શકાય છે એમ કહે છે –
जे नामति न सीस, कस्सवि भुवणेवि ते महासुहडा ।
रागंधा गलियबला, रुलंति महिलाण चरणतले ॥१६॥ ગાથાર્થ-જેઓ જગતમાં કોઈને પણ મસ્તક ન નમાવે તેવા મહા સુભટે પણ રાગાંધ અને બેલહીન બનીને સ્ત્રીઓના ચરણતલમાં આળોટે છે.
ટીકાથ–જેઓ સમસ્ત જગતમાં કેઈને પણ પોતાનું મસ્તક ન નમાવે તેવા રાવણ સમાન મહાબળવાળા પણ પુરુષે રાગાંધ બનીને અનુરાગના કારણે સ્ત્રીઓની આગળ “હું તને વશ છું” એમ બેલવા લાગે છે અને કામવાસનાના કારણે જાણે બલ ક્ષીણ થઈ ગયું હોય તેવા બનીને સ્ત્રીઓના ચરણુતલમાં આળોટે છે. [૧૬] ઉપર્યુક્ત વિષયને જ વિશેષથી કહે છે –
सक्कोवि नेय खंडइ, माहप्पमडफरं जए जेसि ।
तेवि नरा नारीहि, कराविया निययदासत्तं ॥१७॥ ગાથાથ-ઇકો પણ જેમના ફેલાતા ગર્વવાળા માહાભ્યનું ખંડન કરી શકતા નથી તે પણ મનુષ્ય સ્ત્રીઓ વડે પિતાના દાસ કરાયા છે.
ટીકાર્થ-બીજાની વાત દૂર રહી, ઈંદ્ર પણ જેમના અહંકારને દૂર કરવા સમર્થ નથી, અર્થાત્ જેઓ પોતાના બળના અહંકારથી ઇંદ્રને પણ ગણતા નથી, તેઓ પણ સ્ત્રીઓ વડે વિવિધ રીતે વિડંબના પમાડાયા છે. આ વિષે રિપુમર્દન રાજા અને ભુવનાનંદા રાણીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
રિપમદન અને ભુવનાનંદી રાણીનું દષ્ટાંત અહીં ભરતક્ષેત્રમાં સુખવાસ નામનું નગર હતું. ત્યાં અતિશય ઊંચા મહેલની ઉપર તારાઓ અક્ષતના (= ચોખાના) જેવા જણાતા હતા. તેમાં માનથી મહાન, અતિશય પ્રતાપના તાપથી યુક્ત અને મેરુપર્વતની જેમ રત્નથી સમૃદ્ધ રિપુમર્દન નામનો રાજા હતા. તેને ન્યાયનો સાગર એવો બુદ્ધિસાગર નામનો મંત્રી હતો. તેને પ્રેમરૂપી સંપૂર્ણ ધનવાળી રતિસુંદરી નામની પત્ની હતી. તે નગરમાં પૂર્વ દિશામાં શ્રી આદિનાથભગવાનનું દેવવિમાન જેવું ઊંચું અને અત્યંત સુંદર મંદિર હતું. તેની આગળ અતિશય વિશાળ અને ઊંચું આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ ઉપર મનુષ્યભાષામાં કુશળ એવું પોપટનું યુગલ હતું.
એકવાર પુત્રને જન્મ થતાં પોપટનું યુગલ હોષિત બન્યું. પૃથ્વીમાં રાજાથી પણ અધિક પિતાની સફલતાને ધારણ કરી, અર્થાત્ તે બંને અમે રાજાથી પણ અધિક પુણ્યવંત છીએ એમ માનવા લાગ્યા. એકવાર પતિ અન્ય પોપટીમાં આસક્ત છે એમ માનીને પોપટીએ પોપટને માળામાં પ્રવેશ ન આપ્યો અને કહ્યુંઃ જ્યાં તારી પ્રિયા છે ત્યાં જા. અન્યમાં આસક્ત મનુષ્ય ઉપર પ્રેમ, પરાધીન સંપત્તિ અને સત્ય-અસત્ય વગેરેના
Page #32
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
હે ભદ્રા !
જ્યાં
ભેદને નહિ જાણનારા મનુષ્યની સેવા આ ત્રણ મનુષ્યાનુ ઝેર છે. પોપટે કહ્યું : મારા અપરાધને ક્ષમા કર. ફરી તેવું નહિ કરું. પાપટે આ પ્રમાણે ઘણું કહ્યું છતાં પોપટીએ ન માન્યું. પાપટે કહ્યું : તેા કુલનું કારણ મારા પુત્રને આપ, જેથી જવું હોય ત્યાં જતા રહું અને તું પણ તને સુખ ઉપજે તેમ રહે. પોપટીએ કહ્યુ : એક તેા જાતે અપરાધ કર્યો અને વળી પુત્રને માગે છે! હે પેાપટ! તું અતિશય કુશળ છે. ખરેખર ! જગત રાજ વગરનું છે. આ પ્રમાણે વિવાદ કરતા તે બંનેને પુત્રની માલિકી કેાની ? એ વિષે સંશય થયા. આથી રાજકુલમાં જઇને બંનેએ પેાતાની વિગત કહી. રાજાએ વિચાર્યું : જેમ ખેતરમાં ખીજ વાવીને ઉત્પન્ન થયેલું ફળ ખેતરના માલિક મેળવે છે તે જ પ્રમાણે પુત્રરૂપ સંતાનને પિતાએ જ મેળવવું જોઇએ. આ પ્રમાણે વિચારીને રાજાએ પુત્ર પેાપટને અપાવ્યેા. પાપટીએ આ મર્યાદાને (=ન્યાયને) ચાપડામાં લખાવી. વૈરાગ્યયુક્ત પેાપટીએ આમ્રવૃક્ષની નીચે બેઠેલા શ્રુતજ્ઞાનીને વંદન કરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું : હે પે।પટી ! તેં મનુષ્ય આયુષ્ય બાંધ્યું છે. આજથી ત્રીજા દિવસે મંત્રીની પુત્રી બનીને રાજપત્ની બનીશ. કયારેક જોઈને ( = વાંચીને ) ઉપયાગથી જાતિસ્મરણુજ્ઞાન - થાય એમ વિચારીને તેણે સાધુએ કહેલા વૃત્તાંતને મંદિરની ભીંતમાં લખ્યો. પછી મુનિની પાસે જઇને વધતા શુભાશયવાળી તેણે વિધિથી અનશનના સ્વીકાર કર્યા અને ખરેાબર પાલન કર્યું. શુભસ્ત્રોથી સૂચિત અને શુભેાદયવાળી તેણે મંત્રીની રતિસુંદરી પત્નીના કુક્ષિરૂપી કમલમાં લક્ષ્મીની જેમ નિવાસ કર્યાં. સમય થતાં તેના જન્મ થયા. રૂપસંપત્તિથી દેવાંગનાને જીતતી તે પુત્રીનુ` ભુવનાનંદા નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે મેાટી બની. પૂપુણ્યના પરિપાકથી થાડા જ દિવસેામાં તેણે સરસ્વતીની જેમ કલાસમૂહમાં કુશળતાને ધારણ કરી. એકવાર ઉદ્યાનના આભૂષણ સમાન જિનમંદિરમાં અક્ષરશ્રેણિને જોઇને તેને જાતિસ્મરણુજ્ઞાન થયું, અને એથી તુરત તેણે પાપટના ભવનુ' સ્મરણ કર્યું. આ જ જિનેશ્વરના પ્રભાવથી હું મંત્રીના ઘરમાં ઉત્પન્ન થઈ એમ વિચારીને તે સદા ભક્તિથી જિનપૂજા કરતી હતી. એકવાર રાજાએ મત્રીના ઉત્તમ અશ્વથી અને પેાતાની ઘેાડીએથી જન્મેલા અનેક કિશાર અવાને મંત્રી પાસેથી મંગાવ્યા. ભુવનાન દાએ તે અશ્વકિશારાને આપવા ન દીધા. ન આપવાનું કારણુ ખતાવતાં તેણે કહ્યું: આ અવા પિતાના ઘેાડાથી ઉત્પન્ન થયેલા છે જેનુ` ખીજ હાય તેની જ તે વસ્તુ થાય છે. જો રાજાને આમાં વિશ્વાસ ન આવતા હાય તો પેાતાના ચાપડાને જીએ. કારણકે પાપયુગલના પુત્ર માટે વિવાદ થયા ત્યારે રાજાએ જાતે આ કાય ચાપડામાં લખ્યો છે. ચાપડામાં તે કાયદાને તે પ્રમાણે જ વાંચીને વિસ્મય પામેલા રાજાએ ભુવનાનંદા ખાલપ'ડિતા છે એમ જાણ્યું.
કેટલાક દિવસો પસાર થયા બાદ રિપુમન રાજા ભુવનાનંદાને પરણ્યા. પરણ્યા પછી રાજાએ (માત્ર દેખાવથી) ગુસ્સે થઈને જીવનાનંદાને આદેશ કર્યો કે, હે પ્રિયા !
૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
શીલપદેશમાલા ગ્રંથને, તું પંડિતા છે. આથી તેને સર્વલક્ષણોથી યુક્ત પુત્ર ન થાય ત્યાં સુધી તારે મારા ઘરે ન આવવું. જરાક હસીને ભુવનાનંદાએ પણ કહ્યું: હે સ્વામી ! નક્કી પુત્ર થયા પછી
જ આપના ઘરે આવીશ. વળી બીજું પણ આપ સાંભળો કે ત્યારે ( મને પુત્ર થશે ત્યારે) * હું કયાંય પણ આપની પાસે મારા પગ ધોવડાવીશ અને મારા પગની મોજડીઓ ઉપડાવીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ભુવનાનંદ પિતાના પિતાના ઘરે ગઈ. એકાંતમાં મંત્રીની આગળ વૃત્તાંત કહ્યો. મંત્રીએ કહ્યું- હે પુત્રી ! મુશ્કેલીથી બની શકે તેવી આ ઘટના કેવી રીતે બની શકશે? ભુવનાનંદાએ કહ્યું- હે પિતાજી ! સારી રીતે જેલી, બુદ્ધિથી અસાધ્ય શું છે? નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ધનુર્ધારી વડે છેડાયેલું બાણ એકને જ હશે, અથવા એકને પણ ન હ, પણ બુદ્ધિમાનથી ઉપયોગ કરાયેલી બુદ્ધિ રાજાની સાથે આખા દેશને હણે છે.” મંત્રીએ કહ્યું. આ કાર્ય અતિશય ભાગ્યબળ સિવાય બુદ્ધિથી, દાનથી કે પુરુષાર્થથી શક્ય નથી. ભુવનાનંદાએ કહ્યું આપે કહ્યું તેમ જ છે, એમાં કઈ સંશય નથી. પ્રાણીઓને આ સંસારમાં બુદ્ધિ પણ ભાગ્યથી જ મળે છે. હે પિતાજી ! હવે આપ જલદી રાજાના આવાસની નજીકની ભૂમિમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર કરો. તેમાં સુંદર સ્ત્રીઓ ત્રિકાલ વાજિંત્રની સાથે ગીત ગાઈને મનોહર સંગીત કરે તેવું પણ કરે. જેમાં (માત્ર) સ્ત્રીઓ રહે તેવું મારું ઘર પણું (મંદિરની બાજુમાં) બનાવે. મંત્રણના મહાસાગર મંત્રીએ ભુવનાનંદાએ કહેલું કરાવ્યું. મંદિરમાં વાજિંત્રો વાગવા લાગ્યા, ગીત ગવાવા લાગ્યા. અતિશય શણગાર સજીને ભુવનાનંદ જાતે નૃત્ય કરવા લાગી. મારું સાચું નામ સાંભળીને કદાચ રાજા મને યાદ કરે એમ વિચારીને મંત્રીપુત્રીએ પોતાનું લીલાવતી” એવું બીજું નામ રાખ્યું. એકવાર મધુરપંચમસ્વરથી ગવાતા આદિનાથ ભગવાનનાં ગીત (=સ્તવન) મહેલની અગાસી ઉપર ચઢેલા રાજાએ સાંભળ્યાં. સામાન્ય રાજપુત્રનો વેશ ધારણ કરીને રાજાએ મંદિરમાં પશ્ચિમ તરફના દ્વારથી આવીને નાટક જોયું. રાજા નૃત્ય કરતી લીલાવતીના નેત્રબાણથી એ હણાયે કે જેથી તે સ્થાનથી ઉઠવાનું પણ ભૂલી ગયા. સંગીત પૂર્ણ થયા પછી લીલાવતી પાલખીમાં બેસીને પિતાના ઘરે ગઈ એટલે રાજા પણ તેના ઘરે ગયે અને તેના ઘરે જ ક્ષણવારની જેમ રાત્રિ પસાર કરી. રાજા આ પ્રમાણે દરરોજ મંદિરમાં નાટક જેતે હતું અને રાત લીલાવતીના ઘરે જ વીતાવતે હતું. રાજા ત્યાં જે જે ચેષ્ટા કરતા હતા તે બધું લીલાવતી તેના પિતાને જણાવતી હતી, અને તેને પિતા તે બધું ચેપડામાં લખતે હતે. એકવાર મેજડીઓ વિના પાલખીમાં બેસીને તેણે રાજાને કહ્યુંઃ મેજડીઓને ઉપાડનારી કેઈ સ્ત્રી નથી, માટે તમે આ મેજડીઓને હર્ષથી ઘરે લઈ આવે. રાજા પણ મોજડીઓને મસ્તકે મૂકીને ઘરના
૧. અહીં ધવડાવીશ એમ જણાવ્યું છે, પણ આગળ પગ દબાવવાનું જણાવ્યું છે, પગ દબાવવાની વાત બરોબર જણાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫.
ગુજરાતી ભાવાનુવાદ આંગણામાં લાવ્યા. પૂર્વ મુજબ જ નર્તકીએ રાતે તેને સુવાડવો. એકવાર તેણે રાજાને કહ્યુંઃ હે સ્વામી ! મારા પગ બહુ દુઃખે છે. તમે મારી સખીને ઉઠાડે, જેથી તે ક્ષણવાર મારા પગ દબાવે. ત્રીજી વ્યક્તિના આગમનને સહન નહિ કરનારા રાજાએ જાતે તેની એવી પગચંપી કરી કે જેથી તે સુખપૂર્વક ઊંઘી ગઈ. સ્વપ્નમાં તેણે પોતાના મુખમાં પ્રવેશતા સંપૂર્ણ ચંદ્રને જે. પછી જાગેલી તેણે જોયું તે રાજા હજી પગ દબાવતો હતો. પગ દબાવવાનું બંધ કરાવીને તે સહસા ઊઠી. પછી તેણે રાજાની આગળ સ્વપ્નની વાત કરી. રાજાએ કહ્યું: હે ભદ્રા! તને સર્વોત્તમ પુત્ર થશે. તેટલામાં રાત્રિની સમાપ્તિને સૂચવતે શંખ વાગે. રાજા જલદી ઊઠીને પોતાના મહેલમાં ગયે. લીલાવતીએ ધર્મધ્યાન કરતાં કરતાં રાત્રિ પસાર કરી. સવારે સૂર્યોદય થતાં તે પિતાના ઘરે આવી. પિતાને રાત્રિને વૃત્તાંત કહ્યો. પોતાના ઘરનું બારણું બંધ કરી દીધું. એકાંતમાં રહીને ગર્ભનું સુખપૂર્વક પાલન કરવા લાગી.
બીજા દિવસે રાજાએ લીલાવતીની પાડોશણ બહેનને પૂછયું લીલાવતી ક્યાં ગઈ? તેણે કહ્યું હું જાણતી નથી. તેના વિના રાજા અત્યંત દુઃખી થઈ ગયો. રાજાએ કષ્ટથી રાત્રિ પસાર કરી. સવારે રાજાએ મંત્રીને પૂછયું: હે મંત્રી ! તમારા દેવમંદિરની બાજુમાં લીલાવતી નામની જે નર્તકી રહેતી હતી તે ક્યાં ગઈ તે જણાવો. મંત્રીએ કહ્યું છે દેવ! તે ખરાબ આચરણ કરનારી હતી તેથી મેં તેને મંદિરમાંથી કાઢી મૂકી છે. આથી તે કેઈકના ઘરે જઈને રાત પસાર કરે છે. તેથી તેના સ્થાને બીજી કઈ નર્તકી હોય તે શોધવી. આ પ્રમાણે સાંભળીને રાજા મૌન બન્યો અને આકારને છુપાવીને રહ્યો, અર્થાત્ પિતાના અંતરના ભાવોને બહાર જણાવા ન દીધા. સમય થતાં મંત્રી પુત્રીએ સર્વ અંગોમાં શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. કેમે કરીને મંત્રીએ તેને ગુપ્ત રીતે સર્વ કલાઓનો અભ્યાસ કરાવ્યું. એકવાર મંત્રી પુત્રસહિત પુત્રીને સભામાં લઈ ગયે. રાજાએ તેને પૂછ્યું: વઢથી મુખ ઢાંકનારી આ કોણ છે? મંત્રીએ કહ્યું હે નાથ! તે જ આ મારી પુત્રી અને તમારી પ્રિયા ભુવનાનંદા છે, આ તમારે પુત્ર અને મારો દોહિત્ર છે, એમ ધ્યાનમાં લે. (આ સાંભળીને ગુસ્સાના કારણે) કંપિત હોઠવાળો રાજા જેટલામાં કંઈક બોલે તેટલામાં મંત્રીએ તેના હાથમાં પોતાને ચોપડે આગે. મંત્રીપુત્રીની સાથે એકાંતમાં પણ જે કરાયું હતું અને જે બેલાયું હતું તે બધું જ લખેલું જોઈને રાજા આશ્ચર્ય પામ્યું. પ્રિયા તરફ શરમ અને સ્નેહરસથી મિશ્રિત થયેલી દષ્ટિને નાખતા રાજાએ પોતાના વર્તનને વારંવાર યાદ કરીને લાંબા કાળ સુધી માથું ધુણાવ્યું. પછી પુત્રને સર્વ અંગે આલિંગન કરીને પોતાના ખોળામાં બેસાડીને રાજ બલ્ય હે પુત્ર! આ રાજ્ય તારું છે અને બધી લક્ષમી તારી છે. અરે! મહાસતી તારી માતાએ પુત્રના જન્મથી અને પ્રતિજ્ઞાને પૂરી કરવાથી મને સહેલાઈથી જીતી લીધું છે અને
Page #35
--------------------------------------------------------------------------
________________
२६
શીલપદેશમાલા ગ્રંથને આનંદિત પણ કર્યો છે. આવડે સહેલાઈથી જિતાયેલા એવા મારા પૈયને, બળને, પરાક્રમને અને યશને પણ ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. મંત્રીએ કહ્યું: ખેદ ન કરે. કારણ કે આ પ્રતાપ આપને જ છે. અરુણ (=સૂર્યોદય પહેલાં થતો લાલ પ્રકાશ) અંધકારનો જે નાશ કરે છે તે સૂર્યને પ્રભાવ છે. હવે રાજાએ વૈરાગ્ય પામીને રાજ્ય પુત્રને આપ્યું અને પોતે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધ્યું. આવા પ્રતાપી પણ રિપુમર્દન રાજાને પત્નીએ દાસ બનાવ્યું તે બીજાઓની શી ગણતરી? [ ૧૭]. સ્ત્રીની આધીનતાને જ વિશેષપણે કહે છે –
मरणेवि दीणवयणं, माणधणा जे नरा न जंपति ।
तेवि हु कुणंति लल्लिं. बालाण य नेहगहगहिला ॥१८॥ ગાથાથ-માનને જ ધન માનનારા જે ઉત્તમ મનુષ્ય પ્રાણાતે પણ દીનવચન બોલતા નથી તે માની મનુ પણ સનેહના કારણે કદાગ્રહથી દબાઈને અવશ્ય સ્ત્રીઓની આગળ ગરીબની જેમ પ્રાર્થનાવીને અને ખુશામત ભરેલા વચને બેલે છે.
ટીકાથ-માનને જ ધન માને તેવા પુરુષો જ ઉત્તમ છે. કહ્યું છે કે-“અધમ પુરુષે ધનને ઈચ્છે છે, મધ્યમ પુરુષો ધન અને માનને ઈચ્છે છે, ઉત્તમ પુરુષે માનને ઈચ્છે છે, મોટાઓનું માન એ જ ધર્મ છે. અહીં વિજયપાલ રાજા અને લક્ષમીરાણીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે
વિજ્યપાલ રાજાલક્ષ્મીરાણીનું દષ્ટાંત પુરિમતાલ નામનું નગર હતું. તેમાં મહેલની અગાસીઓ ઉપર ચઢેલી સ્ત્રીઓના મુખેથી અકાળે ચંદ્રની ભ્રાતિ થતી હતી. તેમાં માનવંત મનુષ્યમાં શિરોમણિ વિજયપાલ નામનો રાજા હતા. તેની વધતા વિલાસના અભિમાનવાળી રંભા નામની રાણી હતી. એકવાર હાથી ઉપર બેસીને રાજવાટિકાએ જતા રાજાએ જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષમી નામની શ્રેષિપુત્રીને જોઈ. રાજા તેના નેત્રરૂપ જાળથી તેના પ્રત્યે આકર્ષાયે. રાજવાટિકામાંથી પાછા ફરીને મહેલમાં આવ્યું. પછી તેના પિતાની પાસે માગણી કરીને રાજા લક્ષમીને પરણ્યા. રાજાનું ચિત્ત લક્ષમીમાં હતું. આથી તે રાત-દિવસ અંતઃપુરને છોડતા ન હતા=અંતઃપુરમાં જ રહેતું હતું, અને લક્ષમીની સાથે જ વિલાસ કરતે હતે.
રાજ્યની વ્યવસ્થા કરવાનું તેણે છેડી દીધું. લક્ષમીની સાથે ભેગવાતા ભોગથી નચાવાયેલે તે કીડાની જેમ આત્માને ભૂલી ગયે અને વિવેકરહિત બની ગયો. તેણે આ પ્રમાણે કેટલોક કાળ પસાર કર્યો. એકવાર મંત્રીએ કહ્યું: હે સ્વામી ! રાગને આધીન બનેલ સામાન્ય માણસ પણ લઘુતાને પામે છે તે રાજા કેમ ન પામે? ક્રમથી જ
૧. વાક્યરચના ફિલષ્ટ ન બને એ માટે પ્રસ્તુત શબ્દને અર્થ અનુવાદમાં લીધે નથી.
Page #36
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭ સેવાતા ધર્મ, કામ અને અર્થના વિસ્તારો વાંછિત ભેગને આપે છે, અન્યથા તે નિષ્કલ બને છે. રાગરૂપી ઘણા વિષથી અંધ બનેલા ગુણવાનના ગુણો નાશ પામે છે. ગુરુએના ઉપદેશે તેમના કાનમાં પ્રવેશતા નથી. હે રાજેદ્ર! આપના શત્રુઓ ઉદ્યમવાળા થાય છે. તેથી હે પ્રભુ! આસક્તિને છેડે અને હવેથી રાજ્યની ચિંતા કરે. રાજાએ કહ્યું : હે મંત્રી ! સાંભળો, તમે અજ્ઞાન છે એથી આ પ્રમાણે કહો છે. ઝકા ખાતે નિદ્રાળુ માણસ શું તળાઈની (=ગાદલાની) રાહ જુએ છે? પાણીની તૃષાવાળો પાણી મેળવીને શું અમૃત માટે રાહ જુએ છે? એ પ્રમાણે સ્ત્રીમાં આસક્ત થયેલ મનુષ્ય શું અન્ય કાર્યમાં અનુરાગવાળો થાય? જ્યાં સુધી આ સ્ત્રી મારી આંખ સામે છે=જીવે છે ત્યાં સુધી તમારે મારો જીવ જાણો. મારે રાજ્યચિંતાનું પ્રયોજન નથી. આ પ્રમાણે રાજાને રાજ્યચિતાથી વિમુખ જાણીને મંત્રી વગેરે ભેગા થઈને જેટલામાં કંઈક પરસ્પર મંત્રણ કરતા હતા તેટલામાં સવારના સમયે લક્ષમીરાણીને ઉલટી થઈ. તેથી રાજાએ જલદી ચિકિત્સકને લાવ્યા. ચિકિત્સક ઉપાયોથી ઘણી ચિકિત્સા કરી રહ્યા હતા તેટલામાં સૂર્યોદય થતાં તે ઓચિંતી મરણ પામી. રાજાનું શરીર તત્કાલ વધતી મૂર્છાથી વિહલ બનીને પૃથ્વીતલ ઉપર પડયું અને કાષ્ઠની જેમ નિચેતન બની ગયું. ચંદનના પાણીનું તેના ઉપર સિંચન કરવામાં આવ્યું અને પંખાઓથી હવા નાખવામાં આવી. આનાથી તે ચૈતન્યને પામ્ય અને ઉન્મત્ત બાળકની જેમ રડવા માંડ્યો. હે પ્રિયા ! તું
ક્યાં ગઈ છે? મને ઉત્તર આપ. આવા હાસ્યને લાંબે કાળ સહન કરવા હું સમર્થ નથી. આ પ્રમાણે વિલાપ કરતા અને તેના પડખાને નહિ છોડતા તેને કેઈએ કહ્યું? આ મરી જ ગયેલી છે. આથી એને અગ્નિ સંસ્કાર કરે. ગુસ્સે થયેલા રાજાએ કહ્યું? આ કયે દુષ્ટ કટુ શબ્દોથી ટાંકણીની જેમ મારા કોંને છોલે છે? રે રે! પાપી ! પિતાના પુત્ર વગેરે લેકનો અગ્નિસંસ્કાર કરે. આ મારી પ્રાણપ્રિયા તે સો વર્ષ સુધી
આવશે. આથી જે અમંગલ વચન બેલશે તે મારો શત્રુ છે. આ પ્રમાણે બોલતા પણ રાજાની ઉપેક્ષા કરીને તેને અગ્નિસંસ્કાર કર્યો. લક્ષમી રાણીમાં જ ચિત્તવાળો અને હવે વિશેષ કરીને તેને નહિ તે રાજા ઇંદ્રિયોના સંચારને રોકનાર ગાત્મા જેવો થયો. રાજાએ જ્યાં સુધી પ્રાણપ્રિયાની વિશેષ શુદ્ધિ (=ક્યાં છે એવી વિશેષ માહિતી) નહિ મેળવું ત્યાં સુધી ભેજન નહિ કરું એવી પ્રતિજ્ઞા કરી. રાજાએ ભજનનો ત્યાગ કર્યો તેને દશ દિવસ થઈ ગયા.
(રાજાને કોઈ પણ રીતે ભોજન કરાવવું જોઈએ એવા આશયથી) મંત્રીઓએ કેઈક પુરુષને શિખવાડીને રાજાની પાસે મોકલ્યો. તેણે રાજાને કહ્યું : હે દેવ! આજે હું આપને વધામણી આપું છું કે ભાગ્યથી પ્રિયાની શુદ્ધિ (કયાં છે એવી માહિતી) મળી છે. રાજાએ હર્ષમાં આવીને પૂછયું કયાં છે? પુરુષે દેવભાષામાં કહ્યું: હે દેવ!
Page #37
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથનો મદવાળા હાથીના જેવી ચાલવાળી આપની પ્રિયા ઈંદ્રસભાની મધ્યમાં બેઠેલી છે અને મનોવાંછિત સુખેથી સંતોષને ધારણ કરે છે. પણ આપનાં દર્શન વિના ખેદ પામે છે. તેણે આપને કહ્યું છે કે આપને પણ ત્યાં મનુષ્યલકમાં રહેવું ગ્ય નથી. કારણ કે મનુષ્યલક આધિ, વ્યાધિ, દુર્ગન્ધ અને પીડાઓથી દુઃખદ ( =દુઃખ દેનાર) છે. સ્વર્ગ સર્વ ઇન્દ્રિયની પ્રીતિ અને પુષ્ટિ કરનારા ભોગોથી દેદીપ્યમાન છે. એથી હે નાથ! જે આપને મારી જરૂર હોય તે જલદી અહીં આવે. જે નંદનવન સ્વાધીન હોય તે કર્યો વિદ્વાન પુરુષ મભૂમિમાં કીડા કરે. આથી રાજાએ કહ્યું: હે મંત્રિજને ! મને જલદી સ્વર્ગને માર્ગ બતાવે, જેથી હું ત્યાં જઈને પ્રિયાના મુખકમલને જોઉં. પેલા પુરુષે કહ્યું હે દેવ! જ્યાં સુધીમાં હું સ્વર્ગમાં આપના આગમનને કહીને આવું ત્યાં સુધી આપ ભજન કરો, સ્નાન કરો, પાણી પીઓ, રાજ્ય, દેશ અને રાજભંડાર વગેરેને સંભાળ અને પુણ્યને સાધે. પુરુષના આવા વચનથી રાજાએ ભોજન વગેરે કર્યું. કારણ કે
બુદ્ધિહીન કે બુદ્ધિશાળી, રંક કે રાજા અસત્યને પણ રાગથી સત્ય જાણે છે.” લાંબા કાળે ફરી આવીને તે પુરુષ રાજાની પાસે આવ્યો. તેણે આ કપવૃક્ષનાં ફળ દેવીએ મેકલ્યા છે એમ કહીને રાજાની આગળ અપૂર્વ મોટાં અને મનહર ફળે ભેટ ધર્યા. પછી તેણે દેવીએ આભૂષણે મંગાવ્યા છે એમ કહીને રાજા પાસે શરીરનાં સર્વ આભૂષણ માગ્યા. મંત્રીઓએ જલદી રાજાના દેખતા આભૂષણે તેને આપી દીધા. પછી તે પુરુષને કેટલાક દિવસો સુધી ગુપ્ત રાખે. તે પુરુષ થોડા થોડા દિવસે આ પ્રમાણે વારંવાર રાજાની પાસે આવે છે અને જાય છે.
એકવાર કે ધૂર્ત પુરુષે આ વૃત્તાંત જાણે. તેણે ભાજપત્રના જેવું ચીકણું સુવર્ણપત્ર બનાવ્યું. તેમાં અક્ષર કેતરીને એ અક્ષરને કસ્તૂરી રસથી ભરી દીધા. પછી તેને પત્રની ( કાગળની) જેમ વીંટીને રાજાના હાથમાં અર્પણ કર્યું. તેણે રાજાને કહ્યું: હે દેવ ! હું પત્રવાહક છું. દેવીએ મને સ્વર્ગથી મોકલ્યો છે. આ પ્રમાણે સાંભળીને તેના શરીરે રૂંવાટાં ખડાં થઈ ગયાં. પત્રને ખેલીને આ દેવસામગ્રી ધન્ય છે એ પ્રમાણે પ્રશંસા કરતા તેણે પત્ર વાં. (તેમાં આ પ્રમાણે લખ્યું હતું“સ્વસ્તિ શ્રી પુરિમતાલનગર, ઇંદ્ર જેવા પ્રતાપી શ્રી વિજયપાલ રાજાના ચરણ કમળામાં પ્રેમથી નમીને, સ્વર્ગથી આતુર લક્ષમી રાણી ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે, અહીં મને કુશલ છે. આપ મારા હૃદયમાં વસેલા છે એથી હું અતિશય ભારવાળી છું. હું ત્યાં ( મનુષ્યલોકમાં) આવવા અતિશય ઉત્કંઠાવાળી હોવા છતાં અતિભારના કારણે આવવા સમર્થ નથી. માટે આપે પ્રસન્ન થઈને પોતાના સર્વ અંગેનાં આભૂષણે મેકલવા, જેથી હું દેવીઓમાં પતિને ઘણું માનને ધારણ કરું, અર્થાત્ પતિને આના ઉપર ઘણું માન છે એમ દેવીઓને થાય. વળી– એક પખવાડિયામાં કે એક મહિનામાં સારાં વસ્ત્રો અને આભૂષણે વગેરે બીજું પણ આ જ વૃદ્ધના હાથે પિતાના કલ્યાણના સમાચાર જણાવવા સાથે મોકલવું” રાજાએ
Page #38
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯ મંત્રીઓને કહ્યું : મારાં આભૂષણ, વસ્ત્રો અને સુગંધી વિલેપન વગેરે આના હાથમાં આપે. કારણ કે- પ્રિયસ્વજનના સમાચાર આપનાર લાખ મૂલ્ય મેળવે છે, લેખ લઈ જનાર કરોડ મૂલ્ય મેળવે છે, પ્રિયસ્વજનના દર્શનનું સે ક્રોડ જેટલું મૂલ્ય છે, અને મિલનનું તે કઈ મૂલ્ય જ નથી. રાજા અવિચારી હોવાથી ગમે તેને ગમે તે આપી દેશે અને એથી રાજ્ય વિનાશ પામશે એમ જાણીને મંત્રીઓએ મંત્રણા કરી. પછી મંત્રીઓએ આદરપૂર્વક રાજાને પૂછ્યું. આ પત્રવાહક સ્વર્ગમાં કેવી રીતે જશે? રાજાએ જવાબ આપ્યોઃ જેવી રીતે આવ્યો તેવી રીતે જશે. મંત્રીઓ બોલ્યાઃ હે સ્વામી તે દેવીની કૃપાથી અહીં આવ્યું છે, પણ જશે કેવી રીતે? આ સાંભળીને રાજાએ પૂછયું: પૂર્વે આવેલે પુરુષ સ્વર્ગમાં કેવી રીતે ગ? મંત્રીઓએ કહ્યું તે અગ્નિમાં બળીને સ્વર્ગમાં ગયો. રાજાએ આજ્ઞા કરી કે આ પણ એ રીતે સ્વર્ગમાં જાય. આથી ભડકે બળતા અગ્નિમાં નાખવા માટે તેને લઈ જવા લાગ્યા. આ જોઈને પ નામના શેઠે રાજાને કહ્યું: હે દેવ! આ વૃદ્ધ છે, એના અંગે વૃદ્ધાવસ્થાથી શિથિલ થઈ ગયા છે, આથી તે સ્વર્ગમાં જવા સમર્થ નથી, આથી કઈ યુવાન માણસને મેકલ જોઈએ. મંત્રીઓએ કહ્યું : હે સ્વામી! આ શેઠ સારો જવાબ આપી શકે છે, વાચાળ છે અને શીધ્ર જઈ શકે તે છે, માટે દેવીની પાસે તેને જ મોકલે. રાજાએ તે પ્રમાણે જ સ્વીકાર્યું. આથી કસાઈઓ પશુને લઈ જાય તેમ મંત્રીઓ તેને બાંધીને લઈ જવા લાગ્યા. શેઠના સંબંધીઓએ મંત્રીઓને પૂછયું : આણે છે દેષ કર્યો છે ? મંત્રીઓએ કહ્યું? આને મુખદેષ ( મુખથી નકામું બોલવારૂપ દોષ) સિવાય બીજે કઈ દોષ નથી. પછી તેના સ્વજનોએ ભક્તિથી મંત્રીવર્ગને આમંત્રણ આપીને તેને છોડાવ્યા. પેલા ધૂતારાને પણ દયાથી મંત્રીઓએ છોડી દીધો. - ફરી એકવાર રાજાએ વૃદ્ધમંત્રીઓને કહ્યું: તમે દેવીને સ્વર્ગમાંથી અહીં તેડાવે. તેના વિના હું દુખી થાઉ છું. મંત્રીઓએ આ વિષે વિચાર કર્યો. પછી નવીન યૌવનવાળી, ઉત્તમ અને વિચક્ષણ એવી લક્ષમી નામની સ્ત્રીને રાજાના અલંકારો પહેરાવીને અને બધું સમજવીને નગરની બહાર ઉદ્યાનમાં રાખી. પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે, દેવીને લઈ આવવા માટે સ્વર્ગમાં માણસને મોકલ્યો છે. બીજા દિવસે સવારે તે પુરુષે રાજાને કહ્યું : હે દેવ ! હું આપને વધામણી આપું છું કે ભાગ્યથી દેવી ઉદ્યાનમાં આવી ગયા છે. ( હર્ષ માં આવીને) રાજાએ સર્વ અંગોમાં પહેરેલાં પોતાનાં આભૂષણે વગેરે તેને આપ્યું. પછી રાજા ઘણી સામગ્રીથી (=ઘણા આડંબરથી) ઉદ્યાનમાં આવ્યો. આદરથી દેવીને જોઈને રાજા હર્ષ પામ્યું. રાજાએ ઉત્તમ મંત્રીઓને કહ્યું : મહાવીએ પોતાની રૂ૫સંપત્તિથી પોતાના સ્વર્ગવાસની ખાતરી કરાવી છે. તે પૂર્વે શ્યામ હતી, કાન નાના હતા, હઠ લાંબા હતા, નાસિકા વાંકી હતી. હમણાં તે ઉત્તમ અંગે અને ઉપાંગાથી દેદીપ્યમાન બની છે. આમાં સંશય શો છે? કારણ કે સ્વર્ગનું ભજન અમૃતરસ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
શીલપદેશમાલા ગ્રંથને મંત્રીઓએ કહ્યુંઃ દેના સર્વ ભાવો શ્રેષ્ઠ હોય છે. વળી– આપના આગ્રહથી તુષ્ટ થયેલા ઇ આ દેવીને સર્વ અંગમાં સુંદર બનાવીને આપની પાસે મોકલી છે. આનંદથી અત્યંત પૂર્ણ બનેલા રાજાએ દેવીને પોતાના હાથીના સ્કંધ ઉપર બેસાડીને જલદી પિતાના અંતપુરમાં લઈ ગયે. અતિશય વધતા રાગથી તેની સાથે રાત-દિવસ ભોગસુખને અનુભવતે રાજા તેને સ્વર્ગની વાતે પૂછતો હતો અને સારી રીતે સમજાવાયેલી તે પણ સ્વર્ગની વાત કહેતી હતી. આ પ્રમાણે માનરૂપ ધનવાળા જે મહાન મનુષ્ય પૃથ્વીને તૃણસમાન ગણે છે તે પણ પ્રબળ કામવાસનાના કારણે બીજાને આધીન નહિ બનનારી સ્ત્રીની સેંકડે ખુશામત કરે છે. આ પ્રમાણે સ્નેહના કારણે કદાગ્રહમાં વિજયપાલ રાજાનું દષ્ટાંત પૂર્ણ થયું. [૧૮] પંડિતે પણ સ્ત્રીને આધીન બની જાય છે એમ કહે છે -
जे सयलसत्थजलनिहि-मंदरसेला सुएण गारविया ।
बालालल्लुरवयणेहिं, तेवि जायंति हयहियया ॥ १९॥ ગાથાર્થ – જેઓ સર્વશારૂપી સમુદ્રમાં સુમેરુ પર્વત જેવા છે, અને શ્રુતથી ગર્વિષ્ઠ બનેલા છે તેવા વિદ્વાને પણ સ્ત્રીઓના વિલાસવાળા વચનેથી સારા આશયથી રહિત બની જાય છે.
ટીકાથ-જેમ સુમેરુ પર્વત સમુદ્રને અવગાહીને (=સમુદ્રની અંદર પ્રવેશીને) રહ્યો છે, તેમ જેમણે સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને એથી સર્વ શાસ્ત્રોમાં પ્રવેશ કરીને રહેલા હોવાથી સર્વ શાસ્ત્રોરૂપી સમુદ્રમાં સુમેરુપર્વત સમાન છે. તથા બીજાઓમાં ન હોય તેવું કૃતરહસ્યનું જ્ઞાન પોતાનામાં હોવાથી ગર્વિષ્ઠ બની ગયા છે, તેવા વિદ્વાને પણ સ્ત્રીઓના વિલાસ ભરેલા વચનથી સારા આશયથી રહિત બની જાય છે, અર્થાત્ ત્યાંજ રાગરૂપી સાગરમાં ડૂબી જાય છે. કહ્યું છે કે-“ વિદ્વાનને પણ આ નિર્મલ વિવેકરૂપી દીપક ત્યાં સુધી જ પ્રજવલિત રહે છે કે
જ્યાં સુધી મૃગ જેવા ચક્ષુવાળી સ્ત્રીથી ચપળ આંખેરૂપી વસ્ત્રના છેડાએથી તાડન કરાતો નથી. ” [૧૯]. ફરી પણ લૌકિક દેવાની જ ચીથી થયેલી વિડંબનાને કહે છે -
हरिहरचउराणणचंद-सूरखंदाइणोवि जे देवा ।
नारीण किंकरतं, करंति धिद्धी विसयतण्हा ॥२०॥ ગાથાથ-કૃષ્ણ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને ગણપતિ વગેરે જે દેવ છે તેઓ પણ જીઓનું દાસપણું કરે છે સ્વીકારે છે. આથી વિષયતૃષ્ણાને (=ઈહિયેની વિષયામાં લોલુપતાને) ધિક્કાર છે:
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૧
ગુજરાતી ભાવાનુવાદ
ટીકાર્ય લૌકિકમતમાં “આ દેવને છીઓએ નવા નવા પ્રકારથી નચાવ્યા છે. તેમાં કૃષ્ણની તે પરતંત્રતા રુકિમણીની સાથે લગ્ન કરવાના પ્રસંગે સ્પષ્ટ કરી જ છે. આથી અહીં ફરી કહેતા નથી. ગોપીઓની સાથે ક્રીડા કરવાની આસક્તિથી તે તે વિડંબનાના પ્રકારે લેકમાં પ્રસિદ્ધ હેવાથી અનેક રીતે જાણવા. જેમકે-“ કૃષ્ણને એકીટસે જોતી અને દહીંની ખાલી ગોળીમાં રવૈયાને નાખતી રાધા જગતનું રક્ષણ કરે. જેના ચપલ ચક્ષુરૂપી ભ્રમર રાધાના સ્તનરૂપ પુષ્પગુચ્છ ઉપર ફરે છે, તે કૃષ્ણ પણ દોહવાની બુદ્ધિથી બળદને બાંધ્યો.”
(મહાદેવની વિગત:-) મહાદેવ પાર્વતીના વિરહને સહન નહિ કરી શકવાના કારણે અર્ધનારી મહાદેવનું (=અર્ધા અંગમાં નારીનું અને અર્ધા અંગમાં મહાદેવનું) સ્વરૂપ ધારણ કરનારા બન્યા. આથી તેમનું સ્ત્રીદાસપણું સ્પષ્ટ જ છે. કહ્યું છે કે“આ માતા છે? ના, આ માતા નથી. કારણ કે એના મુખની આગળ પીળા દાઢીના વાળ હેતા નથી. (આ મૂર્તિમાં તે મુખની આગળ પીળા દાઢીના વાળ છે.) તે શું આ પિતા છે? ના, આ પિતા નથી જકારણ કે પિતાનું સ્તનથી ભારે બનેલું હૃદય ક્યારેય જોયું નથી. તે પછી આ કઈ સ્ત્રી છે? અથવા આ કયો પુરુષ છે? આ શું છે અને કેવી રીતે છે? આ પ્રમાણે ભય પામીને ગણપતિ (=મહાદેવ અને પાર્વતીને પુત્ર) દૂર ગયો એટલે પાર્વતીની સાથે હાસ્યપૂર્વક એકાંતમાં કીડા કરનારા મહાદેવ રક્ષણ કરે.” મહાદેવનું આવું ચરિત્ર કેટલું કહેવાય ?
બ્રહ્માનો વૃત્તાંત આ પ્રમાણે છે -બ્રહ્મા પૂર્વે ક્યારેક જંગલમાં ગયા. ત્યાં સાડા ત્રણ કરોડ વર્ષ સુધી દુસહ તપ કર્યો. તે જાણુને ઈંદ્ર પોતાના ચિત્તમાં ક્ષોભ પામે. જે આ ક્રોધ કરે તે મને પણ (સ્વસ્થાનથી) ભ્રષ્ટ કરે. આ ચિંતાને કારણે ઇદ્ર મેરુ પર્વત ઉપર કીડા કરતું નથી, નંદનવનમાં પણ આનંદ પામતે નથી, નાટકની પ્રશંસા કરતા નથી, પ્રિયાઓને પણ ખુશ કરતા નથી. આ પ્રમાણે ઈંદ્રને શૂન્ય ચિત્તવાળ જોઈને રંભા વગેરે દેવાંગનાઓએ અંજલિ જોડીને કહ્યું : હે દેવરાજ ! બધી સંપત્તિ સ્વાધીન હોવા છતાં શું આપને પણ કંઈક દુઃસાધ્ય છે? જેથી આપ ખિન્ન દેખાઓ છે. ઈન્ડે કહ્યુંઃ સ્વભાવથી ચંચળ અભિપ્રાયવાળી સ્ત્રી જે કે મંત્રણાને યોગ્ય નથી, તે પણ હિતકારીને દુઃખ જણાવીને સુખ મેળવી શકાય છે. કહ્યું છે કે-“ભેદ ભાવથી રહિત ચિત્તવાળા મિત્રને, ગુણવાન નેકરને, પ્રિય સ્ત્રીઓને અને નેહયુક્ત સ્વામીને દુઃખ કહીને જીવ સુખી થાય છે. શૈદકના સટ્ટા બ્રહ્મા પણ સ્વયં તીવ્ર તપ કરે છે, તેથી મારું મન કંપે છે=અસ્થિર રહે છે. રંભા વગેરેએ કહ્યું: હે સ્વામી ! આ કામ કેટલું છે? અર્થાત્ આ કામ સાવ ડું છે, અમે ક્ષણવારમાં તેમને ક્ષોભ પમાડીએ છીએ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતી દેવાંગનાઓને ઈન્ડે પૃથ્વી ઉપર મોકલી. દેવાંગનાઓએ પૃથ્વી ઉપર આવીને બ્રહ્માની આગળ રહીને ગ્રામ
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
શીલપદેશમાલા ગ્રંથને રાગથી અદ્વિતીય મનહર સંગીત કર્યું. બ્રહ્માની બધી ઇંદ્રિય દેવાંગનાઓના ગીત, નૃત્ય અને વાજિંત્રોથી વ્યાક્ષિત બની ગઈ, ક્ષણવારમાં કાયા હરણની જેમ ચેષ્ટારહિત બની ગઈ. હવે દેવાંગનાઓએ કહ્યું: તપને છેડીને ઈચ્છિત વરદાન માગો. દેવાંગના. ઓમાં રંભા નામની દેવાંગનાએ સારા આડંબરવાળી વાણીથી બ્રહ્માને કહ્યુંઃ આ અમે છીએ, આ બકરો છે, આ દારૂ છે. હે પ્રભુ! જે અમારા ઉપર આપની કૃપા હોય તે આ ત્રણમાંથી કોઈ એકને સ્વીકાર કરો. બ્રહ્માએ વિચાર્યું કે દેવીઓને ભેગવવામાં આવે તે તપને નાશ થાય. બકરાને જીવઘાત કરે તપસ્વીઓને ઉચિત નથી. પાણી જે દારૂ તે શિષ્ટ પુરુષોમાં અશુભ ગણાતો નથી. આથી દારૂ પીવાનું સ્વીકારીને બ્રહ્માએ નિઃશંકપણે દારૂ પીધે. પછી દારૂના ઉન્માદવાળા અને ભૂખથી ઘેરાયેલા બ્રહ્માએ બકરાને હણીને ખાધે. પછી દેવીઓને ભેગવવાની ઈચ્છા કરી. આ પ્રમાણે દેવીઓએ બ્રહ્માની પરીક્ષા કરી. હવે દેવીઓએ વિચાર્યું કે, નવા તપથી તે અમોએ એને ભ્રષ્ટ કરી દીધે છે, અર્થાત્ ન તપ કરવાનું તે બંધ કરાવી દીધું છે, પણ પૂર્વે કરેલા તપને તે કેવી રીતે વેચે ? અર્થાત્ પૂર્વે કરેલા તપને વેચી દે તેવું હવે કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે જ વખતે નૃત્ય કરતી કરતી દક્ષિણ દિશામાં ગઈ તેથી બ્રહ્માએ એક કોડ વર્ષના તપથી (=એક કોડ વર્ષના તપના પુણ્યથી) દક્ષિણ દિશા તરફ એક (=બીજું) મોટું કર્યું. એ પ્રમાણે (દેવી અન્ય દિશામાં ગઈ એટલે) દેવીઓના દર્શન માટે ઉત્સુક બ્રહ્માએ બીજા એક કોડવર્ષ તપથી ત્રીજું મોટું કર્યું. (ત્રીજા એક કોડ વર્ષના તપથી) ઉત્તર દિશામાં શું મેટું કર્યું. તેના અનુરાગની પરીક્ષા કરવા માટે દેવીઓ નૃત્ય કરતી કરતી આકાશમાં ગઈ. આથી બ્રહ્માએ અર્ધા કોડવર્ષના તપથી કઠોર મુખવાળું મસ્તક ઉત્પન્ન કર્યું. પછી દેવીઓ નમસ્કાર કરીને અને ઉપહાસ કરીને સ્વર્ગમાં જતી રહી. આ પ્રમાણે બ્રહ્મા ચાર મુખવાળો થયો અને સ્ત્રીના દાસપણાને પામ્યા.
(ચંદ્રની વિગત:-) ચંદ્રને જ્યારે તિષકમાં ઇંદ્ર પદવી આપવાની હતી ત્યારે ચંદ્રને નમસ્કાર કરવા સુરો અને અસુરે પરિવાર સહિત ચંદ્રની પાસે આવ્યા. આ વખતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પત્નીના રૂપમાં ચંદ્રનું ચિત્ત આકર્ષાયું. આથી બૃહસ્પતિની પત્નીને ભેળવીને બુધને ઉત્પન્ન કર્યો. (સૂર્યની વિગતઃ-) સૂર્યના તેજને સહન નહિ કરી શકતી અને પશ્ચિમદિશામાં ઘેડીનું રૂપ ધારણ કરનારી રન્નાદેવી નામની સ્ત્રીને હંમેશા ભેગવવાની ઈચ્છાવાળા સૂર્ય વિશ્વકર્માની (=દેવોના સુથારની) પાસે પોતાનું શરીર છોલાવ્યું. (ગણપતિની વિગત:-) જો કે ગણપતિ લેકમાં
૧. પૃથ્વી ઉપર ફરતા સૂયે કોઈ રત્નાદેવી નામની રૂપવતી સ્ત્રીને જોઈ. તેથી મેહ પામેલા સૂર્ય રત્નાદેવીની પાસે ભેગની પ્રાર્થના કરી. રત્નાદેવીએ કહ્યું; હે સ્વામી ! આપનું તેજ મારાથી સહન થઈ શકતું નથી. માટે ઓછું કરો. આથી સૂયે બ્રહ્મા પાસે જઈને કહ્યુંઃ મહારાજ મારું તેજ ઓછું કરો. આથી બ્રહ્માએ સંધાડો મંગાવી તેના ઉપર સૂયને ચડાવી તેનું શરીર ઘસવા માંડવું. પછી સૂર્યે રતનદેવીને ભોગવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩ બ્રહ્મચારી તરીકે માન્ય છે, તે પણ જે તે દેવ છે તે અવિરત હેવાથી દુશીલતાનું ભાજન જ છે. ગાથામાં રહેલા આદિ શબ્દથી અહલ્યાના જાર તરીકે પ્રસિદ્ધ ઇંદ્ર વગેરે જાણવા. કહ્યું છે કે-“શું કમલ જેવા નેત્રવાળી દેવીએ નથી? જેથી છે તાપસી અહલ્યાને ભેગવી. હૃદયરૂપી ઘાસની ઝુપડીમાં જ્યારે કામરૂપી અગ્નિ પ્રદીપ્ત બને છે ત્યારે કો પંડિત પણ ઉચિતને અનુચિતને જાણે છે?” [૨૦] આવા પ્રકારના જ દેવને પૂજનારાઓને ઉપહાસ કરે છે__ पूइज्जति सिवत्थं, कहिंवि जइ कामगदहा देवा ।
गत्तासूयरपमुहा, किं न हु पूयंति ते मूढा ॥२१॥ ગાથાથ-મિથ્યાત્વરૂપી મદિરાથી જેમનું ચૈતન્ય (=જ્ઞાન) હણાઈ ગયું છે એવા કઈ જીવો જે મેક્ષ માટે પૂર્વોક્ત સ્વરૂપવાળા કૃણ, મહાદેવ, બ્રહ્મા વગેરે કામગર્દભ દેને પૂજે છે તે તે મૂઢ જીવો ખાડાઓમાં ફરતા ભૂંડ વગેરે પશુઓને કેમ પૂજતા નથી?
ટીકાથ-જેઓ કામના કારણે ગધેડાની જેમ યોગ્ય વિચાર કરવામાં મૂઢ બની ગયા છે તે કામગર્દભ છે. જેમકે– બ્રાએ પોતાની પુત્રીની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા કરી, અથવા જેઓ કામને વિષે આસક્ત હોવાના કારણે સ્ત્રીઓ વડે ગધેડાની જેમ ભાર વહન કરાય છે તે કામગર્દભ છે. કહ્યું છે કે- “જેના વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્ત્રીઓના ઘરનું કામ કરનારા દાસ કરાયા છે, વાણીને
અવિષય એવા ચરિત્રથી પવિત્ર થયેલા તે કામદેવ ભગવાનને નમસ્કાર થાઓ.” (૧) આવા દેવને પણ જે વિવેકહીન છો તત્તપણે (સાચા દેવ માનીને) પૂજે છે તે અજ્ઞાન જીવો ખાડામાં ફરતા ભુંડ વગેરેને કેમ પૂજતા નથી? નગરના ભુડે પણ સદા કામાતુર હોય છે. તેથી તેઓ પણ તેમના પૂજ્ય કેમ ન બને ? કારણ કે તે દેવોના અને ભુંડના આચારમાં કઈ ભેદ નથી. [૨૧]
હવે કામાતુર બ્રાહ્મણને ગુરુ તરીકે સ્વીકારનારા મિથ્યાત્વીઓને ઉપહાસ કરતા
ગ્રંથકાર કહે છે –
विसयासत्तोवि नरो, नारी वा जइ भइज गुरुभावं ।
ता पारदारिएहिं, वेसाहिं वा किमवराद्धं ॥ २२॥ ૧. ઈન ગૌતમ ઋષિની રૂપવતી સ્ત્રી અહલ્યાને જોઈને કામાતુર થયે. પછી એકવાર ગૌતમઋષિ સ્નાન માટે નદીએ ગયો ત્યારે ઈદ્ર અહલ્યા સાથે વિષયસુખ ભોગવ્યું. એટલામાં ગૌતમઋષિ આવી ગયા. ઈન્દ્ર બિલાડાનું રૂપ કરી બહાર નીકળ્યો. ગૌતમે તેને ઓળખીને શાપ દીધે કે-“તારે હજાર ભગ (નિ) થાઓ.” પછી દેએ ઋષિને ઘણું પ્રાર્થનાથી મનાવ્યા અને સહઅને નામ કરાવ્યું.
Page #43
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને ગાથાર્થ-જે વિષયાસક્ત પણ પુરુષ કે સ્ત્રીને ગુરુ તરીકે આદર કરાય છે તે પરસ્ત્રીગામીઓએ અને વેશ્યાઓએ શે અપરાધ કર્યો છે?
ટીકાથ– જે વિષયમાં આસક્ત પણ વ્યાસ, વિશ્વામિત્ર અને વસિષ્ઠ બ્રાહ્મણ વગેરે પુરુષને અથવા વિષયમાં આસક્ત બનેલી પણ પાર્વતી અને અરુંધતી વગેરે સ્ત્રીને ગુરુ તરીકે આદર કરાય છે તો પરીગામી પુરુષોએ અને વેશ્યાઓએ શે અપરાધ કર્યો છે? (જેથી તેમને ગુરુ તરીકે ન માનવા.) કારણ કે ગુણની દષ્ટિએ એ બધામાં કઈ ભેદ નથી. આ પ્રમાણે મિથ્યાત્વીઓનો આ ઉપહાસ છે. કહ્યું છે કે–“ જે સરાગી દેવ હેય, અબ્રહ્મચારી પણ ગુરુ હોય અને દયાહીન પણ ધમ હોય, તો તો ખેદની વાત છે કે આ જગત વિનાશ પામ્યું છે. ” (લે. શા. પ્ર. ૨. ગા. ૧૪) આ પ્રમાણે લોકિક દેવાનું અને ગુરુઓનું શીલ રહિતપણું જાણવું. તેમનું શીલરહિતપણું (તેમના) શાસ્ત્રોમાં કહેલી યુક્તિઓથી જ અમે જણાવ્યું છે. સ્વમતમાં (જૈનમતમાં) પણ બધા જ દેવો અને તાપસ અવિરત હેવાથી જ દુશીલતાનું ભાજન છે. આથી આમાં આગમન વિરેાધ નથી. [૨] હવે ચેથા વ્રતનો ભંગ થતાં બાકીના ચાર વ્રતોને પણ ભંગ થાય એમ કહે છે?
मेहुणसनारूढो, नवलक्ख हणेइ सुहुमजीवाणं ।
રય ગાથમવયાગો, હિંસા જીવામિદ રરૂ ગાથાર્થ – અબ્રહ્મનું સેવન કરનાર પુરુષ ઉત્કૃષ્ટથી નવ લાખ સૂકમજીને હણે છે, આવા આગમના વચનથી શીલનાં ભંગમાં પહેલી જીવહિંસા થાય છે, અર્થાત્ શીલભંગ કરનારે પહેલાં જ પ્રાણાતિપાત વિરમણવ્રતની વિરાધના કરી.
ટીકાથ- સૂક્ષમ એટલે કેવલજ્ઞાનીથી જ જાણી શકાય તેવા સૂક્ષમજી. અબ્રહ્મનું સેવન કરનાર પુરુષ ઉત્કૃષ્ટથી નવલાખ સૂરમજીવોને હણે છે. આગમમાં કહ્યું છે કે“સ્ત્રીની યોનિમાં એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટથી લક્ષપૃથકત્વ(=બે લાખથી નવલાખ) બેઈદ્રિય જીવે ઉત્પન્ન થાય છે. ૧. પુરુષની સાથે સ્ત્રીને સંગ થતાં તે જીવો નાશ પામે છે. જેમ વાંસની નળીમાં તપેલા લોઢાનો સળિયો નાખવામાં આવે તો વાંસનો નાશ થાય છે, તેમ પુરુષની સાથે સ્ત્રીને સંયોગ થતાં સ્ત્રીની યોનિમાં ઉત્પન્ન થયેલા બેઈદ્રિય જીને વિનાશ થાય છે. ૨. એક મનુષ્ય ભોગવેલી નારીના ગર્ભમાં ગર્ભાજપ ચેંદ્રિય મનુષ્પો એક વખતે ઉત્કૃષ્ટથી નવલખ ઉત્પન્ન થાય છે. તે નવલાખમાંથી એક અથવા બેને સંતાનપણે જન્મ થાય છે, બાકીના બધા ત્યાં જ એમને એમ વિનાશ પામે છે. ૩. વળી (ભગવતીસૂત્ર શ. ૨ ઉ. ૫ માં) કહ્યું છે કે-હેભગવંત! મૈથુન સેવનાર પ્રાણુ કે અસંયમ કરે છે? હે ગૌતમ! જેમ
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
ગુજરાતી ભાવાનુવાદ
કોઈ પુરુષ પૂરથી (=વનસ્પતિ વિશેષથી) ભરેલી નળીના અથવા રૂથી ભરેલી નળીના તપેલા ( લેાઢાના) સળિયાથી નાશ કરે, તેવી રીતે મથુન સેવનાર જીવ' અસંખ્યાતા જીવાના નાશ થાય તેવા અસયમ કરે છે.૧ ૪.
આવા આગમવચનથી શીલના ભંગમાં પહેલી જીવહિંસા થાય છે, અર્થાત્ શીલભંગ કરનારે આ રીતે પહેલાં જ પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના કરી. [૨૩] ખીજા–ત્રીજા વ્રતના ભંગ કેવી રીતે થાય છે તે જણાવે છેઃ
नो कामीण सचं, पसिद्धमेयं जणस्स सयलस्स । तित्थयरसामिपमुद्दा - दत्तंपि हु तत्थ खलु हुज्ज ||२४||
ગાથાથ :– કામીઓને સત્ય હાતું નથી એ સકલ લેાકમાં પ્રસિદ્ધ છે. શીલભંગમાં તીથ કર અદત્ત અને સ્વામી–અદત્ત વગેરે અદત્ત પણ થાય.
ટીકા :- કામીજીવામાં = વિષયલાલસાથી અસ્વસ્થ બનેલા જીવામાં કામી જીવામાં સત્યવાદીપણું સંભવતું નથી એ બીના સકલ લેાકમાં પ્રસિદ્ધ છે. કહ્યુ છે કે—વણિક, વેશ્યા, ચાર, જુગારી, પરદારાગામી, દ્વારપાલ અને કપટી આ સાત પુરુષા અસત્યના મદિર હૈાય છે. ’
અહીં કાઈને પ્રશ્ન થાય કે–પિતા વગેરેની અનુજ્ઞાથી પરણેલી પેાતાની પત્નીઓની સાથે જ મૈથુન સેવવાના આગ્રહવાળાને પણ ત્રીજા વ્રતના ભંગ કેવી રીતે થાય ? આ પ્રશ્નના સમાધાન માટે ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે– તીથંકરઅદત્ત, સ્વામી અદત્ત વગેરે અદત્ત ( = ચારી ) પણ થાય. તીથ કરાએ મેાક્ષરૂપ લ મેળવવા માટે સન કરનારાઓને મૈથુનના સર્વથા નિષેધ કરી હાવાથી સ્વસ્રી સાથે મૈથુન સેવનારને પણ તીથંકરઅદ્રુત્ત દોષ લાગે. સ્વામી એટલે રાજા. રાજએ પણ આ કા કરવાની અનુજ્ઞા આપી ન હેાવાથી આમાં સ્વામીઅદત્ત દોષ લાગે. અહીં ગાથામાં આવેલા આદિ (=પ્રમુખ) શબ્દથી જીવઅદત્ત અને ગુરુઅદત્ત જાણવું. (સ્રીની ચેનિમાં રહેલા જીવાએ મને હણ્ણા એવી અનુજ્ઞા આપી ન હેાવાથી જીવઅદત્ત દોષ લાગે. ગુરુએ પણ આ કાર્ય માટે અનુજ્ઞા આપી ન હેાવાથી ગુરુઅક્રત્ત દોષ લાગે.) આગમમાં કહ્યું છે કે–સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઅદત્ત અને ગુરુઅદત્ત એમ ચાર પ્રકારે અદત્તાદાન (=ચારી) છે એમ ગીતાર્થો કહે છે.” આ પ્રમાણે શીલભંગમાં ત્રીજા વ્રતના ભંગ જાણવા. [૨૪]
૧. પુરુષ-સ્ત્રીના મૈથુનથી સ્ત્રીની યોનિમાં અસંખ્ય સમૂ ́િમ પચે દ્રિય મનુષ્યા ઉત્પન્ન થાય છે, તેમનું આયુષ્ય અંતમુ દૂત જેટલું હાય છે. અંત બાદ એ બધા જીવા મૃત્યુ પામે છે. ( સભાષસપ્તતિ ગાથા-૬૩)
Page #45
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથન ચેથા-પાંચમા વ્રતને ભંગ કેવી રીતે થાય તે જણાવે છે -
अब्बंभ पयर्ड चिय, अपरिग्गहियस्स कामिणी नेय ।
इय सीलबज्जियाणं, कत्थ वयं पंचवयमूलं ॥२५॥ ગાથાથ-ટીકા-શીલભંગમાં ચેથા વ્રતને ભંગ તે સ્પષ્ટ જ છે. પરિગ્રહ રહિતને શી હતી જ નથી, તે તેને ઉપભેગ ક્યાંથી હોય? અર્થાત્ પરિગ્રહ વિરમણ વ્રતના ભંગ વિના સ્ત્રી પણ ન રાખી શકાય. આ પ્રમાણે શીલરહિત છને પાંચત્રનું મૂળ એવું શીલવત ક્યાંથી હોય? અર્થાત્ શીલને ભંગ થતાં પાંચે ય વ્રતને ભંગ થાય છે. [૨૫]. વિષયાસક્ત જીવ ગુરુ ન હોઈ શકે એ ઉપદેશ આપે છે –
ता कह विसयपसत्ता, हवंति गुरुणो तहा पुणो तेहिं ।
મા વિનાના ગાળા, મળિય કશો અરે રદ્દા ગાથાથ-ટીકાથ-તેથી વિષયમાં આસક્ત છ ગુરુ કેવી રીતે હોય? કારણકે એક વ્રતના ભંગમાં સર્વત્રને ભંગ થાય છે અને જે શીલવંત હોય તે જ ગુરુ સેવવા લાયક છે. તથા દુરશીલ તે ગુરુઓએ જિનાજ્ઞા ભાંગી છે. કારણકે શારામાં આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૨૬] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે -
न हु किंचि अणुनायं, पडिसिद्धं वावि जिणवरिंदेहिं ।
मुत्तुं मेहुणभावं, न तं विणा रागदोसेहि ॥२७॥ ગાથાથ-તીર્થકરોએ સાવદ્યરૂપ કઈ પણ કાર્યની એકાંતે અનુજ્ઞા આપી નથી, અને એકાંતે નિષેધ પણ કર્યો નથી. પણ મૈથુનને એકાંતે નિષેધ કર્યો છે. કારણકે મૈથુન રાગદ્વેષ વિના થતું નથી.
ટીકાથ-જે નિર્વાહ ન થાય તે સાવવનો પણ સ્વીકાર કર્યો છે, અર્થાત્ સાવવા પણ કાર્ય કરવાની અનુજ્ઞા આપી છે. તાત્પર્ય કે અનુજ્ઞાત અને નિષિદ્ધ એ બંને ય સર્વત્રતમાં ઉત્સર્ગ અને અપવાદથી સંમત પણ છે અને અસંમત પણ છે. સૂરિઓમાં ઉત્તમ પૂજ્યશ્રી જિનવલભસૂરિએ કહ્યું છે કે-“નિર્દોષ આહાર આદિથી જ્યારે સાધુન નિર્વાહ થઈ શકતો હોય તેવા અવસરે પણ દેષિત આહાર આદિનું દાન આપનાર અને લેનાર બંનેને અહિતકારી છે. નિર્દોષ આહાર આદિથી નિર્વાહ ન થતું હોય ત્યારે (માંદગી આદિમાં) દેષિત આહાર આદિનું દાન આપનાર અને લેનાર બંનેને હિતકર છે. આ વિષે રોગીનું દષ્ટાંત છે, જ્વરાદિથી પીડાતા રેગીને ઘેબર વગેરે આપનાર વૈદ્ય જેમ
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૭
ગુજરાતી ભાવાનુવાદ બંનેનું અહિત કરે છે અને ભસ્મક વાતાદિના રોગથી પીડાતા રોગીને ઘેબર વગેરે આપનાર વૈદ્ય બંનેનું હિત કરે છે તેમ અહીં પણ સમજવું.”
આ ઉત્સર્ગો અને અપવાદે ચેથાવ્રતના ભંગને છેડીને જાણવા. કારણ કે મિથુનસેવનમાં ઉત્સર્ગ અને અપવાદ નથી. મૈથુનસેવન રાગ-દ્વેષ વિના થતું નથી. સંસારનું મૂલ આરંભ ( =જીવહિંસા) છે અને રાગ-દ્વેષ આરંભના સ્તંભરૂપ છે. કહ્યું છે કે“જે રાગ-દ્વેષ ન હોય તે કેણુ દુખને પામે ? કાને સુખથી આશ્ચર્ય થાય? કોણ મોક્ષ ન પામે ??(ઉ. મા. ગા. ૧૨૯) [૨૭] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે –
ता सयल इयरकट्ठा-णुट्टाणसमुज्जम परिहरेउ ।
इकं चिय सीलवयं, धरेह साहीणसयलसुहं ॥२८॥ ગાથાર્થ-ટીકાથ-તેથી હે ભવ્યજીવો ! કષ્ટથી કરી શકાય તેવાં તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાને વિષે ઉદ્યમ છેડીને જેનાથી સ્વર્ગ–મોક્ષનાં સુખે સ્વાધીન છે તેવા એક શીલવ્રતને જ ધારણ કરો. [૨૮]. ધીરપુરુષે પણ રીસંસર્ગના કારણે મેક્ષમાર્ગથી ભ્રષ્ટ બને છે એમ જણાવે છે
सावज्जजोगवज्जण-सज्जा निरवज्जउज्जुआवि जए ।
नारीसंगपसंगा, भग्गा धीराण सिवमग्गा ॥२९॥ ગાથાર્થ –સંસારમાં ધીર પુરુષના અબ્રહ્મસેવન વગેરે સાવવાના ત્યાગમાં સુલભ તથા નિરવ એગમાં સરલ એવા પણ મોક્ષમાર્ગો સંબંધના પ્રસંગથી ભાંગી ગયા.
ટીકાથ-નારીને સંગ જ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં અંતરાયભૂત હોવાથી ધીરપુરુષના મોક્ષમાર્ગો ભાંગી ગયા. કહ્યું છે કે-“હે સંસાર ! જો વચ્ચે દુસ્તાર સ્ત્રીઓ ન હોય તે તારે કાઠે દૂર નથી.” [૨૯].
સંસર્ગને જ (=રસંગ જ અનર્થને હેતુ છે એ વિષયને જ) દષ્ટાંતથી દેઢ કરતા ગ્રંથકાર કહે છે –
संवेगगहियदिक्खो, तब्भवसिद्धीवि अद्दयकुमारो ।
वयमुज्झिय चउवीसं, वासे सेविसु गिहवासं ॥३०॥ ગાથાથ-સંવેગથી દીક્ષા લીધી હોવા છતાં અને તે જ ભવમાં મોક્ષે જનારા હોવા છતાં આદ્રકુમારે સંયમને છોડીને ચાવીસ વર્ષ સુધી ગૃહવાસ સેવ્યું.
ટીકાથર=ગાથાને ભાવાર્થ દષ્ટાંતથી જાણ. તે દષ્ટાંત આ પ્રમાણે છે :
૧. હીરોuછમયના એ અવતરણિકાને ભાવાર્થ લખ્યો છે. શબ્દાર્થ આ પ્રમાણે છેધીરપુરુષોનું જ આલંબન લેતા, અર્થાત ધીર પુરુષોને જ વક્તવ્યને વિષય બનાવતા ગ્રંથકાર કહે છે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
શીલાપદેશમાલા ગ્રંથના
આર્દ્ર કુમારનું દૃષ્ટાંત
આ જ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી સુંદરીની વેણીના મણિસમાન અને સૉંપત્તિથી સ્વર્ગના નગરને પણુ હલકા પાડનાર રાજગૃહ નામનું નગર હતું. તે નગરીમાં જાણે राजन् ૨શબ્દના ભ્રમથી વધતા પ્રેમવાળી સઘળી કળાએ જેને સેવે છે તેવા શ્રેણિક રાજા હતા. તેના જૈનધર્મ ના જાણકાર અને ભયરહિત અભય નામના પુત્ર હતા. તેના તિરૂપ તારા રાજમ`ડલમાં અધિક દીપતા હતા. અન્ય દ્વીપમાં (આર્દ્રક નામના અનાર્ય દેશમાં આર્દ્ર ક નામના નગરમાં) રહેલા આદ્રક રાજાની પૂર્વથી ચાલી આવતી પ્રીતિમાં વધારો કરવા માટે શ્રેણિક રાજાએ મંત્રીને ભેટા સાથે આર્દ્રક રાજા પાસે મેાકલ્યા. મંત્રીએ જાણે સ્વામીની પ્રીતિના પુંજ હોય તેવું તે દેશને ઉચિત કામળી વગેરે ભેટછુ. રાજાની આગળ ધર્યું. આક રાજાએ પરમ પ્રેમથી તે ભેટણ લઈને આદરપૂર્વક શ્રેણિકના રાજ્યની કુશળતા પૂછી. મંત્રીએ પણ શ્રી શ્રેણિકના વૃત્તાંતરૂપી વાઈ રહેલા મલયપતના પવનથી આક રાજાની મનેાવૃત્તિરૂપી વેલડીને સારી રીતે નૃત્ય કરાવી, અર્થાત્ શ્રેણિકના સારા સમાચારો જાણીને આંક રાજાને આનંદ પમાડ્યો. પછી આર્દ્ર કરાજાના આક નામના પુત્રે પૂછ્યું: હું મંત્રી ! તમારા સ્વામીના યાગ્ય ફાઈ કુમાર પણ છે? કારણ કે લાંબાકાળની પ્રીતિને ટકાવી રાખવા માટે હું તેની સાથે આદરપૂર્વક કુલને યાગ્ય પ્રીતિ કરવાને ઇચ્છું છું. કહ્યું છે કે-જેમ પિતાનું ઋણ પુત્રમાં આવે, પુત્રનું ઋણુ તેના પુત્રમાં આવે તેમ, દિન પ્રતિદિન વધતી પ્રીતિ ક્રમશઃ જેમના પુત્રામાં અને પ્રપૌત્રામાં આવે છે તેમજ ધન્ય છે.” મંત્રીએ કહ્યું: ધના જાણકાર, બુદ્ધિમાન, કરુણાનિધિ, પાંચસો મંત્રીઓના અધિપતિ, કૃતજ્ઞ, કુશળપુરુષોમાં અગ્રેસર, શ્રી શ્રેણિકરાજાના પુત્ર અને અભય એવા નામથી પ્રસિદ્ધ બનેલા મંત્રીને શું તમે સાંભળ્યા નથી ? આર્દ્ર કરાજાએ શ્રેણિકના પુત્રની સાથે મૈત્રીને ઈચ્છતા પુત્રની “હે પુત્ર! સારું' યું, તું સુપુત્ર છે” એમ પ્રશ'સા કરી. શ્રેણિકપુત્રના ગુણ્ણાને અને નામને સાંભળીને વિસ્મય પામેલા અતિશય આનંદથી પૂણ્ ખનેલા કુમારે પણ મંત્રીને આ પ્રમાણે કહ્યું: મને પૂછ્યા વિના ન જવું. મારા સ ંદેશા સાંભળવા. કારણ કે મારું મન આગ્રહ-પૂર્ણાંક અભયમંત્રી પ્રત્યે આકર્ષાય છે.
૧. મૂળમાં છોળો એવા પ્રયોગ છે. પણ અંની ખરાખર ઘટના કરવા અનુવાદમાં “પૃથ્વીરૂપી સુંદરીની” એમ લખ્યું છે, તથા અહીં વેણીના મણિસમાન” એવા પ્રયાગના સ્થાને મસ્તકના મણિ સમાન” એવા પ્રયાગ વધારે બંધબેસતા ગણાય.
૨. પાન શબ્દના ચદ્ર અને રાજા એમ બે અર્થ થાય છે. એટલે ચંદ્રમા રહેલી કળાઓને એવા ભ્રમ થઈ ગયા કે આ શ્રેણિક રાજા=ચંદ્ર છે. તેથી સઘળા કળાઓ તેને સેવવા લાગી.
૩. તારાના પક્ષમાં પાનમન્તુજ એટલે ચંદ્રમ ડલ અથ થાય.
Page #48
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૯ હવે આદ્રક રાજાએ (શ્રેણિક રાજા માટે મોતી વગેરે ભેટશું આપીને) પોતાના પુરુષોની સાથે મંત્રીને જવાની રજા આપી. આદ્રકુમારે પણ અભયકુમાર મંત્રીને મોતી વગેરે કહ્યું. રાજગૃહનગરમાં આવીને મંત્રીએ શ્રેણિકને આદ્રરાજાએ મેકલેલું ભેટશું આપ્યું અને અભયમંત્રીને સંદેશાની સાથે આદ્રકકુમારે મેકલેલું ભેટશું આપ્યું. અભયકુમારમંત્રીએ વિચાર્યું કે આ કેઈ આસન્નભવ્ય (=નજીકમાં મેક્ષમાં જનાર) જીવ છે, જિનશાસનની અતિશય ઈચ્છાવાળો છે. પૂર્વે ચારિત્રની વિરાધના કરીને અનાર્યોમાં ઉત્પન્ન થયું છે. અભવ્ય કે દૂરભવ્ય જીવ મારી સાથે મૈત્રીને ઈચ્છતું નથી. કારણ કે સમાન ધર્મવાળા જીની પરસ્પર પ્રીતિ થાય છે. તેથી તેને તીર્થંકરની પ્રતિમા અવશ્ય મેકલવી જોઈએ. તે જિનપ્રતિમાને જોઈને જાતિસ્મરણ પામીને સમ્યકત્વ પામશે. આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાન અને ધર્માનુરાગી અભયકુમારે આદિનાથની પ્રતિષ્ઠિત થયેલી સેનાની પ્રતિમાને પૂજાનાં ઉપકરણે સહિત નાની પેટીમાં મૂકી. એ નાની પેટીને મોટી પેટીમાં મૂકી. તે પેટી રાજાના ભેટશુઓની સાથે આકરાજાના પુરુષના હાથમાં આપી. પેટીને ઉઘાડીને આદિનાથની પ્રતિમાને જોઈને હર્ષ થી પૂર્ણ બનેલા આકુમારે પણ ચિત્તમાં વિચાર્યું કે આ આભૂષણ કંઠમાં પહેરાય? મસ્તકે પહેરાય? કે હૃદય ઉપર ધારણ કરાય ? આને પૂર્વે મેં જોયું છે એમ વિચારતે તે જાતિસ્મરણ પામ્યો. તેણે વિચાર્યું. આ ભવથી ત્રીજા ભવે હું મગધ દેશમાં વસંતપુરનગરમાં સામાયિક નામનો કણબી હતા. મારી બંધુમતી નામની પત્ની હતી. હવે એકવાર મેં પત્નીની સાથે ધર્મ સાંભળીને વૈરાગ્યસહિત દીક્ષા લીધી. એકવાર સાદવીઓની મથે રહેલી પત્નીને જોઈને પૂર્વના અનુરાગથી મેં તેની ઈચ્છા કરી. તે જાણીને પત્નીએ આ મુનિ મારા અને પોતાના વતને ભંગ ન કરે એવા આશયથી અનશનને સ્વીકાર કર્યો. અનશનનું પાલન કરીને મૃત્યુ પામીને તે દેવલોકમાં ગઈ. આ સાંભળીને વ્રતભંગના ભયથી મેં પણ અનશન સ્વીકાર્યું. હું મરીને દેવ થયા. ત્યાંથી અનાર્યોમાં ઉત્પન્ન થયે. મારે તે ગુરુ છે અને તે બંધુ છે કે જેણે મને પ્રતિબંધ કર્યો. આ પ્રમાણે વિચારીને તેણે અભયકુમારને જેવાને મનોરથ કર્યો.
તેણે પિતાને કહ્યું હું અભયકુમારને જેવાને ઈરછુ છું. પિતાએ કહ્યુંઃ આપણે સ્વસ્થાનમાં રહીને જ શ્રેણિકની સાથે પ્રીતિ કરીએ છીએ. પિતાએ તેને રોક્યો, પણ તે સ્વયં જવા માટે ઉત્સુક હોં. આથી તે અનુરાગવાળી કુલીની જેમ જવા માટે કે રહેવા માટે સમર્થ ન બને. નહિ જોયેલા પણ અભયકુમારના ગુણેને જોયેલા હોય તેમ દઢ વિચારતે તે ઘરમાં કે વનમાં એમ ક્યાંય સ્વસ્થતાને ન પામ્યો. અન્ય કાર્યોને ત્યાગ કરીને અભયકુમારને જ ગીની જેમ એકાગ્રતાથી ચિત્તમાં ધારણ કરતા તેણે પતિની પ્રાપ્તિ માટે 'પ્રેષિતાની જેમ કષ્ટથી દિવસ પસાર કર્યો. અભયકુમારની વાત કરતે
૧. પ્રેષિતા એટલે જેને પતિ પરદેશ ગયેલ છે તેવી સ્ત્રી. જેમાં પ્રોષિતા પતિના વિરહથી કષ્ટથી દિવસ પસાર કરે તેમ આદ્રકુમારે. અભયકુમારના વિરહથી કષ્ટથી દિવસ પસાર કર્યો.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
શીલેાપદેશમાલા ગ્રંથના
આર્દ્રક અભયકુમાર પાસે જવાના અવસર જોવા લાગ્યા. ઉડીને પેાતાની ઈચ્છા પ્રમાણે જતા પક્ષીઓને તેણે પેાતાનાથી અધિક માન્યા. હવે આર્દ્ર કરાજાએ પાતાના પુત્રને અભયકુમારની પાસે જવાની ઈચ્છાવાળા જાણીને પાંચસો સામાને તેનું રક્ષણ કરવાના આદેશ કર્યો. છાયાની જેમ રાત-દિવસ પેાતાના પડખાને નહિ મૂકતા સામત રાજાએથી આર્દ્ર કુમારે પાતાને કેદી જેવા માન્યા. નગરની બહાર ઘેાડાઓને ચલાવતા તે પેાતાની ઈચ્છા પ્રમાણે દૂર પણ જતા હતા અને સામાને વિશ્વાસ ઉપાવવા સ્વયં પાછે આવી જતા હતા. એકવાર સમુદ્રમાં રત્નાથી ભરેલું વહાણ તૈયાર કરાવ્યું. વહાણના આગળના ભાગમાં જિનપ્રતિમાને મૂકી, સામતા પેાતાને જોતા ન હતા ત્યારે જલદી વહાણુમાં બેસીને તે આ દેશમાં આવ્યા. ત્યાં ધનને સાતક્ષેત્રમાં વાપર્યું, જિનપ્રતિમા અભયકુમારને આપીને પ્રત્યેકબુદ્ધ તે સાધુવેશ પહેરીને જેટલામાં સામાયિક ઉચ્ચરે છે તેટલામાં આકાશમાં દેવીએ કહ્યું: તું વ્રત ન લે. કારણ કે તારે ભાગલવાળાં કર્મો ભાગવવાનાં છે. ભાગલવાળાં કર્મો તીથ કરાને પણ ભાગવવા પડે છે. માટે તે કર્મી ભાગવ્યા વિના તું વ્રત લેવાને ચાગ્યા નથી. તે ધમ થી શું ? કે જેનાથી નરકમાં જવુ પડે, અર્થાત્ જે ધર્મીના સ્વીકાર કર્યા પછી તેના ભંગ કરીને નરકમાં જવું પડે તે ધર્મીના સ્વીકાર ન કરવા જોઇએ. આદ્ર કુમારે દૈવીવાણીના અનાદર કરીને વ્રત સ્વીકાર્યું". અતિ ઉગ્ર ચારિત્રને પાળતા આ કમુનિ એકવાર વસ ંતપુર નગરમાં આવ્યા.
મધુમતીના જીવ વસંતપુર નગરના શ્રેષ્ઠીના ઘરે ધનવતી નામની પત્નીની શ્રીમતી નામની પુત્રી થયેા. એકવાર આક મુનિ નગરની બહાર દેવમંદિરમાં કાઉસ્સગ્ગમાં રહ્યા હતા. આ વખતે સખીઓથી યુક્ત શ્રીમતી ત્યાં રમવા માટે આવી. પછી ત્યાં “હે સખીએ ! પતિને વ” એમ ખાલિકાએ કહ્યું. ખાલિકા મંદિરના ૧એક એક થાંભલાને ભેટીને “આ મારો પતિ આ મારા પતિ” એમ કહીને વરવા લાગી, શ્રીમતીએ પણ કાઉસ્સગમાં ઉભેલા આ મુનિને થાંભલાના ભ્રમથી ભેટીને “આ મારા પતિ” એમ કહ્યું. આ અવસરે સારી પસ ઢગી કરી સારી પસ ંદગી કરી” એમ દૈવી ખાલી. પછી ગારવ કરતી દેવીએ ત્યાં રત્નાની વૃષ્ટિ કરી. ગ િરવથી ભય પામેલી શ્રીમતી મુનિના પગમાં પડી. આ અનુકૂલ ઉપસર્ગ છે એમ જાણીને મુનિએ ખીજા સ્થળે વિહાર કર્યાં. માલિક વિનાનું ધન રાજાને આધીન થાય એવા નિયમ હતા. આથી રાજપુરુષો જેટલામાં તે રત્નાને લે છે તેટલામાં દેવી મેલી કે આ રત્ના મેં શ્રીમતીની આ મુનિ સાથે થયેલી સગાઈમાં આપ્યાં છે. દેવીનું આ વચન સાંભળીને અને ત્યાં સર્પોને જોઈને રાજપુરુષો પલાયન થઈ ગયા.
૧. આ વિગત ટીકામાં નહાવા છતાં વિશેષ સ્પષ્ટતા માટે અન્ગ્રથના આધારે લખી છે..
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૧
ગુજરાતી ભાવાનુવાદ તે ધન શ્રીમતીના પિતા દેવદત્ત કઈ જાતના વિદન વિના લઈ લીધું. બાકીના લોકે કેવળ કૌતુક જતા રહ્યા. શ્રીમતી જુવાન થવા છતાં અને પિતાના કહેવા છતાં કોઈને વરી નહિ. તેણે પિતાને કહ્યું: જેના ગૃહદેવતાએ (=ઘરમાં રાખેલી પ્રતિમાના અધિષ્ઠાતા દેવે) ધન આપ્યું છે તે જ મારે વર છે. તે ધન લઈને આપે પણ એમાં અનુમતિ આપી દીધી છે. આથી આપે મને બીજાને ન આપવી.
લૌકિકે એ પણ કહ્યું છે કે રાજાઓ એકવાર બોલે છે, સાધુઓ એકવાર બોલે છે. કન્યાઓ એકવાર પરણાવાય છે. આ ત્રણ એક એક વાર થાય છે. હે વત્સ! ભ્રમરની જેમ ભમતા તે મુનિને તું કેવી રીતે મેળવી શકીશ? કદાચ મળી જાય તે પણ તું તેને કેવી રીતે ઓળખી શકીશ? કારણ કે સેંકડોથી અધિક સાધુઓ હોય છે. શ્રીમતીએ કહ્યું : હે પિતાજી! ત્યારે તેમના પગમાં પડેલી એવી મેં ચિહ્ન જોયું છે. એથી જે તેમને હું જોઉં તે સહેલાઈથી ઓળખી લઉં. ત્યારથી ત્યાં જે જે સાધુએ આવે તે સર્વને તે ભિક્ષાદાન અને વંદન કરવા લાગી. બારમા વર્ષે આવેલા તે મુનિને શ્રીમતીએ ચિત્ર જોઈને ઓળખી લીધા. શ્રીમતીએ મુનિને કહ્યું: હે સ્વામી! આપ મારા વર છે. કારણ કે તે વખતે મેં આપને પતિ કર્યા છે. તે વખતે આપ થુંકેલાની જેમ મને મૂકીને અને તિરસ્કારીને જતા રહ્યા. પણ હમણાં હે નાથ ! મારી ઉપેક્ષા ન કરો, મને ભેગ. હે સ્વામી ! હવે પણ જે આપ મારી અવજ્ઞા કરશે તે આપને શ્રીહત્યાના પાપથી લેપીને હું અગ્નિમાં બળી મરીશ. રાજા અને લોકેથી પ્રાર્થના કરાયેલા આદ્રક મુનિએ દેવવાણીને વિચારીને શ્રીમતીને પરણ્યા. શું ભાવી અન્યથા થાય છે?
ક્રમે કરીને તેમને ત્રીજા વર્ષે પુત્ર થયે. તે પુત્ર નવ વર્ષના થયા ત્યારે આદ્રકુમારે શ્રીમતીને કહ્યુંઃ તને સહાયક પુત્ર થયેલો છે. આથી હું હવે દીક્ષા લઉં છું. બુદ્ધિમતી શ્રીમતી તે વખતે રેંટિયે લઈને રૂ કાંતવા માંડી. બાળકે કહ્યું: હે મા ! આ તેં શું શરૂ કર્યું છે? શ્રીમતીએ કહ્યું: હે વત્સ ! તારો પિતા તપ કરવા માટે જશે અને તું તે હજી નાખે છે. આથી રેંટિયે જ મારું શરણ છે. આ પ્રમાણે સાંભળીને બાળકે પોપટની જેમ કાલી ભાષામાં કહ્યુંહે મા ! મારા પિતા ક્યાં જવાના છે? એમને હું બાંધીને રાખું છું. પછી રેંટિયાથી કાંતેલા સૂતરથી પિતાના પગને બાંધતા તેણે આ પ્રમાણે કહ્યું : હે મા ! તું ભય ન પામ. ઝુંડ નામનું જલચર પ્રાણી જેમ હાથીને બાંધી લે (=પકડી લે) તેમ મેં પિતાને સૂતરના તાંતણુઓથી બાંધી જ લીધા છે. બાળકની તે ચેષ્ટ જોઈને આદ્રકનું ચિત્ત દયાળુ બન્યું. આથી તેણે કહ્યું : બાળકે મારા પગમાં સૂતરના જેટલા બંધન=આંટા કર્યા છે તેટલાં વર્ષો સુધી હું ગૃહવાસમાં રહીશ, તેથી અધિક નહિ. પછી સૂતરના બંધન ગણ્યા તે બાર થયા. આથી તેણે ઘરમાં રહીને બાર વર્ષો પસાર કર્યા. અવધિ પૂર્ણ થતાં તેણે વિચાર્યું. પૂર્વભવમાં મેં મનથી પણ ચારિત્ર ભાંગ્યું તે અનાર્યપણાને પામ્ય, પણ હમણાં તે સર્વથા ચારિત્ર છોડી દીધું
Page #51
--------------------------------------------------------------------------
________________
૪ર
શીલેાપદેશમાલા ગ્રંથના
હાવાથી મારી કઈ ગતિ થશે? પછી શ્રીમતીની રજા લઈને મુનિવેશ પહેરીને પવનની જેમ ( અપ્રતિબદ્ધપણે ) વિહાર કર્યાં. આ કમુનિએ એકવાર રાજગૃહનગરના માર્ગમાં પેાતાના પાંચસે સામતાને જોઈને ઓળખી લીધા. તે સામંતા ચારી કરીને પેાતાના નિર્વાહ કરતા હતા. આથી મુનિએ તેમને પૂછ્યું: પેટને પૂરવાના બીજા ઉપાચા હાવા છતાં તમેાએ આ શે ધંધા શરૂ કર્યાં છે ? તેમણે પણ મુનિને આ પ્રમાણે કહ્યુંઃ જ્યારથી આપે અમને વનમાં મૂકી દીધા ત્યારથી અમે શરમથી સ્વામીને પેાતાનું સુખ બતાવતા નથી. આપને જ શેાધતા અમે આટલી ભૂમિ સુધી આવ્યા છીએ. જીવનનિર્વાહના બીજો ઉપાય ન મળવાથી ચારીથી જીવીએ છીએ. મુનિએ કહ્યું : હે ભદ્રો! સાંભળેા, તમે ભવ્ય છે, તેથી હું તમને મળ્યા છું. માટે પોતે આચરેલા પાપની આલેાચના કરીને ધર્મને આદરો. મુનિની ધર્મમય દેશના સાંભળીને પુણ્યશાલી તે રાજપુત્રાએ સ'સારરૂપી સમુદ્રથી તારનારી દીક્ષા લીધી.
ઃ
તેમનાથી યુક્ત આદ્રમુનિ મહાવીર ભગવાનને વંદન કરવા રાજગૃહનગર તરફ ગયા. રસ્તામાં મળેલા ગાશાળાએ તેમની સાથે વિવાદ શરૂ કર્યાં. તેણે કહ્યું : અહા ! માત્ર કષ્ટ જ જેનું ફૂલ છે તેવા આ તપ નિરક કરવામાં આવે છે, કારણ કે સુખ અને દુઃખ વગેરે ભાગવવામાં ૧નિયતિ જ પ્રમાણ છે. જીવ સેંકડા ઉપાયાથી જે કાને સાધી શકતા નથી તે કાર્ય નિયતિબળથી સહેલાઈથી થઈ જતું દેખાય છે. આદ્રકમુનિએ કહ્યું : જેમ તેમ ન એલ. નિયતિ અને પુરુષાર્થ એ બંનેથી કા સિદ્ધિ થાય છે. જેમકે-થાળીમાં રહેલું ભાજન કર્મથી પ્રાપ્ત થયું છે. થાળીમાં રહેલું તે ભાજન જ્યાં સુધી હાથ મુખમાં ન મેલે ત્યાં સુધી સુખમાં પેશતુ' નથી. અથવા કાઇક કાર્ય નિયતિથી થાય છે અને કાઇક કાર્ય પુરુષાથ થી થાય છે. આથી કાર્ય નિયતિ અને પુરુષા એ ઉભયસ્વરૂપ જ છે, કયારેય એકસ્વરૂપ નથી જ. કહ્યું છે કે—“ભાગ્યનુ ખળ અચિંત્ય છે’ નિયતિનું ખળ અચિંત્ય છે, અને પુરુષાનું બળ પણ અચિંત્ય છે. ખાદેલા ફૂવા વગેરેમાં કયારેક આકાશમાંથી પાણી પડે છે તેા ચારેક પાતાળમાંથી પણ પણી આવે છે. '' આ પ્રમાણે આ કમુનિએ દુષ્ટાત્મા ગાશાળાને નિરુત્તર કર્યાં. કૌતુકવાળા દેવા, વિદ્યાધરા અને ગધાએ તેમની સ્તુતિ કરી.
હવે મુનિ હસ્તિતાપસેાના આશ્રમમાં આવ્યા. તે આશ્રમમાં જીવદયાના આભાસથી ધર્માંમાં ભ્રાન્તિવાળા તાપસેા રહેતા હતા. અર્થાત્ તે તાપસેા જીવહિંસાને પણ અજ્ઞાનતાથી જીવદયા માનતા હતા. તે આશ્રમ હાથીના માંસથી ભરેલું હતું. [કારણ કે તે તાપસે
૧ નિયતિ એટલે ભવિતવ્યતા. જે કાળે જે થવાનું હેાય તે થાય તેને ભવિતવ્યતા કહેવામાં આવે છે. બધું જ ભવિતવ્યતા પ્રમાણે થાય છે, પ્રયત્ન કરવા નિરર્થીક છે એમ માનનાર નિયતિવાદી કહેવાય. ગૈાશાળા નિયતિવાદી હતા. આથી તેણે પાતાના નિયતિવાદનું સમન કરવા મુનિની સાથે વાદ શરૂ કર્યાં.
Page #52
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
હાથીનું માંસ ખાતા હતા.] ત્યાં તાપસાએ મુનિને કહ્યું: હણાયેલા ઘણા ધાન્યજીવાથી શું? હણેલા એક હાથી શ્રેષ્ઠ છે, જેથી લાંખા કાળ પસાર કરી શકાય. [અર્થાત્ ધાન્યનું ભાજન કરવાના બદલે હાથીના માંસનુ` ભાજન કરવુ' જોઇએ. કારણ કે ધાન્યના ભેાજનમાં ધાન્યના અનેક જીવા મરે છે. હાથીના માંસમાં એક જ હાથી મરે છે. એક હાથી મારીને મેળવેલું માંસ ઘણા વખત સુધી ચાલે છે. આમ હાથીનુ માંસ ખાવામાં હિંસા એછી થાય.] તાપસાએ આ પ્રમાણે કહ્યું એટલે પાંચસે મુનિએથી પરિવરેલા આ કમુનિ જે દિશામાં હાથી લેાઢાની સાંકળેાથી બાંધેલા છે તે દિશા તરફ ગયા. તે હાથીએ ભક્તિથી નમ્ર લાકેથી વંદાતા મુનિને જોઇને કમ લઘુતાથી નમવાની ભાવના કરી. અયસ્કાંત મણિ (=લેાચુ ખક) સમાન મહિષના દર્શીનથી જતેની સાંકળે। તૂટીને પાપની જેમ દૂર પડી ગઈ. (હાથી મુનિ તરફ દોડવો.) હાથીને આવતા જોઈને લોકો પલાયન થઈ ગયા. ગમે તેટલા પવન હોય તો પણ મેરુ સ્થિર રહે તેમ મુનિ ભય પામ્યા વિના સ્થિર રહ્યા. હાથીએ મસ્તક નમાવીને મુનિના ચરણાને સ્પર્શી સ્પર્શીને પ્રણામ કર્યા, અને પરમ સુખને પ્રાપ્ત કર્યું. મુનિના અતિશય પ્રભાવ જોઈને તાપસે ગુસ્સે થયા. પણ આર્દ્ર ક મહર્ષિએ તે બધાને પ્રતિખાધ પમાડ્યો. તેથી સ`વેગ અને નિવેદથી યુક્ત તેમણે વીરજિનને નમીને મેાક્ષની ઈચ્છાથી ચારિત્ર લીધું.
૪૩
ત્યાં અભયકુમાર સહિત શ્રેણિકરાજાએ આર્દ્ર મુનિને વંદન કર્યું.. આ કમુનિએ રાજાને ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. રાજાએ કુશળતા પૂછીને મુનિને કહ્યું: હું મહિષ હાથીના બંધનથી છૂટવાના આશ્ચર્યકારી પ્રસંગ સાંભળવાને ઈચ્છુ છુ. મુનિએ કહ્યુંઃ હે મહારાજ! હાથીનું બંધનથી છૂટવુ એ આશ્ચર્યકારી નથી, પણ સૂતરના તાંતણાઓના બંધનથી છૂટવું એ મને અતિશય દુષ્કર લાગે છે. શ્રેણિકે પૂછ્યું: તે કેવી રીતે? આથી મુનિએ રેટિયાના અને સૂતરના તાંતણાના પ્રસંગ વિસ્તારથી કહ્યો. તથા ધ પ્રાપ્તિમાં ઉપકારી હાવાથી અભયકુમારની પ્રશ ંસા કરી. નિષ્ઠાણુવત્સલ એવા તેં મને પ્રતિબંધ પમાડ્યો એમ કહીને સઘળા વૃત્તાંત અભયકુમારને જણાવીને ધમ લાભરૂપ આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે આ મુનિનું આશ્ચયકારી ચરિત્ર સાંભળીને શ્રેણિક અને અભયકુમાર સહિત સ લેાકેા હર્ષ પામ્યા. પછી બધા પોતાના ઘરે ગયા. આ કમુનિએ રાજગૃહનગરમાં જિનેન્દ્ર શ્રી વીરસ્વામીને વંદન કર્યુ. પછી પોતાના મનુષ્યભવને સફળ કરીને અને સર્વ કર્મીના નાશ કરીને આકમુનિ મેક્ષ પામ્યા. વિશુદ્ધ સવેગથી દીક્ષા લીધી હાવા છતાં અને તે જ ભવમાં મેાક્ષમાં જનારા હેાવા છતાં આકમુનિ ચાવીશ વર્ષો સુધી ગૃહવાસમાં રહ્યા. ખરેખર ! વિષયા ભય‘કર છે ! [૩૦]
સામાન્ય માનવની વાત દૂર રહી, તીથ કરના હસ્તે દીક્ષિત બનેલાને પણ સ્રી– સ'ગથી દાષ થાય એમ જણાવે છેઃ
Page #53
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને
पइदिवसं दहदह-बोहगोवि सिरिवीरनाहसीसोवि ।
सेणियसुओवि सत्तो, वेसाए नंदिसेणमुणी ॥३१॥ ગાથાથ-દરરોજ દશ દશ પુરુષોને પ્રતિબોધ પમાડનારા (=પ્રતિબોધીને ચારિત્ર લેવા માટે મોકલનારા) હેવા છતાં, શ્રીવીરના હસ્તે દીક્ષિત બનેલા હોવાં છતાં અને શ્રી શ્રેણિક રાજાના પુત્ર હોવા છતાં શ્રી નંદણમુનિ વેશ્યામાં આસક્ત બન્યા=બાર વર્ષ સુધી વેશ્યાના ઘરે રહ્યા. ટીકાથ-ગાથાને ભાવાર્થ દષ્ટાંતથી જણાવો. તે આ પ્રમાણે –
નંદિષેણમુનિનું દૃષ્ટાંત કઈક દેશમાં કઈક બ્રાહ્મણે યજ્ઞ કરવાનું શરૂ કર્યું. તેમાં એક કરને યજ્ઞભૂમિનું રક્ષણ કરવાનું કહ્યું. જિનધર્મને જાણકાર તે નેકરે એકવાર તે બ્રાહ્મણને કહ્યું. યજ્ઞમાં અન્ન વગેરે જે કંઈ વધે તેને હું પણ મને ઠીક લાગશે તે પ્રમાણે ઉપયોગ કરીશ. બ્રાહ્મણે તે પ્રમાણે સ્વીકાર્યું એટલે તે યજ્ઞભૂમિનું રક્ષણ કરવા લાગ્યો. યજ્ઞક્રિયા માટે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. મધુપર્ક વગેરેને તથા સેંકડે ઘડા પ્રમાણ ઘીને હોમ કર્યો. દરરોજ ભાત, મોદક આદિથી અતિથિઓને જમાડવામાં આવે છે. સદાચારી તે નેકર દરરેજ વધેલું પ્રાસુક અન્ન અને ચેખાનું અતિશય શુદ્ધ પાણી મુનિઓને ભક્તિથી વહોરાવતો હતો. તે અવસર પ્રમાણે વસ્ત્ર વગેરે પણ મેળવીને મુનિઓને વહેરાવતે હતું અને વહોરાવ્યા પછી વંદન વગેરેથી આત્માને પવિત્ર કરતે હતે. તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે ત્યાં તેણે ઘણા કાળ સુધી ભેગેને ભગવ્યા. ભાવપૂર્વક કરેલી થેડી પણ ક્રિયા ફલવાળી થાય છે. ત્યાંથી તે શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયે, અને નંદિષણ એવા નામથી પ્રસિદ્ધ થયે. કેમે કરીને તે યૌવનની શેભાને પામ્યા. પિતાએ તેને અનુપમ લાવણ્ય, રૂપ, સૌભાગ્ય અને શરીરની શોભાવાળી પાંચસો રાજકન્યાઓ પરણાવી. - આ તરફ સલ્લકીવનમાં રહેલ હાથણુઓના ટેળાને અધિપતિ એક હાથી જેમ અધિપતિદેવ દેવીઓની સાથે કીડા કરે તેમ હાથણીઓની સાથે સ્વેચ્છા મુજબ કીડા કરતે હતે. કેઈ હાથી મને મારીને આ હાથણીઓના ટેળાને નાયક ન થાઓ એમ વિચારીને ઉત્પન્ન થયેલા હાથીરૂપ બચ્ચાને મારી નાખતા હતા. યજ્ઞ કરનાર બ્રાહ્મણનો જીવ તે ટેળામાં હાથણીના ઉદરમાં અવતર્યો. હાથણીએ આ ગર્ભનું હું કઈ પણ પ્રકારે રક્ષણ કરીશ એમ વિચાર્યું. પછી તે કપટથી પગે લંગડી બનીને ધીમે ચાલતી હતી. આથી તે પાછળ રહી જતી હતી. એક પહોર પછી પ્રેમથી રાહ જોતા નાયક પાસે જઈને ભેગી થઈ જતી હતી. આ પ્રમાણે કપટથી ક્યારેક એક દિવસે તે ક્યારેક બે દિવસે ભેગી
૧. દહીં, ઘી, પાણી, મધ, અને સાકર એ પાંચ દ્રવ્યોના મિશ્રણને મધુપક કહેવામાં આવે છે.
૨. સલકી હાથીઓને પ્રિય એક જાતની વનસ્પતિ છે. સલકીવનમાં એટલે સલકી જેમાં અષ્કિ હોય તેવા વનમાં.
Page #54
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૪૫ થતી તેણે નાયકને વિશ્વાસ પમાડ્યો. સીએથી કણ કણ નથી છેતરાતું? પ્રસૂતિને દિવસ નજીક આવતાં એક દિવસ નાયક દૂર હતું ત્યારે તે તાપસેના આશ્રમ પાસે ગઈ. તેને પોતાના મસ્તકે ઘાસને પૂડે મૂકીને ચરણમાં પડતી જોઈને તાપસેએ જાણ્યું કે આ શરણની માગણી કરે છે. આથી તાપસેએ તેને કહ્યુંઃ હે વત્સ ! તું અહીં ભયરહિત રહે. જન્મ થતાં જ પુત્રને ત્યાં મૂકીને પોતે ટેળામાં જતી રહી. વચ્ચે વચ્ચે ગુપ્ત રીતે બાળકને ધવડાવે છે. તાપસ વડે સ્વાભાવિક પ્રેમથી ઘાસ અને સલ્લકવનસ્પતિના પાંદડાઓથી પોષાતે તે ક્રમશઃ આશ્રમના વૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યું. તે બાળકની જેમ ક્રીડા કરતે હતું અને ઘાસ વગેરે ખાતું હતું. તેણે સ્વયં મસ્તકે કેશજટાની વેણી કરી. તાપસે. આશ્રમના વૃક્ષોને પાણી સીંચે ત્યારે તે પણ પાણી સીંચતું હતું. આથી તે પૃથ્વી પર “સેચનક એવા નામથી પ્રસિદ્ધ થયે. સાત હાથ ઊંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ જાડે, નાની ડેકવાળ, મહુડાના પુષ્પ જેવી પીળી આંખવાળો, સાતે અંગેથી સુંદર, ચાસે ચાલીસ સુલક્ષણવાળો અને ભદ્રજાતિને તે હાથી ક્રમે કરીને મદેન્મત્ત બન્યા. નદીના કિનારે પાણી પીવાને માટે આવેલા પિતાને બળથી મારીને પોતે યૂથપતિ થયે.
પિતાના વૃત્તાંતને જાણીને તેણે હૃદયમાં વિચાર્યું કે, જેવી રીતે મારી માતાએ કપટ કરીને તપોવનમાં મારું રક્ષણ કર્યું અને જે રીતે દૂરકર્મવાળા મેં મારા પિતાનું જેવું કર્યું તેવું બીજે કઈ મારું ન કરે તેમ કરવું જોઈએ. આમ વિચારીને તેણે વાંદરો જેમ પક્ષીના માળાને ભાંગી નાખે તેમ તાપસેના આશ્રમને ભાંગી નાખ્યો. તાપસેએ વનમાં સારાં લક્ષણોવાળે એક હાથી છે અને તેણે અમારા આશ્રમને ભાંગી નાખ્યો છે એમ શ્રેણિકને કહ્યું. રાજા જંગલમાં જઈને તેને બાંધીને નગરમાં લઈ આવ્યું. પૂર્વે ક્યારે ય બંધન જોયું ન હોવાથી તે હાથી સર્ષની જેમ અંતરમાં બન્ય. મોટા સ્થાનમાં મેટા આલાનમાં બંધાયેલે તે ઉદ્યમ વિનાને બની ગયું. તે વખતે તે ગુરૂષવાળા માની પુરુષની જેમ આંખ મીંચીને રહ્યો, અર્થાત્ અંદરથી બળતું હતું, પણ બહારથી શાંત રહ્યો. તાપસે એ આલાનખંભમાં બંધાયેલા તેની પાસે આવીને કહ્યું: તેં અમારા આશ્રમનું રક્ષણ સારું કર્યું? હે દુરાત્મન્ ! અમેએ તારું ઘણું કાળ સુધી લાલનપાલન કર્યું. છતાં તે જે દુષ્ટઆચરણ કર્યું તેનું આ ફલ ભેગવે છે. આમ તાપસોએ તેને તિરસ્કાર કર્યો. હાથીએ વિચાર્યું: ચોકસ એમના કહેવાથી હું આ દશાને પામે . પછી તેણે આલાનસ્તંભને ઉખેડીને બંધનને તોડી નાખ્યું. ધથી લાલ - આંખવાળા તેણે જલદી વનમાં આશ્રમ પાસે જઈને તાપસેની પાંદડાંઓથી બનાવેલી ઝુંપડીઓને તલની જેમ મસળીને કાપુસની જેમ ફેંકી દીધી. તાપસના રક્ષણ માટે અને હાથીને પકડવા માટે અશ્વારૂઢ થયેલા પુત્રની સાથે શ્રીશ્રેણિક રાજા વનમાં
૧. હાથીને બાંધવાના થાંભલાને આલાન કહેવામાં આવે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
४६
શીલપદેશમાલા ગ્રંથને, ગયે. જેમ ક્ષીણ થયેલા મંત્રવાદીઓ દુષ્ટભૂતને મંત્રથી વશ ન કરી શકે તેમ શ્રેણિકપુત્ર તેને વશમાં લાવવા સમર્થ ન થયા. જેમ જાંગુલીનું વચન સાંભળીને સર્પ શાંત થઈ જાય તેમ હાથી નંદિષણનું વચન સાંભળીને પૂર્વભવને યાદ કરીને જાણે ચિત્રમાં આલેખાયેલું હોય તેમ શાંત થઈ ગયે. બાળક જેમ બકરા ઉપર બેશે તેમ નંદિષેણ તે હાથી ઉપર બેસીને સહેલાઈથી તેને આલાનસ્તંભ પાસે લઈ આવ્યો. તેને સુંદરલક્ષણેથી પૂર્ણ જાણે બીજે યુવરાજ હોય તે જાણીને શ્રેણિક રાજાએ પટ્ટહસ્તી કર્યો.
એકવાર અંતઃપુર અને પુત્રના સમૂહથી યુક્ત શ્રેણિક રાજા ગુણશિલ નામના ઉદ્યાનમાં શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા ગયે. ભગવાનની (દાન–શીલ-તપ-ભાવ એ) ચાર પ્રકારની કણ માટે અમૃત સમાન દેશના સાંભળીને અભયકુમાર વગેરેએ ગૃહસ્થધર્મના સારને મેળવ્યું. શ્રેણિકને પૂછીને કોઈ પણ રીતે વ્રતલેવાની ઈચ્છાથી શ્રી વીર પ્રભુની પાસે જતા શ્રેષ્ઠ બુદ્ધિવાળા નંદિષેણને આકાશમાં રહેલી દેવીએ સ્પષ્ટ કહ્યુંઃ હે વત્સ! શું ભેગફલવાળું કર્મ ભગવ્યા વિના ક્ષય પામે ? અર્થાત્ ન પામે. આથી તું સમયની રાહ જો, બેટી ઉતાવળ ન કર. ચારિત્રાવરણીય કર્મને ઘરમાં જ ( રહીને) ખપાવ. સાધુના માર્ગમાં રહેલા મને કર્મ શું કરશે ? એ પ્રમાણે ધીરતાનું આલંબન લઈને નંદિષેણુ શ્રીવીરપ્રભુની પાસે ગયે. પ્રભુએ પણ તેને ચારિત્ર લેવાને નિષેધ કર્યો. પણ તે આગ્રહથી અટક્યો નહિ. હાથીના બે દાંત આગળના ભાગમાં જ હોય છે, પાછળ નહિ. હર્ષથી દીક્ષા લઈને તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અતિશયદુસહ તપથી પોતાના શરીરને કૃશ કરી નાખ્યું. ઉત્પન્ન થતી ભેગેચ્છાને બળાત્કારથી નિરોધ કરવાની ઈચ્છાવાળા તેમણે શ્મશાન વગેરેમાં વિશેષ કરીને ઘેર આતાપના કરવા લાગ્યા. આમ છતાં ઇંદ્રિયરૂપી ચેર વિકારરૂપ અરણ્યની અતિશય સન્મુખ આવવા લાગ્યા. આથી માની એવા તેમણે આપઘાતને વિચાર કર્યો. શસ્ત્રથી શરીરને કાપવા લાગ્યા એટલે દેવીએ શાને બુઠું કરી દીધું. અગ્નિમાં પડવા લાગ્યા એટલે દેવીએ અગ્નિને ઠંડે કરી દીધો. ઝેરને ખાવા લાગ્યા એટલે દેવીએ ઝેરને શક્તિહીન કરી નાખ્યું. લટકીને ગળે ફાંસો ખાવા લાગ્યા ત્યારે દેવીએ બંધનને પાંદડાની જેમ છેદી નાખ્યું. પર્વત ઉપરથી પડવા લાગ્યા ત્યારે દેવીએ પકડીને આદરપૂર્વક કહ્યું? આ સંસારમાં શું કર્મને ભોગવ્યા વિના કઈ ખપાવવા સમર્થ થાય છે? ભોગવવા ગ્ય કર્મ તીર્થંકરને પણ અવશ્ય ભેગવવું જ પડે છે. તેથી તમે નિરર્થક જ પ્રયત્ન કરો છો. મારા વચનને કેમ યાદ કરતા નથી ?
અતિશય તપ કરનારા તે એકવાર છઠુતપના પારણે અજાણથી એકલા વેશ્યાના ઘરમાં પ્રવેશ્યા. ધર્મલાભ એ પ્રમાણે કહીને મુનિ જેટલામાં પાછા ફરી રહ્યા હતા તેટલામાં વેશ્યાએ હસીને આ પ્રમાણે કહ્યું અમારે ધર્મલાભનું કામ નથી, અને તે કેવલ ધનલાભ થાઓ.
૧. જાંગુલી=સર્પના ઝેરને ઉતારવાને મંત્ર જાણનાર.
Page #56
--------------------------------------------------------------------------
________________
४७
ગુજરાતી ભાત્રાનુવાદ આ વેશ્યા પણ મને હસે છે એ પ્રમાણે વિચારીને અતિશય ગર્વને અધીન બનીને નંદિષેણ મુનિએ લબ્ધિથી આકાશમાંથી તણખલાને ખેંચીને ધનની વૃષ્ટિ કરી. હવે વેશ્યા પણ દેડીને ભમરીની જેમ તેમના ચરણમાં પડી. ચરણોમાં પડીને તેણે કહ્યું: હે નાથ ! કલ્પવૃક્ષ સમાન આ૫ આંગણામાં આવીને અનાથ અને આપના પ્રત્યે અનુરાગવાળી મને છોડી દે એ બરાબર નથી. જેમ હાથી પ્રિયવચનથી અનુરાગવાળો બની જાય તેમ મહાત્મા પણ વેશ્યાના પ્રિય વચનથી અનુરાગવાળા બની ગયા અને ભોગોને વિષ (જેવા) જાણતા હોવા છતાં આત્માને પ્રેમથી બાંધે. રાગમાં મૂઢ બનેલા તે દેવીની વાણી અને વીરવચનને યાદ કરીને સાધુવેશ મૂકીને વેશ્યાને ઘરે રહ્યા. દશ કે દશથી અધિક પુરુષોને જે દિવસે પ્રતિબંધ ન પમાડું તે દિવસે મારે દીક્ષા લેવી એવી પ્રતિજ્ઞા તે વખતે નંદિષેણે લીધી. નંદિષેણ ઘણું ભેગોને ભોગવવા લાગ્યા. તથા દરરોજ દશને પ્રતિબંધ પમાડીને શ્રી વીર જિનની પાસે મોકલ્યા પછી ભોજન વગેરે કરતા હતા. હવે ભેગવવા યોગ્ય બળવાન કર્મના બંધનને ક્ષય થતાં એકવાર નવ પુરુષે પ્રતિબંધ પામ્યા, ટક્ક (=ભાટ) જાતિને દશમે પુરુષ પ્રતિબંધ ન પામે. સમયને જાણનારી વેશ્યાએ આ વખતે નંદિષેણને રસેઈ તૈયાર થઈ ગઈ છે એમ કહ્યું. અભિગ્રહ પૂરો ન થવાના કારણે તે ભોજન કરવા ઊભા ન થયા. (મહેનત કરવા છતાં) તે પ્રતિબંધ ન પામ્યું. તૈયાર થયેલું ભજન નીરસ થઈ જતાં વેશ્યાએ વારંવાર તેમને બેલાવ્યા. તે સ્વામી! બીજું (=બીજીવાર) ભજન તૈયાર થઈ ગયું છે. તેથી વિલંબ કેમ કરો છો? નંદિષેણે કહ્યુંઃ આજે (હજી સુધી) દશમો પુરુષ પ્રતિબંધ પામ્યો નથી. વેશ્યાએ સ્મિતપૂર્વક કહ્યું : હે સ્વામી! તમે જ દશમા થઈ જાઓ. નંદિષેણે હા કહી. ભેગફલવાળું કર્મ ક્ષય પામ્યું છે એમ જાણીને નંદિષેણે શ્રી મહાવીર પ્રભુની પાસે જઈને ફરી દીક્ષા લીધી. પોતાના દુશ્ચરિત્રની આલોચના કરીને પરીષહેને સહન કરતા અને વિશુદ્ધ આત્માવાળા નંદિષેણ મુનિ દેવલોકમાં ગયા. આવા પણ નંદિષેણ મુનિ વિષયોથી વશ કરાયા એમાં શું આશ્ચર્ય છે! કારણ કે સ્મરણ માત્રથી હણનારા વિષે વિષસમાન છે. [૩૧] તે જ ભવમાં મોક્ષગામીઓને પણ વિષયે દુજેય છે એમ જણાવે છે -
जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो । रहनेमी रायमई, रायमई कासि ही विसया ॥ ३२ ॥
૧. આયુર=સ્થિતિકાલ. ભાગ્ય છે સ્થિતિકાલ જે તે મોથાળુ. મોગ્યપુસ્ વિશ્વનનું ‘વિશેષણ છે. “ભોગવવા યોગ્ય સ્થિતિકાલ છે જેને એવા કર્મ બંધનને નાશ થતાં” આ પ્રમાણે શબ્દાર્થ થાય. પણ અનુવાદમાં ભાવાર્થ લખ્યો છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
શીલપદેશમાલા ગ્રંથો ગાથાથ યદુનંદન, મહાત્મા, જિનબંધુ, વ્રતધારી અને ચરમશરીરી એવા પણ શ્રીરથનેમીએ રાજીમતી પ્રત્યે રાગમતિ કરી. ખેદની વાત છે કે વિષયે ખેદને લાવનારા છે, અર્થાત્ દુજેય છે.
ટીકાથ-યદુનંદન=શ્રી સમુદ્રવિજય રાજાના પુત્ર. મહાત્મા–ઉપશાંત ચિત્તવાળા. જિનબંધુ=શ્રી નેમિજિનનાં લઘુબંધુ. વ્રતધારી-ચારિત્રધારી ચરમશરીરી.=તે જ ભવમાં મોક્ષગામી. રાજમતી–ઉગ્રસેન રાજાની પુત્રી. જે વિષયએ આવા પણ રથનેમીને વિકારોથી કાયર બનાવી દીધા તે વિષય કેનાથી જીતી શકાય? અર્થાત્ વિષને જીતવા કઠીન છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તે દષ્ટાંતથી જાણવો. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે
રથનેમિનું દૃષ્ટાંત વિરક્ત બુદ્ધિવાળા બાવીસમા શ્રી નેમિનિને રાજ્યો અને જિમતીને પણ ત્યાગ કરીને ગિરનાર પર્વત ઉપર દીક્ષા લીધી. તેમને નાનો ભાઈ રથનેમિ રાજિમતીની સાથે વિવાહ કરવાની ઇચ્છાથી તેને પ્રસન્ન કરવા માટે વિવિધ ભેટો મોકલવા લાગ્યો. પિતાના બંધુના પ્રેમથી મારા વિષે પ્રેમવાળો તે ભેટ મેકલે છે એમ વિચારીને રાજિમતી પણ તેના પ્રત્યે સ્નેહથી કઈ શંકા ર્યા વિના ભેટ સ્વીકારવા લાગી. એક દિવસ રથનેમિએ વિવાહ કરવાની ઈચ્છાથી રાજિમતીને પ્રાર્થના કરી. જિમતીએ મદન ફલ સુઘીને ઉલટી કરીને તેને કહ્યું કે, આ ખાઓ. રથનેમિએ કહ્યું? શું હું કૂતરે છું ? જેથી દુઃખી માણસની જેમ વમેલું ખાઉં. રાજિમતીએ કહ્યું કે તે પછી તમારા બંધુએ તજેલી (=વમેલી) મને ભગવાને તમે કેવી રીતે ગ્ય છે? વળી– હાથીને છોડીને ગધેડાને કેણ અધિક માને ? રતનને અનાદર કરીને કાચમાં કેણ બુદ્ધિ કરે ? આ બંધુના સ્નેહને અનુસરે છે એમ માનીને મેં ભેટો લીધી. જન્માંતરમાં પણ શ્રીનેમિજિન સિવાય બીજો કોઈ મારો વર ન થાઓ. શ્રીનેમિનિને કેવલજ્ઞાન થતાં પતિવ્રતા રાજીમતી દીક્ષા લઈને સાવી થઈ. વિહાર કરતાં ભગવાન એકવાર ગિરનાર પર્વત ઉપર સમવસર્યા. ત્યાં કૃષ્ણ વગેરે અંતઃપુરસહિત પ્રભુને વંદન કરવા ગયા. સંસાર પ્રત્યે વૈરાગ્યજનક ધર્મદેશના સાંભળીને રથનેમિએ શ્રીનેમિનિની પાસે દીક્ષા લીધી. રાજીમતીની પાસે ઘણી સ્ત્રીઓ દીક્ષા લઈને તેનું બરોબર પાલન કરતી હતી. ઉત્તમ ફળ આપનારાં કાર્યોમાં પુણ્યશાલીએ શું શિથિલ થાય? અર્થાત્ ન થાય.
એકવાર શ્રી નેમિજિનને વંદન કરીને જતા રથનેમિ રસ્તામાં વર્ષાદથી તકલીફમાં મુકાયા અને એથી પર્વતની ગુફામાં પેઠા. તે વખતે વર્ષાદથી તકલીફમાં મુકાયેલા રાજમતીએ પણ ત્યાં રથનેમિ છે એમ નહિ જાણવાથી તે ગુફામાં પ્રવેશ કર્યો. મારા ઉપર દષ્ટિ રાખીને રહેલા રથનેમિને રાજીમતીએ અંધકારથી ન જોયા. આથી તેમણે (ભિના થયેલાં) વસ્ત્રોને સુકાવવા માટે આજુ-બાજુમાં મૂક્યાં. જાણે સ્વર્ગલેકને જીતવા માટે હોય તેમ, તપશ્ચર્યાને કરતા, વમથી રહિત બનેલા અને પાતળી કાયાવાળા રામતીને જોઈને રથનેમિ અતિશય,
Page #58
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ કામાતુર થયા. આથી તેમણે વિચાર્યું કે જાણે સૃષ્ટિનું સારભૂત ભેગું કરેલું હોય તેવી કાયાવાળી આ સ્ત્રીને મેં એકવાર પણ ભેગવી નથી. મારા નિરર્થક જન્મને ધિક્કાર થાઓ! જાણે ભાઈને વેર વાળવા માટે હોય તેમ, કામે રથનેમિને મર્મસ્થાનોમાં તે રીતે હણ્યા કે જેથી અંતરમાં વ્યાકુલ બનેલા તે પોતાના આત્માને પણ ભૂલી ગયા. નોકરની જેમ કંઈક ધ્રુજતા શરીરવાળા અને વ્યાકુલ બનેલા રથનેમિ ઉઠીને રાજમતીની આગળ આવીને આંખ ઊંચી કરીને ઊભા રહ્યા. પછી તેમણે રાજમતીને કહ્યું હે ભદ્ર! સ્વેચ્છાથી તું આવ. આપણે બંને (ભેગો ભેગાવીને) જન્મને સફળ કરીએ. પછી છેલ્લી અવસ્થામાં તપશ્ચર્યા કરીશું. નહિ સાંભળવા લાયક આ સાંભળીને સરળ ચિત્તવાળા સતી રાજમતીએ (સુરત) વસ્ત્રો પહેરી લીધા. પછી ધીરતા ધારણ કરીને રથનેમિને સ્પષ્ટ કહ્યું કે, હે મહાનુભાવ! ભવનું કારણ એ આ તમારે પ્રયત્ન છે? (પૂર્વે લીધેલી) તે પ્રતિજ્ઞાને યાદ કરો. દીક્ષાને ભૂલે નહિ. સાદવીની સાથે મિથુન સેવવું વગેરે બધિઘાતક છે એમ શ્રી નેમિનાથે જે કહ્યું હતું તે શું આજે જ ભૂલી ગયા? કહ્યું છે કે “સાદવીની સાથે મૈથુન સેવવાથી, ધર્મની અપભ્રાજના કરવાથી, મુનિને ઘાત કરવાથી અને દેવદ્રવ્યને વિનાશ કરવાથી બેધિને ઘાત થાય એમ ભગવાને કહ્યું છે.” પૂર્વે ગૃહસ્થાવસ્થામાં હતી ત્યારે મેં તમને વાણીથી ઈછયા નથી, તે આજે ચારિત્રાવસ્થામાં તમારે આદર કેવી રીતે કરું? હું ભેગવંશમાં ઉત્પન્ન થઈ છું અને તમે અંધક્કુળમાં ઉત્પન્ન થયા છે. આથી આવું અનુચિત કાર્ય બંનેની શરમને વધારનારું છે. અગંધનકુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ સર્પો પણ વમેલું ખાતા નથી. વમેલાને ખાવાની ઈચ્છાવાળા (=બંધુએ વમેલી મને ભેગવવાની ઈચ્છાવાળા) તમે તેનાથી પણ અધિક હીન છે. નિષ્કલંક શરીરવાળા પ્રાણીને આ જન્મ સફલ છે. ખંડિત બ્રહ્મચર્યવાળા પ્રાણીના જીવનને ધિક્કાર થાઓ ! અહો! જેનાં મૂળિયાં ઉખડી ગયાં છે તેવું વૃક્ષ પવનથી સ્થિર ન રહે તેમ, સ્ત્રીઓથી વ્યાપ્ત લેકમાં તમારું ચંચળ હૃદય ક્યાંય સ્થિર નહિ રહે. તેથી કેડિના (રમવાની કેડિલા) માટે કેડિને (એક ક્રોડ ધનને) નાશ ન કરે. માટે ધીરતાને ધારણ કરીને શુદ્ધ ધર્મને સારી રીતે આચરે. કામન્માદના બળરૂપી સર્ષ માટે અસાધારણ જાંગુલી સમાન એવી રામતીની વચનયુક્તિઓ સાંભળીને રથનેમિએ આ પ્રમાણે વિચાર્યું ગુણરૂપ સંપત્તિઓનું નિધાન આ રામતી સ્ત્રી હોવા છતાં ધન્ય છે, અને હું પુરુષ હોવા છતાં અશુભ કાર્યરૂપી સમુદ્રમાં ડૂબેલા મને ધિક્કાર થાઓ! અહા ! એ સી હોવા છતાં એનામાં નિર્મલ ધીરતા છે. હું પંચમહાવ્રતધારી પુરુષ હોવા છતાં મારી અધીરતાને ધિકાર થાઓ! મેં પૂર્વે અને હમણ અનુચિત આચરણ કર્યું. મને ધિક્કાર થાઓ. અથવા અવસ્થા પ્રમાણે પુરુષની લઘુતા અને મહત્તા થાય છે. આથી જે મહાસતીએ નરકરૂપ કૂવામાંથી મારે ઉદ્ધાર કર્યો છે તે જ મારા બંધુ છે, અથવા તે જ મારા ગુરુ
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
શીપદેશમાલા ગ્રંથો પણ છે, આમાં (જરાય) સંશય નથી. પુણ્યાત્મા રથનેમિ આ પ્રમાણે વિચારીને શ્રીનેમિનાથની પાસે ગયા. તેમની પાસે દુચરિત્રની આલોચના કરીને ગાઢ તપને સ્વીકાર કર્યો. રથનેમિએ ચાર વર્ષ પછી દીક્ષા લીધી, એક વર્ષ સુધી છવસ્થ રહ્યા, પાંચ વર્ષ સુધી કેવલી રહ્યા. નવસો ને એક વર્ષ જેટલું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સંપૂર્ણ વિશુદ્ધાત્મા રથનેમિ મેક્ષમાં ગયા. અહા! વિરતિવાળા આત્માને પણ પોતાને આધીન કર્યો તે આ વિષયે સર્વાધિક દુષ્ટ છે. [૩૨] પૂર્વોક્ત ત્રણ દષ્ટાંતેને ઉપસંહાર કરે છે –
मयणपवणेण जइ तारिसावि सुरसेलनिचला चलिया ।
ता पक्कपत्तसरिसाण इयरसत्ताण का वत्ता ॥३३॥ '' ગાથા-ટીકાથી – જે કામદેવરૂપી વાયુથી મેરુપર્વત જેવા ધીર શ્રી આદ્રક, નંદિષણ અને રથનેમિ વગેરે મહામુનિઓ પણ ચલિતચિત્તવાળા બની ગયા તે પછી પાકેલાં પાંદડાં સમાન અધિક હીન જીવોની શી વાત કરવી ? અર્થાત્ તેવા ચલાયમાન થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. [૩૩] કામદેવની જ દુજેયતાને કહે છે -
जिप्पंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा ।
इक्कच्चिय दुज्जेयो, कामो कयसिवसुहविरामो ॥३४॥ ગાથાથ-સિંહ, હાથી, સર્પ વગેરે મહાક્રર જીવો સુખેથી જ જીતી શકાય છેઃ તે તે ઉપાયથી વશ કરીને દમી શકાય છે, પણ મોક્ષસુખનો નાશ કરનાર એક કામદેવ જ
દુજેય છે.
ટીકાથ-કામદેવ દુજેય છે એ વિષે કહ્યું છે કે “ આ પૃથ્વી ઉપર મદન્મત્ત હાથીના કુંભસ્થળને ભેદવામાં શર મનુષ્યો (ઘણું) છે, કેટલાક પ્રચંડ સિંહને વધ કરવામાં પણ કુશળ છે, પણ હું વિદ્વાનેની આગળ હઠથી ( મક્કમતાથી) કહુ છું કે કામદેવના અભિમાનને ચૂરે કરવામાં સૂર પુરુષો વિરલા છે.” [૩૪]. કામને જીતનારાઓની જ પ્રશંસા કરે છે -
तिहुयणविमयणउब्भड-पयावपयडोवि विसमसरवीरो ।
जेहिं जिओ लीलाए, नमो नमो ताण धीराणं ॥३५॥ ગાથાર્થ-સ્વર્ગ, મનુષ્ય અને પાતાલ એ ત્રણ લેકમાં રહેનારા અને વશ કરવામાં સમર્થ એવા મહાભ્યથી યુક્ત પણ કામદેવ રૂપ સુભટને જેમણે રમતથી જીતી લીધો છે તે ધીર મહાત્માઓને વારંવાર નમસ્કાર હો.
Page #60
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૫૧ ટીકાથ- જેમણે આત્માને વશ કર્યો છે તે જ નમસ્કારને ચગ્ય છે અને તે જ ધીર પુરુ વંદનીય છે. વીર પુરુષ વિદ્યાના બલવાળો હોય છે અને તે બીજાને છળથી પણ જીતે છે. કારણ કે તેમ કરવું એ તેને ધર્મ છે. એ પ્રમાણે કામદેવ પણ પિશાચની જેમ છેતરે છે. કહ્યું છે કે-“ સ્ત્રીઓના મધ્ય ત્રિવલિરૂપી ત્રિપથમાં અને પુષ્ટસ્તનરૂપી ચોકમાં જરા પણ ખલના પામેલા પુરુષને કામદેવરૂપી પિશાચ છેતરે છે.” [૩૫] શીલથી યશ પણ અવશ્ય મળે છે એમ ઉપદેશ અર્ધ
नियसीलवहणधनसार-परिमलेणं असेसभुवायल ।
सुरहिज्जइ जेहिं इमं, नमो नमो ताण पुरिसाण ॥३६।। ગાથાથ-ટીકા –જેઓ જાતે શીલને ધારણ કરેલ જીવિડીQUી ત્રણે ભુવનને સુગંધી બનાવે છે તે પુરુષોને વારંવાર નમસ્કાર થાઓ આ તાત્પર્ય એ છે કે જેમણે શીલથી સંપૂર્ણ જગતને વાસિત બનાવી દીધું છે તે જ વંદનીય છે. [૩૬].
(કામદેવના બાણેની) વિષમતાને વિશેષથી જણાવવા માટે કામદેવની દુજેયતાને
रमणीकडक्खविक्खेव-तिक्खबाणेहिं सीलसन्नाहो ।
जेसिं गओ न मेयं, नमो नमो ताण सुहडाणं ॥३७॥ ગાથાર્થ – જેમનું શીલરૂપી બખ્તર સ્ત્રીઓના કટાક્ષરૂપી નીહણ બાણેથી ભેદાયું નથી તે સુભટોને વારંવાર નમસ્કાર થાઓ.
ટીકાથ– જેમનું શીલરૂપી બખ્તર સ્ત્રીઓના કટાક્ષરૂપી તીક્ષણ બાણથી ભેદાયું નથી તેમને જ નમસ્કાર કરવા ગ્ય છે. ક્ય જીવ સ્ત્રીઓથી ખંડિત થયો નથી ? કહ્યું છે કે-“ધનને પામીને કણ અભિમાની બન્યો નથી? વિષયને અધીન બનેલા ક્યા પુરુષની આપત્તિઓ નાશ પામી છે? પૃથ્વી ઉપર સ્ત્રીઓથી કેનું મન ખંડિત નથી કરાયું? રાજાને કાણુ પ્રિય છે? કે કાળને વિષય બન્યો નથી? માગનાર કાણુ ગૌરવને પામ્યો છે? દુર્જનની જાળમાં ફસાયેલો યે પુરુષ કુશળપણે તેમાંથી બહાર નીકળ્યો છે?[૩૭] .
૧. મધ્યત્રિવલિ એટલે પેટ ઉપર પડતી ત્રણ કરચલીએ. ૨. ત્રણ માર્ગે જ્યાં ભેગા થતા હોય તેને ત્રિપથ કહેવામાં આવે છે.
૩. વિક્ષેત્રફેંકવું. વાકય કિલષ્ટ ન બને માટે અનુવાદમાં વિક્ષેપને અર્થ કર્યો નથી. સ્વયં સમજી લે.
Page #61
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથનો
વે આ જ વિષયને દષ્ટાંતથી દઢ કરે છે -
निवधूया नियरूवा-वहत्थियासेससुंदरीवग्गा । घणसोहग्गा निरुवम-पिम्मा लायण्णरुइरम्मा ॥३८॥ કાનના રુવ, પરિરિયા સેન નેમિના
बंभव्वयधारीणं, पढमोदाहरणमेस जए ॥३९॥ ગાથા – પિતાના રૂપથી સર્વ સુંદરીઓને ઉપહાસ કરનાર, અતિશય સૌભાગ્યના કારણે સર્વથી અધિક સ્પૃહણીય, નિરુપમ પ્રેમવાળી (=નવભવના સ્નેહવાળી), સૌંદર્ય અને કાંતિથી મનહર એવી રાજપુત્રી રામતીને જે નેમિનાથ ભગવાને વૃદ્ધાવસ્થાથી શિથિલ થયેલા અંગવાળી વૃદ્ધાની જેમ ત્યાગ કર્યો તે નેમિનાથ ભગવાન જગતમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાઓમાં પ્રથમ દષ્ટાંત છે.
ટીકાર્થ વૃદ્ધા નીરસતાના કારણે યુવાનને ત્યાજ્ય હોય છે. નેમિનાથ ભગવાન વિરાગી હોવાથી તેમણે રાજીમતીને વૃદ્ધાની જેમ ત્યાગ કર્યો. આથી નેમિનાથ ભગવાન બ્રહ્મચારીઓમાં પ્રથમ દષ્ટાંતરૂપ થયા. દષ્ટાંત અર્થને દઢ કરે છે. કહ્યું છે કે-“યુક્તિથી અર્થને વિચાર કરનાર પુરુષના વિષયમાં આવેલો અર્થ જ્યાં સુધી ઉઠાડનાર=ઉભું કરનાર પુરુષની જેમ દષ્ટાંતને ટેકે ન લેવામાં આવે ત્યાં સુધી મગજમાં કુરતો નથી. (૩મગજમાં બેસતો નથી.)
આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ તે શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રથી જાણ. તે આ પ્રમાણે છે –
શ્રી નેમિનાથના નવભવની કથા
(પહેલો ભવ ધન-ધનવતી) જેમનું નવા નવા રસરૂપી અમૃતનું પોષણ કરતું નવભવનું ચરિત્ર નમનારા જીવને જાણે નવનિધિ પ્રગટ કરે છે=બતાવે છે તે નેમિનાથ શાંતિ માટે થાઓ. એમના લાંછનમાં રહેલી શંખાકારની રેખાઓ જાણે ત્રણ જગતમાં એમના જ ચારિત્રની રેખા= પ્રતિષ્ઠા છે એમ કહે છે. તેમનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે. અસંખ્ય દ્વીપશ્રેણિએમાં દીપક સમાન આ (=અંબૂ નામના) દ્વીપમાં સર્વ સંપત્તિઓનું સ્થાન એવું ભરતક્ષેત્ર છે. ચંચળ પણ લક્ષમી તેમાં અચલા (ઋસ્થિર) થઈને રહી તેથી જ જાણે તેમાં “અચલ' એવા નામનું પ્રસિદ્ધ શ્રેષ્ઠ નગર છે. તેમાં પરાક્રમથી અનેક રાજાઓને પરાભવ કરનાર વિક્રમ નામને રાજા હતા. યુદ્ધમાં લક્ષમી તેને પામીને વિષ્ણુના સૌભાગ્યને પામતી હતી, અર્થાત્ જેમ લક્ષમી વિષ્ણુને વરી તેમ યુદ્ધમાં લક્ષમી=સંપત્તિ વિકમ રાજાને વરતી હતી. તેની વિશુદ્ધ પાંખવાળી હંસલીના જેવી ધારિણી નામની પરની
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૩
ગુજરાતી ભાવાનુવાદ હતી. તેણે એક દિવસ રાત્રિના અંતે સ્વપ્નમાં આમ્રવૃક્ષ જોયું. પછી કોઈ દિવ્યપુરુષે તેને કહ્યું: આ વૃક્ષને હું નવ વાર રોપીશ. તેથી ઉત્તરોત્તર એનું ઉત્કૃષ્ટ ફલ થશે. પહેલાં હું એને તારા આંગણે રેપીશ. સવારે જાગેલી રાણીએ રાજાને સ્વપ્ન કહ્યું : રાજાએ પંડિતેને તે સ્વપ્નનું ફળ પૂછયું. પંડિતાએ કહ્યું : આ સ્વપ્નનું પુત્ર પ્રાપ્તિરૂપ મોટું ફળ થશે. આમ્રવૃક્ષને નવ વાર રોપવાનું ફળ શાથી અમે જાણતા નથી, તેને તે જ્ઞાની જાણે. ધારિણીએ હર્ષના ભારની સાથે ગર્ભ ધારણ કર્યો. સમય થતાં કવિની વાણી જેમ સુંદર કાવ્યને જન્મ આપે તેમ- ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ દશ દિવસ સુધી પુત્રનો જન્મ મહોત્સવ કરાવ્યું. તેમાં કેદીઓને છોડાવ્યા, અને (ઘણું) દાન આપ્યું. રાજાએ બારમા દિવસે સ્વવંશમાં ઉત્પન્ન થયેલા લોકોને વઆદિથી પૂજ્યા અને પુત્રનું “ધન” એવું સુંદર નામ રાખ્યું. ક્રમે કરીને કળાએથી અને વયથી વધતે તે રીઓને મોહ પમાડનારા અને રતિને ક્રીડા કરવા માટે વન સમાન યૌવનને પામ્યું.
આ તરફ કુંકુમનગરમાં સિંહ નામનો રાજા હતા. તેને નિર્મલ આશયવાળી વિમલા નામની પત્ની હતી તથા જાણે કોના તાપને દૂર કરનારી સ્વર્ગમાંથી ઉતરેલી ગંગ હોય તેવી “ઘનવતી” નામની પુત્રી હતી. તે કલ્યાણકારી લક્ષણેથી યુક્ત હતી. તેના ૧રતિ અને પ્રીતિ ઉપર વિજય મેળવવા માટે જાણે ફલક હોય તેવા બે ગાલા હતા. તે દુર્ગધરૂપી અઘાડા (વનસ્પતિ)ને દવા દાતરડા સમાન હતી, અર્થાત્ તેનું શરીર સુગંધી હતું. તેનું મુખ નિર્મલ ચંદ્ર જેવું હતું. તેની કમળના જેવી દીપતી બે આ હતી. જાણે યૌવનરૂપી સમુદ્રનું અવગાહન કરવા (=સમુદ્રમાં પેસવા) સ્તનરૂપી ઘડાઓ જેણે મેળવ્યા છે એવી તે શોભતી હતી. તે એકવાર લહમીદેવી કમળના વનમાં રમે તેમ ચમેલીવૃક્ષની સુગંધથી મનહર ઉદ્યાનમાં જઈને વેચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી. વનમાં ભ્રમરીની જેમ ભમતી તેણે ચિત્રપટ્ટથી યુક્ત કઈ પુરુષને અશેકવૃક્ષની નીચે બેઠેલે છે. આમાં શું છે? એમ બોલતી ધનવતીની સખી કમલિનીએ કૌતુકથી તેના હાથમાંથી ચિત્ર સહિત ચિત્રપટ્ટને ઝુંટવી લીધું. ચિત્ર જોઈને તેણે કહ્યું : સુર, અસુર અને રાજાઓમાં આવું રૂપ સંભવિત નથી. તેથી ચક્કસ કઈ એ પિતાની ઈચ્છાથી પિતાનું કૌશલ બતાવવાની ઈચ્છાથી આ ચિત્ર આલેખ્યું છે. અહ! અને અમૃતના પારણું સમાન આ રૂપ કેવું સુંદર છે ! આમાં સામાન્ય ચિત્રકારની રેખામાત્ર પણ નથી એમ હું સમજુ છું, અર્થાત્ આ ચિત્ર કોઈ સામાન્ય ચિત્રકારે આલેખ્યું નથી. કમલિનીનું વચન સાંભળીને મિતપૂર્વક ચિત્રકારે કહ્યું ઃ આ કેઈ દેવ કે દાનવ નથી, કિંતુ ધન
૧, રતિ અને પ્રીતિ એ બંને કામદેવની પત્નીઓ છે.
૨. ખેડતો ખેતરને ખેડવા માટે હળની અંદર લોઢાનું અણીદાર સાધન રાખે છે. તેને ફલક ફળું કહેવામાં આવે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
શીલેપદેશમાલા ગ્રંથો નામને મનુષ્ય છે. તેના પણ સ્વાભાવિકરૂપનું આલેખન કરવા હું સમર્થ નથી. મેં જે પ્રમાણે તેનું રૂપ જોયું તે પ્રમાણે યથાશક્તિ કંઈક આ આલેખ્યું છે. આ ધન કેણ છે એમ પૂછયું એટલે ચિત્રકારે કહ્યું : અચલપુરના સ્વામી શ્રી વિકમ નામના રાજાને આ ધન નામનો પુત્ર છે. રૂપનું સૌંદર્ય જોઈને અને ચિત્રકારનું વચન સાંભળીને ધનવતીના શરીરમાં તે જ ક્ષણે વિકસતા રોમાંચરૂપી અંકુરો પ્રગટ થયા. વારંવાર ધનનું રૂપ જોઈ જોઈને ધનવતી જાણે મૂછ પામી રહી છે અને કંઈક આ ખેલી રહી છે એમ જોઈને કમલિનીએ ચિત્રકારને કહ્યું : હે ચિત્રના ભંડાર ! સારું! સારું ! તેં ચિત્ર સારું ચિતર્ય છે. આ પ્રમાણે સ્પષ્ટ વક્રોક્તિ કહીને કમલિની બીજે જતી રહી. ધનવતી તેનું લાવણ્ય અતિશય પીને વિષ જેવા વનને છોડીને તૃષ્ણ સહિત ઘરે ગઈ. ધનમાં જ મનવાળી તે રાત-દિવસ બેસવામાં, સૂવામાં, જવામાં કે ભેજન કરવામાં એમ ક્યાંય ગરીબ માણસની જેમ સુખ ન પામી. એકવાર એકાંતમાં રહેલી તેને ખેદપૂર્વક સખીએ પૂછયું હે સખી! તું કૃષ્ણ પક્ષની ચંદ્રકળાઓની જેમ દરરોજ ક્ષીણ કેમ થાય છે? પાતળી કાયાવાળી ધનવતીએ જાણે રેષપૂર્વક કહેતી હોય તેમ કહ્યું હે સખિ ! તું મને સામાન્ય માણસને ઉચિત શું કહે છે? કારણ કે શું તારાથી પણ કંઈ ગુપ્ત છે? કમલિનીએ કહ્યુંહે માનિનિ ! તારી વાત સાચી છે. તું ધનને ઈચ્છે છે એ હું સમજું છું. તે ચિત્રદર્શનને નિધાનની જેમ હું ભૂલી ગઈ નથી. જાણવા છતાં મેં તને જે મશ્કરીવાળું વચન કર્યું તે માફ કર. કારણ કે હાસ્યથી કહેલું રેષા માટે થતું નથી. વળી ત્યારથી તને ધન વિષે અનુરાગવાળી જાણીને મેં બીજા જ દિવસે જતિષીને આ વિષે પૂછ્યું હતું કે, આ મારી સખીને જે પુરુષ ગમે છે તે પુરુષ તેને પતિ થશે? વિશ્વસનીય વચનવાળા તેણે પણ
એ પ્રમાણે થશે” એમ કહ્યું છે. તેથી તે નિર્મલ ધનવતિ ! તું કાયરતાને છેડીને ધૈર્યને ધારણ કર. કમલિનીથી આ પ્રમાણે કહેવાયેલી ધનવતી કંઈક સુખ પામી.
એકવાર તે શણગાર સજીને પિતાને વંદન કરવા ગઈ. તેને જોઈને રાજા વરની ચિતારૂપી સમુદ્રમાં ડૂબી ગયો. જાણે મહાત્માઓનાં ચિંતવેલાં કાર્યો (તત્કાળ) ફળે જ છે એમ ખરેખર ! તે જ વખતે વિક્રમરાજાની પાસેથી દૂત આવ્યા. રાજકાર્યની વિગત કહીને દૂત મૌન રહ્યો એટલે રાજાએ તેને પૂછ્યું: હે દૂત! અચલપુરમાં આશ્ચર્ય શું છે? તે કહ્યુંઃ હે દેવ! પરાક્રમ એ જ જેનું ધન છે એવા વિક્રમરાજારૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અને ત્રણ ભુવનમાં પણ જેની કિંમત ન કરી શકાય તેવું ધન નામના પુત્રરૂપી કૌસ્તુભ રન એ જ એક આશ્ચર્ય છે એમ આપ જાણે. હે નાથ ! તેવી રીતે કરવું જોઈએ કે
૩. તુજ શબ્દના ઊંચા દાંતવાળો, આગળ આવેલ, આગળ નીકળેલ વગેરે અનેક અર્થો છે. તમાં અહીં “ આગળ નીકળેલ ” અથ ઘટી શકે છે. રોમાંચરૂપી અંકુરો જેને આગળ નીકળ્યા છેઃ પ્રગટ થયા છે, એ શબ્દાર્થ થાય. ભાવાર્થ તે લખ્યા મુજબ જ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૫
ગુજરાતી ભાવાનુવાદ જેથી ધન અને ધનવતીનું સર્જન કરનાર વિધાતાને પણ પ્રયાસ સફલ થાય. રાજાએ કહ્યું ખરેખર ! મારા મનની વાત સમજીને તેં બરાબર કહ્યું છે. તેથી તું અચલપુર પાછો જા અને તારા વચનને સફલ કર. સખીએ આ વૃત્તાંત ધનવતીની આગળ કહ્યો. ધનવતીને સખીના વરપ્રાપ્તિના સૂચક વચન ઉપર વિશ્વાસ ન આવ્યું. આથી તેણે સખીને મોકલીને દૂતને પોતાની પાસે બોલાવ્યા. કારણ કે વિવેકી માણસો શંકાવાળા કાર્યમાં વિશેષ ઉદ્યમવાળા હોય છે. દૂતના મુખથી બધું સાંભળીને સુંદર મુખવાળી તે અતિશય આનંદ પામી. કંકુના પાણીથી પત્ર લખીને દૂતને આપ્યું. આ પત્ર ધનને પહોંચાડજે એમ કહીને તેને રજા આપી. આનંદિત મનવાળો તે દૂત જલદી અચલપુર ગયે. પછી દ્વારપાળ વડે સૂચન કરાયેલે (=રાજાને જણાવીને અંદર જવાની રજા અપાયેલ) તે સભામાં બેઠેલા રાજાની પાસે ઉપસ્થિત થયે. પછી દૂત બેલે હે દેવ ! વિસ્મયવાળા સિંહરાજાએ વિક્રમરાજાની કુશળતા પૂછી છે, અને ત્યાં (સિંહરાજાને) કુશળ છે. પણ આપના કુમારને પુત્રી ધનવતી આપવા માટે મને ઉતાવળે મેકલ્યો છે. ધનવતીના રૂપને અનુરૂપ વર ધન જ છે. તેથી સંતાનના સંગથી પણ તમારા બેને સ્નેહ વૃદ્ધિ પામે. “તેમ થાઓ” એમ સ્વીકારી તે રાજાએ તેને રજા આપી. પછી તે ધનની પાસે ગયે. જાણે મૂર્ત સ્નેહ હોય તે ધનવતીને પત્ર તેને આ. કુમારે જાતે પત્રને
લીને વાં. તે જ વખતે અવસર પામીને કામદેવના બાણથી હણ. પત્ર આ પ્રમાણે હતે:-“આપનાથી જિતાયેલ કામદેવ જાણે સ્પર્ધાથી મને હણે છે. તેથી મારી ઉપેક્ષા ન કરે. હે નાથ ! આ સિવાય બીજું કાંઈ હું માગતી નથી.” તેની ચતુરાઈથી ખુશ થયેલા કુમારે પણ પોતાના મનહર હારની સાથે શગારયુક્ત પ્રતિપત્ર દૂતને આપ્યું. વસ્ત્રાદિથી પ્રસન્ન કરીને મેકલાયેલ દૂત કુંકુમનગર ગયે. કાર્ય સિદ્ધ થયું છે, એમ જણાવીને સિંહરાજાને સંતેષ પમાડશે. પછી કુમારનો હાર સહિત પત્ર ધનવતીને આપે. તેણે એકાંતમાં ખેલીને પત્ર વાંચે. તે પત્ર આ પ્રમાણે હતે –“રમાંથી વિકસિત શરીરવાળા અને હૃદયમાં તેને ધારણ કરતા મને પણ કામદેવ સ્પષ્ટ પીડા કરે છે. તેથી લગ્ન કરીને આ શત્રુને છત જોઈએ.” આ પ્રમાણે ધનને કામદેવની આજ્ઞામાં રહેલ જાણીને જાણે (ધનકુમારના) ગુણેની શ્રેણિ હોય તેવા તેના હારને કંઠમાં ધારણ કર્યો. પછી સારા દિવસે સિંહ રાજાએ સ્વયંવરા (=જાતે વરને પસંદ કરનારી ) ધનવતીને અચલપુર મેકલી. ધને તેને પરણીને જન્મને સફલ બનાવ્યું.
એકવાર ઉદ્યાનમાં શ્રી વસુંધર નામના જ્ઞાની બિરાજમાન છે એમ જાણીને વિક્રમરાજા પરિવાર સહિત વંદન કરવા ગયે. દિવ્યપુરુષે આમ્રવૃક્ષને નવવાર રોપવાનું જે કહ્યું હતું તેનું ફળ પૂછયું. જ્ઞાની સાધુએ તેમનાથના નવભવનું ચરિત્ર કહ્યું. જિનમતમાં સ્થિર બનીને બધા ય પોતાના ઘરે ગયા. એક દિવસ ધન અને ધનવતી ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં કઈ મુનિને મૂછથી ચેતના રહિત જોઈને ભક્તિથી
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬
શીલપદેશમાલાગ્રંથને સ્વસ્થ ર્યા. તેથી ધન પિતાને ધન્ય માનવા લાગ્યું. તે મુનિની દેશના સાંભળીને ધન અતિશય વૈરાગ્યને પામ્યા. સાધુને ઘરે લઈ જઈને બંનેએ ખીર વહેરાવી. સાધુને માસકલ્પ સુધી ત્યાં રાખીને બંને ધર્મમાં દઢ પરિણામવાળા થયા. પિતાવડે રાજ્ય ઉપર બેસાડાયેલા ધને પૃથ્વીનું પાલન કર્યું. ધને ધનદત્ત અને ધનદેવ નામના બે ભાઈએ અને ધનવતીની સાથે સુગુરુની પાસે દીક્ષા લીધી. ક્રમે કરીને આચાર્યપદ પ્રાપ્ત કરીને ભવ્ય લેકેને પ્રતિબંધ પમાડ્યો. મરણ સમયે બે બંધુઓ અને ધનવતીની સાથે અનશન સ્વીકાર્યું. મહિનાના અંતે આયુષ્ય પૂર્ણ કરીને સ્નેહથી યુક્ત ધન અને ધનવતી સૌધર્મ દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવ થયા.
ત્રીજે ભવ ચિત્રગતિરત્નાવતી આ તરફ વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિનું આભૂષણ અને જાણે સૂર્યના તેજને પુજા હોય તેવું સૂરતેજ નામનું નગર હતું. તે નગરમાં વિદ્યાધરમાં ઉત્તમ અને નામ પ્રમાણે ગુણવાળે શૂર નામનો રાજા હતે. જેમ વિષ્ણુને લક્ષમી પત્ની હતી, તેમ તેને વિદ્યુન્મતી નામની પત્ની હતી. ધનને જીવ ત્યાંથી ચ્યવીને વિદ્યુમ્મતીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. તેનું ચિત્રગતિ નામ પાડવામાં આવ્યું. ક્લાસમૂહને પાર પામનાર તે શોભવા લાગે. વૈતાદ્યપર્વતની જ દક્ષિણ શ્રેણિનું આભૂષણ શિવમંદિર નગર હતું. તેમાં ચંદ્રના જેવા ઉજજવલ યશસમૂહવાળે અનંગસિંહ રાજા હતા. સૌધર્મ દેવકથી
વેલે ધનવતીને જીવ તે રાજાની શશિપ્રભા નામની પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તેનું રત્નાવતી નામ પાડવામાં આવ્યું. જેમાં સમુદ્રમાંથી ઘણું રત્નો પછી લમી ઉત્પન્ન થઈ તેમ રત્નાવતી ઘણા પુત્ર પછી ઉત્પન્ન થઈ. આથી તે માતા-પિતાને ઘણી પ્રિય હતી. જેમ લહમીદેવીને પતિ વિષણુ છે તેમ રતનવતીને શ્રેષ્ઠ વર કેણ થશે? એમ વિચારીને રાજાએ જ્યોતિષીને પૂછયું. જોતિષીએ કહ્યું : જેમ (દૂધ-પાણીને) સુવિવેક કરવાની બુદ્ધિવાળી હસલી માનસ સરોવરમાં લીલાપૂર્વક ખેલે, તેમ સુવિવેક કરવાની બુદ્ધિવાળી તમારી પુત્રી યુદ્ધમાં તમારા હાથમાંથી જે તલવાર ખેંચી લેશે અને નદીશ્વરદ્વીપમાં જેના મસ્તકે પુષ્પવૃષ્ટિ થશે, વિશુદ્ધ ઉભય પક્ષવાળા તેના ચિત્તમાં લીલાપૂર્વક ખેલશે, અર્થાત્ તે તમારી પુત્રીને વર થશે. રત્નાવતી પુત્રીને વરને જાણવામાં ઉપયુક્ત બુદ્ધિવાળા વિદ્યાધરે આ પ્રમાણે સાંભળીને જ્યોતિષીને દાનથી ખુશ કર્યો. - આ તરફ ભરતક્ષેત્રમાં ચક્રપુર નામના નગરમાં જાણે લક્ષમીદેવીના કંઠને અલંકાર હોય તે સુગ્રીવ નામને રાજા હતા. તેની યશસ્વતી અને ભદ્રા એ બે પત્નીએ હતી. તે બેને અનુક્રમે સુમિત્ર અને પ નામના બે ઉત્તમ પુત્ર હતા. તે બેમાં મેટે પુત્ર ગુણથી શ્રેષ્ઠ અને જૈનધર્મને જાણકાર હતા. બીજે તેનાથી વિપરીત સ્વરૂપવાળો, પાપી અને સર્ષની જેમ દૂર હતો. આ (ટે પુત્ર) હશે ત્યાં સુધી મારે પુત્ર રાજ
Page #66
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૫૭ કેવી રીતે બનશે એમ વિચારીને ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું. સુમિત્ર સંકટને પામે ત્યારે પવ હર્ષિત કેવી રીતે બને ! એમ ક્રુર ભદ્રાએ ન વિચાર્યું. સ્ત્રીઓને આવું વિચારવાની બુદ્ધિ ક્યાંથી હોય? વિષના વેગથી સુમિત્ર મૂછ પામી રહ્યો છે એમ સાંભળીને રાજા મર્મસ્થાનમાં હણાય. સંભ્રાન્ત બને તે મંત્રીઓની સાથે જલદી તેની પાસે ગયે. મંત્રીઓએ કરેલા મંત્ર-તંત્ર વગેરે અનેક ઉપાયોથી પણ દુર્જનની દુષ્ટબુદ્ધિની જેમ વિષને વેગ શાંત ન થયું. ભદ્રાએ વિષ આપ્યું છે એ પ્રમાણે લોકેક્તિને સાંભળીને ભદ્રા દુષ્ટ સર્પિણીની જેમ પલાયન થઈને ક્યાંક જતી રહી. રાજાએ સુમિત્રના પરલેકના ભાથારૂપ ધર્મ કર્યો, અને તેના ગુણેને યાદ કરી કરીને મુક્તકંઠે રુદન કર્યું. તે વખતે કૌતુક જોવાની આકાંક્ષાવાળા અને પૃથ્વી ઉપર ભમતા ચિત્રગતિએ સુમિત્રના દુઃખથી ચક્રપુરને દુઃખી થયેલું જોયું. પછી વિમાનમાંથી ઉતરીને સુમિત્રને વિષથી મૂછિત થયેલો જાણીને મંત્રથી પવિત્ર પાણી છાંટીને સચેતન કર્યો. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને સ્વસ્થ ચિત્તવાળા સુમિત્રે ઊભા થઈને “આ શું? એમ પૂછ્યું. અહો ! મંત્રને પ્રભાવ ઘણું છે. તેને સકલ વૃત્તાંત કહ્યો. ઉત્કર્ષને સન્મુખ થયેલ અને સર્વ આશાઓને અદ્દભુત રીતે પ્રદીપ્ત કરતા (=વધારતા) એવા સુમિત્રે પવને (=નાના ભાઈને) હર્ષિત બનાવ્યું. પછી તેણે ઊભા થઈને પ્રાણ આપવાથી ઉપકારી થયેલા ચિત્રગતિને નમીને તેનું કુ વગેરે ઉત્કંઠાપૂર્વક પૂછ્યું. (ચિત્રગતિના) મંત્રીના પુત્રની પાસે રહેલા ચિત્રગતિન અને અતિશય હર્ષને કરારું તેના વંશનું નામ વગેરે બધું કહ્યું. જેમ માટી
દતા કુંભારને નિધિનું દર્શન થાય તેમ, મને આપને સંગ થવાથી વિષ આપનારી પણ સાવકી માતા મારી ઉપકારિણી બની એમ સુમિત્રે કહ્યું. પછી સુમિત્રે બંદીજનની જેમ ચિત્રગતિની સ્તુતિ કરી. તથા માતા-પિતા સહિત તેણે આગ્રહપૂર્વક (પોતાના ઘરે લઈ જઈને) પિતાની સમૃદ્ધિ પ્રમાણે ચિત્રગતિની સેવા કરી. પિતાના ઘરે જવા ઉત્સુક બનેલા અને એથી પિતાના ઘરે જવા માટે પૂછતા ચિત્રગતિને સુમિત્રે પ્રાર્થના કરી કે અહીં કેવલી પધારે ત્યાં સુધી રહો.
કેટલાક દિવસો પછી પૂર્વ પરિચિત કેવલજ્ઞાની પધાર્યા. ચિત્રગતિ સુમિત્ર વગેરેની સાથે વંદન કરવા ગયા. પછી આગળ જઈને બેઠેલા સુગ્રીવ વગેરેને કેવલી ભગવંતે ફ્લેશને નાશ કરનારી દેશના આપી. તે આ પ્રમાણે -“આ ધર્મમેક્ષાભિલાષી જીવન જમીન થાય છે, અર્થાત્ સંસારરૂપી કેદમાંથી છેડાવે છે. તેથી બુદ્ધિશાળીએાએ
૧ બીજા અર્થમાં સુમિત્ર એટલે સૂય. સૂર્ય સંકટમાં હેય ત્યારે પદ્મ કમળ વિકસિત કેવી રીતે બને ?
૨. બીજા અર્થમાં દયને સન્મુખ થયેલા અને સર્વ દિશાઓને અદભૂત રીતે પ્રકાશિત કરતા સૂર્યો કમળને વિકસિત કર્યો.
Page #67
--------------------------------------------------------------------------
________________
શીલાપદેશમાલા
અજ્ઞાનરૂપી અંધકારના નિગ્રહ કરનાર આ ધર્મ કરવા જોઈએ. રાજાપણું, ક્રિપણું અને દેવપણુ' વગેરે આ સમૃદ્ધિએ સારી રીતે આરાધેલા આ ધર્મના જ પરમાણુએ છે. ધમ મેાક્ષ માટે છે. મેાક્ષ માટેના ધર્મ સાધુ અને શ્રાવકના ભેદથી બે પ્રકારના છે. તેમાં એક ધમ (=સાધુધર્મ) માક્ષના સરળ માર્ગ છે. બીજો કઈક વક્ર છે.” પછી ચિત્રગતિએ કહ્યું : હા! સંસારમાં હું છેતરાયે છું. કારણ કે આ ધર્મ સ્વાધીન હોવા છતાં મેં એક પ્રકારના પણ ધર્મ આચર્યો નથી. આથી તેણે તારૂપી શાખાએથી ચારે તરફ વીંટાયેલા અને નિરતિચારપણારૂપ પુષ્પોથી અલંકૃત એવા સમ્યક્ત્વરૂપી કલ્પવૃક્ષના આશ્રય લીધા. હવે નમતી ડોકવાળા (=નમતા મસ્તકવાળા) સુગ્રીવે મુનિને પૂછ્યું: સુમિત્રને વિષ આપીને તે ભદ્રા કયાં ગઈ? મુનિએ કહ્યું : તે અહીંથી નાસીને રસ્તામાં જઈ રહી હતી ત્યારે ચારેાએ તેનાં વસ્ત્રો અને અલંકારો લૂંટી લીધાં અને તેને પલ્લેિપતિની પાસે લઇ ગયા. પદ્ઘિપતિએ પણ તેને વિષ્ણુકાની પાસે વેચી. તેમની પાસેથી નાસી છૂટેલી તે દાવાનલમાં બળીને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળીને તિય "ચપણામાં અનંતભવા સુધી ભમશે. રાજાએ કહ્યું : જેના માટે પાપ કર્યું. તે પદ્મ જીવે છે અને પેાતે નરકમાં ગઈ. અહા! કર્મીની ગતિ વિચિત્ર છે. અસાર સ'સારમાં જીવા નિર માહ પામે છે. સવેગમાં ઉત્સાહવાળા સુમિત્રે પણ તે વખતે કહ્યું: હું પિતાજી! મને રજા આપેા, જેથી હું દીક્ષા લઉં. જેમાં સ્ત્રીએ શાકિનીની જેમ પુત્રાને પણ હણે છે તે દારુણુ શ્મશાન જેવા આ સંસારથી હું કંટાળી ગયા છેં. સયમરૂપી ઉદ્યાનમાં સારી બુદ્ધિવાળા સુગ્રીવે સુમિત્રને દીક્ષાના નિષેધ કરી પેાતાના રાજ્ય ઉપર બેસાડી સ્વયં દીક્ષા લીધી. નવા રાજા થયેલા મિત્ર સુમિત્રને નગરમાં પ્રવેશ કરાવી ચિત્રગતિ પાતાના નગરમાં ગયા. સુમિત્ર રાજાએ પદ્મને કેટલાંક ગામે આપ્યાં. પણ તે તેટલાં ગામે થી સતાષ ન પામ્યા અને ઈચ્છા મુજબ પૃથ્વી ઉપર ભમવા લાગ્યા.
૫૮
આ તરફ સુમિત્રની બહેન કે જે કલિંગ રાજાની પત્ની હતી, તેનુ અન ગસિંહના પુત્ર કમલ વિદ્યાધરે અપહરણ કર્યું. સુમિત્રની સાથે થયેલી મૈત્રીના આદર કરીને ચિત્રગતિ રાજાએ જાતે ત્યાં જઈને કમલની સાથે યુદ્ધ શરૂ કર્યું. પુત્રને સહાય કરવાની ઈચ્છાથી અન ગસિંહ ત્યાં આવ્યા. ચિત્રગતિએ યુદ્ધમાં તેને હથિયાર વિનાના કરી નાખ્યો. હવે રત્નવતીના પિતા અન`ગસિંહે ઘણા કાળ પૂર્વે દેવે આપેલા અને મારવામાં સર્વોત્તમ એવા ખડ્ગ મહારત્નનું સ્મરણ કર્યું. તે જલદી ખેલ્યા રે રે બાળક ! જલદી નાસી જા, અન્યથા હુ તીક્ષ્ણ તલવારથી કમલના નાલની જેમ તારા મસ્તકને કાપી નાખીશ. ચિત્રગતિએ સ્મિતપૂર્વક કહ્યું: હે વૃદ્ધ! શુ' તેં સાંભળ્યું નથી કે કાયરના હાથમાં રહેલુ શસ્ત્ર વીરપુરુષોનું જ આભૂષણ થાય છે. પછી ચિત્રગતિએ જલદી
:
૧. સુગ્રીવના શબ્દા` ‘સારી ડાકવાળા' એવા થાય. પણ તેવા અર્થ અહીં બંધ બેસતા જણાતા નથી. આથી સુગ્રીવ શબ્દના “ સારી બુદ્ધિવાળા ” એવા ભાવાથ લખ્યો છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ ચિત્તાની જેમ છલાંગ મારીને તેના હાથમાંથી તલવાર ખેંચી લીધી અને મિત્ર સુમિત્રની બહેનને લઈ લીધી. ચક્રપુર જઈને સુમિત્રને તેની બહેન આપી. વિરક્ત બુદ્ધિવાળા અને બુદ્ધિશાલીઓમાં શ્રેષ્ઠ એવા સુમિત્રે રાજ્ય ઉપર પુત્રને મૂકીને દીક્ષા લીધી. મોટા તપોને કરતા સુમિત્ર રાજર્ષિ મગધદેશમાં ગયા. ત્યાં કેઈ ગામની બહાર કાયેત્સર્ગમાં રહ્યા. ઓરમાનભાઈ પવૅ કાત્સર્ગમાં રહેલા તેને જોઈને ધના આવેશથી ઘીની આહુતિની જેમ અગ્નિને પ્રજવલિત કર્યો. સુમિત્રને શત્રુ માનનાર, ક્રર સ્વભાવવાળા અને માતાની ગતિમાં જવાની ઈચ્છાવાળા તેણે ભાથામાંથી બાણ ખેંચીને પારધિની જેમ મુનિને મારી નાખ્યા. મહાત્મા પણ શુભધ્યાન અને આરાધના વગેરેથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને બ્રહ્મલેકમાં મહદ્ધિક દેવ થયા. મિત્ર ચિત્રગતિએ સુમિત્રના મૃત્યુને જાણીને શેક કર્યો. પછી નંદીશ્વરમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો. પુત્રી રત્નાવતી સહિત અનંગસિંહ તથા બીજા વિદ્યાધર તીર્થયાત્રા માટે નંદીશ્વરમાં હર્ષથી ભેગા થયા. ત્યાં આનંદિત ચિત્તવાળા ચિત્રગતિએ શાશ્વતા અરિહતેની દ્રવ્યપૂજા કરીને વિવિધ તેથી સ્તુતિ કરી. તે આ પ્રમાણે –હે સ્વામી! અનંત સંસારભ્રમણથી થાકેલા જીવને મારવાડમાં મહાન સરોવરની જેમ એક તું જ આનંદ માટે થાય છે. સંસારમાં ડૂબેલો. પણ હું જે તારું દર્શન પામે તેનાથી નિઃશંકપણે ઉત્તરોત્તર સમૃદ્ધિઓને પામીશ. અહીં દિવ્યઋદ્ધિનું મૂળ એવા ચિત્રગતિને આદરથી યાદ કરીને સુમિત્રદેવે તેના મસ્તકે પુષ્પવૃષ્ટિ કરી. અસંગસિંહ વિદ્યારે પુષ્પવૃષ્ટિને જોવાથી અને આ ખગ હરણ કરનાર છે એમ જાણીને “આ પુત્રીને વર છે? એ નિર્ણય કર્યો. તે વખતે દેવ અને ચિત્રગતિને પરસ્પર પ્રશંસા કરતા જોઈને ગર્વ રહિત બનેલા વિદ્યાધરો ચિત્રગતિને નમ્યા. તે વખતે રનવતીની દષ્ટિ લાવણ્યરૂપી અમૃતના સાગર એવા ચિત્રગતિમાં તેવી ડૂબી કે જેથી રત્નાવતી તે સ્થાનથી ન ખસી. રત્નાવતીને ચિત્રગતિ પ્રત્યે અનુરાગવાળી જઈને અને
જ્યોતિષીના વચનને યાદ કરીને રનવતીના પિતાએ સૂર રાજાને આ વાત કહી. પછી તે બંનેએ આનંદથી તેમને વિવાહ કરાવ્યું. કયે અજ્ઞાન માણસ પણ રત્નને સુવર્ણમાં ન જેડે ! ચિત્રગતિ ધનથી પુષ્ટ બનેલા અર્થ અને કામને રત્નાવતીની સાથે આચરતે હતે. ક્રમે કરીને તે ચેથા પુરુષાર્થને સાધશે. ધનદત્ત અને ધનદેવ એ બે દેવ સ્વર્ગથી ચ્યવીને ચિત્રગતિના મને ગતિ અને ચપલગતિ નામના નાનાભાઈ થયા. ચિત્રગતિએ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાડીને બે નાના બંધુઓ અને રનવતીની સાથે દીક્ષા લીધી. ઘણા તપને કરતા ચિત્રગતિમુનિએ ભવ્ય જીને ધર્મમાં પ્રવર્તાવ્યા. પાદપોગમન અનશનથી મૃત્યુ પામીને ચિત્રગતિમુનિ માહેંદ્ર નામના ચેથા દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયા. બે બંધુઓ અને રત્નાવતી એ ત્રણ પણ ત્યાં જ દેવ થયા. ચઢિયાતા સુખરૂપી લમીવાળા તે દેવે હર્ષની વર્ષોથી સુખમય જીવનવાળા અને ઘણુ સંપત્તિવાળા ચેથા દેવલોકમાં સાધિક સાત સાગરોપમ પ્રમાણ પોતાનું આયુષ્ય પસાર કર્યું.
Page #69
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા (પાંચમે ભવ અપરાજિત–પ્રીતિમતી) આ તરફ પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટમાં તિલક સમાન પશ્ચિમ મહાવિદેહમાં પદ્મ નામનો વિજય છે. તેમાં સિંહપુરનગર છે. તેમાં દુશ્મનાવટરૂપી અગ્નિ માટે મેઘ સમાન હરિનંદી રાજા હતું. તેની કીર્તિથી આકાશમાં ચંદ્ર ટુકડા થયેલે દેખાતું હતું, અર્થાત્ રાજાની કીર્તિ સહન ન થવાથી ચંદ્ર જાણે ભાંગી પડ્યો હોય તેવું જણાતું હતું. તેની કામદેવ ઉપર દઢ શાસન કરનારી પ્રિયદર્શના નામની પત્ની હતી. તેના ચાંદની જેવા ઉજજવલ ગુણએ જગતને આશ્ચર્યથી રંગી દીધું હતું. ચિત્રગતિને જીવ મહેંદ્ર દેવલકથી ચ્યવીને તે બે પુત્ર છે. તેનું અપરાજિત નામ હતું. તે પવિત્ર બુદ્ધિવાળો હતે. અપરાજિતને વિમલબોધ નામને મંત્રીપુત્ર મિત્ર હતે. સુખમાં અને દુઃખમાં તે બંનેની બે નેત્રોની જેમ સમાન દશા હતી, અર્થાત એક સુખી હોય તે બીજે પણ સુખી રહેતો હતો અને એક દુઃખી હોય તે બીજો પણ દુઃખી રહેતું હતું. એકવાર તે બંને જંગલમાં અશ્વોને ખેલાવતા હતા. આ વખતે દુષ્ટ અશ્વો તેમને એક ક્ષણમાં દૂર મહાન જંગલમાં લઈ ગયા. તે બે અશ્વ ઉપરથી નીચે ઉતરીને લગામને ઢીલી કરે છે તેટલામાં ઘોડાઓ જલદી કૃતદન માણસની જેમ નીચે પડ્યા. માર્ગમાં થાકેલા અને તૃષાથી ઘેરાયેલા રાજપુત્ર અને મંત્રિપુત્ર કલિયુગમાં ન્યાય અને ધર્મની જેમ ક્ષણવાર નિસ્તેજ થઈ ગયા. મિત્ર જેવા સરોવરને પામીને અને અમૃત જેવા પાણીને પીને તે બંને જાણે સમુદ્રને પાર પામ્યા હોય તેમ સ્વસ્થ ચિત્તવાળા થયા. પછી રાજપુત્રે કહ્યું: હે મિત્ર! આપણી દેશાંતરમાં જવાની ઈચ્છા હતી તે (હમણાં) સફળ થઈ છે. જો કે માતા-પિતાની રજા લીધી ન હોવાથી તેઓને આપણે વિગ સહન કરવો પડશે, તે પણ તેઓ જેમ તેમ કરીને સહન કરી લેશે. તેથી આપણે આશ્ચર્યોથી પૂર્ણ પૃથ્વીતલ ઉપર ફરીએ. આ પ્રમાણે અનેક ચમત્કારોને જોવામાં પરાયણ તે બંને મદેન્મત્ત હાથીની જેમ ઈચ્છા મુજબ પૃથ્વી ઉપર ફર્યા. એક સ્થળે રાજપુત્રોથી ત્રાસ પમાડાયેલા અને શરણે આવેલા ચોરનું તેમણે રક્ષણ કર્યું, તથા રાજાના સૈન્યને જીતીને શ્રીકેશલરાજાની રૂપથી દેવસુંદરી જેવી કમલમાલા નામની પુત્રીને રાજપુત્ર પરણ્ય. એકવાર વિદ્યાધર રાજાની રત્નમાલા નામની પુત્રીનું એક વિદ્યાધરે અનુરાગથી અપહરણ કર્યું. તે કન્યા તેને ઈચ્છતી ન હતી. આથી તે રુદનપૂર્વક વિલાપ કરવા લાગી. તેના વિલાપથી આ જાણીને રાજપુત્રે વિવિધ શસ્ત્રોથી યુદ્ધ કરીને સૂર્યકાંત વિદ્યાધર પાસેથી તેને છોડાવી. સૂર્યકાંતે પણ તેના હૈયથી ખુશ થઈને ચાંદાને રુઝવનારી મહા મૂલ્યવંતી મણિસહિત મૂલિકા વનસ્પતિ તેને આપી, તથા તેના મિત્રને રૂપ પરાવર્તન કરનારી ગુટિકા આપી. કારણ કે તેવા પુરુષે ગૌરવ કરવાનું જાણતા હોય છે. રત્નમાલાને પિતાના પ્રત્યે અનુરાગવાળી જાણીને તેના માતા-પિતાની અનુજ્ઞાથી રાજપુત્ર પર.
Page #70
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૬૧
ફરી અન્ય કેઈ નગરમાં ભુવનભાનું વિદ્યારે જ્યોતિષીના વચનથી રાજપુત્રને પિતાની બે કન્યા પરણાવી. પછી ઘાતકથી હણાયેલા સુપ્રભ નામના રાજાના ઘાને રાજપુત્રે મૂલિકાના પ્રભાવથી રુઝવી દીધું. આથી શુભ બુદ્ધિવાળો તે સુપ્રભ રાજાની અસાધારણ સ્વરૂપવાળા રૂપની શોભાથી દેવાંગનાઓને ત્રાસ પમાડનારી કન્યાને પરણ્ય.
ત્યાં જ ફરતા તે બે એકવાર કુંડનપુરમાં આવ્યા. ત્યાં કમળ ઉપર બિરાજમાન કેવલજ્ઞાનીને વંદન કર્યું. કર્ણરૂપી પાત્રમાં અમૃતના તરંગવાળી તેમની દેશના સાંભળીને તેમણે પૂછયું હે ભગવંત! અમે ભવ્ય છીએ કે અભવ્ય જ્ઞાનીએ કહ્યું તમે ભવ્ય છે. પછી જ્ઞાનીએ અપરાજિતને કહ્યું: તું બીજું સાંભળ, તું આ ભવથી પાંચમા ભવે નેમિ નામને બાવીસમા તીર્થંકર થઈશ. આ મંત્રીપુત્ર (તારે) પ્રથમ ગણધર થશે. આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા તે બે તને વંદન કરતા ફરવા લાગ્યા.
આ તરફ જનાનંદ નામના નગરમાં જિતશત્રુ રાજા હતા. તેની શીલરૂપી અલંકારને ધારણ કરનારી ધારિણી નામની પત્ની હતી. રત્નાવતીને જીવ માહે દ્રકલ્પથી ચ્યવીને ખાણમાં ઉત્તમ રત્ન ઉત્પન્ન થાય તેમ ધારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સમય થતાં જેમ ચંદ્રની પ્રજા સુધાને (=અમૃતને) જન્મ આપે (=ઉત્પન્ન કરે છે તેમ ધારિણીએ પુત્રીને જન્મ આપે. તેનું પ્રીતિમતી નામ પાડયું. તે કન્યા ગુણની સાથે વધવા માંડી. જાણે સરસ્વતીમાં લાંબા કાળ સુધી રહેવાથી ફલેશ થવાના કારણે ઉદ્દવિગ્ન બની હોય તેમ, સઘળી વિદ્યાઓ બીજો આધાર મેળવવાની ઈચ્છાથી તેને જ આશ્રય લીધે. ક્રમે કરીને યૌવનને પામેલી તેણે પ્રતિજ્ઞા કરી કે– મને વિદ્યાથી જે જીતી લે તેને જ હું વરીશ. વિચક્ષણ પુત્રીની અતિશય મુશ્કેલીથી પૂર્ણ થાય તેવી પ્રતિજ્ઞાને જાણીને પિતાએ પુત્રીના વર માટે સ્વયંવર કરવાનો પ્રયત્ન કર્યો. જે જે કળાઓમાં પ્રીતિમતી અતિશય કુશળ વિખ્યાત હતી તે કલાઓને અભ્યાસ કરવામાં રાજાઓની શ્રેણિ પ્રીતિવાળી બની. જિતશત્રુ રાજાએ બેલાવેલા ભૂચર અને ખેચર એ બધા ય રાજાઓ ત્યાં આવ્યા. પુત્રવિયેગની પિડાથી એક હરિનંદી રાવતા ન આવ્યું. કેટલાક કૌતુકથી આવ્યા, તે કેટલાક ભાગ્ય અને સૌભાગ્યના અભિમાનથી આવ્યા. ત્યાં આવેલા રાજાએથી (=એક જ સ્થળે બધા રાજાએ ભેગા થવાના કારણે) બાકીની પૃથ્વી જાણે રાજાએથી રહિત બની ગઈ. કલાકુશલતાની વિચારણારૂપ અમૃતનું પાન કરવાની ઈચ્છાથી અપરાજિત કુમાર પણ મિત્રની સાથે ત્યાં આવ્યા. પૂર્વે જેનાર કેઈ આપણને ઓળખી ન લે એમ વિચારીને તે બંનેએ મુખમાં ગુટિકા નાખીને જલદી રૂપપરાવર્તન કર્યું. આગળ ચાલતા પ્રતિહારીઓ જેમની ગુણશ્રેણિ ગાઈ રહ્યા છે તેવા વિદ્યાધર અને ભૂચર રાજાઓ ત્યાં ઊંચા મંચ ઉપર બેઠા.
૧. દેશમાં પ્રતિહારી એટલે દ્વારપાલ એવો અર્થ પ્રસિદ્ધ છે. પણ અહીં પ્રતિહારી એટલે સદા સાથે રહેનાર છડીદાર પુરુષ એવો અર્થ વધારે બંધ બેસતો જણાય છે. આ
Page #71
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમલા
આ વખતે ઉત્તમ માલાથી યુક્ત, સખી સહિત અને જાણે દેવોને આકર્ષવારી સ્વર્ગમાંથી ઉતરેલી દેવી હોય તેવી પ્રીતિમતી આવી. તે કુમારીને જોતા બધા રાજાઓ તે રીતે કામથી મોહ પમાડાયા કે જેથી સ્થિર આંખવાળા અને જડ જેવા થઈ ગયા. પ્રતીહારિણી સ્ત્રીએ પ્રીતિમતીને કહ્યુંઃ આ સેંકડે ખેચર અને ભૂચર રાજાઓ બેઠેલા છે. એ રાજાઓમાં સરસ્વતીની જેમ પરીક્ષા કરીને શ્રેષ્ઠ વરને પસંદ કર. તે વખતે પ્રીતિમતીએ વાદિની (=વાદ કરનાર) થઈને અનેક પ્રશ્નો કહીને તેના ઉત્તર પૂછડ્યા. જાણે સ્ત્રી જાતિના પક્ષપાતથી સરસ્વતીએ અપરાધી માણસની જેમ સ્તંભિત કરી દીધા હોય તેમ, તે રાજાએ ઉત્તર ન આપી શક્યા.
આથી પ્રીતિમતીના પિતાએ વિચાર્યું ખરેખર ! વૃદ્ધ હોવાના કારણે ભૂલી જવાથી બ્રહ્માએ પ્રીતિમતીને અનુરૂપ વરનું સર્જન કર્યું નથી. મેં અહીં ચારે બાજુએથી બધા રાજાઓને ભેગા કર્યા. પણ તેઓમાં પુત્રીને ગ્ય કેઈ નથી. હા! હવે શું થશે? મંત્રીએ રાજાને કહ્યું હે મહારાજ! વિષાદ ન કરે. દુત્તા વસુવા= પૃથ્વી ઘણાં રત્નોવાળી છે. ગુણેથી અધિક પણ કેઈ પુરુષ હશે. તેથી હમણ રાહ જુઓ. પછી રાજાએ પટહથી ઘોષણા કરાવી કે- અહીં જે કઈ પ્રીતિમતીને જીતશે તે જ એનો વર થશે. આ સાંભળીને અપરાજિતે વિચાર્યું: મોટા માણસને સ્ત્રી સાથે વાદ કર એગ્ય નથી. કહ્યું છે કે-“બાળકની સાથે મિત્રતા, અકારણ હાસ્ય, ગધેડાનું વાહન, સંસ્કાર વિનાની વાણી, સ્ત્રીઓ સાથે વાદ અને ખલપુરુષની સેવા આ છમાં પુરુષ લઘુતાને પામે છે.” શ્રી જીતાઈ જાય તે પણ તેમાં પુરુષનો ઉત્કર્ષ ન થાય. આમ વિચારીને અપરાજિતે (થાંભલામાં રહેલી) પુતળીને દિવ્ય શક્તિવાળા મણિથી સ્પર્શ કર્યો. તેથી પૂતળીએ કહ્યુંઃ હે પ્રીતિમતિ! માનને છોડ, મારી સાથે વાદ કર. આ રાજાઓ તે માણસના આકારે પશુઓ છે. મારા ગુરુ આ રાજપુત્ર અપરાજિતે મારા ઉપર હાથ મૂકીને જે મહેરબાની કરી છે તે મહેરબાનીથી વાદમાં તત્પર બનેલી મને બૃહસ્પતિ પણ ન જીતી શકે. સરસ્વતીની પુત્રી જેવી પૂતળીએ આ પ્રમાણે કહ્યું એટલે પ્રીતિમતીનું મન ખુશ થઈ ગયું. આથી વાદ કરવા માટે આવીને પ્રીતિમતીએ પૂતળીને પ્રશ્નો પૂછયા, અને પૂતળીએ તેના ઉત્તર આપ્યા. તે આ પ્રમાણે પ્રશ્નઃ ગુરુ કેણ? ઉત્તરઃ તત્ત્વજ્ઞ. પ્રશ્નઃ ધર્મ કો? ઉત્તરઃ જીવદયા. પ્રશ્ન શું કરવું જોઈએ? ઉત્તરઃ ભવને છે. પ્રશ્નઃ શું સત્ય છે ? ઉત્તરઃ પ્રાણીઓનું હિત. પછી પૂતળીએ પ્રશ્ન પૂછો. બ્રહ્મચારીઓની પત્ની કઈ? મૈત્રી બ્રહ્મચારીઓની પત્ની છે એ આ પ્રશ્નને ઉત્તર છે. પણ પ્રીતિમતી મણિના પ્રભાવથી આ ઉત્તરને ન જાણી શકી. આ પ્રમાણે જિતાયેલી પ્રીતિમતીએ પૂતળીને કહ્યું શું આ માળા તારા કંઠે નાખું? પૂતળીએ ઉત્તર આપ્યઃ મારા ગુરુ આ અપરાજિતના કંઠમાં શ્રેષ્ઠ માળા પહેરાવ. મુશકેલીથી પૂરી કરી શકાય તેવી તારી પ્રતિજ્ઞાને ક્ષણવારમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૩
ગુજરાતી ભાવાનુવાદ
તેણે પૂર્ણ કરી છે. (અપરાજિતને જોઈને) પૂર્વ ભવના પ્રેમના કારણે પ્રીતિમતિના શરીરમાં રેશમાંચા પ્રગટ થયાં અને એથી તેનાં વસ્ત્રો હાલી ઉથાં. પછી તેણે અપરાજિતના કંઠેમાં વિશુદ્ધ માળાનું આરોપણ કર્યું..
આથી રાજાએ ક્ષેાભ પામીને શરમ વિના આ પ્રમાણે ખેલવા લાગ્યા :– અરે ! આ કાપડીયા વળી કાણુ છે? કે જે અમે વિદ્યમાન હોવા છતાં આ કન્યાને પરણશે ? આ પ્રમાણે પ્રચંડ ઉદ્યમવાળા અને કાપથી પૃથ્વીને કંપાવનારા તે રાજાએ યુદ્ધ કરવા માટે જેમ સર્પો ગરુડની પાસે ઉપસ્થિત થાય તેમ અપરાજિતની પાસે ઉપસ્થિત થયા. કુમાર એક હેાવા છતાં જાણે બહુરૂપી હોય તેમ, તેણે પવન ફોતરાને ફેંકી દે તેમ ચારે બાજુએથી બધા રાજાઓને પરાસ્ત કર્યા. પૂર્વે સ્રીએ શાઓથી પુરુષાને જીત્યા હતા, અને હમણાં એક પુરુષે શસ્ત્રાથી અમને જીતી લીધા એમ વિચારીને ફરી ભેગા થઈને રાજાએ લડવા લાગ્યા. જેમ ઇંદ્ર માટા પતાને પણ પાડી નાખે તેમ અપરાજિતે વેગથી કુદી કુદીને રાજાએને ખળ વિનાના કરીને પાડી નાખ્યા, પછી સામપ્રભ નામના મામાએ ભયંકર યુદ્ધમાં પણ વાદળમાં ઢંકાયેલા સૂર્યની જેમ તેને ઓળખી લીધા. તેનાથી અટકાવાયેલા રાજાએ ક્ષણવારમાં યુદ્ધ કરતા અટકી ગયા. મામાએ કુમારને સર્વ અંગામાં આલિંગન કરીને આ પ્રમાણે કહ્યું: હું ભાણેજ ! ઘણા સમયે તું જોવામાં આવ્યા. તું ભ્રમરની જેમ કેમ ભમે છે? તારી શેાધ મેળવવા માટે તારા માતા-પિતા દુઃખી થઈ રહ્યા છે. તે રાજાઓએ પિતાના યાત્રિક ( =સ્વજન ) થઇને મહાત્સવપૂર્વક અપરાજિતના પ્રીતિમતીની સાથે વિવાહ કરાવ્યા. જિતશત્રુરાજાએ પોતાના મંત્રી સુમતિની પુત્રીને અપરાજિતના વિમલબાધ નામના મિત્રની સાથે પ્રેમથી પરણાવી. વિવાહરૂપ મંગલ થઇ ગયા પછી તે બંનેએ પાતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. પછી રાજાથી સત્કારાયેલ તે બંનેએ પાતપેાતાના સ્થાનને અલંકૃત કર્યું.
અપરાજિત કુંડનપુરમાં રહેલા છે એમ જાણીને હિરનદી રાજ્યએ તેને માલાવવા માટે મહામંત્રી કીર્તિરાજને ત્યાં મેાકલ્યા. અપરાજિતે પેાતાની ખેચરી અને ભૂચરી એ સર્વ પત્નીઓને કુંડનપુર ખેલાવી લીધી. પછી સસરાની રજા લઈને પ્રીતિમતી (વગેરે સવ પત્નીઓ)ની સાથે ત્યાંથી ચાલ્યા. દાનથી પૃથ્વીના લેાકેાને ખુશ કરતા અને સમૃદ્ધિથી મોટા ઇંદ્ર જેવા જણાતા તે થાડા જ દિવસોમાં સિંહપુર નામના નગરમાં આવ્યા. અપરાજિત ઉત્કંઠાપૂર્વક પિતાના ચરણામાં નમ્યા. તેની પત્ની માતાને હર્ષ થી નમી. મનેાતિ અને ચપલગતિ એ બે જીવેા દેવલાકમાંથી ચવીને અપરાજિ તના સૂર અને સામ નામના નાનાભાઈ થયા હતા. તે એ અપરાજિતને નમ્યા. એકવાર હરિનદીએ પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પાતે દીક્ષા લઈને માક્ષમાં ગયા. વિમલએાધ અપરાજિત રાજાના મંત્રી થયા, પ્રીતિમતી તેની પટ્ટરાણી થઇ, અને એ
Page #73
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા,
બંધુઓ માંડલિક રાજા થયા. (સમય જતાં) અપરાજિત રાજાએ પુત્ર પદ્મને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પોતે બે બંધુઓ, મંત્રી અને પ્રીતિમતી પત્નીની સાથે દીક્ષા લીધી. મરણના અંતે અનશન પાળીને આયુષ્ય પૂર્ણ થતાં તે બધા આરણકલ્પમાં ઇંદ્રના સામાનિક દેવ થયા.
(સાતમો ભવ શંખ-યશેમતી) આ તરફ સુખરૂપી લતાઓની વૃદ્ધિ માટે જલમય પ્રદેશ સમાન પ્રથમ (=જબૂ) દ્વીપમાં રત્ન વગેરે ઘણું ઋદ્ધિઓથી સમુદ્ર સમાન શ્રી હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં હાથીઓથી દેવની સાથે સ્પર્ધા કરનાર શ્રીષેણ નામને રાજા હતું. તેની શ્રેષ્ઠ હાથીના જેવી ચાલવાળી શ્રીમતી નામની રાણી હતી. શંખના સ્વપ્નથી સૂચિત અપરાજિતને જીવ જેમ શંખ સમુદ્રમાં ઉત્પન્ન થાય તેમ શ્રીમતી રાણની કુક્ષિમાં અવતર્યો. સમય થતાં તેને જન્મ થયે. પિતાએ તેનું શંખ એવું નામ રાખ્યું. યૌવનની સન્મુખ બનેલે તે સર્વ કળાએથી પૂર્ણ બન્ય. વિમલબોધને જીવ સુબુદ્ધિમંત્રીને પુત્ર થયે અને મતિપ્રભ એવા નામથી પ્રસિદ્ધ થયે. પૂર્વભવની જેમ તેની સાથે શંખને મૈત્રી હતી.
એકવાર સીમાડાના પ્રદેશના લોએ શ્રીશ્રીષેણ રાજાને જણાવ્યું કે, વિશાલ શિખરવાળા પર્વતની પાસે શ્રીચંદ્ર શિશિરા નામની નદી છે. ત્યાં સૈન્યવાળો, બલવાન અને અતિશય કષ્ટથી પકડી શકાય તેવું સમરકેતુ નામનો પલિપતિ કિલે બાંધીને રહેલો છે. તે આપના દેશની લમીને લૂંટે છે. આ પ્રમાણે ન સાંભળી શકાય તેવું સાંભળીને નિષ્કપટ પ્રતાપથી સૂર્ય સમાન અને તેને નિગ્રહ કરવાની ઈચ્છાવાળા રાજાએ યુદ્ધપ્રયાણની ભેરી વગડાવી. પરાક્રમના ઉલ્લાસથી સિંહ સમાન શંખકુમારે રાજાને કહ્યું : હે પિતાજી! માત્ર પલિપતિને જીતવા આપ જાતે આટલે બધે ઉદ્યમ કેમ કરે છે? ખુશ થયેલા રાજાએ તેને જવા માટે આદેશ કર્યો. સૈન્યથી પૃથ્વીતલને ઢાંકી દેનાર શંખકુમાર પલ્લીની હદ પાસે આવ્યા. પદ્ધિપતિ નાસી ગયે, કિલ્લો છોડીને બીજી તરફ જતે રહ્યો. નીતિને જાણનાર યુવરાજ પણ સ્વયં ઝાડીમાં સંતાઈ ગયે. ગુપ્ત વિચાર
ને જાણનાર તેણે સારસૈન્યથી યુક્ત પોતાના સામંતવડે પદ્વિપતિના મજબૂત કિલ્લાને સારી રીતે ગ્રહણ કરાયેલે કરાવ્યું, અર્થાત્ પિતાના સામંતને સારસૈન્ય લઈને કિલ્લામાં પ્રવેશ કરાવ્યું. અરે ! અરે ! શંખને જીવતે જ પકડે પકડે એ પ્રમાણે આદેશ કરતા પદ્વિપતિએ સુભટેને ગાઢ પ્રેરણા કરી. મહાબળવાળા કુમારે પણ જેમ જીવ કર્મોવડે પિતાને વીંટી લે છે તેમ કિલ્લામાં રહેલા પોતાના સુભટની સાથે તેને ચારે બાજુથી વીંટી લીધા. તેને ચારે બાજુથી એવી રીતે ઘેરી લીધું કે જેથી તેને નાસી જવાને ક્યાંય અવકાશ ન મળે. આથી તે કંઠ (=અભા) ઉપર કુહાડે મૂકીને કુમારના શરણે ગયે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૫
ગુજરાતી ભાવાનુવાદ
ચારાયેલી વસ્તુઓ જેમ જેમ આળખાણી તેમ તેમ સીમાડાના અંતે રહેનારા લોકોને આપી. પછી કિલ્લામાં પેાતાના સામંતને મૂકીને અને પદ્ઘિપતિને પેાતાની સાથે લઈને કુમાર ચાલ્યા.
રસ્તામાં જતા તે એક દિવસ રાતે છાવણીમાં સુખપૂર્વક સૂતેલા હતા. આ વખતે તેણે કરુણ શબ્દ સાંભળ્યા. આથી તે તે તરફ ગયા. એક સ્ત્રીને રડતી જોઇને તેણે પૂછ્યું: હું ભીરુ! તારા દુઃખનું કારણ શુ' છે ? વિશ્વાસ પામેલી તેણે આ પ્રમાણે કહ્યું: અંગદેશમાં ચંપકવૃક્ષાની સુગંધવાળી ચંપાનગરી છે. તેમાં જિતારિ રાજા છે. તેની કીર્તિમતી પત્ની છે. તેની કુક્ષિરૂપી છીપમાં મેતી સમાન યશેામતી નામની પુત્રી હતી. જાણે પૂર્વ ગુણાના અભ્યાસ કર્યો હાય તેમ, તે ગુણાથી પૂર્ણ હતી (અનુક્રમે ) તે યૌવનને પામી. એ ૧પક્ષથી ( =પડખાએથી) યુક્ત હોવા છતાં કલાસમૂહથી મનેાહર હતી. જેમ પદ્મિનીને ( =સૂવિકાસી કમલિનીને ) ચંદ્ર ન ગમે તેમ આને રાજાએ ન ગમ્યા. પણ એકવાર યુવાનાના ગુણ્ણાનું વધુ ન થઈ રહ્યું હતુ. ત્યારે શ્રીષેણુ રાજાના પુત્ર શંખને સાંભળીને (અર્થાત્ શંખના ગુણ્ણાને સાંભળીને)તેના વિષે અતિશય અનુરાગવાળી થઇ. તેને શંખ વિષે અનુરાગવાળી જાણીને પિતાએ તેની પ્રશ'સા કરી. એને આપવા માટે જિતારિ રાજાએ માણસાને જેટલામાં હસ્તિનાપુર માકલ્યા તેટલામાં મણિશેખર વિદ્યાધરે તેની માંગણી કરી. આ શ્રીષેણુના પુત્ર શંખને આપી દીધી છે એમ કહીને જિતારિએ તેને ના પાડી. જેમ સિચાણા ચલીનું અપહરણ કરે તેમ તેણે ક્રેધથી ચશેામતીનું અપહરણ કર્યું. તેની બાહુમાં વળગેલી હું આટલી ભૂમિ સુધી આવી. અહીં તે પાપીએ મને બલાત્કારે તેના હાથથી છેાડાવી દીધી. હું તેની ધાવમાતા છું. મારા વિના તે દુઃખથી રહેશે એવા વિચાર મને દુઃખી કરે છે. શંખે કહ્યું : હે મા ! રડ નહિ, ધીરતાને ધારણ કર. આ હું જાઉં છું. તે વિદ્યાધરને હણીને હમણાં જ તારી કન્યાને પાછી લાવું છું. આ પ્રમાણે કહીને વીરામાં ઉત્તમ શખ તેને શેાધવા માટે પ્રવૃત્ત થયા ત્યારે ખરેખર પૂર્વદિશાએ ઉદયાચલ પર્યંત ઉપર દીપકની જેમ સૂર્યને મૂકયો. વિશાળ શિખરવાળા પવ તની ગુફાના દ્વારમાં બેઠેલા અને યશેામતીને પ્રાના કરતા તે અધમ વિદ્યાધરને શખે જોયા. મારા પ્રાણપ્રિય સ્વામી શંખ જ છે, ખીન્ને કોઈ નહિ, આ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞાને ખેાલતી યશેામતીને શખે સાંભળી. ઉત્સુક
૧. અહીં બે અર્થવાળા શબ્દપ્રયાગ છે. એક અર્થમાં પક્ષચુતા એટલે એ પાંખથી યુક્ત ખે પાંખથી યુક્ત પક્ષી હાય. પક્ષીઓમાં કળા (=વિદ્યા) ન હેાય. પણ યશે।મતી એ પક્ષથી (=પડખાથી) યુક્ત હાવા છતાં તેનામાં કળાસમૂહ હતા. આથી અહીં !હ્યું કે તે બે પક્ષથી (=પડખાએથી) યુક્ત હેાવા છતાં કલાસમૂહથી મનેહર હતી.
૨. પદ્મિનીના પક્ષમાં રાખનૢ શબ્દને ચંદ્ર અથ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાહા ગ્રંથને બનેલા શંખને આવતે જોઈને આ શંખ જ છે એવી કલ્પના કરીને વિદ્યાધરે શત્રુ માટે કાળ સમાન તલવારને ખેંચી. પછી તેણે યશોમતીને કહ્યું: જાણે મારા ભાગ્યથી જ ખેંચાયેલ હોય તેમ તારો સ્વામી આ શંખ મને મળે છે, તે તું જે કે હમણાં જ એને દેવાંગનાઓનો અતિથિ કરું છું. તિરસ્કારપૂર્વક શંખ બોલ્યાઃ રે રે! અધમ વિદ્યાધર ! પરસ્ત્રીની ચેરી રૂપ પાપવૃક્ષનું ફળ તને(હમણાં જ)બતાવું છું. જેમ સિંહ૧રેકારને (=રે એવા અક્ષરને સાંભળીને) પગ ઠેકીને પૃથ્વીને કંપાવે, તેમ વિદ્યાધર શંખકુમારના વચન સાંભળીને પગ ઠેકીને પૃથ્વીને કંપાવતે શંખકુમારની સામે આવ્યા. કુમારે અગણિતપુણ્યના પ્રભાવવાળા વિદ્યાધરરાજાના અવંધ્ય શસ્ત્રોને પોતાનાં શસ્ત્રથી દૂર કર્યા. પછી લાઘવતાથી તેના હાથમાંથી બાણ ખેંચીને તે બાણથી યેગી જેમ (શુદ્ધ) આત્માથી (અશુદ્ધ) આત્માને હણે તેમ તેને હણ્ય. બાણના પ્રહારથી તે છેદાયેલ મૂળવાળા વૃક્ષની જેમ નીચે પડ્યો. તેને પવન વગેરેથી સચેતન કરીને ફરી યુદ્ધ માટે આહાન કર્યું. વિદ્યાધર બેઃ હે કુમાર ! ગુણાનુરાગવાળી આ જેમ તમારી પ્રિયા છે તેમ મને પણ આદેશ પ્રમાણે કરનાર તમારે નકર જાણે. તથા સિદ્ધાયતનની યાત્રાથી પુણ્યની વૃદ્ધિ માટે અને અમારા ઉપર અનુગ્રહ કરવા માટે વૈતાદ્યપર્વત ઉપર મારી સાથે ચાલો. શંખકુમારે તેને સ્વીકાર કર્યો. સેનાને પિતાનો વૃત્તાંત જણાવીને જલદી હસ્તિનાપુરમાં મોકલી દીધી. સ્વામી યુદ્ધમાં નીચે પડી ગયા, પણ શંખકુમારે એમને જીવાડ્યા, આથી તે સ્વામીના ઉપકારી છે, એમ વિચારીને મણિશેખરના સુભટે શંખકુમારને નમ્યા. યશોમતીની ધાવમાતાને ત્યાં બોલાવી લીધી. પછી વિદ્યાધરથી વિભૂષિત શંખકુમાર યશોમતી અને કન્યાની સાથે કામ કરીને વૈતાઢ્ય પર્વત ઉપર ગયે. ત્યાં શંખકુમારે યશોમતીની સાથે નિષ્કપટચિત્તથી સિદ્ધાયતનમાં શાશ્વતજિનેની પૂજા કરી. પછી મણિશેખર શંખકુમારને પિતાના નગર કનકપુરમાં લઈ ગયો. જાણે લક્ષમીદેવીની દાનશાળામાંથી આપતું હોય તેમ દિવ્યવશ વગેરેથી મણિશેખરે શંખકુમારની પૂજા કરી. ત્યાં શંખકુમારે શત્રુને સંહાર, રાજ્યનું દાન વગેરેથી વીર વિદ્યાધર ઉપર અનેકવાર ઉપકાર કર્યો. આથી ખુશ થઈને વિદ્યાધરોએ તેને અનેક વિદ્યાઓ આપી. શંખકુમારે ત્યાં તે વિદ્યાઓ સાધી. વિદ્યાધરએ તેને પોતાની કન્યાઓ પણ આપી. પણ શંખકુમાર યશામતીને પરણ્ય ન હોવાથી તે કન્યાઓને પણ પરણ્યો નહિ.
પિતાની પુત્રીઓથી યુક્ત વિદ્યાધરે અને યશોમતીની સાથે શંખકુમાર ચંપાનગરીમાં આવ્યું. આથી જિતારિ રાજાને ઘણો જ આનંદ થયો. ઘણી સમૃદ્ધિથી સ્વર્ગને પણ પરાભવ કરનાર તે નગરમાં શંખકુમાર વિદ્યાધર કન્યાઓની સાથે યશોમતીને પર. કર્તવ્યને જાણનારાઓમાં ઉત્તમ એ શંખકુમાર શ્રીવાસુપૂજ્ય સ્વામીની યાત્રા કરીને
૧. જેમ : પવ જાન, તેમ ? ઘા રેજા રે અવ્યય છે. તે નીચ વગેરેને લાવવામાં વપરાય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ અને સર્વ સસરાઓને કહીને હસ્તિનાપુર ગયે. શ્રીષેણરાજાએ શંખ ઉપર રાજ્યધુરાને નાખીને દીક્ષા લીધી અને શુભધ્યાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એકવાર હસ્તિનાપુર પધારેલા શ્રીષેણ કેવલીએ સુવર્ણકમલ ઉપર બેસીને ધર્મદેશના આપી. શંખરાજા અંતઃપુર સહિત ત્યાં વંદન કરવા આવ્યો. ધર્મ સાંભળીને વૈરાગ્યને પામેલા તેણે કેવલીને પૂછયું : હે સ્વામી! સત્ય વિચારથી (=પરમાર્થથી) સંસાર અસાર છે, તે પણ મારે યશોમતી વિષે પ્રેમનું બંધન શા માટે છે? કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી ચરાચર વિશ્વને જાણનારા કેવલી ભગવંતે તેમને પૂર્વભવને સંબંધ અનુબંધ (=પરંપરા) સહિત કહ્યો. હે રાજન! ધનના ભવમાં એ તમારી ધનવતી નામની પ્રિયા હતી. બીજા ભવમાં તમે બંને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્રીજા ભવમાં તમે ચિત્રગતિ થયા અને એ (તમારી પ્રિયા) રત્નાવતી થઈ. ચોથા ભવમાં તમે બંને માટેન્દ્ર દેવલોકમાં ગયા. પાંચમા ભવમાં તમે અપરાજિત રાજકુમાર થયા, અને એ પ્રીતિમતી (તમારી પ્રિયા) થઈ. છઠ્ઠા ભવમાં તમે બંને આરણ દેવલોકમાં ગયા. સાતમા ભવમાં એ તમારી યશોમતી નામની પત્ની થઈ છે. આઠમા ભાવમાં અપરાજિત વિમાનમાં તમે બંને દેવ થશે. ત્યાંથી ચ્યવીને તમે ભરતક્ષેત્રમાં યાદવકુળમાં જન્મ પામીને બાવીસમાં નેમિનામના તીર્થકર થશે. આ યશોમતી રામતી નામની કન્યા થશે. તમારા પ્રત્યે જ અનુરાગવાળી તે પરણ્યા વિના દીક્ષા લઈને પછી મુક્તિમાં જશે. આથી આ પ્રેમનો આવેગ જાગતે છે, ( ઊંઘતે નથી), અને બંનેને નવમા ભાવમાં મુક્તિના ફલરૂપે પરિણમશે. પૂર્વભવમાં તમારા જે બે નાના બંધુઓ હતા તે આ બે બંધુઓ અને મતિપ્રભ મંત્રી એ ત્રણ તમારા ગણધર થશે. પછી શંખરાજાએ પુત્ર કંડરીકને રાજ્ય ઉપર બેસાડીને પ્રિયા, નાના બે બંધુઓ અને મંત્રીની સાથે દીક્ષા લીધી. વિશ્વને શાંતિ આપવામાં સમર્થ આ શંખમુનિ કેઈ અપૂર્વ શંખ હતે, કે જે શંખતપરૂપી તાપને પામવા છતાં રાગની સહાય ન લીધી. અરિહંતભક્તિ આદિથી વિશસ્થાનકની આરાધના કરીને શંખમુનિએ તીર્થકર નામ કર્મને શુદ્ધ (=ઢ) નિકાચિત કર્યું. વૈરાગ્યને વહન કરતા, આસક્તિરહિત અને શુદ્ધતાને ધારણ કરતા શંખમુનિ શંખની જેમ શોભતા હતા, પણ અંદર (=અંતરમાં) વક્રતાથી રહિત હતા. સંલેખના કરીને ભાવના, ક્ષમાપના, દુષ્કૃતગહ, અનશન, ચાર શરણને સ્વીકાર અને પંચપરમેષ્ઠીને નમસ્કાર આ છ પ્રકારે આરાધના કરવાપૂર્વક અંતરંગ શત્રુઓને ક્ષય કર્યો. પછી મમતારહિત બનેલા તે મુનિએ પાદપપગમનને સ્વીકાર કર્યો. શંખમુનિ મૃત્યુ પામીને યશોમતી આદિની સાથે અપરાજિત નામના અનુત્તર વિમાનમાં ગયા.
૧. શંખના પક્ષમાં રાગ એટલે રંગ. ભૌતિક શંખ તાપને સહન કરે તે તેને રાગ=રંગ બદલાઈ જાય છે, પણ ભગવાન તપરૂપી તાપને સહન કરવા છતાં રાગને આધીન બનતા નથી.
૨. શંખ અદર વક્ર હોય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
* શીશાલા ગ્રંથને ત્યાં તે જીવ હદયમાં આંતરિક આનંદ અનુભવ કરતે હતા, તથા અરિહંતના ગુણ ગાનમાં સુખને અનુભવ કરતા હતા. આ રીતે તેણે ત્યાં તેત્રીસ સાગરોપમપ્રમાણ આયુષ્ય પસાર કર્યું.
(નવ ભવ નેમિનાથ-રાજીમતી) આ તરફ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં જાણે લક્ષમીને ભંડાર હોય તે શ્રીકુશા નામનો દેશ હતે. સર્વ પ્રકારના ધાન્યરૂપી સંપત્તિથી યુક્ત, લાંબા રેખાઓથી શોભિત તે દેશના ઉત્તમ ક્ષેત્રમાં 'નિરીતિતા એ એક દોષ હતું. તે દેશમાં પ્રગટ થયું છે અતિશય શૌર્ય જેમાં એવું શૌર્યપુર નામનું નગર હતું. તે નગરની લક્ષમીને જોવાના કુતૂહલવાળો ઇંદ્ર હજાર આંખવાળો થા. પૂજ્ય જૈનશાસનથી યુક્ત અને દશાર્યોમાં પ્રથમ એ સમુદ્ર વિજય તે નગરમાં તિષ્યક્રમાં ચંદ્રની જેમ રાજા હતા. વિષ્ણુને પાર્વતીની જેમ સમુદ્ર વિજ્યને શિવાદેવી પત્ની હતી. સાત અંગના દાનથી તે પતિને શંકરને જેટલી પાર્વતી પ્રિય હતી તેનાથી પણ અધિક પ્રિય હતી. આ તરફ કાર્તિક વદ બારસની મધ્યરાત્રિએ કન્યા રાશિમાં રહેલા ચંદ્રને ચિત્રા નક્ષત્રમાં એગ થયે ત્યારે ત્રણ જ્ઞાનથી વિભૂષિત તે શંખને જીવ અપરાજિત વિમાનથી ચ્યવને શિવાદેવીની કુક્ષિમાં અવતર્યો. આ સમયે ક્ષણવાર નારકેને પણ સુખ થયું, અને ત્રણ જગતમાં સર્વ તરફ ઉદ્યોત પ્રગટ્યો. હાથી, વજ, સિંહ, લક્ષમીદેવી, પુષ્પમાળા, રત્નપુંજ, બળતે અગ્નિ, ચંદ્ર, સૂર્ય, વિમાન, પદ્મસરોવર, સમુદ્ર, વૃષભ અને કુંભ એ ચદ સ્વપ્નને સુખમાં પ્રવેશતાં જોઈને માંરૂપી તરંગથી વ્યાકુલ બનેલા શિવાદેવી માતા જાગી ગયા. શિવાદેવીએ સમુદ્રવિજયને સ્વમની વિગત કહી. સાંભળીને આનંદ પામેલા સમુદ્રવિજયે પિતાના ક્રોખુકિ નામના નિમિત્તવેત્તાને સ્વેચ્છાથી વાણીથી સ્વમનું ફલ પૂછયું. પુણ્યથી તે જ વખતે ચારણશ્રમણ પણ ત્યાં પધાર્યા. તે વખતે મહાસ્વપ્નને સાંભળીને તે બેએ સ્વમનું ફળ આ પ્રમાણે કહ્યું - મહાપુણ્યથી પ્રાપ્ત કરી શકાય એવી સંપત્તિઓ જેમનાથી મળે તેવાં આ સ્વપ્નને તીર્થકરોની કે ચક્રવતીની માતા જુએ છે. આથી આપને ત્રણ જગતનું રક્ષણ કરવા માટે દીક્ષા લેનાર, જેનું દર્શન અભય આપનારું છે, સર્વ જીને આધાર, કુલને મુગુટ અને લકત્તર એ પુત્ર થશે. વિસ્તૃત ઉદયવાળા રાજા અને રાણી આ પ્રમાણે સાંભળીને આનંદ પામ્યા. બહુમાનપૂર્વક સત્કાર કરીને તે બંને જ્ઞાનીને જવાની રજા આપી.
આસનકંપથી બાવીસમા તીર્થંકરને ગર્ભમાં અવતરેલા જાણીને ઇદ્રો જિનને નમીને ખુશ થયા. લક્ષમીએ રાજાનું પોષણ કર્યું, અર્થાત્ રાજાની લક્ષમીની વૃદ્ધિ થઈ દેશને
૧. નિત તિઃ જમાત ત૬ નિતિ, નિતિનો મારઃ રિતિતા, આ વિગ્રહ પ્રમાણે નિરાતિતા એટલે ઈતિ–ઉપદ્રવને અભાવ એવો અર્થ થાય. પણ અહીં ગ્રંથકારે નિઝા રિ= મા રિમન ત૬ નિતિ, નિતિનો માવઃ નિતિતા, આવો વિગ્રહ કલ્પીને નિરીતિતાને દેષરૂપ જણાવેલ છે. આ વિગ્રહમાં નિરીતિતા એટલે રીતિને મર્યાદાને અભાવ એ અર્થ થાય.
Page #78
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ અભ્યદય થયે. રાજાના ભંડારોમાં રત્નોની વૃષ્ટિ થઈ. જેમ લક્ષમી ચતુરાઈને, કવિની વાણ સારા અર્થને અને ખાણ અમૂલ્ય રત્નને ધારણ કરે તેમ શિવદેવીએ ગર્ભને ધારણ કર્યો. શિવાદેવીએ શરીર જાણે પ્રભુના પ્રભાવથી પ્રગટ થયેલ શુક્લધ્યાનરૂપી અમૃતથી લેપાયું હોય તેમ, પીળું ધારણ કર્યું, અર્થાત્ શિવાદેવીનું શરીર કંઈક પીળું થયું. શુભગર્ભના પ્રભાવથી શિવદેવીને થયેલા “કેદીઓને મુક્ત કરવા” વગેરે દહલાઓને રાજાએ પૂર્ણ કર્યા. રાજાએ જ્યારે જે 'પુંસવન વગેરે ક્રિયા કરવાની ઈચ્છા કરી ત્યારે તે ક્રિયા છે આવીને જલદી કરી દીધી છે એમ રાજા જેતે હતે. આશ્ચર્ય છે કે પ્રભુ મેટા થવા છતાં માતાનું ઉદર ન વધ્યું. સંપત્તિમાં કે વિપત્તિમાં મેટાઓમાં વિકૃતિ કયાંથી થાય? શ્રાવણ સુદ પાંચમની (મધ્ય) રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે અને લગ્ન સૌમ્ય ગ્રહથી યુક્ત થયું ત્યારે શિવાદેવીએ પુત્રને જન્મ આપ્યું. આસનના પ્રકંપથી છપ્પન દિકકુમારીએ ત્યાં આવી અને પોતાના આગમનને જણાવીને જિનને નમી. કેટલીક કુમારીએ સંવર્તવાયુથી એક જન સુધી સૂતિકાગ્રહને શુદ્ધ કરીને પ્રભુની પાસે ઊભી રહીને જિનના ગુણ ગાવા લાગી. બીજી કેટલીક કુમારીએ ભૂમિને સુગંધી પાણીથી સિંચીને પ્રભુથી દૂર રહીને નૃત્ય કરવા લાગી. કેટલીક હાથમાં ઝારી લઈને, કેટલીક હાથમાં દર્પણ લઈને, કેટલીક હાથમાં ચામર લઈને, કેટલીક હાથમાં પંખાને લઈને, કેટલીક હાથમાં દીવડીઓને લઈને, માતાની સાથે જિનને નમીને, પ્રભુની નજીક ઊભી રહીને, જિનના ગુણોને ગાવા લાગી. કેટલીક કુમારીઓએ જિનના નાલને છેદીને પૃથ્વીમાં દાટ્યો અને ખાડાને કપૂર વગેરે સુગંધી પદાર્થોથી પૂરી દીધો. કેટલીક કુમારીઓએ સૂતિકાગ્રહથી પૂર્વ, ઉત્તર અને દક્ષિણદિશામાં સિંહાસનથી યુક્ત ચેકવાળા મને હર ત્રણ કદલીગૃહે ક્ય. તે કદલીગૃહમાં (દક્ષિણદિશામાં) જિનને અને માતાને ઉદ્દવર્તન કર્યું, (પૂર્વ દિશામાં) સ્નાન કરાવ્યું, પછી ચંદન રસથી વિલેપન કરીને વઝ-અલંકાર વગેરેથી વિભૂષિત કર્યા. તે વખતે (ઉત્તરદિશામાં) ચંદનની ભસ્મ કરી, તે ભસ્મની રક્ષાપોટલી કરીને બંનેના હાથે બાંધી, પછી પર્વત તુલ્ય દીર્ઘ આયુષ્યવાળા થાઓ એમ કહીને બે ગેળા અફડાવ્યા.
હવે સૈધમે આસનકંપથી આવીને, સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરીને, જિન અને માતાને નમીને, માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, જાણે સ્પષ્ટપણે પ્રભુના પાંચ મહાવ્રતને માગવાની ઈચ્છાવાળો હોય તેમ, પાંચ રૂપ કર્યા. એક રૂપથી હાથમાં જિનને ધારણ કર્યા. એક રૂપથી જિન ઉપર છત્ર ધારણ કર્યું. બે રૂપોથી જિનને બે ચામર વીંઝવા. વારંવાર ડેકને વાળીને જિન મુખ ઉપર દષ્ટિ નાખતે તે પાંચમાં રૂપથી જિનની
૧. પુંસવન એટલે સ્ત્રીને ગર્ભ રહ્યા પછી અમુક સમયે કરવામાં આવતો એક પ્રકારને સંસ્કાર. ૨. ઉદ્વર્તન એટલે શરીરને સ્વચ્છ કરનાર ચૂર્ણ વગેરે રોળીને શરીરને સાફ કરવું.
Page #79
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને આગળ વજને ઉછાળતે ચાલવા લાગે. અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પૂર્વ દિશામાં જિનને પિતાના મેળામાં પધરાવ્યા. તે વખતે બીજા ત્રેસઠ ઇદ્રો તે જ પ્રમાણે ભેગા થયા. આભિગિક દેએ બનાવીને મૂકેલા, એક યેાજન ઊંચા, તીર્થના પાણીથી ભરેલા, સોનું, રૂપું, રન અને માટી એ ચાર કેવલના (=મિશ્રણ વિના) પ્રત્યેકના બનાવેલા એક હજાર ને આઠ તથા સુવર્ણ-રૂપું, સુવર્ણ-રત્ન, રૂપું-રત્ન, સુવર્ણ–રૂ૫ - રત્ન એ પ્રમાણે મિશ્રણથી પ્રત્યેકના બનાવેલા એક હજાર ને આઠ કળશથી અને તેટલી જ ઝારીઓથી વાંજિત્રના નાદપૂર્વક ઇંદ્રોએ પ્રભુનું સ્નાત્ર (=જન્માભિષેક) કર્યું. ખુશમનવાળા અશ્રુત વગેરે ઇદ્રોએ ક્રમશઃ જિતેંદ્રનો અભિષેક કરીને, દિવ્યપુષ્પ વગેરેથી જિનેંદ્રની પૂજા કરીને સ્તુતિ કરી. હવે ઈશાનંદ્ર પાંચ રૂપ કરીને પ્રભુને પોતાના ખોળામાં લીધા. પછી પ્રભુને અભિષેક કરવા તત્પર થયેલા સધર્મેદ્ર ચાર દિશાઓમાં સ્ફટિક મણિના ચાર વૃષભ કરીને તેમના શિંગડાઓમાંથી ઉછળતા પાણીની ધારાઓથી પ્રભુને અભિષેક કર્યો. તુંબ (=ગંધર્વ જાતિને દેવ) સ્વામીના ગુણને ગાવા લાગ્યું. ઇંદ્ર સ્તુતિ કરવા લાગે. દેવાંગનાઓ વાજિંત્રના વિનિપૂર્વક પ્રકટ નૃત્ય કરવા લાગી. છે કે પ્રભુને સુગંધી કષાયરંગના વસ્ત્રથી લૂછીને, કલ્પવૃક્ષના પુષ્પોથી પૂછને, દિવ્ય બે વસ્ત્રો પહેરાવ્યાં. પ્રભુની આગળ દિવ્ય ચેખાઓથી અષ્ટ મંગલ આલેખીને ગવાતા મંગલ ગીતાપૂર્વક આરતીની વિધિ કરી. ઇદ્રની પુત્રી રંભા વગેરે અપ્સરાઓના નૃત્યપૂર્વક ઈંદ્ર નાટક કરાવ્યું. જેમના કંકણ અને નૂપુર રણકાર કરી રહ્યા છે તેવી નૃત્ય કરતી અપ્સરાઓએ નેત્રકટાક્ષાથી પુષ્પોની જેમ જિનનું પૂજન કર્યું. જેના બે હાથરૂપી કમલ ભેગા થઈ રહ્યા છે એવા ઇ પ્રભુના કંઠમાં પુષ્પમાળા પહેરાવીને કાવ્યરૂપી પુષ્પોથી પ્રભુની પૂજા કરી, અર્થાત્ સ્તુતિ કરી. તે આ પ્રમાણે - હે પ્રભુ ! આપની શરીરકાંતિરૂપી ઈંદ્રનીલમણિની શ્રેણિને જતી મારી હજાર આંખ આજે જ પ્રસન્ન થઈ રહી છે. હે યદુનાયક ! આપના શરીરની યમુના નદીના જલ જેવી શ્યામકાંતિ એ પૃથ્વી ઉપર ગંગાના જલ જેવા ઉજજવલ યશની ઉત્પત્તિ છે એ આશ્ચર્ય છે, અર્થાત્ શ્યામઢાંતિ ઉજજવલ યશને ઉત્પન્ન કરે છે એ આશ્ચર્ય છે. આ મેચૂલિકાની પૃથ્વી મહારત્નથી પૂર્ણ છે તે પણ અવશ્ય અમૂલ્ય રત્ન એવા આપનાથી જ રત્નવાળી થઈ છે. આપે આ દક્ષિણાવર્ત શંખને ખેળામાં ધારણ કર્યો છે તેથી ખરેખર! એ શંખ પૂજનારાઓનાં વાંછિતેને અવશ્ય પૂરે છે. આ પ્રમાણે સ્તુતિ કરીને જિનને ઈશાનેંદ્ર પાસેથી પોતાના બે હાથમાં લઈને પૂર્વ પ્રમાણે જ પાંચ
૧. અહીં “ગુરફુરત્યેક' એ શબ્દનો અથ વાક્ય ફિલષ્ટ થઈ જાય એ હેતુથી અનુવાદમાં કર્યો નથી. તેને ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં ઈંદ્રના હાથને કમળની ઉપમા આપી છે અને એ બે હાથરૂપી કમલ ભેગા થઈ ગયા (=બિડાઈ ગયા) એમ જણાવ્યું છે. કેમ ભેગા થઈ ગયા? એ પ્રશ્નને કલ્પનાથી ઉત્તર આપ્યા છે કે જાણે ભગવાનના મુખરૂપી ચંદ્રની કાંતિથી ઈંદ્રના બે હાથરૂપી કમલ ભેગા થઈ રહ્યા છે. સૂર્યવિકાસી કમળ ચંદ્રની હાજરીમાં બીડાઈ જાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
•
ગુજરાતી ભાવાનુવાદ
૭૧
રૂપા કરીને માતાની પાસે મૂકવા. જેમ સૂર્ય પદ્મિનીની નિદ્રાને (=સ કાચને) દૂર કરે તેમ ઇંદ્રે શિવાદેવીની અવસ્વાપિની નિદ્રાને દૂર કરી અને જિનના પ્રતિબિંબને સંહરી લીધું. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજય રાજાના ઘરમાં હને કરનારાં સુવર્ણ રત્નાની અનેકવાર વૃષ્ટિ કરી. ઈંદ્રે પ્રભુના અંગુઠામાં અમૃતના સંચાર કર્યાં. ભૂખ્યા થયેલા પ્રભુ એ અમૃત પીતા હતા. કારણ કે તીર્થંકરા સ્તનપાન કરતા નથી. તે વખતે ઇંદ્ર પાંચ અપ્સરાઓને પ્રભુની ધાવમાતા તરીકે રાખી. પછી ઇંદ્રે નંદીશ્વર દ્વીપમાં જઇને અષ્ટાહ્નિકા મહાત્સવ કર્યાં. પછી સવ દેવા પાતપેાતાના સ્થાને ગયા અને મહાત્સવા કર્યો.
તેટલામાં જાણે પ્રભુના તેજથી દૂર કરાઈ હોય તેમ રાત્રિ પૂર્ણ થઈ. લોકાને આનંદ આપનાર દક્ષિણ દિશાના પવન વાવા લાગ્યા. દિશાએ પ્રસન્ન થઈ. આખુ જગત હ મય થઇ ગયું. પૂર્વાંઈશાએ જાણે પ્રભુને ભેટ આપવાનુ ફૂલ હોય તેમ, સૂર્યને પ્રગટ કર્યાં, કમલ જેવા નયનેાવાળા શિવાદેવી પદ્મિનીની (=સૂર્યવિકાસી કમલિનીની ) જેમ જાગ્યા. શિવાદેવીએ જંગમ કલ્પવૃક્ષ સમાન પુત્રને જોચેા. દાસીએએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. વસંતઋતુમાં કાયલની જેમ રાજા તુરત પ્રસન્ન થયા. રાજાએ કેદીઓને બંધનથી મુક્ત કર્યા. રાજાઓએ લાવેલા શ્રેષ્ઠ હાથી અને અશ્વ વગેરે ભેટાંઓથી સમુદ્રવિજય રાજાનુ` માટું પણુ આંગણું સાંકડુ થઈ ગયું. રાજાએ લેાકમાં આશ્ચય કરે તેવા પુત્રના જન્મમહેાત્સવ કર્યાં. તે મહાત્સવમાં નૃત્ય કરતી વેશ્યાઓના નાદ સભળાતા હતા, તથા રાજાએ જ્ઞાતિજનાની અને નગરજનાની પૂજા કરી. છઠ્ઠા દિવસે જાગરણુ, સૂર્ય દર્શન, ચંદ્રદર્શન વગેરે કર્યું. ખારમા દિવસે નામકરણના ઉત્સવ કર્યો. માળક ગર્ભમાં હતા ત્યારે પણ લોકોના અરિષ્ટા=અનિષ્ટો નાશ પામ્યા હતા, આથી તેનુ' અરિષ્ટનેમિ એવુ' સાર્થક નામ પાડ્યું. કાઈ જાતના ભાર વિનાની બંધુઓની પત્નીએ ઘણા પુત્રાને રમાડ્યા હાવા છતાં જાણે ખાળકો જોયા ન હોય તેમ સ્પર્ધાથી પ્રભુને રમાડ્યા. રાજાએવડે એક હાથમાંથી બીજા હાથમાં લઈ જવાતા નેમિસ્વામી એક કમળથી બીજા ક્રમળમાં જતા રાજહંસની જેમ શાલ્યા. સ્વામીના કંઠમાં રહેલી મેાતીઆથી યુક્ત સેનાની માળા જાણે મુખરૂપી ચંદ્રની સેવા માટે તારાઓની શ્રેણિ ઉગી હોય તેમ શેાભી. પ્રભુના સ્વાભાવિક સૌભાગ્યથી લેાકાએ પ્રભુ માટે મ’ગલા કર્યા. શ્રીનેમિકુમાર માતા-પિતાના સેંકડા મનારથાની સાથે વૃદ્ધિ પામ્યા.
આ તરફ કૃષ્ણે કંસને મારી નાખ્યા. આથી કંસની પત્ની જીવયશા પેાતાના પિતા પ્રતિવાસુદેવ જરાસંધની પાસે ગઈ. રુદન કરતી તેણે કંસવધની વિગત કહી,
૧. ૭૦ (સિત્તેર)મા શ્ર્લાકમાં બહુ જ ટુંકમાં જણુાવ્યુ. હાવાથી વાંચનારને તેના ભાવ ખરાખર સમજાય એ માટે અનુવાદમાં અન્ય ગ્રંથના આધારે થાડા વિસ્તારથી જણાવ્યું છે. “તા હવે તેમાં પરિણામ શું આવશે તે કહે!” ત્યાં સુધીનું લખાણ ૭૦ (સિત્તેર)મા શ્ર્લાકનેા જ ભાવાનુવાદ સમજવેા,
Page #81
--------------------------------------------------------------------------
________________
શીલાપદેશમાલા ગ્રંથના
જરાસંધે તેને કહ્યું તું રુન્નુન ન કર. હું કંસના ઘાતકાને પરિવાર સહિત મારી નાખીશ. પછી જરાસંધે દૂતને સઘળી વિગત સમજાવીને સમુદ્રવિજયની પાસે મેાકયાં. તે ત્યાં જઈને કહ્યું: તમારા સ્વામી જરાસંધ તમને આજ્ઞા કરે છે કે, કંસના ઘાત કરનારા રામ અને કૃષ્ણ એ એને અમને સોંપી દે. સમુદ્રવિજય આદિએ તારા સ્વામીની આ આજ્ઞા ચેાગ્ય નથી એમ અનેક રીતે તેને સમજાવ્યા. પછી કૃષ્ણ વગેરેએ ક્રાધમાં આવીને તેનુ અપમાન કર્યુ.. બીજા દિવસે સમુદ્રવિજયે પેાતાના સર્વ બાંધવાને એકઠા કરીને ક્રષ્ણુકિ નિમિત્તિયાને પૂછ્યુ... કે, હે મહાશય ! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના અધિપતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભેા થયા છે, તેા હવે તેમાં પરિણામ શું આવશે તે કહેા ક્રષ્ણુકિએ કહ્યું: કૃષ્ણ અને રામ થોડા જ કાળમાં અધ ભરતના અધિપતિ થશે, તેથી તમારે આ વિષે ખેદ ન કરવા. પણ હમણાં તે તમારે પશ્ચિમદિશામાં શ્રીવિષ્યપ ત તરફ જઈને સમુદ્રના કિનારે નિઃશંકપણે રહેવુ. કૃષ્ણની પત્ની સત્યભામા જ્યાં એ પુત્રને જન્મ આપે ત્યાં નગરી બનાવીને સુનિશ્ચિત રહેવું. ( ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયના પ્રાર`ભ થશે. ) યાદવેશ્વરાએ સાત કુલકોટિ યાદવાની સાથે શૌય - પુરથી પ્રયાણ કર્યું. ઉગ્રસેન રાજા અગિયાર કુલકોટિ યાદવાની સાથે ગયા. ક્રમે કરીને વિધ્યપ ત પાસે આવ્યા. ત્યાં આવ્યા ત્યારે યાદવાએ સાંભળ્યુ` કે યાઢવાને મારવા સૈન્ય લઈને આવતા જરાસંધના પુત્ર કાલ મૃત્યુ પામ્યા છે. કાલના મૃત્યુની વાત સાંભળીને (ક્રોષ્ટિએ સાચુ` કહ્યું એમ વિચારીને) યાદવાએ સત્યવાદી ક્રોકની પૂજા કરી. એકવાર માર્ગમાં જતા તેમને અતિમુક્તક મુનિ મળ્યા. સમુદ્રવિજય આદિએ વંદન કરીને તેમને પૂછ્યું: હવે પછી અમારું શું થશે? મુનિએ કહ્યું: તમારા પુત્ર ખાવીસમા તીર્થંકર થશે, તથા રામ અને કૃષ્ણ દ્વારિકા નગરીમાં રહેશે અને ભરતના અધિપતિ થશે. આ પ્રમાણે કહીને મુનિએ ખીજા સ્થળે વિહાર કર્યાં. આનંદ પામેલા યાદવાએ સૌરાષ્ટ્ર દેશમાં આવીને છાવણી નાંખી. ત્યારે સત્યભામાએ બે પુત્રાને જન્મ આપ્યા. તેના ભાનુ અને ભામર એવા નામ પાડ્યાં. હવે કૃષ્ણે સુસ્થિતદેવને સાધવા માટે અઠ્ઠમ તપ કર્યાં. પ્રસન્ન થયેલા તે દેવે પ્રત્યક્ષ થઈને રામને સુધાષ નામના અને કૃષ્ણને પાંચજન્ય નામના શંખ આપ્યા. પછી તેણે કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ઃ કામ કહા, તમે મને શા માટે યાદ કર્યા ? કૃષ્ણે કહ્યું : ( પૂર્વે થઈ ગયેલા) વાસુદેવે જે દ્વારિકાનગરીને પાણીમાં ડુબાડી દીધી છે તે હવે મને આપ. દેવે ઇંદ્રને વિનંતી કરી. ઈંદ્રે કુબેર દ્વારા નવાજન પહેાળી અને ખાર ચેાજન લાંબી દ્વારિકાનગરી કરાવી. તેમાં અઢાર હાથ ઊંચા, ખાર હાથ પહેાળા અને નવ હાથ ભૂમિમાં રહેલા ખાઈ
७२
૧ વિંધ્યષત પાસે જતાંજ તમારા શત્રુના ક્ષયના પ્રારંભ થશે એમ ક્રોષ્પષ્ટિએ પૂર્વે કહ્યું હતુ. વિંધ્યપવત પાસે જતાં કાલનું મૃત્યુ થયું આથી ક્રોકિનું કહેલું સાચું પડયું.
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૩
ગુજરાતી ભાવાનુવાદ સહિત કિલો કર્યો. એકમાળ, બે માળ, ત્રણ માળ વગેરે માળવાળા, ગોળ વગેરે વિવિધશોભાવાળા અને વિમાન જેવા કેડે મહેલે કર્યા. આ મહેલ દશાર્થોના છે, આ બીજા મહેલે ઉગ્રસેન રાજાના છે, ઈત્યાદિ સ્પષ્ટતાથી દેએ રમતમાં મહેલે તૈયાર કર્યા. તે સર્વ મહેલ મણિ-સુવર્ણમય હતા, અર્થાત્ મણિ અને સુવર્ણના બનાવેલા હતા. સર્વ મહેલ કિલ્લાથી યુક્ત અને કલ્પવૃક્ષોથી ઘેરાયેલા હતા. આવા સુંદર મહેલે શેભતા હતા. વાસુદેવ માટે સર્વતૈભદ્ર નામને અઢાર માળવાળો અને બળદેવ માટે પૃથિવીજય નામનો અઢાર માળવાળો મહેલ કર્યો. તે બે મહેલની આગળના ભાગમાં રાજસભા કરી. પછી મંદિરની શ્રેણી કરી. કુબેરે માત્ર એક અહોરાત્રમાં આ નગરી બનાવી. પશ્ચિમ સમુદ્રના કાંઠે કૃષ્ણને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. દેવોએ કરેલા મહોત્સવ પૂર્વક કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશ કર્યો.
શ્રીનેમિકુમાર ત્રણ જ્ઞાનથી યુક્ત હોવા છતાં ઉદ્યાનમાં રામ વગેરેની સાથે અજ્ઞાનની જેમ બાલક્રીડાઓથી રમ્યા. તેમણે પણ પ્રભુને ઘણું રમતાથી રમાડ્યા. ઉંમરને અનુસરનારા ભાવે મેટાએને પણ બાધા કરે છે. હવે ઈચ્છા પ્રમાણે જેમને વૈભવ મળ્યું છે એવા પ્રભુ બાલ્યાવસ્થાને ઓળંગીને જેમ વૃક્ષ પુષ્પ–કુલની અવસ્થાને પામે તેમ યૌવનને પામ્યા. સમચતુરસસંસ્થાનવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને દશધનુષ ઊંચા
સ્વામી ગુણથી અનુપમ હતા. બધી જ કળાઓમાં પોતે જ પોતાના ઉપાધ્યાય બનીને કુશળતાથી તે તે વિષયનું વિશિષ્ટ જ્ઞાન મેળવીને પ્રભુએ ( લોકોના) હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. યૌવન વિકારી છે એવી જે શાશ્વતી પ્રસિદ્ધિ છે તેને પ્રભુએ સફલ કરી, પણ કામિનીઓમાં, પિતાનામાં નહિ, અર્થાત્ યૌવનને પામેલા પ્રભુને જોઈને સ્ત્રીઓ વિકારને વશ બનતી હતી, પણ પ્રભુ વિકારને વશ બનતા ન હતા.
આ તરફ વણિક ઘણું કરિયાણાં લઈને દ્વારિકામાં આવ્યા. ત્યાં કરિયાણું વેચ્યાં. દ્વારિકામાં થતા લાભથી વિશેષ લાભ મેળવવા રત્નકંબલેને વેચવા માટે તે વણિકે રાજગૃહનગરમાં ગયા. તે ઉત્તમ વણિકે એ જીવ શાને રત્નકંબલે બતાવી. જીવયશાએ અર્થો લાખ મૂલ્ય આપવાનું કહ્યું. આથી વણિકેએ કહ્યુંઃ ધિક્કાર થાઓ ! અમોએ દ્વારિકામાં એક લાખ મૂલ્ય મળતું હતું છતાં રત્નકંબલે ન આપી. કારણ કે અતિભ કેવળ જીવન મૂળનાશ માટે થાય છે. એ દ્વારિકા નગરી કેવી છે? એમ છવયશાએ તેમને પૂછયું. તેમણે વિરતારથી કહ્યું કે, સમુદ્ર આપેલા સ્થાનમાં દેએ તે નગરી બનાવી છે. . કુબેરે તેને ઘણા કાળથી ધન-ધાન્ય વગેરેથી પૂર્ણ બનાવી દીધી છે. તેમાં દેવકી અને વસુદેવને પુત્ર કૃષ્ણ રાજય કરે છે. આ પ્રમાણે સાંભળીને જાણે ભૂતના વળગાડવાળી હોય તેવી, છૂટાકેશવાળી અને માથું કૂટતી તેણે જરાસંધને કહ્યું કે કંસને શત્રુ હજી પણ
Page #83
--------------------------------------------------------------------------
________________
७४
શીલપદેશમાલા ગ્રંથને જીવે છે. આ સાંભળી જરાસંધને કપરૂપી અગ્નિ સળગી ઉઠયો. જાણે વાયુસમૂહથી હોય તેમ શિરને ધુણાવતા તેણે કહ્યું: હે વત્સ! ધીરી થા. આમ કહીને તેણે યુદ્ધપ્રયાણની ભેરી વગડાવી.
સહદેવ વગેરે પુત્રો તથા દુર્યોધન અને શિશુપાલ વગેરે હજારે રાજાઓ ચારે બાજુથી ભેગા થયા. પછી અપશુકનોએ રોકવા છતાં ક્રોધથી બળતા પ્રતાપી જરાસંધે સૂર્યની જેમ પશ્ચિમદિશા તરફ પ્રયાણ કર્યું. આકાશમાં ફરતા અને યુદ્ધ જેવાના કૌતુકવાળા નારદે કૃષ્ણને જરાસંધના પ્રયાણની વાત કહી. આ સાંભળીને હુંકાર કરતા કૃષ્ણ બાહુ અને સાથળમાં આસ્ફાલન કર્યું. પછી પ્રયાણની ઈચ્છાવાળા તેણે યુદ્ધપ્રયાણનો પટહ વગડાવ્યું. યુદ્ધ માટે તૈયાર થયેલા દશાર્તા પરિવાર સહિત ભેગા થયા. સાડા આઠ કોડ પુત્રો કૃષ્ણને ચારે બાજુથી ઘેરી વળ્યા. ઉગ્રસેન પણ ધર વગેરે પુત્રોની સાથે આવ્યું. શાંતનુ રાજાના પુત્રો મહાસન વગેરે પણ આવ્યા. જાણે પાંચ અવયને ધારણ કરતા હોય તેવા, અર્થાત્ એક જ આત્માના પાંચ અંગો હોય તેવા, મહાબલવાન પાંચ પાંડ ભેગા થયા. પત્ની, સાસુ વગેરેના સંબંધમાં જે રાજાઓ હતા તેઓ પણ તે વખતે ભેગા થયા. જ્યારે ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓએ યુદ્ધના પ્રયાણનું મંગલ કર્યું, સ્તુતિપાઠકે અને શુકનો પણ આ ઉદ્યમ વિજયકારી છે એવું સૂચન કરી રહ્યા હતા, વાજિંત્રોના લેકને ભરી દે તેવા મહાન ઇવનિરૂપી મંગલ થઈ રહ્યું હતું, ત્યારે કોર્ટુકિએ આપેલા વિજય નામના સુંદર મુહૂર્તમાં, દારુક નામના સારથિવાળા અને ગરુડના ચિહ્નવાળા રથ ઉપર બેસીને, સૈન્યસહિત કૃષ્ણ પૂર્વ—ઉત્તર (ઈશાની દિશામાં પ્રયાણ કર્યું. ગંભીર વનિવાળા સેના અને સમુદ્ર એ બંને વેગને આશ્રયીને સમાન થયા, અર્થાત્ સમુદ્ર જેટલા વેગથી વહેતે હતે=આગળ વધતું હતું તેટલા જ વેગથી સેના પણ આગળ વધતી હતી. તથા તે બને પ્રલયકાળના પવનથી ક્ષોભ પામેલા સાગિરિ અને વિધ્યગિરિ જેવા (=અસ્થિર) જણાતા હતા. તે વખતે સેના-રૂપાના મેટા મુકુટની કાંતિના મંડલથી (=ઘેરાવાથી) આકાશ હજારે ચંદ્ર-સૂર્યોથી યુક્ત બન્યું. હાથીઓને ગરવ, ઘેડાએને હેકારવ, રથને સત્કાર અને પાયદળ લશ્કરના સિંહનાદથી શબ્દમય બનેલું જગત શભા પામ્યું. અશ્વોની ખુરીથી ઉડેલી ધૂળથી ધૂસરા (કાળા-ધોળા મિશ્રરંગવાળા) બનેલા આકાશમાં અમાસની રાત્રિની જેમ ભૂતે અને રાક્ષસે સ્વેચ્છા મુજબ ફરવા લાગ્યા.
હંસ અને ડિભક એ બે મંત્રીઓની સાથે વિચારણા કરીને જરાસંધે શત્રુઓથી સંભવિત વિદનેના નાશ માટે હજાર આશાવાળું ચક્રવ્યુહ રચ્યું. એ ચક્રની અંદર
૧. પશ્ચિમદિશા તરફ વળેલા સૂર્યને અવશ્ય નાશ થાય છે, તેમ જરાસંધનો પણ નાશ થવાનો. હોવાથી અહીં “સૂર્યની જેમ” એમ ઉપમા આપી છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૭૫
હજાર રાજાઓ, બે હજાર રથ, સે હાથી, પાંચ હજાર અથવો, સેળ હજાર પાયદળ લશ્કર- આટલું સૈન્ય ગોઠવાયું. ચક્રના અંતે (=ચકની પરિધિમાં) સવા છ હજાર રાજાઓ રહ્યા. ચક્રની મધ્યમાં પાંચ હજાર રાજાઓની સાથે જરાસંધ રહ્યો. ચક્રના પૃષ્ઠભાગમાં કૌરવ અને ગાંધાર રાજાઓનું સૈન્ય રહ્યું. ચકબૂહની બહાર વિવિધ વ્યુહ રચીને રહેલા રાજાઓ યુદ્ધ માટે યાદવેશ્વરેને ઈચ્છતા રહ્યા. તે સાંભળીને યુદ્ધરૂપી સમુદ્રમાં માછલા સમાન યાદવેએ પણ ચક્રવ્યુહને જીતવાની ઈચ્છાથી ગરુડબૂહની રચના કરી. ચક્રવ્યુહની મધ્યમાં અર્ધકેટિ (=પચાસ લાખ) કુમારોને રાખ્યા. ચક્રવ્યુહના મસ્તકે કૃષ્ણ અને બલભદ્ર રહ્યા. તેમની ચારે બાજુ સર્વ રાજાએ તેવી રીતે રહ્યા કે જેથી તે જોઈને પણ શત્રુઓનું અતિશય અભિમાન ઓગળી જાય. ઇ અવધિજ્ઞાનથી જાણીને શ્રીનેમિકુમાર માટે દિવ્યશથી અલંકૃત અને માતલિસારથિવાળા પોતાના રથને મોકલ્યા.
હવે યુદ્ધ કરવા માટે બંને પક્ષના સેનાધિપતિઓ સામસામે આવ્યા. યુદ્ધના મેદાનમાં ત્રણ લેકને આશ્ચર્ય પમાડનારું કે લાહલવાળું યુદ્ધ શરૂ થયું. વીર પુરુષોએ કરેલા પરસ્પર તલવારના ઘાથી અગ્નિ ઉત્પન્ન થયે. તે જ અગ્નિને વીર પુરુષના શરીરના લેહીના તરંગેએ શાંત કર્યો. પાયદળસૈન્યના પૃથ્વી ઉપર પડતા પગોથી ઉડતી ધૂળથી અંધકાર ફેલાયે, અને તૂટતા કેયૂરના રત્નસમૂહથી ક્ષણવારમાં પ્રકાશ પણ થયે. ચતુરંગી સેનાના વિનાશથી ફેલાતા લેહીના તરંગથી જાણે લાલ કરાયેલ હોય તેવો સૂર્ય અસ્તાચલ પર્વતના શિખર ઉપર આવ્યું. ત્યાં રણમેદાનમાં છેદાયેલ મસ્તકવાળા અને અતિભયંકર ધડે લેહીથી તુષ્ટ થયેલા વેતાલની જેમ ચારે બાજુ નૃત્ય કરવા લાગ્યા. તે વખતે ત્યાં સુભટના સિંહનાથી ચારે બાજુ પૂરાયેલા આકાશમાં નારદ તાળીઓ પાડીને નાચવા લાગ્યા. જિતમેળવનારા યાદ નચ લય એ અવાજ કરતા યુદ્ધથી નિવૃત્ત થયા. જેને સેનાધિપતિ હણાયો છે એવું જરાસંધનું સૈન્ય પણ યુદ્ધથી નિવૃત્ત થયું.
બીજા દિવસે જરાસંધે દમષના પુત્ર શિશુપાલને સેનાપતિ બનાવ્યું. તેણે સ્મિત કરીને કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ! તું ગોકુલનું રક્ષણ કર. ઈત્યાદિ બેલતા તેનું મસ્તક કૃષ્ણ જેમ કુંભાર ચક્રમાં રહેલા ઘડાને દેરાથી કાપી નાખે તેમ, તલવારથી કાપી નાખ્યું. જરાસંધે રામના દશપુત્રને મારી નાખ્યા ત્યારે રામે પણ દેડીને જરાસંધના અઠ્ઠાવીસ પુત્રને મારી નાખ્યા. વળી કૃષ્ણ જરાસંધના એગણસિતેર પુત્રોને મારી નાખ્યા. પુત્રવધના રેષથી અંધ બનેલે જરાસંધ પણ દેડ્યો. તેણે ગદાથી રામને હણ્યા. આથી લેહીની ઉલટી કરતા રામ પૃથ્વી ઉપર પડ્યા. તેણે કૃષ્ણરૂપી સૂર્યને દઢ લોખંડના
૧ જે કે અહીં માત્ર રાવઃ એ જ પ્રયોગ છે. એટલે એનાથી કૃષ્ણરૂપી સૂર્ય એ અર્થ ન નીકળે, પણ બારૂપી દુર્દિન એવી જે ઉપમા છે તેને બંધ બેસતી કરવા મેં કૃષ્ણરૂપી સય એવો અર્થ કર્યો છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
શીલેાદેશમાલા ગ્રંથના
બણારૂપી દિનાથી ઢાંકી દીધા. યાદવાની સેનાને આ પ્રમાણે જરાસંધથી છૂટી છવાયી કરાયેલી અને મ્યાનમુખવાળી જોઈને માલિ સારથિએ શ્રી નેમિકુમારને કહ્યું: હું સ્વામિન્ ! આપની એ ભુજાએ સંપૂર્ણ લેાકનુ રક્ષણ કરવા સમર્થ છે. તેથી યાદવાને નિચપણે હણુતા જરાસંધની ઉપેક્ષા નહિ કરવી જોઈએ. યદ્યપિ આપ તૃણુમાં અને શ્રીવૃન્દમાં, પેાતાનામાં અને પારકામાં સમભાવવાળા છે, તેા પણ હે નાથ ! હમણાં નાથરહિત બનેલા પુલના ઉદ્ધાર કરો. જુએ, વિશ્વ ઉપર ઉપકાર કરનાર પણ સૂ કૈરવાને (=ચંદ્રવિકાસી કમળાને) સંકેાચીને પેાતાના ખંધુ પદ્મવનના શું વિકાસ કરતા નથી ? વળી આ શત્રુએ આપની અવજ્ઞા ન કરે અને આપની ભુજાનુ ખલ જીએ એ માટે આપ શસ્ત્રને ગ્રહણ કરા અને યદુકુળને પ્રકાશિત કરો. આ પ્રમાણે સાંભળીને અને પેાતાનું નામ સાર્થક કરવા માટે શ્રી નેમિકુમારે હાથથી આલ્ફાલન કરીને ધનુષ્ય લીધું. ધારાબદ્ધ પાણીરૂપી ખાણુસમૂહથી રાજાએરૂપી હંસાને તમાલવૃક્ષના પત્ર જેવા શ્યામ કરતા નેમિરૂપી વર્ષાદ આમ-તેમ (=અનિયત સ્થાનમાં) વરસ્યા. મુકુટવાળા રાજાઓના સ્વામી શ્રી નેમિકુમારે મુકુટોને ભાંગીને અને મસ્તાને મુ`ડીને લાખો માણસાને વિલખા બનાવ્યા. જરાસ ́ધના સૈન્યરૂપી સમુદ્ર યાદવેા રૂપી ખાòાચિયામાં જે ડુબી ગયા તે ચેકિંગનાથ નેમિકુમારના પ્રભાવ છે. શ્રી નેમિકુમારે કરેલા ઉપચારથી ફરી નવા ખલવાળા થયેલા ખલભદ્ર મદોન્મત્ત હાથી વૃક્ષાના વિનાશ કરે તેમ શત્રુઓના વિનાશ કર્યાં. પેાતાના સૈન્યને હત-પ્રતિહત થયેલું જાણીને ગુસ્સે થયેલા અને જાણે પ્રસિદ્ધ યમરાજ ન હાય તેવા જરાસંધે કૃષ્ણને આ પ્રમાણે કહ્યુ :-૨ ૨ગાપાલમાલ ! તુ' બળથી મારા જમાઈને હણીને જેમ મંત્રવાદી પાસેથી વેતાલ નાશી જાય તેમ પશ્ચિમ સમુદ્ર તરફ નાશી ગયા. તુ શિયાળની જેમ નાશતા હોવા છતાં કાળે તને લાવી મૂકયો છે. આથી હમણાં તને કંસના માર્ગમાં લઈ જઈને પુત્રીની પ્રતિજ્ઞાને પૂરી કરીશ. કૃષ્ણે કહ્યું : વિલંબ ન કર, મારી સામે આવ, જેથી પિતા, પુત્રી અને જમાઈ એ ત્રણેના એક સમુદાય કરું, અર્થાત્ ત્રણેને એક સ્થળે ભેગા કરી દઉં. આ પ્રમાણે કાલ જેવા ભયંકર, પરસ્પર એક-બીજાના તિરસ્કાર કરતા, સમુદ્રની જેમ ગર્જના કરતા, અને અતિશય ખલવાળા તે ખને લડ્યા. તેવુ... કોઈ શસ્ત્ર ન હતું, તેવી કોઈ વિદ્યા ન હતી, તેવી કેાઈ ’ચારી ન હતી, અને તેવુ કાઈ ભ્રમણ ન હતું કે જેનાથી યુદ્ધમાં કુશળ તે બે રાજાઓએ તે વખતે યુદ્ધ ન કર્યું હાય. હિમવત વગેરે કુલ પ તા કંપવા લાગ્યા, દિગ્ગજો ભ્રમથી વ્યાકુલ બની ગયા, સમુદ્રો ક્ષુબ્ધ બન્યા, અને જાણે બ્રહ્માંડ ફૂટી ગયું. હવે જરાસંધે પેાતાના બધાં શસ્રા જીતાઈ ગયા એટલે જાણે ખીન્ને સૂ હાય તેવું ચક્ર કૃષ્ણ ઉપર ફેકયું. તે ચક્ર ક્રીડાના દડાની જેમ કૃષ્ણના વક્ષસ્થળને
૧. ચારી એટલે યુદ્ધમાં થતી ભિન્ન ભિન્ન ગતિ=ચાલ ભ્રમણ એટલે યુદ્ધમાં થતું ભિન્ન ભિન્ન
પરિભ્રમણુ.
Page #86
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૭૭, સ્પર્શીને રાજહંસની જેમ કૃષ્ણના હાથરૂપી કમળ ઉપર સ્પષ્ટપણે આરૂઢ થયું, અર્થાત્ કૃષ્ણની છાતીને સ્પર્શીને કૃષ્ણના હાથમાં આવ્યું. દેએ આ નવમે વાસુદેવ થયે એ પ્રમાણે છેષણ કરી, તથા પૃથ્વીને સુગંધી પાણીથી સીંચીને પૃથ્વી ઉપર પુષ્પવૃષ્ટિ કરી. કૃષ્ણ હજી પણ જેમ તેમ બોલતા જરાસંધની કાયારૂપી બેડીના ચક્રથી બે ભાગ કરી નાખ્યા. દેવતાઓએ જયધ્વનિ કર્યો. હવે જાણે સર્વના સંહાર માટે જન્મી હોય તેવી છવયશાએ તુરત માતાની સાથે અગ્નિમાં પ્રાણને હોમી દીધા. નેમિનાથ વડે મકલાચેલ માતલિ સારથિ પોતાના સ્થાને ગયે. કૃષ્ણ ભરતાઈને જીતીને દ્વારિકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણને રાજ્યાભિષેક થઈ ગયા પછી સેળ હજાર રાજાઓએ પોતાની બે બે કન્યાઓ ભક્તિથી કૃષ્ણને અર્પણ કરી. કૃષ્ણના શંખ, ખગ, ધનુષ, ચક્ર, વનમાલા, મણિ અને ગદા એ સાત રત્ન ઉત્પન્ન થયા. વાસુદેવપણાની સમૃદ્ધિથી અલંકૃત કૃષ્ણ રામની સાથે ભરતાર્ધનું સામ્રાજ્ય ભોગવ્યું. આ પ્રમાણે શ્રીનેમિકુમારે કંસ પત્નીની પ્રતિજ્ઞાના કારણે થયેલા યુદ્ધના મંડપમાં લાખ રાજાઓને બાંધીને રાખ્યા અને જરાસંધને વધ કરાવ્યું. પરિજનની સાથે કીડા–વિલાસ કરતા અને વિષયથી અતિશય વિમુખ એવા શ્રી નેમિકુમારે યૌવનને પસાર કર્યું.
સ્વેચ્છા પ્રમાણે ફરનારા અને હજારો ખેચરી-ભૂચરી પત્નીઓથી પરિવરેલા પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમારને એક દિવસ દ્વારિકાના ઉપવન વગેરેમાં ક્રીડા કરતા જોઈને સમુદ્રવિજય અને શિવાદેવીએ શ્રીનેમિકુમારને આ પ્રમાણે કહ્યું: વિશ્વ ઉપર અસાધારણ વાત્સલ્યવાળા હે વત્સ! તારા લેકેત્તર ચરિત્રેથી પુત્રવાળા મનુષ્યમાં અમે જ શ્રેષ્ઠ પ્રતિષ્ઠાને ધારણ કરીએ છીએ. પણ હે પુત્ર! તું યુવાન બનવા છતાં લગ્ન કરતે નથી તેથી અમે બીજાની પત્નીઓને જોઈને દુઃખી થઈએ છીએ. વિધાતાએ આખું જગત બેથી જ ( બેના જ) સંબંધવાળું બનાવ્યું છે. જો, સુવર્ણના આશ્રય વિના માણેકારત્ન પણ શોભતું નથી. વહુના દર્શન માટે વિશેષ ઉત્સુક બનેલી હું શિવાદેવી ભૂમિમંડલમાં તે જ સ્ત્રીઓને ધન્ય માનું છું કે જે સ્ત્રીઓની આગળ આજ્ઞા પ્રમાણે કરનારી, સુંદર પોષાકવાળી અને ચક્ષુ માટે અમૃતના પારણું સમાન વહુઓ ફરી રહી છે. નેમિકુમારે માતા-પિતાને પ્રણામ કરીને મધુરવાણીથી કહ્યું જેનાથી પરિણામે દુઃખ મળે તેવી કન્યાને સ્વીકારવા માટે હું ઉત્સાહિત થતું નથી. જ્યારે હું કુશળ અને હિત કરનારી પ્રિયાને જોઈશ ત્યારે જ સ્વીકારીશ. તેથી આપે જરાપણ ખેદ ન કરવો. પંડિતમાં શ્રેષ્ઠ એવો કયે પુરુષ દુઃખની વેલડી જેવી અને ભયંકર જેવીતેવી સ્ત્રીઓને સ્વીકારીને દુઃખનું ભાજન થાય? નેમિકુમારે સરલ આશયવાળા માતા-પિતાને આ પ્રમાણે સમજાવી દીધા. અથવા તત્ત્વદષ્ટિવાળા પુરુષે પોતાનાથી અને બીજાઓથી કબૂલ કરાતા નથી
આ તરફ યશોમતીને જીવ અપરાજિત વિમાનમાંથી ચવીને ઉગ્રસેરાજાની પત્ની
Page #87
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને
ધારિણીની પુત્રી થયે. માતા-પિતાએ તેનું રજીમતી એવું નામ રાખ્યું. સદા પાણીના આશ્રયવાળી કલ્પવેલીની જેમ તે વધવા લાગી. જેમ ચંદ્રકળા કુમુદના (ચંદ્રવિકાસી કમળના) ઉલ્લાસને કરે છે તેમ લેકેના હર્ષમાં વૃદ્ધિ કરતી અને સર્વ કળાઓને ગ્રહણ કરતી તે યૌવનને સન્મુખ બની. બિચારો ચંદ્ર રાજીમતીના મુખની સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકે? કારણ કે સમુદ્રની ઉન્નતિ (ભરતી) થતાં તેની કાંતિ વિશેષ દીપતી નથી. રામતીનું સર્જન કરનારને હું યૌવન માનું છું. જેથી તેણે રમતથી રાજીમતીના શરીર, વાણી અને મન એ ત્રણેને ચતુર બનાવ્યા.
એકવાર કુમારોથી વિંટળાયેલા નેમિકુમારે કીડાથી કૃષ્ણની આયુધશાળામાં જાણે બીજા કૃષ્ણ હોય તેમ પ્રવેશ કર્યો. શા ધનુષ, નંદક ખગ, અને સુદર્શન ચક્ર ઉપર દષ્ટિ ફેરવતા નેમિકુમારે જાણે પિતાના ચિહ્નના પ્રેમથી હોય તેમ વારંવાર શંખને જે. નેમિકુમારને હાથથી શંખને લેવાની ઈચ્છાવાળા જાણીને પહેરેગીરે નમીને સ્મિતપૂર્વક કહ્યુંઃ હે પ્રભુ સાંભળે, આ શંખને પૂરવાની (=વગાડવાની) વાત તે દૂર રહી, કિંતુ શંખને લેવા (=ઉપાડવા) માટે પણ વાસુદેવ સિવાય બીજે કઈ સમર્થ નથી. માટે નિરર્થક પ્રયાસ ન કરો. પોતાના બળથી બળવાન સ્વામીએ જેમ બાળક ક્રીડાના દડાને ઉપાડે તેમ હાથથી શંખને ઉપાડ્યો. પછી સ્વામીવડે રમતથી મુખ આગળ ધારણ કરાયેલ શંખ જાણે હૃદયમાંથી નીકળેલ શુકલ ધ્યાનને પિંડ હોય તેમ છે. શંખને પૂર્યો એટલે લેકના ઉદરને (૩ખાલી જગ્યાને) પૂરી દેનાર વિનિ ઉત્પન થયે. પહેરેગીરે રોગીની જેમ મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. ચપળ તરંગોવાળા સમુદ્રો પ્રલયકાળની. જેમ ક્ષુબ્ધ બન્યા. પૃથ્વી પીઠ કંપી ઉઠી. ખરેખર ! બ્રહ્માંડ ફૂટી ગયું. જાણે લાંબે કાળ. એક સ્થળે રહેવાથી થયેલા પ્રેમથી સમુદ્રને મળવા માટે હોય, તેમ દ્વારિકાનો કિલ્લે તે જ ક્ષણે હાલવા (=કંપવા) માંડ્યો. આ વખતે રાજાઓથી ભરાયેલી સભામાં બેઠેલા કૃષ્ણ આ દવનિ સાંભળીને સંબ્રાન્ત બનીને ચારે બાજુ દષ્ટિ નાખી. કૃષ્ણ રામને કહ્યું શું બીજા દ્વિીપથી વાસુદેવ આવ્યા છે ? અથવા શું બીજે વાસુદેવ ઉત્પન્ન થયે છે ? કારણ કે શંખ વાગ્યા છે. આ પ્રમાણે કૃષ્ણ વિચારી રહ્યા હતા તેટલામાં પહેરેગીરેએ આવીને કહ્યું તમારા જ આ શંખને નેમિનાથે વગાડ્યો છે. આ પ્રમાણે સાંભળીને કૃષ્ણ સંભ્રમના આવેગથી નહિ સમાતા વિસ્મયને જાણે મસ્તકને હલાવવાના બહાનાથી સમાવતા હોય તેમ રહ્યા. ખરેખર ! અમારા કુલમાં નેમિ ચક્રવર્તી થયા છે. કારણ કે આ શંખ મેં પૂર્વે ફેંક્યો હતો ત્યારે ક્યારે પણ આ ધ્વનિ થયે નથી. કૃષ્ણ આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જગતને આનંદકારક આશયવાળા નેમિકુમાર સ્વયં જાણે
૧, રાજમતીના પક્ષમાં મોક્ષરસના આશ્રયવાળી.
૨. રામતીના પક્ષમાં ઘણોપરાતી એટલે સ્તન વૃદ્ધિ થતાં, સ્તનવૃદ્ધિ થતાં રાજમતીની કાંતિ, વિશેષ શોભે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ સંશયને ભેદવાની ઈચ્છાવાળા હોય તેમ પ્રેમથી ત્યાં આવ્યા. પિતાના અર્ધા આસને બેઠેલા કુમારને કૃષ્ણ પૂછયું: આકાશ-પૃથ્વીના ઉદરને (ખાલી જગ્યાને) ભરીદે તેવા અવાજવાળો શંખ તમે ફેંક્યો ? નેમિકુમારે હા કહી. રોમાંચના અંકુરથી દાંતવાળા કૃષ્ણ ફરી નેમિકુમારને મધુર શબ્દોથી આ પ્રમાણે કહ્યું હે બંધુ ! તમેએ શંખ ફેંક્યો ત્યારે પૃથ્વી પણ કંપી, રામના મનમાં પણ ભને વેગ થયો. તેથી બંધુ ! કુતૂહલી હું તમારું બાહુબળ જેવા ઈચ્છું છું. માટે અખાડામાં જઈને ક્ષણવાર મલ્લયુદ્ધ કરીએ. સ્વયં કૌતુકવાળા સ્વામીએ પણ તેને સ્વીકાર કર્યો. અતિશય હર્ષ પામેલા બંને બંધુઓ યુદ્ધ માટે તૈયાર થયા. સ્વામીએ પિતાનું બલ અનંત છે એમ વિચારીને કૃષ્ણને કહ્યું હે બંધુ! આપણે બે રમતથી પણ યુદ્ધ કરીએ તે ગ્ય નથી. એક-બીજાના બાહુરૂપી સ્તંભને વાળીને જ આપણે કૌતુકને પૂર્ણ કરીએ. આ વિષે રામ સાક્ષી જેવા બને. સ્વામીએ આ પ્રમાણે કર્યું એટલે કૃષ્ણ પિતાનો હાથ લાંબો રાખે. નેમિકુમારે તે હાથને જેમ બાળક કાકડીને વાળે તેમ વાળી દીધે. હવે સ્વામીએ સપની ફણા જેવા હાથરૂપી દંડને લાંબે રાખે. એને વાળવા માટે કૃષ્ણ જરા પણ સમર્થ ન થયા. પિતાનું જેટલું જેર હતું તેટલા જોરથી નેમિકુમારને હાથરૂપી સ્તંભને પકડીને રહેલા અને લટકતા કૃષ્ણ વૃક્ષ ઉપર લટક્તા વાંદરાની જેમ શેલ્યા. નેમિકુમારને હાથ વજાના સ્તંભની જેમ જરાય હાલ્યા નહિ. પછી કૃષ્ણ હૃદયના અભિપ્રાયને છુપાવીને બંધુને આલિંગન કર્યું, અને કહ્યું કે, હે બંધુ! આપણું જ કુલ પ્રશંસનીય છે. કારણ કે તેમાં બીજામાં ન હોય તેવા બળવાળા તમારા જેવા વીર થયા છે. ઈત્યાદિ પ્રશંસા કરતા કૃષ્ણ નેમિકુમારને રજા આપી.
હવે વિસ્મયથી પ્રફુલ્લિત મુખવાળા કૃષ્ણ રામને કહ્યું: હે આર્ય ! લઘુબંધુ નેમિકુમારનું બાહુબળ મેં જોયું. આવું બાહુબળ વિશ્વમાં ચક્રવર્તીનું અને ઇંદ્રનું પણ નથી. હે બંધુ ! જગતને જીતનારાઓથી પણ ન જીતી શકાય તેવા બળથી શોભતા નેમિકુમાર અતિશય દુર્લભ એવા છ ખંડ પ્રમાણ પૃથ્વીના રાજ્યને કેમ ભેગવતા નથી ? કૃષ્ણની શંકાને દૂર કરવા રામે સ્મિત કરીને કહ્યુંઃ આપણે પણ એમના જ બળથી સામ્રાજ્યને ભોગવીએ છીએ. હે બંધુ ! જે એ બળથી લાખ રાજાઓને નિગ્રહ ન કરત તે તમે યુદ્ધના મેદાનમાં જરાસંધનો વધ કેવી રીતે કરત? નેમિ બાવીસમા તીર્થંકર થશે એમ નિમિત્તિયાએ કહ્યું છે. આવા નેમિ નરકને કરનારા રાજ્યને કેવી રીતે છે? શ્રીરામે આ પ્રમાણે કહ્યું તે પણ કૃષ્ણની શંકાને દૂર કરવા દેવે કહ્યું કે, કુમારાવસ્થામાં દઢવ્રતવાળા નેમિનાથ મેક્ષમાં જશે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા કૃષ્ણ ભક્તિપૂર્વક રામને કહીને અંતઃપુરમાં ગયા અને તે નેમિચરિત્ર કહ્યું. ત્યાં નેમિને બેલાવીને કૃષ્ણ - વાત્સલ્યપૂર્વક વિશેષ બહુમાન કરીને ખુશ કર્યા. પરસ્પર પ્રેમથી મનહર તે બંનેએ રત્નસિંહાસન ઉપર બેસીને સ્નાન કર્યું, ચંદનથી વિલેપન કર્યું અને (સાથે) દિવ્ય
Page #89
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમલા ગ્રંથને ભોજન કર્યું. અંતઃપુર સહિત કૃષ્ણ આ પ્રમાણે દરરોજ ઉદ્યાન, વાવડી અને સરેવરમાં શ્રીનેમિકુમારની સાથે પ્રેમથી રમવા લાગ્યા. એકવાર કૃષ્ણ અંતઃપુરના રક્ષકને અને દ્વારપાલને આજ્ઞા કરી કે, મારા પ્રાણપ્રિય બંધુને ક્યાંય અટકાવ નહિ, તથા રુકિમણી, સત્યભામા અને રેવતી વગેરે પત્નીઓને કહ્યું કે, તમારે દિયર નેમિને ચતુરાઈ ભરેલાં વચનેથી આકર્ષવા. ત્યારબાદ નેમિ એકલા પણ કૃષ્ણના અંતઃપુરમાં જતા હતા. સમચિત્તવાળા પુરુષે બધે નિઃશંકપણે ફરે છે. જરાપણ વિકાર વિના સુંદર વચનસમૂહને બેલતા સ્વામી ઉપહાસવાળી રમતથી ચંચળ એવી ભાભીઓને ખુશ કરતા હતા.
હવે શિવાદેવીએ કૃષ્ણને કહ્યું તમે નેમિને તે રીતે સમજાવે કે જેથી તે પુત્રવધૂના મુખને જોવાની મારી ઈચ્છાને જલદી પૂરે. કૃષ્ણ સત્યભામા વગેરે દ્વારા આ વાત નેમિને કહેવડાવી, નેમિએ પણ કુશળવચનોથી સહેલાઈથી ભાભીઓને નિરુત્તર કરી દીધી. જાણે નેમિના લગ્ન માટે સહાય કરવાની ઈચ્છાવાળી હોય તેમ દક્ષિણદિશાના પવનથી પુષ્ટ એવી વસંતઋતુ આવી. નગરજનેથી અને અંતઃપુરથી પણ ચારે બાજુથી પરિવરેલા કૃષ્ણ રમવા માટે નેમિની સાથે ગિરનાર પર્વત ઉપર ગયા. જેમણે દારુ પીધે છે એવા યાદ સાથે કસુંબો લઈને સ્ત્રીઓની સાથે ક્રીડા કરવા માટે જાણે કેયાએ બોલાવ્યા હેય તેમ ઉદ્યાનમાં ગયા. જાણે ( પુષ્પોમાંથી) પ્રગટ થતી પરાગના ભાથાવાળા કામદેવની પૂજા કરવા માટે હોય તેમ યાદવેએ પત્નીઓની સાથે ઉદ્યાનની શેરીઓમાં પુષ્પો ચુંટ્યાં. કૃષ્ણના આદેશથી સત્યભામા વગેરે સ્ત્રીઓ પુષ્પને ચુંટવાની ઈચ્છાથી નેમિની સાથે ઉદ્યાનમાં ગઈ. કોઈ સ્ત્રીએ જાણે કામદેવનો ભાલે હોય તેવી શ્રેષ્ઠ આમ્રવૃક્ષની મંજરી છાતીને પ્રગટ કરવાપૂર્વક નેમિના હાથમાં આપી. કેઈ સ્ત્રીએ શ્રીનેમિના. જાણે જાગતા કામદેવની રક્ષા પિટલી હોય તેવા કેશપાશને મેગરાના ફુલોથી શણગાર્યો. કઈ સ્ત્રીએ શ્રીનેમિના બે આંખના આંતરડામાંથી ધૂળ દૂર કરવાના બહાનાથી ભ્રમરીની જેમ મુખરૂપી કમળની સુગંધનું પાન કર્યું. કેઈ સ્ત્રીએ બગલને બતાવવાપૂર્વક તિલક કર્યું. જેનું વસ્ત્ર ( = સાડી) ખસી રહ્યું છે એવી કઈ સ્ત્રીએ બે ગાલમાં પત્ર કર્યું = ચંદન વગેરેથી પત્ર ચિતર્યું.
જાણે શ્રીનેમિને વિકારી કરવા માટે સમર્થ ન થઈ એથી લજજાથી હોય તેમ વસંતઋતુ પૂરી થઈ અને ગ્રીષ્મઋતુ આવી. કૃષ્ણની પત્નીઓ જલક્રીડા કરવા માટે વાવડીએમાં પેઠી. ભાભીઓએ શ્રીનેમિપ્રભુને પણ ખેંચીને સાથે લીધા. તેમણે કૃષ્ણની સાથે શરમ વિના જલક્રીડાઓ કરી. ત્યાં કૃણુવડે હાથમાં પકડાયેલા શ્રીનેમિ સાક્ષી જેવા થયા. હવે કૃષ્ણથી સંકેત કરાયેલી રુકિમણી વગેરે સ્ત્રીઓએ શ્રીનેમિને શંગારપૂર્વક પિચકારીઓથી સ્વચ્છ ર્યા. નેમિનાથે પણ તેમની સાથે નિઃશંકપણે ક્રીડા કરી. તેવા પુરુષ કેઈની પણ ઈચ્છાનો ભંગ કરતા નથી. નેમિએ પિચકારીના પાણીથી કેઈ સ્ત્રીના
Page #90
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
બે સ્તનરૂપી કળશેા ઉપર તાડન કર્યું. તે સ્રીની છાતી ઉપર છવાયેલા જલબંદુ હારની શાભાને પામ્યા. નેમિએ કરેલા જલસિંચનથી કાઇક સ્રીઓની નાડીની ગાંઠ છૂટી ગઈઢીલી થઈ ગઈ, કાઇક સ્ત્રીઓની કાંચળી ફાટી ગઇ, કાઇક સ્રીએ વસ્રરહિત બની. સ્વામી પાતે પુષ્કરપત્રની જેમ રાગથી ન લેપાયા, પણ જેમ ચૂર્ણના વણુ તાંબૂલને રાગવાળુ=રંગવાળું કરે તેમ સ્ત્રીઓને રાગવાળી કરી. હવે રુક્િમણીએ આપેલા હાથના ટેકાવાળા શ્રીનેમિ રાજહ`સની જેમ વાવડીના કાંઠે આવ્યા. પછી જાખવતી હ થી પ્રભુની પાસે વચ્ચે લઈ આવી. ગાંધારીએ વિવિધ રચનાથી કેશપાશ બાંધ્યા. રેવતીએ વજ્રના છેડાએથી નેમિકુમારને વીંઝવા. પદ્માવતીએ પ્રભુના કંઠમાં હાર પહેરાવ્યા. ચરણાને દાખતી અને ચંદનરસથી સિંચતી સત્યભામાએ જાણે ક્રેાધવાળી હાય તેમ કુમારને આ પ્રમાણે કહ્યું: હું કુમાર ! અજ્ઞાનીના જેવા તમારા આ કદાગ્રહ શું છે ? જેથી પૂ પુરુષોએ આચરેલા માર્ગના હઠથી લાપ કરો છે. (પૂર્વે થયેલા) બધા રાજાઓએ પ્રથમ વયમાં લગ્ન કરીને યૌવનને સલ કર્યું હતું અને અંતે વ્રતના સ્વીકાર કર્યા હતા. તેથી અતિશય સૌભાગ્યવાળી પ્રથમવયને વ્રતાથી પૂરી કરનારા તમે તાડવૃક્ષના ફૂલની ઈચ્છા કરનારા પુરુષની જેમ કેાને ઉપહાસ્ય નથી ? ઇત્યાદિ ચુક્તિથી ભાભીએ કહી રહી હતી ત્યારે કૃષ્ણે કહ્યું: હું ખંધુ! તમે અવજ્ઞા ન કરો. ભાભીઓને ખુશ કરો. જિનેશ્વરા સંસારમાં પહેલાં પ્રાયઃ સ્રીસહિત હતા, પછી તી'ની સ્થાપના કરીને અંતે મેક્ષમાં ગયા. આપણા કુલમાં થયેલા શ્રી મુનિસુવ્રતસ્વામીએ પડેલાં ભાગેા ભાગવીને પછી વ્રત લીધું હતું. આથી હું કુલમંડન ! તમારે પણ કુલાચારના લાપ ન કરવા જોઈએ. આ પ્રમાણે કહીને કૃષ્ણ અંતઃપુર સહિત નેમિના પગમાં પડવા. ખંધુની દાક્ષિણ્યતાથી સ્વામીએ “તે પ્રમાણે હે” એમ લગ્નના સ્વીકાર કર્યાં. નેમિએ લગ્નના સ્વીકાર કર્યાં છે એમ સાંભળીને શ્રીસમુદ્રવિજય અને શિવાદેવી હષ પામ્યા, અને સંદેશા લાવનારને દાનથી સંતાષ પમાડ્યો, પછી વર્ષાઋતુ આવી ત્યારે અતિ હર્ષ પામેલા કૃષ્ણ નેમિને ન્યુઋણુ કરીને પત્નીઓની સાથે દ્વારિકાનગરીમાં આવ્યા.
૮૧
હવે પ્રભુને ચાગ્ય કન્યાની શેાધ કરતા કૃષ્ણને સત્યભામાએ હપૂર્વક કહ્યુંઃ મારી રાજીમતી નામની નાની મ્હેન છે. ( તે નેમિકુમારને ચેાગ્ય છે.) તે વખતે જેમ સૂર્ય જ્યેાતિશ્ર્ચક્રના બુધગ્રહના ખલથી યુક્ત હોય છે, તેમ જયાતિષમાં બુધ (વિદ્વાન બલદેવથી ચુક્ત કૃષ્ણ પણ ઉગ્રસેન નામના રાજાના રાજમહેલમાં ગયા. તેણે પણ એ હાથની અંજલિ કરીને નેમિકુમારને પોતાની પુત્રી આપી. કૃષ્ણે શૌય પુરી આવીને તે વાત સમુદ્રવિજયને કરી.
૧. સ્ત્રીઓ કેડે વસ્ત્ર રહે એ માટે નાભિ પાસે ઢારી વગેરેથી ગાંઠ બાંધે છે તે. ( શબ્દ કાશમાં શ્રોત્સિત્તા શબ્દના આ અથ જોવામાં આવ્યા નથી. પણ પ્રકરણના અનુસારે મેં આ અ લખ્યા છે. ભૂલ જણાય તા સુધારી લેવી
૧૧
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
શીલપદેશમાલા ગ્રંથનો ઉત્સુકતાવાળા તેમણે ક્રાંટુકિને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછયું. તેણે કહ્યું કૃષ્ણ સૂતા હોય ત્યારે વિવાહનું કાર્ય કરવું યોગ્ય નથી. કૃણે હસીને કહ્યુંઃ (શરીરથી અને સત્તાથી એમ) બંને રીતે બલવાન હું સાક્ષાત્ જાગતે હોવા છતાં આ શંકા કયાંથી થાય? અર્થાત્ આ શંકા બેટી છે. બીજું – નેમિના વિવાહ મંગલમાં વિલંબ કરો નથી. મદન્મત્ત હાથી આલાનમાં બંધાયેલ હોય તે પણ તેને વિશ્વાસ ન કરવો જોઈએ. ક્રિષ્ણુકિએ કહ્યુંતે શ્રાવણ સુદ છઠ્ઠ શુદ્ધ છે. ઉગ્રસેન અને સમુદ્રવિજય બંને લગ્ન માટેની જલદી તૈયાર કરવા લાગ્યા. બંનેના રાજમહેલમાં મંગલદવનિ થવા લાગે. અખંડ સૈભાગ્યવંતી અને પુષ્ટ શરીરવાળી સ્ત્રીઓ આનંદથી ચેતરફ ફરવા લાગી રત્નવાળું તરણુ, મંડપ વગેરે બધી સામગ્રી ઈરછાનુસાર દેએ જ રચી દીધી. લગ્નના નજીકના દિવસે કુંતી, શિવાદેવી વગેરે યાદવીઓએ નેમિને પૂર્વ દિશામાં સિંહાસન ઉપર બેસાડીને લગ્ન પ્રસંગે ગવાતા ગીતે ગાવાપૂર્વક જલદી નવડાવ્યા, તથા જેમણે મીંઢળ બાંધ્યું છે તેવા વર નેમિને વરને ચોગ્ય વસ્ત્રો પહેરાવ્યાં. ત્યારબાદ તેમણે ઉગ્રસેનના રાજમહેલમાં જઈને રાજમતીને સ્નાન કરાવ્યું. શણગારવા માટે દાસીઓએ તેને ચેકમાં બેસાડી. આ વખતે રાજમતીનું રૂપ જેવાની અતિશય ઈચ્છાવાળી સ્ત્રીઓ ક્ષણવાર અતિશય આંખે ઊંચી કરીને રહી, અર્થાત્ રાજીમતીને એકીટસે જોવા લાગી. પૂર્વભવના પ્રિય નેમિને પામીને તેને મળવાની ઉત્કંઠાથી આકુલ થયેલી રાજીમતીએ પણ તે રાત દુઃખપૂર્વક પસાર કરી. સૂર્યોદય થતાં નેમિકુમારે સ્નાન અને વિલેપન કર્યું. પછી તેમને જાણે શુલધ્યાનના અંશે હોય તેવા મેતીના આભૂષણોથી શણગાર્યા. ચંદ્ર જેવું નિર્મલ છત્ર તેમના મસ્તકે ધર્યું. ગંગાના પ્રવાહ જેવા (સફેદ) ચામરો તેમને વીંઝવા માંડયા. લુણ ઉતારવામાં આવ્યું. કુમારિકા બહેનોએ મંગલ કર્યું. યાદવોને આનંદ કરનારા વર શ્રીનેમિ સફેદ ઘોડાવાળા રથ ઉપર આરૂઢ થયા. માર્ગમાં એમની પાછળ કૃષ્ણ વગેરે ઉત્તમ યાદ ચાલવા લાગ્યા. (આ પ્રમાણે આડંબરથી જતા) શ્રીનેમિ ઉગ્રસેનની રણભૂમિ સુધી આવ્યા,
સેંથામાં તારાની શ્રેણિ જેવા મોતીસમૂહને ધારણ કરતી રામતીને વિચક્ષણ સખીઓ ઝરુખામાં લઈ ગઈ. તેના સુવર્ણની બે ઝાંઝરથી લેવાયેલા બે ચરણે ખરેખર! જાણે ચરણરૂપી કમળને જાણનારા રાજહંસના આશ્રયને પામેલા જેવા થયા, એટલે કે રાજહંસ જેવા થયા, અર્થાત્ જેમ રાજહંસે કમળના ગુણને જાણતા હોવાથી કમળને જ આશ્રય લે છે, તેમ ચરણેએ જાણે રાજીમતીના ગુણને જાણીને રાજમતીને જ આશ્રય લીધે. તેની આંખે દેખાવડી અને સ્વચ્છ હવા છતાં, જાણે આ આંખે સાંભળવામાં અટકાવે છે એમ વિચારીને હોય તેમ, ધાવમાતાએ તેની અને કાજળની
૧. તેની આંખો જોવામાં જ લીન બનેલાને બીજાઓ કંઈ કહે તો જોનારનું તેના તરફ ધ્યાન ન રહે. માટે આંખો સાંભળવામાં અટકાવે છે અંતરાય કરે છે એમ કલ્પના કરી છે."
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
ગુજરાતી ભાવાનુવાદ રેખાથી અંકિત કરી. જાણે જંબુદ્વીપમાં આ જ મુખ્ય છે એમ સમજીને કુંડલના બહાનાથી બે સૂર્યોએ તેને આશ્રય લીધે છે, અને ગાલના બહાનાથી બે ચંદ્રોએ તેને આશ્રય લીધે છે. તે વિમાનની જેમ ઝરુખા ઉપર બેઠી. તેણે ઝરુખાના અવકાશમાંથી નિમેષરહિતનેથી નેમિના લાવણ્યરૂપી અમૃતનું પાન કર્યું. તે વખતે જમણી બાહુ અને જમણી આંખ ફરકી. આથી તે વર દુર્લભ છે એમ માનીને તે ખિન્ન બની ગઈ. તેને પ્લાન જેવી જેને આકુલ થયેલી સખીઓએ કહ્યું: હે સખિ ! હમણાં વિષાદ રૂપી ચાંડાલને પ્રવેશ કેમ થયું છે? તેણે પણ સત્ય કહ્યું. હે સખિઓ ! ભાગ્ય વિનાની હું શું કરું? કારણ કે આનંદના સ્થાને અશુભ નિમિત્ત ઉપસ્થિત થયું છે. સખીઓએ કહ્યું ઃ હે સખિ! અમંગલ શાંત થાઓ. તારા આ વચનને ધિક્કાર . ગોત્રદેવીએ બધી રીતે આપણું કુશલ કરશે.
ભેજ રાજાએ એકઠા કરેલા જલચર અને સ્થલચર પ્રાણીઓને શ્રી નેમિએ તે વખતે કરુણ આક્રંદ કરતા જોયા. શ્રી નેમિએ આશ્ચર્ય પૂર્વક પૂછયું : આ પ્રાણુઓ શા માટે એકઠા કરાયા છે? સારથિએ સાચું કહી દીધું. હે દેવ! આપનું આતિથ્ય કરવા માટે આ પ્રાણીઓ રાખેલા છે. નેમિ બેલ્યાઃ રાજા વિનાના વિશ્વને ધિક્કાર થાઓ ! દયારહિત આ લેકોને ધિક્કાર છે ! કારણ કે આ પ્રમાણે શરણ રહિત પશુઓને વધ કરે છે. આ પ્રમાણે કહીને કરુણારૂપી અંકુરાઓથી અંકુરાવાળા થયેલા શરીરને ધારણ કરતા નેમિએ રથને પશુઓના વાડા તરફ વાળે. દીનમુખવાળા અને દીન આંખેવાળા પશુઓએ પણ સ્વામીને જોયા, અને પોત પોતાની ભાષાથી સ્વામી આગળ અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો એ પ્રમાણે પોકાર કર્યો. સારથિને આજ્ઞા કરીને પ્રભુએ જીને બંધનથી મુક્ત કરાવ્યા, અને રથને સ્વપ્રજનની સિદ્ધિ તરફ (=ગિરનાર પર્વત તરફ) વાળે. અતિશય સંભ્રમથી બ્રાન્ડ બનેલા સમુદ્રવિજય વગેરે અને શિવાદેવી વગેરે રથને છોડીને (=રથમાંથી ઉતરીને) નેમિની પાસે આવ્યા. આંખમાંથી આંસુ પાડતા માતા-પિતાએ પુત્રને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! મહત્સવના પ્રારંભમાં વિરસ કેમ કરે છે? અર્થાત્ રંગમાં ભંગ કેમ કરે છે? હે નંદન ! અમારે ઓચિતું આંસુ પાડીને રડવાનું કેમ થયું? અર્થાત્ તું અમને ઓચિંતુ કેમ રડાવે છે? માટે તું પાછો ફર, ક્ષત ઉપર ક્ષાર ન નાખ. ધીરનેમિએ કહ્યુંઃ હે પિતાજી! પશુઓને આ પ્રમાણે (=બંધનમાં રહેલા છે એ પ્રમાણે) જેઈને મેં કર્મસમૂહથી વીંટળાયેલા આત્માને યાદ કર્યો, અર્થાત્ જેમ પશુઓ બંધનમાં રહેલા છે એમ હું (કર્મના) બંધનમાં રહેલો છું એ પ્રમાણે આત્માને યાટ કર્યો. માટે તેને મુક્ત કરવા માટે હું સંયમના માર્ગે પ્રયત્ન કરીશ. તમને સંતેષ પમાડનારા મહાનેમિ વગેરે પુત્ર છે. આ પ્રમાણે સાંભળીને માતા-પિતા મૂઈ પામ્યા. કૃષ્ણ પોતે વિહલ બનેલા હોવા છતાં ધીરજથી સમુદ્રવિજય અને શિવાદેવીને આશ્વાસન આપીને ઉચિત વચન બેલ્યા. તે આ પ્રમાણે - હે બંધુ! જેવી રીતે કરુણથી
Page #93
--------------------------------------------------------------------------
________________
શીલા પદેશમલા ગ્રંથને આ પશુઓને મુક્ત કરાવ્યા, તેમ અતિશય દુઃખી થયેલા માતા-પિતા ઉપર અનુગ્રહ કેમ કરતા નથી? નેમિપ્રભુએ કહ્યું હું માતા-પિતાને દુઃખરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળો જ છું, તેથી હે કૃષ્ણ! નિરર્થક મુંઝાઓ નહિ. મારા આ પ્રયત્ન ઉદ્ધાર માટે છે. આ પ્રમાણે માતા-પિતાને અને બંધુઓને પિતાના વ્રત લેવાના મનોરથને કહ્યો. પછી રડતા સર્વ યાદવેની ઉપેક્ષા કરીને સ્વામી ઘરે ગયા. હવે લેકાંતિક દેએ પ્રભુને વિનંતિ કરી કે, જગતના જીવોના હિતના આધાર હે સ્વામિન્ ! તીર્થને પ્રવર્તાવે. ઇંદ્રના વચનથી ઘુંભક દેએ લાવીને મૂકેલા સુવર્ણથી (=સેનામહોરોથી) પ્રભુએ (લેનારની) ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું.
વરને પિતાની ઈચ્છા પ્રમાણે પાછા ગયેલા જાણીને વ્યાકુલ બનેલી રામતી તૂટેલી હારલતાની જેમ પૃથ્વી ઉપર પડી. સખિજનથી શીતલ ઉપાયથી ચેતનાને પમાડાયેલી રાજીમતી જાણે પોતાનું બધું જ લુંટાઈ ગયું હોય તેમ વારંવાર વિલાપ કરવા લાગી. વિધાતાએ મને શા માટે સઈ? અથવા હું ગર્ભાવસ્થામાં જ કેમ ન હરણ કરાઈ? હું શા માટે યૌવનને પામી? હા હા ! હું બાલ્યાવસ્થામાં પણ કેમ ન મરી ગઈ? જે નેમિને વિધાતાએ મારા માટે ન સર્યાં હતા તે મને તે બતાવ્યા શા માટે? નિધિનું દર્શન ન થાય એ સારું છે કે જેથી નિધિના અપહરણનું દુઃખ ન થાય. આ પ્રમાણે પોતાની નિંદા કરતી અને પ્રેમથી પ્રભુને યાદ કરતી તે વારંવાર મૂછ પામી, આકંદન કર્યું અને ભૂમિપીઠ ઉપર આળોટી. હવે દુખી થયેલી સખીઓએ કહ્યું: નેમિના વિષે તારો આગ્રહ નકામે છે. હે સખિ ! જેણે તને કઈ જ કારણ વિના છેડી દીધી છે તે નક્કી નીરસ (તારા ઉપર રાગથી રહિત) છે. રૂપ અને પરાક્રમથી યુક્ત અને ક્ષત્રિય છે. માટે અનુરૂપ વરથી જન્મને સફલ કર. ચઢાવેલાં ભવાંથી ભયંકર ભ્રકુટીવાળી રામતી બેલી: અહા! પાપિણીઓ દૂર જાઓ, તમારા આ વચનને ધિક્કાર થાઓ! મનપ્રિય હોવાથી મેં સ્વેચ્છાએ નેમિને વર કર્યા છે. તેથી હાથી ઉપરથી ઉતરીને ગધેડા ઉપર કેવી રીતે બેસું? જે કે નેમિએ હાથથી મારે આદર કર્યો નથી, તે પણ હવે પછી તે આ મારા ધર્માચાર્ય પણ થાઓ. અન્ય વરની સાથે વિવાહ કરવા માટે અનુરોધ કરતા સ્વજનોની ઉપેક્ષા કરીને પતિવ્રતા રાજીમતી નેમિને દીક્ષાકાલની રાહ જોવા લાગી. - વાર્ષિક દાન પછી નેમિના ભાવને જાણનારા ઈદ્રોએ આવીને પ્રભુને તીર્થોદકથી નવડાવ્યા. પછી દેવેએ બનાવેલી અને હજાર રાજાએથી ઉપાડી શકાય તેવી ઉત્તરકુરા નામની શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. સધર્મેદ્ર અને ઈશાનંદ્ર બે બાજુ ચામર ધારણ કર્યા. સનસ્કુમાર ઈંદ્ર છત્ર ધારણ કર્યું. બીજા ઈદ્રોએ રચેલાં અષ્ટમંગલેને ધારણ કર્યા. સ્થિર આશયવાળા શ્રીનેમિ રાજમહેલથી ચાલ્યા. તેમની પાછળ માતા-પિતા, ભાઈ-બહેન, સુર–અસુર અને રાજાઓ ચાલ્યા. શિવાદેવી વગેરે સ્ત્રીઓએ ગદ્દગદ વાણીથી મંગલ ગીતે
Page #94
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૮૫
ગાયાં. માટાએ પણ કથાંય માહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. નેમિને ચારિત્રરૂપી લક્ષ્મીને પરણવા માટે જતા જોઈને રાજીમતી પૂર્વ દિશાના વાયુથી ક્ષતશ્રેણિ 'દુઃખી થાય તેમ દુઃખી થઇ. હવે તેની સુંદર મુખવાળી સખીએ પ્રભુની આગળ રહીને અને સખીના દુઃખને યાદ કરી કરીને નેમિને ઉપાલ ભપૂર્વક કહ્યું: લાકમાં સંભળાય છે કે સ્ત્રીઓમાં ચ'ચળતા અધિક હાય છે. પણ નક્કી કરેલા કાર્યથી વિરુદ્ધ કરવાના કારણે તમારામાં જ ચંચળતા રહેલી છે એમ હું જાણું છું. ભેાળી રાજીમતી ધૂત તમારા વિષે નિરક અનુરાગ કરે છે. કારણ કે મુક્તિરૂપી સ્ત્રીમાં અનુરાગી બનેલા તમે સંચમને સ્વીકારી છે. અહા ! જરાસ'ધના વધ કર્યો ત્યારે લાખા રાજાઓના નિગ્રહ કરીને હવે રાજપુત્રીના વિવાહમાં પાપના ભયવાળા થયા છે! અહા! હે દ્યૂત! તમે ખરા દયાળુ છે, જેથી સ્વકર્માંથી લાવીને મૂકાયેલા પશુસમૂહને છેડાવીને રાજીમતીને દુઃખરૂપી સમુદ્રમાં પાડી. તમે દાનવીર પણ ખરા છે, કે જેથી એક વર્ષ સુધી સુવર્ણ દાનથી આખા વિશ્વને સંતાષ પમાડયો, પણ દીન રાજીમતીને દૃષ્ટિથી પણ સતેષ ન પમાડી. ત્રણ જ્ઞાનવાળા તમને આ ઉપાલભા આપવાથી સયુ". ચિહ્નરૂપ શંખના સંગથી વક્રતા તમને વળગેલી છે એમ હું જાણું છું. આ પ્રમાણે તેના વડે નિંદા અને ઉપાલંભ ગર્ભિત સ્તુતિઓથી કહેવાયેલા નેમિ જાણે સાંભળ્યુ' ન હોય તેમ અટકવા વિના ગયા. સહંસામ્ર વનમાં પ્રભુ શિખિકામાંથી ઉતર્યાં. પછી આભૂષણા વગેરે મૂકી દીધુ'. છઠ્ઠ તપવાળા અને ત્રણ સો વર્ષની વયવાળા પ્રભુએ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે પૂર્વાદ્ઘકાળે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રના ચાગ થતાં દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું. નારકોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. પ્રભુની સાથે હજાર રાજાઓએ દીક્ષા લીધી. કૃષ્ણ, રામ અને પાંડવા વગેરે પ્રભુને વંદન કરીને પોતાના ઘરે ગયા. બીજા દિવસે ગાકુલમાં ૨હેતા વરદત્ત બ્રાહ્મણના ઘરમાં શ્રીનેમિ પ્રભુનું ખીરથી છટ્ઠતપનું પારણું થયું. એના ઘરમાં ધનવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, વવૃષ્ટિ, જયજય એવા ધ્વનિ અને ઈંદુભિનાદ એ પાંચ વ્યિા થયાં. ચાપન દિવસ સુધી પૃથ્વી ઉપર વિચરીને પ્રભુ ફરી ગિરનાર પવ તની અંતે ( =ઉપર ) આવેલા સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં અટ્ઠમતપવાળા અને વેતસ વૃક્ષની નીચે રહેલા પ્રભુ આસામાસની અમાસના પૂર્વાહ્નકાળે ચિત્રાનક્ષત્રમાં ચદ્રના યોગ થતાં કેવલજ્ઞાન પામ્યા. ત્યાં સિંહાસન ચલાયમાન થવાથી ઈંદ્રો આવ્યા અને ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. દેવાએ દરેક ગઢમાં દરેક દ્વારે ધૂપપાત્રા મૂકેલાં હતાં, તારણ અને ધજાએ બાંધેલી હતી, અને વાવડીએ કરી હતી. મધ્યગઢમાં ( પ્રભુને વિશ્રામ કરવા માટે ) દેવછંદ અને અશાવૃક્ષની રચના કરી હતી. સુવર્ણ કમલ ઉપર ચરણને સ્થાપતા પ્રભુએ પૂ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યાં. પછી “ તીને નમસ્કાર થાએ” એમ બેલવાપૂર્વક પૂર્વાભિમુખ બેસીને
૧. દુઃખી તે। જીવ થાય, ક્ષતશ્રેણિ નહીં, આથી ‘શ્રુતશ્રેણિ દુઃખી થાય’ એ કથન ઉપચારથી છે. ૨. અપેાર પહેલાં.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
શીલેાપદેશમાલા ગ્રંથના
પ્રભુએ સિંહાસનને અલકૃત કર્યું.. દેવાએ અન્ય ત્રણ દિશામાં અન્ય ત્રણ સિંહાસના કર્યાં, અને તેમની ઉપર નેમિપ્રભુના ત્રણ પ્રતિબિંખ વિધુર્યાં. તે સમવસરણમાં ક્રમ પ્રમાણે પઢા બેઠી.
ઉદ્યાનપાલકોએ દ્વારિકામાં જઈને કૃષ્ણને આ સમાચાર જાવ્યા. કૃષ્ણે સમાચાર આપનારને સાઢા ખારું કરોડ રૂપિયા આપ્યા. કૃષ્ણ તીથ કરને વંદન કરવા માટે સવ સમૃદ્ધિથી આવ્યા. પ્રભુ પ્રત્યે આસક્ત મનવાળી રાજીમતી પણ જેમ ભ્રમરી માલતી પુષ્પ પાસે આવે તેમ પ્રભુ પાસે આવી. ભવરૂપી અંધારા કૂવામાંથી બહાર નીકળવા રજીસમાન પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજાએ દીક્ષાની માગણી કરી. પ્રભુએ બે હજાર રાજાઓની સાથે વરદત્ત રાજાને અને ઘણી કન્યાઓની સાથે રાજીમતીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. રાજીમતીને જીવનપર્યં ́ત સ્વામીના ચરણ કમલની સેવા કરવાના મનારથવાળી જોઈને કૃષ્ણે પ્રભુને સ્નેહનું કારણ પૂછ્યું. [આથી પ્રભુએ ધન અને ધનવતીના પ્રથમ ભવથી નવેય ભવાના સંબંધ કહ્યો. ] પૂર્વભવના બંધુ ધનદત્ત અને ધનદેવ તથા મંત્રી વિમલખાધ અપરાજિત વિમાનમાંથી ચ્યવીને અહીં રાજા થયા હતા. તે ત્રણે રાજાઓએ રાજીમતીના પ્રસંગથી પેાતાના ભવા સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રભુની પાસે દીક્ષાને પામ્યા, પ્રભુએ તે ત્રણ સહિત વરદત્ત વગેરે અગિયારને ગણધરપદે સ્થાપ્યા. તેમણે ત્રિપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી. દશ દશાર્ણોએ ઉગ્રસેન અને પ્રદ્યુમ્ન વગેરે પુત્રોની સાથે શ્રાવકપણાના સ્વીકાર કર્યા. રામ અને કૃષ્ણે સમ્યક્ત્વના સ્વીકાર કર્યાં. રુમિણી વગેરે પુત્રવધૂઓની સાથે વિવેકવતી, શિવાદેવી, રાહિણી અને દેવકી પ્રભુની પાસે શ્રાવકધને પામી. આ પ્રમાણે ચતુર્વિધ સંધ થઈ જતાં પહેલી પારિસિ પૂર્ણ થઈ ગઈ. બીજી પરિસિમાં ગણધરે ધર્મ કહ્યો. કૃષ્ણે ત્યાં ખલિ લઈ આવ્યા. આકાશમાં ઉછાળેલા ખલિમાંથી અર્ધા લિ દેવાએ આકાશમાં જ અદ્ધરથી લઈ લીધા. નીચે પડેલા અર્ધા અલિમાંથી અર્ધા લિ લેાકેાએ વહેચીને લઈ લીધેા, અને અર્ધો બલિ રાજાએ લીધા. પ્રભુના તીમાં ત્રણ મુખવાળા અને મનુષ્યના વાહનવાળા ગામેધ નામના ચક્ષ શાસન રક્ષક હતા, તથા સિંહના વાહનવાળી કુષ્માંડી (=અંબિકા) નામની દેવી શાસનરક્ષિકા હતી. પાપને દૂર કરતા ભગવાન આશ્ચય કારી પ્રાતિહાર્યો અને મનેાહર અતિશયાની સાથે ભૂમિતલ ઉપર વિચરવા લાગ્યા. લોકાલોકને પ્રકાશિત કરનારા અને જગતને ૧પુનર્જીવિત કરતા સ્વામીએ અનાય દેશમાં પણ ભવ્ય લોકાને ખાધ પમાડયો. પ્રભુના અઢાર હજાર સાધુએ, યક્ષિણી આદિ ચાલીશ હજાર સાવીએ, એક લાખ ને એગણાતેર હજાર શ્રાવકા, ત્રણ લાખ ને એગણુચાલીશ હજાર શ્રાવિકાઓ, દોઢ હજાર અવધિજ્ઞાની, તેટલા જ કેવળજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, ચાર સે। ચૌદપૂર્વ ધારી,
૧. ભાવથી મૃત્યુ પામી રહેલા જગતને ભાવથી ફરી જીવાડતા.
Page #96
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૮૭ આઠસો વાદીઓ (=વાદલબ્ધિવાળા), એક હજાર મન:પર્યવજ્ઞાની થયા. કેવલજ્ઞાનના દિવસથી પૃથ્વી ઉપર વિચરતા નેમિનાથનો ચતુર્વિધ શ્રીસંઘ આટલે જ હતે. વ્રતરૂપીલક્ષમી અને જ્ઞાનરૂપી લક્ષમી વિદ્યમાન હોવા છતાં તેની ઉપેક્ષા કરીને મુક્તિરૂપી પ્રિયાને પરણવાની ઈચ્છાવાળા શ્રીનેમિજિન ગિરનાર પર્વત ઉપર પધાર્યા. ત્યાં છેલ્લી દેશના સાંભળીને કેઈક જ સમ્યત્વને પામ્યા, કેઈકે દીક્ષાને અને કેઈક શ્રાવકધર્મને પામ્યા. ભગવાન એક મહિનાના ઉપવાસ કરીને પાંચસે ને છત્રીસ સાધુઓની સાથે પાદપેપગમન અનશનને પામ્યા. ભગવાન અષાઢ સુદ આઠમે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં સિદ્ધિરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલનો (છાતીને) અલંકાર બન્યા, અર્થાત્ મોક્ષ પામ્યા. પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમાર, શ્રી નેમિનાથના બંધુઓ, કૃષ્ણની સ્ત્રીઓ અને બીજા પણ સાધુઓ મુક્તિનું ભાજન થયા. જેને આત્મા મુક્ત બન્યો છે અને જે સાધવીગણની પ્રવર્તિની છે તે રામતી પણ શ્રીનેમિનાથથી અભેદને પામ્યા, અર્થાત્ ભગવાન અને રાજીમતી એ બંને સિદ્ધ બનવાથી એ બંનેમાં કઈ ભેદ ન રહ્યો. જિનેશ્વરે અવંધ્યપ્રાર્થનાવાળા હોય છે. રાજીમતી એક વર્ષ સુધી છવસ્થપણામાં રહ્યા, ચાર વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, પાંચ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. શ્રીનેમિજિનના માતા-પિતા થા દેવકને પામ્યા. દશાર્યો અને બીજા છ પણ વૈમાનિક દેવકની લમીને પામ્યા. શ્રીનેમિનાથનું ત્રણ વર્ષકુમાર અવસ્થામાં, છવસ્થ અને કેવલી અવસ્થામાં સાત વર્ષ, એમ સઘળું આયુષ્ય હજાર વર્ષનું હતું. શ્રી નમિનાથ પ્રભુની મુક્તિ થયા પછી પાંચ લાખ વર્ષ વીત્યા બાદ બાવીસમા જિનેશ્વર શ્રીનેમિનાથની મુક્તિ થઈ. ઈ કુબેર દ્વારા શ્રીનેમિનાથની શિબિકા બનાવીને, જિનના શરીરની પૂજા કરીને, તે શિબિકામાં જિનના શરીરને જાતે વિધિપૂર્વક પધરાવ્યું. નૈઋત્ય દિશામાં ગોશીષ ચંદનના કાઠેથી ચિતા રચીને તેમાં શિબિકા પધરાવી. અગ્નિકુમાર દેએ અગ્નિ પ્રગટાવ્યું. વાયુકુમાર દેવોએ અગ્નિને પ્રજવલિત કર્યો, અને (દેહ બળી ગયા પછી) મેઘકુમાર દેએ અગ્નિને ઠારી દીધે. ઇદ્રોએ જિનેશ્વરની દાઢાઓ લીધી. દેવોએ બાકીનાં અસ્થિ લીધાં. રાજાઓએ પ્રભુનાં વચ્ચે લીધાં. સજજનેએ ભસ્મ લીધી. બાકીના સાધુઓની અંતિમ ક્રિયા દેવોએ કરી. શ્રી ગિરનાર પર્વત ઉપર નેમિનાથની નિર્વાણભૂમિમાં ઈદે મંડપ કર્યો. એ મંડપમાં શિલા ઉપર ઇદ્દે વજથી પ્રભુનું નામ લખ્યું. નારકેને પણ ક્ષણવાર મહાન આનંદની ઉર્મિઓને ઉત્પન્ન કરનાર શ્રીનેમિપ્રભુના નિર્વાણ કલ્યાણુકને આ પ્રમાણે યક્તવિધિથી ઇદ્રોએ ઉજવ્યો. પછી નંદીશ્વરદ્વીપમાં આઠ દિવસ સુધી સુભક્તિથી શાશ્વત જિનેની પૂજા કરીને પ્રભુના ગુણે પ્રત્યે આદરવાળા બધા ય ઇદ્રો પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે જેમ નેમિનિને આઠ ભવથી અનુરાગવાળી રામતીને ત્યાગ કરીને સર્વોત્કૃષ્ટ પ્રકારના શીલનું પાલન કર્યું, તેમ ભવ્ય જીવે પણ ક્ષણે ક્ષણે ઉત્તમ પ્રકારના શીલનું પાલન કરવું જોઈએ. [૩૯]
Page #97
--------------------------------------------------------------------------
________________
શીપદેશમલા ગ્રંથને શીલપાલનનું જ સમર્થન કરે છે –
सिरिमल्लिनेमिपमुहा, साहीणसिवावि बंभवयलीणा ।
जई ता किमण्णजीवा, सिढिला संसारवसगावि ॥४०॥ ગાથાથ –જે જેમને મોક્ષ સ્વાધીન હતા (=તે જ ભવમાં અવશ્ય મેક્ષમાં જનારા હતા) તેવા પણ શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ વગેરે બ્રહ્મચર્ય વ્રતમાં લીન બન્યા (=લગ્નનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું જ પાલન કર્યું), તે પછી સંસારને વશ પડેલા બીજા સામાન્ય પ્રાણીઓ શીલપાલનમાં શિથિલ કેમ છે?
ટીકાથ–તે જ ભવમાં મોક્ષમાં જનારાઓ પણ જે શીલનું પાલન કરે છે તે સંસારમાં ડૂબેલા સામાન્ય છાએ મોક્ષરૂપ ફલ મેળવવા માટે વિશેષથી શીલનું પાલન કરવું જોઈએ. શ્રી મલ્લિનાથ ઓગણીસમા તીર્થંકર છે અને શ્રી નેમિનાથ બાવીસમા તીર્થકર છે. શ્રી નેમિનાથનું ચરિત્ર પહેલાં કહેલું જ છે. શ્રી મલ્લિનાથનું ચરિત્ર કહેવામાં આવે છે. તે આ પ્રમાણે :
શ્રીમલ્લિનાથનું દૃષ્ટાંત જેમનું ચિહ્ન કળશ દર્શન માત્રથી પણ નમેલા ભવ્ય જીવનું કલ્યાણ કરે છે તે શ્રી મલ્લિજિન સંપત્તિ માટે થાઓ. મહિમાના ભંડાર જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં જગતમાં બળવાન અને પ્રસિદ્ધ સલિલાવતી વિજય છે. તેમાં કલહરૂપી મલથી રહિત વીતશેકાનગરી છે. તે નગરીના ઘરમાં રહેલા મણિઓએ ઇંદ્રધનુષની શોભા આકાશમાં ધારણ કરી રાખી. તે નગરીમાં અતિશય પરાક્રમી બલ નામને રાજા રાજ્ય કરતા હતા. તેના યશરૂપી પુરુષનું સર્જન કરવા તારાઓ જાણે કાષ્ઠ જેવા (=રેજહીન) થઈ ગયા હતા. તેની શીલવંતી ધારિણી નામની પત્ની હતી. તે ધરિણીથી (=પૃથ્વીથી) એક માત્રાથી અધિક હતી તે યંગ્ય જ છે. કારણ કે તે ધરિણીથી (=પૃથ્વીથી) કેટલાક ગુણવડે અધિક હતી. તે બેને શૂરવીરમાં શરભ સમાન મહાબલ નામને પુત્ર હતે. કમે કરીને તે વિશ્વની સીઓને વશ કરવા માટે ઔષધસમાન યૌવનને પામ્યું. પિતાએ તેને ચોસઠ કળાઓથી યુક્ત પાંચ સો કન્યાઓ મહોત્સવ પૂર્વક અત્યંત આનંદથી પરણાવી. તેના વૈશ્રમણ, અભિચંદ્ર, ધરણ, પૂરણ, વસુ અને અચલ એ છ મિત્ર હતા. જેમ જીવલોક સદા છઠાયથી સહિત હોય તેમ તે સદા મિત્રોની સાથે રહેતા હતા. તે મિત્રોની સાથે પોતાને ઉચિત એવી વિવિધ કીડાઓથી નિઃશંકપણે ક્રીડા કરતો હતે. વિનય કરનાર તેણે ગ્યકાળે આચાર્યની પાસે છ અંગ જેવી મિત્રશ્રેણિની સાથે જ કળાઓને
૧. મણિઓની પ્રભા આગળ મારી પ્રભા ઝાંખી પડી જશે એમ વિચારીને ઈન્દ્રધનુષ પૃથ્વી ઉપર ન આવતાં આકાશમાં જ રહ્યું એમ કવિએ કલ્પના કરી છે.
૨. શરભ સિંહથી પણ અધિક બલવાન પ્રાણું છે. તેને આઠ પગો હેવાથી અષ્ટાપદ પણ કહેવામાં આવે છે.
૩. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ છ અંગો છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ અભ્યાસ કર્યો. કોઈ વેળા તેણે ધર્માચાર્યની (વિદ્યાસંબંધી) સામગ્રીને વ્યગ્રતા વિના પામીને છ પ્રકારના તપ જેવા તે મિત્રોની સાથે જ તે સામગ્રીને સફલ બનાવી. તેનું મન ક્રિીડામાં જ હેવાથી તે મિત્રોની સાથે નગર, ઉદ્યાન, વાવડી અને સરોવરમાં ફરતે હતે.
એક દિવસ બલરાજા સૈન્યસહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જ્ઞાની શ્રેષ્ઠ આચાર્યને જોઈને વંદન કર્યું. સ્વાભાવિક વાત્સલ્યવાળા તે મહાત્માએ પણ તેને યોગ્ય જાણીને મેઘ જેવી ગંભીરવાણીથી ધર્મદેશના આપી. તે આ પ્રમાણે – “મૃગતૃષ્ણામાં અંધ બનેલા અને સુખની ભ્રાતિથી તૃષાવાળા બનેલા અજ્ઞાન પ્રાણીઓ ભવરૂપી જંગલમાં મૃગની જેમ ઘણું ભમે છે. પુણ્યશાળી જીવ હજારે દુખને આપનારા સંસારનો ત્યાગ કરીને સ્વર્ગ અને મોક્ષને આપનારી જેનદીક્ષાને આનંદથી સ્વીકાર કરે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું. હું દીક્ષા લઉં, પણ મારે પુત્ર રાજ્યધુરાને વહન કરવા માટે હજી સમર્થ થ નથી. ઈત્યાદિ વિચારતા તેને આચાર્યો ફરી ઉપદેશ આપ્યો કે, “ કબલ જયશીલ હોવાથી અર્થાત્ બધું કર્મ પ્રમાણે થતું હોવાથી તારા હૃદયમાં આ ચિતા કેમ છે? બાલ્યાવસ્થા, યૌવન કે વૃદ્ધાવસ્થા સુખ-દુઃખનું કારણ નથી, કિર્તા પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ સુખ-દુઃખરૂપ ફલને આપે છે. શરણ રહિત અને જેમને આત્મા રાગાદિથી વ્યાકુલ છે તેવા તિર્યને (=પશુ-પક્ષી વગેરેને) વનમાં પૂર્વે કરેલા એક કર્મને છોડીને બીજે કઈ શરણુ નથી. તેથી પુત્રની રાજ્યની ધુરા ધારણ કરવા સંબંધી તારી પણ ચિતા નિરર્થક છે. બધાય પ્રાણીઓ અવશ્ય પોતાનું કરેલું કર્મ ભેગવે છે. વળી આયુષ્ય વાયુથી બહુ જ હાલતા પીપળાના પાન જેવું ચંચળ છે. યૌવન વિજળીના જેવું અસ્થિર છે. શરીર ક્ષણવિનશ્વર છે. પ્રેમ ઘાસ ઉપર રહેલા પાણીના જે અસ્થિર છે. વૈભવ પણ નિત્ય નથી. ક્યાંય કેઈ કેઈનું નથી. માટે આત્મહિત કરવું જોઈએ.” તેથી વિકલ્પોથી રહિત બનેલા અને વૈરાગ્યના જ તરંગવાળા તે રાજાએ દીક્ષાને સ્વીકાર કર્યો. બે પ્રકારની શિક્ષામાં કુશળ બનેલા તે રાજર્ષિ તપથી આઠે ય કર્મોને ખપાવીને પ્રાંતે કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને મુક્તિના વિલાસને પામ્યા.
તેથી (=બલ રાજાએ દીક્ષા લીધી તેથી) મંત્રી અને સામંત રાજા વગેરેએ મહાબલને સારામુહૂતે પિતાના રાજ્ય ઉપર સ્થાપ્યું. તેણે રાજ્યનું બરોબર પાલન કર્યું. પ્રતાપથી શત્રુઓને ત્રાસ પમાડનાર મહાબલ રાજા જાણે છે બલ હોય તેવા છે મિત્રોની સાથે રહીને પ્રજા ઉપર શાસન ચલાવતા હતા. કમલવતી નામની તેની પત્નીએ જેમ પૂર્વદિશા સૂર્યમંડલને જન્મ આપે તેમ બધાય અંગમાં સુંદર પુત્રને જન્મ આ. મહાન સમૃદ્ધિથી પુત્રને જન્મમહત્સવ કરાવીને બારમા દિવસે તેનું બલભદ્ર એવું નામ રાખ્યું. જેમ વસુદેવના આશ્રયે રહેલ શંખ સમુદ્રમાં પ્રઢતાને પામે છે, તેમ બલભદ્ર સર્વ
Page #99
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને અંગેની શોભા સાથે અતિશય પ્રઢતાને પામ્યા. તેથી શસ્ત્રોમાં અને શાસ્ત્રોમાં પાર પામેલ (=કુશળ બનેલ) મહાબલ રાજાએ મહાતેજસ્વી પુત્રને યુવરાજ પદ ઉપર અભિષેક કર્યો. નીતિમાન બલભદ્ર રાજ્યકાર્યોમાં પ્રયત્ન કરતે થયે એટલે કૃતકૃત્ય બનેલ રાજા પોતે જિન ધર્મમાં ઉદ્યમવાળો થયો. દાન, શીલ, તપ, ભાવ અને શાસનની પ્રભાવના વગેરે ધર્મ કાર્યો સતત કરીને તેણે જ મને સફલ કર્યો. એક દિવસ બ્રાતિથી ભ્રાન્ત બનેલા જડ લેકેથી સેવાતા કેઈ પાખંડીને જોઈને મહાબલે આ પ્રમાણે વિચાર્યું – શુભાશુભ ફલનું કારણ કર્મ જ છે એમ જાણતા પુણ્યશાળી મુનિઓ આ જગતમાં પિતાને અને પરને સંસારરૂપી સમુદ્રથી તારે છે. પાખંડીઓને ધિક્કાર થાઓ! શિકારી જેવા પાખંડીઓ મંત્ર-તંત્ર આદિના ઉપદેશથી મૂઢ જેને જેમ શિકારીઓ મૃગોને પાશમાં નાખે તેમ ભવરૂપી પાશમાં નાખે છે. વિવેક રહિત ઉપકાર વગેરે ધર્માભાસની પ્રરૂપણ કરનારા, મૂઢ અને મૂઢધાર્મિકોને આકર્ષતા પાખંડીઓ પિતાને છેતરે છે. ઈત્યાદિ ભવવૈરાગ્યથી શુદ્ધ ધર્મમાં જ બુદ્ધિવાળા તેણે સંયમ લેવાની ભાવનાથી સ્વયં પુત્રને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી મહાબલે શ્રીવીર નામના ગુરુની પાસે મિત્રોની સાથે ચઢતા ભાવથી દીક્ષા લીધી. જાણે ભયના શત્રુ હોય તેવા સાતે ય મુનિઓ આઠ કર્મોને જિતવાની ઈચ્છાથી ચારિત્ર પાળવા લાગ્યા. મોક્ષલક્ષમીને મેળવવાની ઈચ્છાવાળા તેમણે સર્વ ભદ્ર, સિંહનિક્રીડિત વગેરે તપથી કર્મોને ખપાવ્યાં. વિશિષ્ટ ફલની આકાંક્ષાવાળા તપસ્વી મહાબલ મુનિએ તપ પૂર્ણ થવા છતાં રોગને દંભ કરીને પારણું ન કર્યું. વિશિષ્ટ તપને કરતા મહાબલ મુનિએ માયાથી સ્ત્રીવેદને બંધ કર્યો. અહે ! મેહની રમત કેવી છે? વિધિપૂર્વક આરાધેલા અરિહંતભક્તિ વગેરે વીસ સ્થાનકેથી તેમણે નિકાચિતપણે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. રાશી લાખ પૂર્વના આયુષ્યવાળા સાતે ય ઉત્તમમુનિઓ આયુષ્યના અંતે અનશન કરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં તેમણે તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્ય એક લવની જેમ પસાર કર્યું.
આ તરફ જંબૂદ્વીપના લકમીને ક્રીડા કરવાનું મંદિર એવા દક્ષિણ ભારતમાં વિદેહ નામને પ્રસિદ્ધ દેશ હતું. તેમાં મિથિલાનગરી હતી. તેની સમૃદ્ધિ જોઈને દેવાંગનાઓ સ્વર્ગમાં રહેવા માટે ઢીલી બનતી હતી. તેમાં ઇવાકુ કુળમાં થયેલ કુંભ નામને રાજા હતું. તેના મહેલ ઉપર ચંદ્ર જાણે યશને કુંભ હોય તેમ શેeતે હતે. તેની શીલથી વિભૂષિત પ્રભાવતી નામની રાણી હતી તેના ગુણોની સંખ્યા ગણવામાં તારા રેખા જેવા દેખાયા, અર્થાત્ તેનામાં તારાઓથી પણ અધિક ગુણે હતા. મહાબલને જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ સુદ ચોથે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને યોગ થતાં મધ્યરાત્રિએ જેમ રાજહંસ કમળ ઉપર બેસે તેમ રાણીની કુક્ષિમાં અવતર્યો. આ વખતે
૧. લવ એટલે લગભગ દોઢ મિનિટ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧
ગુજરાતી ભાવાનુવાદ તે જીવ ત્રણ જ્ઞાનથી યુક્ત હતે. અને તેણે નારકીઓને પણ ક્ષણવાર સુખ આપ્યું. મહાબલના ભાવમાં તપમાં પણ કરેલી માયાથી તે જીવ તીર્થકરપણામાં પણ આપણે ઉત્પન્ન થયે. રાત્રિના અંતે ચૌદ મહાસ્વપ્ન જોઈને વિકસિત બનેલા રોમાંચરૂપી અંકુરાવાળી રાણીએ નિદ્રાને ત્યાગ કર્યો. રાણીએ રાજા પાસે જઈને રાજાને ચૌદ મહાસ્વને કહ્યાં. હે સ્વામિન ! મેં હાથી વગેરે ચૌદ સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતા જોયા છે. તે આ સ્વપ્નનું ફળ શું થશે તે કહે. રાજાએ પણ પોતાના અંતરમાં હર્ષ પામીને રાણીને આ પ્રમાણે કહ્યું : હે દેવી! આ મહાસ્વપ્નથી મહાન લાભ થશે. આપણે ચતરફ ધનભંડાર અને ધાન્યના કે ઠારથી ઘણા વધીશું. મુશ્કેલીથી જીતી શકાય તેવા પણ શત્રુઓ સુખેથી જીતી શકાશે. ઉત્તરોત્તર સંપત્તિ વધશે એવી સંભાવના કરાય છે. વળી તું સમય પૂર્ણ થતાં શુભલક્ષણવાળી કુલદીપક અને ધીર પુત્રીને જન્મ આપીશ. કાનને અમૃતના પારણું સમાન પતિના વચનને સાંભળીને તેણે બાકીની રાત્રિ ધર્મ“જાગરિકામાં ઉદ્યત બનીને પસાર કરી. દેથી સતત સેવા કરવા ગ્ય રાણીએ પતિના મનેરની સાથે જેમ પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કર્યો. રાજાએ જ્યારે પુંસવન વગેરે જે ક્રિયા કરાવવા માટે ઇચ્છા કરી ત્યારે તે ક્રિયા ઈંદ્ર વગેરેએ સ્વયં કરી ગર્ભપષક અને દેશ-કાલને ઉચિત વિહાર–આહાર આદિ તે તે કિયાએથી રાણીએ સુખપૂર્વક ગર્ભનું પોષણ કર્યું. શુભ ગર્ભના પ્રભાવથી ત્રીજા મહિને રાણીને પુષ્પની શયામાં સૂવાને દેહલે થયે. દેએ તે દેહલે પૂરો કર્યો. માગશર સુદ અગિયારસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયો ત્યારે પ્રભાવતીએ જેમ પૂર્વદિશા સૂર્યબિંબને જન્મ આપે તેમ પુત્રીને જન્મ આપ્યું. તે પુત્રી તેજથી દીપકને ઝાંખે પાડનારી, સર્વ અંગમાં સુંદર લક્ષણોવાળી, તાલિશપત્ર અને ઈંદ્રનીલમણિના જેવા નીલરંગવાળી અને શુભ લક્ષણવાળી હતી. આ વખતે નરકના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. જગત જાણે તેજના પુજથી ઘેરાયેલું હોય તેવું (=પ્રકાશવાળું) થયું. દિશાએ પ્રકાશવાળી થઈ વાયુ સુખ ઉત્પન્ન કરનારા વાયા. સંપૂર્ણ જગત ભેગીના ચિત્તની જેમ સુખથી ભરપૂર બન્યું.
આ તરફ સિંહાસન ચલિત થવાથી અવધિજ્ઞાનથી જિનેશ્વરના જન્મને જાણીને અલકમાં રહેનારી આઠ દિકકુમારિકાઓ પિતાનું કાર્ય કરવાની ઈચ્છાથી વાહન સહિત અને પરિવાર સહિત જલદી ત્યાં આવી, આવીને જિનને અને જિનની માતાને નમસ્કાર કર્યા. પછી તેમણે કહ્યું: હે જગન્માતા ! તમે અમારાથી ભય પામશે નહિ અમે અધેલોકમાં રહેનારી આઠ દિકુમારિકાઓ અવધિજ્ઞાનથી તીર્થકરના જન્મને જાણીને તેમની ભક્તિ કરવા માટે અહીં આવી છીએ. આમ કહીને ઈશાન ખૂણામાં રહેલી તેમણે સ્તંભ- ૧. શબ્દાર્થ આ પ્રમાણે છે- નિદ્રારૂપી સંકેચને ત્યાગ કર્યો. નિદ્રા એ એક પ્રકારને સંકેચ છે. અને જાગરણ એ એક પ્રકારને વિકાસ છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને વાળું અને પૂર્વ તરફ મુખવાળું સૂતિકાગ્રહ કર્યું. પછી સંવત નામના વાયુથી સૂતિકાગૃહને ચેતરફ એક જન સુધી શુદ્ધ કર્યું. ઊર્વિલેમાં રહેનારી આઠ દિકકુમારિકાએ પણ આસનને કંપ થવાથી મેરુપર્વતના શિખર ઉપસ્થી ત્યાં આવી સુગંધી પાણીની વૃષ્ટિથી એક જન સુધી પૃથ્વીને સિંચીને અને પુષ્પવૃષ્ટિ કરીને જિનના ગુણે ગાવા લાગી. પૂર્વ દિશાના રુચકપર્વત ઉપર રહેનારી આઠ દિકકુમારીકાઓ પણ પોતાના હાથમાં દર્પણ રાખી માંગલિક ગીત ગાતી ગાતી પૂર્વ દિશામાં ઊભી રહી. દક્ષિણ ચકપર્વતથી આવેલી આઠ દિકુમારિકાઓ હાથમાં કળશ ધારણ કરીને દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી પશ્ચિમ ચૂકપર્વતથી પણ આઠ દિકુમારીકાઓ આવીને, હાથમાં પંખો રાખીને પશ્ચિમ દિશામાં ઊભી રહીને, જિનના અને જિનમાતાના ગુણે ગાવા લાગી. ઉત્તરસ્ટચકપર્વત ઉપર રહેનારી આઠ દિકુમારિકાઓ આવીને, હાથમાં ચામર રાખીને ઉત્તર દિશામાં ઊભી રહીને, ગીતે ગાવા લાગી. વિદિશાના રુચાપર્વત ઉપર રહેનારી ચાર દિકકુમારિકાઓ હાથમાં દીપક રાખીને ઈશાન વગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઊભી રહી. રૂચકદ્વીપથી ચાર દિકુમારિકાએ ભૂમિમાં ખાડે છેદીને તેમાં નાભિનાલ મૂકયું. (ખાડાને રત્ન વગેરેથી પૂરી દીધો. તેના ઉપર દૂર્વાથી (=ધ્રોથી) પીઠિકા બાંધી.) પછી જિનના જન્મગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણ દિશાઓમાં ચેકથી શોભિત ત્રણ કદલીગૃહો કર્યા. તે દરેકમાં એક એક એમ ત્રણ સિંહાસન કર્યો. પછી માતાની સાથે જિનને ક્રમશઃ તે કદલીગૃહમાં પધરાવીને (પૂર્વમાં) સુગંધી લક્ષપાક તેલથી તે બંનેનું અભંગ કરીને ઉદ્દવર્તન કર્યું. પછી (દક્ષિણમાં) સ્નાન કરાવીને વસ્ત્રથી શરીર લૂછયું, બંનેને વચ્ચે તથા આભૂષણે પહેરાવ્યાં. પછી (ઉત્તરમાં) ગશીર્ષ ચંદનથી તેમ કર્યો. તે (અગ્નિથી થયેલ) ભસ્મથી રક્ષાપેટલી કરી. (એ રક્ષાપોટલી બંનેના હાથમાં બાંધી.) પ્રભુના કાનની પાસે પાષાણના બે ગેળાએ વગાડ્યા. આ પ્રમાણે ક્રમથી ભક્તિ કરીને દિકકુમારિકાઓ કુદવા લાગી, નાચવા લાગી, મંગલ ગીતે અને ભગવાનના ગુણે ગાવા લાગી.
તે વખતે સ્વર્ગમાં એકી સાથે શાશ્વતી ઘંટાઓ વાગી તથા ઇદ્રોનાં હૃદયની સાથે આસને કંપ્યાં. પછી અવધિજ્ઞાનથી જિનના જન્મને જાણીને સબમેં ક્ષણવારમાં મનનું સમાધાન કર્યું. [ અચાનક આસનને કંપ થવાથી કે એ વિઠ્ઠો છે કે જેણે મારું આસન ચલાયમાન કર્યું એવા વિચારથી સધર્મેન્દ્રને ક્રોધ આવ્યું. પણ પછી જિનજન્મના કારણે આસન ચલાયમાન થયું છે એવું જાણવામાં આવવાથી ક્રોધ શમી ગયે.] પછી સૈધ ઘંટા વગડાવી. ઘંટાના નાદથી ક્રોડે દેવો સાવધાન થઈ ગયા અને
૧. અહીં ક્રમશઃ એમ કહ્યું છે અને પૂર્વ-દક્ષિણ-ઉત્તર એ ક્રમથી ઉલ્લેખ કર્યો છે. આથી અહીં કાઉંસમાં અનુક્રમે પૂર્વ-દક્ષિણ-ઉત્તર લખ્યું છે. પણ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં દક્ષિણપૂર્વ-ઉત્તર એ ક્રમથી ઉલેખ છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ સેનાપતિના વચનથી બધાય શકની પાસે ભેગા થયા. તે જ વખતે પાલક ઈચ્છા પ્રમાણે જનારું, લાખ જન પહેલું અંદરના ભાગમાં માણેક રત્નની પીઠિકાવાળું, પાંચસો
જન ઊંચું, પાલક નામનું વિમાન વિકવ્યું. શકેંદ્ર ઉત્તર વૈક્રિયરૂપ કરીને તે વિમાનમાં આરૂઢ થયા. દુંદુભિના મોટા અવાજથી દિશાનાં મુખેને બહેરાં કરનાર અને સઘળી સામગ્રીથી યુક્ત તે વિમાન મિથિલાનગરી તરફ ચાલ્યું. આઠમા નંદીશ્વર દ્વીપમાં જઈને રતિકર પર્વતની ઉપર ઇદ્ર જેમ ઉપક્રમેથી આયુષ્ય સંક્ષિપ્ત થાય તેમ વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી સૈધર્મેદ્ર ઓગણીસમા તીર્થંકરના જન્મગૃહમાં આવ્યા, સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણ આપીને જિનને નમ્યા. ફરી ઇ જિનને અને જિનમાતા રાણપ્રભાવતીને નમીને મસ્તકે અંજલિ જોડીને કહ્યું : હે જગન્માતા ! હે રત્નકુક્ષિ! હે કૃપાવતિ! ત્રણે ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે જ મુખ્ય છે. હું ઓગણીસમા તીર્થકરને જન્મમહોત્સવ કરવાની ઈચ્છાથી આવ્યો છું. આથી તમે ગભરાશે નહિ. પછી ઇ પરિવાર સહિત રાણીને અવસ્થાપિની નિદ્રા આપી, શ્રી મલ્લિનાથનું પ્રતિબિંબ માતાની પાસે મૂકયું. જાણે પાંચ કલ્યાણકવાળા સ્વામીની હું એકી સાથે સેવા કરું એવી ભાવનાથી હોય તેમ સૌધર્મો પોતાનાં પાંચ રૂપો કર્યા. એક રૂપથી ગોશીષ ચંદનથી લીધેલા પિતાના બે હાથમાં જેમ ગરીબ માણસ નિધાનને લે તેમ પ્રભુને લીધા. એક રૂપથી પ્રભુની પાછળ રહીને પ્રભુના મસ્તકે જાણે એકઠા કરેલે પ્રભુને યશ હોય તેવું સફેદ છત્ર ધર્યું. બે રૂપથી પ્રભુની બંને બાજુ જાણે પ્રભુને વિષે સ્પૃહાવાળા ગંગાના બે પ્રવાહ હોય તેવા બે ચામર વીંઝયા. એક રૂપથી વિશેષ મેળવવાની ઈચ્છાથી પિતાની આગળ કૂદતા બાળકની જેમ પ્રભુની આગળ વજને ઉલ્લાળતા ચાલ્યા. મેરુપર્વત ઉપર આવેલી અતિપાંડુ કંબલા શિલા ઉપર પ્રભુને પિતાના મેળાને અલંકાર બનાવીને, અર્થાત્ પ્રભુને પોતાના મેળામાં ધારણ કરીને ઈદ્ર બેઠા.
તે જ પ્રમાણે આસન ચલાયમાન થવાથી બીજા અગ્રુતેદ્ર વગેરે ત્રેસઠ ઇંદ્રો પણ પિતા પોતાની સમૃદ્ધિ સહિત આવ્યા. વ્યંતરના સેળ અને વાણુવ્યંતરના સોળ એમ વ્યંતરના બત્રીસ ઇદ્રો, સૂર્યનો એક, ચંદ્રને એક, ભવનપતિના વીસ અને વૈમાનિકના દશ એમ ચોસઠ ઇદ્રો અહીં ભેગા થયા. ઘણી સમૃદ્ધિ (શોભા)વાળા અને તીર્થજલથી ભરેલા વિવિધ કળશોથી વાજિંત્રોના નાદપૂર્વક જિનેશ્વરને અભિષેક કર્યો. હવે ઈશાને પાંચ રૂપિ કરીને જિનને પિતાના મેળામાં ધારણ કર્યા. પછી સૌધર્મેન્દ્ર જિનેશ્વરને અભિષેક કર્યો. જિનના અભિષેકનું પાણી દેએ સિદ્ધચૂર્ણની જેમ લીધું. તે પાણી કિંમતી આભૂષણોની જેમ તે તે અંગે માં લગાડયું. કષાયરંગના સુગંધી વાથી પ્રભુના શરીરને લુછીને, ચંદન વગેરેથી વિલેપન કરીને, દિવ્ય વસ્ત્રથી પૂજા કરીને, અર્થાત્ દિવ્ય
૧. અર્થાત પ્રભુના પાંચે ય કલ્યાણકેની હું એકી સાથે આરાધના કરું એવી ભાવનાથી હેય તેમ. ૨. જેનાથી સ્વીકાર્યોની સિદ્ધિ થાય તેવું ચૂર્ણ
Page #103
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને. વસ્ત્રો પહેરાવીને, મસ્તકે મુકુટ પહેરાવ્યું. પ્રભુના બે કાનમાં સુવર્ણ કુંડલે, કંઠમાં દિવ્ય. મોતીની માળા, બે બાહુમાં બાજુબંધ, બે કાંડામાં કંકણે, કેડમાં ઘુઘરીઓવાળો કંદરે અને બે ચરણોમાં માણેક રત્નના તેડા પહેરાવ્યા. પ્રભુના આભૂષણે એક-બીજાની શોભા માટે થયા, અર્થાત્ આભૂષણે પ્રભુને શોભાવતાં હતાં અને પ્રભુ આભૂષણને શોભાવતા. હતા. પછી પુપમાળાઓથી જગમ કલ્પવૃક્ષ સમાન પ્રભુની પૂજા કરીને પ્રભુની આગળ રૂપાના અક્ષતથી મણિપટ્ટમાં અષ્ટમંગલ આલેખ્યા. પ્રભુની આગળ આરતિ ઉતારી દેવીઓએ પ્રભુની આગળ નૃત્ય કર્યું અને ઈંદ્ર સ્વયં સંગીત કર્યું. ત્યારબાદ આનંદથી પૂર્ણ સૌ મેં પ્રભુની સ્તુતિ કરી. પછી પિતાના પાંચ રૂપો કરીને ઇશાનેંદ્રના ખેાળામાંથી પૂર્વવત્ જિનને લીધા. તે બધાય ઈંદ્રો પરિવાર સહિત નંદીશ્વર દ્વીપમાં ગયા અને ત્યાં અષ્ટાહ્નિકા મહત્સવ કરીને પોતાના સ્થાને ગયા. સૌધર્મેદ્ર સૂતિકા ગૃહમાં જઈને જિનેશ્વરને માતાની પાસે સ્થાપન કર્યા અને અવસ્થાપિની નિદ્રાને દૂર કરી. પ્રભુના ઓશીકે બે વસ્ત્રો અને બે રત્ન કુંડલ મૂક્યાં. પ્રભુના નેત્રને વિનેદ થાય એ માટે ચંદરવામાં વિવિધ સુવર્ણ અને રત્નોથી યુક્ત શોભાવાળી માળાઓને સમૂહ મૂક્યો. પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે કુંભરાજાના ઘરમાં બત્રીસ કેડ સુવર્ણની અને બત્રીસ ક્રોડ રત્નોની વૃષ્ટિ કરી. લેકમાં જે જે અતિશય દુર્લભ હતું અને જે જે સુખ આપનારું હતું તે તે બધું રાજાના ઘરમાં પ્રભુભક્તિથી પૂર્યું. પછી ઇદ્ર ત્રણે લોકમાં દેવો વડે આ પ્રમાણે ઘોષણા કરાવીઃ- જે જિનનું કે જિનમાતાનું અશુભ ચિંતવશે તેના મસ્તકને "અર્જકમંજરીની જેમ સાત પ્રકારે ભેદી નાખીશ. પછી ઇદ્ર જિનેશ્વરના અંગુઠે અમૃતને સંચાર કર્યો. પાંચ અપ્સરાઓ દૂધ પીવડાવનાર, સ્નાન કરાવનાર, શણગાર કરનાર, ક્રીડા કરાવનાર અને ખેાળામાં બેસાડનાર એમ પાંચ ધાવમાતા થઈને રહી. પછી સૌધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાં પૂર્વ દિશામાં આવેલા અંજનગિરિ ઉપર શાશ્વત ચૈત્યમાં અષ્ટાક્ષિકા મહત્સવ કરીને જેવી રીતે આવ્યા હતા તે રીતે પોતાના સ્થાને ગયા.
કન્યાને વિભૂષિત જોઈને હર્ષપૂર્ણ બનેલી રાણીએ આશ્ચર્ય પૂર્વક ઈંદ્ર વગેરેના આગમનને યાદ કર્યું. તે બધું સાંભળીને હર્ષ પામેલા કુંભ રાજાએ કન્યાને જન્મ મહોત્સવ પુત્રોથી પણ અધિક કર્યો. રાજ્યના સાતે ય અંગોમાં સર્વાધિક વૃદ્ધિ જોઈને કન્યાના જન્મ નિમિત્તે ઘણું તુષ્ટિદાન અપાવ્યા. જાણે સંસારરૂપી કેદખાનામાંથી આ જ નક્કી છોડાવશે એમ વિચારીને હેય તેમ, રાજાએ સઘળા કેદીઓને છોડી દેવાની આજ્ઞા કરી. ત્યારે કુંભ રાજાએ પૃથ્વીને દંડરહિત કરી તે યોગ્ય છે. કારણ કે વધની આ કન્યા
૧. અર્જકમંજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પફવ થઈને કૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે.
૨. સ્વામી, મંત્રી, મિત્ર, ભંડાર, રાષ્ટ્ર, કિલ્લો અને સેના એ સાત રાજ્યનાં અંગો છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ પણ ત્રણ દંડને છોડશે. જાણે સર્વ સંપત્તિની વૃદ્ધિનું કારણ આ કન્યા જ છે એમ વિચારીને હેય તેમ, રાજાએ સઘળા માપને મોટા કરવાની આજ્ઞા કરી. જાણે આ જ મોહનિદ્રામાંથી જગાડનારી છે એમ વિચારીને હોય તેમ, રાજાએ ષકીને જાગરણ મહાત્સવ કરાવ્યું. અગિયારમા દિવસે જ્ઞાતિવર્ગનું ઘણું ઋદ્ધિથી સન્માન કર્યું, અને માતાને માલ્યનો (=પુષ્પની શય્યામાં સુવાને) દેહલે થયે હતા એથી તે કન્યાનું મલ્લિ એવું નામ રાખ્યું. દેવીઓ વડે મનોવાંછિત કીડાઓથી લાલન કરાતી તે નંદનવનમાં રહેલી કલપલતાની જેમ વધવા લાગી. તેને કર્મક્ષપશમથી ઉપાધ્યાયની અપેક્ષા વિના જાણે થાપણ કરેલી હોય તેમ સઘળી કળાએ પ્રગટ થઈ. પચીશ ધનુષ ઊંચી, પવિત્ર લાવણ્યથી પૂર્ણ અને ત્રણ જ્ઞાનથી પવિત્ર એવી શ્રીમલ્લિકુમારી યૌવનને પામી.
આ તરફ અચલને જીવ વૈજયંતવિમાનમાંથી આ જ ભારતમાં શ્રી સાકેતપુરમાં અવતર્યો. પ્રતિબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ બને તે ત્યાં જ રાજા થયે. તેની અતિશય પ્રેમવાળી પદ્માવતી નામની પત્ની હતી. એકવાર નાગદેવની યાત્રા માટે તે પ્રિયાની સાથે ક્યાંક ગ. (રસ્તામાં) તેણે પુપના મેગરાને અને પુષ્પના મંડપને જોયે. આ બંને અને પત્નીને વારંવાર જોઈને તેણે લેકમાં આ ત્રણ રત્નો છે એમ પ્રશંસા કરી. આ સાંભળીને તેના સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું : હે દેવ! આમાં આપ આટલે મદ કેમ કરે છે? કારણ કે વદુરજ્ઞા વસુધરા=પૃથ્વી ઘણું રત્નોવાળી છે. કુંભરાજાની મલિ નામની કન્યા જેવી રૂપવતી છે તેવા રૂપને વિસ્તાર ત્રણ લેકમાં કયાંય જોવામાં આવતું નથી. હું માનું છું કે પોતાની સૃષ્ટિનો ઉત્કર્ષ જેવાની ઈચ્છાથી કુતૂહલી વિધાતાએ જાણે સ્ત્રીઓની પુષ્પમાળા હોય તેવી તે મલ્લિકુમારીને જ સર્જે છે. આ સાંભળીને પૂર્વભવમાં ઉત્પન્ન થયેલા અનુરાગના સંસ્કારો જાગૃત થયા અને એથી તેને પરણવા માટે કુંભરાજાની પાસે દૂત મોકલ્યા.
ધરણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને પૂર્ણ ચંપાનગરમાં ચંદ્રછાય નામે રાજા થયો. ત્યાં જિન ધર્મમાં અતિશય દઢનય નામનો શ્રેષ્ઠી હતે. વેપાર કરવા જવા માટે તે એકવાર વહાણુમાં બેઠો. આ વખતે ઇ એની જિનધર્મમાં સ્થિરતાની પ્રશંસા કરી. તેમાં એક દેવે ઈર્ષ્યાથી તેની પ્રશંસાને સહન ન કરી. દેવલોકમાંથી ઉતરીને તે સમુદ્રમાં ગયો. તેના વહાણને હાલકડોલક કર્યું. તેની ધર્મસ્થિરતાની પરીક્ષા કરવા દેવે તેને કહ્યુંઃ જે જિનધર્મને છેડીને મારી સેવા કરે તે વહાણને પાર પહોંચાડું, અન્યથા તું વહાણને ડુબેલું છે. શ્રેષ્ઠીએ કહ્યુંઃ આ લેક અને પરલેકમાં સુખ આપનારા જૈનધર્મને જવાના સ્વભાવવાળા માત્ર પ્રાણની રક્ષા માટે બુદ્ધિશાલી એ કોણ છે? ઈત્યાદિ પરીક્ષાઓથી દેવે તેનું સત્વ જોયું. પછી તેણે પ્રત્યક્ષ થઈને ઇ કરેલી પ્રશંસાને
૧. વૃક્ષ ઉપર રહેલાં પુના જથ્થાને.
Page #105
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને પ્રસંગ કહ્યો. દેવતાનું દર્શન નિષ્ફલ ન હોય એમ હર્ષથી બોલતા તેણે શ્રેષ્ઠીને ચાર કુંડલ આપ્યાં. પછી તે સ્વર્ગમાં ગયે. નયશેઠ પણ સુખપૂર્વક સમુદ્રને પાર પામીને મિથિલાપુરી ગયે. ત્યાં તેણે ભેટમાં કુંભરાજાને બે કુંડલ આપ્યાં. કુંભરાજાએ તે કુંડલ તે વખતે ત્યાં આવેલી શ્રી મલ્લિકુમારીને આપ્યાં. કરિયાણું વગેરે વેચીને. શેઠ ચંપાનગરીમાં આવ્યું. બાકી રહેલા બે કુંડલ ચંદ્રછાય રાજાને આપ્યાં. વિસ્મય. પામેલા રાજાએ પણ કુંડલ કેવી રીતે મળ્યાં? એમ પૂછ્યું. તેથી નયશેઠે જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું અને પ્રસંગથી કુંભરાજાની પુત્રી શ્રી મલ્લિના રૂપનું વર્ણન કર્યું. હે સ્વામિન ! ત્યાં બીજામાં ન હોય તેવું તેનું રૂપ જોઈ જોઈને જોવા લાયક જેવાથી મેં આંખને સફલ કરી છે. આ સાંભળીને પૂર્વના સ્નેહના મેહથી તેણે પણ કુંભરાવાની કન્યાને પરણવા માટે જલદી પિતાના દૂતને મોકલ્યો.
પૂરણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને શ્રાવસ્તીનગરીમાં રુક્િમ નામને રાજા થયે. તેની ધારિણી નામની પત્ની હતી. એકવાર પોતાની કન્યાનું રૂપ જોઈને વિસ્મય પામેલા તેણે દેશાંતરથી આવેલા એક કંચુકીને પૂછ્યું કે, મારી પુત્રીનું જેવું રૂ૫ અને એશ્વર્યા છે તેવું રૂપ અને ઐશ્વર્ય ક્યાંય તે જોયું હોય તે મને કહે કંચુકીએ કહ્યુંઃ હે દેવ ! લકે સ્વેચ્છા પ્રમાણે ગમે તેમ બેલે છે. પણ મધ્યસ્થ પુરુષ ગુણ અને દેષના ભેદને જાણી લે છે. માનસિક રોગથી દેશે પણ ગુણે જેવા મનાય છે. તેથી જ આપ પક્ષપાતને દૂર કરીને ગુણ-દેષના ભેદને નિર્ણય કરતા હો તે સાંભળે. મિથિલા મહાનગરીમાં કુંભરાજાની પુત્રી મલ્લિનું જેવું રૂપ છે તેવું રૂપ કયાંય નથી. સૌભાગ્ય વગેરે ઐશ્વર્ય તેનામાં એવું જોવામાં આવે છે તેવું દેવીઓમાં પણ નથી, તે પછી શેષ સ્ત્રીઓમાં શી વાત કરવી ! આ સાંભળીને પૂર્વભવમાં પ્રસિદ્ધ બનેલ અતિશય પ્રેમથી પૂર્ણ બનેલા તેણે મલ્લિકુમારી માટે કુંભરાજાની પાસે પિતાને દૂત મેકલ્ય.
વસુનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને વારાણસી મહાનગરીમાં જાણે જયરૂપી લમીને સ્તંભ હોય તે શંખ નામે રાજા થયે. એક દિવસ મલ્લિના તે બે કુંડલે દુષ્ટ માણસના ચિત્તની જેમ ભાંગી ગયા. રાજાએ સાંધવા માટે તે કુંડલો સેનીને આપ્યા. સનીએ કહ્યું: હે દેવ ! દિવ્ય વસ્તુને સાંધવા માટે હું સમર્થ નથી. તેથી રાજાએ તેને કાઢી મૂક્યો. તે ત્યાંથી વારાણસી ગયેતે એક દિવસ રાજાનાં દર્શન કરવા માટે રાજસભામાં ગયો. રાજાએ તેને દેશમાં કઈ પ્રકારનું આશ્ચર્ય તે જોયું છે એમ પૂછ્યું. આથી તેણે મલ્લિના રૂપનું વર્ણન કર્યું. આ સાંભળીને પૂર્વભવમાં અભ્યાસ કરાયેલા પ્રશસ્ત સ્નેહને આધીન બનેલા તેણે પણ તેને પરણવા માટે દૂતને મેકલ્ય.
વૈશ્રમણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામને રાજા થયે. એકવાર મલ્લિકુમારીના મલ્લ નામના નાનાભાઈ એ વિદેશના ચિત્રકારે દ્વારા.
૧. રાજના જનાનખાનાના અધિકારીને.
Page #106
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ ચિત્રશાલા ચિતરાવવા માંડી. તેમાં એક ચિત્રકાર દેવતાએ આપેલા વરદાનની લબ્ધિવાળે હતો. આથી તે શરીરના એક અંગને જોઈને સંપૂર્ણ શરીરનું ચિત્ર ચીતરવા સમર્થ હતું. ક્યારેક ચિત્રશાળામાં પ્રવેશેલા મલે ચિત્રમાં ચિતરેલી મલ્લિકુમારીને સાક્ષાત મલ્લિકુમારી સમજીને શરમથી એકદમ પાછો ફર્યો. ચિત્રકારે ક્યારેક જાળિયામાંથી શ્રી મલ્લિકુમારીના ચરણના અંગૂઠાને જોઈને તેનું યથાવસ્થિત રૂપ ચીતર્યું હતું. ધાવમાતાએ બરોબર જોઈને કુમારને કહ્યું કે, હે વત્સ ! ચિત્રપ્રતિમામાં તું નિરર્થક ભ્રાન્ત થયો છે, અર્થાત્ ચિત્રશાલામાં આલેખેલી શ્રી મલ્લિકુમારીની પ્રતિમામાં તને સાક્ષાત મલ્લિકુમારીની બ્રાતિ થઈ છે. તેથી ચિત્રશાલામાં જા. ગુસ્સે થયેલા મલે ચિત્રકારનો જમણે હાથ છેદીને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. બીજા દેશમાં ભમતે તે હસ્તિનાપુર ગયે. તેણે અવસરે અદીનશત્રુ રાજાની આગળ મલ્લિના રૂપનું વર્ણન કર્યું. પૂર્વભવમાં વૃદ્ધિ પામેલા રાગમાં મગ્ન મનવાળા અને શિલ્યની જેમ મલ્લિકુમારીનું ધ્યાન કરતા રાજાએ તે વખતે પોતાના દૂતને મેક.
અભિચંદ્રને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને કાંપિલ્યપુરમાં જિતશત્રુ નામને રાજા થયે. કેઈક પાખંડિની (=પરિવ્રાજિકા) અંતઃપુરની સ્ત્રીઓને ધર્મ કહેતી હતી. મલ્લિકુમારીએ ધર્મના વિવાદમાં તેને જીતી લીધી. તે મિથિલાનગરીમાંથી નીકળને કાંપિલ્યપુરમાં ગઈ. જિતશત્રુ રાજાની આગળ મલ્લિકુમારીને રૂપનું વર્ણન કર્યું. પૂર્વભવના વિકાસ પામતા અનુરાગના તરંગોથી યુક્ત થયેલા તેણે પણ મલ્લિકુમારીને પરણવા માટે કુંભ રાજાની પાસે પોતાને દૂત મોકલ્ય.
બેધ પામવાની ઈચ્છાવાળા (=ધ પામવાને લાયક) તે મિત્રોની પૂર્વભવના સ્નેહથી કરાયેલી તે (લગ્ન સંબંધી) પ્રાર્થનાઓને શ્રી મલ્લિકુમારીએ અવધિજ્ઞાનથી જાણી. (તેમને પ્રતિબંધ પમાડવા માટે) શ્રી મલ્લિકુમારીએ એકવાર પોતાના મહેલના મધ્યભાગમાં આવેલ અશોકવનમાં એક ઓરડામાં રત્નના સમૂહથી આકાશને પ્રકાશવાળું કરે તેવું (અર્થાત્ શ્રેષ્ઠ રત્નોવાળું) પીઠ કરાવ્યું. તે પીઠની ઉપર પોતાની રત્નોથી પ્રકાશમાન સેનાની પૂતળી કરાવી. પૂતળીના તાળવામાં છિદ્ર રાખવામાં આવ્યું. એ છિદ્રની ઉપર સુવર્ણકમળનું ઢાંકણું હતું. તે પૂતળીમાં તેવાં રત્ન ગોઠવવામાં આવ્યાં હતાં કે જેથી શરીરના બધા અવયવે સ્પષ્ટ થતા હતા. તેના કારણે ચતુર પુરુષો પણ તેને જઈને જાણે આ સજીવ મલ્લિકુમારી છે એમ જાણતા હતા. બારીઓવાળા મહેલમાં દરવાજાઓથી બંધ કરેલાં છ દ્વારે શ્રેષ્ઠ બુદ્ધિવાળી શ્રી મલ્લિકુમારીએ કરાવ્યાં. બુદ્ધિથી પૂતળીના પાછળના ભાગમાં આવેલી ભીંતમાં છિદ્ર કરાવ્યું. મલ્લિકુમારી દરરોજ સર્વ
૧. શરીરમાં શલ્ય હોય ત્યારે વારંવાર તેમાં ચિત્ત જાય છે. તેવી રીતે રાજાનું ચિત્ત વારંવાર મલિકુમારીમાં જતું હતું.
Page #107
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રંથને પ્રકારના આહારના પિંડને ભીંતમાં કરેલા છિદ્ર દ્વારા પૂતળીના તાળવામાં રહેલા છિદ્રમાં નાખતી હતા, પછી તે છિદ્રને સુવર્ણમય કમળના ઢાંકણાથી બંધ કરી દેતી હતી.
તે છએ ય રાજાઓના દૂતેએ વિવાહ માટે કુંભરાજાની પુત્રી મલ્લિકુમારીની માગણી કરી. તમારા જેવાના સૌભાગ્યેથી મારી પુત્રીને આત્મા હારી જવા ગ્ય નથી, અર્થાત્ તમારા જેવાઓને પરણીને મારી પુત્રી હારી જાય એ યંગ્ય નથી, આમ કહીને કુંભરાજા વડે તિરસ્કારાયેલા તે દૂતે પોતાના સ્થાને ગયા. દૂતે કહેલું સાંભળીને તે રાજાએ પણ ગુસ્સે થયા. ગુસ્સે થઈને પૂર્વભવના અભ્યાસથી દોડતી પ્રીતિના કારણે થયેલી મૈત્રીથી પૂર્ણ બનેલા તે છએ રાજાઓએ પરસ્પર આ પ્રમાણે મંત્રણ કરી:– સૌભાગ્ય, લાવણ્ય અને ભાગ્યના ઉત્કર્ષની પરંપરા દૂર રહી. અર્થાત્ આપણે સૌભાગ્ય આદિને વિચાર કરવો નથી. આકાશમાંથી પણ પડેલી કન્યા અવશ્ય કઈ પણ પતિને વરે છે. પણ બીજા પુરુષમાં અનુરાગવાળો કુંભરાજા એ કન્યા આપણને નહિ જ આપે. આથી આપણે એને બળાત્કારે પરણીશું. આ પ્રમાણે ઈર્ષ્યાથી બધાય રાજાઓના સૈન્યથી એકઠા થઈને ઝેધથી ચઢાવેલાં ભવાઓથી વક્ર બનેલા તે છએ રાજાઓએ જેમ પૂર્વનાં કર્મો જીવને ઘેરી લે તેમ મિથિલાનગરીને ઘેરી લીધી. શું કરવું? એ વિષે મૂઢ બનેલા કુંભ રાજાને તાત્કાલિક બુદ્ધિવાળી મલ્લિકુમારીએ મધુરસ્વરથી કહ્યું : હે પિતાજી! હમણાં આ રાજાઓને તે પ્રમાણે આજ્ઞા કરે કે જેથી વિશ્વાસ પામેલા તેઓ સાંજે એકલા આવે. કામદેવથી વ્યાસ તે રાજાઓ આવે એટલે તે છએને જ્યાં મારી સુવર્ણની પૂતળી છે તેની આગળ આવેલા ઓરડામાં છ દ્વારમાં એકી સાથે પ્રવેશ કરાવે. કુંભરાજાએ તે પ્રમાણે કર્યું. પરણવાની ઈચ્છાથી આવેલા તે રાજાએ જાણે સાક્ષાત્ મલ્લિકુમારી હોય તેવી મલ્લિકુમારીની સુવર્ણમય પૂતળીને જોઈ. ચપલનેત્રવાળા તે રાજાએ પૂતળીને જોઈને જેટલામાં હર્ષથી પૂર્ણ બન્યા અને વિસ્મય પામ્યા તેટલામાં મલ્લિકુમારીએ પૂતળીના તાળવાના ભાગમાં રહેલું કમળનું ઢાંકણું કાઢી નાખ્યું. તેથી ત્યાં નાસિકાને ફાડી નાખનારી અતિશય ઉગ્ર દુર્ગધ ફેલાણી. આથી તે રાજાઓએ મોઢું ફેરવી નાખ્યું. આ સમયે મહિલનાથે તે રાજાઓને કહ્યું આ પૂતળી સેનાની હોવા છતાં જે તેમાંથી દુર્ગધ ફેલાઈ, તે પછી મળથી ભરેલા દેહવાળી મારામાં તમે રાગ કેમ કરે છે? વિવેકી યે પુરુષ ક્રિપાકફલ લેવા માટે સંમતિ આપે? વિષે વિષતુલ્ય છે, અથવા વિષથી પણ અધિક ખરાબ છે, કારણ કે વિષ એક ભવને નાશ કરે છે, જયારે વિષયે તે ભવપરંપરાને નાશ કરે છે–અનેક ભાવે સુધી આત્માનું અહિત કરે છે. ચપળ આંખેવાળી સ્ત્રી તે મેક્ષના માર્ગે જનારાને ભવરૂપી જંગલમાં ધકેલી દે છે. આથી કયો ડાહ્યો પુરુષ રડી ઉપર બહુમાન રાખે? યૌવન પવનના જેવું અસ્થિર છે. શરીર રોગોનું પાંજરું છે.
૧. હું તમને મલ્લિકુમારી આપીશ એથી તમે એકલા મારા મહેલમાં આવે એ પ્રમાણે આજ્ઞા કરે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ આથી સંસારના સ્વરૂપને જાણનારાઓને વિષયની ઈચ્છા કેવી રીતે થાય? આ પ્રમાણે ઉપદેશ આપીને અને પૂર્વભવનો સંબંધ કહીને શ્રી મલ્લિનાથવડે બંધ પમાડાયેલા તે રાજાએ ક્ષણવારમાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેમણે મલ્લિકુમારીને વિનંતી કરી કે, આગળ ચાલનારા તમે અમારી આગળ થાઓ કે જેથી અમે ભવને નાશ કરવા ચારિત્રવ્રત સ્વીકારીએ. શ્રીમલ્લિકુમારીએ કહ્યું : મને કેવલજ્ઞાન થશે ત્યારે તમને પણ અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે સાંભળીને અતિશય સંવિગ્નમનવાળા અને મને હર તે રાજાઓએ તે વખતે મલ્લિકુમારીને ખમાવ્યા. પછી તે રાજાઓ જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા. - ત્યારબાદ શ્રી મલ્લિનાથને જન્મથી સે વર્ષ થયા ત્યારે કાંતિક દેવોએ આવીને શ્રીમલ્લિતીર્થકરને સમયને ઉચિત વિનંતિ કરીઃ હે પ્રભુ! મરવા પડેલા જગતના જીવોને જીવાડનાર અસાધારણ ઔષધ સમાન તીર્થને પ્રવર્તા. આ પ્રમાણે કહીને લેકાંતિકદેવે પાંચમા દેવલોકમાં ગયા. ત્રિક (=ત્રણ રસ્તા ભેગા થાય તેવું સ્થાન) અને રાજમાર્ગ વગેરે સ્થાનમાં રહેલા દ્રવ્યને દેએ શ્રીમલ્લિનાથની પાસે લાવીને મૂકયું. શ્રીમલ્લિનાથે સાંવત્સરિકદાનમાં તે દ્રવ્ય અપાવ્યું. માગશર સુદ અગિયારસે વાજિંત્રે વાગી રહ્યા હતા, ગીત ગવાઈ રહ્યા હતા અને બંદીજને જયધ્વનિ કરી રહ્યા હતા, ત્યારે દિવ્ય અલંકારોથી દેદીપ્યમાન મલિકુમારી શિબિકા ઉપર આરૂઢ થયા. શિબિકાને પહેલાં મનુષ્યએ પછી દેએ અને ઇદ્રોએ ઉપાડી. પ્રભુના મસ્તકે શ્રત છત્ર ધર્યું. પ્રભુની બંને બાજુએ ચામર વીંઝયા. પ્રભુએ સહસાવનમાં જઈને કંકેલીવૃક્ષની નીચે શિબિકા ઉપરથી ઉતરીને આભૂષણે ઉતાર્યા. પછી કુમાર અવસ્થામાં રહેલા મલ્લિનાથે દેવદૂષ્ય લઈને પૂર્વહકાળમાં અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે સિદ્ધની સાક્ષીએ ત્રણસે સ્ત્રીઓ અને સંયમની ભાવનાવાળા (એક હજાર) રાજાઓની સાથે ચારિત્ર લીધું. પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતે. પ્રભુએ સામાયિક પદ ઉચ્ચર્યું એટલે જાણે પૂર્વે સંકેત થયે હેય તેમ તુરત જ ક્ષણવારમાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેમ ઉનાળાના તાપથી તપેલા મુસાફરને રસ્તામાં રહેલું વૃક્ષ સુખ માટે થાય તેમ, જિનદીક્ષા નારકીઓને પણ ક્ષણવાર સુખ માટે થઈ. શ્રીમલ્લિપ્રભુને તે જ દિવસે ઘાતકર્મોનો ક્ષયથી થનારું અને ત્રણે લોકોને જણાવનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ઇદ્રોનાં આસને ચારે બાજુથી કંપી ઉઠયા. સ્વર્ગલોકમાં જાણે કૂત હોય તેવી ઘંટાઓ સ્વયં વાગી. સૌધર્મેદ્ર ઐરાવણ હાથીનું શરીર લાખ જન પ્રમાણ મોટું કરીને તેના ઉપર બેસીને વેગથી ત્યાં આવ્યો. ઉત્કંઠાથી પૂર્ણ બીજા પણ અશ્રુત વગેરે ઇદ્રો હું પહેલા જાઉં, હું પહેલો જાઉં એમ સ્પર્ધાથી પરિવાર સહિત ત્યાં આવ્યા. વાયુકુમાર દેએ એક જન સુધી ભૂમિને શુદ્ધ કરી. મેઘકુમારએ
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શીલે પહેમાલા ગ્રંથને ભક્તિથી સુગધી પાણીની વૃષ્ટિ કરીને ભૂમિને સિંચી. દ્રવ્યના સમૂહવાળા વ્યંતરોએ રત્નોથી ઊંચું ભૂમિતળ બાંધ્યું, માણેકરનેથી પૂતળીઓ અને તેણે કર્યો. તેમાં બ્રિજાઓ, શ્વેત છત્રો, તેની નીચે અષ્ટમંગલ અને બીજી પણ બધી રચનાઓ વ્યંતરદેવોએ જ કરી. ત્યાં પહેલે રત્નમયગઢ વૈમાનિકદેએ બનાવ્યું. રત્નથી ગઢની ઉપર ઊંચા કાંગરા બનાવ્યા. મધ્યગઢ સુવર્ણથી જતિષ્કઇંદ્રાએ બનાવ્યું. રથી ગઢ ઉપર જાણે ભૂમિરૂપી લહમીદેવીના મુકુટ હોય તેવા કાંગરા બનાવ્યા. રૂપાને ત્રીજો ગઢ ભવનપતિના ઇબેએ બનાવ્યો. તેની ઉપર જાણે સુવર્ણના કમળો હોય તેવા સુવર્ણના કાંગરા બનાવ્યા. દરેક ગઢમાં જાણે ચાર પ્રકારના ધર્મરૂપી લક્ષમીના વિવાહ માટે મંડપ હોય તેવા ચાર દરવાજા કર્યા. દરેક દ્વારે ધૂપ પાત્રો મૂક્યાં અને કમળસહિત વાવડીએ કરી. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ અશોકવૃક્ષ રચ્યું. વૃક્ષની નીચે પીઠ બનાવી. તેની ઉપર છંદ રચે. છંદકની મધ્યમાં પૂર્વ દિશા તરફ પ્રભુનું સિંહાસન મૂક્યું. સિંહાસનની ઉપર જાણે (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ) ત્રણ રત્નો હોય તેવાં ત્રણ છ મૂક્યાં. ત્યાં સિંહાસનની બે બાજુએ બે ય ચામર ધારણ કરી રહ્યા હતા. સમવસરણનાં (ચારે) દ્વારની ઉપર ધર્મચક મૂકયું હતું. પ્રભુને આરામ કરવા માટે બીજા ગઢમાં દેવછંદ રચ્યો હતે.
કરોડે દેવાથી પરિવરેલા પ્રભુએ કમળો ઉપર ચરણે મૂકીને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષની પ્રદક્ષિણા કરી તીર્થને નમસ્કાર કરીને જેમ વાદળ મેરુના શિખર ઉપર આરૂઢ થાય તેમ શ્રીમલ્લિ પ્રભુ સિંહાસન ઉપર આરૂઢ થયા. અન્ય પણ ત્રણ દિશાઓમાં સિંહાસન ઉપર વ્યંતરેએ પ્રભુનાં ત્રણ બિંબે મૂક્યાં. જાણે તેજના પુદ્ગલો પ્રભુની સેવા માટે ભેગા થયા હોય તેમ, પ્રભુના મસ્તકની પાછળ ભામંડલ પ્રગટ થયું. જાણે પ્રભુના શબ્દોને પડ હોય તેમ આકાશમાં દુંદુભિ વાગી. જાણે વિશ્વમાં આ એક જ પ્રભુ છે એમ કહેતા હોય તેમ ઊંચે દવજ કર્યો. ત્રાસ પામતા કામદેવના હાથમાંથી નીચે પડી ગયેલા બાણેને ભ્રમ કરાવે તેવી જાનુ પ્રમાણ વિવિધ પુષ્પવૃષ્ટિ અતિશય શોભતી હતી. સભા યથાસ્થાને બેસી ગઈ એટલે ઈદ્ર અંજલિ જોડીને શ્રી મલ્લિ પ્રભુની સ્તુતિ શરૂ કરી. તે આ પ્રમાણે – હે પ્રભુ! આપનાં ચરણે અશરણ મનુષ્યગણને શરણ આપનારાં છે. હે પ્રભુ! કાબૂરહિત ઇંદ્ધિરૂપી પાણીને આપ કાબૂમાં રાખનારા છે, એથી આપની ઇન્દ્રિય સમભાવવાળી છે. હે પ્રભુ! આપના કર અને ચરણ નિર્મલ કમલાલ જેવા ઉત્તમ છે. હે પ્રભુ! આપ જન્મ-મરણથી ભરેલા ભવના ભયને દૂર કરનારા છે. હે પ્રભુ! આપ ભવભયરૂપી માછલીના કલકલ અવાજને નાશ કરનાર છે. હે પ્રભુ! સેંકડે નયોને અતિશય વિસ્તાર કરવા માટે આપનું મુખ ચંદ્ર સમાન છે. હે પ્રભુ! આપની વાણુ દેવો અને વિવારે માટે નમ્ર અને રસમય છે. હે પ્રભુ! આપ તરનારા છે, સુખમય છે, સતત અભયને આપનારા છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૧
અને દયાળુ છે. હે પ્રભુ! આપ ઉત્તમ દર્શનને ધારણ કરનારા છે. આપ મદરૂપી વનને નાશ કરનાર છે. હે પ્રભુ! આપના હાથ કપટનો નાશ કરનાર છે. આપ શમરૂપી ધનના ભવન છો. હે પ્રભુ! આપ સકલ જગતનું રક્ષણ કરનાર છે. આપ ભવરૂપી રોગને નાશ કરનારા છે. હે પ્રભુ! આપનું વચન પાણીવાળા વાદળાના અવાજની જેમ જયને કરનારું છે, અર્થાત્ જેમ પાણીવાળા વાદળા ગર્જના સાથે અવશ્ય વર્ષે છે, તેમ આપનું વચન અવશ્ય સફલ બને છે. (ભગવાનના ઉપદેશથી કેઈને કઈ જીવ અવશ્ય ધર્મ પામે.) હે પ્રભુ! આપ મોક્ષપદ મેળવવામાં તત્પર છે. આપ સદા કામથી (=વાસનાથી) રહિત છો. હે પ્રભુ! આપના ચરણેમાં ગણધરો નમેલા છે. આપની ગતિ ( ચાલ) ઉત્તમ હાથીના જેવી છે. હે પ્રભુ! અતિશય મદરૂપી ઘોર અંધકાર કરનારા વાદળોના સમૂહ માટે આપ પવન સમાન છે. હે પ્રભુ! આપના દાંત શ્વેત છે. ભયને નાશ કરનારા હે પ્રભુ! આપ જય પામ! જય પામે !
આ પ્રમાણે એક જ સ્વરવાળી સ્તુતિથી મલ્લિજિનેશ્વરની સ્તુતિ કરીને ઈંદ્ર ભગવાનના મુખની સામે દૃષ્ટિ રાખીને બેસી ગયે. કુંભરાજા, પ્રતિબુદ્ધિ વગેરે રાજાઓની સાથે મલ્લિજિનને પ્રદક્ષિણા આપીને અને નમીને પ્રભુની આગળ બેઠો. શ્રીમલિજિને સર્વજીની ભાષામાં પરિણમનારી, અર્થાત્ સર્વજીને પોતપોતાની ભાષામાં સમજાય તેવી, અને ભવપ્રત્યે વૈરાગ્યનું કારણ એવી દેશના આપી. પ્રતિબંધ પામેલા પ્રતિબુદ્ધિ વગેરે રાજાઓએ દીક્ષા લીધી. શ્રીકું ભરાજાએ પણ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. જેમણે ત્રિપદીને પામીને બાર અંગોની ક્ષણવારમાં રચના કરી તે ભિષગ વગેરે અઠ્ઠાવીસ ગણધરે થયા. દિવસનો થે ભાગ પ્રહર કહેવાય છે. આ એક પ્રહર પૂર્ણ થતાં શ્રીકુંભરાજા કલમખાને આઢક પ્રમાણુ બલિ લઈ આવ્યા. વાગતા વાજિંપૂર્વક પૂર્વ દ્વારથી બલિને સમવસરણમાં લઈ ગયા. દેવ અને મનુષ્યએ એ બલિને પ્રભુની આગળ આકાશમાં ત્રણવાર ઉછાળે. એ બલિમાંથી અર્ધો બલિ દેવેએ નીચે ભૂમિ ઉપર પડે એ પહેલાં જ આકાશમાં જ અદ્ધરથી લઈ લીધે. બાકી રહેલા અર્ધા બલિમાંથી અર્ધી બલિ રાજાએ લીધે. અને બાકીને બલિ સામાન્ય મનુએ લીધે. પ્રાપ્ત થયેલ બલિને માત્ર એક કણ પણ થયેલા રોગને નાશ કરે છે, અને છ મહિના સુધી નવો રેગ ન થાય. તેથી તે બધા ય છે બલિને સંગ્રહ કરવામાં તત્પર હતા. બીજા દિવસે વિશ્વસેનના ઘરમાં પરમાન્નથી પ્રભુનું પારણું થયું. ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ' શ્રીમલિજિનના તીર્થમાં હાથીના વાહનવાળો, ચારમુખવાળો અને આઠ હાથથી વિભૂષિત કુબેર નામને યક્ષ હતો. તેના જમણ ચાર હાથમાં વરદ, અભય, કુહાડી અને 'ત્રિશૂલ હતાં, ડાબા ચાર હાથમાં બીજોરું, માળા, મુદ્દગલ અને તલવાર હતાં. પ્રભુની ચાર હાથવાળી વૈટયા નામની શાસનદેવી હતી. તેના ડાબા બે હાથમાં તલવાર અને બીજોરુ હતાં, જમણા બે હાથમાં વરદ અને માળા હતાં. શ્રીમદ્વિપ્રભુથી દીક્ષિત થયેલા
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શીલપદેશમાલા ગ્રંથને ચાલીસ હજાર સાધુઓ, પંચાવન હજાર સાવીઓ, સાત ને અડસઠ ચૌદપૂર્વધરે, બે હજાર ને બસે અવધિજ્ઞાનીઓ, સત્તરસને પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, બે હજાર નવસે વૈક્રિયલબ્ધિવાળા, ચૌદસો વાદ લબ્ધિવાળા, એક લાખ ને એંશી હજાર શ્રાવકે, ત્રણ લાખને સિત્તેર હજાર શ્રાવિકાઓ- આટલે સંપૂર્ણ પરિવાર શ્રીમલ્લિજિનના શાસનમાં જાણ. કરોડો દેથી સેવા કરવા યોગ્ય અને ચતુર્વિધ સંઘથી યુક્ત શ્રીમલ્લિતીર્થકર પૃથ્વીને પવિત્ર કરી રહ્યા હતા. કુમાર અવસ્થાનું અને કેવલજ્ઞાન અવસ્થામાં રહેલું ચારિત્રપર્યાય સુધીનું આયુષ્ય મળીને મલ્લિનાથ પ્રભુનું સંપૂર્ણ આયુષ્ય પંચાવન હજાર વર્ષ જેટલું હતું. પાંચસે સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે એક માસનું અનશન કરીને, સમેતશિખરે જઈને, ફાગણ સુદ બારશે ભરણી નક્ષત્રમાં શુકલેશ્યાવડે ઓગણીસમા શ્રી મલ્લિતીર્થકર મોક્ષ પામ્યા. તે જ પ્રમાણે આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનથી જાણીને સર્વ ઈદ્રો નિર્વાણ મહોત્સવ કરવાની ઈચ્છાથી ભેગા થયા. તેમણે માયરહિત મનુષ્યમાં શિરેમણિ એવા મલિલપ્રભુનું ક્ષણવાર નારકીજીવોને પણ સુખ આપનારું મોક્ષકલ્યાણક ઉજવ્યું. પછી કઈ જાતનો ઉપદ્રવ ન થાય એ માટે તેમણે પ્રભુની દાઢાઓ અને દાંતે લીધા. પછી તેમણે નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. પછી મોક્ષના અભિલાષી તેમણે પોતપોતાના વિમાનમાં માણુવક સ્તંભની ઉપર વજના ડાબલાઓમાં પ્રભુની દાઢાએ મૂકી. અરનાથ પ્રભુના નિર્વાણ પછી હજાર ક્રોડ વર્ષ ગયા પછી શ્રીમલ્લિતીર્થકરને મેક્ષની પ્રાપ્તિ થઈ.
અહે! આપણામાં રહેવા છતાં અન્ય તીર્થકથી ચઢિયાતું, તીર્થકરની લક્ષમીથી પ્રિય થનારું અને શીલથી ઉજજવલ એવું મલ્લિપ્રભુનું ચરિત્ર હે ઉત્તમ મુનિઓ ! વિસ્મિત હદયવાળા બનીને સાંભળો. આ પ્રમાણે જેમ અવશ્ય મેક્ષમાં જનારા પણ મલ્લિજિને શીલને ઉત્કૃષ્ટપણે પાળ્યું, તેમ અન્ય ભવ્ય જીવે કપટ વિના સતત શીલનું પાલન કરવું જોઈએ. (૪૦)
- ગૃહસ્થપણામાં શીલની દઢતા વિષે બે દષ્ટાંતે કહીને હવે ચારિત્રીની શીલસંબંધી દઢતાને કહે છે -
સો વાર મો, ગરારિરિરિરિશે.
जस्सजवि बंभवए, जयंमि वजेइ जसढक्का ॥ ४१ ॥ ગાથાથ-આશ્ચર્યકારી ચારિત્રથી શેભાવાળા જેમની બ્રહ્મચર્યવ્રત સંબંધી જયલેરી આજે પણ જગતમાં (==ણ લોકમાં) વગાડવામાં આવે છે તે સ્થૂલભદ્ર જય પામે.
૧. અથવાથd એટલે કર્તવ્ય અવસ્થામાં રહેલું, પ્રભુને કેવલજ્ઞાન થાય ત્યારથી કર્તવ્ય અવસ્થા થાય છે, આથી કર્તવ્ય અવસ્થામાં રહેલું એટલે કેવલજ્ઞાન અવસ્થામાં રહેલું. મલિજિનને દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન થયું છે. માટે કેવલજ્ઞાન અને ચારિત્રને પર્યાય ભિન્ન નથી=એક જ છે. માટે અહીં કહ્યું કે કેવલજ્ઞાન સંસ્થામાં રહેલું ચારિત્રપર્યાય સુધીનું આયુષ્ય... “
Page #112
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૩. ટીકાથી -શ્રી સ્થૂલભદ્ર શ્રી આર્યસંભૂતિવિજયના શિષ્ય હતા, અને શ્રી શહાલના પુત્ર હતા. સંસાર અવસ્થામાં (બાર વર્ષ સુધી) ભગવેલી કેશા વેશ્યાના ઘરમાં રહીને છ વિગઈવાળો આહાર કરનારા હોવા છતાં તેવું (=નિરતિચાર) શીલપાલન કર્યું, એથી તેમનું ચારિત્ર આશ્ચર્યકારી બન્યું. આથી ઘણે સમય વીતી જવા છતાં આજે પણ તેમની જયભેરી વગાડવામાં આવે છે, એટલે કે કામ ઉપર વિજય મેળવ્યું હોવાથી તેમને તેવા પ્રકારના “યુદ્ધવીર' તરીકે કવિઓ વડે વર્ણવવામાં આવે છે. જયભેરી એટલે કામદેવરૂપી રાજાના સૈન્ય ઉપર મેળવેલા વિજયના ઉદ્યમને સૂચવનારી ભેરી. જય પામ એટલે સર્વથી અધિકપણે વર્તા=રહો.
આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ સંપ્રદાયથી જાણો અને તે આ પ્રમાણે છે :
સ્થૂલભદ્રનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં પાટલિપુરનગર છે. તે નગરમાં આવેલા મંદિરના કળશો રાતે સૂર્યની ભ્રાતિ ધારણ કરતા હતા, અર્થાત્ કળશમાં સૂર્યને ભ્રમ થતું હતું. તેમાં પ્રજાને આનંદ પમાડનાર નંદ નામને રાજા હતા. તેની કીર્તિરૂપી નર્તકી તેના ઊંચા નવ વંશમાં નૃત્ય કરતી હતી. તેને પકડાલ નામને મંત્રી હતા. તેની બુદ્ધિથી ભ્રમ પમાડાયેલો બૃહસ્પતિ વક્ર પરિભ્રમણમાં થયેલી ભ્રાન્તિથી સદા આકાશમાં પરિભ્રમણ કરે છે. તે મંત્રીની જાણે ગુણોથી લમીની શક્ય હોય તેવી લકમાવતી નામની પત્ની હતી. જાણે તેની સરળતારૂપી કલાથી શરમ પામેલી મૃગલીઓએ વનને આશ્રય લીધો છે. તેની કુક્ષિરૂપી શક્તિમાં (મતીની છીપમાં) મેતી સમાન સ્થૂલભદ્ર નામને પુત્ર થયે. નંદરાજાના ચિત્તને આનંદ આપનાર શ્રીયક નામને બીજો પુત્ર હતો. તેમાં સ્થૂલભદ્ર કેશા નામની વેશ્યામાં કામથી મોહિત થઈને ક્ષણની જેમ બાર વર્ષ પસાર ક્ય. શ્રીયક નંદરાજાને ચતુર અંગરક્ષક અને વિશ્વાસનું ભાજન થયે સ્થાને કરેલી સેવા ઇચ્છિતને આપનારી થાય છે. ત્યાં કુશળ, બેલવામાં હોંશિયાર અને મહાકવિ વરરુચિ બ્રાહ્મણ હતું. તે સદા એકસોને આઠ કાવ્યથી રાજાની સ્તુતિ કરતે હતે. તે મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી કયારેય તેની પ્રશંસા કરતું ન હતું. આથી રાજાએ પણ તેને કંઈ પણ દાન ન આપ્યું. કારણ કે રાજાઓ બીજાનું મુખ જેનારા હોય છે, અર્થાત્ મંત્રી વગેરેનું કહેવું કરનારા હોય છે. ઉપાયને જાણનારા વરરુચિએ મંત્રીની પત્નીને આકર્ષી લીધી. હાથણીના દેહથી મદોન્મત્ત હાથીઓ પણ વશ કરી શકાય છે. પતનીના કહેવાથી શકતાલે તેની પ્રશંસા કરવાનું સ્વીકાર્યું. હાથથી ઘંટીની જેમ ઝીઓથી કેણ ભમાડા નથી ? એકવાર રાજાની આગળ કાવ્યને બોલતા વરરુચિની મંત્રીએ “અહો! સુભાષિતે મધુર છે.” એ પ્રમાણે પ્રશંસા કરી. તેથી રાજાએ એને એકસે આઠ સોનામહોર આપી. રાજાઓ પશુઓની જેમ સ્પષ્ટપણે પરપ્રય હોય છે, અર્થાત્ બીજાઓના કહેવા પ્રમાણે
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શીલાદેશમાલા ગ્રંથના
કરનારા હૈાય છે. રાજા તેને દરાજ દ્વાન આપવા લાગ્યા. આથી મંત્રીએ રાજાને દાન આપવાને નિષેધ કર્યા. રાજાએ કહ્યું: દાનક્રિયામાં તમારી પ્રશંસા જ કારણ છે, અર્થાત્ તમે પ્રશંસા કરી એથી હું દાન આપું છું. મંત્રીએ કહ્યું: બીજાના બનાવેલા કાવ્યા માલનાર આની પ્રશંસા કેવી? તે વખતે તે મેં કાવ્યામાં રહેલા ગુણુની જ પ્રશંસા કરી હતી, નહિ કે બીજાની, અર્થાત્ કાવ્ય ખેલનારની પ્રશ ંસા કરી ન હતી. રાજાએ કહ્યું: આ નિર્માલ્યથી ( =જીના લેાકેાથી ) મારી સ્તુતિ કરે છે માટે દુષ્ટાત્મા છે. કાચા ઘડાની જેમ રાજાએ સુખપૂર્વક જ ભાંગી શકાય છેફેરવી શકાય છે. મંત્રીએ કહ્યું; તેના એલેલા કાવ્યાને ભણતી ખાલિકાએ પણુ ( આવતી કાલે ) સવારે આપને સંભળાવશે. મંત્રીની બાલ્યાવસ્થાથી કુશળ સાત પુત્રીએ હતી. તેમાં એક પુત્રી એકવાર સાંભળેલું કાવ્ય વગેરે ખાલી શકતી હતી, ખીજી બે વાર સાંભળેલ ખેલી શકતી હતી. ત્રીજી ત્રણ વાર સાંભળેલું ખાલી શકતી હતી. એમ ક્રમશઃ સાતમી સાતવાર સાંભળેલું ખેાલી શકતી હતી. જેમ કર્મો જીવને સંસાર સાગરમાં પાડે છે તેમ વરુચિને પાડવા માટે મ`ત્રીએ પેાતાની સાત પુત્રીઓને સાત ભયની જેમ પડદામાં રાખી. તે સાત પુત્રીઓના યક્ષા, ચક્ષઇત્તા, ભૂતા, ભુતદત્તિકા, સેણા, વેણા અને રેણા એ પ્રમાણે નામેા હતાં. વરરુચિએ કહેલી નવી કાવ્યશ્રેણિને સાંભળીને મંત્રીની સાત પુત્રીએ માટીના ક્રમથી સરસ્વતીની જેમ સ્પષ્ટ આલી ગઈ. રાષ પામેલા રાજાએ વરરુચિને તુષ્ઠિાન ન આપ્યું. કઈ પણ ભાંગવું જેટલું સહેલું છે તેટલુ બનાવવું સહેલું નથી.
૧હવે વરરુચિ ધતીંગ કરવા લાગ્યા. તે આ પ્રમાણેઃ- તેણે એક યંત્ર બનાવ્યુ. તે યંત્રને ગંગાનદીમાં ગેાઠવીને રાજ રાત્રે ગુપ્ત રીતે તે ય ંત્રમાં સેનામહોરોની પાટલી મૂકી આવતા હતા. બીજા દિવસે સવારે ગંગાદેવીની સ્તુતિ કરીને પગથી યંત્રને ઠાકતા હતા, તેથી ચત્રમાં રહેલી સોનામહોરાની પાટલી ઉછળીને બહાર આવતી હતી. વરરુચિ તે પાટલીને લઇ લેતા હતા. તેણે લાકમાં એવી વાત ફેલાવી કે, હું ગંગા દેવીની સુદર શ્લેાકેાથી સ્તુતિ કરું છું, તેથી તુષ્ટ થયેલી ગંગાદેવી મને સાનામહોર આપે છે. આ પ્રમાણે કરતા તેણે જગતને વિસ્મિત બનાવી દીધું. માત્ર બાહ્યને જ જોનારા ક્યા ક્યા માણસા ધૂતારાઓથી છેતરાતા નથી ? મંત્રીએ ક્રૂરતા ગુપ્તચર પુરુષઢારા તેના આ ષડયંત્રને જાણી લીધું. શત્રુ નજીકમાં હોય ત્યારે બુદ્ધિમાન પુરુષા સુખે સૂતા નથી. એક દિવસ મંત્રીએ તે યંત્રમાંથી (ગુપ્તરીતે) ધન મંગાવી લીધુ. પછી સવારે કૌતુક જોવાને ઉત્સુક રાખને ત્યાં લઇ ગયેા. ધીર એવી ગંગા દેવીની સ્તુતિ કરીને વરુચિ કવિએ જલદી યત્રને ખે...ચ્યુ' (=પગથી દબાવ્યું.) તે પણ ધન ન ઊછળ્યું. માણસાના જોતાં તે વિલખા બની ગયા. શરમથી જાણે પાતાલમાં પ્રવેશ કરવા માટે ૧. અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ માટે ટીકાગ્ર થમાં ન હેાવા છતાં અન્ય ગ્રંથાના આધારે
ક‘ઈક વિશેષ લખ્યું છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૫ નીચા મસ્તકવાળો થયે હેય તેવું દેખાયું. અમે બીજનું ધન લેતા નથી, માટે તારું ધન તું લે એમ કહીને મંત્રીએ તેને ધનની પિટલી આપી. આ વખતે પ્રત્યુત્તરને ક્રમ દૂર રહે, અર્થાત્ પ્રત્યુત્તર આપવાની વાત તે દૂર રહી, કિન્તુ સર્વસમક્ષ મંત્રીથી અપાયેલી ધનની પિટલીની સાથે તેણે ગંગામાં ડૂબી જવાનું ઈચ્છયુ. મંત્રીએ રાજાને તેનું સ્વરૂપ કહ્યું એટલે રાજાએ મંત્રીને કહ્યું તમે બહુ સારું જાણ્યું,
સર્ષની જેમ છિદ્રોને શોધનારા વરરુચિ બ્રાહ્મણે મંત્રીની દાસી વગેરેને મંત્રીના મહેલમાં થતી પ્રવૃત્તિ વિષે પૂછવા લાગે. શ્રીયકના વિવાહનો પ્રસંગ નજીકમાં આવ્યું ત્યારે એક દિવસ મંત્રીઓમાં રાજા સમાન શકાલે રાજાને ભેટશું આપવા માટે શર, છત્ર વગેરે સામગ્રી તૈયાર કરી. મંત્રીની દાસી પાસેથી આ સાંભળીને જેમ ઠંડીથી પીડાયેલો માણસ કામળીને પામીને હર્ષ પામે તેમ હર્ષ પામ્યા. પછી તેણે સુખડીથી બાળકોને આકર્ષીને બાળકો દ્વારા આ પ્રમાણે ઘેષણ કરાવી – શકહાલ જે કરશે તે મૂઢ લોકે જાણતા નથી. તે નંદરાજાને મારીને રાજ્ય ઉપર શ્રીયકને બેસાડશે. જેમ ડાંગરના ખેતરમાં પિોપટ ઘોષણા કરે તેમ દડાની જેમ પગલે પગલે કૂદતા બાળકે નિઃશંકપણે અવસરે આ પ્રમાણે ઘોષણા કરવા લાગ્યા. રાજાએ વિચાર્યું સ્વેચ્છાથી બાળકે જે કહે, સ્ત્રીઓ જે કહે, અને જે વચન અકસ્માત્ બોલાયું હોય, તે પ્રાયઃ બેટું ન હોય. આ પ્રમાણે વિચારીને રાજાએ ખાતરી કરવા માટે મંત્રીના ઘરે ચરપુરુષને મોકલ્યા. તેમણે આવીને જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે રાજાની આગળ કહ્યું. શસ્ત્ર, છત્ર અને અશ્વ વગેરે સામગ્રીને સાંભળીને કપરૂપી કાદવવાળો થયેલે રાજા જેમ પ્રમાદી ગુણશ્રેણિથી ખસી જાય તેમ વિશ્વાસથી ખસી ગયે, અર્થાત્ હવે તેને મંત્રી ઉપર વિશ્વાસ ન રહ્યો. તેથી સવારે મંત્રીએ પ્રણામ કર્યા ત્યારે રાજા મંત્રીથી વિમુખ થઈ ગયે. રાજાના ચિત્તને જાણીને મંત્રીએ એકાંતમાં શ્રીયકને કહ્યું: હે પુત્ર! દુષ્ટ કેઈ પુરુષે રાજાને મારા ઉપર કેપવાળો કર્યો છે. આથી આપણા કુલમાં ઓચિતે આ ઉપદ્રવ ઉત્પન્ન થયેલ છે. તેથી હું જ્યાં સુધી જીવતે હેલું ત્યાં સુધી આ ઉપદ્રવ દૂર નહિ થાય. આથી સવારે જ્યારે હું રાજાને પ્રણામ કરું ત્યારે તારે મારું મસ્તક કાપી નાખવું. શ્રીયકે કહ્યું: શું પ્લેખ પણ આવું કાર્ય કરવાની ઈચ્છા કરે? આ પ્રમાણે કહેતા અને અશ્રુ પૂર્ણ નેત્રવાળા શ્રીયકને મંત્રીએ (પિતાની) દાઢીને સ્પર્શીને ફરી કહ્યું? હમણાં વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા મને હણીને કુલને ઉદ્ધાર કર. હે વત્સ! કઈ પણ મનુષ્ય શું કાકિણને નાશ કરીને કોડને નથી ઈચ્છતે? હું રાજાને પ્રણામ કરતાં પહેલાં ઝેર ખાઈ લઈશ. આથી ઝેરથી પ્રાણ રહિત બનેલો હું મરીશ. મારું મસ્તક કાપ્યા પછી તારે રાજાને કહેવું કે હે સ્વામિન્ ! પિતા પણ જે દુષ્ટ હોય તે હું તેમને ઈરછ નથી. પિતાએ જેમ તેમ કરીને શ્રીયકને સમજાવ્યું, એટલે તેણે તે પ્રમાણે કર્યું. તેમ કરીને તેણે મંત્રી સ્વામિદ્રોહી છે” એવી ભ્રાન્તિવાળા સભ્ય લેકને ૧૪
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શીલપદેશમાલા ગ્રંથને સમજાવ્યા. પિતા પૂજ્ય છે એમ રાજાએ કહ્યું એટલે શ્રીયકે ફરી કહ્યું કે કાનના છેદ માટે થાય તે સેનાથી પણ શું? પછી રાજાએ મંત્રી મુદ્રાના સમસ્ત વ્યાપાર કરવાની (=મંત્રીપદને સ્વીકારવાની) શ્રીયકને આજ્ઞા કરી.
ઔચિત્ય સમજીને શ્રીયકે રાજાને વિનંતિ કરી કે હે દેવ! મારે સ્થૂલભદ્ર નામને બુદ્ધિશાલી માટે ભાઈ છે. વેશ્યાના ઘરમાં રહેલે સુખી તે સૂર્યના ઉદયને અને અસ્તને પણ જાણતું નથી. રાજાએ તેને બેલાવીને તે જ પ્રમાણે કહ્યું. સ્થૂલભદ્રે કહ્યુંઃ માસ્ટોરારિ =હું વિચાર કરું છું. રાજાએ હા કહી એટલે સ્થૂલભદ્ર અશોક ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે યેગીની જેમ ઇદ્રિયને સ્થિર કરીને અને મનને એકાગ્ર કરીને વિચારવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે - મારે અધિકારનું શું કામ છે? જેમ શાકિની વિદ્યામાં ( =શાકિની વિદ્યા સાધવાની હોય ત્યારે) માણસ સ્વજન અને પરજન પ્રત્યે નિરપેક્ષ બની જાય છે તેમ, અધિકાર હોય ત્યારે ધનથી વ્યાકુલ બનેલો પ્રાણી સ્વજન પ્રત્યે અને પરજન પ્રત્યે પણ નિરપેક્ષ બની જાય છે. અહો! અધિકારમાં કુલનાં કાર્યો છેડીને અને ધર્મ પણ છેડીને ગમે તેમ કરીને સ્વામીનું કાર્ય બરાબર કરવું પડે છે. જેમ ક્યારેક દુર્ભાગ્યના વેગથી વિરક્ત થયેલી બી નરકથી પણ અધિક દુખ પમાડે છે તેમ અધિકાર જીવને નરકથી પણ અધિક દુઃખ પમાડે છે. તેથી વેશ્યાઓથી પણ અધિક નિંદ્ય અધિકારને આદર કાર્ય–અકાર્યને વિચાર કરનાર કયે બુદ્ધિશાલી કરે? સુરે, અસુરે અને મનુષ્યથી પૂજ્ય, અને ચારિત્રરૂપી સામ્રાજ્યમાં રહેલા તે મહાત્માઓ ધન્ય છે કે જેઓ પોતાને અને બીજાને તારે છે. તેથી હું સર્વ કાર્યોને સાધનારી આ જૈન દીક્ષાને સ્વીકારું. આ પ્રમાણે વિચારીને તેણે તે જ વખતે કેશને લગ્ન કર્યો. રત્નકંબલમાંથી રજોહરણ બનાવ્યું. રજોહરણથી શોભતા તેણે રાજસભામાં આવીને રાજાને “ધર્મલાભ થાઓ” એમ કહ્યું. હે મંત્રીનાયકના ધીરપુત્ર! તે બહુ જ સારું વિચાર્યું, તે દુઃસાધ્ય આ આરહ્યું છે, એ પ્રમાણે રાજાએ પ્રશંસા કરી. પછી મુશકેલીથી ઉપાડી શકાય તેવા મોટા ભારને ઉપાડનાર તે મુનિ બખ્તર પહેરી તૈયાર થયેલા દ્ધાની જેમ મેહના સૈન્યને જીતવા ત્યાંથી નીકળી ગયા. તે વખતે તેમને સત્ય અને સુંદર યુગ એ જ મારું બધું ધન છે એમ માનનારાની જેમ સર્વ સ્થલે સમતાથી ભરેલા જોઈને રાજા પણ આશ્ચર્ય પામ્યા. સર્વ સાવદ્યાગથી નિવૃત્ત થયેલા તેમણે તે વખતે સંભૂતિવિજય આચાર્યના ચરણકમલને આશ્રય પામીને ચારિત્રને સ્વીકાર કર્યો. ભદ્ર હાથીની જેમ જ્ઞાનરૂપી અંકશથી અંકુશવાળા અને જિનાજ્ઞારૂપી એક સલકી વનમાં જ મનવાળા તે સ્થૂલભદ્રવિહાર કરવા લાગ્યા.
જેમ સૂર્ય અન્ય કપમાં જાય ત્યારે લક્ષમી (=શભા) કુમુદ્વતીને આશ્રય લે છે
૧. કુમુવતી એટલે ચંદ્રવિકાશી કમલિની. ચંદ્રનો ઉદય થતાં કમલિની વિકાશ પામે છે અને તેથી શોભે છે. માટે અહીં લક્ષ્મી એટલે શોભા.
Page #116
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૭
તેમ મંત્રીમુદ્રાના સર્વ વ્યાપ:રરૂપી લક્ષ્મીએ શ્રીયકના આશ્રય લીધો. પિતાના વેરને યાદ કરતા શ્રીયકે કાશા વેશ્યાના આશ્રય લીધા. કારણ કે છલથી સાધી શકાય તેવી વસ્તુમાં આવી જ સ્ત્રીએ હિંમત કરે છે. અનેકવાર સ્થૂલભદ્ર આદિના સંબધવાળી વાત કરતા તેણે જેમ ટંકણખાર શરીરની ધાતુને પીગળાવી દે તેમ તેના મનને પીગળાવી દીધું. એકવાર તેણે કાશા વેશ્યાને કહ્યુ: સ્થૂલભદ્રને પ્રવાસ કરાવ્યા અને પિતાને રાજા તેમના પ્રત્યે અવિશ્વાસવાળા થાય તેવા કર્યાં. હે દેવી! આ બધું વરરુચિનું કામ છે. આ વૈર તમારી સહાયથી જ સાધી શકાય છે, અર્થાત્ તમારી સહાયથી જ વેરના બદલા લઈ શકાય તેમ છે. વેશ્યાએ સ્મિત કરીને પૂછ્યું: કેવી રીતે ? શ્રીયકે કહ્યુંઃ તે બ્રાહ્મણ તમારી બહેનની સાથે પેાતાની મરજી મુજબ ક્રીડા કરે છે. જો તેને દારુ પીવડાવવામાં આવે તે આપણે કૃતાર્થ થઈ જઈએ. આ પ્રમાણે સાંભળીને તેણે એ કાના સ્વીકાર કર્યો અને તે પ્રમાણે જ કરાવ્યું. ક્ષયકાલે પવિત્ર પુરુષા પણ કુલાચારના ત્યાગ કરે છે. આ સાંભળીને વેરના બદલા લેવામાં તત્પર શ્રીયકે જેમ બિલાડી ઉંદરની સાથે મૈત્રી કરે તેમ વરરુચિની સાથે મૈત્રી કરી. કૃતકૃત્ય થયેલા વરરુચિ જેમ ભ્રમર કમળ વનમાં ગમનાગમન કરે તેમ રાજસભામાં નિત્ય ગમનાગમન કરવા લાગ્યા. રાજાએ પણ કાવ્ય પ્રેમથી તેનું વારવાર સન્માન કર્યું. હવે તે ગતાનુગતિક વનારા લેાકમાં નિત્ય પૂજનીય બની ગયા. કયારેક અવસર જાણીને રાજાએ શ્રીયકને એકાંતમાં કહ્યું; જેમ ઈંદ્રના મંત્રી ગૃહસ્પતિ છે, તેમ અમારા મંત્રી શકડાલ હતા. જેમ ચ' વિના રાત્રિન શાથે તેમ તેના વિના મારી સભા શાભતી નથી. જેમ કેાઈ કાગડાને ઉડાડવામાં રત્નને ગુમાવે તેમ આ નિરક મૃત્યુ પમાડાયા. શ્રીયકે કહ્યું હે સ્વામી! શું કરીએ ? મદ્યપાન કરનારા વરરુચિએ ત્યારે બાળકા દ્વારા નિરક ઉપદ્રવ કરાવ્યા. રાજા મેલ્યા એ બ્રાહ્મણ હોવા છતાં શું દારૂ પીએ છે? શ્રીચકે કહ્યું : હે સ્વામી ! તે હું આપને સવારે બતાવીશ. પૂર્વે શિખવાડાયેલ માળીએ રાજસભામાં બધાને એક એક કમળ આપ્યું, પણ વરરુચિને મદનકુલના ચૂણુથી મિશ્રિત કમળ આપ્યું. શ્રીયકે કમળને સુંઘીને સુગંધની પ્રશંસા કરી. તેથી બધાએ કમળ સુંધ્યું. કારણકે જગત જાતે ખાતરી કરનારું હાય છે. ઉત્સુક બનેલા બ્રાહ્મણે પણ પેાતાનું કમળ સુંધ્યું. શ્વાસના વાયુથી તે ચૂર્ણ નાસિકાના વિવર દ્વારા અંદર ગયું. આથી તેણે દારૂની ઉલટી કરી. તેની ગંધ સહન ન થવાથી લેાકેાએ એના ધિક્કાર અને તિરસ્કાર કર્યાં. તે શાસ્ત્રના અભ્યાસથી રહિત પુરુષની જેમ સભામાંથી જલદી નીકળી ગયા. અતિશય તપેલા સીસાના રસપીને તેણે પ્રાયશ્ચિત્ત કર્યુ. શ્રીયકના વૈરની સાથે તે ચમના મંદિરમાં ગયા.
:
શ્રીકે ન દરાજાના સાત અંગાને સ્વીકારીને ૧પરા, સ્વાર્થ અને રાજ્યા એ ત્રણેને વિધ વિના સાધ્યા. બુદ્ધિશાલી સ્થૂલભદ્ર સાધુએ ગુપ્ત રહીને ખાર અંગાને ૧. પરકાય, સ્વકાર્યું અને રાજ્યકાય એ ત્રણેને એક-બીજાને વિરાધ ન આવે તે રીતે સાજ્યા.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શીલપદેશમાલા ગ્રંથને સાધ્યા. આથી તેમણે શ્રીયકથી પણાને (=મોટાઈને) સિદ્ધ કર્યું. જેમાસું આવતાં ત્રણ સાધુઓએ ગુરુ પાસે આવીને ભવને નિગ્રહ કરવામાં કુશળ અભિગ્રહને લીધા. તે આ પ્રમાણે – એકે કહ્યું કે, હું ચાર મહિના ઉપવાસ કરીને સિંહની ગુફાના દ્વાર આગળ કાર્યોત્સર્ગમાં રહીશ. બીજા સાધુએ કહ્યું કે, હું ચાર મહિના દૃષ્ટિવિષ સર્પના બિલના દ્વાર આગળ કાર્યોત્સર્ગમાં રહીશ. ત્રીજા સાધુએ કહ્યું કે, હું ચાર મહિના ઉપવાસ કરીને કૂવાના કાંઠા ઉપર કાર્યોત્સર્ગમાં રહીશ. શ્રી સંભૂતિવિજયગુરુએ શ્રુતજ્ઞાનથી તે સાધુઓની તપશક્તિ જાણીને અનુજ્ઞા આપી. આ વખતે સ્થૂલભદ્રે કહ્યું: હે પ્રભુ! હું કેશાવેશ્યાના ઘરમાં ચિત્રશાલામાં વહૂરસવાળું ભજન કરવાપૂર્વક ચોમાસું રહીશ એવો અભિગ્રહ મારે લે છે. શ્રીસંભૂતિવિજય આચાર્ય શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેમને બધી ઈદ્રિયને વશ કરવામાં સમર્થ જાણીને અનુજ્ઞા આપી. ગુરુથી રજા અપાયેલા ત્રણે સાધુઓ યક્ત સ્થાને ગયા. સ્થૂલભદ્ર કામદેવની ઈર્ષોથી કેશાના ઘરે ગયા. ઊભી થઈને જાણે કટાક્ષના સમૂહરૂપી અક્ષતેથી ચેક કરતી હોય તેમ તે બેલી: હે નાથ! મને શી આજ્ઞા છે? જે આજ્ઞા હોય તે કહે. સમતાના ભંડાર મહાત્મા સ્થૂલભદ્ર ધર્મલાભરૂ૫ આશીર્વાદ આપીને કામદેવરૂપી હાથી માટે વિધ્યાચલ સમાન કેશાની ચિત્રશાળામાં રહ્યા. ચારિત્રને સહન નહિ કરી શકનારા આ પૂર્વના સ્નેહથી મારા ઘરે આવ્યા છે એમ વિચારીને કેશા તે મુનિને પરસવાળો આહાર વહેરાવવા લાગી. નક્કી લજજાના કારણે આ મને કંઈ કહેતા નથી એમ વિચારીને કેશા બપોરના જાણે શિષ્યા હોય તેમ તેમની આગળ બેસવા લાગી. તેણે નેત્રના છેડાઓને હલાવ્યા ( કટાક્ષ કર્યા). પણ તે મુનિના મનને ન હલાવી શકી. તેણે છાતીના વસ્ત્રને ઢીલું કર્યું, પણ તે મુનિને ધ્યાનથી ઢીલા ન કરી શકી. હાવભાવપૂર્વક વિલાસે વગેરેથી તેણે કેવળ પિતાને ખેદ પમાડ્યો. આકાશમાં અક્ષરની જેમ મુનિના મનમાં જરા પણ રાગ ન પ્રગટ્યો. કેશાએ વિચાર્યું. ચેસ આ દીક્ષા સિદ્ધગવાળાથી આકર્ષાયેલામાં થઈ છે, અર્થાત્ કઈ સિદ્ધગીએ સ્થૂલભદ્રને આકર્ષીને દીક્ષા આપી છે. તેથી એ દીક્ષાના પ્રભાવથી માખણ સમાન કેમળ પણ સ્થૂલભદ્ર ક્ષણવારમાં કઠણ બની ગયા. આ પ્રમાણે વિચારીને જાણે દષ્ટિરૂપી કમળથી ગૂંછણું લેતી હોય તેવી કોશાએ લાંબા કાળના સ્નેહને યાદ કરી કરીને પૂર્વે ભગવેલા ભેગોને યાદ કરાવ્યા.
મુનિ તે કમલપત્રની જેમ નિલેપ હૃદયવાળા રહ્યા અને કેશાને જાણે ગુપ્ત આલેચના લેતી હોય તેવી માની. જેમ પાણીમાં પ્રહારો અને વિરાગી પુરુષમાં મોતી વગેરેના હાર નકામા થાય તેમ મુનિમાં વેશ્યાના તે વિકારે નકામા થયા. જેમ પર્વતમાં સિંહની ફાળો નકામી થાય તેમ કેશાના દરરોજ નવા નવા શંગારરૂપ વિકારે મહા
૧. શ્રીયકે સ્વાર્થ, પરાથર અને રાજ્યાર્થિ એ ત્રણને અથવા રાજ્યના સાત અંગને સાધ્યા, પણું સ્થૂલભદ્ર બાર અને સાધ્યા. આથી તેમણે શ્રીયકથી પોતાની મોટાઈને સિદ્ધ કરી.
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૯
મુનિમાં નકામા થયા. જેમ વિદ્વાનાની સભામાં પ્રતિભાવ મળવાના કારણે વક્તાની કુશળતા વધે તેમ કેાશાના તે ઉપસગે^થી મુનિના ધ્યાનનું તેજ વધ્યુ. તેથી ખેદ પામેલી તે મુનિના ચરણેામાં પ્રણામ કરીને ખેલી: પૂર્વના સ્નેહને વશ થઈને મેં આ પ્રમાણે જે કર્યું... તેની મને ક્ષમા આપો. આમ તેણે ક્ષમા માગી એટલું જ નહિ, બલ્કે મુનિના મુખથી ધર્મ સાંભળીને તે ધર્મીમાં અતિશય સ્થિર બની. તેણે શ્રાવકધર્મીના સ્વીકાર કરીને મક્કમતાથી અભિગ્રહ લીધા. તે આ પ્રમાણે:- હવે પછી તુષ્ટ થયેલા રાજા મને જેને આપે તે સિવાય અન્ય પુરુષના મારે જાવજીવ નિયમ છે. પરસ્પર સ્વીકારેલા વાદમાં જિતાયેલા કામદેવને સ્થૂલભદ્રે કોશાના અભિગ્રહના બહાને કૈાશાની પકડમાં કરાવી દીધા, અર્થાત્ વેશ્યાના કબજામાં કરાવી દીધા.
અભિગ્રહને પૂર્ણ કરનારા, કાઇનાથી ય નહિ નિંદાયેલા અને જાણે ત્રણ પુરુષાર્થ હોય તેવા તે ત્રણ મુનિએ સુગુરુની પાસે ગયા. ગુરુએ ઊભા થઈને સ્વાગતમ્ એમ ખાલીને તેમની કંઇક પ્રશસા કરી. પછી તેમને દુરારા તમે દુષ્કર કરનારા છે. એમ કહ્યું. સન્મુખ આવેલા સ્થૂલભદ્રને ગુરુએ ઊભા થઈને કહ્યુંઃ સુંદર આચરણુ કરનારા હે મહાભાગ્યશાલી ! તમાએ ઘણું દુષ્કર કર્યું છે. ગુરુએ આ પ્રમાણે કહ્યું એટલે ઈર્ષ્યાવાળા ત્રણ સાધુઓએ આ પ્રમાણે વિચાર્યું અહા ! સ્થૂલભદ્ર મંત્રીપુત્ર હાવાથી ગુરુએ તેને આ વિશેષથી કહ્યું, અર્થાત્ આપણા કરતાં તેની વિશેષ પ્રશંસા કરી. જો ષડ્ રસવાળા આહાર કરનાર પણ આ ઘણું દુષ્કર કરનારા હોય તેા આવતા ચામાસામાં આપણે પણ એ તપ કરીશું. આ પ્રમાણે ઈર્ષ્યાથી યુક્ત તેમણે કષ્ટથી આઠ મહિના પસાર કર્યો. હવે સિંહ ગુફાવાસી મુનિએ સ્થૂલભદ્રે જે અભિગ્રહ લીધેા હતા તે અભિગ્રહ લીધે. ગુરુએ ઉપયાગથી જાણી લીધું કે આ મુનિ સ્થૂલભદ્રની સાથે સ્પર્ધાવાળા છે, અર્થાત્ સ્થૂલભદ્રની ઇર્ષ્યાથી અભિગ્રહ કર્યો છે, તથા અભિગ્રહને પાળવામાં અસમર્થ છે. આથી ગુરુએ તેમને કહ્યું: હું મુનિ! આ આગ્રહને મૂકી દો. હે મુનિ ! આવા તપ કરવા માટે એના સિવાય બીજો કેાઈ સમથ નથી. શેષનાગ વિના બીજો કેણુ આ પૃથ્વીને ધારણુ કરવા સમ છે? ગુરુને રાકવા છતાં તેમણે તે અભિગ્રહ લીધે જેમ ગધેડા હસ્તિશાલામાં આવે તેમ મુનિકેશાના ઘરે આવ્યા. સ્થૂલભદ્રની સાથે સ્પર્ધા કરનારા છે એમ જાણીને પરીક્ષા કરવા કાશાએ જેમ કૂતરાને ઘીથી ભાજન કરાવે તેમ મુનિને ષડ્સવાળું ભેાજન કરાવ્યું. જાણે શૃંગારની અસાધારણ નદી હાય અને અતિશય કામની તિજોરી હાય તેવી કાશા શંગારવાળા પેાષાક પહેરીને મુતિની પાસે ગઇ. તેના સુખરૂપી ચંદ્રને જોઇને મુનિના ચિત્તરૂપી સાગર ક્ષુબ્ધ બન્યા, અને અદ્ભુત કામરૂપી વડવાનલ ભભૂકી ઉઠ્યો. તેથી તે જાણે કામરૂપી વિષની ઉર્મિઓએ તેમનું ચૈતન્ય હરી લીધું હાય તેવા થઈ ગયા. આવા તે સાધુપણાને અને સ્પર્ધાથી કરેલા તપને ભૂલી ગયા.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શીલપદેશમાલા ગ્રંથનો એટલું જ નહિ, કામરૂપી વાયુના રેગથી થયેલી વિહલતાના કારણે તેમણે કશાની માગણી કરી. કેશાએ કહ્યુંઃ ધન લાવે અને ઇચ્છિત સાધે.
કામની આસક્તિથી ચંચળ નેત્રવાળા તે કુમુનિએ ફરી કહ્યું હે ભદ્રા! અમારી પાસે ધન ક્યાંથી હેય. આથી મારા ઉપર જલદી પ્રસન્ન થા. જેણે જેને ઉપદેશ સાંભળ્યો છે એવી તે કેશાએ મુનિને ખેદ પમાડવા માટે કહ્યું : જે ભોગ ભોગવવાની ઈરછા હોય તે નેપાળદેશમાં જાઓ. ત્યાં દયાનિધિ નેપાલને રાજા અન્ય દેશના સાધુઓને એક એક રત્નકંબલ આપે છે. તેથી કામરૂપી વાયુસમૂહથી ચંચળ બનેલા તે મુનિ જેમ ગ્રીષ્મઋતુ પૂર્ણ થતાં 'કમળને જાણનારો હાથી નેપાલ તરફ ચાલે તેમ નેપાલ તરફ ચાલ્યા. ત્યાંથી રત્નકંબલ મેળવીને અને વાંસમાં મૂકીને ( છુપાવીને) જેમ ભ્રમર માલતીને યાદ કરે તેમ કેશાને યાદ કરતા તે મુનિ પાછા ફર્યા. લાખ જાય છે એવા પિપટના વચનથી ચરેએ તેને રસ્તામાં ઘેરી લીધા. તપાસીને કંઈ નથી એમ વિચારીને ચોરોએ છોડી દીધા. મુનિ આગળ ચાલ્યા. ફરી પિપટે લાખ જાય છે એમ કહ્યું. આથી ચોરોએ તેની પાસે આવીને સાચું કહે કે તારી પાસે શું છે? એમ પૂછયું. મુનિએ પણ સાચું કહી દીધું કે, આ વાંસની અંદર રત્નકંબલ મૂકયું છે. દયાથી ચરોએ મુનિને છેડી દીધા. મુનિએ એ રત્નકંબલ કેશાને આપ્યું. જેમ ખંડિત થયેલા રત્નમય બિંબને અગાધ જલવાળા સરોવરમાં પધરાવવામાં આવે તેમ કેશાએ મનહરપણ રત્નકંબલને કાદવમાં ફેંકી દીધું. મુનિ બોલ્યાઃ હે મુગ્ધા! આ રત્નકંબલ અતિશય કિંમતી છે અને દુર્લભ છે, તે આમ અનાદરથી ફાટેલા વસ્ત્રના ટુકડાની જેમ કાદવમાં કેમ ફેંકી દીધું? કેશા બેલી: હે મૂઢ! તમે આ રત્નકંબલને શેક કરે છે, પણ દુર્લભ ચારિત્રરૂપી. માણેક રતનને ડૂબાવતા તમે કેમ લજજા પામતા નથી ? હા ! અ૫પ્રમાણુ સુખાભાસની આશામાં ભ્રાન્ત બનેલા જડ છો અનંત મોક્ષસુખથી ભ્રષ્ટ થાય છે. ઈત્યાદિ કહીને બોધ પમાડાયેલા અને એથી વૈરાગ્યવાળા થયેલા મુનિએ કેશાને કહ્યું: જેમ અગ્નિથી સળગેલા ઘરમાંથી બાળકને બચાવવામાં આવે તેમ તે મને સારી રીતે તારી દીધા છે. હવે મહાન આશયવાળો હું અતિચાર સ્વરૂપ દોષની આલોચના કરવાની ઈચ્છાથી ગુરુના ચરણનો આશ્રય લઇશ. હે સુંદરી! તને ધર્મલાભ થાઓ. તે વખતે કેશાએ બે હાથ જેડીને મુનિને કહ્યું હે મુનિ! આપને બેધ પમાડવા માટે મેં આપની આશાતના કરી તે બદલ મને ક્ષમા આપે. લજજાથી મુનિએ મુખ નીચે કરી દીધું. વિરક્ત બુદ્ધિવાળા તે મુનિએ ગુરુ પાસે જઈને આલેચના લઈને ફરી ઘણુ તપો કર્યા.
એકવાર રાજાએ ૨૨થિકને કામથી (=વાસનાથી) રહિત એવી પણ કેશા આપી. કેશા રથિકની આગળ સ્થૂલભદ્રના ગુણેની પ્રશંસા કરવા લાગી. એકવાર રથિકે શસ્યામાં રહીને
૧. હાથીને બિસ=કમળને દાંડલ બહુ પ્રિય હોય છે, અર્થાત ખાવામાં બહુ ભાવે છે. - ૨. રથિક રથમાં બેસીને યુદ્ધ કરનાર.
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૧ આંબાની લુંબને બાણથી વિંધી, તે બાણને બીજા બાણથી વીંધ્યું, તેને ત્રીજા બાણથી વીંધ્યું, આમ એક પછી એક બાણના મૂલમાં નાખેલા બાણથી આંબાની લૂંબને સારી રીતે પ્રાપ્ત કરી શકાય તેવી કરી. પછી અર્ધ-ચંદ્રાકાર બાણથી આ» લુંબના ડીંટાને છેદી નાખ્યું. પછી સુભટેમાં મુખ્ય તે રથિકે તે જ વખતે હાથથી આમૃત્યુબ લઈને કેશાને આપી. રથિકે પોતાનું કૌશલ્ય બતાવીને કેશાને મુખ સામે જોયું. કેશાએ સરસવના ઢગલામાં સોય મૂકી, તેના ઉપર પુપો મૂક્યાં. પછી તેણે સુંદર'ચારીઓથી નૃત્ય કર્યું. આમ છતાં કુશળ અને દેવીની જેમ નિશ્ચલ તે સોયની અણીથી વીંધાણી નહિ અને તેણે પુપોને પણ ન હલાવ્યા. તેની કલાથી તુષ્ટ થયેલા રથિકે તેને કહ્યું હું તને શું આપું? કેશા બેલીઃ મેં શું આશ્ચર્ય કર્યું કે જેથી તમે મારા ઉપર તુષ્ટ થયા છો? ઘુવડે રાત્રે દિવ્ય દૃષ્ટિવાળા હોય છે, પક્ષીઓ આકાશમાં ઉડનારા હોય છે, જાતિથી સિદ્ધ હોય તેમ અભ્યાસથી સિદ્ધ કરેલા આ કાર્યમાં શું આશ્ચર્ય છે? અત્યંત દુષ્કર તે તે છે કે, અભ્યાસ નહિ કર્યો હોવા છતાં અને જાતિથી સિદ્ધ ન હોવા છતાં મહામુનિ સ્થૂલભદ્ર જે શીલપાલન કર્યું. જેમ સૂર્યના સંસર્ગથી માખણ અને અગ્નિથી સીસું પીગળી જાય છે તેમ સ્ત્રીના સંસર્ગથી પુરુષ અવશ્ય પીગળી જાય છે. ઈત્યાદિ સ્થૂલભદ્રના સ્વરૂપને રાતદિવસ કહેતી કોશાએ જેમ ચંદ્રાસ્ના કૈરવને (=ચંદ્રવિકાસી કમળને) બોધ પમાડે (=વિકસિત કરે) તેમ રથિકને બેધ પમાડ્યો. કલ્યાણના અભિલાષી અને સ્થૂલભદ્રના ગુણોને યાદ કરતા તેણે દીક્ષા લીધી, અને કેશા પણ પોતાના અભિગ્રહમાં સ્થિર રહી.
આ તરફ બાર વર્ષને દુષ્કાળ પડ્યો. સંઘે અતિશય મુશ્કેલીથી પાર પામી શકાય તેવા દુષ્કાળને સમુદ્રના કિનારે (=કિનારાના ગામનગરમાં) કષ્ટથી પસાર કર્યો. ભણેલાને પાઠ (=આવૃત્તિ) કર વગેરે સામગ્રી ન મળવાના કારણે સિદ્ધાંત ભૂલાઈ ગયા. (દુષ્કાળ પૂર્ણ થઈ ગયા બાદ) બધે ય સંઘ પાટલિપુત્રમાં ભેગે થયે. સૂત્રના આલાપને ક્યાંક ક્યાંકથી સંગ્રહ કરીને ક્રમશઃ અગિયાર અંગે પરિપૂર્ણ ક્ય. પછી શ્રુતવિચ્છેદના ભયવાળા સંઘ (=નેપાળદેશમાં રહેલા) ચૌદ પૂર્વના જાણકાર ભદ્રબાહુ સ્વામીને લાવવાની ઈચ્છાથી બે મુનિને મોકલ્યા. ભદ્રબાહસ્વામીએ કહ્યુંઃ મેં હમણું મહાપ્રાણધ્યાન શરૂ કર્યું છે. તેથી હું આવી શકું તેમ નથી. બે મુનિઓ પાછા આવ્યા. પૂર્વનો આધાર કરવાની ઈચ્છાવાળા સંધે, અર્થાત્ સાધુઓ પૂર્વના જાણકાર બને એવી ઈરછાવાળા સંઘ, ફરી બે મુનિઓને શ્રી ભદ્રબાહસ્વામી પાસે મોકલ્યા. સૂરિઓમાં ઇદ્ર સમાન શ્રીભદ્રબાહુસ્વામીને વંદન કરીને બે મુનિઓએ કહ્યુંઃ જૈન શાસનમાં જે સંઘને (= સંઘનું કહ્યું) ન માને તેને શેિ દંડ થાય? તેમણે કહ્યું તે નિયમ સંઘ બહાર થાય. મુનિઓએ કહ્યું: હે ભગવંત! તે શ્રમણ સંઘ આપને જ સંઘ બહાર કરવા
૧ ચારી એટલે નૃત્યમાં થતી ભિન્ન ભિન્ન ગતિ-ચાલ. ૨ અહીં સંઘ શબ્દથી શ્રમણસંઘ સમજ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શીલપદેશમાલા ગ્રંથને, ઈરછે છે. આ પ્રમાણે સાંભળીને તેમણે કહ્યું: સંઘની જે ઈચ્છા હોય તે હું કરવા તૈયાર છું. પણ જે સંઘ મારા ઉપર મહેરબાની કરે તે મહાબુદ્ધિશાળી મુનિઓને (મારી પાસે) મેકલે. હું (દરજી) સાત વાચના આપીશ તેમાં એક વાચના ભિક્ષાથી આવીને, બીજી કાલ વેળાએ (મધ્યાહ્ન સમયે), ત્રીજી વ્યંડિલ ભૂમિથી આવીને, જેથી વિકાલવેળાએ (સંધ્યા સમયે), ત્રણ આવૃત્તિના સમયે (પ્રતિક્રમણ પછી) આપીશ. આ પ્રમાણે વિન વિના સંઘનું અને મારું કાર્ય સિદ્ધ થશે. બે મુનિઓએ પાછા આવીને સંઘને આ પ્રમાણે કહ્યું. ખુશ થયેલા સંઘે સ્થૂલભદ્ર વગેરે પાંચસો સાધુઓને તેમની પાસે મેકલ્યા. ધ્યાનમાં અંતરાય થવાના કારણે શ્રીભદ્રબાહુસ્વામી વાચના ઓછી આપવા લાગ્યા. આથી સ્થૂલભદ્ર સિવાય બધા સાધુઓ કંટાળીને પોતાના સ્થાને જતા રહ્યા. વિધિપ્રમાણે કરવામાં તત્પર શ્રીસ્થૂલભદ્ર મુનિ તે કંટાળ્યા વિના વિનય વગેરેથી. ગુરુના મનને આકર્ષી લીધું. ધ્યાનના પારને પામેલા અને હર્ષ પામેલા શ્રીભદ્રબાહુ સ્વામી પણ પ્રતીરછક શ્રીસ્થૂલભદ્ર મુનિને તૃપ્તિ થાય તેટલી વાચન વ્યાકુલતા વિના આપવા લાગ્યા. સમાધિરૂપી અમૃતના પાનથી તૃપ્ત થયેલા મનરૂપી વૈભવવાળા શ્રીસ્થલભદ્ર મુનિ ક્રમે કરીને બે વસ્તુ ન્યૂન દશ પૂર્વે ભણ્યા.
હવે દીક્ષા લઈને પૃથ્વી ઉપર વિચરતી શ્રી સ્થૂલભદ્રની બહેને ત્યાં વંદન કરવા માટે આવી. તેમણે ગુરુને પૂછયું: હે સ્વામી! શ્રી સ્થૂલભદ્ર મુનિ હમણાં ક્યાં છે? ગુરુએ કહ્યું તે અહીં દેવમંદિરમાં પૂર્વોને અભ્યાસ કરી રહ્યા છે. અહંકારથી યુક્ત શ્રી સ્કૂલભદ્ર બહેનોને આવતી જોઈને કૌતકની ઈચ્છાથી સિંહના શરીરને આશ્રય કરીને રહ્યા. બહેને પોતાની આગળ સિંહને જોઈને પાછી ફરી. તેમણે ગુરુને કહ્યું હે પ્રભુ! ત્યાં અવશ્ય
સ્થૂલભદ્રને ફાડીને સિંહ રહેલો છે. ગુરુએ ઉપયોગ મૂકીને સ્થૂલભદ્રને વિકાર પામેલા જાણ્યા. તેમણે સ્થૂલભદ્રની બહેનને કહ્યું: તે તમારા ભાઈ ત્યાં છે જ. વંદન કરે. સિંહ જતે રહ્યો છે. ત્યાં જઈને સ્થૂલભદ્રને જોઈને વિસ્મય પામેલી બહેનોએ વંદન કર્યું. શ્રી સ્થૂલભદ્ર (પોતાની દીક્ષા પછી કુટુંબમાં બનેલા) ધાર્મિક સમાચારે મેટી બહેનને પૂછયા. તેણે આનંદપૂર્વક સમાચાર કહ્યા. તે આ પ્રમાણે - હે ભગવંત! અમારી સાથે શ્રીયકે પણ દીક્ષા લીધી. પણ સુધાના કારણે એકાસણું પણ કરવા તે સમર્થ ન હતા. સાંવત્સરિક પર્વના દિવસે મારા કહેવાથી તેમણે પરિસીનું પચ્ચકખાણ કર્યું. પિરિસિ પચ્ચખાણ પૂર્ણ થતાં પચ્ચખાણ પારવાની ઈચ્છાવાળા તેમને મેં ફરી કહ્યું તમે પુરિમડૂઢ કેમ કરતા નથી ? કારણ કે આ પર્વ દુર્લભ છે. સરળ તેમણે લજજાથી તેને પણ સ્વીકાર કર્યો. પુરિમઢ પચ્ચખાણ પણ પૂર્ણ થતાં ભજન કરવાની ઈચ્છાવાળા મુનિને ફરી ઉત્સાહિત કરીને અવઢનું પચ્ચકખાણ કરાવ્યું. અવઢનું પચ્ચકખાણ પણ પૂર્ણ થતાં રાત નિદ્રાથી સુખપૂર્વક પસાર થઈ જશે એમ સમજાવીને તેમને કર્મક્ષય માટે ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવ્યું. પછી અર્ધી રાતે ભૂખ વધવાના કારણે શરીર વ્યાકુલ બની ગયું.
Page #122
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૩ તે મહાત્મા આરાધનાપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગમાં ગયા. મુનિઘાતથી થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની ઈચ્છાથી મેં શ્રમણસંઘની આગળ તેની વિગત કહી. સંઘે કહ્યું તમને પ્રાયશ્ચિત્ત ન આવે. કારણ કે તમે તેમને તારવા માટે જ તે તપ કરાવ્યો હતો. પિતાની નિંદા કરતી મેં ફરી સંઘને આ પ્રમાણે પ્રાર્થના કરી - જે તીર્થકર સ્વયં કહે તે મને સમાધિ થાય. તેથી દયાળુઓમાં મુખ્ય એવો સંઘ કાયોત્સર્ગમાં રહ્યો. તે વખતે શાસનદેવીએ સંઘને આ પ્રમાણે કહ્યું – હું સાદેવીજીને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ જઈને
જ્યાં સુધીમાં અહીં પાછી લઈ આવું, ત્યાં સુધી મારા કલ્યાણ માટે (=જવાઆવવામાં સહાય માટે) સંઘ કાર્યોત્સર્ગમાં જ રહેવું. તે વખતે શાસનદેવી મને ક્ષણવારમાં મહાવિદેહક્ષેત્રમાં લઈ ગઈ. હર્ષથી મેં શ્રી સીમંધર જિનેશ્વરને વંદન કર્યું. જિને કહ્યું. આ પ્રવર્તિની નિર્દોષ અને કપટરહિત છે. પ્રભુએ મારી આગળ બે ચૂલિકા કહી. દેવી મને હાથમાં પકડીને ભરતક્ષેત્રમાં પાછી લઈ આવી. અહીં આવીને મેં બે ચૂલિકા સંઘને અર્પણ કરી. આ પ્રમાણે કહીને યક્ષા પરિવાર સાથે પોતાના સ્થાને ગઈ.
હવે સ્થૂલભદ્ર મુનિ વાચન લેવા માટે ગુરુની પાસે આવ્યા. ગુરુએ કહ્યુંઃ તમે વાચના માટે ગ્ય નથી. તેથી દીન મુખવાળા મુનિ દીક્ષાદિવસથી પોતાના અપરાધોને વિચારવા લાગ્યા. પછી તેમણે ગુરુને કહ્યું: મને કેઈ અપરાધ યાદ આવતું નથી. આ સાંભળીને ગુરુ બોલ્યા: આહ! અ૫રાધ કરીને પણ માનતા નથી. પછી અપરાધને યાદ કરીને તે મુનિ ગુરુના ચરણકમલેમાં પડ્યા. મારા એક અપરાધને માફ કરે. હું ફરી આવું નહિ કરું. ગુરુ બોલ્યાઃ ફરી કરે કે ન કરો, પણ હમણાં તો અપરાધ કર્યો. આથી જેમ તાવથી પીડાયેલાને કાકડી ન અપાય તેમ તમને વાચના ન અપાય. હવે સ્થૂલભદ્ર મુનિએ ગુરુના રોષને શાંત કરવા માટે સંઘને પ્રાર્થના કરી. ચિંતામણિ વિના બીજે કેણ ઈચ્છિત આપવા સમર્થ થાય? સૂરિએ સંઘને કહ્યું: જેમ આ હમણ વિકારને પામ્યા તેમ હવે પછી બીજા શઠ સાધુઓ વિશેષ વિકારને પામશે. તેથી પૂર્વે મારામાં જ બાકી રહેશે =વિરછેદ પામશે એમ હું જાણું છું. એને દંડ થાઓ, એ માટે બાકીને પાઠ એને ન આપ જોઈએ. સંઘે ફરી ગાઢ આગ્રહ કર્યો. આથી મારામાં પૂર્વેને વિચ્છેદ ન થાઓ. એમ વિચારીને ઉત્તમ મુનિ સ્થૂલભદ્રને સૂત્રથી વાચના આપી. સૂરિએ બાકીના પૂર્વેની વાચના તમારે કેઈને ન આપવી એ પ્રમાણે આજ્ઞા કરીને બાકીના પૂર્વોની વાચના તેમને વિધિપૂર્વક આપી. જેમ સૂર્ય પૂર્વધરમાં (=ઉદયાચલ પર્વતમાં) ઉદય પામે છે, તેમ પૂર્વધામાં (= પૂર્વધારે વિદ્યમાન હતા ત્યારે ) ઉદય પામનારા અને સર્વ પૂર્વેને ધારણ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનિએ આચાર્યપદને પ્રાપ્ત કરીને યોગ્ય ભવ્યસમૂહને
૧. પ્રવર્તિની=મુખ્ય સાબી.
૧૫
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શીલપદેશમાલા ગ્રંથનો બંધ પમાડ્યો. અતિશય ઘેર તપ કરીને અને જાણે અમૃતના તરંગે હોય તેવા તાવિકપદના ઉપદેશથી ઘણા કાળ સુધી ભવ્ય જીવોની શ્રેણીને બેધ પમાડીને શ્રીસ્થલભદ્રસૂરિ સ્વર્ગમાં ગયા. [૪૧] શીલપાલનમાં તત્પર છવના શીલને લેભથી પણ બાધા થતી નથી એમ જણાવે છે –
तं नमह वयरसामि, सयंवरा रयणकोडिसुसमिद्धा ।
अवगणिया जेण तिणेव, सिद्विधूया पवररूवा ॥४२॥ ગાથાથ:- સ્વયંવરા, કેટિરનૅથી સુસમૃદ્ધ અને મનહર રૂપવતી રુકૃમિણું નામની એષિપુત્રીને કેટિરની સાથે જીણું ઘાસની જેમ જે મહાત્માએ છોડી દીધી તે વખસ્વામીને પ્રણામ કરે.
ટીકાથ:- સ્વયંવર=ગુણોને સાંભળીને સ્વયં ગાઢ અનુરાગવાળી થયેલી. કેટરત્નોથી સુસમૃદ્ધ=અનેક અબજ પ્રમાણ ધનથી યુક્ત. વાસ્વામી જેવા સમભાવવાળા જ મહાત્માઓ નમસકારને યોગ્ય છે. સમતાનું સ્વરૂપ આ પ્રમાણે છે –“ જ્યાં નથી દુઃખ કે નથી સુખ, જ્યાં નથી રાગ અને નથી દ્વેષ, જ્યાં નથી મોહ અને નથી કેઈ ઇચ્છા, તે શાંતરસ મુનિએને કહ્યો છે, અર્થાત્ આ શાંતરસ મુનિ એમાં હોય છે. અને આવા શાંતરસને જ સવ વસ્તુઓમાં સમભાવ કહ્યો છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તે આ છે -
વજસ્વામીનું દૃષ્ટાંત આ જ જંબૂદ્વીપમાં ભરતાર્ધના લલાટના તિલક સમાન અને ધન સંબંધી આશીર્વાદ આપનાર પુરહિત હોય તેવો અવંતિ નામને દેશ હતો. તેમાં તુંબવન નામનું સ્થાન હતું. તે સ્થાન જાણે લક્ષમીનું સભાસ્થાન હોય તેવું હતું, અને જાણે સ્વર્ગમાંથી પડી ગયા હોય તેવા અને પ્રેમને ઈરછનારા લેકેથી વિભૂષિત હતું. તેમાં પવિત્રાત્મા ધનગિરિ નામને શ્રેષ્ઠિપુત્ર પ્રસિદ્ધ હતું. જાણે સમૃદ્ધિથી કુબેરની સાથે દસ્તી કરી હોય તે હતે, અર્થાત તેની પાસે કુબેર જેટલું ધન હતું. મન-વચન-કાયાથી ધર્મકાર્યમાં જ તત્પર તે ક્રમે કરીને જેમ જેગી સમતાના સમૂહને પામે તેમ યૌવનને પામે. તેના વિવાહ માટે માતા-પિતા જે કન્યાને સ્વીકાર કરતા હતા, તે કન્યાને દીક્ષાર્થી તે જેમ તૃપ્ત માણસ ભજનને નિષેધ કરે તેમ જલદી નિષેધ કરતે હતે. તે કહેતો હતો કેહું પત્ની, મિત્ર વગેરેને છોડીને અવશ્ય દીક્ષા લઈશ, માટે મને પિતાની કન્યાને આપીને કેઈએ પસ્તાવું નહિ. તત્ત્વ અને અતત્ત્વનો વિચાર કરનારે, બુદ્ધિવાળો અને ધર્મી એ તે આ પ્રમાણે કહીને જેમ હંસ નવલ ઘાસવાળા પ્રદેશને નિષેધ કરાવે (નવલ ઘાસવાળા પ્રદેશમાં ન જાય) તેમ કન્યાના માતા-પિતાને બળાત્કારે નિષેધ કરાવતું હતું,
Page #124
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૫ અર્થાત્ અમારે ધનને કન્યા આપવી નથી એમ ના કહેવડાવતા હતા. હવે ધનપાલની સુનંદા નામની પુત્રીએ ધનગિરિ વિના બીજા કેઈને હું નહિ પરણું એ નિશ્ચય કર્યો. આથી નહિ ઈરછતા પણ ધનગિરિની સાથે સુનંદાને માતા-પિતાએ પરણાવી. ભોગવવા યોગ્ય કર્મના પ્રતાપથી ઋતુસ્નાતા સુનંદાને ધનગિરિએ ભેગવી. તે વખતે કુબેરને સામાનિક દેવ દેવલોકમાંથી ચ્યવને જેમ હંસ કમલમાં અવતરે (બેસે) તેમ સુનંદાની કુક્ષિમાં અવતર્યો. બે રીતે સત્ત્વને પામેલી પત્ની સુનંદાને પૂછીને ઘનગિરિએ સિંહગિરિ ગુરુની પાસે દીક્ષા લીધી. પત્નીના બંધુ આર્યસમિતના સહાધ્યાયી બનીને ધનગિરિએ જેમ ભ્રમર પુપરસેને ગ્રહણ કરે તેમ બધા શ્રુતનું ગ્રહણ કર્યું. સુખપૂર્વક ગર્ભનું પાલન કરતી સુનંદાએ સારા દિવસે જેમનંદનવનની પૃથ્વી કપવૃક્ષને જન્મ આપે તેમ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. જન્મના મંગલગીત ગાતી સ્ત્રીઓ કુમારના શરીરને સ્પર્શી સ્પર્શને આ પ્રમાણે બેલી –હે અનુકંપાપાત્ર ! જે તારા પિતાએ દીક્ષા ન લીધી હોત તે તારો અવશ્ય મહાન જન્મોત્સવ થાત. ઘણા ધનવાળી પણ છીએ પુરુષ વિના શું કરે? તેલને ક્ષય થઈ જતાં મોટી પણ દીવડી કેટલી શેભે? આ પ્રમાણે સાંભળીને તર્ક વિતર્કમાં તત્પર બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી બાળક હોવા છતાં એણે ચારિત્ર માર્ગના મુસાફર બનવાને વિચાર કર્યો. મારા ગુણેથી આનંદિત થયેલી માતા મને ક્યારેય છોડશે નહિ, એમ વિચારીને માતાને ખેદ વધે એ માટે તે નિરંતર રડવા લાગ્યું. હિંચકામાં ઘણું હીંચકાવવા છતાં, કેમળ વચને કહેવા છતાં અને હાલરડાં ગાવા છતાં રેવતીની (=દુષ્ટ દેવીની) દૃષ્ટિથી દુષ્ટ થયેલા બાળકની જેમ તે રડતે બંધ ન થયે. આ પ્રમાણે રુદન કરતા તેના છ મહિના વીતી ગયા. સુનંદા પ્રિયપુત્રવાળી હોવા છતાં ખૂબ કંટાળી ગઈ
આ તરફ ધનગિરિ અને આર્યસમિતથી આગળ કરાયેલા અને આવેશથી રહિત શ્રીસિંહગિરિ તુંબવનમાં પધાર્યા. તે વખતે આર્ય સમિતથી યુક્ત ધનગિરિએ ગુરુને નમીને સાંસારિક સંબંધીઓને વંદન કરાવવા માટે, અર્થાત્ સાંસારિક સંબંધીઓના ઘરે જવા માટે પૂછ્યું. તે વખતે કંઈક શુકનને વિચારીને વિકસિત મુખવાળા આચાર્ય વિસ્મયપૂર્વક વાણુ બેલ્યા. તે આ પ્રમાણે - આજે તમને અહીં મહાન લાભ થશે. પણ આજે સચિત્ત કે અચિત્ત જે ભિક્ષા મળે તેને તમારે નિષેધ ન કરે. પછી તે બે મહામુનિઓ સુનંદાના ઘરે ગયા. તે બન્નેને બારણામાં જેઈને સખીઓએ હસતાં હસતાં સુનંદાને કહ્યું હે સખી! તે આ ધનગિરિ આવ્યા છે, તેમને આ બાળક આપી દે. વ્યવહારમાં દેખાય છે કે લેક પિતાના છોકરાને કેઈ પણ રીતે રાખે છે. બાળકના રુદનથી ખૂબ કંટાળી ગયેલી સુનંદા બે હાથમાં છોકરાને લઈને ધનગિરિની આગળ આવી. આ બાળક અતિશય મુકેલીથી પાળી શકાય તેવો હેવા છતાં આટલે કાળ મેં તેને પાળે. તેનાથી અતિશય લેશ પમાડાયેલી હું હવે તે કંટાળી ગઈ છું. તમે નિસ્પૃહ હોવા છતાં આને
૧. એક રીતે આત્માને સત્વગુણ અને બીજી રીતે સત્ત્વ એટલે ગર્ભ, એમ બે રીતે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શીલપદેશમાલા ગ્રંથને સ્વીકારે. તમે વાત્સલ્યવાળા પિતા છે. હે કૃપાહીન ! જેવી રીતે મારી ઉપેક્ષા કરી તેવી રીતે રડતા તમારા પુત્રની ઉપેક્ષા ન કરે. ગુરુના વચનને યાદ કરીને ધનગિરિએ સ્મિતપૂર્વક કહ્યું છે કલ્યાણી ! સારું, તારું વચન અવશ્ય કરવુ (=માનવું) જોઈએ. પણુ ઉતાવળથી આપીને પછી પશ્ચાત્તાપ ન કરીશ. પોતાના હાથે જે આપી દીધું હોય તે પાછું મળતું નથી. તેથી વિચાર કર. અથવા પોતાની વસ્તુમાં બીજાને શું પૂછવાનું હોય? તે પણ દુષ્ટના નિગ્રહ માટે આ વિષે (=બાળક આપવામાં) માણસને સાક્ષી રાખ. કટાળેલી મુગ્ધ સુનંદાએ તેમ કરીને બાળક આપ્યું. ચતુર ધનગિરિએ પણ બાળકને લીધે. તેમણે બાળકને પાત્રાની ઝોળીમાં રાખે. જેને મનોરથ સિદ્ધ થયા છે એ તે બાળક જેમ કેઈ જીવ તારિક ઉપદેશથી રડતે બંધ થાય તેમ તુરત રડતે બંધ થઈ ગયે. ગુરુના અદેશને કરનારા તે બંનેએ સુનંદાના ઘરથી પૌષધશાળા પાસે આવીને નિસહિ કહીને જલદી પૌષધશાલામાં પ્રવેશ કર્યો. ભારથી ધનગિરિની બે ભુજારૂપી લતા વળી ગઈ છે એમ ગુરુએ જોયું. આથી તેમણે ધનગિરિને કહ્યુંઃ ઝોળી મને આપીને તમે ક્ષણવાર વિસામો લે. તેટલામાં ધનગિરિએ પણ પુષ્ટ અને સૂર્યની કાંતિ જેવા દેદીપ્યમાન પુત્રરત્નને આનંદપૂર્વક ગુરુના હાથમાં આપ્યું. તેના ઘણે ભારથી ગુરુને પણ હાથ નમી ગયે. તે લક્ષણથી (=પતાને હાથ નમી ગયો એ લક્ષણથી) ગુરુએ તેને પિતાનાથી અધિક જા. સર્વલક્ષણોથી યુક્ત અને આકૃતિથી અમૃત સમાન તે બાળકને જોઈને શિષ્યની ચિતામાં કૃતકૃત્ય બનેલા ગુરુએ કહ્યું આટલા બળથી અને કાંતિથી ખરેખર આ પૃથ્વીતલમાં જિનશાસનને શોભાવનાર યુગપ્રધાન થશે. આ કર્મરૂપી હાથીને ઘાત કરનાર હેવાથી અને રત્નને (=જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નને) ધારણ કરનાર હોવાથી મારા સિંહગિરિ એવા નામને સત્ય કરશે. આ ચક્કસ સંઘનો આધાર છે માટે ઘણા પ્રયત્નથી એનું રક્ષણ કરવું જોઈએ. તેથી એના પાલનમાં કલ્યાણકારી ભક્તિવાળા ભવ્ય જીને જવા જોઈએ. વજ જેવો ભારી હોવાથી ગુરુએ તેનું વજા એવું નામ રાખ્યું. સૂરિએ પાલન કરવા માટે બાળક સાધવીઓને સેં. સાધવીઓએ પાલન કરવા માટે ચતુર, સ્નેહવાળી અને ક્રીડાથી આનંદિત બનનારી શય્યાતરની સ્ત્રીઓને બાળક સ. સ્ત્રીઓ વડે સ્પર્ધાથી નિરંતર પાલન કરાતા બાળકને જેમ ચંદ્ર નક્ષત્રમાં ફરે તેમ એક ખેળામાંથી બીજા મેળામાં ફેરવવામાં આવ્યા. સૌભાગ્યના અસાધારણ અમૃતકુંડ સમાન તે બાળકને જે જે સ્ત્રી ૨માડતી હતી તે તે સ્ત્રીએ આ બાળક જેમ માતામાં સ્નેહ ધારણ કરે તેમ મારામાં જ સ્નેહ ધારણ કરે છે એમ જાણ્યું. તેને ઈષ્ટ હોય તેવી ક્રીડાઓથી છોકરાઓએ તેને રમાડ્યો. વજે પણ તેમને બીજી બીજી વિશેષ રમત બતાવી. વર્ષો જેમ વૃક્ષને પોષે તેમ ીઓએ શણગાર, રમત, સ્તનપાન, સ્નાન અને વિલેપનથી તેને પિ. હૃદયરૂપી કમળમાંથી નીકળતી પરાગની કણિકાઓ સમાન સુવર્ણરત્નની કંઠી તેના ગળામાં અત્યંત શેભતી હતી. જાણે ધર્મથી યુક્ત હોય તેવી કીડાઓથી દરરોજ રમત અને અચિત્ત આહારનું ભજન કરતે બુદ્ધિશાલી વજ સાદવીઓના મનને હર્ષ પમાડતે હતે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૭ સુનંદાએ વિશેષ પ્રકારની શોભાથી સુશોભિત તેને જોઈજોઈને “આ મારો પુત્ર છે” એમ શ્રાવિકાઓની પાસે તેની માગણી કરી. શ્રાવિકાઓએ કહ્યું તમારા આ સંબંધને અમે જાણતા નથી. આ બાળક અમારી પાસે મૂકેલી ગુરુની થાપણુ જ છે એમ સમજીને અમે તેનું પાલન કરીએ છીએ. શ્રાવિકાઓએ તેને આ પ્રમાણે કહ્યું એટલે તે સમુદાયથી ભ્રષ્ટ બનેલી વાનરીની જેમ દૂર રહીને વજરત્નની જેમ અતિશય દુર્લભ વજને જોયા કરતી હતી. અતિશય ઉલ્લાસવાળી અને પરાધીન એવી સુનંદા કયારેક શ્રાવિકાઓના જ ઘરે આવીને વજને ધાવમાતાની જેમ સ્તનપાન કરાવતી હતી.
કે - - આ તરફ અચલપુરની પાસે બે નદીઓની વચ્ચેની ભૂમિમાં કન્યાપૂર્ણ નામનું તીર્થ હતું. તેમાં તાપસે રહેતા હતા. તેમાં લેપક્રિયાને જાણનાર એક તાપસ પગમાં પાદુકાઓ પહેરીને અગાધ પાણીમાં હંસ સમાન ગતિથી ચાલતું હતું. આ પ્રમાણે દરરોજ લેપના યેગથી નદી ઉતરતા તેણે કૌતુક જોવામાં તત્પર લોકેને આશ્ચર્યચક્તિ બનાવ્યા અભિમાની તેણે તમારા શાસનમાં પણ આવા પ્રભાવવાળે કઈ છે? એમ શ્રાવકને સ્મિતપૂર્વક કહ્યું. એકવાર વેગ અને તપના ભંડાર અને વજના મામા શ્રી આર્યસમિતસૂરિ વિહાર કરતાં કરતાં સ્વેચ્છાથી ત્યાં પધાર્યા. શ્રાવકે એ તે તાપસે કરેલી નિંદા તેમને જણાવી. તેમણે પણ ગાનથી તેની યુક્તિને જાણીને શ્રાવકેને આ પ્રમાણે કહ્યું: અજ્ઞાનરૂપી અંધકારના મંદિર એવા તાપસમાં તપશક્તિ શી હેય? પણ કેઈક લેપથી મૂઢ માણસને તે આશ્ચર્ય પમાડે છે. તેથી જિનમતને જાણનારા તમારે એ વિજ્ઞાનમાં આશ્ચર્ય ન પામવું. પારલેપને આ વિધિ બીજાના માત્ર ઉપદેશથી ( =બતાવવાથી) સાધી શકાય છે. તેથી પાખંડની પરીક્ષા માટે તમે તાપસને ભેજન માટે) આમંત્રણ આપે. ભક્તિના બહાને પાદુકાસહિત એના પગ ધોવા. જૈન શાસનની હીલનાને નાશ કરવા થતી માયા પણ સુખ આપનારી થાય. તેથી શ્રાવકોએ દંભથી તાપસને (ભજન માટે) આમંત્રણ આપ્યું. શ્રાવકની ભક્તિથી અભિમાનવાળે તે દેડકાની જેમ કુદી કુદીને એક શ્રાવકના ઘરે ભોજન માટે આવ્યો. શ્રાવકે જાણે અતિશય શ્રદ્ધાથી હોય તેમ આપના ચરણપ્રક્ષાલનના પાણીથી અમારા ઘરમાં કુશળ થશે એમ કહીને બારણામાં આવેલા તેનાં ચરણ ધોયાં. ગરમ પાણીથી પગ તે રીતે ધેયા કે જેથી પુષ્કરપત્રની જેમ. લેશ પણ લેપ ન રહ્યો. પછી તેના પગમાં ગોશીષચંદનથી વિલેપન કર્યું. આથી તેને વિચિત્ર હદયસંતાપ અગ્નિના તાપની જેમ વૃદ્ધિ પામે. શ્રાવકે ફૂરસવાળા આહારથી આદરપૂર્વક તેને ભોજન કરાવ્યું. અથવા સ્વાર્થની સિદ્ધિ માટે લાકડું માથે મૂકાય છે. પગના લેપને નાશ થવાથી નદીમાં બૂડી જવાની શંકાથી આકુલ બનેલા તેણે તાવથી પીડાયેલા પુરુષની જેમ ભેજનનો સ્વાદ ન જા. હજી પણ કઈક લેપનો અંશ રહ્યો હશે એમ વિચારીને સાહસથી તે ભેજન પછી લેકસમુદાયની સાથે નદીના કાંઠે આવ્યા. .
તે વખતે લેઢાની નાવની જેમ તે યશની સાથે નદીમાં ડૂબી ગયો. તેથી લેકે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શીલેાપદેશમાલા ગ્રંથના
હાથની તાળીએ પાડીને જોરથી હસવા લાગ્યા. કાઇ પણ દંભથી નદીને તરતા આ દંભીએ વ્ય આપણને છેતર્યા એમ મિથ્યાષ્ટિએ પણ વિચારવા લાગ્યા. તે વખતે ભેાજ રાજા વડે ખેલાવાયેલા સૂરિ જનતાની સમક્ષ જિનશાસનની પ્રભાવના કરવા માટે ત્યાં પધાર્યા. ચાગના માહાત્મ્યથી વશમાં રહેનારી નદીને તેમણે કહ્યું : હે વત્સા! મા આપ, જેથી તારી સામે પાર જાઉં, જાણે ખંને મિત્રા હોય તેમ તત્કાલ બંને કાંઠા ભેગા થઇ ગયા. સંઘ, રાજા અને લોકોથી યુક્ત સૂરિ સામે કિનારે આવ્યા. સૂરિને અતિશય જોઇને ગČરહિત બનેલા તાપસાએ તે વખતે આચાર્યના ચરણામાં વૈરાગ્યથી દીક્ષા લીધી. બ્રહ્મદ્વીપમાં રહેનારા તે તાપસશ્રમણાની પર`પરામાં જે શ્રમણા થયા તે આગમમાં બ્રહ્મવૈપિક એવા નામથી પ્રસિદ્ધ બન્યા.
વજા ત્રણ વર્ષના થા ત્યારે ધનગિરિ વગેરે સાધુએ વિહાર કરતાં કરતાં ત્યાં તુંખવન સ્થાનમાં ગયા. ઈચ્છેલ મુનિ ધનગિરિ લાંખા કાળે આવતાં સુનંદાએ તે વખતે તેમની પાસે જાણે થાપણ મૂકેલ હાય તેમ પુત્રની માગણી કરી. મુનિએ કહ્યું: હું મુગ્ધા ! નિરર્થક ન ખેાલ, તે વખતે કેમ ન વિચાર્યું...? કારણ કે સાક્ષીપૂર્વક આપીને માગણી કરતી તું લજજા પામતી નથી ? આ સાંભળીને સુનાએ આ પ્રમાણે કહ્યું : કુટુંબીઓ સાથે મેં વિચારણા કરી ન હતી. આથી કુટુંબીઓથી રજા નહિ અપાયેલા ખાળકને ાણ લેવાની ઈચ્છા કરે ? તે બંને પક્ષેા વિવાદ કરવાની ઈચ્છાથી બાળક વજ્રને સાથે લઈને રાજસભામાં ગયા. રાજાની ડાખી તરફ પરિવારસહિત સુનંદા બેઠી અને સઘળા ય શ્રીસંઘ રાજાની જમણી તરફ બેઠે. બંનેના પ્રશ્નોત્તરા સાંભળીને ભેાજરાજાએ આજ્ઞા કરી કે, ખેલાવાયેલા આ બાળક જેની પાસે જશે તેના થશે. બંને પક્ષાએ આ ન્યાય માન્ય રાખ્યા. સ્ત્રીના પક્ષવાળાઓએ રાજાને કહ્યું: હે દેવ ! આ બાળક લાંબા કાળ સુધી સાધ્વીઓની વચ્ચે રહેલા છે, તેથી તેમને અનુસરનારા થશે. તેથી પહેલાં માતા જવાને ખેાલાવે એ ચેાગ્ય છે. રાજાએ હા કહી. આથી રામાંચેાથી યુક્ત સુન દાએ સુખડી અને વિવિધ રમકડાં તેની આગળ મૂકવાં. પછી જેમ ગાય પેાતાની વાણીથી વાછરડાને ખાલાવે તેમ સુનંદાએ સાકર, મધ અને દ્રાક્ષ જેવા અસાધારણ માધુર્યને ફેલાવનારી વાણીથી જલદી પુત્રને મેલાવ્યા. હે વત્સ ! મારી પાસે આવ, મને આનંદ આપ. મારા ખેાળાને અલંકૃત કર, મેાક, દ્રાક્ષ, ગાળ અને સાકર વગેરે લે. આ ઘેાડે છે, આ હાથી છે, આ અદ્ભુત દડા છે, આ ગાડાને લે, હે વત્સ ! મને આનંદ આપ. હૈ પૂજય ! હું તારા મલિ થાઉં છું, અર્થાત્ તારા માટે મારે જેના ભાગ આપવા પડે તેના ભાગ આપવા તૈયાર છું, તારાં નેત્રાનાં ઓવારણાં લઉં છું, હું પવિત્ર વત્સ ! તુ' મારી પાસે આવ. હું તારા મુખ માટે મરી રહી છું. હે વત્સ ! દીન મને ન છેડ, મને સથા હલકી ન કર, મે... તારા ગભ વગેરેનું પોષણ છે, તેથી તું ઋણી છે, તેથી ઋણુ વિનાના થા. હે વત્સ ! જો કે તું વિરક્ત છે, તે પણ મારા પ્રભાવની વૃદ્ધિ માટે એકવાર
કર્યું
Page #128
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૯
મને આલિંગન આપ, તું મારા ઘરે આવ. જેમ પવનના વટાળિયાથી મેરુ પર્યંત ચલાયમાન ન થાય તેમ, સુનંદાના પ્રલાભનવાળા, ખુશામત ભરેલા અને કુશળ અનેક વચનાથી તેનું મન ચલાયમાન ન થયુ.. ગૌરવ કરવામાં માતા પિતાથી અધિક છે એમ જાણતા પણ વ તે વખતે ચિત્તમાં વિચાયુ" કે, જો હું માતાનું વચન માનું તે સંઘનું અપમાન થાય, અને તેથી ભવરૂપી સમુદ્રને ઓળંગવાનું મુશ્કેલ બની જાય.
આ પ્રમાણે (=સંઘનું માન રાખવાથી ) તા સંઘ અને માતા એ બંનેની સાથે સેવા થશે. કારણ કે લઘુકર્મી માતા પણ મારા વિના ચારિત્ર લેશે. ઇત્યાદિ દીર્ઘદૃષ્ટિવાળા, દેઢચિત્તવાળા અને બાળક એવા પણ તેણે જેમ વીતરાગ સંસારના પદાર્થોં ઉપર ષ્ટિ ન કરે તેમ માતા ઉપર નજર ન કરી. પછી રાજાથી પ્રેરાયેલા અને પ્રફુલ્લિત મનવાળા ધનિરિએ જાણે તત્ત્વ હાય તેમ રજોહરણને જલદી હાથમાં લીધું. હે વત્સ ! જો દીક્ષા લેવા માટે તારુ' મન દૃઢ હાય તા માક્ષલક્ષ્મીના દૂત એવા આ રજોહરણને લે. જેમ બુદ્ધિશાળી પુરુષ ચિંતામણિરત્નને લે અને હાથીનું બચ્ચું કમળને લે તેમ વજ્ર કૂદીને આદરથી રજોહરણ લીધું. જેમ નાળ સહિત કમળને ઉખેડીને નીચામુખવાળુ કરાયેલું ક્રમળ શાલે તેમ વજ્રના હાથરૂપી કમલમાં રહેલું ગુરુનુ તે રજોહરણ Àાલ્યું. ગાલ ઉપર હાથ મૂકીને વિહલચિત્તવાળી સુનંદાએ ક્ષણવાર મનને સ્થિર કરીને ચિત્તમાં આ પ્રમાણે વિચાયુ " : – પહેલાં ભાઈએ દીક્ષા લીધી, પછી પતિએ દીક્ષા લીધી, હવે પછી પુત્ર પણ દીક્ષા લેશે, તેથી મારે પણ દીક્ષા જ ઉચિત છે.
આ પ્રમાણે વિચારીને ત્યાંથી ઉઠીને સુનંદા ઘરે આવી. સાધુએ વાને લઇને પેાતાના ઉપાશ્રયે ગયા. સ`યમમાં મતિવાળા તે બાળકે ત્યાર પછી સ્તનપાન ન કર્યું. ’આ કઈ આશ્ચર્યકારી નથી. કારણ કે ચેતના લઘુ નથી. વ્રતની સન્મુખ ભાવવાળા હાવાથી ગુરુએ એને દ્રવ્યથી પણ દીક્ષા આપીને સાધ્વીઓને સોંપ્યા. અતિશય આનઢના ભંડાર એવી સુનંદાએ પણ સિંહગિરિસૂરિની પાસે જ વૈરાગ્યથી દીક્ષા લીધી. પદાનુસારી બુદ્ધિવાળા વજે જેમ સમુદ્ર નદીઓને ગ્રહણ કરે તેમ સાવીએના મુખથી સાંભળીને અગિયાર અગાને ગ્રહણ કર્યાં.
એકવાર આઠ વર્ષના વજ્ર મુનિને સાથે લઈ ગુરુ અવતિ ગયા. અવંતિનગર તરફ જતાં રસ્તામાં વર્ષાદ વરસ્યા. સાધુએ અપ્ણયની વિરાધનાને રોકવા માટે કયાંક યક્ષમંદિરમાં રહ્યા. તે વખતે વજ્ર મુનિના પૂર્વભવના મિત્રદેવાએ રહેવાના ઘર વગેરે. અનાવીને વિષ્ણુનું રૂપ કર્યું”. પછી તેમણે વજ્રમુનિના સત્ત્વની ( = પરિણામની ) પરીક્ષા કરવા માટે વર્ષાદને ધીમું કરીને સૂરિને આહાર-પાણીના લાભ આપવા વિનંતિ કરી. ગુરુની આજ્ઞાથી વજ્રમુનિ વહારવા ચાલ્યા. પાણીના ઝીણા ઝીણા છાંટા પડતા
૧. સ્તનપાન બંધ કર્યું... એ.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શીલપદેશમાલા ગ્રંથને જોઈને વજમુનિ જેમ સાપથી પાછા વળે તેમ પાછા વળ્યા. દેવેએ વૃષ્ટિને બંધ કરીને ફરી વજા મુનિને વિનંતિ કરી. ગુરુની આજ્ઞા લઈને બીજા એક સાધુની સાથે વામુનિ આવસહી કરીને ભિક્ષા માટે (ઈર્યાસમિતિ વગેરે) સંયમપૂર્વક ચાલ્યા. ત્યાં ઘાસની ઝુંપડીઓમાં અનેક પ્રકારના ભઠ્ય ભેજન વગેરે અને અનેક પ્રકારના શાક જોઈને જ મુનિ વિસ્મય પામ્યા. દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેને વિચાર કરીને તેમણે ભિક્ષા વહારાવનારના મુખને જોયું. નિમેષ (= પલકારાને) અભાવ વગેરે લક્ષણથી આ દે છે એમ વજા મુનિએ જાણ્યું. આ દેવપિંડ હોવાથી અઠપ્ય છે (= સાધુઓને ન ખપે તેવું છે, એમ કહીને વજમુનિ પાછા ગયા. દેએ પિતાના મૂળ સ્વરૂપમાં રહીને વજમુનિને પોતાની ઓળખાણ આપી. પછી તેમને વૈક્રિયલબ્ધિ આપીને તેવો જલદી અદશ્ય થઈ ગયા. આ સાંભળીને ગુરુ વજમુનિના આ કાર્યથી આશ્ચર્ય પામ્યા. એક વાર જેઠ મહિનામાં ઘેબર વહરાવવા માટે તે જ જંભિકદેએ વણિકનું રૂપ લઈને વજ મુનિને (ભિક્ષા માટે) વિનંતિ કરી. પૂર્વ મુજબ જ આ દેવપિંડ છે એમ જાણીને વજનિ પાછા ફર્યા. દેવે તેમને આકાશગામિની વિદ્યા આપીને અદશ્ય થઈ ગયા. * . . ભણતા મુનિર્વાદ પાસેથી સાંભળી સાંભળીને સ્થિરચિત્તવાળા વમુનિએ અગિયાર અંગોને વજ જેવાં દઢ કર્યો, અર્થાત્ ક્યારેય ભૂલાય નહિ તેવાં પાકાં કર્યા. ગુરુએ
જ્યારે ભણવા માટે પ્રેરણા કરી ત્યારે તેમણે પોતાની બુદ્ધિને પ્રગટ ન કરી, અર્થાત્ હું આટલું કૃત ભણી ગયો છું એમ ન જણાવ્યું. ગુરુ જે પાઠ આપતા હતા તે પાઠને જ (પિતાને યાદ હોવા છતાં, અસ્પષ્ટ અવાજ પૂર્વક બેલતા હતા=શેખતા હતા, અને પૂર્વના શ્રતને ભણતા બીજા સાધુઓ પાસેથી સાંભળીને જળો જેમ લેહીને ગ્રહણ કરે તેમ કમળ ચિત્તવાળા વજમુનિ પૂર્વનાં સૂત્રે ગ્રહણ કરી લેતા હતા.
એકવાર સાધુઓ ભિક્ષા માટે ગયા અને ગુરુ સ્પંડિલભૂમિએ ગયા ત્યારે પૌષધશાળામાં એકલા વમુનિ રહ્યા. આ વખતે સાધુઓના બધા વટિયા (= વસ્ત્રોની પોટલીએ) ભેગા કરીને ક્રમશઃ ગોઠવી દીધા. પછી પિતે ગુરુની જેમ બેસીને (વટિયાએને સાધુઓ કલ્પીને) વાચના આપવા લાગ્યા. ઈંડિલભૂમિથી પાછા આવેલા ગુરુએ. દૂરથી અવાજનો કોલાહલ સાંભળીને પોતાના ચિત્તમાં વિચાર્યું કે, શું આજે સાધુઓ - ભિક્ષાથી જલદી આવી ગયા છે? શું સ્વાધ્યાય કરતા ક્ષમાયુક્ત સાધુઓ અમારી રાહ જુએ છે? બારણા પાસે આવેલા ગુરુએ જાણ્યું કે આ તે વજ જ છે. અગિયાર અંગેના અને પૂર્વના આલાવાઓને સાંભળીને ગુરુ વિસ્મય પામ્યા. જેમાં આવું પાત્ર છે તે અમારે ગ૭ ધન્ય છે. ચેકસ એણે મુનિઓ પાસેથી પાઠ સાંભળીને ભણી લીધું છે. અતિશય વાત્સલ્યવાળા તે ગુરુએ “આ શરમ ન પામો” એમ વિચારીને મોટા અવાજથી નિસીહિ બેલ્યા. આ સાંભળીને જ મુનિએ જલદીથી વીંટિયાઓને યથાસ્થાને મૂકી દીધા.
Page #130
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૧
અને ગુરુનાં ચરણાનું પ્રમાન કર્યું. વજ્ર મુનિ ચિંતામણિની જેમ પેાતાના હૃદયના ભાવાને છૂપાવીને રહ્યા. આચાર્યશ્રીએ વિચાર્યું” કે, ખાલ પણ નિર્મલબુદ્ધિવાળા એની કાઈ અવજ્ઞા ન કરા, શું લેાકે ગુપ્તખળવાળા ( = નાના) હાથીને માટી વહુન કરાવતા નથી ? ( જેમ લેાકેા આ રીતે હાથીની અવજ્ઞા કરે છે તેમ આ બાલ છે એમ સમજીને તેની કેાઈ અવજ્ઞા ન કરે એમ કરવું જોઇએ. ) આ પ્રમાણે વિચાર્યા પછી તમને વાચના વજ્ર આપશે એમ સાધુઓને ક્હીને પોતે નજીકના ગામમાં ગયા. વાચનાના સમય થતાં ગુરુની આજ્ઞાને આધીન સાધુઓ ગુરુની બુદ્ધિથી વામુનિની આગળ વાચના માટે બેઠા. વજ્ર જેવા દૃઢ ચિત્તવાળા વજ્રમુનિએ પણ ગુરુની આજ્ઞાને જાણીને વિસ્મિત ચિત્તવાળા સાધુઓને વિધિપૂર્વક વાચના આપી. ક્ષયાપશમ વડે વિકસતી બુદ્ધિના પ્રશ્ન થી તે મુનિ એક જ વાર કહીને મંમતિવાળા પણ મુનિઓને બરાબર સમજાવી દેતા હતા. પાંચ-છ દિવસ ગયા પછી આચાર્ય શ્રી મહારગામથી આવી ગયા. તેમણે વાચના સુખપૂર્ણાંક થઇ ને ?” એમ ગીતા સાધુએને પૂછ્યું. ભક્તિથી પ્રણામ કરીને તેમણે કહ્યું: વજ્રમુનિ ખાધ પમાડવાની લબ્ધિવાળા છે, તેથી તે જ અમારા વાચનાચાય થાઓ. અમેાએ જંગમ શ્રુત ભંડાર એવા એમની પૂર્વે અજ્ઞાનતાથી જે અવજ્ઞા કરી છે તેની અમારે આપની પાસે આલેાચના લેવી જોઇએ. આદરપૂર્વક પૂજાચેલા ગુરુએ વજ્રમુનિને અગ અને ઉપાંગ વગેરે જે શ્રુત ભણવાનુ ખાકી હતું તે શ્રુત ભણાવ્યુ', પછી સિદ્ધાંતની મર્યાદાના ઉષ થાય એ માટે ધર્માચાર્યે વજ્રમુનિના ઉત્સારકલ્પને વિધિપૂર્વક કર્યાં. જેમ અગસ્તિઋષિ સમુદ્રનું બધું પાણી પી ગયા તેમ વજ્રમુનિએ ગુરુની પાસે ષ્ટિવાદ વગેરે જેટલા સૂત્રા ના સંગ્રહ હતા તે બધું સારી રીતે ગ્રહણ કરી લીધુ.
મુશ્કેલીથી વિહાર કરતા સૂરિ ત્યારબાદ દેશપુરનગર આવ્યા. ત્યાં આવીને તેમણે વજ્રમુનિને આનંદથી કહ્યું: હે વત્સ! દશપૂર્વને ધારણ કરનારા ભદ્રગુપ્ત નામના આચાર્ય વિહાર કરતા કરતા હમણાં અવંતીનગરીમાં આવેલા છે. તેમને કાઈ શિષ્ય
૧. જેમ ચિતામણિ હું ચિંતામણિ છું એમ કાઈને કહે નહિ, તેમ તેમણે હું બધું શ્રુત ભણી ગયા છું એમ કહ્યું નહિ.
ર. અન્યની પાસે વિધિપૂર્વક ભણેલા જ સાધુ બીજાને ભણાવી શકે એ મર્યાદાને
૩. ઉત્સારકલ્પના અર્થ આ પ્રમાણે છે : - એક દિવસ આટલું શ્રુત ભણવું, બીજા દિવસે આટલું શ્રુત ભણુવુ, ત્રીજા દિવસે આટલું શ્રુત ભવ', એમ અમુક શ્રુત ભણવામાં અમુક દિવસા થવા જ જોઈએ. નિયત કરેલા દિવસેાથી વડેલું ન ભણી શકાય, એમ સામાન્યથી નિયમ છે. પણ વિશેષ કારણથી દિવસનું પ્રમાણુ ગણ્યા વિના જલદી ભણાવી દેવું તે ઉત્સારકલ્પ. અર્થાત્ વિધિપૂર્વક ઘણા દિવસેામાં ભણી શકાય તેવા શ્રુતને થાડા દિવસેામાં ભણાવી દેવુ તે ઉત્સારકલ્પ
૧૬
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શીલપદેશમલા ગ્રંથને નથી.તારા સિવાય બીજે કઈ એ મારો શિષ્ય નથી કે જે દશપૂર્વેને આત્મસાત (= પિતાને આધીન) કરી લે. માટે ઉજજેની જઈને તું તે પૂર્વે ભણવાને ગ્ય છે. હાથીથી વહન કરી શકાય તેવા મહાનભારને ગધેડાઓ વહન કરવા સમર્થ નથી. તે વત્સ ! દશપૂર્વોને સમાધિથી અભ્યાસ કરતા તારું ચક્કસ શાસનદેવે ચારે તરફથી સાંનિધ્ય કરશે. “હા” એ પ્રમાણે સ્વીકાર કરીને નોથી શોભતા અને બે સાધુએથી ચુક્ત વા મુનિ જાણે ગર્વને જીતવાની ઈચ્છાવાળા હોય તેમ દશપુરનગરથી ચાલ્યા. સાંજે ઉજજેની પહોંચ્યા અને રાતે નગરની બહાર રહ્યા. તે સમયે શ્રીભદ્રગુપ્તસૂરિએ સ્વપ્ન જોયું. તે આ પ્રમાણે – આજે કઈ પ્રતીચ્છકે મારા હાથમાંથી દૂધથી ભરેલું પાત્ર લઈને તૃપ્તિ થાય ત્યાં સુધી દૂધ પીધું. (સ્વપ્નનું ફળ આ પ્રમાણે છે:-) આજે બુદ્ધિનું પાત્ર એવા કેઈક અતિથિ સાધુ આવશે, કે જે મારી પાસેથી સૂત્રથી અને અર્થથી દશપૂર્વેને ગ્રહણ કરશે, તેથી હું ધન્ય છું. દશપૂર્વે મારાથી જ વિચ્છેદ નહિ પામે. તેથી એનાથી (=ભણવા આવનારથી) વિદ્યાનું પાત્રાગ ( =પાત્રમાં વિદ્યાનું દાન કરવું એ) રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. સુઈને ઉઠેલા ગુરુએ સાધુઓની આગળ આ પ્રમાણે કહ્યું. સવારના જલદી નિહિ બેલતા વજ મુનિ ત્યાં આવ્યા. આકૃતિ અને તેજથી આ વા જ છે એમ વિચારતા અને વાચના માટે આ યોગ્ય છે એમ જાણતા આચાર્ય મનમાં અતિશય હર્ષ પામ્યા. આચાર્ય બે હાથેથી જેટલામાં જ મુનિને ભેટવાની ઈચ્છા કરે છે, તેટલામાં જ મુનિ જલદી આચાર્યના ચરણ કમળમાં નમ્યા. કલ્યાણકારી ક્રિયાવાળા અને વજ મુનિના મુખરૂપી સ્નાના તેજ તરફ નજર કરતા આચાર્યો પણ વજ મુનિને ભેટીને સંયમક્રિયાઓમાં કુશળતા પૂછી. વળી તેમણે પૂછ્યું કે, હે વત્સ! પ્રમાદ૨હિત સુખવાળા ગુરુના ચરણકમળને છેડીને અવંતી આવવામાં શું કારણ છે? ભક્તિથી નમ્ર બનતા વા મુનિએ આદરથી ગુરુને કહ્યુંઃ ગુરુના વચનથી દશ પૂર્વે ભણવા માટે હું અહીં આવ્યો છું. જેમ ઘણું તેજ સૂર્યમાં જ હોય, અથવા કલાની વૃદ્ધિ થતાં તેજવાળા ચંદ્રમાં જ ઘણું તેજ હોય, તેમ દશ પૂર્વે આપનામાં જ છે. પછી સિદ્ધિદાયક વાસક્ષેપવાળાને અને બેધ પામતા વજમુનિએ ગુરુના પ્રભાવથી અદ્દભુત રીતે દશ પૂર્વો પૂર્ણ કર્યા. દષ્ટિવાદ વગેરે સૂત્રોને જેની પાસે ઉદ્દેશ કર્યો હોય તેની પાસે જ અનુજ્ઞા થાય એવી જ પરંપરા છે. આથી ભદ્રગુપ્તસૂરિની આજ્ઞાથી વજ મુનિ દશપૂર્વે ભણીને ધર્માચાર્યના ચરણોમાં નમવાની ઈચ્છાથી દશપુર ગયા. હર્ષ પામેલા સિંહગિરિસૂરિએ દશપૂર્વી વજ મુનિને પૂર્વેની અનુજ્ઞાપૂર્વક ગણની અનુજ્ઞા આપી. તે મહોત્સવમાં વાસ્વામીના મિત્ર ભકદેવોએ જાણે સ્વર્ગની લીમીના અક્ષતે હોય તેવા પુપની વૃષ્ટિ કરી. ત્યારબાદ સિંહગિરિસૂરિ અનશન કરીને સમાધિરૂપી નિસરણીથી સ્વર્ગરૂપી અગાશી ઉપર ચડ્યા.
૧. અહીં સિત પ્રયોગના સ્થાને રિગુણ એ પ્રયોગ વધારે યોગ્ય ગણાય. સિદ્ધગુણ એટલે જેમના ગુણો પ્રસિદ્ધ બન્યા છે તેવા, અથવા જેમાં ગુણ સિદ્ધ થઈ ગયા છે તેવા.
Page #132
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૩ ત્યારબાદ નવા નવા આશ્ચર્યોમાં તત્પર શ્રી વજસૂરિ પાંચસે સાધુઓની સાથે ભૂમિમંડલ ઉપર વિચારવા લાગ્યા. કળાના ભંડાર શ્રી વજસૂરિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લેકે જાણે પૂર્ણ આશ્ચર્યમાં મગ્ન બન્યા હોય તેવા થયા.
આ તરફ શ્રી વાસ્વામીની સાદવીઓએ પાટલિપુરમાં ધન નામના વણિકની અશ્વશાળામાં સ્થિરતા કરી. તે શ્રેષ્ઠીની અમિણી નામની ગુણસંપન્ન પુત્રી હતી. તે કન્યા સાદવીઓના સંસર્ગથી વિવેકરૂપી પુષ્પ કળીઓના મધુર રસવાળી બની. તે સાધ્વીઓના મુખથી સદા શ્રી વજી સ્વામીના શીલ, સૌભાગ્ય વગેરે ગુણસમૂહને સાંભળતી હતી. તે ભ્રમરીની જેમ શ્રી વાસ્વામીના સૌંદર્યની સુવાસનું પાન કરીને વિરાગવાળી હોવા છતાં શ્રી વાસ્વામીમાં જ અનુરાગવાળી થઈ. તેણે મનથી નિર્ણય કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે, જેમ રોહિણીને પતિ ચંદ્ર છે તેમ મારા પતિ શ્રી વજસ્વામી જ છે. સાદવીઓએ તેને કહ્યું હે મુગ્ધ! જેમ મારવાડની ભ્રમરીએ કરેલે કલ્પવૃક્ષની મંજરીના ભેગને મનોરથ નિષ્કલ છે તેમ વિરક્ત શ્રી વાસ્વામી વિષે તારે આ મરથ નિષ્ફલ છે. રુકમિણીએ જવાબ આપ્ય: જે મારો આ મનોરથ સફલ નહિ બને તે મારે પણ શ્રી વાસ્વામીને પ્રિય એવા ચારિત્રરૂપી ચરણનું શરણ છે. જેમ વાટ વાલેપમાં એંટી જાય તેમ રુકમિણીની ચિત્તવૃત્તિ શ્રી વજાસ્વામીમાં તેવી રીતે ચૂંટી ગઈ કે જેથી તે પિતાની ઈચ્છાથી ચલિત ન થઈ. વાસ્વામીને ઈચ્છતી આ અમિણીએ અનુપમ શ્રેષ્ઠ સૌદર્યની પણ કાચની જેમ ઉપેક્ષા કરી, પણ અન્ય કોઈને પતિ ન કર્યો.
એકવાર આચાર્ય શ્રી વજાસ્વામીને પાટલિપુત્રમાં આવેલા સાંભળીને નગર લાકેથી પરિવરેલે રાજા હર્ષથી સામે ગયે. ટેળે ટેળે રહેલા સર્વ સાધુઓને તેજથી સૂર્ય જેવા અને લાવણ્યના સાગર જેવા જોઈને (અર્થાત્ બધાને એક સરખા જેઈને) રાજા આમાં વાસ્વામી કેણ છે? એવા વિચારમાં પડ્યો. સંશયરૂપી હિંડેનાથી ડેલાવાયેલા મનવાળા તેણે લાંબે કાળ વિચાર કરીને તમારામાં ગુરુ વાસ્વામી કેણ છે? એમ સાધુઓને પૂછયું. સાધુઓએ કહ્યું- હે રાજહંસ! તમને ટિટેડા જેવા અમારામાં રાજહંસ સમાન વાસ્વામીને ભ્રમ ક્યાંથી થઈ ગયે? હારશ્રેણિ જેવી આ સાધુશ્રેણિમાં જે મહા તેજસ્વી નાયક જેવા જણાય તેને તમારે શ્રી વાસ્વામી જ જાણવા. હવે રાજાએ અસાધારણ લાવણ્યવાળા અને તારાઓથી પરિવરેલા ચંદ્રની જેમ સાધુઓથી પરિવરેલા શ્રી વજીસ્વામીને દૂરથી આવતા જોયા. અનિષ્ટને જેનારી આંખને જાણે અમૃતથી પૂર્ણ કરતે હેય તેમ રાજા શ્રી વજાસ્વામીને ભક્તિપૂર્વક નમ્યું. રાજાએ શ્રી વજા સ્વામીના બે ચરણેમાં પ્રકાશ કરતી વખપ્રભારૂપી ચંદનરસથી જેમ સિદ્ધચૂર્ણથી લલાટમાં તિલક કરાય તેમ લલાટમાં તિલકક્રિયા કરી. સર્વ પરિવારથી યુક્ત શ્રી વજસૂરિએ તે વખતે નગરીના પાસેના ભાગને અલંકૃત કરીને ધર્મદેશના આપી. તેમના દાંતેની પ્રભારૂપ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શીલાપદેશમાલા ગ્રંથના
જલની વૃષ્ટિથી મનના મેલને જેમણે ધેાઈ નાખ્યો છે એવા રાજા વગેરે નગરલોક આશ્ચય પામીને પાત પેાતાના સ્થાને ગયા. પછી અંતઃપુરની સ્ત્રીએ પણ શ્રી વાસ્વામીના રૂપવૈભવને સાંભળીને રાજાની રજા લઈને સૂરિને પ્રણામ કરવા માટે આવી.
તે વખતે શ્રી વજીસ્વામીને જોવા માટે અતિશય ઉત્સુક બનેલી રુકિમણીએ પિતાને કહ્યું: હું પિતાજી! તે મારા પતિ આવેલા છે. તે ભ્રમરવૃત્તિવાળા છે, અર્થાત્ ભ્રમરની જેમ એક સ્થળે રહેતા નથી. તેથી જે મને પરણ્યા વિના જશે તે ની અગ્નિનું જ શરણું સ્વીકારીશ. ધનશ્રેષ્ઠી દિવ્ય આભૂષણા અને વસ્ત્રોથી યુક્ત અને ક્રોડ ધનથી સહિત પુત્રી રુમિણીને શ્રી વાસ્વામીની પાસે લઇ ગયા. ઉત્તમબુદ્ધિવાળા અને મારું રૂપ જોઈને નગરની સ્ત્રીઓનું ચિત્ત ક્ષાભ પામે એવા ભયવાળા શ્રી વાસ્વામી ગ્રંથના જેમ સંક્ષેપ કરે તેમ પોતાના રૂપને સ ંક્ષેપીને રહ્યા. શ્રી વાસ્વામીને જોઇને ભક્તજનાએ વિચાયુ” કે અહા! દુષ્ટ વિધાતાએ અતિશયવાળી વિદ્યાથી યુક્ત આ વિશ્વગુરુના રૂપની શાભા ગુણાને અનુરૂપ કરી નથી. જ્ઞાનરૂપ નેત્રથી ભક્તજનાના આવા ચિત્તને જાણીને જગતને વિસ્મય પમાડનાર શ્રી વજાસ્વામીએ સ્વાભાવિક રૂપ કર્યું.... જાણે વિજળીના નિર્મલપુંજ હોય તેવા શ્રી વજ્રસ્વામીએ સુવર્ણ કમલ ઉપર બેસીને સંસારના ફ્લેશના નાશ કરનારી ધર્મદેશના આપી. ફરી લોકો ખેલ્યા: એમણે પોતાના આ સ્વાભાવિક રૂપને સંક્ષેપી લીધું હતું, આપણા ઉપર કૃપા કરીને ફરી તે સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું." છે. આ પ્રમાણે શાસનની પ્રભાવના કરનાર આશ્ચર્યને જોતા સંધ હ પામ્યા. અથવા મેઘગર્જનાથી શું મારલા નૃત્ય કરતા નથી? પેાતાને ધન્ય માનતા ધનશેઠે વિચાયુ આ મારી કન્યા ધન્ય છે કે જેણે પેાતાના ચિત્તરૂપી સુવર્ણાલ'કારમાં શ્રી વાસ્વામીને જ પ્રવેશ કરાવ્યા છે. કન્યાને આપવા માટે વરના વિચારમાં જ મનવાળા થયેલા ધનશેઠે જેમ કામી પુરુષ શીલની કથાને ન સાંભળે તેમ શ્રી વાસ્વામીની દેશનાને ન સાંભળી. દેશના પૂર્ણ થયા બાદ ધનશેઠે ઉઠીને શ્રી વાસ્વામીને આ પ્રમાણે વિનંતિ કરી:- જેમ મેાગરાની વેલડી વસંતઋતુમાં અનુરાગવાળી હોય તેમ આ કન્યા આપના વિષે ઘણા કાળથી અનુરાગવાળી થયેલી છે. તેથી ચેાગ્ય એના સબધથી વિધાતાની સૃષ્ટિ સફૂલ થા. રુકૃમિણી ઉત્પન્ન થયા પછી બાને ઘડવા એ ઉચિત છે. હે દયાનિધિ ! મારા પતિ વજ્રાસ્વામી છે અન્યથા મારે અગ્નિ શરણ છે એવી પ્રતિજ્ઞા લેવામાં કુશળ આ કન્યાને તમે પરણા. કલ્પવૃક્ષના પુષ્પરસના સ્વાદમાં લુબ્ધ બનેલી ભ્રમરીની જેમ આપની આકાંક્ષાથી એણે કેટલા વાને ના નથી પાડી ? અર્થાત્ જેટલા વા આવ્યા તેટલા બધાને ના પાડી છે. આપ સર્વાંથી અધિક રૂપવાળા છે અને આ પણ
૧. બીજા અર્થમાં રુમિણી એટલે સ્ત્રી. વજ્ર એટલે બાળક. સ્ત્રી ઉત્પન્ન થયા પછી બાળકને ઉપન્ન કરવા એ ઉચિત છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૫ રૂપથી રતિને જીતનારી છે. તેથી હે સ્વામી ! સુવર્ણમાં રત્નો સંગ કરીને મારા મનને ખુશ કરે પુત્રીના કરવિમોચન સમયે આપને અસંખ્ય ગુણોને આધાર એવું સુવર્ણ અનેક ક્રેડ આપીશ. શ્રી વાસ્વામીએ કહ્યુંઃ શું અજ્ઞાની પણ કઈ ચારિત્રના સામ્રાજ્યને છોડીને સંસારની આધીનતાને ઈરછે? ભેગે સર્પની ફણું સમાન (ભયંકર) છે. સંસારનું સુખ વિષસમાન છે. લક્ષમી અને શ્રી સંસારસુખનું મૂળ છે.
આથી વિવેકી પુરુષ તેને કેમ આદર કરે? ચારગતિવાળા સંસારમાં પરિભ્રમણનું કારણ અને કિપાકફલ સમાન વિષયમાં કોણ રાગ કરે? હે ધનજે તારી કન્યા મારા વિષે ગાઢ અનુરાગવાળી હોય તે હમણું મને પ્રિય એવા સંયમને આશ્રય લે. નાશ પામવાના સ્વભાવવાળા, અતિશય અકાળ રહેનારા અને સંસારવૃદ્ધિનું કારણ એવા આ સંગોથી શું? જેમાં અનંતસુખ આવે છે=મળે છે તેવા મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. ઈત્યાદિ આચાર્યની દેશનારૂપી અમૃતના સિંચનથી રુકમિણીની મેહપીડા શાંત થઈ ગઈ અને એથી તેણે તે જ વખતે ચારિત્ર લીધું. આકાંક્ષા કરતા હાથમાં વજ લેવો એ (રુકમિણી માટે) યે.ગ્ય છે, અન્યથા આ રુકમિણી મેહરૂપી પર્વતને કેવી રીતે છેદી શકત. તે વખતે શ્રી વજસૂરિની દેશનાના સારથી સંવેગરૂપ અંકુરોથી દેદીપ્યમાન થયેલા કયા
ક્યા ભવ્યરૂપી ક૯પવૃક્ષો દીક્ષારૂપી ફળને ન પામ્યા? અર્થાત્ તેમની દેશના સાંભળીને અનેક એ દીક્ષા લીધી.
આ તરફ લબ્ધિના સાગર શ્રી વજસૂરિએ સંઘના કાર્ય માટે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞા અધ્યયનમાંથી ઉદ્ધાર કર્યો. જેનાથી મનુષ્યક્ષેત્ર સુધી જઈ શકાય તેવી આ આકાશગામિની વિદ્યા કેઈને પણ આપવા ચોગ્ય નથી એમ શ્રી વાસ્વામીએ સંઘને
૧. સંસારમાં અજ્ઞાન લેકે સુવર્ણમાં અનેક ગુણ રહેલા છે એમ માને છે. આ અંગે એક કવિએ કહ્યું છે કે...
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डित: स श्रुतिमान् गुणश: ।
स एव वक्ता स च दर्शनीय., सर्व गुणाः काञ्चनमाश्रयन्ते ॥१॥ જેની પાસે ધન છે તે મનુષ્ય અકુલીન હોય તે પણ કુલીન કહેવાય છે, બુદ્ધિહીન હોય તે પણ બુદ્ધિશાળી કહેવાય છે, શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે પણ શાસ્ત્રજ્ઞ કહેવાય છે, ગુણોનું ભાન ન હોય તે પણ ગુણજ્ઞ કહેવાય છે, બોલતા ય ન આવડતું હોય તે પણ વક્તા કહેવાય છે, કુરૂપવાળો હોય તે પણ દશનીય કહેવાય છે કારણ કે બધા ગુણ સેનાને આશ્રય લે છે.
૨. અહીં કવિની કલ્પનાને ભાવ આ પ્રમાણે છેઃ- મોહરૂપી પર્વત વજથી જ છેદાય. સમિણીએ . આકાંક્ષાવાળા પિતાના હાથમાં વજન ( =વજરિને) લીધે તો તે મોહરૂપી પર્વતને છેદી શકી, અર્થાત તે વજસ્વામીને વરી તે એનો મોહ દૂર થયે, જે તે વજીસ્વામીને ન વરી હતી તે તેને આ રીતે વજસ્વામીની દેશના સાંભળવા ન મળત અને એથી તેને મેહ દૂર ન થાત. આથી તેણે વજને - હાથમાં લીધે વજીસ્વામીને વરી તે સારું થયું.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શીલેાપદેશમાલા ગ્રંથના
કહ્યું. સ્વયં ઉદ્ધૃત કરેલી અને જભકદેવાએ પણ આપેલી આકાશગામિની વિદ્યાના કારણે ( સંહિતમાં ) પ્રયત્નશીલ અને મહાભાગ્યશાલી એવા શ્રીવસૂરિના સ`ઘમાં પ્રભાવ ઘણા વચ્ચેા. જાણે જંગમ વિદ્યાસાગર હોય તેવા શ્રી વસૂરિ પૂર્વ દેશામાં વિહાર કરીને ક્રમથી એકવાર ઉત્તરદિશામાં ગયા. ત્યાં પ્રજાને સંતાપ પમાડનાર ભયકર દુકાળ પડ્યો. તેથી સદ્દે યુગપ્રધાન શ્રી વજ્રસૂરિને વિનતિ કરી તે આ પ્રમાણેઃ- અહીં સેકડો રાંક મનુષ્યારૂપી શિયાળાથી વ્યાપ્ત દુકાળરૂપી જંગલમાં કેવળ સુધારૂપી રાક્ષસીના મંત્ર જાગતા રહે છે. તે મંત્રથી પીડાયેલા ઘણા બાધવાળા પણુ ધનિકાએ ધર્મક્રિયા અને કુલાચારની મર્યાદાઓને છેાડી દીધી છે. લેાકેા ચેાગીની જેમ શરીરનું ઉત્કૃષ્ટ ધ્યાન કરે છે, પણ પરમાત્માનું દર્શન થતાં પરમ હર્ષ પામતા નથી. જેમ ઢહીંનાં પાત્રામાં બિલાડાએ તૂટી પડે તેમ કૂતરાએ લાકડીએ ઉપાડવા છતાં ભિક્ષાચરોની ભિક્ષા ઉપર તૂટી પડે છે.
સાધુએ ભિક્ષા માટે આવે ત્યારે પણ ભવ્ય જીવેા બારણાં બંધ કરી દે છે, અને એમ કરીને સ્વર્ગગતિના પણ બારણાં બંધ કરી દે છે. આથી હું નાથ! આપ આવા સંકટમાંથી સ`ધના ઉદ્ધાર કરવાને ચાગ્ય છે, અર્થાત્ આપે સંઘના ઉદ્ધાર કરવા જોઈએ. કારણકે જેમ રાહણુ પર્યંત રત્નાના નિધાન છે. તેમ આપ લબ્ધિના નિધાન છે. સંઘની આ વિનતિને સાંભળીને આચાર્ય મહારાજે વિચાયુ` કે, સંઘના કાર્ય માટે વિદ્યાના ઉપયોગ દોષ માટે થતા નથી. પછી સૂરિઓમાં ચક્રવર્તી અને તપેાનિધિ એવા શ્રી વજ્રસૂરિએ ચર્મરત્ન જેવું ઉત્કૃષ્ટ અને વિશાળ પટ વિકવ્યુ. તે પટ ઉપર સ'ધની સાથે સ્વયં બેસીને ગચ્છને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ શ્રી વજ્રસૂરિએ આકાશમા ગામિની વિદ્યાના ઉપયાગ કર્યાં. જાણે રૂપી ચાગ હાય તેવા પટ જાણે મેાક્ષમામાં ભવ્યજીવાની મુસાફરીને બતાવતા હાય તેમ આકાશમાં ચાલ્યો. સૂરિના મુખ્ય શય્યાતર દત્ત નામના બ્રાહ્મણ ગાયા ચરાવવા માટે ગયા હતા. તે તે જ વખતે ઘરે આવ્યા.
શ્રી વાસ્વામીને સંઘ સહિત આકાશમાં જતા જોઈને ધર્મના જાણકાર તે બ્રાહ્મણે મસ્તકના વાળ કાપીને ઊંચી દૃષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું:- હે યતીશ્વર ! હું તમારા શય્યાતર છું, અને હવે સાધર્મિક થયા છું. તેથી અનાથ મને છેડીને આપ કેમ જાએ છે ? તેનું કથન સાંભળીને અને કાપેલા વાળને જોઈને દશ પૂધર અને ધીર શ્રી વજ્રસૂરિએ આ ( નીચેના ) સૂત્રાને યાદ કર્યું": “ જેએ સાધર્મિકવાત્સલ્યને ધારણ કરનારા, સ્વાધ્યાયમાં તપુર, પ્રભાવક અને ચારિત્રમાં ઘમાળા હોય તેમને સ શક્તિથી તારવા જોઇએ.” તેથી સૂરિએ શય્યાતરને પટમાં બેસાડ્યો. પછી જેમ પવનથી વાદળ ચાલે તેમ પટ ચાલ્યેા. આકાશમાં દેવાથી વંદાતા, સંઘના મનને ખુશ કરતા અને પટના વાહનવાળા શ્રી વસૂરિ મહાપુર નામના નગરમાં ગયા. સુલભભિક્ષાવાળા તે પ્રદેશમાં સોંઘ શ્રી વસૂરિની કૃપાથી વિઘ્ન રહિત બનીને ધર્માં કાર્યોને સાધવા લાગ્યા.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ગુજરાતી ભાવાનુવાદ
ત્યાં જૈન શ્રાવકે અને બૌદ્ધ ઉપાસકે ધર્મક્રિયામાં પરસ્પર સ્પર્ધા કરતા હતા. વિરુદ્ધધર્મ વૈરનું કારણ છે. ત્યાં ઘણા એકઠા થયેલા જૈન શ્રાવકોએ લોકોને આનંદકારી મહાપૂજા વગેરે ઉત્સવોથી બૌદ્ધોને જીતી લીધા. જેમ દુર્જન બીજાની સ્તુતિને નિષેધ કરે તેમ બૌદ્ધભક્ત રાજાએ જૈનોને યુપે આપવા માળીઓને નિષેધ કર્યો. જેમ ભવ્ય જીવ (ભારી કર્મોના કારણે) ધર્મસામગ્રીને ન પામે તેમ જૈન શ્રાવકે રાજાએ નિષેધ કર્યો ત્યાર પછી સુલભ પણ પુષ્પો ઝેડે ધનથી પણ મેળવી શકતા ન હતા. તેથી ધનાઢ્ય શ્રાવકે જાણે પાંચવર્ણવાળાં પુષ્પો હોય તેવાં રત્નથી અને કપૂર વગેરે સુગંધી પદાર્થોથી સમાધિપૂર્વક પૂજા કરતા હતા. આ પ્રમાણે શત્રુઓને જીતી લીધા હોવા છતાં વિશેષ ઉત્કર્ષને મેળવવાની ઈચ્છાવાળા શ્રાવકે પુષ્પો લાવવાને ઉપાય વિચારવા લાગ્યા. હવે શાસનને પ્રિય એવા સાંવત્સરિક પર્વમાં શ્રાવકેએ પુષ્પપૂજા કરવાની ઈચ્છાથી શ્રી વજસૂરિને વિનંતિ કરી. તે આ પ્રમાણે કૃત્રિમ પુષ્પોથી કરેલી પૂજા કેવી શોભાને પામે? ક્યાંય રતનના ભજનથી તૃપ્તિ થતી નથી. હે સ્વામી! આપના જેવા લબ્લિનિધાન ગુરુ વિદ્યમાન હોવા છતાં જો અમે આનંદ ન પામીએ તે નક્કી ઘરમાં તેજસ્વી મણિ હોવા છતાં તે મણિ અંધકારના પરાભવને પામે એના જેવું થાય. તેથી પુપે મેળવીને સંઘને હર્ષવાળા કરે.ચંદ્ર સિવાય બીજો કણ કુમુદ્વતી ને (=ચંદ્રવિકાસી કમળની વેલડીને) હર્ષવાળી (=વિકાસવાળી) કરે ?
આ પ્રમાણે સંઘે વિનંતિ કરી તેથી વિદ્યાને ઉપયોગ પ્રભાવનાનું કારણ છે, એમ વિચારીને શ્રી વજાસૂરિ પક્ષીની જેમ આકાશમાં ઉડ્યા. પલકારામાં માહેશ્વરીનગરીમાં પહોંચીને હુતાશનદેવના બગીચામાં ગયા. ત્યાં પિતા ધનગિરિને મિત્ર તડિત નામનો માળી મળે. પૂર્વ દિશામાં થયેલા સૂર્યના પ્રકાશે જાણે મિત્રના કારણે પ્રકાશ છે, અર્થાત્ મિત્રના વિના જીવનમાં પ્રકાશ નથી, એમ સૂચન કર્યું. સવારે શ્રી વજસૂરિને આવેલા જોઈને માળીએ ભક્તિથી વંદન કર્યું. પછી તેણે કહ્યુંઃ આપના મુખનાં દર્શનથી હું ખુશી થયે છું, પણ મારું શું કામ છે તે ફરમાવે. તેથી શ્રી વજાસૂરિએ કહ્યું: સંઘના મોટા કાર્ય માટે હું પુષ્પો લેવા માટે આવ્યો છું. જેમ રેહણ પર્વત રત્ન આપવા માટે સમર્થ છે તેમ પુષ્પો આપવા માટે તું સમર્થ છે. માળીએ કહ્યુંઃ અહીં દરરેજ વિસલાખ પુષ્પ થાય છે. આથી હમણું ઈરછા મુજબ પુપ લઈને મને કૃતાર્થ કરો.
સૂરિરાજ પુપોને જલદી તૈયાર રાખ એમ તેને કહીને પોતે વ્યાકુલતા વિના લઘુ હિમવંત પર્વત ઉપર ગયા. સિદ્ધ થઈ ગયેલા ગુણોથી યુક્ત શ્રી વજસૂરિ ત્યાં શાશ્વત ચૈત્યને નમીને લહમીદેવીના કમલવનથી અલંકૃત દ્રહ પાસે ગયા. હૃહ રાજહંસના સમૂહથી વ્યાપ્ત હતું. તેમાં ગુંજારવ કરતી ભ્રમર શ્રેણિનું ગાયન થઈ રહ્યું હતું. સૂરિએ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શીલપદેશમાલા ગ્રંથને તે દ્રહમાં લક્ષમીદેવીનું પાણીમાં રહેલું મણિમય કમળ જોયું. પદ્યદેવની પૂજા કરવાની ઈચ્છાથી એક કમળ લઈને લક્ષમીદેવી જઈ રહી હતી, તેટલામાં શ્રી વાસ્વામીને જોઈને તે વિનયપૂર્વક નમી. પછી તેણે આજ્ઞા ફરમાવે એમ કહ્યું. શ્રી વજસૂરિએ આશીર્વાદ આપીને તેના હાથમાં રહેલું હજારપત્રવાળું કમળ તેની પાસે માગ્યું. જે આપને જરૂર હોય તે આ ઇંદ્રવનમાંથી બીજાં લાખો કમળો આપને આપુ એમ કહીને તેણે તે કમળ સૂરિને આપ્યું. સૂરિ લક્ષમીદેવીએ આપેલું કમળ લઈને પાછા વળીને ફરી હુતાશન વનમાં આવ્યા. દેવની જેમ સુવર્ણ-રત્નમય વિમાન વિકુવ્યું. તેને પુષ્પોથી ભરીને તેના ઉપરના ભાગમાં લક્ષમીદેવીનું કમળ મૂકયું.
છત્રની નીચે બેસે તેમ તે પદ્યની નીચે પોતે બેઠા. આથી તારામંડલથી શેભા પામેલા ચંદ્રની જેમ તેઓ અતિશય શોભા પામ્યા. જેમ પોતપોતાના વિમાનમાં રહેલા દેવો ઇંદ્રની સેવા કરે, તેમ તત્કાલ સ્મરણ માત્રથી આવેલા દેદીપ્યમાન જંભકદેવો સૂરિની સેવા કરવા લાગ્યા. સંઘના હર્ષને કરતા એવા સૂરિ વાગી રહેલા વાજિંત્રના મહાન વનિથી આકાશને બહેર કરી દેનાર, ગન્ધર્વ અને કિન્નર દેથી વ્યાપ્ત અને ઘુઘરીઓના સમૂહથી યુક્ત એવા શ્રેષ્ઠ વિમાનમાં બેસીને લઘુ હિમવંત પર્વતથી મહાપુરીનગરી તરફ જલદી ચાલ્યા. રત્નકાંતિથી આકાશને વ્યાપ્ત કરનાર વિમાનને જોઈને બૌદ્ધોએ વિચાર્યું કે નક્કી આ બૌદ્ધદર્શનને પ્રભાવ છે. બૌદ્ધો પિતાની ઘણી ઋદ્ધિની સાથે અને સઘળી સામગ્રી સહિત એકઠા થયા, તથા ઊંચા મુખવાળા થઈને જેમ ઊંચા વૃક્ષના ફલને જુએ તેમ વિમાનને જેવા લાગ્યા, તેટલામાં તે વિમાન જિનમંદિરોમાં ગયું. ઉપર જેતા બૌદ્ધો આ જોઈને તુરત જાણે કાજલના રસથી લેપાયેલા હોય તેવા શ્યામ થઈ ગયા. જેનેએ તે પર્યુષણ પર્વની આરાધના મહોત્સવપૂર્વક તેવી રીતે કરી કે જેથી તેઓ વધતા આનંદથી પૂર્ણ થઈ ગયા અને દેવે પણ આશ્ચર્ય પામ્યા. તે વખતે જેમને ઉદ્યમ અતિશય નિષ્ફળ થયે છે તેવા બૌદ્ધો શ્રી વજસૂરિરૂપી સૂર્યના તેવા પ્રભાવને જોઈને ઘુવડ જેવા થઈ ગયા. જિનચૈત્યમાં પુષ્પ સમૂહની અતિશય સુગંધથી આકાશમાં ભમતા ભમરાઓ જાણે બૌદ્ધોના અપજશે હોય તેમ શોભ્યા. શ્રી વાસ્વામીની પ્રતિભાના તેજથી રાજા અને સર્વ પ્રજાના અજ્ઞાનરૂપી અંધકારસમૂહને નાશ થયે. અને એથી તે બધા જિનેશ્વરના ભક્ત બન્યા. મહાપુરી નગરીમાં જ પ્રતીરછક આર્યરક્ષિત મહામુનિને શ્રી વજસૂરિએ સાડા નવ પૂર્વે જલદી ભણાવ્યા હતા.
આ પ્રમાણે સ્થાને સ્થાને અદભુત પ્રભાવનાને કરતા શ્રીવાસૂરિએ ક્રમે કરીને દક્ષિણદિશામાં વિહાર કર્યો. એકવાર ઓચિંતી કફની તકલીફ થઈ ત્યારે શ્રીવાજસૂરિ ભજન પછી લઈશ એમ વિચારીને શુંઠના ગાંઠિયાને કાન ઉપર મૂક્યો. ભોજન કર્યા પછી સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર શ્રીવાજસૂરિ કાન ઉપર તે જ પ્રમાણે રહેલા શુંઠના ગાંઠિયાને ભૂલી ગયા. રાતે આવશ્યકવેળાએ મુહપત્તિથી અથડાચેલે શુંઠને ગાંઠિયે ખટ એવે
Page #138
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૯ અવાજ કરતે નીચે પડ્યો. અત્યારે તેમને તે ગાંઠિયે યાદ આવ્યું. આથી તેમણે વિચાર્યું કે, ધિક્કાર છે મને! મને પ્રમાદ બાધા કરે છે. તેથી શરીરનો ત્યાગ કરીને પરભવને સાધું. આ તરફ બારવર્ષને દુકાળ પડતાં (=બાર વર્ષને દુકાળ પડશે એમ જ્ઞાનથી જાણીને ) શ્રીવાજસૂરિએ વસેન નામના શિષ્યને ત્યાંથી બીજા સ્થળે વિહાર કરાવ્યો. દુકાળ પડયા બાદ ભિક્ષાને ન પામતા અગીતાર્થ સાધુઓ શ્રીવાજસૂરિએ (વિદ્યાના બળથી લાવીને) આપેલા આહારનું ભજન કરતા હતા. એકવાર શ્રીવાજસૂરિએ ગીતાર્થ સાધુઓને કહ્યું કે, આ દુકાળ ચક્કસ બાર વર્ષ સુધી રહેશે, તેથી બળેલા (= સુકાઈ ગયેલા ) શરીર માટે સંયમને બાધા પહોંચાડવાથી સર્યું. તેથી કઈ તીર્થમાં જઈને અનશન. આદિથી પ્રાણેને ત્યાગ કરીએ આ પ્રમાણે વિચાર કરીને શ્રીવાજસૂરિ તે જ વખતે કેટલાક સાધુઓની સાથે તત્કાલ કર્મક્ષય કરનારા એક પર્વત પાસે આવ્યા. આ વખતે એક બાલમુનિએ અનશન સ્વીકારવા માટે શ્રીવાજસૂરિને કહ્યું. શ્રીવાજસૂરિએ ના પાડી. તે પણ તે બાલમુનિ છેતરીને (=સાધુઓને ખબર ન પડે તે રીતે) ત્યાં આવ્યા. આથી શ્રીવાજસૂરિ તે બાલમુનિને દયાથી (= બાલમુનિને દુઃખ ન થાય એ હેતુથી) પરાણે એક ગામમાં મૂકીને પોતે ગિરિ ઉપર આરૂઢ થયા.
- બાલમુનિએ વિચાર્યું કે જો હું પર્વત ઉપર જઈશ તે ગુરુને અસમાધિ થશે. મારા ઉપર જવાથી ગુરુને અસમાધિ ન થાઓ એમ વિચારીને બાલમુનિ સ્વયં અનશન સ્વીકારીને પર્વતની નીચે રહ્યા. ઇંદ્રિયસમૂહને કાબૂમાં રાખનારા અને સૂર્યના તાપથી તપી ગયેલા તે બાલમુનિ માખણની જેમ ઓગળી ગયા અને સ્વર્ગમાં ગયા. બાલમુનિની શરીરના સંસ્કાર કરવા માટે દેવેને આવતા જોઈને સાધુઓએ શ્રીવાજસૂરિને દેવેના આગમનનું કારણ પૂછ્યું. શ્રીવાજસૂરિએ બાલમુનિના કાળધર્મની વાત કહી. મુનિઓએ બાલમુનિની પ્રશંસા કરી. તે આ પ્રમાણે –આ સાધુની બુદ્ધિ સારી છે કે જેથી તેમને પાછળ મૂક્યા હેવા છતાં અમારાથી આગળ થઈ ગયા. તેથી અમે સુખના હેતુઓમાં હજી પણ પ્રમાદ કેમ કરીએ છીએ? એમ વિચારીને તેમણે ગુરુની સાથે અનશનને સ્વીકાર કર્યો. તે વખતે કઈ મિથ્યાષ્ટિ દેવીએ શ્રાવિકાનું રૂપ કરીને સાધુઓને માદક બતાવીને કહ્યું કે, પારણું કરે. અહીં મિથ્યાષ્ટિ દેવીને અવગ્રહ છે એમ જાણીને શ્રી વજસૂરિ તે પર્વતને છેડીને અન્ય પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં સમ્યગ્દષ્ટિ દેવીને અવગ્રહ હોવાથી સમાધિથી અનશન પાલીને બધા સાધુઓ સ્વર્ગમાં ગયા. તેમણે જ આ વૃત્તાંત ઇંદ્રને જણાવ્યું. આથી ઈ જલદી ત્યાં આવીને રથમાં બેસીને પર્વતને ચોતરફ પ્રદક્ષિણા આપી. ત્યાં રથના ઠેકાવાથી ભાંગી ગયેલાં વૃક્ષે આજે પણ છે. ત્યારથી તે પર્વત “રથાવત” એવા નામથી પ્રસિદ્ધ થયા. સ્વયં ઈંદ્રે તેમની અંતિમ ક્રિયા કરી. પછી ચિતાઓમાં સુવર્ણની બનાવેલી સ્તુપણિ સ્થાપી. શ્રી વજીસ્વામીની મૂર્તિની પુષ્પ વગેરેથી પૂજા કરીને અને સ્તુતિ કરીને તેમના ગુણેના ધ્યાનથી પૂર્ણ બને ઇંદ્ર સ્વર્ગમાં ગયે.
G.
Page #139
--------------------------------------------------------------------------
________________
શીલોપદેશમાલા ગ્રંથનો
- આ તરફ મૃતરૂપી સાગરને પાર પામેલા અને ગુરુની હિતશિક્ષાને આધીન બનેલા શ્રી વાસેનમુનિ સે પારકનગર આવ્યા. ત્યાં શ્રાવકેમાં શ્રેષ્ઠ જિનદત્ત નામના શેઠ હતા. તેમની જિનધર્મમાં કુશલ ઈશ્વરી નામની પત્ની હતી. તેમને ધર્મકાર્યોમાં કુશળ એવા ચાર પુત્રો હતા. તેમનાં ચંદ્ર, ઉદ્દેશિક, નાગેન્દ્ર અને વિદ્યાભત એ પ્રમાણે નામે હતાં. વિવેદી તે બધા અનાજના અભાવથી આપણું કદાચ અપમૃત્યુ થાય એવી શંકાથી ઝેર ખાઈને આરાધનાપૂર્વક પ્રાણ ત્યાગ કરવાની ઇચ્છાવાળા હતા. દૂર ન કરી શકાય તેવા દુકાળથી ક્ષીણ થઈ ગયેલા એમણે (ખીરની અંદર ઝેર મેળવીને તે ખીરનું ભોજન કરવું એવા ઈરાદાથી) એક લાખ રૂપિયાથી ખીરની થાળી મેળવી. અર્થાત્ એક લાખ રૂપિયા ખર્ચીને એક થાળી જેટલી ખીર બનાવી. પણ તેમાં હળ ઝેર નાખ્યું ન હતું. તેટલામાં શ્રી વજસૂરિની શિક્ષારૂપી અમૃતથી પૂર્ણ બનેલા અને ભિક્ષા માટે ગયેલા શ્રી વજા સેન મુનિ જાણે તેમનાં કર્મોએ જ લાવ્યા હોય તેમ તેમના ઘરે આવ્યા. પિતાને ધન્ય માનતી ઈશ્વરીએ મુનિની આગળ આવીને કહ્યું: સારું થયું, સારું થયું, મહાભાગ્યથી આપ સમયસર અહીં પધાર્યા. આ ખીર હજી સુધી વિષથી મિશ્રિત કરી નથી. આ ખીરને ગ્રહણ કરીને અમને ભવરૂપી સમુદ્રથી તારે. તેથી શ્રી વજસૂરિની હિતશિક્ષાને યાદ કરીને મહાત્માએ આ પ્રમાણે કહ્યુંઃ નિરર્થક મૃત્યુ ન પામે. કારણ કે સવારે સુકાળ થશે. તે વખતે સુકાળનું આ જ નિશ્ચિત લક્ષણ કહીને મને જ્ઞાનકુંજ શ્રી વજસૂરિએ અન્ય દેશમાં મોકલ્યું હતું. આ પ્રમાણે તેમના વચનથી તે બધા અપમૃત્યુથી નિવૃત્ત થયા. સવારે અન્ય દેશમાંથી અનાજનાં ઘણાં વહાણે આવ્યાં. આથી સુકાળ થયે. તે ચારેય શ્રેષ્ઠિપુત્રોએ બોધ પામીને મોક્ષ મેળવવાની ઈચ્છાથી ચારિત્રને સ્વીકાર કર્યો. તેમણે ચાર ગછો સ્થાપ્યા અને તે ચાર ગચ્છો તેમના નામથી પ્રસિદ્ધ બન્યા. આથી આ વાસેન નામની શાખા આજે પણ પ્રવર્તે છે આ પ્રમાણે પ્રભાવક પુરુષે વિષે મસ્તકના મુગુટ સમાન અને લબ્ધિના સાગર શ્રી વાજસૂરિ સ્વર્ગ સ્થાનમાં ગયા ત્યારથી ભરતક્ષેત્રમાં ચોથા સંઘયણને અને દશમા પૂર્વને વિચ્છેદ થયા. [૪૨] શીલ પાલનની શક્તિથી સ્ત્રીઓ પણ પૂજ્ય છે એમ ઉપદેશ આપે છે –
पालंती नियसील, ठावंती सुद्धधम्ममग्गमि ।
रहनेमि मुणिपि जए, पुजा राईमई अज्जा ॥४३॥ ગાથાર્થ – પિતાના શીલને પાળતી અને રથનેમિ મુનિને પણ શુદ્ધધર્મમાર્ગમાં સ્થાપન કરતી આર્યા રામતી જગતમાં પૂજ્ય બન્યા.
ટીકાર્ય - શ્રી નેમિનાથે દીક્ષા લીધી ત્યાર પછી શ્રી નેમિનાથ સિવાય બીજા પુરુષે પ્રત્યે રાગથી રહિત બનેલી શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીએ મૈથુન સેવન માટે ચતુરાઈ ભરેલા સેંકડે ખુશામત વચને બોલવામાં વાચાલ મુખવાળા શ્રી નેમિનાથના
૧. લાખ રૂપિયા આપીને ખીરનું ભોજન તૈયાર થાય એ.
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૧ લઘુબંધુ રથનેમિને પ્રતિબધ કરીને વ્રતની દઢતામાં જોડ્યા. પરૂપ ધનવાળા આવા શ્રી રામતી સાધવજી સંસારમાં પૂજ્ય બન્યા.
શીલપાલન જ રીઓની મહત્તાને જણાવે છે. કહ્યું છે કે-“શીલ જીવતું હોય= વિદ્યમાન હોય તે કુલ, આ લોક-પરલોક એ બન્ને લેક અને યશ જીવતા રહે છે. આથી સ્ત્રીઓને શીલરક્ષા જ પ્રાણથી પણ અધિક ઈષ્ટ છે. આ પ્રમાણે ગાથાનો અર્થ છે. કથા તે પહેલાં જ કહી દીધી હોવાથી અમે અહીં કહેતા નથી. [૩] શીલનું અસાધારણ પાલન કરવાથી ગૃહસ્થ પણ અતિશય ઉત્કૃષ્ટ છે એમ જણાવે છે –
ते धन्ना गिहिणोवि हु, महरिसिमझंमि जे उदाहरणं ।
निरुवमसीलवियारे, पावंति पसिद्धमाहप्पा ॥४४॥ ગાથાર્થ – નિરતિચાર બ્રહ્મચર્યવ્રતની પરીક્ષામાં પ્રસિદ્ધ પ્રભાવવાળા બનેલા જેઓ મહર્ષિઓની મધ્યે દાંતને પામે છે, એટલે કે મહામુનિઓના બ્રહ્મચર્ય વ્રત સંબંધી દઢતાની પ્રશંસા કરવાના અવસરે વખણાય છે, તે ગૃહવાસમાં રહેતા હોવા છતાં કૃતકૃત્ય જ છે.
ટીકાથ - પ્રાણીઓનું શીલ જ ઉત્તમ ભૂષણ છે. કહ્યું છે કે-“અધર્યનું ભૂષણ મધુરતા (=ભાષામાં મીઠાશ) છે, પરાક્રમનું ભૂષણ વાણીને સંયમ છે, રૂપનુ ભૂષણ ઉપશમ (=વિરાગભાવ) છે, શ્રતનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ પાત્રમાં દાન છે, તપનું ભૂષણ સમતા છે, સમર્થનું ભૂષણ ક્ષમા છે, ધર્મ ભૂષણ મીન છે, પણ શીલ બધાઓનું સર્વ કાલ માટે નિયત થયેલું ઉત્તમ ભૂષણ છે.” [૪૪] ઉક્ત અર્થ જ દષ્ટાંતથી દઢ કરે છે -
सीलपभावपभाविय-सुदंसणं तं सुदंसणं सहूँ ।
कविलानिवदेवी हिं, अखोहियं नमह निचपि ॥४५॥ ગાથાર્થ - શીલના પ્રભાવથી જૈનશાસનને પ્રભાવિત કરનાર અને કપિલદાસી તથા (અભયા) રાણથી ચલિત નહિ કરાયેલા તે સુદર્શન શ્રાવકને તમે સદાય પ્રણામ કરે.
1 ટીકાથ- વ્રતમાં દઢ હોવાથી ગૃહસ્થ પણ સાધુની જેમ નિરંતર નમસ્કાર કરવા યેગ્ય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ દષ્ટાંતથી જાણ. દષ્ટાંત આ પ્રમાણે છે
સુદર્શનનું દૃષ્ટાંત અંગદેશની પૃથ્વીરૂપી વેણીમાં ચૂડામણિ સમાન અને આકાશમાં ઘેરાયેલા વાદળોમાં રહેલી વિજળીની જેમ શોભતી ચંપા નામની નગરી હતી. તેમાં દધિવાહન રાજા ઇંદ્રની
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શીલપદેશમાલા ગ્રંથને જેમ રાજ્ય કરતું હતું. તેને યશ ક્ષીરસમુદ્રના દૂધ જે ઉજજવલ અને કલેશથી રહિત હતું. તેની અભયા નામની પત્ની હતી. તેના લાવણ્યરૂપી સમુદ્રે યશથી ઉજજવલ રાજાને અદ્દભુત રીતે આસક્ત કર્યો હતો. તે નગરીમાં વૃષભદાસ નામને શ્રાવક હતા. : તેની જિનધર્મમાં જ પ્રેમવાળી અહદાસી નામની પત્ની હતી. તે શ્રાવકનો શુભ ભવિષ્ય
વાળ અને ભેંસનું પાલન કરનારે સુભગ નામને કર હતે. તે શેઠની ભેંસને વનની ભૂમિમાં ચરાવતે હતે. એકવાર મહા મહિને સાંજના ઘર તરફ પાછા ફરેલા તેણે રસ્તામાં વસ્રરહિત મુનિને કાયોત્સર્ગમાં રહેલા જોયા. ઘરે આવવા છતાં ઘણા હિમની વર્ષોમાં કષ્ટથી રહેલા તે સાધુનું જ ધ્યાન ધરતા દયાળુ તેણે કષ્ટથી રાત્રિ પસાર કરી. પછી વેળાસર ઉઠીને મેં એને આગળ કરીને જતા એવા તેણે મુનિને તે જ પ્રમાણે કાયેત્સર્ગમાં રહેલા જોયા. મુનિને નમીને ક્ષણવાર ત્યાં જ મુનિની પાસે બેઠે. તેટલામાં તેના પુણ્યના બીજની જેમ સૂર્યને ઉદય થયે. તેથી જાણે બીજો સૂર્ય ન હોય તેવા તીવ્ર તેજવાળા ચારણમુનિ નામે અરિહંતાણું એમ કહીને જલદી આકાશમાં ઉડ્યા. નમો અરિહંતાણં પદને આકાશગામિની વિદ્યાને મંત્ર સમજતા તેણે એ પદને નિર્મલ મોતીના હારની જેમ હૃદયમાં ધારણ કર્યો. જેમ કામી પુરુષ પ્રિય પતનીના નામનું રટણ કરે તેમ આ રાત-દિવસ ચાલતાં, બેસતાં, સૂતાં, જાગતાં, ઘરે અને બહાર તે પદનું જ રટણ કરતું હતું. એકવાર શેઠે તેને પૂછયું જેમ દરિદ્ર પુરુષ દુર્લભ નિધાનને મેળવે તેમ તે દુર્લભ આ પદ ક્યાંથી મેળવ્યું. આકાશગામિની વિદ્યાને જ મંત્ર મેં મેળવ્યો છે એમ કહીને તેણે તેની પ્રાપ્તિને વૃત્તાંત કહ્યો. શેઠે તેને કહ્યું: આ વિદ્યા કેવળ આકાશમાં જવામાં કુશળ છે એમ નહીં, કિ, સ્વર્ગ અને મેક્ષનું પણ કારણ છે એમ તું જાણુ, અથવા ત્રણ લોકમાં જે કંઈ દુર્લભ છે તે બધું આ પદથી કામધેનુની જેમ સુલભ થાય છે તેથી અમે હમણું તને ગુણ પ્રમાણે નામવાળો સુભગ માનીએ છીએ. પણ આ વિદ્યા તે અપવિત્ર હોય ત્યારે ન જપવી. આ પ્રમાણે આશ્વાસન આપીને (=સમજાવીને તેને સંપૂર્ણ નમસ્કાર ભણવ્યું. જેમ નિર્ધન પુરુષ નિધાનને પામીને સારી રીતે ગ્રહણ કરે તેમ તેણે નમસ્કારને સારી રીતે ગ્રહણ કર્યો. હવે તે નિરંતર નમસ્કાર મંત્રનું પરાવર્તન કરવા લાગ્યા. ક્રમે કરીને મુસાફરો માટે યમસમાન વર્ષાકાળ આવ્યું. મેઘે પૃથ્વીને બધી તરફ કેવળ સમુદ્રરૂપ કરી ત્યારે સુભગ ભેંસને લઈને જલદી વનમાં ગયો. તે વખતે સે નદીને જલદી તરીને બીજાના ખેતરમાં પેઠી. મારા સ્વામીને ઠપકો ન આવે એમ વિચારીને આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરતે તે ઝંપ લગાવીને નદીમાં પડવો. ખીલાથી વિંધાયેલો તે મૃત્યુ પામ્યું. નમસ્કાર મંત્રના પ્રભાવથી સારા સપનાથી સૂચિત થયેલ તે જેમ રાજહંસ માનસ સરોવરમાં આવે તેમ અહંદીની કુક્ષિમાં અવતર્યો. તે બાળકના ગર્ભમાં આવ્યા પછી ત્રીજા મહિને અહં દાસીને ધર્મમય દેહલા થયા. શેઠે
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩ તે દેહલા પૂરા કર્યા. સમય થતાં અહદાસીએ સર્વ અંગોમાં શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. શેઠે ઉત્સવપૂર્વક તેનું સુદર્શન એવું નામ કર્યું. પુણ્યથી થનારી ઋદ્ધિ માતા-પિતાના મનેરની સાથે વધી. સુદર્શને સઘળી કળાઓ જાણે પૂર્વે શિખેલી હોય તેમ જલદી ગ્રહણ કરી લીધી. ક્રમે કરીને યૌવનને પામેલા વિવેકી એવા તેને પિતાએ મનોરમા નામની કન્યા પરણવી. બીજના ચંદ્રની જેમ સર્વને આનંદ આપતે સુદર્શન લેકમાં અને રાજવર્ગમાં ઘણે માન્ય બન્યા.
આ તરફ જેમ વસંતઋતુને કામદેવની સાથે પ્રીતિ છે તેમ તેને કપિલ નામના રાજપુરોહિતની સાથે પ્રીતિ થઈ. સદા પરસ્પર વાતચીતરૂપી અમૃતની વૃષ્ટિથી તે બેના અંતર ખુશ થતા હતા. રામ લક્ષમણ સમાન તેમના આ પ્રમાણે સુખપૂર્વક દિવસ પસાર થતા હતા. એકવાર કપિલા નામની પત્નીએ પુરોહિતને પૂછયું, હે સ્વામી! આપ આજકાલ સર્વ કાર્યોમાં ઢીલા કેમ જણાઓ છે? પુરોહિતે કહ્યું મારે સુદર્શન નામનો પ્રાણપ્રિય મિત્ર છે. તેની સાથે વાતચીતના સુખમાં મગ્ન બનેલા મને કંઈ પણ યાદ આવતું નથી. પત્નીએ પૂછ્યું એ કેણ છે? કેવો છે? પુરોહિતે કહ્યું: એ ઋષભદાસ શેઠને પુત્ર છે અને બહુ બુદ્ધિશાળી છે. આકાશમાં તારાઓની જેમ તેના રૂપ, લાવણ્ય, સૌજન્ય, અને દાક્ષિણ્ય વગેરે કેટલા ગુણોનું વર્ણન કરી શકાય? હે ભદ્ર જેમ પવિનીએ (સૂર્યવિકાશી કમલની વેલડીએ) ચંદ્રને નથી તેમ તે ગુણનિધિ એને જે નથી અને સાંભળે પણ નથી, આથી તારે જન્મ વ્યર્થ છે. તેના ઉજજવલ પણ ગુણેને સાંભળીને કપિલાનું અંતર સુદર્શન પ્રત્યે આસક્ત બન્યું. આથી કપિલા તેને જેવાની ઈચ્છાથી ઉપાયને વિચારવા લાગી. એક દિવસ પુરોહિત રાજાજ્ઞાથી એકાંતમાં આવેલા કઈ ગામે ગયે. ત્યારે કામથી વિહલ બનેલી કપિલા સુદર્શનના ઘરે ગઈ. તેણે સુદર્શનને કહ્યું : આજે તમારા મિત્રના શરીરે સારું નથી તેથી ઘરે આવીને સુદર્શન રૂપી અમૃતવાળી દષ્ટિથી તેમને સંતોષ પમાડે. મિત્ર પ્રેમથી તે પણ તે વખતે તેના ઘરે જલદી ગ. મારો મિત્ર ક્યાં છે એમ તેણે પૂછ્યું. તે બેલી ભય વિનાના સ્થાનમાં છે. જેમ કએં પ્રમાદીને નિગદમાં લઈ જાય તેમ કપિલા સુદર્શનને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ કામાસક્ત તેણે એકાંતમાં શૃંગારિક ચેષ્ટાઓ દ્વારા સુદર્શન પાસે વિષયસુખની માગણી કરી. બારણું બંધ કરીને અને કેડનું બંધન ઢીલું કરીને નિર્લજપણે ગમે તેમ બોલી. તત્કાલ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તેણે સ્મિત કરીને તેને આ પ્રમાણે કહ્યુંઃ હે ભદ્ર! સારથી રહિત આ સંસારમાં યુવાનીનું ફળ આ (=વિષયસુખ) જ છે. " પણ વિધાતાએ મને નપુંસક બનાવીને વિડંબના પમાડી છે. તેથી તે સ્ત્રી ! જેમ ભૂખે થયેલે મુસાફર તાડવૃક્ષના ફલની અભિલાષામાં બ્રાન્તિ પામે છે. તેમ તું આ પુરુષપણને આકાર ધારણ કરનાર મારામાં બ્રાતિ પામી છે. પછી લજજા પામેલી કપિલાએ જાઓ જાઓ એમ કહીને સુદર્શનના મરથની સાથે બારણાને ખેલ્યું. બંધનથી મુક્ત
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શીલપદેશમાલા ગ્રંથને થયેલાની જેમ જલદી નીકળીને સંસારને તૃણસમાન વિચારતા સુદર્શનશેઠ સીધા રસ્તે ઘરે ગયા. આ પ્રસંગ બનવાથી રાક્ષસીસમાન સ્ત્રીઓથી ગભરાયેલા સુદર્શન શેઠે હવે પછી બીજાના ઘરમાં ન જવું એવો નિર્ણય કર્યો. જાણે આગ હોય તે, સદા ધર્મ ધ્યાનમાં તત્પર અને આત્માને કાબૂમાં રાખનાર સુદર્શન શેઠ સર્વ કાર્યો દેષ ન લાગે તે રીતે કરતા હતા.
એકવાર દધિવાહન રાજા પુરોહિતની સાથે સુદર્શનને લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયે. પછી જેમ ઇદ્રાણી ઇદ્રની પાછળ જાય તેમ કપિલાની સાથે વાહન ઉપર બેઠેલી અભયા રાણી દધિવાહન રાજાની પાછળ ગઈ. આ તરફ તે સમયે જાણે ગુણોથી સામ્રાજ્યની લક્ષમી હોય તેવી અને છ પુત્રોથી યુક્ત એવી સુદર્શનની પત્ની પણ રસ્તામાં ચાલી રહી હતી. તેને જોઈને કપિલાએ પટરાણી અભયાને વિસ્મયપૂર્વક પૂછયું: છ રસની જેમ છ પુત્રોથી યુક્ત આ નગર શ્રી કેશુ છે? અભયાએ કહ્યું છે બ્રાહ્મણી! તું આને પણ કેમ નથી ઓળખતી ? જાણે ઘરની લક્ષમી હોય તેવી આ આ સુદર્શનની પત્ની છે. ફરી કપિલાએ સ્મિત કરીને પૂછ્યું: જો આ સુદર્શનની પત્ની હોય તે જેમ ઈક્ષને ફળની પ્રાપ્તિ ન થાય તેમ આને પુત્રે ક્યાંથી થાય? અભયા બેલીઃ હે બહુ બોલકી ! આવું સંબંધ વગરનું કેમ બેલે છે? કારણ કે પુત્ર પ્રાપ્તિનું લક્ષણ રાજા અને રંક એ બંનેમાં સમાન હોય છે. કપિલા બોલી. તેનામાં પુરુષપણું નથી, અર્થાત્ ને નપુસક છે. આ સાંભળીને અભયા બેલી: હે ચપલા ! એકસ તે એને ક્યાંક જોયો છે, સત્ય કહે. અભયાએ આ પ્રમાણે પૂછયું એટલે કપિલાએ સુદર્શન નને નપુંસકપણાનો વૃત્તાંત પહેલેથી કહ્યો. તેથી અભયાએ કહ્યું- હે મૂઢ! ચક્કસ તું છેતરાણી છે. ધર્મી સુદર્શન પરસ્ત્રીમાં નપુંસક છે, સ્વીમાં નહિ. પવિનીને સંકેચ કરતે ચંદ્ર શું દોષ આપવા લાયક છે ! પછી અભયા જેમ વાનરી ઉપર હસે તેમ કપિલા ઉપર હસી. વિલખી બનેલી કપિલાએ શરમપૂર્વક ધીમા અવાજે કહ્યું: મૂઢ હું તે તેનાથી નપુસકપણાના દંભથી છેતરાણી, પણ તારી ચતુરાઈ હું તે જ જાણું કે જો તું સુદર્શનની સાથે કામક્રીડા કરે. ગર્વથી કપિલાના વચનનો સ્વીકાર કરીને રાણીએ કહ્યું- હે સખી! જે એમ હોય તો મેં એની સાથે સહેલાઈથી કામક્રીડા કરેલી જ છે એમ તું જાણુ. કારણ કે અનેક રાજકન્યાઓથી ચલિત ન કરાયેલે પણ આ રાજા મારા વડે ભવાંરૂપી લતાના કટાક્ષથી બાળવા નરની જેમ ભમાડાવાય છે. રાગ વિનાના પણ તાપસ રીઓ વડે કામક્રીડા કરાવાયેલા છે, તે પછી સદી ઈચ્છા પ્રમાણે સ્ત્રીસંગ કરનારા આ સુદર્શનનું તે શું કહેવું? વૃક્ષ એકેંદ્રિય હોવા છતાં કટાક્ષોથી વિકસિત બને છે, તે પછી પંચેંદ્રિય અને કુશળ એવા આ સુદર્શનને #ભ પમાડવામાં કેટલે શ્રમ કરવો પડે? જે હું એની સાથે કામક્રીડા ન કરું તે મારે અગ્નિમાં પ્રવેશ કર એમ પ્રતિજ્ઞા કરતી અભયારણી ઉદ્યાનભૂમિમાં આવી. લાંબા કાળ સુધી ઉદ્યાનની સંપત્તિને સફળ બનાવીને અભયા અને કપિલા સાંજે પિોતપોતાના ઘરે ગઈ.
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૫ હવે રાણીએ એક જ મનવાળી પંડિતા નામની પિતાની ધાવમાતા આગળ પિતાની પ્રતિજ્ઞાને તે જ વખતે કહી. ધાવમાતાએ કહ્યું હે પુત્રી! તે આ સારું વિચાર્યું નથી. કારણકે તું હજી પણ મહાત્માઓની ધૈર્યશક્તિને જાણતી નથી. સામાન્ય પણ જિનેશ્વરભગવાનને શ્રાવક પરસ્ત્રી સોંદર હોય છે, સુદર્શનની તે સવમર્યાદા સ્પષ્ટપણે હદ વિનાની છે. જેની બુદ્ધિ સદા ગુરુસેવા અને ધર્મધ્યાનમાં એકતાન બની ગઈ છે એવા સુદર્શનની સાથે કામક્રીડા કરવાનું તે દૂર રહ્યું, પણ તેને અહીં લાવવાનું પણ અશકય છે. કયે બુદ્ધિશાળી મૃગતૃષ્ણાનું પાણી પીવાની પ્રતિજ્ઞા કરે? કો બુદ્ધિશાળી સસલાના શિંગડા લેવાની ઈચ્છાથી જંગલમાં ભમે? તે પ્રમાણે આ સુદર્શના શીલનો ભંગ કરવામાં રૂ૫ અને સૌભાગ્યના ગર્વથી ક માણસ પ્રયત્ન કરવાની ઈચ્છા કરે? રાણીએ ફરી આગ્રહપૂર્વક કહ્યું હે માતા ! તું એને એકવાર અહીં લઈ આવ, પછી હું તને બીજા કેઈ કામમાં નહિ જોડું. વિચારીને પંડિતાએ કહ્યું : જે તારે આ નિશ્ચય છે તે તેને લાવવાને ઉપાય મેં વિચારી લીધું છે. એ પર્વદિવસે શૂન્યઘર વગેરે સ્થળે કાયેત્સર્ગ કરે છે. ત્યારે જ તેને લઈ જવો, બીજી રીતે તેને સંગ થઈ શકે તેમ નથી. અભયા બેલીઃ સારું, સારું, અતિથી વિભૂષિત હે પંડિતા! તું યથાર્થ નામવાળી છે. એથી તારે આ ઉપાય કર. પંડિતાએ “હા” એમ કહ્યું. પછી પંડિતા સુદર્શનના માપ જેટલી કામદેવની પ્રતિમા રાજમહેલમાં લાવે છે અને પાછી લઈ જાય છે. આમ કરતી તેણે પહેરીગરોને વિશ્વાસવાળા કર્યા.
આ તરફ કોમુરી પર્વના દિવસે ક્રીડા કરવા માટે રાજાએ પટહની ઘોષણા કરાવીને પ્રજાને ઉદ્યાનમાં બોલાવી. તે દિવસે સુદર્શન શેઠ માસીપર્વમાં ધર્મકાર્યો કરવાની ઈચ્છાથી રાજાને કહીને ઘરમાં જ રહ્યા. પંડિતાએ ત્યારે રાણીને કહ્યું: આજે તારે ઉદ્યાનમાં ન જવું, જેથી આજ તારી પ્રતિજ્ઞા સફલ થાય. આજે મને મસ્તકવેદના પીડા કરે છે એવા બહાનાથી રાણી રાજાને પૂછીને ઘરે રહી. સ્ત્રીઓ તાત્કાલિક બુદ્ધિના બળવાળી હોય છે. સુદર્શન દિવસે દેવપૂજાદિ કાર્યો કરીને રાતે પૌષધ લઈને શુન્ય ઘરમાં કાયત્સર્ગમાં રહ્યા. ત્યારબાદ પંડિતાએ સુદર્શનને ગુપ્તપણે વાહનમાં નાખીને અભયાને સોંપ્યા. ગુપ્તપણે સુદર્શન શેઠને લઈ જતી પંડિતાને દ્વારપાળોએ રોકી નહિ. ધારણ કરેલા શંગારરૂપી બાણના ભાથામાંથી જેણે ભ્રકુટિરૂપી બાણ ખેંચ્યું છે એવી અને જેણે કટાક્ષરૂપી બાણ તૈયાર કર્યું છે એવી અભયાએ સુદર્શન શેઠને પિતાનું લક્ષય કર્યું. તેણે કહ્યું કે, હે ભદ્ર! તમે જે અતિશય દુષ્કર તપ કર્યો છે તે આજે તમને ફળે છે. .
આ જ્જને મૂકી દે. હવે હર્ષ પામીને ઈષ્ટને કરો. આ પ્રમાણે હાસ્યવચન બેલતી તેણે અનેક પ્રકારની વિકારવાળી ચેષ્ટાઓ કરી. પછી કામાતુર થયેલી તેણે સુદર્શન શેઠને - ૧. અહીં એક સ્થળે “ભદ્ર એ પ્રમાણે સંબોધન કર્યું છે, બીજા સ્થળે “ ધૃષ્ટ” એ પ્રમાણે સંબોધન કર્યું છે. આ વિરોધાભાસ છે. આથી મેં અનુવાદમાં “ ધૃષ્ટ' સંબોધનને ઉલેખ કર્યો નથી.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શીલેપદેશમાલા ગ્રંથને છાતીમાં લઈને સર્વ અંગમાં આલિંગન કર્યું. તે વખતે સુદર્શન શેઠ વિશેષથી ધ્યાનમાં ૨હ્યા. શું પ્રલયકાળના પ્રચંડ પવનથી મેરુપર્વત ચલિત થાય છે? અભયાએ ફરી કહ્યું : હે ધૂર્ત! તું મને તારી આગળ કેટલું નચાવીશ? કામરૂપી હાથીથી ભય પામેલી હું તારા શરણે રહેલી છું. તેથી તારા માટે ઘણા કાળ સુધી ખેદ પામેલી મારી ઉપેક્ષા ન કર. મૂખ પણ કર્યો માણસ ફેગટ (=મહેનત વિના) મળેલા અમૃતને ત્યાગ કરવાની ઈચ્છા કરે? ધીર સુદર્શને બુદ્ધિથી વિચાર્યું કે, જે હું આ સંકટથી મુક્ત થઈશ તે કાર્યોત્સર્ગ પારીશ, અન્યથા મારે અનશન છે. આ પ્રમાણે પ્રાર્થના કરતી પણ અભયાને સુદર્શન શેઠે સહેલાઈથી તિરસ્કારી નાખી. હવે ગુસ્સે થઈને ચંડીદેવી જેવી બનેલી અભયા સુદર્શન શેઠને બીવડાવવા માટે તત્પર થઈ. તેણે કહ્યું કે, તારા જ્ઞાનને ધિક્કાર છે. તું મને જાણતા નથી. અમૃત એવી મારી અવજ્ઞા ન કર. માનવાળી તુષ્ટ થયેલી મને અમૃત જાણ અને રુઝ થયેલી મને વિષે જાણ. આ તીવ્રતાથી ચોક્કસ હું તારી યમદૂતી થઈ છું. ગુસ્સે થયેલી અને કુટિથી ભયંકર એવી અભયાએ ઈત્યાદિ રીતે સુદર્શન શેઠને બીવડાવ્યા. પણ સુદર્શન શેઠ વિશેષથી ધ્યાન અવસ્થામાં આરૂઢ થયા. શંકરના નેત્રોમાં રહેલા અગ્નિના સંગથી ચંદ્ર અમૃતનું ધામ બને છે.
પ્રભાત થતાં વિલખી બનેલી અને રોષથી વ્યાકુલ થયેલી અભયાએ નખ વડે પોતાના શરીરમાં ઉઝરડા કરીને બૂમ પાડી. આથી પહેરેગીરે સંભ્રમથી જલદી ત્યાં આવ્યા. તેમણે ત્યાં એકલા શાંત અને કાર્યોત્સર્ગમાં રહેલા સુદર્શન શેઠને જોયા. જેમ ચંદ્રની અંદર વિષના તરંગે ન હોય તેમ આ શેઠેમાં આ સંભવતું નથી. આથી તેમણે જલદી રાજાને જણાવ્યું. રાજા જાતે ત્યાં આવ્યો. અભયાએ આંખમાં આંસુ લાવીને ખલના પામતી વાણીવડે રાજાને કહ્યુંઃ હે દેવ ! હું આપને પૂછીને કેટલામાં અહીં આવી તેટલામાં જેમ ઓચિંતું કેળાનું ફલ આવીને પડે તેમ મેં આને મારી આગળ જે. આ દુટે મારી સાથે કામક્રીડા કરવાની ઈચ્છાથી કુશળ અને ખુશામતવાળાં વચને મને કહ્યાં. કામક્રીડા કરવાને નહિ ઇચ્છતી એવી મારા ઉપર એણે બલાત્કાર કર્યો અને મારા શરીરમાં નથી ઉઝરડા કર્યા. આથી મેં પોકાર કર્યો. શું અબળાઓમાં બળ હોય? જેમ દૂધમાં પોરા ન સંભવે તેમ આનામાં આ ચોક્કસ અસંભવિત છે એમ માનીને રાજાએ સુદર્શન શેઠને આ શું છે? એમ વારંવાર પૂછયું. અભયા રાણીની દયાથી સુદર્શન શેઠ કંઈ પણ બોલ્યા નહિ. કારણ કે પીલાત પણ શેરડીને સાંઠ મધુર રસ બહાર કાઢે છે. પરી ગમન કરનારા અને ચારોનું મૌન એ જ લક્ષણ છે એમ વિચારીને રાજાએ સુદર્શન શેઠમાં દેષની કલ્પના કરી. પછી રાજાએ ગુસ્સે થઈને રક્ષક પુરુષને આ પ્રમાણે આજ્ઞા કરી – આની વિડંબના કરીને અને એના દેશને નગરમાં જાહેર કરીને આને નિગ્રહ કર =એને શૂળી ઉપર ચડાવી દે. પછી રક્ષક પુરુષે એમને ઘેટાની જેમ વાળેથી
. અથવા મૂખ પણ કયો માણસ મળેલા અમૃતને નિરર્થક ત્યાગ કરવાની ઈચ્છા કરે?
Page #146
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૭ ખેંચીને બહાર લઈ ગયા. કહ્યું છે કે-યૌવનમાં અવશ્ય વિડંબનાઓ થાય છે. સુદર્શન શેઠના મસ્તકે કણેરની માળા અને કંઠમાં લીમડાની માળા પહેરાવી. શાહીથી મુખ કાળું કર્યું. લાલ ચંદનના રસથી શરીરે વિલેપન કર્યું. વષ્ય પુરુષને પહેરાવવામાં આવતા પોષાક પહેરાવ્યા. પછી ગધેડાની ઉપર બેસાડીને મસ્તક ઉપર સૂપડાનું છત્ર ધારણ કર્યું. પછી નગારાના અવાજ પૂર્વક અને આ સુદર્શન શેઠે અંતઃપુરમાં અપરાધ કર્યો છે માટે એને વધ કરવામાં આવે છે એવી ઘેાષણપૂર્વક એમને સુભટએ નગરમાં ફેરવવાનું શરૂ કર્યું. લોકો આ પ્રમાણે બોલવા લાગ્યા :- રાજાએ આ સારું ન કર્યું. આવા માણસમાં આ અપરાધ ન સંભવે. આ કુશીલ નથી. જે એ અપરાધી હોય તે એનું મે આવું ન હોય. અથવા એ શૂન્યઘરમાં (સુવે છે= ) કાત્સર્ગમાં રહે છે, એથી આમાં એના ભાગ્યને જ અપરાધ છે. બધું ધન આપીને પણ આ કેઈપણ રીતે જીવતે મુક્ત કરાશે કે કેમ એ પ્રશ્ન છે. નગરજને આ પ્રમાણે બોલી રહ્યા હતા અને હાહાકાર મચાવી રહ્યા હતા, તથા સજજને રડી રહ્યા હતા, ત્યારે સુદર્શન શેઠ પોતાના ઘરની પાસે આવ્યા. આ જોઈને સ્ત્રીઓમાં શિરોમણિ અને મહાસતી મને રમાએ મનમાં વિચાર્યું કે, હા હા, મારા સ્વામીમાં આ ઘટી શકે તેમ નથી. કારણ કે જે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય, અગ્નિમાંથી પાણી પ્રગટે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, તે પણ મારા સ્વામીમાં દેષ ન થાય. આ પ્રમાણે વિચાર્યા પછી મંદિરના ગભારામાં જઈને જિનપૂજા કરીને મહાસતી મને રમાએ કાર્યોત્સર્ગ કર્યો. તેણે શાસનદેને મનમાં કહ્યું કે, હે શ્રી જિનશાસનદેવ ! તમે સાંભળો. કલંક રહિત શ્રાવકને આ ઉપદ્રવ આવ્યો છે, જે તમે સાંનિધ્ય કરશે તે હું આ કાર્યોત્સર્ગને પારીશ, અન્યથા કુલીની એવી મારે અનશન છે. કાત્સર્ગમાં રહેલી તેણે આ પ્રમાણે દિવ્યવાણી સાંભળી - હે વત્સ ! ખિન્ન ન થા, અમે સાંનિધ્ય કરીશું. આ તરફ રક્ષક પુરુષોએ સુદર્શન શેઠને નગરમાં ફેરવીને શૂળી ઉપર ચઢાવ્યા. શુળી સુવર્ણકમળનું આસન બની ગયું. ફરી સુદર્શન શેઠને મારવા માટે રક્ષકપુરુષોએ તલવાર અને લાકડીઓના પ્રહાર કર્યા. પણ એ પ્રહારો કંઠમાં માળારૂપ, મસ્તકમાં મુગુટરૂપ, બે કાનમાં કુંડલરૂપ, બે બાહુમાં બાજરૂપ, બે પગમાં કડલારૂપ અને બે હાથમાં કંકણરૂપ બની ગયા. રક્ષકોએ આ આશ્ચર્ય જલદી રાજાને જણાવ્યું. રાજા હાથણી ઉપર બેસીને શ્રીસુદર્શન શેઠની પાસે આવ્યું. રાજાએ પશ્ચાત્તાપૂર્વક સુદર્શનશેઠને ભેટીને કહ્યું હે શ્રેષ્ઠી સારા ભાગ્યથી આજે તમે જીવતા જેવાયા છે. તમે પોતાના પ્રભાવથી જીવતા રહ્યા છે. જેની ધર્મવાસના શરીરના અંગેની રક્ષા કરી રહી છે, પુરુષોમાં શ્રેષ્ઠ તે મનુષ્ય દિવ્યશસ્ત્રને પણ બુઠું કરે છે. જે વિવેકહીને પુરુષ સ્ત્રીઓના વચનમાં વિશ્વાસ કરે છે તે પૃથ્વીમાં દધિવાહનરાજાની જેમ સંતાપનું ભાજન થાય છે.
૧. ઘોઘ7 = પ્રકર્ષથી ઉદય પામતા પ્રગટ થતા એમ શબ્દાર્થ છે. ' ૧૮
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શીલાપટ્ટેશમાલા ગ્રંથના
પરની વાણીથી મેં જે અપરાધ કર્યાં તેની મને ક્ષમા આપે।. આ પ્રમાણે ખાલતા રાજા સુદનશેઠને હાથણી ઉપર બેસાડીને ઉત્સવપૂર્વક પાતાના મહેલમાં લઈ ગયા. તે વખતે અતિશય હને વશ બનીને લેાકાએ મનારમાને આ પ્રમાણે કહ્યું; તમને મંગલાથી (=ઇચ્છિતની સિદ્ધિઓથી) વધાવીએ છીએ, તમે કાયાત્સગ ને પાશ પારો રાજાએ સ્નેહપૂર્વક વસ્ત્ર, માળા અને વિલેપનથી સત્કારીને સત્ય હકીકત પૂછી. તેણે પણ સત્ય કહ્યું. રાજા ખાલ્યા: હું શ્રેષ્ઠી ! તે તમાએ જ મારા ઉપર અકૃત્યના અભિષેક કર્યાં છે, અર્થાત્ તમાએ જ મને આ પાપ (=સુદનને શૂળી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી એ પાપ) કરાવ્યું છે. કારણ કે તે વખતે મે* તમને પૂછ્યું હતું છતાં તમે કંઇ પણ મેલ્યા નહિ. અભયારાણીને શિક્ષા કરવા માટે ગુસ્સે થયેલા રાજા પાસે સુદ નશેઠે રાજાના ચરણામાં મસ્તક લગાડીને રાણીના અભયની માગણી કરી, અર્થાત્ રાણીને અભયદાન આપવાની વિનંતિ કરી. સુદશનશેઠે કરેલી જિનધર્મની પ્રભાવનાને જાણીને રાજા ત્યારથી જૈનશાસનમાં રાગવાળા થયા. હવે રાજાએ અનેક લેાકેાથી પરિવરેલા સુઢ નશેઠને હાથીના સ્કંધ ઉપર બેસાડીને હર્ષોંથી તેમના ઘરે મેલ્યા.
અભયારાણી આ વૃત્તાંતને જાણીને જાતે ગળે ફ્રાંસા ખાઇને મરણ પામી. કારણ કે પોતે કરેલાં પાપા પેાતાના આત્મામાં જ આવે છે. પડિતા પાટલીપુત્રમાં દેવદત્તા વેશ્યાની પાસે જતી રહી. તેવાં પાત્રા માટે આવું જ સ્થાન યાગ્ય છે. તેણે દેવદત્તાની પાસે સુઇનશેઠના શીલનુ વણુ ન કર્યું.. દેવદત્તાએ કહ્યું: જો હું તેને નજરે જોઉં તા તેના શીલને જાણ્યું. સંસારથી વિરક્ત બનેલા સુદર્શનશેઠે દીક્ષા લીધી. એક ગામથી ખીજે ગામ વિહાર કરતા સુદર્શનમુનિને એકવાર પડિતાએ પાટલિપુત્રમાં તૈયા, પ`ડિતા (કપટથી) શ્રાવિકા થઈન, વંદન કરીને પારણાના બહાને મુનિને વેશ્યાના ઘરે લઈગઈ. કારણ કે સાધુએ સરળ હેાય છે. ખારણું બંધ કરીને મુનિને બાંધીને પ`ડિતાએ મુનિની કદÖના કરી. જેમ રત્નના દીપક પવનથી ચલિત ન થાય તેમ મુનિ ધ્યાનથી ચલિત ન થયા. સાંજે મુક્ત કરાયેલા વિરાગી મુનિ ઉદ્યાનમાં ગયા. પ્રતિમાને વહુન કરતા તે મુનિ સ્મશાનમાં કાર્યાત્સ માં રહ્યા. ત્યાં પણ વ્યંતરી થયેલી અભયા મુનિને જોઈને ગુસ્સે થઈ. પાતાનાથી કે અન્યથી થયેલું વૈર ક્લેશનુ કારણ છે. તેણે ગુસ્સે થઇને અનેક ઉપસર્ગાથી મુનિને હેરાન કર્યો, મહાત્માએ શુભધ્યાનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તે જ વખતે દેવાએ કેવલજ્ઞાનના મહિમા કર્યો. પછી મુનિએ (સુવર્ણ ના) કમળ ઉપર એસીને દેશના આપી. દેશનામાં મેાક્ષનુ* અસાધારણ કારણુ એવા સાધુધમ અને શ્રાવકધર્મની પ્રરૂપણાકરી. ઘણા ભવ્ય લોકાએ સાધુધમ ના અને શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. વ્યંતરી થયેલી અભયાએ પણ તે વખતે શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. વેશ્યા દેવદત્તા અને પંડિતા પણ આધ પામી. આ પ્રમાણે પૃથ્વી ઉપર વિહાર કરતા સુદર્શનમુનિ ભવ્યસમૂહના
Page #148
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૯ સંસારરૂપી સાગરથી ઉદ્ધાર કરીને અને શીલના અનુપમ પ્રભાવને ભુવનમાં સ્થાપન કરીને મેક્ષરૂપી લહમીના મસ્તકની માળા બન્યા. [૪૫] ચર પણ શીલગુણના પાલનથી સુગતિનું ભાજન બને છે એમ જણાવે છે – એ
जो अनायरओवि हु, निवभजापत्थिओवि नवि खुद्धो ।
सीलनियमाणुकूलो, स वंकचुलो गिही जयउ ॥४६॥ ગાથાથ – શીલ અને અભિગ્રહના પાલનમાં તત્પર બનેલ જે ચારથી જ આજીવિકા ચલાવતા હોવા છતાં અને રાજપત્નીથી પ્રાર્થના કરાયેલું હોવા છતાં ચલિત ન બન્યું તે ગૃહસ્થ વંકચૂલ જય પામે.
ટીકાથી – જય પામ એટલે સુગતિરૂપ ફલથી ઉત્કર્ષવાળો થાઓ. ચેરી માટે (રાજમહેલમાં) પ્રવેશ કર્યો હોવા છતાં અને રાજા સાથે વિરોધવાળી બનેલી પટ્ટરાણી (ભાગ માટે) પ્રાર્થના કરતી હોવા છતાં વંકચૂલે નિયમને અનુસરીને પટ્ટરાણીને તૃણની જેમ ત્યાગ કર્યો. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છે
વંકચૂલનું દૃષ્ટાંત જાણે પુણ્યરૂપી બીજેના અંકુર હોય તેવા ઘણી ઋદ્ધિવાળા લોકોથી સેવવા (=રહેવા) લાયક રથનુપૂરચક્રવાલ નામનું નગર હતું. તેમાં શત્રુઓને તપાવનાર વિમલયશ નામનો રાજા હતા. તેના પ્રતાપરૂપી સૂર્યની આગળ (આકાશમાં રહેલે) સૂર્ય કણ જેવો દેખાતે હતે. ઈંદ્રને ઈંદ્રાણીની જેમ અને શંકરને પાર્વતીની જેમ તેને મંગલકારી અસાધારણ કલાઓના આયરૂપ સુમંગલા નામની રાણી હતી તેની કુક્ષિમાં થયેલી વંકચૂલા નામની પુત્રી હતી, અને જાણે અગ્નિની જવાલા હોય તેવો દુર્નતિમાન વંકચૂલ નામનો પુત્ર હતો. જેમ ચંદ્રને રોહિણી પરણાવી તેમ યૌવનવયને પામેલા તેને પિતાએ મહાન રાજાની રૂપ અને ગુણોથી યુક્ત કન્યા પરણાવી. જેમ દુર્ગણે યશને બહાર કાઢે તેમ પિતાએ સંતાપ કરનાર, અસદ્દવર્તનવાળા અને ન્યાય માર્ગને નહિ જાણનારા તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. જેમ પાપબુદ્ધિ દુતિની જ સાથે જાય તેમ બાલરડાપાથી દાઝેલી પુત્રી પણ બંધુમેહથી તેની જ સાથે ઘરમાંથી નિકળી ગઈ. કેટલાક અંગરક્ષક અને પત્નીથી યુક્ત રીજ પુત્ર વંકચૂલ રાજાની જેમ ચાલ્યું. જેમ અજ્ઞાની વિડંબનાને પામે તેમ તે કઈ મેટા જંગલમાં ગયે. ત્યાં તેણે જાણે ભાલા અને ધનુષવાળા યમદૂત હોય તેવા ભિલેને જોયા. ભિલોએ કુમારને આકૃતિથી રાજા જાણીને આદરપૂર્વક નમસ્કાર કર્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. તેના વૃત્તાંતને જાણીને હર્ષ પૂર્વક ભિલેએ કહ્યું: “અમારી પલ્લિનો સ્વામી મૃત્યુ પામે છે તેથી તમે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શીલપદેશમાલા ગ્રંથને પસ્લિપતિ થાઓ. તેમના વચનને સ્વીકારીને વંકચૂલ તેમના સ્થાને ગયો. ત્યાં ભિલેની સેનાથી નમસ્કાર કરાયેલે તે પલિપતિ થયે. પાપકર્મોના ઉદયથી ભિલોની સાથે પૃથ્વીતલને લૂંટતે વંકચૂલ પિતાના પરાક્રમોથી અતિશય પ્રસિદ્ધિને પામ્યા. ક્યારેક સાથથી ભ્રષ્ટ બનેલા ચંદ્વયશસૂરિ બીજા છ સાધુઓની સાથે પૃથ્વી ઉપર વિચરતાં વિચરતાં તે સ્થાનમાં આવ્યા. આ તરફ પ્રવાસીઓને માટે યમસમાન વર્ષાકાલ આવ્યો ત્યારે વાદળોના સમૂહથી ઘેરાયેલું આકાશ સ્તનના ભારથી નમી ગયેલી જુવાન સ્ત્રીની જેમ શોભવા લાગ્યું. જેમ લુચ્ચા પુરુષે અપરાધોને ઉત્પન્ન કરે તેમ પૃથ્વીએ અંકુરને ઉત્પન્ન કર્યા. જેમ ધનુષ જીવાથી (=દોરીથી) સહિત થાય થાય તેમ રસ્તાઓ ચારે બાજુ જીવથી સહિત= જીવાળા થયા. હવે વિહાર કરવો અગ્ય છે એમ જાણીને ચંદ્રયશસૂરિ પલ્લિમાં આવ્યા. રાજપુત્રે હર્ષથી મહાત્માઓને વંદન કર્યું. મહાત્માઓએ ધર્મલાભરૂપ આશિષ આપીને વંકચૂલની પાસે વસતિ માગી. તેણે કહ્યું: તમે સ્થાનને સ્વીકારો અને ઈચ્છા પ્રમાણે રહે, પણ મારું એક વચન કરવું માનવું. હે પરમ જિનભક્તો ! તમારે મહેરબાની કરીને અમારી આગળ કોઈ પણ રીતે ધર્મોપદેશ ન કહે. તમે હિંસાથી રહિત ધર્મને ઉપદેશ આપે છે અને પાપાચરણ કરનારા અમારી દરરોજ હિંસા જ આજીવિકા છે. તે પ્રમાણે હો એમ સ્વીકારીને તેણે આપેલી વસતિમાં મહાત્માઓ રહ્યા. સ્વાધ્યાય વગેરે યુગોથી સમાધિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. સૂરિએ રાજપુત્રને કહીને ત્યાંથી વિહાર કર્યો. જે પ્રમાણે મેં કહ્યું હતું તે પ્રમાણે સૂરિએ પાળ્યું એવા વિચારથી હર્ષ પામેલો તે પદ્ધિની હદ સુધી વળાવવા ગયો. હવે પાછા વળતા તેને સૂરિએ મધુરવાણીથી કહ્યુંઃ તમારી સહાયથી અમે આટલા કાળ સુધી સુખેથી રહ્યા. આથી પ્રેમથી કંઈક ઉપકાર કરવાની ઈચ્છાવાળા અમે પણ આલોક અને પરલોકમાં શુભ ફળ આપનારા નિયમને આપવાની ઈચ્છા રાખીએ છીએ. તેણે કહ્યું- હે ભગવંત! હું તે નિયમોને કેવી રીતે પાળી શકીશ? સૂરિએ કહ્યુંઃ શક્તિ પ્રમાણે નિયમો લેવા. આમ છતાં અમારો આગ્રહ નથી. તે નિયમે આ પ્રમાણે છે :- (૧) કેઈવાર તું જ્યારે જીવને મારવા માટે તૈયાર થાય ત્યારે સાત પગલા પાછા હઠડ્યા પછી ઈચ્છા પ્રમાણે તું કરી શકે છે. (૨) તું જે ફલનું નામ ન જાણે તે ફલ તારે ન ખાવું. (૩) રાજાની પટરાણીને માતા સમાન ગણવી. (૪) જ્યારે પણ કાગડાનું માંસ ન ખાવું. અહા ! સારી રીતે પાળી શકાય એવા આ નિયમો પ્રયત્નથી પાળવા જોઈએ. આપની મોટી મહેરબાની એમ કહીને તેણે એ નિયમે સ્વીકાર્યા. ઘણા ગુણવાળા સૂરિએ બીજે વિહાર કર્યો.
હવે કઈવાર ગ્રીષ્મઋતુ આવતાં ભિલસેનાથી પરિવરેલો વંકચૂલ કેઈક ગામને લુંટવા માટે ત્યાંથી ચાલ્યો. તે ગામના લોકે પહેલેથી જ પલાયન થઈને ક્યાંક જતા રહ્યા હતા. ભૂખ્યા અને તરસ્યા થયેલા તેઓ બપોરે પાછા ફર્યા. પછી દીન મુખવાળા
Page #150
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૧ તેઓ કેઈક વૃક્ષની નીચે બેઠા. તૃષા અને સુધાથી વ્યાકુળ બનેલા કેટલાકે જંગલમાં ફરવા લાગ્યા. તેમણે ફળોથી નમી ગયેલા ઊંચા ક્રિપાઠવૃક્ષને જોયું. પરિણામને નહિ જાણનારા તેમણે તે વૃક્ષનાં ફળ ખાધાં. સૈનિકે વંકચૂલ માટે તે ફળે વંકચૂલ પાસે લઈ આવ્યા. અભિગ્રહને યાદ કરીને તેણે પૂછયું: આ ફલનું નામ શું છે? આ ફળ કેવું છે? તેમણે કહ્યું: હે દેવ ! તેનું નામ અમે જાણતા નથી. પણ તેની મધુરતા અદ્દભુત છે. તેણે કહ્યું: હું નહિ જાણેલું ફળ ખાતે નથી. ભિલે બેલ્યાઃ હે દેવ! સ્વસ્થતા હોય ત્યારે અભિગ્રહનો આગ્રહ રાખવો જોઈએ, પણ હમણાં પ્રાણના સંદેહમાં આ ફળ ખાવા જોઈએ. કારણ કે જીવતા રહેલાએ વારંવાર નિયમે લઈ શકશે. વંકચૂલે ધીરજથી કહ્યું. આમ ન કહેવું. કારણ કે “લમી ભલે નાશ પામે, માણે પણ ભલે ક્ષય પામે, પણ વચનથી જે સ્વીકાર્યું હોય તે સ્થિર રહેવું જોઈએ.” તે બધા ય પિતાની ઈચ્છા પ્રમાણે ફળો ખાઈને સૂઈ ગયા. એક સેવકે વંશૂલની દાક્ષિણ્યતાથી તે ફળે ન ખાધાં. વંકચૂલ સૂઈને મધરાતે ઉઠવો. પછી તેણે નોકરને ઉઠાડીને બધાને જલદી ઉઠાડ એમ કહ્યું. નેકરે બધાને ઉઠાડ્યા, પણ તે બધા કેઈરીતે ઉઠયા નહિ. આથી તેણે બધાને મુખ ઉઘાડીને જોયા છે તે બધા મૃત્યુ પામ્યા હતા. તેણે વંકચૂલને આ બિના જણાવી. તે પણ આ સાંભળીને વિસ્મય પામ્યું. પછી હર્ષ અને વિષાદથી સહિત તે હાથમાં તલવાર લઈને ત્યાંથી ચાલ્યો. ઘરે ગયેલા તેણે દીપકપ્રભાના સમૂહથી બારણના છિદ્રમાંથી પિતાની પ્રિયાને પુરુષ સાથે સૂતેલી જોઈ. આ જોઈને તે ગુસ્સે થયે. તેથી તલવાર ખેંચીને ઘરની અંદર પેઠે. બંનેને હણવાની ઈચ્છાવાળે તે જેટલામાં પ્રહાર કરવાને પ્રારંભ કરે છે તેટલામાં તેને નિયમ યાદ આવ્યું. આથી તે જલદી સાત પગલા પાછો ફર્યો તે પાછો ફરી રહ્યો હતે ત્યારે તેની તલવાર બારણામાં અથડાઈ. તલવારના ખટસ્કાર અવાજથી વંકચૂલા જાગી ગઈ. ઉઠીને તે સહસા બેલીઃ હે! તું કોણ છે? હે! અહીં તું કેણ છે? બહેનના સ્વરને જાણીને તેણે તલવારને પાછી ખેંચીને પૂછ્યું તે આ પુરુષને વેશ શા માટે પહેર્યો છે? સારી બુદ્ધિવાળી બહેને કહ્યુંઃ સાંજે નટે આવ્યા હતા. તેઓ નાટકમાં તારી હાજરીની અપેક્ષાવાળા હતા. આથી હું પુરુષને વેશ પહેરીને સભામાં બેઠી. કારણ કે જે એમ કહેવામાં આવે કે વંકચૂલ વગેરે ક્યાંક ગયા છે અને એથી પત્નિ શૂન્ય છે તે તારા શત્રુઓ પરાભવ કરે. આવું ન બને એ માટે મેં પુરુષને વેશ પહેર્યો. તે નાટકને =નટલેકેને) રજા આપીને હું બહુ મોડી ઘરે આવી. આળસના કારણે પુરુષને વેશ પહેરીને જ હું ભાભીની સાથે સૂઈ ગઈ. વંકચૂલે કહ્યું બહેન ! તે ગુરુએ ધન્ય છે કે જેમણે મારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી આ નિયમો આપ્યા. અજાણ્યા ફલના ત્યાગથી હું જીવતો રહ્યો અને એ રીતે મારો ઉદ્ધાર થયે. સાત પગલા પાછા -હઠીને ઘાતના નિયમથી પત્ની અને બહેનને મેં વાત ન કર્યો અને એ રીતે મારે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શીલપદેશમાલા ગ્રન્થને ઉદ્ધાર થયો. આથી જ આ મહાત્માઓ સ્વ–પરના તારક છે. અમને ધિક્કાર થાઓ. અમેએ તે વખતે સદા તેમની વાણું ન સાંભળી.
હવે વંકચૂલ પિતાને સહાય રહિત અને સંકટવાળો કલ્પીને ઘાસની જેમ પલીને ' મૂકીને ઉજજેની નગરી ગયો. બહેન અને પત્નીને કેઈ શેઠના ઘરે મૂકીને તે પોતે તે ચેરીથી જ ઈચ્છા મુજબ વિલાસ કરવા લાગે. ક્યાંય કેઈનાથી પણ નહિ ઓળખાયેલ અતિચતુર વંકચૂલ હંમેશાં જ ધનવાના ઘરમાં ખાતર પાડવા લાગ્યા. એકવાર તેણે આ પ્રમાણે વિચાર્યું – ધનવાળા વેપારીઓને ધિક્કાર થાઓ! તેઓ કેડિ જેટલા ધનના વ્યયની ભ્રાતિથી પુત્રોને પણ હણે છે. પારકા ધનને ઈચ્છતા ભિક્ષુક બ્રાહ્મણે પણ ઉપેક્ષા કરવા ગ્ય છે. જેઓ ડામાંથી પણ છે ચેરી લે છે તે સનીલોકે કેણ છે? અર્થાત્ તેમની તે વાત જ શી કરવી? જે વેશ્યાઓ શિષ્ટાચારવાળા લોકોને દ્વેષ કરવા ચોગ્ય છે, અને ધનની ઈચ્છાથી કેઢીઆઓને પણ કુબેર જેવા જુએ છે, તે વેશ્યાઓનું ધન શું કામનું? (આ ચિંતનને સાર એ છે કે વેપારી આદિને ત્યાં ચોરી નહિ કરવી જોઈએ.) જે ચોરી કરવી હોય તે રાજાને ત્યાં ચોરી કરવી જોઈએ. જેથી જે તેમાં સફળતા મળે તે જીવનપર્યત ચાલે તેટલું ધન મળે અને સફળતા ન મળે તે લાંબા કાળ સુધી યશ મળે. વર્ષાકાળમાં આ પ્રમાણે વિચારીને તે જંગલમાંથી ઘે લઈ આવ્યું. ઘની પુછડીએ વળગીને તે રાજમહેલની ઉપર ચઢ્યો. તેણે પાંચમી ક્ષણે રાજાના વાસભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં કઈ સુંદર સ્ત્રીએ તેને તું કોણ છે? એમ પૂછવું વંકચૂલે કહ્યું હું ચાર છું. તેણે ફરી પૂછ્યું: તું લેવાને ઈચ્છે છે? વંકચૂલે કહ્યું: મણિ અને રન વગેરે લેવાને ઈરછું છું. વંચૂલના રૂપમાં મુગ્ધ બનેલી તેણે કહ્યું તે ચરો બીજા જ છે કે જેઓ રત્ન વગેરેને ગ્રહણ કરે છે. પણ તું તો મારા ચિત્તને ચેરનારો હોવાથી દેખતાઓને ચેરનાર છે=આકર્ષી લેનાર છે. જે તું મારું કહેલું કરે તે તારા મનોરથને પૂરું. વંકચૂલે પૂછયું તું કોણ છે? તેણે કહ્યું હું રાજાની રાણી છું. મેં સૌભાગ્યના ગર્વથી રાજાને રેષવાળો કર્યો છે. તેથી જેમ નિર્ધન માણસ નિધાનની પ્રાપ્તિ થવાથી પિતાને સફલ બનાવે તેમ તે પોતાને સફળ બનાવ. રાજપની મારે ન ભોગવવી એવા અભિગ્રહને યાદ કરીને વંકચૂલે રાણીને કહ્યું: તું બધી રીતે મારી માતા છે. સ્મૃતિકારોએ પણ કહ્યું છે કે રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, પત્નીની માતા અને પોતાની માતાઆ પાંચ માતાઓ કહી છે. હે મૂખ! તને આધીન બનીને આવતી એવી મારી તું ઉપેક્ષા ન કર. રાણીએ વંકચૂલને આવું ઘણું કહ્યું છતાં ધીર તે જરાપણ ચલિત ન થયે. કામથી પીડિત થયેલી તેણે ફરી ક્રોધપૂર્વક કહ્યું. જે તું મને નથી ઈચ્છતો તે આજે તારા ઉપર યમ ૨ષે ભરાયે છે એમ સમજ. માટે જલદી ઉત્તરનો વિચાર કર, અર્થાત્ બરોબર વિચારીને ઉત્તર આપ. નીચેના માળમાં સૂતેલા રાજાએ જાતે આ બધું સાંભળ્યું. પિતાના શરીરને નખેથી ઉઝરડીને રાણીએ પિકાર કર્યો કે, અરે! કેઈર કે જાર
Page #152
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૩ એવા આ દુરાત્માએ અહીં પ્રવેશ કર્યો છે. આ સાંભળીને રાજ રક્ષકે હાથમાં તલવાર લઈને જલદી આવી ગયા. અરે! પકડે, પકડ, કયાં છે? ક્યાં છે? એમ બેલીને સુભટેએ કેલાહલ કર્યો. આ વખતે રાજાએ સુભટને આજ્ઞા કરી કે, મહાસત્ત્વવાળા તેને માર નહિ, પણ તેને કેદમાં પૂરી રાખ. રાજાએ રાણીના વૃત્તાંતને વિચારતાં વિચારતાં રાત્રિ પસાર કરી.
સવારે રાજસભામાં બેઠેલા રાજાએ ચેરને બોલાવીને બંધનથી છોડાવ્યો. તે પણ રાજાને નમીને રાજા આગળ બેઠે. રાજાએ તેને સૌમ્યદષ્ટિથી જોયો, અને પૂછયું જેમાં માણસ પ્રવેશ ન કરી શકે તેવા મારા મહેલમાં તું કેવી રીતે પેઠે ? ચેરોમાં વરસમાન વંકચૂલે કહ્યું- હે દેવ ! ખાતર પાડવાથી હું કંટાળી ગયો છું. ધનના મોહથી ઘોની પુછડીને વળગીને હું મહેલ ઉપર ચઢો. હે પ્રભુ! જેમ બિલાડી દૂધને જુએ તેમ ત્યાં મહારાણીએ મને જોયો. આપ ઈચ્છા પ્રમાણે મારો નિગ્રહ કરે. કારણ કે પોતે મેળવેલી વસ્તુને બીજાઓ કેવી રીતે લઈ શકે ? રાજાએ કહ્યું તારા સાહસથી હું તુષ્ટ થયો છું. આથી જ મારા વડે પટરાણુ તારા ઉપર પ્રસન્ન કરાવાઈ છે, અર્થાત્ મારી પ્રેરણાથી તે તારા ઉપર પ્રસન્ન થઈ છે. વંકચૂલ બેઃ હે દેવ ! પટરાણી નકકી મારી માતા છે. રાજાએ દેખાવથી ગુસ્સો કરીને રાજરક્ષકોને આજ્ઞા કરી કે, આ દુષ્ટ ચારને શુળી ઉપર ચઢાવીને મારી નાખે. તે પણ જેમ સમ્યગ્દષ્ટિ જીવ દુનથી ચલિત ન થાય તેમ ધીર તે ચલિત ન થયો. રાજાએ રક્ષકના નાયકને એકાંતમાં કહ્યું કે, સાહસિકમાં મુખ્ય આ ચેરની અવશય રક્ષા કરવી, અર્થાત્ તેને મારી ન નાખવો. નાયક તેના દોષની ઘોષણા કરવાપૂર્વક તેને નગરમાં ફેરવીને વધસ્થાને લઈ ગયો. તેની આગળ શુળી તૈયાર કરવામાં આવી. તે પણ ગુરુએ આપેલા અભિગ્રહને યાદ કરતા અને દઢ સવવાળા તેણે પટરાણીની ઈચ્છા ન કરી. તેને ફરી રાજાની પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ તેને પોતાના પુત્ર તરીકે સ્વીકારીને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો. વંકચૂલ પત્ની અને બહેનની સાથે ત્યાં સુખપૂર્વક રહ્યો. તેણે આ પ્રમાણે વિચાર્યું - હું ધન્ય છું, મારા જન્મ સફલ છે. હવે જે ફરી તે આચાર્યને જોઉં તે ઉત્તમધર્મને સ્વીકાર કરું. વંકચૂલ આ પ્રમાણે વિચારી રહ્યો હતો એ દરમિયાન એકવાર ત્યાં આચાર્ય પધાર્યા. તેણે ભાવપૂર્વક સૂરિને વંદન કર્યું અને ધર્મ સાંભળે. પછી શુદ્ધ બુદ્ધિવાળા તેણે અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, જીવદયા તત્વ છે, એ પ્રમાણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ત્યારબાદ વંકચૂલ ગીતાર્થ શ્રાવક થયે, સાધુ અને સાધર્મિક વગેરેને ભક્ત થયે અને જિનપૂજામાં તત્પર બને.
આ તરફ ઉજજૈની નગરીની પાસે શાલિગ્રામમાં જિનદાસ નામને શ્રાવક રહે હતા. તે વંકચૂલને પરમ મિત્ર થયે. એકવાર વંકચૂલે અતિશય મુશ્કેલીથી જીતી શકાય તેવા પલ્ટિપતિને યુદ્ધમાં હણી નાખે. પછી યુદ્ધમાં લાગેલા અનેક શસેથી જર્જરિત
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શીલપદેશમાલા ગ્રંથને, થયેલ તે ઘરે આવ્યું. ઉપાયો કરવા છતાં તેની પીડાથી તે ઘણે દુઃખી થયે. વૈદ્યોએ રોગનાશક કાગડાનું માંસ ખાવા માટે કહ્યું. રાજાએ આજ્ઞા કરી કે કાગડાને મારીને તેનું માંસ લઈ આવે. વંકચૂલે કહ્યું. મારે માંસભક્ષણનો સર્વથા ત્યાગ છે. રાજા બે હે પુત્ર! તું જીવતે રહીશ તે ફરી ફરી નિયમ થશે, પણ મરી જઈશ તે બધું જશે. તેથી માંસ ખા. રાજાનું કહેલું આ સાંભળીને વંકચૂલે સ્પષ્ટ કહી દીધું કે- જીવન જતું હોય તે ભલે જાય, પણ હું અકાર્ય તે નહિ કરું. તેથી વંકચૂલના મિત્રને
લાવવા માટે રાજાએ પિતાના માણસને શાલિગ્રામ મોકલ્યા. તેથી મિત્ર પ્રત્યે સ્નેહવાળો જિનદાસ પણ ઉજજેની તરફ ચાલ્યું. તેણે રસ્તામાં વૃક્ષની નીચે દિવ્ય અને તરુણ સ્ત્રીઓને રેતી જોઈ તેણે તેમને પૂછયું તમે અહીં શા માટે રડે છે? ઝીઓએ કહ્યું. અમે સૌધર્મ દેવલોકમાં રહેનારી દેવીએ છીએ, અને પતિથી રહિત છીએ. જે વંકચૂલ કાગડાનું માંસ ન ખાય તે અમારે પતિ થાય. હે ભદ્ર! તે જે હમણાં તમારા વચનથી માંસ ખાશે તે પતિ વિના અમે કેવી રીતે રહીશું. માટે અમે રહીએ છીએ. હું વંકચૂલને કાગડાનું માંસ ખાવાને ઉપદેશ નહિ આપું એમ દેવીઓને સમજાવીને જિનદાસ ઉજજેની ગયે. ત્યાં આદરથી વંકચૂલને મળે. વંકચૂલના શરીરને જોઈને જિનદાસે બધાની હાજરીમાં રાજાને કહ્યું કે, હવે એને ધર્મરૂપ ઔષધ જ આપવું એગ્ય છે. હવે એને ધર્મરૂપ ઔષધ આપવામાં વિલંબ ન કરવો જોઈએ. તેથી આરાધના કરીને, સાધર્મિક વગેરેમાં ધનનો ઉપયોગ કરીને, પુણ્યની અનુમોદના કરીને, દુષ્કતની ગહ કરીને, અને જીવો પ્રત્યે ક્ષમાપના કરીને ધર્મતત્વને જાણકાર વંકચૂલ સમાધિથી મૃત્યુ પામે. ધર્મને અનુકૂલ બુદ્ધિવાળે વંકચૂલ બાવીસ સાગરેપમ પ્રમાણ આયુષ્યવાળા બારમા અશ્રુત દેવલોકમાં ઉત્તમ દેવ થયે. તેની અગ્નિસંસ્કારની ક્રિયા કરીને ઘરે જતા જિનદાસે તે જ પ્રમાણે દિવ્ય યુવતીઓને રેતી જોઈ. તેણે તેમને પૂછયું: વંકચૂલને કાગડાનું માંસ આપ્યું નથી, તે તમે હજી પણ વિલાપની ચેણ કેમ કરે છે? તેમણે કહ્યું ત્યાં ગયેલા તમેએ તે પ્રમાણે કર્યું કે જેથી તે અમને ઓળંગીને ઉત્તમ બારમા દેવલેકમાં ગયે. ત્યારથી જિનદાસ પણ જિનધર્મમાં દઢ પરિણામવાળે થયે બુદ્ધિશાળી કે પુરુષ સારી રીતે જોયેલા ફળમાં સાક્ષીના મુખને જુએ? ગૃહસ્થ પણ વંકચૂલે રાણી વિષે અખંડ શીલનું પાલન કર્યું, અને એથી તે ઘણું સમૃદ્ધિને પામીને આલેકમાં અને પરલોકમાં પણ સુખને શ્રેષ્ઠ ભોક્તા થયે. [૪૬]
હવે ગૃહસ્થપણામાં મહાસતીઓના શીલપ્રભાવને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ચાર શ્લોકથી મહાસતીઓના જ ગુણની પ્રશંસા કરે છે –
अक्खलियसीलविमला, महिला धवलेइ तिन्निवि कुलाई । इह परलोएसु तहा, जसमसमसुहं च पावेइ ॥ ४७॥
Page #154
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૫
ગામ :- નિરતિચારપણે સુંદર રીતે ચેાથુ વ્રત પાળવાથી નિર્મલ બનેલી સ્ત્રી ત્રણે કુળાને પ્રસિદ્ધ કરે છે, આ લેાકમાં જશે પામે છે, (શીલપાલનના સામર્થ્યથી જ) પરલેાકમાં સ્વયં અને મેાક્ષ વગેરેનાં અસાધારણ સુખાને પામે છે.
ટીકા – ત્રણ કુલા=પિતૃકુલ, માતૃકુલ અને શ્વસુરકુલ, જશશીલને પ્રભાવ જોઈને લેાકાએ કરેલી પ્રશંસા. પ્રાકૃતભાષાના કારણે ‘ફ્રોડ્યુ’ એ સ્થળે દ્વિવચનનું બહુવચન થયું છે. (૪૭)
મહાસતીએનુ” સ્વરૂપ જણાવવા સાથે મહાસતીની પ્રશંસા કરે છેઃ
जा नियतं मुत्तं, सुक्मेकि न ईहए नरं अन्नं ।
आबाल भयारीण सा रिसीपि थवणिन्जा ॥ ४८ ॥
ગાથા :- જે સ્ત્રી પોતાના પતિને મૂકીને સ્વપ્નમાં પણ અન્ય પુરુષને ઈચ્છતી નથી તે આખાલ બ્રહ્મચારી મહર્ષિઓને પણ સ્તુતિ કરવા ચાગ્ય છે.
ટીકા :- જે સ્ત્રી જીવનપર્યં ́ત મન-વચન-કાયાની શુદ્ધિથી પેતાના પતિનુ જ ધ્યાન કરે છે તે મહાસતી છે, અને તેમના નિરતિચાર શીલગુણુની જન્મથી બ્રહ્મચારી એવા મહાત્માઓ પણ સ્તુતિ=પ્રશંસા કરે છે. (૪૮)
પરપુરુષને સેવનારી સ્ર મહાસતી નથી એમ જણાવે છે:परपुरिससेवणीओ, कुलरमणीओ हवंति जइ लोऐ । ता वेसादासीणं, पढमा रेहा कुलबहुसु ।। ४९ ॥
ગાથા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તેા વેશ્યાઓની કુલવધૂમાં પ્રથમ પક્તિ ગણાય, અર્થાત્ કુલવધૂની ગણતરી કરવામાં આવે તે વેશ્યાઓના પહેલા નબર આવે.
ટીકા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તે વેશ્યાએ પ્રથમ નબરની કુલવધૂએ ગણાય, અર્થાત્ વેશ્યા પણ કુલવધૂએ જ કહેવાય. કારણ કે સ્વચ્છ દપણે ભટકવામાં બંને સમાન અને, (૪૯)
સહજપણે નિંદનીય પણ શ્રીએ પ્રશંસનીય બને છે એનું કારણ જણાવે છે:तुच्छावि रमणिजाई, पसंसणिज्जा सुरासुरनराणं ।
विहिया महास,ि काहिँ वि अइविमलसीलाहिं ॥ ५० ॥
ગાથા :- તુચ્છ પણ સ્ત્રીજાતિને અતિનિર્મલશીલવ ંતી કેટલીક મહાસતીએએ દેવ, દાનવ અને માનવાને પ્રશંસનીય બનાવી છે.
૧૯
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શીલપદેશમાલા ગ્રંથને ટીકાથ: શીલપરીક્ષાના અવસરે ચમત્કારને ઉત્પન્ન કરનારી મહાસતીઓએ બીજાતિને ત્રણે જગતમાં પ્રશંસનીય કરી છે. તુરછ એટલે ગંભીરતાથી રહિત, સ્ત્રીઓનું તુચ્છપણું જગપ્રસિદ્ધ છે. આગમમાં કહ્યું છે કે- “સ્ત્રીઓ તુચ્છ, ઘણું ગવવાળી અને ધતિથી દુર્બલ હોય છે. આથી જે સ્ત્રીઓને દષ્ટિવાદ ભણાવવામાં આવે તે “હું દષ્ટિવાદ પણ ભણું છું' એમ ગર્વવાળી બનીને પુરુષનો પરાભવ થાય ઈત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ કરીને દુર્ગતિમાં જાય. આથી પરાનુગ્રહમાં પ્રવૃત્ત તીર્થકરેએ અતિશયવાળા “ઉત્થાનશ્રત' વગેરે અધ્યયન અને દૃષ્ટિવાદ સ્ત્રીઓને ભણવા માટે નિષેધ કર્યો છે.” (વિ. આ. ગા. ૫૫૨)
नियसीलमहामंतेण, पबलजलणं जलं कुणंतीए ।
सीलग्घोसणपडहो, अज्जवि झणहणइ सीयाए ॥५१॥ ગાથાર્થ – પિતાના શીલરૂપી મહામંત્રથી પ્રબલ અગ્નિને જલ કરતા શ્રી સીતાજીના શીલની ઉદ્દઘાષણ કર પટહ આજે પણ વાગી રહ્યો છે=જાણે કે આજે પણ તેના પડઘા પડી રહ્યા છે.'
ટીકાથ - શ્રી રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો. ત્યારબાદ શીલભંગની શંકાને દૂર કરવા શ્રી સીતાજીએ દેવ, દાનવ અને મનુષ્યની સમક્ષ બળતા ખેરના અંગારાવાળા ખાડામાં પ્રવેશ કર્યો. તે જ વખતે શીલના પ્રભાવથી ખાડામાં જલ પ્રગટ થયું. જલના પુરની ઉપર સુવર્ણકમળ તરવા માંડયું. શ્રી સીતાજી એ સુવર્ણકમળની કણિકા ઉપર બેસી ગયા. તે વખતે “ય જય” એવા શબ્દો થયા. જય જય એવા શબ્દોથી સીતાજીએ લેકના ઉદરને યશથી ભરી દીધો. આ પ્રમાણે ગાથાને સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આગળ કહેવામાં આવનારા શ્રી રાવણના ચરિત્રમાં પ્રગટ કરવામાં આવશે. (૫૧) શીલના પ્રભાવને અન્ય ચમત્કાર જણાવે છે:
चालणिधरियजलाए, संघमुहुग्घाडणं कुणतीए ।
चंपादारुघाडण-मिसेण नंदउ सुभद्दा सा ॥५२।। ગાથાર્થ – ચાલણીમાં પાણી ધારણ કરીને ચંપાનગરીના દ્વારને ઉઘાડવાના બહાને જેણે સંઘના મુખનું ઉદ્દઘાટન કર્યું=સંઘની પ્રભાવના કરી તે સતી સુભદ્રા દિર્ધાયુ બને.
૧, અથવા મૂળગાથામાં ઘણા એવું વચન સાનુકરણ અનુકરણવાળું છે. (કઈ “મહાનુભાવ” એ શબ્દ બોલે, તે સાંભળીને બીજો કોઈ માણસ “મહાનુભાવ” એમ બોલે તે તે શબ્દ સાનુકરણ= અનુકરણવાળા કહેવાય.) અર્થાત સીતાજીના શીલની ઉદ્ઘોષણા કરતો પટહ આજે પણ ઝહણે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૭
ટીકા :- શ્રી સુભદ્રાએ સૂતરના તાંતણાએથી માંધેલી ચાલણીથી કૂવામાંથી પાણી લઈને ચંપાનગરીના દરવાજા ઉપર છાંટયું. આથી દરવાજા ઉઘડી ગયા. આવી રીતે દરવાજા ઉઘાડીને શ્રી સુભદ્રાએ જૈનશાસનની પ્રભાવના કરી. આવી સતી સુભદ્રા દીર્ઘાયુ બને. અહીં કવિએ તેવી પ્રભાવના કરવાના કારણે શ્રી સુભદ્રા જાણે જીવતી હાય તેમ તેને અભિનદન આપ્યા છે. આ પ્રમાણે ગાથાના સક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અથ તા આ પ્રમાણે છેઃ
સુભદ્રાનું દૃષ્ટાંત
પૃથ્વીના આભૂષણુરૂપ વસંતપુર નામનું નગર હતું. તેમાં જાણે પુણ્યરૂપી અંકુરાએની શ્રેણિ હાય તેવી જિનમંદિરની શ્રેણિ શાભતી હતી. રૂપનું અભિમાન કરનાર જિતશત્રુ નામને રાજા તે નગરમાં શાસન કરતા હતા. જાણે આકાશ તેની તલવારની રેખારૂપ હતું અને તારાઓ તેમાં પુષ્પમાળારૂપ હતા. તે નગરમાં પ્રસિદ્ધવૈભવવાળા જિનદાસ નામના શ્રાવક હતા. તેના ગુણા બધાના હૃદયમાં હારની જેમ ક્રીડા કરતા હતા. તેની જિનમંતિ નામની પત્ની હતી. તે જૈનધર્મસંબધી પ્રેમના સાગર હતી, તત્ત્વની માલારૂપ હતી અને શીલથી શાભતી હતી. તે એની દ્રાક્ષા જેવી મધુરવાણી ખેાલતી સુભદ્રા નામની પુત્રી હતી. તેના લાવણ્યની સ્પર્ધાથી સમુદ્ર અપેય ( =ન પીવા લાયક ) થયેા. જેમ હસેા પદ્મિનીના (=કમળાની વેલડીના ) આશ્રય લે તેમ ગુણાએ તેના આશ્રય લીધા. ક્રમે કરીને તે યુવાનેાના મનને માહ પમાડનાર ચૌવનને પામી. યૌવનથી શાભતા અનેક મિથ્યાર્દષ્ટિએ સુભદ્રાની માગણી કરી, તા પણ જિનદાસ શેઠે જેમ કાગડાઓને ખીર ન અપાય તેમ મિથ્યાષ્ટિઓને સુભદ્રા ન આપી. એકવાર બૌદ્ધધમ માં કુશળ યુદ્ધદાસ નામના વિક ચંપાનગરીથી ત્યાં વેપાર કરવા માટે આવ્યા. કાઇવાર કાઈક કામ માટે બુદ્ધદાસ શેઠના ઘરે આવ્યા. સુંદર વસ્રોવાળી સુભદ્રાને તેણે જોઇ. તેની સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળા તેણે લોકો પાસેથી ઉપાય જાણી લીધેા. પછી જેમ રત્નના અર્થી સમુદ્રના કિનારાને સેવેસમુદ્રના કિનારે જાય તેમ તે જૈનમુનિઓની સેવા કરવા લાગ્યા. શ્રદ્ધા વિના પણ સાધુઓની સેવા કરતા તે જેમ માલતી પુષ્પાના સંસર્ગથી તલ ગંધને પામે તેમ સાધુઓના સંસર્ગથી સમ્યગ્દર્શનને પામ્યા. પછી ધમ ના જાણકાર તે દરરાજ જિનપૂજા, ચૈત્યવંદન, આવશ્યક વગેરે કરવા લાગ્યા. રત્ન મળી જતાં કાણુ પ્રમાદ કરે? પછી જેમ ગુરુ વિનીત શિષ્યને શ્રુત આપે તેમ જિનદાસે સાધર્મિક એવા યુદ્ધદાસને હથી પુત્રી આપી. શુભમુહૂત માં સર્વ પ્રકારની સમૃદ્ધિથી રોહિણી
૧. આના ભાવ એ છે કે તે રાજાએ આકાશમાં સત્ર તલવાર ચલાવી હતી, અર્થાત્ તેણે ઘણાં યુદ્ધો કર્યાં હતાં અને તેમાં સત્ર વિજય મેળવ્યા હતા. પુષ્પમાળા વિજયની સૂચક છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શીલેાપદેશમાલા ગ્રંથના
અને ચંદ્રની જેમ તે એનું વિવાહરૂપ મંગલ થયું. તે બ ંને પોતાની ઇચ્છા પ્રમાણે ત્યાં જ રહ્યા. આનંદથી પૂછુ તે એના ત્યાં કેટલાક કાળ યુગલિકાની જેમ સુખપૂર્ણાંક પસાર થયા. ધન મેળવી લીધું એટલે બુદ્ધદાસ ઘરે જવા માટે ઉત્સુક થયા. પ્રયાણુ કરવાની ઈચ્છાવાળા તેણે એકવાર વિનયથી સસરાને ઘરે જવા માટે વાત કરી. તત્ત્વના જાણકાર જિનદાસે તેને મધુરવાણીથી કહ્યું: હે વત્સ! તમે સારું કહ્યું. જે પુત્રા માતાપિતાને નમસ્કાર કરવામાં તત્પર છે તે (સાચા ) પુત્રા છે. પણ હે વત્સ! તમારા માતાપિતા - ભિન્ન ધર્મ વાળા છે. જેમ પાડો અને ભેસ ઘેાડીને સહન ન કરે તેમ તેએ જિનધ વાળી સુભદ્રાને કેવી રીતે સહન કરશે? બુદ્ધદાસે કહ્યું: હું સુભદ્રાને જુદા ઘરમાં રાખીશ. તેથી તે મે તેને ઉત્તમ સુવર્ણ ની જેમ કયા દ્વષ આપશે? પછી જિનદાસે હા કહી એટલે બુદ્ધદાસ સુભદ્રાની સાથે ક્રમે કરીને દેવલાકને જિતનારી ચંપાનગરીમાં આવ્યા.
સુભદ્રાને જુદા ઘરમાં રાખીને પોતે પાતાના ઘરે ગયા. તેથી સાસુ અને નણુંદ સુભદ્રાના દોષોને જોવા લાગી. સુભદ્રા સરળપણે શ્રી જૈનધર્મની આરાધના કરતી હતી. તેના ઘરે ભાત–પાણી આદિ માટે સાધુએ પણ આવતા હતા. સ્વચ્છન્દી તારી પત્ની એકાંતમાં સાધુઓની સાથે ક્રીડા કરે છે એમ સાસુ વગેરે લેાકે બુદ્ધદાસને દરરાજ કહેવા લાગ્યા. બુદ્ધદાસ જવાબ આપતા હતા કે એ શીલવતી છે. તમારે આમન ખેલવુ જોઇએ. શું પ્રલયકાળમાં પણ કયારેય ( શુદ્ધ) સેાનામાં મલ હોય ? યુદ્ધદાસે આવે! જવાબ આપ્યા તેથી દુન લેાક વિશેષ રીતે ખીજું છળ જોવા લાગ્યા. એકવાર તપસ્વી એના ઘરે ભિક્ષા માટે પધાર્યાં. ઘાસનું એક તણખલું પવનથી ઉડીને તેમની આંખમાં પડ્યુ. શરીરની કાઈપણ જાતની સેવા નહિ કરનારા તે તપસ્વીએ આંખમાંથી તણખલું કાઢ્યુ નહિ. સુભદ્રાને ભિક્ષા આપતાં તપસ્વીની આંખમાં પીડા થતી હોવી જોઇએ એવી શકા થઈ. તેથી તેણે જીભથી જલકી મુનિની આંખમાંથી તણખલું કાઢી નાખ્યું. તે વખતે સુભદ્રાના સેંથામાંથી સિન્દૂર તપસ્વીના કપાળે ચાંટી ગયું. તે સિન્દ્ર રક્ત (લાલ) હોવા છતાં ૧વિચિત્ર હતું. કારણ તે પાછળથી વિરક્તતાને (=રાગના અભાવને, અર્થાત્ દ્વેષને) કરનારું થશે. માતાએ યુદ્ધદાસને કપાળમાં અપસિંદૂરના ચિહ્નવાળા મુનિને અતાવતાં કહ્યું: હે વત્સ ! સતી વહુને જો. ચિહ્નના મળે યુદ્ધદાસ પણ માતાના કથનને માનીને સુભદ્રા ઉપર વિરાગવાળા થયા. સ્ત્રીએથી કાણુ ખંડિત નથી કરાયે ? તેણે વિચાયું કે— જે આ મહાભાગ્યવ`તી પણ નિંદ્ય કાર્યાં કરે છે તે નિરાધાર અને વ્યાકુળ બંનેલા ગુણા પાતાળમાં ચાલ્યા જાઓ. પતિને સ્નેહ વગરના જોઈને મહાસતીએ વિચાર્યું" કે, દોષના મૂળવાળા આ ગૃહસ્થાવાસમાં કલંક લાગે આશ્ચય કારી નથી. પણ અમૃત જેવા નિલ શ્રીજિનશાસનના એચિતા આ જે
અવ વાદ થયા તે
૧. એક પક્ષમાં વિત્ર એટલે વિવિધ રંગવાળુ અને એક પક્ષમાં કિન્ન એટલે વિચિત્ર-આશ્ચર્યકારી,
Page #158
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૯ મારા હૃદયમાં વિષાદ કરે છે. જ્યાં સુધી આ શાસનમાલિન્ય દૂર નહિ થાય ત્યાં સુધી હું ચોક્કસ કાર્યોત્સર્ગ નહિ પારું એમ સંધ્યા સમયે વિચારીને, જિનેશ્વરની પૂજા કરીને, શાસનદેવીનું ધ્યાન કરીને, તે એકાંતમાં કાયોત્સર્ગમાં રહી. એકાગ્ર ચિત્તવાળી તે કાર્યોત્સર્ગમાં રહી તે જ ક્ષણે શાસનદેવીએ પ્રગટ થઈને તેને અત્યંત સ્પષ્ટ કહ્યું કે, હે પુત્રી ! જેમ તપથી પ્રેરાઈને દેવે આવે તેમ હું તારા સરવથી પ્રેરાઈને આવી છું. જલદી કહે, જેથી હું તારું વાંછિત કરું. આનંદ પામેલી સુભદ્રાએ કાર્યોત્સર્ગ પારીને શાસનદેવીને નમીને કહ્યું: શાસનને લાગેલાં આ કલંકને દૂર કરે શાસનદેવીએ સુભદ્રાને ફરી કહ્યું કે હે વત્સ! ખેદ ન કર. સવારે તારી શુદ્ધિ કરવા સાથે ધર્મ પ્રભાવના કરીશ. સુભદ્રાને આ પ્રમાણે કહીને શાસનદેવી અદશ્ય થઈ ગઈ. સુભદ્રાએ શેષ રાત ધર્મમાં જ ચિત્ત રાખીને પસાર કરી.
સવાર થતાં દ્વારપાલે નગરના દરવાજાઓને જોરથી ખેંચીને ઉઘાડવા લાગ્યા તે પણ કઈ પણ રીતે દરવાજા ઉઘડ્યા નહિ. આથી આકંદન કરતા પશુઓ અને સઘળા ય નગરજને વ્યગ્ર બની ગયા. વ્યાકુલ ચિત્તવાળા રાજાએ આ કામ દેવે કરેલું છે એમ માન્યું. પવિત્ર થઈને, હૈયેલાં વસ્ત્રો પહેરીને, બીજા પાસે ધૂપ ધારણ કરાવીને અને અંજલિ જોડીને રાજા બોલ્ય: હે દેવો અને દાનવો ! અહીં જે કઈ કુપિત થયા હોય તે જલદી મારા ઉપર પ્રસન્ન થાઓ. રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે આકાશમાં સ્પષ્ટ વાણી પ્રગટ થઈ તે આ પ્રમાણે – જે તમારે જલદી દરવાજા ઉઘાડવા હોય તે કઈ મહાસતી (કાચા) સૂતરના તાંતણાથી બાંધેલી ચાલણીથી કૂવામાંથી પાણી કાઢે, અને તે પાણી નગરના દરવાજાઓને ત્રણ અંજલિઓથી છાંટે. આ સાંભળીને નગરની સ્ત્રીઓ તે જ વખતે તૈયાર થઈ ગઈ બ્રાહ્મણ, ક્ષત્રિયાણી, વણિક સ્ત્રી અને શુદ્રી એવી કેઈ ન હતી કે જે ચાલણીથી પાણી કાઢતી વિલખી ન બની હોય. કેઈ સ્ત્રી સૂતરથી બાંધતી વખતે, કઈ સ્ત્રી ચાલીમાંથી પાણી નીકળી ગયું ત્યારે, કેઈ સ્ત્રી ચાલીને કૂવામાં નાખતી હતી ત્યારે ફજેત થઈ. હવે વિનયવતી સુભદ્રાએ સાસુને મધુરતાથી કહ્યું : હે માતા! જે આપ કહો તે હમણું હું પણ પિતાને જોઉં. સાસુએ ઉપહાસપૂર્વક કહ્યું : તારું સતીપણું પહેલાં અમેએ જાણેલું જ છે, હમણું નગરજનોમાં ફજેત ન થા. આ સ્ત્રીઓ સતી હોવા છતાં નગરના દરવાજા ઉઘાડવા સમર્થ ન બની જૈનમુનિની સદા સેવા કરનારી તું સાચે જ સમર્થ છે. સુભદ્રાએ કહ્યું: હે માતા ! આપે આ યોગ્ય કહ્યું છે. જો કે હમણાં (શલપાલનનું) સર્વ હોવું એ દુઃશક્ય છે, તે પણ હું પાંચ
આચારોથી પોતાની પરીક્ષા કરીશ. સુભદ્રાએ આ પ્રમાણે કહ્યું એટલે નણંદે તેના ઉપર હિસવા લાગી. સુભદ્રાએ સ્નાન કર્યા પછી ઘેાયેલાં વસ્ત્રો પહેરીને, પંચનમસ્કારમંત્રનું
૧ સાસુએ સતીત્વની તે ઠેકડી ઉડાવી. આથી સુભદ્રાએ સતીત્વથી પિતાની પરીક્ષા કરવાનું ન કહેતાં પાંચ આયારોથી પોતાની પરીક્ષા કરીશ એમ કહ્યું,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શીલપદેશમાલાગ્રંથન સ્મરણ કર્યું. પછી જાણે ગુણોથી બાંધી હોય તેમ સૂતરના તાંતણાથી ચાલણીને બાંધી. એ ચાલણને લેકસમૂહના દેખતાં આશ્ચર્ય રીતે કૂવામાં નાખી. પછી પાણીથી ભરેલી ચાલણી કૂવામાંથી બહાર કાઢી. જેમ સિદ્ધો (=મુક્તિમાં જતા જ) પિતાના શરીરને - નિરોધ કરે તેમ કૌતુકની આકાંક્ષાવાળા દેએ ચાલણના છિદ્રોને બંધ કરી દીધા. સૂતરના તાંતણા સુભદ્રાના શીલરૂપી સિદ્ધચૂર્ણથી જાણે વજ જેવા દઢ બની ગયા હોય તેમ આટલો બધો ભાર હોવા છતાં જલદી રક્ષણ કરાયા, અર્થાત્ શીલના પ્રભાવથી સૂતરના તાંતણ જરા પણ તૂટ્યા નહિ.
પરિવાર સહિત ત્યાં આવીને અંજલિ જોડીને રાજાએ કહ્યું : હે સતી ! સારું થયું. સારું થયું. જલદી નગરના દરવાજા ઉઘાડે. જાણે જગતને જિતનારું યંત્ર હોય તેવા પાણીને ધારણ કરતી, ભદ્રિક ગજેદ્રના જેવી ગતિવાળી અને વિકસતા મુખવાળી સુભદ્રા પૂર્વના દરવાજા તરફ ચાલી. તેની પાછળ મંત્રીઓ, સામતે, રાજા અને નગરજને ચાલી રહ્યા હતા. સ્તુતિપાઠકે જય જય એવા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. આ રીતે તે નગરના પૂર્વના દરવાજા પાસે આવી પહોંચી. પછી પરમેષ્ટિ નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરતી સુભદ્રાએ ત્રણ અંજલિઓથી તે પાણી દ્વાર ઉપર છાંટયું. જેમ જાંગુલી મંત્રના જાપથી વિષથી પીડાયેલાનાં નેત્રો ઉઘડે તેમ બે દરવાજા ઉઘડી ગયા અને દુષ્ટ મનુષ્યના બે કાન પણ ઉઘડી ગયા. આકાશમાં દુંદુભિઓ વાગી. નગરજનેએ સુભદ્રાની પ્રશંસા કરી. દેએ જૈનધર્મને જય થાઓ, જૈનધર્મને જય થાઓ એમ જય જયકાર કર્યો. સુભદ્રાએ દક્ષિણ અને પશ્ચિમ દિશાના દરવાજાઓ પણ ઉઘાડીને સાસુ અને નણંદ વગેરે દુર્જનોના મોઢાઓને બંધ કર્યો. ઉત્તર દિશાના દરવાજા પાસે આવીને સુભદ્રા બેલી ઃ જે કઈ બીજી સ્ત્રી સતીત્વનું ગર્વ ધારણ કરતી હોય તે આ દરવાજાને ઉઘાડશે. સુભદ્રા મહાસતીના શીલમાહાભ્યનું સૂચન કરતે ઉત્તર દિશાને દરવાજે ચંપાનગરીમાં આજે પણ બંધ પડેલ છે. પૃથ્વીતલમાં સુભદ્રાને આ શીલરૂપી દીપક અપૂર્વ છે. તે દીપક 'શત્રુરૂપી પાણીના પૂરના સંસર્ગથી વધારે પ્રદીપ્ત બન્યા. જાણે ત્રણ વર્ગની સિદ્ધિ પિતાના હાથમાં રહેલી છે એમ બતાવતી હોય તેમ સુભદ્રા સતીએ નગરીના ત્રણ દરવાજા ઉઘાડ્યા. ચંપાપુરીના લેકે જેના અનેક ગુણો ગાઈ રહ્યા છે એવી સુભદ્રાએ નગરજને અને રાજાની સાથે ચૈત્યપરિપાટી કરી. પછી રાજાએ સુભદ્રાને ઉત્સવપૂર્વક ઘરે મેકલી. સુભદ્રાએ બધાની સમક્ષ જૈનધર્મનાઉપદેશઆ. રાજા જેનધર્મને સ્વીકારીને અને સુભદ્રાની પ્રશંસા કરીને પિતાના મહેલમાં ગયો. આશ્ચર્યયુક્ત બનેલા બધા લેકે પિતપિતાના ઘરે ગયા. પશ્ચાત્તાપ કરતા કુટુંબે પણ તેનું સન્માન કર્યું. માતા-પિતાએ પણ ત્યાં આવીને સુભદ્રાને અભિનંદન આપ્યાં. બુદ્ધદાસે દાસની જેમ સુભદ્રાના બે ચરણકમલમાં પડીને પોતાના
૧. સામાન્ય દીપક પાણીના પૂરથી બુઝાઈ જાય, ત્યારે શીલરૂપી દીપક વધારે પ્રદીપ્ત બને. આથી તે અપૂર્વ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૧ અપરાધની માફી માગી. સુભદ્રા ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અને અંતે સંયમનો સ્વીકાર કરીને સુગતિમાં ગઈ [ પ ] મહાસતીઓ શીવરક્ષા માટે રાજ્ય વગેરેનાં સુમાં લેભાતી નથી એમ જણાવે છે -
नियसीलरक्खणत्थं, तणं व रज्जं च परिहरंतीए ।
सयलसईणं मझे, इह रेहा मयणरेहाए ॥५३।। ગાથાથ–પતાના શીલની રક્ષા માટે રાજ્યને પણ તૃણની જેમ છેડતી મદનરેખાની સંસારમાં સર્વ સતીઓની મધ્યમાં પ્રતિષ્ઠા છે, અર્થાત્ શીલપાલનનમાં સર્વ સતીઓમાં તેને જ ઉત્કર્ષ છે. ટીકાથ-આ પ્રમાણે ગ થાન શબ્દાર્થ છે. ભાવાર્થ તે દૃષ્ટાંતથી કહે છે –
મદનરેખાનું દષ્ટાંત અવંતિ દેશમાં લક્ષમીથી યુક્ત સુદર્શન નામનું નગર હતું. તે નગરમાં તારાઓ ભેગી માણસોના નિર્માલ્ય પુ જેવા દેખાતા હતા, અર્થાત્ ભેગી માણસે તારાઓથી પણ અધિક ઉત્તમ વસ્તુઓને ભેગવતા હતા. તેમાં બહુધર્મ કરનાર અને મહારથી એ મણિરથ રાજા હતા. આકાશમાં રહેલે ચંદ્ર જાણે તેના યશને પિંડ હોય તે જણાતા હતા. યુગબાહુ નામને યુવરાજ તેને નાનો ભાઈ હતા. તેની મનરેખા નામની પત્ની હતી. તે પ્રસિદ્ધ સતી હતી. તેની રૂપસંપત્તિને જઈને કામદેવ જાતે જ પિતાના આત્મામાં બન્યું. મહાદેવે કામદેવને બાળે એવો જે લેકપ્રવાદ થયે તે પેટે છે. હવે મણિરથે ક્યાંક મદરેખાને જોઈ. આથી તેને કામદેવે પાંચ બાણોથી હ. એણે ચિત્તમાં વિચાર્યું કે કામદેવના જીવનસ્વરૂપ મદન રેખાને મારે કઈ પણ રીતે વશ કરવી જોઈએ. આમ વિચારીને તેને વશ કરવા માટે તેના માટે હંમેશાં ભેટ મેકલવા લાગ્યા. કહ્યું છે કેતુ જેને વશ કરવાને ઈચ્છે છે તેને પહેલાં ફી વગેરે ઉત્તમ ભેજય વસ્તુ આપીને તેને સંતોષ પમાડ. તેના સ્વાદમાં લુબ્ધ બનેલ પ્રાણ કાર્ય–અકાયને જાણતો નથી. મદનરેખા પણ મણિરથે મેકલેલ પુષ્પ, તાંબૂલ વગેરેને આ જેઠને પ્રસાદ છે એમ માનીને આદરપૂર્વક લેતી હતી. એકવાર મણિરથે તેની પાસે દૂતી મોકલી. દૂતીએ મદનરેખાને કહ્યું: હે ભદ્રા! તમારા ગુણેથી તમારા પ્રત્યે રાગી બનેલા રાજાએ આ પ્રમાણે કહ્યું છે – હે સુંદર ભમરવાળી મદન રેખા! જ્યારથી મેં તને બારીમાં રહેલી જોઈ ત્યારથી મારા માટે એક ઘડી એક વર્ષ જેટલી પસાર થઈ છે. તેથી મને પતિ સ્વીકારીને સામ્રાજયની માલિક થા. આ પ્રમાણે સાંભળીને ધર્મને જાણનારી મદન રેખાએ દૂતીને કહ્યું: કેટલાક પુરુષનું મન પણ પરશીમાં જતું નથી, ત્યારે કેટલાકે પુત્ર વગેરેની પત્નીને પણ સંગ કરવા ઇરછે છે. સ્ત્રીઓમાં શીલ નામને મહાગુણ જગતમાં પ્રસિદ્ધ છે. જેમ જીવ ચાલ્યા જતાં પ્રાણી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શીલે।પદેશમાલા ગ્રંથના
માટે બધું નકામું તેમ શીલના નાશ થતાં બધું નકામું છે. તમે જેમના માટા ભાઈ છે તેમની હું પત્ની છું, આથી દરરાજ મારી રાજ્યની માલિકી છે જ. અથવા રાજ્યની માલિકી ભલે ન હેા. મારે રાજ્યનું શું કામ છે? વળી− હૈ તી! તારે મારા વચનથી જેઠને કહેવું કે આ પ્રમાણે ખેલતા તમે પેાતાના મંથી પણ લજ્જા પામતા નથી ? દૂતીએ પણ આવીને રાજાને તે પ્રમાણે જ જણાવ્યું. તે પણ તેના રાગમાં આસક્ત રાજા જેમ દારૂડિયા દારૂથી પાછા ન ફરે તેમ પેાતાના આગ્રહથી પાછે ન ફર્યાં. તેણે વિચાર્યું કે, ચેાસ આ ભાઈ જીવે છે તેથી તે મને ઈચ્છતી નથી. આમ વિચારીને જેમ ચાર રાત્રિનું ધ્યાન ધરે તેમ તે બંધુના વધના ઉપાય વિચારવા લાગ્યા.
હવે આંબાની મંજરીએથી ઉન્મત્ત બનેલી કાલિ પક્ષીઓના સ્વરથી સૂચિત થયેલ અને કામદેવરૂપી યુવરાજથી યુક્ત એવી વસ ́તઋતુ જલદી આવી. જાણે વસંત ઋતુથી આજ્ઞા કરાયેલ પુરુષ ન હાય તેવા વસંતઋતુના કુશળ પવન વૃક્ષા, વેલડીએ અને લતામંડપેામાં બધે ફરવા લાગ્યા. વૃક્ષા ઉન્મત્ત ભમરાઓના ગુજારવના શબ્દોથી જાણે ગીત ગાઈ રહ્યા છે એવા દેખાતાં હતાં, વિકસિત બનેલા પલ્લવાથી જાણે હમાં આવીને હાથ વડે નૃત્ય કરી રહ્યા છે એવા જણાતા હતા, ઘાસને ઉખેડીને વિકસતી કળીએવાળાં પુષ્પાથી જાણે વસંતઋતુનુ` ભેટણું તૈયાર કર્યું હોય એમ જણાતું હતું. લાલ ફૂલોથી યુક્ત, કસુંબાના રંગથી રંગેલાં વસ્ત્રાથી ઉત્તમ અને સફેદ પુષ્પાના હાર ધારણ કરનારી વનલક્ષ્મી આવી.
જેમ ઇંદ્ર ઇંદ્રાણીની સાથે જાય તેમ, યુગખાડુ મદનરેખાની સાથે વસંતઋતુને સલ કરવા માટે ઉદ્યાનમાં ગયા. આખા દિવસ પુષ્પાને ચુંટવા વગેરે ક્રીડા કરીને રાતે યુગમાહુ પ્રિયાની સાથે કઇલીગૃહમાં નિશ્ચિતપણે સૂઈ ગયા. નિય મણિરથ રાજાએ અવસર જાણીને તલવાર લઈને થાડા પિરવારની સાથે ગુપ્તપણે કઇલીગૃહમાં પ્રવેશ કર્યા. તેણે કુલમર્યાદા, જશ, ધર્મ અને શરમ વગેરે મૂકીને ભાઈને તલવારથી ડૉકમાં હણ્યે. અહા ! કામના ઉદય કેવા છે ? તેથી મનરેખાએ કરુણુસ્વરે પેાકાર કરી, બધા પહેરીગરો જલદી ભેગા થયા. મણિરથ રાજા પોતાના ઘરે ગયા. મદનરેખાએ પ્રહારને જાણીને પ્રાણના ત્યાગ કરતા યુગબાહુના કાનની પાસે જલદી આવીને યુગબાહુને આ પ્રમાણે કહ્યું:– હે મહાભાગ્યશાળી ! તમે નિરક જરા પણ ખેદ ન કરેા. બધે પ્રાણીઓના પૂર્વે કરેલા કર્મના જ દોષ છે. હવે તમારા પ્રાણા ક આવી ગયા છે, એથી દ્વેષ ન કરા, અન્યથા (દ્વેષ કરશે! તા) તમે અસમર્થ હોવાથી નિરક પરલેાકથી ભ્રષ્ટ બનશે. તેથી મનને સમાધિમાં રાખા, જિનનું શરણુ સ્વીકારો, મમતાને મૂકા, બધા જીવા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરો. આ લાકમાં અને પરલેાકમાં પણ મારા અરિહંત ધ્રુવ થા, સુસાધુએ ગુરુ થાઓ અને જિને જે કહ્યું છે તે પ્રમાણુ થાએ એ પ્રમાણે ચિંતા.
૧. ધ સત્ર-ધમ શાલા, અર્થાત્ બહુધમ કરનાર.
૨. મહારથી-દશ હજાર ધનુર્ધારી સાથે એકલા લડી શકે તેવા યેદ્દો.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ગુજરાતી ભાવાનુવાદ
સિદ્ધ ભગવંત આદિની સાક્ષીએ પેાતાના સર્વ દુષ્કૃત્યેની નિંદા કરો. બધી વસ્તુઓમાંથી માહ દૂર કરીને પાઁચનમસ્કાર મંત્રનું સ્મરણ કરા. જેના નિલ પ્રાણા નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં કરતાં જાય તે જો મેાક્ષમાં ન જાય તે નિયમા વૈમાનિકદેવ થાય. પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા એ શ્રાવકનાં બારવ્રતાના સ્વીકાર કરા. પૃથ્વી ઉપર મિત્ર, પુત્ર, પત્ની વગેરે એક પણ જીવાનુ... રક્ષણુ કરનાર નથી. આ લાકમાં અને પરલેાકમાં ધર્મ જ જીવાતું રક્ષણ કરનાર છે. મનુષ્યભવ વગેરે સામગ્રી ફ્રી મળવી દુષ્કર છે એમ જાણીને મળેલી તે સામગ્રીના ફલને મેળવા. માટે હે મહામતિ ! પ્રમાદ ન કરેા. આ પ્રમાણે મનરેખાના વચનથી યુગમાહુના કેપ શાંત થઈ ગયા. તેણે મદનરેખાનું કહેલું બધું સ્વીકાર્યું. પૂર્ણ વૈરાગ્યથી મૃત્યુ પામીને તે બ્રહ્મલાકમાં (=પાંચમા દેવલાકમાં) દેવ થયા.
દુષ્ટ
તે વખતે હાહાકાર મચી ગયા. પુત્ર ચંદ્રેયશ અને સવ પિરવાર રડવા લાગ્યા. મદનરેખાએ આ પ્રમાણે વિચાર્યું: અહા ! માત્ર વિડંબના જ જેના રૂપનું ફળ થયું તે હું ગભ માંથી જ મૃત્યુ કેમ ન પામી ? કારણ કે જેમ સુગ'ધ ચંદનના વિનાશનું કારણુ અને છે તેમ હું જ હમણાં નિષ્કપટ ચિત્તવાળા પતિના મૃત્યુનું કારણ થઈ. જે આત્માએ મારા માટે આ બંધુને માર્યાં તે મારા શીલનું ખ`ડન કરશે. આથી મારે ચત્નથી શીલનું રક્ષણ કરવુ જોઈએ. આ પ્રમાણે વિચારીને પુત્ર વગેરે સર્વ પરિવાર રડી રહ્યો હાવા છતાં એને તૃણની જેમ છેાડીને ઉત્તરમાં ગર્ભને ધારણ કરતી મદનરેખા તે જ વખતે રાત્રિમાં જ પલાયન થઈ ગઇ. તેના પગમાં કાંકરા વગેરેની પીડા થતી હતી, પગમાંથી લેાહી નીકળી રહ્યું હતું. આવી સ્થિતિમાં પૂર્વ દિશા તરફ જતી તે એક ભય’કર અટવીમાં આવી. ત્યાર બાદ રાત્રિ પૂર્ણ થઈ. મધ્યાહ્ન સમયે તેણે ફળ વગેરેનું ભક્ષણ કર્યું. કારણ કે ભૂખ અને તરસ વગેરે દુઃસહ્ય છે. પછી સાગારિક પચ્ચક્ખાણ લઈને શ્રમને દૂર કરવા માટે કાઇ લતાગૃહમાં પંચનમસ્કારમ ંત્રનું સ્મરણ કરીને સૂઈ ગઈ. રાત્રે વાઘ અને સિંહ આદિના શબ્દોથી ત્રાસ પામેલી મદનરેખાએ ત્યાં જ સ` અંગામાં ઉત્તમ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્ચા. બાળકને અલરત્નમાં વીંટીને તેના હાથમાં પિતાના નામવાળી શ્રેષ્ઠ વીંટી પહેરાવી. પછી વજ્ર વગેરેનું પ્રક્ષાલન કરવા માટે સરોવરમાં પ્રવેશતી મદનરેખાને જલહસ્તીએ સૂંઢમાં લઈને આકાશમાં ઉછાળી. જેમ બાજપક્ષી તેતરને પકડી લે તેમ તે વખતે નદીશ્વરદ્વીપમાં જવાની ઈચ્છાવાળા એક વિદ્યાધર રાજાએ મદનરેખાને આકાશમાં લઈ લીધી. રાતી મઢનરેખાએ
૧. સાગારિક એટલે આગારથી સહિત. આગાર એટલે છૂટ. અમુક છૂટ રાખીને લેવામાં આવતા પચ્ચક્ખાણુને સાગારિક કહેવામાં આવે છે.
૨. જલહસ્તી એટલે પાણીમાં ઉત્પન્ન થનાર હાથી જેવું એક પ્રાણી.
२०
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શીલપદેશમાલા ગ્રંથો તેને આ પ્રમાણે કહ્યું - સાંભળે, આ જંગલમાં તરતમાં જ જન્મેલે મારે બાળક છે. તેને જંગલી પશુઓ ખાઈ જશે, અથવા સ્તનપાન વિના તે સ્વયં મરી જશે, કૃપા કરીને મને બાળક પાસે લઈ જાઓ અથવા તે બાળકને અહીં લઈ આવો. તેણે કહ્યુંઃ જે તું મને પતિ માને તે હું આ કામ કરું. ચોક્કસ તારા જ ભાગ્યથી હમણુ હું આકાશમાં આવી પહોંચે. હું વિદ્યાધર ચક્રવર્તી મણિચૂડનો મણિપ્રભ નામને વિદ્યાધર રાજા છું. મારા પિતાએ દીક્ષા લીધી છે. પિતાના ચરણોમાં પ્રણામ કરવાની ઈચ્છાથી હું જઈ રહ્યો છું. હે કલ્યાણી ! જેમ પોપટ દ્રાક્ષાને જુએ તેમ મેં તને અહીં ઈ. તેથી હે મોહરમુખવાળી ! મારો સ્વીકાર કરીને વિદ્યાધરની અધિપતિ થા. હે માનિની ! શું કઈ જી કલ્પવૃક્ષને મેળવીને તેની અવગણના કરે? તેફાની ઘોડાથી હરણ કરાયેલ મિથિલાનગરીના રાજા પવરથે તારા પુત્રને લઈ લીધું છે. તેની પત્ની પુષ્પમાલા વડે પુત્ર તરીકે પાલન કરતે તે સુખી છે. આ પ્રમાણે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણીને તને મેં આ કહ્યું છે. તેથી વિષાદને મૂકીને મારે સ્વીકાર કર. વિદ્યાધર રાજાએ આ પ્રમાણે કહ્યું તેથી અતિશય ખિન્ન બનેલી મદન રેખાએ હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું. શીલની રક્ષા માટે તે હું આટલી ભૂમિ સુધી આવી, તે પણ અહ ! આ ફરી શીલભંગનો પ્રસંગે ઉપસ્થિત થયે. મારે કઈ પણ રીતે શીલની રક્ષા ચેસ કરવી જોઈએ, અને આ કામથી પીડિત છે. આથી હમણાં તે કાલવિક્ષેપ કરવો એ જ ગ્ય છે. આમ વિચારીને મદનરેખા બેલી હે મહાભાગ્યશાળી! પહેલાં તમે મને નંદીશ્વરમાં યાત્રા કરાવો. પછી હું તમારી ઈચ્છા પૂરી કરવા વિષે પ્રયત્ન કરીશ. તેથી ખુશ થયેલ તે મદન રેખાને જલદી નંદીશ્વર લઈ ગયે. ત્યાં બાવન ચૈત્યમાં અરિહતેને વંદન કર્યું.
પછી બંનેએ મણિચૂડ નામના મુનિને વંદન કર્યું. ચાર જ્ઞાનવાળા તે મહાત્માએ પણ પુત્રના ભાવને જાણીને દેશનાથી મણિપ્રભને એ વૈરાગ્યવાળે કર્યો કે જેથી તેણે ઊભા થઈને મદન રેખાને બહેનની બુદ્ધિથી પ્રણામ કર્યા. મદનરેખાએ મુનિને પુત્રને વૃત્તાંત પૂછયો. મુનિએ પૂર્વના કેટલાક ભવ સહિત પુત્રનો વૃત્તાંત જે પ્રમાણે હતો તે પ્રમાણે જ કહ્યો. આ તરફ જાણે બીજે તેજસ્વી સૂર્ય હોય તેવો અને દેવીઓ જેના ગુણસમૂહને ગાઈ રહી છે તે ઉત્તમ દેવ વિમાનને મૂકીને આકાશમાંથી નીચે ઉતર્યો. પછી તે દેવ અતિશય નમ્ર બનીને સતી મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા આપીને તેના ચરણકમલમાં નમ્યું. પછી સાધુઓને નમીને મેગ્યસ્થાને બેઠો. આ અયુક્ત છે એમ વિચારીને મણિપ્રભ વિદ્યારે દેવને પૂછ્યું: ચાર જ્ઞાનવાળા મહાત્માને મૂકીને પહેલાં તમોએ સ્ત્રીને નમસ્કાર કર્યો. જે તમારા જેવાઓ પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે તે એ શું કહેવાય? આ પ્રમાણે સાંભળીને દેવ જેટલામાં વિદ્યાધર રાજાને જવાબ આપે તેટલામાં તે ચારણમુનિએ વિદ્યાધર રાજાને કહ્યુંઃ કૃતજ્ઞ આ ઉત્તમદેવ ઠપકાને ગ્ય નથી. કારણ કે પૂર્વભવમાં આ દેવ તલવારના ઘાથી દુઃખી થઈ રહ્યો હતો. એની પત્ની આ
Page #164
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૫ મદનરેખાએ જિનધર્મરૂપી અમૃતના શુદ્ધ ઉપદેશરૂપી ચાંગળાએથી એના મનને શાંત કર્યું હતું. વધતા વૈરાગ્યવાળા એ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમા બ્રહ્મલેક દેવલેકમાં ઉત્તમ દેવ થયો. ધર્માચાર્યને યાદ કરીને એ જલદી અહીં આવ્યો. તે મુનિઓને છેડીને પહેલાં આ મહાસતીને નમ્યો એ ચગ્ય છે. કારણ કે જે સાધુ વડે કે જે શ્રાવક વડે જે જૈનધર્મમાં સ્થિર કરાયેલ હોય તે સાધુ જ કે તે શ્રાવક જ તેને ધર્મચાર્ય થાય, આમાં કઈ સંશય નથી. જગતમાં સમ્યકત્વ સારભૂત છે. સમ્યત્વ બધાથી અધિક દુર્લભ છે. તેથી આ જગતમાં જેને સમ્યકત્વ આપનારે શું નથી આપ્યું? આ પ્રમાણે સાંભળીને વિદ્યાધર રાજાએ પણ તે દેવની પાસે માફી માગી. દેવે પણ સતી મદન રેખાને આ પ્રમાણે પૂછ્યું: તમારું શું વાંછિત કરું? મદનરેખાએ કહ્યું જ્યાં મારો તે પુત્ર છે તે મિથિલાપુરીમાં મને લઈ જા. તેથી દેવ આકાશના માર્ગે મદન રેખાને ક્ષણવારમાં મિથિલાપુરીમાં લઈ ગયે. તે નગરી શ્રી નમિનાથ અને શ્રીમલ્લિનાથ એ બે તીર્થકરોના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકથી પવિત્ર થયેલી હતી. તે બંનેએ તેમાં રહેલાં ચૈત્યને વંદન કર્યું. પછી પ્રવર્તિની સાધવી પાસે જઈને બંનેએ ધર્મ સાંભળે. પછી દેવે મદનરેખાને કહ્યું તમે મારી સાથે આવે, જેથી પુત્રને અપાવું. મદન રેખા બેલી. અનાદિ સંસારમાં શું કેઈને પણ કઈ પણ પુત્ર છે ? અર્થાત્ કેઈને કે પુત્ર નથી. આથી ચારિત્ર લેવાની મારી ઈચ્છા હોવાથી સાવીનાં ચરણે મારું શરણ છે. પછી પ્રવર્તિની સાવીને અને મહાસતી મદનરેખાને નમીને દેવ ચોગ્ય સ્થાને ગયે. મદન રેખાએ દીક્ષા લીધી.
બાળકના પ્રભાવથી બધા રાજાઓ પદ્યરથ રાજાને નમ્યા, આથી એ બાળકનું નામ એવું નામ પાડયું. ક્રમે કરીને તે કળા અને પુરુષાર્થને જીવવાનું સાધન એવા યૌવનને પામ્યું. પિતાએ તેને એકસો ને આઠ કન્યાઓ પરણાવી. પછી પદ્યરથ રાજાએ તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને પોતે દીક્ષાપૂર્વક સુખને અનુભવ કરીને મોક્ષ મેળવ્યું. આ તરફ મણિરથ રાજાએ જે રાત્રિએ બંધુને હણે તે રાત્રિએ કાળો સર્પ તેને ડસ્પે. ૌદ્રધ્યાનમાં રહેલ તે મરીને ચેથી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે. તેથી મંત્રિએએ યુગબાહુના પુત્ર ચંદ્રયશને રાજ્યાભિષેક કર્યો.
એકવાર નમિરાજાના તકાંતિવાળા પટ્ટહસ્તીને વિંધ્યાચળ યાદ આવ્યું. આથી તે આલાનસ્તંભને ઉખેડીને ભાગ્યે માર્ગમાં એને ચંદ્રયશ રાજાએ પકડી લીધે. નમિ રાજાએ ચરપુરુષો દ્વારા આ જાણ્યું. તેથી તેણે દૂત દ્વારા તે હાથીની ચંદ્રયશ રાજા
૧. એક હાથની હથેળીમાં પાણી વગેરે પ્રવાહી પદાર્થ જેટલે સમાય તેટલા માપને ચાંગળું કહેવાય છે. જેમ આંખ બળતી હોય તો ઠંડા પાણીનું એક એક ચાંગળું આંખોમાં છાંટીએ તેથી આંખો શાંત થાય, તેમ મદનરેખાએ જિનધમરૂપી અમૃતના શુદ્ધ ધર્મોપદેશરૂપી ચાંગળાઓ યુગપાહુના મનમાં છાંટીને મનને શાંત કર્યું.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શીલપદેશમાલા ગ્રંથને પાસે માગણી કરી. ચંદ્રયશ રાજાએ દૂતને કહ્યું: ચેકસ નમિ રાજા નીતિને જાણકાર નથી. બીજાના હાથમાં ગયેલી વસ્તુને એમને એમ ફોગટ જ કેમ મેળવી શકાય? આ ' રીતે દૂતને તિરસ્કારીને રાજાએ રજા આપી. બલવાન નમિરાજા સેના લઈને ચંદ્રયશ
તરફ ગયે. ચંદ્રયશ રાજા પણ તેની સામે આવવા ચાલ્ય, પણ (અશુભ) શુકનોએ તેને રોક્યો. આથી તે પિતાના સ્થાને જ સૈન્યથી પરિવરીને રહ્યો. નમિરાજા ત્યાં આવીને તેની નગરીને ઘેરીને રહ્યો. નમિરાજાની માતા સાદ વીજીએ આ વૃત્તાંત સાંભળે. માણસને ક્ષય કરીને આ બે નરકમાં ન જાઓ એમ વિચારીને પ્રવર્તિનીની આજ્ઞા લઈને તે સાદવજી નમિરાજાની પાસે ગયા. મિરાજાએ ઊભા થઈને સાધવજીને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા. લાંબા કાળથી થયેલી અંતરની પ્રીતિ શું નાશ પામે ? અર્થાત્ નાશ ન પામે. પછી સાદવીજીએ કહ્યું- હે રાજેદ્ર લમી તરંગેના જેવી ચંચળ છે. તેના માટે કરેલે યુદ્ધને ઉદ્યમ કેવળ નરકના પરિણામવાળો થાય છે. તેમાં પણ મોટા ભાઈની સાથે કેવળ ક્ષયનું જ કારણ એવું ભયંકર યુદ્ધ કરવું એ વિશેષરૂપે તને યેગ્ય નથી. વિસ્મય પામેલા નમિરાજાએ પૂછ્યું. અહીં મારા મોટાભાઈ કેશુ છે? સાધ્વીજીએ કહ્યું. ચંદ્રયશ તારે માટે ભાઈ છે.નમિરાજાએ પ્રશ્ન કર્યો કેવી રીતે ? સાધ્વીજીએ સઘળો સંબંધ કહ્યો. આ સાંભળીને રાજા અન્વયવાળા દષ્ટાંતની જેમ (હર્ષ અને શોક એ) *ઉભય અવસ્થામાં રહ્યો. નમિરાજાએ પોતાની પાલક માતા પુષ્પમાલાને પૂછયું એટલે તેણે વીંટી અને કંબલરત્ન એ બંને બતાવ્યાં. આથી તેને વિશેષરૂપે ખાતરી થઈ, હવે બંધુ વિષે જેને પ્રેમ બંધાય છે એ નમિરાજા તુરત યુદ્ધથી નિવૃત્ત થયે. ઉત્તમ મનવાળા જીવે (પ્રેમ ખાતર) પ્રાણેને પણ તૃણ સમાન ગણે છે. પછી સાદવજી ચંદ્રયશ રાજાની પાસે ગયા. જેમ ચંદ્રને જોઈને સમુદ્રની વેલા ઊભી થાય છે ( સમુદ્રમાં પાણીની વૃદ્ધિ થાય છે) તેમ ત્યાં સાદવજીને જોઈને બધા ઊભા થયા. જેની આંખમાં હર્ષના આંસુઓ વહી રહ્યા છે એવા ચંદ્રયશ રાજાએ માતાને ભક્તિથી પ્રણામ કરીને માતાના મુખથી સર્વ વૃત્તાંત સાંભળ્યો. જેમ મેઘગર્જનાને સાંભળીને મયૂર હર્ષ પામે તેમ માતા પાસેથી નમિરાજા ભાઈ છે એમ જાણીને શ્રી ચંદ્રયશ અતિશય હર્ષ પામે. પછી ચંદ્રયશ રાજ ઘણા આડંબરથી આદરપૂર્વક નમિરાજાની સામે ગયે. ચંદ્રયશ રાજાને પોતાની પાસે આવતે સાંભળીને નમિરાજા પણ હર્ષથી તેની સામે ગયે. સૂર્ય અને ચંદ્રની જેમ બંને પ્રેમથી મળ્યા, પછી બળદેવ અને વાસુદેવની જેમ મિથિલાપુરીમાં પ્રવેશ કર્યો. હવે ચંદ્રય નમિને કહ્યું: હે વત્સ! પિતાના મૃત્યુ પછી મને દીક્ષા લેવાની ઈચ્છાથી રાજ્યમાં પણ આદર રહ્યો નથી. તેથી હવે તું રાજ્યને સ્વીકારીને મને કૃતાર્થ કર. આ પ્રમાણે સમજાવીને ચંદ્રય નમિને રાજ્યાભિષેક કર્યો, અને પોતે દીક્ષા લઈને
૧. ચંદયશ રાજા મારો ભાઈ છે એમ જાણીને હર્ષ થયો અને ભાઈની સાથે યુદ્ધ કર્યું એવા વિચારથી શેક થયો.
Page #166
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૭ આત્મકલ્યાણ સાધ્યું. જેણે શત્રુઓને નમાવ્યા છે એ નમિરાજા અખંડ બંને રાજ્યનું પાલન કરવા લાગ્યા.
એકવાર નમિરાજાના શરીરમાં પૂર્વનાં કર્મોથી પ્રેરિત અને જાણે ઉષ્ણનામકર્મના ઉદયની ચરમસીમા હોય તે, અર્થાત્ અતિશય ઉય એ છ મહિનાને મહાન દાહ થયે. તેની શાંતિ માટે અંતઃપુરની સર્વ સ્ત્રીઓ ગશીર્ષ ચંદન ઘસવા લાગી. આ વખતે પીએના હાથમાં પહેરેલાં કંકણેને (=અંગડીઓને) અવાજ થવા લાગ્યા. જાણે અગ્નિને સ્પર્શ કર્યો હોય તેવા દાહથી ઉદ્દવિગ્ન બનેલા તેને જેમ શેકથી ઘેરાયેલાને વીણાને ધ્વનિ દુખી કરે તેમ કંકણેના અવાજે દુઃખી કર્યો. તેથી મિરાજાના કહેવાથી અવાજને બંધ કરવા માટે સ્ત્રીઓએ ક્રમશઃ એક એક કંકણને હાથમાંથી ઉતારીને એક કંકણ પહેરી રાખ્યું. અર્થાત્ પહેલાં એક કંકણ ઉતાર્યું એટલે અવાજ છેડે એ થવાથી રાજાને જરા શાંતિ થઈ, આથી પછી બીજું એક કંકણું ઉતાર્યું, પછી ત્રીજું કંકણ ઉતાર્યું, એમ ક્રમશઃ એક એક કંકણ ઉતાર્યું. છેલ્લે સૌભાગ્યનાં ચિહ્ન માટે એક કંકણ હાથમાં રહેવા દીધું. આ તરફ તેના ચારિત્રાવરણીય કર્મરૂપ બંધને તૂટી જતાં એને શુભ ભવિષ્યવાળો વિચાર આવ્યું તે આ પ્રમાણે - કંકણશ્રેણિના દષ્ટાંતથી બહુપરિગ્રહવાળો જીવ અવશ્ય દુઃખી થાય છે. તેથી એકલા બનવું એ શ્રેષ્ઠ છે, અર્થાત્ જેમ ઘણાં કંકણે હતાં તે તેમાંથી અવાજ થતું હતું અને એથી દુઃખ થતું હતું, પણ એક કંકણું રહ્યું તે અવાજ બંધ થયે અને દુઃખ પણ ગયું, તેમ જીવ એકલે બને તે સુખી થાય. આથી જે આ મારો દાહ શાંત થશે તે હું ચારિત્ર સ્વીકારીશ. આમ વિચારીને તે સૂઈ ગયે. ઉંઘમાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતાને મેરુપર્વત ઉપર સફેદ હાથી ઉપર આરૂઢ થયેલ છે. સવારે રાજા ઉઠયો. તે દાહથી મુક્ત બની ગયે. સ્વપ્નને વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી. નગરના દેવતાએ આપેલ વેશ પહેર્યો. મમત્વથી રહિત નમિરાજર્ષિ ત્યાંથી નીકળી ગયા.
તે વખતે ઇ અવધિજ્ઞાનથી નમિરાજર્ષિને જોયા. નમિરાજર્ષિના આશ્ચર્યકારી પ્રતિબોધથી હર્ષ પમાડાયેલ ઇદ્ર બ્રાહ્મણનું રૂપ કરીને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યા. બ્રાહ્મણે નમિરાજર્ષિને કહ્યુંઃ પ્રત્રજ્યાનું મૂળ દયા છે એમ જ્ઞાનીઓ કહે છે. તમે દીક્ષા લીધી એથી આ પ્રજા દુખના કારણે આજંદન કરે છે. તમારી દીક્ષા પૂર્વાપર વિરુદ્ધ છે. આથી હે મહાભાગ્યશાલી ! પહેલાં સુખને અનુભવીને આ પ્રમાણે દીક્ષા લેવાને ગ્ય છે. નમિરાજર્ષિ બેલ્યા: મારું કઈ નથી અને હું કેઈને નથી. હું કોઈને દુઃખી કરતું નથી, અને મારા માટે કેઈ જીવ દુઃખી થતું નથી. બધા જ સ્વાર્થ માટે પ્રયત્ન કરે છે. પોતાને સ્વાર્થ સિદ્ધ ન થાય તે દુઃખ પામે છે. તેથી મમત્વથી રહિત ચિત્તવાળો હું પણ સ્વાર્થને સાધું છું. આ પ્રમાણે ઈંદ્રના
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શીલપદેશમાલા ગ્રથન. વચનના યુક્તિપૂર્વક પ્રત્યુત્તરો આપતા મહામુનિએ પિતાના નિર્મમત્વભાવથી બ્રાહ્મણને નિરુત્તર કરી દીધું. તેથી ઇ પિતાના સ્વાભાવિક રૂપમાં રહીને નમિરાજર્ષિને ભક્તિથી પ્રણામ કર્યા પછી તે પોતાના સ્થાને ગયે. મિરાજર્ષિએ પણ મોક્ષને મેળવ્યું. જેની બુદ્ધિ સમતામાં જોડાયેલી છે એવી મદનરેખા વિવિધ તપથી પોતાના કર્મરૂપી પ્રબલમલના ડાઘને જોઈને અને શીલ વિષે વપરનું હિત કરનારી પ્રતિષ્ઠાને પામીને મેક્ષ-- રૂપી લક્ષમીનું ભાજન થઈ [૫૩] શીલને જીવાડનારાં મહાસતીઓનાં દષ્ટાંતને કહે છે -
नंदउ सीलानंदिय-जणविंदा सुंदरी महाभागा ।
अंजणसुंदरिनम्मय-सुंदरिरइसुंदरीओ य ॥५४॥ ગાથાથ:- શીલથી કસમૂહને આનંદિત કરનારી અને મહાભાગા ( મહાન. ભાગ્યવતી) એવી સુંદરી, અંજનાસુંદરી, નર્મદા સુંદર અને રતિસુંદરી લાંબો કાળ જય પામે.
ટીકાથ-મહાભાગાનું લક્ષણ આ છે- જેને જન્મ દુષ્ટ અપવાદથી હણાયે નથી તે શ્રી મહાભાગા છે. કહ્યું છે કે-“જેને જન્મથી પ્રારંભી મરણ સુધી. અત્યંત સૂક્ષ્મ પણ દૂષણ ન લાગે તે સ્ત્રી પૃથ્વી મંડલમાં મહાભાગા, જાણવી.' આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ તે થાઓથી જાણ. તેમાં પહેલું સુંદરીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
સુંદરીનું દષ્ટાંત આ જ અવસર્પિણીમાં પ્રારંભમાં વિનીતાનગરીમાં શ્રીનાભિરાજાના પુત્ર શ્રી ઋષભપ્રભુ રાજ્યનું પાલન કરતા હતા. તેમની સુમંગલા અને સુનંદા નામની બે પત્નીએ હતી. એકવાર સુમંગલાએ ચદ મહાસ્વપ્ન જોયા. તેણે તે સ્વપ્નો જ્ઞાનથી શોભતા ઋષભરવામીને કહ્યા. ઋષભપ્રભુએ પણ કહ્યું: તને ચક્કસ ચક્રવર્તી પુત્ર થશે. પ્રભુના જન્મથી છ લાખ પૂર્વ એટલે કાળ ગયા પછી સુમંગલાએ પહેલાં ભારત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો. જેમ સુગુરુ પાસેથી લીધેલી વિદ્યા જ્ઞાન અને વાસનાને (=સંસ્કારને). જન્મ આપે તેમ સુનંદાએ પણ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરી એ બેને જન્મ આ. જેમ રત્નની ખાણ રત્નની પરંપરાને (=એક પછી એક) જન્મ આપે તેમ સુમંગલાએ ફરી એગણપચાસ પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. જેમ વિંધ્ય પર્વતમાં. હાથીના બચાઓ મોટા થાય તેમ તે બધા ક્રમે કરીને મોટા થયા. જેમ હાથીઓના ટેળાનો નાયક હાથી શેભે તેમ પુત્ર-પુત્રીઓથી પરિવરેલા ઋષભપ્રભુ શોભતા હતા. પ્રભુએ લેકવ્યવહારની પ્રવૃત્તિ માટે સે શિલ્પાને કહીને ભારતને બહેતર કળાએ શીખવી. ભરતે પણ અન્ય બંધુઓને તે કળાઓનો અભ્યાસ કરાવ્યું. સારા ક્ષેત્રમાં વાવેલા ડાંગરના બીજની જેમ સારા પાત્રમાં પડેલી વિદ્યા સો પ્રકારે ભેદાય છે, અર્થાત્
Page #168
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૯
ઘણી વૃદ્ધિ પામે છે, પછી પ્રભુએ બાહુબલિને પુરુષ, સ્ત્રી, હાથી અને અશ્વના સલક્ષણા અનેક ભેદથી શિખવાડ્યા. બ્રાહ્મીને જમણા હાથથી અઢાર લિપિએ શિખવાડી. સુંદરીને ડાબા હાથથી ગણિત શિખવાડયું. હવે જેમનાં ભાગવાળાં કર્મો ક્ષીણ થઈ ગયા છે અને જેમના માહબ ધન છૂટી ગયા છે એવા ઋષભપ્રભુ સંસારર્સમ`ધી વૈરાગ્યભાવના ભાવવા લાગ્યા. તેવામાં લોકાંતિક દેવાએ આવીને પ્રભુને વિનંતિ કરી કે, હે સ્વામી! આપ લાવ્યવસ્થાની જેમ ધમતી પ્રવર્તાવા. પછી પ્રભુએ ભરતને સામ્રાજ્યરૂપી સ`પત્તિ આપી. દેશાના વિભાગ કરીને ખીજા પુત્રાને યથાયેાગ્ય દેશેા આપ્યા. પછી દીક્ષા લઈને આર્ય અને અનાર્ય દેશેામાં માનપણે વિચરતા અને હાથરૂપી પાત્રને ધારણ કરતા પ્રભુએ એક વર્ષે ઈન્નુરસથી પારણુ· કર્યું.. જેમ ઋષભપ્રભુએ સ નીતિઓની (=ઉચિત વ્યવહારોની ) મર્યાદા પ્રવર્તાવી તેમ આ દાનધર્મ શ્રેયાંસકુમારે જ પ્રવર્તાવેલા છે. ત્યારથી જ પ્રજામાં દાનધર્મની શરૂઆત થઈ છે. છદ્મસ્થમુદ્રાથી સદેશામાં વિચરતા પ્રભુએ એક હજાર વર્ષ સહેલાઈથી પસાર કર્યાં. ઋષભપ્રભુએ અયેાધ્યાની પાસે આવેલા પુરિમતાલ નામના નગરમાં જઈને તે નગરના શકટમુખ-ઉદ્યાનમાં પ્રવેશ કર્યા. ત્યાં અટ્ઠમતપના પચ્ચક્ખાણવાળા અને ન્યત્રાધવૃક્ષની નીચે બેઠેલા ત્રણ જગતના ગુરુ શ્રી ઋષભદેવને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ઇંદ્રોએ સમવસરણુની રચના કરી. આ તરફ રાજ્યનું પાલન કરતા ભરત રાજાની સભામાં જાણે આ લાકની અને પરલાકની લક્ષ્મીના દૂતા હાય તેવા ચમક અને શમક નામના બે પુરુષો એકી સાથે ગયા. તેમાં એકે ઋષભપ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું છે એ સમાચાર આપ્યા. ખીજાએ શસ્રશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એવા સમાચાર આપ્યા. જીવઘાતનું કારણુ એવા ચક્રની પૂજાવિધિની ઉપેક્ષા કરીને ભરત મહારાજા ત્રણલાકને અભય આપનારા નાથને નમવા માટે ત્યાંથી જલદી ચાલ્યા.
પરિવાર સહિત ભરત મહારાજા ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને તીનાથને હ પૂર્વક વંદન કર્યું. પછી ભરત મહારાજા ઈંદ્રના અર્ધા આસન ઉપર બેઠા અને અંજિલ જોડી એટલે પ્રભુએ સર્વ જીવાને પાતપેાતાની ભાષામાં સમજાય તેવી વાણીથી દેશના આપી. તે આ પ્રમાણેઃ- વૃદ્ધાવસ્થા, માનસિક પીડા, શારીરિક પીડા અને દુર્દશારૂપી મગરમચ્છના સમૂહની (વિવિધ) જાતિએથી ભરેલા આ સંસારરૂપી ખારા સાગરમાં જીવાને સુખ શું છે? જેમાં સુખા દૂર કરાયાં છે અને જે કરાડા દુઃખેાથી ભરેલા છે એવા આ સંસારમાં મરુભૂમિની જેમ રાગ કોણ કરે ? વિષયે દુર્જનના વચનની જેમ અવશ્ય ભયંકર પરિણામવાળા છે. જીવાના પ્રેમ પાકેલા ફળની જેમ પડવાના (=નાશ પામવાના) સ્વભાવવાળા છે. હે બુદ્ધિમાન જીવા ! ચારગતિવાળા સ'સાર દુઃખરૂપ છે એમ વિચારીને સર્વથા મેાક્ષ માટે જ પ્રયત્ન કરો. પણ તે મેક્ષ
Page #169
--------------------------------------------------------------------------
________________
શીલાપદેશમાલા ગ્રંથને
સ
સર્વીસાવદ્યોની વિરતિ વિના દુર્લભ છે. આથી સાવદ્યોની વિરતિના સ્વીકાર કરીને સર્વ દુઃખાને જલાંજલિ આપે. આ પ્રમાણે દેશના સાંભળીને ભરત મહારાજાના પાંચસે પુત્રોએ અને સાતસા પૌત્રોએ દીક્ષા લીધી. ભરત મહારાજાની રજાથી બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. અમૃતના કુંડને મેળવીને તૃષાવાળા કાણુ અમૃત'ડને લેવામાં વિલ`ખ કરે ? ચારિત્ર લેવાની ઈચ્છાવાળી સુંદરીને બાહુબલિએ ચારિત્ર લેવાની રજા આપી, પણ ભરત મહારાજાએ નિષેધ કર્યાં. આથી તે પ્રભુની પહેલી શ્રાવિકા થઈ. સુંદર કાંતિવાળી અને લાવણ્યના અસાધારણ તરંગાવાળી સુંદરીને આ શ્રીરત્ન થશે એવી ઈચ્છાથી તે વખતે રાખી. ભરત મહારાજાએ સ્વામીના ચરણામાં શ્રાવકધમ સ્વીકાર્યાં. પછી ચક્રરત્નની પૂજા કરવાની ઈચ્છાવાળા ભરત મહારાજા જલદી શસ્ત્રશાળામાં આવ્યા. ચક્રને ચારે બાજુ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કર્યાં. પછી અષ્ટાહ્નિકા મહાત્સવ કરીને દિગ્વિજય કરવા માટે પ્રયાણ કર્યું. સદા સાળહજાર યક્ષેાથી પરિવરેલા ચક્રવર્તીએ ભરતક્ષેત્રના છે. ખઢાને સાલ્યા. ચક્ર, છત્ર, ખડ્ગ અને ઈંડ એ એકે°દ્રિય ચાર રત્ના ચક્રવર્તીની શસ્રશાળામાં ઉત્પન્ન થયા. જાણે જ્ઞાન, દર્શીન અને ચારિત્ર હાય તેવા કાકિણી ચમ અને મણિ એ ત્રણ રત્ના ચક્રવર્તીના મહાન કોષમાં ઉત્પન્ન થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરાહિત અને વકી એ ચાર નરરત્ના વિનીતાનગરીમાં ઉત્પન્ન થયા. હસ્તિરત્ન અને અશ્વરન એ એ વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયાં. શ્રીરત્ન ઉત્તર વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયું. જેમ જ મૂઠ્ઠીપ ગંગા અને સિંધુ વગેરે ચાઢ નદીએથી શાલે છે તેમ મહારાજા ચાદરત્નાથી શાલતા હતા. ભરતના અધિપતિ ભરતચક્રવર્તી સાઠ હજાર વર્ષો પછી સર્વ સમૃદ્ધિની સાથે વિનીતા નગરીમાં આવ્યા. પછી બાર વર્ષ સુધી ભરત મહારાજાના ચક્રવર્તીપદના અભિષેક થયા. ત્યારબાદ વજનાના દર્શનની ઉત્કંઠાવાળા ભરત મહારાજા સ્વજનાને યાદ કરવા લાગ્યા. તેથી રાજસેવકોએ તેમને સુંદરી ખતાવી. તેમણે સુંદરીને જોઈ તે તેના રૂપ અને લાવણ્ય હિમ પડવાથી કરમાયેલી કમલિનીની જેમ, અત્યંત સૂકાયેલી ઇલીની જેમ, દિવસે ચંદ્રલાની જેમ, અત્યંત નિસ્તેજ બની ગયા હતા. શરીરરૂપી લતામાં માત્ર હાડકાં રહ્યાં હતાં. સુંદરીને જાણે ખીજા ભવમાં આવી હોય તેવી અને અન્યના જેવા શરીરવાળી કુશ જોઈને ભરત મહારાજાએ સેવકાને આ પ્રમાણે
શું: અરે! શુ` મારા ઘરમાં તેવી ધાન્યરૂપ સ`પત્તિ નથી ? જો એમ હાય તા ચાસ બીજ ઉત્પન્ન કરનારી પણ ભૂમિ ખીજ વિનાની હોય તેમ સંભવે છે. અથવા શું કૃપણતાના કારણે અહીં કાઇ પણ માણસ પેાતાની ઇચ્છા પ્રમાણે ખાઈ શકતા નથી ? જે એમ હાય તા સમજવું કે ખારા સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ પણ ખારા રસની
૧૬૦
૧. સાવદ્ય એટલે પાપવાળા મન-વચન અને કાયા એ ત્રણ યોગા. પાપવાળા મન, વચન અને કાયા એ ત્રણ યાગાના સવથા ત્યાગ કરવા એ સ સાદ્યોની વિરતિ છે. સ*સાવઘોની વિરતિ એટલે જ દીક્ષા.
Page #170
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૧ રુચિવાળા છે. અથવા શું આ સેઈયાઓ પિતાના કાર્યમાં તત્પર નથી? જો એમ હોય તે કામની ચોરી કરનારા હેવાથી રઈયાઓને પણ દૂર કરવા જોઈએ. અથવા શું ખજૂર, ખારેક, દ્રાક્ષા, નાળિયેર અને ફળો વગેરે તથા સુખડી વગેરે દરિદ્રના ઘરમાં ન હોય તેમ નથી? શું ઉદ્યાનમાં વૃક્ષે ફલથી રહિત બની ગયા છે? જે એમ હેય તે સમજવું કે કલ્પવૃક્ષ પ્રાર્થનાથી વિમુખ બની ગયા છે, અર્થાત્ પ્રાર્થના કરવા છતાં કલ્પવૃક્ષો કંઈ આપતા નથી. અથવા શું ઘડા જેવા આઉવાળી પણ ગાયે દૂધ આપતી નથી? જો એમ હોય તે સમજવું કે ગંગા, સિધુ વગેરે નદીઓ ભયંકર ઉનાળાના તાપથી સુકાઈ ગઈ છે. હવે જે ભેજન વગેરે સામગ્રી હોવા છતાં આ સુંદરી કંઈ ખાતી નથી તે કઈ રોગ તેને પીડા કરે છે. જે તેમ હોય તે રંગને પ્રતિકાર કરવામાં કુશળ એવા બધા ઉત્તમ વૈદ્યો મભૂમિમાં પાણીની નહેરની જેમ શું મરી ગયા છે? હવે જે અમારા મહેલમાં દિવ્ય ઔષધિ તમને ન મળી તે સમજવું કે તે હિમાલય પર્વત અવશ્ય ઔષધિથી રહિત બની ગયો છે. અહે! આ સુંદરી જાણે જન્મથી જ દુખેથી દાઝેલી હોય તેમ કસાઈના ઘરમાં બાંધેલી બકરીની જેમ દુર્બલ કેમ થઈ ગઈ છે? સેવકોએ ભરત મહારાજાને નમીને આ પ્રમાણે કહ્યું – આપના ઘરમાં કલ્પવૃક્ષની જેમ અન્ન (વગેરે) કાંઈ પણ દુર્લભ નથી. પણ આપે જ્યારથી દિગ્વિજય કરવા માટે પ્રયાણ કર્યું, ત્યારથી સુંદરી સદા આયંબિલ કરે છે. આપે જ્યારે તેને દીક્ષા લેતી અટકાવી
ત્યારથી જ તે ભાવથી સાધવીની જેમ રહી છે. ભરત મહારાજાએ સુંદરીને પૂછયું: હે કલ્યાણિની! શું તું પૂજ્ય પિતાજીની પાસે દીક્ષા લેવાને ઈરછે છે? સુંદરીએ તેવી ઈરછા છે એ પ્રત્યુત્તર આપ્યો. ભરત મહારાજા ફરી બોલ્યાઃ મેં પ્રમાદથી અથવા મૂઢતાથી આટલા કાળ સુધી મહાસતી સુંદરીને દીક્ષા લેવામાં અંતરાય કર્યો. તેથી હમણાં પણ પિતાનું વાંછિત સાધતી આ મહાસતી જ ચક્કસ પૂજય પિતાજીની સાચે જ સુંદરી છે–સુંદર છે, અર્થાત્ પૂજ્ય પિતાજીના બધા સંતાનમાં આ સુંદરી જ અધિક સુંદર છે. મદિરાથી ઉન્મત્ત બનેલાની જેમ હિતાહિતને નહિ જાણતા અમે વિષયમાં આસક્ત બનીને રાજ્યસંપત્તિમાં મૂછ ધારણ કરીએ છીએ. આવા અમને ધિક્કાર થાઓ ! જેમ ભોગ સુખોને ભેગવનારા માણસો નાશવંત સુગંધવાળા પુષ્પોથી પોતાની ભેગવાંછાને સાધે છે, તેમ યેગીઓ નાશવંત આ શરીરથી જ મોક્ષને સાધે છે. માનસિક પીડા, શારીરિક રોગ, મળ, મૂત્ર, મેલ અને પરસેવા સ્વરૂપ આ શરીરને ડુંગળીના ટુકડાની જેમ સુગંધી કરવાનું શક્ય નથી. તેથી આ શરીરથી ચારિત્રરૂપ ફળ મેળવવામાં આવે તે સારું છે. નિપુણ મનુષ્ય જ રેતીમાંથી સુવર્ણના અંશની જેમ આ શરીરથી ચારિત્રરૂપ
૧. અહીં ઉન્નતિના શબ્દ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દકોષમાં મારા જોવામાં આવ્યા નથી. આથી મેં સંબંધને અનુસરીને તેને ખારેક અર્થ કર્યો છે.
૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શીલપદેશમાલા ગ્રંથને ફળ મેળવે છે. હવે હર્ષ પામેલા ભરત મહારાજાએ સુંદરીને દીક્ષાની અનુમતિ આપી. ત્યારે સુંદરી કૃશશરીરવાળી હોવા છતાં હર્ષથી પુષ્ટ શરીરવાળી સ્ત્રીની જેમ શોભી
આ તરફ ઉનાળાના તાપથી તપેલા છ માટે મેઘ સમાન શ્રી ઋષભપ્રભુ વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. અષ્ટાપદપર્વત ઉપર શ્રી ઋષભપ્રભુ પધાર્યા છે, અને દેશના આપી રહ્યા છે, એવા સમાચાર ઉદ્યાનપાલકેએ જલદી ચક્રવર્તીને આપ્યા. આ સમાચાર સાંભળીને (છ ખંડના) વિજયથી પણ અધિક હર્ષને ધારણ કરતા ભરત મહારાજાએ ઉદ્યાનપાલકને સાડા બાર ક્રોડ સુવર્ણ આપ્યું. ભરત મહારાજાએ સુંદરીને કહ્યું ખરેખર ! તારા મનોરથની સિદ્ધિ માટે ખેતરમાં સ્વાતિ નક્ષત્રના વર્ષોની જેમ જગદગુરુ પૂજ્ય પિતાજી અષ્ટાપદપર્વત ઉપર પધાર્યા છે. હવે ભરત મહારાજાની આજ્ઞાથી અંતઃપુરની સ્ત્રીઓએ સુંદરીને દીક્ષા સ્વીકારને અભિષેક કરાવ્ય, અર્થાત્ સ્નાન કરાવ્યું. પછી વિલેપન કરીને શીલથી સુંદર એવી સુંદરીએ જેમ શરદઋતુમાં આકાશ ઉજજવળ વાદળોને ધારણ કરે તેમ ઉજજવળ બે વચ્ચે ધારણ કર્યા. તે વખતે તેના શરીરમાં કિંમતી અને તેજવી રત્નના અનેક અલંકારો જાણે નિર્મલ શીલના અલંકારો હોય તેમ શોભવા લાગ્યા. તે વખતે સુંદરીના રૂપ સૌંદર્યની આગળ સુભદ્રા નામનું સ્ત્રીરત્ન તે જાણે દાસી હોય તેવું દેખાવા લાગ્યું. પછી ભાદરવા માસની મેઘશ્રેણિની જેમ ગરીબેને ઈચ્છા પ્રમાણે દાન આપતી તે શિબિકામાં આરૂઢ થઈ સફેદ છત્રથી તે શોભતી હતી. તેને ચામર વીંઝવામાં આવતા હતા. મંગલપાઠકે તેના અનેક ગુણોની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. તે અંત પુરના પરિવાર, સૈન્ય અને અનેક રાજાએથી શેભતી હતી. હર્ષથી પુષ્ટચિત્તવાળા ભરત મહારાજા તેની પાછળ ચાલી રહ્યા હતા. તેની ભાભીઓ ભક્તિથી મંગલ ગીત ગાઈ રહી હતી. સુંદર સ્ત્રીઓ પગલે પગલે તેનું લૂણ ઉતારતી હતી. વાગી રહેલા વાજિંત્રોના ઊંચે જતા નાદોથી આકાશ બહેરું થઈ ગયું હતું. આ પ્રમાણે આવતી મહાસતી સુંદરી પૂજ્ય પિતાજીથી પવિત્ર થયેલ અષ્ટાપદ પર્વત ઉપર આવી. પછી વૈરાગ્યની વાત કરવામાં કુશળ ભરત અને સુંદરી ભવભયવાળા જીવનું શરણ એવા સમવસરણ પાસે આવ્યા. ધર્મચક્રવર્તી શ્રી ઋષભ પ્રભુને ભરત ચક્રવર્તીએ આદરથી વંદન કર્યું. સુંદરીએ વંદન કરીને અને અંજલિ જોડીને પ્રભુને ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે કહ્યું: હે ત્રિજગત્પતિ ! ઘણું કાળથી આપ મનથી પ્રત્યક્ષ જ હતા, પણ ઘણું પુણ્ય એકઠું થવાથી ભાગ્યોગે આજે આપ નજરથી પ્રત્યક્ષ જોવામાં આવ્યા છે. ભરત મહારાજાના દબાણથી આટલા કાળ સુધી મેં ચારિત્રન લીધું. તેનાથી હું જાતે જ છેતરાણી છું. મારી મોટી બહેન બ્રાહ્મી, ભત્રીજા અને તેમના પુત્રો તે બધા ધન્ય છે કે જેમણે આપના માર્ગને સ્વીકાર કર્યો છે. તે વિશ્વવત્સલ! મને દીક્ષા આપીને તારો તારો! આખા જગતને પ્રકાશિત કરનાર સૂર્ય શું ઘરને પ્રકાશિત ન કરે? હે મહાભાગ્યવંતી ! હે મહાસત્ત્વવંતી ! સારું સારું એમ બેલતા પ્રભુએ સુંદરીને ભવરૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન
Page #172
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૩ દીક્ષા આપી. પછી પ્રભુએ સુંદરીને ધર્મરૂપી ઉદ્યાન માટે પાણીની નીક સમાન અને અમૃતતુલ્ય હિતશિક્ષા સંબંધી ઉપદેશ આપ્યો. પછી પિતાને કૃતકૃત્ય જેવા અને તારૂપ ધનવાળા સાદવજી સુંદરી સાધ્વીસમુદાયમાં ક્રમ પ્રમાણે બેઠા. પ્રમોદથી પૂર્ણ બનેલા ભરત મહારાજા દેશના પૂર્ણ થયા પછી પ્રભુજીને, સાધુઓને અને સાધ્વીજીઓને વંદન કરીને અયોધ્યામાં ગયા. બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા સાધ્વીજી શ્રી સુંદરીએ પણ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને નિરતિચાર અને વિધિપૂર્વક ચારિત્ર પાળ્યું. જેમ સ્વાતિ નક્ષત્રમાં છીપ મોતીને પ્રાપ્ત કરે તેમ સુંદરીએ નિર્દોષ તપશ્ચર્યાઓથી ઘાતી કર્મોનો નાશ કરીને કેવલજ્ઞાન મેળવ્યું. શ્રી સુંદરી અનુપમ શીલની નિર્મલતાથી ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનને ઘણા કાળ સુધી પાળીને, અર્થાત્ ઘણુ કાળ સુધી કેવલી અવસ્થામાં રહીને, પર્વતેમાં ઉત્તમ અષ્ટાપદ પર્વત ઉપર અનંત સુખવાળા મેક્ષને પામ્યા.
અંજનાસુંદરીનું દષ્ટાંત હવે અંજનાસુંદરીનું દષ્ટાંત કહે છે -
આ જ જંબુદ્વીપમાં શાશ્વત કલ્યાણનું મંદિર અને વિદ્યાધરની બે શ્રેણિએથી યુક્ત વૈતાઢય પર્વત છે. તેમાં વિદ્યાસિદ્ધોના સ્થાનવાળું અને જાણે સ્વર્ગને જીતવા માટે હોય તેમ ઉપર ઉપર મજલાઓવાળું પ્રસિદ્ધ પ્રહૂલાદનગર છે. તે નગરમાં શત્રુસમૂહને નાશ કરનાર પ્રલાદ નામને રાજા હતા. આકાશમાં રહેલે સૂર્ય જાણે તે રાજાને શરીરધારી પ્રતાપ હતો. તેની ગુણરૂપી માણેક રત્નોની ખાણ એવી પદ્યાવતી નામની રાણી હતી. તેને ગુણેથી જાણે ઇંદ્રને પુત્ર જયંત હોય તે પવનંજય નામને પુત્ર હતે. કૌતકવાળે તે ઋષભદત્ત વગેરે મિત્રોની સાથે ક્રીડા કરવાના ઉદ્યાનોમાં અને વાવડીઓમાં વિનોદ કર, ધનુર્વિદ્યાને અભ્યાસ કરે અને લશ્કરી તાલીમ લેવી વગેરે ક્રીડા કરતે હતે.
આ તરફ તે જ શ્રેણિમાં અંજન નામનું નગર હતું. અંજનકેતુ રાજા ઇદ્રની જેમ તેનું પાલન કરતું હતું. તેની બુદ્ધિમાનને માનનીય એવી અંજનવતી નામની રાણી હતી. તે બેની નેત્રોમાં અમૃતના અંજન સમાન અંજનાસુંદરી કન્યા હતી. જાણે રૂપ અને સૌંદર્યની સીમા હોય તેવી અને સર્વ પ્રકારના ગુણવાળી તે પિતાના મનોરથની સાથે યુવાવસ્થાને પામી. જેમ વર્ષાઋતુમાં નદીનું પૂર ચારે બાજુ ફેલાય તેમ અંજનાસુંદરીના રૂપ, સૌંદર્ય અને ગુણેની વાત “પહેલાં હું ખબર આપું-પહેલાં હું ખબર આપું” એમ અહંપૂર્વક અનેક રાજાઓના સ્થાનોમાં ફેલાણી. રાજાઓએ પોતાના અને પિતાના કુમારોના કામદેવના જેવા રૂપને પટમાં આલેખી આલેખીને મંત્રીઓના હાથે મોકલ્યા તેથી આ જનાસુંદરીના માતા-પિતા વમણિના ગુણોની જેમ તે રાજાઓના અને રાજપુત્રોના રૂપ, કુલ, ઐશ્વર્ય, વિદ્યા, શીલ અને પરાક્રમ એ ગુણોને વિચારવા લાગ્યા. આ દરમિયાન એકવાર જાણે કામદેવના આજ્ઞા પટ હેય તેવા ભવિષ્યવ્રત અને પવનંજય એ એના પટે એકી સાથે મંત્રીના
Page #173
--------------------------------------------------------------------------
________________
શીલપદેશમાલા ગ્રથને હાથમાં આવ્યા. પરીક્ષામાં કુશલ રાજાએ સર્વ કુમારોના પટને તરાની જેમ છોડીને એ બે પટની ધારણ કરી, અર્થાત્ એ બેના ગુણેની ધારણા કરી. અંજનકેતુ રાજાએ એ બેમાં સમાન ઉત્તમ ગુણેને જાણીને ફરી મંત્રીને એ બેમાં રૂપ અને ગુણમાં કેણ અધિક છે? એમ પૂછયું. મંત્રીએ કહ્યું- હે દેવ! આ ભવિષ્યદત્ત ગુણમાં વિશેષ છે. પણ તે જન્મથી અઢારમા વર્ષે મેક્ષમાં જશે એમ જિનેશ્વરે કહ્યું છે. ગુણેથી અધિક હેવાના કારણે ભવિષ્યદત્તને કન્યા આપવાની ઈચ્છાવાળા પણ રાજાએ ભવિષ્યદત્ત અલ્પ આયુષ્યવાળ છે એવી શંકા કરીને ન આપી. તે વખતે શાશ્વતક્ષેત્ર નંદીશ્વરદ્વીપમાં યાત્રામાં હજારો વિવારે મહાન સમૃદ્ધિથી ભેગા થયા. ત્યાં અંજનકેતુ રાજાએ પ્રહૂલાદન રાજાના પુત્ર પવનંજયને એગ્ય જોઈને હર્ષથી કન્યા આપી. નૈમિત્તિકોએ જલદી અલ્પ દિવસમાં આવે તેવું મુહૂર્ત આપ્યું. યેગ્ય સંબંધ થવાથી ખુશ થયેલા તે બંને પોતપોતાના ઘરે ગયા. અંજનકેતુ રાજાએ પોતાની સમૃદ્ધિ પ્રમાણે મહાન ઉત્સવ કરવા માટે આડંબરવાળી વિવાહની સામગ્રી એકઠી કરી. પછી તે મહાન આડંબરથી સર્વ પરિવાર સહિત ગળ માનસ સરોવરમાં આવીને રહ્યો. માટે વિસ્તાર કરવાની ઈચ્છાથી અધિક સંખ્યામાં આવવા માટે પ્રહૂલાદન રાજાને લગ્નપત્રિકા મેકલી. પ્રહૂલાદન રાજાએ પણ જનમાં જવા માટે સ્વજનેને આદરથી લાવ્યા. સમૃદ્ધિ હેય ત્યારે પુત્ર વગેરેના કાર્યોમાં કણ કણ ઉદ્યમવાળા થતા નથી?
આ તરફ ઋષભદત્તે પવનંજયને કહ્યું- હે મિત્ર ! મૈત્રીથી થયેલો પ્રેમ પત્ની પ્રેમથી અદશ્ય થઈ જશે. પવનંજયે સ્મિત કરીને કહ્યુંઃ હે મિત્ર ! મને પત્નીને જોવાનું કુતૂહલ થયું છે. આથી કેઈને ખબર ન પડે તેમ રાતે જઈને તેને જોઈએ. બંને આકાશમાગે વિમાનથી જલદી માનસ સરોવરની હદ પાસે ગયા. કાળાં વસ્ત્રો પહેરીને સસરાના ઘરમાં પ્રવેશ કર્યો. સખીઓથી પરિવરેલી અને પરસ્પર વાત કરવામાં રસવાળી અંજનાસુંદરી
જ્યાં હતી ત્યાં તે બંને ગયા. તે વખતે કેઈક સખીએ અંજનાસુંદરીને કહ્યું: હે સખી! પૂર્વે તારા માટે જે પતિ વિચારાયો હતે તે નજીકમાં મોક્ષમાં જનારો છે. આથી સારા પણ અલ્પ આયુષ્યવાળા પતિથી શું? તૃપ્તિ વિના પતિના વિયેગનું દુઃખ ખરેખર અત્યંત દુસહ્ય હોય છે. અંજનાસુંદરીએ કહ્યુંઃ હે સખી! આ ચર્ચાથી શું ? અમૃતને છાંટે પણ મુશ્કેલીથી મેળવી શકાય છે એમ તે શું સાંભળ્યું નથી? આ પ્રમાણે સાંભળીને તિરસ્કાર કરાયેલા સિંહની જેમ કેપથી લાલ આંખવાળે પવનંજય તલવાર
૧. અહીં પકો : એ પ્રયોગ છે. વેષને અર્થ ગુણ ન થાય. પણ આજુ બાજુને સંબંધ જોતાં વેષ અથ બંધ બેસતા નથી થતો, ગુણ અર્થ બંધ બેસતા છે. આથી અનુવાદમાં ગુણ શબ્દને પ્રયોગ કર્યો છે. ૨, smયાત્રા=જાન.
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૫ ખેંચીને અંજનાને હણવા માટે દેડતો હતો તેટલામાં ઋષભદતે હાથથી તલવાર ખેંચીને તેને કહ્યુંઃ શિષ્ટપુરુષને માટે અનુચિત અને અપ્રસ્તુત એ આ પ્રયત્ન છે? અર્થાત્ આ પ્રયત્ન કરે તને ન ઘટે. એક તે રાત્રિમાં બીજાના ઘરમાં આપણે આવ્યા અને બીજું કન્યાને વધ કરવો એ ચગ્ય નથી. જ્યાં સુધી તું તેને પર નથી ત્યાં સુધી એ પારકી છે, એથી પણ તું એને હણે એ યોગ્ય નથી. આ પ્રમાણે ઋષભદરે તેને રક્યો એટલે અંજનાસુંદરી પ્રત્યે વિરક્ત ચિત્તવાળો અને ઉદાસીન થયેલ તે તલવારને મ્યાનમાં મૂકીને પિતાના ઘરે ગયે. હવે તેમણે અનેક હાથીએ, અ, રથ અને પાયદળોની સાથે જણાવેલા દિવસે જાનમાં જવા માટે તૈયારી કરવા માંડી. મંગલદવનિથી યુક્ત નગારાંઓ (=વાર્જિ) વાગ્યાં એટલે કુમારને શણગારવા માટે સૈભાગ્યવંતી સ્ત્રીઓ આવી. આડંબરપૂર્વક આવેલી તે સ્ત્રીઓને જોઈને પવનંજયે પિતાને શું ઈષ્ટ છે તે તેમને જણાવવા પાસે રહેલા મિત્રને કહ્યું આ આડંબર શા માટે છે? જેમ સજજન ખરાબ વાતને ન ઈચ્છે તેમ હું આવો વિવાહ કરવાને ઈચ્છતું નથી. આ સાંભળીને વિલખી બનેલી તે સ્ત્રીઓએ પવનંજયની માતાને આ વાત કહી. માતાએ ઉત્સુકતાથી પવનંજય પાસે આવીને આશીર્વાદપૂર્વક કહ્યું – હે વત્સ! તે સામાન્ય લેકેની પણ આશાઓને પૂરી છે તે હમણુ માતાને પણ નિરાશ કરવી એ શું તારા માટે ચેગ્ય છે? કુર્તિથી વિવાહની સામગ્રી ભેગી કરવામાં વ્યાકુલચિત્તવાળે રાજા પણ તે સાંભળીને કુમારની પાસે જલદી આવ્યું. તેણે કુમારને કહ્યું: અધમ માણસને ગ્ય અને શરમાવા જેવું આ શું સંભળાય છે? શું આપણે આદરેલું કાર્ય ક્યાંય શિથિલ થાય ખરું? શું આપણું જીવતાં અંજનાસુંદરીને બીજે કઈ પરણશે ? જેમ શંકરે ખંડિતચંદ્રને ન મૂક્યો=ધારણ કર્યો તેમ આદરેલું કાર્ય કેઈએ (કેઈ ધીરપુરુષે) મૂકયું નથી. આ પ્રમાણે રોષ અને અહંકારપૂર્વક કહીને પ્રહલાદન રાજાએ કુમારને હાથથી ખેંચીને વાહનમાં બેસાડ્યો. કુલીન પુરુષ લજજાથી પણ પૂજ્યાના વચનને ક્યાંય પણ અન્યથા કરતા નથી એમ વિચારીને ગુપ્તરોષવાળા કુમારે જલદી પ્રયાણ કર્યું. સિભાગ્યવતી સ્ત્રીઓએ તે વખતે તેનું ઉત્તમ મંગલ કર્યું. તેણે મુગુટ, હાર અને બાજુબંધ વિગેરે કિંમતી આભૂષણે પહેર્યા.
તેના મસ્તકે ચંદ્રમંડલ જેવું વેત છત્ર ધારણ કરવામાં આવ્યું. તેની બે બાજુ ગંગાના તરંગે જેવા ચંચલ ચામરે વીઝાઈ રહ્યા હતા. જય જય એવો અવનિ થઈ રહ્યું હતું. તેણે યાચકને દાનથી ખુશ કર્યા. દષ્ટિથી બધાને સત્કાર કરતે હતે. તાંબુલથી તેનું મુખ સુંદર દેખાતું હતું. જાનની આગળ જતે પવનંજયકુમાર દેવસેનાની આગળ ચાલતા કાર્તિકસ્વામીની જેમ અત્યંત શેતે હતે. કન્યાપક્ષ તરફથી મોટા
૧. કાર્તિકસ્વામી-પાર્વતીને પુત્ર
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શીલેાપદેશમાલા ગ્રંથના
માટા ઘણા માણસા સામે આવ્યા હતા. એથી ભૂમિ ૧લિરાજ્યની જેમ મહાત્સવમય બની ગઈ. દાન, ભાજન, સન્માન અને પહેરામણી કરવાથી વિવાહમંગલ થયુ' અને રાજાના હર્ષની વૃદ્ધિ થઇ. તે વખતે અનુરૂપ ઉ ́મર અને રૂપવાવાળા વધૂ અને વર એ અને રહિણી અને ચંદ્રની જેમ લેાકમાં પ્રશંસાને પામ્યા. પેાતાના ઘરે જવાની ઈચ્છાવાળા પ્રહલાદન રાજાએ સ્વજનાને તુષ્ઠિાન આપીને રજા આપી. આથી સ્વજના જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા.
શુદ્ધકુલાચારમાં પરાયણ અંજનાસુંદરીએ પેાતાના ગુણાથી લક્ષ્મીની જેમ કુટુંબને ખુશ કર્યું. પણ પૂર્ણાંકની પરાધીનતાથી પતિએ તેને ચંડાલણીની જેમ ઘરમાં પણ ચક્ષુથી ન સ્પર્શી, અર્થાત્ કથારેય એની સામે પણ ન જોયુ. જેમ રાગમાં ઘીવાળું ભાજન આનંદ માટે ન થાય તેમ પતિભક્તા, પતિ પ્રત્યે અનુરાગવાળી અને મહાસતી પણ તે અંજનાસુંદરી પતિના આનંદ માટે ન થઈ પતિભક્તિને નહિ મૂકતી અને કવિકારોને જાણતી અંજનાસુંદરીએ જેમ સમુદ્ર મર્યાદાને ઓળંગે નહિ તેમ મર્યાદાનું ઉલ્લંધન કયું નહિ.
આ તરફ વરુણુ રાજાની સાથે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા પ્રતિવાસુદેવ રાવણે યુદ્ધમાં સહાય આપવા માટે પ્રહલાદન રાજાને ખાલાવવા માટે લંકાથી માકલેલા રાજદૂત ત્યાં આવ્યા. યુદ્ધના કૌતુકવાળા પ્રહ્લાદન રાજાએ તાત્કાલિક સૈન્યસમૂહને બેલાવનારી જયભેરીને વગડાવી. જયલેરીને સાંભળીને અને યુદ્ધ માટે પિતાને તૈયાર થયેલા જાણીને પવન જચે વિચાર્યું. કે, હું વિદ્યમાન હોવા છતાં યુદ્ધ કરવા માટે પિતા જશે એ ચેાગ્ય નથી. આથી પિતાને નમીને યુદ્ધ માટે જવા મને અનુજ્ઞા આપે એમ પ્રાર્થના કરી. પછી યુદ્ધમાં જવા માટે પોતે બીડું ઝડપ્યું, અર્થાત્ યુદ્ધ માટે જવાનેા નિ ય કર્યાં. કારણ કે સમ પુત્રા પિતાને શ્રમ થાય એ સહન કરતા નથી. પતિ માતાને પૂછીને યુદ્ધ માટે જવાની ઈચ્છાવાળા છે એમ જાણીને અંજનાસુંદરી સાસુના ઘરે આવી. સાસુએ પણ તેને ન ખાલાવી. ઉદાસીન મનવાળી અને પતિની ષ્ટિને મેળવવાને ઈચ્છતી તે થાંભલાના ટેકા લઈને ઊભી રહી. કુમાર પણ તૈયાર થઈને અને સૈન્યને આગળ રસ્તામાં માકલીને પોતે આશીર્વાદ લેવા માટે માતાના ઘરમાં આવ્યા. તેણે માતાના ચરણામાં વદન કર્યું, માતાએ પણ આશિષવચન કહ્યાં, પછી પુત્રને ચેાગ્ય શિખામણ આપીને યુદ્ધમાં જવાની રજા આપી. થાંભલાને ટેકા લઈને ઊભેલી, સ્થિર શરીરવાળી અને પતિની દૃષ્ટિને મેળવવાને ઈચ્છતી તે અજનાસુંદરી રૂપાળી પુતળીની જેમ Àાભી. કુમાર પરિવારની સાથે માતાના ઘરમાંથી નીકળ્યા. જાણે ઉદાસીન હોય તેમ તેણે અંજનાની સામે પણ ન જોયું. સતત વહેતા નેત્રના આંસુઓથી જાણે ભૂમિમાં પાણી છાંટતી હોય
૧. બલિરાજા ઘણા યજ્ઞા અને મહેત્સવા કરાવતા હતા તેથી તેનું રાજ્ય · મહેાત્સવમય હતું.
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૭ તેવી અને શૂન્યચિત્તવાળી અંજનાસુંદરી પોતાના ઘરે પાછી આવી. ગયેલા કુમારે પહેલાં પ્રયાણમાં માનસ સરોવરના કિનારે સુખપૂર્વક સૈન્યને પડાવ નખાવ્યું. ત્યાં રાતે સરોવરના કિનારે ચક્રવાકીને આક્રન્દનથી વ્યાકુલ જોઈને પવનંજયે મિત્રને પૂછયું: હે મિત્ર! આ શું છે? મિત્રે કહ્યું હે દેવ! ભાગ્યની પરાધીનતાથી ચકલાક અને ચક્રવાકી દિવસે ભેગા રહે છે અને રાતે હંમેશાં જ છૂટાં પડી જાય છે.
આથી પતિના વિરહથી આકંદન કરતી ચક્રવાકી આંસુ પાડે છે. હે બંધુ! જીવતી હોવા છતાં મરેલા જેવી તે સવારે પતિના સંયોગને પામશે. આ તરફ અંજનાસુંદરીનું ભેગાંતરાય કર્મ ક્ષીણ થયું. આથી પવનંજય બાર બાર વર્ષથી મારા વડે તજાયેલી અંજનાસુંદરી કેવી રીતે રહી શકી હશે? તેથી હે મિત્ર! હું તેની પાસે જવાને ઈચ્છું છું. તેને મળીને પાછો આવી જઈશ. મિત્રે જાઓ એમ કહ્યું, એટલે તે જ વખતે તે અંજનાસુંદરીના ઘરે ગયે. ક્ષણવાર બારણુ આગળ ઊભા રહેલા તેણે તે મહાસતીને દુઃખી થતી જોઈને હું પાછો આવ્યો છું એમ બેલીને બારણું ઊઘાડયું. તે જ દિવસે સ્નાન કરેલી અંજનાસુંદરીની સાથે વિષયસુખ ભેગવ્યું. અંજના ગર્ભવતી બની પોતે અહીં આવ્યું છે એની બીજાઓને ખાતરી થાય એ માટે અંજનાને પિતાની વીંટી આપીને પવનંજય સૈન્યમાં પાછો ગયે.
પતિના આદરથી હર્ષ પામેલી અંજનાએ પૂર્વની દુર્દશાને ભૂલીને પોતાના આત્માને સફલ માન્યો. કારણ કે આશા પરમસુખ છે. ત્રીજા મહિને એને ગર્ભ કંઈકે પ્રગટ થયે. આ અસતી છે એમ સસરાએ મનમાં કલ્પના કરી. હર્ષના ઉદયને લાવનાર તેને ગર્ભ ચંદ્ર જેમ જેમ વધે છે તેમ તેમ તેનામાં (=અંજનામાં) કલંક પણ વધતું જાય છે. વધતા ગર્ભવાળી અંજનાને કુટુંબીઓએ ગર્ભ અંગે પૂછયું એટલે તેણે સાસુને પતિની તે વીંટી બતાવી. સાસુએ કહ્યું: મારે પુત્ર દષ્ટિથી પણ તારે આદર કરતું ન હતું, તે પછી તેણે પાછા આવીને તારી સાથે વિષયસુખ ભેગવ્યું એ વાત અમે કેવી રીતે માનીએ? સાસુએ આ પ્રમાણે અંજના ઉપર ખોટા કલંકને આરેપ કરીને અને તેને ધિકારીને કાઢી મૂકી. દોષમાં પક્ષપાત કરનારા વિરલા જ હોય છે. એકલી, નિરાધાર બની અને દુખી એવી સતી અંજના બંધાયેલા પ્રેમના કારણે જે બાલ્યાવસ્થાથી બહેનપણી હતી તે સખીની સાથે પિતાના ઘરના માર્ગે ચાલી. પિતાના ઘરે ગયેલી તેને તેના વૃત્તાંતને જાણનારા પિતા વગેરેએ પણ તિરસ્કારી. કારણ કે દેષમાં કઈપણ પિતાનું થતું જ નથી.
સ્વજનોએ કરેલા અપમાનથી વિશેષ શરમ આવવાથી જીવવામાં પણ નિરપેક્ષ બનેલી અને આંસુઓને વર્ષાવતી અંજના સતી ત્યાંથી ચાલી નીકળી. પોતાની શરમના કારણે ગામ વગેરેમાં ક્યાંય નહિ જતી સતી અંજના જંગલમાં જ ભમી. શુદ્ધશીલે તેનું રક્ષણ કર્યું. કંદ, મૂલ અને ફલોને આહાર કરતી અને ઝરણાનું પાણી પીતી એવી તે માત્ર
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શીલપદેશમાલા ગ્રંથને એક દાસી જ સહાયમાં હોવા છતાં નિર્ભયપણે રહી. ગર્ભને સમય પૂર્ણ થતાં ક્યાંક ગુફામાં તેણે જેમ વમણિની ખાણ વજરત્નને જન્મ આપે તેમ ઉગતા સૂર્ય જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. જાણે શીલરૂપી શસ્ત્રથી જ હોય તેમ સિંહ, વાઘ, હાથી, ચિત્તો, ચેર, પાણી અને અગ્નિ વગેરેના ભયથી રહિત તે એક વનમાંથી બીજા વનમાં ભમી. એકવાર તેણે પાણીની શોધ કરવા માટે દાસીને અન્યવનમાં મેકલી. ચિત્તને અનુસરનાર સેવક એક જ હોય તે પણ શું દુષ્કર છે? પાણીની શોધ કરીને આવેલી દાસીએ અંજનાને કહ્યુંઃ થર્વતના શિખર ઉપર કાયેત્સર્ગમાં રહેલા એક મુનિને મેં જોયા. હર્ષિત ચિત્તવાળી તેણે તૃષાને ભૂલી જઈને જલદી બાળકની સાથે પર્વત ઉપર ચઢીને મુનિને ભક્તિથી વંદન કર્યું. મુનિએ કાર્યોત્સર્ગ પારીને તેને ધર્મના આશીર્વાદથી પ્રસન્ન કરી, અને પ્રતિલેખિત ભૂમિ ઉપર બેસીને ઉપદેશ આપ્યું. તે આ પ્રમાણે – “હે મહાનુભાવા ! ઘણા દુખસમૂહથી ભરેલા આ સંસારમાં આશાઓને આધીન બનેલા જીવને ધર્મ વિના અન્ય કેઈ શરણે આવેલાનું રક્ષણ કરવા સમર્થ નથી. સંગે વિયેગવાળા છે. પ્રવૃત્તિઓ (=શું થવું તે) કર્મને આધીન છે. આમ છતાં મહાધીન
જીવ નિરર્થક ધ કરીને બીજાને દેષ આપે છે. ભેગવવા યોગ્ય કર્મ કેઈનાથી પણ અન્યથા કરી શકાતું નથી. પિતે ઉપાર્જન કરેલા કર્મને ભોગવીને જ જીવ વાંછિતને મેળવે છે. બીજું, જેમણે પૂર્વજન્મમાં અખંડ ધર્મ ર્યો નથી તેમને ઘણી મટી પણ સંપત્તિએ આપત્તિ સહિત ફળે છે. ધર્મ શ્રાવક અને સાધુના ભેદથી બે પ્રકારને કહ્યો છે. આ ધર્મ, સ્વર્ગ અને મેક્ષના સંબંધનું કારણ છે અને દુખને દૂર કરે છે.”
આ પ્રમાણે સાંભળીને વૈરાગ્યવાળી થયેલી અંજનાસુંદરીએ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં “થનારા અભિગ્રહોની સાથે જેનધર્મને સ્વીકાર કર્યો. મુનિએ આપેલા ઉપદેશના આધારે આ મુનિ વિશિષ્ટ જ્ઞાનવાળા છે એમ જાણીને અંજનાસુંદરીએ પૂછયું: હે ભગવંત! મને ક્યા કર્મથી આ દુઃખ થયું? મુનિએ કહ્યું હે ભદ્રા! પૂર્વભવમાં તું શેઠની પત્ની હતી. તારી જિનધર્મથી ભાવિત એક શક્ય હતી. તે અભિગ્રહ લઈને શ્રીજિનપ્રતિમાની દરરેજ પુષ્પ, ધૂપ, અને બીજા પણ પ્રભુને અર્પણ કરવા એગ્ય દ્રવ્ય વગેરેથી પૂજા કરતી હતી. મિથ્યાત્વના આગ્રહ ( પકડ)ના કારણે તું એની પૂજાને સહન કરી શકતી ન હતી. આથી અસૂયા અને ક્રોધથી એકવાર તે જિનપ્રતિમાને તે ઉકરડામાં નાખી દીધી. જિનપ્રતિમાની પૂજા વિના ભોજન નહિ કરતી શક્ય શ્રાવિકાને તે રબાર ક્ષણે પછી તે પ્રતિમા આપી. તે કર્મને આ બાર વાર્ષિક વિપાક તને થયું છે. વિશેષ પ્રકારનો એ વિપાક હવે ડોક જ બાકી રહ્યો છે. અંજનાએ ભક્તિથી અંજલિ જેડીને ફરી પૂછ્યું
૧. જ્યારે સમ્યક્ત્વને સ્વીકાર કરે ત્યારે અરિહંત એ જ મારા દેવ છે, સુસાધુઓ એ જ મારા. ગુરુ છે અને જિનેશ્વરે કહેલો ધમ એ જ મારે ધમ છે ઈત્યાદિ અભિગ્રહને સ્વીકાર કરવો પડે છે.
૨. ક્ષણ એટલે મુહૂર્તને બારમો ભાગ, આથી બાર ક્ષણ એટલે એક મુદ્દત (=એ ઘડી).
Page #178
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ હે ભગવંત ! મને અનુસરનારી આ દાસી કક્ષા કર્મથી પીડાય છે? મુનિ બોલ્યા: હે ઘર્મશીલા ! તું જ્યારે પ્રતિમાને સંતાડી રહી હતી ત્યારે એણે આ સ્થાનમાં પ્રતિમા દેખાય છે, અર્થાત્ પ્રતિમા બરાબર ગુપ્ત બની નથી એમ વારંવાર કહ્યું. તેણે આ પ્રમાણે કહ્યું તેથી તે પ્રતિમાને જરાપણ ન દેખાય એ રીતે સંતાડી દીધી. તે કર્મથી બિચારી આ પણ દુઃખને અનુભવે છે. આ સાંભળીને આશ્ચર્યથી પ્રફુલ્લિત બનેલી અંજનાસુંદરીએ પિતાના સુખ-દુઃખમાં બધા સ્થળે કર્મને પ્રમાણ માન્યું. અંજનાસુંદરીએ ફરી પૂછ્યું: હે ભગવંત! મારા શુભકર્મને ઉદય ક્યારે થશે? આ ભવમાં શુભકર્મને ઉદય થશે કે નહિ? મુનિએ કહ્યુંઃ હે મહાસત્ત્વવાળી ! તારું કર્મ લગભગ ખપી ગયું છે. અહીં જ રહેલી તને તારે મામો મળશે. પછી મામાના ઘરમાં પિતાના ઘરની જેમ રહીશ. આ દરમિયાન તારા પતિના મિલનને ઉપાય એની મેળે જ થશે. આવા આશ્વાસનથી સત્વનું આલંબન લઈને સાધુ સેવામાં તત્પર મહાસતી પર્વતના શિખર ઉપર રહી. આ તરફ તેને સૂર્યકેતુ નામને વિદ્યાધર મા નંદીશ્વરદ્વીપમાં યાત્રા કરીને પિતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ચારણશ્રમણના પુણ્યપ્રભાવથી તેનું વિમાન સ્તંભી ગયું. ક્યાંય તીર્થ ઉલ્લંઘન કરવા યોગ્ય નથી જ. પુણ્યના લાભથી પિતાને ધન્ય માનતા વિદ્યારે પણ પર્વતના શિખર ઉપર ઉતરીને મુનિને હર્ષ થી વંદન કર્યું. સાધર્મિક છે એમ માનીને અંજનાને વંદન કરી રહ્યો હતો ત્યારે સ્વર અને રૂપના અનુસાર આ મારી ભાણેજ છે એમ અંજનાને ઓળખીને તે હર્ષ પામ્યા.
તેને વૃત્તાંત સાંભળીને દયાના પરિણામવાળે બનેલે તે અંજનાસુંદરીને સાથે લઈને ચાલ્યા. ભાણેજના બાલપુત્રને અવ્યક્ત મધુર વચનેથી લાડ લડાવતે સૂર્યકેતુ વિમાનમાં બેસીને આકાશમાગે ગયે. રણકાર કરતી ઘુઘરીઓના મધુરનાદથી હર્ષ પામેલ અને એ મધુરનાદને સાંભળવા જેણે કાન માંડ્યા છે એ તે બાળક ધ્યાનસ્થ યેગીની જેમ (સ્થિર) રહ્યો. એકવાર બાલચાપલ્યના કારણે રમતથી હાથ દ્વારા વિમાનની ઘુઘરીને ખેંચતે તે મામાના ખોળામાંથી નીચે જમીન ઉપર પડ્યો. આથી અંજનાસુંદરી આકંદન કરવા લાગી. તે આ પ્રમાણે – હા દૈવ! તેવું દુઃખ આપીને હજી તું તૃપ્ત થયે નથી. જેથી પુત્રનું મુખ જવાના મારા સુખને તું સહન કરી શક્યો નહિ! હા હું હણાઈ ગઈ છું! સુખની આશા સાથે આ વિમાન પણ હણાઈ ગયું છે! ચેકસ શિલાથી કે પથ્થરથી મારા બાળકને ચૂરો થઈ ગયો હશે ! આ પ્રમાણે ભાણેજ જેરથી આકંદન કરી રહી હતી તેટલામાં સૂર્યકેતુ જલદી વિમાનમાંથી કૂદીને એ સ્થળે નીચે ઉતર્યો. ત્યાં તેણે બાળકને તેના વજ જેવા મજબૂત શરીરથી ચૂર થઈ ગયેલી શિલાના ચૂર્ણમાં બેઠેલો જોયે. નેહથી બાળકને મસ્તકમાં સુંધીને ચારે બાજુથી પૃથ્વીને (=પથ્થર-કાંકરા વગેરેને) દૂર કરીને જેમ કાદવમાંથી માણેક
૨૨
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શીલપદેશમાલા ગ્રંથને રત્નને લે તેમ બે હાથેથી બાળકને લીધે. બે હાથ રૂપ કમલેથી હંસની જેમ બાળકને લાડ લડાવતા તેણે ભાણેજને જાણે ભેટશું આપતું હોય તેમ બાળક અર્પણ કર્યું. બાળકને અખંડિત અંગવાળ જોઈને જાણે નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ આનંદિત ચિત્તવાળી તેણે બાળકને વારંવાર સ્પર્શ કર્યો. આ બાળકે આશ્ચર્ય થાય તે રીતે શિલાને ચૂરો કરી નાખ્યો એથી ત્યારથી મામાએ તેનું “શિલાચૂર એવું નામ પાડ્યું. સૂર્યકેતુ ભાણેજને ઉત્સવપૂર્વક પોતાના ઘરે લઈ ગયો. સ્વજન લાંબા કાળે જોવામાં આવે ત્યારે પ્રાયઃ કુટુંબીઓ હર્ષ પામે છે. ત્રાસરહિત બનેલી અને દીન–અનાથજનેને દાન આપવામાં તત્પર તે ધાર્મિક સત્કાર્યોથી સુખપૂર્વક દિવસો પસાર કરતી હતી. મામાના ઘરે રહેલે સુકમલ કાયાવાળો બાળક જેમ ચંદ્ર તારાઓમાં ફરે તેમ એક હાથમાંથી બીજા હાથમાં ફરતે હતો. તે નગરમાં અને તે દેશમાં પણ અંજનાસુંદરી અને તેને બાળક એ બેની જ વાત કસ્તૂરીની ગંધની જેમ ચારે બાજુ ફેલાતી હતી. - આ તરફ વરુણને જિતીને વિજયી બનેલ પવનંજય મહત્સવપૂર્વક પિતાના ઘરે આવ્યું. પિતાના ચરણમાં પ્રણામ કરીને માતાના આશીર્વાદ લીધા. સૌભાગ્યવંતી સ્ત્રીઓના આશીર્વાદ લીધા, અને લેકેને વાણીથી સત્કાર કર્યો. પછી ઉત્સવમાં ઉત્સવ સમાન પત્નીના મુખને જોવાની ઈચ્છાથી તે જેમ હાથી હાથણીના સ્થાનમાં આવે તેમ પોતાના નિવાસભવનમાં આવ્યું. દેવથી શૂન્ય દેવમંદિરની જેમ ઘરને પત્નીથી ૨હિત જેઈને પવનંજય પત્નીના વિરહથી વ્યાકુલ બની ગયો. તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં– હે શાંત પ્રિયા ! તું ક્યાં ગઈ? તે વખતે રાત્રિના અંતે મેં તારો સંગ કર્યો. આ વાત વાત્સલ્યનિધિ માતાને કેઈએ પણ ન કહી. અથવા ઘરમાંથી નીકળતી તને મારી માતાએ રેકી નહિ, સુવિચારવાળા મંત્રી વગેરે લેકેએ પણ ન રોકી. તે આપત્તિમાં તારા માતા-પિતા પણ શુદ્ર થયા. હા! મારા આગમન સુધી તેમણે પણ તારે આદર ન કર્યો. ચેકસ તે મરી ગઈ હશે, અથવા જંગલી પ્રાણએાએ તેનું ભક્ષણ કર્યું હશે! હે ભદ્રા ! હે ખીલેલા રૂપવાળી ! હે સર્વ પ્રકારના ગુણોને સમુદ્ર! હે સુન્દરી! જીવતે હું તારા સ્નેહના ઋણથી રહિત નહિ બની શકું. આ પ્રમાણે વિલાપ કરતા અને શેકથી દુઃખી થયેલા પવનંજયે તુરત ચંદનના લાકડાઓની ચિતા ગોઠવી. માતા-પિતાએ તેને વિવિધ વચનથી સમજાવ્યું, તે પણ વિરોગરૂપી જવરના વેગથી દુઃખી થયેલા તેણે મરણને આગ્રહ ન મૂક્યો. આ તરફ કાલક્ષેપ કરવાની ઈરછાવાળા મિત્ર ઋષભદત્તે મિત્રને ભેટીને તેની પાસેથી ત્રણ દિવસ માગ્યા. ચકકસ શીલના પ્રભાવથી તે જીવતી હશે, તેથી તું રાહ જો, જેથી હું તેની શોધ કરી લાવું.
આ પ્રમાણે પ્રતિજ્ઞા (=સંકલ્પ કરીને અને વિમાનમાં બેસીને ઋષભદત્ત તુરત પક્ષીની જેમ આકાશમાર્ગે ચાલ્યું. શહેર, ઉદ્યાન, ગામ અને નગર વગેરે સ્થળે ખૂબ
Page #180
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૧ ભમતે અને સ્ત્રી–બાળક વગેરેની વાતચીતમાં અનેક પ્રકારની વાતને સાંભળતે તે ત્રીજા દિવસે સૂર્ય પુરના ઉદ્યાનમાં ગયે. ત્યાં સ્ત્રીઓની વાતચીતમાં તેણે “અહો ! બાળકનું સૈભાગ્ય કેવું છે?” એમ સાંભળ્યું. આ સાંભળીને તેણે વિચાર્યું કે શુકન અનુકૂલ હોવાના કારણે હું કલ્પના કરું છું કે અંજનાસુંદરીએ બાળકને જન્મ આપ્યા છે અને તેની આ વાત છે. આ પ્રમાણે વિચારતા ઋષભદત્તે તેમની નજીકમાં રહીને તેમની “અંજનાસુંદરી મામાના ઘરે આવી” ત્યાં સુધીની બધી વાત સાંભળી. હર્ષ પામેલો તે સૂર્યકેતુ રાજાની સભામાં ગયે. ત્યાં તેણે બાળકને મેળામાં રાખીને બેઠેલી અંજનાને જોઈ. અંજનાસુંદરીએ આવેલા પતિના મિત્રને જેવા માત્રથી ઓળખી લીધે. લજજા પામેલી તે આસનને છોડીને સંભ્રમસહિત ઉભી થઈ પછી તેણે મામાને વૃત્તાંત જણાવીને પ્રફુલ્લિત ચિત્તવાળા તેનું સ્વાગત કર્યું. અંજનાસુંદરીએ લાવેલા સ્નાન, પાણી, ભેજન વગેરેનો નિષેધ કરીને અતિશય હર્ષથી પૂર્ણ બનેલા ઋષભદત્તે કહ્યું: પુત્રસહિત અંજનાસુંદરીને જોવાથી મારે શ્રમ સર્વથા દૂર થઈ ગયો છે. સફલ બનેલાએને ફલેશ શો હોય! પણ વાત એવી છે કે- વરુણને જિતને પવનંજય ઉત્સવપૂર્વક સ્નેહના અનેરોની સાથે ઘરે આવ્યો. ઘરને અંજનાસુંદરીથી રહિત જોઈને વ્યાકુલ બનેલો તે ચિતામાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળો થયે. પણ મેં તેને ત્રણ દિવસ માટે રોકી રાખે છે. તેથી અંજનાસુંદરીને જલદી મેકલે. બંનેને ઘરમાં દીર્ઘકાળ સુધી કલ્યાણ થાઓ ! તમારે આ ઉપકાર સેંકડે શાખાઓમાં વૃદ્ધિ પામે. સમયને જાણનારા સૂર્યકેતુએ તે વખતે જમાઈને મિત્રની સાથે પુત્ર સહિત ભાણેજને સસરાના ઘરે મેકલી. અતિશય હર્ષ થી ઉતાવળો થયેલો તે અંજનાને વિમાનમાં બેસાડીને પ્રહૂલાદન નગરના ઉદ્યાનમાં આવ્યું. અંજનાને ઉદ્યાનમાં રાખીને પિતે આગળ ગયે. તેણે પુત્ર સહિત અંજનાના આગમનનાં આશ્ચર્યને જણાવીને પુત્ર સહિત રાજાને મનોરોની સાથે વધામણી આપી. બધા હર્ષ પામ્યા. અતિશય હર્ષવાળા અને આદરયુક્ત મનવાળા તેમણે ઋષભદત્તની વાણીને પ્રાણ આપનાર ઔષધ સમાન માની. જાણે ન ઉગેલો ચંદ્ર હોય તેવા પવનંજયનઃ પુત્રને જોવા માટે નગરના લેકે જાણે સમુદ્રી જતા હોય તેમ ગયા. અંજનાને નગર પ્રવેશ કરાવવા માટે વાજિ 2 વાગવા લાગ્યા. ઘણુ મંગલ ગીતે બેલાવા લાગ્યા. (ભા માટે રસ્તામાં બાંધેલા) કપડાના છેડાઓ હાલી રહ્યા હતા. ઘરના દ્વાર ઉપર મંગલ માટે બાંધેલી ચપલ પર્ણમાળા હાલી રહી હતી. આ રીતે મહોત્સવ પૂર્વક પ્રહૂલાદન રાજાએ પુત્ર સહિત પુત્રવધૂનો પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યા.
૧. વધામણી આપી એટલે કે આનંદને વધાર્યો. જેમ આનંદને વધાર્યો તેમ તેમના મને રથને પણ વધાર્યા. કારણકે પુત્ર સહિત અંજના મળવાથી તેમને અનેક મનોરથ થયા. આમ ઋષભદક્તિ આનંદની સાથે મનોરથને વધાર્યા. આથી અહીં મનેરોની સાથે વધામણી આપી એવો ઉલલેખ છે.
૨. લેકેના ટોળે ટોળાં જઈ રહ્યા હતા. મોટા મોટા ટોળા જાણે સાગર હોય તેવા દેખાતા હતા. આથી “અહીં જાણે સગારો જતા હોય તેમ ગયા” એ ઉલ્લેખ કર્યો છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શીલોપદેશમાલા ગ્રંથને વિશેષ પ્રીતિથી પૂર્ણ ચિત્તવાળી સાસુએ પણ જેને શ્રેષગુણેની ખાતરી કરાઈ છે. તેવી પુત્રવધૂને ઘણું માન આપ્યું. પતિવ્રતા, પ્રશંસનીય પુત્રવાળી અને પતિને પ્રિય એવી અંજના ફલથી શોભતી કલ્પવેલડીની જેમ તેના હર્ષ માટે ન થઈ? અર્થાત બધાના હર્ષ માટે થઈ. પૂર્વજન્મને યાદ કરતી અને શુદ્ધ વૈરાગ્યની અસાધારણ નદી એવી અંજનાસુંદરી જૈનધર્મને આચરવા લાગી. સંબંધી સજજને એ પવનંજયના પુત્ર શિલાચૂરનું હર્ષથી “હનુમાન” એવું નામ કર્યું. પ્રહલાદન રાજાએ નિર્મલ પુણ્ય સામગ્રીને પામીને અને પોતાના રાજ્ય ઉપર પુત્રને સ્થાપીને પોતે દીક્ષા લીધી. લીલા માત્રથી પૃથ્વીનું પાલન કરતા અને મહાપરાક્રમી પવનંજય રાજા ઘણું સામર્થ્યને પામ્ય. જેમ રામચંદ્રજીના પટરાણ સીતાજી હતા, જેમ ઈંદ્રની પટરાણી ઈંદ્રાણું છે. તેમ પવનંજયની પટરાણી અંજનાસુંદરી થઈ. અદભુતસ્થિરતાવાળી અંજનાસુંદરીએ અક્ષયપુણ્યથી ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગના સારભૂત સામ્રાજ્યને સારી રીતે અનુભવ કર્યો. યુવાવસ્થા અને સુંદર અંગોપાંગોથી મનહર હનુમાન પણ ઉદારતા, શૂરતા અને ગંભીરતા વગેરે ગુણેની સાથે વૃદ્ધિ પામે. વીસમા મુનિસુવ્રત તીર્થકરના શાસનમાં થયેલા કેઈ આચાર્ય વિહાર કરતા તે શહેરમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને અંજનાને સંવેગરૂપી દીપક પ્રજવલિત બન્યું. આથી પતિવ્રતા તેણે દીક્ષા માટે પતિ પાસે પ્રાર્થના કરી. પવનંજયે તેને સંસારમાં રહેવા માટે ઘણું કહ્યું પણ તે કઈ પણ રીતે સંસારમાં ન રહી. આથી સ્થિર પ્રેમમાં તત્પર અને પ્રિયાને મિત્ર માનનાર પવનંજય રાજાએ યુદ્ધમાંથી પાછા ન હઠે તેવા યુદ્ધવીર હનુમાનને રાજ્ય આપીને પોતે સંયમરૂપી સામ્રાજ્યને સ્વીકાર કર્યો. સતી અંજનાસુંદરીને આશ્ચર્ય કારી ચરિત્રરૂપી ચંદનને હદયમાં લગાડીને શુભભાવવાળા જીવો શીલરૂપી સુગંધીચૂર્ણથી સુગંધી ચિત્તવાળા બને.
નમદાસુંદરીનું દૃષ્ટાંત હવે નર્મદા સુંદરીનું દષ્ટાંત કહેવામાં આવે છે -
આ ભરતક્ષેત્રમાં વધતી લહમીવાળું વર્ધમાન નામનું નગર હતું. તે નગરનાં ચૈત્યના તેજથી સંપત્તિ જાણે દેવનગરને તિરસકાર કરી રહી હતી. તેમાં રૂપથી કામ દેવના ગર્વને દૂર કરનાર શ્રી સંપ્રતિનામને રાજા હતા. તેને શત્રુઓની અપકીર્તિથી જ જાણે આકાશ શ્યામ બની ગયું. તેના નગરમાં ઋષભસેન નામને સાર્થવાહ હતે. તેની જાણે ધર્મની જ શ્રેષ્ઠ મૂર્તિ હોય તેવી વીરમતી નામની પત્ની હતી. એ બેના સહદેવ અને વીરદાસ નામના નીતિમાન પુત્ર હતા, અને લાવણ્યને અસાધારણ મહાસમુદ્ર એવી ઋષિદત્તા નામની પુત્રી હતી. અનેક મિથ્યાદષ્ટિઓ ઋષિદત્તાની માગણી કરતા હોવા છતાં ઋષભસેને તેમને ઋષિદત્તા ન આપી. બિમારની પાસે મધ કેણ લઈ
Page #182
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૩
રૂપચંદ્ર નગરથી વેપાર માટે પેાતાના ઘરની જેમ સ્વેચ્છા
જાય? એકવાર રુદ્રદત્ત નામના મહાનધનિક વણિકપુત્ર ત્યાં આવ્યા. મિત્ર કુબેરદત્તના ઘરે રહીને વેપાર કરતા તે પ્રમાણે રહે છે. ઉન્મત્તહાથી ઉપર બેઠેલા તેણે સખીઓની સાથે શેરીમાં આવેલી દેવી જેવી ઋષિદત્તાને જોઈ. જેમ ચાતક આકાશ સામે જુએ તેમ તે મેાટા સ્તનવાળી અને રાજહંસ સમાનગતિવાળી ઋષિદત્તાને જ ઘણા વખત સુધી જોતા રહ્યો. પછી તેણે કુબેરદત્ત પાસેથી એની સઘળી વિગત જાણી લીધી. તેને મેળવવાની ઈચ્છાથી મિથ્યાષ્ટિ હોવા છતાં તેણે જૈનધર્મનું શિક્ષણ લીધું. એ દંભી હોવા છતાં તેના વિવેકથી શેઠનું ચિત્ત તેના પ્રત્યે આકર્ષાયું અને તેને કન્યા આપી, ખરેખર ! દંભ ધૂતાને માટે કલ્પવૃક્ષ છે. શેઠે સારા દિવસે ઋષિદત્તાને મહોત્સવપૂર્વક પરણાવી. જેમ કુળવાન શ્રી ખેતરમાં પાણી સીંચીને પેાતાને કૃતકૃત્ય માને તેમ શેઠ પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. કેટલાક મહિનાઓ વીત્યા પછી સસરાને પૂછીને જેમ કામદેવ રતિની સાથે જાય તેમ પત્નીથી યુક્ત તે પેાતાના નગરમાં ગયા. ત્યાં પિતાએ ઋષિદત્તાની સાથે જ રુદ્રદત્તને અભિનંદન આપ્યા. જેમ બાળક રત્નને છેડી દે તેમ રુદ્રદત્તે જૈનધર્મને મૂકી દીધા. તેના સ`સગ થી ઋષિદત્તા પણ મિથ્યાત્વને પામી. શખની સાથે મળેલા વાયુ શું દુ°ધને પામતા નથી ? આ જાણીને શુદ્ધ જૈન તેના માતા-પિતાએ પુત્રજન્મ, પુત્રવિવાહ વગેરે પ્રસ’ગામાં એને દૂર કરી, અર્થાત્ એને ન ખાલાવી.
ક્રમે કરીને ઋષિદત્તાએ પુત્રને જન્મ આપ્યા. તેનું મહેશ્વરદત્ત એવું નામ પાડ્યું. સમય થતાં સર્વ કળાઓથી યુક્ત તે યુવાવસ્થાને પામ્યા. આ તરફ સહદેવના ઋષિદત્તનામના પહેલા પુત્ર હતા. તેની સુંદરી નામની પત્નીએ સારા સ્વપ્નથી સૂચિત થયેલ ગર્ભને ધારણ કર્યો. તેને નર્મદા નદીમાં સ્નાન કરવાના ઢોહલા થયા. આથી સહદેવ તેને પેાતાના સામાં નર્મદા નદીની પાસે જ લઈ. ગયા. શુભ દિવસે પત્નીની સાથે નર્મદા નદીની વિધિપૂર્ણાંક પૂજા કર્યાં પછી નર્મદા નદીમાં પ્રવેશ કરીને જલક્રીડા કરી. વેપારના સુખવાળા તે સ્થાનમાં જ રહેલાં સહદેવે ત્યાં જ નાપુર નામના નગરની રચના કરી. તેમાં જાણે પોતાના સમ્યક્ત્વરૂપી શરીરને પાષવા માટે પુણ્યરૂપી આહાર હાય તેવું અને મેરુપર્યંત જેવું ઊંચું જિનમંદિર બનાવ્યું. જેમ ભમરાએ કમળ પાસે આવે તેમ ઘણા વેપારીઓએ પાતપાતાના સ્થાનાને છેડીને ત્યાં આવીને સ્થિરતા કરી. સમય થતાં જેમ વૈસૂર્ય મિણની ભૂમિ વૈઝૂની સળીને જન્મ આપે તેમ સુંદરીએ સુંદર લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યા. પિતાએ પુત્રના જન્મની જેમ એના જન્મના ઉત્સવ કર્યા. પછી તેનું નદાસુ દરી' એવું નામ પાડ્યું. નમ દાસુંદરીએ પણ જાણે પૂર્વે અભ્યાસ કરેલા હોય તેમ (સહેલાઈથી) સઘળી કળાઓના અભ્યાસ કર્યો, જેમ પૂર્ણિમા પૂર્ણચંદ્રને પામે તેમ તે પૂર્ણ યૌવનને પામી. ઋષિદત્તાએ ના સુંદરીનું રૂપ બહુ સુંદર છે એમ સાંભળ્યું. આથી તેણે પેાતાના પુત્ર માટે ન દાસુ દરીની માગણી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શીલપદેશમાલા ગ્રંથને કરવાનો વિચાર કર્યો. પછી તેણે આ પ્રમાણે વિચાર્યું - સડી ગયેલા પાંદડાની જેમ સ્વજનથી દૂર કરાયેલી મને ધિકાર હે! જેનધર્મને છોડી લેનારી મારે ઘણું સહન કરવાનું છે. જે સ્વજન પર્વના દિવસમાં પણ મારો આદર કરતા નથી તે મારા પુત્રને પિતાની પુત્રી કેવી રીતે આપશે? આવા વિચારથી રેતી તેને રુદ્રદત્તે રડવાનું કારણ પૂછ્યું. તેણે તે સઘળી વિગત કહી. આ સાંભળીને પુત્રે કહ્યું ઃ હે પિતાજી! મને ત્યાં મેકલે, જેથી હું સ્વજનોને ખુશ કરીને મામાની પુત્રીને પરણીને માતાને હર્ષ પમાડું. તેથી પિતાની આજ્ઞાથી મહેશ્વરદત્ત ચાલ્યો. થોડા જ દિવસોમાં નર્મદાપુર નગરમાં આવી ગયે. નાના (=માતાના પિતા) વગેરે સ્વજનોએ કલજજાથી તેને સત્કાર કર્યો. તીર્થકરે પણ ઉચિત આચારને ત્યાગ કરતા નથી. જેમ શિકારી સુંદર ગીતથી હરણાઓને વશ કરે તેમ તેણે પોતાના ધીરતા, ગંભીરતા, ઉદારતા વગેરે ઉત્તમગુણોથી સ્વજનને વશ કર્યો. એકવાર નાના ખોળામાં બેઠેલા મહેશ્વરદત્તને કહ્યું : હે વત્સ ! જેમ જાંગુલીમંત્રથી સપને વશ કરાય તેમ તે અમારા ચિત્તને વશ કરી લીધું છે. તેથી તને શું ઈષ્ટ આપીને અમે સુખી બનીએ. નાનાએ આ પ્રમાણે કહ્યું એટલે તેણે નર્મદા સુંદરી કન્યાની માગણી કરી. નાનાએ કહ્યું: હે વત્સ! તે યોગ્ય કહ્યું છે. પણ તારું કુળ મિથ્યાત્વની સીમા છે, તેથી મારું મન શંકા કરે છે. મહેશ્વરદત્તે કહ્યું : કુળ દૂર રહે, કુલની ચર્ચાથી શું? કમળને મસ્તક ઉપર મૂકનારાઓ શું કમળની ઉત્પત્તિને જુએ છે? મને તે તમારે જિનધર્મી જ જાણવો. સર્વ પ્રકારની પરીક્ષાઓથી અને તેવા સેગંદથી પણ તેણે પોતે જેનધર્મી જ છે એ વિશ્વાસ પમાડયો. હવે ઋષભસેને પ્રેમથી સહદેવનું હૃદય સાથે આલિંગન કર્યું. પછી તેણે હર્ષથી મહેશ્વરદતને ગૌરવપૂર્વક નર્મદા સુંદરી આપી. જેમ સ્ત્રી હાથમાં (હથેળીમાં) ચિત્રવલ્લીને કરે તેમ મહેશ્વરદત્તે નર્મદા સુંદરીને પોતાના હાથમાં કરી, અર્થાત્ તે નર્મદા સુંદરીને પર. નર્મદાસુંદરીને પરણીને તે મને રથની રચનારૂપી રાજમાર્ગને મુસાફર બન્ય, અર્થાત્ તેણે મનોરથને પૂર્ણ કર્યો. નર્મદા સુંદરીએ તેના ઉન્મત્ત હાથીના જેવા મનને ધર્મોપદેશરૂપી અંકુશથી સન્માર્ગગામી કર્યો. કેટલોક કાળ ગયા પછી સસરા વગેરેની રજાથી જેમ હાથી વિંધ્યાચલ પર્વત તરફ જાય તેમ તે પત્નીની સાથે પિતાના ઘરે ગયે.
ચરણોમાં નમેલી નર્મદસુંદરીને ખેાળામાં બેસાડીને ઋષિદના જેમ વર્ષાઋતુમાં વનભૂમિ હર્ષ પામે=વિકસિત બને તેમ હર્ષને પામી. વર્ગની ગંગા સમાન નર્મદાસુંદરીએ સુકૃતરૂપી પાણીથી સસરાના ઘરને મિથ્યાત્વરૂપી કાદવથી રહિત કર્યું. પતિ માટે ધર્મોત્સવની નદી જેવી નર્મદા સુંદરી સર્વસ્વજનોના સન્માનના સુખપૂર્વક સમય પસાર કરવા લાગી. એકવાર તે દર્પણમાં મુખ જેતી, મુખમાં તાંબૂલ ચાવતી અને વિલાસની ચેણ કરતી ઝરુખામાં બેઠેલી હતી. તે વખતે ત્યાં નીચે માર્ગમાં એક સાધુ જઈ રહ્યા હતા. તેણે થુંકેલું તાંબૂલ મુનિના મસ્તકે પડ્યું. જ્ઞાની એવા તે મુનિએ તેને
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ગુજરાતી ભાવાનુવાદ, જોઈને જાણે ગુસ્સે થયા હોય તેમ કહ્યુંઃ જે આ પ્રમાણે મુનિની આશાતના કરે છે તે પતિના વિયેગને પામે છે. ખિન્નમનવાળી નર્મદા સુંદરીએ ઝરૂખાથી ઉતરીને સાધુના એ ચરણોમાં પડીને કહ્યું કે હું બળી ગઈ છું, નિર્ભાગ્યા છું, દુષ્ટ છું, શ્રીજિનેશ્વરદેવની ઉપાસિકા હોવા છતાં મેં આ પ્રમાણે અવિનય કર્યો. મહામાઓ વિAવના સર્વ જીવે પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે, પવિત્રકરુણરસના સાગર હોય છે. આથી મારા તે અપરાધને માફ કરો. સમદષ્ટિવાળા મુનિએ શત્રુઓ ઉપર પણ કેપ કરતા નથી. પિતાનાઓ ઉપર પણ રાગ કરતા નથી, પોતાના પ્રાણ જાય તે પણ શ્રાપ આપતા નથી. તેથી દુષ્ટભાવ વિનાની મને જે શાપ આપ્યો છે તે દૂર કરો. કારણ કે ચંદનને કાપવામાં આવે તે પણ તેમાંથી સુગંધ પ્રગટે છે. મુનિ બોલ્યા ! હે વત્સ શ્રાવિકા ! નિરર્થક ખેદ ન પામ. જૈન મુનિઓ ક્યાંય પણ શાપ અને નિગ્રહ કરતા નથી. મેં અકસ્માત્ આ હકીકત માત્ર જ કહી છે. લીમડો કડવો છે એમ કહેવામાં આવે ત્યારે શું કઈ દુઃખી થાય છે? કર્મષથી પતિની સાથે તારે વિયેગ થશે. પોતે ઉપાજેલા કર્મને ભગવતે જ્ઞાની કોણ ખિન્ન બને? આ પ્રમાણે સમજાવીને સાધુ પિતાના માર્ગે ગયા.
નર્મદસુંદરીએ સાધુને વંદન કર્યું. રડતી તેને પતિએ શાંત કરી. પછી તે ઘરે આવી. તકલીફ વિના સતત જૈનધર્મને કરતી મહાસતી નર્મદસુંદરીએ થડક કાળ સુખપૂર્વક પસાર કર્યો. એકવાર મહેશ્વરદત્ત વેપાર કરવાની ઈચ્છાથી યવનદ્વીપના દેશને
ગ્ય કરિયાણું લઈને યવનદ્વીપ તરફ ચાલ્યો. પતિએ સાથે આવવાની ના પાડવા છતાં કદાગ્રહથી જેમ પલાશવૃક્ષના પત્રોની શ્રેણિ વાવાઝોડાની સાથે ચાલે તેમ નર્મદા સુંદરી પતિની સાથે ચાલી. વહાણમાં ચઢીને દરિયાના મધ્યમાં જાય છે તેટલામાં તેણે દૂરથી કેઈના વડે ગવાતું ગીત સાંભળ્યું. સ્વરના લક્ષણેમાં કુશળ નર્મદસુંદરીએ રાતે તે ગીત સાંભળીને પતિને પ્રસન્ન બનાવવાના ઈરાદાથી કહ્યું- હે સ્વામી! જે આ મધુરવાણીથી ગીત ગાઈ રહ્યો છે તેનું શરીર શ્યામ છે. હાથ, પગ અને વાળ સ્થૂલ છે. તે સરવશાલી છે. એના ગુૌભાગમાં મશો છે. કેડમાં જમણી તરફ લાંછન છે. તેની ઉંમર બત્રીસ વર્ષની છે. તેની છાતી પહોળી છે. હવે મહેશ્વરદત્ત વિચાર્યું કે, જેમ મેનકા (=હિમાલયની પત્ની) વિશ્વામિત્રની સાથે અનુરાગવાળી હતી તેમ ચોક્કસ આ મારી પત્ની તે પુરુષની સાથે અનુરાગવાળી છે. અન્યથા, જેમ પવિની (ચંદ્રવિકાસી કમલની વેલડી) ચંદ્રના અમૃત વર્ષાવનારા સ્વરૂપને જાણે છે તેમ આ એના દેહના લક્ષણને કેવી રીતે જાણે? અહો ! આટલા કાળ સુધી હું એને મહાસતી જાણતું હતું, પણ હવે હું એને કુલને ઉછેદ કરનાર યમરાજની ધજા માનું છું. જે સ્ત્રીઓ સ્વાર્થ માટે પુત્ર વગેરેને પણ તૃણ સમાન ગણે છે તે સ્ત્રીઓ ઉપર બુદ્ધિમાન કેણ શાકિનીઓની જેમ વિશ્વાસ કરે? શું હમણાં જ એને થુંકની જેમ સમુદ્રમાં નાખી દઉં? અથવા આને તલવારરૂપી દંડથી કેળના ઝાડની જેમ છેદી નાખું? આ પ્રમાણે નિર્દોષ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શલપદેશમાલા ગ્રંથનો નર્મદાસુંદરી વિષે કંઈ પણ અનુચિત આચરે તેટલામાં કૃપમાં (=નૌકાના મધ્યભાગના સ્તંભ ઉપર) રહેલા નિયમકે ઊંચા અવાજથી આ પ્રમાણે કહ્યું:- વહાણને જલદી થભાવે. વઅને નીચે પાડે, અર્થાત્ સઢને ઉતારી લે, નૌકાની સાંકળને લઈ લે, અર્થાત્ સાંકળને લંગર સાથે બાંધી દે. આ રાક્ષસદ્વીપ આવી ગયું છે. પાણી અને ધન વગેરે સામગ્રીને અહીંથી જલદી સંગ્રહ કરી લે. આ પ્રમાણે સાંભળીને વહાણ સંચાલકેએ તે બધું તે પ્રમાણે કર્યું.
માયાથી ગુરૂષવાળો મહેશ્વરદત્ત તે દ્વીપમાં રમવા માટે નર્મદા સુંદરીને જંગલમાં કયાંક લઈ ગયે. મુગ્ધ નર્મદાનું દરી ધૂત તેની સાથે એક વનમાંથી બીજા વનમાં ફરી ફરીને થાક લાગવાથી નેતરથી ગહન સરોવરના કિનારે ક્યાંક સૂઈ ગઈ. તે વખતે જાણે પૂર્વે ઉપાર્જન કરેલા અશુભકર્મની દૂતી હોય તેવી નિદ્રા જલદી આવી ગઈ, અને એથી તેની આંખ મિચાઈ ગઈ. મહેશ્વરદત્તે વિચાર્યું તેને હમણાં તલવાર વગેરેથી મારી નાખવામાં આવે છે તે પિતાના અપરાધને નહિ જાણશે. પણ આ પ્રમાણે (એકલી પડેલી તેઓ પોતાના અપરાધને યાદ કરી કરીને મૃત્યુ પામે. આ પ્રમાણે વિચારીને જેમ આંધળો માણસ સપની બ્રાતિથી પુષ્પમાલાને છેડે તેમ તેને મૂકીને, જેમ
ચાડિયાથી બ્રાન્ડ બનેલ પિપટ શાલિક્ષેત્રથી નાસી જાય તેમ તે નાસી ગયે. નાસીને તે વહાણુ પાસે આવ્યું. વહાણસંચાલકેએ તેને પૂછ્યું તારી પત્ની ક્યાં છે? તેણે કહ્યુંઃ હાય! મારી પત્નીને જંગલમાં રાક્ષસ ખાઈ ગયે. હણવા માટે આવતા તેને જોઈને હું જલદી નાસી છૂટ્યો. માટે તમે પણ વહાણને ખૂબ ઉતાવળથી ચલાવે. ભય પામેલા તેમણે પણ તેમ કર્યું. આત્મા (=પ્રાણ) કોને પ્રિય નથી? માયાથી જાણે વહાણમાં ચઢવાને ઈરછત ન હોય તેવો મહેશ્વરદત્ત પણ વહાણમાં ચલ્યો. તેણે વિચાર્યું બુદ્ધિમાન મેં આજે વ્યભિચારિણીનો ત્યાગ કર્યો તે સારું કર્યું. એને ત્યાગ કરીને મેં કાપવાદને પણ રોકી દીધે. મહેશ્વરદત્તે આ પ્રમાણે વિચાર્યું. પણ મૂઢ તે એ જાણતું નથી કે હું ભાગ્યથી હણાયેલું છે. જાણે પત્નીના વિયોગથી દુઃખી થયે હોય તેવા તેને વેપારીઓએ સમજાવ્યું. ક્રમે કરીને તે યવનદ્વીપમાં આવ્યા. લાભથી યુક્ત બનેલો તે પોતાના નગરમાં ગયે. તેણે માતા-પિતાને પત્ની મરી ગઈ છે એ પ્રમાણે જ કહ્યું. દુઃખી થયેલા માતા-પિતાએ પુત્રવધૂના પ્રેત કાર્યો કર્યા. પછી તેમણે પુત્રની સાથે બીજી કન્યાને પરણવી.
આ તરફ નર્મદા સુંદરી સુખ આપનાર પંચ નમસ્કારમંત્રનું સ્મરણ કરતી જેટલામાં ઉઠી તેટલામાં તેણે પતિને ન જે. પતિ મારી મશ્કરી કરે છે એમ માનતી નર્મદાસુંદરીએ પતિને કહ્યું : હે નાથ ! આવ, આવો. હું આવા પ્રકારના હાસ્યને સહન
૧. ખેતર વગેરેમાં પશુ-પક્ષીઓને ભય પમાડવા માટે ઘાસ વગેરેથી ઊભા કરેલે મનુષ્યને આકાર. - ૨. મરેલાને ઉદ્દેશીને કરવામાં આવતા લૌકિક આચારે.
Page #186
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૭ કરવા સમર્થ નથી. ચિત્તથી શંકિત બનેલી તેણે જલદી જાતે ઉઠીને ખવાયેલા રત્નની જેમ દરેક કાંઠામાં અને દરેક વૃક્ષમાં જોયું. ક્યાંય પણ પતિને ન જે. આથી તે એટલું બધું રડી કે આંસુઓની ગરમીથી તેનું ગળું સુકાઈ ગયું. રડતી એવી તેને પાસે રહેલા મૃગલાના ટેળાએ કરુણાથી જોયા કરતા હતા. શેકથી દુઃખી બનેલી તે પોતાના અવાજના પ્રતિવનિને દૂરથી સાંભળીને જેમ મૃગલી મૃગતૃષ્ણિકા તરફ દડે તેમ પ્રતિદવનિ તરફ દેડી. તેવું કઈ વન ન હતું, તેવાં કઈ વૃક્ષ ન હતાં, એવી કઈ ઝાડી ન હતી, કે જ્યાં તે ભમી ન હોય કે ઊંચાસ્વરે રડી ન હોય. જાણે તેના શેકથી જ હોય તેમ સૂર્ય અન્ય દ્વીપમાં ગયે અને જાણે સતીને સુખી કરવા માટે હોય તેમ વિધાતાએ ચંદ્રને મોકલ્યો. પતિદુઃખના કારણે ચંદ્રમાએ પણ અગ્નિકુંડની જેમ તેને તપાવી. રાક્ષસની જેમ ચંદ્રથી ભય પામેલી તેણે લતાગૃહમાં પ્રવેશ કર્યો. જાણે સે વર્ષ જેટલી હોય તેમ રાત્રિને પસાર કરીને સવારે પતિના ગુણોને યાદ કરીને આકાશ અને પૃથ્વીને ભરી દેનારું રુદન કર્યું, હે નાથ ! જેમ ચંદ્ર કુમુદિનીને છોડીને જાય તેમ દીન અને એકાંત સ્થિર પ્રેમરૂપી અમૃતમય એવી મને સૂતેલી છોડીને તમે ક્યાં ગયા? આ પ્રમાણે પિતે રેતી અને મુસાફરોને રડાવતી તથા પતિના સમાચાર પૂછતી તેણે પાંચ દિવસ પસાર કર્યા. છઠ્ઠા દિવસે સમુદ્રના કાંઠે જ્યાં વહાણ રેકાયું હતું ત્યાં ગઈ ત્યાં સ્થાન શૂન્ય જોયું. પછી નિરાશ બનેલી તેણે મુનિના તે વચનનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી એમ વિચાર્યું, અને વિવેકથી યુક્ત બનેલી તેણે શોક ઓછો કર્યો. તે મહાસતીએ જાતે જ આત્માને આ પ્રમાણે સમજાવ્ય – હે જીવ! પૂર્વે ઉપાર્જન કરેલા પોતાના કર્મને (સમતાથી) ભગવ, ખેદ ન કર. પછી તેણે સ્નાન કરીને અરિહંત દેવને વંદન કર્યું. વનમાં ફલાહારને કરતી તે તાપસી જેવી થઈ. તે સતીએ માટીનું જિનબિંબ બનાવીને તે જિનબિંબને ક્યાંક ગુફામાં નિશ્ચલતા માટે આંખની આગળ સ્થાપિત કર્યું. સુંદર બુદ્ધિવાળી સતીએ ફલ, પુષ્પ અને સામે નામનું ધાન્ય વગેરેથી જિનપૂજા કરીને જ્યોતિષ્મતી વૃક્ષના તેલથી દીપકને પ્રગટાવ્યા. સવારે ઉઠીને જિનબિંબની આગળ એકાગ્રચિત્તે સ્વાધ્યાય અને સ્તવન વગેરે કરવા દ્વારા ત્યાં પણ દિવસેને સફલ બનાવ્યા. એકવાર સદગતિને સાધવાની ઈચ્છાથી વ્રત લેવા માટે જેમ રાજહંસી માનસ સરોવરમાં જવા માટે ઈરછે તેમ તેણે ભરતક્ષેત્રમાં જવાની ઈચ્છા કરી.
આ તરફ બમ્બર દેશના બંદરે જતે અને વિવેકબુદ્ધિવાળો એને વીરદાસ નામને કાકે તે પ્રદેશમાં આવ્યું. પિતાના સૈન્યસમુદાયથી પરિવરેલો નર્મદા સુંદરીના પગલાએની શ્રેણિને જોઈ જોઈને પર્વત પાસે ગયા. ત્યાં તેણે શ્રી જિનસ્તુતિ સાંભળી. અવાજના લક્ષણથી આ નર્મદા હેવી જોઈએ એમ વિચારતા તેણે ગુફામાં પ્રવેશ કર્યો અને
૨૩
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શીલપદેશમાલા ગ્રંથને આ માટે ઉત્સવ સમાન તેને આશ્ચર્ય પૂર્વક જોઈ નર્મદાસુંદરી કાકાને ઓળખીને ગળે વળગીને રડી. કાકે પણ સ્નેહથી શેક અને આનંદના આંસુઓથી છવાઈ ગયે. કાકાએ તેને પૂછયું : હે પુત્રી! તું એકલી કેમ છે? અને અહીં તારું આગમન કેવી રીતે થયું? સતીએ પોતાને સઘળે વૃત્તાંત જણાવ્યું. ભાગ્યની નિંદા કરતો કાકે નર્મદસુંદરીને લઈને બમ્બર બંદરે આવ્યું. બહાર સાર્થને પડાવ રાખે. મહાસતીને સ્વરછ વામંડપમાં રાખી. પછી પોતે ભેટશું લઈને રાજસભામાં ગયે. અર્ધી કરમુક્તિ વગેરેથી રાજાએ તેને સત્કાર કર્યો. કરિયાણું વગેરેના લેવડ-દેવડની વ્યવસ્થા કરી.
આ તરફ રાજાની કૃપાપાત્ર અને સૌભાગ્યરૂપી સંપત્તિની શાળા એવી હરિણી નામની વેશ્યા ત્યાં પ્રસિદ્ધ હતી. તે ત્યાં મુસાફર પાસેથી એક હજાર ને આઠ સેનામહેશ લેતી હતી. આવી વ્યવસ્થા રાજાએ કરી હતી. તે વેશ્યાએ વીરદાસને બેલાવવા પિતાની દાસી મેકલી. અમે સ્વપત્નીમાં સંતોષવાળા છીએ એમ કહીને વીરદાસે તેને ના કહી. દાસીએ એકહજાર આઠ સેનામહેરોની વ્યવસ્થાની વાત કરી એટલે વીરદાસે તેને વ્યવસ્થાનું ધન (એકસે આઠ સેનામહેર) આપ્યું. દાસીએ જઈને તે બધું ધન હરિણીને હર્ષથી આપ્યું. વેશ્યાએ કહ્યુંઃ આ ધનથી શું? તું તેને અહીં લઈ આવ. આથી દાસી ફરી વરદાસને બેલાવીને વેશ્યાની પાસે લઈ ગઈ. દાસીએ વેશ્યાને કાનમાં કહ્યું કે તેના ઘરે કેઈક સ્ત્રી છે, તે તેની પત્ની હોય, બહેન હોય કે પછી પુત્રી હેય. પણ તેનું રૂપ દેવાંગનાઓને પણ ઝાંખી પાડે તેવું છે. જે હરણના જેવી આંખેવાળી તે સ્ત્રી તમારી આજ્ઞાને આધીન બને તે તમે પિતાના ઘરે કલ્પવેલડી અવતરી છે એમ જાણે. તાત્કાલિક બુદ્ધિવાળી હરિણીએ કપટથી નિશાની (=ખાતરી) માટે વરદાસની વીંટી લીધી. દાસીને કાનમાં કંઈક કહીને અને વીંટી આપીને મોકલી. તેથી ૫ટમાં કુશળ દાસીએ નર્મદા સુંદરી પાસે જઈને આ પ્રમાણે કહ્યું – હે સુંદરી! શેઠ અમારા ઘરે રહેલા છે અને તમને બોલાવે છે. તેની નિશાની (=ખાતરી) માટે આ વીંટી છે. માટે જલદી આવે. વીરદાસના નામથી અંક્તિ વીંટી જોઈને નિષ્કપટ નર્મદસુંદરી તેની સાથે જ વેશ્યાના ઘરે ગઈ. તેને બીજા બારણાથી પ્રવેશ કરાવીને જલદી ભોંયરામાં રાખી. કૃતકૃત્ય બનેલી વેશ્યાએ એ વીંટી વીરદાસને પાછી આપી. અખંડિતત્રતવાળ વરદાસ ત્યાંથી પોતાના ઘરે ગયે. ત્યાં નર્મદા સુંદરીને ન જોતાં ક્ષોભ પાપે. સેવકને પૂછયું. ઉપાયે કરવા છતાં તે કયાંય તેની માહિતી મેળવી શક્યો નહિ. ધૂતારાઓના અતિશય ગુપ્ત રીતે કરેલા કાર્યના પારને શું કઈ પામી શકે? વરદાસે વિચાર્યું. જેણે માયાથી નિષ્કપટ આ સતીનું અપહરણ કર્યું છે તે હું અહીં હોઉં ત્યાં સુધી કેવી રીતે પ્રગટ કરશે? અર્થાત્ પ્રગટ નહિ કરે. વીરદાસ આ પ્રમાણે વિચારીને, કરિયાણાએ લઈને, રાજાને પૂછીને, વસ્તુઓથી વહાણેને ભરીને પોતાના નગર તરફ ચાલે. વિશુદ્ધબુદ્ધિવાળા વીરદાસે ભરુચ આવીને ઉપાયને જાણનારા જિનદાસ નામના મિત્ર શ્રાવકને બધી
Page #188
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૯ વિગત કહી. પછી તેને નર્મદા સતીની શેધ માટે જલદી મોકલ્યા. જિનદાસ પણ નર્મદા સતીની શોધ માટે જરૂરી સામગ્રી સાથે લઈને બર્બર બંદરે ગયે.
આ તરફ વિરદાસ ત્યાંથી ગયો એટલે સુવર્ણ માટે જેનું ચિત્ત હણાઈ ગયું છે એવી વેશ્યાએ નર્મદાસુંદરીને કહ્યું : હે ભદ્રા ! વેશ્યાનો બંધ કરીને પોતાના જન્મને સફળ કર. જેમ ઉર્વશી મહાન ઐશ્વર્યવાળા ઇંદ્રને માન્ય છે તેમ તે રાજાને માન્ય થા. તેનાં વચનથી જાણે બળી ગઈ હોય તેવી નર્મદા સુંદરી હાથને હલાવતી બેલી મારા જીવતા મારા શીલરૂપી માણેકરનનું હરણ કરવા આ કોણ ઈચ્છે છે? વેશ્યા બેલી : પૃથ્વીતલમાં અમારે જ જન્મ સફલ છે. અહીં રહેલી પણ અમે પોતાની મરજી મુજબ ભેગોને ભેગવીએ છીએ. નર્મદાસુંદરીએ કહ્યું : આ સુખના કારણે (વિવેકી) કણ પોતાને કલ્યાણથી વંચિત રાખે ? બાળકે જ માણેકરનેથી ચણાને ખરીદે છે. જેમ વાંછિતની પ્રાપ્તિ માટે જડપુરુષ ચિંતામણિને મારે તેમ નર્મદસુંદરીના વચનથી કેપ પામેલી વેશ્યા તેને જલદી મારવા લાગી. વેશ્યાથી માર મરાતી નર્મદા સુંદરી મનમાં પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગી. તેના પ્રભાવથી વેશ્યા ઓચિંતી પ્રાણેથી મુક્ત થઈ વેશ્યાના મૃત્યુ પછી તેના પદે સ્થાપવા માટે રાજાની આજ્ઞાથી મંત્રી નર્મદાસુંદરીને પ્રાર્થના કરવા લાગ્યા. જે હું માલિક બનીશ તે ૨છા પ્રમાણે અહીંથી નીકળી શકીશ એમ પોતાને નીકળવાને ઉપાય જાણીને જેમ શંકરે રીપણું માન્યું તેમ સતીએ મંત્રીનું વચન માન્યું. મંત્રીના મુખથી સતીના સંદર્યને સાંભળીને તેને જેવા ઉત્સુક બનેલા રાજાએ તેને લાવવા માટે સુખાસન (=પાલખી) મોકલ્યું. રાજસેવકે તેને સુખાસનમાં બેસાડીને અને તેના મસ્તકે છત્ર ધારણ કરીને મહાન આડંબરથી નગરમાં જલદીથી જેટલામાં લઈ જાય છે તેટલામાં શીલરક્ષા માટે ગાંડપણ ઔષધ છે એમ જાણીને તે નગરની મોટી ખાળમાં પથ્થરની જેમ પડી. જેમ લેહના બખ્તરથી શરીરને વટે તેમ આ તે અપૂર્વ ચંદનનો લેપ છે એમ બોલતી સતીએ શરીરને કાદવથી લીંપ્યું. વિષયેની વિરુદ્ધ બોલનારી સતીએ વોને શરીર ઉપરથી ઉતારીને પાંદડાની જેમ ફાડી નાખ્યા. શીલરૂપી જીવને વિનાશ કરનારા સર્પોને ત્રાસ પમાડવા માટે તેણે તેમની સામે સાપનું ઝેર ઉતારવા માટે મંત્ર બેલનારી સ્ત્રીની જેમ ધૂળ ફેંકી. જાણે મુશકેલીથી નિવારણ કરી શકાય તેવા મંત્રથી ગ્રહણ કરાઈ હોય તેમ ભયંકર આકૃતિવાળી તેણે પિતાના શૌર્યનું વર્ણન કરવા પૂર્વક અદ્દભુત નૃત્ય કર્યું. તેની વિગત સાંભળીને
૧. શંકરદેવે ભસ્માસુર રાક્ષસને વરદાન આપ્યું કે તું જેના મસ્તક ઉપર હાથ મૂકીશ તે મરી : જશે. આ વરદાન મેળવીને તેણે શંકરના જ મસ્તક ઉપર હાથ મૂકવાનો નિર્ણય કર્યો. આથી શંકરદેવી ભાગવા લાગ્યા. તે શંકરદેવની પાછળ પડ્યો. આથી શંકરદેવ મોહિનીનું રૂપ ધારણ કરીને તેની સામે નાચવા લાગ્યા. મોહિનીમાં મુગ્ધ બનીને ભસ્માસુર પણ નાચવા લાગ્યો. નાચતાં નાચતાં તેણે પોતાના મસ્તક ઉપર હાથ મૂકયો. આથી તે મરણ પામે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શીલપદેશમાલા ગ્રંથને રાજાએ પોતાના માંત્રિકોને ત્યાં મોકલ્યા. સતીએ માંત્રિકને પથ્થરોથી કૂતરાઓની જેમ માર્યા. હવે લેકેએ તેને કરાના પથ્થરની વૃષ્ટિની જેમ દૂરથી છોડી દીધી. પાંદડાએથી વીંટળાયેલા વંટેળિયાની જેમ બાળકોથી વિંટળાયેલી તે નગરમાં ભમવા લાગી.
એકવાર જિનેશ્વરદેવના રાસેને ગાતી, બાળકોથી યુક્ત અને જીર્ણવાવાળી તેને જિનદાસે જઈ. કરુણાથી આદ્ર બનેલા તેણે તેની આગળ આવીને પૂછયું : હે વ્યંતરાધીશા ! તું કેણ છે ?તે મને કહે. હું જિનેશ્વરદેવને ભક્ત છું. તેણે જવાબ આપ્યો કે જો તમે જેન છો તે તમારે મને એકાંતમાં પૂછવું. માટે હમણાં નિરર્થક થઈ રહેલા રંગમાં ભંગ ન કરે. બીજા દિવસે જેમ વંટેળિયે પાંદડાઓને વિખેરી નાખે તેમ બાળકોને દૂર ભગાડીને તેણે કઈ વનમાં જઈને પિતાની ઈચ્છા પ્રમાણે જિનેશ્વરદેવને વંદન કર્યું. જિનદાસ પણ તેની પાછળ ત્યાં ગયે. તેણે અંજલિ જોડીને તેને વંદન કરીને પૂછ્યું : ધર્મમાં જ મનવાળી તું કેણ છે? તેણે પણ આ શ્રાવક છે એમ માનીને તેને પિતાને સઘળે વૃત્તાંત કહ્યો. આ સાંભળીને જિનદાસે તેને કહ્યું, હે નર્મદસુંદરી ! મેં તને જોઈ તે સારું થયું. કારણ કે હે પુત્રી ! તારા માટે જ હું અહીં આવ્યો છું. મિત્ર વીરદાસે ભરુચ શહેરથી મને અહીં મોકલ્યો છે. માટે ખેદ ન કર. બધું સારું થશે. કારણ કે અવસરે સારી રીતે જેલી બુદ્ધિથી શું અસાધ્ય છે? પણ આજે તારે સંપૂર્ણ બળથી હાથિણની જેમ ઘટ, વાસણ વગેરેને ભાંગતાં ભાંગતાં રાજમાર્ગમાં ફરવું. આ પ્રમાણે સંકેત કરીને જિનદાસ આગળ જઈને ઊભે રહ્યો. તે પણ ગઈ અને તે પ્રમાણે કર્યું. આ દરમિયાન રાજાએ દયાળુ જિનદાસને કહ્યુંઃ ગાંડી થયેલી આ શીએ જેમ વાનરી ઉદ્યાનને ઉપદ્રવવાળું કરે તેમ આ નગરને ઉપદ્રવ વાળું કર્યું છે. માટે અનર્થને કરનારી એ આને કેઢરેગવાળી સ્ત્રીની જેમ મારા આટલા આગ્રહથી સમુદ્રના પેલે પાર દૂર મૂકી આવે. રાજાની આજ્ઞાથી હર્ષને પામેલ જિનદાસ નર્મદાશંદરીને બેડીઓથી બાંધીને દિવ્ય ઔષધિની જેમ સાથે લઈ ગયે. કાદવમાંથી ચિંતામણિ મળે તેમ દુલભ નર્મદા સુંદરીને મેળવીને સ્નાન કરાવીને નવાં વસ્ત્ર પહેરાવ્યાં. મિત્રપ્રિય જિનદાસ કિંમતી કરિયાણાની જેમ તેને વહાણમાં ચઢાવીને જલદી નર્મદાપુર લઈ ગયે. નર્મદા સુંદરીને આવતી જાણીને પિતા વગેરે તેની પાસે ગયા. તે પિતા વગેરેને નમીને ગળે વળગીને ઊંચા સ્વરે રડવા લાગી. તેને જીવતી મેળવીને ઋષભસેન વગેરે હર્ષ પામ્યા. તેથી તેમણે માંગલિક આચારપૂર્વક ફરી જન્મોત્સવ કર્યો. તથા જૈનમંદિરમાં મહાપૂજાપૂર્વક સાધર્મિક વાત્સલ્ય વગેરે ઘણાં ધર્મકાર્યો કર્યા. જિનદાસ ગૌરવપૂર્વક કેટલાક દિવસો સુધી રહીને વરદાસને પૂછીને ભરુચ શહેર ગયે.
આ તરફ એકવાર આર્ય સુહસ્તિ નામના દશપૂર્વધર આચાર્ય વિહાર કરતા નર્મદાપુર પધાર્યા. નર્મદા સુંદરી માતા-પિતા અને કાકાની સાથે જેમણે ભવો અલ્પ
Page #190
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૧ કરી દીધા છે તેવા આચાર્યને વંદન કરવા માટે ગઈ. ધર્મલાભ રૂ૫ આશીર્વાદ આપીને ગુરુએ ધર્મને ઉપદેશ આપ્યો. દેશનાના અંતે વીરદાસે ગુરુને નમીને પૂછયું : હે પ્રભુ! નર્મદાસુંદરીએ પૂર્વભવમાં કયું કર્મ કર્યું કે જેથી નિર્દોષ પણ તે દુઃખનું ભાજન થઈ. ગુરુએ શ્રતના ઉપગથી જાણીને કહ્યુંજાણે ભૂમિને માપવાને દંડ હોય તે વિધ્ય નામનો પર્વત છે. પૃથ્વીની માળા જેવી આ નર્મદાનદી તેમાંથી નીકળી છે. એ નદીની નર્મદા નામની મિથ્યાદષ્ટિ અધિષ્ઠાત્રી દેવી છે. એક દિવસ શ્રેષવાળી થયેલી તેણે નર્મદાના કાંઠે કાર્યોત્સર્ગમાં રહેલા ધર્મરુચિ નામના મુનિમહાત્માને ઉપસર્ગો કર્યા. મુનિની નિશ્ચલતાથી એ સમ્યગ્દષ્ટિ બની. તે દેવી યુવીને તમારી પુત્રી આ નર્મદાસુંદરી થઈ. પૂર્વભવના અભ્યાસથી આ નર્મદા નદીમાં સ્નાન કરવાના દેહલાથી વૃદ્ધિ પામી. સાધુને કરેલા ઉપસર્ગોથી બંધાયેલાં અશુભકર્મોના ઉધ્યથી દુઃખી થઈ. (આ સાંભળીને) નર્મદાસુંદરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે દીક્ષા લીધી. તપશ્ચર્યા કરતી તેણે ઉજજવલ અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રવર્તિનીપદને પ્રાપ્ત કરીને તે રૂપચંદ્ર નગર ગઈ. ઘણે કાલ પસાર થઈ જવાથી અને તપ-કષ્ટના કારણે શરીર કૃશ થઈ જવાથી તેને કેઈએ ઓળખી નહિ. સાધ્વીવૃદથી વિભૂષિત નર્મદસુંદરીસાવી ઋષિદત્તાએ આપેલા પોતાના ઉપાશ્રયમાં ઘણે કાળ રહી ત્યાં તેણે કર્મના મર્મને વીંધનારા ધર્મને ઉપદેશ આપ્યો. તે ઉપદેશને ઋષિદત્તાની સાથે મહેશ્વરદત્ત પણ સાંભળે. એકવાર નર્મદા સાદવજીએ મહેશ્વરદત્તને અતિશય સંવેગને ઉત્પન્ન કરવા માટે ઔષધસમાન સંપૂર્ણ સ્વરશા કહ્યું. આ સાંભળીને પશ્ચાત્તાપને પામેલ મહેશ્વરદત્ત બે સ્વરશાઅ ન્યૂન નથી, અર્થાત્ એનાથી નહિ જોયેલું પણ જાણી શકાય છે. આથી તે મારી પત્નીએ પણ એ બધું ચક્કસ સ્વરશાસ્ત્રથી જાણ્યું હતું. પાપી, અધમ અને અવિવેકથી કલંક્તિ બનેલા મને ધિકાર છે કે જે મેં પ્રિય અને સતી પત્નીને વનમાં એકલી મૂકી. તેથી ભાગ્યથી હણાયેલે હું સવશાલીઓને દોષ આપવા લાયક થયે છું. જગતમાં અતિશય દુઃખી પુરુષની જેમ મારાથી અધિક કઈ પાપી નથી. ઈત્યાદિ પશ્ચાત્તાપ કરતા તેને દયાથી પ્રવર્તિનીએ કહ્યું- હે ભદ્ર! તે જ હું નર્મદા તમારી પાસે છે. તેથી વિષાદ ન કરે. બધા જ જીવ પૂર્વના કર્મથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરે છે. કેઈ કેઈન નું પોષણ કરનાર નથી અને કેઈ કેઈને પ્રેમ કરનાર નથી, અર્થાત્ બીજાઓ એક-બીજા ઉપર જે દ્વષ કે પ્રેમ કરે છે તે પૂર્વના કર્મથી પ્રેરાઈને કરે છે. પછી મહેશ્વરદત્તે સાવજને ખમાવી. કુરાયમાન થતા વૈરાગ્યથી દેદીપ્યમાન તેણે આર્યસુહસ્તિ નામના ગુરુની પાસે ઉત્તમ ચારિત્ર લીધું. સંવેગ પામેલી વિદત્તાએ પણ ચારિત્ર લીધું. તે બંને તપ તપીને
૧. અથવા આવો અર્થ પણ થઈ શકે છે. જગતમાં જેમ મારાથી અધિક કિઈ સંતાપ પામનાર નથી, તેમ મારાથી અધિક કોઈ પાપી પણ નથી, અર્થાત મેં બહુ મોટું પાપ કર્યું છે અને એનો મને ઘણો સંતાપ થયો છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શીલપદેશમાલા ગ્રંથો સ્વર્ગની સંપત્તિને પામ્યા. સુંદરબુદ્ધિવાળી નર્મદા સાધ્વીજીએ પણ અવધિજ્ઞાનથી પોતાના મૃત્યુને નજીક જાણીને સંલેખનાપૂર્વક અનશનને સ્વીકાર કર્યો. મૃત્યુ પામીને દેવકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચાવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં રાજ્યસંપત્તિને ભેગવીને દીક્ષા લીધી, નિર્મલશીલના વેગથી આઠ કર્મોને ભેદીને તે નર્મદાસુંદરી મેક્ષને પામી.
રતિસુંદરીનું દષ્ટાંત હવે રતિસુંદરીની કથાને પ્રારંભ કરવામાં આવે છે -
જાણે સંપત્તિઓનો સંકેત હોય તેવું સાકેત નામનું નગર હતું. તેમાં ચંદ્ર શ્રેષિઓની સીઓના મુખરૂપ ચંદ્રનું નિર્માલ્ય હતે. શરૂપી હાથીઓ માટે સિંહસમાન નરકેસરી રાજા હતે. તારાઓ જાણે તે રાજાની તલવારથી હણાયેલા શત્રુઓના હાથીઓના (=હાથીઓના ગંડસ્થલમાંથી નીકળેલા) મેતીએ હતા. તેની જાણે પૃથ્વી ઉપર રહેલી દેવી હોય તેવી કમલસુંદરી નામની રાણી હતી. તેણે કલ્યાણયુક્ત વંશપરંપરાથી આવેલી રાજલક્ષમીના વિલાસમાં જ આદર કર્યો હતે. તેમની રતિસુંદરી નામની પવિત્ર પુત્રી હતી. તે રતિસુંદરી જાણે વિધાતાએ પિતાની સૃષ્ટિના સૈાંદર્યની એક સ્થળે ભેગી કરેલી શોભા હોય તેવી હતી, અર્થાત્ તે બહુ શોભતી હતી. જેમ તારાઓથી ચંદ્રકલા પરિ. વરે તેમ સખીઓથી પરિવરેલી તેણે એક દિવસ ગુણશ્રી નામની પ્રવર્તિનીને વંદન કર્યું. પ્રવર્તિનીએ પણ તે વખતે તેને અમૃત જેવી મધુરવાણુથી મેતીની માળા જે ઉજજવલ ધર્મોપદેશ આપ્યો. તે આ પ્રમાણે - જેમ ગરીબ માણસ મેને પામીને તેમાંથી રત્નને ગ્રહણ કરે તેમ બુદ્ધિમાન પુરુષે દુર્લભ મનુષ્ય જન્મને પામીને તેનાથી ઘર્મરૂપી ફળને ગ્રહણ કરવું જોઈએ. જેમ બાળક રત્નથી પૂર્ણ નિધાને મળવા છતાં કેડીને ઈચ્છે છે તેમ મૂઢ માણસ મેક્ષફલવાળા મનુષ્ય જન્મમાં ભેગોને ઈચ્છે છે. તેથી સમ્યત્વને અને સંયમને સ્વીકાર કર, અને નિર્મલ તપ તપીને ભવના પારને પામ. તારૂપી અગ્નિથી તપાવેલ અને શીલરૂપી નિર્મલ જલથી બેચેલ છવ અગ્નિથી પવિત્ર થયેલા ૧૨નકંબલ જેમ કર્મમલને ત્યાગ કરે છે. હે રાજપુત્રી ! શરીરશોભા નાશવંત છે. શરીરનું ફલ તપશ્ચર્યા છે. આથી જીવનપર્યત જિનધર્મમાં પ્રયત્ન કર. આ પ્રમાણે પ્રવતિનીના મુખરૂપી ચંદ્રમાંથી નીકળતા) વચનરૂપી અમૃતને પીને તેની જ્ઞાનદષ્ટિ ઉલ્લાસને પામી. તેણે મધુર સ્વરે કહ્યું: હે સાદવજી! આપે મને પ્રશંસનીય આ સારું કહ્યું. પણ હું નિત્ય પ્રમાદી દેવાથી વતેને સ્વીકારવા માટે અસમર્થ છું. તેથી આપ પ્રસન્ન થઈને વાછરડા ઉપર ભાર મૂકવાના ન્યાયથી મને ભવપતનમાં આલંબનભૂત
૧. શબ્દોષમાં ૩૪ર શબ્દનો રત્નકંબલ અર્થ જોવામાં આવ્યો નથી, ત્યાં સજ્જર શબ્દના વસ્ત્ર વગેરે અથ જણાવેલ છે. આમ છતાં કરતમાં રત્નકંબલ અથ વધારે બંધ બેસતા જોતા હોવાથી રત્નકંબલ અર્થ કર્યો છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૩ ગૃહસ્થ યોગ્ય ધર્મ આપે. તેથી પ્રવર્તિનીએ તેને સમ્યફવરત્નને આપીને કહ્યું છે પુત્રી ! શીલ જ સ્ત્રીઓને ઉત્તમ ધર્મ છે. શીલને પાળનાર સ્વયં પાપથી નિવૃત્ત થાય છે અને બીજે જીવ પણ પાપથી નિવૃત્ત થાય છે. આથી તારે અન્ય પુરુષના ત્યાગરૂપ શીલવ્રત પાળવું. શીલથી જ પૃથ્વતલમાં સૂર્ય અને ચંદ્ર સુધી કીર્તિ નૃત્ય કરે છે. શીલથી જ કલ્યાણનું સ્થાન એવા મેક્ષને પામી શકાય છે. જેમ વર્ષાદથી લતાઓના અંકુરા પ્રગટે છે તેમ શીલના પ્રભાવથી સ્ત્રીઓના સર્વ મને આ જ ભવમાં ફળે છે. શીલ પરલેકરૂપ સંસારમાં દુઃખ અને દુર્ગતિરૂપી પર્વત માટે લાંબા કાળ સુધી વરૂપ શા થાય છે, અર્થાત્ શીલના પ્રભાવથી પરલેકમાં લાંબા કાળ સુધી દુઃખ અને દુર્ગતિની પ્રાપ્તિ થતી નથી. શીલ પરંપરાએ મુક્તિ આપે છે. આ સાંભળીને અતિશય આનંદ થવાથી રતિસુંદરીના શરીરમાં અતિશય રેમાં પ્રગટ થયા. તેણે આદરપૂર્વક પરપુરુષત્યાગનો નિયમ લીધો.
આ તરફ નંદન નામના નગરના ચંદ્ર રાજાએ પોતાના કામ માટે દૂતને સાકેત પુર મક. દૂત (કામ પતાવીને) સાકેતપુરથી નંદનનગર આવ્યા. દેશની વિગતનું વર્ણન કરવાના અવસરે દૂત પાસેથી રાજાએ સાંભળ્યું કે, રતિસુંદરી અતિશય રૂપવતી છે. આ સાંભળવાથી રતિસુંદરી પ્રત્યે અતિશય રાગ થવાના કારણે ચંદ્રરાજાને જરા પણ ઊંઘ આવતી ન હતી. આથી તેણે રતિસુંદરી માટે નરકેસરી રાજા પાસે મંત્રીને મોકલ્યા. તેથી આ બંનેને સંબંધ એગ્ય છે એમ માનીને કુશળ નરકેસરી રાજાએ જેમ ચંદ્રને રોહિણી આપી તેમ તેને રતિસુંદરી આપી. રાજાએ શુભદિવસે રતિસુંદરીને મહાન આડંબરથી નંદનપુર મેકલી. જેમ કૃષ્ણને લક્ષમી સ્વયંવરી હતી તેમ રતિસુંદરી ચંદ્રને સ્વયં વરનારી બની. સારા મુહૂર્તમાં તે બંને પ્રશંસનીય વિવાહ મંગલ થઈ ગયે એટલે નંદનનગરમાં વર્ધાપનનો ઉત્સવ થયે. રતિસુંદરીને જોઈને લોકે આ શું કઈ દેવી છે? અથવા વિદ્યાધરી છે? કે પાતાલ કન્યા છે? એમ બેલવા લાગ્યા. જેમ ચાંદનીથી યુક્ત ચંદ્ર બધાથી અધિક શોભે છે તેમ પ્રિયાથી અલંકૃત અને ક્ષત્રિયરૂપી નક્ષત્રોને નાયક ચંદ્રરાજા સર્વોત્કૃષ્ટ સ્થાનને પામ્યા.
જેમ સિંહ સિંહને કહે તેમ, કુરુદેશના અધિપતિ અને બલવાન મહેંદ્રસિંહ રાજાએ એકવાર ચંદ્રને દૂતના મુખેથી કહ્યું. તે આ પ્રમાણે હે દેવ! જેમ સૂર્યની સાથે કમળોને પ્રીતિ છે તેમ, તમારી સાથે અમારી પૂર્વ પુરુષોની પરંપરાથી આવેલી પ્રીતિ આટલા લાંબા કાળ સુધી ટકી રહી છે. કુલને પ્રકાશિત કરનારા અને સાત્તિવક જે પુત્રો પૂર્વજોએ આચરેલા સંબંધનો લેપ કરતા નથી તે જ પુત્ર ગરવનું સ્થાન બને છે. તેથી સૌજન્યરૂપી શંખને અખંડપણે ધારણ કરતા તમારે પિતાનું બધું કામ સંશય વિના મારાથી સાધવું, અર્થાત્ તમારું કઈ પણ કામ હોય તે મને કહેવું, હું કરી આપીશ. વળી બીજું-પ્રીતિને વધારવા માટે નવેઢા રતિસુંદરીને અમને ભેટામાં મોકલવી, જેથી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શીલાપદેશમાલા ગ્રંથના
અમે તેના સત્કાર કરીએ. જેની સાથે પ્રીતિ હોય તેના ગૌરવ માટે પ્રિયા પણ આપી શકાય. તેથી જ વસિષ્ટમુનિ વર્ડ આદર કરાયેલી અરુન્ધતી કાને માન્ય નથી ? દૂતનું વચન સાંભળીને અલ્પ સ્મિત કરીને ચંદ્રરાજા મેલ્યાઃ જેમ ચંદ્રને ચાંદની પ્રિય છે તેમ સુજના કાને પ્રિય નથી ? પરોપકાર, મૈત્રી, દાક્ષિણ્ય, પ્રિયભાષણ, સુંદર શીલ, વિનય અને ત્યાગ-આ સજજનાના ગુણા છે. તેથી હે કૃત ! તારા રાજાએ મને આ સારું કહ્યું કે, જેમ સમુદ્ર મર્યાદાને ઓળંગતા નથી, તેમ કુળવાન પુરુષા મર્યાદાના લાપ કરતા નથી. અમે પણ ઉચિત કહેવા જેવું કહીશું. મારા પ્રાણ જેવી દેવીની માગણી કરવી એ પ્રીતિનું લક્ષણ નથી. તે કહ્યું; તેમનુ વચન અન્યથા કરવું એ તમારા માટે ચૈાગ્ય નથી. કામળતાથી સાધી શકાય તેવા કાય માં કઠારતા કરવી એ વિવેક નથી. મર્યાદાના લાપ કરતા સમુદ્રને કાણુ રોકી શકે? સમુદ્ર ક્ષુબ્ધ બને ત્યારે પુલ બાંધવા માટે કેણુ સમર્થ થાય? તેવી રીતે યુદ્ધના મેઢાનમાં ભયંકર મહેદ્રસિંહ રાજાને પણ કાણુ સહન કરી શકે તેમ છે? માટે પેાતાના હિત માટે તે રાજા વિષે સામના પ્રયોગ કરવા જોઈએ. હવે રાષથી લાલ થયેલા ચંદ્રરાજાએ કહ્યુંઃ અરે કૃત! અન્યની સ્ત્રીઓને માગતા તારા એ રાજા સારા કુળવાન છે! શુ` કોઈ પોતાની પત્નીને ખીજાના ઘરે મેાલે ? શેષનાગના જીવતા (તેના મસ્તકે રહેલા) રત્નને કોણ લઈ શકે? દૂતે ફરી કહ્યું હે ભૂપ ! તાત્ત્વિક વચનને સાંભળેા, ગમે તે રીતે પાતાનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ એવી રાજનીતિને યાદ કરો. નાકરાથી ધનનું રક્ષણ કરવું જોઈએ, અર્થાત્ નાકરાના ભાગ આપીને પણ ધનનું રક્ષણ કરવું જોઈએ. નાકર અને ધન એ ખનેથી પત્નીનું રક્ષણ કરવું ોઇએ. નાકર, ધન અને પત્ની એ ત્રણેથી પેાતાના જીવનનુ રક્ષણ કરવું જોઈએ, ઈત્યાદિ ખાલતા તને રાજાના સેવકે જેમ કૃપણ પુરુષ ભિખારીને બહાર કાઢે તેમ ગળેથી પકડીને સભામાંથી બહાર કાઢયો. તે જઈને તે જ પ્રમાણે મહેંદ્રસિંહ રાજાને કહ્યું.
મર્યાદાને ત્યાગ કરીને મહેદ્રસિંહ રાજા સૈન્યની સાથે જાણે સમુદ્ર ચાલતા હોય તેમ ચાલ્યા. તેને આવતા સાંભળીને જેમ ચંદ્ર રાત્રિના અધકારના ફેલાવાની સામે થાય તેમ રાષથી વ્યાકુલ થયેલા ચ'દ્રરાજા પણ તેની સામે થયા. યુદ્ધમાં ક્રમે કરીને બંનેનું સૈન્ય ખસવા લાગ્યું, બંનેનુ' સઘળુ' સૈન્ય પલાયન થઇ ગયું એટલે જેમ બે સિંહ લડે તેમ એ બંનેનું ભયંકર યુદ્ધ થયું. જેમ રાહુ ચંદ્ર ઉપર આક્રમણ કરે તેમ ભાગ્યવશથી મહેંદ્રસિંહ રાજાએ આક્રમણ કરીને ચંદ્રને જીવતા ખાંધીને મંત્રીના હાથમાં સોંપ્યા. જેમ મૃગલાઓ નાસી રહ્યા હાય ત્યારે શિકારી નાસી રહેલી હરણીને પકડી લે તેમ મહેદ્રસિંહ રાજાએ ચંદ્રરાજાનું સૈન્ય નાસી રહ્યું હતું ત્યારે નાસી રહેલી રતિસુ દરીને પકડી લીધી. રતિસુ દરીના લાભથી તુષ્ટ થયેલા તે ચ ંદ્રરાજાને છૂટા કરીને પોતાના નગરમાં આવ્યા. કામરૂપી-ભીલથી હણાયેલા તેણે રતિસુંદરીને કહ્યું: હું સુંદર ભમ્મરવાળી ! જ્યારથી મેં દૂતના મુખથી તને સાંભળી ત્યારથી જેમ ભ્રમરનું હૃદય માલતીમાં ઉત્કંઠિત અને
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૫ તેમ મારું હૃદય તારામાં ઉત્કંઠિત બન્યું. હે ભદ્રા! તારા માટે જ મારે આ પ્રયત્ન હતું. તેથી હવે પ્રસન્ન બનીને કુરુદેશની અધિપતિ બનીને મારા એ પ્રયત્નને સફળ કર. હવે રતિસુંદરીએ વિચાર્યું. મારા આ શ્રેષરૂપને ધિક્કાર થાઓ ! જેમ ફલથી યુક્ત વૃક્ષ દુર્દશાને પામે તેમ મારા પતિ આવી દુર્દશાને પામ્યા. કામી, દુરાચારી અને જુગારીની જેમ ઉત્સુક્તાવાળા એણે મારા ચિત્તને વિચાર કર્યા વિના આવી ચેષ્ટા કરી. તેને ધિક્કાર થાઓ ! જેમ કસાઈની દુકાનમાં બંધાયેલા બેકડાને પોતાનું જીવન બચાવવું મુશ્કેલ છે તેમ હવે પછી મારે આનાથી શીલની રક્ષા કેવી રીતે કરવી ? અથવા પ્રાણુ સંકટમાં હોય ત્યારે કાલક્ષેપ કરવો એ જ કલ્યાણ માટે છે એવું નીતિવાક્ય છે. આ નીતિવાક્યને યાદ કરીને રતિસુંદરીએ સામેથી જ તેને કહ્યું હે શ્રેષ્ઠતૃપ! તમારે ગાઢ અનુરાગ જા. એથી જે નિષ્ફલ ન કરે તે તમને કાંઈક પ્રાર્થના કરું. રાજાએ કહ્યું- હે "રંભેરુ ! આ પ્રાર્થના વચન તો શું? તારા માટે ઉપયોગમાં લેવાયેલા આ પ્રાણે પણ મારા માટે તૃણસમાન છે. હે સુંદર ભમ્મરવાળી! જે મસ્તક આપે તેની પાસે શું ચક્ષુની માગણી કરાય? એથી તું મારી પાસે અતિદુર્લભ પણ માગ. હું તારી માગણીને પૂરી કરું છું. રતિસુંદરીએ કહ્યુંઃ ચાર માસ સુધી મારા બ્રહ્મચર્યને ભંગ ન કરે. આ સિવાય બીજું કાંઈ મારે જોઈતું નથી. રાજા બોલ્યા હે સુંદર મુખવાળી ! આ વચન વાપાતથી પણ અધિક ભયંકર છે. તે પણ હું તારી આજ્ઞા અન્યથા નહિ કરું. દુખરૂપી સમુદ્રમાં ડુબેલી તે તેના દ્વીપસમાન આ વચનને પામીને સૂર્યથી સંતપ્ત બનેલા પુરુષ વૃક્ષની છાયા પામીને ખુશ થાય તેમ ખુશ થઈ પછી પણ આ મને આધીન જ છે એમ વિચારીને રાજા ધનને ભૂમિમાં દાટીને રંક જેમ ખુશ થાય તેમ મનમાં ખુશ થયો.
રતિસુંદરી સતત આયંબિલ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યાઓથી શરીરનું શેષણ કરવા લાગી. સ્નાન, વિલેપન અને આભૂષણોનો ત્યાગ કર્યો. બે સ્તન વચ્ચેનું અંતર વધી ગયું. મુખરૂપી કમળ કરમાઈ ગયું. લેહી, માંસ, નાસિકાને અગ્રભાગ અને કમ્મર સૂકાઈ ગયા. વાળ કઠોર થઈ ગયા. આખું શરીર મેલથી શ્યામ થઈ ગયું. હિમથી બળેલી કમલિનીની જેમ તે આકૃતિથી જ ભયંકર બની ગઈ આવી રતિસુંદરીને રાજાએ એકવાર જોઈ તેણે રતિસુંદરીને પૂછયુઃ હે મૃગના જેવી આંખવાળી! તારી આવી અવસ્થા કેમ થઈ? શું તને કઈ રોગ છે? અથવા ચિત્તમાં દરરોજ કઈ દુ:ખ ઉત્પન્ન થાય છે? તેણે કહ્યું હે દેવ! વૈરાગ્યથી મેં આ વ્રત ધારણ કર્યું છે, તેથી ફાગણ માસમાં વન જેમ મારી કાયા કાંતિરહિત થઈ ગઈ છે. હે મહારાજ ! આ વ્રત મારે ગમે તેમ કરીને પણ પૂરું કરવું જોઈએ. કારણ કે વ્રતભંગ નરકનું કારણ છે. રાજાએ પૂછ્યું: તારા વૈરાગ્યનું કારણ શું છે? જેથી તે ભાગને વેગ્ય આવા શરીરને પુ૫- ૧. કેળ જેવી જાધવાળી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શીલેાપદેશમાલા ગ્રંથના
માળાની જેમ તપરૂપી અગ્નિમાં નાંખ્યું ! પતિવ્રતા રતિસુ દરીએ કહ્યું: હું રાજેદ્ર! જુઓ, તેમાં પહેલાં તો સેંકડા દોષાથી ભરેલું આ શરીર જ વૈરાગ્યનું અસાધારણ કારણ છે. આ શરીર નવ દ્વારાથી ચરખી, લાહી, માંસ, મેદ, હાડકાં, પિત્ત, વિદ્યા, મૂત્ર અને શ્લેષ્મ વડે દુર્ગંધને બહાર કાઢે છે. વારંવાર વિલેપન, સ્નાન અને ધૂપ વગેરે ઉપાચેથી સારી રીતે પવિત્ર કરેલ પણ આ શરીર પોતાની દુર્ગંધને કોઇ પણ રીતે મૂકતું નથી. અંદર કે બહાર જે જે ભાગસાધન શરીર પાસે લઈ જવામાં આવે=શરીર માટે ઉપયોગ કરવામાં આવેતે તે ભાગસાધન લુચ્ચા પુરુષને કરેલા ઉપકારની જેમ વિરૂપતાને પામે છે, અર્થાત્ ખરાબ બની જાય છે. માત્ર દેખાવથી મનેાહર પણ અંદરથી અશુચિનું' નિધાન શરીર જેમ વિષ્ઠા ગધેડાને વૈરાગ્ય ઉત્પન્ન કરે છે તેમ કેને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે? ગુણી જીવા પણ કિંપાર્કલની જેમ જેમાં માહ પામે છે, તે હણાયેલા આ શરીરના બીજા પણ મોટા દોષો દેખાય છે. આ પ્રમાણે તેની વૈરાગ્યવાળી પણ દેશનાથી રાજા જેમ મેઘની વૃષ્ટિથી મુગશૈલ ભાવિત ન બને=પલળે નહિ તેમ ભાવિત ન બન્યા. રાજાએ વિચાર્યું": આ તપથી ફ્લેશ પામેલી છે તેા પણ નિયમ પૂર્ણ થતાં સંસ્કારિત કરાયેલી એ ફ્રી સ્વસ્થ અવસ્થાને પામશે.
રાજાએ રતિસુ દરીને કહ્યું: હે મુગ્ધા ! નિરક ખેદ ન કર. તારા નિયમને પૂરો કર. આમ કહીને સ્મિતથી લેપાયેલા મુખવાળા રાજા જતા રહ્યો. નિયમની અવધિ પૂર્ણ થતાં પારણા પછી રાજાએ ફરી કહ્યુંઃ હે ભદ્રા! તારા સંગ કરવા માટે આજે હું ઘણા ઉત્કંઠિત છું. સતીએ કહ્યું: હે દેવ ! બધે સ્વાર્થ જ અધિક બલવાન છે. અતિઘણા સમય પછી આજે જ મેં સ્નિગ્ધ ભેાજન કર્યું છે. તેથી હમણાં મારું આખુ' શરીર વ્યાકુલ છે. માથુ ફાટે છે. હૃદયમાં શૂલ વગેરે થાય છે. સાંધાઓ તૂટે છે. આ પ્રમાણે કહી રહ્યા પછી ગુપ્તપણે મેાઢામાં મદનલ નાખીને માર્મિક બુદ્ધિવાળી તેણે કૃતઘ્ન પુરુષની જેમ ખાધેલું બધું વમી નાખ્યું. તેણે રાજાને કહ્યું: હું રાજેન્દ્ર ! અહે ! શરીરની કૃતઘ્નતાને જુએ, તેવુ મનેાહર ભાજન શરીરે ક્ષણવારમાં અશુચિ કરી નાખ્યું. તમારા જેવા મૂર્ખને મૂકીને ભૂખ્યો થયેલા હોય તા પણ પેાતાને ભાગ્યશાળી માનનાર કાણુ વસેલું ખાવાની ઈચ્છા કરે ?
રાજાએ પૂછ્યું: હું મૂખ કેવી રીતે? મહાસતીએ જવાબ આપ્યા : હું વિચક્ષણ ! અહીં અભિપ્રાય સ્પષ્ટ છે, આથી કંઈકહેવાની જરૂર નથી. બીજાએ ભાગવેલી સ્ત્રીઓથી
૧. આના આધારે એ જણાય છે કે ખીજા પશુએની જેમ ગધેડા વિષ્ઠા જરા પણ નહિ ખાતા ઢાય, અથવા અહીં ખીજો અર્થ આ પ્રમાણે થાય:- શરીર ગધેડાની વિશ્વા (લાદ)ની જેમ કાને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે ? પણ આ અદ્ કરવામાં પ્રસ્તુત વિષયને પુષ્ટિ મળતી નથી. કારણ કે ગધેડાની વિષ્ઠા કરતાં તે મનુષ્યની વિષ્ઠા વધારે ખરાબ છે. તા ટીકાકાર “ મનુષ્યની વિષ્ઠાની જેમ ’ આમ લખત. આથી પહેલેા અર્થ વધારે ઠીક જણાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ અધિક બીજું નિંદનીય શું છે? તેથી હું વિચક્ષણ! બીજાએ ભેગવેલી સ્ત્રીને ઇચ્છતા તમે શું ઠપકાને પાત્ર નથી થયા ? રાજાએ કહ્યું: હે સુંદરી ! આ સાચું છે, હું એ બધું સમજુ છું. પણ અતિશય રાગથી તારો સંગ કરવામાં હું લુબ્ધ છું. મહાસતીએ કહ્યું. જેને રાગ સ્થિર હોય તેના પ્રત્યે અનુરાગ કર જોઈએ. આથી હજી પણ મારા આ નીચ શરીર વિષે અનુરાગ શ કરે? રાજાએ ફરી કહ્યુંઃ તપથી સુકાયેલા પણ આ શરીરમાં આ તારા બે નેત્રો જુના પાત્રમાં રહેલા રત્નની જેમ ત્રણ લેકમાં અમૂલ્ય છે. શીલરક્ષા માટે બીજા ઉપાયને નહિ જાણતી સતીએ સહસા પિતાના બે નેત્રને ઉખેડીને રાજાને આપ્યા. આ જોઈને આશ્ચર્ય પામેલે રાજા રાગથી મુક્ત બન્યા અને તેને સંવેગ અતિશય વધે.
હવે તેણે સંભ્રમપૂર્વક સતીને કહ્યું છે કુદરી આ ભયંકર કામ કેમ કર્યું ? હા હા ! આ દુષ્કર કામ મારા અને પોતાના (=સતીના) દુઃખનું જ કારણ છે. રતિસુંદરીએ કહ્યું- હે દેવ! જેમ અતિશય તીવ્રરોગીઓને કડવું ઔષધ સુખનું જ કારણ છે તેમ આ કાર્ય આપણું બનેના સુખનું જ કારણ જાણવું. પછી તેણે ઉપદેશથી રાજાને ધર્મમાં સ્થિર કર્યો. વૈરાગ્યને પામેલા તેણે પણ સતીને ખમાવી. પછી શીલના પ્રભાવથી શાસનદેવીએ એનાં અતિશય શોભાથી મનોહર બે નેત્રે કર્યાં. રાજાએ પણ મંત્રીઓની સાથે તેને નંદન નગર મેકલી. તેણે ચંદ્રરાજાને જણાવ્યું કે રતિસુંદરી મારી બહેન છે, સગી બહેન છે. ચંદ્રરાજાએ રતિસુંદરીની પ્રશંસા કરી. રતિસુંદરી સતી નિર્મલ શિલધર્મનું પાલન કરીને કેમ કરીને મેક્ષસુખને પામશે. [૫૪] પતિથી ત્યજાયેલી મહાસતીઓના પણ શીલપ્રભાવને કહે છે –
रिसिदत्ता दवदंती, कमला य कलावई विमलसीला ।
नामग्गहणजलेणवि, कलिमलपक्खालणं कुणह ॥५५॥ ગાથાથ – નિર્મલ શીલવંતી ઋષિદત્તા, દમયંતી, કમલા અને કલાવતી એ સર્વ સતીઓ જય પામે. હે ભવ્યજનો ! એ સતીઓની સ્તુતિ, પ્રશંસા વગેરે દૂર રહે, તેમને માત્ર નામ ગ્રહણરૂપ જલથી પણ કલિયુગના મલનું = પાપનું પ્રક્ષાલન કરો.
ટીકાથ - ગાથાને આ સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે દષ્ટાંતેથી જાણ. તેમાં પહેલું ઋષિદત્તાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે -
ઋષિહત્તાનું દૃષ્ટાંત આ જ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં શ્રીરથમઈન નામનું નગર હતું. તેમાં શ્રીમંતના ઘરમાં કુબેર વણિકપુત્ર જે જણાતું હતું. ત્યાં હેમરથ રાજા હતા. તેની તલવારરૂપ વેલડી શત્રુઓની સીઓના ઉણ પણ નેત્રજલથી વૃદ્ધિ પામો. તેને સુયશા નામની
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શીલપદેશમાલા ગ્રંથને પત્ની હતી. તેના નેત્રેએ હરણને જીતી લીધી. ચોક્કસ તેથી હરણીએ જંગલને આશ્રય લીધે છે. જંગલને આશ્રય લીધે હોવા છતાં હરણી માર્ગને સેવે છે. તેમને કનકરથ નામને મહાપરાક્રમી પુત્ર હતું. તેની કીર્તિરૂપી પત્ની બાળ હોવા છતાં આકાશમાં સહેલાઈથી પરિભ્રમણ કરતી હતી. - આ તરફ પૃથ્વીરૂપી લીમીની વેણી સમાન કોબેરીનગરી હતી. તે નગરીનું ગવરૂપી વજને ધારણ કરનાર સુંદરપાણિ નામને રાજા શાસન કરતું હતું. તેની પતિવ્રતા સ્ત્રીઓના તિલક સમાન વાસુલા નામની પત્ની હતી. જેમ મેરુની ભૂમિ ક૫વેલડીને જન્મ આપે તેમ વાસુલાએ રુમિણી નામની પુત્રીને જન્મ આપ્યું. રુમિણી હવે યૌવનમાં આરૂઢ થઈ છે એમ રાજાએ જાણ્યું. આથી તેણે કનકકુમારની સાથે રુકુમિણનો સંબંધ એગ્ય છે એમ વિચારીને રુકમિણી કનકકુમારને આપી. કનકકુમાર પિતાની આજ્ઞાથી રુકિમણીને પરણવા માટે ચાલ્યું. તે રસ્તામાં સીમાડાના રાજાઓને પોતાની આજ્ઞાને આધીન કરતે હતે. ક્રમે કરીને તે રાજપત્નીની જેમ સૂર્યને નહિ જેનાર અને ઊંચાં વૃક્ષોથી ઢંકાયેલ એક મેટા જંગલમાં આવ્યું. પાણી જેવાની ઈચ્છાથી પૂર્વે મોકલેલા સેવકએ આવીને વૃક્ષની નીચે બેઠેલા કુમારને કહ્યું- હે દેવ! આપની આજ્ઞાથી અમે દૂરની ભૂમિ સુધી ગયા. ત્યાં જાણે પૃથ્વીનું મુખ હોય તેવું અને કમળથી ભરેલું એક સરોવર જોયું. અમે જેટલામાં સરેવરના કાંઠે ગયા તેટલામાં ત્યાં વનના આશ્રમમાં હીંચકાથી રમવાની ઈચ્છાવાળી કઈ કન્યાને જોઈ. અમને જોઈને તે એકદમ દૂર ભાગી ગઈ અને વિદ્યાધરીની જેમ ખબર ન પડે તે રીતે વૃક્ષોની ઘટામાં સંતાઈ ગઈ જેમ દરિદ્રીને ચિત્રવેલી ન મળે તેમ અમે સુંદરમુખવાળી તેને જંગલમાં શોધવા છતાં ફરી ન જોઈ જેમ મેઘગર્જનાને સાંભળીને મેર હર્ષ પામે તેમ આ સાંભળીને કુમાર પણ હર્ષ પામ્યું અને તેમની સાથે તેમણે બતાવેલા માર્ગે ચાલ્યો. તે આમ્રવનમાં આવ્યો અને હરણની જેમ તેની અંદર છુપાઈ ગયે. ત્યાં વિસ્મયથી પ્રકુલ્લિત બનેલા તેણે ચંચળ આખેવાળી તે કન્યાને જઈ. તેણે વિચાર્યું ચક્કસ આ મુનિના શાપથી પરિભ્રષ્ટ થયેલ દેવી છે. મભૂમિમાં કલ્પલતાની જેમ આવું શીરત્ન ભૂતલમાં ક્યાંથી હોય? આ પ્રમાણે રાજપુત્ર જેટલામાં તે કન્યાના રૂપમાં મોહ પામ્ય તેટલામાં તે કન્યા સૈન્યન કેલાહલ સાંભળીને પલાયન થઈ ગઈ. સૈન્યને ત્યાં જ સરેવરના કાંઠે વૃક્ષોની ઘટામાં રાખીને કામના આવેશવાળે કુમાર તે વનમાં ભ. તેને નહિ જેતે કામી ચિત્તવાળો તે કુમાર દૂર ગયે. ત્યાં આગળના ભાગમાં ઊંચા તેરણવાળું એક મંદિર જોયું. ચોકકસ આમાં હરણના જેવી આંખેવાળી તે મનહર કન્યા પણ હશે એમ વિચારીને રાજપુત્રે અંદર પ્રવેશ કર્યો. ત્યાં શ્રીષભદેવની પ્રતિમાને જોઈને તે પોતાને ધન્ય માનવા લાગ્યો.
૧. અહીં માગ શબ્દ દ્વિઅર્થક છે. એક અર્થમાં માર્ગ એટલે વિષ્ણ. બીજા અર્થ માં માર્ગ એટલે મૃગ. "
Page #198
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૯ પછી તેણે જેટલામાં વનના પુષ્પોથી અચિંત્યફલવાની પૂજા કરી તેટલામાં જેમ ચાંદનીની સાથે ચંદ્ર આવે તેમ તે બાલિકાની સાથે વિશાળ જટાના ભારવાળા વૃદ્ધ મુનિ ત્યાં આવ્યા. રાજપુત્રને જોતી મુનિ પુત્રીએ વિચાર્યું કે, શું આ ઈદ્ર છે? અથવા ચંદ્ર છે? અથવા સાક્ષાત્ કામદેવ છે? વિસ્મય પામેલા કુમારે પણ જિનને વંદન કરીને મુનિને વંદન કર્યું. મુનિએ પણ “તું દીર્ઘકાળ સુધી જીવ” એવા આશીર્વાદ આપ્યા. મુનિએ તેને તારું કુલ કર્યું છે એમ પૂછયું અને મને તારું નામ કહે, એમ કહ્યું. કુમારના સ્તુતિપાઠક ભાટે મુનિને કુમારની બધી વિગત કહી. કન્યાના મુખરૂપી ચંદ્રને વિષે ચકેરની જેમ દષ્ટિ ધારણ કરનાર કુમારે પણ મુનિને પૂછ્યું. આ કન્યા કેણ છે? અહીં મંદિર કેમ છે? આપ કેણ છે? પછી મુનિએ કહ્યું: હે વત્સ! આ કથા મોટી છે. હું પૂજા કરીને જ્યાં સુધીમાં આવું ત્યાં સુધી તું અહીં રહે. તેમ હે” એમ કહીને કુમાર અન્ય મંડપમાં બેઠો. મુનિએ બાલિકાની સાથે મંદિરમાં જઈને દેવપૂજા કરી. કુમારે કન્યાને જોઈ, અને કન્યાએ (કન્યા તરફ) વળેલી ડકવાળા અને ઉત્સુક કુમારને ચપળ અને નિર્મલ આંખેથી વારંવાર જે. મુનિ કુમારને મંદિરની ઉત્તર દિશામાં પિતાની ઝુંપડીમાં લઈ ગયા. ત્યાં પૂજાની સામગ્રી વગેરેથી કુમારની પૂજા કરીને મુનિએ કુમારને આ પ્રમાણે કહ્યું –
હે વત્સ! મંત્રિતાવતી નામની મનોહર નગરી છે. હરિષણ નામને રાજ તે નગરીનું રક્ષણ કરતા હતા. તેની યથાર્થ નામવાળી પ્રિયદર્શના પત્ની હતી. તેની કુક્ષિમાં થયેલ અજિતસેન નામનો પુત્ર હતા. એકવાર તેફાની ઘેડે રાજાને અશ્વો ખેલાવવાના સ્થાનમાંથી આ વનભૂમિમાં બળાત્કારે લઈ આવ્યું. રાજા અતિદક્ષ હેવાથી પીપળાના વૃક્ષની ડાળને પકડીને ચાલતા પણ ઘડા ઉપરથી જલદી આ વનમાં ઉતર્યો. અહીં આગળ રહેલા તળાવમાં રાજાએ મુખનું પ્રક્ષાલન કર્યું. પછી રાજાએ વિશ્વભૂતિ નામના તાપસને સારી રીતે નમસ્કાર કર્યા. કચ્છ અને મહાકછની વંશ પરંપરામાં આવેલા તે મહામુનિએ “શ્રી ઋષભજિન તમારા કલ્યાણ માટે થાઓ” એમ આશીર્વાદ કહ્યા. બંને પરસ્પર કુશલવૃત્તાંત સુખપૂર્વક જેટલામાં કહી રહ્યા હતા તેટલામાં વનમાં મોટે કેલાહલ પ્રગટ થયા. આશ્રમવાસીઓ આ શું છે? એમ ઈશારાપૂર્વક બોલ્યા. રાજાએ જાણ્યું કે ચક્કસ મારા પગલાવાળા માર્ગથી મારું સૈન્ય આવ્યું છે. રાજાએ ઉઠીને સેનાને સાંત્વન આપ્યું. મુનિની આરાધના કરતા રાજા એક માસ સુધી ત્યાં જ રહ્યો. તે રાજાએ પુણ્યરૂપી સમુદ્ર માટે ચંદ્ર સમાન અને શ્રેષ્ઠ તેરણવાળું શ્રી ઋષભ પ્રભુનું આ મંદિર કરાવ્યું છે. સ્વેચ્છાથી પોતાની નગરીમાં જવાની ઈચ્છાવાળા તે રાજાને કુલપતિએ વિષને દૂર કરનાર એક મંત્ર આપ્યું. રાજ્યનું પાલન કરતા અને સભામાં બેઠેલા તેને એક્વાર કઈ રાજ્યના દ્વારપાળે આવીને જણાવ્યું. તે આ પ્રમાણે
હે દેવી! કલ્યાણવાળી શ્રીમંગલાવતી નગરી છે. તેમાં મહાતેજસ્વી પ્રિયદર્શન રાજા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શીલપદેશમાલા ગ્રંથને રાજ્ય કરે છે. જેમ મેઘની વિદ્યુત પત્ની છે તેમ તેની વિદ્યુત્મભા પત્ની છે. તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી ગુણેથી પવિત્ર બનેલી પ્રીતિમતી નામની પુત્રી છે. તેને આજે દુષ્ટ સર્પ કરડો છે. તેથી તમને જણાવવા માટે પ્રિયદર્શન રાજાએ મને જલદી મોકલ્યો છે. ઉપકારની બુદ્ધિવાળા તેણે વેગવાળા હાથીઓથી મંગલાવતી નગરીમાં જઈને રાજપુત્રીને ગરુડની જેમ વિષરહિત કરી. કન્યાના પિતાએ તે કન્યા તેને આપી. તેને પરણીને તે રાજા પોતાની નગરીમાં આવ્યું. રાજાના પ્રવેશ નિમિત્તે નગરજને દરવાજાઓને શણગારેલી કમાન બાંધી હતી. કેટલાક કાળ ગયા પછી પોતાના યુવાન પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તે દંપતીએ તાપસવ્રતને સ્વીકાર કર્યો. તે બંને વિશ્વભૂતિ નામના તપસ્વીના ચરણમાં રાધાવેધ સાધવાની જેમ વ્રતની આરાધના કરવા લાગ્યા. પાંચમા મહિને
સ્ત્રીમંત્રની જેમ પ્રીતિમતીને ગર્ભ તત્કાલ જરાક પ્રગટ થયે. નમેલા મસ્તકવાળા રાજાએ સહચરી પ્રીતિમતીને પૂછ્યું હે ભદ્રા! કુલ અને શીલને અનુચિત તારે આ ગર્ભ કેમ દેખાય છે? પ્રીતિમતીએ જવાબ આપ્યો વ્રતના સ્વીકાર પહેલાં જ આ ગર્ભ હતા, પણ જેમ વાદળની મધ્યમાં રહેલી ચંદ્રકળા ક્ષણવાર ન દેખાય તેમ આ ગર્ભને મેં ન જાયે. તેમણે વિચાર્યુંઅહીં રહેલા આપણે તપસ્વીઓમાં ધિક્કારને પાત્ર બનીશું. આથી સવારે બીજા સ્થળે ચાલ્યા જવું. આમ વિચારીને વ્યાકુલ અને ચિતારૂપી આચમન જલથી યુક્ત મનવાળા તેમણે ગાલ ઉપર ડાબે હાથ મૂકીને સૂઈને તે રાત્રિ પસાર કરી. સવારે તેમણે દુષ્ટ વ્યંતરથી તદ્દન ખાલી કરાયેલા ગૃહસ્થના ઘરની જેમ તે આશ્રમને તપસ્વીઓથી ખાલી છે. તેથી વિલખા બનેલા તેમણે પિતાની ચપળ અને વિક્રત અવશેષની જેમ આમતેમ ફેરવી. જેમ પક્ષી સુકા પાંદડાવાળા વૃક્ષને છોડીને જાય તેમ આશ્રમને છેડીને જતા ધીમા પગલાવાળા એક વૃદ્ધમુનિને જોયા. હરિણમુનિએ તે વૃદ્ધ મુનિ પાસે જઈને અંજલિ જોડીને કહ્યું: મને કહો કે કયા કારણથી આ તપોવન શૂન્ય છે? વૃદ્ધમુનિએ કહ્યું: વત્સ! તમારું આ નિવ કાર્ય જોઈને કેરેગવાળા પુરુષની જેમ આ આશ્રમને છોડીને બધા અન્ય વનમાં ગયા છે. આ પ્રમાણે કહીને મુનિ જલદી ઈઝેલા સ્થળે ગયા. ખેદ પામેલા હરિષણ મુનિ પિતાની ઝુંપડીમાં પાછા આવ્યા. જેમ સાધુ લક્ષમીની નિંદા કરે તેમ પોતાના કર્મની નિંદા કરતા તેમણે ચાર મહિના સે વર્ષ જેટલા પસાર કર્યા. ગર્ભને કાળ પૂર્ણ થતાં પ્રીતિમતીએ જેમ કલ્પવેલડી ઈષ્ટ ફલ આપનાર સંપત્તિને જન્મ આપે તેમ પુત્રીને
૧. ગરુડ કશ્યપઋષિને પુત્ર છે. તે ગાડિક મંત્રથી ઝેરને દૂર કરે છે. ૨, સ્ત્રીની ગુપ્ત વાતની જેમ, ૩. પારિ એટલે પાળ. ગાલની પાળ ઉપર એમ શબ્દાર્થ છે.
૪. જેમ કોઈ વેપારી અમક માલ વેચાઈ ગયા પછી હવે માલ કેટલે બાકી રહ્યો છે એમ માલ ઉપર નજર ફેરવે તેમ..
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૧ જન્મ આપ્યો. ઋષિની કૃપાથી આ પ્રાપ્ત થઈ છે એમ વિચારીને તેના માતા-પિતાએ તે વખતે તેનું ઋષિદત્તા એવું સાર્થક નામ પાડયું. તેની માતા સુવાવડના રેગથી મૃત્યુ પામી. પછી પિતાએ તેને પાળીને આઠ વર્ષની કરી. રૂપવતી એને વનમાં ફરનારા છ ઉપદ્રવ ન કરે એ માટે એ અદશય થઈ શકે એ હેતુથી પિતાએ તેની આંખમાં અંજન કર્યું. દાક્ષિણ્યતાથી ઉત્તમ તે પિતા હું છું, અને તે કન્યા આ છે. વનમાં બીજાઓને નહિ દેખાતી તેણે તને જ દર્શન આપ્યું છે.
પરસ્પર એક-બીજાને જોતા ઋષિદત્તા અને રાજપુત્રે સ્નેહપૂર્ણ દષ્ટિથી એક-બીજાને પિતાના આત્માનું અર્પણ કર્યું. તે બેના ભાવને વિચારીને મુનિએ કુમારને કહ્યું કેગ્ય
એવા તમને આ કન્યા અતિથિનું સત્કાર થાઓ, અર્થાત્ હું તમને અતિથિના સત્કારમાં આ કન્યા આપું છું. કુમારે “તેમ હે” એમ સ્વીકાર્યું. પછી જેમ શંકર પાર્વતીને પરણે તેમ સુકેમલ વાણવાળે કુમાર તેને પરણ્ય. જેમ ભમર માલતીમાં (કમાલતી પુપમાં) સુખપૂર્વક રહે તેમ રાજપુત્ર કેટલાક દિવસે સુધી નવોઢા ઋષિદત્તાની સાથે ત્યાં સુખપૂર્વક રહ્યો. કુમારની સેબતથી ભેળી પણ ઋષિદત્તા વિચક્ષણ બની. પાડલ વનસ્પતિથી વાસિત થયેલી માટી શું સુગંધને પામતી નથી? વૈરાગ્યમાં તત્પર બનેલા મુનિએ પોતાની પુત્રી અને જમાઈને પૂછીને પંચપરમેષ્ટિ સ્તવનું ( નમસ્કારમંત્રનું) સ્મરણ કરતાં કરતાં અગ્નિમાં પ્રવેશ કર્યો. તેથી પિતાના દુખથી પૃથ્વી ઉપર આળોટીને રડતી પત્નીને અમૃત જેવી પ્રિયવાણીવાળા કુમારે સમજાવી. રાજપુત્ર પહેલાં જે કન્યાને પરણવા માટે પિતાના નગરથી ચાલ્યો હતો તેને છેડીને ત્યાંથી જ ઋષિદત્તાની સાથે પોતાના ઘરે પાછો ફર્યો. ઋષિદત્તાએ રસ્તામાં હરિવર્ષ વડે લવાયેલા બીજેથી સર્વઋતુઓમાં ફલથી શોભે તેવી વૃક્ષશ્રેણિને વાવી. આ પ્રમાણે કેટલાક દિવસમાં તે રથમઈન નગર આવ્યો. પ્રવેશનિમિત્તે પિતાએ કરેલા ઉત્સવપૂર્વક વિશાલનેત્રવાળા તેણે નગરમાં પ્રવેશ કર્યો. પતિને માન્ય અને સદાચારવાળી ઋષિદત્તાએ વિનય વગેરે ગુણેથી બધાના ચિત્તોને પ્રસન્ન બનાવ્યા. કુશળ આશયવાળા કુમાર યુવરાજપદને પામીને દેગુંદક દેવની જેમ બે પ્રકારના વિષયને ભેગવવા લાગ્યો.
હવે કીબેરી નગરીમાં સુંદરપાણિ રાજાએ સાંભળ્યું કે કુમાર મુનિની પુત્રીને પરણીને પાછો ફર્યો છે. યૌવનના ઉન્માદથી ઉન્મત્ત બનેલી અને રાજપુત્રમાં અત્યંત કામાતુર થયેલી કમિણી પણ આ સાંભળીને ઉપાયને વિચારવા લાગી. તેણે મંત્રતંત્રને જાણનારી, ક્રોડ કપટ કરવામાં કુશળ, અને પાપિણી સુલસા નામની કઈ યોગિનીની પાસે યાચના કરી કે, તે ઋષિદત્તાને કલંક આપે અને તે પતિ મને આપ. યોગિની
૧. અહીં “હરિવર્ષના સ્થાને “હરિણ” હેવું જોઈએ. કારણ કે ઋષિનું નામ હરિષેણ છે. ૨, ભાગ અને ઉપભોગ એમ બે પ્રકારના
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શીલાપદેશમાલા ગ્રંથા
તેના વચનના સ્વીકાર કરીને રથમન નગરમાં આવી. સર્પિણીની જેમ એ જીભવાળી, રાક્ષસીની જેમ દુષ્ટ ચિત્તવાળી અને આળસરહિત ચિત્તવાળી સુલસા અતિશય અધકાર થયા ત્યારે (રાજમહેલમાં) અવવાપિની નિદ્રાને આપીને તથા ત્યાં એક માણસને મારીને જેમ દુવૃત્તિવાળી સ્ત્રી જાય તેમ કુમારના મહેલમાં આવી. પતિની પાસે સૂતેલી ઋષિઇત્તાના સુખરૂપી કમળને લાહીથી લાલ કર્યું દુષ્ટાની દુષ્ટતાને ધિક્કાર થા. ! તેના ઓશીકા આગળ માંસપિંડના કર‘ડીયા મૂકયો. પછી અવસ્વાપિની નિદ્રાને સંહરીને રાજપુત્રના મહેલમાંથી પલાયન થઈ ગઈ. સવારે મરેલા માણસને જોઇને તેના પરિવારે કાલાહલ કર્યાં. તેથી કુમાર પણ જાગી ગયા. તે વખતે તેણે વૃત્તાંત જાણ્યા. પત્નીના મુખને લાહીથી લાલ થયેલું જોઇને અને ઓશીકા પાસે માંસપિંડને જોઇને કુમારે ચિત્તમાં શંકા કરી. તે આ પ્રમાણે :- કોઇ મનુષ્ય મરી ગયા છે એમ સભળાય છે. આ પણ આવી દેખાય છે. હા હા ! મારી પ્રાણપ્રિયા શું રાક્ષસી હશે ? આમાં આવું સંભવે નહિ, અને આ અહીં દેખાય છે. આ પ્રમાણે જોઈને ઉત્તમ બુદ્ધિવાળા તેણે પત્નીને જલદી ઉઠાડી. સૂઈને ઉઠેલી પત્નીને તેણે કહ્યું: હે દેવી ! હૈ પ્રિયા ! જો છુપાવે નહિ તે હું તને કંઈકે પૂછ્યું, તેણે કહ્યું: જલદી કહેો. કુમાર આલ્યાઃ હે પ્રિયા ! અહીં રાતે કાઈ પુરુષ મરાયા છે અને હમણાં તારું. એશી માંસ સહિત છે અને મુખ લાહીથી નિંદિત થયેલું છે. તેથી હું ભદ્રા! તું શું રાક્ષસી થઈને પણ (=રાક્ષસી હેાવા છતાં) સુનિપુત્રી ખની છે ? આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને કોઈ પણ આવી કલ્પના કરે. પતિના વચનને સાંભળીને અને પોતાને તેવી જોઈને અતિશય ભય પામેલી અને વ્યાકુલ નેત્રવાળી તેણે કુમારને કહ્યું: અસંભવિત આને હું વાણીથી પણ કહેવા સમ નથી. પૂર્વકર્મના પ્રભાવથી કાઈ વૈરીએ આ કર્યું... છે. અથવા જો પૂજ્ય સ્વામીને ખાતરી ન થતી હાય તા સથી ડંસાયેલા ૧અવયવની જેમ જલદી મને નિગ્રહ કરો. કરુણાસિંધુ અને વિવેકી કુમારે તેને કહ્યું: હે ભદ્રે ! હું તને ખીજના ચંદ્રની કળાની જેમ નિર્દોષ સમજું છું. આ પ્રમાણે ખેલતા તેણે દુજ નાના સુખાને બંધ કરવા માટે અમૃતને વર્ષાવનાર તેના મુખને સ્વય. ધાયુ, ચેાગિણી દરરોજ આ પ્રમાણે કરે છે અને કુમાર જેમ સવારના પવન હિમના કણાને દૂર કરે છે તેમ લાહી-માંસને દૂર કરે છે.
એકવાર તે વૃત્તાંતને જાણનાર રાજાએ ગુસ્સાથી કહ્યું: રે રે! દુષ્ટમંત્રી ! તમે રાજ્યની ચિંતા કરતા નથી. દરાજ થતા એક મનુષ્યના આ સ`હારની ઉપેક્ષા કરવામાં આવશે તેા એ વધતા વ્યાધિની જેમ વ્યાપક બની જશે. મંત્રીએએ કહ્યુ: હે દેવ ! આ વિષે અમે પ્રયત્ન કરીએ જ છીએ. પણ હૈ દેવ ! આપના નગરમાં આ હિંસા માનવકૃત નથી. જો એ હિંસા મંત્રકૃત હોય તો એને અમે ન જાણી શકીએ. આમ
૧. સર્પથી ડસાયેલા અવયવના નિગ્રહ કરવા એટલે તેટલા અવયવને કાપી નાખવેા.
Page #202
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૩ છતાં જે બધા પાખંડીઓને આ નગરથી બહાર કાઢી મૂકવામાં આવે તે ચેસતેથી શાંતિ થાય. આ પ્રમાણે મંત્રીઓથી ઘેરાયેલા રાજાએ જૈનમુનિઓને મૂકીને બાકીના બધા દર્શનના પાખંડીઓને નગરમાંથી દૂર કરવાની આજ્ઞા કરી. આ દરમિયાન દુષ્ટ આચરણવાળી, દૃરચિત્તવાળી અને પિતાને વિદ્વાન માનનારી સુલસાએ રાજાને એકાંતમાં આ પ્રમાણે કહ્યું: હે દેવ ! કેઈક દેવે આજે મને સ્વપ્નમાં કહ્યું કે, આજે રાજા પાખંડીએને નગરની બહાર કાઢશે. આથી નિર્દોષ તે તેમની થઈને તેમની પાસે જા અને કહે કે, બિલાડી દૂધ પી જાય ત્યારે શું ભેંસના બચ્ચાને મરાય! વનમાંથી લાવેલી રાજાની રાક્ષસી પુત્રવધૂએ જ આ કર્યું છે એમ જાણવું. આ પ્રમાણે કહીને દેવ અદશ્ય થઈ ગયે. જે અસંભાવનીય આ વૃત્તાંતમાં આપને શંકા હોય તે આજે આપ જાતે જ આ કૌતુકની તપાસ કરે. પછી રાજાએ તેને રજા આપી. રાજાએ તે રાતે પોતાના પુત્રને પિતાની પાસે સુવાડ્યો અને પુત્રવધૂની પાસે ચરપુરુષને રાખ્યા. આથી કુમારને નિદ્રા ન આવી અને અરતિ પ્રગટ થઈ. કુમારે વિચાર્યું. મારી પ્રિયાને દેષ ચક્કસ આજે પ્રગટ થશે. એક તરફ મારાથી પિતાના આ આદેશનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી અને બીજી તરફ પત્નીનું દુઃખ આવ્યું છે. આથી આ મેટું સંકટ છે. આ તરફ કૂરચિત્તવાળી સુલસાએ તે કાર્ય તે જ પ્રમાણે કર્યું. રાજાએ ચરપુરુષ વડે સવારે પુત્રવધૂને તેવી (લેહીથી લાલ મોઢાવાળી અને ઓશીકા પાસે માંસનો કરંડિયે પડયો છે તેવી ) થયેલી જોઈ. હવે ગુસ્સે થયેલા રાજાએ પુત્રને તિરસ્કાર કર્યો. અરે ! પત્નીને રાક્ષસી જાણતા હોવા છતાં ઘરમાં રાખે છે ! અરે ક્રૂર ! અરે દુરાચારી ! હે રાક્ષસીપતિ ! મોટાઈને મૂકી દે. મોગરાના ફૂલ જેવા અને ચંદ્ર જેવા નિર્મલ આ કુલને તેં કલંકિત કર્યું. કુમારે પણ નમીને કહ્યુંઃ આપ ક્રોધ ન કરે. તેમાં આ સંભવતું નથી. કિંતુ કેઈક દુષ્ટનું આ કાર્ય છે એમ આપ જાણે. ક્રોધાવેશ રૂપી ફણથી ભયંકર રાજારૂપી સર્ષે ફરી કહ્યું હે મૂઢ! જે વિશ્વાસ ન કરતે હે તે જાતે જઈને જે. રાજાની આજ્ઞાથી કુમારની મુખકાંતિ ઘટી ગઈ. તેણે પત્ની પાસે જઈને પત્નીને પ્લાન મુખવાળી જોઈને મધુરવાણીથી કહ્યું હે સુંદરવચનવાળી ! પૂર્વનાં કર્મો ઉદયમાં આવ્યાં છે ત્યારે હું શું કરું? કે ઈ યેગિણી રાજાની આગળ તને રાક્ષસી કહે છે, અને આજે સવારે ચર પુરુષ દ્વારા જાતે તને તેવી જોઈ હવે પછી કર્મની પરવશતાથી તારું શું થશે? તે હું જાણતા નથી. - હવે ક્રોધથી ઢંકાયેલ ચિત્તવાળા રાજાએ દૂર લઈ જઈને મારી નાખવા માટે ઋષિદત્તાને કેશથી ખેંચીને ઘાતકી પુરુષોને આપી, તથા આજ્ઞા કરી કે, તમારે આ દુષ્ટ રાક્ષસીને આખા નગરમાં ફેરવી ફેરવીને સ્મશાનમાં લઈ જઈને મારી નાખવી. પત્નીના દુખથી આપઘાત કરતા અને આંખમાંથી વહેતા આંસુવાળા રાજપુત્રને પણ પિતાએ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શીલપદેશમાલા ગ્રંથને બાંધીને રાખ્યું. ઋષિદત્તાના મસ્તકે મુંડન કર્યું. મસ્તકની શિખાના છેડે શ્રીફળની માળા બાંધી. ડેકમાં લીમડાના પાનની લાંબી માળા પહેરાવી. મુખ ઉપર શાહી પડી. ચૂર્ણોથી એનું શરીર ચિત્ર-વિચિત્ર કર્યું. પછી એને ગધેડા ઉપર બેસાડી. એના મસ્તકે દંડને અવલંબીને રહેલા સૂપડાના ટુકડાનું છત્ર ધર્યું. એની આગળ મેટું કાહલ વાજિંત્ર, રણશીંગુ અને નગારું વગાડવામાં આવતું હતું. આ રીતે કેટવાળાએ તે સતીને નગરની અંદર ફેરવી. કેટલાક નગરજને હાહાકાર અને કેટલાક નગરજને પ્રચંડ પિકાર કરી રહ્યા હતા. આવા નગરજનથી જોવાતી તેને દુષ્ટ પુરુષ સ્મશાનશ્રેણિમાં લઈ ગયા. સૂર્ય આકાશને છેડીને સમુદ્રમાં પડ્યો અને દુર્જનની જેમ અંધકાર ફેલાયે. આ વખતે તે પુરુષમાંથી દયાહીન એક પુરુષે સતીને કહ્યું : હે ક્રા! પોતાના દેવનું સ્મરણ કર. આમ કહીને તે જેટલામાં સતીને પ્રહાર કરે છે તેટલામાં ભયને કારણે થયેલી અતિશય મૂછથી તે સતી ભૂમિ ઉપર પડી. મૂછથી પૃથ્વી ઉપર પડેલી તેને આ મરી ગઈ છે એમ માનીને તેવી જ સ્થિતિમાં તેને મૂકીને તે પુરુષ જલદી પિતાના ઘરે ગયો.
ઠંડા પવનથી સચેતન કરાયેલી ચંચળચક્ષુવાળી તે તે સ્થાનને શૂન્ય જોઈને જાળમાંથી મુક્ત થયેલ મૃગલીની જેમ તે નાસી ગઈ. સવારે ભય પામતી તેણે આમ તેમ જોયું. પછી નિર્જન સ્થાનમાં પ્રતિધ્વનિથી આકાશ અને પૃથ્વીની કુક્ષિને ભરી દેતી તે રડી, અર્થાત્ મેટા સાદે ખૂબ રડી. હે પિતાજી જે તે વખતે દુર્મતિ મેં આપને ન મૂક્યા હેત તે હું આ દુઃખનું ભાજન કેવી રીતે થાત? હે જીવ! તે પૂર્વભવે જે દુષ્કૃત કર્મ કર્યું છે તેના વિપાકથી તને આ કલંક આવ્યું છે. સાહસધીર અને પ્રિયવત્સલ હે નાથ ! વૃદ્ધાની જેમ દુ:ખરૂપી ખાડામાં પડેલી પોતાની પત્નીનું રક્ષણ કરે. આ પ્રમાણે વિલાપ ર્યા પછી શેકને ઓછો કરીને તે મંદગતિથી દક્ષિણ દિશામાં પિતાના આશ્રમ તરફ ચાલી. રસ્તામાં ઘાસની અણીએથી તેના પગ ચીરાતા હતા. પિતાના હાથે વાવેલી વૃક્ષશ્રેણિએ બતાવેલા માર્ગે તે સતી પિતાના તપોવનમાં ગઈ પિતાના અગ્નિદાહના સ્થાનને જોઈને સ્નેહને યાદ કરીને તે રડી. હે પિતાજી ! આપ ક્યાં છે? દુઃખી બનેલી મને આપનાં દર્શન આપે. પહેલાં પિતાનું આ તપોવન મારા માટે શહેર જેવું હતું, પણ હમણું દુઃખથી બળેલી મારા માટે તે અગ્નિ સમાન થયું છે. હવે તે જ વખતે મનમાં શેક એ છે કરીને કંદ, મૂલ અને ફલને આહાર કરતી તે તપસ્વિનીની જેમ ત્યાં રહી. એકવાર પતિવ્રતા તેણે વિચાર્યું. હું વનમાં એકલી માર્ગમાં રહેલા બેરડીના બોરની જેમ સદા સુખપૂર્વક કેવી રીતે રહી શકીશ? શીલ સીઓને
૧. શાળા: જીવ-એ પદોને અર્થ આ પ્રમાણે - મદિરાના સંગને પામેલ નપુંસક જેમ વસ્ત્રને છોડી દે તેમ. કુરતા પદમાં રહેલ અંબર શબ્દને નપુંસકના પક્ષમાં વસ્ત્ર થાય અને સૂર્યના પક્ષમાં આકાશ અર્થ થાય.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૫
ગુજરાતી ભાવાનુવાદ આલોકમાં અને પરલેકમાં સિદ્ધિ આપનારું છે. મારે તે શીલનું માળાની જેમ નિર્મલપણે પાલન કયા ઉપાયથી કરવું? હા જાણ્ય, પિતાએ બતાવેલી પરમ ઔષધિ વિદ્યમાન છે. તેના પ્રભાવથી શ્રી પુરુષનું રૂપ પામે છે. પવિત્રિકા નામની તે ઐાષધિને કાનમાં નાખીને તેનાથી તે પુરુષનું રૂપ પામી. મુનિ વેષને ધારણ કરીને જિનને પૂજતી તે સુખપૂર્વક રહી. કાબૂમાં રખાયેલ અને પ્રિયાના વિરહથી વ્યાકુલ થયેલ કુમાર પણ જાણે સારભૂત બધું ચેરાઈ ગયું હોય તેમ રાજ્યમાં પણ શૂનમૂન રહ્યો. કૃતકૃત્ય, નિર્દય અને વિજય મેળવનારી તે સુલસાએ જેમ બાકડાની હત્યા ચંડિકાદેવીને હર્ષ પમાડે તેમ કૃમિણને હર્ષ પમાડી.
હવે તે વખતે કોબેરી નગરીના અભિમાની રાજાએ વાચાલ મનુષ્યમાં મુખ્ય એવા દૂતને હેમરથરાજા પાસે મોકલ્યો. તે ત્યાં જઈને રથમઈન નગરીના રાજાને કહ્યું હે દેવ ! તમારો પુત્ર કૌબેરી નગરી ન આવ્યો તેમાં શું કારણ છે ? તેથી હે દેવ!
મિણીને પરણવા માટે પુત્રને જલદી મોકલે. કારણ કે તે સ્વામી! વિવેકી પુરુષે સજજનની અવજ્ઞા કરતા નથી. દૂતના તે વચનને સ્વીકારીને રાજાએ પુત્રને એકાંતમાં કહ્યું- હે પુત્ર! તું સદા કાંતિરહિત અને જડની જેમ શૂન્ય કેમ દેખાય છે? પૂર્વના અશુભ કર્મોથી નિર્માયેલું જે કષ્ટ અહીં આવી પડ્યું હોય તેને મૂકીને (=ભૂલીને) ધીર પુરુષો અવશ્ય સર્વકાર્યોના ભારને વહન કરે છે. તેથી હે વત્સ! તું મારા આગ્રહથી કોબેરીપુરના રાજાની પુત્રીને પરણવા પ્રયાણ કરીને મારા મનને ખુશ કર. પિતાની આજ્ઞાની અવજ્ઞા કરવા માટે કુશળતા નહિ હોવાથી સૈન્યસમૂહથી પૃથ્વીતલને કંપાવતે તે ચાલે. ક્રમે કરીને તે તપવનમાં આવીને કુમારોમાં મુખ્ય તેણે ઋષિદત્તાને યાદ કરીને ખેદ પામીને આ પ્રમાણે વિચાર્યું:- તે આ વન છે, તે આ મંદિર છે, તે આ સરેવર છે, તે આ વૃક્ષે છે કે જ્યાં સ્નેહપૂર્ણ હું સુંદર નેત્રવાળી ઋષિદરાને પર હતે. આજે તે આ બધું તેના વિના મને દુઃખ આપનારું થયું છે. તે વિધાતા! અવ્યવસ્થિત સ્વભાવવાળા તે આ શું કર્યું? આ પ્રમાણે શોક કરતે તે ઋષભપ્રભુના મંદિરમાં ગયા. તે વખતે પ્રિયનું સૂચન કરતી તેની જમણી આંખ ફરકી. તેણે વિચાર્યું ચકકસ આ (આંખ ફરકી એ) મારા માટે નિષ્ફલ છે. મારી તે પ્રિયા ક્યાં છે? અથવા પહેલાં પણ મને જેનું દર્શન પ્રિય હતું એવું આ શ્રેષ્ઠ મંદિર અહીં છે. પ્રફુલ્લ અને આશ્ચર્યવાળે તે જેટલામાં આ પ્રમાણે વિચારી રહ્યો છે તેટલામાં ઋષિદત્તાએ તેને પુપે આપ્યાં. આ પ્રિયા તે નથી ને? એમ પ્રિયાના ભ્રમને સ્પર્શતી આંખવડે ઋષિદત્તાને જોતા તેણે પણ જાણે પ્રિયાના ભ્રમને સત્ય કરતા હોય તેમ તેના હાથમાંથી હર્ષથી પુષ્પમાલાને લીધી. ગુપ્ત આકારવાળા મુનિએ ત્યારે ચિત્તથી વિચાર્યું કે ચોક્કસ મારા પતિ રુકમિણીને પરણવા માટે જઈ રહ્યા છે. કુમાર પણ જિનને નમીને તે મુનિને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શીલપદેશમાલા ગ્રંથને પોતાના તંબુમાં સાથે લઈ ગયા. ત્યાં વસ્ત્ર ભોજન વગેરેથી તેની પૂજા કરી. પછી તેણે પૂછયું: હે મુનિ ! તમે આ વનમાં ક્યારે આવ્યા અને ક્યાંથી આવ્યા? એ પિતાનું વૃત્તાંત મને જણાવે. જાણે દાંતના કિરણે રૂ૫ રેખાથી કુમારનું મંગલ કરતા હોય તેમ મુનિએ કહ્યું. પહેલાં અહીં હરિષેણ મુનિ હતા. તેની ઋષિદત્તા નામની પ્રાણ તુલ્ય પ્રિય કન્યા હતી. કેઈક રાજપુત્ર તેને પરણીને પિતાના નગરમાં ગયા. મુનિ અગ્નિમાં પ્રવેશ કરીને દેવલોક પામ્યા. પૃથ્વી ઉપર ફરી ફરીને તે જ વખતે હું અહીં આવ્યું. અહીં જ રહેતા અને પાંચ વર્ષો થયા છે. હે કુમાર ! આજે તમારા દર્શનથી મારા પાંચ વર્ષ સફલ થયા છે. કુમાર પણ બેઃ જેમ સુકી જમીન જલવૃષ્ટિથી તૃપ્ત ન થાય તેમ આનંદપૂર્વક આપને જેતી મારી આંખ તૃપ્ત થતી નથી. મુનિએ પણ કહ્યું હે દેવ! કઈક કેઈકને હર્ષ કરનાર બને. સૂર્યને જોઈને પવે હર્ષ પામે છે અને ચંદ્રને જોઈને કેર ( =ચંદ્રવિકાસી કમળો) હર્ષ પામે છે કુમારે આગ્રહ પૂર્વક મુનિને કહ્યુંઃ મારું મન હમણાં તમારા પ્રેમરૂપી સાંકળથી જ બંધાયેલું છે. મારે આગળ જવાનું છે. તેથી તમે મારી સાથે આવે. ત્યાંથી પાછા ફરેલા તમે આ આશ્રમમાં પિતાની ઈચ્છા પ્રમાણે કરજે. મુનિ બેલ્યા હે દેવ! આ વિષયમાં આગ્રહ ન કરે. કારણ કે ઋષિઓને રાજાને સંસર્ગ દષવાળે થાય છે. પરિવાર સહિત કુમારે તે પ્રમાણે પ્રાર્થના કરી કે જેથી ઋષિદત્તા મુનિએ સાથે આવવાને સ્વીકાર કર્યો.
હવે જાણે અસ્તાચલ પર્વતની શિલા ઉપર પાકેલા ફળની જેમ સૂર્ય ભાંગી ગયે હોય અને જાણે તેના રસથી સંધ્યાના વાદળોએ સઘળી દિશાઓને રંગી દીધી હતી. પછી 'જેના કિરણે ફેલાઈ રહ્યા છે એ ચંદ્ર સાત ઋષિઓથી યુક્ત હવા છતાં જાણે મહામુનિને નમવા માટે આવ્યા હોય તેમ આવ્યું. તે બંને સંધ્યાનાં કામ કરીને પ્રેમની વાતેથી આનંદિત મનવાળા બન્યા. પછી બંનેએ એક પલંગમાં સૂઈને રાત્રિ પસાર કરી. ક્રમે કરીને હર્ષ પામેલે ઋષિદત્તાને પતિ કૌબેરી નગરી પાસે આવ્યા. પછી રાજાએ પ્રવેશ નિમિત્ત ઉત્સવ કર્યો. નગરજનેએ દ્વારમાં તેણે બાંધ્યાં. હવે જોતિષીએ કહેલા મુહૂર્તમાં કુમારે રુકમિણની સાથે વિવાહ રૂ૫ ઉત્સવ કર્યો. (સસરાએ દાયજામાં આપેલા ઘણા વૈભવથી) તે સમૃદ્ધિથી ઇદ્રને પણ જીતનારે થયે. રાજાએ કુમારને કેટલાક દિવસ ત્યાં જ રાખે. વિશ્વાસથી ભરેલી રુમિણીએ એકવાર પૂછ્યું જેમ અહલ્યાએ ઈન્દ્રના ચિત્તને રાગી બનાવ્યું હતું તેમ તમારા ચિત્તને રાગી બનાવનાર તે તપસ્વિની ૧. ઋષિદત્તામહામુનિને પૂજી રહ્યા છે કિરણે જેના એવો ચંદ્ર એવો પણ અર્થ થઈ શકે. ૨. આકાશમાં તારા રૂપે રહેલા સાત ઋષિઓને સપ્તર્ષિ કહેવામાં આવે છે. ૩. અહીં પયત શબ્દ પ્રયોગ કૃતિ વગેરેના પ્રયોગ જેવો છે. કઈ પણ વસ્તુના ઉપરના
કે નીચેના ભાગના તળિયાને તલ કહેવામાં આવે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ ઋષિદના કેવી હતી? જેની આંખેામાં અસુ છે એવા કુમારે પણ ગદગદ્દ વાણીથી કહ્યું: ત્રણે જગતની છીએ તેના ચરણની રજતુલ્ય છે એમ હું માનું છું. હાહા ! તારી જેવી પણ તેના વિરહમાં મારી પ્રિયા થાય છે. પાણીથી રહિત મરુદેશમાં ક્ષારવાળી વાવડીઓ પણ આનંદ માટે થાય છે. આ સાંભળીને અમિણીને ગુસે આવ્યું, અને એથી તેણે ગિણીને પ્રેરણા કરવી વિગેરે પોતાને બધે પરાક્રમ હર્ષ પૂર્વક કહ્યો. ઋષિદત્તામુનિ ગુપ્તપણે મિણીનું તે વચન સાંભળીને પોતાનું કલંક દૂર થવાથી સીતાની જેમ હર્ષ પામ્યા. આ પ્રમાણે તેની વાણી સાંભળીને લાલ આંખવાળા કુમારે દહીંના વાસણમાં મીઠું નાખનારી કુતરીની જેમ તેને તિરસ્કારી. દુષ્ટ ચિત્તવાળી, મને દુઃખરૂપી સમુદ્રમાં પાડનારી, અતિશય પાપિણી અને પૂર એવી તને ધિક્કાર થાઓ. તેના પ્રાણને ઘાત કરનારી તને ધિક્કાર થાઓ ! હા! હે નરકની અતિથિ! પિતાનું હિત સાધવાની ઈચ્છાવાળી તે દુષ્ટ છીએ બંને લેકમાં વિરુદ્ધ એવું કાર્ય કર્યું.
આ પ્રમાણે તેને તિરસ્કાર કરીને મહાદુઃખના ભારથી વ્યાપ્ત તેણે તેને દૂર કરી. પછી ઘરમાં ચિતા કરાવીને જેટલામાં ઊભે થાય છે તેટલામાં કોબેરીના રાજાએ ત્યાં આવીને તેને હાથમાં પકડી લીધે. અશ્રુથી ભરેલા નેત્રોવાળા લોકે ચારે બાજુથી તેને રોકે છે. કેઈને પણ વચનથી કુમાર અટક્ત નથી, તેટલામાં ઋષિદત્તા મુનિએ ત્યાં જલદી આવીને કુમારને કહ્યું: હે જગતના આધાર કુમાર ! તે વખતે મને વનથી અહીં લાવતા તમે જે કહ્યું હતું તે તમે ભૂલી ગયા શું ? શું તમારા જેવાઓ પણ માત્ર શી ખાતર મરે? વળી-૨નપૃથ્વી સમાન હોય તેવી જે આ તમને પ્રિય છે, તે આ જીવતી છે. મરેલા તમને પ્રિયાના સંગની વાત પણ અવશ્ય દુર્લભ છે. જીવતા તમને ક્યાંકથી પણ અવશ્ય મળશે. કુમાર બાલ્ય: હે મુનિ! બાળકની જેમ મને કેમ ૨માડ છો ? જે મરેલા પણ મળતા હોય તે કઈ દુઃખી ન થાય. હે મહાસરવવંત! શંકા ન કરે. તમારા આ સત્વથી તે ઉત્તમ રસી હમણું ચોક્કસ જીવતી થશે. કારણ કે સત્વ ચિંતામણિતુલ્ય છે. આ પ્રમાણે સાંભળીને પહોળી આંખવાળા કુમારે ફરી કહ્યું ! હે મુનિ ! તમે મને એકવાર એ કહે કે શું તમે તેને ક્યાંય જોઈ છે? અથવા સાંભળી છે? મુનિએ કહ્યું હું જ્ઞાનથી જાણું છું, કારણ કે મુનિઓ જ્ઞાનરૂપદષ્ટિવાળા હોય છે. તે ભદ્ર! યમરાજાના ધામમાં રહેલી તમારી પ્રિયા સુખી છે. કુમારે પૂછ્યું તે અહીં કેવી રીતે આવે? મુનિએ જવાબ આપ્ય: હે દેવ! તેના ચરણમાં આત્માને ધારણ કરીને, અર્થાત્ તેના ચરણમાં મારા આત્માને પ્રવેશ કરાવીને, સ્વમિત્ર માટે સતી પત્નીને મેકલીશ. કુમારને મુનિમાં આશા પ્રગટી. કુમારે મુનિને કહ્યું- હે મિત્ર! તે વિલંબ કેમ કરે છે? મુનિએ પૂછ્યું હે દેવ! તમારું હિત આચરતા મને તમે દક્ષિણ શું આપશે? કુમારે જવાબ આપ્યા પહેલાં તમે મારા મનને વશ કરી લીધું છે. હમણાં
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શીલપદેશમાલા ગ્રંથને તમને મારો આત્મા પણ આવે. મિત્ર માટે શું ન અપાય? મુનિએ હસીને કહ્યું તમારે આત્મા તે તમારી પાસે જ રહે. અવસરે હું જે માગણી કરું તે તમારે અન્યથા ન કરવી. કુમારે “હા” એમ કહ્યું એટલે મુનિએ પડદામાં પ્રવેશ કર્યો. તેથી કુતૂહલના કારણે ઉતાવળી થયેલી સઘળીય નગરી અહીં ભેગી થઈ.
સ્તુતિપાઠકને (=ભાટપુરુષને) સમુદાય મનહરધ્વનિથી સતીનું સત્વ, તપ, ધ્યાન અને માહામ્ય પૃથ્વીમાં જય પામે છે ઈત્યાદિ સ્તુતિ કરી રહ્યો હતો. હાથમાં પુષ્પમાળા લઈને આકાશમાં રહેલા દેવ અને દાનવો જેમ ખેડૂતો વર્ષીદની રાહ જુએ તેમ આતુરતાથી ઋષિદરાની રાહ જોઈ રહ્યા હતા. અન્ય સર્વ કાર્યો ભૂલી જઈને વિસ્મયથી ઉલ્લસિતચિત્તવાળો રાજકુમાર પણ ઊંચી અખથી ઋષિદત્તાની રાહ જોઈ રહ્યો હતે. કૃત્યને જાણનારાઓમાં મુખ્ય ઋષિદત્તાએ કાનમાંથી પવિત્રિકા ઔષધિ દૂર કરી. અગ્નિમાંથી પસાર થયેલ સુવર્ણની સળી જેવી ચમકતી કાંતિવાળી, જાણે ઉપપાતશય્યામાંથી અવતરેલી દેવી હોય તેવી, અમૂલ્ય આભૂષણથી દીપતી, ઘુંઘટથી જેણે મઢું ઢાંકી દીધું છે તેવી, અને પ્રસન્નમુખવાળી ઋષિદરા મહાસતી પ્રગટ થઈને રાજસભામાં આવી અને કુમારના ચરણમાં દષ્ટિ નાખી, અર્થાત્ કુમારના ચરણમાં નમી. દેવોએ તે વખતે તે પતિવ્રતા ! જ્ય પામ! જય પામ! એવા આશીર્વાદપૂર્વક તેને મસ્તકે પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે પોતાના રૂપથી રુકમિણીને દાસી જેવી કરતી ઋષિદત્તાને જોઈને લોકેએ તેના વિષે રહેલા કુમારના રાગના આગ્રહની પ્રશંસા કરી. જેમ સમુદ્ર ચાંદનીને જોઈને હર્ષ પામે તેમ કીબેરીનગરીને રાજા પણ જમાઈને જીવાડનાર ઔષધરૂપ ઋષિદત્તાને જોઈને એકદમ હર્ષ પામ્યું. રાજા ઋષિદત્તાને કુમારની સાથે શ્રેષ્ઠ હાથી ઉપર બેસાડીને પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેણે સ્નાન વગેરેથી ગૌરવપૂર્વક તેને સત્કાર કર્યો. રાજાએ તે વખતે સુલસાનું નાક અને બે કાન કાપીને તેની અનેક રીતે વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકી. રાજાએ પોતાની પુત્રીને પણ કઠોર શબ્દોથી ઘણે ઠપકો આપે. રાજાએ કુમારને ઘણુ કાળ સુધી ત્યાં જ રાખે.
જાણે શેકસહિત હોય તેવા કુમારે એકવાર પ્રિયાને કહ્યુંઃ તારા ચરણમાં સ્થાપેલ મારા મિત્ર દુઃખી થાય છે. ઋષિદરા હસીને બેલીઃ હે દયાનિધિ ! ખેદ ન કરે. ઔષધિના યોગથી મેં જ આ બધું કર્યું છે. પણ પૂર્વે આપે જેને સ્વીકાર કર્યો છે તે વરદાન મને આપે. હે નાથ! મારા ઉપર પ્રસન્ન થાઓ. આપે મારી બહેન રુફમિણીને મારી જેમ જ જેવી. અહો ! વિવેકવંતી તે એમાં પણ કરુણાવંતી છે એમ વિચારીને સુકમલવાણીવાળા કુમારે તેને કહ્યું એમ થાઓ. આ પ્રમાણે પતિના વચનથી હર્ષ પામેલી સતી ઋષિદત્તાએ રુમિણીને બેલાવીને પતિની સમક્ષ નેત્રોને સંકોચીને તેને નમી. હવે કુમાર સસરાને પૂછીને જેમ કામદેવ પ્રીતિ અને રતિની
Page #208
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૯ સાથે જાય તેમ બે પત્નીઓની સાથે પોતાના નગર ગયે. પિતા પ્રેમથી તેની સામે ગયે. કુમારે નગરીમાં પ્રવેશ કર્યો. આ વખતે નગરી નારીનાં નેત્રરૂપી કમળોની શ્રેણિથી જણે તેમાં પુષ્પ વેરેલાં હોય તેવી જણાતી હતી. (સત્ય) વૃત્તાંતને જાણીને રાજા પિતાના અપરાધથી લજજા પામ્યું. તેણે સતીઓમાં ચૂડામણિ સમાન ઋષિદત્તાને ઘણું માન આપ્યું. હવે જિતેન્દ્રિય તે રાજાએ કનકરથ કુમારને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પિતે શ્રીભદ્રસૂરિની પાસે ચારિત્ર લઈને મેક્ષમાં ગયે. પૃથ્વીનું પાલન કરતો કનકરથ રાજા ક્રમે કરીને ઋષિદત્તાથી સિંહરથ નામના પુત્રને પામ્યું. એકવાર ઋષિદત્તાની સાથે ઝરૂખામાં બેઠેલો કનકરથ રાજા વાદળસમૂહને વિનાશ પામતે જોઈને વૈરાગ્ય પામ્ય.
ઉદ્યાનમાં શ્રીભદ્રયશસૂરિ પધાર્યા છે એમ સાંભળીને તે પરિવારની સાથે જલદી વંદન કરવા માટે ગયે. સૂરિની મેહનાશક દેશના સાંભળીને ઋષિદત્તાએ બે હાથ જોડીને જ્ઞાની ગુરુને પૂછયું: હે ભગવંત! મેં પૂર્વભવમાં શું દુષ્કૃત કર્યું કે જેથી રાક્ષસી એ પ્રમાણેનું ખોટું કલંક મારા ઉપર આવી પડયું? ગુરુએ જ્ઞાનરૂપી દષ્ટિથી જોઈને ગંભીરવાણીથી કહ્યુંઃ ભદ્રા આ જ ભરતક્ષેત્રમાં ગંગાપુર નામનું નગર હતું. તેમાં ગંગદત્ત નામનો રાજા હતા. તેની ગંગા નામની પત્ની હતી. હું તેમની ગંગસેના નામની ઉત્તમશીલવાળી પુત્રી હતી. ત્યાં ચંદ્રયશા નામના સાધ્વીજી હતા. તેમની પાસે ધર્મને સાંભળીને તે દુષ્ટ વિષયનો અનાદર કર્યો, અર્થાત્ દીક્ષા લીધી. તે વખતે સંગ નામના કોઈ સાદવજી તપ કરતા હતા. સદા દુષ્કર કરનારા તે સાદવજીની બધા લોકે પ્રશંસા કરતા હતા. તે ઈર્ષાથી તેની ઉત્તમ પ્રશંસાને સહન ન કરી. આથી તે તે સાદવજીને કલંક આપ્યું. ઈર્ષ્યા હોય ત્યારે વિવેક ક્યાંથી હોય? તે સાધ્વીજીને કલંક આ પ્રમાણે આપ્યું -“સંગરહિત દેખાતી આ સાદવી સંગસહિત છે. કારણકે દિવસે તપ કરે છે, પણ તે રાક્ષસીની જેમ મડદાનું માંસ ખાય છે.” સમતારૂપી અમૃતથી યુક્ત તે સાદવજી સુંદર તપ કરતા હતા. તેથી હે વત્સ! તે આ કર્મ બંધ કર્યો. તે પાપની તેં આલેચના પણ ન કરી. આલેચના રહિત તે કર્મના વિપાકથી ભવશ્રેણિમાં ભટકીને તું ગંગાપુરમાં રાજપુત્રી થઈ. પછી દીક્ષા લઈને કપટપૂર્વક તપ કરીને અંતે અનશનપૂર્વક મૃત્યુ પામીને ઈશાનેદ્રની ઇદ્રાણી થઈ. ત્યાંથી ચ્યવને હરિષેણ રાજાની પુત્રી થઈ. પૂર્વના એ અલ્પકર્મથી આ કલંક થયું. આ પ્રમાણે માત્ર વચનથી પણ જે દુષ્કર્મ બાંધ્યું હોય તેનાથી જીવ અન્ય સેંકડો ભવોથી પણ છૂટી શક્તો નથી. વૈરાવ્યરૂપી કલ્પવૃક્ષ માટે નંદનવનની પૃથ્વી સમાન આ વાણીને સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેણે પણ તે બધું જાણ્યું. તેથી કર્મથી ગભરાયેલી ઋષિદત્તાએ સૂરિને વિનંતિ કરી. હે ભગવંત! મને સંસારથી તારનારી દીક્ષા જલદી આપે. તે
Page #209
--------------------------------------------------------------------------
________________
२००
શીલપદેશમાલા ગ્રંથને જાણીને વિશેષથી વિરાગવાળા થયેલા રાજાએ પણ અંજલિ જેડીને દીક્ષા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુએ પણ કહ્યું: શુભકાર્યમાં વિલંબ કર એગ્ય નથી. ખરેખર ! આ અસાર સંસારમાં તપશ્ચર્યા ફલ છે. પછી સિંહરથ પુત્રને પિતાના પદે રાજ્યાભિષેક કરીને શુભમતિવાળા તે બંનેએ તે આચાર્યની પાસે દીક્ષા લીધી. તલવારની ધાર ઉપર ચાલવા સમાન અતિશય ઉગ્ર ચારિત્રનું આચરણ કરવામાં આદરવાળા તેઓ માયાથી રહિત શુદ્ધ તપનું આચરણ કરવા લાગ્યા. પછી એકવાર તે બંને ગુરુની સાથે શીતલનાથ તીર્થકરના જન્મથી પવિત્ર કરાયેલ શ્રીભદિલપુર નગરમાં આવ્યા. ત્યાં વિશુદ્ધ દયાનની પરંપરાથી હાથીની જેમ કર્મરૂપી કુંજને (કલતાસમૂહને) મૂળથી ઉખેડીને તે બંને કેવલજ્ઞાનને પામ્યા. પ્રશંસનીય આચરણવાળા તે બંને કેવળીઓ જેમ ચંદ્રકલા ચંદ્રના કલંકને નાશ કરે તેમ સમસ્ત કર્મરૂપી કલંકના લેશને નાશ કરીને મુક્તિના મસ્તકે વિશિષ્ટ સ્થાનને પામ્યા.
દમયંતીનું દષ્ટાંત હવે દમયંતીની કથાને પ્રારંભ કરવામાં આવે છે –
જેમાં સુધર્મરૂપ કલ્યાણને સ્વીકાર કરવામાં આવ્યું છે એવી કેશલાપુરી નગરી હતી. તે નગરીને કેટ પ્રયત્ન વિના દેવાંગનાઓ માટે આરીસે બનતે હતો, અર્થાત્ કેટ એટલો બધે ઊંચે અને અરિસા જે નિર્મલ હતો કે જેથી આકાશમાં જતી દેવીઓનું પ્રતિબિંબ તેમાં વિના પ્રયત્ન પડતું હતું. તેમાં શત્રુઓની આીઓના શંગારનો નિષેધ કરનાર નિષધ રાજ હતું, અર્થાત્ નિષધ રાજાએ શત્રુઓને નાશ કર્યો હતે, એથી વિધવા બનેલી તેની પત્નીએ શૃંગાર કરતી ન હતી. તેની તલવાર રૂપી લાકડી શ્યામ હોવા છતાં ઉજજવલ યશને ઉત્પન્ન કરતી હતી. તેની લાવણ્યથી સુંદર એવી લાવણ્યસુંદરી નામની પ્રિયા હતી. તેની (મધુરી વાણીથી જિતાયેલી વીણા કાપણાને પામી, અર્થાત્ કારૂપ બની ગઈ તે બેને શત્રુઓને સંતાપ પમાડવા માટે અગ્નિસમાન નલ નામને માટે પુત્ર હતું, કૂબર નામનો ના પુત્ર તે અતિશય દુરાચારી અને ગર્વિષ્ઠ ચિત્તવાળો હતે.
આ તરફ વૈદર્ભદેશની લમીને શોભાવનાર કંડિન નગર હતું. તેમાં અસીમ પરાક્રમવાળા ભીમ નામનો રાજા પૃથ્વીનું શાસન કરતે હતો. તેની પુષ્પદંતા નામની પત્ની હતી. જેમ લક્ષમી ચતુરાઈને જન્મ આપે તેમ પુષ્પદંતાએ સફેદ હાથીના સ્વપ્નથી સૂચિત પુત્રીને અવસરે જન્મ આપે. પૂર્વ કર્મના પ્રભાવથી ઉદયાચલ પર્વત ઉપર રહેલા સૂર્યના જેવું તેને કપાલલને શેભાવનાર તિલક જન્મથી હતું. જન્મથી છઠ્ઠા દિવસે પછીજાગરણ અને સૂર્ય-ચંદ્રના દર્શન વગેરે કર્યા પછી રવપ્નના અનુસારે તેનું
Page #210
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૧ દમયંતી એવું નામ થયું. સ્વભાવથી જ સુંદર તે બાળાને શક્ય માતાઓ પણ ચંચળ અને મનહર ચપટીઓ આદિ વડે રમત કરીને હસાવતી હતી. ક્રમે કરીને પગમાં ઝણઝણતા મનોહર ઝાંઝરવાળી તે ધાવમાતાની ટચલી આંગળીને પકડીને સ્કૂલના પામ્યા વિના ચાલવા લાગી. શ્રીમંતની રીઓ એને ઢીચણ ઉપર બેસાડીને હર્ષ પૂર્વક ધીમેથી હલાવતી અને એ રીતે તેને ઘણું નૃત્ય કરાવતી હતી. પ્રકાશતા સોભાગ્યરૂપી સુગંધવાળી તેણે બાલ્યાવસ્થાને ઓળંગીને જેમ સમુદ્ર નદીઓને ગ્રહણ કરે તેમ સઘળી કલાઓને ગ્રહણ કરી. એકવાર નિવૃતિદેવીએ દમયંતીને ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની સુવર્ણ પ્રતિમા આપીને આ પ્રમાણે કહ્યું – કલ્યાણકારિણી આ પ્રતિમા તારે નિત્ય પૂજવી. તેણે તે પ્રતિમાને જાણે હૃદયમાં સ્થાપિત કરતી હોય તેમ ગૃહત્યમાં હર્ષથી સ્થાપિત કરી. દમયંતીએ કામદેવરૂપી રાજાના શહેર સમાન યૌવનમાં પ્રવેશ કર્યો. યૌવનમાં ક્રમે કરીને સર્વ અંગમાં મનોહર શેભા વધી. તેની મુખની ભાથી જિતાયેલે ચંદ્ર ભૂતના વળગાડવાળો થઈ ગયો. તેથી તે આજે પણ ભૂતપતિની (=શંકરની) જ સેવા કરે છે, અર્થાત્ શંકરના મસ્તકે રહેલો છે. અનુરૂપવરની પ્રાપ્તિ નહિ થવાના કારણે માતા-પિતાની ચિતાની સાથે વધતી તેણે ક્રમે કરીને અઢાર વર્ષો પસાર કર્યા. પછી ભીમરથ રાજાએ પુત્રીના શ્રેષ્ઠ વરને મેળવવાની ઈચ્છાથી મંત્રીઓની સંમતિ મેળવીને સ્વયંવરનો આરંભ કર્યો. ભીમરાજાએ દૂત મોકલીને રાજાઓને લાવ્યા. જેમ હંસે માનસ સરોવરમાં ભેગા થાય તેમ તે સ્વયંવરમાં ઇંદ્રસમાન લક્ષ્મીવાળા રાજાઓ ભેગા થયા. તે વખતે દૂતથી વિનંતિ કરાયેલ નિષધ રાજા પણ જલદી આવ્યું. ત્યાં તે નલ અને કૃબર એ બે પુત્રોથી શોભા પામ્યો. ભીમે પણ બધા રાજાઓનો અતિશય સત્કાર કર્યો. ઇદ્રસમાન સમૃદ્ધિવાળા ભીમ રાજાએ બધા રાજાઓને રહેવા માટે આવાસમંડપો આપ્યા. કુંડિનનગરના લોકો કામદેવ જેવા ઉત્તમ (=રૂપાળા) નળને જોઈને બાકીના રાજાઓને ૨ કેઢિયા જેવા માનવા લાગ્યા. ભીમ રાજાએ શિપીઓ દ્વારા સુધર્મ સભા જેવું સ્વયંવર મંડપ બનાવ્યું. તેમાં સેંકડો સુવર્ણના થાંભલા હતા.
ગ્ય સ્થાને સિંહાસનો મૂક્યાં હતાં. ભૂમિતલમાં નીલમણિ જડેલાં હતા. પગથિયાઓની શ્રેણિ વમણિથી બનાવી હતી. થાંભલાઓમાં રહેલી સર્વ અંગોમાં વિભૂષિત પૂતળીઓ શેભતી હતી. એ પૂતળીઓ જાણે કે સ્વયંવરના કૌતુકને જોવાની ઈચ્છાથી દેવીઓ આવી
૧. દવદંતી અને દમયંતી એવા બે નામ છે. અહીં બધા જ સ્થળે દવદંતી એવા નામને ઉલેખ હોવા છતાં દમયંતી નામ વધારે પ્રસિદ્ધ હોવાથી અનુવાદમાં દમયંતી નામનો ઉલ્લેખ કર્યો છે.
૨. શબ્દકોષમાં વોટર શબ્દને કોઢિયો’ એ અર્થ લેવામાં આવ્યો નથી. પણ વોટર શબ્દની જે વ્યુત્પત્તિ જણાવી છે તેના આધારે આ અર્થ લખે છે. २१
Page #211
--------------------------------------------------------------------------
________________
.२०२
શીલાપદેશમાલા ગ્રંથના
હાય તેવી જણાતી હતી. જાણે કે દમયંતીને શણગારવાની ઇચ્છાથી રાજાએએ સમુદ્રમાંથી રત્ના લઈ આવવા માટે સૂર્યને પ્રાર્થના કરી હોય તેમ સૂર્ય સમુદ્રમાં પ્રવેશ કર્યાં, અર્થાત્ સૂર્યના અસ્ત થયા. જાણે કે અમે દમય ́તીને જોઈ પણ નહિ શકીએ એવા વિચારથી હોય તેમ તે વખતે સ્થાવર પતા શ્યામ થઈ ગયા. સ્વયંવરમંડપમાં અનેક રાજાએ એકઠા થયા છે એમ સાંભળીને અમૃત વર્ષાવનાર પણ રાજા (=ચંદ્ર) તારારૂપી મેાતીની માળાએથી અલગૃત બનીને ત્યાં આવ્યા. આપણે ભાગ્યથી સવારે દમયંતીને ષ્ટિથી જોઇશું એમ વિચારતા રાજાએને જાણે રીસાણી હોય તેમ નિદ્રા ન આવી. શરીર ઉપરથી ઉતારાતા અલકારાના તેજથી જાણે તિરસ્કાર કરાયેલી હોય તેમ, શ્રી રામચંદ્રજી વડે તિરસ્કાર કરાયેલી શૂર્પણખાની જેમ, રાત્રિ જલદી પલાયન થઈ ગઈ. જાણે કે આભૂષણાથી શણગારાયેલા દમયંતીના મુખ પાસે શેાભાથી રહિત હું લજજા પામીશ એવા વિચારથી હોય તેમ સવારે ચંદ્ર પલાયન થઈ ગયા. જાણે 'નામથી તુલ્ય એવા રાજાએ વડે પ્રાથના કરાયા હોય તેમ, પૂર્વદિશાના પર્વતે પેાતાના મસ્તકે સૂર્યમંડલ ખતાવ્યું. સૂર્યના ઉદય થતાં જેમ સરાવરમાં કમળા વિકસિત અને તેમ રાજસમુદાયના સુખરૂપી કમળાની શ્રેણિ વિકસિત બની. કિંમતી વસ્રા અને અલકારોથી સ અંગેામાં વિભૂષિત થયેલા રાજાએ જલી મ`ડપ તરફ દોડવા, મંચામાં રત્નસિંહાસન ઉપર બેઠેલા રાજાએ શાલ્યા. તે રાજાએ જાણે કે કૌતુથી સદ્વીપના સૂર્યાં અહીં આવ્યા હાય તેવા જણાતા હતા. નિષધ રાજાએ પ્રાતઃકાર્યો કર્યો. પછી ઉચિત રીતે વસ્ત્રો અને અભૂષણ્ણાને ધારણ કરનારા, પવૃક્ષ સમાન અને દેવકુમાર જેવા પેાતાના એ કુમારને આગળ કરીને નિષધરાજા મંગલપાઠાનું ઉચ્ચારણ કરતા અદિજનાની સાથે સ્વયંવર મંડપમાં જઈને મંચ ઉપર ચડયો. આલાક અને પરલેાકની Àાભાના પુંજ હાય તેવા નિષધ રાજાના બે પુત્રોને જોઇને રાજાઓના મન દમયંતી વિષે નિરાશ થઇ ગયા, અર્થાત્ દમયંતી અમને નહિ વરે એવા વિચારવાળા થયા. વિશેષ પણે લાના નિધાન જેવા નળને જોઈને વિવાહની આશા દૂર રહી, કિંતુ રાજાઓ પેાતાને ભૂલી ગયા, અર્થાત્ જાણે પાતાનું અસ્તિત્વ જ નથી એમ માનવા લાગ્યા. સૌભાગ્યવતી સ્ત્રી #મય તીને સ્વય`વર મ`ડપમાં લાવવા માટે અનેક રીતે શણગારવા લાગી. તેના પગામાં અળતાના મનોહર રસ જાણે રાજાઓના શરીરધારી અનુરાગ પગામાં વળગ્યું! હાય તેમ શાભા પામ્યા. તેના ગાલેમાં કસ્તૂરીથી બનાવેલી ચિત્રરચના જાણે કામદેવરાજાની પ્રકાશતી પ્રશસ્તિ હોય તેમ શેાભી, તેના ચેાટલામાં રહેલા મેગરાનાં પુષ્પાના ઉજ્જવલ હાર જાણે તેના સુખરૂપી ચંદ્રની સેવા કરવા માટે નક્ષત્રો આવ્યા
૧. સંસ્કૃતમાં રાજા અને પતા એ બંનેને મૂમૃત્ કહેવામાં આવે છે. માટે પર્વત અને રાજા નામથી તુલ્ય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૩ હોય તેમ શોભતું હતું. તેના કાનમાં રહેલાં રત્નજડિત કુંડલે જાણે રાહુગ્રહના ભયની ભ્રાંતિથી ચંદ્ર-સૂર્ય આવ્યા હોય તેમ ભવા લાગ્યા. નેત્રોમાં અંજનની રેખા જેમ કમળોમાં ભ્રમરી શેભે તેમ શોભતી હતી. પહેરાવેલાં બે વસ્ત્રો જાણે ગંગાનદીના તરંગે હોય તેમ શભ્યાં. ભમરીઓ જેમ કમલિનીને વિભૂષત કરે તેમ, હર્ષ પામેલી દાસીઓએ તેને વધામણિ, મોતી અને વૈર્ય રત્નનાં ઘણું આભૂષણોથી વિભૂષિત કરી. આ રીતે દાસીએથી વિભૂષિત કરાયેલી દમયંતી શોભવા લાગી.
હવે દમયંતીને સ્વયંવરમાં આ પ્રમાણે લઈ જવામાં આવી – સ્ત્રીઓ મધુર દવનિથી ગીત ગાઈ રહી હતી. તેના મસ્તકે સફેદ છત્ર ધારણ કરવામાં આવ્યું. ચારે બાજુ ચામરો વીંઝવામાં આવતા હતા. તેને પાલખીમાં બેસાડી હતી. કામદેવના પાસતુલ્ય માળા પહેરાવી હતી. જાણે શરીરધારી શોભા હોય તેવી દમયંતીકુમારી આ રીતે સ્વયંવરમંડપમાં આવી. ચંદ્રકળા જેવી દમયંતીને જોઈને રાજાઓરૂપી સમુદ્રો ક્ષોભ પામ્યા અને શંગારને પ્રદીપ્ત કરે તેવી વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. જાણે મનુષ્યના શરીરને ધારણ કરનાર સરસ્વતી હોય તેવી અને દમયંતીની આગળ ચાલતી દ્વા૨પાલિકા રાજાએના વંશ, શૌર્ય, નીતિ અને આચારોનું વર્ણન કરવા લાગી. તે આ પ્રમાણે – આ અંગદેશના રાજા છે. તેમણે ઉત્તમકીતિથી ભૂમિતલને ભરી દીધું છે. તેમના (રૂપાળા) શરીરથી જિતાયેલે કામદેવ અતિશય શરીરહિત બની ગયા છે. હે દેવી! મગધ દેશના આ રાજા તેજના પ્રભાવથી સૂર્ય સમાન છે. કલિંગદેશના આ રાજા ઝળહળતા હારના જેવા ઉજજવલ યશસમૂહવાળા છે. લાટ, કર્ણાટ અને મેદપાટ દેશના આ રાજાઓ અનુક્રમે કાંતિભા, શૌર્ય અને ગાંભીર્યથી વિભૂષિત છે. જેમ હશી સ્થળ ઉપર રહેલા કમળોનો આદર ન કરે તેમ દમયંતીને તે રાજાઓને આદર નહિ કરતી જોઈને દ્વારપાલિકાએ ફરી આનંદથી કહ્યું : હે દેવી! દેવતુલ્યવૈભવવાળા આગળ રહેલા આ નિષધદેશના રાજા છે. અશ્વિનીકુમાર જેવા આ નલ અને કૂબર એમના પુત્રો છે. રાજારૂપી વનમાં ભ્રમરીની જેમ ભમતી એની દષ્ટિ જેમ સફેદ હાથી સફેદ કમળમાં રાગવાળ બને તેમ નળ ઉપર ઘણુ કાળ સુધી રાગવાળી બની. જેના રોમાંચ વિકસિત બન્યા છે એવી તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું - જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષ પ્રશંસનીય છે તેમ રાજાઓમાં આ નલ જ પ્રશંસનીય છે. ચોક્કસ વિધાતાએ પોતાની સૃષ્ટિનું સારભૂત એને જ કર્યો છે. જેમ બધાં નેમાં કૌસ્તુભ રત્ન શ્રેષ્ઠ છે તેમ બધા રાજાઓમાં નવા શ્રેષ્ઠ છે. પછી તેણે ધ્રુજતાં ધ્રુજતાં નલના ગળામાં વરમાલાનું આરોપણ કર્યું. જેમ સુમેરુ પર્વત ઉપર તારાઓની શ્રેણિ શોભે તેમ તેના ગળામાં એ વરમાળા શોભા પામી. દમયંતી નલને વરી એટલે સ્પર્ધા કરનારા રાજાઓએ નલ ઉપર આક્રમણ કર્યું. નલ રાજાએ બાણની વૃષ્ટિથી એ રાજાઓને નિગ્રહ કર્યો. પછી પરસ્પર પ્રીતિવાળા થયેલા નિષધ અને ભીમ
૧. રાહુગ્રહ ચંદ્ર અને સને ગ્રસિત કરે છે. આથી જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. અહીં કવિએ ક૯૫ના કરી છે કે રાહગ્રહ અમને ગ્રસિત કરશે એવા ભયથી ચંદ્ર અને સૂર્ય એના કાન પાસે આવીને રહ્યા છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શીલપદેશમાલા ગ્રંથનો રાજાએ નલ અને દમયંતીના વિવાહનો મહત્સવ કરાવ્યો. હસ્તમેળાપના અવસરે એકબીજાને હસ્તમેળાપ થયો ત્યારે જાણે પરસેવાના બહાનાથી તે બંને ચિત્તમાં એક્તાને પામ્યા. અગ્નિને પ્રદક્ષિણા આપ્યા પછી કરમચનના અવસરે ભીમરથ રાજાએ નલને રત્નો, અશ્વો અને હાથીઓ વગેરે આપ્યા. પછી નિષધરાજા પુત્ર અને પુત્રવધૂની સાથે કેશલદેશ તરફ ચાલ્યો એટલે જેમ મંગલગ્રહ સૂર્યની પાછળ જાય તેમ ભીમરાજા નિષધરાજાની પાછળ ગયે. પતિ સંકટમાં આવી પડે તે પણ તે પતિને અનુસરનારી થજે એવી શિખામણ પુત્રીને આપીને ભીમરાજા પાછો ફર્યો. દમયંતીએ પિતાની શિખામણને મોરપક્ષીની કલગીની જેમ મસ્તકે ધારણ કરી. પછી શરમથી નમેલી એવી નવોઢા દમયંતી નળના રથ ઉપર ચઢી.
નવેઢાના વિલાસને જોવાના કુતૂહલવાળા નળે તે વખતે સારથિ દ્વારા રથને અવળા માર્ગો ચલાવ્યું. રસ્તામાં પ્રસિદ્ધ વૃક્ષ આદિના પ્રશ્નોના બહાને જુગારી પતિ નલે દમયંતીની લજજાને ઓછી કરી. તે વખતે નલ રાગવાળે થયો છે એવી આશંકા કરીને જાણે સ્પર્ધાથી હેય તેમ અનુરાગવાળા સૂર્ય અનુરાગવાળી સંધ્યાનું આલિંગન કર્યું. જાણે ધૂતારી સખી હોય તેવી સંધ્યાએ દમયંતીની લજજાને ઓછી કરી. તે વખતે નલનું મુખરૂપી કમળ અદ્દભુત વિકાસને પામ્યું. જેમ વસંત ઋતુ મેગરાની વેલડીને રમાડે તેમ નલે વાત્સ્યાયને કહેલી યુક્તિઓથી નવા પ્રગટેલા યૌવનવાળી દમયંતીને રમાડી. ઘણે અંધકાર થતાં સૈન્યને વારંવાર પડતું જોઈને નલે સુતેલી પ્રિયાને કહ્યુઃ હે દેવી! ઊંઘ નહિ, જાગ. હે પ્રિયા અંધકારને દૂર કરવા તારા તિલકને પ્રગટ કર. દમયંતીએ કપાલને લુછીને તિલકને વધારે તેજસ્વી કર્યું. જેમ સૂર્યના પ્રકાશથી જુએ તેમ કપાળે રહેલા તિલકથી દંપતીએ આગળ કાર્યોત્સર્ગમાં રહેલા એક મુનિને જોયા. મુનિની આસપાસ ભમરાઓ ફરી રહ્યા હતા એથી અને મુનિના શરીર ઉપર મદ જોઈને નલરાજાએ જાણ્યું કે, જંગલના હાથીએ ગંડસ્થળમાં ઉત્પન્ન થયેલી ખણુજને દૂર કરવા મુનિના શરીરે ઘસ્યું છે. આવા મુનિને નલરાજાએ વંદન કર્યું. તે વખતે આ વૃત્તાંતને જાણીને નિષધ વગેરે સર્વ મનુષ્ય તે મુનિને વંદન કરવા આવ્યા. બધાએ મુનિએ કહેલી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નલે મુનિને વંદન કરીને અંજલિ જોડીને દમયંતાને કપાળમાં સૂર્ય જેવું તેજસ્વી તિલક કેમ છે? એમ પૂછ્યું. જ્ઞાની મુનિએ તેને કહ્યું. તેણે પૂર્વભવમાં તીર્થકરોની આરાધના માટે તપ કર્યો હતો. તેના ઉજમણામાં તીર્થંકર પ્રતિમાના કપાલે રત્નનાં તિલક
૧. દમયંતીએ પૂર્વભવે ૫૭૬વાર લાગ2 તીર્થ કરતપ આયંબિલથી કર્યો. પહેલા ભગવાનની આરાધના એક આયંબિલથી કરવાની. “બીજા ભગવાનની આરાધના બે આયંબિલથી કરવાની. એમ એક એક આયંબિલ વધતાં ચોવીસમા ભગવાનની આરાધના ૨૪ આયંબિલથી કરવાની. આમ એકવાર વીસ તીર્થકરોની આરાધનામાં કુલ ત્રણસો આયંબિલ થાય. દમયંતીએ પ૭૬ વખત ૩૦૦ આયંબિલ લાગટ કર્યા. આમ ૪૮૦ વર્ષ સુધી લાવટ આયંબિલ કર્યા. આ તપના ઉજમણુમાં તેણે ચોવીસેય તીર્થકરોની પ્રતિમાના કપાલે રત્નનાં તિલક કર્યા હતાં.
Page #214
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૫ કર્યા હતાં. તેથી એના કપાળમાં સૂર્યના એક ટુકડા જેવું તિલક છે. કર્મ કરીને દમયંતી સર્વકલ્યાણનું ભાજન થશે. મુનિની અમૃત સમાન વાણીને સાંભળીને આનંદથી પૂર્ણ બનેલા તે બધા જલદી પિતાની રાજધાનીમાં આવ્યા. તે વખતે નગરજનોએ ઘણું મંગલ કર્યું. લજજારહિત બનીને દમયંતીની સાથે નવી નવી ક્રીડાઓથી ક્રીડાકરતા નળે દિવસેને દીન જેવા, અર્થાત્ અત્યંત નાના બનાવ્યા અને રાત્રિઓને ક્ષણ આપનાર જેવી, અર્થાત્ ક્ષણ જેવી અત્યંત નાની બનાવી. નલને રાજ્ય ઉપર બેસાડીને અને ફૂબરને યુવરાજપદે સ્થાપીને નિષધે ચારિત્ર લીધું. પછી નિષધમુનિ દેવલોકમાં ગયા. ધર્મ, અર્થ અને કામ એ વિવર્ગને સાધવામાં તત્પર અને સતી દમયંતીથી યુક્ત નલે લાંબા કાળ સુધી અખંડપણે રાજ્યનું પાલન કર્યું. બલવાન નલે ક્રમે કરીને અર્ધા ભારતક્ષેત્રને સાધ્યું=સ્વાધીન કર્યું. રાજાઓએ કૃષ્ણની જેમ તેને ફરી રાજયાભિષેક કર્યો.
નલના રાજ્યને મેળવવાની ઈચ્છાવાળે, કૂર અને વકચિત્તવાળે કૃબર જેમ શિયાળ સિંહના છિદ્રોને જુએ તેમ નલના છિદ્રોને નિત્ય જેવા લાગે. નિર્મલ અંત:કરણવાળા નલ તે જ બંધુની સાથે સજજનોને શરમાવનારી જુગારક્રીડા કરવા લાગ્યા. જેમ વિષયના રાગી ની ઇન્દ્રિયે વિરુદ્ધ પડે તેમ એકવાર બંધ-મક્ષ વગેરે તના જાણુ કાર પણ નલરાજાના પાસાઓ વિરુદ્ધ પડયા. ગામ, ખાણ અને નગર વગેરે હારી જતે હેવા છતાં નલ જેમ મંકડો ઈશ્નરસથી દૂર ન થાય તેમ જુગારથી નિવૃત્ત ન થયે. પતિને તેવા પ્રકારના કદાગ્રહમાં પડેલા જોઈને વિષાદવાળી દમયંતી જાતે ત્યાં આવી અને મધુર વાણીથી આ પ્રમાણે બેલી: મહાન ઇંદ્ર સમાન વૈભવવાળા છે સ્વામી ! આપને હજી જુગારનું વ્યસન કેમ છે? કયે પુરુષ દૂધ સ્વાધીન હોવા છતાં કાંજી પીવામાં આસક્ત થાય? નિંદા નહિ પામેલા હે સ્વામી આ પૃથ્વીને કૃબરને આધીન ન કરે. પાણીમાં બગલાને પ્રવેશ થતાં માછલાઓની કઈ ગતિ થાય તે આપ જાણે જ છે. આ પ્રમાણે આસપુરુષએ અને ભીમરાજાએ પણ નલને રોકવા છતાં નલ જુગારથી નિવૃત્ત ન થયે. ભાગ્ય જ્યારે રુષ્ટ બને ત્યારે શું અને સદ્દબુદ્ધિ થાય? પ્રતિકૂલ ભાગ્યના કારણે ક્રમે કરીને ધીમે ધીમે હારતે તે પોતાના શરીરના આભૂષણોને અને અંતઃપુર સહિત દમયંતીને પણ હારી ગયો. હર્ષ પામેલા કૂબરે કહ્યું કે બંધુ ! મારી પૃથ્વીને છોડી દે મારી પૃથ્વીને છોડીને ચાલ્યો જા. તેથી નલ શરીરે માત્ર વસ્ત્રો ધારણ કરીને નગરમાંથી નીકળી ગયો. પતિની પાછળ જતી દમયંતીને કૃબરે સ્વેચ્છા મુજબ કહ્યું હે ભદ્રા ! તું જિવાઈ ગઈ છે, તેથી નલની પાછળ ન જા, મારા અંતઃપુરમાં આવ. નગરજનોએ અને પ્રધાનોએ દમયંતીને ન રોકવા કૃબરને પ્રાર્થના કરી=સમજાવ્યું. આથી દમયંતીને રથ ઉપર બેસાડીને નલ પાસે મોકલી. નલે (દમયંતીને પોતાની સાથે રાખીને) રથને પાછો વાળ્યું. તે વખતે દાસી વગેરે વગની રજા લેતી દમયંતીએ જેમ વર્ષાદ વનશ્રેણિને ભીની કરે તેમ તેના મનને ભીનું ન કર્યું? તે વખતે નગરજને નગરમાં
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શીલપદેશમાલા ગ્રંથને આ પ્રમાણે બોલવા લાગ્યા:-હા કુરભાગ્ય ! જો પહેલાં પણ આ પ્રમાણે કરવાની તારી ઈચ્છા હતી તે નલને અર્ધા ભરતક્ષેત્રને માલિક કેમ કર્યો? જાણે હું તેને સ્પર્શ કરીશ તે મને શાપ આપશે એવી શંકાથી સૂર્ય કિરણેથી જેનો સ્પર્શ કર્યો નથી તે દમયંતી પગે ચાલીને પૃથ્વી ઉપર કેવી રીતે જઈ શકશે? જેણે આ બે વિષે આ પ્રમાણે આચરણ કર્યું તે આ કૂર કૃબરને ધિક્કાર થાઓ. નગરજને અને મંત્રી વગેરે લેકે નલને ઘણા વાહને ભેટ આપવા લાગ્યા, પણ નલે તેને સ્વીકાર ન કર્યો. પરાક્રમી પુરુષો પોતાના આત્મા ઉપર જ આધાર રાખનારા હોય છે. બુદ્ધિના ભંડાર નલે અનુસરણદિ સેવામાં તત્પર એવા વૃદ્ધ મંત્રીઓ અને નગરજનેને જેમ તેમ કરીને કષ્ટથી પાછા વાળ્યા. ખરેખર! દમયંતીની જેમ શેભા પણ નલની પાછળ ગઈ. જો એમ ન હોય તે તે વખતે તે નગર શોભા વિનાનું કેમ થઈ ગયું? ગદગદ્દ વાણીથી તે તે ઉદ્યાનની મનહરતાને બતાવતા નલે થાકેલી પણ દમયંતીને ધીમે ધીમે ચલાવી. તે વખતે સ્વયં પતિએ મસ્તકે
અને છેડો ધર્યો ત્યારે દમયંતી જેટલી ખુશ થઈ તેટલી ખુશ પૂર્વે મસ્તકે ધરાયેલા છથી પણ થઈ ન હતી. નલ ગરમીવાળી થયેલી દમયંતીને પાંદડાઓથી વીંઝત હતા, થાકેલી દમયંતીના ચરણોને દબાવતે હ; તૃષાયુક્ત થયેલી દમયંતીને કમલિનીના પડિયાઓથી પાણી પીવડાવેતે હતે. ક્યારેક થાકેલી પણ દમયંતી નળના પગ દબાવતી હતી તે નળ સવનું આલંબન લઈને તેને રેકતે હતે. દંપતીએ ફલાહારથી બપોરને સમય કર્યો. સાંજે ક્યાંક લતાગૃહમાં રહીને રાત્રિ પસાર કરી. એકવાર તે બે જાણે પ્રચંડસૂર્યના કિરણોથી ત્રાસ પામેલા અંધકારથી આશ્રય કરાયેલ હોય તેવા અને ઘટાદાર વૃક્ષવાળા એક મોટા જગલમાં આવ્યા. પછી નલે જંગલના સરોવરમાં પગ ધોયા. પત્ની દમયંતીને કરમાયેલા મુખવાળી જેઈને નલે મનમાં આ પ્રમાણે વિચાર્યું - પ્રવાલના જેવા કે મળ સ્પર્શવાળી આ ક્યાં અને દુઃખના તરંગોવાળા માર્ગો ક્યાં? પુષ્પથી ઉત્કૃષ્ટ શોભા જ થાય, નહિ કે પગના જોડા. પછી વિશ્રામ કરવા માટે નલે ક્યાંક મનહર શિલાતલમાં અશોકવૃક્ષની કુંપળેથી ઉત્તમ શય્યા બનાવી. પુષ્પનાં ડીંટાઓથી દમયંતીનું શરીર દુઃખી ન થાઓ એવી બુદ્ધિથી નલે તે શય્યાને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી. માર્ગે ચાલવાથી થાકેલા તે બંને પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરીને અને ભુજારૂપી લતા ઉપર મસ્તક મૂકીને વેચ્છાથી સૂઈ ગયા.
હવે દમયંતીના માર્ગના દુઃખથી અગ્નિની જેમ બળતા નળે તે વખતે જાણે હિંસક પશુઓના સંસર્ગથી હેય તેમ દૂર વિચારણા કરી. તે આ પ્રમાણે - દમયંતીને મિત્ર હું માર્ગરૂપી સમુદ્રના પારને કેવી રીતે પામીશ? પિતાની મરજી મુજબ ફરનારા પુરુષ માટે સ્ત્રીઓ સદા બેડી સમાન છે. તેથી આને સૂતેલી જ મૂકીને હું જ રહું. તે સવારે પિતાના કે દિયરના ઘરે જતી રહેશે. જાણે ભવિષ્યમાં થનારા પતિ વિયેગના
Page #216
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૭ દુખની દૂતી હોય તેમ દમયંતીએ આંખ બંધ કરી તેટલામાં તેની આંખે જલદી નિદ્રાથી મીંચાઈ ગઈ પછી ધીમે ધીમે આલિંગન મુદ્રાને ત્યાગ કરતા નલે દમયંતીની ભુજારૂપી લતાને વળગેલી પિતાની ભુજાને ખેંચી લીધી. નલે મનથી દમયંતીને કહ્યું છે મુગ્ધા! તું ચાંડાલ જેવી ચેષ્ટા કરનાર આ નલને વિચાર, કે જે સૂતેલી અને વિશ્વાસવાળી એવી તને એકલી છોડી દેવા ઈચ્છા કરે છે. પછી નલે મનથી ભાગ્યને કહ્યું: હે ભાગ્ય! મારી પાસે આ અનુચિત કાર્ય કેમ કરાવે છે? કેતકીને અશુભ દેહલે કરતે તું લઇજા પામ્યો નથી. હવે દમયંતીના શરીરની નીચે દબાયેલા વસ્ત્રના છેડાને ફાડવાની ઈચ્છાવાળા અને આંસુઓથી ઘેરાયેલા મુખવાળા નલ હાથમાં છરી લઈને (હાથને ઠપકો આપતાં) આ પ્રમાણે વિચાર્યું :- હા હા ! હે મહાભાગ્યશાલી હાથ ! આને હાથ પકડવામાં તું પ્રવૃત્ત થયા હતા, અને તે જ એના સર્વાગે આલિંગન કરવામાં નક્કી કરાયેલ અતિથિ બન્યો હતો. તેથી હે જમણે હાથ! શું તારામાં દાક્ષિણ્યતા પણ નથી? અથવા ક્રૂરજાતિવાળા (પશુઓ)ના સંગથી તારામાં કરુણા ક્યાંથી હોય? આ પ્રમાણે ટ૫ક્તા આંસુવાળા નલે પોતાના વસ્ત્રના છેડાને છેદી નાખ્યું. પછી પોતાના લેહીથી વસ્ત્રના છેડે આ પ્રમાણે શબ્દો લખ્યા - હે સુંદર નેત્રવાળી! વડલાઓથી ડાબી તરફનો માર્ગ કુંડિનપુર તરફ જાય છે, કેશુડાના વૃક્ષેથી જમણી તરફનો માર્ગ કેશલાનગરી તરફ જાય છે. હે ગજગામિની! જ્યાં તને રુચે ત્યાં તારે જવું. હું પિતાનું મુખ ક્યાંય બતાવવા સમર્થ નથી જ. આ પ્રમાણે લખીને ન ચાલ્યો. અંતરમાં દુખ હોવાથી રડતા તેણે વારંવાર દમયંતીના મુખરૂપ કમલને જોયું. પછી તેણે વિધાતાને ઠપકો આપતાં વિચાર્યું : હા વિધાતા જે તે દમયંતીને સર્વથી ચડિયાતી સજી તે દુઃખી કેમ કરી? પિતે વાવેલી બેરડીને પણ ન જ છેઠવી જોઈએ. પછી તેણે વનદેવતાઓને ઉદ્દેશીને કહ્યું હે સર્વ વનદેવ! મારા ઉપર પ્રસન્ન થઈને સાંભળો. તમારે તે રીતે કરવું કે જેથી તે માગને જાણે અને ઉપદ્રવથી રહિત બને. આ પ્રમાણે જણાવીને અને ડોકને વાળીને ફરી પત્નીને જાતે નલ વૃક્ષેથી (=વાના કારણે) અદેશય બન્યા ત્યાં સુધી ગયે. આને જંગલના હિંસક પશુઓથી કઈ ઉપદ્રવ ન થાઓ એમ વિચારીને તે પાછો વળ્યો. લતાના આંતરામાં એને જેતે ઊભો રહ્યો. પિતાને ઠપકો આપતાં તેણે વિચાર્યું છે દુરાત્મા અને અસમર્થ નલ! જેની પ્રિયા વનમાં આ પ્રમાણે એકલી સૂઈ રહી છે તે તું ભસ્મીભૂત કેમ થઈ જતું નથી ? નલ આ પ્રમાણે વિચારી રહ્યો હતો તેવામાં રાત્રિ પૂર્ણ થઈ. તે બધા વિચારે અંધકારની જેમ નાના મનમાં વિલીન થઈ ગયા.
હવે સૂર્ય ઉદય પામી રહ્યો છે એમ જાણીને નવા ત્યાંથી ચાલ્યા. આગળ જતાં તેણે જવાલારૂપી જટાઓથી યુક્ત અગ્નિને જે. બળી રહેલા જંગલના પશુઓનું આકંદન સાંભળતે નલ અગ્નિની નજીક ગયે. ત્યાં તેણે મનુષ્યની વાણી સાંભળી. તે
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શીલપદેશમાલા ગ્રંથને આ પ્રમાણે – ઈશિવાકુકુલરૂપી સમુદ્ર માટે ચંદ્રસમાન અને વિશ્વમાં અસાધારણ નેહાળ હે નલ રાજેદ્ર! દાવાનલથી બળતા મારું રક્ષણ કરવું તે શબ્દ જે તરફથી આવ્યા તે તરફ નજર કરનાર નલે વેલડીઓના વનમાં એક સર્ષને જે. ધીર નલે આ પ્રમાણે કહ્યું: હું મહાનાગ ! તું મારું નામ કેવી રીતે જાણે છે? અને મનુષ્યની ભાષા કેવી રીતે બોલે છે? સર્પે તેને જવાબ આપ્યોઃ હે મહાભાગ્યશાળી ! હું પૂર્વભવમાં મનુષ્ય હતું. તે સંસ્કારોના કારણે આ ભવમાં હું મનુષ્યભાષામાં બેલી શકું છું. મને અવધિજ્ઞાન પણ છે, તેથી હું સંપૂર્ણ જગતને જાણે હાથમાં રહેલું હોય તેમ જોઈ શકું છું. તેથી તે નૃપ! મારું રક્ષણ કર. હું પણ ઉપકાર કરનારો છું, અર્થાત્ હું પણ તારા ઉપર ઉપકાર કરીશ. સર્વે નલને આ પ્રમાણે કહ્યું એટલે નલે લતાઓના વિસ્તારમાં પિતાના વસ્ત્રને છેડે લંબાવ્યું. વસ્ત્રના છેડે વળગેલા સાપને નલે જેમ કૂવામાંથી પાણી ખેંચે તેમ ખેંચી લીધો. જેમ કૃતદન જીવ સજજનને ડંશ દે હેરાન કરે તેમ સર્ષે નલને જ ડંશ દીધે. નલે તેને હાથથી ધકેલીને ભૂમિ ઉપર નાખે. પછી નલે તેને કહ્યું બે જીભવાળા નાગ! તે સુંદર ઉપકાર કર્યો. સપનું વિષ નલના શરીરમાં વ્યાપી જવાથી શરીર કુબડું બની ગયું. પિતાના શરીરને કુબડું જોઈને તુરત વૈરાગ્ય પામેલા નલે ચારિત્ર લેવાની ઈચ્છા કરી. હવે સર્ષે દિવ્યરૂપ ધારણ કરીને નલને કહ્યું: હે વત્સ! હું તારો જ પિતા નિષધ છું, માટે ખેદ ન કર. હે વત્સ! દીક્ષાના પ્રભાવથી હું બ્રહ્મલોકમાં દેવ થયે છું. તારું સંકટ જાણીને આજે આ માયાથી અહીં આવ્યા છે. તારા શરીરનું આ કુરૂપપણું તારા હિત માટે જ સમજવું. કારણકે તારા આ રૂપથી શત્રુઓ તને હેરાન નહિ કરે. હે વત્સ! હજી તારે અર્ધા ભરતક્ષેત્રનું સામ્રાજ્ય ભોગવવાનું છે. સમય થશે ત્યારે દીક્ષાના અવસરને પણ હું જણાવીશ. હે વત્સ! આ બિલનું ફળ અને આ કરંડિયે લે. પ્રાણની જેમ આ બેને સદા સાચવવા. હે વત્સ! જ્યારે પિતાના (સ્વાભાવિક) રૂપમાં રહેવાની ઈચ્છા થાય ત્યારે શ્રીફળને ફેડીને તેમાંથી વસ્ત્રો કાઢી લેજે, તથા કરંડિયામાંથી હાર વગેરે આભૂષણેનો સમૂહ લઈ લેજે. આ વસ્ત્રો અને આભૂષણે તું તારા શરીરે ધારણ કરીશ એટલે તું આ શરીરથી મુક્ત બનીશ અને પિતાના (સ્વાભાવિક)રૂપને પામીશ. આ પ્રમાણે કહીને અને તે બે વસ્તુઓ તેને આપીને દેવે કહ્યું: હે વત્સતારી ક્યા સ્થળે જવાની ઈચ્છા છે. તે કહે, જેથી હું તને ત્યાં લઈ જઉં. નલે કહ્યું હે પિતાજી! મને સુસુમારનગરમાં લઈ જાઓ. નલે તે જ ક્ષણે પિતાને સુસુમારનગરના દરવાજા આગળ રહેલ જોયો.
વિકસિત મુખવાળે તે જેટલામાં નગર તરફ જાય છે તેટલામાં તેણે નગરની અંદર મહાન કોલાહલ સાંભળે. અરે ! આ શું? એ પ્રમાણે ભયભીત બનીને ક્ષણવાર રહ્યો તેટલામાં યમ જે મદેન્મત્ત હાથી તેની પાસે આવ્યું. એ હાથી
Page #218
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૯
મદના કારણે વૃક્ષશ્રેણિને ઢફાની જેમ ચારે બાજુ ફેતા ફેંકતા અને પ્રલયકાલના પવનની જેમ બધું અવ્યવસ્થિત કરતા કરતા નલની પાસે આવ્યા હતા. ઉન્મત્ત બનેલા તેને પેાતાના વશમાં કરવા કોઈ સમથ ન હોવાથી પ્રજાના સ`હારને જોતા રાજાએ એ બહુ ઊંચા કરીને કહ્યું: હું નગરજના ! સાંભળેા, જે કોઈ આ હાથીને વશ કરવા સમર્થ બનશે તેને હું ઘણી સ...પત્તિ આપીશ. આ પ્રમાણે સાંભળીને જેના પરાક્રમની ઉત્કંઠારૂપી અગ્નિ પ્રગટી રહ્યો છે એવા નલ હાથી તરફ સિંહની જેમ વેગથી દોડયો. હે કુબડા ! મર નહિ, મર નહિ, એમ નગરજને એ રોકવા છતાં નલે પત્રનની જેમ જતા હાથીને ઢેકુ મારીને કહ્યું: હું દુષ્ટ! આ સ્રીઓ અને બાળકાને ન માર. તારા મદના નાશ કરવા માટે અસાધારણ સિંહસમાન આ હું તારી આગળ આવીને ઊભે રહ્યો છું. પછી નલે ક્રોધાંધ, ઉન્મત્ત અને દોડતા તે હાથીને વાંકી ચાલના ક્રમથી ઘણા કાળ સુધી રમાડયો. ઘણા કાળ પછી ખિન્ન બનેલા તેની આગળ નલે પેાતાનું ઉત્તરીય વસ્ર નાખ્યું. હાથી તે વજ્રને પણ પેાતાના દાંતા મારવા લાગ્યા. નલ તેના સ્કંધ ઉપર ચઢી ગયા. તેના કુંભસ્થલમાં પેાતાના હાથાથી ઢાકીને ઘણા કાળે શાંત કરીને નલ તેને તેના ઉત્કૃષ્ટ આલાનસ્તંભ પાસે લઈ ગયા. આ અસાધારણ પુરુષ છે એમ વિચારીને દધિપણુ રાજાએ નલના કંઠે આદરપૂર્વક રત્નમાલા પહેરાવી. પછી નલે હાથીને આલાનસ્તંભમાં ખાંધ્યા. જય જય એ પ્રમાણે ખાલી રહેલા નગરજનાની સાથે નલ ષિપણું રાજા પાસે આવીને બેઠા. રાજાએ તેને ગૌરવપૂર્વક વસ્ત્રો અને સર્વ અંગાના આભૂષણા આપ્યાં. પછી રાજાએ તેને વંશ—કુલ આદિ પૂછ્યુ. નલે કહ્યું: હું ભૂપતિ! મારી જન્મભૂમિ કેાશલાનગરી છે. મારે સઘળા સ્વજનવર્ગ પણ ત્યાં જ કુશળતા અનુભવે છે. હું નલરાજાના કુબડો રસાઈચા છું. હુ સઘળી કલાએ તેની પાસેથી જ પ્રેમથી શીખ્યો છું. વળી બીજી – હું ભૂપતિ ! આ પૃથ્વીમાં સૂર્યપાક રસાઈ નલ રાજા જ જાણે છે, અને તેની કૃપાથી હું જાણું છું, અમારા એ સિવાય બીજો કાઈ સૂ પાક ૨સેાઈ જાણતા નથી. દુર્ભાગ્યથી ખંધુ કૂંબરની સાથે નલ જુગાર રમવા લાગ્યા. હમણાં તે જુગારમાં રાજય હારી ગયા. પત્ની સહિત તે કયાંક જતે રહ્યો અને મરી ગયા. આ સાંભળીને નલની ગુણશ્રેણિને યાદ કરતા અને શાકપરાયણુ બનેલા દધિપણ રાજાએ તેનાં પ્રેતકાર્યાં કર્યાં. એકવાર દધિપણુ રાજાએ નલને પ્રાથના કરી કે સૂર્ય પાક રસાઈ બનાવી આપ. આથી જલતી સૂર્યવિદ્યાનુ. સ્મરણ કરતા નલે ચાખાથી સંપૂર્ણ ભરેલા થાળને તડકે મૂકીને સૂ પાક રસાઈ બનાવી પછી તેણે સરસાથી સુંદર તે રસોઈ બધાને જમાડી. રાજાએ તે વખતે નલને પાંચસે ગામ અને એક લાખ ટક (=સેાનામહોર) બક્ષિસ આપ્યા. નલે એક લાખ ટંકના સ્વીકાર કર્યાં, પણ ગામા ન લીધાં, ફરી એકવાર ખુશ થયેલા રાજાએ નલને કહ્યું: તને બીજું
૨૭
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શીલપદેશમાલા ગ્રંથને પણ જે ઈષ્ટ હોય તે તારે લેવું. નલે કહ્યું: હે દેવ! જેટલી પૃથ્વીમાં આપનું શાસન પ્રવર્તે છે તેટલી પૃથ્વીમાં જુગાર, દારૂ અને શિકાર બંધ કરાવે. નલ ઉપર આદરવાળા રાજાએ તે બધું તે જ પ્રમાણે કર્યું. આ પ્રમાણે ત્યાં રહેતા તેના દિવસે સુખપૂર્વક પસાર થતા હતા. એક દિવસ સરોવરના કાંઠે વૃક્ષની છાયામાં બેઠેલા નલની પાસે પરદેશી કેઈ બ્રાહ્મણ આવીને બેઠે. બંને પરસ્પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન નલને સર્વ અંગેમાં કુબડે જોઈને વિકસિત નેત્રવાળો તે બ્રાહ્મણ બે કલેકે
સ્પષ્ટ છે . તે આ પ્રમાણે છે – अनार्याणामलज्जाना, दुर्बुद्धीनां हतात्मनां । रेखां मन्ये नलस्यैव, यः सुप्तामत्यजत् प्रियां १॥ विस्रब्धां वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनींवने त्यक्तुकामोऽपिजातःकि, तत्रैव स न भस्मसात्।।
“હું અનાર્ય, લજજાહીન, દુબુદ્ધિવાળા અને હણાયેલા છમાં નલને જ અગ્રેસર માનું છું, કે જેણે સુતેલી પત્નીને ત્યાગ કર્યો. વિશ્વાસ પામેલી અને સનેહાળ પત્નીને જંગલમાં એકલી સૂતેલી છોડવાની ઇરછાવાળે તે ત્યાં જ ભસ્મસાત્ કેમ ન થઈ ગયે ?”
પછી ભલે તે સારું કહ્યું એમ પ્રશંસા કરીને બ્રાહ્મણને પૂછ્યું તું કેણ છે? ક્યાંથી આવ્યું છે? નલને આ વૃત્તાંત તેં ક્યાં સાંભળે? બ્રાહ્મણે જવાબ આપ્યઃ હું કુશલ નામને બ્રાહ્મણ છું, અને કુંડિનનગરથી આવ્યો છું ત્યાં મે નલની આ વાત સાંભળી. વિકસિત મુખરૂપી કમલવાળા તેણે ફરી કહ્યું: નલે દમયંતીને ત્યાગ કર્યો ત્યાં સુધી વૃત્તાંત મેં સાંભળે છે, બાકીને વૃત્તાંત કહે. બ્રાહ્મણે કહ્યું: દમચંતીને સૂતેલી એકલી છેડીને નલ જો રહ્યો, પછી રવિ શેડી બાકી રહી ત્યારે દમયંતીએ સ્વમ જોયું. તે આ પ્રમાણે – આંબાના વૃક્ષ ઉપર ચઢીને મેં વેચ્છાથી તેનાં ફલે ખાધાં. પછી હાથીએ તે વૃક્ષને ઊખેડી નાખ્યું એટલે હું પૃથ્વી ઉપર પડી. સવારે જાગેલી તે પતિને ન જેવાથી મનમાં ભય પામી. આમતેમ નજર નાખીને તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું : હે દુષ્ટ ભાગ્ય ! બળેલી મારા ઉપર હજી પણ શું કરવાની તારી ઈચ્છા છે કે જેથી આવી અવસ્થાને પામેલી હું પતિને નજરથી જોતી નથી. અથવા મુખ દેવા માટે સરેવરમાં ગયેલા સૈભાગ્યના અસાધારણ ભંડાર તેમને વનદેવતા હરી ગયે (લાગે) છે. અથવા કીડા કરવાના હેતુથી ક્યાંક લતાઓના ઝુંડમાં સંતાઈ ગયા (લાગે) છે. આમ વિચારીને ત્યાંથી ઉઠીને દમયંતી દરેક વૃક્ષમાં પતિને શેધવા લાગી. પતિને ક્યાંય નહિ જેવાથી શેકના કારણે જાણે મન ભેદાઈ ગયું હોય તેમ સઘળા વનને રેવડાવતી તે રડી અને મૂછ પામી. પછી જલદી સ્વપ્નને યાદ કરીને તેના અર્થની તેણે વિચારણા કરી. તે આ પ્રમાણે - સ્વપ્નમાં જે આ આમ્રવૃક્ષ દેખાય તે સર્વશ્રેષ્ઠ મારા પતિ છે. ફલે એ રાજ્યલમી છે, અને હાથી ફૂબર છે. વૃક્ષ ઉપરથી મારું જે પતન થયું એ મને પતિને વિરહ થયે એ ચેકસ
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૧ અર્થ છે. આ પ્રમાણે વિચારીને જે કંઈ બને છે તે બધું પૂર્વભવના કર્મના કારણે બને છે એમ માનતી તે સતી વસ્ત્રના છેડે શબ્દને જોઈને વાંચ્યા. વાંચીને તેણે વિચાર્યુંજેમ હંસનું માનસ સરોવરમાં સ્થાન હોય તેમ તેમના ચિત્તમાં હજી પણ મારું સ્થાન છે, જેથી તેમણે જાતે શબ્દ લખીને મને જવાની આજ્ઞા આપી. પતિ વિનાની સ્ત્રીઓને પિતા જ શરણ હોવાથી હું વડના રસ્તે પિતાના ઘરે જઈશ. પછી હરણીની જેમ ભયથી વિહલ બનેલી અને મંત્રની જેમ નલને યાદ કરતી દમયંતી પિતાના ઘર તરફ ચાલી. તીક્ષણ ઘાસથી એના પગ ભેદાઈ રહ્યા હતા. એથી એના ચરણે પીળા રંગથી યુક્ત લાલ રંગવાળા થઈ ગયા હતા. આથી તે જાણે 'લાખના રસથી પૃથ્વીને નિશાનીવાળી કરી રહી હતી. એનું શરીર પરસેવાથી ભિનું થઈ ગયું. ઉડતી ધૂળથી કંઈક પાંડુ વર્ણવાળું થઈ ગયું. આગળ જઈને તેણે નાના તળાવમાં હંસીની જેમ સ્નાન કર્યું. પછી તેણે વનમાં પ્રવેશ કર્યો. દમયંતીને સિંહે અંબિકાદેવી જેવી, સર્પો જાંગુલી વિદ્યાથી સર્પ પકડનારી સ્ત્રી જેવી અને હાથીઓ સિંહણ જેવી માનતા હતા. નિર્જન વનમાં જતી તેને શીલના પ્રભાવથી હિંસક પશુઓ પણ જાણે પોતાના સહાયક હોય તેવા થયા. વનને ઓળંગવા માટે કંઈક ઉપાયને વિચારતી દમયંતીએ ઘણા ગાડાઓથી ગીચ બનેલ એક સાર્થ જે. સાર્થને જેવાથી તેનું મન જેટલામાં સ્વસ્થ બન્યું તેટલામાં તો જેમ વિષયે કામુકને ઘેરી લે તેમ ચરોએ સાર્થને ઘેરી લીધે. સતી દમયંતીએ હાથ ઊંચા કરીને એને કહ્યું હે રે ! તમે જતા રહે. જેમ નાળિયેર વિષે પોપટને પ્રયત્ન નિષ્ફળ જાય છે તેમ સાથે વિષે કરેલે તમારો પ્રયત્ન નિષ્ફળ જશે. સતીના એ વચનની અવજ્ઞા કરીને સાર્થને લુંટવા પ્રવૃત્ત થયેલા ચેરેને દમયંતીએ મંત્રાક્ષની જેમ હુંકારાઓથી અટકાવ્યા. સાર્થવાહ પરિવાર સહિત દમયંતીની પાસે આવ્યો. દમયંતીને કુલદેવીની જેમ જેતા સાર્થવાહે સારી રીતે વંદન કર્યું. પછી સાર્થવાહે દમયંતીને પૂછ્યું: હે કલ્યાણી ! તું કેણ છે? નિર્જન વનમાં ભમતી તું અમારા પુણ્યગથી અહીં ક્યાંથી આવી છે? તેણે નલના જુગારથી આરંભી સઘળે પોતાનો વૃત્તાંત એને કહ્યો. સાર્થવાહે આ નલની પત્ની છે એમ જાણીને એને પોતાની બહેન જેવી માની. સાર્થવાહના તંબુમાં રહેતી તે માર્ગને સુખપૂર્વક ઓળંગવા લાગી. ક્રમે કરીને મુસાફરોને સંતાપ કરનારે ચેમાસાને કાળ આવ્યો. ગળિયા બળદની જેમ ગાડાંઓ કાદવમાં ખેંચવા લાગ્યા. વર્ષીદને અભાવ થતાં વસ્તુઓને તડકામાં રાખવા લાગ્યા. ત્યાં સાર્થને
૧. સ્તબક શબ્દનો અર્થ ગુચ્છ' થાય છે. પણ અહીં તે અર્થ બંધ બેસતો જણાતા નથી. આથી અનુવાદમાં “રસ અર્થ લખ્યો છે. -
૨ વર્ષાદના કારણે અનાજ વગેરે બગડી ગયું હોય એથી બગાડને દૂર કરવા તડકામાં રાખવા લાગ્યા;
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શીલપદેશમાલા ગ્રંથને ઘણે વિલંબ થશે એવી શંકા કરીને તે સતી સાર્થવાહને પણ પૂછ્યા વિના ત્યાંથી એકલી નીકળી ગઈ. પિતાની આગળ અમાસની રાત જે શ્યામ અને દાઢેથી ભયંકર રાક્ષસને જલદી આવતે જોઈને દમયંતીએ આ પ્રમાણે સુંદર કહ્યું – હે ભદ્ર! સાંભળ, ધર્મબુદ્ધિવાળી મને મૃત્યુથી ભય ક્યાંથી હોય? પણ પરી એવી મને તું જે સ્પર્શીશ તે ભસ્મસાત્ થઈ જઈશ. આવા તેના સવથી તુષ્ટ થયેલા રાક્ષસે તેને કહ્યું હું તારું શું ઈષ્ટ કરું? દમયંતીએ કહ્યું તે કહે કે મારા પતિને મને મેળાપ ક્યારે થશે? રાક્ષસે કહ્યું. બાર વર્ષ પછી ચેકસ તારા પતિને તને મેળાપ થશે. દમયંતી બોલીઃ આ જ મારું ઈષ્ટ છે અને તે તે કહી દીધું છે. તારું કલ્યાણ થાઓ. તારે જ્યાં જવું હોય ત્યાં જા. લાંબા કાળ સુધી ધર્મને આધીન બન. પછી રાક્ષસ દિવ્યરૂપને ધારણ કરીને અદશ્ય થઈ ગયે.
તે વખતે દમયંતીએ અભિગ્રહો લીધા. તે આ પ્રમાણે- પ્રિયને મેળાપ નહિ થાય ત્યાં સુધી તાંબૂલ, રંગવાળાં વસ્ત્ર, પુષ્પ, આભૂષણે અને વિગઈએ નહિ લઉં. કમે કરીને તે પર્વતની એક ગુફા પાસે આવી. ત્યાં લીલા ઘાસવાળા પ્રદેશમાં વૃક્ષ હતાં. ત્યાં દમયંતીએ શાંતિનાથ ભગવાનની માટીની મૂર્તિ બનાવીને ગુફાના ખૂણામાં પધરાવી. પુષ્પસમૂહથી તેની પૂજા કરવા લાગી. તપશ્ચર્યા કરતી તે સ્વાભાવિક રીતે નીચે પડેલા વૃક્ષફથી તપનું પારણું કરતી હતી. તે પાપનો નાશ કરનાર પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતી હતી. એકલી હોવા છતાં નિર્ભયપણે ત્યાં કેટલેક કાળ પસાર કર્યો. પૂછયા વિના દમયંતી ચાલી જવાથી સાર્થવાહને “કંઈક અનિષ્ટ થશે” એવી શંકા થઈ. આથી તે દમયંતીના પગલે પગલે ચાલ્યું. ગુફામાં જિનપૂજા કરતી દમયંતીને તેણે જોઈ. સાર્થવાહે તેને પૂછવું તું આ પૂજા કયા દેવની કરે છે? દમયંતીએ જવાબ આ સેલમાં શાંતિનાથ ભગવાનની પૂજા કરું છું. તે બેની વાતચીત સાંભળીને ત્યાં તાપસે આવ્યા. તેથી દમયંતીએ વિસ્તારથી જૈનધર્મ કહ્યો. આ સાંભળતા વસંત નામના આ સાર્થવાહને કર્મસમૂહ તૂટવા લાગ્યો. આથી તે જૈન ધર્મને સ્વીકાર કરીને સાર્થની સાથે ત્યાં જ રહ્યો. એક દિવસ નજીકના આશ્રમમાં રહેલા તાપસે વર્ષાદની ધારાથી હેરાન થઈ જવાથી અત્યંત વ્યાકુલ બની ગયા. તેથી દમયંતીએ તાપસની ચારે બાજુ વિસ્તૃત કુંડાળું કર્યું. પછી તે બેલી: જે હું જિનેશ્વરદેવની ઉપાસના કરનારી મહાસતી હોઉં તે વાદળાઓ વરસે નહિ. વાદળાઓ પણ જાણે સંકેત કરી રાખ્યું હોય તેમ વરસતા બંધ થઈ ગયા. તે તાપસે સ્વસ્થ થયા. વિસ્મય પામેલા તેમણે વિચાર્યું ચેસ રીનું રૂપ ધારણ કરનારી આ કઈ દેવી છે. પછી પ્રતિબંધ પામેલા તેમણે જેનધર્મને સ્વીકાર કર્યો. સાર્થવાહે ત્યાં જ મોટું મનેહર નગર વસાવીને શ્રી શાંતિનાથ ભગવાનનું ઊચા તેરણવાળું મંદિર કરાવ્યું. ત્યાં દમયંતીએ પાંચસે તાપને પ્રતિબંધ પમાડ હતું તે ઉપરથી તે નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ
Page #222
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૩ બન્યું. એકવાર ત્યાં શ્રીયશોભદ્રસૂરિ પધાર્યા. તે વખતે વિરાગવંત અને નિર્મલબુદ્ધિવાળા કુલપતિએ તેમની પાસે દીક્ષા લીધી. નવા પરણેલા કૃબરના પુત્ર સિંહ કેશરીએ તેજ ગુરુ પાસેથી જાણ્યું કે હવે પિતાનું આયુષ્ય પાંચ દિવસ જેટલું જ છે. આથી તેણે તત્કાલ દીક્ષા લીધી. પર્વતના શિખર ઉપર તે મુનિ કેવલજ્ઞાની બન્યા. તેને મહિમા કરવા માટે દેને આવેલા જોઈને દમયંતી, સાર્થવાહ અને તાપસે તે કેવલી ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં બધાએ તેમની દેશના સાંભળી. તે વખતે કેવલી ભગવંતે તે બધાની સમક્ષ આ દમયંતી મહાસતી, સત્યવંતી, ધર્મને જાણનારી અને અરિહંતદેવની પરમ ભક્તા છે એમ કહ્યું. બાકી રહેલાં કર્મોનો ક્ષય થવાથી ત્યાં કેવલી ભગવંત મોક્ષને પામ્યા. દમયંતીએ પિતાને પૂર્વભવ પૂછો એટલે શ્રીયશોભદ્રસૂરિએ તેને પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે – હે ભદ્રા! પૂર્વભવમાં નલ મમ્મણ નામને રાજા હતા. તેની પ્રિય કરનારી વીરમતી
મની પત્ની હતી. એકવાર તમે બે કયાંક જઈ રહ્યા હતા ત્યારે સામે મનિને જોયા. અપશુકન થયા એમ સમજીને તે મુનિને બાર ઘડી સુધી રોકી રાખ્યા. પછી ક્ષણવારમાં કૈધને મૂકીને તમે બંનેએ મુનિને ખમાવ્યા. તેના કારણે બાર વર્ષ સુધી તમારા બેને આ વિયોગ થયો છે. ત્યાં રહીને જિનેશ્વરને પૂજતી અને શાસનપ્રભાવનાને કરાવતી દમયંતીના સાત વર્ષો પસાર થયા.
એક દિવસ કેઈએ ગુફાના દ્વાર આગળ આવીને દમયંતીને કહ્યું: હે દમયંતી ! મેં હમણાં નજીકમાં તમારા પતિને જોયા. હું તે જલદી જઉં છું. કારણકે સાર્થ મારી રાહ જોતો નથી. આ પ્રમાણે સાંભળીને તેની પાછળ ચાલતી તે વનમાં આવી. એકવાર દમયંતીએ રાક્ષસીને સામે આવતી જોઈ, પણ શીલના પ્રભાવથી તેને રાક્ષસની જેમ જલદી ખંભાવી દીધી. તરસથી પીડિત થયેલી તેણે શીલના પ્રભાવથી પૃથ્વીને હાથથી ઠોકીને નદી પ્રગટ કરી. નિર્મલ પાણી પીને સ્નાન કર્યું. એકવાર તે ધનદેવ નામના સાર્થવાહની સાથે અચલપુર ગઈ. ત્યાં જાણે આકાશમાં રહી હોય તેમ નગરની બહાર રહી. ત્યાં ઋતુપર્ણ રાજાની ચંદ્રયશા નામની પત્ની દમયંતીની માસી થતી હતી. તે દમયંતીને પિતાના મહેલમાં લઈ ગઈ. સર્વથા સંબંધના જ્ઞાનથી રહિત દમયંતીએ માસીને ઓળખી નહિ. દમયંતીને માત્ર બાલ્યાવસ્થામાં જોઈ હોવાથી માસીએ પણ તેને જલદી ઓળખી નહિ. માસીએ તેને તેની વિગત પૂછી. પણ વિગત ગુપ્ત રાખવાની હોવાથી દમયંતીએ વિગત ન જણાવી તે પણ માસીએ તેને આદરથી પિતાની પુત્રી જેવી જોઈ, અર્થાત્ પિતાની પુત્રીની જેમ રાખી. હવે માસીની રજા મેળવીને દમયંતી દાનશાળામાં દાન દેવા લાગી. ત્યાં વધ કરવા માટે લઈ જવાતા ચરને દમયંતીએ છોડાવ્યા. તે ચાર વસંત નામના સાર્થવાહને નોકર હતું. તેણે
૧. અપમાન થવાના કારણે તે વસંત સાર્થવાહથી છૂટો થઈ ગયો હતો. અચલપુરમાં આવીને તેણે રાજમહેલમાં ચોરી કરી, ચેરી કરતાં તે પકડાઈ ગયે
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શપદેશમાલા ગ્રંથને તે વખતે દમયંતીને કહ્યું હે દેવી! તમે જ્યારથી નીકળી ગયા ત્યારથી સાર્થવાહ દુઃખી થઈ ગયું. તેણે ખાવાનું છોડી દીધું. શ્રીયશોભદ્રસૂરિએ અને લેકેએ તેને સમજાવ્યું એટલે અશ્રુથી ભરેલાં નેત્રવાળા તેણે સાત દિવસ પછી ભેજન કર્યું. એકવાર રત્ન અને સુવર્ણ વગેરેના ભટણાએથી કૂબર રાજાને સંતેષ પમાડીને વસંત સાર્થવાહ તાપસપુરને સ્વામી બનીને રાજા થશે. કૃબર રાજાએ વસંત સાર્થવાહને વસંતશેખર નામને રાજા બનાવીને તાપસપુર મેક. તમારી કૃપાથી વસંતશેખર રાજા તાપસપુર આવ્યું. દમયંતીએ ચારને કહ્યું: હે વત્સ! મારા વચનથી તું દીક્ષા લે. લઘુકર્મી હોવાથી ચતુર તેણે હર્ષથી દીક્ષા લીધી.
હવે પૂર્વ પરિચિત હરિમિત્ર નામનો બ્રાહ્મણ કુંડનનગરથી અચલપુર આવ્યું. તે રાજાના દર્શન કરીને ચંદ્રયશા રાણીની પાસે ગયા. રાણીએ તેને કુશળતા પૂછી. તેણે કહ્યું બહેન ! સર્વત્ર કુશળ છે. પણ નલ અને દમયંતીની ચિંતા મને પીડા ઉપજાવે છે. કૃબરની સાથે પાશાએથી જુગાર રમતા નલ બધી પૃથ્વી હારી ગયે. આથી ત્યાંથી નીકળીને દમયંતીની સાથે જંગલમાં ગયે. જંગલમાં દમયંતીને એકલી મૂકીને પિતે ક્યાંક જ રહ્યો. આ સાંભળીને ભીમરાજા અને પુષ્પદંતી રાણુ એ બે ખૂબ દુઃખી થયા. તે બેને શેધવા માટે તેમણે મને વિનવણું કરીને મેક. દરેક ગામ, દરેક નગર અને દરેક જંગલમાં ભમતે હું અત્યારે અહીં આવ્યો છું. મેં એમને ક્યાંય જોયા નહિ. આ પ્રમાણે સાંભળીને ચંદ્રયશા આકંદન કરવા લાગી. આથી આખું રાજકુલ શેકથી વ્યાકુલ થઈ ગયું. કારણ કે આશ્રિત સ્વામીને અનુસરનારા હોય છે. ભૂખથી કૃશ બનેલા ઉદરવાળે બ્રાહ્મણ ભોજન કરવાની ઇચ્છાથી જલદી દાનશાળામાં ગયા. ત્યાં દમયંતીને જોઈને તે આશ્ચર્ય પામ્યું. તેણે દમયંતીને નમીને કહ્યું હે ભીમપુત્રી ! આખું જગત ભમીને મેં આજે તને જોઈ. હાહા ! રત્ન ઘરમાં હોય, પણ મૂઢ માણસ એને શોધવા પૃથ્વી ઉપર ભમે છે. બ્રાહ્મણે ઋતુપર્ણ રાજાને અને દમયંતીની માસી ચંદ્રયશા રાણીને દમયંતીની પ્રાપ્તિની વધામણી આપી. તે વખતે તેમની આંખમાં રહેલાં શેકનાં આંસુઓ હર્ષનાં આંસુએ બની ગયા. ચંદ્રયશા જલદી દાનશાળામાં આવી. તેણે દમયંતીને ગાઢ ભેટીને કહ્યું: હે વત્સ ! હું તારા માટે બલિરૂપ થાઉં છું, અર્થાત્ હું તારા માટે ભેગ આપવા તૈયાર છું. તું ભાણેજી હોવા છતાં તને નહિ ઓળખી શકનાર મૂઢ મને ધિક્કાર થાઓ ! હે વત્સા ! તે પોતાને ગુપ્ત રાખીને મને શા માટે છેતરી ? પછી ચંદ્રયશાએ તેને પિતાના ઘરે લઈ જઈને સુગંધિ પાણીથી સ્નાન કરાવ્યું અને ચાંદની જેવા (સફેદ) વસ્ત્રો પહેરાવ્યાં. પછી રાણી તેને હાથ ઝાલીને રાજાની પાસે બેઠી. રાજાએ દમયંતીને વિગત પૂછી એટલે તેણે રાજ્ય હારી જવું વગેરે વાત કહી. દમયંતીના આંસુસમૂહથી
ગ્લાનિ પામેલા મુખને લુછતા રાજાએ તેને કહ્યું: હે વત્સ! આમાં ખેદ શું કરવું? કર્મની ગતિ આવી જ છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૫ તે વખતે દેવકમાંથી આવીને કાંતિથી રાજસભાને ઉદ્યોતવાળી કરતા કેઈ ઉત્તમ દેવે દમયંતીને નમીને આ પ્રમાણે કહ્યું તમે એ પૂર્વે જેનું રક્ષણ કર્યું હતું તે હું પિંગલ નામને ચાર છું. મને જેનધર્મ સંબંધી ઉત્કૃષ્ટ બંધ પમાડીને તમાએ જ ચારિત્ર લેવડાવ્યું હતું. પછી હું એકવાર સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં રહ્યો હતે. ત્યાં ચિતાના કારણે પ્રગટેલા દાવાનલથી બળેલે હું તમારા જ પ્રભાવથી સૌધર્મદેવલેકમાં ઉત્તમ દેવ થયો. તેથી હે દેવી! તમે દીર્ઘકાળ સુધી વિજય પામે. આ પ્રમાણે બોલતા તે દેવે રાજસભામાં સાત ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી. જેનધર્મનું પ્રત્યક્ષ ફલ જોઈને હર્ષ પામેલા રાજાએ પણ જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે હરિમિત્ર બ્રાહ્મણે રાજાને કહ્યું: દમયંતી અહીં ઘણો કાળ રહી. આથી હવે તેને વાહન ઉપર બેસાડીને સેનાની સાથે પિતાના ઘરે મેકલે. રાજાએ પણ તે પ્રમાણે કર્યું.
પુત્રીને આવતી સાંભળીને ભીમરાજા પત્નીની સાથે સામે ગયે. હર્ષનાં આંસુરૂપી જલથી પૂર્ણ દમયંતીએ પિતાને પ્રણામ ક્યાં અને માતાના ગળે વળગીને મોહપૂર્ણ રુદન કર્યું. પછી રાજાએ મહોત્સવપૂર્વક તેને નગરપ્રવેશ કરાવ્યું. 'હે કુબડા ! સાત રાત સુધી ઉત્સવ થયા પછી રાજાએ દમયંતીને બધી વિગત પૂછી. ત્યારે તેણે મારા સાંભળતાં અહીં સુધીની પિતાની કથા કહી. પછી પિતાએ વાત્સલ્યપૂર્વક તેને કહ્યું છે વત્સા ! આપણુ ઘરે સુખપૂર્વક રહે. જે રીતે તારું કાર્ય પૂર્ણ થશે તે રીતે હું પ્રયત્ન કરીશ. ખુશ થયેલા રાજાએ હરિમિત્ર બ્રાણને પાંચસે ગામ બક્ષિસ આપ્યાં અને કહ્યું કે નલ રાજાનું આગમન થશે ત્યારે તને અર્થે રાજ્ય આપીશ.
આ તરફ દધિપણે રાજાનો વિવેકબુદ્ધિવાળો દૂત પિતાના કાર્ય માટે સુસુમારપૂરથી કુંડિનપુર ગયે. એક વાર કેઈક અવસરે તેણે ભીમરાજાને કહ્યુંઃ હે દેવ ! દધિપણું રાજાની પાસે નલરાજાને રસેઈઓ આવ્યું છે. તે રસથી મનહર સૂર્યપાક રસેઈ જાણે છે, તથા વિચક્ષણ તે શ્રેષ્ઠહાથીનું દમન કરવું વગેરે બીજી પણ કળાઓને જાણે છે. તે કુબડા ! આ પ્રમાણે સાંભળીને દમયંતીએ લજજાપૂર્વક ભીમરાજાને કહ્યુંઃ હે પિતાજી ! આ પૃથ્વી ઉપર તેમના સિવાય બીજે કઈ સૂર્ય પાક રસોઈ જાણતું નથી. હે પિતાજી! તેમણે ગુટિકા, મંત્ર કે દેવ વગેરેના પ્રભાવથી પોતાનું અસલરૂપ ગુપ્ત રાખ્યું છે. ચોક્કસ તે નિષધ રાજાના પુત્ર અને આપના જ જમાઈ છે. તેથી ભીમરાજાએ મને શિખામણ આપીને જલદી અહીં મોકલ્યો. તેથી હે ભદ્ર! પૂછતે પૂછતે તારી પાસે આવ્યા. તને જોઈને ખિન્ન બનેલા મેં આ પ્રમાણે વિચાર્યું- દમયંતીને હાડકાના અંશમાં મતીના અંશની આ બ્રાતિ શી થઈ? અર્થાત્ દમયંતીને આવા કુબડા માણસમાં નળ રાજાની
૧. તળાવના કાંઠે બેઠેલા કુબડાને પરદેશી બ્રાહ્મણ આ બધું કહી રહ્યો છે. માટે “હે કુબડા !” એવું સંબોધન છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શીલપદેશમાલા ગ્રંથના બ્રાન્તિ થઈ છે. દેવતુલ્ય આકૃતિવાળો અને જાણે શરીરધારી શેભાને જ હોય તેવો નલ રાજ ક્યાં અને જાણે ધનુવંતના રોગવાળે હેય તે ખરાબ અને કુબડો તું
ક્યાં! ક્યાં કલ્પવૃક્ષ અને ક્યાં એરંડવૃક્ષ! ક્યાં માણેકરન અને ક્યાં પથ્થર ! હે કુબડા ! તને જોઈને હવે દમયંતીને મને રથ પણ કુબડ થઈ ગયે=ભાંગી ગયે. હા! તે સર્વ શુભ શુકનશ્રેણિ વ્યર્થ બની. જે ઈચ્છિત ફળતું હોય=ઈચ્છા પ્રમાણે થતું હોય તે કઈ પણ દુઃખી ન થાય. હાહા ! પરીક્ષક! તે દંપતિને વિયેગ કેવી રીતે થયે ! એમ પત્નીને યાદ કરીને તે કુબડે તે વખતે રડ્યો. પછી તેણે બ્રાહ્મણને કહ્યુંઃ હે બ્રાહ્મણ ! આ પવિત્ર કથાને કહેનાર તું પૂજ્ય છે. તેથી તું મારા નિવાસમાં આવ, તારો સત્કાર કરું. પોતાના ઘરમાં સૂર્ય પાક સેઈનું ભોજન કરાવીને પૂર્વે મળેલ ટંક અને આભૂષણ વગેરે તેને આપ્યું.
પછી તે બ્રાહ્મણ કુંડિનપુર ગયે. વિષાદવાળા તેણે ભીમરાજાની આગળ કુબડાની તે વિગત કહી. પછી તે કુબડે વાત ચાલતી હતી ત્યારે રડ્યો, હું મનોહર રસેઈ જ, કુબડાએ લાખ ટંક વગેરે મને આપ્યું, આ બધું કહ્યું. તેથી દમયંતીએ કહ્યું: હે પિતાજી! હવે વિકલ્પબુદ્ધિ ન કરવી, અર્થાત્ હવે નલ રાજા અંગે વિવિધ કલ્પના કરવાની જરૂર નથી. ચેકસ તમે તેને કુબડાના રૂપમાં પિતાને જમાઈ જ જાણે. હે પિતાજી! કઈ પણ રીતે એકવાર તે ઠીંગણને અહીં લઈ આવે. ચિહ્નોથી આ નલ રાજા છે કે બીજે કઈ છે એમ હું ચોક્કસ ઓળખી લઈશ. હવે ભીમ રાજાએ કહ્યું: હે પુત્રી ! ખોટા સ્વયંવરનો પ્રારંભ કરીને સુસુમારપુરના રાજાને બોલાવવા માટે માણસ મેલવામાં આવે તે જે તે કુબડે નલ હશે તે ચોક્કસ તેની સાથે આવશે. કારણ કે પિતાની સ્ત્રીને પરાભવ સહન કરવો એ પશુઓ માટે પણ દુષ્કર છે. વળી તે અશ્વોને જલદી ચલાવવાની વિદ્યા જાણે છે. તે વિદ્યાની પણ પરીક્ષા કરવા માટે સ્વયંવરનું મુહૂર્ત નજીકનું કહેવું. આમ વિચારીને ભીમરાજાએ પોતાના વિશ્વાસુ પુરુ દ્વારા દધિપણું રાજાને બેટા સ્વયંવરમાં ચૈત્ર સુદ પાંચમના દિવસે બોલાવ્યા. નજીકનો દિવસ કહેવાથી દધિપણું રાજા વિષાદવાળો બની ગયે. કુબડાએ રાજાને પૂછયું: હે દેવ! આપનું પણ ચિત્ત ઉદાસીન કેમ છે? રાજાએ કહ્યુંઃ નલ રાજા મૃત્યુ પામે છે એ સાંભળીને દમયંતી સવારે સ્વયંવર કરશે. વચ્ચે છ પ્રહર જ રહ્યા છે. તેથી હે કુન્જ! તેને મેળવવાની મારી આશા દુર્લભ દેખાય છે. કુબડાએ કહ્યું હે દેવ! મુંઝાઓ નહિ. હું તમને કંડિનપુર સવારે પહોંચાડી દઈશ. પણ મારે ઈચ્છિત શ્રેષ્ઠ ઘોડાઓથી યુક્ત રથ મને આપે. રાજાએ તેમ કર્યું એટલે કુબડાએ બધું તૈયાર કર્યું. છડીદાર, બે
ચામરધારી અને છત્રધરથી પરિવરેલે રાજા અને કુબડે એ છ રથમાં આરૂઢ થયા. | કુબડાએ (નેગે આપેલ) દિવ્ય બિલાનું ફળ અને કરંડિયે પિતાની કેડમાં બાંધ્યા.
૧. ધનવંતના રોગથી શરીર વિકૃત થઈ જાય છે.
૨. આ કરંડિ કેરી વગેરેના જેવો મોટો કરંડિયે ન સમજ, કિંતુ હીરા-ઝવેરાત રાખવાના નાના દાખડા જે સમજવો. જેથી તેને સુખેથી કેડે બાંધી શકાય.
Page #226
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૭
કુબડે રથ ચલાવ્યો. માર્ગરૂપી સમુદ્રમાં પવનથી પ્રેરાયેલા વહાણની જેમ રથ ચાલવા લાગ્યા. હવે રથના પવનથી ઉડેલું વસ્ત્ર જમીન ઉપર પડી ગયું. આથી રાજાએ કહ્યું હે કુજ ! રથ ઉભે રાખ, નીચે પડેલું વસ્ત્ર લઈ લઈએ. કુબડાએ સ્મિત વેરીને કહ્યુંઃ હે દેવ! જ્યાં આપનું વસ્ત્ર પડ્યું છે ત્યાંથી પચીસ વૈજન જેટલી ભૂમિ પસાર થઈ ગઈ છે. આ ઘડાઓ મધ્યમ છે. પણ જે ઉત્તમ અશ્વો હોય તો ચોક્કસ આટલા સમયમાં પચાસ એજન જેટલી ભૂમિ ઓળંગી જાય. રસ્તામાં ફળેથી યુક્ત બહેડાનું વૃક્ષ જોઈને પિતાના ઉત્કર્ષને પ્રગટ કરતા રાજાએ સારથિને જલદી કહ્યું: ગણ્યા વિના જ આ વૃક્ષનાં ફળોની સંખ્યા હું જાણું છું. કુંઠિનપુરથી પાછા ફરતી વખતે હું તને આ કુતૂહલ બતાવીશ. કુબડાએ કહ્યું હે દેવ! મને હમણાં જ આ કોસુક બતાવે. હું સારથિ છું ત્યાં સુધી તમારે કુલિનપુર પહોંચવામાં વિલંબ થશે એ ભય સર્વથા રાખ નહિ. રાજાએ કહ્યું: આ વૃક્ષનાં ફળોની સંખ્યા અઢાર હજાર છે. કુબડાએ રથ ઉપરથી ઉતરીને વૃક્ષને મુઠીથી ઠોકર્યું. તે જ વખતે જેમ (આકાશમાંથી) જલબિંદુઓ પડે તેમ પવનથી હાલેલા વૃક્ષ ઉપરથી દડ દડ ફળે પૃથ્વી ઉપર ખરી પડ્યાં. ફળો ગણ્યાં તે તેટલી જ સંખ્યા થઈ. પછી કુબડાએ પોતાની અશ્વોને જલદી ચલાવવાની વિદ્યા રાજાને આપીને તેની પાસેથી આ ગણિતવિદ્યા લીધી. એક તરફ સૂર્યના સારથિને રથ ઉદયાચલ પર્વત ઉપર પહોંચે તે બીજી તરફ કુબડા સારથિને રથ કંડિનપુરના દરવાજા આગળ પહોંચે.
દમયંતીએ તે રાતે સ્વપ્નને જોઈને પિતાને કહ્યુંઃ હે પિતાજી! આજે નિવૃત્તિદેવી મને કોશલાનગરીની ભૂમિમાં લઈ ગઈ. તેના કહેવાથી હું ફળોથી શોભતા આમ્રવૃક્ષ ઉપર ચઢી. દેવીએ મારા હાથમાં ખીલેલું કમળ આપ્યું. તે વખતે કેક પક્ષી તે વૃક્ષ ઉપરથી પૃથ્વી ઉપર પડયું. ભીમરાજાએ કહ્યું: હે પુત્રી ! તેં આ ઉત્તમ સ્વપ્ન જોયું છે. આ સ્વપ્નથી એ સૂચિત થાય છે કે- તને ભૂતકાળના ઐશ્વર્યપદની પ્રાપ્તિ થશે, પતિનો સમાગમ થશે, અને કૃબર રાજયથી ભ્રષ્ટ બનશે. આ પ્રમાણે બંને વાતે કરી રહ્યા હતા તેટલામાં જ મંગલ નામના સેવકે દધિપણું રાજા નગરના દરવાજા પાસે આવી ગયા છે એમ કહ્યું ભીમરાજાએ દધિપણું રાજાનું આતિથ્ય કર્યું. પછી ભીમરાજાએ દધિપણું રાજાને સૂર્ય પાક સેઈ બનાવી આપવા માટે પ્રાર્થના કરી. દધિપણું રાજાએ તે વખતે કુબડાની પાસે સૂર્ય પાક રસોઈ કરાવી. દધિપણું રાજાએ પરિવાર સહિત ભીમરાજાને સૂર્ય પાક રસોઈ જમાડી. તે રઈને ઘરે મંગાવીને દમયંતી તે રસેઈ જમી. પછી તેણે પિતાને કહ્યુંઃ કુબડે હેાય કે લંગડો હોય, પણ ચેસ તે નલ રાજા જ છે. જ્ઞાની ભગવંતે કહ્યું હતું કે, નલ સિવાય બીજે કઈ આવી રઈ બનાવવામાં કુશળ નથી. તેથી હે પિતાજી! કુબડાના રૂપમાં આ નિષધના પુત્ર જ છે. શું
૨૮
Page #227
--------------------------------------------------------------------------
________________
શીલાપદેશમાલા ગ્રંથના
શ્વેતાંબરમુનિની વાણી અન્યથા થાય? વળી– એની આંગળીના અગ્રભાગના સ્પર્શીમાત્રથી જો મારુ શરીર રામાંચવાળુ' થશે તે એ નલરાજા જ છે એમ જાણવું. હવે અંગસ્પ કરવા આગ્રહ કરાયેલા કુબડાએ કહ્યું: હું જન્મથી બ્રહ્મચારી હોવાથી સ્ત્રીના સ્પ કરતા નથી. ભીમે ઘણા આગ્રહ કરીને જેમ તેમ કરીને એ વાતના સ્વીકાર કરાવ્યા. આથી કુખડાએ આંગળીથી તેના અંગના પાકતા ફાડલાની જેમ સ્પર્શ કર્યાં. અંગમાં રામાંચ થતાં દમ યતી સ્પષ્ટ એલી: હે નાથ ! તે વખતે તમે સુતેલી મને છેાડી દીધી, પણ હમણાં જાગતી મને કેવી રીતે છેડી શકશેા? આ પ્રમાણે કહીને દમયંતી આદ્ર - ચિત્તવાળા તેને ઘરની અંદર લઈ ગઈ. નલે દેવે કહેલા વિધિથી ક્ષણવારમાં પોતાનુ સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. જેમ યાગિની રૂપસ્થધ્યાનના યાગથી સર્વ અંગામાં પ્રવેશ કરે તેમ પતિના વાસ્તવિકરૂપને જોતી દમયતીએ પતિના સગામાં પ્રવેશ કર્યાં. બહાર આવેલા નલને ભીમરાજા ગાઢ ભેટી પડયો. પછી હર્ષોંથી યુક્ત તેણે નલને પેાતાના આસન ઉપર બેસાડીને અજિલ જોડીને કહ્યું: આ મોટું રાજ્ય અને વિપત્તિથી રહિત આ સ'પત્તિઓ તમારી છે. અમે પણ તમારી આજ્ઞાનું પાલન કરનારા છીએ. આથી તમારી ઈચ્છા પ્રમાણે આજ્ઞા કરી. નલને જોઇને સભ્રાન્ત થયેલા ધિપણુ રાજાએ પણ નલને નમીને કહ્યું: અજ્ઞાનતાથી મેં જે (અનુચિત) આચરણ કર્યું" તેની તમે ક્ષમા કરો. તે ધનદેવ સાર્થ વાહ ભીમરાજાનાં દન કરવા આવ્યા. દમયંતીએ ભીમદ્વારા તેનું બંધુની જેમ ગૌરવ કરાવ્યું. દમયંતીએ તાપસપુરના રાજાને અને ઋતુપણુ રાજાને ખાલાવવા માટે ભીમને વિનંતિ કરી. આથી ભીમે તા માકલીને તે એને પણ ખેલાવ્યા. ભીમ નવી નવી ભક્તિથી તે બધાને માન આપવા લાગ્યા. આ રીતે ત્યાં જ રહેલા તેમના એક મહિના મુહૂત્તની જેમ પસાર થઇ ગયા.
૨૧૮
એક દિવસ કાઇ ધ્રુવે ત્યાં આવીને દમયંતીને કહ્યુ: હે દેવી! તમે મને એળખા છે? તમે તે વખતે તાપસેાના અધિપતિને પ્રતિઐાધ કરીને સમ્યક્ત્વ પમાડ્યું હતું અને જૈન દીક્ષા લેવડાવી હતી. ક્રમે કરીને તે સાધર્મ દેવલાકમાં કેશર નામને દેવ થયા. તે હું છું. આથી તમે મારા સાચા ઉપકારી છે. આ પ્રમાણે કહીને તે ધ્રુવે પ્રણામપૂર્વક સાત ક્રોડ સુવણુની વૃષ્ટિ કરી. પછી તે જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે જતા રહ્યો. વસ'તશેખર, ઋષિપણું, ઋતુપણું અને ભીમ વગેરે રાજાએ પ્રૌઢપ્રતાપી અને સ્ફૂર્તિવાળા નલના રાજ્યાભિષેક કર્યાં. બંને રીતે બલવાન એવા સવ રાજાએની સાથે સૈન્યાથી પૃથ્વીને ધ્રુજાવતા નલરાજા કેશલાનગરી તરફ ચાલ્યા. નલને રતિવર્તુભ નામના ઉદ્યાનમાં આવેલા જાણીને કુમરે મૃત્યુની સાથે—સંબ ́ધ કર્યાં, અર્થાત્મરવાની તૈયારી કરી. ન્યાયમાં તત્પર નલે દૂત દ્વારા કૂબરને કહ્યું કે પાશાએથી મારી સાથે જુગાર રમ, અથવા તીક્ષ્ણમાણેાથી યુદ્ધ કર. કૂબરે ધીરપુરુષથી સાધી શકાય તેવી યુદ્ધક્રિયાના નિષેધ કરીને જુગારના સ્વીકાર કર્યાં, જોયેલા અમાં સ્પૃહાવાળા કાણુ ન થાય? જેનું
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૯
ગુજરાતી ભાવાનુવાદ
અગણિતપુણ્ય એકઠું' થયુ છે એવા નલે જુગારમાં પૃથ્વીને જીતી લીધી. બંધુ કૂબરને યુવરાજપદે સ્થાપિત કર્યાં. અ ભરતક્ષેત્રના સર્વ રાજાઓએ ભેટણાંએ ધરીને નક્ષ રાજાની સેવા કરી. નલ રાજાએ પણ જયાં સુધી પેાતાની આજ્ઞા પ્રવ્રુતી હતી ત્યાં સુધી વિધ્ના દૂર કર્યાં, અર્થાત્ બધાનું સારી રીતે રક્ષણ કર્યું.. ગયેલી લક્ષ્મી ક્રી જેમને પ્રાપ્ત થઈ છે એવા નલ અને દમયતીએ મહેાસવા કરીને કૈાશલાનગરીના જિનમંદિરાને વંદન કર્યુ=અરિહંત પરમાત્માની ભક્તિ કરી. જૈનશાસનની પ્રભાવના કરતા અને પૃથ્વીનું પાલન કરતા નલ રાજાનાં હજારા વર્ષો સુખપૂર્વક પસાર થઈ ગયાં. નિષદેવે (=દેવ થયેલા નલના પિતાએ)૧ અવસરે પેાતાના પુત્રને કહ્યું હે પુત્ર! સાર–અસારના વિવેકવાળાને રાજ્યની આશા શી હાય સંપત્તિ વટાળિયાથી ઘુમતા રૂના મોટા ઢગલાની જેવી ચંચળ છે. આવી સપત્તિઓમાં નિલ ચિત્તવાળા કયા પુરુષ રાગ કરે? આથી શ્રુતથી સદ્દબુદ્ધિવાળા બનેલા તે પતિ-પત્નીએ પછી પુષ્કલ નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને જૈનદીક્ષા લીધી. વિવિધ તપાથી સંયમનુ' પાલન કરતા નલરાજષ ગુરુની સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સ્વભાવથી સુકેામળ હાવાથી નલરાજષ (થોડા વખત પછી) સયમમાં શિથિલ થઇ ગયા. નિષધદેવે (=નલના પિતાદેવે) સ્વર્ગમાંથી આવીને નલરાજર્ષને ફરી સયમમાં દૃઢ કર્યા. નલરાજર્ષિનું કામને આધીન બનેલુ મન કોઈપણ રીતે દમયંતીમાં આસક્ત બનતું હતું. આથી દીક્ષા પાળવા માટે અસમર્થ નલમુનિએ અનશનના સ્વીકાર કર્યાં. નલમુનિ મૃત્યુ પામીને ઉત્તરદિશાના કૂબેર નામના દિક્પાલ દેવ થયા. દમયંતી પણુ અનશનપૂર્વક મૃત્યુ પામીને કૂબેરની પત્ની થઈ. આ પ્રમાણે પાપરૂપી કાદવને દૂર કરતી, નિર્મલશીલને ધારણ કરતી અને કાંય પણ હીલનાને નહિ પામેલી આ ઇમયંતી મનુષ્ય. ભવમાં સર્વ કર્મોના ક્ષય કરીને દુઃખથી રહિત અને અન`ત એવા મેાક્ષસુખને પામશે. કમલાનું દ્રષ્ટાંત
હવે કમલાસતીની કથા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે – લાટ નામના ક્રેશ હતા. અનેક રત્નાકરાથી (=રત્નની ખાણેાથી) યુક્ત તે દેશ જાણે એક રત્નાકરવાળા (સમુદ્રવાળા) જ ખૂદ્વીપને શરમાવતા હતા. તે નગરમાં ભૃગુકચ્છ (ભરુચ) નામવું નગર હતું. તે નગરના ઉદ્યાનને અરિહતાએ પવિત્ર કર્યુ હતું. જાણે પેાતાને પવિત્ર કરવા માટે ડાય તેમ નર્મદા નદી ખાઇની જેમ એ નગરને વીંટળાઇને રહેલી હતી. તેમાં મેઘરથ નામના રાજા હતા. તેના પ્રતાપરૂપી સૂર્ય દિશાએાને પ્રકાશિત કરતા હતા. પણ આશ્ચર્ય એ હતું કે તે કમળાને વિકસિત કરતા ન હતા. તેની ધના કાર્યોમાં નિમલ ચિત્તવાળી વિમલા
૧. શબ્દાર્થં આ પ્રમાણે છેઃ-નિષધદેવરૂપી ચંદ્રે અવસરે પુત્રને કહ્યું.
૨. અહીં બીજો અર્થ પણ થઈ શકે. તે આ પ્રમાણે :- આશ્ચર્ય થાય તે રીતે લક્ષ્મીને વિકાસ
કરતા હતા.
Page #229
--------------------------------------------------------------------------
________________
२२०
શીલપદેશમલા ગ્રંથને નામની પત્ની હતી. તે બેની લમીદેવીની જેમ હર્ષનું પાત્ર કમલા નામની પુત્રી હતી. તે કન્યા સાત બંધુઓથી નાની હતી. યૌવનની સન્મુખ બનેલી તે અનેક યુવાનના મનનું સંમેહન કરનારી ઔષધિ સમાન બની. જેમ કાયલ પક્ષીઓ વસંતઋતુને યાદ કરે અને હાથીઓ વિંધ્ય પર્વતની ભૂમિને યાદ કરે તેમ કામને આધીન બનેલા રાજપુત્રે તેને જ યાદ કરતા હતા.
આ તરફ સોપાર નગરમાં રતિવલ્લભ નામનો રાજા હતા. તે કામદેવની જેમ કોના ચિત્તમાં વસ્યા ન હતા? અર્થાત્ તે બધાના ચિત્તમાં વસી ગયું હતું. મેઘરથ રાજાની સાથે મૈત્રી કરવાની ઈચ્છાવાળે તે સદા મેઘરાજાને અનેક ભેટણીઓ મેકલતે હતે. તેમના કાર્યકુશળ દૂતે સદા હાથમાં લેખે =કાગળ) અને ભેટશુઓ લઈને આવતા હતા અને જતા હતા, એ રીતે તે બે વચ્ચે પ્રેમ વધતે ગયે. દાનથી, પ્રશંસાનાં વચન નથી. અનુકૂલ વર્તનથી શત્રુ પણ મિત્ર બની જાય છે, તો પછી મધ્યસ્થ રહેનારની (=સમભાવમાં રહેનારની) તે વાત જ શી કરવી? મેઘરાજાએ વિચાર્યું. આ વિનય વગેરે ગુણેથી રતિવલ્લભ રાજાની તુલ્ય શું બીજે કઈ રાજપુત્ર છે? અર્થાત્ નથી જેમ આ રતિવલ્લભ સર્વગુણેથી શ્રેષ્ઠ છે તેમ આ કમલા પુત્રી પણ સર્વગુણેથી શ્રેષ્ઠ છે. તેથી સર્વ જનસમૂહથી પ્રશંસનીય એ આ બેને સંબંધ એગ્ય છે. એકવાર મેઘરથ રાજા પરિવાર સહિત રાજસભામાં બેઠો હતો ત્યારે કમલા કન્યા ત્યાં આવીને પિતાના ખેાળામાં બેઠી. કન્યાને સર્વ અલંકારથી સુંદર જઈને રાજા તે જ વખતે ચિત્તમાં વરને શોધવાની ચિંતાથી યુક્ત બન્યું. પછી રાજાએ મહાનમંત્રીઓને કહ્યું: જેમ રહિણીને વર ચંદ્ર છે તેમ કમલા માટે એગ્ય વરની વિચારણા કરે. રતિવલ્લભને સર્વ પ્રકારે શુદ્ધ અને દૂષણથી રહિત જાણીને જેમ શાસ્ત્રજ્ઞાતાઓ શામના એગ્ય અર્થને કહે તેમ મંત્રીઓએ રતિવલ્લભ યોગ્ય છે એમ કહ્યું. આ સાંભળીને રાજાએ વિચાર્યું તત્ત્વદષ્ટિવાળા મંત્રીઓએ મારા જ મનથી વિચારીને હિતકર વચન કહ્યું છે, અર્થાત્ મેં જે વિચાર્યું હતું તે જ તેમણે વિચાર્યું છે. પૃથ્વીમાં રાજાઓ પ્રાયઃ રાજસભાને શોભાવનારા હોય છે, રાજ્ય તે પરમાર્થથી મંત્રીઓને આધીન હોય છે, અર્થાત્ પરમાર્થથી રાજ્ય તે મંત્રીઓ જ ચલાવે છે, એમ હું માનું છું. રાજાઓની આંખે મંત્રીઓ જ છે એમ કહેવામાં આવે છે. ઇદ્ર મંત્રીઓની આંખેથી જ હજાર આંખવાળો છે. રાજાઓના રાજયનાં સંપૂર્ણ બનેલાં સર્વ અંગેમાં એક મંત્રિબલ જ સર્વથી અધિક વિકાસ પામે છે, અર્થાત્ રાજ્યનાં સર્વ અંગોમાં મંત્રીબલ જ સર્વથી અધિક ગણાય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ સ્પષ્ટ કહ્યું: હે ઉત્તમ મંત્રીઓ ! તમેએ મનથી સારું વિચારીને પથ્ય આહારની જેમ હિતકર સુંદર કહ્યું. તેથી રતિવલ્લભને કન્યા આપવા માટે સેપારનગરમાં સારા અને કુશળ દૂતને મોકલીએ. એક દિવસ કન્યા આપવા માટે શાલ નામના બુદ્ધિશાલી દૂતને લેટાની સાથે રતિવલ્લભ રાજાની પાસે મોકલ્યા. રતિવલ્લભ રાજાએ લક્ષમીની જેવી
Page #230
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૧
કમલાને સ્વીકાર કર્યો. પછી દૂતનો સત્કાર કરીને પાછો મોકલ્યા. રતિવલ્લભ રાજા મહાન વૈભવથી આવીને સારા મુહર્ત જેમ કૃષ્ણ લક્ષ્મીને પરણે તેમ કમલાને પર કરમોચનના અવસરે રાજાએ જમાઈને રત્નો, અલંકાર, મંગળવાળા હાથીઓ અને ઘોડાઓ વગેરે ઘણું આપ્યું. એક દિવસ રતિવલ્લભે પોતાના ઘરે જવા પ્રયાણ કર્યું. મેઘરથ રાજા આદરથી જમાઈની પાછળ સીમા સુધી જઈને પાછો ફર્યો. રતિવલ્લભ રાજાએ આડંબરથી પોતાના નગરમાં પ્રવેશ કર્યો. તે આ પ્રમાણે – સ્થાને સ્થાને સ્ત્રીઓએ પ્રવેશનિમિત્ત ઉત્સવ કર્યો, ભાટચારણેએ ઉચ્ચારેલા જ્ય જ્ય એવા શબ્દો ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા, ઘણું દાન અપાઈ રહ્યું હતું, ઘણી પ્રજા ભેગી થઈ હતી, વાગી રહેલાં ઘણાં વાજિંત્રોએ દિશાના અવકાશને બહેરા કરી દીધા હતા. મૂર્તિમંત રાજ્યલક્ષમી જેવી પત્નીથી શોભતા રતિવલ્લભ રાજાએ આ પ્રમાણે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. ચાલવાની પદ્ધતિથી રાજહંસીનો તિરસ્કાર કરનાર, અર્થાત્ રાજહંસીની ગતિથી પણ અધિક સુંદર ગતિવાળી, ગુણોથી ઉજજવલ, સર્વ અંગોમાં સુંદર એવી પ્રિયામાં રાજા રાજ્યલક્ષમીની જેમ આસક્ત બન્યો.
આ તરફ સમુદ્રની અંદર આવેલા ગિરિવર્ધન નગરમાં કીર્તિવર્ધન નામને રાજા હતું. તે સ્ત્રીઓમાં લેલુપ હતો. એકવાર તેણે કમલાનું અતિશય રૂપ કાનેથી સાંભળ્યું. આથી જેમ માણસ ધતૂરાનો રસ પીને બેહોશ બની જાય તેમ તે કામની મૂછથી બેહોશ બની ગયો. આથી તેણે યુગેધર નામના શ્રેષ્ઠ માંત્રિક મિત્રને એકાંતમાં કહ્યુંઃ હે મિત્ર! તારી પાસે રહેલી વશ કરવાની કળાનું ફળ શું? જેથી તું કાર્ય કરી શકે તેમ હોવા છતાં, ઘરમાં અનંત નિધાન રહેલું હોવા છતાં ભાગ્યહીન પુરુષ જેમ દુઃખ સહન કરે તેમ હું આટલું દુઃખ સહન કરું છું. રાજાના ઈષ્ટ કાર્યને જાણીને વિવેકમાં નિપુણ મિત્રે રાજાને કહ્યું: જીઓ પતિવ્રતા (=સતી) અને અસતી એમ બે પ્રકારની હોય છે. જે તે મહાસતી હશે તે તેને લાવવાની મહેનત બર્થ થશે. જે તે અસતી હશે તે તમારા મને રથરૂપી સમુદ્રમાં નાવ સમાન બનશે, અર્થાત્ તમારે મને રથ પૂર્ણ થશે. રાજાએ કહ્યુંઃ હે મિત્ર! કામથી હણાયેલા મને તું પણ કેમ હણે છે? તું એકવાર તેને અહીં લઈ આવ. બાકીની મહેનત સફલ બનશે કે નિષ્ફળ બનશે એ મારા આધીન છે. ભેંયરામાં મંત્રજાપ અને હમ વગેરે ક્રિયાઓ કરીને, જેમ પવનનો વંટોળિો પત્રશ્રેણિને ખેંચી જાય તેમ, મિત્ર ક્ષણવારમાં સૂતેલી કમલાને ખેંચી લાવ્યા. જાગેલી આ મહાસતી મને ભસ્મસાત ન કરે એમ વિચારીને, જેમ પનામની નાગણથી માણસ દૂર ભાગે તેમ તે ભોંયરામાંથી બહાર નીકળી ગયે. કીર્તિવર્ધને રાજાએ માત્ર મંગલસૂચક આભૂષણવાળી પણ કમલાને જઈને વિચાર્યું: આવી પણ (ત્રશણગારથી રહિત હોવા છતાં) આ વિશ્વને મોહ પમાડે તેવી છે. જેમ સુગંધથી શોભતી કમલિની રાજહંસના મનોરથને પૂર્ણ કરે તેમ સવારે જાગેલી આ મારા મનોરથને પૂર્ણ કરશે. અતિશય ઉત્કંઠાથી રાજા બેલ્યોઃ હે ભદ્રા!
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શીલોપદેશમાલા ગ્રંથને ઊંઘ નહિ, જાગ. જાગેલી તેણે ચૂથથી ભ્રષ્ટ બનેલી મૃગલીની જેમ ચારે બાજુ જોયું. તે બોલવા લાગી કે, ઘર ક્યાં છે? આ કર્યું સ્થાન છે? હું ક્યાં છું. ? મારી ઊંઘ ક્યાં જતી રહી? અથવા આ ઇંદ્રજાલ છે? અથવા આ સ્વપ્ન છે? મારા તે પતિ કયાં છે? આ પ્રમાણે બોલતી અને વિહલ થયેલી તેને રાજાએ તેના ચરણકમલેમાં નમીને કહ્યું, હે ભદ્રા ! તારી આગળ રહેલે હું કીર્તિવર્ધન નામને તારો પતિ છું. હું તારી આજ્ઞાને આધીન છું. આથી આ મહેલ, આ સ્થાન, આ નગર અને આ સમૃદ્ધિ એ બધું તારું જાણુ. ક્રોધયુક્ત મુખવાળી સતી કમલાએ તે દુષ્ટને કહ્યું હે દુષ્ટ આત્મા ! અકીર્તિને વધારનાર તું મારી આગળ શું છે ? અર્થાત્ મારી આગળ તારું કંઈ ચાલશે નહિ. હે દુબુદ્ધિ! જેમ કાગડે રાજહંસીને ભેગવવાની ઈચ્છા કરે તેમ રતિવલ્લભ રાજાની પતિવ્રતા પત્નીને ભેગવવાની ઈચ્છા કરનાર તું કોણ છે? મને જલદી મારા ઘરે મેલી દે, નહિ તે મારા પતિનાં બાણે તારા મસ્તકને દિક્ષાલ દેવેને બલિદાન આપવા માટે કાપી નાખશે. કમલાને વચનના પ્રહાર કરીને અને લાકડીઓથી મારીને રાજાએ કહ્યુંઃ જેમ હાથી લતાકું જને ભાંગી નાખે તેમ હું હમણાં તારા સતીપણાને ભાંગી નાખીશ. જાણે કર્મથી ઉપન્ન થયેલા પુદ્ગલે હોય તેવી લેઢાની સાંકળેથી રાજાએ તેને સર્વ અંગમાં બાંધી. પછી કામધેનુની જેમ તેને એકાંત સ્થાનમાં રાખી જેમ રોવડે ચેરાયેલી વસ્તુ ક્યાંય ન દેખાય તેમ સવારે શય્યામાંથી ઉઠેલા રાજાએ પત્નીને ન જોઈ વૃક્ષ ઉપરથી નીચે પડી ગયેલા વાંદરાની જેમ આમ-તેમ જઈને રતિવલ્લભ રાજાએ પહેરેગીરેને પૂછ્યું. જાણે વિસ્મય પામ્યા હોય તેમ પહેરેગીરેએ કહ્યું: રાણી પગે ચાલીને ક્યાંય ગયા નથી. કારણ કે રાત્રિ પૂર્ણ થઈ ત્યાં સુધી અમે જાગતા હતા. અન્ય સર્વ દ્વીપમાં અને રાજાઓના સ્થાનમાં ક્રમશઃ ગુપ્તચર અને દૂત પુરુષોને મેકલીને પત્નીની ઘણી શોધ કરી. રાજા ક્યાંય કોઈ પણ પ્રકારને તેને પતે મેળવી શક્યો નહિ. જ્ઞાનથી જાણી શકાય તેવી વસ્તુઓને બાહ્યચક્ષુવાળા શી રીતે જોઈ શકે? પછી ધર્મમાં નિપુણ રાજાએ નિર્ણય કર્યો કે ચેસ વિદ્યાસિદ્ધ વગેરે કઈ પુરુષે મારી પત્નીનું હરણ કર્યું છે. મારી પત્નીનો પત્તો મળતો નથી. તેથી આ રાજ્ય નિરર્થક છે, મારી આ સંપત્તિઓને ધિકાર થાઓ, આ બાહુબલને ધિક્કાર થાઓ. તેણે પટહ વગડાવીને ઘેષણ કરાવી કે, જે કઈ મારી પત્નીના માત્ર સમાચાર જણાવશે તેને હું મારું અધું રાજ્ય આપીશ. મારો આ જન્મ હાહા! જીવતા મરેલા જેવું છે. કારણકે જેમ સુતેલા પુરુષના મસ્તક ઉપરથી મુગુટને ચારી લે તેમ મારી પત્નીનું કેઈએ હરણ કર્યું છે. આ પ્રમાણે બાહુબલની નિંદા કરતે અને ગુપ્તગુસ્સાવાળે રાજા જેની શક્તિ મંત્રથી ખંભિત કરી દીધી છે એવા સર્ષની જેમ અંતરમાં બળવા લાગ્યું. - આ તરફ પાંચમા મહિને શેકને પામેલા રાજાના નગરના ઉદ્યાનમાં સૂર્યસમાન કેવલી પધાર્યા. જેમ મેઘના આગમનથી ખેડૂત હર્ષ પામે તેમ કેવલીના આગમનથી હર્ષ
Page #232
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૩
પામેલા રતિવલ્લભરાજાએ કેવળ ભગવંત પાસે જઈને તેમની વૈરાગ્યકારિણી દેશના— વાણીને સાંભળી. દેશનાના અંતે રાજાએ પૂછ્યું. મારી પત્ની જીવે છે કે મરી ગઈ છે ? તેથી કેવલીએ જે પ્રમાણે બન્યું હતુ. તે પ્રમાણે બધું કહ્યું. રાજાએ ફરી પૂછ્યું: આ કયા કર્મનું ફૂલ છે. હે નાથ ! તે મને જીવતી પાછી મળશે કે નહિ? પછી કેવલીએ કહ્યું: હું રાજન્ વિસ્મય નામના મહાન નગરમાં દુય નામના રાજા છે. ધન્યા નામની તેની પત્ની છે. એકવાર ગુસ્સે થયેલી તે ધન્યાએ ક્ષુધા-તૃષાથી વ્યાકુલ થયેલી પેાતાની દાસીને નિચપણે ખાંધીને ભેાંયરામાં રાખી, ઘેાડા દિવસો પછી પ્રસન્ન થયેલી તેણે તેને બંધનથી મુક્ત કરી. તે બંધનના કારણે રાણીએ અત્યંત ભયંકર કર્મ બાંધ્યું. પછી અનેક ગતિમાં તે કર્મનું ફલ ભેાગવીને હમણાં તારી પત્ની થઈ છે. આ બંધન છેલ્લું છે. આ ભવથી પૂર્વના ભવમાં તેણે જે પંચમીના તપ કર્યાં હતા તેનાથી તે માત્ર એક મહિનામાં બંધનથી મુક્ત બનશે. તેથી તે મહાસતી સંદેહ વિના તને મળશે. કારણ કે જીવાનાં કર્મો ભાગવાયા પછી જ ક્ષય પામે છે. આ પ્રમાણે કેવલીની કતકચૂર્ણ સમાન દેશનાને સાંભળીને ઘણા ભવ્ય જીવા પાપરૂપી કાદવથી મુક્ત બન્યા. રતિવદ્યુભ રાજા પત્નીને લાવવાની ઈચ્છાથી જેટલામાં કીર્તિવર્ધન સાથે લડાઈ કરવાની ઈચ્છા કરે છે. તેટલામાં વિહાર કરતા મહાબલ નામના તે જ કેવલજ્ઞાની ભગવંત ક્રમે કરીને ગિરિવન નગરમાં પધાર્યા. જેમ પ્રાતઃકાલના પવનથી નગેાડવનસ્પતિનાં પુષ્પા ખરી પડે તેમ તે કેવી ભગવતના પ્રભાવથી કમલાસતીની લેઢાની સાંકળે! જલી તૂટી ગઈ.
કીર્તિવન રાજા પણ તે કેવલી ભગવંતને વદન કરવા માટે આવ્યા. કેવલી ભગવતે પણ તેને ધર્મના આશીર્વાદ આપ્યા, પછી તેને વિશેષથી ખેાધ પમાડવા માટે કમલાસતીના જ પૂર્વભવ સંબ`ધી વૃત્તાંત તેની સમક્ષ કહ્યો. આ લેાકમાં પણ શીલરૂપી વૃક્ષના ઉત્તમ ફૂલને જુએ. કમલાસતીના શરીરે ખાંધેલી સાંકળા તૂટી ગઈ છે અને તેની પૂર્વવત્ અવસ્થા થઈ ગઈ છે. આ સાંભળીને માનરહિત બનેલેા અને અતિશય ભય પામેલા કીર્તિવન રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તે આ પ્રમાણે – હા ! મે` ઉભયલેાકમાં વિરુદ્ધ આ શું કર્યું"? કામાસક્ત મે' કમલા મહાસતીનું જે વિરુદ્ધ ચિંતવ્યું તે તેના શીલે નિષ્ફળ કર્યું.. આ પ્રમાણે વિચારીને તે ત્યાંથી ઉઠીને કમલાને જ્યાં એકાંતમાં રાખી હતી ત્યાં ગયા તેને બહાર લાવીને શર્મ પામેલા તે તેના ચરણેામાં નમીને તેને ખમાવી. પછી તેણે સતીને કહ્યું: હે ભગિની ! જેણે તને આ દુઃખ આપ્યુ તે હું જ છું. મારું મુખ જોવા લાયક નથી. હું પાપી અને ચિઠ્ઠો છું. હું લેાકમાં નિંદિત થયા . અકાર્ય કરવા તૈયાર થયેલા મને તે પહેલેથી અકા થી અટકાવી દ્વીધા, તેથી ચાક્કસ તું જ મારા બંધુ છે અને તું જ મારો ધર્માચાય છે. હું જાતે જ તને તારા નગરમાં લઈ જઈશ. પણ તારે રતિવલ્લભ રાજ્યના ક્રોધ દૂર કરવા.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શીલપદેશમાલા ગ્રંથનો પછી અતિશય મૂલ્યવાન રત્નના ઢગલાઓથી વાહનને ભરીને કીર્તિવર્ધન રાજા કમલાની સાથે વેગથી ચાલ્યો.
- રતિવલ્લભ રાજા સૈન્યની સાથે જેટલામાં સીમાડા સુધી આવ્યો તેટલામાં ત્યાં કમલાને પત્ર લાવનાર પુરુષ સામે મળે. રોષદષ્ટિ અને તેષદષ્ટિથી મિશ્ર રતિવલ્લભ રાજાએ તત્કાલ કમલાએ લખેલે પત્ર વાંચે. તે આ પ્રમાણે - સ્વસ્તિશ્રી હૃદયમાં રહેલા શ્રી રતિવલ્લભ સ્વામીને પ્રણામ કરીને સમુદ્ર મધ્યથી કમલા પત્ની વિનંતિ કરે છે કે, હે સ્વામી ! આપની કૃપાથી મારું શીલ અખંડ છે. સદાય મારા હૃદયમાં રહેલા આપનાથી હું અનાથ છું. ભક્તિથી યુક્ત કીર્તિવર્ધન નામનો બંધુ પણ આપના ચર.
નાં દર્શન કરવાની ઈચ્છાથી મારી સાથે આવી રહ્યો છે. પત્ર વાંચીને રાજાએ વિચાર્યું અહો ! કમલાના શીલનું માહાસ્ય! જેથી મારો શત્રુ મિત્ર બની ગયે. પછી બંને રાજાઓ સમુદ્રના કિનારે ભેગા થયા અને બંનેએ પરસ્પર ઉચિત સત્કાર કર્યો. તેથી નગરજનોએ હર્ષથી પ્રવેશ નિમિત્ત દરવાજાઓની કમાનો શણગારી. કમલાસતીની સાથે બંને રાજાઓએ સોપારનગરમાં પ્રવેશ કર્યો. કીર્તિવર્ધન રાજા કેટલાક દિવસો સુધી પ્રેમથી ગૌરવપૂર્વક ત્યાં રહીને પછી પોતાના નગરમાં ગયે. રતિવલ્લભ રાજાએ કમલાસતીની સાથે ત્રિવર્ગના સારભૂત ગૃહસ્થપણાને પૂર્ણપણે સાયું. ક્રમે કરીને પુત્ર રાજ્યભારની ધુરાને ધારણ કરવામાં સમર્થ થઈ જતાં તેને ઉપર સામ્રા
જ્યને ભાર નાખ્યા. પોતે બંને વિષયથી નિઃસ્પૃહ બન્યા. પછી દાન આપીને અને સંઘની પૂજા કરીને દંપતીએ શ્રીસ્પંદનસૂરિની પાસે દીક્ષા લીધી. દીક્ષાનું પાલન કરતા અને દૂર કર્મસમૂહને નાશ કરતા તે બંનેને વિશ્વને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જેમ સૂર્ય કમલેને વિકસિત કરે તેમ ક્રમે કરીને ભવ્યજીવસમૂહને બોધ પમાડીને રતિવલ્લભ કેવલી મોક્ષપદને પામ્યા. નિર્મલ કેવલજ્ઞાનથી પૃથ્વીને વાસિત કરનાર કમલા મહાસતી પણ ભૃગુકચ્છનગરમાં પુત્રાદિ પરિવાર સહિત માતા-પિતાને પ્રતિબંધ પમાડીને મોક્ષપદને પામ્યા.
કલાવતીનું દષ્ટાંત હવે કલાવતીની કથા પ્રકાશિત કરવામાં આવે છે –
આ જ જબૂદ્વીપમાં કમલ નામને દેશ હતો. અપારલક્ષમી, કદલીવન અને તલવૃક્ષેથી ઉત્તમ તે દેશે સ્વર્ગને જીતી લીધું હતું. તે નગરમાં શંખપુર નામનું નગર હતું. તારાઓમાં પ્રતિબિંબિત થયેલું અને શંખપુર વડે લક્ષમીથી નિશ્ચિતપણે જીતાચેલું સ્વર્ગ જાણે પુષ્પથી શંખપુરની પૂજા કરતું હતું. તે નગરમાં પ્રજાને અનુકૂલ કરનાર શ્રીમાન શંખ નામને રાજા હતા. પણ આશ્ચર્ય એ છે કે તે હદયમાં વક્રતાને ધારણ
૧. બીજા અર્થમાં આ અને તિક્ટોત્તમા એ બે શબ્દોને અપ્સરા અર્થ છે. તા ૨. દરિયામાં થતો શંખ અંદરથી વક્ર હોય છે. પણ આ રાજા શંખ હોવા છતાં અંદરથી વક ન હતો માટે આશ્ચર્ય છે..
Page #234
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૫
કરતા ન હતા. યુદ્ધમાં જીતીને સ્વાધીન કરેલી, એકછત્રીય અને ખીજાએના આક્રમણથી રહિત પૃથ્વીને તે રાજા સતી સ્ત્રીની જેમ ભાગવતા હતા. પાતાની રાજસભામાં બેઠેલા તેને એકવાર ગજશેઠના દત્ત નામના પુત્રે હષ થી પ્રણામ કર્યાં અને ભેટછું આપ્યું. રાજાએ તેને કુશળતા પૂછી. આપેલા આસન ઉપર દત્ત બેઠા. રાજાએ તેને કહ્યું પરદેશને ચેાગ્ય કઈક કૌતુક કહે. આથી દત્તે કહ્યું: હે દેવ ! હુ· વેપાર માટે દેવશાલનગર ગયા હતા. કારણકે અમારી લક્ષ્મી વેપારરૂપી સાગરમાં વધે છે. હે નાથ ! મારુ′ કાર્ય કરીને હું ત્યાંથી પાછા આવ્યા છું. પણ તે નગરની આશ્ચય પરપરાને કહેવા માટે હું સમ નથી. તેથી હું દેવ! એની (=આશ્ચય પર પરાની) માત્ર વાનગીને આપ જાતે જ જુએ એમ બેાલતા દત્તે રાજાની આગળ એક ચિત્રપટ મૂકયુ'. તે ચિત્રપટમાં આલેખેલી કાઈ ઉત્તમ સ્ત્રીને જોઇને આ દેવી છે' એમ રાજાએ માન્યું. આથી પૃથ્વીના ઇંદ્ર તે રાજા તેને જલદી નમ્યા.
દત્તે કંઈક હસીને કહ્યુ કે, હું દેવ! આ મનુષ્ય–સ્રી છે. આપે આને દેવી માની એથી એને પટ્ટદેવી (=પટ્ટરાણી) જ માના. જેમ ગરીબ પુરુષ નિધાનને જુએ તેમ રાજાએ તે ચિત્રપટને જોયુ'. ચિત્રપટ જોઈને રાજાએ દતને કહ્યું: આવું શ્રેષ્ઠ રૂપ મનુયેામાં જોવામાં આવતું નથી. દત્ત કહ્યું: હે દેવ ! આ મનુષ્યસ્રી જ છે એમ જાણેા. ધ્રુણાક્ષર ન્યાયથી જ આ આવી રૂપવતી બની છે. વિધાતાનુ આ કૌશલ્ય નથી. રાજાએ પૂછ્યું: તે આ કાણુ છે? દત્તે કહ્યું; આ દેવશાલ નગરમાં શાસન કરનાર શ્રીવિજયસેન રાજાની શ્રીમતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી કલાવતી નામની પુત્રી છે. તે ખરેખર! કલા, સૈાભાગ્ય અને રૂપ વગેરેથી સૃષ્ટિની કસેાટી છે. તેની જુવાનીરૂપી લક્ષ્મી જેમ જેમ વધવા લાગી તેમ તેમ રાજાના હૃદયમાં તેના વર માટેની ચિંતા વધવા માંડી. એક દિવસ જિનભક્તા તેણે “જે મારા ચાર પ્રશ્નોના જવાબ આપશે તેને હું પરણીશ” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. તેથી તેના વરની ચિંતારૂપી સમુદ્રમાં અતિશય ડૂબેલા રાજાએ તે વખતે તેના વર માટે સ્વયંવરમંડપ કરાવ્યા. હે દેવ ! આ તરફ વેપાર કરવાની ઇચ્છાવાળા હું પેાતાના નગરથી દેવશાલનગર તરફ જઈ રહ્યો હતા. વચ્ચે કોઈક સ્થળે જગલ આવ્યું. એ જંગલમાં મેં વિજયસેન રાજાના દુષ્ટ અશ્વથી અપહરણ કરાયેલા જયસેન નામના પુત્રને મૂર્છા પામેલા જોયા. મે તેને જીવાડયો. પછી તેને પાલખીમાં બેસાડીને કેાઈ જાતની તકલીફ વિના તેના ઘરે પહેાંચાડથો. તે ઉપકારથી રાજા મને સદા પુત્ર જેવા માનવા લાગ્યા. એકવાર રાજાએ મને સભા સમક્ષ કહ્યું: હે વત્સ! તેં જે રીતે સ્વબંધુ જયસેન ઉપર ઉપકાર કર્યો તેમ બહેન કલાવતી માટે શ્રેષ્ઠ વરને શેાધીને ચિંતારૂપી સમુદ્રમાંથી મારા ઉદ્ધાર કરવાને તુ યાગ્ય છે. તે વખતે એની સાથે આપના સંગ ચેાગ્ય છે એમ વિચારીને પટમાં
२८
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શીલપદેશમલા ગ્રંથને એની આકૃતિનું આલેખન કરીને હું અહીં આવ્યું. આ માત્ર વાનગી છે. હું એનું રૂપ જેવું છે તેવું આલેખવા સમર્થ નથી.
સૂર્યની જેટલી પ્રભા છે તેટલી પ્રભા તેના પ્રતિબિંબમાં ન હોય. ગીની જેમ ચિત્રપટને જોતા રાજાની આંખો ક્ષણવાર વિકસ્વર બની ગઈ પછી મસ્તક ધુણાવીને રાજાએ દત્તને મધુરવાણીથી કહ્યુંઃ મિત્ર પ્રત્યે અસાધારણ વાત્સલ્યવાળા હે દત્ત! તે મારા ઉપર સુંદર ઉપકાર કર્યો. પણ મારા જેવાનું તેવું ભાગ્ય ક્યાંથી હોય? કે જેથી આવા પાત્રને સંગ થાય. દત્ત આનંદ પામીને કહ્યું: હે નાથ ! નિરર્થક ખેદ ન કરે. શુભ શકુનેથી હું જાણું છું કે એ ચેસ આપની પત્ની થશે. પણ હે દેવ! આપ જલદી સરસ્વતી દેવીની આરાધના કરે કે જેથી ચાર પ્રશ્નોના ઉત્તરે જાણી શકાય. તેથી શંખરાજાએ બ્રહ્મચર્ય પાલન વગેરે ઉપાયોથી સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. સરસ્વતી દેવીએ પ્રગટ થઈને કહ્યું તું કરરૂપી કમલથી પૂતળીને સ્પર્શ કરીશ એટલે પૂતળી પણ તે જ ક્ષણે કલાવતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપશે. લલાટે અંજલિ જોડીને રાજાએ સરસ્વતીદેવીની કૃપાને સ્વીકાર કર્યો. સરસ્વતીદેવી તે બધું કહીને તુરત અદશય થઈ ગઈ. પછી કૃતકૃત્ય થયેલે શંખરાજા જલદી દત્તની સાથે સૈન્યથી પૃથ્વીને કંપાવતે દેવશાલ નગર જવા માટે ચા. શંખરાજાને આવતે સાંભળીને વિજયસેન રાજાએ જયસેન પુત્રને શંખરાજાની સામે મોકલ્યા. શંખરાજાને જોવાની ઈચ્છાવાળી નારીઓના નેત્રસમૂહેથી જાણે આકાશને નીલકમલમય કરતે હોય તેવા દેવશાલનગરમાં શંખરાજાએ મહાન આડંબરથી પ્રવેશ કર્યો. હવે કલાવતીને પરણવાની ઈચ્છાવાળા રાજાઓ સ્વયંવર મંડપમાં આવ્યા. શંખ પણ ઊંચી અગાશીવાળા અને ઊંચામાળવાળા મંચ ઉપર ચડ્યો.
કલાવતી સ્વયંવર મંડપમાં આવી. તે આ પ્રમાણે તેણે (શરીરે ધારણ કરેલા) વિચિત્ર અલંકારથી ઇદ્રધનુષની રચના કરી હતી. તેણે પોતાની સાથે રહેલી) ધૂપઘટિકાઓમાંથી નીકળીને તરફ ફેલાતા ધૂમાડાથી એને કાળા બનાવ્યા હતા. તે જાણે સાક્ષાત્ કલાની અધિષ્ઠાત્રી દેવી હોય તેવી હતી, રૂપથી જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી હતી, વિધાતાએ જાણે સૌદર્યનો બધે જ સાર તેનામાં એકઠો કર્યો હોય તેવી હતી, જેમ કમલિની ભ્રમરીઓથી વીંટળાયેલી હેય તેમ તે સખીઓથી ચારે બાજુ પરિવરેલી હતી. તેના મસ્તકે છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. તેના ઉપર ચામરો વીંઝાતા હતા, અને એથી મસ્તકના કેશે નૃત્ય કરતા હતા (=પવનના કારણે હાલતા હતા). સખીઓએ તેને હાથ પકડ્યો હતે. જાણે કામદેવના ધનુષ્યની દેરી હોય તેવી માલાને ધારણ કરતી, અને જાણે ચંદ્રની સ્ના હોય તેવી કલાવતી સ્વયંવર મંડપમાં આવી. પછી પ્રશ્નોની પત્રિકા જેના હાથમાં છે એવી દાસીએ કહ્યું: હે રાજાઓ ! ચાર પ્રશ્નોના ઉત્તર કહે. (૧) દેવ કેને કહેવાય?(૨) ગુરુ કેને કહેવાય? (૩) તવ શું છે?
Page #236
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૭ (૪) સત્ત્વનું સ્વરૂપ શું છે ? જે રાજા આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે કહેશે તે કલાવતીની ઉત્તમ માળાને ચગ્ય બનશે. પછી બધા રાજાઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે ઉત્તર આપ્યા. પણ પરમ શ્રાવિકા કલાવતીએ તે ઉત્તરે માન્ય ન કર્યા. પછી જાણે કુબેરના નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ કલાવતીની સાથે હર્ષ પામેલા શંખરાજાએ કહ્યુંઃ મારી આ પૂતળી પ્રશ્નોના ઉત્તર આપશે. આમ કહીને તેણે થાંભલામાં રહેલી પૂતળીના મસ્તકે કર રૂપી કમલ મૂકયું. પૂતળીએ ઉત્તર આપ્યા. તે આ પ્રમાણે – (૧) વીતરાગ ઉત્તમ દેવ છે. (૨) મહાવ્રતધારી ગુરુ છે. (૩) જીવદયા તવ જાણવું. (૪) ઇંદ્રિયોનો નિગ્રહ કરવો એ સર્વ છે. આ ઉત્તરોથી હર્ષ પામેલી અને જેની મનેકામના અત્યંત પૂર્ણ થઈ છે એવી કલાવતીએ શંખરાજાના કંઠમાં વરમાળા પહેરાવી. તેથી તે વખતે અન્ય રાજાઓ શંખ ઉપર ગુસ્સે થઈ ગયા તે પણ લાવતીના શીલના મહાપ્રભાવથી શંખને પરાભવ વગેરે કશું કરી શક્યા નહિ. સારા મુહ બ્રાહ્મણે એક આસન ઉપર બેઠેલા તે બેના હાથમાં વિલેપન કરીને તેમનો હસ્તમેળાપ કરાવ્યું. હાથમાં મનહર વીંટી પહેરવાના બહાને તેમણે આપણી આ પ્રેમમુદ્રા એક સ્વરૂપ છે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. વિજયસેન રાજાએ હસ્તિસમૂહ, અશ્વસમૂહ અને વસ્ત્ર વગેરેથી શંખરાજાને સત્કાર કર્યો. પછી શંખરાના કલાવતીની સાથે પોતાના નગર તરફ ચાલ્યો. હર્ષનાં આંસુઓથી ભરેલા નેત્રવાળે વિજયસેન રાજા દૂર સુધી તેમની સાથે ગયો. પછી કલાવતીને હિતશિક્ષા આપીને તે પાછો વળે. વિજયસેન રાજાની આજ્ઞામાં તત્પર એ દત્ત, બહેન કલાવતીના પ્રેમના કારણે શંખની સાથે ગયે. માર્ગમાં એક રથમાં બેસીને જતા તે બેએ રાત, દિવસ, પક્ષ અને માસ એક ક્ષણની જેમ પસાર કર્યા. ઐરાવણ હાથી ઉપર બેઠેલા ઇંદ્ર અને ઇંદ્રાણીની જેમ હાથી ઉપર બેઠેલા તે બેએ ઘણું આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. પટરાણી કલાવતીની સાથે રાજ્યસુખને અનુભવતા શંખરાજાએ રમતથી (=રમતની જેમ) ઘણે કાળ પસાર કર્યો. એક દિવસ શધ્યામાં રહેલી કલાવતી રાણી સ્વપ્નમાં અમૃતથી પૂર્ણ કળશને જોઈને જાગી ગઈ. પછી તેણે પતિને સ્વપ્નની વાત કરી. હર્ષથી પ્રગટેલા રોમાંચવાળા શંખરાજાએ તે વખતે કલાવતીને કહ્યુંઃ હે ભદ્રા ! તને રાજ્યરૂપી હાથી માટે સ્તંભ સમાન ઉત્તમ પુત્ર થશે. જેમ તામ્રપર્ણી નદી મોતીને ધારણ કરે તેમ ગર્ભ ધારણ કરતી કલાવતી રાણી એ આઠ મહિના અને વીસ દિવસ પ્રસાર કર્યા.
આ પહેલી પ્રસૂતિ પિતાના ઘરે કરે એવો લેકવ્યવહાર હોવાથી વિજયસેન રાજાએ કલાવતીને બોલાવવા પિતાના માણસને મેકલ્યા. જયસેન કુમારે (કલાવતીના ભાઈએ) તે માણસની સાથે બહેનને આપવા માટે જાણે પિતાને મૂર્ત સ્નેહ હોય તેમ વચ સહિત બે બાજુબંધ (બેરખાં) મોકલ્યા. તે માણસે એ વરુ સહિત બે બાજુબંધ પૂર્વને પરિચિત હોવાથી દત્તને આપ્યા. દત્તે માણસને સાથે રાખીને તે વસ્તુઓ કલા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શીપદેશમાલા-ગ્રંથનો વતીને આપી. માતા-પિતાના કુશળતાના સમાચાર સાંભળીને આનંદથી પૂર્ણ બનેલી કલાવતીએ તેમને હર્ષથી સત્કાર કરીને તેમને વિદાય આપી. તે વખતે બંધુસ્નેહના કારણે બાજુબંધને હર્ષથી હાથની બાહુઓમાં પહેરીને સખીઓની સાથે બેઠી. પછી પિતાની બાહુઓમાં બાજુબંધને જોઈને પ્રમોદથી પૂર્ણ અંત:કરણવાળી તે કલાવતી સખીઓની સાથે હસવા લાગી. અંતઃપુરમાં આવતે રાજા હાસ્યને અવાજ સાંભળીને
આ સ્ત્રીઓ શું બોલે છે તે સાંભળું ” એમ વિચારીને ઝરુખાના આંતરામાં રહીને સાંભળવા લાગ્યા. પછી બાહુમાં બાંધેલા બાજુબંધને જોઈ જોઈને કલાવતી સખીઓને ઉદ્દેશીને જાણે પિતાના હર્ષને બહાર કાઢતી હોય તેમ વાણીની રચનાને બહાર કાઢી, અર્થાત, કલાવતી સખીઓની આગળ બેલી. તે આ પ્રમાણે :- અહો ! દીર્ઘ આયુષ્યવાળા તેને મારા ઉપર સ્થિર પ્રેમ છે, જેથી તેણે આ અદ્દભુત બે બાજુબંધ મને આજે મોકલ્યા. ઘણુ કાળ પછી આજે મને તેના હાથે આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે. પણ તે સાક્ષાત્ મળશે ત્યારે મારો જન્મ સફલ થશે સખીઓએ પણ કહ્યું: હે મહાદેવી ! જેમ વિશ્વને આનંદ આપનારા ચંદ્રને કુમુદિની પ્રત્યે ઘણે પ્રેમ હોય છે તેમ તેને તારા ઉપર ઘણે પ્રેમ છે. આ સાંભળીને રાજાને ક્રોધ પ્રદિપ્ત બન્યા. આથી તેણે ક્રૂર વિચારણા કરી. તે આ પ્રમાણે - કલાવતી રાણી ચોક્કસ બીજા જ કઈક પુરુષ વિષે પ્રેમવાળી છે. ચણોઠીની જેમ માત્ર બહારથી જ રાગવાળી અને વાનરની જેમ ચપળ આંખેવાળી આ
એને ધિક્કાર છે કે જેમનામાં પુરુષ આસક્ત થાય છે. તેથી કવચની જેમ માત્ર શરીરમાં જ આસક્ત રહેનારી અને મહાદુઃખ આપનારી અને ત્યાગ કરીશ. આ પ્રમાણે મનમાં વિચારીને રાજા પાછો વળીને જતો રહ્યો. જાણે (ભવિષ્યમાં થનારા) કલાવતીના ત્યાગને જાણીને એ ત્યાગને જેવા અસમર્થ હોય તેમ સૂર્ય રાજાના વિવેકની સાથે અસ્ત પામ્યું. તેથી રાજાની કઈથી પૂર્ણ કરી શકાય તેવી આશાની જેમ અંધકાર ફેલાયો.
રાજાએ ગુપ્તપણે બે ચાંડાલણીઓને આજ્ઞા કરી કે, રાણીને જંગલમાં મૂકીને બાજુબંધ સહિત બે હાથને કાપીને લઈ લેવા, આ અંગે બીજે કંઈ વિચાર કરવો નહિ. બંને રીતે (દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે) કરુણાથી રહિત રાજાએ શમ્યાપાલકને આજ્ઞા કરી કે, કેઈને ખબર ન પડે તે રીતે રાણીને લઈ જઈને જંગલમાં ક્યાંક મૂકી દે. શય્યાપાલક એકલી રણને સંભ્રમપૂર્વક રથમાં બેસાડીને કે ઈ મેટા જંગલમાં લઈ ગયો. પછી તે શેકપૂર્વક કલાવતીની સામે ઊભો રહ્યો અને ગદગદ વાણીથી બેક હે દેવી ! રાજાએ કઈક દેષથી આપને વનમાં મૂકી દેવાની મને આજ્ઞા કરી છે. તેની વાણીને સાંભળીને કલાવતી મૂછ પામી. પછી વનના પવનથી કોઈ પણ રીતે તે ચૈતન્યને પામી. જેમ છેદાયેલા વૃક્ષ ઉપરથી લતા પૃથ્વી ઉપર પડે તેમ તે રથ ઉપરથી પૃથ્વી
Page #238
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૯
ઉપર પડી. તે પિતાને અને ભાઈને વારંવાર યાદ કરવા લાગી. જાણે મૂઈના' કરતી હોય તેમ ઊંચા સ્વરે મુક્તકંઠે રુદન કરવા લાગી. કરુણાથી રહિત હોવા છતાં પેાતાની નિંદા કરતા અને રડતી લાવતીની સાથે રડતા શય્યાપાલક પ્રભાતે લાવતીને છેાડીને પેાતાના નગર તરફ જવા તૈયાર થયા. કલાવતીએ તેને કહ્યું: હે ભદ્રે ! શંખરાજાને મારા સદેશે। આ પ્રમાણે કહેજે. દાસી એવી મારા વિષે જે આચરણ કર્યુ. તે શું આપના કુળને ઉચિત છે ? આપને મારા વિષે જો કોઈ શંકા હતી તેા મારી પાસે દિવ્યેા વગેરે કરાવવા હતા. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમારું કલ્યાણ થાઓ. આંસુએથી ભરેલાં નેત્રાવાળા શય્યાપાલક રાણીને આશ્વાસન આપી રહ્યો હતા તેટલામાં જાણે મૂત (=રૂપી) દોષ હોય તેવી બે ચાંડાલણીએ ત્યાં આવી. આહ ! હું પાપિણી ! પાતાના પતિને છેતરવાનું આ ફૂલ ભાગવ. એમ કહીને તે ચાંડાલણીએએ કલાવતીના બાજુબંધ સહિત બે હાથ કાપ્યા. પછી તે બને ત્યાંથી જતી રહી. પછી એ દુઃખથી (=પતિવિયેાગ અને કરછેદ એ બે દુઃખથી) દુઃખી થયેલી ફ્લાવતીએ ઠપકો આપવાપૂર્વક શ'ખને કહ્યું: હે નાથ ! પાકી ગયેલા ચિભડાની જેમ ફાટી જતા મારા હૃદયનું રક્ષણ કરો. તે વખતે આકુલ થયેલી લાવતી નદીના કિનારે વૃક્ષેાની ઝાડીમાં ગઈ. ત્યાં તેણે તેવા દુઃખમાં પણુ સુખના હેતુ એવા પુત્રને જન્મ આપ્યા. તે મેલી: હે વત્સ ! તું પેાતાનાથી જ સુખી થા, ઘણા દીર્ઘાયુવાળા થા, કારણ કે ભાગ્યે મને તારુ પાષણ કરવામાં અસમર્થ બનાવી છે. હા! ગરીબ કુટુંબમાં પણ પુત્રના જન્મ થતાં ઉત્સવા થાય છે. હું રાજપત્ની હોવા છતાં મને ઉત્સવના લેશના પણ સ`શય છે. આ તરફ તે વખતે જ*ગલની નદીનું મેાટું પૂર જેમ કીડાને તાણી જાય તેમ બાળકને તાણી જવા લાગ્યું. પતિવ્રતા કલાવતી પરમેષ્ઠિનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને ખેલી : જિનશાસનને જીવાડનારી હે શાસનદેવી માતા! જો મે મન-વચન-કાયાની શુદ્ધિથી શીલને નિર્માલ પાળ્યું હોય તેા બાળકના પાલનના ઉપાય અને જલશાંતિ થા. તેથી શીલના પ્રભાવથી ફરી નવા હાથ થઈ ગયા, નદીનુ પાણી શાંત થયું, અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ જેમ હનુમાન સમુદ્રને તરીને આશ્ચર્ય પામ્યા તેમ કલાવતી ત્યાં જાતે શીલની લીલાને જોઈ આશ્ચય પામી.
આ દરમિયાન કાઈ તાપસે ત્યાં આવીને કલાવતીને કહ્યું; હે વત્સા ! પુત્રને જન્મ આપનારી તારે અહીં રહેવું ચેગ્ય નથી. તેથી જ્યાં જીવસમૂહને કાઈનાથી ભય નથી તેવા આશ્રમમાં આવ, આમ કહીને તાપસ તેને કુલપતિ પાસે લઈ ગયેા. પિતા સ્વરૂપ કુલપતિએ તેને ગદ્દગદવાણીથી વૃત્તાંત પૂછ્યો. કૃશ ઉત્તરવાળી તેણે શરમપૂર્વક ધીમે રહીને પેાતાના વૃત્તાંત કહ્યો. કુલપતિએ કહ્યું: હે ભદ્રા ! નિરક ખેઢ ન કર, લક્ષણેાથી હું જાણું છું કે ચાક્કસ તું ફરી કલ્યાણને પામીશ. આ પ્રમાણે કુલપતિથી આશ્વાસન
૧. ગાયનમાં સ્વરાની ચઢ-ઉતરને મૂછના કહેવામાં આવે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શીલપદેશમાલા-ગ્રંથને પમાડાયેલી કલાવતી હર્ષ પામી. પછી પુત્ર સહિત તે ત્યાં તાપસીએની સાથે પિતાના ઘરની જેમ સુખપૂર્વક રહી. આ તરફ ચાંડાલણીઓએ કલાવતીના છેદવાથી દુર્દશાવાળા થયેલા કેણીથી માંડીને કાંડા સુધીના બે હાથોને બાજુબંધ સહિત શંખરાજાને બતાવ્યા. બાજુબંધમાં જયસેનનું નામ જેઈને વ્યાકુળ બની ગયેલા અને નિસ્તેજ મુખકાંતિવાળા રાજાએ દત્તને બોલાવીને પૂછ્યું: શું આજ કાલ દેવશાલનગરથી અહીં કેઈ આવ્યું હતું? દત્તે કહ્યું: હે દેવ ! વિજયસેન રાજાના માણસો જ અહીં આવ્યા હતા. તે માણસની સાથે રાણી માટે જયસેન કુમારે અદ્દભુત બે બાજુબંધ મોકલ્યા હતા. મેં તે બે બાજુબંધ રાણીને આપી દીધા છે. આ પ્રમાણે સાંભળીને દુઃખના કારણે રાજાનું શરીર દુખથી ઘેરાઈ ગયું. આથી જેમ વાથી હણાયેલ હિમાલય પર્વત પૃથ્વી ઉપર પડે તેમ તે સિંહાસન ઉપરથી પૃથ્વી ઉપર પડયો. ચંદન વગેરે ઉપચાર દ્વારા મહાકષ્ટથી ચૈતન્યને પામીને તે પશ્ચાત્તાપ કરવા લાગે. છાતીને કૂટતે તે આ પ્રમાણે બેલ્યો - અહો ! હું કે મૂઢપણે આચરણ કરનાર છું! અહા ! હું કેવો મંદભાગ્યવાળો છું! અહો ! હું વિચારહીન છું! અહો ! હું કેવો નિર્લજજ છું! અહે! હું કે વિદ્વાનમાં અગ્ય છું ! અહો! હું કેવો દુષ્કાર્ય કરનાર છું. ! અહો! હું કે નહિ જોવા લાયક મુખવાળો છું ! અહા ! હું કે અકુલીન છું! આ પ્રમાણે વિલાપ કરતા તેને મંત્રીએએ પૂછ્યું: આ શું છે? લજજા અને પશ્ચાત્તાપપૂર્વક પિકાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હું ક્યાં જાઉં? હું શું કહું? હું ક્યાં પેસી જાઉં? હું શું કરું? હાય! મેં જાતે જ આ આત્માને કષ્ટમાં પાડ્યો છે. હા! કુલાચારને આદર કર્યા વિના, પિતાને ઉચિત શું છે? એને વિચાર કર્યા વિના અને ધર્મને નાશ થશે એને પણ વિચાર કર્યા વિના દુષ્ટાત્મા મેં આ શું કર્યું? જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક અને દૂધમાં પોરા અસંભવિત છે તેમ તેનામાં દેવ અસંભવિત હોવા છતાં મેં કેમ તેનામાં દોષ વિચાર્યો? હા ! મેં ગર્ભવતી પત્નીને નિર્જન જંગલમાં કેમ મકલી? તથા તે પિતાના ઘરે મોકલવાને ગ્ય હોવા છતાં મેં તેને પિતાના ઘરે ન મોકલી. તેથી હું મારું મેટું કેને બતાવું? તથા હવે પ્રાણને ધારણ કરતે હું પિતાનાથી પણ લજજા પામું છું. તેથી કાષ્ઠસમૂહથી એકઠી કરાયેલી ચિતાને તૈયાર કરો કે જેથી હું નારીની હત્યાથી મલિન બનેલા મારા દેહને તેમાં બાળી નાખું. આ પ્રમાણે રાજાની આગ્રહવાળી વાણી સાંભળીને શેકવાળા ગજશેઠ વગેરે નગરજનો અને મુખ્ય મંત્રીઓએ રાજાને આ પ્રમાણે કહ્યું- હે નાથ ! એક તે પોતાના કેઈક કર્મથી રાણી મૃત્યુ પામી અને હવે આપ પિતાના મૃત્યુથી પ્રજાને નાશ કરવાને માટે કેમ ઈચ્છો ? વળી બીજું- હે સ્વામી! જે હમણાં આપને બળી મરવાને આગ્રહ જાગ્રત થશે તે, એટલે કે આપ બળી મરશે તે, જેમ છિદ્રવાળા વૈડૂર્યમણિમાં ગુણો (=રાઓ) પ્રવેશ કરે તેમ આપના રાજ્યમાં શત્રુઓના ગુણ (=લાભ) પ્રવેશ કરશે. તેથી તે વિવેકી ! નિરર્થક આ મૃત્યુની
Page #240
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૩૧ વાતને પણ આપ છોડી દે. અગ્નિમાં શરીરને પતંગિયાઓ હેમી દે, નહિ કે સુભટ. ઇત્યાદિ નગરજનોના અને પ્રધાનોના યુક્તિયુક્ત પણ વચનોની અવગણના કરીને રાજા મરવા માટે વેગથી જંગલ તરફ ચાલ્ય.
સમયના જાણકાર અને (એથી જ) કાલક્ષેપ કરવાની ઈચ્છાવાળા ગજશેઠે મધુરવાણીથી શ્રી શંખરાજાને કહ્યું હે દેવ! જે આપને દેવી મેળવવાની ઈચ્છા હોય તે પુણ્યની વૃદ્ધિ કરે. કારણ કે પુણ્યવૃદ્ધિથી જ પૂર્વે ઉપાર્જન કરેલી મહાન આપત્તિઓ નાશ પામે છે. તેથી અહીં જ ઉદ્યાનમાં શ્રી જિનેશ્વરનું મંદિર છે. તેમાં અચિંત્ય ફલવાળી મૂર્તિની જલદી પૂજા કરવી એ આપના માટે યોગ્ય છે. વળી અહીં ઉદ્યાનમાં અમિતતેજ નામના મહામુનિ રહેલા છે. હમણાં કલ્યાણની ઈચ્છાથી તેમની પણ સેવા કરવી યોગ્ય છે. ગજશેઠના તે સમયને યંગ્ય વચનને સાંભળીને શંખરાજાએ જિનપૂજા કરી. પછી સાધુને વંદન કરીને તેમની સામે બેઠો. વિશિષ્ટજ્ઞાની અને (એથી જ) તેના ભાવને જાણનારા મહામુનિએ મધુરવાણીથી ભવનાશિની દેશના આપી. તે આ પ્રમાણે - પૂર્વકર્મની પરાધીનતાથી પ્રેરાયેલા અને ભ્રાંતિને ધારણ કરનારા જેવો સંસારરૂપી જંગલમાં બ્રાતિને પામેલા હરણની જેમ વ્યર્થ ભમે છે. સંસારમાં જ અહીં સુખ છે અહીં સુખ છે એવી બ્રાતિથી પગલે પગલે દુખના સંબંધવાળા થાય છે, અને પવનથી ઉડાડાયેલા પલાશવૃક્ષના પાંદડાની જેમ ફ્લેશ પામે છે. ખેદની વાત છે કે જેમ વિષયસુખને અભિલાષી જીવ કલ્પવૃક્ષને સેવે છે, તેમ અંત:કરણથી ઉદ્દવિગ્ન બનેલ સંસારી જીવ આ લેકમાં અને પરલોકમાં સુખ આપનાર જિનાજ્ઞાને સેવત નથી. તેથી હે નૃપ ! દુર્લભ આ મનુષ્ય જન્મને પામીને નિરર્થક મૃત્યુ ન પામ. ચેકકસ તું ઘેડા જ કાળમાં કલ્યાણનું ભાજન થઈશ. આ પ્રમાણે મહામુનિની વાણી સાંભળીને રાજા જલદી હર્ષ પામ્યા અને તે રાત્રિએ ત્યાં જ વિશ્રામ કર્યો. રાત્રિના અંતે રાજાએ સ્વપ્ન જોયું. સવારે તે સ્વપ્ન ગુરુની આગળ કહ્યું. તે આ પ્રમાણે – કાચા એક ફળવાળી વેલડી કલ્પવૃક્ષ ઉપરથી નીચે પડી. પૂર્ણ ફળવાળી તે વેલડી ફરી તત્કાલ તે વૃક્ષ ઉપર આરૂઢ થઈ. ગુરુએ કહ્યું નૃપ ! તમે કલ્પવૃક્ષ છે, તમારી પ્રિયા વેલડી છે. તમારી પ્રિયાએ પુત્રને જન્મ આપ્યું છે. તે ફરી તમારી પાસે આવશે. આથી ખુશ થયેલો ઉત્તમ રાજા જલદી નગરમાં આવ્યું.
પછી રાજાએ પાયદળ અને અશ્વોથી સહિત દત્તને રાણીને શોધવાની આજ્ઞા કરી. ચારે બાજુ નજર કરીને એકવૃક્ષથી બીજા વૃક્ષ તરફ અને એકવનથી બીજા વનમાં ભમતા દત્ત જેમ સમુદ્રમાં દ્વીપને જુએ તેમ દૂરથી એક તાપસને જે. જલદી તેની પાસે જઈને દત્તે પૂછયું: હે ભગવંત! આપે દુઃખી થયેલી એકલી કેઈ ને આ વનમાં ક્યાંય જોઈ? તાપસે સામે પ્રશ્ન કર્યો હે ભદ્ર! એ ચીનું તમારે શું કામ છે
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શીલપદેશમાલા ગ્રંથને તે કહે. દર બેઃ અગ્નિમાં પ્રવેશ કરતા રાજાના પ્રાણની રક્ષા કરવા માટે અમારે એ સ્ત્રીનું કામ છે. રાજાની સહાયથી આશ્રમનું રક્ષણ થાય છે એમ માનીને દત્તને પુત્ર સહિત કલાવતી બતાવી. દૂરથી દત્તને જોઈને કલાવતીને શોક પ્રગટ થયે. આથી તે રડી પડી. એ રુદનના પર્વતેમાં પડઘા પડ્યા. પૃથ્વી અને આકાશના અવકાશે (=ખાલી જગ્યાઓ) એ પડઘાઓથી ભરાઈ ગયા. દત્તે કલાવતીને કહ્યું: હે બહેન ! ૨ડ નહિ, પૂર્વભવમાં ઉપજેલા આ કર્મફલને ભગવ્યા વિના જિનેશ્વરો પણ મુક્ત થતા નથી. તેથી તે વિવેકવતી ! ધીરતાને ધારણ કરીને રથ ઉપર આરૂઢ થા, અને તારા પોતાના દર્શનરૂપી અમૃતદષ્ટિથી રાજાને જલદી આશ્વાસન આપ. પશ્ચાત્તાપને પામેલે રાજા જલદી અગ્નિમાં પ્રવેશ કરી રહ્યો હતો. પણ તારા સમાગમની આશાથી આજનો દિવસ તેને કષ્ટથી રોકી રાખે છે. તેથી કુલીન કલાવતી પતિ પ્રત્યે કરુણાથી મન મૂકીને જવા તૈયાર થઈ. જલદી કુલપતિને નમીને કલાવતીએ કુલપતિ પાસેથી વિદાયની રજા માગી. તેથી હિતકાંક્ષી કુલપતિએ તેને આશીર્વાદ આપીને મકલી, પુત્ર સહિત કલાવતી દત્તની સાથે ચાલી. કલાવતી નગરની નજીક આવી ગઈ છે એમ સાંભળીને રાજા તેની સામે ગયો. કલાવતી મળી એટલે આંસુથી યુક્ત નેત્રવાળા રાજાએ મુખ નીચું કરીને કલાવતીને કહ્યું: હે ભદ્રા ! તે વખતે મેં નિર્દોષ પણ તમને વનમાં મોકલીને જે વિડંબના પમાડી તે મારા અપરાધની હે દેવી! તમે ક્ષમા કરો. અતિશય પ્રીતિવાળા રાજાએ આ પ્રમાણે કલાવતીનું સન્માન કરીને આદરપૂર્વક મહોત્સવથી તેને નગરપ્રવેશ કરાવ્યું. નગરની અને અંતઃપુરની સ્ત્રીઓથી પરિવરેલી કલાવતીએ 'જયંત સહિત ઈંદ્રાણની જેમ પોતાના પુત્ર સહિત અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ બારમા દિવસે પોતાના પુત્રનું સ્વપ્નના અનુસારે “પૂર્ણકલશ એવું નામ રખાવ્યું.
' એકવાર કલાવતીએ એકાંતમાં રાજાને પૂછ્યું: હે સ્વામી! મારા ક્યા દેષ થી તમે મને તે દંડ કરાવે? રાજાએ લજજાપૂર્વક કહ્યું: હે ભદ્રા! એકમના ચંદ્રની
સ્નાની જેમ તારામાં સર્વથા અવશ્ય કઈ દેષ નથી. પણ તારા પૂર્વભવે ઉપર્જન કરેલા કર્મષના કારણે મેં તે કાર્ય કર્યું કે જે કાર્ય ચંડાળો પણ ન કરે ! હે પ્રિયા ! તેનું મૂળ કારણ તે તે જયસેનનું નામ લીધા વિના જ બે બાજુબંધની જે પ્રશંસા કરી તે છે. પૂર્વભવનું તારું જે કર્મ છે તે કર્મને પણ હમણાં નગરના ઉદ્યાનમાં રહેલા અમિતતેજ નામના મુનિને પૂછીને જાણી લઈશું. તેથી મુનિને વંદન કરવાની ઈચ્છાથી કલાવતીની સાથે પરિવારસહિત રાજા નંદન ઉદ્યાનમાં ગયે. ઉદ્યાનમાં જિનમૂર્તિ પ્રત્યે સદભક્તિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી. પછી તે બંને મુનિને
૧. જયંત ઈદ્રાણીને પુત્રનું નામ છે. ૨. કલાવતીએ સ્વપ્નમાં અમૃતથી પૂર્ણ કળશ જોયો હતો.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ગુજરાતી ભાવાનુવાદ વંદન કરીને મુનિની આગળ બેઠા. દેશના પૂર્ણ થયા પછી રાજાએ અંજલિ જોડીને મુનિને પૂછયું: હે ભગવંત! કલાવતીએ પૂર્વભવે એવું કહ્યું કર્મ કર્યું કે જેથી તે નિર્દોષ હોવા છતાં મેં તેના બે હાથ કપાવ્યા. જ્ઞાનરૂપી ચક્ષુથી જાણીને મુનિએ કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે –
મહાવિદેહક્ષેત્રમાં મહેન્દ્ર નામનું નગર હતું. તેમાં સુંદર પરાક્રમવાળે નરવિક્રમ નામનો રાજા હતા. લીલાવતી નામની તેની પત્નીએ સુચના નામની પુત્રીને જન્મ આપ્યો. તે કન્યા બાલ્યકાળથી જ ધર્મરસિક અને કૌતુકપ્રિય હતી. તે માતા-પિતાના અતિશય પ્રેમનું પાત્ર હતી અને કલાસમૂહનું મંદિર હતી. ક્રમે કરીને તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા એ બે અવસ્થાની સંધિરૂપ ઉત્તમ વયને પામી. એકવાર તે પિતાના ખોળામાં બેઠી હતી ત્યારે કેઈએ મનહર ઉત્તમ પોપટ ભેટ આપ્યો. પછી કુતૂહલી રાજાએ પોપટને હાથમાં લઈને બોલાવ્યો. પોપટ જમણે હાથ ઊંચા કરીને આશીષવચને બેભે. તે આ પ્રમાણે - હે નૃપ કુરાયમાન થતા શત્રુરૂપી અંધકાર પક્ષને નાશ કરનાર, રાજારૂપી ચંદ્રના તેજની વૃદ્ધિ કરનાર અને વિશ્વને પ્રકાશિત કરનાર આપનો પ્રતાપરૂપી સૂર્ય શોભા પામો. ખુશ થયેલા રાજાએ ઉત્તમ પોપટ લાવનારને પોતાના શરીરના અલંકારો આપી દીધા. પછી તેણે ઉત્તમ તે પોપટ પોતાની પુત્રીને પ્રેમથી આપે. જેમ દરિદ્રી માણસની પુત્રી મોદકને મેળવે તેમ ખંજન પક્ષીના જેવા નેત્રવાળી સુચનાએ તે ઉત્તમ પોપટને મેળવીને ઘરે જઈને તે પોપટને સેનાના પાંજરામાં પૂર્યો. સાકરના ટુકડા, ચોખા અને દાડમનાં ફલોના ભોજનથી અને દ્રાક્ષ વગેરેના પાણીથી હર્ષપૂર્વક તેનું પોષણ કરતી હતી. સુલોચના તેને ક્યારેક હાથમાં રાખીને, ક્યારેક છાતીએ રાખીને, ક્યારેક ખોળામાં રાખીને અને ક્યારેક પાંજરામાં રાખીને તેની પાસે બોલાવતી હતી અને એ રીતે તેને ગમ્મત કરાવતી હતી. જેમ ભેગી માનસિક એકાગ્રતાને ન મૂકે તેમ સુચના તેને ભોજનમાં, શયનમાં, રાજસભામાં, વાહનમાં, વનમાં કે ઘરમાં મૂકતી ન હતી, અર્થાત્ તેને બધા જ સ્થળે પોતાની સાથે રાખતી હતી. વસંતઋતુમાં એકવાર સુચના અનેક સખીઓની સાથે પાંજરામાં રહેલા પોપટને લઈને પોપટના જેવા રંગવાળા ઉદ્યાનમાં ગઈ. ત્યાં શ્રી સીમંધરસ્વામીને વંદન કરવા માટે તેણે જિનમંદિ૨માં પ્રવેશ કર્યો. પોપટે પણ શ્રીવીતરાગને જોઈને મનમાં વિચાર્યુંમેં આ પૂર્વે ક્યાંક જેયું છે, આવું બિંબ મેં પૂર્વે ક્યાંક જોયું છે. આ પ્રમાણે ઘણા કાળ સુધી અનેક તર્ક-વિતર્ક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે વિચાર્યું કે, પૂર્વભવમાં હું સુગતિની પ્રાપ્તિનું જામીન (સાક્ષી) એવું ચારિત્ર પામ્યું હતું. ચારિત્ર પામ્યા પછી ક્ષપશમથી સર્વશા ભર્યો, પણ ભણવામાં જ બુદ્ધિવાળા મેં ચારિત્રની ક્રિયાઓ સર્વથા ન કરી. વસ્ત્ર, પુસ્તક અને પાત્ર વગેરેમાં હું મૂછ કરતે હતો અને એથી ૩૦.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શીલપદેશમાલા ગ્રંથો તરવને જાણનારી મારી બુદ્ધિ આનંદિત થતી હતી. જ્ઞાન દ્વારા પરોપકાર કરવા છતાં હું જ્ઞાનને નિરર્થક હારી ગયે. વ્રતને વિરાધીને અંતસમયે નિરર્થક વ્રતની શુદ્ધિ ન કરી. મરણ પામીને આ જંગલમાં હું ઉત્તમ પોપટ થયે. નજીકના કાળમાં જ (=પૂર્વ ભવમાં) ભણેલા શાસ્ત્રજ્ઞાનના બળથી હું તિર્યંચના ભાવમાં પણ ભણનારે અને વાણીમાં કુશળ થયે. તેથી હાથમાં જ્ઞાનરૂપી દીપક પ્રાપ્ત થવા છતાં પુણ્યરહિત હું ચારિત્રમાર્ગની વિરાધના કરીને તિર્યંચગતિમાં જન્મરૂપ સમુદ્રમાં શા માટે ડૂબી ગયો ? હવે પછી હું સદા આ નાથને વંદન કરીને જ ભેજન લઈશ એ આ નિયમ મારે આ ભવમાં પણ હો. સુચના પણ તીર્થકરને ભક્તિથી નમીને અને પૂજીને પાંજરાસહિત પોપટને લઈને પોતાના મહેલમાં આવી. એકવાર (= જન સમયે) રાજકન્યા સુલોચના પોપટને હાથમાં લઈને જેટલામાં જમવા બેઠી તેટલામાં પોપટ પોતાના નિયમને યાદ કરીને “નમો અરિહંતાણું” એમ બેલીને આકાશમાર્ગો ઉડી ગયો અને તીર્થકરને વંદન કરવા મંદિરમાં ગયે. મનવચન-કાયાની શુદ્ધિથી પોતાની ઈચ્છા પ્રમાણે શ્રી સીમંધર ભગવાનને વંદન કર્યું. પછી ખુશ થયેલ તે ફળોને આહાર કરીને ઉદ્યાનમાં ફરવા લાગ્યા. આ તરફ રાજપુત્રી પોપટના વિગથી આકંદન કરવા લાગી. આથી સુભટે પોપટને પકડવા માટે ગરુડ પક્ષીની જેમ દેડડ્યા. વૃક્ષની ડાળી ઉપર ગુસપણે બેઠેલા તેને જલદી પાશથી બાંધીને સુભટો કન્યાની પાસે લઈ ગયા. રાજપુત્રીએ તેને હાથમાં લઈને પ્રેમવાળા અવ્યક્તવચનથી કહ્યુંઃ માતાતુલ્ય મને છોડીને તું જ રહ્યો એથી હું તારા ઉપર વિશ્વાસ કરતી નથી. આ પ્રમાણે કહીને રાજપુત્રીએ તે ઉડી ન શકે એ માટે ધથી તેની પાંખો જલદી કાપી નાખી. જેમ દુષ્ટ આચરણથી ઉપાર્જન કરેલાં કર્મો જીવને અપાર સંસારરૂપી સાગરમાં રાખે છે તેમ રાજપુત્રીએ તેને પાંજરામાં પૂરી દીધો. પોપટ પણ વિચારવા લાગ્યો કે, પરાધીનતાના દુઃખને ધિક્કાર થાઓ ! હા ! તે વખતે મૂખે મેં સ્વાધીન પણ સંયમની ક્રિયા ન કરી. તેથી હે જીવ! હમણું ગાઢ વેદનાને સહન કર. પાપકર્મના ઉદયવાળા તને જિનમુખને જોવાનો અવસર ક્યાં મળવાનું છે? આ પ્રમાણે ચિંતાના સંતાપમાં ડૂબેલે, હારી ગયેલાઓમાં અગ્રેસર અને વિરાગી તેણે જાણે કર્મના અણુઓને મૂકતે હોય તેમ આંસુઓને મૂક્યા. પછી તે અનશનથી કેટલાક દિવસે મરીને સૌધર્મદેવલોકમાં અતિશય અને અનુપમ વિલાસવાળા દેવ થયે. સુચના પણ પોપટના (વિયેગના) દુઃખથી અનશનપૂર્વક મૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં તેની પ્રિયા થઈ. તે બંને સુખ ભોગવવા લાગ્યા. હે નૃપ ત્યાંથી ચેવેલે પોપટને જીવ તું શંખ નામનો રાજા થયેલ છે, અને સુલોચનાને જીવ આ કલાવતી થયે છે. પૂર્વભવમાં કલાવતીએ પોપટ બનેલા તારી જે પાંખો છેદી તે કર્મના વિપાકથી તે એના બે હાથ કપાવ્યા. સર્વ પ્રકારના શુભ કે અશુભ કર્મનું ફલ અવશ્ય દશ પ્રકારે કે ઘણા પ્રકારે (=દશગણું કે અનેકગણું). થાય છે. આ સાંભળવાથી જાતિસ્મરણને પામીને તે બંને સંયમને સ્વીકાર કરવા તૈયાર
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૫
ગુજરાતી ભાવાનુવાદ થયા. સાધુને વંદન કરીને બંને ઘરે ગયા. પૂર્ણકળશ નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તે બંનેએ અમિતતેજ ગુરુની પાસે દીક્ષા લીધી. ઘણું કાળ સુધી ચારિત્રને પાળીને તે બંને સારા (=વૈમાનિક) સ્વર્ગને પામ્યા. ત્યાંથી ચેવેલા તે બંને અશુભ કર્મના અણુઓનો (સર્વથા) ક્ષય કરશે, પછી ક્રમે કરીને મોક્ષને પામશે. [૫]
કેટલીક મહાસતીઓ ગૃહવાસમાં રહેતી હોવા છતાં તેમનો શીલપ્રભાવ મહર્ષિ ને પણ સ્તુતિ કરવા લાયક બને છે એમ જણાવે છે –
सीलवइनंदयंती-मणोरमारोहिणी पमुक्खाणं
रिसिणोवि सया कालं, महासईण थुणंति गुणे ॥५६॥ ગાથાર્થ :- શીલવતી, નંદયંતી, મનોરમા અને રોહિણી આદિ મહાસતીઓ જય પામે. જન્મથી બ્રહ્મચારી મહર્ષિઓ પણ તે મહાસતીઓના ગુણેની સદાકાલ પ્રશંસા કરે છે.
ટીકાથ - અહીં “આદિ શબ્દથી જેમને પ્રભાવ લોકમાં વ્યક્ત (=પ્રસિદ્ધ) નથી તેવી લક્ષમાં લેવા લાયક પતિવ્રતા સ્ત્રીઓ ઘણી છે એમ જણાવ્યું છે. આ ગાથાને ભાવાર્થ દષ્ટાંતોથી જાણવો. તેમાં પહેલાં શીલવતીનું દષ્ટાંત વિસ્તારવામાં આવે છે. તે આ પ્રમાણે છે :
શીલવતીનું દૃષ્ટાંત જબૂદ્વીપ નામના કપરૂપી મુગુટમણિને શોભાવનાર નંદનવન નામનું ઉત્તમ નગર હતું. તેમાં રહેલી હવેલીઓના ઉપરના ભાગમાં ઉછળતે કાંતિસમૂહ જાણે કે આકાશમાં રહેલા ચંદ્ર ઉપર હસી રહ્યો છે અને એથી ચંદ્ર ક્ષીણ થતું જાય છે. તેમાં અરિમર્દન નામનો રાજા હતા. તે રાજાને ઘણી અને ઉત્તમ કાંતિને ધારણ કરતે યશરૂપી ચંદ્રને ઉદય વિશ્વરૂપી મંડપમાં શોભી રહ્યો હતે. તે નગરમાં રાજાને માન્ય અને સદાચારી રત્નાકર નામને શેઠ હતા. તે શેઠની દેષરહિત ગુણેના ઉદયવાળી શ્રી નામની પત્ની હતી. ભવિષ્યમાં સુખનું કારણ એવા શ્રાવકધર્મનું નિરાબાધપણે પાલન કરતે તે ઘણે સમય થવા છતાં પુત્રના વિસ્તારને પામે નહિ. પુત્રના અભાવને કારણે મહાદુઃખથી દુઃખી થયેલી અને શિષ્ટાચારનું પાલન કરનારી શ્રીએ એકવાર શેઠને કહ્યું: હે સ્વામી! નગરના ઉદ્યાનમાં અજિતનાથના મંદિરની આગળ પ્રગટ મહાશક્તિવાળી અજિતબલા નામની દેવી છે. સેવા કરાયેલી તે દેવી પુત્ર વિનાઓને પુત્ર, ધન વિનાઓને ધન અને દુર્ભાગીઓને સૌભાગ્ય આપે છે. તેથી હે આર્યપુત્ર! તમે તે દેવી પાસે પુત્રની માગણી કરી. પુત્ર માટે તે પોતાના પ્રાણ પણ ભેટ ધરવામાં આવે છે. શેઠે તે પ્રમાણે દેવીની આરાધના કરી. તેમને ઉત્તમ પુત્ર થયે. પોતે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શીલપદેશમાલા ગ્રંથને આરાધેલી ક્રિયાઓ કાળે કરીને ભાગ્યેગથી ફળે જ છે. જન્મનિમિત્તે ઉત્સવ કર્યા પછી બારમા દિવસે તેનું દેવીના પ્રભાવનું સૂચન કરતું “અજિતસેન” એવું નામ પાડયું. કમે કરીને તે બાલ્યાવસ્થાને ઓળંગીને યૌવનની શોભાને પામ્યો. જાણે સ્પર્ધાથી હાય તેમ સરસ્વતી અને કાંતિ એ બંનેએ તેને આશ્રય લીધો. તેથી જેમ બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રાર્થના સંદેહની ચિંતા(=વિચારણા) કરે તેમ રત્નાકર શેઠ પુત્રને અનુરૂપ કન્યા માટે ચિંતા કરવા લાગ્યા. જે આ મારો પુત્ર પિતાના ગુણોથી તુલ્ય કન્યાને ન પામે તે ચોક્કસ વિધાતાની મહેનત વ્યર્થ બને. કારણ કે સેવકના ગુણને ન જાણી શકે તે સ્વામી, પરાધીનતા, અવિનીત સેવક અને દુષ્ટભાર્યા આ ચાર જીવને મનના શલ્ય છે.
આ તરફ રત્નાકર શેઠે જ પૂર્વે વેપાર માટે મોકલેલ કોઈક વણિકપુત્ર તેની પાસે આવીને બેઠે. શેઠે તેને વેપારની વિગત પૂછી એટલે કુશળ તેણે લાભ–હાનિ વગેરે બધું જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. વિશેષ વિગત જણાવતાં વણિકપુત્રે કહ્યું કે, હું મંગલ કરનારી મંગલા નામની મહાન નગરીમાં ગયે. ત્યાં મેં જિનદત્ત નામના શેઠની સાથે વેપાર કર્યો. એકવાર તે શેઠે મને ભોજન માટે પ્રાર્થના કરી. આથી હું તેના ઘરે જમવા ગયે. ત્યાં મેં જાણે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી દેવી હોય તેવી એક કન્યાને જોઈ મેં શેઠને પૂછયુ: આ કોણ છે? તેથી આશ્ચર્યયુક્ત મનવાળા શેઠે ઉત્તર આપેઃ જાણે શરીરધારી ચિંતા હોય તેવી આ મારી પુત્રી છે. કારણકે, આને ઉત્તમ વર મળશે કે નહિ? આ તેના પતિને ગમશે કે નહિ? આ પિતાના ગુણથી સસરા વગેરેને ખુશ કરશે કે નહિ? આ શીલનું પાલન કરશે કે નહિ? એને પુત્ર થશે કે નહિ? અથવા એના સસરા વગેરે વર્ગને કેવી રીતે સંતેષ પમાડી શકશે ? એની શક્યો ન થાઓ, દેરાણી-જેઠાણીએ એને દેશ ન આપો, આ પ્રમાણે પિતાના ઘરમાં જાણે રૂપધારી ચિંતા હોય તેવી કન્યા મેટી થાય છે. આ મારી કન્યા ગુણરૂપી માણેકરત્નની રહણુપર્વતની તળેટી છે. પક્ષીના શબ્દ સુધી સર્વ પ્રકારના જીની ભાષાને જાણવામાં કુશલ છે. શીલવતી નામની આ કન્યા રૂપ, કળા અને ગુણથી પ્રસિદ્ધ છે. આથી એને એગ્ય જમાઈ માટેની ચિંતા મને અતિશય દુઃખી કરે છે. મેં તે શેઠને કહ્યુંહે દેવ! ચિંતા ન કરો. નંદનવનપુરમાં રત્નાકરશેઠને પુત્ર અજિતસેન આ કન્યાને યોગ્ય વર છે. જિનદત્ત શેઠ બોલ્યાઃ હે ભદ્ર! તે બહુ સારું કહ્યું. વરની ચિંતારૂપી સમુદ્રમાં ડૂબેલા મારો આજે તેં ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે કહીને અજિતસેનને શીલવતી પુત્રી આપવા માટે પોતાના જિનશેખર નામના પુત્રને મોકલ્યા છે. બુદ્ધિને ભંડાર તે પણ મારી સાથે અહીં જ આવે છે. તેથી હે શ્રેણી ! જે કરવા જેવું હોય તે મને કહે. શેઠે કહ્યુંઃ હે મહા ભાગ્યવંત! તે સુંદર ઉપકાર કર્યો. મને આજ સર્વ લાભથી અધિક લાભ થઈ ગયું. પછી રત્નાકર શેઠે શ્રેષ્ઠિપુત્ર
Page #246
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૩૭ જિનશેખરને સત્કારપૂર્વક પોતાના ઘરે) બેલાવ્યું. જિનશેખરે બહેન શીલવતી અજિતસેનને હર્ષથી આપી. અજિતસેન પણ જિનશેખરની સાથે જ મંગલાનગરીમાં ગ. શીલવતીને પરણીને ઘણું સમૃદ્ધિ સાથે પોતાના ઘરે ગયે. જાણે ઘરની લક્ષમી હોય તેવી અને પોતાના કુલ માટે અમૃતની નીક સમાન શીલવતીની સાથે અજિતસેને ત્રિવર્ગના સારભૂત ગૃહસ્થ ધર્મનું ઘણુ કાળ સુધી પાલન કર્યું.
એકવાર સતી શીલવતી રાતે શિયાળવીનો અવાજ સાંભળીને મસ્તકે ઘડો મૂકીને ઘરમાંથી બહાર નિકળી. જેમ કામિસ્ત્રી વૃદ્ધ પુરુષનો ત્યાગ કરે તેમ નિદ્રાથી દૂરથી ત્યાગ કરાયેલ શીલવતીના સસરાએ તે વખતે તે મહાસતીને ઘરમાંથી નીકળતી જોઈ. વિકલ્પરૂપી સમુદ્રમાં ડૂબેલા તેણે મનમાં આ પ્રમાણે વિચાર્યું - હું આ લક્ષણોથી આ વહુને કુશીલ સમજું છું. સારા કુળમાં ઉત્પન્ન થયેલી પણ ઘણું રાગના તરંગેથી યુક્ત સ્ત્રીઓ પ્રાયઃ નદીની જેમ નીચે જનારી જ થાય છે. સ્વાર્થમાં તત્પર આ સ્ત્રીઓ બહારથી જ મને હર હોય છે. અંદરથી તે સોનાની છુરીની જેમ અતિશય ભયંકર હોય છે. શીલવતી નિંદા નહિ કરવા યોગ્ય કંઈક કામ કરીને ઘડાને મૂકીને દેઈ પણ જાતને વિકલ્પ કર્યા વિના ફરી પોતાની શય્યામાં સૂઈ ગઈ. જેમ પાણીમાં તુંબડું સ્થિરતાથી તરે તેમ સેંકડો ચિંતામાં પડવાના સ્વભાવવાળી ધીરતાથી યુક્ત અને ઉત્સુક બનેલા શેઠે થડી રાત બાકી રહી ત્યારે પત્નીને કહ્યું: શીલ અને ગુણેથી મહાન હે પ્રિયા ! તને વહુ ( પુત્રવધૂ ) કેવી લાગે છે? પનીએ કહ્યુંઃ બધું કુલની મર્યાદાને
કરે છે. શેઠે કહ્યું: પિતાને જાણકાર માનનારી હે પ્રિયા ! તારી બુદ્ધિ અંતર્મુખી બુદ્ધિ નથી, અર્થાત્ તું ઊંડાણથી વિચારતી નથી. કારણ કે મેં આજે રાતે વહુને એકલી ક્યાંક કીડા કરવા માટે ગયેલી જોઈ છે. સમસ્ત પ્રમાણેથી તે પ્રત્યક્ષ પ્રમાણુ જ બલવાન છે. તેથી વહુને ચંદ્રના શરીરની જેમ કલંકવાળી જા. આ તરફ અજિતસેન પણ પિતાના ચરણેને નમવાની ઈચ્છાથી ત્યાં આવ્યો. શેઠે તેને ખેદપૂર્વક કહ્યુંઃ હે પુત્ર! અહીં હું શું કહું? વિધાતાએ આપણા ઘરના આંગણામાં દિવ્ય વેલડી રોપી. પણ તેનાથી તે સહન ન થયું. કારણ કે તેવા (=ઉત્તમ) કુળમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં અને ગુણવંતી હોવા છતાં આ વહુ સમવલ્લી નામની લતાની જેમ વક્રતાને ધારણ કરે છે. અજિતસેને પણ શરમપૂર્વક કહ્યુંઃ જિન ધર્મમાં તત્પર પણ આ જ દુષ્ટ આચરણ કરે છે તે તે સર્વ ગુણે નાશ પામેલા જાણવા. હે પુત્ર! હું જાણું છું કે વહુ આપણા કુલમાં કપલી જેવી હતી. પણ હમણાં
૧. નદીના પક્ષમાં ઘણું પાણીના તરંગોથી યુક્ત એવો અર્થ થાય.
૨. અહીં તુંબડું અને શેઠ એ બેમાં સ્થિરતાની (ધીરતાની) સરખામણી કરી છે. જો તુંબડું થિર ન રહે તે પાણીમાં ડૂબી જાય, સ્થિર રહે તે જ પાણીમાં તરી શકે. એટલે જેમ તુંબડું પાણીમાં તરવામાં સ્થિર છે તેમ શેઠ ચિંતામાં પડવામાં ધીર=સિથર છે, અર્થાત્ ચિંતાઓથી જરાય કંટાળતા નથી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શપદેશમાલા ગ્રંથને જેવાયેલ દોષવાળી તે વિષવેલીથી ચઢિયાતી છે. જેમનું શીલ સ્વાર્થના જ કારણે વિદ્યુત લતાના જેવું ચંચળ છે તે સ્ત્રીઓમાં જીવના શ્વાસની જેમ શે વિશ્વાસ રાખી શકાય? કહ્યું છે કે- શીલત્યાગમાં તત્પર બનેલી સ્ત્રીઓ પતિના ગુણોથી બાંધી શકાતી નથી, પરીક્ષકોથી પારખી શકાતી નથી અને ધનથી રાખી શકાતી નથી. શાસ્ત્રોમાં સંભળાય છે અને લોકમાં કહેવાય છે કે કામથી વિહત સ્ત્રીઓ દુરાચારને સેવે છે. આ વહુ આજે રાતે પાણી લાવવાના બહાને ક્યાંક ગઈ અને એક પહોરમાં તે પાછી આવી ગઈ. તે વખતે હું જાગતો હતો. માટે આ વહુને દુરાચારવાળી અને ત્યાગ કરવાને ગ્ય જાણુ. માતા-પિતાની આજ્ઞાને આધીન રહેનાર અજિતસેન “તેમ હો” એમ કહીને ત્યાંથી ગયે.
શેઠે સવારે અસત્ય બેલીને શીલવતીને કહ્યું હે પુત્રી ! તને મળવાને ઉત્સુક તારો, પિતા તને બેલાવે છે. રાત્રિના તે વિકલ્પને જાણીને કુશળ શીલવતીએ વિચાર્યું: સાચું સેનું શું પરીક્ષામાં કંપે છે? રત્નાકર શેઠ સ્વયં રથ તૈયાર કરીને અને મંગલ કરીને શીલવતીની સાથે મંગલાનગરી તરફ ચાલ્યો. માર્ગમાં નદી આવતાં શેઠે શીલવતીને કહ્યુંઃ હે પુત્રી ! પગના જોડાને ઉતારીને પાણીમાં ચાલ. અંતરમાં કંઈક વિચારીને જેડાને વિશેષથી પહેર્યા અર્થાત્ જેડાને મજબૂત પહેરીને નદી ઉતરી. આથી પહેલેથી (બેટી શંકારૂપ) પાપને ધારણ કરનાર શેઠે તેને અવિનીત માની. આગળ જતાં મગના ખેતરને ફળવાળું જોઈને શેઠે કહ્યું: અહ! ધાન્યરૂપી લક્ષમી ખેતરના માલિકના હાથમાં જ રહેલી છે. વહુએ કહ્યુંઃ આપ કહે છે તે સત્ય છે, પણ જે તે ધાન્ય માલિકના હાથમાં આવે એ પહેલાં બીજાઓ એને ખાઈ ન જાય તે. શેઠે વિચાર્યું. આ સંબંધ વિનાનું બેલનારી, પણ છે. આથી મેં એના વિષે એના પ્રતિકૂલ આચરણને અનુરૂપ કર્યું છે. એમ વિચારીને આનંદ પામેલા શેઠે ઉતાવળથી રથને ચલાવ્યું. આગળ જતાં સમૃદ્ધિથી કુબેરની નગરી જેવું, રંગ-રાગવાળું અને લોકોથી ભરેલું નગર જોઈને શેઠે માથું ધુણાવીને તે નગરની પ્રશંસા કરી. વ્યાપક બુદ્ધિવાળી શીલવતીએ કહ્યું આ નગર સારું છે, પણ ઉજજડ ન થાય તે શેઠે વિચાર્યું ઉલ્લંઠ ભાષા બેલનારી આ વહુ મારા ઉપર પણ હસે છે. આગળ જતાં ઘણું પ્રહારથી જર્જરિત થયેલા સુભટને જોઈને શેઠે સારું સારું એમ તેના પરાક્રમની પ્રશંસા કરી. સુભટને જોઈને જેમ વસંતઋતુમાં કેયલ મધુર બોલે તેમ વહુ મધુર વાણીથી બોલી: આ બિચારે કાયર છે. એથી એને સારી રીતે કુટયો છે. શેઠે વિચાર્યું દુષ્ટ આચરણ કરનારી આ ચેકસ હું જે કહું તેનાથી ઉલટું કહેનારી છે. જેથી તેણે પ્રત્યક્ષ વિષયમાં પણ ઉન્મત્તની જેમ વિરુદ્ધ અર્થ કહ્યો. આ પ્રમાણે વિચારતો અને શીલવતીને ત્યાગ કરવાની પોતાની પ્રવૃત્તિની અનુમોદના કરતે શેઠ રસ્તામાં ક્યાંક વડલાના વૃક્ષની નીચે બેઠે. સ્થિર બુદ્ધિની પ્રભાવાળી વહુ પણ વડની છાયાને છોડીને ઘણું દૂર તડકામાં અને ઓઢીને બેઠી. શેઠે તેને કહ્યુંઃ હે જિનદત્ત શેઠની પુત્રી ! છાયામાં બેસ. સાંભળીને પણ નહિ સાંભળનારની જેમ ઉપેક્ષા કરીને તે રહી. શેઠે
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ગુજરાતી ભાવાનુવાદ વિચાર્યું અહો ! પ્રતિકૂળ આચરણવાળી આ કુશિષ્યની જેમ ઉપેક્ષાને યોગ્ય છે. આમ શીલવતીની ઉપેક્ષા કરીને પોતે વડલાની છાયામાં સુખપૂર્વક બેઠે. પછી શેઠ ત્યાંથી ચાલ્યા. આગળ જતાં ક્યાંક નાના ગામડામાં જલદી તૂટી જાય એવી ત્રણ ચાર ઝુંપડીએ જોઈને શેઠે ગામડાને ખરાબ હાલતવાળું કહ્યું. તેથી બુદ્ધિમાન મનુષ્યમાં ઉત્તમ શીલવતી કંઈક વિચારીને મોટા અવાજે બેલીઃ આ સ્થાન જનસમૂહથી ભરેલું છે. ખિન્ન બનેલા શેઠે ચિત્તમાં વિચાર્યું: વિપરીત શિક્ષાવાળા અશ્વની જેમ આ વહુ બધી રીતે ઉલટી છે. શેઠે જેટલામાં આમ વિચાર્યું તેટલામાં શીલવતીને માને ત્યાં આવ્યું. તે શેઠને આદરપૂર્વક પોતાના ઘરે લઈ ગયે અને ભોજન વગેરેથી તેની ભક્તિ કરી. તેણે શેઠને રેકાવાને આગ્રહ કર્યો. પણ શેઠ તે જવાની જ ઉત્કંઠાવાળા હતા. શીલવતીના મામાએ તેને વસ્ત્ર વગેરેથી સત્કાર કર્યો. શેઠ વહુની સાથે આગળ ચાલ્યા.
જંગલમાં આવેલા શેઠે રથને વૃક્ષની છાયામાં રાખે. ભોજન કર્યા પછી થાકેલા શેઠ ક્ષણવાર રથ ઉપર સૂતા. ત્યાંથી પિતાનું ઘર નજીકમાં છે એમ જાણતી, શુભ આચારવાળી અને પોતાના કાર્યની પ્રાપ્તિથી (=પોતાનું કાર્ય હવે સિદ્ધ થશે એથી) હર્ષ પામેલી વહુ જમવા બેઠી. આ વખતે કેરડાના વૃક્ષના ગુચ્છ ઉપર બેઠેલે કાગડે બોલવા લાગ્યો. તેની ભાષાને જાણીને શીલવતીએ કહ્યું: અરે! કકળાટ કેમ કરે છે ? આ સાંભળીને શેઠે વિચાર્યું: વાચાળ અને દુરાચારવાળી આ અહીં મનુષ્ય કેઈન હોવાથી પક્ષીઓ સાથે પણ બોલે છે. 'કરંબાને જેવામાં ઉત્કંઠ કાગડો અતિશય બોલી રહ્યો હતું ત્યારે અવસરને વિચારીને શીલવતીએ નિઃશંકપણે મોટેથી કહ્યું હે કાગ ! એક દુર્તીતિથી હું પતિથી છૂટી પડી. હવે જે બીજી દુનતિ આચરવામાં આવે તે હું મારા માતા-પિતાને પણ ન મળી શકું. જાગતા શેઠે ગૂઢ અભિપ્રાયવાળા આ વચનને સાંભળીને શીલવતીને કહ્યુંઃ હે પુત્રી ! દુનતિથી એમ કેમ બોલે છે? શીલવતી બોલીઃ હે સસરાજી! હું તદ્દન સાચું જ કહું છું. કારણ કે ચંદનની જેમ મારા ગુણે જ દેષ માટે થયા છે. પુષ્પસમૂહ વૃક્ષની ડાળનો ભંગ કરે છે. પીછાંઓના ભપકાના કારણે મેરની ગતિ મંદ થાય છે. એથી પીછાંઓને ભપકો મેરના વધ માટે થાય છે. સુંદર ચાલવાળા ઉત્તમ અશ્વ બળદની જેમ ભાર વહન કરાવાય છે, ગુણવાન માણસમાં પ્રાયઃ કરીને આ ગુણે વૈરી થાય છે. મૂઢ મેં બાલ્યાવસ્થામાં બંધુના આગ્રહથી સર્વ શાસ્ત્રોમાં મુખ્ય પક્ષીત નામના શાસ્ત્રનો અભ્યાસ કર્યો. જેમ ગાડિકની વાણીથી સર્પથી ફંસાયેલ માણસ ક્ષણવારમાં ઊભે થાય તેમ શેઠ ક્ષણવારમાં રથમાંથી ઊભા થઈને જલદી શીલવતીની પાસે
૧. દહીં અને ભાતના મિશ્રણથી થતી એક ભોજનની વાનગી. તે સમયે શીલવતી કરંબો ખાઈ રહી હતી. માટે કાગડો કરંબાને મેળવવાની આશાથી કરબાને જોવામાં ઉકંઠ હતા.
૨. ચંદનમાં શીતલતા અને સુવાસ વગેરે ગુણે છે, આથી તે ઘસાય છે, કપાય છે. આથી તેના ગુણો દેષ માટે થાય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
२४०
શીલોપદેશમાલા ગ્રંથને,
ગ. શીલવતી બેલીઃ હે સસરાજી! તે વખતે રાતે આપ જાગતા હતા ત્યારે ભાગ્યહીન હું શિયાળવીને અવાજ સાંભળીને ઊભી થઈ. ઘડો લઈને હું નદીએ ગઈ ઘડાથી હું નદી તરીને સામે કિનારે ગઈ. પછી જલમાંથી મડદું ખેચ્યું. એ મડદું મેં શિયાળવીને આપ્યું. તે મડદાની કેડમાં બાંધેલા અમૂલ્ય આભૂષણોને લઈને ઘડામાં નાખીને હું જલદી પિતાના ઘરે આવી. એ આભૂષણને મેં પૃથ્વીમાં દાટી દીધા. તે આભૂષણે તે પ્રમાણે જ રહેલા છે. આ દુર્નતિથી હું આટલી પૃથ્વી સુધી આવી. હમણું કરંબની માગણી કરતો આ કાગડે કહે છે કે, કરીર વૃક્ષના મૂળની નીચે દશ લાખ સોનામહોર છે. તેથી હું કહું છું કે હે કાગ ! ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અહીં અશુભ ફલવાળું આ વચન ફરી ફરી મને ન કહે. તેથી સંભ્રમપૂર્વક કાનને હલાવતા (=મસ્તકને ડોલાવતા) વૃદ્ધે પૂછયું: હે પુત્રી ! શું આ સાચું છે? શીલવતીએ જવાબ આખે આમાં શે સંશય છે? અર્થાત્ આ સાચું છે. તેથી વૃદ્ધે યુવાનની જેમ કેડ બાંધીને હાથમાં જેમ કમલ ગ્રહણ કરે તેમ લોખંડની કોદાળી લીધી. કાગડાને સ્વજનની જેમ કરો અપાવીને પોતે આદરથી કેરડાના વૃક્ષના મૂળને દવાનું શરૂ કર્યું. જાણે શીલવતીના ગુણ હોય તેવા સોનામહોરના કલશે પ્રગટ થયા. જાણે શીલવતીના દેને દૂર કરતો હોય તેમ (કળશની ઉપર રહેલી ધૂળને દૂર કરી. વૃદ્ધ વિચાર્યું અહો ! મારા ઘરમાં આ વહુ મૂર્તિમંત લક્ષમી જ છે. જેમ કેઈ કાચની ભ્રાંતિથી મરકતમણિની અવગણના કરે તેમ મેં (વેષભ્રાંતિથી) તેની અવગણના કરી. આ પ્રમાણે વિચારતા તેણે સેનામહોરોના કલશને જલદી રથમાં મૂક્યા, અને પોતાને અપરાધ જણાવીને શીલવતી પાસે ક્ષમા માગી. જેમ યુદ્ધમાં વિજયી બનેલ રાજા વગેરે યુદ્ધમાંથી રથને પાછે વાળે તેમ, વહુની પ્રશંસા કરતા અને ઘરમાં રહેલા ધનને જોવામાં ઉત્સુક બનેલા તેણે રથને પાછો વાળે. વહુએ કહ્યુંઃ હે પિતાજી અહીંથી મારા પિતાનું ઘર નજીકમાં જ છે. તેથી મારા માતા-પિતાને મળવા માટે આ ઉચિત અવસર છે. શેઠે કહ્યું: હે પુત્રી ! તારા પિતાના ઘરે જવાના આગ્રહને છોડી દે. હમણુ કુલને ઉજજવલ કર, રથ ઉપર બેસ અને જલદી મારા મને રથને પૂર્ણ કર. કુશળચિત્તવાળી તેણે સસરાની દાક્ષિણ્યતાથી તે પ્રમાણે કર્યું. હર્ષિત ચિત્તવાળા શેઠે રથને પાછો વાળે..
શીલવતીએ પૂર્વે જે જે કહ્યું હતું તે તે બધુંય હેતુપૂર્વક કહ્યું હતું એમ માનતો શેઠ પર્વતની તળેટીમાં વસેલા ઉજજડ ગામ પાસે આવ્યા. શેઠે મધુર વાણીથી કહ્યું છે પુત્રી ! તારું વચન હેતુથી રહિત નથી, અર્થાત્ તે પૂર્વે જે જે કહ્યું હતું તે તે બધુંય હેતુપૂર્વક કહ્યું હતું. તેથી (હું તને પૂછું છું કે) ઉજજડ આ ગામને તે આ ગામ લોકથી ભરેલું છે એમ કયા કારણથી કહ્યું હતું? શીલવતીએ કહ્યું: હે પિતાજી! આ કારણ પ્રસિદ્ધ છે. લકે હેય તેટલા માત્રથી આપણું કામ થતું નથી. જ્યાં કઈ પણ સ્વજન હોય તે સ્થાન લેકેથી શૂન્ય હોય તે પણ સુંદર છે. આપને આવેલા
Page #250
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૧ સાંભળીને મારા મામાએ અહીં આપનો સત્કાર કર્યો. એથી આ ગામ આપણા માટે તે લોકેથી ભરેલું થયું. તેથી શીલવતીનું કથન ગૂઢ આશયવાળું હોય છે એમ જાણતા શેઠે વહુનું સર્વ પ્રકારનું કથન ચાણક્યના કથનની જેમ સેંકડો હેતુઓથી યુક્ત હોય છે એ નિર્ણય કર્યો. ક્રમે કરીને શેઠ માર્ગમાં રહેલા વડવૃક્ષની નીચે આવ્યો. તેણે વહુને પૂછ્યું: હે પુત્રી ! તે વખતે તે આ વૃક્ષની છાયા કેમ છોડી દીધી હતી ? વહુએ જવાબ આપ્યાર હે સસરાજી! શું આપે પૂર્વે આ ક્યાંય સાંભળ્યું નથી કે વડવૃક્ષ ઉપર બેઠેલે કાગડો રીના મસ્તક ઉપર વિશ્વા કરે તે છ માસમાં તે સ્ત્રીના પતિને મોટી આપત્તિ આવે તથા વૃક્ષના મૂળમાં સર્ષ આદિને વાસ હોય, એથી વૃક્ષની છાયામાં સર્પ આદિના કારણે અનેક દેષ થાય. સ્વાધીન કાર્યમાં દેષરહિત આચરણ કરવું સારું, આથી હું વડછાયાને મૂકીને તડકામાં રહી. શેઠ બોલ્ય: સારું, સારું. હે કુલાધાર હે સર્વભાવમાં કુશળ ! વૃદ્ધાવસ્થાના કારણે મતિરહિત બનેલા મને તે બેધ પમાડ્યો છે. આ પ્રમાણે વહુની પ્રશંસા કરતા અને પિતાના કાર્યથી શરમાતા તેણે ફરી પૂછયું: સુભટને સારી રીતે કુટો છે એમ તું શા માટે બોલી ? વહુએ ઉત્તર આપે છે પિતાજી! તેને થયેલા પ્રહારો સામા ન હતા, અર્થાત્ પ્રહારે છાતીમાં થયા ન હતા, નાસતા એવા તેને પીઠ પાછળ પ્રહારો કરીને કુટયો હતે.
આ સાંભળીને તેની બુદ્ધિથી આશ્ચર્ય પામેલા શેઠે ફરી પૂછ્યું શહેર પ્રશંસનીય જ હોય છે. છતાં તે તે શહેરને ઉજજડ કેમ કહ્યું હતું? વહુએ જવાબ આપ્યા આપણને જોઈને બેલાવે તેવા સ્વજને જે નગરમાં ન હોય તે નગર સારી રીતે વસેલું હોય તે પણ આપણને તેનાથી શું લાભ? કહ્યું છે કે– સ્વાભાવિક સ્નેહથી સુંદર એવો પ્રિયમાણસ જે એક પણ ન હોય તે લેકેથી ભરેલી પણ પૃથ્વી જંગલ જેવી જણાય છે. શેઠ બોલ્યા હે મહાભાગ્યવંતી ! તે સાચું કહ્યું. આ મગનું ખેતર પાકી ગયેલું હોવા છતાં તે તેને ખવાઈ ગયેલું કેમ કહ્યું? તેથી મનોહર દ્રાક્ષ જેવી મધુરવાણી બેલનારી અને સુંદર એવી શીલવતીએ કુશળ મનુષ્યથી જાણી શકાય તે અર્થ કહ્યો. પ્રશ્નનો જવાબ આપતાં તે બોલીઃ હે સસરાજ! સામે જુઓ. આ ખેડૂત ખેતરની ભૂમિમાં આમ તેમ ભમી ભમીને ખેતરની રક્ષાની દરકાર કર્યા વિના પિતાની ઈચ્છા પ્રમાણે જલદી જલદી મગની શીંગે ખાઈ રહ્યો છે, તેથી ચોક્કસ એણે વેપારી પાસેથી વ્યાજે પૈસા લીધા છે, અને એના બદલામાં આ ખેતરનું અનાજ તેને આપી દીધું છે. આથી આ ખેતરના અનાજની માલિકી તે વેપારીની છે. એટલે જેટલી શીંગે હું ખાઈશ તેટલું મારું, બાકીનું બધું તે વેપારીનું છે એમ વિચારીને તે પિતાની મરજી પ્રમાણે શીંગ ખાઈ રહ્યો છે અને એથી જ ખેતરની રક્ષાની દરકાર કરતા નથી. આથી જ મેં પૂર્વે
૧. બહાદુર સુભટ સામી છાતીએ પ્રહારને સહન કરે પણ નાસી ન જાય ૩૧
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શીલપદેશમાલા ગ્રંથને આ ખેતરને ખવાઈ ગયેલું કહ્યું હતું. પછી વિસ્મય પામેલા શેઠે તે ખેડૂતને બોલાવીને જાતે પૂછ્યું. તેણે પણ કહ્યું કે, હું પહેલાં વેપારી પાસેથી વ્યાજે પૈસા લાવ્યો છું. [તેના બદલામાં આ ખેતરનું ધાન્ય તેને આપી દીધું છે.] આથી આ ધાન્ય ખવાઈ ગયું છે. ઉત્પન્ન થયેલું આ બધું ધાન્ય તે વેપારી લઈ લેશે. આ ધાન્યથી મને માત્ર પરિ. શ્રમનું જ ફળ મળશે, અર્થાત્ ધાન્યને તૈયાર કરવામાં મેં જે પરિશ્રમ કર્યો છે તે જ ફળ મને મળશે, ધાન્ય નહિ મળે. આ પ્રમાણે કહીને તે માણસ જ રહ્યો. શેઠે નદીને જોઈને શીલવતીને ફરી પૂછયું: હે પુત્રી ! તે વખતે પાણીમાં ચાલતી વખતે તે જેડા કેમ ઉતાર્યા નહિ? શીલવતીએ જવાબ આપ્યું. તેમાં દેખાય નહિ તેવા કાંટા અને કીડા વગેરેનો ભય રહે, આથી મેં જેડા ન ઉતાર્યા. હે પિતાજી ! થોડા માટે કાયાને કષ્ટમાં કેણ નાખે ?
ઈત્યાદિ પુત્રવધુએ કહેલી યુક્તિઓથી શેઠનું મન ખુશ થયું. ક્રમે કરીને શેઠ ઘરે આવ્યા. ઘરે આવતા શેઠને નગરજને જોઈ રહ્યા. પછી વહુએ આભૂષણે બતાવ્યાં. આભૂષણો લઈને ખુશ થયેલા શેઠે પુત્ર અને પત્નીને સઘળે વૃત્તાંત કહ્યો. પછી શેઠે સર્વધનની માલિક તેને જ બનાવી. તેનાં કાર્યોથી ઘર સદા નવી નવી લક્ષમીને પામતું હતું. આયુષ્ય અસ્થિર હોવાથી ક્રમે કરીને શેઠ કાળધર્મ પામ્યા. જેમ છાયા વૃક્ષને અનુ સરે તેમ શેઠાણી પણ જલદી શેઠને અનુસરી, અર્થાત્ કાળધર્મ પામી. તેથી સ્વજનેએ અજિતસેનને કુટુંબના વડિલ તરીકે સ્થાપે. તેણે ઘણા કાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું. અરિમર્દન રાજાએ ઓગણપચાસ મંત્રીઓને ભેગા કર્યા હતા, અર્થાત્ ઓગણપચાસ મંત્રીએ રાખ્યા હતા. વિશિષ્ટ બુદ્ધિવાળા કેઈને મુખ્યમંત્રી કરવાની ઈચછાવાળા રાજાએ એકવાર પ્રત્યેક નાગરિકને પૂછ્યું મને જે લાત મારે તેને શે દંડ કરે જોઈએ? બધાએ કહ્યું: મસ્તક છેદ કરવું જોઈએ, અથવા તે સર્વ દંડને યંગ્ય છે. તે સાંભળીને અજિતસેને શીલવતીને તે વિગત જણાવી. ચાર પ્રકારની ઉત્તમ બુદ્ધિનું નિધાન શીલવતીએ આ પ્રમાણે કહ્યું તેને સર્વ અંગેમાં ધારણ કરવાના અભૂષણે આપીને ખુશ કરવા જોઈએ. અજિતસેને પૂછવું એ કેવી રીતે ? શીલવતીએ જવાબ આપ્ય રાજાને જે પ્રિય હોય તેને (=પત્ની કે બાળકને છોડીને બીજે કયે બુદ્ધિમાન રાજાને મારવાની ઈચ્છા પણ કરે? અજિતસેને તે ઉત્તર રાજાને કહ્યો. ખુશ થયેલા રાજાએ ધર્મ કાર્યોમાં તત્પર તેને સર્વમંત્રીઓમાં મુખ્યમંત્રી બનાવ્યું. એકવાર અરિમર્દનરાજ છ પ્રકારનું સૈન્ય લઈને સીમાડાના દેશના સિંહ નામના રાજાની સાથે યુદ્ધ કરવા માટે ગયે. આથી અજિતસેન મનમાં કંઈક ચિતાવાળો બન્યા. શીલવતીએ ચિંતાનું કારણ
૧. અહીં વાત શબ્દ છે. આજ્ઞારત આચમન. વાક્ય ફિલષ્ટ બને એથી જાવાના શબ્દનો અર્થ ભાવાનુવાદમાં કર્યો નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૩
પૂછ્યું એટલે તેણે સ્પષ્ટ કહ્યુ` કે, જે કે તું સુશીલવાળી છે તે પણ ઘરે તને એકલીને છેડીને રાજાની સાથે જવાની ઇચ્છાવાળા મને શાંતિ નહિ રહે. શીલવતી બેાલી: રાજ કાર્યાં કોઈ પણ રીતે કરવા જોઇએ. મારા શીલને મિલન કરવા માટે ઇંદ્ર પણ સમ નથી. આપને ખાતરી થાય એ માટે આપના કઠમાં આ પુષ્પમાળા પહેરાવું છું. આ પુષ્પમાળાને આપ જ્યાં સુધી કરમાયા વિનાની જુએ ત્યાં સુધી મને સુશીલવાળી સમજવી. આમ કહીને શીલવતીએ તેના કંઠમાં જાણે પેાતાની ગુણમાળા પહેરાવતી હાય તેમ પુષ્પમાળા પહેરાવી. આનંદ પામેલા અજિતસેન ત્યાંથી ચાલ્યા. રાજા પુષ્પા વિનાના કોઈ મોટા જંગલમાં પહેાંચ્યા. ત્યાં તેણે અજિતસેનના કંઠમાં ખીલેલી પુષ્પમાળા જોઈ. રાજાએ તેને પૂછ્યું: આ ખીલેલી પુષ્પમાળા પુષ્પરહિત આ સ્થાનમાં કયાંથી આવી ? મંત્રીએ સ્પષ્ટ કહ્યું: આ પુષ્પમાળા પત્નીના શીલના પ્રભાવથી સદા કરમાયા વિનાની રહે છે. મંત્રી આ પ્રમાણે કહીને પેાતાના સ્થાનમાં ગયા એટલે કુતૂહલી અને વિવેકબુદ્ધિવાળા રાજાએ પેાતાના હાંસી-મશ્કરી કરવાના સ્વભાવવાળા પુરુષોની આગળ આ
વાત કહી.
તેથી કામાંકુર મંત્રી ખેલ્યાઃ સ્ત્રીઓને શીલ કયાંથી હોય ? લલિતાંગ મંત્રીએ કહ્યુંઃ હે દેવ! કામાંકુરે જે કહ્યું તે સત્ય છે. રતિકેલિ મંત્રી બાલ્યે: હે દેવ ! આપને આ વિષયમાં સશય શે ? અર્થાત્ આપે કામાંકુરની વાતમાં કેાઈ સંશય રાખવા નહિ. અશાક મંત્રીએ કહ્યું: હે દેવ આ વિષે સંશયને દૂર કરવા માટે મને મેકલેા. તેથી કુતૂહલી રાજાએ શીલવતીના શીલના નાશ કરવા માટે અશાકને બહુ ધન આપીને પેાતાના નગરમાં માકલ્યા. અશાક રાજાના વેષ પહેરીને નદનનગરમાં પહેોંચ્યા. શીલવતીના ઘરની નજીકમાં સ્થાન લઈને રહ્યો. શીલવતીનું મુખ જોવામાં હાંશિયાર તે અગાને વક્ર કરતા કરતા અને પંચમસ્વરમાં ગાતા ગાતા તેની આગળ
ફરવા લાગ્યા. તેને ઘણા પ્રકારના વિકારા કરતા જોઇને શીલવતીએ વિચાયુ: આ મારા શીલના વિનાશ કરવાની ઈચ્છા કરે છે. ચાસ મૂઢ આ પુરુષ સિંહની કેસરાઓને ખે'ચવાને ઇચ્છે છે, અથવા હણાયેલ અંતઃકરણવાળા તે સારી રીતે હવન કરેલ અગ્નિમાં પડવાની ઈચ્છા રાખે છે. પણ કૌતુક તા જોઉ કે દુષ્ટ બુદ્ધિવાળા આ શી ચેષ્ટા કરે છે. આમ વિચારીને તે નેત્રના ખૂણાથી તેને જોવા લાગી. શંકારહિત બનેલા અશાકે કાર્ય સિદ્ધ થયું છે એમ વિચારીને તેની પાસે કૃતીને મેાકલી. દૂતીએ તેને આ પ્રમાણે કહ્યું:હે ભદ્રા! તારા પતિ રાજાની સાથે અન્ય સ્થળે ગયા છે. તારી આ જીવાની વનમાં રહેલા પુષ્પની જેમ નિષ્ફળ જાય છે. તેથી હું સભાગ્યવતી! જાણે તારા ભાગ્યથી જ
૧. અહીં જ શબ્દના કુળ અર્થ છે. વાકય ફિલષ્ટ બને એથી ભાવાનુવાદમાં હ શબ્દના અર્થ કર્યો નથી.
Page #253
--------------------------------------------------------------------------
________________
२४४
શીલપદેશમાલા ગ્રંથને આકર્ષાયેલું હોય તેમ રાજમાન્ય અને અનુરાગી આ પુરુષ તારા સંગને ઈરછે છે. શીલવતીએ કહ્યું: યૌવનલકમીનું ફળ લેવું એ ઉચિત છે. પણ કુલીન નારીઓને અન્ય પુરુષને સંગ કરો એગ્ય નથી. આમ છતાં જે મનવાંછિત મળે તો આ પણ કરાય. કારણ કે પરિણામે અભય પણ વસ્તુ સ્નેહ અને લોભથી ફલને ગ્રહણ કરનારી થાય છે=ભય થાય છે, અર્થાત્ માણસ સ્નેહ અને લેભથી અભય પણ વસ્તુનું ભક્ષણ કરે છે. તેથી દૂતીએ પૂછ્યું તું કેટલું ધન માગે છે? અર્થાત્ તારે કેટલું ધન જોઈએ છે? હમણાં તૈયારી માટે તે અર્ધો લાખ ઘન મને આપે. ફરી બીજું અર્થે લાખ ધન લઈને પાંચમા દિવસે પિતે આવે. જેથી ત્યાં સુધીમાં હું એ સુખે બેસી શકે તેવું આસન તૈયાર કરી રાખું. હર્ષ પામેલી દૂતીએ તે વાત અશોકને જણાવી. અશોકે આપેલું અર્ધો લાખ ધન દૂતીએ શીલવતીને આપ્યું. પછી સુંદર બુદ્ધિવાળી શીલવતીએ ગુપ્ત રીતે પિતાના માણસે દ્વારા એરડાની અંદર મજબૂત (ઊંડો) ખાડે દાવે. ખાડાની ઉપર વણાટ વિનાને (પ) પલંગ મૂક્યો. તેની ઉપર વસ્ત્ર પાથરી દીધું. સૌભાગ્યથી જગતને તૃણસમાન માનતે અને (કામના કારણે) પાગલ બનેલ અશોક પાંચમા દિવસે હાથમાં તાંબૂલ લઈને અને અર્ધો લાખ લઈને આવ્યો અને પલંગ ઉપર બેઠે. બેસતાં જ એકદમ ખાડામાં પડી ગયે. જેમ જીવને નરકભૂમિમાં રાખે તેમ તેને ખાડામાં રાખ્યું. દોરડાથી બાંધેલા શકેરા દ્વારા તેને ભજન અને પાણી આપતી હતી.
એક મહિને થયે એટલે રાજાએ હાંસી–મશ્કરી કરનારા મંત્રીઓને કહ્યુંઃ અશોક હજી સુધી આવ્યો નથી. તેનું કાર્ય થયું કે નહિ? પછી રાજાએ રતિકેલિને ધન આપીને જવાને આદેશ કર્યો. શીલવતી સાથે કામક્રીડા કરવાની ઈચ્છાવાળો રતિ કેલિ નંદનનગર આવ્યું. શીલવતીએ તેની પાસેથી પણ એક લાખ ધન લઈને તેને પણ ખાડામાં પાડો. ખરેખર! સારી રીતે જેલી બુદ્ધિથી ક્યાંય પણ અસાધ્ય શું છે? એ પ્રમાણે કર્મ કરીને કામાંકુર અને લલિતાંગને પણ એક એક લાખ લઈને ખાડામાં નાખ્યા. અહીં કવિ કલ્પના કરે છે કે, મહાસતી શીલવતીએ જાણે ચાર પુરુષના બહાને ચારગતિના સંસાર દુકાને પાતાલમાં નાખી દીધા. સિંહરથ રાજાએ શત્રુને જીતીને નગરમાં પ્રવેશ કર્યો. નગરજનેએ રાજાના નગરપ્રવેશ સમયે મંગલ નિમિત્તે પુષ્પમાળાએની રચના કરી. હવે દીન મુખવાળા અને ભૂખથી પીડાતા ખાડામાં પડેલા તે પુરુ
એ શીલવતીને કહ્યું કે આત્માને નહિ જાણનારા મનુષ્ય અમારી જેમ દુઃખનું ભાજન થાય છે. અમે તારું માહાસ્ય જાણ્યું નહિ. તારા આદેશને કરનારા અમને એકવાર આ નરક જેવા ખાડામાંથી બહાર કાઢ. શીલવતીએ કહ્યું: હું જે પ્રમાણે કહે તેમ કરે તે હું તમને છૂટા કરું. તેમણે કહ્યું અમારે જે કરવા એગ્ય હોય તે કહે શીલવતી બેલી. હું જ્યારે “એ પ્રમાણે થાઓ” એમ કહું ત્યારે તમારે પણ
Page #254
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૫ એ પ્રમાણે થાઓ” એમ બેલવું. આ પ્રમાણે તેમને શિખવાડીને સર્વાધિક બુદ્ધિમતી શીલવતીએ પતિને કહ્યુંઃ એકવાર પરિવાર સહિત રાજાને આપણા ઘરે આમંત્રણ આપ. પતિએ રાજાને તે પ્રમાણે આમંત્રણ આપ્યું. રાજ તેના ઘરે આવ્યો. રાજાના આગમન નિમિત્તે શીલવતીએ ઘરને મેંતીની ધજાઓ અને ચંદરવા વગેરે દ્વારા વિસ્તારથી શણગાયું હતું. આથી આકાશ પ્રકાશવાળું બની ગયું હતું. શીલવતીએ બધી રસોઈ ગુપ્ત રાખી હતી. પરિવાર સહિત ભજન કરવા માટે બેઠેલા રાજાએ વિચાર્યું ભેજનને કઈ પ્રયત્ન દેખાતું નથી અને અમને ભોજન માટે આમંત્રણ આપ્યું છે. તેથી અહીં આ શું આશ્ચર્ય છે? પછી શીલવતીએ ખાડાના દ્વાર પાસે આવીને પુષ્પો વગેરેથી આદરપૂર્વક પૂજા કરી. પછી તે ઊંચા અવાજે આ પ્રમાણે બેલીઃ હે યક્ષો ! સર્વ પ્રકારની રસોઈ જલદી તૈયાર કરે. ખાડામાં રહેલા પુરુએ “એ પ્રમાણે થાઓ” એમ કહ્યું એટલે શીલવતીએ રઈ પ્રગટ કરી. કૌતુકથી આક
યેલ મનવાળા રાજાએ ભજન કર્યું. ખાડામાં રહેલા યક્ષેના વચનથી બીજી પણ સામગ્રી પ્રાપ્ત કરવામાં આવી. શીલવતીએ ચાર લાખ દ્રવ્યને વ્યય કરીને તાંબૂલ, વસ્ત્ર અને અલંકારો લાવીને ગુપ્ત રાખ્યા. પછી તેણે યક્ષોને તાંબૂલ, વસ્ત્ર અને અલંકાર તૈયાર કરવા કહ્યું: યક્ષેએ “એ પ્રમાણે થાઓ” એમ કહ્યું એટલે શીલવતી એ તાંબૂલ, વ અને અલંકારે પ્રગટ કર્યા અને એ તાંબૂલ, વસ્ત્રો અને અલંકારથી રાજાને સત્કાર કર્યો. રાજાએ વિચાર્યુંઆ કેઈ અપૂર્વ સિદ્ધિ છે, જેથી ખાડામાં બેલાયેલા વચનથી બધું થઈ ગયું. પછી રાજાએ શીલવતીને પૂછ્યું: હે ભદ્રા ! આ શું આશ્ચર્ય છે? શીલવતીએ કહ્યું- હે દેવ! મારા ઘરમાં સિદ્ધ થયેલા ચાર યક્ષે છે. તેમનાથી બધું મેળવવામાં આવે છે. પછી રાજાએ વસ્ત્ર વગેરેથી શીલવતીને સત્કાર કરીને તેને પોતાની બહેન કરી. પછી તેની પાસે રાજાએ બહુમાનથી યક્ષેની માગણી કરી. શીલવતીએ કહ્યું: હે સ્વામી! અમારું આ જીવન પણ આ૫નું છે તે પછી યક્ષોની શી વાત કરવી? તેથી સ્વામીની આગળ યક્ષે હાજર કરવામાં આવશે. (પછી રાજા પરિવાર સહિત રાજમહેલમાં જતો રહ્યો.) શીલવતીએ આ પ્રમાણે સ્વીકારીને કામાંકુર વગેરે ચારેને ખાડામાંથી બહાર કાઢ્યા. પછી તેમને સ્નાન કરાવ્યું. પછી તેમના શરીરે સફેદ ચંદનથી વિલેપન કર્યું અને ચોતરફ પુછપથી અલંકૃત કર્યા. પછી તે ચારેને વાંસના કરંડિયાઓમાં નાખ્યા. તે કરંડિયાઓને ધૂપ કરવાપૂર્વક રથમાં મૂક્યા. મુખ્યમંત્રી તેમને લઈને ચાલ્યો. રસ્તામાં વાજિંત્રો વગડાવવામાં આવતા હતા. તેમને અવાજ દિશાઓના અંત સુધી ફેલાતો હતો. રસ્તામાં નાટક કરાવવામાં આવતું હતું. રાજા બહુમાનપૂર્વક સામે આવ્યો. પછી જાણે હવે જગત મારા હાથમાં રહેલું છે એમ માનતો રાજા તેમને પોતાના રાજમહેલમાં લઈ ગયા. તે વખતે રાજાએ રઈયાઓને આજે તમને યક્ષો દિવ્યભેજન આપશે એમ કહીને રસેઈ બનાવવાની ના પાડી.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શીલેાપદેશમાલા ગ્રંથને
ભેાજનના સમયે યક્ષના કરડિયાએની પૂજા કરીને રાજાએ કહ્યું: ભાજન તૈયાર થા. તેમણે કહ્યું: એમ થાએ. બધા માણસે (રસાઈ હમણાં પ્રગટ થશે એવી આશાથી) મુખ ઊંચુ કરીને જોઈ રહ્યા. પણ તેમની આગળ રાજાએ કહેલુ કંઈ પણ પ્રગટ ન થયું. તેથી વિલખા બનેલા રાજાએ કરડિયાએ ઉઘાડવા, કરંડિયાએમાં કરમાયેલ ઇંદ્રિયાવાળા અને પહેાળા મુખવાળા ચાર માણસાને જોયા. ભયકર રાક્ષસ જેવા તેમને જોઇને આ યક્ષ્ા નથી કિંતુ રાક્ષસો છે એમ કહીને રાજા એકદમ ત્યાંથી ખસી ગયા. તે પુરુષાએ જલદી કહ્યું: હે દેવ ! અમે યક્ષા નથી અને રાક્ષસેા પણ નથી, કિંતુ આપના મશ્કરા કામાંકુર વગેરે મંત્રીએ છીએ. તેમને ખરેખર જોઇને અને એળખીને રાજાએ કહ્યું: હું ભદ્રો ! રાગી કાગડાના જેવી તમારી આ અવસ્થા કેવી રીતે થઈ ? તેમણે પેાતાના વૃત્તાંત જેવી રીતે બન્યા હતા તે રીતે ક્રમશઃ કહ્યો. મસ્તકને ધુણાવતા રાજાએ શીલવતીના શીલની પ્રશંસા કરી. રાજાએ શીલવતીને મેલાવીને કહ્યું: હે પતિવ્રતા ! તારું બુદ્ધિકૌશલ્ય આશ્ચય કારી છે. શીલપાલનના આ પ્રયત્નથી તું કેાને પ્રશંસનીય નથી ? અર્થાત્ બધાને પ્રશંસનીય છે. તે વખતે નહિ કરમાયેલી પુષ્પમાળાથી જ મેં સ્પષ્ટ તારુ શીલમાહાત્મ્ય જાણ્યું હતું. આમ છતાં અજ્ઞાનતાથી જે આ કયું તેની ક્ષમા કરવી. બંધુસમાન મારા ઉપર આ વિષે ગુસ્સા ન કરવા. શીલવતીએ જિનધર્મના ઉપદેશ આપીને રાજાને મેધ પમાડવો અને મશ્કરા મત્રીઓને પરગ્નીગમનની નિવૃત્તિ કરાવી. રાજાએ સત્કાર કરીને શીલવતીને તેના ઘરે મેલી. શીલવતી પેાતાના ઘરે આવી. રાજકાર્યની ધુરાને ધારણ કરતા અજિતસેન પણ શીલવતીની સાથે વિશેષપણે ધર્મકાર્યો કરવા પૂર્ણાંક કાળ પસાર કરવા લાગ્યા.
તે નગરમાં એક્વાર ચાર જ્ઞાનને ધારણ કરનારા દમઘાષ નામના મુનિ પધાર્યા. અજિતસેન તે મુનિને વંદન કરવા માટે પ્રિયાની સાથે ગયા. દેશનાના અંતે ઉત્તમમુનિએ શીલવતીને કહ્યું; હે ભદ્રા ! પૂર્વભવના અભ્યાસથી તારુ નિલ શીલ શાલે છે. અજિતસેને અજલિ જોડીને ગુરુને પૂછ્યું: કેવી રીતે? ગુરુએ કહ્યુ કુશપુરનગરમાં સુલસ નામના શ્રાવક હતા. સુયશા નામની તેની પત્ની હતી. તેમના ઘરે પ્રકૃતિથી ભદ્રક દુર્યંત નામના નાકર હતા. તેની દુગિલા નામની પત્ની હતી. એકવાર ગિલા સુયશાની સાથે સાધ્વીજીઓની વસતિમાં (=ઉપાશ્રયમાં) ગઈ. સુયશાને આદરપૂર્વક પુસ્તકાની પૂજા કરતી જોઈને દુર્ખિલાએ પ્રવર્તિનીને (=મુખ્ય સાધ્વીજીને) પૂછ્યું: હું આર્યા ! આજે કયું પર્વ છે? પ્રવર્તિનીએ કહ્યુંઃ આજે પ્રસિદ્ધ જ્ઞાનતિથિ શુક્લ પ'ચમી છે. જે જીવ આ શુલ પ ́ચમીના દિવસે ઉપવાસ કરે, પુસ્તકાની પૂજા કરે અને જ્ઞાનનું ગૌરવ કરે તે પરલેાકમાં સુખ, સૌભાગ્ય, ભાગ્ય (=સુપુણ્ય) અને બુદ્ધિ વગેરે વૈભવને પામે છે
૧. અહીં આવિ પદના અર્થી સ્વયં સમજી લેવા.
૨. અન્ય ગ્રંથામાં ‘કુમપુર' એવું નામ વ્હેવામાં આવે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
२४७
અને શુદ્ધશીલથી યુક્ત તે ક્રમે કરીને મેાક્ષને પામે છે. આ પ્રમાણે સાંભળીને દુગિલા એલી. મારી આ સ્વામિની (=સુયશા) ધન્ય છે. મારી જેવી તે નિંદ્ય છે કે જે અહીં સ્વહિત કરવા માટે અસમર્થ છે. પ્રવર્તિનીએ કહ્યું: જો તુ દાન, અને તપ કરવા માટે સમથ નથી તેા સ્વાધીન એવા શીલનું ભાવથી તું પણ પાલન કર. હે વિવેકવતી! જીવન પર્યંત પરપુરુષને ત્યાગ કર તથા આઠમ અને ચૌઢશ તિથિમાં સ્વપતિના પણ ત્યાગ કર. અભિગ્રહ લઈને હ` પામેલી તેણે પતિને નિયમની વાત કરી. કલઘુતાના કારણે તેણે પણ ભાવથી તે નિયમના સ્વીકાર કર્યો. ક્રમે કરીને ભાવની શુદ્ધિ થવાથી તે બને સમ્યક્ત્વને પામ્યા. દુગિલાએ પણ ક્રમે કરીને જ્ઞાનપંચમીના તપ કર્યાં. બંને કાલધર્મ પામીને સૌધર્મ દેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવેલા દુર્ગાંત જીવ તમે અજિતસેન થયા છે, અને દુર્ખિલા જીવ તે આ શીલવતી સતી છે. તે જ્ઞાનની આરાધનાના પુણ્યથી વિવિષ્ટ મતિરૂપ વૈભવવાળી થઈ છે. આ સાંભળીને બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે બધું એમણે જાતે જ જાણ્યું. આથી ઉત્કટ વૈરાગ્યને પામેલા તે બંનેએ જલદી ચારિત્રના સ્વીકાર કર્યાં. ચારિત્રની ધુરાને લાંખા કાળ સુધી પાળીને તે બંને પાંચમા દેવલાકને પામ્યા. ત્યાંથી ચવીને નિ`લશીલના યાગથી (=પાલનથી) તે બંને કૈવલજ્ઞાન પામીને મેાક્ષમાં જશે.
નંદય...તી સતીનું દૃષ્ટાંત
હવે નયતી સતીની કથા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે:- કલ્યાણકારી અને અપાર મનુષ્યેાવાળું શ્રી પેાતનપુર નામનું નગર હતું. જાણે તેની અનેક પ્રકારની લક્ષ્મીને જોઈને (કાલાધિ ) સમુદ્ર શ્યામ થઈ ગયા. તે નગરમાં પ્રગટ પરાક્રમવાળા નરવિક્રમ નામના રાજા હતા. આશ્ચય છે કે તેની તલવાર ધારાધર હાવા છતાં શત્રુસમૂહને સંતાપ પમાડતી હતી. તે નગરમાં જાણે લક્ષ્મીની દાનશાળા હોય તેવા સાગરપાત નામના શ્રેણી હતા. તેના પવિત્ર આચારોમાં કુશળ સમુદ્રદત્ત નામના પુત્ર હતા. પૂર્વ ઉપાર્જન કરેલા પુણ્ય સમૂહથી તેણે બાલ્યાવસ્થામાં પણ જેમ રત્નપરીક્ષક રત્નાને ગ્રહણુ કરે તેમ સઘળી કળા ગ્રહણ કરી લીધી. જેમ જગલના હાથી વિંધ્યાચલ પર્વતના વનને પામે તેમ સમુદ્રઇત્ત ક્રમે કરીને યૌવનને પામ્યા. યૌવનમાં તેના વિલાસ વિકાસ પામી રહ્યો હતા. તેનું યૌવન પ્રશસ્તમદનું મંદિર હતું.
આ તરફ સાપારનગરમાં નગરજનાના ઉત્કષના ભંડાર એવા નાગદત્ત નામનેા શેઠ હતા. તેની ન`યતી નામની કન્યા હતી. તે માલ્યાવસ્થાને આળગીને યૌવનને
૧. અહીં પારાવર શબ્દ દ્વિઅર્થીક છે. આશ્ચયના અર્થમાં થાપા એટલે વૃષ્ટિ, ઘર એટલે ધારણ કરનાર, અર્થાત્ વૃષ્ટિને ધારણ કરનાર. તલવારના અર્થમાં ધારા એટલે તીક્ષ્ણધાર, અર્થાત્ તીક્ષ્ણધાર ધારણ કરનાર.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શીલપદેશમાલા ગ્રંથને પામી, તે જિનધર્મમાં નિપુણ બુદ્ધિવાળી હતી, શીલરૂપી માણેકરનની ભૂમિ હતી, કામદેવરૂપી રાજાની રાજધાની હતી, શેભા સહિત હતી અને યુવાનોના મનને ખૂબ આનંદ પમાડતી હતી. જાણે વિધાતાના એગ્ય પ્રયત્નને સત્ય બનાવવા માટે તત્પર થયે હોય તેમ સાગર પોતે પિતાના પુત્રની સાથે નંદયંતીને પરણાવી. જાણે ચિત્રવેલીને મેળવી હોય તેમ એકાંતે પ્રેમને અત્યંત ઈરછતી ન દયંતીને મેળવીને સમુદ્રદત્તના મને પૂર્ણ થયા સહદેવ નામના બાલ્યકાળના મિત્રની સાથે ક્રીડા કરતા તેણે કેટલેક કાળ વિલાસથી પસાર કર્યો. એકવાર જુદા જુદા દેશેનું વિજ્ઞાન અને ધન મેળવવાની ઉત્કંઠાવાળા તેણે વહાણ દ્વારા વેપાર કરવાની ઈચ્છાથી પિતાને પૂછ્યું, અર્થાત્ વહાણ દ્વારા વેપાર કરવાની પોતાની ઇચ્છા પિતાને જણાવી. પિતાએ કહ્યું મારી પાસે કરોડોની સંખ્યામાં ધન છે. તેથી હે પુત્ર! તે ધનને તું ભગવ. ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ફળેલું હોય તે જંગલમાં કોણ જાય? સમુદ્રદત્ત બે હે પિતાજી! પૂર્વજેએ ઉપાર્જન કરેલી લમીને કાયરપુરુષે જ ભગવે છે. કારણ કે જેમ યૌવનમાં (માતાને ધાવવી, માતાની સાથે શયન કરવું વગેરે રીતે) માતા ભેગવવા ગ્ય નથી, તેમ પિતાની લકમી ભોગવવા ગ્ય નથી. આ પ્રમાણે પુત્રની ઉત્સાહથી મનહર વાણીને સાંભળીને સાગરતિ શેક અને આનંદ એ બંને અવસ્થાથી યુક્ત બને. તેણે ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે કહ્યું – પિતાએ ઉપાર્જન કરેલા ધનથી અપ્રશસ્ત મદવાળા બનેલા ઘણું લેકે હેય છે, પિતે ઉપાર્જન કરેલા ધનથી દાન કરનારા અને સુખ ભોગવનારા વિરલા જ હોય છે. આ પ્રમાણે બોલતા તેણે જેમ માગનાર માગેલા ધનને પ્રામાણિક કરાવે તેમ પિતાને આગ્રહ કોઈપણ રીતે પ્રામાણિક કરાવ્યું. પછી મિત્રની સાથે જવા માટે ઉત્કંઠાવાળા થયેલા સમુદ્રદત્ત સ્વજનેને પૂછીને ( =કહીને) શુભ નક્ષત્રમાં વહાણ કરિયાણાથી ભર્યું. તે વખતે સમુદ્રદત્તે મિત્રને કહ્યું. મેં પની સિવાય બીજા સ્વજનોને પૂછયું (=કહ્યું છે, અર્થાત્ પત્નીને પૂછયું (=કહ્યું) નથી. કારણ કે તે વખતે પત્ની ઋતુવંતી બની હતી. મિત્રે કહ્યું: લાંબા કાળથી નેહવાળે હું તારી પાસે હોવા છતાં જે તને ચિંતા પીડા કરે છે તે કલ્પવૃક્ષના સેવકે દીન બનેલા જાણવા. જેમનો આત્મા દાક્ષિણ્ય, કુલમર્યાદા અને લજજાથી બંધાયેલો છે એવા પુરુષને અને સ્વેચ્છા પ્રમાણે પ્રેમ કરનારાઓને મિત્ર સિવાય બીજું કોઈ ઔષધ નથી.
મર્યાદાવાળો હોવા છતાં રાગરૂપી સમુદ્રની લહરીઓને આધીન બનેલે સમુદ્રદત્ત રાતે કેઈને પણ ખબર ન પડે તે રીતે પોતાના ઘરના દ્વાર પાસે આવ્યા. ત્યાં તેણે સુરપાલ નામના દ્વારપાલને રત્નની વીંટી આપી અને વીંટીને સાચવવી એમ કહ્યું. પછી તે પોતાના વાસભવનની પાસે આવ્યા. ત્યાં તેણે જાળીને આંતરામાંથી છેડા પાણીમાં માછલીની જેમ અત્યંત વ્યાકુલ બનેલી પત્નીને જોઈ પ્રિયા શું કરે છે એમ વિચારીને સમુદ્રદત્ત પત્નીને જોઈ રહ્યો છે તેટલામાં અરતિવાળી બનેલી મહાસતી નંદયંતી ઘણું
Page #258
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૯
કાળથી નિદ્રા નહિ આવવાના કારણે શસ્યામાંથી ઉઠીને ઉદ્યાનમાં ગઈ. ઉદ્યાનનું શિલાતલ ચંદ્રના પ્રકાશથી ઉજજવલ બન્યું હતું. પતિવિયેગની પીડાથી દુખી બનેલી પતિવ્રતા સતી તે શિલા ઉપર સૂતી. તેણે શિલાને બળતા અંગારાની ગાડી જેવી માની. હવે તે કેમળ સ્પર્શવાળા અશક–વૃક્ષના પાંદડાંઓને શિલાતલ ઉપર પાથરીને સૂતી. ફરી તેણે ચંદ્રનાં કિરણેને દંડ જેવા જાણ્યાં. વિલાપ કરતી તે બેલી હા ! જલદી જવાની ઈરછાવાળા પતિએ તે વખતે મને બોલાવી પણ નહિ. તેથી આ પ્રમાણે મારા નિરર્થક આ જીવનથી શું? પતિના વિયેગથી વિહલ બનેલી સતી નંદયંતી પતિના ગુણેને યાદ કરી કરીને ફાંસે ખાવાની ઈચ્છાવાળી થઈ અને એથી ઘરની પાસેના બગીચાના વૃક્ષની પાસે ગઈ ત્યાં ભવે ભવે ગુણોને ભંડાર તે જ મારો પતિ થાઓ એમ બોલી. પછી તે જેટલામાં પોતાના ઉપરના વસ્ત્રથી (=સાડીથી) વૃક્ષશાખામાં ફાંસે ખાવાના બંધનથી પિતાની કાયાને બાંધે છે તેટલામાં સમુદ્રદત્તે કુદીને ફાંસાને છેદી નાખે. પછી સમુદ્રદત્ત તે જ વખતે ઉછળતા અતિશય રાગથી તે દિવસે નાખેલ તેને, જેમ લેહચુંબક લેઢાની કેશને ભેટે તેમ, ભેટયો. અર્થાત્ સમુદ્રદત્ત તેની સાથે કામકીડા કરી. પછી પ્રસન્ન થયેલી પત્નીને પૂછીને (=કહીને) ફરી તે વહાણમાં આવ્યું. કર્મની અનુકૂલતાથી તે સમુદ્રના પારને પામ્યા. - ગર્ભવતી અને ગુપ્ત ઉદરવાળી નંદયંતીએ હર્ષ પામીને સુખપૂર્વક ત્રણ માસ પસાર કર્યા. જેમ વજીની ભૂમિમાં વજાની સળી અને ધનવાળી ભૂમિમાંથી નિધાન પ્રગટ થાય તેમ ક્રમે કરીને તેનો ગર્ભ કંઈક પ્રગટ થયે. સસરાએ કલ્પના કરી કે મારી પુત્રવધૂ ચક્કસ અસતી છે. કારણ કે પુત્રે પ્રયાણ કર્યું ત્યારે આ ઋતુવંતી હતી. કહ્યું છે કે– માત્ર ઉપરથી સદાચારવાળા વર્તનથી સ્ત્રીઓમાં વિશ્વાસ ન કરે. તેવી સ્ત્રીઓ કિંપાકફળના ભક્ષણની જેમ પરિણામે અશુભ ફલવાળી થાય છે તેથી ચક્કસ આને ચાંડાલણની જેમ અમારી પંક્તિમાંથી દૂર કરવી જોઈએ. જેથી નિષ્કલંક અમારા કુળમાં ગળીનો ચાંદલોકડાઘ ન થાય. આ પ્રમાણે વિચાર્યા પછી પુત્રવધૂને તત્કાલ ત્યાગ કરવાની ઈચ્છાવાળા શેઠે નિષ્કરુણ નામના માણસને કહ્યું કે, આ પુત્રવધૂનો વનમાં ત્યાગ કર. તે પણ કઈ પણ બહાનાથી સતીને જંગલમાં લઈ ગયો. જેમ સર્ષની કાંચળીના ભ્રમથી મતીની માળાને મૂકી દે તેમ તેણે સતીને જંગલમાં જલદી મૂકી દીધી. તેણે સતીને કહ્યું- હે શ્રેષ્ઠ શ્રી ! કેઈ કારણથી તને જંગલમાં છોડી દેવા મને કહ્યું છે. આથી હવે તું તારી મરજી મુજબ જ્યાં જવું હોય ત્યાં જા. આ પ્રમાણે કહીને તે જેટલામાં પાછો ફરે છે તેટલામાં ઓચિંતા આવી પડેલા સંકટના ભયથી ગભરાયેલી મહાસતી મૂછ ખાઈને મૂળથી છેદાયેલી વેલડીની જેમ ભૂમિ ઉપર પડી. વનના ઘણે ઠંડા પવનથી તેની મૂછ દૂર થતાં તે બેલી: હહા! કયા અપરાધથી મારે ત્યાગ કર્યો ? આ
૩ર
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શીલોપદેશમાલા ગ્રંથને પ્રમાણે કહીને તે રડવા લાગી. તે વખતે વૃક્ષના આંતરે રહેલે નિષ્કરણ જેટલામાં જોઈ રહ્યો છે તેટલામાં સિંહ અને વાઘ વગેરે પ્રાણીઓ સતીને દૂરથી નમીને પોતાના માર્ગે ચાલ્યા ગયા. શાસનદેવીએ વિષનું ભક્ષણ કરતી સતીનું રક્ષણ કર્યું, અને મરવાની ઈચ્છાવાળી તેને ફાંસે કાપી નાખે. પંચનમસ્કાર (મહામંત્રીનું સ્મરણ કરીને તેણે પર્વતના શિખર ઉપરથી ઝંપાપાત કર્યો ત્યારે પણ તે જ દેવીએ વચ્ચે પલંગ પ્રગટ કરીને તેનું રક્ષણ કર્યું. તે વિચારવા લાગી. પતિ અને પિતા વગેરેથી તજાયેલી મને યમ પણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા નથી. ભાગ્ય શું મારું બીજું પણ (અનિષ્ટ) કરશે? આમ વિચારીને તે ખિન્ન બની ગઈ. તે પોતાના જન્મ વગેરેને નિંદવા લાગી. અવશ્ય થનારા કર્મને જાણતી તે સતી યૂથથી ભ્રષ્ટ બનેલી હરણીની જેમ આગળ ચાલી.
આ તરફ શિકાર માટે નીકળેલા ભગુકચ્છ નગરના શ્રી પવનામના દયાળુ રાજાએ તે સતીને જોઈ. તેણે સતીને મધુરવાણીથી બેલાવી. સતીએ કહેલું તેનું વૃત્તાંત જાણ્યું. પછી રાજા તેને બહેન કરીને પોતાના નગરમાં લઈ ગયે. રાજાએ સતીને કહ્યું છે ભગિની ! પતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દાનશાળામાં દીન-યાચકવર્ગને દાન આપતી તું સુખપૂર્વક રહે. ઉચક મનવાળી અને પતિનું ધ્યાન કરતી નંદયંતી તે કાળને ઉચિત અને ધર્મને અનુસરતા એવા દાનને કરતી સુખપૂર્વક રહી. તે વખતે તે જગલમાંથી તુરત પાછા ફરેલા નિષ્કરુણે શેઠને સતીના શીલને પ્રભાવ કહ્યો. પૂર્વે સાગર પોતે પિતાના કામ માટે દ્વારપાલ સુરપાલને નંદયંતીના પિતાના ઘરે મોકલ્યો હતે. તે સુરપાલ પણ ઘણા સમય પછી અત્યારે નંદયંતીના પિતાના ઘરેથી આવ્યો. તેની સાથે નાગદત્તે પિતાની પુત્રી માટે આભૂષણે વગેરે કહ્યું હતું. તે આભૂષણ વગેરે નંદયંતીને આપવાની ઈચ્છાવાળા સુરપાલે પૂછ્યું: અહીં નંદયંતી કેમ દેખાતી નથી? સાગર પોતે તેને વૃત્તાંત કહ્યો. વિષાદવાળા સુરપાલે રડતાં રડતાં કહ્યુંઃ પતિવ્રતાને નિરર્થક ત્યાગ કર્યો. તે વખતે ગયેલે પણ તમારે પુત્ર રાતે ગુપ્તપણે આવ્યા હતા, અને આપની પુત્રવધૂને સંગ કરીને ફરી વહાણમાં ચાલ્યા ગયા હતા. તે વખતે તમારા પુત્રે મને મારા આગમનની વાત અનિવાર્ય કારણ વિના કેઈને ન કરવી એવા) સગંદ આપ્યા હતા અને (આગમનના પુરાવા માટે) નામથી અંકિત પિતાની આ વીંટી મને આપી હતી. આમ કહીને સુરપાલે તે વીંટી સાગર પતને બતાવી. તેથી શોક સાગરમાં પડેલા સાગર પોતે પુત્રવધૂની શોધ કરવા માટે તેને આજ્ઞા કરી અને પોતે પણ (શેધ કરવા) ચાલે.
આ તરફ સમુદ્રદત્તે કરિયાણું વેચ્યું અને ખરીદું. ઘણા લાભથી યુક્ત બને તે અવસરે સુખપૂર્વક ઘરે આવ્યું. નંદયંતીને વૃત્તાંત સાંભળીને તેણે પિતાને આકાર છુપાવી દીધે, અર્થાત્ અંતરમાં ઉત્પન્ન થયેલા ધાદિ ભાવેને બહાર ન જણાવા દીધા.
Page #260
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૧ પછી તે કેટલાક માણસને અને ભાતું સાથે લઈને પત્નીને શોધવા માટે ચાલી નીકળે. ગામ, કર્બટ અને 'બેટ વગેરે નગરે, અને જંગલની ભૂમિમાં ઘણા કાળ સુધી તે ભમે. પછી ભાતું ખૂટી જવાથી નેકરે પાછા જતા રહ્યા. તેથી એકલો પણ તે મિત્રની જેમ નદયંતીને યાદ કરતે કરતે ઘણા કાળ સુધી પૃથ્વી ઉપર ભમ્યો. કંદ, મૂલ અને ફળનું ભક્ષણ કરીને પોતાનો નિર્વાહ કરતે હતે. (પરિભ્રમણ કરવાથી) તેનું પેટ કૃશ થઈ ગયું, તેના શરીરનું તે જ ઘટી ગયું, હાથ અને પગ કૃશ થઈ ગયા. ફરતે ફરતો તે કામ કરીને ભગુકચ્છ નગરમાં ગયે. સુધાથી ઘેરાયેલો તે ત્યાં જ દાનશાળામાં ગયે. નયને માટે અમૃત સમાન પોતાની પ્રિયાને જોઈને ઓળખી લીધી. નંદયંતીને પણ તેને જોઈને તત્કાલ આનંદ થયો. પ્રગટેલા અનુરાગના લક્ષણેથી તેણે “આ પતિ છે એ હૃદયમાં નિર્ણય કર્યો. સંભ્રમ સહિત ઊભી થઈને પોતાનું ઔચિત્ય કરીને જાણે નુંછણ કરતી હોય તેમ તેને દષ્ટિથી સ્પૃહાપૂર્વક જે. બંનેની પરસ્પર દષ્ટિ મળતાં સતીને પૂર્વની દુઃખ ભરેલી દુર્દશા યાદ આવી. તે વખતે સતી જાણે ભાદરવા માસની વૃષ્ટિ હોય તેવી થઈ, અર્થાત્ તેની આંખમાંથી અતિશય આંસુએ વહેવા માંડ્યા. તે વખતે આસુવાળા પતિએ અમૃતવૃષ્ટિ જેવા પોતાના હાથરૂપી કમળથી સતીની આંખોને સાફ કરીને તેને આશ્વાસન આપ્યું. સમુદ્રદત્ત લાંબા કાળના પ્રવાસથી ખિન્ન થઈ ગયા હોવા છતાં પત્નીના મુખરૂપી ચંદ્રને જોવાથી (સમુદ્રની જેમ) આનંદરૂપી જલના તરંગથી પરિપૂર્ણ બજે. નંદયંતીના પતિને ત્યાં આવેલ જાણીને, જેમ કામદેવ વસંતઋતુની સામે જાય તેમ, રાજા આદરપૂર્વક તેની સામે ગયો. તેને કુશલ સમાચાર પૂછયા. પછી તેને બંધુની જેમ પોતાના ઘરે લઈ ગ. વૈદ્યના ઔષધપ્રગોથી તેને કામ કરીને પુષ્ટ બનાવ્યું. કેમે કરીને સાગર પોત શેઠ અને સુરપાલ વગેરે જેમ આત્માઓમાં કર્મો ભેગા થાય તેમ, ત્યાં ભેગા થયા.
આ તરફ કેવલજ્ઞાનીરૂપી સૂર્યનું ત્યાં આગમન થયું. તેમને વંદન કરવા માટે સમુદ્રદત્ત વગેરે પરિવાર સહિત ગયા. દેશના પૂર્ણ થયા પછી નંદયંતીએ પૂછયું હે ભગવંત! ક્યા કર્મથી મને આ કલંક આવ્યું? આમ પૂછીને નંદયંતીએ પોતાનો પૂર્વભવ પૂછો. ભગવંતે કહ્યું: પૂર્વભવમાં યજ્ઞના ઉત્સવમાં ભિક્ષા માટે આવેલા સાધુ ઉપર નંદયંતીના જીવે “આ શૂદ્ર છેએ પ્રમાણે દષારોપણ કર્યું. એને સસરા વગેરે બધાએ એનું અનુમોદન કર્યું. આ કર્મ સામુદાયિક હોવા છતાં (=સામુદાયિકપણે બંધાયેલું હોવા છતાં) તારામાં જ દઢ બન્યું. તેથી તું મહાસતી હોવા છતાં જેમ લકે પૂર્ણ ચંદ્રમાં કલંકની સંભાવના કરે છે તેમ, સસરાએ તારા વિષે આ કલંકની
૧. કર્બટ અને ખેટ એ બંને અમુક પ્રકારના નગર છે. ખરાબ નગરની કબટ સંજ્ઞા છે, અને પર્વત વગેરેથી ઘેરાયેલા નગરની ખેટ સંજ્ઞા છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
શીલેાપદેશમાલા ગ્રંથના
પર
સંભાવના કરી. આ સંસારમાં જે કર્મોના ભાવાની આલાચના કરી નથી તે કર્મા, અર્થાત્ જે ભાવાથી કર્મો બંધાયાં હોય તે ભાવાની આલેાચના ન કરવામાં આવે તે ખંધાયેલાં તે કર્મા, તાફાની ઘેાડાઓની જેમ, જીવાને સ ંસારરૂપી અટવીમાં નિરંતર ભમાડે છે. પુણ્યશાળી જીવા શ્રી જિનેશ્વરે કહેલા ધર્મોને આદરથી કરીને ક્રમે કરીને સ્વર્ગ અને મેાક્ષના સબંધવાળા થાય છે અને એથી તે જીવા શ્રેષ્ઠ ઐશ્વ વાળા અને છે. આ પ્રમાણે સાંભળીને ન યતી સતી ભજવૈરાગ્યરૂપી સાગરમાં પડી, અર્થાત્ તેને સ'સાર પ્રત્યે વૈરાગ્ય થયા. જેમ છીપ મેાતીને ધારણ કરે તેમ તેણે ચિત્તમાં વ્રતના મનારથને ધારણ કર્યાં. હવે નદય'તીએ ગૃહસ્થાનાં વ્રતાના સ્વીકાર કરીને ગરીબાના ઉદ્ધાર વગેરે કાર્યોથી પેાતાના જન્મ સફલ કર્યાં. ન યંતી મહાસતી લાંબા કાળ સુધી આ પ્રમાણે ગૃહસ્થધર્મને પાળીને, અંતે ચારિત્રને સ્વીકારીને, આત્મ વિશુદ્ધિથી (બધાં) કર્મોને ખપાવીને માક્ષસુખને પામી.
મનેારમાનુ દૃષ્ટાંત
હવે મહાસતી મનેારમાની કથાના અવસર છે. આ મનારમા જે સુદ્ઘનશેઠની પત્ની હતી તે જાણવી. તેના શીલનું માહાત્મ્ય આ પ્રમાણે છે:- જ્યારે અભયારાણીએ શ્રી સુદર્શનશેઠ ઉપર ઉપસ કર્યા ત્યારે મનારમાએ કાયાત્સગ કર્યાં. એ કાયાત્સગ થી આકૃષ્ટ થયેલી શાસનદેવીએ જિનધર્મની તેવા પ્રકારની પ્રભાવના કરી. મનેારમાનું જિનધની પ્રભાવના રૂપ આ શીલમાહાત્મ્ય સુદનશેઠના દૃષ્ટાંતમાંથી જ જાણી લેવું. રાહિણીનુ દૃષ્ટાંત
હવે રહિણી મહાસતીના હૃષ્ટાંતને શ્રેાતાના કર્ણાનું આભૂષણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે = શ્રી પાટલીપુત્ર નગર હતું. તેની સમૃદ્ધિથી અંતરમાં બળેલા યક્ષાના અધિપતિ કુબેર (=ખરાબ શરીરવાળા) એ પ્રમાણે પ્રસિદ્ધ થયા. તે નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર શ્રીનંદ રાજા હતા. તેની (ચંદ્રથી અધિક ઉજજવલ) કીર્તિથી ઘણા કાળથી તિરસ્કાર કરાયેલ ચંદ્ર આકાશમાં આનંદ પામતા ન હતા. તે નગરમાં ધનાવહ નામના શેઠ હતા. તે અન્ય દ્વીપાની લક્ષ્મીની શાળારૂપ હતા, અર્થાત્ અન્ય દ્વીપામાં રહેલી લક્ષ્મી તેની પાસે આવતી હતી. ધનવડે તે જાણે કુબેરના કિપુત્ર હોય તેવા જણાતા અને હતા. તેની રાહિણી નામની પત્ની હતી. જાણે કલ`તિ ચ'દ્રને છેડીને પૃથ્વીમાં આવેલી અને વિશ્વના સઘળા જીવાને માહ પમાડનારી (ચંદ્રની પત્ની) રાહિણી હાય તેવી તે જણાતી હતી. ધનાવહ શેઠ એકવાર પત્નીને કહીને સમુદ્રમાની મુસાફરી કરવા ગયા. વેપારીએ પ્રાયઃ
૧. સૌંસ્કૃતમાં ઘેર શબ્દ છે. ચૈવ એટલે શરીર. થોÎયં એ નિયમથી વૈર એટલે વેદ, કુલ્લિતં વેર વસ્ય જ્ઞ: ઘેર:, જેનું શરીર ખરાબ=ખેડાળ છે તે કુબેર, અંતરમાં બળતા હતા માટે તેનું શરીર ખેડાળ થયું એમ કવિકલ્પના છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૩
પરદેશમાં રહેનારા હોય છે. ત્યારથી સખીવૃંદથી યુક્ત રોહિણી મસ્તકમાં વેણ બાંધીને, અર્થાત્ વાળ ઓળવાનું બંધ કરીને, ધર્મકાર્યોથી દિવસે પસાર કરવા લાગી.
આ તરફ ધૂળ અને કદંબપુષ્પોના સમૂહની રેણુથી આકાશને ધોળા અને પીળા રંગવાળું કરનાર ગ્રીષ્મકાળે તાપના યૌવનને ઉતાર્યું, અર્થાત્ ઘણું તાપવાળે ઉનાળો આવ્યો. ઉદ્યાનની લહમીને સફલ કરવા જતા શ્રીનંદરાજાએ ઘામથી પીડાયેલી અને ઝરુખામાં રહેલી રહિણીને જોઈ. ઘણા કાળથી (પતિના) વિર હવાળી અને સુંદર લાવણ્યની રચનાથી શોભતી રહિણીને જોઈ જોઈને તે કામથી અત્યંત હણાયે. તેથી તે ઉદ્યાન કીડાને ભૂલી ગયા. લજજાથી રહિત ચિત્તવાળા તેને સંતાપ બમણું થઈ ગયે. તે ત્યાંથી પાછા ફરીને ઘરે ગયો. કામરૂપી અપસ્મારથી ઢંકાઈ ગયેલી ચેતનાવાળા રાજાએ દૂતીને ભેટ આપીને રોહિણી પાસે મેકલી. તેની પાસે જઈને દૂતીએ કહ્યું કે સુભ્ર ! આજે તારા ઉપર કામદેવ તુષ્ટ થયું છે, જેથી શ્રીનંદરાજા પિતે તને ચાહે છે. તેથી તેનો સંગ કરીને સુંદર યૌવનને સફલ કર. આ સાંભળીને જેને રેષ ઉત્પન્ન થઈ રહ્યો છે એવી રોહિણીએ મનમાં વિચાર્યું. અહ! પિતાના કુલને વિચાર્યા વિના નિરંકુશ રાજા ઉન્મત્તહાથીની જેમ મારા શીલરૂપી વૃક્ષને ભાંગશે. તેથી તે જયાં સુધી પોતાની ધારણ ન છોડે ત્યાં સુધીમાં તેને ઉપાયથી બંધ પમાડવો જોઈએ. આ પ્રમાણે વિચારીને સતીએ દૂતીને મધુરવાણીથી કહ્યું હે સખી! સ્ત્રીઓ સ્વભાવથી સુંદર પુરુષને ઈચ્છે છે. મને તે રાજા સ્વયં ઈચ્છે છે. તેથી આ દૂધમાં સાકર સમાન થયું. પણ ચંદ્ર અને લક્ષમીની જેમ અમારું કુલ નિર્મલ છે. તેથી સુંદર પુરુષોમાં શ્રેષ્ઠ રાજા રાતે ગુપ્તપણે આવે. આ પ્રમાણે રાજાનું ભૂટણું લઈને અને પોતે પણ રાજા માટે ભેટશું આપીને મહાસતીએ પ્રસન્ન થયેલી દૂતીને જલદી રજા આપી. દૂતીએ સતીના વચનરૂપ અમૃતથી શ્રીનંદરાજાને આનંદ પમાડ્યો. રાજાએ તે દિવસને એક વર્ષ સમાન પસાર કર્યો. જાણે શ્રીનંદરાજાના હૃદયમાંથી પ્રગટ થયું હોય તેવા ઘણા અંધકારથી દિશાઓનું મંડલ ચારે બાજુથી મલિન થયું ત્યારે, શ્રેષ્ઠ શિંગાર કરીને, સેવકને રજા આપીને, અને મશ્કરા મંત્રીને સાથે લઈને રાજા રહિણીના ઘરે ગયો. સહસા ઊભી થયેલી દાસીઓએ રાજાને સત્કાર કર્યો. રાજા જાણે મનોરથ ઉપર બેસતે હોય તેમ ઊંચા સિહાસન ઉપર બેઠે. પછી રાજાએ દષ્ટિને દૂતીની જેમ ચારે બાજુ ફેરવી. રેહિણી પણ ભૂમિ ઉપર દષ્ટિ રાખીને રાજાની આગળ આવી. રાજાની (હર્ષના આંસુઓથી) ભીની થયેલી. ચારે બાજુ ત્રાંસી ફેલાતી અને ચંચળ એવી આ મના જેવી આંખોવાળી રોહિણીને જોઈને જડ બની ગઈ
રાજ વિઠ્ઠાઈ ધારણ કરીને જેટલામાં કહેવાનો પ્રારંભ કરે છે તેટલામાં રહિણીએ સખીવૃંદને રાજા માટે રસોઈ લાવવાની આજ્ઞા કરી. પછી રહિણીએ રાજાની આગળ
૧. અપસ્માર વાઈને રોગ. તે રેગમાં જીવને શુદ્ધિ રહેતી નથી.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શીલપદેશમાલા ગ્રંથને એક મેટે થાળ મૂક્યો. પછી તે થાળને જાણે પોતાના ગુણોથી ભરતી હોય તેમ મનહર ફલેથી ભર્યો. પહેલાંથી શિખવી રાખેલી દાસીઓએ નવાં નવાં વસ્ત્રોથી ઢાંકેલી નાની તપેલીએ રાજાની આગળ મૂકી. જાણે પિતાની મરજી મુજબ રહિણીના લાવણ્ય રસને જલદી પી પીને તૃષાથી પીડાયો હોય તેમ રાજાએ રહિણી પાસે સરબતની માગણી કરી. તેથી રહિણીએ નવી નવી તપેલીમાંથી તેને સ્વાદ ચખાડ્યો. તેણે બધી તપેલીઓમાં એક જ સ્વાદને અનુભવ થયે. આથી વિસ્મય પામેલા રાજાએ રોહિણને કહ્યુંઃ જેમ પકવાન્નોની સાથે શાકોના સ્વાદમાં ભેદ પડે છે તેમ છે મુગ્ધા! જુદા જુદા ઢાંકણુઓથી શું સ્વાદમાં ભેદ પડે? રોહિણી બેલી: હે રાજન! અહીં મૃગની જેમ તૃષ્ણા તરફ દેડતે કણ મુગ્ધ છે તે વિવેકપૂર્વક વિચારવાથી આપને ખબર પડશે. જે તપેલીના ઢાંકણાના ભેદથી સ્વાદમાં ભેદ ન થાય તે શું રૂપ અને વેષ વગેરેના ભેદથી સ્ત્રીઓમાં ભેદ થાય? જેમ કેઈ બ્રાંતિથી આકાશમાં અનેક ચંદ્રોને જુએ તેમ કામુક પુરુષ કામરૂપ ભ્રમની ભ્રાંતિથી સ્ત્રીઓમાં મેહ પામે છે. જેમ સૂર્યકાંત મણિ સૂર્યદર્શનથી અતિશય પ્રજવલિત બને છે તેમ મૂઢ પુરુષને કામરૂપી અગ્નિ પ્રદર્શનથી અતિશય પ્રજવલિત બને છે. વળી– હે દેવ! આપ જ પ્રજાના પિતાતુલ્ય છે. આપ જ બધા લેકેનું ભેદભાવ વિના રક્ષણ કરનાર છે. જે આપનાથી પણ અન્યાયની પ્રવૃત્તિઓ પ્રગટ થાય તે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ગણાય. ન્યાયયુક્ત પણ વિષયનું સુખ નરકની ખાણ છે, સુગતિરૂપી સંપત્તિઓને ક્ષય કરનાર છે, પાપનું નગર છે, તે પછી જે આ અન્યાયયુક્ત વિષયસુખ છે તેના માટે શું કહેવું? તેથી આ૫ કુલાચારને યાદ કરે, સુવિચારરૂપી માર્ગને ત્યાગ ન કરે. આ પ્રમાણે રહિણીના વચનથી રાજાના જ્ઞાનરૂપી નેત્ર ઉઘડી ગયા. આથી રાજાએ અન્યાયરૂપ ચાંદાને રુઝવનારી રોહિણની પાસે પિતાના અપરાધની ક્ષમા માગી. તેણે હિણીને કહ્યુંઃ હે ભદ્રા! દુરાચારને ઉપદેશ આપનારા પગલે પગલે હોય છે, પણ હિતકર વસ્તુનું દાન કરનારા (=હિત માટે ઉપદેશ આપનારા) કેઈક વિરલા જ હોય છે. તે આ અપજશરૂપ અંધકારવાળા મહાન કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો છે. તેથી પરમાર્થથી તું મારી બહેન છે, અથવા ગુરુ છે. આ પ્રમાણે સતીને કહીને સત્કાર્ય કરનાર નંદરાજા સતીના ગુણોના ઉત્કર્ષને યાદ કરતે કરતે. પિતાના ઘરે ગયે.
- આ તરફ ધનાવહને લાંબા કાળના વિરહથી પત્નીને મળવાની ઉત્કંઠા થઈ. તે અન્ય દ્વીપમાંથી ધન મેળવીને ઘરે આવ્યા. રોહિણીએ પણ ધનાવહન મુખરૂપી ચંદ્રની
સ્નારૂપી અમૃતમાં તરીને પોતાના નેત્રોરૂપી નીલકમલને લાંબા કાળે કૃતાર્થ કર્યા. ક્યારેક વાચાળ દાસીના મુખથી રાજાના આગમનને વૃત્તાંત સાંભળીને ધનાવહે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું વાનર મધપુડાને, ભૂખે માણસ આહારને અને કાગડો નિર્જનસ્થાનમાં દહીંની ઘડીને પામીને શું મૂકી દે? તે પ્રમાણે લાવણ્યરૂપી અમૃતની
Page #264
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૫
નીક સમાન મારી આ પત્ની રાજાના નેત્રના અતિથિપણાને પામીને સુશીલવાળી કેવી રીતે રહે? આ પ્રમાણે અંતરમાં કલ્પેલા ઘણા વિકલ્પાવાળા તે ધનાવહ કૂવામાં સૂતેલા ગ્રાહ નામના જલચર પ્રાણીની જેમ રાતે નિશ્ચલ થઈને રહ્યો. જાણે એના ચિત્તની લુષતાને ધાવા માટે સમર્થ હોય તેવા વાદળાએ વર્ષાકાલે વૃષ્ટિ કરવાનું શરૂ કર્યું. કસેટીના પથ્થર સમાન લાંબા આકાશમાં જાણે રાહિણીના શીરૂપી સુવર્ણની પરીક્ષા કરવા માટે વિધાતાએ રેખા કરી હોય તેમ વિજળી Àાભી સાત દિવસા સુધી અતિશય વૃષ્ટિ થઈ. ફેલાતુ નદીના પાણીનું પૂર નગરના દરવાજા સુધી આવ્યું. જેમ પરચક્રથી ભય પામે તેમ આ પૂરથી ભય પામેલા નગરની બહારના લોકોએ, જેમ ખીન્નેના સમૂહ લને ભરી દે તેમ, તે નગરને ભરી દીધું. નદીનું પૂર અત્યંત નજીકમાં આવી ગયુ. તેથી રાજાએ જલઢી નગરની પાળાના દરવાજા બંધ કરાવી દીધા. જેમ સમુદ્રનું પાણી વેદિકા ઉપર ચઢે તેમ નદીના પ્રવાહ કિલ્લાની ભીંત ઉપર ચઢવા માંડથો એટલે ભય પામેલા રાજા પેાતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. ઇષ્ટદેવના કહેવાથી રાજાએ તત્કાલ રાહિણીને ખેલાવીને જાતે જ નગરીના દરવાજા ઉપર ચડાવી. પરમેષ્ઠિનમસ્કાર મંત્રને ગણવાપૂર્વક હથેળીમાં પાણી લઈને રાહિણી ખાલી: હું ગંગા! જે મારું શીલ તારા શરીરની જેમ મન-વચન-કાયાથી શુદ્ધ હેાય તે તું આ નગરથી જેમ ગરુડથી નાગસેના પાછી ફરી તેમ પાછી ફર. આ પ્રમાણે કહીને જેટલામાં હાથમાં રહેલું પાણી પૂરના પાણી ઉપર સિંચવાને ઈચ્છે છે તેટલામાં માયાની જેમ તે પૂર અદૃશ્ય થઈ ગયું. તે વખતે ગંગાનદીના પાણીની સાથે લેાકેાના ચિત્તમાંથી ભીતિ અને રોહિણીના પતિમાંથી વિકલ્પબુદ્ધિ જલદી પાછી ફરી. અહા શીલ ! અહા! આ જૈનધર્મ ! આ પ્રમાણે પૃથ્વી ઉપર અને આકાશમાર્ગે ઊંચા અવાજથી આશીર્વાદ ઉચ્ચાર્યા. પછી રાહિણીની મિથ્યાત્વના નાશ કરનારી દેશનાવાણીથી રાજા જૈનધર્મની સન્મુખ થયા. રાજાએ રાહિણીની સાથે નગરની ચૈત્યપરિપાટી કરીને રાહિણીને ઉત્સવપૂર્વક ઘરે પહેાંચાડી. ધનાવહ શેઠે પણ નગરજના સહિત રાજાના હર્ષોંથી સત્કાર કરીને રજા આપી. રોહિણીનાં નિમલ ચરિત્રા લાકમાં ફેલાયાં. શીલના માહાત્મ્યને જોવાથી ધનાવહશેઠ વગેરે બધા મેાક્ષલક્ષ્મીનું આક ણુ કરનારા જૈનધને સદા આદરવા લાગ્યા. તે રાહિણી આ પ્રમાણે જૈનધમ સંબંધી પ્રભાવનામય શીલનુ પાલન કરીને અને મનુષ્યજન્મને સફળ બનાવીને સુકૃતની અતિશય સ્થિરતાને પામી, અર્થાત્ તેને ભવાંતરમાં પણ સુકૃતાની પ્રાપ્તિ થઈ. [૫૬]
હવે શીલવંત મનુષ્યાના સંગ પણ બહુ ગુણકારી છે એમ કહે છેઃ— सीलकलिएहिं सद्धि, संगोवि हु बहुगुणावहो होइ । कप्पूर सइज्झतंपि, कुणइ वत्थूण सुरहितं ॥ ५७ ॥ ગાથા :– શીલવંત મનુષ્યેાના સહવાસ પણ કપૂરની સાથેના વાસ પણ વસ્તુઓને સુગંધી કરે છે.
અવશ્ય બહુ ગુણુકારી બને છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શિલપદેશમાલા ગ્રંથને ટીકાથ– ગંધરહિત વસ્તુમાં પણ કપૂરના સહવાસથી કપૂરની સુગંધ આવે છે. આગમમાં કહ્યું છે કે-“જે જેવાની મૈત્રી કરે છે તે થોડા જ કાળમાં તે બની જાય છે. પુની સાથે રહેતા તલ પણ પુષ્પની ગંધવાળા બની જાય છે.” [૫૭] શીલરહિતના તે બાકીના અનેક ગુણે પણ ગુણ નથી એમ કહે છે—
सयलोवि गुणग्गामो, सीलेण विणा न सोहमावहइ ।
नयणविहूणंव मुह, लवणविहूणा रसवइव्व ॥५८॥ ગાથાર્થ- જેમ ચક્ષુથી રહિત મુખ અને લવણથી રહિત રઈ શોભા ન પામે તેમ શીલ વિના સઘળો ય ગુણસમૂહ શોભા પામત નથી.
ટીકાર્થ – ઉદારતા, સ્થિરતા, ગંભીરતા, વિજ્ઞાન (Gશાઅજ્ઞાન) અને જ્ઞાન (=અનુભવજ્ઞાન) વગેરે ગુણે શીલ વિના શોભતા નથી. કહ્યું છે કે-“ઐશ્વર્યાનું ભૂષણ મધુરતા (=ભાષામાં મીઠાશ) છે, પરાક્રમનું ભૂષણ વાણીને સંયમ છે, રૂપનું ભૂષણ ઉપશમ (=વિરાગભાવ) છે, શ્રતનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ પાત્રમાં દાન છે, તપનું ભૂષણ સમતા છે, સમર્થનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ મૌન છે, પણ શીલ બધાઓનું સર્વ કાર્ય માટે નિયત થયેલું ઉત્તમ ભૂષણ છે.”
નવિહીને વા” (શિ. ૮/૧/૨૦૩) એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી મૂળગાથામાં વિટ્ટીન શબ્દનું વિહૂળ એવું રૂપ થયું છે. [ ૫૮]. | શીલવંતને આ ભવમાં જ મળતાં પ્રત્યક્ષ ફળને કહે છે :. વિવિસારિરિ-રોપિપિસાયારૂપપુરા |
સવિ ગુમાવા, પર્વત સીવંતf IRBI | ગાથાર્થ – વિષ, સ, હાથી, સિંહ, ચેર, શત્રુ, પિશાચ અને શાકિની (=દેવી શક્તિ) વગેરે બધાય અશુભ પદાર્થો શીલવંતે આગળ સમર્થ બનતા નથી=શીલવંતેનું અશુભ કરી શકતા નથી. IS ટીકાથે - ઉપદ્રવ કરનારા હેવાથી દુઃખને ઉત્પન્ન કરે તે પદાર્થો અશુભ છે. બધાય અશુભ ભાવે શીલવંતેનું અશુભ કરી શકતા નથી. કહ્યું છે કે-“શીલના પ્રભાવથી મનુષ્યોને નિયમા અગ્નિ પણ પાણી સમાન, સાપ પણ (કુલની) માળા સમાન, વાઘ પણ હરણ સમાન, દુષ્ટ હાથી પણ શ્વાન સમાન, પર્વત પણ પત્થર સમાન, વિષ પણ અમૃત સમાન, વિશ્ન પણ ઉત્સવ સમાન, શત્રુ પણ મિત્ર સમાન, સમુદ્ર પણ ક્રીડા કરવાના સરેવર સમાન, અને જંગલ પણ પોતાના ઘર સમાન બની જાય છે.” [૫૯]
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૫૭.
ગુજરાતી ભાવાનુવાદ
" હવે શીલને સ્વીકાર કરીને શીલથી ભ્રષ્ટ બનેલાઓનું દુઃખ જાણવું અશક્ય છે એમ કહે છે –
__सीलब्भट्ठाणं पुण, नामग्गहणपि पापतरुबीयं ।
जा पुण तेसिपि गई, तं जाणइ हु केवली भयवं ॥६॥ ગાથાથ – શીલભ્રષ્ટનું નામ ગ્રહણ પણ પાપવૃક્ષનું બીજ છે. શીલભ્રષ્ટોની સંસારપરિભ્રમણરૂપ જે ગતિ થાય છે તેને કેવલી ભગવંત જ જાણે છે.
ટીકાથ– જેમ બીજ વૃક્ષને ઉત્પન્ન કરે છે તેમ શીલભ્રષ્ટ નું નામગ્રહણ પણ પાપનું કારણ છે. શીલભ્રષ્ટ મનુષ્યના શીલનાશરૂપ દુષ્કતને કઈ પાર નથી. એથી શીલભ્રષ્ટોની સંસાર પરિભ્રમણરૂપ ગતિ કેવલી સિવાય બીજા જ્ઞાનીઓથી જાણવી અશક્ય છે. માટે તેની ગતિને કેવલી ભગવંત જ જાણે છે. [૬૦] વળી- શીલભ્રષ્ટ મનુષ્યને આ લેક અને પરલોકમાં પ્રાપ્ત થતા દુઃખરૂપ ફલને કહે છે
बंधणछेयणताडण-मारणपमुहाइँ विविहदुक्खाई ।
इह लोयंमि तहाथिर-मजसं पावंति गयसीला ॥६१॥ ગાથાથ– શીલભ્રષ્ટ મનુષ્યો આ લેકમાં પણ બંધન, છેદન, તાડન, મારણ આદિ વિવિધ દુખોને તથા સિથર અપજશને પામે છે.
ટીકાઈ- બંધનદોરડા આદિથી બાંધવું. છેદન=શાએથી કાન, નાસિકા વગેરે અંગેને છેદ કર. તાડનઃલાકડી આદિથી પીટવું. મારણ=પ્રાણુનો નાશ. “આદિ શબ્દથી બીજા પણ કર્થનાના પ્રકારોને પામે છે એમ જાણવું. સ્થિર=લાંબા કાળ સુધી રહેનાર. [૬૧]
दालिदखुद्दवाही, अप्पाउ कुरूवयाई असुहाई । ___ नरयंताइँ वसगाइँ, विगलियसीलाण परलोए ॥६॥ ગાથા–ટીકાથ - શીલભ્રષ્ટ મનુષ્યને પરલોકમાં પણ દારિદ્રતા, શુદ્રવ્યાધિઓ, અલ્પ આયુષ્ય, કુરૂપ વગેરે અશુભ અને નરક સુધીના અશુભ પણ હસ્તગત (હાથમાં રહેલા) બને છે [૬૨] શલભ્રષ્ટનું જ દષ્ટાંત કહે છે -
निरुवमतवगुणरंजिय-सुरोवि सो कूलवालओ साह ।
मागहियासंगाओ, गलियवओ पाविओ कुगई ॥६३॥ ગાથા – દુષ્કર તારૂપ ગુણથી દેવને આકર્ષી લેનાર પણ ફૂલવાલક સાધુ માગધિકા વેશ્યાના સંગથી ચારિત્રથી ભ્રષ્ટ બનીને કુગતિ પામ્યા.
ટીકાથ- આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ દષ્ટાંતથી જાણ. તે દષ્ટાંત આ પ્રમાણે છે - ૩૩
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શીલેાપદેશમાલા ગ્રંથના
કૂલવાલક મુનિનું દૃષ્ટાંત
કઈક આચાર્ય હતા. તેએ 'ક્ષમાના આધાર હેાવાના કારણે કદના પામેલા નાગરાજ પાતાલમાં પેસી ગયા. વિધિપૂર્વક ગણુનું પાલન કરતા તે આચાર્યને શ્રીમહાવીર ભગવાનના શિષ્ય ગેશાલાના જેવા શિષ્ય થયા. તે સ્વભાવથી જ દુવિર્તીત, ગુરુ કહે તેનાથી પ્રતિકૂલબુદ્ધિવાળા, કાચકાની જેમ ઉદ્વેગકારી અને વાનરની જેમ ચંચળ હતા. ગુરુ તેને સારણા, વારણા વગેરે હિતશિક્ષા આપતા હતા. પણ જેમ તાવથી પીડાયેલાને ઘીનાં બિંદુએ ઝેર બને તેમ તેને એ હિતશિક્ષા ઝેરરૂપ બની. એક વાર ઘણા ગુણાવાળા તે આચાય તી યાત્રા કરવાની ઈચ્છાથી તે જ શિષ્યની સાથે ઉજયંત પ ́ત ઉપર ગયા ત્યાં કુશિષ્યને યાત્રા માટે આવેલા સ્રીવગને વિષે ચંચળ લાચનવાળા જોઈને આચાર્ય નેત્રોની ચંચલતા કરવાના નિષેધ કર્યાં. તેણે ચિત્તમાં ક્રોધને ધારણ કર્યો. તેથી પર્યંત ઉપરથી ઉતરતા ગુરુના ચૂચ કરી નાખવા માટે તે કુશિષ્ય ચમના ગાળા જેવા માટા પથ્થર (ગુરુની ઉપર પડે તેમ) ગબડાવ્યા. પડતા પથ્થર ઠાકર ખાતા હતા=બીજા પથ્થર સાથે અથડાતા હતા. એ ઠાકરના અવાજને સાંભળીને કુશળ આચાય એ પગ પહેાળા કરીને ઊભા રહ્યા. ( એટલે પથ્થર બે પગની વચ્ચેથી નીકળી ગયા. આથી ) તે નિષ્ફળ બન્યા. આથી આચાર્ય ને કંઈક ગુસ્સા આવ્યા. તેમણે કુશિષ્યને કહ્યું; હૈ દુરાત્મા ! તું. આથી ચારિત્રના વિનાશને પામીશ. દુષ્ટબુદ્ધિવાળા તેણે હું ત્યાં જ રહીશ કે જ્યાં સ્ત્રીનું મુખ પણ ન જોઉં, આમ કરીને તમારા શાપને વ્ય કરીશ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. મર્યાદારહિત તેણે જેમ તૃષાળુ પુરુષ સરાવરને છેાડી દે તેમ ગુરુને છેડી દીધા, અને જેમ અજ્ઞાની કુમાર્ગોમાં જાય તેમ તે કોઈ મોટા જગલમાં ગયા. નદીના કિનારે કાર્યાત્સગ માં રહીને તપ કરતા હતા, અને પંદર દિવસે કે મહિને સા વગેરેની પાસેથી આહાર મેળવીને પારણું કરતા હતા. એકવાર વર્ષાકાળ આવતાં પર્વતમાંથી નીકળતી નદીએ ફુલટા સ્ત્રીઓની જેમ સ્વચ્છ દપણે જવા લાગી, અર્થાત્ નદીઓમાં પાણી અત્યંત વધી જવાથી નઠ્ઠીએ ગમે તે માગે વહેવા માંડી. જે નદીના કિનારે કુશિષ્ય કાર્યાત્સ`માં હતા તે નદી પણ ગમે-તેમ વહેવા માંડી. આથી શ્રી જિનશાસનની ભક્તાદેવીએ વિચાર્યું; ચાસ સવ તરફ વધતા આ નદીના પ્રવાહ કૃતઘ્ન પુરુષની જેમ મુનિને તૂખાડી દેશે. તેથી દેવીએ નદીના પ્રવાહને બીજી તરફ વાળ્યા. ત્યારથી તે સાધુ પૃથ્વીમાં ફૂલવાલક તરીકે પ્રસિદ્ધ થયે
આ તરફ શ્રેણિક રાજાએ હલ્લ અને વિહલ્લને હાર, કુંડલ અને વસ્ત્ર સહિત સેચનક હાથી આપ્યા. શ્રેણિકનું મૃત્યુ થતાં કૃણિક રાજા શાકના કારણે રાજગૃહમાં રહી શકયો નહિ. આથી તેણે વાસ્તુવિદ્યાના પડિતાએ બતાવેલા સ્થાને જલદી ચંપા નામની
૧. નાગરાજના પક્ષમાં ક્ષમા એટલે પૃથ્વી, નાગરાજ પૃથ્વીને ધારણ કરે છે એવી લેાકમાન્યતા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૯ નવી નગરી વસાવી. કાલ વગેરે દશ ભાઈઓની સાથે તે ચંપાનગરીમાં રહ્યો. પછી પટ્ટરાણી પદ્માવતીના નિત્ય આગ્રહના કારણે કૃણિકે હલ-વિહલ્લ પાસે હાર વગેરે ચાર વસ્તુઓની માગણી કરી. તેથી બુદ્ધિમાન તે બંને એ માગણીને ભવિષ્યમાં અશુભ ફળવાળી જાણીને પિતાનું સારભૂત બધું લઈને રાતે વિશાલાનગરીમાં જતા રહ્યા. વિશાલાનગરીના રાજા શ્રીચેટક તેમના નાના થતા હતા. બુદ્ધિમાન તેણે તે બેન સ્નેહથી યુવરાજની જેમ સત્કાર કર્યો. તે બેને વિશાલાનગરીમાં ગયેલા જાણુને કૃણિકે વિચાર્યું કે મારે ન બંધુ રહ્યા અને ન રત્ન રહ્યાં. હું બંનેથી ભ્રષ્ટ થયે. તે પણ સ્વીકારેલું આ કાર્ય હું શ્રેણિકને પુત્ર થઈને જાતે જ છેડી દઉં તે હું પોતાનાથી પણ શુ ન લજા પામે? આ પ્રમાણે વિચારીને તેણે ક્રોધથી દૂત મોકલીને ચટક રાજા પાસે હલ્લ-વિહલની (=હલ્લ-વિહલ્લને સેંપી દેવાની) માગણી કરી. શરણે આવેલા બે ભાણેજને ચેટકરાજાએ ન આપ્યા. તેથી
રે રે” એ પ્રમાણે બેલાવાયેલા સિંહની જેમ વધેલા ક્રોધવાળા કૃણિકે સર્વ સૈન્યથી વૈશાલી નગરીને ઘેરી લીધી. તે વખતે બંને રાજાઓના સૈન્યનું પરસ્પર મહાન યુદ્ધ થતાં એક ક્રોડ અને એંસી લાખ સુભટે મર્યા. પરાક્રમી હલ્લ અને વિહલ્લ રાતે સેચનક હાથી ઉપર બેસીને કૂણુંકના સૈન્યને હણીને જલદી પાછા જતા રહેતા હતા. ઉપાય કરવા છતાં કૃણિક રાજના સુભટે સેચનક હાથીને મારી નાખવા કે પકડી લેવા માટે ક્યારેય સમર્થ ન બન્યા. તેથી ખેરના અંગારાની ખાઈના પ્રયોગથી સેચનક હાથીને મારી નાખે. ભવથી નિસ્પૃહ બનેલા હલ-વિહલ્લને શાસનદેવી શ્રીવીરજિનની પાસે લઈ ગઈ તેમણે શ્રીવીરજિનની પાસે દીક્ષા લીધી અને સ્વાર્થને સાધી લીધું. વૈશાલી નગરીને લેવા (= જીતવા) માટે અસમર્થ બનેલા બલવાન કૃણિકે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીઃ- જે હું હળમાં ગધેડાઓને જોડીને એ હળથી વૈશાલીનગરીને ન ખેડું તે મારે ભૂગુપાતથી કે અગ્નિમાં પ્રવેશ કરીને મારા પ્રાણ ત્યાગ કરો.
પછી પ્રતિજ્ઞા કરવા છતાં નગરીને ભાંગવા માટે અસમર્થ કૃણિક રાજા હૃદયમાં અત્યંત વિષાદ પામ્યો. ગુઆણાને લેપ કરવાથી ફૂલવાલક ઉપર રોષ પામેલી દેવીએ આકાશમાં રહીને અતિશય ખેદ પામેલા કૃણિકને આ પ્રમાણે કહ્યું - કુલવાલક મુનિ માગધિકા વેશ્યાને સંગ કરશે તે કૃણિક રમતથી વૈશાલીનગરીને ગ્રહણ કરી લેશે. આ વાણી સાંભળીને જયની આશાની સન્મુખ બનેલા રાજાએ બહુમાનથી માગધિકા નામની વેશ્યાને બેલાવી. રાજાએ તેને વસ્ત્ર અને અલંકારોથી સત્કાર કરીને તેને કહ્યુંઃ હે ભદ્રા ! તે જીવનપર્યત અનેક પુરુષની બુદ્ધિને આશ્રય લીધો છે. તેથી આજે જલદી અમારા કાર્યમાં પોતાની કલાને સફલ કર. હે કલાવતી ! ફૂલવાલકને પતિ કરીને લઈ આવ. હા એમ કહીને વેશ્યાએ તેને સ્વીકાર કર્યો. તે વખતે રાજાએ તેને રજા આપી. પછી કપટમાં અતિશય કુશળ તેણે કપટથી શ્રાવિકાનો વેષ ધારણ કર્યો.
Page #269
--------------------------------------------------------------------------
________________
२६०
શીલપદેશમાલાગ્રંથને જન્મથી શ્રાવિકા જેવી તે તીર્થમંડલને વંદન કરતી કરતી જ્યાં કૂલવાલક હિતે તે પ્રદેશમાં આવી. જાણે વૈરાગ્યથી પૂર્ણ હોય એવી તે મુનિને વંદન કરીને બેલી: હું આપને ગિરનાર વગેરે તીર્થોની વંદના કરાવું છું. મુનિએ કાયોત્સર્ગ પારીને ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. તીર્થોને વંદન કરીને તેણે પૂછ્યું: હે વિવેકવતી ! તું ક્યાંથી આવી? તે બોલી : હે નાથ ! ધર્મનું જ શરણ સ્વીકારનારી હું ચંપાનગરીથી આવી છું. તીર્થોને વંદન કરીને મેં જંગમ તીર્થ સ્વરૂપ આપને વંદન કર્યું. તે મહર્ષિ! મારી પાસે બેતાલીસાથી રહિત ભાતું છે, તેને વહેરીને મારા ઉપર અનુગ્રહ કરે. તેની ભક્તિથી વશ થયેલ સાધુ વહેરવા ગયે. જેમાં પહેલેથી (રેચક) દ્રવ્યનું સંજન કર્યું છે એવા મોદકે તેણે વહાવ્યા. મોદકનું ભક્ષણ કરતાં જ સાધુને એટલે બધ અતિસાર (=ઝાડાને રોગ) થઈ ગયે કે જેથી તે પોતાના અંગેને ફેરવવા માટે પણ અસમર્થ બની ગયે, અર્થાત્ અત્યંત અશક્ત બની ગયે. જાણે પૂછવા માટે હોય તેમ તે મુખ ઉપર વર રાખીને ત્યાં આવી. તેને તેવી અવસ્થાવાળે જોઈને ગદ્દગત વાણીથી બેલીઃ હે મુનિ ! આપની આવી અવસ્થા મારા કારણે થઈ છે. સાધુને રેગ આપનાર મને ધિક્કાર હે ! નરકમાં પણ મને સ્થાન નહિ મળે. વળી નિર્જન વનમાં અસ્વસ્થ આપને એકલાને છેડીને અન્યતીર્થમાં જવું એ મમતારહિત મારા માટે યોગ્ય નથી. તેથી ગ્લાનસેવાથી જ આત્માને પવિત્ર કરીશ.
આ પ્રમાણે કહીને તે વારંવાર ઔષધ વગેરે આપવા લાગી કેમે કરીને વેશ્યાએ તેના શરીરને તેવી રીતે ચળ્યું કે જેથી તેને પોતાના) સર્વ અંગને સ્પર્શ કરાવ્યું. કેમે કરીને તેને નિરોગી બનાવ્યા અને પિતાને વશ કર્યો. કારણ કે સંકટમાં પડેલા સર્વ મનુષ્ય સુખેથી ગ્રહણ (=વશ) કરી શકાય છે. કટાક્ષ, શૃંગારિક ચેષ્ટાઓ, મુખના વિકારો અને વચનયુક્તિઓથી તેણે ક્રમે કરીને તેના તપને સામર્થ્યહીન કરી નાખ્યું. સ્ત્રીસંસર્ગથી તપ નકામું બની જાય છે. પછી સતત સાથે વાસ, વિકારી ભજન અને ઠઠ્ઠા-મકરીવાળા વચનની યુક્તિથી તે બેને દંપતીવ્યવહાર થવા લાગે. ધિક્કાર છે મેહચેષ્ટાને ! જેમ ક્રિીડા (એલ) માટેના વાનરને દેરીથી બાંધીને લઈ જાય તેમ ફૂલવાલકને વેશ્યા કૃણિક પાસે જલદી લઈ આવી. તેણે કૃણિકને કહ્યું- હે દેવ! આ કૂલવાલકને પતિ કરીને હું અહીં લઈ આવી છું. જે કામ હોય તે ફરમાવો. તેથી કૃણિકે ફૂલવાલકને આદરથી કહ્યું: હે મુનિ ! જે પ્રમાણે વૈશાલી જલદી ભાંગી શકાય તે પ્રમાણે કરો.
કૃણિકના વચનને આદર કરીને ફેલાતી બુદ્ધિવાળા મુનિએ સાધુને વેષ ધારણ કરીને જેમ બગલે સરોવરમાં પ્રવેશ કરે તેમ વૈશાલીનગરીમાં પ્રવેશ કર્યો. કૃષિકરાજાએ તે વખતે નગરીને વિશેષરૂપે ઘેરી લીધી. મુનિ પણ કઈ જાતની રેક-ટેક વિના નગરીની અંદર ફરવા લાગ્યો. ચારે તરફ નગરીમાં રહેલી અનેક વસ્તુઓને જોતા તેણે
Page #270
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૧ મુનિસુવ્રતસ્વામીના સ્તૂપને જોઈને વિચાર્યું. ચોક્કસ આ સ્તૂપની પ્રતિષ્ઠાનું મુહૂર્તબલ ઘણું છે, અર્થાત્ આ સ્તૂપની પ્રતિષ્ઠા ઘણુ જ બલવાન મુહૂર્તમાં થયેલ છે. તે મુહૂ
ના પ્રભાવથી આ નગરી ઇંદ્રથી પણ ન ભાંગી શકાય. તેથી કેઈક ઉપાયથી સ્તૂપનું ઉત્થાપન કરવું જોઈએ. આ પ્રમાણે વિચારો તે હવે પનીહારીઓના માર્ગમાં વારંવાર ભમવા લાગ્યા. ત્યાં પરસ્પર નગરીને ઘેરો ઘાલવાની વાતને કરતી અને દુઃખી થયેલી સ્ત્રીઓએ મુનિને જોઈને આ પ્રમાણે પૂછયું- હે ભગવંત! ઘણા કાળથી થયેલા નગરીના ઘેરાથી અમે ઘણા દુઃખી થઈ ગયેલા છીએ. તેથી નગરીને ઘેરે ક્યારે દૂર થશે? અમને જલદી આશ્વાસન આપો. તે બેઃ જેમ આંતરડામાં મલને સંગ્રહ હોય ત્યાં સુધી વ્યાધિ દૂર ન થાય તેમ જ્યાં સુધી આ સ્તૂપ અખંડિત છે ત્યાં સુધી નગરીને ઘેરે દૂર નહિ થાય. આ વિષે પ્રમાણ એ છે કે આ સ્તૂપને ભાંગવાની શરૂઆત કરતાં જ તત્કાલ શત્રુનું સૈન્ય સમુદ્રની ભરતીની જેમ દૂર જતું રહેશે. એને સંપૂર્ણ પાડી નાખતાં તમે કૃતાર્થ બની જશે સંપૂર્ણપણે નગરીને ઘેરે દૂર થઈ જશે. કારણ કે આ સ્તૂપની પ્રતિષ્ઠા ક્ષયકારી મુહૂર્તમાં થઈ છે. તેથી હું પહેલે હું પહેલે એવા ઉત્સાહ પૂર્વક લોકોએ સ્તૂપ ભાંગવાનું શરૂ કર્યું. સંકટમાં પડેલા ક્યા ઉત્તમ પુરુષો ધૂર્તીથી છેતરાતા નથી ? તેથી સ્તૂપ ભાંગવામાં આવતાં લોકેને વિશ્વાસ બેસે એ માટે દુષ્ટમુનિ જાણી જોઈને સૈન્યસહિત કૃણિકને બે ગાઉ દૂર લઈ ગયે. તે વિશ્વાસના અનુસારે નગ૨ના લેકેએ કુવાસની શિલા સુધી સ્તૂપને હર્ષથી ભાંગી નાખ્યું. તેથી બાર વર્ષના અંતે કૂણિકે વૈશાલીને ભાંગી. આટલા કાળ સુધી તે નગરી સ્તૂપના પ્રભાવથી લઈ શકાતી ન હતી. તે વખતે કૃણિક અને ચેટકનું યુદ્ધ બંધ થઈ ગયું. આ અવસર્પિણીમાં આવું ચુદ્ધ ક્યારેય થયું નથી. (યુદ્ધના મેદાનમાંથી નીકળતા ચેટક રાજાને કૃણિકે બેલાવ્યા અને કહ્યું હે પૂજ્ય માતામહ ! કહો, આપની શી આજ્ઞા કરું ? તેમણે કહ્યું: થડે વિલંબ કર, આ વાવડીમાં હું સ્નાન કરું ત્યાં સુધી ક્ષણવાર નગરીમાં પ્રવેશ ન કર. કૂણિકે તે વાતને સ્વીકાર કર્યો એટલે શુભધ્યાનવાળા ચેટક રાજા ગળે લેઢાની પૂતળી બાંધીને વાવડીમાં પડયા. તે વખતે ધરણેન્દ્ર સાધર્મિકપણાથી (પડતા એવા) ચેટક રાજાને ઝીલી લીધા. પછી ઘરોંદ્ર ચેટક રાજાને પોતાના ભવનમાં લઈ ગયો. જીવવાની આશાથી રહિત બનેલા ચેટક રાજા અનશનને નિયમ લઈને અને અંતિમ આરાધના કરીને આઠમા દેવલોક પામ્યા. ચેટક રાજાનો દેહિતર અને જયેષ્ઠાને પુત્ર સત્યકી વિદ્યાધર નગરના બધા લેકેને નીલવંત પર્વત ઉપર લઈ ગયે. તે વખતે કૃણિક રાજાએ હળામાં ગધેડાઓને જોડીને એ હળથી સંપૂર્ણ વૈશાલીનગરીને ખેડી, અને એ રીતે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. પછી પૂર્ણ થયેલા મનોરથવાળા કૃણિક રાજાએ મહાન મહોત્સવ પૂર્વક મહાન ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. માગધિકા વેશ્યાના સંગના રાગરૂપી સમુદ્રમાં જેની
૧. માતામહ=માતાને પિતા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શીલેાપદેશમાલા ગ્રંથના
બુદ્ધિ ડૂબેલી છે એવા ફૂલવાલક સાધુ શીલખ‘ડનથી થયેલા પાપના કારણે અનેક ભવ સુધી ઘણું ભમશે. [૬૩]
અંતરમાં વિષયરસની તૃષ્ણાથી ચ ચળતા હોય ત્યારે તપશ્ચર્યા પણ નિરક બને છે એમ જણાવે છે –
समणी विहु विसयरसा, पुव्वभवे दोवई कयनियाणा । सिवदायगं वि हु तवं, मुहाइ हारिंसु ही मोहो ||६४ ||
ગાથા:- પૂર્વ ભવમાં દ્રૌપદી સાધ્વી બની હોવા છતાં સક્તિના ) કારણે નિયાણું કરીને માક્ષદાયક પણ તપને વ્ય
માહ ખેદારી છે.
વિષયરસના (ભેાગાહારી ગઈ. ખરેખર!
ટીકા- આ પ્રમાણે ગાથાના સક્ષેપથી અથ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છેઃ—
દ્રૌપદીનુ દૃષ્ટાંત
સર્વ ગર્વિષ્ઠ શત્રુને કપાવનારી ચ'પા નામની મહાનગરી હતી. તે નગરીને મણિમય કિલ્લે દેવીએ માટે આરિસાસમાન હતા. તે નગરીમાં જાણે ત્રણ ગુણ્ણા હોય તેવા ત્રણ બ્રાહ્મણુ ખંધુએ હતા. સ્થિર ચિત્તવાળા તેમનાં સામદેવ, સામભૂતિ અને સામદત્ત એવાં નામેા હતા. તેમની ગાઢ પ્રેમવાળી અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી એવા નામથી પ્રસિદ્ધ ત્રણ પત્નીઓ હતી. બધાએ વારાફરતી એક ઘરમાં ભાજન કરવુ' એવી ત્રણે મ એની વ્યવસ્થા હતી. એક દિવસ પોતાના વારાના દિવસે હૃદયમાં આનંદ પામેલી નાગશ્રીએ વિવિધ સ્વાદવાળા શાકેાથી મનેાહર રસોઈ તૈયાર કરી. તેણે અજાણતાં પાકેલું કડવી તુંબડીનુ ફૂલ અનેક દ્રવ્યાના સસ્કાર કરીને પકાવ્યું, અર્થાત્ પાડેલી કડવી તુંખડીનું શાક ખનાવ્યું. રંધાઈ ગયા પછી આ તુંબડીનું ફળ કડવું છે એમ જાણવા છતાં કર્માંના દુવિપાકના કારણે કૃપણ તેણે તેટલી વસ્તુ નકામી જશે એમ વિચારીને સર્પથી 'સાયેલી આંગળીની જેમ તેના ત્યાગ ન કર્યા. અતિશય લાભી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું ફુલ પકાવીને=રાંધીને વાસણમાં રાખી મૂકયુ'. કડવી તુંબડીના ફલ સિવાય બીજી ભાજનવાનગીઓથી કુટુંબને ભેાજન કરાવ્યું. પતિ અને દિયર વગેરે ભાજન કરીને ક્ષણવારમાં બહાર ગયા.
આ તરફ સાનવડે સૂર્યસમાન અને નિષ્પાપ ચારિત્રનું સ્થાન એવા ધમ ઘાષ નામના આચાય તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. તેમના ધમ રુચિ નામના શિષ્ય માસખમણના પારણે જેમ એકડા કતલખાનામાં જાય તેમ નાગશ્રીના ઘરે ગયા. બ્રાહ્મણીએ વિચાર્યું : આમાં (=કડવી તુ ખડીના શાકમાં) કરેલા અનેક વસ્તુએના વ્યગ્ર નકામા ન
Page #272
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૩ થાઓ અને ભિક્ષાની ઈચ્છાવાળા આ ભિક્ષુકને પણ સંતેષ થાઓ, આમ વિચારીને નાગશ્રીએ તે તપસ્વીને જાણે દુર્ગતિમાં પડવા માટે પોતાનું બહાનું આપતી હોય તેમ તે તુંબડીનું શાક આપ્યું. તે મહાત્માએ ભિક્ષાથી આવીને તે તુંબડીનું શાક ગુરુને બતાવ્યું. વાત્સલ્યથી યુક્ત ચિત્તવાળા ગુરુએ તેને જોઈને તત્કાલ કહ્યું દુષ્ટતાથી અથવા અજ્ઞાનતાથી નાગશ્રીએ આપેલું આ કડવી તુંબડીનું શાક જલદી પ્રાણીઓના પ્રાણને નાશ કરનારું છે. તેથી આને ધૈડિલમાં (=અવરહિત પ્રદેશમાં) ક્યાં પણ યત્નપૂર્વક પરઠવી દે. આ આદેશને પામીને તે તપસ્વી નગરથી બહાર ગયા. કોઈ પણ રીતે તે પાત્રમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર પડયું. તે બિંદુને વળગેલી હજારો કીડીઓ મરવા લાગી. આ જોઈને તપસ્વીએ વિચાર્યું. આ પ્રમાણે જે આ બિંદુ પણ પ્રાણનો નાશ કરે છે તે સંપૂર્ણ આ ફલ કેટલા જીવોને ભસ્મસાત્ નહિ કરે? મારે એક જીવ મરે એ શ્રેષ્ઠ છે, કેડે જી ન મરો, એમ વિચારીને હર્ષથી યુક્ત સાધુએ સ્વયં તે શાક ખાધું. જાતે આરાધના કરવા પૂર્વક સમાધિથી મૃત્યુ પામીને સિદ્ધ થયેલા મનોરથવાળા તે તપસ્વી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ધર્મરુચિ મુનિને બહાર વિલંબ કેમ થયે? એ જોવા માટે ધર્મઘોષસૂરિએ બીજા મુનિઓને આજ્ઞા કરી. તે સાધુ ઓ ધર્મરુચિ મુનિને મૃત્યુ પામેલા જોઈને તેમનાં બધાં ઉપકરણો પૂજ્ય ગુરુની પાસે લાવ્યાં. પછી તેમણે જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે ગુરુને કહ્યું. આચાર્યે વિશિષ્ટજ્ઞાનથી તે મુનિની સુગતિની પ્રાપ્તિ વગેરે યથાર્થ વિગત જાણીને મુનિઓની આગળ કહી.
સમદેવ વગેરે બ્રાહ્મણોએ કઈ પણ રીતે લેકમુખથી તે વિગત જાણી. પછી ગુસ્સે થયેલા તેમણે નાગશ્રીને ઘરમાંથી જલદી કાઢી મૂકી. લેકેથી નિદાયેલી અને માર ખાતી નાગશ્રી હલકી કૂતરીની જેમ તરફ ભમવા લાગી. તેનું શરીર તે જ ભવમાં ખાંસી, અતિસાર અને ઉગ્ર તાવ વગેરે રોગોથી ઘેરાયું, એથી તેણે નરક પૃથ્વીની જેની વેદનાને અનુભવી. ભૂખ-તરસથી દુઃખી થયેલી અને અતિશય રૌદ્રધ્યાનમાં લીન તે છડી નરકની મહેમાન બની. ત્યાંથી નીકળીને માછલાઓમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી સાતમી નરકમાં ગઈ. ત્યાંથી માછલાને ભવ પામીને ફરી સાતમી નરકમાં જ ગઈ. આ પ્રમાણે દુષ્ટ તે બધી નરકમાં બે બે વાર ભમી. પછી તે પૃથ્વીકાય વગેરે નિએમાં ઉત્પન્ન થઈ. નાગશ્રીને તે જીવ સંસારરૂપી સાગરમાં ભમ્યા પછી ગિરિનરી-પાષાણુન્યાયથી કર્મ લઘુતા થવાથી ચંપાનગરીમાં રહેલા સાગરદત્તશેઠની સુભદ્રા શેઠાણીની કુક્ષિમાં સુમારિકા નામની કન્યા થયે. તે જ નગરીમાં જિનદત્ત નામનો શેઠ હતે. તે શેડની ભદ્રા નામની પત્ની હતી. તે બે કલા-વિજ્ઞાનને ભંડાર સાગર નામને પુત્ર હતા. એકવાર જિનદતે ઘરમાં રહેલી સુકુમારિકાને જોઈને વિચાર્યું કે, આ મારા પુત્ર સાગરને યોગ્ય છે. જિનકત પોતાને
૧. અમુક વસ્તુ મારે ખરીદવી જ છે એની ખાતરી માટે પહેલાં જે કંઈ બહાનું આપવામાં આવે છે તે.
Page #273
--------------------------------------------------------------------------
________________
२६४
શીલપદેશમાલા ગ્રંથને બંધુ વર્ગને ભેગો લઈને મહાન ગૌરવથી સાગરદત્તના ઘરે ગયે. ત્યાં તેણે સુકુમારિકાની માગણી કરી. સાગરદને કહ્યું: સારું, વરને કન્યા આપવાની જ હોય છે. પણ આ સુકુમારિકા મને સદભાગ્યની રેખાની જેમ પ્રાણથી પણ અધિક પ્રિય છે. એના વિના હું એક મુહૂર્ત પણ રહી શકતું નથી. તેથી તમારો પુત્ર સાગર મા ઘરજમાઈ થાઓ. પુત્રની સાથે વિચારણા કરું છું એમ કહીને જિનદત્ત ઘરે ગયે. જિનદત્ત તે વાત સાગરને કહી. સાગર મૌન રહ્યો. જેને નિષેધ ન કરાય તે સંમત છે એમ માનતા જિનદત્તે સાગરદત્તને કહ્યું કે મારો પુત્ર તમારા ઘરજમાઈ બનશે.
મહાન ઋદ્ધિથી તે બેન લગ્નમહોત્સવ થયે. તે વખતે હસ્તમોચન સમયે સસરાએ સાગરને ઘણું ધન આપ્યું. ત્યાં સૌભાગ્યવંતી સ્ત્રીઓનું યથાયેગ્ય સન્માન કરવામાં આવ્યું. સાગર અને સુકુમારિકા એ બંનેએ શયનગૃહમાં પલંગને આશ્રય લીધે. સર્વપ્રકારના ભોગોની સાધન-સામગ્રી હોવા છતાં કર્મના કારણે સાગરને સુકુમારિકાને સ્પર્શ અંગારા જે લાગ્યું. જાણે ભયંકર ઉનાળામાં બળતી અગ્નિની ભઠ્ઠીમાં રહ્યો હોય તેમ સાગરે એક ક્ષણ ભયંકર એક વર્ષની જેમ પસાર કરી. સુકુમારિકા ઊંઘી ગઈ એટલે તે નાશીને પિતાના ઘરે જ રહ્યો. પતિ વિનાની અને જાણે હારની પંક્તિ હોય તેવી સુકુમારિકા શય્યામાં જ રહી. પતિની જેમ નિદ્રાથી તાજાએલી, અર્થાત્ જાગેલી, સુકુમારિકા આમ-તેમ જઈને ચૂથથી ભ્રષ્ટ થયેલી હરણીની જેમ રડવા લાગી. સુકુમારિકાને પતિથી તજાએલી અને રડતી જોઈને દાસીએ સુભદ્રાને આ વિગત જણાવી. સુભદ્રાએ પતિને જણાવ્યું. સાગરદત્ત પણ જમાઈની વિગત જિનદત્તને જણાવી. તેથી જિનદત્તે આક્ષેપપૂર્વક પુત્રને તિરસ્કાર કર્યો. તે આ પ્રમાણે- વૈર્યના સાગર હૈ સાગર! કુલન તે આ સારું ન કર્યું. કારણ કે સ્વજનનું અપમાન ન કરવું જોઈએ. જેને આપણે સ્વીકાર કર્યો હોય તે ગુણવાન હોય કે ગુણરહિત હોય તે પણ તેને ત્યાગ ન કરે જોઈએ. શંકર કલંકવાળા અને વક્ર ચંદ્રને ત્યાગ કરતા નથી. તેથી હે વત્સલ! હમણાં પણ સુકુમારિકા પાસે જઈને તેને આદર કર, કુળમાં સ્વજનની અવજ્ઞાથી થનારા નવા દેષને ન કર. સાગરે સ્પષ્ટ કહ્યું અગ્નિમાં પ્રવેશ કરું એ સારું છે પણ ઘરે નહિ જાઉં. હવેથી તે મારી બહેન છે. જિનદત્તના ઘરની ભીંતના આંતરે રહેલા સાગરદત્તે આ બધું સાંભળ્યું. જેની આંખમાંથી આંસુઓ ખરી રહેલા છે એવા જિનદત્તે ઘરે આવીને પુત્રીને કહ્યું: હે પુત્રી ! સાગર તારા ઉપર કઈ પણ રીતે તે રીતે વિરક્ત થયો છે કે જેથી અંગારાની ગાડીની જેમ તને સ્વપનમાં પણ ઈચ્છતું નથી. તેથી તારા માટે અન્ય પતિને વિચારીશ. ગામડિયા માણસે રત્નને દેશવાળ કહે તેથી રત્ન અલ્પમૂલ્યવાળું બની જતું નથી.
૧. અહીં “સંભ્રમ' અર્થ માં માતા પ્રગ બે વાર થયેલ છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૫ . એક દિવસ બારમાં બેઠેલા સાગરદત્ત શેઠે ભટકતા કઈક ભિખારીને જે તેના હાથમાં એક ઘડાનું ઠીકરું હતું, તેનું શરીર માખીઓના સમૂહથી વ્યાપ્ત હતું, તેનું શરીર ખરાબ હતું, તે યુવાન હતું, તેણે શરીરે માત્ર લંગોટી–પોતડી પહેરી હતી, અને જાણે મૂર્તિમંત દારિદ્રય હોય તેવો દેખાતે હતે. શેઠે અભંગ, ઉદ્વર્તન અને સ્નાનથી, ભિખારીના શરીરનો મેલ દૂર કર્યો. ચંદનનું વિલેપન કર્યું. દિવ્ય બે વસ્ત્રો પહેરાવ્યા. પછી શેઠે તેને કહઃ આ સુકુમારિકા નામની મારી પુત્રી છે અને મારી આ ઘણી લકમી છે. તેથી તે અહીં વિલાસ કરતે સુખપૂર્વક રહે પિતાને દેવ જે માનતે અને ઉછળતા આનંદથી પૂર્ણ તે પણ તેના ઘરે ઘરજમાઈની જેમ રહ્યો. શંગાર ધારણ કરેલી સુકુમારિકાની સાથે તે શયનઘરમાં ગયું. ભિખારીએ સુકુમારિકાનો સંગ અગ્નિદાહ જેવો અનુભવ્યું. સુકુમારિકાને રાક્ષસી જેવી માનીને, એકદમ ઊભું થઈને, અને હાથમાં ઘડાનું ઠીકરું લઈને તે જલદી નાસી ગયે. . તે જ પ્રમાણે રડતી પુત્રીને આશ્વાસન આપીને પિતાએ કહ્યુંઃ તારે આ પૂર્વકર્મને કેઈક વિપાક ઉપસ્થિત થયો છે. પૂર્વ કર્મના વિપાકથી સૂર્ય પણ આકાશમાં ભમે છે, ગુણી પણ પુરુષ ભિક્ષા માટે ઘણું ભટકે છે, મૂખ પણ સંપત્તિને ભેગવે છે. તેથી તું નિરર્થક ખેદ ન કર, કર્મનાશ માટે પ્રયત્ન કર, અને ગરીબોને દાન આપતી તું શાંતિથી મારા ઘરે રહે. સ્વકર્મના મર્મને જાણતી અને સમભાવથી ઇન્દ્રિયો જિતનારી તે જિનક્તિ ધર્મને કરતી પિતાના ઘરમાં રહી. એકવાર તેના ઘરે ભિક્ષા માટે સાધ્વીઓ આવી. તેણે સાવીને ભક્તિથી શુદ્ધ આહાર–પાણી વહેરાવ્યાં. વિરાગપામેલી તેણે જેમ નિર્ધન પુરુષ માણેકરત્નને ગ્રહણ કરે તેમ તે સાદવીઓના ચરણકમલમાં કર્મરૂપી વેલડીઓને કાપનારું ચારિત્ર ગ્રહણ કર્યું. કામદેવરૂપી મહાન હાથીને અંકુશમાં રાખનાર અને કર્મને અત્યંત નાશ કરવા તત્પર બનેલી તેણે અનેકવાર મોટા તપ કરવાનો પ્રારંભ કર્યો. ક્યારેક વિશેષ ઉગ્ર તપશ્ચર્યા કરવાની ઈચ્છાથી પ્રવર્તિનીને વંદન કરીને શુદ્ધ ચિત્તથી આ પ્રમાણે પૂછ્યું: નિર્જન ઉદ્યાનની ભૂમિમાં સૂર્યની સામે દષ્ટિ રાખીને હું આતા પના કરવાને ઈચ્છું છું, અને અતિશય દુષ્કતોને નાશ કરવાને ઈરછુ છું. સાધ્વીઓએ કહ્યું: ધર્મમાર્ગમાં સાવીઓને ઉપાશ્રયની બહાર આતાપનાવિધિ કરવાનું કે ઈપણ રીતે કલ્પ નહિ. તેમની વાણીને અનાદર કરીને તે કેઈક ઉદ્યાનમાં આવીને જેટલામાં સૂર્ય સામે દષ્ટિ રાખીને આતાપના કરવાનું શરૂ કરે છે તેટલામાં તેણે ત્યાં આવેલી દેવદત્તા નામની વેશ્યાને જોઈ તે વેશ્યાએ એક પુરુષના મેળામાં પગ મૂક્યા હતા, બીજા પુરુષના મેળામાં તે બેઠી. હતી, ત્રીજો પુરુષ તેને પંખા નાખી રહ્યો હતે, ચોથે પુરુષ મસ્તકમાં આભૂષણ પહે
૧. અભંગ શરીરે તેલ વગેરે ચળવું. ઉદ્વર્તન=શરીરે ચૂર્ણ વગેરે ઘસીને શરીરને મેલ દૂર
૩૪
Page #275
--------------------------------------------------------------------------
________________
२९६
શીલપદેશમાલા ગ્રંથને રાવી રહ્યો હતો, અને પાંચમે પુરુષ તેના મસ્તકે છત્ર ધારણ કરી રહ્યો હતો. તેના અસાધારણ ભાગ્યથી સૌભાગ્યના વૈભવને જોઈને જેની ભેગલાલસા પૂર્ણ નથી થઈ એવી સુકુમારિકા સાધવીએ નિયાણું કર્યું. તે આ પ્રમાણે જે મારા આચરેલા આ તપનું ફળ હોય તે ભવાંતરમાં દેવદત્તાની જેમ પાંચ પતિવાળી થાઉં. તે જ પ્રમાણે તપ કરતી અને આ પ્રમાણે નિદાન કરતી તેને સાધ્વીઓ નિદાન ન કરવા માટે રોકવા લાગી ત્યારે તેણે મનમાં વિચાર્યું કે, સાધવીઓ પહેલાં મારે સ્વજનની જેમ આદર કરતી હતી અને હમણાં જેમ નિષ્કારણ વૈરિણીને તિરસ્કાર કરે તેમ મારો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે વિચારીને જુદા ઉપાશ્રયમાં રહેલી તે ચારિત્રનું પાલન કરતી હતી. ઈચ્છા મુજબ કરતી હોવાથી જૈનશાસનની મલિનતાને વધારતી હતી. પછી વિધિપૂર્વક આઠ મહિના સુધી સંલેખન કરીને તે સૌધર્મદેવલોકમાં નવ પલ્યોપમ આયુષ્યવાળી દેવી થઈ.
ત્યાંથી ચ્યવેલી તે કાંપિયનગરના દ્રપદનામના રાજાની દ્રૌપદી નામની કન્યા થઈ રૂપથી તેણે અપ્સરાને પણ જીતી લીધી હતી. તે યુવાન ન બનવા છતાં સદા યુવાન હતી. ઉત્તમ વર મેળવવાની ઈચ્છાથી તેણે પિતાની આગળ રાધાવેધની (=જે રાધાવેધ સાધે તેને હું પરણીશ એવી) પ્રતિજ્ઞા લીધી. દ્રુપદ રાજાએ પ્રત્યેક રાજાને જલદી દૂત મોકલીને સ્વયંવરમાં રાજાઓને ભેગા કર્યા. તે વખતે યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડે ત્યાં આવ્યા. જેમ હંસલી સરેવરમાં આવે તેમ દ્રૌપદી સ્વયંવરમાં આવી. પાંચે પાંડવોને વરવાની ઈરછા હોવા છતાં પાતળા શરીરવાળી તેણે લજજાથી દાસીના હાથથી અર્જુનના કંઠમાં માળા આરોપી. દિવ્ય પ્રભાવથી એક પુષ્પમાળા પણ તે પાંચ પાંડવોના કંઠમાં જુદી જુદી જોવામાં આવી. જેણે પુણ્ય કર્યું છે તેવી આ રાજકન્યા સારું વરી, સારું વરી, એ પ્રમાણે આકાશમાં સહસા દેવવાણી થઈ. દ્રુપદરાજા વિચારવા લાગ્યું કે, હું એક કન્યા પાંચને આપવા માટે કેવી રીતે ઉત્સાહિત થાઉં? કદાચ હું પાંચને આપું તે પણ બધાને ઉપહાસ્ય બનીશ. વરમાળા પાંચેના કંઠેમાં આરેપિત થઈ છે. દિવ્યવાણીએ તેને આદર કર્યો છે. તેથી અહીં શું થશે? કુપદરાજા આ પ્રમાણે ચિંતારૂપી મહાસમુદ્રમાં ડૂબી ગયે. સત્ય કર્તવ્યમાં મૂઢ બને તે ઘણા કાળ સુધી વિચારવા લાગ્યું. તેટલામાં આકાશમાર્ગથી ત્યાં ચારણશ્રમણ જલદી આવ્યા. તેમણે પૂર્વભવના નિદાનની વિગત કહીને દ્રુપદના સંદેહને દૂર કર્યો. તેથી હર્ષ પામેલા પાંડુરાજા અને કુપદરાજાએ પાંડ અને દ્રૌપદીની વિવાહક્રિયા મહત્સવપૂર્વક કરી. આ પ્રમાણે શિવલમીના પરિણામવાળું તીવ્ર તપ કરીને પણ નિદાનના કારણે દ્રૌપદી પાંચ પાંડવેની પત્ની થઈ. ખરેખર ! વિષયોની ઈચ્છા બલવાન છે. [૬૪] પરીગમન કરનાર પુરુષ માટે હોય તે પણ તેની લઘુતા થાય છે એમ કહે છે -
अमरनरासुरविसरिस-पोरसचरिओ वि पररमणिरसिओ । विसमदसं संपत्तो, लंकाहिवईवि रंकुव्व ॥६५॥
Page #276
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૭
ગાથા – સુર, અસુર અને મનુષ્યામાં ન હેાય તેવા પુરુષાથથી ભરેલા ચરિત્રવાળા હૈાવા છતાં પરસ્ત્રીલ પટ રાવણુ ભિખારીની જેમ મરણાવસ્થાને પામ્યો.
ટીકા :- શ્રી રાવણે સીતાનું અપહરણ કર્યું. તેથી રામ અને લક્ષ્મણની સાથે રાવણનું યુદ્ધ થયું. યુદ્ધમાં રાવણે વિભિષણ વગેરે બંવગ ને અલગ કર્યાં. રાવણે જગતને જીતીને વિશિષ્ટ બળવાન સામ્રાજ્ય મેળવ્યું હતું. યુદ્ધમાં રાવણ તેના બળવાન સામ્રાજયની લક્ષ્મીથી ભ્રષ્ટ બન્યા અને ભિખારીની જેમ મૃત્યુ પામ્યા. આ પ્રમાણે સંક્ષેપથી ગાથાના અથ કહ્યો. વિસ્તારથી અતા આગળ કહેવાશે તે મહાસતી શ્રી સીતાજીના ચરિત્રથી જાણવા. [૬૫]
શીલવિનાશથી દુર્ગંતમાં થનારું દુર્ગંધ દુ:ખ દૂર રહેા, કિંતુ શીલલિવનાશથી અપજશના પ્રચાર પણ અટતા નથી એમ કહે છેઃ
नेउरपंडियदत्तय - दुहियापमुहाण अज्जवि जयंमि । असइत्तिघोसघंटा - टंकारो विरमह न तारो ॥६६॥
ગાથા:- જગતમાં નૂપુરપડતા અને દત્તપુત્રી વગેરે અસતીએના અસતીત્વની ઘાષણા કરનાર ઘટના માટેા ધ્વનિ આજે પણુ અટકતા નથી.
ટીકા :– બીજો ઘટધ્વનિ અતિશય માટા હોય તા પણ ક્ષણવારમાં ધીમા પડી જાય છે. પણ આ દુરાચારના ઘટની ઘેાષા તે શાસ્ત્રામાં વિદ્વાના વડે આજે પણ કરાય છે. આ પ્રમાણે ગાથાના અક્ષરા છે. ભાવાર્થ તે બે દૃષ્ટાંતાથી જાણવા. તેમાં પહેલું નૂપુરપંડિતાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે ઃ
નૂપુરુષ'ડિતાનું દૃષ્ટાંત
રાજગૃહ નામનું નગર હતું. તેમાં ઊંચા ઘરામાં મુગ્ધજીવા મેાતીઓના લેાભથી નક્ષત્રાને ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા હતા. તે નગરીમાં દેવદત્ત નામના બુદ્ધિશાળી સેાની હતા. લાવાન તે સદા સુવર્ણનાં કુંડલા બનાવતા હતા. તેના દેવિદેશ નામના પુત્ર હતા. જેમ રાજહંસા માનસ સરોવરના આશ્રય લે તેમ વિવેકમા રૂપી ચાંચાવાળા રાજહ’સરૂપી ગુણાએ તેના મનના આશ્રય લીધા હતા તેની ગિલા નામની પત્ની હતી. જાણે પ્રતિમધથી રહિત સ્પર્ધાથી હાય તેમ રૂપ, સૈાભાગ્ય, શૃંગાર અને વિકારાએ તેના અતિશય આશ્રય કર્યાં. એક દિવસ કામથી ઉન્મત્ત બનેલી અને નેત્રની રાગવાળી શૃંગારિક ચેષ્ટાઓથી યુવાનેના મનને કામવાળા બનાવતી તે સ્નાન કરવા નદીએ ગઈ. આભૂષણાના કારણે જેની શરીરકાંતિ સૂર્યથી દ્વિગુણુ થઈ છે એવી અને જાણે ખીજી લક્ષ્મીદેવી હાય એવી તેણે નદીના કાંઠાને શેાભાવ્યા. ત્યાં તેણે શરીર ઉપરથી કાંચળી ઉતારી અને મસ્તકના કેશસમૂહને છૂટા કર્યા. જાણે નદી તરવાની ઈચ્છાથી સ્તનાના બહાને ઘડાઓને ગ્રહણ કર્યા હાય તેવી તે શાભી. ચંચલતાની સમાનતાથી જાણે તરંગા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શીલપદેશમાલા ગ્રંથને વડે સામે જવાઈ હોય તેવી તેણે બે હાથ પહોળા કરીને મહાનદીમાં પ્રવેશ કર્યો. બે હાથ રૂપી પાંખોને હલાવતી. મંદગતિવાળી અને રાજહંસીની જેમ એક કાંઠાથી બીજ કાઠે ફરતી તે નદીમાં તરી. તરંગેના કારણે જેમાં સર્વ અંગે ઢંકાઈ ગયા છે એવા પાણીના ઉપરના ભાગમાં તરતી એવી તેને કેશસમૂહ જાણે શેવાલની વેલડી હોય તેમ શોભે. સૂમ અને ભીનાં વાવાળી તથા જેના શરીરના સર્વ અવય સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એવી તેને જોઈને દુરાચારી અને ચતુર એ કે પુરુષ ક્ષેe પામીને બોલ્યા હે ચંચલનેત્રોવાળીજેમ તને નહી સુખપૂર્વક સ્નાન કર્યું?” એમ પૂછે છે તેમ આ વૃક્ષે પણ પૂછે છે, અને તારા ચરણકમલમાં નામે હું પણ તે પ્રમાણે પૂછું છું. તે પણ બેલી નદીનું કલ્યાણ થાઓ, વૃક્ષે પ્રસન્ન બને, અને “સુખપૂર્વક સ્નાન કર્યું?” એમ પૂછનારનું ઈચ્છિત કરીશ. દુગિલાના વચનથી અતિશય આનંદરસથી પૂર્ણ થયેલ તે જાણે કામદેવની આજ્ઞાથી હોય તેમ ક્ષણવાર ચેષ્ટારહિત જે થઈ ગયો. તે પુરુષ વૃક્ષની ઉપર રહેતા અને ફલેને પાડવાની ઈચ્છાવાળા છોકરાઓને ફળ પાડી આપીને સંતેષ પમાડીને પૂછ્યું કે, આ રી કોણ છે? છોકરાઓએ કહ્યું: દેવદત્ત નામના સોનીની એ પુત્રવધુ છે અને દેવદિત્તની પત્ની છે. અહીંથી એનું ઘર દેખાય છે. પ્રતિબંધથી રહિત તે દુર્ગિલા ક્ષણ પછી જલક્રીડાને પૂર્ણ કરીને લેગિનીની જેમ તે પુરુષનું જ એકાગ્રચિત્તે ધ્યાન કરતી ઘરે ગઈ.
મનમાં પ્રવેશેલા અંગારા જેવા તેના શૃંગારનું સતત ધ્યાન ધરતે તે યુવાન પણ કઈ પણ રીતે સુખ ન પામ્યો. રાત્રિના અગ્નિની જેમ રત' બનેલા અને ચક્રવાકચક્રવાકીની જેમ પરસ્પર વિયોગથી દુઃખી બનેલા તે બેએ દુખપૂર્વક ઘણે કાળ પસાર કર્યો. એકવાર તે ચતુરપુરુષે કુટિલ અને કુલદેવી રૂપ કઈ તાપસીને ઘણ પૂજા કરીને દુગિલાની પાસે મોકલી. તાપસી તે બેના પૂર્વે થયેલા અનુરાગને જાણીને અને તે બેના સંગને (તે બેને મેળાપ હું કરાવી દઈશ એ પ્રમાણે) સ્વીકાર કરીને ભિક્ષાના બહાને સનીના ઘરે ગઈ. થાળીમાં તલના લાડુને આપતી સનીની પુત્રવધૂને જોઈને માયાવી તાપસીએ એકાંતમાં આ પ્રમાણે કહ્યું:- તે યુવાને જ્યારથી તેને પાણીમાં સ્નાન કરતી જોઈ ત્યારથી તારા ગુણેમાં આસક્ત બને તે અન્ય સ્ત્રીને જાણ પણ નથી. તે યુવાન વિષે નેહવાળી અને કુશળ એવી સનીની પુત્રવધૂએ પિતાના બાહ્ય આકારને છુપાવીને તાપસીને કઠેરવાણી કહી. તે આ પ્રમાણે – આહ! હે કુશીલા! કુલીન મને તું દેષિત કરવા એગ્ય છે? જેમ વજમાં વેધ ન થઈ શકે તેમ મારામાં તારા વચનને
૧. અહીં હનન અવ્યય સ્વીકાર અથમાં છે. ૨. સિવિ: એ પદોને ભાવાર્થ આ પ્રમાણે છે:- આંખને મહેમાન છે, અર્થાત્ દેખાય છે. ૩. અગ્નિના પક્ષમાં રક્ત એટલે લાલરંગ, અને સ્ત્રી-પુરુષના પક્ષમાં રક્ત એટલે અનુરાગવાળા.
Page #278
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૯
દુષ્કર જાણુ, અર્થાત્ મારામાં તારું વચન નિષ્ફલ જાણુ. હું દુષ્ટા ! તુ આ કાય કરવા સમથ નહિ થાય. આ પ્રમાણે માલતી અને કૃત્રિમ ક્રોધવાળી દુર્ખિલાએ નીકળતી તાપસીની પીઠમાં કાજળવાળા હાથને થાપેા માર્યાં. દુગિલાના આશયને નહિ જાણનારી તાપસીએ તે યુવાનને આ પ્રમાણે હ્યું:–કુલીન તે' તે સ્ત્રીને પેાતાના વિષેઅનુરાગવાળી નિરથ ક જાણી, અર્થાત્ તે સ્ત્રી તારા વિષે અનુરાગવાળી ન હોવા છતાં તું અનુરાગવાળી સમજે છે. સલવચનવાળી મને હમણાં તું નિષ્કલ ન કર. કુશળ પણ ૧મણિકાર પથ્થરમાં શું કરે? વળી— તેણે હું જ્યારે નીકળી રહી હતી ત્યારે કાજળવાળા હાથથી મારી પીઠમાં જાણે હું અપરાધ કરનારી હાઉં તેમ સ્પષ્ટપણે તમાચા માર્યો. આ પ્રમાણે કહીને તાપસીએ પીઠને ખુલ્લી કરીને તેને બતાવી. ત્યાં પાંચ આંગળીઓની સ્થાપના જોઇને યુવાને વિચાર્યું કે, ચાસ કુશળ દુગિલ એ મને કૃષ્ણ પંચમીએ આવવાના સંકેત કહ્યો છે.
ધૂર્તના ગુપ્ત પણ ચિરત્રને ધૂર્તો જાણે છે. પણ તેણે સ્થાન જણાવ્યું નથી. તેથી મારે કથાં જવું? આમ વિચારીને ધૂત ચતુર પુરુષે તાપસીને ફરી કહ્યું: સુંદર નેત્રાવાળી તે ચાસ મારા ઉપર અનુરાગવાળી જ છે. તે વખતે કોઈપણ કારણથી તારા તિરસ્કાર કર્યાં છે. તેથી મારા વચનથી તું ફરી એકવાર ત્યાં જા. ઉપાયથી કિક્ષાએ પણ ગ્રહણુ કરાય છે તેા તે કેમ ગ્રહણ ન કરાય ? તાપસી મેલી: પેાતાને સતી માનતી તે તારા નામને પણ સહન કરતી નથી. જેમ લવણની ઉત્પત્તિવાળા રુમાદેશમાંથી માણેકરત્નની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે તેમ તેનાથી ઇચ્છિતની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. તે પણ માળી પાસેથી રત્નમાળાની તેમ મારાથી પણ તારી આ આશા સિદ્ધ થતી હોય તે હું ફરી વાર જાઉં છું. આમ કહીને તે ફરી ગઈ. તેણે ગિલાને સ્મિત કરીને કહ્યું: હું સુશ્રુ! તારા પ્રત્યે અનુરાગી અને વિશ્વાસી તે યુવાનનું અપમાન ન કર. સ્થાન જાણવાની ઇચ્છાથી આને ફરી માકલી છે એમ વિચારીને દુગિલાએ જાણે ક્રોધથી હાય તેમ અશાકવનના દ્વારથી તેને બહાર કાઢી. વિલખી અનેલી અને નીચા મુખવાળી તેણે યુવાનને તે વાત જલદી કહી. તે યુવાન તેને મળવાના સ્થાનને જાણીને ચિત્તમાં હર્ષ પામ્યા. ચતુર પુરુષામાં મુખ્ય તેણે પોતાના હૃદયના ભાવને છુપાવીને તાપસીને કહ્યું: તેં મારા માટે આટલું સહન કર્યું છે. પણ તારે દુગિલાને કંઇ ન કહેવું.
હવે તે કૃષ્ણપંચમીના દિવસે અશાકવનમાં ગયા. રસ્તામાં જેતી દુર્ખિલાએ પણ દૂરથી તેને જોયા. એમણે નેત્રરૂપી પડિઆએથી પરસ્પર પ્રેમરૂપી અમૃત પી પીને છાતી દબાવીને તર ંગાની જેમ જલદી ભેટ્યા. લાંબા કાળે દન થવાથી સ્નેહ થયા. સ્નેહપૂર્વક વાર્તા કરતા અને ભાગરૂપી અમૃતનું પાન કરતા તેમના બે પ્રહર એક ઘડીની જેમ પસાર
૧. મણિકાર= મણુિગ્માના દાગીના નાવનાર. ૨. અહીં જૂનમ્ અવ્યય તક અમાં છે.
૩. સ=સારા ભમરવાળી.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શીલપદેશમાલા ગ્રંથને
થઈ ગયા. ક્રીડાથી થાકી ગયેલા તે બે હાથને એશીકું બનાવીને સૂઈ ગયા અને જાણે પિતાના કાર્યથી ત્રાસી ગયા હોય તેમ તેમનાં ને તત્કાલ મીંચાઈ ગયાં. તે વખતે વડીનીતિ માટે અશોકવનમાં ગયેલા દેવદત્ત સેનીએ પુત્રવધુની સાથે સૂતેલા જરપુરુષને જે. પુત્રવધુની સાથે સુતેલે આ પુરુષ જાર જ છે એ નિર્ણય કરવા માટે તે વૃદ્ધ જલદી ઘરે સુતેલા છોકરાને જે. ઘરમાં સુતેલા પુત્રને જોઈને તેણે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું- પુત્રવધૂના અસતીપણાની વાત ઉપર મારે પુત્ર વિશ્વાસ નહિ કરે. આમ વિચારીને તેના પગમાંથી ઝાંઝર લઈને સસરે જ રહ્યો. સસરાએ ઝાંઝર આસતેથી લીધું હોવા છતાં તેને જાણીને દુર્ગિલા જાગી ગઈ. (અહીં કવિ વાચકને પૂછે છે કે-) કામી છાને જાણે ભય પામી હોય તેમ ગાઢનિદ્રા ક્યાંથી હોય તે તું કહે અસતી તેણે જારને કહ્યુંમારા સસરા આપણને જોઈ ગયા છે. એથી તું મને જલદી સહાય કર. જાર પુરુષ તેને સ્વીકાર કરીને ઉપરનું વસ્ત્ર પહેરીને ઘરે ગયે. દુર્ગિલા પણ પતિનું ગાઢ આલિંગન કરીને પતિની પાસે સૂઈ ગઈ. જાણે સંતાપ પામતી હોય તેમ તે અસતીએ પતિને જગાડીને કહ્યું હે સ્વામી! હું અહીં ઘામથી પીડાયેલી છું. આજે મને અહીં ઊંઘ આવતી નથી. તેથી વાયુના સંચારથી શીતલ બનેલા અશોકવનમાં આવે. સરલ આશયવાળે દેવદિન્ન ઉઠીને અશોકવનમાં ગયા. ત્યાં પણ તે તત્કાલ ઊંઘી ગયે. સરળ જીવને પુણ્યરૂપી લમીની જેમ નિદ્રા સુલભ હોય છે. દુળિલા પણ પતિને સંપૂર્ણ શરીરે આલિંગન કરીને નટડીની જેમ સૂઈ ગઈ. જેમ દરિદ્રી મનુષ્યને લક્ષમી ન મળે તેમ સુદ્ર છને નિદ્રા ક્યાંથી હોય? ધૂતારી દલિાએ પતિને કહ્યું. આપના કુળમાં
આ રિવાજ કેવો છે કે સૂતેલી પુત્રવધૂનું ઝાંઝર સસરે લઈ જાય. આવા રિવાજને ધિક્કાર થાઓ. મારું શરીર પૂર્ણ ઢાંકેલું ન હતું. આવી સ્થિતિમાં નિર્લજજ તમારા પિતા મારા ડાબા પગમાંથી ઝાંઝર લઈને એકદમ કેમ જતા રહ્યા? દેવદિને કહ્યું છે ભદ્રા ! તું દુઃખી ન થા, ક્ષણવાર સૂઈ રહે, સવારે પિતાને ઠપકો આપીને તને ઝાંઝર અપાવીશ. દુર્ગિલા બેલીઃ હે મૂર્ખ ! તમે જાણતા નથી કે સવારે તમારા પિતા છેટું બેલશે કે મેં આ પુત્રવધૂને જાપુરુષની સાથે જોઈ છે. તમારી આ આળસથી મારા પ્રાણને નાશ થશે. તેથી હે પ્રિય ! હમણાં જ જઈને વૃદ્ધા પાસેથી ઝાંઝર લઈ આવે. પતિએ કહ્યું- હે પ્રિયા ! શંકા ન કર. મને (તારા ચારિત્ર વિષે) સંશય નથી. ઘટતી બુદ્ધિવાળા મારા પિતાને સવારે હું જે પ્રમાણે કહીશ તે તું જે જે, દુર્ગિલા બેલી તમે પિતાનું મોટું જોઈને મને બીજી રીતે (=અસતી) માનશે. તેથી મારા જીવનને ધિકાર હે ! પ્રિયાને આંસુયુક્ત મુખવાળી અને કલંકભીરુ જાણીને દેવદિને પિતાનામાં વિશ્વાસ પમાડનારા સેંકડે સેગન લીધા. ચીને આધીન બનેલા પુરુષે શું નથી કરતા?
૧. અહીં ૩vપત્યા વિના એ પદમાં રહેલ આદિ શબ્દનો અર્થ રવયં સમજી લેવો. વાક્યની ફિલષ્ટતાના કારણે અનુવાદમાં તેને અથ લખ્યો નથી.
Page #280
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૧ ગુસ્સે થયેલા દેવદિને સવારે પિતાને કહ્યું શરમ પેદા કરે તેવું પુત્રવધૂના ઝાંઝરને કાઢી લેવાનું કાર્ય કેમ કર્યું ? વૃદ્ધ બોલે મેં દુરાચારવાળી પુત્રવધૂને રાતે ઉદ્યાનમાં અન્યપુરુષ સાથે સૂતેલી જોઈ એથી તેની ખાતરી માટે આ ઝાંઝર લઈ લીધું. પુત્રે કહ્યું: ત્યાં હું સૂતે હતે, બીજે કેઈ ન હતું. પણ આપે અનુચિત કરીને મને લજજ. એનું ઝાંઝર આપે. વૃદ્ધાવસ્થા આવી જ હોય છે. તમે એનું ઝાંઝર લીધું ત્યારે એની સાથે હું સૂતો હતો. આ તે ચોક્કસ સતી છે. વૃદ્ધે કહ્યું. જ્યારે હું એનું ઝાંઝર લઈને ઘરે આવ્યા ત્યારે મેં તને ઘરમાં સૂતેલો જોયે હતે. પુત્રવધૂએ કહ્યું હું આ ષારિપણને સહન નહિ કરું. દિવ્યકર્મથી પણ હું મારા આત્માની શુદ્ધિ કરીશ. જેમ શ્રેષ૨નની અંદર રહેલું પાણીનું બિંદુ શ્રેષરત્નને દૂષિત કરે છે, તે રીતે નાનું પણ કલંક કુલીનપણને દૂષિત કરે છે. અહીં ઉત્તમ યક્ષ છે. હું તેને બે ચરણોની વચ્ચેથી નીકળે છું. અશુદ્ધ મનુષ્ય તેના બે ચરણોની વચ્ચેથી નીકળવા કેઈ પણ રીતે સમર્થ બનતે નથી. શંકાવાળા પિતાએ અને શંકા વિનાના પુત્ર સાહસનો અસાધારણ ભંડાર એવી દુર્ગિલાની પ્રતિજ્ઞાને સ્વીકારી. સ્નાન કરીને, ધોયેલાં વસ્ત્રો પહેરીને અને હાથમાં બલિ લઈને દુર્ગિલા સર્વલકની સમક્ષ યક્ષની પૂજા કરવા ગઈ. પૂર્વે સંકેત કરાયેલો જારપુરુષ માર્ગમાં ગાંઠે થઈને જેમ ગાયનું પૂછડું વૃક્ષની ડાળીમાં વળગે તેમ દુર્ગિલાના ગળે વળગે. અહો ! આ ગાંડે છે એમ સમજીને તેના બંધુઓએ તેને દૂર કર્યો. ગિલાએ ફરી સ્નાન વગેરે કરીને યક્ષને વિનંતિ કરી કે, હે યક્ષ ! આ ગાંડે પુરુષ અને માતા-પિતા વગેરે વડિલેએ આપેલો પતિ એ બે સિવાય જે ક્યારેય અન્ય પુરુવનો મેં સ્પર્શ કર્યો હોય તે હે દેવ ! તે પુરુષને તું પ્રત્યક્ષ જુએ છે. આ બંને છેડીને બીજા કેઈ પુરુષે મારા શરીરને સ્પર્શ ન કર્યો હોય તે હે દયાનિધિ યક્ષ ! તારે મહાસતી મને શુદ્ધિ આપવી. જેટલામાં યક્ષ “હું શું કરું ?” એમ વિચારી રહ્યો હતે તેટલામાં ધૂતારી દુર્ગિલા જલદી તેના ચરણેની વચ્ચેથી નીકળી ગઈ. તત્કાલ સઘળો લેક આ શુદ્ધ છે, આ શુદ્ધ છે, એમ બોલવા લાગ્યા. આ વખતે રાજપુરુષોએ તેના કંઠમાં પુષ્પમાળાનું આરોપણ કર્યું. ચારે બાજુ સ્વજનેથી પરિવરેલી દુર્મિલા હર્ષ પામેલા દેવદિત્તની સાથે વાજિંત્રોના નાદપૂર્વક પિતાના ઘરે ગઈ.
તે જ્યારથી ઝાંઝર કાઢી લેવાના કારણે થયેલા કલંકથી પાર ઉતરી ત્યારથી લેકે તેને નુપૂર પંડિતા એ પ્રમાણે કહેવા લાગ્યા. પુત્રવધુના આવા ચરિત્રથી આશ્ચર્ય પામેલ સોની દેવદત્ત એગીની જેમ નિદ્રારહિત બની ગયે. અપૂર્વકરણમાં આરૂઢ થયેલા મુનિની જેમ તેને નિદ્રાથી દરિદ્ર (=રહિત) જાણીને રાજાએ તેને પિતાના અંત:પુરને રક્ષક બનાવ્યું. તે વખતે હાથીના મહાવતમાં આસક્ત બનેલી કઈ રાણી વારંવાર ઉઠીને રક્ષકને જાગતે જોઈને વારંવાર પાછી ફરતી હતી. કુશળ સોની તેના વૃત્તાંતને જાણવાની ઈચ્છાથી ઘુરઘુર અવાજ કરતે જાણે નિદ્રા આવી ગઈ હોય તેમ કપટથી સૂઈ ગયે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શીલપદેશમાલા ગ્રંથને તે રાણી ચેરની જેમ ઉઠીને આમ-તેમ આંખે ફેરવીને નિત્યના સંકેત મુજબ ઊંચા ઝરુખા ઉપર ચઢી. ઝરુખાની નીચે બાંધેલા રાજાના પહસ્તીએ તેને સૂઢથી લઈને બીજી ભૂમિમાં મૂકી મેડી આવવાના કારણે મહાવતને ક્રોધ થયો. ક્રોધના આવેશથી તેણે હાથીને બાંધવાની સાંકળથી રાણીને પીઠમાં દાસીની જેમ મારી. રાણી બેલી આજે કઈ ન પહેરીગર મૂક્યો છે. તે જાતે જ રહેતું હતું. તેના ભયથી હું ન આવી. હમણાં તે દુષ્ટાત્મા સૂઈ ગયે. એટલે અવસર પામીને જલદી આવી છું. તેથી તે સ્વામી! મારા ઉપર નિરર્થક ક્રોધ ન કરે. રાણીએ આ પ્રમાણે ક્રોધરૂપી કાદવવાળા મહાવતને સમજાવ્યું. કામથી પીડાયેલા મહાવતે પોતાની પત્નીની જેમ રાજરાણુ સાથે કામક્રીડા કરી. રાત્રિના છેલ્લા પ્રહરમાં રાજહસ્તીએ તેને તે જ પ્રમાણે ઝરુખામાં મૂકી દીધી. મહાન સાહસવાળી તે પિતાના સ્થાને ગઈ. આ જોઈને નિર્મલ ચિત્તવાળા સોનીએ વિચાર્યું કે, ખરેખર ! મેઘગર્જનાની જેમ સ્ત્રીચરિત્રને જાણવા કેણ સમર્થ છે? જે રાજરાણીઓની પણ શીલ વિષે આવી ચેષ્ટા છે તે સામાન્ય માણસની સીઓની શીલ વિષે આવી ચેષ્ટામાં શે આશ્ચર્ય છે? જેમને સદા પોતાના ઘરકામમાં જોડેલી નથી અને એથી જે સ્ત્રીઓ પિતાની મરજી મુજબ ફરે છે તે સ્ત્રીઓનું શીલ કેટલું લાંબો કાળ રહે? અર્થાત્ તેવી રીઓનું શીલ લાંબે કાળ ટકે નહિ. આ પ્રમાણે વિચારીને પુત્રવધૂના દોષના કારણે થયેલ ક્રોધ-યુક્ત ધ્યાનને ત્યાગ કરીને, જેમ જેણે મહાભારને ઉતાર્યો છે એ પુરુષ શ્રમને કારણે ઘસઘસાટ ઊંઘી જાય તેમ, તે ઘસઘસાટ ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘી ગયેલ તે સૂર્યોદય થવા છતાં ન જાગે એટલે પહેરીગરેએ રાજાને તે વાત કહી. તે કારણ વિના અચાનક આ રીતે ઊંધે નહિ એમ વિચારીને રાજાએ કહ્યું તે જ્યારે જાગે ત્યારે તેને જલદી અહીં મોકલો. જાણે ઘણા કાળથી એકઠી કરી હોય તેમ નિદ્રાસુખને પામેલો સોની સતત સાત રાત સુધી સૂત. પછી જાગેલા તેને સેવકે જાણે અન્ય દ્વિીપમાંથી આવ્યો હોય તેમ રાજા પાસે લઈ ગયા. - રાજાએ તેને આ પ્રમાણે પૂછ્યું: હે સોની ! સાત રાત જેટલા લાંબા કાળ સુધી તું કેમ ? સનીએ રાજા પાસેથી અભય લઈને તે બધું સ્પષ્ટ કહ્યું. રાજાએ હાથી, પત્ની અને મહાવતને તે વૃત્તાંત જાણીને સોનીને સત્કારપૂર્વક રજા આપી, પિતાની કઈ પત્ની અસતી છે એ જાણવા માટે રાજાએ કારીગરો દ્વારા કાણને મોટો હાથી કરાવ્યું. પછી ગુઢ અભિપ્રાયવાળા રાજાએ અંતઃપુરની બધી સ્ત્રીઓને બોલાવીને સંભ્રમપૂર્વક કહ્યું આજે મેં એવું અશુભ સ્વપ્ન જોયું છે કે તમારે મારી આગળ વઅરહિત બનીને કાષ્ઠના હાથી ઉપર બેસવું. રાજાના દેખતાં અંતઃપુરની સ્ત્રીઓએ તે પ્રમાણે કર્યું. તે એક રાણીએ ધ્રુજતાં ધ્રુજતાં કહ્યું હે સ્વામી! આ હાથીથી હું ભય પામું છું. ; ૧. વાકય ફિલષ્ટ બની જાય એ દષ્ટિએ અહીં અનુવાદમાં મુદ્દાશબ્દનો અર્થ કર્યો નથી. મુદ્રા એટલે સીક્કો. નિત્ય સંકેતરૂપ સીક્કાથી એમ શબ્દાર્થ થાય.
Page #282
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૩
રાજાએ ગુસ્સે થઈને તેને કાળા કમળાઈડથી મારી. આથી તે રાણી જાણે મૂર્છા આવી ગઇ હોય તેમ કપટથી ક્ષણવારમાં ભૂમિ ઉપર પડી. તેથી રાજાએ આ જ કુલટા છે એમ બુદ્ધિથી નિ ય કર્યાં. પીઠમાં સાંકળના પ્રહારાને જોઈને સ્મિત કરીને કહ્યું; ઉન્મત્ત હાથી દ્વારા કામક્રીડા કરે છે અને કૃત્રિમ હાથીથી ગભરાય છે, સાંકળના પ્રહારથી હ પામે છે અને કમલદ‘ડના પ્રહારથી મૂર્છા પામે છે. અત્યંત ગુસ્સે થયેલા રાજાએ વૈભાર પરંતુ ઉપર જઈને પત્નીને, હાથીને અને મહાવતને ત્યાં ખેલાવ્યા. તે હાથી ઉપર મહાવતની સાથે રાણીને બેસાડીને ભ્રકુટિ ચઢાવવાના કારણે ભયંકર મુખવાળા થયેલા રાજાએ આજ્ઞા કરી કે, પર્વતના ઉપરના શિખર ઉપર ચઢીને તમે ઝંપાપાત કરો, જેથી મારા ત્રિવર્ગ (=ધર્મ, અર્થ અને કામ) સફૂલ થાય. મહાવત હસ્તિરત્નને પર્વતના શિખર ઉપર લઈ ગયા. ત્યાં એક પગ અદ્ધર અને ત્રણ પગ ભૂમિ ઉપર એવી સ્થિતિમાં હાથીને રાખ્યા. આ વખતે હાહાકાર મચાવતા લેાકેા ખેાલ્યાઃ હે રાજાએમાં શ્રેષ્ઠ એવા સ્વામી! આદેશ પ્રમાણે કરનારા આ પશુ હાથીની રક્ષા કરે.. ક્રોધના કારણે લોકવાણીની અવગણના કરીને રાજાએ મહાવતને જલદી કહ્યું: હાથીને નીચે પાડ. આથી મહાવતે હાથીને જલદી એ પગે ઊભા રાખ્યા. તેથી નિરક થતા હસ્તિરત્નના વધને જોવા અસમર્થ જનતાએ હાથ ઊંચા કરીને દુઃખપૂર્વક રાજાને કહ્યું: હું દેવ ! આ હાથી દુર્લભ છે, સવ લક્ષણાથી યુક્ત છે, સુશિક્ષિત છે, અને આપને બેસવા યેાગ્ય છે. તેથી આના વધ કરવા ચેાગ્ય નથી. સ્વામી ચૈાગ્ય કે અયેાગ્ય કાર્ય કરવામાં સ્વાધીન હૈાવા છતાં પરાધીન હાય છે, અર્થાત્ સ્વામીએ બીજાની પણ ચેાગ્ય વાતને માનવી જોઈ એ. તેથી હે દયાસાર ! પ્રસન્ન થાએ અને પ્રયત્નથી હસ્તિરત્નનું રક્ષણ કરો. જનતાની વિન ંતિને માનીને રાજાએ લેાકેાને કહ્યું: તમે મારાવતી મહાવતને કહેા, જેથી તે ઉત્તમ હાથીને પર્વતના શિખર ઉપરથી પાછા વાળે. તે વખતે લેાકેા જોરથી મેલ્યાઃ હે મહાવત ! રાજાની આજ્ઞા છે કે આ હાથીને પર્વતના શિખરથી પાછેા વાળ. મહાવત મેલ્યા: જો રાજા અમને બેને સર્વથા અભય આપે તેા આ હાથીને પવ ત ઉપરથી ભૂમિ ઉપર સુખપૂર્વક લઈ આવું. પ્રધાનાએ રાજાને આ વાત કહી. રાજાએ તે એને અભય આપ્યું. મહાવતે હાથીને ધીમે ધીમે પૃથ્વી ઉપર ઉતર્યાં. પછી રાજાએ એ એને તમે જલદી મારા દેશ છેડી દો એવી આજ્ઞા કરી. આથી રાણી અને મહાવત હાથી ઉપરથી ઉતરીને નાસી ગયા.
સાંજના સમયે તે એ કાઈક ગામમાં આવ્યા. ઘણું ચાલવાથી થાકેલા અને પેાતાને ધન્ય માનતા તે અને કોઇ શૂન્ય દેવ-મદિરમાં સૂઈ લગા. તે વખતે એક ચાર ભર રાતે ગામમાંથી ચારી કરીને નાસ્યા, અને ત્યાં જ દેવમ`દિરમાં પેઠો. ગામના રક્ષકાએ ચાર દેવકુલમાં પેઠી છે એમ જાણ્યું. સવારે તેને ચાક્કસ પકડી લઈશું' એમ વિચારીને રક્ષકપુરુષા દેવમ"દિરને ઘેરી વળ્યા. તે મન્દિરમાં અંધકારમાં બધે ભમતા ચાર જયાં તે
૩૫
Page #283
--------------------------------------------------------------------------
________________
२७४
શીલોપદેશમાલા ગ્રંથને બે સૂતા હતા તે સ્થાનમાં આવ્યું. મહાવત ઘસઘસાટ ઊંઘી ગયે હતે. એથી ચેરને સ્પર્શ થવા છતાં તે જાગ્યો નહિ. રાણીને ચેરના હાથને જરા સ્પર્શ થવાથી જાગી ગઈ જાણે વશ કરવાનું ઔષધ હોય તેવા તેણે ક્ષણવાર રાણીને ધીમેથી સ્પર્શ કર્યો. ચેર ઉપર અનુરાગવાળી બનેલી રણુએ ધીમેથી પૂછયું: હે ભદ્ર! રાતે (આવેલો) તું કેણુ છે? તે બે હે ભદ્રા ! હું ચોર છું. રક્ષક પુરુષના ભયથી નાસતે હું પ્રાણનું રક્ષણ કરવાની ઈચ્છાથી હમણુ અહીં પેઠે છું. અનુરાગવાળી અને દુરાચારવાળી તેણે ચારને ધીમેથી કહ્યું તું મારું વાંછિત કરે તે અવશ્ય હું તારી રક્ષા કરું. ચોર બેઃ હે સુભ્ર મેં સોનું મેળવ્યું છે, અને (તને મેળવવાથી) સુગંધ પણ મેળવી છે. મારા પ્રાણનું રક્ષણ કરવાથી તે જીવન પર્યત મારા જીવનની માલિક છે. પણ હે સુંદર મુખવાળી! તું કહે કે કઈ યુક્તિથી મારું રક્ષણ કરીશ. (આ કહીને) ક્ષણવાર મારા ચિત્તને આશ્વાસન આપ. કારણ કે તું મને પુણ્યથી મળી છે. રાણીએ કહ્યું: સવારે રક્ષક પુરુષે આવશે એટલે હું તને જ મારે પતિ કહીશ. ચારે કહ્યું એમ થાઓ. સવારે જેમણે ભૂકુટિ ચઢાવી છે તેવા સુભટોએ હથિયાર સહિત દેવમંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે સંભ્રમપૂર્વક પૂછયુંઃ તમારામાં ચેર કેણ છે? જાણે મૂર્તિમંત માયા હોય તેવી દુષ્ટ રાણીએ ચોરને ઉદ્દેશીને=ચેર તરફ હાથ કરીને આ મારા પતિ છે એમ ગામના રક્ષક પુરુષને કહ્યું. બીજે ગામ જતા અમે પતિ-પત્ની સાંજ થતાં થાકી ગયા, અને આ રાત આ દેવમંદિરમાં રહ્યા. તેમણે ભેગા થઈને પરસ્પર વિચારણા કરી કે, લુંટવાને બંધ કરનારા ચાર પાસે આવું સ્ત્રીરત્ન ક્યાંથી હોય? જે સ્ત્રી જાણે પ્રત્યક્ષ લક્ષ્મીદેવી હોય તેવી ઉત્તમ સ્ત્રીને પતિ ચેર હોય એ વાત સંગત બનતી નથી. પણ આ જ એર છે એમ મહાવત ઉપર દેષને આરોપ મૂકીને તેમણે તત્કાલ તેને શૂળી ઉપર ચડાવી દીધા. શૂળી ઉપર ચઢેલા તેને પાણીની તરસ લાગી. તેથી તેણે તે માર્ગથી જેને જેને જ જે તેની તેની પાસે દીનવચનથી પીવા માટે પાણીની માગણી કરી. રાજાના ભયથી તેને કેઈએ પણ પાણી પીવડાવ્યું નહિ. આ દરમિયાન જિનદાસ નામનો શ્રાવક તે માર્ગથી ગયે. પાણી માગતા ચોરને શ્રાવકે આ પ્રમાણે કહ્યું. જે તું મારું કહ્યું કરે તે હું તારી તૃષાને દૂર કરું. જ્યાં સુધીમાં હું પાણી લાવું ત્યાં સુધી તું નમો અરિહંતાળ એ પદનું સ્મરણ કરમહાવત પણ પાણીની ઈચ્છાથી તે પદનું રટણ કરવા લાગે. શ્રાવક રાજાની રજા લઈને પાણી લઈ આવ્યું. કારણ કે તેવા પુરુષો પવિત્ર પરોપકાર માટે હર્ષથી પ્રયત્ન કરે છે. પાણી લાવેલું જોઈને મહાવત આશ્વાસન પામ્યા. અને તત્કાલ નમો અરિહંતાણં એ પદને મોટેથી બોલતે મૃત્યુ પામ્યા. ધર્મ તત્ત્વનેન જાણવા છતાં નમસ્કાર મહામંત્રના પ્રભાવથી અકામનિર્જરા થવાથી તે વ્યંતરનિકામાં દેવ તરીકે ઉત્પન્ન થયે. ૧. અહીં રહ્ય પદના સ્થાને થી દશા એમ લેવું જોઈએ. અહીં ધા રણ એ પાઠ સમજીને
અર્થ કર્યો છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૫ ચિરની સાથે રસ્તામાં જતી ઉન્મત્ત તે અસતી જાણે અશુભ મર્યાદાવાળે જીવ હોય તેવી નદી પાસે આવી. ચોરે તેને કહ્યુંઃ હે પ્રિયા ! વસ્ત્ર અને અલંકારોથી સહિત તને એક જ વખતમાં નદીના સામા કિનારે લઈ જવા સમર્થ નથી. તેથી તારાં વસ્ત્રો અને અલંકાર વગેરે. મને આપી દે. જેથી આ સામા કાંઠે રાખ્યા પછી તને સુખપૂર્વક લઈ જઉં. હું પાછો આવું ત્યાં સુધી તું નિર્ભયપણે શરજાતિના ઘાસના ગુચ્છામાં છુપાઈને રહે. હું જલદી આવી જઈશ. હે પ્રાણેશ્વરી! તું શંકા કેમ રાખે છે ? હમણાં જ આવીને તને મારી પીઠ ઉપર ધારણ કરીને ગરુડની જેમ સામા કિનારે લઈ જઈશ. રાણી તેને બધું આપીને પોતે જાણે મહાન અપરાધથી ભાગ્યે સઘળા ધનને દંડ કર્યો હોય તેમ શરજાતિના ઘાસ ના વનમાં રહી. ચેરે ક્ષણવારમાં નદીના સામા કિનારે જઈને વિચાર્યું જેણે પતિને તે પ્રમાણે મારી નંખાવ્યું તે મારા પણ કષ્ટ માટે જ છે. આ પ્રમાણે વિચારીને પાછળ જોઈને તે પક્ષીની જેમ ઉડ્યો, અર્થાત્ દેડતે નાસી ગયો. ધૂત માણસો પિતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જતાં બીજાઓની અપેક્ષા કરતા નથી. વસ્ત્રથી રહિત બનેલી, જેની આશા અત્યંત ભાંગી ગઈ છે એવી, વ્યાકુળ અને ચંચળ નેત્રવાળી તેણે તેને વસ્ત્રો વગેરેને લૂંટીને ભાગી જતે જોઈને હાથ ઊંચો કરીને બૂમ પાડી. હાહા ! હે કૃતદિન ! આકાશમાંથી ભ્રષ્ટ થયેલી લક્ષમી જેવી મને છોડીને જતા તને રસ્તામાં આવતા વિનને દેવતાઓ કેવી રીતે દૂર કરશે? ચાર બેઃ હે હતાશ સ્ત્રી ! વનમાં વસ્રરહિત એકલી અને ભયંકર તને જોઈને હું ભય પામું છું. તેથી તે દુષ્ટ આશાવાળી સ્ત્રી ! ત મને નહિ જોઇએ. આ પ્રમાણે બલીને તે હરણફાળ દેડ નાસવા લાગ્યો. બંને બાજુથી ભ્રષ્ટ થયેલી, અતિશય દીન મુખવાળી અને દુષ્ટ તે ત્યાં જ રહી.
આ તરફ દેવ થયેલા મહાવતના છ અવધિજ્ઞાનથી સ્વચ્છંદી રાણીને વનમાં તેવી સ્થિતિમાં રહેલી જોઈ. પૂર્વભવની પત્ની હોવાથી તેને બંધ પમાડવાની ઈચ્છાથી તેણે મુખમાં માંસના ટુકડાવાળા શિયાળનું રૂપ ધારણ કર્યું. તેના દેખતા શિયાળે મુખમાં રહેલી માંસપેસીને ત્યાગ કરીને નદીના કિનારે રહેલા માછલાને ખાવા માટે જલદી દેડયો. માછલું ક્ષણવારમાં ફરી નદીના પાણીમાં જતું રહ્યું. માંસને ટુકડે સમળીએ લઈ લીધે. શિયાળ તે ઉભયથી ભ્રષ્ટ બનીને રહ્યો. અરહિત રાણીએ શિયાળને કહ્યું હે દુબુદ્ધિ ! માંસને છોડીને માછલાની ઈચ્છા કરી. આથી તું માંસ અને માછલું એ બંનેથી ભ્રષ્ટ બન્યા. શિયાળ! હવે તું શું જુએ છે ? શિયાળે તેને કહ્યુંઃ પતિને મૂકીને જાર પુરુષને આદર કરનારી તું પતિ અને જાપુરુષ એ બંનેથી ભ્રષ્ટ બની. હે વીરહિત સ્ત્રી ! હવે તું શું જુએ છે? આ સાંભળીને તે ભયથી કંપવા લાગી. વ્યંતરમાં સમર્થ અને તેજપુંજવાળા તે દેવે દિવ્યસ્વરૂપ ધારણ કરીને તેને કહ્યું: હે પાપિણી ! તે વખતે જેને તે મારી નંખાતે હું મહાવત છું. જેને ધર્મની કૃપાથી આ દેવપણને પામ્યા છું. તેથી તું અપરાધ કરનારી હોવા છતાં હું તેને દયાથી કહું છું કે તું પૂર્વના
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શીલપદેશમાલા ગ્રંથને પાપોનો નાશ કરનાર જેનધર્મને સ્વીકાર કર. તેણે “તે પ્રમાણે થાઓ” એમ સ્વીકાર કર્યો. આથી વ્યંતરદેવે તેને ઉપાડીને સાદવજીના ચરણકમલ પાસે લઈ જઈને દીક્ષા લેવડાવી. આ પ્રમાણે પવિત્ર શીલરૂપી રનના વિનાશને પામેલી તે – પુરપંડિતાને અસતીપણાના કારણે થયેલે અપકીર્તિને નાદ આજે પણ વિરામ પામ્ય જ નથી.
દત્તપુત્રીનું દષ્ટાંત હવે દત્તપુત્રીનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે - બળવાન લક્ષમીનું મંદિર એવું જયપુર નામનું નગર હતું. તે નગરની ઊંચી હવેલીની અગાસીઓ દેવોની વિશ્રાંતિ માટે થતી હતી. તે નગરમાં ધર્મની શાળા સમાન અને મહાન પરાક્રમી જયરથ નામને રાજા હતા. તેની તલવારની ધારમાં લક્ષમીએ નિત્ય વાસ કર્યો હતો. તે રાજાને દત્ત નામને મંત્રી હતે. આંતરનિરીક્ષણથી રહિત કવિ પિતાને દત્તની બુદ્ધિથી જિતાયેલો જણાવતું હતું, અને કારણે જ થઈ ગયા હતા. તે મંત્રીની કલ્પવૃક્ષની મંજરીના જેવી શંગારમંજરી નામની કન્યા હતી. તે કામીપુરુષો રૂપી ભમરાઓના મનને તેમાં ( ગારમંજરી રૂપી કલ્પવૃક્ષની મંજરીમાં લીન બનાવતી હતી. ચવનમાં આરૂઢ થયેલી તેણે બે પુષ્ટ સ્તન રૂપી પર્વતમાં રહેલા કામરૂપી સિંહના બળથી વિશ્વના મનને ભમાવ્યું. પૂર્વભવે આચરેલ કર્મરૂપી મલિનતાથી દુષિત બનેલી તે ગતિ અને હૃદયના ભાવને જણાવનારી બાહ્યચેષ્ટાઓથી અસતીપણાને પામી, અર્થાત્ તેની ચાલ અને બાહ્ય ચેષ્ટાઓ અસતી સ્ત્રી જેવી હતી. તે આ પ્રમાણે- રસ્તામાં જતી તે તિછી દ્રષ્ટિથી જતી હતી. નહિ બોલતા પણ પુરુષને કઠોરવાણીથી બેલાવતી હતી. ચંચળ, સુવર્ણના જેવી સુંદર કાંતિવાળી, ઘણું ભપકાના શણગારવાળી અને અનેક સ્થળે ઊભી રહેતી તે વિજળીની પંક્તિની જેમ શોભતી હતી.
એકવાર ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છાવાળા જયરથરાજાએ ઝરુખામાં બેઠેલી શૃંગારમંજરીને જોઈ તે વખતે જાણે રાજાનું ચિત્ત બીજે છે એમ જાણીને હોય તેમ કામદેવે રાજાને જેમ ભીલ ગીતમાં આસક્ત બનેલા હરણને હણે તેમ હ. કામદેવને વશ બનેલો રાજા ઉદ્યાનની મનેહરતાને ભૂલીને જેમ પોપટ પાંજરામાં આવે તેમ મહેલમાં પાછો આવ્યો. રાજાએ જલદી પ્રધાન દ્વારા દત્તપ્રધાનની પાસે શૃંગારમંજરીની માગણી કરી. પિતાના રાગથી સમજાવાયેલો કેઈ પણ મનુષ્ય શું બીજાની અપેક્ષા રાખે? (અર્થાત્ જેને અમુક વસ્તુ પ્રત્યે તીવરાગ થઈ જાય તે મનુષ્ય બીજાની અપેક્ષા રાખ્યા વિના ૧. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- કવિ માત્ર બહારનું નિરીક્ષણ કરીને કલ્પનાઓ કરતા હતા. પણ આંતરનિરીક્ષણ (=ઊંડાણથી વિચાર) કરી શકતા ન હતા. દત્તમંત્રી આંતરનિરીક્ષણ (=ઊંડાણથી વિચાર) કરી શકતા હતા. બાઘનિરીક્ષણ કરતાં આંતરનિરીક્ષણ મહત્વનું છે. આ દષ્ટિએ કવિ પોતાને દત્તની બુદ્ધિથી જિતાયેલો માનતા હતા. અને કાણ થઈ ગયા હતા.
Page #286
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૭ જાતે જ તે વસ્તુને મેળવવા પ્રયત્ન કરે છે. અહીં દર સામે ચડીને પિતાની પુત્રી મને આપે તે હું પરણું એવી અપેક્ષા વિના રાજાએ જાતે જ મંત્રીઓ દ્વારા દત્તની પુત્રીની માગણી કરી. દત્તપ્રધાને આપેલી શંગારમંજરીને પરણીને રાજા જેમ તત્વજ્ઞાની શાંતિને પામે તેમ અતિશય હર્ષને પામ્યા. સ્વાભાવિક ચંચળતાથી શૃંગારિક ચેષ્ટાઓવડે રાજાની સેવા કરતી શંગારમંજરીએ રાજાને કપટથી પોતાનામાં આસક્ત બનાવ્ય, અર્થાત્ તેને અંતરથી રાજ પ્રત્યે પ્રેમ ન હોતે, કિંતુ બહારથી પ્રેમને દેખાવ કરતી હતી અને એથી રાજા આને મારા પ્રત્યે પ્રેમ છે એમ માનીને તેના પ્રત્યે આસક્ત બન્યા હતા. તેને વશ બનેલો રાજા ક્યારેક મનહર ઉદ્યાનમાં, ક્યારેક ક્રીડાપર્વતમાં તે ક્યારેક સાતમાળવાળા મહેલમાં તેની સાથે ક્રિીડા કરતે હતે. કામાતુર રાજા સ્વછંદ આચરણ કરનારી, વિવિધ વિલાસમાં આદર કરનારી અને લક્ષમી જેવી શંગારમંજરી સાથે ક્રીડા કરતું હતું. રાજાએ તેને શેક્યોથી જુદી કરીને કામદેવના મંદિર સમાન સાતમાળવાળા મહેલમાં રાખી. જેમ વાયુના રોગવાળો બે ચંદ્રને જુએ તેમ, રાજા એની ચંચળતાને ઉદ્યમ, મુખરપણાને વતૃત્વ, પિઠાઈને સ્થિર પ્રેમ, અતિહાસ્યને સરળતા, આમ–તેમ દષ્ટિપાતને લજજા માનતે હતે, અર્થાત્ એના દેષને પણ ગુણ માનતે હતે. પતિના પ્રેમથી સાતમાળવાળા મહેલમાં સ્નાન, પાન, ભેજન વગેરે સઘળી ક્રિયાઓને કરતી તે દેવીની જેમ પોતાની મરજી મુજબ રહેતી હતી.
આ તરફ તે નગરમાં કામદેવ જેવો ધનંજય નામને શ્રેષ્ઠિપુત્ર તે રસ્તે મહેલની નીચેથી પસાર થયે. કામદેવ જેવા દેદીપ્યમાન તેને જોઈને કામથી મૂઢ બનેલી શંગારમંજરી જાણે બાહુપાશ નાખતી હોય તેમ તેના ગળામાં પુષ્પમાળા નાખી. તેના ભાવને જાણનારા ધનંજયે પિતાના પુરુષો દ્વારા ગુપ્ત રીતે શંગારમંજરીના મહેલથી ઉદ્યાન સુધી સુરંગ ખોદાવી. (સુરંગ દ્વારા) ઉદ્યાનમાં ગમનાગમન કરતી કામાતુર રાણીએ પિતાને ઈષ્ટ ક્રીડાઓથી કેટલેક કાળ સુખપૂર્વક પસાર કર્યો એકવાર રાજવાટિકાથી પાછા ફરતા રાજાએ શંગારમંજરીને ઉદ્યાનમાં ક્રીડા કરતી જોઈ. રાજા મને જોઈ ગયા છે એમ જાણીને ચતુર શૃંગારમંજરી સુરંગ દ્વારા મહેલમાં જઈને (આવતા) રાજા તરફ દષ્ટિ રાખીને ઝરુખામાં રહી. રાજા જ્યારે જલદી મહેલ ઉપર ગયે ત્યારે શંગારમંજરીને પ્રેમથી પોતાના તરફ દષ્ટિવાળી જોઈને હર્ષ પામે. એકવાર ગાયકેએ સાંજના સમયે સામંતસહિત રાજાની આગળ સંગીતને ઉત્સવ કર્યો. રાજાએ 'તાન, માન, લય, ગ્રામ, મૂઈના અને શબ્દોથી મનોહર અને વાજિંત્રોથી સુંદર ગીત સાંભળ્યું. શંગારમંજરી ગાયકે પ્રત્યે વિકારવાળી બને છે. એ જાણીને રાજાએ સંગીત બંધ કરાવ્યું. પછી રાજા મહેલ ઉપર ગયે. ત્યાં તેણે જોયું તે શંગારમંજરીને ઉત્તમ શય્યામાં ઘેરાતી આંખેવાળી
૧. તાન ગાયનનું એક અંગ, માન=તાલને વિરામ. લય=નૃત્ય, ગીત અને વાજિંત્ર એ ત્રણની એકતા. ગ્રામ રાગને એક પ્રકાર. મૂઈના ગાયનમાં સ્વરેની ચઢ-ઉતર.
Page #287
--------------------------------------------------------------------------
________________
२७८
શીપદેશમાલા ગ્રંથને અને જાણે ઊંઘતી હોય તે રીતે સૂતેલી જોઈ પત્નીને આવી જેઈને રાજાએ પિતાની (શંગારમંજરી ગાયકે પ્રત્યે વિકારવાળી બની છે એવી) શંકાને દૂર કરી. રાણીએ વિશેષ અનિષ્ટની શંકાથી રાજાની તેવી રીતે સેવા કરી કે જેથી રાજાએ તેણે કરેલા (કૃત્રિમ) આતિથ્યને સાચું માન્યું.
વસંતઋતુના સમયમાં એકવાર નગરજને, સામતરાજાઓ અને અંતઃપુરની સાથે ૨ાજા ઉદ્યાનમાં કીડા કરવા ગયે. પુષ્પોને વીણને (ચૂંટીને) થાકી ગયેલા રાજા અને રાણી રાતે ક્યાંક વેલડીને મંડપમાં ઘસઘસાટ ઊંઘી ગયા. જાણે ભયંકર યમ હોય તેવા સર્ષે રાણીને દંસ દીધે. રાણી તુરત જાગી ગઈ અને પિકાર કરવા લાગી. રાજાએ જેટલામાં મંત્રવાદીઓને બોલાવવાનું શરૂ કર્યું તેટલામાં રાણી વિષના વેગથી (=તીવ્ર અસર થવાથી) મૂછિત બનીને નીચે પડી. ગારુડિકેએ વિષને દૂર કરવા માટે જે જે ક્રિયાઓ કરી તે તે ક્રિયાઓ દુર્જને ઉપર કરેલા ઉપકારની જેમ નિષ્ફળ બની. પ્રિયાના પ્રેમથી વિહળ બનેલા અને રાજ્યને જુના ઘાસના તણખલા જેવું માનતા રાજાએ ધીરતાને ત્યાગ કરીને ઘણું કાળ સુધી વિલાપ કર્યો. રાજા રજવા છતાં કેટલામાં ચંદનના કાણોથી રચેલી ચિતામાં પત્નીની સાથે પ્રવેશ કરવાની ઇચ્છાવાળો થયો તેટલામાં આકાશમાર્ગે નંદીશ્વર જાતે એક વિદ્યાધર ત્યાં જનસમૂહને એકઠા થયેલે જઈને ઓચિંતે નીચે ઉતર્યો. સર્ષથી દંશાયેલી પ્રિયાના પ્રેમના કારણે રાજા અગ્નિની ચિતામાં પ્રવેશ કરી રહ્યો છે એમ જાણીને વિદ્યાધરને દયા આવી. આથી વિદ્યારે રાજાને તેવા સાહસથી
એકદમ રોકીને તેની પત્ની ઉપર જલદી પાણી છાંટીને તેને વિષરહિત બનાવી. તે વખતે રાજા આનંદ પામ્ય, જનતા હર્ષ પામી. સ્ત્રીઓએ ગીત ગાયા, નગારાં વાગ્યાં, જગત હર્ષમય બની ગયું. રાજાએ અકૃત્રિમ (કેઈ જાતના સ્વાર્થ વિના) ઉપકાર કરનાર વિદ્યાધરનું ઘણું પ્રેમ અને આદરથી સન્માન કર્યું. પછી રાજાએ તેને રજા આપી. ફરી એકવાર રાજા ઉદ્યાનમાં આવ્યું અને રાત ત્યાં જ રહ્યો. કામદેવથી જીવનારા (=અતિક કામવાસનાવાળા) જીવો ઉપદ્રવ વાળા સ્થાનને પણ સેવે છે. - આ તરફ પૂર્વે કરેલા સંકેતથી ધનંજય ત્યાં જ આવ્યા. જેનું મન જયાં લાગેલું હેય તે અતિશય દૂર હોય તે પણ નજીક છે. રાણીએ તેની પાસે આવીને કહ્યું. આ પ્રમાણે આપણને સુખ શું છે? તેથી રાજા જાગે નહિ ત્યાં સુધીમાં અન્ય કેઈ દેશમાં જઈએ. ધનંજયે કહ્યું: હે મુગ્ધા ! આ વિચારપૂર્વકની બુદ્ધિ નથી. સર્ષના મસ્તકે રહેલા મણિને લેવા કેણ સમર્થ છે? આ રાજા જીવતે હોય ત્યાં સુધી જે તારુ હરણ કરવાની ઈચ્છા રાખે છે તે પોતાને પ્રજવલિત બનેલા તલવારરૂપી અગ્નિમાં હોમવાની ઈરછા કરે છે. ધનંજયે જે કહ્યું તેનો સ્વીકાર કરીને રાજાને હણવાની ઈચ્છાવાળી રાજાની " . સુથાર્ત પદને અર્થ વાલિષ્ટતાના કારણે અનુવાદમાં કર્યો નથી. તેને અંય આ પ્રમાણે છે- પછી રાજાએ જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે તેને રજા આપી. * * * * * * *
Page #288
--------------------------------------------------------------------------
________________
ગુજરાતીભાવાનુવાદ
૨૭૯
પાસે ગઈ અને દયારહિત તેણે તલવાર હાથમાં લીધી. રાણી મ્યાનરહિત તલવારને હાથમાં લઈને જેટલામાં રાજાને મારવા તલવાર ઉગામે છે તેટલામાં ધન જયે આવીને તલવાર લઈ લીધી. પછી ધન જયે વિચાર્યું': જેણે આને પટ્ટરાણીના પદે સ્થાપી, આ રાણીને સર્પે દસ દીધા ત્યારે જે પેાતાના પ્રાણાને પણ છેડવા તૈયાર થયા, તે મહાભાગ્યવતમાં પણ જો આ રાણી આવી ચેષ્ટા કરે છે તેા સ્વાર્થી એવા મારા વિષે તેનું ચિત્ત કેવું હોય એની સભાવના કરી શકાય છે. આથી અનની ખાઈ અને વિષવેલડી જેવી આનાથી સર્યું. મને ધિક્કાર છે! આટલા કાળ સુધી વિચાર કર્યો નહિ, એથી હું આત્માને હારી ગયા. કેવળ તે મુનિએ જ ધન્ય છે કે જેએ સ'સારના ઘાસની જેમ ત્યાગ કરીને મનુષ્ય જન્મના ફળરૂપ ધર્મને આચરે છે. હા ! ખેદની વાત છે કે અનુત્તરદેવા પણ જેની ઝંખના કરે છે તે મનુષ્યભવને પામીને મૂઢ જીવે નિરક જ હારી જાય છે. ઇત્યાદિ વિચારણાથી સંસાર પ્રત્યે વિરાગને ધારણ કરનાર અને તાના એધ થવાથી સર્વ પદાર્થોમાં વિરક્તમુદ્ધિવાળા ધનંજયે જૈનદીક્ષાના સ્વીકાર કર્યાં. જેના હૃદયમાં કેવળ કામદેવ વસેલા છે તેવા રાજા સવારે રાજમહેલમાં ગયા. જેનાથી રાગ પાષાય તેવા મનારથાને કરતા રાજાએ ઘણા કાળ સુધી રાજ્યનું પાલન કર્યું.
એકવાર રાજા પેાતાની રાજસભામાં બેઠા હતા ત્યારે અશ્વસમૂહને વેચનારા વિષ્ણુક રાજાની પાસે આવ્યા. કુતૂહલને વશ બનેલા રાજાએ તે ઘેાડાઓમાં સારા લક્ષણવાળા અને ઊંચા એક ઘેાડાને સવારી માટે તૈયાર કરાવ્યા. આ વખતે પ્રધાનાએ રાજાને કહ્યું; વિદ્વાન પુરુષે બળવાન કે નિ`લ એવા મનુષ્ય કે પશુની પરીક્ષા કર્યા વિના તેને કામમાં લેવા નહિ. આ પ્રમાણે પ્રધાનાએ રોકવા છતાં ઉત્તમરાજા હાથથી લગામ ખેંચીને ઘેાડા ઉપર આરૂઢ થયા. અશ્વ પહેલાં તે તે માર્ગને પ્રસિદ્ધ કરતે હતેા, અર્થાત્ ધીમે ધીમે ચાલતા હતા, પણ પછી લગામ ક'ઈક ખે'ચી એટલે પવનની જેમ દોડયો. લેાકેા રાજા જાય છે જાય છે એમ ખેલી રહ્યા હતા તેટલામાં રાજા અદૃશ્ય થયા. રાજાએ વિચાર્યુ
આ અશ્વ મને વનમાં લઈ આવ્યા. કંટાળેલા અને જે થવાનું હોય તે થાએ એમ વિચારતા તેણે લગામને ઢીલી મૂકી. આથી અશ્વ ઊભા રહી ગયા. આ અશ્વ વિપરીત શિક્ષ!વાળા છે એમ જાણીને રાજા તેના ઉપરથી પૃથ્વી ઉપર ઉતરી ગયા. પછી ક્ષુધાતૃષાથી પીડાયેલ રાજા જંગલમાં ઘણું ભમ્યા. જેમાં પશુએ શાંત છે તેવા વનમાં રાજા જેટલામાં આગળ આગળ જઈ રહ્યો હતા તેટલામાં તેણે ત્યાં રહેલા મુનિને જોયા. એ મુનિ માહરૂપી અંધકાર સમૂહને દૂર કરનાર સૂર્ય સમાન હતા. તેમણે તપથી શરીરના સર્વ અંગાને સુકવી નાખ્યા હતા. મમતાથી રહિત અને મૂર્તિમત ધર્મ હોય તેવા તે મુનિ કાયાત્સ`માં રહેલા હતા. જાણે અમૃતથી સ્નાન કર્યુ હોય તેમ ખુશ થયેલા રાજાએ મુનિને વંદન કર્યુ.. કાયાત્સગ પારીને મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા. આ રાજા વ્રતદાનથી (મારા ઉપર) ઉપકાર કરનાર છે એમ જાણીને મુનિએ બેસીને વિશેષથી
Page #289
--------------------------------------------------------------------------
________________
२८०
શીલપદેમાલા ગ્રંથન યથાયોગ્ય ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે – હે રાજન! અસાર અને ભયંકર આ સંસારમાં જિનેશ્વરે કહેલા ધર્મ સિવાય બીજું કઈ રક્ષણ કરનાર નથી. ઈત્યાદિ દેશનાથી રાજાને વૈરાગ્ય થયે. આથી રાજ્યને તૃણસમાન માનતા રાજાએ દીક્ષાને મને રથ ધારણ કર્યો. રાજાએ મુનિને પૂછયું: હે ભગવંત! ભેગને યોગ્ય અને મને હરવયમાં પણ વ્રતને સ્વીકાર કરવામાં આપના વૈરાગ્યનું કારણ શું છે? મુનિએ કહ્યું- હે ગૃપ ! તમે જ મારા સંયમનું કારણ છે. કેવી રીતે? એમ રાજાએ પૂછયું. મહામુનિએ ફરી કહ્યું: હે નૃપt જે વખતે આપની રાણીને સર્પ કરડડ્યો ત્યારે આપે જે ચેષ્ટા કરી તેમાં હું સાક્ષીભાવને ધારણ કરનાર હતું, અર્થાત્ એ ચણાને હું સાક્ષીભાવથી જેતે હતે. રાણી પ્રત્યે પ્રાચીન ગાઢ સ્નેહને વશ બનીને હું ત્યાં આવ્યું. કૃતદનની જેમ તમને છોડીને રાણી મને મળી. તેણે મને કહ્યું આવી સ્થિતિમાં(=રાજાની વિદ્યમાનતામાં) આપણને શું સુખ છે? આમ કહીને દુચિત્તવાળી તે હાથમાં તલવાર લઈને જેટલામાં તમારા પ્રત્યે દેડી તેટલામાં મેં જલદી તેના હાથમાંથી તલવાર છિનવી લીધી. પછી મેં વિચાર્યું કે, આને ધિક્કાર થાઓ ! કામની (=વિષય સુખની) ઈરછાને ધિક્કાર થાઓ ! સંસારની વિડંબનાને ધિક્કાર થાઓ! આવી વિચારણાથી મારો આત્મા' સંવિગ્ન બન્યું. આથી નૃપ ! વિષસમૂહની જેમ બધું છોડીને દીક્ષા લઈને હું આતાપના કરું છું તાપ વગેરે કષ્ટ સહન કરું છું. આ પ્રમાણે સાંભળીને રાજાને વૈરાગ્ય થયા. પછી રાજા આવેલા સૈન્યની સાથે નગરમાં આવ્યું. રાજાના નગરપ્રવેશ નિમિત્તે નગરીમાં ધજાઓ બાંધવામાં આવી હતી. સંસારને ખારા સમુદ્ર તુલ્ય માનતા રાજાએ રાજ્ય પુત્રને આપીને દીક્ષા લીધી. કેમે કરીને રાણીના આ વૃત્તાંતને જાણનારા સ્વજનોએ અને દુર્જનેએ તેને તિરસ્કારી અને ધિક્કારી. આ રીતે શંગારમંજરી દુઃખી થઈ. અશુભ કાર્યથી બાંધેલા કર્મને અધિક નિકાચિત કરીને તે હાથીએ ઉછાળેલી માછીમારની જાળની જેમ અધોગતિમાં (=નરકમાં) ગઈ. તેમાંથી નીકળીને તિર્યંચગતિના ભમાં ઉત્પન્ન થઈ અને પાપનું ઉપાર્જન કરીને શીલનું ખંડન કરવાથી ભયંકર અનંત ભામાં ભમશે. આ પ્રમાણે અસતીપણાથી સતત ફિલષ્ટ કર્મોનું ઉપાર્જન કરીને ઉગ્રપાપવાળી તે શૃંગારમંજરી દુખે કરીને પાર પામી શકાય તેવા સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરશે. [૬૬] હવે પૂર્વોક્ત કથાઓના અર્થની ઉપદેશરૂપે વિચારણા કરે છે -
एवं सीलाराहण-विराहणाणं च सुक्खदुक्खाई।
इय जाणिय भो भव्वा !, मा सिढिला होह सीलंमि ॥६७॥ ગાથા-ટીકાથ:- પૂર્વે કર્યું તે પ્રમાણે શીલની આરાધનામાં સુખ છે અને વિરાધનામાં દુખ છે એમ વિચારીને હે ભવ્યા! શીલમાં (=ોથા વ્રતના પાલનમાં) શિથિલ ન બને, અર્થાત્ શીલને જ આદર કરો. (૬૭)
Page #290
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૧ શિલધારીઓએ નારીના સંગને પણ ત્યાગ કર જઈએ એમ જણાવે છે –
बंमन्वयधारीणं, नारीसंगो अणत्थपत्थारी ।
मूसाणव मंजारी, इअ निसिद्धं च सुत्तेवि ॥६८॥ ગાથાર્થ – શીલપાલનમાં તત્પર બનેલાઓને નારીને સંગ, ઉંદરને બિલાડીના સંગની જેમ અનર્થને વિસ્તાર કરે છે, અર્થાત્ પાપને હેતુ છે. આથી જ દશવૈકાલિકસૂત્રમાં પણ બ્રહ્મચારીને નારીના સંગનો નિષેધ કર્યો છે.
ટીકાથ- જેમ બિલાડી ઉંદરનો નાશ કરે છે, તેમ અસંગ શીલવંતના શીલરૂપી શરીરને વિનાશ કરનાર હોવાથી અનર્થની પરંપરાને કરનાર છે. [૬૮] દશવૈકાલિકસૂત્ર (અ. ૮ ગા. ૫૭) માં જે કહ્યું છે તે જ કહે છે –
विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं ।
नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥६९॥ ગાથાર્થ – આત્મહિતના શેધક (=સ્તત્વના જાણકાર) પુરુષ માટે વિભૂષા, ગ્રીસંસર્ગ, પ્રણીતઆહાર અને રસાજન તાલપુટ ઝેર જેવા છે.
- ટીકાથ- વિભૂષા=ઉદ્દભટ વર અને આભૂષણ આદિથી શરીરની શોભા કરવી. સમનીતિમાં કહ્યું છે કે- “ઋષિ સિવાય બીજો કોઈ કાવ્ય ન કરે. વિષ્ણુ સિવાય અન્ય કે પૃથ્વી પતિ નથી. નિસ્પૃહ અધિકારી ન હોય. કામીને શરીર શેભા અપ્રિય ન હોય, અર્થાત્ કામીને શરીર શેભા પ્રિય હોય છે.” - સ્ત્રીસંસર્ગઃસ્ત્રી આદિને સહવાસ કરવો. સહવાસની અસર વિષે કહ્યું છે કે
પાટલા વનસ્પતિનું પાણી પાટલાના સંસર્ગથી થયેલ લાલ ગુણને પામીને ખોપરીના ટુકડાઓને પણ વાસિત કરે છે લાલ રંગવાળા બનાવે છે. દરરોજ જ્ઞાનથી અધિક પુરુષોના સહવાસમાં આવતા મંદ મતિવાળા પુરુષો પણ પ્રાયઃ અધિક જ્ઞાનવાળા બને છે.
પ્રણીત=સ્નિગ્ધ આહાર. સરસ ભેજન=વિગઈઓનું સેવન. આગમમાં કહ્યું છે કે“જે શ્રમણ દૂધ, દહીં વગેરે વિગઈઓ વારંવાર વાપરે તથા તપ કરવામાં અરુચિવાળો હોય તે “પાપશ્રમણુ” કહેવાય છે.”
જેમ તાલપુટ નામનું વિષ જલદીથી પ્રાણુ નાશ કરે છે તેમ આ વિભૂષા વગેરે પણ શીલરૂપજીવનને નાશ કરનાર હોવાથી તાલપુટ વિષ સમાન જાણવા. [૬૯] આગમમાં કહેલાં દૃષ્ટાંતને કહે છે -
जहा कुकडपोयस्स, निच्च कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥७॥
૩૬
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શીલપદેશમાલા ગ્રંથન ગાથાથ- જેવી રીતે કુકડાના બચ્ચાને બિલાડીથી સદા ભય રહે છે, તેવી રીતે બ્રહ્મચારીને નિયમા શરીરથી ભય રહે છે. (દશ. વૈ. અ. ૮ ગા. ૫૪)
ટીકાથ– જેવી રીતે બિલાડી છળ મેળવીને કુકડાના બચ્ચાને અવશ્ય મારી નાખે છે, એથી કુકડાના બચ્ચાને બિલાડીથી સદા ભય રહે છે, તેવી રીતે બ્રદ્મચારીને નિયમ
શરીરથી ભય રહે છે. કારણ કે એનું શરીર બ્રહ્મચારીને પણ કામનો ઉન્માદ ઉત્પન્ન કરે છે. [૭૦]
શૃંગારિક ચેષ્ટાઓથી ઉત્તમ એવા શ્રીના શરીરને જેવાનું દૂર રહો, ચિત્રમાં રહેલું પણ સ્ત્રીનું રૂપ છોડવા લાયક છે=જોવા લાયક નથી એમ કહે છે :
चित्तभित्तिं न निज्झाए, नारिं वा समलंकियं ।
भक्खरं पिव दट्टणं, दिहि पडिसमाहरे ॥७१॥ ગાથા–ટીકાથ- બ્રહ્મચારી ભીંતમાં આલેખેલા રીનાં ચિત્રોને ન જુએ. કારણ કે ચિત્રમાં રહેલાં સ્ત્રીનાં રૂપો જોવા માત્રથી મનને આર્પાને રાગનું પિષણ કરે છે. તથા સાધુ સારી રીતે અલંકૃત થયેલી સ્ત્રીને ન જુએ. પ્રશ્ન- ચક્ષુની સામે આવેલા રૂપને ન જેવું એ શક્ય નથી. ઉત્તર - જેમ સૂર્યને જોઈને તુરત દષ્ટિ ખેંચી લેવામાં આવે છે તેમ કદાચ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તે તુરત દષ્ટિને ખેંચી લે. (દ.વૈ.અ. ૮ ગા. ૫૫) [૭૧] સ્ત્રીના પ્રસંગથી થતા દેષને ત્યાગ કરવાની ઈચ્છાથી નામમાત્રથી સ્ત્રીને નિષેધ કરે છેઃ
___हत्थपायपडिछिन्नं, कन्ननासविगप्पियं ।
____ अवि वाससयं नारिं, बंभयारी विवज्जए ॥७२॥ ગાથાથ- જેના હાથ-પગ છેડાયેલા છે, કાન-નાક કપાયેલા છે અને તે વર્ષની વૃદ્ધાવસ્થાથી જેનું શરીર જીર્ણ થયેલું છે એવી પણ નારીને બ્રહ્મચારી ત્યાગ કરે. (દ. વૈ. અ. ૮ ગા. પ૬).
ટીકાથ– આ ગાથાનો તાત્પર્યાર્થ એ છે કે રૂપ, વેષ અને વર્ષ વગેરેની અપેક્ષા વિના સ્ત્રી એવા નામને પણ ત્યાગ કરે જોઈએ, એટલે કે રૂ૫ સારું છે કે ખરાબ? વેષ સારે છે કે ખરાબ? કેટલા વર્ષ થયા છે? ઈત્યાદિની અપેક્ષા વિના જે કેઈ ની હેય તેને ત્યાગ કરે જઈએ. [૭૨]
તવના જાણકાર શીલ ધર્મવંતે માટે રીના ત્યાગને આટલે બધો આગ્રહ કેમ રાખવામાં આવે છે એ પ્રશ્નનું સમાધાન કરે છે
विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ।
अइदुज्जेआणि अ, इंदियाणि तह चंचलं चित्तं ॥७३॥ ગાથા-ટીકાથ:- અનાદિકાળથી વિયેને અભ્યાસ કર્યો હોવાના કારણે ભેગ
Page #292
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૩ તૃણ હુસ્તર છે, ઇન્દ્રિયો અતિશય દુજોય છે, અને ચિત્ત ચંચલ છે. (આથી તત્વના જાણકાર પણ શીલધર્મવંતે માટે સ્ત્રીને ત્યાગને આટલે બધે આગ્રહ રાખવામાં આવે છે.) [૭૩]
તવના જાણકાર શીલધર્મવંતે સવથી તૃષ્ણને નિરોધ કરશે એવા કથનને ઉત્તર આપે છે :
थोवमसारं सत्तं, मोहणवल्लीओ महिलिआओवि ।
इइ कहवि चलिअचित्तो, ठावए एवमप्पाणं ॥७४॥ ગાથાથે - સાવ થોડું છે, અને થોડું પણ એ સવ અસાર=ક્ષણભંગુર છે. તથા સ્ત્રીઓ સ્વભાવથી જ મેહને ઉત્પન્ન કરનારી છે. આથી બ્રહ્મચારી કેઈ પણ રીતે ચલચિત્તવાળો થાય તે પણ પૂર્વે કહ્યું તેમ પ્રસંગને ત્યાગ કરવા વડે આત્માને સ્થિર કરે, અર્થાત્ શીલભંગને ન પામે.
ટીકાથ-સીઓ સ્વભાવથી જ મોહને ઉત્પન્ન કરનારી છે. એ વિષે કહ્યું છે કે“નીચે જનારી, સુપયોધરા, ઉન્માર્ગમાં જનારી, વક્રગતિવાળી સ્ત્રીઓરૂપી નદીઓથી શ્રેષ્ઠ પર્વત જેવા મોટા પુરુષો પણ ( શ્રેષ્ઠ પર્વતના જેવા સ્થિરમનવાળા પુરુષો પણ) ભેદાય છે ? (અહીં સ્ત્રીને નદીની ઉપમા આપવામાં આવી છે. નદી જેમ નીચે જનારી છે તેમ સ્ત્રી પણ નીચે જનારી છે, એટલે કે અનુચિત કરનારી છે. નદી જેમ સુ ધરા છે, એટલે કે ઘણા પાણીને ધારણ કરનારી છે, તેમ સ્ત્રી પણ સુપધરા છે, એટલે કે સારા સ્તનવાળી છે. નદી જેમ ઉન્માર્ગમાં જનારી છે, તેમ સ્ત્રી પણ ઉન્માર્ગે=ોટા માર્ગે જનારી છે. નદી જેમ વક્રગતિવાળી હોય છે, તેમ સ્ત્રી પણ વક્રગતિવાળી એટલે કે દંભવાળી હોય છે. જેમ શ્રેષ્ઠ પર્વત નદીઓથી ભેદાય છે, તેમ પર્વત જેવા સ્થિરમનવાળા પુરુષો પણ સ્ત્રીઓથી ભેદાય છે= શીલથી ભ્રષ્ટ કરાય છે.) [૭૪] પિતાના આત્માને જ બોધ આપતા ગ્રંથકાર કહે છે –
रे जीव ! समइकप्पिय-निमेससुहलालसो कहं मूढ ! ।
सासयसुहमसमतमं, हारसि ससिसोयरं च जसं ॥७५।। ગાથાર્થ- અરે ! મૂખ જીવ! તું જાતે કપેલા નિમેષ જેટલા વિષયસુખમાં લંપટ બનીને શીલપાલનથી મેળવી શકાય તેવા અનંત મોક્ષસુખને અને ચંદ્ર સમાન નિર્મલ યશને કેમ ગુમાવે છે?
ટીકાથ– વિષયસુખમાં લંપટ પુરુષ મોક્ષસુખને અને યશને ગુમાવે છે. આ વિષે કહ્યું છે કે-“કામથી પીડિત જે પુરુષ કાંતિના (=સુખના) ઉદયને
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શિલોપદેશમાલા ગ્રંથને ભેદવા માટે શસ્ત્ર સમાન પરસ્ત્રીને તજ નથી તે પુરુષ જગતમાં અપકીર્તિનો ૫ટહ વગાડે છે, ગેત્રમાં શાહીને કચડો ફેરવે છે, અર્થાત્ કુલને કલંકિત બનાવે છે, ચારિત્રને જલાંજલિ આપે છે, અર્થાત્ સત્યવૃત્તિને છોડી દે છે, ગુણસમૂહરૂ૫ ઉધાનમાં દાવાનલ સળગાવે છે, સકલ આપત્તિઓને સકેત (આમંત્રણ) આપે છે, મોક્ષપુરીના દ્વારમાં દઢ કમાડ બંધ કરે છે. * [ ૭૫]. | વિષયસુખમાં આસક્તનાં દૂષણને કહે છે –
कलिमलअरइअभुक्खा-वाहीदाहाइँ विविहअसुहाई ।
मरणंपि हु विरहाइसु, संपजइ कामतविआणं ॥७६॥ ગાથાર્થ – કામથી સંતપ્ત જીવોને ચિત્તક્ષોભ, અરતિ, ભૂખને અભાવ, વ્યાધિ, દાહ આદિ દુઃખ થાય છે, અને વિરહ વગેરેમાં અવશ્ય મરણ પણ થાય છે.
ટીકાથ- કામથી સંતપ્ત જી વિષયસુખમાં આસક્ત હોય છે. વિષયસુખો ન મળવાથી તેમને ચિત્તક્ષેભ થાય છે, ચિત્તમાં અતિશય ઉદવેગ થાય છે. વિષય સુખ મેળવવાની છે તે ચિંતાથી તેમનું અંતર વ્યાકુલ બને છે. આથી તેમને આહાર ઉપર રુચિ થતી નથી. તાવ વગેરે રોગો થાય છે. શરીરે અતિશય દાહ થાય છે. આદિ શબ્દથી મૂછ વગેરે દુઃખ જાણવાં. માત્ર આ દુખ પ્રાપ્ત થાય છે એવું નથી. કામની આતુરતાથી છે પ્રેમીને વિરહ આદિ અવસ્થામાં અવશ્ય મરણ સુધીની અવસ્થાને પણ પામે છે. આ વિષે કહ્યું છે કે- “( કામની દશ અવસ્થા છે તેમાં) પહેલી અવસ્થામાં વિષયસુખની ઇચ્છા, બીજીમાં વિષયસુખનું ચિંતન, ત્રીજમાં સ્ત્રી વગેરેનું સ્મરણ, ચેથીમાં સ્ત્રી વગેરેના ગુણેનું ચિંતન, પાંચમીમાં ઉદ્વેગ, છઠમાં વિલાપ, સાતમીમાં ઉન્માદ, આઠમીમાં વ્યાધિ, નવમીમાં જડતા અને દશમીમાં મરણ થાય.” વળી “વ્યાધિ થયો હોય તે શરીર કૃશ થાય, કેઈએ ઘાયલ કર્યો હોય તે શરીરમાંથી લોહી નીકળે, સર્પ વગેરે પ્રાણી કરડ્યો હોય તે લાળ દેખાય, આ બધું આમાં નથી, છતાં આ બિચારો મુસાફર કેવી રીતે મરી ગયો? હા, જાયું! કલાહલ કરનારા અને પુષ્પરસમાં લંપટ ભમરાઓ જેમ (નૂતમુહુહે= ) આંબાની કળીમાં દષ્ટિ કરે તેમ, નક્કી આ પરસ્ત્રીલંપટે (નૂતમુશ=) સ્ત્રીની યોનિમાં દષ્ટિ કરી છે. (એથી તે મરણ પામ્યો છે.)” [૭૬]. ફરી કામાતુર જીવોના દુખસમૂહને કહે છે –
विसईण दुक्खलक्खा, विसयविरत्ताणमसमसमसुक्खं । जइ निउणं परिचिंतसि, ता तुज्झवि अणुभवो एसो ॥७७॥
Page #294
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૫
ગાથા:- કામાતુર જીવાને લાખા દુઃખા આવે છે. વિષયાથી વિરક્ત ( સ્ત્રીસંગથી વિમુખ) ખનેલા જીવાને અસાધારણ મેાક્ષરૂપ સમતાસુખ મળે છે. હે ભવ્યજીવ ! જો તું સારી રીતે વિચારે તે તને પાતાને પણ આ અનુભવ થાય.
ટીકા :– વિષયાસક્ત જીવાને દુઃખરૂપ ફળના ઉદય પ્રગટ જ છે. કહ્યું છે કે “ મુગ્ધ પક્ષી (પ્રિયાના વિરહમાં) એક કાંઠાથી બીજા કાંઠે જાય છે, કરુણ રુદન કરે છે, ચિંતા કરે છે, ચેાગીની જેમ આંખા બધ કરીને સ્થિરમનથી કઇક યાન કરે છે. તથા પેાતાની છાયાને જોઇને આ પ્રિયા છે એમ સમજીને ” ખેલે છે. પૃથ્વી ઉપર જે કામથી નિવૃત્ત થયેલા છે તેઓ ધન્ય છે. દુ:ખી થયેલા કામી જીવાને ધિક્કાર હા !'' [૭૭]
આ પ્રમાણે વિષયાની આકાંક્ષાને દૂર કરીને જાગૃત થવાના ઉપદેશ આપે છેઃजासं च संगवसओ, जसधम्मकुलाइँ हारसे मूढ ! | तासिपि किंपि चित्ते, चिंतसु नारीण दुश्वरियं ॥ ७८ ॥
ગાથા: હું મૂખ જીવ! તું જે નારીઓના સંગથી જસ, ધર્મ અને કુલને હારી જાય છે, તે નારીઓના પણ કાઈક દુશ્ચરિત્રને ચિત્તમાં વિચાર.
ટીકા :– રાગી, દ્વેષી, મૂખ અને પૂર્વ યુદ્ધાહિત થયેલ- આ ચાર પ્રકારના જીવા ઉપદેશને માટે અાગ્ય છે. અને મધ્યસ્થ જીવ ઉપદેશને માટે ચેાગ્ય છે. ” મહાપુરુષાના આ વચનના આધારે જો કે તું ઉપદેશને અયેાગ્ય છે, તેા પણુ માધ્યસ્થ્ય ધારણ કરીને ક્ષણવાર વિચાર કર. [૭૮]
સ્ત્રીઓના દોષોને જ કહે છેઃ
चवलाओ कुडिलाओ, वंचणनिरयाओ दुट्ठधिट्ठाओ । तह नीअगामिणीओ, जाओ तासिपि को मोहो ॥७९॥ ગાથા:- જે સ્ત્રીઓ ચપલ, કુટિલ, વંચનાનિરત, દુષ્ટ, ષિટ્ઠી અને નીચગામિની છે તે એને વિષે શે માહ કરવા ?
ટીકા : :- ચપલ–ચંચલ સ્વભાવવાળી. કુટિલ=માયાના સ્વભાવવાળી. વચનાનિરત=પરપુરુષના ચિત્તને અનુરાગવાળા બનાવવાના અધ્યવસાયવાળી. દુ=અન્યને સંકટમાં પાડવામાં તત્પર. ધિઠ્ઠી=પેાતાનું અકાર્ય લોકોએ જોયું હોવા છતાં પેાતાને સતી માનનારી. નીચગામિની=અયાગ્ય એવા દાસ, નટ અનેવિટ ( =ારપુરુષ )માં અનુરાગવાળી. આ વિષે કહ્યું છે કે—“ ઉન્મામાં જનારી, મનેાહર રસવાળી, ઘણી ચિંતારૂપી
૧. કુમ્બાર્નમિની વગેરે ત્રણ વિશેષણો સ્ત્રી અને નદી એ બંનેને લાગુ પડે છે. નદીના પક્ષમાં સાન્દ્રત્તા એટલે મનેાહર પાણીવાળા, અને સ્ત્રીના પક્ષમાં સાન્દરસા એટલે મનહર રસવાળી,
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬.
શીલપદેશમાલા ગ્રંથને મધ્યભાગવાળી સ્ત્રીનદી જેમ કાંઠાને ભેદે છે, તેમ ક્ષણવારમાં કુદીને ભેટે છે.* આવી રીઓ વિષે મેહ કરવો એ નિરર્થક છે. આ વિષે કહ્યું છે કે- “સ્ત્રીઓ વિષે અનુરાગ કર એ નિરર્થક છે તથા હુ આને (સ્ત્રીને) સદા પ્રિય છું, આ (સ્ત્રી) મને સદા પ્રિય છે એ ગર્વ કરે એ પણ નિરર્થક છે.” આ પ્રમાણે સ્ત્રીઓ સ્નેહથી રહિત જ જાણવી. કહ્યું છે કે સ્ત્રીઓ ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, કઈ કાર્ય આવી પડે તો બીજાને વિશ્વાસમાં લઈ લે છે, પણ પોતે બીજા ઉપર વિશ્વાસ કરતી નથી. તેથી કુલીન અને શીલવંત એવા પુરુષ સ્ત્રીઓનો સ્મશાનની ઘડીઓની (=રાના ઘડાઓની) જેમ ત્યાગ કરવો જોઈએ.” [૭] સ્ત્રીઓને રાગ ક્ષણિક હોય છે એમ જણાવે છે -
गुणसायरंपि पुरिसं, चंचलचित्ता विवज्जिउं पावा ।
वच्चइ निरक्खरेवि हु, नीअत्तमहो महेलाए ॥८॥ ગાથાથ- ચંચલચિત્તવાળી અને દુરાચારવાળી સ્ત્રી ગુણવાન પણ પુરુષને પતિને છોડીને ભૂખ પણ અન્ય પુરુષમાં અનુરાગ કરે છે. અહ! શ્રી કેવી નીચ છે!
ટીકાથ- શબ્દકેશમાં મહિલા, મહેલા મેહલા અને મહેલિકા એમ અવાચી શબ્દ જુદા જુદા બતાવેલા છે. [૧] આવી સ્ત્રીઓમાં વિશેષ રાગવાળા બનેલાઓને ફરી ફરી ઉપદેશ આપે છે
रूबोवहसियमयर-द्धयपि, पुहवीसरंपि परिहरि ।
इयरनरेवि पसज्जइ, ही ही महिलाण अहमत्तं ॥८१॥ ગાથાથ- કામદેવથી અધિક રૂપવાળા પુરુષને પણ અને રાજાને પણ છેડીને બીજ સામાન્ય પુરુષમાં પણ અનુરાગ કરે છે. સ્ત્રીની અધમતાને ધિકકાર હો !
ટીકાથ- અધમતા=અકાર્ય કરવાને સ્વભાવ. સ્ત્રી ઉપર રાગ ન કરવા અંગે કહ્યું છે કે- “હે મિત્ર! જો તું પિતાના શ્રેષ્ઠ ધાન્યને પણ ઈચ્છે છે તે ખેતી સિવાય બીજા કોઈ સ્ત્રીમુખને પ્રમાણ ન કર, અર્થાત્ ખેતી રૂપી સ્ત્રીથી મળતા સુખને પ્રમાણુ કર, જેથી તને શ્રેષ્ઠ ધાન્ય મળે.” [૧] સ્ત્રીઓનું સ્વરૂપ જાણવું મુશ્કેલ છે એમ કહે છે –
धीरा व कायरा वा, नारी मुद्धा व बुद्धिमंता वा ।
रत्ता व विरत्ता वा, सरला कुडिला व नो जाणे ॥८२॥ ગાથાથ- સી ધીર છે કે કાયર છે? અથવા સ્ત્રી મુગ્ધ છે કે બુદ્ધિમતી છે? અથવા સ્ત્રી રક્ત છે કે વિરક્ત છે? અથવા સ્ત્રી સરલ છે કે કુટિલ છે? એવા વિશેષને હું જાણતો નથી.
Page #296
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ'
૨૮૭ ટીકાથ- ધીર=સાહસવાળી. કાયર=ભીરુ સ્વભાવવાળી. મુગ્ધ=મૂર્ખ. બુદ્ધિમતી= પિતાનું કાર્ય કરવામાં તત્પર મતિવાળી. રક્ત=અનુરાગવાળી. વિરક્ત=અન્યમાં આસક્ત. સરલ=સન્માર્ગે જનારી. કુટિલ=વચરિત્રવાળી. એનું ચરિત્ર જાણવું મુશ્કેલ છે. આ વિષે કહ્યું છે કે- “સ્ત્રીએ (અવસરે) પોતાના પ્રાણ આપે છે. મનુષ્યોના દેહનું હરણ (=વિનાશ) કરે છે. ભીરુ સ્વભાવવાળી સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે. સ્ત્રીઓ (અંતરથી) ક્રુર હોય છે, પણ (બહારથી) નવા અંકુરના જેવા કેમલ શરીરવાળી હોય છે. સ્ત્રીએ મુગ્ધ (=ભેળી) હોવા છતાં ચતુર મનુષ્યોને પણ છેતરે છે. [૨]
બુદ્ધિરૂપ વૈભવથી સમસ્ત જગતને જાણનારાઓ પણ સ્ત્રીચરિત્રથી અજાણ હોય છે એમ જણાવે છે -
निअमहमाहप्पेणं. जे सयलं तिहअणं परिकलयंति ।
નારીવાવિયા, તે દુ શૂદ્ર ગ / ૮૨ | ગાથાથ- જે બુદ્ધિમાન પુરુષે પોતાની બુદ્ધિના પ્રભાવથી સંપૂર્ણ ત્રણ ભુવનને જાણે છે તે પુરુષો પણ સ્ત્રીચરિત્રના વિચારમાં અવશ્ય મૂઢ જેવા કે મૂંગા જેવા હોય છે.
ટીકાથ– મૂઢ જેવા એટલે સ્ત્રીઓના સદાચારોને અને દુરાચારોને જાણવામાં અજ્ઞાન જેવા. કદાચ સ્ત્રીઓના ચરિત્રને કંઈક જાણતા હોય તે પણ એ ચરિત્રમાં સારી રીતે કપટ ભરેલું હોવાના કારણે કહેવા અસમર્થ હોવાથી મૂંગા જેવા બની જાય છે. (અર્થાત્ બુદ્ધિશાળીઓ પણ સ્ત્રીચરિત્રને જાણી શકતા નથી અને કંઈક જાણી શકે છે તે કહી શક્તા નથી.) આીઓને ઓળખવી બહુ મુશ્કેલ છે. આ વિષે કહ્યું છે કે – “પૂવે ચાર ઉપાયનું સર્જન કરતા તે બ્રહ્માએ એવા કઈ પણ પાંચમા ઉપાયનું સર્જન કર્યું નથી કે જે ઉપાયથી સ્ત્રીઓને જાણી શકાય.” [૩]
સ્ત્રીઓ મનુષ્ય તરીકે સાધારણ હોવા છતાં, એટલે કે પુરુષની જેમ સ્ત્રીઓ પણ મનુષ્ય હોવા છતાં, આવી કેમ હોય છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે
अन्न रमइ निरक्खइ अन्नं चिंतेइ भासए अनं ।
अन्नस्स देइ दोसं, कवडकुडी कामिणी विउला ॥४॥ ગાથાથ – આ સ્પૃહાથી ઈચ્છે છે અન્ય નરને, અને ગંગારિક ચેષ્ટાઓથી જુએ છે અન્યને. શી પરમાર્થ થી હદયમાં ધારણ કરે છે અન્યને, અને શૃંગારિક વચનેથી બેલા છે અન્યને. સ્ત્રી અનુરાગથી રહિત અન્યને દુરાચરણનું બેટું પણ કલંક આપે છે. આથી શી કપટનું વિશાળ ઘર છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શીલપદેશમાલા ગ્રંથને ટીકા :- આ વિષે કહ્યું છે કે- “સી બોલે છે બીજાની સાથે, શિંગારિક ચેષ્ટાઓથી જુએ છે અને અને વિચારે છે હદયમાં રહેલા અન્ય કેઈને, આમ સ્ત્રીઓને કેઈ એક પ્રત્યે અનુરાગ તે નથી” વળી બીજું-“સ્ત્રીરૂપી યંત્ર આવર્તની ( દુખરૂપી ઘુમરીઓની) શંકા કરનારાઓ માટે પણ ભયનું ભવન, સાહસનું નગર, દેવોનું સુંદર નિધાન, અવિશ્વાસનું સેકડે ક૫ટવાળુ ખેતર, મેક્ષદ્વારનું વિન, નરકપુરીનું દ્વાર, સઘળી માયાનો કરંડીયે, મીઠું ઝેર અને જીને પાશ (=જાળ) છે. આવું સ્ત્રીરૂપી યંત્ર કેણે સજર્યું? [૪] અનુરાગવાળી પણ સ્ત્રીઓ અવિશ્વસનીય છે. એમ કહે છે –
जत्थाणुरत्तचित्ता, सइ धणदेसाइअपि छंडेई ।
तंपि हु खिवेइ दुक्खे, महिला मिठस्स निवभज्जा ॥८५॥ ગાથાર્થ – સ્ત્રી જે પુરુષમાં અનુરાગવાળી છે અને એથી કામાસક્ત બનીને એ પુરુષ માટે ધન, દેશ વગેરે પણ છોડે છે, તે પુરુષને પણ દુઃખમાં નાખે છે, અર્થાત્ જેમ રાજપત્નીએ મહાવતને મારી નાખે તેમ મારી નાખે છે.
ટીકાથ- રાજપત્ની મહાવતમાં અનુરાગવાળી બનીને કુટુંબ, ધન, દેશ અને રાજ્ય વગેરે સમૃદ્ધિને છેડીને પણ તેની સાથે ગઈપછી તત્કાલ મળેલા ચોરને પિતાને પતિ બનાવીને તે જ મહાવતને શૂળી ઉપર પણ ચડાવ્યું. વિરતારથી આ પ્રસંગ પહેલાં (૬૬ મી ગાથામાં) કહેલ નૂપુરપંડિતાની કથામાંથી જાણી લેવો. [૮૫] ઝીઓથી વિરક્ત બનેલાઓની પ્રશંસા કરે છે
कुडिलं महिलं ललिं, परिकलिउं विमलबुद्धिणो धीरा ।
धन्ना विरत्तचित्ता, हवंति जह अगडदत्ताइ ॥८६॥ ગાથાર્થ – નિર્મલ બુદ્ધિવાળા, ધીર, અને પુણ્યવંત પુરુષ મનોહર પણ સ્ત્રીને મગરમચ્છની દાઢાના જેવી ક્રાહદયવાળી સમજીને અગડદત્ત આદિની જેમ વિરક્ત ચિત્તવાળા થાય છે.
ટીકાથ- “આદિ શબ્દથી શાલિભદ્ર, જંબુસ્વામી વગેરે છાત જાણવાં. આ પ્રમાણે ગાથાને સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ દષ્ટાંતથી જાણ. તે આ પ્રમાણે છે –
૧. પાણી પોતાની મેળે ચક્કર ચક્કર ફરે તેને આવર્ત ઘુમરી કહેવામાં આવે છે.
૨. જેઓ દુ:ખની શંકા રાખ્યા વિના સ્ત્રીને વિશ્વાસ કરે છે તેમના માટે તો સ્ત્રી ભયનું ભવન છે જ, કિંતુ જેઓ દુઃખની શંકા રાખે છે અને એથી સ્ત્રીને વિશ્વાસ ન કરે તેમના માટે પણ સ્ત્રી ભયનું ભવન છે.
૩. 7મા વ એ પ્રમાણે ઉપમા લુપ્ત છે લેપ પામી છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૯ અગડદત્તનું દૃષ્ટાંત શંખપુર નામનું નગર હતું. તેમાં રહેલી સંપત્તિઓને જોઈને દેવોએ સ્વર્ગને જાણે છેતરામણી હોય તેવું માન્યું, અર્થાત્ ખરી સંપત્તિ તે શંખપુરમાં જ છે. દેવલોકમાં સંપત્તિ છે એમ માનવું એ છેતરામણું છે એમ માન્યું. તે નગરીમાં રૂપ અને પરાક્રમથી સુંદર એવો સુંદર નામને રાજા હતા. તેના હાથ રૂપી કમલમાં રહેલ તલવારની રેખા ભ્રમર શ્રેણિની જેમ શોભતી હતી. તે રાજાની ત્રાસ પામતા મૃગના જેવા નેત્રવાળી સુલસા નામની પત્ની હતી. જેમ ધજા સારા વાંસને દીપાવે તેમ તે રાણીએ ગુણેથી ક્યા સારા વંશને દીપાવ્યું ન હતું? અર્થાત્ બધા સારા વંશને દીપાવ્યા હતા. તેની કુક્ષિથી એક પુત્ર થયે. તે અગડદત્ત એવા નામથી પ્રસિદ્ધ થ. સઘળા દેએ તેને આશ્રય લીધા હતા. તેથી તે જાણે દેષને અક્ષયભંડાર હોય તેવો હતો. જેમ મહાન ઇંદ્ર સભામાં બેસે તેમ એકવાર રાજા રાજસભામાં બેઠે હતા ત્યારે નગરજનેએ અગડદર રાજકુમારે નગરમાં ઉપદ્રવનો પ્રારંભ કર્યો છે એમ રાજાને કહ્યું. ધથી લાલ બનેલા રાજાએ પુત્રને સંભળાવતાં આ પ્રમાણે કહ્યું. મનુષ્યને પુત્ર ન હોય તે સારું છે, પણ દુર્વિનીત પુત્ર હોય એ સારું નથી. જે કુલ સામાન્ય હેય તે કુળ પણ સદગુણ પુત્રોથી શોભે છે અને અતિશય ઉજજવલ પણ કુળને કુપુત્ર કલંકિત કરે છે. આ પ્રમાણે રાજા વડે ઠપકો અપાયેલ અભિમાની કુમાર રાતે સિંહની જેમ નિર્ભય બનીને નગરમાંથી નીકળી ગયા. પૃથ્વી ઉપર ફરતે તે ક્રમે કરીને વારાણસી નગરીમાં આવ્યું. તેણે એ નગરીની મહાન ઇંદ્રપુરીની જેવી સંપત્તિ જોઈ. સરળ મનવાળે તે જેમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એવા કે મઠમાં ગયે. ત્યાં પવનચંદ્ર નામના ઉપાધ્યાયને નમીને તે બેઠો. તેને સારી આકૃતિવાળો જાણીને ઉપાધ્યાયે હર્ષથી પૂછ્યું: તું અહીં ક્યાંથી આવ્યું અને અહીં આવવાનું કારણ શું છે? કુમારે પોતાને સત્યવૃત્તાંત કહ્યો. તેને ખુશ કરતાં ઉપાધ્યાયે વાત્સલ્યપૂર્વક આ વાણું કહીઃ- હે વત્સ! માતા-પિતાને ત્યાગ કરવો એ સુપુત્ર માટે ઉચિત નથી. કારણ કે આ સંસારમાં તેમના વિના બીજે કઈ પરમ ઉપકારી નથી. સ્તનપાન બંધ થઈ જાય એટલે માતા-પિતાને ત્યાગ કરવામાં આવે તે હે વત્સ ! પશુઓમાં અને માનવોમાં શો ભેદ રહે? રાજપુત્ર બે આપે મને સારી રીતે બંધ પમાડ્યો. માતા-પિતા પુત્રને જન્મ આપે છે, પણ ગુરુ જ્ઞાનને જન્મ આપે છે. આપે કહેલું મારે પ્રમાણ છે. આ પ્રમાણે બેલેલા તેને ગુરુ પોતાના
૧. અહીં ત્રાસ પામી રહ્યાં છે મૃગનાં નેત્રે જેનાથી એવી સુલસા એવો અર્થ પણ થઈ શકે. આ અર્થ વધારે સારો છે. અલસાનાં નેત્રો મૃગના નેત્રોથી પણ સુંદર હતાં. પિતાનાં (મૃગનાં) નેત્રોથી અલસાનાં નેત્રો સુંદર હોવાથી મૃગને દુઃખ=ઈર્ષ્યા થતી હતી. આથી મૃગનાં નેત્રો ત્રાસ પામી રહ્યાં હતાં. ૩૭
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શીલપદેશમાલા ગ્રંથને ઘરે લઈ ગયા અને સ્નાન-ભજન વગેરે દ્વારા તેને ઘણે સત્કાર કર્યો. પછી ગુરુએ તેને કહ્યું હે વત્સ ! પિતાના ઘરની જેમ મારા ઘરમાં પુત્રની જેમ રહીને તું મારી લક્ષમીને અતિશય સફલ કર. તેણે તેમ છે એમ કહીને ઉપાધ્યાયના વચનને સ્વીકાર કર્યો.
વિનય કરતા એણે કેમ કરીને શા–શાસ્ત્ર વગેરે અનેક કળાઓને અભ્યાસ કર્યો. એક દિવસ અગડદત્ત બાણને મારવાને અભ્યાસ કરી રહ્યો હતે ત્યારે અકસ્માત્ તેની પીઠમાં પુષ્પ ગુચ્છ વાગ્યે. તેણે જે તરફથી પુષ્પ ગુચ્છ વાગ્યું હતું તે તરફ તિરસ્કારપૂર્વક નજર કરીને જોયું તે પોતાની આગળ એક યુવાન સ્ત્રીને જેઈ (અહીં કવિ કલ્પના કરે છે કે-) જાણે કે તે વખતે સ્ત્રીના બહાનાથી કુતૂહલી એવા કામદેવરૂપી વીરપુરુષે કટારૂપી બાણથી પિતાને વીર માનતા અગડદત્તને લડવા માટે આહાન આપ્યું. ભમ્મરરૂપ ધનુષમાંથી છેડેલા પોતાના નેત્રરૂપી બાણથી કામદેવ સમાન કુમારનું મન ભેદાયું છે (=વિકારવાળું થયું છે) એમ જાણીને તે એ વિકારપૂર્વક કહ્યું જ્યારથી મેં આંખેથી પુણ્યવતેમાં અગ્રેસર તમને જોયા છે ત્યારથી ખરેખર ! આ નિર્દય કામદેવ મને મારી રહ્યો છે. હે નાથ! મારી આ પ્રાર્થનાની અવજ્ઞા કરવી એ તમને યેગ્ય નથી. આ સાંભળીને અગડદને પૂછયું તું કેણ છે? અને તેની પુત્રી છે? સ્ત્રી બેલીઃ હું બંધુદત્ત શેઠની પ્રિય પુત્રી છું. મેં બાલ્યાવસ્થાથી જ શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે. મારું નામ મદનમંજરી છે. પણ જેમ કૃપણ લક્ષમીની વિડંબના કરે તેમ પતિએ મારી વિડંબના કરી છે. આથી દેરીથી રહિત ધનુષની લાકડીની પેઠે હું પિતાના પિતાના ઘરે રહું છું. કહ્યું છે કે સુંદર સ્ત્રીઓને મૂખ પતિ, બુદ્ધિશાળી શિષ્યને બુદ્ધિહીન ગુરુ અને શૂર પુરુષને કાયર સ્વામી મૃત્યુથી પણ અધિક દુઃખદાયી છે. જેમ તૃષાતુર સરોવરને જુએ તેમ ઘણા કાળે મેં તમને જોયા છે. તેથી તમે મારું જીવન છે અને મારા નાથ છે, હું બીજા કેઈ નાથને જાણતી નથી. તેના રૂપમાં મેહ પામેલા અને મને હરવાણીવાળા અગડદરે કહ્યું: હે ૧૨ભેરુ! તારે મને રથ અવસરે સફળ કરીશ. હર્ષથી પૂર્ણ બનેલી તે સી પિતાના ઘરે ગઈ અગડદત્ત પણ ઘોડા ઉપર બેસીને નગર તરફ ચાલ્ય.
કલકલ અવાજને સાંભળતા અને બજારને સૂની જેવી જતા અગડદત્તે વિસ્મય પામીને જેટલામાં આગળ નજર કરી તેટલામાં સાત સ્થાનમાંથી ઝરતા મદથી પૃથ્વીને કાદવવાળી કરતા, ભયંકર સૂંઢવાળા અને ક્રોધથી અંધ બનેલા હાથીને આવતો જે. તેથી અગડદત્ત ઘડા ઉપરથી ઉતરીને એકદમ હાથી તરફ દોડ્યો, અને પ્રેસને વીંટીને એ ખેસથી હાથીના સૂંઢમાં માર્યું. હાથી ક્રોધથી સૂઢને ફેલાવીને અગડદત્તની સામે ધ. આથી નગરજનો હાહાકાર કરવા લાગ્યા. અગડદતે હાથીના પૂછડાના અગ્રભાગમાં માર્યું. પછી અગડદને બેસને તેની સામે ફેંકીને તેને નમાવ્યું. નમેલા હાથી ઉપર
૧. કેળના જેવી જાધવાળી.
Page #300
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૧
ચડીને તેને આલાનસ્ત ભની સાથે માંગ્યેા. આથી મહાવતે તેની પ્રશ'સા કરી. ભુવનપાલ નામના રાજાએ છડીદાર પુરુષ દ્વારા અગડદત્તને ખેલાવ્યા. નમસ્કાર કરતા અગડદત્તને ગાઢ આલિંગન કરીને આસન ઉપર બેસાડવો. પછી રાજાએ તેને કહ્યું: હે વત્સ! જો કે મેં ગુણેાથી જ તારું' કુલ જાણી લીધું છે તે પણુકુલની વિશેષ વિગત જાણવા માટે મારું મન ઉત્કંઠિત થાય છે. આ પ્રમાણે સાંભળીને અગડદત્ત કંઇક નીચું મુખ કરીને રહ્યો એટલે પવનચદ્ર ઉપાધ્યાયે સઘળા વૃત્તાંત કહ્યો. રાજા મેલ્યાઃ તા આ સામ્રાજય એનું જ છે, આમાં કોઈ ફેરફાર નથી. આમ કહીને રાજાએ આભૂષણ્ણા આદિથી અગડદત્તના સત્કાર કર્યાં.
આ તરફ્ નગરજનાએ રાજાને ભેટણ' ધરીને વિનતિ કરી કે, હે દેવ ! આપની નગરી નાના ગામડાથી પણ ઉતરતી છે. કારણ કે આપ રાજ્ય કરતા હૈાવા છતાં કાઈ અષ્ટ ચાર રાતે આ નગરીમાં ચારી કરે છે. આ તા ચંદ્રમાંથી વિષના બિંદુએ ઝરવા જેવું થયું. રાજાએ કાટવાળને ઠપકો આપીને નગરનુ` રક્ષણ કરવા આજ્ઞા કરી. કાટવાળે પૃથ્વીપીઠને અડે તેટલું મસ્તક નમાવીને રાજાને કહ્યું: હે દેવ! નક્કી આ ચાર વિદ્યાસિદ્ધ કે મંત્રસિદ્ધ છે. કારણ કે ઘણા કાળથી શેાધ કરવા છતાં જોવામાં આવતા નથી. રાજા ચારને શેાધવાના ઉપાયની ચિંતા કરીને થાકી ગયા એટલે અગડદત્તે કહ્યું: હું પિતાજી! આપ ચિંતાના દુઃખને મૂકી દે અને આ કાર્ય માટે મને જ આજ્ઞા કરે. આપની આજ્ઞાને આધીન એવા મારી હાજરીમાં આપે આ કાર્ય માટે બીનને આજ્ઞા ન કરવી જોઈએ. સુંઠથી કફ દૂર થઈ જતા હાય તા રસાયણના ઉપયોગ કાણુ કરે ? અગડદત્તે આમ કહ્યું તેથી રાજાએ ચાર શેાધવાની તેને આજ્ઞા કરી. હર્ષચિત્તવાળા અગડઇત્ત પવનચંદ્ર ઉપાધ્યાયની રજા લઇને ચારની શેાધ કરવા લાગ્યો. જુગારીઓના સ્થાનેા, દારૂના પીઠા, વેશ્યાનાં ઘરા અને મીઠાઇની દુકાના વગેરેમાં ચારની અતિશય શેાધ કરતા તેના છ દિવસે પસાર થઈ ગયા. તેથી સાતમા દિવસે તેણે વિચાયુ" કે ચારના સમાચાર પશુ મળતા નથી. હવે એક જ દિવસ બાકી રહ્યો છે. તેથી મારી પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ થશે! આ પ્રમાણે વિચારીને, હાથમાં તલવાર લઈને, શ્મશાનમાં જઈને, વડલાની નીચે એસીને, જેટલામાં જુએ છે તેટલામાં તેણે પરિવ્રાજકને આવતા જોયા. પરિત્રાજકે ભયંકર રુદ્રાક્ષની માળારૂપી આભૂષણ ધારણ કર્યું. હતું, ભગવાં વસ્રો પહેર્યાં હતાં, હાથમાં દંડ અને કમંડલું હતાં, તેનુ' લલાટ વિશાળ હતું, આંખા લાલ હતી, જંઘા અને હાથ લાંબા હતા.
તે જ આ ચાર છે એવી સ્પષ્ટ સભાવના અગડદત્ત કરી, તેટલામાં પરિત્રાજકે આવીને તું કાણુ છે ? એમ અગડદત્તને પૂછ્યું. હું પરદેશી છું. જુગારના કારણે હું અતિશય દ્રરિદ્રી બની ગયા છું. જેમ જેની ગાય નાસી ગઈ હોય તે ગાય માટે ભમે તેમ હું સદા ધન માટે જ્યાં ત્યાં ભમું છું. પરિવ્રાજકે ક્રી તેને કહ્યું : જેમ ઘણા હિમ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શીલપદેશમાલા ગ્રંથને કમલવનને નાશ કરે તેમ હું તારા દારિદ્રયને જલદી નાશ કરી દઈશ. તું મારી સાથે ચાલ. પછી “આપની આજ્ઞા પ્રમાણ છે” એમ અગડદત્તે કહ્યું એટલે પરિવ્રાજક અગડદત્તને ત્યાં જ રાખીને પિતે સ્મશાનમાં ગયે. ત્યાંથી લેઢાની બે કેશ અને તલવાર લઈને પરિવ્રાજક ફરી અગડદત્તની પાસે આવ્યા અને નગર તરફ ચાલે. અગડદત્ત જલદી તેની સાથે ચાલ્યો. વિદ્યાથી જલદી નગરજનેને નિદ્રાધીન કરીને પરિવ્રાજકે કઈક ધનવાનના ઘરમાં ખાતર પાડયું. ઘરમાંથી રત્નનાં આભૂષણે અને વસ્ત્રોની અનેક પેટીએ કાઢીને અગડદત્તની સાથે ક્ષણવારમાં કઈક મંદિરમાં લઈ ગયા. તેમાં સૂતેલા પરદેશી પુરુષોને તેણે ઉઠાડ્યા પરદેશીઓને તેણે કહ્યું: જો તમે આ પેટીઓ ઉપાડીને મારી સાથે આવશે તે હું તમને ધન આપીશ. પરદેશીઓ ધનલેભથી પેટી ઉપાડવા તૈયાર થયા. આથી પરિવ્રાજક તેમની પાસે પેટીઓ ઉપડાવીને સ્વયં આગળ ચાલીને પેટીઓને શૂન્યમંદિરમાં લઈ ગયે.
ત્યાં બધા સુઈ ગયા એટલે પરિવ્રાજક પણ (જાગતે રહીને) કપટથી સૂઈ ગયે. આ વખતે અગડદત્તે વિચાર્યું : અહે! આ કે દુષ્ટાત્મા છે. તેથી મારે એને વિશ્વાસ ને કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને અગડદત્ત પોતાની પથારીમાં ખેસ મૂકીને અને હાથમાં તલવાર લઈને વડલાની બલમાં સંતાઈ ગયે. પરિવ્રાજકે સૂતેલા તે બધાને તલવારથી હણીને (અગડદત્તના ખેસને અગડદત્ત સમજીને ) અગડદત્તના બેસના પણ
ધથી બે ટુકડા કરી નાખ્યા. અગડદત્તની પથારીને શૂન્ય જોઈને જેટલામાં આમ-તેમ જુએ છે તેટલામાં અગડદ તેને તિરસ્કાર કર્યો. પછી હે દુષ્ટ ચિત્તવાળા! લાંબા કાળ સુધી ચોરી કરીને આજે ક્યાં જાય છે એમ બોલતા તેણે કમળના દાંડલાની જેમ તેની બે જઘાઓને છેદી નાખી. ચારે અગડદત્તને કહ્યું કે હું તારા પરાક્રમથી પ્રસન્ન થયે છું. તેથી હે મહાપુણ્યવંત ! આ હિતોપદેશ સાંભળઃ- આ મંદિરના પાછળના ભાગમાં ઊંચે વડલે છે. તેની બખેલમાં મારું પાતાલભવન છે, અર્થાત્ ભોંયરામાં મોટું ભવન છે અને વડલાની બખોલમાંથી થઈને ભવનમાં જવાય છે. તેમાં વીરમતી (નામની મારી બહેન) છે. શિલાથી ઢાંકેલું દ્વાર ઉઘાડવું. મારી પાસે રાખેલ તલવાર સંકેત માટે (= મારી બહેનને ખાતરી થાય એ માટે) લે. તે મારી નાની બહેન તને પરણશે
હે મનુષ્યમાં શ્રેષ્ઠ પુરુષ! તે તને ખજાનામાં રહેલું બધું ધન બતાવશે. અગડદત્ત ત્યાં જઈને તે બધું તેના કહ્યા પ્રમાણે કરીને તત્કાલ તેના ઘરમાં પ્રવેશ કર્યો, વીરમતીને જોઈને તે આશ્ચર્ય પામ્યા. વીરમતીના રૂપમાં મેહ પામેલા તેણે તેને ભાઈને વૃતાંત કહ્યો અને ખાત્રી માટે ભાઈનું ખગરત્ન આપ્યું. હર્ષથી પ્રસન્ન બનેલી તેણે તેને આદર-સત્કાર કર્યો. પછી અગડદત્તને પલંગ ઉપર બેસાડીને તે ઘરની ઉપર ગઈ. અગડદરે વિચાર્યું: શત્રુ ઉપર વિશ્વાસ રાખવો એગ્ય નથી. આમ વિચારીને તે પલંગને
Page #302
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૩ છોડીને ક્યાંક ખુણામાં સંતાઈ ગયે. અગડદત્તના દેખતાં જ તેણે યંત્રથી મુકેલી શિલાથી તુરત પલંગને ચૂરે કરી નાખ્યું. પછી કઈ જાતની શંકા વિના તે પાછી આવી. તે બોલીઃ મારા ભાઈને મારીને અત્યાર સુધી જીવનારે તું કેણુ? આ પ્રમાણે બેલતી તેને કેશોમાંથી પકડીને અગડદત્ત બહાર લઈ ગયો. તેના ઘરનું દ્વાર તે જ પ્રમાણે બંધ કરીને વીરમતીની સાથે અગડદત્ત સવારે રાજા પાસે ગયો. રાજાને વીરમતી ભેટ ધરીને નમસ્કાર કર્યો. રાજાએ આશ્ચર્ય પૂર્વક અગડદત્તના પરાક્રમની પ્રશંસા કરી. પછી ચેરે ચરેલું ધન નગરજનોને અપાવ્યું. ખુશ થયેલા રાજાએ અગડદત્તને હજાર હાથીઓ, દશ હજાર શ્રેષ્ઠ ઘોડાએ, રત્નનાં અલંકારે, વસ્ત્રો વગેરે, એક ક્રેડ સેનામહોર, લા ગામોથી યુક્ત દેશ, તથા ધનભંડાર, વાહનો અને આસનોથી સહિત કમલસેના નામની કન્યા આપી. અગડદત્ત પરિવાર સહિત જુદા મહેલમાં રહ્યો. ઉપાધ્યાયની સેવા કરતો તે રાજાને પિતાતુલ્ય માનવા લાગ્યા.
એકવાર કોઈ સ્ત્રીએ અગડદત્તને વધાવીને કહ્યું તમે જે શ્રેષ્ઠિપુત્રી મદનમંજરીને સંતેષ પમાડ્યો હતો તે આપે કરેલા હસ્તિદમન, રાજ પ્રસન્નતા, નિગ્રહ અને રાજપુત્રીવિવાહને સાંભળીને મનમાં આનંદ પામી છે. તે મદનમંજરીએ મને અહીં મોકલી છે એમ કહીને તે સ્ત્રીએ ઉઠીને અગડદત્તના કંઠમાં હાર પહેરાવ્યો. ફરી તે બેલી. પણ ભાગ્યરહિત એવી તેને તમે યાદ કરી નથી. અગડદર બેઃ તેણે કઈ પણ રીતે ખેદ ન કરે. હું સાથે લઈ જઈશ એમ જે કહ્યું છે તેમાં શું ફેરફાર થાય? તે આનો સત્કાર કરીને અને મદનમંજરી માટે રત્નની વીંટી આપીને તેને અગડદત્તે પાછી મોકલી.
એકવાર દ્વારપાલે આવીને અગડદત્તને કહ્યું: હે દેવ ! શંખપુરથી આવેલા રાજાના બે દ્વારપાલો આપના ચરણેનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે. અગડદત્ત તે બે દ્વારપાલને પ્રવેશ કરાવ્યો. પ્રણામ કરતા અનિલગ અને શુભવેગ નામના તે બે દ્વારપાલોને ઓળખીને અને ભેટીને પોતાની પાસે બેસાડ્યા. પછી તેણે માતા-પિતાની કુશળતાના સમાચાર પૂછયા. સુવેગ તુરત બોલ્યો. હે દેવ! આપના માતા-પિતા બધી રીતે કુશળ છે. પણ આપને વિયેગ દુસહ બની ગયું છે. તે વખતે આંખમાં આંસુને ધારણ કરતા અગડદત્તે કહ્યું: શત્રુસ્વરૂપ મારા જેવાને ધિક્કાર છે, કે જેના માતા-પિતાને પુત્રની ચિંતા કરવી પડે છે. કહ્યું છે કે– “કેટલાકો બાવળની જેમ વાવનારને પણ કાંટાઓથી પીડા પમાડે છે અને કેટલાકે ચંદનની જેમ ઘસવા છતાં ઉપકાર કરે છે. પ્રવાસ કરવામાં અને સાથે રહેવામાં પણ મેં માતા-પિતાને દુઃખી જ કર્યા છે. આ પ્રમાણે વિષાદ પામતા અગડદત્તને સુવેગે ફરી કહ્યું? ગુણું પુત્રનો પ્રવાસ પણ પિતાના દુખ માટે થતું નથી, અને એને જ સહવાસ થાય તે સેનામાં સુગંધ સમાન બને. તેથી આપ પોતાના ગુણેથી અને દર્શનથી માતા-પિતાને જલદી
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શીલપદેશમાલા ગ્રંથને ખુશ કરે. અગડદત્તને લાંબાકાળના વિરહથી માતા-પિતાને મળવાની ઉત્કંઠા થઈ. આથી તે હવે માતા-પિતાને મળવા ઉતાવળો થયે. તે બે દ્વારપાલને સત્કાર કરીને તેમને સાથે લઈને અગડદત્ત રાજાના મહેલમાં ગયે. સુવેગ દ્વારા સઘળે વૃત્તાંત રાજાને જણાવ્યું. જેમ તેમ કરીને ભુવનપાલરાજાએ અગડદત્તને પુત્રીની સાથે પોતાના દેશમાં જવા માટે રજા આપી. પછી અગડદતે ઉપાધ્યાયની રજા લીધી. સાસુએ તેનું મંગલ કર્યું એટલે પરિવાર સહિત તેણે પ્રયાણ કર્યું. રાજા તેની પાછળ ગયે. સૈન્ય જવા માટે ચાલ્યું એટલે અગડદત્ત સ્વયં રાતે પાછો વળીને રથને દૂતીના ઘર પાસે રાખે. પછી મદનમંજરીને જલદી રથમાં બેસાડીને પિતાનું સૈન્ય જે રસ્તે ગયું હતું તે સૂના માર્ગે આગળ ચાલ્યું. તે એકવાર વિધ્યવનમાં છાવણીમાં રહેલું હતું ત્યારે ભીમનામના પશ્વિપતિના સૈન્ય આક્રમણ કર્યું. અગડદત્તના સૈનિકે તેની સાથે લડવા માંડ્યા. જેમ વાયુ ખાખરાનાં પાંદડાંઓને જુદી જુદી દિશામાં લઈ જાય તેમ પલિપતિના સૈન્ય અહંકારમાં આરૂઢ થયેલા અગડદત્તના સૈનિકોને જુદી જુદી દિશાઓમાં ભગાડી મૂક્યા. પછી પલિપતિનું અગડદત્ત સાથે યુદ્ધ શરૂ થયું. ઘણા કાળ સુધી કેઈને જય ન થા. છલથી પતિના જયને ઈચ્છતી અતિશય શંગારરૂપી વૃક્ષની મંજરી જેવી મદનમંજરી સારથી બની. (તેને જોઈને મોહ પામવાથી નિર્બલ બનેલા) ભીમને અગડદને યુદ્ધમાં હણી નાખ્યો. પછી અગડદત્ત તે એક રથમાં બેસીને માર્ગમાં આગળ ચાલ્યા.
અર્ધા માર્ગે તેને બે પુરુ મળ્યા. અગડદ તેમને શંખપુરને માર્ગ પૂછો. તેમણે કહ્યું: આ વડના વૃક્ષ પાસેથી શંખપુર જવાના બે માર્ગો છે. તેમાં જમણી બાજુના માગે શખપુર ઘણું દૂર છે, પણ તે રસ્તે નિર્ભય છે. ડાબી બાજુના માર્ગે શંખપુર નજીક છે. પણ તે રસ્તે દુઃખથી જવાય તેવો છે. કારણ કે તે રસ્તામાં દુર્યોધન નામને ચાર, એક હાથી અને સિંહ છે. તે વાતને નહિ સાંભળીને લક્ષમાં ન લઈને અગડદત્ત નજીકના રસ્તે રથને ચલાવ્યું. તેના જ કાફલાની સાથે કેટલાક મુસાફરો પણ ચાલ્યા. રસ્તામાં જતા પૂર્ણ બુદ્ધિવાળા તેને એક ગી સામે મળ્યો. તેણે મનુષ્યની ખોપરીઓની માળારૂપી આભૂષણ પહેર્યું હતું. હાથમાં કમંડલ ધારણ કર્યું હતું. રણકાર કરતી ઘુઘરીના રણકારથી ગાજતી જટાના જૂથથી શોભતું હતું. તેણે આશીર્વાદ આપીને અગડ૧. સુતારંવાદનાપૂર્ણ પદને શબ્દાર્થ પુત્રીને લઈ જવાપૂર્વક એ થાય. અહીં તેને “પુત્રીની
સાથે” એ ભાવાર્થ લખ્યો છે. ૨. અહીં મદનમંજરીની દૂતી સમજવી. આ દૂતી પૂર્વે મદનમંજરીના કહેવાથી અગડદત્ત પાસે
આવી હતી. ૩. અહીં ટીકામાં બહુ જ સંક્ષેપથી વર્ણન છે. પ્રસંગને ભાવ સ્પષ્ટ થાય એ માટે અનુવાદમાં અન્ય ગ્રંથના આધારે કંઈક વિશેષ લખ્યું છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૫ દત્તને કહ્યું તીર્થયાત્રા માટે જવાની ઈચ્છાવાળો હું તારી સાથેની સાથે આવવાને ઈરછું છે. અગડદત્તની રજા મળવાથી તે રથની પાછળ ચાલે. ગીની પ્રાર્થનાથી તેની સોનામહોરની થેલી અગડદત્ત રથમાં મૂકી. અગડદત્ત મધ્યાહ્ન સમયે પર્વત પાસેના કેઈ ગામમાં ગયે. સાથેના બધા માણસે ત્યાં આવી ગયા એટલે વેગીએ અગડદત્તને કહ્યુંઃ હે ધર્મના જાણકાર ! આ વર્ષે હું વર્ષાઋતુમાં આ ગામમાં રહ્યો હતે. તેથી આજે ગામના લોકો મારું આતિથ્ય કરશે. તેથી હે વિવેકી ! સાથ સહિત તમે પણ આજે અતિથિ થાઓ ! અગડકરે કહ્યુંઃ વિવેકી એવા મારે આ પ્રમાણે મુનિના અન્નનું ભોજન કરવું યોગ્ય નથી. ના કહેવા છતાં ગી (વિષમિશ્રિત) દહીં અને દૂધ વગેરે જલદી લઈ આવ્યું. અગડદર સિવાયના બધા મુસાફરે ભજન કરીને વૃક્ષની નીચે સૂઈ ગયા. અગડદત્ત જેટલામાં પોતાનું ભાતું જમવા બેઠે તેટલામાં તે બનાવટી યેગીએ અગડદત્તને કહ્યુંઃ દુર્યોધન નામના ચેરને શું તેં સાંભળ્યું નથી? તે હું છું. રે! લહમીદેવી જેવી પત્નીને લઈને મારી પાસેથી તું ક્યાં જઈ શકવાને છે? મુસાફરોને ઝેરથી મેં મારી નાખ્યા છે. તલવારથી તને મારી નાખું છું એમ બેલતે તે તલવાર ખેંચીને અગડદર તરફ દેડ્યો. આશ્ચર્ય પામેલા અગડદત્તે તલવાર વડે રમતથી તેના મસ્તકના પાકેલી કાકડીની જેમ બે ભાગ કરી નાખ્યા. તૃષાતુર તેને અગડદત્ત પાણી લાવીને આપ્યું. તેના ગુણેથી ખુશ થયેલા ચેરે તેને આ પ્રમાણે કહ્યું, આ પર્વતની ઝાડીની અંદર ગુફામાં મારું ઘર છે, તેમાં જ મારો બધો ધનભંડાર છે અને સુંદરી નામની પત્ની છે. પરાક્રમને જ ધન માનનારા હે ઉત્તમ પુરુષ! મારી અનુજ્ઞાથી તે બધું તારે લઈ લેવું.
અગડદત્ત તેના ઘરમાં જઈને તેની પત્નીને આ વાત કહી. રતિ જેવી તેને જોઈને અગડદત્તને તેના ઉપર અનુરાગ થયે અને તેને પણ કામદેવ જેવા અગડદત્તને જોઈને તેના ઉપર અનુરાગ થયે. શું કામ (=કામને આધીન જીવ) ઔચિત્યનો વિચાર કરે છે? અર્થાત નથી કરતું. તે વખતે તે બંને પરસ્પર અનુરાગવાળા થયેલા જોઈને મદનમંજરીને ક્રોધ આવ્યો. પણ જેમ દેવે સમુદ્રને ધારણ કરે છે તેમ મદનમંજરીએ મર્યાદારૂપી પાણીને ધારણ કર્યું. અર્થાત્ મર્યાદાને છેડી નહિ. વીર પુરુષોમાં શ્રેષ્ઠ એવો અગડદત્ત ચારની સ્ત્રીને અને લક્ષમીને છોડીને રથ ઉપર બેસીને આગળ ચાલ્યા. જતા તેણે ફરી વનમાં ફર યમના જેવી આકૃતિવાળા વનના હાથીને પોતાની આગળ છે. તેણે તેને રમતથી વશ કરી લીધો. ફરી દાઢાઓથી ભયંકર સિંહને પોતાની આગળ છે. તેણે વસ્ત્રથી વાટેલા હાથરૂપી દંડને તેના મોઢામાં નાખીને તેને ક્ષય કરી નાખે. જેમ જ્ઞાની ભવરૂપી સમુદ્રના પારને પામે તેમ અગડદર ક્રમે કરીને મહાન જંગલના પારને પામ્યું. જેમ મદરહિત પુરુષ મોક્ષસુખને જુએ તેમ અગડદત્તે પિતાની આગળ સૈન્યને જોયું. અગડદત્ત સૈન્યના નાયકને પૂર્વને વૃત્તાંત પહેલેથી પૂછ્યો. તેમણે કહ્યું હે દેવ! તે વખતે થયેલા
Page #305
--------------------------------------------------------------------------
________________
શીલેાદેશમાલા ગ્રંથના
૨૯૬
રાત્રિયુદ્ધમાં કાઈ લુચ્ચા પુરુષે અમને કહ્યું કે, અગડદત્ત કુમાર આગળ ગયા છે. તેથી અમે સેના અને મલસેના રાણીને લઇને જલદી બહારના માર્ગથી નીકળી ગયા અને અહીં સુધી આવ્યા. આપને ન જોતાં શરીંદા બનેલા અમે વિચાર કરીને અહીં જ રહ્યા. પછી સૈન્યથી અનુસરાયેલ અગડઇત્ત વિલંબ કર્યા વિના માતા-પિતાના મનેરથાની સાથે શ ખપુર આવ્યા. રાજાની આજ્ઞાથી ઉત્તમ મત્રીએ અને સામતા અગડદત્તની સામે ગયા.
. નગરજનાથી કરાયેલ મંગલેાની શ્રેણિવાળા નગરમાં તેણે પ્રવેશ કર્યાં. અગડદત્ત ઉત્કંઠાથી જલદી પિતાના ચરણામાં નમ્યા. રાજા પણ સ્નેહથી રામાંચવાળા બનીને પાતાના પુત્રને ભેટી પડ્યો. પછી અગદત્ત રાજાની આજ્ઞાથી માતાના ચરણેામાં વંદન કર્યું.... જાણે આંસુઓથી પેાતાના પુત્રને સ્નાન કરાવતી હેાય તેમ માતાએ હાથથી પુત્રના સ્પર્શ કર્યો. પછી અગડદત્તે નગરજના અને પ્રધાન વગેરેના યથાયેાગ્ય સત્કાર કર્યાં. પછી પિતાની આજ્ઞાથી અગડદત્ત પેાતાના મહેલમાં આવ્યા. ઉત્તમ દિવસે રાજાએ પુત્ર ઉપર યુવરાજપદના અધિકાર નાખ્યા. અગડદત્ત પેાતાના ગુણાથી પ્રજાને બંધુની જેમ આનંદ પમાડ્યો. કૃતજ્ઞ અગડદત્તે મદનમજરી પત્નીને માટી માની અને કમલસેના પત્નીને નાની માની સકાર્યોમાં માટી પત્નીને જ આગળ કરતા હતા, તેા પણ કુલીન નાની પત્નીએ જરા પણ રાષ ન કર્યાં.
*
કાયલના ગાયનથી મનેાહર એવી વસતઋતુના પ્રારભ થતાં રાજા પત્ની સહિત મનેાહર ઉદ્યાનભૂમિમાં ગયા. ફેલાતા કામના અભિમાનને ધારણ કરનાર અને મસ્તકમાં મ...જરીઆની માળા પહેરનાર અગડદત્તકુમાર પણ મદનમ`જરીની સાથે ઉદ્યાનમાં ગયા. આનદમય અગડદત્ત રથમાં બેશીને પ્રારંભાયેલા સુંદર સંગીત અને વાજિંત્રાના ધ્વનિથી મનાહર ઉદ્યાનમાં આવ્યા. આખા દિવસ ઉદ્યાનમાં ક્રીડા કરીને થાકી ગયેલા મહાપરાક્રમી અગડદત્ત પત્નીની સાથે રથમાં જ સૂઈ ગયા. નિદ્રાના કારણે રથથી બહાર લટકતા પત્નીના હાથમાં ભાગ્યવશાત્ જાણે તેનું મૂર્તિમાન કર્યું હોય તેવા સર્પ કરડ્યો. નિદ્નારહિત અનેલી તે મને સર્પ કરડ્યો સર્પ કરડયો એમ ખાલી એટલે રથમાંથી ઉતરેલા અગડદત્તે સપને જોયા. વિષની અસરથી પત્ની મૂર્છા પામી એટલે અગડદત્ત પણ મૂર્છા પામ્યા. ઉદ્યાનના પવનથી અગડદત્ત ચૈતન્યને પામ્યા, પણ તેની પત્ની ચૈતન્યને ન પામી. મંત્રવાદીઓ જેટલામાં મંત્ર, તંત્ર અને ઔષધ વગેરે ઉપચારો કરવા લાગ્યા તેટલામાં વિષની લહરીએથી જેનું ચૈતન્ય નાશ પામ્યું છે એવી તે ચેષ્ટારહિત બની ગઈ. તેથી અગડદત્તે પત્નીને ખેાળામાં રાખીને ઘણા કાળ સુધી 'કરુણ વિલાપ કરીને પત્નીની સાથે અગ્નિમાં પ્રવેશ કરવા માટે ચિંતા રચાવી. આ તરફ તેના નિષ્કારણુ બંધુ એવા કેાઈ વિદ્યાધર તી યાત્રા માટે જઈ
૧. મહ્દ વાજિંત્ર વિશેષ છે. તેના ઉપલક્ષણથી ખીજા પણ વાજિંત્રા સમજી લેવા જોઈએ.
Page #306
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૭ રહ્યો હતે. તે વિદ્યાધર નગરજનેના કોલાહલને સાંભળીને ત્યાં આવ્યો. અગડદત્તે તેને પત્નીનું ઝેર દૂર કરવાની પ્રાર્થના કરી. તેથી વિદ્યારે વિદ્યાનું સ્મરણ કરીને તેને પાણીથી છાંટીને વિષની અસર દૂર કરી. જેમ ભેગી શક્તિને પ્રગટ કરે તેમ આંખોને ઉઘાડતી પત્નીને પામીને અગડદત્ત જાણે કેવળ આનંદરૂપ અમૃતના સરેવરમાં ડૂબેલે હોય તે બન્યો. વિદ્યાધર વાદળની જેમ ઓચિંતો ઉપકાર કરીને જેમ આવ્યો હતો તેમ જ રહ્યો.
અગડદત્ત પત્નીને કામદેવના મંદિરના મંડપમાં લઈ ગયો. પત્નીએ ઠંડીની પીડા થાય છે એમ કહ્યું એટલે અગડદત્ત જાતે વનમાં જઈને અરણિકાનું મંથન કરીને અગ્નિ લઈ આવ્યું. મંદિરમાં એચિત દીપકનો પ્રકાશ થયો અને તુરત પ્રકાશ બંધ થઈ ગયો. દુરથી આ જોઈને અગડદત્ત વિસ્મય પામ્યો. પવિત્ર અગડદત્ત પત્નીને દીપકના પ્રકાશનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું: તમારા હાથમાં રહેલા અગ્નિનું ભીંતમાં પ્રતિબિંબ પડયું, તેથી આ પ્રકાશ થયો. પછી પત્નીના હાથમાં તલવાર આપીને પવિત્ર મનવાળે અગડદત્ત પતનીની ઠંડી દૂર કરવા માટે અગ્નિ સળગાવવા લાગે. અગડદત્ત મેઢું નીચું કરીને અગ્નિને ફેંકી રહ્યો હતો ત્યારે જાણે ચમકતી વિજળી હોય તેવી તલવારરૂપી લતા અવાજ કરતી પૃથ્વી ઉપર પડી. શંકાવાળા અગડદત્ત ઊભા થઈને આ શું? એમ પૂછયું. પત્ની બેલી ઠંડીના કારણે મારા હાથ કંપતા હતા, એથી તલવાર મ્યાનમાંથી નીકળીને રણકાર કરતી નીચે પડી ગઈ પત્નીના આવા ઉત્તરથી શંકારહિત બનેલા અગડદત્ત અગ્નિથી પત્નીની ઠંડી દૂર કરી. પછી સવારે આવેલા પરિવારથી યુકત અગડદત્ત મદનમંજરીની સાથે પોતાના મહેલમાં ગયે. ઇદ્રિયને કાબૂમાં રાખનાર અગડદત્ત યથાયોગ્ય ત્રણ (=ધર્મ, અર્થ અને કામ) વર્ગની સાધના કરવા લાગ્યો તથા ક્રમે કરીને ન્યાય અને ધર્મનું વિશેષરૂપે પિષણ કર્યું.
એક દિવસ સભામાં બેઠેલા અગડદત્તને કઈ સોદાગરે ઘડાઓ બતાવ્યા. અગડદત્ત એક ઊંચા ઘોડા ઉપર જલદી આરૂઢ થયે. તે અશ્વની છાતી અને પીઠ અતિશય પહોળી હતી, મુખ માંસથી રહિત હતું, કાન નાનાં હતાં, કેડનો ભાગ પુષ્ટ હતું, દશ ધ્રુથી (રૂંવાટાના ગોળ કુંડાળાથી) યુક્ત હતો, મધ્યભાગમાં કુશ હતા, પીઠ પહોળી હતી, પગોને આગળનો ભાગ ચપળ હતો. કૂદતા ઘોડાને કાબૂમાં રાખવા માટે અગડદરે લગામ ખેંચી. આથી જાણે સ્પર્ધાથી હોય તેમ ઘેડાએ પાંચમી ગતિનો સ્વીકાર કર્યો, અર્થાત્ ખૂબ જ વેગથી દેડવા માંડયું. સંભ્રાંત બનેલા બીજા અશ્વસવારોથી ઉત્તજિત કરાયેલા કેટલાક ઘોડાઓ થાકીને પાછા વળી ગયા અને કેટલાક ઘોડાઓ તેની પાછળ ચાલ્યા. જેમ કેપથી પીડાતે કુશિષ્ય ગુરુને કષ્ટમાં નાખે તેમ તે તેફાની ઘોડે અગડદત્તને ક્ષણવારમાં નિર્જન જંગલમાં લઈ ગયે. અગડદ જેટલામાં લગામ મૂકી ૨. સાથ્થી નુકશ્તાનાં રદ: | ૨. ઘોડાની એક પ્રકારની ગતિને “ પંચમધારા' કહેવામાં આવે છે.
૩૮
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શીલાપદેશમાલા ગ્રંથા
દીધી તેટલામાં મધ્યાહ્ન સમયે શ્રમથી પીડાતા અશ્વ જાણે વનની પ્રાપ્તિ થઈ તેમાં સાક્ષી થતા હોય તેમ ભૂમિ ઉપર પડ્યો. જગલમાં પ્રવેશ કરતા તેણે શ્રી ઋષભદેવનું મંદિર જોયું. આગળ રહેલી વાવડીના પાણીમાં સ્નાન કરીને તેણે મદિરમાં પ્રવેશ કર્યો.
તત્કાલ ફલ આપનારા જિનેશ્વરને નમીને મંદિરની બહાર આવેલા તેણે મ‘ડપમાં જિનધર્મની દેશનાને આપતા એક મુનિને જોયા. મુનિને પ્રદક્ષિણા આપીને અને નમીને તેમની આગળ બેઠા. ચારિત્રને સ્વીકારવા માટે ઉત્કંઠિત થયેલા પાંચ પુરુષાને જોઈને તેણે મુનિને પૂછ્યું: હે સ્વામી ! યુવાનવયવાળા, ચારિત્રના અભિલાષી અને અંજલિ જોડીને રહેલા આ પાંચ પુરુષા કોણ છે? અને તેમને વૈરાગ્યનું કારણ શું ખન્યું? મુનિએ કહ્યુ: હે ભદ્ર! સાંભળ, વિંધ્યા અટવીમાં રહેનાર ભીમ નામના પલ્લિપતિ હતા. આ પાંચ પુરુષો તેના મધુએ છે. વિંધ્યા અટવીમાં કોઈ રાજપુત્રે સૈન્યની છાવણી નાખી. તેથી પલ્લિપતિએ રાજપુત્રના સૈન્યની સાથે રાત્રિયુદ્ધ કર્યું, પલ્લિપતિએ કુમારને કંઇક વ્યાકુલ કર્યાં એટલે તેની પત્ની સ્વય* શરીરે શૃંગાર કરીને રથમાં સારથિ બની. તેથી તેની શૃંગારિક ચેષ્ટામાં ભ્રાન્ત બનેલા ( =મેાહ પામેલા ) પલ્લિપતિને રાજપુત્રે હણી નાખ્યા. પછી તે તુરત આગળ ચાલ્યો. પલ્લિપતિના આ સગા ભાઈએ તે જ વખતે પેાતાના ગામમાંથી નીકળ્યા. અને ક્રોધથી વરના બદલે વાળવાની ઈચ્છાથી રાજપુત્રની પાછળ ગયા. પણ તેને મારવા તે સમથ ન થયા. પછી એકવાર જંગલમાં તેને પત્ની સાથે જોઇને મંદિરમાં છુપાઈને રહ્યા. હવે તેની પત્નીને સર્પ કરડ્યો. આથી તે પત્ની સાથે અગ્નિમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા થયા. તેવામાં એક વિદ્યાધરે તેની પત્નીને જીવતી કરી. પછી તેની પત્નીએ મને ઠંડીની પીડા થાય છે એમ કહ્યું એટલે રાજપુત્ર સ્વયં અગ્નિ લેવા માટે ગયા. મદિરમાં રહેલા તે ચારા પૂર્વે લીધેલા દીવાને સળગાવીને રાજપુત્રને સુવાના સ્થાનને જેટલામાં જુએ છે તેટલામાં તેની પત્નીએ તેમના નાના ભાઈને રાગથી જોયેા. નાના ભાઈએ પણ તેને રાગથી જોઈ. આમ બંનેને પરસ્પર અનુરાગ થયા. કારણ કે કામીઓને શરમ કર્યાંથી હોય ? સ્વય' પ્રાના કરતી મૈથુનની ઇચ્છાવાળી તેને ચારે કહ્યું: હું સુંદરી ! તારા પતિ જીવતા હોય ત્યાં સુધી તને લેવા માટે કાણું સમર્થ થાય ? તે એટલી તેા પતિને મારી નાખીને તને શલ્યરહિત કરું છું. તે આ પ્રમાણે ખેાલી રહી હતી તેટલામાં તેના પતિ અગ્નિ લઈને આવી ગયા. તે ચારા દીપક પ્રગટાવીને થાડા દૂર ખસી ગયા.
રાજપુત્રે પત્નીને દીપકના પ્રકાશનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું; તમારા હાથમાં રહેલા અગ્નિનું ભીંતમાં પ્રતિબિંબ પડયુ., તેથી આ પ્રકાશ થયા. રાજપુત્ર પત્નીના હાથમાં તલવાર આપીને જેટલામાં અગ્નિને ફૂંકે છે તેટલામાં તેની પત્ની તેને મારવા માટે તૈયાર થઈ. આ તરફ ચારે વિચાર્યું": આના દુષ્ટ ચિત્તને ધિક્કાર થાઓ કે જે મારા ઉપર થયેલા ક્ષણિક રાગથી પેાતાના પતિને હણવાને ઈચ્છે છે. જેણે આ સ્ત્રીના માટે
Page #308
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૯ એની સાથે પોતાનું મૃત્યુ થાય એવું દાસપણું સ્વીકાર્યું તે પુરુષની જે ન થઈ તે મારા વિષે સ્થિર કેવી રીતે થાય? હા સત્વ અને શૌર્યના સમુદ્ર એવા આ નરરત્નને વિનાશ કરાવીને હું નિરર્થક કઈ દુર્ગતિમાં જઈશ? આમ વિચારીને તે પુરુષે જલદી આવીને તેના હાથમાંથી જેમ સ્નેહી બંધુ આપત્તિને દૂર કરે તેમ તલવારને પાડી નાખી. આ પ્રમાણે સાંભળીને રાજપુત્રે ચિત્તમાં વિચાર્યું સ્ત્રીઓને ધિક્કાર થાઓ અને મારા સાહસને ધિક્કાર થાઓ, કે જેથી મેં તેને જ આગળ કરી. ખરેખર! મેં ઉતાવળથી ચમેલીના પુષ્પોની માલાનો તિરસ્કાર કરીને ધંતરાનો સ્વીકાર કર્યો. કારણ કે મોહથી મેં ધર્મ પ્રત્યે પ્રેમવાળી પત્નીને છોડીને વ્યભિચારિણી પત્નીને આદર કર્યો. (હવે મુનિ અગડદત્તને આગળને વૃત્તાંત કહે છે:-) મુનિએ કહ્યું તેથી રાજપુત્રે તલવારને ઝસ્કાર અવાજ સાંભળીને પત્નીને પૂછ્યું: આ શું? તેણે કહ્યું : ઠંડીના કારણે મારા હાથ કંપતા હતા, એથી તલવાર મ્યાનમાંથી નીકળીને નીચે પડી ગઈ
પશ્વિપતિના તે પાંચે બંધુઓએ વૈરાગ્ય થવાથી આત્મહિત કરવાની ઈચ્છાથી ભાઈના વેરને બદલો લેવાની ઈચ્છાને છેડી દીધી. તેમણે વિચાર્યું મનુષ્ય જે સ્ત્રીઓ માટે પ્રાણોને તૃણસમાન ગણીને પણ સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે તે સ્ત્રીઓની ચેષ્ટા આવી છે. ઈત્યાદિ વિચારણાથી સંસાર ઉપર વૈરાગ્ય થવાથી આત્મઘાત કરવાની ઈચ્છાથી જઈ રહ્યા હતા. પણ હવે મારી દેશના સાંભળીને ધન્ય બનેલા તેઓ ચારિત્રને ઈચ્છે છે. આ સાંભળીને કુમારે પણ કહ્યું: હે પ્રભુ! આપે આ બધેય મારે વૃત્તાંત કહ્યો છે. કારણ કે તે રાજપુત્ર હું છું, અને તે સ્ત્રી મારી પત્ની છે. પદ્વિપતિના આ બંધુએ વિરોધીના બહાનાથી ચેકસ મારા બંધુઓ થયા છે. તેમણે આ લેકમાં મારા બાદા પ્રાણેનું રક્ષણ કર્યું છે અને પરલોકમાં મારા અંતરંગ પ્રાણનું રક્ષણ કર્યું છે. તે આ વન ધન્ય છે કે જ્યાં મેં જિનેશ્વર દેવ, તત્ત્વજ્ઞાન અને સુગુરુ એ ત્રણ રત્નોને પ્રાપ્ત કર્યા. તેથી બધી રીતે અનર્થના સાગર એવા આ સંસારને અત્યંત ધિક્કાર થાઓ. હે ચારણમુનિ ! મારે ચારિત્રના સ્વીકારથી આપના ચરણનું શરણ છે. પછી અગડદત્ત બધાની સાથે ઘરે ગયે. માતા-પિતાની રજાથી તેણે કમલસેનાની સાથે દીક્ષા લીધી. પત્નીના કારણે થયેલા વૈરાગ્યથી વધતી આત્મશુદ્ધિવાળા તેણે ઘણા કાળ સુધી ચારિત્રની સુંદર આરાધના કરી. અગડદત્ત મુનિએ કર્મોને મૂળથી નાશ કરીને મોક્ષસુખને મેળવ્યું. [૬]
નારી ઉપર વિશ્વાસ કરનારને દુર્દશાની પ્રાપ્તિ થાય છે એમ કહે છે - . मुहमहुरासु निग्धिण-मणासु नारीसु मुद्ध ! वीसासं ।
जइ तं लहसि अवस्सं, पएसिराओव्व विसमदसं ॥८७॥
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શીલપદેશમાલા ગ્રંથને ગાથાથ:- હે મૂઢ! જે તું મુખથી મીઠી (=સ્તત્કાળ મને હર લાગતી) અને હદયથી નિર્દય એવી સીઓનો વિશ્વાસ કરે છે તે પ્રદેશ રાજાની જેમ અવશ્ય વિષમદશાને પામીશ.
ટીકાથ-આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ જણાવવા માટે દષ્ટાંત કહેવામાં આવે છે -
પ્રદેશી રાજાનું દષ્ટાંત આમલકલ્પ નામની નગરી હતી. તે નગરીમાં જાણે ધનના બહાને કલ્પવૃક્ષો અનેકતાને પામેલાં દેખાતાં હતાં, અર્થાત્ જાણે ધનના બહાને અનેક કલ્પવૃક્ષે હતાં. શ્રી સૂર્યાભ નામના દેવે સ્વર્ગમાંથી આવીને તે નગરીમાં સમવસરણમાં બિરાજમાન શ્રી વીરજિનેશ્વરને વિનંતી કરી કે, હે સ્વામી ! આજે મને ભક્તિને પ્રગટ કરવાને રસ (=ભાવના) થયું છે. આથી આપ ગૌતમ વગેરે મહર્ષિએને નવીન નાટકવિધિ બતાવવા માટે મને અનુજ્ઞા આપો. આ પ્રમાણે તેણે ત્રણ વખત વિનંતિ કરી. પણ ભગવાન ૌન રહ્યા. તેથી તેણે જાણ્યું કે ભગવાન નિષેધ કરતા નથી માટે અનુમતિ આપી છે. પછી તેણે ઈશાન દિશામાં જઈને પોતાના બે હાથમાંથી એકસો આઠ દેવે અને એક આઠ દેવીઓને વિક્ર્વીને નાટક કર્યું. મહર્થિક તે સૂર્યાભદેવ બત્રીસ પ્રકારના નાટકને બતાવ્યા પછી વિજળીની જેમ કૂદીને સ્વર્ગમાં પાછો ગયો. હવે અન્ય લોકેને બંધ પમાડવાની ઈચ્છાવાળા શ્રી ગૌતમસ્વામીએ શ્રી વિરપ્રભુને પૂછયું કે, આ દેવ કેવું છે? આને કેનાથી બેધિની પ્રાપ્તિ થઈ? આની આવી સમૃદ્ધિ કેમ છે? શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : હે વત્સ ગૌતમ! સાંભળ.
આ જ ભરતક્ષેત્રમાં ઝવેતાંબી નામની સમૃદ્ધ નગરી હતી. તેમાં પ્રદેશી નામને નાસ્તિક રાજા ઈચ્છા પ્રમાણે રાજ્ય કરતું હતું. તેના કપરૂપી અગ્નિ આગળ સૂર્ય અગ્નિના તણખા જેવું જણાતું હતું. તેને સૂર્યકાંતા નામની પત્ની, સૂર્યકાલ નામને પુત્ર અને ચિત્ર નામને જિનધર્મમાં રક્ત ઉત્તમ મંત્રી હતા. તે એકવાર રાજ્ય કાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયા. ત્યાં તેણે ચાર જ્ઞાનના ધારક શ્રી કેશી ગણધરને વંદન કર્યું, તેમની પાસે શ્રાવકના બાર ત્રતાને સ્વીકાર કર્યો અને વિહાર કરીને વેતાંબી નગરીમાં પધારવા તેમને વિનંતિ કરી. પછી તે પિતાના ઘરે ગયે. પૃથ્વી પીઠ ઉપર વિહાર કરતા શ્રીકેશીગણધર ક્રમે કરીને વેતાંબી નગરીના ઉદ્યાનમાં જઈને રહ્યા. ઉદ્યાનપાલક પાસેથી શ્રીકેશી ગણધરના આગમનના સમાચાર જાણીને હર્ષ પામેલા ચિત્ર મંત્રીએ ત્યાં જ રહીને મનથી શ્રીકેશી ગણધરને નમીને વિચાર્યું હું મંત્રી હેવા છતાં જો આ સ્વામી (=પ્રદેશી રાજા) નરકમાં જાય તે હું કુપુત્રની જેમ તેના ત્રણથી મુક્ત કેવી રીતે બનું? તેથી હું કઈ પણ ઉપાયથી સ્વામીને ગુરુની વાણું સંભળાવું.
Page #310
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૧ સમુદ્ર પ્રગટ થયે છતે જીવેને ભાગ્યે જ સાધ્ય છે. જેમ ગુણે જીવને ન્યાય પાસે લઈ જાય ( =ન્યાય કરાવે, અન્યાય ન કરાવે તેમ બુદ્ધિમાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એ ચિત્ર મંત્રી પ્રદેશ રાજાને અશ્વો ખેલાવવાના બહાને ઉદ્યાનમાં લઈ ગયા. થાકેલે રાજ વૃક્ષની છાયામાં બેઠે. જેમ રેગી વીણાના નાદને સાંભળીને ઉદ્વેગ પામે તેમ રાજા ગુરુની વાણી સાંભળીને અતિશય ઉદવેગને પામ્યું. તેણે મુખ મરડીને ચિત્રમંત્રીને કહ્યું: દૂર રહેલે આ રોગથી પીડાયેલા માણસની જેમ નિરસ બરાડા કેમ પાડે છે ? એ આ પ્રમાણે કેમ બોલે છે એ તે નજીકમાં જઈને નિશ્ચય કરી શકાય એમ કહીને મંત્રી રાજાને નજીકમાં લઈ ગયા. રાજાએ દેશના સાંભળી. તે આ પ્રમાણે -
હ હા! વિવિધ યુક્તિઓવાળા અર્થોથી મનેહર તત્વને નહિ જાણતા મૂઢ જીવે અશુભ વાસનાથી નિરર્થક જન્મને હારી જાય છે. જે કદાગ્રહના કારણે નિરર્થક નરકના અતિથિ બને છે, પણ તત્ત્વને સ્વીકારીને શુભ ઊર્વગતિને આશ્રય લેતા નથી, અર્થાત્ સદ્દગતિમાં જતા નથી. કેવલ પ્રત્યક્ષ પ્રમાણ છે (અન્ય પ્રમાણે નથી) એમ બોલનાર અન્ય વસ્તુના પ્રમાણને કે અપ્રમાણને અથવા નિષેધને કહેવા માટે પણ સમર્થ નથી જ. એથી
ગિપ્રત્યક્ષથી અથવા અનુમાનથી આત્માનું અનુમાન કરવું જોઈએ. સિદ્ધ થયેલે પોતાને આત્મા અન્ય જી, કર્મ અને પરલેક વગેરેને સિદ્ધ કરે છે. આંખથી અલગ ન કરાયેલ કીકી જેમ આંખથી ભિન્ન નથી તેમ, આંખથી નહિ દેખાતા ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન વગેરે ભાવે ચૈતન્યથી ભિન નથી, અર્થાત્ ઈચ્છા વગેરે ભાવે આત્મા વિના થતા નથી, માટે ઈચ્છા વગેરે ભાવથી આત્માની સિદ્ધિ થાય છે. જેમાં જ્ઞાન-વિજ્ઞાનનું જે તારતમ્ય ઈષ્ટ છે તેમાં આત્મા ન જેવા છતાં જીવને ભાવ કેના ચિત્તમાં વર્તતે નથી ? અર્થાત્ જ્યાં આત્મા છે ત્યાં જ આ તારતમ્ય દેખાય છે જ્યાં આત્મા નથી ત્યાં આ તારતમ્ય પણ નથી. આથી જીમાં દેખાતા જ્ઞાન-વિજ્ઞાનના તારતમ્યથી આત્માની સિદ્ધિ થાય છે. ફલ વગેરે આંખથી જોવામાં આવે છે ત્યારે રસની સ્મૃતિ થાય છે અને અત્યંત હર્ષ થાય છે, એથી દાંતે એચિતા પાણીથી તરબળ બની જાય છે, અર્થાત્ ઓચિંતુ મેઢામાં પાણી આવી જાય છે. એથી નક્કી થાય છે કે ઇંદ્રિયથી ભિન્ન અને નહિ દેખાતે એ કઈ પદાર્થ છે કે જે પદાર્થ રૂપને જોઈને તેને અનુરૂપ રસનું સ્મરણ કરે છે. આ પદાર્થ તે જ આતમા છે. બાલ, વૃદ્ધ વગેરે અવસ્થામાં શરીર બદલાતું જાય છે. એટલે જે શરીર એ જ આત્મા હોય તે પૂર્વે અનુભવેલાનું સ્મરણ ન થઈ શકે. તેથી કેઈક ગુપ્ત પદાર્થનું અનુમાન કરવું જોઈએ કે જે પૂર્વે અનુભવેલાનું સ્મરણ કરે છે. પૂર્વે અનુભવેલાનું જે સ્મરણ કરે છે તે જ આત્મા છે. જેમ ભાંગી ગયેલી ભીંતને બરોબર થયેલી જોઈએ છીએ ત્યારે કઈ
1. સમુદ્ર પ્રગટ થાય એટલે તેમાં રહેલાં રત્ન પ્રગટ થાય, પણ તે રને જેનું ભાગ્ય હોય તે જ મેળવી શકે. આથી અહીં કહ્યું કે સમુદ્ર પ્રગટ થયે છતે છોને ભાગ્યે જ સાધ્ય છે, અર્થાત્ ભાગ્ય સિવાય બીજું કંઈ સાય નથી.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શીલપદેશમાલા ગ્રંથને પુરુષે પ્રયત્નથી આ ભીતને બરોબર કરી છે એમ આપણે અનુમાન કરીએ છીએ, કારણ કે પુરુષના પ્રયત્ન વિના ભાંગી ગયેલી ભીંત બરાબર ન થાય તેમ તૂટેલા અને ઉખડી ગયેલા વાળની વૃદ્ધિ વગેરે જે કાર્યો થાય છે તેને પ્રયત્નથી ર્તા કઈ હોવો જોઈએ. આ કર્તા તે જ આત્મા છે. બે આંખેથી કઈ વસ્તુને જોતાં રાગ-દ્વેષ વગેરે વિકાર થાય છે. ઉત્પન્ન થતા આ વિકારે પિતાને જનક કેઈ અદષ્ટ પદાર્થ છે એમ સ્પષ્ટ કહે છે =સૂચન કરે છે. આ અદષ્ટ પદાર્થ તે જ આત્મા છે. રૂપ વગેરેની જેમ સુખ વગેરે પણ ગુણે જ છે. એથી એ ગુણોને આધાર કેઈ ગુણી માન જોઈએ, અને તે ગુણી દષ્ટિથી નહિ દેખાતે આત્મા છે. હું સુખી છું, હું દુઃખી છું ઈત્યાદિ જે સંવેદન (=અનુભવ) થાય છે તેનાથી આત્મા પ્રત્યક્ષ છે. આથી આ ( =આત્મા છે કે નહિ એવા) નિરર્થક ભ્રમને છેડી દે.
સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થાય છે વગેરે બાબતે સર્વ કહેલી છે, અને તે બાબતે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, માટે સર્વ અવિસંવાદી વચન કહેનારા છે, એ યુક્તિથી સર્વને નિર્ણય કરે જોઈએ, જેમ ધુમાડે જોઈને અગ્નિને નિર્ણય કરીએ છીએ તેમાં જેમ ભીંતના આંતરે રહેલી વસ્તુઓને કોઈ જાણકાર હોય છે, તેમ સૂક્ષમ અને આંતરામાં રહેલી વસ્તુઓને કઈ જાણકાર હવે જોઈએ. ઈત્યાદિ અનુમાનથી સર્વાને અવશ્ય માનવા જોઈએ. આપ્તપુરુષના વચનથી અને અનુમાનથી સર્વને સ્વીકાર કરવો જોઈએ, અને મોક્ષલક્ષમી મેળવવા માટે સર્વ કહેલા સુમાર્ગને આશ્રય લેવા જોઈએ.
શ્રીકેશી ગણધરની આવી તત્ત્વગર્ભિત વાણીથી રાજાને આગ્રહ ઢીલ થયે. સંદેહથી ડોલાવાયેલો રાજા જલદી વ્યાખ્યાન સભામાં આવ્યું. આચાર્યની દૂધધારા જેવી સ્નેહવાળી દ્રષ્ટિથી રાજાને આંતર મલ જલદી દેવાઈ ગયો. તેણે સૂરિની મધુરવાણું સાંભળી. પછી તેણે સૂરિને પૂછયું: હે ભગવંત! આપના મતથી મારા પિતા નરકમાં ગયા છે. તમારા ઘર્મને જાણનારી મારી માતા ચક્કસ સ્વર્ગમાં ગઈ છે. હું મારા માતા-પિતાને જેટલે પ્રિય હતા તેટલે બીજે કઈ બીજા કેઈને પ્રિય ન હોય. તેથી મારા માતા-પિતા દેવલોકમાંથી આવીને મને સત્ય વસ્તુ કેમ જણાવતા નથી ? ગુરુએ કહ્યું પશુની જેમ કર્મથી બંધાયેલે નરકને જીવ પિતાની ઈચ્છા પ્રમાણે નરકમાંથી અહીં આવવા કેવી રીતે સમર્થ થાય ? સ્વર્ગમાં પરસ્પર પ્રેમવાળા દેવા વિષયોમાં આસક્ત હોય છે. તથા તેમને મનુષ્યને આધીન કેઈ કાર્ય હેતું નથી, આથી દેવે પૃથ્વી ઉપર કેવી રીતે આવે? આ પૃથ્વીથી પાંચસે જન સુધી ઉપર દુર્ગધ જાય છે. આથી દેવો અહીં આવતા નથી. અરિહતેનાં પાંચ કલ્યાણકના મહોત્સવમાં તથા તપથી આકર્ષાઈને દે મનુષ્યલેકમાં આવે છે, આ સિવાય આવતા નથી. ફરી રાજાએ પૂછ્યું: હે પ્રભુ! મેં જાતે એક ચારને કેઠીમાં નાંખીને કેઠીનું મુખ બંધ કરીને અંદર રાખે. અમુક વખત પછી જોયું તે તેનું શરીર કૃમિઓથી ભરેલું અને ચેષ્ટારહિત હતું. જીવને નીકળવાને માર્ગ ન હતું અને અન્ય જીવોને પ્રવેશવાને માર્ગ ન હતું. પછી તેના શરીરને
Page #312
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૩ ચૂર્ણ જેવું પીશીને જોયું તે કઈ પણ રીતે જીવ જવામાં કે જાણવામાં ન આવ્યા. એક ચારનું વજન કરીને તેના શ્વાસને રેકીને તેને મારી નાખ્યો. પછી તેનું વજન કર્યું. જીવતું હતું ત્યારે અને મરી ગયા પછી વજનમાં જરાય વધ-ઘટ જોવામાં ન આવી. ગુરુએ ઉત્તર આ લેઢાની કુંભીને બંધ કર્યા પછી અંદર રહેલે માણસ શંખ ફેંકે છે તે તેને શબ્દ બહાર કેમ સંભળાય છે? નીકળવા માગે છે તેમાં દેખાતું નથી. શબ્દ પુદગલ સ્વરૂપ છે. તેના સૂમપુદગલ કેઠીને ભેદીને બહાર નીકળી જાય છે. તે જ પ્રમાણે અરૂપી જીવ પણ શબ્દપુદગલની જેમ કાઠીમાંથી બહાર નીકળી ગયા.
જીવ સૂક્ષમ હવાથી નીકળે છે ત્યારે દેખાતું નથી. અરણિકાણને કાપવા છતાં તેમાં અગ્નિ જેવામાં આવતો નથી, છતાં તેમાં અગ્નિ છે. તે જ પ્રમાણે જીવના શરીરમાં જીવને સ્વીકાર કરો. જેમ પવનથી ભરેલી અને પવનથી રહિત મશકનું વજન કરવામાં ભેદ પડતું નથી તે રીતે હે ભૂપ! શું જીવમાં પણ ન મનાય? જો મૂર્ત પણ સૂક્ષમ પદાર્થોનું સ્વભાવથી આવું સ્વરૂપ છે તે અરૂપી આત્મા માટે શું કહેવું? હે મહારાજા! આત્માને જ્ઞાનમય, સૂમ, કર્મથી બંધાયેલ અને મહાબલવાન જાણીને શ્રી જેનશાસનમાં મતિ (=શ્રદ્ધા ) કરે. તેથી પરંપરાથી આવેલી પણ નાસ્તિકતાને છોડીને અને સુવર્ણની જેમ જૈનમતની પરીક્ષા કરીને કલ્યાણ માટે જેનમતને આશ્રય કરે. તેની મિથ્યાત્વરૂપી મુદ્રા ઓગળી ગઈ. અજ્ઞાનતાને નાશ થવાથી તે સમ્યગ્દર્શન પામ્ય અને સૂર્યની જેમ બાર પ્રકારના શ્રાવકધર્મને પામ્યા. શ્રાવકધર્મનું નિર્મલપણે પાલન કરતે રાજા બાહ્ય અને અત્યંતર વિષયોમાં વિરાગભાવને પામ્યા. અન્ય પુરુષમાં આસક્ત બનેલી તેની પત્ની સૂર્યકાંતાએ વિરક્ત બનેલા તેને પૌષધના પારણામાં (કપૌષધ પાર્યા પછી પારણું કરતા હતા ત્યારે ભેજનમાં) ઝેર આપ્યું. સૂર્યકાંતાએ મને ઝેર ખવડાવ્યું છે એમ જાણવા છતાં રાજાએ તેના ઉપર દ્વેષ ન કર્યો. પરમેષ્ઠિનમસ્કાર મંત્રનું સ્મરણ કરવામાં તત્પર ચિત્તવાળા તેણે પિતાના ચિત્તમાં ધૈર્ય ધારણ કરીને જાતે મહાવ્રતને સ્વીકાર કર્યો. મરીને તે સૌધર્મ દેવલેકમાં સૂર્યાભવિમાનમાં દેવ થયે. તે આ સૂર્યાભનામનો દેવ પિતાની બાધિને (=પૂર્વમાં થયેલી ધર્મપ્રાપ્તિને ) જાણીને પૃથ્વી ઉપર આવ્યા છે. ચાર પલ્યોપમ પ્રમાણ આયુષ્ય ભેગવીને દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મેક્ષમાં જશે. [૮]
૧. સૂર્યના બાર સ્વરૂપ છે અને શ્રાવકધર્મના પણ બાર પ્રકારે છે. માટે અહીં સૂર્ય ra એમ જણાવ્યું છે. જેમ સૂય બાર સ્વરૂપને પામે છે તેમ તે શ્રાવકધર્મના બાર પ્રકારને પામ્યો.
૨. બહારથી વિષયોને ત્યાગ કરવો તે બાહ્ય વિષયોમાં વૈરાગ્યભાવ છે, અને મનથી વિષયોની ઈચ્છા ન કરવી, અથવા શુભ-અશુભ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા એ અત્યંતર વિષયોમાં વૈરાગ્ય ભાવ છે. [મારા ક્ષપશમ મુજબ આ સ્પષ્ટીકરણ કર્યું છે. આની બીજી રીતે પણ ઘટના થઈ શકે તે કરવી. ]
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શીલેાપદેશમાલા ગ્રંથના
શ્રીએ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી એમ જણાવે છે:अणुकूलसपिम्माणवि, रमणीणं मा करिज्ज वीसा । जह रामलक्खणेहिं सुप्पणहाए महारणे ||८८ || ગાથાથ = જેવી રીતે શ્રીરામ અને લક્ષ્મણજીએ દડકારણ્યમાં રાવણની બહેન શૂપણખા ઉપર વિશ્વાસ ન કર્યું તેમ હે જીવ! તું અનુકૂલ અને પ્રેમવાળી પણુ સ્ત્રીઓના વિશ્વાસ ન કર.
ટીકાથ:-અનુકૂલ=હિતકર આચરણવાળી. પ્રેમવાળી=સ્વાભાવિક સ્નેહવાળી. આવી પણ શ્રીઓ ઉપર વિશ્વાસ ન કરવા જોઈએ. આ વિષે કહ્યું છે કે “ બુદ્ધિશાળી પુરુષા સ્ત્રીઓ, મૂર્ખાઓ, ધિક્કારાયેલા શત્રુએ અને જેમના આચારાનું જ્ઞાન નથી તેવા મનુષ્યા ઉપર વિશ્વાસ કરતા નથી.”
શૂપણુખાના પ્રસંગ સંક્ષેપથી આ પ્રમાણે છેઃ- શ્રીલક્ષ્મણુજીએ શૂપણખાના શબૂક નામના પુત્રના વધ કર્યાં. પુત્ર શાકથી દુઃખી બનેલી તે ભમતી ભમતી પંચવટી વનમાં આવી. ત્યાં રહેલા શ્રીરામ અને લક્ષ્મણને જોઇને રૂપ અને સૌભાગ્યથી તેમના ઉપર માહિત બની. કામાસક્ત બનેલી તેણે પુત્રવધના દુઃખને ભૂલીને તે એની જ ઈચ્છા કરી. શ્રીરામે “મારે પત્ની છે” એમ કહીને તેના સ્વીકાર ન કર્યો. આથી તે લક્ષ્મણ પાસે આવી. તું પહેલાં શ્રીરામ પાસે ગઈ હાવાથી મારી ભાભી થઈ એમ લક્ષ્મણે કહ્યું. વિવેકી લક્ષ્મણે પણ આ ઉપાયથી તેના ત્યાગ કર્યાં. આ પ્રમાણે સંક્ષેપથી શૂપ ણખાના પ્રસંગ કહ્યો. વિસ્તારથી તા આગળ કહેવાશે તે સીતાના ચિરત્રથી જાણવા. [૮૮ ] પૂર્વે જે કહ્યું તેને જ વિશેષથી કહે છે :
पररमणिपत्थणाओ, दक्खिन्नाओ वि मुज्झ मा मूढ ।
पडसि अत्थे किं किल, दक्खिनं रक्खसीहिं समं ॥ ८९ ॥
-
ગાથા: હે મૂઢ જીવ! તું દાક્ષિણ્યતાથી પણ પરસ્ત્રીની પ્રાર્થનામાં મુંઝા મા, અર્થાત્ દાક્ષિણ્યતાથી પણ પરસ્ત્રીમાં પ્રેમ ન કર. જે પ્રેમ કરીશ તે અનમાં પડીશ. રાક્ષસીઓ આગળ દાક્ષિણ્યતા શી ?
ટીકા :– રાક્ષસીએ આગળ દાક્ષિણ્યતા ન કરવામાં પુરુષના ગુણુની હાનિ થતી નથી. સ્ત્રીઓનુ` રાક્ષસીપણું પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે-“ સ્ત્રી દર્શનમાત્રથી પ્રાણાને હરે છે, સ્પર્શથી ખલને હરે છે, મૈથુનથી કાયાને હરે છે. સ્ત્રી નિશ્ચિત પ્રત્યક્ષ રાક્ષસી છે.” [૮૯]
હવે પરસ્ત્રીના પ્રેમથી પાતાને ભાગ્યશાળી માનનારાઓને ઠપકા આપે છેઃપરમળીગાબો, સોર્બ્સ મા ગોત્રુ નિમ્મા ! |
जड़ सिद्धिवहूरंगं, कारइ ता मुणसु सोहग्गं ॥९०॥
Page #314
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૫
ગાથા :– હું નિર્ભાગ્ય ! પરસ્ત્રીના પ્રેમથી સૈાભાગ્યને ન માન, અર્થાત્ રૂપાદિના ગર્દને ન કર. હા, જો સિદ્ધિવધૂ ઉપર પ્રેમ કરે તેા સાભાગ્યને માન.
ટીકા : – આ વિષે કહ્યું છે કે- જે વિરાગી પ્રત્યે રાગવાળી છે તે મુક્તિરૂપી સ્ત્રી ઉપર રાગ કરે તેા જે રાગી પ્રત્યે વિરાગવાળી છે તે પરી ઉપર કાણુ રાગ કરે?” [૯૦]
સ'સારના અભિલાષીને મેાક્ષની પ્રાપ્તિ દુર્લભ છે એમ જણાવે बहुमहिलासु पसतं, सिवलच्छी कह तुमं समीहे । इअरावि पोढमहिला, अन्नासत्त ન ફૂંઢે IILII
ગાથા :- અનેક સ્ત્રીઓમાં આસક્ત બનેલા તેને શિવવધૂ કેવી રીતે ઈચ્છે ? અર્થાત્ ન ઇચ્છે. અન્ય પણ પ્રૌઢ સ્રી પરસ્ત્રીમાં આસક્તને ઇચ્છતી નથી.
ટીકા :-આ વિષે કહ્યું છે કે-“અન્ય અન્ય સ્ત્રીઓમાં આસક્ત ચક્રવતી પણ શ્રેષ્ઠ પતિ નથી. જ્યારે પરસ્ત્રીના સંગથી નિવૃત્ત થયેલા ખેડૂત પણ શ્રેષ્ઠ પતિ છે.” નિર્મલ શીલપાલનથી જ મેાક્ષ મેળવી શકાય છે એવા આ ગાથાના ભાવ છે. [૯૧]
માક્ષ મેળવવા શીલપાલનના જ ઉપદેશ આપે છેઃ
सास सुहसिरिरम्मं, अविहडपिम्भं समिद्धिसिद्धिवहुं । जह इहसि ता परिहर, इअराओ तुच्छमहिलाओ ॥ ९२ ॥
ગાથા-ટીકા :- હે જીવ! જો તુ શાશ્વત સુખરૂપ લક્ષ્મીથી મનહર, સ્થિરપ્રેમવાળી અને સમૃદ્ધિથી સમૃદ્ધ સિદ્ધિરૂપી વધૂને ઇચ્છે છે તે બીજી તુચ્છ સ્રીએના (=સાંસારિક સ્રીઓના) ત્યાગ કર, અર્થાત્ શીલનું જ પાલન ૪૨. [૨] કામથી પીડાયેલાઓને દુઃખ જ છે એમ કહે છે :
૩૯
माओ रमणीओ, दहुं विविहाओ कामतविअस्स ।
कत्थ सुहं तुह होही, भणिअमिणं आगमे वि जओ ॥ ९३ ॥
-:
ગાથા-ટીકાથ− હે જીવ! વિવિધ મનેાજ્ઞ સ્ત્રીઓને જોઈને કામથી પીડાયેલા તને સુખ કયાંથી થશે ? અર્થાત્ તને સંતાપ જ થશે. કારણ કે આગમમાં પણ આ (=હવે કહેવાશે તે) કહ્યું છે. [૩]
આગમમાં જે કહ્યું છે તે જ કહે છે :
जह तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाइधुहडो अट्ठअप्पा भविस्ससि ॥९४॥
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શીલપદેશમાલા ગ્રંથને ગાથા–ટીકાથ-જે તું જે જે સ્ત્રીઓને જુએ છે તે તે સ્ત્રીઓમાં ચિત્તવિકાર કરીશ તે તું પવનથી હચમચેલા હડ નામના વૃક્ષની જેમ અસ્થિરાત્મા થઈશ. [૪]
સ્ત્રીઓનું શરીર પણ વૈરાગ્યનું કારણ છે એમ બતાવે છે - रमणीणं रमणीय, देहावयवाण ज सिरि सरसि । जुव्वणविरामवेरग्ग-दाइणि तं चिय सरेसु ॥९५॥
ગાથાર્થ :- હે જીવ! એના અંગોપાંગેની જે મને હર શેભાને યાદ કરે છે તે જ શોભા વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે એમ વિચાર.
ટીકાથ:- વૃદ્ધાવસ્થામાં સુકાયેલાં પાંદડાવાળી લતાના જેવી શિથિલ અંગેવાળી નારીને જોઈને સર્વ કેઈ વિરાગ પામે છે. આથી યૌવનમાં (યુવાન સ્ત્રીમાં) પણ તે અવસ્થાને યાદ કરીને શીલનું જ પાલન કર. [૫] ના
શીલનું જ માહાભ્ય અને શીલરહિત મનુષ્ય નિંદનીય છે એમ જણાવે છે – सीलपवित्तस्स सया, किंकरभावं करंति देवावि । सीलब्भट्ठो नहो, परमिट्टो वि हु जो भणियं ॥१६॥
ગાથા-રીકાથી – શીલથી પવિત્રનું દેવે પણ સદા દાસપણું કરે છે, અને શીલથી ભ્રષ્ટ બ્રહ્મા પણ બધી રીતે નિંદા. કારણ કે પૂર્વ મુનિઓએ આ લ=નીચે કહેવાશે તે કહ્યું છે. [૬]
પૂર્વ મુનિઓએ જે કહ્યું છે તે જ કહે છે :जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थितो अब्बंभ, बंभावि न रोअए मज्झ ॥१७॥
ગાથાર્થ-જે સદા કાર્યોત્સર્ગમાં રહેનાર હય, જે સદા મૌન રહેનાર હોય, જે મુંડન કરાયેલે હય, જે વૃક્ષની છાલના વસ્ત્રો પહેરતે હય, જે નિરંતર તપ કરીને શરીરને સુકવી નાંખ્યું હોય, તે પણ જે મૈથુનની પ્રાર્થના કરતે હોય તે તે મને ગમતું નથી. મિથુનની પ્રાર્થના કરનાર બ્રહ્મા પણ મને ગમતું નથી, તે પછી સામાન્ય માણસની વાત જ ક્યાં રહી?
ટીકાથે –ગાથામાં વારંવાર રવિ (m) શબ્દને પ્રવેગ “સર્વ ગુણેથી યુક્ત પણ પ્રાણી શીલરહિત હોય તે તેનું કોઈ મહત્વ નથી.” એમ શીલનું મહત્વ બતાવવા માટે છે. ગાથામાં વા શબ્દથી ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ આદિ ગુણેને સંગ્રહ કર્યો છે. [૭]
સામાન્ય ઉપદેશ કહીને હવે નામના નિર્દેશથી કહે છે – इय भावंतो भावं, सजोगगुत्तो जिइंदिओ धीरो। रक्खइ मुणी गिहीवि हु, निम्मलनिअसीलमाणिकं ॥९८॥
Page #316
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૭
ગાથા :– પૂર્વોક્ત ભાવનાને ભાવતા, સ્વાગગુપ્ત જિતેન્દ્રિય અને ધીર એવા સાધુ કે ગૃહસ્થ નિશ્ચિત પેાતાના નિ`લ શીલરૂપ માણેકરનની રક્ષા કરે છે. ટીકાથ -- સ્વયેાગગુપ્ત=પેાતાના મન, વચન અને કાયા એ ત્રણ ચેાગને કાચ્છુમાં રાખનાર. જિતેન્દ્રિય=ઇંદ્રિયના વ્યાપારને સ્વાધીન કરનાર ( અર્થાત્ ઇંદ્રિયને કાબૂમાં રાખનાર.) ધીર=નિશ્ચલ ચિત્તવાળા. આવા સાધુ કે ગૃહસ્થ શીલને માણેક રત્નની જેમ સુરક્ષિત રાખે છે. [૮]
હવે મુનિના જ શીલની રક્ષાના ઉપાય કહે છે :एगंते मंताई, पासत्थाई कुसंगमवि सययं । परिवजतो नवबंभ - गुत्तिगुत्तो चरे साहू ॥९९॥ ગાથા :- સાધુ એકાંતમાં સ્ત્રીઓથી સસક્ત સ્થાનમાં ન રહે, કુસંગના પણ સતત ત્યાગ કરે સંયમનું પાલન કરે.
ટીકા :–સાધુએ જયાં શ્રી આદિના સંસગ હોય તેવા અનાયતન સ્થાનના ત્યાગ કરવા જોઇએ. આગમમાં કહ્યુ` છે કે-“ સુસાધુઆને ક્ષણવાર પણ અનાયતનનું સેવન કરવુ. ચેાગ્ય નથી. વન જેવા ગંધવાળું હાય તેવા ગધવાળા પવન ડેાય.” (આવ. ગા. ૧૧૩૩) આગમમાં પાસસ્થાનું લક્ષણ આ પ્રમાણે છે ઃ—“તે પાસસ્થેાસ પાસડ્થા અને દેશપાસત્થા એમ બે પ્રકારે છે. તેમાં જે સવ ક્રિયાઓમાં જ્ઞાન-દન-ચારિત્રની પાસે રહે (=જ્ઞાન-દન-ચારિત્રની અંદર ન રહે પણુ જ્ઞાન-દન-ચારિત્રની પાસે રહે, અર્થાત્ જ્ઞાન-દન-ચારિત્રથી રહિત માત્ર વેષધારી હોય) તે સ ાસત્થા છે. જે નિષ્કારણ શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ કે અપિંડને વાપરે તે દેશપાસત્થા છે.” (સ`બેાધ પ્ર. ગુરુ અધિ. ગા. ૯–૧૦) અવસન્ત આદિ ધુસાધુનું લક્ષત્રુ સૂત્રમાંથી જાણી લેવુ..
બ્રહ્મચય ની નવ ગુપ્તિએ આ છે :– ૧. વસતિ, ૨. કથા, ૩. નિષધા, ૪. ઇંદ્રિય, ૫. કુડ્યાંતર, ૬. પૂવક્રીડિત, ૭. પ્રણીત આહાર, ૮. અતિમાત્ર આહાર, ૯ વિભૂષા એ નવ બ્રહ્મચય ની ગુપ્તિ છે.”
૧. વસતિ :—જયાં એનુ ગમનાગમન વધારે હોય, જ્યાં પશુ અધિક પ્રમાણમાં હાય, જ્યાં નપુંસકે રહેતા હાય તેવી વસતિને ત્યાગ કરવા જોઈએ. ૨. કથા :-રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. જેમ કે–અમુક દેશની સ્ત્રીએ અતિશય રૂપાળી હોય છે, અમુક દેશની એના કંઠે અતિશય મધુર હોય છે, અમુક જાતિની સ્ત્રીએ અમુક વસ્રા પહેરે છે વગેરે. ૩. નિષદ્યા :-જે સ્થાને સ્ત્રી બેઠી હોય તે સ્થાને તેના ઉઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી એસવુ નહિ અને પુરુષના ઉઠી ગયા
એની સાથે વિચારણાને (=વાતાના) ત્યાગ કરે, પાસસ્થેા, અવસન્ન, કુશીલ, સ`સક્ત અને યથાછંદના તથા પ્રાચની નવ ગુપ્તિથી ગુપ્ત બનીને વિચરે=
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શીલપદેશમાલા ગ્રંથને પછી એ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. ૪. ઇન્દ્રિય –રાગથી સ્ત્રીઓની ઇઢિયે કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દષ્ટિ પડી જાય તે સૂર્યની સામેથી દષ્ટિ જેટલી ઝડપથી ખેંચી લેવામાં આવે છે, તેટલી જ ઝડપથી પાછી ખેંચી લેવી જોઈએ. પ. કુડ્યાંતર - જ્યાં ભીતના અંતરે પુરુષ–સ્ત્રીની કામચેષ્ટા સંબંધી અવાજ સંભળાતા હોય તેવા સ્થાનને ત્યાગ કરવો જોઈએ. ૬. પૂર્વક્રીડિત :પૂર્વે કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. ૭. પ્રણતઆહાર - પ્રણીત એટલે સ્નિગ્ધ. અત્યંત સ્નિગ્ધ દૂધ, ઘી આદિ આહારનો ત્યાગ કર. ૮. અતિમાત્ર આહાર - અપ્રણત આહાર પણ ભૂખથી વધારે ન લે ૯. વિભૂષા –શરીરની અને ઉપકરણોની વિભૂષા (=ટાપટીપને) ત્યાગ કરવો. [૯].
ગૃહસ્થના પણ શીલની રક્ષાને ઉપાય કહે છે :वेसादासीइत्तर-पमुहाणमसेसदुटुनारीणं । सीलवयरक्खणटुं, गिहीवि संगं विवजिजा ॥१०॥
ગાથાર્થ-ગૃહસ્થ પણ બ્રહ્મચર્યની રક્ષા માટે વેશ્યા, દાસી, અસતી અને નટી વગેરે સર્વ દુષ્ટ સ્ત્રીઓના સંગને ત્યાગ કરે.
ટીકાથે વેશ્યા=નટ વગેરે વ્યભિચારી પુરુષને ભોગવવા યોગ્ય સી. દાસી= કામ કરનારી છી. અસતી=પતિને છેતરીને પરપુરુષ સાથે કામક્રીડા કરનારી સી. ગૃહસ્થ વેશ્યા આદિના સંગને ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે-“રાજા ખરાબ મંત્રીશ્રી, સાધુ કુસંગથી, પુત્ર લાલનથી (=બહુ લાડ લડાવવાથી), બ્રાહ્મણ ન ભણવાથી, કુલ કુપુત્રથી, શીલ દુષ્ટોની સોબતથી, મત્રી દ્વેષથી, સમૃદ્ધિ અનીતિથી, સ્નેહ પ્રવાસ કરવાથી, સ્ત્રી મદ્યપાનથી, ખેતી તપાસ ન રાખવાથી, ધન ત્યાગથી અને પ્રમાદથી નાશ પામે છે.”[૧૦]
મુનિ અને ગૃહસ્થને હિતશિક્ષા આપે છે :वेसादासीइत्तर-परंगणालिंगिणीण सेवाओ। वजिन्ज उत्तरोत्तर, एए दोसा विसेसेणं ॥१०१॥
ગાથા -વેશ્યા, દાસી, ઈત્વરી, પરસ્ત્રી અને લિંગિની, આ સ્ત્રીઓની સાથે ઉત્તરોત્તર અધિક અધિક કામક્રીડાને ત્યાગ કરે. કારણ કે આ સ્ત્રીઓ ઉત્તરોત્તર વિશેષ
ટીકા - ઇત્વર=ધન લઈને પુરુષને સંગ્રહ કરનારી (=સ્વીકાર કરનારી) સી. પરમી=ધન, રૂપ અને સૌભાગ્ય વગેરેમાં આસક્ત. લિંગિની=બતધારિણી શ્રી. આ વિષે કહ્યું છે કે- “સાધ્વીની સાથે કામક્રીડા કરવાથી, દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, મુનિને ઘાત કરવાથી અને શાસનની અપભ્રાજના કરવાથી બધિને ઘાત થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે.” [૧૦૧]
દૂષિત કરનારી છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૯ સાધુ-ગૃહસ્થ બંનેએ કુસંગને ત્યાગ કરે જોઈએ એમ કહે છે - जूआरपारदारिअ-नड विडपमुहेहि सह कुमित्तेहिं । संगं वजिज सया, संगाओ गुणावि दोसावि ॥१०२।।
ગાથાર્થ – જુગારી, પરીગામી, નટ, વ્યભિચારી વગેરે કુમિત્રની સાથે સેબતને સદા ત્યાગ કર. કારણ કે સંગથી (=સુસંગથી) ગુણે પણ થાય અને સંગથી (કુસંગથી) દોષ પણ થાય.
ટીકાર્ચ - સંગની અસર વિષે કહ્યું છે કે- “ગુણેના યથાર્થ જ્ઞાનવાળા જીવમાં ગુણ ગુણરૂપ બને છે, ગુણેના યથાર્થ જ્ઞાનથી રહિત જીવમાં ગુણે દેષરૂપ બની જાય છે. નદીએ સ્વાદિષ્ટ પાણીવાળી હોય છે. સ્વાદિષ્ટ પાણીવાળી પણ નદીએ સમુદ્રમાં જઈને ખારાપાણીવાળી બની જાય છે.” [૧૦૨]
સ્ત્રીઓના ગુણને કહે છે - मिउभासिणी सुलजा, कुलदेसवयाणुरूववेसधरा । अभमणसीला चत्ता-सइसंगा हुज नारीवि ॥१०३॥
ગાથાથ – એ પણ ઓછું બેસવું જોઈએ, સુલજાવાળી બનવું જોઈએ, કુલ, દેશ અને વયને અનુરૂપ વેબ પહેરવો જોઈએ, અર્થાત્ બેટો આડંબર ન કરે જોઈએ, બહાર ન ફરવું જોઈએ. અર્થાત્ પિતાના ઘરના ઉંમરાનો ત્યાગ ન કર જોઈએ, અસતી સ્ત્રીને સંગ છોડવો જોઈએ. આવી સ્ત્રીઓ પ્રશંસનીય બને છે.
ટીકાથ :- સ્ત્રીઓના લજજાગુણ વિષે કહ્યું છે કે– “અસંતેવી બ્રામણે, સંતોષી રાજાઓ, લજજાળુ વેશ્યાઓ અને લજજાહીન કુલનારીઓ નાશ પામે
છે. સ્ત્રીઓએ પોતાના ઘરને ઊમરો ન છોડવો જોઈએ એ વિષે કહી છે કે-“લજજાહિન જે સ્ત્રી પોતાના ઘરના ઊમરાને છેડીને બહાર જાય છે તે સુકલમાં જન્મી હોય તે પણ કુલમર્યાદાનો લેપ કરવાના કારણે કુલટા જાણવી.”
ફરી પણ જીઓના ગુણોને જ કહે છે – देवगुरुपियरसुसराइ-एसु भत्ता थिरा वरविवेआ। कंताणुरत्तचित्ता, विरला महिला सुदढचित्ता ॥१०४॥
ગાથા-ટીકાથ :- દેવ, ગુરુ, પિતા, સસરો, દિયર, પતિને મિત્ર આદિ વિષે ભક્તિવાળી, સ્થિર (=દઢ મનોબળવાળી), ઉત્તમ વિવેકથી યુક્ત, પતિ પ્રત્યે અનુરક્તચિત્તવાળી અને સુદઢ ચિત્તવાળી (=પોતાના શીલની રક્ષા કરવામાં દઢ) હેય એવી સ્ત્રીઓ વિરલ હોય છે. [૧૦૪]
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
મહાસતીએ શીલમાં દૃઢ निम्मल महासईण, सीलवयं
सक्केइ जेण ताण, जीवाओ सीलमन्महिअं || १०५ ॥
હાય છે એમ કહે છે:खंडिउं न सकोवि ।
શીલેાપદેશમાલા ગ્રંથા
ગાથા :- નિ લ મહાસતીએના શીલવ્રતનું ખ`ડન કરવામાં ઈંદ્ર પણ સમ નથી. કારણ કે તેમને પ્રાણુનાશથી પણ શીલ અધિક હાય છે, અર્થાત્ મહાસતીએ શીલરક્ષા માટે પ્રાણુનાશને પણ સહન કરે છે.
ટીકા :– આ વિષે કહ્યું છે કે-આસ'સારમાં જેમાં પાણી ચક્કર ચક્કર ભમી રહ્યુ છે તેવા આવમાં રહેલા ભયકર પાણીમાં પડવુ' એ સારું છે, ઘાસથી ગીચ બનેલા અને સર્પોથી વ્યાપ્ત બનેલા કૂવામાં પડવુ' એ સારુ છે, વિંધ્ય અટવીમાં અનશન અને તૃષાથી પીડિત થયેલાનું મરણુ સારું છે, પણ કુલીન સ્રીએને શીલથી ભ્રષ્ટ બનવુ' એ સારું નથી.” [૧૦૫]
એક ગાથાથી સતી શબ્દના અર્થ કહે છે :
सच्चि सहति भण्णइ, जा बिहुरे बिहु न खंडए सीलं । तं किल कणयं कणयं, जं जलणाओवि विमलतरं ॥ १०६ ॥
મહાર
ગાથા :– તે જ સ્ત્રી સતી=મહાસતી કહેવાય છે કે જે સ્ત્રી સંકટમાં પશુ શીલનું ખ`ડન ન કરે. તે જ સાનું સેાનું કહેવાય છે કે જે અગ્નિમાંથી નીકળ્યા પછી વિશેષ શુદ્ધ દેખાય છે.
ટીકા :- તે જ શ્રી સતી છે કે જે પરાધીન બનવા છતાં પેાતાના આત્માની રક્ષા કરે છે. પણ આ પ્રમાણે નહિ :–હે નારદ ! એકાંત નથી, અવસર મળતા નથી, પ્રાથના કરનાર પુરુષ નથી તેથી સ્ત્રીઓનુ` સતીપણુ થાય છે. (તાપ કે એકાંત વગેરે ન મળે તેથી શીલ પાળે એટલા માત્રથી સતી ન કહેવાય. એકાંત વગેરે મળવા છતાં શીલ પાળે તા સતી કહેવાય.” સતી નહિ હોવા છતાં પેાતાને સતી માનનાર સ્ત્રીએની દુષ્ટતાને કહે છે :निअस तवजिआओ, पावाओं नराण दूषणं दिति ।
किं काहीम अम्हे, निरग्गला जेणिमो पुरिसा ॥ १०७॥
ગાથા-ટીકા :- નિજ સત્ત્વથી ચલિત (=શીલની દૃઢતાથી રહિત) અને દુષ્ટ આચરણવાળી સ્ત્રીઓ પુરુષોને દૂષણ આપે છે કે અમે શુ' કરીએ ? કારણ કે આ પુરુષ સ્વચ્છ ૪પણે લંપટ આચારવાળા છે, અર્થાત્ શીલભંગમાં પુરુષાના જ દોષ છે, અમારા ઢાષ નથી. [૧૦૭]
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૧
ગુજરાતી ભાવાનુવાદ
પિતે કહેલા વિષયને જ મહાસતીના દષ્ટાંતથી દઢ કરે છે - " तिहुयणपहुणावि हु, रावणेण जिस्से न रोममिपि । संचालिउ न तीए, चरिअं चित्तति सीआए ॥१०८॥
ગાથાથ-ત્રણ ભુવનના માલિક પણ રાવણે જેનું એક રૂંવાડું પણ ચલાયમાન ન કર્યું, અર્થાત્ કાયાને પણ સ્પર્શ ન કર્યો, તે સીતાજીનું અદભુત ચરિત્ર કને આશ્ચર્ય ઉત્પન્ન કરતું નથી?
ટીકાથ-આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છે -
સીતાજીનું દષ્ટાંત મિથિલા નામની નગરી હતી. તેમાં રહેલા પુણ્યવંત સર્વ લોકે નિત્ય ઇંદ્રવાળા અને દેવને રહેવાનું સ્થાન એવા સ્વર્ગમાં જવા માટે ઉત્સાહ ધરાવતા ન હતા. તે નગરીમાં જનક નામનો રાજા હતો. તેની ઇંદ્રના જેવી શક્તિએ કસૂર્ય અને ચંદ્રના બહાનાથી પ્રતાપ અને યશને જલદી ઉત્પન્ન કર્યા. તેની વિદેહા નામની પત્ની હતી. જાણે કે તેના દેહના સૌદર્યથી બધી સ્ત્રીઓ વિદેહા (=બેડેળ શરીરવાળી) જ હતી એથી તે પૃથ્વીમાં વિદેહા (=સુંદર શરીરવાળી) એવા નામથી પ્રસિદ્ધ બની હતી. જેમ સારી રીતે આચરાયેલી શ્રેષ્ઠ રાજ્યનીતિ યશ અને લક્ષમીને ઉત્પન્ન કરે તેમને વિદેહા રાણીએ એકી સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યું. જેમ ગરુડ સર્ષનું અપહરણ કરે તેમ પૂર્વભવના વૈરી દેવે જન્મેલા તે યુગલમાંથી પુત્રનું જન્મ થતાં જ અપહરણ કર્યું. વિજળીના પુંજ જેવા તે બાળકને દેવે વૈતાઢય પર્વતમાં મૂકી દીધો. પછી ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજાએ વૈતાઢય પર્વતમાં પહેલા તેને જે. વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિના રથનૂપુર નગરના નાયક તે ચંદ્રગતિ રાજાએ પૃથ્વી ઉપર રહેલા બાળકને લઈને પિતાને પુત્ર કરીને તેનું પાલન કરવા લાગ્યું. તેનું ભામંડલ નામ રાખ્યું. તે બાલચંદ્રની જેમ વધવા લાગ્યો. પુત્રનું અપહરણ થતાં વિદેહાએ ઘણા કાળ સુધી શેક કર્યો. પુત્રનું અપહરણ થતાં માતા-પિતાએ યુગલરૂપે ઉત્પન્ન થયેલી પુત્રીને “જાણે કે આ સીતા (=લક્ષમીદેવી) છે” એમ કહ્યું. એથી તે પુત્રી “સીતા” એવા નામથી પ્રસિદ્ધ બની. પુત્રનું અપહરણ થવાથી “કેઈ ઉપદ્રવ થશે” એવી શંકાવાળા સવજોએ તે પુત્રીને પૃથ્વી ઉપર આળોટાવી. એથી તે “ભૂસૂતા” એવા નામથી પણ પ્રસિદ્ધ બની. લક્ષમીદેવી જેવી તે કલાઓથી અને ઉંમરથી વધવા માંડી. ક્રમે કરીને તે યુવાનને ઉન્માદ કરનારા દેવ જેવા યોવનને પામી. જનક રાજાનું મન સીતાના વરની ચિતાથી યુક્ત બન્યું એ
૪ અહીં કવિ કલ્પના કરે છે કે, આકાશમાં જે સૂર્ય અને ચંદ્ર દેખાય છે તે સૂર્ય અને ચંદ્ર નથી, કિંતુ સૂર્ય અને ચંદ્રના બહાનાથી જનક રાજાના પ્રતાપ અને યશ છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શીલપદેશમાલા ગ્રંથને દરમિયાન આતરંગતમ નામના મ્લેચ્છ રાજાએ તેના થોડા પ્રદેશને લઈ લીધું. તે વખતે અધ્યાનગરીમાં દશરથ રાજા રાજ્ય કરતો હતો. તે જનકરાજાને મિત્ર હતું. તેની ચાર પત્નીઓ હતી. તે પત્નીએનાં અનુક્રમે કૌશલ્યા, સુમિત્રા,કેયી અને સુપ્રભા એવાં નામ હતાં. તેમના અનુક્રમે રામ, લક્ષમણ, ભરત અને શત્રુદન એ નામના પુત્રો હતા. રામ “પદ્મ એવા નામથી આઠમા બલદેવ તરીકે પ્રસિદ્ધ બન્યા. મહાબલવાન લક્ષમણ “નારાયણ એવા નામથી આઠમાં વાસુદેવ તરીકે પ્રસિદ્ધ બન્યા.
જનકરાજાને દૂત દશરથ રાજાને પ્રણામ કરીને આગળ બેઠે. દશરથરાજાએ જલદી મિત્ર જનકરાજાના કુશલતાના સમાચાર પૂછયા. પછી દશરથ રાજાએ દૂતને કહ્યું છે દૂત! મારી કુશલતાના સમાચાર માટે તને હમણાં અહીં મોકલ્યો છે એમ હું જાણું છું. તે પણ અહીં આવવામાં જે વિશેષ કારણ હોય તે મને જલદી કહે. દૂત બેલેન્સ જે કે મારા સ્વામીના હજારે મિત્ર છે, તે પણ શત્રુથી થયેલા દુઃખમાં સ્વબંધુની જેમ આપને જ તેમણે યાદ કર્યા છે. વૈતાઢય અને કૈલાસ એ બે પર્વતોની વચ્ચે જાણે શરીરધારી ફલેશ હેય તે અર્ધ બર્બર નામને દેશ છે. તે દેશમાં માયૂરશાલ નામના નગરમાં જાણે તૃષ્ણ વધારનાર તાવ હોય તે અને દુર્જય એ આતરંગતમ નામને ઑરછ રાજા છે. તેને શ્રેષ્ઠ રાજ્યરૂપી ધુરાને ધારણ કરનારા હજરે પુત્ર તેજ, ભાલેજ અને કેબેજ વગેરે દેશને ઉપભોગ કરે છે. હમણાં તે પ્લેચ્છ રાજએ તમારા આ મિત્રના પ્રદેશને નાશ કર્યો છે. તેથી આપ વિલંબ કર્યા વિના યથાગ્ય કરવામાં પ્રયત્ન કરે. તેથી (મિત્રને મદદ કરવા માટે તૈયાર થતા પિતાને શમે ક્યા. શરીરબળથી અને સૈન્યબળથી એમ બે રીતે બલવાન શ્રી રામ સ્વયં લક્ષમણની સાથે મિથિલા ગયા. જેમ ચંદ્ર અંધકારને નાશ કરે તેમ શ્રીરામે સ્વેચ્છ રાજાને ક્ષણવારમાં નાશ કરીને જનકરાજાને ખુશ કર્યો. આથી જનકરાજાએ રામને સીતા આપવાની ઈચ્છા કરી.
આ તરફ નારદ કૌતુકથી કન્યાના અંતઃપુરમાં ગયા. માત્ર લગેટને પહેરનારા, પીળાકેશવાળા, છત્ર ધારણ કરનારા અને ઘાસના આસન ઉપર બેસનારા અને ભયંકર આકૃતિવાળા નારદને જોઈને ભય પામેલા સતાજી અંદર પેસી ગયા. દાસીઓએ નારદજીને કંઠ, કાન અને ગળામાં પકડ્યા. નારદજી બળ કરીને દાસીઓથી છૂટી ગયા. પછી ઉડીને ક્રોધથી વૈતાઢય પર્વત ઉપર ગયા. ત્યાં ચિત્રપટમાં સીતાજીને આલેખીને ચંદ્રગતિ રાજાના ભામંડલ નામના પુત્રની આગળ તે ચિત્રપટ બતાવ્યું. તે ચિત્રને જેવાથી ભામંડલને અતિશય કામથી પીડાયેલે જાણને પિતાએ સીતાજીનું નામ, રૂપ વગેરે બધું જાણું લીધું. નારદજીને રજા આપીને ચિત્રગતિએ ભામંડલને કહ્યુંઃ હે વત્સ ! ખેદ ન કર. હું તારી સાથે સીતાને પરણાવીશ. હવે ચંદ્રગતિએ ચપલગતિ નામના વિદ્યાધર દ્વારા રાતે જલદી જનકરાજાને પોતાની પાસે લાવીને તેની પાસે પોતાના પુત્ર માટે સીતાજીની માગણી કરી. જનકરાજાએ કહ્યુંસીતા રામને આપી દીધી છે. ચંદ્રગતિ બેલ્યોઃ જો તમે પ્રેમથી સતા નહિ આપે તે હું સીતાનું અપહરણ કરવા પણ સમર્થ છું.
Page #322
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૩ જેથી રામને મૂકીને (=રામનો પરાભવ કરીને) મારે પુત્ર તેને પરણશે અથવા કઈ નિંદા ન કરી શકે તેવું મારું વચન તમે સાંભળો. મારા રાજમહેલમાં દેવની આજ્ઞાથી એક એક હજાર યક્ષોથી અધિષિત વાવર્ત અને અર્ણવાવર્ત નામના બે ધનુષ રહેલાં છે. ભવિષ્યમાં થનારા બલદેવ અને વાસુદેવ માટે આ બે ધનુષ રાખેલાં છે. આ બે ધનુષ લઈને સીતાને આપવા માટે શરત કરે. તે શરત આ પ્રમાણે છે:- મારા આ બે ધનુષ્યમાંથી એક પણ ધનુષ્યને જે ચડાવે (=ધનુષ્યને ઉપાડીને તેના ઉપર પણછ ચઢાવે) તેને જ જય પામેલે જાણવો અને તેને તમારી પુત્રી પરણાવવી. જનક રાજાએ ક્ષણવાર વિચાર કરીને કાલક્ષેપ કરવાની (=સમયને પસાર કરવાની) ઈચ્છાથી “એ પ્રમાણે હે” એમ તે વિદ્યાધર રાજાને કહ્યું પછી ચંદ્રગતિ રાજાએ વજાવ અને અર્ણવાવત એ બે ધનુષ્ય આપીને જનકરાજાને આનંદપૂર્વક મિથિલાનગરીમાં પહોંચાડ્યો. ચંદ્રગતિ પણ ભામંડલની સાથે જલદી મિથિલાનગરીમાં ગયો.
જનકરાજાએ સવારે સીતાને સ્વયંવરનો પ્રારંભ કર્યો. સ્વયંવરમંડપમાં ભૂચર અને ખેચર રાજાઓ બેઠા. રામ અને લક્ષમણ પણ પિતાની પાસે બેઠા. અલકારોથી સુશોભિત કરાયેલી સીતા સભામાં આવી. બધાનાં નેત્રરૂપી કમળો સીતા ઉપર જાણે ચેટી ગયા હોય તેમ પડ્યા હવે છડીદારે કહ્યુંઃ હે રાજાઓ ! સાંભળે. જે આ વજાવત ધનુષ્યને ઉપાડીને તેના ઉપર પણછ ચઢાવશે, આ સભામાં ભૂચર અને ખેચર રાજઓથી પૂજાયેલ તે કન્યાઓમાં શ્રેષ્ઠ એવી સીતાને અવશ્ય પરણશે. તેથી હર્ષથી શેરડી લેવાની ઈચ્છાવાળા બાળકની જેમ હર્ષ પામેલા રાજાઓ વેચ્છાથી ધનુષની પાસે ગયા. કેટલાકે આ શરત કહી તેટલા માત્રમાં નાસી ગયા, કેટલાકે આ ધનુષ્યને જેવા પણ સમર્થ ન બન્યા, કેટલાકે આ ધનુષ્યને સ્પર્શ કરવા પણ સમર્થ ન બન્યા, અને કેટલાકે ધનુષ્યને ઉપાડવા જતાં પ્રારંભમાં જ પડી ગયા. હવે સીતા વડે હર્ષથી જેવાયેલા શ્રીરામે પિતાની આજ્ઞાથી રાજાઓના મુખને (=મસ્તકેને) નમાવવા સાથે વાવ ધનુષ્યને નમાવ્યું. પછી સીતાજીના હૃદયની સાથે ધનુષ્યને આકષીને (=ખેંચીને) અને ઉતારીને તેના ઉપર પણછ ચઢાવી. (આથી સીતાએ રામને વરમાળા પહેરાવી.) લક્ષમણજી પણ અણુવાવર્ત ધનુષ્યને રમતથી ઉપાડીને (તેના ઉપર પણછ ચઢાવીને) વિદ્યાધરોની અઢાર કન્યાઓને પરણ્યા. સીતા માટે દુઃખી થતા ભામંડલને કેઈક જ્ઞાની સાધુએ “આ તારી યુગલપણે જન્મેલી બહેન છે” એમ કહીને પ્રતિબંધ પમાડ્યો. જનકરાજા વડે અશ્વો અને રત્નો વગેરેથી સત્કાર કરાયેલા રાજાઓ પોતાના સ્થાને ગયા. શ્રીરામ પણ પોતાની રાજધાનીમાં ગયા.
વૃદ્ધ બનતા દશરથને શ્રીરામને રાજ્યાભિષેક કરવાનું મન થયું. આ વખતે પૂર્વે થાપણ મૂકેલું વરદાન કેકેયીએ સ્વેચ્છાથી માગ્યું. દશરથ નિઃસાસો નાખીને બોલ્યાઃ ૪૦
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શીલપદેશમાલા ગ્રંથન
પિતે કરેલી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરવું જોઈએ. પછી શ્રીરામને બેલાવીને દશરથ રાજાએ વિષાદપૂર્વક કહ્યું: હે વત્સ! પૂર્વે સ્વયંવરમાં કેકેયીએ સારથિપણું કર્યું હતું. એના સારથિપણુથી તુષ્ટ થયેલા મેં તેને વરદાન આપ્યું હતું. હમણાં કૈકેયીએ “મારા પુત્ર ભરતને રાજ્ય આપો” એ પ્રમાણે વરદાન માગે છે. હર્ષ પામેલા અને વિનયથી નમેલા શ્રીરામે પિતાને કહ્યું. હું અને ભરત એ અમે બંને પુત્ર આપના માટે સમાન છીએ. તેથી આપ ભરતને રાજ્ય આપે. મારે તે માન્ય છે. એક પુષ્પને મસ્તક ઉપર ધારણ કર્યો છતે બીજાં પુપે શું નથી શોભતા? આ સાંભળીને દશરથરાજાએ ભરતને રાજય લેવાની આજ્ઞા કરી. ભરત બેલ્યા આપની સાથે વનમાં જઈશ (=દીક્ષા લઈશ) મારે રાજય જોઈતું નથી. દશરથરાજાએ કહ્યું મારી પ્રતિજ્ઞા પૂરી કર અને તારી માતાની આજ્ઞાનું પાલન કર. કારણ કે મેં તારી માતાને પૂર્વે વરદાન આપ્યું હતું અને હમણાં તારી માતા “તને રાજ્ય મળે” એ પ્રમાણે વરદાન માગે છે. શ્રીરામે પણ ભારતને કહ્યુંઃ તને રાજ્યમાં આસક્તિ નથી તે પણ રાજ્યને લઈને હમણું પિતાને સત્ય કર. ભરતે રામને પ્રણામ કરીને ગદગદુવાણીથી કહ્યું. રાજ્ય આપવું એ પિતાજીને અને આર્ય આપને એગ્ય છે, પણ રાજ્ય લેવું એ મારા માટે એગ્ય નથી. શ્રીરામે વિચાર્યું : હું અહીં રહીશ તે ભરત રાજ્ય નહિ લે. કારણ કે કુલીન પુરુષોને વિનયરૂપ આચારનું ઉલ્લંઘન દુષ્કર છે. આ પ્રમાણે વિચારીને શ્રીરામે પિતાને પ્રણામ કર્યા. પછી શ્રેષ્ઠ ધનુષ્ય અને ભાથાઓથી યુક્ત શ્રીરામ અપરાજિતા માતાને પ્રણામ કરીને બોલ્યા હે માતાજી ! આપે ભરતને પરમાર્થ વૃત્તિથી મારી જેમ જ જે. પિતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું છે. હું અહીં હઈશ તે ભરત રાજ્ય નહિ લે. તેથી હું વનમાં જવાને ઈરછુ છું. શ્રીરામે આ પ્રમાણે કહ્યું એટલે અપરાજિતા રાણી મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. પંખાઓથી ચેતના ઉત્પન્ન થઈ એટલે તેમણે વિલાપ કરતાં કહ્યું: રામવિયેગના દુઃખને હું કેવી રીતે સહન કરી શકીશ? શ્રીરામ બેલ્યા હે માતાજી! આપ આવી 'કાયરતા કેમ કરે છે? સિંહ અન્યવનમાં જાય
ત્યારે શું સિંહણ દુઃખી થાય? પિતાએ કૈકેયીને વરદાનરૂપી ઋણ ચૂકવવાનું છે. તેથી સત્યપ્રતિજ્ઞાવાળા પિતાજીનું ઋણ દૂર થાય એ માટે હું ઉત્સાહિત કેમ ન થાઉં?
આ પ્રમાણે કૌશલ્યામાતાને સમજાવીને અને બીજી માતાઓને પ્રણામ કરીને શ્રીરામ સિંહની જેમ નિઃશંકપણે વન તરફ ચાલ્યા. સીતાજીએ પોતાના પતિની પાછળ જવા માટે દશરથરાજાને પૂછ્યું. દશરથ રાજાએ નિષેધ ન કરીને અનુજ્ઞા આપી. પછી સીતાજીએ સાસુને પૂછ્યું. સાસુએ સીતાજીને મેળામાં બેસાડીને આંખમાંથી આંસુ પાડતાં ગદગદ્દ વાણીથી કહ્યું હે પુત્રી ! બધું સહન કરનાર તારા પતિને શું દુષ્કર છે? પણ હે બાળા !
૧ અહીં નવા પદને અર્થ આ પ્રમાણે છે – રજા એટલે નવા પ્રકારની. નવા પ્રકારની કાયરતા એટલે સત્વવંત રાણીઓએ ન કરી હોય તેવી કાયરતા.
Page #324
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૫ ચમેલીના પુપોની માળાની જેમ તું શ્વાસથી પણ કરમાઈ જાય છે. આથી તે અતિશય કષ્ટવાળા વનવાસને કેવી રીતે સહન કરીશ? પતિવ્રતા સ્ત્રીઓ સંકટમાં પણ પતિની પાછળ જાય છે. આથી પતિની સાથે જવા માટે કે ન જવા માટે હું આગ્રહ કરવા સમર્થ નથી. સતાજી બોલ્યા હે માતાજી! જ્યાં હું આપના પુત્રની સેવા વિરામ પામ્યા વિના (=સતત) મેળવી શકું ત્યાં જ બધું મારા માટે કલ્યાણકારી છે. આ પ્રમાણે સર્વ સાસુને નમીને અતિશય પ્રીતિવાળા સીતાજી જેમ સમુદ્રની ભરતી ચંદ્રને અનુસરે તેમ જલદી પતિની પાછળ ગયા. રામ વનમાં જઈ રહ્યા છે એમ લક્ષમણજીએ સાંભળ્યું. આથી લક્ષમણજીએ આશ્ચર્યપૂર્વક અણું વાવર્ત ધનુષ્ય ઉપર દૃષ્ટિ નાખીને મનમાં જલદી વિચાર્યું કે, અહા ! કાલરાત્રિની જેમ તે આ કૈકેયી ભયંકર છે, કે જેણે આ સમયે ઉત્પાતજનક આ વરદાન માગ્યું. ભરતને રાજય આપીને પિતાજી ઋણરહિત બની ગયા છે. હવે હું એની પાસેથી રાજ્ય છિનવીને શ્રીરામને આપી દઉં અથવા સત્ત્વવંત ભારત સ્વયં રાજ્ય નહિ આપે. આથી કુલવિરોધનો ત્યાગ કરીને રામની જ પાછળ જાઉં. શ્રીલક્ષમણજી આ પ્રમાણે વિચાર્યા પછી પિતાને, સુમિત્રામાતાને અને કૌશલ્યાને કહીને સીતાથી યુક્ત શ્રીરામની પાછળ ગા. જેમની આંખમાંથી માપ ન કરી શકાય તેટલા આંસુઓ વહી રહ્યા છે તેવા નગરજનથી જોવાતા અને પ્રફુલ્લ મુખવાળા તે ત્રણે અધ્યાનગરીમાંથી નીકળ્યા. શ્રી લમણજી અને શ્રી સીતાજીની સાથે પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતા શ્રીરામ દંડક નામના મહાન જંગલમાં જઈને કેઈ પર્વતની ગુફામાં રહ્યા. ત્યાં બે મહામુનિઓ બે માસખમણના અન્ત વહેરવા માટે પધાર્યા. શ્રી સીતાજીએ પ્રાસુક આહાર–પાણી વહેરાવીને પારણું કરાવ્યું. આ સમયે દેએ ત્યાં દુંદુભિના વનિપૂર્વક સુગંધી જળની વૃષ્ટિ કરી. તેની ગંધથી કઈ રોગી પક્ષી ત્યાં આવીને મુનિ એને નમ્યો. સગધ નામને તે ઉત્તમ પક્ષી મુનિઓના ચરણસ્પર્શથી નીરોગી બની ગયે, તેના મસ્તકની જટા રત્નના અંકુરા સમાન બની ગઈ, તેની પાંખે સુવર્ણ જેવી થઈ ગઈ.
શ્રીરામે મુનિઓને વંદન કરીને પૂછયું : આપની પાસે રહેલે આ દુષ્ટ પક્ષી હમણાં જાણે શાંત હોય તે કેમ બની ગયું છે? મુનિઓએ કહ્યુંઃ પૂર્વે અહીં કુંભકારકૃદ નામનું નગર હતું. તેમાં દંડકિ નામને રાજા હતા અને પાલક નામને મંત્રી હતા. પાલકમંત્રીએ દંભથી અંદસૂરિને (ઘાણીમાં પલ્યા. તે સૂરિ નિયાણા સહિત મરીને વહ્નિકુમાર દેવોમાં દેવ થયા. તેણે દેશ અને રાજા સહિત આ નગરને બાળી નાખ્યું. તેથી આ જંગલ તે રાજાના નામથી “દંડકારણ્ય” એવા નામથી પ્રસિદ્ધ બન્યું. તે દંડકિ રાજા સંસારમાં ભમીને કેઢ રેગવાળે આ પક્ષી થયેલ છે. અમને જોઈને તેને જાતિ
સ્મરણ જ્ઞાન થયું. આથી તે જલદી અમારી પાસે આવ્યું. (અમને પ્રાપ્ત થયેલી સ્પશ૧. કાલરાત્રિ એટલે પ્રલયકાળ કે પ્રલયરાત્રિ. ૨. અન્યગ્રંથમાં નગરનું નામ કુંભકારકટક અને રાજાનું નામ દંડક જેવામાં આવે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શીલપદેશમાલા ગ્રંથને ષધિ લબ્ધિના પ્રભાવથી) તે નિરોગી થઈ ગયો છે. કરુણથી શ્રેષ્ઠ તે જિનધર્મમાં પરાયણ બન્યા છે. આથી આ જટાયુ પક્ષી તમારે સાધર્મિક છે. તે પક્ષીને બંધુ માનતા શ્રીરામ અને લક્ષમણ શ્રી સીતાજીની સાથે પંચવટીમાં આવ્યા અને ત્યાં લતાગૃહોમાં સ્થિરતા કરી.
હવે કૌચરવાનદીના કિનારે ક્રીડામાં તત્પર શ્રીલક્ષમણજીએ વાંસની ઝાડીમાં એક ખગ જોયું. કૌતુકથી શ્રીલક્ષમણજીએ તે ખગ હાથમાં લીધું. પછી હાથ વડે વેગથી ખડ્રગને ચલાવતા તેમણે વાંસની ઝાડીને કેમળ કમળદંડની જેમ રમતથી કાપી નાખી. ત્યાં પૃથ્વી ઉપર ધૂમાડાવાળું કુંડ, મસ્તક અને લેહી નીકળતા ધડને જોઈને શ્રીલક્ષમણજીએ પિતાના ચિત્તમાં વિચાર્યું: હહા! શસ્ત્ર વિનાના આ કઈ પુરુષને મેં મારી નાખ્યો. લાંબા વખત સુધી પોતે શોક કરીને તે પ્રસંગ શ્રીરામને કહ્યો. શ્રીરામ બોલ્યા આ સૂર્યહાસ નામનું ખગ છે. એના સાધકને તે મારી નાખ્યો છે. વળી તેનું રક્ષણ કરનાર પણ કઈ અહીં હવે જોઈએ. આ તરફ પાતાલલંકાના અધિપતિ ખરરાક્ષસની પત્ની અને રાવણની બહેન ચંદ્રણખા પુત્રને જોવા માટે આવી. વાંસની અંદર પુત્રના લેહીથી લાલ ધડને જોઈને તે રડવા લાગી. રડતાં રડતાં તે બોલીઃ હે પુત્ર! ક્યા અભાગિયાથી તું આ પ્રમાણે હણાય? પછી તે ત્યાં શ્રીલક્ષમણજીના પગલાની નિશાનીવાળા રસ્તે ગઈ. શ્રીરામ અને લક્ષમણજીને જોઈને તેણે પુત્રશોકને મૂકી દીધું. જેની ઇંદ્રિયે કામને આધીન છે એવી તે શ્રીરામને જોઈને કામાસક્ત બની. આથી પોતાનું કન્યા જેવું રૂપ કરીને શ્રીરામની પાસે પોતાને પરણવાની માગણી કરી. શ્રીરામ બોલ્યાઃ હે ભદ્રા! મારી આ પત્ની મારી પાસે જ છે. તેથી મારા નાના બંધુ લક્ષમણને સ્વીકાર કર. શ્રી રામે આમ કહ્યું. એટલે તે શ્રી લક્ષમણજી પાસે ગઈ. શ્રીલક્ષમણજીએ પણ કહ્યુંઃ તું (પ્રથમ) મારા વડિલબંધુ પાસે ગઈ એથી મારી ભાભી થઈ. શ્રીલક્ષમણજીએ આ પ્રમાણે તેને હાંકી કાઢી એટલે કામથી પીડાયેલી તે ફરી રામ પાસે ગઈ. શ્રી સીતાજી તેના ઉપર હસ્યા. પછી ક્રેધથી વિકૃત સ્વરૂપ ધારણ કરીને પાતાળલંકામાં જઈને ખરને જલદી શંબૂકના વધને પ્રસંગ કહ્યો. ખર અતિશય ગુસ્સે થઈને ચૌદહજાર સુભટને લઈને શ્રીરામ અને લક્ષમણજીની સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યો. શ્રી લક્ષમણે કૌતુકથી પરના સુભટને હણવા માટે હું એકલે તેમની સાથે યુદ્ધ કરવા જાઉં છું એમ શ્રીરામને વિનંતિ કરી. શ્રીરામે કહ્યું: જો તું સંકટમાં આવી પડે તે સિંહનાદથી મને જણાવવું. શ્રીરામની આ શિક્ષાને સ્વીકારીને, જેમ ગરુડ સર્પોને હણવા માટે જાય તેમ, શ્રી લક્ષમણ રાક્ષસને હણવા માટે રાક્ષસો તરફ એકલા ચાલ્યા. પતિને સહાય કરવાની ઈચ્છાથી - જલદી ત્રિકૂટ પર્વત ઉપર જઈને ચંદ્રણખાએ રાવણને આ પ્રમાણે કહ્યું: દશરથના પુત્ર રામ અને લક્ષમણ એ બે વીરપુરુષે દંડકારણ્યમાં રહેલા છે. તેમણે મને તારા ભાણેજનું બલિદાન આપ્યું છે. આથી તારા બનેવી ગુસ્સે થઈને તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે. એક લક્ષમણ સુભટેની સાથે નિર્ભયપણે યુદ્ધ કરી રહ્યો છે. લક્ષમણના
Page #326
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૭ પરાક્રમથી અને પિતાના બળથી ગર્વિષ્ઠ બનેલે રામ તે હાથીની જેમ પત્ની સીતાની સાથે પિતાની મરજી પ્રમાણે ક્રીડા કરી રહ્યો છે. સીતા જેવું શ્રી રત્ન તારી પાસે નથી અને ગર્વિષ્ઠ તે બેને તે જિત્યા નથી. તેથી હે બંધુ! તારી ભુજાઓ ટીડા પક્ષીના (પગ) જેવી છે એમ હું માનું છું.
- તત્કાલ અતિશય કામને વશ બનેલે રાવણ પુષ્પક વિમાનમાં બેસીને સીતાની પાસે ગયે. સીતાજીને શ્રીરામની પાસે બેઠેલા જોઈને રાવણ સીતાજીનું અપહરણ કરવા સમર્થ ન થયે. તેથી જેમ સાપ નાગદમની ઔષધિથી દૂર રહે તેમ રાવણ દૂર ઊભો રહ્યો. પછી રાવણે અવલેકિની વિદ્યાનું સ્મરણ કરીને તે વિદ્યાને કહ્યું? સીતાને મારી પાસે લઈ આવ. તે વિદ્યાએ કહ્યું : તમારી આજ્ઞાથી મને કંઈ પણ શક્ય નથી. આમ છતાં સીતાને લેવાનો એક ઉપાય છે. તે આ પ્રમાણે :-રામ અને લક્ષમણ વચ્ચે સંકેત થયો છે કે જે સંકટ પડે તે સિંહનાદ કરે. આથી જે સિંહનાદ થાય તે રામ લક્ષમણની પાસે જાય. રાવણે સિંહનાદ કરવાની અનુમતિ આપી એટલે વિદ્યાએ સિંહનાદ કર્યો. શ્રીરામ સિંહનાદ સાંભળીને આશંકાવાળા બનીને બેલ્યા: આહ ! આ શું થયું? આ પ્રમાણે બેલતા શ્રીરામને સીતાજીએ કહ્યું : હે સ્વામી ! હજી પણ કેમ વિલંબ કરે છે ? જલદી જાઓ અને આ સંકટમાંથી લક્ષમણનું રક્ષણ કરે. આ પ્રમાણે બળાત્કારે સીતાજીએ જવાને આગ્રહ કર્યો એટલે શ્રીરામ ધનુષમાં દેરી ચઢાવીને લામણ પાસે ગયા. હવે રાવણે વિમાનમાંથી ઉતરીને લક્ષમણની ચિંતાથી વ્યગ્ર બનેલા સીતાજીને વિમાનમાં બેસાડવા માટે જલદી પ્રારંભ કર્યો. સીતાજીનું રુદન સાંભળીને જટાયુ ત્યાં આવ્યું અને તેણે સીતાજીને કહ્યું : હે વત્સ! ભય ન પામ. સીતાજીને આમ કહીને તેણે કઠોર નખના આઘાતથી રાવણને ઉપદ્રવ કર્યો. ગુસ્સે થયેલા રાવણે તલવારથી પાંખે છેદીને તેને પૃથ્વી ઉપર પાડયો. વિમાનમાં બેસાડીને લઈ જવાતા સીતાજીએ વિલાપ કર્યો. હે ભામંડલભાઈ! મારું રક્ષણ કર. હે લક્ષમણથી યુક્ત શ્રીરામ ! મારું રક્ષણ કરો. તે વખતે ભામંડલને એક ખેચર સુભટ સીતાજીની બૂમ સાંભળીને યુદ્ધ કરવા આવ્યું. રાવણે (પિતાની વિદ્યાથી તેની બધી વિદ્યાઓ હરીને) તેને ભૂમિ પર પાડી દીધે.
હવે રાવણે સીતાજીને કહ્યું : હે સીતા ! ત્રણ લેકને કંટક સમાન હું તારે આજ્ઞાકારી પતિ છું. તેથી તું આજંદન શા માટે કરે છે? અહીં લંકાના મહાન ઉદ્યાનમાં સુવર્ણ–રત્નની શિલા ઉપર લજજાને ત્યાગ કરીને દેવીઓને પણ દુર્લભ એવી ક્રીડા કર. ભીલ એવા રામથી શું? સૈવનથી બલવાન એવા મારા આશ્રય લે. હું રંભેરૂ! નંદનવન હોય તે ભ્રમરી શું મભૂમિને યાદ કરે? આ પ્રમાણે બેલતે રાવણ શ્રી સીતાજીને સમુદ્રના માર્ગે લઈ ગયે. સીતાજીએ પણ મુખથી શ્રીરામ શ્રીરામ એવા શબ્દનું રટણ ચાલુ રાખ્યું. આ પ્રમાણે ખુશામત કરતા રાવણ સીતાજીના ચરણકમલમાં નમ્યો. સીતાજીએ પરપુરુષના સ્પર્શની શંકાથી પોતાના પગને ખસેડી લીધા. મને
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શીલપદેશમાલા ગ્રંથને સુખપૂર્વક જેતી આ સ્વયં પ્રસન્ન બનશે એવી આશાથી હર્ષ પામેલે રાવણ પિતાની નગરીમાં ગયે. વણિક, વેશ્યા, ચેર, જુગારી અને પરસ્ત્રીગામી પુરુષે બીજાના અંતરને ન : જાણવા છતાં પવનને ગાંઠમાં બાંધે છે, અર્થાત્ અશક્ય કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. * સીતાજીએ તે વખતે “જ્યાં સુધી શ્રીરામ અને શ્રીલક્ષમણજીના કુશળ સમાચાર ન મેળવું ત્યાં સુધી હું ભેજન નહિ કરું” એ પ્રમાણે અભિગ્રહ લીધે. રાવણે સીતાજીને દેવરમણ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે રાખ્યા. ત્રિજટા રાક્ષસી અને પહેરીગરો તેમનું રક્ષણ કરવા લાગ્યા.
શ્રીરામને આવતા જોઈને સંભ્રમ પામેલા શ્રીલક્ષમણે કહ્યું : આર્યાને (=સીતાજીને) એકલી મૂકીને આપ પણ અહીં કેમ આવ્યા ? શ્રીરામ બોલ્યા : તારા સિંહનાદને સાંભળીને હું અહીં આવ્યો છું. શ્રીલક્ષમણે કહ્યું : હે બંધુ! મેં સિંહનાદ કર્યો નથી. આપ કેઈનાથી છેતરાયા છે. માટે જલદી પાછા જાઓ. શત્રુસમૂહને નાશ કરીને આપની પાછળ જ હું આવ્યું એમ સમજે. પાછા ફરેલા શ્રીરામ પિતાના આશ્રમમાં ગયા. ત્યાં સીતાજીને ન જોયા. આથી ચિત્તના સંતાપથી ત્યાં મૂછિત બનીને કપાયેલા વૃક્ષની જેમ ભૂમિ ઉપર પડયા. જંગલના પવનથી તેમને ચેતના આવી. આમ-તેમ ભમતા તેમણે જટાયુને હણાયેલે જે. આથી સીતાજીનું અપહરણ થયું છે એમ જાણ્યું. તેમણે જટાયુને પંચ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. પરમ શ્રાવક તે જટાયુ મરીને મહેંદ્ર (ચોથા) દેવલેકમાં ઉત્તમ દેવ થયે. શ્રીરામ જંગલમાં વૃક્ષ, લત્તામંડપ અને ગુફાઓને જોઈ જોઈને સીતાજીને ન જેવાથી ફરી મૂછિત બનીને ભૂમિ ઉપર પડયા. વિરાધની સાથે જલદી આવેલા શ્રીલક્ષમણે તે વખતે શ્રીરામને એકલા મૂછિત બનેલા જોયા. શ્રીલક્ષમણે પાણી સિંચીને અને વૃક્ષનાં પાંદડાંઓ વીંઝીને શ્રીરામને સ્વસ્થ કર્યા સીતાજીના વિયેગથી ગાંડા જેવા થઈ ગયેલા શ્રીરામ બોલ્યાઃ હે વનદેવીઓ! મેં બધે જોયું પણ સીતાજીને ક્યાંય જોયા નથી. તમોએ તેને ચક્કસ જોઈ છે. તમે કેમ બોલતી નથી ? હે દેવી ! હું તમને એકલા મૂકીને લક્ષમણની પાસે ગયો અને તમારા માટે મેં બંધુને છેડ્યો. મારી આવી કુમતિને ધિક્કાર છે. આ પ્રમાણે વિલાપ કરતા શ્રીરામ ફરી ફરી પૃથ્વી ઉપર પડવા લાગ્યા. પક્ષીઓ અને મૃગલાઓ પણ આશ્ચર્ય પૂર્વક શ્રીરામની ચારે બાજુ ઊભા રહ્યા.
સુવાળા શ્રીલમણે પણ શ્રીરામને નમીને કહ્યું: હે આર્ય ! આપ આ શું બોલે છે? શત્રુને જીતનાર હું આપનો બંધુ લક્ષ્મણે આપની આગળ રહેલ છે. શ્રીલક્ષમણની તે વાણીથી અમૃતની જેમ સિંચાયેલા શ્રીરામ હર્ષનાં આંસુવાળા બનીને શ્રીલક્ષમણને વારંવાર ભેટ્યા. શ્રીલક્ષમણ બાલ્યાઃ હમણાં શેક કરવો એગ્ય નથી. કપટથી સીતાજીનું અપહરણ થયું છે. તેથી સીતાજીને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વિરોધ ૧. અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ હેતુથી અન્ય ગ્રંથના આધારે કંઈક વિશેષ લખ્યું છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૯ આપણે મિત્ર છે. રાવણના સેવકોએ તેના પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળ લંકાને કબજે કરી હતી. હું જ્યારે ખર સાથે યુદ્ધ કરતે હતો ત્યારે આ વિરાધ મારી પાસે આવ્યા અને શત્રુની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા માગી. પણ મેં એકલાએ જ શત્રુને સંહાર કર્યો. તે વખતે મેં તેને પાતાળ લંકાનું રાજ્ય આપવાનું વચન આપ્યું છે. આથી હમણાં વિરાધને તેના પિતાનું સ્થાન એવું પાતાળ લંકાનું રાજ્ય આપવું જોઈએ. શ્રીલક્ષમણે આમ કહ્યું તેથી શ્રીરામે જલદી પાતાળ લંકામાં જઈને વિરાધને પાતાળ લંકાના રાજ્ય ઉપર બેસાડ્યો. ખરની પત્ની ચંદ્રણખા અને તેને પુત્ર સુદ એ બંને ( લક્ષમણ વગેરેથી) ભય પામીને રાવણના શરણે ગયા. પછી શ્રીરામે કિષ્ક્રિધાનગરીમાં યુદ્ધમાં વ્યભિચારી (બનાવટી) સુગ્રીવને મારીને શરણે આવેલા સુગ્રીવને રાજ્ય ઉપર બેસાડ્યો. પછી પોતાની અઢાર કન્યાઓ શ્રીરામને આપવા તત્પર થયેલા સુગ્રીવને શ્રીરામે સીતાજીને શોધવા માટે પ્રાર્થના કરી. પછી હર્ષ પામેલા પરાક્રમી સુગ્રીવે સીતાજીની શોધ માટે જાણે રામના મનેર હોય તેવા સુભટને દરેક દિશામાં બધા સ્થળે મોકલ્યા. સુંદર અગ્રીવાવાળો સુગ્રીવ સ્વયં કંબૂદ્વીપમાં ગયા. ત્યાં પૃથ્વી ઉપર પડેલા રત્નજી વિદ્યાધરને શ્રીરામ પાસે લઈ ગયે. ભામંડલના સુભટ એ રત્નજીએ “સીતાજીનું રાવણે અપહરણ કર્યું છે” વગેરે સીતાજીને સઘળે વૃત્તાંત શ્રીરામને જણાવ્યું.
રાવણે સીતાનું અપહરણ કર્યું છે એ જાણીને હર્ષ પામેલા શ્રીરામે તે લંકા કેટલી દૂર છે? એમ વારંવાર પૂછયું. સુગ્રીવ આદિએ કહ્યુંઃ લંકા દૂર છે કે નજીક છે? એવી ચિંતાથી શું વળવાનું છે? પણ ત્રણલેકમાં વીર અને પાપી એવા રાવણને જિત એ દુષ્કર છે. રામ બેલ્યાઃ જય-અજયની ચિંતાથી સર્યું. પણ તમે રાવણને લક્ષમણ બતાવે. પછી રાવણનું બળ જણાશે. લક્ષમણે પણ તિરસ્કારપૂર્વક શ્રીરામને કહ્યું જેમ કાગડે પૂરી લઈને નાસી જાય તેમ સીતાજીને લઈને નાસી જનાર તેનું બળ શું છે ? જાંબવાન મંત્રીશ્વરે શ્રીલક્ષમણને કહ્યું છે કે ટિશિલાને ઉપાડે તે રાવણને મારી નાખશે. પછી બધા ભેગા થઈને શ્રી લક્ષમણને સિંધ દેશમાં લઈ ગયા. શ્રી લક્ષમણે શિલા ઉપાડી એટલે એ પુષ્પવૃષ્ટિ કરી. કેટિશિલાને નમસ્કાર કર્યા પછી બધાય વિમાનમાં બેસીને સમેતશિખરમાં જિનેશ્વરોને વંદન કરીને ફરી કિષ્ઠિધાનગરીમાં આવ્યા. હવે વૃદ્ધ (=અનુભવી) વાનરેએ કહ્યું તમારાથી રાવણને નાશ થશે. પણ નીતિને માનનારા
એ હમણાં રાવણ પાસે દૂત મેલ જોઈએ. (જે દૂત મળીને કાર્ય સિદ્ધ થઈ જતું હોય તે યુદ્ધ કરવાની જરૂર ન રહે. જે દૂત દ્વારા કાર્ય સિદ્ધ ન થાય તે જ ૧. ગ્રીવા એટલે ડોક.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શીલપદેશમાલા ગ્રંથને યુદ્ધ કરવું એવી નીતિ છે.) શ્રીરામે તે પ્રમાણે હો” એમ કહ્યું એટલે સુગ્રીવે સૂર્યપુરથી સર્વ કાર્યોમાં સમર્થ હનુમાનને બેલાવ્યા. સુગ્રીવે હનુમાનને શ્રીરામની આગળ કરીને શ્રીરામને કહ્યું હે દેવ! આ પરાક્રમી હનુમાન મારા રાજ્યનાં પ્રાણસ્વરૂપ છે. તેથી સીતાદેવીના સમાચાર માટે આને સ્વેચ્છાથી મેકલે. શ્રીરામે હનુમાનને (પિતાની) વીંટી આપીને સીતાજીને સંદેશો કહ્યો. તે આ પ્રમાણે :- હે હનુમાન ! લંકામાં જઈને સીતાજીને આ વીંટી સંકેત માટે આપજે અને કહેજે કે તમારા વિના રામ જગતને સીતામય જુએ છે. મારા વિરહમાં તમે નિરર્થક જ પ્રાણ ત્યાગ કરશે નહિ. કારણ કે જો હું સાચો રામ હઈશ તે તમને જલદી પાછા લાવીશ. હનુમાને “હા” એમ કહ્યું.
પછી હનુમાન શ્રીરામને નમીને આકાશમાર્ગથી જલદી લંકાનગરીમાં ગયા. ત્યાં હનુમાને બિભીષણને આ પ્રમાણે કહ્યું- હે કુલીન! હું તમારી જ પાસે ન્યાય અન્યાય કહું છું. તેથી જો તમે બંધુના કલ્યાણને ઈચ્છતા હે તે સીતાજીને મુક્ત કરાવે. બલવાન પણ તમારા બંધુ જેના કારાગૃહમાં રહ્યા હતા તેને પણ શ્રી રામે નાશ કર્યો છે એમ જાણીને સીતાજી જલદી પાછા આપ. બિભીષણ પણ બે અમેએ ભાઈને પહેલાં જ આ વાત કરી છે અને ફરી પણ કરીશું. કારણ કે કલ્યાણ કેને પ્રિય ન હોય? આ સાંભળીને હનુમાન જલદી દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશોક વૃક્ષની નીચે સીતાજીને જોયા. આ વખતે સીતાજી લાંબા નિસાસા નાખી રહ્યા હતા. તેમનાં અંગે કૃશ થઈ ગયા હતા અને વસ્ત્રો મલીન થઈ ગયા હતા. ગિનીની જેમ સતત રામ રામ એ પ્રમાણે ધ્યાન ધરી રહ્યા હતા અને રડી રહ્યા હતા. સતાજી બહુ ઉત્તમ સતી છે એમ વિચારી વિચારીને વિદ્યાથી અદશ્ય શરીરવાળા હનુમાને સીતાજીના ખેળામાં વીંટી નાખી. સીતાજીએ વીંટીને હર્ષના આંસુઓથી નવડાવીને પૂછ્યું: હે મુદ્રિકા! લક્ષમણ સહિત રામ કુશળ છે ને ? હવે હનુમાન બેલ્યાઃ તમારી શોધ માટે સ્વામીએ મને મેક છે. હું ત્યાં જઈશ એટલે શ્રીરામ શત્રુના નાશ માટે આવશે સીતાજીએ પૂછયું : હે વત્સ! તું સમુદ્રને કેવી રીતે ઓળંગી શક્યો? હનુમાને કહ્યું આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રને ઓળંગે છે. સીતાજીએ શ્રીરામની વિગત પૂછી એટલે હનુમાને શ્રીરામે કહેલી સઘળી વિગત કહી. શ્રીરામને વિશ્વાસ પમાડવા માટે હનુમાને શ્રી સીતાજીના ચૂડામણિની માગણી કરી. ચૂડામણિ આપીને સીતાજી બોલ્યાઃ હે વત્સ! અહીં નિર્દય રાક્ષસના સ્થાનમાં તને અનર્થ ન થાય એ માટે જલદી અહીંથી જતા રહે. હનુમાને કહ્યું: વાત્સલ્યથી યુક્ત મનવાળા હે માતાજી! તમે શંકા ન કરે. હું પૂજ્ય શ્રીરામને સુભટ છું (જેને તેને સુભટ નથી) એ બતાવીને જ જઈશ પછી હનુમાન સીતાજીને નમીને, અશક્યનને ભાંગીને, અક્ષકુમાર વગેરે રાક્ષસને મારીને, ૧. મુદ્રિકા એટલે વીંટી.
Page #330
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૧ લંકાનગરીના ઘરને પાડીને, પિતાનાં બંધનોને તેડીને અને રાવણના મુગુટનો જલદી ચૂરે કરીને શ્રીરામ પાસે ગયા.
શ્રીરામને નમસ્કાર કરીને સીતાજીને ચૂડામણિ આપે. શ્રીરામે હનુમાનને ભેટીને સીતાજીના સમાચાર પૂછડ્યા. હનુમાને લંકાનાં ઘરે પાડી નાખ્યા વગેરે સઘળા સમાચાર કા. વિરાધ, જાંબવાન, નીલ, ભામંડલ, નલ અને અંગદથી યુક્ત શ્રીરામ આકાશ માર્ગથી લંકા તરફ ચાલ્યા. સુગ્રીવ વગેરે આગેવાનોની સાથે શ્રીરામ અને શ્રીલક્ષમણનું સૈન્ય માર્ગમાં વિદ્રવ વિના સમુદ્રની ઉપર ચાલવા લાગ્યું. સમુદ્ર ઉપર ચાલતા તે સર્વે વેલંધર પર્વત પર રહેલા વેલંધરનગર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામના બે દ્વીપનાયક (દ્વીપના રાજાઓ) હતા, તેઓ ઉદ્ધત થઈને રામના સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા, તેમાં નલે સમુદ્રરાજાને અને નીલે સેતુરાજાને બાંધી લીધા અને શ્રી રામને સેપ્યા. શ્રી રામની સેવામાં તત્પર બનેલા તે બેને શ્રી રામે ફરી તેમના રાજ્ય ઉપર બેસાડ્યા. પછી સુવેલ પર્વત ઉપર રહેલા વેલ નામના રાજાને શ્રી રામે જી. પછી લંકાની પાસે આવેલા હંસદ્વિીપમાં રહેલા હંસરથ રાજાને જીતીને શ્રી રામ ત્યાં આવા (=રહેવાનાં સ્થાને) બનાવીને રહ્યા. શ્રી રામને આવતા સાંભળીને યુદ્ધમાં શુર રાવણે પણ જેમ મિથ્યાદષ્ટિ જીવ દુર્ગતિને તૈયાર કરે (ત્રદુર્ગતિમાં જાય તેવું કર્મ કરે) તેમ સૈન્ય તૈયાર કર્યું. હવે બિભીષણે રાવણને નમસ્કાર કરીને કહ્યું : હે દેવ! પ્રસન્ન થાઓ અને પિતાના પણ ભવિષ્યના શુભ પરિણામને વિચાર કરે, પહેલાં તમે કરેલા પર સ્ત્રીના અપહરણથી કુલ લજજા પામેલું છે, પણ હમણું સર્વ વિનાશ ન કરો, સીતાજીને પાછા સેંપી દે. ઈત્યાદિ બિભીષણના વચનથી કેધ પામેલા રાવણે બિભીષણને તે પ્રમાણે તિરસ્કાર્યો કે જેથી પરિવાર સહિત તેણે શ્રીરામચંદ્રનું શરણ સ્વીકાર્યું. સમયને જાણનારા શ્રીરામે પણ બિભીષણનો સત્કાર કરીને તેને પોતાની પાસે રાખ્યું અને પવિત્ર એવા તેને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકાર્યું.
જેમ પહેલા ગુણસ્થાને રહેલા જીવને કર્મ પ્રકૃતિઓ ઘેરી લે તેમ, હવે શ્રીરામની આજ્ઞાથી વાનરોએ ક્ષણવારમાં લંકાનગરીને ઘેરી લીધી. રાવણના હસ્ત, પ્રહસ્ત, મારીચ, શુક અને સારણ નામના સેનાપતિઓ યુદ્ધ કરવા માટે લંકાનગરીના કિલ્લામાંથી બહાર નીકળ્યા. જેમ પવન ધાન્યના ફતરાના ઢગલાને ક્ષોભ પમાડે (=ઉડાડી દે) તેમ યુદ્ધ કરતા મહાબળવાન વાનરોએ રાક્ષસેના સઘળા સૈન્યને ક્ષોભ પમાડ્યો. પછી બંધુ સહિત
૧. રાવણના પુત્ર ઈન્દ્રજિતે હનુમાન ઉપર નાગપાશ શસ્ત્ર છોડયું હતું. આથી તે પગથી મસ્તક સુધી બંધાઈ ગયા હતા. નાગપાશના બંધન સહિત હનુમાનને રાવણની પાસે લઈ ગયો હતો. ત્યાં હનુમાને નાગપાશ તોડી નાખ્યો હતો અને રાવણને મુગુટને પગની પાટુથી ચૂરી નાંખ્યું હતું.
૪૧
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શીલપદેશમલા ગ્રંથને રાવણ યુદ્ધ કરવા માટે આવ્યા. રામ અને ભામંડલ વગેરે તેમની સામે થયા. મહાવાજિંત્રો વાગ્યા એટલે બન્ને પક્ષના વીર તલવાર અને બાણથી લડવા લાગ્યા, આકાશમાં રહેલા જેવાતા તે વિરે લાંબા કાળ સુધી લડ્યા. કેપથી બળેલા રાવણે બિભીષણ ઉપર ત્રિશૂલ ફેંકયું. જેમ શુભધ્યાનવાળો જીવ કર્મોને ચૂરે કરી નાખે તેમ શ્રીલક્ષમણે એ ત્રિશૂલને કણ કણ ચૂરે કરી નાખે.
તેથી અતિશય કેધ પામેલા રાવણે શ્રી લક્ષ્મણને છાતીમાં તીણ શક્તિ મારી. આથી શ્રીલક્ષમણ મૂછિત થઈને ભૂમિ ઉપર પડ્યા. આથી શેકથી દુખી બનેલું શ્રીરામનું સૈન્ય છાવણી તરફ પાછું વળ્યું. વિજયી રાવણે પણ યુદ્ધમેદાનમાંથી નીકળીને લંકામાં પ્રવેશ કર્યો. તે સાંભળીને મૂછથી ભાંગી પડેલા સીતાજી પૃથ્વી ઉપર પડ્યા. વિદ્યાધરીઓએ જલથી સિચન કર્યું એટલે સીતાજી ચૈતન્યને પામ્યા. જેના માટે પતિ અને દિયરને આ પ્રમાણે કષ્ટ આવ્યું, તે ભાગ્યહીન અને દુષ્ટાત્મા હું બાલ્યાવસ્થામાં જ કેમ મરી ન ગઈ? ઈત્યાદિ વિલાપ કરતા સીતાજીને કેઈ વિદ્યાધરીએ કહ્યું : હે દેવી ! શેક ન કરો. તમારા દિયર સવારે શલ્યરહિત બની જશે. તે વખતે સૂર્યોદયનું ધ્યાન ધરતા સીતાજી સ્વસ્થ થયા શ્રીલક્ષમણને ભૂમિ ઉપર પડેલા જોઈને શ્રીરામ પણ મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. મૂછ દૂર થતાં શ્રીરામ બોલ્યા : હે વત્સ! અકાળે મૂંગે કેમ રહે છે? પિતાના આ સેવકે વાણીથી કે દષ્ટિથી પણ સત્કાર કર. હે વત્સ! તે વખતે બિભીષણને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકારીને હવે જેમ કૃષ્ણ શેષનાગની પીઠ ઉપર નિશ્ચિતપણે સૂએ છે તેમ તે નિશ્ચિતની જેમ કેમ સૂતે છે? હા વત્સ! તું અહીં રહે. હું રાવણને મારીને તેનું સ્થાન (=રાજ્ય) બિભીષણને આપું છું એમ કહીને શ્રીરામ ધનુષ્યનું આસ્ફાલન કરીને જેટલામાં ચાલ્યા તેટલામાં બિભીષણે તેમને હાથમાં લઈને આ પ્રમાણે કહ્યું: હે સ્વામી! મેહનો ત્યાગ કરીને ધીરજ રાખે. શક્તિથી હણાયેલ પુરુષ સૂર્યોદય સુધી જીવે પણ છે. તેથી મંત્ર-તંત્ર વગેરેથી પ્રતિકાર માટે પ્રયત્ન કરે. શ્રીરામે “હા” એમ કહ્યું એટલે ચારે દિશામાં સૈન્યથી યુક્ત સુગ્રીવ વગેરે વીર શ્રીલક્ષમણની ચારે બાજુ શસ્ત્ર ઉગામીને ઊભા રહ્યા. આ તરફ પ્રતિચંદ્ર નામના વિદ્યાધરે આવીને શ્રીરામને કહ્યું? શક્તિને કાઢવાને જે ઉપાય મેં અનુભવ્યું છે તેને તમે સાંભળે. ભારતના મામા દ્રોણમેઘ રાજાની વિશલ્યા નામની કન્યા છે. તેના સ્નાનજળથી સિંચન કરવાથી શક્તિ નીકળી જશે. પ્રતિચંદ્ર આમ કહ્યું એટલે શ્રીરામની આજ્ઞાથી ભામંડલ વગેરે જઈને વિશલ્યાને ત્યાં લઈ આવ્યા. તેના સ્નાનજળથી લક્ષમણને સિંચન કર્યું. પ્રકાશ કરતી શક્તિ બહાર નીકળી ગઈ. પછી સૂર્યને ઉદય થયું. શ્રીરામના સૈન્યમાં પ્રાતઃકાળે શુભસૂચક દુંદુભિઓ વાગી. ૧. શક્તિ દેવીસ્વરૂપ છે અને પ્રાપ્તિ વિદ્યાની બહેન છે, (જુએ ત્રિ. શ. પુ. ૨. પર્વ સાતમું )
Page #332
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૩ અપશુકને એ વારવા છતાં (યુદ્ધરૂપી) પ્રાતઃકાલનું ભોજન કરવામાં ઉસુક રાવણ પ્રાતઃકાળે સૈન્યની સાથે યુદ્ધમેદાનમાં આવ્યા. ફરી શ્રીરામ અને રાવણને યુદ્ધરૂપી ઉત્સવ શરૂ થયો. તેમાં વાનર રાક્ષસના મરત કેને લઈને ગેળાની જેમ ફેંકવા લાગ્યા. વેગથી ઊભા થતા શ્રીરામને પ્રણામ કરીને અને શક્તિની વેદનાની ઉપેક્ષા કરીને શ્રીલક્ષમણ યુદ્ધની ઈચ્છાથી ઊભા થયા. વધતા પરાક્રમવાળા શ્રીલક્ષમણને જોઈને રાવણે તેને જિતવાની ઈચ્છાથી બહુરૂપી વિદ્યાનું સમરણ કર્યું. સ્મરણ માત્રથી બહરૂપી વિદ્યા હાજર થઈ. આથી રાવણે પોતાનાં શસ્ત્ર સહિત અનેક રૂપે કર્યો. શ્રીલમણે આગળ, બે પડખાઓમાં, પાછળ, પૃથ્વી ઉપર અને આકાશમાં એમ ચારે બાજુ શાને વર્ષાવનારા રાવણેને જ જોયા. રથ ઉપર આરૂઢ થયેલા અને બલવાન શ્રીલક્ષમણ એક હોવા છતાં જાણે અનેક હોય તેમ ચારે બાજુ તીક્ષ્ણ બાણથી રાવણને પૃથ્વી ઉપર પાડવા લાગ્યા. હવે પ્રતિવાસુદેવ રાવણે ચકને યાદ કરીને હાથમાં લીધું, પછી મસ્તક પાસે માડીને લક્ષમણ ઉપર છોડયું. તે ચક શ્રીલક્ષમણને પ્રદક્ષિણા આપીને શ્રીલક્ષમણના જ હાથમાં આવ્યું. તે વખતે શ્રીલક્ષમણ આઠમા વાસુદેવ છે એ પ્રમાણે દેવોએ આકાશમાં ઘોષણા કરી. શ્રીલમણે તે જ ચક્રથી ક્ષણવારમાં રાવણનું મસ્તક કાપી નાખ્યું. આકાશના ચોગાનમાંથી દેવોએ કરેલી પુષ્પવૃષ્ટિ થઈ. શ્રીરામ અને શ્રીલમણે લંકાના રાજ્ય ઉપર બિભીષણને બેસાડ્યો. તે પછી પરિવાર સહિત તે બંને સીતાજીને લેવા માટે ઉદ્યાનમાં ગયા. શ્રીરામ અને શ્રીલક્ષમણને દૂરથી આવતા જોઈને હર્ષ થી પ્રફૂલ્લિત બનેલા સીતાજી નવા મેઘના પાણીથી સીંચાયેલી વનરાજીની જેમ શોભા પામ્યા. આકાશમાં દેવો “મહાસતી સીતાજી ધન્ય છે” એ પ્રમાણે બેયા. શ્રીલક્ષમણ વગેરેએ શ્રી સીતાજીને પ્રણામ કર્યા. સીતાજીએ તેમને આશીર્વાદથી આનંદ પમાડ્યો. જેમ રોહિણીથી ચંદ્ર શોભે છે અને કમલિનીથી સૂર્ય શોભે છે તેમ તે વખતે 'શ્રીરામથી મહાસતી સીતાજી શોભ્યા. સુગ્રીવ, ભામંડલ અને બિભીષણ વગેરે અનેક વીર પુરુષે સહિત શ્રી રામ અને લક્ષમણ પુષ્પક વિમાનમાં બેસીને જલદી અયોધ્યાનગરીમાં ગયા. સુમિત્ર અને ભારત એ બનેએ શ્રીરામ અને શ્રીલક્ષમણ એ બંનેને પ્રણામ કર્યા. શ્રીલક્ષમણ પણ પ્રણામ કરતાં એ બેને હર્ષથી ભેટી પડ્યા વાજિત્રોના નાદપૂર્વક તે બંનેએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. સાસુઓએ “વીર પ્રસૂતા થા” એમ કહીને સીતાજીને આનંદ પમાડડ્યો. શ્રી લક્ષમણને વાસુદેવ પદને અભિષેક થઈ ગયા પછી શ્રીરામે સુગ્રીવ વગેરે સઘળા રાજાઓને પોતપોતાના દેશમાં જવાની રજા આપી.
હવે સીતાજીએ અષ્ટાપદ પ્રાણીના સ્વમથી સૂચિત ગર્ભ ધારણ કર્યો. શ્રી સીતાજીને સમેતશીખર તીર્થની યાત્રા વગેરેના દેહલા ઉત્પન્ન થયા. આ દરમ્યિાન શ્રી સીતાજીનું જમણું
૨. અહીં સીતાજીથી શ્રીરામ શમ્યા એમ હેત તે વધારે સારું થાત.
Page #333
--------------------------------------------------------------------------
________________
શીલાપદેશમાલા ગ્રંથના
૩૨૪
નેત્ર ઓચિંતું ફરકવા લાગ્યું. આશ્ચર્ય પામેલા શ્રીસીતાજીએ આ વાત શ્રીરામને કહી. શ્રીરામે કહ્યું : હું ભદ્રા! આ અશુભ નિમિત્ત છે. તેથી પેાતાના મંદિરમાં જઈને દેવાની પૂજા કરો અને સુપાત્રમાં દાન આપેા. પતિની આવી શિખામણ સાંભળીને સીતાજીએ તે પ્રમાણે કર્યું. હવે સત્ય ખાલનારા નગરના અધિકારીઓએ શ્રીરામને કહ્યું : હે દેવ ! સત્ય હોય કે અસત્ય હાય, ઈષ્ટ હાય કે અનિષ્ટ હાય, પણ સ લેાકેા જે વાત કરતા હેાય તે વાતની વિદ્વાનેાએ શ્રદ્ધા કરવી જોઇએ. સર્વ લાકો આ પ્રમાણે કહે છે ઃ- સ્ત્રીલુબ્ધ રાવશે એકલા સીતાજીનું અપહરણ કર્યું અને પેાતાના ઘરમાં છ મહીના સુધી રાખી, સીતાજી રાવણુ પ્રત્યે રક્ત હતા કે વિરક્ત હતા એ જાણી શકાતું નથી, કારણ કે રક્ત છે કે વિરક્ત છે એ સ્ત્રીઓના વિષયમાં જાણવું મુશ્કેલ છે. રાવણે સમતિથી અથવા બળાત્કારે સીતાજીના ઉપભાગ કર્યાં કે નહિ તે જાણી શકાતું નથી, અર્થાત્ ઉપલેાગ નથી કર્યાં એની શી ખાતરી ? જેમ તેલનુ બિંદુ પાણીમાં પ્રસરે તેમ યુક્તિયુક્ત આ પ્રવાદ લાકમાં બધા સ્થળે ફેલાઈ ગયા છે. તેથી હું શ્રીરામ ! આ પ્રવાદને આપ સહન કરેા નહિ. પવન જેવા પ્રવાદથી મલિન બનેલા પેાતાના આરિસા જેવા નિર્માલ કુલની ઉપેક્ષા કરેા નહિ. સીતાજી ઉપર લક આવ્યું એવા નિ ય કરીને શ્રીરામ દુઃખી બન્યા અને માન રહ્યા!. પછી ધૈય ધારણ કરીને અધિપતિઓને કહ્યું : તમાએ મને જણાવ્યું એ સારું કર્યું, માત્ર શ્રી ખાતર હું અપયશને સહન નહિ કરું, શ્રીરામે આ પ્રમાણે કહીને અધિકારીઓને રજા આપી.
હવે વીરપુરુષની જેમ રાત્રિમાં પરિભ્રમણ કરતા શ્રીરામ જેટલામાં ચમારના ઘરની બાજીમાં નીચે જઈને ઊભા રહ્યા તેટલામાં તેમણે નીચે પ્રમાણે સાંભળ્યુ : પાડાશી પાસેથી ઘણા કાળ પછી આવેલી પેાતાની પત્નીને ચમારે પગથી મારીને તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યુ': આટલા કાળ સુધી તું કયાં રહી હતી ? પત્ની ખેલી : તમે કેાઈ નવા પુરુષ છે. રાવણના ઘરેથી લાવેલા સીતા રાણીને શુ' રામે રાખી નથી ? શ્રીરામે પણ પેાતાની સ્ત્રી છ મહિના સુધી ખીજાના ઘરમાં રહી તે સહન કર્યું અને તમે તમારી સ્ત્રી એક ક્ષણુ પણ ખીજાના ઘરે રહે તે સહન કરવા સમર્થ નથી. ચમાર ખેલ્યા : શ્રીરામ શ્રીથી જિતાયેલા છે અને હું તેવા નથી, તેથી કેવી રીતે સહન કરું? આ પ્રમાણે સાંભળીને દુઃખથી અસ્વસ્થ થયેલા શ્રીરામે વિચાર્યું : મને ધિક્કાર છે. સ્ત્રી માટે હું નીચ માણસાના ધિક્કારને સાંભળું છું. સીતાજી નિશ્ચિત પતિવ્રતા છે, રાવણ દુરાચારી છે, મારા વ'શ નિષ્કલંક છે, હા! રામ શું કરે? આમ વિચારીને શ્રીરામે શ્રી લક્ષ્મણ સાથે એકાંતમાં વિચારણા કરી. શ્રીલક્ષ્મણે કહ્યું : લેાકેાના કહેવાથી મહાસતી સીતાજીના ત્યાગ ન કરો. કારણ કે લેાક સ્વભાવથી જ પરના દોષો ખેલવામાં રસિક હાય છે. રાજાએ તેવા લાઇને શિક્ષા કરવી જોઇએ. અથવા મહાત્માઓએ તેવા લેાકની ઉપેક્ષા કરવી જોઈએ. શ્રીરામ ખાલ્યા : તારું કહેવું સાચું છે. કારણ કે લેાક પ્રાયઃ એવા હાય છે. પણ જે વાત સલાકાથી વિરુદ્ધ હોય એના યશસ્વી પુરુષે ત્યાગ કરવા જ જોઇએ.
Page #334
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૫
આ પ્રમાણે નિશ્ચિત આજ્ઞાથી ખળાત્કારે શ્રીલક્ષ્મણને નિષેધ કરીને શ્રીરામે કૃતાંતવઇન નામના સેનાપતિને કહ્યું : અરે! સીતાજીને વનમાં મૂકી આવ. વળી સીતાજીને સમ્મેતશીખર તીર્થની યાત્રા કરવાના ઢહલેા ઉત્પન્ન થયા છે. આથી તે જ બહાનાથી તેમને ગંગા નદીના સામા કિનારે લઈ જા. કૃતાંતવને શ્રીરામને નમસ્કાર કરીને સ્વામીની આજ્ઞાથી શ્રીસીતાજીને રથમાં બેસાડ્યા. સમ્મેતશીખરની યાત્રા કરાવતા તેણે સીતાજીને ભયંકર જ*ગલમાં મૂકી દીધા, તેણે સીતાજીને કહ્યું : હે દેવી! લેાકાપવાદથી આપ જગલમાં મૂકાવાયા છે. હા હા ! સ્વામી વડે આ કાર્ય માં જોડાયેલા હું ખરેખર હણાઇ ગયા છું. આ પ્રમાણે સાંભળીને મૂર્છા પામેલા સીતાજી રથ ઉપરથી પૃથ્વી ઉપર પડી ગયા. ઘણા કાળ પછી સ્વસ્થ થઈને સીતાજીએ રામને ઉદ્દેશીને કહ્યું : જો તમને અજ્ઞાનજનાના અપવાદના ભય હતા તે લેાકેાની સમક્ષ મારી પાસે દિવ્ય કેમ ન કરાવ્યું? એકલી અને ગર્ભ વતી પત્નીને વનમાં મૂકી દીધી તે નિર્દયમાં નિર્દય કાય છે. આવું કાર્ય શુ આપના ફુલને ઉચિત છે ? તે પણ હું આ વનમાં પણ શુભ પુણ્યવતી થઈશ. શ્રીરામ અને શ્રીલક્ષ્મણુ દીર્ઘકાળ સુધી જય પામે. આ પ્રમાણે સેનાધિપતિને કહીને મહાસતીએ તેને રજા આપી. ખરતા આંસુએમાં તરતા તે સેનાધિપતિ સીતાજીને નમીને પાછા ગયા.
પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા પોતાના કર્મીની નિંદા કરતા અને ભય પામેલા સીતાજી ચૂથથી ભ્રષ્ટ બનેલી હરણીની જેમ વનમાં ભમવા લાગ્યા. હવે ત્યાં આવેલા વાધ રાજા સીતાજીને બહેન માનીને પુંડરીકનગરમાં આનંદથી લઈ ગયા. આ તરફ શ્રીરામે પેાતાના સેનાધિપતિ પાસેથી સીતાજીની વાત સાંભળી. સીતાના વિચાગથી થયેલા દુ:ખને સહન નહિ કરી શકતા શ્રીરામ તત્કાલ તે સેનાધિપતિની જ સાથે જંગલમાં ગયા. ત્યાં જાતે સીતાજીની બધા સ્થળે શેાધ કરી, પણ સીતાજીને જોયા નહિ. સીતાજી મૃત્યુ પામ્યા છે એમ માનીને ઘરે આવીને સીતાજી સંબંધી મૃતકા કર્યું.. પછી શ્રીરામ “સીતા સીતા” એમ સીતાજીનું ધ્યાન ધરતા સમય પસાર કરવા લાગ્યા. પછી સીતાજીએ ત્યાં યુગલ એ પુત્રને જન્મ આપ્યા. વજંઘ રાજાએ તેમના જન્માત્સવ પેાતાના પુત્રની જેમ કર્યા. તેમનાં અન‘ગલવણુ અને મદનાંકુશ નામ રાખ્યાં. પણ તે બંને લવ અને કુશ એવા હુલામણા નામથી પ્રસિદ્ધ બન્યા. કલાસમૂહથી પૂર્ણ` બનેલા, યૌવનરૂપી લક્ષ્મીને પામેલા, મહાબાહુવાળા અને અતિશય મુશ્કેલીથી કાબૂમાં રાખી શકાય તેવા તે બંને ઈંદ્રના જેવા વીર બન્યા. વાજ ઘ રાજાએ પાતાની શિચૂલા નામની કન્યાને અને બીજી ત્રીસ કન્યાઓને અનંગલવણુની સાથે પરણાવી. અંકુશ માટે પૃથુ રાજાની કન્યા માગી, પૃથુ રાજાએ અંકુશના વંશની ખખર નથી એમ વિચારીને અકુશને કન્યા ન આપી. આ તરફ વાજ ઘની સાથે પૃથુ રાજાનું મહાન યુદ્ધ થતાં ક્રોધ પામેલા લવણુ ૧. અહીં કવિએ કલ્પના કરી છે કે એટલા બધા આંસુએ ખર્યા કે જેથી તે તે આંસુઓમાં તરવા લાગ્યા.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શીલપદેશમાલા ગ્રંથનો અને અંકુશે પૃથુના સૈન્યને ભાંગી નાખ્યું. નાસી જતા પૃથુ રાજાને લવણ અને અંકુશે તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યું : સુવંશમાં ઉત્પન્ન થયેલા તમે અજાણ્યા વંશમાં ઉત્પન્ન થયેલા અમારાથી કેમ નાસી જાઓ છે? પાછા વળીને પૃથુ રાજાએ કહ્યું : શૌર્યથી તમારું કુલ જાણી લીધું. પછી વાજંધ રાજાની સાથે સંધિ થઈ ગઈ. આ તરફ છાવણીમાં સર્વ રાજાઓ બેઠા હતા ત્યારે ત્યાં નારદ આવ્યા. વાઘ રાજાએ નારદને નમીને કહ્યું : હે મુનિ : પૃથુ રાજા અંકુશને કન્યા આપવા ઈચ્છે છે. તેથી લવણ અને અંકુશને વંશ કહે, જેથી તે પણ સંતોષ પામે. નારદે હસીને કહ્યું આ બેના કુળને કોણ નથી જાણતું? રાવણને વધ કરવામાં કુશળ શ્રીરામ અને લક્ષમણ તેમના અનુક્રમે પિતા અને કાકા છે. લોકાપવાદના ભયથી શ્રીરામે આ બે સીતાજીના ગર્ભમાં હોવા છતાં સીતાજીને ગીચ જંગલમાં છોડી દીધા. અંકુશ બેલ્ય: હે નારદજી! તેમણે આ સારું નથી કર્યું. વિચાર્યા વિના માત્ર લેકેના કહેવાથી આ કરવું એ તેમના માટે યોગ્ય ન ગણાય. લવે પૂછયું કે જ્યાં તે બે રાજાએ છે તે નગરી અહીંથી કેટલી દૂર છે? નારદે જવાબ આપ્યો : અહીંથી તે નગરી એકસે સાઠ ભેજન દૂર છે. હવે પૃથુરાજાની કનકમાલા નામની પુત્રીને અંકુશની સાથે પરણાવીને જ જંઘ રાજા પોતાની નગરીમાં ગયે.
હવે મામાને અને માતાને પૂછીને લવણ અને અંકુશ માતાને ત્યાગ કરવાના કારણે થયેલા ક્રોધથી સેનાની સાથે અધ્યા તરફ ચાલ્યા. ક્રમે કરીને અમેધ્યાની પાસે જઈને તે બંને યુદ્ધ માટે તત્પર બન્યા. આ સાંભળીને શ્રીરામ અને શ્રીલક્ષમણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે આવ્યા. યુદ્ધનું સંઘર્ષણ થતાં બલવાન લવણ અને અંકુશ રામના સૈન્યને લાચાર બનાવી દીધું. હવે તે બંને શ્રીરામ અને શ્રીલક્ષમણની સાથે લડવા લાગ્યા. ગુસ્સે થયેલા શ્રીલક્ષમણે કુશ ઉપર ચક્ર ફેંકયું. ચક જખમ રહિત અંકુશને વેગથી પ્રદક્ષિણા કરીને જેમ પૂર્વે કરેલાં કર્મો કર્તાને અનુસરે તેમ લક્ષમણની પાસે પાછું આવ્યું. ખિન્ન બનેલા શ્રીરામ-લક્ષમણે વિચાર્યું કે શું પૃથ્વી ઉપર આ બે બલદેવ-વાસુદેવ છે? આપણે બલદેવ-વાસુદેવ નથી? આ દરમિયાન ભામંડલની સાથે નારદમુનિ ત્યાં આવ્યા. તેમણે ખિન્ન બનેલા રામ-લક્ષમણને હસીને આ પ્રમાણે કહ્યું છે રઘુવંશના પુત્રો ! તમે હર્ષના સ્થાને શેક કેમ કરો છો ? પિતાના પુત્રથી થયેલ પરાજય કેના ચિત્તને આનંદ ન પમાડે? સીતાજીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા આ બે તમારા જ પુત્ર છે. યુદ્ધના બહાને તમને જોવા માટે આવ્યા છે, પણ શત્રુ નથી. કુશ ઉપર ફેંકેલું ચક્ર સમર્થ ન બન્યું એ જ આનું ચિહ્ન છે. કારણ કે ચક્ર સ્વત્ર વિના બીજે ક્યાંય નિષ્ફલ બનતું નથી. હવે શ્રીરામ-લક્ષમણ જાતે પુત્રવાત્સલ્યથી હર્ષપૂર્વકલવણ-અંકુશની પાસે વેગથી ગયા. વિનીત એવા તે બે પણ જલદી રથ ઉપરથી ઉતરીને શ્રીરામ-લક્ષમણને નમ્યા. તેમણે આદરપૂર્વક તે બંનેના મસ્તક સંધ્યા. તેથી તે વખતે બંને સૈન્ય હર્ષમય બની ગયા. રામે પુષ્પક વિમાનમાં બેસીને મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો.
Page #336
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૭ હવે લક્ષમણ, સુગ્રીવ, વજ અંધ અને બિભીષણથી વિનંતિ કરાયેલ શ્રીરામે સીતાજીને હર્ષથી જલદી તેડાવી. સીતાજી અયોધ્યા પાસે આવ્યા એટલે લક્ષમણ સામે ગયા. શ્રીલમણે ભાભીને નમીને કહ્યું : હે દેવી! ઘણુ કાળ પછી હવે આપ પ્રવેશ કરીને નગરીને પવિત્ર બનાવે. સીતાજી બોલ્યા : શુદ્ધિ કર્યા વિના મારે આ અપવાદ શાંત નહિ થાય. જ્યાં સુધી મારે આ અપવાદ શાંત નહીં થાય ત્યાં સુધી હું નગરીમાં અને ઘરમાં પ્રવેશ નહિ કરું. મેં પાંચ દિવ્ય સ્વીકાર્યા છે. તે આ પ્રમાણે જવાળાએથી યુક્ત અગ્નિમાં પ્રવેશ કરું, અથવા મંત્રેલા ચખાઓનું ભક્ષણ કરું, અથવા તપાવેલા લોઢાના રસનું પાન કરું, અથવા ત્રાજવા ઉપર ચઢે, અથવા જીભથી તપાવેલા લેઢાની કેશને ચાટું. આ પાંચમાંથી તમે કહે તે દિવ્ય કરું. આ સાંભળીને શ્રીરામ પણ ત્યાં આવ્યા. સીતાજીના અતિ આગ્રહને વશ બનેલા શ્રીરામે અગ્નિદિવ્યને માન્ય કર્યું. શ્રીરામે ત્રણસો હાથ લાંબા-પહોળે અને બે પુરુષપ્રમાણુ ઊંડો ખાડો ખોદાવ્યો. ચંદનના કાષોથી એ ખાડે પૂરાવ્ય. અગ્નિ પ્રદીપ્ત બને અટલે સરળ ચિત્તવાળા સીતાજીએ પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને આ પ્રમાણે વિનંતિ કરી : હે લેકપાલે ! સાંભળે, જે મેં શ્રીરામ વીના બીજા કેઈ પુરુષને મનમાં ધારણ કર્યો હોય તે મને અગ્નિ બાળી નાખે, અન્યથા આ અગ્નિ પણ મારા માટે અમૃતકુંડ જેવો બની જાઓ. આ પ્રમાણે કહીને અને અરિહંતનું સ્મરણ કરીને સીતાજીએ અગ્નિમાં ઝંપાપાત કર્યો. સતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો એટલે તુરત અગ્નિ બુઝાઈ ગયે અને ખાઈ ક્રીડા કરવાના જલથી પૂર્ણ વાવ બની ગઈ. શીલના પ્રભાવથી જલના મધ્યભાગમાં સહસ્ત્રદલ કમલરૂપ શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન સીતાજી જાણે મનુષ્ય દેહ ધારણ કરનારી લક્ષમીદેવી હોય તેમ શોભા પામ્યા. દેવોએ સીતાજીના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મનુષ્યએ અહ શીલ! અહ શીલ! એ પ્રમાણે પ્રશંસા કરી. માતાના પ્રભાવને જોઈને લવણુ અને અકુશ જલદી રાજહંસની જેમ તરતા માતા પાસે જઈને માતાના ચરણોમાં નમ્યા. લક્ષમણ વગેરેએ સીતાજીને ભક્તિથી નમસ્કાર કર્યા. શ્રીરામ પણ સીતાજીની પાસે આવીને અંજલિ જેડીને બોલ્યા : હે દેવી! જંગલમાં ત્યાગ કરવા છતાં તમે સ્વપ્રભાવથી જીવ્યા એ જ મેટું દિવ્ય હતું, પણ મેં તે જાણ્યું નહિ. તે બધું માફ કરીને પુષ્પક વિમાનમાં બિરાજમાન થાઓ, અને પિતાના ઘરે ચાલે. હે ભદ્રા! પૂર્વની જેમ આ રાજ્યલક્ષમીને સફલ કરે. સીતાજી બોલ્યા : આમાં તમારે દેષ નથી, લેકેનો પણ કેઈ દેષ નથી. કિંતુ જીવને પૂર્વ કર્મોને વિપાક સહન કરે પડે છે. હવે પછી આવા સંસારવાસથી મારે સર્યું. હવે હું સંસારના ઉછેર માટે મહાફલવાળા ચારિત્રને આશ્રય લઈશ. પછી સીતાજીના ચારિત્ર સ્વીકાર નિમિત્તે ઘણી સંપત્તિને વ્યય કરીને ઉત્સવ થયે. સીતાજીના કેશ ફલેશથી છુટવા માટે શ્રીરામે જાતે લીધા. ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને સીતાજી અશ્રુત (=સમા) દેવલેકમાં ઈંદ્રપણું પામ્યા. શ્રીરામ પણ કેમે કરીને શુકલધ્યાનથી કર્મોને નાશ કરીને મોક્ષમાં ગયા. [ ૧૦૮]
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શીલપદેશમાલા ગ્રંથને મહાસતીનું લક્ષણ કહે છે -
जा सीलभंगसामग्गि-संभवे निच्चला सई एसा ।
इयरा महासईओ, घरे घरे संति पउराओ ॥ १०९ ॥ ગાથાર્થ - શીલભંગની સામગ્રી હોવા છતાં, એટલે કે એકાંત સ્થાન, પરપુરુષને પ્રેમ, પરપુરુષની મેહથી કામની પ્રાર્થના વગેરે સંકટ આવવા છતાં, જે સ્ત્રી પોતાના શીલની રક્ષામાં અત્યંત આગ્રહવાળી હોય તે સ્ત્રી સતી=મહાસતી કહેવાય છે, બીજી મહાસતીઓ તે, એટલે કે સંકટમાં ન પડી હોય અને એથી શીલ પાલનમાં તત્પર હોય તેવી સ્ત્રીઓ તે, ઘર ઘરમાં ઘણું છે.
ટીકાથ: આ વિષે કહ્યું છે કે, “સંકટમાં પણ શીલથી યુક્ત હોય તેવી સ્ત્રીઓ વિરલ છે. હમણાં તો સ્ત્રીઓ પ્રાય: પરપુરુષે કામની પ્રાર્થના ન કરી હોય તેથી જ પતિવ્રતા છે.” [૧૯] આમ શીલપાલન દુષ્કર લેવાથી શીલરક્ષાને ઉપાય કહે છે -
तहवि हु एगंताई-संगो निच्चपि परिहरेअव्यो ।
जेण य विसमो इंदिय-गामो तुच्छाइँ सत्ताई ॥ ११० ॥ ગાથાર્થ-જે કે શીલપાલન દુષ્કર છે, તે પણ શીલ પાળવાને ઈચ્છતા મનુષ્ય એકાંતમાં (સ્ત્રીઓને ) સંગ વગેરેને સદા ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઇન્દ્રિયોનું રક્ષણ દુષ્કર છે અને સત્ત્વ (કચિત્તની દઢતા) અલપ જ છે.
ટીકાથ - આથી પોતાના સંબંધવાળી પણ (બહેન વગેરે) સ્ત્રીઓની સાથે એકાંતમાં સંગને ત્યાગ કરે જોઈએ. કહ્યું છે કે-“પુરુષે માતા, બહેન કે પુત્રીની સાથે એકાંતમાં બેસવું નહિ. કારણ કે બળવાન ઈન્દ્રિય વિદ્વાનને પણ ઉમાર્ગમાં ખેંચી જાય છે. ” [૧૧]. પિતે નિર્દોષ હોય તે પણ (એકાંતમાં) સંગ કરવાથી થતા બીજા દૂષણને બતાવે છે –
जइवि हु नो वयभंगो, तहवि हु संगाओं होइ अववाओ ।
दोस निहालणनिउणो, सव्वो पायं जणो जेण ॥ १११ ॥ . ગાથાથે - જે કે (એકાંતમાં) સંગ કરવાથી સરળ મહાત્માઓને વ્રતભંગ થતો નથી, તે પણ અપવાદ (=દોષારોપણ) તો જરૂર થાય. કારણ કે મોટા ભાગના લોકે બીજાના દે જોવામાં હોંશિયાર હોય છે
Page #338
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૯
ટીકા:- આ વિષે કહ્યું છે કે-જેનાથી પેાતાના દાષાને જુએ એવી એક પણ આંખ લેાકેા પાસે નથી, બીજાના દોષ જોવામાં લાખા આંખા ઉત્પન્ન થાય છે,?' વળી બીજી' “જે કાળમાં દોષો પણ ગુણા તરીકે હૃદયમાં વસતા હતા તે કાળ ગયા. હમણાં તે લેાકેાના ગુણા પણુ દેષા થાય છે, અર્થાત્ ગુણા પણ દોષ તરીકે દેખાય છે.” [૧૧૧]
હવે ફૂલ બતાવવાપૂર્વક શીલના ઉપદેશના ઉપસંહાર કરે છે ઃ
सो सहाव सीलमि, उज्जमं तह करेह भो भव्त्रा ।
जह पावेइ लहुच्चिय, संसारं तरिय सिवसुक्खं ।। ११२ ।।
ગાથા: – હે ભવ્યેા ! તેથી (=શીલપાલન વિના મેાક્ષ મળતેા ન હાવાથી) શીલમાં મન-વચન-કાયાની શુદ્ધિથી તેવી રીતે ઉદ્યમ કરી કે જેથી જલદી સંસારને તરીને મેાક્ષસુખને પામે.
ટીકા :- અહીં હું પુરુષા ! કે હે સ્ત્રીએ ! એમ વિશેષ શબ્દથી સખાધન ન કરતાં હે ભવ્યા ! એમ સામાન્ય શબ્દોથી સોધન કર્યું' છે તે પુરુષ અને સ્ત્રી એ અન્ને શીલપાલનથી જ મેાક્ષ પામે છે એમ જણાવવા માટે કર્યું છે, તથા હે ભવ્યા ! એવા સ.ખાધનથી એ પણ જણાવ્યુ છે કે- ભવ્ય જીવા જ ઉપદેશને ચેાગ્ય છે. અભવ્ય જીવાને હિતકર પણ પ્રવચનતત્ત્વના ઉપદેશ હૃદયમાં વસતા નથી. જિનાગમમાં કહ્યુ` છે કેમિથ્યાદૃષ્ટિ જીવ જિને ઉપદેશેલા પ્રવચનની (=શાસ્ત્રની) શ્રદ્ધા કરતા નથી અને ઉપદેશેલા કે નહિ ઉપદેશેલા અસત્ય પદાર્થોની શ્રદ્ધા કરે છે.” [૧૧૨]
હવે ગ્રંથકાર સ્વગ ના ત્યાગ કરવાપૂર્વક શીલમાં પ્રવર્તાવનાર અને શીલભ'ગથી રાકનાર અનેક ઉપદેશે.ની પર પરાનેા ઉપસ`હાર કરે છે -
इय सीलभावणाए, भावंतो निच्चमेव अप्पाणं ।
धन्नो धरिज्ज बंभ, धम्ममहाभवण थिरथंभं ॥ ११३ ॥
ગાથાથ :- પૂર્વોક્ત ઉપદેશની શ્રદ્ધાપૂર્વક હંમેશાં જ શીલભાવનાથી આત્માને ભાવિત કરતા, અર્થાત્ શીલપાલન માટે પેાતાના આત્માને દૃઢ કરતા, ધન્ય જીવ ધર્મરૂપી મહામહેલના આધારભૂત સ્તંભ સમાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે.
ટીકા :– આનાથી ગ્રંથકાર એ જણાવે છે કે- પુણ્યશાળી જીવા જ શીલ ધારવાને માટે સમર્થ બને છે, નહિ કે મારા જેવા પાપી. સંગરૂપ દ્વેષમાં પણુ પુણ્યશાળીએ શીલને પાળે જ છે. વિશિષ્ટ શીલની કસેાટીના તેવા પ્રસંગ ન આવ્યા હાય તા પણ શીલવતાના શીલની શ્રદ્ધા કરવી જેઈએ. આ વિષે. ધનશ્રી સત્તીનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે:
૪૨
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શીલપદેશમાલા ગ્રંથને ધનશ્રી સતીનું દષ્ટાંત લક્ષમીના આશીર્વાદ સમાન ઉજજયિની નામની નગરી હતી. તે નગરીના ઘરે ઉપર રહેલા કળશે જાણે કલ્યાણના પુજ હોય તેવા જણાતા હતા. તે નગરીમાં પ્રતાપી જિતશત્રુ નામને રાજા હતા. તેના બાહરૂપી સ્તંભમાં લક્ષમી પૂતળીની જેમ લીન બની હતી. તે નગરીમાં સાગરચંદ્ર નામને શેઠ હતે. ચંદ્રશ્રી નામની તેમની પત્ની હતી. જેમ સમુદ્ર ચંદ્રથી હર્ષ (=વૃદ્ધિ) પામે છે તેમ તેનું ચિત્ત પુણ્યથી ઉલ્લાસ પામતુ હતું. તે બેને જેનું વચનરૂપી અમૃત સ્વીકારવા યોગ્ય છે તે સમુદ્રદત્ત નામને પુત્ર હતે. તેને કલાસમૂહના શિક્ષણ માટે ઉપાધ્યાયને સેં. એક દિવસ તેણે માતાને ઉપાધ્યાય સાથે આસક્ત બનેલી જોઈ. આથી સ્ત્રી પ્રત્યે વિરક્ત બનેલા તેણે લગ્ન ન કરવાનો મનમાં અભિગ્રહ કર્યો. યૌવનમાં રહેલા તેના લગ્ન માટે પિતાએ વય અને કુળને અનુરૂપ સેંકડે કન્યાઓ શોધી, પણ જેમ સાધુ લક્ષમીને નિષેધ કરે તેમ તેણે સર્વ કન્યાઓનો નિષેધ કર્યો. આ પ્રમાણે વિરક્ત એવા તેને મેગીની જેમ સમય પસાર થવા લાગ્યું.
એકવાર તેના પિતા વ્યવહારના કામ માટે સૈરાષ્ટ્રદેશમાં ગયા. ત્યાં ગિરિપુરનગરમાં ધન નામના સાર્થવાહના ઘરે રહ્યો. સારી રીતે જાણવામાં આવેલી ધનની પુત્રી ઘનશ્રીનું સમુદ્રદત્ત માટે માંગુ કરીને સાગરચંદ્ર શેઠ પિતાના ઘરે આવ્યો. તેણે સમુદ્રદત્તને કહ્યું: હે પુત્ર! ગિરિપુરમાં મારાં કરિયાણું છે. તે કરિયાણ તું જઈને લઈ આવ. પોતાનું ઈષ્ટ કરવાની ઈચ્છાથી શેઠે તેના મિત્રને વિવાહ સંબંધી સર્વ વૃત્તાંત એકાંતમાં જણાવ્યું. પિતાને ઉચિત પષાકથી શોભા કરીને અને ઘણાં વાહને લઈને સમુદ્રદત્ત મિત્રની સાથે ગિરિપુર તરફ ચાલે. જેમ પુણ્યવાન પુરુષ પોતાના ઈષ્ટને પામે તેમ તે ગિરિપુરના ઉદ્યાનમાં આવ્યું. મિત્રોએ ધનશેઠને સમુદ્રદત્તનું આગમન જણાવ્યું. ધનશેઠ પણ વિવાહની બધી સામગ્રી તૈયાર કરીને પરિવાર સહિત સમુદ્રદત્તને આમંત્રણ આપીને પોતાના ઘરે લઈ ગયે. ધનશેઠે કપટથી સમુદ્રદત્તની સાથે ધનશ્રી પુત્રીનું લગ્ન કરાવીને તુષ્ટિદાનથી જમાઈને હર્ષ પમાડ્યો. જેની સર્વ ઉચિત ક્રિયા મિત્રોએ કરી છે એવો તે સમુદ્રદત વાસગૃહમાં (=શયનગૃહમાં) ગયે. જેમ શિયાળ પાણી જોઈને પાછો ફરે તેમ તે ધનશ્રીને જોઈને પાછો ફર્યો. આવીને મિત્રોની સાથે સૂતે. પ્રભાત થતાં વડીનીતિના બહાનાથી તે જંગલમાં પલાયન થઈ ગયે. મિત્રોએ આ વિગત ધનશેઠને જણાવી. સસરા વિગેરેએ બધા સ્થળે તપાસ કરી પણ જમાઈનો પત્તો લાગે નહિ. આ સાંભળીને સાગરચંદ્ર શેઠ જલદી ત્યાં આવ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને પિતાના નગરમાં પાછા ગયા.
બાર વર્ષ પછી વધી ગયેલ દાઢી-મૂછવાળે અને પુછશરીરવાળે સમુદ્રદત્ત ભિક્ષુકેની સાથે ગિરિપુર આવ્યું. ઘરના બગીચામાં રહેલા ધનસાર્થવાહને તેણે કહ્યું: પગાર વિના હું તમારે ઉદ્યાનપાલક થાઉં. શેઠે તેને સ્વીકાર કર્યો. વૃક્ષ સંબંધી આયુર્વેદ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩૧
ગુજરાતી ભાવાનુવાદ શાસ્ત્રમાં કુશળ તેણે કામ કરીને તે ઉદ્યાનને દેવોના ઉદ્યાન સમાન મનોહર બનાવી દીધું. તે ઉદ્યાનની સર્વ ઋતુઓના ફળથી સુશોભિત સમૃદ્ધિને જોઈને આનંદથી પૂર્ણ બનેલા ધનસાર્થવાહે મનમાં આ પ્રમાણે વિચાર્યું - આવી કળાનું પાત્ર આ આવા કાર્યમાં
ગ્ય નથી, શું ચિંતામણિ બકરીના ગળાનું આભૂષણ બનવાને ગ્ય છે? પછી તેને દુકાનના વેપારમાં જોડ્યો. વેપારની કળાથી ત્યાં પણ તેણે પ્રજાને પિતાને વશ બનાવી દીધી. બધાના વિશ્વાસનું પાત્ર અને લક્ષમીને વશ કરવા માટે ઔષધતુલ્ય તે વિનીતક એવા નામથી બધે પ્રસિદ્ધ બન્ય. આને સર્વગુણવાળો જાણીને રાજા લેભથી એને સ્વીકાર ન કરે એ માટે ધનશેઠે એને ઘરનાં સર્વ કામ કરવાની આજ્ઞા કરી. ઈચ્છિત સર્વ કાર્યોને કરતા તેને ધનશેઠ પુત્રથી પણ અધિક માનવા લાગ્યા. ગુણ કેને માન આપતા નથી? સર્વ કાર્યોમાં લાયક હોવાથી અને વિનીત હોવાથી તે ક્રમે કરીને સતી ઘનશ્રીને પણ વિશ્વાસનું પાત્ર બને.
એક દિવસ ઝરુખામાં રહેલી ધનશ્રીને કેટવાળે ઈ. આથી કામથી અત્યંત પીડાયેલ તે વિશ્વને ધનશ્રીમય જેવા લાગ્યું. તેણે જાણ્યું કે વિનીતક સદા ધનશ્રીની પાસે રહે છે, આથી કામુક તેણે વિનીતકને દૂત કાર્ય કરવા માટે પ્રાર્થના કરીને ધનશ્રી પાસે મેકલ્યો. તેણે પણ અવસર જાણીને ધનશ્રીને તે વૃત્તાંત કહ્યો. ઉત્તમ વસ્તુને લેવાની ઈચ્છાવાળા ધૂત માણસો કઈ ચેષ્ટા કરતા નથી ? મસ્તક ધુણાવતી સતી ઘનશ્રીએ તેને કહ્યું : હે વિનીતક! ઘણું કાળથી તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે, પણ આ કાર્યથી તું શત્રુથી પણ અધિક ભયંકર છે. કારણ કે તું મારા શીલરૂપી માણેક રત્નને દૂષિત કરવાને ઈચ્છે છે. માતા-પિતાએ બધાની સાક્ષીએ મને જે સમુદ્રદત્ત આપે છે તે જ મન-વચન-કાયાથી મારો પતિ છે. ગુપ્તહર્ષવાળા વિનીતકે ફરી ધનશ્રીને કહ્યું : જેમ કૃપણ માણસ ધનને નિરર્થક ગુમાવે છે તેમ તું જન્મને નિરર્થક કેમ ગુમાવે છે? અનુરાગવાળી પણ તને છેડીને જે ચાલ્યો ગયો છે અને જેને પતો મળતો નથી, તેના માટે જન્મ હારી જવ એ મને નિરર્થક જણાય છે. ધનશ્રી બેલી મને વારંવાર આ સંભળાવત તું વિનીતા હોવા છતાં અવિનીત છે. જેમ જલબિંદુઓથી યુક્ત હેમંતત્રતુને પવન કમલિનીને પ્રતિકૂળ છે તેમ તું મને પ્રતિકૂળ છે. કુલીન સ્ત્રીઓ માટે આ લોકમાં અને પરલોકમાં શીલ જ પ્રાણુ છે. શીલ નષ્ટ થતાં જીવતો પણ પ્રાણી મરેલા જેવો છે. એક આ શીલ ન જાઓ; કારણ કે શીલ હશે તે બીજું બધું થશે=મળશે. કંદ સાબૂત હોય તે વેલડીના પલ્લવની ઉત્પત્તિમાં કઈ સંદેહ રહેતું નથી. તું ઘણા કાળથી પરિચિત હોવાથી હમણુ તને જીવતો છોડી દઉં છું, પણ જે ફરી આ પ્રમાણે બોલીશ તે તને સર્વ પ્રકારે શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ધનશ્રીથી તિરસ્કાર કરાયેલ વિનીતક
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શીલપદેશમાલા ગ્રંથન ધનશ્રીના ચરણોમાં પડીને બોલ્યો : મારે આ અપરાધ માફ કર. તારો પતિ આ સમુદ્રદત્ત કોણ છે તે મને કહે. ધનશ્રીએ કહ્યું ઃ ઉજજયિની નામની મહાનગરમાં સાગરચંદ્ર શેઠ છે. તેને આ પુત્ર છે. તે ગુણોની ખાણ છે. જેમ સમુદ્ર રત્નોનું સ્થાન છે તેમ તે કલાઓનું સ્થાન છે. વિનીતક બોલ્યો : તે તારા ગુણેથી પ્રસન્ન થયેલા હું તારા પતિને જ્યાં ત્યાંથી શોધીને લઈ આવીશ. આ પ્રમાણે કહીને તે ત્યાંથી નિકળી ગયે. ધનશ્રીના ઉજજવલ શીલને વિચારતા તેણે જેમ જ્ઞાની ગર્વને છેડી છે તેમ “શ્રીએ દુરશીલવાળી હોય છે” તેવા આગ્રહને મૂકી દીધો. ઉજજયિની જઈને તેણે માતા-પિતાના મનને આનંદ પમાડ્યો. તેના પિતાએ ધનશેઠને તેનું આગમન જણાવ્યું. માતા-પિતા અને સસરે તેને ફરી જન્મ પામેલો માનવા લાગ્યા. બંને સ્થળે વધામણીના મહોત્સવ થયા. ધનશ્રીને ઘણી સમૃદ્ધિથી લઈ જવાની ઇચ્છાવાળો સમુદ્રદત્ત જલી ગિરિપુરનગરમાં ગયો. જેમ ભેગી ભવરૂપી સમુદ્રના કાંઠાને જોઈને આનંદ પામે તેમ જમાઈને જોઈને બધા એકદમ આશ્ચર્ય પામ્યા અને હર્ષમય બની ગયા. સતી ધનશ્રી પણ કલંક રહિત શીલના પ્રભાવરૂપી અદભુત વૈભવથી આ લેક અને પરલોકમાં ઉત્પન્ન થયેલાં કલ્યાણકારી સર્વ સુખને ઘણુ કાળ સુધી પામી. [૧૧૩ ] હવે ગ્રંથસમાપ્તિમાં પિતાનું નામ નિર્દેશપૂર્વક મંગલ આશીર્વાદ આપે છે –
इइ जयसिंहमुणीसर-विणेयजयकित्तिणा कयं एयं ।
सीलोवएसमालं आराहिय लहह बोहिसुहं ॥ ११४ ॥ ગાથાથ:- હે ભવ્ય! આ પ્રમાણે જયસિંહસૂરિના શિષ્ય શ્રી જયકીર્તિ (સૂરિ)એ કરેલી આ શીલોપદેશમાલાને આરાધીને બોધિસુખને પામો.
ટીકાથ:- આ પ્રકરણના કર્તા આચાર્યશ્રી જયસિંહસૂરિના શિષ્ય શ્રી જયકીર્તિ (સૂરિ) છે, જયકીર્તિ એ નામનો અર્થ આ પ્રમાણે છે – જેમાં જય પ્રધાન છે એવી જે કીર્તિ તે જયપ્રધાન કીર્તિ. જયપ્રધાન કીર્તિ છે જેની તે જયકીર્તિ, અથવા જગતમાં કીર્તિ છે જેની તે 'જયકીર્તિ. સ્વ–પરને હિતકર ઉપદેશ આપનાર હોવાથી આ મહાત્માનું જયકીર્તિ એવું નામ સાર્થક ( =બંધ બેસતું) છે. તેમણે આગમમાં કહેલી ગાથાઓના અર્થને સંગ્રહ કરીને આ શીલપદેશમાલા રચી છે. શીલપદેશમાલા શબ્દનો અર્થ આ પ્રમાણે છે – શીલના સારવાળા જે ઉપદેશે તે શીલપદેશ. શીલપદેશની માલા=શ્રેણિ તે શીલપદેશમાલા, અથવા માલા એટલે પુપોની માળા જેવી માળા. જેમ પુષ્પમાળા સર્વ જીવોના ઉત્તમ અંગ કંઠે ધારણ કરવા લાયક છે તેમ આ શિલપદેશમાલા પણ કંઠે ધારણ કરવા લાયક છે. શીલપદેશમાલાને આરાધીને એટલે તેમાં કહેલા ઉપદેશને
૧. સંસ્કૃતમાં ગતિ એ શબ્દ થાય. પ્રાકૃતમાં કાત્તિ થાય. ગુજરાતીમાં જયકીર્તિ શબ્દ થાય.
Page #342
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩૩ સ્વયં પાળીને કે શ્રોતાઓને તેને ઉપદેશ આપીને. બેધિસુખ એટલે સમ્યક્ત્વથી પરંપરાએ પ્રાપ્ત થતું મોક્ષસુખ. કારણ કે મોક્ષસુખ જ સર્વ શ્રેષ્ઠ, શાશ્વત, દુખથી રહિત, વિકાર ( ફેરફાર) વિનાનું, સંપૂર્ણ અને મંગલનું મૂળ છે. [૧૧૪]
આ પ્રમાણે શીલપદેશમાલા નામનું પ્રકરણ પૂર્ણ થયું. તે પૂર્ણ થતાં તેની શીલતરંગિણ નામની આ ટીકા પૂર્ણ થઈ
ભાવાનુવાદકારની પ્રશસ્તિ - પૂજયપાદ આચાર્યદેવશ્રી જયકીર્તિસૂરિ વિરચિત અને પુજયપાદ આચાર્યદેવશ્રી મતિલકસૂરિ કૃત શીલતરંગિણી ટીકા સહિત શીલપદેશમાલા ગ્રંથને સિદ્ધાંતમહેદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાર્થપરાયણ પ. પૂ. આચાર્યદેવશ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરિએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ વિ. સં. ૨૦૪૬ના પિષ માસમાં દહેજગામમાં શરૂ થયું અને તે જ વર્ષના જેઠ માસમાં
ભરુચનગરમાં એની સમાપ્તિ થઈ.
Titlltil"
Page #343
--------------------------------------------------------------------------
________________
પેજ પંક્તિ અશુદ્ધ
શુદ્ધ પેજ પંક્તિ અશુદ્ધ જે | ૧૭૧ ૩૪ સગારે
સાગરે 33 ८ क છે [ ૧૮૦ ૧૩ કહ્યા.
કહ્યો. ૩૮ ૧૪ જાણીને જણાવીને | ૧૮૨ ૩૧ પ્રરતુતમાં
પ્રસ્તુતમાં ૩૮ ૩૦ ચંદ્રમાં ચંદ્રમાં ૧૮૮ ૧૨ કિમણને
ફિમણને ૪૨ ૨૩ છે
૧૯૩ ૨ સતેથી ચેકસથી ૪૩ ૧૦ જતેની સાંકળે જ તેની સાંકળે ૧૯૪ ૩૧ સ્ટીવ
क्लीव इव ૪૪ ૮ જણાવો
જાણુ ૨૨૮ ૮ બાજુ બને બાજુ બંધોને ૪૮ ૬ ચારિત્રધારી ચારિત્રધારી. | ૨૨૯ ૨૧ લાગ્યું
લાગ્યું. ૪૮ ૧૯ છે?
| ૨૪૮ ૬ નદયંતીને
નંદયંતીને ૫૪ ૨૧ ,એ
| ૨પર ૨૬ જણાત અને જણાતો ૭૮ ૭ યૌવન
યુવાન | ૨૫૩ ૯ ઉદ્યાન ક્રીડાને ઉદ્યાનક્રીડાને ૮૫ ૨૩ દંદુભિનાદ દુંદુભિનાદ | ૨૫૫ ૭ શૈભી
શેભી. ૯૮ ૩ હતા, હતી, ૨૫૭ ૨૨ દારિદ્રતા
દરિદ્રતા ૯૮ ૨૯ ભાવો
૨૫૭ ૨૬ ના
सो ૧૦૫ ૨૫ શ્લેરછ | ૨૫૮ ૧૦ ગયા
ગયા. ૧૦૯ ૨૫ ગુરુને
ગુરુએ ૨૬૦ ૧૮ લાગી ૧૧૬ ૮ કટાળેલી કંટાળેલી ૨૬૪ ૫ માટે
મારે ૧૧૬ ૧૧ અંદેશને આદેશને ૨૬ ૬ ૧૭ સ્વયંવરમાં
સ્વયંવરમાં ૧૨૯ ૧૦ કરીએ
કરીએ. ૨૬૭ ૨૧ ઊચા १३० २७ रहनेमि मुणंपि रहनेमिमुणंपि ૨૬૭ ૨૫ હતો
હતો. ૧૩૦ ૩૨ નેમિનાથના નેમિનાથના | ૨૬૮ ૩ હલાવતી
હલાવતી. ૧૩૪ ૧૭ ને
| ૨૬૮ ૪ કાઠે
કાંઠે ૧૩૫ ૧૯ કામુદી
કૌમુદી | ૨૬૮ ૧૦ પૂછુ ૧૩૯ ૧૯ સુમંગલા
સુમંગલા | ૨૬૯ ૧૯ તેમ ૧૩૯ ૨૬ વકચૂલ વંકચૂલ ૨૭૦ ૨૮ જે જે
જેજે ૧૪૩ ૧૭ દુનથી
| ૨૭૩ ૨૬ ઉતર્યો ૧૫૪ ૧૩ મુકીને
મુકીને ૨૭૩ ૨૯ લગા. ૧૫૮ ૪ કર્યા
૨૭૫ ૨૯ વસ્ત્રીરહિત
વસ્ત્રરહિત ૧૫૮ ૨૨ ઋષભરવામિનેષભસ્વામિને ૨૭૮ ૨૪ અધિક
અધિક ૧૬૩ ૨૯ અજના અંજના ૩૦૦ ૨૫ શ્રાવકના
શ્રાવકનાં ૧૬૬ ૪ રૂપવાવાળા
રૂપવાળા ૩૦૨ ૨૩ બીજો કોઈ બીજા કોઈને બીજા કોઈને ૧૭૧ ૨૫ પવનંજયનઃ પવનંજયના | ૩૦૮ ૨૦ મંત્રી
મૈત્રી
લાગી.
ઊંચા
જેમ
દુનયથી
ઉતાર્યો
ગયા,
કર્યા.
Page #344
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી મ.ના સંપાદિત–અનુવાદિત–લેખિત ગ્રંથો
કમ
#
$ $
+ $
5
૧૨. ૧૩,
ગ્રંથ
સાઇઝ
વિષય યોગશાસ
મૂળાકે જ્ઞાનસારે તરવાથી
ગુજરાતી સાથે સૂત્ર ધમબિંદુ
ક્રાઉન ૧૬ પેજ પંચસૂત્ર વીતરાગ સ્તોત્ર પચાશક
સંપૂર્ણ ટીકાને ભાવાનુવાદ ભવભાવના
મૂળકને હારિભકીયઅષ્ટક ફૂલ્સકેપ ૧૬ પછી જ્ઞાનસાર પ્રશમરતિ તત્ત્વાથ
કાઉન ૧૬ વિસ્તૃતવિવેચન નિત્ય ઉપયોગી
શ્રાવકને ઉપયોગી સાધના સંગ્રહ
વિષયોને સંગ્રહ માતા-પિતાની સેવા
વિવેચન મંત્રીની સાધના
વિવેચન સત્સંગની સુવાસ પ્રમોદ પુષ્પ પરિમલ સાધુ સેવા આપે મુક્તિ મેવા ગુરુતર વિનિશ્ચય કાઉન
સંપૂણ ટીકાનો ભાવાનુવાદ પંચવસ્તુક શ્રાવકનાં બાર વ્રતો યાને નવપદ પ્રકરણ શીલપદેશમાલા
પ્રાકૃત-સંસ્કૃત સિદ્ધહેમ વ્યાકરણ
સંસ્કૃત વ્યાકરણ (મધ્યમવૃત્તિ) પ્રદેશમધ
સંસ્કૃત ટીકા
૧૪, ૧૫. ૧૬. ૧૭,
૧૯.
૨૦,
૨૧.
૨૨.
૨૩, ૨૪.
૨૫.
Page #345
--------------------------------------------------------------------------
________________
Printed By: KANTILAL D. SHAH
at
"BHARAT PRINTERY" Newmarket, Panjarapole, Relief Rd. AHMEDABAD-1. Phone: 387964.
Page #346
--------------------------------------------------------------------------
________________ WWWM W WWW 1 ਚ , ਛਲਦ 1 ਹੋ 1 2 e . . ਣ ਦੇ .