Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy
Catalog link: https://jainqq.org/explore/008025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ goooooooooooooooooooooo સમણાં dodoooooooooooooooooooo જૈનધર્મસાર અનુવાદ મુનિશ્રી ભુવનચંદ્રજી Page #2 -------------------------------------------------------------------------- ________________ LALIT C. SHAH સમણd (જૈનધર્મસાર) સરળ ગુજરાતી અનુવાદ मोक्ष त्रय सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग । અનુવાદક મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકાશક જૈન સાહિત્ય અકાદમી પો બો ન ૧૪૫, ગાંધીધામ-કચ્છ - ૩૭૦ ૨૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMANSUTTAM (Religion) Representative tenets of Jainism, based on original scriptures known as AGAMSUTRAS, Gujarati translation by Munishri Bhuvanchandraj ] સસ્કૃત છાયા-પરિશોધન પડિત બેચરદાસ દોશી 0 પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી ૧૯૭૬ પ્રત ૫૦૦૦ યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા તરફથી ૫ કૈલાશચન્દ્રજી તથા મુનિશ્રી નથમલજીના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ અમૃતલાલ સવચદ ગોવાણી | બીજી આવૃતિ એપ્રિલ ૧૯૯૫ પ્રત ૧૨૫૦ મૂળ ગાથાઓ પરથી સરળ ગુજરાતી ગદ્યાનુવાદ મુનિ શ્રી ભુવનચદ્રજી પ્રકાશક જૈન સાહિત્ય અકાદમી પો બો ન ૧૪૫, એ/૪, જી આઈ ડી સી એરિયા ગાધીધામ-કચ્છ- ૩૭૦ ૦૦૧ ફોન નં ૨૦૩૯૧, ૨૧૯૯૧ મુદ્રક બોમ્બ પ્રિન્ટીંગ પ્રેસ પો બો ન ૧૪૫, એ-૪, જી આઈ ડી સી એરિયા, ગાધીધામ-કચ્છ ૩૭૦ ૦૦૧ ફોન નં ૨૦૩૯૧, ૨૧૯૯૧ 0 ટાઈટલ ડીઝાઈન સોફટ આર્ટ – ગાંધીધામ, 0 મૂલ્ય રૂા. ૧૦૦/ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અભ્યાસપ્રેરક, વિચારપ્રેરક એવા મૌલિક જૈન સાહિત્ય પ્રગટ કરવાના ઉદેશથી તેમજ એવી આનુસંગિક પ્રવૃત્તિઓના લક્ષ્યથી જૈન સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી અને ગાંધીધામના (કચ્છ મેરાઉ ગામના) શાહ ઈજીનીયરીગ ક ના સ્થાપકશ્રી દેવજીભાઈ ચાંપશી શાહ અને શ્રી નાનજીભાઈ ચાંપશી શાહ જેવા સનિષ્ઠ શ્રાવકોનો ઉદાર સહકાર અકાદમીને સાંપડ્યો માત્ર પારસ્પરિક કે ચીલાચાલુ સાપ્રદાયિક પ્રકાશનો પૂરતુ સિમિત લક્ષ્ય ન રાખતા સાંપ્રત સમય સાથે સુસંગત એવા ઉત્તમ અને પ્રેરક સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે પણ આ અકાદમી યોગ્ય પ્રવૃત્તિઓ કરવા ઈચ્છે છે. એ દિશામાં સદ્દગત મુનિશ્રી અમરેન્દ્ર વિજયજીનું પુસ્તક વિજ્ઞાન અને અધ્યાત્મનો Science Discovers Eternal Wisdom ના નામે અગ્રેજી અનુવાદ ૧૯૯૩મા પ્રગટ કર્યો (અંગ્રેજી અનુવાદક ડૉ જે ડી લોડાયા) જૈન સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથોના સંપાદન, પુનર્મુદ્રણો, અનુવાદો પ્રગટ કરીને જિજ્ઞાસુ વાચકો સુધી પહોચાડવાની આ અકાદમીની નેમ હતી જ. “સમણસુત્ત'ની ગુજરાતી આવૃત્તિ ઘણા લાબા સમયથી અપ્રાપ્ય હતી. આ ગ્રંથનું પુનર્મુદ્રણ થાય એવી ગાંધીધામના શ્રી નરશી કુંવરજી શાહની ભારે તીવ્ર આકાશા-જિજ્ઞાસા હતી. શ્રી માવજીભાઈ સાવલાએ અમારું આ તરફ ધ્યાન દોરતા અને આવા ગ્રથના પુનર્મુદ્રણનું ઐતિહાસિક મહત્વ દર્શાવતા અમે એ માટેની કાર્યવાહી હાથ ધરી. યજ્ઞ પ્રકાશન સમિતિએ ગ્રંથના પુનર્મુદ્રણ માટેની પરવાનગી આપી એ બદલ એમના અમે આભારી છીએ યજ્ઞ પ્રકાશન સમિતિના શ્રી કાંતિલાલ શાહ આખો અનુવાદ નવેસરથી કરાવવાનું સૂચન કરતાં શ્રી માવજીભાઈ સાવલાએ આ અનુવાદ કાર્ય માટે પૂ મુનિશ્રી ભુવનચંદ્રજીનું નામ સૂચવ્યું અને એમણે મુનિશ્રીને અમારી વતીથી આગ્રહ કરતો પત્ર પણ લખ્યો આ રીતે મૂળ ગાથાઓ પરથી પૂ મુનિશ્રી ભુવનચદ્રજીએ કરેલ આ સરળ ગુજરાતી અનુવાદ આજે વાચકો સમક્ષ અમે મૂકી શક્યા છીએ યજ્ઞ પ્રકાશન સમિતિના શ્રી કાંતિલાલ શાહના અમે ખાસ ઓભારી છીએ ગ્રંથના મુદ્રણ દરમિયાન પૂ. મુનિશ્રી વિહારમાં જ્યાં જ્યાં III Page #5 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યાં ત્યા કાળજીપૂર્વક અને સમયસર એમને પ્રફસ પહોચાડી આપવાની જવાબદારી મુંબઈના શ્રી દિનેશ લખમશી દેઢિયાએ ભાવના પૂર્વક પાર પાડી એ માટે અમે એમના ખાસ આભારી છીએ. પૂ. સા. શ્રી પૂર્ણકલાશ્રીજી મ.ની નિશ્રામા પૂ. સા. શ્રી દિવ્યદર્શિતાજીએ સુંદર હસ્તાક્ષરે પ્રેસ કોપી તૈયાર કરી આપી એ બદલ અમે એમના અનુગ્રહિત છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી માવજીભાઈ સાવલાએ ખૂબ જહેમત ઉઠાવેલ છે અને ખૂબ ચીવટપૂર્વક બધી કામગીરી સુપેરે પાર પાડેલ છે. હકીકતમાં આ પુસ્તક આપના હાથમાં આવવાનું મુખ્ય ધ્યેય શ્રી માવજીભાઈ સાવલાને ફાળે જાય છે. અને તે માટે શ્રી માવજીભાઈ સાવલાના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ભવિષ્યમાં પણ તેમની પાસેથી એવો જ સહકાર મળતો રહેશે તેની અમને ખાત્રિ પૂ મુનિશ્રી ભૂવનચંદ્રજીએ આવું દુષ્કર કાર્ય ચોકસાઈ પૂર્વક અને પ્રસન્નતાપૂર્વક કરી આપ્યું અને અમે મુનિશ્રીની અમારા ઉપરની તેમજ જિજ્ઞાસુ વાચક વર્ગ ઉપરની કૃપા સમાન જ લેખીએ છીએ જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ કીર્તિલાલ એચ. વોરા જેઠાલાલ ટી. ગાલા હરીશ ડી. ખોના ધનપતિ બી. નાગડા ટ્રસ્ટીઓ v Page #6 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથઆયોજનની ભૂમિકા ગુજરાતીમાં ‘સમરસત્તનું પ્રકાશન ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતીના ગાળામાં કરવા ધાર્યું હતું પરંતુ અનેક મુશ્કેલીઓ આડે આવી પણ એ બધી અહી ગણાવવી નથી તીવ્ર આકાલા અને પ્રબળ પુરુષાર્થના સયોગમાંથી જ મોટા કામ સધાતા હોય છે સમાણસુત્ત ગ્રંથના સર્જન પાછળ આવો જ એક ઈતિહાસ પડેલો છે, એ બધો ઈતિહાસ વિગતે તો અહી આપી શકાય તેમ નથી, છતા સંક્ષેપમા એની રજૂઆત ન કરીએ તો મહત્ત્વનાં તથ્યો ગુજરાતી વાચકો સમક્ષ આવ્યા વગર જ રહી જાય એમ બને વિનોબાજી ગાંધીજી તરફ આકર્ષાયા તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તે હશે જ, પરંતુ વિનોબામાં પોતામાં પણ એક સમન્વય-દષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય-શોધક અને જેને ભગવાન મહાવીરે સત્યાગ્રહીતા કહી છે તેવી મનોવૃત્તિ પડેલી હતી, અને તે જ એમને એ ક્ષેત્રમાં લઈ જવામાં મહદ્ અંશે કારણભૂત હતી આ વૃત્તિના સહજ પરિણામસ્વરૂપ વિશ્વના તમામ મહાન ધર્મોના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વત. વિશ્વના સર્વ ધર્મ સમાન છે એવી એમની સમજમાથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતા પ્રવચનો, જપુજી, ધમપદ, ભાગવતધર્મસાર, તાઓ ઉપનિષદ્ વગેરે અનેક ગ્રંથો મળ્યા આ ધર્મ-સારમાળામાં એક મહત્ત્વનો મણકો ખૂટતો હતો જૈન ધર્મીઓના બધા જ પંથોને માન્ય એવો જૈન-ધર્મ-સાર આપવો અઘરો હતો આ આવશ્યકતા એ બધા પંથોના ધર્મગુરુઓને સમજાય અને વળી એવી કોઈ વિદ્વદ્ વિભૂતિ આગળ આવી એ કામ માથે લે તે જરૂરી હતુ. વિનોબાજીની આવી સદ્-વાસના ફળે એમા કાળ-પુરુષને પણ રસ હશે ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મ જયંતીનું આગમન, વિકસિત સમાજચેતના, અને વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલા વિનોબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા–આ ત્રણના યોગે આ ગ્રંથના અવતરણ માટેની ભૂમિકા રચી આપી બ્રહ્મચારી વર્ણીજી જેવા તપસ્વી વિદ્વાનના મનમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ વિનોબાની વાત વસી વર્ણીજીની અખૂટ ધીરજ અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રથને સભવિતતાની ક્ષિતિજમાં આણી દીધો પ્રારંભિક સકલન વજીએ કર્યું તે “જૈન ધર્મ સાર”ના નામે પ્રકાશિત કરવામાં આવ્યું એની હજારેક નકલો જૈનધર્મી તેમ જ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનોને મોકલવામાં આવી. જે બધા સુધારા અને સૂચનો આવ્યા તેનો આધાર લઈને બીજું સંકલન શ્રી દલસુખભાઈ માલવણિયાએ કર્યું સત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ હુકુમીચદ ભારિë ઘણી ગાથાઓ સૂચવી ઉદયપુરવાળા ડૉ કમલચંદજી સોગાણીએ પણ અનેક સૂચનો કર્યા આ તમામનું અધ્યયન કરીને વર્ણીજીએ ત્રીજું સંકલન કર્યું તે “જિણધમ્મ”ના નામે છપાયુ જૈન ધર્મીઓની છેલ્લી બે હજાર વરસોમા થઈ નહોતી તેવી સગીતિનું આહુવાન કરવામાં આવ્યું એમાં જૈનધર્મના તમામ સંપ્રદાયોના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકોની હાજરી હતી એ સગીતિ સમક્ષ “જિણધ...” સકલન રજૂ થયું. દિલ્હીમાં મળેલી એ સગીતિનું અધિવેશન બે દિવસ સુધી ચાલ્યુ કુલ બાર બેઠકો થઈ. ચાર બેઠકોમાં ચાર આમ્નાયોના મુનિઓ અધ્યક્ષપદે વારાફરતી બેઠા-મુનિશ્રી સુશીલ કુમારજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી , તથા ઉપાધ્યાય મુનિશ્રી વિદ્યાનંદજી ચાર બેઠકોને આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી ધર્મસાગરજી, આચાર્યશ્રી વિજયસમુદ્રસુરિજી તથા આચાર્યશ્રી દેશભૂષણજીના આશીર્વાદ પ્રાપ્ત થયા ગ્રથનુ અંતિમ પ્રારૂપ ચારે અધ્યક્ષોની સહાયતાથી શ્રી જિનેન્દ્ર વર્ણિજીએ તૈયાર કર્યું આમ જે સકલન તૈયાર થયું તે અતિમ અને સર્વમાન્ય છે અને શુદ્ધ અને પરિપૂર્ણ બનાવવામા મુનિશ્રી નથમલજી તથા શ્રી દલસુખભાઈ માલવણિયાજીનો હાથ વિશેષરૂપ છે. ડૉ એ એન ઉપાધ્ય, ડૉ. દરબારીલાલજી કોઠિયા વગેરે વિદ્વાનોએ પણ ઘણી મદદ કરી છે ગાથાઓની શુદ્ધિમાં પડિત કેલાશચંદ્રજી શાસ્ત્રી, પડિત બેચરદાસજી દોશી અને મુનિશ્રી નથમલજીએ ભારે પરિશ્રમ કર્યો છે પંડિત બેચરદાસજીએ એક એક શબ્દને ચકાસીને સંસ્કૃત છાયાનું સંશોધન અને પરિમાર્જન કર્યુ છે આ બધા વિદ્વાનોના પુરુષાર્થોને પ્રેરવામાં અને પછી એમને પોઈને એક સંપૂર્ણ માળા રચવામાં સૂત્રરૂપે પૂ. વિનોબાજીનું પ્રત્યક્ષ તથા પરોક્ષ માર્ગદર્શન આરભથી અંત સુધી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરતાં પણ સંકોચ થાય છે, છતાં અનિવાર્ય કર્તવ્યરૂપે અહી કરીએ છીએ VI Page #8 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલનના પ્રવર્તક શ્રી તુલસીજી અને ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજીએ સૌને ઉત્સાહિત કરી કામને આગળ વધારવામા મદદ કરી છે. સાહુ શાંતિપ્રસાદ જૈન, એમનાં પત્ની શ્રીમતી રમારાણી જૈન તથા શ્રી પ્રભુદયાલ ડાભડીવાળા વગેરેએ પણ સંગીતિને સફળ બનાવવામાં કીમતી સહકાર આપ્યો છે ઉપાધ્યાય કવિરત્ન અમર મુનિજી, મુનિશ્રી યશોવિજયજી વગેરેએ પણ આ પ્રયાસોનું સમર્થન કર્યુ અને અનેક સૂચનો આપી મદદ કરી. સર્વ સેવા સંઘના શ્રી રાધાકૃષ્ણ બજાજ, કૃષ્ણદાસ મહેતા અને જમનાલાલ જૈન તથા માનવમુનિજી વગેરેએ પોતપોતાની રીતે ઘણી મદદ કરી છે. વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન તરફથી સ્યાદ્વાદ જૈન મહાવિદ્યાલયમાંથી સેકડો ગ્રંથોની મદદ લેવાઈ છે. આ બધાની પાછળ રહેલ ક્ષીણકાય પરંતુ આત્મ-પ્રકાશી બ્ર॰ જિનેન્દ્ર વર્ણીજીની અદ્ભુત મહેનતનો ઉલ્લેખ ફરી કર્યા વગર આ પૂરુ ન કરાય પૂ. વિનોબાજીની પ્રેરણા એમના દિલને અડી ગઈ અને એમણે કામ માથે લીધુ એમનો આભાર ફરી ફરીને માનવાનું મન થાય છે. (ગુજરાતી પ્રથમ આવૃત્તિના ‘પ્રકાશકીય’માથી તારવીને.) VII For Private Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકીયા જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે, ભૂગોળ બદલાય છે અરે , ખગોળ પણ બદલાય છે આ બધાની વચ્ચે ન બદલાય એવી એક વસ્તુ છે અને તે છે ધર્મ ધર્મ એટલે પદાર્થનો-વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહજ ગુણ, અર્થાત્ કુદરતના કાનૂન, એ તો સનાતન જ હોય. ધર્મની બીજી પણ એક વ્યાખ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, આચારસહિતા, જીવનના માર્ગદર્શક સિધ્ધાંતો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, અઢી હજાર વર્ષ પહેલા કે બસો-પાંચસો વર્ષ પહેલા અહિંસા, સત્ય, પ્રેમ, સયમ, નમ્રતા જેવા જીવન- મૂલ્યોની જેટલી મહત્તા કે સત્યતા હતી એટલી જ આજે છે, અને બે-પાંચ હજાર વર્ષ પછી પણ એ રહેશે. સત્ય હંમેશાં સત્ય જ રહે છે, પ્રેમ કે કરુણા ભૂતકાળમાં જેટલા શાતાદાયક હતા એટલાં જ આપે છે. સયમની જરૂર હમેશા રહેવાની. ધર્મ આજે પણ પ્રસ્તુત છે, કારણ કે ધર્મ શાશ્વત છે, ધર્મના રૂપ અને પ્રકાર અનેક છે, વ્યાખ્યાઓ વિવિધ છે. ઉપનિષદની ઉક્તિ છે . સદ્ વિપ્રા વહુઘા વનિત્ત- એક જ સત્યને જ્ઞાનીઓ વિવિધ રૂપે વદે છે. જૈન તત્વચિંતકો વસ્તુના અનંત ધર્મોની વાત કરે છે આ પૃથ્વી ઉપર જગતસ્વરૂપની તાત્ત્વિક વ્યાખ્યાઓ ભિન્ન ભિન્ન રૂપે થતી આવી છે. તત્ત્વચિંતકો કોરી તત્ત્વચર્ચા જ નથી કરતા, તેને અનુસરતી કોઈ જીવનચર્યા પણ પ્રબોધતા હોય છે. આમ, ચર્ચા અને ચર્યા – બને ભૂમિકાએ જુદા જુદા દષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મપરંપરાઓ વિકસી જૈન ધર્મ આવી પ્રાચીન ધર્મપરપરાઓમાંની એક પરંપરા છે એ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો ધર્મ નથી ભગવાન મહાવીર તો આ પરંપરાના અંતિમ તીર્થકર હતા, જેમણે અઢી હજાર વર્ષ પૂર્વે ધર્મની ફરી એકવાર વ્યાખ્યા કરી. જૈન પરંપરાનું ધર્મદર્શન તથા ધર્મજીવન પોતાની આગવી ભાત ધરાવે છે. તત્ત્વચર્ચામાં તે અનેકાતની ઉદાર દષ્ટિ અપનાવે છે તો જીવનચર્યામા એ આંતર-બાહ્ય શુદ્ધિનો દઢ આગ્રહ રાખે છે. કોઈ પણ કથનમાં અને કોઈના પણ કથનમાં રહેલા સત્યાંશોને સ્વીકારવાની હિંમત અનેકાંત દષ્ટિમાં છે. એવી રીતે, માનવ કર્તવ્યની, જીવનવિકાસની અને મુક્તિસાધનાની વિવિધ ભૂમિકાએ ઊભેલી VILI Page #10 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ માટે તેમની ભૂમિકાને સુસંગત આદર્શો અને તેના સાધક ઉપાયોનું વિગતવાર તથા વ્યવહારુ આયોજન પણ આ ધર્મપરંપરા પાસે છે ભારતના અર્વાચીન ઋષિ શ્રી વિનોબાજીને ભગવાન મહાવીરની અનેકાંતદષ્ટિ ગમી ગઈ હતી વિવિધ ધર્મનો સાર રજૂ કરતાં “ખ્રિસ્તીધર્મસાર', “કુરાનસાર” વગેરે પુસ્તકો તેમની પ્રેરણાથી તૈયાર થયાં 'સમણસુરં’ નામનો પ્રસ્તુત ગ્રંથ પણ તેમની પ્રેરણાથી જ અસ્તિત્વમાં આવ્યો આ ગ્રંથનું સંકલન કરવા માટે જૈનોના બધા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકઠા થયા, અને તે વિનોબાજી જેવા “અ-જૈન' સંતની પ્રેરણાથી, એ અનેકાંતવાદની સમન્વયશક્તિની પ્રતીતિ કરાવતી આ સદીની નેત્રદીપક ઐતિહાસિક ઘટના હતી. જૈન તત્ત્વદર્શન, જૈન ધર્મજીવન અને ભગવાન મહાવીરના ધર્મબોધનો પ્રમાણભૂત અને સારભૂત પરિચય આપતો આ ગ્રંથ અનેક રીતે વિશિષ્ટ છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવાનો મોકો મને મળ્યો તેને હું મારું મોટું સદભાગ્ય સમજું છું. અનુવાદના નિમિત્તે આ ગ્રંથનો વિશેષ લક્ષ્યપૂર્વક સ્વાધ્યાય કરવાનું બન્યુ ને એ દરમ્યાન, ધર્મની કોઈ કોઈ વાતનો નવો મર્મ હાથ લાગવાની ક્ષણોમાં જે અપાર્થિવ આનંદે હૃદયને રોમાંચિત કર્યું તેણે આ લેખનકાર્યને મારા માટે વરદાનરૂપ સિધ્ધ કરી દીધું પરંતુ આ બધાની પાછળ ખરેખરા નિમિત્ત તો છે સ્વાધ્યાયનિષ્ઠ, જ્ઞાનોપાસક શ્રી માવજીભાઈ સાવલા તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક મટીને તત્ત્વના ગવેષક બની ગયેલા શ્રી માવજીભાઈના સૂચન અને આગ્રહવશ મે આ કાર્ય હાથમાં લીધું દરેક તબક્કે તેમની વ્યવહારુ, અભ્યાસપૂર્ણ અને મૂલ્યવાન સલાહ મળતી રહી. અનુવાદને સાધંત તપાસી જઈને ભાષાકીય દષ્ટિએ અને મુદ્રણની દષ્ટિએ મઠારવાનું કામ પણ તેમણે પ્રેમભાવે કર્યું છે હું જાણું છું કે આભારની ઔપચારિકતા તેમને નહિ ગમે. આ શ્રુતારાધનામાં તેમનો સંગાથ મને મળ્યો એનો આનંદ જ માત્ર અહી વ્યક્ત કરુ છું હવે આ અનુવાદ અગે જૈન-જૈનેતર કોઈ પણ સામાન્ય વાચક જૈન ધર્મનું આવું પુસ્તક પહેલીવાર વાંચતો હોય તેને આનું વાંચન સુગમ લાગે, રસ જળવાઈ રહે અને પ્રેરણાદાયી નીવડે એ રીતે અનુવાદ કરવાનો પ્રયત્ન મે કર્યો છે. અપરિચિત પારિભાષિક શબ્દોનો ઉપયોગ શક્ય એટલો ઓછો થાય એવી કોશીશ કરી છે. એવા શબ્દો વાપરવાની જરૂર જણાઈ ત્યા એ શબ્દોના સરળ અર્થ Page #11 -------------------------------------------------------------------------- ________________ કૌસમાં અથવા ગાચાર્યની નીચે અલગ દર્શાવ્યા છે એવી જ રીતે, જ્યા આવશ્યકતા જણાઈ ત્યા ગાથાનો ભાવાર્થ કે સ્પષ્ટીકરણ ગાથાની નીચે આપ્યા છે. “સમણસુત્ત મા જે જે પ્રાચીન આગમ આદિ ગ્રંથોમાથી ગાથાઓ લેવામાં આવી છે તે મૂળ ગ્રથો, અનુવાદ કરતી વખતે જોવાનું શક્ય નથી બન્યું. અલબત્ત, સંસ્કૃત છાયા તથા અગાઉના હિંદી-ગુજરાતી અનુવાદો ઉપયોગી થયા છે અનુવાદમાં ક્યાંય સદર્ભ, વિવરણ કે ભાવાર્થમાં કચાશ જેવું અભ્યાસીઓને જણાય તો તેઓ કૃપયા જરૂર જણાવે. ગ્રંથના અંતે અકારાદિવિષય સૂચિ અને પારિભાષિક શબ્દકોષ નવાં તૈયાર કરીને આપ્યાં છે. શબ્દકોશમાં આ અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોના વ્યાપક અને લોકભોગ્ય અર્થો જ આપ્યા છે. આ અનુવાદના પ્રકાશન માટે જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીગણે પ્રથમથી જ ઉત્સુકતા રાખી છે અને સારી એવી પ્રતીક્ષા પણ કરી છે તેમની ઉન્નત ભાવનાનું અને શ્રુતસેવાનું અનુમોદન કરું છું. જૈન ધર્મના બીજભૂત વિચારોને શાસ્ત્રીય ઢબે અને સુસકલિત સારાશરૂપે સમજવા માટે આ ગ્રંથ જૈનો તથા જૈનેતરોને એકસરખો સહાયક બને એવો છે. જૈન ધર્મદર્શનના એક પાઠયપુસ્તકરૂપે આ ગ્રંથનો વ્યાપક ઉપયોગ થાય અને વધુને વધુ લોકો ભગવાન મહાવીરના ધર્મમાર્ગથી પરિચિત થાય એ જ મંગળ કામના – મુનિ ભુવનચંદ્ર દેવલાલી આસો સુદ ૫ વી. નિ. ૨૫૨૦ તા. ૯-૧૦-૯૪ રવિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ વિનોબાજી જોગ મુનિઓનો પત્ર અણુવ્રત વિહાર માર્ગ, વીર-નિર્વાણ તિથિ ૨૪-૧-૨૫૦૧ '૭૪ ભદ્રપરિણામી, ધર્માનુરાગી શ્રી આચાર્ય વિનોબાજી, આપના સમભાવપૂર્ણ ચિતન અને સામયિક સૂચનને ધ્યાનમાં લઈ ‘જૈન ધર્મ સાર' અને પછી એનુ નવું સ્વરૂપ ‘જિણધમ્મ'નું સંકલન કરવામાં આવ્યું. એમાં નેિન્દ્રકુમાર વર્ણીજી તથા અનેક વિદ્વાનોનો યોગ રહ્યો. સર્વ સેવા સંઘ તથા શ્રીરાધાકૃષ્ણ બજાજના અથાક પરિશ્રમ અને પ્રયત્નના ફળ સ્વરૂપ સમાયોજના થઈ સંગીતિમાં ભાગ લેનાર તમામ મુનિઓ અને વિદ્વાનોએ ચિતનનુ અનુમોદન કર્યુ અને સમગ્ર જૈન-સમાજ-સમત એવા ‘સમણસુત્તે' નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણવર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યુ. તા ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૪ના રોજ સંગીતિ થઈ તેમા એ ગ્રંથનુ પારાયણ કરવામાં આવ્યું. એમાં આચાર્યો, મુનિઓ અને વિદ્વાનોની સલાહ, સમીક્ષા અને સમાલોચનાત્મક દૃષ્ટિકોણ જાણવા મળ્યા છેવટે ગ્રંથના પરિશોધનનો ભાર મુનિઓ પર છોડવામા આવ્યો અને સાથે વર્ણીજીની મદદ પણ આપવામા આવી મુનિઓ એક અઠવાડિયાના ગાળામાં કેટલીયે વાર ભેગા મળ્યા અને ચિતનપૂર્વક ગ્રંથનું પરિશોધન કર્યુ. આનાથી અમને પૂરો સંતોષ થયો છે. હવે અમે ઈચ્છીએ છીએ કે આ ગ્રંથનુ આપ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરો અને ‘ધમ્મપદ’નો ક્રમ ગોઠવ્યો છે તે પ્રમાણે આની પણ યોજના કરો એ ઉપરાંત કોઈ સૂચન હોય તો તે પણ કરશો. અમને સૌને તેથી મોટી પ્રસન્નતા થશે સંગીતિની વિભિન્ન બેઠકોના અધ્યક્ષગણ - મુનિશ્રી વિધાનન્દજી - મુનિશ્રી જનકવિજયજી XI For Private ૨૧૦, દીનદયાલ ઉપાધ્યાય નવીદિલ્હી, દિનાક ૭-૧૨ Personal Use Only - મુનિશ્રી સુશીલકુમારજી – મુનિશ્રી નથમલજી જીનેન્દ્રવર્ણીજી ગ્રન્થ સંકલનકર્તા - (પ્રથમ આવૃત્તિમાથી ઉધૃત) Page #13 -------------------------------------------------------------------------- ________________ સમાધાન મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનુ, જે કદાચ સર્વોત્તમ છે, તે આ વર્ષે પ્રાપ્ત થયુ. મે જૈનોને કેટલીય વાર વિનતિ કરી હતી કે જેમ વૈદિક ધર્મનો સાર ગીતાના સાતસો શ્લોકોમાં મળે છે, બૌદ્ધોનો ધમપદમા મળે છે તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જોઈએ. પણ જૈનો માટે આ અઘરું હતું. કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રંથ છે. બાઈબલ લો કે કુરાન લો, ગમે તેટલો મોટો ગ્રંથ હોય, પણ એક જ છે. પણ જૈનોમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ બે ઉપરાંત તેરાપંથી, સ્થાનકવાસી એમ ચાર મુખ્ય પથ અને બીજા પણ પંથો છે. અને ગ્રંથો તો વીસપચીસ જેટલા છે. મે એમને વારંવાર કહ્યું કે તમે લોકો, મુનિઓ ભેગા બેસી ચર્ચા કરો અને જૈનોનો એક ઉત્તમ સર્વમાન્ય ધર્મસાર રજૂ કરો. છેવટે વર્ણાજી નામના “પાગલ”ના મનમા એ વાત વસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન પરિભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જૈન ધર્મ સાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું એની એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનોને પણ મોકલી. એ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જોડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણધર્મો' પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રંથ પર ચર્ચા કરવા માટે એક સગીતિ મળી. એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાનો અને શ્રાવકો મળી લગભગ ત્રણસો જેટલા લોકો ભેગા મળ્યા અનેકવાર ચર્ચાને અને એનું નામ અને એનું રૂપ પણ બદલ્યાં છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સૂક્તમ્' જેને અર્ધમાગધીમાં સમણસુત્ત' કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જૈનોને ૭નો આકડો પ્રિય છે ૭ને ૧૦૮ વડે ગુણીએ તો ૭૫૬ થાય છે સર્વસંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચૈત્ર સુદ તેરસ ને વર્ધમાન જયંતીને દિવસે - ૨૪મી એપ્રિલે આ ગ્રંથ અત્યત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કરવો. જયતીને દિવસે જૈન ધર્મસાર જેનું નામ “સમણસુર” રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે હવે આગળ ઉપર જ્યા સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યા સુધી “જૈન-ધર્મ-સાર”નું અધ્યયન થતું રહેશે છેલ્લાં હજાર દોઢ હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક XII Page #14 -------------------------------------------------------------------------- ________________ બહુ મોટુ કાર્ય સંપન્ન થયુ એમાં બાબા નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાતરી છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે. હુ એ કબૂલ કરું છુ કે ગીતાની મારા ઊપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે એ આજ્ઞા છે—“સત્યગ્રાહી” બનો આજે તો જે આવ્યો એ “સત્યાગ્રહી” બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતો, પણ બાબા જાણતો હતો કે એ સત્યાગ્રહી નથી, “'સત્યાગ્રાહી "છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે અને તેથી માનવ-જન્મ સાર્થક થતો હોય છે, આમ તમામ ધર્મોમા, તમામ પથોમાં અને તમામ માનવોમા જે સત્યનો અશ છે તેને ગ્રહણ કરવો જોઈએ. ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી” એમ કહુ છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશોય ફરક દેખાતો નથી. બ્રહ્મવિદ્યામંદિર, પવનાર, વર્ધા, ૨૫-૧૨-'૭૪ રે ર મ દ ર ( ૪ / ૬,૨ હસ્તાક્ષર શ્રી વિનોબાજી (પ્રથમ આવૃત્તિમાથી ઉદ્ભૂત) XIII Page #15 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આ ગ્રંથ-“સમણસુત્ત'ની સકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે—– આત્મા અને પરમાત્મા તત્ત્વરૂપ આ બે સ્તભો પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યા છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તો વળી કેટલાક નિરીશ્વરવાદી. છે. ઈશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિનો કર્તા ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે સષ્ટિનો તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા વગેરે નામોથી ઓળખે છે આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટોનો નાશ કરે છે, સૃષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમા સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરપરા બીજી પરપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પોતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાનો સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમપદને પામી શકે છે. એ પોતે જ પોતાનો નિયામક અને સંચાલક છે. પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાંનો સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે આ જૈન પરપરા ટ્રકામાં “શ્રમણ સસ્કૃતિ”ને નામે ઓળખાય છે આ આધ્યાત્મિક પરંપરામાં બૌદ્ધ વગેરે ધર્મો પણ આવે છે, જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા બ્રાહ્મણ સંસ્કૃતિ'ને નામે ઓળખાય છે. પ્રાચીનતા કોઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હોવા માત્રથી એ શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું પણ જો કોઈ ધાર્મિક પરંપરા પુરાણી હોય, અને દીર્ઘ કાળ સુધી એ XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ સજીવ, સક્રિય અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં પ્રબળ પ્રેરક તેમ જ સહાયક નીવડી હોય તો એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાર્વકાલિક અને સાર્વભૌમિક તત્ત્વો રહેલા છે જૈન ધર્મ આચાર અને વિચાર બન્ને દષ્ટિએ બહુ પરાણો ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સસ્થાપક નહોતા એમના પહેલા બીજા પણ તીર્થકરો થઈ ગયા હતા, એમણે જૈન ધર્મની પુનર્સ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતા. એ ખરું કે જૈનધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોચ્યો નથી આમ છતા વિશ્લેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિઓ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિયો વિષે સ્વેદ, શ્રીમદ્ ભાગવત આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાં સંખ્યાબંધ ઉલ્લેખો મળી આવે છે જૈન-ઈતિહાસમાં ત્રેસઠ ‘શલાકા-પુરુષોનું વર્ણન આવે છે અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદીર્ઘ કાલખંડમા આ શલાકાપુરુષો જન્મે છે અને માનવ-સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મ-નીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે આ શલાકા-પુરુષોમાં ૨૪ તીર્થકરોનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણી કલ્પમા એના ચતુર્થ કાલખંડમા જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલા ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા એમને આદિનાથ, આદિબ્રહ્મા, આદીશ્વર વગેરે નામથી ઓળખવામાં આવે છે સૌથી છેલ્લા તીર્થકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પર થઈ ગયા તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર સમકાલીન હતા ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થકર પાર્શ્વનાથ થઈ ગયા એ વારાણસીના રાજા અશ્વસેનના કુવર હતા. બૌદ્ધ આગમોમાં મહાવીરનો ઉલ્લેખ નિર્ગઠનાતપુરના નામે મળે છે, જ્યારે પાર્થપરંપરાનો ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ તરીકે મળે છે મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરપરાના પ્રતિનિધિ હતા આમ જોવા જઈએ તો કાળના અનત અતૂટ પ્રવાહમાં ન તો ઋષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલ્લા હતા. આ તો અનાદિ અનંત પરંપરા છે કોણ જાણે કેટલીયે ચોવીસીઓ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે | સાસ્કૃતિક વિકાસની દષ્ટિએ જોતા દેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી આમ છતા વહેવારના ક્ષેત્રમાં તથા બન્નેના તત્ત્વજ્ઞાનમા આચારમા અને દર્શનમાં ચોખ્ખો ભેદ છે બન્ને સંસ્કૃતિઓ એકબીજાથી ખાસી પ્રભાવિત થઈ છે, બન્નેમાં આદાન-પ્રદાન પણ ખાસુ થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તો બન્નેની લગભગ એક સરખી જ રહી છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બન્ને સંસ્કૃતિના પરસ્પર XV Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનના અનેક દશ્યો જોવા મળે છે. એક જ કુટુબમાં જુદા જુદા વિચારવાળા લોકો પોત-પોતાની રીતે ધર્મસાધના કરતા હતા આજે જે જૈન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીનકાળમાં કોઈ વિશેષ નામ નહી હોય. એ ખરુ કે જૈન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતા જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિર્ચન્થ' અથવા ‘નિર્ચન્જ પ્રવચન' શબ્દ ચાલતો. એને ક્યાંક ક્યાંક આર્યધર્મ પણ કહ્યો છે. પાર્શ્વનાથના સમયમાં એને “શ્રમણધર્મ' પણ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ થઈ ગયા તેના સમયમાં આને “અહત ધર્મ” કહેતા હતા. અરિષ્ટનેમિ એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણના કાકાના દીકરા હતા. શ્રી કૃષ્ણ ગાયની સેવા અને ગોરસ-(દૂધ આદિ)નો જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તો અહિંસક સમાજરચના માટે થયેલો એક મગળ પ્રયાસ હતો બિહારમાં જૈન ધર્મ “આહત ધર્મના નામે પ્રચલિત હતો રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. ઈતિહાસમાં વખતોવખત નામો બદલાતાં રહ્યા હશે, પણ આ ધર્મ-પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાતબીજ તો આજે છે તેનું તે જ હતું— આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન - પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જૈનધર્મી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ શ્રમ, સમતા અને વિકાર-શમનનો સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલો જૈનધર્મનો અર્થ છે જિને ઉપદેશેલો અથવા જિને પ્રસારેલો કલ્યાણ માર્ગ “જિન” એને કહે છે જેમણે પોતાના દેહગત તથા આત્મગત એટલે અંદરબહારના વિકારો પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય આત્માના સૌથી પ્રબળ શત્રુ છે રાગ-દ્વેષ મોહાદિ વિકારો એટલે જિન' શબ્દનો એક વિશેષ અર્થ છે, એ કોઈ અમુક જાતિનું નામ નથી. આત્મોપલબ્ધિ-આત્માની પ્રાપ્તિ માટે જે “જિન”ના માર્ગે ચાલે છે તે જૈન છે. વીતરાગ-વિજ્ઞાનતા જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે વીતરાગ-વિજ્ઞાનતાની પ્રાપ્તિ આ જે વીતરાગવિજ્ઞાન છે તે મગળમય છે, મંગળ કરનારું છે અને એના જ પ્રકાશમાં ચાલી માણસ “અરહન્ત' પદને પામે છે આ વીતરાગતા સમ્યગ્દર્શન, જ્ઞાન અને XVI Page #18 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રરૂપી રત્નત્રયી સમન્વિત સાધનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણનો સમન્વિત પંથ જ માણસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જ મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જૈનધર્મનો સૌ પહેલો અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેકની આખો વડે સંસારને જોઈને એનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારો. વીતરાગતાની સામે મોટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે પ્રવૃત્તિ હો યા નિવૃત્તિ, ગાઉથ્ય હો યા શ્રામણ્ય, બને સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગયું છે. પરંતુ અનેકાન્ત દષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો રસ્તો હાથ નથી લાગતો. આ અનેકાન દષ્ટિ જ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી યથાર્થ અને નિવૃત્તિનું માર્ગદર્શન કરી શકે છે. અહિંસા જૈન આચારનું મૂળ અહિસા છે. આ અહિસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી કારણ, જૈન દષ્ટિએ માણસ હિંસા ન કરતો હોય છતાં હિસક હોઈ શકે છે, અને હિંસા કરતો હોય છતાં હિસક ન પણ હોઈ શકે આમ જૈનધર્મમાં હિસા-અહિસા કર્તાના ભાવ ઉપર આધાર રાખે છે, ક્રિયા ઉપર નહી. બહારથી થનારી હિસાને જ જો હિસા ગણી લઈએ તો કોઈ અહિંસક હોઈ જ ન શકે. કારણ કે જગતમાં સર્વત્ર જીવ વ્યાપી રહેલા છે અને નિરતર એમનો ઘાત થઈ રહ્યો છે માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એના ભાવોમાં અહિસા છે અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હોતી તેના ભાવમા હિસા છે, આમ એ હિસા ન કરતી હોય તો પણ હિસક છે આ બધુ પૃથક્કરણ અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી તેથી જેને અનેકાન્ત દષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ્દષ્ટિવાળો મનાયો છે અને સમ્યગ્દષ્ટિવાળો જ સમ્યજ્ઞાની તથા સમ્યક્ ચારિત્રશીલ હોઈ શકે. જેની દૃષ્ટિ સમ્યક્ નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી આને જ લીધે જૈન માર્ગમાં સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શનનું મહત્વ વિશેષ માન્યું છે મોક્ષમાર્ગનો પણ એ જ પાયો છે સસાર એક બંધન છે જીવ અનાદિકાળથી એમાં પડ્યો છે. એ પોતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બધનને જ પોતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે આ જે ભ્રમ છે તે જ એના બંધનનુ કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે ચડે છે ત્યારે જ એની દષ્ટિ પોતાના સ્વરૂપ ભણી જાય છે ત્યારે એને સમજાય છે કે હુ તો ચૈતન્યશક્તિ સંપન્ન છુ, ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શક્તિ એ મારુ XVII Page #19 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય છે. એ અનંત જ્ઞાન, અનત દર્શન, અનત સુખ અને અનત શક્તિનો ભડાર છે એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યક્ આચાર દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મનો આચારમાર્ગ સમ્યજ્ઞાન પૂર્વક વીતરાગતા સુધી પહોચવાનો રાજમાર્ગ છે અનેકાન્ત આ વિશાળ લોકમાં દેહધારી વ્યક્તિનુ વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાગી હોય છે વસ્તુના અનન્ત ગુણોનો સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, એને વ્યક્ત કરવાની વાત તો આવી જ રહી ભાષાની અશક્તિ અને શબ્દોના અર્થની મર્યાદા જ્યાં ત્યા ઝઘડા અને વિવાદ ઊભા કરે છે માણસનો અહમ્ એમાં ઉમેરો કરે છે, જ્યારે અનેકાન્ત સમન્વયનો અને વિરોધ-પરિહારનો માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યનો અશ સમજીએ તો વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પોતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણાનો આગ્રહ નથી હોતો એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠોને સારી રીતે ઉકેલી શકે છે. આમ તો દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યોતિ ત્યા છે, અને એનાથી જ એ પ્રકાશિત છે. આખો પર આગ્રહનો પાટો બાધેલો હોય ત્યાં સુધી વસ્તુસ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી અનેકાન્ત વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાનો ઉદ્ઘોષ કરે છે વિચાર-જગતમાં અહિસાનું મૂર્તરૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે. આજે જૈન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે મહાવીર ભગવાનની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવર્તી રહ્યું છે મહાવીર ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ-મુક્તિ ભણી લઈ જાય છે જ્ઞાનહીન કર્મ અને કર્મહીન જ્ઞાન બન્ને વ્યર્થ છે જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બન્ને ભેગા મળીને જ સાર્થક થઈ શકે છે. વસ્તુસ્વભાવ ધર્મ વત્થસહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે– આ વાત જૈન દર્શનની સૌથી મહત્ત્વપૂર્ણ દેણ છે સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવ પ્રમાણે વરતી XVIII Page #20 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે. એનું અસ્તિત્વ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુક્ત છે. પદાર્થ જડ હો યા ચેતન, પોતાના સ્વભાવમાથી હટતો નથી સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હોય છે. પર્યાય કરતા એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સંપૂર્ણ જૈન દર્શન ઊભું છે. અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લોક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. પદ્રવ્યોની સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક અનાદિ અનન્ત છે, એનો કર્તા ધર્તા કે નિર્માતા કોઈ વ્યક્તિ-વિશેષ અથવા શક્તિ વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તો સમાજમાં વિષમતા, વર્ગભેદ, વર્ણભેદ વગેરેનું સ્થાન રહેતું નથી. આવી હાલતમાં વ્યવહાર-જગતમાં મહાવીર જેવા વીતરાગ તત્ત્વદર્શી એમ જ કહે કે સમભાવ એ જ અહિસા છે અને મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે, સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તો અનુભવમાં વસે છે, બ્રહ્મની ચર્ચા એ જ બ્રહ્મચર્ય, કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પોથી બચાવી શકતાં નથી. દેવીદેવતાઓ કે પ્રકૃતિની વિભિન્ન શક્તિઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાનો પણ બચાવી શકતાં નથી આત્મ-પ્રતીતિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતા-નિજાનંદ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે. આ જ સાચુ સમ્યકત્વ છે મહાવીર સાચા અર્થમાં નિર્ગસ્થ હતા, ગ્રન્થિયો છેદીને એ દેહમા પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સર્વબોધગમ્ય, અમૃત વરસાવનારી વાણીનું ગૂજન વાતાવરણમાં છે શ્રાવકાચાર સાધના સૌ સોની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માર્ગના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. શ્રમણોના આચાર કરતાં શ્રાવકોનો આચાર સહેલો હોય છે. આનું કારણ એ છે કે એ લોકો ગૃહ-ત્યાગી નથી હોતા અને સંસારમાં રત રહે છે. આમ છતા શ્રાવક પોતાના આચાર પરત્વે બરાબર સાવધાન રહે છે એનું લક્ષ્ય શ્રમણાચારની દિશામાં આગળ વધવાનું હોય છે શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારો અને ક્રોધાદિ કષાયો પર કાબૂ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતો વધતો શ્રમણ-પંથ પર ડગ દેવા માંડે છે. બાર વ્રતોનું બરાબર પાલન કરતા કરતા ૧૧ શ્રેણીઓ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહોચી જાય છે. XLX Page #21 -------------------------------------------------------------------------- ________________ આમ જોવા જઈએ તો શ્રાવક-ધર્મ એ શ્રમણધર્મનો આધાર અથવા પૂરક ધર્મ છે જૈન ધર્મનો તમામ આચાર આત્મલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત, એક પછી એક એમ આગળ ને આગળ વિકાસનાં પગથિયા ઉપર લઈ જતી સંહિતા પ્રાપ્ત છે. જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવારની દૃષ્ટિએ આચાર-નિયમો ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામા બાહ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લોકમૂઢતા, દેવમૂઢતા અથવા ગુરુમૂઢતાને એમા જરા જેટલું પણ સ્થાન નથી અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તો બીજી બાજુ સમાજના સુસંચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે ગ્રન્થપરિચય સમણસુત્ત ગ્રંથમાં જૈન-ધર્મ-દર્શનની સારભૂત વાતોનું સક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યુ છે ગ્રંથમા ચાર ખડ અને ૪૪ પ્રકરણો છે ગાથાઓ કુલ્લે ૭૫૬ છે. ગ્રંથની સંકલના પ્રાકૃત ગાથાઓમા કરી છે આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા યોગ્ય છે. જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને સૂત્ર કહ્યાં છે. પ્રાકૃત ‘સુત્ત' શબ્દનો અર્થ સૂત્ર, સૂક્ત તથા શ્રુત પણ થાય છે જૈન પરપરામા સૂત્ર શબ્દ રૂઢ છે. તેથી ગ્રંથનુ નામ સમણસુત્ત (શ્રમણ સૂત્રમ્) રાખ્યુ છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથોમાંથી કરી છે. આમ આ સમણસુતં આગમના જેવુ સ્વત· પ્રમાણ છે. પહેલો ખંડ જ્યોતિર્મુખ છે એમા વ્યક્તિ “ખાઓ પીઓ ને મોજ માણો”ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આભ્યન્તર જીવનનું દર્શન કરે છે એ વિષયભોગોને અસાર, દુ:ખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સંસારના કારણ સમજી એનાથી વિરક્ત થાય છે. રાગદ્વેષને જ પોતાના સૌથી મોટા શત્રુ સમજી બધી રીતે એના પરિહારનો ઉપાય કરે છે, ક્રોધ, માન, માયા અને લોભને ઠેકાણે એ ક્ષમા, નમ્રતા, સરળતા, સતોષ વગેરે ગુણોનો આશ્રય લે છે. કષાયોનો નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઈદ્રિયોને સંયમિત કરે છે બધાં પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને એમનાં સુખ દુ ખને પોતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બૂજી પરિગ્રહનો યથાશક્તિ ત્યાગ કરે છે. પોતાની તથા બીજાની તરફ સદા જાગૃત રહે છે. અને યતનાચાર-પૂર્વક મોક્ષમાર્ગમા નિર્ભયતાથી વિચરણ કરે છે XX - For Private Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજો ખંડ મોક્ષમાર્ગ છે આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાઓ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર્યની અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે ઈષ્ટ-અનિષ્ટના તમામ દુક્કો સમાપ્ત થઈ જાય છે અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભોગો તરફથી વિરત થઈ પ્રશાત બને છે. ઘરમાં રહેતા હોય, તો પણ જળમાં કમળની જેમ રહે છે વેપાર, ધધો બધું જ કરતા હોવા છતા એ કશું જ કરતો નથી. શ્રાવક શ્રમણ ધર્મનો ક્રમશ. આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન-વૈરાગ્ય અને ધ્યાનની વિવિધ શ્રેણીઓને પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માગે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મુળ થઈ જાય છે , જ્ઞાનસૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનદ-સાગર ઊછળવા માંડે છે. દેહ છે ત્યા સુધી એ અહંન્ત અથવા જીવન્મુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં કલ્યાણ માર્ગનો પ્રચાર કરતો વિચરણ કરે છે. અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશ પામીને સદાને માટે આનંદસાગરમાં લીન થઈ જાય છે. ત્રીજો ખડ ‘તત્ત્વ-દર્શન'નો છે એમાં જીવ-અજીવ વગેરે સાત તત્ત્વોનું તથા પાપ-પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીવાત્મા, પુગલપરમાણુ વગેરે છ દ્રવ્યોનો પરિચય આપીને એના સંયોગ તથા વિભાગ દ્વારા વિશ્વસૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ અનન્તતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચોથો ખડ “સ્યાદ્વાદ'નો છે. ઉપર અનેકાન્તનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. જૈન દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે આ ખંડમાં પ્રમાણ, નય, નિક્ષેપ, અને સપ્તભંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયોનો હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. છેલ્લે વીરસ્તવનથી ગ્રંથ સમાપ્ત થાય છે આ ચાર ખંડોમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જૈનધર્મ, તત્ત્વદર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય. આમ તો જૈન-સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રંથ પ્રાપ્ત છે. સૂક્ષ્મ રીતે અધ્યયન કરવુ હોય તો એ બધા ગ્રંથોનો આધાર લેવો જરૂરી છે. પરતુ સાંપ્રદાયિક આગ્રહોથી પર મૂળરૂપમાં જૈનધર્મ સિદ્ધાંતનો, આચાર-પ્રણાલીનો અને જીવનના ક્રમિક-વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વસંમત પ્રતિનિધિક ગ્રંથ છે. જૈન જયતિ શાસનમ્. (પ્રથમ આવૃત્તિમાંથી ઉદ્ભૂત) XXI Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧-૧૬ જિનશાસનસૂત્ર ૧૭-૨૪ ૨૫-૩૧ ૩૨-૪૪ ૪૫-૫૫ ૫૬-૬૬ ૧. મગલસૂત્ર ૨ 3 સંઘસૂત્ર ૪. નિરૂપણસૂત્ર ૫. સંસારચક્રસૂત્ર ૬. કર્મસૂત્ર ૭. મિથ્યાત્વસૂત્ર અનુક્રમ પ્રથમ ખંડ : જ્યોતિર્મુખ ૮. રાગપરિહારસૂત્ર ૭૧-૮૧ ૨૧ સાધનાસૂત્ર ૨૨. વિવિધધર્મસૂત્ર ૨૩. શ્રાવકધર્મસૂત્ર ૨૪. શ્રમણધર્મસૂત્ર વ્રતસૂત્ર ૨૫. 20-03 દ્વિતીય ખંડ : મોક્ષમાર્ગ ગાથા ૧૯૨-૨૦૭ ૨૦૮-૨૧૮ ૧૬ . મોક્ષમાર્ગસૂત્ર ૧૭. રત્નત્રયસૂત્ર ૧૮ સમ્યગ્દર્શનસૂત્ર ૨૧૯-૨૪૪ ૧૯ સભ્યજ્ઞાનસૂત્ર ૨૪૫-૨૬૧ ૨૦. સમ્યકૂચારિત્રસૂત્ર ૨૬૨-૨૮૭ ૨૮૮-૨૯૫ ૨૯૬-૩૦૦ ૩૦૧-૩૩૫ ૩૩૬-૩૬૩ ૩૬૪-૩૮૩ ૯. ધર્મસૂત્ર ૧૦. સંયમસૂત્ર ૧૧ અપરિગ્રહસૂત્ર ૧૨. અહિસાસૂત્ર ૧૩ અપ્રમાદસૂત્ર ૧૪. શિક્ષાસૂત્ર ૧૫. આત્મસૂત્ર ગાથા ૨૬. સમિતિગુપ્તિસૂત્ર ૨૮૪-૪૧૬ ૨૭. આવશ્યકસૂત્ર ૪૧૭-૪૩૮ ૨૮ તપસૂત્ર ૪૩૯-૪૮૩ ૪૮૪-૫૦૪ ૫૦૫-૫૩૦ ૫૩૧-૫૪૫ ૨૯. ધ્યાનસૂત્ર ૩૦ અનુપ્રેક્ષાસૂત્ર ૩૧ લેશ્યાસૂત્ર ૩૨. આત્મવિકાસસૂત્ર (ગુણસ્થાન) ૩૩. સંલેખનાસૂત્ર ગાથા ૮૨-૧૨૧ ૧૨૨-૧૩૯ ૧૪૦-૧૪૬ ૧૪૭-૧૫૯ ૧૬૦-૧૬૯ ૧૭૦-૧૭૬ ૧૭૭-૧૯૧ For Private Personal Use Only ૫૪૬-૫૬૬ ૫૬૭-૫૮૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : તત્ત્વદર્શન ગાથા ગાથા ૬પ૧-૬૫૯ ૩૬. સૃષ્ટિસૂત્ર ૩૪. તત્ત્વસૂત્ર ૩૫. દ્રવ્યસૂત્ર ૫૮૮-૬૨૩ ૬૨૪-૬૫૦ ચતુર્થ ખંડ : સ્યાદ્વાદ ગાથા ૩૭. અનેકાંતસૂત્ર ૩૮. પ્રમાણસૂત્ર ૩૯. નયસૂત્ર ૪૦ : સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર ગાથા ૬૬ ૦-૬૭૩ ૪૧. સમન્વયસૂત્ર ૬૭૪-૬૮૯ ૪૨. નિક્ષેપસૂત્ર ૬૯૦-૭૧૩ ૪૩. સમાપન ૪૪. વીરસ્તવન ૭૧૪-૭૨૧ ૭૨૨-૭૩૬ ૭૩૭-૭૪૪ ૭૪૫-૭૪૯ ૭૫૦-૩૫૬ પરિશિષ્ટ : ૧. અકારાદિ વિષય સૂચિ............... પૃષ્ઠ ૨૪૮-૨૫૧ ૨. પારિભાષિક શબ્દકોશ............. પૃષ્ઠ ૨૫૨-૨૫૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ સમણમુક્ત (જૈનધર્મસાર) પ્રથમ ખંડ જ્યોતિર્મુખ Page #27 -------------------------------------------------------------------------- ________________ १. ३-५. ६. १. मंगलसूत्र णमो अरहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं ॥१॥ नम. अर्हदृभ्य । नमः सिद्धेभ्य । नम आचार्येभ्य. । नम उपाध्यायेभ्य | नमो लोके सर्वसाधुभ्यः ||१|| एसो पंचणमोक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥२॥ एप पंचनमस्कार., सर्वपापप्रणाशनः । मगलेषु च सर्वेषु, प्रथमं भवति मंगलम् ||२|| अरहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपण्णत्तो धम्मो मंगलं ||३|| अरहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा । केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो ||४|| अरहंते सरणं पव्वज्जामि । सिद्धे सरणं पव्वज्जामि | साहू सरणं पव्वज्जामि । केवलिपण्णत्तं धम्मं सरणं पव्वज्जामि ||५|| अर्हन्त. मगलम् | सिद्धा. मंगलम् | साधव मगलम् । केवलिप्रज्ञप्त धर्म मंगलम् ||३|| अर्हन्त लोकोत्तमा । सिद्धा लोकोत्तमा । साधव लोकोत्तमा । केवलिप्रज्ञप्त धर्म लोकोत्तम ||४| अर्हत. शरण प्रपद्ये । सिद्धान् शरण प्रपद्ये । साधून् शरण प्रपद्ये । केवलिप्रज्ञप्त धर्मं शरणं प्रपद्ये ॥ ५ ॥ झायहि पंच वि गुरवे, मंगलचउसरणलोयपरियरिए । णार - सुर- खेयर - महिए, आराहणणायगे वीरे ||६|| ध्यायत पञ्च अपि गुरून्, मगल-चतु. शरण-लोकपरिकरितान् । नरसुरखेचरमहितान्, आराधननायकान् वीरान् ||६|| For Private Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧. મંગલસૂત્ર અહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયોને નમસ્કાર. વિશ્વમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર. આ પાંચ પરમેષ્ઠીઓને કરેલા નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને તે સર્વ મંગળામાં પ્રથમ મંગળ છે. ૩-૫. અહંતો મંગળકારી છે. સિદ્ધો મંગળકારી છે. સાધુઓ મંગળકારી છે. કેવલી કથિત ધર્મ મંગળકારી છે અહતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધો લોકમાં ઉત્તમ છે. સાધુઓ લોકમાં ઉત્તમ છે. કેવલી કથિત ધર્મ લોકમાં ઉત્તમ છે. હુ અહંતોનું શરણ સ્વીકારું છું હું સિદ્ધોનું શરણું સ્વીકારું છું. હું સાધુઓનું શરણ સ્વીકારું છું. હું કેવલીકથિત ધર્મનું શરણ સ્વીકારું છું. મંગલકારી, લોકોત્તમ અને શરણદાયક, તથા મનુષ્યદેવ-વિદ્યાધરોથી પૂજિત, પરમ આરાધ્ય, પરમ વીર અને પરમ ગુરુ એવા પાંચ પરમેષ્ઠીઓનું ધ્યાન ધરો. Page #29 -------------------------------------------------------------------------- ________________ સમણમુક્ત "O घणघाइकम्ममहणा, तिहुवणवरभव्व-कमलमत्तंडा । अरिहा अणतणाणी, अणुवमसोक्खा जयंतु जए ॥७॥ घनघातिकर्ममथना., त्रिभुवनवरभव्यकमलमार्तण्डाः। अर्हा (अर्हन्तः) अनन्तज्ञानिन., अनुपमसौख्या जयन्तु जति ।।७।। अट्ठविहकम्मवियला, णिट्ठियकज्जा पणट्ठसंसारा । दिट्ठसयलत्थसारा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥८॥ अष्टविधकर्मविकला , निष्ठितकार्या. प्रणप्टसंसारा. । दृष्टसकलार्थसारा', सिद्धाः सिद्धिं मम दिशन्तु ||८|| पंचमहव्वयतुंगा, तक्कालिय-सपरसमय-सुदधारा। णाणागुणगणभरिया, आइरिया मम पसीदंतु ॥९॥ पञ्चमहाव्रततुंगा., तत्कालिकस्वपरसमयश्रुतधारा. । नानागुणगणभरिता, आचार्या मम प्रसीदन्तु ।।९।। अण्णाणघोरतिमिरे, दुरंततीरम्हि हिंडमाणाणं । भवियाणुज्जोययरा, उवज्झाया वरमदि देतु ।।१०॥ अज्ञानघोरतिमिरे, दुरन्ततीरे हिण्डमानानाम् । भव्यानाम् उद्योतकरा, उपाध्याया बरमतिं ददतु ।।१०।। थिरधरियसीलमाला, ववगयराया जसोहपडिहत्था । बहुविणयभूसियंगा, सुहाई साहू पयच्छंतु॥११॥ स्थिरधृतशीलमाला, व्यपगतरागा यशओघप्रतिहस्ता । बहुविनयभूपितागा., सुखानि साधव प्रयच्छन्तु ||११।। अरिहंता असरीरा, आयरिया उवज्झाय मुणिणो । पंचक्खरनिप्पण्णो, ओकारो पंच परमिट्ठी ॥१२॥ अर्हन्त. अशरीरा , आचार्या उपाध्याया. मुनयः | पञ्चाक्षरनिष्पन्न , ओकार पञ्च परमेष्ठिन ।।१२।। १०. ११. १२. १३. उसहमजियं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥१३॥ ऋषभमजित च वन्दे, सभवमभिनन्दन च सुमतिं च । पद्मप्रभ सुपार्श्व, जिन च चन्द्रप्रभं वन्दे ।।१३।। Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ આત્મગુણના ઘાતક એવા કર્મોનો નાશ કરનાર, ત્રણે લોકમા રહેલા ભવ્ય આત્માઓને વિકસિત કરવામા સૂર્ય સમાન, અનુત્તર સુખ અને અનત જ્ઞાનયુક્ત અરિહંતોનો જગતમાં જય હો. આઠ કર્મોથી રહિત, સાધ્ય ની પ્રાપ્તિ કરી ચૂલા, સસારથી મુક્ત સર્વ પદાર્થોના તત્વને જેમણે પિછાણી લીધું છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પ્રદાન કરો. પાચ મહાવ્રતોના પાલનને કારણે મહાન, તે તે કાળે ઉપલબ્ધ સ્વશાસ્ત્ર અને પરશા સ્ત્ર રૂપી શ્રુતજ્ઞાનના ધારક, અનેક ગુણોથી પૂર્ણ એવા આચાર્યો મારા પર કૃપા કરો જેમાથી બહાર નીકળવું કઠણ છે એવા અજ્ઞાનરૂપ અધકારમાં ભટકતા ભવ્ય આત્માઓને જ્ઞાનપ્રકાશ આપનારા ઉપાધ્યાયો મને સન્મતિ આપો. દૃઢ શીલરૂપી માળાને ધારણ કરનારા, રાગ રહિત, યશસ્વી, વિનયથી વિભૂષિત એવા સાધુજનો મને સુખશાંતિ. આપો. અર્હત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ - આ પાચ નામ ના પ્રથમાક્ષરો વડે બનેલો. ઠકાર ૫ ચ. પરમેષ્ઠીનું પ્રતીક છે (૪+૩+ +=+*=8) ૧ ૩. ઋષભદેવ, અજિતનાથ, સભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વનાથ તથા ચન્દ્રપ્રભ સ્વામીને હું વંદન કરું છું. Page #31 -------------------------------------------------------------------------- ________________ સમરસત્તા १४. १५. सुविहि च पुष्फयंतं, सीयल सेयंस वासुपुज्जं च । विमलभणंत-भयवं, धम्म संति च वंदामि ॥१४॥ सुविधि च पुप्पदन्त, शीतल श्रेयास वासुपूज्यं च । विमलम् अनन्तभगवन्त, धर्म शान्ति च वन्दे ।।१४।। कुथु च जिणवरिंदं, अरं च मल्लिं च सुव्वयं च णमिं । वंदामि रिट्ठणेमि, तह पासं वड़ढमाणं च ।।१५।। कुन्थु च जिनवरेन्द्रम्, अर च मल्लि च सुव्रत च नमिम् । बन्दे अरिष्टनेमि, तथा पार्श्व वर्धमान च ।।१५।। चंदेहि णिम्मलयरा, आइच्चेहि अहियं पयासंता । सायरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥१६॥ चन्द्रैर्निमलतरा, आदित्ये अधिकं प्रकाशमानाः । सागरवरगम्भीरा , सिद्धा. सिद्रि मम दिशन्तु ।।१६।। १६. २. जिनशासनसूत्र १७. जमल्लीणा जीवा, तरंति संसारसायरमणंतं । तं सव्वजीवसरणं, गंददु जिणसासणं सुइरं ॥१॥ यद् आलीना जीवा , तरन्ति ससारसागरमनन्तम् । तत् सर्वजीवशरण, नन्दतु जिनशासन सुचिरम् ।।१।। १८. जिणवयणमोसहमिणं, विसयसुह-विरेयणं अमिदभूयं । जरमरणवाहिहरणं, खयकरणं सव्वदुक्खाणं ॥२॥ जिनवचनमोपधमिद, विपयसुखविरेचनम् अमृतभूतम् । जरामरणव्याधिहरण, क्षयकरण सर्वदुःखानाम् ।।२।। अरहंतभासियत्थं, गणहरदेवेहिं गंथियं सम्मं । पणमामि भत्तिजुत्तो, सुदणाणमहोदहिं सिरसा ।।३॥ अर्हद्भापितार्थ, गणधरदेवैः ग्रन्थितं सम्यक् । प्रणमामि भक्तियुक्त., श्रुतज्ञानमहोदधिं शिरसा ।।३।। Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ સુવિધિના થ (પુષ્પદંત), શીતલનાથ, શ્રે ચાં સનાથ, વારસુપૂજ્ય સ્વામી, વિમલ નાથ, અનંતનાથ, ધર્મના થ તથા શાતિ ના થને હું વંદન કરુ છુ ૧૫ કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિ સુવ્રત સ્વાર્મ, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામી ન હું વંદન કરું છું ચ દ્રો કરતા યે વધુ ઉજ્જવળ, સૂયથી પણ અધિક તેજસ્વી, સાગર જેવા ગભર એવા સિદ્ધિ અને સિદ્ધિ આપો. ૨. જિનશાસનસૂત્ર ૧ ૭. જેનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે અને તેથી જ જે સર્વ જીવોને માટે શરણરૂપ છે, એ જિનશા સન ચિરકાળ સમૃદ્ધિમાન રહો ૧૮ જિનવાણી રૂપી આ ઔષધિ અમૃત સમાન છે; એ વિષય સુખની અભિલાષા નું વિરેચન કરે છે, જરા-મરણ રૂપી. રોગને દૂર કરે છે અને સર્વ દુઃખોનો નાશ કરે છે ૧ ૯, અહતો એ અર્થરૂપે જેનો ઉપદેશ કર્યો અને ગણ ધ રદેવોએ સૂત્રરૂપ જેની રચના કરી એ શ્રુતજ્ઞાનના મહાસાગરને હુ ભક્તિ પૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું (શ્રુતજ્ઞાન = શાસ્ત્રો-આગમો દ્વારા મળતું ગાન ) Page #33 -------------------------------------------------------------------------- ________________ સમણસુત્ત २१. तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदिपरिकहियं, तेण दु कहिया हवंति तच्चत्था ॥४॥ तस्य मुखोद्गतवचनं, पूर्वापरदोपविरहित शुद्धम् | 'आगम' इति परिकथित, तेन तु कथिता भवन्ति तत्त्वार्था ।।४।। जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेति भावेण । अमला असंकिलिट्ठा, ते होति परित्तसंसारी ॥५॥ जिनवचनेऽनुरक्ता , जिनवचन ये कुर्वन्ति भावेन । अमला असक्लिप्टा , ते भवन्ति परीतससारिणः ।।५।। जय वीयराय ! जयगुरु ! होउ मम तुह पभावओ भयव ! भवणिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ॥६॥ जय वीतरागजगद्गुरो । भवतु मम तव प्रभावतो भगवन् । भवनिर्वेद मार्गानुसारिता इष्टफलसिद्धि ।।६।। २२. २३. ससमय-परसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेउं ॥७॥ स्वसमय-परसमयवित्, गम्भीर दीप्तिमान् शिव सोम. । गुणशतकलित युक्त , प्रवचनसार परिकथयितुम् ।।७।। जं इच्छसि अप्पणतो, जं च ण इच्छसि अप्पणतो । तं इच्छ परस्स वि या, एत्तियगं जिणसासणं ।।८।। यदिच्छसि आत्मत , यच्च नच्छसि आत्मत । तदिच्छ परस्यापि च, एतावत्क जिनशासनम् ।।८।। २४. ३. संघसूत्र संघो गुणसंघाओ, संघो य विमोचओ य कम्माणं । दंसणणाणचरित्ते, संघायंतो हवे संघो ।।१।। सघो गुणसघात., सघश्च विमोचकश्च कर्मणाम् । दर्शनज्ञानचरित्राणि, सघातयन् भवेत् सघ ।।१।। Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૨ ૦ અહિતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત. એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી. શકાય છે. જિનવ ચનના અનુરાગી હોય અને જિનવ ચન અનુસાર આચરણ પણ કરતા હોય એવા નિર્મળ અને કલેશરહિત ચિત્તવાળા જીવો અલ્પસ સારી બને છે. ર૧ હે વીતરાગ ! હે જગદગુરુ | આપનો જય હો ! હે ભગવન્! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માનુસારિતા અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થ. (ભવનિર્વેદ = સંસાર પ્રત્યે વિરક્તિ. માગનુસાસ્તિા = ધર્મપ્રાપ્તિ માટે જરૂરી પ્રાથમિક સદ્ગણો.) સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા, ગંભીર, તેજસ્વી, પવિત્ર, સૌમ્ય અને એવા બીજા સેકડો ગુણોથી સંપન્ન મુનિ જ જિનવચનના મર્મને સમજાવી શકે છે. ૨૩ ર૪ તું તારા પોતા માટે જે ઈચ્છે છે તેવું બીજા માટે પણ ઈચ્છ, તુ તારા પોતા માટે જે નથી ઈચ્છતો તેવું બીજા માટે પણ ન ઈચ્છે – જિનનો ઉપદેશ આટલો જ છે. ૩. સંઘસૂત્ર રપ. ગુણોનો સમૂહ એ જ છે સંઘ. કર્મોનો સંહાર કરે તે સ ઘ જ્ઞાન-દર્શન-ચારિત્રનો જ્યા સંચ ચ થાય છે તેને સંઘ કહેવાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સમણમુક્ત रयणत्तयमेव गणं, गच्छं गमणस्स मोक्खमग्गस्स । संघो गुणसंघादो, समयो खलु णिम्मलो अप्पा ॥२॥ रत्नत्रयमेव गण., गच्छ गमनस्य मोक्षमार्गस्य । सघो गुणसघात , समय खलु निर्मल आत्मा ।।२।। २७. आसासो वीसासो, सीयघरसमो य होई मा भाहि । अम्मापितिसमाणो, संघो सरणं तु सव्वेसिं ॥३॥ आश्वासः विश्वासः, शीतगृहसमश्च भवति मा भैपी । अम्वापितृसमान., सघ. शरण तु सर्वेषाम् ।।३।। २८. नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धन्ना गुरुकुलवासं, आवकहाए न मुंचंति ॥४॥ ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चरित्रे च । धन्याः गुरुकुलवास, यावत्कथया न मुञ्चन्ति ।।४।। २९. जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरवं न भयं । न वि लज्जा न वि नेहो, गुरुकुलवासेण कि तस्स ? ॥५॥ यस्य गुरौ न भक्ति , न च वहुमान. न गौरव न भयम् । नापि लज्जा नापि स्नेह., गुरुकुलवासेन कि तस्य ? ||५|| ३०-३१. कम्मरयजलोहविणिग्गयस्स, सुयरयणदीहनालस्स । पंचमहव्वयथिरकण्णियस्स, गुणकेसरालस्स ॥६॥ सावगजणमहुयरपरिवुडस्स, जिणसूरतेयबुद्धस्स । संघपउमस्स भई, समणगणसहस्सपत्तस्स ॥७॥ कर्मरजजलौघविनिर्गतस्य, श्रुतरत्नदीर्घनालस्य । पञ्चमहाव्रतस्थिरकर्णिकस्य, गुणकेसरवत. ।।६।। श्रावकजन-मधुकर-परिवृतस्य, जिनसूर्यतेजोबुद्धस्य । सधपद्मस्य भद्रं, श्रमणगणसहस्रपत्रस्य ।।७।। Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧૧ રત્નત્રય એ છે ‘ગણ; મોક્ષમાર્ગ પર ગતિ કરવી એનું નામ ગચ્છ'; ગુણનો સમૂહ એ “સંઘ'; અને નિર્મળ એવો આત્મા એ છે ‘સમય’. ૨૭. સંઘ ખરું આશ્વાસન છે, વિશ્વાસસ્થાન છે, શીતળતા કરનાર શીતગૃહ છે; હે સાધક, તું ગભરાઈશ નહિ, માતાપિતા સમાન સંઘ સર્વજીવોને શરણરૂપ છે. ૨૮ ૨ ૮ (સંઘને શરણે જનારો) સાધક જ્ઞાનનો અધિકારી બને છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે; માટે ધન્ય આત્માઓ જીવનપર્યત ગુરુકુલવાસને છોડતા નથી. જેને ગુરુ ઉપર ભક્તિ નથી, બહુમાન નથી, ગૌરવ નથી, પ્રેમ નથી, તેમજ ગુરુની બીક કે શરમ પણ નથી એ માણસને ગુરુકુલવાસથી શો લાભ ? ૩૦-૩૧. સંઘ એક કમળ સમાન છે, તે કર્મરૂપી પાણીમાં ઉત્પન્ન થાય છે; એને શ્રુતજ્ઞાનરૂપી લાંબી દાંડી છે; એ પાંચ મહાવ્રતરૂપી કર્ણિકા અને ગુણરૂપી તાંતણા ધરાવે છે; શ્રાવકજનરૂપી ભમરા તેને વીટળાયેલા રહે છે; જિનેશ્વરરૂપી. સૂર્ય દ્વારા વિકસિત થાય છે; હજારો શ્રમણો જાણે એનાં પાંદડા છે; આવા સંઘકમળનું સદા કલ્યાણ હો ! Page #37 -------------------------------------------------------------------------- ________________ ३२. ३३. ३४. ३५. ३६. ३७. ४. निरूपणसूत्र जो ण पमाणणयेहि, णिक्खेवेणं णिरिक्खदे अत्थं । तस्साजुत्तं जुत्तं, जुत्तमजुत्तं च पडिहादि ॥१॥ यो न प्रमाण-नयाभ्याम्, निक्षेपेण निरीक्षते अर्थम् । तस्यायुक्त युक्तं युक्तमयुक्तं च प्रतिभाति ||१|| T गाणं होदि पमाणं, णओ वि णादुस्स हिदयभावत्थो । णिक्खेओ वि उवाओ, जुत्तीए अत्थपडिगहणं ॥२॥ ज्ञानं भवति प्रमाणं, नयोऽपि ज्ञातुः हृदयभावार्थः । निक्षेपोऽपि उपाय. युक्त्या अर्थप्रतिग्रहणम् ॥ २ ॥ णिच्छयववहारणया, मूलभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेउं, पज्जयदव्वत्थियं मुणह ॥३॥ निश्चयव्यवहारनयौ, मूलभेदौ नयाना सर्वेषाम् । निश्चयसाधनहेतू, पर्यायद्रव्यार्थिको मन्यध्वम् ||३|| जो सिय भेदुवयारं, धम्माणं कुणइ एगवत्थुस्स । सो ववहारो भणियो, विवरीओ णिच्छयो होइ ||४|| य. स्याद्भेदोपचार, धर्माणा करोति एकवस्तुनः । स व्यवहारो भणितः, विपरीतो निश्चयो भवति ॥४॥ ववहारेणुवदिस्सइ, गाणिस्स चरित्तं दंसणं णाणं । ण विणाणं ण चरित्तं, न दंसणं जाणगो सुद्धो ||५|| व्यवहारेणोपदिश्यते, ज्ञानिनश्चरित्रं दर्शन ज्ञानम् । नापि ज्ञानं न चरित्रं, न दर्शन ज्ञायकः शुद्धः ||५ ॥ एवं ववहारणओ, पडिसिद्धो जाण णिच्छयणयेण । णिच्छयणयासिदा पुण, मुणिणो पावंति णिव्वाणं ||६|| एव व्यवहारनयं, प्रतिषिद्धं जानीहि निश्चयनयेन । निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम् || ६ || For Private Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૪. નિરૂપણસૂત્ર જે વ્યક્તિ નય, પ્રમાણ અને નિક્ષેપ દ્વારા પદાર્થનું જ્ઞાન કરતો નથી તે અયુક્ત વાતને યુક્ત તથા યુક્ત વાતને અયુક્ત સમજી બેસશે. ૩૩. જ્ઞાનને પ્રમાણ કહે છે, જ્ઞાન કરનાર વ્યક્તિના આશયને (દષ્ટિબિન્દુને) નય કહે છે અને યોગ્ય વિશ્લેષણવર્ગીકરણ દ્વારા) પદાર્થનો બોધ મેળવવાના ઉપાયને નિક્ષેપ કહે છે. ૩૪. સર્વ નયોના મૂળ બે ભેદ છે – નિશ્ચયનય અને વ્યવહારનય. નિશ્ચયની સિદ્ધિ અર્થે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદ પણ જાણવા જોઈએ ૩૫. એક અખંડ પદાર્થમાં રહેલા ધર્મોને જે પરસ્પર ભિન્ન ગણે છે એવા દષ્ટિકોણને વ્યવહારનય’ કહેવામાં આવે છે અને જે દૃષ્ટિકોણ પદાર્થના ધર્મોમાં ભેદ નથી સ્વીકરતો તેને નિશ્ચયનય’ કહે છે. ૩૬. કોઈ વ્યક્તિમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે નિશ્ચયનય એમ કહે છે કે જ્ઞાન, દર્શન કે ચારિત્ર એવા ભિન્ન ભિન્ન ધર્મો વસ્તુતઃ છે જ નહિ, માત્ર શુદ્ધ જ્ઞાતા નામક એક અખંડ પદાર્થ જ અસ્તિત્વ ધરાવે છે. આમ, નિશ્ચયન વ્યવહારનયના કથનનો નિષેધ કરે છે. મુનિવરો નિશ્ચયનયનો આશ્રય લઈને નિર્વાણની ઉપલબ્ધિ કરે છે. ૩૭. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમણસુd ४०. ४१. जह ण वि सक्कमणज्जो, अणज्जभासं विणा उ गाहेउं । तह ववहारेण विणा, परमत्थुवएसणमसक्कं ॥७॥ यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम् । तथा व्यवहारेण विना, परमार्थोपदेशनमशक्यम् ।।७।। ववहारोऽभूयत्थो, भूयत्थो देसिदो दु सुद्धणओ । भूयत्थमस्सिदो खलु, सम्माइट्ठी हवई जीवो ॥८॥ व्यवहारोऽभूतार्थो, भूतार्थो देशितस्तु शुद्धनय. । भूतार्थमाश्रितः खलु, सम्यग्दृष्टिभर्वति जीवः ।।८।। निच्छमयमवलंबंता, निच्छयतो निच्छयं अजाणता । नासंति चरणकरणं, बाहिरकरणालसा केई ॥९॥ निश्चयमवलम्बमाना., निश्चयतः निश्चयम् अजानन्तः । नाशयन्ति चरणकरणम्, वायकरणाऽलसा. केचित् ।।९।। सुद्धो सुद्धादेसो, णायव्वो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण, जे दु अपरमे ट्ठिदा भावे ॥१०॥ शुद्ध. शुद्धादेशो. ज्ञातव्य. परमभावदर्शिभि । व्यवहारदेशिताः पुन-ये त्वपरमे स्थिता भावे ।।१०।। निच्छयओ दुण्णेयं, को भावे कम्मि वट्टई समणो । ववहारओ य कीरइ, जो पुवठिओ चरित्तम्मि ||११॥ निश्चयत दुज्ञेयं, कः भावे कस्मिन् वर्तते श्रमण: ? व्यवहारतस्तु क्रियते, यः पूर्वस्थितश्चारित्रे ।।११।। तम्हा सव्वे वि णया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अन्नोन्नणिस्सिया उण, हवंति सम्मत्तसब्भावा ॥१२॥ तस्मात् सर्वेऽपि नयाः मिथ्यादृष्टय स्वपक्षप्रतिवद्रा. । अन्योन्यनिश्रिता. पुनः भवन्ति सम्यक्त्वसभावाः ।।१२।। कज्ज णाणादीयं, उस्सग्गाववायओ भवे सच्चं । तं तह समायरंतो, तं सफलं होई सव्वं पि ॥१३॥ कार्यं ज्ञानादिक, उत्सर्गापवादतः भवेत् सत्यम्। तत् तथा समाचरन् तत् सफलं भवति सर्वमपि ।।१३।। ४२ ४३. ४४ Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૮. ૩૯ ૪૦ ४१ ૪૨ ૪૩ ૪૪. ૧૫ પરંતુ, અનાર્યજાતિનાં માણસને તેની ભાષા વિના સમજાવી શકાતો નથી, તેમ વ્યવહારનય વિના પરમાર્થની એટલે કે નિશ્ચયનયની વાત પણ કહી-સમજાવી શકાતી નથી વ્યવહાર અસત્ય છે અવાસ્તવિક છે, નિશ્ચય સત્ય છે વાસ્તવિક છે. વાસ્તવિકતાનો આશ્રય લેનાર આત્મા સમ્યગ્દષ્ટ છે નિશ્ચયનું આલંબન લેતા હોય પણ નિશ્ચયથી નિશ્ચયને જેઓ જાણતા-સમજતા ન હોય તેવા કેટલાક લોકો બાહ્ય આચરણમાં શિથિલ બની આચારધર્મનો નાશ કરે છે. પરમ તત્વના જિજ્ઞાસુઓએ શુદ્ધ વસ્તુનું કથન કરનાર શુદ્ધનય દ્વારા પરમ તત્વનું જ્ઞાન મેળવવું અને જે લોકો પરમ તત્વને જાણવાની શક્તિ ધરાવતા નથી તેમને વ્યવહારનય દ્વારા બોધ આપવો. નિશ્ચયઢષ્ટિએ કોઈ શ્રમણ કયા ભાવમાં છે તે જાણવું કઠિન છે; તેથીજ જેણે પ્રથમ ચારિત્ર અંગીકાર કર્યું હોય તેને પ્રથમ વદન કરવુ એવો વ્યવહાર છે. માટે, બધા જ નય જો પોતાના પક્ષના આગ્રહી બને (એકાંગી બને) તો તે મિથ્યા બની જાય છે અને જો પરસ્પર સાપેક્ષ બને (અન્ય નયોનો પણ સ્વીકાર કરે) તો તેઓ સમ્યક્ રહે છે ઉત્સર્ગ અને અપવાદ (સામાન્ય નિયમ અને વિશેષ નિયમ) અનુસાર જે જ્ઞાનાદિ પ્રવૃત્તિ કરાય તે સાચી હોય છે. એ રીતે (ઉત્સર્ગ-અપવાદની મર્યાદા પ્રમાણે) જે કંઈ કરવામાં આવે તે સઘળું ફળદાયક બને. For Private Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ४५. ४६. ४७. ४८. ४९. ५०. ५१. ५. संसारचक्रसूत्र अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । किं नाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गइं न गच्छेज्जा ? ||१|| अध्रुवेऽशाश्वते, संसारे दुःखप्रचुरके । " कि नाम भवेत् तत् कर्मकं, येनाहं दुर्गति न गच्छेयम् ||१|| खणमत्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा । संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा || २ || क्षणमात्रसौख्या बहुकालदु.खा, प्रकामदुःखाः अनिकामसौख्या. | ससारमोक्षस्य विपक्षभूता खानिरनर्थानां तु कामभोगाः ||२|| सुठुवि मग्गिज्जतो, कत्थ वि केलीई नत्थि जह सारो । इंदि अविसएसु तहा, नत्थि सुहं सुठु वि गविट्ठ ||३|| सुष्ठ्वपि मार्ग्यमाणः, कुत्रापि कदल्या नास्ति यथा सार । इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ट्वपि गवेषितम् ||३|| नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थओ तयं बिंति । परिणामदारुणमसासयं च जं ता अलं तेण ॥४॥ नरविबुधेश्वरसौख्य, दुःखं परमार्थतस्तद् ब्रुवते । परिणामदारुणमशाश्वत, च यत् तस्मात् अलं तेन ||४|| जह कच्छुल्लो कच्छ्रं कंडयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥५॥ यथा कच्छुर कच्छु, कण्डूयन् दुःख मनुते सौख्यम् । मोहातुरा मनुष्याः, तथा कामदुःखं सुखं ब्रुवन्ति ||५|| भोगामिसदोसविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मन्दिए मूढे, बज्झई मच्छिया व खेलम्मि ||६|| भोगामिपदोषविषण्णः, हितनि. श्रेयसबुद्धिविपर्यस्तः । वालश्च मन्दित. मूढः, वध्यते मक्षिकेव श्लेष्मणि || ६ || जाणिज्जइ चिन्तिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएस विरज्जई, अहो सुबद्धो कवडगंठी ॥७॥ जानाति चिन्तयति, जन्मजरामरणसम्भवं दुःखम् । न च विषयेषु विरज्यते, अहो । सुबद्धः कपटग्रन्थिः ||७|| For Private Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૪૬. ૪૭ ૪૮. ૪૯ 4.0. ૫૧. ૫. સંસારચક્ર સૂત્ર અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન થાય? કામભોગોનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ઘકાળનું છે; એમાં સુખ થોડુંક છે અને દુખ વધારે છે કામભોગો સંસારથી મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવા છે. કેળના ઝાડમાંથી ખૂબ શોધવા છતાં કોઈ સારભૂત (નક્કર) ભાગ હાથમાં આવતો નથી તેમ, ગમે તેટલું શોધો તો પણ ઈન્દ્રિયવિષયોમાંથી સુખ મળી શકતું નથી. નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ છે. તે શાશ્વત નથી અને વળી તેનું પરિણામ દુ:ખદાયી છે. એવા સુખ શા કામનાં? ખુજલીમાં કષ્ટ હોવા છતાં, ખુજલીનાં રોગીને ખુજલી કરતાં સુખ જણાય છે એવી જ રીતે કામભોગો દુ;ખરૂપ હોવા છતાં મોહાધીન મનુષ્યો તેમાં સુખ માને છે. ભોગની આસક્તિમાં ડૂબેલા, પોતાનાં હિત અને શ્રેયની સાચી સમજ જેમને નથી એવા અજ્ઞાન અને મૂઢ જીવો, માખી જેમ બાખામાં ફસાય તેમ કર્મોમાં બંધાય છે. જન્મ-જરા-મરણના દુ.ખોને જાણવા છતાં, વિચારવા છતાં વિષયોથી વિરક્ત થવાતું નથી. કેવી દે છે આ ગુપ્તગાંઠ? For Private Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમણસુત્ત ५२-५४. जो खलु संसारत्थो, जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्म, कम्मादो होदि गदिसु गदी ॥८॥ गदिमधिगदस्स देहो, देहादो इंदियाणि जायंते । तेहि दु विसयग्गहणं, तत्तो रागो वा दोसो वा ॥९॥ जायदि जीवस्सेवं, भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहि भणिदो, अणादिणिधणो सणिधणो वा ॥१०॥ यः खलु ससारस्थो, जीवस्ततस्तु भवति परिणाम. । परिणामात् कर्म, कर्मत भवति गतिपु गति. ॥८॥ गतिमधिगतस्य देहो, देहादिन्द्रियाणि जायन्ते । तैस्तु विपयग्रहण, ततो रागो वा द्वेपो वा ।।९।। जायते जीवस्यैव, भाव ससारचक्रवाले । इति जिनवरैर्भणितोऽनादिनिधन सनिधनो वा ।।१०।। जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतवो ।।११।। जन्म दुःखं जरा दु.ख रोगाश्च मरणानि च । अहो दु.ख. खलु ससार , यत्र क्लिश्यन्ति जन्तव ।।११।। ६. कर्मसूत्र जो जेण पगारेणं, भावो णियओ तमन्नहा जो तु । मन्नति करेति वदति व, विपरियासो भवे एसो ।।१।। यो येन प्रकारेण, भावः नियतः तम् अन्यथा यस्तु । मन्यते करोति वदति वा, विपर्यासो भवेद् एपः ।।१।। ५७. जं जं समयं जीवो आविसइ जेण जेण भावेण । सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥२॥ य य समयं जीवः, आविशति येन येन भावेन । सः तस्मिन् समये, शुभाशुभ बध्नाति कर्म ॥२॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ પ ૨-૫૪ ૧૯ સંસારીજીવને રાગ-દ્વેષ આદિના પરિણામ (સંકલ્પ) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કમથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવો પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઈન્દ્રિયોનું નિર્માણ થાય છે ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેના કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે. આ રીતે સંસારચક્રમાં જીવનું પરિભ્રમણ ચાલતું રહે છે આ સંસારને જિનેશ્વરોએ અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત કહ્યો છે. (જે આત્મા કદી પણ સમક્તિ નહિ પામે તેનો સંસાર અનાદિ-અનત રહેશે. જે સમક્તિ પામે છે તેનો સંસાર અનાદિ-સાંત થઈ જાય છે કારણ કે તે મોક્ષ પામે છે.) પપ. જન્મ દુઃખ છે, ઘડપણ દુખ છે, રોગો અને મરણ પણ દુઃખ છે. અરે, આખો સંસાર દુ:ખરૂપ છે, જેમાં પ્રાણીઓ દુખથી પીડાતા રહે છે. ૬. કર્મસૂત્ર પ૬ જે પદાર્થ જે સ્વરૂપનો છે તેનાથી અન્ય સ્વરૂપે તેને માનવો, બતાવવો કે આચરવો. એને વિપર્યાસ(ભ્રમ) કહેવામાં આવે છે. પ૭. જે જે સમયે જીવમાં જેવા જેવા ભાવ જાગે છે તે તે સમયે જીવ તેવા તેવા શુભ કે અશુભ કમોં બાંધે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ५८. ५९. ६०. ६१. ६२. ६३. ६४-६५. कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं ॥ ३ ॥ कायेन वचसा मत्तः, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मल सचिनोति, शिशुनाग इव मृत्तिकाम् ||३|| न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एक्को सयं पच्चणुहोई दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ||४|| न तस्य विभजन्ते ज्ञातयः, न मित्रवर्गा न सुता न वान्धवा । एक: स्वय प्रत्यनुभवति दुःखं, कर्तारमेवानुयाति कर्म ||४|| कम्मं चिति सवसा, तस्सुदयम्मि उ परव्वसा होंति । रुक्खं दुरूहइ सवसो, विगलइ स परव्वसो तत्तो ॥ ५ ॥ कर्म चिन्वन्ति स्ववशाः, तस्योदये तु परवशा भवन्ति । वृक्षमारोहति स्ववश., विगलति स परवशः ततः ||५|| कम्मवसा खलु जीवा, जीववसाइं कहिंचि कम्माई । कत्थइ धणिओ बलवं, धारणिओ कत्थई बलवं ॥ ६ ॥ कर्मवशाः खलु जीवाः, जीववशानि कुत्रचित् कर्माणि । कुत्रचित् धनिक वलवान्, धारणिकः कुत्रचित् वलवान् ||६|| कम्मत्तणेण एक्कं, दव्वं भावो त्ति होदि दुविहं तु । पोग्गलपिंडो दव्वं, तस्सत्ती भावकम्मं तु ॥७॥ कर्मत्वेन एक, द्रव्यं भाव इति भवति द्विविध तु । पुद्गलपिण्डो द्रव्य, तच्छक्तिः भावकर्म तु ॥७॥ जो इंदियादिविजई, भवीय उवओगमप्पगं झादि । कम्मे हि सो ण रंजदि, किह तं पाणा अणुचरंति ॥८॥ य इन्द्रियादिविजयी, भूत्वोपयोगमात्मक ध्यायति । कर्मभि. स न रज्यते, कस्मात् तं प्राणा अनुचरन्ति ||८|| नाणसावर णिज्जं, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ||९|| नामकम्मं च गोयं च, अंतरायं तहेव य । एवमेयाई कम्माई, अट्ठेव उ समासओ ||१०॥ સમણસુત્ત For Private Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૫૮. ૫૯ ૬૦. ૬૧. ૬ ૨. ૬૩. ૬૪-૬૫. ૨૧ કાયાથી મદોન્મત્ત અને વાણીથી ઉદ્ધત તેમજ ધન અને સ્ત્રીઓમાં અતિ આસક્ત માનવી, અળસિયું જેમ બંને બાજુથી માટીથી ખરડાય છે તેમ, બંને બાજુથી (શરીર અને મનથી) મલિન થાય છે. સગા-સંબંધી, મિત્રો, પુત્રો કે બાંધવો—કોઈ એના દુ:ખમાં ભાગ પડાવી રાકતા નથી. એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જ જાય છે. ઝાડ પર ચડતી વખતે માણસ પોતાની ઈચ્છાથી ચડે છે. પણ પડતી વખતે એ પરવશ હોય છે. એમ લોકો કર્મ બાંધતી વખતે સ્વતંત્ર હોય છે પણ એ કર્મોનો ઉદય થાય ત્યારે પરાધીનપણે તેનું ફળ તેમણે ભોગવવું પડે છે. ક્યારેક લેણદાર બળવાન હોય છે તો ક્યારેક કરજદાર બળવાન હોય છે. એવી જ રીતે ક્યારેક જીવ કર્મને આધીન હોય છે (ભોગવતી વખતે) અને ક્યારેક કર્મ જીવને આધીન હોય છે (બાંધતી વખતે) કર્મ, કર્મ તરીકે એક પ્રકારનું છે; દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનુ પણ છે. દ્રવ્યકર્મ એટલે કર્મનાં પુદ્ગલોપરમાણુઓ અને ભાવકર્મ એટલે એ પરમાણુઓમા રહેલી વિકાર ઉત્પન્ન કરવાની રાક્તિ જે ઈન્દ્રિય આદિને વશમાં રાખીને ઉપયોગ અર્થાત્ જ્ઞાન અને દર્શનની જાગૃત અવસ્થારૂપ આત્માનું ધ્યાન કરે છે તે કર્મો વડે લેપાતો નથી. એવા આત્માને દેહમન-પ્રાણ કેવી રીતે વળગે? અર્થાત્ તેને ફરી ફરી જન્મ લેવા પડતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય - સંક્ષેપમાં કર્મના આ આઠ પ્રકારો છે. For Private Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ६६. ६७. ६८. ६९. ७०. સમણસુત્ત ज्ञानस्यावरणीय, दर्शनावरणं तथा । वेदनीय तथा मोहम्, आयुः कर्म तथैव च ||९|| नामकर्म च गोत्र व, अन्तराय तथैव च । एवमेतानि कर्माणि, अप्टैव तु समासतः ||१०|| पड - पडिहार-सि-मज्ज, हड-चित्त-कुलाल-भंडगारीणं । जह एएसिं भावा, कम्माणं वि जाण तह भावा ॥११॥ पट - प्रतिहारासि - मद्य - हडि - चित्र - कुलाल - भाण्डागारिणाम् । यथा एतेषा भावा, कर्मणाम् अपि जानीहि तथा भावान् ||११|| ७. मिथ्यात्वसूत्र हा ! जह मोहियमइणा, सुग्गइमग्गं अजाणमाणेणं । भीमे भवतारे, सुचिरं भमियं भयकरम्मि ॥१॥ हा यथा मोहितमतिना, सुगतिमार्गमजानता । भीमे भवकान्तारे, सुचिर भ्रान्त भयकरे ||१|| मिच्छत्तं वेदतो जीवो, विवरीयदंसणो होइ । धम्मं रोचेदि हु, महुरं पि रसं जहा जरिदो ॥२॥ मिथ्यात्व वेदयन् जीवो, विपरीतदर्शनो भवति । न च धर्म रोचते हि, मधुर रस यथा ज्वरित ॥२॥ मिच्छत्तपरिणदप्पा, तिव्वकसाएण सुठु आविट्ठो । जीवं देहं एक्कं, मण्णंतो होदि बहिरप्पा ॥३॥ मिथ्यात्वपरिणतात्मा, तीव्रकषायेन सुष्ठु आविष्ट । जीव देहमेक, मन्यमान भवति वहिरात्मा ||३|| जो जहवायं न कुणइ, मिच्छादिट्ठी तओ हु को अन्नो । वड्ढइ यमिच्छत्तं परस्स संकं जणेमाणो ||४|| यो यथावादं न करोति, मिथ्यादृष्टिः ततः खलु कः अन्यः । वर्धते च मिथ्यात्व, परस्य शकां जनयमानः ||४|| For Private Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૨૩ આ આઠ કમનો સ્વભાવ અનુક્રમે પડદો, દ્વારપાળ, મધ ચોપડેલી તલવાર, દારૂ, બેડી, ચિત્ર કાર, કુંભાર અને ભડારી જેવો છે. ૭. મિથ્યાત્વસૂબા અરે ! સુગતિના માર્ગથી અજાણ અને મૂઢમતિ એવો હું ઘોર-ભયાનક ભવાટવીમાં કેટલું બધું રખડ્યો? તાવવાળા માણસને મીઠી વસ્તુ નથી ભાવતી તેમ, મિથ્યાત્વને આધીન વ્યક્તિનું દર્શન વિપરીત બની જાય છે – તેને ધર્મ પણ ગમતો નથી તીવ્ર કષાય ના આવેશવાળી અને મિથ્યાષ્ટિયુક્ત આત્મા દેહ અને આત્માને એક સમજે છે એ બહિરાત્મા કહેવાય (સિદ્ધાંતની વાતો કરનાર પણ) સિદ્ધાંત અનુસાર વર્તન નહિ કરનાર વ્યક્તિ કરતાં મોટો મિથ્યાદષ્ટિ બીજો કોણ હોઈ શકે?(પોતાના આચરણથી)અન્યના મનમાં શંકા ઉત્પન્ન કરીને એ આત્મા મિથ્યાત્વને ઉત્તેજન આપતો રહે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ७१. ७२. ७३. ७४. ८. रागपरिहारसूत्र रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥१॥ रागश्च द्वेपो पि च कर्मवीज, कर्म च मोहप्रभव वदन्ति । कर्म च जातिमरणस्य मूलम्, दुःख च जातिमरण वदन्ति ।।१।। न वि तं कुणइ अमित्तो, सुठु वि य विराहिओ समत्थो वि । जं दो वि अनिग्गहिया, करंति रागो य दोसो य ॥२॥ नेव तत् करोति अमित्र, सुष्वपि च विराद्ध. समर्थोऽपि । यद् द्वावपि अनिगृहीतौ, कुरुतो रागश्च द्वेषश्च ।।२।। न य संसारम्मि सुहं, जाइजरामरणदुक्खगहियस्स । जीवस्स अस्थि जम्हा, तम्हा मुक्खो उवादेओ ॥३॥ न च ससारे सुख, जातिजरामरणदु खगृहीतस्य । जीवस्यास्ति यस्मात्, तस्माद् मोक्षः उपादेयः ।।३।। तं जइ इच्छसि गंतुं, तीरं भवसायरस्स घोरस्स । तो तवसंजमभंडं, सुविहिय! गिण्हाहि तूरंतो ॥४॥ तद् यदीच्छसि गन्तुं, तीर भवसागरस्य घोरस्य । तर्हि तप.सयमभाण्ड, सुविहित ! गृहाण त्वरमाण ।।४।। बहुभयकरदोसाणं, सम्मत्तचरित्तगुणविणासाणं । न हु वसमागंतव्वं, रागद्दोसाण पावाणं ॥५॥ वहुभयंकरदोपयो , सम्यक्त्वचारित्रगुणविनाशयो । न खलु वशमागन्तव्य, रागद्वेषयो पापयो ।।५।। कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्संतगं गच्छइ वीयरागो ॥६॥ कामानुगृद्धिप्रभवं खलु दुःख, सर्वस्य लोकस्य सदेवकस्य । यत् कायिकं मानसिकं च किञ्चित्, तस्यान्तक गच्छति वीतराग. ।। जेण विरागो जायइ, तं तं सवायरेण करणिज्ज । मुच्चइ हु ससंवेगी, अणंतवा हाइ असंवेगी ॥७॥ येन विरागो जायते, तत्तत् सर्वादरेण करणीयम् । मुच्यते एव ससवेग., अनन्तक. भवति असवेगी ।।७।। ७५. ७६. ७७. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮. રાગપરિહારસૂત્ર રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે અને મોહ પણ કર્મનું મૂળ છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે અને જન્મ મરણ એજ ખરું દુઃખ છે. નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ. નથી કરી શકતો જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહિં; આથી જ મોક્ષ પસંદ કરવા યોગ્ય ઠરે ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો તે સુજ્ઞ બ ધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે. ઘણા દોષ થી ભરેલા, સખ્યત્વ અને ચારિત્રના ગુણોનો નાશ કરનારા, પાપરૂપ એવા રાગ-દ્વેષને કદી પણ વશ થવું નહિ દેવો સહિત જગતના સર્વ જીવોને કામભોગની સતત અભિલાષામાંથી ઉદ્ભવતું જે કાયિક અને માનસિક દુખ ભોગવવું પડે છે, તેનો વીતરાગીને માટે અંત આવી. જાય છે. જે જે પ્રકારે વૈરાગ્ય વૃદ્ધિ પામે છે તે ઉપાય કરવા. વિરાગી છૂટે છે; રાગી પોતાના બંધનોનો અંત આણી શકતો નથી. ૭૭. Page #51 -------------------------------------------------------------------------- ________________ સમણસુd ७८. ७९. ८ . ८५. एवं ससंकप्पविकप्पणासु, संजायई समयमुवट्ठियस्स । अत्थे य संकप्पयओ तओ से, पहीयए कामगुणेसु तण्हा ॥८॥ एव स्वसकल्पविकल्पनासु. सजायते समतोपस्थितस्य । अर्थाश्च संकल्पयतस्तस्य, प्रहीयते कामगुणेषु तृण्णा ॥८॥ अन्नं इमं सरीरं, अन्नो जीव त्ति निच्छियमईओ। दुक्खपरीकेसकरं.छिद ममत्तं सरीराओ ॥९॥ अन्यदिद शरीर, अन्यो जीव इति निश्चयमतिकः । दु.खपरिक्लेशकर, छिन्धि ममत्वं शरीरात् ॥९॥ कम्मासवदाराई, निभियव्वाइं इंदियाइं च । हंतव्वा य कसाया, तिविहं तिविहेण मुक्खत्थं ॥१०॥ कर्मास्रवद्वाराणि, निरोद्ध व्यानीन्द्रियाणि च । हन्तव्याश्च कपायास्त्रिविधत्रिविधेन मोक्षार्थम् ।।१०।। भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण! न लिप्पई भवमझे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं ॥११॥ भावे विरक्तो मनुजो विशोकः, एतया दु.खौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन, जलेनेव पुष्करिणीपलाशम् ।।११।। ९. धर्मसूत्र धम्मो मंगलमुक्किट्ठ अहिसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥१॥ धर्मः मगलमुत्कृष्ट, अहिसा सयम तप । देवा. अपि त नमस्यन्ति, यस्य धर्म सदा मन ॥१॥ धम्मो वत्थुसहावो, खमादिभावो य दसविहो धम्मो । रयणत्तयं च धम्मो, जीवाणं रक्खणं धम्मो ॥२॥ धर्म. वस्तुस्वभाव , क्षमादिभाव. च दशविधः धर्मः । रत्नत्रय च धर्मः, जीवाना रक्षण धर्मः।।२।। उत्तमखममद्दवज्जव-सच्चसउच्चं च संजमं चेव । तवचागमकिंचण्हं बम्ह इदि दसविहो धम्मो ॥३॥ उत्तमक्षमामार्दवार्जव-सत्यशौचं च सयमः चैव । तपस्त्याग. आकिञ्चन्य, ब्रह्म इति दशविध. धर्म. ॥३॥ ८३. ८४. Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્યાાતમુખ ૨૭ ૭૮. સમતામાં સ્થિત પુરુષના સંકલ્પ-વિકલ્પોનો નાશ થાય છે અને જે પદાર્થોનો સંકલ્પ તેને થાય છે તેમાં પણ વિષય સંબંધી તૃષ્ણા વધુને વધુ ક્ષીણ થતી જાય છે. ૭૯. શરીર ભિન્ન છે, આત્મા ભિન્ન છે એ પરમસત્યના બોધ વડ દેહનું દુઃખદાયક અને કલેશજનક મમત્વ દૂર કરી. મોક્ષની ઉપલબ્ધિ માટે, મન-વચન-કાયા દ્વારા કરણકરાવણ-અનુમોદન એમ ત્રણે પ્રકારે આશ્રવ દ્વારોને રોકો, ઈન્દ્રિયોને વશમાં રાખો તથા કષાયોને ખતમ કરો. અંતરથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત બની જાય છે. કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી એમ સંસારમાં રહેવા છતાં એવા મનુષ્યને દુ:ખોની પરંપરા અસર કરતી ન થી ૯. ધર્મસૂત્રા ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિસા સયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમે છે વસ્તુનો સ્વભાવ એ ધર્મ. ક્ષમા વગેરે દશ ગુણો એ ધર્મ છે; રત્નત્રયને પણ ધર્મ કહી શકાય અને જીવની રક્ષા-અહિસાને પણ ધર્મની વ્યાખ્યા ગણી શકાય. પરમ ક્ષમા, પરમ મૃદુતા(માર્દવ), પરમ ઋજુતા(આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય-આ દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ८५. ८६. ८७. ८८. ८९. ९०. ९१. कोहेण जो ण तप्पदि, सुर-णर- तिरिएहि कीरमाणे वि । उवसग्गे वि रउद्दे, तस्स खमा णिम्मला होदि ॥४॥ क्रोधेन यः न तप्यते, सुरनरतिर्यग्भिः क्रियमाणेऽपि । उपसर्गे अपि रौद्रे, तस्य क्षमा निर्मला भवति ||४|| खम्मामि सव्वजीवाणं, सव्वे जीवा खमंतु मे । मत्ती मे सव्वभूदेसु, वेरं मज्झं ण केण वि ॥५॥ क्षमे सर्वजीवान्, सर्वे जीवाः क्षमन्तां मम । मैत्री मे सर्वभूतेषु, वैरं मम न केनापि ||५|| जर किंचि पमाएणं, न सुठु भे वट्टियं मए पुव्विं । तं भे खामेमि अहं, निस्सल्लो निक्कसाओ अ ||६|| यदि किञ्चित् प्रमादेन, न सुष्ठु युष्माभिः सह वर्तितं मया पूर्वम् । तद् युष्मान् क्षमयाम्यहं निःशल्यो निष्कषायश्च ||६|| कुलरूवजादिबुद्धिसु, तवसुदसीलेसु गारवं किंचि । जो गवि कुव्वदि समणो, मद्दवर्धम्मं हवे तस्स ||७|| कुलरूपजातिवुद्धिषु, तपः श्रुतशीलेषु गौरव किञ्चित् । य. नैव करोति श्रमणः, मार्दवधर्मो भवेत् तस्य ||७|| जो अवमाणकरणं, दोसं परिहरइ णिच्चमाउत्तो । सो णाम होदि माणी, ण दु गुणचत्तेण माणेण ॥८॥ योऽपमानकरण, दोष परिहरति नित्यमायुक्त । सो नाम भवति मानी, न गुणत्यक्तेन मानेन ||८|| 1 સમણસુત્ત से असई उच्चागोए असई नीआगोए, नो हीणे नो अइरित्ते । नोऽपीह इति संखाए, के गोयावाई के माणावाई ? ||९|| स' असकृदुच्चैर्गोत्रः असकृन्नीचैर्गोत्र, नो हीनः नो अतिरिक्त. । न स्पृहयेत् इति सख्याय, को गोत्रवादी को मानवादी ? ||९| जो चिंतेइ ण वंकं, ण कुणदि वंकं ण जंपदे वंकं । णय गोवदि णियदोसं, अज्जव-धम्मो हवे तस्स ॥१०॥ यः चिन्तयति न वक्र, न करोति वक्रं न जल्पति वक्रम् । न च गोपयति निजदोषम्, आर्जवधर्मः भवेत् तस्य ||१०|| For Private Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૨૯ ૮૫ દેવો-મનુષ્યો-તિર્યંચો દ્વારા ગમે એવા ભયંકર ઉપદ્રવો. થાય તે છતાં ક્રોધ ન કરે તે આત્મામાં નિર્મલ ક્ષમાધર્મ છે એમ સમજવું. હું સર્વ જીવોને ક્ષમા કરું છું. સર્વે જીવો મને ક્ષમા આપે. સર્વ પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રીભાવ છે, કોઈનાય પ્રત્યે મને વેર નથી. પ્રમાદના કારણે પૂર્વે મેં તમારી સાથે જો કોઈ અનુચિત વ્યવહાર કર્યો હોય તો, શલ્ય અને કષાયથી મુક્ત બની, હું તેની ક્ષમા યાચું છું. જે શ્રમણ કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રત, શીલા વગેરેનો ગર્વ કરતો નથી તે ઉત્તમ માર્દવ(નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું. અપમાન થવાના કારણરૂપ દુર્ગુણ થી જે સાવધાનપણે દૂર રહે છે તે સાચી માનાર્હ છે. ગુણ ન હોવા છતાં ગર્વ કરવાથી માનાઈ થવાતું નથી. આ. આત્મા અનેકવાર ઉચ્ચગોત્રમાં અને અનેકવાર નીચ ગોત્રમાં જન્મ લઈ ચૂક્યો છે, પરંતુ એટલાથી તે નથી હીન બની જતો કે નથી ઉચ્ચ થઈ જતો માટે કોઈની અભિલાષા ન કરવી. આ સમજ્યા પછી કોણ ગોત્રવાદી બને ? કોણ માનવાદી બને? જે કુટિલ વિચાર નથી કરતો, કુટિલ કાર્ય નથી કરતો, કુટિલ વચન નથી બોલતો, જે પોતાના દોષને છૂપાવતો નથી એવો આત્મા આર્જવ (સરળતા) ધર્મને પામ્યો છે એમ સમજવું. ૯૧. Page #55 -------------------------------------------------------------------------- ________________ 30 ९२. ९३. ९४. ९५. ९६. ९७. ९८. परसंतावयकारण- वयणं, मोत्तूण सपरहिदवयणं । जो वददि भिक्खु तुरियो, तस्स दु धम्मो हवे सच्चं ॥११॥ परसतापककारण-वचनं, मुक्त्वा स्वपरहितवचनम् । यः वदति भिक्षुः तुरीयः, तस्य तु धर्मः भवेत् सत्यम् ||११|| मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥१२॥ मृषावाक्यस्य पश्चाच्च पुरस्ताच्च, प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददान, रूपेऽतृप्तो दुःखितोऽनिश्र. ||१२|| पत्थं हिदयाणिट्ठ पि, भण्णमाणस्स सगणवासिस्स । कडुगं व ओसहं तं महुरविवायं हवइ तस्स ॥१३॥ पथ्यं हृदयानिष्टमपि, भणमानस्य स्वगणवासिनः । कटुकमिवौषधं तत्, मधुरविपाक भवति तस्य ||१३|| विस्ससणिज्जो माया व, होइ पुज्जो गुरु व्व लोअस्स । सयणु व्व सच्चवाई, पुरिसो सव्वस्स होइ पिओ ||१४|| विश्वसनीयो मातेव भवति पूज्यो गुरुरिव लोकस्य । स्वजन इव सत्यवादी, पुरुषः सर्वस्य भवति प्रियः ||१४|| सच्चम्मि वसदि तवो, सच्चम्मि संजमो तह वसे सेसा वि गुणा । सच्चं णिबंधणं हि य, गुणाणमुदधीव मच्छाणं ||१५|| सत्ये वसति तपः, सत्ये संयमः तथा वसन्ति शेषा अपि गुणा 1 सत्य निवन्धन हि च, गुणानामुदधिरिव मत्स्यानाम् ||१५| जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई । दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ||१६|| यथा लाभस्तथा लोभः, लाभाल्लोभः प्रवर्धते । द्विमाषकृतं कार्य, कोट्याऽपि न निष्ठितम् ||१६|| સમણસુત્ત सुवण्णरुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ।।१७॥ सुवर्णरुप्यस्य च पर्वता भवेयुः स्यात् खलु कैलाससमा असंख्यकाः । नरस्य लुब्धस्य न तैः किञ्चित्, इच्छा खलु आकाशसमा अनन्तिका ।। For Private Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૧ ૯ ૨ અન્યને પીડા થાય એવાં વચનોનો ત્યાગ કરી, અને હિતકારી હોય એવાં વચનો જે બોલે છે તે સત્યધર્મને પામ્યો છે એમ જાણવું. ખોટું બોલતા પહેલા, ખોટું બોલ્યા પછી અને ખોટું બોલતી વખતે માણસ દુઃખી અને બેચેન હોય છે. એ જ રીતે ચોરી કરનારો અને રૂપદર્શનનો લોભી આત્મા પણ દુ:ખી અને અસ્થિર રહે છે. મનને અપ્રિય લાગે એવી હિતકર વાત સાંભળવી પડે તો, ગુરુકુલવાસમાં રહેનારા મુનિને માટે એ કડવી દવાની જેમ મધુર ફળ આપનારી બને છે. સત્યભાષી વ્યક્તિ, માતાની જેમ વિશ્વાસપાત્ર, ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ સૌને પ્રિય બને છે. સત્યમાં તપ છે, સત્યમાં સયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે લાભ વધારે, તો લોભ વધારે લાભથી લોભ વધે છે. બે માશા સોનાથી જે કાર્ય થઈ જાય તેમ હતું તે કરોડો સોનામહોરોથી પણ ન થયું. (બે માશા સોનું માગવા આવેલા બ્રાહ્મણપુત્રને રાજાએ વધુ માગવા કહ્યું તો તેની માંગણી વધતી વધતી રાજ્ય માગવા સુધી પહોંચી ગઈ હતી.) સોનાના અને ચાંદીના હિમાલય જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને સંતોષ થશે નહિ; કારણ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. ૯૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમણજીત્ત १००. १०१. १०२. जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति ॥१८॥ यथा च अण्डप्रभवा बलाका, अण्ड वलाकाप्रभव यथा च । एवमेव मोहायतन खलु तृण्णा, मोह च तृष्णायतनं वदन्ति ।।१८।। समसंतोसजलेणं, जो धोवदि तिव्व-लोहमल-पुंजं । भोयण-गिद्धि-विहीणो, तस्स सउच्चं हवे विमलं ॥१९॥ समसन्तोषजलेन, यः धोवति तीव्रलोभमलपुञ्जम् । भोजनगृद्धिविहीनः, तस्य शौचं भवेत् विमलम् ।।१९।। वय-समिदि-कसायाणं, दंडाणं तह इंदियाण पंचण्डं । धारण-पालण-णिग्गह-चाय-जओ संजमो भणिओ ॥२०॥ व्रतसमितिकपायाणा, दण्डानां तथा इन्द्रियाणा पञ्चानाम् । धारण-पालन-निग्रह-त्यागजयाः संयमो भणितः ।।२०।। विसयकसाय-विणिग्गहभावं, काऊण झाणसज्झाए । जो भावइ अप्पाणं, तस्स तवं होदि णियमेण ॥२१॥ विषयकषाय-विनिग्रहभाव, कृत्वा ध्यानस्वाध्यायान् । य. भावयति आत्मानं, तस्य तपः भवति नियमेन ।।२१।। णिव्वेदतियं भावइ, मोहं चइऊण सव्वदव्वेसु । जो तस्स हवे चागो, इदि भणिदं जिणवरिंदेहि ।।२२।। निवेदत्रिक भावयति, मोह त्यक्त्वा सर्वद्रव्येषु । यः तस्य भवति त्यागः, इति भणित जिनवरेन्द्रै . ॥२२॥ जे य कंते पिए भोए, लद्धे वि पिटिकुव्वइ । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चई ॥२३॥ यः च कान्तान् प्रियान् भोगान्, लब्धान विपृष्ठीकरोति । स्वाधीनान् त्यजति भोगान्, स हि त्यागी इति उच्यते ।।२३।। होउण य णिस्संगो, णियभावं णिग्गहित्तु सुहदुहदं । णिदेण दु वट्टदि, अणयारो तस्साऽऽकिंचण्णं ॥२४॥ भूत्वा च निस्सगः, निजभावं निगृह्य सुखदुःखदम् । निर्द्वन्द्वेन तु वर्तते, अनगारः तस्याऽऽकिञ्चन्यम् ।।२४।। १०३. १०४. १०५. Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૩ ૯૯. જેમ ઈડામાંથી બતક જન્મે છે અને બતકમાં થી ઈડું, એમ તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી તૃષ્ણા. ૧ ૦૦. ૧ ૦૧. સમતા અને સંતોષના જળ વડે જે તીવ્ર લોભરૂપી મેલને ધોઈ નાખે છે, ભોજનની પણ લાલસા જેને રહી. નથી એવા આત્માને નિર્મળ શૌચ ધર્મ પ્રાપ્ત થયો છે એમ સમજવું વ્રતોનું પાલન, દરેક કામમાં સાવધાની, કષાયોનો નિગ્રહ, કર્મબંધન કરાવે એવી કાયિક-વાચિક-માનસિક ક્રિયાનો ત્યાગ, ઈન્દ્રિયો પર કાબૂ–એ સંયમ ધર્મ છે. (કષાય આત્માને મલિન કરનારા મનોભાવ. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાય કહેવાય છે.) વિષયોમાં જતી ઈન્દ્રિયોનો તથા મનમાં ઊઠતા કષાયોનો. નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા જે વ્યક્તિ પોતાના આત્માને કેળવે છે તે તપધર્મયુક્ત છે એમ સમજવું. સર્વ પદાર્થોમાં થી આ સક્તિ દૂર કરીને સંસાર, શરીર અને ભોગો-એ ત્રણેય ઉપર જે વૈરાગ્યનો અભ્યાસ કરે તે આત્મા ત્યાગધર્મ પામ્યો છે એમ સમજવું. ૧ ૦ ૨. ૧૦૩ ૧૦૪. જે વ્યક્તિ સુંદર અને પ્રિય એવા ભોગો મળતા હોય છતાં તેની સામે ન જુએ અને સ્વાધીન હોય એવા સુખોનો પણ ત્યાગ કરે તે ખરો ત્યાગી કહેવાય ૧૦પ. સર્વ પરિગ્રહને છોડી, સુખ-દુ:ખને ઉત્પન્ન કરનાર પોતાના મનના ભાવોને અંકુશમાં લઈ, “મારું-તારું' જેવા દ્વન્દ્રોથી અલિપ્ત રહીને જે વિચારે છે તે મુનિ આકિંચન્યધર્મયુક્ત છે એમ સમજવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ३४ સમણસુત્ત १०६. अहमिक्को खलु सुद्धो, दंसणणाणमइओ सदाऽरूवी । ण वि अस्थि मज्झ किंचि वि, अण्णं परमाणुमित्तं पि ॥२५॥ अहमेक खलु शुद्धा, दर्शनज्ञानमय सदाऽरूपी । नाप्यस्ति मम किञ्चिदप्यन्यत् परमाणुमात्रमपि ।।२५।। १०७-१०८. सुहं वसामो जीवामो, जेसिं णो नत्थि किंचण । मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचण ॥२६॥ चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जई किंचि, अप्पियं पि न विज्जए ॥२७॥ सुख वसामो जीवाम , येपाम् अस्माक नास्ति किञ्चन । मिथिलायां दह्यमानाया, न मे दह्यते किञ्चन ॥२६॥ त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षोः। प्रिय न विद्यते किञ्चित्, अप्रियमपि न विद्यते ।।२७।। १०९. जहा पोम्मं जले जायं, नोवलिप्पइ वारिणा । एवं अलित्तं कामेहिं, तं वयं बूम माहणं ॥२८॥ यथा पद्म जले जात, नोपलिप्यते वारिणा । एवमलिप्तं कामै., त वयं ब्रूमो ब्राह्मणम् ॥२८॥ दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाई॥२९।। दु.ख हत यस्य न भवति मोहः, मोहो हतो यस्य न भवति तृष्णा । तृष्णा हता यस्य न भवति लोभ , लोभो हतो यस्य न किञ्चन।।२९।। १११ जीवो बंभ जीवम्मि, चेव चरिया हविज्ज जा जदिणो । तं जाण बंभचेरं, विमुक्कपरदेहतित्तिस्स ॥३०॥ जीवो ब्रह्म जीवे, चैव चर्या भवेत् या यते. । तद् जानीहि ब्रह्मचर्य, विमुक्त-परदेहतृप्तेः ।।३०।। ११२. सव्वंगं पेच्छंतो, इत्थीणं तासु मुयदि दुब्भावं । सो बम्हचेरभावं, सुक्कदि खलु दुद्धरं धरदि ॥३१॥ सर्वाग प्रेक्षमाणः स्त्रीणां तासु मुञ्चति दुर्भावम् । स ब्रह्मचर्यभावं, सुकृती खलु दुर्धरं धरति ।।३१।। ११०. Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૫ દર્શન-જ્ઞાનમય, અરૂપી એવો હું સદા એકાકી જ છું. પરમાણુ જેટલી પણ અન્ય કોઈ વસ્તુ મારી નથી ૧૦૭-૧૦૮ અમારું કહી શકાય એવું કશું જેની પાસે છે નહિ એવા અમે સુખેથી રહીએ છીએ, સુખેથી જીવીએ છીએ. મિથિલાનગરી બળતી હોય તો તેમાં અમારું કંઈ બળતું નથી. પુત્ર અને પત્ની આદિનો ત્યાગ કરનાર અને જેને કોઈ વ્યવસાય નથી એવા મુનિ માટે કોઈ વસ્તુ પ્રિય નથી, કોઈ વસ્તુ અપ્રિય નથી. ૧૦૯. પાણીમાં જન્મેલું કમળ પાણીથી ભીંજાતું નથી તેમ જ વ્યકિત (ક્રમભોગોની વચ્ચે રહેતી હોવા છતાં) કામભોગોથી. લેપાતી નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૧.૧૦. જેને મોહ નથી તેને દુઃખ નથી; જેણે તૃષ્ણાનો નાશ કર્યો તેણે મોહનો નાશ કર્યો, જેણે લોભને દૂર કર્યો તેણે તૃષ્ણાને દૂર કરી અને જેણે સંગ્રહ તજ્યો તેણે લોભને જ્યો. ૧૧. ૧. બ્રહ્મ એટલે આત્મા. દેહ અને પરની આસક્તિથી મુક્ત મુનિ બ્રહ્મને અર્થે જે આચરણ કરે તેને બ્રહ્મચર્ય કહે છે. ૧૧ ૨. નારીના સુંદર અંગો દષ્ટિ સમક્ષ આવવા છતાં જે પોતાના ચિત્તમાં મલિનભાવ અનુભવતો નથી એ ધન્ય આત્મા કઠિન બ્રહ્મચર્યભાવને ધારણ કરનારો છે એમ જાણવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ સમણાં ११३. जउकुंभे जोइउवगूढे, आसुभितत्ते नासमुवयाइ । एवित्थियाहि अणगारा, संवासेण नासमुवयंति ॥३२॥ जतुकुम्भो ज्योतिरुपगूढ. आश्चभितप्तो नाशमुपयाति । एवं स्त्रीभिरनगारा, संवासेन नाशमुपयान्ति ॥३२॥ ११४. एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गंगासमाणा ॥३३॥ एताश्च सगान् समतिक्रम्य, सुदुस्तराश्चैव भवन्ति शेपाः । यथा महासागरमुत्तीर्य, नदी भवेदपि गंगासमाना ।।३३।। ११५. जह सोलरक्खयाणं, पुरिसाणं णिदिदाओ महिलाओ । तह सीलरक्खयाणं, महिलाणं किंदिदा पुरिसा ॥३४॥ यथा शीलरक्षकाणां, पुरुपाणा निन्दिता भवन्ति महिलाः । तथा शीलरक्षकाणा, महिलानां निन्दिता भवन्ति पुरुषाः ||३४|| ११६. किं पुण गुणसहिदाओ, इत्थीओ अत्थि वित्थडजसाओ । णरलोगदेवदाओ, देवेहिं वि वंदणिज्जाओ ॥३५॥ कि पुनः? गुणसहिताः, स्त्रिय. सन्ति विस्तृतयशसः । नरलोकदेवता देवैरपि वन्दनीया. ||३५।। ११७. तेल्लोक्काडविडहणो, कामग्गी विसयरुक्खपज्जलिओ । जोव्वणतणिल्लचारी, जं ण डहइ सो हवइ धण्णो ॥३६॥ त्रैलोक्याटविदहन, कामाग्निर्विषयवृक्षप्रज्वलित । यौवनतृणसचरणचतुरः, यं न दहति स भवति धन्यः ।।३६।। ११८. जा जा वच्चई रयणी, न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ॥३७॥ या या व्रजति रजनी, न सा प्रतिनिवर्तते । अधर्म कुर्वाणस्य, अफलाः यान्ति रात्रय. ||३७।। Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૭ ૧૧૩. અગ્નિની સમીપ રહેલો લાખનો ઘડો જલદીથી ગરમ થઈ પીગળી જાય છે એવી જ રીતે સ્ત્રીના નિકટ સહવાસથી મુનિના સંયમનો પણ નાશ થાય છે. ૧૧૪. જે સાધક-સાધિકા વિષયાસક્તિને પેલે પાર પહોંચી જાય છે તેને માટે બાકીની આસક્તિઓ ઓળગાવી સહેલી બની જાય છે; જેમ મહાસાગર પાર કરનારને ગંગા જેવી મોટી નદીઓ પાર કરવી સહેલી બની જાય છે, તેમ. ૧ ૧૫. શીલના રક્ષણમાં સાવધાન રહેવા માટે પુરુષની સામે જેમ સ્ત્રીઓને નિદનીય રૂપે વર્ણવામાં આવે છે, તેવી જ રીતે શીલધારક સ્ત્રીઓ માટે પુરુષો પણ એટલા જ નિદનીય સમજી લેવા જોઈએ. જગતમાં એવી ગુણ સંપન્ન સ્ત્રીઓ પણ છે કે જેનો યશ સર્વત્ર ફેલાયેલો છે, જે મનુષ્યલોકની દેવતાઓ સમાન છે, ને જે દેવોને પણ વદનીય છે ११७ કામાગ્નિ વિષયરૂપી વૃક્ષમાંથી પ્રગટે છે, યૌવનરૂપી ઘાસ એનો ચારો છે; ત્રણ લોકરૂપી વનને બાળવાની શક્તિ ધરાવતો એ અગ્નિ જેને બાળતો નથી તે પુરુષને (અને તે નારીને ધન્ય છે ૧૧૮. જે રાત વીતી ગઈ તે પાછી આવવાની નથી, અધર્મ આચરનારાઓનો સમય વ્યર્થ વહી જાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ३८ સમણસુd ११९-१२०. जहा य तिण्णि वणिया, मूलं घेत्तूण निग्गया । एगोऽत्थ लहई लाहं, एगो मूलेण आगओ ॥३८॥ एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ॥३९॥ यथा च त्रयो वणिज., मूल गृहीत्वा निर्गता. । एकोऽत्र लभते लाभम, एको मूलेन आगतः ||३८।। एक मूलम् अपि हारयित्वा, आगतस्तत्र वाणिज. । व्यवहारे उपमा एषा, एवं धर्मे विजानीत ।।३९।। १२१. अप्पा जाणइ अप्पा, जहडिओ अप्पसक्खिओ धम्मो । अप्पा करेइ तं तह, जह अप्पसुहावओ होइ ।।४०॥ आत्मानं जानाति आत्मा, यथास्थित आत्मसाक्षिको धर्मः । आत्मा करोति तं तथा, यथा आत्मसुखापको भवति ।।४।। १२२. १०. संयमसूत्र अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥१॥ आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली । आत्मा कामदुधा धेनुः, आत्मा मे नन्दनं वनम् ।।१।। १२३. अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्टिओ ॥२॥ आत्मा कर्ता विकर्ता च, दुःखानां च सुखाना च । आत्मा मित्रममित्रम् च, दुष्प्रस्थितः सुप्रस्थितः ।।२।। १२४. एगप्पा अजिए सत्तू, कसाया इन्दियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ! ॥३॥ एक आत्माऽजित. शत्रु., कपाया इन्द्रियाणि च । तान् जित्वा यथान्यायं, विहराम्यह मुने ! ।।३।। Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧ ૧૯-૧ ૨૦ ૩૯ ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને નીકળ્યા એકે નફો કર્યો, બીજો મુદ્દલ લઈને પાછો આવ્યો, ત્રીજો વેપારી મૂળ રકમ ગુમાવીને પાછો ફર્યો. એવું જ ધર્મ વિષે પણ સમજવું. ૧ ૨૧. આત્મા આત્માને જાણે છે આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે. ૧૦. સંયમસૂત્ર ૧ ૨ ૨ આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કૃશાલ્મલી વૃક્ષ છે આત્મા જ કામધેનું છે અને આત્મા જ નંદનવન (આત્મા જ નર્ક છે, આત્મા જ સ્વર્ગ છે વૈતરણી નદી અને કૃશાલ્મલી વૃક્ષ નર્કમાં આવેલાં કહેવાય છે, કામધેનુ ગાય અને નદનવન સ્વર્ગમાં આવેલા કહેવાય છે.) આત્મા જ સુખ-દુ:ખનો કર્તા છે અને સુખદુ:ખનો ભોક્તા છે. સન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો મિત્ર છે, ઉન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો શત્રુ છે. ૧ ૨ ૩. ૧ ૨૪. એક તો ન જીતાયેલો આત્મા આપણો શત્રુ છે, બીજા, ન જીતાયેલા કષાય અને ન જીતાયેલી ઈન્દ્રિયો આપણા ખરા શત્રુ છે હે મુનિવર! એ બધાંને જીતી લઈને હું યથાયોગ્યપણે વિચારું છું. Page #65 -------------------------------------------------------------------------- ________________ ४० સમણસુત્ત १२५. १२६. जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥४॥ यः सहस्र सहस्राणा, सग्रामे दुर्जये जयेत् । एकं जयेदात्मानम्, एष तस्य परमो जयः ।।४।। अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥५॥ आत्मानमेव योधयस्व, कि ते युद्धेन बाह्यत. । आत्मानमेव आत्मानं, जित्वा सुखमेधते ।।५।। अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥६॥ आत्मा चैव दमितव्यः, आत्मा एव खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति, अस्मिल्लोके परत्र च ॥६॥ वरं मे अप्पा दंतो संजमेण तवेण य । माऽहं परेहिं दम्मतो, बंधणेहिं वहेहि य ॥७॥ वर मयात्मा दान्त., संयमेन तपसा च । माऽह परैर्दम्यमान., बन्धनैर्वधैश्च ।।७।। १२७. १२८. १२९. १३०. एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं ॥८॥ एकतो विरति कुर्यात् एकतश्च प्रवर्तनम् । असयमानिवृत्ति च, सयमे च प्रवर्तनम् ।।८।। रागे दोसे य दो पावे, पावकम्म-पवत्तणे । जे भिक्खू संभई निच्चं, से न अच्छइ मंडले ।।९।। रागो द्वेष. च द्वौ पापौ, पापकर्मप्रवर्तकौ ।। यो भिक्षु रुणद्रि नित्य, स न आस्ते मण्डले ।।९।। नाणेण य झाणेण य, तवोबलेण य बला निरुभंति । इंदियविसयकसाया, धरिया तुरगा व रज्जूहिं ॥१०॥ ज्ञानेन च ध्यानेन च, तपोबलेन च बलान्निरुध्यन्ते । इन्द्रियविषयकपाया, धृतास्तुरगा इव रज्जुभिः ।।१०।। १३१. Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧ ૨૫. ૪૧ કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. ૧ ૨ ૬ બહારની લડાઈથી શું વળશે? પોતાની જાત સાથે જ લડ. પોતે પોતાને જીતીએ તો જ સાચું સુખ મળે છે. ૧ ૨૭. પોતાની જાતને જ તાબે કરવી જોઈએ. આત્મવિજય સૌથી અઘરો છે. જાતને જીતનારા આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. ૧ ૨૮. હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ. ૧ ૨૯. એક વસ્તુથી નિવૃત્ત થવા જેવું છે અને બીજી એક વસ્તુમાં પ્રવૃત્તિ કરવા જેવી છે. અસંયમથી નિવૃત્તિ કરવી અને સંયમમાં પ્રવૃત્તિ કરવી ૧ ૩૦. રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. ૧ ૩૧. જેવી રીતે લગામ વડે અશ્વને રોકવામાં આવે છે તેમ જ્ઞાન, ધ્યાન અને તપના આધારે ઈન્દ્રિયો, વિષયો તથા કષાયોનો નિગ્રહ કરી શકાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમણસુત્ત १३२. १३३. उवसामं पुवणीता, गुणमहता जिणचरित्तसरिसं पि । पडिवातेति कसाया, किं पुण सेसे सरागत्थे ॥११॥ उपशमम् अप्युपनीता, गुणमहान्तं जिनचरित्रसदृशमपि । प्रतिपातयन्ति कषायाः, किं पुनः शेषान् सरागस्थान् ।।११।। इह उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं, थेवे वि कसायसेसम्मि ॥१२॥ इह उपशान्तकषायो, लभतेऽनन्तं पुनरपि प्रतिपातम् । न हि युष्माभिर्विश्वसितव्यं स्तोकेऽपि कषायशेषे ।।१२।। अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं, थोवं पि हु तं बहु होइ ॥१३॥ ऋणस्तोकं व्रणस्तोकम्, अग्निस्तोकं कषायस्तोक च । न हि भवद्भिर्विश्वसितव्य, स्तोकमपि खलु तद् बहु भवति ।।१३।। कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया, मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥१४॥ क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ||१४|| १३४. १३६. १३७. उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥१५॥ उपशमेन हन्यात् क्रोधं, मानं मार्दवेन जयेत् । माया च आर्जवभावेन, लोभ सन्तोषतो जयेत् ।।१५।। जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झप्पेण समाहरे ॥१६॥ यथा कूर्मः स्वागानि, स्वके देहे समाहरेत् । एवं पापानि मेधावी, अध्यात्मना समाहरेत् ।।१६।। से जाणमजाणं वा, कट्टुं आहम्मि पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ॥१७॥ स जानन् अजानन् वा, कृत्वा अधार्मिकं पदम् । संवरेत् क्षिप्रमात्मान, द्वितीयं तत् न समाचरेत् ।।१७॥ १३८. Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧ ૩ ૨. ૪૩ ઉચ્ચ કોટિના ગુણવાન અને જિનેશ્વર સમાન ચારિત્રધારી મુનિ કષાયોને શાંત કરી દે છે, પરંતુ (નિમિત્ત મળતાં ફરી જાગૃત થઈને) કષાયો એવા મુનિને પણ પાડી નાખે છે, તો અન્ય સરાગી મુનિનું શું કહેવું? કષાયોને ઉપશાંત કરનાર પણ જો ફરીથી અનંતગણી પતિત અવસ્થાને પામતો હોય તો, કષાય ભલે થોડો રહ્યો હોય તો પણ, તેનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. ૧ ૩૩ ૧ ૩૪. થોડુંક કરજ, નાનો ઘા, નાનકડી આગ કે જરાક જેટલો કષાય – આ બધાંનો તમારે કદી વિશ્વાસ ન કરવો. એમને નાનામાંથી મોટું રૂપ લેતાં વાર લાગતી નથી. ૧ ૩૫. ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. ૧ ૩૭. કાચબો પોતાના અંગોને પોતાની અંદર લઈ લે છે એમ વિચારશીલ પુરુષ આત્મલક્ય વડે પાપોનું સંવરણ કરે. ૧ ૩૮. જાણતાં કે અજાણતાં ધર્મવિરુદ્ધ કાર્ય થઈ જાય તો સાધકે પોતાની જાતનું જલદીથી સંવરણ કરવું અને ફરીથી એ ભૂલ થવા ન દેવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ સમણજીત્ત १३९. धम्माराम चरे भिक्खू, धिइमं धम्मसारही । धम्मारामरए दंते, बम्भचेरसमाहिए ॥१८॥ धर्माराम चरेद् भिक्षुः, धृतिमान् धर्मसारथिः । धर्मारामरतो दान्तः ब्रह्मचर्यसमाहितः ।।१८।। ११. अपरिग्रहसूत्र १४०. संगनिमित्तं मारइ, भणइ अलीअं करेइ चोरिक्कं । सेवइ मेहुणं मुच्छं, अप्परिमाणं कुणइ जीवो ॥१॥ संगनिमित्तं मारयति, भणत्यलीकं करोति चोरिकाम् । सेवते मैथुनं मूर्छामपरिमाणां करोति जीवः ।।१।। १४१. चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि । अनं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चई ॥२॥ चित्तवन्तमचित्तं वा, परिगृह्य कृशमपि । अन्यं वा अनुजानाति, एवं दुःखात् न मुच्यते ।।२।। १४२. जे ममाइयमतिं जहाति, से जहाति ममाइयं । से हु दिठ्ठपहे मुणी, जस्स नत्थि ममाइयं ॥३॥ यो ममायितमति जहाति, स त्यजति ममायितम् । स खलु दृष्टपथः मुनिः, यस्य नास्ति ममायितम् ॥३॥ १४३-१४४. मिच्छत्तवेदरागा, तहेव हासादिया य छद्दोसा । चत्तारि तह कसाया, चउदस अब्भंतरा गंथा ॥४॥ बाहिरसंगा खेत्तं, वत्थु धणधनकुप्पभांडाणि । दुपयचउप्पय जाणाणि, केव सयणासणे य तहा ॥५॥ मिथ्यात्ववेदरागाः, तथैव हासादिका. च पड्दोपाः । चत्वारस्तथा कपायाः, चतुर्दश अभ्यन्तरा. ग्रन्था ।।४।। वाह्यसंगा. क्षेत्र, वास्तुधनधान्यकुप्यभाण्डानि । द्विपदचतुष्पदानि यानानि, चैव शयनासनानि च तथा ||५|| १४५. सव्वगंथविमुक्को, सीईभूओ पसंतचित्तो अ । जं पावइ मुत्तिसुहं, न चक्कवट्टी वि तं लहइ ॥६॥ सर्वग्रन्थविमुक्तः, शीतीभूतः प्रशान्तचित्तश्च । यत्प्राप्नोति मुक्तिसुखं, न चक्रवर्त्यपि तल्लभते ।।६।। Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧૩૯. ૪૫ વૈર્યવાન, ધર્મરૂપી રથના સારથી, ધર્મઉદ્યાનમાં રમવાના પ્રેમી, પોતાની જાતને વશમાં રાખનાર મુનિ બ્રહ્મચર્ય દ્વારા શાંત બનીને ધર્મઉદ્યાનમાં આનંદથી વિચરે. ૧૪ ૦. ૧૧. અપરિગ્રહસૂત્રા પરિગ્રહવૃત્તિના કારણે મનુષ્ય હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે અને પોતાની પાસે જે કંઈ હોય તેમાં ખૂબ આસક્ત રહે છે. ૧૪૧. સજીવ કે નિર્જીવ એવી નાનકડી વસ્તુનો પણ પરિગ્રહ કરનાર કે તેની અનુમોદના કરનાર આત્મા દુઃખમુક્ત થઈ શકતો નથી. ૧૪ ૨ જે મમત્વને ત્યજી શકે છે તે જ પરિગ્રહને તજી શકે છે. તે મુનિએ માર્ગ જોયો છે, જેણે પરિગ્રહ તન્યો છે. ૧૪ ૩-૧૪૪. મિથ્યાત્વ, સ્ત્રીભાવ, પુરુષભાવ, નપુંસકભાવ, હાસ્ય, રતિ(ખુશી), અરતિ(કંટાળો), શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ–આ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે. ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્ર, વાસણ, નોકર-ચાકર, પશુ, વાહન, બિછાનાં અને ખુરશી-પલંગ-રાચ-રચીલું – આ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. ૧૪પ સર્વ પરિગ્રહથી મુક્ત, શીતળ, પ્રસન્નચિત્ત શ્રમણને સંતોષ દ્વારા જેવું સુખ મળે છે તેવું સુખ ચક્રવર્તીને પણ મળતું નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ४६ १४६. १४७. १४८. १४९. १५०. १५१. १५२. સમણસુત્ત गंथच्चाओ इंदिय- णिवारणे अंकुसो व हत्थिस्स । णयरस्स खाइया वि य, इंदियगुत्ती असंगत्तं ॥७॥ ग्रन्थत्यागः इन्द्रिय-निवारणे अंकुश इव हस्तिनः । नगरस्य खातिका इव च, इन्द्रियगुप्तिः असगत्वम् ||७|| १२. अहिंसासूत्र एयं खु नाणिणो सारं, जं न हिंसइ कंचणं । अहिंसासमयं चेव, एतावंते वियाणिया ||१|| एतत् खलु ज्ञानिनः सारं यत् न हिनस्ति कञ्चन । अहिंसां समतां चैव, एतावतीं विजानीयात् ||१|| सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥२॥ सर्वे जीवाः अपि इच्छन्ति, जीवितुं न मर्तुम् । तस्मात्प्राणवधं घोरं, निर्ग्रन्थाः वर्जयन्ति नु ॥२॥ जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, ण हणे णो वि घायए ॥३॥ यावन्तो लोके प्राणा- स्त्रसा अथवा स्थावराः । तान् जानन्नजानन्वा, न हन्यात् नोऽपि घातयेत् ||३ || जह ते न पिअं दुक्खं, जाणिअ एमेव सव्वजीवाणं । सव्वायरमुव उत्तो, अत्तोवम्मेण कुणसु दयं ॥ ४ ॥ यथा ते न प्रियं दुःखं, ज्ञात्वैवमेव सर्वजीवानाम् । सर्वादरमुपयुक्तः, आत्मौपम्येन कुरु दयाम् ||४|| जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ । ता सव्वजीवहिंसा, परिचत्ता अत्तकामेहिं ॥५॥ जीववध आत्मवधो, जीवदयाऽऽत्मनो दया भवति । तस्मात् सर्वजीवहिंसा, परित्यक्ताऽऽत्मकामैः ||५|| तुमं सि नाम स चेव, जं हंतव्वं ति मनसि । तुम सि नाम स चेव, जं अज्जावेयव्वं ति मन्नसि ||६|| त्वम् असि नाम स एव, यं हन्तव्यमिति मन्यसे । त्वम् असि नाम स एव यमाज्ञापयितव्यमिति मन्यसे ||६|| Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૪૭ ૧૪૬. હાથીને કાબૂમાં રાખવા માટે અંકુશ હોય છે તેમ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા પરિગ્રહ ત્યાગ જરૂરી છે. નગરના રક્ષણ માટે ખાઈ લેય છે તેમ ઈન્દ્રિયોના સંયમ માટે પરિગ્રહત્યાગ આવશ્યક છે. ૧૪૭. ૧૨. અહિંસાસુત્ર જ્ઞાનીપણાનો સાર એ જ છે કે કોઈ પણ પ્રાણીની હિસા ન કરવી, અહિસા એ જ સમતા છે, એ વાત બરાબર સમજી લો. ૧૪૮. સર્વ જીવો જીવવા ઈચ્છે છે, મરવા નહિ. માટે ભયંકર એવી પ્રાણી હિંસાથી નિર્ગુન્હો દૂર રહે છે. ૧૪૯. જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેને જાણતાં કે અજાણતાં પોતે મારવા નહિ અને બીજાની પાસે મરાવવા નહિ. (વસ હાલી ચાલી શકે એવા. સ્થાવર=હાલી ચાલી ન શકે તેવા.) જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ ગમતું નથી. સૌને પોતાના સમાન ગણીને ખુબ આદર અને સાવધાનીથી, સર્વ જીવો પર દયા રાખો. ૧પ૦. ૧પ૧. કોઈ જીવને મારવો એ પોતાને મારવા બરાબર છે; કોઈના પર દયા કરવી એ પોતાની ઉપર દયા કરવા બરાબર છે. તેથી આત્મહિતૈષી જનો સર્વજીવોની હિંસાથી દૂર રહે છે. જેને તું મારવા યોગ્ય માને છે તે તું જ છે, જેને તું તાબામાં રાખવા યોગ્ય ગણે છે તે તું જ છે. ૧૫.૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ સમણસુd १५३. १५४. १५५. १५६. रागादीणमणुप्पाओ, अहिंसकत्तं त्ति देसियं समए । तेसिं चे उप्पत्ती, हिंसेत्ति जिणेहि णिहिछ ।।७।। रागादीनामनुत्पादः, अहिंसकत्वमिति देशितं समये । तेषां चेद् उत्पत्तिः, 'हिंसा' इति जिनैर्निर्दिष्टा ।।७।। अज्झवसिएण बंधो, सत्ते मारेज्ज मा थ मारेज्ज । एसो बंधसमासो, जीवाणं णिच्छयणयस्स ॥८॥ अध्यवसितेन बन्धः, सत्वान् मारयेद् मा अथ मारयेत् । एष बन्धसमासो, जीवानां निश्चयनयस्य ।।८।। हिंसादो अविरमणं, वहपरिणामो य होइ हिंसा हु । तम्हा पमत्तजोगो, पाणव्ववरोवओ णिच्चं ॥९॥ हिंसातोऽविरमणं, वधपरिणामः च भवति हिंसा हि । तस्मात् प्रमत्तयोगो, प्राणव्यपरोपको नित्यम् ||९|| णाणी कम्मस्स खयत्थ-मुट्ठिदो णोहिदो य हिंसाए। अददि असढं अहिंसत्थं, अप्पमत्तो अवधगो सो ॥१०॥ ज्ञानी कर्मणः क्षमार्थ-मुत्थितो नोत्थितः च हिंसायै । यतति अशठम् अहिंसार्थम् अप्रमत्तः अवधकः सः ।।१०।। अत्ता चेव अहिंसा, अत्ता हिंसत्ति णिच्छओ समए । जो होदि अप्पमत्तो, अहिंसगो हिंसगो इदरो ॥११॥ आत्मैवाहिंसाऽऽत्मा हिंसेति निश्चयः समये । यो भवति अप्रमत्तोऽहिंसकः, हिंसकः इतरः ।।११।। तुंगं न मंदराओ, आगासाओ विसालयं नत्थि । जह तह जयंमि जाणसु, धम्ममहिसासमं नत्थि ॥१२॥ तुंग न मन्दरात्, आकाशाद्विशालकं नास्ति । यथा तथा. जगति जानीहि, धर्मोऽहिंसासमो नास्ति ।।१२।। अभयं पत्थिवा ! तुब्भं, अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि, किं हिंसाए पसज्जसि ॥१३॥ अभयं पार्थिव ! तुभ्यम् अभयदाता भव च । अनित्ये जीवलोके, किं हिंसायां प्रसज्जसि ।।१३।। १५७. १५८. १५९. Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૪૯ ૧૫૩. રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે – એમ જિનેશ્વરોએ કહ્યું ૧૫૪ જીવને મારે કે ન મારે કિંતુ મારવાના ભાવ હોય તો કર્મ બંધાય છે. જીવો કર્મ બાંધે છે તેની પાછળનો વાસ્તવિક નિયમ ટૂંકમાં આટલો જ છે. ૧૫૫. હિંસાનો(સમજપૂર્વક) ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી હિંસા ચાલુ છે. (હિંસા કરે કે ન કરે) હિંસાના ભાવ એ હિંસા છે, માટે જ જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. ૧૫૬. જ્ઞાની કર્મક્ષય માટે પ્રવૃત્તિ કરે છે. હિંસા માટે નહિ, જે સાચા હૃદયથી અહિંસા માટે પ્રયત્નશીલ હોય એવો અપ્રમત્ત આત્મા સદા અહિંસક છે. ૧૫૭. આત્મા જ હિંસા છે, ને આત્મા જ અહિંસા છે – આ અંતિમ નિષ્કર્ષ છે. અપ્રમાદી હોય એ અહિંસક છે, પ્રમાદી હોય તે હિંસક છે. ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી, તેવી જ રીતે જગતમાં અહિસાથી ઊંચો કોઈ ધર્મ નથી. ૧૫૯, હે રાજન્ ! તને અભય છે ને તું પણ બીજાને અભયદાતા બન. આ ટૂંકી જિંદગીમાં તું શા માટે હિંસાનો આશરો લઈ રહ્યો છે ? Page #75 -------------------------------------------------------------------------- ________________ १३. अप्रमादसूत्र १६०. १६१. १६२. इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिच्चं । तं एवमेव लालप्पमाणं, हरा हरंति त्ति कहं पमाए ? ॥१॥ इद च मेऽस्ति इद च नास्ति, इद च मे कृत्यमिदमकृत्यम् । तमेवमेव लालप्यमान, हरा हरन्तीति कथ प्रमाद. ? ||१|| सीतंति सुवंताणं, अत्था पुरिसाण लोगसारत्था । तम्हा जागरमाणा, विधुणध पोराणयं कम्मं ॥२॥ सीदन्ति स्वपताम्, अर्थाः पुरुषाणां लोकसारा.. । तस्माज्जागरमाणा, विधूनयत पुराणकं कर्म ॥२॥ जागरिया धम्मीणं, अहम्मीणं च सुत्तया सेया । वच्छाहिवभगिणीए, अकहिंसु जिणो जयंतीए ॥३॥ जागरिका धर्मिणाम्, अधर्मिणा च सुप्तता श्रेयसी । वत्साधिपभगिन्याः, कथितवान् जिनः जयन्त्याः ।।३।। सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पण्डिए आसुपण्णे । घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो ॥४॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः । घोराः मुहूर्ता अबलं शरीरम, भारण्डपक्षीव चरेद् अप्रमत्तः ।।४।। पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तब्भावादेसओ वावि, बालं पंडियमेव वा ॥५॥ प्रमाद कर्म आहु-रप्रमादं तथाऽपरम् । तभावादेशतो वापि, बालं पण्डितमेव वा ।।५।। न कम्मुणा कम्म खति वाला, अकम्मुणा कम्म खति धीरा । मेधाविणो लोभमया वतीता, संतोसिणो नो पकरेंति पावं ॥६॥ न कर्मणा कर्म क्षपयन्ति बाला, अकर्मणा कर्म क्षपयन्ति धीराः । मेधाविनो लोभमदाद् व्यतीताः, सन्तोषिणो नो प्रकुर्वन्ति पापम् ।।६।। १६३. १६४. १६६. सव्वओ पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स नत्थि भयं ॥७॥ सर्वतः प्रमत्तस्य भयं, सर्वतोऽप्रमत्तस्य नास्ति भयम् ।।७।। Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩. અપ્રમાદસૂત્ર ૧૬ ૦. આ મારી પાસે છે, આ નથી; આ મેં કરી લીધું, આ બાકી છે; એવો બડબડાટ કરી રહેલા માનવીને કાળ જોતજોતામાં ઉઠાવી જાય છે. આ સ્થિતિમાં પ્રમાદ કરાયા જ કેમ? જગતમાં સારભૂત એવા જ્ઞાનાદિ પદાર્થોને સૂઈ રહેનારો. આત્મા ખોઈ નાખે છે. માટે જાગૃત રહીને પુરાણાં કર્મોને ખંખેરતા રહો. ૧ ૬૧, ૧.૬ ૨. ભગવાન મહાવીરે વત્સ દેશના રાજા શતાનિકની બહેન જયંતીને કહ્યું હતું : “ધર્મવાન આત્મા જાગતો સારો, અધર્મી સૂતેલો સારો.” ૧૬ ૩. સૂતેલા લોકોની વચ્ચે પણ પ્રજ્ઞાવાન મનુષ્ય જાગૃત જીવન ગાળે; એ ક્યારેય પ્રમાદ ન કરે. કાળ નિર્દય છે, શરીર નિર્બળ છે; માટે ભારંડપક્ષીની જેમ સદા સાવધાન રહેવું. પ્રમાદ એ જ કર્મ છે, અપ્રમાદ એ જ અકર્મ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. પ્રમાદી વ્યક્તિ બાળ(અજ્ઞાની) છે, અપ્રમાદી પંડિત (જ્ઞાની) છે ૧૬૪. ૧૬૫. બાળજીવો કર્મ(પ્રવૃત્તિઓ દ્વારા કર્મને ક્ષય કરવા ઈચ્છે છે, પણ તેમ થતું નથી. જ્ઞાનીજનો અકર્મ(નિવૃત્તિ) દ્વારા કર્મોનો ક્ષય કરે છે. લોભ અને ભયથી મુક્ત અને સંતોષી એવા મેધાવી પુરુષો પાપથી બચે છે. ૧૬ ૬. પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે, અપ્રમત્તને કોઈ ભય નથી હોતો. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર સમણમુક્ત १६७. नाऽऽलस्सेण समं सुक्खं, न विज्जा सह निद्दया । न वेरग्गं ममत्तेणं, नारंभेण दयालुया ॥८॥ नाऽऽलस्येन समं सौख्यं, न विद्या सह निद्रया । न वैराग्यं ममत्वेन, नारम्भेण दयालुता ।।८।। १६८. जागरह नरा ! णिच्चं, जागरमाणस्स वड्ढते बुद्धी । जो सुवति ण सो धन्नो, जो जग्गति सो सया धन्नो ॥९॥ जागृत नराः ! नित्यं, जागरमाणस्य वर्द्धते बुद्धिः । यः स्वपिति न सो धन्यः, यः जागर्ति स सदा धन्यः ॥९॥ १६९. आदाणे णिक्खेवे, वोसिरणे ठाणगमणसयणेसु । सव्वत्थ अप्पमत्तो, दयावरो होदु हु अहिंसओ ॥१०॥ आदाने निक्षेपे, व्युत्सर्जने स्थानगमनशयनेषु । सर्वत्राऽप्रमत्तो, दयापरो भवति खल्वहिंसकः ।।१०।। १४. शिक्षासूत्र १७०. विवत्ती अविणीअस्स, संपत्ती विणीअस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ ॥१॥ विपत्तिरविनीतस्य, संपत्तिर्विनीतस्य च । यस्यैतद् द्विधा ज्ञातं शिक्षां सः अधिगच्छति ||१|| १७१. अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा न लब्भई । थम्भा कोहा पमाएणं, रोगेणाऽलस्सएण य ॥२॥ अथ पञ्चभिः स्थानैः, यैः शिक्षा न लभ्यते । स्तम्भात् क्रोधात् प्रमादेन, रोगेणालस्यकेन च ।।२।। १७२-१७३. अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीले त्ति वुच्चई । अहस्सिरे सया दंते, न य मम्ममुदाहरे ॥३॥ नासीले न विसीले, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चई ॥४॥ अथाष्टभिः स्थानैः, शिक्षाशील इत्युच्यते । अहसनशीलः सदा दान्तः, न च मर्म उदाहरेत् ||३|| नाशीलो न विशीलः, न स्यादतिलोलुपः । अक्रोधनः सत्यरतः, शिक्षाशीलः इत्युच्यते ॥४॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ પ૩ ૧૬૭. આળસ હોય ત્યાં સુખ નથી. નિદ્રા અને વિદ્યા સાથે. રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહિ અને આરંભ ત્યાં અહિંસા નહિ. (આરંભ=મોલ પાયે કસતા સાંસારિક કાય.) હે મનુષ્યો, સતત જાગતા રહો જાગતો રહે છે તેનું જ્ઞાન વધે છે. સૂઈ રહેનારો ભાગ્યહીન છે, જાગનારો. ભાગ્યશાળી છે. ૧ ૬૮. ૧ ૬ ૯. વસ્તુઓ લેવી-મૂકવી, મળ-મૂત્ર અને બીજી વસ્તુઓનું વિસર્જન કરવું, બોલવું-ચાલવું, બેસવું-ઉઠવું, જવું-આવવું – આવી દરેક ક્રિયામાં સાવધાન રહીને જે જીવરક્ષાનો પ્રયત્ન કરે છે તે જ અહિંસક રહી શકે છે. ૧૪. શિક્ષાસૂત્ર ૧૭૦. અવિનીત આત્માને હાનિ થાય છે, વિનીતને લાભ થાય છે – આ વાત જેના ધ્યાનમાં હોય તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૧ અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ-આ પાંચ વસ્તુઓ એવી છે કે જે જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બને છે. ૧૭-૧૭૩. આ આઠ વસ્તુઓ એવી છે કે જેનાથી જ્ઞાનાર્જનમાં સફળતા મળે છે : મજાક-મસ્તીથી દૂર રહેવું, ઈન્દ્રિયમનને કાબૂમાં રાખવાં, બીજાની ખાનગી વાતોમાં રસ ન લેવો, અસભ્ય ન બનવું, મોટા અપરાધો ન આચરવા, સ્વાદલોલુપ ન થવું, ક્રોધી ન હોવું, સત્યના પ્રેમી રહેવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમણસુ १७४. १७५. नाणमेगग्गचित्तो अ, ठिओ अ ठावयई परं । सुआणि अ अहिज्जित्ता, रओ सुअसमाहिए ॥५॥ ज्ञानमेकाग्रचित्तश्च, स्थितः च स्थापयति परम् । श्रुतानि च अधीत्य, रतः श्रुतसमाधौ ॥५॥ वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं । पियंकरे पियंवाई, से सिक्खं लद्भुमरिहई ॥६॥ बसेद् गुरुकुले नित्य, योगवानुपधानवान् । प्रियंकरः प्रियवादी, स शिक्षा लब्थुमर्हति ।।६।। जह दीवा दीवसयं, पइप्पए सो य दिपए दीवो । दीवसमा आयरिया, दिपंति परं च दीवेति ॥७॥ यथा दीपात्, दीपशतं, प्रदीप्यते स च दीप्यते दीप. । दीपसमा आचार्याः, दीप्यन्ते पर च दीपयन्ति ।।७।। १७६. १५. आत्मसूत्र १७७. १७८. उत्तमगुणाण धाम, सव्वदव्वाण उत्तमं दव्वं । तच्चाण परं तच्चं, जीवं जाणेह णिच्छयदो ॥१॥ उत्तमगुणानां धाम, सर्वद्रव्याणा उत्तमं द्रव्यम् । तत्वानां पर तत्त्वं, जीवं जानीत निश्चयतः ।।१।। जीवा हवंति तिविहा, बहिरप्पा तह य अंतरप्पा य । परमप्पा वि य दुविहा, अरहंता तह य सिद्धा य ॥२॥ जीवा. भवन्ति त्रिविधाः, बहिरात्मा तथा च अन्तरात्मा च । परमात्मानः अपि च द्विविधाः, अर्हन्तः तथा च सिद्धाः च ।।२।। अक्खाणि बहिरप्पा, अंतरप्पा हु अप्पसंकप्पो । कम्मकलंक-विमुक्को, परमप्पा भण्णए देवो ॥३॥ अक्षाणि बहिरात्मा, अन्तरात्मा खलु आत्मसंकल्पः । कर्मकलंकविमुक्तः, परमात्मा भण्यते देवः ।।३।। १७९. Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ પપ ૧૭૪. અધ્યયન કરવાથી જ્ઞાન મળે છે, ચિત્ત એકાગ્ર થાય છે, ધર્મમાં પોતે સ્થિર થવાય છે અને બીજાને સ્થિર કરી. શકાય છે. આ હેતુથી શાસ્ત્રોનું પરિશીલન કરી જ્ઞાનસમાધિમાં લીન થવું. સર્વદા ગુરુનિશ્રામાં રહે, વિધિપૂર્વક શાસ્ત્રઅધ્યયન કરે, ઉપધાન(તપ કરે, ગુરુને પ્રિય લાગે તેવું બોલે અને તેવું કરે એ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક છે. ૧ ૭પ. ૧૭૬. જેવી રીતે એક દીવામાંથી સેકડો દીવા પ્રગટાવી શકાય છે ને તે છતાં પ્રથમ દીવો એવો જ પ્રકાશવાન રહે છે તેવી રીતે આચાર્યો પોતે પ્રકાશવાન રહીને અન્યોને પ્રકાશિત કરે છે. ૧૫. આત્મસૂત્ર ૧ ૭૭. આત્મા ઉત્તમ ગુણોનું ધામ છે, સર્વ પદાર્થોમાં ઉત્તમ પદાર્થ આત્મા છે, સર્વ તત્ત્વોમાં ઉત્તમ તત્ત્વ આત્મા છે – આ વાત નિશ્ચિતરૂપે સમજી લો ૧૭૮. જીવો ત્રણ પ્રકારના છે • બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે ભેદ છે – અરિહંત અને સિદ્ધ. ૧૭૯. ઈન્દ્રિય અને શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. આત્માને જ આત્મા તરીકે સમજનાર-ઓળખનાર અંતરાત્મા છે, સર્વ કર્મથી મુક્ત થઈ જનાર આત્મા પરમાત્મા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ५६ સમણજીત્ત १८०. १८१. ससरीरा अरहंता, केवलणाणेण मुणिय-सयलत्था । णाणसरीरा सिद्धा, सव्वुत्तम-सुक्ख-संपत्ता ॥४॥ सशरीराः अर्हन्तः, केवलज्ञानेन ज्ञातसकलार्थाः । ज्ञानशरीराः सिद्धाः, सर्वोत्तमसौख्यसंप्राप्ताः ।।४।। आरुहवि अंतरप्पा, बहिरप्पा छंडिउण तिविहेण । झाइज्जइ परमप्पा, उवइलैं जिणवरिंदेहिं ॥५॥ आरुह्य अन्तरात्मानं, बहिरात्मानं त्यक्त्वा त्रिविधेन । ध्यायते परमात्मा, उपदिष्टं जिनवरेन्द्रैः ।।५।। चउगइभवसंभमणं, जाइजरामरण-रोयसोका य । कुलजोणिजीवमग्गण-ठाणा जीवस्स णो संति ॥६॥ चतुर्गतिभवसंभ्रमणं, जातिजरामरण-रोगशोकाश्च । कुलयोनिजीवमार्गणा-स्थानानि जीवस्य नो सन्ति।।६।। १८२. १८३. १८४. १८५. वण्णरसगंधफासा, थीपुंसणqसयादि-पज्जाया । संठाणा संहणणा, सव्वे जीवस्स णो संति ॥७॥ वर्णरसगन्धस्पर्शाः, स्त्रीनपुसकादि-पर्यायाः । संस्थानानि संहननानि, सर्वे जीवस्य नो सन्ति ।।७।। एदे सव्वे भावा, ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सुद्धसहावा, सुद्धणया संसिदी जीवा ॥८॥ एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु । सर्वे सिद्धस्वभावा., शुद्धनयात् ससृतौ जीवा. ||८|| अरसमरूवमगंधं, अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं, जीवमणिद्दिट्ठसंठाणं ॥९॥ अरसमरूपगन्धम् अव्यक्त चेतनागुणमशब्दम् । जानीह्यलिंगग्रहणं, जीवमनिर्दिष्टसंस्थानम् ।।९।। णिइंडो, णिइंदो, णिम्ममो णिक्कलो णिरालंबो । णीरागो णिद्दोसो, णिम्मूढो णिब्भयो अप्पा ॥१०॥ निर्दण्डः निर्द्वन्द्वः, निर्ममः निष्कलः निरालम्बः । नीरागः निर्द्वषः, निर्मूढः निर्भयः आत्मा ॥१०॥ १८६. Page #82 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૧૮૦. ૧૮૧. ૧૮૨. ૧૮૩ ૧૮૪ ૧૮૫. ૧૮૬. ૫૭ કેવળજ્ઞાન વડે સકળ પદાર્થોને જાણનાર અર્હતો શરીરધારી પરમાત્મા છે. સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરી લેનારા સિદ્ધ આત્માઓને માત્ર જ્ઞાનરૂપી શરીર છે. બહિરાત્મપણું તજી, અંતરાત્મા બની પરમાત્માનું ધ્યાન કરવું એવો જિનેશ્વરોનો ઉપદેશ છે. — ચાર ગતિમાં ભ્રમણ, જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ દુઃખો, ફુલ, યોનિ, જીવસ્થાન કે માર્ગણાસ્થાન – શુદ્ધ આત્મામાં આમાનું કશું છે જ નહિ. (ફુલ=જીવોના પ્રકારો. યોનિ =જીવોના ઉત્પત્તિ સ્થાનો જીવસ્થાન =જીવની વિવિધ સ્થિતિઓ. માર્ગણાસ્થાન= ભિન્ન-ભિન્ન કક્ષા અને સ્થિતિ પ્રમાણે જીવને મળનારી ભિન્ન ભિન્ન વસ્તુઓ એમાં ગતિ, ઈન્દ્રિય, કાયા વગેરે ૧૪ વસ્તુઓનો સમાવેશ થાય છે અને તેના આધારે જીવોના ભેદોનું પૃથક્કરણ કરવામાં આવે છે. ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રીત્વ, પુરુષત્વ, નપુસંકત્વ, સંસ્થાન, સંહનન-શુદ્ધ આત્મામાં આ બધું નથી. (સંસ્થાન=શરીરના આકાર. સંહનન=શરીરનું બંધારણ.) આ બધા ભાવ જીવને હોય છે એમ વ્યાવહારિક ભૂમિકાએ કહેવાય છે. જગતના સર્વ જીવો વાસ્તવિક સ્વરૂપની દૈષ્ટિએ સિદ્ધની સમાન જ છે વાસ્તવિક ષ્ટિએ આત્મામાં રસ-રૂપ-ગંધ-શબ્દ નથી; આત્મા અવ્યક્ત છે, આત્મા બાહ્ય ચિહ્નોથી જાણી શકાતો નથી. આત્માને કોઈ આકાર પણ નથી. શુદ્ધ આત્મામાં નથી દંડ, નથી દ્વન્દ્વ; નથી મમત્વ, નથી શરીર. આત્મા નિરાલંબ છે, વીતરાગ છે, વીતદ્વેષ છે, નિર્મોહ છે, નિર્ભય છે For Private Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમણસુd १८७. णिग्गंथो णीरागो, णिस्सल्लो सयलदोसणिम्मुक्को । णिक्कामो णिक्कोहो, णिम्माणो हिम्मदो अप्पा ||११॥ निर्ग्रन्थो नीरागो, नि शल्यः सकलदोषनिर्मुक्त. । निष्कामो निष्क्रोधो, निर्मानो निर्मदः आत्मा ।।११।। १८८. १८९. णवि होदि अप्पमत्तो, ण पमत्तो जाणओ दु जो भावो । एवं भणंति सुद्धं, णाओ जो सो उ सो चेव ॥१२॥ नापि भवत्यप्रमत्तो, न प्रमत्तो ज्ञायकस्तु यो भाव. । एव भणन्ति शुद्ध, ज्ञातो यः स तु स चैव ।।१२।। णाहं देहो ण मणो, ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा, अणुमंता णेव कत्तीणं ॥१३॥ नाह देहो न मनो, न चैव वाणी न कारणं तेषाम् । कर्ता न न कारयिता, अनुमन्ता नैव कर्तृणाम् ॥१३॥ को णाम भणिज्ज बुहो, णानं सव्वे पराइए भावे । मज्झमिणं ति य वयणं, जाणतो अप्पयं सुद्धं ॥१४॥ को नाम भणेद् बुध., ज्ञात्वा सर्वान् परकीयान् भावान् । ममेदमिति च वचन, जानन्नात्मक शुद्धम् ।।१४।। अहमिक्को खलु सुद्धो, णिम्ममओ णाणदंसणसमग्गो । तम्हि ठिओ तच्चित्तो, सव्वे एए खयं णेमि ॥१५॥ अहमेकः खलु शुद्ध , निर्ममत. ज्ञानदर्शनसमग्र. । तस्मिन् स्थितस्तच्चित्त., सर्वानेतान् क्षय नयामि ।।१५।। १९०. १९१. Page #84 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ પ૯ ૧૮૭ આત્મા નિર્ચન્થ છે - ગ્રંથિ રહિત છે. રાગવિહીન, શલ્યવિલન, સર્વદોષથી મુક્ત છે. એ નિષ્કામ છે, નિષ્ક્રોધ છે, માન-મદ રહિત છે. (શલ્ય કાંટો. નિદાન(સુખની માંગણી), માયા અને મિથ્યાત્વ આ ત્રણને શલ્ય કહેવામાં આવે છે.) જે માત્ર જ્ઞાયક છે તે નથી પ્રમત્ત કે નથી અપ્રમત્ત. શુદ્ધ આત્મામાં આવા ભેદ નથી. તે તો માત્ર જ્ઞાતા છે. १८८ ૧૮૯. હું દેહ નથી, મન નથી, વાણી નથી, એમનું કારણ પણ નથી નથી કોઈનો પ્રેરક અને નથી કોઈનો અનુમોદક. ૧૯૦. પોતાને શુદ્ધ સ્વરૂપે જાણનાર તથા અન્ય સર્વ પદાર્થોને પોતાથી પર સમજનાર કયો જ્ઞાની જન “ આ મારું છે” એમ બોલશે? ૧ ૯૧. મમતાવિહીન, જ્ઞાન-દર્શનમય હું એક છું, શુદ્ધ છું, શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ, તન્મય બની આ સર્વ બાહ્યભાવોનો ક્ષ એ કરુ. Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ સમણસુd (જૈનધર્મસાર) દ્વિતીય ખંડ મોક્ષ માર્ગ Page #87 -------------------------------------------------------------------------- ________________ १९२. १९३. १६. मोक्षमार्गसूत्र मग्गो मग्गफलं ति य, दुविहं जिणसासणे समक्खादं । मग्गो खलु सम्मत्तं मग्गफलं होइ णिव्वाणं ॥१॥ मार्ग. मार्गफलम् इति च द्विविधं जिनशासने समाख्यातम् । मार्गः खलु सम्यक्त्वं मार्गफल भवति निर्वाणम् ।।१।। दसणणाणचरित्ताणि, मोक्खमग्गो त्ति सेविदव्वाणि । साधूहि इदं भणिदं, तेहि दु बंधो व मोक्खो वा ॥२॥ दर्शनज्ञानचारित्राणि, मोक्षमार्ग इति सेवितव्यानि । साधुभिरिदं भणित, तैस्तु वन्धो वा मोक्षो वा ॥२॥ अण्णाणादो णाणी, जदि मण्णदि सुद्धसंपओगादो । हवदि त्ति दुक्खमोक्खं, परसमयरदो हवदि जीवो ॥३॥ अज्ञानात् ज्ञानी, यदि मन्यते शुद्धसम्प्रयोगात् । भवतीति दुःखमोक्षः, परसमयरतो भवति जीव ।।३।। वदसमिदीगुत्तीओ, सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वंतो वि अभव्यो, अण्णाणी मिच्छदिट्ठी दु ॥४॥ व्रतसमितिगुप्तीः शीलतपः जिनवरेः प्रज्ञप्तम् । कुर्वन् अपि अभव्य. अज्ञानी मिथ्यादृष्टिस्तु ।।४।। १९४. १९५. १९६. णिच्छयववहारसरूवं, जो रयणत्तयं ण जाणइ सो । जं कीरइ तं मिच्छा-रूवं सव्वं जिणुद्दिजें ॥५॥ निश्चयव्यवहारस्वरूपं, यो रत्नत्रय न जानाति सः । यत् करोति तन्मिथ्या-रूप सर्व जिनोद्दिष्टम् ।।५।। १९७. सद्दहदि य पत्तेदि य, रोचेदि य तह पुणो य फासेदि । धम्म भोगणिमित्तं, ण दु सो कम्मक्खयणिमित्तं ॥६॥ श्रद्दधाति च प्रत्येति च, रोचयति च तथा पुनश्च स्पृशति । धर्म भोगनिमित्तं, न तु स कर्मक्षयनिमित्तम् ।।६।। Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨. ૧૬. મોક્ષમાર્ગસૂત્ર જિનશાસનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમ્યગદર્શન. માર્ગફળ એટલે નિર્વાણ. ૧ ૯૩. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે માટે તેનું આચરણ કરવું. પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે તેનાથી કર્મબંધ પણ થાય અને મોક્ષ પણ થાય. ૧ ૯૪. શાસ્ત્રાભ્યાસી વ્યક્તિ પણ ભ્રમવશ એવું માનવા લાગે કે ભક્તિ આદિ શુભભાવ મોક્ષકારક છે, તો તે વ્યક્તિ પરભાવમાં રમનારો છે એમ સમજવું. ૧ ૯૫ વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જ રહે છે (સમિતિ = હિસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અતર્મુખ થવું. અભવ્ય = મોક્ષનો અધિકારી ન હોય તેવો જીવ.) નિશ્ચય અને વ્યવહાર – આ બંને દૃષ્ટિએ રત્નત્રયને જે આત્મા સમજતો નથી તે જે ધર્માચરણ કરતો હોય તે જિનેશ્વરનિર્દિષ્ટ હોય તો પણ મિથ્યા છે. (રત્નત્રય = સન્મજ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યફ ચારિત્ર.) ૧૯૬. ૧૯૭. અભવ્ય આત્મા ધર્મ પર શ્રધ્ધા રાખે, ધર્મનો સ્વીકાર કરે, ધર્મને ચાહે કે તેનું પાલન પણ કરે તે બધું ખરેખર ભોગસુખ નિમિત્તે જ કરતો હોય છે, નહિ કે કર્મક્ષય નિમિત્તે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સમણસુd १९८. सुहपरिणामो पुण्णं, असुहो पाव त्ति भणियमन्नेसु । परिणामो णनगदो, दुक्खक्खयकारणं समये ॥७॥ शुभपरिणामः पुण्य अशुभः पापमिति भणितमन्येषु । परिणामो नान्यगतो, दु.खक्षयकारणं समये ।।७।। १९९. २००. २०१. पुण्णं पि जो समिच्छदि, संसारो तेण ईहिदो होदि । पुण्णं सुगईहेर्नु, पुण्णखएणेव णिव्वाणं ॥८॥ पुण्यमपि यः समिच्छति, संसारः तेन ईहितः भवति । पुण्य सुगतिहेतुः, पुण्यक्षयेण एव निर्वाणम् ।।८।। कम्मममुह कुसील, सुहकम्मं चावि जाण व सुसीलं । कह तं होदि सुसीलं, जं संसारं पवेसेदि ॥९॥ कर्म अशुभ कुशीलं, शुभकर्म चापि जानीहि वा सुशीलम् । कथं तद् भवति सुशील, यत् संसारं प्रवेशयति ॥९॥ सोवणियं पि णियलं, बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं, सुहमसुहं वा कदं कम्मं ॥१०॥ सौवर्णिकमपि निगलं, वध्नाति कालायसमपि यथा पुरुषम् । बध्नात्येवं जीव, शुभमशुभं वा कृत कर्म ।।१०।। तम्हा दु कुसीलेहिं य, रायं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो, कुसीलसंसग्गरायेण ।।११।। तस्मात्तु कुशीलैश्च, राग मा कुरुत मा वा ससर्गम् । स्वाधीनो हि विनाश कुशीलससर्गरागेण ।।११।। वरं वयतवेहि सग्गो, मा दुक्खं होउ णिरइ इयरेहिं । छायातवट्ठियाणं, पडिवालंताण गुरुभेयं ।।१२।। वरं व्रततपोभिः स्वर्गः, मा दु खं भवतु निरये इतरैः । छायाऽऽतपस्थिताना, प्रतिपालयता गुरुभेदः ।।१२।। २०२. २०३. Page #90 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧ ૯૮. ૬૫ પરપદાર્થને આશ્રયીને જે શુભ પરિણામ(વિચાર) જીવા કરે છે તે પુણ્ય કહેવાય છે, અશુભ પરિણામ કરે છે તે પાપ કહેવાય છે આવો પરલક્ષી પરિણામ મુક્તિનું કારણ બની શકતો નથી એવો જિનેશ્વરીનો સિદ્ધાંત ૧૯૯ જે પુણ્યની ઈચ્છા રાખે છે તેણે સંસારની પણ ઈચ્છા રાખી એમ કહેવું જોઈએ. પુણ્ય સદ્ગતિનો હેતુ છે; નિર્વાણ માટે તો પુણ્યનો પણ ક્ષય કરવો રહ્યો. ૨ ૦૦. પુણ્યકર્મને સારું અને પાપકર્મને ખરાબ ભલે સમજો. પરંતુ સૂક્ષ્મદષ્ટિએ વિચારીએ તો જે કર્મ (પુણ્યકર્મ) સંસારમાં ખેંચી જાય તેને સારું કેમ કહેવાય? ૨૦૧. લોઢાની સાંકળ માણસને બાંધે છે તો સોનાની સાંકળ પણ બાંધે છે જ. એ જ રીતે શુભ કે અશુભ જે કર્મ કરાય તે જીવને બાંધનારું જ બને છે. ૨ ૦ ૨ માટે “ખરાબ”ને ચાહો નહિ, તેનો સંસર્ગ પણ ન કરો. ખરાબ”ના સંસર્ગ અને સ્નેહથી વિનાશ નિશ્ચિત છે. ર૦૩. તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે. તડકામાં ઉભા રહીને નહિ. નિર્વાણની પ્રાપ્તિ થતાં સુધી જે રાહ જોવાની છે તે દરમ્યાન પુણ્યકર્મોથી મળતી સુખશાંતિરૂપ છાયાનો લાભ લેવો અનુચિત નથી.) Page #91 -------------------------------------------------------------------------- ________________ સમણસુd २०४. खयरामरमणुय-करंजलि-मालाहिं च संथुया विउला । चक्कहररायलच्छी, लब्भई बोही ण भव्वणुआ ।।१३।। खेचरामरमनुज-कराञ्जलि-मालाभिश्च सस्तुता विपुला । चक्रधरराजलक्ष्मीः , लभ्यते वोधिः न भव्यनुता ॥१३॥ तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उवेन्ति माणुसं जोणिं, सेदुसंगेऽभिजायए ॥१४॥ तत्र स्थित्वा यथास्थान, यक्षा आयुःक्षये च्युता. । उपयान्ति मानुपी योनिम्, स दशांगोऽभिजायते ।।१४।। २०६-२०७. भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं । पुव्वं विसुद्धसद्धम्मे, केवलं बोहि बुज्झिया ॥१५॥ चउरंगं दुल्लहं मत्ता, संजमं पडिवज्जिया ।। तवसा धुयकम्मसे, सिद्धे हवइ सासए ॥१६॥ भुक्त्वा मानुष्यकान् भोगान्, अप्रतिरूपान् यथायुष्कम् । पूर्वे विशुद्धसद्धर्मा, केवला बोधिं बुध्वा ।।१५।। चतुरंग दुर्लभ ज्ञात्वा, संयमं प्रतिपद्य । तपसा धूतकाशः, सिद्धो भवति शाश्वतः ।।१६।। १७. रत्नत्रयसूत्र (अ) व्यवहार-रत्नत्रय २०८. धम्मादीसद्दहणं, सम्मत्तं णाणमंगपुव्वगदं । चिट्ठा तवंसि चरिया, ववहारो मोक्खमग्गो त्ति ॥१॥ धर्मादिश्रद्धान, सम्यक्त्वं ज्ञानमगपूर्वगतम् । चेष्टा तपसि चर्या, व्यवहारो मोक्षमार्ग इति ।।१।। २०९. नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे । चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई ॥२॥ ज्ञानेन जानाति भावान्, दर्शनेन च श्रद्धत्ते । चारित्रेण निगृह्णाति, तपसा परिशुध्यति ।।२।। Page #92 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૦૪ વિદ્યાધરો, દેવો અને મનુષ્યો હાથ જોડીને જેની સ્તુતિ કરતા હોય એવા ચક્રવર્તીનું પદ મળી જવું સુલભ છે પણ ભાવિજીવોને વહાલી એવી બોધિ દુર્લભ છે (બોધિ=સમ્યગ્દર્શન) (શુભ કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન કરનાર વિવેકી આત્મા.) દેવલોકનું આયુષ્ય પુરૂં થતાં મનુષ્ય લોકમાં સુખચેનભર્યું અને ઉત્તમ સામગ્રીવાળું જીવન પ્રાપ્ત કરે છે. ર૦૫. ૨ ૦૬ – ૨૦૭ જીવનભર ઉત્તમ માનવીય સુખોનો ઉપભોગ કરીને, પૂર્વે વિશુદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હોવાથી, એ આત્મા બોધિ પ્રાપ્ત કરે છે. ચાર અંગો દુર્લભ છે એમ જાણીને સંયમનો સ્વીકાર કરે છે. તપથી કર્મોનો ક્ષય કરી એ શાશ્વત સિદ્ધપદને ઉપલબ્ધ થાય છે. (ચાર દુર્લભ અંગ = મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ.) ૧૭. રત્નત્રયસૂત્ર (ગ) વ્યવહારરત્નત્રય ૨ ૦૮. ધર્મ આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્દર્શન છે; દ્વાદશાંગી આદિ આગમોની જાણકારી એ સમ્યજ્ઞાન છે; તથા તપ આદિનું આચરણ એ સમ્યક્યારિત્ર છે આ ત્રણ ગુણોને મોક્ષનો વ્યાવહારિક માર્ગ કહ્યો છે. (છ દ્રવ્ય = ધર્મ, અધર્મ, આકાશ, કાલ, ૫ગલ અને જીવ. દ્વાદશાંગી = બાર મુખ્ય જૈન આગમો.) ર૦૯. મુમુક્ષુ જ્ઞાનથી પદાર્થોને જાણે, સમ્યગ્દર્શન દ્વારા તેમાં શ્રદ્ધા કેળવે, ચારિત્રથી કર્મોને રોકે અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરી શુદ્ધ બને. Page #93 -------------------------------------------------------------------------- ________________ ६८ સમાણસને २१०. २११. नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥३॥ ज्ञानं चरित्रहीन, लिगग्रहण च दर्शनविहीनम् । सयमविहीन च तप., यः चरति निरर्थक तस्य ॥३॥ नादसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥४॥ नादर्शनिनो ज्ञान, ज्ञानेन विना न भवन्ति चरणगुणा । अगुणिनो नास्ति मोक्षः, नास्त्यमोक्षस्य निर्वाणम् ।।४।। हयं नाणं कियाहीणं, हया अण्णाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो य अंधओ ॥५॥ हत ज्ञानं क्रियाहीनं, हताऽज्ञानत. क्रिया । पश्यन् पंगुल दग्धो, धावमानश्च अन्धक. ।।५।। संजोअसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥६॥ सयोगसिद्धौ फलं वदन्ति, न खल्वेकचक्रेण रथ. प्रयाति । अन्धश्च पंगुश्च वने समेत्य, तौ सप्रयुक्तौ नगर प्रविष्टौ ।।६।। २१२. २१३. (आ) निश्चय-रत्नत्रय २१४. सम्मइंसणणाणं, एसो लहदि त्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो, भणिदो जो सो समयसारो ॥७॥ सम्यग्दर्शनज्ञानमेष लभते इति केवलं व्यपदेशम् । सर्वनयपक्षरहितो, भणितो य. स समयसारः ।।७।। २१५. दसणणाणचरित्ताणि, सेविदव्याणि साहुणा णिच्वं । ताणि पुण जाण तिण्णि वि, अप्पाणं चेव णिच्छयदो ॥८॥ दर्शनज्ञानचारित्राणि, सेवितव्यानि साधुना नित्यम् । तानि पुनर्जानीहि, त्रीण्यप्यात्मानं चैव निश्चयतः ।।८।। Page #94 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૧૦. ૨૧૧ ૨૧૨. ૨૧૩ ૨૧૫. ૬૯ ચારિત્ર વગરનું જ્ઞાન, સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર, ચારિત્ર વગરનું તપ : આ બધું નિરર્થક છે. સમ્યગ્ દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ નથી. ક્રિયા વિનાનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે. લંગડો દેખી શકતો હોય અને આંધળો દોડી શકતો હોય છતાં બંને જંગલમાં લાગેલી આગથી બચી ન શકે. (આ) નિશ્ચયરત્નત્રય ૨૧૪. બનેનો સંયોગ થાય તો સફળતા મળે છે. રથ એક પૈડાથી નથી ચાલતો. વનમાં આંધળા અને લગડાએ પરસ્પર સુમેળ સાધ્યો અને સાથે મળીને તેઓ સ્વસ્થાને પહોચ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે નામો દ્વારા આત્માનો જ નિર્દેશ થાય છે; પરંતુ વસ્તુત. આત્મા એવા સર્વ આશિક વિધાનો કે નામોથી ૫૨ છે. આત્મા સમયસાર છેઃ સમસ્ત શાસ્ત્રોનો સાર છે સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ચારિત્રનું સાધુએ સદા આરાધન કરવું જોઈએ. પણ વાસ્તવિક દૈષ્ટિએ આત્મા જ આ ત્રણેય ગુણરૂપ છે For Private Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ 90 २१६. २१७. २१८. २२०. २२१. समशसुर्त णिच्छयणयेण भणिदो, तिहि तेहि समाहिदो हु जो अप्पा । ण कुणदि किंचि वि अन्नं, ण मुयदि सो मोक्खमग्गो ति ||९|| निश्चयनयेन भणित-स्त्रिभिस्तै, समाहित. खलु यः आत्मा । न करोति किचिदप्यन्यं, न मुञ्चति स मोक्षमार्ग इति || ९ || अप्पा अप्पम्मि रओ, सम्माइट्ठी हवेइ फुडु जीवो । जाणइ तं सण्णाणं, चरदिह चारित्तमग्गु त्ति ||१०|| आत्मा आत्मनि रतः, सम्यगदृष्टि. भवति स्फुट जीव ! जानाति तत् संज्ञान, चरतीह चारित्रमार्ग इति ||१०|| (अ) व्यवहार - सम्यक्त्व : निश्चय-सम्यक्त्व २१९. आया हु महं नाणे, आया मे दंसणे चरित्ते य । आया पच्चक्खाणे, आया मे संजमे जोगे ||११|| आत्मा खलु मम ज्ञान, आत्मा मे दर्शन चरित्रं च । आत्मा प्रत्याख्यान, आत्मा मे सयमो योगः ||११|| १८. सम्यग्दर्शनसूत्र सम्मत्तरयणसारं, मोक्खमहारुक्खमूलमिदि भणियं । तं जाणिज्जइ णिच्छय-व्यवहारसरूवदोभेयं ॥१॥ सम्यक्त्वरत्नसार, मोक्षमहावृक्षमूलमिति भणितम् । तज्ज्ञायते निश्चय-व्यवहारस्वरूपद्विभेदम् ||१|| जीवादी सद्दहणं, सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो, अप्पा णं हवइ सम्मत्तं ॥२॥ जीवादीना श्रद्धानं, सम्यक्त्व जिनवरैः प्रज्ञप्तम् । व्यवहारात् निश्चयत, आत्मा नु भवति सम्यक्त्वम् ||२|| जं मोणं तं सम्मं, जं सम्मं तमिह होइ मोणं ति । निच्छयओ इयरस्स उ, सम्मं सम्मत्तहेऊ वि ॥३॥ यन् मौन तत् सम्यक्, यत् सम्यक् तदिह भवति मौन इति । निश्चयतः इतरस्य तु, सम्यक्त्व सम्यक्त्वहेतुरपि ॥३॥ For Private Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ છ9 ૨૧ ૬ જ્ઞાન-દર્શન-ચારિત્રથી તૃપ્ત એવો આત્મા કંઈ જ નથી કરતો – કંઈ ગ્રહણ નથી કરતો, તેમ કંઈ ત્યાગ નથી કરતો; શુદ્ધ દ્રષ્ટિએ આ જ મોક્ષમાર્ગ છે. ર૧૭ આત્મામાં લીન આત્મા પરમ સમ્યગ્ર દૃષ્ટિ છે. આત્માને જાણે છે તે સખ્યમ્ જ્ઞાન અને આત્મામાં જ સ્થિર વર્તે છે એ જ સમ્ય ચારિત્ર. ર૧૮. મારો આત્મા જ જ્ઞાન છે, એ જ દર્શન છે, એ જ ચારિત્ર છે આત્મા જ પચ્ચખાણ છે, આત્મા જ સંયમ છે ને આત્મા જ યોગ છે. (પચ્ચખાણ વ્રત, નિયમ, ત્યાગ, નિષેધ.) ૧૮. સમ્યગદર્શન સૂત્ર (અ) વ્યવહારસમ્યકત્વ : નિશ્ચય સમ્યકત્વ ૨૧૯ સમ્યગદર્શનને શ્રેષ્ઠ રત્ન કહ્યું છે, મોક્ષ રૂપી મહાવૃક્ષનું મૂળ કહ્યું છે, તે નિશ્ચય અને વ્યવહાર : બે પ્રકારનું છે. ૨ ૨૦ જીવ-અજીવ આદિ તત્ત્વો પર શ્રદ્ધા હોવી એને વ્યવહાર સખ્યત્વે કહ્યું છે આત્માનુભૂતિ એ નિશ્ચય સમ્યમ્ દર્શન છે રે રે૧. નિશ્ચયદષ્ટિએ મોન(મુનિત્વ) એ જ સમ્યકત્વ છે, સમ્યક્ત એ જ મૌન છે. વ્યવહાર સત્વને સમ્યક્ત કહેવાનું કારણ એ છે કે તે નિશ્ચય સમ્યગદર્શનનું નિમિત્ત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ २२२. २२३. २२४. २२५. २२६. २२७. २२८. सम्मत्तविरहिया णं, सुठु वि उग्गं तवं चरंता णं । ण लहंति बोहिलाहं, अवि वाससहस्सकोडीहिं ॥४॥ सम्यक्त्वविरहिता नु, सुष्ठु अपि उग्रं तपः चरन्तः नु । न लभन्ते वोधिलाभं, अपि वर्षसहस्रकोटिभि ॥४॥ दंसणभट्ठा भट्ठा, दंसणभट्ठस्स णत्थि णिव्वाणं । सिज्झति चरियभट्ठा, दंसणभट्टा ण सिज्झति ॥५॥ दर्शनभ्रष्टा भ्रष्टाः, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरितभ्रष्टा, दर्शनभ्रष्टाः न सिध्यन्ति ॥५॥ दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं । दंसणविहीण पुरिसो, न लहइ तं इच्छियं लाहं ॥ ६ ॥ दर्शनशुद्ध. शुद्ध:, दर्शनशुद्धः लभते निर्वाणम् । दर्शनविहीनः पुरुष., न लभते तम् इच्छितं लाभम् ||६|| સમણસુત્ત सम्मत्तस्स य लंभो, तेलोक्कस्स य हवेज्ज जो लंभो सम्मदंसणलंभो, वरं खु तेलोक्कलंभादो ॥७॥ सम्यक्त्वस्य च लाभ - स्त्रैलोक्यस्य च भवेत् यो लाभ. । सम्यग्दर्शनलाभो, वर खलु त्रैलोक्यलाभात् ||७|| किं बहुणा भणिएणं, जे सिद्धा णरवरा गए काले । सिज्झिहिंति जे वि भविया, तं जाणह सम्ममाहप्पं ॥८॥ कि बहुना भणितेन ये सिद्धा नरवरा गते काले । सेत्स्यन्ति येऽपि भव्या, तद् जानीत सम्यक्त्वमाहात्म्यम् ||८|| जह सलिलेण ण लिप्पइ, कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्पइ, कसायविसएहि सप्पुरिसो ॥ ९ ॥ यथा सलिलेन न लिप्यते, कमलिनीपत्र स्वभावप्रकृत्या | तथा भावेन न लिप्यते, कषायविषयैः सत्पुरुष ||९|| उवभोगमिंदियेहि, दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी, तं सव्वं णिज्जरणिमित्तं ||१०|| उपभोगमिन्द्रियै., द्रव्याणामचेतनानामितरेषाम् । यत् करोति सम्यग्दृष्टिः, तत् सर्व निर्जरानिमित्तम् ||१०|| For Private Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૭૩ સમ્મસ્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. ૨ ૨ ૨. ૨ ૨ ૩ સમ્યમ્ દર્શનથી છે ભ્રષ્ટ થાય છે તેને પૂરો ભ્રષ્ટ સમજવો. સમ્યત્વરહિતનો મોક્ષ નથી. ચારિત્રરહિતનો મોક્ષ થાય, સ ત્વરહિતનો કદી નહિ. ર ૨૪. જેનું દર્શન શુદ્ધ છે તે શુદ્ધ છે, તે નિર્વાણ પામશે. સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ પોતાના ઈષ્ટને–મોક્ષને પ્રાપ્ત કરી શકતી નથી. ૨ ૨૫. એક તરફ સમ્યક્તલાભ, બીજી તરફ ત્રણ લોકની સંપદાનો લાભ-એ બેમાં સભ્યલાભ શ્રેષ્ઠ છે વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો મુક્ત થયા છે ને ભવિષ્યમાં મુક્ત થશે તે બધો સમ્યત્વનો પ્રભાવ છે ર ૨૭. કમલનું પાંદડું સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે તેમ પુરુષ સમ્યગ્દર્શનના પ્રભાવે કષાય અને વિષયથી અલિપ્ત રહે છે. ૨ ૨૮ જે જે સચેતન કે અચેતન વસ્તુઓનો સમ્યગદષ્ટિ આત્મા પોતાની ઈન્દ્રિયો વડે ઉપભોગ કરે છે તે બધી. વસ્તુઓ તેના માટે કર્મનિર્જરાનું સાધન બને છે Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ સમણસુd २२९. सेवंतो वि ण सेवइ, असेवमाणो वि सेवगो कोई । पगरणचेट्टा कस्स वि, ण य पायरणो त्ति सो होई ॥११॥ सेवमानोपि न सेवते, असेवमानोऽपि सेवक. कश्चित् । प्रकरणचेष्टा कस्यापि, न च प्राकरण इति स भवति ।।११।। २३०. न कामभोगा समयं उर्वति, न यावि भोगा विगई उर्वति । जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥१२॥ न कामभोगा. समतामुपयन्ति, न चापि भोगा विकृतिमुयन्ति । यस्तत्प्रद्वेषी च परिग्रही च, स तेपु मोहाद् विकृतिमुपैति ।।१२।। (आ) सम्यग्दर्शन-अंग २३१. निस्संकिय निक्कंखिय निवितिगिच्छा अमूढदिट्ठी य । उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ॥१३॥ निःशकितं निःकाक्षित, निर्विचिकित्सा अमूढदृष्टिश्च । उपहा स्थिरीकरणे, वात्सल्य प्रभावनाष्टौ ।।१३।। २३२. सम्मदिट्ठी जीवा, णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का, जम्हा तम्हा दु णिस्संका ॥१४॥ सम्यग्दृष्टयो जीवा निश्शंका भवन्ति निर्भयास्तेन । सप्तभयविप्रमुक्ता, यस्मात् तस्मात् तु निश्शका ।।१४।। २३३. जो दु ण करेदि कंखं, कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा, सम्मादिट्ठी मुणेयव्यो |॥१५॥ यस्तु न करोति कांक्षाम्, कर्मफलेषु तथा सर्वधर्मेषु । स निष्काक्षश्चेतयिता, सम्यग्दृष्टिातव्य. ||१५|| नो सक्कियमिच्छई न पूर्य, नो वि य वन्दणगं कुओ पसंसं ? । से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू ॥१६॥ न सत्कृतिमिच्छति न पूजां, नोऽपि च वन्दनकं कुत- प्रशंसाम् । स सयतः सुव्रतस्तपस्वी, सहित आत्मगवेषक. स भिक्षुः ।।१६।। २३४. Page #100 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૭પ ૨૨ ૯ કોક વિષયોનો ઉપભોગ કરતો હોવા છતાં નથી કરતો એમ કહી શકાય, ને કોક ન કરતો હોવા છતાં ઉપભોગ કરે છે એમ કહી શકાય. કોઈ માણસ નાટકમાં લગ્નાદિ કાર્યમાં જોડાયો હોય તો તે કાર્ય કરતો હોવા છતાં કાર્યનો કર્તા ગણાતો નથી, તેની જેમ ર ૩૦. ઈન્દ્રિયોના વિષયો પોતે (કોઈના મનમાં) નથી સમતા ઉત્પન્ન કરતા કે નથી વિકાર ઉત્પન્ન કરતા. જે વ્યક્તિ મોહ- અફાનને લીધે વિષયો પ્રત્યે દ્વેષ અથવા આસક્તિ કરે છે તે પોતે જ પોતાની અંદર વિકાર જગાવે છે. () સમ્યગદર્શન અંગ. ૨ ૩૧ સમ્યગદર્શનના આઠ અંગ છે : ધર્મમાં શંકા ન કરવી, અન્યની આકાંક્ષા ન કરવી, અરુચિ ન રાખવી, મૂઢષ્ટિથી ન વિચારવું, અન્ય વ્યકિતની ધર્મશ્રદ્ધાને પુષ્ટ કરવી, કોઈ વ્યક્તિ ડગી ગઈ હોય તો તેને સ્થિર કરવી, ધર્મવાન લોકોની સેવા કરવી, ધર્મમાર્ગની જગતમાં પ્રસિદ્ધિ કરવી. (આ આઠ અંગના શાસ્ત્રીય નામ : નિઃશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિચિકિત્સા, અમૃદ્ધદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિસંકષ્ણ, વાત્સલ્ય, પ્રભાવના.) ૨ ૩ ૨. સમ્યગદષ્ટિ આત્મા (પૂર્ણ શ્રદ્ધાવાન હોવાથી) નિઃશંક અને નિર્ભય હોય છે. સાત પ્રકારના ભયથી એ મુક્ત હોય છે આ નિઃશંકતા અંગ છે (સાનભય ઈહલોકભય (મનુષ્ય કે પશુ તરફથી થનાસે ભય), પસ્તોકભય (દેવતાદિનો ભય), આદાનભય (ચોરીનો ભય), અકસ્માત ભય, આજીવિકાભય, મરણભય, અપકીર્તિભય.) ૨ ૩ ૩. કર્મથી મળનારા શુભ-અશુભ ફળો કે જગતની સર્વ વસ્તુઓ – કશાનું આકર્ષણ નું હોવું એ સમ્યગ્દષ્ટિ આત્માની નિષ્કાંક્ષતા છે. રે ૩૪. જે સત્કારને નથી ઈચ્છતો, પૂજાને નથી ઈચ્છતો, નમસ્કારને નથી ઈચ્છતો, એ પ્રશંસાને તો ક્યાંથી ઈચ્છ ? સંયમી, વતનિષ્ઠ, તપસ્વી, જાગૃત એવો ભિક્ષુ સદા આત્મગવેષી હોય. Page #101 -------------------------------------------------------------------------- ________________ ७६ સમાસુ २३५. २३६. २३७. खाई-पूया-लाहं, सक्काराई किमिच्छसे जोई। इच्छसि जइ परलोयं, तेहिं कि तुज्झ परलोये ॥१७॥ ख्याति-पूजा-लाभं सत्कारादि किमिच्छसि योगिन् । इच्छसि यदि परलोकं तैः किं तव परलोके ? ।।१७।। जो ण करेदि जुगुप्पं, चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु णिविदिगिच्छो, सम्मादिट्ठी मुणेयव्वो ॥१८॥ यो न करोति जुगुप्सां, चेतयिता सर्वेषामेव धर्माणाम् । स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टिातव्यः ॥१८॥ जो हवइ असम्मूढो, चेदा सद्दिट्ठी सव्वभावेस । सो खलु अमूढदिट्ठी, सम्मादिट्ठी मुणेयव्वो ॥१९॥ यो भवति अंसमूढः, चेतयिता सद्वृष्टिः सर्वभावेषु । स खलु अमूढदृष्टिः, सम्यग्दृष्टिातव्यः ।।१९।। नाणेणं सणेणं च, चरित्तेणं तहेव य । खंतीए मुत्तीए, वड्ढमाणो भवाहि य ॥२०॥ ज्ञानेन दर्शनेन च चारित्रेण तथैव च । क्षान्त्या मुक्त्या , वर्धमानो भव च ।।२०।।। णो छादए णोऽवि य लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च । ण यावि पण्णे परिहास कुज्जा, ण याऽऽसियावाद वियागरेज्जा॥२१॥ नो छादयेत्रापि च लूपयेद्, मान न सेवेत प्रकाशन च । न चापि प्राज्ञ परिहासं कुर्यात्, न चाप्याशीर्वादं व्यागृणीयात् ।।२१।। २३८. २३९.. २४०. जत्थेव पासे कइ दुप्पउत्तं, कारण वाया अदु माणसेणं । तत्थेव धीरो पडिसाहरेज्जा, आइनओ खिप्पमिवक्खलीणं ॥२२॥ यत्रैव पश्येत् क्वचित् दुष्प्रयुक्त, कायेन वाचा अथ मानसेन । तत्रैव धीर. प्रतिसंहरेत्, आजानेयः(जात्यश्व.) क्षिप्रमिव खलीनम् ।। तिण्णो हु सि अण्णवं महं, कि पुण चिट्ठसि तीरमागओ। अभितूर पारं गमित्तए, समयं गोयम ! मा पमायए ॥२३॥ तीर्णः खलु असि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं, समयं गौतम ! मा प्रमादीः ।।२३।। २४१. Page #102 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ર૩પ. ૭૭ હે યોગી. જો તું તારા પરલોકનું કલ્યાણ કરવા ઈચ્છે છે તો ખ્યાતિ, સન્માન, સંપત્તિ કે સત્કારની કામના શા માટે રાખે છે? એ વસ્તુઓથી પરલોકમાં તને શો લાભ થશે? ૨ ૩૬. જે આત્મા કોઈ પણ પદાર્થના સહજ સ્વભાવ તરફ અણગમો નથી રાખતો તે સભ્યદૃષ્ટિ આત્મા નિર્વિચિકિત્સા ગુણસહિત છે એમ જાણવું. ૨ ૩૭. જે આત્મા સર્વ વિષયોનો સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરે છે અને સત્યદર્શી છે તેને અમૂઢદષ્ટિ સમ્યગ્ગદર્શનયુક્ત આત્મા જાણવો. ર ૩૮. હે મુમુક્ષુ તું સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને સંતોષ જેવા સદ્ગુણોનું સંવર્ધન કરતો રહેજે. ( આ ઉપવૃંહણ અંગ છે.) ૨૩૯. ૨૪૦. (ધર્મમાર્ગમાં સ્થિર થયેલો સમ્યગ્દષ્ટિ મુમુક્ષ) પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રનો અર્થ છુપાવે નહિ, અવળો અર્થ કરે નહિ, પોતાના જ્ઞાનનું અભિમાન સેવે નહિં અને પ્રદર્શન પણ કરે નહિ. અન્ય વિદ્વાનનો ઉપહાસ ન કરે અને (લૌકિક તૃષ્ણાને સંતોષનારા) આશીર્વાદ આપે નહિ. જ્યારે પણ મનથી, વાણીથી કે કાયાથી કોઈ સ્કૂલના થાય તો તરત જ લગામ વડે ઘોડો સેકાઈ જાય તેમ, ધૈર્યવાન સાધક પોતાની જાતને અટકાવી લે. તું મહાસાગરને પાર કરી ચૂક્યો છે, હવે કિનારા પાસે આવ્યા પછી કેમ થંભી ગયો છે? શીઘ્રતાથી કિનારા પર પહોંચી જા. હે ગીત - એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. (આ સ્થિરીકરણ અંગ છે.) ર૪૧. Page #103 -------------------------------------------------------------------------- ________________ ७८ २४२. २४३. २४४. २४५. સમાસુd जो धम्मिएसु भत्तो, अणुचरणं कुणदि परमसद्धाए । पियवयणं जंपतो, वच्छल्लं तस्स भव्वस्स ॥२४॥ यः धार्मिकेषु भक्तः, अनुचरण करोति परमश्रद्धया । प्रियवचनं जल्पन, वात्सल्यं तस्य भव्यस्य ॥२४॥ धम्मकहाकहणेण य, बाहिरजोगेहिं चावि अणवज्जे । धम्मो पहाविदव्वो, जीवेसु दयाणुकंपाए ॥२५॥ धर्मकथाकथनेन च, वाह्ययोगैश्चाप्यनवद्यैः । धर्मः प्रभावयितव्यो, जीवेषु दयानुकम्पया ॥२५॥ पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा सिद्धो य कवी, अठेव पभावगा भणिया ॥२६॥ प्रावचनी धर्मकथी, वादी नैमित्तिकः तपस्वी च । विद्यावान् सिद्धः च कविः, अष्टौ प्रभावका. कथिताः ॥२६॥ १९. सम्यगज्ञानसूत्र सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणए सोच्चा, जं छेयं तं समायरे ॥१॥ श्रुत्वा जानाति कल्याण, श्रुत्वा जानाति पापकम् । उभयमपि जानाति श्रुत्वा, यत् छेकं तत् समाचरेत् ।।१।। णाणाऽऽणत्तीए पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा । विहरइ विसुज्झमाणो, जावज्जीवं पि निक्कंपो ॥२॥ ज्ञानाऽऽज्ञप्त्या पुनः, दर्शनतपोनियमसंयमे स्थित्वा । विहरति विशुध्यमानः, यावज्जीवमपि निष्कम्पः ।।२।। जह जह सुयमोगाहइ, अइसयरसपसरसंजुयमपुव्वं । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धाओ ॥३॥ यथा यथा श्रुतमवगाहते, अतिशयरसप्रसरसयुतमपूर्वम् । तथा तथा प्रह्लादते मुनि., नवनवसंवेगश्रद्धाकः ।।३।। सूई जहा ससुत्ता, न नस्सई कयवरम्मि पडिआ वि । जीवो वि तह ससुत्तो, न नस्सइ गओ वि संसारे ॥४॥ सूची यथा ससूत्रा, न नश्यति कचवरे पतिताऽपि । जीवोऽपि तथा ससूत्रो, न नश्यति गतोऽपि संसारे ।।४।। २४६. २४७. २४८. Page #104 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૭૯ ર૪ર. ધાર્મિક જનોનો પ્રેમી હોય, પરમ શ્રદ્ધાથી તેમની સેવા કરતો હોય અને તેમની સાથે પ્રેમથી સંભાષણ કરતો હોય એ સમ્યગદષ્ટિ આત્મા વાત્સલ્યગુણયુક્ત છે. ૨૪ ૩. ધર્મોપદેશ વડે, નિર્મળ આચરણ વડે તથા જીવો પર યથાયોગ્ય રૂપે દયા અથવા અનુકંપાની પ્રવૃત્તિ કરીને ધર્મમાર્ગની પ્રભાવના કરવી જોઈએ. ર૪૪. પ્રભાવશાળી વક્તા, કથાકાર, તત્ત્વજ્ઞાની, નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), તપસ્વી, વિદ્યાધર, સિદ્ધયોગી, કવિઆ આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાળી પુરુષો લોકોમાં ધર્મમાર્ગનો પ્રભાવ વિશેષરૂપે ફેલાવી શકે છે. ૨૪૫. ૧૯. સમ્યગ જ્ઞાનસૂત્ર શ્રવણ કરવાથી સન્માર્ગની સમજ પડે છે, શ્રવણ કરવાથી પાપની સમજ પડે છે. શ્રવણ દ્વારા બનેનું જ્ઞાન મેળવી, જે શ્રેયકારી લાગે તેનું આચરણ કરવું ૨૪૬ મેળવેલા જ્ઞાનને આધારે નિર્ણય કરી દર્શન, ચારિત્ર અને તપમાં સ્થિર થઈ, જીવનભર આત્મવિશુદ્ધિ કરતો મુનિ અડગપણે વિચરે. ર૪૭. સાધક જેમ જેમ રસપૂર્ણ અને નવા નવા શ્રતનું - શાસ્ત્રોનું અવગાહન કરે, તેમ તેમ તે નવો ઉત્સાહ અને નવી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે અને તેમ તેમ વધુ આનંદનો અનુભવ કરે છે. દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી. ૨૪૮. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમણd २४९. सम्मत्तरयणभट्ठा जाणंता बहुविहाई सत्थाई । आराहणाविरहिया, भमंति तत्थेव तत्थेव ॥५॥ सम्यक्त्वरत्नभ्रष्टा, जानन्तो बहुविधानि शास्त्राणि । आराधनाविरहिता, भ्रमन्ति तत्रैव तत्रैव ।।५।। २५०-२५१. परमाणुमित्तयं पि हु, रायादीणं तु विज्जदे जस्स । •ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥६॥ अप्पाणमयाणंतो, अणप्पयं चावि सो अयाणंतो । कह होदि सम्मदिट्ठी, जीवाजीवे अयाणंतो ॥७॥ परमाणुमात्रमपि खलु, रागादीनां तु विद्यते यस्य । नापि स जानात्यात्मानं, तु सर्वागमधरोऽपि ।।६।। आत्मानमजानन्, अनात्मानं चापि सोऽजानन् । कथ भवति सम्यग्दृष्टि-र्जीवाजीवान् अजानन् ।।७।। २५२. जेणं तच्चं विबुज्झेझ, जेण चित्तं णिरुज्झदि । जेण अत्ता विसुज्झेज्झ, तं णाणं जिणसासणे ॥८॥ येन तत्त्वं विबुध्येत, येन चित्तं निरुध्यते । येन आत्मा विशुध्येत, तज् ज्ञानं जिनशासने ॥८॥ जेण रागा विरज्जेज्ज, जेण सेएसु रज्जदि । जेण मित्ती पभावेज्ज, तं णाणं जिणसासणे ॥९॥ येन रागाद्विरज्येत, येन श्रेयस्सु रज्यते । येन मैत्री प्रभाव्येत, तज् ज्ञानं जिनशासने ।।९।। जो पस्सदि अप्पाणं, अबद्धपुढें अणण्णमविसेसं । अपदेससुत्तमज्झं, पस्सदि जिणसासणं सव्वं ॥१०॥ यः पश्यति आत्मान-मबद्धस्पृष्टमनन्यमविशेषम् । अपदेशसूत्रमध्यं, पश्यति जिनशासनं सर्वम् ।।१०।। २५५. जो अप्पाणं जाणदि, असुइ-सरीरादु तच्चदो भिन्नं । जाणग-रूव-सरूवं, सो सत्थं जाणदे सव्वं ॥११॥ यः आत्मान जानाति, अशुचिशरीरात् तत्त्वतः भिन्नम् । ज्ञायकरूपस्वरूपं, स शास्त्रं जानाति सर्वम् ।।११।। २५३. २५४. Page #106 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૪૯. સભ્યત્વરત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો, ઘણાં શાસ્ત્રો જાણતા હોય તોય, આરાધનારહિત હોવાથી ત્યાં ને ત્યાં (સંસારમાં ભમતા રહે છે. ર૫૦-૨૫૧. પરમાણ જેટલી પણ રાગાદિભાવ જેની અંદર વિદ્યમાન હોય એવી વ્યક્તિ ભલે સર્વ આગમોની જ્ઞાતા હોય, પણ તેણે આત્માને ઓળખ્યો નથી. આત્માને ન જાણનારો ને તેથી અનાત્માને પણ ન જાણનારો– જીવ-અજી વનો ભેદ નહિ સમજનારો એ આત્મા સમ્યગદષ્ટિ કેવી રીતે હોઈ શકે? ૨૫ ૨. જેનાથી તત્વબોધ થાય, જેનાથી મન વશ થાય, જેનાથી આત્મા શુદ્ધ થાય એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. ર૫૩. જેનાથી રાગ ક્ષીણ થાય, જેનાથી સપ્રવૃત્તિની રુચિ થાય, જેનાથી મૈત્રીભાવ વિકસે એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. ૨૫૪ જે પોતાના આત્માને કર્મોથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, એકરસ અને અખંડ સ્વરૂપે અનુભવે છે તેણે સમગ્ર જિનશાસનને જાણી લીધું છે. ૨૫૫. આ અશુચિમય શરીરથી પોતાને વસ્તુસ્વરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાયકરૂપ જાણે છે તે સઘળાં શાસ્ત્રોને જાણે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ८ सभासुत २५६. सुद्धं तु वियाणंतो, सुद्धं चेवप्पयं लहइ जीवो। जाणतो दु असुद्धं, असुद्धमेवप्पयं लहइ ।।१२।। शुद्ध तु विजानन्, शुद्ध चैवात्मानं लभते जीवः । जानस्त्वशुद्ध-मशुद्धमेवात्मान लभते ।।१२।। २५७. जे अज्झत्थं जाणइ, से बहिया जाणइ । जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ ॥१३॥ योऽध्यात्म जानाति, स बहिर्जानाति । यो बहिर्जानाति, सोऽध्यात्म जानाति ।।१३।। २५८. जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ॥१४॥ यः एक जानाति, स सर्वं जानाति । यः सर्व जानाति, स एकं जानाति ।।१४।। २५९. एदम्हि रदो णिच्चं, संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो, होहिदि तुह उत्तमं सोक्खं ॥१५॥ एतस्मिन् रतो नित्यं, सन्तुष्टो भव नित्यमेतस्मिन् । एतेन भव तृप्तो, भविष्यति तवोत्तमं सौख्यम् ॥१५॥ २६०. जो जाणदि अरहंतं, दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥१६॥ यो जानात्यहन्त, द्रव्यत्वगुणत्वपर्ययत्वैः । स जानात्यात्मान, मोहः खलु याति तस्य लयम् ।।१६।। २६१. लखूणं णिहिं एक्को, तस्स फलं अणुहवेइ सुजणत्ते । तह णाणी णाणणिहिं, भुंजेइ चइत्तु परतत्तिं ॥१७॥ लब्ध्वा निधिमेकस्तस्य फलभनुभवति सुजनत्वेन । तथा ज्ञानी ज्ञाननिधिं, भुंक्ते त्यक्त्वा परतृप्तिम् ॥१७॥ २०. सम्यक्चारित्रसूत्र (अ) व्यवहारचारित्र २६२. ववहारणयचरित्ते, ववहारणयस्स होदि तवचरणं । णिच्छयणयचारित्ते, तवचरणं होदि णिच्छयदो ॥१॥ व्यवहारनयचरित्रे, व्यवहारनयस्य भवति तपश्चरणम् । निश्चयनयचारित्रे, तपश्चरणं भवति निश्चयतः ।।१।। Page #108 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૮૩ ર૫૬ જે આત્માને અશુદ્ધ સમજે છે તેને આત્મા અશુદ્ધ અનુભવમાં આવે છે, જે આત્માને શુદ્ધ માને છે તેને આત્મા શુદ્ધ જણાય છે ૨૫.૭. જે વ્યક્તિ અંદરનું જાણે છે તે બહારનું જાણે છે, જે બહારનું જાણે છે તે અંદરનું જાણે છે. ૨૫.૮. જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે. ૨૫ ૯. હે મુમુક્ષ! તું આ એક સ્વમાં જ લીન રહે; એમાં જ સંતુષ્ટ રહે, એનાથી જ તૃપ્તિ માન. આમાંથી જ તું સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરીશ. દ્રવ્ય-ગુણ-પર્યાય વડે અહિતોને જ જાણે છે તે પોતાના આત્માને પણ જાણે છે. એ પુરુષનો મોહ વિલય પામે છે. ર૬ ૧. જેમ કોઈને ખજાનો મળે તો તે પોતાના લોકોની વચ્ચે તેનો ઉપભોગ કરે છે એમ જ્ઞાનરૂપી નિધાનને પ્રાપ્ત કરી જ્ઞાની પરની પંચાત છોડી સ્વમાં લીન થઈ જાય છે. ૨૦. સખ્યદ્યારિત્રસૂત્ર (અ) વ્યવહારચરિત્રા ર ૬ ૨. વ્યવહારચારિત્રની સ્થળ ભૂમિકા પર વ્યવહારતા હોય છે. નિશ્ચય ચારિત્રની સૂક્ષ્મભૂમિકાએ નિશ્ચયાનુસારી સૂક્ષ્મ તપ હોય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ २६३. असुहादो विणिवित्ती, सुहे पवित्ती य जाण चारित्तं । वदसमिदिगुत्तिरूवं, ववहारणया दु जिणभणियं ॥२॥ अशुभाद्विनिवृत्तिः, शुभे प्रवृत्तिश्च जानीहि चारित्रम् | व्रतसमितिगुप्तिरूपं, व्यवहारनयात् तु जिनभणितम् ॥२॥ सुयनाणम्मि वि जीवो, वट्टतो सो न पाउणति मोक्खं । जो तवजमममइए, जोगे न चएइ वोढुं जे ॥३॥ श्रुतज्ञानेऽपि जीवो, वर्तमानः स न प्राप्नोति मोक्षम् । यस्तपः सयममयान्, योगान् न शक्नोति वोढुम् ||३|| सक्किरियाविरहातो, इच्छितसंपावयं ण नाणं ति । मग्गण्णू वाऽचेट्ठी, वातविहीणोऽधवा पोतो ॥४॥ सत्क्रियाविरहात् ईप्सितसंप्रापकं न ज्ञानमिति । मार्गज्ञो वाऽचेष्टो, वातविहीनोऽथवा पोतः ||४|| सुबहु पि सुयमहीयं किं काहिइ चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ॥५॥ सुबह्वपि श्रुतमधीत, किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता, दीपशतसहस्रकोटिरपि ||५|| थोवम्मि सिक्खिदे जिणइ, बहुसुदं जो चरित्तसंपुण्णो । जो पुण चरित्तहीणो, किं तस्स सुदेण बहुएण ॥ ६ ॥ स्तोके शिक्षिते जयति, बहुश्रुतं यश्चारित्रसम्पूर्ण. 1 यः पुनश्चारित्रहीन., किं तस्य श्रुतेन वहुकेन ||६|| (आ) निश्चयचारित्र २६८. २६४. २६५. २६६. २६७. २६९. णिच्छयणयस्स एवं, अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरित्तो, जोई सो लहइ णिव्वाणं ॥ ७ ॥ निश्चयनयस्य एव, आत्मा आत्मनि आत्मने सुरत । सः भवति खलु सुचरित्रः, योगी स. लभते निर्वाणम् ॥७॥ जं जाणिउण जोई, परिहारं कुणइ पुण्णपावाणं । तं चारित्तं भणियं, अवियप्पं कम्मरहिएहिं ॥८॥ यद् ज्ञात्वा योगी, परिहारं करोति पुण्यपापानाम् । तत् चारित्रं भणितम्, अविकल्पं कर्मरहितैः ||८|| સમણસુત્ત For Private Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૬૩. ૨૬૪. ૨૬૫. ૨૬. ૨૬૭. ૨૬૯ ૫ ચારિત્ર એટલે અશુભ આચરણથી નિવૃત્ત થવું અને શુભ આચરણમાં પ્રવૃત્ત થયું. જિનેશ્વરોએ વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપે વ્યવહારચારિત્રનો ઉપદેશ કર્યો છે. જે વ્યક્તિ શ્રુતજ્ઞાન સારી પેઠે ધરાવતો હોય પણ તપસંયમરૂપ યોગને ધારણ ન કરી શકતો હોય તો તે મોક્ષ પામી શકતો નથી. ઉચિત આચરણ વિના જ્ઞાન ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિનું સાધન બનતું નથી. રસ્તો જાણતો હોય પણ ચાલતો ન હોય એવો મનુષ્ય અથવા પવનનો સાથ જેને ન હોય એવું વહાણ ઈષ્ટ સ્થાને પહોંચતા નથી. ગમે તેટલું અધ્યયન કર્યું હોય, પણ આચરણનો અભાવ હોય તો તે શા કામનું ? આંધળાની આગળ કરોડો દીપક પ્રગટાવીએ તો ચ તે નકામા છે. (ભા) નિશ્ચયચારિત્ર ૨૬૮ જે ચારિત્રયુક્ત છે તે થોડું શીખ્યો હશે તો પણ વિદ્વાનને હરાવી દેશે. જે ચારિત્રવિહીન છે તે ગમે તેટલું ભણે તોય તેથી શું? નિશ્ચયનયની દૈષ્ટિએ સ્વની પ્રાપ્તિ માટે, સ્વયં સ્વમાં લીન થવું એ સત્યારિત્ર છે. આવો ચારિત્રવાન યોગી નિર્વાણને પ્રાપ્ત કરે છે. જે સ્થિતિએ પહોંચીને યોગી પુણ્ય અને પાપ બંનેનો પરિહાર કરે છે તેને ભગવાને નિશ્ચયચારિત્ર કહ્યું છે. For Private Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સમાસુ २७०. २७१. २७२. जो परदव्वम्मि सुहं, असुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो, परचरियचरो हवदि जीवो ॥९॥ य. परद्रव्ये शुभमशुभं, रागेण करोति यदि भावम् । स स्वकचरित्रभ्रष्टः, परचरितचरो भवति जीव ||९|| जो सव्वसंगमुक्कोऽणण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं, सो सगचरियं चरदि जीवो ॥१०॥ य सर्वसंगमुक्तः, अनन्यमना आत्मानं स्वभावेन । जानाति पश्यति नियत, सः स्वकचरित चरति जीव ।।१०।। परमट्टम्हि दु अठिदो, जो कुणदि तवं वदं च धारेई । तं सव्वं बालतवं, बालवदं बिंति सव्वण्हू ॥११॥ परमार्थे त्वस्थित., यः करोति तपो व्रत च धारयति । तत् सर्व बालतपो, बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः ।।११।। मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं ।।१२।। मासे मासे तु यो वालः कुशाग्रेण तु भुंक्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति पोडशीम् ।।१२।। चारित्तं खलु धम्मो, धम्मो जो सो त्ति णिद्दिो । मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हु समो ॥१३॥ चारित्र खलु धर्मो, धर्मो यः स सम. इति निर्दिष्टः । मोहक्षोभविहीन , परिणाम आत्मनो हि सम ।।१३।। समदा तह मज्झत्थं, सुद्धो भावो य वीयरायत्तं । तह चारित्तं धम्मो, सहावआराहणा भणिया ॥१४॥ समता तथा माध्यस्थ्य, शुद्धो भावश्च वीतरागत्वम् । तथा चारित्र धर्मः, स्वभावाराधना भणिता ||१४|| २७३. २७४. २७५. २७६. सुविदिदपयत्थसुत्तो, संजमतवसंजुदो विगदरागो । समणो समसुहदुक्खो, भणिदो सुद्धोवओओ ति ।।१५।। सुविदितपदार्थसूत्र., संयमतपःसयुतो विगतरागः । श्रमणः समसुखदुःखो, भणितः शुद्धोपयोग इति ।।१५।। Page #112 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૭૦. જે આત્મા રાગને આધીન થઈ પરપદાર્થમાં શુભ-અશુભ ભાવ કરે છે તે સ્વથી ભ્રષ્ટ થઈને પરમાં રમનારો કહેવાય ૨ ૭૧.. જે સર્વ પરિગ્રહથી નિવૃત્ત થઈ સ્વમાં અનન્યભાવે લીના બની, પોતે પોતાને શુદ્ધ ત્રિકાળી તસ્વરૂપે જાણે-જુએ છે તે સ્વમાં રમનારો છે. ૨ ૭ર. નિશ્ચયનય થી જણેલા સત્યમાં નિષ્ઠા લાવ્યા વિના જે કંઈ વ્રત કે તપ કરવામાં આવે તેને ભગવાને બાળતા કે બાળવ્રત કહ્યાં છે. ૨૭૩. મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી રે ૭૪. ચારિત્ર એ જ ધર્મ છે, સમતા એ જ ધર્મ છે. મોહના ક્ષોભથી મુક્ત એવી જ્ઞાનધા રા એ જ સમતા ૨ ૭પ. સમતા, માધ્યસ્થ, શુદ્ધ ઉપયોગ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ–આ બધા “સ્વ-ભાવ’ આરાધનારૂપ એક જ વસ્તુના વાચક શબ્દો છે. ૨૭૬. સૂત્ર અને તેના અર્થને સુંદર પ્રકારે જાણનાર, તપસંયમયુક્ત, રોગવિહીન અને સુખ-દુઃખને સમાન ગણનાર શ્રમણને શુદ્ધોપયોગમાં વર્તનારો કહ્યો છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સમણસુત્ત २७७. सुद्धस्स य सामण्णं, भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं, सो च्चिय सिद्धो णमो तस्स ॥१६॥ शुद्धस्य च श्रामण्य, भणित शुद्धस्य दर्शन ज्ञानम् । शुद्धस्य च निर्वाणं, स एव सिध्धो नमस्तस्मै ।।१६।। २७८. अइसयमादसमुत्थं, विसयातीदं अणोवममणंतं । अबुच्छिन्नं च सुहं, सुद्धवओगप्पसिद्धाणं ॥१७॥ अतिशयमात्मसमुत्थ, विषयातीतमनुपममनन्तम् । अव्युच्छिन्नं च सुख, शुद्धोपयोगप्रसिद्धानाम् ।।१७।। २७९. जस्स ण विज्जदि रागो, दोसो मोहो व सव्वदव्वेसु । णाऽऽसवदि सुहं असुहं, समसुहदुक्खस्स भिक्खुस्स ॥१८॥ यस्य न विद्यते रागो, द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नाऽऽस्रवति शुभमशुभ, समसुखदुःखस्य भिक्षोः ।।१८।। (ई) समन्वय २८०. णिच्छय सज्झसरूवं, सराय तस्सेव साहणं चरणं । तम्हा दो वि य कमसो, पडिच्छमाणं पबुज्झेह ।।१९।। निश्चय. साध्यस्वरूपः, सरागं तस्यैव साधन चरणम् । तस्मात् द्वे अपि च क्रमशः, प्रतीष्यमाणं प्रवुध्यध्वम् ।।१९।। २८१. अभंतरसोधीए, बाहिरसोधी वि होदि णियमेण । अभंतर-दोसेण हु, कुणदि णरो बाहिरे दोसे ॥२०॥ अभ्यन्तरशुद्ध्या, वाह्यशुद्धिरपि भवति नियमेन । अभ्यन्तरदोपेण हि, करोति नर. बाह्यान् दोपान् ।।२०।। २८२. मदमाणमायलोह- विवज्जियभावो दु भावसुद्धि त्ति । परिकहियं भव्वाणं, लोयालोयप्पदरिसीहिं ॥२१॥ मदमानमायालोभ-विवर्जितभावस्तु भावशुद्धिरिति । परिकथित भव्याना, लोकालोकप्रदर्शिभिः ।।२१।। २८३. चत्ता पावारंभं, समुट्ठिदो वा सुहम्मि चरियम्हि । ण जहदि जदि मोहादि, ण लहदि सो अप्पगं शुद्धं ॥२२॥ त्यक्त्वा पापारम्भं, समुत्थितो वा शुभे चरिते । न जहाति यदि मोहादीन् न लभते स आत्मकं शुद्धम् ||२२|| Page #114 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૭૭ ૨૭૮ ૨૭૯. (ઙ્ગ) સમન્વય ૨૮૦ ૨૮૧. ૨૮૨. ૨૮૩. ૮૯ શુદ્ધ ઉપયોગવંતને જ શ્રમણપણું છે, તેને જ દર્શનજ્ઞાન મળેલાં છે. તેનું નિર્વાણ નિશ્ચિત છે જે શુદ્ધ છે તે સિદ્ધ છે એને નમસ્કાર હો. શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધ સ્થિતિને પામનાર આત્માઓને આત્મામાથી જ પ્રગટનારા, સર્વોત્કૃષ્ટ, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખની ઉપલબ્ધિ થાય છે. જેને સર્વ પદાર્થોમાં રાગ નથી, દ્વેષ નથી, અને મોહ નથી, જેને સુખદુઃખ બંને સમાન છે એવો મુનિ શુભ કે અશુભ કોઈ આસ્રવ કરતો નથી (આસવ = આત્મામાં કર્મોનું આગમન થયું.) નિશ્ચયચારિત્ર સાધ્ય છે; વ્યવહાર ચારિત્ર તેનું સાધન છે તેથી બુદ્ધિમાન સાધક બંને ચારિત્રને ક્રમશઃ જીવનમા અપનાવે છે અત્યંતર શુદ્ધિ થતાં બાહ્ય શુદ્ધિ અવશ્ય થાય છે વ્યક્તિ અભ્યતર અશુદ્ધિના કારણે જ બાહ્ય દોષોનુ આચરણ કરે છે. મદ, માન, માયા, લોભ આદિથી રહિત ચિત્તવૃત્તિ એ જ ભાવશુદ્ધિ છે એમ. લોકાલોકદર્શી અહંતોએ ભવ્યજનોને પ્રબોધ્યું છે. — પાપકાર્યો તજી દે અને શુભ આચરણમાં તત્પર હોય છતાં જો મોહ આદિને તજે નહિ તો તેવો મુમુક્ષુ શુદ્ધ આત્માને પામી શકતો નથી. For Private Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ CO સમણસુd २८४. जह व णिरुद्धं असुहं सुहेण सुहमवि तहेव सुद्रेण । तम्हा एएण कमेण य, जोई झाएउ णियआदं ॥२३॥ यथैव निरुद्धम् अशुभ, शुभेन शुभमपि तथैव शुन्द्रेन । तस्मादनेन क्रमेण च, योगी ध्यायतु निजात्मानम् ।।२३।। २८५. निच्छयनयस्स चरणाय-विघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा हु सेसाणं ॥२४॥ निश्चयनयस्य चरणात्म-विधाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे, हते भजना खलु शेपयो. ।।२४।। २८६-२८७. सद्धं नगरं किच्चा, तवसंवरमग्गलं । खन्तिं निउणपागारं, तिगुत्तं दुप्पधंसयं ॥२५॥ तवनारायजुत्तेण, भित्तूणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ।॥२६॥ श्रद्धा नगर कृत्वा, तप.सवरमर्गलाम् । क्षान्ति निपुणप्राकार, त्रिगुप्त दुष्प्रधर्षकम् ।।२५।। तपोनाराचयुक्तेन, भित्वा कर्मकञ्चुकम् । मुनिर्विगतसग्राम , भवात् परिमुच्यते ।।२६।। २१. साधनासूत्र २८८. आहारासण-णिदाजयं, च काउण जिणवरमएण । झायव्वो णियअप्पा, गाउणं गुरुपसाएण ॥१॥ आहारासन-निद्राजय, च कृत्वा जिनवरमतेन । ध्यातव्य निजात्मा, ज्ञात्वा गुरुप्रसादेन ।।१।। २८९. नाणस्स सव्वस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनया, अज्ञानमोहस्य विवर्जनया । रागस्य द्वेपस्य च संक्षयेण, एकान्तसौख्यं समुपैति मोक्षम् ।।२।। तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिवेसणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥३॥ तस्यैप मागों गुरुवृद्धसेवा, विवर्जना वालजनस्य दूरात् । स्वाध्यायैकान्तनिवेशना च, सूत्रार्थसंचिन्तनता धृतिश्च ।।३।। २९०. Page #116 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૯૧ જેમ પ્રથમ શુભ વડે અશુભનો અંત આણ્ય તેમ શુદ્ધ વડે શુભનો પણ અંત આણવો સાધક આ ક્રમનું અનુસરણ કરી નિજ આત્માનું ધ્યાન કરે. ર૮પ. ર૮૬-૨૮૭. નિ ચ ન ચા િત ચારિત્રને હાનિ થાય તો નિશ્ચયનયાશ્રિત જ્ઞાન-દર્શનને પણ અવશ્ય હાનિ થાય છે જ્યારે વ્યવહા રન યાશ્રિત ચારિત્રની હાનિ થતા જ્ઞાનદર્શનની હાનિ થાય અથવા ન પણ થાય. શ્રદ્ધા એ નગર છે, તપ અને સંવર તેનાં દ્વાર અને સાંકળ છે ક્ષમા રૂપી અજેય અને સુરક્ષિત એવો તેનો કોટ છે. તપ રૂપ બાણો વડે કર્મરાજાનું બખ્તર ભેદી આંતરિક સંગ્રામમાં વિજયી થનાર મુનિ ભવભ્રમણથી. મુક્ત થઈ જાય છે ર૮૮. ૨૧. સાધના સૂત્ર જિન વ ચ ન અનુસાર આહાર, નિદ્રા અને આ સન એ ત્રણે પર કાબૂ મેળવી, ગુરૂકૃપાથી આત્મસ્વરૂપ જાણી. મુમુક્ષુએ નિજ આત્માનું ધ્યાન કરવું ૨૮૯. પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અત આવે તથા રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે અનત સુખ મ ય મોક્ષની ઉપલબ્ધિ થાય છે. રે ૯૦. અને મોક્ષની ઉપલબ્ધિ માટેનો આ છે માર્ગ : ગુરુ અને વડીલોની સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાતની આરાધના, સૂત્ર અને અર્થનુ મનન અને અખૂટ ધર્ય. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨ સમણજીતે २९१. २९२. २९३. २९४. आहारमिच्छे मियमेसणिज्ज, सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥४॥ आहारमिच्छेद् मितमेषणीय, सखायमिच्छंद् निपुणार्थबुद्धिम् । निकेतमिच्छेद् विवेकयोग्य समाधिकामः श्रमणस्तपस्वी ।।४।। हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥५॥ हिताहारा मिताहारा अल्पाहाराः च ये नराः । न तान् वैद्याः चिकित्सन्ति आत्मानं ते चिकित्सका ||५|| रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवंति दुमं जहा साउफलं व पक्खी ।।६।। रसा प्रकाम न निषेवितव्याः, प्रायो रसा दीप्तिकरा नराणाम् । दीप्त च कामाः समभिद्रवन्ति, द्रुम यथा स्वादुफलमिव पक्षिणः ।।६।। विवित्तसेज्जाऽऽसणजंतियाणं, ओमाऽसणाणं दमिइंदियाणं । न रागसत्तू धरिसेइ चित्तं पराइओ वाहिरिवोसहेहि ॥७॥ विविक्तशय्याऽसनयन्त्रितानाम्, अवमाऽशनाना दमितेन्द्रियाणाम् । न रागशत्रुर्धर्षयति चित्तं, पराजितो व्याधिरिवौपधे ।।७।। जरा जाव न पीलेइ, वाही जाव न वड्ढई । जाविंदिया न हायंति, ताव धम्म समायरे ॥८॥ जरा यावत् न पीडयति व्याधिः यावत् न वर्द्रते । यावदिन्द्रियाणि न हीयन्ते, तावत् धर्म समाचरेत् ।।८।। २२. द्विविध धर्मसूत्र दो चेव जिणवरेहि, जाइजरामरामरणविप्पमुक्केहिं । लोगम्मि पहा भणिया, सुस्समण सुसावगो वा वि ॥१॥ द्वौ चैव जिनवरेन्द्र., जातिजरामरणविप्रमुक्तै. । लोके पथौ भणितौ, सुश्रमणः सुश्रावक. चापि ।।१।। दाणं पूया मुक्खं, सावयधम्मे ण सावया तेण विणा । झाणज्झयणं मुक्खं जइधम्मे तं विणा तहा सो वि ॥२॥ दान पूजा मुख्यः, श्रावकधर्मे न श्रावकाः तेन विना । ध्यानाध्ययने मुख्यो, यतिधर्मे तं विना तथा सोऽपि ।।२।। २९५. २९७. Page #118 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૨૯૧ ૨૯૨ ૨૯૩. ૨૯૪. ૨૯૫. ૨૯૬. ૨૯૭. G-3 સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું. જે હિત, મિત અને અલ્પ આહાર કરે છે તે વ્યક્તિને વૈદ્યોની જરૂર પડતી નથી. તે પોતે જ પોતાનો ચિકિત્સક હોય છે. રસપ્રચુર ભોજન અધિક કદ્દી ન કરવું જોઈએ, કારણ કે સામા ચ રીતે રસયુક્ત આહાર મદવર્ધક છે અને મદોન્મત્ત પુરુષને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ સતાવે છે. ઔષધિથી શાંત થયેલો રોગ જેમ પીડા આપતો બંધ થાય છે એમ, એકાંતનિવાસ કરનાર, અલ્પ આહાર કરનાર અને ઈન્દ્રિયોને નિયંત્રિત રાખનાર મુમુક્ષુને રાગરૂપી શત્રુ સતાવી શકતો નથી જ્યા સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યા સુધી રોગો વધ્યા નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ ૨૨. દ્વિવિધ ધર્મસૂત્ર જન્મ-જરા-મરણથી મુક્ત જિનેશ્વરોએ જગતમાં બે સાધનામાર્ગ દર્શાવ્યા છે : એક શ્રમણનો માર્ગ, બીજો શ્રાવકનો. શ્રાવકધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે, તેના વગર શ્રાવક, શ્રાવક નથી. અને શ્રમણધર્મમાં ધ્યાન અને સ્વાધ્યાય મુખ્ય છે, તેના વગર શ્રમણ, શ્રમણ નથી. For Private Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ९४ २९८. २९९. ३००. ३०१. ३०२. ३०३. સમણસુનં सन्ति एगेहि भिक्खूहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहिं य सव्वेहि, साहवो संजमुत्तरा ॥ ३ ॥ सन्त्यकेभ्यो भिक्षुभ्यः, अगारस्थाः सयमोत्तरा । अगारस्थेभ्यश्च सर्वेभ्यः, साधवः सयमोत्तरा ||३|| नो खलु अहं तहा संचाएमि मुंडे जाव पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्मं पडिवज्जिस्सामि ||४|| नो खल्वह तथा सशक्नोमि मुण्डो यावत् प्रवजितुम् । अहं खलु देवानुप्रियाणाम् अन्तिके पञ्चानुव्रतिकम् सप्तशिक्षातिक द्वादशविधम् गृहिधर्म प्रतिपत्स्ये ॥४॥ पंच य अणुव्वयाई, सत्त उ सिक्खा उ देसजइधम्मो । सव्वेण व देसेण व, तेण जुओ होइ देसजई ॥५॥ पञ्च च अणुव्रतानि सप्त तु शिक्षा देशयतिधर्मः । सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ||५|| २३. श्रावक धर्मसूत्र संपत्तदंसणाई, पइदियहं जइजणा सुणेई य । सामायारिं परमं जो, खलु तं सावगं विंति ||१|| सप्राप्तदर्शनादि, प्रतिदिवस यतिजनाच्छृणोति च । समाचारी परमां यः, खलु तं श्रावक ब्रुवते ||१|| पंचुंबरसहियाई, सत्त वि विसणाई जो विवज्जेइ । सम्मत्तविसुद्धमई, सो दंसणसावओ भणिओ ||२|| पञ्चोदुम्वरसहितानि सप्त अपि व्यसनानि य. विवर्जयति । सम्यक्त्वविशुद्धमतिः स दर्शनश्रावकः भणित ||२|| इत्थी जूयं मज्जं, मिगव्व वयणे तहा फरुसया य । दंडफरुसत्तमत्थस्स दूसणं सत्त वसणाई ॥३॥ स्त्री द्यूत मद्यं, मृगया वचने तथा परुषता च दण्डपरुपत्वम् अर्थस्य दूषणं सप्त व्यसनानि ||३|| For Private Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ લ્પ ર૯ ૮. અમુક શિથિલ) મુનિઓની સરખામણીમાં દલાક શ્રાવકો આચરણમાં ચડિયાતા હોય છે, પણ બધા સુશ્રાવકો કરતા એક સુશ્રમણ આચરણમાં ચડિયાતો હોય છે. ર ૯૯ હું પ્રવ્રજિત બની -શ્રમણ બનીને વિચારવા શક્તિમાન નથી. હું આપની પાસે થી પાંચ અણુવ્રત અને સાત. શિક્ષાવ્રત – એમ દ્વાદશવ્રતરૂપી શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું. પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એ દેશવિરતિરૂપ ધર્મ છે. આ બાર વ્રત અથવા તેમાંના અમુક વ્રતોનું પાલન કરે તેને શ્રાવક કહેવાય છે. (દેશવિરતિપાપાંનો આંશિક ત્યાગ) ૩૦૧ ૨૩. શ્રાવકધર્મસૂત્ર જેને સમ્યગદર્શન અને સમ્ય ગુજ્ઞાન પ્રાપ્ત થયું છે અને જે ઉત્તમ ચારિત્રધર્મનું શ્રમણો પાસેથી પ્રતિદિન શ્રવણ કરે છે તે શ્રાવક છે. ૩૦ ૨ જેને સભ્ય શ્રદ્ધા છે પણ આચરણના વિષયમાં માત્ર અભક્ષ્ય વસ્તુઓનો અને સાત મહાવ્યસનોનો જેણે ત્યાગ કર્યો છે તે દર્શનશ્રાવક કહેવાય છે ૩૦ ૩. પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, માંસાહાર, અપશબ્દ, ઉગ્ર શારીરિક દંડ અને ચોરી આદિ આર્થિક અપરાધો – આ સાત વ્યસનો કહેવાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ३०४. ३०५. ३०६. ३०७. સમણસુર मांसासणेण वड्ढइ दप्पो दप्पेण मज्जमहिलसइ । जूयं पि रमइ तो तं, पि वण्णिए पाउणइ दोसे ॥४॥ मासाशनेन वर्धते दर्प. दर्पण मद्यम् अभिलषति । द्यूतम् अपि रमते ततः तद् अपि वर्णितान् प्राप्नोति दोषान् ।।४।। लोइयसत्थम्मि वि, वणियं जहा गयणगामिणो विप्पा । भुवि मंसासणेण पडिया, तम्हा ण पउंजए मंसं ॥५॥ लौकिकशास्त्रे अपि वर्णितम् यथा गगनगामिन विप्रा । भुवि मांसाशनेन पतिताः तस्माद् न प्रयोजयेद् मासम् ।।५।। मज्जेण णरो अवसो, कुणेइ कम्माणि जिंदणिज्जाई। इहलोए परलोए, अणुहवइ अणंतयं दुक्खं ॥६॥ मधेन नरः अवशः करोति कर्माणि निन्दनीयानि । इहलोके परलोके अनुभवति अनन्तकं दुःखम् ।।६।। संवेगजणिदकरणा, णिसल्ला मंदरो व्व णिक्कंपा । जस्स दढा जिणभत्ती, तस्स भयं णत्थि संसारे ॥७॥ संवेगजनितकरणा, निःशल्या मन्दर इव निष्कम्पा । यस्य दृढा जिनभक्ति., तस्य भयं नास्ति संसारे ||७|| सत्तू वि मित्तभावं, जम्हा उवयाइ विणयसीलस्स। विणओ तिविहेण तओ, कायव्वो देसविरएण ॥८॥ शत्रुः अपि मित्रभावम् यस्माद् उपयाति विनयशीलस्य । विनयः त्रिविधेन ततः कर्त्तव्यः देशविरतेन 1८!! पाणिवहमुसावाए, अदत्तपरदारनियमणेहिं च । अपरिमिइच्छाओऽवि य, अणुव्वयाई विरमणाई॥९॥ प्राणिवधमृपावादा-दत्तपरदारनियमनैश्च । अपरिमितेच्छातोऽपि च, अणुव्रतानि विरमणानि ।।९।। बंधवहच्छविच्छेए, अइभारे भत्तपाणवुच्छेए । कोहाइदूसियमणो, गोमणुयाईण नो कुज्जा ॥१०॥ बन्धवधछविच्छेदान्, अतिभारान् भक्तपानव्युच्छेदान् । क्रोधादिदूषितमनाः, गोमनुष्यादीना न कुर्यात् ।।१०।। ३०८. ३०९. ३१०. Page #122 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૭ ३०४ માંસાહારથી શારીરિક ઉત્તેજના વધે છે, ઉત્તેજિત વ્યક્તિ મદ્યપાન તરફ વળે છે, પછી જુગાર પણ રમે છે અને આમ એ વ્યક્તિ એક પછી એક બધા દોષોમાં પડે છે. ૩૦પ કહે છે કે કેટલાક બ્રાહ્મણો ગગનગામી હતા, માંસાહાર કરવાથી તેઓ જમીન પર પડ્યા આમ, વ્યાવહારિક દષ્ટિએ પણ માંસાહાર તજવા યોગ્ય છે. ૩૦૬ માદક પીણાથી ભાન ભૂલેલો માણસ નિદનીય કાર્યો કરે છે અને આ ભવમાં તથા અન્ય ભવોમાં અપાર દુઃખ વેઠે છે. ૩૦૭. જેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રેરનારી, નિર્મળ, મેરુ જેવી અડગ અને દઢ જિનભક્તિ છે તેને સંસારમાં કોઈ ભય નથી. 3०८ વિનયી વ્યક્તિ શત્રુને પણ મિત્ર બનાવી લે છે. શ્રાવકે મન-વચન-કાયાથી હંમેશાં વિનયશીલ થવું. ૩૦૯ જીવવધ, અસત્યભાષણ, ચોરી, પરસ્ત્રીસેવન, અમર્યાદ સંગ્રહ–આ પાંચે પાપોથી અટકવું અને પાંચ અણુવ્રત કહેવામાં આવે છે. ૩૧ ૦. મનુષ્યને કે પશુને, ક્રોધ વગેરેના આવેશ હેઠળ બંધન, પ્રહાર, અંગવિચ્છેદ, અતિ ભાર આરોપણ અને આહારની બંધી જેવા કાર્યો દ્વારા દુઃખ ન દેવું. Page #123 -------------------------------------------------------------------------- ________________ GC ३११. ३१२. ३१३. ३१४. इत्तरियपरिग्गहिया - ऽपरिगहियागमणा-गंगकीडं च । परविवाहकरणं, कामे तिव्वाभिलासं च ॥१४॥ इत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमना-नगक्रीडा च । पर (द्वितीय) विवाहकरण, कामे तीव्राभिलापः च ||१४| ३१५.-३१६. विरया परिग्गहाओ, अपरिमिआओ अनंततण्हाओ । बहुदोससंकुलाओ, नरयगइगमणपंथाओ ||१५|| खित्ताइ हिरण्णाई धणाइ दुपयाइ - कुवियगस्स तहा । सम्मं विसुद्धचित्तो, न पमाणाइक्कमं कुज्जा ॥१६॥ विरता परिग्रहात् अपिरिमिताद्-अनन्तृष्णात् । वहुदोपसंकुलात्, नरकगतिगमनपथात् ||१५| क्षेत्रादेः हिरण्यादे. धनादे. द्विपदादेः कुप्यकस्य तथा सम्यग्विशुद्धचित्तो, न प्रमाणातिक्रम कुर्यात् ||१६|| भाविज्ज य संतोसं, गहियमियाणि अजाणमाणेणं । थोवं पुणो न एवं, गिहिणस्सामो त्ति चिंतिज्जा ||१७|| भावयेच्च सन्तोषं गृहीतमिदानीमजानानेन । स्तोक पुनः न एवं ग्रहीष्याम इति चिन्तयेत् ||१७|| ३१७. थूलमुसावायस्स उ, विरई दुच्चं स पंचहा होइ । कन्नागोभू आल्लिय - नासहरण कूडसक्खिज्जे ॥११॥ स्थूलमृषावादस्य तु, विरति द्वितीय स पंचधा भवति । कन्यागोभूअलीक -न्यासहरण कूटसाक्ष्याणि ||११|| सहसा अब्भक्खाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसयं, कूडलेहकरणं च वज्जिज्जा ॥१२॥ सहसाभ्याख्यान, रहसा च स्वदारमन्त्रभेद च । मृपोपदेश कूटलेखकरण च वर्जयेत् ||१२| वज्जिज्जा तेनाहड - तक्करजोगं विरुद्धरज्जं च । कूडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं ॥१३॥ वर्जयेत् स्तंनाहृतं, तस्करयोग विरुद्धराज्य च । कूटतुलाकूटमाने, तत्प्रतिरूप च व्यवहारम् ||१३|| - For Private Personal Use Only સમણસુતં Page #124 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૧૧ ૩૧. ૨ ૩૧ ૩. સ્થૂળ અસત્યોનો ત્યાગ એ બીજું વ્રત છે. સ્થળ અસત્યો. પાંચ પ્રકારના છે : કન્યા અંગે જુઠું બોલવું, ગાય ભેંસ વગેરે અંગે જૂઠું બોલવું, જમીન અંગે જૂઠું બોલવું, કોઈની થાપણ ઓળવવી, જૂઠી સાક્ષી ભરવી. (બીજા વ્રતના રક્ષણ માટે) વિચાર્યા વિના - એકદમ બોલવું નહિ, કોઈની છૂપી વાત જાહેર ન કરવી, પત્ની કે પતિની ગુપ્ત વાત પ્રગટ ન કરવી, ખોટી શિખામણ ન આપવી, ખોટા દસ્તાવેજ ન બનાવવા. (ત્રીજા અણુવ્રતમાં) ચોરીની વસ્તુ લેવી નહિ, ચોરી માટે મદદ કરવી નહિ, કરચોરી -દાણચોરી વગેરે રાજ્યવિરુદ્ધ કાર્ય કરવાં નહિ, વસ્તુમાં ભેળસેળ કે વસ્તુના તોલમાપમાં ગરબડ કરવી નહિ, નકલી નાણું ચલાવવું કે બનાવવું નહિ. (સ્વપત્ની સંતોષ રૂપી ચતુર્થવ્રતના પાલન માટે) વેશ્યા અથવા રખાતનો ત્યાગ કરવો, અન્ય કોઈપણ સ્ત્રીથી દૂર રહેવું, અકુદરતી કામક્રીડાથી દૂર રહેવું, પોતાનાં સંતાન સિવાય અન્યના વિવાહકાર્યમાં રસ ન લેવો અને સ્વપત્ની કે સ્વપતિમાં પણ કામભોગની અતિશય ઈચ્છા ન રાખવી. પરિગ્રહની તૃષ્ણાનો અંત નથી. દોષભરપૂર, દુર્ગતિ તરફ દોરી જનારા અમર્યાદ પરિગ્રહથી જેઓ બચવા ઈચ્છે છે તેઓએ આ વસ્તુઓનું પ્રમાણ બાંધી લેવું જોઈએ - જમીન-મકાન, સોનું આદિ કિંમતી ધાતુઓ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ, સરસામાન; શુદ્ધ હદયવાળા શ્રાવકે આ વસ્તુઓનું જે પ્રમાણ પોતે નક્કી કર્યું હોય તેને ઓળંગવું ૩૧૪. ૩૧પ-૩૧ ૬. નહિ ૩૧૭. શ્રાવકે સંતોષ કેળવવો, “અજ્ઞાનપણે મે સંગ્રહ કરી. લીધો છે, હવે વધુ સંગ્રહ નહિ કરુ” એવો વિચાર તેણે રાખવો. Page #125 -------------------------------------------------------------------------- ________________ १०० ३१८. ३१९. ३२०. ३२१. ३२२. ३२३. जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । देसावगासियं पि य, गुणव्वयाइं भवे ताई ॥१८॥ यच्च दिग्विरमणं, अनर्थदण्डात् यच्च विरमणम् । देशावकाशिकमपि च, गुणव्रतानि भवेयुस्तानि ||१८|| उड्ढमहे तिरियं पि य, दिसासु परिमाणकरणमिह पढमं । भणियं गुणव्वयं खलु, सावगधम्मम्मि वीरेण ||१९|| ऊर्ध्वमधस्तिर्यगपि च, दिक्षु परिमाणकरणमिह प्रथमम् । भणितं गुणव्रत खलु, श्रावकधर्मे वीरेण ।।१९ ॥ वयभंगकारणं होइ, जम्मि देसम्मि तत्थ नियमेण । कीरइ गमणणियत्ती, तं जाण गुणव्वयं बिदियं ||२०|| व्रतभंगकारणं भवति, यस्मिन् देशे तत्र नियमेन । क्रियते गमननिवृत्तिः, तद् जानीहि गुणव्रत द्वितीयम् ॥२०॥ विरई अणत्थदंडे, तच्चं स चउव्विहो अवज्झाणो । पमायायरिय हिंसप्पयाण पावोवएसे य ||२१|| विरतिरनर्थदण्डे, तृतीय, स चतुर्विध. अपध्यानम् । प्रमादाचरितम् हिंसाप्रदानम् पापोपदेशश्च ॥ २१ ॥ अट्ठेण तं न बंधइ, जमणट्ठेणं तु थोवबहुभावा । अट्ठे कालाईया, नियामगा न उ अणट्टाए ॥२२॥ अर्थेन तत् न बध्नाति, यदनर्थेन स्तोकबहुभावात् । अर्थ कालादिकाः, नियामकाः न त्वनर्थके ||२२|| कंदष्पं कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च । उवभोगपरीभोगा- इरेयगयं चित्थ वज्जेइ ॥२३॥ कन्दर्प्यम् कौत्कुच्यं, मौखर्य संयुक्ताधिकरणं च । उपभोगपरिभोगा-तिरेकगतं चात्र वर्जयेत् ||२३|| સમણસુત્તે For Private Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૦૧ ૩૧૮. બીજાં. ત્રણ ગુણવ્રત છે : દિશાપરિમાણ, અનર્થદંડવિરમણ, દેશાવકાશિક. ૩૧ ૯. ૩ ૨ ૦. ૩ ૨૧. વ્યવસાય આદિ કાર્યો માટે ઉપર નીચે તથા તિરછી દિશાઓમાં અમુક અંતર સુધી ગમન-આગમનની મર્યાદા બાંધવી એને ભગવાને શ્રાવકો માટેનું દિશાપરિમાણ. નામનું ગુણવ્રત કહ્યું છે. જે દેશ કે દિશામાં જવાથી વ્રત નો ભંગ થવાની અથવા વ્રતમાં દોષ લાગવાની શક્યતા હોય તે દેશમાં નહિ જવાનો સદંતર નિયમ એ દેશાવકાકિ નામનું બીજું ગુણવ્રત છે. વિના કારણે કર્મબંધન કરવું અથવા અન્યને નિરર્થક દુઃખ દેવું એ અનર્થદંડ કહેવાય છે. તેનાથી વિરમવું એ ત્રીજું ગુણવ્રત છે. અનર્થદંડના ચાર પ્રકાર છે ... દુષ્ટ વિચાર કરવા, અસાવધાનીથી વર્તવું, હિસાના સાધનો. આપવાં, અન્યને પાપકાર્યની પ્રેરણા કરવી. પ્રયોજન હોય અને કાર્ય કરવામાં આવે તો કર્મબંધન ઓછું થાય છે, પ્રયોજન વિના કરવાથી વધુ થાય છે; કારણ કે આવશ્યક કાર્યમાં તો સ્થળ-કાળનો ખ્યાલ રહે છે, અનાવશ્યક કાર્યોમાં એની અપેક્ષા ન હોવાથી પ્રવૃત્તિ અમર્યાદ બની જાય છે ૩ ર ર. ૩ ૨ ૩. અનર્થદંડવિરમણ વ્રતના પાલન માટે શ્રાવકે અશ્લીલ ભાષા, કુચેષ્ટા, ગપ્પાંબાજી, હિસામાં ઉપયોગી થઈ શકે એવાં ઉપકરણો-સાધનો(સોય-અસ્ત્રો-છરી વગેરે)ના ઉપયોગમાં અસાવધાની, ભોગ-ઉપભોગનો અતિરેક – આટલી વાતોથી બચવું જોઈએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ १०२ ३२४. ३२५. ३२६. ३२७. ३२८. ३२९. भोगाणं परिसंखा, सामाइय- अतिहिसंविभागो य । पोसहविही य सव्वो, चउरो सिक्खाउ वृत्ताओ ||२४|| भांगाना परिसंख्या, सामायिकम् अतिथिसंविभागश्च । पोपधविधिश्च सर्वः, चतस्रः शिक्षा उक्ताः ||२४|| वज्जणमणंतगुंबर, अच्छंगाणं च भोगओ माणं । कम्मयओ खरकम्मा-इयाण अवरं इमं भणियं ॥ २५ ॥ वर्जनमनन्तकमुदम्बरि- अत्यगाना च भोगतो मानम् । कर्मकत· खरकर्मादिकाना अपरम् इद भणितम् ||२५|| सावज्जजोगपरिरक्खणट्ठा, सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमं ति नच्चा, कुज्जा बुहो आयहियं परत्था ॥२६॥ सावद्ययोगपरिरक्षणार्थ, सामायिक केवलिकं प्रशस्तम् । गृहस्थधर्मात् परममिति ज्ञात्वा कुर्याद् बुध आत्महित परत्र ||२६|| सामाइयम्मि उकए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥२७॥ सामायिके तु कृते, श्रमण इव श्रावको भवति यस्मात् । एतेन कारणेन, वहुश. सामायिकं कुर्यात् ||२७|| सामाइयं ति काउं परचिंतं जो उ चिंतई सड्ढो । अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइयं ॥ २८ ॥ सामायिकमिति कृत्वा, परचिन्ता यस्तु चिन्तयति श्राद्धः । आर्तवशार्तोपगत, निरर्थक तस्य सामायिकम् ||२८|| 7 आहारदेहसक्कार-बंभाऽवावारपोसहो य णं । देसे सव्वे य इमं चरमे सामाइयं णियमा ||२९|| आहारदेहसत्कार- ब्रह्मचर्यमव्यापारपापधः च । देशे सर्वस्मिन् च इदं चरमे सामायिकं नियमात् ||२९|| સમણસુત્ત For Private Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૨૪. ૩૨૫. ૩૨૬. ૩૨૭ ૩૨૮. ૩૨૯. ૧૦૩ ભોગોપભોગ પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, પૌષધોપવાસ—આ ચાર શિક્ષાવ્રત છે ભોગ અને ઉપભોગની મર્યાદારૂપ નવમા વ્રતના બે ભેદ છે : ભોજનની મર્યાદા અને વ્યવસાયની મર્યાદા કંદમૂળ વગેરે અનતકાય વનસ્પતિ, પાંચ બહુબીજવાળાં ફળ તથા મદ્ય-માસ વગેરે પદાર્થોનો ત્યાગ કરવો અથવા પરિમાણ કરવું એ પ્રથમ ભેદ છે ખરકર્મ એટલે કે હિસક ઉદ્યોગો દ્વારા આજીવિકા ચલાવવાનો ત્યાગ કરવો અથવા એવા કાર્યોનું પરિમાણ બાધવુ એ બીજો ભેદ છે (અનંતકાય=જેના એક સૂક્ષ્મ દૃકડામાં અનંત જીવો હોય એવી વનસ્પતિ ) હિસાદિ પાપમય પ્રવૃત્તિથી (અમુક સમય માટે) વિરમવું એ નિર્મળ અને સુંદર સામાયિક વ્રત છે. ગૃહસ્થનો આ એક શ્રેષ્ઠ ધર્મ છે એમ સમજી આત્મકલ્યાણ અર્થે સુજ્ઞ પુરુષે સામાયિક કરતા રહેવું જોઈએ. સામાયિકમાં શ્રાવક, સાધુની સમાન કક્ષાએ પહોચે છે, માટે જ ગૃહસ્થે સામાયિક વારંવાર કરવા યોગ્ય છે સામાયિક કરતી વખતે જે શ્રાવક સુખદુ ખના વિચારમા ડૂબી જઈને સાસારિક ચિંતન કરે છે તેનું સામાયિક વ્યર્થ છે. તે ચાર પૌષધ એટલે આત્માની પુષ્ટિ માટેનું વ્રત પ્રકારનું છે · આહાર, શરીરશોભા, મૈથુન અને સાસારિક કાર્યકલાપ આ ચારનો પૂરો અથવા આંશિક(અમુક પ્રહર કે દિવસ માટે) ત્યાગ કરવો સંપૂર્ણ પૌષધ કરવો હોય તો સામાયિક વ્રત પણ સાથે કરવું જોઈએ. For Private Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ १०४ સમણસુd ३३०. अन्नाईणं सुद्धाणं, कप्पणिज्जाण देसकालजुत्तं । दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं ॥३०॥ अनादीनां शुद्धाना, कल्पनीयाना देशकालयुतम् । दान यतिभ्य. उचितं, गृहिणां शिक्षाव्रतं भणितम् ।।३०।। ३३१. आहारोसह-सत्थाभय-भेआ जं चउव्विहं दाणं । तं वुच्चइ दायव्वं, णिद्दिट्ठमुवासयज्झयणे ॥३१॥ आहारौपध-शास्त्रा-भयभेदात् यत् चतुर्विधम् दानम् । तद् उच्यते दातव्यं निर्दिष्टम् उपासक-अध्ययने ॥३१॥ ३३२. दाणं भोयणमेत्तं, दिज्जइ धन्नो हवेइ सायारो। पत्तापत्तविसेसं, संदसणे किं वियारेण ॥३२॥ दान भोजनमात्र, दीयते धन्यो भवति सागारः । पात्रापात्रविशेषसंदर्शने किं विचारेण ||३२।। ३३३. साहूणं कप्पणिज्जं, जं न वि दिण्णं कहिं पि किंचि तहि । धीरा जहुत्तकारी, सुसावया तं न भुंजंति ॥३३॥ साधूना कल्पनीय, यद् नापि दत्त कुत्रापि किंचित् तत्र । धीरा यथोक्तकारिण., सुश्रावका. तद् न भुञ्जते ।।३३।। ३३४. जो मुणिभुत्तविसेसं, भुंजइ सो भुंजए जिणुवदिळें । संसारसारसोख्खं, कमसो णिव्वाणवरसोक्खं ॥३४॥ यो मुनिभुक्तविशेष, भुंक्ते स भुक्ते जिनोपदिष्टम् । ससारसारसौख्य, क्रमशो निर्वाणवरसोख्यम् ।।३४।। ३३५. जं कीरइ परिरक्खा, णिच्चं, मरण-भयभीरु-जीवाणं । तं जाण अभयदाणं, सिहामणिं सव्वदाणाणं ॥३५॥ यत् क्रियते परिरक्षा, नित्य मरणभयभीरुजीवानाम् । तद् जानीहि अभयदानम्, शिखामणि सर्वदानानाम् ।।३५।। Page #130 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૩૦. ૧૦૫ મુનિઓને શુદ્ધ, નિર્દોષ, દેશકાલની દૃષ્ટિએ ઉચિત એવા અન્ન આદિનું દાન કરવું એ ગૃહસ્થોનું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. (ધર્મસાધક કોઈ પણ અતિથિને ભોજન કરાવવું એ પણ અતિથિસંવિભાગ છે.) આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન – એમ ચાર પ્રકારનું દાન શ્રાવકોએ કરવું એવું ઉપાસક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે. ૩૩૧ ૩૩ ૨. અન્નદાનથી ગૃહસ્થ ધન્ય બને છે. આ દાનમાં પાત્રઅપાત્રનો વિચાર શા માટે કરવો જોઈએ? ૩૩ ૩ મુનિઓને યોગ્ય એવી વસ્તુનું દાન દેવાનો અવસર ના મળે તો, શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરનારા ઉત્તમ શ્રાવકો તે વસ્તુ પોતે ખાતા નથી. ૩ ૩૪ મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિન-વચન અનુસાર ભોજન કરનારા કહેવાય આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે. ૩૩પ મૃત્યુથી ભયભીત એવા જીવોનું રક્ષણ કરવું એ સર્વ દાનોમા શિરોમણિ એવું અભયદાન કહેવાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ २४. श्रमणधर्मसूत्र (अ) समता समणो त्ति संजदो त्तिय, रिसि मुणि साधु त्ति वीदरागो त्ति । णामाणि सुविहिदाणं, अणगार भदंत दंतो त्ति ॥१॥ श्रमण इति संयत इति च, ऋषिमुनिः साधुः इति वीतराग इति । नामानि सुविहितानाम्, अनगारो भदन्तः दान्तः इति ।।१।। ३३७. सीह-गय-वसह-मिय-पसु, मारुद-सूरूवहि-मंदरिंदु-मणी । खिदि-उरगंबरसरिसा, परम-पय-विमग्गया साहू ॥२॥ सिंह-गज-वृषभ-मृग-पशु, मारुत-सूर्योदधि-मन्दरेन्दु-मणयः । क्षिति-उरगाम्बरसदृक्षाः, परमपद-विमार्गकाः साधवः ।।२।। ३३८. बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । न लवे असाहुं साहु त्ति, साहुं साहु त्ति आलवे ॥३॥ बहवः इमे असाधवः लोके उच्यन्ते साधवः । न लपेदसाधु साधुः इति साधु साधुः इति आलपेत् ॥३॥ ३३९. नाणदंसणसंपण्णं, संजमे य तवे रयं । एवंगुणसमाउत्तं, संजय साहमालवे ||४|| ज्ञानदर्शनसम्पन्न, संयमे च तपसि रतम् । एवंगुणसमायुक्तं, संयतं साधुमालपेत् ।।४।। ३४०. न वि मुण्डिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥५॥ नाऽपि मुण्डितेन श्रमणः न ओंकारेण ब्राह्मणः । न मुनिररण्यवासेन, कुशचीरेण न तापसः ।।५।। Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રમણધર્મસૂત્ર (બ) સમતા ૩૩૬, શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અણગાર, ભદંત, દાન્ત (સંયમી) –શાસ્ત્રોક્ત ધર્મનું આચરણ કરનારા શ્રમણોના આવાં અનેક નામો છે. ૩ ૩૭. પરમપદની પ્રાપ્તિની સાધનામાં લીન મુનિ પુરુષાર્થમાં સિંહ જેવા હોય છે, સ્વમાનમાં હાથી જેવા હોય છે; એ. વૃષભ જેવા ધુરંધર હોય છે અને હરણ જેવા સરળ. પશુની જેમ એ મમત્વરહિત અને પવનની જેમ બંધનરહિત હોય છે. મુનિ સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, ચંદ્ર જેવા શીતળ અને મણિ જેવા કાંતિમાન હોય છે. મુનિ પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય છે. સર્ષની જેમ મુનિનું સ્થાન અનિશ્ચિત હોય છે. આકાશને જેમ આલંબન નથી જોઈતું તેમ મુનિ પણ આલંબન વગરના હોય છે. જગતમાં કેટલીક વ્યક્તિઓ સાધુ ન હોવા છતાં સાધુ ગણાય છે, પણ અસાધુને સાધુ ન કહેવા, સાધુને જ સાધુ કહેવા. ૩૩૮. ૩૩૯. જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંચમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણોથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ. ૩૪ ૦. માથું મુંડાવવા માત્રથી શ્રમણ થવાતું નથી, ૩ નો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભનાં વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમણd ३४१. ३४२. समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होई, तवेण होइ तावसो ॥६॥ समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः ।।६।। गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहूगुण मुंचऽसाहू। वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ॥७॥ गुणैः साधुरगुणैरसाधुः, गृहाण साधुगुणान् मुञ्चाऽसाधु (गुणान्)। विजानीयात् आत्मानमात्मना, यः रागद्वेषयोः समः स पूज्यः ।।७।। देहादिसु अणुरत्ता, विसयासत्ता कसायसंजुत्ता । अप्पसहावे सुत्ता, ते साहू सम्मपरिचत्ता ॥८॥ देहादिषु अनुरक्ता, विषयासक्ताः कपायसंयुक्ताः । आत्मस्वभावे सुप्ता, ते साधवः सम्यक्त्वपरित्यक्ताः ||८|| ३४३. ३४४. बहुं सुणेइ कण्णेहिं बहुं अच्छीहिं पेच्छइ । न य दिळं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥९॥ बहु शृणोति कर्णाभ्यां, बहु अक्षिभ्यां प्रेक्षते । न च दृष्टं श्रुतं सर्वं, भिक्षुराख्यातुमर्हति ।।९।। ३४५. ३४६. सज्झायज्झाणजुत्ता, रत्तिं ण सुयंति ते पयामं तु । सुत्तत्थं चिंतंता, णिद्दाय वसं ण गच्छंति ॥१०॥ स्वाध्यायध्यानयुक्ताः, रात्रौ न स्वपन्ति ते प्रकामं तु । सूत्रार्थं चिन्तयन्तो, निद्राया वशं न गच्छन्ति ।।१०।। निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु अ ॥११॥ निर्ममो निरहंकारः, निःसंगस्त्यक्तगौरवः । समश्च सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च ।।११।। लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निन्दापसंसासु, तहा माणावमाणओ ॥१२॥ लाभालाभे सुखे दुःखे, जीविते मरणे तथा । समो निन्दाप्रशंसयोः, तथा मानापमानयोः ।।१२।। ३४७. Page #134 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૦૯ ૩૪૧. સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય. ૩૪ ૨. ગુણથી સાધુ થવાય છે અને દુર્ગુણથી અસાધુ. માટે ગુણોને સ્વીકારો, દુર્ગુણોને તજો. જે પોતે પોતાને જાણે છે – આત્મનિરીક્ષણ કરે છે અને રાગદ્વેષથી બચીને સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. દેહનો અનુરાગી, વિષયોમાં આસક્ત, કષાયથી ભરેલો અને આત્મસ્વરૂપના ભાન રહિત મુનિ સમ્યગ દર્શનથી પણ રહિત છે. ૩૪ ૩. ૩૪૪. ઘણી બધી વાતો મુનિના કાને પડે છે. ઘણી બધી વસ્તુઓ મુનિની નજરે પડે છે; પરંતુ સાંભળેલું ને જોયેલું બધું એ કોઈને કહે નહિ. ૩૪પ. સ્વાધ્યાય અને ધ્યાનમાં રુચિ રાખનારા એ મુનિઓ રાત્રે વધુ નિદ્રા કરતા નથી, સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં તેઓ નિદ્રાને આધીન થતા નથી. ૩૪૬. મુનિ મમત્વ અને અહંકારથી રહિત હોય છે, સંસર્ગ અને આસક્તિથી દૂર રહે છે, ત્રસ અને સ્થાવર બધા. જીવો પ્રત્યે તેને સમદષ્ટિ હોય છે ૩૪૭. લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા, માન-અપમાન-દરેકમાં મુનિ સમાનભાવ રાખે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ११० ३४८. ३४९. ३५०. ३५. ३५२. ३५३. ३५४. गारवेसु कसासु, दंडसल्लभएसु य । नियत्तो हाससोगाओ, अनियाणो अबन्धणो ||१३|| गौरवेभ्यः कषायेभ्यः दण्डशल्यभयेभ्यश्च । निवृत्तो हासशोकात् अनिदानो अवन्धनः 11१३॥ अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सिओ । वासीचन्दणकप्पो य, असणे अणसणे तहा ॥१४॥ अनिश्रित इहलोके, परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्च, अशनेऽनशने तथा ||१४|| अप्पसत्थेहिं दारेहिं, सव्वओ पिहियासवो । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थदमसासणे ||१५|| अप्रशस्तेभ्यो द्वारेभ्यः सर्वतः पिहितास्रवः | अध्यात्मध्यानयोगैः, प्रशस्तदमशासनः ||१५|| खुहं पिवासं दुस्सेज्जं, सीउन्हं अरइं भयं । अहियासे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥१६॥ क्षुधं पिपासां दुःशय्यां शीतोष्णं अरतिं भयम् । अतिसहेत अव्यथितः देहदुःखं महाफलम् ||१६|| 7 अहो निच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं । जाय लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं ||१७|| अहो नित्यं तपःकर्म, सर्वबुद्धैर्वर्णितम् । या च लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम् ||१७|| किं काहदि वणवासो, कायकलेसो विचित्त उववासो । अज्झयणमोणपहुदी, समदारहियस्स समणस्स ||१८|| किं करिष्यति वनवासः, कायक्लेशो विचित्रोपवासः । अध्ययनमौनप्रभृतयः, समतारहितस्य श्रमणस्य ||१८|| बुद्धे परिनिव्वुडे चरे, गामगए नगरे व संजए । संतिमग्गं च बूहए, समयं गोयम ! मा पमायए ॥१९॥ बुद्धः परिनिर्वृतश्चरेः, ग्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्गं च बृंहयेः, समयं गौतम ! मा प्रमादीः ||१९|| For Private Personal Use Only સમણસુત્ત Page #136 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૪૮. ૧૧૧ આસક્તિ, કષાય, દંડ, ભય, શલ્ય, હાસ્ય, શોક –– બધાથી બચીને રહેનારો મુનિ ઈચ્છા રહિત હોય છે, બંધનરહિત હોય છે. ૩૪૯. જેને આ લોકમાં આસક્તિ નથી ને પરલોકમાં પણ કશું જોઈતું નથી એવા મુનિને કોઈ અસ્ત્રાથી છોલે કે કોઈ ચંદનનો લેપ કરે, ભોજન મળે કે ન મળે – બધું સરખું લાગે છે. મુનિ બધા અપ્રશસ્ત - અશુભ કાર્યોરૂપી કર્મના દ્વારોને સંપૂર્ણ બંધ કરે છે અને અધ્યાત્મલક્ષી ધ્યાન અને યોગો વડે પ્રશસ્ત - શુભ આચરણમાં પ્રવર્તે છે. ૩પ૦. ૩૫૧. ભૂખ, તરસ, ખરાબ સ્થાન, ઠંડી, ગરમી, કંટાળો, ભય – આવાં કષ્ટોને વ્યથિત થયા વિના સહવા જોઈએ. દેહનાં દુઃખોને સમભાવે સહેવામાં મહાન લાભ સમાયેલો ૩પ ર. સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે ! ૩૫૩. મુનિમાં જો સમતા નથી, તો વનવાસ, ઉપવાસ, અધ્યયન અને મૌન – એ બધાંથી શો લાભ ? ૩પ૪. જ્ઞાની અને સંયમી મુનિ ગામડામાં કે નગરમાં શાંતભાવે વિચરણ કર્યા કરે અને શાંતિની અભિવૃદ્ધિ કરતો રહે. હે ગૌતમ, મુનિએ એક ક્ષણનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમણમાં ३५५. न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई मग्गदेसिए । संपइ नेयाउए पहे, समयं गोयम ! मा पमायए ॥२०॥ न खलु जिनोऽद्य दृश्यते, बहुमतो दृश्यले मार्गदर्शिनः । सम्प्रति नैयायिके पथि, समयं गौतम ! मा प्रमादीः ।।२०।। (आ) वेश-लिंग ३५६. वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं ॥२१॥ वेषोऽपि अप्रमाणः, असंयमपदेषु वर्तमानस्य । किं परिवर्तितवेष, विषं न मारयति खादन्तम् ॥२१॥ ३५७. पच्चयत्थं च लोगस्स, नाणाविहविगप्पणं । जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयणं ॥२२॥ प्रत्ययार्थं च लोकस्य, नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च लोके लिंगप्रयोजनम् ।२२।। ३५८. पासंडीलिंगाणि व, गिहिलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा, लिंगमिणं व मोक्खमग्गो त्ति ॥२३॥ पाषंडिलिंगानि वा, गृहिलिंगानि वा बहुप्रकाराणि ।। गृहीत्वा वदन्ति मूढा, लिंगमिदं मोक्षमार्ग इति ।।२३।। ३५९. पुल्लेव मुट्ठी जह से असारे, अयन्तिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घए होइ य जाणएसु ॥२४॥ शुषिरा एव मुष्टिर्यथा स असारः, अयन्त्रितः कूटकार्षापणो वा । राढामणिर्वैडूर्यप्रकाशः, अमहाघको भवति च ज्ञायकेषु ज्ञेषु ।।२४।। ३६०. भावो हि पढमलिंगं, ण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो, गुणदोसाणं जिणा विति ॥२५॥ भावो हि प्रथमलिंगं, न द्रव्यलिंग च जानीहि परमार्थम् । भावः कारणभूतः, गुणदोषाणां जिना ब्रुवन्ति ।।२५।। ३६१. भावविसुद्धिणिमित्तं, बाहिरगंथस्स कीरए चाओ । बाहिरचाओ विहलो, अभंतरगंथजुत्तस्स ॥२६॥ भावविशुद्धिनिमित्तं, बाह्यग्रन्थस्य क्रियते त्यागः । बाह्यत्यागः विफलः, अभ्यन्तरग्रन्थयुक्तस्य ।।२६।। Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫. મોક્ષ માર્ગ ૧૧૩ એક સમય એવો આવશે કે કોઈ જિન નહિ હોય અને માર્ગદર્શકો અનેક થઈ જશે. પરંતુ હે ગૌતમ, તે તો શુદ્ધ માર્ગ આજે પ્રાપ્ત કરી લીધો છે, તેમાં ક્ષણ માત્રનો પ્રમાદ ન કર. (મા) વેશ-લિંગ જે સંયમવિરુદ્ધ માર્ગે ચાલે છે તેને મુનિશથી મહત્તા મળી જતી નથી. વેશ બદલી નાખનાર જો ઝેર ખાય. તો તે શું કરતો નથી ? ૩૫૬. ૩પ૭. લોકોને વિશ્વાસ પડે, સંયમની રક્ષા થાય, “હું મુનિ છું” એવી સ્મૃતિ પોતાને રહે એ માટે વિવિધ પ્રકારના વેશ અને લિંગની યોજના કરવામાં આવે છે. (લિંગચિહ્ન) ૩૫૮. કેટલાક મૂઢ લોકો વિવધ પંથોનાં અને ગૃહસ્થોનાં પણ જાતજાતનાં ચિહ્નો ધારણ કરીને અમુક લિંગ ધારણ કરવું એ જ મોક્ષનો માર્ગ છે એમ માને-મનાવે છે. ૩૫૯. એવો વેશ સમજુ લોકોની દૃષ્ટિમાં ખાલી મુઠ્ઠી જેવો પોકળ છે, ખોટા સિક્કા જેવો અનધિકૃત છે, નીલમ જેવા રત્નની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર રંગીન પત્થર જેવો મૂલ્યહીન છે. સૌથી મોટું લિંગ આંતરિક ભાવ છે; બાહ્ય ચિહ્ન વાસ્તવિક રીતે જોતાં આધારભૂત નથી. જિનેશ્વરોએ ભાવને જ ગુણ-દોષનો માપદંડ ગણ્યો છે. ૩૬ ૦. ૩ ૬૧. બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવને વિશુદ્ધ રાખવા માટે કરવાનો હોય છે. જેણે આંતરિક પરિગ્રહ (ઈચ્છા કે આસક્તિ) છોડ્યો નથી તેનો બાહ્ય ત્યાગ નિષ્ફળ છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ३६२. ३६३. ३६४. ३६५. ३६६. ३६७. परिणामम्मि असुद्धे, गंथे मुंचेइ बाहिरे य जई । बाहिरगंथच्चाओ, भावविहूणस्स किं कुणइ ? ||२७|| परिणामे अशुद्धे, ग्रन्थान् मुञ्चति वाह्यान् च यतिः । वायग्रन्थत्यागः, भावविहीनस्य किं करोति ? ||२७| देहादिसंगरहिओ, माणकसाएहिं सयलपरिचत्तो । अप्पा अप्पम्मि रओ, स भावलिंगी हवे साहू ||२८|| देहादिसंगरहितः, मानकषायैः सकलपरित्यक्तः । आत्मा आत्मनि रत;, भावलिंगी भवेत् साधुः ||२८|| २५. व्रतसूत्र अहिंसा सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विऊ ||१|| अहिंसां सत्यं चास्तेनकं च, ततश्च, ब्रह्मापरिग्रहं च । प्रतिपद्य पञ्चमहाव्रतानि, चरति धर्मं जिनदेशितं विदः ॥ 19 ॥ णिस्सल्लस्सेव पुणो, महव्वदाई हवंति सव्वाइं । वदमुवहम्मदि तीहिं दु, णिदाणमिच्छत्तमायाहिं ॥२॥ निःशल्यस्यैव पुनः, महाव्रतानि भवन्ति सर्वाणि । व्रतमुपहन्यते तिसृभिस्तु, निदान- मिथ्यात्व - मायाभिः ॥२॥ अगणिअ जो मुक्खसुहं, कुणइ निआणं असारसुहहेउ । सो कायमणिकएणं, वेरुलियमणि पणासेइ ॥३॥ अगणयित्वा यो मोक्षसुखं, करोति निदानमसारसुखहेतोः । स काचमणिकृते, वैडूर्यमणि प्रणाशयति ॥३॥ कुलजोणिजीवमग्गण-ठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तण- परिणामो होइ पढमवदं ||४|| कुलयोनिजीवमार्गणा-स्थानादिषु ज्ञात्वा जीवानाम् । तस्यारम्भनिवर्तनपरिणामो भवति प्रथमव्रतम् ||४|| સમણસુત્ત For Private Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૬ ૨. ૧૧૫ ચિત્તવૃત્તિ અશુદ્ધ છે અને બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરે છે અને પોતાને ત્યાગી સમજે છે એવા ભાવહીન મુનિને એકલા બાહ્ય પરિગ્રહત્યાગથી શો લાભ થશે ? ૩૬૩. દેહ વગેરેની આસક્તિથી રહિત, ક્રોધાદિ કષાયોથી દૂર રહેનાર અને સ્વમાં લીના સાધુ સાચો ભાવલિંગી મુનિ ૩૬ ૪. ૨૫. વ્રતસૂત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ– આ પાંચ મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ ધર્મનું આચરણ કરે. ૩૬પ. ગુપ્ત અને ઊંડા દોષ રૂપી શલ્ય જેમાં ન હોય તેને જ સર્વ મહાવ્રતો હોય છે. નિદાન(ભૌતિક આકાંક્ષા), મિથ્યાત્વ(મિથ્યા માન્યતા) અને માયા આ ત્રણ શલ્યોથી વ્રતને હાનિ પહોંચે છે. મોક્ષસુખની અવગણના કરીને જે અસાર ભૌતિક સુખની માગણી કરે છે તે આત્મા કાચના ટૂકડા માટે ઉત્તમ રત્ન ખોઈ રહ્યો છે. ૩૬૭. જીવોના વિવિધ કુલ, ઉત્પત્તિ સ્થાન, વિવિધ સ્થિતિઓ વગેરેનું જ્ઞાન મેળવી એ જીવોની હિંસાથી નિવૃત્ત થવાના મનોભાવ એ પ્રથમ અહિંસાવ્રત છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમાસ ३६८. ३७०. सव्वेसिमासमाणं, हिदयं गब्भो व सव्वसत्थाणं । सव्वेसि वदगुणाणं, पिंडो सारो अहिंसा हु ॥५॥ सर्वेषामाश्रमाणां, हृदयं गर्भो वा सर्वशास्त्राणाम् । सर्वेषां व्रतगुणानां, पिण्डः सारः अहिंसा हि ।।५।। अप्पणट्ठा परट्ठा वा, कोहा वा. जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥६॥ आत्मार्थं परार्थं वा, क्रोधाद्वा यदि वा भयात् । हिंसकं न मृषा ब्रूयात्, नाप्यन्यं वदापयेत् ।।६।। गामे वा णयरे वा, रण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुंचदि गहणभावं, तिदियवदं होदि तस्सेव ॥७॥ ग्रामे वा नगरे वा-ऽरण्ये वा प्रेक्षित्वा परमार्थम् । यो मुञ्चति ग्रहणभावं, तृतीयव्रतं भवति तस्यैव ।।७।। चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । दंतसोहणमेत्तं पि, ओग्गहंसि अजाइया ||८॥ चित्तवदचित्तवद्वा, अल्पं वा यदि वा वहु (मूल्यतः) । दन्तशोधनमात्रमपि, अवग्रहे अयाचित्वा(न गृहणन्ति) ||८|| अइभूमिं न गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परक्कमे ॥९॥ अतिभूमिं न गच्छेद्, गोचराग्रगतो मुनिः । कुलस्य भूमिं ज्ञात्वा, मितां भूमिं पराक्रमेत् ।।९।। ३७१. ३७२. ३७३. मूलमेअमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गिं, निग्गंथा वज्जयंति णं ॥१०॥ मूलम् एतद् अधर्मस्य, महादोषसमुच्छ्रयम् । तस्मात् मैथुनसंसर्ग, निर्ग्रन्थाः वर्जयन्ति णम् ।।१०।। ३७४. मादुसुदाभगिणी विय, ठूणित्थित्तियं य पडिरूवं । इत्थिकहादिणियत्ती, तिलोयपुज्ज हवे बंभं ।।११॥ . मातृसुताभगिनीमिव च, दृष्ट्वा स्त्रीत्रिकं च प्रतिरूपम् । स्त्रीकथादिनिवृत्ति-स्त्रिलोकपूज्यं भवेद् ब्रह्म ।।११।। Page #142 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૧૭ ૩૬૮. અહિંસા સર્વ આશ્રમોનું હાર્ટ છે. સર્વ શાસ્ત્રોનું રહસ્ય છે, સર્વ ગુણોન અને સર્વ વ્રતોનો નીચોડ છે. ૩૬ ૯. પોતાના માટે કે બીજાના માટે, ક્રોધથી કે ભયથી, હિંસાત્મક અને અસત્ય વચન ન તો પોતે બોલવું કે ન બીજા પાસે બોલાવવું. ૩૭૦, ગામમાં, નગરમાં કે વનમાં અન્યની વસ્તુને લેવાની વૃત્તિ ન રાખવી એ ત્રીજું અચૌર્યવ્રત છે. ૩૭૧. સજીવ કે નિર્જીવ, થોડી કે ઝાઝી – દાંત ખોતરવાની સળી જેટલી વસ્તુ પણ – માલિકની રજા વિના મુનિ લેતા નથી. ૩૭૨. ગચરી.ભિક્ષા-માધુકરી) માટે ગયેલા મુનિએ ઘરની અંદર બહુ ઉડ જવું નહિ. તે તે ઘરની મર્યાદાને સમજી લઈને અમુક ભાગ સુધી જ અંદર જવું. ૩૭૩. મૈથુનસેવન અધર્મનું મૂળ છે; મોટા મોટા દોષોનું ઉદ્ભવસ્થાન છે. માટે મુનિઓ મૈથુન સેવનની સર્વથા ત્યાગ કરે છે. ૩૭૪. વૃદ્ધ સ્ત્રી, યુવતી કે કન્યાને જોઈને અથવા એમની છબીને જોઈને માતા, બહેન કે પુત્રી સમાન ભાવ રાખવો. સ્ત્રીવિષયક કામુક વાતોથી પણ દૂર રહેવું, એવું બ્રહ્મચર્યવ્રત વિશ્વમાં પૂજનીય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ३७५. ३७६. ३७७. ३७८. ३७९. ३८०. ३८१. सव्वेसिं गंथाणं, तागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं, चारित्तभरं वहंतस्स ॥१२॥ सर्वेषां ग्रन्थानां, त्यागो निरपेक्षभावनापूर्व्यम् । पंचमव्रतमिति भणितं, चारित्रभरं वहतः ||१२|| किं किंचणत्ति तक्कं, अपुणब्भवकामिणोध देहे वि । संगत्ति जिणवरिंदा, णिप्पडिकम्मत्तमुद्दिट्ठा ॥१३॥ किं किंचनमिति तर्कः अपुनर्भवकामिनोऽथ देहेऽपि । संग इति जिनवरेन्द्रा, निष्प्रतिकर्मत्वमुद्दिष्टवन्तः ||१३|| अप्पडिकुट्ठ उवधिं, अपत्थणिज्जं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं, गेण्हदु समणो जदि वि अप्पं ||१४|| अप्रतिक्रुष्टमुपधि-मप्रार्थनीयमसंयतजनैः । मूर्च्छादिजननरहितं, गृह्णातु श्रमणो यद्यप्यल्पम् ||१४|| आहारे व विहारे, देसं कालं समं खमं उवधि । जाणित्ता ते समणो, वट्टदि जदि अप्पलेवी सो ||१५|| आहारे वा विहारे, देशं कालं श्रमं क्षमम् उपथिम् । ज्ञात्वा तान् श्रमण:, वर्तते यदि अल्पलेपी सः ||१५|| न सो परिग्गहो वृत्तो, नायपुत्त्रेण ताइणा | मुच्छा परिग्गहो वृत्तो, इइ वृत्तं महेसिणा ||१६| न सः परिग्रह उक्तो, ज्ञातपुत्रेण तायिना । मूर्च्छा परिग्रह उक्तः इति उक्तं महर्षिणा ||१६|| सन्निहिं च न कुव्वेज्जा, लेवमायाए संजए । पक्खी पत्तं समादाय, निरवेक्खो परिव्वए ||१७|| सन्निधिं च न कुर्वीत, लेपमात्रया संयतः । સમણસુત્ત पक्षी पत्रं समादाय, निरपेक्षः परिव्रजेत् ||१७|| संथारसेज्जासणभत्तपाणे, अप्पिच्छया अइलाभे वि संते । एवमप्पाणभितोसएज्जा, संतोसपाहन्नरए स पुज्जो ||१८|| संस्तारकशय्यासनभक्तपानानि, अल्पेच्छता अतिलाभेऽपि सति । एवमात्मानमभितोपयति, सन्तोपप्राधान्यरतः स पूज्यः ||१८ ॥ For Private Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૭૫. ૩૭૬. ૩૭૭. ૩૭૮. ૩૭૯. ૩૮૦. ૩૮૧. ૧૧૯ નિરપેક્ષભાવે સર્વ વસ્તુઓનો ત્યાગ એ સંયમના કિઠન માર્ગે ચાલનારા મુનિનું પાંચમું અપરિગ્રહવ્રત છે. શરીર ઉપર “આ મારું છે” એવો સંકલ્પ પણ, મોક્ષાભિલાષી મુનિ માટે બંધનકા૨ક છે; માટે ભગવાને શરીરની શુશ્રૂષાનો પણ નિષેધ કર્યો છે. મુનિ જે અલ્પ ઉપકરણો પોતાની પાસે રાખે તે એવાં જ સ્વીકારે કે જેને ભોગી લોકો પસંદ કરે નહિ અને જેના પર મમત્વ જાગવાનો સંભવ રહે નહિ. જે શ્રમણ આહાર અને વિહારના વિષયમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને સાધનનો ખ્યાલ કરીને વર્તે છે તે અલ્પ કર્મબંધન કરે છે. વસ્તુના સંગ્રહને ભગવાને પરિગ્રહ નથી કહ્યો; એ મહર્ષિએ મૂર્છા(આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. સાધુ જરા જેટલો પણ આહારનો સંગ્રહ ન કરે. પક્ષી પોતાના પેટમાં સમાય એટલું જ ગ્રહણ કરે છે તેમ સાધુ પાત્રમાં પેટ પૂરતું લે અને વધુ લોભ રાખ્યા વગર વિચરે. પથારી, પલંગ, ખાન-પાન વગેરે વધુ મળતું હોય તો પણ થોડાની જ ઈચ્છા કરવી; આત્માને સદા પ્રસન્ન રાખો. સંતોષરૂપી ભાથું જેમની પાસે છે તે શ્રમણ ખરેખર પૂજ્ય છે. For Private Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ३८२. ३८३. ३८५. (अ) अष्ट प्रवचन-माता ३८४. ३८६. ३८७. अत्थंगयम्मि आइच्चे, पुरत्था अ अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि ण पत्थए ||१९|| अस्तंगते आदित्ये, पुरस्ताच्चानुद्गते । आहारमादिकं सर्वं, मनसापि न प्रार्थयेत् ||१९|| संति सुहुमा पाणा, तसा अदुव थावरा । जाई राओ अपासंतो, कहमेसणियं चरे ? ||२०|| सन्ति इमे सूक्ष्माः प्राणिनः, सा अथवा स्थावराः । यान् रात्रावपश्यन्, कथम् एपणीयं चरेत् ? || २० || २६. समिति - गुप्तिसूत्र इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय । मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्टमा ॥१॥ ईर्याभाषैषणाऽऽदाने उच्चारे समितय इति । मनोगुप्तिर्वचोगुप्तिः, कायगुप्तिश्चाष्टमी ||१|| एदाओ अट्ठ पवयणमादाओ णाणदंसणचरित्तं । रक्खति सदा मुणिणो, मादा पुत्तं व पयदाओ ||२|| एता अष्ट प्रवचन-मातरः ज्ञानदर्शनचारित्राणि । रक्षन्ति सदा मुनीनां मातरः पुत्रमिव प्रयताः ||२|| एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ||३॥ एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । સમણસુત્ત गुप्तयो निवर्तने उक्ताः अशुभार्थेभ्य: सर्वशः ||३|| जह गुत्तस्सिरियाई, न होंति दोसा तहेव समयस्स । गुत्ती ठियप्पमायं, रुभइ समिई सचेट्ठस्स ||४|| यथा गुप्तस्य ईर्यादि (जन्या) न भवन्ति दोषाः, तथैव समितस्य । गुप्तिस्थितो प्रमादं, रुणद्धि समिति (स्थितः) सचेष्टस्य ||४|| For Private Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૮ ૨. ૧૨૨૧ સૂર્ય અસ્ત થાય પછી અને ફરી પાછો ન ઊગે ત્યાં સુધી કોઈ પણ જાતના આહારની મુનિએ મનથી પણ ઈચ્છા ન કરવી. ૩૮૩. ત્રસ અને સ્થાવર એવા અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે રાત્રે જોઈ શકાતા નથી, તો રાત્રે આહારની શુદ્ધિ મુનિ કેવી રીતે કરી શકે ? ૨૬. સમિતિ-ગુપ્તિસૂત્ર (બ) આઠ પ્રવચનમાતા ૩૮૪. ઈર્યા (ગમન – આગમન), ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ – આ પાંચ સમિતિ છે; મનગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ-એ ત્રણ ગુપ્તિઓ છે. ૩૮૫. આ આઠને પ્રવચનમાતા કહેવાય છે, કેમ કે જેમ માતા પુત્રને જન્મ આપે છે ને પછી તેનું પોષણ પણ કરે છે તેમ આ આઠ આચારો મુનિના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણોને જન્મ આપે છે ને તેમનું રક્ષણ પણ કરે છે. (સમિતિ = સંભાળપૂર્વક કાર્ય કરવું. ગુપ્તિ = કાર્યથી વિરમી અંતર્મુખ થઈ રહેવું.) આમાંથી પાંચ સમિતિ એ ચારિત્રનો પ્રવૃત્તિમય ભાગ છે અને ગુપ્તિ એ અશુભથી પૂર્ણરૂપે દૂર થવારૂપ ચારિત્રનો નિવૃત્તિમય ભાગ છે. ૩૮૬. ૩૮૭. ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષી મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમણસુd ३८८. मरदु व जियदु व जीवो, अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स णत्थि बंधो, हिंसामेत्तेण समिदीसु ॥५॥ म्रियतां वा जीवतु वा जीवः, अयत्ताचारस्य निश्चिता हिंसा । प्रयतस्य नास्ति वन्धो, हिंसामात्रेण समितिषु ।।५।। ३८९-३९०. आहच्च हिंसा समितस्स जा तु दव्वतो होति ण भावतो उ । भावेण हिंसा तु असंजतस्स, जे वा वि सत्ते ण सदा वधेति ॥६॥ संपत्ति तस्सेव जदा भविज्जा, सा दव्वहिंसा खलु भावतो य । अज्झत्थसुद्धस्स जदा ण होज्जा वधेण जोगो दुहतो वऽहिंसा ।।७।। आहत्य हिंसा समितस्य या तु, सा द्रव्यतो भवति न भावतः तु । भावेन हिंसा तु असंयतस्य, यो वा अपि सत्त्वान् न सदा हन्ति ।।६।। सम्प्राप्तिर्तस्येव यदा भवति, सा द्रव्यहिंसा खलु भावतः च । अध्यात्मशुद्धस्य यदा न भवति, वधेन योगः द्विधाऽपि च अहिंसा ।।७।। ३९१-३९२. उच्चालियम्मि पाए, इरियासमियस्स णिग्गमणहाए । आवाधेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥८॥ ण हि तग्यादणिमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । मुच्छा परिग्गहो त्ति य, अज्झप्पपमाणदो भणिदो ॥९॥ उच्चालिते पादे, ईर्यासमितस्य निर्गमनार्थं । आवाधेत कुलिंगी, म्रियेत तं योगमासाद्य ।।८।। न हि तघातनिमित्तो, बन्धो सूक्ष्मोऽपि देशितः समये । मूर्छा परिग्रहः इति च, अध्यात्मप्रमाणतो भणितः ।।९।। ३९३. पउमिणिपत्तं व जहा, उदयेण ण लिप्पदि सिणेहगुणजुत्तं । तह समिदीहिं ण लिप्पइ, साधू काएसु इरियंतो ॥१०॥ पदिमनीपत्रं वा यथा, उदकेन न लिप्यते स्नेहगुणयुक्तम् । तथा समितिभिर्न लिप्यते, साधुः कार्येषु ईर्यन् ।।१०॥ ३९४. जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तब्बुड्ढीकरी जयणा, एगंतसुहावहा जयणा ॥११॥ यतना तु धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तद्वृद्धिकरी यतना, एकान्तसुखावहा यतना ।।११।। Page #148 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૮૮. ૩૮૯-૩૯૦, ૩૯૧-૩૯૨. ૩૯૩. ૩૯૪. ૧૨૩ જીવનું મૃત્યુ થાય કે ન થાય, જે યતના(સંભાળ) પૂર્વક કાર્ય નથી કરતો તેને હિંસાનો દોષ લાગે જ છે. પરંતુ સમિતિયુક્ત હોય(સાવધાનીથી વર્તતો હોય) અને (છતાં) ક્યારેક હિંસા થઈ જાય તો પણ કર્મબંધ નથી થતો. સમિતિપૂર્વક કાર્ય કરતા મુનિથી જે અણધારી આકસ્મિક જીવહિંસા થઈ જાય તે દ્રવ્યહિંસા હોય છે, ભાવ હિંસા નહિ, જે અસંયમી છે અસાવધાન છે તે ભલે હમેશાં જીવવધ નથી કરતો, તો પણ તેને સતત હિંસાનું પાપ લાગે છે. જે સંયમી કે અસંયમી અસાવધ છે તેના હાથે જીવહિંસા થતાં દ્રવ્ય અને ભાવ બંને હિંસાનો દોષ તેને લાગે છે. જે આંતરિક શુદ્ધિવાળો છે, સાવધ છે તેને, તેના હાથે જીવહિંસા ન થાય ત્યારે, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે અહિંસા જ હોય છે. સમિતિપૂર્વક ચાલનારા મુનિના પગ નીચે કોઈ સૂક્ષ્મ જંતુ આવી જાય ને મરણ પામે તો તેની હિંસાસંબંધી સૂક્ષ્મ પણ કર્મબંધ તેને થતો નથી એમ આગમમાં કહ્યું છે. જેમ આસક્તિ એ જ પરિગ્રહ છે તેમ આંતરિક પ્રમાદ એ જ હિંસા છે. જેમ ચીકાશનો ગુણ ધરાવતું કમળનું પાંદડું પાણીથી ભીજાતું નથી, તેમ કાયાથી પ્રવૃત્તિ કરતો હોવા છતાં સમિતિયુક્ત હોવાથી મુનિ કર્મથી લેપાતો નથી. યતના(જચણા-સાવધાની) ધર્મની માતા છે, ધર્મની પાલિકા છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે. યતના એકાંતે સુખદાયી છે. For Private Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ३९५. (आ) समिति ३९६. ३९७. ३९८. ३९९. ४००. जयं चरे जयं चिट्ठे, जयमासे जयं सए । जयं भुंजतो भासतो, पावं कम्मं न बंधइ ॥१२॥ यतं चरेत् यतं तिष्ठेत्, यत्तमासीत यतं शयीत । यतं भुञ्जानः भाषमाणः, पापं कर्म न बध्नाति ||१२|| फासुयमग्गेण दिवा, जुगंतरप्पेहिणा सकज्जेण । जंतूण परिहरंते - णिरियासमिदी हवे गमणं ||१३|| प्राकमार्गेण दिवा, युगान्तरप्रेक्षिणा सकार्येण । जन्तून् परिहरता, ईर्यासमितिः भवेद् गमनम् ||१३|| इन्दियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते इरियं रिए ॥१४॥ इन्द्रियार्थान् विवर्ज्य, स्वाध्यायं चैव पञ्चधा । तन्मूर्तिः (सन्) तत्पुरस्कारः, उपयुक्त ईय रीयेत ||१४|| तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया । तं उज्जुअं न गच्छिज्जा, जयमेव परक्कमे ||१५|| तथैवच्चावचाः प्राणिनः, भक्तार्थं समागताः । तदृजुकं न गच्छेत्, यतमेव पराक्रामेत् ||१५| न लवेज्ज पुट्ठो सावज्जं, न निरट्ठे न मम्मयं । अप्पा परट्ठा वा, उभयस्सन्तरेण वा ॥१६॥ न लपेत् पृष्टः सावद्यं, न निरर्थं न मर्मगम् । आत्मार्थं परार्थं वा, उभयस्यान्तरेण वा ||१६|| तहेव फरुसा भासा, गुरुभूओवधाइणी । सच्चा विसा न वक्तव्वा, जओ पावस्स आगमो ||१७|| तथैव परुषा भाषा, गुरुभूतोपधातिनी । सत्यापि सा न वक्तव्या, यतः पापस्य आगमः ||१७|| સમણસુત્તે Page #150 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૩૯પ. ૧૨૫ યતનાથી ચાલવું, યાતનાથી રહેવું, યાતનાથી બેસવું અને યાતનાથી સૂવું, યાતનાથી ખાવું અને યતનાથી બોલવું – આવી સાવધાનીથી વર્તનારા સાધુને કર્મબંધ થતો નથી. (1) સમિતિ ૩૯૬. લોકોની અવરજવરવાળા નિર્જીવ માર્ગ ઉપર, સૂર્યપ્રકાશમાં, ચાર હાથ જેટલી જમીન પર દષ્ટિ રાખીને, જીવજંતુથી બચતા રહીને કોઈ આવશ્યક કાર્ય માટે મુનિ ગમન કરે તે ઈર્યાસમિતિ છે. (ઈયગમન - આગમન.) ૩૯૭. (ચાલતી વખતે) ઈન્દ્રિયોના વિષયો(દશ્ય, અવાજ વગેરે)માં ધ્યાન ન આપે, સ્વાધ્યાય પણ ન કરે, ચાલવાની ક્રિયામાં તન્મય અને તત્પર રહીને જાગૃતિપૂર્વક મુનિએ ચાલવું જોઈએ. ૩૯૮. વિવિધ પ્રકારના નાનાં-મોટાં જીવો ખોરાક માટે અહીંતહીં એકઠા થયા હોય તેમની પાસે ન જવું, સંભાળપૂર્વક બાજુમાંથી નીકળી જવું. ૩૯૯. કોઈ પૂછે તો પણ, પોતાને, બીજાને કે બંનેને દોષકારક નીવડે એવું વચન ન બોલવું, નિરર્થક ન બોલવું અને મર્મવેધી વચન પણ ન બોલવું. ૪ ૦૦. એવી જ રીતે કઠોર, અન્ય પ્રાણીને હાનિકારક નીવડે એવું અથવા જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય વચન પણ બોલવું નહિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમણસુને ४०१. तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । वाहियं वा वि रोगी त्ति, तेणं चोरे त्ति नो वए ॥१८॥ तथैव काणं काण इति, पण्डकं पण्डकं इति वा । व्याधितं वाऽपि रोगी इति, स्तेनं चौर इति नो वदेत् ।।१८।। ४०२. पेसुण्णहासकक्कस - परणिंदप्पप्पसंसा - विकहादी । वज्जित्ता सपरहियं, भासासमिदी हवे कहणं ॥१९॥ पैशून्यहासकर्कश-परनिन्दाऽऽत्मप्रशंसा-विकथादीन् । वर्जयित्वा स्वपरहितं, भाषासमितिः भवेत् कथनम् ।।१९।। ४०३. दिळं मियं असंदिद्धं, पडिपुण्णं वियंजियं । अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥२०॥ दृष्टां मिताम् असन्दिग्धां, प्रतिपूर्णा व्यक्ताम् । अजल्पनशीलां अनुद्विग्नां, भाषां निसृज आत्मवान् ।।२०।। दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गइं ॥२१॥ दुर्लभा तु मुधादायिनः, मुधाजीविनोऽपि दुर्लभाः । मुधादायिनः मुधाजीविनः, द्वावपि गच्छतः सुगतिम् ।।२१।। ४०४. उग्गम-उप्पादण-एसणेहि, पिंडं च उवधिसज्जं वा । सोधंतस्स य मुणिणो, परिसुज्झइ एसणा समिदी ॥२२॥ उद्गमोत्पादनैषणैः, पिण्डं च उपधिं शय्यां वा । शोधयतश्च मुनेः, परिशुद्ध्यति एषणा समितिः, ।।२२।। ४०६. ण बलाउसाउअळं, ण सरीरस्सुवचयटुं तेजळें । णाणट्ठसंजमढं झाणठें चेव भुंजेज्जा ॥२३॥ न बलायुःस्वादार्थ, न शरीरस्योपचयार्थं तेजोऽर्थम् । ज्ञानार्थं संयमार्थ, ध्यानार्थ चैव भुजीत ।।२३।। Page #152 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૦૧. ૧૨૭ કાણાને કાણો ન કહેવો, નપુંસકને નપુસંક કહીને ન બોલાવવો. રોગીને રોગી તરીકે ન સંબોધવો અને ચોરનો ચોર ન કહેવો. ૪૦ ૨. ઈર્ષા, મજાકમકરી, કઠોરતા, નિંદા, સ્વપ્રશંસા, વિકથા વગેરે દોષોથી મુક્ત તથા સ્વ-પરને હિતકારી વાણી. ઉચ્ચારવી એ ભાષા સમિતિ છે. વિથા સ્ત્રીઓ, રાજકારણ, દેશવિદેશ અને ભોજન –– એ ચાર વિષયની, સમયનો અપવ્યય કરનાર રાગ-દ્વેષોત્પાદક વાતો.) આત્માન મુનિ પોતે જોયું હોય એટલું જ બોલે. એની વાણી સંક્ષિપ્ત, સંદેહરહિત, પૂર્ણ અને શુદ્ધ ઉચ્ચારવાળી હોય. એકની એક વાત ફરી ફરીને ન ધે, અને તેની વાણી કોઈને ઉદ્વેગકારી ન હોય. ૪૦૩. ૪૦૪. નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન. લેનાર વ્યક્તિ જગતમાં દુર્લભ છે. નિષ્કામ દાતા અને નિકામ ભોક્તા-બંને સદ્ગતિના અધિકારી બને છે. ૪ ૦૫. ઉગમ, ઉત્પાદન અને એષણા – ત્રણ પ્રકારના દોષથી. રહિત ભોજન, વસ્ત્ર કે સ્થાન ગ્રહણ કરવા એ એષણાસમિતિ છે. (ઉગમ દોષ = આલર વગેરે વસ્તુ બનાવતી વખતે લાગનારા દોષ. ઉત્પાદન દોષ = દાતા પાસેથી લેતી વખતે લાગનારા દોષ. એષણા દોષ = હાર વગેરેનો ઉપયોગ કરતી વખતે લાગનાર દોષ.) ૪૦ ૬. સાધુ ન બળ માટે ખાય, ન જીવવા માટે, ન સ્વાદ માટે. શરીરની પુષ્ટિ કે લાવણ્ય માટે પણ નહિ. મુનિ માત્ર જ્ઞાનાર્જન માટે, સંયમપાલન માટે અને ધ્યાનસાધના અર્થે જ ભોજન કરે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમણાં ४०७-४०८. जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो य पीणेइ अप्पयं ॥२४॥ एमेए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणेरया ॥२५॥ यथा द्रुमस्य पुष्पेषु, भ्रमरः आपिबति रसम् । न च पुष्पं क्लामयति, स च प्रीणात्यात्मानम् ॥२४॥ एवमेते श्रमणाः मुक्ता, ये लोके सन्ति साधवः । विहंगमा इव पुष्पेषु, दानभक्तैषणारताः ।।२५।। ४०९. आहाकम्म-परिणओ, फासुयभोई वि बंधओ होई । सुद्धं गवेसमाणो, आहाकम्मे वि सो सुद्धो ॥२६॥ आधाकर्मपरिणतः, प्रासुकभोजी अपि वन्धको भवति । शुद्धं गवेषयन्, आधाकर्मण्यपि स शुद्धः ॥२६॥ चक्खुसा पडिलेहिता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओवि समिए सया ॥२७॥ चक्षुषा प्रतिलिख्य, प्रमार्जयेत् यतं यतिः । आददीत निक्षिपेद् वा, द्विधाऽपि समितः सदा ।।२७।। ४११. एगंते अच्चित्ते दूरे, गूढे विसालमविरोहे । उच्चारादिच्चाआ, पदिठावणिया हवे समिदी ॥२८॥ एकान्ते अचित्ते दूरे, गूढे विशाले अविरोधे । उच्चारादित्यागः, प्रतिष्ठापनिका भवेत समितिः ।।२८।। ४१०. (इ) गुप्ति ४१२. संरंभसमारंभे, आरंभे य तहेव य । मणं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ॥२९॥ संरम्भे समारम्भे, आरम्भे च तथैव च । मनः प्रवर्तमानं तु, निवर्तयेद् यतं यतिः ।।२९।। Page #154 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૦૭-૦૮. ૧૨૯ ભમરો વૃક્ષના ફુલોમાંથી રસ ચૂસે છે ત્યારે ફૂલને ઈજા પહોંચાડતો નથી અને પોતાને તૃપ્ત કરે છે; એવી જ રીતે લોકમાં જે નિર્લોભી સાધુજનો છે તે દાનમાં મળેલા. આહારથી પોતાનો નિર્વાહ કરે છે. ૪૦૯. સાધુ પોતાને અર્થે બનાવેલો આહાર કરે તો, એ આહાર નિર્જીવ હોય તો પણ, તેને હિંસાનો દોષ લાગે છે. અને શુદ્ધ આહારની શોધ કરતાં અજાણતાં પોતાના નિમિત્તે બનાવાયેલો આહાર લે તો પણ તે શુદ્ધ રહે છે. પ્રથમ આંખોથી જુએ, પછી જીવજંતુ કે રજ વગેરે દૂર કરે. ત્યારબાદ જ કોઈ પણ વસ્તુને લે અથવા મૂકે. આ આદાન-નિક્ષેપ સમિતિ છે. ૪૧ ૦. ૪૧૧. સાધુ મળ-મૂત્ર અને અન્ય ફંકવા યોગ્ય પદાર્થોનું વિસર્જન વનસ્પતિ, જંતુ, પાણી વગેરેથી રહિત, વરસતીથી દૂર અને કોઈ જુએ નહિ એવી, ખુલ્લી, એકાંત અને કોઈનો વિરોધ ન હોય એવી જમીન પર કરે. આ ઉત્સર્ગ અથવા પરિષ્ઠાપનિકા સમિતિ છે. (રૂ) ગુપ્તિ ૪૧ ૨. વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલા પોતાના મનને મુનિ સાવધાનપણે પાછું વાળી. (સંભ= માનસિક તૈયારી. સમારંભ = કાર્યની તૈયારી. આરંભ = કાર્યનો આરંભ. મનોગુપ્તિમાં આ ત્રણે માનસિક ક્રિયાના સંબંધમાં સમજવાનાં છે.) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમણસુd ४१३. ४१४. ४१५. ४१६. संरंभसमारंभे, आरंभे य तहेव य । वयं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ॥३०॥ संरम्भे समारम्भे, आरम्भे च तथैव च । वचः प्रवर्तमानं तु, निवर्तयेद् यतं यतिः ।।३०।। संरंभसमारंभे, आरंभम्मि तहेव य । कायं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ||३१|| संरम्भे समारम्भे, आरम्भे तथैव च । कायं प्रवर्तमानं तु, निवर्तयेद् यतं यतिः ॥३१॥ खेत्तस्स वई णयरस्स, खाईया अहव होइ पायारो । तह पावस्स गिरोहो, ताओ गुत्तीओ साहुस्स ॥३२॥ क्षेत्रस्य वृत्तिनगरस्य, खातिकाऽथवा भवति प्राकारः । तथा पापस्य निरोधः, ताः गुप्तयः साधोः ।।३२।। एया पवयणमाया, जे सम्म आयरे मुणी । से खिप्पं सव्वसंसारा, विष्पमुच्चइ पंडिए ॥३३॥ एताः प्रवचनमातृः, यः सम्यगाचरेन्मुनिः । स क्षिप्रं सर्वसंसारात्, विप्रमुच्यते पण्डितः ।।३३।। २७. आवश्यकसूत्र परिचत्ता परभावं, अप्पाणं झादि णिम्मलसहावं । अप्पवसो सो होदि हु, तस्स दु कम्मं भणंति आवासं ॥१॥ परित्यक्त्वा परभावं, आत्मानं ध्यायति निर्मलस्वभावम् । आत्मवशः स भवति खलु, तस्य तु कर्म भणन्ति आवश्यकम् ॥१॥ आवासएण हीणो, पब्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो, तम्हा आवासयं कुज्जा ॥२॥ आवश्यकेन हीनः, प्रभ्रष्टो भवति चरणतः श्रमणः । पूर्वोक्तक्रमेण पुनः, तस्मादावश्यकं कुर्यात् ।।२।। पडिकमणपदिकिरियं, कुव्वंतो णिच्छयस्स चारित्तं । तेण दु विरागधरिए, समणो अब्भुट्टिदो होदि ॥३॥ प्रतिक्रमणप्रभृतिक्रियां, कुर्खन् निश्चयस्य चारित्रम् । तेन तु विरागचरिते, श्रमणोऽभ्युत्थितो भवति ।।३।। ४१७. ४१८. ४१९. Page #156 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૧૩. ૪૧૪. ૪૧૫. ૪૧૬. ૪૧૭. ૪૧૮. ૪૧૯. ૧૩૧ વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી વાણીને મુનિ સાવધાનપણે અટકાવી લે. વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી કાયાને મુનિ સાવધાનપણે પાછી વાળી લે. ખેતરને વાડ, નગરને ખાઈ અથવા કોટ હોય છે, તેમ પાપને અટકાવવા માટે મુનિઓ માટે ગુપ્તિ બતાવવામાં આવી છે. જે વિવેકી મુનિ આ અષ્ટપ્રવચનમાતાનું સમ્યગ્ રીતે આચરણ કરે છે તે સંસારથી શીઘ્ર મુક્તિ મેળવે છે. ૨૭. આવશ્યકસૂત્ર પરભાવનો ત્યાગ કરી મુનિ નિર્મળ સ્વભાવી આત્માનું ધ્યાન કરે છે અને અંતર્મુખ - આત્મલીન થાય છે ત્યારે મુનિની એ ક્રિયાને ‘આવશ્યક’ કહેવામાં આવે છે. મુનિ જ્યારે આત્મલીનતામાંથી હટી જાય છે ત્યારે તે ચારિત્રથી પણ હટી જાય છે. ફરીથી આત્મલીન થવા માટે મુનિએ વિધિપૂર્વક આવશ્યકનું આલંબન લેવું. નિશ્ચચચારિત્રરૂપ પ્રતિક્રમણાદિ ક્રિયા કરનારો સાધુ વીતરાગ અવસ્થામાં પહોંચે છે—નિશ્ચય ચારિત્રમાં આરૂઢ થાય છે. For Private Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમણસને ४२०. ४२१. ४२२. ४२३. वयणमयं पडिकमणं, वयणमयं पच्चखाण णियमं च । आलोयण वयणमयं, तं सव्वं जाण सज्झाउं ॥४॥ वचनमयं प्रतिक्रमणं, वचनमयं प्रत्याख्यानं नियमश्च । आलोचनं वचनमयं, तत्सर्वं जानीहि स्वाध्यायम् ।।४।। जदि सक्कदि कादं जे, पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ, सद्दहणं चेव कायव्वं ॥५॥ यदि शक्यते कर्तुम् प्रतिक्रमणादिकं कुर्याद् ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि, श्रद्धानं चैव कर्तव्यम् ।।५।। सामाइयं चउवीसत्थओ वंदणयं । पडिक्कमणं काउस्सग्गो पच्चक्खाणं ॥६॥ सामायिकम् चतुर्विंशतिस्तवः वन्दनकम् । प्रतिक्रमणम् कायोत्सर्गः प्रत्याख्यानम् ।।६।। समभावो सामाइयं, तणकंचण-सत्तुमित्तविसओ त्ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ॥७॥ समभावो सामायिकं, तृणकाञ्चनशत्रुमित्रविषयः इति । निरभिष्वंगं चित्तं, उचितप्रवृत्तिप्रधानं च ।।७।। वयणोच्चारणकिरियं, परिचत्ता वीयरायभावेण । जो झायदि अप्पाणं, परमसमाही हवे तस्स ||८|| बचनोच्चारणक्रियां, परित्यक्त्वा वीतरागभावेन । यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत् तस्य ||८|| विरदो सव्वसावज्जे, तिगत्तो पिहिदिदिओ। तस्स सामाइगं ठाई, इदि केवलिसासणे ॥९॥ विरतः सर्वसावधे, त्रिगुप्तः पिहितेन्द्रियः । तस्य सामायिकं स्थायि, इति केवलिशासने ।।९।। ४२४. ४२५. ४२६. जो समो सव्वभूदेसु, थावरेसु तसेसु वा । तस्स सामायिगं ठाई, इदि केवलिसासणे ॥१०॥ यः समः सर्वभूतेषु, स्थावरेषु त्रसेषु वा । तस्य सामायिकं स्थायि, इति केवलिशासने ।।१०।। Page #158 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૩૩ ૪ ૨ ૦. સૂત્રોચ્ચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પચ્ચખાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના – આ બધું કેવળ સ્વાધ્યાય છે એમ જાણો. ૪ ૨૧. જો શક્તિ હોય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ જ કરવાં. જો એવી શક્તિ ન હોય તો. ‘શુદ્ધ માર્ગ એ જ છે એવી શ્રદ્ધાનું અવલંબન લેવું. ૪ ૨ ૨. સામાચિક, ચોવીશ જિનેશ્વરની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ–આ છે આવશ્યક છે. ૪૨ ૩. ઘાસ હોય કે સોનું, શત્રુ હોય કે મિત્ર – દરેક પ્રત્યે સમાન ભાવ અનુભવવો એ સામાયિક છે. ચિત્ત વિક્ષોભરહિત હોય અથવા ઉચિત પ્રવૃત્તિ (સ્વાધ્યાય આદિ)માં લાગેલું હોય એ સામાયિકની અવસ્થા છે. વીતરાગભાવનો આશરો લઈ વચનોચ્ચાર વગેરે ક્રિયાઓ છોડી જે આત્માનું ધ્યાન કરે છે તેને પરમ સામાયિકની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૪ ૨૪. ૪ ૨૫. સર્વ પાપકર્યોથી વિરમી, મન-વચન-કાયાને શાંત કરી ઈન્દ્રિયોને વશમાં રાખી, જે વ્યક્તિ સમતાનો અભ્યાસ કરે છે તેનું સામાયિક સ્થિર થાય છે એમ કેવળી. ભગવાને કહ્યું છે. ૪ ૨ ૬. ત્રસ અને સ્થાવર બધા જીવો પર જે સમભાવ રાખે છે તેનું સામાયિક સ્થિર થયેલું છે એમ કેવળ ભગવાને કહ્યું છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમણસુd ४२७. उसहादिजिणवराणं, णामणिरुत्तिं गुणाणुकित्तिं च । काउण अच्चिदूण य, तिसुद्धिपणामो थवो णेओ ॥११॥ ऋपभादिजिनवराणां, नामनिरुक्तिं गुणानुकीर्तिं च । कृत्वा अर्चित्वा च, त्रिशुद्धिप्रणामः स्तवो ज्ञेयः ।।११।। दव्वे खेत्ते काले, भावे य कयावराहसोहणयं । णिंदणगरहणजुत्तो, मणवचकायेण पडिक्कमणं ॥१२॥ द्रव्ये क्षेत्र काले, भावे च कृतापराधशोधनकम् । निन्दनगर्हणयुक्तो, मनोवचःकायन प्रतिक्रमणम् ।।१२।। ४२८. ४२९. आलोचणणिंदणगरह-णाहिं अभुट्टिओ अकरणाए। तं भावपडिक्कमणं, सेसं पुण दव्वदो भणिअं ॥१३॥ आलोचननिन्दनगर्हणाभिः अभ्युत्थितश्चाऽकरणाय । तद् भावप्रतिक्रमणं, शेषं पुनर्द्रव्यतो भणितम् ।।१३।। ४३०. इच्छा य अणुण्णवणा अव्वाबाहं य जत्त अवणा य। अवराहखामणा वि य छट्ठाणा हुंति वंदणए ||१४|| इच्छा च अनुज्ञापना अव्यावाधश्च यात्रा यापना च । अपराधक्षामणं अपि च षट्स्थानानि भवन्ति वंदनके ।।१४।। ४३१. विणओवयार माणस्स भंजणा पूजणा गुरुजणस्स । तित्थयराण य आणा सुयधम्माराहणा किरिया ॥१५॥ विनयोपचारः मानस्य भंजनं पूजनं गुरुजनस्य । तीर्थंकराणां च आज्ञा श्रुतधर्म-आराधना अक्रिया ।।१५।। मोत्तूण वयणरयणं, रागादीभाववारणं किच्चा । अप्पाणं जो झायदि, तस्स दु होदि त्ति पडिकमणं ॥१६॥ मुक्त्वा वचनरचना, रागादिभाववारणं कृत्वा । आत्मानं यो ध्यायति, तस्य तु भवतीति प्रतिक्रमणम् ।।१६।। ४३२. Page #160 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૩૫ ૪ર૭. ૪ ૨૮. ૪ ૨ ૯. ઋષભ આદિ ચોવીશ જિનોના નામ ઉચ્ચારવાં, તેમના. ગુણોનું કીર્તન કરવું, ઉચિત પદાર્થોથી તેમની પૂજા કરવી અને મન-વચન-કાયાની શુદ્ધિ સહિત વંદન કરવા. એ ચતુર્વિશતિસ્તવ નામનું બીજું આવશ્યક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે મન-વચન-કાયાથી જે દોષ આચરાયાં હોય તેની નિંદા તથા બહ દ્વારા. શુદ્ધિ કરવી એ પ્રતિક્રમણ આવશ્યક છે. (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ = પાપ કઈ વસ્તુ અંગેનું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કયા આશયથી થયું તેનું વિવરણ. નિદા = મનોમન પોતાના પાપને વખોડવું. ગ = ગુરુની સમક્ષ પ્રગટરૂપે વખોડવું) પાપની આલોચના, નિંદા અને ગહી કરવી તથા ફરીથી એવું ન થાય તે માટે તત્પર રહેવું એ ભાવપ્રતિક્રમણ છે. જેમાં આવી તત્પરતા ન હોય એવો કેવળ સૂત્રપાઠ વગેરે) બીજું બધું દ્રવ્ય પ્રતિક્રમણ છે) (આલોચના = ગુરુ સમક્ષ દોષોનું નિવેદન.) ગુરુવંદનમાં છ બાબતોનો સમાવેશ થાય છે : ગુરુ સમક્ષ વંદન કરવાની ઈચ્છા દર્શાવવી, અનુજ્ઞા મળતાં ગુરુની નિકટ જવું, સ્વારની પૃચ્છા કરવી ગુરુની સંયમયાત્રા નિર્વિન છે કે કેમ તેની પૃચ્છા કરવ, તેમના સંચમની અનુમોદના કરવી અને પોતાથી થયેલ અપરાધોની ક્ષમા યાચવી. વંદન કરવાથી ગુરુની. વિનય થાય છે, પોતાના અભિમાનનો નાશ થાય છે, ગુરુજનોનું પૂજન થાય છે, તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે, જ્ઞાનની આરાધના થાય છે અને તેના ફળસ્વરૂપે ધ્યાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂત્રોચ્ચારથી વિરમી, રાગાદિ ભાવોને નિવારી, આત્મલીન થવું એ ભાવપ્રતિક્રમણ છે. ૪૩૦. ૪ ૩૧. ૪ ૩ રે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ४३३. સમણસુd झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं । तम्हा दु झाणमेव हि, सव्वऽदिचारस्स पडिक्कमणं ॥१७॥ ध्याननिलीनः साधुः, परित्यागं करोति सर्वदोषाणाम् । तस्मात् तु ध्यानमेव हि, सर्वातिचारस्य प्रतिक्रमणम् ।।१७।। ४३४. देवस्सियणियमादिसु, जहुत्तमाणेण उत्तकालम्हि । जिणगुणचिंतणजुत्तो, काउसग्गो तणुविसग्गो ॥१८॥ देवसिकनियमादिषु, यथोक्तमानेन उक्तकाले । जिनगुणचिन्तनयुक्तः, कायोत्सर्गस्तनुविसर्गः ।।१८।। ४३५. जे केइ उवसग्गा, देवमाणुस-तिरिक्खऽचेदणिया । ते सव्वे अधिआसे, काउसग्गे ठिदो संतो ॥१९॥ ये केचनोपसर्गा, देवमानुप-तिर्यगचेतनिकाः ।। तान्सर्वानध्यासेत, कायोत्सर्गे स्थितः सन् ।।१९।। ४३६. मोत्तूण सयलजप्प-मणागयसुहमसुहवारणं किच्चा । अप्पाणं जो झायदि, पच्चक्खाणं हवे तस्स ॥२०॥ मुक्त्वा सकलजल्प-मनागतशुभाशुभनिवारणं कृत्वा । आत्मानं यो ध्यायति, प्रत्याख्यानं भवेत् तस्य ।।२०।। ४३७. णियभावं ण वि मुच्चइ, परभावं व गेहए केई । जाणदि पस्सदि सव्वं, सोऽहं इदि चिंतए णाणी ॥२१॥ निजभावं नापि मुञ्चति, परभावं नैव गृह्णाति कमपि । जानाति पश्यति सर्वं, सोऽहम् इति चिन्तयेद् ज्ञानी ।।२१।। ४३८. जं किंचि मे दुच्चरितं, सव्वं तिविहेण वोसिरे । सामाइयं तु तिविहं, करेमि सव्वं णिरायारं ॥२२॥ यत्किंचिन्मे दुश्चरित्रं, सर्वं त्रिविधेन विसृजामि । सामायिकं तु त्रिविधं, करोमि सर्वं निराकारम् ।।२२।। Page #162 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૩ ૩. ૧૩૭ ધ્યાનમાં લીન બનેલો સાધુ સર્વ દોષોને દૂર કરી શકે છે, માટે ધ્યાન જ સર્વ અતિચારો (દોષો)નું પ્રતિક્રમણ ૪૩૪. દિવસ, રાત, પખવાડિયું, ચાર માસ અને વર્ષ માટે નિયત કરેલ સમયમર્યાદા સુધી, યોગ્ય કાળે, પરમાત્માના ગુણચિંતન સહિત(સ્થિરતા, મન અને ધ્યાનમાં રહી) કાયાને તજી દેવી તેને કાયોત્સર્ગ કહે છે. ૪૩૫. કાયોત્સર્ગમાં રહેલો સાધક, દેવ, મનુષ્ય, તિર્યચી તરફથી કે બીજા નિર્જીવ પદાર્થો તરફથી જે કોઈ ઉપસર્ગ(કષ્ટ) થાય તેને સમભાવે સહે. ૪૩૬. સર્વ વાણી-વ્યાપારનો ત્યાગ કરીને અને મનમાં ઊઠનારા શુભ-અશુભ ભાવોને રોકીને શુદ્ધ આત્મભાવમાં રહેવું એ પચ્ચખાણ આવશ્યક છે. (પચ્ચખાણ = ત્યાગ, નિષેધ, પ્રતિજ્ઞા.) ૪ ૩ ૭. જે સ્વભાવને કદી છોડતો નથી, પરભાવને કદી ગ્રહણ કરતો નથી, સર્વ પદાર્થોને જે જાણે છે અને જુએ છે તે હું છું—એમ જ્ઞાની ચિતવે છે. ૪૩૮. મારાથી જે કોઈ ભૂલ થઈ ગઈ છે તેનો મન-વચનકાયાથી ત્યાગ કરું છું અને કરણ-કરાવણ-અનુમોદન એમ ત્રણ પ્રકારે પૂર્ણ સામાયિકને અંગીકાર કરું છું. Page #163 -------------------------------------------------------------------------- ________________ ४४०. २८. तपसूत्र (अ)बाह्यतप ४३९. जत्थ कसायणिरोहो, बंभं जिणपूयणं अणसणं च । सो सव्वो चेव तवो, विसेसओ मुद्धलोयंमि ॥१॥ यत्र कपायनिरोधो, ब्रह्म जिनपूजनम् अनशनं च । तत् सर्वं चैव तपो, विशेषतः मुग्धलोके ॥१र सो तवो दुविहो वुत्तो, बाहिरब्भतरो तहा । बाहिरो छब्विहो वुत्तो, एवमभंतरो तवो ॥२॥ तत् तपो द्विविधं उक्तं वाह्यमाभ्यन्तरं तथा । बाह्यं पड्विधं उक्तं, एवमाभ्यन्तरं तपः ।।२।। ४४१. अणसणमूणोयरिया,भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ॥३॥ अनशनमूनोदरिका, भिक्षाचर्या च रसपरित्यागः । कायक्लेशः संलीनता च, वाह्यं तपो भवति ||३|| ४४२. कम्माणं णिज्जरलैं, आहारं परिहरेइ लीलाए । एगदिणादिपमाणं, तस्स तवं अणसणं होदि ।।४।। कर्मणां निर्जरार्थम् , आहारं परिहरति लीलया ।। एकदिनादिप्रमाणं, तस्य तपः अनशनं भवति ।।४।। ४४३. जे पयणुभत्तपाणा, सुयहेउ ते तवस्सिणो समए । जो अ तवो सुयहीणो, बाहिरियो सो छुहाहारो ॥५॥ ये प्रतनुभक्तपानाः, श्रुतहेतोस्ते तपस्विनः समये । यच्च तपः श्रुतहीन, बाह्यः स क्षुदाधारः ।।५।। ४४४. सो नाम अणसणतवो, जेण मणोऽमंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति ॥६॥ तद् नाम अनशनतपो, येन मनोऽमंगलं न चिन्तयति । येन नेन्द्रियहानि-र्येन च योगा न हीयन्ते ।।६।। Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તપસૂત્ર (ગ) બાહ્યતપા ૪૩૯. જેમાં કષાયોને અંકુશમાં લેવાતા હોય, બ્રહ્મચર્યપાલન હોય, જિનપૂજન હોય અને આહારનો(આંશિક અથવા. સંપૂર્ણ) ત્યાગ હોય એ સઘળું તપ છે અને તે પ્રાથમિક કક્ષાના આત્માઓ માટે વિશેષ ઉપયોગી છે ૪૪૦, તપના બે પ્રકાર છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપ છ જતનો અને આભ્યતર તપ પણ છે જાતની છે. ૪૪૧.. અનશન, ઊણોદરી, ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા -- આ છ પ્રકારનો બાહ્યતપ છે. ૪૪ ૨. કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટ) સરળતાથી આહારનો ત્યાગ કરવો. એ અનશન તપ છે. ૪૪૩. શ્રુતાભ્યાસ માટે જે વ્યક્તિ અલ્પ આહાર લે છે તેને સિધ્ધાંતમાં તપસ્વી કહ્યો છે. જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે. ૪૪૪. અનશન તપ તેને જ કહી શકાય જેમાં મનમાં ખોટા વિચાર ન આવે, ઈન્દ્રિયોને નુકશાન ન થાય અને મનવચન-કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે. Page #165 -------------------------------------------------------------------------- ________________ १४० ४४५. ४४६. ४४७. ४४८. ४४९. ४५०. ४५१. बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो । खेत्तं कालं च विनाय, तहप्पाणं निजुंजए ||७|| बलं स्थाम च प्रेक्ष्य श्रद्धाम् आरोग्यम् आत्मनः । क्षेत्रं कालं च विज्ञाय तथा आत्मानं नियुञ्जीत ||७|| उवसमणो अक्खाणं, उववासो वण्णिदो समासेण । तम्हा भुंजता वि य, जिदिदिया होंति उववासा ||८|| उपशमनम् अक्षाणाम्, उपवासः वर्णितः समासेन । तस्मात् भुञ्जानाः अपि च, जितेन्द्रियाः भवन्ति उपवासाः ॥८॥ छट्टमदसमदुवालसेहिं, अबहुसुयस्स जा सोही । तत्तो बहुतरगुणियां, हविज्ज जिमियस्स नाणिस्स ॥ ९ ॥ पष्ठाष्टमदशमद्वादशै-रवहुश्रुतस्य या शुद्धिः । ततो बहुतरगुणिता, भवेत् जिमितस्य ज्ञानिनः ॥९॥ जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे । जहन्त्रेणेगसित्थाई, एवं दव्वेण ऊ भवे ॥१०॥ यो यस्य त्वाहारः, ततोऽवमं तु यः कुर्यात् । जघन्येनैकसिक्थादि, एवं द्रव्येण तु भवेत् ||१०|| गोयरपमाणदायग-भायणणाणाविधाण जं गहणं । तह एसणस्स गहणं, विविधस्स य वृत्तिपरिसंखा ॥११॥ गोचरप्रमाणदायक-भाजननानाविधानां यद्ग्रहणम् । तथा एपणीयस्य ग्रहणं, विविधस्य च वृत्तिपरिसंख्या ||११|| खीरदहिसप्पमाई पणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु, भणियं रसविवज्जणं ॥१२॥ क्षीरदधिसर्पिरादि, प्रणीतं पानभोजनम् । परिवर्जनं रसानां तु, भणितं रसविवर्जनम् ||१२|| एगंतमणावाए, इत्थीपसुविवज्जिए । सयणासणसेवणया, विवित्तसयणासणं ॥१३॥ एकान्तेऽ नापाते, स्त्रीपशुविवर्जिते । शयनासनसेवनता, विविक्तशयनासनम् ||१३|| સમણસુત્ત For Private Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૪૫. ૪૪૬. ૪૪૭. ૪૪૮. ૪૪૯. ૪૫૦. ૪૫૧. ૧૪૧ પોતાનાં બળ, દેઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું. ઇન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. માટે જેઓ જિતેન્દ્રિય છે તે ભોજન કરતા હોય ત્યારે પણ ઉપવાસી છે. બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કે તેથી વધારે ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે. જે વ્યક્તિનો જેટલો (એક ટંકનો) આહાર હોય તેનાથી એક કોળિયો અથવા વધુ કોળિયા ઓછાં ખાય એ ઊણોદરી તપ છે. મુનિ પોતાની ગોચરીનું પ્રમાણ બાંધે, એવી રીતે ઘરનું, દાન દેનારી વ્યક્તિઓનું, પાત્રનું અથવા વસ્તુનું અમુક પ્રમાણ અગાઉથી ધારી લે અને (ગોચરી જતી વખતે) શુદ્ધ વસ્તુનું જ ગ્રહણ કરે તે વૃત્તિસંક્ષેપ અથવા ભિક્ષાચર્યા તપ છે. દૂધ, દહીં, ઘી વગેરે રસ, પૌષ્ટિક ખાન-પાન અને સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે. એકાંતવાળા, લોકોની અવરજવર વિનાના, સ્ત્રી-પુરુષપશુ વગેરેથી રહિત સ્થાનમાં બેસવું, સૂવું, રહેવું એ વિવિક્તશય્યાસન (સંલીનતા) તપ છે. For Private Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમસુર ४५२. ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥१४॥ स्थानानि वीरासनादीनि, जीवस्य तु सुखावहानि । उग्राणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः ।।१४।। सुहेण भाविदं गाणं, दुहे जादे विणस्सदि । तम्हा जहाबलं जोई, अप्पा दुक्खेहि भावए ।।१५।। सुखेन भावितं ज्ञानं, दुःखे जाते विनश्यति । तस्मात् यथावलं योगी, आत्मानं दुःखैः भावयत् ।।१५।। ४५३. ४५४-४५५. ण दुक्खं ण सुखं वा वि, जहाहेतु तिगिच्छिति । तिगिच्छिए सुजुत्तस्स, दुक्खं वा जइ वा सुहं ॥१६॥ मोहक्खए उ जुत्तस्स दुक्खं वा जइ वा सुहं । मोहक्खए जहाहेउ, न दुक्खं न वि वा सुहं ।।१७।। न दुःखं न सुखं वाऽपि यथाहेतु चिकित्सति । चिकित्सते सुयुक्तस्य, दुःखं वा यदि वा सुखम् ।।१६।। मोहक्षये तु युक्तस्य, दुःखं वा यदि वा सुखम् । मोहक्षये यथाहेतु, न दुःखं नाऽपि वा सुखम् ।।१७।। ४५६. (आ) आभ्यन्तरतप पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ॥१८॥ प्रायश्चित्तं विनयः, वैयावृत्यं तथैव स्वाध्यायः । ध्यानं च व्युत्सर्गः, एतदाभ्यन्तरं तपः ।।१८।। ४५७. वद-समिदि-सील-संजम-परिणामो करणणिग्गहो भावो । सो हवदि पायच्छित्तं, अणवरयं चेव कायव्वो ॥१९॥ व्रत-समिति-शील-संयम-परिणामः करणनिग्रहो भावः । स भवति प्रायश्चित्तम्, अनवरतं चैव कर्तव्यः ।।१९।। Page #168 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૪૩ ૪૫૨. યોગ્ય સ્થળે વીરાસન વગેરે આત્મહિતકારી. કષ્ટમય આસનો ધારણ કરી કાયાને કેળવવી એ કાયકલેશ તપ ૪૫૩. સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુઃખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર દુઃખ-કષ્ટ અપનાવીને પોતાની જાતને કેળવવી. ૪પ૪-૪પપ. રોગીની ચિકિત્સા કરાતી હોય ત્યારે રોગીને કષ્ટ પણ થાય અથવા સુખ પણ થાય. ચિકિત્સા કરવાનો હતુ(તાત્કાલિક) સુખ કે દુઃખનો નથી. એવી રીતે મોહનો ક્ષય કરવા તત્પર સાધકને કષ્ટ પડે અથવા સુખ લાગે, પણ તેનો ઉદ્દેશ(તાત્કાલિક) સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનો નથી. ચિકિત્સાનો હેતુ રોગનાશનો છે એમ તપનો હેતુ મોક્ષય કરવા માટેનો હોય છે, સુખ મેળવવું કે દુઃખ દૂર કરવું એ તપનો મુખ્ય હેતુ નથી.) () આલ્ચતર તપ ૪૫૬. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવી, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ – આ છ પ્રકારનો આત્યંતર તપ છે. ૪૫૭. વ્રત, સમિતિ, શીલ અને સંયમના પાલનની વૃત્તિ અને ઈન્દ્રિયોને અંકુશમાં રાખવાની કોશીશ એ પ્રાયશ્ચિત્ત તપ છે અને તે હમેશાં કરવા યોગ્ય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમાણસને ४५८. ४५९. ४६०. कोहादि-सगब्भाव-क्खयपहुदि-भावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं, णियगुणचिंता य णिच्छयदो ॥२०॥ क्रोधादि-स्वकीयभाव-क्षयप्रभृति-भावनायां निग्रहणम् । प्रायश्चित्तं भणितं, निजगुणचिन्ता च निश्चयतः ।।२०।। णंताणंतभवेण, समज्जिअ-सुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि, पायच्छित्तं तवं तम्हा ॥२१॥ अनन्तानन्तभवेन, समर्जित-शुभाशुभकर्मसन्दोहः। तपश्चरणेन विनश्यति, प्रायश्चित्तं तपस्तस्मात् ||२१|| आलोयण पडिकमणं, उभयविवेगो तहा विउस्सग्गो । तव छेदो मूलं वि य, परिहारो चेव सद्दहणा ॥२२॥ आलोचना प्रतिक्रमणं, उभयविवेकः तथा व्युत्सर्गः। तपः छेदो मूलमपि च, परिहारः चैव श्रद्धानं ।।२२।। अणाभोगकिदं कम्मं, जं किं पि मणसा कदं । तं सव्वं आलोचेज्ज हु अव्वाखित्तेण चेदसा ॥२३॥ अनाभोगकृतं कर्म, यत्किमपि मनसा कृतम् । तत्सर्वमालोचयेत् खलु अव्याक्षिप्तेन चेतसा ।।२३।। जह बालो जंपन्तो, कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को वि ॥२४॥ यथा बालो जल्पन्, कार्यमकार्य च ऋजुकं भणति । तत् तथाऽऽलोचयेन्मायामदविप्रमुक्त एव ।।२४।। ४६१. ४६२. ४६३-४६४. जह कंटएण, विद्रो, सव्वंगे वेयणद्दिओ होइ । तह चेव उद्धियम्मि उ, निस्सल्लो निव्वुओ होइ ॥२५॥ एवमणुद्धियदोसो, माइल्लो तेणं दुक्खिओ होइ । सो चेव चत्तदोसो, सुविसुद्धो निब्बुओ होइ ॥२६॥ यथा कण्टकेन विद्धः, सर्वांगे वेदनार्दितो भवति । तथैव उद्धृते तु निश्शल्यो निर्वृतो भवति ।।२५।। एवमनुद्धृतदोषो, मायावी तेन दुःखितो भवति । स एव त्यक्तदोषः, सुविशुद्धो निर्वृतो भवति ।।२६।। Page #170 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૪૫ ૪પ૮. ધાદિ ભાવોના ક્ષય અથવા ઉપશમનો અભ્યાસ કરવો અથવા નિજગુણના ચિંતનમાં જોડાવું એ નિયષ્ટિનો પ્રાયશ્ચિત્ત તપ છે. ૪૫૯. અનંત ભવમાં ઉપાર્જિત કરેલા શુભ-અશુભ કર્મોના સમૂહ તપથી નાશ પામે છે માટે એને પ્રાયશ્ચિત્ત કહ્યું પ્રાયશ્ચિત્ત તપ દશ પ્રકારનો છે : આલોચના, પ્રતિક્રમણ, ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહર તથા શ્રદ્ધા. ૪૬૧. જે દોષ અજાણતાં થઈ ગયાં હોય અને જે જાણીજોઈને સેવ્યાં હોય તે બધા દોષોને ગુરુ સમક્ષ સરળભાવે નિવેદન કરવાં એ આલોચના છે. ૪ ૬ ર, જેમ બાળક સારી-ખોટી વાતોને સરળભાવે બોલી. નાખે છે તેમ કપટ અને અભિમાન તજીને પોતાના દોષની આલોચના કરવી જોઈએ. ૪૬ ૩-૪૬૪. જેમ પગમાં કાંટો લાગતાં આખા શરીરમાં વેદના અનુભવાય છે અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્યરહિત થવાથી શાંતિ અનુભવાય છે; તેમ જેણે દોષો પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમાણસુd ४६५. ४६६. जो पस्सदि अप्पाणं, समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह, परमजिणिंदस्स उवएसं ॥२७।। यः पश्यत्यात्मानं, समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीत, परमजिनेन्द्रस्योपदेशम् ।।२७।। अब्भुट्ठाणं अंजलिकरणं, तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस वियाहिओ ॥२८॥ अभ्युत्थानमञ्जलिकरणं, तथैवासनदानम् । गुरुभक्तिभावशुपा, विनय एष व्याख्यातः ।।२८।। दसणणाणे विणओ, चरित्ततव-ओवचारिओ विणओ । पंचविहो खलु विणओ, पंचमगइणाइगो भणिओ ॥२९॥ दर्शनज्ञाने विनय-श्चारित्रतप-औपचारिको बिनयः । पञ्चविधः खलु विनयः पञ्चमगतिनायको भणितः ।।२९।। एकम्मि हीलियम्मि, हीलिया हंति ते सव्वे । एकम्मि पूइयम्मि पूइया हुंति सव्वेवि ॥३०॥ एकस्मिन हीलिते, हीलिता भवन्ति सर्वे । एकस्मिन् पूजिते, पूजिता भवन्ति सर्वे ॥३०॥ ४६७. ४६८. ४६९. ४७०. विणओ सासणे मूलं विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ॥३१॥ विनयः शासने मूलं, विनीतः संयतः भवेत् । विनयात् विप्रमुक्तस्य, कुतो धर्मः कुतः तपः ? ।।३१।। विणओ मोक्खद्दारं, विणयादो संजमो तवो णाणं । विणएणाराहिज्जदि, आइरिओ सव्वसंघो य ॥३२॥ विनयो मोक्षद्वारं, विनयात् संयमस्तपो ज्ञानम् । विनयेनाराध्यते, आचार्यः सर्वसंघश्च ॥३२॥ विणयाहीया विज्जा, देंति फलं इह परे य लोग़म्मि । न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाई ॥३३॥ बिनयाधीताः विद्याः, ददति फलम् इह परत्र च लोके । न फलन्ति विनयहीनाः, सस्यानीव तोयहीनानि ।।३३।। ४७१. Page #172 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૪૭ ૪૬પ. ચિત્તવૃત્તિને સમભાવમાં સ્થિર કરીને આત્મનિરીક્ષણ કરવું. તે જિનેશ્વરે કહેલો નિશ્ચયદષ્ટિની આલોચના. તપ છે. ગુરુ અને વડીલ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, એમને ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક તેમની સેવાભક્તિ કરવી એ વિનયતા છે. ૪ ૬ ૭. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઔપચારિકવિનય – આ પાંચ પ્રકારનો વિનયતપ છે, જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે. એકના અપમાનમાં બધાનું અપમાન છે, એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે. ૪૬ ૯. વિનય ધર્મનું મૂળ છે; વિનયી આત્મા જ ચારિત્ર્યવાન બને છે. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તેને તપ પણ ક્યાંથી હોય ? ૪૭૦. વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય છે. ૪૭૧. વિનયપૂર્વક મેળવેલી વિદ્યા આ લોક અને પરલોકમાં ફળદાયી થાય છે. પાણી વગર અનાજ પાકતું નથી તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ १४८ સમણમુક્ત ४७२. ४७३. ४७४. ४७५. तम्हा सव्वपयत्ते, विणीयत्तं मा कदाइ छंडेज्जा । अप्पसुदो वि य पुरिसो, खवेदि कम्माणि विणएण ॥३४॥ तस्मात् सर्वप्रयत्नेन विनीतत्वं मा कदाचित् छर्दयेत् । अल्पश्रुतोऽपि च पुरुष; क्षपयति कर्माणि विनयेन ||३४।। सेज्जोगासणिसेज्जो, तहोवहिपडिलेहणाहि उवग्गहिदे । आहारोसहवायण-विकिंचणं वंदणादीहिं ॥३५॥ शय्यावकाशनिषद्या, तथा उपधिप्रतिलेखनाभिः उपगृहीते । आहारौषधवाचना-विकिंचनं वन्दनादिभिः ।।३५।। अद्धाणतेणसावद-रायणदीरोधणासिवे ओमे । वेज्जावच्चं उत्तं, संगहसारक्खणोवेदं ॥३६॥ अध्वस्तेनश्वापद-राजनदीरोधनाशिवे अवमे । वैयावृत्यमुक्तं, संग्रहसंरक्षणोपेतम् ।।३६।। परियट्टणा य वायणा, पडिच्छणाणुवेहणा य धम्मकहा। थुदिमंगलसंजुत्तो, पंचविहो होइ सज्झाओ ॥३७॥ परिवर्तना च वाचना, पृच्छनाऽनुप्रेक्षणा च धर्मकथा । स्तुतिमंगलसंयुक्तः, पञ्चविधो भवति स्वाध्यायः ॥३७।। पूयादिसु णिरवेक्खो, जिण-सत्थं जो पढेइ भत्तीए । कम्ममल-सोहणठें, सुयलाहो सुहयरो तस्स ॥३८॥ पूजादिषु निरपेक्षः, जिनशास्त्रं यः पठति भक्त्या । कर्ममलशोधनार्थ, श्रुतलाभः सुखकरः तस्य ।।३८।। सज्झायं जाणंतो, पंचिंदियसंवुडो तिगुत्तो य । होइ य एकग्गमणो, विणएण समाहिओ साहू ||३९॥ स्वाध्यायं जानानः, पञ्चेन्द्रियसंवृतः त्रिगुप्तः च । भवति च एकाग्रमनाः, विनयेन समाहितः साधुः ||३९।। णाणेण ज्झाणसिज्झी, झाणादो सव्वकम्मणिज्जरणं । णिज्जरणफलं मोक्खं, णाणब्भासं तदो कुज्जा ॥४०॥ ज्ञानेन ध्यानसिद्धिः ध्यानात् सर्वकर्मनिर्जरणम् । निर्जरणफलं मोक्षः ज्ञानाभ्यासं ततः कुर्यात् ।।४०।। ४७६. ४७७. ४७८. Page #174 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૪૯ ૪૭ર. માટે કોઈપણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ, ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે. ૪૭૩. ૪૭૪. પથારી, આવાસ, આસન, ઉપયોગી ઉપકરણો આપીને સહાયક થવું, આહાર-ઔષધનું દાન કરવું, પઠન-પાઠનમાં સહાય કરવી, મળ-મૂત્રાદિની સફાઈ કરવી, વંદન કરવા. - સાધુ પુરુષોની આ જાતની સેવાને વૈયાવચ્ચ તપ કહે છે. વિહાર કરવાથી થાકી ગયા હોય, ચોર-હિંસક પશુરાજા - નદી. વગેરેથી તકલીફમાં મૂકાયા હોય, અકસ્માત - રોગ - દુકાળ વગેરેથી મુશકેલીમાં આવી પડયા હોય. તેમની સંભાળ લેવી, રક્ષા કરવી તે વૈયાવચ છે. વાચના(પાઠ લેવો), પરિવર્તના. (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના ( પ્રસન્ન કરવાં), અનુપ્રેક્ષા. ( વિચારવું) અને ધર્મકથા ( અન્યને સમજાવવું) - આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાયના પ્રારંભે મંગળાચરણ કરવું. માન-સન્માનની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કર્મમળની શુદ્ધિ અર્થે ભક્તિપૂર્વક જે વ્યક્તિ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને શ્રુતજ્ઞાન લાભદાયી બને છે. ૪૭પ. ૪૭૬. ૪૭૭. મુનિ જ્યારે સ્વાધ્યાય-રત હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયના સંયમ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે. તેનું મન એકાગ્ર થાય છે અને વિનયથી તે ભરપૂર હોય છે. ૪૦૮. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો Page #175 -------------------------------------------------------------------------- ________________ १५० સમણજીત ४७९. ४८०. बारसविहम्मि वि तवे, अभिंतरबाहिरे कुसलदिढे । न वि अत्थि न वि य होही, सज्झायसमं तवोकम्मं ॥४१॥ द्वादशविधेऽपि तपसि, साभ्यन्तरवाये कुशलदृष्टे । नापि अस्ति नापि च भविष्यति. स्वाध्यायसमं तपःकर्म ।।४१।। सयणासणठाणे वा, जे उ भिक्खू न वावरे । कायस्स विउस्सग्गो, छट्ठो सो परिकित्तिओ ॥४२॥ शयनासनस्थाने वा, यस्तु भिक्षुर्न व्याप्रियते ।। कायस्य व्युत्सर्गः, षष्ठः स परिकीर्तितः ।।४२।। देहमइजड्डसुद्धी, सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एगग्गो काउसग्गम्मि ॥४३॥ देहमति - जाड्यशुद्धिः सुखदुःखतितिक्षा अनुप्रेक्षा । ध्यायति च शुभं ध्यानम् एकाग्रः कायोत्सर्ग ।।४३।। ४८१. ४८२. तेसिं तु तवो ण सुद्धो, निक्खंता जे महाकुला । जं नेवन्ने वियाणंति, न सिलोगं पवेज्जइ ॥४४॥ तेषामपि तपो न शुद्धं, निष्क्रान्ताः ये महाकुलाः । यद् नैवाऽन्ये विजानन्ति, न श्लोकं प्रवेदयेत् ।।४४।। नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवोमओ अग्गी । संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासिं ॥४५॥ ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः । संसारकरणबीजं, दहति दवाग्निरिव तृणराशिम् ।।४५।। ४८३. २९. ध्यानसूत्र ४८४. सीसं जहा सरीस्स, जहा मूलं दुमस्स य । सव्वस्स साधुधम्मस्स, तहा झाणं विधीयते ॥१॥ शीर्ष यथा शरीरस्य यथा मूलं द्रुमस्य च । सर्वस्य साधुधर्मस्य तथा ध्यानं विधीयते ।।१।। Page #176 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૭૯. ૪૮૦. ૪૮૧. ૪૮૨. ૪૮૩. ૪૮૪. ૧૫૧ જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ. સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે. કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જવલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. ૨૯. ધ્યાનસૂત્ર - મનુષ્યના શરીરમાં મસ્તક મુખ્ય છે અને વૃક્ષમાં એનું મૂળ મુખ્ય છે, તેમ સાધુના સર્વ ધર્મોમાં ધ્યાન મુખ્ય છે. For Private Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમાસુd ४८७. ४८५. जं थिरमज्झवसाणं, तं झाणं जं चलंतयं चित्तं । तं होज्ज भावणा वा, अणुपेहा, वा अहव चिंता ॥२॥ यत् स्थिरमध्यवसानं, तद् ध्यानं यत् चलत्कं चित्तम्। तद् भवेद् भावना वा, अनुप्रेक्षा वाऽथवा चिन्ता ।।२।। ४८६. लवण व्व सलिलजोए, झाणे चित्तं विलीयए जस्स । तस्स सुहासुहडहणो, अप्पाअणलो पयासेइ ॥३॥ लवणमिव सलिलयोगे, ध्याने चित्तं विलीयते यस्य । तस्य शुभाशुभदहनो, आत्मानलः प्रकाशयति ।।३।। जस्स न विज्जदि रागो, दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो, झाणमओ जायए अग्गी ॥४॥ यस्य न विद्यते रागो, द्वेषो मोहो वा योगपरिकर्म । तस्य शुभाशुभदहनो, ध्यानमयो जायते अग्निः ।।४।। ४८८. पुव्वाभिमुहो उत्तरमहो व, होउण सुइ-समायारो। झाया समाहिजुत्तो, सुहासणत्थो सुइसरीरो ॥५॥ पूर्वाभिमुखः उत्तरमुखो वा भूत्वा शुचिसमाचारः । ध्याता समाधियुक्तः सुखासनस्थः शुचिशरीरः ।।५।। ४८९-४९०. पलियकं बंधेउं, निसिद्धमण-वयणकायवावारो । नासग्गनिमियनयणो, मंदीकयसासनीसासो ॥६॥ गरहियनियदुच्चरिओ, खामियसत्तो नियत्तियपमाओ । निच्चलचित्तो ता झाहि, जाव पुरओव्व पडिहाइ ॥७॥ पल्यकं बवा निषिद्धमनोवचनकायव्यापारः । न्यासाग्रनिमितनयनः मन्दीकृतश्वासनिःश्वासः ।।६।। गर्हितनिजदुश्चरितः क्षमितसत्त्वः निवर्तितप्रमादः । निश्चलचित्तः तावद् ध्याय यावत् पुरतः इव प्रतिभाति ।।७।। ४९१. थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं । गामम्मि जणाइण्णे, सुण्णे रणे व ण विसेसो ॥८॥ स्थिरकृतयोगानां पुनः, मुनीनां ध्याने सुनिश्चलमनसाम् । ग्रामे जनाकीणे, शून्येऽरण्ये वा न विशेषः ।।८।। Page #178 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૮૫. ૧૫૩ ચિત્ત એક વિષયના અવલંબને ચિંતન કરતું રહે તે ધ્યાનની અવસ્થા છે. ચિત્ત ચલાયમાન હોય ત્યારે કાં તો ભાવના હોય, કાં અનુપ્રેક્ષા અને કાં તો અન્ય કોઈ ચિંતન. પાણીમાં મીઠું ઓગળી જાય તેમ જેનું ચિત્ત ધ્યાનમાં વિલીન થઈ જાય છે તે વ્યક્તિની અંદર શુભ-અશુભસર્વ કર્મોને ભસ્મ કરનારો આત્માગ્નિ પ્રગટ થાય છે. ૪૮૬. ૪૮૭. જ્યારે સાધકમાં રાગ નથી રહેતો, દ્વેષ નથી રહેતો, મોહ નથી રહેતો, તેમજ મન-વચન-કાયાનું સ્પંદન પણ નથી રહેતું ત્યારે તેની અંદર શુભ-અશુભ સર્વ કર્મોનું દહન કરનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. શરીરની અને આહારની શુદ્ધિપૂર્વક પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ સુખાસનમાં બેસી શાંત ચિત્તથી ધ્યાનનો અભ્યાસ કરવો. ૪૮૮. ૪૮૯-૪૯૦. મન-વચન-કાયાની હલચલ અટકાવી દઈને, પલાંઠી મારીને, નાસાગ્રી પર દૃષ્ટિ સ્થાપીને, શ્વાસોશ્વાસને મંદ કરીને, પોતાના દોષોની નિંદા તથા સર્વ જીવો સાથે ક્ષમાપના કરી, પ્રમાદને હઠાવી, ચિત્તને નિશ્ચલ રાખીને ધ્યેય પદાર્થનું ધ્યાન ત્યાં સુધી કરતો રહે કે જ્યાં સુધી ધ્યેય વસ્તુ જાણે સામે પડી હોય એટલું તદાકાર ચિત્ત ન થઈ જાય. ૪ ૯૧. મન-વચન-કાયાને જેમણે સ્થિર કરી દીધાં છે, જેમનું ધ્યાન નિશ્ચલ થઈ ગયું છે એવા મુનિઓને વસતીથી ભરેલું નગર કે શૂન્ય વન–– બંને વચ્ચે કોઈ અંતર જણાતું નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ४९२. ४९३. ४९४. ४९५. સમાસુd जे इंदियाणं विसया मणुण्णा, न तेसु भावं निसिरे कयाइ । न याऽमणुण्णेसु मणं पि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥९॥ य इन्द्रियाणां विपया मनोज्ञाः, न तेषु भावं निसृजेत् कदापि । न चामनोज्ञेषु मनोऽपि कुर्यात, समाधिकामः श्रमणस्तपस्वी ।।९।। सुविदियजगस्सभावो, निस्संगो निभओ निरासो य । वेरग्गभावियमणो, झाणंमि सुनिच्चलो होइ ॥१०॥ सुविदितजगत्स्वभावः, निस्संगः निर्भयः निराशश्च । वैराग्यभावितमनाः, ध्याने सुनिश्चलो भवति ।।१०।। पुरीसायारो अप्पा, जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई, पावहरो हवदि णिइंदो ॥११॥ पुरुषाकार आत्मा, योगी वरज्ञानदर्शनसमग्रः । यः ध्यायति सः योगी, पापहरः भवति निर्द्वन्द्वः ।।११।। देहविवित्तं पेच्छइ, अप्पाणं तह य सव्वसंजोगे। देहोवहिवोसग्गं निस्संगो सव्वहा कुणइ ॥१२॥ देहविविक्तं प्रेक्षते आत्मानं तथा च सर्वसंयोगान् । दहोपधिव्युत्सर्ग, निस्संगः सर्वथा करोति ।।१२।। णाहं होमि परेसिं, ण मे परे संति णाणमहमेक्को । इदि जो झायदि झाणे, सो अप्पाणं हवदि झादा ॥१३॥ नाहं भवामि परेषां, न मे परे सन्ति ज्ञानमहमेकः । इति यो ध्यायति ध्याने, स आत्मा भवति ध्याता ।।१३।। झाट्ठिओ हु जोई जइ णो संवेय णिययअप्पाणं । तो ण लहइ तं सुद्धं भग्गविहीणो जहा रयणं ।।१४।। ध्यानस्थितो खलु योगी यदि नो संवेत्ति निजात्मानम् । ततो न लभते तं शुद्ध भाग्यविहीनो यथा रत्नम् ।।१४।। भावेज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं । छउमत्थ-केवलित्तं सिद्धत्तं चेव तस्सत्थो ॥१५॥ भावयेत् अवस्थात्रिकं पिण्डस्थ-पदस्थ-रूपरहितत्वम् । छद्मस्थ-केवलित्वं सिद्धत्वं चैव तस्यार्थः ।।१५।। ४९६. ४९७. ४९८. Page #180 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૯૨. ૧પપ સમાધિની અભિલાષા ધરનાર તપસ્વી શ્રમણ, ઈન્દ્રિયોને ગમતા વિષયોમાં કદી ખેંચાય નહિ અને ન ગમતા વિષયોને પણ મહત્વ આપે નહિ. ૪૯ ૩. જગતનો સ્વભાવ જેણે સારી રીતે જમ્યો છે, જે નિઃસંગ છે, નિર્ભય છે, આકાંક્ષારહિત છે, જેનું મન વેરાગ્યરંજિત છે તેવો સાધક ધ્યાનમાં સારી રીતે સ્થિર થઈ શકે છે. ૪ ૯૪. આત્મા શરીરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન-દર્શનમાયા છે. જે યોગી તેનું ધ્યાન કરે છે તે સુખ-દુઃખાદિ દ્વન્દ્રથી અને પાપથી મુક્ત થઈ જાય છે. ૪૯૫. યોગી પોતાના આત્માને દેહથી અને સર્વ સંયોગોથી ભિન્ન સ્વરૂપે અનુભવે છે અને પરિણામે આસક્તિ– રહિત થઈ શરીર અને અન્ય સર્વ પદાર્થોના મમત્વને તજી દે છે. હું અન્યનો ન બની શકું, અન્ય પદાર્થો મારાં ન બની શકે, હું તો માત્ર જ્ઞાનસ્વરૂપ છું. જે ધ્યાતા આ સત્યનું ધ્યાન કરે છે તે આત્માનું ધ્યાન કરી રહ્યો છે. ૪૯ ૬. ૪૯૭. ધ્યાનસ્થિત યોગી જો નિજસ્વરૂપનું સંવેદન નથી કરતો તો ભાગ્યહીન વ્યક્તિને રત્ન ન સાંપડે તેમ તેને પાદ્ધ આત્માની ઉપલબ્ધિ થતી નથી. ૪૯૮. પિંડી, પદસ્થ અને રૂપાતીત એવા ત્રણ સ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવું. કર્મક્ષયની સાધનામાં લીન અને હજી કર્મના આવરણમાં રહેલ અહત એ પિંડ ભગવાન છે. કેવલ્યને પ્રાપ્ત કરી ચૂકેલા પરંતુ હજી દેહધારી અહિત એ પદસ્થ ભગવાન છે તથા દેહ તથા કર્મથી મુક્ત સિદ્ધાત્મસ્વરૂપ અહિત એ રૂપાતીત ભગવાન છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ સમણજીત્ત अवि झाइ से महावीरे, आसणत्थे अकुक्कुए झाणं । उड्ढमहे तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥१६॥ अपि ध्यायति सः महावीरः, आसनस्थः अकौत्कुचः ध्यानम् । उर्ध्वमधस्तिर्यक च, प्रेक्षमाणः समाधिम् अप्रतिज्ञः ।।१६।। ५००. णातीतमझें ण य आगमिस्सं, अळं नियच्छंति तहागया उ । विधूतकप्पे एयाणुपस्सी, णिज्झोसइत्ता खवगे महेसी ॥१७॥ नातीतमर्थं न च आगमिप्यन्तम् अर्थं निगच्छन्ति तथागतास्तु । विधूतकल्पः एतदनुदर्शी निश्शोषयिता क्षपकः महर्षिः ।।१७।। ५०१. मा चिट्ठह मा जंपह, मा चिन्तह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ, इणमेव वरं हवे झाणं ॥१८॥ मा चेष्टध्वम् मा जल्पत, मा चिन्तयत किमपि येन भवति स्थिरः । आत्मा आत्मनि रतः, इदमेव परं भवेद् ध्यानम् ।।१८।। ५०२. न कसायसमुत्थेहि य, वाहिज्जइ माणसेहिं दुक्खेहिं । ईसा-विसाय-सोगा-इएहिं, झाणोवगयचित्तो ।।१९।। न कषायसमुत्थैश्च, बाध्यते मानसैर्दुःखैः । ईर्ष्या-विषाद-शोका-दिभिः ध्यानोपगतचित्तः ।।१९।। ५०३. चालिज्जइ बीभेइ य, धीरो न परीसहोवसग्गेहिं । सुहमेसु न संमुच्छइ, भावेसु न देवमायासु ॥२०॥ चाल्यते बिभेति च, धीरः न परीपहोपसर्गः । सूक्ष्मेषु न संमुह्यति, भावेषु न देवमायासु ।।२०।। ५०४. जह चिरसंचियमिंधण-मनलो पवणसहिओ दुयं दहइ । यथा कम्मेधणममियं, खणेण झाणानलो डहइ ॥२१॥ यथा चिरसंचितमिन्धन-मनलः पवनसहितः द्रुतं दहति । तथा कर्मेन्धनममितं, क्षणेन ध्यानानलः दहति ।।२१।। Page #182 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૪૯૯. ૧૫૭ વિવિધ આસનમાં બેસી, જરાય હલન ચલન કર્યા વિના, ઊર્ધ્વ, અધો અને તિરછા લોકના પદાર્થો પર મનને કેન્દ્રિત કરી, કશી જ આકાંક્ષા વિના, સમાધિસ્થ થઈને એ શ્રમણ ભગવાન મહાવીર ધ્યાન કરતા. ૫૦ ૦. તથાગતો(સત્યને અનુસરનારા) ન તો ભૂતકાળનો વિચાર કરે છે કે ન તો ભવિષ્ય પર લક્ષ્ય આપે છે. કલ્પનાઓને છોડી, વર્તમાન ક્ષણના સત્યનું તટસ્થભાવે નિરીક્ષણ કરતાં કરતાં એ મહર્ષિઓ કમને ખંખેરી નાખે છે. પ૦૧. કંઈ કરો નહિ, કંઈ બોલો નહિ અને કંઈ વિચારો નહિ - – જેથી આત્મા આત્મામાં જ સ્થિર થાય. આ જ પરમ ધ્યાન છે. પ૦ ૨. ચિત્ત ધ્યાનમાં લીન થાય છે ત્યારે કષાયના કારણે ઉભવ પામતી ઈર્ષ્યા, વિષાદ અને શોક જેવી માનસિક પીડાઓ સાધકને સ્પર્શી શકતી નથી. પ૦૩. ધીર સાધક પરીષહ કે ઉપસર્ગથી નથી ચલિત થતો કે નથી ગભરાતો અને સૂક્ષ્મ અનુભવોમાં કે દેવોની માયાજાળમાં એ મુંઝાતો પણ નથી. પ૦૪. પવનનો જેને સાથ હોય એવો અગ્નિ વર્ષોના સંચિત લાકડાના ઢગલાને પણ જરા વારમાં બાળી નાખે છે તેમ, ધ્યાનાગ્નિ અનેક જન્મોથી સંચિત કર્મોના ઈંધણને ક્ષણવારમાં બાળી નાખે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ___५०५. ३०. अनुप्रेक्षासूत्र झाणोवरमेऽवि मुणी, णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो, धम्मज्झाणेण जो पुब्बिं ॥१॥ ध्यानोपरमेऽपि मुनिः, नित्यमनित्यादिभावनापरमः । भवति सुभावितचित्तः, धर्मध्यानेन यः पूर्वम् ।।१।। ५०६. अदुवमसरणमेगत्त-मन्नत्तसंसारलोयमसुइत्तं । आसवसंवरणिज्जर, धम्मं बोधिं च चिंतिज्ज ॥२॥ अध्रुवमशरणमेकत्व-मन्यत्वसंसार-लोकमशुचित्वं । आस्रसंवरनिर्जरा-धर्मं बोधिं च चिन्तयेत् ।।२।। ५०७. जम्मं मरणेण समं, संपज्जइ जोव्वणं जरासहियं । लच्छी विणास-सहिया इय सव्वं भंगुरं मुणह ॥३॥ जन्म मरणेन समं, सम्पद्यते यौवनं जरासहितम् । लक्ष्मीः विनाशसहिता, इति सर्वं भंगुरं जानीत ।।३।। चइऊण महामोहं, विसए मुणिऊण भंगुरे सव्वे । णिव्विसयं कुणह मणं, जेण सुहं उत्तम लहह ॥४॥ त्यक्त्वा महामोहं, विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान् । निर्विषयं कुरुत मनः, येन सुखमुत्तमं लभध्वम् ।।४।। ५०९. वित्तं पसवो य णाइओ, तं बाले सरणं ति मण्णइ । एए मम तेसिं वा अहं, णो ताणं सरणं ण विज्जई ॥५॥ वित्तं पशवश्च ज्ञातयः, तद् वालः शरणमिति मन्यते । एते मम तेषां वाहं नो त्राणं शरणं न विद्यते ।।५।। ५१०. संगं परिजाणामि, सल्लं पि य उद्धरामि तिविहेणं । गुत्तीओ समिईओ, मज्झं ताणं च सरणं च ॥६॥ संगं परिजानामि, शल्यमपि चोद्धरामि त्रिविधेन । गुप्तयः समितयः, मम त्राणं च शरणं च ।।६।। Page #184 -------------------------------------------------------------------------- ________________ પ૦૫. ૫ ૦પ. ૩૦. અનુપ્રેક્ષાસૂત્ર ધર્મધ્યાનથી પોતાના ચિત્તને જેણે સારી રીતે ભાવિત કર્યું હોય તેવો મુનિ, ધ્યાન પૂરું થયા પછી પણ સતત અનિત્યાદિ અનુપ્રેક્ષા–ભાવનાઓમાં મનને જોડી રાખે. પ.૦ ૬. અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, ધર્મ, બોધિદુર્લભતા–આ બાર વિષયની અનુપ્રેક્ષા વારંવાર કરવી જોઈએ. પ૦૭. (અનિત્યત્વ.) જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે, યૌવનની સાથે જરા જોડાયેલી છે. સંપત્તિ આવે છે તેમ જાય છે પણ ખરી. અહીં બધું જ નાશવંત છે એ સત્ય સમજી લો. પ૦૮. મહામોહમાંથી બહાર આવી, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે એ સત્ય પિછાણી મનને વિષયોમાંથી પાછું વાળો, જેથી પરમ સુખ પ્રાપ્ત થાય. પ૦૯. (અશરણતા.) ધન, પશુ, પરિવાર વગેરેને મૂઢ જીવ આધાર ગણે – “આ મારાં છે, હું તેમનો છું” એમ માને છે, પરંતુ એમાંનું કોઈ રક્ષણ કે શરણરૂપ બનતું નથી. ૫૧ ૦. આસક્તિઓ તજું છું. મનમાં ઊંડે ઊંડે ખૂંચી ગયેલાં માયા, મિથ્યાત્વ અને નિદાન (આકાંક્ષા)ના શલ્યને ખેંચી કાઢું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ જ હવે મારાં રક્ષણ અને શરણ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમણજીત ५११. ५१२. धी संसारो जहियं, जुवाणओ परमरूवगवियओ। मरिऊण जायइ किमी तत्थेव कलेवरे नियए ॥७॥ धिक् संसारं यत्र, युवा परमरूपगर्वितकः । मृत्वा जायते कृमिस्तत्रैव कलेवरे निजके ।।७।। सो नत्थि इहोगासो, लोए वालग्गकोडिमित्तोऽवि । जम्मणमरणाबाहा, अणेगसो जत्थ न य पत्ता ॥८॥ स नास्तीहावकाशो, लोके वालाग्रकोटिमात्रोऽपि । जन्ममरणाबाधा, अनेकशो यत्र न च प्राप्ताः ।।८।। वाहिजरमरणमयरो, निरंतरुप्पत्तिनीरनिकुरूंबो । परिणामदारुणदुहो, अहो दुरंतो भवसमुद्दो ॥९॥ व्याधिजरामरणमकरो, निरन्तरोत्पत्ति-नीरनिकुरम्बः । परिणामदारुणदुःखः, अहो ! दुरन्तो भवसमुद्रः ।।९।। रयणत्तय-संजुत्तो, जीवो वि हवेइ उत्तमं तित्थं । संसारं तरइ जदो, रयणत्तय-दिव्व-णावाए ॥१०॥ रत्नत्रयसंयुक्तः, जीवः अपि भवति उत्तम तीर्थम् । संसारं तरति यतः, रत्नत्रयदिव्यनावा ।।१०।। ५१३. ५१४. ५१५. पत्तेयं पत्तेयं नियगं, कम्मफलमणुहवंताणं । को कस्स जए सयणो ? को कस्स व परजणो भणिओ ? ॥११॥ प्रत्येकं प्रत्येकं निजकं, कर्मफलमनुभवताम् । कः कस्य जगति स्वजनः? कः कस्य वा परजनो भणितः ।।११।। एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥१२॥ एको मे शाश्वत आत्मा, ज्ञानदर्शनसंयुतः । शेषा मे बाह्या भावाः, सर्वे संयोगलक्षणाः ।।१२।। ५१६. ५१७. संजोगमूला जीवेणं, पत्ता दुक्खपरंपरा । तम्हा संयोगसंबंधं, सव्वभावेण वोसिरे ॥१३॥ संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्वभावेन व्युत्सृजामि ।।१३।। Page #186 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૬૧ ૫૧૧. (સંસાર.) આ સંસારને ધિક્કાર છે ! રૂપગર્વિત કોઈ યુવાન મરીને પોતાના જ કલેવરમાં મિરૂપે આ સંસારમાં ઉત્પન્ન થઈ શકે છે. ૫૧ ૨. (લોક.) આ લોકમાં વાળના અગ્રભાગ જેટલી પણ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જીવે અનેક અનેકવાર જન્મમરણનું કષ્ટ ન વેડ્યું હોય. ૫૧ ૩. કેવો દુ:ખમય છે આ ભવસાગર ! રોગ-જર-મરણ રૂપ મગર-મચ્છો થી એ ભરેલો છે, જન્મની પાછળ જન્મ એવી જન્મ પરંપરા એ તેનો જળરાશિ છે અને ભયંકર દુઃખો એ તેનું પરિણામ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ. રત્નત્રયથી સંપન્ન આત્મા તીર્થ છે, કારણ કે રત્નત્રયરૂપ નૌકા વડે એ સંસાર સાગરને તરી જાય છે. ૫ ૧૪. પ૧પ. (એન્વ.) જ્યાં પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનાં કર્મફળ ભોગવે છે એવા આ જગતમાં કોને સ્વજન ગણવો અનો કોને પરજન? ૫૧ ૬. જ્ઞાનદર્શનયુક્ત અને શાશ્વત એવો આત્મા જ મારો છે; બાકીના બધા પદાર્થો સંયોગથી નિર્માણ થયા છે, તે બધા મારા થી અલગ છે. ૫૧૭. સંયોગના કારણે જ જીવ દુઃખ પર દુઃખ વેઠતો આવ્યો છે, માટે સંયોગથી સર્જાયેલા સંબંધોનું હું હવે સર્વથા વિસર્જન કરું છું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ५१८. ५१९. ५२०. ५२१. ५२२. ५२३. ५२४. अणुसोअइ अन्नजणं, अन्नभवंतरगयं तु बालजणो । नवि सोयइ अप्पाणं, किलिस्समाणं भवसमुद्दे ||१४|| अनुशोचत्यन्यजन-मन्यभवान्तरगतं तु बालजनः । नैव शोचत्यात्मानं, क्लिश्यमानं भवसमुद्रे ||१४|| जो जाणिऊण देहं जीवसरूवादु तच्चदो भिन्नं । अप्पाणं पि य सेवदि, कज्जकरं तस्स अण्णत्तं ||१५|| यः ज्ञात्वा देहं, जीवस्वरूपात् तत्त्वतः भिन्नम् । आत्मानमपि च सेवते, कार्यकरं तस्य अन्यत्वम् ||१५|| मंससिंघा, मुत्तपुरीसभरिए नवच्छिद्दे । असुई परिस्सवंते सुहं सरीरम्मि किं अत्थि ? ||१६|| मांसास्थिकसंघाते, मूत्रपुरीषभृते नवच्छिद्रे । अशुचिं परिस्रवति, शुभं शरीरे किमस्ति ? ||१६|| एदे मोहय-भावा, जो परिवज्जेइ उवसमे लीणो । हेयं ति मन्त्रमाणो आसवअणुवेहणं तस्स ॥१७॥ एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः । हेयम् इति मन्यमानः, आस्रवानुप्रेक्षणं तस्य ||१७|| मणवयणकायगुत्तिं- दियस्स समिदीसु अप्पमत्तस्स । आसवदारणिरोहे, णवकम्मरयासवो ण हवे ||१८|| मनोवचनकाय गुप्तेन्द्रियस्य समितिषु अप्रमत्तस्य । आस्रवद्वारनिरोधे, नवकर्मरजआस्रवो न भवेत् ||१८|| णाऊण लोगसारं, णिस्सारं दीहगमणसंसारं । लोयग्गसिहरवासं झाहि पयत्तेण सुहवासं ||१९|| ज्ञात्वा लोकसारं, निःसारं दीर्घगमनसंसारम् । लोकाग्रशिखरवास, ध्याय प्रयत्नेन सुखवासम् ||१९|| बंधप्पदेसगलणं णिज्जरणं इदि जिणेहि पण्णत्तं । जेण हवे संवरणं तेण दु णिज्जरणमिदि जाण ||२०|| बंधप्रदेश गलनं निर्जरणं इति जिनैः प्रज्ञप्तं । येन भवेत् संवरणं तेन तु निर्जरणमिति जानीहि ||२०|| For Private Personal Use Only સમણસુત્ત Page #188 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૬૩ ૫૧૮, મૃત્યુ પામીને અન્ય સ્થાને જન્મ લઈ લેનાર બીજા જીવ માટે અજ્ઞાની મનુષ્ય શોક કરે છે, પણ પોતે ભવસાગરમાં. દુઃખી થઈ રહ્યો છે તેની ચિંતા તેને થતી નથી. પ૧ ૯. દેહ આત્માથી તત્ત્વતઃ ભિન્ન છે એ જાણીને જે આત્મા તરફ વળે છે તેની જ અન્યત્વભાવના સફળ છે. ૫. ૨૦. (અશુચિ.) માંસ અને હાડકાંના સંયોજનરૂપ, મળ-મૂત્રથી ભરેલા નવ છિદ્રવાળા અને જેમાંથી સતત મલિન સ્રાવો વહી રહ્યા છે એવા આ શરીરમાં સુંદર કહી શકાય એવી વસ્તુ કઈ છે? (આસવ.) ચિત્તવૃત્તિઓને ઉપશાંત કરી, આ મોહક પદાર્થોને ત્યાજ્ય સમજવાપૂર્વક તેમનો ત્યાગ કરવો એ આસવભાવના છે. ૫ ૨૧.. ૫ ૨ ૨. (સંવર.) મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને અંકુશમાં લાવી, જરૂરી પ્રવૃત્તિમાં પણ અપ્રમત્તપણે જયણા-સાવધાની રાખી જે આત્મા કર્મોને આવવાના દ્વારોને બંધ કરે છે તેને નવાં કર્મોનો આસ્રવ થતો નથી. પ ૨ ૩. (નિર્જરા.) લોકમાં જે સારું છે તેને જાણી લઈને અને દીર્ઘકાળના ભ્રમણરૂપ આ સંસારને નિઃસાર સમજીને લોકાગ્ર પર સુખભર્યો નિવાસ કરવા માટે તત્પર બનો. ૫ ૨૪. (નિર્જરા.) અગાઉ બાંધેલા કર્મોના પરમાણુઓ આત્મા ઉપરથી પાછા ખરી પડવા તેને ભગવાને નિર્જરા કહી છે. જે જે સંવરનાં સાધનો છે તે બધા નિર્જરાના પણ સાધન બને છે અર્થાત્ જેનાથી સંવર સધાય છે તેનાથી નિર્જરા પણ થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમાણસુરે ५२५. ५२६. ५२८. जरामरणवेगेणं, वुज्झमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥२१॥ जरामरणवेगेन, ऊह्यमानानां प्राणिनाम् । धर्मो द्वीपः प्रतिष्ठा च, गतिः शरणमुत्तमम् ।।२१।। माणुस्सं विग्गहं लर्बु, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ।।२२।। मानुष्यं विग्रहं लब्ध्वा, श्रुतिर्धर्मस्य दुर्लभा । यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः शान्तिमहिंस्रताम् ।।२२।। आहच्च सवणं ल , सद्धा परमदुल्लहा । सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्सइ ॥२३॥ आहत्य श्रवणं लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैयायिकं मार्ग बहवः परिभ्रश्यन्ति ।।२३।। सुई च लधु सद्धं च, वीरियं पुण दुल्लहं।। बहवे रोयमाणा वि, नो एणं पडिवज्जए ॥२४॥ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्यं पुनर्दुर्लभम् । बहवो रोचमाना अपि, नो च तत् प्रतिपद्यन्ते ॥२४॥ भावणाजोग-सुद्धप्पा, जले णावा व आहिया । नावा व तीरसंपण्णा, सव्वदुक्खा तिउट्टइ ॥२५॥ भावनायोगशुद्धात्मा, जले नौरिव आख्यातः । नौरिव तीरसंपन्ना, सर्वदुःखात् त्रुट्यति ।।२५।। बारस अणुवेक्खाओ, पच्चक्खाणं तहव पडिक्कमणं । आलोयणं समाही, तम्हा भावेज्ज अणुवेक्खं ॥२६॥ द्वादशानुप्रेक्षाः, प्रत्याख्यानं तथैव प्रतिक्रमणम् । आलोचनं समाधिः, तस्मात् भावयेत् अनुप्रेक्षाम् ।।२६।। ३१. लेश्यासूत्र होंति कमविसुद्धाओ, लेसाओ पीयपम्हसुक्काओ । धम्मज्झाणोवगयस्स, तिव्व-मंदाइभेयाओ ॥१॥ भवन्ति क्रमविशुद्धाः, लेश्याः पीतपद्मशुक्लाः । धर्मध्यानोपगतस्य, तीव्रमन्दादि-भेदाः ।।१।। ५२९. ५३०. ५३१. Page #190 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ પ૨૫. ૧૬૫ (ધર્મ.) જન્મ-જરા-મરણના પ્રવાહમાં તણાતા જીવો માટે ધર્મ જ દરિયા વચ્ચેના દ્વીપ સમાન છે, આધાર છે, આશરો છે અને શ્રેષ્ઠ શરણ છે. પર ૬. (બોધિદુર્લભતા.) માનવજન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, ક્ષમા, તપનો માર્ગ સમજાય. એવું ધર્મશ્રવણ દુર્લભ છે. પ ૨૭. કોઈક રીતે ધર્મશ્રવણની પ્રાપ્તિ થઈ જાય તો તેના પર શ્રદ્ધા જાગવી મહાદુર્લભ છે. સત્યમાર્ગને સાંભળ્યા પછી પણ ઘણાંયે તેનાથી વિમુખ થઈ જાય છે. પ૨૮. ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી આચરણ માટે પુરુષાર્થ થવો દુર્લભ છે. કેટલાંય લોકો એવા હોય છે કે ધર્મ પર પ્રેમ હોવા છતાં તેનું પાલન કરતા નથી. પર ૯. ભાવનાયોગથી શુદ્ધ બનેલો આત્મા એટલે જાણે જળમાં રહેલી નૌકા, કાંઠે પહોંચેલી નાવડીની જેમ એ આત્મા સર્વ દુઃખોને પેલે પાર પહોંચે છે. ૫ ૩૦. બાર ભાવનાઓ એ પચ્ચખાણ છે, એ પ્રતિક્રમણ છે, એ આલોચના છે ને એ જ સમાધિ છે. માટે વારંવાર આ બાર વિષયોની અનુપ્રેક્ષા – વિચારણા કરતા. રહેવું. પ૩૧.. ૩૧. લેણ્યાસૂત્ર ક્રમશ: શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ એવી તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ વેશ્યાઓ ધર્મધ્યાનની અવસ્થામાં રહેલી વ્યક્તિને હોય છે. દરેકના તીવ્ર-મંદરૂપે પાછા અનેક પ્રકાર હોય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમણસુરે ५३२. जोगपउत्ती लेस्सा, कसायउदयाणुरंजिया होई । तत्तो दोहं कज्जं, बंधचउक्कं समुद्दिजें ॥२॥ योगप्रवृत्तिर्लेश्या, कषायोदयानुरञ्जिता भवति । ततः द्वयोः कार्यं वन्धचतुष्कं समुद्दिष्टम् ।।२।। ५३३. किण्हा णीला काऊ, तेऊ पम्मा य सुक्कलेस्सा य । लेस्साणं णिद्देसा, छच्चेव हवंति णियमेण ॥३॥ कृष्णा नीला कापोता, तेजः पद्मा च शुक्ललेश्या च । लेश्यानां निर्देशाः, षट् चैव भवन्ति नियमेन ।।३।। ५३४. किण्हा नीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहिं वि जीवो, दुग्गई उववज्जई बहुसो ॥४॥ कृष्णा नीला कापोता, तिस्रोऽप्येता अधर्मलेश्याः । एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते बहुशः ।।४।। ५३५. तेऊ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहिं वि जीवो, सुग्गई उववज्जई बहुसो ।।५।। तेजः पद्मा शुक्ला, तिस्रोऽप्येता धर्मलेश्याः । एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते बहुशः ।।५।। ५३६. तिव्वतमा तिव्वतरा, तिव्वा असुहा सुहा तहा मंदा । मंदतरा मंदतमा, छट्ठाणगया हु पत्तेयं ॥६॥ तीव्रतमास्तीव्रतरा-स्तीव्रा अशुभाः शुभास्तथा मन्दाः । मन्दतरा मन्दतमाः, पट्स्थानगता हि प्रत्येकम् ।।६।। Page #192 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૫૩૨. 4.33. ૫૩૪. ૫૩૫.. ૫૩૬. ૧૬૭ કષાયથી પ્રભાવિત મન-વચન-કાયાના યોગ(પ્રવૃત્તિ) એ લેયા છે. ચાર પ્રકારનો કર્મબંધ એ કષાય અને યોગના સંયોજનરૂપ લેયાનું કાર્ય છે. = = (કર્મબંધના ચાર પ્રકાર : પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ(સ) અને પ્રદેશ પ્રકૃતિ = કર્મનો પ્રકાર. સ્થિતિ કર્મની અવિધ. રસ = કર્મની શક્તિ. પ્રદેશ = કર્મ-પરમાણુઓનો જથ્થો. સ્થિતિબંધ અને રસબંધમાં કષાય મુખ્ય ભાગ ભજવે છે, પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં યોગ (શારીરિક, વાચિક, માનસિક પ્રવૃત્તિ) મુખ્ય ભાગ ભજવે છે.) લેયા છ પ્રકારની છે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ.. કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યાઓ અશુભ છે. આ ત્રણ લેયાઓ જીવને અધોગતિમાં લઈ જાય છે. તેજો, પદ્મ અને શુક્લ- -આ ત્રણ લેગ્યાઓ શુભ છે. આ ત્રણ લેફ્સાઓ જીવને સદ્ગતિમાં લઈ જાય છે. પ્રત્યેક લેયાની છ કક્ષાઓ હોય છે : તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ. તીવ્રતા અને મંદતાની અપેક્ષાએ એક-એક લેશ્યાની અસંખ્ય-અનંત કક્ષાઓ હોઈ શકે છે. એક વ્યક્તિમાં પણ લેશ્યાની તરતમતા સતત ચાલ્યા કરતી હોય છે. For Private Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમણસુત્ત ५३७-५३८. पहिया जे छ प्पुरिसा, परिभट्ठरण्णमज्झदेसम्हि । फलभरियरुक्खमेगं, पेक्खित्ता ते विचिंतंति ॥७॥ णिम्मूलखंधसाहु-वसाहं छित्तुं चिणित्तु पडिदाई । खाउं फलाइं इदि, जं मणेण वयणं हवे कम्मं ॥८॥ पथिका ये पट पुरुपाः, परिभ्रष्टा अरण्यमध्यदेशे । फलभरितवृक्षमेकं, प्रेक्ष्य ते विचिन्तयन्ति ।।७।। निर्मूलस्कन्धशाखोपशाखं छित्वा चित्वा पतितानि । खादितुं फलानि इति, यन्मनसा वचनं भवेत् कर्म ।।८।। ५३९. ५४०. ५४१. चंडो ण मुंचइ वेरं, भंडणसीलो य धरमदयरहिओ । दुट्ठो ण य एदि वसं, लक्खणमेयं तु किण्हस्स ॥९॥ चण्डो न मुञ्चति वैरं, भण्डनशीलश्च धर्मदयारहितः । दुष्टो न चैति वशं, लक्षणमेतत्तु कृष्णस्य ।।९।। मंदो बुद्धिविहीणो, णिविणाणी य विसयलोलो य । लक्खणमेयं भणियं, समासदो णीललेस्सस्स ॥१०॥ मन्दो बुद्धिविहीनो, निर्विज्ञानी च विषयलोलश्च । लक्षणमेतद् भणितं समासतो नीललेश्यस्य ।।१०।। रूसइ जिंदइ अन्ने, दूसइ बहुसो य सोयभयबहुलो। ण गणइ कज्जाकज्ज, लक्खणमेयं तु काउस्स ॥११।। रुष्यति निन्दति अन्यान्, दूषयति बहुशश्च शोकभयवहुलः । न गणयति कार्याकार्य, लक्षणमेतत्तु कापोतस्य ।।११।। जाणइ कज्जाकज्जं, सेयमसेयं च सव्वसमपासी । दयदाणरदो य मिदू, लक्खणमेयं तु तेउस्स ॥१२॥ जानाति कार्याकार्य, श्रेयः अश्रेयः च सर्वसमदर्शी । दयादानरतश्च मृदुः, लक्षणमेत् तु तेजसः ।।१२।। चागी भद्दो चोक्खो, अज्जवकम्मो य खमदि बहुगं पि । साहुगुरुपूजणरदो, लक्खणमेयं तु पम्मस्स ॥१३॥ त्यागी भद्रः चोक्षः, आर्जवकर्मा च क्षमते बहुकमपि । साधुगुरुपूजनरतो, लक्षणमेतत् तु पद्मस्य ।।१३।। ५४२. ५४३. Page #194 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૫૩૭-૫૩૮. ૫૩૯. ૫૪૦. ૫૪૧. ૫૪૨. ૫૪૩. ૧૬૯ છ પ્રવાસીઓ વનમાં ભૂલા પડ્યા. ભૂખ્યા થયેલ એ પ્રવાસીઓએ ફળથી લચી પડેલું એક વૃક્ષ જોયું. છમાંથી દરેકને જુદો જુદો વિચાર આવ્યો : ૧- આખું ઝાડ મૂળસહિત ઊખેડીએ અને ફળ ખાઈએ. ૨- થડમાંથી આખું ઝાડ કાપી લઈએ. ૩- મોટી મોટી ડાળીઓ ફાપીએ. ૪- ફળવાળાં ડાળખાં જ કાપી લઈએ. ૫ફળો જ તોડી લઈએ. ૬- ઝાડ નીચે પડેલાં ફળો જ પૂરતાં છે. આ છ માણસોના વિચાર એ છ લેયાધારક વ્યક્તિના વિચાર, ઉચ્ચાર અને વર્તનનાં ઉદાહરણ છે. અતિ ઉગ્ર ક્રોધ, વેરની ગાંઠ વાળવી, ઝઘડાળુ સ્વભાવ, ધર્મ અને દયાનો અભાવ, દુષ્ટતા, કોઈ રીતે સમજવું નહિ આ કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ છે. - આળસ, બુદ્ધિહીનતા, અણઆવડત, વિષયલોલુપતા આ નીલ લેશ્યાનાં લક્ષણ છે. રીસ, બીજાની નિંદા, બીજાના વાંક કાઢવાની ટેવ, શોક અને ભય વધુ પ્રમાણમાં હોવાં, કાર્ય-અકાર્યનો વિવેક ન હોવો આ કાપોત લેશ્યાનાં લક્ષણ છે. - કાર્ય-અકાર્યનો વિવેક, હિત-અહિતની સમજણ, તટસ્થતા, દયા, દાન, નમ્રતા—આ તેજોલેશ્યાનાં લક્ષણ છે. ત્યાગની વૃત્તિ, સરળતા, વ્યવહારશુદ્ધિ, નિષ્કપટતા, ખૂબ સહિષ્ણુતા, સાધુ અને વડીલો પ્રત્યે આદરઆ પદ્મ લેશ્યાનાં લક્ષણ છે. For Private Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ५४४. ५४५. સમણસુત્ત ण य कुणइ पक्खवायं, ण वि य णिदाणं समो य सव्वेसिं । णत्थि य रायबोसा, णेहो वि य सुक्कलेस्सस्स ॥१४॥ न च करोति पक्षपातं, नापि च निदानं समश्च सर्वेपाम् । न स्तः च रागद्वेपौ, स्नेहोऽपि च शुक्ललेश्यस्य ।।१४।। लेस्सासोधी अज्झवसाणविसोधीए होइ जीवस्स । अज्झवसाणविसोधी, मंदकसायस्स णायव्वा ॥१५॥ लेस्याशुद्धिः अध्यवसानविशुद्या भवति जीवस्य ।। अध्यवसानविशुद्धिः, मन्दकपायस्य ज्ञातव्या ।।१५।। ३२. आत्मविकाससूत्र (गुणस्थान) जेहिं दु लक्खिज्जते, उदयादिसु संभवेहिं भावेहिं । जीवा ते गुणसण्णा, णिद्दिठा सव्वदरिसीहिं ॥१॥ यैस्तु लक्ष्यन्ते, उदयादिषु सम्भवैर्भावैः । जीवास्ते गुणसंज्ञा, निर्दिष्टाः सर्वदर्शिभिः।।१।। ५४६. ५४७-५४८. मिच्छो सासण मिस्सो, अविरदसम्मो य देसविरदो य । विरदो पमत्त इयरो, अपुव्व अणियट्टि सुहुमो य ॥२॥ उवसंत खीणमोहो, सजोगिकेवलिजिणो अजोगी य । चोद्दस गुणट्ठाणाणि य, कमेण सिद्धा य णायव्वा ॥३॥ मिथ्यात्वं सास्वादनः मिश्रः, अविरतसम्यक्त्वः च देशविरतश्च । विरतः प्रमत्तः इतरः, अपूर्वः अनिवृत्तिः सूक्ष्मश्च ।।२।। उपशान्तः क्षीणमोहः, सयोगिकेवलिजिनः अयोगी च । चतुर्दश गुणस्थानानि च, क्रमेण सिद्धाः च ज्ञातव्याः ।।३।। ५४९. तं मिच्छत्तं जमसद्दहणं तच्चाण होदि अत्थाणं। संसइदमभिग्गहियं, अणभिग्गहियं तु तं तिविहं ।।४।। तद् मिथ्यात्वं यदश्रद्धानं, तत्त्वानां भवति अर्थानाम् । संशयितमभिगृहीतम-नभिगृहीतं तु तत् त्रिविधम् ।।४।। Page #196 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૭૧ પ૪૪. પક્ષપાત ન કરવો, લૌકિક સુખની કામના ન હોવી, સર્વ પ્રત્યે સમભાવ, રાગદ્વેષની અલ્પતા અને મમતાનો અભાવ– આ શુકલેશ્યાનાં લક્ષણ છે. પ૪પ. ચિત્તના અધ્યવસાય. શુદ્ધ થાય તો વેશ્યાઓ શુદ્ધ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ કષાયો મંદ થવાથી થાય છે. પ૪ ૬. ૩૨. આત્મવિકાસસૂત્ર કર્મના ઉદય, ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ વગેરે દ્વારા ઉત્પન્ન થનારા ભાવોના આધારે આત્મવિકાસની વિવિધ અવસ્થાઓ ઓળખી શકાય છે. એ અવસ્થાઓને સર્વજ્ઞોએ “ગુણસ્થાન” તરીકે ઓળખાવી છે. (ઉદય = કર્મ પોતાનું ફળ આપી રહ્યું હોય તે સ્થિતિ. ઉપશમ = અમુક સમય સુધી અમુક કર્મ નિષ્ક્રિય થઈ જાય તે સ્થિતિ. ક્ષય = ભોગવી લેવાથી અથવા અન્ય રીતે કર્મનો નાશ થાય તે. મયોપશમ = જેમાં કોઈ કર્મનો થોડો ક્ષય અને બાકીના હિસ્સાનો ઉપશમ થયો હોય એવી સ્થિતિ.) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી, અયોગ કેવલી–આ ચૌદ ગુણસ્થાન છે. આત્માની તે પછીની અવસ્થા સિદ્ધપણાની છે. પ૪૭-૫૪૮. ૫૪ ૯. તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. તેના ત્રણ પ્રકાર છે સાં શયિક, અભિગૃહીત, અનભિગૃહીત. (સાંશયિક = શંકાત્મક અભિગૃહીત = અસત્યને સત્ય સમજી લેવું. અનભિગૃહીત = સત્યાસત્યનો કોઈ વિચાર જ ન હોવો.) Page #197 -------------------------------------------------------------------------- ________________ १७२ ५५०. ५५१. ५५२. ५५३. ५५४. ५५५. सम्मत्तरयणपव्वय-सिहरादो मिच्छभावसमभिमुहो । णासियसम्मत्तो सो, सासणणामो मुणेयव्वो ||५|| सम्यक्त्वरत्नपर्वत-शिखरात् मिथ्याभावसमभिमुखः । नाशितसम्यक्त्वः सः, सास्वादननामा मन्तव्यः ||५| दहिगुडमिव व मिस्सं, पिहुभावं णेव कारिदुं सक्कं । एवं मिस्सयभावो, सम्मामिच्छो त्ति णायव्वो || ६ || दधिगुडमिव व्यामिश्र, पृथग्भावं नैव कर्तुं शक्यम् । एवं मिश्रकभावः, सम्यक्मिथ्यात्वमिति ज्ञातव्यम् ||६|| णो इंदिएस विरदो, णो जीवे थावरे तसे चावि । जो सहइ जिणुत्तं, सम्माइट्ठी अविरदो सो ॥७॥ नो इन्द्रियेषु विरतो, नो जीवे स्थावरे त्रसे चापि । यः श्रद्दधाति जिनोक्तं, सम्यग्दृष्टिरविरतः सः ||७|| जो तसवहाउ विरदो, णो विरओ एत्थथावरवहाओ । पडिसमय सो जीवो, विरयाविरओ जिणेक्कमई ॥८॥ यस्त्रसवधाद्विरतः, नो विरतः अत्र स्थावरवधात् । प्रतिसमयं सः जीवो, विरताविरतो जिनैकमतिः ||८|| वत्तावत्तपमाए, जो वसइ पमत्तसंजओ होइ । सयलगुणसीलकलिओ, महव्वई चित्तलायरणो || १ || व्यक्ताव्यक्तप्रमादे, यो वसति प्रमत्तसंयतो भवति । सकलगुणशीलकलितो, महाव्रती चित्रलाचरणः || ९ || સમણસુત્ત ट्ठासेसपमाओ, वयगुणसीलोलिमंडिओ गाणी । अणुवसमओ अखवओ, झाणणिलीणो हु अप्पमत्तो सो ||१०|| नष्टाशेषप्रमादो, व्रतगुणशीलावलिमण्डितो ज्ञानी । अनुपशमकः अक्षपको, ध्याननिलीनो हि अप्रमत्तः सः ||१०|| For Private Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૭૩ ૫૫.૦. જીવ સમ્યકત્વરૂપી પર્વતના શિખરથી પડીને મિથ્યાત્વ પ્રતિ જઈ રહ્યો હોય - સમ્યગદર્શન ગુમાવી પાછો મિથ્યાત્વની સ્થિતિમાં સરકી રહ્યો હોય – પણ હજી મિથ્યાત્વભાવમાં પ્રવેશ્યો ન હોય એવી વચગાળાની સ્થિતિમાં તે સમ્ય દર્શનનો કંઈક સ્વાદ હજી અનુભવી. રહ્યો હોય છે. આ સાસ્વાદન ગુણસ્થાન છે. જ્યારે જીવમાં દહીં અનો. ગોળની જેમ સખ્યત્વ અને મિથ્યાત્વ મિશ્ર થઈ ગયાં હોય– બંનેનો સ્વાદ અલગ અનુભવી શકાય એવો રહ્યો ન હોય એ અવસ્થાને મિશ્રગુણસ્થાન કહે છે. પપ૧. પપ રે. જે જિનેશ્વરકથિત તત્ત્વ પર શ્રદ્ધા ધરાવે છે પરંતુ વિષયોથી કે ત્રસ – સ્થાવર કોઈ પણ જીવોની હિંસાથી વિરમ્યો નથી તે અવિરત સમ્યગ્દષ્ટિ છે. પપ૩. જે જિનેશ્વરકથિત તત્ત્વ પર પૂરી શ્રદ્ધા ધરાવે છે અને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શકે છે પણ સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી કરી શકતો તે આત્મા દેશવિરત ગુણસ્થાને રહેલો જાણવો. પપ૪. જે શીલના સર્વગુણોથી યુક્ત હોય, મહાવ્રતોનું પાલન કરતો હોય પણ વ્યક્ત કે અવ્યક્ત (સ્કૂલ કે સૂક્ષ્મ) પ્રમાદ જેનામાં હજી રહ્યો હોય અને તેથી જેનું આચરણ થોડું દોષયુક્ત હોય તેને પ્રમત્તસંવત ગુણસ્થાને રહેલો જાણવો. જેનો પ્રમાદ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે, મહાવ્રત, ગુણ અને શીલની માળાથી જે અલંકૃત છે, જે ધ્યાનમાં લીન હોય છે એને અપ્રમત્તસંયત ગુણસ્થાને રહેલો જાણવો. પપપ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમક્ષસુક્ત ५५६. एयम्मि गुणट्ठाणे, विसरिससमयट्टिएहिं जीवेहिं । पुवमपत्ता जम्हा, होति अपुव्वा हु परिणामा ||११॥ एतस्मिन् गुणस्थाने, विसदृशसमयस्थितै वैः । पूर्वमप्राप्ता यस्मात् भवन्ति अपूर्वा हि परिणामाः ।।११।। तारिसपरिणामट्ठियजीवा, हु जिणेहिं गलियतिमिरेहिं । मोहस्सऽपुव्वकरणा, खवणुवसमणुज्जया भणिया ॥१२॥ तादृशपरिणामस्थितजीवाः, हि जिनैर्गलिततिमिरैः । मोहस्यापूर्वकरणाः, क्षपणोपशमनोद्यताः भणिताः ।।१२।। होति अणियट्टिणो ते, पडिसमयं जेसिमेक्कपरिणामा । विमलयरझाणहुयवह-सिहाहिं णिद्दड्ढकम्मवणा ॥१३॥ भवन्ति अनिवर्तिनस्ते, प्रतिसमयं येषामेकपरिणामाः। विमलतरध्यानहुतवह-शिखाभिर्निर्दग्धकर्मवनाः ।।१३।। कोसुंभो जिह राओ, अभंतरदो य सुहुमरत्तो य । एवं सुहुमसराओ, सुहुमकसाओ त्ति णायव्वो ॥१४॥ कौसुम्भः यथा रागः, अभ्यन्तरतः च सूक्ष्मरक्तः च । एवं सूक्ष्मसरागः, सूक्ष्मकषाय इति ज्ञातव्यः ।।१४।। सकदकफलजलं वा, सरए सरवाणियं व णिम्मलयं । सयलोवसंतमोहो, उवसंतकसायओ होदि ॥१५॥ कतकफलयुतजलं वा, शरदि सरःपानीयम् इव निर्मलकम् । सकलोपशान्तमोहः, उपशान्तकषायतो भवति ।।१५।। ५५९. ५६०. ५६१. णिस्सेसखीणमोहो, फलिहामलभायणुदय-समचित्तो । खीणकसाओ भण्णइ, णिग्गंथो वीयराएहिं ॥१६॥ निःशेषक्षीणमोहः, स्फटिकामल-भाजनोदक-समचित्तः । क्षीणकषायो भण्यते, निर्ग्रन्थो वीतरागैः ।।१६।। Page #200 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ પપ.૬. ૫૫૭. ૫૫૮. ૫૫૯. ૫૬૦. ૫૬૧. ૧૭૫ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જીવ જુદાજુદા સમયે એવા ઉચ્ચ ભાવ (ચિત્તના અધ્યવસાયો) પ્રાપ્ત કરે છે કે જે પહેલાં કદી એણે અનુભવ્યા ન હોય. = અજ્ઞાનતિમિરને હટાવવામાં સૂર્ય સમાન જિનેન્દ્રોએ કહ્યું છે કે અપૂર્વકરણ ગુણસ્થાને રહેલા જીવો તે વખતના અપૂર્વ ભાવના બળે મોહનીય કર્મનો ક્ષય અથવા તેનો ઉપશમ કરવા માટે સજ્જ થાય છે તૈયારી કરે છે. તે આત્માઓ અનિવૃત્તિ ગુણસ્થાને રહેલા કહેવાય છે કે જેમના પરિણામો પ્રતિસમય એકધારા સ્થિર સ્વરૂપે ચાલતા રહે છે. નિર્મળ ધ્યાનાગ્નિની જવાળાઓ વડે તેઓ કર્મવનનું દહન કરતા રહે છે. જેવી રીતે ધોવાઈ ગયા પછી પણ કપડામાં રંગની ઝાંય રહી જતી હોય છે, એવી રીતે દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને રહેલા જીવોમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપનો રાગ વિદ્યમાન હોય છે. નિર્મળીફળથી પાણીનો કચરો નીચે બેસી જાય અને શરદઋતુમાં સરોવરનું પાણી પણ ધૂળ નીચે બેસી જવાથી સ્વચ્છ થઈ જાય તેમ, જે આત્માનો મોહ સંપૂર્ણ શાંત થઇ ગયો હોય છે તે અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને રહેલો કહેવાય છે. (આઠમા ગુણસ્થાનથી બે શ્રેણી(સીડી) શરૂ થાય છે. કેટલાક જીવો ઉપશમશ્રેણી પર ચડે છે. તેઓ મોહનું ઉપશમન કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાને પહોંચે છે, પરંતુ ફરી મોહનો ઉદય શરૂ થતાં નીચેના ગુણસ્થાને પાછા આવી જાય છે. જ્યારે બીજા કેટલાક ક્ષપકશ્રેણી(ક્ષયની સીડી) પકડે છે. તેઓ મોહનો નાશ કરતાં કરતાં દશમા ગુણસ્થાનેથી સીધા બારમા ગુણસ્થાને જાય છે.) મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, ચિત્ત સ્ફટિકપાત્રમાં રાખેલા જળ જેવું પારદર્શક બની ગયું છે, સર્વ ગ્રંથિઓ ઓગળી ગઈ છે, રાગ અને દ્વેષ હંમેશ માટે ચાલ્યા ગયા છે આ ક્ષીણકષાય નામનું બારમું ગુણસ્થાન છે. - For Private Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમણસુત્ત ५६२-५६३. केवलणाणदिवायर-किरणकलाव-प्पणासिअण्णाणो । णवकेवललझुग्गम-पावियपरमप्पववएसो ॥१७॥ असहायणाणदंसण-सहिओ वि हि केवली हि जोएण । जुत्तो त्ति सजोइजिणो, अणाइणिहणारिसे वुत्तो ॥१८॥ केवलज्ञानदिवाकर-किरणकलाप-प्रणाशिताज्ञानः । नवकेवललब्ध्युद्गम-प्रापितपरमात्मव्यपदेशः ।।१७।। असहायज्ञानदर्शन-सहितोऽपि हि केवली हि योगेन । युक्त इति सयोगिजिनः, अनादिनिधन आर्षे उक्तः ।।१८।। ५६४. सेलेसिं संपत्तो, णिरुद्धणिस्सेस-आसओ जीवो । कम्मरयविप्पमुक्को, गयजोगो केवली होइ ॥१९॥ शैलेशी संप्राप्तः, निरुद्धनिःशेषास्रवो जीवः । कर्मरजविप्रमुक्तो, गतयोगः केवली भवति ।।१९।। ५६५. ५६६. सो तम्मि चेव समये, लोयग्गे उड्ढगमणसभाओ । संचिट्ठइ असरीरो, पवरद्वगुणप्पओ णिच्चं ॥२०॥ सो तस्मिन् चैव समये, लोकाग्रे ऊर्ध्वगमनस्वभावः । संचेष्टते अशरीरः, प्रवराष्टगुणात्मको नित्यम् ।।२०।। अट्ठविहकम्मवियडा, सीदीभूदा णिरंजणा णिच्चा । अट्ठगुणा कयकिच्चा, लोयग्गणिवासिणो सिद्धा ॥२१॥ अष्टविधकर्मविकलाः शीतीभूता निरञ्जना नित्याः ।। अष्टगुणाः कृतकृत्याः, लोकाग्रनिवासिनः सिद्धाः ॥२१।। ३३. संलेखनासूत्र सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥१॥ शरीरमाहुनौरिति, जीव उच्यते नाविकः । संसारोऽर्णव उक्तः, यं तरन्ति महर्षयः ।।१।। ५६७. Page #202 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૭૭ પ.૬ ૨-૫૬ ૩. કેવળજ્ઞાનરૂપ સૂર્યના કિરણી વડે અજ્ઞાનરૂપી અંધકાર જેમનો નષ્ટ થઈ ગયો છે અને નવ કેવલિલબ્ધિઓ પ્રાપ્ત થતાં “પરમાત્મા” એવું નામ જેમને મળી ચૂક્યું છે, જેમાં ઈન્દ્રિયોની સહાયની અપેક્ષા નથી એવા જ્ઞાનદર્શન જેઓ ધરાવે છે પરંતુ હજી કાયા અને વાણીની પ્રવૃત્તિરૂપ યોગ જેમનો રહ્યો છે એ કેવળી જિનને યોગી. કેવલી નામનું તેરમું ગુણસ્થાન હોય છે એમ આગમમાં. કહેવાયું છે. (નવકેવલિ લબ્ધિઓ સમત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, દાન, લાભ, ભોગ, ઉપભોગ.) આયુષ્યના અંત સમયે કેવળીજિન જ્યારે સૂક્ષ્મયોગને પણ અટકાવી મેરુ જેવી અડોલ અવસ્થાને પામે છે, સકળ આશ્રવોનો નિરોધ કરે છે અને સંપૂર્ણ કમરજથી મુક્ત થઈ જાય છે ત્યારે તેનું અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. પ૬૪. પ૬પ. (ચૌદમાં ગુણસ્થાને રહેલો) આ આત્મા, આત્માના સહજ ઊર્ધ્વગતિરૂપ ગુણથી તે જ ક્ષણે લોકના અગ્રભાગે પહોંચે છે. આ અશરીરી સિદ્ધ આત્મા સદાને માટે આઠ ગુણથી યુક્ત હોય છે. આઠ પ્રકારના કર્મથી મુક્ત, પરમ શીતળ અવસ્થા (નિર્વાણ)ને પામેલા, નિરંજન, શાશ્વત, અષ્ટગુણધારી, કૃતાર્થ બનેલા સિદ્ધ આત્માઓ લોકાગ્ર પર નિવાસ કરે ૫ ૬ ૬. ૩૩. સંલેખનાસૂત્ર શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર એ સાગર છે. મહર્ષિઓ શરીરરૂપી નૌકાથી સંસાર સાગને પાર કરે ૫ ૬ ૭. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમણસુd ५६८. ५६९. बहिया उड्ढमादाय, नावकंखे कयाइ वि । पुव्वकम्मक्खयाए, इमं देहं समुद्धरे ॥२॥ वायमूर्ध्वमादाय, नावकाडक्षेत् कदाचिद् अपि । पूर्वकर्मक्षयार्थाय, इमं देहं समुद्ररेत् ।।२।। धीरेण वि मरियव्वं, काउरिसेण वि अवस्समरियव्वं । तम्हा अवस्समरणे, वरं खु धीरत्तणे मरियं ॥३॥ धीरेणापि मर्त्तव्यं, कापुरुषेणाप्यवश्यमर्त्तव्यम् । तस्मात् अवश्यमरणे, वरं खलु धीरत्वे मर्तुम् ।।३।। इक्कं पंडियमरणं, छिंदइ जाईसयाणि बहुयाणि । तं मरणं मरियव्वं, जेण मओ सुम्मओ होइ ॥४॥ एकं पण्डितमरणं, छिनत्ति जातिशतानि बहुकानि । तद् मरणं मर्त्तव्यं येन मृतः सुमृतः भवति ।।४।। इक्कं पंडियमरणं, पडिवज्जइ सुपुरिसो असंभंतो । खिप्पं सो मरणाणं, काहिइ अंतं अणंताणं ॥५॥ एकं पण्डितमरणं, प्रतिपद्यते सुपुरुषः असम्भ्रान्तः । क्षिप्रं सः मरणानां, करिष्यति अन्तम् अनन्तानाम् ।।५।। ५७०. ५७१. ५७२. चरे पयाई परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो । लाभंतरे जीविय बूहइत्ता, पच्चा परिण्णाय मलावधंसी ॥६॥ चरेत्पदानि परिशकमानः, यत्किंचित्पाशमिह मन्यमानः ।। लाभान्तरे जीवितं बृहयित्वा, पश्चात्परिज्ञाय मलावध्वंसी ।।६।। तस्स ण कप्पदि भत्त-पइण्णं अणुवट्ठिदे भये पुरदो। सो मरणं पत्थितो, होदि हु सामण्णणिविण्णो ॥७॥ तस्य न कल्पते भक्त-प्रतिज्ञा अनुपस्थिते भये पुरतः । सो मरणं प्रेक्षमाणः, भवति हि श्रामण्यनिर्विण्णः ।।७।। ५७३. ५७४. संलेहणा य दुविहा, अभितरिया य बाहिरा चेव । अभितरिया कसाए, बाहिरिया होइ य सरीरे ॥८॥ संलेखना च द्विविधा, अभ्यन्तरिका च बाह्या चैव । अभ्यन्तरिका कषाये, वाह्या भवति च शरीरे ||८|| Page #204 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૫૬૮. ૫૬૯. ૫૭૦. ૫૭૧. ૫૭૨. ૫૭૩. ૫૭૪. ૧૭૯ સર્વોચ્ચ સ્થિતિનું લક્ષ્ય રાખનાર સાધક બાહ્ય કોઈપણ વસ્તુની આકાંક્ષા રાખતો નથી. આ શરીરને પણ તે પૂર્વકર્મના ક્ષયની સાધના અર્થે જ ધારણ કરે છે. ધૈર્યવાન માણસને પણ મરવાનું છે અને બીણ માણસને પણ મરવાનું છે, મરવાનું અનિવાર્ય છે તો ધીરતાથી મૃત્યુનો સ્વીકાર કરવો એ વધુ ઉત્તમ છે. એક વાર પણ જો પંડિતમરણ થાય તો સેંકડો જન્મો ઓછા થઈ શકે. મરવું તો એવી રીતે મરવું કે મરણ સુમરણ(સમૃત્યુ) બની જાય. નિર્ભય સત્પુરુષ એક વખત પણ પંડિતમરણે મરે તો તે અનંત મરણોનો શીઘ્રતાથી અંત આણશે. ડગલે અને પગલે દોષની સંભાવના છે તે ધ્યાનમાં રાખીને સાધુ વિચરે. દરેક વસ્તુ બંધનકારક છે એ સમજે, લાભ જણાય ત્યાં સુધી શરીરને ટકાવે અને પછી સમજપૂર્વક એનું વિસર્જન કરે. ધર્મસાધનામાં કોઈ બાધા કે જોખમ ઉપસ્થિત થાય નહિ ત્યાં સુધી આહારત્યાગ (અનશન) કરવો અનુચિત છે. કારણ વિના મૃત્યુની ઈચ્છા કરનારો શ્રમણધર્મથી જ કંટાળી ગયેલો છે એમ સમજવું. સંલેખના બે પ્રકારની છે : બાહ્ય અને અત્યંતર. કષાયોને ક્ષીણ કરવા એ અત્યંતર સંલેખના અને શરીરને ક્ષીણ કરવું એ બાહ્ય સંલેખના. For Private Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમસુર ५७५. कसाए पयणुए किच्चा अप्पाहारे तितिक्खए । अह भिक्खू गिलाएज्जा, आहारस्सेव अन्तियं ॥९॥ कषायान् प्रतनून् कृत्वा, अल्पाहारः तितिक्षते । अथ भिक्षुग्लायेत्, आहारस्येव अन्तिकम् ।।९।। ५७६. न वि कारणं तणमओ संथारो, न वि य फासुया भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणो जस्स ॥१०॥ नापि कारणं तृणमयः संस्तारः, नापि च प्रासुका भूमिः । आत्मा खलु संस्तारा भवति, विशुद्धं मनो यस्य ।।१०।। ५७७-५७८. न वि तं सत्थं च विसं च, दुप्पउत्तु व्व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं, सप्पु व्व पमाइणो कुद्धो ॥११॥ जं कुणइ भावसल्लं, अणुद्धियं उत्तमट्ठकालम्मि । दुल्लहबोहीयत्तं, अणंसंसारियत्तं च ॥१२॥ तत् शस्त्रं च विषं च, दुष्प्रयुक्तो वा करोति वैतालः । यन्त्रं वा दुष्प्रयुक्तं, सर्पो वा प्रमादिनः क्रुद्धः ।।११।। यत् करोति भावशल्य-मनुद्धृतमुत्तमार्थकाले । दुर्लभबोधिकत्वम्, अनन्तसंसारिकत्वं च ।।१२।। ५७९. ५८०. तो उद्धरंति गारवरहिया मूलं पुणब्भवलयाणं । मिच्छादसणसल्लं, मायासल्लं नियाणं च ॥१३॥ तदुद्धरन्ति गौरवरहिता, मूलं पुनर्भवलतानाम् । मिथ्यादर्शनशल्यं, मायाशल्यं निदानं च ।।१३।। मिच्छदसणरत्ता, सनियाणा कण्हलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसिं दुलहा भवे बोही ॥१४॥ मिथ्यादर्शनरक्ताः, सनिदानाः कृष्णलेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवा-स्तेषां दुर्लभा भवेद् बोधिः ।।१४।। सम्मइंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥१५॥ सम्यग्दर्शनरक्ताः अनिदानाः शुक्ललेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवा-स्तेषां सुलभा भवेद् बोधिः ।।१५।। ५८१. Page #206 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૮૧ પ૭૫. પ૭૬. (યોગ્ય સમયે) સાધુ એક તરફથી કષાયોને પાતળા પાડે અને બીજી બાજુથી આહાર ઓછો કરે. જો રોગ ચિકિત્સાને યોગ્ય ન રહ્યો હોય (અને શરીર કામ આપે તેવું ન રહ્યું હોય, તો ભિક્ષુ આહારનો સર્વથા ત્યાગ કરે. ઘાસનો સંથારો મહત્વનો નથી અને પ્રાસુક-શુદ્ધ ભૂમિ પણ મુખ્ય વસ્તુ નથી. જેનું મન શુદ્ધ છે તેને માટે આત્મા જ ખરો. સંથારો છે. (સંથારો = સૂવા માટેની ઊન કે ઘાસની પથારી. પ્રાસુક = જીવરહિત) સંભાળ રાખ્યા વિના વાપરેલું શસ્ત્ર, બેદરકારીથી ઉપયોગમાં લીધેલું ઝેર, અયોગ્ય રીતે આરાધાયેલો વેતાળ, અસાવધાનીથી પ્ર યો જે લું ય રા અને અસાવધાનપણાથી છોડાયેલો સાપ–આ બધાં આપણને જે હાનિ ન કરી શકે તે હાનિ, સમાધિમૃત્યુના ટાણે હૃદયમાં રહી ગયેલું શલ્ય કરે છે. શલ્ય જો દૂર ન થાય તો જીવને ફરીથી બોધિ (સમ્યત્વ)ની પ્રાપ્તિ મુશકેલ બની જાય છે. પ૭૭-૫૭૮. પ૭૯. માટે, નિરભિમાની સાધક પુનર્જન્મની વેલના મૂળિયાં જેવાં માયા, નિદાન અને મિથ્યાત્વ – એ ત્રણે શલ્યને હદયમાંથી ઉખેડીને ફેંકી દે છે. પ૮ ૦. મિથ્યાત્વમાં રક્ત, આકાંક્ષા સહિત અને કૃષ્ણ શ્યામાં ડૂબેલા રહીને જે લોકો મરે છે તેમના માટે જગતમાં બોધિ દુર્લભ બને છે. પ૮૧. સમ્યગદર્શનમાં સ્થિત, ઈચ્છારહિત અને શુક્લ શ્યામાં લીન રહીને જે લોકો મરે છે તેમને જગતમાં બૌધિ સુલભ થાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમણસુd ५८२. आराहणाए कज्जे, परियम्मं सव्वदा वि कायव्वं । परियम्मभाविदस्स हु, सुहसज्झाऽऽराहणा होइ ॥१६।। आराधनायाः कार्ये, परिकर्म सर्वदा अपि कर्त्तव्यम् । परिकर्मभावितस्य खलु, सुखसाध्या आराधना भवति ।।१६।। ५८३-५८४. जह रायकुलपसूओ, जोग्गं णिच्चमवि कुणइ परिकम्मं । तो जिदकरणो जुद्धे, कम्मसमत्थो भविस्सदि हि ॥१७॥ इय सामण्णं साधूवि, कुण्णदि णिच्चमवि जोगपरियम्मं । तो जिदकरणो मरणे, ज्झाणसमत्थो भविस्सति ॥१८॥ यथा राजकुलप्रसूतो, योग्यां नित्यमपि करोति परिकर्म । ततः जितकरणो युद्धे, कर्मसमर्थो भविष्यति हि ।।१७।। एवं श्रामण्यं साधुरपि, करोति नित्यमपि योगपरिकर्म । ततः जितकरणः मरणे, ध्यानसमर्थो भविष्यति ।।१८।। ५८५. मोक्खपहे अप्पाणं, ठवेहि तं चेव झाहि तं चेव । तत्थेव विहर णिच्चं, मा विहरसु अनदव्वेसु ॥१९॥ मोक्षपथे आत्मानं, स्थापय तं चैव ध्याय तं चैव । तत्रैव विहर नित्यं, मा विहरस्व अन्यद्रव्येषु ।।१९।। इहपरलोगासंस-प्पओग, तह जीयमरणभोगेसु । वज्जिज्जा भाविज्ज य, असुहं संसारपरिणामं ॥२०॥ इहपरलोकाशंसा-प्रयोगो तथा जीवितमरणभोगेषु । वर्जयेद् भावयेत् च अशुभं संसारपरिणामम् ।।२०।। ५८७. परदव्वादो दुग्गइ, सद्दव्वादो हु सुग्गई होई । इय णाऊ सदव्वे, कुणह रई विरई इयरम्मि ॥२१॥ परद्रव्यात् दुर्गतिः, स्वद्रव्यात् खलु सुगतिः भवति । इति ज्ञात्वा स्वद्रव्ये, कुरुत रतिं विरतिम् इतरस्मिन् ।।२१।। ५८६. Page #208 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગ ૧૮૩ પ૮ ૨. આરાધક બનવા માટે સતત અભ્યાસ–અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ. જે સતત અભ્યાસ કરતા રહે છે તેમને માટે આરાધના સુખસાધ્ય બને છે. પ૮ ૩-૫૮૪. જેમ રાજપુત્ર હમેશાં વ્યાયામનો અને શસ્ત્રચાલનનો અભ્યાસ કરતો રહે છે, ને તેથી પોતાના શરીરને કેળવીને વશ કરનાર એ રાજપુત્ર યુદ્ધ વખતે કામ કરી શકે છે, એવી જ રીતે સાધુ પણ સતત ચોગાભ્યાસ કરે છે ને તેથી ચિત્તને વશ કરી લીધેલું હોવાથી અંત સમયે તે ધ્યાન કરવા માટે સમર્થ બને છે. પ૮૫. હે મુનિ ! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપન કર, તેનું જ ધ્યાન કર, તેમાં જ નિત્ય વિહાર કર, અન્ય પદાર્થોમાં વિહાર કરીશ નહિ. પ.૮૬. સંખના સ્વીકારનાર સાધકે આ જન્મનાં સુખાદિ અથવા પરલોકનાં સુખાદિની કામના તજવી, જીવવાની ઈરછા. કે મરવાની ઈચ્છા પણ છોડવી અને સંસારના અશુભ. સ્વરૂપનું ચિંતન કરવું. પારદ્રવ્યની આસક્તિથી દુર્ગતિ થાય છે, સ્વદ્રવ્યની રુચિથી સગતિ થાય છે. એમ જાણીને સ્વદ્રવ્યમાં- આત્મામાં લીન બનો, પરદ્રવ્યથી વિરક્ત બનો. પ૮ ૭. Page #209 -------------------------------------------------------------------------- ________________ Page #210 -------------------------------------------------------------------------- ________________ સમણસુત્ત (જૈનધર્મસાર) તૃતીય ખંડ તત્વ-દર્શના Page #211 -------------------------------------------------------------------------- ________________ ५८८. ५८९. ० . ५९१. ३४. तत्त्वसूत्र जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए ॥१॥ यावन्तोऽविद्यापुरुपाः, सर्वे ते दुक्खसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः संसारेऽनन्तके ।।१।। समिक्ख पंडिए तम्हा, पासजाइपहे बहू । अप्पणा सच्चमेसेज्जा, मेत्तिं भूएसु कप्पए ॥२॥ समीक्ष्य पण्डितस्तस्मात्, पाशजातिपथान् वहून् । आत्मना सत्यमेपयेत् मैत्री भूतेषु कल्पयेत् ।।२।। तच्चं तह परमळं, दव्वसहावं तहेव परमपरं । धेयं सुद्धं परमं, एयट्ठा हुति अभिहाणा ॥३॥ तत्त्वं तथा परमार्थः, द्रव्यस्वभावस्तथैव परमपरम् । ध्येयं शुद्धं परमम्, एकार्थानि भवन्त्यभिधानानि ।।३।। जीवाऽजीवा य बन्धो य, पुण्णं पावाऽऽसवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ।।४।। जीवा अजीवाश्च बन्धश्च, पुण्यं पापास्त्रवः तथा । संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव ।।४।। उवओगलक्खणमणाइ - निहणमत्थंतरं सरीराओ । जीवमरूविं कारिं, भोयं च सयस्स कम्मस्स ।।५।। उपयोगलक्षणं अनादि-निधनमर्थान्तरं शरीरात् । जीवमरूपिणं कारिणं, भोगे च स्वकस्य कर्मणः ।।५।। सुहदुक्खजाणणा वा, हिदपरियम्मं च अहिदभीरुत्तं । जस्स ण विज्जदि णिच्चं, तं समणा बिंति अज्जीवं ॥६॥ सुखदुःखज्ञानं वा, हितपरिकर्म चाहितभीरुत्वम् । यस्य न विद्यते नित्यं, तं श्रमणा ब्रुवते अजीवं ।।६।। अज्जीवो पुण णेओ, पुग्गल धम्मो अधम्म आयासं । कालो पुग्गल मुत्तो, रूवादिगुणो अमुत्ति सेसा दु ॥७॥ अजीवः पुनः ज्ञेयः पुद्गलः धर्मः अधर्मः आकाशः । कालः पुद्गलः मूर्तः रूपादिगुणः, अमूर्तयः शेपाः खलु ।।७।। ५९२. ५९३. ५९४. Page #212 -------------------------------------------------------------------------- ________________ પ૮૮. ૩૪. તત્વસૂત્ર બધાજ વિવેકહીન જનો દુઃખી છે; મૂઢ લોક અનંત સંસારમાં ખોવાઈ જાય છે. પ૮૯. માટે વિવેકી પુરુષીએ અનેક પ્રકારના સંબંધોને બંધન તરીકે ઓળખીને સત્યની શોધ કરવી અને સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવો. પ૯૦. તત્ત્વ, પરમાર્થ, દ્રવ્યસ્વભાવ, પર-અપર, ધ્યેય, શુદ્ધ, પરમ–આ બધા શબ્દો એકાWવાચક છે. પ૯૧.. જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ – આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે. ૫૯ ૨. જીવનું મુખ્ય લક્ષણ ઉપયોગી છે. જીવ અનાદિ અનંત. છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે તે પોતાના કર્મોનો કર્તા છે અને પોતાના કર્મોનો ભોક્તા છે. (ઉપયોગ = જ્ઞાન અને દર્શનની ક્ષણે ક્ષણે પ્રવર્તી રહેલી ક્રિયા.) જે ક્યારેય સુખ-દુઃખને અનુભવતું નથી, જે પોતાના હિત માટે કે અહિતથી બચવા માટે કશો પ્રયત્ન કરી શકતું નથી તેને જ્ઞાનીઓ અજીવ કહે છે. પ૯ ૩. પ૯૪. પગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ–આટલા પદાર્થો અજીવ છે. એમાંથી પુગલ રૂપી (મૂર્ત) છે - રૂપ-રસ-ગંધ વગેરે ગુણો ધરાવે છે; બાકીના ચાર અમૂર્ત છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમણસુત્ત ५९५. नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो । अज्झत्थहेउं निययऽस्स बन्धो, संसारहेडं च वयन्ति बन्धं ॥८॥ नो इन्द्रियग्राह्योऽमूर्तभावात्, अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुर्नियतः अस्य बन्धः, संसारहेतुं च वदन्ति वन्धम् ।।८।। ५९६. रत्तो बंधदि कम्मं, मुच्चदि कम्मेहिं रागरहिदप्पा । एसो बंधसमासो, जीवाणं जाण णिच्छयदो ॥९॥ रक्तो बध्नाति कर्म, मुच्यते कर्मभी रागरहितात्मा । एष वन्धसमासो, जीवानां जानीहि निश्चयतः ।।९।। तम्हा णिव्वुदिकामो, रागं सव्वत्थ कुणदि मा किंचि । सो तेण वीदरागो, भवियो भवसायरं तरदि ॥१०॥ तस्मात् निर्वृतिकामो, रागं सर्वत्र करोतु मा किंचित् । स तेन वीतरागो, भव्यो भवसागरं तरति ।।१०।। ५९७. ५९८. ५९९. कम्मं पुण्णं पावं, हेऊ तेसिं च होंति सच्छिदरा । मंदकसाया सच्छा, तिव्वकसाया असच्छा हु ॥११॥ कर्म पुण्यं पापं, हेतवः तेषां च भवन्ति स्वच्छेतराः । मन्दकपायाः स्वच्छाः, तीव्रकपायाः अस्वच्छाः खलु ।।११।। सव्वत्थ वि पियवयणं, दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वेसिं गुणगहणं, मंदकसायाण दिटुंता ॥१२॥ सर्वत्र अपि प्रियवचनं, दुर्वचने दुर्जने अपि क्षमाकरणम् । सर्वेषां गुणग्रहणं, मन्दकषायाणां दृष्टान्ताः ।।१२।। अप्पपसंसण-करणं, पुज्जेसु वि दोसगहण-सीलत्तं । वेरधरणं च सुइरं, तिव्वकसायाण लिंगाणि ॥१३॥ आत्मप्रशंसनकरणं, पूज्येषु अपि दोषग्रहणशीलत्वम् । वेरधारणं च सुचिरं, तीव्रकषायाणां लिंगानि ।।१३।। रागद्दोसपमत्तो, इंदियवसओ करेइ कम्माइं । आसवदारेहिं अवि-गुहेहिं तिविहेण करणेणं ॥१४॥ रागद्वेषप्रमतः, इन्द्रियवशगः करोति कर्माणि । आस्रवद्वारैरविगूहितैस्त्रिविधेन करणेन।।१४।। ६००. ६०१. Page #214 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૧૮૯ પ૯પ. આત્મા અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી – આંખ વગેરે ઈન્દ્રિયો તેને ગ્રહણ કરી શકે નહિ. અમૂર્ત હોવાથી તે નિત્ય છે – તેનો નાશ નથી. કર્મબંધનું મૂળ કારણ આત્મામાં રહેલા રાગ-દ્વેષાદિ છે, અને કર્મબંધ સંસારમાં આત્માના પરિભ્રમણનું કારણ છે. રાગાદિયુક્ત આત્મા કર્મોથી બંધાય છે, રાગાદિ રહિત થતાં તે મુક્ત થાય છે. જીવના બંધનનું નિશ્ચયષ્ટિએ સંક્ષેપમાં વર્ણન આટલું જ છે. પ૯૬. પ૯૭. માટે, મોક્ષાર્થી ક્યાંય પણ, લેશ માત્ર રાગ ન કરે; પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસાર-સાગરનો. પાર પામે છે. પ૯૮. કર્મ બે પ્રકારનું છે–પુણ્ય અને પાપ; પુણ્ય કર્મનો હેતુ શુભભાવ છે, પાપ કર્મનો હેતુ અશુભ ભાવ છે. જેમાં કષાય મંદ હોય તેને શુભભાવ કહેવાય છે અને કષાય તીવ્ર હોય તેને અશુભ કહેવાય છે. હમેશાં પ્રિયવચન બોલવું, પોતાનું ખરાબ બોલનાર દુર્જનને પણ ક્ષમા કરવી, બધાનાં ગુણ જોવાં– આ મંદકષાયી વ્યક્તિનાં લક્ષણો છે. પ ૯૯. ૬િ ૦ ૦. પોતાની બડાઈ હંકવી, પૂજ્ય પુરુષોનાં પણ દોષો જોવાની ટેવ, લાંબા સમય સુધી વેર ચાલુ રાખવું – આ તીવ્રકષાયી વ્યક્તિનાં લક્ષણ છે. ૬ ૦૧. રાગ-દ્વેષને આધીન અને ઈન્દ્રિયોનો દાસ બનેલો આત્મા, આસ્રવદ્વારોને ખુલ્લાં રાખીને, કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણે રીતે કમને એકઠાં કરતો રહે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમણસુd ६०२. ६०३. आसवदारेहिं सया, हिंसाईएहिं कम्ममासवइ । जह नावाइ विणासो, छिद्देहि जलं उयहिमज्झे ॥१५॥ आस्रवद्वारैः सदा हिंसादिकैः कर्मास्त्रवति ।। यथा नावो विनाश-श्छिद्रैः जलम् उदधिमध्ये ।।१५।। मणसा वाया कायेण, का वि जुत्तस्स विरियपरिणामो । जीवस्सप्पणिओगो, जोगो त्ति जिणेहिं णिद्दिट्ठो ॥१६॥ मनसा वाचा कार्यन, वापि युक्तस्य वीर्यपरिणामः । जीवस्य प्रणियोगः, योग इति जिननिर्दिष्टः ।।१६।। जहा जहा अप्पतरो से जोगो, तहा तहा अप्पतरो से बंधो । निरुद्धजोगिस्स व से ण होति, अछिद्दपोतस्स व अंबुणाथे ॥१७॥ यथा यथा अल्पतरः तस्य योगः, तथा तथा अल्पतरः तस्य वंधः । निरुद्धयोगिनः वा सः न भवति, अछिद्रपोतस्येव अम्वुनाथे ।।१७।। ६०४. ६०६. मिच्छत्ताविरदी वि य, कसाय जोगा व आसवा होति । संजम-विराय-दंसण-जोगाभावो य संवरओ ॥१८॥ मिथ्यात्वाऽविरतिः अपि च कषाया योगाश्च आत्रवा भवन्ति । संयम-विराग-दर्शन-योगाभावश्च संवरकः ।।१८।। रुंधियछिद्दसहस्से, जलजाणे जह जलं तु णासवदि । मिच्छत्ताइअभावे, तह जीवे संवरो होइ ॥१९॥ रुद्धछिद्रसहने, जलयाने यथा जलं तु नास्रवति । मिथ्यात्वाद्यभावे, तथा जीवे संवरो भवति ।।१९।। सव्वभूयऽप्पभूयस्स, सम्मं भूयाई पासओ । पिहियासवस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥२०॥ सर्वभूतात्मभूतस्य, सम्यक् भूतानि पश्यतः । पिहितास्रवस्य दान्तस्य पापं कर्म न बध्यते ।।२०।। मिच्छत्तासवदारं, रुंभइ सम्मत्तदिढकवाडेण । हिंसादिदुवाराणि वि, दिढवयफलिहेहिं रुंभंति ॥२१॥ मिथ्यात्वास्रवद्वारं रुध्यते सम्यक्त्वदृढकपाटेन । हिंसादिद्वाराणि अपि दृढव्रतपरिषैः रुध्यन्ते ।।२१।। ६०७. ६०८. Page #216 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૧૧ ૬ ૦ ૨. દરિયામાં રહેલી નાવમાં કાણાં વાટે સતત પાણી ભરાતું રહે છે તેમ, હિંસા વગેરે આસ્રવારોમાંથી આત્મામાં સદા કર્મોનું આગમન થતું રહે છે. ૬ ૦૩. મન-વચન-કાયાથી કોઈપણ કાર્યમાં જીવના વીર્યગુણનું પરિણમન થાય અને જીવનમાં જે કંપન થાય તેને યોગ કહેવામાં આવે છે. ૬ ૦૪. જેમ જેમ આત્માનો યોગ ઓછો થતો જાય તેમ તેમ કર્મબંધ ઓછો થતો જાય છે. જ્યારે યોગ બિલકુલ અટકી જાય ત્યારે, દરિયામાં રહેલી છિદ્ર વગરની નૌકામાં પાણી ન આવે, તેમ તેની અંદર કર્મો પ્રવેશતાં નથી. ૬ ૦૫. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આસ્રવનાં હેતુઓ છે. સમ્યત્વ, વિરતિ, વૈરાગ્ય અને યોગરહિતતા આ સંવરના હેતુઓ છે. જે નોકાના બધાં છિદ્રો બંધ કરી દીધાં હોય તેમાં પાણી. પ્રવેશતું નથી તેમ મિથ્યાત્વ આદિનો અભાવ થતાં કર્મોની સંવર થાય છે. ૬ ૦૭. સર્વ જીવોને આત્મસમ ગણનાર, સર્વ પ્રત્યે સમ્યગદષ્ટિ રાખનાર અને આસ્રવારોને બંધ કરનાર સંયમવ્રત આત્માને પાપકર્મ લાગતાં નથી. ૬ ૦૮. મિથ્યાત્વ આસ્રવદ્વાર સમ્મસ્વરૂપ દઢ કમાડથી બંધ થાય છે, અને હિંસા આદિ આસ્રવ દ્વારા વ્રતરૂપી મજબૂત પાટિયાંથી ઢંકાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ सभासुरत ६०९-६१०. जहा महातलायस्स, सनिरुद्ध जलागमे । उस्सिंचणाए तवणाए, कमेण सोसणा भवे ॥२२॥ एवं तु संजयस्सावि, पावकम्मनिरासवे । भवकोडीसंचियं कम्मं, तवसा निज्जरिज्जइ ॥२३॥ यथा महातडागस्य, सनिरुद्रे जलागमे । उत्सिञ्चनया तपनया, क्रमेण शोषणा भवेत् ।।२२।। एवं तु संयतस्यापि, पापकर्मनिरास्रवे । भवकोटिसंचितं कर्म, तपसा निर्जीर्यते ।।२३।। ६११. ६१२. ६१३. तवसा चेव ण मोक्खो, संवरहीणस्स होइ जिणवयणे । ण हु सोत्ते पविसंते, किसिणं परिसुस्सदि तलायं ॥२४॥ तपसा चैव न मोक्षः, संवरहीनस्य भवति जिनवचने । न हि स्रोतसि प्रविशति, कृत्स्नं परिशुष्यति तडागम् ।।२४।। जं अन्नाणी कम्मं खवेइ बहुआहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेणं ॥२५॥ यद् अज्ञानी कर्म, क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तद् ज्ञानी त्रिभिर्गुप्तः, क्षपयत्युच्छ्वासमात्रेण ।।२५।। सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सई । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ॥२६॥ सेनापतौ निहते यथा सेना प्रणश्यति । एवं कर्माणि नश्यन्ति, मोहनीये क्षयं गते ।।२६।। कम्ममलविप्पमुक्को, उड्ढे लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी, लहदि सुहमणिंदियमणंतं ॥२७॥ कर्ममलविप्रमुक्त, ऊर्ध्व लोकस्यान्तमधिगम्य । स सर्वज्ञानदर्शी, लभते सुखमनिन्द्रियमनन्तम् ।।२७।। चक्किकुरुफणिसुरेंदेसु, अहमिंदे जं सुहं तिकालभवं । तत्तो अणंतगुणिदं, सिद्धाणं खणसुहं होदि ॥२८॥ चक्रिकुरुफणिसुरेन्द्रेषु, अहमिन्द्रे यत् सुखं त्रिकालभवम् । ततः अनन्तगुणितं, सिद्धानां क्षणसुखं भवति ।।२८।। ६१४. Page #218 -------------------------------------------------------------------------- ________________ તત્વ-દર્શન ૬ ૦૯-૬૧ ૦. ૧૯૩ કોઈ મોટા તળાવમાં પાણીને આવવાનાં રસ્તા બંધ કરી દેવામાં આવે તો બાકીનું પાણી ઉલેચાઈને ખલાસ થઈ જાય છે અથવા તાપથી સોસાઈ જાય છે, એવી જ રીતે, સંયમી પુરુષ નવાં કર્મોને આવવાનાં દ્વાર બંધ કરે છે ત્યારે અનેક જન્મોનાં એકત્ર થયેલાં તેનો પુરાણાં કર્મો તપ વડે ખરી પડે છે. ૬ ૧૧. જે સંવરવિહીન હોય તેને માત્ર તપથી મોક્ષ નહિ મળે. જો સરોવરમાં પાણીનું આગમન ચાલુ હોય તો તે તળાવ કદી પુરું સૂકાશે નહિ. ૬૧ ૨. અજ્ઞાન આત્મા કરોડો વર્ષે જેટલાં કર્મોનો ક્ષય કરી શકે છે તેટલાં કર્મોનો ક્ષય જ્ઞાનવાન આત્મા મનવચન-કાયાની ગુપ્તિના બળે, એક ક્ષણમાં કરી નાખે ૬૧ ૩. સેનાપતિ મરાતાં જેમ સેના નાસી જાય છે તેમ મોહનીય. કર્મનો નાશ થતાં અન્ય કર્મોનો પણ નાશ થઈ જાય છે. ૬ ૧૪. કર્મના મેલથી મુક્ત થયેલો આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી બની લોકાગ્ર પર પહોંચે છે અને અતીન્દ્રિય તથા અનંત સુખમાં મગ્ન બની જાય છે. ૬ ૧૫. ચક્રવર્તી, ઉત્તરકુરુક્ષેત્રના સુખી યુગલિકોનાગેન્દ્ર, દેવેન્દ્ર કે અનુત્તર લોકના દેવોનું ત્રણ કાળનું સુખ એકઠું કરીએ તેના કરતાં પણ સિદ્ધ આત્માનું એક ક્ષણનું સુખ અનંતગણું હોય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમણસુત્ત ६१६. ६१७. सव्वे सरा नियटॅति, तक्का जत्थ न विज्जइ । मई तत्थ न गाहिया, ओए अप्पइट्ठाणस्स खेयन्ने ॥२९॥ सर्वे स्वराः निवर्तन्ते, तर्को यत्र न विद्यते । मतिस्तत्र न गाहिका, ओजः अप्रतिष्ठानस्य खेदज्ञः ।।२९।। ण वि दुक्खं ण वि सुक्खं, ण वि पीडा व विज्जदे बाहा । ण वि मरणं ण वि जणणं, तत्थेव य होइ णिव्वाणं ॥३०॥ नापि दुःखं नापि सौख्यं, नापि पीडा नैव विद्यते बाधा । नापि मरणं नापि जननं, तत्रैव च भवति निर्वाणण् ।।३०।। ण वि इंदिय उवसग्गा, ण वि मोहो विम्हयो ण णिद्दा य । ण य तिण्हा णेव छुहा, तत्थेव य होइ णिव्वाणं ॥३१॥ नापि इन्द्रियाणि उपसर्गाः, नापि मोहो विस्मयो न निद्रा च । न च तृष्णा नैव क्षुधा, तत्रैव च भवति निर्वाणम् ।।३१।। ण वि कम्मं णोकम्म, ण वि चिंता णेव अट्टरुद्दाणि । ण वि धम्मसुक्कझाणे, तत्थेव य होइ णिव्वाणं ॥३२॥ नापि कर्म नोकर्म, नापि चिन्ता नैवार्तरौद्रे । नापि धर्मशुक्लध्याने, तत्रैव च भवति निर्वाणम् ।।३२।। ६१८. ६१९. ६२०. विज्जदि केवलणाणं, केवलसोक्खं च केवलं विरयं । केवलदिट्ठि अमुत्तं, अत्थित्तं सप्पदेसत्तं ॥३३॥ विद्यते केवलज्ञानं, केवलसौख्यं च केवलं वीर्यम् । केवलदृष्टिरमूर्तत्व-मस्तित्वं सप्रदेशत्वम् ।।३३।। ६२१. निव्वाणं ति अबाहंति, सिद्धी लोगग्गमेव य । खेमं सिवं अणाबाहं, जं चरंति महेसिणो ॥३४॥ निर्वाणमित्यबाधमिति, सिद्धिर्लोकाग्रमेव च । क्षेमं शिवमनाबाधं, यत् चरन्ति महर्षयः ।।३४।। Page #220 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬૧૬. ૬૧૩. ૬૧૮. ૬૧૯. ૬ ૨૦. ૬ ૨૧ ૧૯૫ એ સ્થિતિનું વર્ણન કરવામાં શબ્દો પાછાં પડે છે, તર્કનું ત્યાં કામ નથી, બુદ્ધિ ત્યાં પ્રવેશી શકતી નથી. એ છે ઓજસરૂપ-જ્યોતિર્મય અને અશરીરી જ્ઞાનમય સ્થિતિ માત્ર. જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા કે નથી બાધા; નથી જન્મ, નથી મરણ- એ જ છે નિર્વાણ. . નથી ઈન્દ્રિયો, નથી ઉપસર્ગો, નથી મોહ, નથી વિસ્મય, નથી નિદ્રા, નથી તરસ, નથી ભૂખ–એ જ છે નિર્વાણ. નથી કર્મ, નથી નોકર્મ, નથી ચિન્તા, નથી આર્તધ્યાન, નથી રૌદ્રધ્યાન, નથી ધર્મધ્યાન કે નથી શુક્લધ્યાનએ જ નિર્વાણની અવસ્થા છે. (નોકર્મ = કર્મથી થયેલ વસ્તુઓ, અવસ્થાઓ. આર્તધ્યાન = દુઃખમય વિચારધાસ. રૌદ્રધ્યાન = દ્વેષમય વિચારધારા.) ત્યાં છે માત્ર જ્ઞાન, માત્ર સુખ, માત્ર વીર્ય, માત્ર દર્શન; ત્યાં છે માત્ર અમૂર્ત-નિરાકાર અસ્તિત્વ-સત્તા માત્ર. નિર્વાણ, અબાધા, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ, અનાબાધ-આ બધાં એ સ્થિતિનાં નામ છે જેને પ્રાપ્ત કરવા મહર્ષિઓ સાધના કરે છે. For Private Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમાસુનું ६२२. लाउअ एरण्डफले, अग्गीधूमे उसू धणविमुक्के । गइ पुव्वपओगेणं, एवं सिद्धाण वि गती तु ॥३५॥ अलावु च एरण्डफल-मग्निधूम इषुर्धनुर्विप्रमुक्तः । गतिः पूर्वप्रयोगेणैवं, सिद्धानामपि गतिस्तु ।।३५।। ६२३. अव्वाबाहमणिंदिय-मणोवमं पुण्णपावणिम्मुक्कं । पुणरागमणविरहियं, णिच्चं अचलं अणालंबं ॥३६॥ अव्याबाधमनिन्द्रिय-मनुपमं पुण्यपापनिर्मुक्तम् । पुनरागमनविरहितं, नित्यमचलमनालम्बम् ।।३६।। ६२४. ३५. द्रव्यसूत्र धम्मो अहम्मो आगासं, कालो पुग्गल जन्तवो । एस लोगो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ॥१॥ धर्मोऽधर्म आकाशं, कालः पुद्गला जन्तवः । एष लोक इति प्रज्ञप्तः, जिनैर्वरदर्शिभिः ।।१।। आगासकालपुग्गल-धम्माधम्मेसु णत्थि जीवगुणा । तेसिं अचेदणत्तं, भणिदं जीवस्स चेदणदा ॥२॥ आकाशकालपुद्गल-धर्माधर्मेषु न सन्ति जीवगुणाः । तेपामचेतनत्वं, भणितं जीवस्य चेतनता ।।२।। ६२६. आगासकालजीवा, धम्माधम्मा य मुत्तिपरिहीणा । मुत्तं पुग्गलदव्वं, जीवो खलु चेदणो तेसु ॥३॥ आकाशकालजीवा, धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूर्तं पुद्गलद्रव्यं, जीवः खलु चेतनस्तेषु ।।३।। Page #222 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૧૭ ૬ ૨ ૨. પત્થર વગેરે ભારના કારણે પાણીમાં ડૂબેલું તુંબડું ભાર નીકળી જતાં પાણી ઉપર આવી તરવા લાગે છે; એરંડિયાના ફળ સૂકાઈને ફાટે છે ત્યારે બી ઉછળીને ઉપર ઉડે છે; અગ્નિનો ધૂમાડો હમેશાં ઉપરની તરફ જાય છે; ધનુષ્યમાંથી છૂટેલું તીર તીવ્રગતિથી સીધું જાય છે–આ બધાંની ગતિ તેમની પૂર્વની સ્થિતિના પ્રભાવ હેઠળ તે તે પ્રકારની થાય છે તેમ, દેહથી મુક્ત આત્માની ઉર્ધ્વગતિ પણ તેના તેના સ્વભાવથી થાય ૬ ૨ ૩. મુક્તાવસ્થા બાધારહિત છે, અતીન્દ્રિય છે અનુપમ છે, પુણ્ય-પાપથી મુક્ત છે, ત્યાંથી પાછા ફરવાનું નથી; તે નિત્ય છે, અચળ છે અને નિરાલંબ છે. ૬ ૨૪. ૩૫. દ્રવ્યસૂત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય – લોક આ છે દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે. ૬ ૨૫. આકાશ, કાલ, પુગલ, ધર્મ અને અધર્મ–એમાં ચૈતન્ય નથી હોતું તેથી તે અજીવ છે. જીવમાં ચૈતન્ય છે. ૬ ૨૬. આકાશ, કાલ, જીવ, ધર્મ અને અધર્મ-આટલાં દ્રવ્ય અમૂર્ત છે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આ બધામાં કેવળ જીવ જ ચેતન છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમણસુત્ત ६२७. ६२८. जीवा पुग्गलकाया, सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा, खंधा खलु कालकरणा दु ॥४॥ जीवाः पुद्गलकायाः, सह सक्रिया भवन्ति न च शेपाः । पुद्गलकरणाः जीवाः, स्कन्धाः खलु कालकरणास्तु ।।४।। धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो ॥५॥ धर्मोऽधर्म आकाशं, द्रव्यमकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः (समयाः) पुद्गला जन्तवः ।।५।। धम्माधम्मे य दोऽवेए, लोगमित्ता वियाहिया । लोगालोगे य आगासे, समए समयखेत्तिए ॥६॥ धर्माऽधमों च द्वावप्येतो, लोकमात्रौ व्याख्यातौ । लोकेऽलोके च आकाशः, समयः समयक्षेत्रिकः ।।६।। अन्नोन्नं पविसंता, दिता ओगासमन्त्रमन्नस्स । मेलंता वि य णिच्चं, सगं सभावं ण विजहंति ॥७॥ अन्योऽन्यं प्रविशन्तः, ददत्यवकाशमन्योऽन्यस्य । मिलन्तोऽपि च नित्यं, स्वकं स्वभावं न विजहति ।।७।। धम्मत्थिकायमरसं, अवण्णगंधं असद्दमप्फासं । लोगोगाढं पुढें,पिहुलमसंखादिय-पदेसं ॥८॥ धर्मास्तिकायोऽरसो-ऽवर्णगन्धोऽशब्दोऽस्पर्शः । लोकावगाढः स्पृष्टः, पृथुलोऽसंख्यातिकप्रदेशः ।।८।। ६३०. ६३१. उदयं जह मच्छाणं, गमणाणुग्गहयरं हवदि लोए। तह जीवपुग्गलाणं, धम्मं दव्वं वियाणेहि ॥९॥ उदकं यथा मत्स्यानां, गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां, धर्मं द्रव्यं विजानीहि ।।९।। ण य गच्छदि धम्मत्थी, गमणं ण करेदि अनदवियस्स । हवदि गती स प्पसरो, जीवाणं पुग्गलाणं च ॥१०॥ न च गच्छति धर्मास्तिकायः, गमनं न करोत्यन्यद्रव्यस्य । भवति गतेः स प्रसरो, जीवानां पुद्गलानां च ।।१०।। ६३३. Page #224 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬ ૨૭. ૧૯ પુદ્ગલ અને જીવ એ બે દ્રવ્યો સક્રિય છે–ક્રિયાશીલ છે. જીવને ક્રિયામાં મુગલ બાહ્ય સાધનરૂપ બને છે અને પુગલને કાળ સાધનરૂપ બને છે. ૬ ૨૮. ધર્મ, અધર્મ, આકાશ—એટલાં દ્રવ્યો વ્યક્તિ તરીકે એકએક છે. કાળ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યો અનંતઅનંત સંખ્યામાં છે. ૬ ૨૯. ધર્મ અને અધર્મનું કદ લોક જેટલું છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે, વ્યાવહારિક કાળ માત્ર મનુષ્યક્ષેત્રમાં છે. ૬ ૩૦. ૬ ૩૧. બધાં દ્રવ્યો એક બીજામાં પ્રવેશ કરે છે, દરેક દ્રવ્ય બીજા. દ્રવ્યને અવકાશ આપે છે–અવરોધતું નથી; સદા એકબીજામાં ભળી જતાં હોવા છતાં દ્રવ્યો પોતાના સ્વભાવને છોડતા નથી. ઘર્માસ્તિકાય રસ-વર્ણ-ગંધ-શબ્દ-સ્પર્શ વગેરે ગુણોથી, રહિત છે, લોકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાળ છે અને અસંખ્યાત પ્રદેશ છે. (પ્રદેશ = પદાર્થના અંતિમ અવિભાજ્ય અંશને પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવના પ્રદેશો હોય છે. મુગલના અવિભાજ્ય અંશને પરમાણુ કહેવામાં આવે છે; કાળને અંશ હોતા નથી.) જેવી રીતે પાણી જળચર જીવોને ગમનમાં સહાયક બને છે તેમ જીવ અને પુદ્ગલને ધર્મદ્રવ્ય ગતિમાં સહાયક બને છે. ૬ ૩ ૨. ૬ ૩૩. ધર્માસ્તિકાય પોતે ગતિ કરતું નથી અને અન્ય દ્રવ્યને ગતિ કરવા પ્રેરતું નથી, પરંતુ જીવ અને પુદ્ગલની ગતિક્રિયામાં તે તટસ્થ સહાયક રહે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ २०० ६३४. ६३५. સમણસુત્ત जह हवदि धम्मदव्, तह तं जाणेह दवमधम्मक्खं । ठिदिकिरियाजुत्ताणं, कारणभूदं तु पुढवीव ॥११॥ यथा भवति धर्मद्रव्यं, तथा तद् जानीहि द्रव्यमधर्माख्यम् । स्थितिक्रियायुक्तानां, कारणभूतं तु पृथिवीव ।।११।। चेयणरहियममुत्तं, अवगाहणलक्खणं च सव्वगयं । लोयालोयबिभेयं, तं णहदव्वं जिणुदिळें ॥१२॥ चेतनारहितममूर्त, अवगाहनलक्षणं च सर्वगतम् । लोकालोकद्विभेदं, तद् नभोद्रव्यं जिनोद्दिष्टम् ।।१२।। जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीवदेसमागासे, अलोए से वियाहिए ॥१३॥ जीवाश्चैव अजीवाश्च, एष लोको व्याख्यातः । अजीवदेश आकाशः, अलोकः स व्याख्यातः ।।१३।। ६३६. ६३७. पासरसगंधवण्ण-व्वदिरित्तो अगुरुलहुगसंजुत्तो । वत्तणलक्खणकलियं, कालसरूवं इमं होदि ।।१४।। स्पर्शरसगन्धवर्णव्यतिरिक्तम् अगुरुलघुकसंयुक्तम् । वर्तनलक्षणकलितं कालस्वरूपम् इदं भवति ।।१४।। जीवाण पुग्गलाणं, हुवंति परियट्टणाइ विविहाइ । एदाणं पज्जाया, वटुंते मुक्खकालआधारे ॥१५॥ जीवानां पुद्गलानां भवन्ति परिवर्तनानि विविधानि । एतेषां पर्याया वर्तन्ते मुख्यकालआधारे ।।१५।। समयावलिउस्सासा, पाणा थोवा य आदिआ भेदा । ववहारकालणामा, णिद्दिट्टा वीयराएहिं ।।१६॥ समयआवलिउच्छ्वासाः प्राणाः स्तोकाश्च आदिका भेदाः । व्यवहारकालनामानः निर्दिष्टा वीतरागैः ।।१६।। ६३९. ६४०. अणुखंधवियप्पेण दु, पोग्गलदव्वं हवेइ दुवियप्पं । खंधा हु छप्पयारा, परमाणू चेव दुवियप्पो ॥१७॥ अणुस्कन्धविकल्पेन तु, पुद्गलद्रव्यं भवति द्विविकल्पम् । स्कन्धाः खलु षट्प्रकाराः, परमाणुश्चैव द्विविकल्पः ।।१७।। Page #226 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬૩૪. ૬૩૫. ૬૩૬. ૬૩૭. ૬૩૮. ૬૩૯. ૬૪૦. ૨૦૧ અધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાય જેવું છે. પૃથ્વી જેમ જીવોને સ્થિતિ કરવામાં મદદ કરે છે તેમ તે જીવ અને પુદ્ગલને સ્થિતિક્રિયામાં તટસ્થરૂપે સહાયક બને છે. આકાશાસ્તિકાય અચેતન, અમૂર્ત અને વ્યાપક છે તેનો સ્વભાવ વસ્તુઓને અવકાશ આપવાનો છે; લોકાકાશ અને અલોકાકાશ એમ તેનાં બે પ્રકાર શ્રી જિનેશ્વરે કહ્યાં છે. જ્યાં જીવ અને અજીવ છે તે લોક છે. જ્યાં જીવો વિગેરે દ્રવ્યો નથી અને માત્ર આકાશ છે તે અલોક છે. કાળદ્રવ્યમાં સ્પર્શ-રૂપ-૨સ-ગંધ-વર્ણ વગેરે ગુણો નથી, તેમાં ગુરુતા કે લઘુતા નથી; વર્તના એ કાળનું મુખ્ય લક્ષણ છે. (વર્તના પરિવર્તન.) જીવ અને પુદ્ગલમાં વિવિધ પરિવર્તન થાય છે. એમના પર્યાયો(બદલાતી અવસ્થાઓ)નો પ્રમુખ આધાર કાળ છે. (આ નિશ્ચયદૅષ્ટિથી કાળની વ્યાખ્યા છે.) સમય, આવલિ, ઉચ્છ્વાસ, પ્રાણ, સ્તોક વગેરે વ્યવહાર કાળના ભેદો છે એમ વીતરાગોએ કહ્યું છે. પુદ્ગલ દ્રવ્યના અણુ અને સ્કંધ- એમ બે પ્રકારો છે. સ્કંધ પાછા છ પ્રકારનાં છે. પરમાણુ બે પ્રકારનાં છે. (સ્કન્ધ – બે અથવા તેથી અધિક પરમાણુનું જોડાણ) For Private Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ २०२ ६४१. ६४२. ६४३. ६४४. ६४५. अइथूलथूल थूलं, थूलसुहुमं च सुहुमथूलं च । सुमं अइसहुमं इदि, धरादियं होदि छब्भेयं ॥१८॥ अतिस्थूलस्थूलाः स्थूलाः, स्थूलसूक्ष्माश्च सूक्ष्मस्थूलाश्च । सूक्ष्मा अतिसूक्ष्मा इति, धरादयो भवन्ति षड्भेदाः ||१८|| पुढवी जलं च छाया, चउरिंदियविसय-कम्मपरमाणू । छव्विहमेयं भणियं, पोग्गलदव्वं जिणवरेहिं ॥१९॥ पृथिवी जलं च छाया, चतुरिन्द्रियविषय- कर्मपरमाणवः । षड्विधभेदं भणितं, पुद्गलद्रव्यं जिनवरैः ।।१९।। अंतादिमज्झहीणं, अपदेसं इंदिएहिं ण हु गेज्झं । जं दव्वं अविभत्तं, त परमाणुं कहंति जिणा ||२०|| अन्तादिमध्यहीनम् अप्रदेशम् इन्द्रियैर्न खलु ग्राह्यम् । यद् द्रव्यम् अविभक्तम् तं परमाणुं कथयन्ति जिनाः ||२०|| वण्णरसगंधफासे, पूरणगलणाइ सव्वकालम्हि । खंद इव कुणमाणा, परमाणू पुग्गला तम्हा ||२१|| वर्णरसगन्धस्पर्शे पूरणगलनानि सर्वकाले । स्कन्धा इव कुर्वन्तः परमाणवः पुद्गलाः तस्मात् ||२१|| पाणेहिं चदुहिं जीवदि, जीवस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो, पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥२२॥ प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्वं । स जीवः, प्राणाः पुनर्बलमिन्द्रियमायु-रुच्छ्वासः ।।२२।। સમણસુત્ત 7 For Private Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬૪૧. ૬૪૨. ૬૪૩. ૬૪૪. ૬૪૫. ૨૦૩ સ્કન્ધના છ પ્રકાર આ પ્રમાણે છે : અતિસ્કૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મસ્થૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ. પૃથ્વી વગેરે તેનાં ઉદાહરણ છે. અતિ સ્થૂળ પુદ્ગલસ્કંધનું ઉદાહરણ પૃથ્વી એટલે કે માટી છે. સ્થૂળસ્કંધનું ઉદાહરણ જળ છે. સ્થૂળસૂક્ષ્મ સ્કંધ એટલે છાયા અથવા પ્રકાશ જે નેગેન્દ્રિયથી ગ્રાહ્ય છે. સૂક્ષ્મસ્થળ સ્કંધમાં નેત્ર સિવાયની ચાર ઈન્દ્રિયોથી ગ્રાહ્ય એવાં રસ-ગંધ-સ્પર્શ-શબ્દનો સમાવેશ થાય છે. સૂક્ષ્મસ્કંધનું ઉદાહરણ કાર્મણ વર્ગણા(કર્મ પુદ્ગલો) અને અતિસૂક્ષ્મ પુદ્ગલસ્કંધનું ઉદાહરણ બે-ત્રણ પરમાણુ ધરાવતા સ્કંધો છે. જેમાં આદિ, અંત કે મધ્ય નથી, જેની અંદર ભાગ નથી, જે ઈન્દ્રિયોથી જાણી શકાતો નથી, એવા અવિભાજ્ય દ્રવ્યને શ્રી જિનેશ્વરે પરમાણુ કહ્યો છે. જેમાં સદા પૂરણ અને ગલન (કંઈક ઉમેરાવું અને કંઈક ઓછું થવું, જોડાવું અને છૂટા થવું) વગેરે ક્રિયાઓ ચાલ્યા કરે છે, જેનાં વર્ણ-ગંધ-સ-સ્પર્શ વગેરે ગુણોમાં પણ વધઘટ થયા કરે છે તે પદાર્થને પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલના સ્કન્ધ અને પરમાણુ-બંને પ્રકારોમાં આવું પરિવર્તન ચાલતું જ રહે છે. જે વિવિધ પ્રકારના પ્રાણો વડે જીવે છે, જીવશે અને જીવ્યો હતો તે જીવ. ઈન્દ્રિય, આયુષ્ય, ઉચ્છ્વાસ, મનવચન-કાયાનું બળ વગેરે પ્રાણોની સહાયથી જીવ જીવે છે. For Private Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २०४ सभाशुत्त ६४६. अणुगुरुदेहपमाणो, उवसंहारप्पसप्पदो चेदा । असमुहदो ववहारा, णिच्छयणयदो असंखदेसो वा ॥२३॥ अणुगुरुदेहप्रमाणः, उपसंहारप्रसर्पतः चेतयिता । असमवहतः व्यवहारात्, निश्चयनयतः असंख्यदेशो वा ।।२३।। ६४७. जह पउमरायरयणं, खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो, सदेहमत्तं पभासयदि ॥२४॥ यथा पद्मरागरत्नं, क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम् । तथा देही देहस्थः, स्वदेहमानं प्रभासयति ।।२४।। ६४८. ६४९. आदा णाणपमाणं, णाणं णेयप्पमाणमुद्दिढें । णेयं लोयालोयं, तम्हा णाणं तु सव्वगयं ॥२५॥ आत्मा ज्ञानप्रमाणः, ज्ञानं ज्ञेयप्रमाणमुद्दिष्टम् । ज्ञेयं लोकालोकं, तस्माज्ज्ञानं तु सर्वगतम्।।२५।। जीवा संसारत्था, णिव्वादा चेदणप्पगा दुविहा । उवओगलक्खणा वि य, देहादेहप्पवीचारा ॥२६॥ जीवाः संसारस्था, निर्वाताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च, देहादेहप्रवीचाराः ।।२६।। पुढविजलतेयवाऊ-वणप्फदी विविहथावरेइंदी । बिगतिगचदुपंचक्खा, तसजीवा होति संखादी ॥२७॥ पृथिवीजलतेजोवायु-वनस्पतयः विविधस्थावरैकेन्द्रियाः । द्विकत्रिकचतुःपञ्चाक्षाः, त्रसजीवाः भवन्ति शंखादयः ।।२७।। ६५०. ६५१. ३६. सृष्टिसूत्र लोगो अकिट्टिमो खलु, अणाइणिहणो सहावणिव्वत्तो । जीवाजीवेहिं फुडो, सव्वागासावयवो णिच्चो ॥१॥ लोकेः अकृत्रिमः खलु, अनादिनिधनः स्वभावनिर्वृत्तः । जीवाजीवैः स्पृष्टः, सर्वाकाशावयवः नित्यः ।।१।। Page #230 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬૪૬. ૨૦૫ જીવ પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે નાનો-મોટો હોય છે - તે ફેલાઈ શકે છે અને સંકોચાઈ પણ શકે છે; આ વ્યવહારનય થી સમજવું. નિશ્ચયનયથી જીવ નાનોમોટો નથી; તે અસંખ્યાત પ્રદેશ છે. ૬૪૭. જેમ પદ્મરાગરત્નને દૂધમાં રાખીએ તો તેની લાલ કાંતિ. સમગ્ર દૂધમાં ફેલાઈ જાય છે તેમ જીવ દેહમાં હોય ત્યારે સંપૂર્ણ દેહમાં વ્યાપીને રહે છે. ૬૪૮. ૬૪ ૯. ૬૫૦. ( નિશ્ચય દષ્ટિથી) આત્મા જ્ઞાનપ્રમાણ છે, (જ્ઞાન એ જ આત્મા છે, અને જ્ઞાન તેના ય પદાર્થોના પ્રમાણનું છે. અને લોક-અલોક બધું જ જ્ઞાનનું ય છે માટે જ્ઞાન સર્વવ્યાપી છે અને તેથી આત્મા પણ સર્વવ્યાપી છે. જીવો બે પ્રકારના છે : સંસારી અને મુક્ત. બંનેના લક્ષણ સરખાં છે- બંને ચેતન છે, બંનેમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ હોય છે. માત્ર સંસારીને દેહ હોય છે, મુક્તને દેહ નથી હોતો. પીકા , અકાય, તે ઉકાય, વા ય કાય અને વનસ્પતિકાય— આ પાંચ પ્રકારનાં જીવોને એક જ ઈન્દ્રિય હોય છે અને તે બધા સ્થાવર હોય છે. જેમને બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિય હોય તેમને ત્રસ કહેવાય છે. (માટી, પાણી, અગ્નિ, વાયુ અને બધી જ વનસ્પતિ એકેન્દ્રિય સ્થાવર જીવ છે. શંખ, છીપલાં વગેરેને બે ઈક્રિય હોય છે. કીડી, મંકોડા વગેરેને ત્રણ ઈન્દ્રિય હોય છે. ભમસ, વીંછ વગેરેને ચાર ઈન્દ્રિય અને મનુષ્ય, પશુ-પ, દેવ, નારકોના જીવોને પાંચ ઈન્દ્રિય હોય છે.) ૩૬. સૃષ્ટિસૂત્ર લોક અકૃત્રિમ છે–કોઈએ બનાવેલો નથી. તે અનાદિ છે અને અનંત છે. તેનું નિર્માણ તેના તેના સ્વભાવથી જ થયું છે. તે આકાશના એક ભાગરૂપ છે, નિત્ય છે અને જીવ-અજીવ પદાર્થોથી પરિપૂર્ણ છે. ૬૫૧. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમણમુક્ત ६५२. अपदेसो परमाणू, पदेसमेत्तो य समयसद्दो जो । णिद्धो वा लुक्खो वा, दुपदेसादित्तमणुहवदि ॥२॥ अप्रदेशः परमाणुः, प्रदेशमात्रश्च स्वयमशब्दो यः । स्निग्धो वा रुक्षो वा, द्विप्रदेशादित्वमनुभवति ।।२।। दुपदेसादी खंधा, सुहमा वा बादरा ससंठाणा । पुढविजलतेउवाऊ, सगपरिणामेहिं जायते ॥३॥ द्विप्रदेशादयः स्कन्धाः सूक्ष्मा वा बादराः ससंस्थानाः । पृथिवीजलतेजोवायवः, स्वकपरिणामैर्जायन्ते ।।३।। ६५४. ओगाढगाढणिचिदो, पुग्गलकायेहिं सव्वदो लोगो । सुहुमेहि बादरेहि य, अप्पाओगेहिं जोग्गेहिं ॥४॥ अवगाढगाढनिचितः, पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्वादरैश्चा-प्रायोग्यैर्योग्यैः ।।४।। ६५५. कम्मत्तणपाओग्गा, खंधा जीवस्स परिणई पप्पा । गच्छंति कम्मभावं, न हि ते जीवेण परिणमिदा ॥५॥ कर्मत्वप्रायोग्याः, स्कन्धा जीवस्य परिणतिं प्राप्य । गच्छन्ति कर्मभावं, न हि ते जीवन परिणमिताः ।।५।। ६५६. भावेण जेण जीवो, पेच्छदि जाणादि आगदं विसये । रज्जदि तेणेव पुणो, बज्झदि कम्म त्ति उवदेसो ॥६॥ भावेन येन जीवः, प्रेक्षते जानात्यागतं विषये । रज्यति तेनैव पुनर्बध्यते कर्मेत्युपदेशः ।।६।। ६५७. सव्वजीवाणं कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥७॥ सर्वजीवानां कर्म तु, संग्रहे पड्दिशागतम् । सर्वेष्वपि प्रदेशेषु, सर्व सर्वेण बद्धकम् ।।७।। Page #232 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શન ૬૫ ૨. ૨૦૭ પરમાણુના ટૂકડા થતા નથી; તે પોતે નાનામાં નાનો ટૂકડો છે; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમાં સદાય હોય છે. સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શના કારણે બે, ત્રણ, ચાર કે અસંખ્ય-અનંત પરમાણુ જોડાય છે અને સ્કન્ધનું રૂપ ધારણ કરે છે. બે પ્રદેશવાળાં કે વધુ પ્રદેશવાળાં સ્કન્ધો પોતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિ વગેરેનું સૂક્ષ્મ કે બાદર(સ્થૂલ) રૂપ ધારણ કરે છે અને આકાર મેળવે છે. ૬૫૩. ૬૫૪. આ લોક પુગલના સૂક્ષ્મ-બાદર સ્કલ્પોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. કેટલાક સ્કન્ધો શરીર, કર્મ આદિની રચનામાં કામ આવે છે, તો કેટલાક ઉપયોગમાં ન આવી શકે એવાં હોય છે. ૬૫૫. જે પુદ્ગલ સ્કન્ધો કર્મરૂપે પરિણમન કરવા યોગ્ય હોય છે તે જીવની પરિણતિ(અધ્યવસાય)નું નિમિત્ત મળતાં સ્વયં કર્મપણું પામે છે અને જીવની સાથે સંયોગમાં આવે છે. પરંતુ જીવ પુદ્ગલોનું પરિણામન ( નિશ્ચયદષ્ટિએ) કરતો નથી. જીવ, સામે આવેલા વિષયને જેવા ભાવે જુએ અને જાણે તે ભાવથી તે જાતે રંગાય છે અને તે ભાવથી તે કર્મોને ખેંચે છે. ૬૫૬. ૬પ૭. જીવો જ્યારે કર્મ બાંધે છે ત્યારે છયે દિશામાંથી કર્મયુગલોને આકર્ષે છે. અને ગ્રહણ કરેલાં એ પુદ્ગલો આત્માના સર્વ પ્રદેશો સાથે બંધાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમણસુત્ત ६५८. तेणावि जं कयं कम्मं, सुहं वा जइ वा दुहं । कम्मुणा तेण संजुत्तो, गच्छई उ परं भवं ॥८॥ तेनापि यत् कृतं कर्म, सुखं वा यदि वा दुःखम् । कर्मणा तेन संयुक्तः, गच्छति तु परं भवम् ।।८।। ६५९. ते ते कम्मत्तगदा, पोग्गलकाया पुणो वि जीवस्स । संजायंते देहा, देहतरसंकमं पप्पा ॥९॥ ते ते कर्मत्वगताः, पुद्गलकायाः पुनरपि जीवस्य । संजायन्ते देहाः देहान्तरसंक्रमं प्राप्य ।।९।। Page #234 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-દર્શના ૬૫૮. ૨૦૯ જીવે શુભ કે અશુભ જે કર્મો બાંધ્યા હોય તે કર્મોની સાથે એ જીવ બીજા જન્મમાં જાય છે. ૬૫૯. કર્મ અવસ્થામાં આવેલાં પુદ્ગલો અન્ય જન્મોમાં નવાં શરીર રૂપે પરિણત થાય છે– અથવા અન્ય કોઈ રૂપે પોતાનું કાર્ય કરે છે અને પોતાનું કાર્ય કરીને નાશ પામે Page #235 -------------------------------------------------------------------------- ________________ Page #236 -------------------------------------------------------------------------- ________________ સમણસુત્ત (જૈનધર્મસાર) ચતુર્થ ખંડ સ્યાવાદ Page #237 -------------------------------------------------------------------------- ________________ ६६१. ३७. अनेकान्तसूत्र जेण विणा लोगस्स वि, ववहारो सव्यहा न निव्वहइ । तस्स भुवणेक्कगुरुणो, णमो अणेगंतवायस्स ॥१॥ येन विना लोकस्य अपि व्यवहारः सर्वथा न निर्वहति । तस्मै भुवनैकगुरवे नमः अनेकान्तवादाय ।।१।। गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे ।।२।। गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिता भवन्ति ।।२।। दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पज्जवा णत्थि । उप्पाय-टिइ-मंगा, हंदि दवियलक्खणं एयं ॥३॥ द्रव्यं पर्यववियुतं, द्रव्यवियुक्ताश्च पर्यवाः न सन्ति । उत्पादस्थितिभंगाः, हन्त द्रव्यलक्षणमेतत् ।।३।। ६६२. ६६३. ण भवो भंगविहीणो, भंगो वा णत्थि संभवविहीणो । उप्पादो वि य भंगो, ण विणा धोव्वेण अत्येण ॥४॥ न भवो भंगविहीनो, भंगो वा नास्ति सम्भवविहीनः । उत्पादोऽपि च भंगो, न विना ध्रौव्येणार्थेन ।।४।। ६६४. उप्पादट्ठिदिभंगा, विज्जंते पज्जएसु पज्जाया । दव्वं हि संति नियदं, तम्हा दव्वं हवदि सव्वं ॥५॥ उत्पादस्थितिभंगा, विद्यन्ते पर्यायेषु पर्यायाः । द्रव्यं हि सन्ति नियतं, तस्माद् द्रव्यं भवति सर्वम् ।।५।। ६६५. समवेदं खलु दव्वं, संभवठिदिणाससण्णिदढेहिं । एक्कम्मि चेव समये, तम्हा दव्वं खु तत्तिदयं ॥६॥ समवेतं खलु द्रव्यं, सम्भवस्थितिनाशसंज्ञिताथैः । एकस्मिन् चैव समये, तस्माद्रव्यं खलु तत् त्रितयम् ।।६।। Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૭. અનેકાંતસૂત્રા જેના વિના આ જગતનો વ્યવહાર બિલકુલ ચાલી ન શકે એવા, ત્રણ લોકના એક માત્ર ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર. ગુણનો આશ્રય કે આધાર તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રયીને. જે રહે તે ગુણ; પર્યાય એટલે દ્રવ્ય અને ગુણની બદલાતી અવસ્થાઓ. દ્રવ્ય પર્યાય વગરનું કે પચય દ્રવ્ય વગરનો ન હોઈ શકે. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ જ તો દ્રવ્યનું લક્ષણ પર્યાય બદલાય તે ઉત્પાદ(ઉત્પત્તિ) છે, આગળના પર્યાયનો અભાવ થાય તે વ્યય (નાશ) છે અને દ્રવ્ય તો કોઈને કોઈ રૂપે કાયમ છે તે ધાવ્ય (સ્થિતિ છે. દરેક દ્રવ્યને આ લક્ષણ લાગુ પડે છે. જેને આ લક્ષણ લાગુ ન પડે તે દ્રવ્ય નથી.) ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને ના હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે. ૬૬ ૩. ૬િ ૬૪. ઉત્પાદ, વ્યય અને સ્થિતિ પર્યાયોમાં જ થાય છે પરંતુ પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય છે માટે ઉત્પત્તિ-સ્થિતિનાશ દ્રવ્યનાં જ ગણવામાં આવે છે. ૬ ૬૫. કોઈ પણ ક્ષણે દ્રવ્ય ઉત્પત્તિ-સ્થિતિ-નાશથી સંયુક્ત જ હોય છે. તદ્રુપ હોય છે માટે એ ત્રણેય સ્વરૂપો દ્રવ્યનાં જ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમણસુત્ત ६६६. पाडुब्भवदि य अन्नो, पज्जाओ वयदि अन्नो । दव्वस्स तं पि दव्वं, णेव पणळं णेव उप्पन्नं ॥७॥ प्रादुर्भवति चान्यः, पर्यायः पर्यायो व्ययते अन्यः । द्रव्यस्य तदपि द्रव्यं, नैव प्रणष्टं नैव उत्पन्नम् ।।७।। पुरिसम्मि पुरिससद्दो, जम्माई-मरणकालपज्जन्तो । तस्स उ बालाईया, पज्जवजोया बहुवियप्पा ॥८॥ पुरुप पुरुपशब्दो, जन्मादि-मरणकालपर्यन्तः । तस्य तु वालादिकाः, पर्यययोगा वहुविकल्पाः ।।८।। ६६७. ६६८. तम्हा वत्थूणं चिय, जो सरिसो पज्जवो स सामन्नं । जो विसरिसो विसेसो, स मओऽणत्यंतरं तत्तो ॥९॥ तस्माद् वस्तूनामेव, यः सदृशः पर्यवः स सामान्यम् । यो विसदृशो विशेषः, स मतोऽनन्तरं ततः ।।९।। सामन्नं अह विसेसे दव्वे णाणं हवेइ अविरोहो । साहइ तं सम्मत्तं, णहु पुण तं तस्स विवरीयं ॥१०॥ सामान्यमथ विशेषः, द्रव्ये ज्ञानं भवत्यविरोधः । साधयति तत्सम्यक्त्वं, नहि पुनस्तत्तस्य विपरीतम् ।।१०।। ६७०. पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय, त्ति सेसयाणं पिया होइ ॥११॥ पितृ-पुत्र-नातृ-भव्यक-भ्रातृणाम् एकपुरुपसम्बन्धः । न च स एकस्य पिता इति शेषकाणां पिता भवति ।।११।। ६७१. सवियप्प-णिवियप्पं इय, पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण, ण स निच्छओ समए ॥१२॥ सविकल्प-निर्विकल्पम् इति पुरुषं यो भणेद् अविकल्पम् । सविकल्पमेव वा निश्चयेन न स निश्चितः समये ।।१२।। Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૨૧૫ દ્રવ્યનો એક પર્યાય ઉત્પન્ન થાય છે, પૂર્વવર્તી પર્યાય નષ્ટ થાય છે. તે દ્રવ્ય તો નથી ઉત્પન્ન થયું કે નથી નાશ પામ્યું. ૬ ૬૭. જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો. વ્યવહાર થાય છે–એટલે કે પુરુષ તરીકે જ એ પદાર્થ ઓળખાય છે. બાળ-યુવાન વગેરે અનેક પ્રકારના તેના પર્યાય બદલાયા કરે છે. (એવું જ દરેક પદાર્થ વિશે સમજવું.) વસ્તુની લાંબા કાળ સુધી એક સરખી ચાલનારી અવસ્થા સામાન્ય પર્યાય કહેવાય. એક સમાન ન હોય તે પર્યાયને વિશેષ પર્યાય કહેવાય. આ બંને પર્યાયો સાપેક્ષદષ્ટિએ દ્રવ્યથી અભિન્ન દ્રવ્ય જ છે. (જીવની મનુષ્યાવસ્થા એ તેનો સામાન્ય પયય કહેવાય અને બાળયુવા-વૃદ્ધ વગેરે અવસ્થાઓ જીવના વિશેષ પર્યાય કહેવાય) જે જ્ઞાનમાં દ્રવ્યના સામાન્ય અને વિશેષ બંને પ્રકારના. ધર્મોનો સમાવેશ થતો હોય તેવું જ્ઞાન જ સુસંગત. ગણાય. એ જ જ્ઞાન. સભ્ય દર્શનનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ માત્ર સામાન્ય પર્યાય કે માત્ર વિશેષ પર્યાયનું નિરૂપણ કરનારું જ્ઞાન સત્વ- સાધક નથી બની શકતું. એક જ વ્યક્તિમાં પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ-ભાઈ વગેરે સંબંધો હોય છે પણ, એકનો પિતા હોય છે તેથી તે બધાનો પિતા નથી થઈ જતો. (આવી સાપેક્ષદષ્ટિથી. દરેક પદાર્થનો વિચાર કરવો જોઈએ.) ૬ ૬ ૯. ૬૭૦. ૬િ ૭૧. આત્મા સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભય સ્વરૂપ છે. જો કોઈ તેને માત્ર સવિકલ્પ કે માત્ર નિર્વિકલ્પ કહે તો તે ખરેખર શાસ્ત્રનો સખ્ય અર્થ જાણતો નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમણને ६७२. अन्नोन्नाणुगयाणं, 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं, जावंत विसेसपज्जाया ॥१३॥ अन्योन्यानुगतयोः ‘इदं वा तद् वा' इति विभजनमयुक्तम् । यथा दुग्घ-पानीययोः यावन्तः विशेषपर्यायाः ।।१३।। ६७३. संकेज्ज याऽसंकितभाव भिक्खू, विभज्जवायं च वियागरेज्जा । भासादुगं धम्मसमुट्टितेहिं, वियागरेज्जा समया सुपन्ने ॥१४॥ शंकितः चाऽशंकितभावो भिक्षुः विभज्यवादं च व्यागृणीयात् । भाषाद्विकं च सम्यक् समुत्थितैः व्यागृणीयात् समतया सुप्रज्ञः ।।१४।। ३८. प्रमाणसूत्र (अ) पञ्चविध ज्ञान ६७४. संसयविमोह-विब्भम-विवज्जियं अप्पपरसरूवस्स । गहणं सम्मं णाणं, सायारमणेयभेयं तु ॥१॥ संशयविमोह-विभ्रमविवर्जितमात्म-परस्वरूपस्य । ग्रहणं सम्यग्ज्ञानं, साकारमनेकभेदं तु ।।१।। ६७५. तत्थ पंचविहं नाणं, सुयं आभिनिवोहियं । ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥२॥ तत्र पञ्चविधं ज्ञानं, श्रुतमाभिनिवोधिकम् । अवधिज्ञानं तु तृतीयं, मनोज्ञानं च केवलम् ।।२।। ६७६. पंचेव होति णाणा, मदिसुदओहीमणं च केवलयं । खयउवसमिया चउरो, केवलणाणं हवे खइयं ॥३॥ पञ्चैव भवन्ति ज्ञानानि, मतिश्रुतावधिमनश्च केवलम् । क्षायोपशमिकानि चत्वारि, केवलज्ञानं भवेत् क्षायिकम् ।।३।। ६७७. ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । सण्ण सती मती पण्णा, सव्वं आभिणिबोधियं ॥४॥ ईहा अपोह: विमर्शः मार्गणा च गवेषणा । संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सर्वम् आभिनिवोधिकम् ।।४।। Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૬ ૭ર. ૨૧૭ વસ્તુના ધર્મો પરસ્પર ભળેલા છે– આ ધર્મ જુદો” અને “આ ધર્મ જુદો” એવું વિભાજન કરવું યોગ્ય નથી. દૂધ અને પાણી મિશ્ર થયા પછી તેના ઠંડા-ગરમ વગેરે વિશેષ પર્યાયો થાય તે દૂધ-પાણી બંનેમાં સમાવિષ્ટ હોય છે, તેને જુદા પાડી શકાતા નથી, તેની જેમ. ૬ ૭૩. કોઈ પદાર્થના વિષયમાં પોતે નિઃશંક હોય અથવા શંકિત હોય, ભિક્ષુ સર્વત્ર સાપેક્ષવાદથી વસ્તુનું વર્ણન કરે. ધર્મકાર્યોમાં બે પ્રકારની ભાષા–સત્યભાષા અને અસત્ય-અમૃષાભાષા (વ્યવહાર ભાષા)નો ઉપયોગ કરે અને પ્રજ્ઞાવાન મુનિ ઉચ્ચ-નીચનો ભેદ રાખ્યા વિના ધર્મકથા કરે. ૩૮. પ્રમાણસૂત્ર (બ) પાંચ પ્રકારનું જ્ઞાન ૬ ૭૪. સ્વનો કે પર પદાર્થનો સંશય, વિપર્ચાસ કે ભ્રમરહિત અવબોધ થવો તે જ્ઞાન છે. આ જ્ઞાન સાકાર - નિશ્ચયાત્મક હોય છે અને તેના અનેક ભેદ પડે છે. ૬ ૭પ. જ્ઞાનના પાંચ ભેદ છે : મતિજ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. ૬૭૬. આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમનાં ચાર જ્ઞાન ક્ષાયોપથમિક છે, કેવળજ્ઞાન ક્ષાયિક છે. (કર્મના આવરણ સહિતની અવસ્થામાં, કમોંનો થોડો ક્ષય કે થોડો ઉપશમ થવાથી જે પ્રગટે છે તે માયોપથમિક. કર્મનો સંપૂર્ણ અને સદાને માટે ક્ષય થવાથી જે પ્રગટે તે ક્ષાયિક.) ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા – આ બધાં નામ આભિનિબોધિક જ્ઞાનનાં ૬ ૭૭. છે. (પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે.) Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમણસુત્ત ६७८. अत्थाओ अत्यंतर-मुवलंभे तं भणंति सुयणाणं । आभिणिबोहियपुव्वं, णियमेण य सद्दयं मूलं ॥५॥ अर्थादर्थान्तर-मुपलम्भः तं भणन्ति श्रुतज्ञानम् । आभिनिवोधिकपूर्वं, नियमेन च शब्दजं मूलम् ||५|| इंदियमणोनिमित्तं, जं विण्णाणं सुयाणुसारेणं । निययतत्थुत्तिसमत्थं, तं भावसुयं मई सेसं ॥६॥ इन्द्रियमनोनिमित्तं, यद्विज्ञानं श्रुतानुसारेण । निजकार्योक्तिसमर्थं, तद् भावश्रुतं मतिः शेषम् ।।६।। ६७९. ६८०. मइपुव्वं सुयमुत्तं, न मई सुयपुब्विया विसेसोऽयं । पुव्वं पूरणपालण-भावाओ जं मई तस्स ॥७॥ मतिपूर्वं श्रुतमुक्तं, न मतिः श्रुतपूर्विका विशेषोऽयम् । पूर्वं पूरणपालन-भावाद्यद् मतिस्तस्य ।।७।। ६८१. अवहीयदित्ति ओही, सीमाणाणेत्ति वण्णियं समए । भवगुणपच्चय-विहियं, तमोहिणाण त्ति णं बिंति ॥८॥ अवधीयत इत्यवधिः, सीमाज्ञानमिति वर्णितं समये । भवगुणप्रत्ययविधिकं, तदवधिज्ञानमिति ब्रुवन्ति ।।८।। ६८२. चिंतियमचिंतियं वा अद्धं चिंतियं अणेयभेयगयं । मणपज्जव त्ति णाणं, जं जाणइ तं तु णरलोए ॥९॥ चिन्तितमचिन्तितं वा, अर्द्धं चिन्तितमनेकभेदगतम् । मनःपर्ययः इति ज्ञानं, यज्जानाति तत्तु नरलोके ।।९।। ६८३. केवलमेगं सुद्धं, सगलमसाहारणं अणंतं च । पायं च नाणसद्दो, नामसमाणाहिगरणोऽयं ॥१०॥ केवलमेकं शुद्धं, सकलमसाधारणमनन्तं च । प्रायश्च ज्ञानशब्दो, नामसमानाधिकरणोऽयम् ।।१०।। Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૬૭૮. ૬૭૯. ૬૮૦. ૬૮૧. ૬૮૨. ૬૮૩. ૨૧૯ શબ્દ દ્વારા વિવિધ પદાર્થોનું જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાન શબ્દઆધારિત છે, અને તેની સાથે મતિજ્ઞાન અનિવાર્ય રૂપે હોય છે. ઇન્દ્રિયો અને મન દ્વારા શાસ્ત્રના અધ્યયનથી જે જ્ઞાન મળે તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન પોતાના વિષયનું શબ્દ દ્વારા વિવેચન કરી શકતું હોવાથી અન્યને બોધ કરી શકે છે. શાસ્ત્ર કે શબ્દ સિવાયનું મન-ઈન્દ્રિય દ્વારા થતું જ્ઞાન મતિજ્ઞાન છે. વિશેષતા એ છે કે શ્રુતજ્ઞાન હોય ત્યાં તેની પૂર્વે મતિજ્ઞાન હોય જ, પરંતુ મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય જ એવું નથી. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું પાલક - પોષક છે. સ્થળ, કાળ, વસ્તુ અને ભાવને વિવિધ સીમાઓ સુધી જાણવાની શક્તિને અવધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અતીન્દ્રિય હોવા છતાં સંપૂર્ણ નથી હોતું - અમુક ભાગ પૂરતું હોય છે. દેવ-નારકીના જીવોને આ જ્ઞાન ભવપ્રત્યય (જન્મજાત) હોય છે, મનુષ્યને ગુણપ્રત્યય (કર્મક્ષયથી ઉત્પન્ન થનાર) હોય છે. મનુષ્યક્ષેત્રમાં રહેલા જીવોના મનના ચિંતિત, અચિંતિત કે અર્થચિંતિત વગેરે અનેક પ્રકારના વિચારોને જે જ્ઞાન દ્વારા જાણી શકાય છે તેને મન:પર્યવજ્ઞાન કહે છે. કેવળ એટલે એક, શુદ્ધ, સંપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમણસુત્ત ६८४. संभिन्नं पासंतो, लोगमलोगं च सव्वओ सव्वं । तं नत्थि जं न पासइ, भूयं भव्वं भविस्सं च ॥११॥ संभिन्नं पश्यन्, लोकमलोकं च सर्वतः सर्वम् । तत्रास्ति यन्न पश्यति, भूतं भव्यं भविष्यच्च ।।११।। (आ) प्रत्यक्ष-परोक्ष प्रमाण ६८५. गेगइ वत्थुसहावं, अविरुद्धं सम्मरूवं जं णाणं । भणियं खु तं पमाणं, पच्चक्खपरोक्खभेएहिं ॥१२॥ गृह्णाति वस्तुस्वभावम्, अविरुद्धं सम्यग्रूपं यज्ज्ञानम् । भणितं खलु तत् प्रमाणं, प्रत्यक्षपरोक्षभेदाभ्याम् ।।१२।। ६८६. जीवो अक्खो अत्थव्ववण - भोयणगुणन्निओ जेणं । तं पइ वट्टइ नाणं, जे पच्चक्खं तयं तिविहं ॥१३॥ जीवः अक्षः अर्थव्यापन - भोजनगुणान्वितो येन । तं प्रति वर्तते ज्ञानं, यत् प्रत्यक्षं तत् त्रिविधम् ।।१३।। ६८७. अक्खस्स पोग्गलकया, जं दविन्दियमणा परा तेणं । तेहिं तो जं नाणं, परोक्खमिह तमणुमाणं व ॥१४॥ अक्षस्य पुद्गलकृतानि यत्, द्रव्येन्द्रियमनांसि पराणि तेन । तैस्तस्माद् यज्ज्ञानं, परोक्षमिह तदनुमानमिव ।।१४।। ६८८. होति परोक्खाई मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ । पव्वोवलद्धसंबंध-सरणाओ वाणुमाणं व ॥१५॥ भवतः परोक्षे मति-श्रुते जीवस्य परनिमित्तात् । पूर्वोपलब्धसम्बन्ध-स्मरणाद् वाऽनुमानमिव ।।१५।। ६८९. एगंतेण परोक्खं, लिंगियमोहाइयं च पच्चक्खं । इंदियमणोभवं जं, तं संववहारपच्चक्खं ॥१६॥ एकान्तेन परोक्षं, लैंगिकमध्यादिकं च प्रत्यक्षम् । इन्द्रियमनोभवं यत्, तत् संव्यवहारप्रत्यक्षम् ।।१६।। Page #246 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૬૮૪. (મા) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ ૬૮૫. ૬૮૬. ૬૮૭. ૬૮૮. ૬૮૯. ૨૨૧ કેવળજ્ઞાની સમસ્ત જગતને સંપૂર્ણ રીતે જાણે છે; ભૂત, ભવિષ્ય કે વર્તમાનની એવી કોઈ વસ્તુ નથી જેને કેવળજ્ઞાન ન જાણતું હોય. વસ્તુ સ્વભાવને અવિરુદ્ધ રૂપે - સમ્યરૂપે જે જ્ઞાન જણાવે છે તેને પ્રમાણ કહે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદનું છે. અક્ષ એટલે આત્મા; જે જ્ઞાનઆત્માને સાક્ષાત્—સીધું થાય તે પ્રત્યક્ષ જ્ઞાન. આત્મપ્રત્યક્ષ જ્ઞાન ત્રણ છે અવધિ, મન:પર્યવ અને કેવળ (કારણ કે તે સીધાં આત્માને થાય છે - ઈન્દ્રિયો દ્વારા નથી થતા.) ઈન્દ્રિય અને મન આત્માથી ભિન્ન છે, પુદ્ગલરચિત છે. તેના માધ્યમથી થાય તે પરોક્ષ જ્ઞાન. અનુમાન જેમ પરોક્ષ હોય છે તેમ ઈન્દ્રિયજ્ઞાન પણ પરોક્ષ જ છે. ૫૨ના માધ્યમથી (ઈન્દ્રિયોના માધ્યમથી) થનારાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અનુમાન વખતે પૂર્વે મેળવેલું જ્ઞાન જેમ સહાયક બને છે તેમ મતિ - શ્રુતમાં પણ પૂર્વજ્ઞાત અર્થની સ્મૃતિ સહાયક બને છે. માટે મતિ-શ્રુત પણ પરોક્ષ છે. ધૂમાડાની નિશાનીથી અગ્નિનું જ્ઞાન થાય છે; આવું અનુમાન જ્ઞાન પરોક્ષ છે એ તો સ્પષ્ટ છે. અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણ પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને વ્યાવહારિક દૃષ્ટિએ પ્રત્યક્ષ કહેવાં હોય તો જરૂર કહી શકાય. For Private Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ६९०. ३९. नयसूत्र जं णाणीण वियप्पं, सुयभेयं वत्थुअंससंगहणं । तं इह णयं पउत्तं, णाणी पुण तेण णाणेण ॥१॥ यो ज्ञानिनां विकल्पः, श्रुतभेदो वस्त्वंशसंग्रहणम् । स इह नयः प्रयुक्तः, ज्ञानी पुनस्तेन ज्ञानेन ।।१।। ६९१. ६९२. जम्हा ण णएण विणा, होइ णरस्स सियवायपडिवत्ती । तम्हा सो बोहव्वो, एयंतं हंतुकामेण ॥२॥ यस्मात् न नयेन विना, भवति नरस्य स्याद्वादप्रतिपत्तिः । तस्मात् स बोद्धव्यः, एकान्तं हन्तुकामेन ।।२।। धम्मविहीणो सोक्खं, तण्हाछेयं जलेण जह रहिदो । तह इह वंछइ मूढो, णयरहिओ दव्वणिच्छिती ॥३॥ धर्मविहीनः सौख्यं, तृष्णाच्छेदं जलेन यथा रहितः । तथेह वाञ्छति मूढो, नयरहितो द्रव्यनिश्चितिं ।।३।। तित्थयरवयणसंगह-विसेसपत्थार-मूलवागरणी । दव्वढिओ य पज्जवणओ, य सेसा वियप्पा सिं ॥४॥ तीर्थंकरवचनसंग्रहविशेषप्रस्तार - मूलव्याकरणी । द्रव्यार्थिकश्च पर्यवनयश्च, शेषाः विकल्पाः एतेषाम् ।।४।। ६९३. ६९४. दव्वट्ठियवत्तव्वं, अवत्थु णियमेण पज्जवणयस्स । तह पज्जववत्थु, अवत्थुमेव दव्वट्ठियनयस्स ॥५॥ द्रव्यार्थिकवक्तव्यं अवस्तु नियमेन पर्यवनयस्य । तथा पर्यववस्तु, अवस्तु एव द्रव्यार्थिकनयस्य ।।५।। ६९५. उप्पज्जति वियंति य, भावा नियमेण पज्जवनयस्स । दव्वट्ठियस्स सव्वं, सया अणुप्पन्नमविणळें ॥६॥ उत्पद्यन्ते व्ययन्ति च, भावा नियमेन पर्यवनयस्य । द्रव्यार्थिकस्य सर्वं, सदानुत्पन्नमविनष्टम् ।।६।। Page #248 -------------------------------------------------------------------------- ________________ ૬ ૯૦. ૩૯. નયસુત્ર વસ્તુના આંશિક સ્વરૂપને પકડનારો, શ્રુતજ્ઞાનાધારિત અને જ્ઞાતાનો હદયગત જે આશય તેને નય કહે છે. જે નયને જાણે છે તે જ્ઞાની છે. (પ્રમાણજ્ઞાન વસ્તુના વિવિધ પાસાંને એક સાથે પકડનારું કથન છે. નયજ્ઞાન વસ્તુના કોઈ એક પાસાંની સાથે સંબંધ રાખે છે, અન્ય પાસા અંગે તે મૌન હોય છે. નય એટલે ભિન્ન ભિન્ન આશય અથવા દૃષ્ટિકોણ.) નયને સમજ્યા વિના કોઈ વ્યક્તિ સ્યાદ્વાદને સમજી શકે નહિ. માટે, એકાન્તવાદથી જેને બચવું હોય તેણે નચોને સારી રીતે સમજી લેવા. ૬ ૯૧. ૬ ૯ ર. ધર્મ વિના કોઈ સુખી થવા ઈચ્છે અથવા પાણી વિના કોઈ તરસ છિપાવવા માગે તો તે વ્યક્તિ મૂર્ખ છે, તેમ નયના આધાર વિના. જે વ્યક્તિ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવા ઈચ્છે તે મૂઠ છે. ૬ ૯૩. ૬ ૯૪. તીર્થકરની વાણીના બે મુખ્ય પ્રકાર છે – કેટલાંક વચન વસ્તુના સામાન્ય ધર્મના નિરૂપક છે, બીજાં વિશેષ ધર્મનાં નિરૂપક છે. સામાન્ય ધર્મપ્રતિપાદક દૃષ્ટિકોણને દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને વિશેષ ધર્મપ્રતિપાદક કથનને પર્યાયાર્થિક નય કહેવાય છે. બાકીના નયો આ બે નયના જ પેટાભેદ છે. જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે તે પર્યાયાર્થિક નયનો વિષય નથી અને જે પર્યાયાર્થિક નયનો વિષય છે તે કદી દ્રવ્યાર્દિકનો વિષય થતો નથી. (વ્યાર્થિક નય વસ્તુના સામાન્ય ધર્મનું જ ગ્રહણ કરે છે, પર્યાયાર્થિક નય વસ્તુના માત્ર વિશેષ ધર્મોનું જ ગ્રહણ કરે છે.) પર્યાયાર્થિક (વિશેષગ્રાહી) નયની દષ્ટિએ પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેમનો નાશ પણ થાય છે, જ્યારે દ્રવ્યાર્થિક (સામાન્યગ્રાહી) દષ્ટિએ બધું જ અનુત્પન્ન અને અવિનાશી છે. ૬ ૯૫. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમણમુક્ત ६९७. ६९८. ६९९. दवट्टिएण सव्वं, दव्वं तं पज्जयट्टिएण पुणो । हवदि य अन्नमणनं, तक्काले तम्मयत्तादो ॥७॥ द्रव्यार्थिकेन सर्वं, द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः । भवति चान्यद् अनन्यत्-तत्काले तन्मयत्वात् ।।७।। पज्जयं गउणं किच्चा, दव्वं पि य जो हु गिण्हइ लोए । सो दव्वत्थिय भणिओ, विवरीओ पज्जयत्थिणओ ॥८॥ पर्ययं गौणं कृत्वा, द्रव्यमपि च यो हि गृह्णाति लोके । स द्रव्यार्थिको भणितो, विपरीतः पर्ययार्थिनयः ।।८।। नेगम-संगह-ववहार-उज्जुसुए चेव होई बोद्धव्वा । सद्दे य समभिरूढे, एवंभूए य मूलनया ॥९॥ नैगम-संग्रह-व्यवहार-ऋजुसूत्रश्च भवन्ति बोद्धव्याः । शब्दश्च समभिरूढः, एवंभूतश्च मूलनयाः ।।९।। पढमतिया दव्वत्थी, पज्जयगाही य इयर जे भणिया । ते चदु अत्थपहाणा, सद्दपहाणा हु तिण्णि या ॥१०॥ प्रथमत्रिकाः द्रव्यार्थिकाः, पर्यायग्राहिणश्चेतरे ये भणिताः । ते चत्वारोऽर्थप्रधानाः, शब्दप्रधानाः हि त्रयो नयाः ।।१०।। णेगाइं माणाई, सामन्नोभयविसेसनाणाई । जं तेहिं मिणइ तो, णेगमो णओ णेगमाणो त्ति ॥११॥ नैकानि मानानि, सामान्योभय-विशेषज्ञानानि । यत्तैर्मिनोति ततो, नैगमो नयो नैकमान इति ।।११।। णिवित्त दवकिरिया, वट्टणकाले दु जं समाचरणं । तं भूयणइगमणयं, जह अज्जदिणं निब्बुओ वीरो ॥१२॥ निर्वृत्ता द्रव्यक्रिया, वर्तने काले तु यत् समाचरणम् । स भूतनैगमनयो, यथा अद्य दिनं निर्वृतो वीरः ।।१२।। पारद्धा जा किरिया, पयणविहाणादि कहइ जो सिद्धं । लोए य पुच्छमाणे, तं भण्णइ वट्टमाणणयं ।।१३।। प्रारब्धा या क्रिया, पचनविधानादि कथयति यः सिद्धाम् । लोके च पृच्छयमाने, स भण्यते वर्तमाननयः ।।१३।। ७००. ७०१. ७०२. Page #250 -------------------------------------------------------------------------- ________________ સ્યાવાદ ૨૨૫ દ્રવ્યાર્થિક દૃષ્ટિકોણથી બધાં પદાર્થો માત્ર દ્રવ્ય જ છે. પણ પર્યાયાર્થિક નયના હિસાબે બધાં પદાર્થો ભિન્ન છે. જ્યારે જે નયથી જોવામાં આવે ત્યારે તે વસ્તુ તેવી જ ભાસે છે. ૬૯૭. જગતમાં જે દષ્ટિબિંદુ પર્યાયને ગૌણ કરી દ્રવ્યને જ લક્ષ્યમાં લે છે તે દ્રવ્યાર્થિક નય છે; એનાથી ઉલટું, દ્રવ્યને ગૌણ કરી પર્યાયને મહત્વ આપે છે તે પર્યાયાર્થિક નય છે. મૂળ નયો સાત છે : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. ૬ ૯૮. ૬ ૯૯. પ્રથમનાં ત્રણ દ્રવ્યાર્થિક છે, પછીનાં ચાર પર્યાયાર્થિક છે. બીજી રીતે પ્રથમનાં ચાર નય અર્થપ્રધાન છે, છેલ્લાં ત્રણ શબ્દપ્રધાન છે. ૭૦૦. ૭૦૧. નૈગમ નય સામાન્ય, વિશેષ અને ક્યારેક બંને સાથે – એવાં જાતજાતનાં ધોરણોથી વસ્તુનું નિરૂપણ અથવા દૈનિક વ્યવહાર કરે છે. જેનો એક જ “ગમ” (ધોરણ) નથી તે નૈગમ. (નગમ નયના બદલાતાં ધોરણોનાં દૃષ્ટાંતો.) ભૂતકાળના પદાર્થ કે કાર્યનું વર્તમાનમાં આરોપણ કરે તે ભૂતનૈગમ. દા.ત. હજારો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો, એનું આજની તિથિ પર આરોપણ કરીને કહેવાય છે : “આજે ભગવાનનો જન્મ દિવસ છે.” રાંધવા - કરવાની ક્રિયા હજી શરૂ કરી હોય છતાં તે કાર્ય જાણે થઈ ગયું હોય તેમ કહેવું તે વર્તમાન નૈગમ નય છે. ખીચડી હજી ચૂલા પર હોય છતાં કોઈ પૂછે તો કહી દેવાય છે કે “આજે ખીચડી રાંધી છે”. ૭૦ ૨. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમણસુત્ત ७०३. णिप्पण्णमिव पयंपदि, भाविपदत्थं णरो अणिपण्णं । अप्पत्थे जह पत्थं, भण्णइ सो भावि णइगमो त्ति णओ ||१४|| निष्पन्नमिव प्रजल्पति, भाविपदार्थं नरोऽनिष्पन्नम् । अप्रस्थे यथा प्रस्थः, भण्यते स भाविनैगम इति नयः ।।१४।। ७०४. अवरोप्परमविरोहे, सव्वं अत्थि त्ति सुद्धसंगहणे । होइ तमेव असुद्धं, इगजाइविसेसगहणेण ।।१५।। परस्परमविरोधे, सर्वमस्तीति शुन्द्रसंग्रहणम् । भवति स एवाशुद्धः, एकजातिविशेषग्रहणेन ।।१५।। ७०५. जं संगहेण गहियं, भेयइ अत्थं असुद्धं सुद्धं वा । सो ववहारो दुविहो, असुद्धसुद्धत्थभेयकरो ॥१६॥ यः संग्रहेण गृहीतं, भिनत्ति अर्थं अशुद्धं शुद्धं वा । स व्यवहारो द्विविधोऽशुद्धशुद्धार्थभेदकरः ।।१६।। ७०६. जो एयसमयवट्टी, गिह्णइ दब्वे धुवत्तपज्जायं । सो रिउसुत्तो सुहुमो, सव्वं पि सदं जहा खणियं ॥१७॥ यः एकसमयवर्तिनं, गृह्णाति द्रव्ये ध्रुवत्वपर्यायम् । स ऋजुसूत्रः सूक्ष्मः, सर्वोऽपि शब्दः यथा क्षणिकः ।।१७।। ७०७. मणुयाइयपज्जाओ, मणुसो त्ति सगढ़िदीसु वटतो । जो भणइ तावकालं, सो थूलो होइ रिउसुत्तो ॥१८॥ मनुजादिकपर्यायो, मनुष्य इति स्वकस्थितिषु वर्तमानः । यः भणति तावत्कालं, स स्थूलो भवति ऋजुसूत्रः ।।१८।। Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૭૦૩. ૭૦૪. ૨૨૭ હજી હવે બનનારી બાબતને, જાણે તે બની ગઈ હોય તેમ કહેવી તે ભાવિ નૈગમનાય છે. કોઈનું જવાનું નક્કી થઈ ગયું હોય પણ હજી ત્યાં જવા નીકળ્યો ન હોય. તોય એના વિશે “અમુક સ્થાને ગયો” એવું બોલાતું હોય છે. પરસ્પર વિરોધને લક્ષ્યમાં લીધા વગર પદાર્થોને સતસ્વરૂપ એકમાં સમાવી લેવા તે શુદ્ધ સંગ્રહ નય છે. કોઈ એક જાતિની વ્યક્તિગત સર્વ વસ્તુઓને એક લેખવી તે અશુદ્ધ સંગ્રહ નય છે. (“બધાં જ પદાર્થ દ્રવ્ય છે, બધા જ સત્ છે.” વગેરે શુદ્ધ સંગ્રહ નયનાં કથન છે. વિવિધ દેશ - જાતિ - અવસ્થાના મનુષ્યોને “મનુષ્ય” ગણવા કે બધી જાતની ગાયોને “ગાય” કહેવી એ અશુદ્ધ સંગ્રહ નયનાં ઉદાહરણ છે) સંગ્રહનયથી વણિત વસ્તુઓના પાછાં ભેદ પાડે તેને વ્યવહારનય કહે છે. તે પણ બે પ્રકારનો છે – શુદ્ધ વ્યવહાર નય અને અશુદ્ધ વ્યવહાર નય. (સત્ તરીકે સંગ્રહ નય જેમને એક દ્રવ્ય ગણે છે તેના ધર્મ, અધર્મ, આકાશ વગેરે ભેદ પાડવા એ શુદ્ધ વ્યવહાર નય છે; બધી ગાયો, ગાયો હોવા છતાં “ગાયો દોહી લો” એમ કહેતી વખતે મનમાં પોતાની ગાયો જ અભિપ્રેત હોય છે. આ અશુદ્ધ વ્યવહાર નય છે.) વસ્તુની એક-એક સમયની અવસ્થા પર દૃષ્ટિ સ્થાપીને જે કથન કરાય તે સૂક્ષ્મ જુસૂત્ર નય છે. દા.ત. “શબ્દ ક્ષણિક છે” એ કથન. (શબ્દ બીજી જ ક્ષણે નાશ પામે છે, તે શબ્દરૂપે નાશ પામે છે, પદાર્થરૂપે તો રહે છે. હિંદુ જુસૂચનય દ્રવ્યને લક્ષ્યમાં નથી લેતો, પર્યાયનો જ વિચાર કરે છે) ૭૦૫. ૭૦૬. ૭૦૭. અમુક સમય મર્યાદા સુધી ચાલુ રહેનાર અવસ્થાઓને સ્વીકારે તે સ્થળ જુસૂત્રનય છે. જેમ કે મનુષ્ય દેહમાં હોય ત્યાં સુધી જીવને મનુષ્ય ગણવો. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમણમુક્ત ७०८. ७०९. सवणं सपइ स तेणं, व सप्पए वत्थु जं तओ सद्दो। तस्सत्थपरिग्गहओ, नओ वि सद्दो त्ति हेउ व्व ॥१९॥ शपनं शपति स तेन, वा शप्यते वस्तु यत् ततः शब्दः । तस्यार्थपरिग्रहतो, नयोऽपि शब्द इति हेतुरिव ।।१९।। जो वट्टणं ण मण्णइ, एयत्थे भिन्नलिंगआईणं । सो सद्दणओ भणिओ, णेओ पुस्साइआण जहा ॥२०॥ यो वर्तनं न मन्यते, एकार्थे भिन्नलिंगादीनाम् । स शब्दनयो भणितः, ज्ञेयः पुष्यादीनां यथा ।।२०।। अहवा सिद्धे सद्दे, कीरइ जं किं पि अत्थववहरणं । तं खलु सद्दे विसयं, 'देवो' सद्देण जह देवो ॥२१॥ अथवा सिद्धः शब्दः, करोति यत् किमपि अर्थव्यवहरणम् । तत् खलु शब्दस्य विषयः, 'देव' शब्देन यथा देवः ।।२१।। ७१०. ७११.. सद्दारूढो अत्थो, अत्थारूढो तहेव पुण सद्दो । भणइ इह समभिरूढो, जह इंद पुरंदरो सक्को ॥२२॥ शब्दारूढोऽर्थोऽर्थारूढस्तथैव पुनः शब्दः । भणति इह समभिरूढो, यथा इन्द्रः पुरन्दरः शक्रः ।।२२।। ७१२. एवं जह सहत्थो, संतो भूओ तदन्नहाऽभूओ । तेणेवंभूयनओ, सहत्थपरो विसेसेण ॥२३॥ एवं यथा शब्दार्थः, सन् भूतस्तदन्यथाऽभूतः । तेनैवंभूतनयः, शब्दार्थपरो विशेषेण ।।२३।। Page #254 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૭૦૮. ૨૨૯ કંઈપણ કથન કરવું તેનું નામ શબ્દ. કથન માટે જે વર્ણસમૂહોનો ઉપયોગ કરાય છે તે પણ શબ્દ છે. શબ્દના અર્થ ઉપર ધ્યાન આપનાર નયને શબ્દનય કહ્યો છે. ૭૦૯. એકાર્યવાચક શબ્દમાં પણ શબ્દનય લિંગભેદે અર્થભેદ માને છે. જેમ કે મુખ્ય શબ્દ પુલ્ડિંગમાં નક્ષત્રવાચી છે, સ્ત્રીલિંગમાં “પુષ્પા” રૂપે કહેવાય તો તે એક સ્વતંત્ર તારાનો વાચક છે એમ શબ્દનય કહેશે. શબ્દનય એમ પણ માને છે કે વ્યાકરણ દ્વારા જે અર્થ નીકળે છે તે અર્થમાં જ તે શબ્દનો વ્યવહાર થવો જોઈએ. દેવ એટલે દેવલોકમાં રહેલો દેવ જ, અન્ય કોઈને દેવ. કહી શકાય નહિ. ૭૧ ૦. ૭૧૧. સમભિરૂઢ નય એવું માને છે કે અર્થ જેમ શબ્દ પર આરૂઢ છે – શબ્દથી બંધાયેલો છે તેમ શબ્દ પણ અર્થથી બંધાયેલો છે. અર્થાત્ દરેક શબ્દ ભિન્ન ભિન્ન પદાર્થનો વાચક છે, પછી ભલે તે પર્યાયવાચી ગણાતો હોય. ઈન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન ભિન્ન અર્થ જણાવે ૭૧ ૨. (સમભિરૂઢ નયના મતે દરેક શબ્દ ભિન્ન ભિન્ન પદાર્થનો બોધક છે. ઈન્દ્ર શબ્દ ઈન્દ્રના એશ્વર્યનો વાચક છે, પુરંદર શબ્દ પુર નામના શગુનો ઈને નાશ કર્યો એટલો જ અર્થ દર્શાવે છે.) જ્યારે શબ્દાર્થ પ્રમાણે પદાર્થ વિદ્યમાન હોય છે ત્યારે જ તે શબ્દ તેના માટે પ્રયોજી શકાય એમ એવંભૂત નય કહે છે. (શબ્દથી સૂચિત ક્રિયા કે ગુણ જ્યારે પદાર્થમાં જણાતા ન હોય ત્યારે તે શબ્દ તેને લાગુ પડે નહિ. આ નય મુજબ, ઈન જ્યારે પુરનો નાશ કરતો હતો ત્યારે જ પુરંદર હતો. ઈન્દ્રને હંમેશાં પુરંદર કહી શકાય નહિ.) Page #255 -------------------------------------------------------------------------- ________________ २30 સમણસુત્ત ७१३. जं जं करेइ कम्म, देही मणवयणकायचेट्ठादो । तं तं खु णामजुत्तो, एवंभूओ हवे स णओ ॥२४॥ यद् यद् कुरुते कर्म, देही मनोवचनकायचेप्टातः । तत् तत् खलु नामयुक्तः, एवंभूतो भवेत् सः नयः ।।२४।। ४०. स्याद्वाद व सप्तभंगीसूत्र अवरोप्परसावेक्खं, णयविसयं अह पमाणविसयं वा । तं सावेखं भणियं, णिरवेक्खं ताण विवरीयं ॥१॥ परस्परसापेक्षो, नयविषयोऽथ प्रमाणविषयो वा । तत् सापेक्षं भणितं, निरपेक्षं तयोर्विपरीतम् ।।१।। ७१४. ७१५. णियमणिसेहणसीलो, णिपादणादो य जो हु खलु सिद्धो । सो सियसद्दो भणिओ, जो सावेक्खं पसाहेदि ॥२॥ . नियमनिषेधनशीलो, निपातनाच्च यः खलु सिद्धः । स स्याच्छब्दो भणितः, यः सापेक्षं प्रसाधयति ।।२।। ७१६. सत्तेव हुंति भंगा पमाणणयदुणयभेदजुत्ता वि । सिय सावेक्खं पमाणं, णएण णय दुणय णिरवेक्खा ॥३॥ सप्तैव भवन्ति भंगाः, प्रमाणनयदुर्नयभेदयुक्ताः अपि । स्यात् सापेक्षं प्रमाणं, नयेन नया दुर्नया निरपेक्षाः ।।३।। ७१७. अस्थि त्ति णत्थि दो वि य, अव्वत्तव्वं सिएण संजुत्तं । अव्वत्तव्वा ते तह, पमाणभंगी सुणायव्वा ॥४॥ अस्तीति नास्ति द्वावपि, च अवक्तव्यं स्याता संयुक्तम् । अवक्तव्यास्ते तथा, प्रमाणभंगी सुज्ञातव्या ।।४।। Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૭૧ ૩. ૨૩૧ માણસ જ્યારે મન-વચન-કાયા દ્વારા કોઈ કાર્ય કરી રહ્યો હોય ત્યારે જ તેને તે તે નામથી ઓળખી શકાય એમ એવંભૂત નય માને છે. સેવા કરતો હોય ત્યાં સુધી જ કોઈને સેવક કહી શકાય, પછી નહિ. ૭૧૪, ૧પ. ૪૦. સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્રો કોઈપણ કથન એક નયથી થતું હોય કે સર્વ નયોને સમાવનારા. પ્રમાણથી થતું હોય, તેમાં અન્ય નયોની અપેક્ષા ગર્ભિત કે સ્પષ્ટ રૂપમાં હોય ત્યાં સુધી જ તે સાપેક્ષ કથન રહે છે, અન્યથા તે નિરપેક્ષ અને એકાંત બની જાય છે. કોઈપણ કથનમાં એકાંત અથવા એક જ દૃષ્ટિકોણ ના આવી જાય તે માટે ચાતુ શબ્દસહિત કથન કરવું તે સ્યાદ્વાદ છે. (ચા સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તેનો અર્થ છે: “હોઈ શકે. આનાથી વસ્તુના અન્ય પાસાંના અસ્તિત્વનું સૂચન થાય છે. અન્ય અપેક્ષાએ વસ્તુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે એવા આશય સાથે કથન કરવું એ સ્યાદ્વાદ છે.) પ્રમાણથી, નયથી કે દુર્નયથી થતાં કથનીનાં દરેકનાં સાત સાત ભંગ(ભદ) થાય છે. “ચા”ના સ્પષ્ટ ઉચ્ચાર સાથે થતું કથન પ્રમાણવાક્ય છે. “ચા”નૉ. પ્રગટ ઉરચાર ન હોય પણ તેની ગર્ભિત ખ્યાલ રાખીને કથન થતું હોય તો તે નાચવાક્ય છે. “ચાત”ના પ્રગટ કે અપ્રગટ સંબંધ વિના કરેલું કથન દુર્નચવાકય ગણાય. એ એકાંતવાદ બની જાય છે અને તેથી દુર્નયનું કથન અસત્ય ઠરે છે. અસ્તિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ - અવ્યક્તવ્ય, નાસ્તિ - અવક્તવ્ય, અસ્તિ – નાસ્તિ – અવક્તવ્ય – કોઈ પણ વસ્તુ અંગે આવાં સાત કથન થઈ શકે છે. દરેકની સાથે રશીત શબ્દ જોડીએ તો. તે પૂર્ણ અને શુદ્ધ પ્રમાણ વાક્ય બને. એને સપ્તભંગી કહે ૩૧ ૬. ૭૧ ૭. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમણસુત્ત ७१८. अत्थिसहावं दव्वं, सद्दव्वादीसु गाहियणएण । तं पि य णत्थिसहावं, परदव्वादीहि गहिएण ॥५॥ अस्तिस्वभावं द्रव्यं, स्वद्रव्यादिषु ग्राहकनयेन । तदपि च नास्तिस्वभावं, परद्रव्यादिभिर्गृहीतेन ।।५।। ७१९. उहयं उहयणएण, अव्वत्तव्वं च तेण समुदाए । ते तिय अव्वत्तव्वा, णियणियणयअत्थसंजोए ।।६।। उभयमुभयनयेना-वक्तव्यं च तेन समुदाये । ते त्रिका अवक्तव्या, निजनिजनयार्थसंयोगे ।।६।। Page #258 -------------------------------------------------------------------------- ________________ વ્યાવાદ ૨૩૩ (કોઈ વસ્તુનું કે તેના ગુણધર્મનું કથન સાત પ્રકારે થઈ શકેઃ૧. સ્વની(વસ્તુની પોતાની અપેક્ષાએ વિધેયાત્મક કથનઃ “સ્થાત્ અસ્તિ.” ૨. પરની (અન્ય વસ્તુની) અપેક્ષાએ નિષેધાત્મક કથનઃ સ્યાત્ નાસ્તિ” ૩. ક્રમશઃ સ્વ-પર બંનેની અપેક્ષા લઈને કસતું કથનઃ સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ” ૪. બંને અપેક્ષાનું યુગપત્ર - એક સાથે કથન અશક્ય છે : સ્યાત્ અવક્તવ્ય ૫. સ્વ અપેક્ષાએ અને યુગપત્ કથન: ચાત્ અપ્તિ અવક્તવ્ય.” ૬. પર અપેક્ષાએ અને યુગપત્ કથનઃ “સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય.” ૭. સ્વ - પર અને યુગપતું કથન : સ્માતુ અતિ નાસિ અવક્તવ્ય”) ત્નાત શબ્દ મનોગત રાખીને કથન કરાય તો આ વાક્યો નયવાક્ય (આંશિક વિધાનો) ગણાય. નયવાક્યનાં ઉદાહણ૧. આ ઘડો છે. (સ્વ અપેક્ષા) ૨. આ દડો નથી. (પર અપેક્ષા) ૩. આ ઘડો છે, આ દડો નથી.(ક્રમશઃ) ૪. આ શું છે અને શું નથી તે એક સાથે કહેવું અશક્ય છે. (અવક્તવ્ય) ૫. આ ઘડો છે પણ બધું એક સાથે કહી શકાય નહીં. ૬. આ દડો નથી પણ બધું એક સાથે કહી શકાય નહીં. ૭. આ ઘડો છે, દડો નથી પણ બધું એક સાથે કહી શકાય નહીં.) સ્વ - દ્રવ્ય, સ્વ – ક્ષેત્ર, સ્વ - કાળ અને સ્વ - ભાવની. અપેક્ષાએ દરેક વસ્તુનું હોવાપણું છે, પર-દ્રવ્ય, ૫ર – ક્ષેત્ર, પર – કાલ, અને પર - ભાવની અપેક્ષા એ દરેકનું ન હોવાપણું છે. (પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવના સંદર્ભમાં જ ઘડાનું અસ્તિત્વ છે. અન્ય પદાર્થના સંદર્ભમાં તેનું અસ્તિત્વ નથી. આમ, દરેક દ્રવ્યમાં અસ્તિત્વ – નાસ્તિત્વ, નિત્યત - અનિત્યસ્વ આદિ સ્વ – પર અપેક્ષાએ જ ઘટી શકે છે.) બંને ધર્મોન બંને દષ્ટિએ વારાફરતી લેતાં ઉભયસ્વરૂપ. ત્રીજું કથન થાય છે. બંને ધર્મોને એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય એવો ચોથો પ્રકાર પડે છે. આ બધાંના સંયોજનથી બાકીનાં ત્રણ ભંગ બને છે. ૭૧૮. ૭૧ ૯. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમણસુત્ત ७२०. अत्थि त्ति पत्थि उहयं, अव्वत्तव्वं तहेव पुण तिदयं । तह सिय णयणिरवेक्खं, जाणसु दब्वे दुणयभंगी ॥७॥ अस्तीति नास्त्युभयम-वक्तव्यं तथैव पुनस्त्रितयम् । तथा स्यात् नयनिरपेक्षं, जानीहि द्रव्येषु दुर्नयभंगी ।।७।। ७२१. एकणिरुद्ध इयरो, पडिवक्खो अवरे य सब्भावो । सव्वेसिं स सहावे, कायव्वा होइ तह भंगा ॥८॥ एकनिरुद्धे इतर., प्रतिपक्षो अपरश्च स्वभावः ।। सर्वेषां स स्वभावे, कर्तव्या भवन्ति तथा भंगाः ।।८।। ७२२. ७२३. ४१. समन्वयसूत्र सव्वं पि अणेयंतं, परोक्खरूवेण जं पयासेदि । तं सुयणाणं भण्णदि, संसय-पहुदीहि परिचत्तं ॥१॥ सर्वमपि अनेकान्तं, परोक्षरूपेण यत् प्रकाशयति । तत् श्रुतज्ञानं भण्यते, संशयप्रभृतिभिः परित्यक्तम ।।१।। लोयाणं ववहारं, धम्म-विवक्खाइ जो पसाहेदि । सुयणाणस्स वियप्पो, सो वि णओ लिंगसंभूदो ॥२॥ लोकानां व्यवहारं, धर्मविवक्षया यः प्रसाधयति । श्रुतज्ञानस्य विकल्पः, सः अपि नयः लिंगसम्भूतः ।।२।। णाणाधम्मजुदं पि य, एयं धम्म पि वुच्चदे अत्थ । तस्सेयविवक्खादो णत्थि विवक्खा हु सेसाणं ॥३॥ नानाधर्मयुतः अपि च, एकः धर्मः अपि उच्यते अर्थः । तस्य एकविवक्षातः, नास्ति विवक्षा खलु शेषाणाम् ।।३।। ते सावेक्खा सुणया, हिरवेक्खा ते वि दुण्णया होति । सयल-ववहार-सिद्धी, सुणयादो होदि णियमेण ॥४॥ ते सापेक्षा सुनयाः, निरपेक्षाः ते अपि दुर्नया भवन्ति । सकलव्यवहारसिद्धिः, सुनयाद् भवति नियमेन ।।४।। ७२४. ७२५. Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૭૨૦. ૧૨૧. ૭૨૨. ૭૨૩. ૭૨૪. ૭૨૫. ૨૩૫ આ સાત કથનોને “સ્યા” ના સંદર્ભ વગર અથવા કોઈ નયની અપેક્ષા વગર અને આગ્રહ પૂર્વક કહેવામાં આવે ત્યારે તે દુર્નયનાં વિધાનો બની જાય છે. (અન્ય અપેક્ષાઓનો ખ્યાલ રાખ્યા વિના અથવા અન્ય અપેક્ષાઓનો તદ્દન વિરોધ/નિષેધ કરીને કરાતું કથન ખોટું છે. પ્રમાણ કે નય નથી, દુર્નય છે.) વસ્તુનું કોઈ એક સ્વરૂપે અસ્તિત્વ જણાવવામાં આવે ત્યારે અન્ય સ્વરૂપે તેનું નાસ્તિત્વ આપોઆપ ફલિત થાય છે. આમ, સ્વ - સ્વરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ એ બંને ધર્મ વસ્તુના સ્વભાવમાં જ છે. માટે જ સર્વવસ્તુઓના સર્વ ધર્મોમાં સાત ભંગની યોજના કરી શકાય છે. ૪૧. સમન્વયસૂત્ર જે જ્ઞાન પરોક્ષ રીતે વસ્તુઓનો અનેકાંતિક સ્વભાવ પ્રકાશિત કરે છે, જે સંશય આદિ દોષોથી રહિત છે તેને શ્રુતજ્ઞાન કહે છે. વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનું કથન કરવાની ઈચ્છા અથવા કોઈ એક ધર્મની અપેક્ષા રાખીને લોકવ્યવહાર ચલાવનાર જે વચનપ્રયોગ છે તે નચ છે. એ શ્રુતજ્ઞાનનો જ ભાગ છે. વસ્તુ અનૈર્માત્મક હોવા છતાં ક્યારેક વસ્તુના એક જ ધર્મનું કથન કરાય છે, કારણ કે તે સમયે તેનું પ્રયોજન છે, અન્ય ધર્મોનું નથી, તેથી અન્ય ધર્મોનો ઉલ્લેખ કરાતો નથી. આવાં. એકધર્માવલંબી કથનો, જો મનમાં અન્ય દૃષ્ટિકોણોની અપેક્ષા રાખીને કરાતાં હોય તો તે સુનય છે, અન્ય નયોની ઉપેક્ષા સાથે કરાતાં હોય તો તે દુર્નય છે. જગતનો સમગ્ર વ્યવહાર નિશ્ચિતરૂપે સુનય દ્વારા જ સિદ્ધ થાય છે. For Private Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમણસુd ७२६. जावंतो वयणपहा, तावंतो वा नया 'वि' सदाओ। ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे ॥५॥ यावन्तो वचनपथा-स्तावन्तो वा नयाः 'अपि' शब्दात् । त एव च परसमयाः, सम्यक्त्वं समुदिताः सर्वे ।।५।। ७२७. परसमएगनयमयं, तप्पडिवक्खनयओ निवत्तेज्जा । समए व परिग्गहियं, परेण जं दोसबुद्धीए ॥६॥ परसमयैकनयमतं, तत्प्रतिपक्षनयतो निवर्तयेत् । समये वा परिगृहीतं, परेण यद् दोषवुद्ध्या ।।६।। ७२८. णिययवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ, विभयइ सच्चे व अलिए वा ।।७।। निजकवचनीयसत्याः, सर्वनयाः परविचारणे मोघाः । तान् पुनः न दृष्टसमयो, विभजति सत्यान् वा अलीकान् वा ।।७।। ७२९. न समेन्ति न य समेया, सम्मत्तं नेव वत्थुणो गमगा । वत्थुविघायाय नया, विरोहओ वेरिणो चेव ॥८॥ न समयन्ति न च समेताः, सम्यक्त्वं नैव वस्तुनो गमकाः । वस्तुविघाताय नयाः, विरोधतो वैरिण इव ।।८।। ७३०. सव्वे समयंति सम्मं, चेगवसाओ नया विरुद्धा वि । भिच्च-ववहारिणो इव, राओदासीण-वसवत्ती ॥९॥ सर्वे समयन्ति सम्यक्त्वं, चैकवशाद् नया विरुद्धा अपि । भृत्यव्यवहारिण इव, राजोदासीन-वशवर्तिनः ।।९।। Page #262 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૭ર૬. ૨૩૭ જગતમાં કથનના જેટલા પ્રકાર છે તેટલા નય છે – જો તેમાં અન્ય-અન્ય દૃષ્ટિકોણોનો સ્વીકાર ગર્ભિત હોય તો; ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણવાળાં વચનો હઠવાદી હોય. તો મિથ્યા છે, બધાંનો સરવાળો થાય તો સમ્યક છે. (કોઈપણ વિધાન “આમ પણ હોઈ શકે” એવા આશય સાથે કરાય તો તે નય છે, કિન્તુ “આમ જ છે” એવા નિશ્ચયપૂર્વક કરાય તો તે મિસ્યા છે.) ૭ ૨૭. કોઈ વ્યક્તિએ જે એક નયથી એકાંગી કથન કર્યું હોય તેનો જવાબ તેના પ્રતિપક્ષી નય દ્વારા આપવો જોઈએ. અજ્ઞાન અથવા ઠેષબુદ્ધિથી કોઈએ સત્ય વાતમાં પણ દોષારોપણ કર્યું હોય તો તેનું નિવારણ પણ યોગ્ય નયનું આલંબન લઈને કરવું જોઈએ. ૭ ૨૮. સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચાં હોય છે, પણ કોઈ નય અન્ય નયના વિષયનો વિરોધ કરવાની શક્તિ ધરાવતો નથી. જેણે શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે તે વ્યક્તિ નયોમાં “આટલાં સાચાં અને આટલાં ખોટા” એવા વિભાગ પાડતો નથી. ૭૨ ૯. અન્ય દૃષ્ટિકોણોની ઉપેક્ષા કરનારા નયો કદી પરસ્પર સુમેળ સાધી શકતાં નથી તે બધા ભેગાં મળે તો પણ સમ્યકુ બનતા નથી, તેઓ વસ્તુનો સભ્ય બોધ પણ કરાવતા નથી. પરસ્પર વિરોધી એવા તે એકાંગી નયો, દુશ્મનની જેમ વર્તે છે અને વસ્તુસ્વરૂપના બોધમાં બાધક બને છે. એક બીજાથી જુદી પડતી વાતો કરનારા નય પણ જો અનેકાંતવાદનો આશ્રય લે તો, ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવનારા પણ એક રાજાને આધીન એવા સેવકોની જેમ અથવા આપસમાં લડનારા પરંતુ કોઈ તટસ્થ વ્યક્તિના કહ્યામાં રહેનાર વેપારીઓની જેમ, સમન્વય સાધી શકે છે. ૭૩ ૦. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમાણસુd ७३१. जमणेगधम्मणो वत्थुणो, तदंसे च सव्वपडिवत्ती । अंध व्व गयावयवे तो, मिच्छाद्दिविणो वीसु ॥१०॥ यदनेकधर्मणो वस्तुन-स्तदंशे च सर्वप्रतिपत्तिः । अन्धा इव गजावयवे, ततो मिथ्यादृष्टयो विष्वक ।।१०।। ७३२. जं पुणं समत्तपज्जाय - वत्थुगमग त्ति समुदिया तेणं । सम्मत्तं चक्खुमओ, सव्वगयावयवगहणे व्व ॥११॥ यत्पुनः समस्तपर्याय-वस्तुगमका इति समुदितास्तेन । सम्यक्त्वं चक्षुष्मतः, सर्वगजावयवग्रहणे इव ।।११।। पण्णवणिज्जा भावा, अणंतभागो तु अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुदणिबद्धो ॥१२॥ प्रज्ञापनीयाः भावाः, अनन्तभागः तु अनभिलाप्यानाम् । प्रज्ञापनीयानां पुनः, अनन्तभागः श्रुतनिवद्धः ।।१२।। ७३३. ७३४. सयं सयं पसंसंता, गरहंता परं वयं । जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥१३॥ स्वकं स्वकं प्रशंसन्तः, गर्हयन्तः परं वचः ।। ये तु तत्र विद्वस्यन्ते, संसारं ते व्युच्छ्रिता ।।१३।। ७३५. णाणाजीवा णाणाकम्म, णाणाविहं हवे लद्री । तम्हा वयणविवाद, सगपरसमएहिं वज्जिज्जा ॥१४॥ नानाजीवा नानाकर्म, नानाविधा भवेल्लब्धिः । तस्माद् वचनविवाद, स्वपरसमयैर्वर्जयेत् ।।१४।। ७३६. भई मिच्छादसण-समूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ, संविग्गसुहाहिगम्मस्स ॥१५॥ भद्रं मिथ्यादर्शनसमूहमयस्य अमृतसारस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगम्यस्य ।।१५।। Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૨૩૯ ૭૩૧. અનેકધર્માત્મક વસ્તુના એક ધર્મને જાણીને “સમગ્ર વસ્તુ જાણી લીધી” એવું માનનારા લોકો, હાથીના એક-એક અવયવને તપાસીને આખો હાથી જાણી લીધાનું માનનારા જન્માંધ લોકોની જેમ, મિથ્યાષ્ટિ ૭૩ ૨. ૭૩૩. કોઈ દૃષ્ટિવંત મનુષ્ય હાથીના બધા અંગોને જોઈને હાથીનું રસ્વરૂપ સખ્ય ફરૂપે નિશ્ચિત કરે છે તેમ, વસ્તુના અલગ અલગ પર્યાયોને જણાવનારા બધા નયોને એકત્ર કરીને વસ્તુનો વિચાર કરનારનું દર્શન સમ્યફ છે. જગતમાં જે પદાર્થો વર્ણન કરી શકાય એવાં છે તે બધાં, જેનું વર્ણન નથી કરી શકાતું તેના અનંતમાં ભાગના છે, અને જે વર્ણવી શકાય એવા ભાવો છે તેનો પણ અનંતમો ભાગ જ આગમોમાં વર્ણિત છે. (બધું જ વર્ણવી શકાતું નથી અને વર્ણવી શકાય છે તેટલું લખી કે બોલી શકાતું નથી. આ સંયોગોમાં કોઈપણ બાબત અંગે બધું જ જાણી લીધું હોવાનો દાવો કેવી રીતે કરી શકાય?). પોત-પોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા. ૭૩૪. ૭૩૫. ભિન્ન ભિન્ન જીવો હોય છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં તેમનાં કર્મો અને ભિન્ન ભિન્ન પ્રકારની તેમની શક્તિઓ હોય છે. માટે સ્વમત કે અન્ય મત વિષયક વાદ-વિવાદથી દૂર રહેવું. ૭૩૬. જે મિથ્યા દર્શનોના સમૂહરૂપ છે, જે અમૃત સમાન છે, મોક્ષાર્થી જન જેને સરળતાથી સમજી શકે છે એવી પૂજનીય જિનવાણીનો જય હો ! Page #265 -------------------------------------------------------------------------- ________________ ७३७. ७३८. ४२. निक्षेपसूत्र जुत्तीसुजुत्तमग्गे, जं चउभेएण होइ खलु ठवणं । कज्जे सदि णामादिसु, तं णिक्खेवं हवे समए ॥१॥ युक्तिसुयुक्तमार्गे, यत् चतुर्भेदेन भवति खलु स्थापनम् । कार्ये सति नामादिपु, स निक्षेपो भवेत् समये ।।१।। दव्वं विविहसहावं, जेण सहावेण होइ तं झेयं । तस्स निमित्तं कीरइ, एक्कं पि य दव्व चउभेयं ॥२॥ द्रव्यं विविधस्वभावं, येन स्वभावेन भवति तद्ध्येयम् । तस्य निमित्तं क्रियते, एकमपि च द्रव्यं चतुर्भेदम् ।।२।। णाम टुवणा दव्वं, भावं तह जाण होइ णिक्खेवं । दव्वं सण्णा णाम, दुविहं पि य तं पि विक्खायं ॥३॥ नाम स्थापनां द्रव्यं, भावं तथा जानीहि भवति निक्षेपः । द्रव्ये संज्ञा नाम, द्विविधमपि च तदपि विख्यातम् ||३|| सायार इयर ठवणा, कित्तिम इयरा दु बिंबजा पढमा । इयरा इयरा भणिया, ठवणा अरिहो य णायव्वो ॥४॥ साकारेतरा स्थापना, कृत्रिमेतरा हि बिम्बजा प्रथमा । इतरा इतरा भणिता, स्थापनाऽर्हश्च ज्ञातव्यः ।।४।। ७३९. ७४०. ७४१-७४२. दव्वं खु होइ दुविहं, आगम-णोआगमेण जह भणियं । अरहंत-सत्थ-जाणो, अणजुत्तो दव्व-अरिहंतो ॥५॥ णोआगमं पि तिविहं, देहं णाणिस्स भाविकम्मं च । णाणिसरीरं तिविहं, चुद चत्तं चाविदं चेति ॥६॥ द्रव्यं खलु भवति द्विविधं, आगमनोआगमाभ्याम् यथा भणितम् । अर्हत्शास्त्रज्ञायकः, अनुपयुक्तो द्रव्यार्हन् ।।५।। नोआगमः अपि त्रिविधः, देहो ज्ञानिनो भाविकर्म च । ज्ञानिशरीरं त्रिविधं, च्युतं त्यक्तं च्यावितम् च इति ।।६।। Page #266 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭. ૪૨. નિક્ષેપસૂત્ર કોઈ પણ વસ્તુને, કાર્ય પ્રસંગે, યુક્તિ – વ્યવહાર સંગત રીતે, નામ - સ્થાપના - દ્રવ્ય - ભાવ એવા રૂપમાં રજૂ કરવી તેને શાસ્ત્રોમાં નિક્ષેપ કહ્યો છે. ૭૩૮. દ્રવ્યનો સ્વભાવ વૈવિધ્યપૂર્ણ છે. જે સમયે તેના જે સ્વભાવને મુખ્ય બનાવી વિચાર કે કાર્ય કરવાનાં હોય ત્યારે તેને નામ-સ્થાપના આદિ ચારમાંથી કોઈ પણ ઉપયુક્ત સ્વરૂપે પ્રસ્તુત કરાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપ છે. નામ એટલે દ્રવ્યને ઓળખાવનારી સંજ્ઞા. ૭૩૯. ૭૪ ૦. ૭૪૧-૭૪ ૨. સ્થાપના બે પ્રકારની છે : સાકાર અને નિરાકાર. પ્રતિમા કે ચિત્રરૂપે કોઈ વસ્તુ દર્શાવવી. તે સાકાર સ્થાપના. ગમે તે વસ્તુમાં (તેની આકૃતિ મળતી આવતી ન હોય તો પણ) કોઈ વસ્તુની કલ્પના કરવી તે નિરાકાર સ્થાપના. અહિતની પ્રતિમા તે સાકાર સ્થાપનાઅત છે, અન્ય કોઈ પદાર્થમાં અહિતની કલ્પના કરવી તે નિરાકાર સ્થાપના અહત્ છે. વસ્તુના પૂર્વકાલીન કે ઉત્તરકાલીન સ્વરૂપને પ્રાધાન્ય આપીને રજુઆત થાય તે દ્રવ્યનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપના બે ભેદ છે: આગમ અને નોઆગમ.. (વસ્તુનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને પણ તે વસ્તુરૂપ કહેવાય છે. જ્યારે તેનું એ જ્ઞાન તરફ લક્ષ્ય ન હોય ત્યારે તે “આગમ-દ્રવ્ય નિક્ષેપમાંથી વસ્તુરૂપ છે. દા.ત. અતના ઉપદેશને જાણનારી વ્યક્તિ પણ અરિહંત છે કિંતુ અત્યારે તેનું ધ્યાન તેમાં નથી તો તે “આગમ-દ્રવ્ય નિક્ષેપ” દ્રવ્ય અહત છે. ન્યાયાધીશ જ્યારે કાયદાનો વિચાર નથી કરી રહ્યો ત્યારે તે આગમથી દ્રવ્ય ન્યાયમૂર્તિ છે. નોઆગમથી દ્રવ્યનિક્ષેપના ત્રણ પ્રકાર છેઃ જ્ઞાનીનું શાસર, વસ્તુની Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ સમણસુd ७४३-७४४. आगम-णोआगमदो, तहेव भावो वि होदि दव्वं वा । अरहंतसत्थजाणो, आगमभावो दु अरहंतो ।।७।। तग्गुणए य परिणदो, णोआगमभाव होइ अरहंतो । तग्गुणएई झादा, केवलणाणी हु परिणदो भणिओ ॥८॥ आगमनोआगमतस्तथैव भावोऽपि भवति द्रव्यमिव। अर्हत्शास्त्रज्ञायकः, आगमभावो हि अर्हन् ।।७।। तद्गुणैश्च परिणतो, नोआगमभावो भवति अर्हन् । तद्गुणैर्ध्याता, केवलज्ञानी हि परिणतो भणितः ।।८।। ४३. समापन ७४५. एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरणाणदंसणधरे । अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए त्ति बेमि ॥१॥ एवं स उदाहृतवान् अनुत्तरज्ञा-न्यनुत्तरदर्शी अनुत्तरज्ञानदर्शनधरः । अर्हन् ज्ञातपुत्रो भगवान्, वैशालिको व्याख्यातवानिति ब्रवीमि ।।१।। ७४६. णहि णूण पुरा अणुस्सुयं, अदुवा तं तह णो समुट्ठियं । मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदंसिणा ॥२॥ नहि नूनं पुराऽनुश्रुत-मथवा तत्तथा नो समुत्थितम् । मुनिना सामायिकाद्याख्यातं, ज्ञातेन जगत्सर्वदर्शिना ।।२।। ७४७-७४८. अ अत्ताण जो जाणइ जो य लोगं, जो आगतिं जाणइ णागतिं च । जो सासयं जाण असासयं च, जातिं मरणं च चयणोववातं ॥३॥ अहो वि सत्ताण वि उड्ढं च, जो आसवं जाणति संवरं च । दुक्खं च जो जाणइ णिज्जरं च, सो भासिउमरिहति किरियवादं॥४॥ आत्मानं यः जानाति यश्च लोकं यः आगतिं नागतिं च । यः शाश्वतं जानाति अशाश्वतं च जातिं मरणं च च्यवनोपपातम् ।। अधः अपि सत्त्वानाम् अपि ऊर्ध्वं य आस्रवं जानाति संवरं च । दुःखं च यः जानाति निर्जरां च स भाषितुम् अर्हति क्रियावादान् ।। Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૨૪૩ ૭૪ ૩-૭૪૪. ભાવિ અવસ્થા, ભાવી અવસ્થાનું કર્મ જેણે બાંધી લીધું છે તે વ્યક્તિ. શરીર = ન્યાયમૂર્તિના મૃતદેહને પણ ન્યાયમૂર્તિ કહેવાય છે. ભાવી અવસ્થા = રાજકુમારને સજા કહી દેવાય છે. કર્મ = જેણે તીર્થંકર બનવાનું કર્મ ઉપાર્જન કર્યું છે, પણ હજી તીર્થંકર બન્યો નથી તેને દ્રવ્યઅત કહી શકાય છે.) વસ્તુની પ્રગટ સક્રિય અવસ્થા તે ભાવનિક્ષેપ છે. તેના પણ દ્રવ્યની જેમ. આગામ-નોઆગમ એવા બે ભેદ છે. અહિતના ઉપદેશને જાણનારો. જ્યારે તેમાં તેનું ધ્યાન (ઉપ યોગ) હોય ત્યારે આગમથી ભાવ - અહિત્ છે. જેની અંદર અહિના સર્વ ગુણો પ્રગટ થઈ ચૂક્યા છે, જે કેવળજ્ઞાની છે તે નોઆગમથી ભાવ અહંત છે. ૭૪પ. ૪૩. સમાપનસૂત્ર આમ આપ્યો હતો ઉપદેશ એ અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાન - દર્શનવંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક તરીકે પ્રખ્યાત એવા ભગવાન મહાવીરે. ૭૪૬. ૭૪૭-૭૪૮. એ પરમ મુનિએ - સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તે સાંભળ્યો નથી ને કાં તો તેનું સમ્યક આચરણ કર્યું નથી. જે પોતાને જાણે છે, જે લોકને જાણે છે, આગતિ – ગતિ, શાશ્વત - અશાશ્વત, જન્મ - મરણ, વન - ઉપપાત, આત્માની નિમ્નતા - ઉચ્ચતા, આસવ, સંવર, દુઃખ અને દુઃખનો નાશ – આ સઘળું જે જાણે છે તે જ સાચા આચારમાર્ગનું-ક્રિયામાર્ગનું નિરૂપણ કરી શકે Page #269 -------------------------------------------------------------------------- ________________ २४४ ७४९. ७५०. સમણસુત્ત लद्धं अलद्धपुव्वं, जिणवयण-सुभासिदं अमिदभूदं । गहिदो सुग्गइमग्गो, णाहं मरणस्स बीहेमि ॥५॥ लब्धमलब्धपूर्वं, जिनवचन-सुभाषितं अमृतभूतम् । गृहीतः सुगतिमार्गो, नाहं मरणाद् विभेमि ॥५॥ ४४. वीरस्तवन णाणं सरणं मे, दंसणं च सरणं च चरिय सरणं च । तव संजमं च सरणं, भगवं सरणो महावीरो ॥१॥ ज्ञानं शरणं मम, दर्शनं च शरणं च चारित्रं शरणं च । तपः संयमश्च शरणं, भगवान् शरणं महावीरः ।।१।। से सव्वदंसी अभिभूयणाणी, णिरामगंधे धिइमं ठियप्पा । अणुत्तरे सव्वजगंसि विज्ज, गंधा अतीते अभए अणाऊ ॥२॥ स सर्वदर्शी अभिभूयज्ञानी, निरामगन्धो धृतिमान् स्थितात्मा । अनुत्तरः सर्वजगति विद्वान्, ग्रन्थादतीतः अभयोऽनायुः ।।२।। से भूइपण्णे अणिएयचारी, ओहंतरे धीरे अणंतचक्खू । अणुत्तरे तवति सूरिए व, वइरोयर्णिदेव तमं पगासे ॥३॥ स भूतिप्रज्ञोऽनिकेतचारी, ओघन्तरो धीरोऽनन्तचक्षुः । अनुत्तरं तपति सूर्य इव, वैरोचनेन्द्र इव तमः प्रकाशयति ।।३।। ७५१. ७५२. ७५३. हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा । पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह नायपुत्ते ॥४॥ हस्तिष्वेरावणमाहुः ज्ञातं, सिंहो मृगाणां सलिलानां गंगा । पक्षिषु वा गरुडो वैनतेयः निर्वाणवादिनामिह ज्ञातपुत्रः ।।४।। ७५४. दाणाण सेठें अभयप्पाणं, सच्चेसु वा अणवज्जं वयंति । तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते ॥५॥ दानानं श्रेष्ठमभयप्रदानं, सत्येषु वा अनवद्यं वदन्ति । तपस्सु वा उत्तमं ब्रह्मचर्य, लोकोत्तमः श्रमणो ज्ञातपुत्रः ।।५।। Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૭૪૯. ૨૪૫ અમૃત સમાન આ જિનવચન, જે પહેલાં કદી પ્રાપ્ત થયું ન હતું તે હવે મને મળ્યું છે. મેં સન્માર્ગ ગ્રહણ કરી. લીધો છે; હવે મને કશાનો – મરણનો પણ – ભય નથી. ૪૪. વીરસ્તવન. જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ અને સંયમ મારું શરણ છે અને શ્રમણ ભગવાન મહાવીર મારું શરણ છે. ૭પ૦. ૭પ૧. ૭પર. એ ભગવાન સર્વદર્શી હતા, પ્રત્યક્ષ જ્ઞાની હતા, નિર્મળ ચારિત્ર્યવાન હતા; પૈર્યવાન, સ્થિર, જગતના સર્વોત્તમ વિદ્વાન, પરિગ્રહથી પર, અભય અને જન્મમરણથી મુક્ત. હતા. ભગવાન મહાવીરની પ્રજ્ઞા વિશાળ હતી; તેઓ કદી એક સ્થળે રહેતા ન હતા. જગતના પ્રવાહને તેઓ તરી. ગયા હતા. ધીર, અનંતદર્શી હતા. સૂર્યની જેવા ઝળહળતા અથવા અગ્નિની જેમ પ્રકાશતા એ પ્રભુએ અજ્ઞાનના અંધકારને નષ્ટ કર્યો હતો. ૭૫૩. હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણના ઉપદેશકોમાં જ્ઞાતપુત્ર મહાવીર શ્રેષ્ઠ છે. ૭પ૪, સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે, વચનોમાં શ્રેષ્ઠ વચન નિષ્પાપ વચન છે, તપમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે; એમ જ, લોકોમાં શ્રેષ્ઠ પુરુષ ભગવાન મહાવીર છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ समासुतं ७५५. जयइ जगजीवजोणी-वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥६॥ जयति जगज्जीवयोनि - विज्ञायको जगद्गुरुर्जगदानंदः । जगन्नाथो जगद्वन्धु-र्जयति जगत्पितामहा भगवान् ।।६।। ७५६. जयइ सुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥७॥ जयति श्रुतानां प्रभवः, तीर्थकराणामपश्चिमो जयति । जयति गुरुर्लोकानां, जयति महात्मा महावीरः ।।७।। Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૨૪૭ ૭૫૫. જગતના સર્વ પ્રકારના જીવોને જાણનારા, જગગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના. બંધુ, જગતના પિતામહ ભગવાનનો જય હો ! ૩૫૬. સર્વ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનાં મૂળ સ્રોત સમાન, અંતિમ તીર્થકર, લોકગુરુ, મહાત્મા મહાવીર પ્રભુનો જય હો ! Page #273 -------------------------------------------------------------------------- ________________ Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ અકારાદિ વિષયસૂચિ મુખ્ય વિષયોની સૂચિ અનુક્રમણિકામાં છે. અહીં અનેક પેટાવિષોની સૂચિ આપી છે જેના આધારે કોઈ એક વિષયનું વિવરણ ગ્રંથમાં જુદા જુદા સંદર્ભોમાં ક્યાં ક્યાં થયું છે તે શોધી શકાશે. શબ્દની સામે આપેલ અંક ગાથાઓના ક્રમાંક છે. અણુવ્રત અધ્યવસાય અધ્યાત્મ અનુપ્રેક્ષાઅનેકાંત અન્તરાત્મા અરહંત-અર્હત્અસ્તિકાયઅહિંસા આચાર્ય આત્મા આરંભ-સમારંભઆલોચના આવશ્યક આસ્રવ આહાર - ઈન્દ્રિય - ઉપયોગ - ઉપાધ્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કર્મ - કષાય કામભોગ - કાર્યોત્સર્ગ - કેવલજ્ઞાન - ૨૯૯-૩૦૦, ૩૦૯-૩૩૦ ૧૫૪, ૨૭૪, ૩૯૨ ૧૩૭, ૧૩૭-૧૯૧, ૨૧૧, ૨૧૮, ૨૫૫-૨૬૧ ૫૦૫-૫૩૦ ૬૬૦-૬૭૩, ૬૯૧, ૭૧૪-૫, ૭૨૨ ૧૦૮, ૧૭૯-૧૮૯ ૧, ૭, ૧૮૦, ૨૬૦ જુઓ ‘ષદ્ગવ્ય’ ૧૪૭-૧૫૯, ૩૬૭-૮ ૯, ૧૩૬ ૧૨૧-૮, ૧૭૭-૧૯૧, ૨૧૭-૮, ૫૧૬, ૬૪૫-૬૫૦ ૪૧૨-૪, ૨૮ ૨ ૪૬૧-૫ ૪૧૭-૪૨૮ ૬૦૧-૪, ૫૨૨, ૬૦૫ ૨૧૩-૪, ૨૮૮, ૨૯૧-૨, ૪૦૫-૬, ૩૮૨-૩, ૪૩૯-૪૫૦ ૪૭, ૬૨, ૮૦, ૧૨૪, ૧૩૧, ૪૯૨ ૬૩, ૬૪૯ જુઓ ‘શુદ્ધોપયોગ’ ૧, ૧૦ ૬૬૨-૭ ૫૬-૬૬, ૬૦૭, ૬૧૨, ૬૫૫-૯, ૫૯૬, ૫૯૮ ૧૨૪, ૧૩૨-૬, ૫૯૮-૬૦૦ ૪૮-૫૧, ૭૬, ૭૮, ૧૦૪, ૧૦૯, ૧૧૭, ૨૩૦ ૪૩૪-૫, ૪૮૦-૧ ૫૬૨-૩, ૬૮૩-૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમણમુક્ત ક્ષમા – ૮૫-૭, ૧૩પ ગુણ - જુઓ ‘દ્રવ્ય - ગુણ – પર્યાય’ ગુણસ્થાન – પ૪૬-૫ ૬ ૬ ગુપ્તિ - ૩૮૪-૭, ૪૧ ૨-૬ ગુરુકુલવારા - ર૮-૯, ૧૭૫ ચારિત્ર - ૩૬, ર૦૬-૭, ૨૧૫, ર૮૦-૭ વ્યવહારચારિત્ર- ર ૬ ૨-૭ નિશ્ચય ચારિત્ર - ર ૬૮-ર૭૯ જયણા - જુઓ ‘યતના” જિનશાસન - ૧૭-ર૧, ૨૮, ૨પર-૪, ૭૩૬ જીવે – પ૯ર, ૬રપ-૮, ૬૪પ-૬પ૦ જ્ઞાન. - ર૦૮, ૨૪પ-૬, ૨૫૦-૨૬૧, ૬૭૪-૬૮૪ તપ ૧૦૨, ૪૮ ર-૩, ૬૧૧ બાહ્ય. તપ ૪૩૯-૪પ ર આત્યંતર તપ- ૪પ ૬-૪૮૩ દર્શન – જુઓ “સમ્યગદર્શન દશવિધ/દશલક્ષણ ધર્મ - ૮૪-૧ ર૧ દાન - ૩૩૦-૩, ૩૩પ દ્રવ્ય-ગુણ-પર્યાય - ૬ ૬૧-૮ છેષ - ૭૧- ૨, ૭૫, ૧૩૦, ૨૭૯ ધર્મ - ૮ ર-૪, ૨૯૫, પરપ ધ્યાન – ર૮૪, ૨૮૮, ૨૯૭, ૪૮ ૯-૫૦૪, ૫૮ ૩-૪ નય - ૩ર-૪૩, ૬ ૯૦-૭ વ્યવહાર નચ - ૩૪-૯ નિશ્ચય નય - ૩પ-૭, ૪૦-ર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક – ૬ ૯૩-૭ નયના સાત પ્રકાર - ૬ ૯૮-૭૧ ૩ નવ તત્ત્વ – ૫૯૩-૬ ૨૩ નિક્ષેપ - ર૩, ૩૩૩-૭૪૪ નિર્ઝન્ય – ૧૪૩-૬, ૩૪૬ નિર્જરા - ૬૦૯-૬૧૩ નિર્વાણ - જુઓ “મોક્ષ” પરમાણ - ૬૪૩-૪, ૬પ ર પરમાત્મા – ૧૭૮-૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ વિષયસૂચિ પરમેષ્ઠી - પરિગ્રહ પર્યાય પાપ પુણ્ય પુદ્ગલ પ્રમાણ પ્રમાદ પ્રવચનમાતા બહિરાત્મા બોધિ - બ્રહ્મચર્ય - મૃત્યુ મૈત્રી. મોક્ષ મોહ ભાવના ભાવશુદ્ધિ મમત્વ - મહાવ્રત - ૩૬૪-૩૮૩ મિથ્યાત્વ/મિથ્યાદર્શન- ૬૭-૭૦, ૩૬૫, ૫૪૯, ૫૭૯-૫૮૦, ૬૦૫-૬, ૬૦૮ યતના - રત્નત્રય - મિથ્યાદ્દષ્ટિ આત્મા - ૭૦, ૧૯૪-૬ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રય ગ લેશ્યા - - - લોક વિનય વ્યય - વ્યસન - - ૬-૧૨ ૧૪૦-૬, ૩૧૫-૭, ૩૭૯ જુઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય’ ૫૮, ૭૫, ૮૧, ૧૧૮, ૧૩૦, ૧૩૭, ૧૯૮, ૪૩૮, ૪૬૬ ૧૯૮-૨૦૩ ૬૨૫-૮, ૬૪૦-૪, ૬૯૫૨-૫ ૩૨-૩, ૬૮૫ ૧૬૦-૯, ૩૨૧, ૩૮૭, ૩૫૪-૫ ૩૮૪-૭ = ૬૯, ૧૭૯, ૧૮૧ ૨૦૪, ૨૨૨, ૫૮૦-૧, જુઓ ‘સમ્યગ્દર્શન’ ૧૦૭-૧૧૭ જુઓ ‘અનુપ્રેક્ષા’ ૮૧, ૨૭૫, ૨૮૨, ૩૬૦-૩ ૩૯, ૧૪૨, ૧૮૯-૧૯૧, ૨૫૦, ૩૪૬, ૩૭૬-૯ ૫૬૯-૫૭૩, ૫૮૦-૪ ૮૬, ૪૨૮, ૫૮૯ ૩૩, ૨૧૧, ૬૧૪-૬૨૩ ૪૯, ૬૩, ૭૧, ૯૯, ૧૧૦, ૬૧૩ ૩૮૮, ૩૯૪-૫ ૧૧૬, ૧૭૩, ૨૧૪-૮, ૫૧૪ ૨૦૮-૨૧૩ - ૨૧૪-૮ 91-૮૧, ૧૩૦, ૨૭૯, ૨૯૪, ૧૯૬૩ ૫૩૯-૫૪૫ ૬૨૪, ૬૩૬, ૬૫૧-૪ ૧૭૦, ૩૦૮, ૪૬૬-૪૭૨ જુઓ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય’ ૩૦૩-૬ For Private Personal Use Only ૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨પર શલ્ય – ૩૬૫, પ૭૭-૯ શુદ્ધોપયોગ - ૧.૮૮, ૨૬૮-ર૭૯, ૨૮૧-૨ શ્રમણ – ૧૧, ૨૭૬, ૨૭૯, ૩૩૬-૩પપ, ૪ર૧ ભાવશ્રમણ -- ૩૬ ૦-૩ શ્રાવક - ર૯ ૬-૩૦૮ શ્રાવકધર્મ - જુઓ અણુવ્રત’ ૧૭૪, ૨૪પ-૬, ૨૬૪-૭, ૬૭૮-૬૮૦ પદ્રવ્ય - ૬ ર૪-૬પ૦ સત્ય – ૯૫-૬, ૩૧૧- ૨, ૩૬૯, ૪૦૦ સપ્તભંગી - ૭૧ ૬-૭૨૧ સમતા – ૭૮, ૨૭૪-૫, ૨૭૯, ૩૪૧, ૩૪૭ સમ્યજ્ઞાન – ર૦૮, ર૪પ-૯, રપ૦-૨૬૧ સમ્યગ્દર્શન - ર૧ ૯-ર૩૦, ૨૪૯, ૬૬ ૯ જુઓ ‘બોધિ” આઠ અંગ - ર૩૧- ૨૪૪ સમ્યગ્દષ્ટિ આત્મા- ર ર૭-૮, ર૩ર, ર૩૬-૭, પપ૦-ર સંયમ - ૧૦૧, ૧ ર ર-૧ ૩૯ સંવર - ૧ ૩૭-૮, ૬ ૦૫-૬૧૯ રjલેખના – પ૬૭-૫૮૪ સંસાર – ૫ ર-૫, ૭૩, ૫૧૧-૪ સમિતિ – ૩૮૬-૩૯૨ સામાયિક – ૩ર૬-૯, ૪ ૨૩-૮ રિસદ્ધ - ૮, પ૬પ-૬, ૬૧૪-૬ ૨૩ સ્કંધ – ૬૪૮-૬પ૦, ૬ ૬૦-૧ યાદ્વાદ - જુઓ “અનેકાંત” સ્વાધ્યાય - ર૯૦, ૩૪૫, ૪૭પ-૯ હિંસા - ૧૪૮-૧પ૧, ૩૦૪-૫, ૩૧૦ દ્રવ્ય હિંસા – ૩૮ ૮ - ૩૯ ર. ભાવ હિંસા - ૧પ૩-૬, ૩૮૮-૩૯ ૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૨ પારિભાષિક શબ્દકોશ આ અનુવાદમાં, વારંવાર વપરાયા હોય એવા જૈન પારિભાષિક શબ્દના, રામાન્ય અર્થ અહીં આવ્યા છે. આવા કેટલાક શબ્દોના અર્થ વાચકોની રયુગમતા અર્થે અનુવાદમાં છે. તે રથ, કોંમાં અથવા ગાથાની ની જે પણ દર્શાવ્યા છે. અતિચાર : લીધેલ વ્રત/નિયમમાં થોડી ભૂલ થવી તે. અધ્યવસાય : મનના ભાવ, વિચાર, અનુપ્રેક્ષા : જગતની અનિત્યતા વગેરે બાર વિષયોને વારંવાર વિચારવા - વાગોળવા તે. અનેકાંતવાદ દરેક વાતને વિવિધ દૃષ્ટિકોણથી વિચારવાની તરફેણ કરતી જૈન વિચારપદ્ધતિ. અપવાદ ': નિયમમાં કામચલાઉ પરિવર્તન; વિશેષ નિયમ. આગમ : જેનોના મુખ્ય ધર્મગ્રંથો. આરંભ-રામારંભ : મોટા પાયે કરાતાં સાં સારિક કાર્યો. આલોચના/આલોયણા : ગુરુ સમક્ષ પાપનું નિવેદન કરી પ્રાયશ્ચિત કરવું તે. આસ્રવ (૧) આત્મામાં કર્મોનું આગમન (૨) કર્મબંધનનાં કારણો.. ઉત્સર્ગ : મૂળ નિયમ, સામાન્ય નિયમ.. ઉપયોગ જાગૃતપણે કોઈ બાબત પર લક્ષ કેન્દ્રિત કરવું તે; સાવધાની, જ્ઞાન અને દર્શનની સક્રિય અવરથા. કષાય ક્રોધ, માન, માયા અને લોભ – આ ચાર દુષ્ટ વૃત્તિઓ. કેવળજ્ઞાન : પૂર્ણ જ્ઞાન. ગણધર તીર્થકરના મુખ્ય શિખ્યો. ગ : ગુરુ કે બીજા રામક્ષ પોતાની ભૂલ જાતે વખોડવી. ગુણ : પદાર્થના મૂળભૂત ધમ. ગુપ્તિ : મન-વચન-કાયાની પ્રવૃત્તિને અટકાવી અંતર્મુખ રહેવું તે. ગોચરી ઘેર ઘેર ફરીને થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવાની જૈન મુનિની પદ્ધતિ. ચારિત્ર : આચરણ, આત્માનો એક ગુણ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમણસુd જયણા तत्त्व તીર્થકર દર્શન દશવિરતિ દ્રવ્ય દ્વાદશાંગી નિદાન નિક્ષેપ નિર્જરા નિશ્ચયનય : જુઓ ‘યતના” : રાગ-દ્વેષ વગેરે દોષોને જીતી લેનાર આત્મા-- તીર્થકર ભગવાન. ાણવા લાયક, રવીકારવા લાયક અને છોડવા લાયક એવાં નવા મુદ્દા. સંસારસાગર તરવાનો માર્ગ બતાવનાર પૂર્ણ જ્ઞાની, ધર્મની પુનઃસ્થાપના કરનાર મહાપુરુષો. રસ્વેચ્છાએ હિલચાલ કરી શકે એવા જીવો. : (૧) જેના દ્વારા પદાર્થોનું સામાન્ય જ્ઞાન થાય છે એ આત્માનો એક સહજ ગુણ. (ર) શ્રદ્ધા. હિંસાદિ પાપોનો આંશિક ત્યાગ. : મૂળ પદાર્થ. બાર મુખ્ય જૈન આગમો. દષ્ટિબિંદુ, આશય, અપેક્ષા. : સાંસારિક કામના. : પદાર્થના શક્ય સ્વરૂપોનું પૃથક્કરણ. : પૂર્વે બાંધેલા કર્મો ખપી જવા તે. : પદાર્થનો અખંડ, પૂર્ણ, શુદ્ધ રૂપે વિચાર કરવાની તરફેણ કરતો દૃષ્ટિકોણ. નિયમ, પ્રતિજ્ઞા, ત્યાગ. : (૧) આત્માથી ભિન્ન હોય એવી બધી વસ્તુઓ. (ર) એવી વસ્તુઓ તરફ ઢળતું વલણ. : મનના. ભાવ, વિચાર, દ્રવ્ય કે ગુણની પલટાતી અવસ્થા. ભૌતિક જડ દ્રવ્ય. | દિવ રસ કે રાત દરમ્યાન લાગેલા પાપોને સાંજે અથવા સવારે યાદ કરી તેની શુદ્ધિ કરવા માટેની દૈનિક વિધિ. કોઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન, વિધાન. જુઓ “સમ્યગદર્શન’ ક્યારેક ને ક્યારેક મોક્ષ પામશે એવો આત્મા. જુઓ “અનુપ્રેક્ષા' અનાસક્તિ, સમતા, વૈરાગ્ય વગેરે આંતરિક સાધુતાના ગુણ. પચ્ચખાણ પરભાવ. પરિણામ પર્યાય. પુગલ. પ્રતિક્રમણ. પ્રમાણ બોધિ ભવ્ય ભાવના ભાવલિંગ Page #280 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ મિથ્યાત્વ/મિથ્યાદર્શન : મિથ્યાદ્દષ્ટિ : ચેતના યોગ રત્નત્રય લિંગ લા વિરતિ વ્યવહારનય શલ્ય શ્રુત/શ્રુતજ્ઞાન ષદ્ધવ્ય સમાધિ સમિતિ : : : : : : : 1: : સમ્યક્ત્વ/સમ્યગ્દર્શન: સર્વ વિરતિ સંચારો સંથારો લેવો લેખના સંવર સ્થાવર : : : 1 : ૨૫૫ અવળી, ખોટી કે ભ્રાંત માન્યતા, (૧) અવળી, ખોટી કે ભ્રાંત સમજ (૨) એવી સમજ ધરાવનાર વ્યક્તિ. કોઈ પણ કાર્ય કરતાં દોષ ન લાગે તેવી કાળજી રાખવી તે. (૧) મન-વાણી-કાયાની સ્થૂલ કે સૂક્ષ્મ હલચલ (૨) મોક્ષ માટેની સાધના. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. વેશભૂષા વગેરે બાહ્ય ચિહ્નો. માનસિક શુભ-અશુભ વલણ, જે તેવી જ પ્રવૃત્તિમાં પરિણમે છે. હિંસાદિ પાપોનો આંશિક અથવા પૂર્ણ ત્યાગ. પદાર્થ અને ગુણો/પર્યાયોનો જુદો જુદો વિચાર કરવાની તરફેણ કરતો દૃષ્ટિકોણ, રોજિંદા જીવનના સત્યોને મહત્વ આપતો અભિગમ. મનમાં ઊંડે ઊંડે રહી ગયેલ કપટ, કામના કે મિથ્યા માન્યતા. (૧) શ્રવણ-વાંચન દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન (૨) એવું જ્ઞાન આપનારા ગ્રન્થો/આગમાં. જગત જેનાથી રચાયું છે તે છ મૂળ પદાર્થો. સમતા, શાંતિ. હિંસાદિ દોષ ન લાગે તેની કાળજી સાથે કોઈ પણ કામ કરવું તે. સાચી સમજ, શ્રદ્ધા, આત્માનુભૂતિ દ્વારા થયેલ આત્મપ્રીતિ. હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ. સાધુ કે વ્રતધારી શ્રાવકનું સૂવા માટેનું ઉન વગેરેનું બિછાનું. જીવનના અંતે આહાર આદિનો ત્યાગ કરી મૃત્યુને સ્વીકારવાની સાધના, અનશન. જુઓ ‘સંચારો લેવો.’ કર્મોને આત્મામાં આવતા રોકવા. હાલી-ચાલી ન શકે એવા જીવો — માટી, પાણી, વનસ્પતિ વગેરે. For Private Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય વિતરક _| | અક્ષર ભારતી. ત્રક પરાજગુલાબ, વાણિયાવાડ, ભુજ - 370 001. 9 ટી.ઓ.ઈ. પાછળ, ગોવર્ધન ભવન, આશ્રમ રોડ, અમદાવાદ -9, અન્ય પ્રાપ્તિ સ્થાનો એક જ 9 બાલગોવિંદ બુકસેલર્સ, ગાંધી રોડ, અમદાવાદ, ત્રક ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધીરોડ અમદાવાદ રન્નાદે પ્રકાશન, ગાંધીરોડ, અમદાવાદ. ક લોકમિલાપ ટ્રસ્ટ, સરદારનગર, ભાવનગર, >> પ્રસાર, આતાભાઈ માર્ગ, ભાવનગર, પ્રવીણ પુસ્તક ભંડાર, ઢેબર રોડ, રાજકોટ. * ગજાનન પુસ્તકાલય, ટાવર રોડ, સુરત. * આર. આર. શેઠની કુ., પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. - એન. એમ. ઠક્કરની કું., પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અક્ષરમૈત્રી, તાલુકા પંચાયત સામે, ડીસા. 9 ક ક જ