Page #1
--------------------------------------------------------------------------
________________
ભાગ ૧૨
શ્રીમદ્ રાજચંદ્ર
રાજહદય
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
રાજહૃદય
(ભાગ-૧૨)
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ
ઉપરના સળંગ પ્રવચનો) પત્રક-૫૭૪ થી ૬૩૦)
પ્રકાશક
વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
૫૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ
ભાવનગર-૩૬૪૦૦૧ ોિનઃ (૦૨૭૮) ૨૪૨૩૨૦૭
અન્ય પ્રાપ્તિ સ્થાન: - શ્રી કુંદકુંદ કહાન જૈન સાહિત્ય કેન્દ્ર, ગુરુ ગૌરવ', સોનગઢ - શ્રી ખીમજીભાઈ ગંગર (મુંબઈ): (૦૨૨) ૨૬ ૧૬ ૧૫૯૧, મો. ૦૯૮૨૦૩૬૫૬૮૩ - શ્રી ડોલરભાઈ હેમાણી (કલકત્તા)ઃ (૦૩૩) ૨૪૭૫૨૬૯૭, મો. ૦૯૭૪૮૭૧૨૩૬૦
પ્રથમવૃત્તિ: ૧૩-૦૨૦૧૪ (અષાઢ વદ ૧, મહાવીર ભગવાનની
| દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસ) પ્રત: ૧૦૦ પૃષ્ઠ સંખ્યા: ૪૩૨ + ૮ = ૪૪૦ પડતર કિંમતઃ ૮૦૦/મૂલ્ય: ૨૦/
લેસર ટાઈપ સેટિંગ: પૂજા ઈમેશન્સ ૧૯૨૪/૫, ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે ભાવનગર-૩૬૪૦૦૧ ફોનઃ ૯૭૨૫૨૫૧૧૩૧
મુદ્રક:
બુક પબ ફોનઃ ૯૮૨૫૦૩૦૩૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
પદ્મોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ચજહૃદય” ભાગ-૧૨નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી “શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. ભાવનગરમાં ૧૯૮લ્માં શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો “શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે રાજહૃદય' નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે.
આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો “શ્રીમદ્ રાજચંદ્ર ! પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું?તો પૂજ્ય ગુરુદેવશ્રી' કહેતા, “શ્રીમદ્ રાજચંદ્ર વાંચો! , - પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં “કૃપાળુદેવ પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો’. પાને પાને “કૃપાળુદેવ'ના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, “અત્યારે જે આ “સમયસાર વંચાય છે તે “શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર છે !” આપણા ગુરુવર “કહાન' પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે.
જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુઃખ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુઃખથી ગ્રસિત સંસારી જીવ અનેક વિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મજનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઇચ્છતા છતાં દુઃખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુઃખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા એ વાત વર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવેષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે! અંતરંગથી ઉત્પન્ન
Page #7
--------------------------------------------------------------------------
________________
થયેલી સત્સમાગમની ભાવના સપુરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે.
કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સૌ નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સપુરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે “કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સત્સમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષજીવના કલ્યાણ અર્થે ગાયો છે. કપાળુદેવના પરિચયમાં જે કોઈ સપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે.
“કૃપાળુદેવને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને “કૃપાળુદેવે આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. “કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંતઃકરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે!
કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરુણા, અંગ અંગમાં નીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે ! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જવિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યાતે પોતે તે દિવ્ય દશાને પામી ગયા! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે–પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ !
રાજહૃદય' નામ અનુસાર “કૃપાળુદેવના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી “શશભાઈના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો “કૃપાળુદેવ જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે “કૃપાળુદેવ' આ છે રાજહૃદય” “કૃપાળુદેવના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂકયા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય!
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા
Page #8
--------------------------------------------------------------------------
________________
મળે છે.
નાની ઉંમરથી જ “કૃપાળુદેવના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાતુ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી', તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી' તથા શાંતમૂર્તિ, રાજહૃદય” ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ ક્યાંક ક્યાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં કયાંક ભૂલ રહી ગઈ હોય તો એ પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જbસ ઉપર મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગર જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે ૫૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શ્રૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જપત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્ર લિપી ગુજરાતી કિરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે.
ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમેશન્સનો આભાર માનવામાં આવે છે. રાજહૃદયના બધા ભાગો www.satshrut.org ઉપર ઉપલબ્ધ છે.
અંતતઃ “રાજહૃદયમાંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
ટ્રસ્ટીગણ, જેઠ સુદ ૫, તા.૨-૬-૨૦૧૪
વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ (શ્રુતપંચમી)
ભાવનગર
Page #9
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય' ભાગ-૧૨ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ
સ્વ.પ્રાણકુંવરબહેન હેમાણીના સ્મરણાર્થે, હ. શ્રી ડોલરભાઈ હેમાણી ૨૫,૦૦૦/શ્રીમતી વંદનાબહેન રણધીરભાઈ ઘોષાલ, કોલકાતા
૧૧,૦૦૦/શ્રીમતી લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર, મુંબઈ
૫,૦૦૦/ડો. બી.એમ. સુથાર, કમ્પાલા, યુગાન્ડા
૫,૦૦૦/બેલાબહેન અને પ્રશાંતભાઈ જૈન, ભાવનગર
૨,૧૦૦/શ્રી પિયુષભાઈ નગીનદાસ ભાયાણી, કોલકાટા
૫,૦૦૦/સ્વ. હસમુખભાઈ અજમેરાના સ્મર્ણાર્થે, હ. અનસૂયાબહેન અજમેરા, કોલકતા પ000/શ્રી ધર્મેન્દ્રભાઈ વોરા, ભાવનગર
૨,૫૦૦/શ્રી હેમંતભાઈ શાહ, મુંબઈ
૨,૫૦૦/કાજલ,જિગીશ ખારા, કલકત્તા
૧,૦૦૧/પ્રવિણાબેન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાતા
૧,૦૦૧/જિગીશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાતા
૧,૦૦૧/પ્રશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાતા
૧,૦૦૧/વૈશાલી પ્રશંશખારા, કોલકાતા
૧,૦૦૧/ચિંતન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/અનુજા ચિંતન ખારા, કોલકાતા
૧,૦૦૧/શ્રી પરિચંદજી ઘોષાલ, કોલકાટા
૧,000/શ્રીમતી અવનીબહેનમીતેષભાઈ શાહ
પOO|શ્રીમતી સ્નેહલતાબહેન જયેન્દ્રભાઈ શાહ, ભાવનગર
૨૫૧/સ્વ. કસ્તુરીબહેન લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ, હ.કનુભાઈ શાહ
૨૫૧/સ્વ. મધુબહેન કનુભાઈ શાહ, અમદાવાદ, હ. કનુભાઈ શાહ
૨૫૧/
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલિ
જન્મ : ૮-૧૦-૧૯૧૦
દેહવિલય : ૫-૧૦-૨૦૦૩ ગં. સ્વ. પ્રાણકુંવરબહેન જમનાદાસ હેમાણીની
પુણ્યસ્મૃતિમાં હેમાણી પરિવાર
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સૌમ્યમૂર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવચન અનુક્રમણિકા
પ્રવચનને.
પાના ને.
O૦૧
૨૬૭. ૨૬૮.
૦૧૯
૨૬૯.
૦૩૪
૦૪૯
૦૬ ૫
૦૮૪
૧૦૨
૧૨૦
૨૭૦. ૨૭૧. ૨૭૨. ૨૭૩. ૨૭૪. ૨૭૫. ૨૭૬. ૨૭૭. ૨૭૮. ૨૭૯.
૧૩૮
૧૫૭ ૧૭૩
પત્રક પત્રાંક-પ૭૪ થી ૫૭૬ પત્રાંક-પ૭૮ થી ૧૮૨ પત્રાંક–૫૮૨ પત્રાંક–૫૮૩ પત્રાંક–૫૮૪ થી ૫૮૬ પત્રાંક-૫૮૬ અને ૫૮૭ પત્રાંક-પ૮૮ થી ૫૯૦ પત્રાંક–૫૯૧ અને ૨૯૨ પત્રાંક-પ૯૩ પત્રાંક-પ૯૩ પત્રાંક–પ૯૪ અને ૧૯૬ પત્રાંક–પ૯૭ અને ૫૯૮ પત્રાંક–૫૯૮ પત્રાંક–પ૯૮ થી ૬૦૧ પત્રાંક-૬૦૯ પત્રાંક-૬૦૯ પત્રાંક-૬૦૯ પત્રાંક-૬૧૭ અને ૬૧૮ પત્રાંક-૬ ૧૯ અને ૬૨૦ પત્રાંક-૬ ૨૧ પત્રાંક-૬ ૨૨ થી ૬ ૨૪ પત્રાંક-૬ ૨૭ અને ૬ ૨૮ પત્રાંક-૬ ૨૯ પત્રાંક-૬ ૨૯ અને ૬૩૦
૧૯૧
૨૧૨
૨૮૦.
૨૩)
૪૮૨.
૨૫૦
૨૬૭
૪૮૩. ૪૮૪. ૨૮૧.
૨૮૧
૨૯૫
૨૮૨.
૩૧૨
૨૮૩.
૩૩૧
૨૮૪.
૩૪૯
૨૮૫. ૨૮૬. ૨૮૭.
૩૬૮ ૩૮૬
૪૦૫
Page #15
--------------------------------------------------------------------------
________________
DYNYNY RYNY RURYRYNYRYRYBY RYDERYX
JAS
શ્રી સોનલ
2828282828282828282828282828282828282828282828RRRRRRRR
હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરા તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી.
| (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિતિ.
| (શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
| વસંતતિલકા) સૂર્યે તને રસનિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
| (અનુરુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. DERYXXXXRYRURENSNRY RYNYXXXXXX
RYDYNY RURY RYNY RYNY RURY RYBY RYNY RYBY RYNY RYNY RYNYAYAYRYNY RYNYMS
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમ
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
ॐ नमः श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૨
પત્રાંક-૫૭૪
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.
તા. ૦૩-૧૨-૧૯૯૦, પત્રાંક-૫૭૪ થી ૫૭૬ પ્રવચન નં. ૨૬૦
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૫૭૪, પાનું-૪૫૫. પત્ર કોના ઉ૫૨ છે એ મળતું નથી. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ.’ તૃષ્ણા સમજી શકાય એવો ભાવ છે. અનેક પદાર્થોની જે વાંચ્છા થાય છે, ભૌતિક પદાર્થના ભોગ-ઉપભોગની જે ઇચ્છાઓ રહ્યા કરે છે એને લીધે કાંઈક આર્થિક વ્યવસ્થા કરવી પડે એને તૃષ્ણા કહે છે. એમ વિભાવમાં પણ તૃષ્ણાને કોઈ અંત નથી. એક ન્યાયે વિભાવ મર્યાદિત હોવા છતાં
Page #19
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨ તૃષ્ણા નિયમિત નથી. મુમુક્ષુજીવે, આત્માર્થી જીવે બનતા સુધી એટલે શકયતા હોય
ત્યાં સુધી પોતાથી બની શકે ત્યાં સુધી પોતાની શક્તિ પ્રમાણે, પૂરી શક્તિ લગાવીને તૃષ્ણા ઓછી કરવી જોઈએ અથવા પોતાની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ.
એના માટે પૂછ્યું છે કે તૃષ્ણાનું ફળ બતાવવા માટે લાક્ષણિક પદ્ધતિથી વાત કરી છે, કે જીવને જન્મ, જરા, મરણ કોનાં છે? કોના છે એટલે કયા કારણે છે? શા કારણે જીવને જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા વગેરે દુઃખ છે કે જે તૃષ્ણા રાખે છે. તેના છે. જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે જેને તૃષ્ણા છૂટી એને જન્મ, જરા, મરણ પણ છૂટ્યા. તૃષ્ણા પણ સમ્યફપ્રકારે છૂટે, એટલી વાત લેવી છે. સમ્યફ પ્રકારે એટલે પોતાના પરિપૂર્ણ સ્વભાવને લીધે અપેક્ષાબુદ્ધિ છૂટે છે એને તૃષ્ણા ખરેખર, વાસ્તવિકપણે છૂટે છે. નહિતો ઉપર ઉપરથી સંતોષ લે અને અંદરમાં અભિપ્રાય બીજો રહી જાય તો એ તૃષ્ણા વિપરીત અભિનિવેશ સહિત મટેલી દેખાય છે પણ ખરેખર એ તૃષ્ણા મટેલી હોતી નથી.
મુમુક્ષુ-તૃષ્ણાનું મૂળ તો લૌકિકદૃષ્ટિછેને?
પૂજ્ય ભાઈશ્રી – હા. તૃષ્ણાનું મૂળ લૌકિકદષ્ટિ છે અને તૃષ્ણાના પરાભવ માટે એક પત્ર આપણે અગાઉ આવી ગયો કે જેને લૌકિક મોટાઈ જોઈએ છે એની તૃષ્ણા નહિમટે. જેને પરિણામમાં ભોગ-ઉપભોગની તીવ્રતા છે, એનો રસ છે એને પણ તૃષ્ણા નહિમટે. એટલે તૃષ્ણાનો પરાભવ કોણ કરી શકે છે? પરાભવ એટલે એની હાર થવી. જે જીવને પોતાનું પરિપૂર્ણ પદ લક્ષમાં આવે છે અને પોતાને કોઈના અવલંબનની અને કોઈની અપેક્ષાની જરૂર નથી. હું નિરાવલંબન નિરપેક્ષ તત્ત્વ છું એવું અંદરથી બળ આવે, એવું આત્મબળ ઉત્પન્ન થાય તો એને તૃષ્ણા સમ્યફ પ્રકારે મટે છે. નહિતર તૃષ્ણા મટાડવાના બીજા જે કોઈ કૃત્રિમ ઉપાય છે એનાથી મૂળમાંથી એ તૃષ્ણાનો નાશ થતો નથી.
આ વિષય જરા ગંભીરતાથી વિચારવા જેવો છે. કેમકે આ પરિણામ સંસારીજીવને હોય જ છે. તૃષ્ણાના પરિણામ તો સંસારીજીવને હોય છે. અને મુમુક્ષુજીવ તો સંસારીજીવથી આ બાજુ આવેલો એક જીવ છે. એ કાંઈક આ વિચાર કરે છે. એને અહીંયાં એમ કહે છે કે શક્તિ હોય એટલી. એકસાથે બધાનો નાશ કરવો એ તો તારી શક્તિ બહારની વાત છે. કેમકે એ તો પૂર્ણ વીતરાગતાનો વિષય થઈ જાય છે. પણ આત્માર્થીની ભૂમિકામાં, મુમુક્ષની ભૂમિકામાં એ ભૂમિકામાં વિચારની, મતિની નિર્મળતા રહે અને આત્મવિચાર કરવાની શક્યતા વધે એવા હેતુથી પરિણામની
Page #20
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૪
૩
મલિનતા ઘટાડવી જરૂરી છે અને એ જો ઘટાડવામાં આવે તો આ એક મુદ્દો છે કે આ જીવે તૃષ્ણા પોતાની શક્તિ પ્રમાણે ઘટાડી દેવી જોઈએ. આ વિષયમાં એમણે ઘણા માર્ગદર્શન જુદી જુદી રીતે આપ્યા છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી.’ એવા વચનામૃતમાં કેટલી ગહનતા
છે !
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ વાત છે. લોકસંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી એમાં તો સર્વ પ્રકારની લોકસંજ્ઞા આવી ગઈ. આમાં-તૃષ્ણામાં તો એકલી લોભપ્રકૃતિ કામ કરે છે. જ્યારે લોકસંજ્ઞાનો અર્થ તો ઘણો વિશાળ છે. અને એમાં માનપ્રકૃતિ પણ આવી જાય છે. અથવા લોકોની મુખ્યતાથી વિચારવાના દૃષ્ટિકોણનો ત્યાગ કરી દેવાની વાત
•$
મુમુક્ષુ
=
વિભાવ મર્યાદિત છે અને તૃષ્ણા અમર્યાદિત છે. એમાં શું કહેવા માગો
છો?
પૂજ્ય ભાઈશ્રી :– બેયનો ન્યાય જુદો જુદો છે. વિભાવ મર્યાદિત છે એટલે શું કે સ્વભાવ અમર્યાદિત છે. સ્વભાવની શક્તિ એટલી બધી છે કે ગમે તેવો વિભાવ એ તોડી શકે છે. કેમકે આખરમાં એની મર્યાદા છે. એ જો અનંત હોય તો નાશ ન થાય. પણ તૃષ્ણાને જો લંબાવવામાં આવે તો તૃષ્ણા કેવડી છે ? કે જેમાં ચૌદ બ્રહ્માંડ અણુરેણુવત્ છે. ચૌદ બ્રહ્માંડ શું લોકાલોક જેમાં અણુરેણુવત્ છે. અલોકાકાશમાં ચૌદ બ્રહ્માંડ અણુરેણુવત્ છે પણ આ તો લોકાલોક બધો અણુરેણુવત્ છે, એના જેવું છે. એટલી બધી અનંત છે. એ પ્રકારે એ ન્યાય જુદો છે. આ ન્યાય જુદો છે.
મુમુક્ષુ ઃ– તૃષ્ણા એટલે સર્વ ઇચ્છા લેવી ?
-
પૂજ્ય ભાઈશ્રી :- હા. સર્વ ઇચ્છા લઈ લેવી. સર્વ પ્રકારની આકાંક્ષા, સર્વ પ્રકા૨ની ઇચ્છા. બધી આવી જાય છે. એટલે તો સમ્યગ્દર્શનના આઠ અંગમાં બીજો મુદ્દો આ છે-નિઃકાંક્ષિત. આઠ અંગથી અખંડ એવું જે સમ્યગ્દર્શન છે એમાં નિઃકાંક્ષિત અંગ હોય, હોય ને હોય જ. સમ્યગ્દષ્ટિ હોય અને તૃષ્ણા હોય એ વાત બનવાયોગ્ય નથી. એ તો મુમુક્ષુની ભૂમિકામાં એ ખલાસ કરીને પછી સમ્યગ્દષ્ટિ થાય છે. એટલે એને નિઃકાંક્ષિત અંગ નિયમબદ્ધ-નિયમથી હોય જ છે, ન હોય એવું બને નહિ.
મુમુક્ષુ :– સમ્યગ્દષ્ટિને લોભ તો હોય ને ?
=
પૂજ્ય ભાઈશ્રી :– લોભ હોય છે પણ અનંતાનુબંધીનો હોતો નથી. સમ્યગ્દષ્ટિને ક્રોધ હોય, માન હોય, લોભ હોય, માયા હોય, જુગુપ્સા હોય, રતિ-અરિત બધા જેટલા
Page #21
--------------------------------------------------------------------------
________________
રાજદય ભાગ-૧૨ ચારિત્રમોહના કષાય છે એ બધા હોય. સોળ (કષાયમાંથી) એક અનંતાનુબંધીના ચાર (કષાય) ગયા છે. બાકી બધા છે. એટલે તો ઓળખવામાં તકલીફ પડે છેને. જે સમસ્યા ઊભી થઈ છે એ આ કારણે ઊભી થઈ છે કે બાકીના કષાય ઊભા છે અને કષાયની અન્યથા કોઈને તો કેટલીક પ્રવૃત્તિ પણ હોય છે. બધાને નથી હોતી પણ કોઈને હોય છે. એ પ્રવૃત્તિ તો ઉદય અનુસાર છે. પ્રવૃત્તિ હોય કે ન હોય કષાય તો બધાને ચાર ગયાએ ચાર ગયા જ છે. એમ જે ઓળખવામાં મુસિબત ઊભી થાય છે કે એનું કારણ એ છે કે બાકીના કષાય રહ્યા છે. કષાયની અંદર ક્યાંક ક્યાંક પ્રવૃત્તિ પણ છે. એટલે સમ્યગ્દષ્ટિની ઓળખાણ થતી નથી.
મુમુક્ષુ:–ભેદરેખા બહુ જપાતળી છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ભેદરેખાનો પ્રશ્ન તો હમણા અહીં ચર્ચામાં બહુ ચચણો. ભેદરેખા એટલી પાતળી છે, કે કોઈ મુમુક્ષુ જીવ છે એની સમજણ શાસ્ત્ર અનુસાર હોય, એની બહારની પ્રવૃત્તિ પણ મુમુક્ષુને યોગ્ય જેને કહી શકાય એવી હોય. અને જ્ઞાની પણ મુમુક્ષુ જેવા દેખાય. એટલે એની પ્રવૃત્તિ અને એની પણ શાસ્ત્ર અનુસારની બધી સમજણ હોય તો એમાંથી કઈ રીતે તારવવું? એમાંથી આ એક બીજો વિષય ઊભો થાય છે. સમજણ ? તો કહે છે, આગમ અનુસાર છે. એમાં કાંઈ ભૂલ નથી કરતા. બરાબર છે. તો હવે બાકીમાં? બાકીમાં પાત્રતા પણ જોવામાં આવે છે. દેવ-ગુરુશાસ્ત્રમાં ક્યાંય વિરાધના, વિરુદ્ધતા થતી નથી અને બધા પડખા સારા દેખાય છે. તોપણ એ જ્ઞાની છે તો એને જુદો વિષય છે. એ તો ભેદરેખા બહુ પાતળી છે, ભાઈ ! ઘણી આછી છે. એટલે સમ્યગ્દષ્ટિને ઓળખવા એ વિષય અસાધારણ થઈ પડ્યો છે. અનંત કાળમાં જીવ આ જગ્યાએ ભૂલ્યો છે. અને એકવાર પણ જો ન ભૂલે તો “કૃપાળુદેવ’ Gurantee આપે છે કે એને સમ્યગ્દર્શનનું કારણ ઉત્પન્ન થઈ ગયું છે. સમ્યગ્દર્શનનું એને કારણે ઉત્પન્ન થઈ ગયું છે. ૭૫૧ પત્રમાં એ વાત એમણે નાખી છે. કારણ ગણી પ્રત્યક્ષ' એમ લીધું. કારણ ગણીને પ્રત્યક્ષ કારણ એ તો ગણ્યું છે.
માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.” પોતાને જે રસ્તે જવું છે એ રસ્તે સમય અને શક્તિની જરૂર છે. જે આત્મહિતનો રસ્તો ગ્રહણ કરવો છે એ રસ્તે એને શક્તિની જરૂર છે, એ તૃષ્ણામાં વેડફાઈ નહિ જવી જોઈએ અને સમયની પણ જરૂર છે. એ પણ તૃષ્ણા હશે તો સમય નહિ મળે તો હજાર જાતના કામકાજના લફરા ઊભા થાશે. એ તો ધંધો-વેપાર કરે છે એને ખ્યાલ આવી જાય છે કે કેટલી ઉપાધિમાં સમય નીકળી જાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૫
૫
૫૭૪માં ખાલી બે લીટીમાં એટલું માર્ગદર્શન આપ્યું છે પણ વિચારવા યોગ્ય વિષય છે. ઉ૫૨થી ઉ૫૨છલ્લો કાઢી નાખવા જેવો વિષય નથી. આમ તો ભૂલ શું કરે છે ? આપણે ત્યાં ઘણી વાતો પ્રસિદ્ધ થઈ ગઈ છે કે ભાઈ ! ચક્રવર્તીને આટલો પરિગ્રહ હોય છે, ફ્લાણાને આમ હોય છે, ફલાણાને આમ હોય છે. આપણે તો આટલું છે. એવું વિચારવા જેવું નથી. એવું અવલંબન લેવા જેવું નથી. એ અવલંબન લેવા માટે એ વાતો શાસ્ત્રમાં આવી નથી. એ બીજા હેતુથી આવી છે, બીજા આશયથી આવી છે. અને એ આશય અનુસાર જો ગ્રહણ ન કરવામાં તો જીવને નુકસાનનું કારણ અવશ્ય થાય. ૫૭૪ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૭૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ ગદ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૬
રાજહૃદય ભાગ-૧૨
૫૭૫મો પત્ર. એ પણ કોના ઉપરનો છે એ પણ આમાં મળતું નથી. જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે.’ શું કહે છે ? કે ‘નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે...' એટલે કેવળજ્ઞાન અવસ્થામાં પ્રથમમાં પ્રથમ જીવન્મુક્તદશા જેને કહેવાય એવું સ્વરૂપનું અનુજીવી ગુણો પૂરેપૂરા પ્રકાશે છે. પ્રતિજીવી ગુણની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જ્યાં સુધી કેવળજ્ઞાનાદિ પૂર્ણ દશા ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીને પણ, મુમુક્ષુની વાત એક બાજુ રહી, જ્ઞાનીને પણ ‘નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને...’ માટે, સ્વરૂપની એકાગ્રતા જળવાય રહેવા માટે ‘જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે,...' એને સતુશ્રુત છે, જ્ઞાનીપુરુષના વચનો છે એ આધારભૂત છે, એ અવલંબનભૂત છે એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે.’
આમ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી અસ્થિર દશા છે. ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એકાગ્રતા છૂટે છે અને જીવનો ઉપયોગ અને પરિણામો બીજા બહાર જવા લાગે છે. તો બહાર જતા પરિણામને માટે આ વાત છે. સાતમું અને એથી ઉપરના ગુણસ્થાનનું તો ... છે અને પરિણામ પણ સ્વરૂપના નિદિધ્યાસનમાં એકાગ્રતામાં જ રહેલા છે એટલે એને તો કાંઈ પ્રશ્ન નથી. પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી આ વાત છે. બાકીનો કાળ ઓછો છે એટલે પોતે એ વાતનું મહત્ત્વ આપવા માટે એમ કહે છે કે બારમા ગુણસ્થાન .. પણ આ જરૂ૨ છે, એમ કહેશે. જોકે સાતમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનમાં ઉપયોગ બહા૨ જતો નથી.
‘જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે,...' આ તો મુમુક્ષુને પત્ર લખે છે ને ! એટલે મુમુક્ષુને એ વાત ઉપર વજન દેવું છે કે નહિતર તારો ઉપયોગ જે અત્યારે અસત્સંગનો ઘેરાવો છે એમાં ઉપયોગ ચાલ્યો જશે, એમાં ઉપયોગ રહેશે અને એ આત્માને નુકસાનનું કારણ છે, લાભનું જરા પણ કારણ નથી. એટલે એ વાત ઉપર વજન દેવું છે. મુમુક્ષુ :– બારમે ગુણસ્થાને ક્યા પ્રકારનું..?
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં અબુદ્ધિપૂર્વકનું છે. બુદ્ધિપૂર્વકનો કોઈ વિકલ્પ નથી. કેવળીગમ્ય છે. સાતમા, આઠમા, નવમાં, દસમા અને બારમામાં...
મુમુક્ષુ :– કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં ઊભા છે ?
–
પૂજ્ય ભાઈશ્રી :– હા. તૈયારીમાં છે. પણ અબુદ્ધિપૂર્વક. બારમા ગુણસ્થાનમાં તો યથાખ્યાત ચારિત્ર થઈ જાય છે એટલે ત્યાં અસ્થિરતા છૂટી જાય છે. અગિયાર-બારથી
Page #24
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૫ એ પ્રશ્ન નથી. પણ દસમા સુધી અબુદ્ધિપૂર્વકનો પ્રકાર ઉત્પન્ન થાય છે. એ કોઈ છદ્મસ્થની જ્ઞાનનો કે બુદ્ધિનો વિષય નથી પણ કેવળજ્ઞાનનો વિષય છે. જોકે અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ તો ચોથે ગુણસ્થાને પણ પોતાને અનુભવગોચર થતો નથી. બુદ્ધિગ્રાહ્ય થતો નથી માટે તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. કેમકે એમાં મનજનીત નથી, એ રાગમનજનીત નથી.
મુમુક્ષુ -ઉદયજનીત છે.
પૂજ્ય ભાઈશ્રી:- ઉદયજનિત છે. જીવના અસંખ્ય પ્રદેશે જે કર્મનો ઉદય આવે છે એની સાથે સીધું જોડાણ છે. બુદ્ધિપૂર્વકના રાગનું મન મારફત જોડાણ છે. એ રાજમલજીએ “કળશટીકાની અંદર ૧૧૬ નંબરના કળશમાં એ વાત બહુ સારી કરી છે. બુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે અને અબુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે જ્ઞાનીપુરુષ શું કરે છે? તો કહે છે, સ્વરૂપનું અવલંબન લે છે. પણ મૂળ કળશની અંદર બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના રાગનો વિષય એમ વાત ચાલી એટલે એમણે ટીકા કરતી વખતે સ્પષ્ટીકરણ આપ્યું. રાજમલજી એ એવી વાત લીધી છે.
મુમુક્ષુ આ પૂરું થાય એટલે આપણે એ લઈએ. પૂજ્ય ભાઈશ્રી:-હા. બરાજમલજીની કળશટીકામાં ૧૧૬મો શ્લોક છે.
અહીંયાં શું કહે છે? કે “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે. એમ લઈ લીધું. કેમકે એને એકાગ્રતા ક્યાંથી થઈ છઠ્ઠથી સાતમે ઉપર શ્રેણીએ આવ્યા કયાંથી? એતો ફળ ગણો પણ એનું મૂળ શું છે? કે મૂળમાં જ્ઞાનીના વચનો એને આધારભૂત થયેલા છે. એટલે અહીંયાં એનો આશય પકડ્યો કે “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં.” એ તો ધ્યાનમાં જ છે. “શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે,” જ્ઞાનીના વચનોનો આશય શું છે? પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ છે એ જ્ઞાનીના સર્વવચનોનું કેન્દ્રસ્થાન છે. એટલે તો જ્ઞાનીની વાણીમાં આશયભેદલીધો છે.
આપણે જે જ્ઞાનીને ઓળખવા સંબંધમાં ચર્ચા ચાલી એમાં ૬ ૭૯ પત્રમાં એ શબ્દનો પોતે પ્રયોગ કર્યો છે કે જ્ઞાનીની વાણીમાં, જ્ઞાનીનાં વચનોમાં આશયભેદ રહેલો છે. આશય એટલે શું ? કે જે સર્વપ્રથમ છે એ સર્વ પ્રથમ કહેતા એમનું જે વલણ છે એ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. એટલે કોઈ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ આ વસ્તુ જોવે છે કે એના શ્રદ્ધા અને એના જ્ઞાનમાંથી એનું શ્રદ્ધા
Page #25
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨ જ્ઞાનનું વલણ અનંત શાંતિના પિંડ ઉપર જાય છે? એ રીતે એનું બધું વલણ અને વળાંક ત્યાં આવીને ઊભો રહે છે? કેવી રીતે થાય છે? એવું એક વચન લીધું હતું આપણે. વાલાના પશ્યન્તી નિં:' બાળબુદ્ધિ જેવો. જેની બુદ્ધિ બાળકો જેવી છે એમ સરખાવ્યું છે. એ લિંગ એટલે બાહ્ય ચિતને જોવે છે. કોઈ ત્યાગને જોવે છે, કોઈ વૈરાગ્યને જોવે છે, કોઈ ક્ષયોપશમને જોવે છે, કોઈ ભાષાને જોવે છે, ભાષાની ભપકને જોવે છે. આ બધા બાળબુદ્ધિને ત્યાં મૂકી દીધા. તો કહે તત્ત્વદૃષ્ટિ જીવ શું જોવે છે કે તત્ત્વદષ્ટિ એ જોવે છે, કે આની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહિ? ક્યાં દૃષ્ટિ રાખીને આ વાત ચાલે છે ? એને “શ્રીમદ્જી પોતાની ભાષામાં એમ કહે છે કે આશયભેદ છે. આ પ્રકારે એના પરિણામથી જે વાણી ઉત્પન્ન થઈ એમાં આશયનો ભેદપડી જાય છે. બધી વાત એક જ જગ્યાએ ખેંચી જાય છે.
મુમુક્ષુ –એ આશયના પ્રયત્નવાળો જીવ ઓળખી શકે.
પૂજ્ય ભાઈશ્રી - એ આશયને શોધતો હોય,પ્રયત્ન કરતો હોય એને એનો પત્તો લાગે છે કે બરાબર છે. હું જેની શોધ કરું છે એ મને અહીંથી મળે છે. એ તો સીધો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એને એક જાતનો Inner current કહે છે. એની વાણીનો સીધો Current લાગે છે. અને ત્યારે એને એમ લાગે છે કે આ છદ્મસ્થની વાણી નથી મારા માટે આ કોઈ દિવ્યધ્વનિ છે. સીધું એને આવે છે, અંદરથી આવે છે, કે મારા માટે આ દિવ્યધ્વનિ છે અને મારે માટે કોઈ આ દિવ્ય જ્ઞાનધારી દિવ્યમૂર્તિ, દેહધારી દિવ્યમૂર્તિ છે, જે મારા માટે તો પરમાત્માને સ્થાને છે. આવી રીતે એ જ્ઞાનીને ઓળખે છે. એ પ્રકાર આપણે ચર્ચામાં જરા વિસ્તારથી ચાલી ગયો.
“મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે એવું જે એમણે ૨૫૪ નંબરના પત્રમાં એક વાક્ય નાખ્યું, એ તે પ્રકારની શોધ અને નિર્મળતામાં આવેલા જીવની વાત છે. જો એવી નિર્મળતા ન હોય એટલે એવી યોગ્ય પાત્રતા ન હોય અને એ પ્રકારે એને જ્ઞાનીની ખોજ ન હોય તો એને જ્ઞાની મળવા છતાં ઓળખાતા નથી. અને એ રીતે અનંત વાર જ્ઞાની મળ્યા, નિગ્રંથ ધર્માત્મા ભાવલિંગી સંતો મળ્યા અને તીર્થકરોના સમવસરણ સુધી પણ પોતે જઈ આવ્યો પણ એ બધું જ નિષ્ફળ ગયું છે અને નિષ્ફળ જાય એવા પરિણામે પોતે એને નિષ્ફળ કર્યું છે. નિષ્ફળ ગયું નથી પણ ખરેખર પોતે નિષ્ફળ બનાવ્યું છે. આ એક વિચારણીય મુદ્દો છે. એટલે જ્ઞાનીપુરુષના વચન ઉપર કેટલું વજન આપે છે!
એ “વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર
Page #26
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૫ કહ્યું છે. જિનમાર્ગમાં આ વાત વારંવાર આવે છે. હું કહું છું એટલા માટે નહિ. એ પોતે તીર્થકરને વચમાં નાખે છે, એમના માર્ગને પણ વચમાં સાક્ષીરૂપે નાખે છે. એમનો અનુભવ બહુ બહોળો છે. સામાન્ય રીતે કોઈ જ્ઞાનીને એવો પ્રકાર છે. બધા જ્ઞાનીને એવો પ્રકાર નથી હોતો કે પૂર્વભવ યાદહોય. આમને એક નહિ પણ અનેક પૂર્વભવની યાદદાસ્ત હતી. અને પોતે જે કાંઈ પરિશ્રમ કર્યો છે એ પણ એમને ખ્યાલમાં છે કે આ માર્ગ શોધવા માટે મેં ઘણા માથા પછાડ્યા છે, પત્તો લાગ્યો નથી. અને ભૂતકાળની અંદર આગલા કોઈ ભવમાં જ્ઞાનીપુરુષનો યોગ બની ગયો છે. અને સહજમાત્રમાં (આત્મજ્ઞાન પામ્યા છે). “ચતુરાંગુલ હૈ દગ સે મિલહે' એ ચાર આંગળ છેટું નહોતું. એટલે કાંઈ છેટું જ નહોતું. પણ એની ઉપર દૃષ્ટિ જાતી નહોતી. એ જ્યારે દૃષ્ટિ મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બધા સાધન નિષ્ફળ ગયા. કેમકે જ્ઞાનીપુરુષ એને મળ્યા નહોતા. એ જે યમ નિયમ સંયમ આપ કિયો.” એમાં એ વાત નાખી છે. “વહ બાત રહી સુગુરુ ગમકી'. એ વાત અહીંયાં ફરીને કહે છે. એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. એ તો દેશનાલબ્ધિનો સિદ્ધાંત પણ એના ઉપર જ છે.
બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. શું કહ્યું? બોધબીજની પ્રાપ્તિ થયે....” જેને બોધબીજ પડ્યું છે એમ કહે છે. જુઓ ! સંસ્કાર આવ્યા. અને નિવણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે..” કે આવો અંતર્મુખ થવાનો માર્ગ છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે છે ને ? પણ તે માર્ગમાં યથાસ્થિતિ સ્થિતિ થવાને અર્થે સ્થિર એકાગ્ર થવાને અર્થે “જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે...” બહુ મોટી વાત છે. જ્ઞાની પુરુષનો આશ્રય મળે છે એ જગતમાં બહુ મોટી વાત છે. “અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે;” આ તો શરૂઆતવાળાની વાત કરી પણ ઠેઠ પૂર્ણ દશા સુધી છે. “નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે...' નહિ તો જીવને અવશ્ય પડવાનો ભય છે એમ માન્યું છે, કારણ કે પોતે પડ્યા છે એ પાછો ખ્યાલ છે. બધા અનુભવપૂર્ણ આ બધા વચનો લખે છે.
તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને....... હવે અત્યારે જે રખડે છે એ તો અનાદિથી ભ્રાંત છે અને એને પોતાની મેળે કરી લેવું છે અથવા અજ્ઞાનીના આશ્રયથી કરવું છે. કોઈ રીતે મેળ ખાવાનો નથી. તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્દગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે.” અસંભવ નથી લીધું, હોં! “અશકય છે, એમાં સંશય કેમ હોય ? એમાં તો શંકા
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦.
ચજહૃદય ભાગ–૧૨ કરવાની પણ જરૂર રહેતી નથી. એ તો વાત અશક્ય જ છે. “બિના નયન પાવે નહિ, બિના નયન કી બાત સેવે સદ્દગુરુકે ચરણ તો પાવે સાક્ષાત્.” ત્યાં પણ એ વાત નાખી છે. અને એ અનાદિ જે અમુકનિમિત્ત-નૈમિત્તિક સંબંધો છે, જે અવિનાભાવી અન્યથા.. મહાચંદજીએ નાખ્યું છે ને? “મહાચંદ નામ છે ને? અમુક કેટલાક સંબંધો એવા છે, કે જે અન્યથા જેની ઉત્પત્તિ નથી થતી, અન્યથા અનુત્પત્તિ રહે છે અને જે અવિનાભાવીરૂપ હોય છે. એમાંનો આ એક સંબંધ છે કે જેને દેશનાલબ્ધિમાં નાખ્યો છે અને જે અહીંયાં “શ્રીમદ્જી પોતે એ વાતને નાખે છે. કે અનાદિ સ્થિત છે. એટલે વસ્તુના સ્વરૂપનું આ એક અંગ છે. આ કોઈ પરાધીન દષ્ટિનો વિષય નથી. વસ્તુના, સ્વાધીન વસ્તુના સ્વરૂપનું આ એક અંગ છે. એમ સમજ્યા વિના એ વાતનો બીજી રીતે મેળ ખાય એવો નથી.
તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશકય છે, એમાં સંશય કેમ હોય ? એ કેવી રીતે શંકા કરવા જેવી વાત છે? એને પોતાને પણ અત્યારે અંતર્મુખ થવાતું નથી, એ સમસ્યાનો જ એ ઊંડો વિચાર કરે. અત્યારે પોતે અંતર્મુખ થઈ શકતો નથી, થતો નથી, થવાની ઇચ્છા છે, થવા યોગ્ય છે એમ જાણ્યું છે, એમ સમજાયું છે. નથી થતો એ એક હકીકત છે. હવે આ સમસ્યાને વિચારે કે જ્યારે અહીં સુધી વાત મારી સમજણમાં આવી છે, કે સ્વરૂપમાં અંતર્મુખ થઈને એકાગ્ર થવા સિવાયત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષનો માર્ગ જ નથી. તો પછી આવી સમજણ આવ્યા પછી હું કેમ અંતર્મુખ થતો નથી ? એનું શું કારણ છે? બસ ! આ સમસ્યા વિચારે તો એને ખ્યાલ આવે, કે આ જે નિશ્ચય છે, આ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને આત્મા પણ પોતે નિશ્ચયસ્વરૂપે છે. નિશ્ચયમાં નિશ્ચયની યોજના જ્ઞાનીઓના હૃદયમાં રહેલી છે. એ એવો રહસ્યભૂત વિષય સદાને માટે હંમેશને માટે રહ્યો છે કે જેનો ઉકેલ એ જ્ઞાનીના સાનિધ્યમાં આવે છે, બીજી રીતે આવતો નથી.
એટલે તો આ “સોભાગભાઈનું દૃષ્ટાંત યાદ આવે છે, કે છેલ્લે છેલ્લે એટલી તૃષામાં આવ્યા. એટલી તૃષામાં આવ્યા. પછી “ઈડર લઈ ગયા. ચાલો, “ઈડર'. મરણપથારીએ પડેલા.... એમાંથી વળી પાછું ગાડું કરીને પહાડ ઉપર જવું પડે. પહાડ ઉપર કેવી રીતે ગયા હશે એ જરા સમજવા જેવો વિષય છે. એને જે કાંઈ રહસ્યભૂત વિષય સમજાવવો હતો, કહેવો હતો એ એમણે ત્યાં કામ કર્યું છે. જેને એમ કહેવાય કે બોધબીજની પ્રાપ્તિ ત્યાં થઈ છે. જેને બીજજ્ઞાન કહેવામાં આવે છે એ બીજજ્ઞાન એમને ત્યાં આપ્યું છે. સમ્યગ્દર્શન એમણે પુરુષાર્થથી લીધું છે. એ મરણપથારીએ પડેલા વૃદ્ધ
Page #28
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૭૫
૧૧ માણસના પુરુષાર્થે સમ્યગ્દર્શન લીધું છે. ગજબ કામ કર્યું છે ! એક ભવમાં અનંત ભવના ફેરા ટાળી નાખ્યા એના જેવી વાત બીજી ક્યાં હોય! એનું મૂલ્ય બીજે કેવી રીતે થાય?
નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે...” નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને, એવો જીવ હોય. આ મારું ત્રિકાળ નિરાવરણ નિરપેક્ષ સ્વરૂપ છે. અનંત શક્તિના સામર્થ્યવાળો હું પદાર્થ છું. મારી શક્તિનું કોઈ માપ નથી. એવી બેહદ શક્તિને ધારણ કરનારો, એને પણ આ જગતનો વ્યવહાર ત્યાંથી ચૂકાવી દે. એને રસ્તો ચૂકાવી દે એવો આ જગતનો વ્યવહાર છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. પ્રત્યક્ષ જગતવ્યવહાર એવો છે કે એને ચૂકવી દે. એવા એવા ઉલટા-સુલટા, ચિત્ર-વિચિત્ર પ્રસંગો પ્રાપ્ત થાય છે.
“તો પછી તેથી ન્યૂનદશામાં....” એટલે સામાન્ય મુમુક્ષુદશામાં, સાધારણ જીવોને ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે?” સાધારણ જીવો ગોથા ખાઈ જાય, ચૂકી જાય, ઊંધે રસ્તે ચડી જાય, જે રસ્તે ચાલવું હોય એ રસ્તે જવાને બદલે બીજે વયા જાય. એ “ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ?? કે એનું તો કોઈ આશ્ચર્ય અમને લાગતું નથી. એમણે પોતાને પણ જોયા છે અને ઘણા મુમુક્ષુને એ રીતે જોયા છે. જેમ બાળક પા-પા પગલી માંડતા શીખ્યો હોય તો ડગલું ભરે ને પડે, વળી ડગલું ભરે ને પડે, વળી ડગલું ભરે ને પડે. એવી કમજોર, એકદમ નબળા બાળક જેવી મુમુક્ષુની ભૂમિકા છે. એ માર્ગ છૂટી જાય એમાં શું નવીન છે? એમાં આશ્ચર્ય શું છે?
પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે. ત્યાં ઉદયના પ્રસંગો પાછા જોરથી આવે છે. સત્સંગ અને સન્શાસ્ત્રનો ઉદય હોય ત્યારે એ જોર કદાચ ઓછું થાય). કારણ કે ઉદય તો એટલો ભાગ વહેંચાઈ ગયો ને? સત્સંગ અને સન્શાસ્ત્ર વાંચવું એ પણ એક ઉદય છે. સત્સંગ મળવો પણ એક ઉદય છે. તો બીજા ઉદયનું જોર એ વખતે કદાચ ઓછું થાય. કદાચ, હોં ! થાય જ એવો કોઈ નિયમ નથી. પણ ન હોય ત્યારે તો પાછો એકલો ઉદય રહી ગયો. એટલે સત્સંગ અને સાસ્ત્રનો આધાર જીવે ન લીધો હોય તેવા પ્રસંગમાં તો જગતના વ્યવહાર પ્રત્યેનું ઉદયબળ પરિણામમાં છે એ વધારે બળ કરે છે. ઉદયબળ તીવ્ર થાય છે. અને જ્યારે જ્યારે ઉદયબળ તીવ્ર થાય છે ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
અપરોક્ષ સત્ય દેખાય છે.'
સદ્ગુરુનું, જ્ઞાનીપુરુષનું સાન્નિધ્ય શું ચીજ છે એનો બહુ સુંદર ચિતાર આ પત્રની અંદર ‘શ્રીમદ્જી’એ લીધો છે. તેથી વારંવાર પોતાને પણ ‘સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું...’ કેટલું છે ? કે ‘અત્યંત અપરોક્ષ...’ એટલે અત્યંત પ્રત્યક્ષ અને સત્ય એટલે અનુભવગોચર દેખાય છે એ તો. અમારા પરિણામમાં ફેર પડી જાય છે એમ કહે છે. એ વાત તો એટલી બધી સુગમ છે, સમજાય એવી છે કે જ્યાં જ્ઞાનીપુરુષના દર્શન કરેને, હજી ઓઘે માન્યા હોય, હોં ! ઓળખાણવાળાની તો વાત જ જુદી છે કોઈ, પણ ઓઘે પણ જ્ઞાની હોય અને જ્ઞાની માન્યા હોય, તો પણ એને જ્ઞાની તરીકે એને સ્વીકાર્યા હોય તો એને જોવે ત્યાં એના પરિણામ ફરી જાય.
રાજહૃદય ભાગ-૧૨
જેમ કે કોઈ માણસને રોગની વેદના થઈ. આ ‘ગુરુદેવ’ જતા ને દર્શન કરાવવા. સામે ચાલીને જતાં. જેના ઘરે જે પથારીમાં હોય એના ઘરે જાય. તમે તો ‘સોનગઢ’ રહ્યા છો એટલે ખ્યાલ હશે. ‘સોનગઢ’માં જેના ઘેર મુમુક્ષુ એના ઘરે જાય અને ‘જીથરી’ હોય તો Hospital માં જાય. અમારે (એક મુમુક્ષુ) અહીં ‘ભાવનગર’ આવ્યા હતા. એ વખતે એવું થયું કે એને સૂઝી ગયું. હું રોજ (ખબર કાઢવા) જતો હતો. એ દિવસે ગયો તો (મને) કહે, કાલે આખી રાત ઊંઘ નથી આવી અને વેદના વધી છે. કેમ ? ‘ગુરુદેવ’ના દર્શન કરવા છે. એ છેલ્લો દિવસ હતો. જે ‘ગુરુદેવ’ના દર્શન કર્યા એ એનો છેલ્લો દિવસ હતો. એટલે મેં કહ્યું,.. હું તો સાંજે જતો. સાંજે અથવા રાત્રે જતો. આમ પથારીમાં તો કદાચ મહિનો-દોઢ મહિનો હોસ્પિટલમાં રહી ગયા હતા. મેં કીધું, એમ કરો કાલે સવારે છોકરાને કે એક બે ભાઈને ‘સોનગઢ’ મોકલો. ગુરુદેવને વિનંતી કરીએ. હું સાથે રહીશ. ‘ગુરુદેવ’ને વિનંતી કરીએ. તમારા ઘરેથી કોઈ એક જણ તો હોવું જોઈએ ને ? તો કહે, ભલે. ન હોય તો કોઈ એવી પરિસ્થિતિ હોય તો હું એકલો કહીશ, કાંઈ વાંધો નથી. એકાદ જણ હોય તો સારું. એક છોકરો આવ્યો. આમ છે, પથારીવશ છે અને આપનું સ્મરણ કરે છે. આવો. સવારે વિનંતી કરી. બહુ સારું, કહે. આહા૨ કરીને આપણે આજે ગાડી ત્યાં લઈ લ્યો. ત્યારે ને ત્યારે હા પાડી દીધી. જુઓ ! કુદરતી એને મેળ થયો. નહિતર એમ કહે કે કાલ આવીશ તો ? સાંજે સાત વાગે દેહ છૂટી ગયો. આવ્યા પોતે. એમાં શું કારણ છે ? જુઓ ! અહીંયાં રહસ્ય સમજાય એવું છે. ઓળખાણ ન હોય પણ ઓઘે માન્યા હોય અને સ્વીકાર્યા હોય તો જોતાં, દર્શન કરતાં એના પરિણામ ફરી જાય છે. બહુ મોટી વાત છે. અને એ જે પરિણામ ફરે છે એમાં દર્શનમોહ મંદ થાય છે. મોટી વાત એ છે. કષાય મંદ થાય છે એ વાત નથી,
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
પત્રાંક-૫૭૬ દર્શનમોહ મંદ થાય છે. આ તો જ્ઞાનીના માત્ર ચક્ષુદર્શનના વિષયથી પરિણામમાં દર્શનમોહમાં આ ફેર પડે છે. છેલ્લી માંદગીમાં તો બહુ અશક્ત થઈ ગયા હતા. લગભગ બોલી નહોતા શકતા. વાતચીત કરે એટલી શક્તિ છેલ્લે નહોતી રહી. પણ પરિણામમાં જુઓ તો એકદમ પ્રસન્નતા આવી ગઈ. ગુરુદેવે પૂછ્યું કે કાંઈ દવા લ્યો છો? બોલી તો શકતા નહોતા. એટલે પ્રસન્ન ચિત્તથી કાંઈક મોઢા ઉપરની રેખાઓમાં ફેરફાર થયો. એટલે ખ્યાલ તો આવી ગયો કે આ બોલી શકતા નથી. કાંઈ વાંધો નહિ. જ્ઞાન સુધારસ પીજે.” આટલા શબ્દો બોલ્યા. “જ્ઞાન સુધારસ પીજે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરો. આ કરવા જેવું છે. એટલે એના આત્મામાં કેટલી ઊંડી છાપ પડી હશે એ તો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે.
અહીંયાં એમ કહે છે, કે એમના સદ્ગુરુના પ્રત્યક્ષ આશ્રયનું અને એનું મહાસ્ય તથા એનું સાર્થકપણું અમને તો અમારા અનુભવથી પ્રત્યક્ષપણે અત્યંત સત્ય દેખાય છે. આ તો અમારો અનુભવ બોલે છે. પોતાને પણ કોઈ સત્પષ મળ્યા છે એટલે પોતાના અનુભવથી આ વાત કરી છે અને અનેક જીવોના આ દૃગંત તો આપણે પણ પ્રત્યક્ષ જોવામાં, જાણવામાં આવ્યા છે. એ પ૭૫ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૭૬
મુંબઈ, ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧ આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતા કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રેનથી, માત્રચિત્તમાં અત્રેવિશેષ સ્કૂર્તિ થવાથી લખ્યું છે.
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૨
વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જ્જત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહેતે પ્રમાણ છે. એજવિનંતિ.
લિ. રાયચંદના પ્રણામ.
પ૭૬મો પત્ર “સોભાગ્યભાઈ ઉપરનો છે.
આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે....જુઓ ! જે પ્રવૃત્તિ ચિત્તની થવી જોઈએ એપ્રવૃત્તિ બંધ પડી જાય છે, એમ કહે છે. અને કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું ? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું ?પ્રવૃત્તિ શી ?એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે. અપ્રવૃત્તિ થવા પાછળ આવા પ્રશ્નો ઉઠેલા છે, કે “કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું?’ કેમકે દશા તો સહજ થવી જોઈએ. એક વિકલ્પ ઉઠે તો યમનો દૂત લાગે છે, જે “સોગાનીજીએ કહ્યું “ઉપયોગ બહાર નિકલા તો યમ કા દૂત સમજો.’ ફાંસી લાગે છે. આત્મા મુક્ત સ્વભાવને એ ફાંસી જેવી લાગે છે. એકાવતારી જીવો છે ને ? પોતે એકાવતારી છે, પેલા પણ એકાવતારી છે. બેયની પુરુષાર્થની Line કયાં મેળ ખાય છે, જુઓ! એટલે છૂટી જાય છે. લખવાની પ્રવૃત્તિ ચિત્તમાંથી છૂટી જાય છે કે આ શું પ્રવૃત્તિ કરવી. શું કહેવું આમાં?
કથન જુદું, આત્મા જુદો, પરિણતિ ક્યાંય, ઉપયોગ ક્યાંય, એની સામાન્ય સ્થિતિ ક્યાંય. કલ્પિત જેવું લાગે છે. એટલી કૃત્રિમતા થાય છે ને ? ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ થાય છે એટલે ઇચ્છા વિના તો લખવાની પ્રવૃત્તિ થાય નહિ. અને ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે એમાં કૃત્રિમતા ભાસે છે. આગળ એક જગ્યાએ એ કૃત્રિમતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેમકે આ દશા એમની છેલ્લા એક-બે વર્ષની અંદર વિશેષ થઈ છે કે ધાર્મિક, પારમાર્થિક વિષયને લખતાં, કહેતાં પણ એમનો ઉપયોગ પાછો વળી જાય છે, સંક્ષેપાય જાય છે. પરિણામ જ કામ કરતા નથી. એટલું અંદરનું ખેંચાણ છે કે બહારમાં પરિણામ જ કામ કરતા નથી એમના. એ પરિસ્થિતિ થઈ ગઈ છે.
અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિનાં નિરોધ વિના તેમાં પરમાર્થકથનમાં પણ
Page #32
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૬
૧૫ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. વધારેમાં વધારે ખૂંચે છે એમને આ જે પોતે જે પ્રવૃત્તિમાં ઊભા છે એમાં મુખ્ય “વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિનાં વિરોધ પ્રવૃત્તિ સંબંધીનો નિષેધ, નિરોધ બહુ તીવ્ર આવે છે અને એ તીવ્રતામાં પરમાર્થસંબંધીનું પણ લખવું કે કહેવું બંધ થઈ જાય છે. પુરુષાર્થની કોઈ એવી અલૌકિક ગતિ છે કે જેની અંદર પોતાના વર્તમાન ઉદયમાં જોડાવાને બદલે એટલો બધો જોરથી નિષેધ આવે છે, કે એ પુરુષાર્થને આધિન રહેતા પારમાર્થિક વિષયની પ્રવૃત્તિ છૂટી જાય છે. એટલા એ પોતાના કામમાં અંદરમાં લાગેલા છે એમ કહેવું છે.
મુમુક્ષુ –અંતરમાં કે બાહ્ય તરફ?
પૂજ્ય ભાઈશ્રી – હા, લખતાં, કહેતાં. એમ કહ્યું ને? પરમાર્થસંબંધી કહેતાં લખતાં પ્રવૃત્તિ રહી ગઈને? તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, અને પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે.” શ્રેયભૂત એટલે કલ્યાણકારક લાગે છે. જે પુરુષાર્થ ઉપડ્યો છે એમાં બાહ્ય પરમાર્થની પ્રવૃત્તિ પણ એમને અપ્રવૃત્તિ થાય એ શ્રેયભૂત લાગે છે. બીજાને માટે નહિ, હોં! પોતાને માટે જુઓ ! કેટલું પ્રાધાન્ય છે! સ્વકલ્યાણનું કેટલું પ્રાધાન્ય છે એમનું ! નહિતર ખ્યાલ તો છે કે અમારા થકી માર્ગ) સમજાય એવું છે. અને કોઈને સમજાય તો અત્યારે બીજું કોઈ દેખાતું પણ નથી. કોઈનું કલ્યાણ થવું હશે તો અમારા થકી થશે એ તો કહી ગયા છે. છતાં પણ પોતાનો પુરુષાર્થ જ્યાં ઉગ્રપણે અંદરમાં કામ કરે છે. બહારની પ્રવૃત્તિ, નિમિત્તવાળી પ્રવૃત્તિ પણ એ નહિ કરવાનું શ્રેયભૂત લાગે છે. આ એમની દશા પકડવા જેવી છે. સમજવા જેવી છે અને સમજાય તો આત્માર્થ સમજાય એવો વિષય છે જરા. બહુ ગૂઢ વિષય છે, અંદરનો ઘણો સૂક્ષ્મ વિષય છે પણ એક સમજવા જેવો વિષય છે.
એક બાજુથી સત્સંગનો આટલો મહિમા કરે છે. પોતે પણ અવારનવાર લખે છે કે ભાઈ! અમે પણ આ ધંધો છોડીને મહિનો-બે મહિના નીકળી જઈએ, કોઈ નિવૃત્તિ ક્ષેત્રની અંદર રહી જઈએ, સત્સંગમાં રહી જઈએ. ત્યાં (કોઈ) આવે તો કહે આવશો નહિમારી પાસે.મને એકલો રહેવા દયો.
સોગાનીજી' જેવું જ છે, કે મારે નિવૃત્તિ લેવી છે. તો પછી સોનગઢ આવો છેને? મને કહ્યું, તમે નિવૃત્તિ લઈ લેવી છે. છોકરો સંભાળે છે. હું તો અમસ્તો બે આની સંભાળું છું. નિવૃત્તિ ક્ષેત્રમાં ક્યાંક જવું છે). ક્યાંક એટલે ક્યાં? “સોનગઢ આવશો ને? તો કહે, નક્કી-નિર્ણય નથી થયો હજી. કારણ કે એ તો સહેજે નિર્ણય થાય. કૃત્રિમ નથી કરતા. નિર્ણય નહિ હુઆ. સોનગઢ' આઉંગા તો યહ ચર્ચા-ફર્ચા નહિ ચલેગી. શું કીધું?
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
રાજહૃદય ભાગ-૧૨
નિવૃત્તિમાં આવીને ‘સોનગઢ’ રહીશ તો આ ચર્ચા-ફર્ચામાં હું રહેવાનો નથી. જુઓ ! કેમકે ત્યાં તો લોકો લાગ્યા રહે. મારે એ રીતે ટાઈમ દેવાનો મારી પાસે સમય નથી. અંદરથી પુરુષાર્થની ઉગ્રતા એવી હોય છે. નહિતર સત્સંગ અને તત્ત્વચર્ચા તો પારમાર્થિક વ્યવહા૨ છે મુમુક્ષુ વચ્ચેનો. (તો કહે છે), ચર્ચા-ફર્ચા નહિ પણ ચલેગી. મેં છે ઔર મેરા કમરા. શું કહ્યું ? મેં ઔર મેરા કમરા. બસ ! ચર્ચા-ફર્ચા મુજે નહિ ચાહિયે. આ શબ્દો હતા.
એટલે કહે છે કે, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી....’ આગળ પણ એમણે એક કાગળ આ મતલબનો લખેલો છે એટલે આમાં વધારે નથી લખતો. માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે.' આ ફરીને લખવાનું સ્ફુરણ થોડુંક વિશેષ થઈ ગયું એટલે તમને બે-ચાર લીટી લખી નાખી. આગળ તો લખાઈ ગયું છે પણ મને અત્યારે લખતાં-લખતાં આ સ્ફુરણ આવ્યું એટલે બે લીટી લખી નાખી છે.
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે;..’ ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે ને ! એટલે સોભાગભાઈ’ પણ કોઈ વાત એમને પોતાને ઠીક લાગે તો લખતા હતા. તેમણે લખેલું કે, તમે મોતીના વેપારની પ્રવૃત્તિ વધારે ન કરો. જે છે એ પૂરા કરી નાખો. જે થઈ ગયો હોય એ વેપાર પૂરો કરી નાખો. એ વેપારમાં જોડાવા જેવું નથી. માણસ જેમ મીઠાનો વેપાર ન કરે, તેલની ઘાણીનો વેપાર ન કરે એમ મોતીનો વેપાર પણ ન કરે. કેમકે એકેન્દ્રિય જીવ છે ને ? એકેન્દ્રિય જીવ થાય છે. આમ તો જે બજારમાં આવે છે એમાં નથી હોતા. પણ મૂળમાં જે સાચા મોતી પાકે છે એ એકેન્દ્રિયનું શરીર જ છે. પછી બજારમાં આવે છે એ મડદું હાથમાં આવે છે. એ વેપાર આપણે ન કરવો, એવું કાંઈ લખ્યું હશે. મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે...' તે તમારી વાત યોગ્ય છે, યથાર્થ છે, એમાં કાંઈ મને વાંધો નથી. અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે.’
લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી.’ હવે આ એક બીજો સૂક્ષ્મ વિચારવા જેવો Point છે કે વેપા૨ ક૨વો છે અને લોભના હેતુથી કરતા નથી. એટલે નિદાન શબ્દ લીધો છે. નિદાન એટલે શું ? નક્કી કર્યું હોય. આટલું મળે તો ઠીક, આમ મળે તો ઠીક, આમ મળે તો ઠીક એવું કાંઈ નિદાન નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૬
૧૭ એમ વિચારતા લોભનું નિદાન જણાતું નથી. નિદાન સમજાય છે? પ્રાપ્ત કરવાનો જે નિર્ણય કર્યો હોય એને નિદાન કહે છે. “આત્મસિદ્ધિમાં વાંચ્યું છે.વૈરાગ્ય આદિ સફળ... બીજી રીતે વાપર્યો છે. જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન.” એટલે મુમુક્ષુ માટે લીધું. આત્મજ્ઞાની હોય એનો વૈરાગ્ય સફળ છે, બીજો કોનો સફળ છે? કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું નિદાન બાંધી લીધું હોય, નક્કી કરી લીધું હોય કે મારે આ પરિણામ કરવું છે માટે આ... એનોવૈરાગ્ય સફળ છે. બે જણનોવૈરાગ્ય સફળ છે. બાકી બધાના જેટલાના વૈરાગ્ય છે એ બધા નિષ્ફળ છે. એમ કરીને “આત્મસિદ્ધિ'માં એ મર્યાદા બાંધી છે. એમ અહીંયાં નિદાન શબ્દનો અર્થ એ છે કે, લોભના નિદાનથી વેપાર નથી કરતા.
લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં... વિચારતાં એટલે અમારા આત્માના પરિણામ તપાસતા “લોભનું નિદાન જણાતું નથી. એટલું જ નહિ વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી.” કે આ પૈસા મળશે, ભોગ-ઉપભોગ, અનુકૂળતા રહેશે. પાંચેય ઇન્દ્રિયના વિષયોના પદાર્થો સુલભ થઈ જશે. માટે અમે આ પ્રવૃત્તિ કરીને પૈસા મેળવીએ છીએ એમ પણ દેખાતું નથી. જુઓ! પોતાના પરિણામ તપાસીને (કહે) છે. તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. આ બે વાત હોય તો જમાણસ પ્રવૃત્તિ કરે. આ કહે છે કે બે વાત નથી છતાં પ્રવૃત્તિ થાય છે એ હકીકત છે. પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહનથી.ક્ક
મુમુક્ષુ -એટલે આ પૂર્વનો કર્મનો ઉદય જ છે એમ? પૂજ્ય ભાઈશ્રી:-નીચે જ લખે છે.
જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિદેવાને માટે થતી હશે એમ લાગે છે,” શું કહ્યું? દેણું ચૂકવીએ છીએ. આગલું દેણું કરીને આવ્યા છીએ. આ રેવાશંકરભાઈનું ને કુટુંબનું ને બીજાનું, ત્રીજાનું દેણું દેવા આવ્યા છીએ. લેવા-દેવા આવ્યા નથી અમે કાંઈ? અમારે કાંઈ જોઈતું નથી. આ દેણું ભરીએ છીએ, બીજું કાંઈ નથી. કરજ કર્યું છે એ ન્યાયથી, નીતિથી પાછું આપી દેવું છે. દૂધે ધોઈને તમારું લેણું લઈ જાવ. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? પાછું એમના ઉપર નાખ્યું છે. અમને તો લાગે છે, કે પણ તે યથાર્થ હશે કે કેમ?
તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે? અમારો ન્યાય અમે કેમ તોળીએ? ભલે કોઈ જ્ઞાનીપુરુષ અમારો ન્યાય તોળે. અમને કાંઈ વાંધો નથી. અમે તો અમારા
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
રાજહૃદય ભાગ-૧૨ પરિણામ જેવા છે એવા અમે વ્યક્ત કરી દઈએ, બતાવી દઈએ. અને તમે વિચારવાન પુરુષ છો. “સોભાગભાઈ’ વિચારવાન છે ને! તમે કહો એ અમને પ્રમાણ છે. તમે એમ કહો કે તમારો અહીંયાં દોષ છે તો અમને પ્રમાણ છે. તમે કહો કે નિર્દોષ છો તો અમને પ્રમાણ છે. એવી વાત નાખી છે. એ જવિનંતિ.લિ. રાયચંદના પ્રણામ.”
જેમ સમકિતનું મૂળ ‘સત’ ની પ્રતીતિ છે. તેમ આત્મજ્ઞાનનું મૂળ આત્મવિચાર છે, આત્મ-કલ્યાણનો નિર્ધાર છે, જેથી યથાર્થતા ઉત્પન્ન હોયછે.
જેમ સત્પુરુષની પ્રતીતિ, અને સ્વરૂપની અનુભવાશે પ્રતીતિરૂપ કારણમાં કાર્યનો ઉપચારથી તેને સમકિત કહેવાય છે, તેમ આત્મવિચારરૂપ યથાર્થ સુવિચારણારૂપ કારણમાં આત્મજ્ઞાનનો ઉપચાર કરવામાં યથાર્થતા છે. બંને પ્રકારના પરિણામો સમકાળે હોય છે.
પરિપૂર્ણદશારૂપ પરમાત્મપદનો આ નક્કર પાયો છે. જે પાયાની મજબૂતાઈ ઉપર સિદ્ધપદ સુધીનું ચણતર થાય છે. મુમુક્ષુજીવ માટે આ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી તાકાતથી ઉપાસનીય છે; પૂરા ઉદ્યમથી પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(અનુભવ સંજીવની-૧૩૯૮)
Page #36
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૮-૫૭૯
પત્રાંક-૫૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧
મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ.
રાયચંદના યથાયોગ્ય.
...
તા. ૦૪-૧૨-૧૯૯૦, પાંક-૫૭૮ થી ૫૮૨ પ્રવચન નં. ૨૬૮
૧૯
જોખમ ઘણું છે અને પરિણામને નુકસાન કરનારું છે. પરિણામની ચંચળતા
વધારવા માટે વેપારમાં સૌથી વધારે ચંચળતાનું નિમિત્ત હોય તો એ સટ્ટાનો વેપાર છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ.' એટલે ઘરે કોઈને, ગામમાં કોઈને ‘વવાણિયા’ કોઈને સગા-સંબંધીમાં પત્ર લખ્યો એની વાત છે. પોસ્ટકાર્ડ લખેલું છે.
પત્રાંક-૫૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.
શ્રી ડુંગ૨ સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ,
Page #37
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય ભાગ-૧૨
આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે કયારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.
આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી.
ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એજવિનંતિ.
આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય.
૫૭૯મો પત્ર છે સોભાગભાઈ ઉપરનો છે. પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પતું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.” એટલે “મોરબીથી આ નીકળી ગયા. “સાયેલા પહોંચાડે એવું હોઈ શકે. “શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે;” સંકોચ ન કરવો, વિકલ્પ ન કરવો. કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. એટલે બાહ્ય નિવૃત્તિ રહેશે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં
Page #38
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૯
૨૧ ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.” થોડો ભાગ દિવસનો અને રાત્રે તો પછી વેપાર હોતો નથી એટલે રાત્રે પણ ઘણો સમય મળે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે..” એટલે “સોભાગભાઈની વર્તના ઉપર લખે છે કે તમે પરમ પુરુષની આજ્ઞાને નિર્વાહ એટલે નિભાવવા માગો છો. બીજા પ્રત્યે પણ તમારી હિતબુદ્ધિ અને કરુણાબુદ્ધિ વિશેષ છે. અને એનાથી તમે પોતે પણ કાંઈક નિવૃત્તિ ઇચ્છો છો. પણ આજીવિકાનો પ્રશ્ન તમને મૂંઝવે છે. એટલે એ “સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે... અમે લગભગ જવાબ દેતા નથી અથવા ગોળગોળ જવાબ દઈએ અથવા અડધો-પડધો જવાબ દઈએ. એમ મૌન જેવું વર્તવાનું થાય છે. તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, એમાં કોઈ બીજી કલ્પના નહિ કરતા. બીજો કોઈ હેતુ નથી.
જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો” ચિત્તમાં ખળભળાટ થાય કે કેમ મને જવાબ મળતો નથી ? એવું નહિ વિચારતા. એવો કોઈ બીજો લૌકિક હેતુ નથી. જે કાંઈ હેતુ છે એ તો સમજી-બૂઝીને જ તમારી સાથેનું વર્તન રાખવામાં આવે છે. હવે સૂચના કરે છે કે, “અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાયા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું.' એવી કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય તો) ઠીક છે. એ પહેલા મારી ઇચ્છા જાણ્યા વિના આ પ્રકારે તમારે મને કાંઈ લખવું નહિ. એવી સૂચના કરી છે.
કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે”મારે અને તમારે આ આર્થિક પ્રયોજનની અંદર સંકળાવું એ યોગ્ય નથી, ન સંકળાવું એ વધારે યોગ્ય છે. અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. અને આર્થિક પ્રતિકૂળતાને માટે તમને જે ભયથી આકુળતા ઉત્પન્ન થઈ જાય છે એ પણ તમને યોગ્ય નથી. તમારે બને એટલી એ વિષયની અંદર સમાધાનથી શાંતિ રાખવી યોગ્ય છે.
મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે.” ફક્ત તમને દઢતા નથી એટલે લખી નાખો છો. પણ તમે દઢ કરીને અને આમ દઢતા રાખો કે આવી કોઈ વાત લખવી નથી, તો એ તમારાથી બની શકે એવું છે અને એવું થાય તો તમે મારા ઉપર કૃપા કરી છે એમ સમજીશ. માર ઉપર કૃપા કરી છે. એવા શબ્દ
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
રાજહૃદય ભાગ-૧૨ લખ્યા છે. કેમકે એ પોતે પણ એ પ્રકારની ઉપાધિક વિકલ્પોની અંદર ખેંચાવા માગતા નહોતા. એમને જે જોડાવું પડતું હતું એ પોતાને આધ્યાત્મિક રીતે અનુકૂળ નહોતું. પોતાને અંતર પરિણતિને એ વાત જરાય અનુકૂળ નહોતી. એટલે તમે એ બંધ કરો તો હું માનીશ કે તમે કાંઈક મારા ઉપર કૃપા કરી છે. ઠીક ! કેવી મૃદુ ભાષાથી પત્ર લખે છે !
બાકી કોઈ રીતે કયારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો.' એટલે મારા અને તમારામાં અમે જુદાઈ રાખી નથી. આ મારું અને આ તમારું. મારું મારું અને તમારું મારું નહિ, મારું તમારું નહિ એવો કોઈ ભિન્નભાવ મેં રાખ્યો નથી. રાખવાનો સંભવ પણ નથી, એવું મને સૂઝે એવું નથી અને તમે એ નિશ્ચયમાં રાખજો. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ મૂકાઈ જાય તો પોતે કાંઈ જરાપણ એને પડખે ન આવે એવું તો બને નહિ. માનસિક રીતે દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે એ એમના પ્રત્યે તો એમને વિશેષ કરુણાબુદ્ધિ હતી અથવા એમના પ્રત્યે તો સાધર્મીપણાનો ભાવ પણ વિશેષ હતો.
‘આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી....' તમારી યોગ્યતા એવી સારી છે કે તમને તો આટલું પણ લખવાનું હોય જ નહિ. ‘તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.’ છતાં પણ તમારી યાદદાસ્ત વધારે પાકી થાય, વિશેષતાવાળી થાય એટલા માટે લખ્યું છે. ‘આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય.’ એટલે એ પણ તૈયારી કરજો, કે તમારે શું શું જાણવું (છે) ? શું શું સમજવું છે ? એ પૂછવાની પણ તૈયારી કરીને આવજો. રૂબરૂમાં બધા ઉત્તર આપી શકાશે. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે.’ એ દિવસોમાં તો રોજના એક કે બેવાર ટપાલ નીકળે. એટલે વેપારીને બધો ખ્યાલ હોય કે છેલ્લો ટપાલનો આ સમય છે. પછી સીધું બીજે દિવસે જાય.
શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો.' લૌકિકદૃષ્ટિ એટલે શું ? કે પારકાપણું રાખીને. આપણે ક્યાં જાવું ? કાંઈ સંકોચ રાખવો. એવું નહિ રાખતા. લૌકિકદૃષ્ટિએ જે સંકોચ રાખવાનું થાય એ ન રાખે. ખુશીથી આવે. આખા પત્રની અંદર છેલ્લું વાકય બહુ જોરદાર છે. આ પત્ર તો આખો વ્યવહારિક રીતે લખેલો છે પણ એક વચન છે એ એકદમ પારમાર્થિક અભિપ્રાયનું છે.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે,..' આ જેટલા પદાર્થો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એના
Page #40
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૯
૨૩ કરતાં પણ સૌથી એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી. એટલે કે કોઈ એમ કહે કે આ મેં નજરોનજર જોયું કે આ સફેદ રંગ છે. પ્રત્યક્ષ છે કે આ સફેદ રંગ છે. વર્ણ તો ચક્ષુઇન્દ્રિયનો વિષય છે ને? કેટલું બધું પ્રત્યક્ષ છે? તો બહુ પ્રત્યક્ષ છે આ તો. હાથમાં સફેદઈ દેખાય છે. આના કરતા આત્મા પ્રત્યક્ષ છે, એમ કહે છે. કેમકે જ્ઞાન, આત્માનું જ્ઞાન કોઈ એક ઇન્દ્રિયના માધ્યમથી આ વર્ણ જણાય છે. આત્માને જાણવા માટેજાણનારને જાણવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એટલે અત્યંત પ્રત્યક્ષ છે. સૌથી અત્યંત પ્રત્યક્ષ છે.
“આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચયતે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ નિશ્ચય પરમ પુરુષે પરમ પુરુષના પોતાના જ્ઞાનમાં કર્યો. પણ અમને અમારા અનુભવમાં આ વાત પ્રત્યક્ષ છે એમ કહે છે. અત્યંત પ્રત્યક્ષ છે એટલે આવા અનુભવમાં આ વાત પ્રત્યક્ષ છે કે પરમ પુરુષે જે આત્માનું પ્રત્યક્ષપણું કહ્યું છે એ અમને પણ આત્મા પ્રત્યક્ષ અમારા અનુભવમાં વર્તે છે. આ એક વાક્ય પુરુષાર્થને ઉછાળે એવું વાક્ય છે. આવું જેવચનામૃત છે એવળી લખતાં લખતાં કેવી વાત નીકળી પડે છે.
આ એક જ્ઞાની સાથેના સમાગમનો એક અપૂર્વ પ્રકાર છે. કે કોઈ વાર સામાન્ય વાત ચાલતી હોય એમાંથી કોઈ એવી વાત નીકળી પડે છે. જો આત્માને ચોંટ મારે તો પરિણામની દિશા ફરી જાય. એટલી બધી આત્મા ઉપર અસર કરી જાય. એટલા માટે વિશેષ વિશેષ મહાપુરુષોનો સમાગમ કરવામાં આવે છે એનું કારણ એ છે. ભલે ગુરુદેવનું...
મુમુક્ષુ – એટલે પુરુષાર્થમાં પ્રમોદદેખાય છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. પોતે લીધું છે. મુમુક્ષુ – એટલું બધું પ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ જેવું કાંઈ લાગતું નથી.
પૂજ્ય ભાઈશ્રી:- એવો એક બીજો પ્રશ્ન છે, કે આત્મા આનંદસાગર છે. એમ કહેવાય છે ને ? સાગર એટલે મહાસમુદ્ર. જોકે સમુદ્રની ઉપમા પણ નાની પડે છે, ટૂંકી પડે છે. એટલો બધો આત્મામાં આનંદ ભરેલો છે ! ત્યારે કોઈ પૂછે કે આટલો બધો આનંદ હોય પણ અહીંયાં એક છાંટો કેમ નથી આવતો? અંદરમાં જો દરિયાના દરિયા ભર્યા છે તો એક છાંટો તો કેમ દેખાતો નથી ? છાંટાનો કેમ અનુભવ થતો નથી? એને એમ કહી શકાય કે સમુદ્ર બાજુ પીઠ રાખીને તું ઊભો છે. કાંઠે જાય. હોય સમુદ્રના કાંઠે. લોકો પણ એમ કહે કે, ભાઈ ! તમે ક્યાં ઊભા છો ? કહે સમુદ્રના કિનારે ઊભા છો. અને રાખી હોય પીઠ. પછી એમ કહે કે, ભાઈ! સમુદ્રમાં કેટલું પાણી? કહે, અગાધ જળ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
ચજહૃદય ભાગ-૧૨ પણ મને તો એક છાંટો પણ દેખાતો નથી. ક્યાંથી દેખાય? જેનું મુખ આ બાજુ છે એને આ બાજુની ચીજ કેવી રીતે દેખાય? એને એ ચીજદેખાતી નથી.
એમ આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. એનો સ્વભાવ સર્વપ્રત્યક્ષ છે, સર્વથા પ્રત્યક્ષ છે, સર્વદા પ્રત્યક્ષ છે અને બેહદ પ્રત્યક્ષ છે. પણ પોતે એને જોવા માટે જેટલું આતુર થવું પડે એટલો આતુર થતો નથી. કેમકે એ બાજુ વળવું છે ને ? જોવાશે ક્યારે ? એ બાજુ વળાશે ત્યારે તો એના માટે આતુર થવું પડે છે. બીજા કોઈ પદાર્થના કુતૂહલ માટે આ જીવ આતુરતા કરે છે પણ આવો મહાન પદાર્થ પોતે અભુતથી અભુત! વાણીને અશક્તિ જાહેર કરવી પડે છે, ભગવાનની દિવ્યધ્વનિને પણ અશક્તિ જાહેર કરવી પડે છે, કે આ પદાર્થને કહેવા માટે મારું સામર્થ્ય નથી. એવો પદાર્થ છે એનું કુતૂહલ કર એમ કહે છે.
શ્ચમ મૃત્વા તત્ત્વકૌતૂહની સ’. ‘સમયસાર ૨૩મો કળશ. મરીને પણ કુતૂહલ કર.
આચાર્ય મહારાજના શ્રીમુખેથી આ શબ્દો આવ્યા છે. “વફથમ મૃતા' મરીને પણ કુતૂહલ કર. એટલે શું? મરણપર્વતની પ્રતિકૂળતાને ગૌણ કરીને તારું એ બાજુનું વલણ નથી એનું કારણ શું છે? કે અનુકૂળતા અને પ્રતિકૂળતાની ભાંજગડમાંથી પરિણામ નવરા થતા નથી. પછી કોઈને નાની હોય તો કોઈને મોટી હોય. એ નાનીમોટીની તો પોતાની કલ્પના છે. એ બાજુના પરિણામ છે એ પરિણામ છૂટે ત્યારે આ બાજુ આવેને બે બાજુ રહે એવું તો બને નહિ. મરણપર્વતની પ્રતિકૂળતાને ગૌણ કરીને એકવાર તું છ મહિના સુધી કુતૂહલ કર. છ મહિનાની મુદ્દત મારી છે. અનંતકાળમાં છ મહિના શું છે?
એક છોકરાને ભણાવવો હોય તો ૨૦વર્ષ સુધી ભણતર અને નિશાળને કોલેજ સુધી પૈસા ખર્ચીને મોકલવો પડે છે. આ તો કોઈપણ જાતનું કાંઈ લીધા-દીધા વિના. ફક્ત છ મહિના! આચાર્ય મહારાજ ફક્ત છ મહિનાની માગણી કરે છે. તારા માટે તું તારા છ મહિના બચાવ. વધારે નહિ. તારું શાશ્વત કલ્યાણ થાય એ વાત નિઃશંક છે. છ મહિના એકવાર દેહનો પાડોશી થઈને, શરીરનો પાડોશી થઈને અંદરમાં તું જો, કે અત્યંત પ્રત્યક્ષ, બેહદ પ્રત્યક્ષ, સર્વથા પ્રત્યક્ષ એવું તારું આત્મતત્ત્વ ચૈતન્ય ચમકે છે. જુઓ! પૂજ્ય બહેનશ્રીના શબ્દો છે. ચૈતન્ય તો ચમકે છે. જેમ સોનું ચમકે છે તેમ ચૈતન્ય તો ચમકે છે. આ ચમકતો હીરો છે. ડાબલીમાં નથી, ખુલ્લો ચમકતો હીરો છે. એની ચમક પણ બહાર આવે છે. તને કુતૂહલ થવું જોઈ અને અપેક્ષાવૃત્તિ થવી જોઈએ.
મુમુક્ષુ – ભૂતકાળમાં તો લાખો-કરોડોનું આયુ કહે છે, તો એમાં લાખો-કરોડો
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૫
પત્રક-પ૭૯ વર્ષ સુધી તપસ્યા કરી છે, નિવૃત્તિ લીધી છે, જંગલમાં રહ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી -બધું કર્યું છે પણ વિમુખ રહીને. એમાં શું કર્યું છે કે વિધિની ભૂલ છે. ભૂલથી વિધિ બીજી સમજ્યો છે. તપશ્ચર્યા કરીશ તો આત્મકલ્યાણ થશે, શાસ્ત્ર વાંચીશ તો આત્મકલ્યાણ થશે, જાપ જપીશ તો આત્મકલ્યાણ થશે, દાન દઈશ તો આત્મકલ્યાણ થશે, જાત્રાએ જઈશ તો આત્મકલ્યાણ થશે. આમ કાંઈકને કાંઈક એણે પોતે રીત ખોટી પકડી છે, ખોટી રીત માની છે. સ્વસમ્મુખ કેમ થવું? એના ઉપર એનું ધ્યાન ગયું નથી. અંતર્મુખ કેમ થવું? સન્મુખ કેમ થવું? એ વિષય ઉપર એણે વિચાર્યું નથી, એ વિષય ઉપર એણે ખોજ કરી નથી, શોધ કરી નથી, અનવેષણ કર્યું નથી. નહિતર દૂર નથી. “ચતુરાંગુલ હૈ દગ સે મિલહે” કાંઈ દૂર નથી. શ્રીગુરુ તો એવી રીતે બતાવે છે, કે જો ! પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, સૌથી પ્રત્યક્ષ છે. અમને તો એ મહાપુરુષોનો કરેલો નિર્ણય, પરમપુરુષોનો કરેલો એવો નિર્ણય અમને તો અત્યંત અત્યંત પ્રત્યક્ષ છે. અત્યારે હાજરાહજૂર અમને તો પ્રત્યક્ષ વર્તે છે. તને પરોક્ષ છે એનું કારણ છે, કે પરોક્ષતાની આડમાં તું આડ લઈને ઊભો છો. હું તો આવો. હું તો આવો... હું તો આવો... હું તો માણસ, હું તો ફલાણો... હું તો ફલાણો. એ પ્રકારે અનેકવિધ પ્રકારની માન્યતા વિપરીત કરીને બેસી ગયો છે. ગાંઠ મારીને, ગ્રંથી-ગાંઠ મારીને બેસી ગયો છો.
મુમુક્ષુ-માણસ છું એ તો વિચાર કર્યા વગર ચાલુ છે.
પૂજ્ય ભાઈશ્રી – નિર્વિકલ્પ થઈ ગયો છે. ગાંઠ મારીને બેસી ગયો છે એટલે? માન્યતામાં નિર્વિકલ્પપણું છે. પોતાની જઊંધી માન્યતા છે એમાં એ નિર્વિકલ્પ છે. કેમકે શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ સ્વરૂપે પરિણમે છે. એવું અહીંયાં કરવાનું છે. અને તે પણ અંધશ્રદ્ધાથી નહિ. પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને નિહાળવી છે. વર્તમાન પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને સ્વ સ્વરૂપે અવલોકવી છે. બસ! જુઓ! આખું ભવન ફરી જાય છે કે નથી ફરતું ?પરિણમન ફરી જાય છે કે નથી ફરતું ?
મુમુક્ષુ –આપે દડતા હીરાની ઉપમા આપી છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પરિણમતો છે ને એટલે દડતો હીરો (કહ્યો). હાથમાંથી પડ્યો પણ હજી દડે છે એટલે પકડાય છે. ક્યાંક સ્થિર થઈ ગયો હોય તો ગોતવો પડે પણ દડતો હોય તો તરત નજરમાં આવે. એ સ્થૂળ પરિણમન છે. એમ પર્યાયનું પરિણમન સ્થળ છે. વસ્તુ સૂક્ષ્મ છે અને પર્યાયનું પરિણમન એ સ્થળ છે. અને એ પરિણમનમાં જે જ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન નહિ, એ પરોક્ષ છે, સામાન્યજ્ઞાન છે તે પ્રત્યક્ષ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
ચજહૃદય ભાગ-૧૨ અને એ કોઈ સમયે નથી એવું નથી. ફક્ત પોતે કુતૂહલ કરીને અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે. અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે. એ પ્રયાસ કરશે ત્યારે એને ખબર પડશે કે એ પ્રયાસ કરવામાં મને શું શું આડું આવે છે.
અત્યાર સુધી તો એ કેવા પરિણામ કરે છે ? અને એ પરિણામ પોતાના આત્મદર્શન માટે કેટલા પ્રતિકૂળ છે, આવરણરૂપ છે એની એને ખબર નથી. એની જ એને ખબર નથી. પણ જ્યાં આત્માને જોવા જાય ત્યારે એને ખબર પડે છે. એ બધા પરિણામ એથી સ્થૂળ પરિણામ છે. સામાન્ય કરતા રાગાદિ સ્થળ છે, રાગાદિ કરતા
યાકાર જ્ઞાન સૂક્ષ્મ છે અને શેયાકાર જ્ઞાન કરતાં સામાન્યજ્ઞાન સૂક્ષ્મ છે. રાગાદિ પરિણામો તો પહેલા દેખાશે. કેમકે એ તો ઘણા સ્થળ છે, પછી શેયાકાર જ્ઞાનનો વિષય આવશે, પછી જ્ઞાન સામાન્ય ઉપર એટલું સૂક્ષ્મ છે. ઓલું બધું ધૂળ તો પહેલા દેખાય જવાનું છે. એટલે તરત ખબર પડશે, કે આ જીવ ક્યાં (ઉભો છે).
આત્મહિતની તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ભાવના અને તીવ્ર લગનીને કારણે ઔદયિક કાર્યોમાં અને પરિણામોમાં નિરસ થવું, કે તેથી પોતાને જે દિશામાં જાવું છે એનો અવરોધ વર્તમાનમાં તો ઊભો ન થાય. એ અવરોધક ભાવો છે. અને પછી સતુશ્રુતની ચિંતવના કરવી. એવી પરિસ્થિતિમાં. ઇન્દ્રિયનિરોધપૂર્વક અથવા ઇન્દ્રિયજય કરીને જે સશ્રુતની આરાધના કરવામાં આવે છે. શ્રુતની અંદર તો એક એક વાક્ય જુઓને ! આખા પત્રમાં એક વાક્ય છલાંગ મારીને આત્મામાં નાખ્યું છે.
આત્મા અત્યંત પ્રત્યક્ષ છે એમ કહે છે. સૂર્ય-ચંદ્ર એટલો પ્રત્યક્ષ નથી. અત્યંત પ્રત્યક્ષમાં શું આવે? આ સૂર્ય-ચંદ્ર છેને? એ જેટલા પ્રત્યક્ષ નથી એટલો પોતાનો આત્મા પ્રત્યક્ષ છે. આ નિર્ણય કોણે કર્યો છે? પરમપુરુષોએ નિર્ણય કર્યો છે. તીર્થકર જેવા પુરુષોએ-પરમપુરુષોએ આ નિર્ણય કર્યો છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમને તે અત્યંત પ્રત્યક્ષ છે. એવો જે પરમપુરુષોનો નિર્ણય તે અમને તો અત્યંત પ્રત્યક્ષ છે. અમારા અનુભવમાં એ પ્રત્યક્ષ થઈ ગયો છે માટે જ્ઞાની પુરુષોના નિર્ણયની બાબતમાં કોઈ શંકા થવાની કોઈ જગ્યા રહેતી નથી. કોઈ અવકાશ નથી, કોઈ ગુંજાઈશ નથી.
એ રીતે આત્માની પ્રત્યક્ષતા ઉપર જે વાત લઈ જાય છે એ વાત પારમાર્થિક દૃષ્ટિએ બહુ મહત્ત્વની છે. કાંઈક અધ્યાત્મનું રહસ્ય છે એ આ જગ્યાએ છે. આત્મા જે અધ્યાત્મ તત્ત્વ છે અને એને અનુસરનારા પરિણામ એ અધ્યાત્મ તત્ત્વ છે, એનું રહસ્ય આ જગ્યાએ છે. “સોભાગભાઈને આ પત્ર ૨૮માં વર્ષે લખ્યો છે. વાત નહિ પકડી હોય. ૩૦મા વર્ષે એમને પ્રત્યક્ષ હથેળીમાં આત્મા દેખાડી દીધો લાગે છે. આ વાત લખી છે તમારું ધ્યાન ગયું છે કે નથી ગયું? એ ૫૭૯પત્ર (પૂરો થયો.
Page #44
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૦૫૮૧
ર૭
પત્રાંક-૫૮૦.
મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૫૧ કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યતીત થયા કરે છે. જેથી વિનંતી છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત પૂછવા અથવા લખવા ઇચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં. એજવિનંતિ.
આ.સ્વ.પ્રણામ.
પ૮૦મો પત્ર “અંબાલાલભાઈ” ઉપરનો છે. કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યતીત થયા કરે છે. શું કહે છે? કેટલીક વાતો અને વિચારો તમને જણાવવા છે પણ કોઈ સંયોગો ઉદયને અનુસાર એમ કરવામાં કેટલોક સમય વ્યતીત થઈ ગયો છે, વ્યતીત થયા કરે છે, હજી પ્રારંભ નથી થયો.
પત્રાંક-૫૮૧
મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પયય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.
લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ
વિનંતિ.
પ્રણામ.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
રાજહૃદય ભાગ-૧૨ લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. એમને કોઈ એ પ્રકારની અંતર-બાહ્ય પરિણામની સ્થિતિ હતી કે પારમાર્થિક પ્રસંગમાં પણ લખવામાં મન અપ્રવૃત્તિ કરતું હતું. કાલે ચર્ચામાં આવ્યું ને ? મન અપ્રવૃત્તિ કરતું હતું. મનની પ્રવૃત્તિ અપ્રવૃત્તિપણે થઈ જતી હતી. એ એમણે ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે કે લખી શકાતું નથી. તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી...' એ પણ પ્રકૃતિનો ઉદય, હોં ! કેટલાક વિચારો હમણા ગૌણ કરી નાખવા, ઉપશમ કરી નાખવા, એ વિચારને પ્રાધાન્ય ન દેવું એવો કોઈ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. કોઈને અમુક વાત જે સ્પષ્ટ કરવી છે એ સ્પષ્ટપણે કહેવાનું કે લખવાનું બની શકતું નથી.
હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપસંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી.” “મુંબઈનું ક્ષેત્ર છે ને? એમણે ક્ષેત્રને ઉતાપવાળું ગણ્યું છે. ગુરુદેવે “મુંબઈને બીજું નામ આપ્યું છે. “અજંપા નગરી'. ગુરુદેવ” “મુંબઈ જતા અને ત્યાંના હાલહવાલ જોવે તો કહે), કોઈને ક્યાંય જંપ નથી. રાતના ૧૨, ૧, ૨ વાગ્યા સુધી Trafcરહે. વળી ૪ વાગ્યાથી Trafદિચાલુ થઈ જાય. બારેક વાગ્યા સુધી તો ધમાધમ હોય. ૧૧ વાગે તો લોકોને સાંજ પડે છે. ૧૧ વાગ્યાની ચહલપહલ જોવે તો આ તો “મુંબઈ છે એમ કહે જાણે સાંજ પડી છે. એટલે કોઈને જંપ નથી. માનસિક અશાંતિ અને એ અશાંતિથી થતી જે પ્રવૃત્તિ (જોઈએ) આ અજંપનગરી છે એમ કહેતા હતા. અજંપો... અજંપો... અજંપો..બધે જોવા મળે પ્રત્યક્ષ.
કહે છે કે, ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. થોડા દિવસ માટે અહીંથી નિવૃત્ત થયું છે. હવે તે વિષે જે બને તે ખરું.’ એટલે પોતે કંટાળ્યા છે. પ્રવૃત્તિ અને ક્ષેત્રથી કંટાળ્યા છે. થોડો વખત માટે નિવૃત્તિ ક્ષેત્રમાં જવા માગે છે. પણ એ તો બને તો ખરું હવે. ૫૮૧ પત્ર) પૂરો થયો.
પત્રાંક-૫૮૨
મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૫૧ આત્મવીર્યપ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુવિચાર કરી પ્રવર્તવું ઘટે છે. શુભેચ્છાસંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર, વિશેષ વિનતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૯
પત્રાંક-૫૮૨
સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજાં કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે; અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી, છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતાં બીજા વિષમ કારણોનો આગળ પ૨ સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે; આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે; પણ કોઈ લોકવ્યવહારરૂપ કારણથી આવવા વિષેનો વિચાર વિસર્જન કર્યો નથી.
ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો વખતે રતનજીભાઈને ખુલાસો કરશો. મારા આવવા નહીં આવવા વિષે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતિ છે.
વિ. રાયચંદના પ્ર.
૫૮૨મો પત્ર છે ‘કુંવરજી આણંદજી, ભાવનગર’ ઉપરનો. પત્રનું મથાળુ બાંધ્યું છે કે, આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે.’
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
રાજહૃદય ભાગ-૧૨
એટલે જે દિશામાં આત્મવીર્ય પ્રવર્તાવવું એટલે પુરુષાર્થ કરવો એ બહુ વિચાર કરીને પુરુષાર્થ કરવો. અને જે દિશામાંથી પુરુષાર્થને પાછો ખેંચી લેવો હોય તો પણ બહુ વિચાર કરીને કરવો. આવેશમાં આવીને કોઈ વાત છોડી દેવી, કે અહીં મારે પુરુષાર્થ ક૨વો જ નથી. એમ પણ નહિ. તેમ આવેશ આવીને ફલાણું કરી નાખું, એમ પણ નહિ. જ્યાં આત્મવીર્ય એટલે આત્મિક પુરુષાર્થ કરવો છે, જ્યાં પ્રવર્તાવવો છે અને જ્યાં સંકોચાવો છે ત્યાં પણ બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. એમનેમ આંધળુકિયા કરવા જઈશ તો ટકી શકીશ નહિ.
કેટલાક જીવો માનસિક દૃઢતાથી આજીવન પર્યંત ટકી શકે છે. નહિતર આમા કોઈ તર્ક કરે છે કે ઘણા કોઈ એવી દૃઢતાવાળા હોય છે કે આખી જિંદગી બરાબ૨ વ્રત, નિયમ, સંયમમાં બહુ સારી રીતે ટકે છે. એને કાંઈ લાભ થતો હશે કે નહિ થાય ? કે એને સંયોગિક દૃષ્ટિ છૂટી નથી. અસંગતત્ત્વની દૃષ્ટિ થઈ નથી. એટલે એના ફળમાં જે સંયોગો આવશે ત્યારે શેને લઈને આ મળ્યું છે એ તો એને ખબર નથી અને ખબર હશે તો પણ એના પરિણામ રહેશે નહિ. એ વળી પાછો તીવ્રપણે અશુભ પરિણામમાં આવ્યા વિના રહેશે નહિ. એટલે એ રીતે તો એણે કાંઈ વિચારીને કર્યું છે એમ કહી શકાય નહિ.
વિચારીને ક૨વાનો અભિપ્રાય એ છે કે જે કાંઈ કરવું છે એ એવા પ્રકારે ક૨વું છે કે પછી એ કર્યું ન કર્યું ન થાય અથવા શાશ્વત જેનો સંબંધ રહે એવું કરવું છે. અત્યારે કર્યું ને વળી ભૂંસાઈ જાય અને વળી એના એ દુઃખ ઉભા થાય ને વળી પાછા એ ભોગવાય એટલે વળી પાછા થોડા કાંઈક શુભ બાંધે અને વળી પાછા દુઃખમાં આવે. આ તે કાંઈ જિંદગી જીવવાની રીત નથી.
શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર.’ શુભેચ્છાસંપન્ન એટલે જેમને કાંઈક આત્મહિત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, પ્રાપ્ત થઈ છે, આત્મહિતની ભાવનામાં આવ્યા છે એને અહીંયાં શુભેચ્છાસંપન્ન એટલું સંબોધન કરે છે.
વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પત્તું ૧પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે.’ એટલે એમણે એમ કહ્યું છે કે આપ ‘ભાવનગર’ પધારો. આમંત્રણ એમણે આપ્યું હશે. એના ઉ૫૨ ઉત્તર આપે છે, કે તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે.’ પોતાને જે વિચાર આવ્યા છે એ એમણે વ્યક્ત કર્યાં
છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદયછેઆબરૂ બહુ મોટી છે. “શ્રીમદ્ રાજચંદ્ર એક મહાજ્ઞાની છે એવી વાત પ્રસિદ્ધ થઈ છે. અમારો બહારનો વ્યવહાર લોકોને શંકા પડે એવો છે. સામાન્ય માણસ જે રીતે જીવન જીવતા હોય એ જ રીતે પોતે જીવન જીવે છે. કોઈ અસામાન્ય દેખાવ નથી, અસામાન્ય પહેરવેશ નથી, અસામાન્ય કોઈ પ્રવૃત્તિ નથી. ખાવું, પીવું બધું સામાન્ય બોલવું, ચાલવું સામાન્ય લાગે. થોડી ગંભીરતા વિશેષ લાગે, શાંતતા થોડી લાગે. પણ એ તો જરાક બહુ ધ્યાનથી જોવે એને ખબર પડે. નહિતર બધી સામાન્ય વાત લાગે.
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. વળી કુટુંબ છે, ગૃહસ્થ છે, ધંધો વેપાર છે. એ પણ લોકો જાણે છે. વાત કરશે ત્યારે તો વીતરાગતાની કરશે. પછી પૂછનારને પાછી શંકા પડશે. આ તો આમ કહે છે. પોતે તો પાછા લોભન કરવો એમ કહે છે અને પોતે તો દુકાને જાય છે. તૃષ્ણા ન રાખવી એમ કહે છે અને પોતે તો વેપાર કરે છે. આ દેહ પણ મારો નથી અને કુટુંબ પણ મારું નથી એમ કહે છે અને વળી પાછા પોતે તો કુટુંબમાં કુટુંબ સાથે રહે છે. લોકોને અંદેશો પડે એવો વ્યવહાર છે. અંદેશો એટલે શંકા. લોકોને શંકા પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે.
“અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે....' વ્યવહાર આવો હોય, લૌકિક વ્યવહાર હોય અને સાથે સાથે.બળવાન નિર્ગથ ઉપદેશ કરવો તે, કારણ કે ઉપદેશ તો જે છે એ કરવો પડશે. ઉપદેશમાં બીજી વાત કેમ કરાય? પોતે એ ઉપદેશ કરવાની સ્થિતિએ નિગ્રંથ નથી થયા. પણ નિગ્રંથનો ઉપદેશ તો જે જાણ્યો છે એ જ કહેશે, અનુભવ્યું છે એ જ વાત કરશે. તેમાર્ગનો વિરોધ કરવા જેવું છે, એ માર્ગનો વિરોધ લાગે એવી વાત છે. માટે અમને એ બાજુ, લોકોની વચ્ચે આવવાની અમને ઈચ્છા થતી નથી. અહીંયાં સમાજ મોટો. ‘ભાવનગરમાં શ્વેતાંબર સમાજ, સ્થાનકવાસી સમાજમોટો છે. દિગંબરનો સમાજ તો પહેલેથી જવાનો છે. અને બીજું શું છે કે જે સંપ્રદાય છે એમાં ત્યાગનું મહત્ત્વ ઘણું છે. જરાક કોઈની ધાર્મિક ભાવના વિશેષ દેખાય એટલે કહે, લઈ લ્યો દીક્ષા મૂકો કુટુંબને પડતું. આ છકાય જીવને
મૂકો, લાણું મૂકો એમ કરીને ત્યાગ ઉપર લઈ જાય. હવે આ ઉપદેશ નિગ્રંથ જેવો કરે અને ઓલાને.. ત્યાગ નહિ એટલે સમાજની અંદર તો વિરોધાભાસ જેવું લાગે.
અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી.” હું લોકોની વચ્ચે આવતો નથી, પ્રસિદ્ધિમાં આવતો નથી. કેમકે એ પ્રકારને હું ઇચ્છતો નથી કે લોકો
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
રાજહૃદય ભાગ-૧૨ સાચી વાતમાં શંકાશીલ થાય અને પોતાના પરમાર્થથી પોતે દૂર જાય એવું હું ઇચ્છતો. નથી. “વખતે કયારેક કોઈ સમાગમમાં આવે છે..... અમારા સમાગમમાં ક્યારેક કોઈ કોઈ આવે છે. અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. હાલમાં તો એ સંબંધી પારમાર્થિક વાતો લખવા-કહેવામાં પણ ઇચ્છિત પ્રવૃત્તિ એટલે કરવી ઘટે એટલી પ્રવૃત્તિ કરી શકાતી નથી. શું કહે છે? હવે પોતે આ સ્થિતિમાં છે એમાં અપરાધ પોતાનો છે એ વાત જાહેર કરે છે.
પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી...... મારા જીવે પણ ઊંડો વિચાર કર્યા વિના, યથાયોગ્ય વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી. અવિચારપણે પ્રવૃત્તિ કરી.
લ્યો ને. તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. જે સંયોગોમાં આવી પડ્યા છીએ એમાં અમારો અપરાધ છે. અમે અવિચારપણે પ્રવૃત્તિ કરી છે એટલે આ રીતે આવ્યા છીએ. નહિતર અમારી અત્યારની જે ભાવના છે એને અત્યારની પરિસ્થિતિ જરાય અનુકૂળ નથી. એટલો અંદરથી ફાટ ફાટ વૈરાગ્ય ફાટ્યો છે અને પુરુષાર્થ પણ ફાટ્યો છે.
જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે;એ બાબતનો ખેદ રહે છે. પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે. તોપણ જે કાંઈ ઉદય હોય તે જ્ઞાતાદૃષ્ટા રહીને વેદવો એ જ યોગ્ય છે. એમાં પણ જ્ઞાતાદૃષ્ટા રહેવાનો પુરુષાર્થ કરવો તે જ યોગ્ય છે. કેમકે ઓલી ઉપદેશની વાત તો બહાર જાય છે. બીજાની સાથે સંબંધ રાખે છે. મારા માટે તો ઉદય ગમે તે હોય, ગમે તે કઠણમાં કઠણ પરિસ્થિતિ હોય તો પણ મારા માટે એથી કાંઈ ડરવાનું કારણ નથી, ભય પામવાનું કોઈ કારણ નથી. વ્યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. એટલે બરાબર પુરુષાર્થની અંદરતો ગમે તે ઉદયના પ્રસંગમાં પણ સમપરિણામે બરાબર રહેવાય છે.
બહુમાં અલૌકિક દશા છે એમની ! વ્યાપારનો ઉદય છે, પણ અંદરની દશા બહુ અલૌકિક છે. એટલે આમ સાવ જાણે ભિન્ન પડી ગયા હોય એવી અંદરની સ્થિતિ છે, બહારનો દેખાવ સાવ જુદો છે. એટલે એ ગડમથલમાં-પુરુષાર્થની ગડમથલમાં એવા પડ્યા છે કે ક્યાંય પણ ધાર્મિક પ્રવૃત્તિમાં જાહેરપણે આવવામાં એમના પરિણામ છે એ રોકાય જાય છે. એમાંથી એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે.' આત્મદશાની અંદર સ્વરૂપની સ્થિરતા જમાવવા માટે કોઈનો પરિચય ન કરવો એવું લક્ષ રહ્યા કરે છે. એકદમ અસંગ રહી જવું. એકાંતમાં અંદરમાં સ્થિરતા વધારવાનો
Page #50
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૮૨
૩૩ પ્રયત્ન અને પુરુષાર્થમાં લાગ્યા રહેવું એમ લક્ષ રહ્યા કરે છે. “આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે....” કેવી રીતે થાય છે?
એક બહુ સરસ વાત “સોગાનીજીએ એમના અનુભવથી કરી છે કે, કોઈને એમ લાગે કે હું ફલાણું કામ કરું છું, ફલાણી પ્રવૃત્તિ કરું છું. પણ ઉપયોગહીન નેત્રવતુ એ પ્રવૃત્તિ થાય છે. શું કીધું? ઉપયોગહીન નેત્ર. આંખ ખુલ્લી હોય, ઉપયોગ ન હોય. જેમ કોઈ માણસ વિચારમાં ઉતરી જાય ત્યારે એને એમ લાગે કે આ ફલાણાને આમ જોવે છે. ત્યાં જોતો જન હોય. એનો ઉપયોગ જ જોવામાં ન હોય. નેત્રમાં એનો ઉપયોગ ન હોય. એનો ઉપયોગ મનમાં કોઈ વિચારમાં, ચિંતામાં હોય. એમ ઉપયોગહીન નેત્રવત્ પ્રવૃત્તિ થાયછે, એમ લખે છે.
એમ અહીંયાં એમ કહે છે કે, “આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે....” સંગવત્ પ્રવૃત્તિ થતી નથી પણ અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે. કેમ? કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી.” આમાં લાભ થઈ જશે, નુકસાન થઈ જશે એવું તો કાંઈ લાગતું નથીપૂર્વકર્મના ઉદયના ચોગઠા–સોગઠા ગોઠવાય છે. એ સોગઠા પોતે જ દાણા પડી અને ચાલ્યા જાય છે. હું હલાવતો નથી અને હું દાણા પાડતો નથી. આમ છે.ઉદયની ચોપાટ, ચાર પાટ હોય છે ને ? એમ આમાં ચાર બાજુના પ્રસંગો ઊભા થાય છે. શુભ-અશુભ પરિણામ અને શુભ-અશુભ બહારના પ્રસંગો. એ ઉદયની ચોપાટ છે. આત્મા એમાં ખેલાડી થઈને ખેલવા જાય છે. જ્ઞાની કહે છે કે તું જુદો રહીને જોયા કર કે આ ખેલ કેવી રીતે ચાલે છે. આ ખેલને તું જોયા કર. તારે ખેલવાનું હવે કારણ નથી. ચોપાટ છે, પૂરી થઈ જવા દે.
કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. જ્યાં ધાર્મિક વ્યવહાર હોય ત્યાં થોડી સાવધાનીથી લક્ષ રાખીને વ્યવહાર કરવો ઘટે છે. ઉદયમાં તો ગમે તેમ ચાલે એનો વાંધો નહિ. ધાર્મિક વ્યવહારની અંદર તો બીજાના હિત-અહિતનો, પારમાર્થિક હિત-અહિતની અંદર પ્રકાર હોય છે. એમાં સમ્યફ મિથ્યાત્વનો વિષય રહેલો છે. તેમાં ઉપેક્ષા કરાય નહિ. જે વ્યવહારમાં ઉપેક્ષા કરાય એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉપેક્ષા કરાય નહિ. એમ કરીને થોડી વાત કરી છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
અજહૃદય ભાગ–૧૨
તા. ૧૧ ૧૨ ૧0, પત્રીક ના પ્રવચન ન. ૨૬૯
. પરસમ્મુખતાના પરિણામમાં પુરુષાર્થને સંકોચવો જોઈએ, પીછેહઠ કરવી જોઈએ. એમ અપેક્ષા બંનેની જુદી જુદી છે. પણ આત્મવીર્ય પ્રવર્તાવવામાં કે સંકોચવામાં બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. પરસનુખનો પુરુષાર્થ હોય અને સ્વસમ્મુખનો માને અને પુરુષાર્થ ઘણો કરે, દ્રવ્યલિંગી પર્યત જાય. જીવ કેટલો પુરુષાર્થ કરે ? કે દ્રવ્યલિંગી પર્યત જાય. તો જેટલો પુરુષાર્થ એણે દ્રવ્યલિંગી થવાનો કર્યો છે, એથી વધારે પુરુષાર્થ સવળા થવા માટે જોઈએ. જેટલો દૂરગયો છે એટલું નજીક આવવું કઠણ છે, મુશ્કેલ છે. એવી અપેક્ષા છે આમાં. કેમકે આ પત્ર છે “ભાવનગરના “કુંવરજીભાઈ પ્રત્યે. શ્વેતાંબર ગૃહસ્થ હતા. સંપ્રદાયમાં શ્વેતાંબર સંપ્રદાયમાં ક્રિયાકાંડની વિશેષતા છે અને લોકો શરીરની પરવા કર્યા વિના પણ વ્રત, તપ કરે છે. આજે પણ એવા જોવા મળે છે, કે ભલે શરીર કૃષ થઈ જાય અને તપ કરતા ભલે શરીરમાં રોગની ઉત્પત્તિ થાય પણ તપતો બરાબર કરવું.
કહે છે કે એ દિશામાં બહિર્મુખ ભાવે આત્મવીર્ય પ્રવર્તે છે અથવા તો અધર્મને ધર્મ જાણીને, ધર્મનથી તેને ધર્મ જાણીને પુરુષાર્થ કર્યો છે. પાછા ફરવું બહુ કઠણ પડશે. એટલે એટલું મથાળું બાંધી દીધું છે. વાત તો એટલી ખોલીને નથી લખી. પણ વિચક્ષણ જીવ હોય તો એને એમ ખ્યાલ આવે કે કાંઈક કહેવા માગે છે. પુરુષાર્થની બાબતમાં પુરુષાર્થ કરવો એવું તો પોકારી પોકારીને લોકો કહે છે પણ પુરુષાર્થ ન કરવો એવું કહેનારા પણ છે. આત્મવીર્ય પ્રવર્તાવવું એટલે પુરુષાર્થ કરવો. આત્મવીર્ય સંકોચવું એટલે પુરુષાર્થન કરવો. ન કરવાની વાત શું છે?
અહીંયાં દિશાનો વિષય છે કે, સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ ગમે તેટલો થાય તે સંમત કરવા યોગ્ય છે, તે આદર કરવા યોગ્ય છે, આદરણીય છે. અને સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ સિવાયનો કોઈ પુરુષાર્થ પ્રવર્તાવે) તો કહે છે), વિચાર કરીને કરવો. આંખો મીંચીને ઝંપલાવીશ નહિ. અથવા મર્યાદા રાખવી. કેમકે કોઈ કાર્ય એવા હોય છે કે જ્યાં વ્યવહારે કર્તવ્ય હોય છે. તો વ્યવહાર કર્તવ્ય હોય એ તો પ્રાસંગિક વાત થઈ ગઈ, ઉદય
Page #52
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૧૮૨
૩૫ પૂરતી વાત થઈ.
જેમકે કોઈ ધાર્મિક ઉત્સવ છે-ભગવાનના પંચકલ્યાણકનો. ઉદય અનુસાર તો પ્રસંગ ઉત્પન્ન હોય છે. તોપણ જીવે એમાં પુરુષાર્થ કરવામાં, રસ લેવામાં મર્યાદા રાખવી. આ માત્ર શુભભાવ છે, મારી ભાવના પણ જિનમાર્ગ જયવંત વર્તા!ત્રણે કાળે જિનમાર્ગ જયવંત વર્તા! એ મારી ભાવનાને અનુસરીને આ ઉદય આવ્યો છે. પરમાર્થે હેતુભૂત વ્યવહાર છે. વ્યવહાર પણ પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે. તો પછી આ જીવે એમાં પ્રવર્તવાનું કાર્ય થાય તો એણે વિચાર કરીને પ્રવર્તવું, બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. એટલે કે એના રસને એણે શુભ વિકલ્પમાં અને શુભરસની મર્યાદામાં પરિણમવું. પુરુષાર્થમાં શુભરસ મર્યાદિત રહે એ રીતે પરિણમવું. એ આત્મકલ્યાણ સાક્ષાતુ છે એમ જાણીને પ્રવર્તવું નહિ. કેમકે સાક્ષાત્ આત્મકલ્યાણ નથી. એ આદિ અનેક પ્રસંગો છે. ધ્યાન ખેંચ્યું છે.
શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. લોકોને શંકા પડે. અંદેશો એટલે શંકા પડે. ધાર્મિક પુરુષ તરીકેની અમારી જે આબરૂ છે એમાં કોઈ મહાન ધર્માત્મા છે એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. અને આ બાજુ આવીએ ત્યારે લોકોને એમ લાગે કે આ કોઈ સાધારણ માણસ છે, પાઘડી પહેરી છે, ખેસ નાખ્યો છે, કોટ પહેર્યો છે, બુટ પહેર્યા છે, ધોતીયું પહેર્યું છે અને ધર્મની તો મોટી મોટી વાત કરે છે. પાછા શું કહે ? ધર્મની તો મોટી મોટી વાત કરે છે. ત્યાગતો કાંઈ દેખાતો નથી. આ આપણા સાધુ જુઓ કેટલો ત્યાગ કરીને બેઠા છે!
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે.. એટલે વ્યવહાર હોય અને સાથે સાથે “બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો...' આરંભ અને પરિગ્રહ છોડવા જેવા છે, એ વાત “કુંવરજીભાઈને કરે છે. વૈરાગ્ય અને ઉપશમની વાત લલ્લુજીને કરે છે. તમે વૈરાગ્યની વાત કરો છો અને લાખો રૂપિયાના ધંધા-વેપાર કરો છો. તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે. માર્ગમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એવું નકરવું જોઈએ.
તે માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી. એના જેવા એટલે ભળતા. કોઈને વિરોધ થાય, સાધુઓને
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
રાજહૃદય ભાગ-૧૨
વિરોધ થાય. ગામમાં આવે એટલે મોટું ટોળું ત્યાં જાય. સાધુને ખબર પડે. અમારા મુખ્ય મુખ્ય ભક્તો આજે ત્યાં ગયા હતા. એને પરિણામ બગડી જાય. ત્યાં શું છે ? ગામમાં તો એવા ઘણા કવિ હોય છે. કવિ તરીકે પાછા કહે. જ્ઞાની તરીકે ન સમજે તો કવિ તરીકે સંબોધે.
તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી.' એટલે પોતાને એ બાજુનો વિકલ્પ આવે છે કે મારે શા માટે જવું ? શું જરૂર છે ? શું પ્રયોજન છે ? ન તો સમાજને પોતા પ્રત્યે પરિચય વધારીને આકર્ષિત કરવો છે, ન તો જ્યાં-ત્યાં જઈને ટોળાં ભેગા કરવા છે, ન તો કોઈ સંપ્રદાયના સાધુઓ કે મુખિયાઓ સાથે કાંઈ માથાકૂટમાં ઉતરવું છે. મારે એવું કાર્ય ક૨વામાં કોઈ પ્રયોજન નથી કે આ વાત ઊભી થાય. એટલે પોતાને આવવું થતું નથી. આવવાનો વિકલ્પ પણ નિષેધ થાય છે કે મારે નથી જવું.
વખતે કચારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે,...' અમારા સમાગમમાં ક્યારેક ક્યારેક કોઈ કોઈ આવે છે. અને એવા પ્રસંગમાં કહેવાનું પણ સ્વભાવિક રીતે થાય છે. ધર્મની ચર્ચા-વાતચીત ચાલે છે. જેવો જીવ હોય એવી કોઈ બે વાત થાય પણ છે. ‘એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી.’ તોપણ એ વખતે પણ અમારું મન છે એ આગળ વધતું નથી, પાછું પડે છે. જેટલું કહેવાની ઇચ્છા હોય એટલા વિકલ્પ આવતા નથી, એટલી પ્રવૃત્તિ થતી નથી. હવે પોતાનો દોષ જોવે છે. જુઓ ! આ એમની મહાનતા છે !
કે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી...’ અત્યારે કેમ અહીં આવી ગયા છે ? અવિચારી પ્રવૃત્તિ કરી છે. અમે પણ ભૂતકાળમાં અવિચારી પ્રવૃત્તિ કરી લીધી છે. નહિતર અમારો આત્મા અંદરથી વીતરાગતાનો પોકાર કરે છે અને આ રાગના કાર્યોનો ઉદય વર્તે છે. એક ટકો પણ ઇચ્છા નથી અને ક૨વું પડે છે. કેમકે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો. છે,...’ એ કા૨ણે આ ઉદય આવ્યો છે. એ અમારા જ અવિચારી પરિણામનું ફળ છે. કેમકે જે-તે સંયોગો વચ્ચે જીવ કાંઈ મફતનો આવતો નથી. બીજાને માથે દોષ નાખે. આ આવા છે... આ આવા છે... અમારે તો બધા આવા છે. ઘરમાં આવા છે, સમાજમાં આવા છે, ફલાણા આવા છે. ભાઈ ! એવાની વચમાં તું કયાંથી ? એ જેવા અને તેવા જે છે તે. પણ એ જેવા-તેવાની વચમાં તું કયાંથી આવી ગયો ? તારા પૂર્વકર્મના ઉદયે આવ્યો છો. કોઈના પૂર્વકર્મના ઉદયે આવ્યો નથી. આમ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
૩૭
મુમુક્ષુ ઃ– પોતાનો દોષ જોવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પોતાનો દોષ. ફલાણા આવા છે અને લાણા આવા છે એમ નથી કહ્યું. પોતાનો દોષ જોવે છે. જેમકે માણસ એમ કહે કે આવા વિષમ કાળની અંદર, આવા વિષમ ક્ષેત્રોની અંદર... કોઈ એવામાં જન્મે કે દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન ન હોય, જ્યાં સત્સંગ ન હોય. શું કરીએ ? અમે અહીં આવી પડ્યા છીએ. કાંઈ મફતના આવી પડ્યા નથી. પોતાના પૂર્વકર્મના ફળે આવ્યો છે. જે કુટુંબ વચ્ચે આવ્યો છે, જે બીજા જીવોના સમાગમ વચ્ચે આવ્યો છે, જે-તે પ્રકારના બીજા સંયોગો વચ્ચે આવ્યો છે એ બધું પોતાના પૂર્વકર્મને કા૨ણે છે. બીજાનો કોઈનો એમાં દોષ નથી.
મુમુક્ષુ :– આ વાત વિચારવાથી તો વર્તમાનમાં જ ઘણો હળવો થઈ જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– એકદમ હળવો થઈ જાય. એને કાંઈ પણ ધાર્મિક કે વ્યવહારિક પ્રતિકૂળતા ઉત્પન્ન થાય, તો સામાના ઉપર દ્વેષ ન આવે. સામાના ઉપર દ્વેષ ન આવે. મુમુક્ષુ :– ગઈ વાત તો પાછી ન આવે પણ વર્તમાનમાં હળવો થઈ જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– ગઈ વાત પાછી આવવાની નથી. જે ગયું એ તો થઈ ગયું. થઈ ગયું તે ન થઈ ગયું કેવી રીતે બને ? પોતે પરિણામ કર્યાં, કર્મ બંધાય ગયું, બંધાય ગયું નહિ એમાં ફેરફાર થાય એ પહેલા તો ઉદયમાં પણ આવી ગયું. ઉદયાવલીમાં આવ્યા પછી તો અમસ્તો પણ ફેરફાર ન થાય. પછી એ તો થઈ ગયું તે થઈ ગયું.
મુમુક્ષુ ઃ– બહુ સારો માર્ગ છે.
પૂજ્ય ભાઈશ્રી :– એકદમ ન્યાયસંપન્ન માર્ગ છે, લોકોત્તર ન્યાય છે. લોકોમાં તો શું છે કે આણે આમ કર્યું માટે મેં આમ કર્યું. માટે મેં અન્યાય નથી કર્યો. એ તો રાગદ્વેષમાં તો શું છે કે અમસ્તુય સમતોલપણું રહેવું એ કઠિન વાત છે. સમતોલપણું તો જ્ઞાન રાખે. રાગ કે દ્વેષ ન રાખી શકે. એ તો એકબાજુ ઝુકેલા પરિણામ છે. ત્યારે અહીંયાં જ્ઞાનમાંથી આ વિવેક ઊઠે છે કે આ જીવે પ્રવૃત્તિ કરી છે, પૂર્વે અવિચા૨પણે પ્રવૃત્તિ કરી છે એટલે આ ફળ છે. બીજું કારણ નથી. બીજા કોઈનું કારણ નથી.
મુમુક્ષુઃ ઃ– જરા પણ દોષનો બચાવ કરવાની કે કાંઈ કરવાની વાત નથી.
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન જ નથી. ખરેખર તો દોષ કર્યો પછી બચાવ કરવાનો કયાં પ્રશ્ન છે ? પોતે દોષ કર્યો છે પછી બચાવ કરવાનો કયાં પ્રશ્ન છે ? કર્યો છે પોતે. ઉલટાનો એકરાર કરે છે. સ્વીકાર કરી લે છે. દોષ મેં કર્યો છે. મારા દોષના ફળ હું ભોગવું છું. અને એ વાતમાં બીજા ઉ૫૨ કાંઈ મારે કહેવાનું રહેતું નથી. કાંઈ કહેવાનું રહેતું નથી.
મુમુક્ષુ :- વિચારમાં ઉદયની મર્યાદા સુધી નથી વિચારતા. મારો દોષ છે એમ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
વિચારે છે.
પૂજ્ય ભાઈશ્રી :– મારો દોષ (છે). ઉદય પણ ક્યાં મફત છે ? ઉદય તો ક્યાંથી આવ્યો ? પોતે દોષ કર્યો ત્યારે ઉદય આવ્યો ને ? નિબંધ કરેલા, બંધન કરેલા કર્મનો ઉદય આવ્યો છે. દોષ પોતે કર્યો છે ત્યારે એ કર્મ બંધાણું છે પછી ઉદય આવ્યો છે. એ તો ત્રીજા તબક્કાની વાત છે.
મુમુક્ષુ :– કેવી પવિત્રતા છે !
=
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– હા. એકદમ.
==
આ (પત્ર) ‘કુંવરજીભાઈ’ને લખે છે. (તેમણે વિનંતી કરી છે કે), તમે ‘ભાવનગર’ પધારો અને અમને લાભ મળે. કહે છે, કે ભાઈ ! ત્યાં આવવામાં કેટલાક કારણોસર આવતો નથી. અને જે કારણો છે એમાં બીજા કોઈનો વાંક નથી. મારા પોતાનો વાંક છે. જે કારણોથી હું નથી આવતો, આવવાની મારી ઇચ્છા નથી એનું કારણ હું પોતે જ છું. બીજું કોઈ એનું કારણ નથી. નહિતર શું કરે ? ભાઈ ! મારો ત્યાં વિરોધ થાય છે, મારું ત્યાં અપમાન થાય છે માટે મારે ત્યાં આવવું નથી. તારો વિરોધ થાય અને તારું અપમાન થાય છે એ કાંઈ મફત થાતું નથી. ભલે એ દોષિત જીવો છે, કોઈ ન્યાયસ૨ એ વર્તતા નથી એ વાત પણ સાચી છે, પણ પોતાનો દૃષ્ટિકોણ શું ? કે મારો દૃષ્ટિકોણ એ છે કે, મેં અવિચા૨૫ણે પ્રવૃત્તિ કરી છે એનો આ ઉદય ચાલે છે. આ વિવેક છે અને આ સદ્વિચાર છે. ઘણું સમજવાનું છે. મહાપુરુષના જીવંત ચારિત્રનો આ વિષય છે. આ સીધો કથાનુયોગ જ છે. સદ્બુદ્ધિથી પોતાની કથા જ છે. એમના જીવનની કથા જ છે.
।
મુમુક્ષુ ઃ– ઉદય ઉપરથી ભૂતકાળમાં કેવા પરિણામ કર્યા એનો ખ્યાલ આવી જાય ? પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર ખ્યાલ આવે.વિચાર કરે તો બધો ખ્યાલ આવે. મુમુક્ષુ :– સામૂહિક રીતે આવા પાપના પરિણામ કર્યા હતા, કઈ જાતના ? કયા પ્રકા૨ના (એ બધો ખ્યાલ આવી જાય) ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બધો ખ્યાલ આવે. જેટલી વિચાર શક્તિ. ખ્યાલ આવે. જેવું કર્મનું ફળ છે એને અનુસરીને જ થયેલા પરિણામ છે. જેમકે કોઈ જીવને દેવ-ગુરુશાસ્ત્રની સમીપ આવતા કોઈ રોકે છે. સત્પુરુષની સમીપ આવતા કોઈ રોકે છે. તો રોકે છે અથવા એને રોકાવું પડે છે કે જે પોતાને એવા કાર્યોમાં ફસાયેલું રહેવું પડે છે, તો પોતાની ઇચ્છા છે છતાં નથી જઈ શકતો. અંતરાય થયો ને ? શું થયું ? અંતરાય થયો. અંતરાયનો ઉદય આવ્યો, કેમકે પોતે અંતરાય એવો નાખ્યો છે. જ્યારે પોતાને અંતરાયનો ઉદય છે એનો અર્થ શું છે ? કે પોતે પણ એવા અંતરાયના પરિણામ કર્યાં છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
૩૯ દેવ-ગુરુ-શાસ્ત્ર સમીપ જવામાં, કોઈને જવામાં, પોતાને જવામાં, પોતે જ અંતરાયના પરિણામ કર્યા છે. પોતે અંતરાયના પરિણામ કરે તો પોતાને અંતરાય ભોગવવો પડે. સીધી વાત છે. એ તો જેવા પ્રકારે પરિણામ કર્યા હોય એવો ઉદય આવે. આ સીધી વાત
| મુમુક્ષુ –પોતે અંતરાયના પરિણામ કર્યા હોય તો આ દિગંબર ધર્મમાં જન્મ કેવી રીતે થાય?
પૂજ્ય ભાઈશ્રી – એ અમુક જાતના પરિણામ કર્યા છે ને ? અંતરાયના કર્યા છે અને વગર અંતરાયના પણ કર્યા છે. બેય કર્યા છે. પરિણામના ક્યાં ઠેકાણા છે? દેવગુરુ-શાસ્ત્રની પૂજા કરે, ભગવાનની પૂજા કરવા જશે, પાછો અરિહંત પ્રતિમાનો પ્રતિષ્ઠાનો વિષય આવે તો પાછો દોઢ ડહાપણ કરીને નિષેધ કરે કે આમ ન થાય. પણ તને ક્યાંથી ખબર પડી? તારું જ્ઞાન કેટલું? તારી સમજણ કેટલી? પાછો તે મંદિરમાં પૂજા કરવા બેઠો. ચોવીસ તીર્થકરને માને પણ ભાવિ તીર્થકરને ન માને. ચોવીસ તીર્થકરને માને ત્યારે પરિણામ તો મંદ કષાયના કરે છે. એ જાતના પુણ્ય તો બાંધે છે. પાછો વિરોધ કરે છે. અજ્ઞાનમાં તો ઠેકાણા પણ ક્યાં છે પરિણામમાં જે પરિણામ કરે એનો જ પાછો પોતે વિરોધ કરે. એમ અનેક જાતના મિશ્ર પરિણામો બંધાય છે. ઉદય પણ એવી જાતના આવે છે. અંતરાય થાય, અંતરાય ન થાય.. અંતરાય થાય, અંતરાય ન થાય. બધું થાય.
જેમકે પ્રશ્ન એવો છે કે એક માણસને ઘણી સંપત્તિ થઈ ગઈ. દરિદ્ર હતો એમાંથી પુણ્યનો ઉદય આવ્યો. પુણ્યનો ઉદય આવ્યો તો પછી માંદો શું કરવા પડ્યો ? ડોક્ટરે રોટલી ખાવાની ના પાડી છે. ખાવી હોય તો દવા ખા, ઇંજેક્શન ખા. બાકી ખાવાની બધી ના છે. બીજું ખાવાની બધી ના પાડીએ છીએ. કોઈ પ્રશ્ન કરે કે પુણ્ય તો આટલું બધું કર્યું હતું. એ બધા મિશ્ર ઉદય હોય છે. કોઈ પડખેથી પુણ્યના, કોઈ પડખેથી પાપના પૂરા પુણ્યના ઉદય અને પૂરા પાપના ઉદય કોઈને હોતા નથી.
એક માણસ હોસ્પિટલમાં દાખલ થયો, હોસ્પિટલની અંદર ગર્દી ઘણી રહે છે. તો એક જણને special room મળે છે, બીજાને Ward માં જગ્યા મળે અને ત્રીજાને કહે છે બહાર લોબીમાં નાખો અત્યારે ક્યાંય જગ્યા નથી. હવે જે Wardમાં આવ્યો એનો પુણ્યનો ઉદયકે પાપનો ઉદય? નક્કી કરો. શું નક્કી કરશો?
મુમુક્ષુ –પુણ્યનો છે. પૂજ્ય ભાઈશ્રી - Special room વાળા ઉપર એનું ધ્યાન જાય તો શું કરે ?
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
રાજહૃદય ભાગ-૧૨
Lobyમાં જેને સૂવડાવ્યો છે એના ઉપર ધ્યાન જાય તો કહે, આપણો પુણ્યનો ઉદય છે. જુઓ ! એને જગ્યા ન મળી, આપણને મળી ગઈ. થોડી લાગવગ હતી ને ? લાગવગ નહિ, એ જાતનો પુણ્યનો ઉદય હતો. પણ એ જ માણસ જ્યારે Special room વાળાની સામે જોવે ત્યારે એમ થઈ જાય કે આપણે પાપનો ઉદય છે. જુઓ ! એને કેવી સગવડ મળે છે. Doctor પણ Special ત્યાં ઝાજી વાર રોકાય. કઈ બાજુનો ઉદય છે ? ક્યાંથી જોવું છે એના ઉપર આધાર છે. આવા બધા પ્રકારો હોય છે. આમાં કંઈક જાતના પ્રકાર છે. એ એમ બતાવે છે કે પોતે જેવા પરિણામ કર્યા છે એવું ફળ આવે છે. સીધી વાત આ છે.
મુમુક્ષુ :– ભૂતકાળમાં ધર્મનો .. સહન પણ કર્યું છે ને ધર્મનો વિરોધ પણ કર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :– વિરોધ પણ કર્યો છે. ઓઘસંજ્ઞાએ વિરોધ પણ કર્યો છે અને ઓઘસંજ્ઞાએ ધર્મ પણ કર્યો છે. કેટલાક ધર્મના પ્રસંગો પણ મળે છે. કેટલાક ધર્મના પ્રસંગોમાં પોતાની ઇચ્છા હોય તોપણ કાંઈકને કાંઈક અંતરાય હોય છે. એ પ્રકાર બને
છે.
મુમુક્ષુ :– અત્યારે સત્પુરુષના ગુણગ્રામ પણ કરે અને સત્પુરુષની વાત પણ ન
=
માને.
પૂજ્ય ભાઈશ્રી :– હા. બેય કરે. દર્શન કરવા જાય, વંદન કરે. વળી કયાંક એમ કહે, એમ ન હોય. એ કહે છે એમ ન હોય. મને તો આમ લાગે છે. એમ પણ કરે. ઠેકાણું કયાં છે ? જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી. એવું બધું છે, બાળક જેવું છે. એકને એક રમકડાની ઘડીક હા પાડે છે, વળી પાછો ઘા કરીને ફેંકે. જે રમકડા માટે કજિયો કર્યો હોય એ પાછો રમતા રમતા ઘા કરે. પણ પહેલા તો કયિો કરીને આ રમકડું માગ્યું હતું. તો કહે, ના હવે નથી જોઈતું. કાંઈ ઠેકાણું નથી. જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી. કેમકે એને વિવેક જાગ્યો નથી. ધર્મનું મૂળ જે વિવેક એ વિવેકમાં આવ્યો નથી. વિવેકની ભૂમિકામાં નથી આવ્યો, ધર્મની ભૂમિકામાં તો આવી શકે નહિ. મૂળ વાત તો વિવેકની છે. જીવની યોગ્યતા અને સામે પ્રંસગ, એના ઉ૫૨ એનો ન્યાય તોળવો પડે.
મુમુક્ષુ :– જ્યાં કાંઈ અપમાન થતું હોય તો એમ વિચારવું જોઈએ કે આ મારો પૂર્વકૃત અપરાધ છે. તો એમાં શાંતિ રહી જાય. વર્તમાનમાં એવી રીતે લેવું જોઈએ ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ બરાબર છે. કોઈ અપમાન કરે તો સમજી જવું (કે) ઉદય મારો છે. મેં પણ કોઈનું અપમાન કર્યું છે એટલે અત્યારે મારું અપમાન થાય છે. મેં કોઈનું અપમાન ખરેખર કર્યું છે એના ફળ અત્યારે ઉદયમાં આવ્યા છે. કોઈ અપમાન
Page #58
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
૪૧
કરે છે એ ન્યાયસ૨ ખોટું હોય તોપણ ખરેખર પરિસ્થિતિ આ છે. અને ત્યાં સમભાવ રાખે (તો) ઘણી સારી વાત છે. ત્યાં સમભાવ રાખે તો ઘણી સારી વાત છે.
મુમુક્ષુ ઃ– ઘણું સુંદર માર્ગદર્શન છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અપમાન કરીને સહન ન કરી શકે એવી પરિસ્થિતિ હોય ત્યાં સમભાવ રાખવો એ તો પુરુષાર્થ માગે છે. એ કોઈ સામાન્ય સાધારણનું કામ નથી. એ તો અસાધારણ પુરુષાર્થનો વિષય છે.
મુમુક્ષુઃ–ઉપયોગથી પાછા રાગ-દ્વેષ થઈ જાય તો ઓર માઠું પરિણામ આવે ? પૂજ્ય ભાઈશ્રી :– હા, એવા જ બંધાય, એવા જ બંધાય. જે પ્રસંગને અનુસરીને જેવા પરિણામ કર્યાં હોય એવા જ કર્મ બંધાય, એવો જ ઉદય આવશે. એમ છે.
મુમુક્ષુ :– એટલે અત્યારે અપમાનનો નિષેધ આવે કે મારું અપમાન ન થવું જોઈએ. આ પરિણામ પોતે ભવિષ્યમાં અપમાન મળવાના પરિણામ થઈ ગયા ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. છે જ, એમ જ છે. અશાતા ન જોઈએ તો અશાતા બંધાય, શાતા જોઈએ તોપણ અશાતા બંધાય. બેય એક જ વાત છે. અશાતા ન જોઈએ અને શાતા જોઈએ, પ્રતિકૂળતા ન જોઈએ અને અનુકૂળતા જોઈએ. બેય પ્રતિકૂળતા આવવાનું જ કારણ છે. પ્રતિકૂળતા ન જોઈએ એમાં પ્રતિકૂળતાને નોતરે છે અને અનુકૂળતા જોઈએ એ પણ પ્રતિકૂળતાને જ નોતરુ છે. સીધી વાત છે.
મુમુક્ષુ :– તાવ આવ્યો અને તાવ મટાડવાના ભાવમાં પાછો તાવ આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. તાવ આવે. એ જ વખતે. એમ છે. ચક્કર ચાલુ જ છે. જૂનો ઉદય છે, નવો બાંધે છે. કાં શુભનો ઉદય હોય, કાં અશુભનો ઉદય હોય. પ્રકૃતિમાં ત્રીજો તો કોઈ વિભાગ નથી. શુભાશુભ પ્રકૃતિમાં ત્રીજો વિભાગ નથી. પછી બધા એના પેટા વિભાગમાં જાય છે. તો શુભના ઉદય વખતે શુભનો રસ ચડે છે અને અશુભના ઉદય વખતે એના ખેદનો રસ ચડે છે. અને બેય વખતે જીવ વિશેષ કર્મબંધનમાં આવે છે. આમ ને આમ એનું સંસારનું ચક્ર છે એ કર્મથી છૂટીને મોક્ષ થવાનું બનતું નથી. માટે વિવેકીજીવ એ વિચારે છે, કે ઉદય ભલે ગમે તે આવ્યો. એના મૂળને છેદવું છે. એનું મૂળ તો શુભાશુભ પરિણામ છે. તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ.' છેલ્લે શુભાશુભને છેદવું છે.
શું કહે છે ? પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના...' એટલે અવિચારીપણે. પોતાના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે,...' જાણે છે ને ? લખે છે આમ. જેથી ઘણીવાર ચિત્તમાં શોચ રહે છે;...' ઘણીવાર ચિત્તમાં શોચ રહે છે. પણ
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
રાજહૃદય ભાગ-૧૨
યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે.’ અને તેમાં પણ સમભાવ કરવા સુધીની દશા આવી છે એટલે સમપરિણામે એ વેદીએ છીએ. જે ઉદય છે એના પ્રત્યે દ્વેષ કરતા નથી. ઉદય ગમે એવો નથી. જે ઉદયમાં ફસાણા છે એ ઉદયમાં રુચતું નથી પણ છતાં દ્વેષ નથી કરતા. સમપરિણામે વેદીએ છીએ. અમા કરેલા કર્મનું ફળ છે. એટલે ભિન્ન પડીને શાતાભાવમાં રહીને એ પ્રસંગને અનુભવી લઈએ છીએ. એ જે ભિન્ન પડે છે અને જ્ઞાનમયપણે જે પોતાની દશામાં સમપરિણામે રહે છે એ જ્ઞાનીની કોઈ અલૌકિક દશા છે !!
મુમુક્ષુ :– જ્ઞાનીઓની કોઈ અજબ વાત છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ જ્ઞાનીઓની કોઈ અલૌકિક દશા છે.
ચર્ચા કરી હતી ને ? ત્યાં બહેને ચર્ચા કરી હતી. પૂજ્ય બહેનશ્રી’ને પૂછ્યું હતું. ... પધાર્યા ત્યારે. કે જ્ઞાનીપુરુષની મન-વચન-કાયાની ચેષ્ટા જોવી અને એમાં એના રહસ્યને જોવું એટલે શું ? જ્ઞાનીપુરુષની મન-વચન-કાયાની ચેષ્ટામાં એના રહસ્યને પકડવું એટલે શું ? એવો પ્રશ્ન કરેલો. તો કહ્યું, એ મન-વચન-કાયા.. ઉત્તર એમ મળ્યો કે, એ મન-વચન-કાયાની પ્રવૃત્તિ પદ્રવ્યાશ્રિત જ્ઞાનીની દેખાય ત્યારે પણ એમને સ્વરૂપનું અનુસંધાન છૂટતું નથી. આ સત્પુરુષના પરિણમનનું રહસ્ય છે. સરસ વાત કરી હતી.
એ જોનારને અવશ્ય આત્માર્થની સિદ્ધિ થાય. આ એ તત્ત્વનું જ્ઞાન કરવાનું ફળ છે લ્યો. આપણે એ જ તારવીએ છીએ. વિષય એ છે કે, જો એનું યથાસ્થિત આ જીવને જ્ઞાન થાય તો એમાંથી આત્માર્થ કેમ કરવો એ પોતાને અંદરમાં એની રીત આવડે. નહિત૨ અનાદિથી એ નથી આવડ્યું, બાકી બધું આવડ્યું છે. શાસ્ત્ર અગિયાર અંગ અને નવપૂર્વ સુધી આવડી ગયા છે. કાંઈ નહિ આવડવામાં બાહ્ય ક્રિયામાં બાકી રાખ્યું નથી. પણ એક આત્માર્થ નથી આવડ્યો. એટલા માટે એ વાત છે. એ આમાં કહ્યું છે. એમના પદમાં પણ એ વાત આવશે. સમજાશે તમને ઉત્તમ આત્માર્થ. એક પદ આવે છે. એ રીતે જો તમને મૂળ માર્ગ સમજાશે તો તમને ઉત્તમ આત્માર્થ સમજાશે. મુમુક્ષુ ઃએટલે જ્ઞાનીની ઓળખાણમાં જ્ઞાનીનું સ્વરૂપ અનુસંધાન જોવાનો પ્રયત્ન કરવો ?
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ જો જોતા આવડે તો પોતાને અંદરમાં આત્માર્થની ક્રિયા આવડી જાય, જેનાથી અનાદિથી અજાણ્યો રહ્યો છે. આત્માર્થ જ નથી સાધ્યો. એટલે તો એમણે કહ્યું, નય અનંતા છે પણ સૌથી મોટો નય આત્માર્થ સધાય તે છે. અમારે તો
Page #60
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
૪૩
એક જ નય છે. બીજો નય અમારી પાસે નથી. અથવા બધા નયમાં આ એક નય અમારી પાસે સામાન્ય છે, સળંગ છે. કોઈપણ નયમાં એ ન્યાય અને એ નય અમારાથી છૂટતો નથી. એ આમાં છે. એમાં લીધું છે. એમના પત્રોમાં છે. નય અનંતા છે પણ આત્માર્થ એક જ સાચો નય છે.’ એમ કરીને (છે). જ્ઞાનામૃત... ૭૦૦ઉપરનો બોલ છે.
વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે.’ અત્યારે આત્મસ્થિરતા છે પણ આમાં વિશેષ સ્થિર થવા માટે અમારું લક્ષ અસંગ થઈ જવામાં છે. આ વેપારાદિથી છૂટા થઈને એકાંતમાં વયું જાવું એવું અમારું લક્ષ છે. એટલે આત્મદશા વિશેષ સ્થિર થવા માટે આ હેતુ છે. અસંગ થવામાં પણ આ હેતુ છે કે વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે,...' લક્ષ અસંગતાનું છે ને ! એટલે ચિત્ત ક્યાંય ચોંટતું નથી. અનેક જીવોનો સંગ થાય છે પણ અમારી જે પ્રવૃત્તિ છે અને પરિણામ છે એ અસંગપણાવત્ થાય છે. એટલે તદ્દન નિરસપણે (થાય
છે).
મુમુક્ષુઃ– ઉપદેશ છાયા’માં છે.
–
પૂજ્ય ભાઈશ્રી :– ઉપદેશ છાયા’માં છે. કેટલામો છે ?
મુમુક્ષુ :- ૧૧ નંબ૨.
–
પૂજ્ય ભાઈશ્રી :– ૧૧ નંબ૨માં. ‘ઉપદેશ છાયા’ ૧૧.
==
મુમુક્ષુ :– લગભગ ૪ પેજ ઉ૫૨ હોવું જોઈએ. સાત નયે.. હિન્દી છે ? ૩-૪ પેજ ઉ૫૨. ૭૨૫ પાનું.
=
પૂજ્ય ભાઈશ્રી :– ૭૨૫ પાને વચ્ચેથી નીચે છે. ‘સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે,...’ લખેલું છે ને ? ‘અને આત્માર્થ તે જ એક ખરો નય.’ છે. એક જ સાચો નય છે. બાકી બધા આગમમાં જાય છે. નય વિવિક્ષા બધી આગમમાં જાય છે. આત્માર્થ છે તે અધ્યાત્મમાં જાય છે. નહિતર તો એમ કહે કે સબ આગમ કે નય ધારિ હિયે, મત મંડન ખંડન બહુત કિયે.’ નય તો ધારણ કર્યાં છે. તો કહે છે, નહિ. આત્માર્થ એક જ ખરો નય છે. નય સાત. સપ્તભંગીના સાત નય લ્યો કે અનંતા નય લ્યો. ‘નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે;..' ગૂંચવાશે. આ નયથી આમ ને વળી આ નયથી આમ ? આ વાદવિવાદ એમાંથી ઊભા થાય છે. પર્યાયને દ્રવ્યાર્થિકનયથી કહે તો એને બેસે નહિ. દ્રવ્યદૃષ્ટિ કરાવવા માટે એને વાત સમજાણી
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
રાજહૃદય ભાગ-૧૨ હોય, કાંઈક ક્ષયોપશમમાં આવી હોય. હવે પર્યાયનો વિષય દ્રવ્યાર્થિકનયથી સ્થાપે ત્યારે એને એમ થાય કે આ પર્યાયને શું કરવા આમ કહે છે ? આપણે દ્રવ્યનું કામ છે, પર્યાયનું કામ નથી. એને સમાધાન થાય નહિ. જાળ લાગે બધી, આ તો ગૂંચવણમાં પડાય એવું છે. જાળમાં તો ગૂંચવણ જ થાય એવું છે. બીજું કાંઈ થાય એવું નથી. જાળમાં તો ગૂંચવણ જ થાય એવું છે.
‘નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે.’ પાછું એ નયનું જ્ઞાન જીવને અહંકાર વધવાનું કારણ છે. “સત્પુરુષના આશ્રયે જાળ ટળે.’ આ જાળ સત્પુરુષના આશ્રયે ટળે. કેવી સરસ ટૂંકામાં વાત કરી છે ! આમાં આવે છે ને ? કે જ્ઞાનના સંચેતનથી જ્ઞાન અતિ શુદ્ધ પ્રકાશે છે. ૨૨૪ કળશમાં આવે છે. ‘જ્ઞાનસ્ય સંવેતનયેવ નિત્ય, પ્રાશતે જ્ઞાનમતીવ શુદ્ધમ્I' અતિ શુદ્ધ (પ્રકાશે છે). જ્ઞાનનું સંચેતન તો પર્યાય છે. તો કહે છે, દ્રવ્યાર્થિકનયથી તે દ્રવ્ય છે. પર્યાય પણ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય છે. જે જ્ઞાનનું સંચેતન છે એ દ્રવ્યાર્થિંકનયથી જોવામાં આવે તો તે દ્રવ્યનું અનુભવન છે. એ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. ‘સમયસાર’માં એ વાત ૪૧૪ (ગાથામાં) છે. જ્ઞાનમાત્રનું અનુભવન. અનુભવન તો પર્યાયમાં થાય ને ? જ્ઞાનમાત્રનું અનુભવન તે દ્રવ્યના અનુભવસ્વરૂપ છે. આચાર્યદેવની એવી ભાષા આવી છે. ‘સમયસાર’ પૂરું કરતાં કરતાં એ વાત ચાલી ગઈ છે.
દર્શનશાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર શુદ્ધજ્ઞાન જ એક છે. એવું જે નિસ્તુષ (નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે.........’ એવું નિર્મળ અનુભવન તે ૫રમાર્થ છે. નિર્મળ અનુભવન તો પર્યાયમાં થયું. ‘કારણ કે......’ શું કરવા પરમાર્થ છે એમ કહે છે ? કેમકે દ્રવ્ય તો એમાં આવ્યું નહિ. પ્રશ્ન એ ઉઠશે. આમાં દ્રવ્યની વાત શું આવી ? તો આચાર્ય મહારાજ પોતે કહે છે, ‘કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ઘ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે.’ શા માટે એનું પરમાર્થપણું છે ? એ શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. અહંપણું દ્રવ્યમાં કર્યું છે. દ્રવ્યમાં કચાં વેદન આવે છે ? અનુભવન તો પર્યાયમાં જ આવે. પછી સિદ્ધદશા હોય કે સાધકદશા હોય. પણ એ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. કેમકે વસ્તુ ... છે. તો ત્યાં માત્ર પર્યાયપણે એ અનુભવનને નથી જોવાતો પણ દ્રવ્યાર્થિકનયથી જોવાય છે કે દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. ત્યાં નય બીજો પકડે છે.
મુમુક્ષુ :– પ્રવચનસાર'માં અલિંગગ્રહણમાં પણ એ વાત આવે છે ને ? પર્યાયથી દ્રવ્ય પકડાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૫
પત્રાંક-૫૮૨
પૂજ્ય ભાઈશ્રી – હા, આવે છે. એને તો વીસમા બોલમાં આત્મા કહ્યો. શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવ્યથી નહિ આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહે છે. એ પ્રવચન “મલાડમાં છેલ્લે છેલ્લે ૯૧મી જન્મજયંતી વખતે “ગુરુદેવે બહુ સારું કર્યું હતું. પછી “મલાડ' પછી પ્રવચનો બંધ થઈ ગયા હતા. એ વખતે નબળાઈ તો ઘણી હતી પણ ગુરુદેવની કરુણા ઘણી હતી. ઉત્સવ છે અને પ્રવચન ચાલશે. એમાં ૨૦મો બોલનું પ્રવચન આવ્યું. દ્રવ્યથી નહિ આલિંગિત. પર્યાય તો પર્યાય સ્વતંત્ર સત્ છે એમ કહેવું છે ને? તે એક સ્વતંત્ર સત્ છે. નહિ આલિંગિત પર્યાય. દ્રવ્યથી નહિ આલિંગિત પર્યાય તે આત્મા છે એમ કહે છે. શુદ્ધ પર્યાયની વાત છે.
તો ત્યાં શું કહેવું છે ? ત્યાં તો પ્રવચન કરતા તો પહેલું વહેલું સાંભળ્યું. ગુરુદેવના શ્રીમુખેથી એ વાત પહેલવહેલી સાંભળી હતી, કે અહીંયાં દ્રવ્યને ગૌણ કર્યું છે. આચાર્ય મહારાજે આ ૨૦મા બોલમાં દ્રવ્યને ગૌણ કર્યું છે અને વેદનને મુખ્ય કર્યું છે. એવા બે બોલ આમાં ખેંચ્યા છે. ૫૧૪ અને ૫૪૧. “પરમાગમસારમાં આવે છે. પર્યાયનું વેદન છે એ વેદન અપેક્ષાએ વેદન મુખ્ય છે, એને તું ગૌણ કર તો ન ચાલે. એવી ભાષા આવી છે કે એને તું ગૌણ કર તે નહિ ચાલે, એમ કહે છે. વેદન ક્યાં જાય? તો એની મુખ્યતા કરવા માટે આચાર્યદેવે એમ કહ્યું, કે એ જ આત્મા છે. શુદ્ધ પર્યાયતે જઆત્મા છે.
અનુભપ્રકાશના પ્રવચનોમાં ૭૩૩માં પરમાગમસારમાં એ વાત આવી છે કે, “સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એ “અનુભવપ્રકાશ' ઉપરના પ્રવચનમાંથી છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. ભાષાના શબ્દો સાદા છે પણ આમાં રહસ્ય બહુ છે. કેમકે આ જીવે જ્ઞાનમાં સ્વપણું કર્યું નથી. જ્ઞાનમાં સ્વપણું કરે એટલે પર્યાયમાત્રનું અવધારણ નથી રહેતું. ખરેખર તો એ સ્વ તે જ દ્રવ્ય છે. દ્રવ્યમાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચતુષ્ટય છે, અનંત સામર્થ્ય છે, એ કોઈ વિકલ્પ ત્યાં નથી કરવા પડતા. જ્ઞાનને સ્વપણે અનુભવતા દ્રવ્યનો વિકલ્પ કર્યા વગર દ્રવ્યનું અવલંબન રહે છે. માટે પરમાર્થ છે. એ જ્ઞાનનું નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. કેમકે તે જ્ઞાનનું અનુભવન તે દ્રવ્યનું અનુભવન છે. અનુભવન પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યનું અનુભવનદ્રવ્યાર્થિકનકે કહેવામાં આવે છે અને તે યથાર્થ છે. નયમાં ગૂંચવાય જાય છે. શબ્દનયમાં ગૂંચવાય છે. નવમાં એટલે શબ્દનયમાં ગૂંચવાય જાય છે.
મુમુક્ષુ -વાંકાનેરમાં આ વાત ચાલી હતી. પૂજ્ય ભાઈશ્રી:- હા. એ વાત ચાલી હતી.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
ચજહૃદય ભાગ-૧૨ મુમુક્ષુ:- ગમે તે નયનું કથન આવે એમાંથી પરમાર્થ જનીકળે છે.
પૂજ્ય ભાઈશ્રી – પરમાર્થ જ નીકળે છે. દરેક નયમાં પરમાર્થ રહેલો હોવાથી પરમાર્થ નીકળે છે. એટલું તો ઉપદેશ છાયામાં કહ્યું કે, દરેક નામાંથી આત્માર્થ એક ખરો નય છે એ જ સાધ્ય રાખવો. બાકી બધી વાત તો જુદા જુદા પડખાની છે. બાકી એક વાત બધામાં સળંગ છે કે આત્માર્થ સિવાય કોઈ નય સાચો નથી. નય જૂઠો છે. નયાભાસ છે. આગમ એમ કહે કે, એક નાની સામે બીજા ધર્મનું અપેક્ષિત જ્ઞાન હોય તો તે નય સાચો. સાપેક્ષાનયા. નિરપેક્ષનય મિથ્યા. એ આગમ તરીકે, અધ્યાત્મમાં આત્માર્થ એક સાચો નય અને આત્માર્થ સિવાયનું બાકીના સાપેક્ષનય હોય તો આગમનું જ્ઞાન ખોટું. કેમકે અધ્યાત્મ તો આગમથી પર છે ને?
કોઈ વિદ્વાન એમ કહે કે અમને તો બધા નયનું જ્ઞાન સાપેક્ષ જ છે. નયનો એવો વિષય શીખ્યા છીએ. “નયચક્ર' હોય કે પછી નયના ગ્રંથો ઘણા આવે છે. એ બધા નયોનું સાપેક્ષ જ્ઞાન વર્તે છે. ત્યાં અમે એકાંત નથી કરતા તો કહે છે, આત્માર્થનો એકેય નય છે અંદર? પાછા એ નામનો નય અંદર ન હોય. આત્માર્થ નામનો નય ન હોય એમાં. નિશ્ચયની સામે વ્યવહારનય હોય. બધામાં આત્માર્થ આવવો જોઈએ. નહિતર તારા બધા નય ખોટા જેટલા સાપેક્ષ જાણ્યા એ બધા ખોટા. એકેય સાચા નથી.
મુમુક્ષુ - નય તો આત્માર્થીને જહોયને?
પૂજ્ય ભાઈશ્રી:- નય આત્માર્થીને હોય અને નય સમ્યજ્ઞાનીને હોય. એટલે તો એ મોટો વિષય ચાલ્યો હતો, કે સ્થાપના નિક્ષેપ તો નયનો વિષય છે. નિક્ષેપની વ્યાખ્યા શું? નયના વિષયને નિક્ષેપ કહે છે. એ નિક્ષેપ નયનો છે કે નયાભાસનો છે, એનો અધિકાર કોનો? કે જેની પાસે નયજ્ઞાન હોય એનો તો નયજ્ઞાનીને આપણે પૂછતા નથી કે આ થાય કે ન થાય, કરાય કે ન કરાય ? ધણી તો એ છે, એના માલિક તો એ છે. આપણે તો ધરાહાર ધણી થવાની વાત છે. નયના જે ધણી છે એવા સમ્યજ્ઞાનીને આપણે પૂછીએ અને શાસ્ત્રમાંથી નક્કી કરીએ કે આ ન કરવું જોઈએ અને આ કરવું જોઈએ. આ બધી ગડબડ થાય છે.
(અહીંયાં, શું કહે છે કે, અસંગપણાનું લક્ષ હોવાથી અને તીવ્ર લક્ષ હોવાથી. ૨૮મું વર્ષ છે ને? ૨૯મા વર્ષે નિવૃત્તિ લીધી છે. “અસંગ પરિણામ પ્રવૃત્તિ થાય છે....” પ્રવૃત્તિના કાળમાં પણ પરિણામ અસંગ પરિણામવત્ જ રહે છે. કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. વેઠ ઉતારતા હોય એવી રીતે પ્રવૃત્તિ થાય છે. કાંઈ સાર લાગતો નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય..પણ જે ધર્મવ્યવહારના
Page #64
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૨
૪૭
પ્રસંગમાં આવવું થાય ‘ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં.’ સંસારિક પ્રવૃત્તિમાં ભલે વેઠ કાઢીએ. ધર્મની પ્રવૃત્તિમાં તો પોતાને લાભ-નુકસાનનું કારણ છે, બીજા જીવને પણ લાભ-નુકસાનનું નિમિત્ત છે. ત્યાં તો બરાબર સાવધાનીથી પ્રવર્તવું ઘટે.
તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે;...' બીજો આશય વિચારી એટલે બીજાનું ભલું ક૨વું, બીજાને ઉપદેશ દેવો. એ મારું કામ નથી. મારું ‘સમર્થપણું હાલ નથી...' ધર્મ પ્રવર્તાવવાનું મારું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે;...' અહીં તો વાંચન કરનાર હોય એને જો વાંચન ક૨વા ન બેસાડે તો એને ખોટું લાગી જાય. અમે ત્યાં ગયા હતા પણ અમને તો વાંચન કરવા બેસવા દીધા નહિ. જ્ઞાની કહે છે કે અમારું સામર્થ્ય નથી. અમારે એ પ્રસંગમાં આવવું નથી. ઉપદેશ આપવાના પ્રસંગમાં અમારે આવવું નથી. જુઓ ! કેવી Line છે આખી !
મુમુક્ષુ ઃ– ‘સોનગઢ’માં જઈએ તો અમને કોઈ પૂછતા નથી. પૂજ્ય ભાઈશ્રી :– હા.
=
તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે; અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી....' અને એ ક્રમ હમણાં ફેરવવો નથી. અમારા ચિત્તમાં એ વાત બેસતી નથી. છતાં તે ત૨ફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતાં બીજાં વિષમ કા૨ણોનો આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે;...' ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે. એટલે એ ક્રમ તોડીને એમ થયું કે એકવાર આવીએ તમારી વચમાં. વળી એમ લાગ્યું કે બીજા ઘણા વિષમ કારણો આમાં ઊભા થઈ જશે. એટલે વળી એ ક્રમ ફેરવવાનું મૂલતવી રાખ્યું છે. એમ યોગ્ય લાગ્યું છે.
આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે;...’ આ સિવાય પણ બીજા કેટલાક વિચારો છે. પણ કોઈ લોકવ્યવહારરૂપ કારણથી આવવા વિષેનો વિચાર વિસર્જન કર્યો નથી.’ અમારું અપમાન થશે કે ફલાણું થશે (એવું) લૌકિક કા૨ણ કાંઈ અમે વિચાર્યું નથી. જે કાંઈ કારણ છે એ કાં તો અમારી દશાનું પારમાર્થિક કારણ છે અને કાં તો બીજા કોઈ જીવોના પણ ૫૨માર્થિક કારણને વિચારીને આવવાનો વિચાર હતો એ પણ અમે મૂલતવી રાખ્યો છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
રાજહૃદય ભાગ-૧૨
ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે,...' આટલું પણ લખી શકવાની અમારી ચિત્તની સ્થિતિ નથી. ચિત્ત ઉપર દબાણ કરીને, બળાત્કાર કરીને આટલું લખ્યું છે. તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો...' તમને કાંઈ એમાંનો કોઈ ભાગ અગત્યનો લાગે તો તે વખતે રતનજીભાઈને ખુલાસો કરશો.’ કે આવો પત્ર આવ્યો હતો, આવી વાત લખી છે. મારા આવવા નહીં આવવા વિષે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતિ છે.’ પણ એ ચર્ચામાં મારા આવવા, નહિ આવવાની ચર્ચા બને ત્યાં સુધી તમે ન કરો એમ હું ઇચ્છું છું. અહીં સુધી રાખીએ.
ન
આપ્તપુરુષ / સજીવનમૂર્તિની મુદ્રા - અવલોકનથી, સ્વરૂપાવલોકનદૃષ્ટિ’ પરિણમે છે. પ્રત્યક્ષયોગ’નું આ સર્વોત્કૃષ્ટ મહાત્મ્યરૂપ રહસ્ય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદૃષ્ટિ' પરિણમે છે. પરિણમન' પરિણમનને ઉત્પન્ન કરે છે – આ સિદ્ધાંત અત્રે પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૦૦)
આત્માને નિર્મળ થવાને અર્થે આત્મારૂપ એવા જ્ઞાનીપુરુષની નિષ્કામ ભક્તિયોગ રૂપ સંગ– એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ઘણાં શાસ્ત્રોનો તથા તીર્થંકરદેવનો ભાર્ગબોધ’ જોવા જતાં એ જ છે. એવા માર્ગબોધ ઉપર કોઈ મહાભાગ્યનું લક્ષ જાય છે, તે સંસાર તરી જાય છે, સુગમપણે તરી જાય છે.
(અનુભવ સંજીવની–૧૪૦૧)
Page #66
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૮૩
૪૯
પત્રાંક-૫૮૩
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક, ૧૯૫૧ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેનું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.
ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુખ રહ્યા કરે છે.
અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે; અને તેવિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે.
આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જેતે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે; જેથી કંઈ આપને પૂછવાની ઇચ્છા હોય, જાણવાની ઇચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે. કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
રાજહૃદય ભાગ-૧૨
કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુસ્થિત હતા.
નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.
તા. ૧ર. ૧૨-
૧0. પરોક ૫ લાખ પ્રવચન ને ૨૦૦
| નોંધ:- શરૂઆતની ૧૭૦૦ મિનિટ અવાજ Double છે.
પાનું-૪૫૮, પત્ર-૫૮૩. એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. આ પત્રમાં પોતાની અંતરંગ દશાનો ચિતાર વિશેષ કરીને લખ્યો છે. જ્ઞાનીપુરુષ પોતાના અંતરંગ પરિણામને વ્યક્ત કરે એ મુમુક્ષુને માટે બીજા બધા વિષય કરતાં સૌથી વધારે ઉપકારી છે. કેમકે...છે... જીવંત પરિણતિ છે એને ખુલ્લી કરીને બતાવે છે અથવા એમનો જે આત્મા છે એને ખુલ્લો કરીને બતાવે છે અથવા અંતરનું અંગ ખોલે છે.
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો.... એટલે ઉદયમાન જે કોઈ વિષય છે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે;” લૌકિક રીતે બીજા વિષયોના કાર્યો કરતાં જે-તે બાજુની વ્યવસ્થા રહેવી જોઈએ એ વ્યવસ્થા એ જાતના એક બાજુના ઝોકને લઈને કોઈ એક વિષયમાં, કોઈ એક દિશામાં એવો ઝુકાવ થાય ત્યારે બીજી બાજુના કાર્યો વ્યવસ્થિત થતા નથી). ધંધો સંભાળતો હોય એ Account સંભાળે નહિ, Account સંભાળતો હોય એ ધંધો સંભાળે નહિ. કોઈ અસાધારણ કાર્યક્ષમતાવાળાની વાત બીજી છે. ધંધાકીય ખરીદ, વેચાણ અને બીજા Negotiation.... ગેરહાજર થઈ જ જવું પડે છે. બીજો રસ્તો જ નથી.
એમ અહીંયાં પોતાના આત્મામાં વિશેષ સ્થિરતા થવાનો પુરુષાર્થ વર્તી રહ્યો છે-જોર વર્તી રહ્યું છે. જેને લઈને એક આત્મપરિણતિ સિવાય. એને આત્મપરિણતિ કહી છે. આત્મપરિણતિ એટલે આત્માના અનુસંધાનમાં વર્તતી પરિણતિ તેને
Page #68
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૩
૫૧ આત્મપરિણતિ કહીએ. એ આત્મપરિણતિ ચતુર્થ ગુણસ્થાનમાં શરૂ થાય, એમાં પણ વિશેષ ઉગ્રતા આવે ત્યારે મુનિદશાની પર્યાયમાં એ પરિણતિ આવે છે. મુનિદશાની પૂર્વભૂમિકા ગૃહસ્થદશામાં ઊભી થાય છે. કોઈ શાસ્ત્રકાર તો એમ કહે છે, કે શ્રાવક કોને કહીએ ? કે જે મુનિની પૂર્વભૂમિકામાં આવે એનું નામ શ્રાવક. મુનિને યોગ્ય ભાવના, મુનિ થવા યોગ્ય પુરુષાર્થનો ઉપાડ, એવા એવા ન આવી શક્યા હોય તેનું નામ શ્રાવક. ત્યાંથી લીધી, વ્યાખ્યા ઉપરથી લીધી. મુનિપણાની પ્રધાનતાથી, મુખ્યતાથી, મુનિપણાની મુખ્યતાથી શ્રાવકની વ્યાખ્યા કરે છે.
એવી એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો.. ચિત્તમાં...જે.. અને જ્ઞાનીને. આ વિચારવા યોગ્ય છે, કે સંસારીજીવોને તેના ઉદયના કાર્યોમાં એવું લાગે છે કે ત્યાંથી ઉખાડવું હોય તો ઉખડીને આત્મામાં આવી શકે નહિ. સર્વસ્વપણે એ ઉદયના કાર્યોમાં એવા ચીકણા પરિણામથી ચિત્ત ચોટે છે કે ત્યાંથી ફરીને એને આત્મામાં આવવું મુશ્કેલ પડે છે અથવા અશક્ય જેવું લાગે છે. અહીંયાં જ્ઞાનદશામાં આ સ્થિતિ ઊભી થઈ છે. ૨૮મા વર્ષે ઘણા વર્ષની સાધના સાધી છે. પાંચમું વર્ષ ચાલે છે). ૨૪, ૨૫, ૨૬, ૨૭પૂરા કર્યા. સાધકદશામાં પાંચમું વર્ષ ચાલે છે.
કહે છે કે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિત કોઈ વ્યવસ્થિત કાર્ય કરવાની પરિસ્થિતિ સારી રહી નથી. “અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી.... લોકોને એમ થાય કે આ શું કરે છે? કોઈ વાર જ્ઞાની ખાતા ખાતા ખાવાનું બંધ કરી દે. “સોગાનીજીને એવું થયું હતું. બીજી વાત તો કયાંથી યાદ આવે ? એક-દોઢ રોટલી ખાધી અને હાથ ધોઈ નાખ્યા. આમ તો એમને તે દિવસે જમવા માટે પરાણે જ ઉઠાડ્યા હતા. હાથ ધોઈ નાખ્યા. Time થઈ ગયો પણ એમનો Roomખુલ્યો નથી. વ્યાખ્યાનમાંથી આવીને રૂમ બંધ કરીને બેસી ગયા હતા. પછી ચર્ચા તો બધાની ચાલ્યા કરે. પહેલા બે-ત્રણ જણા એમને જે રીતે રહેવું હોય એ રીતે રહેવાની છૂટ હતી. કોઈ બંધન નહોતું. બધા આવે એટલે ચર્ચા કરવા બેસવું એ બંધન નહોતું. બધા આવ્યા હોય તો પોતાને સંકોચ થાય કે હું ક્યાં.... Room બંધ કરીને બેસી ગયા. બાર, સવા બાર, સાડા બાર થયા પણ રૂમ ખોલે નહિ. પછી ખોલાવ્યો થઈ ગયો છે. બે-ત્રણ બૂમ પાડે એટલે ત્યાં કરવા માંડ્યા. હજી આ ખાવાનું છે. આ ખાવાનું છે...... બેસી રહ્યા હાથ ધોયા એટલે ઊભા થઈને પાછા Roomમાં એ વાત અનુકૂળ નથી. આ તો એક જમવાનો દાખલો છે... વ્યવસ્થિત વાતચીત થાય, વ્યવસ્થિત વ્યવહાર થાય કોઈ. એક માણસ ઘરે મળવા આવે અને કોઈ
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
ચજહૃદય ભાગ-૧૨ મનમો જ ન આપે, આવો એમ. ઠીક છે આપણને એમ હતું સંબંધ જેવું.. પણ ગયા ત્યારે તો ન આવો કહ્યું કે જતી વખતે ન આવજો કહ્યું. લોકવ્યવહારમાં તો આ પ્રતિકૂળ ગણાય છે.
‘તેવું અવ્યવસ્થિપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી.” ખ્યાલ છે, કે લોકવ્યવહાર આમ નથી ચાલતો, લોકવ્યવહાર બીજી રીતે ચાલે છે અને હું બીજી રીતે ચાલું છું. એટલે એ લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી.” તજવો તો છે. તજવો ગમે છે પણ ... “ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી.' તજવો તો છે. તજવો ગમે છે... હકીકત છે ઊભા રહેવું ગમતું નથી, પણ એને તજવો બનતું નથી. કેવો જીવ મુનિ થાય છે આ વિચારવા જેવું છે..... દીક્ષા લે છે એવું નથી આ. અંદરથી આત્માનો પુરુષાર્થ ફાટફાટ થતો હોય, અને ક્યાંય ગમે નહિ. બોજો બોજો લાગે.ખાવું-પીવું બોજો લાગે. ત્યારે એ સર્વસંગપરિત્યાગ થાય છે). ત્યારે કાંઈક એને નિરાંત થાય છે કે આ કોલાહલમાંથી અને ક્લેશમાંથી છૂટ્યા.
લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી;” એવો વિરુદ્ધ પ્રકાર ચાલે છે. “એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે. ક્યારેક સાંભરે છે એવી વાત નથી. આખો દિવસ, આખો દિવસ આ વેદનામાં પસાર થાય છે. આ વ્યવહાર ભજવો ગમતો નથી, અહીંથી છૂટા થવું છે. આ તે કેવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે? કોઈ ભૂતકાળમાં, પૂર્વમાં અવિચાર છે. મારાથી જે કાંઈ થઈ ગયું છે અવિચારપણે, એને લઈને અહીંયાં બેઠા છીએ, વચ્ચે આવી પડ્યા છીએ.
આગલા પત્રમાં કહ્યું ને? પૂર્વેયથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી છે.' નાસ્તિથી લીધું. વિચાર નહોતો કર્યો. જે રીતે વિચાર વિવેક કરવો જોઈએ એ રીતે નહોતો કર્યો એટલે ફરીને આ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. એટલે આ ઉદયની વચ્ચે ફસાણા છીએ. એ અમારા જ અપરાધનું ફળ છે. (કોઈનો) વાંક કાઢતા નથી, મને આમ કરતા નથી, મારા ભાગીદાર છોડતા નથી, મને મારો ધંધો છોડતો નથી, મને મારા ઘરવાળા છોડતા નથી. આ જીવે અપરાધ કર્યો છે. વગર વિચાર્યું .. અહીંથી નીકળાતું નથી. નીકળવું છે પણ નીકળાતું નથી.
ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છેઆ બાજુચિત્ત કામ કરતું નથી. પરાણે કરાવવું હોય તોપણ લાકડી મારીને કરું છું ગયું છે એ બાબાતમાંઉદયના કાર્યમાં પ્રવેશ નથી કરી શકતો. ચિત્ત ઠેકાણે નથી. વાત સાચી છે
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૩
પ૩ ઠેકાણે જ નથી..... રસ લેવો હોય તો રસ લઈ શકીએ એવું નથી... હતો અને આવક.. એ જમાનામાં. .. ધંધો સ્વીકાર્યો હતો. કુટુંબની આર્થિક સમસ્યાને કારણે ધંધો સ્વીકાર્યો. એવું નથી કે જરૂર નહોતી કે ઉલઝીને પડ્યા હતા. હવે નીકળવું છે. હવે નીકળવું છે એમ નહિ, એમાં પ્રવેશ થતો નથી. કરવું શું? લાકડી મારે ચિત્તને કે હાલ હવે કામ કરવા. કહે, ના મારાથી નથી થાતું હવે. હું નબળો પડી ગયો. નબળો માણસ સૂતો હોય અને પરાણે ઉઠાડે તો ઉઠે નહિ.
મુમુક્ષુ ભૂતકાળમાં આવું કર્યું હતું એટલે આવું થાય છે
પૂજ્ય ભાઈશ્રી – હા. જ્ઞાની પુરુષની દશા સ્વરૂપ છે. જેમ અંદરમાં પોતાનો આત્મા બોધસ્વરૂપ છે એમ બહારમાં જ્ઞાની પુરુષની . બેયને જોવે તો આત્માને સીધો બોધ થાય એવું છે. અંદર આત્માને જોવે તો બોધ લેવાના આ બે સ્થાન છે.
મુમુક્ષુ -ત્રીજું કોઈ સ્થાન નથી?
પૂજ્ય ભાઈશ્રી:- ત્રીજું કોઈ સ્થાન નથી. એની બરાબરીમાં તો નથી. સાસ્ત્રો છે એ સત્પરુષના વચનો છે. ... થાય તો એને પોતાને ખબર પડે નહિ. કહેવા માગે કાંઈક અને સમજે કાંઈક. ગુરુદેવ કહેતા કે ફાનસ સળગાવો. તો નાખ્યું ભડકામાં. ફાનસ સળગાવો, નાખ્યું ભડકામાં ફાનસ સળગાવાનું કહ્યું, ફાનસ પ્રગટાવવાની વાત હતી. આખું ફાનસ આગમાં નાખવાની વાત નથી. એવું થાય તો શું ખબર પડે ? એટલે શાસ્ત્રથી તો સંસ્કારી ... એને બોધ લેવાનો અધિકાર છે. બાકી બીજાને સીધો શાસ્ત્રમાંથી બોધ લેવનો અધિકાર નથી. કાં તો પોતે પૂર્વ સંસ્કારી હોય, કાં તો સ્વચ્છેદરહિત થયો હોય. પોતાના દોષ જોઈ જોઈ જોઈનેનીંદી... નીંદી... નીંદીને એટલો હળવો થઈ ગયો હોય તો બીતા બીતા શાસ્ત્ર વાંચે. કઈ સ્થિતિમાં વંચાય એની વાત છે. અત્યારે ગમે તે ગમે ઈ શાસ્ત્ર લઈને બેસી જાય એમાં કાંઈ વળે એવું નથી.
જેને “શ્રીમદ્જી' જેવા મહાત્માઓ..ફેરવવું પડે, ભાઈ ! તમે વાંચ્યા પછી આને આપજો, તમે વાંચીને આ ભાઈને આપજો, પછી આ ભાઈને મોકલજો, પછી આ ભાઈને આપજો. એથી વધારે જરૂર પડે તો કોઈને નકલ કરવા બેસાડે.કેમકે શાસ્ત્ર ન હોય. કોઈ પાંચસો-હજાર છપાવે તો આખા દેશમાં કયાંથી પહોંચે. કોઈ પ્રાંતમાંથી કેટલાક મગાવે, કોઈ પ્રાંતમાંથી કેટલાક મગાવે. બે-ત્રણ પ્રાંતમાં જાય ત્યાં ખલાસ થઈ જાય. ફરીને કોઈને વેચાતું જોઈતું હોય તો ન મળે. એ ગોતવું પડે કોને ત્યાં છે ? કોને ત્યાં હશે?
એવું છે પહેલી વખત ૧૯૮૪ની શિબિરમાં “આગ્રા’ ગયા. “શ્રીમદ્જીમાંથી
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
રાજહૃદય ભાગ-૧૨ Reference લેવો હતો. ગ્રંથ લઈ જવો રહી ગયો. ત્યાં તો ક્યાં “શ્રીમદ્જી' વાંચવાના છે. ત્યાં તો બીજા શાસ્ત્રોનો સ્વાધ્યાય થાશે. Reference book તરીકે જોઈતું હતું. (એક મુમુક્ષ) કહે, મારે ત્યાં નથી. તમારે ત્યાં છે? “શ્રીમદ્ રાજચંદ્રનો ગ્રંથ નથી બહુ કહેવાય. તો કહે અમારે ત્યાં નથી. થોડાક મુમુક્ષને પૂછ્યું કે અહીં કોઈની પાસે નથી. પછી બીજા એક મુમુક્ષુને પૂછ્યું, એ સવારે સવારે આવતા હતા. તો કહે મારી પાસે છે. પછી એમણે આપ્યું. દૂરમાં તો એવું જ છે ને. આ બાજુ પ્રચાર હોય તો ઓલી બાજુન મળે, ઓલી બાજુના પ્રચારવાળા શાસ્ત્રો આ બાજુન મળે.
મુમુક્ષુ - નિયમસાર'નહોતું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. આપણે ત્યાં નિયમસાર શાસ્ત્રની પહેલી Edition અને બીજી Edition વચ્ચે ૨૭ વર્ષનો ગાળો છે. પરમાગમ મંદિર વખતે એ ધ્યાન ગયું. પરમગામ મંદિર બન્યું, પ્રતિષ્ઠા થઈ. પરમાગમ તો કોતરાવ્યા પણ આપણે તો શાસ્ત્ર પણ છપાવ્યા નથી. વેચાણ વિભાગમાં મૂળ શાસ્ત્ર ન મળે. પાંચેય શાસ્ત્રએકાદુ માંડ મળતું હતું. પંચાસ્તિકાય’ ન મળે, નિયમસાર' ન મળે, “પ્રવચનસાર' ન મળે. ‘અષ્ટપાહુડ' તો બહુ જ ઓછું મળતું હતું. પછી એ વખતે આ વીતરાગટ્રસ્ટનો વિકલ્પ આવ્યો. આપણી ભાવના હતી. એ વખતે વીતરાગ ટ્રસ્ટની સ્થાપના થઈ. ગુરુદેવને બહુ પ્રમોદ થયો. ઠીક છે, શાસ્ત્રનું કામ હવે ચાલશે. અને ફટાફટ ચાલ્યું. પહેલેથી જ જોરદાર કામ હતું. બહુ ઝડપથી અને જોરદાર. કેમકે અમુક તો નકલ જ કરાવવાની હતી. એક શાસ્ત્ર પ્રેસમાં આપી દયો કે આ છાપી નાખો. બીજી કાંઈ તૈયારી કરવાની ન હોય.
ખાવાને વિષે, પીવાને વિષે...” હવે કયા કયા ઉદય છે? કે ખાવું પડે છે. ખાવું નથી, ખાવું પડે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, જેની સાથે બોલવું નથી એની સાથે બોલવું પડે છે, એમ કહે છે. લખે છે “સોગાનીજી' ? “જીસકે સાથ બોલના નહિ ચાહતે ઉસકે સાથ બોલના પડતા હૈ. ક્યા કરે ?’ બોલવાને વિષે, શયનને વિષે.... ઊંઘવું. ઊંઘવાનું મન નથી.નિરંતર, આત્મપુરુષાર્થનિરંતર કરવો છે. શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાવથી પ્રવર્તાતું નથી....” ન ખાવાનું ભાન રહે, ન ઊંઘવાનું ભાન રહે, ન બોલવાનું ભાન રહે. ઓલા કહે પણ અમે તમને બોલાવીએ છીએ), તમે હોંકારો દેતા નથી. તમારું ધ્યાન ક્યાં છે પણ? જેને વ્યવહાર પડ્યો હોય એને તો બોલાવે અને ન બોલે એટલે એને તો ગુસ્સો આવે કે તમને બે વખત પૂછ્યું. તમે કાંઈ જવાબ દેતા નથી. એને શું ખબર કે આ
Page #72
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૮૩
ક્યાં વયા ગયા છે ! જ્ઞાની સ્વભાવમાં ઊંડા ઊંડા... ઊંડા કયાં ઉતરી ગયા છે એ બહારવાળાને અંદરની શું ખબર પડે? એને એમ કે આ ભાણાંમાં ચીજ ખૂટી. શાક ખૂટી ગયું છે. તો શાક આપું? એમ પૂછે. ઘરેથી શું પૂછે? શાક આપું? આમનું કાંઈ ધ્યાન ન હોય. બીજી વાર પૂછે, ત્રીજી વાર પૂછે. પણ ક્યાં ધ્યાન છે? ત્રણ વાર તો પૂછ્યું. શાક જોઈએ છે કે નથી જોઈતું? ઠીક-ઠીક, ત્યારે દઈ દયો.....કાં નથી જોઈતું. પણ એ બહાર નીકળવું પડે. એ ક્યાંને ક્યાંયથી પાછું આવવું પડે. ગયા હોય ક્યાંય અને ક્યાંયને ક્યાંયથી પાછું આવવું પડે એમ છે.
એવા બધા કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી. અને તે પ્રસંગો રહ્યા...” છે. ઉદયમાન પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે. આત્મપરિણતિની આ બધી અમારી વિપત્તિ છે. ખાવું પડે છે, પીવું પડે છે, બોલવું પડે છે, સૂવું પડે છે.
કાલે વાત થઈ હતી ને? “બહેનશ્રી કહેતા કે આ તમારા ખાવાના પડઘમ વાગ્યા. એ... Time થઈ ગયો ચાલો ખાવા, એય.!Time થઈ ગયો. સવારને સાંજ. સવાર ને સાંજબે વખત. બપોરે અને સાંજે. તો કહે, બસ ! આ પડઘમ વગાડો છો. પડઘમ એટલે કાનમાં અણગમતા નાદને પડઘમ કહે છે. ઢમ ઢીમ... ઢીમ ઢીમ... વાગ્યા જ કરતા હોય તો માણસને શું લાગે કે આ હવે બંધ થાય તો સારું.
અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં.... સ્વતંત્રપણે આત્માને અનુસરીને અંતર્મુખ રહેવું છે એવી જે સ્વતંત્રા એમાં વચ્ચે આ બધા વિબો-વિપત્તિ આવ્યા કરે છે. અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. કે જે કરવું છે એ બાજુથી વચ્ચે વિક્ષેપ થયા કરે છે. તેનું પોતાને દુઃખ થાય છે. કેવી દશા લખી છે ! ૨૮મા વર્ષે. આ તો “સોભાગભાઈ જેવા પાત્ર છે એટલે વાતને ખોલી છે. “સોભાગભાઈ જેવા પાત્ર છે એટલે ખોલી છે, એનો અર્થ શું થાય? કે એવા પાત્ર ન હોત તો અત્યારે આ ચીજન મળત. એ સીધી વાત છે. એટલે પાત્ર જીવોની હયાતી બીજાને ઉપકારી થાય છે. જ્ઞાનીની વિદ્યમાનતા બીજાને ઉપકારી થાય છે એ તો કહેવાની કે સમજાવવાની જરૂર પણ રહેતી નથી, પણ જ્ઞાનીની સમીપમાં કોઈ વિશેષ પાત્રજીવ હોય તો પણ બીજા સમાજને, વર્તમાન સમાજને અને ભવિષ્યના સમાજને ઉપકારી થાય છે. આ ભવિષ્યના સમાજને જ કામની ચીજ છેને.
મુમુક્ષુ :- “ગુરુદેવના શ્રીમુખે આટલું સ્પષ્ટીકરણ થયું. એ બહેનશ્રીના હિસાબે ?
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૬
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી -હા. ચોખ્ખું કહેતા હતા કે, “બહેનશ્રી જેવા ધર્માત્મા સભામાંધર્મસભામાં હતા તો આટલી સૂક્ષ્મ વાતો નીકળી છે. નહિતર કોને સંભળાવે ? એ તો ભેંસ આગળ ભાગવત જેવી (વાત) થઈ જાય. કોને સંભળાવે? કોને વાત કરે ? વાત જ ન સમજે તો કોને સમજાવે ? કોઈ સમજનાર હોય તો વાત સમજાવે ને? એવું જ છે. એ તો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. બહારનો જે આ બોધનો, ઉપદેશનો વ્યવહાર છે એમાં તો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલું જ નહિ, જે મહાન આચાર્યો અને એની નિશ્રામાં રહેતા મહામુનિઓએ અંદરની જિજ્ઞાસામાંથી પ્રશ્નો કાઢ્યા અને આચાર્યો જવાબ દે. એવી જિજ્ઞાસા ઉત્તરને લઈ આવે છે.
ચતુર્થ ગુણસ્થાને જ્યારે પોતાને પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે ત્યારે તો કેવળજ્ઞાનની લબ્ધિ આવે છે. એટલે સ્વરૂપના અભેદ વેદનમાં, સ્વરૂપના અભેદ આત્મજ્ઞાનમાં અભેદપણે સર્વ શ્રુતજ્ઞાન સમાય છે. એ શ્રુતજ્ઞાનમાં ભેદો નથી પડતા. આ ન્યાયનો આ ન્યાય, આ પ્રશ્નનો આ ઉત્તર એવો અનુભવના કાળમાં ભેદ નથી ઊપજતો કે આ પ્રશ્ન હોય તો એનો આવો જવાબ. ચૌદપૂર્વતો અનંતમાં ભાગે છે. બાર અંગ તો એના અનંતમાં ભાગે છે. અગિયાર અંગ અને નવ પૂર્વ. બારે બાર અંગ તો અનંતમાં ભાગે છે. એ ઉપયોગ કેવળજ્ઞાનની લબ્ધિ લઈને આવે છે. એટલે જેટલી અંતરની સૂક્ષ્મજિજ્ઞાસા (હોય)એ ઉત્તરને ખેંચીને એમાંથી બહાર કાઢે છે. અભેદમાંથી ભેદ પડાવે છે. પ્રશ્ન ગમે ત્યાંથી આવે એનો કોઈ વાંધો નથી. પ્રશ્ન કરનાર જોઈએ. એ વખતે જ્ઞાન ખીલે છે. અભેદમાંથી ભેદમાં થોડો આવે છે તો બીજાને ઉપકારી થાય છે. જેના જ્ઞાનનો ભેદ બીજાને ઉપકારી થાય એના અભેદજ્ઞાનની મહિમા શું કરવી ? એમ કહે છે.
ગુરુદેવ’ કહેતા કે, આ તો ભુક્કો છે. શેનો ? હીરા-હીરા ઘસે ને ? એનો ભુક્કો પડે છે. જેમકે જ્ઞાની તો બહાર નીકળે ત્યારે ભાષા આવે છે. બહાર નીકળે ત્યારે ભાષા આવે તો પછી એ તો શુભભાવ છે. અંદરની જે અભેદ પરિણતિ છે એ તો વાત જ જુદી છે આખી અને આ તો શુભભાવ છે. તો એના શુભભાવને અનુસરીને જેવિકલ્પાત્મક જ્ઞાનાદિ પરિણમતા હોય એમાં બીજાને એ આત્મજ્ઞાનનું નિમિત્ત થાય. એ વાણી બીજાને આત્મજ્ઞાનનું નિમિત્ત થાય. અજ્ઞાનીની તો થાય જ નહિ પણ એ તો બાર અંગના પરિણામનો અંશ છે એ નિમિત્ત થાય છે. જો બહાર આવેલા પરિણામનો અંશ નિમિત્તપણે બીજાને જ્ઞાની કરે તો અંદરના અંશની મહિમા શું કરવી ! એમ કહે છે. એના માટે વાણી પોતે અશક્ત છે. એ અંદરના પરિણામના ગુણ ગાવા માટે વાણી પોતે
Page #74
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૩ અશક્ત છે. વાણીમાં એ શક્તિ નથી.
મુમુક્ષુ - આ જે અંતર દશાની વાત કરી, એને માટેની ઝંખના માગે છે, મુમુક્ષુના પરિણામમાં આવી જાતની..?
પૂજ્ય ભાઈશ્રી:- હા. કોઈ કોઈને તો એવું લાગે છે. એકદમ જિજ્ઞાસામાં, અંતર ખોજમાં ઉતરી જાય તો એને બહારનો ખ્યાલ ઓછો થઈ જાય. મુમુક્ષની ભૂમિકામાં થઈ જાય. એની ધૂન ચડી હોય ત્યારની વાત છે. અંદરમાં ધૂન ચડી હોય તો બહારના કાર્યો થોડા અવ્યવસ્થિત થઈ જાય છે. ખાવા, પીવા વગેરેના ઉદયના કાર્યો અવ્યવસ્થિત થઈ જાય. એટલે ઉદયમાં પંચર પડવાનું તો ત્યાંથી શરૂ થઈ જાય. પછી તો ઉદયના પરિણામ ઘસાતા છે, આત્મપરિણતિ બળવાન થાય છે.
મુમુક્ષુ -. પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ વગર બીજે ચોંટ્યો છે એ ઉખડે ક્યાંથી ? એટલે તો અવલોકન કરે તો ખબર પડે કે કેટલો ચોંટ્યો છે એ. અવલોકન કરે તો ખબર પડે કેટલો વળગ્યો છે અને કેટલો ચોંટ્યો છે. એને ખબર નથી હજી કે હું કેટલો ચોંટ્યો છું અને ઉખડવામાં કેટલી તાકાત જોશે. એ અવલોકનમાં આવ્યા પછી ખબર પડે. ત્યારે ધૂન ચડ્યા વગર તો બીજેથી જે એણે લગવાડ રાખ્યો છે તે છૂટે નહિ). એટલા માટે તો એને ગ્રંથી કહે છે. ગાંઠ પડી ગઈ છે. પરતત્ત્વ સાથે આત્માને ગાંઠપડી ગઈ છે. એ ગ્રંથભેદ કરવાની વાત છે. એક પત્ર આવી ગયો એવી કોઈ અંતરભેદ જાગૃતિ થાય ત્યારે આત્મયોગ પ્રગટે. હમણાં જ આપણે પત્ર આવી ગયો. પત્ર-પ૬૯. ૪પ૧ પાનું, વચ્ચેથી.
કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.” (આત્મયોગ) બને એટલે એવી પાત્રતામાં આવે, જેને જાગૃતિ આવી, ધૂન ચડે એવો કોઈ આત્મજોગ બને, મુમુક્ષજીવ એવી યોગ્યતામાં આવી જાય તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે. જીવને પાત્રતા જ આવી નથી. નહિતર આ મનુષ્યપણાનું મૂલ્ય થાય એવું નથી. મોક્ષ એને વિશેષ દૂર નથી એમ કહે છે. સમ્યગ્દર્શન તો હાથવેંતની વાત છે પણ મોક્ષ વિશેષ દૂર નથી એમ કહે છે. અને પ્રાયમનુષ્યદેહવિના આત્મજોગ બનતો નથી એમ જાણીઅત્યારે મનુષ્યપણું હોવાથી અત્યંત નિશ્ચય કરી, આ દેહમાં આત્મજોગ ઉત્પન કરવો ઘટેઆ નિશ્ચય કરવો કે ગમે તેમ કરીને આ પાત્રતાની સ્થિતિમાં આવવું છે. અનંત કાળે મનુષ્યપણું મળ્યું છે. હવે ભવિષ્યનો કાંઈ મારે ભરોસો રાખવો નથી. સીધી વાત છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
રાજહૃદય ભાગ–૧૨ મુમુક્ષુ – પાત્રતા આવવા માટે નિજ અવલોકન કરવું પડે કે પહેલા લક્ષ બંધાય પછીનિજ અવલોકન થાય?
પૂજ્ય ભાઈશ્રી - લક્ષ તો પહેલા જ બાંધવાની વાત છે. લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ ભરી શકવાનો કોઈ પ્રશ્ન જ નથી. યથાર્થ પ્રકારે. અયથાર્થ પ્રકારે ભલે દ્રવ્યલિંગી સુધી પહોંચી જાય. અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી પહોંચી જાય. લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ વધવાનો પ્રશ્ન નથી. એ તો સિદ્ધાંત નક્કી થઈ ગયો. એ તો અનુભવથી સિદ્ધ કરેલો અંત થયેલો છે. સિદ્ધ + અંત. અંતે સિદ્ધ થયેલી વાત છે. એમાં શું ફેરફાર કરવાનો ? એ તો ફેરફાર કરવાનો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ - એવું લાગે છે કે લક્ષ બંધાણું હોય એવું લાગતું નથી. તો આ લક્ષ બાંધવા માટે શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – ફરી ફરીને આત્માને પૂછવું કે તું શું કરવા શાસ્ત્ર વાંચે છો? શું કરવા શાસ્ત્ર સાંભળે છો ? શું કરવા ધાર્મિક પ્રવૃત્તિ કરે છો ? ભગવાનના મંદિરમાં જઈને દર્શન તો કરે છે કે નહિ ? કારણ છે? જો જીવ લક્ષ નથી બાંધતો ત્યાં સુધી આત્માર્થી થતો નથી, મોક્ષાર્થી થતો નથી. કેમકે મોક્ષનું લક્ષ છે ને ? એટલે એને મોક્ષાર્થી કહ્યો છે. આત્માર્થી શબ્દનો ત્યાં પ્રયોગ નથી. પહેલા પ્રકરણમાં મોક્ષાર્થીનું સ્વરૂપ લખ્યું છે, આત્માર્થીનું નથી લખ્યું. કેમકે મોક્ષાર્થી થાય તો આત્માર્થી થાય છે. જ્યાં સુધી મોક્ષાર્થી નથી ત્યાં સુધી આત્માર્થી નથી. તો કેવો છે?ધનાર્થી, સંસારાર્થી છે. બે તો ભાગ છે. ત્રીજો Class નથી. કાં તો આ Classમાં નાખો, કાં તો આ Classમાં ખવો. બેમાંથી એકમાં પોતાની જાતને ખતવી દીધી. જો પોતે સંસારાર્થી હોય તો એનું ફળ સંસાર છે. અર્થ નામ પ્રયોજન. પોતાને જો સંસારનું પ્રયોજન હોય તો એનું ફળ સંસાર છે. પોતાને મોક્ષનું પ્રયોજન હોય તો એનું ફળ મોક્ષ છે. વાત પોતાના હાથની છે. બે ચીજમાંથી એકની પસંદગી કરી લેવાની છે.
એટલે તો “સોગાનીજી એકમાખીનો દાખલો આપે છે કે, બે ચીજ સરખી દેખાય, ફટકડી અને સાકરનો ગાંગડો, તો માખી ફટકડી ઉપર નથી બેસતી અને સાકરના ગાંગડા ઉપર બેસે છે અને ઉડાડવા માગો તો ઉડતી નથી. એ પંચેન્દ્રિય પ્રાણી નથી તોપણ એને આટલી Sense છે. એને ત્રણ ઇન્દ્રિય છે. આંખ નથી હજી. માખીને આંખ ઇન્દ્રિય નથી. સ્પર્શના, રસના અને ધ્રાણેન્દ્રિય. તોપણ એને સાકર ઉપરથી ઊઠવું નથી અને ફટકડી ઉપર બેસવું નથી.
હવે અહીંયાં બે ચીજ છે. એ પાછી ભળતી નથી. બે વચ્ચેનો Extreme તફાવત
Page #76
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૩
૫૯
છે. બહુ મોટો તફાવત છે. એકમાં એકલો ક્લેશ અને એકલું દુઃખ છે અને એકલી ઉપાધિ છે. બીજામાં અનંત... અનંત... અનંત... સમાધિ સુખ છે. આ બે વાત નક્કી કરવામાં માખી જેટલો વિવેક નથી કરવો ? પોતે સંશી પંચેન્દ્રિય પ્રાણી છે. આ ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે. આમાં એકલી ઉપાધિ, એકલો ક્લેશ અને એકલું દુઃખ છે. સંસારમાં કાંઈ સુખ છે ? હોય તો દેખાડો. આમાં એકલું સુખ જ છે. દુઃખનું નામનિશાન નથી, દુઃખની ગંધ પણ ક્યાંય નથી. દુઃખનો તો પડછાયો પણ પડે એવું નથી. પસંદગી કરવાની છે. આટલી સીધી સાદી વાત છે. ... પાછો તર્ક એ થાય કે પસંદગી ન થાતી હોય તો શું કરવું ? કે એક પસંદગી તો તેં કરેલી છે. હવે પસંદગી બદલવાની વાત છે. તો જે તેં પસંદ કર્યું છે અને જે પસંદ કરેલી તારી પ્રવૃત્તિ છે એમાં સુખ કેટલું છે એ જોઈ લે, અનુભવ કરી લે હવે તો. એમાં તું કેટલો નિરૂપાધિ છો ? કેટલો તું સુખી છો એ નક્કી
કર.
સુખી હોય તો તું ત્યાંથી નહિ છૂટી શકે. સુખની કલ્પનાથી સુખી હોઈશ તો તું એ દુઃખમાંથી નહિ છૂટી શકે. અને નહિતર એમાં કચાંય સામું જોવા જેવું નથી. પડવા જેવું તો નથી પણ સામું જોવા જેવું નથી. આ તો પરિસ્થિતિ છે સમજવાની. નક્કી કરી લેવું પડશે, ધ્યેય તો નક્કી કરવું પડશે. એ વગર એક ડગલું આગળ ભરવાની વાત નથી. ગમે ત્યારે એ પ્રશ્ન ઊગે કે પૂછો, એમાં કોઈ બીજી અપેક્ષા નથી લાગતી. એમાં કોઈ અપેક્ષિત વાત નથી કે આને પહેલા હોય અને પછી આમ હોય, એવી કાંઈ વાત નથી. કોઈની અપેક્ષા નથી. એકદમ સંસારી પ્રાણી લીધો છે. અને એને શરૂઆત કરવી હોય તો એણે પૂર્ણતાનું લક્ષ બાંધ્યે જ છૂટકો છે. ત્યાં સુધી એ પહેલાની અત્યાર સુધીની અનંત કાળની ધાર્મિક પ્રવૃત્તિ વ્યર્થ ગઈ અને હજી પણ વ્યર્થ જ જશે. સમજી લેવું. મહેનત પાણીમાં જાવાની છે. અવગુણ ઊપજશે તો પાછો ઉપાધિનો પાર નથી. હું ધર્માત્મા, મેં આટલું કર્યું. તો એ પાછો ઉપાધિનો પાર નથી. કારણકે એમાંથી પાછા દુર્ગુણ શરૂ થઈ જશે. સૂક્ષ્મ થાય ત્યાં સુધી પોતાને ન ખબર પડે. પછી બીજાને ખબ૨ પડવા મંડે કે આ ભાઈને ખબર નથી પડતી પણ આપણને ખબર છે કે આને ગડબડ થઈ.
મુમુક્ષુ :– જ્યાં સુધી ધ્યેય નક્કી ન કરે ત્યાં સુધી એ પાપને સંમત કરે છે ? પૂજ્ય ભાઈશ્રી :– આખા સંસારના પાપને, બધા પાપને. એકેય બાકી નહિ. કરે છે અને અનુમોદે છે. બેય વાત છે.
મુમુક્ષુઃ-.
...
Page #77
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:-કરે છે એટલે શું છે?કે ઉદય આવે તે કરી લે. ન ઉદય હોય ત્યાં તો પ્રશ્ન નથી. પણ અંદર તો બધું પડ્યું છે. અભિપ્રાયમાં તો આખો સંસાર કરવાનો પડ્યો છે. આખો સંસાર ભોગવવાનો પડ્યો છે. કરીને ભોગવવું, ઉદય કરતા કરતા પણ... અને અભિપ્રાયથી અનુમોદે છે. બજારમાં બેઠા બેઠા વેપારી શું વાત કરે ? દાણાપીઠમાં જાવ તો એય.! ભાઈ ! તેલની તેજી આવીને. આ તેલના વેપારી એક મહિનામાં આટલું કમાણા. ઓલા લોખંડવાળા કહે કે ઓલા આટલું કમાણા, ફલાણા. આટલુ કમાઈ ગયા. ફલાણાને આટલા પૈસા થઈ ગયા. પાંચ વર્ષ પહેલા ખબર નહોતી આ બજારમાં કે આ કોણ છે. અત્યારે બે કરોડ છે, એમ કહે. હવે એ વાતો કરવાનો શું પ્રયોજન છે? અનુમોદે છે. એણે જેટલા જેટલા કાર્યો કરીને એ ધનાર્થીપણું પોતાને છે એટલે બીજાને ધન મળ્યું, એણે જેટલા આડા-અવળા (કર્યા એ બધાનું અનુમોદન એને પહોંચે છે.
મુમુક્ષુ જેબાજુથી આ કમાય છે એ...
પૂજ્ય ભાઈશ્રી:-.બધાનું અનુમોદન છે.ખબર જ નથી કેવી રીતે જીવ કર્મ બાંધે છે. આમ કમાવું જોઈએ, આવી રીતે કમાવું જોઈએ, એને કમાતા આવડ્યું. બધું એનું અનુમોદન છે. એણે શું ધંધો કર્યો હતો ? કેટલા પાપ કર્યા હતા? કેવા પરિણામ કર્યા હતા? બધાને તારું અનુમોદન પહોંચે છે. તને કાંઈ ખબર નથી. એને એ ખબર નથી કે આ કોટડી ભાડે લીધી છે. હાથ-પગ અને માથાવાળી કોટડી ભાડે લીધેલી છે. એ ભૂલી જાય છે કે આ પણ ભાડે જ છે. આમાં પણ અમુક મુદત સુધી જ રહેવાનું છે. Tenency rightપણ નથી. બીજા ઘરમાં તો ભાડુતી હક મળે છે કે બહાર નીકળે તો પાઘડી મળે. આને તો પાઘડી પણ મળે એવું નથી. સીધી રાખ જ બનાવવાની. આ ઘર છોડ્યા પછી એની પાઘડી નહિ ઊપજે. બીજા ઘરની તો પાઘડી ઊપજે છે. એ ભૂલી જાય છે કે આ પણ ભાડે લીધેલી વાત છે. રોજભાડુ દઉં છું. ઓલુ મહિને-મહિને દેવું પડે. આ બપોરસવાર-સાંજ દેવું પડે.
મુમુક્ષુ –આ અનુમોદનાની વાત. પૂજ્ય ભાઈશ્રી:-ચાલી જાય ત્યારે ચાલી જાય.
શ્રીમદ્જી શું કહે છે? પોતાની દશાનું વિશેષ આગળ વર્ણન કરે છે. “અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જચિત્તેચ્છા રહે છે. સ્વરૂપમાં લીન રહી જઈએ, સ્થિર રહી જઈએ. “સાદી અનંત અનંત સમાધિ સુખમાં. અનંતદર્શન, અનંતજ્ઞાન સહિત’ એવી ચિત્તેચ્છા રહે છે. એ તો પોતે જ ગાયું છેને. એ પદપોતે જગાયું છે. “સાદિ અનંત
Page #78
--------------------------------------------------------------------------
________________
૬ ૧
પત્રાંક-૫૮૩ અનંત સમાધિ સુખમાં રહેવું. અને બધા સંતો એ જ ચાહે છે. “સુખધામ અનંત સુસંત ચહી' સુસંત-જેટલા સમ્યફ સંતો છે. સુસંત એટલે શાંત-સમ્યફ સંતો છે એ બધા સુખધામને જ ચાહે છે, બધાએ એ જ ચાહ્યું છે. કોઈએ સંસારને ચાહ્યો નથી. ચાહીને શું કરે છે કે દિન રાત રહેત ધ્યાન મહી.” એતો પછી દિનરાત એના ધ્યાનમાં રહે છે.
અચલતિ આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિ છે. શું છે? ખાવું તે અમારે આપત્તિ છે, પીવું તે અમારે આપત્તિ છે અને સૂઈ જાવું એ આપત્તિ છે. કોઈની સાથે વાતચીત કરવી એ પણ અમને આપત્તિ છે. ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે જુઓ ! કેવો શબ્દ વાપર્યો છે? કેટલોકતે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. એટલે જે અચલિતપણે સ્વરૂપમાં રહેવું છે એનો વિયોગ થાય છે. એટલું ચલિત થવું પડે છે. આ ઘા વાગે છે. ‘ઉપયોગ બહાર નીકલા કિ જમકા દૂત સમજો.” એ આ વાત આવી. છે ને?બરાબરમેળ ખાય છે કે નહિ?
વિયોગ રહ્યા કરે છે અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વચેછાના કારણથી રહ્યો નથી, એ એક ગંભીર વેદના... એટલું પરાધીનપણું, બીજાની ઇચ્છાને આધીન થઈને રહેવું પડે છે એની એક ગંભીર વેદના થાય છે. એ વેદના “ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. બે જગ્યાએ વેદના શબ્દ વાપર્યો છે. પહેલેથી ત્રીજી લીટીમાં છે. લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના.... છે. આખા દિવસમાં. આખો દિ એ વેદના ચાલે છે. બીજી, આ પરેચ્છાથી આત્મામાં અચલિત રહેવામાં વચ્ચે જે વિક્ષેપ પડે છે એની ગંભીર વેદના, ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે. પુરુષાર્થ એવો ઉપડ્યો હતો. આયુષ્ય હોત તો આગળ નીકળી ગયા હોત–ચારિત્રમાં આવ્યા હોત. આયુષ્ય નહોતું, ચારિત્રમાં ન આવ્યા તો ચારિત્રના મૂળિયા બાળી નાખ્યા. આ ચારિત્રના મૂળિયા બાળે છે. અચારિત્રના. ચારિત્ર એટલે અચારિત્રના મૂળિયા બાથે
“આ જભવને વિષે અને થોડા વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. પાંચ વર્ષ પહેલા જુઓ તો) શતાવધાન (કર્યા હતા. ડાબા હાથનો ખેલ. શતાવધાન પૂરા કર્યા ત્યારે એમણે કહ્યું કે આ શતાવધાન કરનારને સહસ્ત્રાવધાન કરવું એ સામાન્ય વાત છે. શું કહ્યું? કોઈ હસ્તાવધાન કરેને તો લોકોની આંખો પહોળી થઈ જાય કે આ હસ્તાવધાન કરે છે. એમ આ શતાવધાન પૂરા કરીને એમણે એમ કહ્યું, કે સહસ્ત્રાવધાન કરવા હોય તો અમારે ડાબા હાથનો ખેલ છે. એટલું સમર્થ !
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨
રાજહૃદય ભાગ-૧૨ મતિજ્ઞાનની સ્મૃતિ એટલી તીવ્ર હતી. પણ જુઓ!પરિસ્થિતિ પલટી છે. અંદર ગયા. એ તો બહારની પરિસ્થિતિ હતી. અંદર ગયા પછી કહે છે, તીવ્ર સ્મૃતિ હતી તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત્ જ, મંદપણે પ્રવર્તે છે.” ભાગ્યે જ કોઈવાર સાંભરે છે અને એ ભૂલી જવાય છે. કાંઈ યાદ રહેતું નથી.
થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી....... Oratary -વફ્તત્વ પણ બહુ સારું હતું. તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. એમાં પણ મંદતા આવી ગઈ છે. વ્યવસ્થાએ નથી, અવ્યવસ્થાથી વર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉઝ હતી;.” લેખકો ભાષામાં Doctarate થાય એ બધાને શિષ્યો થાવું પડે એવી લેખનશક્તિ નાની ઉંમરમાં હતી. સોળ વર્ષે એમના “વવાણિયાના દરબારને અભિનંદન પત્ર આપ્યું છે. એમાં શિખામણ આપી છે કે રાજ કેવી રીતે કરવું. આપણી પાસે છે વાંચવું હોય તો. એવી શિખામણ આપી છે કે અત્યારના હિન્દુસ્તાનના Prime ministerને રાજ કરવું હોય તો આ કામમાં આવે એવી ચીજ છે. એટલી બધી એમની બુદ્ધિકુશળતા હતી. રાજ કરવું હોય તો કેવી રીતે કરવું ? પ્રજા સાથે કેવી રીતે વર્તવું. “વાઘજી મહારાજાધિરાજ નામદાર વાઘજી બહાદુરનું બિરુદકાર્ય. બિરુદ એટલે એને ધન્યવાદ આપ્યા છે. પ્રયોજક “શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ આવૃત્તિ સને ૧૯૩૧. આ જે સને બે હજારને અત્યારે તો સંવંત કહેવાય છે. આ ૧૯૯૦થાય ને ? ૧૯૯૦ચાલે છે ને? કેટલા વર્ષ થયા? ૫૦-૬૦વર્ષ પહેલા છે. સનું લખ્યું છે. કેટલા પાના છે? ૧, ૨, ૩, ૫, ૭. સાત Page ની અંદર શિખામણ આપી છે. આમ ઇન્સાફ કરવો, આમ કરવું, આમ કરવું.
જેમ બને તેમ યોગ્ય રીતે રાજભાગ ઓછા કરવા. દિવસે દિવસે કર વધારે છે. આ કહે રાજભાગ ઓછા કરવા.... ઈન્સાફ કરવો, જેમ રેયત લક્ષ્મીવાન થતી જાય તેમ કરવું. રૈયતને ગરીબ ન કરવી. કઈ પ્રકારે રાંકડી રૈયતને... નહિ કેમકે એ તો રાજ છે. તેનું હૈડુ.. કરવું. લ્યો ઠીક ! કેવા શબ્દો વાપર્યા છે ! કાઠિયાવાડી શબ્દ છે. હૈડુ એટલે હૃદય....કરવું. પ્રજાને રંજન કરી જાણે તે રાજા. રાજા કોણ? પ્રજાનું રંજન કરી જાણે તે રાજા. મૂળ તો પ્રારંભમાં જ પહેલું સૂત્ર બાંધ્યું છેરાજા માટેનું. કોઈ કોઈ વાતમાં Underline કરી છે. કેટલી બુદ્ધિકુશળતા હતી ! આટલું લખી શકતા, આટલું બોલી શકતા, ભાષણ કરી શકતા. ૨૮મા વર્ષે બધું બંધ થઈ ગયું છે. રાજાઓનો મુખ્ય વેપાર કયો ? એમ વિદ્વાનના હૃદયમાં પ્રશ્ન ઉઠવાથી પ્રજાસુખ એવો એમણે અંતે ઉત્તર શોધ્યો
Page #80
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૮૩.
૬૩ જણાય છે અને છે પણ તેમ જ. પ્રજાનું સુખ એ રાજાનો વ્યાપાર. તે દિ ‘સ્વીટ્ઝરલેન્ડમાં પૈસા નહિ મોકલાતા હોય. એવું છે. આપણા એક મુમુક્ષ) લઈ આવ્યા હતા. પછી ઝેરોક્ષ નકલ કરાવી.
લેખનશક્તિ અતિ ઉગ્ર હતીઆજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે;” લખવાનો પ્રારંભ કરતા કરતા દિવસો નીકળી જાય છે. ઓલું ફટાફટ લખવાની ધારા ચાલતી હતી. અત્યારે લખવા બેસે તો દિવસોના દિવસો સુધી આંકડા મંડાતા નથી. “અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતુંનથી; અર્થાત્ એનો અર્થ શું?
એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે;” અત્યંત ઉદાસીનપણું વર્તે છે એમ કહે છે. અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેભાન રાખીને લખવું જોઈએ એનો સોમો ભાગ ભાનમાં રહેતો નથી. એક ટકાનું ભાન રહેતું નથી અને બહારમાં પ્રવૃત્તિ થાય છે, એમ કહે છે. પછી એ ગૃહસ્થીમાં) કેવી રીતે રહે? આ મુનિ કેમ થાય છે? કે એના વ્યવહારમાં એનું ભાન છૂટી જાય છે પછી મુની થાય છે. હજી મુનિ નથી થયા. તો મુનિ કોણ થાય છે? કે જે વ્યવહાર કરતાં કરતાં જેને વ્યવહારનું ભાન છૂટી જાય. સોમા ભાગનું પણ ભાન ન રહે. એ કેવી રીતે વ્યવહાર કરી શકે એ વ્યવહારમાં ઊભો રહી જન શકે. પછી એ જંગલમાં ચાલતો થાય છે.
જેમ તેમ અને જે તે કરાય છે. જેમ તેમ કરાય છે અને જે તે કરાય છે. કોઈ વ્યવસ્થિત વિચાર થતો નથી, આયોજન થતું નથી. હાથમાં આવે એ કામ જેમ તેમ થાય છે. “લખવાની પ્રવૃત્તિ કરતા વાણીની પ્રવૃત્તિ કાંઈ ઠીક છે.” સરખામણીમાં. જેથી કંઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઇચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે.” કદાચ તમને મારા પત્રો ઓછા મળશે પણ રૂબરૂ મળો ત્યારે જે પૂછવું હોય એ પૂછજો. એમને આ એક જગ્યાએ હૃદય ઠાલવવું હતું. એટલે એમને તો સામેથી Offer કરી છે. આ પત્રમાં વાત નાખી છે. કેમકે પોતાને સ્વરૂપસ્થિતરતાના પુરુષાર્થનો અત્યારે ઉપાડ આવ્યો છે.
કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. સિદ્ધાંતજ્ઞાન વગર સ્થિરતા ન આવે. ગમે એટલો ઉપદેશ ભાવનાથી લીધો હોય પણ સિદ્ધાંત વિના સ્થિરત્વ, સ્થિરપણું ઊપજે નહિ. “સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.” નહિતર ઓલા શ્વેતાંબર સાધુ ગણાય છે, આ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
રાજહૃદય ભાગ-૧૨
દિગંબર સાધુ ગણાય છે. આત્મસ્થિરતામાં એકનું નામ લીધું છે. ‘કુંદકુંદાચાર્યજી’ બહુમાનથી આચાર્યજી કહ્યા એમને. આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. આ એમના જ્ઞાનના માપમાં આવેલી વાત છે. બે હજાર વર્ષ પહેલા એમના જમાનામાં કહીએ તો ૧૯૦૦ વર્ષ પહેલા ‘કુંદકુંદાચાર્ય’ થયા એમની આત્મસ્થિરતા એમણે ૧૯૦૦ વર્ષ પછી માપી છે. ઓળખ્યા (એટલું) નહિ, માપી લીધી છે. હજી તો સત્પુરુષને ઓળખવા મુશ્કેલ છે. આ તો માપે છે.
મુમુક્ષુ :– બહુમાન કેવું કર્યું છે. અત્યારે એમ કહે છે, કુંદકુંદ આમ કહે છે, અમૃતચંદ્ર આમ કહે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પ્યાલા ફાટી ગયા હોય એને એવું થાય. ‘નામનું જેને દર્શન હોય તે બધા સમ્યજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.’ અહીં સુધી રાખીએ...
સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગની અંત૨થી ભાવના થઈ હોય – જરૂરત લાગી હોય તેને પરિભ્રમણ કે જે અનંતકાળથી થઈ રહ્યું છે, તેની ચિંતના થઈ આવે છે, તેવી ચિંતના વર્ધમાન થઈ વેદના / ઝૂરણામાં પરિણમે છે, ત્યારે તે જીવનો દર્શનમોહ ગળવાની શરૂઆત થઈ, યથાર્થ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ થાય છે. તે સિવાઈ યથાર્થતાનો પ્રારંભ બીજા કોઈ પ્રકારે થતો નથી અથવા વર્તમાન અને ભાવિ સંયોગોની ચિંતાના ઘેરાવામાંથી યથાર્થપ્રકારે જીવ બહાર આવી શકતો નથી, અને તે ઘેરાવામાં રહીને જે કાંઈ ધર્મ-સાધન કરાય છે તે નિષ્ફળ જાય છે, કારણ તેમાં ક્રમ વિપર્યાસ છે અથવા તે કલ્પિત સાધન છે. (અનુભવ સંજીવની ૧૪૦૫)
Page #82
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૪
પત્રાંક-૫૮૪
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મપ્રકાશિયો,પ્રબળ કષાયઅભાવ રે.’ વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે.
તા. ૧૪-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૮૪ થી ૫૮૬ પ્રવચન નં. ૨૭૧
૬૫
પત્ર-૫૮૪.પાનું-૪૫૮. એક પદ ટાંકીને Post card પૂરું કરેલું છે. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવભાવ રે;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ .’ સ્ફટિક રત્નનું દૃષ્ટાંત આત્મસ્વરૂપને સમજાવવા માટે શાસ્ત્રોમાં ‘સમયસાર’ આદિ પરમાગમોમાં પણ પ્રસિદ્ધ છે. જેમ એ પારદર્શક સ્વભાવ છે, જેને કોઈ વર્ણ નથી. પારદર્શકપણું હોવાથી જેને કોઈ વર્ણ નથી. એમ જીવ પણ કોઈ મલિનતા વિનાનો, કષાયના અભાવસ્વરૂપે (છે). પ્રબળ એટલે સર્વાંશે—સંપૂર્ણપણે જેને કષાયનો અભાવ છે એવો જિનધર્મ છે. ધર્મ જે પ્રકાશ કર્યો છે, જિનેન્દ્રદેવે ધર્મનો પ્રકાશ કર્યો છે એ કષાયના અભાવસ્વરૂપે, કષાયના કોઈ અંશના સદ્ભાવ સ્વરૂપે ધર્મ નથી. પ્રબળ કષાયનો અભાવ એટલે કષાયના કોઈ અંશના સદ્ભાવે ધર્મ નથી. અભાવે ધર્મ છે. જેટલો અભાવ એટલો ધર્મ, સંપૂર્ણ અભાવે સંપૂર્ણ ધર્મ.
વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે.’ વિચારવાન જીવ એટલે મુમુક્ષુજીવે બને તેટલો લૌકિક સંગ છે ત્યાંથી જુદા રહેવું. લૌકિક સંગ, પ્રસંગ એનાથી બને એટલું જુદા રહેવું, આઘા રહેવું, દૂર રહેવું. એ એના માટે કલ્યાણનું કારણ છે, શ્રેયનું કારણ છે. અથવા લૌકિકજનોનો જે સંગ છે એમાં જે જીવને રસ પડે છે તો એને લૌકિકભાવો અને લૌકિક વિષયોનો રસ એમાં પોતાને છે કે જે આત્માને શ્રેયરૂપ નથી, અોયરૂપ છે. એમ સીધી વાત છે. એટલે લૌકિક સંગથી
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
ચજહૃદય ભાગ-૧૨ જુદાપણું-વ્યતિરિક્તપણું-જુદાપણું દૂરપણે એ વિચારવાન જીવને શ્રેયરૂપ છે.
મુમુક્ષુ:- આખા દિવસમાં લૌકિક જીવોનો જ સંગ છે.
પૂજ્ય ભાઈશ્રી:- સંગ પોતે કરે છે કે થાય છે પોતાને રસ કેટલો છે? સવાલ એ છે. પદ્રવ્યનો સંયોગ, વિયોગ એ તો યોગાનુયોગ પ્રમાણે અથવા પૂર્વકર્મ પ્રમાણે અથવા આ જીવની પૂર્વે વિચારપૂર્વક પ્રવૃત્તિ નહિ હોવાને કારણે હોય છે). શું કરવા? આગલા પત્રમાં પોતાને માટે લીધું ને એમણે ? કે અમે આ ધંધો-વ્યાપારમાં ફસાણા, કારણ શું છે? કે પૂર્વે વિચાર નહિ કરીને પ્રવૃત્તિ કરેલી. એટલે અવિચારપણે પ્રવૃત્તિ કરેલી. એનું ફળ ભોગવીએ છીએ. અત્યારે રુચિ નથી, ગમતું નથી, ત્રાસ લાગે છે. દુકાને બેઠા છે પણ ત્રાસ લાગે છે. પણ પૂર્વે વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરેલી છે. હિતઅહિતનો વિચાર કર્યા વિના એટલે આત્મા હિત-અહિતનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી છે. અને એ પ્રવૃત્તિએ જે કર્મનિબંધન કર્યું એનું ફળ અત્યારે ભોગવીએ છીએ. એમ છે. જીવ અત્યારે કેટલો રસ લે છે એના ઉપર એનો અપરાધ છે. જેટલો રસ લે એટલો અપરાધ છે.
પત્રાંક-૫૮૫
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક, ૧૯૫૧ જેમનિર્મળતારે રત્નસ્ફટિકતણી, તેમજજીવસ્વભાવ રે; તેજિન વીરે રે ધર્મપ્રકાશિયો પ્રબળ કષાયઅભાવ.” સત્સંગનૈષ્ઠિકશ્રી સોભાગ તથા શ્રી ડુંગરપ્રત્યે નમસ્કાર પૂર્વક,
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટતે વચનોનો અનુભવ થાય છે.
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે.
૫૮૫માં પણ “સોભાગભાઈને આ જ પદનું મથાળુ ટાંકીને એક નાનો પત્ર લખેલો છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૫
૬૭
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ છે.’ સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચા છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે.’ અત્યારે સત્સંગમાં જે વાતનો સ્પષ્ટ અનુભવ થાય છે, કે જેટલું અસંગપણું થાય છે, સંગથી દૂર જવાય છે એટલો જીવ અપરાધથી બચે છે. જેટલો પોતે સંગ કરવા જાય છે એટલો અપરાધ થાય છે. તો જ્ઞાનીપુરુષોએ તો એનો છેલ્લો છેડો જે છે, અંત છે એ પ્રકાશિત કર્યો છે કે સહજ આત્મદ્રવ્ય જો અત્યંત એટલે પરિપૂર્ણ પ્રકાશ થાય, એ ઉપાદાનથી, નિમિત્તથી લઈએ એટલે કે સર્વકર્મનો ક્ષય થાય એ જ અસંગતા કહી છે. ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના.’ એ ‘અપૂર્વ અવસર'માં ગાયું. એક પરમાણુની સ્પર્શના પણ આ આત્મદ્રવ્યને કરવા યોગ્ય નથી. એક પરમાણુને પણ સ્પર્શવા યોગ્ય નથી. અનેક દ્રવ્યનો પરિચય ક૨વો, અનેક દ્રવ્યનો સંગ કરવો. સંગનો અર્થ એ છે પોતે સંગમાં જાય એનું નામ સંગ છે. બીજો પદાર્થ ક્ષેત્રથી નજીક જાય એને સંગ નથી કહેવાતો.
આપણે અહીંથી ‘ભાવનગર’ થી ‘સોનગઢ’ રવિવારે જતા હતા તો ‘ગુરુદેવ’નો સત્સંગ કરવા જતા હતા. અને ત્યાં ‘સોનગઢ' ગામની ચાર હજારની વસતી આઠે આઠ દિવસ ત્યાં ‘સોનગઢ’માં જ રહેતી, તો ‘ગુરુદેવ’નો સંગ એ લોકોને હતો ? ક્ષેત્રથી નજીક હોવા છતાં એ લોકોને ત્યાં સત્પુરુષનો સંગ છે એવી વાત લાગુ નથી પડતી. ન તો ‘ગુરુદેવ’ને એ જીવોનો સંગ છે એ વાત લાગુ પડે છે. જે જીવો સંગ કરવા જાય છે અને જેની સાથે સંગની યોગ્યતાએ વ્યવહાર થાય છે, મનથી, વચનથી, કાયાથી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, ત્યારે એને સંગદોષ છે કે સંગદોષ નથી એનો ન્યાય કરવો પડે છે. મ માત્ર ક્ષેત્રથી તો કાંઈ સવાલ નથી. છએ દ્રવ્યોનો સંગ અનાદિ-અનંત વિશ્વની અંદર છે. કયા ક્ષેત્રે છ દ્રવ્ય નથી ? એ કહો. એક પરમાણુ રહે એટલું કોઈ ક્ષેત્ર ખાલી નથી કે જ્યાં છએ દ્રવ્ય નથી. જીવ નથી, પરમાણુ નથી, આકાશ નથી, ધર્માસ્તિ નથી, અધર્માસ્તિ નથી કે કાળાણુ નથી. છએ દ્રવ્યોનો સંગ છે. આ લોકના છએ દ્રવ્યો છે અને આ લોકમાં સદાય પૂરા ક્ષેત્રની અંદર વ્યાપેલા છે, રહેલા છે. એટલે સંગ છે એ રીતે સંયોગનો સંગ છે, એનો દોષ છે એમ કહેવાનો ક્યાંય અભિપ્રાય નથી. પણ આ જીવ પોતે રાગથી, દ્વેષથી, મોહથી કોઈ પણ પ્રકારે પરિણામથી સંબંધ કરે છે ત્યારે એ સંગ કરે છે એમ કહેવામાં
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
રાજહૃદય ભાગ-૧૨ આવે છે. કહે છે કે લૌકિકજનોનો સંગ એ રીતે કરવા જેવો નથી.
સંપૂર્ણ મોક્ષ થાય, સર્વ કર્મોનો ક્ષય થાય એ જ અસંગતા કહી છે. ત્યારે અસંગતા કહી. કેમ કે સંપૂર્ણપણે જીવના પરિણામ સમગ્ર રીતે પોતાના સ્વરૂપમાં લાગેલા રહે છે, સ્વરૂપથી બહાર કિંચિત્ પણ પરિણામ જઈને કોઈ પરદ્રવ્યનો સંગ કરતા નથી. માટે તે અસંગદશા કહેવા યોગ્ય છે. અને એવી અસંગદશામાં સુખસ્વરૂપપણું છે. એ દશા કેવી છે? એ દશા સુખસ્વરૂપે છે. સંગનો ભાવ મટતા આત્મિક સુખ એમાં પ્રગટ થાય છે. આ તો સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન છે.
આ જીવને દુઃખ શું કરવા થાય છે? બીજો સંગ કરવો છે માટે કોઈ જીવનો, કોઈ પરમાણુનો પોતાને સંગ કરવો છે એના કારણે એને દુઃખ છે. અથવા પોતાના પરિણામ, પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થ પ્રત્યે ખેંચાય છે, આકર્ષાય છે એ આકુળતાને જન્મ આપે છે, એ આકુળતાને જન્માવે છે. સાથે સાથે જ તત્કાળ આકુળતાનો જન્મ થાય છે એનું નામ દુઃખ છે. જો પોતાના સ્વરૂપમાં પરિણામ રહે તો ત્યાં સુખ પ્રગટે છે. અંશે સ્વરૂપમાં રહે તો આંશિક સુખ પ્રગટે છે, સંપૂર્ણપણે સ્વરૂપમાં લીન રહેતો સંપૂર્ણ સુખ પ્રગટે છે. આ પરિણામનું વિજ્ઞાન સુખ-દુઃખ સંબંધીનું છે.
એટલે કહે છે કે “જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચા છે. અમને અંશે એ સુખ પ્રગટ થયું અને અંશે સંગ-અસંગનો અનુભવ કર્યો, ત્યારે એમ લાગે છે કે જ્ઞાનીપુરુષે આ વાત કરી છે તે અત્યંત સાચી છે, સંપૂર્ણ સાચી છે, નિઃસંદેહપણે તે સ્વીકારવા જેવી છે. ક્યાંય શંકા કરવા જેવી નથી. કેમકે સંત્સગથી એનો અનુભવ થાય છે, સત્સંગથી પ્રત્યક્ષ અનુભવ થાય છે, એનો અત્યંત પ્રગટ અનુભવ થાય છે. સત્સંગથી એ વાત અનુભવગોચર થાય છે. પોતાને અનુભવ થવામાં, અસંગપણાનો અનુભવ થવામાં સત્સંગથી તે અનુભવ ઉત્પન્ન થાય છે. સત્સંગ એમાં કારણ બને છે.
હવે થોડું એક લીટીમાં માર્ગદર્શન આપે છે કે, નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે.” પરિચય એટલે અહીંયાં એ જાતનો પોતાનો પુરુષાર્થ કરવામાં આવે, વારંવાર પુરુષાર્થની Practice કરવામાં આવે. સ્વસમ્મુખતાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે, પ્રયત્નરૂપ અભ્યાસ કરવામાં આવે તો નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિરતા કેવી હોય, કેમ હોય એનું લક્ષ જાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં કેવા પ્રકારે આત્મસ્વરૂપની સ્થિરતા રહે? એનું જ્ઞાન, એનું લક્ષ થવું ઘટે છે. એ કેવી રીતે થાય? શાસ્ત્ર વાંચવાથી ન થાય, શાસ્ત્ર સાંભળવાથી ન થાય. એ તો એક જાણવા મળે છે. શાસ્ત્ર વાંચવું અને સાંભળવું એમાં એક માહિતી મળે છે. પણ ખરેખર
Page #86
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૫ જીવ પોતે પ્રયત્ન કરે ત્યારે એનું લક્ષ થાય છે.
અહીંયાં એમ કહેવું છે કે, સમજવાના બે પ્રકાર છે. એક તો જીવ વાંચતી વખતે, સાંભળતી વખતે, વિચારતી વખતે સમજવા બેસે ત્યારે અમુક પ્રકારે સમજણ થાય છે. પણ એ ઓઘસંજ્ઞાએ રહે છે. એ સમજણની હદ શું છે? એ સમજણની મર્યાદા શું છે? કે એ ઓઘસંજ્ઞાએ રહે છે. પણ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ કરવી હોય અને ખરેખર સમજણ કરવી હોય ત્યારે જીવે પ્રયોગમાં, Practice માં, પ્રયત્નના અભ્યાસમાં પુરુષાર્થમાં આવવું પડે છે. જ્યારે જીવ એ પ્રકારે પુરુષાર્થ કરે છે ત્યારે એને ખરેખર સમજણ થાય છે. કેમકે આ વિષય સમજવા માટે જુદી જુદી મર્યાદામાં વિભાજિત થયેલો છે.
શબ્દ દ્વારા એક વ્યાખ્યાની જે સમજણ આપવામાં આવે છે, ત્યારે એની અમુક મર્યાદા છે. શબ્દો પોતાની મર્યાદામાં રહીને એ વાત કરે છે. પછી એ શબ્દો જ એમ કહે છે, કે જ્ઞાનની જે વાત ખરેખર કરવાની છે, જે જ્ઞાનમાં આવવા યોગ્ય છે એ વાત મારી મર્યાદામાં નથી. એના માટે તો જ્ઞાનની Practice કરે ત્યારે જ સમજાય એવું છે, એ વગર સમજાય એવું નથી.
આપણે તો ઘણીવાર દાંત લઈએ છીએ કે, રોટલી ઉપર વેલણ ફેરવતા ફેરવતા રોટલી થાય છે. કણિકનો લુઓ છે એના ઉપર (વેલણ ફેરવવું). એ તો વ્યાખ્યા થઈ. વ્યાખ્યામાં એમ પણ કહ્યું કે ગોળ થાય એવી રીતે ફેરવવું. ગોળ થાય એવી રીતે એટલે કેવી રીતે? એની વ્યાખ્યા નથી. રોટલી ગોળ બને અને વાંકીચૂંકી ન બને એવી રીતે વેલણ ફેરવવું. પણ એવી રીતે એટલે કેવી રીતે ? એ શબ્દનો વિષય નથી. શબ્દની મર્યાદા ત્યાં પૂરી થાય છે. તમને કહ્યું કે ગોળ થાય એવી રીતે વેલણ ફેરવો. પણ એવી રીતે એટલે કેવી રીતે? તો કહે, એ શબ્દમાં ન આવે. આવે? આવે તો કહી દો. બરાબર. પછી એમ કહે કે, ભાઈ ! રોટલી બધી જગ્યાએ એક સરખી થવી જોઈએ. એક જગ્યાએ જાડી, એક જગ્યાએ પાતળી, એક જગ્યાએ કાણાવાળી, એક જગ્યાએ ઢોરાવાળી એવું કાંઈ ન થવું જોઈએ. એકસરખી Level વાળી થવી જોઈએ. એવી રીતે વેલણ ફેરવવું. એવી રીતે એટલે કેવી રીતે ? તો કહે એ તો તમે વણવા બેસીને વજન આપો ત્યારે ખબર પડે, કે આ વજન અહીંયાં વધારે ન જવું જોઈએ, આ બાજુ વધારે ન જવું જોઈએ. બેમાંથી એકેય હાથે વધારે વજન ન જવું જોઈએ. કેવી રીતે ન જવું જોઈએ? એ Practice નો વિષય છે. Practice કર્યા વિના આખી જિંદગી જોવે કે આ રોટલી આમ બનાવે છે તોપણ રોટલી બનાવતા–વણતા ન આવડે. નજરો જોવે તોપણ ન આવડે. વ્યાખ્યા સાંભળે તો ન આવડે એમ નહિ. નજરે જોવે તોપણ ન આવડે.
Page #87
--------------------------------------------------------------------------
________________
O
ચજહૃદય ભાગ-૧૨ બનાવતા શીખે ત્યારે જ એને આવડે. Practice કરે ત્યારે જ આવડે. એવી લૌકિક સામાન્ય કાર્યની કળા જેને કહેવામાં આવે છે.
બીજું દાંત તો એ છે. સાયકલ ચલાવે છે કે નહિ? સાયકલ એકેય બાજુ નમે નહિ તો જ ચાલે. નમી જાય તો પડી જાય. આગળ ન ચાલે. તો કહે Balance રાખવું. એકેય બાજુ નમવાનદેવી. વ્યાખ્યા તો સારી છે. પણ કેવી રીતે ચલાવવી ?કે જેવી રીતે એકેય બાજુ ન નમે એવી રીતે. પણ કેવી રીતે ન નમે ? તો કહે એ ઉપર બેસીને નક્કી કરવાનું છે. એ ક્યારે સમજાય ? પોતે ફેરવવાનું શીખે ત્યારે સમજાય. એનું કોઈ Tutionલેવાથી ન સમજાય એ વિષય શીખવા બેસે તો ન સમજાય, પુસ્તક વાંચે તો ન સમજાય. કેમકે ભાષાની મર્યાદા પૂરી થાય છે. આ તો સ્થળ પુદગલના કાર્યો છે એમાં પણ ભાષાની મર્યાદા જ છે. તો અરૂપી એવું આત્મદ્રવ્ય કે જેને વાણીની અને એને કાંઈ લેવા-દેવા નથી. વાણી તો વિજાતીય દ્રવ્ય છે. ચૈતન્યદ્રવ્યથી એ જડ, પરમાણુનું વિજાતીય દ્રવ્ય છે. એ સંબંધીની સમજણ
અહીંયાં તો નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ કીધો છે. નિર્વિકલ્પ ઉપયોગનું સ્વરૂપ કેવું હોય એ લક્ષમાં ક્યારે આવે ? જ્ઞાનમાં એ ક્યારે સમજાય? વાત તો, વ્યાખ્યા તો કરી કે વિકલ્પ નહિ તે નિર્વિકલ્પ. પણ ખરેખર એનો ભાવ ક્યારે ભાસે? કે સ્વસમ્મુખતાનો પુરુષાર્થ કરે, સ્વસમ્મુખ થઈને સ્થિર થવાનો પ્રયત્ન-અભ્યાસ કરે, ત્યારે નિર્વિકલ્પના અને સ્થિરતા શું અને વિકલ્પતા અને અસ્થિરતા શું એનો ભાવ ભાસે. ત્યાં સુધી એ પરિચય કર્યા વિના એનો લક્ષ એટલે જ્ઞાન થાય એવું નથી અથવા ભાવ ભાસે એવું નથી. લક્ષનો બીજો અર્થ અહીં ભાવ ભાસે એને લક્ષ કહીએ.
સુધારસ, સત્સમાગમ, સન્શાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. વ્યવહાર વ્યવહાર કારણો. તે તે એટલે અહીંયાં વ્યવહાર કારણો છે. સુધારસ એટલે પૂર્વભૂમિકા, જેમાં સ્વસમ્મુખતાનો પુરુષાર્થ શરૂ કરવામાં આવે છે એને વ્યવહારે કારણ કહેવામાં આવે છે. કેમકે પૂર્વપર્યાય છે ને ? માટે એને વ્યવહારકારણ કહેવામાં આવે છે. એ સુધારસ. સત્સમાગમ તો પ્રત્યક્ષપણે બાહ્ય નિમિત્ત છે. સાસ્ત્ર પણ પ્રત્યક્ષપણે બાહ્ય કારણ છે. સદ્દવિચાર એ પણ એની પૂર્વ પર્યાય છે. અને વૈરાગ્ય-ઉપશમ એ પણ બીજા બીજા ગુણોની આનુસંગિક પર્યાય છે. એવી પર્યાય એને પૂર્વભૂમિકામાં સાથે સાથે હોવી જોઈએ. તો એ સ્થિરતા થવાનું કારણ બને.
વૈરાગ્ય-ઉપશમન હોય તોપણ સ્થિરતાન થાય. આ જીવને સદ્વિચારન ઊગ્યો
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૧
પત્રાંક-૫૮૫ હોય તોપણ એને સ્વરૂપસ્થિરતાનું લક્ષ ન થાય. સત્સસમાગમ કે સન્શાસ્ત્રથી એ વાત સમજવાનો પ્રયત્ન ન કરે તો જેને વ્યાખ્યાની ખબર નથી એને Practice ક્યાંથી આવડે ? અથવા “ગુરુદેવ' કહેતા કે, હજી જેને કાને વાત પડી નથી એ તો બિચારો ક્યાંથી પ્રયત્ન કરશે ? કાને વાત પડી પણ હજી જેને વિરોધ આવે છે કે આમ ન હોય. સપુરુષના વચનનો એને પોતાને સ્વીકાર થતો નથી, એને વિરોધાભાસ લાગે છે તો એને ક્યાંથી આ કાર્ય થવાનું હતું ? એ સમજે ક્લે દિવસે અને પ્રયોગ કરે ક્લે દિવસે ? આ બે વાત કરતા હતા. સમજે કયે દિવસે અને પ્રયોગ ક્યારે કરે ? એટલે સમજે પછી પ્રયોગ પણ કરે એમ ત્યાર પછીની આ વાત છે. એકલા સાંભળે, વિચારે, સમજે તો એ સમજણમાં કોઈ થોડી મર્યાદાથી એ વાતની સમજણ થતી નથી અથવા ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થતી નથી.
ઓઘસંજ્ઞાની નિવૃત્તિ અર્થે શું કરવું ? કહ્યું ને? આગળ એક પત્ર ૪૪૯માં ચાલ્યું ને? આપણે ત્યાં ચાલી ગયો, ‘વવાણિયા ચાલી ગયો. ૪૪૯. પાંચમો Paragraph છે. નીચેથી ઉપરનો Paragraph, છેલ્લેથી-નીચેથી બીજો. “આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવને લોકપરિચય બહુ ગમે છે અને લોકોની દૃષ્ટિએ પોતાનું સ્થાન, માન અને પોતાની છાપ બરાબર સારી હોય તો ઠીક, એવો જે અભિપ્રાય છે. અનાદિથી આ લોકસંજ્ઞા છે.
ઓઘસંજ્ઞામાં જે સમજે છે પણ પ્રયત્ન કર્યા વગર માત્ર સમજે છે એ ઓઘસંજ્ઞામાં રહી જાય છે. જે સાવ સમજતા નથી અને ક્રિયા કરે છે એ તો ઓઘસંજ્ઞામાં છે એ તો કહેવાની પણ જરૂર નથી કે જે સમજ્યા વગર બધી ક્રિયાઓ કરે છે, પણ જે સાાસ્ત્ર અને સત્સમાગમ કરીને સમજે છે પણ પ્રયોગ કરતા નથી તે ત્યાં સુધી. જ્યાં સુધી પ્રયોગ કરતા નથી ત્યાં સુધી ઓઘસંજ્ઞામાં છે. પ્રયોગ ચડે છે ત્યારે એની ઓઘસંજ્ઞાની નિવૃત્તિ જેમ જેમ ભાવભાસન થતું જાય તેમ તેમ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થતી જાય. અને ત્યારે જીવને આત્મસ્વરૂપ વિષે કલ્પના ન થાય, નિર્ણય સાચો થાય. સાચો નિર્ણય થવા અર્થે કલ્પના નહિ થવી અને કલ્પના નહિ થવા અર્થે લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગરૂપ કારણોથી મુક્ત થઈ જવું. ત્યારે નિર્ણય થાય. આમ સીધી Line છે.
મુમુક્ષુઃ-લોકસંજ્ઞા અસત્સંગ...
પૂજ્ય ભાઈશ્રી – અસત્સંગમાં તો શું છે કે પોતે અવગુણી જીવોનો સંગ કરે છે. એના પ્રત્યે પ્રીતિ રાખે છે, એની અપેક્ષા રાખે છે. અને લોકસંજ્ઞામાં મુખ્યપણે આબરૂ,
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
રાજહૃદય ભાગ-૧૨
કીર્તિ, માન, સન્માન એનું પોતાનું જે સ્થાન, છાપ છે એ છાપને બીજાની નજરની અંદર વધારે ને વધારે સારી થાય, બીજાની નજરમાં મારું સ્થાન વધારે સારું ગણાય, લોકોની નજરમાં હું સારો ગણાઉ-આ લોકસંજ્ઞા આત્મસ્વરૂપનો નિર્ણય નહિ થવા દે.
મુમુક્ષુ :- સત્સંગમાં આવીને પણ આવી રીતે એના ભાવમાં રહ્યા કરે. પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું થાય કે સત્સંગનું જે ટોળું હોય એમાં એને પાછી કે પોતાની છાપ (સારી રાખવી હોય) કે મને કોઈ ધર્માત્મા ગણે તો સારું, મને કોઈ ધર્મીજીવ ગણે તો સારું, મને કોઈ આત્માર્થી ગણે તો સારું, મને કોઈ વિદ્વાન ગણે તો સારું, મને કોઈ પંડિત સમજે તો સારું. એમ કાંઈ ને કાંઈ પોતાને વિષે જીવ કલ્પના કરે છે. એવી જે કલ્પના છે તે આત્મસ્વરૂપથી જુદી જાતની છે. આત્મસ્વરૂપ એવું નથી એવી એની કલ્પના છે. એ કલ્પનાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આત્મસ્વરૂપ ઓળખાય નહિ). કેમકે એમાં નજ૨ જ બીજા સામું રહે છે. મને લોકો આમ ગણે તો સારું. લોકોની નજરમાં હું આમ ગણાઉ છું એ વધારે સારી રીતે એમને એમ સ્થાન રહી જાય તો સારું. એથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરું તો સારું. એ જાતની આ જીવને જે લાલચ છે, જેમ પૈસાની લાલચવાળો પૈસા માટે પ્રવૃત્તિ કરે એમ આ માનની લાલચ છે એ માન માટે પ્રવૃત્તિ કરે છે.
હું નમ્ર દેખાવ તો સારું, લ્યો ચાલો. હું સરળ દેખાવ તો સારું. આ ગુણવાચક લોકસંજ્ઞા છે. કેટલી બધી છેતરામણી ચીજ છે ! લોકો મને નમ્ર સમજે તો સારું, લોકો મને સરળ સમજે તો સારું, લોકો મને ગુણવાન સમજે તો સારું, લોકો મને બહુ સમજદાર સમજે તો સારું, બુદ્ધિશાળી સમજે તો સારું. મારી સલાહ બધાને લેવા યોગ્ય છે એવી મારી છાપ હોય તો સારું. કોઈને કોઈ પ્રકારે બીજાની નજરમાં પોતાને નક્કી કરવો છે. આ લોકદૃષ્ટિ છે, લોકસંજ્ઞા છે. આ જીવને સ્વરૂપ નિર્ણય નહિ કરવા દે, સાચો નિર્ણય નહિ કરવા દે.
અસત્સંગમાં પોતે પ્રીતિ કરી કરીને કોઈ એક વ્યક્તિ, એક વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ સાથે સંબંધ ક૨વા જાય છે એ અસત્સંગ છે. પોતાથી ગુણવાનનો સંગ કરવો તે સત્સંગ છે. અથવા પોતાની બરાબર કક્ષાના હોય પણ આત્મકલ્યાણની ભાવનાવાળા હોય અને ધ્યેયવાળા હોય એનો સંગ કરવો તે સત્સંગ છે. એ સિવાયનાનો સંગ ક૨વાનો અભિપ્રાય છોડી દેવો, સદંતર છોડી દેવો. ત્યાંથી અસત્સંગ શરૂ થાય છે. અને કોઈ અવગુણી જીવો, દોષ કરતા હોય, દેવ-ગુરુ-શાસ્ત્રની વિરાધના કરતા હોય, ખોટા રસ્તે ચાલતા હોય, પોતે પ્રરૂપણા કરતા હોય, એનો સંગ કરવાની
Page #90
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૫
૭૩
પ્રીતિ ક૨વી, એની સાથે સંબંધ આપણે જાળવી રાખવો. સંબંધ છે ને આપણે, સંબંધ તો જાળવી રાખવો. સંબંધ તોડવો નહિ. એ બધું કુસંગમાં જાય છે. એ અસત્સંગમાં પણ નથી. એ તો કુસંગમાં જાય છે. એ અસત્સંગ અને કુસંગ એ પણ જીવને પોતાના જીવના સ્વરૂપનો નિર્ણય નહિ કરવા દે. સન્મુખ નહિ થવા દે. ભાવ નહિ ભાસે.
જેટલી ધર્મની પ્રવૃત્તિ ક૨શે એ ઘાણીના બળદ જેવી છે. ઘાણીનો બળદ આખો દિ’ ચાલ્યો. અને રોજ આખો દિ’ ચાલ્યો અને આખી જિંદગી ચાલ્યો. ચાલી ચાલીને ચાં ગયો ? ત્યાંનો ત્યાં રહ્યો. જો કોઈ બેલ કે કોષ હજા૨’ ત્યાં ને ત્યાં છે. અનાદિનો ત્યાં ને ત્યાં છે. આ જીવે ધર્મની પ્રવૃત્તિ ઘણી કરી છે. પૂજા કરી, ભક્તિ કરી, દાન દીધા, તપશ્ચર્યાઓ કરી, જપ કર્યાં, યાત્રા કરી, શાસ્ત્ર વાંચ્યા. બધું કર્યું. કચાં છે ? ઘાણીના બળદની જેમ ત્યાંનો ત્યાં છે. જરાય આઘો ગયો નથી. ઘરની બહાર એક ડગલું નથી ગયો. જે ઠેકાણે છે એ જ ઠેકાણે છે. પહેલાના પહેલા ગુણસ્થાને. એ ગુણસ્થાનમાંથી કાંઈ ફે૨ફા૨ થયો નથી.
મુમુક્ષુ :– કૃત કરતાં અનુમોદનનું પાપ વધારે થાય છે એવું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, અનુમોદનાનું વધારે છે. એ તો કૃત, કારિત અને અનુમોદનાનું ફળ એક છે. પણ અનુમોદનાથી જીવ છેતરાય જાય છે. અનુમોદનાની એને ખબર પડતી નથી. સંગ કરવા ગયો ત્યારે તો એણે પ્રવૃત્તિ કરી, તો કોઈ એમ કહે કે ભાઈ ! તમે શું કરવા સંગ કરો છો ? એ સંગ ક૨વા જેવો નથી. નકામા તમે દોષમાં આવી જશો. પણ અનુમોદના છે એમાં છેતરાય જાય છે. કેમકે જીવને એ પ્રવૃત્તિ નથી દેખાતી. ભાવમાં નિષેધ આવવો જોઈએ. એ નિષેધ નથી આવતો એટલે જીવને અનુમોદના થઈ જાય છે.નિષેધ આવવો જોઈએ.
મુમુક્ષુ :– સરવાળો મારીએ તો ખ્યાલ આવે કે કૃત કરતાં અનુમોદના વધારે થાય
છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અનુમોદનનો દોષ વધારે (થાય છે), અનુમોદનાથી વધારે દોષ થાય છે. ક૨વા અને કરાવવાથી જે પ્રમાણમાં પોતે અપરાધ કરે છે એના કરતા સમગ્ર અપરાધનો વિભાગ અનુમોદનામાં વધારે છે. કેમકે એને ખબર નથી પડતી કે અહીં અપરાધ થાય છે. અનુમોદના થતાં અપરાધ થાય છે એની એને ખબર નથી. જાણેઅજાણ્યે પણ પક્ષ કરે છે, અનુમોદના કરે છે. એ બધા જે પ્રકાર છે એ જીવને એ અપરાધ કરવા બરાબર એ પોતે કરે એટલું જ ફળ અનુમોદનામાં આવે છે. એથી ઓછું આવતું નથી. એટલે એ વિષય જરા સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
રાજહૃદય ભાગ-૧૨ અહીંયાં એક વાક્યથી એ વાત નીકળે છે કે જીવ પોતે સ્વરૂપસ્થિરતા કરવાનો પ્રયત્ન કરે ત્યારે એને નિર્વિકલ્પ ઉપયોગનો ભાવ સમજાય છે. નિર્વિકલ્પ ઉપયોગ એક આરાધક ભાવ છે કે જેમાં આત્મસ્વભાવ પ્રગટ થયો છે. આત્મસ્વભાવ પ્રગટ થયેલો હજી સમજાય, એનું વ્યક્ત સ્વરૂપ સમજાય પછી અવ્યક્ત ન સમજાય એ કાંઈ બની શકે નહિ. કેમ કે વ્યક્ત છે એ અવ્યક્ત કરતા સ્થળ છે. જેને સ્થૂળ લક્ષમાં ન આવે, જ્ઞાનમાં ન આવે એને સૂક્ષ્મ ક્યાંથી જ્ઞાનમાં આવે? ચરમામાં મોટો અક્ષર ન વાંચે છે ઝીણો કેવી રીતે વાંચે ? એના જેવી વાત છે.
એક લીટીમાં કેટલું રહસ્ય ભર્યું છે, જુઓ! પત્રની એક લીટીમાં કેટલું રહસ્ય છે ! કે જ્યારે તું તારો સ્વભાવ સમજવા બેઠો છો તો તારે સ્થિરતાના સ્વસમ્મુખતાના પ્રયત્ન સુધી આવવું પડશે. એ પ્રયત્નમાં સ્વરૂપનું ભાવભાસન થશે. ત્યાં સુધી આગળની જે વાતો છે એ માત્ર બાહ્ય નિમિત્તમાં રહી જાય છે. આ પ્રયત્ન કર્યાથી ખરેખર ભાવભાસન આવે છે.
મુમુક્ષુ -પ્રયોગમાં તો આવવું જ પડે.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયોગે આવવું પડે. પ્રયોગે આવ્યા વિના ઓઘસંજ્ઞા નહિમટે. શાસ્ત્ર સમજી શકાશે, બીજાને સમજાવી પણ શકાશે.
જ્ઞાની કહે એવું જ કોઈ જ્ઞાની પાસેથી સમજીને કહેતો એ વાત બીજાને સમજાય કેન સમજાય? જેમકે જ્ઞાની ચાલ્યા ગયા. આયુષ્ય પૂરું થાય એટલે સ્વર્ગમાં જાય. જ્ઞાની પાસેથી જે લોકોએ સાંભળ્યું છે એવા મુમુક્ષુઓ, વિદ્વાનો, પંડિતો રહી જાય છે. જેનું આયુષ્ય હજી ચાલુ છે. હવે નવા માણસો આવે છે. જેની શરૂઆત થાય છે, નવી પેઢી આવે છે. જ્ઞાની આમ કહેતા હતા. સમજાય કે ન સમજાય ? ન સમજાય. કેમકે જ્ઞાની પ્રયોગ કરીને કહેતા હતા, પ્રયોગમાં રહીને કહેતા હતા. એટલે એમનો પ્રયોગ વ્યક્ત થતો હતો. પણ તેવી જ ભાષા કહેવા છતાં પણ પ્રયોગની અભિવ્યક્તિ ન થાય. એટલે જે વાત ખરેખર જ્ઞાનીના વચનમાં સમજવામાં આવે એ સિવાય જ્ઞાનીના વચનમાં સમજવામાં ન આવે. એ તો હજી સમજણ પૂરતી વિચારની વાત રહી, સદ્વિચારની વાત રહી, સસમાગમની વાત રહી, સાસ્ત્રની વાત કરી. પણ એથી વધારે ઓઘસંજ્ઞાની નિવૃત્તિ માટે તો પોતે પ્રયોગમાં આવે ત્યારે એને સમજાય અને ત્યાં સુધી એને ઓઘસંજ્ઞાની નિવૃત્તિન થાય.
હવે વિચાર કરી લેવો કે આપણે આટલા વર્ષથી સમજવા બેઠા છીએ. ઓઘસંજ્ઞા ગઈ છે કે નથી ગઈ? વર્ષોથી ગુરુદેવ પાસેથી સાંભળ્યું, વર્ષોથી શાસ્ત્રો વાંચ્યા,
Page #92
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
૭૫
ન
સ્વાધ્યાય કર્યો અને અનેક બીજા વિદ્વાનો પાસેથી પણ સાંભળવાનું મળે. પણ જ્યાં સુધી પોતે પ્રયોગે ન ચડે ત્યાં સુધી એને ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થાય નહિ, ત્યાં સુધી ખરેખરો આત્મસ્વરૂપનો સાચો નિર્ણય, યથાર્થ નિર્ણય થાય નહિ. આ એક વાકયમાં આટલી વાત કરવી છે. ૫૮૫ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે.
પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્યે ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
રાજહૃદય ભાગ-૧૨ વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે, તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવતું હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કિલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવતુ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી. પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે, અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ
Page #94
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તેને કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી. નમસ્કાર છે.
જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.
૫૮૬મો પત્ર પણ સોભાગ્યભાઈ ઉપરનો છે. ૐ કરીને લખે છે. મુમુક્ષુ - “સોભાગ્યભાઈ” ઉપરના પત્રો બધા બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણી વાતો લખી છે. “સોભાગભાઈના પત્રોમાં તત્ત્વનો વિષય ઘણો વ્યક્ત થયો છે, પ્રગટ થયો છે. એ વાત સાચી છે.
વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. શું કહે છે? તમે વિચારો છો. એટલી વાત રાખી વિશેષ વિચારો એના માટે આ પત્ર તમને સાધન થશે એમ કરીને આ પત્ર લખ્યો છે. પત્રનું મથાળુ જ એવું બાંધ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ત્રઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી.” “ઋષભદેવ ભગવાનને પણ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. ૮૩ લાખ પૂર્વ એ પ્રારબ્ધોદય ભોગવવામાં પસાર કર્યા છે. છેલ્લા એક લાખ પૂર્વમાં એમને કેવળજ્ઞાન આદિદશા થઈ છે.
તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે... દરેક માણસને પૂર્વ સંચિત
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
ચજહૃદય ભાગ-૧૨ કર્મો તો બાંધેલા હોય જ છે. કેમકે જ્યારે જ્યારે જીવ ઉદયમાં જાય છે ત્યારે નવા કર્મને સંચિત કરે છે, બાંધે છે. એટલે એ તો ગમે ત્યારે જ્ઞાનદશા પ્રગટે ત્યારે પૂર્વનો તો Stock-અજ્ઞાનભાવે બાંધેલા કર્મનો જથ્થો તો એને Stock માં હોય જ છે. એટલે એને ભોગવવું પડે એમાં કઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી.' અમારો એટલો પુરુષાર્થ નથી. ભગવાન પણ ચતુર્થ ગુણસ્થાને હતા. પોતે પણ ચોથા ગુણસ્થાને છે. છતાં ઋષભદેવ ભગવાનની સામે જોઈને એમ કહે છે. એક ક્રોડક્રોડી સાગરવયા ગયાને? ચોથો આરો ગયો ને ? એક ક્રોડાકોડી સાગરનો Period ગયો. એટલે લાંબે ઉપયોગ મૂક્યો. એમને જે પ્રારબ્ધોદય વખતે ગૃહસ્થ અવસ્થામાં જે પુરુષાર્થનું બળ હતું એ બળ અમારી પાસે નથી. આ અમારે ખેદનો વિષય છે. એમની પાસે જેમૂડી હતી એ જમૂડી અમારી પાસે નથી એમ કહે છે. પ્રારબ્ધને ભોગવવા માટે આત્મસ્વરૂપનું જે પુરુષાર્થનું સ્વરૂપ પ્રત્યેનું બળ જોઈએ એ બળ એમની પાસે હતું એ અમારી પાસે નથી. “ઋષભદેવ ભગવાન સર્વાર્થસિદ્ધિમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન લઈને આવ્યા છે. અવિષમતા રહે એવું બળ અમારી પાસે નથી એમ કહે છે. જુઓ ! ક્યાં પોતાની સરખામણી કરે છે?
“અને તેથીઆ તો કાંઈ ન હોય તો જ્ઞાનીની સાથે સરખામણી કરે. હજી કાંઈ પોતાનું ઠેકાણું ન હોય. જ્ઞાનીને પણ રાગ-દ્વેષ થાય છે, જ્ઞાનીને પરિગ્રહ હોય છે, જ્ઞાની પણ પ્રવૃત્તિ કરે છે. એમ કરીને સરખામણી કરવા માંડે. અહીં તો કહે છે કે જ્ઞાની હોય એ બીજા જ્ઞાનીથી પોતે કેટલા હીણા છે એ બીજાને કહે છે. પોતાના દોષની વાત બીજાને એ જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે.
આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે.” એટલે સમભાવ રહે. અવિષમતા એટલે રાગ પણ ન થાય, દ્વેષ પણ ન થાય. એ વિષમ પરિણામ છે. અમારી પાસે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદયછતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે શૂટવાની કામના થઈ આવે છે, જે આ રાગ-દ્વેષના નિમિત્ત છે એને ત્યાગીને, છોડીને નીકળી જઈએ તો સારું. આમાં હારી જવાય છે, ક્યારેક ક્યારેક હારી જવાય છે. રાગના નિમિત્તોમાં રાગ થઈ જાય છે, દ્વેષના નિમિત્તોમાં દ્વેષ થઈ જાય છે. ભલે ચારિત્રમોહનો છે. પણ એ મહાપુરુષોનું ઊંધું આલંબન નથી લેતા, કે ચક્રવર્તીને છ ખંડ હોય છે અમારે શું વાંધો. “ભરત ચક્રવર્તીને છ ખંડ હતા. એમની પાસે બળ હતું. મારી પાસે ક્યાં બળ છે? એમ કહે છે. મારે આ રાગ-દ્વેષના નિમિત્ત વચ્ચે રહેવાની મને
Page #96
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬ ઇચ્છા થતી નથી. છૂટવાની ભાવના થઈ આવે છે. કામના એટલે છૂટવાની ભાવના થઈ આવે છે કે આમાંથી છૂટીએ તો સારું... આમાંથી છૂટીએ તો સારું. આ રસ નથી એ સ્પષ્ટ થાય છે. પોતાને જેસંયોગ છે, જેસંગ છે એનો રસ નથી. એનાથી પોતે ઉદાસીન કેટલા છે!
છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્થતા ન રહી. કયારેક જો ચૂકી ગયા. કેમકે બળ એટલું નથી. ક્ષયોપશમ સમકિત છેને? ક્યારે ચૂકી ગયા તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે... એકવાર છૂટે તો વળી ઉપર ચડતા કેટલો Time જાય કોને ખબર છે?લેનારા અંતર્મુહૂર્તમાં પણ લ્ય છે. કાળ જાય છે અને કેટલા ભવ જાય છે એનો મેળ નથી. એટલે એનો Maximum અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ લીધો છે.
સાદિ મિથ્યાષ્ટિઓ મિથ્યાદર્શને આવ્યા પછી નિગોદમાં ચાલ્યા જાય. સમ્યગ્દષ્ટિને તો મનુષ્ય અને દેવ સિવાય બીજી બે ગતિનિષેધ થઈ જાય છે. છૂટી જાય છે. વિચ્છેદ જાય છે. પણ જો મિથ્યાત્વમાં આવી જાય તો નિગોદ સુધી વયો જાય. અત્યારે નિગોદમાં આવ્યા કેટલા? કે અનંતા. સાદિ મિથ્યાદૃષ્ટિ અનંતા છે. નિગોદની અંદર આજે, આજની તારીખમાં.
મુમુક્ષુ –એણે ભૂલ શું કરી?
પૂજ્ય ભાઈશ્રી – સ્વરૂપની વિરાધના કરી, સ્વરૂપની વિરાધના કરી છે. આરાધના છોડીને વિરાધના કરી શુભની રુચિ કરી, અશુભની રુચિ કરી, પુદ્ગલની રુચિ કરી, દોષની અને અવગુણની રુચિ કરી, નિર્દોષ પવિત્ર સ્વભાવની રુચિ ન કરી.
મુમુક્ષુ – સ્વરૂપના બતાવનારની પણ વિરાધના કરી?
પૂજ્ય ભાઈશ્રી - બધાયની. પછી તો થઈ જ જાય. એકની કરે ત્યાં અનંતાની થઈ જાય.
જો એવું કાંઈ પણ થયું તો “આત્મસ્થિરતા થતાં વળી અવસર ગષવો જોઇશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે;” અરે..રે. આ સ્થિતિ છૂટી ગઈ ? ભૂતકાળનો અનુભવ છે ને ? પોતાને તો જાતિસ્મરણ છે. પશ્ચાત્તાપપૂર્વક દેહ છોડેલો છે. પાછું અનુસંધાન કર્યું છે. હવે છોડવું નથી. આ તૈયારી ચાલે છે. એમાંથી આ વચનો નીકળ્યા છે. શેમાંથી આ વાત ઊગી છે?કે ભૂતકાળમાં અનુભવમાં આવ્યા છે, ફરી મિથ્યાત્વમાં આવ્યા છે, આ વખતે પણ મનુષ્યજન્મ સમ્યફ સહિત નથી. ર૮મે વર્ષે સમ્યગ્દર્શન લીધું છે. ૨૮મું વર્ષ ચાલે છે. ૨૪મે વર્ષે સમ્યગ્દર્શન થયા પછી દશા બહુ સારી છે. પણ
Page #97
--------------------------------------------------------------------------
________________
८०
પ્રવૃત્તિને અનુકૂળ પોતાની સ્થિતિ નથી.
‘સોગાનીજી’ એ જ લખે છે, જહાં રહના નહિ ચાહતે ઉસકે સાથ રહના પડતા હૈ. જિસકે સાથ રહના નહિ ચાહતે ઉસકે સાથ રહના પડતા હૈ. એ પછી (એમના પત્ની) કહેતા હતા, અમારી જ વાત લખી છે. એમને નહોતું ગમતું. જિસકે સાથ બોલના નહિ ચાહતે ઉસકે સાથ બોલના પડતા હૈ. એને છૂટવું છૂટવું જ હોય છે. હવે જ્ઞાન થઈ ગયું એટલે વાંધો નથી. સમ્યગ્દષ્ટિને તો છ ખંડ હોય, એ જનક-વિદેહી આદિનું કોઈ આલંબન લેતા નથી. આલંબન લેવા માટે એ વાત પણ શાસ્ત્રમાં નથી. છૂટવું છૂટવું કેવી રીતે થાય છે એ વાત કરે છે.
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ ઃ– જ્યાં સ્વરૂપની ખબર નથી ત્યાં સ્વરૂપની વિરાધના છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ત્યાં સ્વરૂપની વિરાધના થાય છે. સ્વરૂપની ખબર નથી એટલે કાંઈકને કાંઈક તો જીવ આરાધન કરે જ છે. કોનું આરાધન કરે ?વિભાવભાવોનું આરાધન કરે અને પરદ્રવ્યને અનુસરે. સ્વભાવના આરાધનમાં એક એનો છૂટકો થાય એવું છે, બાકી બધું અકર્તવ્ય છે, કર્તવ્ય નથી. આમ છે. શું કહે છે ? જુઓ !
આ તો દરેકે વિચારવા જેવું છે. એમણે ભલે પોતા માટે લખ્યું હોય પણ મનુષ્યપર્યાયમાં જેટલા છીએ એ બધાએ વિચારવા જેવું છે. કે જો ઉપયોગની યથાતથ્યતા ન રહી...' ઉપયોગ એટલે અહીંયાં પોતાના પુરુષાર્થની સાવધાનીની, સ્વરૂપ-સાવધાનીની, યથાતથ્ય સ્વરૂપની સાવધાની ન રહી તો પશ્ચાતાપપૂર્વક મિથ્યાત્વ સહિતમાં દેહ છૂટશે. સામાન્ય રીતે મિથ્યાત્વસહિત મનુષ્ય દેહ છૂટે એટલે મનુષ્યદેહ મળવાનો બહુ લાંબો સમય પડી જાય છે. લગભગ તો બહુભાગના જીવોને અનંત કાળે જ મનુષ્યદેહ આવે છે. કોઈ જીવોને વચ્ચે આવી જાય છે, હળવા હોય તો. બાકી લગભગ મોટા ભાગના જીવો મનુષ્યદેહ છોડે એટલે અનંત કાળે પછી મનુષ્યપર્યાયનો પત્તો લાગે. આ પરિસ્થિતિ હોય છે. એટલે પોતાને ખ્યાલ છે.
પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.’ આ ભય થાય છે. બીજો ભય નથી. ભવનો ભય છે. આ ભયમાં ઊભા છીએ. પોતે ૨૮મે વર્ષે એવી અંદરની અધ્યાત્મદશા છે તોપણ અંદરખાને આ ભયમાં ઊભા છે. મુમુક્ષુને કેટલો ભય હોવો જોઈએ ? એના બદલે એય..! ને નિર્ભય થઈને ખાઈ, પીએ અને લહેર કરે. ઉટકેલી થાળીમાં સરસ મજાનું ભાવતું ભોજન મળે. દાળ સારી થઈ હોય તો એવા સબડકા લે કે મોઢું બે-ચાર જગ્યાએથી વાંકુ થઈ જાય. ભાવતી ચીજ હોય ને ? આમ એવા રસથી ખાય). ભવભ્રમણનો ડર નથી. એય.. મજાની ઉંઘ આવી જાય. સરખી
Page #98
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૮૬
૮૧
ઊંઘ આવે છે. ભૂખ પણ સરખી લાગે છે, પાચન પણ સ૨ખું છે, શરી૨ પણ તંદુરસ્ત છે. શરીરના વખાણ કરે. કોના વખાણ કરે છે ? તારા કરે છે કે તારી જેલના ? અને ઊંઘ એવી મજાની સરસ આવે છે. એક ઊંઘે આપણે સવાર પડી જાય. કાંઈ ફીકર નથી. તું કચાં વયો જઈશ ? એમ કહે છે. આ ચિંતા જ્ઞાનીઓ કરે છે, સાધક આત્માઓ આ ચિંતા કરે છે.
મુમુક્ષુ :– બહુભાગ જીવોને મનુષ્યદેહ ફરીથી મળતો નથી એટલે....
=
-
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. નહિ... નહિ. હજારમાં નહિ, લાખોમાં. લાખો મનુષ્ય મનુષ્યપર્યાય છોડે એમાં કો’કને જ નજીકમાં મનુષ્યપર્યાય હોય. હજારોમાં નહિ. એવું છે. મનુષ્યપર્યાયની બહુ કિંમત છે, ભાઈ ! જીવ ભૌતિક કાર્યોમાં, બહારના કાર્યોમાં, સાંસારિક કાર્યોના ઝાંવા નાખે છે પણ આ મનુષ્યપર્યાયની બહુ કિંમત છે, ઘણી કિંમત છે. આત્મહિત સાધી લે તો અહીંયાં ઢૂંકડું છે અને નહિતર દીવા પાછળ અંધારું છે. એવી મોટી ખીણ છે, કાંઈ ગોત્યું હાથ આવે એવું નથી, જડે એવું નથી. કાં ગયું ? વંટોળીયામાં તણખલું ક્યાં ગયું ? આ સંસારનો વંટોળ છે. Traffic જોઈએ છીએ કે નહિ ? કેવો જાય છે ? સાંજે બધા જતા હોય. સવારે આમ જતા હોય, સાંજે આમ જતા હોય. મોટા મોટા શહેરમાં. વંટોળે ચડેલી વાતો છે બધી. કયાં જાય કાંઈ પત્તો લાગે નહિ. પ્રશ્ન:- ઃ– મનુષ્યભવ ન મળે તો તિર્યંચમાં...
=
પૂજ્ય ભાઈશ્રી :– તિર્યંચગતિમાં. બહુ ભાગ કાળ તિર્યંચગતિમાં જાય. કારણ કે તિર્યંચગતિમાં પછી અસંશીપણું ચાલુ થઈ જાય છે. પછી તો અશક્તિ અશક્તિને વધારે. શક્તિ શક્તિને વધારે અને અશક્તિ અશક્તિને વધારે. સીધી વાત છે. એક માણસ ગરીબ થાય તો ગરીબ જ થતો જાય, પૈસાવાળો થતો હોય એ પૈસાવાળો જ થતો જાય. એનું કારણ શું ? કે અશક્તિ અશક્તિને વધારે છે. એમ પરિણામ હીણા થયા, બીજી ગતિમાં જાય એટલે ઔર હીણા થઈ જાય. ત્યાં એથી હીણા થઈ જાય. માણસ કહે, શું કરીએ ? ભાઈ ! પેટ ભરવા માટે પાપ કરીએ છીએ. ચકલાને એવું જ છે. દાણા નથી મળતા તો ઇયળ ખાય છે, જીવડા ખાય છે. આમ તો કાંઈ બહુ પાપી પ્રાણી ન દેખાય. આ કબુતર ભોળા પ્રાણી હોય. ભોળો કબુતર જેવો માણસ. ખાય જીવડા. માંસાહાર છે. દાણા ન મળે તો શું કરે ? પેટ ભરવા માટે માંસાહાર. પરિણામનો વિવેક કરવાની ત્યાં સંશી પંચેન્દ્રિય હોય તોપણ વિચારશક્તિ નથી રહેતી. મનુષ્યમાં જે વિચારશક્તિ છે એ વિચારશક્તિ તિર્યંચગતિમાં નથી રહેતી. સંશી હોય તોપણ. અસંશીને તો વિચારશક્તિ છે જ નહિ. એને તો વિચાર કરવાનું સાધન જ ટળી ગયું. એ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
ચજહૃદય ભાગ-૧૨ બધી વિરાધનાનું પરિણામ છે. એટલે અનંત કાળ કાઢે છે. એ પરિસ્થિતિ છે. હજારમાં એક-બેને મનુષ્યપણું મળે અને ૯૯૮-૯૯૯ને નહિ મળે એમ નથી. લાખોમાં કોકને મળે. બાકી બધા અધોગતિમાં જાય. અને એ તિર્યંચગતિનું પેટ બહુ મોટું છે. ત્યાં સંખ્યાનો પાર નથી. બેસુમાર, બીજે બધે ત્રણ ગતિમાં સંખ્યા ઓછી છે. આની સંખ્યાનો પાર નથી. મોટું પેટછે. ત્યાં વયા જાય.
એટલે ચેતવા જેવું છે. અને એમાં જેણે મનુષ્યપણાનું આયુષ્ય ઘણું ભોગવી લીધું એને વિશેષ ચેતવા જેવું છે. ૪૦ઉપર ગયા એને Red light આવી જાય છે. લાલબત્તી આવી ગઈ. ધીમો થા હવે વેગ તારો ઓછો કર. સંસાર બાજુનો વેગ ઓછો કર. કાંઈક પાછુ વાળીને જો. આત્મકલ્યાણ કરવા જેવું છે, સાધી લેવા જેવું છે. ચૂક્યો તો પત્તો લાગશે નહિ.
કેવી ચિંતા કરે છે, જુઓને ! “ઋષભદેવ ભગવાનને સ્મરણમાં રાખીને પોતાની ચિંતા કરે છે. પોતે “ઋષભદેવ ભગવાનના પુરુષાર્થનું સ્મરણ કરે છે. જો ક્યાંક ઉપયોગમાં ફેરફાર થઈ ગયો, અસ્થિરતા આવી ગઈ તો સ્થિરતા કોને ખબર પછી ક્યારે આવે ? પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે. કોઈ કોઈવાર ત્યાં સુધી ચિંતા થાય છે... એટલે શું છે? પોતાને એકદમ આગળ વધવું છે. જોર કરે છે, પુરુષાર્થ જોર કરે છે એમ બતાવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે....... પ્રવૃત્તિકર્મ નહિ પણ નિવૃત્તિકર્મ. કેમકે એ પણ કર્મોદય છે. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિના સંયોગ થાય,પ્રકાર થાય એ પણ એક કર્મનો ઉદય છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય....' પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ (લ્ય) એને ધર્મ નથી માનતા. એવા તો ઘણા નિવૃત્તિ લઈ લે છે. એક જાતનો ઉદય છે. પણ અમને આ પરિણામમાં ઉદય થવાનો આશય રહ્યા કરે છે, કે જેથી અમે નિવૃત્તિકાળે આત્મસાધનામાં વિશેષપણે આવિર્ભત થઈ શકીએ.
પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી.... આ વિચાર કરે છે ત્યારે વર્ષ-દોઢ વર્ષમાં તો કાંઈ થાય એવું દેખાતું નથી. અને પળ પળ જવી કઠણ પડે છે. વર્ષ-દોઢ વર્ષ તો આ દુકાન છૂટે એવું લાગતું નથી. “મુંબઈ બેઠા છે. ધંધામાંથી છૂટા થવું (છે). ભાગીદારોને સંકેત કરી દીધો છે. તમે બધા સંભાળતા થાવ અને સંભાળો. હું આમાં નહિ રહી શકું. ૨૮મે વર્ષે તો ઓલા લોકોએ ના પાડી છે, કે નહિ. આપના વગર તો અમે ચાલી શકીએ જ નહિ. આમાં અમારું કામ નહિ. તમારા
Page #100
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
૮૩
સિવાય કાંઈ થઈ જ ન શકે. તમને તો છોડવા જ નથી. તમારું નામ તો આમાંથી કાઢવાનું જ નથી. અને જે ધંધાનો પથારો છે, પોતાના હિસાબે જે કરેલો છે એ પણ મોટો વેપા૨ હતો. કેમકે ઝવેરાતમાં શું છે કોઈ ચીજ વેચાય તો તરત વેચાય. નહિતર કોઈ છ મહિને વેચાય, કોઈ બાર મહિને વેચાય, કોઈ એથી વધારે વર્ષે-બે વર્ષે વેચાય. એમાં નફો ઘણો હોય છે. પણ એને ગ્રાહક આવે ત્યારે ખપે એના જેવી ચીજ છે. એ વેચવા જાવ અને ખપે એવું નથી. અને વેચવા જાવ તો વેંચાઈ જાવ એના જેવું છે એ. એ પ્રકારનો એ ધંધો
છે.
‘એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી;...’ અને એક-દોઢ વર્ષમાં એક એક પળ જાવી મારે કઠણ છે. અહીં જુઓ કેવી વેદના થઈ છે હવે ! પળ પળ જવી. કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે.’ એટલે એક વર્ષમાં મહિનો-બે મહિના નિવૃત્તિ લેતા હતા. કદાચ ચાર-છ-આઠ મહિના નિવૃત્તિ લઈ શકાય એમ લાગે છે. પણ સાવ મૂકી દેવાશે કે છૂટી જશે એવું દેખાતું નથી. એટલે નિવૃત્તિ થોડી વધશે અને પ્રવૃત્તિનો ઉદય થોડો પરિક્ષીણ થશે એમ લાગે છે. આ પોતે અનુમાન કર્યું છે. પાછું ૨૯મા વર્ષે તો ઠીક-ઠીક પ્રમાણમાં નિવૃત્ત થયા છે. પછી ૩૦મા વર્ષે પણ લગભગ નિવૃત્ત જેવા છે.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે.’ પરિણામની અંદર આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. અને ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે.’ જુઓ ! ગયા વર્ષનો મોતીનો વ્યાપાર છે. એક વ્યાપાર શરૂ કરે તો એક-એક વર્ષ ચાલે. એ આમાંથી નીકળે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે.’ આ Paragraph માં તો થોડીક એમણે વ્યાવહારિક વાત કરી છે. કોઈ કોઈ પત્રમાં તો આથી (વધારે) વ્યાવહારિક વાત છે. એ કાપીને પણ પત્રો મૂકેલા છે. વિશેષ લઈશું....
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
ચય ભાગ૧૨
, તા. પ-૧૨- 0 પીક- ૫, ૫૮૭ ગીતા પ્રવચને ન. ર૦ર મત છે.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત.પત્ર-૫૮૬.પાનું-૪૫૯.ત્રીજા Paragraphથી.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. કેટલીક વ્યાવહારિક વાત કરી છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. વ્યાપાર વધે છે પણ નફો ઓછો છે એમ કહેવું છે. બમણો વેપાર હોવા છતાં નફો ઓછો છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે;” નફા સંબંધીની વાત કરી છે. ગયા વર્ષે વધારે નફો હશે, આ વખતે એટલો નથી પણ છતાં પણ ઠીક છે.
પણ...” હવે કહે છે “ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે...” વ્યાપાર સંબંધીના વિચારમાં ઘણો વખત બગડે છે. અને તે માટે શોચ થાય છે. આ મનુષ્ય આયુનો કિમતી સમય ક્ષુદ્ર પરમાણુઓ માટે કે સામાન્ય સંયોંગો માટે એના નિમિત્તે, એના અર્થે પસાર કરવો પડે છે એનો શોચ થાય છે. કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે. પરિગ્રહની ભાવના હોય, પરિગ્રહની ઇચ્છા હોય અને બળવાન ઇચ્છા હોય એના જેવી બહારની સ્થિતિ થાય છે. એ પરિણામો માટે અંદરમાં તો દુઃખ થાય છે. પણ છતાં પરિસ્થિતિ એવી છે કે જાણે ઘણો પરિગ્રહમેળવવો હોય અને પ્રયત્ન કરે, વ્યવસાય કરે, સમય બગાડે એવી રીતે અમારો સમય અત્યારે બગડે છે.
તે શમાવવું ઘટે છે. એટલે કે એ પરિસ્થિતિ મટે એવું કાંઈ કરવું જોઈએ. એમ લાગે છે. તે શમાવવું ઘટે છે, અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે અને કાંઈ જો કરશું નહિ તો આનું આ ચાલતું રહેશે એમ લાગ્યા કરે છે. માટે કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. આ પ્રકારનો ઉદય પૂરો થાય તો સારું. છૂટવા માગીએ છીએ
Page #102
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
૮૫
પણ છૂટી ન શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાંથી છૂટીએ તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે.’ વારંવાર એ વાત મનમાં ઊગ્યા કરે છે. સહેજે સહેજે એવા જ પરિણામ થાય છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછા થવાનું થાય તેવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં આવે તો લખશો...' મોતી, હીરા અને ઝવાહરનો વેપાર કરતા હતા એમ સાથે સાથે આ પાંચ વર્ષમાં Commission નું મુંબઈ’માં આડતનું કામ પણ ચાલુ કર્યું હતું. ‘મુંબઈ’ તો એક એવું પીઠું છે, એક બજાર છે કે માણસ કામ કરનાર જોઈએ અને પૈસાની વ્યવસ્થા હોય તો એક માણસ અનેક કામ કરે, કરી શકે છે. આ કામ પણ એમણે Commission agent તરીકે ચાલુ થયેલું. બીજાનો માલ આડતમાં વેચી રે અથવા બીજાને આડતમાં ખરીદીને મોકલે. બે રીતે એ કામ થાય છે. કોઈને મુંબઈ’માં માલ વેચવો હોય અને પોતાની Ofcિe ન હોય તો કોઈની મારફત વેચાવે એને Commission આપવું પડે. માલ મગાવવો હોય તો જેની મારફત મગાવે એને પણ આડત આપવી પડે. એ જાતનું કામ હતું.
તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો;...' પોતે એટલા વિચારક છે તોપણ એટલી સલાહ લે છે. આ તો હજી વ્યવહારિક પ્રસંગ છે પણ વ્યવહારમાંથી છૂટવા માટે એમાં ધાર્મિક સલાહ લે છે. ધાર્મિક પ્રસંગમાં .. એમ ને એમ નિર્ણય લે છે. કાંઈ હજી વિચારશક્તિનું ઠેકાણું ન હોય અને એમ ને અમ પોતે નિર્ણય લે. કેવી રીતે કામ થાય ?
ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો.’ અને હવે મળો ત્યારે પણ આ વિષયમાં વિચારતા આવજો અને રૂબરૂમાં કાંઈ વધારે વિશેષતાથી વાત કરો તો સારું. ‘આ વાત લક્ષમાં રાખશો.’ આ કામ તમને સોંપ્યું છે, ધ્યાનમાં રાખવા માટે છે. કહેવા ખાતર નથી, કાંઈ શિષ્ટાચાર ખાતર વાત નથી. ખરેખર ગંભીરતાથી એમણે એ વાત પૂછી છે.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે;...’ આ છેલ્લા ત્રણ વર્ષની એમની જે ચિત્તની સ્થિતિ છે એમાં એમ લાગે છે, કે કાંઈ પણ લખવું એમાં કંટાળો આવે છે. વ્યવહા૨ સંબંધી લખવું હોય તોપણ કંટાળો આવે છે, પરમાર્થ સંબંધી લખવું હોય તોપણ કંટાળો આવે છે. અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
રાજહૃદય ભાગ-૧૨ છોડી દેવાનું થાય છે. કલ્પિતનો અર્થ પોતે નીચે કરે છે કે કેવી રીતે હું એને કલ્પિત કહું છે. પરમાર્થ સંબંધી લખતા પણ કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. આવી રીતે ન લખવું જોઈએ, આ સ્થિતિમાં ન લખવું જોઈએ, આ પરિણામ ચાલતા હોય ત્યારે આ ન લખવું જોઈએ.
પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવતુ હોય... પરમાર્થમાં જ્યારે ચિત્ત એકાગ્રવત્ હોય એટલે પરમાર્થની ધારા સારી ચાલતી હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય....” કેમકે એ વખતે પરિણામ બરાબર એ વિષય ઉપર ધ્યાન આપે છે. તો તો બરાબર છે કે એ વિષયમાં કાંઈ લખીએ એ યોગ્ય છે. “પણ ચિત્ત અસ્થિરવતુ હોય...” બીજા બીજા વિકલ્પો ઊઠતા હોય અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય.” મેળ ખાતો નથી. ઉપયોગ જો બીજે વ્યવહારના કાર્યોમાં જાય અને પરમાર્થ સંબંધી એ વખતે લખવાનું કે કહેવાનું હોય ત્યારે એ જાણે કૃત્રિમતાથી કહેતા હોય એવું લાગે છે.
કેમકે “અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી.” ઉપયોગ તો લખે એટલે સામાન્ય જાય પણ જેવો જોઈએ એવો-યથાતથ્ય, લખતી વખતે જે પ્રકારે ઉપયોગ જોઈએ તે પ્રકારે ઉપયોગ નહિ હોવાથી. તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય. આ એક એમનું વચન છે એ ઘણું માર્મિક છે. એમાં પણ જે જીવો પરમાર્થ સંબંધી બીજાને લખતા હોય કે કહેતા હોય એને ઘણું આમાંથી શીખવાનું મળે એવું છે. વિચારવા જેવો વિષય છે. શું કહે છે?જુઓ!
પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો...” યથાતથ્ય તેનો ઉપયોગ હોવો જોઈએ, એમ કહે છે. એટલે પરમાર્થ સંબંધી વાત કરવી હોય ત્યારે પારમાર્થિક વિષય એવું જે પોતાનું સ્વરૂપ અથવા પોતાના તરફ, સ્વરૂપ તરફ જવાનો જે પરિણામનો ઝોક એ બરાબર હોવો જોઈએ એમ કહે છે. એવો કોઈ પ્રયાસ હોય અને એ વાત થવી જોઈએ. જ્યારે હું એ વાત કરું ત્યારે એ ભાવનો મારામાં આવિર્ભાવ હોવો જોઈએ તો એ વાત કરવાનો મને અધિકાર છે. મને બીજા ભાવનો આવિર્ભાવ હોય અને વાત હું આ કરું તો એ વાત યથાતથ્ય ઉપયોગ નથી થતી શું કહે છે?
માણસ ગમે ત્યારે વક્તા થઈ જાય એ આ વિષયમાં ચાલે એવું નથી. ધારણા થઈ ગઈ, બોલતા પણ આવડે છે માટે વક્તા થઈ જાય એવું નથી આમાં નુકસાન થાય. આ તો જ્ઞાની છે તોપણ (આમ કહે છે. એક તો પરિણતિની ધારા તો અંદરમાં ચાલતી હોય છે. (છતાં) ઉપયોગની સ્થિતિ યથાતથ્ય જોઈએ એમ કહે છે. ભલે પરિણતિની ધારા
Page #104
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
८७
ચાલતી હોય, ઉપયોગની સ્થિતિ યથાતથ્ય આવે અને આ વિષય બરાબર લખવાનો કે કહેવાનો હોવો જોઈએ. જો લખતી વખતે, કહેતી વખતે એ (ઉપયોગ) યથાતથ્ય ન હોય તો એ લખવું કે કહેવું યોગ્ય નથી. છોડી દઈએ છીએ. લખવાનું વારંવાર છોડી દેવાનું થાય છે. એને પોતાને એમ થાય છે (કે) આ સ્થિતિમાં મારે આ વાત નહિ લખવી જોઈએ. લખતા હોય તો લખવાનું છોડી દે. કોઈને પત્ર લખતા હોય તો પત્ર લખવાનું છોડી દે.
મુમુક્ષુ :– Diary માં પણ નોંધ ન કરવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– Diary માં તો સામાન્ય રીતે એવો આવિર્ભાવ થાય ત્યારે જ માણસ એ પ્રવૃત્તિ કરે. પોતાની Diary કોઈ લખે તો તો એને ભાવ વિશેષ આવે ત્યારે જ લખવાનું બને. એ પહેલા લખવાનો લગભગપ્રસંગ નથી હોતો. કેમકે એ તો ચાહીને પોતાને પોતાના ચિંતન માટે કે એવી રીતે વાત આવે છે. એવી કોઈ Importance ભાસે છે, કોઈ વાતની મુખ્યતા, વિશેષતા કોઈ મુદ્દા ઉપર ભાસે છે ત્યારે એ બને છે. મુમુક્ષુ :- મુમુક્ષુ માટે.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને કે જ્ઞાનીને પણ સામાન્ય રીતે એ ભાવમાં વિશેષ પોતાને રસ આવે ત્યારે એ પ્રવૃત્તિ કરે. એ તો ઠીક છે પણ બીજાને કહેવામાં માણસ ગમે ત્યારે કહી દે છે કે લખી દે છે. પોતાને તો રસ આવે ત્યારે પોતાની વાત રસવાળી વાત છે. સ્વયંને રસ લેવા માટે એ વાત છે. એવું કયારે લખે ? કે પોતાને એ વિષયનો રસ જાગૃત થાય ત્યારે. શા માટે લખે ? કે ફરીને એવો રસ લેવા માટે. કેમકે સ્મૃતિવિસ્મૃતિનો વિષય છે. અનેક વાતો સ્મરણમાં આવે, અનેક વાતો વિસ્મરણ થાય છે. ક્ષયોપશમ જ્ઞાન જ પાંગળું છે, મતિશ્રુત પોતે ઘણું પાંગળુ છે. જો નોંધ કરવી હોય તો એ વધારે રસ લેવા માટેનો કોઈ હેતુ તો પોતાને આત્માર્થનો એની અંદર હોય. અને હોય છે માટે લખે છે. મુમુક્ષુ લખે કે શાની લખે. પણ બીજાને જ્યારે લખવાનું થાય ત્યારે પણ એવો રસ હોય. એ વિષયના રસવાળો ઉપયોગ હોય ત્યારે લખવું કે કહેવું. નહિતર ઉદીરણા કરીને કહેવાનું થાય છે. પરાણે જાણે વાત, ૨સ બીજે છે અને આ વાત કરવાનું થાય છે. એ પ્રવૃત્તિ યોગ્ય નથી. એટલે એ પોતે એ પ્રવૃત્તિ એવી રીતે જો શરૂ થાય તો છોડી દે છે. અત્યારે નહિ. કેવો ન્યાય કાઢ્યો છે ! ઝીણી ઝીણી વાતમાંથી પોતે કેવો ન્યાય કાઢ્યો છે ! સામાન્ય લખવાની પ્રવૃત્તિ, કઈ પરિસ્થિતિમાં લખવું જોઈએ. એનો ન્યાય કાઢ્યો છે.
મુમુક્ષુ :– એટલે પરિણતિ તો યથાતથ્ય છે જ.
Page #105
--------------------------------------------------------------------------
________________
८८
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– છે જ. ઉપયોગ યથાતથ્ય નથી. મુમુક્ષુ :– યથાતથ્યમાં તો નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. એ નહિ. લખવા માટેનો જે વિષય હોય, એ વિષયની અંદર બરાબર એ ભાવનો આવિર્ભાવ થાય, રસ આવે અને એ વાત લખાવી જોઈએ. કહેતી વખતે કેવી રીતે નિર્વિકલ્પ થવાય ? લખતી વખતે કેવી રીતે નિર્વિકલ્પ થવાય ? એ તો પ્રશ્ન જ નથી. નિર્વિકલ્પ થવાનો પ્રશ્ન જ નથી ત્યાં તો. કેમકે એ બંને તો સવિકલ્પ દશાની જ પ્રવૃત્તિ છે. પણ છતાં યથાતથ્ય ઉપયોગ જોઈએ એટલે શું ? જે વિષયની વાત કરે છે એ વિષય સંબંધિત કોઈ વીર્યનું ઉત્થાન જોઈએ, એ બાજુનો પ્રયાસ જોઈએ, પ્રયત્ન જોઈએ, આવિર્ભાવ થવાનો કોઈ રસવાળો પ્રકાર જોઈએ ત્યારે એને યથાતથ્ય કહેવામાં આવે છે. નહિતર યથાતથ્ય નથી.
આગળ એક જગ્યાએ આવશે, કે આત્મજ્ઞાન થયા પહેલા કોઈને શાસ્ત્રવાંચન કરવાનો ઉદય હોય, પ્રસંગ હોય. કેમકે એ ઉદયભાવ છે અને ઉદય પણ એવો હોય છે કે પાંચ, પંદર જે કોઈ સાથે સત્સંગ કરનારા હોય તો કહે, તમે કાંઈક કહો, તમે કાંઈક સમજાવો, તમે વાંચો. આપણે વિચારીએ. તમે વાંચો અને આપણે વિચારીએ. વાંચો તમે. તો અપરિણામે રહીને એણે એ પ્રકારમાં ન આવવું. એવો શબ્દ વાપર્યો છે. કેમકે એ થોડો ઉપદેશક જેવો દેખાવ થઈ જાય છે. એક જણો બોલે, બીજા સાંભળે એટલે એક ઉપદેશક જેવો એક બહારનો ... થઈ જાય છે. ખરેખર ઉપદેશકનો પ્રકાર આત્મજ્ઞાન પહેલાનો તો સ્વપ્ને વિચારવા જેવો નથી. પણ છતાં બહારમાં તો એમ જ લાગે કે આનો ઉપદેશ બધા સાંભળે છે. ઝાઝું તો એ જ બોલે છે. ભલે બીજા બોલતા હોય પણ ઝાઝું તો એ બોલે છે. વાંચી સંભળાવે તો એ વાંચી સંભળાવે છે.
કહે છે, અપરિણામી રહીને એવી પ્રવૃત્તિ ન કરવી. શું કહ્યું ? બહુ લાઈનદોરી આપી છે. માર્ગદર્શન ઘણું આપ્યું છે. અપરિણામી રહીને એટલે શું ? કે જે વિષય ચાલતો હોય એ વિષય ઉપર જીવના પરિણામની અંદર કાંઈક પણ એ વિષયનો રસ આવવો જોઈએ. એ વિષયમાં જે ભાવો હોય એ ભાવો ૨સથી આવિર્ભાવ થવા જોઈએ અને કાંઈક એ વિષયક પ્રયાસ અને પ્રયત્ન ચાલવો જોઈએ.
મુમુક્ષુ ઃ–વિકલ્પ
=
પૂજ્ય ભાઈશ્રી :– સવિકલ્પ દશામાં. તો તે પ્રવૃત્તિ યથાર્થ છે. સ્વપર હિતકારી છે. જો પાતાને ૨સ બીજો હોય અને વાત બીજા રસની અંદર ચાલતી હોય (તો) પોતાને નુકસાન કરશે અને બીજાને પણ નુકસાન કરશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
૮૯ મુમુક્ષુ – ઉદાહરણ તરીકે એમ લઈએ કે આત્મા સુખકંદછે એવો શબ્દ હોય તો એના રસનો આવિર્ભાવ અત્યારે થાય કે એનું ભાવભાસન થાય?
પૂજ્ય ભાઈશ્રી - ભાવભાસન ન થાય તો એ સંબંધીના પ્રયોગનો પણ કંઈક પ્રકાર હોવો જોઈએ. આમાં પગથિયું શું છે? કાં તો પરિણતિ હોય તો પ્રત્યક્ષ વસ્તુ છે, જ્ઞાનદશા હોય તો આત્મા પ્રત્યક્ષ છે. એ પહેલા ભાવભાસન હોય તો આત્મા લક્ષમાં છે. હવે એ પહેલા (શું) ? તો કહે છે, ભાવભાસન થવા અર્થે શું છે? તો કહે છે, પ્રયોગ છે. તો એને એ વખતે પ્રયોગમાં આવવું જોઈએ. વસ્તુ તો વ્યવસ્થિત છે. કોઈ વાત અવ્યવસ્થિત નથી. એ વખતે એનો પ્રયોગ ચાલવો જોઈએ.
પ્રયોગ ચાલવો જોઈએ એટલે શું ? કે જે વિષય છે એ વિષયની સમજણ છે એણે પોતે વર્તમાનમાં એ સમજણને પરિણામ ઉપર ચાલતા પરિણામ ઉપર લાગુ કરે છે. અને તે અવલોકવું એક પ્રયોગ છે. દુઃખને દુઃખભાવ તરીકે અવલોકે. જે-તે પરિણામને જે-તે પરિણામ તરીકે અવલોકે. જેને જેમ છે એમ અવલોકવું છે. કોઈ વિષય તો ચાલે છે કે નહિ? તો એ સંબંધીના પરિણામ ચાલે છે કે નહિ ? વિકલ્પ છે તો. એવી રીતે એ ચાલવું જોઈએ.
જો યથાતથ્યપણે ન ચાલે તો જ્ઞાની પોતે એમ કહે છે કે આ કૃત્રિમ રીતે, કલ્પિત રીતે ચાલે છે. બે શબ્દ વાપર્યા છે. તેમાં ઉપયોગ નહિ હોવાથી, એ વિષયનો ઉપયોગ નહિ હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું નહિ. આત્મબુદ્ધિએ લખ્યું નથી. એ વખતે આત્મબુદ્ધિએ નથી લખાણું એમ કહે છે. જુઓ ! તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહિ હોવાથી કલ્પિતરૂપ કહેવાય.” આ અમારે કલ્પિત કહેવાનું કારણ છે. નહિતર એ કાંઈ વિષય કલ્પિત નથી ઊભો કરતા. લખે છે તો કોઈ કલ્પનાથી વાત કરીને સામા પાસે મુકતા નથી. પણ છતાં એને પોતે કલ્પિત કહે છે એ પોતાના પરિણામની અપેક્ષાએ કલ્પિત કહે છે. વિષય નિરુપણ અપેક્ષાએ કલ્પિત નથી. જ્ઞાન તો સમ્યજ્ઞાન છે જ્ઞાનીને. નહિતર અહીંયાં પ્રશ્ન થવા યોગ્ય છે, કે સમ્યજ્ઞાનમાં કલ્પિત કેવી રીતે લખાય કે કહેવાય? સમ્યજ્ઞાન વર્તતું હોય તો એ સમ્યજ્ઞાનીને કલ્પિત કેવી રીતે કહેવાય કે વર્તાય? એનું તો જ્ઞાન પદાર્થજ્ઞાન સ્પષ્ટ છે એની પાસે. સ્વ-પરની ભિન્નતા છે. પદાર્થ જેવો છે એવો જાણે છે. કલ્પના તો કરતા નથી. સમ્યજ્ઞાનમાં કલ્પના થતી નથી. તો કેવી રીતે કલ્પિત કહ્યું કહેવાય? એ ખુલાસો કર્યો છે. બહુ સારી વાત આવી છે.
મુમુક્ષુ:–ભાવને સાથે લઈને આ શબ્દનીકળે? પૂજ્ય ભાઈશ્રી – હા. ભાવ સાથે નીકળે, ભાવપૂર્વક નીકળે. અને તો જ સામાને
Page #107
--------------------------------------------------------------------------
________________
02
રાજહૃદય ભાગ-૧૨ ૨સ ઊપજે. જો વક્તાનો રસ ન હોય કે લખનારનો રસ ન હોય તો સામે નિમિત્તનૈમિત્તિકપણે પેલાને પણ રસ નથી ઊપજવાનો.
‘સોગાનીજી’એ લખ્યું, કે ધારણાથી તું બોલે છો તો હમકો તેરી બોલી કાગપક્ષી જૈસી લગતી હૈ. શું લખે છે ? ભલે તું આત્માની વાત કરતો હોય પણ કાગડો બોલતો હોય અને કેવું કઠોર લાગે ? એવું અમને લુખ્ખું લાગે છે. લુખ્ખી વાત છે એ આમાં ચાલે એવું નથી. એ પોતાને પણ અનુકૂળ નથી અને સામાને પણ અનુકૂળ નથી. બંનેને પ્રતિકૂળ પડે એવી પ્રવૃત્તિ થાય છે.
મુમુક્ષુ :– ધર્માત્માઓની આવી પરિસ્થિતિ વર્તે છે એટલે એની વાણી બીજાના હિતમાં નિમિત્ત પડે છે.
?
પૂજ્ય ભાઈશ્રી :– નિમિત્તે પડે છે એનું કારણ આ છે. ધર્માત્માની વાણી બીજાને નિમિત્ત પડે છે એનું એ કા૨ણ છે. એમનો રસ છે એ વખતે. ‘ગુરુદેવ’ના પ્રવચનનો પ્રત્યક્ષ અનુભવ છે કે નહિ ? કેટલા રસથી, આત્મરસથી વિભોર થઈને જે પ્રવચનો આવતા તો સાંભળનારને પણ એ રસનો ઉત્પાદક થતા. એક કલાક તો એમાં એ ૨સની અંદર તરબોળ થઈ જાય. જો પોતે ધ્યાનથી સાંભળે, લક્ષપૂર્વક સાંભળે તો સામે રસ ઊપજે જ. એ કુદરતી વિષય છે.
મુમુક્ષુ :– એવી રીતે મુમુક્ષુ વક્તામાં લીધી છે એવી રીતે પ્રશ્નમાં પણ આવી વાત આવી જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– એ તો કહ્યું કહેવું કે લખવું. બેય પ્રવૃત્તિની અંદર. કહેવું હોય કે લખવું હોય તો આ વિષયમાં યથાતથ્ય ઉપયોગ હોવો જોઈએ. યથાતથ્ય ઉપયોગ વિના એ પ્રવૃત્તિ ઘટતી નથી, એમ કહેવા માગે છે.
મુમુક્ષુઃ–પ્રશ્ન પૂછવામાં પણ આવી પરિસ્થિતિ (હોવી જોઈએ) ?
—
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન પૂછનારને તો માનો કે એની સ્થિતિ ઉપર આધાર છે. એ તો કોઈ અજાણ્યો હોય, કોઈ જિજ્ઞાસાથી પૂછે. પ્રશ્ન પૂછનારનો મુખ્ય વિષય જિજ્ઞાસાનો છે. એ પોતે જિજ્ઞાસામાં હોવો જોઈએ. વગર જિજ્ઞાસાએ ઉડાઉડ કરવાની વાત નહિ હોવી જોઈએ કે ખાલી ગમે તે તર્ક લડાવે, કુતર્ક લડાવે એવું નહિ હોવું જોઈએ.
મુમુક્ષુ :–પ્રશ્ન પૂછનારે સમજવા માટે, પોતાને સમજવા માટે...
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની જિજ્ઞાસા માટે એણે પૂછવું જોઈએ. પોતાના હિત માટે એણે પૂછવું જોઈએ. હિતબુદ્ધિ રાખીને પૂછવું જોઈએ. એટલો નિયમ એણે રાખવો જોઈએ.
Page #108
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬
૯૧
મુમુક્ષુ :– મુમુક્ષુ હોય પણ જેને હજી અવલોકન તરફ પ્રગતિ શરૂ નથી થઈ, એવા જીવે તો આવી બાબતમાં .. નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– કાંઈક તો યોગ્યતા માગે છે, કાંઈક યોગ્યતા તો હોવી જોઈએ. યોગ્યતા વગર તો પોતાને નુકસાન થાય, બીજાને પણ નુકસાન થાય. કાંઈક યોગ્યતા વિશેષ હોય એવું તો હોવું જોઈએ. Quality ઉપ૨ ઘણું વજન હોવું જોઈએ. હાથમાં એ કામ છે એટલે થોડું એ બાબતમાં વિચારીએ છીએ અને વજન પણ એ બાજુ જ છે. પહેલેથી જ. આજથી નહિ. ‘ગુરુદેવ’ના વખતમાં જ્યારે બધા સાથે કામ કરતા ત્યારે આ વાત તો વારંવા૨ ક૨તા. વાંચનકારોની સંખ્યા વધારવા ઉપર આપણે ધ્યાન નથી. દેવું. એટલે કે જથ્થો-Quantity નથી વધારવી, Quality ઉપ૨ ધ્યાન દેવું છે. એટલે તો વર્ષમાં બે વખત જયપુર' જતા હતા. ત્યાં છોકરાઓ તૈયાર થાય છે. બે વખત જવાનું બંધન હતું. પંદર-પંદર દિવસ બે વખત જવું. અધ્યાત્મનો વિષય ખાસ લેવો. યોગ્યતા ઉપર તો મુખ્ય વાત છે આની. નહિતર શું છે કે શીખી જાય, માણસ બોલતો થઈ જાય, પણ યોગ્યતા ન હોય તો બીજી ગડબડ ઊભી થયા વગર રહે નહિ. સમાજ તો ઊંચા આસને બેસાડે, માન આપે, આભાર-વિધિ કરે. કોઈ માનપત્ર આપે, કોઈ હાર પહેરાવે, કાંઈક કરે. સ્વાગત કરે, ફલાણું કરે, ઢીકણું કરે. કાંઈક ધમાલ થાય છે એમાં તો. બહુ સાવધાન રહેવાનો વિષય છે. એકદમ જાગૃતિ હોય તોપણ એને નિષેધ તો આવવો જ જોઈએ કે આવું કાંઈ હોવું જોઈએ નહિ.
મુમુક્ષુ ઃ– જ્ઞાની આવી સ્થિતિમાં આને કલ્પિત કહે તો મુમુક્ષુને તો શું કહેવું.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને તો બીજાને લખવા, કહેવાનો પહેલા તો અધિકાર છે કે કેમ ? એ સવાલ છે. પોતાને, બીજાને લખવાની, કહેવાની યોગ્યતા છે કે કેમ ? એક વાત. અને યોગ્યતા હોય તો તત્ સંબંધીત કાંઈ પ્રયાસપૂર્વક લખાય છે કે કહેવાય છે કે કેમ ? આ બે વાત બરાબર એમાં જાગૃતિમાં રહીને પ્રવૃત્તિ થવી જોઈએ. નહિતર જ્ઞાની પોતે લખવાનું છોડી દે છે. યથાતથ્ય ઉપયોગ ન હોય તો એ પોતે કહે છે કે હું છોડી દઉં
છું.
‘લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે.’ છોડી દઉં છું. અડધું છોડી દઉં છું. આ સ્થિતિમાં નથી લખવું. ભલે અધૂરું લખેલું પડ્યું રહે. પોતાનું આચરણ જીવંત દૃષ્ટાંત છે ને ?
મુમુક્ષુ :- મુમુક્ષુ પણ કોઈને લખે તો પોતાનો રાગ૨સ ઘૂંટાય, જે વિષયનો, જે શરી૨નો, જે વાતનો ૨સ અંદ૨ છે, આત્મરસ તો પ્રયાસ વગર...
Page #109
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨ - પૂજ્ય ભાઈશ્રી :- પરમાર્થરસ ઘૂંટાવો જોઈએ. આત્મકલ્યાણ થાય એ પ્રકારનો રસ હોવો જોઈએ. એમાં નહિતર ભૂલ કરે છે. રાગની તીવ્રતા થાય અને માને કે મને બહુ ભાવનાની તીવ્રતા થઈ, મને બહુ રસ આવ્યો. એમાં એકલો રાગ રગડાતો હોય. એ ભેદ તો બહુ સૂક્ષ્મ છે. એ ભેદ છાંટવો બહુ સૂક્ષ્મ છે. કોઈ એક વિષય પસંદ કરી લે કે અમને આ વિષય ઉપર બહુ રસ આવે છે. તને એ વિષયમાં રસ આવે છે? ગાથા પસંદ કરે, વિષય પસંદ કરે. રસ આવે છે કે રાગ આવે છે ? રાગ વધે છે કે પારમાર્થિક વિષયનો રસ વધે છે? આ બે વચ્ચે તફાવત પાડવાનું તારી પાસે શું સાધન છે ? એને કાંઈ ખબર પણ હોતી નથી કે આમાં બે પ્રકાર પડે છે. અને એમને એમ ચાલતું હોય છે. બહુવિષય ઘણો ગંભીર છે.
મુમુક્ષુ -મહાપુરુષોએ ઘણી કૃપા કરી. પૂજ્ય ભાઈશ્રી:- હા. બચાવ્યા છે, જીવોને બચાવ્યા છે.
મુમુક્ષુ –નીચેથી પાંચમી લીટી-પરમાર્થમાં ચિત્ત જેવખતે એકાગ્ર હોય એટલે જે આપે આ કીધું કે ભાવ આવિર્ભાવ હોય ત્યારે ?
પૂજ્ય ભાઈશ્રી – હા. પારમાર્થિક સંબંધી ઉપયોગ વિશેષ આવિર્ભૂત થયો હોય, એ પરિસ્થિતિમાં એ વાતનું નિરૂપણ કરવું યોગ્ય છે.
મુમુક્ષુ –ત્યારે યથાર્થ છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ યથાતથ્ય ઉપયોગ છે. બીજા બીજા વિચારો ચાલતા હોય અને ધારણાને હિસાબે કે ખ્યાલ હોય એટલે લખી નાખે કે કહી નાખે એ પ્રકારમાં એ પ્રવૃત્તિ જ કરવી ઘટતી નથી એમ એનું કહેવું છે. અને છતાં કરાય તો એ કલ્પિત સમજવી. ક્યા ખાતામાં વાતને ખતવી નાખી? કલ્પિતના ખાતામાં ખતવી. | મુમુક્ષુ -એકાગ્ર શબ્દનહિ કહીને એકાગ્રવત્ કહીને...કેટલી ગંભીરતા શબ્દમાં ભરી છે!
પૂજ્ય ભાઈશ્રી – એકાગ્ર હોય તો તો નિર્વિકલ્પ થઈ જાય. એકાગ્રવત્ એટલે આવિર્ભત થાય, એ બાજુનું ખેંચાણ થાય, એ બાજુનો કોઈ પ્રવાહ ઉત્પન્ન થાય, એમાંથી કોઈ વર્ષોલ્લાસ આવે,વિશેષે કરીને કોઈ પ્રયાસ ચાલે, એ બધો પ્રકાર છે.
મુમુક્ષુ-કેવા ઊંડા સિદ્ધાંત!
પૂજ્ય ભાઈશ્રી -એક લૌકિક કાયદો લડે છે તો સત્તર જાતની આંટીઘૂંટી હોય છે. લૌકિક વિષય સ્થૂળ ઉપયોગનો છે કે બીજું કાંઈ છે ? કે ભાઈ ! આ Technical subject છે. આમાં સત્તર જાતની આંટીઘૂંટી થાય. ત્યારે આ તો આત્માને અનંત
Page #110
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬ કાળથી છૂટ્યો નથી એને છોડાવવાની આ તો Technique છે. એમ ને એમ જો સાવ જાડું હોત તો તો ઘણાએ પકડી લીધો હોત અને પામી ગયા હોત. પણ પોતે અનંત કાળથી નથી પામ્યો તો વાત તો કોઈ ગૂઢ છે અને રહસ્યભૂત છે, ગંભીર છે એ તો સમજવું ઘટે છે.
મુમુક્ષુ – પોતાના છોકરા પરિવારના સભ્યોને, સગા-સંબંધીઓને બધાને વાત કરવાનો સંકોચ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી-લોટમાં ઘી નાખો તો કામનું કે રેતીમાં નાખો તો કામનું? ધૂળ આમને આમ પડી હોય ને ઘી ઢોળે તો શું કરે ? એક કિમતી ચીજ વાપરવાની છે તો એના સ્થાને તો હોવી જોઈએ કે નહિ? ધૂળની અંદર ઢોળી નાખે. ઘી પણ ગયું અને એ ધૂડેય ગઈ. શું કરશે એને ? એના જેવું થાય. એની કોઈ કિંમત છે કે નહિ? એટલે તો ગમે ત્યારે એવી વાત..
એ પોતે લખે છે, કે તત્ત્વની જે એકદમ ઊંચી વાત છે, અધ્યાત્મ તત્ત્વની ઊંચી વાત છે એ જ્યાં ત્યાં કરવી નહિ, જેમ તેમ કરવી નહિ. વાંચન કરતા ચિંતન વધારે રાખવું. અને એની કિંમત ઓછી થઈ જાય એવી રીતે કરવી નહિ. વાત વાતમાં મશ્કરીમશ્કરીમાં અધ્યાત્મના, શાસ્ત્રના ન્યાયો બોલી નાખે, કહી નાખે. કેમકે ભણતર એ જાતનું હોય તો એ વિષયની ગંભીરતા છૂટી જાય છે. એ વિષય સંબંધી કાંઈ આત્માને બોધ મળવો એ પરિસ્થિતિ બિલકુલ રહે નહિ. ઊલટાનું નુકસાન થાય.
જેથી તથા તેવાં બીજાં કારણોથી.” એ કારણથી અને એવા અનુરૂપ બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. એ પ્રવૃત્તિ જ કુદરતી ઓછી થઈ ગઈ છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે,... આ જે ચર્ચા કરી એમાં પ્રશ્ન થવા યોગ્ય છે. આ વાતમાં પ્રશ્ન થશે કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે ?' શા માટે ઉપયોગ અસ્થિર થવો જોઈએ ? કારણ શું છે? જુઓ ! પોતાના પરિણામની નિઃસંકોચપણે ચર્ચા કરે છે. “સોભાગભાઈ છે ને? એની સાથે તો મન ખોલે છે. પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવતુ થવાનું કારણ કંઈ પણ જોઈએ.” કાંઈક કારણ હોય તો ચિત્ત અસ્થિર થાય. નહિતર એ તો બહુ મહાન વિષય છે. એમાં તો ચિત્ત એકાગ્ર થવું જોઈએ અને થાય. આમાં કેમ અસ્થિરતા આવે છે ? એનું કારણ પણ કાંઈક હોવું તો જોઈએ જ. ન્યાયની વાત છે. કારણ વગર કાર્યની નિષ્પત્તિ નથી.
જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને.... જો પરમાર્થ સંશયનો
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
રાજહૃદય ભાગ-૧૨ હેતુ લાગ્યો હોય એટલે જે પરમાર્થ છે એમાં શંકા પડી ગઈ હોય તો અસ્થિરતા થાય. એક કારણ તો એ છે. અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય.” અને તે એવો બળવાન પ્રારબ્ધના ઉદયની અંદર પ્રસંગ ઊભો થઈ ગયો હોય તો એ વખતે એની અંદર ઉપયોગ વિશેષ કરીને ચાલ્યો હોય તોપણ એમ બને, બનવાજોગ છે. કે જેથી આત્મવીર્ય એ વખતે મંદ થાય. જુઓ! વીર્ય સાથે સંબંધ લીધો. પુરુષાર્થ સાથે.
આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે? આ બે કારણોથી. કાં તો પરમાર્થના વિચારમાં પણ અસ્થિરતા આવે, કહેવામાં પણ આવે અથવા લખવામાં પણ આવે. ત્રણેમાં વિચાર તો સામાન્ય જ છે. લખવા, કહેવાની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ વિચાર હોય અને લખવા, કહેવાની પ્રવૃત્તિ વખતે તો વિચાર હોય જ. ‘આત્મવીર્યમંદથવારૂપતીવ્ર પ્રારબ્ધોદય હોવાથી... આત્મવીર્યમંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આત્મવીર્ય મંદ થાય એવો તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી.
મુમુક્ષુ –એટલે પ્રવૃત્તિમાં પછડાટ ખાધી?
પૂજ્ય ભાઈશ્રી:-પ્રવૃત્તિમાં વિશેષ ઉપયોગ વયો જાય છે. એવો પ્રકાર ઉદયનો ચાલે છે અને પોતાના પરિણામનો પણ ચાલે છે.
મુમુક્ષ :- એટલે જે હદે અહીંયાં રહેવું જોઈએ... જે હદે જ્ઞાનધારામાં રહેવું જોઈએ...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. જ્ઞાનધારા તો (ચાલે જ છે). ઉપયોગમાં ફેરફાર છે. ઉપયોગમાં રસ છે. ઉદય અનુસાર રસ આવે છે. જ્ઞાનીને શુભાશુભ ઉદય હોય છે અને શુભાશુભ રસ પણ હોય છે. એમાં તારતમ્ય ભેદ હોય છે. અને એમાં જે પારમાર્થિક વિચારમાં, લખવામાં કે કહેવામાં તારતમ્યતા હોવી જોઈએ એ તારતમ્યતાથી ન્યૂનપણું આવે ત્યારે એ પ્રવૃત્તિ ન થવી જોઈએ, એમ કહેવું છે. તારતમ્યતાનો અહીંયાં સવાલ છે.
મુમુક્ષુ-ચિત્ત અસ્થિરવત્ એટલે તારતમ્યતા....?
પૂજ્ય ભાઈશ્રી – હા. તારતમ્યતાનું ફેર છે. સ્થિરતા-અસ્થિરતા એ ચારિત્રનું માપ છે અને તારતમ્યતામાં જાય છે.
આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં.... પાછું એમ છે કે એકલું ઉદયમાં જઈએ છીએ એમ નથી. પાછો એ હેતુને વળવાનો, અસ્થિરતા ટાળવાનો અમારો પુરુષાર્થ પાછો સામે છે. ઉપયોગ એકાંતે જાય
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૫
પત્રાંક-૫૮૬ છે એ તો પ્રશ્ન નથી. એની વિરુદ્ધનો પુરુષાર્થ હોવા છતાં કાળક્ષેપ થયા કરે છે. એ હેતુ ટળતો નથી ને એમ ને એમ લંબાય છે. ઉદય લંબાય છે, પ્રવૃત્તિ લંબાય છે, એના પરિણામો પણ લંબાય છે. પુરુષાર્થ હોવા છતાં પણ લંબાય છે. ઉદયનું આટલું જોર છે એમ કહે છે.
“અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને એવો તીવ્ર ઉદય હોય છે ત્યારે એવી અસ્થિરતા ટળવી કઠણ પડે છે. અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે. મારું ચિત્ત, પરમાર્થ સ્વરૂપ ચિત્ત ઉપયોગ રંગાય જાય એમાં તો એ લખવામાં માનીએ છીએ. અસ્થિરવત્ ચિત્ત હોય ત્યારે આ પ્રવૃત્તિ કરવામાં મારી ઇચ્છા થતી નથી. અમને એ કલ્પિત જેવું લાગે છે. અહીંયાં કલ્પિત શબ્દનો ફરીને પ્રયોગ કર્યો. ‘તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. ક્યારેક ક્યારેક કોઈ કોઈ પ્રસંગમાં આત્મસ્થિરતા વિશેષ પણ રહે છે. બહુ ઝીણા પરિણામ કેટલા પરિણામને વ્યક્ત કર્યા છે ! સૂક્ષ્મ પરિણામને પણ કેટલા વ્યક્ત કિરીને ભાષામાં, પત્રમાં ઉતાર્યા છે. આ પત્ર દ્વારા એમનો સોભાગભાઈ સાથે સત્સંગ ચાલે છે. લ્યો! રૂબરૂ મળવાનો એટલો યોગ નથી તો પત્ર દ્વારા એ પોતાના પરિણામનું નિવેદન કરે છે. એ રીતે અરસપરસ સત્સંગ કરે છે. બે વચ્ચે કેટલો સંબંધ છે!
વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત વ્યવહાર સંબંધી કાંઈપણ લખવાનું આવે તો તે અસારભૂત “અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી.' સાવ નકામો અને સાવ ભ્રાંતિગંત લાગે છે. કેમકે કોઈ કોઈનું કાર્ય કરી શકે એવી પરિસ્થિતિ જ નથી, પ્રત્યક્ષપણે નથી. અમને કોઈ નુકસાન કરે કે અમે કોઈને લાભ કરીએ એ વાત તો ભ્રાંતિગત છે, સાક્ષાત્ શ્રાંતિગત છે. “સાક્ષાત્ બ્રાંતિરૂપ લાગવાથી સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે. સાવ નકામું છે અને ભ્રાંતિગત સ્થિતિ છે એમાં શું લખવું? શું કહેવું? એ તો સાવ તુચ્છ લાગે છે. “આત્માને વિકળતાનો હેતુ છે....... અને છતાં ઉપયોગ એમાં નાખે તો આકુળતા થવાની છે, વિકળતા થવાની છે.
“અને જે કંઈ લખવું કહેવું છે તેમ કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, કેમકે બનવાનું છે તે બનવાનું છે. કહેવાની જરૂર લાગે કે અહીંયાં જરા સંભાળજો. રૂપિયા
જ્યારે Bank માં ભરવા જાવ છો તો જરા સંભાળીને જજો. “મુંબઈ શહેર છે. ન કીધું હોય તો ચાલે. કીધું હોય તો જ કાંઈ સાવધાની રહે એવું નથી. ન કીધું હોય તોપણ ચાલે. જનાર માણસ એટલું તો સમજતો જ હોય છે. એક દષ્ટાંત તરીકે. “ન કહ્યું હોય તોપણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
ચજહૃદય ભાગ-૧૨ છે.” એટલે ન કહેવાની જરૂર હોય ત્યાં સુધી તો ન કહેવાનું થાય તે જ યોગ્ય છે, ન બોલવાનું થાય તે જ યોગ્ય છે. વ્યવહારની અંદર તો બોલવાની, કહેવાની પ્રવૃત્તિ ન થાય એ જયોગ્ય છે. કેમકે એ તો કાંઈ કામની ચીજ નથી. ભ્રાંતિગત છે.
એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા કરવાનું કહેવાની ટેવ નીકળી ગઈ છે' બોલવાનું જ ઓછું થઈ ગયું છે, લખવાનું ઓછું થઈ ગયું છે, હળવા-મળવાનું પણ ઓછું થઈ ગયું છે. થયા કરશે, થાવું હશે એમ થયા કરશે. એ ટેવ નીકળી ગઈ છે. એ બાબતમાં તો ટેવ જ ઓછી થઈ ગઈ છે. વ્યવહારિક કાર્યમાં તો ટેવ ઓછી થઈ ગઈ છે.
મુમુક્ષુ – આનું અનુસરણ કરે અને મુમુક્ષુજીવ પોતાના રોજિંદા જીવનમાં ઘણી ટેવ ઓછી કરી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા કરી શકે. બરાબર કરી શકે. મૂળ તો જ્ઞાનીનું જીવન છે એ મુમુક્ષુને તો બોધ લેવા માટે જ છે. મુમુક્ષુને શા માટે ? આ પત્ર વાંચવાની આપણે શું જરૂર? ૧૯૫૧.૯૬ વર્ષ થયા. ૨૦૪૭ની સાલ ચાલે છે. ૯૫-૯૬ વર્ષ થયા. ૯૫-૯૬, વર્ષ પહેલાની) એમની દુકાનદારીની વાતની સાથે, વ્યવહારની વાત સાથે આપણે લેવા-દેવા શું ? આપણે સીધો સંબંધ તો કોઈ નથી. પણ એમનું જે જીવન છે એમાંથી પણ બોધ મળે છે. એ જ્ઞાનીનું સાક્ષાત્ જીવંત ચરિત્ર છે. એમાંથી પણ મુમુક્ષુ જીવ તો બોધ લઈ શકે છે કે તું અમથો-અમથો ઓઢીને કયાં પડે છો?સામુનો અપેક્ષા રાખે, મને કોઈ પૂછતું નથી, મને કોઈ કહેતું નથી, મને કોઈ જણાવતું નથી. મને કોઈ સામેલ કરતું નથી. પણ હવે તારે કૂવામાં પડવાની જરૂર શું છે? પાડે તો આઘો રહેવાની અને છટકવાની મહેનત કર તું. એના બદલે તું પડવાની વાત કરે છો ? એનું કારણ છે. આ જીવ સ્વરૂપે કરી મહાન છે ને ! મૂળ સ્વરૂપે તો આ જીવનું સર્વોત્કૃષ્ટપદ છે. એટલે બધે એને મોટાઈ જોઈએ છે. શું જોઈએ છે? મોટાઈ જોઈએ છે. મને કોઈક પૂછે તો મારી મોટાઈ ગણાય, મારી સલાહ લે તો મારી મોટાઈ ગણાય, મને જણાવે તો એટલું મને મહત્ત્વ આપ્યું ગણાય, મને ન જણાવે તો મને મહત્ત્વ આપ્યું ન કહેવાય. આ એને આકુળતાના વિકળતાના હેતુ થાય છે.
એમ કહે છે કે આ જ્ઞાની પુરુષનું ચરિત્ર જોવા જેવું છે. એમની તો ટેવનીકળી ગઈ છે. કહેવાની, કરવાની, વાત કરવાની ટેવ જ નીકળી ગઈ છે. હું ન કહું તો ચાલે એવું છે, કહું તો ચાલે એવું છે. છોડો માથાકૂટ. સમય છે જ્યાં પોતાનું સુધારવામાં એટલા બધા સમય અને શક્તિની જરૂર છે કે એની પાસે વધારાનું કાંઈ રહે એવું છે નહિ. એમાં પણ ખૂટે છે તો બીજાને સમય અને શક્તિ દેવાની જગ્યા જ નથી. એટલે ઘણી વ્યાવહારિક
Page #114
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૬ વાત લખવાની ટેવ નીકળી ગઈ છે, વાત કરવાની ટેવ નીકળી ગઈ છે, વાત કહેવાની પણ ટેવ નીકળી ગઈ છે. કેટલા શબ્દો વાપર્યા છે!
માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે. પરિસ્થિતિ શું છે? કે ત્યાં એવી રીતે માથે આવે છે કે તીવ્ર ઉદય વર્તે છે. ત્યાં કાંઈક પ્રવૃત્તિ થાય છે.” ત્યાં પણ કાંઈક પ્રવૃત્તિ થાય છે એમ કહે છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. એ પ્રવૃત્તિમાં કોઈ સાર છે, પ્રવૃત્તિ કરીએ છીએ તે યોગ્ય છે, તે પ્રવૃત્તિથી લાભ છે, યથાર્થ કરીએ છીએ એવું અમને જણાતું નથી. એ પણ નકામું છે. છૂટાતું નથી, છટકાતું નથી. છટકવું છે પણ છૂટતું નથી એ પરિસ્થિતિમાં ફસાયેલા છે. એવી અંદરથી છૂટવાની તીવ્ર ભાવના થઈ છે. ત્યારપછી એમણે જે આ અઢી લીટી લખી છે એ બહુ સુંદર લખી છે. ભગવાનનો આધાર લીધો છે.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી કે મને વાંધો નહિ. એવો નિશળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. આ લીટી એમણે ૫૮૮માં ફરીને એ શબ્દ છે એનું મથાળું બાંધ્યું છે. એ શબ્દ એમણે ફરીને લલ્લુજી'ના પત્રમાં નાખ્યા છે. એ વાતમાં એમને ઘણો રસ આવ્યો છે. શ્રી જિન વીતરાગે આ ભલામણ કહી છે, પરમજ્ઞાનીને પણ કોઈ સંયોગનો વિશ્વાસ કર્તવ્ય નથી. તો પછી આવો નિશ્ચળ માર્ગ છે એ કહેનારને હું નમસ્કાર કરું છું, એમને વંદન કરું છું. વિશેષ પોતાને ભાવનો આવિર્ભાવ થાય છે. એટલે એ જવાત એમણે નીચે મથાળામાં લીધી. ઘૂંટાણી છે. ચૈત્ર વદ ૧૨ છે ને ? ચૈત્ર વદ ૧૨ના જ પત્રો ચાલે છે. એક જ દિવસે લખેલા છે). ૫૮૬મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨નો છે, ૫૮૭મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨ છે, ૫૮૮મો પત્ર પણ ચૈત્ર વદ ૧૨ છે. ત્રણ પત્રો એકદિવસે લખ્યા છે. “સોભાગભાઈને લખ્યા છે, તે જ દિવસે “લલ્લુજીને લખ્યો છે. લલ્લુજીને સોભાગભાઈના પત્રમાં જે અઢી લીટી લખી એ પોતાને એવી રુચિ છે કે એનું મથાળું બનાવ્યું છે. “લલ્લુજી'ના પત્રમાં પેલી જે Matter છે એનું અહીં મથાળું કરી નાખ્યું છે. બહુ સારા નમસ્કાર છે. એમના જે નમસ્કાર વચનો છે એ કેટલાક તો બહુપ્રસિદ્ધ થઈ ગયા છે. ચાકળારૂપે અનેક જગ્યાએ મૂકે છે, બહપ્રસિદ્ધપણું પામ્યા
ફરીને, શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, ભાઈ ! તું ભાવે છૂટ અને હવે દ્રવ્ય નહિ છૂટ તો વાંધો નહિ એવું નથી કહ્યું.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
રાજહૃદય ભાગ-૧૨ એકવાર ભાવે છૂટી જા પછી દ્રવ્ય ભલે હો એનો વાંધો નથી એમ નથી કહ્યું. કયાંક કહ્યું હોય તો કોઈ હેતુથી મર્યાદિત કહ્યું હોય એ બીજી વાત છે. ” દોષ મટાડવા માટે, પોતાના દોષને સ્વીકારવા માટે. પણ ફરી ફરીને ભલામણ તો એ જ કરી છે કે, ભાવે છૂટ્યો હોય તો દ્રવ્ય પણ છૂટછે અને દ્રવ્ય છૂટવું હોય તો ભાવે છૂટવા માટે દ્રવ્ય છૂટજે. પણ બંનેથી છૂટવાની વાત છે. ક્યાંય વળગવાની વાત નથી.
અને તે સંયોગનો વિશ્વાસ... વિશ્વાસ એટલે શું? મને કાંઈ વાંધો નહિ આવે. હું જાગ્રત છું, હવે મને વાંધો નહિ આવે. ભલે ગમે એટલો પરિગ્રહ હોય મારે નહિ વાંધો આવે. ચક્રવર્તીને હોય છે એને વાંધો નથી આવ્યો. મને પણ વાંધો નહિ આવે. એના કરતાં ઓછો છે. એ વિશ્વાસ કરવાની મુમુક્ષુને તો હા પાડી નથી, જ્ઞાનીને તો હા પાડી નથી પણ પરમજ્ઞાનીને હા પાડી નથી. શું કહ્યું? પરમજ્ઞાનીને ના પાડી છે કે નહિ, એનો વિશ્વાસ નહિ કર. “એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે...” એવો ચોક્કસ માર્ગ કહ્યો છે.
તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. અહીંનીચે પત્રાંક ૫૮૮માં) ભક્તિ શબ્દ વાપર્યો છે. મથાળું બાંધ્યું છેને? અત્યંત ભક્તિથી નમસ્કાર છે. નિશાળમાર્ગને અખંડ માર્ગ શબ્દ વાપર્યો છે. એટલો ફેર પડ્યો છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. તમે જે આજના પત્રમાં પ્રશ્નો પૂછ્યા છે એ રૂબરૂમાં પૂછજો. એટલે આ પત્રમાં એમણે ઉત્તર નથી આપ્યો.
‘દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો...” દૃષ્ટાંતથી સિદ્ધાંત સમજાવવા માટેના, આત્માને સમજાવવા માટેના જે દગંતો છે એમાં દર્પણ છે, દીપક છે, જળ છે, સૂર્ય છે અને ચહ્યું છે. ચક્ષનું દગંત (“સમયસાર' ગાથા) ૩૨૦માં વાપર્યો છે. ચક્ષુ તો જાણે જ છે. એમ જ્ઞાન તો જાણે જ છે. સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે. આ સ્વપપ્રકાશક ઉપરના દૃષ્ટાંતો છે. જેમ દર્પણમાં પ્રતીબિંબ પડે છે, જળની અંદર પણ સરોવરના કાંઠે વૃક્ષો હોય તો એનું પ્રતિબિંબ પાણીમાં પડતું દેખાય છે. દીવામાં પણ સ્વપપ્રકાશપણું છે. પોતે પણ પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશે છે. સૂર્ય અને ચક્ષુ એના પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. કેવળજ્ઞાન જે લોકાલોકને જાણે છે એવી વાત કરી છે એ સંબંધમાં તમને કાંઈક સમજવા માટે એ સાધન થશે, નિમિત્ત થશે. માટે એના સ્વરૂપનો વિચાર કરશો. પછી એ વિષય એમણે
Page #116
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૭
૫૮૭ પત્રમાં છેડ્યો છે. એના ઉપરથી એમ લાગે છે કે એ પત્ર પણ સોભાગ્યભાઈ’ ઉપરનો હોવો જોઈએ. પણ તારીખ છે. .. તો હોય નહિ. તો કદાચ બીજા ઉપર લખ્યો હોય તો બીજી વાત છે. કેમકે એનો પ્રશ્ન ન ઉઠત.
પત્રાંક-૫૮૭
૯૯
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, વિ ૧૯૫૧
કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?” એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તોપણ સંક્ષેપમાં નીચે લખ્યો છેઃ–
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોકપ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.
કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?” પદાર્થ એટલે બીજો પદાર્થ. એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તોપણ સંક્ષેપમાં નીચે લખ્યો છે ઃ–' રૂબરૂમાં વધારે સમજાવી શકાય એવું છે. ટૂંકાણમાં નીચે લખીએ છીએ. જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે,...’ દીવો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે.' દીવો હોય અને એનો પ્રકાશ ન હોય, પ્રકાશતો ન હોય એવું કેમ બને ? અને જ્ઞાન હોય અને જાણતું ન હોય એવું કાં બને ? એમ કહે છે.
ચોપડી છે ત્યાં સુધી જ્ઞાનને લઈ જવું નથી પડતું. ચોપડી જ્ઞાનમાં આવતી નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૨ પણ જેવો આ શેય છે એવો જ્ઞાનાકાર થવો અનિવાર્ય છે. જેવી આની આકૃતિ અને રંગ છે એવો જ્ઞાનની અંદર આકાર ઊભો થવો એ અનિવાર્ય છે. એને નિવારી શકાય એવું નથી. કેમકે જ્યાં જ્ઞાન હોય ત્યાં એનું પ્રકાશકપણું હોય છે. દીવો હોય અને એનો પ્રકાશકપણું ન હોય એમ કેમ બને ? તમે કહો કે દીવો છે. પ્રકાશ નથી. એનું પ્રકાશકપણું દીવાને ન હોય એ જેમ ક્યારેય બનતું નથી. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે.
દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે. તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે.” એનો સહજ સ્વભાવ છે. “દીવો દ્રવ્યપ્રકાશક છે... દીવો તો બીજા પદાર્થો, દ્રવ્યોને પ્રકાશે છે, ભાવને નહિ દીવો ભાવને પ્રકાશતો નથી. દીવાને ખબર નથી કે કયા જીવને કેવો ભાવ થાય છે? “અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બનેને પ્રકાશક છે.” જ્ઞાન જડપદાર્થને પણ જાણે અને ચેતનના ભાવને પણ જાણે. કેમકે દ્રવ્ય ભાવ બંનેને પ્રકાશે છે. એટલી પ્રકાશવાની શક્તિ વિશેષ છે.
દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે. એનો પ્રકાશ જે સીમામાં પહોંચે ત્યાં સુધીમાં જે પદાર્થો પડ્યા હોય તે પ્રકાશે છે, દેખાઈ રહે છે. તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે.' અહીં કેવળજ્ઞાનનો પ્રશ્ન છે ને ? એટલે એની મર્યાદા તો પૂરે પૂરી છે. એને પ્રકાશવાની મર્યાદા કોઈ અધૂરી નથી. એટલે એના વિદ્યમાનપણાથી, કેવળજ્ઞાનના વિદ્યમાનપણાથી સર્વ પદાર્થનું પ્રકાશવું સહેજે સહેજે થાય છે. નીચે છદ્મસ્થ હોય તો એનો પ્રકાશ જેટલો ઉઘાડ હોય એટલા પદાર્થોને જાણે. જે પ્રકારનો ઉઘાડ હોય તે પ્રકારના પદાર્થોને જાણે. એમ. મર્યાદામાં (જાણે). કેમકે એનું જ્ઞાન મર્યાદિત છે તો એનો જાણવાનો વિષય પણ મર્યાદિત થાય છે. બધું નથી જાણતો.
જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજેદેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. શું કહે છે? કે જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું...” પાછું જેવા છે એવા. યથાતથ્ય એટલે જરાય ફેરફાર વગર. એમાં ભૂલ ન પડે. કેવળજ્ઞાનને જોવામાં ભૂલન થાય. યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે...” એટલે આ આગમનો વિષય છે. પરમાર્થનો અધ્યાત્મનો જે વિષય છે એમાં બીજી વાત પણ છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવક છે...” જ્ઞાન વેદનમાં બીજાને ન વેદી શકે. કેવળજ્ઞાન હોય કે છદ્મસ્થનું જ્ઞાન હોય પરને વેદી ન શકે, અનુભવી ન શકે. અનુભવમાં તો માત્ર એ પોતાના આત્માનુભવનો કર્તા છે. શ્રુતજ્ઞાન હોય તોપણ આત્માનુભવને કરે, મતિજ્ઞાન પણ આત્માનુભવને કરે, મન:પર્યય જ્ઞાનનો વિષય પર
Page #118
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૭
૧૦૧ છે. વિર્ભાગજ્ઞાનનો વિષય પણ પર છે. કેવળજ્ઞાન પણ અનુભવમાં આત્માને અનુભવે. અનુભવમાં પરપદાર્થને અનુભવી શકાતું નથી. પછી એ મતિ-શ્રુત હોય કે કેવળ હોય. એટલે એ અનુભવનો વિષય પરમાર્થનો છે. પરપદાર્થના વિષયમાં આત્માને પરમાર્થ નથી. એટલે એનું જાણવું થઈ શકે. પરમાર્થના વિષયમાં જાતું નથી. પરમાર્થ કયા કારણથી ઊપજે કેભિન્ન પડે તો ત્યાંથી છૂટો પડે તો.
જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવક છે, વ્યવહારનયથી લોકાલોકપ્રકાશક છે. વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે એટલે લોકાલોક પ્રકાશક છે એમ કહેવું તે વ્યવહારનયનું વચન છે. કેવળજ્ઞાનને નય નથી. કેવળજ્ઞાન વ્યવહારનયથી પ્રકાશે છે એમ વાત નથી. ન તો કેવળજ્ઞાનને નિશ્ચયનય છે, ન તો કેવળજ્ઞાનને વ્યવહારનય છે. એટલે કેવળજ્ઞાન વ્યવહારનયથી લોકાલોકને પ્રકાશે છે એ ભાવનય નથી, જ્ઞાનનય નથી, એ શબ્દનય
જ્યારે કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશે છે એમ શબ્દ-વચન આવે તો તે શબ્દનયથી તે વ્યવહારનયમાં જાય છે. કેમકે સ્વમાં પરનો સાથે સાથે પર સાથેનો વ્યવહાર ઊભો થઈ ગયો. જ્ઞાનને કેવળજ્ઞાને તો નય જ નથી. એટલે કેવળજ્ઞાન વ્યવહારનયથી જાણે છે
ત્યાં જ્ઞાનનય પ્રવર્તતો જ નથી, જ્ઞાનનયની હયાતી નથી. એટલે ત્યાં જ્ઞાનનયનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. નહિતર કોઈ એમ ખેંચી જાય છે. જુઓ ! કેવળજ્ઞાન વ્યવહારનયથી પરને જાણે છે માટે એ વાત ખોટી છે. એજ્ઞાનનયને પકડે છે. જ્ઞાનનય છે નહિ, ભાઈ ! ત્યાં કેવળજ્ઞાનને જ્ઞાનનય ઊભો નથી થતો. આ તો શબ્દનયનો વિષય છે.. નય તો બે પ્રકારે છે. જ્યાં જ્ઞાનનય છે ? ક્યાં શબ્દનય છે? ક્યાં બને છે ? ક્યાં બન્નેમાંથી એક હોય તો કયું છે? આ બધું ન સમજતો એકમાં બીજો લોચો માર્યા વગર રહે નહિ. ગોટો કર્યા વગર રહે નહિ. ઘણા આમાં ભૂલ કરે છે.
આ વાત લીધી છે. નિયમસારની ૧૫૯,૬૦,૬૧ ગાથામાં પણ લીધી છે. ત્યાં પણ લોકાલોકને વ્યવહારનયથી કેવળજ્ઞાન જાણે છે, એમ સ્પષ્ટ શબ્દો પડ્યા છે. વ્યવહારનયથી કેવળજ્ઞાન જાણે છે, તો કેવળજ્ઞાનને વ્યવહારનય ખરો ને? શબ્દો તો એમ જ છે. ભાઈ ! શબ્દ પ્રમાણે અર્થ નથી. ત્યાં શબ્દ પ્રમાણે અર્થ નથી. ત્યાં વચનનયને વ્યવહારનય કહીને એને વ્યવહારનયનો ભાંગો કહ્યો છે. બાકી જે જાણવું છે એ તો નિશ્ચય એક જ છે, એમાં કોઈ વ્યવહાર છે નહિ.
આરસો, દીવો, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. એમ છેવટે જ્ઞાનનું પ્રકાશકપણું સ્થાપ્યું છે. પછી કેવળજ્ઞાનના વિષયમાં આ પત્રની અંદર થોડી છણાવટ કરી છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦ર
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૫૮૮
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળપ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર છે, તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસનાવિના જીવસ્વચ્છંદેનિશ્ચય કરતે છૂટવાનો માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્યપ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદકંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આ. સ્વ. પ્રણામ.
૧૬-૧ર૧0. પત્રક અ૮૮ થી ૫૦૦
પ્રવચન ને ર૭૩.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૫૮૮, પાનું-૪૬૦. લલ્લુજી' મુનિ ઉપરનો પત્ર છે. પત્રના મથાળામાં વીતરાગદેવને નમસ્કાર કર્યા છે. વીતરાગદેવે કેવો ઉપદેશ
Page #120
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૮
આપ્યો છે, મોક્ષનો માર્ગ કહ્યો છે. એ ઉપકારથી નમસ્કાર કર્યાં.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.’ જેને જન્મ-મ૨ણથી છૂટવું છે, સર્વ પ્રકારના દુઃખથી અને ઉપાધિથી જેને છૂટવું છે એના માટે વીતરાગ જિનેન્દ્રદેવે દ્રવ્યસંયોગ અને ભાવસંયોગથી ફરી ફરીને છૂટવાની ભલામણ કરી છે. દ્રવ્યસંયોગ છે, નોકર્મરૂપ પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ સંયોગો છે તે અને કર્મનો ઉદય. દ્રવ્યકર્મનો ઉદય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આયુષ્ય વગેરે. ભાવસંયોગ છે જીવના ઉદયભાવ (અર્થાત્) કર્મ અને નોકર્મ પ્રત્યેના પરિણામ. એ બંને પ્રકારથી છૂટું થવું, બંને પ્રકારનો સંબંધ છોડી દેવો, આત્માએ તે બંને પ્રકારનો સંયોગ છોડી દેવો એવી ભલામણ વીતરાગદેવે કરી છે. આ વીતરાગદેવની ભલામણ કહો કે વીતરાગદેવની આજ્ઞા કહો. હળવો શબ્દ વાપર્યો છે-ભલામણ, પણ સ્પષ્ટ વાત છે કે એ વીતરાગદેવની આજ્ઞા છે.
તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી...' જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી. એમ કેમ કહ્યું ? કે પ્રથમ મોક્ષમાર્ગ ભેદજ્ઞાન થઈને, ભાવે ભિન્ન થઈને, ચતુર્થ ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વે સંચિત કરેલા દ્રવ્યકર્મ અને ભાવકર્મના ઉદય ચાલુ રહે છે. મિથ્યાત્વ સિવાયના, દર્શનમોહ સિવાયના ઉદયમાં છે. એમાં સમકિતમોહનીયનો ઉદય ક્ષયોપશમ છે. ઉપશમ-ક્ષાયિકમાં નથી. અને ભિન્ન પડેલા છે એટલે એમને બીજા સંસારી જેટલું નુકસાન નથી. એ સંયોગની અંદર એવા ઉદયભાવ થતા નથી કે જેને લઈને ૪૧ પ્રકૃતિનો બંધ પડે. એટલે ૪૧ પ્રકૃતિ જે ઘણી ખરાબ છે, જે બહુ હીણા કર્મ છે એવો બંધ સમ્યગ્દષ્ટિને થતો નથી. એટલે એનો અર્થ એવો છે કે એવો બંધ થાય એવા પરિણામ પણ સમ્યગ્દષ્ટિને થતા નથી. એ પ્રકાર છે. એ પરિણામનો અભાવ થયો છે કે જેનાથી નરકગતિ, તિર્યંચગતિ, નકઆયુ, તિર્યંચઆયુ એ પ્રકારના નામકર્મના પેટા ભેદો, સ્ત્રીપર્યાય એ વગેરે કાંઈ (બંધાતા નથી). નારકીમાં તો એક જ પર્યાય છે પણ ત્રણ ગતિમાં સ્ત્રીવેદ છે. તિર્યંચીણી, મનુષ્યણી અને દેવમાં દેવીઓ. એ કોઈ પ્રકાર એને ઉત્પન્ન થાય નહિ.
આમ તો મનુષ્ય અને દેવ બે જ ગતિ એને છે. ત્રીજી ગતિ તો એને થતી નથી. પણ બાકીના કર્મના સંયોગો રહે છે અને જ્ઞાની એનાથી ભિન્ન ભાવે વર્તે છે, તોપણ જ્ઞાની એમ કહે છે અથવા જિનેન્દ્રદેવ એમ કહે છે, એ સંયોગનો વિશ્વાસ જ્ઞાનીને પણ કર્તવ્ય
૧૦૩
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
રાજહૃદય ભાગ-૧૨
નથી અને ઉચ્ચ કોટીના જે પરમજ્ઞાની છે એમને પણ કર્તવ્ય નથી. પરમજ્ઞાની એટલે ઉચ્ચ કોટીના જ્ઞાની. જો ઉચ્ચકોટીના જ્ઞાનીને કર્તવ્ય નથી તો પછી નીચે ચતુર્થ ગુણસ્થાનવાળા જ્ઞાનીને તો એનો વિશ્વાસ કર્તવ્ય નથી એમ કહેવાની જરૂર પણ રહેતી નથી.
મુમુક્ષુ :– અંદર એવી યોગ્યતા છે આપ કહેવા માગે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, યોગ્યતા પડી છે. જો એના સત્તામાં કર્મ પડ્યા છે એ દ્રવ્યકર્મની સત્તા છે તો જીવની સત્તામાં એવા ભાવ થવાની યોગ્યતા પડી છે. બેયની સત્તા લેવી. ઉદય લ્યો તો બેયનો ઉદય લ્યો. નિર્જરા લેવી તો બેની નિર્જરા લેવી.
મુમુક્ષુ ઃ– એટલે ગૂઢ ભાષામાં સંયોગના વિશ્વાસની વાત કરી ?
=
પૂજ્ય ભાઈશ્રી :– એટલે વાત કરી કે કોઈ સંયોગનો પરમજ્ઞાનીએ પણ વિશ્વાસ કર્તવ્ય નથી, તો જ્ઞાની તો હજી ઊભા થયા છે. મોક્ષમાર્ગમાં પહેલું પગલું માંડ્યું છે. એને તો કોઈ સંયોગનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે મને વાંધો નથી એ પ્રકાર જ્ઞાનદશામાં નથી. મને જ્ઞાન થયું છે, હવે હું ભાવે ભિન્ન પડ્યો છું એટલે મને આ સંયોગોનો વાંધો નથી અને એ સંયોગ આશ્રિત મારા પરિણામ નહિ બગડે એવો વિશ્વાસ કરવા જેવો નથી. અથવા એ પ્રકારે કોઈ વિશ્વાસ કરે છે તો તે અવશ્ય ધોખામાં રહે છે, એને નુકસાન થઈ જાય છે.
મુમુક્ષુ :– મુમુક્ષુએ શું કરવું ?
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને તો કહેવાની જરૂર જ ન રહી કે એણે કોઈ સંયોગોનો વિશ્વાસ કરવાનો રહે છે. જ્યારે જ્ઞાનીને ના પાડે છે, પરમજ્ઞાનીને ના પાડે છે. વાત તો ઉત્કૃષ્ટ કરી દે છે. પરમજ્ઞાની કહેતા જ્ઞાની પણ આવી ગયા અને એના પેટા ભેદમાં મુમુક્ષુ પણ આવી ગયા. હજી તો મુમુક્ષુ છીએ કે કેમ એ તો પહેલો વિચાર કરવો જોઈએ. એમ કેમ ? વિચાર કરીને નક્કી કરવું. એ કહેવાથી કાંઈ થાય એવું નથી. નક્કી તો પોતે કરવાનું છે. સાચી મુમુક્ષુતા આવી છે કે કેમ ?
મુમુક્ષુ :– સાચી મુમુક્ષુતા આવે તો નિયમથી મોક્ષ થાય, થાય ને થાય જ. એવું કહેવું છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એને મોક્ષમાર્ગ મળે અને એ મોક્ષમાર્ગમાં આગળ વધીને (પૂર્ણ) શુદ્ધ થયા વિના રહે નહિ. જેણે એ ધ્યેય બાંધ્યું છે એ મુમુક્ષુ છે અને ધ્યેય બાંધ્યું છે એ ધ્યેય સુધી પહોંચશે. કેમકે એ કોઈ બીજાની વાત નથી, પોતાની જ દશા છે, કંઈ પરાધિન નથી. મોક્ષમાર્ગ પરાધિન નથી, મોક્ષ પણ પરાધિન નથી.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પત્રક-૫૮૮
મુમુક્ષુ – ધ્યેય બાંધવાવાળો પૂર્ણતાનો વિશ્વાસ કરે છે ત્યારે Automatic જ સંયોગોનો વિશ્વાસ ઊડી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે. પોતે જપૂર્ણ છે એમ જ્યાં આવે છે ત્યાં પછી અપેક્ષા નથી રહેતી. કોની અપેક્ષા રહે? પોતાને પૂર્ણતામાં કોની અપેક્ષા રહે? અને અપેક્ષા રહે તો પૂર્ણતા કેવી રીતે સ્વીકારી છે? પૂર્ણતામાં તો જગ્યા નથી. કાંઈ આવવાની, કાંઈ રહેવાની કે પ્રાપ્ત કરવાની જગ્યા નથી. એ પૂર્ણ સ્વરૂપનો વિશ્વાસ છે. પૂર્ણદશા તો પ્રાપ્ત કરવાની છે. પ્રાપ્ત કરવાયોગ્ય છે એમ વાત છે.
હવે કહે છે, “આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે.” આત્મસ્વરૂપનો નિર્ણય કરવામાં અનાદિથી જીવે ભૂલ કરી છે. નિર્ણય કરવા માટે શાસ્ત્રો વાંચ્યા છે, નિર્ણય કરવા માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે પણ નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. આ એક વિષય ગંભીર છે, સમજવા યોગ્ય છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશમાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે....” શું કહે છે ? બાર અંગમાં પહેલું આચારાંગ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ પછી એવી રીતે બધા અંગ પૂર્વ શરૂ થાય છે. એટલે સૌથી ઓછા શ્લોક આચારાંગમાં છે. પછી એથી બમણા સૂત્રકૃતાંગમાં છે અથવા સૂયગડાંગ અને કહે છે. એથી બમણા ત્રીજામાં, એથી બમણા ચોથામાં એવી રીતે બારે અંગ છે. એમ થતાં કરોડો શ્લોક થાય છે. આચારાંગમાં પ૧ હજારથી અધિક શ્લોક છે. અત્યારે આચારાંગ છે એમાં એટલા નથી.
મૂળ જે ભગવાનનો આચારાંગ છે, ગણધરદેવનો રચેલો, એમાં પ૧ હજારથી પણ વધારે શ્લોક છે. પહેલા અંગમાં એટલા છે તો બીજા અંગમાં એક લાખથી વધારે છે. ત્રીજામાં બે લાખથી વધારે છે, ચોથામાં ચાર લાખથી વધારે છે, પાંચમામાં આઠ લાખથી વધારે છે, છઠ્ઠામાં સોળ લાખથી વધારે છે, પાંચમાં ૩૨ લાખ, આઠમામાં ૬૪, નવમામાં ૧૨૮ લાખ કરોડ ઉપર ગયા. એ રીતે દસમામાં એથી Double, અગિયારમામાં એથી Double, બારમામાં એથી Double. કરોડો શ્લોકો છે. બાર અંગની અંદર કરોડો શ્લોક છે. એમાં પહેલા સ્કંધમાં, પહેલા અધ્યયનના, પહેલા ઉપદેશના પહેલા વાકયે શ્રી જિને ઉપદેશ કર્યો છે. ઘણું કરીને પહેલું વાક્ય આ છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. “નો છi ગાગરૂસો સવં ગાબડું ઘણું કરીને આચારાંગનું પહેલું સૂત્ર છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– અહીં પણ પહેલા પાને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' નિગ્રંથ પ્રવચન (લખ્યું છે). ‘શ્રીમદ્’ ના પુસ્તકના પહેલા પાને.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પૂઠા ઉપર છે. બે જગ્યાએ છાપ્યું છે. Title ઉ૫૨ છે. મુમુક્ષુ :- આચારાંગ સૂત્રને વાંચવાવાળા બધો અભ્યાસ તો કરે પણ આ પહેલું પદ છે એ જ ભૂલી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– પહેલું પદ ભૂલે છે, નિશ્ચય થવામાં ભૂલ થઈ છે એમ કહે છે. આત્માનો નિશ્ચય કરવામાં, નિર્ણય કરવામાં જીવોએ અનાદિથી ભૂલ કરી છે, એમ કહેવું છે.
પહેલા વાક્યમાં એવો જે ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના,...' એટલે બારે અંગના સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે.’ પહેલું વાકચ જ એવું છે. કરોડો શ્લોક કહ્યા એમાં પહેલું વાક્ય આવું મુદ્દાનું કહી દીધું સામાન્ય રીતે પદ્ધતિ એવી હોય છે. પરમાગમોમાં પણ એવી પદ્ધતિ છે. જેમકે ‘સમયસાર’ લઈએ. પ્રથમ જે ગાથાઓ છે એની અંદર આખા સમયસારની પીઠિકા શરૂઆતની ગાથાઓમાં બાંધી દીધી. પછી એનો વિસ્તાર કર્યો છે. ૧૧ ગાથાની અંદર લગભગ પીઠિકા બાંધી લીધી છે પછી બધો વિસ્તાર શરૂ કર્યો છે.
તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે,...' એટલે બારેય અંગના શ્રુતજ્ઞાન છે, બારેય અંગનું શ્રુતજ્ઞાન છે એના સારરૂપે છે. મોક્ષના બીજભૂત છે...' મૂળ કહેતાં એની આગળ ગયા. મૂળ પણ જેમાંથી ઉત્પન્ન થાય છે એવા બીજભૂત છે. અને “સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે.....’ વાત તો બીજભૂત કરી દીધી પણ જીવને એ વાત બીજભૂત છે એમ લક્ષ જતું નથી. વાત તો શ્રુતજ્ઞાનની સામે આવે છે પણ પોતાનું લક્ષ જતું નથી કે આ વચનનું કેટલું મહત્ત્વ છે. મારા માટે આ વચનનું કેટલું મહત્ત્વ છે ? એ પોતાનું ધ્યાન જતું નથી, લક્ષ જતું નથી એટલે એના ઉપર વજન આવતું નથી.
‘સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાકચ પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી.’ આ બીજો સરવાળો માર્યો કે જીવ જો એક વાક્ય ઉપર ઉપયોગને વધારે સ્થિર ક૨શે એટલે એના ઊંડાણમાં જશે, એ વચનના ઊંડાણમાં જશે કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. તો સર્વપ્રથમ આત્મા જાણવાનો છે. આત્મા જાણવા માટે (શું કરવું) ? આત્મા જાણવા માટે જ્ઞાનીપુરુષના સમાગમ અને જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના,
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પત્રાંક-૫૮૮ એ વિના કોઈ રીતે આત્મા જાણી શકાય એવી પરિસ્થિતિ નથી. એ એને સમજાશે. એને નિશ્ચય આવશે. એણે એવો નિર્ણય કરવો પડશે, એક વખત એવો એને નિર્ણય થશે કે આ જ્ઞાનીપુરુષના સમાગમ વિના સ્વચ્છેદે એટલે મારી મેળે હું આત્માનું જ્ઞાન કરી લઉં, આત્મજ્ઞાન કરી લઉં એ બનવાયોગ્ય નથી.
સામાન્ય રીતે પુસ્તકો વાંચીને માણસ જ્ઞાન કરવાની અભિલાષા રાખે છે કે આ આત્મજ્ઞાનના પુસ્તકો છે, આત્મજ્ઞાનીઓના લખેલા છે. જ્ઞાનીઓ અને મહામુનિઓની રચના છે, લ્યો ને “સમયસારી છે. માટે આપણે એને વાંચતા વાંચતા આત્મજ્ઞાન કરી લેશું. કહે છે કે, જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ સમાગમની ઉપાસના વિના (એ અસંભવ છે).
આ પ્રશ્ન “વવાણિયા ચાલ્યો હતો. આ બધા શાસ્ત્રો છે, આની અંદર ઘણી વાતો છે, ગ્રંથ છે. બુદ્ધિપૂર્વક એને સમજવાનો પ્રયત્ન થાય છે, કાંઈક સમજાય છે પણ સમજાય એટલે જ્ઞાન થાય કે કેમ ? પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ વિના એ રહસ્યભૂત જ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ પરિસ્થિતિ હોતી નથી.
449:- Fundamental principle 8. પૂજ્ય ભાઈશ્રી – આ પાયાનો સિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત છે.
આ એક આત્મજ્ઞાન સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તોપણ તે આત્મજ્ઞાન સપુરુષના ચરણકમળની ઉપાસના વિના થઈ શકતું નથી, એ વાત પણ વસ્તુના સ્વરૂપને અનુસરીને છે. એ પણ એક વસ્તુનું સ્વરૂપ જ છે. વસ્તુના સ્વરૂપનું એ અંગ છે એમ સમજવા યોગ્ય છે.
મુમુક્ષુ -એક બાજુસપુરુષનું પલડું અને એક બાજુ બાર અંગ. પૂજ્ય ભાઈશ્રી:-બાર અંગ પડ્યા રહે. મુમુક્ષુ -આ પલડું નમી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – સત્પરુષનો સમાગમ છે એ ઉપકારી થાય એટલા બાર અંગ ઉપકારી અને પરોક્ષજ્ઞાન જિનદેવની વાણી પણ થાય નહિ. એ તો એમણે આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું, કે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” એ વખતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને એમણે એ વાત ગુપ્ત રાખી, એ વાત ગુપ્ત રાખી. આ બધાને વંચાવાનું નથી, તમે જવાંચજો, નકલ પણ કરતા નહિ. કેમ? કે સાધુઓ તો તૂટી જ પડે. કે જુઓ ! આમનો સ્વચ્છેદ પોતે તો સાધુપણું લીધું નથી અને ભગવાનને ઉડાડે છે.
મુમુક્ષુ:-ઊંધું લે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:-ઊંધુ જલે. મુમુક્ષુ –ઓલા ચેતી જાય પાછા. અને બરાબર છે એમ લાગે. પૂજ્ય ભાઈશ્રી:-પાછી અફવા તો ઉડાડી હતી કે પોતાને ૨૫મા તીર્થંકર મનાવે છે, કહેવરાવે છે. એ અફવા તો ચાલતી જ હતી.
મુમુક્ષુ :- આમાં Condition બહુ કડક મૂકી કે એવો લક્ષ ન થાય તો આત્મવિચારન ઊગે.
પૂજ્ય ભાઈશ્રી:- આત્મહિતનો એને વિચાર ઊગ્યો છે એ કક્ષામાં જીવ આવ્યો નથી, એમ કહે છે. આટલું પ્રત્યક્ષ સત્પષના યોગનું મહત્ત્વ જો સમજાય પછી આગળની કોઈ વાત છે. નહિતર એક ડગલું આગળ ચાલી શકાય એવું નથી. ભલે પોથી વાંચીને પંડિત થવાય પણ એક ડગલું આગળ થાય એવું નથી. હવે જો સમાગમની ઉપાસના, સમાગમ નહિ, સમાગમની ઉપાસના, કોઈ વાર આવે એમ નહિ, ઉપાસના છે. તો વિરુદ્ધ જાય એની શું દશા હોય? કહી દ્યો. વિરુદ્ધ વિકલ્પ ઊઠે એની શું દાહોય? એ વિચાર યોગ્ય છે.
મુમુક્ષુ-સવા પાંચ લીટીમાં નિભ્રાંત દર્શનની કેડી આખી આવી ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્રણે પ્રકરણ આવી ગયા. નિશ્ચયનો વિષય લીધો. આત્મસ્વરૂપનો નિશ્ચય, મુમુક્ષુતા અને પ્રત્યક્ષ સત્પરુષના યોગનું મહત્ત્વ શું છે, એ ત્રણે વાત એની અંદર છે.
મુમુક્ષુ :- આ એક વાકય છે એ હજી બરાબર સમજાયું નથી. જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું પહેલું મુખ્ય વાક્ય છે એ. તમે સમજાવો હવે.
પૂજ્ય ભાઈશ્રી – જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” કેમકે આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે. જેણે સર્વજ્ઞસ્વભાવનો અનુભવ કરીને જાણ્યું, અનુભવજ્ઞાન કર્યું એને જગતના બધા પદાર્થોનું અભેદ જ્ઞાન તે વખતે થઈ ગયું. પ્રથમ નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં આત્મજ્ઞાન થયું, ત્યારે જ એને સર્વજ્ઞસ્વભાવનો અપરોક્ષ અનુભવ થયો. પ્રત્યક્ષ એટલે અપરોક્ષ અનુભવ થયો. ત્યાં પરોક્ષપણે જગતના સર્વ પદાર્થોનું અને જ્ઞાન થઈ ગયું.
પ્રયોજનભૂત જ્ઞાન તો એટલું જ છે કે સ્વ અને પરનો ભેદ પડે. મારી સાથે કોઈ પદાર્થને કાંઈ લેવા-દેવા નથી. મારા સિવાય સર્વ પદાર્થો મારાથી ભિન્ન છે, તે બધા પર છે. સ્વતે પર નથી અને પરતે સ્વ નથી. આમાં બધું જ્ઞાન આવી ગયું. પછી ક્યા પદાર્થ કેવા છે એનું પ્રયોજન નથી. ઘરમાં સંતાયેલો માણસ-ચોર પકડાઈ ગયો પછી એ કેવો
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પત્રાંક-૫૮૮ છે અને કઈ જાતનો છે એનું કાંઈ પ્રયોજન ખરું? બ્રાહ્મણ હોય તો ઊંચી જાતનો હોય. એ ગમે તે હોય પણ એની સાથે કાંઈ સંબંધ નથી. કેમકે પ્રયોજન એટલું જ છે. એટલે એણે બધું જાણ્યું એમ કહી દીધું ખરેખર.
અથવા અગિયાર અંગ અને ચૌદ પૂર્વના બધા ન્યાયો એ બધાના ન્યાયોનો ન્યાયાધીશ-નયાધીશ એની દૃષ્ટિના કબજામાં છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિના કબજામાં આવેલો છે. એટલે પછી એને બધા શેયોના જ્ઞાનની લબ્ધિ એની પાસે છે. કેવળજ્ઞાનની પણ લબ્ધિ છે. માટે બધું જાણે કેવળજ્ઞાન બધું જાણે છે તો કેવળજ્ઞાનની લબ્ધિ છે માટે બધું જાણ્યું. એમ લઈ લીધું.
નયો અનંતા છે. કેમકે આત્માના ગુણધર્મો પણ અનંતા છે. અને જ્યારથી નયજ્ઞાન પ્રગટે છે ત્યારપછી અનંત સમયનું આયુષ્ય જ હોતું નથી. જોકે એક નયનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. પણ એક સમયનો ઉપયોગ હોય તોપણ અનંત ધર્મને જાણવા માટે અનંત સમય જોઈએ. કેમકે ક્રમથી જાણે. નયજ્ઞાન ક્રમથી પ્રવર્તે છે. એનો અર્થ એ થાય છે કે કોઈ સાધકને અનંત નવો પ્રગટતા નથી. અનંત નયોનો ઉપયોગ તે સાધકને થતો નથી. કેટલાક મર્યાદિત નયોનો ઉપયોગ થાય છે. નથી થતો છતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે એનો અર્થ શું? કે એનો અર્થ એ છે કે એ નયોનો ઉપયોગ થવાનું પ્રયોજન પણ એને નથી. જો પ્રયોજન હોત તો સાધકદશામાં ખામી આવે. માટે એને પ્રયોજન પણ નથી. બાર અંગને પણ અનંત નયો આવે છે. બાર અંગનું જ્ઞાન પણ મર્યાદિત છે. બાર અંગનું જ્ઞાન ભગવાનની દિવ્યધ્વનિના અનંતમા ભાગે છે. અને ભગવાનની દિવ્યધ્વનિ કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. તો પછી છઘસ્થને તો એ બાજુનો કાંઈ વિચાર કરવાનો રહેતો નથી.
એટલે એ કહ્યું, કે જેને આત્મજ્ઞાન કરવા યોગ્ય છે એવો નિશ્ચય આવશે અને એ પણ સાથે સાથે નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. આ નિશ્ચય સાથે સાથે થશે. જો આ નિશ્ચય ન થાય તો ઓલો આત્મજ્ઞાનનો નિશ્ચય પણ એને થયો નથી એમ લેવું.
હવે એક બીજી વાત કરે છે કે, “સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી.” બાર અંગમાં મૂળ વાત એ છે કે બધા જીવો સ્વરૂપપણે તો પરમાત્મા છે. કોઈ જીવ ઓછો નથી, કોઈ જીવ અદકો નથી. ભવી-અભવીનો પણ એમાં કોઈ પ્રશ્ન નથી. શુદ્ધ પારિણામિકભાવને જોવામાં આવે તો બધા જીવો શુદ્ધ પારિણામિકભાવે રહેલા છે. નિગોદનો જીવ, સિદ્ધ પરમાત્માનો જીવ, સંસારી જીવ, મનુષ્યનો જીવ, કોઈપણ જીવ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦.
ચજહૃદય ભાગ-૧૨ શુદ્ધ પારિણામિકભાવે એકસરખા છે. ભવિ-અભવિ પરિણામિક હોવા છતાં તે અશુદ્ધ પારિણામિક છે, એ શુદ્ધ પારિણામિક નથી. એ તો ૩૨૦માં આચાર્ય મહારાજે સ્પષ્ટ કર્યું છે.
મુમુક્ષુ:- બધા પરમાત્મા આવ્યા છે? પૂજ્ય ભાઈશ્રી - બધા પરમાત્મા છે. સ્વરૂપે કરીને બધા પરમાત્મા છે. કોઈ ઓછા-અદકા નથી.
મુમુક્ષુ વીતરાગ સિવાય કોણ કહે આ વાત?
પૂજ્ય ભાઈશ્રી:- જેણે આત્મા જાણ્યો છે એ કહે છે, આત્મા અનુભવ્યો એ કહે. મારી જાતના જ બધા આત્મા છે. હું જેવો એવા બધા સ્વરૂપે, હોં! મૂળ સ્વરૂપે. પર્યાયે હું જેવો એવા બધા એમ વાત નથી. સ્વરૂપે હું જેવો એવા જ બધા આત્માઓ છે. '
તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી.” તો પછી આમાં શું થયું છે કે સિદ્ધાંત શાસ્ત્રો વાંચતા થયા છે. “સમયસાર આદિ સિદ્ધાંત શાસ્ત્રો મોકલ્યા છે ઈ વાંચતા થયા છે. એમાં આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા છે એમ જાણવા મળ્યું. તો કહે, હું પરમાત્મા થઈ ગયો. હું પરમાત્મા એમ એક વિકલ્પમાં માનવાનું શરૂ કર્યું. અને એ રીતે દેવકરણજી કોઈ વાત વાતની અંદર પોતાના પરમાત્મપણાની વાત કરતા હશે. તો કહે છે, તે વાત કેવળ અસત્ય નથી, તે વાત અસત્ય નથી. સ્વરૂપે તો એ વાત બરાબર છે. “પણ....' પણ કરીને હવે વાત કરે છે. તેની મર્યાદા શું છે?
પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં. જેવું સ્વરૂપ છે એવું પોતાને દૃષ્ટિમાં અને જ્ઞાનમાં પ્રગટપણે અનુભવગોચર થાય નહિ ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. એણે એવિષયમાં જિજ્ઞાસુ રહેવું. પરમાત્મપણું શ્રીગુરુએ તો કહ્યું કે તું પરમાત્મા છો પણ મને એવો અનુભવ નથી થતો તો હું પરમાત્મા કેવી રીતે છું? એની જિજ્ઞાસા પહેલા રહેવી જોઈએ. કીધું એટલે માની લીધું એ ઓઘસંજ્ઞાએ માન્યું. શાસ્ત્ર કહે છે, શ્રીગુરુ કહે છે, તને માનવામાં વાંધો શું છે? તો માન્યું. પણ માન્ય એમાં ઓઘસંજ્ઞાએ માનતા નુકસાન થાશે, ઊલટું થાશે. એની અંદર જે ફળ આવવું જોઈએ તે ફળ આવશે નહિ.
કેમકે એ પરમાત્મપણું પ્રગટ થાય છે ત્યારે આત્માની, પરમાત્મસ્વરૂપમાં રહેલી જે શાંતિ છે એ શાંતિ પ્રગટે છે. અને જીવને પ્રયોજન તો સુખ-શાંતિનું છે. સુખ-શાંતિનું પ્રયોજન હોવા છતાં એપ્રયોજનનો તો ખ્યાલ કરે નહિ અને હું પરમાત્મા છું, હુંસિદ્ધ છું
Page #128
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૮
૧૧૧ એમ બોલતો ફરે અને કહેતો ફરે અને એવા વિકલ્પ કર્યા કરે એથી કાંઈ એ દશાનો લાભ થતો નથી.
એની મુખ્યતા જો કરે છે અથવા જેને કરવી છે, કરવાયોગ્ય છે એવું લાગે છે એને આ વાત જરા વધારે વિચારવા યોગ્ય છે. એ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી જિજ્ઞાસામાં રહીને એણે યથાર્થ નિર્ણય કર્યો હોય, પછી પ્રગટ થાય, પછી એની માન્યતા બરાબર ગણાય કે હવે પોતાને પરમાત્મસ્વરૂપ માને છે તે સમ્યફ છે. નહિતર માન્યતા અસમ્યફ અને હું પરમાત્મા છું એવી રીતે પોતાને પ્રગટપણું નહિ હોવા છતાં માની બેસે ત્યારે એ બીજું કેટલુંક મોટું નુકસાન કર્યા વિના રહે નહિ.
એટલે એ માર્ગદર્શન બહુ મહત્ત્વનું આપ્યું છે કે જ્યાં સુધી એ દશા પ્રગટે નહિ ત્યાં સુધી મુમુક્ષુએ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે એટલે કલ્યાણકારક છે. “અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે.” પરમાત્મસ્વરૂપની જિજ્ઞાસામાં રહેતા પરમાત્મદશા પ્રગટ માને પરિસ્થિતિ અથવા અવસર આવશે. જે માર્ગ મૂકીને..” હવે એ રીત છોડીને, એ રીત છોડીને. માર્ગ એટલે ઉપાય. એ ઉપાય છોડીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. પોતાના મૂળ સ્વરૂપને વિષે જિજ્ઞાસુપણું રહ્યા વિના એમનેમ માની લેતા એ પરમાત્મપણાનું ભાન થતું નથી. એ તો પોતાનું મૂળ પદ છે પણ એ પદનું ભાન નથી થતું.
તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે.' નુકસાન શું થશે? કે જે ખરેખર પરમાત્મા થયા એની અશાતના કરશે, એનો અવિનય કરશે. કેમ ? કે તમે પણ પરમાત્મા અને હું પરમાત્મા જ છું. પછી પરમાત્મા-પરમાત્મા વચ્ચે તો વંદ્ય-વંદક ભાવ હોય નહિ, વિનય કરવાનો પ્રશ્ન રહેતો નથી, ભક્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી, બહુમાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ પદનું ભાન થયા વિના, જિજ્ઞાસાપૂર્વક એ પદનું ભાન થયા વિના શું વિપરીતતા થશે? કે જે શ્રી જિન વીતરાગ સર્વજ્ઞપુરુષો થયા તેમની અશાતના કરવારૂપ પ્રવૃત્તિ થયા વિના રહેશે નહિ. સર્વદેવી-દેવતત્ત્વની વિરાધના કરશે. અશાતના કહો કે વિરાધના કહો. પછી એમાં ગુરુની વિરાધના આવી ગઈ, એમાં શાસ્ત્ર સિદ્ધાંતની વિરાધના આવી ગઈ, સપુરુષની તો એમાં વિરાધના આવી જગઈ. એ પરિસ્થિતિ આવશે.
બીજો મતભેદ કંઈ નથી.” આ સિવાય બીજી મારે વાત કરવાની નથી. આ વિષયમાં આટલો મતભેદ છે. આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા હોવા છતાં આટલો મતભેદ આની અંદર છે. બીજી વાતનો મતભેદ નથી. એટલે પરમાત્મપણું) પ્રગટ્યા
Page #129
--------------------------------------------------------------------------
________________
રાજદૃશ્ય ભાગ-૧૨
૧૧૨ વિનોદશા માની લે તો વિપરીતતા થયા વિના રહે નહિ.
મુમુક્ષુ - અશાતના થાય? પૂજ્ય ભાઈશ્રી:- હા. અશાતના થાય, વિરાધના થાય. મુમુક્ષુ -ફળમાં શું?
પૂજ્ય ભાઈશ્રી – ફળમાં નિગોદ. સર્વજ્ઞદેવની, દેવ-ગુરુ-શાસ્ત્ર-સપુરુષની વિરાધના થતાં એનું ફળ નિગોદ છે, જે નરક કરતાં પણ વધારે આકરું છે. વિરાધના ક્રોધ પર્યાયથી કરે તો via નરકમાંથી નિગોદમાં જાય. તો Via નરકમાં જાય. એ ક્રોધનું ફળ પાછું નરક છે. અને માયાચારપૂર્વક વિરાધના કરે એટલે બીજા પાસે કરાવે, એ જાતની આડકતરી રીતે વિરાધના કરે. ક્રોધમાં આવીને ન કરે પણ માયાચારથી કરે તો સીધો નિગોદમાં જાય. એમ બે રીતે (જાય છે). જાય નિગોદમાં જ. સરવાળે એનું Destination, Edcej Station-terminus Rolle &.
મુમુક્ષુ:–અમારેનિગોદમાં નથી જાવું. શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – ન જવું હોય તો પુરુષના સમાગમની ઉપાસના કરીને આત્મજ્ઞાન કરવું. જિજ્ઞાસામાં રહીને સપુરુષના સમાગમની ઉપાસના કરવી અને યથાર્થ રીતે આત્મજ્ઞાન કરવું. એનું ફળ મોક્ષ છે. એ છેલ્લે Terminus એ બાજુનું છે. બે બાજુના છેલ્લા Station છે.
મૃત્યુનું આવવું અવશ્ય છે. આ દેહ કાંઈ કાયમ રહેવાનો નથી. માની લે કે હું જાવાનો નથી અને એમ સમજીને ગમે તેમ સ્વચ્છંદ કે ઉપાંગવેળા કરતો હોય તો કાંઈ આ પર્યાય કાંઈ કાયમ રહે એવું નથી. કોઈની રહી નથી. તારે રહેવાનો પ્રશ્ન નથી. માટે જે કાંઈ કરવું તે વિચારીને કરવું. એ ૫૮૮ (પત્ર પૂરો થયો.
મુમુક્ષુ - આજ તો બાર અંગનો સાર આવી ગયો.
પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ સારો પત્ર છે લલ્લુજી' ઉપરનો. એમાં છેલ્લો Paragraph તો મુમુક્ષુને, એમાં પણ જે સિદ્ધાંત શાસ્ત્રનો અભ્યાસ કરે છે એવા મુમુક્ષુને તો માર્ગદર્શનના કારણરૂપે છે.
મુમુક્ષુ -બાર અંગ છે એમાં નિશ્ચયતત્ત્વ શું?
પૂજ્ય ભાઈશ્રી - નિશ્ચયતત્ત્વ પોતાનો આત્મા, નિશ્ચયતત્ત્વ પોતાનો આત્મા. પરમાત્મસ્વરૂપ પોતે જે છે એનિશ્ચયતત્ત્વ છે. નિશ્ચયતત્ત્વ કહો, અધ્યાત્મતત્ત્વ કહો એ પોતાનો આત્મા છે. અને એને જાણે એણે સર્વ જાણ્યું. એને જાણવા માટે એને સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૮૯
૧૧૩
પત્રક-૫૮૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૧ તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે.
૫૮૯મો પત્ર પણ લલ્લુજી ઉપર છે.
તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય. એટલે કોઈ વેદાંતીના પરિચયમાં પણ લાગે છે. એટલે લખે છે), તમે વેદાંતનો ગ્રંથ વાંચતા હો, એવો કોઈ પ્રસંગ હોય, કોઈ આપી જાય કે આ વાંચવા જેવો છે તો વાંચજો. અને વાંચે પણ. અથવા વેદાંતની કોઈ ચર્ચા થતી હોય. એવો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી.” તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. એટલે શું છે ? સિદ્ધાંતની ચર્ચામાં જાય, મંડન-ખંડનમાં જાય તો ઉપશમ નહિ રહે. અન્યમતના વેદાંતના શાસ્ત્રોમાં વૈરાગ્ય-ઉપશમનો બોધ છે એનો લાભ લેવો હોય તો તમે લેજો. ટૂંકામાં એમ કહે છે. એ ગ્રંથોની ચર્ચામાં જે કાંઈ વૈરાગ્ય-ઉપશમની વાત છે એ પડખું ગ્રહણ કરવું હોય તો ઠીક વાત છે પણ સૈદ્ધાંતિક વિષયની અંદર બને ત્યાં સુધી ચર્ચામાં ન પડવું અથવા એ વાત અવરોધપણે ન સમજાય ત્યાં સુધી કાંઈક નુકસાન થવાનો સંભવ છે. એમ અહીંયાં એ વિષયનું માર્ગદર્શન આપે છે.
એ “વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય... તમે સિદ્ધાંતનો નિશ્ચય કરી શકતા હોય, કરી શકવાની તમારી યોગ્યતા અને Capacity હોય તો એમ કરવામાં બાધ નથી, કેમકે તમે જૈન સિદ્ધાંતો પણ વાંચો છો અને તમે અન્યમતના વેદાંતના સિદ્ધાંતો પણ વાંચો. પછી તમે જો તુલના કરીને નિર્ણય કરી શકતા હોય તો કાંઈ બાધ નથી. તુલનાત્મકપણે સાચો નિર્ણય કરવાની એટલી શક્તિ આવી હોય તો કરો એનો વાંધો નથી પણ એમાં થોડું જોખમ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૨
તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે.’ નિશ્ચય કરવામાં કાંઈક ભૂલ થઈ જશે. એમાં શું ભૂલ થાય છે ? કે જે કોઈપણ રચનારા છે, વેદાંત શાસ્ત્રોના પણ કોઈ રચનારા એ પંથના પણ કોઈ મહાપુરુષો હોય છે ને ? તો એણે વૈરાગ્ય-ઉપશમ તો બહુ સારો બોધ્યો છે. આવો જેણે વૈરાગ્ય-ઉપશમ બોધ્યો એના સિદ્ધાંત ઉપર તમે વિશ્વાસ મૂકી દેશો. એક માણસ નિર્દોષ થવાની વાત કરે, તો એ નિર્દોષ થવા માટેનો સિદ્ધાંત કહે એના ઉપર વિશ્વાસ મૂકવાનો પ્રસંગ આવી જશે. કેમકે એને તો કાંઈ જોતું નથી. એ તો ત્યાગી છે. અને આત્માની નિર્દોષ થવાની વાત કરે છે. એટલે એની સૈદ્ધાંતિક વાત ઉ૫૨ પણ વિશ્વાસ મૂકી દેવાનો પ્રસંગ આવી જશે. એટલે એ સૈદ્ધાંતિક વાત તો બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષના સમાગમ અને ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કરો તો વધારે સારું છે. નહિત૨ જોખમ છે. જોખમ શું છે કે તમારા આત્માનો તમે વિરોધ કરશો. એ પરિસ્થિતિમાં આવી જશો. નિર્ણયની ભૂલ થાશે. સ્વરૂપનિશ્ચયની ભૂલ થઈ જશે.
એટલે એમને તો ખાસ કરીને આ વાત લીધી છે. આ સિદ્ધાંતિક વાત સત્પુરુષના સમાગમે સમજવી, સત્પુરુષ પાસેથી સીધી સમજવી. સત્પુરુષનો સમાગમ ઉપાસતા ઉપાસતા સમજવી. પોતાની મેળે એમાં નિર્ણય ક૨વા જતાં ગોથું ખાવાની વધારે પરિસ્થિતિ ઊભી થાશે. આ એક જ્યાં Danger point છે ત્યાં ધ્યાન ખેંચ્યું છે કે આ જોખમી જગ્યા છે. આ જગ્યાએ સંભાળીને ચાલજો, નહિતર મુશ્કેલી ઘણી થશે. મુશ્કેલી એ થશે કે આત્મવિરોધ થવાનો સંભવ છે. સ્વરૂપનો જ વિરોધ કરશે. સિદ્ધાંતિક બાબતમાં જુદા જુદા પત્રોમાં આ પ્રકારનો સંકેત મળે છે. એમની વાણીમાં આપ્રકારનો સંકેત મળે છે. સિદ્ધાંતનો વિષય પોતાની મેળે સમજવો નહિ.
સિદ્ધાંતિક શાસ્ત્રો જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વાંચવા, આજ્ઞાએ સમજવા. સમાગમમાં સમજવા, પ્રત્યક્ષ યોગમાં સમજવા. ઘરે બેસીને એનું અધ્યયન કરીને નિર્ણય ઉપર આવવું નહિ. કેમકે એમાં બહુ યોગ્યતા માગે છે. યોગ્યતા વગર સિદ્ધાંતજ્ઞાન છે એ શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે છે એ વાત એમણે કરી છે. અનઅધિકારી જીવના હાથમાં સિદ્ધાંત શાસ્ત્રો જતા એ શાસ્ત્રો એને શાસ્ત્રરૂપ નહિ થતા શસ્ત્રરૂપ થઈ પડે છે. સોનાની છરી બનાવે અને ભેટે બાંધે તો શોભે કે ભાઈ ! સોનાની છરી બાંધીને નીકળ્યા છે. એ ભેટે બાંધે પણ પેટમાં ખોસી દેવાય નહિ. ભેટે બાંધે પણ પેટમાં ખોસી દેવાય નહિ. ભેટને પેટ તો નજીક નજીક જ છે ને ? ઉ૫૨ બાંધે ત્યાં સુધી વાંધો નહિ પણ અંદર ખોસી દે તો ? સોનાની છરી તો સારી હોય ને. એ પેટમાં ખોસવા નથી,
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પત્રક-૫૯૦ ભેટમાં બાંધવા છે.
એમ સિદ્ધાંત શાસ્ત્ર છે એ ઉપદેશ માટેનું એક ઉચ્ચ કોટીનું અંગ છે. સિદ્ધાંતબોધ જ્ઞાન પ્રાપ્તિનું એક ઉચ્ચ કોટીનું અંગ છે. પણ તેને યોગ્ય થયા વિના એ નફો કરવાને બદલે નુકસાન વધારે કરે છે. એ વાત બધા સપુરુષોએ અને શાસ્ત્રોએ સાવધાની રાખવા માટે જરા ભારદઈને કરેલી વાત છે.
મુમુક્ષુ – સમાગમ અને પાછી ઉપાસના. એટલે કાંઈક..?
પૂજ્ય ભાઈશ્રી :- સમાગમ તો શું ક્યારેક સાંભળવા જાય અને મેં બરાબર સાંભળ્યું છે, મને ખબર છે. એમ નહિ. અત્યંત ભક્તિથી એમના ચરણની ઉપાસના જેને કહેવામાં આવે છે એટલે સારી રીતે જ્ઞાની પુરુષનું પડખું સેવ્યું હોય, ભક્તિથી, અત્યંત ભક્તિથી, ત્યારે એ વિષય એને સમજાય એવો છે. એવો ગંભીર વિષય છે.
મુમુક્ષુ - જ્ઞાનીની ભક્તિ કોને કહેવી? પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાનીની ભક્તિ જ્ઞાનીને ઓળખીને બહુમાન કરે તેને કહેવાય. જ્ઞાની પુરુષને ઓળખી, એની અંતર પરિણતિ સુધી પહોંચી અને એના પ્રત્યે બહુમાન આવે. કેવું બહુમાન આવે? પરમાત્મા જેવું બહુમાન આવે. પરમેશ્વર જેવું બહુમાન આવે ત્યારે એણે જ્ઞાનીની ભક્તિ કરી કહેવાય. એ જ્ઞાનીની ભક્તિ છે.
એ પણ લલ્લુજીને માર્ગદર્શન આપ્યું છે. બંને પત્રોની અંદર.
પત્રાંક-૫૯૦
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૧ ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું)-દશા સંબંધી અનપેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમતતે અવ્યાબાધ સત્ય છે.
તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણીવાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી. એ જવિનંતી.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
રાજહૃદય ભાગ-૧૨ ૫૯૦મો પત્ર છે ધારશીભાઈ કુશળચંદ, મોરબી.”
ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું–દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. ચારિત્રના કૌંસમાં લખ્યું છે કે (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું.” સમવસ્થાન થવું એટલે સમ્યફ પ્રકારે અવસ્થિત થવું. અવસ્થિત થવું એટલે સ્વરૂપમાં સ્થિત થવું. સમ્યફ પ્રકારે સ્વરૂપમાં સ્થિત થવું. શ્રી જિનના અભિપ્રાયમાં જે આત્મસ્વરૂપ છે, જે પરમાત્મસ્વરૂપ છે એવા પોતાના નિજ પરમાત્મસ્વરૂપમાં અંતર્મુખ થઈને સ્થિર થવું એને ચારિત્રદશા કહેવામાં આવે છે.
એ “દશા સંબંધી અનપેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન થાય છે. એ દશા સંબંધી અનપેક્ષા કરવાથી. અનુપ્રેક્ષામાં ભાવના છે. અને ભાવનામાં તથારૂપ પુરુષાર્થનો અંશ છે. પુરુષાર્થ સંબંધી પ્રયત્ન છે એટલે એને સંક્ષેપમાં અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. આ બારસ અણુવેખા છે ને? ભગવાન કુંદકુંદાચાર્યનું. હમણાં આપણે વીતરાગ ટ્રસ્ટમાંથી પ્રકાશિત કર્યું. બાર ભાવના. એ બાર ભાવનાના વિષયમાં મુનિઓ પણ આ બાર ભાવનાને ભાવે છે. એ અનુપ્રેક્ષા છે એટલે વારંવાર ભાવવા યોગ્ય છે. એ બાર પ્રકારે સ્વરૂપની ભાવના ભાવવામાં આવે છે, એમ કહે છે. સ્વરૂપ એક પ્રકારે છે. ભાવના એની બાર પ્રકારે કહેવામાં આવે છે. જેને લઈને જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. સ્વરૂપમાં સ્થિર થવાની યોગ્યતા આવે છે.
“તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. ત્રણે કાળે અવ્યાબાધ સત્ય છે. શું કહે છે કે લોકો એમ સમજી બેસે છે કે શાસ્ત્રની સમજણ કરી માટે જ્ઞાન થયું. પહેલા શાસ્ત્રની વાત નહોતી સમજાતી ત્યારે જ્ઞાન નહોતું થયું. હવે સમજાય છે માટે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો કહે છે, નહિ. અહીંયાં જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. ભગવાનના મત પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. ભગવાનનો મત એવો છે કે, “ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા....” સ્વસ્થતા કોને કહી ? કે જે આત્માનો ચારિત્રગુણ છે એ સ્વભાવરૂપ પરિણમે અને જે પરિણામને કારણે સ્વભાવમાં સ્થિરતા ઉત્પન્ન થાય. એવું જ્યાં સુધી ઉત્પન્ન થાય ત્યાં સુધી જ્ઞાન અફળ કહ્યું છે, જ્ઞાન સફળ કહ્યું નથી. જુઓ! આ બધા ધારણા જ્ઞાન અને બધા જ્ઞાનને ઉડાવ્યું.
જ્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે જ સમ્યકજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ સમ્યક્રચારિત્ર ઉત્પન થાય છે. એટલે જ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ
Page #134
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૦
૧૧૭
કહ્યો છે. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું અવિરતિ છે માટે ચારિત્ર નથી થયું એમ નથી. સ્વરૂપસ્થિરતા વિના શુદ્ધોપયોગ કહેવો કોને ? શુદ્ધોપયોગનો અર્થ જ એ છે કે શુદ્ધ સ્વરૂપમાં સ્થિ૨ થયો ઉપયોગ એનું નામ શુદ્ધોપયોગ છે. એ વિનાનું જ્ઞાન અફળ છે. એટલે ગમે તેટલી જ્ઞાનપ્રાપ્તિ થઈ હોય અથવા જ્ઞાન ગમે તેવું દેખાતું હોય, કોઈનું પણ, પોતાનું કે કોઈનું પણ સ્વરૂપસ્થિરતા એને ન થઈ હોય તો એ જ્ઞાન સફળ નથી પણ એ જ્ઞાન અફળ છે. એ જ્ઞાનની કોઈ કિંમત નથી એમ કહી દીધું.
આ તો જીવને વ્યામોહ થાય છે ને ? કોઈનો ક્ષયોપશમ જોઈને જીવ ભ્રાંતિમાં પડે છે કે આને જ્ઞાન ઘણું લાગે છે. કોઈની વાણી જોઈને ભ્રાંતિમાં પડે છે કે બહુ સરસ સમજાવે છે. બહુ સારું વ્યાખ્યાન આપે છે, સારું પ્રવચન આપે છે અને બહુ સરસ જ્ઞાન છે. તો કહે છે, પણ સ્વરૂપસ્થિરતા થઈ છે ? એમ કહે છે. સ્વરૂપાનુભવમાં એકેય વા૨ અંદરમાં આવી ગયો ? નહિતર એ જ્ઞાન તે આત્મજ્ઞાન નથી. એવું શાસ્ત્રજ્ઞાન તે ખરેખર આત્મજ્ઞાન નથી. અને એ જ્ઞાનનું કાંઈ સફળપણું પણ નથી. એ જ્ઞાન શાંતિ લઈને નહિ આવે એમ કહે છે. જ્ઞાનની સફળતા શું ? કે જે આત્માના આનંદને અને શાંતિને ઉત્પન્ન કરે તે જ્ઞાન સફળ છે. જો એ શાંતિ અને આનંદને ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન સફળ નથી. પ્રયોજન તો એ છે.
...་
સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફ્ળ છે,' પોતાને માટે જ્યારે કોઈને વિચારવાનું છે, મુમુક્ષુને તો પોતાને માટે વિચારવાનું છે તો એને એ વિચારવાનું છે કે મને ચારિત્ર પરિણામરૂપ સ્વભાવની સ્વસ્થતા આવે ત્યારે મારા જ્ઞાનની સફળતા માટે સમજવાની છે. એ પહેલા ભલે ગમે તેટલું જ્ઞાન મેળવવામાં આવે, સાંભળીને, વાંચીને, ચર્ચા કરીને, વિચારીને, પણ એ જ્ઞાનની કોઈ સફળતા નથી. એટલે ગમે તેટલો ક્ષયોપશમ વધશે પણ અહંપણું નહિ આવે. આ જ્ઞાન નિષ્ફળ છે. હજી આ જ્ઞાનની સફળતા નથી. એમ એને આંક મૂકી દેવાનો છે.
એવો જિનનો અભિમત...' છે. એ જિનેન્દ્ર ભગવાનનો આ મત છે, અભિપ્રાય છે. અને તે કોઈ કાળે પણ બાધા ન પામે એટલો સત્ય છે. પરમસત્ય છે એટલે અવ્યાબાધ સત્ય છે.’ ચોથા આરામાં આમ અને પાંચમાં આરામાં આમ, એવું પણ કાંઈ નથી. કોઈ કાળમાં કે ક્ષેત્રમાં-મહાવિદેહક્ષેત્રમાં આમ અને અહીંયાં અત્યારે આમ એવું કાંઈ નથી. ત્રણે કાળે બધા માટે એક જ સિદ્ધાંત છે, એક જ વાત છે. બીજી કોઈ વાત બીજાને માટે નથી. અથવા આ સિદ્ધાંત કચાંય બાધા પામતો નથી. એમ કહેવું છે.
આ લોકો તો વાત કરે છે-વેદાંતમાં તો એમ કહે, અમને તો અનુભૂતિ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
રાજહૃદય ભાગ-૧૨ અનુભૂતિ અમને થાય છે. ત્યાં સુધી વાત (કરે છે). એ કહે છે માટે છે એમ નથી. સ્વરૂપસ્થિરતા એ સ્વરૂપસ્થિરતા છે અને મંદ કષાયની શાંતિ તે મંદ કષાયની શાંતિ છે. સ્વરૂપસ્થિરતામાં તો મંદ કષાયની શાંતિથી પણ ભિન્ન પડે છે અથવા એ શાંતિ અશાંતિરૂપે અનુભવમાં આવે છે. એ જાત કોઈ જુદી છે. અને જે સાથે લઈ લે છે અને બીજી કોઈ એને મંદ કષાયના ભાવની, મંદ કષાયના રાગની ભિન્નતા ઊભી થતી નથી, એ શાંતિ સાચી શાંતિ નથી.
તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં...' હવે પોતાની વાત કરે છે. હવે ધારશીભાઈ’ને પોતાની વાત લખે છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં... કેમકે પોતાને હવે ચારિત્ર ઉપર જાવું છે ને ? સ્વરૂપસ્થિરતામાં વિશેષ જાવું છે. એટલે તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં...’ એટલે ચારિત્ર સંબંધીની ભાવના. ભાવના એટલે એકલા વિકલ્પ નહિ પણ સ્થિરતાના પુરુષાર્થ સાથેની ભાવના ઘણીવાર રહ્યાં છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ... ચંચળ પરિણતિનું કારણ એવો જે પોતાનો વ્યવસાય અને વ્યાપાર. ‘ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે,...' એ વ્યવસાયના નિમિત્તે અમારા પરિણામ ચંચળતાને પામે છે. સ્વરૂપસ્થિરતા જેટલી જોઈએ એટલી આવતી નથી. જેટલું જોઈએ એટલું સ્થિરતામાં રહેવાતું નથી એનો ખેદ રહે છે. અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી.’ અને એ ખેદના પરિણામને કારણે વળી વધારે શિથિલતા આવે છે. એ પણ એક વિકલ્પ છે. એના પરિણામે તમને જે કાંઈ પારમાર્થિક વિષય જણાવવો જોઈએ તે હું જણાવી શકતો નથી, લખી શકતો નથી. જુઓ ! કાં Line લાગી જાય છે કુદરતી ? નુકસાન બીજાને થાય છે. પોતાને થાય છે તો સાથે બીજાને પણ થાય છે.
એમની લાઈન એવી હતી કે જ્યારે એમના પોતાના પરિણામ વિશેષ પરમાર્થ વિષયમાં આવિર્ભૂત થયા હોય ત્યારે જ આ પારમાર્થિક વાત કોઈને કહેવી અથવા લખવી. નહિતર તે વિષયને ચર્ચા માટે લખાણમાં મૂકવો નહિ, લેવો નહિ. એમની કામ કરવાની આ પદ્ધતિ હતી. બીજાની સાથે પારમાર્થિક વિષય છેડવામાં આ એમની એક મર્યાદા હતી. એ વાત આગળ ગઈકાલના વાંચનમાં આપણે ૫૮૬ પત્રમાં એ વાત આવી ગઈ.
બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે.’ જણાવવા જેવું અને જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. જે જે પાત્ર જીવો છે એમના સમાગમમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૯૦
૧૧૯ અને નજીકતામાં આવ્યા છે એને જણાવવા વિષે તો મનમાં વાત રહ્યા કરે છે. “પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી.” તમે તમારા તરફથી જે જ્ઞાનવાર્તા છે એ ચાલુ રાખો એમાં કોઈ વાંધો નથી. હું મારી side સંભાળું છું એમ કહે છે. તમે તમારી ચાલુ રાખજો. હું તો મારી મર્યાદામાં જે રીતે છે એ મર્યાદામાં તમને ક્યારેક જવાબ લખીશ, ક્યારેક જવાબ નહિ લખું, એમ કહેવું છે. પણ તમે તમારી રીતે કોઈ વાત છેડવી હોય તો છેડતા રહેજો. એનો કોઈ પ્રતિબંધ નથી. અડચણ નથી એટલે એમાં ના કહેવાનું કારણ નથી, એમ કહે છે. જિજ્ઞાસાને રોકવાની વાત નથી, જિજ્ઞાસાને બંધ કરવાની વાત નથી. ઉત્તર દેવામાં અવશ્ય એ બાબતમાં મર્યાદા ચોક્કસ છે, પણ એ તો મારા તરફનો વિષય છે. તમારે તો જિજ્ઞાસામાં રહેવામાં વાંધો નથી. (અહીં સુધી રાખીએ...)
ઘણું કરીને સર્વ ધર્મમતમાં સદ્દગુણનો આદર અને અવગુણનો અનાદર માન્ય છે અને તદર્થે સર્વધર્મમાં સ્વમતી પ્રમાણે પ્રતિપાદન પણ જોવામાં આવે છે. પરંતુ આ પર્યાય આશ્રિત બોધ ગ્રહણ કરતાં, દ્રવ્યદૃષ્ટિના અભાવમાં પર્યાયમાં જે તે ગુણ પ્રહણ થતાંની સાથે જ, પર્યાય દૃષ્ટિને લીધે, તેનું અહમ્ પણ સાથે થઈ આવે છે, જે અનિવાર્યપણે થાય છે, તેનું નિવારણ કેમ થાય ? તે તરફ સમ્યફ જ્ઞાન વિના સમજી શકાય તેવું નથી. તેથી જ જિનમાર્ગને વિષે સમ્યકત્વના મહિમાનું અલૌકિક પ્રતિપાદન છે. તેવું અન્યમાં તે વિષયનું ક્યાંય પ્રતિપાદન નથી.
(અનુભવ સંજીવની-૧૪૧૧)
જૈન શાસ્ત્રના ઉપદેશ બોધને ગ્રહણ કરવામાં પણ સમ્યફપણે’ પર્યાયનું અહમ્ ન થાય-ન થઈ જાય, તેવી સાવધાની રહેવી આવશ્યક છે, નહિતો અન્યમતની જેમ એકાંત થઈ, પર્યાય ઉપરનું વજન અસંતુલિત થઈ, સમ્યકત્વથી દૂર જવાનું બને છે અને પયયનું અહમ્ ઉત્પન્ન થાય છે, દર્શનમોહની વૃદ્ધિ થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૧૨)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પત્રાંક-૫૯૧
રાજહૃદય ભાગ-૧૨
મુંબઈ, ચૈત્ર, ૧૯૫૧
વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્તિ થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળ પણું થતું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.
તા. ૧૭-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૧, ૫૯૨ પ્રવચન નં. ૨૭૪
પત્રાંક-૫૯૧. પાનું-૪૬ ૧. પત્ર કોના ઉ૫૨ છે એ નિશ્ચિત નથી. અનેક પ્રકારની ઇચ્છા સંબંધિત માર્ગદર્શન છે.
‘વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થતું સંભવતું નથી.’ એ સિદ્ધાંત છે. શું કહે છે ? જ્યાં સુધી આત્માને પોતાની શાંતિ અને આનંદની તૃપ્તિ નથી થતી, પોતાના સ્વભાવમાંથી
Page #138
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૨૧
ઉત્પન્ન શાંતિ અને આનંદથી તૃપ્તિ નથી થતી, ત્યાં સુધી અનાદિથી અતૃપ્ત એવો આત્મા છે અને એ કાંઈને કાંઈ ઇચ્છાથી સુખ-શાંતિ લેવા માગે છે. એ સુખ-શાંતિ ન મળતાં એટલી આકુળતા ઉત્પન્ન થાય છે કે એ આકુળતા જીવ સહન કરી શકતો નથી. એટલે તે વિષયમાં ઝંપલાવે છે. દેવલોકમાં પણ આ પરિસ્થિતિ છે.
‘પ્રવચનસાર’માં એ વિષય ચાલ્યો છે, કે દેવો કેમ દુઃખી છે ? અંદરથી આત્માને શાંતિ અને સુખની તૃપ્તિ નહિ મળતી હોવાથી બહારથી સુખ મેળવવાની વૃત્તિરૂપ ઇચ્છા છે એ ઇચ્છા કોઈ રીતે શાંત થઈ શકે એવું નથી. એ ઇચ્છામાં આકુળતા છે, અગ્નિની દાહનો ભડકો છે અને આ એક જગતના જીવોની, જગતના સર્વ જીવોની બહુ મોટી સમસ્યા છે. પરિણામમાં સુખ-શાંતિ ઉત્પન્ન કરવાનો રસ્તો, સાચા રસ્તાથી જે અજાણ છે એ જે પદાર્થની ઇચ્છા થાય તે પદાર્થ જો ભોગવવા મળે, એની પ્રાપ્તિ થાય તો તે ઇચ્છા મટે છે તેવો સૌને અનુભવ છે. એટલે બધા એ રસ્તે જાય છે.
કેવી રીતે આત્મશાંતિ મેળવવી એ રસ્તાથી જગતના જીવો અજાણ છે. અને આ બધાને પરિચિત અને અનુભૂત છે. બધાનો અનુભવ શું છે ? ભૂખ લાગી, ખાઈ લીધું, ભૂખની ઇચ્છા મટી ગઈ. માટે જે જે પદાર્થોની ઇચ્છા થાય તે તે પદાર્થો મેળવો એટલે તે ઇચ્છાની આકુળતા બંધ થાય. આ ક્રમથી બધા પ્રવર્તે છે. અહીંયાં બીજી તકલીફ શું છે ? કે જેટલા જેટલા પદાર્થની ઇચ્છા થાય એટલા પદાર્થ જીવોને મળતા નથી, મળવાની શકયતાઓ પણ નથી. કેમકે એક જીવની ઇચ્છા એટલી બધી છે, એટલા બધા પદાર્થો માટેની છે, કે સર્વ પદાર્થો સર્વ જીવને ઉપલબ્ધ થાય એટલા પદાર્થોની પણ સંખ્યા નથી, એવી પૂર્વ કર્મની પણ કોઈ વ્યવસ્થા નથી કે ઇચ્છા થાય એટલે પદાર્થ મળી જ જાય. પદાર્થનો સંયોગ-વિયોગ તો પૂર્વકર્મના પ્રારબ્ધને આધિન છે અને એ કાંઈ ઇચ્છાને આધિન નથી. એટલે બહુભાગ જીવો અથવા એક જીવ પણ બહુભાગપણે માનસિક અશાતા અને આકુળતાને વેદે છે એનું આ કારણ છે.
એના ઉપર બહુ સારુ સ્પષ્ટીકરણ છે કે, ‘વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્તિ થવાની ઇચ્છા રાખવી...' કે આપણે ઇચ્છાનો નાશ કરવો હોય તો એ પદાર્થ ભોગવી લેવો. અને તે ક્રમે...’ એટલે એ રીતે પ્રવર્તવા જતાં આગળ પ૨ તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે.' વિષયમૂર્છા એટલે શું ? વિષયમાં સુખ છે એનો કલ્પિત સુખનો અનુભવ કરતાં, અનુભવકાળમાં છે તો દુઃખ, પણ કલ્પિત સુખનો અનુભવ કરતાં પોતાનું ભાન જીવ ભૂલે છે કે હું જ્ઞાનમાત્ર છું. એટલે એને ત્યાં મૂર્છા કહી. મૂર્છામાં શું થાય છે ? કોઈપણ માણસને બહારમાં શારીરિક મૂર્છા આવે છે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૨ ત્યારે શું થાય છે? કે પોતે ભાન ભૂલી જાય છે. ચાલતો ચાલતો પડી જાય. પડી જાય તો ક્યાં પડી જાય એની કાંઈ એને ખબર ન રહે. પોતાના દેહનું, પોતાની હયાતીનું ભાન ભૂલે એનું નામ મૂચ્છે છે. અહીંયાં પણ એક એવી મૂચ્છ ઉત્પન્ન થાય છે.
જ્યારે જીવ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં સુખાનુભવ કરે છે ત્યારે તે મુચ્છિત થઈને કરે છે. મૂચ્છિત થઈને શા માટે કરે છે? કે એણે પહેલેથી નિર્ણય કર્યો છે કે આ પદાર્થથી મને સુખ છે. માટે મૂચ્છ ખાય જાય છે. મુમુક્ષુદશાથી અને જ્ઞાનદશાથી જે આ ફરક પડે છે. એ પહેલા એમ નિર્ણય કરે છે કે કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. એવો નિર્ણય કરવા જતાં એને કેટલાક પદાર્થોની ઈષ્ટતાનો અનુભવ છે કે આ પદાર્થમાં મેં સુખ લીધું છે, આ પદાર્થે મને દુઃખી કર્યો છે. એને એ પછી પ્રયોગમાં લે છે કે જે જે પદાર્થોમાં મેં સુખ લીધું એમાં મારી સમજણ લાગુ કરું. કોઈ પદાર્થમાં સુખ નથી તો મને તો આ પદાર્થમાં સુખ લાગ્યું હતું. હવે અત્યારે લાગે છે કે નહિ? અભિપ્રાય બદલવાનો આ એક પ્રયત્ન છે કે ખરેખર કોઈ પદાર્થ સુખી નથી, કોઈ પદાર્થ દુઃખનું કારણ નથી.
એ અભિપ્રાય બદલ્યા પછી પણ જીવ ઉપર જે અનાદિની અસર છે એ અસર નિમ્ળ નથી થતી. તોપણ થોડીઘણી અસર આવે છે. જ્ઞાનીને અસ્થિરતાથી આવે છે અને મુમુક્ષને તો વિશેષ આવે છે. પણ છતાં રસ પાતળો પડે છે. જો પ્રયોગ કર્યો હોય તો. તો સુખાનુભવનો રસ પાતળો પડે છે. નહિતર તો તીવ્ર રસ, જેને. રસ કહે છે. ચાર વખત ચૂંટેલોએવો રસ પડે છે. અને નહિતર રસ મંદ પડે છે. રસ મંદ પડવાની પ્રક્રિયામાં મુમુક્ષુ આવે છે. જ્ઞાનીને અસ્થિરતા છે એટલે જાગૃતિ સહિત સુખાનુભવ છે. પણ છતાં એનું જ્ઞાન જાગૃત છે કે (આ) જ્ઞાનનું જ્ઞય છે. આ સુખનું કારણ નથી પણ જ્ઞાનનું શેય છે. નતો એનાથી) સુખ છે, નતો એનાથી દુઃખ છે. મારા પરિણામને લઈને મચક ખાવ છું. કારણ મારું છે, સામા પદાર્થનું નથી. એટલે એ સુખને સુખ નહિ પણ દુઃખરૂપે પ્રત્યક્ષ અનુભવે છે. એટલે એમૂચ્છ નથી ખાતા.
જ્ઞાની છે એ વિષયભોગ એને જોવામાં આવે પણ જ્ઞાની મૂચ્છ ખાતા નથી. જ્યારે સામાન્ય સંસારી પ્રાણી વિષયાદિની ઇચ્છાથી વિષયોમાં પ્રવર્તે ત્યારે તેને મૂર્છા આવે છે અને એ ઇચ્છા પૂરી થાય તોપણ વિષયમૂચ્છનો જે રોગ છે એ રોગ મટતો નથી. બીજા પદાર્થોની જે ઇચ્છાઓ છે એ ઇચ્છાઓ ચાલુ થાય છે. પ્રારબ્ધયોગે જે પદાર્થો આવે છે એને ભોગવતા વળી ફરીને મૂચ્છ થાય છે. એમ એક મૂચ્છ ખાય અને કાંઈક કળ વળી ત્યાં બીજી મૂચ્છ ખાય છે. એમાંથી કળ વળી ત્યાં ત્રીજી મૂર્છા થાય છે. ઉપરાઉપરી
Page #140
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૨૩ મૂચ્છ ખાય છે. શાશ્વત પદાર્થ છે એટલે નાશ થતો નથી. નહિતર ઉપરાઉપરી ક્ષણે ક્ષણે મૂચ્છ ખાય તો શું દશા થાય એ તો કહો? શારીરિક રોગમાં મૃત્યુ જ થાય. શરીરમાં ક્યાં બચવાનો ? શરીરમાં એટલી બધી મૂર્છા આવે, પાંચ-પાંચ મિનિટે મૂચ્છ આવે તો શું થાય? જીવન ન રહે. આ તો અનંતી જીવત્વશક્તિ અંદરમાં છે એટલે ટકી ગયો છે અને ટકી રહેશે. પણ દુઃખ અનંત છે. ક્ષણે ક્ષણે એને ભાવમરણનું દુઃખ અનંત છે. એટલે એ રીતે વિષય મૂચ્છ ફરીને ઉત્પન્ન નહિ થાય, એક વખત મૂચ્છ ખાધી એટલે ફરીને વિષયની મૂચ્છ ઉત્પન્ન નહિ થાય એમ નહિ બને. એ પરિસ્થિતિ નથી. પરિણામના વિજ્ઞાનની એ પરિસ્થિતિ નથી. તો શું પરિસ્થિતિ છે?
જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.” જ્ઞાનદશામાં તે પદાર્થ શેય છે. શેય પદાર્થ હોવાથી એમાં જ્ઞાની આત્મા મૂચ્છ ખાતો નથી. સાથે સાથે એને પોતાના સ્વરૂપસુખની તૃપ્તિ પણ વર્તે છે. એને તો એકસાથે બે વાત છે. એક તો સ્વરૂપસુખથી તૃપ્ત પણ છે, બીજી બાજુ બીજા પદાર્થમાં થોડી મચકખાય છે તો પણ એ જ્ઞાનનું ય છે એ મુખ્ય પરિણમન છે, મચક ખાય છે એ ગૌણ પરિણમન છે. અને એથી કરીને એને પોતાનું ભાન ભૂલીને આકુળતા થતી નથી. અલ્પઆકુળતા થાય છે.
એ ક્રમે વિષયની ઇચ્છાઓ, પરપદાર્થની ઇચ્છાઓ એ ક્રમે નિર્મૂળ થવી સંભવે છે. કેવી રીતે નિર્મળ થાય ? લોકો શું સમજે છે? કે અમુક પદાર્થો માણસોને નથી મળતા માટે માણસો દુઃખી છે. પ્રાણીઓને દુઃખ કેમ છે? માટે તે તે પદાર્થોની ઉપલબ્ધિ અને થાય તો એનું દુઃખમટે. આપણી વ્યવસ્થા હોય તો દાન દઈને પણ એ પદાર્થ એને આપી દેવો. એટલે એનું દુઃખ મટે એનું દુઃખ કાયમ માટે નહિમટે. એ વખતે એ મૂચ્છિત થઈને થોડો હળવો થાશે. એની આકુળતા નહિ લંબાય. ઇચ્છા પૂરી થશે એટલે એ તો હળવો થશે, કષાય મંદ થશે. પણ એને વિષયમૂચ્છનો રોગ જાશે નહિ. એટલે એ મટાડવાનો કાયમી ઉપાય નથી. કાયમી ઉપાય તો એ છે કે જ્ઞાનદાન હોય તો દે તું. જો જ્ઞાનનું દાન દઈ શકાતું હોય તો જ્ઞાનદાન દે તું. એને જો આત્મિક શાંતિ ઉત્પન્ન થશે તો અવશ્ય ગમે તે પરિસ્થિતિમાં એ સુખી રહેશે. નહિતર ગમે તે પરિસ્થિતિમાં દુઃખી રહેવાનો જ છે. એક ચીજ મળી તો બીજી બે ચીજની ઇચ્છા ઊભી થાશે. બે મળી તો બીજી ચારની ઈચ્છા ઊભી થાશે. આમાંથી જીવ છૂટી શકતો નથી.
કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.' વિષયનું એટલે વિષયસંબંધી ઇચ્છાનું નિર્મૂળ થવું સંભવતું નથી. પત્ર ગમે તેને લખ્યો છે પણ વાત બહુ પ્રયોજનભૂત છે. જીવને સુખી થવા માટે આ વાત સમજવી જરૂરી છે. “માત્ર ઉદય
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રાજહૃદય ભાગ-૧૨ વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે.” હવે શું થાય છે ? કે ઉદય માત્ર વિષય ભોગવ્યાથી નાશ થાય. હવે શું થાય છે કે જે ઉદયમાં આવી ગઈ ચીજ, ભોગવી લીધી, ઇચ્છા નિવૃત્ત થઈ. બરાબર છે. પણ એ વખતે શું થયું? કે જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, તીવ્ર રસના પરિણામ થયા વિના રહે નહિ. કેમકે સુખના અભિપ્રાયપૂર્વક સુખનો અનુભવ કર્યો. એટલે ઉત્સુક પરિણામ કહો, તીવ્ર રસના પરિણામ કહો એ થયા વિના રહે નહિ.
વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.” એને Double ઇચ્છા થાય કે આમાં અહીં સુખ થયું. વધારે ને વધારે સુખ મેળવો, વધારેમાં વધારે સુખ મેળવો. પાછું ત્યાં પહોંચીને પાછું ફરવું પડે છે. ભૂખ લાગી એમાં મિષ્ટાન આવ્યું. મિષ્ટાન ભાવતું હોય. અમુક ગળપણ ભાવે છે ને. ખાતા ખાતા ના પાડવી પડે. લ્યો ભાઈ ! દાબે રાખો તમ તમારે. અમે તો પીરસવા જ આવ્યા છે. કેમ ના પાડી તો પાછો એ ખ્યાલ નથી આવતો કે આ ભૂલ થઈ છે. આ જે પહેલા કોળિયે જે સુખ લાગ્યું હતું એ ભ્રાંતિ હતી એનો વિચાર જીવને નથી આવતો. એટલે શું થાય છે? કે જે અભિપ્રાય છે એ મજબૂત થાય છે. વર્ધમાન થાય છે એનો અર્થ શું થાય છે? કે વિષય પરાજિત થવાને બદલે પોતે પરાજિત થાય છે. અને એમ અભિપ્રાય મજબૂત થાય છે કે આનાથી સુખ છે.
આ જગતમાં જીવો ખૂના પણ કરે છે, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, ખૂન કરીને પણ બીજાની સંપત્તિ લઈ લે છે. શું કરવા? કે એનો એટલો બધો મજબૂત અભિપ્રાય છે કે ગમે તેમ કરીને આ માટે મેળવવું જ જોઈએ. ગમે તેમ કરીને મેળવવું જોઈએ. ભલે જે કરવું પડે તે કરવું પડે પણ આ તો મારે જોઈએ, જોઈએ ને જોઈએ જ. ક્યાંથી જોઈએ? જ્યાંથી હોય ત્યાંથી મારે લઈ લેવું. શેમાંથી એ ભાવ ઉત્પન્ન થયો)? કે એમાં સુખ છે એ સુખબુદ્ધિએ કરીને એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી.....” આમાં શું છે કે જ્ઞાનદશામાં સિદ્ધાંત બદલાય જાય છે. અજ્ઞાનદશાનો એ સિદ્ધાંત છે કે જો ઇચ્છાની આકુળતાથી છૂટવું હોય તો તે પદાર્થ છે એ મેળવી લેવો, પ્રાપ્ત કરી લેવો, ભોગવી લેવો. જ્યાં સુધી નહિ જમીએ ત્યાં સુધી ભૂખ ચાલુ રહેશે. ભૂખ ચાલુ રહેશે. ત્યાં સુધી ભૂખની આકુળતા ચાલુ રહેશે. માટે ખાઈ લેવું. એનાથી નિર્મૂળ નહિ થાય. એ
Page #142
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૨૫ વખતે ઇચ્છા મટી જરૂર. નહિતર તો એમ કહે જુઓ ! આ ચોખો પ્રયોગ છે. ઇચ્છા મટી કેનમટી? ભૂખ લાગી અને ખાધું. ઇચ્છા મટી ગઈ. માટે આમ જ ઇચ્છા મટાડવી. તો કહે છે, નહિ. એ ઇચ્છા ચાલુ જ રહેવાની છે. જ્ઞાનીને એ સિદ્ધાંત નથી.
જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવું એટલે એની ઇચ્છા છૂટી જવી, રસ છૂટી જવો. એવી ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી... પેલા (અજ્ઞાની)વિરક્ત નથી થતા. એ વખતે ઇચ્છા બંધ થાય છે. પણ એમાં અભિપ્રાયમાં રસ ચાલુ જ રહે છે કે ઇચ્છાની આકુળતા આમ જ બંધ કરાય, બીજી રીતે બંધ કરાય નહિ. એટલે એ વિરક્ત નથી થતાં. જ્યારે જ્ઞાનીઓનો એ અભિપ્રાય નથી, એ સિદ્ધાંત નથી. એ રીતે એવિરક્ત થવા માટે પ્રવૃત્તિ કરતા નથી.
અને એમ જો પ્રવર્તવા જાય...” એ પ્રકારે જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.' શું કહે છે? જે રીતે સંસારી પ્રાણી ઇચ્છાની નિવૃત્તિ માટે ઇચ્છિત પદાર્થને પ્રાપ્ત કરે છે, ઉત્સક પરિણામે એને ભોગવે છે અથવા આરાધે છે. આરાધ’ શબ્દ લીધો છે. છે તો વિરાધના છે તો આત્માની અપેક્ષાએ વિરાધના છે પણ તે પદાર્થની આરાધના છે. વિષયની આરાધના છે. એના પ્રત્યે એને બહુમાન છે. માટે દીન થઈને પણ એને મહત્તા આપે છે. શું કરે છે? આ મેળવવા માટે દીનતા કરે છે કે નહિ? જેની પાસેથી લાભ થવાનો હોય એની કેટલી દીનતા કરે છે? એ એનું આરાધન છે. એને મળતા તે એનું આરાધન છે. એનાથી જ્ઞાનને આવરણ થાય છે. આત્માને એનાથી આવરણ થાય છે. એ પ્રકારે પરપદાર્થને આરાધતા જીવને પોતાને સ્વભાવ ઉપર આવરણ આવ્યા વિના રહે નહિ. આ કેવી રીતે જ્ઞાનને ગુમાવે છે એ વાત છે).
મનુષ્ય હોય અને જીવજંતુમાં ચાલ્યો જાય છે એનું કારણ શું? મોટો દેવ હોય, દેવલોકનો મોટો ઋદ્ધિધારી દેવ હોય અને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે એનું શું કારણ છે? કે એ વિષયોને આરાધતા એટલી મૂચ્છ ખાધી છે, જોર જોરથી મૂચ્છ ખાધી છે અને એ મૂચ્છથી એણે પોતાના જ્ઞાનને આવરણ કર્યું છે. એ આવરણ પ્રત્યક્ષ થઈ જાય છે. એકેન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં, ત્રણઈન્દ્રિયમાં ચાલ્યો જાય છે.
એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.” અવશ્ય જ્ઞાનને આવરણ આવે, આવે ને આવે જ. “માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. જ્ઞાની પુરુષ તો એ પ્રવૃત્તિમાં છે. નીચેના ગુણસ્થાને. ચોથા અને પાંચમાં ગુણસ્થાનમાં મધ્યમ સુધી છે. તો કહે છે, છૂટી ન શકાય, પોતે એ સંયોગોથી છૂટી નથી શકતો એટલી પોતાની નબળાઈ સમજે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૨ એટલી પોતાની અશક્તિ સમજે છે. અને તેથી જ જ્ઞાની પુરુષને ભોગપ્રવૃત્તિ છે. પણ અભિપ્રાયની નથી કે આ સુખી થવાનો રસ્તો છે. એ અભિપ્રાય બિલકુલ નથી.
મુમુક્ષ:- જ્ઞાનદશા ન કરી હોય તો જ્ઞાનનું આવરણ થઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનદશામાં ન આવે તો જ્ઞાનને આવરણ આવતા આવતા અધોગતિમાં જાય, જાય ને જાય જ. ત્રસનો કાળ જ બે હજાર સાગર સુધીનો Maximum લીધો છે. કોઈપણ પ્રાણી ત્રસપર્યાયની અંદર ક્યાં સુધી રહે ? વધુમાં વધુ બે હજાર સાગર.બે હજાર સાગરમાં જ્ઞાનદશાન લીધી તો એ ગયો જસમજી લ્યો.
મુમુક્ષુ –એ તો વધુમાં વધુ.
પૂજ્ય ભાઈશ્રી:- વધુમાં વધુ. એ પહેલા પણ ચાલ્યો જાય. તીવ્ર રસ પરિણમે તો તીવ્ર આવરણ કરીને એ પહેલા એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય. નહિતર બે હજાર સાગરે તો એની Limit પૂરી થઈ ગઈ. એનું કારણ એ છે કે જ્ઞાનને આવરણ કરતો જ જાય છે... જ્ઞાનને આવરણ કરતો જ જાય છે.
મુમુક્ષુ :- ચોવીસે કલાક પરવિષયની તો આરાધના ચાલે જ છે તો એના પરિણામ ભયંકર છે.
પૂજ્ય ભાઈશ્રી – ભયંકર છે. આવરણ આવતા જ જાય છે. એટલે તો જેને પૂર્ણતાનું લક્ષ હોય એ ક્ષણે ક્ષણે જાગૃત રહે છે કે આવરણ આવે છે... આવરણ આવે છે. આ ઈચ્છા થઈ તો આવરણ આવે છે, આની ઇચ્છા થઈ તો આવરણ આવે છે, પાછી આ ઇચ્છા થઈ તો આવરણ આવે છે. ઇચ્છા થાય પણ આવરણ આવે છે એની જાગૃતિમાં એને રસ તીવ્ર ન થાય, એની ઇચ્છા લંબાઈ નહિ. કે કાંઈ નહિ, આત્મા જ્ઞાતાદ છે. થઈ તો થઈ. આત્મા જ્ઞાતાદૃષ્ટા છે એનાથી ક્યાં સુધી ? ઇચ્છિત પદાર્થથી સુખ નથી. જ્ઞાનનો નય છે. જવાદો. ઈચ્છા લંબાવવી નથી. અને ઓલું તો એને પદાર્થન મળે ત્યાં સુધી) માથું ઠેકાણે આવે નહિ.
જેમ કૂતરા હડકાયા થાય છે કે નહિ? ગામડામાં જોયું હશે? એને માથામાં ઘૂરી ચડે એમ કહેવાય છે. ક્યાં જાય એની ખબર ન હોય. શેરીમાં જાય, ગામ બહાર જાય, વળી ગામમાં આવે, ગામમાં ક્યાં જાય એનો કાંઈ મેળ જનહિ. માથામાં ઘૂરી ચડી હોય ઘૂમ્યા જ કરે, બેસી શકે નહિ. એક ઠેકાણે બેસે નહિ. ભમ્યા જ કરે, ભમ્યા કરે. એમાં કોઈ સામુ મળે તો કરડી લે. કારણ વગર. એને કાંઈ કોઈ મારતું ન હોય તો પણ કરડી લે. કેમ કે એવગર એને માથું ઠેકાણે ન આવે.
એમ આ જીવને જ્યાં સુધી પદાર્થવિજ્ઞાનની ખબર નથી, સુખી-દુઃખી થવાના
Page #144
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૨૭
રસ્તાની ખબર નથી ત્યાં સુધી એનું માથું ઠેકાણે આવે એવું નથી. ઘૂરી ચડે એવું છે. ભમ્યા જ કરે... ભમ્યા જ કરે.. ભાવે ભમે ને દ્રવ્યે ભમે... ભાવે ભમે ને દ્રવ્યે ભમે. આ દેશ-દેશાવર જોવા માટે જાય છે ને ? ચાલો ‘અમેરિકા’ જોઈ આવીએ અને ઇંગ્લેન્ડ’ જોઈ આવીએ અને બધે ફરી આવીએ. બધું જોવા મળે. શું છે આ ? એ બધી ઘૂરી ચડેલી
છે.
આપણા મુમુક્ષુ છે એ ‘અમેરિકા’ ફરવા ગયેલા. પૈસાની સગવડ (હતી એટલે) એમ કે આપણે પૈસા તો પડ્યા જ છે. ચાલોને ત્યારે જોઈ આવીએ, ફરી આવીએ. બેચાર મહિના ‘અમેરિકા’માં ફરીને આવ્યા. એને ખબર નહિ કે ‘ગુરુદેવ’ને આવી વાત કરાય કે ન કરાય. ઘણા વખતથી આ દેખાણા નથી. ત્યાં જાય એટલે ચાર-છ મહિને પાછા આવે. આવીને વાત કરી કે સાહેબ ! અમે ‘અમેરિકા’ ફરવા ગયા હતા. ફરી આવ્યા. વ્યાખ્યાનમાં કીધું કે આ રખડી આવ્યા. શું કીધું ? આ ‘અમેરિકા’ રખડવા ગયા હતા. રખડી આવ્યા. ઘૂરી ચડે ને ? એના જેવું છે. જ્ઞાનને આવરણ કરી આવ્યા. શું કરી આવ્યા ? જ્ઞાનને આવરણ કરી આવ્યા.
મુમુક્ષુ :– બુદ્ધિનો વિકાસ થાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– બુદ્ધિનો વિકાસ થાય કે બુદ્ધિ બીડાય જાય ?
મુમુક્ષુ ઃ– જ્ઞાનના આવરણનો Graph ઘડાતો જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એનો નકશો તૈયાર થઈ જાય (કે) કેવી રીતે આવરણ થાશે. જ્ઞાનીપુરુષની તો કેવી પ્રવૃત્તિ હોય છે એના પરિણામની વાત કરે છે કે જ્ઞાનીપુરુષ છૂટી શકતા નથી માટે ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાતાપવાળી... કેવી છે ? પૂર્વપશ્ચાત્-પહેલા પણ એને પશ્ચાતાપ છે અને પછી પણ પશ્ચાતાપ છે.
મુમુક્ષુ :– જેમાં ફસાતા હોય એમાં રસ કેમ ચડે ?
-
પૂજ્ય ભાઈશ્રી :– ૨સ કેવી રીતે ચડે ? અરે...! મારી દશામાં હજી એટલી તૈયારી નથી થઈ કે હું મારા આનંદમાં સ્થિર રહી જાવ. મારી શાંતિમાંથી બહાર નીકળું નહિ. એવી દશા નથી થઈ. જે આ ઇચ્છા ઉત્પન્ન થાય છે તો પહેલા પણ પશ્ચાતાપ, પછી પણ ઇચ્છા મટે ત્યારે પણ પશ્ચાતાપ છે.
પૂર્વપશ્ચાત્ પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે.’ મંદમાં મંદ રસવાળા પરિણામસંયુક્ત હોય છે. એમને રસ આવતો નથી. કેમકે અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે. એટલે એનો ખેદ થાય છે પણ રસ આવતો નથી. હમણાં એ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૨ થોડી ચર્ચા ચાલેલી છે. ખેદ થાય નહિતો એને રસ આવ્યા વિના રહે નહિ. જે જે વિભાવ પરિણામ છે એનો ખેદ થાય નહિ તો રસ આવ્યા વિના રહે નહિ. ખેદ નથી થતો એનો અર્થ કે એ પરિણામને પોતે અનુમોદે છે. ઠીક થયા, સારા થયા, એમાં સુખ થયું, એમાં આનંદ આવ્યો, મજા આવી. ઇચ્છિત પદાર્થ મળે અને મજા આવે એમાં એને ખેદ ક્યાં થાય ? એટલે એને અનુમોદન સાથે એ કાર્ય છે. પ્રવૃત્તિ અનુમોદના સાથે છે. અનુમોદનાન હોય તો ખેદ આવ્યા વિના રહે નહિ.
એ તો અનુભવ તો એવો છે કે, ઘરમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ કોઈ કામ કરે જોઈ. જે કામમાં પોતે એમ માન્યું હોય કે આવી રીતે નુકસાન જાય. આવી રીતે નુકસાન જાય એવી રીતે એ કામ ન કરાય. અને છતાં કોઈ કરે તો ? એને એમ કહે, તમને ખબર નથી પડતી ?
(દોષનો ખેદ નથી થતો, એનો અર્થ કે તમને અનુમોદના આવી છે. બરાબર છે આમ જ થાય. આમ જ કરવું જોઈએ. છેવટે કાંઈ નહિ તો એમ કહે, આપણે ક્યાં હજી વીતરાગ થયા છીએ. એમ સમજીને જૂઠું સમાધાન કરે. ક્ષયોપશમ જ્ઞાનનો દૂરુપયોગ કરે. આપણે તો હજી મુમુક્ષુ છીએ. અરે..! તું મુમુક્ષુ પણ નથી. પાછા આમ કહે, આપણને તો કાંઈ જ્ઞાન થયું નથી. હજી તો આપણે મુમુક્ષુ છીએ. અરે.! પણ તું કે દિ મુમુક્ષુ હતો ? એ તો મુમુક્ષુ પણ નથી. એમ છે. પણ એવી રીતે થોડુંક સાંભળ્યું હોય તો ઊંધો અર્થ લઈ લે. ઊંધું ખતવે. એ બધું ઘણા નુકસાનનું કારણ છે. એવી રીતે સમાધાન થાય એતો ઘણા નુકસાનનું કારણ છે.
“સોગાનીજી' એક સરસ દ્રષ્ટાંત આપે છે કે, પાણી પીતા પીતા ખ્યાલ જાય કે પાણીમાં ઘણો કચરો છે. અને જોયા વગર ઘૂંટડો ભરાય ગયો. ઘંટડો ભરાઈ ગયો અને બે-ચાર કાંઈક ડાખળાનો ખ્યાલ આવી ગયો એટલે જોયું કે અરે. આ પાણી તો કચરાવાળું છે. અને ઘૂંટડો તો મોઢામાં આવી ગયો. શું કરે? તરત ઘૂંકી નાખે છે કે નહિ? જ્ઞાનદશામાં તો ગળાય ગળાયને રસ લેવાય છે. ગળ્યા વિના રસ લેતા નથી. એમ થવું જોઈએ. એક દગંત લીધું છે. પાની પીનેમેં કચરા આતા હૈ તો કૈસે થૂકર દેતા હૈ એકદમ ઘૂંકી નાખે, બહાર કાઢી નાખે. કેમકે મલિન છે. અહીંયાં એને ભાવની મલિનતા લાગતી નથી, ભાવની મલિનતા દેખાતી નથી એટલે એનો નિષેધ આવતો નથી. કચરો જોવે કે તરત કેવો નિષેધ આવી જાય છે!
મુમુક્ષુ – આખો દિવસ પાપરૂપ પરિણામને જ સંમત કરે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા. અભિપ્રાય નથી બદલ્યો ને? એટલે બહુ વિચારણા માગે
Page #146
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૨૯
છે. મુમુક્ષુની ભૂમિકામાં તો સુવિચારણા છે. એ સુવિચારણામાં એને અભિપ્રાયમાં ફેર કરી નાખવો જોઈએ. એવા વિચાર અને એટલા મંથન, એટલા વિચાર અને એટલા મંથન ચાલે કે એને એમાં ફેર પડ્યા વિના રહે નહિ. એ ચાલવું જ જોઈએ.
મુમુક્ષુ :– વાત કરી ને કે પૂર્વ અને પાછળથી પશ્ચાતાપ થાય. પાછળના પશ્ચાતાપની વાત તો ખ્યાલમાં આવે છે. પૂર્વે પશ્ચાતાપ એટલે કેવી રીતે ?
પૂજ્ય ભાઈશ્રી :– પહેલા પણ પશ્ચાતાપ છે. પહેલા પશ્ચાતાપ છે એટલે ? એટલા જાગૃત છે. અગાઉથી જ જાગૃત છે. આ તો પોતાની અશક્તિ છે એટલે મચક ખાઈ જાય છે. જાગૃત છે એટલે પહેલા પણ ખ્યાલ આવી જાય છે.
=
મુમુક્ષુ :– આપણે ‘ઇડ૨'માં જમવાનું જે ઉદાહરણ આપ્યું હતું, એ વાત અહીંયા લાગુ પડે છે ? ઝેર ખાધા પહેલા તૈયાર થઈ જાવ. જેમ આપણે જમવાનો પ્રસંગ હોય તો આપણાથી ઝેર ખાવાનું ન થઈ જાય તો પહેલેથી જાગૃત થઈ જાવ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. પહેલેથી જાગૃત થઈ જાય. પ્રસંગની તો ખબર છે. ભૂખ લાગી છે, ૧૨ વાગ્યા છે, ભાણું પીરસાશે. અને એમાં પાછું કહે કે આજે તો ફલાણું
,
ફલાણું બનાવ્યું છે. એટલે પહેલેથી તૈયાર થઈ જાય. જેને એમાં સુખબુદ્ધિ છે એ રસ લેવા માટે તૈયાર થઈ જાય, જાગૃત છે એ રસ નહિ લેવા માટે તૈયાર થઈ જાય. અગાઉથી તૈયારી કરી શકે છે. બરાબર કરી શકે છે.
મુમુક્ષુ : આ તૈયારીમાં પૂર્વ-પશ્ચાત્...
પૂજ્ય ભાઈશ્રી :– હોય જ છે. જ્ઞાની તો જાગૃત છે, સદાય જાગૃત છે. એટલે આગળ-પાછળ એની પ્રવૃત્તિ પશ્ચાત્તાપવાળી (અને) મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. એની અંદર એકદમ મંદ રસ હોય છે. એટલે એને અલ્પ બંધ કહ્યો છે. પક્ષપાત નથી. એક વિષયને ભોગવતા બીજાને તીવ્ર બંધ થાય અને આ છૂટતો જાય એનું શું કારણ છે ? કે અલ્પ બંધ કરતા નિર્જરા વધારે છે માટે છૂટે છે એમ લાગુ પડે છે. એના ઉપર નિર્જરાનો ઉપચાર આવે છે. બંધાય છે એનો ઉપચાર આવતો નથી. અને એ ન્યાયસંગત છે.
...
હવે મુમુક્ષુની વાત કરે છે કે, સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે,' સામાન્ય મુમુક્ષુ એમ વિચારે કે આપણે પછી વિકલ્પ નહિ. આપણે એક વિકલ્પ મટી જાય. ભૂખ લાગી છે, જમી લ્યો. વિકલ્પ મટી જાય. ફલાણી ઇચ્છા થઈ છે. ચાલો આમ (કો). એમ કરવા જતા સામાન્ય મુમુક્ષુ ઇચ્છા એ રીતે છોડવા જાય, એ તો બંધાવા સંભવ છે ઘણું કરીને. કેમકે એને તો
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
રાજહૃદય ભાગ–૧૨ એનાથી સુખ છે એનો અભિપ્રાયપૂર્વક, વિશ્વાસપૂર્વક સુખના અનુભવમાં રસ પડ્યા વિના રહેતો નથી.
કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છેજે પ્રસંગો જીવોને બંધનનું કારણ થાય છે એ પ્રસંગોમાં જ્ઞાનીપુરુષને પસાર થવું પડે ત્યારે એ કેટલી જાગૃતિ અને પુરુષાર્થમાં હોય છે. એ જો Picture ઉતારીને પડદા ઉપર દેખાડી શકાતું હોય તો ખબર પડે એવી વાત છે, કે જ્ઞાની પુરુષ કેટલો પુરુષાર્થ કરે છે ! જેની નજર ત્યાં સુધી જાય છે એ તો એને નમી પડે છે. નમીને કેમ વંદન કરે છે ? કે એ એ વખતે પણ હારતા નથી, પરાજીત થતા નથી. એ જીતે છે. પણ એને પરિશ્રમ પડે છે. પુરુષાર્થનો પરિશ્રમ થાય છે ત્યારે જીતે છે, એમનેમ જીતતા નથી.
કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે,” હજી તો વાંચતો થયો છે, વિચારતો થયો છો, વાંચતો થયો અને વિચારતો થયો છે. “એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.” વિષયને આરાધતા આરાધતા જીતી લે (એ) એનું કામ નથી. એટલા માટે એ મુમુક્ષુને પહેલેથી વૈરાગ્ય-ઉપશમમાં લાવે છે એનું કારણ એ છે.
મુમુક્ષુ વર્તમાન પરિસ્થિતિનું બહુ સરસ વર્ણન કર્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. તું પહેલેથી જ આ Practice કરતો જા. પહેલેથી જ વિરકતતા, ઉદાસીનતાને સેવતો જા. પહેલા તું આ ઉપદેશબોધને અંગીકાર કરી લે તો તને સહેલું પડશે. નહિતર જ્ઞાનીઓને જે વાત અઘરી પડી છે એ તને ક્યાંથી સહેલી થવાની હતી? તને તો આવરણ થયા વિના રહેશે નહિ.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો સ્વરૂપસ્થિરતામાં વિશેષપણે રહે છે. મુનિરાજ છે, ખાસ કરીને તપ છે એ તો મુનિદશાનો વિષય છે અને એકદમ સ્વરૂપની સ્થિરતામાં રહેતા વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. આહાર ટાણે આહારનો વિકલ્પ ન થાય. નિરોધ એટલે સહેજે ઉત્પનન થવું, એને નિરોધ કહે. એવી દશાનેતપ કહેવામાં આવે છે.
મુમુક્ષુ-મુમુક્ષુદશામાં ઉત્પન્ન ન થાય? પૂજ્ય ભાઈશ્રી – ના. મુમુક્ષુદશામાં એવું નથી થતું. મુમુક્ષુની એવી સ્વરૂપસ્થિરતા ક્યાં છે?
મુમુક્ષુ -એટલે એનો અભ્યાસ કરવો. પૂજ્ય ભાઈશ્રી:- એમાં શું છે કે પોતે સમજીને નિરસ થઈ શકે છે. રસ ક્યાં આવે?
Page #148
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૧
૧૩૧
સુખ છે અને લાભ છે ત્યાં. જ્યાં સુખ અને જ્યાં લાભ (આ) બે વાત જ્ઞાનમાં, સમજણમાં હોય ત્યારે રસ આવે. પણ નુકસાન છે એમ ખબર પડે તો ? (કોઈ એમ કહે), ભાઈ ! તમે આ મીઠાઈ ખાશો નહિ, અંદર ઝેર છે. મીઠાઈનો દેખાવ સારામાં સારો છે. કેવો ? એમ કહી દીધું કે અંદર ઝેર છે. પછી કઈ નજરે જોવે ? પછી તો ઝેર જ દેખાય. મીઠાઈ દેખાય નહિ, ઝેર દેખાય. એમાં પણ ભૂલથી જેણે ખાધી હોય એને મૂર્છા આવી ગઈ હોય પછી તો ખાતરી ગઈ હોય કે જુઓ ! આ એક જણને અસર થઈ છે. બાકી આ બધી મીઠાઈ છે એ કોઈએ ખાવાની નથી. પછી લાલચ રહે ખરી ? થોડી ચાખી લઉં એમ ન થાય ? બહુ સારી બનાવી છે. નુકસાન છે એમ ખબર પડે એટલે એનો રસ ખલાસ થઈ ગયો. સુવિચારણાનો વિષય જ એ છે, કે તારા લાભ-નુકસાનને તો તું સમજ. તો તારો રસ તો તૂટે. રસ એમનેમ લ્યે ... બીજું, ત્રીજું જે કાંઈ પ્રારબ્ધયોગે જે કાંઈ સાધનસંપન્ન હોય એમાં ૨સ એવો ને એવો રહે. અને શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર સિદ્ધાંત અને એનો વિચાર ચાલે. બધું અદ્ધર રહી જશે. સિદ્ધાંત-ફિદ્ધાંત વાંચેલા બધા અદ્ભુ૨ ૨હી જશે. જ્ઞાન તો એનું નામ કે નુકસાન થાય ત્યારે હાજર થાય, ઉપસ્થિત થાય. અદ્ધર રહી જાય એને જ્ઞાન નથી કહેતા. એ તો એને અભેરાઈ ઉ૫૨ કાંઈને કાંઈ ચડી જાય છે. ધારણા બંધ તિજોરી માફક થઈ જાય છે. ‘સોગાનીજી’એ કહ્યું ને ? કે એવી ધારણા છે એ બંધ તિજોરી જેવી છે. અંદર જે મૂળ છે એની ચાવી ખોવાઈ ગઈ. જરૂ૨ છે (પણ) ખરીદવા માટે કાઢી શકાય એવું નથી. ને જ્ઞાનીંની તિજોરી ખૂલી ગઈ છે તો પોતાની મૂડીનો ઉપયોગ કરે છે. ઓલી ધારણા તો નકામી થઈ ગઈ.
વિચારદશામાં એટલી વિચારણા ચાલવી જોઈએ કે બધેથી એક વા૨ નિ૨સ થઈ જાય, બધેથી ઉઠી જાય. પાંચેય ઇન્દ્રિયોના વિષયોના બધા રસ ફિક્કા પડી જાય એવી તો વિચા૨દશામાં વિચારણામાં એ વાત થવી જોઈએ ચાલતી વિચારણામાં. પછી જ્ઞાનદશાનો વારો છે. એટલે તો ‘ગુરુદેવ’ એમ કહેતા કે, આ કાંઈ કથા-વાર્તા નથી, આ કાંઈ કથા-વાર્તા નથી. એટલે શું ? કથા-વાર્તામાં માણસ બહુ જ હળવાશથી વાતને લઈ લે. એવી નથી. વાત ગંભી૨ છે. નહિતર ક્ષણે ક્ષણે જે કાંઈ ઇચ્છા અને પ્રવૃત્તિ ઇચ્છી એમાં જ્ઞાનને આવરણ થાય છે એ વાત ધ્યાનમાં રહેશે નહિ. નુકસાન છે એ નહિ ખબર પડે. એ જાગૃતિ આવવી જોઈએ.
મુમુક્ષુ :– કથા-વાર્તામાં પોતે થોડીવાર ધ્યાન ન દે તો પણ ચાલે. આમાં તો Continue ઉપયોગ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. ઉપયોગ આપવો જ પડે. તો જ સમજાય. આમાં તો
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૨ બરાબર ઉપયોગ રાખીને સમજવું પડે અને અંદર મેળવતા જાવું પડે. સાંભળવું એકલું નહિ પણ સાંભળતા સાંભળતા અંદર મેળવણી કરતા જવી પડે. તો કાંઈક એનો. ઉપયોગ થાય. એ ૫૯૧ (પત્ર પૂરો થયો.
પત્રાંક-૫૯૨
મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્યશ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે.
શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાયતો કરશો.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહતે પણ દુખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી?
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્યછે.
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાયકે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમકાળ છે એમાં સંશયનથી. તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયવિરહ છે. વિરલા જીવો સમ્યક્દષ્ટિપણે પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી;વિરક્તપણું ઘણું વર્તે છે.
વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષયકેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પત્રાંક-૫૯૨
૫૯૨.એ સોભાગભાઈ પ્રત્યેનો છે.
આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.” સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ છે એ વિષયમાં પહેલા એમને પત્રવ્યવહારને ચર્ચાઓ ચાલી ગઈ છે. ત્યારપછી આ “અંબાલાલભાઈ સાથે ફરીને વિષયની ચર્ચા કરી છે. એટલે અંબાલાલભાઈની કંઈક પાત્રતા ત્યારપછીના લઈ શકાય એવી છે.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? એ તો માર ખાવાની વાત છે. એક માણસને તીવ્ર રસ પડે અને પછી પાછો ઓચિંતું ઝુટવાય જાય. એનો આઘાતનો પ્રત્યાઘાત લાગ્યા વિના રહે નહિ. નાની ઉંમરમાં ચાલ્યા જાય છે કે નહિ? તંદુરસ્ત હોય, કાંઈ આગળ-પાછળ રોગ ન હોય. છૂટી જાય છે. એમાં પ્રીતિ કરીને શું કરીએ? એમાં રસ લઈને શું કરીએ ? એ રસ લેવા જતાં એનો પ્રત્યાઘાત છે એ સહન થાશે નહિ.
જે શરીર ઉપર પ્રીતિ કરી છે. કેમકે બહુ સારી અવસ્થા છે. એકદમ તંદુરસ્ત અવસ્થા છે. સંપૂર્ણ આરોગ્યતા. અત્યારે તો એ સંપૂર્ણ આરોગ્યતા તો હોવી મુશ્કેલ છે. પણ માનો કે એમ હોય તો પણ એ ક્ષણભંગુર છે. એ નજરે એને જોવું. એની ક્ષણિકતા જોજે. એમાં નિત્યતા માની લેતો નહિ. જાણે આ શરીર સદાય રહેવાનું છે અને આ સંયોગ સદાય રહેવાનો છે. એ દૃષ્ટિએ શરીરને જોઈશ નહિ કે બીજા સંયોગને તું જોઈશ નહિ, એમ કહે છે. આ તો નજીકમાં નજીક છે ને ? શરીર તો જીવને નજીકમાં નજીક છે. એના ઉપર પણ પ્રીતિ કરવા જેવી નથી તો પછી બીજા ક્યા પદાર્થ ઉપર પ્રીતિ કરવા જેવી છે? એમ કહે છે. જે જીવને પોતાને નજીકમાં નજીક છે અને શાતા-અશાતા વેદવાનું મુખ્ય સાધન છે એ પણ એની ક્ષણભંગુરતાને લીધે પ્રીતિ કરવા યોગ્ય નથી, તો બીજો ક્યો પદાર્થ પ્રીતિ કરવા જેવો છે? શું કરીએ? એમ કહે છે.
મુમુક્ષુ - શરીરની પ્રીતિથી જ પછી ફોજ શરૂ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો અધિષ્ઠાન લીધું છે. સંસારનું એ અધિષ્ઠાન છે. આખા ચક્રની વચ્ચે જેમ ધરી હોય છે એમ ધરી છે. એના આધારે બધું કરે છે.
મુમુક્ષુ-સગા, વ્હાલા, કુટુંબ બધા શરીરથી.
પૂજ્ય ભાઈશ્રી – બધું એના આધારે. શરીરના સગા, શરીરની અનુકૂળતાઓ. ત્યાંથી પછી બધી વણઝાર ઉભી થાય છે.
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૨
દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? એમ કહે છે. પ્રીતિ કરવી પણ કેવી રીતે કરવી ? આ દુઃખનું સાધન છે. અશાતા જ વેઠે છે. મુખ્યપણે તો (અશાતાને જ વેઠે છે). ક્વચિત્ શાતાને વેદે છે બાકી તો મુખ્યપણે અશાતાને જ વેદે છે. જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે,...' એટલે પહેલા શરીર પછી બીજું બધું. ‘શીર સલામત તો પઘડીયા બહુત.’ માણસ માંદો પડે તો શું કરે છે ? ખરચો થશે. એક વખત દરીદ્રતા આવી જશે, દેવું થઈ જશે. ભાઈ ! જે થાય એ. એક વખત સાજા થઈ જાવ. કમાઈને દેવું કર્યું હશે, કરજ કર્યું હશે એ ચૂકવી દઈશું. પણ એક વખત શરીરને બચાવો. જીવને સૌથી વધારેમાં વધારે પ્રીતિ શરી૨ ઉ૫૨ છે.
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે...' એ પણ ખરેખર તો એને દુઃખનો હેતુ છે. કેમકે એને વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેશે નહિ અને એને છોડવાની ક્ષણ પણ આવ્યા વિના રહેશે નહિ. અને જે દિ’ એમ ખબર પડી કે ડોક્ટરે હાથ ઊંચા કર્યાં છે. હાથ ઊંચા કર્યાં એટલે ? આશા છોડી દીધી છે. હવે અમારે કાંઈ કરવા જેવું રહેતું નથી. સુખ થવાનું કે દુઃખ થાવાનું ? મૂર્છા ખાઈ જાય છે. મોટાભાગના તો બેશુદ્ધ અવસ્થામાં જ શરીર છોડે છે. એટલું બધું દુઃખ ઉત્પન્ન થાય છે કે બેશુદ્ધ થઈ જાય છે.
મુમુક્ષુ :– ડોક્ટર પણ એમ કહે કે હવે આને કાંઈક ધર્મનું...
=
=
પૂજ્ય ભાઈશ્રી :– ધર્મ સંભળાવો એને. હવે તમારે બધાને જે ધર્મ કરાવવો હોય એ કરાવી લ્યો. અમે બધું કર્મ કરાવી લીધું, હવે તમે ધર્મ કરાવી લ્યો. કયાંથી ક૨શે ? જિંદગીમાં કાંઈ તૈયારી કરી નથી. હવે અત્યારે શું કરશે ? મૂંઢાઈ જાશે, બીજું કાંઈ થાશે નહિ. મૂર્છાઈ જાશે. દેહ તો એને દુઃખનો હેતુ થયો. વધારેમાં વધારે દુઃખનું કારણ શું થયું ? દેહના નિમિત્તે એનો વિયોગ છે ને ? સંયોગનો વિયોગ થયો. નિમિત્ત તો દેહ છે.
જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? તો પછી એથી બધા આઘા છે એ બધા સુખના કા૨ણ થશે ? એ બધા સંયોગનો વિયોગ જ થવાનો છે. જો શરીરનો વિયોગ થવાનો છે તો બધા પદાર્થોનો વિયોગ જ થવાનો છે. એમાં શું સુખની કલ્પના કરવી ? તારે કેટલુંક વળગીને રહેવું છે ? એમ પૂછે છે. પ્રશ્નચિહ્ન છે ને ? તારે એ પદાર્થોના મમત્વમાં ચોંટીને કેટલુંક રહેવું છે ? નક્કી કર. કેટલું દુઃખી થાવું છે એ નક્કી કર. આત્માને કેટલું આવરણ લાવવું છે એ નક્કી કર.
આચારાંગમાં લીધું છે. જેલ છે. શરીર છે એ જેલ છે. કોટડી. શરીરની કોટડીમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૨
૧૩૫
જીવને પૂર્યો છે કે તને આટલા વર્ષની સજા. આ કહે કે જેમ સજા લાંબી પડે એમ સારું. શું કહે ? અજ્ઞાનદશામાં કેવી વિપરીતતા છે ! જેટલું આયુષ્ય લાંબુ હોય એટલું સારું, જેટલી જેલ લાંબી પડે એટલી સારી. ઠીક વાત, લ્યો. આમાં કેટલી સમજણ છે ? અને એ છૂટવાનો વારો આવે કે, ભાઈ ! તને જેલમાંથી મુક્ત થવાનો હવે ટાઈમ આવી ગયો. ત્યારે ધમપછાડા કરે. નહિ... નહિ... નહિ... નહિ... મારે હવે અહીંથી જાવું નથી. આ બીંજા બધા કેદીઓ છે એની સાથે એટલી બધી હવે અત્યારે ઓળખાણ થઈ ગઈ છે. એ બધા કેદી જ છે ને ? એની સાથે એવી સરસ ઓળખાણ થઈ ગઈ છે. અમુક મને મદદ કરે છે, મને સારી રીતે રાખે છે, આને છોડીને મારે કેવી રીતે જાવું ? એવી હાલત છે જીવની.
જે પુરુષોએ...’ પુરુષ નામ આત્માઓએ. વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે.' જે પુરુષોએ, જે આત્માઓએ પોતાની શરીરથી ભિન્નતા દીઠી એને જ્ઞાનીઓ ધન્યવાદ આપે છે. શાબાશ છે તને. હવે તું દુઃખી થવાનો નથી. હવે તું અમારી નાતમાં ભળ્યો. વસ્ત્રની જેમ. ‘ગીતા’માં આ દૃષ્ટાંત આપે છે. શરીર અને આત્મા જુદા છે. જેમ વસ્ત્ર અને શરીર જુદું છે. એ દૃષ્ટાંત એમાં આવે છે. અન્યમતમાં તો આ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે કે જે ખોળિયું બદલે છે એ વસ્ત્ર બદલે છે. ... એટલે જીર્ણ થઈ ગયેલા વસ્ત્રો.... તથા ... જેવી રીતે છોડી દેવામાં આવે છે, એવી રીતે જીર્ણ થયેલો દેહ આ .. એવો આત્મા પણ છોડશે. કપડું બદલતા તને દુઃખ થતું નથી. કેમકે સામે નવું કપડું તૈયાર છે. એમ અહીંયાં બીજો દેહ તૈયા૨ છે. પણ અહીંયાં એટલો દુ:ખી થાય... એટલો દુઃખી થાય કે એ બધા દુર્ગતિના કા૨ણ થઈ જાય.
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે.’ પોતે ધન્યવાદ આપે છે. એવી જ્ઞાનદશાને ધન્યવાદ. એમ કહેવું છે. તે પુરુષોને એટલે તે આત્માઓની એવી જ્ઞાનદશાને ધન્ય છે કે જે શરીરના ખોખાથી અંદરમાં જુદા પડ્યા છે. જેને આપણે અહીંયાં દેહાતીત દશા કહેવામાં આવે છે. કેવી દશા ? દેહાતીત દશા છે. અતીત થઈ ગયા છે. ખોળિયું છે, બાજુમાં ખોખું છે પણ ડાબલી અને હીરો જુદો છે. ચૈતન્યહીરો જુદો, ડાબલી જુદી છે.
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.’ સજ્જનતાવાળા પણ આપી દે છે. કે ભાઈ ! આ વસ્તુ છે ભૂલથી આપણે ત્યાં આવી ગઈ છે. કપડા એક સરખા હોય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રાજહૃદય ભાગ-૧૨ સમયસારમાં ધોબીનું દૃષ્ટાંત આવે છે ને ? કોઈનું કપડું આવી ગયું. બરાબર છે. આપણું નથી. આપી જયે. એના ઉપર મમત્વ કરે નહિ. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે,” એમ આ આત્મા સિવાય બધા પદાર્થો પર છે એમ જ્યારે જણાય ત્યારે એમાં મમત્વ કરવાનું કાર્ય સજ્જન પુરુષો કરતા નથી. એમાં મારો શું અધિકાર ? શરીર ઉપર પણ મારો અધિકાર નથી અને બીજા સંયોગ પ્રારબ્ધને લઈને છે એ કોઈ સંયોગો ઉપર મારો અધિકાર નથી. એમ જ કરે છે. મમત્વ કરતા નથી. ઉલટાનું મમત્વ હોયતે છોડે છે, મમત્વનો ત્યાગ કરે છે.
દુષમકાળ છે એમાં સંશય નથી. વર્તમાન પરિસ્થિતિ છેતે ઘણી વિપરીત પરિસ્થિતિ છે. એમાં કાંઈ શંકા પડે એવું નથી. ‘તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાય વિરહ છે. અને જે પરમજ્ઞાની આપ્તપુરુષ કે પરમાર્થ માટે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, જેની વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા પરમાર્થનો રસ્તો દેખાડનારા જે જ્ઞાની છે એનો લગભગ વિરહ છે. પ્રાય વિરહ છે એટલે ? લગભગ વિરહ છે. ક્યારેક કયારેક કોઈ કોઈ થાય છે પણ એ અબજોમાં કોઈક થાય છે. લાખો-કરોડોમાં નહિ પણ અબજોમાં કોક કોક થાય છે.
‘વિરલા જીવો સમ્યક્દૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે;” કોઈ વિરલ જીવ સમ્યગ્દષ્ટિ થાય એવી અત્યારની કાળસ્થિતિ થઈ ગઈ છે. એટલે કેટલો મોટો દુષ્કાળ ઊભો થયો છે એમ કહે છે. અબજો જીવમાં કો'ક એકાદને સમ્યગ્દર્શન થાય. અબજની તો સંખ્યા છે. એમાં પાછા અનાર્યવૃત્તિવાળા જીવોની બાહુલ્યતા છે. છે તો આર્યક્ષેત્ર પણ અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. ખાણી, પીણી, રહેણી, કરણીમાં અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. હિન્દુસ્તાન આર્ય કહેવાતો હતો પણ હવે એમાં પણ અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. ખાણી-પીણીમાં કોઈ વિવેક રહ્યા નથી. દિવસે દિવસે માંસાહાર વધતો જાય છે. ઇંડાનો તો બહુપ્રચાર છે.
વિરલા જીવો સમ્યફદૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.” અને કેવળજ્ઞાન પામવું તો અત્યારે કઠણ હોય એમાં કાંઈ શંકા પડે એવું નથી. કેમકે એવા પરમજ્ઞાની પુરુષો નથી. સમ્યગ્દષ્ટિ પણ કોઈ જીવ થાય છે. કેવળજ્ઞાન તો ક્યાંથી થાય ? એ તો ઘણું કઠણ છે. અશક્ય નથી, લખ્યું છે. એમને પોતાને તૈયારી કરવી છે ને ! અશક્ય નથી લખ્યું છે, કઠણ છે એટલું લખ્યું. પોતે પુરુષાર્થમાં ઘણા હતા. આપણે તો લઈને જાવું છે, આપણે પૂરું કરી નાખવું. શું કરવા ન થાય? એટલે પછી કહે
Page #154
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૨
૧૩૭ છે કે બોજ ઘણો હતો માથે. એટલે કર્મનો બોજ ઘણો હતો. ઝટપટ પતાવવા ગયા ત્યાં પગને થાક લાગ્યો. અને પગને થાક લાગ્યો તો સામે સહારાનું રણ જોયું. સમાધાન કરી લીધું કે જે સ્વરૂપ છે તે અન્યથા થાતું નથી. એટલે જે દેશકાળ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે એમાં શું બીજું થાય ? પણ એ પોતે પહેલેથી હાર્યા નથી. જેમ કોઈ શાસ્ત્ર વાંચે કે આ કાળે, આ ક્ષેત્રે જન્મેલાને કેવળજ્ઞાન થતું નથી. તો મૂકો વાત પડતી હવે. એ વાત તો હવે મૂકો પડતી. એમણે પડતી નથી મૂકી. એ વિશેષતા છે. એટલે શું છે કે પુરુષાર્થ થાય એટલો કરી લેવો છે. એક ભવ રહી ગયો. એ હિસાબે એક ભવ રહ્યો.
પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. પોતાની દશાની વાત કરે છે. પ્રવૃત્તિ એમનેમ ચાલે છે. વિરક્તપણું ઘણું વર્તે છે છતાં પ્રવૃત્તિ બંધ થતી નથી. દુઃખ છે, એ વાતનું એમને ભારોભાર દુઃખ છે. “વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષયકેવળ પ્રવર્તે. વનમાં જઈએ અથવા એકાંતમાં રહી જઈએ અને એકલા નિજસ્વરૂપના અનુભવમાં બીજા કોઈ વિષયમાં ન પ્રવર્તે, એકલો નિર્વિષય થઈને સ્વરૂપના અનુભવમાં રહે. એમ કરવામાં સર્વ ઇચ્છા...” એટલે પૂરો પ્રયત્ન એમાં લાગેલો છે. ઇચ્છા એટલે અહીંયાં પ્રયત્ન લેવો. એવો પુરુષાર્થ કે આ સ્વરૂપમાં જ સ્થિર થઈને રહી જઈએ. એમાં અમારો પૂરો પ્રયત્ન રોકાયેલો છે. એની પાછળ અત્યારે તો પૂરી શક્તિ લગાવી દીધી છે. એ પોતાની દશાની વાત લે છે. (અહીં સુધી રાખીએ.)
કોઈપણ જીવને જ્યાં પ્રેમ છે, ત્યાં તે પ્રેમમૂરત આત્માને એકાગ્રતા થાય છે. જેને સદગુણનો પ્રેમ છે, તેને સદ્દગુણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય તે સહજ-સ્વાભાવિક છે. આત્મા સ્વયં દિવ્યગુણોનો ભંડાર છે. જેને તેમ ભાસે છે, તેને નિજ સ્વરૂપનો પરમ પ્રેમ પ્રગટ થઈ, સહજ એકાગ્રતા સધાય છે. એકાગ્રતા માટે કૃત્રિમ પ્રયાસ યોગધ્યાનાદિ કર્તવ્ય નથી. કારણકે પ્રેમવિના વાસ્તવિક એકાગ્રતા થતી નથી.
(અનુભવ સંજીવની-૧૪૦૬)
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૫૯૩
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજસ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચયનિરંતરપણે કરવો શ્રેયભૂત છે.
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોકથાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાયન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએનમસ્કાર હો.
આ. સ્વ. યથા.
તા. ૧૮-૧૨-૧૯૯૦, પત્રાંક – ૧૯૩
પ્રવચન નં. ર૭૫
“શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૫૯૩.પાનું-૪૬ ૨.
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. સર્વજ્ઞાનનો સાર કહો, બાર અંગનો સાર કહો, સર્વશ્રુતજ્ઞાનનો સાર કહો. એ છે કે આત્મા સહજપણે પોતાના સ્વરૂપસ્થિરતાના પરિણામને પ્રાપ્ત થાઓ. પોતાના સ્વરૂપમાં સહજપણે આત્મા રહે, સર્વ ગુણોના પરિણામ સ્વરૂપને વિષે એકાગ્ર થાય, સર્વ ગુણોના પરિણામ સ્વરૂપને જ ભજે, સ્વરૂપને વિષે જ લાગ્યા રહે. અને એવી સહજ સ્થિતિ થાય એ સર્વ જ્ઞાનનો સાર છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫ë.
૧૩૯ કોઈપણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતાં જો એવી સ્થિતિ જીવ પ્રાપ્ત ન કરે તો એ જ્ઞાન અસારભૂત છે. એમ પણ એમાંથી અનર્પિત રીતે મળે છે, પ્રાપ્ત થાય છે. કેમકે કોઈ જીવોને ઉઘાડરૂપે ઘણું જ્ઞાન છે એવું જોવામાં આવે છે પણ એનું જ્ઞાન પોતાના સ્વરૂપમાં સ્વસ્થ નથી. સ્વસ્થ એટલે સ્વસ્વરૂપમાં રહેવું. સ્થ એટલે રહેવું. સ્વરૂપમાં રહેવું એવું જેનું પરિણામ નથી એ જ્ઞાન શું કામનું ? એ જ્ઞાનનો શું અર્થ છે? એ જ્ઞાન નિસાર છે. અથવા પોતાને સુખ-શાંતિનું જે કારણ નથી એ જ્ઞાન નિરર્થક છે.
પોતામાં આત્મા અત્યંત સ્વસ્થતાને ભજે એમાં આત્માને શાંતિ છે. એમ નહિ થતા આત્માને અશાંતિ છે. તેથી સર્વ જ્ઞાનનો સાર એ છે કે પોતાના પરિણામ પોતામાં સ્વસ્થ થાય. જેને જેને આ વિષયનું કાંઈ જાણપણું છે (એણે) માન્યું છે કે જ્ઞાન છે. જાણપણું છે એણે શું માન્યું છે? કે જ્ઞાન છે. એણે આ વચનથી એ તપાસવું રહે છે કે આત્મા પોતામાં સ્વસ્થ પરિણામે આવ્યો છે કે નહિ? સહજપણે આવ્યો છે કે નહિ? જોકે અહીંયાં એક તો વિષયનું વધારે છે.
અત્યંત સહજ સ્વસ્થતા પામે.” સ્વસ્થતાને પામે એટલું નથી લખ્યું પણ અત્યંતપણે સહજ સ્વસ્થતાને પામે, એવી સ્થિતિ થાય તો એ જ્ઞાનમાંથી કાંઈક સાર નીકળ્યો. આપણે કહીએ ને ભાઈ ! આ વાતનો સાર શું છે? અથવા તમે આટલો પરિશ્રમ કર્યો, આટલી ધમાધમ કરી, આટલી આકુળતા કરી, આટલી મહેનત કરી, શું સાર કાઢ્યો? માણસ શું પૂછે છે કે તમે સાર શું કાઢ્યો? એટલે તમે સુખી થયા કે દુઃખી થયા? ઘણું કરીને તમે દુઃખી થયા કે ઘણું કરીને તમે સુખી થયા? આ જોવામાં આવે છે, તપાસવામાં આવે છે. પહેલું વચન કેટલું સરસ લખ્યું છે !
મુમુક્ષુ – અત્યંત સહજ એટલે?
પૂજ્ય ભાઈશ્રી:- અત્યંત સહજ એટલે કૃત્રિમપણે નહિ. અને અત્યંત એટલે ઘણું તારતમ્યતાવાળું. અત્યંત એટલે ઘણું. સહજ સ્વસ્થતા એટલે ઘણી સ્વસ્થતા પામે. પણ કેવી રીતે? કે સહજપણે જે સ્વસ્થતા પામે. સહેજે સહેજે એ પરિણામ થાય. વિકલ્પ કરવા પડે, એના માટે કોઈ પ્રયોગ કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, એના માટે કાંઈ બીજી કોઈ આગળ-પાછળની તૈયારીઓ કરવી પડે એમ નહિ).
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે...” “ગજસુકુમારનું દષ્ટાંત બહુ સરસ છે. એમને કોઈ પૂર્વ તૈયારી હતી કાંઈ? કોઈ પૂર્વતૈયારી નહોતી. મુનિદશામાં આવી ગયા હતા. પણ એવો કાંઈ પ્રયોગ બીજીવાર ન થાય કે એક વખત ખોપરી સળગાવાય અને સ્થિરતા રહે તો પછી બીજી વખત વાંધો ન આવે, અસ્થિરતા ન આવે. એ પ્રયોગ તો
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
રાજહૃદય ભાગ-૧૨ પહેલો થાય કે છેલ્લો થાય, એક જ વખત થાય. છતાં પણ જેને સહજપણે અત્યંત સ્વસ્થતા ભજે છે એની સાધના એ બરાબર સાધના છે. કૃત્રિમતા કરવી પડે, ખેંચી ખેંચીને પરાણે પરિણામને લાવવા પડે એ સાધનાનું ખરું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ નથી.
અહીં તો પોતે સર્વજ્ઞ ભગવાનની સાક્ષી મૂકી છે કે સહજપણે આ પ્રકારની સ્થિતિ થાય તો સર્વજ્ઞદેવે એને જ્ઞાનનો સાર કહ્યો છે. સર્વ જ્ઞાનનો-બધા જ્ઞાનનો સાર, પોતે પણ જે કાંઈ કહ્યું એનો સાર. એ તો પોતે મૂર્તિમંત સ્વસ્થ છે. સર્વજ્ઞદેવ તો મૂર્તિમંત સ્વસ્થ જ છે. અત્યંત સ્વસ્થ છે. પરિપૂર્ણ સ્વસ્થ છે. અત્યંત કહેતાં એ તો પરિપૂર્ણ સ્વસ્થ છે. એટલે એમના જ્ઞાનના સારભૂત તો પોતે જ મૂર્તિમંત બિરાજે છે. એ તો ન કહે, વાણી બંધ હોય તોપણ એમના જ્ઞાનનો જે સાર છે એની મૂર્તિ પોતે જ છે. અને કહે તોપણ એ જ વાત કહેશે, બીજું કાંઈ કહેશે નહિ.
મુમુક્ષુઃ– અત્યંત સહજ સ્વસ્થતા માટે શું કરવું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– સ્વરૂપને જાણવું. જોકે સ્વરૂપ જ એવું છે. આ તો પરિણામની પ્રધાનતાથી કહેવામાં આવે છે. કેમકે પરિણામ વિષયક ઉપદેશ છે. પણ મૂળમાં તો આત્માનું સ્વરૂપ જ એવું છે, આત્મ દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે કે પરિપૂર્ણપણે આત્મામાં સ્વસ્થપણે સહેજે સહેજે રહી જવાય. એ દ્રવ્યનું સ્વરૂપ છે.
‘સમયસાર’ની સ્તુતિમાં આવે છે ને ? કે પરિણામ થંભી જાય છે. વિભાવેથી સ્થંભી-વિભાવેથી અટકીને. ત્યાં સ્થંભે એટલે (એ અર્થ છે). અને સ્વરૂપમાં જાય ત્યારે એ સ્વરૂપમાં વેગથી સ્થંભી જાય છે, સ્થિર થાય છે. કેમ એમ થાય છે ? કે સ્વરૂપ એવું છે. બીજો દૃષ્ટાંત સિદ્ધ પરમાત્માનો છે. સિદ્ધપ૨માત્મા પોતાના સ્વરૂપમાં સ્વરૂપસ્થપણે પરિપૂર્ણ બિરાજે છે. લોકાલોક કેવળજ્ઞાનમાં પ્રતીબિંબિત થાય છે. લોકની અનેકવિધ વિચિત્રતાઓ એ જ્ઞાનની અંદર પ્રતીબિંબિત થાય છે. તોપણ એક સમયને માટે અને એક અંશે, જ્ઞાનના કોઈ એક અંશે, કોઈ એક સમયને માટે પણ તેઓ વિચલિત થઈને પોતાના સ્વરૂપસ્થપણામાં જરા પણ અસ્થિરતા આવતી નથી. કેમ એમ થાય છે ? અનંત કાળ પર્યંત એવી સહજ સ્વસ્થ સ્થિતિ રહેવાનું શું કારણ છે ? કે એનું કારણ દ્રવ્ય પોતે જ છે.
આત્મા વસ્તુ પોતે એવી છે કે એમાં જ પરિણામ રહી જાય. એમાં પરિપૂર્ણ થયેલા ત્યાંથી ઉખડી જ ન શકે. એવી વસ્તુ પોતે છે. બીજું કોઈ કારણ ત્યાં નથી. વિચલિત થવામાં તો લોકાલોકનું જ્ઞાન અંદર છે, એ વિચલિતતાનું નિમિત્ત છે. જો વિચલિત થાય
Page #158
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૪૧
તો. ન થાય તો એને નિમિત્તપણું લાગુ પડતું નથી. માત્ર શેયપણું લાગુ પડે છે. અથવા માત્ર જ્ઞાન અને માત્ર શેય. આત્મા માત્ર જ્ઞાન, લોકાલોક માત્ર જ્ઞેય.
મુમુક્ષુ :– જ્ઞાન અને શેય કહેવું એ વ્યવહા૨ જ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો બે પદાર્થ વચ્ચે જોડવાની વાત છે, સંબંધ બતાવવાની વાત છે. વાસ્તવિકતાએ તો જ્ઞાન જ્ઞાન છે અને જ્ઞેય જ્ઞેય છે. શેય જ્ઞાનમાં નથી અને જ્ઞાનમાં શેય નથી.
‘અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે.’ શું છે હવે ? કે આ જીવની સ્થિતિ એવી છે કે અનાદિથી પોતે અસ્વસ્થતા એટલે સ્વરૂપમાં ક્યારે પણ રહ્યો નથી. સ્વરૂપની અસ્વસ્થતાને જ સેવી છે એમ કહો, આરાધી છે એમ કહો, પ્રાપ્ત કરી છે એમ કહો, અનુભવ કર્યો છે. અસ્વસ્થતાનો જ અનુભવ કર્યો છે. એક અંશે પણ સ્વરૂપસ્વસ્થતામાં આવ્યો નથી. આ અનાદિની જીવની સ્થિતિ છે. અને એ રીતે ટેવાઈ ગયો છે, પરિણમવા માટે એ રીતે ટેવાઈ ગયો છે.
જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે.’ જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ એટલે કઠણ પડે છે અથવા સ્વસ્થ થવું એ જીવને એક સમસ્યા લાગે છે. શું લાગે છે ? આત્મામાં સ્થિર કેવી રીતે થવું ? વાત સાંભળે, સારી લાગે, ઇચ્છા પણ થાય કે આત્મામાં સ્વસ્થ રહેવું છે. કેમકે સ્વસ્થ રહેવામાં નિરાકુળતા છે, સુખ-શાંતિ છે, નિરુપાધિ પરિણામ છે. અસ્વસ્થ પરિણામ છે તે ઉપાધિવાળા છે. ઉપાધિ જીવને સ્વભાવથી વિરુદ્ધ હોવાથી દુઃખદાયક છે, પસંદ એને નથી પડતી. છતાં પણ એ ઇચ્છા પ્રમાણે પરિણમન નથી થતું એટલે એને એમ લાગે છે કે આ વાત જરા કઠણ છે. પણ કઠણ હોવાનું કારણ કે પોતાની અનાદિની ઊલટી રીતે પરિણમવાની પદ્ધતિ થઈ પડી
છે.
શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસા૨પરિણામી થયા કર્યો છે.’ શું થાય છે ? કે એવી રીતે સ્વસ્થ થવા જેવું છે એમ લાગવાથી એણે કાંઈક વિષયક પ્રયત્ન પણ કર્યો છે. દર્શનમોહને અત્યંત મંદ કર્યો છે. યથાપ્રવૃત્તિકરણનો અર્થ એ છે. ક૨ણલબ્ધિમાં ત્રણ ક૨ણ છે. એમાં યથાક૨ણપ્રવૃત્તિ સુધી આવ્યો છે. પણ ત્યાંથી પાછો સંસારપરિણામી થયો છે. ક્ષોભ પામીને એટલે ચંચળતા પામીને.
મોક્ષમાર્ગપ્રકાશક’માં ટોડરમલજી’એ એ વાત લીધી છે કે ચાર લબ્ધિ આ જીવે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
રાજહૃદય ભાગ-૧૨ અનંત વાર પ્રાપ્ત કરી. દેશનાલબ્ધિ, પ્રાયોગલબ્ધિ એ ચાર લબ્ધિ કહી છે ને? એ ચાર લબ્ધિ તો અનંત વાર પ્રાપ્ત કરી છે. પાંચમી કરણલબ્ધિ પ્રાપ્ત કરી નથી. એ કરણલબ્ધિનું આ એક કારણ છે. યથાપ્રવૃત્તિકરણમાં ત્રણ કરણ થાય છે એ ત્રિકરણમાં યથાપ્રવૃત્તિકરણ છે એ કરણ છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, યથાપ્રવૃત્તિકરણ એવા ત્રણ કરણ છે. એમાં યથાપ્રવૃત્તિકરણ સુધી આવ્યો છે. એટલે કે પાંચમી જે કરણલબ્ધિ છે એની લગભગ નજીક આવી ગયો છે. એટલો બધો દર્શનમોહ મંદ કરી ચૂક્યો છે. પાછો તીવ્ર થઈ જાય છે. વળી પાછો સંસારપરિણામી થાય છે. એમ કહ્યું છે.
જોકે એમાં એક વાત વિચારવા યોગ્ય છે અને તે એ છે કે જીવ યથાર્થ પ્રકારે અહીં સુધી આગળ વધ્યો નથી. દર્શનમોહની મંદતા છે, એ દર્શનમોહની મંદતામાં પણ જીવ યથાર્થ પદ્ધતિએ આવ્યો નથી. તો એને લગભગ પાછું વળવું પડે એ પરિસ્થિતિ નથી થતી. અર્થાત્ સ્વરૂપનિશ્ચય કરીને સહજ ભેદજ્ઞાનની પ્રવૃત્તિથી યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યો હોય તો જીવ ત્યાંથી પાછો ન પડે. અવશ્ય એ સ્વાનુભવમાં સ્વસ્થપરિણામમાં આવી જાય.
નહિતર અહીંયાં કોઈને મૂંઝવણ થાય એવું છે કે પુરુષાર્થ કરતા પણ જો આવી અનિશ્ચિતતા હોય અને સ્વરૂપની પ્રાપ્તિ ન થતી હોય તો અનિશ્ચિતતા જ્યાં દેખાતી હોય ત્યાં વિશ્વાસથી કામ ન થાય. કોઈ પણ માણસ કાર્ય ક્યારે કરે છે કે સામે એ કામ કરતા લાભ બરાબર દેખાતો હોય કે ચોક્કસ આટલી મહેનત કરતા એનું આ ફળ મળવાનું છે. માટે આપણે કરો. તો એને એ કરવા સંબંધમાં જોર રહે છે. પણ જે કાર્યના ફળની અનિશ્ચિતતા હોય એ કાર્ય કરવામાં જીવ પહેલેથી જ કેવી રીતે આવે ? કોને ખબર આ મહેનત સફળ થાશે કે અસફળ થાશે? આપણે તો કૂવો ખોદીએ છીએ પાણી નીકળે કે ન નીકળે. આપણા નસીબની વાત છે. પાણી નહિ નીકળે તો નિરાશા આવ્યા વગર રહેશે નહિ. પાણી નીકળશે તો આશાનો ઉદ્દભવ થયા વગર રહેશે નહિ. એવું આ નથી.
અનેક જીવો અનેક પ્રકારે મોક્ષમાર્ગ પામવા માટે પ્રયત્ન કરે છે ત્યારે યથાર્થ વિધિએ જ્યારે એ પ્રયત્ન નથી કરતા તોપણ એની ભાવના પોતાનું આત્મકલ્યાણ કરવાની હોવાને લીધે દર્શનમોહની મંદતા વકિચિત્ થાય છે. એમાં ચાર લબ્ધિ સુધી આવે છે. પાંચમી લબ્ધિએ પાછો પાછો પડે છે. પાછો સંસારપરિણામી થઈ જાય છે. આવું બને છે.
મુમુક્ષુ - સંસ્કાર પડે કે નહિ?
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પત્રક-૫૯૩
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્કાર પડે, રુચિ હોય તો અવ્યક્ત સંસ્કાર પડે. પણ જે નિર્ણયના કાળમાં વ્યક્ત સંસ્કાર છે એ પ્રકાર નથી. એટલે એની કોઈ નિશ્ચિતતા નથી. એ સંસ્કાર છે એ તે જ ભવમાં ઊગે એવો કોઈ નિયમ નથી. કોઈ વખત પછીના ભવમાં પણ ઉગે છે, જો સંસ્કાર પડ્યા હોય તો. જ્યારે નિર્ણયકાળના જો સંસ્કાર હોય અને આયુષ્ય છ મહિનાથી વધારે લાંબુ હોય તો ત્યારે ને ત્યારે એ ગણતરીના દિવસોની અંદર પ્રાપ્ત કરી લે છે. એ ઉપાડ કોઈ એવો જોરદાર આવે છે, કે જીવ ત્યાંથી પાછો વળતો નથી.
અહીંયાં જે એમ કહ્યું ‘કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે...’ હવે અનંતી વા૨ આવ્યો છે એમાં સંસ્કાર નથી પડ્યા એવા જીવને અહીંયાં લે છે, પણ યથાપ્રવૃત્તિકરણ સુધી એટલે એમ લઈએ કે દર્શનમોહ ઘણો મંદ કર્યો છે. એવી રુચિ, અવ્યક્ત રુચિ પણ થઈ હોય અને સંસ્કારમાં આવી જાય. તે પાછો પ્રાપ્ત કરી લે. પણ અહીંયાં જે અનંતી વા૨ આવ્યો છે એવું જે કહે છે કે એ એવા જીવને લીધો છે કે જેને લઈને એને સંસ્કાર હજી પડ્યા નથી. બાકી બધું કર્યું છે. એને સંસ્કાર નથી પડ્યા, એમ લેવું જોઈએ.
મુમુક્ષુ :– યથાર્થતા વિના પાછો પડ્યો ? અને યથાર્થતા તો યથાર્થ રીતે દર્શનમોહને નષ્ટ કર્યો છે એની પાસે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– યથાર્થ રીતે દર્શનમોહને મંદ ક૨તો જાય છે, અનુભાગ તોડતો જાય છે.
મુમુક્ષુ :– આ જીવ તો તોડતો જાય છે પણ યથાર્થતા-અયથાર્થતાનું જ્ઞાન તો જ્ઞાનીને છે. એનો અર્થ જ્ઞાનીની આજ્ઞાથી આ યથાર્થતામાં નથી આવ્યો?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રયત્ન નથી કર્યો. જીવે ધર્મ કરવાનો પ્રયત્ન અનંતી વા૨ કર્યો છે. એનો અર્થ એમ થાય છે, દર્શનમોહ મંદ પણ અનંતીવાર કર્યો છે પણ જ્ઞાનીની આજ્ઞાએ નહિ. જ્ઞાનીની આજ્ઞાએ નહિ એમ કહો કે યથાર્થ પ્રકારે નહિ એમ કહો. બેય એક વાત છે. બરાબર છે, એમ જ છે.
મુમુક્ષુ :– એટલે પૂર્ણતાના લક્ષે શરૂઆત નથી કરી એમ ?
=
=
પૂજ્ય ભાઈશ્રી :– નથી કરી એમ કહો એક જ વાત છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત નથી કરી.
મુમુક્ષુ :– આ સંસ્કાર પડી જાય છે અને થોડા Timeમાં એટલે થોડા દિવસોમાં પામી જાય છે. આપણે ગઈ કાલે જે Reference જોયો આસો વદ ૧૧ અને કારતક
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૨ સુદ પનો.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ બરાબર છે. એટલે “સોભાગભાઈ મળ્યા. પ્રથમ સોભાગભાઈ એમને મળ્યા છે. અને એમને સમ્યગ્દર્શન થયું છે એ વચ્ચેનો ગાળો લગભગ અઢી મહિનાનો છે. લગભગ અઢી મહિનાનો છે. ૨૩મા વર્ષના પ્રથમ ભાદરવા વદ અમાસ આસપાસ એ મળ્યા છે. પછી બીજો ભાદરવો, આસો. વધુમાં વધુ અઢી મહિના લઈએ. બે-અઢી મહિનાના ગાળામાં એમનો સમાગમ થયો છે. અને શ્રીમદ્જીને જ્ઞાન થયું છે. શ્રીમદ્જી પોતે એ વખતે સમ્યક્ત્વ દશાની અતિ સમીપ હતા. જોકે એ તો પૂર્વના આરાધક પણ હતા અને એ સંબંધીનું એમને જ્ઞાન પણ હતું. એટલે પોતે શું છે અને કોણ છે એનો એમને ખ્યાલ હતો. વર્તમાન સ્થિતિ પણ આત્મસ્વરૂપની ઘણી સમીપતાની હતી.
એક કાળમાં એ જ વિષય, એ જ વિષયની ચબરખી લઈને એ આવ્યા છે. જે એમની દશાનો વિષય હતો એ જ વિષય એ હતો. અને એમણે એમનું અંતરંગ માપી લીધું છે. “સોભાગભાઈનું અંતરંગ પોતે માપી લીધું છે. અને સોભાગભાઈને પણ અંતરંગથી જ એમના પ્રત્યે ભક્તિ થઈ છે. જે પુરુષને હું શોધતો હતો તે જ આ સપુરુષ છે. હવે મારે કોઈને શોધવાની જરૂર પડશે નહિ. બીજું કાંઈ શોધવા નહિ જાવું પડે. એ એમને નિશ્ચિત થઈ ગયું છે. એટલે એમને એ ખ્યાલ આવી ગયો છે કે આણે નિર્ણય કરી લીધો, આણે સત્પષનો નિર્ણય કરી લીધો છે. એ અરસપરસ બેયને આ Inter link 89.
જેમ કોઈ માણસને અંદરમાં દ્વેષ હોય અને બહારમાં બોલે નહિ તો ખબર નથી પડી જતી ? કે ભાઈ બોલતા નથી પણ અંદરમાં દ્વેષ છે એટલે નથી બોલતા. માણસને ખ્યાલ નથી આવતો ? આવી જ જાય. એ મોનપણું પણ પરિણામ તો Inter link માં આવે જ છે. નથી આવતા કાંઈ? ખબર તો પડી જાય છે. એમ આ તો વિશેષતાવાળા પરિણામ છે અને નિર્મળ જ્ઞાનના પરિણામ છે. આ તો મેલા જ્ઞાનમાં આટલી ખબર પડે છે. જ્ઞાનની નિર્મળતામાં તો વિશેષ સમજાય. એટલે એકબીજાને એ ખ્યાલ આવી ગયો છે. એટલા માટે એ...
એ વખતે “શ્રીમદ્જી'ની કઈ દશા હશે કે જે દિ એણે સપુરુષ નક્કી કર્યા છે? ૧૯૪૭ સમકિત શુદ્ધ પ્રકાયું. ૧૯૩૧માં એમને જાતિસ્મરણ થયું. ૧૯૪રમાં અપૂર્વ વૈરાગ્ય આવ્યો. એટલે કે એકદમ આ બાજુનો ઝોક થયો છે અને ૧૯૪૭માં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે. ૪૨ ને ૫=૪૭. ૧૯માં વર્ષથી વૈરાગ્ય એકદમ વધી ગયો
Page #162
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૩
૧૪૫ છે. તોપણ સમ્યકત્વસમ્મુખ નજીકના મહિનાઓમાં લઈએ તોપણ એ જ અરસામાં એ પરિચયમાં આવ્યા છે. સમ્યફ સન્મુખની એ દશા એવી હોય છે કે એક ન્યાયે જ્ઞાનીની દશા હોય છે એવી હોય છે. એવું ભેદજ્ઞાન ચાલતું હોય છે. એવી પરિસ્થિતિ હોય છે. લગભગ એ પરિસ્થિતિ હોય છે ત્યારે એ પામે છે. પામે કયારે ? કે લગભગની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે. ૧૦૦ ક્યારે થાય? કે ૯૯ ભેગા થાય ત્યારે ૧૦૦થાય. પ-૨૫ ભેગા થયા હોય ત્યારે ૧૦૦ઘણા દૂર છે. એક માણસ બચાવી બચાવીને ૧૦૦ રૂપિયા ભેગા કરે છે. ૧૦૦થાય એટલે મારે એક કોથળી બાંધવી. ૯૯ સુધી તો પહોંચ, એમ કહે છે. પછી ૧૦૦ની વાત કરજે. અહીં હજી ૨-૫ ભેગા થયા હોય તો ૧૦૦ ક્યાંથી ભેગા થવાના? એમની લગભગની દશા છે.
મુમુક્ષુ:- ૧૦વર્ષે ધારા ઉલ્લસી કહે છે, એ શું છે?
પૂજ્ય ભાઈશ્રી:- ધારા ઉલ્લસી એટલે વિચારધારા-સુવિચારણા. સુવિચારણા લગભગ ૧૦-૧૨ વર્ષની ઉમરે એમને શરૂ થઈ છે. ૧૯ વર્ષની ઉંમરે ઘણો વૈરાગ્ય આવ્યો છે. ઘણા વૈરાગ્યની દશામાં એમને ધંધામાં ને ગૃહસ્થીમાં, લગ્નજીવનમાં પડવું પડ્યું છે. તોપણ પોતાના પુરુષાર્થ અને વૈરાગ્ય છૂટ્યા નથી. ૨૪મે વર્ષે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું છે. અને સમ્યગ્દર્શન હાથમાં આવ્યા પછી તો એમ થઈ ગયું કે જો આ રીતે સ્વરૂપસ્થિરતામાં આવી શકાય છે તો કેવળજ્ઞાનમાં શું કરવાનું આવું? એટલું જોર માર્યું છે.
મુમુક્ષુ - અહીંયાં એક પન્ન થાય છે કે જ્યારે “સોભાગભાઈએ નક્કી કર્યું કે આ જસપુરુષ છે. એના પહેલાની ભૂમિકામાં ભલે શાબ્દિક રીતે નથી પણ આને પૂર્ણતાને લક્ષ થઈ ગયું હતું?
પૂજ્ય ભાઈશ્રી:-નહિ. એને એક સપુરુષની શોધ હતી, પુરુષની શોધ હતી. અને સપુરુષની શોધ શું કરવા હતી કે મારે આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ કહો કે મોક્ષ કહો. પણ એમાં બે પ્રકાર છે. આત્મકલ્યાણ કરવા માટે તો બધા જીવો ધર્મના ક્ષેત્રમાં આવે છે. અન્યમતમાં પણ આવે છે). કોઈપણ સાંસારિક કાર્યોના ક્ષેત્રથી દૂર થઈને, અળગો પડીને જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે એને આત્મકલ્યાણ તો કરવું હોય. કોઈને ન કરવું હોય એની બીજી વાત છે. કોઈ લોભથી, માનથી પ્રવર્તતા હોય અને આપણે છોડી દઈએ. પણ સામાન્યપણે લઈએ તો પ્રથમ તો જીવ એક ભાવના લઈને આવે છે કે આપણે આપણા કલ્યાણ માટે કાંઈક કરો. કાંઈક કરવું જોઈએ. આત્માના કલ્યાણ માટે કાંઈને કાંઈ કરવું જોઈએ.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૨ હવે એ કરવામાં અને આ કરવામાં શું ફેર છે? કે એને બહુ ઓછા ઉઘાડમાં પણ એક વાત નક્કી કરી કે જેનું કલ્યાણ થયું હોય એવો કોઈ જીવ મળે તો મારું કલ્યાણ થાય. નહિતર હું ક્યાં રસ્તો જાણું છું કે ક્યા રસ્તે કલ્યાણ થાય? આ વિવેક કર્યો. એ બહુમોટો વિવેક કર્યો છે. આ સત્સંગનો વિવેક કહેવાય છે. નહિતો જીવને શું થાય છે કે આપણે આપણી મેળે કરીએ. આપણી પાસે શાસ્ત્રો છે, આપણી પાસે વિચારશક્તિ છે અને આપણે આપણું કલ્યાણ કરવું છે, મેળે મેળે કરી લેશું. અથવા પોતાને ગમે તેમ સઝે એમ કરે છે. સિવાય સત્પરુષ. ગમે તે પ્રકાર પકડી લે છે. કાં તો કુળધર્મના ગુરુના આશ્રયે વયો જાય છે કે ગુરુ જ્ઞાન દેશે, ગુરુ રસ્તો બતાવશે અને ગુરુ કાંઈક આપણા કલ્યાણમાં નિમિત્ત પડશે. પણ એને સપુરુષ જોઈતા હતા.
આપણને ખબર નથી કે એ ક્યાં કયાં જઈ આવ્યા છે. એ ક્યાં ક્યાં જઈ આવ્યા છે એનો ઇતિહાસ આપણી પાસે નથી. પણ જ્યારે માણસ શોધતો હોય ત્યારે અનેક
ગ્યાએ સ્વભાવિક રીતે જાય. અહીંયાં સપુરુષ છે? અહીંયાં સપુરુષ છે? અહીંયાં સપુરુષ છે? અહીંયાં પુરુષ છે? ક્યાં છે? આ ઉંમરમાં ૨૩ વર્ષ નાના હતા. એ વખતે પોતે તો એમના પિતાશ્રી જેટલી ઉંમરના હતા. ૨૦-૨૫ વર્ષનો એ વખતનો આંતરો એટલે બાપ-દીકરાને છેટું હોય. એ વખતે એને બહુમાન થયું છે કે હવે જે હું શોધતો હતો એ આ સપુરુષ છે.
જે આત્મકલ્યાણની ભાવના હતી એમાં એક સત્સંગનો વિવેક હતો કે યથાર્થ સપુરુષ મળે, એના આશ્રયે મારે મારું કલ્યાણ કરવું છે. એ જ વિવેક જોઈએ તો ૧૪ વર્ષની ઉંમરે પૂજ્ય બહેનશ્રીને થયો છે. મેળ, પત્તો લાગે છે કે નહિ?મેળ ખાય છે કે નહિ? કે અહીંયાં કોઈ સત્સંગ નથી. કરાંચીમાં કોઈ સત્સંગ નથી. અહીંયાં રહેવું નથી. કોઈ ભોગે મારે અહીંયાં રહેવું નથી. એમણે તો બહુ મોટી કિંમત ચૂકવી છે. એમણે કોઈ સામાન્ય કિમત નથી ચૂકવી. એ વખતે બહુ મોટી કિંમત ચૂકવી. શેના માટે ચૂકવી છે? એક સપુરુષના સત્સંગ માટે એ કિંમત ચૂકવી છે. એટલી આપણી તૈયારી થાય અને ન પ્રાપ્ત થાય એવું બને નહિ. કોઈ જીવની એટલી તૈયારી થાય અને એને પ્રાપ્ત ન થાય એવું કોઈ દિવસ બને નહિ. બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. એવી વાત છે. તૈયારી જોઈએ.
મુમુક્ષુ – મારે તો વિશેષ આ સમજવાનું છે કે જેમ ક્રમમાં પહેલા એનું લક્ષ બંધાય અને પછી ખોજ થાય. પોતાનું પરિપૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધે અને પછી એ શોધમાં આવે અને સપુરુષ મળે એમ સમજાણું છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૪૭ પૂજ્ય ભાઈશ્રી – હા. અંદર એમ જ હોય છે.
મુમુક્ષુ -ભલે બહારમાં એવી વાત કોઈ આપણને ખ્યાલ આવે કે ન આવે. પણ આમાં લક્ષ તો પહેલા આ જહોય.
પૂજ્ય ભાઈશ્રી – તિર્યંચ હોય તો પણ. આ તો મનુષ્ય છે પણ તિર્યંચ હોય તોપણ એમ જ છે. કેમકે એક સિદ્ધાંત છે કે આ દિશાનો જે વેગ આવવો જોઈએ, નિર્દોષતા પ્રાપ્ત કરવી છે, પરિપૂર્ણતા એટલે શું ? પરિપૂર્ણ નિર્દોષતા. પરિપૂર્ણ નિર્દોષતા કહો, પરિપૂર્ણ પવિત્રતા કહો. એનો જે ઉપાડ આવવો છે એ એના પ્રમાણમાં આવવો જોઈએ ને ? એના પ્રમાણમાં આવવો જોઈએ. સાંજ પડે દસ ગાવ ચાલવું છે. અડધો માઈલ ચાલ્યો હોય ને ચેનચાળા કરવા માંડે ? એ પહેલેથી પગ ઉપાડે. પછી ભલે ધીમો પડે. પણ એકવાર એની મર્યાદામાં અતંર કાપવા માટે જે પહેલા ઉપાડ આવે એ જુદો જ આવે. એને ખબર પડે છે કે છેટું ઘણું છે. એમ એ રીતનો એનો ઉપાડ હોય છે એટલે એ પાછો નથી પડતો. અહીંયાં જે કહે છે કે પાછો સંસારપરિણામી થાય છે અને અનંત વાર સંસારપરિણામી જીવ થયો છે, એનું કારણ તે એનો ઉપાડ છે એમાં ફેર છે.
મુમુક્ષુ -અનંત કાળમાં આ લક્ષ બાંધ્યું નથી એટલે એનો ઉપાડ ઉપડ્યો નથી.
પૂજ્ય ભાઈશ્રી:-હાઉપાડ જ એ રીતે આવ્યો નથી. ઉપાડ એ રીતે આવ્યો નથી એટલે યથાર્થ રીતે એ નિર્ણય કરીને યથાપ્રવૃત્તિકરણ સુધી આવ્યો નથી. નહિતર ન તો યથાપ્રવૃત્તિકરણનો વિકલ્પ કરવાની જરૂર છે, ન તો નિર્ણયનો વિકલ્પ કરવાની જરૂર છે, નતો પૂર્ણતાના લક્ષનો પણ વિકલ્પ કરવાની જરૂર છે. તિર્યંચને શું વિકલ્પ થાય છે? આ તો અત્યારે એટલી વાત સ્પષ્ટ થઈ. નહિતર જેટલા પામ્યા છે એટલા બધાને એટલી સ્પષ્ટતા મળે છે અને પછી કાંઈક કામ આદરે છે એવું થોડું છે? એવું કાંઈ નથી.
એટલા માટે તો એ વાત આપણે વધારે સ્પષ્ટ કરવા માટે વિચારીએ છીએ, કે જીવને પૂછવાનું છે. જાણ્યું એથી શું થયું? લ્યો, જાણ્યું કે પૂર્ણતાના લક્ષે શરૂઆત થાય. એક વાર નહિ, દસ વાર સાંભળ્યું, બહુ વાર સાંભળ્યું. એથી શું? પોતે તપાસ કરવાની જરૂર છે કે તારે શું જોઈએ છે? તારે પૂર્ણતા જોઈએ છે કે નથી જોઈતી? તું તારામાં તપાસ કરને તારે શું જોઈએ છે? તું અહીંયાં શું લેવા આવ્યો છો ? અહીંયાં આવ્યો, વાત સાંભળી પૂર્ણતાનું લક્ષ થવું જોઈએ. હવે પોતે નક્કી કર કે તું અહીંયાં શું લેવા આવ્યો છો ? આ સિવાય બીજું કાંઈ છે)? આ નથી લેવા આવ્યો તો કાંઈક બીજું લેવા આવ્યો છે એ નક્કી વાત છે. ભલે તને એ સ્પષ્ટ ન હોય અને અસ્પષ્ટ હોય કે શું લેવા આવ્યો છો. પણ આ લેવા નથી આવ્યો એનો અર્થ કે તું કાંઈક બીજું લેવા આવ્યો છો. એ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બીજામાં જ પડશે, આમાં નહિ આવે. સીધી વાત છે.
મુમુક્ષુ :- અહીંયાં સંસારપરિણામી થયા કર્યો છે અને નીચે લખે છે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. તો જે સંસા૨પરિણામી થયો એ પોતાનું ... દોડવાને કારણે થયો ? કે સત્પુરુષ ન મળતા ?
પૂજ્ય ભાઈશ્રી :– એક તો એને સત્પુરુષ મળ્યા નથી.
મુમુક્ષુ :– પાછું નીચે એ લખ્યું છે કે આ સત્ સમાગમ તો નિરંતર સેવવા જેવો છે. ઉપ૨ અનુસંધાન...
રાજહૃદય ભાગ-૧૨
-
પૂજ્ય ભાઈશ્રી :– એટલે શું છે કે સત્યસમાગમ પણ અનંત વાર મળ્યો છે. જેમ પાછો અનંત વા૨ ફર્યો છે એમ સત્પુરુષ પણ અનંત વાર મળ્યા છે પણ સત્પુરુષને ઓળખ્યા નથી. ઓળખીને જે બહુમાન આવે તો એ પાછો ન ફરે. એટલે તો આ ‘સોભાગભાઈ’ની ચર્ચા (કરી). એમને ઓળખ્યા હતા. એ ઉંમરમાં એમને ઓળખ્યા હતા. નહિતર સત્પુરુષ તો એના દીકરાની ઉંમરના હતા. કોઈ દિવસ પહેલા પોતે મળ્યા નથી. ફક્ત એનું નામ એમણે સાંભળ્યું કે કોઈ શતાવધાન કરનાર છે આ. નહિતર શતાવધાનના નિમિત્તે એમની કીર્તિ બહાર પ્રસરી. જે કીર્તિ ૧૮-૧૯ વર્ષે પ્રસરી એ શતાવધાનને હિસાબે પ્રસરી. ત્યાર પછી આ ૩-૪ વર્ષે, ૪ વર્ષે સમાગમમાં આવ્યા છે. એ કોઈને ને કોઈને શોધતા હતા. પરીક્ષાનું એક એમની પાસે સાધન હતું, કે આ મારી વાતનો ઉકેલ કરી ધ્યે એ સત્પુરુષ. એટલે કયાંક ક્યાંક એ ગયા હશે. કોઈ સુધા૨સનોબીજજ્ઞાનનો-સ્વરૂપનિર્ણયનો વિષય હતો. એટલે એ આગળ મૂકે, અજાણ્યો હોય એનું એમાં કામ નથી. અજાણ્યો હોય તો એનું એમાં કામ નથી. એટલે તરત ખબર પડે, હું ગોતું છું એ આ નહિ, હું શોધું છું એ આ નહિ, હું શોધું છું એ આ નહિ.
આમને અહીં ચમત્કાર થયો છે. આવ્યા એટલે મોરબી’ મળ્યા છે. મોરબી’માં. આવો ‘સોભાગભાઈ’ કહે. આ મને કયાંથી ઓળખે ? મારું કેવી રીતે નામ લે છે ? પછી પેટીમાંથી ચબરખી કાઢીને આપી. તમે આ કામે આવ્યો છો. એમાં એ જ વિષય હતો. જે વિષયની પોતે ચબરખી લઈને આવ્યા હતા એ જ વિષય એમાં હતો. પતી ગયું. મારે પરીક્ષા કરવાનો સવાલ નથી. આ તો સામેથી જ એમણે પરચો આપી દીધો. એ વખતે એમણે પૂરેપૂરો નિર્ણય કરી લીધો. આ જ સત્પુરુષ છે, આના જ આશ્રયે મારું કલ્યાણ છે. મારે કયાંય હવે બીજે ગોતવાની જરૂ૨ નથી.
મુમુક્ષુ ઃ–નિર્ણય કરવામાં કલાકો નથી લાગ્યા.
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. સેકન્ડ માત્રમાં. સેકન્ડોમાં નિર્ણય કર્યો. એ એની પાત્રતા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પત્રાંક-૫૯૩. બતાવે છે. અને એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે. એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે.
સોગાનીજીને ધમપછાડા ઓછા હતા? એમનું તો જીવનચરિત્ર બધાએ વાંચ્યું હશે. ગુરુદેવને મળ્યા પહેલા કેટલી મહેનત કરી છે? સપુરુષ વગર નકામું છે. માથું ફાટી જાય નહિ પ્રાણ છૂટી જાય એટલા ધમપછાડા કર્યા છે. રાતોના રાતો ઉજાગરા કર્યા છે. ઘરમાં એક અગાસી હતી. રાતે ઉંઘ આવે નહિ એટલે આંટા મારે. જેમ કોઈને પેટમાં શૂળ થઈ હોય કે માથામાં શૂળ થઈ ગયું હોય ને આમ આંટા મારવા પડે એમ આંટા માર્યા છે. રાતોની રાત સુધી. રસ્તો સૂઝે નહિ. આ એક સેકન્ડમાં વાણી સાંભળી ને રસ્તો સૂઝી ગયો. આ સપુરુષનો ચમત્કાર છે! એટલે એ તો પોકારી પોકારીને પોતે કહે છે એ વાત.
એ બહુ મહત્ત્વનો વિષય છે કે આ કાળમાં જે ધરતી ઉપર કોઈ વિદ્યમાનતા હોય તો એ આખી જુદી જવાત થઈ જાય છે. નહિતર રસ્તો નથી. એ પ્રશ્ન ત્યાં વવાણિયામાં આવ્યો કે આ બધું સમજાય પણ સત્યરુષ વગર થાય? કેમકે સ્પષ્ટતા ઘણી છે. વર્તમાનમાં સ્પષ્ટતા ઘણી થઈ છે. સપુરુષ વગર શું? એ પ્રશ્ન ઊભો થયો. વાત તો બરાબર છે. પુરુષ વગર પત્તો ખાય એવું નથી. કેમકે જે છેલ્લો રહસ્યનો મુદ્દો છે એ બે વાત સાથે માગે છે. એક બાજુની તથારૂપ પાત્રતા, બીજી બાજુ પુરુષનો યોગ. બસ ! આ બે વાત સાથે માગે છે. એ વાત સાથે થઈ એને કામ થયું નથી એવો અપવાદમાં માટે એક Case નથી અનંતામાં. એવો એકેય Case નથી. થાય, થાય ને થાય જ..
મુમુક્ષુ :- કરણલબ્ધિની વાત જે આવે છે, આપણે જોયું ને ? “મોક્ષમાર્ગ પ્રકાશકમાં, એત્રણ કઈ રીતે છે?
પૂજ્ય ભાઈશ્રી:- ત્યાં તો એટલું બધું સૂક્ષ્મતાથી નથી લીધું. કેમકે ગ્રંથ તો પોતે વિસ્તારથી પછી લખવાના હતા પણ...
મુમુક્ષુ -લબ્ધિસારમાં જાણી લેવું... પૂજ્ય ભાઈશ્રી:- ચાર લબ્ધિ છે ને? પ્રાયોગ્યલબ્ધિ, દેશનાલબ્ધિ... એમ ચાર લબ્ધિ છે.
મુમુક્ષુ યથાપ્રવૃત્તિકરણ સુધી અનંતવાર આવે. પૂજ્ય ભાઈશ્રી:-પાનું મળવું મુશ્કેલ છે. Try કરી જોઈએ. મુમુક્ષુ – આઠમા અધ્યાયમાં છે?
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:- સાતમામાં છે. સામામાં છેલ્લે.. મુમુક્ષુ – અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ.
પૂજ્ય ભાઈશ્રી - યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. ત્રણ લબ્ધિના નામ છે.
મુમુક્ષુ -અપૂર્વ અપૂર્વપરિણામ થાય છે ત્યાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે સ્વરૂપસન્મુખતાના ચડતા પરિણામ છે અને એ કેવળજ્ઞાનગોચર છે. છદ્મસ્થને પોતાને એ લબ્ધિના પરિણામ પ્રહણ થતા નથી. અને લઘુ અંતર્મુહૂર્તમાં એ પૂરા થઈ જાય છે. ત્યાર પછી તરત જ ઉત્તર સમયમાં એટલે બીજા સમયમાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવની ઉત્પત્તિ થાય છે. કરણલબ્ધિવાળાને નિયમથી સમ્યગ્દર્શન છે. એટલે કરણલબ્ધિમાં કોઈનું આયુષ્ય પૂરું ન થાય. આ પણ નિયમ છે. કરણલબ્ધિના પરિણામ ચાલતા હોય ત્યારે એ સમયમાં કોઈનું આયુષ્ય પૂરું ન થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જ જાય પછી ત્યાં આયુષ્ય પૂરું ન થાય. આવી ગયું, ચાલો.
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ. “મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધ્યાયમાં ૨૬૫ પાને છે. ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ અને પ્રાયોગ્યલબ્ધિ. એ ચાર અનાદિથી ઘણી વાર, અનંત વાર મળી ગઈ છે. એ ચાર લબ્ધિ છે અને પાંચમી કરણલબ્ધિ. ત્યાં પહેલી ક્ષયોપશમલબ્ધિ છે, કે જેના હોવાથી તત્ત્વવિચાર કરી શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય અથતુ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેની જે પ્રાપ્તિને ક્ષયોપશમલબ્ધિ છે. સર્વઘાતી છે એનો ક્ષય છે અને દેશઘાતીનો ઉદય છે. આપણે અહીં બીજી ભાષામાં, સાદી ભાષામાં એને ઉઘાડ કહીએ છીએ. ક્ષય અને ઉપશમ મળીને ક્ષયોપશમ શબ્દ થયો. એને ક્ષયોપશમલબ્ધિ કહે છે કે જેના હોવાથી જીવ તત્ત્વવિચાર કરી શકવાની સ્થિતિમાં હોય અથવા સંજ્ઞી પંચેન્દ્રિય હોય. ટૂંકામાં સંજ્ઞી પંચેન્દ્રિય હોય કે પ્રયોજનભૂત તત્ત્વનો વિચાર કરી શકે.
બીજું કે, મોહનો મંદઉદય આવવાથી. આ દર્શનમોહ લેવો. દર્શનમોહનો મંદ ઉદય આવવાથી મંદકષાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ શકે.” એમાં કષાયની પણ મંદતા હોય અને દર્શનમોહની પણ મંદતા થાય છે તે વિશદ્ધિલબ્ધિ છે.” એટલે એને વિશુદ્ધિ કહી છે. દર્શનમોહની મંદતા છે, ચારિત્રમોહની પણ મંદતા છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પત્રાંક-૫૯૭ મોહમાં બંને લઈ લેવા. પણ એ પોતે ભેદ નથી પાડતા. કેમકે અહીંયાં વિષય એટલો સૂક્ષ્મતાથી નથી કાંતતા. આ તો પ્રારંભિક છે. સાત-આઠ અધ્યાય સુધી તો પ્રારંભ કર્યો છે. એને તો ઘણું લાંબુ લખવું હતું. જે અંદરમાં ભર્યું હતું એ તો હજી ગ્રંથનો વિસ્તાર કરતા લખવાના હતા), આગળ કહેશે.
નંબર ત્રણ. “શ્રી જિનેન્દ્રદેવદ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો. તે દેશનાલબ્ધિ છે. દેશના ધારવી. ધારેલી એનો વિચાર કરવો, ધારણામાં લઈને એનો વિચાર કરવો. એપરલક્ષી ધારણામાં દેશનાલબ્ધિ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ-તત્ત્વ જેમ છે તેમ ધારવું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. વિરુદ્ધ ધારણાનો તો પ્રશ્ન જ નથી. એ તો વિપર્યાસ ઘણો બતાવે છે. એ વાત અહીંયાં નથી. જેમ છે એમ ધારે, બરાબર ધારે.
નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.” દેશનાલબ્ધિ. એણે પૂર્વસંસ્કારમાં પહેલાં લીધેલી છે દેશનાલબ્ધિને પછી “કર્મોની પૂર્વસત્તા ઘટી અંત:કોડાકોડીસાગર પ્રમાણે રહી જાય...” એમાં દર્શનમોહની જે વધારેમાં વધારે ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ) છે, દર્શનમોહ અંત:કોડાકોડીમાં આવી જાય. “નવીનબંધ પણ અંત:કોડાકોડીસાગર પ્રમાણે સંખ્યામાં ભાગમાત્ર થાય તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ જાય. અને કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ ક્રમથી મટતો જાય. આ પ્રાયોગ્યલબ્ધિ છે. પ્રાયોગ્ય એવો શબ્દ છે એમાં યોગ્ય, લબ્ધિ એટલે પ્રાપ્તિ. યોગ્યતાની પ્રાપ્તિ. પ્રા એટલે વિશેષ કરીને. વિશેષ પ્રકારની યોગ્યતાની પ્રાપ્તિ અને પ્રાયોગ્યલબ્ધિ કહેવામાં આવે છે.
અને કેટલીક પાપ પ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય; ઇત્યાદિ.' ઇત્યાદિ એટલે ઘણું ઘણું એમ કરીને લઈ લીધું. યોગ્ય અવસ્થા થવીએટલે મુમુક્ષુપણું કાંઈક આવવું, થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે.’ લ્યો, ઠીક ! ચાર લબ્ધિ આવે તો એણે હજી અભવ્ય કરતાં કાંઈ વધારે કરી લીધું નથી. “એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી લબ્ધિસાર ગાથા-૩માં કહ્યું છે....... ફૂટનોટમાં લીધું છે કે લબ્ધિસાર ગાથા-૩૫છે.
માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ હોવાનો નિયમ નથી.” તત્ત્વવિચાર કરે માટે એને સમ્યગ્દર્શન થઈ જ જાય. એવો કોઈ નિયમ નથી. તત્ત્વવિચારવાળાને સમ્યગ્દર્શન થાય વા ન થાય. બે વાત લઈ લીધી છે. અને એ તો સ્પષ્ટ વાત છે. બીજાને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨
રાજહૃદય ભાગ-૧૨ તો ન જ થાય. થાય તો તત્ત્વવિચારના નિમિત્તે જ થાય. બીજાને તો ન જ થાય, કે બહુ પૂજા કરે છે, બહુ ભક્તિ કરે છે, બહુ દાન દે છે, બહુ જાત્રાઓ કરે છે, બહુ ઉપવાસ કરે છે કે બહુ જપ કરે છે, તપ કરે છે. એને થાય એ તો પ્રશ્ન જ નથી. થાય તો તત્ત્વવિચારવાળાને થાય. પણ એ થાય વા ન થાય. એટલું લેવું.
મુમુક્ષુ :– અહીંયાં અવકાશ છે. તત્ત્વવિચારવાળાને અવકાશ છે. પૂજ્ય ભાઈશ્રી :- એને અવકાશ છે. પેલાને તો અવકાશ જ નથી. કેમકે ત્યાં તત્ત્વવિચાર જ નથી. માટે અવકાશ જ નથી.
જેમ કોઈને હિતશિક્ષા આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે ?પછી વિચાર કરતાં તેને આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રીગુરુએ તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે—આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે ? પછી વિચાર કરતાં તેને આમ જ છે' એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધન ન કરે તો પ્રતીતિ ન પણ થાય. નિમિત્ત કારણોમાં) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે તેનો ઉદય મટે તો પ્રતીતિ થઈ જાય, ન મટે તો ન થાય...’ આ એમની આગમપદ્ધતિ છે. કર્મના ઉદય સાથે પછી બધી વાત લઈ જાય છે. કર્મનો ઉદય મટે તો પ્રતીતિ થાય, ન મટે તો ન થાય એવો નિયમ છે. પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.’ પાછો ઉદ્યમ લીધો. કર્મનો ઉદય લીધો તોપણ પુરુષાર્થ તો લીધો. પણ એમનો કરુણાનુયોગનો વિશેષ ભાર હતો. અને શાસ્ત્ર આગમપદ્ધતિથી લખાણું છે, અધ્યાત્મપદ્ધતિથી નથી લખાણું. નામ આપ્યું છે મોક્ષમાર્ગપ્રકાશક’ પણ શૈલી આગમપદ્ધતિની છે, અધ્યાત્મપદ્ધતિની નથી. એટલે અધ્યાત્મની કેટલીક સૂક્ષ્મ વાતો ગ્રંથ અધૂરો હોવાને લીધે પણ મળતી નથી અને આ પદ્ધતિને હિસાબે પણ મળતી નથી.
પાંચમી કરણલબ્ધિ. પાંચમી કરણ લબ્ધિ થતાં...' હવે આપણે આ ચર્ચાય છે એ વિષય. સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે.’ એને સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય....’ લઘુ અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય ‘તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કે—’ કારણ કે એ પરિણામ બધા અબુદ્ધિપૂર્વકના છે એટલે બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કે–તે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે....’ એટલે
Page #170
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૫૩
ઘણો તત્ત્વવિચારમાં રહે છે. મંથનમાં, ચિંતનમાં. તદ્રુપ થઈને એટલે પ્રયોગ પણ (કરે છે). તદ્રુપ થવાનો તો પ્રયોગ પણ આવે છે. એ રીતે ઉપયોગને લગાવે. તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે.’ આમ તો ભેદજ્ઞાન બહુ સારું ચાલે છે. સ્વરૂપસન્મુખ થયા પછી ભેદજ્ઞાન બહુ સારું ચાલે છે, સહજ ભેદજ્ઞાન ચાલે છે. એ ભેદજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિએ કરણલબ્ધિ પ્રગટે છે. એટલે સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે.
જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તરુત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તાર્તમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.' શું કહ્યું ? એ પરિણામોનું તાર્રમય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.’ જેમ કર્મના પરમાણુ ઉદય, ઉપશમ, ક્ષયોપશમનું, સત્તાનું કર્યું. એ કેવળજ્ઞાન ગોચર છે. સત્તામાં રહેલા કર્મો કોઈ છદ્મસ્થને દેખાતા નથી, ઉદય પણ કોઈને દેખાતો નથી, ક્ષય પણ દેખાતો નથી, ઉપશમ પણ દેખાતો નથી. એ કેવળજ્ઞાન અનુસાર શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે.
એ ક૨ણલબ્ધિના ત્રણ ભેદ છે- અધઃક૨ણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ....' આમાં યથાપ્રવૃત્તિકરણ લીધું છે. પણ આમણે અધઃકરણ લીધું છે. મુમુક્ષુ :– એટલે પહેલું અધઃકરણ છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– પહેલું અધઃકરણ છે.
–
મુમુક્ષુ :- ત્યાંથી પાછો પડે છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા.
=
મુમુક્ષુ :– અપૂર્વમાં નહિ આવ્યો હોય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અપૂર્વમાં નથી આવ્યો. અપૂર્વ કરે તો પછી અપૂર્વ થઈ ગયો. અપૂર્વમાં .. પછી એ અપૂર્વ થઈ ગયો. અપૂર્વ ક...
મુમુક્ષુ :– પહેલું જે છે અધઃકરણ....
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં સુધી આવ્યો. અધઃકરણ સુધી આવ્યો. કરણલબ્ધિ સુધી લગભગ નજીક આવ્યો. અધઃકરણ શરૂ નથી થયું.
મુમુક્ષુ :- મૂળ ક૨ણલબ્ધિમાં ન આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– કરણલબ્ધિમાં પ્રવેશ નથી કર્યો. ત્યાં સુધી આવ્યો છે. એમ કે ઘરમાં નથી આવ્યો, ઘર સુધી આવ્યો છે. આંગણા સુધી આવ્યો છે. અધઃકરણ સુધી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૨ એટલે એ કરણલબ્ધિ સુધી પહોંચ્યો છે. એટલે ઘણો દર્શનમોહ મંદ કર્યો છે. મોહને ઘણો મંદ કર્યો છે એમ લેવું જોઈએ.
તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ છીએ' હવે એના ત્રણે કરણના પરિણામની વાત કરી છે. વાંચી લેવા છેને હવે?
મુમુક્ષુ :- આ યથાપ્રવૃત્તિકરણ છે એ કરણલબ્ધિમાં આવે છે કે ઓલી ચાર લબ્ધિમાં આવે છે. સીધો પ્રશ્ન એ છે.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. યથાપ્રવૃત્તિકરણ છે એ તો... આ તો કરણના પરિણામ કરણ લીધું એટલે કરણના પરિણામ છે. એટલે ત્યાં સુધી આવે છે એટલે એની નજીક આવે છે. એમાં આવે છે એમ નહિ.
મુમુક્ષુ – અધઃકરણમાં નહિ.
પૂજ્ય ભાઈશ્રી – એ શબ્દ બે રીતે વપરાય છે. તમે આટલે સુધી આવ્યા અને તમે કેમ અંદર ન આવ્યા? આંગણા સુધી આવ્યા અને ઘરમાં કેમ ન આવ્યા? તો આંગણા સુધી આવ્યા એને ઘર સુધી આવ્યા એમ પણ કહેવાય અને આંગણા સુધી આવ્યા એમ પણ કહેવાય.
મુમુક્ષુ – આ લબ્ધિનું પ્રકરણ નથી. આ યથાપ્રવૃત્તિકરણ. લબ્ધિનું આ પ્રકરણ નથી.
પૂજ્ય ભાઈશ્રી:– એટલે શું કહેવા માગો છો ?
મુમુક્ષુ – મારે એમ કહેવુ છે કે અહીંયાં આ પત્રમાં તો લબ્ધિનું પ્રકરણ નથી. યથાપ્રવૃત્તિકરણ... - પૂજ્ય ભાઈશ્રી - શું છે કે ગ્રંથિભેદ છે ને? એ એ વખતે ત્રણે કરણને પાર કરી જાય છે. એટલે ગ્રંથિભેદ પાછળની વાત લીધી છે ને એટલે કરણની વાત લેવી જોઈએ.
જ્યારે ગ્રંથિભેદ થાય છે ત્યારે ત્રણ કરણને પાર ઉતરી ગયો. એટલે એને મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ ગઈ. એને ગ્રંથિભેદ કહ્યો. મિથ્યાત્વની ગ્રંથિ જેણે ભેદી તે ગ્રંથિભેદ થયો. એ પહેલા શું થાય? કે કરણ થાય છે. તો કહે છે, કરણ સુધી આવ્યો. એટલે ચાર લબ્ધિ અનંત વાર પ્રાપ્ત કરી. પછી પાંચમી લબ્ધિનો સવાલ ઊભો થાય છે. પણ પાંચમી લબ્ધિમાં આવ્યો નથી.
મુમુક્ષુ -આ જ કહેવું છે મારે. પૂજ્ય ભાઈશ્રી – આવે તો તો ગ્રંથિભેદ થાય. એમ કહેવું છે. પણ ટૂંકમાં એમને
Page #172
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૫૫ એમ કહેવું છે કે દર્શનમોહ ઘણો મંદ પડ્યા છતાં પણ જો જીવ ગ્રંથિભેદ ન કરે તો પાછો, પાછો વળી જાય ખરો. સગપણની ગમે તેટલી વાતો ચાલે પણ ગોળ ન ખાધો હોય ત્યાં સુધી ગમે એ પાછો ફરી જાય છે કે નથી ફરી જાતો? બેમાંથી એક છે. કે હવે નક્કી. પચાસ માણસનું મહાજન બોલાવ્યું અને આપણે નક્કી કર્યું કે આ બેના આપણે લગન કરવા. એ વખતે પાકું. પછી લગ્ન થાય ત્યારે છેડાછેડીની ગાંઠ મારે છે. હવે આ ગાંઠ છોડવાની નથી.
એમ અહીંયાં એ પહેલા ગમે ત્યારે જીવ પાછો વળી જાય છે. એનો અર્થ શું છે? કે કોઈ મુમુક્ષુજીવને એનો કષાય મંદ પડ્યો હોય, દર્શનમોહ મંદ પડ્યો હોય અને બહુ સારી મુમુક્ષતા દેખાતી હોય તોપણ એણે ચેતવા જેવું છે, કે જો ગ્રંથિભેદન થાય. કેમકે કરણલબ્ધિમાં આવ્યો એટલે ગ્રંથિભેદ તો સેકંડોમાં થવાનો છે. આ તો બહુ અલ્પ સમયની વાત છે. લઘુઅંતર્મુહૂર્ત એટલે Second ની જ વાત છે. એટલે એ તો કરણાનુયોગને હિસાબે પગથિયું દેખાડે છે. બાકી ગ્રંથિભેદ થયો એટલે સમ્યગ્દર્શન થયું એટલે તારો પાકો મોક્ષમાર્ગ ત્યાં સુધી તારો મોક્ષ પાકો નહિ અને મોક્ષમાર્ગ પણ પાકો નહિ. એમ વિચારી લેવું. એટલે મુમુક્ષતામાં ગમે તેવી સારી મુમુક્ષતા દેખાતી હોય તોપણ એને આધારે, એની આશાએ કોઈ ભવિષ્ય નક્કી ન થાય. એમ કહેવું છે. એટલા માટે એ વાત છે.
મુમુક્ષુ જેને પૂર્ણતાનું લક્ષ હોય એમાં આ વસ્તુને આવે.
પૂજ્ય ભાઈશ્રી – ભલે એમાં ન આવે તોપણ કામ અહીં સુધી થવું જોઈએ એમ કહેવું છે. એ તો યથાર્થ પદ્ધતિમાં આવી જાય એને તો કાંઈ પ્રશ્ન છે જ નહિ. એને શંકા પડતી નથી. એને આટલો લાંબો વિચાર કરવાની પણ જરૂર નથી પડતી કેમકે એનો ઉપાડ જ એવો છે કે એ પોતાની વર્તમાન સ્થિતિમાં સંતોષ પામતો જ નથી ને. એને તો ઘણું બાકી છે એ જ છે. મુનિદશામાં પણ ઘણું બાકી લાગે છે. સમ્યગ્દર્શન થતાં હજી અનંતમા ભાગે છે એમ કહે છે. મુમુક્ષતામાં તો અટકે જયાંથી?
મુમુક્ષુ - ચાર લબ્ધિ સુધી જીવ અનંત વાર આવી ગયો તો સ્વરૂપનિશ્ચિય, સત્પુરુષની ઓળખાણ આ બધું તો બાકી છે. તો કરણલબ્ધિના તો ક્યાં ઠેકાણાની વાત છે ? કરણલબ્ધિ વચ્ચે અને આ ચાર લબ્ધિ વચ્ચે જે ભેદરેખા છે એમાં તો સ્વરૂપનિશ્ચયનું પણ વચ્ચે એક પગથિયું આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે પણ આમાં શું કહેવું છે કે કોઈ જીવને પુરુષ વિદ્યમાન છે. સત્પરુષની સમીપતામાં રહે છે. બધા પડખાં સરખા દેખાય છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૨ મુમુક્ષુ દેખાય છે. છતાં આ ખામી રહી જાય છે. એ ભૂલ બતાવી છે.
પૂજ્ય ભાઈશ્રી - છતાં એને ગ્રંથિભેદ થવો જરૂરી છે. ગ્રંથિભેદ ન થાય તો એને ક્યાંય પણ અટકવા જેવું, સંતોષ પામવા જેવું, ક્યાય પણ એને નિરાંત લેવા જેવું નથી. એનો સાર આ કાઢવાનો છે. ચર્ચાનો સાર એ છે. (અહીં સુધી રાખીએ...
સમ્યક્દર્શન માટે જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ અને સશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ જ્યાં સુધી પરિણમનમાં સુધાર થવાના યથાર્થ ક્રમમાં સહજપ્રવેશ ન થાય, ત્યાં સુધી તેનો અભ્યાસ પરલક્ષી સમજવા યોગ્ય છે. સ્વલક્ષી અભ્યાસ હોય તો તેની સીધી અસર પરિણમન ઉપર આવે જ છે. અર્થાત્ તે જીવ માત્ર વિચાર – વિકલ્પથી સંતુષ્ટ થતો નથી પરંતુ પરિણમન માટે પ્રયત્નશીલ રહે છે.
અનુભવ સંજીવની–૧૪૧)
સંશી પંચેન્દ્રિય જીવ તત્ત્વ સમજવા યોગ્ય ક્ષયોપશમ ધરાવે છે, પરંતુ ઘણું કરીને તે પરલક્ષી હોય છે તેથી તે સફળ થતો નથી. જ્યારે જીવમાં નિજ કલ્યાણની અંતરની ભાવનાથી નિર્મળતા આવે છે, ત્યારે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે અને સમજણમાં યથાર્થતા આવે છે. ત્યાં સ્વલક્ષીપણું આવે છે.
(અનુભવ સંજીવની-૧૪૧૫)
Page #174
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૫૭.
તા. ૧૯-૧૨-૧૯૯૦, પત્રક – ૫૯૩
પ્રવચન નં. ૨૭૬
જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ત્રણ કરણમાં આવી જાય તો તો ગ્રંથિભેદ થઈ જાય પણ એ પહેલા જ એ પાછો વળી ગયો છે. કહેવાનો એ અભિપ્રાય છે, કે જે પુરુષાર્થથી એણે ઉપડવું જોઈએ એ પુરુષાર્થથી તે ઉપડ્યો નથી. કેમકે પછી તરત જ એ વીર્યગતિની વાત લે છે.
મુમુક્ષુ –માતાજી કહેછે ને થોડા પુરુષાર્થ માટે અટક્યો.
પૂજ્ય ભાઈશ્રી - થોડા પુરુષાર્થ માટે એ પણ આવે છે. પુરુષાર્થ શરૂ કરીને થોડા પુરુષાર્થ માટે અટક્યો. એનું કારણ એ છે કે જે ગતિએ પુરુષાર્થ કરવો જોઈએ એ ગતિએ પુરુષાર્થ નથી કર્યો એ જ વાત કરે છે. - “ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.’ એટલે જે રીતે એણે પુરુષાર્થ કરીને ઉપડવું જોઈએ એટલા તીવ્ર ગતિથી જો જીવ નથી ઉપડતો તો સારી રીતે કષાય મંદ થયો હોય, સારી રીતે દર્શનમોહ મંદ થયો હોય, તોપણ પાછો જીવ પાછો પડી જાય છે, ક્ષોભ પામી જાય છે. વળી પાછો એની એ પરિસ્થિતિમાં આવતા વાર લાગતી નથી. એટલે ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ, જે પ્રકારની વીર્યગતિ જોઈએ, જેટલા પ્રમાણમાં વીર્યગતિ જોઈએ એટલો પુરુષાર્થનો ઉપાડનથી હોતો.
બતે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે.જોયું ? “નિત્યપ્રત્યે સત્સમાગમ...” જોઈએ. સત્સમાગમ જોઈએ, સત્સમાગમમાં જે કાંઈ વિષય ચાલે એનો સવિચાર જોઈએ અને સત્સમાગમ ઉપરાંત... સત્સમાગમ તો નિરંતર મળે નહિ, તો પછી બાકીના સમયમાં સગ્રંથનો પણ પરિચય રાખવો જોઈએ. કેમકે ઉપયોગ તો તારો અંદર આવતો નથી. ઉપયોગ બહાર જાય છે. બહાર જાય છે ત્યાં જો સત્સમાગમ ન હોય, વિચારમાં સદ્વિચારન હોય કે નિમિત્તપણે સદ્દગ્રંથ ન હોય, પછી તો કોઈ પરિસ્થિતિ સારી નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પછી કોઈ પરિસ્થિતિ સારી નથી.
=
મુમુક્ષુ :– ગ્રંથિભેદ સુધીનો પુરુષાર્થ જે ન થયો, એમાં મુખ્ય ત્રણ કારણ લેવા કે સત્સમાગમ, સદ્વિચાર, સગ્રંથ ?
પૂજ્ય ભાઈશ્રી :– આ તો શું છે કે બાહ્ય સાધન છે. કોઈ એમ કહે કે અમે સત્યમાગમ તો વર્ષોથી કરીએ છીએ, કોઈ એમ કહે કે અમે સગ્રંથ પણ વર્ષોથી વાંચીએ છીએ અને એ અંગેની તત્ત્વ વિચારણામાં અમારે તો અહીંયાં બીજો કાંઈ ધંધો નથી કે કામ નથી, નિવૃત્ત છીએ. સાથે મળીએ ત્યારે અમે બધી તત્ત્વની ચર્ચા કરીએ છીએ. એ બાહ્ય સાધન છે. અંતરંગ સાધન તો એને જે ગતિએ પુરુષાર્થ ઉપાડવો જોઈએ એ પુરુષાર્થ સાધ્ય, મોક્ષમાર્ગ છે એ પુરુષાર્થ સાધ્ય છે. એટલે પોતાનો (પુરુષાર્થ) જે રીતે ઉપડવો જોઈએ, જેવો ઉપડવો જોઈએ એવો ન થાય તો બાહ્ય સ્થિતિ (સારી) નથી.
મુમુક્ષુ :– સત્સમાગમ તો સોગાનીજી’એ કર્યો, બીજાએ સત્તમાગમ ક્યાં
કર્યો ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો બરાબર છે. આ તો બહારમાં એમ કહે ને કે ભાઈ ! અમે તો સત્સમાગમ કરીએ છીએ. અમારે ક્યાં બીજો સંગ હોય. ‘ગુરુદેવ’ બિરાજતા. ‘સોનગઢ’ વર્ષો સુધી રહ્યા. એ સત્સમાગમ કર્યો કે ન કર્યો કહેવાય ? શું કર્યું કહેવાય ? મુમુક્ષુ ઃ– સમાગમ કર્યો હોય અને Result ન આવે એમ કેમ બને ? અગિયારમું આશ્ચર્ય થઈ જાય.
=
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– એ તો પોતે કહ્યું છે કે, આ કાળમાં સત્પુરુષનો સત્યમાગમ મળે અને જીવ દરિદ્ર રહે... દરિદ્ર એટલે ? પૈસામાં નહિ. ધર્મદારિદ્ર જેને કહે છે, એટલે ધર્મ ન પામે તો આ જગતને વિષે તો અગિયારમું આશ્ચર્ય છે. એ અગિયારમા આશ્ચર્યને સાબિત કર્યું. એમાં રહીને અગિયારમા આશ્વર્યને સાબિત કર્યું.
મુમુક્ષુ ઃ– કોઈ વિપરીત પરિણામ કરવાથી ગ્રંથિભેદમાંથી પાછો પડે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– વિપરીત પરિણામ પણ ખરા. ચોક્કસ વિપરીત પરિણામ છે. આમ તો પોતે તો અહીંયાં પુરુષાર્થની મંદતા લે છે પણ પુરુષાર્થની મંદતા પણ છે અને મંદતામાં પાછો વળે એટલે વિપરીતતામાં આવતા વાર ન લાગે. વિપરીતપણું આવતા વાર ન લાગે.
મુમુક્ષુ :–વિપરીત પરિણામ ન આવે તો ધીમે ધીમે આગળ ચાલે ખરો ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. વિપરીત પરિણામમાં ન જાય, અવિપરીત પરિણામમાં રહ્યો
=
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પત્રાંક-૫૯૩ તો એ સવળી Practice છે. અવિપરીતપણું એ એક સવળી Practice છે, કે જેને લઈને એ પરિણામની Practice થી જીવ પ્રાપ્ત કરે. ગુરુદેવની ભાષામાં એ વાત એવી રીતે છે કે, જીવ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરે તો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરતા પામે છે. હવે એમાં શું કહેવું છે સ્વરૂપ સન્મુખતામાં? કે દિશા એની સન્મુખ છે. પુરુષાર્થમાં પરસનુખની દિશા તે વિપરીત દિશા છે અને સ્વસમ્મુખની દિશા તે અવિપરીત દિશા છે. પછી ચારિત્રના પરિણામ અને મિથ્યાત્વના પરિણામ તો એની સાથે જોડાય છે અને એને બળ મળે છે. પુરુષાર્થનું બળ એની સાથે સાથે જોડાય જાય છે. પણ પુરુષાર્થની તો બે જ દિશા છે. એક સ્વ સન્મુખની અને એક પર સમુખની. ગુરુદેવનું એના ઉપર એક બહુ સારું વચનામૃત છે.
મુમુક્ષુ-મૂળ મુદ્દાની વાત છે. પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુ - સત્સમાગમ, સદ્વિચાર અને સદ્દગ્રંથ.ત્રણે પરલક્ષી ભાવમાં જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – પરલક્ષી ભાવમાં જાય અને (તે)પણ એક બાહ્ય પ્રવૃત્તિ હોઈ શકે. બે રીતે હોય. પરલક્ષી પણ હોય અને સ્વલક્ષી પણ હોય. સ્વલક્ષી હોય તો કાર્યસિદ્ધિ છે અને પરલક્ષી હોય તો ગમે તેટલો કાળ કાઢે નિવૃત્તિમાં, સત્સમાગમમાં, સદ્વિચારમાં એમ લાગે એ બીજી વિચારણા નથી. *
મુમુક્ષુ-એને સત્સમાગમ કહેવો?પરસમ્મુખ જાય એને.
પૂજ્ય ભાઈશ્રી – હા. એને ન કહેવાય પણ એ પોતાને કેવી રીતે સ્વીકાર આવે? એને તો પોતાને અસ્વીકાર ન આવે. અમે તો કુટુંબ, વેપાર, ધંધો છોડી નિવૃત્ત થઈને ત્યાં રહી ગયા. અહીંયાં બીજું કાંઈ અમારે કામ નથી, વ્યવસાય નથી. બે Time સાંભળીએ છીએ. બાકીવાંચીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પૂજા-ભક્તિ કરીએ છીએ.
મુમુક્ષુ –“ન્યાલભાઈએ કહ્યું કે એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી.
પૂજ્ય ભાઈશ્રી – હા. અશુભયોગ છોડીને જ્યારે શુભયોગમાં આવે છે અને એમાં પણ તત્ત્વજ્ઞાનની મુખ્ય પ્રવૃત્તિ હોય તોપણ એ વિચારવું ઘટે છે કે પુરુષાર્થની દિશા સ્વસમ્મુખતાની છે, કે પુરુષાર્થની દિશા પરસમ્મુખતાની છે? આ વિચારવું ઘટે છે.એટલે હદ સુધી વિચારવું જોઈએ.
પરમાગમસારમાં ૪૪૬ નંબરનું ‘ગુરુદેવનું વચનામૃત છે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તે સ્વલક્ષી કરવી. આ તો ઉત્તર ચાલે છે. પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. એ રીતે પ્રશ્ન ઉક્યો છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૨
એનો ઉત્તર ‘ગુરુદેવ’ આપે છે, કે પહેલા તો ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે. અચિંત્ય મહિમાધારી પોતાનો પદાર્થ છે અને ઓળખીને એનો મહિમા આવવો જોઈએ. ઓળખીને, હોં ! ઓઘેઓઘે નહિ. એમ અંદરથી મહિમા આવે તો પુરુષાર્થ સહજ ઊપડે છે અને એ પુરુષાર્થ છે એ સ્વલક્ષી છે. એટલે જે અનાદિથી પુરુષાર્થની પરલક્ષી પર્યાય છે તે સ્વલક્ષી થાય એ મહાન કાર્ય છે, એ કોઈ અપૂર્વ કાર્ય છે. અહીંયાં એ કહેશે કે એ અપૂર્વ પુરુષાર્થ છે. મહાન છે. છેલ્લું વચન એ છે કે એ પ્રથમ તબક્કે મહાન અપૂર્વ પુરુષાર્થ છે. જીવ આ પડખું ફર્યો નથી. બાકી બહા૨માં ને બહારમાં ૫૨સન્મુખતામાં ઘણું કર્યું છે. પરસન્મુખતામાં ચારિત્રના ક્ષયોપશમમાં મુનિદીક્ષા લઈને પંચમહાવ્રત સમિતિ, ગુપ્તિ નિરતિચાર પાળ્યા. જ્ઞાનના ક્ષયોપશમમાં અગિયા૨ અંગ અને નવ પૂર્વ સુધી પહોંચ્યો. પણ એ તો બેય જગ્યાએ અભવી જાય છે. એ બે હદ અભવી જીવની પણ છે. એટલે તારે એથી કાંઈ વધારે કરી ચૂકયો છો એવું નથી. અપૂર્વ શું છે ? પ૨સન્મુખ છોડીને સ્વસન્મુખ થવું એ અપૂર્વ છે. આટલો વિષય અપૂર્વ છે. મુમુક્ષુઃ– ‘ગુરુદેવ’ જેવા જ્ઞાની પહેલી જ વાર મળ્યા હશે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– ના, અનંત વાર મળ્યા છે. અનંત વાર મળ્યા છે. ‘ગુરુદેવ’ જેવા નહિ, ‘ગુરુદેવ’ કરતા સમર્થ એવા સાક્ષાત્ તીર્થંકર અનંત વાર મળ્યા છે.
મુમુક્ષુ ઃ– જે તમે કીધું, સ્વસન્મુખ ન થયો.
પૂજ્ય ભાઈશ્રી :– પણ સ્વસન્મુખ નથી થયો. ગુરુદેવ’ તો હજી તીર્થંકર દ્રવ્ય, હજી તો દ્રવ્યભાવે છે. હજી તો દ્રવ્યભાવે છે. પ્રત્યક્ષ તીર્થંકરપણું હજી પ્રગટ નથી થયું. એને તો ચા૨ ભવ છે. પણ સાક્ષાત્ તીર્થંકર મળ્યા છે, એનો સત્યમાગમ કર્યો છે, દિવ્યધ્વનિ સાંભળી છે પણ પ૨સન્મુખ રહીને. પોતે ૫૨સન્મુખતા છોડી નથી. આ એક જગ્યાએ બધી શક્તિ લગાવવા જેવી છે. પરસન્મુખ છોડી, પ૨સન્મુખપણું છોડીને સ્વસન્મુખપણું થાય આ એક જગ્યાએ બધી શક્તિ લગાવવાની છે.
મુમુક્ષુ – આ એક જ પત્રમાં આખું આગમ ભરી દીધું છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– તત્ત્વ તો બહુ ભર્યું છે. એવા ઘણા પત્રો છે કે એક એક પત્રની અંદર જાણે ઠાંસી ઠાંસીને તત્ત્વ ભર્યું છે !
મુમુક્ષુ :– ૫૨સન્મુખપણું ન થવું એટલે પરમાં રાગ-દ્વેષ ન થવો એમ ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ-નહિ. એમ નથી. જ્ઞાની પરસન્મુખ થાય છે. લ્યો, આ શાસ્ત્ર વાંચે છે (એમાં) જ્ઞાન પરસન્મુખ થાય છે કે નહિ ? એ કહે, અમે કયાં રાગ-દ્વેષ કરીએ છીએ. અમે તો આત્માનું નિરૂપણ કર્યું છે, સ્વભાવનું નિરૂપણ કર્યું છે, સ્વરૂપનું
Page #178
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૬૧
નિરૂપણ કર્યું છે એ શાસ્ત્રો વાંચીએ છીએ, કલાકો સુધી એનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં અમે કોઈના ઉ૫૨ રાગ-દ્વેષ શું કર્યો ?
એટલે જ્ઞાન પોતાના વેદનને ગ્રહણ કરે, સ્વભાવને લક્ષે, આ શરત છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો, એણે આત્મા જાણ્યો. જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મા ન જાણ્યો એણે આત્મા નથી જાણ્યો. ભલે આત્માની ગમે તેટલી વાતો થતી હોય. વિચાર થતા હોય, વાત થતી હોય, વિકલ્પ થતો હોય, વિચા૨ થતો હોય. પરસન્મુખપણામાં કાંઈ નથી. શૂન્ય શૂન્ય જ છે. શૂન્ય ઉપર શૂન્ય ચડાવો, ગમે તેટલી શૂન્ય ચડાવો બધું શૂન્ય જ છે. એકડા વગરના બધા મીંડા જ છે.
મુમુક્ષુ :– લક્ષણથી અને ગુણથી. ગુણથી એટલે ગુણમાં શું ?
પૂજ્ય ભાઈશ્રી :- સ્વભાવ. સ્વભાવલક્ષે, જ્ઞાન લક્ષણે સદાય સ્ફુરિત એવો આત્મા, સ્વભાવલક્ષે વેદવામાં આવે ત્યારે એને આત્મજ્ઞાન થયું એમ કહી શકાય. નહિતર આત્માનું જ્ઞાન નથી, અંતરલક્ષી જ્ઞાન નથી, સ્વરૂપલક્ષી જ્ઞાન નથી. બાકી બધું જ્ઞાન (છે) એના ઉ૫૨ જ્ઞાનીપુરુષ તો ચોકડી મૂકે છે. ગમે તેવું જ્ઞાન હોય, Mark આપતા નથી. સીધો X મૂકે છે. ચોકડી મૂકી દે છે. તારું જ્ઞાન કેટલું ? કે હું ચોકડી મૂકું એટલું. આમ છે.
મુમુક્ષુ :– એ શુષ્કજ્ઞાનમાં જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– શુષ્કતા આવી જ જાય. વહેલા-મોડી પણ શુષ્કતા આવી જાય. પ્રારંભમાં ન આવે તો પાછળથી પણ શુષ્કતા આવ્યા વિના રહે નહિ.
મુમુક્ષુ :– વેદન તો જ્ઞાન થયા પછી આવે, પહેલા સ્વસન્મુખ કઈ રીતે થાય ? વેદન તો જ્ઞાન થયા પછી વેદન થાય.
પૂજ્ય ભાઈશ્રી :- ભેદજ્ઞાનનો જે પ્રયોગ છે એમાં જે જ્ઞાન ૫૨૫દાર્થના પ્રતિબિંબને ઝીલી રહ્યું છે, જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ છીએ કે હું આ બધા ૫૨૫દાર્થને જાણું છું. મને બીજા પદાર્થો મારા જ્ઞાનમાં જણાય છે. આખરમાં તો એ પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં સ્વચ્છતાને લીધે આવે છે. ત્યાંથી ભિન્નતા શરૂ કરે કે શેય છે તે જ્ઞાન નથી અને જ્ઞાન છે તે જ્ઞેય નથી. હવે એ તો વિચાર થાય. એ વિચાર થાય પણ એ વિચારને પ્રયોગાન્વીત કરવા માટે વ્યાપકતાથી વિચારે. એટલે પોતાની વ્યાપકતાને અવલોકે, કે મારું જ્ઞાન કેટલામાં વ્યાપ્યું છે ? જ્યાં સુધી મારું જ્ઞાન વ્યાખ્યું છે ત્યાં સુધી જ હું છું. મારી જ્ઞાનની વ્યાપ્તી કોઈ શેયમાં નથી. શરીરમાં નથી,... માં નથી, અન્ય શેયોમાં પણ નથી. આ Practice ચાલુ રાખે અને વિશેષ નિર્મળતા થાય, દર્શનમોહ વિશેષ મંદ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
રાજહૃદય ભાગ-૧૨ થાય તો જ્ઞાન પોતે જ વેદક સ્વભાવી હોવાથી જે જ્ઞાનવેદન પોતાને વર્તમાનમાં તિરોભૂત થઈ ગયું છે તે આવિર્ભૂત થવા લાગે. અહીંથી સ્વસમ્મુખતા થાય છે.
જ્યારે પોતે જ્ઞાનને વેદનસહિત ગ્રહણ કરે, વેદ-જ્ઞાન પોતે જ પોતાને વેદે ત્યારે એને પરસમ્મુખતા કેવી રીતે છે?હવે મારો પ્રશ્ન છે કે જે જ્ઞાન પોતે જ પોતાને જ્યારે વેદ છે અથવા પોતે જ પોતાના વેદનમાં રહે છે ત્યારે એને પરસમ્મુખતા કેવી રીતે છે? એટલે આ વેદનના ગ્રહણ કાળે નિર્ણય થાય છે. એટલે એને સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ કહી છે. એ અનુભવ અંશ છે. વેદન છે તે અનુભવ છે અને એ અનુભવ અંશ છે. ઓલો નિર્વિકલ્પ અનુભવ નથી. સમ્યગ્દર્શનમાં જે સ્વાનુભૂતિ છે એ વેદન નથી. તોપણ નિર્ણય કાળે સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ છે. અથવા એ “શ્રીમદ્જીના વચનો છે.
ગુરુદેવનું વચનામૃત લઈએ તો અંશે રાગનો અભાવ કરીને આત્માનો નિર્ણય ત્યાં થયો છે અથવા પ્રતીતિ થઈ છે. (સમયસાર-ગાથા) ૧૪૪ના પ્રવચનમાં છે. આ વખતના (આત્મધર્મના) શતાબ્દી અંકમાં છે. અને નિર્ણય પણ આ પ્રકારે થાય છે અને અનુભવકાળે તો એકાકાર વેદન છે. ત્યારે તો રાગનો અંશ પણ ઉત્પન્ન થતો નથી. ઓલાપણે તો રાગ વિદ્યમાન છે છતાં અંશે અભાવ કર્યો છે. અહીંયાં તો સર્વથા બુદ્ધિપૂર્વકના રાગને અભાવ કર્યો છે. ત્યારે સ્વસમ્મુખ થાય છે. સ્વસમ્મુખ પ્રથમ નિર્ણયના કાળમાં થાય. ત્યાં સુધી પુરુષાર્થની જે ગતિ છે એની Quality પરસમ્મુખતાની છે, સ્વસમ્મુખતાની નથી.
દર્શનમોહ મંદ થાય ખરો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર-સન્દુરુષ એની ભક્તિ આદિ, બહુમાન આદિ કરે એમાં) દર્શનમોહમંદ થાય. પણ એ પાછો પડશે. આગળ નહિ વધે. ગ્રંથિભેદ થવા સુધી એ નહિ પહોંચે. અને સન્મુખ થાશે એ ગ્રંથિનો ભેદ કરી નાખશે. અને એ ગ્રંથિભેદકરશે ત્યારે અનંત જ્ઞાનીઓ એની સાક્ષી પુરશે. એ તો આપણે ૧૭૦ પત્ર ચર્ચામાં લીધો. જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની સર્વ જ્ઞાનીઓ સાક્ષી પૂરે છે. સર્વ જ્ઞાનીઓ મને ઉત્પન્ન થયેલા જ્ઞાનને સંમત કરે છે. એમાં હવે મને કોઈ સંશય નથી. નિઃશંકતા જાહેર કરે છે.
જોકે ભાષા બહુ સાદિ, ટૂંકી છે કે દ્રવ્ય તરફ વળ, સ્વ તરફ વળ, ધ્રુવ તરફ વળ, અંતર્મુખ થા. આવી સાદી ભાષા છે. સ્વસમ્મુખ થા. એમ ભાષા સહેલી અને ટૂંકી પણ એમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્રજ્ઞાન કરે, ધારણાજ્ઞાન કરી લે પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ છે, એ અનંત પુરુષાર્થ છે, એ મહાન પુરુષાર્થ છે. એ અપૂર્વપુરુષાર્થ છે. આટલા શબ્દો ગુરુદેવના પડ્યા છે. ૪૪૬ નંબરમાં.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પત્રાંક-૫૯૩
ટૂંકામાં વાત એ છે કે સન્મુખતાનો પુરુષાર્થ એ પુરુષાર્થ કરતા કરતા જીવ અનુભવદશાને પ્રાપ્ત કરે છે. વાંચતા વાંચતાવિકલ્પ કરતા કરતા, ચિંતન કરતા કરતા પામે છે, મનન કરતા કરતા પામે છે એ વાતમાં કાંઈ માલ નથી. સ્વસમ્મુખતાનો પુરુષાર્થ કરતા કરતા પામે છે એમ વાત છે. કેમકે એ અનુભવનો પુરુષાર્થ છે. એ અનુભવપદ્ધતિની પરિણામની Line છે એટલે એનાથી અનુભવ આવે છે. બીજા કોઈ પ્રકારે અનુભવ આવતો નથી.
મુમુક્ષુ – આપે કીધું જ્ઞાનીઓ એવા જ્ઞાનને ચોકડી મારે છે. તો આ Certied કરવું તો જ્ઞાની પાસે રહી ગયું. તો શરૂઆતથી વિચાર દઢ કરી લે કે મારે જે કાંઈ કરવું છે આ જ્ઞાનીનો Symbol લાગે તો જ મારે કરવું છે નહિતર નથી કરવું. એના માટે તો બધો રસ્તો Safeથઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી - એ તો છે જ. એટલે તો કહ્યું કે કર્યું છે ઘણું પણ જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. એ તો પોતે વારંવાર કહે છે અહીંયાં. જે કાંઈ કર્યું છે એ જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. સ્વચ્છંદ પરિણામે તો ઘણું કર્યું છે.
મુમુક્ષુ – દ્રવ્યલિંગીએ તો ભાવલિંગીથી દીક્ષા લીધી હોય, છતાં એની આજ્ઞામાં ક્યાં રહ્યો?
પૂજ્ય ભાઈશ્રી – એ તો સવાલ છે. અંતર્મુખ થવાનું કહે છે, સ્વસમ્મુખ થવાનું કહે છે અને સ્વસમ્મુખ ન થયો. અને જે વર્તમાન સ્થિતિ છે જ્ઞાનના ઉઘાડની અને ચારિત્રના ઉઘાડની, એની પાસે તો બેય ઉઘાડ છે, એને લઈને શાંતિ પણ છે. એની પાસે મનની શાંતિ પણ ઘણી છે. અત્યારે તો કોઈને હજારમાં ભાગની પણ ન હોય. એટલે એમ થાય છે કે હું સાચા રસ્તે છું. આટલી શાંતિ નહિતર ક્યાંથી હોય? આટલી શાંતિ ક્યાંથી હોય? માટે હું સાચા રસ્તે છું. એ વર્તમાન પર્યાયમાં સંતુષ્ટ થયો છે ત્યાં દર્શનમોહ વધ્યો છે એ ખ્યાલ નથી. જ્ઞાનનો ઉઘાડનો ખ્યાલ છે, ચારિત્રનો ખ્યાલ છે ઉઘાડનો પણ દર્શનમોહનો ખ્યાલ ત્યાં નથી જાતો. એ તો સમયસારના ૧૫૪-૫૫માં પુણ્ય-પાપ અધિકારમાં દ્રવ્યલિંગીના દૃષ્ટાંતે જ વાત કરી છે કે એ સંતુષ્ટ છે. કર્મના ગુરુપણા અને લઘુપણાના અનુભવમાં તે સંતુષ્ટ છે. એટલે ઉદયભાવના પરિણામમાં તે સંતુષ્ટ છે.
બીજી રીતે વિચારીએ તો આ મોક્ષમાર્ગ છે એ અનુદય પરિણામી છે. મોક્ષનો માર્ગ છે એ અનુદય પરિણામસ્વરૂપ છે અને બંધનો માર્ગ છે એ કર્મના ઉદય સાથે સંબંધ ધરાવતો એ બંધનો માર્ગ છે, સંસારમાર્ગ છે. આ જગતમાં બે માર્ગ છે. ત્રીજો
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૨ માર્ગ નથી. કાં તો જીવને સંસારમાર્ગ આરાધન થાય, કાં તો જીવને મોક્ષમાર્ગનું આરાધન થાય. જ્યાં સુધી ઉદય પરિણામે ઉદયની સાથે સંબંધ રાખીને જીવ પરિણમે છે એને કોઈ રીતે સંમત કરવામાં આવતો નથી. આ માર્ગમાં એની સંમતિ નથી. ઉદયથી ભિન્ન પડીને, પાછો વળીને અંતર્મુખ થા, અનુદય પરિણામે થા, અનુદય પરિણામના પુરુષાર્થમાં આવે તો આ બાજુના માર્ગની આખી Line સંધાય એવું છે. બાકી બીજી કોઈ રીતે કામ થાય એવું નથી. આ ચોખે ચોખ્ખી વાત છે એ આટલી છે.
મુમુક્ષુ –આ પુરુષાર્થ કેમ નથી ઉપડતો એ જે પ્રશ્ન છે. ઊંધી દિશામાં ઊભો છે.
પૂજ્ય ભાઈશ્રી - ઊંધી દિશામાં ઊભો છે અને એને સ્વરૂપને ઓળખીને જે મહિમા આવવો જોઈએ એ મહિમા આવ્યા વગર પુરુષાર્થ ઉપડે ક્યાંથી ? અનંત શાંતિનો પિંડ છે, અનંત વીર્યનો પિંડ છે. એક એક ગુણનું બેહદ સામર્થ્ય ધરાવે છે. જેટલો મહિમાવંત છે એટલું જ્ઞાનમાં મૂલ્ય ભાસે ત્યારે એનો પુરુષાર્થ ઉપડેને, નહિતર ઉપડે કેવી રીતે?
મુમુક્ષુ-તમે જે કહો છો ને એમાં પુરુષાર્થ ઉપાડવો નથી પડતો.
પૂજ્ય ભાઈશ્રી – ઉપડી જાય છે, ઉપડી જ જાય છે. પછી કાંઈ એને ઉપાડવાનો વિકલ્પ નથી. એ તો ઝાલ્યો રહે નહિ. જે સુખ અને શાંતિ માટે આ જીવ અનંત કાળથી ઝાંવાં નાખે છે. ઝાંવાં નાખે છે નહિ ગમે તેવું સાહસ કરે છે. ગમે તેવું કાર્ય કરવા તૈયાર થાય છે. જો એને પોતાને ઇચ્છિત સુખ-શાંતિ મળતી હોય તો. ભલે એ ઇચ્છિત છે એ તો કલ્પિત છે. તોપણ આટલું સાહસ કરે છે. તો પછી અનંત સુખનો ભંડાર પોતામાં જોવે, અનંત સુખનો દરિયો જોવે, તળિયા વિનાનો દરિયો, હોં! આ તળિયાવાળા દરિયા નહિ કે પાંચ-છ માઈલે એને તળિયું હોય. એટલો સુખનો મહાસાગર જોવે એ કેમ ઝાલ્યો રહે? એની પરિણતિ જે સુખ માટે જેણે આટલા ધમપછાડા કર્યા એ સુખના સાગરને જોઈને એ પરિણતિ કેમ રહી શકે ? તે ઉછાળો ખાય, ખાય ને ખાય જ. એનું નામ પુરુષાર્થ છે. આ તો બહુ Practical side થી સમજાય એવી વાત છે.
મુમુક્ષુ-બહુમુદ્દાની વાત છે, છેલ્લી વિધિની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – આમ રુંવાડે રૂંવાડે પાણી પાણીનો પોકાર ઉઠતો હોય એવી તરસ લાગી હોય કે પ્રાણ છૂટી જાય. એમાં મીઠું મધુર અમૃત જેવું ઠંડુ પાણી મળે તો એ પીધા વગર કેવી રીતે રહે? ઝપટ જ મારે કે બીજું કાંઈ થાય ? સીધી વાત છે. એટલા માટે સ્વાધ્યાયથી ઓળખો, કોઈ રીતે સ્વરૂપને ઓળખો, સ્વાધ્યાયમાં એ વિષય ચર્ચાય છે. એ વિષયમાં કેવી રીતે જવું? કઈ બાજુથી જવું? એ બધો સ્વાધ્યાય છે. વાંચી જવું
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પત્રાંક-૫૯૩
એનું નામ તો સ્વાધ્યાય નથી.
મુમુક્ષુ :– ચંદ્રના પ્રતિબિંબથી સમુદ્રમાં જેમ જ્વાર આવે, એવી રીતે પુરુષાર્થની મૂર્તિ, સજીવન મૂર્તિ છે એને જોવાથી આ જીવમાં પુરુષાર્થ કેમ ન આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– ભરતી આવે, પુરુષાર્થની ભરતી આવે જ, આવે જ આવે. મુમુક્ષુ :– સામે પુરુષાર્થની મૂર્તિ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અનંત વીર્યનો પિંડ છે. પર્યાયમાં ભરતી આવ્યા વિના રહે નહિ. અને પર્યાયનો સ્વભાવ એ છે કે, જેની સન્મુખ થાય એમાં તદાકાર થાય. જેની સન્મુખ થાય, જે શેયને લક્ષમાં લે એમાં તદાકાર થાય એ તો એનો સ્વભાવ છે. ઊંધાઈમાં એમ કરે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન પદાર્થોમાં તદાકાર થાય છે કે જે સ્વચતુષ્ટયથી ભિન્નભિન્ન છે. એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધાય જુદા છે. આ તો પોતે જ અભેદ સ્વરૂપે છે. પછી કેમ તદાકાર ન થાય ? પોતે જ અભેદ સ્વરૂપે છે પાછો. એ પર્યાય પોતાનું ભાન ભૂલીને તદાકાર થાય છે. પર્યાય પર્યાયત્વ ભૂલીને તદાકાર થાય છે. કેમકે પોતે છે માટે. એટલે અહીંયાં સહજતા આવે છે. હવે કહે છે...
મુમુક્ષુ :– દ્રવ્યલિંગી(એ) ભાવલિંગી પાસેથી દીક્ષા લીધી. એને દર્શનમોહ એટલે શ્રદ્ધાની ભૂલ. નવ તત્ત્વ જાણ્યા, શાસ્ત્રવાંચન કર્યાં બધું કર્યું. ઓલાની એટલી ભૂલ થઈ જાય તો અમારા જેવાને તો મતલબ કાં...
પૂજ્ય ભાઈશ્રી :– એવું નથી. એમ તો ચકલાં-દેડકાને ભૂલ થાતી નથી.
=
(આ માર્ગમાં) યથાર્થ રીતે ચાલવું પડે છે, બીજું કાંઈ નથી. એક બહારનું બહાર બધું કરે છે. દ્રવ્યલિંગી પર્યંત બહા૨ને બહાર બધું કરે છે. આ પહેલેથી અંદર બધું શરૂ કરે છે. બસ ! આટલો જ ફેર છે. કાર્યક્ષેત્ર અંદ૨નું છે કે બહારનું ? બસ ! એટલે એવું નથી કે દ્રવ્યલિંગી ભૂલ કરે તો આપણે તો વારો જ ન આવે. એવું કાંઈ નથી. વિચારવાનું એ છે કે ચકલા-દેડકાને સમ્યગ્દર્શન થયું તો એણે શું કર્યું અને થયું ? અને દ્રવ્યલિંગીને ન થયું તો શું ન કર્યું તો થયું ? આ એક પ્રશ્નમાં અનંત અર્થ સમાયેલો છે.
મુમુક્ષુ :– આ જીવમાં એવી તાકાત પડી છે કે સવળો થવામાં એક સમય જ લાગે.
પૂજ્ય ભાઈશ્રી :– એક સમય લાગે. બીજો સમય ન લાગે. ગમે ત્યારે પડખું ફેરવવાનું છે. એ તો પર્યાય આમ જાય છે, એ આમ થાય છે. સમય સમયની પર્યાય છે.
મુમુક્ષુ :– ચકલા-દેડકાની વાત તો શાસ્ત્ર વાંચીને સમજ થઈ ગયું. અમારે ક્યાં દર્શનમોહની ભૂલ થઈ જાય છે . દ્રવ્યલિંગીમાં ભૂલ રહી ગઈ, ચકલામાં ભૂલ રહી ગઈ, અમારી કાં ભૂલ રહી?
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી – હા, પણ હવે એ તો એવું છે કે આ વિષયમાં પોતાના પરિણામ જે પ્રકારે પ્રવર્તતા હોય, જે તત્ત્વનો વિષય છે, શ્રદ્ધા-જ્ઞાનનો વિષય છે એમાં જે પ્રકારે પોતાના પરિણામ પ્રવર્તતા હોય, એ પરિણામ કેવી રીતે પ્રવર્તે છે એ જાણ્યા વગર કેવી રીતે કોઈ વાત કરી શકે ? એ કેવી રીતે કરી શકે ? એટલે સમ્મચયપણે એમ કહેવામાં આવે. પછી જેને પોતાની ભૂલ સુધારવી હોય એ સુધારી લે.
જુઓ ! ભાઈ ! જ્ઞાનની વ્યાપકતા જ્ઞાનમાં છે, જ્ઞાનની વેદકતા પણ જ્ઞાનમાં છે. અને વેદકતા કદી પરોક્ષ હોતી નથી. વેદકતા હંમેશા પ્રત્યક્ષ હોય છે. હવે કયાં ભૂલ થાય છે એ પોતાને સુધારી લેવાની છે. આ સિદ્ધાંત તો સર્વસામાન્ય બધાને માટે એકસરખો છે. કોઈ જીવને માટે બીજી રીતે આ સિદ્ધાંત છે એમ તો નથી. એટલે ભલે પોતાના પરિણામની સ્પષ્ટતા પોતાને વિચારવામાં કે કહેવામાં ન હોય તો પણ આ પ્રકારે આગળ વધે કે મારી રીત શું છે? અંદરમાં મારી કામ કરવાની રીત શું છે ? બસ ! એ રીત-વિધિમાં સરખી વિધિ પકડી લે એને સુવિધિ કહીએ. તો રસ્તો સીધો છે. એવો કોઈ ગૂંચવાડાવાળો રસ્તો નથી.
બીજી રીતે લઈએ, કે આપણે સાંભળીએ છીએ કે શરીરાદિ પદાર્થો ભિન્ન છે. બરાબર છે ? સંયોગો બધા ભિન્ન છે. કુટુંબ, પરિવાર, શરીર, મકાન, પૈસા, આબરૂ, કીર્તિ. બરાબર છે તો તે તે પદાર્થની ભિન્નતા સમજ્યા તો છીએ. હવે ભિન્ન રહી જાય છે? આ પ્રશ્ન છે. બરાબર છે ને? સમજણમાં તો વાંધો નથી. સંમત કરીએ છીએ. તો જે સંમત કરેલી સમજણ છે અને પરિણામ કાળ કેમ બીજી જગ્યાએ મૂકી દઈએ છીએ? જ્યારે તે તે પદાર્થો સાથેની પ્રવૃત્તિ આ જીવને પરિણામપૂર્વક થાય છે, બુદ્ધિપૂર્વક થાય છે ત્યારે પેલી સમજણ ક્યાં રહે છે? કેમ નથી કામ આવતી ? આ ભૂલ છે, લ્યો ! અહીંયાં ભૂલ છે. ક્યાં ભૂલ છે એ જોવી છે ને આપણે? અહીંયાં ભૂલ છે.
ફરીથી. શરીરમાં વેદના થઈ. આપણે બીજી આ વાત જવા દો. કેમકે એ ઉદય તો બધાને આવવાનો જ છે. કોઈ આખી જિંદગી વેદના વગરનો એક મનુષ્ય હોય તો દેખાડો કે એને કયારેય કોઈ જાતની વેદના જ ન થઈ હોય. એ તો અસંભવિત છે.
ક્યારેક કાંઈક... ક્યારેક કાંઈક... ક્યારેક કાંઈક.. કોઈને કોઈ પ્રકારની રોગની વેદના (હોય). ભિન્ન-ભિન્ન પ્રકારના રોગ છે. ગમે તે રોગની વેદના હોય. એની સાથે સંબંધ નથી. શરીરની અશાતા વેદના તો... શાતા-અશાતા બે પ્રકારના ઉદય (રહેવાના છે). એકલો શાતાનો ઉદય તો દેવલોકમાં છે. મનુષ્યમાં તો એકલો શાતાનો ઉદય મનુષ્યતિર્યંચને હોઈ શકે જ નહિ ત્યાં અશાતા વેદની નથી. જો કે આપણા કરતાં દુઃખી બહુ
Page #184
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩
૧૬૭
છે. એનું કા૨ણ તેનું મિથ્યાત્વ છે. અહીંયાં દુઃખી છે એનું કારણ મિથ્યાત્વ જ છે આમ તો. પણ આપણે તો આ જગ્યાએ કયાં ભૂલ સુધારવી છે એટલું વિચારવું છે. કે શરીરની વેદના આવી અને આપણે શરીરથી આત્મા ભિન્ન છે એમ જાણ્યું છે. વેદના કાળે એ સમજણનું શું કરીએ છીએ આપણે ? સમજણનો ઉપયોગ કરીએ છીએ કે નહિ ? આ ઉપયોગ નથી કરતા એ ભૂલ છે.
ઉદયકાળે સમજણનો ઉપયોગ કરીએ તો ભૂલ સુધરે અને સમજણનો ઉપયોગ ઉદય કાળે ન કરીએ તો ભૂલ ન સુધરે. દ્રવ્યલિંગી સમજે છે કે શરીર અને આત્મા ભિન્ન છે પણ એ જે પંચમહાવ્રતની ક્રિયા પાળે છે એમાં શરીરનો સંયમ છે. અને એમાં એને હુંપણું થાય છે. ત્યાં જ્ઞાન લાગુ નથી થતું. સમજણ અધ્ધર રહી જાય છે. પછી રાગથી આત્મા ભિન્ન છે અને મંદ કષાયનો રાગ થાય છે, વિકલ્પ થાય છે એમાં હુંપણું વેદાય છે. ત્યાં સમજણ નથી લાગુ થતી. જે સમજ્યો છે એ તો સાવ જાડી સમજણ છે. આમાં સૂક્ષ્મ શું છે ? દેહથી આત્મા ભિન્ન છે, રાગથી આત્મા ભિન્ન છે, તો પછી બીજા પદાર્થોથી તો ભિન્ન છે, કહેવાની જરૂ૨ નથી. તો પછી આટલી મોટી જાડી સમજણ છે એટલી સમજણને પણ જો આપણે લાગુ ન કરવી હોય તો એ સમજણ કરવાનો અર્થ શું છે ?પ્રયોજન શું છે ? હેતુ શું છે ? હું સમજ્યો છું એમ દેખાડવાનો હેતુ છે ? હેતુ શું છે એ તો કહો. એ તો નિરર્થક વસ્તુ થઈ ગઈ. જેનો કાંઈ ઉપયોગ નથી એ વસ્તુ તો નકામી થઈ ગઈ. જે ચીજ કામમાં ન આવે એ નકામી. સીધી-સાદિ વાત છે. બસ ! અહીંથી ભૂલ સુધરે છે.
સમજણને લાગુ કરે એનું નામ પ્રયોગ. ઉદયમાં લાગુ કરે એનું નામ પ્રયોગ અને પ્રયોગ કરે એની ભૂલ રહે નહિ. Guranteed વાત છે. એમાં એક જીવ નિષ્ફળ જાય એવું નથી. કેમ કે આ તો જીવનો સ્વભાવ છે. ગણિતમાં ભૂલ પડે, સ્વભાવમાં ભૂલ ન પડે. એક ને એક બેમાં કો'ક દિ' ભૂલ પડે. સ્વભાવમાં ભૂલ ન પડે. અહીંથી ભૂલ સુધારવાની છે. હવે પ્રયોગ કરીને કહો કે અહીંયાં મને તકલીફ પડે છે, કે અહીંયાં મારી ભૂલ નથી સુધરતી, તો આપણે એના જવાબદાર છીએ. ચાલો, જામીનગીરી લખવા તૈયાર છીએ, એના જામીન થવા તૈયાર છીએ. માત્ર સાંભળ્યા સાંભળ કરવું કે માત્ર વાંચ્યા વાંચ ક૨વું અને એ પછી બધું અધ્ધર રહી જાય એ તો નિરર્થક જ છે અને નકામું
જછે.
મુમુક્ષુ :– ૪૫ વર્ષ ‘ગુરુદેવે' આ એક જ વાત સમજાવી છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– બહુ સરસ સમજાવી છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ – દેવ-ગુરુ-શાસ્ત્ર ૫૨ છે.
પૂજ્ય ભાઈશ્રી :– આ પરમાગમસાર’માં કેવી કેવી વાતો આવી છે ! ઘણી સરસ વાતો આવી છે. પીંખી-પીંખીને. એકવાર ‘ગુરુદેવ'ને રૂમમાં જઈને કહ્યું હતું. પેંથીએ પેંથીએ તેલ નાખે એમ લોકો કહે છે. બહુ સમજાવે ત્યારે આપણે ત્યાં એવી કહેવત છે કે પેંથીએ પેંથીએ તેલ નાખે પણ આપ તો વાળે વાળે તેલ નાખો એના જેવી વાત છે આ તો. ‘ગુરુદેવ’ને પ્રસન્નતા બહુ થતી હતી. સ્પષ્ટતા આવે છે એનો ખ્યાલ જાય છે. કેટલી સ્પષ્ટતા આવે છે ! આમ તો જૈનદર્શનનું ઉપલબ્ધ સાહિત્ય જુઓ તો આટલી સ્પષ્ટતા કયાંય નથી. આટલી સ્પષ્ટતા સાહિત્યમાં નથી. કેમકે ૪૫ વર્ષ સુધી જે પોતે અંદરથી ઉકેલ કરીને વાત મૂકી છે. કોઈ શાસ્ત્ર ભણીને વાત નથી કરી. એ તો ભણ્યા જ કયાં છે ? તે દિ’ ધૂળી નિશાળમાં સાત ચોપડી ભણ્યા હતા. ‘ઉમરાળા’ની ધૂળી નિશાળમાં સાત ચોપડી ભણ્યા. તે દિ' Course જ સાત ચોપડીનો. સાત ચોપડી ભણે એટલે વાણિયાનો દીકરો દુકાને બેસી જાય.
મુમુક્ષુ :– તમે અત્યારે કીધું એ મારા વિચારમાં રોજ આવે છે કે આ ‘ગુરુદેવ’ પંડિત ન થયા એ આપણા માટે બહુ સારું છે. અધ્યાત્મ...
પૂજ્ય ભાઈશ્રી :– સીધી અધ્યાત્મની Line પકડી છે. અને અંદરથી ઉકેલ કર્યો છે અને એક એક શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. શાસ્ત્ર વાંચ્યા નથી, શાસ્ત્ર સંભળાવ્યા નથી, ‘ગુરુદેવે’ શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. શબ્દાર્થ પંડિતોને આવડે, ભાવાર્થ આવડે, નયાર્થ આવડે, વ્યાકરણના અર્થ આવડે, વ્યત્પત્તિના અર્થ આવડે, મતાર્થ આવડે, બધું આવડે. રહસ્ય આખી જુદી ચીજ છે. એ અંદરની વસ્તુ છે. આ બધી બહારની વસ્તુ છે. આ એમણે રહસ્ય કાઢ્યું છે.
મુમુક્ષુ :– દેડકાને સમ્યગ્દર્શન થાય, એણે શું કર્યું ?
પૂજ્ય ભાઈશ્રી :– બસ ! એ સ્વસન્મુખ થયો. સ્વસન્મુખ થયો. જ્ઞાનને પકડીને જ્ઞાન ચાલ્યું. જ્ઞાને પોતાને ગ્રહણ કર્યું. જ્ઞાને પોતાને ગ્રહણ કર્યું. આ જ્ઞાન બીજાને ગ્રહણ કરવા જાય છે. ગ્રહણ કરી શકતો નથી પણ ગ્રહણ કરવા જાય છે. આમાં શું છે કે માણસને ખબર ન હોય કે અહીં દરવાજો છે. અહીં દરવાજાના બદલે અહીં દરવાજો ભૂલથી સમજી જાય તો માથું ભટકાય, પાછો પડે, ઢીમડું થાય. એમ આ બીજાને ગ્રહણ કરતા શું થાય છે ? આકુળતા થાય છે, ભટકાયને ઢીમડું થાય છે પણ તોય સમજતો નથી કે ત્યાં ન જવાય. આમ છે, આવું જાડું છે. અને એ તો ખોળિયું દેડકાનું છે. જીવ કાં દેડકો છે ? સંશી પંચેન્દ્રિય પ્રાણી છે. એ ખોળિયું દેડકાનું છે, જીવ દેડકાનો નથી. જ્યાં
Page #186
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૩.
૧૬૯ સમ્યગ્દર્શન થયું તો ગણધરદેવ એને દેવ કહે છે. ગણધરદેવ એને દેવ કહે છે. એ નમસ્કારને યોગ્ય છે, વંદનને યોગ્ય છે. એમ છે, એવી વાત છે.
મુમુક્ષુદ-પૂર્વભૂમિકામાં તૈયાર થઈને આવ્યો હશેને? પૂજ્ય ભાઈશ્રી:-સંસ્કાર લઈને આવ્યો).
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. હવે અત્યારે શું ચાલી રહ્યું છે એ કહે છે. જે પરપદાર્થની ઉપાધિ છે એ ઉપાધિના જોડાણમાં, યોગે એટલે ઉપાધિને જોડાણમાં આ જીવ પોતાનું મનુષ્ય આયુ વ્યતીત કરે જાય છે, ખર્ચે જાય છે. કિમતી વસ્તુને ખર્ચી નાખે છે. હાથમાં કાંઈ આવતું નથી. કોઈએ અમૃતનો ઘડો આપ્યો. કળશ-અમૃતકળશ ભાઈ ! એક ટીપું પીશો તો અમર થઈ જશે. તમારે આખો ઘડો પીવાની છૂટ છે, આખો કળશ પીવાની છૂટ છે. ભાઈએ પગ ધોઈ નાખ્યા. શું કર્યું? પગ ધોઈ નાખ્યા. આ એવી રીતે મનુષ્ય આયુ ખર્ચે છે. જો કરવા ધારે તો અજરઅમર પદને પામે, જન્મ-મરણનો નાશ કરે અને નહિતર ચાર ગતિના ટાંકા બાંધી. અહીંથી દુર્ગતિમાં જવાની તૈયારી કરી લે.
મુમુક્ષુ -રાખને માટે રત્નને બાળે. પૂજ્ય ભાઈશ્રી -એમ છે, ખરેખર એમ જ છે.
“આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છેપોતાને. આ તો હજી જ્ઞાનદશામાં શોક કરે છે કે અમે આ વેપારધંધામાં કયાં બેઠા છીએ ? આ ઉપાધિ અમારે શું ? ૨૮મે વર્ષે એવી દશા છે કે આ ઉપાધિયોગે સમયખર્ચાય છે, વેપાર-ધંધામાં ચાર-છ કલાક જાય છે, એના માટે અત્યંત શોક થાય છે. એમને તો પરિણતિ ચાલે છે તોપણ ઉપયોગ ખર્ચવો ગમતો નથી. પરિણતિ આત્માની ચાલે છે તોપણ ઉપયોગ ખર્ચવો પોસાતો નથી. એમ છે.
એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાયન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા.” જ્ઞાની બોલે છે. મુમુક્ષુએ આ ધડો લેવા જેવો વિષય છે. બોલે છે એમ નહિ, બીજાને કાગળ લખે છે. લેખિત આપે છે. અહીં તો બોલે પણ લખીને આપવામાં દસ વખત વિચાર કરે છે કે મારે લખીને આપવું કે કેમ ? ચતુર માણસો હોય ને. એવું છે. એ બધી સંસારની ચતુરાઈ પરિભ્રમણના ઉપયોગમાં આવે છે. જ્ઞાનીઓ તો સરળ પરિણામી છે, સરળ પરિણામી છે. પોતાના દોષ જતા હોય તો ગમે તે કિમતે એ દોષ કાઢવા તૈયાર છે. ગમે તે કિમત દે છે. જગતની આબરૂ-કીર્તિની એમને પરવા નથી. જગતને જે અભિપ્રાય બાંધવો હોય એ બાંધે. અમારે તો આ જગત
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૨ છોડીને જ બીજી જગ્યાએ જાવું છે પછી અહીંયાં નાતો કોને રાખવો છે? જગતમાં પણ જેને કોઈની સાથે સંબંધ ન રાખવો હોય એની એ પરવા ન કરે. બહુ બહુ તો સંબંધ નહિ રહેને. આપણે એની કાંઈ પરવા નથી. તો આ જ્ઞાની કહે છે કે અમારે જગતની શું પરવા છે? અમારે કયાં જગત સાથે સંબંધ રાખવો છે? અમારે સિદ્ધાલયમાં જાવું છે. આ જગતમાં અમારે હવે રહેવું નથી. જગતની આબરૂ-કીર્તિની અમને પરવા નથી.
કહે છે કે અલ્પકાળમાં અમે આ પ્રવૃત્તિ છોડવાનો ઉપાય ન કર્યો, તો અમને એમ લાગે છે કે એ અમારું અવિચારીપણું છે. આટલી સરસ દશા છે, આટલી સરસ આત્મજાગૃતિ છે (તો) શા માટે કેવળજ્ઞાન ન લઈ લઈએ ? એમ કહે છે. સર્વસંગપરિત્યાગતા અમને કાંઈ વાંધો આવે એવું નથી. આ જોઈએ અને તે જોઈએ એવું અમારે કાંઈ છે નહિ. ગમે તે પરિસ્થિતિમાં અવધૂત થઈને રહી શકે એવી પોતાની આત્મદશા છે. શા માટે સર્વસંગપરિત્યાગ કરીને કેવળ ન લઈએ ? અને અહીં બેઠા રહીએ? એમ ઉપાડ છે. એ તો કેવળજ્ઞાન બાજુનો ઉપાડ છે.
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.” પોતે પણ નિર્વિકાર જ્ઞાનને નમે છે, ભજે છે, બહુમાન કરે છે, પ્રશંસા કરે છે. એવા નિર્દોષ પરિણામની એ સ્તુતિ કરે છે, ખરેખરતો.
મુમુક્ષુ - ક્રોધ, માન, માયા, લોભ....
પૂજ્ય ભાઈશ્રી:–એમ લ્યો. નહિતર આ લ્યો. કામેચ્છા લ્યો, વેદોદય લ્યો. સર્વથી ચીકણા પરિણામ તારતમ્યતાવાળા વેદોદયમાં જ થાય છે. જ્ઞાન તો એવું છે કે ગમે તે કષાયને ભસ્મીભૂત કરી નાખે. શંકરનું ત્રીજું લોચન છે એ. કામદેવને નાશ કરવા માટે એ ત્રીજું લોચન છે. એને બાળી નાખે. એ ૫૯૩ (પત્રપૂરો થયો.
મુમુક્ષુઃ- વેદોદયને તો નોકષાયમાં લીધો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ બહુખ્યાલ નથી આવતો. કોઈવાર એ વિચાર આવે છે કે એને નો એટલે અલ્પ. એને અ૫ કષાયમાં શા માટે (નાખ્યો છે)? કષાયમાં ન લેવો જોઈએ એવું લાગે છે. શાસ્ત્રોમાં તો એને નોકષાયમાં નાખે છે. એ વાત ઠીક છે, પ્રશ્ન બરાબર છે. રતિ-અરતિને નોકષાયમાં લીધા છે ને? સોળ કષાય અને નવ નોકષાય. પચ્ચીસ કષાયના ભેદ છે. એમાં સોળ કષાય પછી આ વેદોદય નોકષાયમાં આવે છે. એને નોકષાયમાં કેમ લીધો ? નો એટલે અલ્પ. અલ્પ કષાયમાં કેમ લીધો ? આમ તો એની તારતમ્યતા ઘણી છે એટલે તીવ્ર કષાયમાં જવો જોઈએ. એ વાત ઠીક છે. કાંઈક વિચારવા જેવી વાત છે. એ વિચાર કોઈવાર આવે છે પણ સમાધાન નથી થતું. એનું
Page #188
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૭
- ૧૭૧ સમાધાન નથી થતું કે કેમ નોકષાયમાં નાખ્યું છે.
મુમુક્ષુ -નવનોકષાયમાં શું આવે? પૂજ્ય ભાઈશ્રી:- જુગુપ્સા, રતિ, અરતિ, ભય, જુગુપ્સા... મુમુક્ષુ-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ ત્રણ વેદ અને.. હાસ્ય, રતિ, અરતિ. પૂજ્ય ભાઈશ્રી – હાસ્ય. હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા. ત્રણ વેદ, શોક.
મુમુક્ષુ – હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
પૂજ્ય ભાઈશ્રી:- નવ નવ નોકષાયમાં પણ એ તો ભય પણ એ જ છે. ભયનું. પણ એમાં એમ લાગે છે કે ઉદય એનો બહુ અલ્પકાળ રહેતો હશે એટલે નોકષાયમાં નાખ્યો હશે. જેમકે ભય થયો. આમ પરિણતિનો ભય મૂકીક્યો. ઉપયોગની અંદર. એમ વેદોદયની પરિણતિ મૂકી દે. ઉપયોગની અંદર એનો અલ્પકાળ કદાચ (ગણાતો હશે). અલ્પતા, કાળની અલ્પતા જોઈને એમ કહ્યું હોય). કેમકે એક તો તારતમ્ય અને એક તો કાળ (એમ) બે રીતે વિચારી શકાય. ત્રીજું તો એમાં પડખું નથી. એને કાળ લંબાઈ નહિ શકતો હોય. ઉપયોગમાં એ ઉપયોગ લંબાઈ નહિ શકતો હોય. ઉપયોગ છૂટી
જાય.
મુમુક્ષુ - કષાયની પરિણતિ ધારાપ્રવાહ ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી :- કષાયનો ઉપયોગ લંબાતો હોય અને નોકષાયનો ઉપયોગ એના પ્રમાણમાં ન લંબાતો હોય એવું કોઈ પરિમાણ, ઉપયોગના કાળમાં પરિમાણમાં કોઈ એ વિષય આવતો હોવો જોઈએ. કેમકે આ વિષય ચાલ્યો છે એ તો કેવળજ્ઞાન અનુસાર ચાલ્યો છે અને સૂક્ષ્મ કાળનું માપતો કેવળજ્ઞાનમાં આવે. એમ હોવાનો સંભવ છે. તારતમ્યતા તો ભયની પણ ઘણી છે, વેદોદયની ઘણી છે, જુગુપ્સામાં પણ તારતમ્યતા ઘણી છે, શોકમાં પણ તારતમ્યતા ઘણી છે. સામાન્ય રતિ અરતિ છોડો તો બધે તારતમ્યતા તો ઘણી છે. નવ નોકષાયમાં પણ તારતમ્ય ઘણું આવે છે. તીવ્રતા ઘણી આવે છે. કાળનું કારણ હોવું જોઈએ. ખુલાસો કોઈ જગ્યાએ, સ્પષ્ટીકરણ આવતું નથી. આગમમાં કોઈ એનું સ્પષ્ટીકરણ નથી આવતું. આપણા જાણવામાં છે ત્યાં સુધી).
મુમુક્ષુ -કષાયના પરિણામ બુદ્ધિપૂર્વક..
પૂજ્ય ભાઈશ્રી – આમાં પણ બુદ્ધિપૂર્વક તો વેદોદય થાય જ છે. વેદોદય થાય, ભય થાય, જુગુપ્સા થાય. બુદ્ધિપૂર્વક તો બધા થાય. પણ જે બુદ્ધિપૂર્વક થાય એ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૨ લંબાવામાં ફેર પડતો હશે.
મુમુક્ષુ:- કષાયના પરિણામ તો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે રીતે ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો આ પણ અબુદ્ધિપૂર્વક ચાલે છેને. વેદ નવમે ગુણસ્થાને જાય છે. પાંચમે ગુણસ્થાને અબ્રહ્મચર્યનો વિકલ્પ ગયો. એને બ્રહ્મચર્ય આવી ગયું.
સ્વરૂપસ્થિરતા નિર્વિકાર (ઈ). પણ વેદનવને ગુણસ્થાને જાય. એટલે મુનિને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની બહારમાં પ્રતિજ્ઞા લેવડાવે છે. કેમ કે વેદનથી ગયો. સત્તામાં છે. વેદ સત્તામાં હોય તો પરિણતિ તો ચાલે. અબુદ્ધિપૂર્વકનો છે ને ? કાળનું કારણ હોવું જોઈએ. આ અનુમાન છે. પછી તો આપણી સમજનો વિષય નથી.
૫૯૪. “નવલચંદડોસાભાઈ, મોરબી” ઉપરનો પત્ર છે. મુમુક્ષુ – ભયનો અભાવ તો સમ્યગ્દષ્ટિને પહેલા શરૂઆતમાં થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. અબુદ્ધિપૂર્વકનો ભય રહી જાય. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ચારિત્રમોહનો થોડો આવે. સર્પ જોવે તો એ પણ ઘરમાં જાય, દુકાન બંધ કરે તો તાળું મારીને જાય, તીજોરીને ચાવી લગાવે. એ જે ભય છે એ અનંતાનુબંધીનો જાય. એ બધા પ્રકાર અનંતાનુબંધીના જાય. પ્રત્યખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજ્વલનના રહે પાછા. એમ.
મુમુક્ષુ – એમ તો આ જીવને ઉત્થાનન થવામાં ભયનું પણ મોટું કારણ છે.
પૂજ્ય ભાઈશ્રી – ભયનું પણ કારણ છે. પણ મૂળ તો શું છે કે એ બધા ચારિત્રમોહમાં જાય છે. મૂળ કારણ દર્શનમોહનું છે. પછી અનંતાનુબંધી અવિનાભાવી છે. એની સાથે અનંતાનુબંધી ચારિત્ર છે એ અવિનાભાવી છે. અહીં સુધી રાખીએ).
સપુરુષ પ્રત્યે પરમ વિનય પરમેશ્વરબુદ્ધિએ) ઉત્પન્ન ન થવો, ત્યાં સુધી જીવને મુમુક્ષતા વર્ધમાન થવાનો પ્રતિબંધ છે. પરમ પ્રેમાર્પણ થતાં તે પ્રતિબંધ મટે છે.
જ્યાં સુધી આવો પ્રતિબંધ છે, ત્યાં સુધી યોગ્યતા રોકાઈ જાય છે. ચાર પ્રતિબંધ (સમાજ, કુટુંબ, શરીર, સંકલ્પ-વિકલ્પ) ઉપરાંત આ પાંચમો પ્રતિબંધ ફરમ વિનયની ન્યૂનતા) મટતાં માર્ગ મળે છે. -આ વસ્તુ સ્થિતિ છે.
(અનુભવ સંજીવની-૧૪૧૬)
Page #190
--------------------------------------------------------------------------
________________
પત્રોક-પ૯૪
૧૭૩
પત્રાંક-૫૯૪
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.
તા. ૨૧-૧૨-૧૯૯૦, પત્રાંક-૫૯૪ થી ૫૯૬
પ્રવચન નં. ૨૭૭
શ્રીમદ્ રાજચંદ્રવચનામૃત, પત્ર-૫૯૪, પાનું-૪૬૩. “નવલચંદભાઈ, મોરબી ઉપરનો પત્ર છે. “સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.' Post card ની અંદર ચાર લીટીમાં જ્ઞાનીપુરુષના નિર્ણયની વાત કરી છે. આત્માથી ભિન્ન શરીર, કુટુંબ, મન આદિમાં અનેક પદાર્થો છે, જેનાથી પોતાને સુખ થાય છે અથવા જે સુખના સાધન મનાય છે તે વિષયમાં જ્ઞાનીપુરુષોનો નિર્ણય કેવો છે એની આ ચાર લીટીમાં વાત કરી છે.
તમામ પદાર્થોમાં વધારેમાં વધારે, અધિક એટલે વધુમાં વધુ સ્નેહનામ રાગ રહે છે. જેના પ્રત્યે સૌથી વધુ રાગ છે એ શરીર છે. પોતાનું માનેલું એવું શરીર છે. શરીર પોતાનું નથી પણ પોતાનું માનેલું એવું જે શરીર, એના પ્રત્યે જીવને સૌથી વધારે રાગ હોય છે. એ શરીર પણ રોગથી દુઃખનું નિમિત્ત બને છે અને વૃદ્ધાવસ્થાને કારણે પણ એ દુઃખનું જ નિમિત્ત બને છે. શાસ્ત્રમાં તો વૃદ્ધાવસ્થાને પણ એક રોગ જ કહ્યો છે. સુધાને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૨
પણ રોગ જ કહ્યો છે. ક્ષુધા પણ રોગ છે અને વૃદ્ધાવસ્થા પણ રોગ છે. લૌકિકમાં ક્ષુધાને રોગ નથી ગણતા. ભૂખ ન લાગે તો રોગ ગણે છે. ભૂખ સારી લાગે તો તંદુરસ્તી ગણે છે. એ પણ જીવને રોગ છે. પૂજામાં આવે છે કે નહિ ? ક્ષુધારોગ વિનાશનાય નૈવેદ્ય (નિર્વપામિતી સ્વાહા)’. ભગવાનને નૈવેદ્ય સમર્પણ કરે છે એ પોતાના ક્ષુધારોગના નાશની ભાવના માટે છે.
સંક્ષેપમાં શરી૨ છે એ જીવને દુઃખનું નિમિત્ત થાય છે. દુઃખનું નિમિત્ત થઈ પડે છે. એની અવસ્થાઓ દુઃખરૂપ થઈ પડે છે કે જેના ઉપર વધુમાં વધુ રાગ છે. શરીર વધારે નજીક છે એનાથી દુઃખ થાય છે તો બીજા દૂરવર્તી જે પદાર્થો છે, ક્ષેત્રથી દૂર છે એ પદાર્થોથી સુખ થાય એવું ભલે અત્યાર સુધી માન્યું હોય, સ્વીકાર્યું હોય, એ નિર્ણય બદલવા જેવો છે. જ્ઞાનીપુરુષોના વચનોના આધારે એ નિર્ણય બદલવા જેવો છે, એમ કહે છે.
શરી૨ અને બધા પદાર્થો પ્રત્યેની જે સ્વીકૃત માન્યતા-Conception જેને કહે છે એ બદલવા જેવી છે, બદલ્યા વગર છૂટકો નથી. જોકે જ્ઞાનીપુરુષ એમ કહે છે કે તને એમ માનતા તારી બુદ્ધિમાં એક વાર તારે પોતાને ઊભા રહી જવું પડે એવું છે. ક્ષોભ પામે એટલે હિચકિચાહટ થાય. તેં જે માન્યું છે એ ખરેખર સાચું છે કે કેમ ? જરાક વિચાર કરતાં તારે ઊભા રહેવું પડે એવું છે. એમ નથી કહેતા કે હું કહું એમ તું માની લે. હું કહું છું માટે તું સ્વીકારી લે એમ નથી કહેતા. પણ એકવાર તો તું એનો વિચા૨ ક૨ કે ખરેખર આ સુખના કા૨ણો છે ? ખરેખર એનાથી મને સુખ મળે છે ? સુખ થાય જ છે ? એક વખત જરા ક્ષોભ પામીને, ઊભો રહી જઈને વિચા૨ ક૨ે તો તને ખ્યાલ આવશે કે સુખ નહિ પણ દુઃખ વધારે થાય છે. આકુળતા, તે તે પદાર્થોના લક્ષે જીવને આકુળતા ઉત્પન્ન થાય છે. એવું જરૂર તને વિચારતા લાગશે. અને તો પછી સુખ માટે કોઈ બીજો વિચાર, બીજો ઉપાય હોવો જોઈએ એવી તારી બુદ્ધિની અંદર કોઈ વાત ઉત્પન્ન થયા વગ૨ રહેવી જોઈએ નહિ.
આવા પ્રકા૨ની જે વિચારણા એને વિચારવાન કહે છે. વિચારવાનની બુદ્ધિ...’ એમ કહ્યું ને ? કેવા જીવની બુદ્ધિ કીધી ? કે વિચારવાનની બુદ્ધિ...’ એનો અર્થ એ પણ થયો કે જે જીવો શરી૨, ધન અને બીજા સુખના સાધનોમાં સુખ માને છે અને એ સિવાય જેને બીજો વિકલ્પ નથી એને જ્ઞાનીપુરુષો વિચારવાન જીવ કહેતા નથી. એમ પણ થયું ને એમાંથી ? કે જ્ઞાનીપુરુષો એને વિચારવાન જીવ નથી કહેતા. વિચારવાન જીવ તે છે કે ચાલતી પરિસ્થિતિમાં આખી દુનિયા માને છે એના કરતાં પોતાના અનુભવ તપાસીને
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પત્રાંક-૫૯૪ કાંઈક બીજી રીતે માનવા તૈયાર થાય છે. એને વિચારવાન કહેછે.
મુમુક્ષ - શરીરાદિને પોતાપણે માનવાથી જ ક્રોધ, માન, માયા, લોભ આદિ ઉદ્ભવ તો એ રીતે જ થાય છે, એ કારણે જ થાય છે. જે કાંઈ દોષ થાય છે એ...
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. એ શરીરને આધારે થાય છે. શરીર તે હું એવું શરીરને અધિષ્ઠાન બનાવવાથી એ દોષ ઉત્પન્ન થાય છે). આધારનું સ્થાન તેને અધિષ્ઠાન કહે છે. આધારબુદ્ધિએ જેને સ્થાન આપે તેને શાસ્ત્રમાં અધિષ્ઠાન કહે છે. આત્માનું અધિષ્ઠાન હોવું જોઈએ એના બદલે શરીરનું અધિષ્ઠાન છે તો તમામ પ્રકારના દોષ અને તમામ પ્રકારના દુઃખ ઉત્પન્ન થયા વગર રહે નહિ. દોષ ઉત્પન્ન થાય અને દુઃખ ઉત્પનન થાય એવું બને નહિ. દોષ અને દુઃખ અવિનાભાવી છે.
દશવૈકાલિકમાં એવી વાત લીધી છે કે દેવ-ગુરુશાસ્ત્ર આદિનો અવિનય કરે. નવમું વિનયનું પ્રકરણ છે. અવિનય કરે, વિરાધના કરે, અવિનય કરે. કદાચ સૂર્યથી ગરમી ન લાગે, કદાચ અગ્નિ શીતળ થાય પણ એ જીવ દુઃખી ન થાય એવું કોઈ દિવસ ન બને. ઝેર કદાચ મૃત્યુ ન આપે. આમ તો એ ઝેર જ છે અને એનાથી મરે જ પણ આયુષ્ય હોય તો કદાચ ઝેરથી માણસ ન મરે. પણ આ પ્રકારના અપરાધથી તો જીવ દુઃખી થાય, થાય ને થાય જ. એને દુઃખી થતો કોઈ નહિ રોકી શકે. વિનયના પ્રકરણમાં એવા કેટલાક બોલ લીધા છે. ઘણાં બોલ લીધા છે.
મુમુક્ષુ:-દસમાંથી સાત વાર વિનય કરે અને એક વાર અવિનય કરે તો સોમાંથી એક વાર અવિનય કરે તો એ એટલો ને એટલો દુઃખી થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી - સોએ સો વાર જેવિનય કર્યો હતો એ ધોવાઈ ગયો. સો વખત વિનય કર્યા પછી એક વાર અવિનય કર્યો. હજાર વખત વિનય કર્યા પછી એકવાર અવિનય કર્યો એ બધું ધોવાણ થઈ ગયું. એક સપાટામાં ! માટે જ્યાં જ્યાં દેવ-ગુરુશાસ્ત્ર-સપુરુષ-સિદ્ધાંતની વાત આવે ત્યાં ઊભા રહી જવું. હુંજિજ્ઞાસુ છું, હું મુમુક્ષુ છું, હું જ્ઞાની નથી, મારે અભિપ્રાય આપવાનો કોઈ અધિકાર મારામાં નથી. મારે જિજ્ઞાસુ રહેવું, જ્ઞાનીપુરુષની આજ્ઞાએ ચાલવું. આ પરિસ્થિતિમાં આવી જવું. મુમુક્ષુએ આથી આગળ ન જવું. જો બચવું હોય તો. નહિતર લૌકિકજનો અપરાધ કરે છે એના કરતાં મોટો અપરાધ થતા એને વાર લાગશે નહિ. આ પરિસ્થિતિ થવાની.
મુમુક્ષુ-એ તો દેવ-શાસ્ત્ર-ગુરુ-સપુરુષને અનુકૂળ ચાલતો હોય છતાં સોમાંથી ૯૮ વખત વિનય કરે અને એક વખત અવિનય કરે તોપણ એને ધોવાઈ જાય છે?
પૂજ્ય ભાઈશ્રી :- હા, ધોવાઈ જાય.૯૮ નહિ હજાર વખત કરે અને એક વખતે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૨ કરે, હજાર વખત વિનય કરે અને એક વખત અવિનય કરે એટલે હજારે વિનય ધોવાઈ જાય.
મુમુક્ષુ:-દેવ-ગુશાસ્ત્રને ઓળખ્યા નહિ.
પૂજ્ય ભાઈશ્રી – ઓળખ્યા નહિ એ એનું કારણ છે. આમ થવાનું કારણ શું છે? કે એનો નિર્ણયદેવ-ગુરુ-શાસ્ત્ર માટેનો બરાબર નથી. ઓળખાણપૂર્વકનો એનો નિર્ણય હોય તો આવી ભૂલ ક્યારેય ન થાય, સ્વપ્નેય ન થાય. જાગતા તો ન થાય પણ સ્વપ્ન પણ ન થાય. ઓળખાણ નથી એનું કારણ એ છે. એનું સ્વરૂપ ઓળખાયું નથી.
અહીંયાં તો શું કહેવું છે કે જ્યાં જ્યાં શરીર અને પરપદાર્થમાં આ જીવને મમત્વ થાય છે, પોતાપણું થાય છે એ અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને થાય છે. ત્યાં પોતાનું અસ્તિત્વ નથી. ત્યાં પોતાના અસ્તિત્વનું ગ્રહણ થાય છે કે આ હું ત્યારે કહે છે કે તું વિચારવાન જીવ હોય તો જરાકતને વિચાર આવવો જોઈએ કે જેના ઉપર હું મમત્વ કરું છું ત્યાં દુઃખ મને કેમ થાય છે? મમત્વ કરતા જ મને દુઃખ કેમ થાય છે? વિષય તો આમાંથી ચાલ્યો કે દોષ અને દુઃખ અવિનાભાવી છે, નિર્દોષતા, પવિત્રતા અને સુખ અવિનાભાવી છે. અવિનાભાવી એટલે એક સિક્કાની બે બાજુ હોય અને સાથે જડાયેલી જ રહે એમ જડાયેલી જ રહે છે. એક થાય અને બીજું ન હોય એવું બને નહિ. માટે એમાં સુખવૃત્તિ થાય એવું માનતા પહેલા વિચારવાનની બુદ્ધિ અવશ્ય ક્ષોભ પામવી જોઈએ. એને હિચકિચાટ થવો જોઈએ કે કાંઈક મારી ભૂલ થાય છે, કાંઈક આમાં વિચાર કરવો જેવો છે અને સુખનો ઉપાય કોઈક બીજો હોવો જોઈએ એમ એની બુદ્ધિ બીજી દિશામાં કામ કરતી થવી જોઈએ. કાંઈ નહિ તો શોધ કરે. અહીંયાં સુખ નથી તો બીજે ક્યાંય બીજી રીતે સુખનું કારણ છે, એવી રીતે સુખની શોધમાં જાય. પણ એ રીતે એની વૃત્તિ હોવી જોઈએ. એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે.
વિચારવાન જીવો માટે જ્ઞાનીપુરુષોનો આવો નિર્ણય છે. જે આવો વિચાર કરતા નથી અને જ્ઞાની પુરુષોના નિર્ણય અનુસાર વિચારવાનપણું નથી કહેતા પણ તે તે જીવો અવિચારી જીવો છે કે જે પોતાના જ દુઃખના ઉપાયને સાધે છે, જે પોતાના જ દુઃખના ઉપાયને પોતાની મેળે, પોતાના હાથે દુઃખ પ્રાપ્ત થાય એમ કરે એને વિચારવાનું કેમ કહીએ ? એને તો અવિચારી જ ગણાય. તે યથાતથ્ય છે. એટલો ટૂકડો નાખ્યો. પરપદાર્થમાં મમત્વથતું રોકવા માટે આ વાત કરી છે. એ ૫૯૪ (પત્ર પૂરો થયો.
Page #194
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૫
૧૭૭
પત્રાંક-૫૯૫
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિકરતા બળવાન પ્રમાણભૂત છે.
પ૯૫. લલ્લુજી” ઉપરનો પત્ર છે. અહીંથી પ૯૫થી ત્રણ-ચાર પત્રની અંદર વેદાંત અને જૈનદર્શન-એ બે દર્શન વચ્ચેના... ૫૯૫,૯૬,૯૭ ત્રણે પત્રોમાં બે દર્શનો વચ્ચેના તત્ત્વજ્ઞાનની સમીક્ષા કરી છે અથવા તલના કરી છે. કેમકે વેદાંત એક આસ્તિકય દર્શન છે. આત્માને નિશ્ચયનય સ્વીકારે છે એવી રીતે એનો એક સાંખ્ય મત આત્માને એવી જ રીતે સ્વીકારે છે અને આત્માને વૈરાગ્ય અને ઉપશમ સંબંધીના બોધની અંદર ઘણી ઘણી વાતો છે. અથવા આત્મામાં લીન થવા માટેનો ઉપદેશ પણ ઘણો છે. આત્મામાં લીન થવા માટેનો ઉપદેશ ઘણો છે. .
યોગવાશિષ્ઠની અંદર તો જ્ઞાની પુરુષનું વર્ણન આવે એવા વર્ણનો આવે છે. જૈનદર્શનમાં જે જ્ઞાનીની દશાના અકર્તાપણાના વર્ણન આવે એવા આવે). કેમકે સાંખ્યમાં તો આત્મા કર્તા નથી. આત્મા તો બિલકુલ સોંશે અકર્તા છે. એટલે જેને એવું જ્ઞાન થાય છે એ અકર્તા થઈ જાય છે એ વાતો ઘણી આવે છે. સાંખ્યમાં અને એમાં ખાસ કરીને યોગવાશિષ્ઠમાં એપ્રકરણ છે.
મુમુક્ષુ -બેય વાત લીધી છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત તો પરસ્પર વિરુદ્ધ તો ઘણી આવે. પરસ્પર વિરુદ્ધ ઘણી વાત આવે. પણ આવી પણ વાત આવે છે. લીધી છે તો આમાંથી ને ? દિવ્યધ્વનિમાંથી મૂળ તો જે ગમ્યું એ લીધું છે. એટલે જે સત્યના અંશો છે એ પણ લીધા. છે, અસત્યના અંશો પણ લીધા છે. એટલે સત્યમાં અસત્યની ભેળસેળ થાય ત્યારે સત્ય માર્યું જાય છે.
જેમકે આપણે ગુરુદેવ પાસેથી સત્ય સમજીએ અને કોઈ વાત પછી આપણી મતિ કલ્પના પ્રમાણે અસત્ય પણ ગ્રહણ કરીએ. તો એ માન્યતા સત્ય નથી રહેતી. પણ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાજહૃદય ભાગ–૧૨ આટલી વાત તો સત્ય ખરીને? નહિ. માન્યતા પૂરેપૂરી અસત્ય થઈ જાય છે. કેમકે માન્યતામાં અંશો નથી પડતા. માન્યતા તો આખેઆખી જ હોય છે. કાં તો સત્ય અને કાં તો અસત્ય. એમાં આટલા ટકા (એમ) એની માન્યતામાં ટકાવારી ઊભી નથી થતી.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. ભેદ એટલે તફાવત ઊભો થાય છે, જુદાં પડે છે. વેદાંતવાળા જૈનદર્શનથી આત્માના વિષયમાં જુદાં પડે છે. ક્યાં (જુદાં પડે છે) ? સૈદ્ધાંતિક વિષયમાં જુદાં પડે છે. ઉપદેશના વિષયમાં એટલા જુદાં નથી પડતા પણ સિદ્ધાંતના વિષયમાં જુદાં પડે છે. જોકે સિદ્ધાંત ઉપદેશ માટે છે. ઉપદેશ જો ગ્રહણ ન કરવાનો હોય તો સિદ્ધાંત ખરેખર સિદ્ધાંતના પ્રયોજન માટે સફળ નથી ઠરતો, નિષ્ફળ ઠરે છે. તોપણ એ ઉપદેશમાં સ્થિર થવા માટે, કાયમ રહેવા માટે સિદ્ધાંતના આધાર વગર ઉપદેશમાં ટકી શકાતું નથી, સ્થિર રહી શકાતું નથી. કેમકે એ કલ્પનામાત્ર થાય છે.
સિદ્ધાંત છે એ વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરે છે, વ્યક્ત કરે છે અને વસ્તુના સ્વરૂપ અનુસાર ઉપદેશ ગ્રહણ થાય, વસ્તુના સ્વરૂપના આધારે જો ઉપદેશ લેવાય તો એ ઉપદેશ કાયમી રહે છે. નહિતર કલ્પિત સિદ્ધાંત હોય એના આધારે ઉપદેશ ગ્રહણ કર્યો હોય તો કલ્પનાના આધારે ટકી શકાતું નથી. એટલે નથી ટકાતું. એમ ઉપદેશ બરાબર હોવા છતાં એની સફળતા નથી એનું કારણ આ છે કે સિદ્ધાંતની ભૂલ છે.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે કેમકે એ સિદ્ધાંતિક વિષય છે. એ સિદ્ધાંતમાં જુદું પડે છે. “સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. આ ઉપદેશ છે. ઉપદેશ શું છે? કે આત્મા સહજ સ્વભાવે પરિણમે, સહજ સ્વરૂપે પરિણમે, સહજ સ્વરૂપમાં પરિણમે એ ઉપદેશનું ફળ છે. એ વિચારણાનું ફળ છે અથવા ઉપદેશનું એ ફળ છે. એ આવવું જોઈએ. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે.”
સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે, તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.” આ Comparative statement સરખામણી કરીને આપ્યું છે. વેદાંતમાં પણ વીતરાગ થવાની વાત આવે છે, એમ કહે છે. રાગ-દ્વેષાદિ બધા અવગુણનો નાશ કરવો જોઈએ અને સદ્દગુણો પ્રગટ કરવા જોઈએ. સદ્ગુણો પ્રગટ કરવામાં બહુ જૈનદર્શન જેટલો વિસ્તાર નથી. કેમકે
Page #196
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૫
૧૭૯ સિદ્ધાંતિક વિષયમાં ત્યાં ફેર પડે છે. પણ સાક્ષીભાવે રહેવું જોઈએ એ વાત આવે છે. આપણે જેને જ્ઞાતા-દષ્ટપણે કહીએ છીએ. એ લોકો એમ કહે છે કે સાક્ષી રહેવું. ક્યાંય રાગ ન કરો, ક્યાંય દ્વેષ ન કરો, ક્યાંય મોહ ન કરો, બીજા વિકારી પરિણામે પરિણમો નહિ. તો શું કરવું) ? કે સાક્ષી તરીકે રહી જાવ. આટલી વાત આવે છે. એક ન્યાયે ઉપદેશની દૃષ્ટિએ તો જૈનદર્શન જેવી જલાગે.
(અહીંયાં) બહુમુદ્દાની વાત કરી, કે પરિપૂર્ણ રાગ-દ્વેષનો ક્ષય કરવો. જુઓ! આ પ્રારંભની વાત છે. ક્યો સિદ્ધાંત આવ્યો? પૂર્ણતાના લક્ષે શરૂઆત. ત્યાં પણ લોકો ત્યાગી થાય છે, રાગના નિમિત્તો છોડે છે, જંગલમાં જાય છે, નિર્વસ્ત્ર દશામાં એ લોકો પણ રહે છે. સર્વસંગપરિત્યાગ કરીને નિર્વસ્ત્ર દશામાં રહે છે. પણ ભૂખ લાગે તો કંદમૂળ ખાઈ લે. શું કરે ? વનસ્પતિ કાચેકાચી ખાઈ લે. આપણે શહેરમાં નથી જવું. એ અવસ્થામાં એ લોકો શહેરમાં આવે પણ નહિ. એ સમજે છે કે શહેરમાં આ સ્થિતિમાં લોકો રહેતા નથી. જંગલમાં રહે. આખી જિંદગી જંગલમાં રહે. નદીના, તળાવના, કૂવાના પાણી પી લે. ભૂખ-તરસમાં તો ચાલે એવું નથી. વસ્ત્ર વગર ચાલે. રાખ ચોળી લે (એટલે) ઠંડી-ગરમીનલાગે. એ લોકો રાખ ચોળી લે છે. કારણ કે સ્વરૂપસ્થિરતા તો છે નહિ કે વીતરાગતામાં આવી જાય. એ તો હઠથી ત્યાગ કર્યો છે. ઠંડી-ગરમી તો લાગશે. તો રાખ ચોળે છે. શિયાળામાં એટલી ઠંડીન લાગે, ઊનાળામાં એટલી ગરમીન લાગે. છતાં તપશ્ચર્યા કરે, કઠીન તપશ્ચર્યા કરે. પણ ભૂખ-તરસનું શું? તો કાચું પાણી પી લે, અણગણ પાણી પણ પી લે. આ શું જૈનદર્શનમાં અને એમાં આચારમાં ફેર પડે છે (એ વાત છે).
કોઈ દર્શનના આચાર જે જૈન મુનિના આચાર છે એની તુલનામાં, સ્વપર અહિંસક પોતાને પણ અહિંસા, બીજા જીવોને પણ અહિંસા, એવા નિર્દોષ આચાર જગતમાં કોઈ સંપ્રદાયમાં નથી. બાહ્યાચરણ પણ નથી. અંતરનું આચરણ હોવાનો સવાલ રહેતો નથી. પણ રાગ-દ્વેષ છોડવા માટે ત્યાગ જરૂર કરે છે. રાગના નિમિત્તો, દ્વેષના નિમિત્તો જે છે એ રાગ-દ્વેષ અવગુણ છે અને છોડવા જેવો છે એટલે એનો ત્યાગ કરે છે. પણ શરૂઆત બરાબર નથી. એમની શરૂઆત બરાબર નથી.
સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય...” કરવો ત્યાંથી ઉપાડ નથી. આ જૈનદર્શનમાં પ્રારંભનો સિદ્ધાંત છે. શરૂઆત સંબંધીનો જે સિદ્ધાંત છે એ ચૂકયો અને બીજી રીતે પોતાની મતિ કલ્પનાએ માર્ગ પ્રાપ્ત કરવા કે આગળ વધવા જાય છે, ગ્રંથિભેદ નહિ ટાળે. જે અહીં ૫૯૩માં કહી દીધું, કે “સંસારપરિણામી થયા કર્યો છે.” ગ્રંથિભેદ થવામાં જે પુરુષાર્થ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
રાજહૃદય ભાગ-૧૨ જોઈએ એ પુરુષાર્થ એને આવશે નહિ. ક્યાંથી સીધી વાત આવી? ‘સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં. પહેલેથી એ વાત હોવી જોઈએ. પ્રારંભમાં એ સિદ્ધાંત ગ્રહણ કરવો પડે કે સંપૂર્ણ રાગ-દ્વેષના ક્ષય વિના, સંપૂર્ણ જ્ઞાન નથી, સંપૂર્ણ ચારિત્ર નથી, સંપૂર્ણ પવિત્રતા નથી. અરે.એ ધ્યેય વગર તો એની ખરેખર શરૂઆત પણ નથી.
એવો નિશ્ચય જિને કહ્યો છે તે વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.” કેમકે પ્રારંભથી જ વાત છે. શરૂઆત જ ત્યાંથી થાય છે. કેટલો બળવાન છે ? એના કરતાં ઘણો બળવાન છે. ભલે એ લોકોએ નિર્દોષ થવાની હજારોગમે વાત કરી છે. એ લોકોએ પણ મોટા મોટા શાસ્ત્રો રચ્યા છે. યોગવાશિષ્ઠના આવા ચાર Volume છે. પણ પછી જાય કથામાં. એમાં બધી કલ્પિત કથાઓ છે. એ બધી આવે છે ને ઓલી ? રાક્ષસી, કર્કટ રાક્ષસી ને લીલા ને ફલાણું... કલ્પિત છે. પછી શું છે કે સિદ્ધાંતમાં કેટલુંક ચાલે? વિસ્તાર તો છે નહિ. એની એ કાં તો Repeat કર્યા કરે. પછી દષ્ટાંતો લાંબા... લાંબા લાંબા લાંબા...દગંતો (આવે. વક્તા અને લેખકમાં આ એની ક્ષતિ છે.
આ વિષયની અંદર તો ખરેખર સિદ્ધાંત સમજાવવો છે. દાંતના નિમિત્તે સિદ્ધાંત સમજાવવાનું બને છે પણ દાંત અંશગ્રાહી હોવા છતાં, દગંત કાંઈ સંપૂર્ણ લાગુ ન પડે, સિદ્ધાંતને અંશપણે ગ્રહણ કરતું એવું દૃષ્ટાંત હોવા છતાં, દષ્ટાંત લાંબુ લાંબુ કરીને એવું લંબાવે, એવું મલાવે કે એની કથાઓ ચાલવા માંડે. મૂળ વાત તો પછી સાંભળનારને અને વાંચનારને સ્મરણમાં પણ ન રહે કે આ શું કરવા આટલું બધું લાંબુ કરે છે. કેમકે એમાં અનેક પ્રસંગો, અનેક વાતો ઊભી કરે. એ સિદ્ધાંતિક વિષયની ક્ષતિને જાહેર કરે છે. દાંત તો માત્ર અલ્પ લેવો જોઈએ અને સિદ્ધાંતને વજન આપીને, સ્પષ્ટ કરીને સારી રીતે ચોખ્ખો કરવો જોઈએ. અથવા સિદ્ધાંત છે એ ખુલ્લો થવો જોઈએ, એના ઉપરનું વજન બરાબર પ્રસિદ્ધ થવું જોઈએ. એટલે એ વાત કરી છે.
તે વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે' એમ જિનાગમમાં આત્માસંબંધીની જે વિચારણા છે એ બળવાન છે એમ કહે છે. બળવાન છે એટલે ? કે ખરેખર જો આત્મામાં સ્થિર રહેવું હોય, તો જે વધારે ટકાઉ હોય એ ચીજ લે છે ને ? આ ચીજ આટલી ટકશે અને આ ચીજ આટલી ટકશે. તમે કઈ વાપરશો ? જે ચીજ વધારે ટકે એ
માણસ લે છે. કોઈ ચીજ ખરીદે તાવડી લે કે પછી મકાન બાંધે. ભલે અમારું બે-પાંચ વર્ષે પડી જાય એમ કરીને કોઈ ચણે છે? જીવીએ ત્યાં સુધી નહિ, દિકરાના દિકરા વાપરે ત્યાં સુધી આ મકાન પડવું જોઈએ નહિ. એમ કહે, ચાંદીના પાયે મકાન ચણ્યું હતું. શું
Page #198
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૫
૧૮૧
કહે?
મુમુક્ષુઃ–પહેલા તો સીસું રેડતા.
પૂજ્ય ભાઈશ્રી - સીસે રેડતા. આ આપણે મંદિર વગેરેમાં પંચ રત્નને ધાતુ નાખે છે ને, ચાંદીના ચાંદીના પાયે એનો અર્થ શું? અમારો પાયો મજબુત છે. એમ મોક્ષમાર્ગની શરૂઆત એવી મજબુત હોવી જોઈએ તો એના ઉપર મકાન ચણે. ચૌદ ગુણસ્થાન સુધીનું જે ચણતર છે એ પાયા ઉપર આધારિત છે. પાયો જેનો નબળો એનું ચણતર બધું વ્યર્થ જવાનું છે, એને કામમાં આવવાનું નથી.
મુમુક્ષુ સર્વ કરતાં આ કામ મોટું સમજાય તો આ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- એનું મહત્વ જેટલું છે એટલું સમજાવવું જ જોઈએ. ન સમજાય તો ગમે તે રીતે ચાલવા માંડશે. ધર્મના ક્ષેત્રમાં આવશે અને પોતાની મતિકલ્પનાએ ચાલવા માંડશે. બીજું કાંઈ નહિ કરે. અને ગોથું ખાધા વગર રહેશે નહિ.
આ અનમતો બધા એમાંથી ઊભા થયા છે. વેદાંતાદિએ ગમે તેટલી વિચારણા કરી હોય પણ શરૂઆતમાં ભૂલ્યા છે. પછી ક્યાંક તો વિચારભેદથવાનો જ છે. એ ફાંટો જુદો પડશે.
મુમુક્ષુ – જે કોઈ માણસની ભૂલ થાય છે એ શરૂઆતમાં જ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – શરૂઆતમાં જ ફેરફાર હોય છે. પણ ખ્યાલ ન આવે એટલે પાછળથી ખબર પડે. પરિણામ આવે ત્યારે ખબર પડે. વિપરીત પરિણામ આવે ત્યારે ખબર પડે કે આપણે શરૂઆતમાં ભૂલ્યા છીએ. પણ તપાસો તો ખ્યાલ આવી જાય કે શરૂઆતમાં જ ભૂલ થઈ હોય છે.
મુમુક્ષુ – એમ એમ લાગે કે આટલા દિવસથી સાંભળીએ. એમ કરીએ. એમ કિરીએ. તોપણ Resultનથી આવતું. તો એનું કારણ એમ જ છે કે શરૂઆતમાં ભૂલે છે?
પૂજ્ય ભાઈશ્રી:-(શરૂઆતમાં ભૂલે છે).
(વાસ્તવિક શરૂઆત થઈ હોય એને અપૂર્વ જાગૃતિ આવે અને એને એમ લાગે કે) મને જાગૃતિ આવી નથી એવું એને લાગ્યા કરે. એવું એને ક્ષણે-ક્ષણે, કાર્યો-કાર્યો, પ્રસંગેપ્રસંગે એવી જાગૃતિ રહે એને કે એને પોતાને એમ લાગે કે અનંત કાળમાં આવી કોઈ જાગૃતિ મને નહિ આવી હોય એવી મને અપૂર્વ જાગૃતિ છે. મારા હિત-અહિતના વિષયમાં હું એટલો બધો સાવધાન છું કે કોઈપણ ભોગે મારું અહિત સ્વીકારવા હું તૈયાર નથી. એવી અપૂર્વતા આ શરૂઆતવાળાને આવે છે. એ એને શરૂઆત સાચી થઈ છે એ એનો પૂરાવો છે અથવા લક્ષણ છે. એ ૫૯૫ (પત્ર પૂરો થયો.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૫૯૬
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
પ૯૬. “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. પૂર્ણતા ઉપર કેટલું વજન છે ! ભલે જગતના ગમે તે મતોએ ગમે તે વચનો કહ્યા હોય પણ પોતે એ બધાનો સરવાળો મારીને કહે છે કે “સર્વ કરતાં.” જગતના સર્વ અભિપ્રાયો કરતાં, સર્વ ઉપદેશો કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે.'
મુમુક્ષુ -આખું જૈનદર્શન આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી – જૈનદર્શન અને જિન વીતરાગ ઉપર વિશ્વાસ કેટલો છે ! વડવામાં દિવાલ ઉપર વચનો લખ્યા છે ને?
મુમુક્ષુ –અબ્રાહમ લિંકનના..
પૂજ્ય ભાઈશ્રી – અબ્રાહમ લિંકનના અને બીજા કોઈ પરદેશી તત્ત્વચિંતકો.જે થયા ને એના પણ વચનો લખ્યા છે. હવે, જુઓ! “શ્રીમદ્જી' કહે છે? “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. જ્યારે વચન જલખવા છે તો પછી વીતરાગના જ વચન લખીએ ને. અબ્રાહમ લિંકનનું શું કામ છે ? એને તો ખાવાનો પણ વિવેક નહોતો કે શું ખાય છે. ત્યાં તો માંસાહાર ઘણો છે. એ લોકોને તો ખાણી-પીણીનો કોઈ વિવેક હોતો નથી. ભલે તત્ત્વજ્ઞાની હોય પણ ખાય શું બિચારા ?
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૩
પત્રાંક-૫૯૬ ઠંડો દેશ રહ્યો. અનાજની વાનગીઓ બનતી નથી. બને છે તો એની અંદર ઇંડાના રસ અને બીજું ને ત્રીજું હોય જ. વર્ષો પહેલા એ લોકો તો થઈ ગયા છે. ત્યાં તો બીજું કાંઈ હોય નહિ. ખાણી-પીણીનો જેને ખ્યાલ નથી એ હવે બીજું આપણને શું તત્ત્વજ્ઞાન સીંચે? પ્રશ્ન જ નથી.
સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે એ એક ભાઈએ લખાવેલા છે. (એક) બેન સાથે ચર્ચા થઈ હતીને. ઘણી કરી હતી. તો કહે આ ભાઈએ લખાવેલા છે. એમને પોતાને એટલો ખ્યાલ નથી.
મુમુક્ષુ-ક્યા ગામ? - પૂજ્ય ભાઈશ્રી વડવા “શ્રીમદ્જીનો આશ્રમ છે ને ? એમાં દરવાજા ઉપર મોટી દિવાલ ઉપર મોટા મોટા અક્ષરે લખેલા છે). છે બધા ઉપદેશ વચનો પણ નીચે આ વચન કોણે કહ્યું એનું નામ લખ્યું હોયને? એમાં આ અબ્રાહમ લિંકન અને બીજા-ત્રીજા ઘણા અજાણ્યા તત્ત્વચિંતકો છે. એક મુસલમાન છે. આ અબ્રાહમ લિંકન યહુદી કે એવા જ કોઈ છે, કોઈ ક્રિશ્ચયન છે, કોઈ મુસલમાન છે. એવા લોકોના વચન પણ લખ્યા છે.
શ્રીમદ્જી'નો શું સરવાળો છે ? કે કોઈના વચનો કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન દેવું ઘટે. કેમકે એ સંપૂર્ણ નિર્દોષ થયા છે. પરિપૂર્ણ પવિત્ર દશાને એ પ્રાપ્ત થયા અને એ દશાના આધારે વચનવ્યવહાર કર્યો. વચનની પૂર્વ ભૂમિકા અથવા પશ્ચાત્ ભૂમિકા-Background જેને આપણે કહીએ છીએ, એ શું છે ? આ વિચારવું જરૂરી છે. માત્ર વચનથી આકર્ષિત થવું જરૂરી નથી પણ કઈ ભૂમિકાથી, કઈ પશ્ચાત્ ભૂમિકામાંથી એ વચન ઊપજ્યા છે? એ પહેલું વિચારવું ઘટે છે.
કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ...” એટલે સિદ્ધાંત “ઘટે છે. જ્યાં સંપૂર્ણ નિર્દોષતા હોય ત્યાં સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થયો હોય અને એ જ કહેતે સંપૂર્ણ નિર્દોષ હોય. એના વચનમાં શંકા પડે નહિ. નહિતર અહીંયાં એક વાત સારી કરે અને વળી બીજી વાત પાછી ગોથું મારે એવી કરે. કેવી રીતે વિશ્વાસ મૂકવો વિશ્વાસ કેવી રીતે મૂકવો? એક વાત તો બહુ સારી લાગે અને બીજી વાતમાં પછી ક્યાં ભૂલ થાય? ન કહેનારને ખબર રહે, ન સાંભળનારને ખબર રહે. સાંભળનારે તો પહેલી સારી વાત ઉપર વિશ્વાસ મૂકી દીધો. આ પરિસ્થિતિ ઊભી થાય છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. આ વિશ્વની અંદર જેટલા કોઈ નિર્દોષ અથવા ધર્માત્માઓ અથવા સંતો થયા, એમાં જિન વીતરાગની સાથે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૨ કોઈ આવે એવું નથી. એ સંપૂર્ણ વીતરાગ થયા છે અથવા નિર્દોષ થયા છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે એ ક્યાંથી નક્કી કર્યું તમેકેજિન છે એ સંપૂર્ણ વીતરાગ થયા છે?કેમકે એમના વચનો સંપૂર્ણ વીતરાગતા પ્રત્યે દોરી જાય છે. પ્રારંભનો પણ એ સિદ્ધાંત છે અને આદિ-મધ્ય-અંતમાં એ સંપૂર્ણ નિર્દોષતા પ્રત્યે લઈ જવાની જ એમની સિદ્ધાંતની સંકલના છે. જે કોઈ સંકલિત વાત છે એની અંદર પહેલેથી છેલ્લે સુધી, આદિ-મધ્ય-અંતમાં સંપૂર્ણ શુદ્ધ થવું અને સંપૂર્ણ નિર્દોષ થવું એ એક જ વાત જોવામાં આવે છે. માટે એમ લાગે છે કે તે સંપૂર્ણ વીતરાગ અને સંપૂર્ણ નિર્દોષ થઈ ગયા છે.
પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને કેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. જેટલી નિર્દોષતા એટલું એનું પ્રમાણપણું, સ્વીકારવાપણું. એટલે કે દોષને ક્યાંય સ્વીકાર્યો નથી. જેનદર્શને દોષને
ક્યાંય સ્વીકાર્યો નથી. નિર્દોષતાને સ્વીકારી છે. નિર્દોષતાનું દર્શન છે. નિર્દોષતા પ્રાપ્ત કરેલાએ તે પ્રરૂપ્યું છે, તે ચલાવ્યું છે, એમનો માર્ગ છે. એટલે તો જિનમાર્ગ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – આમાં જરા સમજાતું નથી. જેટલા અંશે વીતરાગતા તેટલું વચનમાં નથી આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે શું છે? કે અહીંયાં સિદ્ધાંત એમ લેવો છે. અહીંયાં જેટલી પવિત્રતા અને નિર્દોષતા પ્રગટી છે એટલું એમનું માન્ય કરવું. હવે આમાં શું છે સમ્યફ મિથ્યાત્વનો વિષય નથી લેવો. કેમકે વેદાંતની સાથે તુલના કરવી છે ને ? એ વિષય નથી લેવો. આપણે જે દૃષ્ટિકોણથી વિચારીએ છીએ એ વિષય નથી લેવો વિષય શું લીધો છે? કે અન્ય સંપ્રદાયોમાં પણ મોટા મોટા નામી-અનામી સંતો-મહાત્માઓ થઈ ગયા છે. જેવી આપણે ત્યાં તીર્થંકરદેવની, આચાર્યોની જે માન્યતા છે અને Prestige છે બહુમાન પ્રમાણે, બહુમાનથી ગણીએ તો, એવી જ દરેક ધર્મમતોમાં પોતપોતાની હોય છે. વેદાંતની અંદર “વ્યાસજી' થયા. મહાજ્ઞાની થયા એમ ગણાય, એ લોકોને વિષે. હવે જ્ઞાન છે એમાં ઘણી વાતો મળતી આવે છે. એના શાસ્ત્રો તમે જુઓ. “ગીતા” વાંચો, બીજું-ત્રીજું. એમાં વીતરાગતાની વાતો, સ્વરૂપલીનતાની વાતો, અનુભૂતિની વાતો, અધ્યાત્મમાં આત્મામાં લીન થવાની વાતો. બધી વાત છે. તો શા માટે એમના વચનો ન માનવા? પ્રશ્ન એ ઊભો થાય કે એમના વચનો શા માટે ન માનવા? એ પણ વીતરાગતાની વાત કરે છે, એ પણ અનુભૂતિની વાત કરે છે, એ પણ સ્વરૂપમાં લીન થઈ જવાની વાત કરે છે. ચોખ્ખી વાત આવે છે. એમના વચનો શા માટે માન્ય ન
Page #202
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૯૬,
૧૮૫ કરવા?
ત્યારે એમણે અહીંયાં એક લાઈનદોરી દીધી કે વીતરાગતા પ્રાપ્ત કરી હતી? અને પ્રાપ્ત કરી હતી તો કેટલા અંશે વીતરાગતા પ્રાપ્ત કરી હતી ? દરેક સંપ્રદાયની અંદર પોતાના દેવ છે એ આદર્શના સ્થાન છે. આદર્શ એટલે શું? જે ધ્યેય પોતે પહોંચવા ધારે છે અને આદર્શ કહેવાય. જેમકે આપણે જિન વીતરાગની મૂર્તિ સ્થાપીએ છીએ. પછી નામ ભલે આપીએ છીએ તે તે વ્યક્તિ નજીકના ભવિષ્યમાં ઈતિહાસમાં થઈ ગયા છે માટે. બાકી તો અનંત કાળમાં એવા અનંતા થયા પણ આપણે સમુચ્ચયપણે લઈએ તો એ ધ્યેય છે, એક આદર્શ છે. આવા થવું જોઈએ. ત્યારે એ દેવની જે સ્થાપના છે, કોઈપણ અન્યમતમાં જે દેવની સ્થાપના છે એમાં વીતરાગી દેવની સ્થાપના નહિ હોય. કહેવાતા જૈનદર્શનમાં નથી તો બીજે ક્યાં ગોતવા જાશો? જૈનના નામે બીજા સંપ્રદાય શરૂ થયા એમાં નથી રહ્યું તો બીજે તો તમે ક્યાં ગોતવા જાશો?
કહે છે, કે એ ગમે તેવી ડાહી ડાહી આત્માને નિર્દોષ થવાની, આત્મામાં લીન થવાની, આત્માનો અનુભવ કરાવવાની, બધી ગમે તેવી વાતો કરતા હોય પણ આ વાસિદામાં સાંબેલુ ગયું. વાસિદામાં સાવરણીની સળી ભેગી ભેગી ભળી જાય બીજી વાત છે પણ સાંબેલું કેમ જાય? સાવરણી વઈ જાય તો પણ સાંબેલુ ખસે નહિ. આવી મોટી ગડબડ છે. માટે વીતરાગતાનું શું? એમ કહે છે. જેનું એ ધ્યેય નથી, જેનો એ આદર્શ નથી એને અંશે પણ વીતરાગતા પ્રાપ્ત ન હોય. ઉઘાડ હોય અને ઉઘાડમાં ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય,વિચાર્યું હોય અને કહી શકે પણ મૂળમાં સિદ્ધાંતિક રીતે વાત એ છે કે એનો આદર્શ જ વીતરાગતાનો નથી. એણે વીતરાગતા પ્રાપ્ત કરી નથી. એ કેવી રીતે ઉપદેશ કરશે ? એના વચન ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકશો?
દુમનના રાજની અંદર જાસુસ લોકો પહોંચી જાય છે. એ ભૂલેચૂકે એના કાયદાનો ભંગ ન કરે. જે જાસુસ તરીકે દુશમનના રાજ્યમાં પહોંચી ગયા હોય એ ભૂલેચૂકે પણ કાયદાનો ભંગ ન કરે. પહેલા બધા કાયદાનો અભ્યાસ કરી લ્ય પછી એની અંદર એની Entry થાય. એ પહેલા અંદર પ્રવેશ ન કરે. પહેલા બધો અભ્યાસ થઈ જાય પછી પ્રવેશ કરે. કેમકે એ પકડાય તો બધું પકડાય જાય. એટલે જે દેશમાં દાખલ થયો હોય એ દેશમાં કાયદેસર રીતે એટલો બધો અનુકૂળ વર્તે, પણ એનો આશય શું છે? એનો ધ્યેય શું છે? કે આ રાજને ખતમ કરવું. આ એનું ધ્યેય છે. એ ગમે એટલી અનુકૂળતાએ વર્તે છે એના ઉપર વિશ્વાસ મૂકવો કે ન મૂકવો? મૂકાય કે ન
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૨ મૂકાય? સૌથી અનુકૂળ વર્તે તોપણ.
એમ તમે કોના વચન ઉપર વિશ્વાસ મૂકશો ? કે જેના વચન ઉપર વિશ્વાસ મૂકો એનું ધ્યેય તપાસી લેવું. નહિતર એનું લક્ષ કાંઈક છે, વાત કાંઈક કરે છે. ગમે એટલી અનુકૂળ વાત કરે, વિશ્વસનીય નથી. બસ! આ Thermometere લઈને મૂકવાનું છે. ગમે ત્યાં જાવ,ગમે તેને સાંભળો. હળવેક રહીને ખાનગીમાં, બાજુમાં બેસીને પૂછી લેવું. જરાક આપનું ધ્યેય જાણવું છે. કેવી રીતે શરૂ કર્યું છે ? આ માર્ગમાં તમે આવ્યા એમાં શરૂઆત કેવી રીતે કરી છે ? તરત ખ્યાલ આવી જશે કે આ વિશ્વસનીય છે કે અવિશ્વસનીય છે.
મુમુક્ષ :- વીતરાગતાનો શબ્દાર્થ જાણનારા જૈનદર્શનમાં બહુ ઓછા હશે. શબ્દાર્થ, ભાવ તો પછીની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી:-બહુગંભીર વાતો કરી છે.
મુમુક્ષુ - કોઈ પણ માણસ ધર્મમાર્ગમાં આગળ વધેલો દેખાતો હોય એનો પરિચય થઈ જવાનો પ્રસંગ થાય તો આ વાત પહેલા Check કરી લેવી?
પૂજ્ય ભાઈશ્રી – કરવી જોઈએ. તો Line બરાબર ચાલે છે કે નહિ, તરત ખબર પડે. નહિતર તો એની Line જબરાબર ચાલતી નથી. ધારેલું તો અન્યમતિઓ કહે છે. જૈનદર્શન જેવી આત્માની અને વીતરાગતાની વાતો કરે છે એવી વાતો તો અન્ય દર્શનો કરે છે. આત્માથી આત્મામાં સંતુષ્ટ થવું તેને સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ, ..પણ ધ્યેયનું શું? બીજો શ્લોક આવે કે માર તું તારે, હું બેઠો છું. પરસ્પર વિરુદ્ધતા આવ્યા વિના રહે જ નહિ. એટલે તો એમણે જ્ઞાનીની વાણી માટે પત્રાંક) ૬૭૯માં એ વાત કરી કે, પૂર્વાપર અવિરોધપણું એ જ્ઞાનીની વાણીનું ખાસ લક્ષણ છે. ક્યાંય વિરોધ ન આવે એને. પદાર્થદર્શન છે ને ? એટલે વિરોધ કેવી રીતે આવે ?વિરોધી ધર્મને પણ જાણે છે. એટલે અવિરોધ વચન કહી શકે છે.
મુમુક્ષુ –પોતે પોતાનું પહેલા ધ્યેય બાંધે એ માણસ એ રીતે Checkકરી શકે છે. પાછું અહીંયાં આવીને પાછું અહીંયા જ આવવું પડે છે.
પૂજ્ય ભાઈશ્રી:- એ તો છે જ. પરીક્ષા કરવી છે તો પરીક્ષા કરવાની ક્ષમતા પણ હોવી જ જોઈએ. પરીક્ષા કરવી છે અને પરીક્ષા કરવાની યોગ્યતા ન હોય તો પરીક્ષા કેવી રીતે કરશો ? એ તો પોતાના જેવો જ બીજાને ગોતશે. જે ધ્યેયે પોતે ઉપડ્યો છે, જે યોગ્યતા પોતાની રાખે છે, પોતાને ભળતી યોગ્યતા હશે તો નહિ ખબર પડે). મિત્રાચારી કોની વચ્ચે થાય છે? સરખી પ્રકૃતિવાળાની વચ્ચે. એક કંજુસ અને એક
Page #204
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૬
૧૮૭
ઉદાર હોય તો મિત્ર ન રહી શકે. કારણ કે મતભેદ જ પડે. ઓલો કહે ખર્ચવું છે, આ કહે નથી ખર્ચવું. સરખી પ્રકૃતિ હોય ત્યાં જ મિત્રતા થાય છે ને ? કેવી રીતે મિત્રતા થાય છે ? સીધી વાત છે. પોતાની યોગ્યતા પ્રમાણે સંગ ક૨વો જોઈએ. યોગ્યતા પ્રમાણે એટલે ... કરે છે. જેને જે ગમે છે એ પસંદ કરે છે. અહીંયાં કહે છે કે તને વીતરાગતા પસંદ છે ? તને પરિપૂર્ણ વીતરાગતા પસંદ છે ? તો એ રસ્તાએ ચાલતા હોય એની સાથે તું ચાલજે. એ રસ્તે ન ચાલતા હોય એને રસ્તે તું નહિ ચાલતો. તને નુકસાન થાશે.
મુમુક્ષુ :– સરસ વાત આવી. વીતરાગતાનું જેને ધ્યેય છે એનો સંગ કરવો.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– એટલે જ કહ્યું, જે પુરુષની માન્યતા કરવી છે, જે પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, એમ કહેવું છે. કેમકે જ્ઞાનમાં લોકો ભૂલા પડે છે. વીતરાગતાનો બોલ લેવાનું કારણ એમને પ્રયોજન છે કે જ્ઞાનમાં લોકો ભૂલા પડે છે, વાણીમાં ભૂલા પડે છે, ભાષામાં ભૂલા પડે છે. ચક્કર ખાય છે. બહુ સારી ભાષા, બહુ છટા સરસ, બહુ જોરદાર બોલે છે.
થોડા વખત પહેલા તો એમ જ વાત ચાલતી હતી. ભાઈ ! તને ભાષા બહુ ગમીને ? તું ‘રજનીશપુરમ’માં વયો જા. કેમકે એ અત્યારે દુનિયામાં એક નંબરનો માણસ છે. હવે તો એ પણ વયા ગયા અને બધું વિખાય ગયું. ભાષાવાળાની દશા એ થાય. ભાષાનું આકર્ષણ થાય એ છેવટે એ જગ્યાએ વયો જાય. કેમકે જેને જે ગમે છે એ જ પસંદ કરવાના છે. ક્ષયોપશમનો વ્યામોહ છે એ ક્ષયોપશમવાળાને પસંદ ક૨શે. ભાઈ, ઘણું જાણે છે, ઘણી વાત કરે છે, કેટલા પડખેથી સમજાવે છે ! બહુ સરસ.. બહુ સરસ... બહુ સરસ (લાગે છે) તો એ ત્યાં જશે.
અહીંયાં (એ લ્યે છે), વીતરાગતાનું ધ્યેય અને વીતરાગતાનું અનુસરણ, વીતરાગતાની પ્રાપ્તિ આ મુદ્દો ચકાસી લેવો. જૈનદર્શન સિવાય કોઈ દર્શનની અંદર વીતરાગતાની પ્રાપ્તિ થતી નથી. કેમકે એનું ધ્યેય ખોટું છે. વીતરાગતાની શરૂઆત જ ન થાય, પ્રારંભ જ ન થાય. કારણ કે એનું ધ્યેય ખોટું છે એ એની મૂર્તિઓ સ્થાપના દેખાડે છે. એની જે સ્થાપના છે એ સ્પષ્ટ કરે છે.
મુમુક્ષુ :– પરીક્ષા કરતા આવડી જાય તો પછી પ૨ીક્ષક પાસે જવાની જરૂર શું રહી?
=
પૂજ્ય ભાઈશ્રી :– એમાં એમ છે કે જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી સંગ કરવાનો એક ભાવ આવે છે. અને સંગ કરવામાં વિવેક કરવો પડે છે કે સંગ કોનો કરવો. સંગ કરવા યોગ્યનો સંગ કરવો કે સંગ નહિ કરવા યોગ્યનો સંગ કરવો ? નહિ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૨ કરવા યોગ્યનો સંગ કરે તો પોતાનું કરેલું ધૂડધાણી થઈ જાય. મોટું નુકસાન આવી પડે. એમ છે. એટલે એ વિવેક કરવો પડે છે. એ દૃષ્ટિએ એ વાત છે કે કોની વાત માનવી?
સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.' આ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો. ગોળગોળ વાત નથી રાખી. હજી તો ઘણાને ભૂલ પડે છે. બ્રહ્મનાને હરિના બધા વચનો આવે છે ને ૨૫મા વર્ષમાં ૨૫મા વર્ષમાં પણ આવે છે અને ૨૩મા વર્ષમાં પણ આવે છે.
કહે છે, “સાંખ્યાદિ દર્શને.” વિષે. એ બધામાં સાંખ્યમાં તત્ત્વજ્ઞાન વિશેષ આવે છે. જેટલા વેદાંતના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે વહેંચાયેલું દર્શન છે એમાં ઉત્તર મિમાંસા, પૂર્વ મિમાંસા છે. એમાં યજ્ઞયાગાદિ અને ક્રિયાકાંડની ઘણી બધી વાતો છે. ખાસ કરીને ચાર વેદની અંદર જે અંતનો ભાગ છે એને વેદાંત કહે છે. એમાં આત્મસ્વરૂપ વિષેનું તત્ત્વજ્ઞાન વિશેષ છે. એમાં નિશ્ચયનયથી જે આત્મા કહ્યો છે એવું સ્વરૂપ સાંખ્યમતના અભિપ્રાયમાં સ્વીકારેલું છે. નિશ્ચયનયનું સ્વરૂપ જે આત્માનું છે. અથવા દષ્ટિનો વિષય જે આત્મા છે એને વેદાંત દર્શન સ્વીકારે છે-સાંખ્ય. તે ઉપરાંત પણ એ બંધ-મોક્ષની વાત કરે છે. અને એ બંધ-મોક્ષની જે વાત કરે છે એ વિધિના વિષયમાં મોટી ગડબડ છે. કેટલીક વાત મળતી આવે, કેટલીક વાત વિરુદ્ધ જાય. મળતી ન આવે પણ જે પોતે કરી હોય એથી વિરુદ્ધ જાય એવો પ્રકાર જોવામાં આવે છે.
એટલે એમ કહે છે કે સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. મને આ વાત સ્પષ્ટ લાગે છે કે આ બે દર્શનની વચ્ચે તુલના કરવામાં આવે તો જૈનદર્શનની સાથે સાંખ્યદર્શન આવે એવું નથી, વેદાંતદર્શન આવે એવું છે જ નહિ. બહુ સ્પષ્ટ વાત છે.
મુમુક્ષુ – જે કોઈ પુરુષને જેટલા અંશે વીતરાગતા સંભવે, એટલે એ મર્યાદિત વાત છે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. મર્યાદિત એટલે શું છે કે અન્યમતમાં પણ જ્ઞાનીઓ કહેવાતા છે. જ્ઞાનીઓ, સંતો, ત્યાગીઓ છે. જેનદર્શનની અંદર પણ જ્ઞાનીઓ છે, સંતો છે, ત્યાગીઓ છે. હવે વીતરાગતા કોને કેટલે અંશે પ્રાપ્ત કરી છે, એમ ગણીને પછી એના વચનને માન્ય કરવું.
મુમુક્ષુ –જેટલા અંશે વીતરાગતા સંભવે છે. પૂજ્ય ભાઈશ્રી:- ટૂંકામાં એમ નથી કહેવું કે તીર્થંકરનું માનજો અને આચાર્યનું ન
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પત્રાંક-૫૯૬ માનતા. આચાર્યોનું માનજો અને સમ્યગ્દષ્ટિ ધર્માત્માનું ન માનતા, એમ અહીંયાં નથી કહેવું. અહીં એ વિષય નથી ચાલતો. અંશે વીતરાગતા એટલે મોક્ષમાર્ગવાળાની વાત નથી.
મુમુક્ષુ -અંશે એટલે બીજા દર્શનવાળા અંશે કહે છે એટલે એટલા પૂરતી જ વાત રાખવી કે અમુક જ?
પૂજ્ય ભાઈશ્રી -એમાં વીતરાગતાની વાત આવે છે. પણ વીતરાગતા પ્રાપ્ત કરી છે? આ સવાલ છે. વીતરાગતાની પ્રાપ્તિ જ નહિ જોવામાં આવે ત્યાં ત્યાગ જોવામાં આવશે, જ્ઞાન જોવામાં આવશે, વીતરાગતાની પ્રાપ્તિ નહિ જોવામાં આવે.
મુમુક્ષુ – અહીં અંશે વીતરાગતા કહી એ સિદ્ધાંતિક રૂપમાં ગુણસ્થાનની વાત
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ વાત નથી લેવી. અન્યદર્શન સાંખ્ય સાથે લેવી. કોઈ અંશે એને વીતરાગતા છે?
મુમુક્ષુ તેટલે અંશે તે પુરુષનું વચન માન્ય કરવા યોગ્ય છે. પૂજ્ય ભાઈશ્રી યોગ્ય છે. વીતરાગતાના અંશ કેટલા છે એ જોઈ લેવા. મુમુક્ષુ -જ્યાં વીતરાગતા હોય એ જમાનવું. પૂજ્ય ભાઈશ્રી –એ માનવું. એમ કહેવું છે. -
મુમુક્ષુ –એ ગોતવા જાય ત્યારે વીતરાગતા દેખાતી નથી. એટલે પૂરેપૂરો નિષેધ થઈ ગયો. બહુ ગૂઢ ભાષામાં લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – ભાષા એવી છે. જરા સમજવું મુશ્કેલ પડે એવી ભાષા છે. પણ એમને એમ કહેવું છે કે, બીજાને... અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે, ગ્રહિત મિથ્યાદૃષ્ટિ છે, રાગી છે એમ નથી કહેતા. એમ નથી કહેતા. એમને એમના વચનો આત્માના સ્વરૂપનો ઉપદેશ આપે છે, વૈરાગ્યનો, ઉપશમનો, વીતરાગતાનો ઉપદેશ છે, એ લોકો આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એટલે જ્ઞાન પણ છે. બહારમાં જુઓ તો ત્યાગ પણ છે. હવે વીતરાગતા છે કે નહિ આ તમારે જોવાનું છે. બસ! જેટલે અંશે વીતરાગતા હોય એટલું માન્યકરો જોવા જાશો તો કોઈ અંશે વીતરાગતા નહિ મળે.
મુમુક્ષુ-નથી એટલે માન્ય નહિકરવું. પૂજ્ય ભાઈશ્રી:-પતી ગઈવાત ભૂલાન પડે એના માટે આ વાત છે. મુમુક્ષુ -અંશે વીતરાગતા પ્રગટે છે એ ચોથા ગુણસ્થાનથી અંશે ગણાયને? પૂજ્ય ભાઈશ્રી:- હા. ચોથા ગુણસ્થાનથી અંશે વીતરાગતા પ્રગટે છે. પણ ચોથું
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
રાજહૃદય ભાગ-૧૨ ગુણસ્થાન કોને આવે છે ? કે જેને પૂર્ણ વીતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. ચોથુ ગુણસ્થાન શરૂઆત છે. જેને પૂર્ણ વીતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. એટલે એની માન્યતામાં પૂર્ણ વીતરાગતા સ્વીકૃત છે. અધૂરી વીતરાગતા એ સ્વીકારતા નથી. એ પૂર્ણ વીતરાગતાને સ્વીકારે છે. આ એનું લક્ષ છે, આ એનું ધ્યેય છે, આ આદર્શ છે. એટલે એની Line બધી બરાબર છે. અપ્રયોજનભૂત વિષયમાં છદ્મસ્થ હોય ત્યાં સુધી ભૂલ થાય. કરણાનુયોગમાં આચાર્યના અભિપ્રાયોમાં તફાવત જોવામાં આવે પણ એ અપ્રયોજનભૂત છે એટલે એમાં માન્ય, ન માન્ય ક૨વાનો પ્રશ્ન નથી. પ્રયોજનભૂત વિષયમાં કેવી રીતે માન્ય કરવું ? એ સંબંધમાં પોતાને તૈયારી કરવી હોય તો આ બધી વાતો સમજવાની રહે છે. અહીં સુધી રાખીએ.
–
પરિણામનો સ્વભાવ એકત્વ કરવાનો છે. - સ્વભાવ છે, પરંતુ સ્વભાવથી અજાણ એવો આ -મમત્વ કરી દુઃખી થઈ રહ્યો છે.
સ્વરૂપમાં જ એકત્વ રહે તેવો દ્રવ્ય જીવ અનાદિથી પરમાં એકત્વ કરી (અનુભવ સંજીવની–૧૪૨૦)
જીવને અનાદિથી સંયોગની કામના, સુખબુદ્ધિને લીધે રહી છે, જેથી આત્મકલ્યાણનાં સાધનો સત્સંગાદિ નિષ્ફળ ગયા છે. જેના વચનયોગના બળે જીવ નિર્વાણમાર્ગને પામે તેવી સજીવનમૂર્તિનો અનેકવાર યોગ થવા છતાં, તેની ઓળખાણ એકવાર પણ થઈ નથી. ક્વચિત્ જીવે ઓળખવા પ્રયાસ કર્યો છે પરંતુ ઉક્ત સુખબુદ્ધિ રાખીને કર્યો છે, તેથી દૃષ્ટિ મલિન રહી છે, તેથી અંતરદૃષ્ટિના અભાવમાં જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ નથી-થતી નથી. સંયોગની કામનાએ જીવની બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. જેથી જ્ઞાનીની અંતર પરિણતિ દેખાતી નથી.
(અનુભવ સંજીવની–૧૪૨૧)
Page #208
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૭
૧૯૧
પત્રાંક-૫૯૭
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિધરિશ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી28ષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.
વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પયયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યા જવિવેચી છે, તથાપિતે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાખ્યાદિ દર્શનોને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેચવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટીનથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભારન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે.
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨
કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાનાં પુરુષોને વિષે સોથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ
[અપૂર્ણ]
૧૯૨
તા. ૨૨-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૭ પ્રવચન નં. ૨૭૮
...શંકા નથી. એ વિષયમાં અમારા પરિણામ સ્થિર છે, સ્પષ્ટ છે.
જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે,...’ એટલે તીર્થંકરોએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.’ અન્ય સંપ્રદાયોમાં વેદાંતથી તો બધા હેઠે છે. વેદાંત જેટલું તત્ત્વજ્ઞાન, આત્મ વિષયક તત્ત્વજ્ઞાન તો કોઈ સંપ્રદાયને વિષે નથી. એટલે વેદાંતની ચર્ચા ક૨શે. પછી બીજાની ચર્ચા ક૨વાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે,...’ શું કહે છે ? વેદાંતનું પણ એમણે સારી રીતે અધ્યયન કર્યું છે. અને લક્ષ કાંઈક એવો છે કે જીવે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ. ધર્મ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. પુણ્યબંધન માટે નથી પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. એવો એમનો લક્ષ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ એ બે વાત ત્યાં છે એમ કહે છે. પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી...' એટલે સાંગોપાંગ જે અવિપરીત નિરૂપણ હોવું જોઈએ, ક્યાંય વિપર્યાસ ન આવવો જોઈએ એવી વાત ત્યાં વેદાંતદર્શનની અંદર જોવામાં આવતી નથી. આ વિચારવા જેવું છે.
વેદાંતના દૃષ્ટાંતે ભલે અહીંયાં વાત કરી હોય કે, આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે વિચારણા કરનારને પણ વિપર્યાસ રહે છે. શું વિચારવાનું છે ? કે આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે વિચાર કરનારને પણ વિપર્યાસ રહે છે. જો કે જૈનદર્શનમાં બીજા ફાંટા પડ્યા એ પણ આત્મજ્ઞાન અને મોક્ષની વાત તો કરે જ છે, છતાં અન્યમત જેવી સ્થિતિ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
પત્રાંક-૫૯૭ થઈ ગઈ છે. એ વેદાંતની વાત છોડો, અન્યમતની વાત છોડો.
હવે આપણી પોતાની વાત વિચારવા જેવી છે કે આત્મજ્ઞાન અને મોક્ષ સંબંધી વિચારણા કરવા જતાં કાંઈ વિપર્યાસ રહે છે કે નહિ? આ વાત વિશેષ કરીને વિચારવા જેવી છે. એમ નથી કે આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે આપણે વિચારીએ છીએ માટે વાંધો આવે જ નહિ, માટે ભૂલ પડે જ નહિ અને વિપરીતતા રહે જ નહિ, એવું કાંઈ નથી, એમ કહેવું છે. કેમકે આપણો ઉઘાડ તો અહીંયાં કાંઈ નથી. વેદાંતાદિ દર્શનના તત્ત્વજ્ઞાનના મૂળ નિરૂપકો છે એ તો ઘણા ઉઘાડવાળા હતા. “શંકરાચાર્ય' આદિ તમે જુઓ, વેદવ્યાસ જુઓ, ઘણા ઉઘાડવાળા હતા. શ્વેતાંબરમાં ‘હરિભદ્રાચાર્ય થયા, ઘણા ઉઘાડવાળા હતા. “હરિભદ્રાચાર્યે એમના પોતાના કાળમાં ઘણા દિગંબર આચાર્યોના શાસ્ત્રોની સંસ્કૃતમાં ટીકા કરી છે. પ્રથમવૃત્તિ પ્રકરણ. છે ને? પ્રશમવૃત્તિ પ્રકરણ” નામનું શાસ્ત્ર છે. ભગવાન “માસ્વામીનું છે. જેમણે ‘તત્ત્વાર્થસૂત્ર રચ્યું છે. કદાચ તે બહાર પડ્યું હશે. ટીકા “હરિભદ્રાચાર્યની છે. અને બંને સંપ્રદાયને માન્ય છે. જેમ તત્ત્વાર્થસૂત્ર” બંને સંપ્રદાયને માન્ય છે, એમ પ્રશમવૃત્તિ પ્રકરણમાં પણ માન્ય છે). આચાર્ય પણ માન્ય છે અને એમની કૃતિ પણ માન્ય છે. બંને માન્ય છે. કેમકે એ પ્રારંભનો કાળ હતો. આ વસ્તુ સારી છે તો એની ટીકા વગેરે કરે. માટે વિપર્યાલ ન આવે એવું કાંઈ નથી. આત્મજ્ઞાનનો વિષય હાથમાં લે વિચારણામાં લે કે મોક્ષના લક્ષે વિચાર કરે તોપણવિપર્યાસન જ આવે એવું કાંઈ નથી. એવું સંપૂર્ણ મોક્ષ પ્રત્યે...
વેદાંતાદિદર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી....... હવે એ લક્ષ હોવા છતાં નિર્ધાર નથી એમ કહે છે. ધ્યેય બાંધવું જોઈએ ને? સંપૂર્ણ મોક્ષ એટલે સંપૂર્ણ શુદ્ધિનો નિર્ધાર હોવો જોઈએ. ધ્યેય બાંધવામાં નિર્ધાર' શબ્દનો પ્રયોગ કર્યો છે એ બરાબર છે. જો એ સંપૂર્ણપણે હોય અથવા યથાયોગ્યપણે હોય તો આગળની Line બધી બરાબર ચાલે. નહિતર આગળ જતા વિપરીતતા આવે. કેમકે ક્ષયોપશમમાં તો જણાય છે કે સંપૂર્ણ શુદ્ધિરૂપ જેમોક્ષ છે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પણ જણાય એટલે શું? નિર્ધાર કર્યો કે નથી કર્યો ? ધ્યેય બાંધ્યું છે કે નથી બાંધ્યું? કે માત્ર જાણ્યું છે, સમજવા મળ્યું છે ? આ બે વચ્ચે જે અંતર રહી જાય છે એ અંતર હંમેશને માટે કોઈને કોઈ વિપર્યાસને સ્થાન આપે છે. એમ અહીંથી નીકળે છે. અહીંથી એ વાત નીકળે છે.
નહિતર જેનો લક્ષ આત્મજ્ઞાનનો હોય અને સંપૂર્ણ મોક્ષનો હોય અને પછી આગળ બીજી ગડબડ કેમ થવી જોઈએ ? અથવા તો ન થવી જોઈએ, એમ લાગે છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૨
પણ એવું નથી. એનો યથાયોગ્ય નિર્ધાર થાય, સંપૂર્ણ નિર્ધાર થાય ત્યારે જ પછી આગળમાં વિપર્યાસ થવાની ફરી સ્થિતિ નથી રહેતી.
મુમુક્ષુ :–નિર્ધાર એટલે દઢ નિશ્ચય ?
પૂજ્ય ભાઈશ્રી :– ધ્યેય બાંધ્યું હોય. નિર્ધાર-નિર્ધાર એટલે શું ? ગુજરાતીમાં નિર્ધારનો અર્થ એવો થાય છે, ભાવ એવો આવે છે કે આ કરવું જ છે. એ કરવા ધાર્યું છે કે આ કરવું જ છે. મોક્ષ કરવા ધાર્યું છે. મોક્ષ જ કરવો છે. એ કેમ કેવળજ્ઞાન આ કાળમાં ન હોય એનો અસ્વીકાર કરે છે ? સ્વીકાર નથી કરતા. આ કાળમાં કેવળજ્ઞાન ન હોય એનો સ્વીકાર કેમ નથી કરતા ? આગમવચન છે. કેમકે એ તો પોતે અત્યારે સંપૂર્ણતા લેવા જ માગે છે. એને એ વાત પોતાના ધ્યેયથી અનુકૂળ નથી લાગતી.
મુમુક્ષુ – આગમમાં લખ્યું હશે.
:
પૂજ્ય ભાઈશ્રી :– લખ્યું હશે. કદાચ પાછળથી આવી ગયું હોય, ગમે તેમ હોય, શું કરવા ન હોય ? મારે મારી આત્મશુદ્ધિ કરવી છે એ શું કરવા હું ન કરું ? અને શા માટે હું ન કરું ? કારણ શું ? જે એના વિરુદ્ધ કારણો છે એ તો ભાવો જ છે પોતાના. કોઈ ૫૨૫દાર્થ તો છે નહિ. મારા ભાવમાં ફેર કરવો એ મારો અધિકારનો વિષય છે. એવો પ્રકાર આવે છે. અંદરથી એવો પ્રકાર ઊપજે છે. અથવા તો જે સંપૂર્ણ શુદ્ધિનો નિર્ધાર કરે છે, મોક્ષનો નિર્ધાર કરે છે, એ જીવ પોતાના નિર્ધારિત વિષયને ક્યારેય વિસ્મરણ કરતો નથી. એનું વિસ્મરણ એને નથી. નિર્ધારિત સ્થાને પહોંચવું છે એના ભાનમાં સદાય રહે છે. એટલે યથાતથ્ય અને સંપૂર્ણપણે એ પોતાના લક્ષને, ધ્યેયને અથવા નિર્ધારને વળગીને પ્રવર્તે છે. પછી જેટલી શક્તિ છે એટલો પ્રવર્તે છે, યોગ્યતા છે એટલો પ્રવર્તે છે પણ એને વિસ્મરણ કરીને કે એને ભૂલી જઈને કે એને ત્યાગ કરીને કે એક કો૨ મૂકીને, અદ્ધર ચડાવીને પછી પ્રવર્તવાનો નથી. એવી કોઈ અલૌકિક જાગૃતિ આ નિર્ધાર સાથે સંકળાયેલી છે.
મુમુક્ષુઃ– એ પહેલા નિર્ધારને તપાસતો જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– તપાસવાની જરૂર નથી પડતી. એવો નિર્ધાર કર્યો છે કે એને એ પ્રકાર ચાલુ જ રહે છે. પછી મારું ચાલુ છે કે નથી એ પ્રશ્ન નથી. જેમ એક માણસ એક વાહન ચલાવે છે એ કયાંય પહોંચવા માટે ચલાવે છે કે નહિ ? તો જ્યાં એને પહોંચવું છે એ કયા સમયે ભૂલે છે ? ચાલતી ગાડીએ. જ્યારે પોતે ગતિમાન છે કે જ્યાં પહોંચવું છે એ કયારે ભૂલે છે ? એને તપાસવું પડે છે રસ્તામાં કે હું બીજે રસ્તે નથી ચડી ગયો ને ? એ પાકું જ છે. એવી રીતે એની જે પરિણામની ચાલ છે એ એવી સ૨સ રીતે ગોઠવાય
Page #212
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૭ જાય છે.
૧૯૫
મુમુક્ષુઃ–નિર્ધારની ભૂલ તો બાંધનારની ભૂલ છે. વેદાંતદર્શનમાં શું ભૂલ છે ? પૂજ્ય ભાઈશ્રી :- વેદાંતદર્શન એવા જીવોએ નિરૂપણ કર્યું છે એમ કહે છે અહીંયાં. વેદાöદર્શનનું નિરૂપણ જેણે કર્યું છે એમાં આત્મજ્ઞાનનો લક્ષ જોવામાં આવે છે. એમાં સંપૂર્ણ મોક્ષનો લક્ષ જોવામાં આવે છે કે એ લક્ષે વાતો કરી છે. પણ નિર્ધાર કરીને એ વાત કરી હોય એવું અમને દેખાતું નથી એમ કહે છે. એટલે એ તો એમની વાત થઈ.
હવે આપણે આપણી વાત વિચારવી છે. એ ચર્ચા ચાલે છે. આત્મજ્ઞાનના લક્ષે આપણે આ શાસ્ત્રો વાંચીએ છીએ ? અને મોક્ષ પામવું છે, આત્મકલ્યાણ કરવું છે, મોક્ષ પામવો છે માટે આ શાસ્ત્રો વાંચીએ છીએ ને ? પણ એ સંપૂર્ણ મોક્ષનો યથાયોગ્ય અને સંપૂર્ણપણે નિર્ધાર ન કર્યો હોય તો આ શાસ્ત્રો વાંચવા છતાં પણ વિપર્યાસની સંભાવના છે. જ્યાં સુધી એ વિપર્યાસ રહે ત્યાં સુધી સ્વાનુભવ થાય નહિ. આમ ગડબડ રહી જાય. એ વિચારવા જેવું છે.
બહુભાગ જીવો શું કરે છે ? કે આપણે ક્યાં અન્યમતમાં છીએ ? આમ તો જૈન છીએ. વળી જૈનમાં પણ દિગંબર હોય એ એમ વિચારે કે આપણે કાં અન્યમાં છીએ. આપણે તો મૂળ દિગંબરમાં છીએ. વળી દિગંબરમાં હોય એ પાછા એમ વિચારે કે આપણે ક્યાં સંપ્રદાયમાં છીએ, આપણે તો ‘ગુરુદેવ’ના અનુયાયીઓ છીએ. તો કહે છે, ઊભો રહે. સંપૂર્ણપણે મોક્ષનો યથાયોગ્ય નિર્ધાર ન થાય ત્યાં સુધી અહીંયાં પણ ગડબડ રહેવાની છે, અને રહે છે અને રહી છે. આ પરિસ્થિતિ હોય છે. અહીં સુધી વિચારવું જોઈએ.
=
મુમુક્ષુ :– સંપૂર્ણ મોક્ષનો નિર્ધાર કરવો બરાબર છે, આ જે આત્મજ્ઞાન ભણી લક્ષ છે એમાં શું પાછી વિશેષતા છે ?
પૂજ્ય ભાઈશ્રી :- આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એ વિષયક ચર્ચા છે. એ વિષયક ઉપાયોનું નિરૂપણ છે, કે કેવી રીતે આત્મજ્ઞાન થાય, કેવી રીતે મોક્ષ થાય. એ બધી વાતો એમાં છે. પણ એ વાતોમાં વિપર્યાસો છે એ એમ સૂચવે છે કે આ વિષયનો યથાયોગ્ય નિર્ધાર આ નિરૂપણ કરનારમાં નથી. એ વાત પોતે શોધી છે, સ્પષ્ટ કરી છે. મુમુક્ષુ :– લક્ષ આત્મજ્ઞાનનું એમાં આપણે શું ભૂલ રહી જાય ?પ્રશ્ન એ છે.
પૂજ્ય ભાઈશ્રી :– પૂર્ણ શુદ્ધિનો નિર્ધાર એટલે ધ્યેય ન બાંધ્યું હોય એ રહી જાય.
=
મુમુક્ષુ :– એ તો આવી ગયું પણ હવે લક્ષ આત્મજ્ઞાનનું....
=
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર. આત્મજ્ઞાન પછી જ થાય છે ને ? આવો નિર્ધાર થાય એને પછી આત્મજ્ઞાન થાય. પણ નિર્ધાર જ ન થયો હોય એને આત્મજ્ઞાન કચાંથી થવાનું હતું ? ભલેને આત્મજ્ઞાનના શાસ્ત્ર વાંચે. ‘સમયસાર’ આખી જિંદગી વાંચ્યું, લ્યોને ! ભગવાન ‘કુંદકુંદાચાર્યે(દેવનું)” “સમયસાર’ આત્મજ્ઞાન કરવા માટે ઉપલબ્ધ સાહિત્યમાં ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. પણ મૂળમાં નિર્ધાર ન કર્યો હોય અને ‘સમયસાર’ વાંચ્યા જ કરે. ગાથાઓ મોઢે થઈ જાય, ટીકા મોઢે થઈ જાય, વાંચતા વાંચતા મુખપાઠે પણ થઈ જાય. એ તો સ્વભાવિક છે. સહેજે સહેજે થઈ જાય. એથી કાંઈ આત્મજ્ઞાન નહિ થઈ જાય. જોકે ત્યાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા નથી અને સમયસાર આદિમાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા છે. પણ એ તો ક૨ના૨ને છે, શાસ્ત્ર લખનારને છે, વાંચનારને છે કે કેમ એ બીજી વાત છે પાછી. લખનારને તો યથાર્થ છે. પણ એના વાંચનારને એ યથાર્થતા આવવી એનો આધાર નિર્ધાર ઉપર રાખે છે. નહિતર એમાં કહેવું છે કાંઈક અને પોતાને સમજવું છે કાંઈક, એવી પરિસ્થિતિ ઊભી થાવાની છે. એ જ સમયસાર’ના અર્થઘટન ઉ૫૨ આપણે ત્યાં વિવાદ નથી થતો ? કે આ ગાથામાં આમ કહેવું છે. તો કહે, નહિ. આ ગાથામાં આમ કહેવું છે. ક્યાંથી થાય છે ? કાંથી એ થયું ? એ નિર્ધાર વગર થયું.
મુમુક્ષુ :- પૂર્ણતાને લક્ષે શરૂઆત એ વાસ્તવિક શરૂઆત, જે ‘ગુરુદેવશ્રી’એ
કીધું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ નિર્ધાર. એ વાત આપણને ત્યાં સુધી સમજવા મળી. અને કદાચ એ વેદાંત આદિ દર્શનવાળાને પણ સમજવા મળી હશે. કારણ કે એણે મોક્ષની વાત કરી છે. પણ એ નિર્ધાર એણે નથી કર્યો એમ કહે છે. એણે નથી કર્યો એની પાસે રહ્યો. આપણે કર્યો છે કે નથી કર્યો એ વિચારવાનું છે.
મુમુક્ષુઃ— આપણે તો આપણું કામ છે.
...
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર છે. આ વાત ઉપરથી આપણે શું લેવાનું છે ? કે વેદાંતની વાત આવી. ઠીક છે, ચાલો. આપણે ક્યાં વેદાંતમાં છીએ. એમ નથી. આ ૫૯૭ (પત્રમાં) વેદાંતની વાત કરે છે. વેદાંતની કરે છે કે તારી કરે છે ? કે તું વિચાર તો તારી પણ કરે છે.
મુમુક્ષુ :– દોષ જોવે છે તો દૂર કરવાના દૃષ્ટિકોણથી નથી લેતો, એમ કહેવા માગો
છો. ?
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. સંપૂર્ણ મોક્ષનો જે શુદ્ધિનું ધ્યેય જ બાંધ્યું નથી, એમ કહે
Page #214
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૭
૧૯૭
છે. પછી દોષ જોવે છે તોપણ એ ધ્યેય વિહિન પ્રવૃત્તિ થઈ જાય છે. ચાલે છે તો કયાં જાવું છે એ તો પહેલા નક્કી હોવું જોઈએ ને ? કે ચાલવું છે એટલું જ નક્કી છે ? ક્યાંક જાવું છે એમ નક્કી હોવું જોઈએ. એ વાત છે.
‘તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે,...' લ્યો ! એટલે આ અંશમાં ભૂલ ખાય છે. પોતે પણ શું વિચારે છે ? કે જે આવું બધું કહેવા માગે છે એમાં અંશે આપણે કરીએ છીએ. અંશે આપણે ત્યાગ કરીએ છીએ, અંશે આપણે ૨સ ઓછો કરીએ છીએ, ક્યાંક પંચ રસ ઓછો કરે. અંશે આપણે આ તત્ત્વજ્ઞાનના વિષયનું લક્ષ કરીએ છીએ. જે કાંઈ વિચારે એમાં અંશે તો કરીએ છીએ ને ? એ અંશ ઉ૫૨ એનું વજન જાય છે. પછી બાકીના અંશમાં વિપર્યાસ છે એનું શું છે ? કચાશ છે કે વિપર્યાસ છે ? કચાશ હોય તો વાંધો નથી, વિપર્યાસ હોય તો વાંધો છે.
મુમુક્ષુ :– એ અંશ પણ ખોટો જ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પછી કેટલું બાકી રહ્યું એના ઉપર વજન નહિ જાય. કે ઘણું બાકી છે. પણ આટલું તો મેં મેળવ્યું ને ? આટલું તો મેં મેળવ્યું ને ? આટલું તો છે ને મારામાં ? આટલું તો કરું છું ને ? આ તો છે ને ? આ સૃષ્ટિ ખોટી છે. આ યથાયોગ્ય દૃષ્ટિ નથી. આ દૃષ્ટિ દર્શનમોહને વધારે છે. કેમકે વર્તમાન અવસ્થામાં સંતુષ્ટપણું એને આવે છે. એ દર્શનમોહને વધારે છે. દર્શનમોહને વધારે છે એમ કહો કે મિથ્યાત્વને દૃઢ કરે છે એમ કહો.
મુમુક્ષુ :– દૃઢ મોક્ષેચ્છા એક શબ્દ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ જ વાત છે. દૃઢ મોક્ષેચ્છાની જ વાત છે. અહીંયાં નિર્ધાર શબ્દ વાપર્યો છે એ તો વધારે ભાવભાસન થાય એવો છે.નિર્ધાર કરવો એટલે એક કામ નક્કી કર્યું કે આ કરી નાખવું જ છે. અત્યારે થતું હોય તો બીજો સમય જોતો નથી. આ વર્તમાન ક્ષણે કર્યું હોય તો બીજો સમય જોતો નથી. એ નિર્ધારેલું બંધ ન રહે. ગમે તેવું વિઘ્ન આવે તોપણ નિર્ધારેલું બંધ ન રહે. એ પૂરું કર્યે જ છૂટકો. એમ છે. સારો શબ્દ આવ્યો છે.
અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે.’ જે કાંઈ અંશ છે એમાં પણ પર્યાયફે૨ વાત લાગે છે. જે રીતે હોવી જોઈએ એ રીતે નથી. એનું નામ પર્યાયફેર છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે,...' વેદાંતને વિષે પણ ઠામઠામ આત્મચર્યા એટલે આત્માના વિષયક ચર્ચા ઠામ ઠામ કરી છે, ઘણી કરી છે. ‘તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે,...' સાંગોપાંગ અવિરુદ્ધ છે એમ હજુ સુધી
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
રાજહૃદય ભાગ–૧૨ લાગી શકતું નથી. એમાં વિપર્યાસ જોવામાં આવે છે.
એમ પણ બને....” હવે પોતે પોતાના ઉપર શંકા કરે છે, કે આવા મહાન પુરુષો એનામાં થઈ ગયા અને છતાં તમે એમ કહો કે નહિ એમાં વિરુદ્ધતા છે. અવિરુદ્ધ નથી એટલે વિરુદ્ધતા છે. એ તો પોતે ભાષા એવી વાપરે છે કે એમાં સાંગોપાંગ પણ અવિરુદ્ધપણું જોવામાં આવતું નથી. એમ લાગતું નથી કે એ ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે. એટલે કે વિરુદ્ધ છે. વિરુદ્ધ છે. તો હવે એ પોતે પોતા ઉપર શંકા ઉઠાવે છે. કે માનો કે કોઈ વેદાંતી પછી મને એમ કહે, મારા ઉપર શંકા કરે કે “એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય.” એમણે તો બરાબર વાત કરી હોય પણ તમારા સમજવામાં ફેર થયો હોય. કેમકે તમારો ઉદય એવો હોય. પરિણામમાં એવી જાતનો ઉદય હોય કે તમને સમજણફેર થઈ જતો હોય. જેમ જૈનના સાસ્ત્રો વાંચતા સમજણફેર થાય છે એમ વેદાંતના સત્રાસ્ત્રો વાંચતા તમને સમજણફેર થતો હોય. એવું કાંઈ બનતું હોય તો ? એ પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે એક વાતને સ્પષ્ટ કરવામાં પોતાની જાત ઉપર શંકા મૂકીને પછી સ્પષ્ટીકરણ આપે છે.
કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય,...” કે આમાં વિરુદ્ધતા છે. એવી આશંકા... કરીને પણ. એવી આશંકા કરીને પણ. એટલે એ પડખું જાણ્યા બહાર જવા નથી દીધું. અજાણ્યા એ વાતમાં નથી ચાલતા. “એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં....” એ તપાસી છે. એ વાત વિચારી છે એટલે તપાસી લીધી છે. એ રીતે તપાસી લીધી છે. એટલું જ નહિ, હવે એથી આગળ જઈને વાત કરે છે.
વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, શું કહે છે? આત્મવીર્ય એટલે આત્માનો જે પુરુષાર્થ છે એમાં પરિણમીને. વિશેષપણે આત્મપુરુષાર્થ કરીને પછી પાછી એ વાતને વિચારી છે કે આમાં વિરોધ છે કે અવિરોધ છે ? મારા પુરુષાર્થને આગળ વધવાની સાથે આને અવિરોધપણું લાગે છે કે વિરોધપણું પામે છે? શું કહે છે કે એક તર્કણા અને વિચારણાનો વિષય છે એ એક વિભાગ છે. એક અનુભવ પદ્ધતિનો વિષય છે એ એક બીજો વિભાગ છે. તો માત્ર તર્ક વિચારણાથી એના વિરોધપણાને અમે સાબિત નથી કરતા. અમે અમારા પુરુષાર્થના પ્રયોગથી આગળ વધીને પછી એની સાથે મેળવીએ છીએ કે મેળ ખાય છે કે નહિ? એ રીતે પણ તપાસ્યું છે. તો અમને લાગ્યું છે કે આ અવિરોધ નથી,વિરોધ આવે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પત્રાંક-૫૯૭
એક વાતને-વેદાંત જેવા દર્શનના વિરોધાભાસને આ પત્રની અંદર સ્થાપે છે તો કેટલું પ્રમાણ આપે છે ! કે પોતાના અનુભવનું પ્રમાણ આપે છે. બળવાનમાં બળવાન પ્રમાણ આપે છે. અને એ અનુભવમાં પણ પુરુષાર્થનું પ્રમાણ આપે છે. કેમકે મોક્ષમાર્ગ છે એ પુરુષાર્થ આધારિત છે. પુરુષાર્થના દોરે પ્રવર્તતો એ માર્ગ છે. એટલે એ પુરુષાર્થના દોરે દોરાઈને વાત કરવી છે હવે, એમ) કહે છે. એમની કહેવાની પણ પદ્ધતિ છે કોઈ!
આશંકા કરીને એ વાતને વિચારવામાં આવે છે એ ઉપરાંત વિશેષ વિશેષ આત્મવીર્યપરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે. પુરુષાર્થની સાથે આગળ વધીને પાછો વિચાર કર્યો છે. એટલે પોતાની વિપરીતતામાં ઊભા રહીને આ વિચાર નથી કર્યો. આત્મવીર્યને પરિણમાવ્યું છે એનો અર્થ કે પોતે પુરુષાર્થમાં રહીને એનો વિચાર કર્યો છે. વિચારમાં રહીને વિચાર કર્યો છે એમ નહિ. પુરુષાર્થમાં રહીને વિચાર કર્યો છે. બે વચ્ચે મોટો ફેર છે.
કોઈ એમ કહે કે, ભાઈ ! તમે આ વાત ઉપર તમારો અભિપ્રાય આપો છો. વેદાંતદર્શન ઉપર અભિપ્રાય વ્યક્ત કરે છે ને ? તો એ અભિપ્રાય વ્યક્ત કરવામાં તમારા ક્ષયોપશમની મૂડી છે તમારી પાસે કે બીજી કાંઈ મૂડી છે? તો કહે, ક્ષયોપશમનું બળ ઉપરાંત પુરુષાર્થનું બળ પણ અમારી પાસે છે. જે પુરુષાર્થથી સ્વરૂપાનુભવ કરાય, આત્મજ્ઞાન કરાય એ પુરુષાર્થસહિત આ વાત કરવામાં આવે છે. માત્ર બુદ્ધિના ઉઘાડથી એનો અભિપ્રાય આપવામાં આવતો નથી. એમ કહે છે.
મુમુક્ષુ -અનુભવનું બળ પાછું લે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. કોના જોરે તમે વાત કરો છો ? એમ કહે છે. ક્ષયોપશમના જોરે વાત કરો છો ? બુદ્ધિબળથી વાત કરો છો ? તો કહે છે, નહિ. આત્મવીર્યઆત્મિક પુરુષાર્થની મૂડી છે. એ દશા પ્રગટ કરી છે. આત્મજ્ઞાન આત્મપુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યું છે અને પછી આ વાત ચાલે છે, એમ કહે છે.
મુમુક્ષુ:- અનુભવ પ્રમાણ.
પૂજ્ય ભાઈશ્રી – હા. આ સાધારણ વાત નથી. વેદાંતમાં ફેર છે એમ કહેવું એ સાધારણ વાત નથી). બહુમોટો સંપ્રદાય છે અને એમાં ઘણી એવી વ્યક્તિઓ થઈ ગઈ છે, નામી વ્યક્તિઓ થઈ ગઈ છે. શ્વેતાંબર આદિ બે હજાર વર્ષથી છે, સ્થાનકવાસી પાંચસો વર્ષથી છે, આ એથી જૂનો સંપ્રદાય છે. આ તો કરોડો-અબજો વર્ષથી ચાલતો હોય એવો અભિપ્રાય છે. કેમકે ભગવાન (સમયે) ૩૬ ૩ પાખંડ) ઉગ્યા એમાંથી આ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૨ શરૂ થયેલો છે. એ ક્રોડાક્રોડી સાગરથી. એટલે એની અંદર ઘણા ત્યાગીઓ થયા, મહાત્માઓ થયા, ઋષિમુનિઓ થયા. આ “રામચંદ્રજીનો વખત ચાલે છે. “વશિષ્ઠ ગુરુને એ બધાના જંગલમાં આશ્રમો ચાલતા. અધ્યાત્મ વિદ્યાઓના જંગલની અંદર આશ્રમો ચાલતા. અને આત્મજ્ઞાની ગુરુઓ ધુણી ધખાવીને ત્યાં બેઠા હોય. મોટા મોટા રાજાના રાજકુમારો પણ ત્યાં મહેલ અને મકાન છોડીને જંગલમાં રહેવા જાય. ભાઈ ! આટલા વર્ષનો Course છે. આટલા વર્ષ વિદ્યા માટે જંગલમાં રહેવાનું છે. પછી જે પદ્ધતિથી રહેવું પડે એ રીતે રહે).
એમાં કહેવાનો મતલબ શું છે? કે અત્યારે તો આપણી બધી સગવડ સચવાય પછી સ્વાધ્યાય થાય. અને જો સગવડ ન સચવાય તો પછી આપણે સ્વાધ્યાય માટે તૈયાર નથી. માટે આપણી અનુકૂળતાઓ બધી હોય એ પ્રમાણે આપણે કરીએ. ત્યાં તો એમ કહે કે તું રાજકુમાર હોય તો એકવાર તો કપડા પણ બદલવા પડશે. Uniform જેમ હોય છે એમ ત્યાં પણ જે કાંઈ વિદ્યાર્થીઓને જે કપડા પહેરવાનાં, જ્યારે ઉઠવાનું. ચાર વાગે ઉઠવાનું એટલે ચાર વાગે ઉઠવાનું જ. એ બધું એ જ વખતે એ જ રીતે બધું થાય. એમાં બીજી અગવડ-સગવડનો પ્રશ્ન વિદ્યાર્થીને માટે નથી. એટલે એનો અર્થ શું છે કે વિદ્યા પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે તારી ? એ તો બધી હજી અસ્ત્ર-શાસ્ત્રની વિદ્યાઓ હતી. આત્મજ્ઞાનની વિદ્યા તો સર્વોત્કૃષ્ટ છે. એના માટે કેટલી ગરજ હોવી જોઈએ!એ વિચારવાનું છે.
એ તો એવા સગવડવાળા હતા. એને શું ખામી હોય? રાજકુમારને ત્યાં શું ખામી હોય? એને કોઈ ખામી ન હોય. છતાં એ બધી વાત ત્યાં નહિ. આશ્રમમાં આવે ત્યાં એ કોઈ વાત નથી. વિદ્યાર્થી તરીકે આવ્યો છે. ત્યાં રાજકુમાર તરીકે નથી આવ્યો. બીજા જે હોય એની સાથે એ પ્રકારે બધું થાય. એનો અર્થ શું? એને ગરજ છે એટલી. એવિદ્યા પ્રાપ્ત કરવાની એને ગરજ છે. વિનય એટલો હોય છે. એ તો ગરજ હોય ત્યાં વિનય તો આવે જ. સીધી વાત છે.
(અમે) ભણતા ત્યારે આવતું. “સુદામા અને શ્રીકૃષ્ણના સંવાદની એક કવિતા આવતી. કે તને સાંભરે છે? “શ્રીકૃષ્ણને કહે છે કે તને સાંભરે છે? મને કેમ વિસરે ? મને કેમ વિસરે ? કે આપણે ચાર વાગે ઉઠતા, વેદની ઋચાઓ ભણતા. આવતી હતી કવિતા? તને સાંભરે છે? હું કેમ વિસરું આ બધું? એનો અર્થ શું? કે “સુદામા ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હતા. અને આ મોટા ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. પણ વિદ્યાર્થીના કાળમાં તો બે જણા ચાર વાગે ઉઠીને Lesson કરતા હતા એમ એનો અર્થ
Page #218
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૭
૨૦૧
છે. એવા લોકો થયા છે એને ઘણા બુદ્ધિવાળા, ઘણા ત્યાગી (હોય) તોપણ વિપર્યાસ હજી છે એમ અહીંયાં નક્કી કરે છે. તોપણ વિપર્યાસ રહે છે. વિપર્યાસ કાઢવા માટે કેટલી કાળજી લેવી પડે ? એ વિચારવાનું છે.
વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી.’ એટલે કે ત્યાં વિરુદ્ધપણું છે. ભલે કહે છે, ઘણી બુદ્ધિ લગાવી છે, ઘણી વાતો કરી છે, ઘણા ઉઘાડવાળા છે, ઘણા ત્યાગી છે. બધી વાત સાચી. વિરોધપણું છે, અવિરોધપણું નથી. આ મોટો ભેદ લીધો. કેમકે વિપર્યાસમાં થોડો વિપર્યાસ અને ઝાઝો વિપર્યાસનો પ્રશ્ન નથી. વિપર્યાસ થાય ત્યારે સોએ સો ટકા એને ગણવામાં આવે છે. માટે મોટો ભેદ લીધો, કે એમાં મોટો ભેદ જોવામાં આવે છે.’ અને તે તે પ્રકારે... અને એ સાંખ્ય આદિ બીજા જે વેદાંતના અભિપ્રાયો છે એ બધા દર્શનોની અંદર આ મોટો તફાવત જોવામાં આવે છે.
એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે...’ જિનેન્દ્રદેવે જે વાત કરી છે (એમાં અવિરોધપણું જોવામાં આવે છે). એનું કા૨ણ છે કે આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે. એક દ્રવ્ય ગમે તેટલા હીણા પરિણામે પરિણમે. જેમકે આત્મદ્રવ્ય ચૈતન્ય. નિગોદમાં જાય તો પણ જડ ન થાય. કેમકે અલઘુ છે. કેવળજ્ઞાન થાય અને લોકાલોકને પ્રકાશે તોપણ એક પણ પરદ્રવ્યરૂપે ન થાય. એક ન્યાયે જે જ્ઞાનને લોકાલોક વ્યાપક કહેવાય તોપણ તે વ્યાપક છે એ કહેવામાત્ર છે. વ્યાપીને જાણે એટલું સ૨સ જાણે (છતાં) પરદ્રવ્યરૂપે એક અંશે થતું નથી. કેમકે એ અગુરુ છે. ગુરુ છે પણ અગુરુ છે. લઘુ છે તોપણ અલઘુ છે. હવે આ જે ગુણ છે એ કેવળજ્ઞાનગોચર છે. કેવી રીતે અન્યમતિ કહે ? અન્યમતિ કેવી રીતે કહે ? જ્યાં કેવળજ્ઞાન નથી ત્યાં એ ધર્મનું, એ ગુણનું કોઈ જ્ઞાન થતું નથી. કહે કેવી રીતે ? એવી ઘણી વાતો છે. એટલે એમ કહે છે.
મુમુક્ષુ :– આ તો વકતવ્ય ગુણો છે એ પણ નથી આવતા. અવ્યક્ત ગુણો તો એને ક્યાંથી આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– આવવાનો પ્રશ્ન જ નથી. એ તો અવ્યક્તની ઘણી વાતો રહી જાય છે. વક્તવ્યમાં છે એના ઉપરથી જ બધો નિર્ણય કરવો પડે ને ? અવ્યક્તનો તો નિર્ણય કેવી રીતે થાય ?
‘એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૨
?
આવે છે..’ જોવામાં આવે છે એટલું નહિ તે પ્રકારે વેદવામાં પણ આવે છે. જુઓ ! શૈલી જોઈ ? ત્યાં સ્થાપ્યું તો પુરુષાર્થને સ્થાપ્યો. એનો નિષેધ કરવામાં પોતાના પુરુષાર્થની સાક્ષી આપી. અહીંયાં માન્ય કરવામાં પોતાના અનુભવની સાક્ષી આપી, કે અમે વેદીએ છીએ, અનુભવીએ છીએ. શ્રી જિને કહ્યું એવું આત્મસ્વરૂપ અવિરોધપણે જોવામાં આવે છે અને અનુભવવામાં આવે છે. એમના કથનને જોતા પણ અવિરોધપણું લાગે છે. અંદરમાં અનુભવ કરીએ છીએ ત્યારે પણ એમ જ લાગે છે. બે વાત લીધી. અનુભવની સાક્ષી લીધી છે.
તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે.’ કેવી મહોર મારી છે ! સંપૂર્ણપણે અવિરોધી. જિનનું કહેલું જે આત્મસ્વરૂપ છે તે સંપૂર્ણપણે અવિરોધી છે અને એમ જ હોવા યોગ્ય છે અને અમારા જ્ઞાનમાં એમ જ ભાસે છે. એ જૈનદર્શન વિષે કેટલા સ્પષ્ટ છે ! આ ગ્રંથ વાંચનારા પણ ઘણા એમ વિચારે છે કે એમણે વેદાંતને માન્ય કર્યું છે. સર્વ ધર્મને એ તો માનતા હતા. એમને તો સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા હતી. સહિષ્ણુતા બીજી વાત છે. માન્ય કરવા એ બીજી વાત છે, સ્વીકાર કરવો એ સાવ બીજી વાત છે.
મુમુક્ષુ :– ...ભેદરેખાને સમજતા નથી એટલે એકબીજામાં વાતને ખતવી નાખે
છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બરાબર છે. પોતાના વિચાર અનુસાર તુલના કરે. દરેક માણસ તુલના કરે એ તો પોતાના વિચાર અનુસાર અને પોતાના અભિપ્રાય અનુસાર કરે, પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર કરતા હોય છે.
મુમુક્ષુ :– યોગ્યતા બીજી વાત છે અને માન્યતા બીજી વાત છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– સાવ બીજી જ વાત છે. તદ્દન બે જુદી જુદી જ વાત છે. સહિષ્ણુતાનો અર્થ એ છે કે વિપરીતતા હોય તોપણ એને સહન કરવી એનું નામ સહિષ્ણુતા છે. સહન કરવું એના ઉ૫૨થી સહિષ્ણુ થવું એમ વાત આવી. બીજામાં વિપરીતતા છે પણ મારે તે સહન કરવાની છે. વિપરીતતાને વિપરીતતા જાણવાની છે. વિપરીતતાને અવિપરીતતા જાણવાની નથી. એમ વાત છે. જુદી જુદી વાત છે.
‘સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું..’ એટલે અત્યારે હું એ જૈનદર્શન સંપૂર્ણ અવિરોધી છે એમ કહેતો નથી. તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી.’ એટલે કેવળજ્ઞાનથી જાણીને કહું છું એમ વાત નથી. મારો જેટલો અનુભવ છે એ અનુભવ ઉપરથી હું કહું છું, કે એમણે જે કહ્યું છે તે
Page #220
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૭
૨૦૩
સંપૂર્ણપણે અવિરોધી હોવા યોગ્ય છે. શું કહ્યું ? હોવા યોગ્ય છે અને છે જ. એમ બે શબ્દમાં મેં શબ્દભેદ કેમ રાખ્યો છે ? કે મારી દશા કેવળજ્ઞાનરૂપ નથી થઈ માટે.
જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ, જેથી તે અનુમાન ઉપર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે.’ એવા જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમારી વર્તમાન દશાના કારણે કર્યો છે. કેવળજ્ઞાન હોય તો બીજી રીતે વાત કરીએ, કેવળજ્ઞાન નથી માટે બીજી રીતે વાત કરીએ છીએ, એમ કહે છે. એટલે ક્યાંય પણ અમે કહેવામાં પ્રમાણ બહાર જઈને વધારે કહીએ છીએ એમ વિચારવા યોગ્ય નથી. કેમકે આ તો કેટલી મધ્યસ્થતા છે એનો આંક છે એમનો. પોતે પોતાની દશાને ભાનમાં રાખીને શબ્દપ્રયોગ કરે છે, એમ કહે છે. આ પત્ર અપૂર્ણ મળ્યો છે પણ બહુ સારો પત્ર છે.
‘સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે.’ કેટલી સ્પષ્ટતા વર્તે છે ! અમને ભલે સંપૂર્ણપણે આત્મસ્વરૂપ નથી પ્રગટ્યું પણ સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે, કોઈ પણ આત્માને વિષે પ્રગટ થઈ શકવા યોગ્ય છે, થવું જોઈએ અને એનો વિચાર કરીએ કે એ કેવા આત્માને વિષે પ્રગટ થાય ? તો અમારી નજરમાં જિનેન્દ્રદેવ આવે છે, શ્રી જિન અમારી નજરમાં આવે છે. એ સિવાય, જિન સિવાય કોઈ અમારી નજરમાં આવતું નથી. એટલે દુનિયાના તમામ દેવોનો ખ્યાલ છે, એમ કહે છે. ઇષ્ટદેવો છે ને ? દરેકને પોતપોતાના ઇષ્ટદેવો છે. કોઈ ખુદા માને છે, કોઈ ઈશ્વર માને છે, કોઈ જગતનિયંતા માને છે, કોઈ વિષ્ણુ માને છે, કોઈ મહાદેવ માને છે, આ બ્રહ્માવાળા પ્રજાપતિ બ્રહ્મા માને છે અને એવા પણ ઘણા પોતપોતાની રીતે માનતા હશે. જિનેન્દ્રદેવની તોલે કોઈ આવે એવું અમને લાગતું નથી. બહુ કહેવાની શૈલી છે, બહુ સુંદર છે.
‘સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ...’ એ અશક્ય નથી એમ લાગે છે, એ પ્રગટ થઈ શકે એવું લાગે છે. કેમકે અમને આત્મસ્વરૂપ પ્રગટ્યું છે, અધૂરું પ્રગટ્યું છે. પણ સંપૂર્ણ પ્રગટે. આ રીતે, આ પદ્ધતિએ, આ વિધિએ સંપૂર્ણ પ્રગટે એ અમને સ્પષ્ટ લાગે છે. એવા આત્માને વિષે નિશ્ચય...' એવો આત્માને વિષે અમને નિશ્ચય પ્રતીતિભાવ આવે છે;...' ખાત્રી થાય છે. અમારા અનુભવથી અમને ખાત્રી
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૨ થાય છે કે આત્મદેવ અમને પ્રગટ્યો છે અને આ જ વિધિએ સંપૂર્ણ આત્મા પ્રગટે એવી અમને ખાત્રી છે. પણ તે કેવા પુરુષને? કોને પ્રગટે ? કોને પ્રગટ્યું હોવું જોઈએ ? એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. એટલે કે જિનેન્દ્રદેવને આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું છે એ અમને ખાત્રી થઈ છે, વિશ્વાસ આવ્યો છે. આ વિશ્વમાં એ સિવાય કોઈને આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું હોય એ અમે માનવા તૈયાર નથી. હવે બધા મત એમાં આવી ગયા કે ન આવી ગયા? કયો મત બાકી રહ્યો?
મુમુક્ષુ-પુરુષને એટલે આત્માને? પૂજ્ય ભાઈશ્રી:- આત્માને.
“કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે...” જુઓ ! હવે અત્યારની વાત કરે છે, કે હમણાંના કાળનો વિચાર કરીએ તો “વર્ધમાનસ્વામી યાદ આવે છે. એમના જેવા કોઈ પુરુષાર્થતંત વીરપુરુષને અમને જોવામાં આવતા નથી. અને આ કાળને વિષે એ સ્પષ્ટ છે કે એ તીર્થાધિનાથ છે. એમણે જે ૩૦ વર્ષની ઉંમરે પુરુષાર્થ ઉપાડ્યો, સાડા બાર વર્ષ પછી જે કેવળજ્ઞાનની પ્રાપ્ત કરી, ૭૨ વર્ષના આયુષ્યમાં આ નજીકના કાળમાં એમના સ્વરૂપનો વિચાર કરીએ, ત્યારે તો આ છેલ્લા ત્રણેક હજાર વર્ષની અંદર એ અમને જોવામાં આવતા નથી. અમને પહેલો નંબર એમનો દેખાય છે. એનો અર્થ એ થાય છે, કે ભગવાન “મહાવીરસ્વામીનું અત્યંતર સ્વરૂપ એમના જ્ઞાનમાં કેટલું બધું સ્પષ્ટ હતું ! આપણે તો નામથી જાણીએ છીએ કે “મહાવીર ભગવાન આપણા તીર્થંકર થઈ ગયા અને એમના શાસનમાં અત્યારે આપણે છીએ. એ નામનિક્ષેપે છે. આ ભાવનિક્ષેપે છે. એમના ગુણ જોવે છે.
કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે...' અત્યારે વિચાર કરીએ છીએ ત્યારે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો...' સૌથી પહેલા. પ્રથમ પ્રથમની વાત લીધી. પછી બીજાને નથી પ્રગટ્યું એમ નથી કહેતા. પણ પહેલો નંબર અમને વર્ધમાનસ્વામીનો દેખાય છે. અથવા તે દશાના પુરુષો કોઈ થાય તો સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ એવા આત્માઓને પ્રગટવા યોગ્ય છે. જોકે એમણે ભગવાન વર્ધમાનસ્વામીનું નામ એટલા માટે લીધું છે, કે વિદ્યમાન સંપ્રદાયો જે પ્રાચીન અને અર્વાચીન જે જે સંપ્રદાયો છે એમાં કેટલાક પ્રાચીન સંપ્રદાયો છે, કેટલાક નવા થયેલા અર્વાચીન સંપ્રદાયો છે, પણ એ પ્રાચીન સંપ્રદાયોને જોતા અને ભગવાન મહાવીરસ્વામીને જોતા એની સાથે કોઈ આવે એવું લાગતું નથી. એમ કરીને વાતને
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૦૫
આગળ વર્તમાન પરિસ્થિતિ ઉ૫૨ દોરી જવી હોય એ જાતનો આ પત્ર લાગે છે. પણ
અહીંથી આ પત્ર અપૂર્ણ રહી ગયો છે.
આપણે વર્તમાન પરિસ્થિતિમાં જે બોધ લેવા યોગ્ય જે બે-ત્રણ વાત છે એ શરૂઆતમાં જે ચર્ચીએ છીએ કે આત્મજ્ઞાન અને મોક્ષ પ્રત્યે લક્ષ હોવા છતાં પણ જ્યાં સુધી આ માર્ગનો, આ ધ્યેયનો સંપૂર્ણ યથાતથ્ય નિર્ધાર કરવામાં આવતો નથી ત્યાં સુધી, જેમ વેદાંતાદિ દર્શનમાં વિપર્યાસ રહી ગયો એવો કોઈ ને કોઈ મોટો વિપર્યાસ રહી જવાની સંભાવના છે. માટે આત્મજ્ઞાનનો વિષય આપણે આદર્યો છે કે હાથમાં લીધો છે કે એનું અધ્યયન ચાલે છે કે એનો સ્વાધ્યાય ચાલે છે માટે આપણે કાંઈ ફીકર નથી એમ વિચારવા જેવું નથી. આમાંથી ખાસ વાત આ નીકળે છે. એ ૫૯૭ (પત્ર) પૂરો થયો.
પત્રાંક-૫૯૮
મુંબઈ, વૈશાખ વદ ૧૦, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક–શ્રી સાયલા. આજે પત્ર ૧ મળ્યું છે.
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?' એપ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણિત રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.' એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતા હોય, તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?” એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો.
ભાવાર્થપ્રકાશ’ ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
રાજદ્રય ભાગ-૧૨
રચનાનથી; એમ મને લાગે છે.
શ્રી ડુંગરે અને પુરુષ એક વરખ હે' એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તેવાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે.
શ્રી નવલચંદના હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે.
તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય બિહાર)થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહેતે ઘટારત નથી; પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય?
એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અને ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના' લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના
Page #224
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૮
આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્યમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુના સાધનો સત્તમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી; પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં, તોપણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે.
તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય ? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે; તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્તમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જવિનંતિ.
૨૦૭
આ. સ્વ. પ્રણામ.
૫૯૮ પત્ર છે ‘સોભાગભાઈ’ ઉપરનો. આ પત્રની અંદર મુખ્યપણે એમણે મુંબઈ’ પ્રત્યક્ષ સમાગમમાં આવવા સંબંધીની ચર્ચા એમના અને ‘ડુંગરભાઈ’ના વિષયમાં થઈ છે એનો ઉલ્લેખ છે. પણ પહેલા Paragraphમાં એમણે પોતાની દશા
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ચજહૃદય ભાગ-૧૨ વિષે સૂચન માગ્યું છે, કે તમે શું સૂચવો છો ? મારે તો આ એક સમસ્યા છે. વર્તમાનમાં આમારી સમસ્યા છે. એમાં તમારું સૂચન શું આવે છે?
મુમુક્ષુ-પ૬૬ પત્રમાં એ પ્રશ્ન પૂછ્યો છે. પૂજ્ય ભાઈશ્રી:-પ૬ ૬માં એ પ્રશ્ન છે ને?પછી અહીં દોહરાવ્યો છે.
સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા વેષબંધન....” “અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. એટલે પોતાને. “અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? પોતા ઉપર જ એ પ્રશ્ન છે. એ પ્રશ્ન એમણે ફાગણ સુદમાં પૂડ્યો છે. ફાગણ સુદ, ચૈત્ર સુદ, વૈશાખ સુદ અને વૈશાખ વદ અઢી મહીને પાછી એની એ ચર્ચા ફરીને પોતે પોતાના માટે પત્રવ્યવહારની અંદર કાઢી છે.
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે... કારણ કે એમાં કાળ વિશેષ વ્યતીત થાય છે ને ? તો તે અલ્પકાળમાં કરવા માટે શું કરવું એ પ્રશ્ન છે ને ? એટલે એ વાત પહેલા લીધી. “અલ્પકાળમાં ઉપાધિરહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? શીધ્રપણે. એટલે બહારનો વ્યવહાર અને છૂટી જાય. એ પ્રશ્ન અમે લખ્યું હતું. એ આ અઢી મહિના પહેલા.
તેના ઉત્તરમાં તમે લખ્યું છે. હવે એમનો ઉત્તર પણ આવ્યો છે. એ અહીં દોહરાવે છે. સારી વાત છે કે એ વાત અહીં પોતે લખે છે. કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી. અલ્પ પણ રાગ છે એટલું તમને બંધન છે. આ મારા ભાગીદાર છે, આમારા કુટુંબ માટે કરવું પડે છે. અને આ બધું જે વ્યાપારની અંદર પથારો કર્યો છે, આ બધો પથારો કરવામાં હું પણ વચ્ચે કારણરૂપ છું. હું પણ એક કારણરૂપ છું. તો એવી રીતે જે પોતાનો સંબંધ એ પ્રકારના રાગને લઈને વિચારવામાં આવે છે. નિશ્ચયે સંબંધ છે?
માનો કે કોઈપણ માણસનું આયુષ્ય નાની ઉમરમાં પૂરું થાય. એના હજાર કામ બાકી છે એમ સમજો. નાની ઉંમરમાં તો માણસના બધા કામ બાકી હોય. છતાં એકેય કામને અડ્યા વગર એને તો ત્યાંથી ગેરહાજર થવું જ પડે. થવું પડે કે ન થવું પડે? એને એ બધા કામો સાથે કેટલો સંબંધ હતો ? એને માન્યો હતો કે મારે સોએ સો ટકાનો સંબંધ છે. કુદરત એમ કહે છે કે તારે એક ટકાનો પણ સંબંધ નહોતો. કાંઈ લેવાકે દેવા.
Page #226
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૦૯ તું ક્યાં નેઈ ક્યાં ? આ પરિસ્થિતિ છે. જવાબ બહુ સરસ આપ્યો છે.
કે જ્યાં સુધી રાગબંધન છે. એની સાથેનું જોડાણ તમે વિચારો છો ત્યાં સુધી ઉપાધિરહિત નહિ થવાય, ત્યાં સુધી આ ઉપાધિ ચાલશે. “અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય.' એ રાગ ઘટી જાય. પરિસ્થિતિ ત્યાંની ત્યાં ભલે રહે, રાગ ઘટી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. એટલે રાગ ઘટવો જોઈએ. વીતરાગતા વધવી જોઈએ અને રાગ ઘટવો જોઈએ. ચક્રવર્તીને શું થાય ? છ— હજાર રાણી છોડીને “ભરત ચક્રવર્તી ચાલી નીકળ્યા. થયું શું? છ— હજારનું શું થાશે એ વિચાર કરવા રહ્યા? મારે લેવા કે દેવા કાંઈ. મારો રાગ હતો ત્યાં સુધીનો સંબંધ, મારો રાગ તૂટ્યો તો સંબંધ પૂરો થઈ ગયો. સંયોગો એમને એમ રહી ગયા. મારો રાગ તૂટ્યો સંબંધ પૂરો થઈ ગયો. સંબંધ ક્યાં સુધી ? કે રાગ છે ત્યાં સુધી. બહુ સરસ જવાબ આપ્યો છે.
સોભાગભાઈએ જે જવાબ આપ્યો છે એ ઉપરથી એમ લાગે છે કે એમની વિચારશક્તિ ઘણી હતી. આ એમના પત્રોનો અભ્યાસ કરવાનું કારણ એ છે. મુમુક્ષુની દશામાં પણ વિચારશક્તિ ઘણી હતી અને જ્ઞાની-આવા મહાપુરુષ સૂચન માગે તો એમના સૂચનને એમ કહે કે તમારી વાત યથાર્થ છે. તો એ કોઈ નિર્મળતા હતી, એ કોઈ વિચારશક્તિ હતી.
મુમુક્ષુ-જીવની પાત્રતા અને લાયકાત?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર, પાત્રતા બહુ સારી, નિર્મળતા બહુ સારી, યોગ્યતા ઘણી સારી. અને આત્મહિતના વિષયમાં વિચારવાની શક્તિ ઘણી ! ઘણી સારી શક્તિ હતી!!
તેવી પરિણતિ.” પરિણતિનો વિષય લીધો છે. આત્મપરિણતિથી એ બંધન ઓછું પડી જાય તેવી પરિણતિ રહે. પરિણતિ એ જાતની કાર્યો તમે ઉપયોગથી ગમે તે કરો. પરિણતિ તમારી ઘટી ગઈ હોય. વીતરાગતા વધે તો થાય ને? “અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.” વીતરાગતાની પરિણતિ વધે તો રાગની પરિણતિ ઘટે. કારણ કે બળ તો પરિણતિનું છે. છદ્મસ્થ અવસ્થામાં બળ તો પરિણતિનું છે. આ કેમ છૂટાતું નથી? કે પરિણતિમાં ફેર નથી પડતો, એમ કહે છે. બહુ ગૂઢ ઉત્તરદીધો છે, હોં!
એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. એનો અર્થ શું થાય ? કે જ્ઞાનદશામાં મોક્ષમાર્ગી જીવોને પણ જેટલી પરિણતિ મજબૂત એટલું તેને તે ગુણસ્થાનમાં ઉચ્ચ કોટીનું પરિણમન ગણવું. જેટલી પરિણતિ હીણી એટલું તે જ ગુણસ્થાનમાં જઘન્ય
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
રાજહૃદય ભાગ-૧૨
પરિણમન સમજવું. એમ કહેવા માગે છે. કહેવાય તો ચોથું ને ચોથું ગુણસ્થાન. પાચમું ને પાચમું ગુણસ્થાન. છઠ્ઠ-સાતમું ને છઠ્ઠ-સાતમું ગુણસ્થાન કહેવાય. પણ એક ગુણસ્થાનના ભેદ કેટલા ? કે અસંખ્ય. સ્થૂળપણે વિભાગ પાડો તો ત્રણ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ.
આ તો એકાવતારી જીવ છે. ‘શ્રીમદ્ રાજચંદ્રજી’નો આત્મા છે એ એકાવતારી છે. ચતુર્થ ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ ચતુર્થ ગુણસ્થાને છે. અને ત્યારે તો એમને એ પ્રશ્ન ઊઠે છે કે અલ્પકાળમાં છૂટવું હોય તો શું કરવું ? જ્ઞાનપ્રાપ્તિને હજી ચાર-પાંચ વર્ષ થયા છે. ભરયુવાન અવસ્થા છે. શરીરની અવસ્થા ઉંમરમાં નાની છે. મારે તરત છોડવું હોય તો શું કરવું ? એ કહો. ઠીક ! ચાંથી પ્રશ્ન ઉઠ્યો. એ પ્રશ્ન એક પ્રકારની યોગ્યતામાંથી ઉઠ્યો છે. આ મારી વર્તમાનમાં સમસ્યા છે. તમારા વિચારમાં કાંઈ વિશેષ વાત આવે છે ? પૂછવાનું કારણ એ છે. એવું હું શું કરું ? એવા આત્મપરિણતિને હું કયા વિચારમાં લાગ્યું ? કયા પ્રકારમાં લઈ આવું ? કે જેને લઈને શીઘ્રપણે ઉપાધિરહિત થઈ શકાય. એવું કાંઈ તમારા વિચારમાં આવે છે ? એવો કોઈ પ્રયોગ કરવા જેવો લાગે છે ? તો કરીએ આપણે તો. એ બળ છે. કાંઈ તમને દેખાય છે એ પ્રયોગ ક૨વા જેવો ? એમ પ્રશ્ન પૂછ્યો છે.
એમણે શું છે કે General ઉત્તર આપ્યો છે. ઉત્તર બરાબર છે. જે માગે છે એ ઉત્તર નથી આપ્યો. એમણે આ જે ઉત્તર આપ્યો છે એ તો પોતાના જ્ઞાનમાં એ વાત છે કે આત્મપરિણતિ જેટલી બળવાન એટલું બંધન ઓછું અને આત્મપરિણતિ બળવાન ક૨વી જોઈએ. આત્મપરિણતિ બળવાન કરવા માટે શું કરવું જોઈએ ? કે વારંવાર સ્વરૂપને સ્પર્શવું જોઈએ. બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો બન્ને રાગ મટાડવા માટે સ્વશક્તિ સ્પર્શન. ‘અમૃતચંદ્રાચાર્યે' ૧૧૬મો કળશ પોતાની શક્તિને સ્પર્શતાનો લીધો છે. વારંવાર સ્પર્શતા એ દશા થાય છે. એ વાત એમના ખ્યાલમાં નથી એવું કાંઈ નથી.
એ તો પૂછે કે અત્યારે હું બીજો કોઈ એવો પ્રયોગ કરું ? કે જેને લઈને આમ થઈ જાય ? એવું કાંઈ તમને સૂઝે છે. વર્તમાન સમસ્યા છે. આ ચાલતી પરિસ્થિતિની સમસ્યા છે. કોઈ કાયમી સમસ્યા નથી આ મારી. એ તો ખ્યાલ છે. આગળ વધતી જશેદશા તો આગળ વધતી જશે અને પૂર્ણ થઈ જશે એ તો ખ્યાલમાં છે. એ આપોઆપ થવાની છે. પણ એ થશે થશે એ ઉપર નથી (રહેવું). મને ચટપટી અત્યારે લાગી છે એનું શું કરવું ? એની વાત છે.
મુમુક્ષુ :– આની પાછળમાં એ ભાવ હોય ને કે એ આને પણ પુરુષાર્થ જાગે.
Page #228
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
‘સોભાગભાઈ’નો પુરુષાર્થ જાગે.
પૂજ્ય ભાઈશ્રી :– સોભાગભાઈ’નો પુરુષાર્થ જાગે... એ તો સ્વલક્ષી વિચારધારાવાળા જીવ હતા. એટલે તો સહેજે એમને એ વિચાર આવે ખરો. પણ એમને પોતાની પણ આ સમસ્યા જ છે. વર્તમાનમાં પોતાની પણ સમસ્યા એટલા માટે છે કે એમને જે ત્રણેક વર્ષનો સમય ગયો, છેલ્લા ત્રણેક વર્ષનો જે સમય વ્યવસાયમાં ગયો એ અસહ્ય થઈ પડ્યું છે. ચોવીશમે વર્ષે જ્ઞાનપ્રાપ્તિ થઈ. ઘણી મસ્તી હતી. પચ્ચીસમા વર્ષથી પછી જે ‘મુંબઈ” રહેવાનું થયું. ૨૫, ૨૬, ૨૭. એ અસહ્ય થઈ પડ્યું છે. આ વ્યર્થ પ્રવૃત્તિમાં આટલો બધો સમય દેવાનો ? આ બધી ઉપાધિ કરવામાં આવું કિંમતી આયુષ્ય એમાં ગુમાવવાનું ? એ વસ્તુ પોતાને સહન થતી નથી. બીજી બાજુ રાગ રહી ગયો કહો કે ઉદય કહો, કે પુરુષાર્થનો પ્રકાર કહો, એ જે લોકોની સાથે જોડાયા છે એ કોઈનું મન દુભવાય તો એ મન દુભવવા તૈયાર નથી. ન તો કુટુંબના સભ્યોનું મન દુભવવા તૈયાર છે, ન તો ભાગીદારોનું પણ મન દુભવવા તૈયાર છે. હવે એ મન દુભવવાનો પ્રકા૨ અને વીતરાગતા લાવવાનો પ્રકા૨-આ બે વચ્ચે જે વિરોધાભાસ છે એને કઈ યુક્તિથી મટાડવો ? આ પ્રશ્ન છે.
ન
એક વિચાર કરીએ. ચક્રવર્તી જ્યારે છોડે છે ત્યારે કાંઈ એના કુટુંબીઓનું મન નથી દુભાતું ? એ બધાને એના ઉ૫૨ લાગણી નહોતી ? કે એનું તો સર્વસ્વ જ એ હતું. એ વખતે વીતરાગતામાં એની પરિણતિ જ નિરસ થઈ જાય છે. મારા પરિણામ કામ ન કરે હું શું કરું ? એ પરિણામ કામ ન કરે એ પરિસ્થિતિ કેવી રીતે આવે છે ? કે એ પહેલા આવી અસહ્ય પરિસ્થિતિ થાય છે પછી એનું ફળ આવે છે. ત્યારે એ પરિણમન આવે છે. જરાવિશેષે કરીને વિચારવા યોગ્ય વિષય છે. અહીં સુધી રાખીએ...
૨૧૧
મુમુક્ષુના પરિણામોમાં ચડાણ-ઉતાર થયા કરે છે, તેનું કારણ હજી ચડતી શ્રેણીમાં આવેલ નથી. પરિણામમાં દોષ થાય, અને તેનો બચાવ થાય, તો તે દોષ અભિપ્રાય સહિત જાણવા યોગ્ય છે, જો અભિપ્રાય વિરુદ્ધ દોષ થાય, તો તેનો બચાવ ન થાય, પરંતુ ખેદ થાય, અભિપ્રાયના બહાને બચાવ થાય, તે અભિપ્રાયની ભૂલ છે. (અનુભવ સંજીવની–૧૪૬૯)
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ચજહૃદય ભાગ-૧૨
તા. ૨૩-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૮
પ્રવચન ન. ૦૭૯
પહેલો Paragraph . પછી તો “સોભાગભાઈને “મુંબઈ આવવા માટેની વાતચીત પહેલા Paragraphમાં પોતાની સમસ્યાનું પૂછી છે.
‘અલ્પકાળમાં ઉપાધિરહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને ક્યા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? એ પ્રશ્ન અમે લખ્યું હતું. લગભગ અઢી મહિના પહેલા આવો પ્રશ્ન “સોભાગ્યભાઈને એમણે લખ્યો છે. અલ્પકાળમાં એટલે શીધ્રપણે. અલ્પકાળનો અર્થ એ લેવો છે. જલ્દી-જલ્દી. વખત વધારે જાય એ એમને પોસાતું નથી. જે સમય વધારે જાય છે એ પોસાતું નથી. જીવનની પાછલી ઉંમરના આત્મકલ્યાણ માટે સમય આપશું એ વિચાર લૌકિકજનોનો હોય છે. અત્યારે તો ઘણા કામો હોય છે. પાછલી ઉંમરમાં કામ કરનારા પણ ઘરના બીજા તૈયાર થઈ ગયા હોય નાની ઉંમરના હોય એ અને પોતાનું શરીર પણ મર્યાદામાં શરીર શક્તિ આવી ગઈ હોય. કુદરતી નિવૃત્તિ હોય ત્યારે આત્મકલ્યાણનો પ્રયત્ન કરશું. લૌકિક રીતે એવું વિચારે છે. અહીંયાં તો ૨૭ વર્ષ પૂરા થયા. ૨૮ વર્ષની ઉંમરે એમ લખે છે કે આ બધી ઉપાધિ છોડી દેવી હોય તો મારે શું કરવું જોઈએ ? એવું હું શું કરું કે જેથી આ બધી ઉપાધિ છૂટી જાય ? એના માટે મારે શું કરવું જોઈએ ? આ પ્રશ્ન પૂછ્યો છે.
મુમુક્ષુ – અસંગપણાનો ભાવ?
પૂજ્ય ભાઈશ્રી – હા. સર્વસંગથી મુક્ત થઈને, સર્વ સંબંધથી પણ મુક્ત થઈને બાહ્યાભંતર અસંગદશા (રહે, અસંગદશા પણ બાહ્યાભ્યતર અસંગદશા. અંદરમાં તો અસંગદશા વર્તે છે પણ બહારની અસંગદશા નથી. અને એ વાત એમને પોસાતી નથી. “ભરત ચક્રવર્તીએ અરીસાભુવનમાં કેવળજ્ઞાન લીધું એ વાત પોતે પોતાને માટે લેતા નથી. પોતે તો ઉપાધિથી મુક્ત થવા માગે છે.
‘તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી....” કોઈપણ જીવને, આપને કે કોઈપણ જીવને જ્યાં સુધી પોતાનો રાગ કોઈ બીજા સંયોગો સાથે, પ્રાપ્ત સંયોગો સાથે પ્રારબ્ધના ઉદય સાથે, લ્યોને, જ્યાં સુધી
Page #230
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૧૩ પોતાનો રાગ છે ત્યાં સુધી પોતાને બંધન છે. પોતે પોતાના રાગથી બંધાય છે. બીજા કારણે કોઈ બંધાતો નથી. ન તો સંયોગના કારણે બંધાય છે, ન તો પ્રતિકૂળતાઓને કારણે બંધાય છે, ન તો અનુકૂળતાઓને કારણે બંધાય છે, ન તો કુટુંબને કારણે પણ બંધાય છે. પણ જેતે પ્રકારના સંયોગો પ્રત્યે પોતાનો રાગ છે એનું બંધન જીવને પોતાને છે. આ સિદ્ધાંતિક વાત છે.
તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય.” આત્મા આત્મારૂપ પરિણમે, આત્મા વિશેષ અસંગદશાએ પરિણમે ત્યારે એ રાગ ઘસાય જાય, એ રાગનો અભાવ થાય ત્યારે ઉપાધિરહિત થઈ શકાય. તે વખતે અલ્પકાળમાં એટલે તરત જ ઉપાધિરહિત થઈ શકાય. કેમકે પ્રશ્ન એ છે કે તરત જ ઉપાધિરહિત થવું છે અમારે. હવે સુરતમાં થયું છે. સુરતમાં થવા માટે શું કરવું? રાગ છોડી દ્યો. રાગ મટી જવો જોઈએ. અને રાગનો અભાવ થાય તો બંધન છૂટી જશે. રાગથી બંધન છૂટી ગયું એટલે બીજા કાર્યો પ્રત્યે રાગની ઉત્પત્તિ નહિ થાય,વિકલ્પની ઉત્પત્તિ નહિ થાય. આપોઆપ જ એ પ્રકારની પ્રવૃત્તિની ઉપાધિ છૂટી જશે. ઉપાધિ તો રાગભાવમાં છે ને ? જે સંયોગોને લઈને આ જીવ ઉપાધિ કરે છે તે સંયોગો ઉપર તો ઉપાધિનો ઉપચાર કરાય છે કે અત્યારે અમારે આ ઉપાધિ છે, અત્યારે અમારે આટલી ઉપાધિ છે. પણ ખરેખર એટલી ઉપાધિ છે એવો પોતાનો રાગ છે એમ ઉપાધિ છે. ઉપાધિ તો રાગમાં રહેલી છે, સામા પદાર્થમાં નથી.
એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. વાત તો તમારી સાચી છે. એ વાતમાં અમારે કાંઈ કહેવું નથી. પણ અમારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે એમ કહે છે. તમે જે General વાત કરી એના કરતા અમારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે.
મુમુક્ષુ – જ્ઞાનીને “સોભાગભાઈ લખે છે કે તમે પુરુષાર્થ વધારો. પુરુષાર્થ વધારો તો તમારી વીતરાગતા વધતો રાગ ઘટે.
પૂજ્ય ભાઈશ્રી :- . એમને તમે આપ કરો એ Tone નથી વાપર્યો. એવા Toneમાં નથી વાત કરી. બોલવા-બોલવામાં ફેર પડે. બહુ મોટો ફેર પડી જાય છે. તકરાર શેમાંથી થાય છે? બોલવામાં ફેર પડે ત્યારે. એ જ વાત સૌમ્યભાષામાં કહો તો તકરારન થાય. એ જ ભાવ, એ જવાત બીજા Tone માં કરો તો તકરાર થાય.
એમણે તો શું કહ્યું? આપના માટે નહિ, કોઈ પણ જીવને જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિ છે. એ રાગબંધન આત્મપરિણતિને લઈને ઓછું થઈ જાય, અભાવ થઈ જાય તો અલ્પકાળમાં તેથી રહિત થઈ શકાય. એવું જે એમને ભાસ્યું, એ એમણે
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
રાજહૃદય ભાગ-૧૨ લખ્યું. તો કહે છે, ઉત્તર તો તમારો યથાર્થ છે, વાત તો તમારી સાચી છે. એ વાત કાંઈ ખોટી છે એમ મારે કહેવું નથી. અમે તો એમ જ કહીએ છીએ. પણ અહીં મારા પ્રશ્નમાં વિશેષતા છે. એટલે મારે જે પ્રશ્ન આપને પૂછવો છે એનો To the point ઉત્તર નથી આવતો.General વાત બરાબર છે પણ મારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે એમ કરીને વાત કરે
મુમુક્ષુ-એમ તો ઉત્તરમાં પણ ઘણો વિવેક કરીને વાત કરી છે.
પૂજ્ય ભાઈશ્રી:- ચોક્કસ હોય જ ને. એમને તો એ પરમેશ્વરની જગ્યાએ છે એટલે બીજી રીતે કેમ ઉત્તર આવે? પરમેશ્વરબુદ્ધિએ એ સત્પરુષને એનજરથી જોવે છે ત્યારે તો બીજી વાત થવાનો પ્રશ્ન પણ નથી. સહેજે જ બીજો પ્રકાર ન થાય એમનો. એ સ્થિતિ જ એવી છે કે એક વખત એ જાતનો Concept આવી ગયો કે મારા માટે તો પરમેશ્વર પછી તે પહેલા આ છે. પછી બીજો પ્રકાર ઉત્પન્ન થવાનો એમાં સંભવ રહેતો નથી, પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી.
મુમુક્ષુ :- બીજો પ્રકાર ઉત્પન્ન થાય એના ઉપરથી એમ ફલિત થાય છે કે ઓલામાં ઓલી વાત નથી?
પૂજ્ય ભાઈશ્રી:- નથી આવી. હજી એને ઓળખાણ નથી થઈ એ વાત નક્કી થઈ જાય છે. ઓળખાણ થાય ત્યારે એમ થાય છે. કાલે આપણે એક પત્રાંક) ૨૧૩વાંચ્યો એમાં એ વિષયનું રહસ્ય છે. ચર્ચામાં એ ૨૧૩ લીધો એમાં જરા રહસ્ય છે. પાનું-ર૬૯છે.
મુમુક્ષુ - છેલ્લેથી બીજો Paragraph.ગર્વનથી, ગારવતા નથી.
પૂજ્ય ભાઈશ્રી – હે પુરાણપુરુષ ! નીચેથી છેલ્લો Paragraph. અમે તારામાં અને સપુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. પુરાણપુરુષ એટલે પુરાણો એવો પોતાનો આત્મા. અનાદિથી જેની હયાતી છે એટલે એ પુરાણો છે. એટલે એને પુરાણપુરુષ કહેવામાં આવે છે. અથવા સર્વ ગ્રંથ-ગ્રંથોમાં તને સમજાવવા માટે બધી વાતો કરી છે. ગ્રંથ કહો કે પુરાણ કહો. એ સર્વ ગ્રંથોનું કેન્દ્રસ્થાન તું હોવાથી તું પુરાણપુરુષ છો. પુરાણનો પુરુષ જ તું છો. બેય રીતે લાગુ પડે છે.
હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી.” આત્માની ઓળખાણ કહીએ કે પુરુષની ઓળખાણ કહીએ, પણ બે વાતની ઓળખાણમાં અમને કાંઈ ફેર લાગતો નથી. કેમકે બંનેનું ફળ એક છે, બંનેનું ફળ એક છે. અથવા ‘તારા કરતાં અમને તો સન્દુરુષ વિશેષ લાગે છે. તારા કરતાં
Page #232
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૧૫
અમે સત્પુરુષને વધારે વજન દઈએ છીએ. નિજઆત્મા કરતાં સત્પુરુષને અમે વધારે સ્થાન આપીએ છીએ. કેમ ? કેમકે તું એને આધિન રહ્યો છો. એની દૃષ્ટિના કબજામાં તું આવી ગયો. તારા કબજામાં સત્પુરુષ નથી. સત્પુરુષની દૃષ્ટિના કબજામાં તું છો. દૃષ્ટિ કબજો લે છે ને ? દૃષ્ટિનું વર્ણન કરતા ‘સોગાનીજી’એ આ વાત કરી છે કે દૃષ્ટિ તો દ્રવ્ય ઉ૫૨ કબજો કરી લે છે. એવી એક વાત આવે છે. એ દૃષ્ટિનું પરિણમન બતાવવાનું ફળ છે. એ બીજી વાત થઈ.
હવે એ વાત કરે છે કે, “અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં;...' આ અહીંયાં ૨હસ્ય છે. કોઈપણ જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ સીધે સીધી કરી શકતો નથી. સત્પુરુષને ઓળખે પછી કરી શકે છે. સ્વરૂપનિર્ણય કે જે સમ્યગ્દર્શનનું અનન્ય કારણ છે. સ્વરૂપની ઓળખાણ કે જે સમ્યગ્દર્શનનું, સ્વાનુભવનું અનન્ય કારણ છે. એ કારણ પણ સત્પુરુષની ઓળખાણ વિના કોઈને પ્રગટતું નથી એમ કહે છે. આ વાત નાખી છે. કેમકે સત્પુરુષ વગર તો એને આ વાત જ મળવાની નથી. કેવી રીતે મળશે ? કોઈ એમ કહે કે પણ શાસ્ત્ર છે. પણ શાસ્ત્રની ઉત્પત્તિ સત્પુરુષથી છે. શાસ્ત્ર આવ્યા ક્યાંથી ? અમને શાસ્ત્રથી મળે. પણ એ શાસ્ત્રનો જનક કોણ છે ? શાસ્ત્રનો જનક કોણ છે ? શાસ્ત્રનો પિતા તો સત્પુરુષ છે. એટલે આખામાં વાત તો બધી સત્પુરુષમાં ચાલી જાય છે.
જ
એ સત્પુરુષને ઓળખ્યા વિના આત્માની ઓળખાણ ન થઈ, તારી ઓળખાણ ન થઈ, એ જ ‘અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે.’ વધારે આકર્ષણ ઉપજાવે છે કે તારા કરતાં એ વધારે સરળ છે. જેની સાથે સરળ હોય એની સાથે વ્યવહાર સીધો થાય. આડોડાઈ કરે એની સાથે સીધો વ્યવહાર ન થાય. કેવી રીતે થાય ? તો કહે કે પોતાના આત્મા કરતા સત્પુરુષ સરળ છે. એમ. કેવી રીતે સરળ છે ?
મુમુક્ષુ :– પોતે તો વિપરીતતામાં ઊભો છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. મૂળ આત્મા. મૂળ સ્વરૂપ છે એ કયાં વિપરીત છે ? પણ પોતાનું આ જે મૂળ સ્વરૂપ છે એના કરતાં સત્પુરુષ સરળ છે એમ કહ્યું. કેવી રીતે કહ્યું ? કે તું ગુપ્ત રહ્યો છો અને ઓલા પ્રગટ થયા છે. એણે એટલી સરળતા કરી છે. એ વ્યક્ત થઈને બહા૨ આવ્યા છે. એ વ્યક્ત થઈને બહાર આવ્યા છે નહિ, અમને કહે છે કે આમ નહિ ને આમ હોય, આમ નહિ ને આમ હોય. એટલી સરળતા છે. ભાન ભૂલેલા એવા અમે. અમે તો આના જેટલું ભાન ભૂલ્યા છીએ. કાંઈ ખબર નથી. શું કરાય ? શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એ અમને કાંઈ ખબર નથી. તો સત્પુરુષ સામેથી કહે છે કે એમ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૨
ન કરાય, આમ કરાય. આ બાજુ ન જવાય, આ બાજુ જવાય. તું તો અનાદિથી અંદ૨ બેઠો છો. તું તો કહેતો નથી. નજીક તો તું છો પણ તું કાંઈ અમને કહેતો નથી. કેમકે એટલી તારી સ૨ળતા નથી. કેવો વ્યંગ કર્યો છે !
સત્પુરુષનું મહત્વ દર્શાવવા એમણે કેટલી કેટલી શૈલી કરી છે ! બધા Paragraphમાં જુદી જુદી શૈલી કરી છે. તારા કરતા એ સરળ છે. માટે અમને તારા કરતા પણ એના પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. એમ કરીને સત્પુરુષનો મહિમા કર્યો છે. પણ રહસ્યભૂત વાત એ છે કે સત્પુરુષને ઓળખ્યા વિના કોઈ સીધો આત્માને ઓળખે એમ બને નહિ. ભલે સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ બરાબર સમજાય તોપણ. ઠીક ! સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ છે ને ? એ પ્રકરણ બરાબર સમજાય જાય. માટે આત્મા ઓળખાય જાય એમ પણ નહિ. સત્પુરુષ ઓળખાયા વિના કદિ આત્મસ્વરૂપની ઓળખાણ થતી નથી. કેમકે એક વ્યક્ત છે, એક અવ્યક્ત છે. તું વ્યક્તને તો જોતો નથી. અવ્યક્ત ક્યાંથી દેખાશે?
તને પ્રજ્વલિત ભડભડ ભડકે બળતી અગ્નિથી અગ્નિનું સ્વરૂપ જણાતું નથી, ઓળખાતું નથી. અગ્નિની શીખા-જ્યોત જાગતી જ્યોત. એનાથી તને અગ્નિ ન સમજાય તો ચકમકના પથ્થરમાં રહેલી અગ્નિનું સ્વરૂપ કેવી રીતે તને સમજાશે ? પથ્થ૨ તો તારો ગોળ છે. પેલી તો ઉષ્ણ છે. નજીક જાય તો ઉષ્ણતા લાગે છે. કે અગ્નિ કોને કહીએ ? કે જેનો સ્વભાવ ઉષ્ણ હોય તેને અગ્નિ કહીએ. ભડભડાટ સળગે છે તોપણ તને ખબર નથી પડતી કે અગ્નિ કોને કહેવાય ? તો ચકમકના પત્થરની અગ્નિનું સ્વરૂપ કેવી રીતે તને ઓળખાશે ?
એમ સત્પુરુષ નથી ઓળખાતા તો અંતરાત્મામાં રહેલું આત્મસ્વરૂપ તને ક્યાંથી ઓળખાય ? ત્યાં તો સ્વભાવ પ્રગટ છે, આ અપ્રગટ છે. આ વ્યક્ત છે, આ અવ્યક્ત છે. દશામાં પ્રગટ છે એ દશાને વ્યક્ત કરતા વચનો પાછા એથી વધારે પ્રગટ છે, પુદ્દગલાત્મક છે કે જેનો તને ઘણો પરિચય છે. પુદ્દગલનો તો તને ઘણો પરિચય છે. છતાં ન ઓળખાય, તો પછી આત્મસ્વરૂપ ઓળખાય એ વાતમાં તો કાંઈ માલ નથી. આટલું સત્પુરુષનું મહત્ત્વ છે. એના દર્શન બંધ કરી દેવાનો સિદ્ધાંત સમાજની અંદ૨ ફેલાવ્યો હોય તો ? સમાજની શું દશા થાય ? સમાજ ક્યાંનો કયાં પહોંચી જાય ? કે સત્પુરુષના દર્શન કરવા નહિ, વંદન કરવા નહિ, પગે લાગવું નહિ. તો શું દશા થાય ? આખો સમાજ અધોગતિમાં ચાલ્યો જાય. એક નવો અન્યમત પ્રવર્તે.
?
મુમુક્ષુ :– બહુ રહસ્યપૂર્ણ વાતને પ્રગટ કરી છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૧૭ પૂજ્ય ભાઈશ્રી -ઘણું રહસ્ય છે. મુમુક્ષુ -આ ઉપર કહ્યું ને કે અલ્પ શાતા છે એ પણ સપુરુષના યોગે જ છે?
પૂજ્ય ભાઈશ્રી – એમાં તો એમણે બહુ વાત કરી છે. શાતા તો પુણ્યના ઉદયથી લોકોને થાય છે. તો કહે છે, પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ પુરુષ છે. ધર્મ ઉત્પન્ન થવાનું મૂળ તો સત્વરુષછે, એ સિવાય કોઈ નથી પણ જગતમાં પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ પણ સપુરુષ જ છે એમ અમે કહીએ છીએ. એ વાતને સ્થાપી છે. એતો લોકો ભૂલી ગયા છે અને વાત રૂઢીએ ચડી ગઈ છે એમ લખ્યું છે આગળ. એ વાત લોકોને ખબર નથી. એને રૂઢીગત અત્યારે પુણ્ય થાય છે એટલે લોકોને ખબર નથી કે આના મૂળમાં પુરુષ બેઠેલા હતા. પણ આ જગતમાં પુણ્યતત્ત્વની ઉત્પત્તિ થઈ હોય તો એનું મૂળ પણ સપુરુષ છે અને ધર્મની ઉત્પત્તિનું મૂળપણ સત્પરુષ જ છે.
મુમુક્ષુ-પુણ્યના સાધનમાં તો પુરુષ જ નીકળ્યા ને? પુણ્યના જેટલા સાધન છે એ તો સત્પરુષમાંથી ઉત્પન થયા.મંદિર છે. શાસ્ત્રબધા. - પૂજ્ય ભાઈશ્રી - બધું... બધું... બધું. કોઈ વાત બાકી નથી. બધાના મૂળમાં સપુરુષ બેઠેલા છે. આ તો ચોક્કસ વાત છે. લોકો રૂઢિએ ચડી ગયા એટલે મૂળની ખબર નથી કે આનું મૂળિયું ક્યાં ગયું છે. પણ એક અંશ શાતાથી માંડીને પરિપૂર્ણ કેવળજ્ઞાન પર્વતની જે સમાધિ છે એ બધાના મૂળમાં પુરુષ બેઠા છે. એમ કરીને મહિમા કર્યો છે.
મુમુક્ષુ બતાવનાર ઈછે.
પૂજ્ય ભાઈશ્રી - એણે ન બતાવ્યું હોત તો કેવી રીતે થાત ? એમણે ભલે ધર્મ બતાવ્યો. મૂળમાં તો ધર્મ બતાવ્યો કે આત્મધર્મ શું છે?પણ એ આત્મધર્મ બતાવ્યો એ આત્મધર્મ સમજતી વખતે પણ પહેલા તો પુણ્યની ઉત્પત્તિ થઈ જાય છે. સમજતી વખતે શું થાય? આ આવો આત્મધર્મ છે એમ જ્યાં લક્ષમાં લે તો એ વખતે વિકલ્પ કાળે બીજું શું ઉત્પન્ન થશે? ત્યારે તો પુણ્ય ઉત્પન્ન થશે. તો કહે છે, એના મૂળમાં-પુણ્યના મૂળમાં સપુરુષ છે, ધર્મના મૂળમાં પણ પુરુષ જ છે. બહુ ઊંડે જઈને વાત કરી છે. છીછરી વાત નથી વિષયો તો બહુ સારા છે.
બીજા Paragraphમાં નીચેની ત્રણ લીટી છે. કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની પૂર્ણકામતા એટલે કેવળજ્ઞાન લઈ લેવું. સર્વસમાધિ. સર્વસમાધિ એટલે કેવળજ્ઞાન ‘તેનું સપુરુષ જ કારણ છે. એનું કારણ સત્પરુષ જ છે. એના ઉપર એ વાત કરી છે. સંસાર કેવળ અશાતામય છે, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે,
Page #235
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨
૨૧૮ તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે;.” કોઈ પ્રાણીને શુભભાવ થયો અને એને શાતા ઊપજી તો કહે છે કે પુરુષની કૃપા છે. એને ત્યાંથી પુણ્યની ઉત્પત્તિ થઈ છે માટે એનો અનુગ્રહ છે, એની કૃપા છે એમ લખ્યું છે.
કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. જાણ્યું એટલે એણે ખોટું જાણ્યું છે. સપુરુષના ઉપદેશ વિના પુણ્ય પણ નથી. “ઘણે કાળે ઉપદેશેલું.... એટલે મૂળમાં ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે;” એટલે લોકોને એ વાતની ખબર નથી. જેમ કોઈ ગ્રંથકર્તા છે, જે અજાણ છે. જેમ કે આ પંચાધ્યાયી છે. બહુ સરસ ગ્રંથ ! દ્રવ્યાનુયોગનો બહુ સરસ ગ્રંથ છે. પણ એનું મૂળ કોણ છે ? સત્પરુષ છે. ગ્રંથની પ્રશંસા થાય પણ સત્વરુષની ખબર નથી એટલે લોકો ભૂલી ગયા છે. એ સપુરુષની લોકોને ખબર નથી માટે ભૂલી જાય છે અને ગ્રંથની પૂજા કરવામાં આવે છે. શ્રતની પૂજા કરવામાં આવે છે ને ? તો ગ્રંથની પૂજા કરવામાં આવે છે. પણ એના મૂળમાં કોણ બેઠું છે?કે પુરુષ બેઠા છે. પણ રૂઢિગત રીતે ભૂલી જવાય છે.
રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે...” પુણ્ય તો જાણે પુસ્તક વાંચવાથી, પુસ્તકના ઉપદેશથી જાણે કોઈ પુણ્ય થતું હોય એમ લાગે છે. પણ એનું મૂળ એક સપુરુષ જ છે; એનું મૂળ કોણ છે? “એક સત્પરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે;” કેવળજ્ઞાનનું નિમિત્ત પણ પુરુષ છે અને એક અંશ પુણ્ય શાતા ઉપજે એનું મૂળ સત્પરુષ છે. આટલી બધી સમર્થતા છે. આપનું સમર્થપણું બહુ મહાન સામર્થ્ય હોવા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી” લેવા-દેવા નથી, “ગર્વનથી, ગારવ નથી....... કાંઈ નથી. જાણે પોતે અજ્ઞાની હોય એમ થઈને, એવો દેખાવ કરીને અટપટી દશાએ પ્રવર્તે છે. માટે અમને આશ્ચર્ય થાય છે કે આ તો આશ્ચર્યની કોઈ પ્રતિમા છે ! આશ્ચર્યની મૂર્તિ છે ! માટે અમે એનું નામસ્મરણ કરીએ છીએ અને ફરીને ફરીને એની સ્તુતિ કરીએ છીએ. એ પોતે પુરુષને કેવી રીતે ઓળખ્યા છે ? પોતે સત્વરુષને કઈ નજરે જોવે છે ત્યારે ઓળખે છે? અને ઓળખાય એની કઈ નજરથાય એ બધું આ એક પત્રમાંથી મળે છે. બહુ સરસ પત્ર છે.
મુમુક્ષુ :- મનુષ્યભવ મળ્યો, આ દિગંબર કુળ મળ્યું, આ બધું સન્દુરુષના અનુગ્રહથી મળે?
પૂજ્ય ભાઈશ્રી:-બધો સન્દુરુષનો અનુગ્રહ છે. બધાના મૂળમાં સપુરુષ છે. એ
Page #236
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૧૯ ભૂલી ગયો છે, એને ખબર નથી. એ રૂઢિમાં ચાલ્યો ગયો એટલે ભૂલી ગયો. રૂઢિગત થઈ ગયું એટલે ભૂલાઈ ગયું.
શું કહે છે કે અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય,'...” હવે શું છે ? પૂર્વકર્મના ઉદયના બળવાનપણાને લઈને જે બહારના સંયોગો છે એ અનિચ્છાએ સામે ચાલીને ઊભા થાય છે. જેમાં પોતાનો કાંઈ વિકલ્પ ન હોય, નિમિત્ત ન હોય. એવું ઊભું થતું હોય. પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય...” ઓછી કરો એમ તમે કીધું કે ઓછી કરવી જોઈએ. પણ અહીંયાં તો ઓછી જ છે. શું પ્રશ્ન છે કે રાગની પરિણતિ ઓછી છે પણ સંયોગો ઘણા વિચિત્ર છે. સંયોગો એવા છે કે જેને બહુ જ પૈસા મેળવવા હોય અને ધમાધમ કરતો હોય એને જેવા સંયોગો હોય એવા અમારા સંયોગો છે. ઘણું મેળવવા માટે જે પ્રયત્ન કરે અને એને જે સંયોગો ઊભા થાય એવા સંયોગો છે. અમારી અંદરની પરિસ્થિતિ સાવ જુદી છે.
તે પ્રત્યે રાગદ્વેષાદિપરિણતિ ઓછી હોય વળી જે ઉપાધિ કરવા એટલે એ કાર્યો કરવામાં જે ઉપયોગ જાય છે ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય છે. ઘણો ખેદ રહે છે. એ વિષયમાં લગભગ આખો દિવસ ખેદમાં જ વ્યતીત થઈ જાય એવી રીતે દિવસનો મોટો ભાગ ખેદમાં વ્યતીત થાય છે. અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યા કરતા હોય.... એટલે પરિણામમાં એમ જ રહ્યા કરતું હોય કે આ છોડવું છે. છોડવું છે... છોડવું છે... છૂટવું છે... છૂટવું છે. એવા સતત પરિણામ રહ્યા કરે છે. વારંવાર એ વિકલ્પ આવ્યા કરે છે.
કોઈ જીવોને એવું બને છે કે બાહ્ય સંયોગોનો ત્યાગ કરતાં એને એ ત્યાગ કરવામાં કઠણ પડે, બળ પડે, આકરું લાગે. એવું પોતાને નથી. અત્યારે આ મૂકીને ચાલી નીકળીએ તો કાંઈ એનો વિકલ્પ ફરીથી ન આવે એવી અંદરની પરિસ્થિતિ સરસ છે. છોડે તો સહજમાત્રમાં છોડી શકે એવી અંતરંગદશા તૈયાર થઈ ગઈ છે એમ કહેવું છે. તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય... એટલે લંબાતો હોય. એ પૂર્વ પ્રારબ્ધનો યોગ છે. તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?’ આમ કહેવું છે. પ્રશ્ન થોડો ઊંડો છે, એમ કહે છે. શા ઉપાયે નિવૃત્ત કરી શકાય? એવો કોઈ ઉપાય જાણવા મળે છે? તમારા ખ્યાલમાં આવે છે? એમ કહે છે.
એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે. એટલે તમારું જ્ઞાન લંબાય અને કાંઈક તમારા લક્ષમાં વાત આવે કે આ પ્રશ્નમાં શું કરવું જોઈએ, તો તે લખશો.” લખશો અથવા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૨ એમણે એમ કહ્યું છે કે, આપણે જ્યારે મળીએ ત્યારે એ વાતની ચર્ચા તમે કાઢજો. આ પ્રશ્ન હું તમને આપી રાખું છું. આની ચર્ચા તમે કાઢજો. એ વાત આ પત્રમાં કરી છે. એટલે શું કહ્યું? કે પોતાની પરિસ્થિતિનું એમણે વધારે વર્ણન કર્યું કે રાગ પરિણતિ તો ઘટી ગઈ છે. છોડી દઈએ તો અમને કાંઈ આકરું લાગે એવું નથી. સહજમાત્રમાં છોડી શકીએ એવું છે. એનો કાંઈ વિકલ્પ આવે એવું નથી કે હવે આનું શું થશે? આનું શું થશે ? આનું શું થશે? કાંઈ સંભાળવું પડે એવું કાંઈ લાગતું નથી. અને અત્યારે જે છૂટું નથી તો છોડવાના વિકલ્પ વધારે આવે છે. જે પ્રવૃત્તિમાં જે વિકલ્પ આવવા જોઈએ એના કરતાં છોડવાના અને પ્રવૃત્તિ કરીએ છીએ એના ખેદના પરિણામ વધી જાય છે. પલ્લે આમ જાય છે. પ્રવૃત્તિ કરવાના પરિણામ નથી. એક એનો ત્યાગ કરવાનો અને પ્રવૃત્તિ કરતા જે ખેદ થાય એ ખેદના પરિણામ, એ બેનું પ્રમાણ વધી જાય છે.
. આ ઉદયબળ તૂટી જાય. એમ કહેવું છે. ઉદય મફતનો નથી આવતો. પૂર્વકૃત છે. ભલે અત્યારે પરિણામ એમાં ચોંટીયા છે. એને લાવવા શું કરવું? આ પ્રશ્ન છે. અહીંયાં તૈયારી થઈ ગઈ છે. અત્યંતર તૈયારી થઈ ગઈ છે. બહારની પરિસ્થિતિ મંદ પડતી નથી, ઉલટાનું વધીને આવે છે. એકદમ એની સ્થિતિને અપકર્ષણ કરી નાખવી હોય તો શું કરવું જોઈએ એમ કહે છે. પ્રારબ્ધ જે પૂર્વસંચિત છે એની સ્થિતિ એકદમ ઘટી જાય એવું કરવું હોય તો અમારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન એમણે પૂછડ્યો છે.
મુમુક્ષુ-મૂળપ્રશ્ન આપૂક્યો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પૂક્યો છે. અમારી તૈયારી નથી થઈ એ વાત નથી. તૈયારી થઈ છે એના આ ચિહ્નો છે. શું ચિહ્નો છે? કે એ સંયોગો પ્રત્યેના રાગ-દ્વેષ આદિની પરિણતિ ઓછી થઈ ગઈ છે. ઉપાધિમાં ઉપયોગ જાય છે તો એમાં ખેદ સાથે સાથે ઉભો થાય છે. અણગમો થઈ જાય છે. અને એનો ત્યાગ કરવાના પરિણામ વારંવાર આવે છે. આ છોડી દઈએ... આ છોડી દઈએ છોડી દઈએ.. છોડી દઈએ. ઊલટાનો સંયોગની અંદર નવા નવા નવા નવા ફણગા જ ફૂટતા જાય છે. એકને પતાવીએ ત્યાં ત્રણ બીજા ઊભા હોય. એકને રવાના કરીએ તો ત્રણ સામે આવીને ઊભા હોય..... કોઈ આવતું નથી. કરવું શું? આનો ઉત્તર અમને આપો એમ કહ્યું. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એ એટલો છીછરો નથી. અઘરો પ્રશ્ન પૂછ્યો છે. શું ઉત્તર આપ્યો છે એ તો હવે ઉત્તર મળે તો ખ્યાલમાં આવે. પ્રશ્ન તો અઘરો પૂક્યો છે.
મુમુક્ષુ - ઉદય જે છે એ કોઈ રીતે છૂટી શકે નહિ એટલો એમને ખ્યાલ છે. પૂજ્ય ભાઈશ્રી - ઉદયને છોડી શકાતો નથી. ગ્રહણ-ત્યાગનો અધિકાર નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૨૧ બરાબર છે પણ જો જીવ પોતે એવી કોઈ આત્મદશામાં ઉગ્રતામાં આવે, આત્મદશા છે એની કોઈ ઉગ્રતામાં આવે એટલે વીતરાગતાની વૃદ્ધિ થઈ જાય. પ્રારબ્ધ છે એની સ્થિતિ ટૂંકાઈ જાય. ઉદયમાં આવ્યા પહેલાના જે પરમાણુના નિષેકો છે એની સ્થિતિ ટૂંકાઈ જાય. એટલે જે ઘણા કાળ સુધી ઉદય લંબાવાનો હોય એ તીવ્રપણે આવીને અલ્પકાળમાં પૂરો થઈ જાય.
મુમુક્ષુ-મુનિદશા લઈને પ્રસંગ બને.
પૂજ્ય ભાઈશ્રીઃ-મુનિદશાલે પણ મુનિદશા લે તો એમાં તો એમણે પોતે સંયોગો છોડડ્યા એમ થયું ને ? આ તો સહજ કેવી રીતે ઉદય પૂરો થાય એમ કહે છે. એમાં શું છે કે આ જરા ઊંડો વિષય છે. કોઈ જીવ ભાવલિંગી મુનિ બને છે તો કેવી રીતે બને છે? કે એક બાજુમાં એના આત્માની એવી તૈયારી થાય છે કે સીધા જે ધ્યાનમાં પ્રથમ બેસે અને સપ્તમ ગુણસ્થાનમાં આવશે. એટલી પૂર્વતૈયારી સુધીની પરિણામની અંદરની તૈયારી થઈ ગઈ હોય છે. આ વિષય જો સમજાય કે) પૂર્વતૈયારી કેટલી થાય છે કે જેને લઈને એનો સાંસારિક સંયોગોનો પ્રારબ્ધ ઉદય હોય છે કે આ બાજુ એ મુનિદશા અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠે અને આ બાજુ એની સ્થિતિ પૂરી થતી હોય. એવું ન બને કે એની સ્થિતિ પૂરી ન થાય અને અહીંયાં મુનિપણું લે. કેવી રીતે બને?કે સંસારનો પ્રારબ્ધ ઉદય એમ ને એમ રહે અને અહીંયાં મુનિદશા લઈ લ્ય એ કેવી રીતે બને? એ તો બને નહિ. એમણે ઈ જોયું છે, કે આ કેમ બનતું નથી ? અહીંયાં તૈયારી ચાલે છે અને આ કેમ બનતું નથી ? શું કરવું જોઈએ? હવે મારે શું કરવું જોઈએ ? આ તો એમણે સમસ્યા ખુલ્લી કરી છે. પ્રશ્ન છે એ જરાક (સૂક્ષ્મ છે).
મુમુક્ષુ-પુરુષાર્થનું જોર ઘણું છે.
પૂજ્ય ભાઈશ્રી – જોર ઘણું છે. તોપણ એ જોર ઘણું છે ત્યાં એ સમસ્યા પાછી ઊભી થઈ છે. રસ્તે ચાલતા ચાલતા કેવા વળાંક આવે છે, કેવા રસ્તા વચ્ચે ગડબડવાળા હોય છે, વચ્ચે કેવી કેવી સમસ્યાઓ આવે છે. અને પછી ૨૮, ૨૯. દોઢેક વર્ષનીકળી ગયું છે. ૩૦મે વર્ષે ઠીક ઠીક નિવૃત્તિ લીધી છે. ઉદય મોળો પડ્યો છે હજી, છૂટ્યો નથી. ઉદય મોળો પડ્યો છે એટલે જોર કર્યું છે, વનવાસ ખેડ્યો છે. એ વખતે એમ થઈ ગયું છે કે બસ ! હવે આમાં આગળ વધી જઈએ તો મુનિદશા શું કેવળજ્ઞાન લઈ લઈએ એકવાર તો. પણ જે બનવાનું હોય એ અન્યથા થતું નથી. આ બાજુ જ્યાં પ્રયોગ કરવા ગયા ત્યાં શરીરે બીજી પરિસ્થિતિ થઈ. શરીરની પરિસ્થિતિ સાવ બીજી થઈ ગઈ. એટલે કાંઈક જોર કરવા ગયા ત્યાં વજન કેટલું ઘટી ગયું છે !
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૨ અડધું જેટલું વજન ઘટી ગયું. છેલ્લે તો કાંઈક ૮૩રતલમાંથી ૪૦ રતલ થઈગયું.
મુમુક્ષુ –૪૩ રતલ.
પૂજ્ય ભાઈશ્રી – ૪૨-૪૩ રતલ. શરીરનું અડધોઅડધ વજન ઘટી ગયું. પછી તો કોઈ વનવાસની દશાની પરિસ્થિતિ રહી નથી. બાહ્ય સંયોગમાં તો શારીરિક સ્થિતિનો વિયોગ હોય છે. અને યોગ ન હોય પૂર્વકર્મ... તો પછી સંથારો કરી લ્ય. પછી સંયમ તોડે નહિ અને પછી સંયમ તોડીને અન્યથા કોઈ માર્ગ પ્રવર્તાવે નહિ કે વાંધો નહિ, એવું નથી. પછી સંથારો લઈ લે.
મુમુક્ષુ-છૂટવાનો માર્ગ એક વીતરાગતા છે, બીજો કોઈ માર્ગનથી.
પૂજ્ય ભાઈશ્રી:માર્ગ તો એક જ છે પણ અત્યારે મારે શું કરવું? આ પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં મારે શું કરવું? આ સમસ્યા છે. એ તો એમને જે ઉત્તર આપ્યો છે કે તમે રાગપરિણતિ ઘટાડો. કોઈ રાગપરિણતિ ઘટાડે તો જ આમ બને તો (કહે છે), મારી આ અંદર-બહારની સ્થિતિ તમને કહું છું. હવે મારે અત્યારે અહીં શું કરવું એ કહો. આ પ્રશ્ન એમણે પૂક્યો છે.
મુમુક્ષુ – ઉદયની વચ્ચે રહીને શું કરવું? એમ કહે છે. પૂજ્ય ભાઈશ્રી – શું કરવું? કહે છે. ઉદયની વચ્ચે રહીને) શું કરવું? કે જે ભરત ચક્રવર્તીએ કર્યું. એ કર્યું ભરત ચક્રવર્તીએ કર્યું. ઉદયની વચ્ચે રહીને, છ ખંડના રાજની વચ્ચે રહીને એટલી બધી તૈયારી કરી કે જેવો મુનિદશાનો વિકલ્પ આવ્યો, બહાર જ નીકળ્યા નહિ. એટલે તો પૂજ્ય બહેનશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે એ ઘડીને અને એ પળ ધન્ય છે કે જ્યારથી ઉપયોગ અંદર ગયા પછી બહાર જ નહિ આવે. એ સ્થિતિમાં એ આવે. સીધું જ કેવળજ્ઞાન લીધું. શ્રેણી માંડી પછી. સાતમા ગુણસ્થાનથી પાછા ફરીને છઠે ન આવ્યા. પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, કોઈ બહારમાં આચાર પાળવાની કોઈ સ્થિતિ જ ન આવી સીધા જ કેવળજ્ઞાન સુધી વયા ગયા. એમ થવાનું શું કારણ?એટલી તૈયારી છે. એની ભૂમિકા એ પ્રકારની છે. વિષય ઊંડો છે.
ભાવાર્થપ્રકાશ' ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી; એમ મને લાગે છે.” “ભાવાર્થપ્રકાશ' નામનો ગ્રંથ હાથમાં આવ્યો છે. સંપ્રદાયની અંદર જે વિવાદ ચાલે છે એના સમાધાનની વાત લખી છે. પણ એ કોઈ જ્ઞાનીપુરુષની રચના હોય એવું અમને લાગતું નથી. વાણી ઉપરથી એમણે એ જ્ઞાનીની રચના હોય એવું નથી લાગતું. કેટલી પરખ છે !
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પત્રાંક-૫૯૮
શ્રી ડુંગરે અને પુરુષ એક વરખ હે એ સવૈયા લખાવ્યો તે વાંચ્યો છે.' સોભાગભાઈએ આમને પદની રચના કોઈક મોકલી હશે. “શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છેએટલે એમને એ વૈચારિક પદ્ધતિમાં Practice છે. અનુભવ એટલે Practice છે. “તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, ઉપદેશની કોઈ છાયા હોય એટલી વાત છે. કોઈ બળવાન વાત નથી. “અને તેથી અમુક નિર્ણય કરી શકાય...” એટલે એની યોગ્યતાનો અમુક નિર્ણય કરી શકાય. અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી.’ હજી એમાંવિપર્યાસો રહ્યા છે એમ લક્ષમાં આવે છે.
“જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે...... કોઈને પુરુષાર્થની જાગૃતિ માટે વાત ઠીક છે. “એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. શું છે કે જે અખા ભગતના પદો છે એ એમણે સારી રીતે વાંચ્યા હશે, એમાંથી કોઈ કોઈ વાર પોતાની નવા પદની રચનામાં પણ ઉતારતા હશે. શ્રી નવલચંદના હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે,...” “નવલચંદડોસાભાઈ “મોરબીના એક મુમુક્ષુ છે. એના ઉપર ઘણા પત્રો લખાણા છે. બે પોસ્ટકાર્ડ એમના આવેલા.
કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે...” એટલે એમને ધર્મની કાંઈક જિજ્ઞાસા થઈ છે એમ લાગે છે. તથાપિ તે અભ્યાસવતુ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. અભ્યાસવત્ એટલે શું? ગોખવા જેવું. ગોખીને મોઢે કરી નાખે અને જેમાં ભાવાકાર ન હોય એને દ્રવ્યાકાર કહેવામાં આવે છે. કડકડાટ કરી નાખે. જે વાત હોય એ બરાબર મુખપાઠ કડકડાટ કરી નાખે. એમાં એનો ભાવ ન ભળે. તો એ દ્રવ્યાકારે એણે એ ગ્રહણ કર્યું છે. અને ભાવ પકડે તો ભાવાકારે ગ્રહણ કર્યું છે એમ કહેવું છે. એટલે અભ્યાસવત્ એટલે ગોખીને દ્રવ્યાકાર જેવી હાલ એમની સ્થિતિ સમજવી યોગ્ય છે.
જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે. ક્ષયોપશમ કાંઈક ઠીક છે અને કાંઈક લક્ષ રાખશે તો એમને ભાવ પરિણામે પણ ધર્મ સમજવાનું શક્ય છે. એવી એમની યોગ્યતા છે. વર્તમાન યોગ્યતાનો, “નવલચંદભાઈની યોગ્યતાનું ટૂંકું વર્ણન કર્યું છે.
મુમુક્ષુ -આ પણ “કૃપાળુદેવની વિચક્ષણતાનો પ્રકાર ગણાય.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી - ઘણી વિચક્ષણતા! કોઈ જીવ એમની સાથે પરિચયમાં આવે એટલે ક્યાં ઉભો છે એનું Meter એની પાસે હોય. એ એક વિશેષતા હતી. વ્યક્તિગત એમને બધાનો સંપર્ક રહ્યો છે અને વ્યક્તિગત સંપર્કમાં વિશેષતા એ છે કે સામો જીવ કઈ જગ્યાએ છે? એને અત્યારે કયો ખોરાક આપવો જોઈએ ? કયો ખોરાક ન આપવો જોઈએ? આને મગનું પાણી આપવું, આને રોટલી, દાળ-ભાત, શાક આપવા, આને મિષ્ટાન આપવું કે આને ચાર શેર ઘીનો અડદિયો ખવડાવવો, સાલમપાક ખવડાવવો. એ બધું એમની પાસે માપ હતું. એટલે જેવો સામે માણસ હોય એવી વાત કરતા. અને એવી વાત કરતા એટલે ઘણા લોકોને એ વાત સમજવામાં નથી આવતી કે અહીંયાં આમ વાત કરી છે અને અહીંયાં આમ વાત કરી છે. આમ કેમ છે? પણ ત્યાં એને એમ કહેવું જરૂરી હતું. એને તમે ત્રિકાળી સિદ્ધાંતમાં લઈ લ્યો. વાત તો વ્યક્તિગત છે એને તમે ત્રિકાળી સિદ્ધાંતમાં લઈ લ્યો. એ સમજણફેર થઈ જાય છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે.... ‘ડુંગરભાઈ પદોની રચના કરતા હશે. કવિત્પણું હશે. “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. જેને ઉપાધિમાં ઉદાસીનતા આવે એને થોડી ઠીક લાગે એવી વાત છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. એટલે બન્નેએ પ્રત્યક્ષ સમાગમમાં મુંબઈ આવવા માટે પૂછાવ્યું છે.
શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. એ જ્યારે પોતે આવવા માગે છે ત્યારે એ લગભગ ઢીલા પડી જાય છે. એમાં શું છે કે એમની કોઈ ધાર્મિક પ્રતિષ્ઠા સારી હતી. ક્ષયોપશમવાળા હતા. એટલા ક્ષયોપશમવાળા હતા કે શરૂઆતમાં તો “સોભાગભાઈ પણ એને અનુસરતા હતા. વાંચન, અન્ય મતોના ગ્રંથોનું વાંચન, અને ક્ષયોપશમ, કવિત્વ આ બધું હતું. એટલે એને લઈને સમાજમાં કાંઈક એ સંબંધીની એમની Prestige પણ. હતી. હવે એ ધાર્મિક Prestige વાળા માણસ. એમનાથી નાની ઉંમરના માણસના ઘરે જઈને સત્સમાગમ કરવા જાય તો એને સહેજ પગ પાછો પડતો હતો. મને સંકોચાતું હતું. આવવા માટે એને ઉત્સાહનહોતો આવતો. એટલે એ શિથિલ થતા.
મુમુક્ષુ - સમાજનું ઓલું હતું.
પૂજ્ય ભાઈશ્રી – સમાજને કારણે. એટલે બહુ સુવાળી ભાષામાં Soft tongue tone જેને કહેવાય. આવા પ્રસંગમાં એટલે રૂબરૂ આવવામાં એમને કેટલીક વાર કાંઈક
Page #242
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૮
૨૨૫
શિથિલપણું થઈ જાય છે. ઢીલા થઈ જાય. જે જોર આવવું જોઈએ એ જોર નથી દેખાતું. પણ આવા પ્રસંગે એટલે આ વખતે એવું કાંઈ કારણ નથી. જરૂ૨ આવે એમ કહે છે.
કંઈક શ્રી ડુંગ૨ને દ્રવ્ય (બહાર)થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે...’ લૌકિક માન જે મળી ગયું છે એમાં ખામી પહોંચે કે આ તો ત્યાં જવા માંડ્યા. એ અહીંયાં આવે કે આણે ત્યાં જાવું જોઈએ ? આ તો એ ત્યાં જવા માંડ્યા. એનું સ્થાન એમ કે નીચું દેખાય એવી બહારમાં પરિસ્થિતિ ઊભી થાય એ વાત એને લક્ષમાં આવતી હશે. એટલે આવવાનો વિચાર એનો ઢીલો પડી જાય છે, શિથિલ થઈ જાય છે. પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી;...' પણ જેને આત્મહિતની મુખ્યતા હોય એ જીવ વિચારવાન છે. વિચારવાન છે એને આત્મહિતની મુખ્યતા હોય છે, આત્મહિતની મુખ્યતાવાળાને વિચારવાન કહેવામાં આવે છે. એ વાત એને ઘટતી નથી એવું એણે નહિ રાખવું જોઈએ. એના જેવા એમ રાખે તો પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ? એને સત્સંગ મળે તોપણ ન થાય, સાધારણ માણસને તો. અહીં તો થોડોઘણો સત્સંગ રહેતો હતો. પત્રથી પણ રહેતો હતો.
‘એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે.’ ‘મુંબઈ’ની વાત કરે છે. આજથી ૯૬ વર્ષ પહેલા મુંબઈ’ની વસ્તી અત્યારે છે એના કરતાં દસમા ભાગની હશે. ત્યારે પણ એમ કહે છે કે અહીંનું ક્ષેત્ર એવું છે કે ચિત્તને અનાર્ય કરી નાખે. એટલે ક્ષેત્ર અનાર્ય જેવું છે. ત્યાં રહેનારનું ચિત્ત પણ અનાર્ય જેવું થઈ જાય. એની વૃત્તિઓ પણ અનાર્ય જેવી થઈ જાય. ખાણીમાં, પીણીમાં, રહેણી કરણીમાં. તેવાં ક્ષેત્રમાં...
મુમુક્ષુ ઃ– પાપરૂપ પરિણામ વધી જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, વધી જાય. પાપરૂપ પરિણામ વધી જાય અને વિવેક ઘટી જાય. બાહ્ય જીવનનો પણ વિવેક ઘટી જાય. ત્યાં જે લોકો છૂટછાટથી રહે છે એ દેશમાં નથી રહેતા. ‘મુંબઈ’માં રહે છે એના કરતાં ભાવનગર'માં છૂટછાટ ઓછી હોય અને ‘ભાવનગ૨’માં હોય એના કરતા ગામડામાં જાવ તો એથી છૂટછાટ ઓછી હોય. રહેણીકરણી, કપડા-લતામાં ફેર પડે છે કે નથી પડતો ? બોલવામાં, ચાલવામાં. હવે તો આવાગમન એટલું વધ્યું છે કે ઝડપી સાધનો આવવા-જવાના થયા છે કે હવા જલદી લાગી જાય છે. એક જગ્યાની હવા બીજી જગ્યાએ વહેલી લાગી જાય છે. પણ એ દિવસે તો તેવા સાધનો નહોતા.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૨ હજી એ વાત નથી સમજાતી કે ઘણા માણસ ત્યાં નિવૃત્તિ લઈ લે છે. ધંધાની ઉંમર પૂરી થઈ ગઈ હોય, નોકરીની ઉંમર પૂરી થઈ ગઈ હોય, બહારમાં નિવૃત્તિ આવી હોય. પણ “મુંબઈ ન છોડી શકે. ક્ષેત્ર ન છોડી શકે. સાવ નવરા હોય. શું કરવું? ભાઈ ! અમે તો સાવ નિવૃત્ત છીએ. વાંચીએ, વિચારીએ, મંદિર જઈએ, સાંભળીએ . તો હવે અહીંયાં શું કામ છે? તો પછી અહીંયાં રહેવાનું કામ શું છે? આ કોઈ રહેવા જેવું ક્ષેત્ર છે? પણ ત્યાંની જે માયા લાગી હોય છે, આખી જિંદગી ત્યાં કાઢી હોય એ ધમાધમવાળા ક્ષેત્રમાંથી નિવૃત્તિક્ષેત્રમાં માનસિક રીતે રહેવાની તૈયારી હોતી નથી. ઘણા મુમુક્ષુઓને જોઉં છું.
વવાણિયામાં ભાઈ મળ્યા હતા ને ? છોકરાઓ તૈયાર થઈ ગયા. છોકરાઓ સંભાળે. આપણે તો નિવૃત્તિ લઈ લીધી છે. પણ રહીએ છીએ “મુંબઈમાં. મૂળ વતન જામનગરના છે. રહીએ છીએ મુંબઈમાં. કેમ? “મુંબઈ છોડવું નથી ગમતું. ત્યાં શું છે એ કાંઈ સમજાતું નથી. અને આ ૯૬ વર્ષ પહેલા કહે છે. ૪૭ને ૪= ૫૧.સોમાં ચાર ઓછા છે.
મુમુક્ષુદ-ભાવથી નિવૃત્તિ નહિલીધી હોય?
પૂજ્ય ભાઈશ્રી –એ તો આપણે કોઈનું શું કામ છે? પણ આ પરિસ્થિતિ છે એમ કહેવું છે. વ્યક્તિગત તો... એતો ઘણા આપણા મુમુક્ષુઓ પણ નિવૃત્તિમાં ત્યાં જ રહે છે.
મુમુક્ષુ-એટલે ભાવથી નિવૃત્તિ નહિથઈ હોયને?
પૂજ્ય ભાઈશ્રી – ના. નિવૃત્તિનું કાંઈ ઠેકાણું નથી હોતું. સામાન્ય રીતે કાંઈ (ઠેકાણું નથી હોતું). સામાન્ય જે વિવેક, વિચાર નિવૃત્તિક્ષેત્રનો આવવો જોઈએ એટલો પણ વિચારમાં વાત ન હોય કે હવે આ જીવનનો ઉતરાર્ધ–સંધ્યાકાળ ચાલે છે અને હવે સમજી લેવા જેવું છે. એટલો પણ વિવેક-વિચાર નથી હોતો. એટલે પછી બાહ્ય જીવનની અંદર પણ કાંઈ ઠેકાણું હોય નહિ.
મુમુક્ષુ – ‘ગુરુદેવશ્રી “મુંબઈ માટે ઘણીવાર દષ્ટાંત દેતા હતા કે ભારે પત્થર હોય એ ક્યાંય અટકે નહિ, સીધો તળીયે જાય. એમ પાપ પરિણામથી જે જીવ બંધાણો હોય એ ક્યાંય અટકે નહિ, નીચે જ એની ગતિ જાય. એ કાયમ કહેતા. પડે તો ક્યાંય રસ્તામાં ન અટકે. એટલે એવું મુંબઈ ક્ષેત્ર છે.
પૂજ્ય ભાઈશ્રી:-પત્થર ભારે થઈ જાય.
મુમુક્ષુ ભારે પત્થર થઈ જાય તો નીચે જ જાય. બીજે ક્યાંય અટકવાની સ્થિતિ ન રહે. સીધો તળીયે જ જાય. ૯૬ વર્ષ પહેલા અનાર્ય ક્ષેત્ર કીધું હતું તો અત્યારે તો
Page #244
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૮
૨૨૭. એની શું સ્થિતિ હશે?
પૂજ્ય ભાઈશ્રી – અત્યારે અનાર્ય ગુણ્યા અનાર્ય થાય. એક વખત નહિ સો વખત ગુણી નાખો એવું છે. છેલ્લા ૯૦વર્ષમાં તો હજાર વર્ષમાં ફેરફાર થાય ને એટલો બધો ફેરફાર થઈ ગયો છે. એટલો ઝડપી કાળ ઉતરતો છે.
મુમુક્ષુ - સંગમાં રહેવાની જે પ્રવૃત્તિ ભાવ વિશેષ થઈ ગયા હોય એને અસંગમાં...
પૂજ્ય ભાઈશ્રી :- હા, એને એ સંગ છોડવો ગમતો નથી. જે ત્યાં સંગ છે એ સંગ છોડવો ગમતો નથી. સીધી વાત છે.
મુમુક્ષુ-સગવડતાનું લક્ષ પણ વધારે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. સગવડતાનું, અનુકૂળતાનું. દૈહિક-દેહની સગવડતાનું. મુંબઈમાં સચવાય એવું બીજે ક્યાં સચવાય?નાના ગામડામાં જાય તો ધૂળ ઊડે. ત્યાં ધૂળ ન ઊડે. અહીંયાં ધૂળ ઊડે. ફરવા નીકળે તો ગામડામાં પગ ધૂળવાળા થાય. ત્યાં તો રસ્તા સારા સાફ કરેલા હોય, ધોયેલા મજાના.
મુમુક્ષુ –શરીર લક્ષે જ પરિણામ છે. પૂજ્ય ભાઈશ્રી:- શરીર લક્ષે પરિણામ છે.
(અહીંયાં, શું કહે છે? “એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે... જુઓ ! એ પાંચસાત વર્ષ રહ્યા છે પણ “મુંબઈનો કેવો સરવાળો માર્યો છે ! કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરીને વિપર્યય રહ્યા...’ વર્ણન ચોખ્ખું ચોખ્યું છે ને ! “આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરીને વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે...” મોટા ભાગનાને તો અમે ના જલખી નાખી છે. તમારે અહીંન આવવું. તમે નિવૃત્તિ ક્ષેત્ર હોય ત્યાં આવજો, “મુંબઈ આવવું નહિ. આ ચોખ્ખી ના લખી નાખે.
મુમુક્ષુ - કેટલો વિવેક કર્યો છે ! મુમુક્ષુ માટે કેટલો વિવેક છે ! પ્રવૃત્તિમાં સત્સમાગમનો જે લાભ થવો જોઈએ એ નથી થતો?
પૂજ્ય ભાઈશ્રી – એ નથી થતો. અને એ ક્ષેત્ર જ એમને અનુકૂળ નથી લાગ્યું. સત્સમાગમ માટે એ ક્ષેત્ર એમને અનુકૂળ નથી લાગ્યું.
મુમુક્ષ - એવું જ પ્રવૃત્તિમય જીવન અહીંયાં કરી નાખે તો મુંબઈ જેવું જ થઈ
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જાય.
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– એવું જ થઈ જાય. એ તો છે. પોતે કેટલો રસ લે છે એના ઉપર
તો છે.
“ના’ લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.’ આવના૨ જે મુમુક્ષુ એને શ્રેયકર થાય એમાં બાધા પડે એવું છે. ‘તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી....’ તમારા તથા ‘ડુંગર’ના આવવા સંબંધમાં એટલો બધો વિચાર એટલે તમને ના લખીએ એવો વિચાર નથી થતો. તમારી યોગ્યતા જોઈને, બીજાને ના લખી નાખીએ છીએ, તમને ના લખીએ એવો વિચાર નથી થતો. પણ કંઈક સહજ થાય છે.’ એટલો બધો નથી થાતો પણ થોડો થાય છે. એટલે ચોખ્ખું પોતાને જેટલા પરિણામ સ્પષ્ટ છે એ કહી દે છે. એમાં ‘ડુંગરભાઈ’ને ઊલટું પડી ગયું છે. એટલે બીજો પત્ર પાછો લખવો પડ્યો છે એના જવાબમાં.
‘કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય;...’ અમારી પ્રવૃત્તિ જોઈને તમને શંકા પડે એવું કારણ નથી. પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્યમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે.’ આ ક્ષેત્રની પરિસ્થિતિ જોઈને આપણા જેવાએ તો એકદમ એકાંત સ્થળમાં જ સત્સમાગમ કરવો જોઈએ. એવો અભિપ્રાય રહે
છે.
જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે.... તમે આવશો એટલે હું પ્રવૃત્તિ થોડી ઓછી કરીશ. તથાપિ આજુબાજુનાં સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે.’ સહજ લાગે છે. ‘આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું.’ વધારે વજન ન મૂકવું કે તમે આવશો નહિ એમ ન સમજવું. એક જે વિચાર આવ્યો એ તમને લખ્યો છે એટલું જ તમારે સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી..’ ચોખ્ખું કર્યું છે. પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય...’ એમનું મન પાછું પડતું હોય તો તેમના પ્રત્યે તમે દબાણ કરશો નહીં....' એને દબાણ કરીને લાવતા નથી. સહેજે ઉત્સાહથી આવે, ઉમંગથી આવે, ભાવનાથી આવે તો આવે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૯
પત્રાંક-૫૯૮ મન પાછું પડતું હોય તો ન આવે. એટલે દબાણ કરશો નહિ. | ‘તોપણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. એમને એમ છે કે આ જીવ જો સત્સમાગમમાં નિવૃત્તિક્ષેત્રમાં આવશે તો મોટો સારો એવો પલટો મારી જશે. અહીંયાં એટલો ફેર નહિ પડે એનામાં, જેટલો નિવૃત્તિ ક્ષેત્રમાં ફેર પડશે. એટલે એટલા પૂરતી એમણે ડુંગરભાઈ માટે થોડી ચોખવટ વધારે કરી છે. એ સમજણફેર થઈ ગઈ છે. એટલે વળી બીજો પત્ર લખે છે. એ ૬૦૦નંબરનો છે. અહીં સુધી રાખીએ.
કોઈ જીવ નિજદોષના અવલોકનપૂર્વક મુમુક્ષતામાં આગળ વધે છે, ત્યાં સ્વચ્છેદ ઘટે છે, અને ચંચળતા ઓછી થઈ, પરિણામમાં બાહ્ય શાતા આદિવર્તે છે, તે જો પ્રિય લાગે અને તેની મુખ્યતા વર્તે, તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે ત્યાં હજી બાહ્ય સુખની અપેક્ષા ગઈ નથી, તેથી માનસિક શાંતિ ઠીક લાગી – તે લૌકિક સુખની જાતિ - એક જાતિનું સુખ પ્રિય લાગ્યું. ત્યાં આત્મા “સતુપરમાનંદરૂપ છે, એમ નિશ્ચય નથી. તેમ જ તેવો નિશ્ચય થવામાં, ઉક્ત ભાવોની મુખ્યતા પ્રતિકૂળ છે. વાસ્તવમાં તો અપૂર્વ જિજ્ઞાસાવૃત્તિએ સ્વરૂપ નિશ્ચય થવામાં પરિણામો લાગવા જોઈએ. ઉદાસીનતા વૃદ્ધિગત થવી જોઈએ.
(અનુભવ સંજીવની-૧૪૭૩)
ક્ષયોપશમશાનનો ઉપયોગ બે પ્રકારથી થાય છે. વિચારણામાં અને પ્રયોગમાં જ્યાં સુધી પ્રયોગમાં ક્ષયોપશમન લગાવવામાં આવે ત્યાં સુધી યથાર્થતા આવે નહિ અથવા વાસ્તવિક વસ્તુ – સ્વરૂપ સમજવામાં આવે નહિ. મોક્ષમાર્ગની પ્રાપ્તિ સુધીમાં, માત્ર બૌદ્ધિક સ્તરે પ્રયાસ કરવામાં આવે તો સફળતા મળે નહિ. સાચી મુમુક્ષતામાં પ્રયોગ પદ્ધતિની પ્રધાનતા હોય છે. તે જ સાચી કાર્યપદ્ધતિ છે.
(અનુભવ સંજીવની–૧૪૭જી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
રાજદ્રય ભાગ-૧૨
તા. ૨૪-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૮ થી ૬૦૧
પ્રવચન . ૨૮૦
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૫૯૮. છેલ્લો Paragraph બાકી છે. પાનું-૪૬ ૫. સોભાગભાઈને પત્ર લખે છે. મુંબઈમાં પ્રત્યક્ષ સમાગમનો વિષય છે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે...” એવા પ્રકારનો વિચાર રહે છે એટલે શું ? કે, નિવૃત્તિમાં સત્સમાગમ થાય અને પ્રવૃત્તિકાળમાં સત્સમાગમ થાય એમાં ફરક પડે છે. નિવૃત્તિકાળમાં સત્સમાગમ થાય તો વધારે લાભદાયક થાય. એવો આશય છે. “તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે. એટલે એ વિચાર એમણે ‘ડુંગરભાઈ માટે લખ્યો છે પણ તમારા માટે પણ એવા જ પ્રકારનો વિચાર રહે છે. ભેદ એટલો પડે છે એટલે એટલો ફેર છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલપકેમ કરી શકાય? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે.”
એમણે જે સૂચન માગ્યું છે કે ઉપાધિમાંથી નિવૃત્ત થવું છે. તો અહીંયાં એ સંયોગો દેખાડીને, જુઓ ! આ રીતે આ Time આવવાનું થાય છે. આટલે દૂરથી આવવાનું થાય છે, આટલું અહીંયાં બેસવાનું થાય છે. અહીંયાં આ પ્રકારના કામ હોય છે. પછી આ કામ
બીજી દુકાન હતી, બે દુકાન હતી. ત્યાં પણ સાંજના જતા હતા. ત્યાં તો કલાક એક બેસતા હતા. Supervise કરતા હશે એવું લાગે છે. પછી ત્યાં તત્ત્વચર્ચા માટે કોઈ કોઈ આવતા હતા. એવી રીતે ત્યાં બે-ત્રણ કલાક બીજા તત્ત્વચર્ચામાં જતા હતા. એટલે એ પણ રૂબરૂ બધું પ્રત્યક્ષ દેખાડી શકાય. પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે કે બોલો, હવે તમારો શું મત પડે છે? શું ફેરફાર કરવો ? એને કેવી રીતે અલ્પ કરવો ? એવગેરે.
જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે...” ભક્તિ એટલે બહુમાન છે. તેટલે અંશે જશ્રી ડુંગરપ્રત્યે ભક્તિ છે. એમના પ્રત્યે પણ અમને માન છે. એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી...” એટલે “અમને તો ઉપકાર જ છે. એ આવશે તો એને પણ અમે આ જ સૂચન કરશું. જુઓ! ભાઈ ! અમે આ પરિસ્થિતિમાં અત્યારે બેઠા છીએ. કેવી રીતે અમારે આ ઉપાધિ ઘટાડવી ? તમારા વિચાર બતાવાના છે. અમને
Page #248
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૯૯
૨૩૧ કાંઈ નુકસાન નથી. અથવા એવું નથી કે એ વાત તમને કહેવી છે અને એનાથી ખાનગી રાખવી છે, એમ પણ નથી.
“તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય... એટલે આવવા માટે એનું ચિત્ત સંકોચાતું હોય આવવા માટે “અને અત્રે આવવાનું કરાવવું થતું હોય.” કરાવવું. અત્રે સહેજે આવતા ન હોય પણ આવવાનું કરાવવું પડતું હોય. આગ્રહ કરીને, ભીંસ દઈને જોર દઈને. તો સત્સમાગમયથાયોગ્ય ન થાય.” એની ભાવનાથી ન આવે. સત્સસમાગમની ભાવનાથી, ઉત્સાહથી પોતે આવે, એક વાત છે. સત્સમાગમ કરાવવો પડે, બીજી વાત થઈ જાય છે. તો પછી એમને જે યથાયોગ્ય સત્સમાગમ થવો જોઈએ એ પ્રકાર નહિ થાય. એ પોતે ભાવના લઈને આવે કે મારે સત્સમાગમ કરવો છે. તો એ ભાવનાથી એને વિશેષ લાભનું કારણ છે. એનું મન પાછું પડતું હોય અને તમે આગ્રહ કરીને લઈ આવતા હોય તો તે યથાયોગ્ય નથી.
તેમ ના બનતું હોય...” એટલે સહેજે આવતા હોય, તો “શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈપ્રતિબંધ નથી. એજવિનંતી.આ. સ્વ.પ્રણામ. પ્રવૃત્તિના કાળ કરતા નિવૃત્તિના કાળમાં સત્સમાગમનો યોગ રહેતે વધારે ઉપકારનું કારણ થશે. અને એતો સમજી શકાય કે પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ ક્ષેત્રે પરિણામની અંદર વિશેષ ફાયદો થાય છે.
પત્રાંક-૫૯૯
મુંબઈ, વૈશાખ વદ ૧૪, ગુરુ, ૧૯૫૧ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.
આ. સ્વ. પ્ર.
પ૯૯ ‘લલ્લુજી ઉપરનું પોસ્ટકાર્ડ છે.
“શરણ આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. એક સપુરુષનું શરણ લેવાનો આશ્રયનો ભાવ કરવા યોગ્ય છે અને આત્મહિતનો નિશ્ચય ઉપાદાનનો. આ નિમિત્ત અને આ ઉપાદાન છે. ઉપાદાનમાં મારું હિત માટે કરી જ લેવું છે એ બંને કરવા યોગ્ય
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
રાજહૃદય ભાગ-૧૨ છે. “અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” પરિણામ આગળ ન વધતા હોય તો બહુ ખેદ ન કરવો. ખેદ થશે પણ અધીરજથી ખેદ કરવા જેવો નથી. એટલે ઉતાવળા થાય તો પરિણામને અધીરજ કરવા યોગ્ય નથી.
ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અને આ દેહ હવે ટકશે કે નહિટકે? શું થશે ? ઉંમર થઈ છે. ફલાણું... એ પણ કાંઈ ભેદ કરવા જેવો નથી. તું કામ કર્યે જા. શુદ્ધ ચિત્તથી, શુદ્ધ અંત:કરણથી પોતે કામ કર્યું જાય. “અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. અને જે ચંચળતા છે એ છોડવા યોગ્ય છે. અનેક પ્રકારના ઉદયના કાર્યોમાં જે પરિણામ લાગે છે અને મુખ્યપણે પ્રમાદ કહેવામાં આવે છે અને અસ્થિરતા કહેવામાં આવે છે. એ ઉપશમાવવા યોગ્ય છે. અને એમને પણ અસ્થિર પરિણામનું કોઈ કારણ હશે એટલે એ વિષયમાં પણ એક લીટી લખી નાખી છે. એમના ખ્યાલમાં હશે કે કોઈ કારણસર એમના પરિણામમાં ચંચળતા રહે છે.
મુમુક્ષુ – શરણ અને નિશ્ચય કર્તવ્ય, અડધી લીટીમાં તો...સત્પરુષનું શરણ અને આત્માનો નિશ્ચય અડધી લીટીમાં તો બધું.
પૂજ્ય ભાઈશ્રી – બે વાત આવી જાય છે. મુમુક્ષુને યોગ્ય બેય વાત આવી જાય
મુમુક્ષુ-શું કર્તવ્ય છે?
પૂજ્ય ભાઈશ્રી:- નિશ્ચય કર્તવ્ય છે. લીધું ને ? કે આત્મહિતનો નિશ્ચય કર્તવ્ય છે. વિચારબળ ન હોય તો દઢતા ન રહે. હોતા હૈ, ચલતા હૈ થાય, ન થાય. એમને એમ ગાડું હાંક્ય રાખે. જાગૃતિ રહે, નિશ્ચય હોય તો જાગૃતિ રહે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. ખેદ થાય અને ખેદમાં પણ અધીરજ થાય. એટલે જલ્દી કરવું છે, જલ્દી કરવું છે એમ કરતાં કરતાં મુમુક્ષુની ભૂમિકામાં પર્યાયદષ્ટિ હજી ઊભી હોવાથી, ચાલુ હોવાથી જીવને પરિણામનું કર્તુત્વ થઈ જાય છે. આમ કરું પરિણામ... આમ કરુ પરિણામ.... આમ કરું...કેમ થતું નથી ? એ પ્રકારે અધીરજ કરવા યોગ્ય નથી.
મુમુક્ષુ – જાગૃત રહેવાની વાત પણ આવે, અધીરજ રાખવાની વાત આવે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો એ જ છે. એક બાજુથી જાગૃત રહેવાનું છે. બીજી બાજુથી ધીરજ ખોવાની નથી. ખેદાય તોપણ અને ન ખેદાય તો કે ખેદ થવો જોઈએ. ખેદાય તો કહે એકલો ખેદકરીને બેસી રહેવાનું નથી, પુરુષાર્થ કર્તવ્ય છે. એવી માર્ગની રીતિ તો થોડી સાંકડી છે. સાંકડી કેડી ઉપર ચાલવાનું છે. એટલે શું થાય છે? કે કોઈ
Page #250
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૯૯
૨૩૩
ખેદમાં ચડી જાય છે તો ખેદે ચડી જાય છે. કોઈ આકરા ઉતાવળા થાય છે તો એકદમ કૃત્રિમ પ્રયત્નમાં લાગી જાય છે. અને પર્યાયબુદ્ધિને વધારે દૃઢ કરી લ્યે છે. એવી પરિસ્થિતિ પણ (થાય છે). એટલે સંતુલનનો વિષય તો દરેક ભૂમિકામાં આવશ્યક છે.
કાલે વિષય ચાલ્યો ને ? કે બંધારણ સમજે તો રાગ પોતાની પર્યાયમાં છે. દ્રવ્યગુણ અને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. અને પોતાનો અપરાધ સમજે. પુરુષાર્થ કરવા જાય, દ્રવ્યદૃષ્ટિમાં દ્રવ્યને લક્ષમાં લે અને દ્રવ્યમાં અહંપણું, પોતાપણું સ્થાપે એવો પુરુષાર્થ કરે, તો રાગ તે હું નથી એમ લેવું પડે. અપરાધ મારો છે અને રાગ તે હું નથી. લ્યો ! આ બે સામે સામે છે. કાલે ‘સોનગઢ’ એ ચર્ચા ચાલી. મોક્ષમાર્ગ પ્રકાશક’ આઠમો અધ્યાય. છેલ્લે ટોડરમલજી’એ એક પ્રક૨ણ લખ્યું છે, કે અપેક્ષા જ્ઞાનના અભાવે આગમના કથનોમાં વિરોધાભાસ લાગે છે. એનું અહીંયાં નિરાકરણ કરીએ છીએ. એના ઉ૫૨ ચર્ચા વધારે ચાલી કે રાગ જીવનો લેવો ? ‘સમયસાર'ની અંદ૨ જીવનો પણ કહે છે અને જીવનો નથી એમ પણ કહે છે. જીવ નથી, અજીવ છે એમ કહે છે. અને જીવ નથી ને પુદ્ગલ છે એમ પણ કહે છે. અને જો જીવનો નહિ માનતો સાંખ્યનો મત થઈ જશે એમ પણ કહે છે. વિરોધાભાસ લાગે કે ન લાગે ?
....
બરાબર જો યથાર્થપણે પ્રવર્તે તો વિરોધાભાસ નથી. બંધારણને વળગી રહેવા માટે મારું માનીને મમત્વ કરે તો ભેદજ્ઞાન નહિ થાય અને પ્રયોજનની સિદ્ધિ નહિ થાય. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે રાગ પુદ્દગલનો છે અને ખરેખર પુદ્ગલનો માની લે તો ગૃહીત મિથ્યાત્વમાં વયો જાશે. એટલે પુરુષાર્થ કરે અને જો સ્વરૂપ ભાસે તો સ્વરૂપ ઉપરનું જોર આવે. એ જોર આવે એમાં બંધારણનું જ્ઞાન તો એમ જ રહે. જ્ઞાનમાં એમ રહે છતાં આદરવાની અંદર બીજી Line પકડી લે. એ વખતે સંતુલન ન ગુમાવે તો વાંધો ન આવે. એ તો દરેક ભૂમિકામાં એ વાત છે.
કેમકે વસ્તુમાં ૫૨સ્પ૨ વિરુદ્ધ ધર્મો છે. અવસ્થામાં રાગ છે અને સ્વરૂપે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. એક પદાર્થની અંદર વસ્તુ સ્વરૂપે વસ્તુનું મૂળ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, આત્મા સ્વભાવે કરીને શુદ્ધ છે. અવસ્થામાં રાગ છે. એક જ પદાર્થમાં બે વિરુદ્ધ વાત છે તો એનું કથન પણ એમ જ આવવાનું છે. એમાં મૂંઝાવાની શું જરૂર છે ? એમ થોડું કહે છે કે પર્યાયે પણ તું શુદ્ધ છો. આત્મા શુદ્ધ છે એમ કહીને અત્યારે સંસારની પર્યાયમાં શુદ્ધ છો અને સિદ્ધ છો એમ થોડું કહે છે ? અને સ્વરૂપમાં-ત્રિકાળી સ્વરૂપમાં પણ રાગતત્ત્વ છે એમ થોડું કહે છે ? બેયનું સ્થાન જુદું જુદું છે. બેય પોતપોતાના સ્થાનમાં છે. બેય એક જગ્યાએ નથી. જુદી જુદી જગ્યાએ છે. પણ પદાર્થ એક છે. એટલે
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૨ એમાં કાંઈ ગૂંચવાડો થવાનું કારણ નથી. સમજે તો ગૂંચવાડો થવાનું કારણ નથી. અણસમજણથી ગમે એટલા ગૂંચવાડા થઈ શકે છે.
મુમુક્ષુ -પદાર્થ એક છે અને બે જુદી જુદી...
પૂજ્ય ભાઈશ્રી – બે જુદી જુદી જ્યાં રાગ છે ત્યાં ત્રિકાળી વસ્તુ નથી. ત્રિકાળી વસ્તુ છે એમાં રાગ નથી. પછી શું વાંધો છે? એકબીજામાં એકબીજા હોય તો તકલીફ થાય કે હવે કરવું શું? એટલા માટે તો દિવ્યદૃષ્ટિ પ્રકાશમાં એક પ્રશ્ન ચાલ્યો છે કે રાગને ભિન્ન પાડવો ને ? તો કહે છે, પણ એ ભિન્ન જ છે. રાગને ભિન્ન પાડવો એ સવાલ નથી. એ ભિન્ન જ છે. પણ તું એને અભિન્ન અનુભવે છો આ મુસિબત છે. બાકી રાગ તો ભિન્ન જ છે. એવો જવાબ આપ્યો છે. ભિન્ન છે એને ભિન્ન જાણે, ભિન્ન છે એને ભિન્ન અનુભવે એનું નામ જુદો પાડ્યો. બાકી છે તો જુદો જ.
ભલે બે લીટીમાં પત્ર લખ્યો હોય પણ જેને એ વાત લાગુ પડે, કેમકે આ તો વ્યક્તિગત પરિચય હતો, એટલે આ જીવને શું લાગુ પડે છે એ ઈ કહેતા હતા. જો જીવ અંતર અવલોકન કરે તો એને એ વાત લાગે કે એ બરાબર છે. જે વાત મારા ધ્યાનમાં નથી આવતી એ સપુરુષના જ્ઞાનમાં આવે છે. માટે મારે આ વાત સુધારવી છે. એ પણ ચર્ચા ચાલે. ઉપદેશ તો અનેકવિધ પ્રકારે છે. પોતાને તો એ લાગુ પડે છે એ શોધવું પડે છે. અને જીવ અનાદિથી એ માર્ગનું અને એ રીત અને એ પ્રકારથી અજાણ અને અંધ હોવાથી પોતે કયો ઉપદેશ અંગીકાર કરવો એ એને ખબર નથી પડતી. માટે સપુરુષનો આશ્રય કરતો જાય છે. એ એમ કહે છે કે તારે આમ કરવા જેવું છે અને તારે આમ કરવા જેવું નથી. એ ઉપદેશનો આખો ભંડાર જે શાસ્ત્ર છે એમાંથી એને જે દવા લાગુ પડે છે એ આપે છે. આ તો Medical store છે. દવાનો ભંડાર છે. પણ એને કઈ દવા ખાવાની ? ગમે તે ખાય તો ચાલે નહિ નુકસાન થઈ જાય. અહીંયાં સપુરુષનું મહત્ત્વ છે. પ્રત્યક્ષ યોગનું.
એમને એવો યોગ હતો. શ્રીમદ્જીમાં સંપર્કમાં જે જે મુમુક્ષુભાઈઓ આવ્યા એ એવા મહાભાગ્યશાળી હતા. લખે છે, મહાભાગ્ય સોભાગ્યભાઈ સોભાગ્યભાઈને મહાભાગ્ય તરીકે પણ વિશેષણ વાપર્યું છે. એ એમને કહેતા કે તમારે આમ ન કરવું, તમારે આમ કરવું. ગુરુદેવ જેવા જ્ઞાનીને વ્યક્તિગત ઉદય નહોતો, સમષ્ટીગત ઉપેદશનો ઉદય હતો. તો વ્યક્તિગત કોઈને નહોતા કહેતા કે તમારે આમ કરવું. ક્વચિત્ કોઈને કહેતો નસીબદાર સમજવા. અને પાત્ર હોય તો સવળું લે, અપાત્ર હોય તો એનું મનદુઃખાય(કે)મને આમ કીધું. એવું છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૦
૨૩પ મુમુક્ષુ – ‘ગુરુદેવ કહેતા હતા કે કરવા જેવું આ છે. વ્યક્તિગત કહેતા કે કરવા જેવું આ છે.
પૂજ્ય ભાઈશ્રી - કરવા જેવું આ છે. એ તો બરાબર. એ તો આવે છે કે આ જ કરવા જેવું છે. પણ અહીંયાં એમ કહે કે તમને “અધીરજથી ખેદ કર્તવ્ય નથી. એટલે એના ખેદના પરિણામ જોઈને સૂચના આપી કે આમાં તમારે કાંઈક અધીરજ થાય છે. અધીરજથી કર્તવ્ય નથી એનો અર્થ કે તમને ખેદ થાય છે પણ સાથે સાથે થોડી અધીરજ છે એ નહિ હોવી જોઈએ. એટલું બધું માર્ગદર્શન ક્યાંથી મળે ? કે એના પરિણામ જોઈને કહે કેમકે એ પ્રકારનો ઉપયોગ જ એમનો ન ચાલે. એમની વિચારણા સમષ્ટીગત ઉપયોગની જ ચાલે, એવો જ એમનો ઉદય છે. એટલે એ પ્રકારે વિશેષ ચાલે. કોઈ વખત ચાલે બીજી વાત છે. તો એ વધારે સારી વાત છે.
એક અધીરજનો નિષેધ કર્યો છે, અસ્થિરતાનો નિષેધ કર્યો છે અને દેહાદિના ભયનો પણ નિષેધ કર્યો છે. ત્રણ સૂચના આપી છે. બે લીટીમાં ત્રણ સૂચના આપી છે. અને એક સમુચય વાત કરી છે કે પુરુષનો આશ્રય કર્તવ્ય છે અને આત્મહિતનો નિશ્ચય કર્તવ્ય છે. ચાર વાત છે. ચાર વાક્યમાં ચાર વાત લીધી છે. વાક્ય ચાર જ છે. બે લીટીમાં ચાર વચનો છે. કેટલું પોતે આ સૂચનને ગંભીરતાથી લે છે એના ઉપર બધો આધાર છે.
પત્રાંક-૬૦૦
મુંબઈ, જેઠ સુદ ૨, રવિ, ૧૯૫૧ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો!નમસ્કાર હો! પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ- તમારું લખેલું પતું ૧ ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેનો અર્થ સહેજફેર સમજાયો જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે:
મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૨
ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી, કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે.
આ પ્રમાણે લખવાનો અર્થ હતો. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણે જણાવ્યું છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિનિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે.
તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે, જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી.
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તુત્યારથી જે સંયમસુખપ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ.
આ. સ્વ. પ્રણામ.
પત્ર ૬00. એ પણ “સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. વૈશાખ વદ ૧૦ લખ્યો. એના ઉત્તરમાં કાંઈક ગેરસમજણ થઈ છે એટલે સ્પષ્ટીકરણ ફરીને આપે છે. પણ એકબે તાત્ત્વિક વાતો એમાં સારી આવી છે. મથાળું બહુ સારું છે.
‘અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો !” પોતે જ્ઞાની
Page #254
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૦
૨૩૭
છે. જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર કરે છે. કેમકે જ્ઞાનીપુરુષે નિષ્કારણ કરુણાથી ઉપદેશ કર્યો છે. એમને કોઈ ઉપદેશ કરવા માટે પોતાનું અંગત કારણ નહોતું. એ ફક્ત સામા જીવને દુઃખમાંથી છોડાવવાનું હતું. પોતાને કોઈ કારણ નહોતું. પોતા સંબંધી કોઈ કારણ નહોતું. સામા જીવને દુઃખ થાય છે એ દુઃખ એનું મટે એ માટેની જે કરુણા છે એને પોતાના કોઈ કારણ વગર એમણે ઉપદેશ કર્યો છે કે જેને લઈને એના સંસારના અનંત દુઃખ મટે, વારંવા૨ જન્મ લેવાના દુ:ખ મટે. જન્મતી વખતે પીડા ઘણી છે. વારંવાર મરવાના દુઃખ પણ મટે. મરતી વખતે પણ પ્રાણ છૂટે ત્યારે પીડા ઘણી થાય.
અનેક પ્રકારના રોગ થાય. આ હોસ્પિટલમાં જાય તો સમજણ પડે. એ બધી પીડા અને બાધાઓથી પણ છૂટે. અને જે જીવને સમાધાન થતું નથી. કેમકે એના વિકલ્પ પ્રમાણે બધું બનતું નથી. સંસારમાં કોઈના વિકલ્પ પ્રમાણે બધું બનતું નથી. ત્યારે જીવને સખ પડતું નથી. દુઃખી થઈ જાય છે. અસમાધાનનું દુઃખ છે. એને અસમાધાન કહો, મૂંઝવણ કહો. એ દુઃખ સૌથી વધારે છે. એ તો લગભગ અજ્ઞાનદશામાં ચાલતું જ હોય છે. આમ કરવું હતું ને ન થયું. આમ કરવું જોઈતું હતું એ ન થયું. આમ કરવું ન થયું... ન થયું.. ન થયું... નહોતું કરવું હતું એ થયું અને કરવું હતું એ ન થયું. ચાલતું જ રહે છે. હજાર વાતમાં પાંચ વાત સરખી પડે છે અને ૯૯૫ વાત સરખી પડતી નથી. એટલે જીવ દુઃખી.... દુઃખી... દુઃખી છે.
એ તમામ પ્રકારના દુઃખથી છોડાવનાર એક આત્મધર્મ છે અથવા સદ્ધર્મ છે. સર્વાંગ સમાધાન થાય. ક્યાંય અસમાધાન ન થાય. એવો નિષ્કારણ કરુણાથી એ સધર્મને જેમણે દર્શાવ્યો, ઉપદેશ આપ્યો, એ જ્ઞાની પુરુષને બે વાર નમસ્કાર કર્યાં છે. ભાવના આવી છે. ‘નમસ્કાર હો ! નમસ્કાર હો !’ પોતાને પણ અનુભવ છે ને. દરેક જ્ઞાનીપુરુષના મૂળમાં પણ બીજા જ્ઞાનીપુરુષ ઊભા છે. કોઈ અનાદિથી જ્ઞાની નથી, કોઈ અનાદિથી સિદ્ધ નથી. જ્ઞાની નવા થાય છે. પ્રત્યેક જીવ નવા જ્ઞાની થાય છે. એના કારણમાં બીજા જ્ઞાની ઊભેલા છે. એ પોતાનો ભૂતકાળ જાણે છે કે જો જ્ઞાની મને ન મળ્યા હોત તો મારો સંસાર હજી અનંત કાળ સુધી દુઃખી થવાનો આમને આમ ચાલુ રહી જાત.
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ – તમારું લખેલું પત્તું ૧ ગઈ કાલે મળ્યું છે.’ છ દિવસમાં તો જવાબ ફરી જતો હતો. ‘તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા...’ અત્યારે એટલી ટપાલ Regular નથી. છ દિવસે ‘મુંબઈ’ની ટપાલ ‘સાયલા’ જેવા ગામડામાં, જ્યાં તે દિવસે રેલવે નહોતી ત્યાં પહોંચી જતી હતી.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અને જવાબ પણ આવી જતો હતો.
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– બીજે દિવસે મળી જતો.
પૂજ્ય ભાઈશ્રી :– આ પાંચમે દિવસે મળી ગઈ છે. છઠ્ઠà દિવસે પોતે જવાબ લખે
=
છે.
તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું.’ આ ૫૯૮. ‘તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે.’ સમજવા ફેર થયો છે. ‘તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે :–' આ Paragraphમાં એ ભાવાર્થ લખે છે. કે મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે......’ તમે આવો ત્યારે મારે પ્રવૃત્તિમાં રોકાઈ જવું પડે અને તમારી સાથે બેસવાની નવરાશ નહિ મળે એવું નથી. વર્તમાન પરિસ્થિતિમાં કામનું દબાણ એવું છે કે હું થોડી નિવૃત્તિ વિશેષ લઈ શકીશ. અને આવ્યા હોય ત્યારે ભાગીદારોને એમ કહે કે આ લોકો દેશમાંથી આવ્યા છે એટલે હું વહેલો-મોડો આવીશ. એવું કાંઈ કામ હોય તો તમે પતાવજો. સામાન્ય કામ હોય તો તમે પતાવી દેજો. એ રીતે. એટલે મળી શકે એમ છે. એવી વ્યવસ્થા થઈ શકે એમ છે કે થોડી નિવૃત્તિ લઈ શકાય.
પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે,...’ ‘મુંબઈ’નું ક્ષેત્ર છે એ પ્રવૃત્તિના ધમધમાટવાળું છે, એમ કહે છે. તે દિ' ૯૫-૯૬ વર્ષ પહેલાની વાત છે. જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય,...' શું કહે છે ? આ આપણે વિચારવા જેવી વાત છે, લખી ભલે તે દિ'. જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્યમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે.’ બરાબર છે ? અનુભવમાં આવે એવી વાત છે.
બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવો તે માટે અમને કાંઈ અડચણ નથી.’ આવો તમે ખુશીથી, એકલા આવો તો વાંધો નહિ. બે જણા આવો તોપણ વાંધો નથી. જોકે આ પત્રમાં નીચે પાછા એમ કહે છે કે હું ફરીથી ન લખું ત્યાં સુધી આવતા નહિ. એ સૂચના ભેગાભેગી લખી નાખી છે.
પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી....’ એની ભાવનાથી આવે. તમારા આગ્રહથી આવે એ હું નથી ઇચ્છતો. એની ભાવનાથી આવે એમ હું ઇચ્છું છું. ‘કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પત્રાંક-૬૦૦ શકશે.’ હું થોડા વખતમાં નિવૃત્તિ ક્ષેત્રમાં આવીશ ત્યારે મળશું. અહીં આવવા માટે એમને આગ્રહ કરવો પડે એવી કોઈ જરૂરી નથી.
આ પ્રમાણે.' ઉપરના ૫૯૮માં પત્રમાં લખવાનો અર્થ હતો. તમારે એક આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણે જણાવ્યું છે. પ્રવૃત્તિક્ષેત્ર કરતાં નિવૃત્તિક્ષેત્રે સમાગમ થવામાં વિશેષ લાભનું કારણ છે એટલી વાત જરૂર જણાવી છે. તેમ છતા એકાંતે એવું નથી, એમ કહે છે. એકાંતે એવું નથી.
કોઈ વખત વિચારવાનને. એટલે વધારે પાત્રજીવ હોય એને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. કઈ દૃષ્ટિએ? કે “જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. કેટલો એમને ખ્યાલ છે ! એક વાત ઉપર વિચારવાનો કોઈ મુદ્દો નીકળે છે ત્યારે એના બધા પડખાં આવરી લે છે. કોઈ વખત તો વિશેષ લાભનું કારણ થાય. ઓચિંતું કોઈ કામ આવી ગયું, કોઈ પ્રસંગ બની ગયો, કોઈ ઉદય આવી ગયો. કાંઈ થયું. ત્યારે એ વખતે જ્ઞાની પુરુષ કેવી રીતે પ્રવર્તે છે?ભીંસમાં આવ્યા ક્યાંક, પ્રતિકૂળતાઓ ઊભી થઈ. આ લોકો આવ્યા અને કાંઈક નવી પ્રતિકૂળતા ઊભી થઈ. એ વખતે એમના પરિણમનને જોતી વખતે એટલો બધો એને લાભનું કારણ થાય કે, ઓહો.! આવા પ્રતિકૂળ સંયોગોમાં પણ એમની નિર્મળતા, એમની સ્થિરતા, એમનું સંતુલન, એમની ધીરજ, એમની શાંતિ, એમનું જ્ઞાન, શ્રદ્ધાન એ બધા અનેક પ્રકારના એમના ગુણો છે, એમની ગંભીરતા વિશેષ જોવાનું કારણ બની જાય છે.
એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. અને એવું જ્યારે બને તો વિશેષ લાભનું કારણ થાય. પણ વિચારવાન જોઈએ. વિચારવાન જોઈએ એટલે અહીંયાં એવો અંતરદૃષ્ટિવાળો મુમુક્ષુ હોવો જોઈએ. જો અંતરદૃષ્ટિ ન હોય તો બાહ્યદૃષ્ટિથી પાછો નુકસાન પણ કરી બેસે. એને ઊલટું જ દેખાય પાછું. એવું પણ બને કે ઊલટું દેખાય. સુલટું દેખાય અને ઊલટું દેખાય, પ્રસંગ તો જે છે એ છે. દષ્ટિ એવી સૃષ્ટિ .
તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે;” હવે આ લખતા લખતા વિચાર આવ્યો છે કે, તમારે બન્નેએ અથવા તમારે એકે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે, એ વખતે વિચાર ઉગ્યો જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
રાજહૃદય ભાગ-૧૨
કરશો તો અડચણ નથી.’
આર્થિક કારણસર મુંબઈ આવેલા હતા. એટલે “સોભાગભાઈ' પણ એમાં માથું મારવાના હતા. એટલે કોઈને મળવું, હળવું એ જાતની કાંઈ આર્થિક વિષયની અંદર પણ કાંઈક પ્રવૃત્તિ કરવી એ ખ્યાલમાં આવી ગયું છે. એમને થયું કે આ સત્સમાગમ માટે આવે અને પાછું સાથે સાથે વેપારનું કામ કરી લ્ય. એક સાથે બે ઘોડે ચડવા જેવું થશે. એના કરતાં ન આવે એ સારું. સત્સમાગમમાં આવે ત્યારે પછી ધંધાનું કામ લે એ વ્યાજબી નથી. આ ભાવનાથી આવે અને ભેગું ભેગું આ કામ કરી લેશું. ચાલો આપણે એક પંથ દો કાજ થશે. મુંબઈ જશું તો વેપારનું કામ થઈ જશે અને આપણને સત્સંગ પણ મળી રહેશે. તો કહે છે, પરિણામનું ઠેકાણું નહિ રહે. એમ કહે છે.
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે. પોતાને પરપરિણતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે છે. અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી...... પરપરિણતિના કાર્યો કરીએ છીએ એટલે આ બધા વ્યવસાયના. અને સ્વપરિણતિમાં સ્થિરતા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષદોહ્યલું છે. એમ કહે છે કે, જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીને નિવૃત્તિ ઉપકારી છે, પ્રવૃત્તિ એટલી ઉપકારી નથી. અને એ પ્રવૃત્તિ તો ત્યારે ઉપકારી થાય કે જ્ઞાની એથી વિશેષ પુરુષાર્થ કરીને વિશેષ નિર્જરી કરે ત્યારે. નહિતર પ્રવૃત્તિ કરતાં કરતાં સ્વરૂપસ્થિરતા વધારવી એ ઘણું આકરું કામ છે, ઘણું કઠણ કામ છે. એટલે “આનંદઘનજીએ જે કહ્યું છે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા. આ એના જેવું છે. એ અત્યારે પોતાને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે.
જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. આ મુનિદશામાં આવે છે. નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય છે એ મુનિદશાની અંદર નવ પ્રકાર, નવ વાડ એટલે નવ પ્રકાર લીધા છે, એવી જે દશા. ઉત્પન્ન થાય છે અને એ વખતે એમને જે આત્મસુખ પ્રગટે છે. સ્વરૂપમાં કેટલી લીનતા છે કે નવ પ્રકારના એમને વિકલ્પ ન આવે. એ વિકલ્પ એ પ્રકારની આકુળતા જાય. નવ પ્રકારે એવિકલ્પ ન આવે, એ વખતે એમને જે આત્મસુખ પ્રગટે છે એ તો અવર્ણનીય છે. એટલે મુનિદશાની અંદર જે સ્વરૂપશાંતિ, સ્વરૂપસુખ છે એ ચતુર્થ ગુણસ્થાનની અંદર જે સ્વરૂપસુખ છે એનાથી ઘણું આગળના દરજ્જાનું છે. એ તબક્કો જ કોઈ અસધારણ છે, એમ કહે છે. કેમકે ક્ષણે ક્ષણે તો એ નિર્વિકલ્પ સમાધિમાં જાય છેશુદ્ધોપયોગમાં ચાલ્યા જાય છે. એટલે સંસારના બધા જ કાર્યોના વિકલ્પ ન થઈ શકે
Page #258
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૦
૨૪૧ એવી એમની દશા થઈ જાય છે.
જે જીવને અંતર્મુહૂર્તની અંદર નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય એ બહારના કાર્યો કેવી રીતે કરે ? કે કોઈ સંસારના કાર્યો કરવાની પરિસ્થિતિ રહેતી નથી. એવી પરિસ્થિતિમાં આવી જાય છે. એ વખતે એમનું જે સુખ છે, આત્મિકસુખ છે એ વર્ણન ન કરી શકાય એવું સુખ છે. એટલે પોતાના સુખની સાથે મેળવે છે કે આ અવર્ણનીય સુખ છે.
ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. આ તો એમણે પહેલેથી નિર્ણય કરેલો છે કે મુનિદશા આવે ત્યારે ઉપદેશ કરવો છે. ખરેખર આત્માને દશાથી ગુરુત્વ પ્રાપ્ત થાય ત્યારે ગુરુના સ્થાનેથી ઉપદેશ કરવો, ત્યાં સુધી ન કરવો. એવો પોતે નિર્ણય કર્યો છે. પહેલેથી જ એ નિર્ણય કર્યો છે. અને એ વાત એમને વધારેમાં વધારે યોગ્ય લાગી છે. “શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ.સ્વ. પ્રણામ.” એ ભક્તિ શબ્દ બહુમાનમાં લેવો. એમના પ્રત્યે માન છે. અત્યંત માનથી પ્રણામ કરીએ છીએ, એમ લેવું.
મુમુક્ષુ – અંતરદષ્ટિવાળા જે વિચારવાન હોય એ જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોઈ શકે.
પૂજ્ય ભાઈશ્રી:- જોઈ શકે અને જોઈ શકે ત્યારે એને જ્ઞાની પુરુષનું જ સ્વરૂપ સમજાય, ઓળખાય તો એને જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિ વિશેષ થઈ આવે. જ્ઞાની પુરુષની વિશેષ ભક્તિ થઈ આવતા એને પોતાને લાભનું કારણ થાય. | મુમુક્ષુ - હવે એ લાભ કરવો છે. અંતરદૃષ્ટિ કેવી રીતે કેળવવી? અને સામાની દશા જોવી કઈ રીતે?બે પ્રશ્ન છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે. અંતરદૃષ્ટિ કેળવવામાં તો પોતાના અવલોકનનો અભ્યાસ કરવો પડે છે. ત્યારે અંતરદૃષ્ટિ કેળવાય છે. કેમકે અંતરંગ પરિણામોમાં અનેક પ્રકારના જે સૂક્ષ્મ પરિણામો છે એ અવલોકનની Practice વગર એ પરિણામો પોતે જોઈ શકતો નથી. બહુભાગ તો આ જીવ પોતાના દોષિત પરિણામ કે જે સ્થૂળ છે એને પણ સરખી રીતે જોઈ શકતો નથી. તો જે પરિણામમાં સ્વભાવ પ્રગટ છે, જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એને કેવી રીતે જોઈ શકશે ? એટલે એ અંતરદષ્ટિ કેળવવા માટે પોતાના અંતરંગ પરિણામોનું અવલોકન કરવાનો અભ્યાસ રહે એટલું જ એ કામ થાય છે. અને એ કામ સ્વરૂપ પ્રાપ્તિની ઉગ્ર ભાવના સિવાય થઈ શકતું નથી. એટલે અંતરદૃષ્ટિ કેળવવામાં એ બધી વાતો સાથે છે. એને પાત્રતા કહો, એને મુમુક્ષતા કહો, એને જાગૃતિ કહો. પછી એ શબ્દો જુદા જુદા ઘણા છે. એ રીતે પોતાની તૈયારી થઈ હોય
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૨
તો એ બીજા જીવના પણ અંતરંગ પરિણામો જોઈ શકે. નહિતર શબ્દ પકડે અને અનર્થ કરે. પ્રવૃત્તિ પકડે અને અનર્થ કરે. કેમકે પોતાનું પરિણમન જ એવું સ્થૂળ છે. પોતાનું પરિણમન જ એવું સ્થૂળ છે એટલે શું થાય ? એને નુકસાન જથાય.
મુમુક્ષુઃ–જ્ઞાનીપુરુષ ભીડમાં નિર્મળદશા રાખે..
પૂજ્ય ભાઈશ્રી :– હા. તોપણ એની દશામાં તો નિર્મળતા છે ને. એટલે એ તો ભીડમાં વધારે નિર્મળતા આવે. પાત્રતાવાળાને અને જ્ઞાનીને ભીડમાં વધારે નિર્મળતા આવે. વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રી'ની વાત આવી છે કે જેમ કોઈ બાળક છે. બજા૨ની અંદર ભીડ વધી જાય ત્યારે માતાનો સાડલો પકડીને ચાલતો હોય, જરાક વધારે મુઠ્ઠી વાળી લે. કેમકે કો’ક કો’ક એની સાથે અથડાઈ જતું હોય. એને એમ થાય કે હું અથડાઈને છૂટો પડી જઈશ. મારો હાથ છે એ છૂટી જશે. અને ચાલવાની ગતિમાં ફેર પડી જાય. અને ભીડમાં પછી દેખાય નહિ કે મા કયાં ગઈ. તો એને તો મા થી વિખુટુ પડવું એટલે જાણે એની તો આખી દુનિયા વઈ ગઈ. બાળકને એટલું બધું દુઃખ થાય છે. એટલે મા.. મા.. થઈ પડે પછી. એટલા માટે શું કરે ? જોરથી પકડી રાખે. જ્ઞાનીને પણ એ સંયોગોની ભીડ ઊભી થાય ત્યારે જોરથી પકડે છે.
મુમુક્ષુ :– આત્માને જોરથી પકડે છે ?
પૂજ્ય ભાઈશ્રી :– જોરથી પકડે છે. પુરુષાર્થ એ વખતે સહેજે ઉગ્ર થઈ જાય. એ બધા અંતર પરિણામો છે એ અંતરદૃષ્ટિ વિના (દેખાતા નથી). એટલે અહીં વિચારવાન શબ્દ વાપર્યો છે. એમ ન લીધું કે કોઈ વખત પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્તમાગમ વિશેષ લાભકારી થઈ પડે છે. એટલું ન લખ્યું. વિચારવાનને વિશેષ લાભકારી થઈ પડે છે. વિચારવાન શબ્દ લીધો છે. એટલે અંતર્દષ્ટિવાળો જીવ હોય તો. બહિર્દષ્ટિવાળો હોય તો નુકસાન કરી જાય, અંતર્દષ્ટિવાળો હોય તો લાભ કરી જાય. પ્રસંગ તો જે છે તે છે. મુમુક્ષુ :– અંતરદૃષ્ટિ એટલે મુમુક્ષુ જ છે ને.
-
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુ પણ સારી પાત્રતાવાળો, વિશેષ પાત્રતાવાળો. મુમુક્ષુ તો મુમુક્ષુ તરીકે અનેક જાતની યોગ્યતાઓ હોય છે. કોઈ નામધારી મુમુક્ષુ હોય છે. કોઈની પાત્રતા સાધારણ હોય છે, કોઈની વિશેષ પાત્રતા હોય છે, કોઈની ઉત્કૃષ્ટ પાત્રતા હોય છે, કોઈની ગર્ભિત પાત્રતા હોય છે. અનેક પ્રકાર છે. એમાં વિશેષ ઉત્કૃષ્ટ પાત્રતાવાળો હોય એનું કામ છે આ. એટલે કોઈ કોઈને તો ના લખી નાખતા. બીજા સામાન્ય માણસો એમ લખે કે અમારે સત્ઝમાગમ અર્થે ‘મુંબઈ’ આવવું છે અને પૂછાવે કે આપની આજ્ઞા હોય તો આવીએ. તો ના લખે કે અત્રે તમારે આવવું નહિ. અમે નિવૃત્તિ ક્ષેત્રમાં આવશું
Page #260
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૧
૨૪૩ ત્યારે તમને આવવા માટે સમાચાર મોકલશું. એ વખતે આવજો. અત્યારે અહીં આવતા નહિ. ના પાડી દયે. કેમ ? કે આવે લાભ માટે અને નુકસાન કરીને જાય. એવા પણ એમને પ્રસંગ બન્યા છે.
અરે.! “સોભાગભાઈ (માટે) સહેજ આમ લાગ્યું કે આને કાંઈ સાથે સાથે વેપારનું કાંઈક કામ છે. તો ના પાડી દીધી કે નહિ. હવે અત્યારે નહિ. એ બહુ ઝીણું કાંતતા હતા. આત્માને હિત-અહિતના વિષયમાં એમની બહુ સૂક્ષ્મ દૃષ્ટિ હતી. સૂક્ષ્મદષ્ટિએ બધું માર્ગદર્શન આપતા હતા.
મુમુક્ષુ - બાળક ક્યાંય શીખવા નથી ગયો. ગિરદી એકદમ હતી બાળક ક્યાંય શીખવા નથી ગયો કે છેડો મજબૂત પકડું. આ એટલા વર્ષોથી સાંભળી છે છતાં પ્રતિકૂળતામાં તણાઈ જઈએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે પાત્રતા નથી, પાત્રતા નથી. પાત્રતા હોય તો ફરક પડે. પાત્રતા હોય તો એને જે પ્રતિકૂળતા આવે ત્યારે સીધો એ વિચાર આવે કે મારે મારું અહિત થાય એવું કાંઈ કરવું નથી. હિત થાય એવું કરવું છે. અને એના માટે મારે અત્યારે જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. આ મારી જાગૃતિનો સમય આવ્યો છે. આ તકે મારે મારું કામ કરવા માટે વિશેષ ઉપયોગ કરવાનો છે. એમ એને બરાબર જાગૃતિ આવી જાય છે. વિચારથી પોતે વાતને સમજી લે છે. અને બીજા તો એને સમજે નહિ અને એમ ને એમ તણાઈ જાય.
એ ૬૦૦મો પત્ર પૂરો થયો.
પત્રાંક-૬૦૧
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેના મુખ્ય કારણ આ પ્રમાણે છે –
અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪
ચજહૃદય ભાગ-૧૨
અને બીજો અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપારપ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે. જે પરવિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે વખત જવા જેવું દેખાશે તો પછી. આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો.
ઘણા મોટા પુરુષોના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે:
અષ્ટમહાસિદ્ધિ આદિ જે સિદ્ધિઓ કહી છે, ૐ આદિમંત્રયોગ કર્યો છે, તે સર્વ સાચાં છે. આત્મશ્વર્ય પાસે એ સર્વ અલ્પછે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એસિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી.
એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ. પ્રકારના પ્રશ્નો વિચારવાનને કેમ હોય? ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાત લખશો.
(પત્રાંક) ૬૦૧. પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.' એ પણ સોભાગભાઈ ઉપરનો પત્ર છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
પત્રક૬૦૧
૨૪૫ મુમુક્ષુ – રવિવારના પત્રો છે. બીજને રવિવાર, દસમને રવિવાર. એમ રવિવારના પત્રો છે. પેઢી ઉપરનિવૃત્તિ હોય, રવિવારે બંધ જેવું હોય. એમ હશે ?
પૂજ્ય ભાઈશ્રી – જવાબ એ રીતે થઈ જતો હશે ને? રવિવારે લખે, સોમવારે બીડે, શનિવાર સુધીમાં જવાબ ફરી આવે એટલે રવિવારે પત્ર લખવાનો સમય આવી જાય, એમ પણ બનતું હોય.
ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. ત્રણ દિવસ પહેલા મળેલો છે. “અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે.' પછી એમણે જોયું કે આ તો સ્પષ્ટ સૂચના આવી ગઈ, કે હું ન લખું ત્યાં સુધી તમે આવવાનું કાંઈ નક્કી કરતા નહિ. એ સૂચના મળી ગઈ. એટલે કહે છે કે તમે વિચાર કરી લીધો તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેના મુખ્ય કારણ આ પ્રમાણે છે – હવે એ કારણ પોતે દર્શાવે છે. તે દિન લખ્યું. તે દિ તો એટલું લખ્યું કે અત્યારે નહિ આવતા. એની સામે... એ તો આજ્ઞાંકિત હતાને? બહુ સારું, આપે લખ્યું છે.
પહેલા કાગળમાં ચર્ચા કરી તો સહેજ સમજણ ફેર થાય એટલા માટે એમ થયું કે નહિ, હવે ચોખવટ વધારે કરીને જાવું છે. કાંઈ ઊતાવળ કરીને નથી જાવું. એટલા માટે ફરીને ચોખવટ મગાવી કે અમે આમ સમજ્યા છીએ એ બરાબર છે? કે હમણા ન આવવું. અથવા મારે એકલાએ આવવું, ડુંગરભાઈએ ન આવવું. એ બરાબર છે? તો કહે, નહિ. અમારે તો આમ કહેવું છે. ત્યાં વળી બીજું કારણ ખ્યાલમાં આવ્યું સાથે સાથે ના લખી. ગડબડ નથી કરી. કે માંડ માંડ અમે આવવાનું નક્કી કર્યું હતું. વળી આમણે ના લખી. કાંઈ નહિ. ઊપશમ કર્યો છે. વિચાર અમે ઉપશમ કરી નાખ્યો છે. કેવો શબ્દ વાપર્યો છે!વિચાર ઉપશમ કરી નાખ્યો છે. બેસી ગયો. કાંઈ નહિ, આપ જ્યારે આજ્ઞા કરશો ત્યારે આવશું.
હવે કારણ બતાવે છે કે “અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ” કેવો ? અનિચ્છિત. ઈચ્છા કરવા જેવો હેતુ નથી. “અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે....... તમારી ઉપાધિનો જે સંયોગ છે એને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે.” તમારે કોઈને વેપાર માટે અહીંયાં મળવું છે. જેપર વિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું...” એના ઉપર વિચાર કરતા એમ લાગ્યું કે હમણા ન આવે તો સારું. તેથી એ પ્રમાણે લખ્યું હતું.”
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૨ સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. એટલે એક-દોઢ મહિનાની મુદત નાખી દીધી કે હવે એ બાજુ આવીએ ત્યારે વાત. “અને ઉપાધિ માટે....” એટલે તમારા આર્થિક પ્રયોજન માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. દીકરો ત્યાં હતો. એને જે કરવું હશે એ કરશે. એ પોતે એમને દૂર રાખવા માગતા હતા. આમના પરિણામ નહોતા રહેતા એટલે એ પોતે જોડાઈ જતા હતા.
તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. માટે તમારે અહીં આવવું પડે એવું કોઈ ખાસ કારણ નથી. એટલે તમે એ વાત સાંધી હોય એવું લાગે છે. અમે નથી ઇચ્છતા કે તમે એવી રીતે આવો. “અમારે તેતરફઆવવાનોયોગથવાને વધારે વખત જવા જેવું દેખાશે અથવા અમારે આ નિવૃત્તિ માટે મોડું થશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. તો એ વખતે અમે કહેશું કે એક આંટો આવો તમે. પણ એ સત્સસમાગમમાં. વેપાર માટે નહિ. “આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો.’ હવે તમારું ધ્યાન શું પહોંચે છે? એ લખજો. એકવારતોના પાડી દીધી. હવે આ ચોખવટ કરી લીધી. આટલી ચોખવટ કર્યા પછી હવે તમને જેમ વિચાર આવે એ લખજો, જણાવજો. મારા પરિણામ તો હવે...
હવે એક બીજી વાતનો એક મીઠો ઠપકો પણ લખે છે. કારણ કે બીજી બીજી વાત એમણે લખી છે. ઘણા મોટા પુરુષોના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે...” આવે છે ને? ચોસઠ ઋદ્ધિધારી મુનિઓ. રિદ્ધિ-સિદ્ધિના યોગ થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બધાને થાય છે. તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. અને એવું બને છે તેથી એવી અફવાઓ પણ ઘણી ચાલે છે અને એવા ધતીંગ પણ જગતમાં તો ઘણા ચાલે છે. તે માટે આપને સંશય રહે છે. અને ક્યાંક કયાંક એવા ધતીંગ ખુલ્લા પડે છે એટલે એમ થાય કે આવું કાંઈ હશે નહિ, આ તો બધા ચલાવે છે. એટલે શંકા પણ રહે છે. તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છેઃ
અષ્ટમહાસિદ્ધિ આદિ જેજેસિદ્ધિઓ કહી છે, આઠપ્રકારની રિદ્ધિ-સિદ્ધિકહી છે ને? અણિમા, ગરિમા (આદિ). “અષ્ટમહાસિદ્ધિ આદિ જે જેસિદ્ધિઓ કહી છે, ૐ’ આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. યોગ અસંખ્ય પ્રકારના ઘટમાંહિ રિદ્ધિ દાખી રે. અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે એવી. એવા યોગની વિદ્યાઓ છે એ કેટલી છે? અસંખ્ય પ્રકારની ચમત્કારીક વિદ્યાઓ છે. એમાં કેટલીક મેલી વિદ્યાઓ છે. એટલે એના Process હિંસાત્મક અને મલીન છે એટલે એને મેલી વિદ્યા કહે છે. બાકી એમાં
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૭.
પત્રાંક-૬૦૧ ચમત્કાર સાધવાની વાત છે. એવી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે.
અષ્ટમહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, % આદિમંત્રયોગ કહ્યાં છે...” છે પત્રો પણ કેટલા બધા વિષય ચાલી ગયા છે, જુઓ !વિધવિધ પ્રકારના વિષય ખોલ્યા છે એમણે. તે સર્વ સાચાં છે. એટલે એ બધી વિદ્યાઓ જગતમાં છે. પરંતુ આત્મઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. આત્માના સામર્થ્ય પાસે એ તો અલ્પ છે. એ તો કાંઈ નથી, એમ કહે છે. આગળ એક જગ્યાએ આવશે, કે જે ઉપયોગને શુદ્ધ કરે, રિદ્ધિસિદ્ધિ તો એના પગમાં આળોટે છે. જે ઉપયોગ શુદ્ધ કરી જાણે, રિદ્ધિસિદ્ધિ તો એના પગમાં આળોટે છે. એને કાંઈ કિંમત નથી. એ આળોટે તોપણ સામું ન જોવે. શુદ્ધોપયોગનું એવું સામર્થ્ય છે, એટલી કિમત છે !
“આનૈશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. જાવ. એની આજુબાજુ બધા વસી ગયા, આવી ગયા. એને કાંઈ એ સિદ્ધિયોગની જરૂર નથી. “આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી...... એ વાત ઠીક છે કે આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી. આ કાળમાં ધતીંગ ઘણું ચાલે છે. પણ એવા ખરેખર કોઈ રિદ્ધિસિદ્ધિવાળા જોવામાં આવતા નથી. તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે કેમકે એ વાત પછી કાળે કરીને ખુલે છે એટલે એમ લાગે છે કે, ભાઈ ! આમાં કાંઈ લાગતું નથી. આમાં બધી ગડબડ જ ચાલે છે. -
પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવું તો અત્યારે કો'ક જ હોય. “ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે...” ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે. એ જાતનું વત નથી હોતું કે એ રિદ્ધિસિદ્ધિને સાધી શકે. એ જાતનું સત્ત્વ એટલે તાકાત. એવી શક્તિ જોવામાં આવતી નથી. અને તે કારણે તેવા ચમત્કારાદિ દેખાવાપણું નથી. પહેલા તો અજ્ઞાની હોય પણ વિદ્યાધરો તો વિદ્યા સાધતા હતા. એતો મનુષ્યની એક જાત જ એવી થાય છે વિદ્યાધરોની કે એને એવો જ ઉદય હોય. એના એ પ્રકારના પુણ્ય લઈને આવે અને પછી એને શરીર સંસ્થાન બધા એવા હોય અને સીધું એમ કહે ચાલો આ વિદ્યા સાધીએ. આ વિદ્યા સાધીએ... આ વિદ્યા સાધીએ. ભિન્ન-ભિન્ન પ્રકારની વિદ્યા સાધ્યા કરે.
અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. અસ્તિત્વ છે. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. તમને કેમ આમાં શંકા પડી? જે આત્માના ઐશ્વર્યને સાધવા માગતો હોય, એને આત્મશ્વર્યને નિમિત્તે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અજહૃદય ભાગ-૧૨ પૌદ્ગલિક ફેરફારો કેવા કેવા થાય એ તો એને એ વાત ખ્યાલમાં આવી જવી જોઈએ. જેમ કે તીર્થંકરદેવ છે. તો એમને કોઈ રિદ્ધિસિદ્ધિ બાકી નથી. જોકે એમને વિકલ્પ નથી. એટલે ૩૪ અતિશય એમના પ્રગટ છે. એ સિવાય એમને કોઈ વિકલ્પ નથી. એટલે વધારામાં કોઈ વાર થાય કે એ કરે. પણ કોઈ બાકી નથી એટલો મોટો પુણ્યયોગ છે. જબરદસ્ત! કેમકે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા છે. તો એવું જેને સમજાય, આત્માનું સામર્થ્ય જેને સમજાય એને આવી વાતમાં શંકા ન પડે. શું વાત લીધી એમણે ? આત્માના સામર્થને સમજે, આત્માની પવિત્રતાને સમજે, એ પુણ્યને ન સમજી શકે ? એમ કહે છે. આ તો પુણ્યયોગ છે. એને પુણ્યયોગ સમજવો તો સહેલો પડે. તમને કેમ શંકા પડી ? એમ કહે છે. જુઓ ! એમાંથી કેવી વાત કાઢી! કે તમને અંદેશો રહે છે એ અમને આશ્ચર્ય લાગે છે. તમને આવી વાત અંદર કેમ શંકા પડી?
જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય.” આત્માનું જ્ઞાન કરવાવાળાને તો એ બધું અંદર એની સમજણમાં આવી જ જાય, એમ કહે છે. એને એમાં શંકા નથી. કેમકે આત્મામાં જેસમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એટલે જે ઉત્કૃષ્ટ સામર્થ્યને સમજે, તે અનુત્કૃષ્ટ સામર્થ્યને ન સમજે તો એ ઉત્કૃષ્ટ સામર્થ્ય શું સમજ્યો ? એને પ્રતીતિ કેવી રીતે આવે? આ તો સામર્થ્યની પ્રતીતિ કરવાની છે. અને તમે તો એ Lineમાં આગળ વધો છો. તમને કેમ શંકા પડી ? જુઓ! કેવો પ્રશ્ન કાઢ્યો છે ! “સોભાગભાઈની યોગ્યતામાં કચાશ ક્યાં રહી છે? એક જાતનો વિપર્યા છે. એ સૂક્ષ્મ વિપર્યાસ પકડ્યો
એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે...” શું કહે છે? રિદ્ધિસિદ્ધિ બાબતના એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું કારણ શું છે પણ મૂળમાં? એ કહો ને પોતે પકડ્યું છે કે એમને જે પ્રતિકૂળતાઓ હતી એની મૂંઝવણ હતી. એમાં સમાધાન થાતું નહોતું. અને એમને એમ લાગતું હતું કે આમની પાસે કાંઈક રિદ્ધિ-સિદ્ધિ છે. “શ્રીમદ્જી'ની ચમત્કારીક પુરુષ તરીકે બહુ મોટી આબરૂ હતી અને હતું પણ ખરું કાંઈક. એમણે એક જગ્યાએ એકરાર કર્યો છે કે છે. પણ અમારો વિકલ્પ હજી સુધી ગયો નથી. સ્વપ્ન પણ વિકલ્પ આવશે પણ નહિ પણ છે એની કાંઈ અમે ના કહેતા નથી. એમ કહીને એક વાક્યની અંદર સ્વીકાર કરી લીધો છે. આગળ એક પત્ર આવી ગયો.
એટલે એમને પણ એ વિશ્વાસ હતો કે આમની પાસે કાંઈક છે. ધારે તો મારું
Page #266
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૧
૨૪૯
દાળદર ફીટી જાય એવું છે. પણ એમને એ રસ્તે લઈ જવા નહોતા. અને આમને કાંઈક એ જાતનો લોભ રહેતો હતો. એટલે પછી જુદી જુદી દૃષ્ટિએ પ્રશ્ન ઊભા કરતા હતા. કે આમાંથી કાંઈક એમનું ધ્યાન મારી ઉપર ખેંચાય છે ? તો આ એની સામે વિરુદ્ધ જતા હતા. કે નહિ. આ દિશામાં જાવ છો શું કરવા ? આ રસ્તે જવાની તમારી વાત કેમ આવી ? તમને એ વાત જ કેમ ઊગી ? કેટલી Treatment આપી છે !
એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય ?” જેને આત્મહિતનો વિચાર કરવો છે એને એવા પ્રશ્નો કેમ ઊગે ? એ પ્રશ્નો એને આત્મહિતવાળા ઊગે નહિ અને ઊગે તો એને આત્મહિત થવાનું બહુ દૂર થઈ જાય, એમ કહેવું છે. એટલે મુમુક્ષુ છે એ લબ્ધિનો, રિદ્ધિનો, સિદ્ધિનો, જ્યોતિષનો, દોરા-ધાગાનો, તાવીજનો એ માથાકૂટની એ Line માં ઉતરે નહિ. દૂર વયો જાય. એ પ્રકારના પ્રશ્નો અને એ પ્રકારના વિચારો વિચારવાનને, વિચારવાનને એટલે આત્મહિતેચ્છુ જે મુમુક્ષુ છે એને કેમ હોય ? એને ન જ હોય, એમ કહે છે. કેમ હોય ? એમ પ્રશ્ન કરીને કહે છે કે એમ ન જ હોય.
‘શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો.’ આ વાર્તા નહિ. આત્માની વાર્તા લખશો. એ રીતે આ પત્રની અંદર એ વાત વિશેષ આવી છે. (અહીં સુધી રાખીએ...)
૫રમાર્થમાર્ગ અનુભવ પ્રધાન છે. તેથી મુમુક્ષુજીવે અનુભવ પદ્ધતિથી જ સ્વકાર્ય કરવું જોઈએ. જો અનુભવ પદ્ધતિનો પ્રારંભ થાય તો કદી બૌદ્ધિક Approach દ્વારા આગળ વધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, નહિતો અયથાર્થતા આવી જાય, અને આગળ વધી શકાય નહિ પરંતુ ભૂલથી અટકી જવાશે. Feeling stageની નાજુક પરિસ્થિતિ હોય છે. તેમાં બૌદ્ધિક પ્રયાસથી દૂર રહી, માત્ર વેદનથી જ આગળ વધવું જોઈએ. – તેમ સહજ થવું ઘટે. યથાર્થતામાં એમ જ થાય.
(અનુભવ સંજીવની–૧૪૬૨)
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
રાજહૃદય ભાગ–૧૨
પત્રાંક-૬૦૯
મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧.સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.
૨. સહજસ્વરૂપથી જીવ રહિત થી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જેથવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
૪. એ જમાટે સર્વ તીર્થંકરાદિજ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એ પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ કિયા વર્ણવી છે, તે એજઅસંગતા સમજાવવાનો અર્થે વર્ણવી છે.
૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન થાય છે.
૭. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિવણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સવણિપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ
Page #268
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૫૧
થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે.
૯તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!
૧૦ મિથ્યાગ્રહ, સ્વચ્છેદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય.
૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતુ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવતો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે
નહીં.
૧૨. સત્સંગનું એટલે સત્પષનું ઓળખાણ થયે પણ તે યોગનિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કેજે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
૧૩, જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્વમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૨
રાજહૃદય ભાગ-૧૨
ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય
નહીં.
સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીને પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષવિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
તા. ૮-૫-૧૯૯૫, પત્રાંક – ૬૦૯
પ્રવચન નં. ૪૮૨
નોંધ:- પત્ર-૬૦૯ ઉપરના પ્રવચનો ધારાવાહી પ્રવચનોમાં ઉપલબ્ધ નહિ હોવાથી ૧૯૯૫ના સાલના પ્રવચનો લેવામાં આવેલ છે.
પત્ર-૬૦૯ ઔર સ્વાધ્યાય સુધા મેં ૨૧ નંબર કા Page હૈ. Page-૨૧. પત્રાંક-૬૦૯. યહ પત્ર મુમુક્ષુજીવ કો સત્સંગ કા મહત્ત્વ દર્શાને કે લિયે લિખા ગયા હૈ. મુમુક્ષુ કો સત્સંગ કા મહત્ત્વ-મૂલ્યાંકન કિતના હોના ચાહિયે ? સારા પત્ર ઈસપર લિખા ગયા હૈ ઔર સત્સંગ મિલતા હૈ, ભૂતકાલ મેં કભી મિલા હૈ તો નિષ્ફલ ગયા હૈ, ઇસકે કયા-ક્યા કારણ હૈં? ઔર ઇસ કારણ કા અભાવકૈસે કિયા જાયે? યે સબ ચર્ચા
Page #270
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૫૩ ઇસ પત્ર મેં બહુત અચ્છી તરહ સે બહુત સુંદર ચર્ચાહૈ.
પત્ર કા પ્રારંભ મુમુક્ષુ કે ધ્યેય સે કરતે હૈં. મુમુક્ષુ કો સત્સંગ કર્યો કરના ચાહિયે? સત્સંગ કી પ્રવૃત્તિ કે પીછે મુમુક્ષુ કા ધ્યેય ક્યા હોતા હૈ? ઇસલિયે પત્ર કા પ્રારંભ ધ્યેય સે કિયા હૈ. સત્સંગ હૈ વહ મુમુક્ષુજીવ કી જો પ્રવૃત્તિ હૈ વહ આવશ્યક પ્રવૃત્તિ હૈ. યાની મુમુક્ષુ કો ઐસા કહ સકતે હૈં કિ યહ Basic બાત હૈ, યાની આધાર હૈ. ઔર કિસકા આધાર હૈ? અપને ધ્યેય કા આધાર હૈ–મોક્ષ કા આધાર હૈ. ઇસલિયે બાત મોક્ષ સે ચલાઈ હૈ. જે અંતિમ લક્ષ્ય હૈ. અગર ઐસા નહીં હો તો સત્સંગ કી પ્રવૃત્તિ ધ્યેયશૂન્ય હો જાયેગી. ધ્યેયશૂન્ય પ્રવૃત્તિ લાભદાયક નહીં હોતી. ઇસલિયે જિતના સત્સંગ કરના આવશ્યક હૈ ઉતના હી વહધ્યેય કે સાથ સત્સંગ હોના આવશ્યક હૈ. ઇસલિયે સત્સંગ મહત્ત્વ દર્શાતે હુએ બહુત વિચક્ષણતા સે ઇસ વિષય કા પ્રતિપાદન “કૃપાલુદેવ યહાં પર કર રહે હૈં.
૧. સહજસ્વરૂપસે જીવકી સ્થિતિ હોના, ઇસે શ્રી વીતરાગ “મોક્ષ' કહતે હૈં જૈસા સહજાત્મ સ્વરૂપ હૈ વૈસી દશા પ્રાપ્ત હો જાની, ઐસી સ્થિતિ હો જાની, જૈસા સ્વરૂપ હૈ ઐસી સ્થિતિ હો જાની, ઇસ સ્થિતિ કો શ્રી વીતરાગદેવને મોક્ષ કહા હૈ. મોક્ષ કી બાત દો અપેક્ષા સે કરતે હૈં. એક ધ્યેય કી અપેક્ષા સે કરતે હૈં ઔર એક દૃષ્ટિ જબ પ્રાપ્ત હોતી હૈયાની સમ્યગ્દર્શન હોતા હૈતો એક ન્યાય સે ઉસે ભી દૃષ્ટિ સે અપેક્ષા સે વહમુક્ત હો ગયા ઐસા કહને મેં આતા હૈ.
‘અમૃતચંદ્રાચાર્યદેવને “સમયસાર મેં વહ બાત કહી કિ “ મુવા પ્રવ’. સમ્યગ્દષ્ટિ હૈ સો મુક્ત હો ગયા. વહ શ્રદ્ધાન અપેક્ષા સે બાત હૈ. શ્રદ્ધા મેં તો બંધ કરતો વિષય નહીં હૈ, મોક્ષ કા ભી વિષય નહીં હૈ, મુક્તસ્વરૂપ આત્મા કા હી વિષય હૈ. આત્મા કો બંધ-મોક્ષ હૈ નહીં, ઐસી શ્રદ્ધા હોતી હૈ. ઇસલિયે વહાં તો બંધ કા સવાલ હી પેદા નહીં હોતા. વહતી મુક્ત હોહી ગયા, દ્રવ્યદૃષ્ટિવાન તો મુક્ત હો હી ગયા.
મુમુક્ષુ - ઇસ પત્ર મેં બાત તો લેની હૈ સત્સંગ કી, મહત્ત્વ દર્શાના હૈ સત્સંગ કા, પહલે બાત કી મોક્ષ કી, ઇસમેં ક્યા રહસ્ય હૈ?
પૂજ્ય ભાઈશ્રી:- હાં. ઉસમેં તો વહી રહસ્યકિ સત્સંગ કર્યો કરતે હો? મુમુક્ષુ -સત્સંગ સે મોક્ષ કે લિયે?
પૂજ્ય ભાઈશ્રી:- સત્સંગ મોક્ષ કે લિયે હોના ચાહિયે ઔર યથાર્થ સત્સંગ હોને સે મોક્ષ મિલેગા હી. પહલે દૃષ્ટિ અપેક્ષા સે મુક્તિ હો જાયેગી, ફિર પરિપૂર્ણ શુદ્ધ દશા હોકર કે મુક્તિ હો જાયેગી. ઔર મોક્ષ કે લિયે સત્સંગ કરના હૈ તો કહેંગે કિ, મોક્ષ તો
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
રાજહૃદય ભાગ-૧૨ આત્મા મેં અંતર્મુખ હોને સે હોતા હૈ. સત્સંગ કરને સે થોડી ન હોતા હૈ. આત્મા મેં સ્વરૂપલીનતા હોને સે મુક્તિ હોગી. તો ઉસકો કહેંગે કિ વહ અસંગ દશા હૈ. ઉપયોગ કિસી ભી અન્ય પદાર્થ કા સંગ ન કરે ઉસકો કહતે હૈં અસંગ દશા. ઔર ઐસી અસંગ દશા સત્સંગ કે બિના કિસી કો હોતી નહીં હૈ. યહાં સે સત્સંગ કા અનુસંધાન બિઠાયા હૈ. માને વિષય કા પ્રતિપાદન બહુત વિચિક્ષણતા સે કિયા હૈ, અસાધારણ વિચિક્ષણતા સેયહપ્રતિપાદન ચલ રહા હૈ. ક્યા કહા?
ફિર સે, સહજસ્વરૂપસે જીવકી સ્થિતિ હોના, ઇસે શ્રી વીતરાગ મોક્ષ કહતે હૈં જૈસા સહજાત્મ સ્વરૂપ હૈવૈસી સ્થિતિ માને દશા હો જાયે ઉસકો કહતે હૈમોક્ષ. એક તો મોક્ષ કી શુદ્ધ પરિભાષા હૈ. અબ અપેક્ષિત બાત કરતે હૈંકિ દૂસરી અપેક્ષા સે ભી મોક્ષ બોલા જાતા હૈ.
૨. જીવ સહજવરૂપસે રહિત નહીં હૈ...” અપના સહજસ્વરૂપ કા ત્યાગ કિયા હો ઐસા તો કભી સ્વરૂપમેં નહીં બના હૈ. અનાદિઅનંત સહજ સ્વરૂપ સે સહિત હી હૈ. પરંતુ...” જીવ સહજસ્વરૂપ સે રહિત નહીં હૈ મતલબ સહિત હી હૈ. પરંતુ ઉસ સહજ સ્વરૂપના જીવકો માત્ર ભાન નહીં હૈ.” હૈ સહજ સ્વરૂપ, લેકિન ભાન નહીં હૈ. ભાન હોના વહી સહજસ્વરૂપ સે સ્થિતિ હૈ, વહ ચતુર્થ ગુણસ્થાન મેંદ્રવ્યદૃષ્ટિ હોને સે ભાન હોતા હૈ. સમ્યગ્દર્શન મેં ભાન હોતા હૈકિ મૈંત્રિકાલ સહજ સ્વરૂપ હૂંઔરત્રિકાલ સહજ સ્વરૂપ હું, યહી સમ્યગ્દર્શન કા-શ્રદ્ધાન કા વિષય હોતા હૈ. ઇસલિયે સહજ સ્વરૂપ કા ભાન હો ગયા તો સમ્યગ્દષ્ટિમુક્ત હો ગયા. ફિર ઉસે સ્વરૂપ મેં બંધન નહીં દિખતા. અવસ્થા કા જ્ઞાન રહ જાતા હૈ. અવસ્થા મેં જિતના બંધન હૈ ઉસકા જ્ઞાન રહ જાતા હૈ.
“જીવ સહજસ્વરૂપસે રહિત નહીં હૈ, પરંતુ ઉસ સહજસ્વરૂપકા જીવકો ભાન નહીં હૈઔર વહ અનાદિ સે નહીં હૈ. જો ભાન હોના, વહી સહજસ્વરૂપસે સ્થિતિ હૈ.'
ઔર સહજસ્વરૂપ કી સ્થિતિ કો તો મોક્ષ બોલ દિયા . ઇસલિયે ભાન હોના યહી મોક્ષ દશા હૈ. એક તો પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ દશા હૈ ઔર મુક્તસ્વરૂપ કા ભાન હોના વહ ભી મોક્ષદશા હૈ, મુક્તદશા હૈ.
મુમુક્ષુ-સહજ સ્વરૂપ માને?
પૂજ્ય ભાઈશ્રી - સહજ સ્વરૂપ માને મૂલ સ્વરૂપ. સહજ સ્વરૂપ માને મૂલ સ્વરૂપ. આત્મા કા પરમ તત્ત્વ જો હૈ સ્વભાવ તત્ત્વ હૈ, પરમપારિણામિકભાવરૂપ જો તત્ત્વ હૈ, અનાદિઅનંત એકરૂપ ધ્રુવ અપરિણામી, ઉસકો સહજ સ્વરૂપ કહતે હૈં.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૫
પત્રાંક-૬૦૯
મુમુક્ષુ-મૂર્તિમાન મોક્ષ.
પૂજ્ય ભાઈશ્રી :- પુરુષ હૈ. મૂર્તિમાન મોક્ષ સત્યરુષ હૈ. સત્પરુષ હી મૂર્તિમાન મોક્ષ હૈ. મોક્ષ અરૂપી જીવ કી અરૂપ અવસ્થા હૈ. જીવ અરૂપી તત્ત્વહૈ ઔર સિદ્ધપર્યાય ભી અરૂપી હૈ. લેકિન મૂર્તિમાન-મૂર્તિરૂપ મેં મોક્ષ કા દર્શન કરના હો તો પુરુષ કા દર્શન કરલો. મૂર્તિમાન મોક્ષ સત્પરુષ હૈ. ૨૪૯પત્ર મેં લિખા હૈ, વહ ઇસલિયે લિખા હૈ કિશાસ્ત્રને જ્ઞાન હોતા નહીં. સત્પરુષસે જ્ઞાન હોતા હૈ. ઇસલિયે વહબાત લિખી હૈ.
મુમુક્ષુ-સન્દુરુષ કી પહિચાનકૈસે હો ?
પૂજ્ય ભાઈશ્રી :- પુરુષ કી પહિચાન દઢ મુમુક્ષતા પ્રાપ્ત હોને સે ઔર દૃઢ મુમુક્ષતા આનેપર પરિણમન કા પ્રયાસ ચલતા હો, ઐસી યોગ્યતા આયી હો તો ઔર અંતર્મુખ હોને કી વૃત્તિ હો, બહિર્મુખ વૃત્તિ કા નિષેધ બહુત આતા હો, ઐસી યોગ્યતાપાત્રતા હોનેપર સપુરુષ કી પહિચાન હોતી હૈ. યહ બાત ૬ ૭૪ પત્ર મેં લી હૈ. ઉસકા સ્વાધ્યાય શરૂ-શરૂમેં ચલા થા.યહાં સે તો સ્વાધ્યાય ચાલુ કિયા થા.
મુમુક્ષુ -આજ હી સોનગઢ સે આયે.
પૂજ્ય ભાઈશ્રી:- અચ્છા, અચ્છા કોઈ બાત નહીં. અબ ક્યા હુઆ હૈ? ભૂતકાલ કૈસે ગયા?
૩. સંગકે યોગસે યહજીવ સહજસ્થિતિકો ભૂલ ગયા-હૈ...” સંગ સે નહીં લેકિન સંગ કે યોગ સે. સંગ કા યોગ માને ક્યા? કિ જો શરીર આદિ પર પદાર્થ કા સંગ હૈ ઉસમેં ઉસ રૂપ અપને કો સ્વીકાર કર લિયા. ઇસે કહતે હૈ સંગ કા યોગ. મેં ફલાના
લાના મનુષ્ય હું તો યહકર્માનિત અવસ્થામેં કર્મકાયોગ હૈ. કર્મ કા સંબંધ હૈ. યોગ માને સંબંધહૈ. ઉસ રૂપ અપને કો સ્વીકાર કર લેના. ઉસે કહતે હૈંસંગ કાયોગ.
સંગ હોને સે કોઈ નુકસાન નહીં હૈ. તીર્થંકરદેવ કો ભી શરીરતો હોતા હૈ. હોતા હૈ કિનહીં હોતા હૈ? અરે.! શરીર કયા સમવસરણ કા સંગ હોતા હૈ. ઔર સમવસરણ મેં લાખોં-ક્રોડૉ જીવ સુનતે હૈં ઉનકા ભી સંયોગ હોતા હૈ. લેકિન યોગ હોતા નહીં હૈ. મેં ભગવાન હૂં ઔર યે મેરે ભક્ત હૈ, જો સુનને કો આતે હૈયે મેરે ભક્ત હૈ ઔર જો મુજે સુનને કો નહીં આતે હૈ મેરે ભક્ત નહીં હૈ, ઐસા તીર્થકર કો ભાવ હોતા નહીં હૈ. મેં જ્ઞાનસ્વરૂપી જ્ઞાતા-દષ્ટા આત્મા હું ઓર મેં જબ જ્ઞાતા હું તો ઔર અન્ય સબમેરે શેય હૈ. મેં જ્ઞાતા હૂં ઔર યે શેય હૈ, ઈસસે જ્યાદા મુજે કોઈ લેના-દેના નહીં હૈ, વહ ભી ભિન્ન શેયહૈ શેકી તરહ અભિન્ન જ્ઞેય નહીં હૈ.
લેકિન સંગ કે યોગ સે અનાદિ સે યહજીવ સહજસ્થિતિકો ભૂલ ગયા હૈ. યહ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
રાજહૃદય ભાગ-૧૨ જીવ માને અપના જીવ અપને સહજ સ્વરૂપ કો ભૂલ ગયા હૈ કિ મેં કૈસા આત્મા હૂં વહી ઉસે પતા નહીં હૈ, વહી ઉસે ખબર નહીં હૈ. સંગકી નિવૃત્તિસે...” માને ઉસ પ્રકાર કે પરિણામ, સંગવાલે પરિણામ કી નિવૃત્તિ સે. ઉસકો સંગ કી નિવૃત્તિ કહી. મેં સંગવાલા હું, સંયોગવાલા હું ઉસ પરિણામ કી નિવૃત્તિ કો સંગ કી નિવૃત્તિ બોલને મેં આતી હૈ.
ક્યોંકિ જગત મેં છહ દ્રવ્ય કા સંયોગ અનાદિઅનંત રહનેવાલા હૈ. જહાં જીવદ્રવ્ય હૈ વહાં દૂસરે પાંચ દ્રવ્યહૈ. તો કિસી દ્રવ્ય કો હટાના વહબાત તો હૈ હી નહીં. લેકિન યોગ કો હટાટૅ.ઉપયોગ કોહટાયે ઉસે કહતે હૈંયોગકો છોડદિયા.
સંગકી નિવૃત્તિસે સહજસ્વરૂપકા અપરોક્ષ ભાન પ્રગટ હોતા હૈ” અપરોક્ષ માને પ્રત્યક્ષ. સંગ કી નિવૃત્તિ હોને સે યાની સંગ કે ઉપર કા અપના અધિકાર છોડ દેને સે. અધિકાર જમાયા હૈ. યહ શરીર મેરા હૈ, યહ મકાન મેરા હૈ, વહ પરિવાર મેરા હૈ, ઈસપર મેરા અધિકાર હૈ. અધિકાર જમાતે હૈંયા નહીં જમાતે ? એકાધિકાર. અધિકાર મેં ભી એકાધિકાર. યહ પરિવાર મેરા હૈ, યહ સંપત્તિ મેરી હૈ. ઉસકી નિવૃત્તિ સે અપના જો સહજ સ્વરૂપ હૈ ઇસકા પ્રત્યક્ષ ભાન પ્રગટહોતા હૈ, ભાન હોતા હૈ નહીં પ્રગટભાન હોતા હૈ. કોઈ અપ્રગટ અવસ્થા નહીં હૈ, ભાન હોના વહપ્રગટ અવસ્થા હૈ.
મુમુક્ષુ-પ્રત્યક્ષ ભાન હોતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રત્યક્ષ ભાન હોતા હૈ. બીચ મેં કોઈ ઇન્દ્રિય કી ભી અપેક્ષા નહીં હૈ, કોઈ દૂસરે સાધનકી અપેક્ષા નહીં હૈ જૈસે હમ યહાં પઢતે હૈલેકિન Light offહો જાયે તો પઢનહીંપાયેંગે. અક્ષરદિખેગા નહીં તો પઢને મેં પ્રકાશ કી અપેક્ષા હૈ. ક્યોંકિ સૂર્યાસ્ત હો ગયા. લેકિન આત્મા કા દર્શન કરને કે લિયે કોઈ પ્રકાશ કી અપેક્ષા નહીં હૈ. દિન મેં આત્મા દિખે ઔર રાત્રિ કો આત્મા કા દર્શન નહીં હો, ઐસા હો સકતા હૈ ક્યા? સતત ભાન રહતા હૈ. ભાન રહતા હૈ તો સતત રહતા હૈ, દિન-રાત. “સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહેતધ્યાન મહીં દિન-રાત ઉસકા ધ્યાન રહતા હૈ.
મુમુક્ષુ -અપરોક્ષ ભાન પ્રગટ હોતા હૈ વહ કૌન-સે Stage કો બતાતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી - ચતુર્થ ગુણસ્થાન. પ્રથમ ચતુર્થ ગુણસ્થાન મેં પ્રત્યક્ષ સાક્ષાત્કાર, સહજાત્મસ્વરૂપ કા પ્રત્યક્ષ સક્ષાત્કાર હોતા હૈ.
મુમુક્ષુ -મુમુક્ષુકી ભૂમિકા મેંપ્રગટહોને કાપ્રયાસ કરતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી - મુમુક્ષુ કી ભૂમિકા વહ પ્રયાસ કી ભૂમિકા હૈ. ભાન કરને કી, ભાન મેં આને કી પ્રયાસ કી ભૂમિકા હૈ. ઉસકો મુમુક્ષુ દશા કહતે હૈ. ઔર ઉસ મુમુક્ષુ દશા મેં ધ્યેય હોતા હૈમોક્ષ કા. ધ્યેય હોતા હૈમોક્ષ કા. ઉસે મુમુક્ષતા કહતે હૈં
Page #274
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૫૭. મુમુક્ષુ યહાં સંગ કીનિવૃત્તિ કા અર્થ ક્યા અભિપ્રાયસેનિકલ જાના હોતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી - હાં, હાં. હમ કોઈ સંગવાલે નહીં હૈ. યહાં સંગ કી નિવૃત્તિ માને દીક્ષા લે લે વહ બાત નહીં હૈ કિ ચલો, ઘર છોડકર ચલે જાયેં. વહ બાત નહીં હૈ. અપરોક્ષ ભાન કિસી ભી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ મેં હો સકતા હૈ. ઉસમેં કોઈ તકલીફ હોતી નહીં. માને ગૃહસ્થી કો ભી હોતા હૈ. લેકિન ગૃહસ્થી કો હોતા હૈ તો અપને કો ગૃહસ્થી કા અનુભવ કરતા નહીં. વહ અપને કો સહજાત્મ સ્વરૂપ કા અનુભવ કરતા હૈ, મેં ગૃહસ્થી હું, ઐસા અનુભવ નહીં કરતા હૈ. ઔર ત્યાગી હોકર મેં ત્યાગ હું, ઐસા અનુભવ કરતા હૈ ઉસે સહજ સ્વરૂપ કા પ્રત્યક્ષ ભાન હોતા નહીં. કયોંકિ ન આત્મા ગૃહસ્થી હૈ, ન આત્મા ત્યાગી હૈ. આત્મા તો સહજસ્વરૂપ હૈ.
જ. ઇસલિયે સર્વ તીર્થંકરાદિજ્ઞાનિયને અસંગતા હી સર્વોત્કૃષ્ટ કહી હૈ... સંગ કીનિવૃત્તિ મેં અસંગતા લી. ઉપયોગ અંતર્મુખ હો જાયે ઔર ઉપયોગ કોઈ અન્ય દ્રવ્ય કા સંગ નહીં કરે ઉસે અસંગ દશા કહને મેં આતી હૈ. તો “સર્વ તીર્થંકરાદિ જ્ઞાનિયોને અસંગતા હી સર્વોત્કૃષ્ટ કહી હૈ...” ઐસા ઉપયોગ જિસકા અંતર્મુખ હો ગયા વહ સર્વોત્કૃષ્ટદશા હૈ. ઉત્કૃષ્ટયમ, ઉત્કૃષ્ટનિયમ, ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટવ્રત માને મહાવ્રત જિસમેં સમાવિષ્ટ હોતા હૈ ઐસા અતીન્દ્રિય પ્રત્યક્ષ શુદ્ધોપયોગ કો નમસ્કાર હો. નમસ્કાર વચન આયા ન ? ઐસે શુદ્ધોપયોગ મેં, એક શુદ્ધોપયોગ મેં ઉત્કૃષ્ટ યમ, નિયમ, વ્રત, સંયમ સબ ઉસમેં સમાવિષ્ટ હૈ. ઐસે શુદ્ધોપયોગ કો નમસ્કાર કરતે હૈ. યહ “કૃપાલુદેવ કા વચન અન્ય જગહ હૈ.
મુમુક્ષુ - ઉપયોગ કો અંતર્મુખકરના તો જ્ઞાનઉપયોગ લેના કિચારિત્રલેના?
પૂજ્ય ભાઈશ્રી - ઉપયોગ ચારિત્ર કી દશા કો કહતે હી નહીં. ઉપયોગ જ્ઞાનદર્શન કી દશા કો હી ઉપયોગ બોલા જાતા હૈ. જબકિ ચારિત્ર ભી ઉસ વકત અંતર્મુખ હોતા હૈ. જબ શુદ્ધોપયોગ હોતા હૈ તો સ્વરૂપાચરણ ચારિત્ર હો હો જાતા હૈ, લેકિન ઉપયોગ સંજ્ઞા દર્શન-જ્ઞાન ગુણ કે પરિણામ કો હી લાગુ પડતી હૈ, દૂસરે ગુણ કે પરિણામ કો ઉપયોગ સંજ્ઞા–ઉપયોગ નામ દે સકતે નહીં હૈ.
મુમુક્ષુ -શુભઉપયોગ. પૂજ્ય ભાઈશ્રી - શુભભાવ સે જુડે હુએ ઉપયોગ કો શુભોપયોગ કહતે હૈ શુદ્ધ સ્વરૂપ સે જુડે હુએ ઉપયોગ કો શુદ્ધોપયોગ કહતે હૈ અશુભ પરિણામ કે સાથ જુઓ હુએ ઉપયોગ કો અશુભઉપયોગ કહતે હૈં ઉસ પ્રકાર સે ઉપયોગ કા વિશેષણ ઉનકે વિષયકો સાથ લેકર બોલા જાતા હૈ. ઐસી વહાં વિવિક્ષા સમજની ચાહિયે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૨
ઇસલિયે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનિયોંને અસંગતા હી સર્વોત્કૃષ્ટ કહી હૈ, કિ જસમેં...' જિસ અસંગતા મેં સર્વ આત્મસાધન રહે હૈં.’ જિતને ભી આત્મા કે સાધન હૈ વે અસંગ દશા મેં સમાવિષ્ટ હૈ. કોઈ ક્ષાયિક સમ્યદૃષ્ટિ હોતે હૈં, ક્ષાયિક સમ્યગ્દર્શન હોતા હૈ ન ? તો ઉસે ચતુર્થ ગુણસ્થાન મેં ધર્મસાધન બાહર મેં કૌન-સા હોતા હૈ તો ઉસે હમ ક્ષાયિક સમ્યક્દષ્ટિ માને ? બતાઈયે. એક પ્રશ્ન કી ચર્ચા હમ કરેં. સમ્યકૃષ્ટિમેં ભી ક્ષાયિક સમ્યષ્ટિ ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શન કા યહ પદ હૈ. ચતુર્થ ગુણસ્થાન મેં ઐસા ક્ષાયિક સમ્યક્દષ્ટિ હોતા હૈ તો ઉનકો બાહર મેં ધર્મસધાન કૌન-સા હોતા હૈ ? ઉનકો શુદ્ધોપયોગ મેં સમ્યગ્દર્શન હો ગયા. સમ્યગ્દર્શન કહાં હોતા હૈ ? શુદ્ધોપયોગ મેં હોતા હૈ. ઉસકો બાહર મેં કૌન-સા ધર્મસાધન હોતા હૈ ? ઐસા જરૂરી હૈ કયા કિ વહ જિનમંદિર જાતા હૈ કિ નહીં જાતા હૈ ? નહીં જાતા હૈ, જરૂરી નહીં હૈ.
મુમુક્ષુ :- તીર્થંકર અણુવ્રત ધારણ કરતે હૈં.
પૂજ્ય ભાઈશ્રી :- તીર્થંકર અણુવ્રત ધારણ કરતે હૈં. પંચમ ગુણસ્થાન મેં આતે હૈં તો કરતે હૈ. કોઈ તીર્થંકર પંચમ ગુણસ્થાન મેં આતે હૈં તો અણુવ્રત ધારણ કરતે હૈં ઔર કોઈ નહીં આતે હૈં તો સીધે સપ્તમ ગુણસ્થાન મેં ભી આ જાતે હૈં, ધારણ ભી કરતે હૈં. દોનો બાત હોતી હૈ, અપને તો ચર્ચા દૂસરી કરની હૈ.
મુમુક્ષુ :- .. ઉસે નિયમ હોગા કિ મુજે દેવદર્શન કરના હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- મનુષ્ય કો હી સમ્યગ્દર્શન હોતા હૈ તો કયા તિર્યંચ કો નહીં હોતા હૈ ?
મુમુક્ષુ :- કોઈ સમ્યક્દષ્ટિ જીવ અગર કોઈ મનુષ્ય હૈ તો ઉસકો દેવદર્શન કા નિયમ તો હોગા હી ન ?
પૂજ્ય ભાઈશ્રી :- નહીં, કોઈ જરૂરી નહીં હૈ. નહીં ભી કરે તો ઉસકા સમ્યગ્દર્શન ચલા ગયા કયા ? ચલા જાતા હૈ કયા ?
મુમુક્ષુ :- યહાં ૫૨ ક્ષાયિક સમ્યક્દષ્ટિ મનુષ્ય કી બાત ચલતી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- ક્ષાયિક સમ્યક્દષ્ટિ મનુષ્ય હો ઉનકો નિત્ય દેવદર્શન કાનિયમ હોતા હૈ કયા ? અગર નહીં કરતા હૈ તો ઉસકા સમ્યગ્દર્શન ચલા જાતા હૈ કયા ? ઐસા કોઈ નિયમ હોતા નહીં હૈ. ઐસા નિયમ નહીં હોતા હૈ. ઇસકા મતલબ યહ નહીં હૈ કિ દેવદર્શન નહીં કરના, વહ મતલબ નહીં હૈ. ઉલટા નહીં લેના હૈ. બાત કો સુલટી લેની હૈ સમજને કે લિયે. કોં ? ‘કૃપાલુદેવ’ ને કયા લિખા ? કિ અસંગ ઉપયોગ હૈ, જિસમેં સર્વ આત્મસાધન રહે હૈં, ઇસ બાત પર લે જાના હૈ. અસંગ ઉપયોગ હુઆ તો આત્મા કા
Page #276
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૫૯ સર્વ સાધન ઉસમેં આ ગયા. સમ્યગ્દર્શન કા મહત્ત્વ લેના હૈ. યહ કોઈ શુભભાવ કે આધાર સેટિકનેવાલી ચીજનહીં હૈ, યા શુભભાવકે કારણ એ હોનેવાલી ચીજ નહીં હૈ. યહ અપની તાકત સે હોતા હૈ, વહ અપને ગુણ કી શકિત સે હોતા હૈ.
મુમુક્ષુ-જિસમેં સર્વજિનશાસન સમાયા હો ઉસમેં બાહ્ય સાધનકી આવશ્યકતા ક્યા રહતી હૈ પૂરા જિનશાસન હૈહી.
પૂજ્ય ભાઈશ્રી - “સમયસાર મેં પંદ્રહની ગાથા મેં કુંદકુંદાચાર્યદેવ ને નિસાસ સવં'. કયા લિખા ? જો શુદ્ધોપયોગ મેં આતા હૈ ઉસકો કહા કિ ‘ નિસાસાં સળં. સમસ્ત જિનશાસન ઉસમેં સમાવિષ્ટ હૈ. યહાં ધર્મ કે સાધન ઉસમેં આ ગયે ઐસા લિખા. દોનોં કી બાત એક હો ગઈ. કુંદકુંદાચાર્યદેવ કી બાત હૈ વહી “કૃપાલુદેવ’ કી બાત હો ગઈ. સમસ્ત જિનશાસન ઉસમેં આ ગયા. કોઈ બાત બાકી નહીં રહી. ઔર યહી શાસન કી સચ્ચી પ્રભાવના હૈ. અપને આત્મા કો શુદ્ધોપયોગ સે પ્રભાવિત કરના યહી આત્મા કી યહી ધર્મકી, યહી જિનશાસનકી સચ્ચી પ્રભાવના હૈ. ઇસલિયે બોલા કિ નિસાસાં સળં'. યહ સમસ્ત જિનશાસન હૈ. સમસ્ત ક્યોં
કિહા?
યહાં તો શુદ્ધોપયોગ હોતા હૈ વહ કેવલજ્ઞાન કી તરહપૂરા-પૂરા તો નહીં હોતા હૈ. સમ્યક્દષ્ટિ કો શુદ્ધોપયોગ હોતા હૈ વહ કોઈ પૂર્ણ શુદ્ધોપયોગ તો નહીં હોતા હૈ. ફિર ભી વહ સમસ્તજિનશાસન હૈ.
મુમુક્ષુ -જાતિ.
પૂજ્ય ભાઈશ્રી :- જાતિ હો ગઈ. કેવલજ્ઞાન કી જાતિ કા હૈ. ઔર યહી સચ્ચા જિનશાસન હૈ. શુદ્ધોપયોગ હૈ વહી સચ્ચા જિનશાસન હૈ. શુદ્ધોપયોગ હોતા હૈ કબ ? કિ સર્વ પ્રકાર સે પૂરી તાકત સે જો અપને શુદ્ધ સ્વરૂપ કો ઉપાયભૂત કરકે પરિણમન કરતા હૈ તબ (શુદ્ધોપયોગ પ્રગટ હોતા હૈ). “HપવેસÍતમાં પરિનિસાસM સવું' “અપવેસતંતમઠ્ઠાં માને સર્વ શ્રત ઇસમેં આ ગયા. ભાવશ્રુતજ્ઞાન હુઆ તો સર્વ શ્રત ઉસમેં આ ગયા. તો સર્વ શ્રુતમાં જિતના ઉપદેશ હૈ વહ સબ ઉપદેશ કા સાર ઉસકે હાથ મેં આ ગયા. બારહ અંગ કા સાર ક્યા હૈ? બારહ અંગ કા સાર ક્યા હૈ? અનુભૂતિ. બારહ અંગ કા સાર અનુભૂતિ હૈ. આયા કિ નહીં આયા? “સમયસાર તે તેરહવે નંબર કે કલશ મેં કલશ ટીકા મેં યહ બાત આપી. બારહ અંગ કા સાર સ્વાનુભૂતિ હૈ ઔર વહ સ્વાનુભૂતિ શુદ્ધોપયોગ હૈ. ઇસલિયે ઉસમેં સર્વ સાધન આ ગયે યહ કહા.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :- જાતિ કા એક કહના થોડા કમ લગતા હૈ, અપને કો તો વૈસે હી અનુભવ કરતે હૈ જૈસે ભગવાન અનુભવ કરતે હૈ, અનુભવ મેં ક્યા ફર્ક હૈ ?
પૂજ્ય ભાઈશ્રી :- કોઈ ફર્ક નહીં. અનુભવ કી તારતમ્યતા મેં ફર્ક હૈ. બાકી અનુભવ મેં કોઈ ફર્ક નહીં હૈ. તારતમ્યતા મેં તો ફર્ક હૈ તો સવિકલ્પ દશા આ જાતી હૈ. બાકી તો શુદ્ધોપયોગ શુદ્ધોપયોગ હૈ, ઉસમેં શુદ્ધ પરમ પરમાત્મતત્ત્વ કા હી અનુભવ હૈ. મેં પ૨માત્મા હૂં, ઐસા અનુભવ ઇસમેં આતા હૈ. તો ‘કૃપાલુદેવ’ ને ૬૮૦ નંબર કે પત્ર મેં ઐસા બોલ દિયા, લિખ દિયા કે હમ પરમાત્મા હુએ હૈં. ક્યા લિખા હૈ ? હમ પરમાત્મા હુએ હૈં. ઔ૨ ૫૨માત્માપને કે અભિમાન સે યહ બાત હમ લિખતે નહીં હૈ. કોંકિ ઐસા અનુભવ કરતે હૈં. પરમાત્મસ્વરૂપરૂપ અપને આપકો અનુભવ કરતા હૈ તબ શુદ્ધોપયોગ હોતા હૈ. ઉસકો હી શુદ્ધોપયોગ કહતે હૈં. આત્મા પરમાત્મસ્વરૂપ હૈ ઔર ઉસ રૂપ અપને આપ કો અનુભવ કરતા હૈ, બસ ! બાત ખત્મ હો ગઈ. ઉસમેં કોઈ ફિર અનુચિતતા રહતી નહીં હૈ, વહ સર્વ પ્રકાર સે ઉચિત હૈ.
મુમુક્ષુઃ
:- હ૨ સમય અનુભવ નહીં કરતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- કર્યો ! ઉપયોગ મેં હ૨ સમય નહીં કરતા, પરિણિત મેં તો હર સમય રહતા હૈ. ઠીક હૈ ? પરિણતિ મેં તો હ૨ સમય રહતા હૈ કિ નહીં રહતા હૈ ? અચ્છા, પરિણતિ મેં હ૨ સમય રહા ઔર જિસ સમય પરિણતિ મેં રહા હૈ ઉસ સમય ઉપયોગ બાહર ગયા તો શાની કયા કહતે હૈં ? યહ મેરા ઉપયોગ નહીં. બાહર ગયા વહ મેરા ઉપયોગ હૈ હી નહીં. વહ અનઉપયોગ હૈ. ઉપયોગ નહીં હૈ, વહ અનઉપયોગ હૈ, વહ અનાત્મા હૈ. હમ ઉસે આત્મા કહતે નહીં. ઔર જ્ઞાની કો ભી સવિકલ્પ દશા મેં ઉપયોગ બાહર જાતા હૈ તો પ્રભુત્વ પરિણતિ કા હૈ, ઉપયોગ કા પ્રભુત્વ નહીં હૈ.
ફિર સે, જ્ઞાની કે પરિણમન મેં ભી ઉપયોગ જબ સ્વરૂપ મેં નહીં હૈ તો ભી ઉસ વક્ત કે પરિણમન મેં પરિણતિ કા પ્રભુત્વ હૈ, ઉપયોગ કા પ્રભુત્વ નહીં હૈ. તો જિસકા પ્રભુત્વ હૈ ઉસે હમ ગિને યા જિસકા પ્રભુત્વ નહીં હૈ ઉસે ગિને ? દેખિયે ! ઘર મેં હમ યે કહેંગે કિ સબસે બડે વહ હૈ, ઉનકો પૂછો. કોઈ કહેગા કિ ઉન્હેં પૂછને સે કોઈ ફાયદા નહીં હૈ, ઉનકી ચલતી નહીં. ચલતી હૈ ફલાને કી ઉસકો પૂછો. મતલબ જિસકા પ્રભુત્વ હૈ ઉસસે કામ લો ન. જિસકા પ્રભુત્વ નહીં હૈ ઉસસે બાત કરને સે કચા ફાયદા ? તો વહ ન્યાયસંપન્ન બાત હૈ.
મુમુક્ષુ :- પરિણતિ તગડી હૈ તો પરિણતિ અંદર ખીંચ લાયેગી.
પૂજ્ય ભાઈશ્રી :- હાં, જિસકી પરિણતિ તગડી હૈ તો ઉપયોગ કો બાર-બાર
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૧
પત્રાંક-૬૦૯ ખીંચકર કેપરિણતિ અંદરલે જાયેગી. ઇસ પરિણતિ કાપ્રભુત્વ ઇતના બડા હૈ.
મુમુક્ષુ ભાન રહતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી:-હાં, ભાન રહતા હૈ. પ્રત્યક્ષ ભાન રહતા હૈ. અપરોક્ષ ભાન લિયા હૈ, પ્રત્યક્ષ ભાન રહતા હૈ ઔર વહ નિરંતર રહતા હૈ. ઇસલિયે મનુષ્યોચિત પ્રવૃત્તિ મનુષ્ય સમ્યફદષ્ટિ કો હોતી હૈ ઔર દેવોચિત પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ દેવ કી હોતી હૈ, તિર્યંચ ઉચિત પ્રવૃત્તિ તિર્યંચ સમ્યગ્દષ્ટિકોહોતી હૈ ઔર નારકી સમ્યગ્દષ્ટિ હોતે હૈતો ઉસકો નારકી કે ઉચિત પ્રવૃત્તિ બાહર મેં હોતી હૈ. પરંતુ અંદર મેં ભાન હૈ કિ મેં ન મનુષ્ય હું, ન દેવ હું, ન તિર્યંચ હૂં ઔર ન મેં નારકી છું. એક પરમઆત્મા હૂ–પરમાત્મા હુંઐસા પ્રત્યક્ષ ભાનવર્તતા હૈ ઔર ઉસી ભાનમેં વે ચલતે હૈ.
મુમુક્ષુ ઉસીકી પ્રભુતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી - ઉસીકી પ્રભુતા હૈ, બસ ! ઇસકા પ્રભુત્વ પરિણમન મેં છાયા હુઆ હૈ, છા ગયા હૈ.પ્રવૃત્તિ કી કોઈ પ્રભુતા વહાં નહીં હૈ. ચાર ગતિ કી પ્રવૃત્તિ કુછ નહીં હૈ. ઇસલિયે “અમૃતચંદ્રાચાર્યદેવને બોલા કિ “સ રિમુવર ઇવ'. વહતો મુક્ત હો ગયા. ‘ચિંત્ય વિત્ત સ્વયમેવ વેવ'. ક્યા લિખા હૈ? ‘વંત્ય વિત્ત સ્વયમેવ તેવ'. વહ તો અચિંત્ય શક્તિવાલા ખુદદેવહો ગયા.
૫. સર્વજિનાગમમેં કહે હુએ વચન એક માત્ર અસંગતામેં હી સમા જાતે હૈ...” સારા શ્રુત લે લિયા. જિતના ભી આગમ કા શ્રત હૈ, જિનાગમ કા શ્રત હૈ વહ એક અસંગતા મેં સભી વચન સમા જાતે હૈં. અસંગતા હો ગઈ, સારા બારહ અંગ કા સાર હૈ ઉસે પા લિયા, પ્રાપ્ત કર લિયા. ઉસકો શાસ્ત્ર પઢને કી અટક હોતી નહીં હૈ. ઐસા ભી નિયમ નહીં હૈ કિ વહ શાસ્ત્ર પઢતા હૈ કિ નહીં પઢતા હૈ. રોજ સ્વાધ્યાય નિત્ય કરતા હૈ કિ નહીં કરતા હૈ, ઐસા બંધન ઉસકો નહીં હૈ. અટકમાને ઉસકો બંધન નહીં હૈ. શાસ્ત્ર પઢે તો ઉસકા સમ્યગ્દર્શન ટિકેગા ઔર જિસ દિન શાસ્ત્ર નહીં પઢેગા ઉસ દિન ઉસકા સમ્યગ્દર્શન ચલા જાયેગા. ઐસા હોતા નહીં હૈ. “રાજમલજીને તો બહુત અધ્યાત્મપ્રધાનતા સે વહાં બાત કી હૈ તેરહ નંબર કે કલશ મેં યહ શાસ્ત્ર પઢના તો વિકલ્પ હૈ ક્યા હૈ? શાસ્ત્ર પઢના વિકલ્પ હૈ, જિબકિ અનુભૂતિ નિર્વિકલ્પ હૈ.
મુમુક્ષુ - ઐસા શાસ્ત્ર મેં લિખા હૈ. પૂજ્ય ભાઈશ્રી:- ઔર ઐસા શાસ્ત્ર મેં લિખા હૈ. મુમુક્ષુ - બારહ અંગમેં ઐસા હી લિખા હૈ. પૂજ્ય ભાઈશ્રી:- બારહ અંગ મેં ઐસા હી લિખા હૈ. ઇસલિયે નિર્વિકલ્પ કે આગે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૨
રાજહૃદય ભાગ-૧૨ વિકલ્પ કી કોઈ Value નહીં હૈ, જાઓ ! નિકાલ દિયા ઉસકો. શાસ્ત્રજ્ઞાન કો નિકાલ
દિયા.
મુમુક્ષુ - દ્વાદશાંગી જ્ઞાનકો વિકલ્પ કહા હૈ.
પૂજ્ય ભાઈશ્રી:- બારહ અંગ કા જ્ઞાન વિકલ્પ હૈ. સમસ્ત શ્રત કા જ્ઞાન વિકલ્પ હૈ ઔર અનુભૂતિ ઉસસે પાર હોતી હૈ, વહ નિર્વિકલ્પ હૈ ઇસસે પાર હોતી હૈ. અનુભૂતિ ઇસસે પાર હોતી હૈ. ઉસકા Level બહુત ઊંચા હૈ. બારહ અંગ કે શ્રુતજ્ઞાન સે ભી ઉસકા દરજ્જા બહુત ઊંચા હૈ, ઐસા “રાજમલજી કા કહને કા અભિપ્રાય હૈ.
સર્વ જિનાગમમેં કહે હુએ વચન એકમાત્ર અસંગતમેં હી સમા જાતે હૈં, કયોંકિ વહ હોનેકે લિયે હી વે સર્વ વચન કહે હૈ” સર્વ કહનેવાલે કા લક્ષ્યાર્થ યાનિ કી કેન્દ્રસ્થાન એક અનુભૂતિ મેં લે જાને કા હૈ ઔર કોઈ હેતુ નહીં હૈ. સર્વજિનાગમ કા Motive point ક્યા હૈ? ઉસકે પીછે હેતુ ક્યા હૈ? Motive ક્યા હૈ? અનુભૂતિ કરાના વહી હૈ. ઇસલિયે સભી વચનોં કા Total અનુભૂતિ મેં લગતા હૈ. ઔર કહી જ્ઞાનીકી વાણી કા આશય હોતા હૈ. જ્ઞાની અનુભૂતિ સંપન્ન હૈ ઇસલિયે જ્ઞાની કી વાણી ઇસી આશય સે આયેગી. ઔર અજ્ઞાની કો અનુભૂતિ નહીં હૈ તો યહ આશય ઉસકી વાણી મેં આયેગા કહાં સે? આયેગા નહીં.
એક પરમાણસે લેકર ચૌદહ રાજલોકકી.” ચર્ચા આગમ મેં આતી હૈ. આગમ મેં એક પરમાણસે લેકર ચૌદહબ્રહ્માંડ કી બાત આયેગી. કરણાનુયોગમેંલોકાલોક કી વ્યવસ્થા કા વર્ણન આતા હૈ ક્યોં આયા? અસંગતા સમજાને કે લિયે આયા પરમાણુ કી બાત પરમાણુ કા સ્વરૂપ દિખાને કે લિયે નહીં આવી. ઔર ચૌદહ બ્રહ્માંડ કા વર્ણન ભી ચૌદહ બ્રહ્માંડ કી વ્યવસ્થા દિખાને કે લિયે નહીં આયા. સારા લોક આ ગયા. એક પરમાણુ સે લેકર સારા લોક. ઇસકા વર્ણન કયોં કિયા? એક અસંગતા સમજાને કે લિયે કહા હૈ. ઇસકા Motive pointવહહૈ.
“ઔર નિમેષોન્મેષસે લેકર શૈલેશીઅવસ્થા પર્યટકી સર્વ ક્રિયાકા જો વર્ણન કિયા ગયા હૈ, વહ ઈસી અસંગતાકો સમજાનેકે લિયે કિયા હૈ. આંખ કા ખુલના ઔર બંદ હોના ઉસકો મેષોન્મેષ કહતે હૈં માને અલા ભી દેહ કે યોગ કી ક્રિયા હો ઔર શેલેશી અવસ્થા માને પૂર્ણ ચારિત્ર અવસ્થા મેં ધ્યાન મેં-શુકુલધ્યાન મેં સ્થિર હો જાયે, યહાં સે લેકર જિતની ક્રિયા કા વર્ણન આગમ મેં હુઆ હૈ વહ ભી અસંગ દશા કો સમજાને કે લિયે કિયા હૈ. ઉસકે પીછે ભી એક હેતુ હૈ. ચાહે જડ કી બાત હો, એક પરમાણુ કી યા સારે ચૌદહ બ્રહ્માંડ કી, ચાહે એક આંખ કે ટિમકારે કી બાત હો યા
Page #280
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૬૩
સ્વરૂપ મેં પરિપૂર્ણ સ્થિર હોને કી શુક્લધ્યાન કી બાત હો, શુદ્ધોપોયગ કરાને કે લિયે સબ બાત કહી હૈ. ઇસકે સિવા કોઈ હેતુ નહીં હૈ. ‘વહ ઇસી અસંગતાકો સમજાનેકે લિયે કિયા હૈ.’
મેષોન્મેષ કી બાત મેં થોડી વિશેષ બાત ઐસી લગતી હૈ કિ જબ આત્મા નાસિકાગ્ર દૃષ્ટિ મેં ધ્યાન મેં આતા હૈ તો નિશ્ચંચલતા હોતી હૈ, પરિણામ કી ચંચલતા બંદ હો જાતી હૈ. યાનિ ઉસકી આંખ કે ટિમાકરે બંદ હો જાતે હૈં. થોડા પ્રયોગ કરકે દેખના. સ્વરૂપધ્યાન મેં જબ દૃષ્ટિ સ્થિર હોતી હૈ તબ આંખ કે ટિમકારે બંદ હો જાતે હૈં. પરિણામ કીનિશ્ર્ચચલતા થોડી ભી આતી હૈ તો યે ટિમકારે બંદ હો જાતે હૈં. થોડા પ્રયોગ કરકે સમજ લેના.
મુમુક્ષુઃ-..
પૂજ્ય ભાઈશ્રી :- ધ્યાન મેં નાસિકાગ્ર દૃષ્ટિ હોતી હૈ ન ? પરિણામ કી ચંચલતા (બંદ હોકર) નિશ્ચંચલ પરિણામ હો જાતે હૈં. નિશ્ચંચલ પરિણામ હો જાતે હૈં તો આંખ કે ટિમકારે ભી બંદ હો જાતે હૈં, દૃષ્ટિ સ્થિર હો જાતી હૈ. નાસિકાગ્ર દૃષ્ટિ સ્થિર હો જાતી હૈ. ઇતની નિશ્ચંચલતા કી પ્રારંભિક સૂક્ષ્મ ક્રિયા સે લેકર બારહતેં ગુણસ્થાન કી પરિપૂર્ણ શુદ્ધ ચારિત્ર દશા, યથાખ્યાતચારિત્ર કી જો દશા હૈ, ઉસે શૈલેશીકરણ કહતે હૈં, શૈલેશીકરણ માને શૈલેશ માને પર્વત, શૈલેશ માને પર્વત. શૈલેશ કા ક્યા અર્થ હોતા હૈ ? પર્વત. પર્વત હિલતા નહીં હૈ. ઇતના સ્થિર હો ગયા કિ અબ હિલેગા નહીં, વહ ઉપયોગ હિલેગા નહીં. ઉસકો શૈલેશીકરણ કહતે હૈં. ઐસી મહાન દશા હોતી હૈ. ઇન સબકા વર્ણન જિનાગમ મેં આતા હૈ, કોં ? એક અસંગ દશા સમજાને કે લિયે આયા હૈ, દૂસરા કોઈ હેતુ નહીં હૈ.
મુમુક્ષુ :- આપને અભી કહા કિ આપ પ્રયોગ કરકે દેખ લેના. હમ લોગ કૌન-સે આધા૨ સે કૈસે પ્રયોગ કરે ?
પૂજ્ય ભાઈશ્રી :- બાત લંબી-ચૌડી હો જાયેગી. કભી બાત કરેંગે. લેકિન વહ કોઈ Stage કી બાત હોતી હૈ, Particular stage કી બાત હોતી હૈ, સબકે લિયે વહ સંભવ નહીં હૈ, લેકિન જિસકો ઉપયોગ કી ચંચલતા કમ હોને કે લિયે આત્મસ્વરૂપ કા લક્ષ્ય રખકર કે સ્વરૂપ ચિંતવન યા સ્વરૂપ કા નિદિધ્યાસન કરને કા પ્રયોગ હોતા હૈ ઉનકે લિયે વહ બાત હૈ. સર્વ સાધારણ કે લિયે તો વહ બાત નહીં આતી હૈ. ક્યોંકિ ઐસા પ્રયોગ સબ જાનતે નહીં હૈ, કૈસે કરના વહ સમજ નેં નહીં આતા હૈ. સબકો સમજ મેં નહીં આતા હૈ. આગે ચા કહતે હૈં ?
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ચજહૃદય ભાગ-૧૨ ૬.સર્વભાવસે અસંગતા હોના, યહસબસે દુષ્કરદુષ્કર સાધન હૈ” સાધન માને કાર્ય હૈ, પરિણામ હૈ. સાધન માને પરિણામ. “સર્વ ભાવસે અસંગતા હોના...” અપની પર્યાય મેં ભી કોઈ ભી આત્મભાવ કો છોડકર સાધક દશા મેં જો ભી અન્ય પરિણામ હોતે હૈં ઉનસે ભી સંગ નહીં હોના,ભિન્નત્વ રહ જાના, ઇસકા ભી સંગ નહીં હોના સર્વ ભાવસે અસંગ હોના. સર્વદ્રવ્ય સે ઔર સર્વદ્રવ્ય કે પરિણામ સે ઔર સર્વ દ્રવ્ય કો અનુસરનેવાલે અપને પરિણામ સે (અસંગ હોના). ઉસમેં સર્વ ભાવ આ ગયે. કોઈ ભાવ બાકી નહીં રહા. ઐસે સર્વભાવ સે અસંગતા હો જાના માટે ઉપયોગ ઉસકા સંગ નહીં કરે, અંતર્મુખ રહ જાયે યહ સબસે દુષ્કર સે દુષ્કર સાધન હૈ. યહ બહુત કઠિન પરિણામ હૈ,આસાની સે ઐસા હોતા નહીં હૈ.
ઔર વહનિરાશ્રયતાસે સિદ્ધ હોના અત્યંત દુષ્કર હૈ. ઔર ઐસા સદ્ગુરુવા સત્સંગ કે આશ્રયબિના હોના તો સંભવ હી નહીં હૈ. દેખો!વિષયકા અનુસંધાન કહાં સેલેતે હૈં! અસંગતા તો કરાની હૈ, જિનાગમ મેં ઇસીલિયે સર્વઉપદેશ હૈ લેકિન ઐસી અસંગતા સીધી કિસી કો કભી ન હુઈ હૈ, ન હોનેવાલી ભી હૈ. નિરાશ્રયરૂપ સે માને અપને આપ. આત્મા મેં શકિત અપની હૈ ફિર ભી અપને આપ નહીં હોતા હૈ. કોઈ અપને આપ નહીં કર સકતા હૈ, ઐસી એક વસ્તુસ્થિતિ ભી હૈ.
“ઔર વહ નિરાશ્રયતાસે સિદ્ધ હોના અત્યંત દુષ્કર હૈ. ઐસા વિચારકર શ્રી તીર્થકરને સત્સંગકો ઉસકા આધાર કહા હૈ...” સત્સંગ કો ક્યા બોલા હૈ? આધાર બોલા હૈ. સત્સંગ કા આધાર લિયે બિના કિસી કો અસંગતા કી પ્રાપ્તિ, અસંગભાવકી પ્રાપ્તિ હુઈ નહીં હૈ. યહ બાત કિસને કહી ? તીર્થકર ને કહી હૈ. મેં કહતા હું, વહ બાત નહીં હૈ. તીર્થંકરદેવને યહ બાત કહી હૈ. યહ તીર્થકર સે સ્થાપિત હુઆ એક સત્ય હૈ, પરમસત્ય હૈ વહકિઐસા કિસી કો આત્મધ્યાન લગતા નહીંહૈ.
અરે...! એક શહર મેં આપ જાઓ, અનજાને શહર મેં (જાઓ) તો ભી રાસ્તા પૂછના પડતા હૈ કિ હમકો લાને-ફલાને Address પર પહુંચના હૈ તો કૈસે જાયે? કિતને મોડલને પડતે હૈંફિર પહુંચતે હૈં. હૈકિનહીં? હમ આયે ગઢેચી વડલા સે આયે. રાજકોટ રોડ સે, અહેમદાબાદ રોડ સે ભાવનગર મેં પ્રવેશ કરે ઔર માણિક વાડી આના હો તો અનજાને લોગ સીધે આ જાયેંગે યા? પૂછત-પૂછતે આના પડેગા. તો યહ તો અરૂપી અંતર્મુખી રાસ્તા હૈ. કૈસા હૈ? વહરૂપી હૈ ઔર બહિર્મુખી હૈતો ભી પૂછના પડતા હૈ તો અરૂપી અંતર્મુખી જો રાસ્તા હૈ ઉસકો તો પૂછે બિના ઉસ રાસ્તે કા પતા કિસી કો લગતા નહીં. ક્યોંકિ અનાદિકાલ સે અનજાના હૈ ઔર આદત ઉલટી પડી હુઈ
Page #282
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૬૫ હૈ–બહિર્મુખ પરિણમન કી આદત પડ ગઈ હૈ. કયા કરોગે ? અંતર્મુખ કા રાસ્તા ઐસા પતા નહીં ચલતા.
મુમુક્ષુ કેટલા વર્ષો સુધી પૂડ્યા કરશું?
પૂજ્ય ભાઈશ્રી:- હાં, વહ બાત ઠીક હૈ. યહપ્રશ્ન અચ્છા ઉઠાયા. કભી-કભી પૂછા કરો, ભાઈ! હમારે ભાઈ બહુત દિમાગવાલે આદમી હૈં. તે પૂછતે હૈંકિકિતને સાલ તક હમ પૂછતે રહેંગે. એક દફા અચ્છી તરહ પૂછો, દૂસરી દફા પૂછને કી જરૂરત નહીં પડેગી. એક દફા અચ્છી તરહપૂછ લો, દૂસરી દફે કી જરૂરત નહીં પડેગી.
મુમુક્ષુ - ઔર વહ ભી જિસકો માલુમ હોગા ઉસકો પૂછેગા તો સહી રાસ્તા મિલેગા.
પૂજ્ય ભાઈશ્રી - યહ બાત ઠીક હૈ. લેકિન કિસકો પૂછના વહ સવાલ અવશ્ય હૈ, કિસકો પૂછના વહસવાલ અવશ્ય હૈ.
મુમુક્ષુ - “ગુરુદેવ' હતા.
પૂજ્ય ભાઈશ્રી બાત તો ઠીક હૈ. ગુરુદેવ મિલેફિર ભી ફર્ક નહીં પડા તો હમારે મેં ગડબડ હૈ. ઉસમેં ગુરુદેવ કા કોઈ દોષ નહીં હૈ. દોષ સે ભરે હુએ હમ લોગ હૈ. બહુત માર્મિક પ્રશ્ન પૂછા હૈકિઐસે સુનતે-સુનતે, પઢતે—પઢતે, પૂછતે પૂછતે બહુત સાલ બીત ગયે, અબ કહાં તક કરે ? લેકિન યથાર્થરૂપ સેન સુના હૈ, નયથાર્થરૂપાસે પૂછા ભી હૈ. બાકી તો એકદફે કા કામ હૈ ઔર જો ભી યથાર્થરૂપાસે હોગા વહએક હી દફે હોગા, રાસ્તામિલ જાયેગા, વહ રાસ્તા મિલ જાયેગા. એક દફેયથાર્થ આયેગા તો રાસ્તામિલ જાયેગા.
ઐસા વિચારકર શ્રી તીર્થકરને સત્સંગકો ઉસકા આધાર કહા હૈ...” સાધન શબ્દ કા ભી પ્રયોગ નહીં કિયા હૈ, આધાર કહા હૈ. ઇસમેં મહત્ત્વવાલી બાત હૈ કિ સત્સંગ હૈ વહ મુમુક્ષજીવ કો અનજાને જીવ કો એક અવલંબનભૂત પ્રસંગ હૈ. ઉસકા આશ્રય, ઉસકા આધાર મિલતા હૈ તો ઉસકો અંતર્મુખ હોને કા માર્ગ મિલતા હૈ ઔર ઉસકા આધાર ઔર આશ્રય જો નહીં લેતા હૈ, ઉપર-ઉપર સે ચલતા હૈ, આધાર આશ્રય નહીં લેતા હૈ તો ક્યા હૈ? ઉપર-ઉપર સે ચલતા હૈ તો ઉસકો રાસ્તા મિલતા નહીં હૈ. ઇસલિયે એક દફે ભી અંદર સે આના ઉપર-ઉપર સે તો કિતને ભી સાલ પૂછા કરો, ઉસકા કોઈ મતલબ નહીં હૈ.
મુમુક્ષુ - અપની પાત્રતા તૈયાર કરકે પૂછના ચાહિયે. પૂજ્ય ભાઈશ્રી - ઠીક બાત હૈ. પાત્રતા મેં આયે બિના કોઈ કામ હોનેવાલા નહીં
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
રાજહૃદય ભાગ-૧૨ હૈ. કિતના ભી પૂછ લે, Information bureau હો જાયેગા. હમેં Information bureau નહીં હોના હૈયે પઢલિયા, વહ પઢલિયા, સબ જાન લિયા, વહબાત નહીંહૈ.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી:- હાં. પાત્રતા મેં આકર, યથાર્થ આકર એકદફે ભી પુછ લો અંદર મેં બાત ઉતર જાયેગી. “સોગાનીજી ને એક દફે ગુરુદેવ કા પ્રવચન સુના ન ? ઉતર ગયે કિનહીં અંદર ? તો ક્યા વહ આત્મા હૈ ઉસી જાતિ કે હમ આત્મા નહીં હૈ કયા? હમ ઉસી જાતિ કે આત્મા હૈ. ઇસલિયે સત્સંગ કા આશ્રયકરને કે લિયે કહા હૈ.
“જિસ સત્સંગ કે યોગ સે જીવકો સહજસ્વરૂપભૂત અસંગતા ઉત્પન્ન હોતી હૈ.' અસંગતા કો સહજસ્વરૂપભૂત કહા હૈ. ઔર યહ સત્સંગ કે યોગ સે ઉત્પન્ન હોતી હૈ. બિના સત્સંગ કિસી કો અસંગતા આયી હો ઐસા એક Case ભી નહીં બના હૈ. ઇસલિયે સત્સંગ કા ક્યા મહત્ત્વ હૈ, મુમુક્ષુ કે જીવન મેં ક્યા મહત્ત્વ હૈ ઉસ વિષય કા અનુસંધાન કરકે યહાં તક આયે હૈ. અબ ઔર ભી ઇસકે જો પહલૂહૈં ઉસકા પ્રતિપાદન આગે જાકર કે કરેંગે યહાં તક રખતે હૈં..
સરુષમાં પરમેશ્વરબુદ્ધિએ ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત થવા છતાં તે દશાનું અહમ્ થતું નથી, કારણકે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ સાથે સાથે જ ઉત્પન્ન થાય છે. - આ અદ્ભુત સમ્યક/યથાર્થ સ્થિતિ છે. નહિતો ભક્તિવાનને પણ ભક્તિનું અહમ્' આવતાં વાર લાગે નહિ. યથાર્થ મુમુક્ષતામાં સહજ આવું હોય છે. અર્થાત્ બધા પડખા યથાર્થ હોય છે.
(અનુભવ સંજીવની-૧૪૫)
Page #284
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૬ ૭.
તા. ૯૫-૧૯૯૫, પત્રાંક – ૬૦૯
પ્રવચન નં. ૪૮૩
પત્ર-૬૦૯ ચલતા હૈ. “સ્વાધ્યાય-સુધા' મેં Page-૨૨, છહ નંબર કા વચનામૃત ચલા.
મુમુક્ષુ -... ઉસકો થોડા-સા સ્પષ્ટ કરેં.
પૂજ્ય ભાઈશ્રી - સર્વ તીર્થંકરાદિ જ્ઞાનિયોંને અસંગતા હી સર્વોત્કૃષ્ટ કહી હૈ કિ જિસમેં સર્વ આત્મસાધન રહે હૈ” અસંગ દશા હૈ વહ સર્વોત્કૃષ્ટ સાધન હૈ ઔર સર્વોત્કૃષ્ટ પરિણામ હૈ. ઇસસે ઉપર કા કોઈ પરિણામ નહીં હૈ. સર્વસે ઉત્કૃષ્ટ પરિણામ અસંગ દશા હૈ ઔર ઉસમેં સર્વ સાધન સમાવિષ્ટ હૈ. સર્વ સાધન માને ઉસમેં જપ, તપ, વ્રત, નિયમ, સંયમ સબ આ જાતા હૈ. ઐસા કહને કા અભિપ્રાય હૈ..
મુમુક્ષુ - સર્વભાવ.. પૂજ્ય ભાઈશ્રી -મુમુક્ષુ કી ભૂમિકા મેં વહ બાત સંભવ નહીં હૈ. લેકિન મુમુક્ષુ કો ધ્યેય તો હોતા હી હૈ. ઉસ ધ્યેય કો હાંસલ કરને કે લિયેપ્રાપ્ત કરને કે લિયે ઉસકો સત્સંગ કરના આવશ્યક હૈ. બાત વહાં લે જાની હૈ. બાત કો યહાં તક લે જાની હૈ કિ જબ અસંગતા હી કરને યોગ્ય હૈ ઔર અસંગતાયે સર્વોત્કૃષ્ટદશા હૈ, પવિત્ર દશા હૈ તો ઉસકા આધાર એક સત્સંગહૈ).
(ફિર ભી સત્સંગ) કઈ બાર પ્રાપ્ત હોને પર ભી ફલવાન નહીં હુઆ હૈ વહ બાત અવશ્ય હૈ. વહ સત્સંગ ફલવાન નહીં હુઆ. ઐસા શ્રી વીતરાગને કહા હૈ...”યા શ્રી વીતરાગ ને કેવલજ્ઞાન મેં દેખા હૈ. જૈસા દેખા વૈસા કહા. ક્યોંકિ ઉસ સત્સંગ કો પહચાનકર ઇસ જીવને ઉસે પરમ હિતકારી નહીં સમજા, સત્સંગ કા મૂલ્યાંકન નહીં હુઆ કિ ઐસા યથાર્થ સત્સંગ, પહચાનકર માને ક્યા? કિ યથાર્થ સત્સંગ હૈ કિ નહીં? મેરા આત્મ કલ્યાણ હોવે ઐસા આત્મ કલ્યાણકારી સત્સંગ હૈ કિ નહીં હૈ? ઐસા પહચાના નહીં ઔર પહચાનકર ઉસકો પરમ હિતકારી જાના ભી નહીં પહચાના તો જાન લેતા પહચાના ભી નહીંઔર જાના ભી નહીં. પરમ હિતકારી નહીં સમજા.
ઔર પરમ સ્નેહસે ઉસકી ઉપાસના નહીં કી,... ઉપાસના નહીંલિયા હૈ, અકેલી
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
રાજહૃદય ભાગ-૧૨ ઉપાસના નહીં લિયા. પરમસ્નેહસે ઉપાસના નહીં કી,...' ઐસા શબ્દ લિયા હૈ. પરમસ્નેહ. પરમસ્નેહ માને ઇધર ક્યા બાત હૈ ? અતિ ઉત્સાહ સે. જૈસે હમકો કોઈ બડા લાભ હોનેવાલા હોતા હૈ તો હમકો બહુત ઉમંગ ઔર ઉત્સાહ રહતા હૈ કિ આજ તો હમકો બહુત લાભ હોનેવાલા હૈ. ઐસા પરમ હિતકારી જાને તો પ૨મસ્નેહ સે ઉપાસના હોગી. ઉપાસના નહીં લિયા, પરમસ્નેહ સે ઉપાસના–બહુત ઉત્સાહ સે. યહ કોઈ આત્મકલ્યાણ કા અપૂર્વ પ્રસંગ હમે મિલ રહા હૈ, ઐસે બહુત મહિમા લાકર ઉપાસના નહીં કી. સત્સંગ મિલા, સત્સંગ કિયા ઐસા દિખાવ હુઆ લેકિન પરમસ્નેહ સે ઉપાસના નહીં કી. કોંકિ પરમ હિતકારી સમજા નહીં.
દેખિયે ! જીવ કા ઐસા સ્વભાવ હૈ કિ ઉસકો જિતના લાભ દિખે ઉતની તાકત સે વહ અપના કામ કરતા હૈ. યાનિ જિતના જ્યાદા લાભ દિખેગા, કોઈ ભી જીવ, અપના કામ સંપન્ન કરને મેં ઉતની હી તાકત જોર સે લગાયેગા. બહુત સ્વભાવિક હૈ. ઉસકા પુરુષાર્થ નહીં ઉઠતા હૈ ઇસકા મતલબ કિ ઉસને ઉસકા લાભ દેખા નહીં હૈ કિ ઇસમેં મેરા કિતના લાભ હૈ. ઇસ સત્સંગ સે મુજે કિતના લાભ હોનેવાલા હૈ યે ઉસકો સમજ મેં નહીં આયા. વ૨ના વહ પરમસ્નેહ સે ઉપાસના કિયે બિના રહે નહીં. કરે હી કરે. ઔર જિસને ઐસા લાભ સમજા હૈ ઉસને ઐસા હી કિયા હૈ.
‘કૃપાલુદેવ’ કા સત્સંગ પર ઇતના વજન ઇસલિયે હૈ કિ ઉનકો જાતિસ્મરણ જ્ઞાન થા. અનેક ભવ ભવાંતર કે જ્ઞાન મેં, સ્મરણ મેં એક બાત ખ્યાલ મેં આયી હૈ કિ હમને કઠિન સે કઠિન પરિશ્રમ કિયા હૈ ફિર ભી સત્સંગ મિલને કે બાદ હમકો યથાર્થ માર્ગ ઔર માર્ગ કી Line હમકો હાથ મેં આયી હૈ. ઇસકે પહલે હમારા કઠિન સે કઠિન પરિશ્રમ નિલ જા ચુકા હૈ. વહ બાત અપને સ્મરણ મેં હૈ, ઔર સત્સંગ મિલને ૫૨ યહ માર્ગ સરલ ઔર સુગમ હો ગયા વહ ભી ઉનકો અપને અનુભવ મેં હૈ. ઔર યે જબ એક-એક શબ્દ લિખતે હૈં ન તો આત્મસાક્ષાત્કાર કરકે લિખતે હૈં ‘અનુભવ’ શબ્દ વહાં છોટા પડતા હૈ, કમ પડતા હૈ. વે અપને આત્મસાક્ષાત્કાર સે લિખતે હૈં. સબ બાત કો સાક્ષાત્ કર લિયા હૈ ઔર ફિર Put up કરતે હૈં કિ દેખો ! ઐસા હોના ચાહિયે. હમકો ઐસા હુઆ થા. ઐસા હોગા (તબ) પારમાર્થિક લાભ અવશ્ય હોગા હી.
મુમુક્ષુ ઃ- ઉપાસના શબ્દ કા વાચ્યાર્થ ક્યા ? સત્સંગ નહીંકિયા ઇતની પૂરતી બાત નહીં કી લેકિન ઉપાસના નહીંકિ (ઐસા કહા).
પૂજ્ય ભાઈશ્રી :- શબ્દાર્થ તો ઐસા હૈ—ઉપ+આસન–સમીપ મેં બૈઠના. ઉસકો ઉપાસના કહતે હૈં. આત્મ ઉપાસના-આત્મા કે સમીપ ચલે જાના. યહાં સત્સંગ મેં
Page #286
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૬૯ ઉસ પ્રકાર સે Involve હોનાકિઅપના આત્મ કલ્યાણ જો હૈ વહ સુગમ હો જાયે. ઉસ તરહ સે સત્સંગ મેં શરીફ હોના હૈ. ઐસા નહીં હોના ચાહિયે કિ સત્સંગ ભી એક Routine હો જાયે. ઐસા કભી નહીં હોના ચાહિયે કિ સત્સંગ ભી એક Routine હો જાય કિ ચલો, રોજ અપને કે એક ઘંટા સુનને કો તો મિલતા હૈ. અપના ક્યા જાતા હૈ? ઐસે નહીં. ઉસકો પરમ કલ્યાણકારી સમજકર પરમ સ્નેહસે, બહુત ઉમંગ સે, ઉત્સાહ સે આત્મકલ્યાણ કા ખાસ સાધન સમજકર ઉસમેં અપને કો ભાગ લેના હૈ. ઉસ પ્રકાર સે હોના ચાહિયે.
મુમુક્ષુ -Routineન હોવે ઇસલિયે કયા જાગૃતિ રખની ચાહિયે ?
પૂજ્ય ભાઈશ્રી:- હમારે પરિણામ કો Checkકરે. આજ હમને સત્સંગમેં સે ક્યા લિયા? ઔર હમારીયોગ્યતાથી ઉસમેં ક્યા ફર્કપડા?Checkકરે. * મુમુક્ષુ-રોજ Checkકરે ?
પૂજ્ય ભાઈશ્રી:- હાં, પરિણમન કો Check કરે. પતા ચલ જાયેગા. હમ સનતે હૈ ઔર અપને આપ કો Check નહીં કરતે હૈ, પ્રાયઃ ઐસા બનતા હૈ. સુન લેતે હૈં ઔર આજ સુનલિયા, ઘર ચલે ગયે. કલ દુબારા ઉસી Timeપર સુનને કો આ ગયે, બીચમેં હમને તમારા હિસાબ-કિતાબ દેખા નહીં. વ્યવસાય કરતે હૈં ઇસમેં બરાબર હિસાબકિતાબ દેખતે હૈં. અગર હમને કમાયા હો તો ઇસસે જ્યાદા દિખના ચાહિયે. તો કમાઈ હુઈ હૈ. ઉસમેં બરાબર Balance sheetનિકાલતે હૈંકિનહીં નિકાલતે?હમને દેખા હૈ કિ હમ ભી જબ બહુત Particular થે તો હમ મહિને પર નિકાલતે થે. હર મહિને પર નિકાલ લેતે થે. ઔર હમ છહ મહિને તો અવશ્ય. બારહ મહિને તો સબ નિકાલતે હૈ, વહતો Compulsory હૈ. Government કો દેને કે લિયે) સબતૈયાર કરવા પડતા હૈ. લેકિન હર મહિને પર નિકાલનેવાલે હોતે હૈ. ઐસા ભી બનતા હૈ. કયોં? ઉતની જ્યાદા જાગૃતિ હૈ, જ્યાદા તકેદારી હોતી હૈકિક્યા હુઆ ?ક્યા નહીંહુઆ દેખો.
મુમુક્ષુ - “પરમાગમસાર” મેં૦૦નંબરકા બોલહૈ. ઇસમેં પાંચવા Page હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- જો જીવ સમ્યફ સન્મુખ હોતા હૈ, વહ બાત હૈન? નીચે. પાંચ નંબર કે Page પર સબસે નીચે. “જો જીવ સમ્યફ સન્મુખ હુઆ હૈ ઉસે અંતરંગમેં અપના સમ્યક્દર્શનરૂપી કાર્ય કરનેકા બહુત હી હર્ષ હૈ. યહ “મોક્ષમાર્ગ પ્રકાશક પર પ્રવચન હુઆ હૈ ઉસમેં સે હૈ. ઇસલિયે વહઉત્સાહપૂર્વક પ્રયત્ન કરતા હૈ, પ્રમાદનહીં કરતા, બહુત ઉમંગ સે કરતા હૈ. લાભ હોનેવાલા હૈના ઉત્સાહક્યોં નહીં આયેગા? ઉત્સાહનહીં આતા હૈતો ઇસકા મતલબ લાભ હોનેવાલા હૈયહ બાત સમજ મેં નહીં
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૦.
રાજહૃદય ભાગ-૧૨ આવી. “તત્ત્વવિચારકા ઉદ્યમ કરતા હૈ...” પુરુષાર્થ કરતા હૈ. ઔર ઐસે હી ઉદ્યમ કરતે-કરતે કેવલ નિજ આત્મા કે વિષયમેં હી યહ હું_ઐસી અહમ્-બુદ્ધિ હો તભી સમ્યફષ્ટિ હોતા હૈ.” વહબાતલી હૈ. ઉમંગ કે પરિણામ હૈન દર્શનમોહકો ગાલતે હૈ, દર્શનમોહક ગાલતે હૈં દર્શનમોહકો કમજોર કર દેતે હૈં, શિથિલ કર દેતે હૈં.
અંતરમેં સ્વરૂપસન્મુખ હોને કા અભ્યાસ કરતે-કરતે મિથ્યાત્વરસ એકદમ ઘટ જાતા હૈ...” યાનિ એકદમ કમજોર હો જાતા હૈ. “તથા ઇસ પ્રકાર અભ્યાસ કરતે-કરતે સ્વરૂપસન્મુખ હોનેપર મિથ્યાત્વ કા અભાવ હો જાતા હૈ” તબ સમ્યગ્દર્શન હોતા હૈ. ધૂ ઉદ્યમ કરેવ પ્રતિપક્ષી કર્મ કા રસ નટલે-ઐસા નહીં હો સકતા હૈ જબ સમ્યકત્વ હુઆ, તબ મિથ્યાત્વ કર્મ કા અભાવ હો જાતા હૈ ઐસા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ...” પરિણામ ઔર કર્મ કે પરમાણુ મેં હોતે હૈં “ફિર ભી કોઈ કિસીકા કુછ નહીં કરતા.' પરમાણુ આત્મભાવ કો કુછ નહીં કરતા, આત્મા કા ભાવ પરમાણુ કા કુછ નહીં કરતા. વહ તો ભિન્ન હી ભિન્ન હૈ. “અંતરમેં સ્વરૂપસન્મુખ હોને કા ઉદ્યમ કરના હી. યાનિ પુરુષાર્થ હી-સ્વરૂપસન્મુખતા કા પુરુષાર્થ હી સમ્યકત્વ કામૂલકારણ ” સમ્યકત્વ કામૂલ કારણ તો પુરુષાર્થ હૈ. પરમાગમસાર-૯૦૧).
જો જીવ તત્ત્વવિચાર કરકે, તત્ત્વ કા તો વિચાર કરે લેકિન યથાર્થ નિર્ણય કા–ભાવભાસન કા ઉદ્યમ ન કર, “વહ જીવ સમ્યકત્વકા અધિકારી નહીં હૈ” પરમાગમસાર–૯૦૨). સમ્યક્ત્વ કા પાત્ર બનને કે લિયે તો ભાવભાસન હોના ચાહિયે. અકેલે વિચારવિચાર કરકેવિચારમેંરુક જાયે, ઐસા ચલે નહીં.
મુમુક્ષુ ભાવભાસન કે લિયે સન્દુરુષ ચાહિયે?
પૂજ્ય ભાઈશ્રી:- હાં, સત્પષ ચાહિયે. પહલે સત્પરુષ કી પહચાન હોતી હૈ, ફિર સ્વરૂપ કી પહચાન હોતી હૈ, વહ સત્સંગ આ ગયાકિ નહીં?
મુમુક્ષુ -સત્સંગ Routine ના હો ઇસકે લિયે.
પૂજ્ય ભાઈશ્રી -એકમાત્ર નિજહિત યા દોષ ટાલને કે દૃષ્ટિકોણ સે, નિજ હિત કે દૃષ્ટિકોણ સે યા દોષ ટાલને કે દૃષ્ટિકોણ સે સત્સંગ અપેક્ષિત હૈ યા અનિવાર્ય હૈયા ઉપાસનીય હૈ. ઉલ્લાસિત પરિણામ સે નિયમિત ઉપાસનીય હૈ. વૈરાગ્યપૂર્વક યાનિ મંદ રસપૂર્વક ઔદયિક પ્રવૃત્તિ સાથ હોની ચાહિયે. ઔદયિક પ્રવૃત્તિ કૈસે હોની ચાહિયે જો સત્સંગ કો ઉપાસતા હૈ ઉસકી ઉદય કી પ્રવૃત્તિ મંદ રસવાલી હોની જરૂરી હૈ. ઉસકો કહતે હૈ મુમુક્ષુ કી ભૂમિકા કા વૈરાગ્ય. સરલતા, દોષ પ્રતિ નિષ્પક્ષપાતતા, નિષ્પક્ષતા. નિર્પેક્ષ હોકર દોષ કા નિવેદન કરે. દોષ કો છિપાકર દોષ કા નિવેદન નહીં કરે. ઔર
Page #288
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૦૧
ભક્તિ. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ કે પ્રતિ નિષ્કામ ભક્તિ. ૫૨મ સત્સમાગમ કી નિરંતર ભાવના. ઉસ પ્રકાર કે પરિણામ સત્સમાગમ કે સાથ હોને ચાહિયે. યહ સત્સંગ કી યથાર્થ પદ્ધતિ હૈ. ઇસ પ્રકાર મેં Routine હોનેવાલા નહીં હૈ. Routine હોગા તો ઇસ પ્રકાર કે પરિણામ નહીં હોંગે. જિસકો Routine હો જાયેગા ઉસકો ઉદય મેં નિરસતા નહીં આયેગી, વહ ઉદય મેં ઉતના હી ૨સ લેગા. ઇસકા મતલબ કી વહ Routine મેં આ ગયા હૈ. ઉસકો ઉદય મેં કોઈ જાગૃતિ નહીં રહતી. યથાર્થતા મેં તો) ઉદય મેં જાગૃતિ આ જાતી હૈ ઔર નિરસતા હો જાતી હૈ. ઐસા બનતા હૈ. જો અપને દોષ કા નિવેદન કરતા હૈ વહ ભી સરલતા ઔર જાગૃતિ કા કારણ હૈ. ઔર જ્ઞાનીપુરુષ કી અત્યંત ભક્તિ અનેક પ્રકાર કે દોષ કો ઉત્પન્ન હોને નહીં દેતી. વહ સહજ બાત હૈ. ઇસમેં ભી કહેંગે, વહ બાત તો આગે આયેગી.
સત્સંગકો પહચાનકર ઇસ જીવને...' યાનિ હમારે જીવને ઉસે પરમ હિતકારી નહીં સમજા,...' યહ ગલતી કી. પરમ હિતકારી નહીં સમજા તો પરમસ્નેહ સે ઉપાસના ભી નહીં કી. ‘ઔર પ્રાપ્તકા ભી અપ્રાપ્ત ફલવાન હોનેયોગ્ય સંજ્ઞાસે વિસર્જન કિયા હૈ, ઐસા (શ્રી તીર્થંકરને) કહા હૈ.’ યથાર્થ સત્સંગ પ્રાપ્ત થા, ફિર ભી ઇસકી પ્રાપ્તિ ન હોવે ઔર અયોગ્યતા હોવે ઐસી સ્થિતિ પ્રાપ્ત હોને૫૨ અયોગ્યતાવાલી રહી. ઉસકો કહતે હૈ કિ અપ્રાપ્ત લવાન સંજ્ઞા. કૈસા નામ દિયા હૈ ? અપ્રાપ્ત લવાન સંજ્ઞા. અપ્રાપ્ત લવાન હોનેયોગ્ય સંજ્ઞા. પ્રાપ્ત હોનેપર ભી દશા વહી કી વહી રહી. ઔર ઉસ પ્રકાર સે સત્સંગ કે મહત્ત્વપૂર્ણ યોગ કો વિસર્જન કર દિયા. વહ હાર ગયા. જૈસે કોઈ જુઆ મેં પૈસે હાર જાતે હૈં તો ઉસકો કુછ મિલતા તો નહીં. પૈસા ચલા જાતા હૈ, કુછ માલ મિલતા નહીં. ઐસે યહાં જો પુણ્ય થા, સત્સંગ પ્રાપ્ત હુઆ ઐસા મત પુણ્ય થા, કુછ માલ નહીં લિયા તો પુણ્ય કો વહ હાર ગયા. મનુષ્યભવ કો ભી વહ હાર ગયા. આતા હૈ ? બહુ પુણ્ય કરે પૂંજથી.. નરદેહને હારી જવો’. મનુષ્યભવ કો હાર ગયા. કુછ હાથ મેં નહીં આયા. મનુષ્યભવ જૈસા મનુષ્યભવ ચલા ગયા. આત્મહિત કે લિયે બહુત અચ્છા મૌકા થા વહ ચૂક ગયા ઔર સારી તક હૈ વહ ગંવા દી, ખતમ કર દિયા. ઐસા બહુત બાર કિયા હૈ.
યહ બાત કરતે હુએ, ‘કૃપાલુદેવ’ કો બાત કરતે-કરતે બહુત ભાવ આ ગયા હૈ, ભાવાન્વિત હો ગયે હૈં. એકદમ ભાવના તીવ્ર હો ગઈ. યહ જો હમને કહા હૈ ઉસી બાતકી વિચારણાસે હમારે આત્માએઁ આત્મગુણકા આવિર્ભાવ...' હો ગયા. વિચાર સે હમકો ઇતની અસ૨ હુઈ કિ હમારે આત્મગુણ હૈ વહ પ્રગટ હોને લગે. હમારી આત્મા મેં
Page #289
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૧
૨૭૨. આત્મગુણ કા આવિભવ હોકર સહજ સમાધિપયત પ્રાપ્ત હુએ....” આત્મભાવ હોકરકે ક્યા હુઆ ? નિર્વિકલ્પ સમાધિ આ ગઈ, નિર્વિકલ્પ હો ગયે. યહ બાત કહને મેં નિર્વિકલ્પતા આ ગઈ. સત્સંગ કી મહિમા દર્શાતે હુએ ઉમંગલિયાન? ઉત્સાહલિયા. તો ઉત્સાહમેં ક્યા હૈ?વર્ષોલ્લાસ હોતા હૈ. વર્ષોલ્લાસ કી બાત કરતે અપના પુરુષાર્થ ઉતના તીવ્ર હો ગયા કિ આત્મગુણ પ્રગટ હોકર સમાધિ મેં આ ગયે, સહજ સમાધિ મેં આ ગયે.
હમારે આત્મગુણ સહજ સમાધિપયત પ્રાપ્ત હુએ, ઐસે સત્સંગકો મેં અત્યંત અત્યંત ભકિતને નમસ્કાર કરતા હૂં કિતની સત્સંગ કી મહિમા હૈ ! સત્સંગ કી ક્યા દેન હૈ વહ સમજાને કી જરૂરત નહીં રહી. ક્યા પ્રતિપાદન કી શૈલી હૈ! સત્સંગ કી મહિમા દર્શાને કે લિયે પ્રતિપાદન કી શૈલી કયા હૈ!!વે લુખા પ્રતિપાદન નહીં કર રહે હૈં. સત્સંગ કી મહિમા દર્શાતે-દશત આત્મગુણ આવિર્ભાવ કો પ્રાપ્ત હો જાતે હૈં ઔર સહજ સમાધિ દશા મેં, નિર્વિકલ્પ દશા મેં આ જાતે હૈ. ઓ.હો..! ઈતના સત્સંગ કા. માહાસ્ય હૈ કિ હમારે આત્મગુણ હૈ વહ પ્રગટ હોને લગ જાતે હૈ ઇસ સત્સંગ કી તો હમ ભકિત કરતે હૈં, ઇસકો નમસ્કાર કરતે હૈં સત્સંગ કી મહિમા કરત-કરતે સત્સંગ ભક્તિ ઔર નમસ્કાર કર દિયા.
ક્યા-ક્યા સ્મરણ મેં આયા હોગા ? જિસ સત્સંગ સે સ્વયં કો આત્મલાભ હુઆ થા, ઐસે સત્સંગ કા સ્મરણ કર લિયા. ઓ.હો...! હમકો કૈસા આત્મલાભ હુઆ થા ! કિતને વર્ષોલ્લાસ સે હમ સત્સંગ કી ઉપાસના કરતે થે ઔર હમારી ક્યા હાલત હો ગઈ થી ! તો ઐસે ભાવાન્વિત હો ગયે ઔર વર્તમાન મેં સહજ સમાધિ દશા આ ગઈ. ઔર વહ ભી લિખ દિયા કિ યે હાલત હો ગઈ હમારી. હમ તો ઇસકો અત્યંત અત્યંત ભક્તિ સે નમસ્કાર કરતે હૈં.
ઐસા લૌકિક મેં ભી બનતા હૈ. કોઈ બહુત દુઃખ કાપ્રસંગ સ્મરણ મેં આતા હૈતો ઉસકા બયાન કરતે-કરતે રોને લગ જાતે હૈંકિ નહીં રોને લગ જાતે ? એકદમ ભાવ આ જાતા હૈ ન? અભી ઉસમેં સે કુછ નહીં હૈ. પ્રસંગ તો બન ગયા સો બન ગયા. લેકિન ઐસા દુઃખ હોતા હૈ બોલતે-બોલતે કિ રોને લગ જાતે હૈ. ઐસી અસર હોતી હૈ. વૈસી અસર સત્સંગ કી મહિમા કરત-કરતે કૃપાલુદેવ કી હો ગઈ. ઇસલિયે સમજાને કી જરૂરત નહીં હૈકિ સત્સંગકીદેનકિતની બડી હૈ. વહસમજાને કી જરૂરત નહીંહૈ.
મુમુક્ષુ - સત્સંગ કી મહિમા તો આઈ હૈ સપુરુષ કે સંગ કો સત્સંગ કહા ગયા હૈ. વર્તમાનકાલ મેં સત્સંગ કા યોગ ઈતના દુર્લભ હો ગયા હૈ ઔર સપુરુષ કી
Page #290
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૭૩
પહચાન ભી બહુત દુર્લભ હો ગઈ હૈ. તો સત્પુરુષ કો કૈસે ખોજા જાયે ? વર્તમાન સત્પુરુષ દિખાઈ નહીં દેતે. તો મુમુક્ષુજીવ કયા કરે ?
:
પૂજ્ય ભાઈશ્રી :- ઠીક બાત હૈ. એક સચ્ચી બાત કહૂં ? સત્પુરુષ અગર નહીં મિલે, સંભવ હૈ નહીં મિલે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ભી અગર કોઈ મિલ જાયે ન, તો ઉસકા કામ આગે બઢેગા. ઉસકો સીધી અસર હો જાયેગી. કોં ? સામાન્ય મુમુક્ષુ કો ઉત્કૃષ્ટ મુમુક્ષુતા કા પ્રયોજન હૈ, એક કદમ આગે બઢને મેં ફિર વહ દૂસરા કદમ આગે બઢ સકતા હૈ. ઉસકે લિયે સબસે જ્યાદા ઉપકારી ઉત્કૃષ્ટ મુમુક્ષુ હો સકતા હૈ. ઇસકી અસર સીધી પહુંચેગી. કભી પ્રત્યક્ષ અનુભવ ક૨ લેના. કોઈ ઐસા ઉત્કૃષ્ટ મુમુક્ષુ મિલે તો પ્રત્યક્ષ અનુભવ ક૨ લેના. એક બાત. ઐસા ભી યોગ મિલના બહુત કઠિન હૈ. યહ ભી આજકલ ઇતના સુલભ નહીં હૈ, વહ ભી દુર્લભ હૈ. સમજ લેના.
દૂસરી બાત. સત્પુરુષ આજ દિખાઈ નહીં દે રહે હૈં તો હમ મુમુક્ષુ ક્યા કરે ? એક સમસ્યા ખડી હોતી હૈ. હમકો પ્યાસ લગી હૈ. રેગીસ્તાન મેં હમ સફર કર રહે હૈં. સત્પુરુષ કી ઉપલબ્ધિ નહીં હૈ તો રેગીસ્તાન હી હો ગયા ન ? ઐસે હમ રેગીસ્તાન મેં સફર કર રહે હૈં ઔર પાની નહીં મિલ રહા હૈ ઔર હમકો પ્યાસ લગી હૈ. ક્યા કરેં ? હમ કયા કરેંગે ?
મુમુક્ષુ ઃ- ખોજ કરેંગે.
પૂજ્ય ભાઈશ્રી :- કિતની ખોજ કરેંગે ?
મુમુક્ષુ :- જિતની શક્તિ હૈ ઉસસે ભી જ્યાદા.
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઉસસે ભી જ્યાદા. જ્યાદા કરેંગે કિ નહીં કરેંગે ?
મુમુક્ષુ ઃ- પાની કે અલાવા ક્રૂસા કુછ સૂજંગા ભી નહીં.
પૂજ્ય ભાઈશ્રી :- દૂસરા વિકલ્પ હી નહીં આયેગા. પાની. પાની. રોમ-રોમ સે પાની કી પ્યાસ ઉઠેગી). કયા હમ ઐસા વિચાર કરેંગે કિ યે તો રેગીસ્તાન હૈ, ભાઈ ! પાની રેગીસ્તાન મેં કહાં-સે હો સકતા હૈ ? છોડો પાની કી બાત. ખા લો ભૂજિયા. હમારે પાસ હૈ. ભૂજિયા ખાયેગા તો મર જાયેગા. જિસકો પાની કા વિકલ્પ છૂટ ગયા ઇસકા મતલબ કિ ઉસકો તૃષા લગી હી નહીં થી. ઇસલિયે રેગીસ્તાન મેં સત્પુરુષ નહીં હૈ તો ઐસી ખોજ, ખોજ યાનિ ઐસી પ્રાપ્તિ કી ભાવના, પ્રાપ્તિ કી તીવ્ર ઔર ઉત્કૃષ્ટ ભાવના ચલી કયા ? અરે...! સત્પુરુષ શાયદ નહીં મિલેંગે ઔર હમારા ભવ પૂરા હો જાયેગા (તો) ? અગર ઐસા નહીં આયા તો સત્પુરુષ હમારી બગલ મેં હોગા તો ભી હમારા ધ્યાન જાયેગા નહીં. યહ બાત હો જાયેગા.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
રાજહૃદય ભાગ-૧૨ મુમુક્ષુ-સપુરુષકે લક્ષણ ક્યા હૈ?
પૂજ્ય ભાઈશ્રી:- પહચાન કરને કે લિયે લક્ષણ ક્યા હૈ? ઉનકા પરિણમન હી ઉસકા લક્ષણ હૈ. યહ બાત અવશ્ય હૈકિ બાહ્ય લક્ષણ નહીં હૈ. લક્ષણ પુરુષ કે અંતર પરિણમન મેં હૈ. બાહ્ય લક્ષણ કોઈ નહીં હૈ. કય? કિ સત્યરુષ હોને પર ભી ઉનકે ઉદય કેસે હોતે હૈ કિ અપને અજ્ઞાનભાવ સે બાંધે હુએ કર્મ કા ઉદય આતા હૈ. કૌન-સા ઉદય આતા હૈ? અજ્ઞાનભાવ સે જો કર્મ બાંધે થે ઉસકા ઉદય (આતા હૈ). તો અજ્ઞાની કો જૈસા ઉદય આતા હૈ વૈસા જ્ઞાની કો ઉદય આતા હૈ ક્યા કરેંગે? બાહર મેં તો કોઈ પતા ચલનેવાલા નહીં હૈ. ઇસલિયે જૈસે સામાન્ય સંસારીજીવ અપને ઉપજીવન મેં ગુજરતે હૈં, વૈસી હી જ્ઞાની કી દશા દેખને મેં આતી હૈ. પહચાન કરને કે લિયે તો, જૈસે હીરા કી પહચાન કરને કે લિયે જૌહરી બનના પડતા હૈ, વૈસે ઐસી ઉત્કૃષ્ટ પાત્રતા મેં આના પડતા હૈ, તબ સપુરુષ કી પહચાન હોતી હૈ.
મુમુક્ષુ - સરુષ કી પહચાન સપુરુષ કે લક્ષણ ક્યા હૈ યહ પૂછતે હૈ લેકિન) હમારે લક્ષણ ક્યા હૈ કિ સપુરુષ કી પહચાન હોવે?
પૂજ્ય ભાઈશ્રી - પહચાન કરને કે લિયે હમારે લક્ષણ કૈસે હોને ચાહિયે? યહ બાત પહલે આની ચાહિયે. ઇસકે લિયે હમ ક્યા સમજતે હૈંકિ હમ તો પહચાન સકતે હૈં લેકિન ઉનકે લક્ષણ હમકો નહીંદિખતે. લેકિન હમારે લક્ષણકૈસે હૈ, વહ પહલે દેખને કી ચીજ હૈ.
મુમુક્ષુ - હીરા કી પહચાન કરને કે લિયે ઝૌહરી બનના પડતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી:- હાં. ઠીક હૈ. બનના પડતા હૈ કિ નહીં? ઇસકે બિના હીરા નહીં પહચાના જાતા. ઇસલિયે ઉત્કૃષ્ટ પાત્રતા મેં આના જરૂરી હૈ. હમકો વર્તમાન અજ્ઞાન દશાવાલી સ્થિતિ બર્દાશ્ત ક્યો હોતી હૈ? ક્યા હમ સુખી હૈંકિદુઃખી હૈ દુઃખી હૈંન?
મુમુક્ષુ-દુઃખમૈસુખ માનતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી - યહી ગડબડ હૈ. દુઃખી હૈ, ફિર ભી માનતે હૈસુખી હૈં. ઇતિહાસ દેખિયે. અભી પરસોં હમારે પૂજ્ય “સોગાનીજી' કા જન્મદિન આનેવાલા હૈ. અબ દેખિયે, ઉનકો “આત્મધર્મ પઢકે “સોનગઢ આને કા પ્રયાસ કર્યો હુઆ ? પ્રયાસ હી નહીંહુઆ, વે વાકઈ રૂબરૂ આ ગયે “આત્મધર્મ કી First copyપઢી. મેરા પ્રશ્ન હૈ કિ ૬૦૦માઈલ કા, કરીબ ૬૦૦માઈલ હોતા હૈ. “સોનગઢ-અજમેર', “અજમેર સે આયે છે. ઉન દિનોં મેં ‘અજમેર રહતે થે. વે “અજમેર સે નિકલકર “સોનગઢ' પહુંચે. અનજાની ભૂમિ મેં, અનજાની જગહ મેં, અનજાને લોગોં કે બીચ મેં, અનજાની
Page #292
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૭૫ ભાષાવાલોં કે બીચ મેં (આ પહુંચે). ગુજરાતી નહીં જાનતે થે. કભી ‘સોનગઢ આવે નહી થે. કયા “અજમેર' કે પાસ છોટા ગાંવ-દેહાત હોતા તો ક્યા હમ “આત્મધર્મ મિલને પર જાતે ક્યા? ઉતના પરિશ્રમ હમ કરતે ક્યા? ઉસ વક્ત “આત્મધર્મ કી કીમત ચાર આના-૨૫ પૈસા થી. વહકિસીને Free of chargeપ્રચાર કે હેતુ સે ભેજ દિયા. કોઈ ચાર આને કી ચીજ ઘરપર આ જાયે તો ઇસપર હમ ઇતના લંબા સફર કર લેંગે યા?વહ ભી ઐસે દિન થે કે વ્યવસાયમેં ઔર આર્થિકરૂપ સે આને કી અનુકૂલતા નહીં થી. ઐસી પરિસ્થિતિ થી. તે અનુકૂલ પરિસ્થિતિ મેં નહીં આયે હૈં. તે ક્યાં આવે? યહખોજ કાવિષય હો જાના ચાહિયે.વેક્યોં આવે?
મુમુક્ષુદ-ઉનદિનોં મેં હિન્દુ-મુસલમાનોં કે Riotચલ રહે થે.
પૂજ્ય ભાઈશ્રી - હાં. ઉન દિનોં મેં હિન્દુ-મુલસમાન કે હુલ્લડ, બડે—બડે શહર મેં Riots ચલ રહે થે. ઘરબાહર નિકલના એક જોખમ થા, અનજાની જગહમેં જાના ભી જોખીમ થા. ઇતના કદમ ક્યોં ઉઠાયા? પ્રતિકૂલ પરિસ્થિતિ મેં અનજાની જગહ મેં, અનજાની ભાષાવાલોં કે બીચ મેં, નયે ગાંવ મેં જાને કા ઇતના જોર ક્યાં આયા? કિસ કારણ સે આયા? કિ અપને કો તૃષા લગી થી ઔર ઠંડી હવા વહાં સે આયી. અભી પાની નહીં દેખા થા. પાની દેખતે તો Plane સે આ જાત. Train સે નહીં આવે. ઇતને લાલાયત થે. લેકિન હવા ઠડી આવી. લગતા હૈ કિ પાની હોના ચાહિયે. ક્યોં ઠંડી હવા યહાં-સે આ રહી હૈ? ઇધર સે ઠંડી હવા આતી હૈ પાની હોગા, જલાશય હોગા, બડા જલાશય હોગા. વરના ઈતની ઠંડી હવા નહીં આતી. તો દોડતે હુએ આ ગયે. મતલબ ક્યા હૈ ઇસ બાત કા સારાંશ ક્યાનિકલતા હૈ?વહદેખને કી, સમજને કી ચીજ હૈ.
સારાંશ યહ હૈ કિ જિસકો જિસકી તીવ્ર જરૂરત લગતી હૈ ઉસે સંકેત બહુત હોતા હૈજ્યાદા કહા નહીં જાતા, સંકેત હી બહુત હો જાતા હૈ. તો વહાં તો સંકેત મિલા કિ કુછ હૈ મુજે આત્મશાંતિ ચાહિયે વહ આત્મશાંતિ મિલને કી સંભાવના યહાં દિખતી હૈ. મુજે વહાં જલ્દી સે જલ્દી ચલે જાના ચાહિયે. ઐસા હમારા ધ્યાન જાતા હૈ ક્યા ? ઐસા હમારા ધ્યાન જાના ચાહિયે કિ યથાર્થ સત્સંગ કહાં મિલતા હૈ ? ઔર જહાં યથાર્થ સત્સંગ મિલે હમેં કિસી ભી કીંમત પર ઉસકી ઉપાસના કરની હૈ.
હમારે યહાં તો કભી-કભી ઐસા હોતા હૈ કિ આપ ઇધર સત્સંગ કરતે હો તો સબકો દૂર પડતા હૈ. કોઈ નજદીક સ્થલ આપ ચુનો તો હમકો આના-જાના અનુકૂલ હો જાય. થોડા ભી, એક-દો કિલોમીટર કા ગાંવ હી ગાંવ મેંદૂર હો જાતા હૈતો લગતા હૈ, અપને કો દૂર પડેગા, નજદીક મેં હોગા તો જાયેંગે. વરના છોડો. Next દૂસરે દિન
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ચજહૃદય ભાગ-૧૨ તીસરે દિન (જાયેંગે). માને ઈતની હમારી અનુકૂલતા-પ્રતિકૂલતા કે છોટે મોટે હિસાબ હમગિનતે હૈ યા યહ Time હમકો Suit નહીં હોતા, યહ સમય હમકો અનુકૂલ નહીં પડતા હૈ, હમકો દૂસરે-દસૂરે કામ મેં ફિર જાના પડતા હૈ. વ્યવસાય હોતા હૈ, યે હોતા હૈ, વહ હોતા હૈ. દુકાન પર આધા ઘંટા દેરી હો વહ હમ બદ્દત નહીં કર સકતે, સત્સંગ છોડના હમ બર્દાશ્ત કર સકતે હૈં. હમારે ઉદય કે કાર્ય આ જાતે હૈ તો ઉસકો હમ Priority દેતે હૈં ઔર સત્સંગ છોડતે હૈ જિસકો સત્સંગ કા મૂલ્ય નહીં હૈ, વાકઈ ઉસકો આત્મકલ્યાણ કરના હી નહીં હૈ, ઐસા સમજના.
સત્સંગ કામૂલ્યકિતના હૈ કિ સહજ સમાધિદશા પ્રાપ્ત હો જાયે ઉતના હૈ ઔર ઉસકા સાક્ષાત્કાર કરકે “કૃપાલુદેવ’ લિખતે હૈ દેખો ! હમકો યહ હુઆ. બાત કરતે હમકો ઐસા હુઆ. મહિમા કી બાત કરતે-કરતે હમકો તો ઐસા હો જાતા હૈ. ઉપાસના કરત-કરતે હો હો હી જાવે, ઉસમેં કહને કી કોઈ જરૂરત નહીં હૈ.
‘૮. અવશ્ય ઇસ જીવકો પ્રથમ સર્વ સાધનોંકો ગૌણ માનકર નિવણકે મુખ્ય હેતુભૂત સત્સંગકી હી સવર્પણતાસે ઉપાસના કરના યોગ્ય હૈ,.. એક વચનમેં કિતની બાત લિખી હૈ યહ વાકેઈ વચનામૃત હૈ જેસે અમૃત પીને સે મરતે નહીં, અજરઅમર હો જાતે હૈ. ઐસે હી વચનામૃત હૈ, વચનરૂપી અમૃત હૈ. “કૃપાલદેવ કે વચનોં કી જિતની ભક્તિ કરેં ઉતની કમ હૈ. હૈકિ નહીં? “અવશય ઇસ જીવકો માને હમારે જીવ કો પ્રથમ સર્વ સાધનોંકો ગૌણ માનકર... સત્સંગ મિલતા હૈ તો ભી હમ યાત્રા કા Programme બના લેતે હૈ ક્યોંકિ વહ ભી ધર્મ કા સાધન હૈ. આનેપર સત્સંગ કરેંગે. પહલે યાત્રા કર લે. ક્યોંકિ Season અભી ઠીક હૈ. Season કી અનુકૂલતા હૈ, અભી યાત્રા કર લેં. દૂસરે-દૂસરે સાધન કો ગૌણ માનના ચાહિયે, ગૌણ કર દેના ચાહિયે. સત્સંગ કો Priority ઇતની દેની ચાહિયે કિ સર્વસાધન કો, યાત્રા હો, પૂજા હો, ભક્તિ હો, દયા, દાન હો, ઘર કા કોઈ ભી શાસ્ત્રવાંચન હો, કુછ ભી હો, સત્સંગ ઉપલબ્ધ હોતા હૈ તો સર્વ સાધન કો ગૌણ કર દેના ચાહિયે. અગર ઐસા હમ નહીં કરતે હૈં તો હમારે મેં આત્મ કલ્યાણ કરને કા વિવેકનહીં હૈ. યહ સપુરુષ કી આજ્ઞા હૈ, જ્ઞાની પુરુષ કી યહ આજ્ઞા હૈ.
“અવશ્ય હમારે જીવકો પ્રથમ સર્વ સાધનોંકો ગૌણ માનકર.... કયોં ગૌણ માનના? કિ “નિવણિકે મુખ્ય હેતુભૂત સત્સંગ....” હૈ. સત્સંગ કયા હૈ? સમ્યગ્દર્શન કા હેતુભૂત નહીં લિખા, નિર્વાણ કા હેતુ લિખા. ઔર નિર્વાણ કે હેતુ મેં મુખ્ય હેતુ લિખા હૈ કિતની Priority દી હૈ! વજન દિયા હૈ. “નિવણિકે હેતુભૂત સત્સંગકી હી સોંપણતાસે
Page #294
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૭૭ ઉપાસના કરના યોગ્ય હૈ. ઇસકે લિયે કુછ ભી અર્પણ કરના પડે યા હમકો ભોગ દેના પડે, હમારી તૈયારી હોની ચાહિયે.
એક દાંત લે લેવેં, ઔર સ્પષ્ટ કરને કે લિયે. હમ સત્સંગ ઉપાસતે હૈ, સત્સંગ ઉપાસને કે સમય મેં હમકો કુછ નુકસાન ભી જાતા હૈ–આર્થિક નુકસાન જાતા હૈ. એક ઓર હમ આર્થિક નુકસાન બચા સકતે હૈં, સત્સંગ કો સમર્પણ કરકે. યા તો હમ પૈસે કા સમર્પણ કરકે સત્સંગ કો જુટા સકતે હૈં. હમારી વૃત્તિ ક્યાં કામ કરેગી ? થોડી પરીક્ષા કરને કી ચીજ હૈ. ઐસા પ્રસંગ આયા હો. હમારી વૃત્તિ ક્યા કામ કરેગી?Same time ઐસા બનતા હોગા. બનને કી પરિસ્થિતિ આ જાયે. એક ઓર હમકો નુકસાન જાતા હૈ, એક ઓર સત્સંગ કા નુકસાન જાતા હૈ, એક ઓર પૈસે કા નુકસાન જાતા હૈ. હમકો ક્યા કરના ચાહિયે?
મુમુક્ષુ ભોગ શબ્દ ભી થોડા લગતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી:- સત્સંગ કા લાભ દિખેગા, સહજ ગૌણ હો જાયેગા. સત્સંગ કા લાભ નહીં દિખેગા તો ગૌણ હોના મુશ્કિલ હૈ. કદાચિત્ હઠ સે કર દિયા તો પરિણામ બિગડ જાયેગા. હઠ સે કરેગા તો પરિણામ બિગડ જાયેગા. તો હઠ કરકે પરિણામ નહીં બિગડે ઇસલિયે તો સત્સંગ છોડના ઠીક હૈયે સ્વચ્છેદ હો જાયેગા, ફિર સ્વચ્છેદ હો જાયેગા. યે ભી કરના નહીં ચાહિયે. ઈસલિયે પહલે તો હમકો સત્સંગ કા લાભ કિતના, કૈસા, કિસ પ્રકાર કા હોતા હૈ ઉસકા સહી મૂલ્યાંકન આના જરૂરી હૈ. ઇસકે બિના કહીં ન કહીં ગડબડ હોગી. કરેંગે તો ભી ગડબડ ઔર છોડેંગે તો ભી ગડબડ. દોનોં મેંગડબડ હો જાયેગી.
મુમુક્ષુ-સવર્પણ મેં ઔર ક્યા કહના ચાહતે હૈં?
પૂજ્ય ભાઈશ્રી - સર્વાર્પણ માને કોઈ હિસાબ-કિતાબ નહીં લગાના. સત્સંગ સે હોનેવાલા લાભ ઇતના બડા હૈ કિ) નિર્વાણ કા મુખ્ય હેતુ હૈ. માને અનંત જન્મ-મરણ કા નાશ હોને કે હેતુભૂત હૈ. ઇસકા મૂલ્યાંકન કિસ ચીજ સે કિયા જાયેગા? કૌન-સી Terminology હૈ ? બતાઈયે. એક મૃત્યુ સે બચને કે લિયે આપ સબ કુછ દેને કે લિયે તૈયાર હો જાયેંગે. અંધશ્રદ્ધા મેં ઐસા કિસ્સા પેપરોં મેં કભી આતા હૈ કિસી ને અપને બચ્ચે કી બલિ કરદી. બલિ કરતે હૈંન? ગાયક, ભેંસ કા, બકરે કા તો કરતે હૈ, અપને બચ્ચે કા ભી કર દેતે હૈં. યહ ભી જીવ હૈન. ક્યોં? અપને કો કુછ લાભ હોતા) હો યા મૃત્યુસે બચને કા હોયા કુછ ભી હો, એકમૃત્યુ સે બચને કે લિયે જીવને ક્યા-ક્યા કિયા ? વહ કોઈ બલિ નહીં દેતા, હમારે જીવ ને ભી યે સબ ગડબડ કી હૈ. નરક, નિગોદ મેં
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
રાજહૃદય ભાગ-૧૨ ઐસે હી નહીં ગયે. અનંત કાલ મેં અનંત બાર નરક, નિગોદ ગયે હૈ. ઐસે હી નહીં ગયે, યે સબ નિકૃષ્ટ સે નિકૃષ્ટ પરિણામ કિયે હૈં કિસી કા ઇતિહાસ અચ્છા નહીં હૈ. ઇસલિયેકિસી કા ઇતિહાસમતદેખના. ક્યોંકિ હમારા ભી અચ્છા નહીં હૈ,કિસી કા ભી અચ્છા નહીં હૈ. સબ જીવ પરિભ્રમણ કરતે-કરતે અનંત કાલ નરક, નિગોદ અનંત બાર ગયે. અબ મૌકામિલાહૈ જબ અબમૌકામિલા હૈતો ઇસકા લાભકૈસે ઉઠાવે?
ઈતની મહાન ઉપલબ્ધિ હોતી હૈ-નિર્વાણપદકી પ્રાપ્તિ. જિસકો નિર્વાણપદ કા લાભ હો વહ હિસાબ-કિતાબ લગાયે તો ઇસકે જેસા કોઈ મૂર્ખ નહીં હૈ. ક્યા હિસાબકિતાબ લગાના હૈ ઇસકે આગે ? ઇસલિયે કહતે હૈં, કોઈ હિસાબ-કિતાબ દેખના નહીં
‘સર્વાર્પણતાસે ઉપાસના કરવા યોગ્ય હૈ કિ જિસસે સર્વ સાધન સુલભ હોતે. હૈ” બસ! સર્વાર્પણતા આઈ કિ સભી સાધન સુલભ હો જાયેંગે. કોઈ સાધન કરને મેં કઠિનાઈ આયેગી નહીં. સબ ઐસે હી ચુટકી બજાકે કામ હોને લગેગા. સર્વાણિતા. આની ચાહિયે.ફિર દેખો!સર્વાણિતા આને સે કુદરત ભી જુક જાતી હૈ. આયાકિનહીં ?ચૌદહ બ્રહ્માંડ કો શૂન્ય હોના પડતા હૈ કુદરત કો ઇસકી સેવા મેં ગુલામ હોકર રહના પડતા હૈ. બનેગા, ઉનકો તો સર્વ સાધન સુલભ હૈ. ઐસા હમારા આત્મસાક્ષાત્કાર હૈ”
ક્યા લિખા હૈ? હમારે આત્મસાક્ષાત્કાર સે યહ બાત કહતે હૈં. હમકો કોઈ અનુમાન લગાકરકે, તર્ક લગાકરકે, શાસ્ત્ર પઢકરકે, Logic કો જોડકરકે, યુક્તિ બનાકરકે બાત નહીં કરતે હૈ. અનુભવ શબ્દ ભી નહીં લિખા , આત્મસાક્ષાત્કાર લિખા હૈ. યહ શબ્દ થોડા ઔર Powerful ઇસલિયે હૈ કિ અનુભવ શબ્દ તો લૌકિક પરોક્ષ જ્ઞાન મેં ભી પ્રયોગ કિયા જાતા હૈ. હમને હરડે ખાઈ ઇસલિયે હમારા પેટ સાફ હુઆ. યહ હમારે અનુભવ કી બાત હૈ કિ અગર કન્જ રહતી હૈ ઔર હરડે લેતે હૈ તો પેટ સાફ હો જાતા હૈ. હરડે પેટ મેં ક્યા કામ કરતી હૈ વહ અનુમાન કા વિષય હૈ. ક્યોંકિ ઉસમેં કોઈ સાક્ષાત્કાર હોતા નહીં હૈ. તો કહતે હૈં કિ, યહ હમારે અનુભવ કી બાત હૈ. હમને ઇસ્તેમાલ કર લિયા. પ્રયોગ કરકે હમારા અનુભવ બતાયા તો જગત મેં અનુભવ તો પરોક્ષ ભી હોતા હૈ. લેકિન આત્મસાક્ષાત્કાર પરોક્ષ હોતા નહીં હૈ, યહપ્રત્યક્ષ હોતા હૈ. ઈસલિયે કહતે હૈંકિ હમને તો યહપ્રત્યક્ષ આત્મસાક્ષાત્કાર કરકે યહ બાત કહ રહે હૈં.
બહુત સુંદર બાત યહ આયી હૈ કિ જો જીવ સર્વાર્પણબુદ્ધિ સે સત્સંગ કી ઉપાસના કરેગા ઉસકા અવશય નિર્વાણ હોગા, હોગા ઔર હોગા હી. ઔર યહ “કૃપાલુદેવ’ કે આત્મસાક્ષાત્કાર કા વિષય હુઆ હૈ ખુદ કા આત્મસાક્ષાત્કાર કા યહ વિષય હુઆ હૈ.
Page #296
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૭૯
ઉન્હોંને અપના નિર્વાણપદ એક ભવ મેં દેખ લિયા હૈ. એક પદ મેં અપને ખુદ ને દેખ લિયા હૈ.
‘ગુરુદેવ’ કો કિસી ને પ્રશ્ન પૂછા થા કિ ‘કૃપાલુદેવ’ લિખતે હૈં કિ એક ભવ હોકર હમ સ્વરૂપ-સ્વદેશ મેં જાયેંગે. ધારીને એક જભવ, જાશું સ્વરૂપ સ્વદેશ જો....’ ઐસા કકે કાવ્ય લિખા હૈ ન ? અપના અંતરંગ કાવ્ય લિખા હૈ, જાશું સ્વરૂપ સ્વદેશ જ...’ કેવલજ્ઞાન તો થા નહીં, કેવલજ્ઞાન તો થા નહીં, તો કૈસે માલૂમ હો ગયા ? ‘ગુરુદેવ’ ને કયા ઉત્તર દિયા ? ‘કૃપાલુદેવ' કા શ્રુતજ્ઞાન ઇતના નિર્મલ થા, મતિ-શ્રુતજ્ઞાન તો સબકો હોતા હૈ, લેકિન ઉતના નિર્મલ થા કિ જૈસે કેવલજ્ઞાન મેં આતા હૈ, પૈસા હી શ્રુતજ્ઞાન મેં આતા હૈ, નિર્મલ જ્ઞાન મેં ઐસા હી આતા હૈ. યહ બાત કેવલજ્ઞાનવત્ નિઃસંશય સમજના. ક્યા બોલે ? ઇસ બાત મેં સંશય ક૨ને યોગ્ય નહીં હૈ, ઔર ઉતના પક્કા આતા હૈ. શ્રુતજ્ઞાન મેં ઉતના પક્કા ભાવભાસન હો જાતા હૈ કિ એક ભવ મેં મેરા નિવેડા હો જાયેગા. ઔર તભી ઇસ બાત કો ને બાહર ખોલતે હૈં. ઇતના પક્કા નહીં હો તો ઉસ બાત કો બાહર મેં ૨ખતે નહીં હૈ. ઉતના નિર્મલ શ્રુતજ્ઞાન હો ગયા થા.
મુમુક્ષુ :- ‘સોગાનીજી’ ને કહા, છેલ્લી મુસાફરી છે.
પૂજ્ય ભાઈશ્રી :- આખિર કી મુસાફરી હૈ. અબ તો આખિર કી મુસાફરી હૈ. ઔર ‘ગુરુદેવ’ ને ઇસ બાત પર મહોર લગા દી કિ વે ભી એકભવતારી હૈ. સ્વર્ગલોક મેં ગયે હૈં, સ્વર્ગએઁ સે નિકલકર કે ઝપટ કરેંગે. હમારા કાઠિયાવાડી શબ્દ હૈ, ઝપટ શબ્દ. ઝપટ માને તેજી સે કામ કર લેના, ઉસકો ઝપટ કર લેના. હિન્દી મેં કયા કહતે હૈ ? ઝપટ હી કહતે હૈં ? ઝડપ સે કામ કરના.
મુમુક્ષુ :- ‘સોગાનીજી’ કો ભી આયા કિ યહ મેરી આખરી મુસાફરી હૈ, ‘ગુરુદેવ’ કે જ્ઞાન મેં ભી યહ બાત આયી.
પૂજ્ય ભાઈશ્રી :- ‘ગુરુદેવ’ કે ભી નિર્મલ શ્રુતજ્ઞાન મેં વહ બાત આ ગઈ. અપને ભવ કા ભી આ જાતા હૈ, કભી દૂસરે કે ભવ કા ભી આ જાતા હૈ. શ્રુતજ્ઞાન કી તાકત બહુત હોતી હૈ. વહ તો ઉમાસ્વામી’ને લિખા હૈ. ‘તત્ત્વાર્થ સૂત્ર’ મેં કયા લિખા હૈ કિ જૈસે કેવલજ્ઞાન મેં પ્રત્યક્ષ હોતા હૈ, ઉતની શક્તિ શ્રુતજ્ઞાન કી હોતી હૈ. ફર્ક કિતના હૈ ? પ્રત્યક્ષ ઔર પરોક્ષ કા. શ્રુતજ્ઞાન કી શક્તિ કિતની ? કિ જિતની કૈવલજ્ઞાન કી જાનને કી શક્તિ હૈ ઉતની. યે છહ દ્રવ્ય કો જાનતા હૈ, તે ભી છહ દ્રવ્ય કો જાનતે હૈં.
મુમુક્ષુ ઃ:- ‘સમયસા૨’ મેં કહા હૈ, સમ્યગ્દષ્ટિ શ્રુતકેવલી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- વહ સૂત્ર તો ઐસા હૈ, સૂત્ર હમકો યાદ થા, ભૂલ ગયે. કેવલજ્ઞાન
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
રાજહૃદય ભાગ-૧૨
જિતના જાનતે હૈં. જિતના કેવલજ્ઞાન જાનતા હૈ ઉતના હી પ્રત્યક્ષ પરોક્ષ કા હી ભેદ હૈ, ઔર કોઈ ભેદ નહીં હૈ.
મુમુક્ષુ ઃ- ‘સમયસાર’ મેં તો સમ્યક્દષ્ટિ કો શ્રુતકેવલી કહા હી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. શ્રુતકેવલી આંઠવી ગાથા મેં કહા હૈ. વહ શ્રુતકેવલી હૈ. ફિર સે, “અવશ્ય ઇસ જીવકો પ્રથમ સર્વ સાધનોંકો ગૌણ માનકર નિર્વાણકે મુખ્ય હેતુભૂત સત્સંગકી હી સર્વાર્પણતાસે ઉપાસના કરના યોગ્ય હૈ, કિ જિસસે સર્વ સાધન સુલભ હોતે હૈં, ઐસા હમારા આત્મસાક્ષાત્કાર હૈ.’
‘૩. ઉસ સત્સંગકે પ્રાપ્ત હોનેપર યદિ ઇસ જીવકો કલ્યાણ પ્રાપ્ત ન હો’ ઐસા યથાર્થ સત્સંગ પ્રાપ્ત હોનેપ૨ ભી દિ ઇસ જીવકો કલ્યાણ પ્રાપ્ત ન હો તો અવશ્ય ઇસ જીવકા હી દોષ હૈ,...' સત્સંગ કા દોષ નહીં હૈ, જીવ કા દોષ હૈ. કોં ? ‘કોંકિ ઉસ સત્સંગકે અપૂર્વ, અલભ્ય ઔર અત્યંત દુર્લભ યોગમેં ભ... કિતના મહંગા હૈ ? અપૂર્વ હૈ, અલભ્ય હૈ ઔર અત્યંત દુર્લભ હૈ ઐસે સત્સંગ કે યોગ મેં ભી ઉસને ઉસ સત્સંગકે યોગકો બાધક અનિષ્ટ કારોંકા ત્યાગ નહીં કિયા.’ સત્સંગ સે જો લાભ હોનેવાલા થા ઉસમેં નુકસાન હોવે ઐસે કારણરૂપ પરિણામ કા સેવન કિયા. સત્સંગ કે દૌરાન ભી યહી કામ કિયા. સત્સંગ તો પ્રાપ્ત હુઆ કિન્તુ દોષ જીવ કા રહા. સત્સંગ પ્રાપ્ત હુઆ લેકિન દોષ જીવ કા રહા. યહ બહુત મહત્ત્વપૂર્ણ બાત હૈ. જબકિ હમ સામૂહિક સત્સંગ કર રહે હૈં તો હમારે લિયે હમારી ભૂમિકા કી પ્રયોજન કી બાત આયી હૈ. થોડા વિશેષ ગહરાઈ સે ઇસકા સ્વાધ્યાય કરેંગે. ક્યોંકિ થોડી વિશેષ બાત ઇસમેં લેની હૈ કે દેખો ! ક્યા હોતા હૈ ? સત્સંગ પ્રાપ્ત હોતા હૈ તો કલ્યાણ હોતા હી હૈ. ઔર કલ્યાણ નહીં ભી હોતા હૈ તો ઇસમેં સત્સંગ કા કોઈ દોષ નહીં હૈ. જીવ ઉસ વક્ત ભી ઐસે પરિણામ મેં રહતા હૈ કિ જિસસે ઉસકો આત્મ કલ્યાણ મેં બાધા પહુંચતી હૈ. આત્મ કલ્યાણ કા સાધન મિલને ૫૨ આત્મ કલ્યાણ મેં બાધા પહુંચતી હૈ. ઔર ઇસકા કારણ યહ હુઆ કિ ઉસકો સત્સંગ કા મૂલ્યાંકન હુઆ નહીં હૈ. મૂલ્યાંકન હોવે તો કીમતી ચીજ કો કોઈ છોડ સકે નહીં. ઐસા નહીં બન સકતા. ઇસલિયે થોડા વિશેષરૂપ સે ઇસકો લેંગે....
Page #298
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
તા. ૧૦-૫-૧૯૯૫, પત્રર્ણાંક – ૬૦૯ પ્રવચન નં. ૪૮૪
...
૨૮૧
કા૨ણ મિટાને કા ઉપાય કયા હૈ ? દોનોં બાત અબ દસનેં Paragraph મેં કરેંગે.
‘૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદતા, પ્રમાદ ઔર ઇન્દ્રિયવિષયકી ઉપેક્ષા ન કી હો તભી સત્સંગ ફ્લવાન નહીં હોતા,...' સત્સંગ ફલવાન નહીં હોતા હૈ ઇસકે ચા૨ પ્રકાર કે પરિણામ બાધક કારણરૂપ મેં હોતે હૈં. ઇસમેં એક તો પહલા હૈ—મિથ્યાઆગ્રહ. મિથ્યાઆગ્રહ માને કયા ? કિ સત્સંગ મેં યથાર્થ આત્મ કલ્યાણ કા માર્ગ મિલે ઐસી બાત હમારે સામને આતી હૈ, ફિર ભી હમ હમારી મનમાની રીત સે આત્મ કલ્યાણ કરના ચાહતે હૈ. ઔર ઉસકા હમેં આગ્રહ રહતા હૈ કિ હમકો ઐસા હોતા હૈ ઇસકા ક્યા કરેં ? હમારે મેં વહ કરના હૈ ઉસ પ્રકાર સે હમ કયા કરેં ? અનેક પ્રકાર કે પૂર્વગ્રહિત જો ભી નિશ્ચય હૈ વહ નિશ્ચય નહીં છૂટતા હૈ તો આડા આતા હૈ. ઉસકો કહતે હૈં મિથ્યાઆગ્રહ.
મિથ્યાઆગ્રહ માને અપને કો ઐસા નહીં લગતા હૈ કિ યહ મિથ્યાઆગ્રહ હૈ. વાસ્તવ મેં વહ મિથ્યાઆગ્રહ હોતા હૈ, જ્ઞાની કી દૃષ્ટિ સે. ઉનકો તો ઐસા લગતા હૈ કિ મૈં તો મેરા દોષ મિટાને કે લિયે યે સાધન કરું, વહ સાધન કરું, આગે બઢને કે લિયે વહ સાધન કરું, ઐસા કહીં ને કહીં અપની પદ્ધતિ સે કાર્ય કરના માનતા હૈ ઔર ઉસકા આગ્રહ રહતા હૈ. Mis concept જિસકો કહતે હૈં. વહ મિથ્યાઆગ્રહ હૈ.
ઔર સ્વચ્છંદ. સ્વચ્છંદ મેં તીવ્ર રસ સે કષાય કા પરિણમન હોના ઔર જ્ઞાની કે બતાયે હુએ માર્ગ ૫૨ નહીં ચલકરકે દૂસરા-દૂસરા રાસ્તા પકડના, યહ જીવ કા સ્વચ્છંદ હૈ. જબ યહ બાત સ્પષ્ટ ઔર પ્રસિદ્ધ હૈ કિ એક હોય તીન કાલ મેં પરમાર્થ કા પંથ.’ તો વહ એક માર્ગ કૌન હૈ વહ પકડના હૈ. દૂસરે-દૂસરે માર્ગ કો–ઉપાય કો હમેં પકડના નહીં ચાહિયે. અપને અભિપ્રાય સે ચલના ઔર અપને ગલત અભિપ્રાય ૫૨ વજન રહ જાના. ગલત અભિપ્રાય પર વજન રહના વહ મિથ્યાઆગ્રહ હૈ ઔર અપને અભિપ્રાય સે ચલના, જ્ઞાની કે અભિપ્રાય સે નહીં ચલના (વહ સ્વચ્છંદ હૈ). ધર્મસાધન તો હમને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૨ બહુત કિયે હૈ લેકિન જ્ઞાની કે અભિપ્રાય સે નહીંકિયે હૈં. જ્ઞાનીક આજ્ઞામેં રહકર નહીં કિયે હૈં.
પ્રમાદ માને શિથિલતા. પ્રમાદ માને શિથિલતા ઔર પ્રમાદ માને આત્મ કલ્યાણ કો છોડકરકે અન્ય પ્રકાર કે કાર્યમેં લગ જાના ઉસકો ભી પ્રમાદ કહતે હૈ ભલે હી કોઈ આદમી વ્યવસ્ત રહતા હો લેકિન આત્મ કલ્યાણ કા પરિણામ નહીં કરકે દૂસરે-દૂસરે કાર્યમેં લગતા હૈ વહ ભી જીવ કા પ્રમાદહૈ. કહેગા ઐસા કિમ જાનતે હૈંકિ આત્મા કા કલ્યાણ કર લેના ચાહિયે. લેકિન સમય બીતતા હૈ, આયુ બીતતા હૈ દૂસરે-દૂસરે કામ મેં. વહજીવ કા પ્રમાદહૈ.
ઇન્દ્રિયવિષયકી ઉપેક્ષાનકી હો...ઉદાસીનતા નહીં આઈ હો. પાંચ ઇન્દ્રિય કે વિષય કી અપેક્ષા રહા કરતી હૈ ઔર ઉપેક્ષા ન હોતી હો. અપેક્ષા ઔર ઉપેક્ષા પરસ્પર વિરૂદ્ધ હૈ. ઉપેક્ષા નહીં કી તો અપેક્ષા અવશ્ય અવશ્ય કી. ઔર પરિણામ વિષયકષાય સે બહુત મલિન રહતે હૈં. તભી સત્સંગ ફલવાન નહીં હોતા. પરિણામ મેં મલિનતા અધિક રહને સે સત્સંગ ફલવાન નહીં હોતા.
અથવા સત્સંગમેં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ ન કી હો...... સત્સંગ સે આત્મ કલ્યાણ હોગા હી ઐસી એકનિષ્ઠા નહીં આઈ હો. ઇતના મૂલ્ય નહીં હુઆ હો ઔર ઉસકે પ્રતિ બહુમાન જો આના ચાહિયે, જ્ઞાનીકે પ્રતિ, સપુરુષ કે પ્રતિ, વહનહીં આયા હો. એક અપૂર્વભક્તિ આ જાયે તો અનેક પ્રકાર કે દોષ તો ઉત્પન્ન નહીં હોંગે. સબસે બડી બાત તો વહહૈ કિ અનેક પ્રકાર કે દોષ તો ઉત્પન હી નહીં હોગે. વરના છોટેમોટે દોષ તો ઈતને હોતે રહેંગે કિ માર્ગ પર આને મેં બહુત તકલીફ હો જાયેગી. કભી કોઈ દોષ છોટા દિખતા હૈ લેકિન ઐસા હોતા હૈ કિ ગાડી મેં સબ તો બરાબર હો લેકિન એક Puncture હો જાયે તો ગાડી આગે નહીં ચલેગી. Puncture કિતના હોતા હૈ? એક છોટી સી Pin tyreમેંલગ ગઈ ઔર પૂરી ગાડી મેં સબ ચીજબરાબર હૈ, લેકિન ગાડી ચલેગી નહીં.
ઉસ પ્રકાર સે અપૂર્વ ભક્તિ ઔર એકનિષ્ઠા નહીં હોને સે ભી સત્સંગ નિલ જાતા હૈ. ઇસલિયે જો સત્સંગ મેં શરીફ હોતે હૈં, સત્સંગ મેં ઉપસ્થિત રહતે હૈં ઉન લોગોં કો યે છહોં પ્રકાર કે પરિણામ કો Telly કર લેના ચાહિયે કિ કહીં ઇસ પ્રકાર કે દોષ તો હમારે મેં નહીં હૈનયાની સત્સંગ પ્રાપ્ત હોને પરભી હમ આગે નહીં બઢ રહે હૈતો અવશ્ય ઇસમેં સે કોઈ ને કોઈ પ્રકારના દોષ ચાલુ હૈ.
મુમુક્ષુ-અપૂર્વભક્તિ કે બારે મેં થોડાસા...
Page #300
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯
૨૮૩ પૂજ્ય ભાઈશ્રી - અપૂર્વ ભક્તિ? અપૂર્વ ભક્તિ કા મતલબ હોતા હૈ અત્યંત અત્યંત ભક્તિ. કભી ઐસી ભક્તિ નહીં આઈ હો ઐસી ભક્તિ. હમારે આત્મ નિર્વાણપદ કા સાધન હૈ તો ઉસમેં કોઈ ભી કસર રહની નહીં ચાહિયે. ઐસા અપૂર્વ બહુમાન, અત્યંત અત્યંત બહુમાન આયે તો ઉસ બહુમાન કે કારણ સે ભી કિતને પ્રકાર કે દોષ તો આયેંગે હી નહીં, ઉત્પન્ન હોંગે હી નહીં. વરના છોટેમોટે દોષ મેં ઉતને રુક જાયેંગે કિ જૈસે ગાડી મેં Puncture હો ગયા. ગાડી નહીં ચલે. દોષ દિખેગા છોટા લેકિન હમારી ગાડી પરમાર્થ માર્ગનેંચાલુ હોગી નહીં. ઐસા બનતા હૈ.
મુમુક્ષુ -“સોગાનીજી' કો કૈસે ભક્તિ આઈ થી?
પૂજ્ય ભાઈશ્રી :- વહ તો આપ લોગોં કી ચર્ચા મેં તો બાત ચલી કિ ગુરુદેવ’ હમારે લિયે તીર્થકર સે ભી અધિક હૈ. અનંત તીર્થકર સે અધિક હૈ. યે ભકિત બેહદ ભક્તિ હોતી હૈ. કૈસી ભક્તિ હોતી હૈ? જિસ ભક્તિ કો મર્યાદા હો,જિસ ભક્તિ કો હદ હો વહ અપૂર્વભક્તિ કહી નહીં જાતી. યથાર્થ ભક્તિ હોતી હૈ વહ બેહદ હોતી હૈ. ઔર દેખો અનંત તીર્થકરો સે અધિક (કહા). એક-દો તીર્થકર સે નહીં, સૌ-પચાસ તીર્થકર સે નહીં, લાખ-દો લાખ, કોડ તીર્થકર સે નહીં, અનંત તીર્થકર સે અધિક !કિતની ભક્તિ હુઈ ! યે બેહદ ભક્તિ હુઈ તો હમ બુદ્ધિમાન લોગ કભી-કભી ઐસી બાત મેં બુદ્ધિ લગાયેંગે કિ કોઈ અતિશયોક્તિ તો નહીં હૈ? “ગુરુદેવ તીર્થંકર તો થે નહીં, સર્વજ્ઞ દશા મેં તો થે નહીં, સર્વજ્ઞતા તો પ્રગટ હુઈ નહીં થી, ન નગ્ન દિગંબર નિગ્રંથ મુનિરાજ ભી થે, છછું-સાર્વે ગુણસ્થાન મેં ભી નહીં થે, વહ બાત ભી ખુલ્લી થી. અબ જબ નીચે કે ગુણસ્થાન મેં જઘન્ય મોક્ષમાર્ગ મેં થે, ઉનકી ભક્તિ અનંત તીર્થકરોં સે ભી અધિક કહના, તો ક્યા યે અતિશયોક્તિ થી કિ નહીં થી ? યહ હમારા પ્રશ્ન હૈ. ઉસકો અતિશયોક્તિ કહૈયા નહીં કહું?
મુમુક્ષુ-નહીં કહું.
પૂજ્ય ભાઈશ્રી :- ક્યોં નહીં કહું? બતાઈયે, ઐસા તો નહીં ચલેગા. ક્યોં નહીં કહું?
મુમુક્ષુ ભાવ તો જ્યાદા આ ગયાન. પૂજ્ય ભાઈશ્રી :- વહ તો હમારા પ્રશ્ન હૈ કિ કયા ભાવુકતા મેં બોલે ? યા અતિશયોક્િત કર દી? ક્યા બાત હુઈ?
મુમુક્ષુ -અનંત તીર્થકરકે સમવસરણ મેં કામ નહીં હુઆ યહ કામ યહાં હો ગયા તો અનંત તીર્થકર સે અધિક હૈ.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– યહ દલીલ તો ખુદ ને ભી દી હૈં. દૂસરી એક બાત ઔર ભી નીકલતી હૈ કિ લાભ કિતના હુઆ ? લાભ અનંતા હુઆ તો ઉપકાર અનંત નહીં માનેંગે તો ક્યા કરેંગે ? પ્રમાણિકતા હૈ કિ નહીં હૈ ? આપને હમકો દસ રૂપયા દિયા તો દસ રૂપયે કા માલ હમકો દેના પડે. હમ આઠ કા (માલ) દે તો અપ્રમાણિકતા હૈ. લેકિન દસ રૂપયે મેં દસ રૂપયે કા માલ મિલે ઉસમેં અપ્રમાણિકતા નહીં હૈ, વહ તો બરાબર હૈ. લાભ અનંતા હુઆ તો ભક્તિ ભી અનંત હી આયેગી. અનંત ભવભ્રમણ મિટ ગયા તો અનંત લાભ હુઆ કિ નહીં હુઆ ? અનંત સુખ કી પ્રાપ્તિ હો જાયેગી તો અનંત લાભ હુઆ કિ નહીં હુઆ ? અનંત લાભ હુઆ તો ભક્તિ ભી અનંતી આયે બિના રહેગી
નહીં.
અનંત લાભ હોને૫૨ ભી ભક્તિ કમ આવે ઐસા કભી બનેગા ભી નહીં. ઔર જિસકો ભક્તિ મેં નાપજોક કરના હૈ કિ યે તો ચતુર્થ ગુણસ્થાનવાલે હૈં ઇસકી ભક્તિ જ્યાદા મત કરો. જ્યાદા કરની હો તો નિથ મુનિરાજ સદ્ગુરુ કી કરો. ઔર ઇસસે જ્યાદા કરની હો તો જિનેન્દ્ર પરમાત્મા કી કરો. લેકિન ગુણસ્થાન અનુસાર નાપજોક કરના ચાહિયે. વરના Balance રહેગા નહીં. બુદ્ધિમાન લોગ તો બુદ્ધિ લગાયેંગે કે નહીં લગાયેંગે ? વરના ચા હોગા ? Out of balance હો જાયેગા. યહ નહીં હોના ચાહિયે. મિથ્યાત્વ આ જાયેગા. ક્યા બોલેંગે ફિર ? ઔર જ્યાદા ડેઢ ડહાપન કરેંગે તો મિથ્યાત્વ કી બાત કરને લગ જાયેંગે.
મુમુક્ષુ :- પંડિતોં કો ઐસા લગતા થા. ઉનકો ખુદ કો કચા લગતા થા ?
પૂજ્ય ભાઈશ્રી :- લગતા થા નહીં, લગતા હૈ ભી યહ ભી હૈ અભી તો. ‘હે ગુરુદેવ !” ૨૭ નંબ૨ કા પત્ર હૈ. પેજ-૨૯ હૈ. હે ગુરુદેવ ! આ૫મેં તીવ્ર ભક્તિકા ઉદય હોનેસે હી ઇધરકે દુઃખકા ઇલાજ હોગા, દૂસરા કોઈ ઇલાજ નહીં, યહ ભલીભાંતિ જાનતા હૂં.'
મુમુક્ષુ :- ઐસી અનહદ ભક્તિવાલે કો ઐસા ભાવ ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઇતની બેહદ ભક્તિ હોને૫૨ ભી ઉનકો કચા લગતા થા શિક અભી ભી મેરી ભક્તિ મેં કમી હૈ. અગર મેરી ભક્તિ પૂરી હોતી તો ઇનકે ચરણ મેં હી મૈં રહતા. મેરી ભાવના મેં કુછ કસર હૈ, અવશ્ય કસર હૈ. ઉનકો ઐસા લગતા થા. જબક ભક્િત બેહદ થી. ઔર ઐસા હી હોતા હૈ, જિસકો હોતા હૈ ઉસકો ઐસા હી હોતા હૈ. યે નાપજોક ક૨નેવાલે જો લોગ હોતે હૈં ઉનકો આત્મલાભ ન હુઆ હૈ ઔર ન હોનેવાલા ભી હૈ. ઇસલિયે ઉનકો યે તર્ક-વિતર્ક ઉઠતા હૈ. ઔર જિસકો અનંત લાભ હોતા હૈ ઉસકો તો અપૂર્વ ઔર અનંત ભક્તિ આયે બિના રહેગી નહીં.
Page #302
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૮૫
યદિ એક ઐસી...' દૂસરી કોઈ બાત નહીં હો. યદિ એક ઐસી અપૂર્વ ભક્િતસે સત્સંગકી ઉપાસના કી હો તો અલ્પકાલમેં મિથ્યાગ્રહાદિકા નાશ હોતા હૈ ઔર અનુક્રમસે જીવ સર્વ દોષોંસે મુક્ત હો જાતા હૈ.’ પરિપૂર્ણ નિર્દોષ હો જાયેગા. ઇસલિયે યથાર્થ ભક્તિ હૈ વહ પરમપદાર્થ હૈ. કયા ? યથાર્થ ભક્તિ હૈ વહ પરમપદાર્થ હૈ. યહાં સત્સંગ મેં ચલા કિ નહીં ચલા આપકો ? યથાર્થ ભક્તિ પરમપદાર્થ. કયા લિખા હૈ ‘કૃપાલુદેવ’ને ?
યદિ એક ઐસી અપૂર્વ ભક્તિસે સત્સંગકી ઉપાસના કી હો તો અલ્પકાલમેં મિથ્યાગ્રહાદિકા નાશ હોતા હૈ ઔર અનુક્રમસે જીવ સર્વ દોષોંસે મુક્ત હો જાતા હૈ.’ સર્વ દોષોં સે મુક્ત હો જાયે તો નિર્વાણપદ કી પ્રાપ્તિ હો જાયે. સીધી-સાધી બાત હૈ. સર્વ દોષ કા નાશ હો તો પરિપૂર્ણ નિર્દોષ હો જાયેગા. એક પકડ લો—અપૂર્વ ભક્તિ. બસ ! બાત ખતમ. કિતના સ૨લ હો ગયા માર્ગ ! માર્ગ એકદમ સરલ હો જાયેગા. ઔર અપૂર્વ ભક્તિ આયે બિના કુછ ભી કરેગા માર્ગ હાથ મેં નહીં આયેગા. કોંકિ એક હી રીત સે કામ હોતા હૈ, દો પ્રકાર સે કામ હોતા હી નહીં કભી.
૧૧. સત્સંગકી પહચાન હોના જીવકો દુર્લભ હૈ.' સત્સંગ કી પહચાન માને ક્યા ? યથાર્થ સત્સંગ કહાં ચલતા હૈ ? અસલી સત્સંગ કહાં ચલતા હૈ ? ઔર નકલી સત્સંગ કહાં ચલતા હૈ ? ઉસકી પહચાન હોની ચાહિયે. ઐસા નહીં હૈ કિ દો-પાંચ જને, પચીસ જને ઇક૨ે હો જાયે ઇસલિયે સત્સંગ હૈ, ઐસા નહીં હોતા હૈ. યથાર્થ સત્સંગ તો પરિણમન પર અસર લાયે બિના રહે નહીં ઔર ક્રમ સે ઉસકા વિકાસ હુએ બિના રહે નહીં. તો ઐસા સત્સંગ હમકો કહાં મિલતા હૈ ? ઇસકી પહચાન હોની ચાહિયે. વરના કહીં ન કહીં જીવ ફેંસ જાયેગા. ફંસ જાયેગા મતલબ ક્યા ? કિ વહ વહાં કરતા રહેગા. સત્સંગ કરતા રહેગા ઔર લાભ કુછ હોગા નહીં. ઔર ઐસા હમને દેખા હૈ કિ પચાસપચાસ સાલ સે સત્સંગ કરે ઔર પરિસ્થિતિ મેં કોઈ સુધાર નહીં હૈ. થોડા-બહુત બિગડા હોગા, સુધાર હોને કા તો સવાલ હી નહીં હૈ. એક હી જગહ જ્યાદા Time લગેગા ઔર આગે બઢેગા નહીં તો પીછે અવશ્ય જાયેગા હી જાયેગા.
‘સત્સંગકી પહચાન હોના જીવો દુર્લભ હૈ. કિસી મહાન પુણ્યયોગસે ઉસકી પહચાન હોનેપ૨ નિશ્ચયસે યહી સત્સંગ, સત્પુરુષ હૈ, ઐસા સાક્ષીભાવ હુઆ, વહ જીવ તો અવશ્ય હી પ્રવૃત્તિકા સંકોચ કરે' અપને દોષોઁકો ક્ષણ ક્ષણમેં, કાર્ય કાર્યમેં ઔર પ્રસંગ પ્રસંગમેં તીક્ષ્ણ ઉપયોગસે દેખે, દેખકર ઉન્હેં પરિક્ષીણ કરે;’ કયા લિખા ? કિ અગર મહાન પુણ્યોદય સે યા પુણ્યયોગ સે પહચાન આઈ કિ યથાર્થ સત્સંગ યહાં હૈ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૨ ઔર ઇસ સત્સંગ મેં કોઈ સત્પરુષ ભી હૈ તો ઉસ જીવ કો સાક્ષીભાવ માને વિશ્વાસ આયા હો-પ્રતીતિ આયી હો. સાક્ષીભાવ માને પ્રતીતિ આયી હો કિ નિશ્ચય સે યહી સત્સંગ અચ્છા હૈ. ઉસ જીવ કો અપની જો સાંસારિક પ્રવૃત્તિ હૈ ઉસકો સંક્ષેપ કર લેના ચાહિયે. સમય બચાને કે લિયે. સબસે પહલા ભાવ ઐસા ઉસકો ઐસા આના ચાહિયે. અગર ઇતના દુર્લભસે દુર્લભ, અપૂર્વ અલભ્ય સત્સંગ કા યોગ હમેં મિલ રહા હૈતો. હમેં હમારી જો પ્રવૃત્તિ હૈ (ઉસે) હો સકે તો બંદ કર દેના. અગર જરૂરત નહીં હો તો.
જ્યાદા પૈસે વગેરહ કી કોઈ જરૂરત, આવશ્યકતા ન હો તો ઉનકો તો બંદ કર દેના અચ્છા હૈ. અગર ઐસી પરિસ્થિતિ ન હો તો ઉનકો સમય જ્યાદા સે જ્યાદા મિલે ઐસા Adjustment કર લેના ચાહિયે. પ્રવૃત્તિ મેં Adjustment કર લેના ચાહિયે. અભિપ્રાય મેં ક્યા હૈ? હમકો પૂરા કા પૂરા સમય સત્સંગ કે લિયે મિલે તો અચ્છા હૈ. લેકિન પરિસ્થિતિ ઐસી નહીં હૈ, કઈ પ્રકાર કે બંધન હોતે હૈં ઔર પ્રતિબંધ હોતે હૈં તો Adjustmentતો કરના હી ચાહિયે. “અવશ્યહી પ્રવૃત્તિકા સંક્ષેપ કરે...”
મુમુક્ષુ-મુમુક્ષુ કો બંધન હોતા હૈકિ પ્રતિબંધ હોતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી:-પ્રતિબંધ હોતા હૈ ઉસકો તો બંધન હોતા હી હૈ. જ્ઞાનિયોં કો જબ પ્રારબ્ધ કર્મ કા બંધન હોતા હૈ તો મુમુક્ષુ કો તો હોગા હી હોગા. લેકિન અકેલા બંધન નહીં હૈ, પ્રતિબંધ કે સાથ બંધન હૈ. જ્ઞાની કો પ્રતિબંધ નહીં હૈ. યાનિ વે અટકતે નહીં, મોક્ષમાર્ગ મેં અટકતે નહીં, વે આગે બઢતે રહતે હૈં ઇસલિયે પ્રતિબંધ નહીં હૈ, ઉનકો અવરોધ નહીં હૈ. લેકિન જ્ઞાની કો પરિસ્થિતિ કા બંધન કુછ ન કુછ પૂર્વ પ્રારબ્ધ કા રહતા હૈ. તો પ્રારબ્ધ કા યોગ તો મુમુક્ષુ કો ભી હોતા હૈ લેકિન વહ પ્રતિબંધ કે સાથ હોતા હૈ, વહ ઉસમેં અટકતા હૈ. ઇસલિયે ઉસકો અકેલા બંધન નહીં કહા જાતા હૈ. ઉસકો પ્રતિબંધ કે સાથ બંધન કહના ચાહિયે. ઉસકો તો દોનોં હૈ પ્રતિબંધ ભી હૈ ઔર બંધન ભી હૈ.
મુમુક્ષુ-પ્રતિબંધસ્વયં ખડા કરતા હૈ, જબકિ બંધન હૈ વહઉદયાદીન હૈ. .
પૂજ્ય ભાઈશ્રી:- હાં. પ્રતિબંધ હૈ વહ સ્વયંને ખડા કિયા હુઆ અવરોધ હૈ. માને અપને પરિણામ મેં પ્રતિબંધ હૈ ઔર બંધન હૈ વહ ઉદય કી પરિસ્થિતિ હૈ. દો અલગઅલગ બાત હૈ. જ્ઞાની કો અપને પરિણામ મેં કોઈ ઐસે પરિણામ હોતે નહીં હૈ. વે તો મુક્ત હી હોતે હૈં વે પ્રતિબંધ મેં નહીં આવે. લેકિન કુછ પરિસ્થિતિવશાત્ ઉનકો મર્યાદા મેં રહતા પડતા તો ઉસકો બંધન કહને મેં આતા હૈ. જૈસે આયુ કા બંધન હોતા હૈ. વહતો તેરહર્વે ગુણસ્થાન તક હોતા હૈ. દેહકો છોડા નહીં જાતા. હોતા હૈ કિ નહીંઆયુ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૭
પત્રાંક-૬૦૯ કા બંધન?વહપૂર્વપ્રારબ્ધ હૈ. જિતના આયુ હો ઉતના ભોગના હી પડે.
મુમુક્ષુ -મુમુક્ષુ બંધન કી આડમેં કુછ પ્રકાર કે પ્રતિબંધ કા પોષણ કરકે સત્સંગ સે વંચિત રહતા હૈ. ઉસકા Exampleદેકર થોડા સ્પષ્ટ કરે.
પૂજ્ય ભાઈશ્રી -વહ ભી માન લે કિ હમારા પ્રારબ્ધ ઐસા હૈ. લેકિન ઉસકો તો ઉસ પ્રકાર કે સંયોગ કા મોહ હોતા હૈ ઔર અટકતા હૈ તો બંધન કી આડ લેકર પ્રતિબંધ કા સેવન કરતા હૈ, વહ સ્વચ્છેદરૂપ પ્રવૃત્તિ કર લેતા હૈ. ઐસા હોના ચાહિયે નહીં. યહ કહને કા અભિપ્રાય હૈ.
અગર વિશ્વાસ આયા હો, પ્રતીતિ આયી હો તો “અવશ્યહી પ્રવૃત્તિકા સંકોચ કરે, અપને દોષીંકો ક્ષણ ક્ષણમેં,... દેખે. પ્રતિક્ષણ દોષોં કો દેખે. કિતની જાગૃતિ હોની ચાહિયે ? ક્ષણ-ક્ષણ પર દેખે, પ્રત્યેક કાર્ય મેં દેખે ઔર પ્રત્યેક પ્રસંગ મેં ભી દેખે. કૈસે દેખે ? તીક્ષ્ણ ઉપયોગ કરકે દેખે યાની કિ છોટે દોષ ભી હમારે સામાન્ય પ્રસંગ મેં સામાન્ય કાર્ય મેં હોનેવાલે છોટે દોષ ભી હમારી નજર કે બાહર જાના ચાહિયે નહીં. ઐસા ઉપયોગ સૂક્ષ્મ ઔર તીક્ષણ હો જાના ચાહિયે. દોષ કો દેખને કા આતા હૈ કિ નહીં આતા હૈ?
તીક્ષ્ણ ઉપયોગ સે દોષ કો દેખે. દોષ કા વિચાર કરે ઐસા નહીં લિખા હૈ. દોષ કો દેખને કા લિખા હૈ. ક્યા મતલબ હોતા હૈ ઇસકા ? કિ ચલતે પરિણામ મેં જો દોષ હૈ ઉસકો વહ દેખ લેતા હૈ, પકડ લેતા હૈ. જો પરિણામ દોષ મેં ચલા ગયા, બાદમેં ઉસકે જ્ઞાન મેં આયા વહ વિચાર હો જાતા હૈ. કયોંકિ દેખને કા વિષય પ્રત્યક્ષ હૈ, વહ અવલોકન હૈ, ઉસકા વિષય પ્રત્યક્ષ હૈ ઔર વિચાર કા વિષય પરોક્ષ હૈ. ભૂતકાલ મેં ચલા ગયા દોષ હોતા હૈ જો દોષ હો ગયા ઉસમેં તો કોઈ નહીં હોને કા સવાલ નહીં હૈ. લેકિન જો ચલ રહા હૈ ઉસકો દેખેગા તો ઉસમેં ફર્ક હુએ બિના રહેગા નહીં. દોષ કી શક્તિ તૂટ જાયેગી, દોષ કા રસ તૂટ જાયેગા, નિયમ સે તૂટ જાયેગા. દોષ કી તાકત તોડને કા યહ રામબાણ ઇલાજ હૈ, ઉસકો દેખના વહ રામબાણ ઇલાજ હૈ. ઇસલિયે ઇસ શિબિરમેં આયે હુએ ભાઈ-બહનોં સે અપના પ્રયોગ ચલાયા થાકિદેખો ! આપકો ક્યા-ક્યા નજર આતા હૈ? ઔર ઉસકી ચર્ચાઔર નિવેદન કરો.
દેખકર ઉન્હેં પરિક્ષણ કરે...” વહ પરિક્ષીણ હો જાયેગા, ક્ષીણ હો જાયેગા. ઔર ઉસ સત્સંગ કે લિયે સત્સંગ પ્રાપ્ત કરને કે લિયે દેહત્યાગ કરનેકા યોગ હોતા. તો ઉસે સ્વીકાર કરે... સત્સંગ કે લિયે કિતની કીંમત ચૂકાની? કે પ્રાણત્યાગ કરને કે લિયે ભી હમ તૈયાર હૈ, લેકિન હમ સત્સંગ કેબિના જિંદા રહ સકતે નહીં. ઉતની તૈયારી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ચજહૃદય ભાગ-૧૨ હો ઔર સત્સંગ નહીં મિલે ઐસા કભી બનતા નહીં હૈ. લેકિન હમકો તો હમારી અનુકૂલતાએં હો તો સત્સંગ મેં જાના હૈ, હમારી અનુકૂલતા નહીં હૈ તો હમ સત્સંગ મેં જા સકતે નહીં. અરે! કભી-કભી તો હમ કહલાનેવાલે મુમુક્ષુ કો સત્સંગ કા મૂલ્ય સજી, સરકારી સે ભી કમ હો જાતા હૈ. કયા હુઆ ? આજ સુબહ-સુબહ મહેમાન આનેવાલે થે. સજી, સરકારી લાયે બિના ચલનેવાલા નહીં થા. તો હમ Vegetable market મેં ચલે ગયે ઔર સત્સંગ મેં નહીં આ સકે. યહ બાત કભી-કભી હો જાતી હૈ. ઐસે તો કભી સત્સંગ કી ઉપાસના હો સકતી નહીં.
‘ગુરુદેવ સોનગઢ' બિરાજતે થે તો કઈ લોગ અપના વ્યવસાય છોડકરકે ગુરુદેવ” કાપ્રવચન સુનને કો આયે થે. કઈ લોગને છોડ દિયા થા. કઈ લોગોંને નૌકરી છોડદીથી, કઈ લોગોંને વ્યવસાય છોડ દિયા થા, કઈ લોગોં કે કુટુંબ-પરિવાર વિરૂદ્ધ મેં થે તો કુટુંબ-પરિવારકો છોડકર ચલે આયે થે. અરે.. કઈલોગોને પઢાઈ છોડ દીથી.
સ્વીકાર કરના. કયા સ્વીકાર કર લેના. મુમુક્ષુ - ‘ગુરુદેવ કા સત્સંગ કરને કે લિયે સબ કુછ છોડકર આવે તો ઉનકો સત્સંગ કીકીમત આ ગઈ, ફિર ભી અપના કામ કયોં નહીં કર પાયે?
પૂજ્ય ભાઈશ્રી:- જો લોગ કુછ માત્રામેંકર ભી પાયે ઔર કુછ લોગ નહીં ભી કર પાય. ઉસકા કારણ વહ હૈ કિ ભાવુકતા મેં આકરકે તો છોડ દિયા હો. ભાવના સે આયે હૈઉનકો તો લાભ હુઆ હૈ. એક કો ભી કિસી કો ભી લાભ નહીંહૈ ઐસા તો નહીં બના હૈ જેસે પૂજ્ય બહેનશ્રી કા દગંત લો. તે ઘર છોડકર નિકલ ગયે થે. ઉનકો લાભ હુઆ. કિ નહીં હુઆ ? યથાર્થ ભાવના સે આયે હૈં ઉનકો તો લાભ હુઆ હૈ. લેકિન જો ભાવુકતા સે આયે ઉનકા ઉફાન હૈ વહ બૈઠ ગયા. ફિર ભાવ તો આગે ચલા નહીં તો ઉસકો લાભ નહીં હુઆ. ઉત્તરોત્તર જો મૂલ્યાંકન હુઆ હૈ ઉસકા ભાવ વૃદ્ધિગત હો જાના ચાહિયે. વહ ભાવ વૃદ્ધિગત નહીં હુઆ તો પીછે ચલા જાયેગા,નિરસ હો જાયેગા. વહ ભી હમને દેખા હૈ કિ વહાં Permanent રહતે હૈ લેકિન વ્યાખ્યાન મેં Late સે આવે. કોઈ પાંચ મિનટ, કોઈ દસ મિનટ, કોઈ પંદ્રહ મિનટ, કોઈ આધા ઘંટા. ઉસકો સત્સંગ કી કોઈ કીંમત નહીં હૈ. Train, Bus યા Plane છૂટ જાયે તો હમ Time કે પહલે જાયેંગે. ક્યોંકિ હમારા પૈસા ચલા જાયેગા. સત્સંગ મેં કભી ભી જા સકતે હૈં.
ક્યોંકિ વહાં તો પૈસે લેન-દેને કા તો કોઈ સવાલ હોતા નહીં હૈ. મુફત ચીજ મિલતી હૈ. ઉસ તરહ સે કોઈ લાભ હોતા નહીં હૈ જબ સાવધાની ઔર દરકાર નહીં રહી તો લાભ હોનેવાલા ભી નહીં હૈ. લેકિન જિતના Percent મેં આયે ઉતના Percent તો લાભ
Page #306
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૮૯ હોગા કિનહીં હોગા ? ભલે Late આયે લેકિન આવે તો સહી નહીં કોઈ પરવશતા સે કભી હો ગયા દૂસરી બાત હૈ. લેકિન જિનકો આદત બન ગઈ ઉનકો તો એક Percent ભી લાભ હોનેવાલા નહીં હૈ. ઉસમેં કયા હોતા હૈ? કિ જીવ ઉદય કો મુખ્ય કરતા હૈ. આજવો કારણ બન ગયા, કલ વો કારણ બન ગયા, પરસોં વો કારણ બન ગયા. કોઈન કોઈ ઉદયકી મુખ્યતા કરલી ઔર Adjustmentકિયા નહીં. યહ ભી સત્સંગ નિષ્કલ હોને કા કારણ હૈ.
પરંતુ ઉસસે.” અધિક-વિશેષ કિસી પદાર્થ મેં યાકિસી પ્રસંગ મેં કિસી ઉદયમેં ભક્તિસ્નેહ.” પ્રીતિ, રુચિ હોને દેના યોગ્ય નહીં હૈ” સ્પષ્ટ લિખા હૈ કિ નહીં લિખા હૈ? અગર હમકો સત્સંગ કી અધિકતા રહી તો સાવધાની આયેગી, આયેગી ઔર આયેગી. ‘તથા પ્રમાદવશ રસાગરવ આદિ દોષોંસે ઉસ સત્સંગકે પ્રાપ્ત હોનેપર પુરુષાર્થધર્મ મંદ રહતા હૈ... સત્સંગ મેં તો જીવ આતા હૈ લેકિન પુરુષાર્થનહીં ચલતા હૈ. ક્યા કારણ હૈ? યા તો પ્રમાદ હૈ, શિથિલતા હૈ. યા તો રસગારવ માને કહીં ન કહીં બાહ્ય વિષય મેં જ્યાદા રસ હૈ. એક ઓર અધિર ઝુકને સે દૂસરી ઓર કે કાર્ય મેં સફલતા આતી નહીં હૈ. ઇસલિયે સત્સંગ ઉપાસના જિસકો કરની હૈ ઉસકો ઉદય કે પરિણામ મેં નિરસતા, જિસકો ઉદાસીનતા કહતે હૈં, વૈરાગ્ય કહતે હૈ વહ હોની હી ચાહિયે. જબ હી સત્સંગ સફલ હોગા. સત્સંગ ભી કરે ઔર ઉદયકાર્યવૈસે કે વૈસે રસ સે હમારા ચલતા રહે, વહસત્સંગ ભી સફલ હોનેવાલા નહીંહૈ.
ઔર સત્સંગ ફ્લવાન નહીં હોતા, ઐસા જાનકર...' ઐસા સમજકર પુરુષાર્થવર્ધક ગોપન કરવા યોગ્ય નહીં હૈ.” ઇસલિયે પુરુષાર્થ કો સંકુચિત મત કરના. પુરુષાર્થ તો કર સકતે હૈં. કર સકતે હૈંફિર ક્યોં નહીં કરતે હૈં? કિ ગોપન કરતે હૈ, સંકુચિત કરલેતે હૈં, સંક્ષેપ કરલેતે હૈં. વહકરના યોગ્ય નહીં હૈ. કભી આડમાર દેતે હૈ ક્યા કરે હમ તો સામાન્ય મનુષ્ય હૈ, હમ ક્યા કર સકતે હૈં? જિતના હો સકે ઉતના કરતે હૈં કરેં ભી કયા હમ? ઐસા નહીં લેના. હમ કર સકતે હૈ, અચ્છી તરહ કર સકતે હૈં. લેકિન હમ હમારે પુરુષાર્થ કો ગોપવતે હૈ, વહકરના ચાહિયે નહીં.
મુમુક્ષુ - પુરુષાર્થધર્મ મંદ રહતા હૈ ઉસકા કારણ મૂલ્યાંકન કા અભાવ હૈ? મૂલ્યાંકન કીક્ષતિ કેવશ પુરુષાર્થમંદ રહતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી -મૂલ્યાંકન કી ક્ષતિ હોતી હૈ, વહ ભી હૈ. ઔર પ્રમાદ ઇસીલિયે આતા હૈ.
મુમુક્ષુ-મૂલ્યાંકન કે અભાવમેં?
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૦
રાજહૃદય ભાગ-૧૨ - પૂજ્ય ભાઈશ્રી :- હાં. પ્રમાદ ઔર રસગારવ હોતા હૈ ઉસમેં મૂલ્યાંકન કા, અભિપ્રાય કા દોષહૈ. દોષ કો વિચારે તો નાશ નહીં હોવે ઔરદોષ કો દેખને સે દોષ કા. નાશ હોતા હૈ ઐસા ક્યોં બનતા હૈ? વહ Practical side હૈ ઇસકી. જો દોષ ચલા ગયા વ્યતીત હો ગયા ઉસમેં હમ કયા ફેરફાર કર સકતે હૈં? જો હૈ હી નહીં, બન ગયા ઉસમેં ક્યા ફેરફાર કર સકતે હૈ હમ દૃષ્યત દેતે હૈંકિ કાચ કા બર્તન હૈ, હાથમેં સે ગિર ગયા ઔર ફૂટ ગયા. અબ ક્યા કરે ? ફૂટા, નહીં ફૂટા બનેગા ? લેકિન હાથ મેં હૈ ઉસ વક્ત સાવધાની રખે તો? તો નહીં ભી ગિરે. ઐસે ચલતે હુએ દોષ કો દેખે તો ઉસી વક્ત ઉસ દોષ કા રસ ગલ જાતા હૈ. ઔર જો દોષ ચલા ગયા ઉસકા વિચાર કરને સે કોઈ ફાયદા નહીં હૈ. વહતો બન ગયા.
મુમુક્ષુ-જો ચલા ગયાઉસકી શૃંખલા નહીં બને.
પૂજ્ય ભાઈશ્રી :- ઉસમેં કયા હૈ કિ વિચાર કરને સે ઉસ વક્ત તો હમકો ઐસા લગતા હૈ કિ ચલો, ઈતના વિચાર તો આયા. લેકિન દોષ હો જાને કે બાદ પતા ચલેગા, ઉસકા ક્યા કરોગે ? દેખને મેં તો જાગૃતિ હોતી હૈ તો જાગૃતિ કે કારણ ઉસકી શૃંખલા નહીં ચલેગી. જાગૃતિ હોગી તો શૃંખલા નહીં ચલેગી. વિચારને સે ઉતની જાગૃતિ નહીં આતી હૈ, જિતની દેખને સે જાગૃતિ આતી હૈ. ઇસલિયે દેખના વહપ્રયોગ બઢિયા હૈ.
પ્રશ્ન-દોષ કો દેખને એનાશ નહોતો ઉસકા ક્યા? -
ઉત્તરઃ- ઐસા બન હી નહીં સકતા. દેખે ઔર ઉસકા રસ નહીં તૂટે ઐસા નહીં બન હી નહીંસકતા. Impossible બાત હૈ. અનુભવ કરકે દેખ લેના. વહતીવિષયહી દૂસરા હૈ.
૧૨. સત્સંગકી અર્થાત્ સત્પષકી પહચાન હોને પર ભી દિવહયોગ નિરંતર ન રહતા હો તો સત્સંગસે પ્રાપ્ત હુએ ઉપદેશકો હી પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય સમજાકર વિચાર કરવા તથા આરાધન કરના કિ જિસ આરાધનસે જીવકો અપૂર્વ સમ્યક્ત્વ ઉત્પન હોતા હૈ દેખો ! સમ્યગ્દર્શન ઉત્પન્ન હોને કા કારણ બોલ દિયા, બતા દિયા. સપુરુષ કી પહચાન હોનેપર તો સમ્યક્ત્વ ઉત્પન્ન હોતા હી હૈ. સમ્યકત્વ ઉત્પન્ન હોને કા મૂળ કારણ તો યહી હૈ ફિર ભી યહ બાત હો સકતી હૈ કિ નિરંતર પ્રત્યક્ષ યોગ નહીં મિલતા હો તો પ્રત્યક્ષ યોગ મેં જો-જો બાતેં હમને સુની હૈ ઉનકો પ્રત્યક્ષવત્ લે લેના. લેકિન વહબાત સુના હૈ ઉસે પ્રત્યક્ષવતુ લેલેકર હમકો પ્રત્યક્ષતા કી કીંમત ચલી જાયે ઐસા કરના નહીં. પહચાન હોનેવાલે કો તો ઐસા હોતા ભી નહીં. લેકિન કભીકભી કોઈ ઐસા લે લેતે હૈ, ક્યા કરે ? હમને ગુરુદેવ કો સુના થા. અબ હમ ગુરુદેવ
Page #308
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૯૧ કો પ્રત્યક્ષવત્ હૃદયમેં રખ લેતે હૈં ઉસકો તો પ્રત્યક્ષ કી જ્યાદા તીવ્રતા આની ચાહિયે, આતુરતા આની ચાહિયે. ફિર ભી નહીં મિલે તો ઉપદેશ કો પ્રત્યક્ષવતું ગ્રહણ કરને કા પ્રયાસ ચલના ચાહિયે.
(સત્સંગ મેં પ્રાપ્ત ઉપદેશ કો) પ્રત્યક્ષ સત્પષકે તુલ્ય સમજાકર વિચાર કરના.” સિર્ફ વિચાર હી નહીં કરના, “આરાધન કરના...’ આરાધન કરના માને અમલીકરણ કરના. કિ જિસ આરાધનસે જીવકો અપૂર્વ સમ્યકત્વ ઉત્પન્ન હોતા હૈ.' અમલીકરણ કરને સે તો સમ્યક્ત્વ ઉત્પન્ન હોતા હી હૈ. સુનને સે સમ્યકત્વ ઉત્પન્ન નહીં હોતા. વિચાર કરને સે સમ્યત્વ ઉત્પન્ન નહીં હોતા હૈ લેકિન અમલીકરણ કરને સે તો સમ્યકત્વ હોતા હી હૈ. બહુત માર્મિક બાત કર દી.
મુમુક્ષુ - કર વિચાર તો પામ આતા હૈ, વહાં વિચાર કરને સે પ્રાપ્તિ કી બાત આઈ, યહાં આરાધન કરને કી બાત હૈ.
પૂજ્ય ભાઈશ્રી - ઉસમેં ક્યા હૈ કિ વિચાર કરને કે બાદ અમલીકરણ કો Stage આતા હૈ ઔર સબ બાત એક પદ મેં કૈસે સમાવિષ્ટ કરે? “કર વિચાર તો પામ વહ જિસને કિયા હૈ, ઉન્હોંને હી વહ બાત કી હૈ, વહ કોઈ અન્ય જ્ઞાની કી બાત તો નહીં હૈ. વિચારના ઔર આરાધન કરના. વિચાર કરેક બંદ રહ જાના ઐસા નહીં લિખા. આરાધનકરને કી બાત ક્યોં કી?પદમેં તો જો બાત આતી હૈ વહ સંક્ષેપ મેં પ્રાસ મિલે ઉતની બાત ઉસમેં સમાવિષ્ટ હોતી હૈ. બાત તો ઔર હોતી હૈ. ઔર ઓર જગહ જો બાત હોતી હૈ ઉસકાહમેંCoordinationકર લેના ચાહિયે.
જીવકો મુખ્યસેમુખ્ય ઔર અવશયસે અવશ્ય... કિતના વજન દેતે હૈં!મુખ્ય સે મુખ્ય ઔર અવશ્ય સે અવશ્ય “યહનિશ્ચયરખના ચાહિયેકિમુજે જો કુછ કરના હૈ વહ આત્માકે લિયે કલ્યાણરૂપ હો વહી કરના હૈ”મેરા જો કલ્યાણ હૈ વહી હમકો કરના હૈ. આત્મકલ્યાણ કી મુખ્યતા કભી છૂટની ચાહિયે નહીં. વહી હમકો કરના હૈ. બાકી કી બાત અકલ્યાણ કી હૈ, વહ હમેં કરની નહીં હૈ. ઔર ઉસીકે લિયે ઇન તીન યોગીંકી ઉદયબલસે પ્રવૃત્તિ હોતી હો તો હોને દેના,” આત્મકલ્યાણ કે લિયે તીન ઉદય માને મન, વચન ઔર કાયા. યે તીન યોગ કી ઉદયપ્રવૃત્તિ હોતી હો તો હોને દેના, આત્મકલ્યાણ કે લિયે હો તો હોને દેના.
પરંતુ અંતમેં ઉસ ત્રિયોગસે રહિત સ્થિતિ કરનેકે લિયે ઉસ પ્રવૃત્તિકા સંકોચ કરતે કરતે ક્ષય હો જાયે, યહી ઉપાય કર્તવ્ય હૈ.” ક્યોંકિ ઉદય સે તો કોઈ આત્મલાભ હોતા નહીં હૈ. ઉદય કી પ્રવૃત્તિ છોડની હૈ. અંતર્મુખ પરિણમન કે સિવા તિના ભી
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૨ બહિર્મુખ પરિણમન હોતા હૈ વહ ઉદય કી પ્રવૃત્તિ સમજ લેના. કોઈ ભી હો, બહિર્મુખ પરિણમન ઉદયકે સાથ જુડકર હી હોતા હૈ જો આત્મામેં જુડકર હોતા હૈ વહ અંતર્મુખ પરિણમન હોતા હૈ. દેખિયે ! જો અરિહંત પરમાત્મા ઔર સિદ્ધ પરમાત્મા હુએ ઉન્હોંને બાહ્ય પ્રવૃત્તિ કા ત્યાગ કિયા કિકુછ રખા? મુનિરાજ કો આખર મેં પંચ મહાવ્રત આદિ પ્રવૃત્તિ હોતી હૈ, અઠ્ઠાઈસ મૂલગુણ કી પ્રવૃત્તિ હોતી હૈ, કુછ ઉત્તર ગુણ કી પ્રવૃત્તિ ભી હોતી હૈ. વહછોડકર અરિહંત હોતે હૈંન?કિ રખકર હોતે હૈં?
મુમુક્ષુ-પીંછી, કમંડલ રહ જાતે હૈં. પૂજ્ય ભાઈશ્રી:- સબ બાહ્ય સાધન છૂટ જાતે હૈં. યહ બાત કી હૈ.
અંતમેં ઉસત્રિયોગમે... મન, વચન, કાયાકે યોગ સે ‘રહિત સ્થિતિ કરનેકેલિયે ઉસ પ્રવૃત્તિકા...” માને ત્રિયોગ કી પ્રવૃત્તિ કા “સંકોચ કરતે કરતે...” માને કમ કરતે કરતે ક્ષયહો જાયે, યહી ઉપાય કર્તવ્ય હૈ.” ઐસા ઉપાયહી કર્તવ્ય હૈ. યહ ઉપાય ક્યા હૈ?
‘મિથ્યાગ્રહકા ત્યાગ...” કરના. મિથ્યાઆગ્રહ કો છોડ દેના. “સ્વચ્છેદકા ત્યાગ,... કરદેના. “પ્રમાદઔર ઇન્દ્રિયવિષયકાત્યાગ,... કરના. ઐસે પરિણામ મુખ્ય હૈ. ઔર ભી બાતેં હૈ લેકિન યે પરિણામ હૈંવહમુખ્ય પરિણામ હૈ મુમુક્ષુ કી ભૂમિકાકી ચર્ચા ચલ રહી હૈ ઇસલિયે ઐસે પરિણામ કી બાત કી હૈ. ઉસે સત્સંગને યોગમેં અવસ્ય આરાધન કરતે હી રહના” ઔર જબ સત્સંગ કા યોગ રહતા હૈ તો સાથસાથ ઉસકા ત્યાગ કરને કા અમલીકરણ કરના. આરાધન કરના માને અમલીકરણ કરના. “કરતે હી રહના, ઔર સત્સંગકી પરોક્ષતામાં તો અવશ્ય અવશ્ય આરાધન કિયે હી જાના, પ્રત્યક્ષ સત્સંગ મેં તો ચાલુ રખના લેકિન સત્સંગ કાયોગ નહીં હો તો ચલે જાઓ કામ-ધંધે પરવહબાત નહીં હોની ચાહિયે.
હમારે યહાં ઐસા હી હોતા થા કિ સત્સંગ બંદ હો જાયે તો ચલો, લગ જાઓ. અપને કામ મેં. ઐસા હોના નહીં ચાહિયે. અચ્છા હુઆ પછલે દો મહિને મેં યહાં સત્સંગ ચાલુ હુઆ હૈ. વરના સત્સંગ બંદ હો જાયે. ઐસા નહીં હોના ચાહિયે. સત્સંગ તો ચાલુ હી રહના ચાહિયે. પરોક્ષતા મેં અવશ્ય આરાધન કરના. અમલીકરણ વિશેષ દરકાર કરકે કરના.
કોંકિ સત્સગક પ્રસંગમેં તો યદિ જીવકી કુછ ન્યૂનતા હો તો ઉસકે નિવારણ હોનેકા સાધન સત્સંગ હૈ” સત્સંગ મેં તો કોઈ દોષ હો તો નિવારણ હોને કા સાધન હૈ. ન્યૂનતા માને કમી. પરંતુ સત્સંગકી પરોક્ષતામેં તો એક અપના આત્મબલ હી સાધન હૈ” સત્સંગ કી ઉપસ્થિતિ મેં તો સત્સંગ એક સાધન હૈ લેકિન જબ સત્સંગ નહીં
Page #310
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૦૯
૨૯૩
હો તો એક આત્મબલ હી કામ કરેગા. આત્મબલ વહાં તો વિશેષ હોના ચાહિયે. સત્સંગ નહીં મિલે તબ તો આત્મબલ વિશેષ હોના ચાહિયે. દેખો ! કૈસા માર્ગદર્શન હૈ ! બહુત સુંદર માર્ગદર્શન હૈ. વ૨ના કયા હોતા હૈ ? યહ પ્રશ્ન ઉઠતા હૈ, સત્સંગ મેં આતે હૈં તબ હમારે પરિણામ બહુત અચ્છે રહતે હૈં. જબ સત્સંગ નહીં મિલતા હૈ તો હમારે પરિણામ બિગડ જાતે હૈં. યહ હોના ચાહિયે નહીં. ઉસ વક્ત ઔર સાવધાની રખની ચાહિયે. વિશેષ આત્મબલ સે આત્મકાર્ય કરને કા હમારા પરિણામ હો જાના ચાહિયે.
,
યદિ વહ આત્મબલ સત્સંગસે પ્રાપ્ત હુએ બોધકા અનુસરણ ન કરે... ઉસકા આચરણ ન કરે, અનુસરણ ન કરે ઔર આચરણ ન કરે. દેખો ! આચરણ કી બાત કરતે હૈં. ઔર આચરણ મેં હોનેવાલે પ્રમાદકો ન છોડે, તો કિસી દિન ભી જીવકા કલ્યાણ નહીં હોગા.’ ચલો, સત્સંગ મિલા ઉતને દિન તો હમ જાયેંગે, બાકી કા રામ ભરોસે. તો યે સત્સંગ કા જો ભી થોડાબહુત અસર હૈ વહ ખત્મ હો જાયેગા ઔર અસત્સંગ કા અસ૨ બલવાન હો જાયેગા. સત્સંગ છૂટા તો ઔર કયા રહા ? અસત્સંગ. યહ બલવાન હો જાયેગા.
‘સંક્ષેપમેં લિખે હુએ જ્ઞાનીકે માર્ગકે આશ્રયકે ઉપદેશક ઇન વાચોંકા...' યે વચન કૈસે હૈં ? તેરહ Paragraph જો લિખે ન ? ઉસકે લિયે કચા બોલે ? કયા લિખતે હૈં ? કિ ‘સંક્ષેપમેં લિખે હુએ....’ ક્યા લિખા ? ‘જ્ઞાનીકે માર્ગકે આશ્રયકે ઉપદેશક...' વચન હૈં. યે જ્ઞાની કે માર્ગ કા આશ્રય કરાનેવાલે વચન હૈ. જ્ઞાની કા માર્ગ ઇસ પ્રકાર કા હૈ. જ્ઞાની કે માર્ગ પર નહીં ચલેંગે તો સ્વચ્છંદ હો જાયેગા ઔર યે પરિભ્રમણ કા મુખ્ય કારણ તો સ્વચ્છંદ હી હૈ.
ઇન વાચોંકો મુમુક્ષુજીવ કો અનપે આત્માએઁ નિરંતર પરિણમન કરના યોગ્ય હૈં...' મુમુક્ષુજીવકો નિરંતર પઢના ઐસા નહીં લિખા હૈ. પરિણમન કી બાત લે આતે હૈં. પઢ લિયા, સુન લિયા વહ બાત નહીં ચલેગી. પરિણમન હોતા હૈ કિ નહીં હોતા હૈ, વહ દેખો. નહીં હોતા હૈ તો કર્યો નહીં હોતા હૈ, વહ દેખો. ચોં નહીં હોગા ? હોના ચાહિયે, ઐસા નહીં ચલેગા. ઐસા થોડા કડક હો જાઓ. અપને પરિણમન કે લિયે થોડા કડક હો જાઓ. ઐસા નહીં ચલેગા. ઠોઠ નિશાળીયા હોય ને ? હિન્દી મેં કચા બોલતે હૈં માલૂમ નહીં. ઠોઠ નિશાળીયા કો કચા બોલતે હૈં ? રોજ School ૫૨ તો જાયે, કુછ સીખે નહીં. ઉસકો કહેં કિ, તુમકો કુછ આતા નહીં. નહીં આતા હૈ વહ બરાબર હૈ, લેકિન જાતા તો હૂં, School મેં તો રોજ જાતા હૂં, કયા કામ કા ? School જાતા હૈ ઔર સીખતા નહીં હૈ તો School જાના બેકાર હો ગયા, ઉસકા કયા ? વહાં તો બરાબર ઠંડા પડતા હૈ. યહાં
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
રાજહૃદય ભાગ-૧૨ ભી દંડા પડના ચાહિયે. દંડા પડના ચાહિયે કિ નહીં પડના ચાહિયે ? દંડા બરાબર પડના ચાહિયે.
નિરંતર પરિણમન કરના યોગ્ય હૈ, જિન્હેં હમને અપને આત્મગુણકા વિશેષ વિચાર કરનેકે લિયે શબ્દોંમેં લિખા હૈ.” હમને તુમ્હારે લિયે લિખા હૈ ઉતની બાત નહીં હૈ. હમારે આત્મગુણ કા વિશેષ વિચાર કરને કે લિયે યહ બાત હમને લિખી હૈ. સ્વલક્ષ્ય સે યહ બાત આયી હૈ, એકાંત પરલક્ષ્ય સે આયી નહીં હૈ. દેખો ! “કૃપાલુદેવ’ લિખતે હૈં તો સાથ-સાથ ક્યા લિખ દેતે હૈં યે કોઈ એકાંત પરોપદેશે પાંડિત્ય ઐસી બાત નહીં હૈ. યહાં તક રહેં..
પરિભ્રમણની વેદના – એ પરિભ્રમણના કારણભૂત ભાવો અંગેનો પશ્ચાતાપ છે, જેનાથી અંતઃકરણની શુદ્ધિની પ્રક્રિયા થાય છે, વિપરીત અભિપ્રાયોમાં ફેર પડે છે, પ્રતિબંધ ઢીલા પડે છે, અને યથાર્થ ઉદાસીનતાપૂર્વક દર્શનમોહ મંદ થવાની શરૂઆત થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૫૭)
કોઈપણ દોષનું માપ, તે દોષ પાછળના અભિપ્રાયથી સમજાય છે. અભિપ્રાય સમજ્યા વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. પરિણમનમાં અભિપ્રાયનું મહત્વ ઘણું છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિએ સત્સંગાદિધર્મ સાધન કરવામાં આવે છે, ત્યાં સુધી તે સફળ થતાં નથી.
(અનુભવ સંજીવની-૧૪૫૮).
મુમુક્ષુઓએ સત્સંગમાં બે પ્રકારે પ્રવર્તવા યોગ્ય છે. એક, પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધવાના ક્રમ અંગેનો પ્રયાસ, અને બીજુ સત્પરુષના ગુણાનુવાદ દ્વારા તેમના પ્રત્યે બહુમાન ઉપકારબુદ્ધિ વર્ધમાન થાય, તેવો પ્રકાર, – આ બંન્ને પ્રકારનિર્મળતાનું કારણ છે.
(અનુભવ સંજીવની-૧૪૫૯)
Page #312
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૦૯
૨૯૫
પત્રાંક-૬૧૭
મુંબઈ, અષાડ વદ ૭, ૧૯૫૧
ૐ નમો વીતરાગાય સત્સંગનૈષ્ઠિક શ્રી સોભાગ,શ્રી સાયલા. તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે.
આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈનાવિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાય છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. અન્યદર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલોકમુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એવિષય પર વધારે વિચાર થાય તો સારું.
અતિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે, તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્યપદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવાયોગ્ય છે.
એકબીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સવશે સત્ય અને બીજાં દર્શન સવશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? એ આદિવિચારવા યોગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ માહામ્યવાનને થવા યોગ્ય છે ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે.
સર્વપ્રકારનાં સવાંગ સમાધાન વિના સર્વકર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૨
અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં, તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી.
શ્રાવણ સુદ પ-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે; પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ? તે હજી સુધી વિચારમાં આવી શકયું નથી, કદાપિ જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે, તો તે કિયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે.
આ.સ્વ.પ્રણામ.
તા. ૧૨-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૧૭, ૬૧૮
પ્રવચન ન. ૨૮૧
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬૧૭, પાનું-૪૭૪. ત્રીજો Paragraph છે. સૈદ્ધાંતિક રીતે જૈનદર્શનમાં અને અન્ય દર્શનમાં વસ્તુનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન પ્રકારે દર્શાવ્યું છે. વસ્તુના સ્વરૂપ નિરૂપણમાં મોટો તફાવત છે. જેમકે વેદાંત એમ કહે છે કે આત્મા એક જ છે. આખા વિશ્વમાં આત્મા એક પરમબ્રહ્મ છે. જૈન એમ કહે છે કે અનંત આત્માઓ છે. જ્યાં એક અને ક્યાં અનંત. મોટો ફેર છે. પછી તો એના બંધારણમાં, એના જ્ઞાનમાં બધે ફેર પડી જાય. એ વિષય ઉપર બહુ સારી ચર્ચા આ Paragraphમાં કરી છે.
એક બીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે. બધા જ એવો નિર્ણય કરી શકે એવી શક્તિ હોતી નથી. એવી શક્તિ ન હોય છતાં એવો નિર્ણય કરવા જાય તો એ નિર્ણય યથાર્થ હોતો નથી. અથવા એ નિર્ણય યથાર્થ નહિ હોવાને લીધે એના આત્માને કોઈ ગુણકારી પણ થતો નથી. અવગુણ કેટલો થાય એ બીજી વાત છે પણ જ્યારે એની
Page #314
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૧૭
૨૯૭ શક્તિ બહારનો વિષય છે, યોગ્યતા બહારનો વિષય છે પછી એ નિર્ણયથી એને લાભ થાય નહિ.
તે સર્વની તુલના કરી.” તુલના એટલે સરખામણી કરવી. Comparision કરવી. એ ‘અમુકદર્શન સાચું છે.” તુલના કરીને અમુક દર્શન જસાચું છે એવો નિર્ધાર બધા ન કરી શકે. કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે.' બધાને તો હોતી નથી, પણ ઘણાને પણ હોતી નથી એમ કહે છે. કોઈક જીવને હોય છે. આ ધ્યાનમાં લેવા જેવો વિષય છે. કોઈક જ જીવ એ રીતે બધા દર્શનની તુલના કરી શકે તેવો હોય છે.
વળી એક દર્શન સવશે સત્ય અને બીજાં દર્શન સવશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, વિચાર કરતાં (સિદ્ધ થાય) કે એક જૈનદર્શન છે એ પૂરેપૂરું સાચું છે. બીજા બધા દર્શનો પૂરેપૂરા સાચા નથી, પૂરેપૂરા ભૂલવાળા છે એમ વિચારમાં સિદ્ધ થાય. એવું જો સિદ્ધ થતું હોય તો. એમ કહે છે. જો અધ્યાહાર છે. જો એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિવિચારવા યોગ્ય છે....” કે કઈ દશામાં રહીને એણે એ વાતોનું નિરૂપણ કર્યું છે. જે-તે વાત કહી છે એનું નિરૂપણ કઈ દશામાં રહીને કર્યું છે? આ વિચારવા યોગ્ય છે. શું કહે છે?
તુલના કરતી વખતે જેણે વસ્તુનું સ્વરૂપ અન્યથા પ્રતિપાદન કર્યું એની દશાનો કાંઈ વિચાર કરી શકો એમ છો તમે ? સિદ્ધાંતનો વિચાર કરો છો પણ સિદ્ધાંતના નિરૂપક કોણ અને કેવા હતા? કઈ દશામાં હતા? એનો પણ વિચાર કરવો યોગ્ય છે. જો એનો વિચાર કરવામાં ન આવે તો કેટલીક રીતે આ નિર્ણય કરવાની અંદર બાધા આવવાનો સંભવ છે અથવા બાધા આવે છે એમ એમનું કહેવું છે. કેટલી વિચારધારા સ્પષ્ટ છે અને કેટલા આ વિષયની અંદર પોતે ઊંડા ગયા છે. એ આ એકParagraph માંથી મળે છે.
મુમુક્ષઃ- કાંઈ સમજાણું નથી ક્યા સંદર્ભમાં વાત છે?
પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે કે આપણે એ ચર્ચા કરીએ જરા. બીજી વાત આવશે.
કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે. વૈરાગ્ય અને ઉપશમ જેના બળવાન છે. તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? આ દલીલ પોતે આપે છે. કે જો તમે બીજા દર્શનોને કેવળ અસત્ય માનો તો તે બીજા દર્શનોની અંદર વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે. તેના વૈરાગ્ય અને ઉપશમ બળવાન હોય એ કેવળ અસત્ય કેમ કહે? આ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮
રાજહૃદય ભાગ-૧૨ પ્રશ્ન એમણે પોતે વિચારવા માટે ઉઠાવ્યો છે. એમની દશામાં વૈરાગ્ય અને ઉપશમ તો હતા એ એમનું નિરૂપણ દેખાય છે. એમનું નિરૂપણ જોતાં વૈરાગ્ય-ઉપશમને સ્વીકારવા પડે અને બળવાન વૈરાગ્ય ઉપશમનો નકાર ન કરી શકાય. આ પરિસ્થિતિ તો સ્પષ્ટ જોવામાં આવે છે. આ એની દશા ઉપર ગયા એ. તો પછી “તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય એ આદિવિચારવા યોગ્ય છે.'
હવે અહીંથી આપણે વાત વિચારીએ. એવગેરે વિચારવાયોગ્ય છે. ત્યારે શું છે કે વૈરાગ્ય અને ઉપશમ મુમુક્ષુની ભૂમિકામાં ચારિત્રમોહને મંદ કરે છે. અને ચારિત્રમોહ મંદ હોય ત્યારે દર્શનમોહમંદ હોય જ એવો કોઈ નિયમ નથી. છે એવો કોઈ નિયમ? એ સિદ્ધાંત નથી. જેમ કે જેનના દ્રવ્યલિંગી મુનિ લ્યો,દિગંબર મુનિ લ્યો. ચારિત્રમોહકેટલો મંદ? કે એટલો બધો મંદ છે કે જેને લઈને એને શુભ આયુ ૩૧ સાગરનું નવમી રૈવેયક સુધીનું મળે છે. એ વખતે દર્શનમોહ તીવ્ર છે. ત્યાં નવમી રૈવેયકે જશે, પાછો એકેન્દ્રિય થાશે. કેમ એકેન્દ્રિય થયો? કે દર્શનમોહ મંદ નહોતો થયો અને દર્શનમોહ તીવ્ર હતો એટલે પાછા એકેન્દ્રિયના પરિણામ થઈ ગયા. ચારિત્રમોહ પણ તીવ્ર થઈ ગયો. દર્શનમોહ તો તીવ્ર હતો જ. જે Temporary અમુક સમય પૂરતો જે ચારિત્રમોહ મંદ થયો હતો એ પાછો તીવ્ર થઈ ગયો. એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. આ જીવનું એવું અનંત વાર થયું છે, એમ કહે છે. એ પ્રકારે ચારિત્રમોહ અત્યંત મંદ કરે, ઘણો મંદ કરે, અસાધારણ મંદકરે તોપણ દર્શનમોહતીવ્ર હોવાને લીધે જો એવું થાય છે તો અન્ય મત એટલે ગૃહીત મિથ્યાત્વનું કારણ શું છે? કે ચારિત્રમોહતો એનો મંદદેખાય છે. અન્ય મત, મત બીજો પડ્યો એનું કારણ શું છે? દર્શનમોહ છે. એમ કહેવું છે. એ દશા એની વિચારવા યોગ્ય છે. જો એવી રીતે તુલના કરો તો જ સમાધાન થાય એવું છે, નહિતર સમાધાન થાય એવું નથી.
આ જૈન સંપ્રદાયની વાત કરીએ તો જ્યારે શ્વેતાંબર છૂટા પડ્યા ત્યારે એ લોકોનો વૈરાગ્ય અત્યારે છે એના કરતા તો ઘણો આગળ (હતો). અત્યારે વૈરાગ્ય નથી દેખાતો. એ લોકો જંગલમાં રહેતા હતા. જ્યારે નગરની અંદર આવે, ગોચરી માટે આવે, આહાર માટે આવે ત્યારે ઝાડની છાલ વીંટાળી લે. બાકી પાછા જંગલમાં નગ્ન થઈને વિચરે. પરિગ્રહ નહોતા રાખતા. અત્યારે જે પરિસ્થિતિ છે એવી જુદા પડ્યા તે દિવસે નહોતી. તપશ્ચર્યા વગેરે ઘણી કરતા. પણ દેશ-કાળ અનુસાર આવો ફેરફાર કરવામાં સાધુપણું હોઈ શકે છે, થઈ શકે છે, આત્માને સાધી શકાય છે એ સિદ્ધાંતફેર થયો. ત્યાં મફેર પડ્યો. એમાં મતફેર પડી ગયો ને?
Page #316
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૧૭
૨૯૯
જો એક પગથિયું તમે છોડી દ્યો, કે દેશ-કાળ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ. ફેરફાર કરવામાં વાંધો આવે નહિ. તો દેશ-કાળ જેમ જેમ હીણો આવશે તેમ તેમ તમારે ફેરફાર કરતા જ જવા પડશે. એ સિદ્ધાંતને અનુસરીને. જેમ જેમ કાળ ઉતરતો આવશે, આ તો અવસર્પિણી કાળ છે, અવસર્પિણી કાળ ઉતરતો કાળ છે. જેમ જેમ કાળ ઉતરતો આવે છે તેમ તેમ કાળને હિસાબે ફેરફાર કરતા જાવ... ફેરફાર કરતા જાવ... ફેરફાર કરતા જાવ... એક વખત આહા૨ હતો, બે વખત થઈ ગયો, બે વખતનો ત્રણ વખત થઈ ગયો, ત્રણ વખતનો ચાર વખત થઈ ગયો. કોને ખબર હજી કેટલી વાર થાશે. પછી કાંઈ સિદ્ધાંત રહેશે નહિ.
કેટલાક સિદ્ધાંતો જે વસ્તુના સ્વરૂપને સ્પર્શે છે કે જેને અંગે સ્વરૂપની વૈજ્ઞાનિક રીતે આત્મદશા પ્રગટે છે, એ દશાને બહારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે સંબંધ રહેતો નથી. મુનિદશા એ એક એવી અવધૂત દશા છે કે જેને દેહનું ભાન રહેતું નથી. જેને દેહમાં પાંચ ઇન્દ્રિયના ફેલાવરહિત જેનો ઉપયોગ થઈ જાય છે. એટલા માટે એ વાત નાખી છે કે પાંચ ઇન્દ્રિયના ફેલાવરહિત દેહમાત્ર પરિગ્રહ છે. તોપણ દેહને પરિગ્રહ કહે છે. દેહને સાધન કહેતા નથી. એવી જે દશા થાય છે. એ દશા તે સાધુદશા છે, એ સાધુની સાધકદશા છે. એને દેશકાળ સાથે કાંઈ સંબંધ રહેતો નથી. એવી એ દશા છે. એની દશાનો વિચાર કરવો જોઈએ એમ કહે છે.
શું કહે છે ? કે બીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે,... દશામાં તો ઘણો મંદ કષાય દેખાય છે. વૈરાગ્ય ઉપશમ તો ઘણો દેખાય છે. પણ દર્શનમોહનું શું ? આ વિચારવા યોગ્ય છે. દર્શનમોહને કા૨ણે એ જીવના અભિપ્રાયની અંદર સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરવાનું બનતું નથી. અને સત્ય સામે આવે તોપણ કોઈ અન્યથા કલ્પના એ કરી બેસે છે. એમાં લોકસંજ્ઞા પણ થવાનું કારણ છે.
અત્યારે સમાજ છે એમાં જો તમે આટલી કડક ક્રિયાનું, સિદ્ધાંતનું થોથું પકડી રાખશો, સિદ્ધાંતનું થથુ પકડીને બેસી જાવ તો પછી કેવી રીતે સમાજ તમારી સાથે રહેશે ? એટલે જેટલું તમે હીણ આચરણ સ્વીકારો એટલી સંખ્યા તમને વધારે મળે. અને સમાજમાં જો ટકવું હોય તો સંખ્યાબળ જોઈએ. સમાજમાં ટકવું હોય તો સમાજની સંખ્યા જોઈએ. પછી ભલે ઘેટા હોય. ગાડરીયો પ્રવાહ હોય પણ સંખ્યા જોઈએ. આખી લોકસંજ્ઞા ઉપર દૃષ્ટિ ચાલી જાય પછી. લોકોને સાથે રાખો... લોકોને સાથે રાખો... લોકો સાથે રહે એમ કરો. લોકો સાથે ન રહેતા હોય તો એ વાત મૂકી દેવી. ભલે ન સિદ્ધાંતિક હોય તોપણ. એ પ્રકારે આજે સંખ્યા વધી. એ સંખ્યા વધી. આ સંખ્યા ઘટી.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૦
રાજહૃદય ભાગ-૧૨
અને એના કરતા બીજા અન્યમતિઓની સંખ્યા વધી. જૈનો કરતા હિન્દુઓની સંખ્યા વધારે છે અને હિન્દુઓ કરતા મુસલમાનની સંખ્યા વધારે છે. મુસલમાન કરતા ક્રિશ્વનોની સંખ્યા વધારે છે. આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :- મુમુક્ષુએ કોઈ પણ વક્તા દર્શનમોહનું ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એનો મત કચાં પડે છે એ જોવું જોઈએ. એની માન્યતા સુધી પહોંચવું જોઈએ, શ્રદ્ધા સુધી પહોંચવું જોઈએ. એ બહારમાં શું કરે છે ? કેટલો ત્યાગ છે ? કેટલો વૈરાગ્ય છે ? એ વાત ગૌણ છે. એટલું નહિ, કેટલું શાસ્ત્રજ્ઞાન છે અને કેટલી વિદ્વતા છે એ વિષય ગૌણ છે. એની શ્રદ્ધાએ પહોંચવું જોઈએ કે એની શ્રદ્ધામાં આત્મા કેવો છે. એનો શ્રદ્ધાનો આત્મા કેવો છે ?
મુમુક્ષુ :– એટલે કે મૂળ પકડવું.
પૂજ્ય ભાઈશ્રી :– મૂળ પકડવું જોઈએ. જો ત્યાં સુધી ન પહોંચવામાં આવે, અને એટલી તુલના ન કરી શકવામાં આવે, એટલે આ શક્તિ કોઈક જીવોની હોય છે. બધા જીવોની આવી શક્તિ હોતી નથી એમ એમનું કહેવું છે. એટલા માટે એ પોતે બધા મુમુક્ષુઓને અન્યદર્શનો અને જૈનદર્શન વચ્ચેના વિષયજ્ઞાનની ચર્ચામાં નહોતા જાતા. એવી ચર્ચા સામે આવે તો કહે એ પછી તમને કહેશું. અત્યારે કાંઈ નહિ. અત્યારે અમે કહીએ એ તમે કરો. એ વાત પછીની છે. પાછળની વાત આગળ લાવોમાં. તમારી શક્તિ બહા૨નો વિષય છે. એ એમના ખ્યાલમાં હતું.
મુમુક્ષુ :– પોતાના ચારિત્રમોહના પરિણામ પકડાય છે. દર્શનમોહના પરિણામ પકડાતા નથી. પોતાના જ્યારે પકડાતા નથી તો સામેવાળા જીવના કેવી રીતે પકડે ? પૂજ્ય ભાઈશ્રી :– કેવી રીતે પકડશે ? હા. એમ જ છે. એ વિષય જરા સૂક્ષ્મ છે.
-
બીજું વૈરાગ્ય ઉપશમ અને જ્ઞાનનો જે ઉઘાડ અને એમાં જ્ઞાનના ઉઘાડ સાથે જે વાણીનો યોગ હોય. એ જાતનો એક પુણ્યયોગ છે. એ કોઈ આત્માની યોગ્યતા નથી. વાણીની છટા હોવી, વકતૃત્વપણું હોવું એ તો પુણ્યયોગ છે. સ્મૃતિ રહેવી, શબ્દ ભંડોળ હોવો. એને આત્માની યોગ્યતા સાથે કાંઈ સંબંધ નથી. અને એમાં જે જીવો વ્યામોહ પામે છે, એમાં આકર્ષણ થાય છે, વ્યામોહ પામે છે. એની પાછળ-પાછળ જાય છે, એને Support કરે છે, એને ટેકો કરે છે. બરાબર છે, આ સાચા છે. બીજા એને ખોટા કહેતા હોય તો ના પાડે. કેમ તમે કહો છો ? બરાબર છે, સાચી વાત કરે છે. કહે છે કે એ સામાન્ય માણસોનું કામ નથી. એ તપાસવું, એવી તુલના કરવી એ સાધારણ જીવોનું કામ નથી. એ બધું વિચારવા યોગ્ય છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૦૧
પત્રાંક-૬ ૧૭.
પણ સર્વજીવથી. બધા જીવોથી “આ વિચાર થવો દુર્લભ છે.' આ વસ્તુસ્થિતિ છે. “અને તે વિચાર કાર્યકારી પણ છે,” એ વિચાર દુર્લભ છે છતાં એ વિચાર મહત્વનો છે, કાર્યકારી છે, પ્રયોજનભૂત છે એમ કહે છે. તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે અને એ વિચાર કરવો જોઈએ. ઊંડા ઉતરીને આ વિચાર કરવો જોઈએ. પણ તે કોઈ માહાત્મવાનને થવા યોગ્ય છે;” અથવા એવા કોઈ યોગ્યતાવાનને થવા યોગ્ય છે. સર્વ સાધારણ કરી લે એ પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવતી નથી. ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ?’ હવે જે મોક્ષના ઇચ્છુક છે તો પછી એણે શું કરવું? બાકીના જે સામાન્ય જીવો છે એને કાંઈક રસ્તો ખરો? કે એને કાંઈ રસ્તો નથી ? તે પણ વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે, એમના વિચારવા માટે પોતે જવા નથી દીધો.
બાકીના જે સામાન્યજીવ છે જેને એટલી તુલનાત્મક શક્તિ ન હોય એણે શું કિરવું? કે એણે પોતાને આત્મામાં ગુણ કેવી રીતે થાય છે? મારે જો પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ થવું હોય તો, આમાં કાંઈ બીજી બુદ્ધિની જરૂર નથી, મારે પરિપૂર્ણ શુદ્ધ થાવું છે. મારે કાંઈ ન જોઈએ. કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા, કોઈ એક કણિયો પણ મારે ન જોઈએ. એમાં કોઈ વિશેષ બુદ્ધિની જરૂર નથી. દર્શનમોહ ત્યાં સીધો જ મંદ થાય છે. પહેલોવહેલો દર્શનમોહ આ સિદ્ધાંતને, આ ધ્યેયને નિશ્ચિત કરવામાં થઈ જાય છે. એની બુદ્ધિ, એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવની બુદ્ધિ, એ પરિપૂર્ણ નિર્દોષતાને અનુસરનાર કોણ છે અને અનુસરનાર કોણ નથી ? એનું bifurcation-એની વહેંચણી એ કરી શકે છે. બીજો ન કરી શકે. બુદ્ધિવાળો, તીવ્ર બુદ્ધિવાળો ન કરી શકે. અને મંદ બુદ્ધિવાળો કરી શકે એવું કામ કર્યું? કે દર્શનમોહ મંદ થાય તો. યથાર્થ પ્રકારે. એને ખબર પડે કે આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવે છે, આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવતી નથી. આટલું એ જીવ તારવી શકે. પછી બોલનાર ગમે તેવો હોય. પણ એને એ ધ્વનિ પકડાય છે કે આ પૂર્ણ શુદ્ધિ દઢ મોક્ષેચ્છાને અનુસરીને આ વાત ચાલે છે. એની વિરુદ્ધ આ વાત જતી નથી, ક્યાંય જતી નથી (એમ) તરત ખ્યાલમાં આવી જાય છે. એ પણ વિચારવા યોગ્ય છે કે એણે શું કરવું? શું કરવા યોગ્ય છે? એણે શું કરવું ઘટે ?
એક તો એ મુમુક્ષતામાં આવે છે ત્યારે મોક્ષની દઢ ઈચ્છાના કાળે એ મુમુક્ષતામાં આવે છે. બીજો રસ્તો અજાણ્યો હોય ત્યારે એને એક બીજો વિચાર એ આવવો ઘટે છે કે આ માર્ગના જાણનાર કોઈ પુરુષ હોય તો મારે એની પાસે જવું. પહેલામાં પહેલું મારે એ કામ કરવું જોઈએ કે આના જાણકાર કોણ છે? આ જગતમાં કોઈ છે કે નહિ? આ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
રાજહૃદય ભાગ–૧૨ રોગની દવા કોની પાસે છે જે રોગની જે દવા નહિ મળે ત્યાં સુધી એ રોગ જવાની કોઈ સંભાવના નથી. સીધી વાત છે. આ બે વાત જો વિચારી શકે તો એ દર્શનમોહની મંદતામાં જ આવી શકે અને એણે એ કરવું ઘટે છે. બાકીના જીવોએ તે કરવું ઘટે છે. પછી અન્ય દર્શનોની તુલનાની વાત પછી છે. એ પહેલા અન્યદર્શનની તુલનામાં જાય કે જૈન સાચા અને બીજા બધા અજેન ખોટા. એમાં વાતમાં કાંઈ માલ નથી. કારણ કે એને નથી જૈનપણાની ખબર, નથી એને અજૈનપણાની ખબર. એ પોતે જૈન હોવા છતાં કયારે અજૈનપણામાં ઘૂસી જશે એને ખબર નહિ પડે. ગૃહીતમાં પાછો જાશે. આશ્ચર્યકારી વાત છે કે ગૃહીતમાં જતા એને વાર લાગતી નથી. અને એ ગૃહીતને અગૃહીત માને. પરિસ્થિતિ શું હોય છે? કે પોતે ગૃહીતમાં આવી ગયેલો હોય છે અને માને છે કે હું અગૃહીતમાં છું. સમ્યગ્દર્શન તો હું લઈ લઈશ. કેમકે મને ગૃહીત તો હવે છે નહિ. હોય છે ગૃહીતમાં. આવી આશ્ચર્યકારક પરિસ્થિતિ એની વર્તે. દેવ-ગુરુશાસ્ત્ર બધા સાચા હોય. જૈનશાસ્ત્રના સિદ્ધાંતોની ચર્ચા કરતા હોય અને હોય ગૃહીતની અંદર. કેમકે બુદ્ધિપૂર્વક એનો મત જ બીજો પડે છે. એનો મત છે એ માર્ગને અનુકૂળ નથી. ખરેખર તો એનો મત માર્ગથી પ્રતિકૂળ છે.
મુમુક્ષુ -એક જગુરુને માનતા હોય... પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ-એ ઓળખવું બહુ આકરું થઈ પડે.
પૂજ્ય ભાઈશ્રી પોતાની જાતને સંભાળવા જેવો વિષય છે. બાકી તો સૌનું સૌ જાણે પણ પોતાની જાતને સંભાળવાની વાત છે. ગંભીર વિષય છે. જો પોતાની જાતનેન સંભાળી શકે તો એ બીજાનો વિચાર કરીને એને શું કામ છે? બીજાના વિચારથી એને શું ફાયદો છે? એ તો પંચાત થઈ ગઈ. બીજાનો વિચાર નથી પણ એ બીજાની પંચાત થઈ ગઈ. ખરી વાત તો એ છે કે પોતે સંભાળવા જેવું છે.
એટલે “બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે. એમને વિચાર કરતા મૂકી દીધા. તમે પ્રશ્ન ઉઠાવો છો કે આત્મા એક છે, કે આત્મા અનેક છે. પણ આ એમને એમ કાંઈ થાય એવું નથી. રસ્તાનું મૂળ પકડે પછી બરાબર ગાડી રસ્તે ચાલે એવું છે. મૂળમાંથી જ બીજો ફાંટો પડી ગયો. ભલે એક Degree નું Angle છે, બાજુ બાજુમાં જ રસ્તો દેખાય છે કે આ તો બાજુનો જ રસ્તો છે. એક જેવો લાગે છે. બાજુનો એટલો બધો નજીકનો છે કે એક જેવો લાગે છે. એક જેવો નથી. લંબાઈને ક્યાંના ક્યાંય જવાનું છે. છેડો લંબાઈને કયાંય દૂર નીકળી
Page #320
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૧૭ જશે.
૩૦૩
સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે,...’ અથવા એવો અમારો અભિપ્રાય છે કે જીવને સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન ન થાય અને એ જીવ મુક્ત થાય એવું કોઈ રીતે બની શકે નહિ. એને મુક્ત થવા માટે સર્વાંગ સમાધાન થવું જ જોઈએ.
મુમુક્ષુ ઃ- અશકય છે ?
પૂજ્ય ભાઈશ્રી :- અશક્ય છે. અરે..! એક પણ વિપર્યાસ રહે તો સમ્યગ્દર્શન થાય નહિ. આ પરમાગમસાર’માં ‘ગુરુદેવ’નું વચનામૃત છે. એક પણ વિપર્યાસ રહે એને સમ્યગ્દર્શન નહિ થાય. વિપર્યાસ રહે અને સમ્યગ્દર્શન કેમ થાય ? ન થઈ શકે. એ જ દર્શનમોહની તીવ્રતાનું પ્રદર્શન કરે છે. વિપર્યાસ પોતે જ દર્શનમોહને પ્રદર્શિત કરે છે. સીધી વાત એ છે.
આખરમાં વાત એ છે કે પોતાના સ્વરૂપને પોતે અનુકૂળ થવાનું છે. કષાયના દોષના અભાવ સ્વભાવી જે આત્મા છે એવું જે પોતાનું પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ છે એ સ્વરૂપને પોતે અનુકૂળ થવાનું છે. અને અનુકૂળ થવા માટે એને પૂરી સૂઝબુઝ હોવી જોઈએ. પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ જાય, પોતાના નિર્દોષ સ્વરૂપથી પ્રતિકૂળ જાય એ મતિ નથી એ કુમતિ છે, એ કુબુદ્ધિ છે. એ એને ઊંધે રસ્તે લઈ જાય છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ જીવની મુક્તિ થાય કે સમ્યગ્દર્શન થાય, મુક્તિનો માર્ગ મળે (એ) અશય અને અસંભવિત છે. અશક્ય શબ્દ જ વાપર્યો છે.
‘કર્મથી મુક્ત થવું અશકય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં...' અને એ સર્વ પ્રકારનું સમાધાન અલ્પ કાળમાં થાય છે, એમ કહે છે. અનંત પ્રકારના વિપર્યાસ છે. એને સમજવા માટે અને ટાળવા માટે જો અનંત કાળ જોઈતો હોય તો તો કોઈ જીવ મુક્ત ન થાય. એવું નથી. માર્ગ સહેલો છે. માર્ગ એ દૃષ્ટિએ અઘરો દેખાતો હોય તો કોઈ વિપર્યાસ ન રહેવો જોઈએ. બધા વિપર્યાસ મટે, સર્વ વિપર્યાસ મટે તો મુક્ત થવાય. આમાં કેટલો કાળ લાગે ? કે કાંઈ નહિ. જો એને અનંત કાળ લાગે તો તો કોઈ મુક્ત જ ન થાય.
તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે;...’ કેવી સરસ વાત લીધી છે ! અલ્ય કાળની અંદર. ભલે ગમે એવો અજાણ્યો જીવ હોય, અન્ય મતમાંથી આવતો હોય. જૈનકુળમાં ભલે ન જન્મ્યો હોય, અન્ય
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૨ મતમાંથી આવતો હોય. અલ્ય કાળમાં એને સર્વ સમાધાન થાય એવા સમાધાનના ઉપાય છે. એમ કહે છે. કેવી ખાતરી આપી છે ! ‘હોવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એને નિરાશ થવાનું કોઈ કારણ નથી, છે. ઉપાય છે. સહેલો રસ્તો છે. સુગમ છે. અરે. તિર્યંચ પામે છે. તારે મૂંઝાવાની જરૂર નથી.
મુમુક્ષુ-પુરુષાર્થની કેટલી પ્રેરણા આપી છે!
પૂજ્ય ભાઈશ્રી :- પુરુષાર્થની પ્રેરણા છે અને રસ્તાની એને જિજ્ઞાસા થાય, તો પછી આ સહેલો, અલ્પ કાળમાં થાય એવો ઉપાય ક્યો? આની જે જિજ્ઞાસા થાય એ જગ્યાએ લાવીને મૂકી દીધા છે.
આ પત્રની અંદર બીજા ભાઈઓ સાથે જોડાયેલા છે. તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે.” “તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર' જાણ્યા છે. અને હજી પણ લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. કરવા યોગ્ય છે એમ વાત નાખી છે. કેમકે એ લોકો અન્ય દર્શનનો વિચાર કરતા હતા. જોયું કે આ લોકો યથાર્થ રીતે અન્ય દર્શનનો વિચાર કરી શકે એવી સ્થિતિમાં તો છે નહિ. માટે તમે અત્યારે આ વાત હાથમાં લીધી છે. પણ કટાણે, યોગ્ય સમયે લીધી નથી. કટાણે લીધી છે. ટાણું તમે જોયું નથી, સમય જોયો નથી. એ ધ્યાન ખેંચ્યું છે એમણે. એક વાતને રજુ કરવામાં મૂકવામાં કેટલી વિચક્ષણતા છે!
એ રીતે “અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એમાં પણ જો એ કોઈ સત્પરુષના સમાગમમાં આવી જાય, અરે...! પુણ્યયોગે પણ આવી જાય, ઓઘે ઓથે પણ આવી જાય અને સત્યની શોધમાં જાય કે મારે તો માર્ગ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. તો એને અલ્પકાળમાં મળે એવું છે.
શ્રાવણ સુદ ૫-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે, તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટવિચારમાં આવતું નથી. અત્યારે સ્પષ્ટવિચારમાં આવતું નથી અને એનો નિર્ણય પણ વિચારમાં સ્પષ્ટ થઈ શકતો નથી કે થતો નથી. તો પછી શું મૂકી દીધું છે કે જ્યાં, ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. ક્રમબદ્ધ મૂકી દીધું. નિર્ણય થતો નથી. તો હવે વિચારતો છે કે ક્યાંક
. આ એક યથાર્થ વિચાર થવાની એક કાર્યપદ્ધતિ છે. સામાન્ય રીતે એવો જે
Page #322
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૧૭
૩૦૫
નિર્ણય લેવાનું વિચારની સ્થિતિમાં ન બને જ્યારે જ્યારે કે આ યોગ્ય છે કે આ યોગ્ય છે ? આમ ક૨વું યોગ્ય છે કે આમ કરવું યોગ્ય છે ? એમ જ્યારે કોઈ નિર્ણય ન થતો હોય તો એ નિર્ણય ઉતાવળે કરી ન લે. એ નિર્ણયને Pending રાખે, મુલતવી રાખે. કોઈ એમનેમ નિર્ણય કરવો નથી. થાય નહિ ત્યાં સુધી એમનેમ ઉતાવળ નથી કરવી.
એટલું કરે કે બે નિર્ણયમાં કયા નિર્ણયથી વિશેષ લાભ-નુકસાનનો, આત્મિક દૃષ્ટિએ લાભ-નુકસાનનો પ્રકાર છે, એટલી જ તુલના કરી જોવે અને એમાં કોઈ ખ્યાલ આવે કે અહીંયાં કરતા અહીં ભૂલ વધારે છે, અહીં કરતા અહીં દોષ ઓછો છે. તો નિર્ણય લઈ લ્યે. પણ એમ પણ ન થતું હોય તો, લગભગ સરખી પરિસ્થિતિ હોય તો અને નિર્ણય ન થતો હોય તો જે ત્યારે થવાનું હશે એ થાશે. એ પ્રકા૨ છે.
મુમુક્ષુ :-...
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. આ તો બાહ્ય કાર્યનો નિર્ણય. બાહ્ય કાર્યના નિર્ણયની વાત છે. પોતાના હિતનો તો નિર્ણય એણે કરી જ લેવો જોઈએ કે મારે આત્મહિત કરવું જ છે. આત્મહિત કરી છૂટવું જ છે. આ ભવ મારો આત્મહિત કરવા માટેનો જ છે અને આ ભવમાં કરીને જ જાવું છે. એ નિશ્ચય કરવો જ જોઈએ. બરાબ૨ ક૨વો જોઈએ.
:
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :– હા. કોઈપણ કિંમતે. કરવું છે એટલે કોઈ પણ કિંમતે. કેમકે એનાથી બીજી કોઈ વધારે કિંમત પણ નથી. એનાથી કોઈ મોટી કિંમત છે નહિ.
જગતના પદાર્થોનું લાભ-નુકસાન એક સાધારણ વાત છે. એવા સંયોગો અનંત વાર આવ્યા અને ગયા. એથી વધારે સારા સંયોગો પણ અનંત વાર આવ્યા અને ગયા એથી હીણા સંયોગો પણ અનંત વાર આવ્યા ને ગયા. એવા ને એવા પણ આવ્યા અને અનંત વાર ગયા. એમાં શું વિશેષતા છે ? પોતે વજન વધારે આપે છે, પોતે કિંમત વધારે આપે છે. એ નાની વાતને મોટી કરી નાખીને રોકાઈ જાય છે. એ નાની વાત છે, સામાન્ય વાત છે. પોતે મોટી કરી નાખે છે. વજન વધારે આપી દે છે. એટલે એક બાજુની અધિકાઈ, બહારના પદાર્થોની અધિકાઈ, એની અંદરની અધિકાઈને ઉત્પન્ન ન થવા દે. જ્યાં સુધી બહારમાં અધિકાઈ છે ત્યાં સુધી અંદરમાં આવી શકશે નહિ. પછી ન વળી શકે એ સીધી વાત છે.
‘દિપચંદજી’એ ‘અનુભવ પ્રકાશ’માં બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે. આ જીવની વૃત્તિ વાંદરા જેવી છે. વાંદરાને એક કાંકરો મારે, છોકરો ટીખળ કરે. પાંચ વર્ષનો છોકરો, વાંદરો ભલે મોટો ગમે એવો હોય પણ પાછળથી એક કાંકરી મારે તો એને એમ લાગે કે
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
રાજહૃદય ભાગ-૧૨ મોટો પહાડ મારા ઉપર તૂટી પડ્યો. ઠેકડે ઠેકડા મારે. બે-ચાર વખત તો નીચે ઝાડ ઉપરથી ઉપરથી જાય, બે-ચાર વખત ઉપર ચડે. પછી સ્થિર થઈને બેસે. બે-ચાર વખત ચડ-ઉતર કરી નાખે જોયાને ત્યાં? ઈડરમાં કેટલા ચંચળ હોય છે! એક કાંકરો માર્યો હોય તો કેટલા ઝાડ ઉપર ઠેકડા મારી આવે.”
એમ જરાક સંયોગોમાં પ્રતિકૂળતા આવે અથવા પોતાના ધારેલામાં ક્યાંક જરાક ફેર પડે ત્યાં એને કાંઈકનું કાંઈક થવા માંડે. મૂળ તો એને કાંકરી વાગી છે. આટલું બધું શું થાય છે? એક કાંકરી વાગી છે એમાં આટલા બધા ઠેકડા શું કરવા માટે છો? કોઈ પણ સંયોગના ફેરફારને આટલું મહત્વ આપવું જોઈએ નહિ. સીધી વાત છે. સામાન્ય ગણીને, સાધારણ ગણીને ગૌણ કરી નાખવું). તો એને મોકળાશ રહે. તો પછી એને આત્મહિત કરવાની શક્તિ બચે. નહિતર શક્તિ તો બધી ત્યાં ખર્ચી નાખે છે. પછી શક્તિ બચતી નથી. મારો પુરુષાર્થ ઉપડતો નથી. પણ તેં વાપરી નાખ્યો છે. તારી પાસે પુરુષાર્થ છે તો ખરો.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવની પર્યાયમાં આત્મહિત કરવાનો વ્યક્ત પુરુષાર્થ છે. આત્મહિત સાધી શકે એટલો પુરુષાર્થ અને પ્રગટ છે. પણ એ ખર્ચે છે બીજે, ખોટે સ્થાને. આ એને જો બચાવતા આવડે, તો એટલે પોતાનું કામ કરવાની જગ્યા થઈ જાય છે, નહિતર જગ્યા રહેતી નથી અહીં સુધીની વાત છે. ૬૧૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬ ૧૮
મુંબઈ, અસાડ વદ ૧૧, ગુરુ, ૧૯૫૧ પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે,
પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએયથાશક્તિવિચાર કર્તવ્ય છે.
જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો. હોય, તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાયતો કરશો. એ જવિનંતિ.
આ. સ્વ. યથા.
Page #324
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૧૮
૩૦૭ ૬ ૧૮.એ પણ “સોભાગ્યભાઈ” ઉપરનો ટૂંકો પત્ર છે.
પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે....... કેટલું વિશેષણ લગાડ્યું! પરમાર્થમાં જેની નિષ્ઠા છે. એવા એવા જેનામાં ગુણો છે એ ગુણોથી જે સંપન્ન છે. આદિ એટલે બીજા પણ છે, એમ કહે છે. પરમાર્થ એટલે આત્મહિત. મારે આત્મહિત કરવું જ છે એવી “સોભાગભાઈને નિષ્ઠાપ્રગટ થઈ છે, એમ કહે છે.
છેલ્લી વખતે જ્યારે એમને ઈડર' લઈ ગયા છે. ત્યારે એમણે ના નથી પાડી. છોકરાઓએ ના પાડી. બાપાજીની તબિયત એટલી બધી નરમ છે. ખાટલાવશ છે. છેલ્લા છ-આઠ મહિનાથી સાવ ખાટલાવશ છે. ઉંમર તો થઈ ગઈ હતી. એ જમાનામાં તો આટલું લાંબુ આયુષ્ય નહોતું. વન વટાવે એ તો ભાગ્યશાળી ગણાય. અઠ્ઠાવન પૂરા થાય ત્યારે એમ કહે કે વન પાર કરી ગયા. આ તો ૭૦ આસપાસ પહોંચ્યા હતા. તો એમ કહે આમાં કેવી રીતે લઈ જશો) ? એ કાંઈ તમારે જોવાનું નથી. એમણે પોતે આનાકાની નથી કરી. નહિતર પ્રતિકૂળતા તો એમને હતી. મુસાફરીની પ્રતિકૂળતા કાંઈ છોકરાઓને નહોતી થવાની. શરીરની અસ્વસ્થતા તો એમને છે. એમણે આનાકાની નથી કરી. પહાડ ઉપર ગયા છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી -એમને એક જ વાત હતી. આ પરમેશ્વર જે કહે એ આ પરમેશ્વર છે. પરમેશ્વરબુદ્ધિ હતી. છેલ્લે એવું લખ્યું હતું કે તમે દર્શન દેવા નહિ આવો તો મારું મૃત્યુ રોગને લઈને નહિ થાય, તમારા વિયોગને લઈને થાશે. હવે આવવું છે કે નથી આવવું? છેલ્લું Ultimatum આપ્યું પછી આવ્યા છે. અને એ પtimatum ની એ રાહ જોતા હતા. કે ખેંચો, પાકવા દયો. આને કેટલી ગરજ છે ખબર પડે. એમણે બતાડી દીધું મારે પૂરી ગરજ છે. પછી એક વચન એનું ઉથાપે કેવી રીતે? પછી એક અક્ષર પણ ઉથાપે નહિ. તમે જ્યાં કહો ત્યાં તમે એમ કહો કે આ કૂવામાં મૂકો પડતું. તો લ્યો આ પડતું મુક્યું. આટલું શિસ્તમિલેટરીમાં હોય છે. મિલેટરીમાં શું હોય છે કે આગળ વધી એટલે આગળ વધો. ઓલાના તોપના ગોળા છૂટતા હોય. સામેથી તોપના ગોળા છૂટતા હોય અને March on એમ કહે એટલે એને આગળ જ વધવાનું હોય. આગળ વધી એટલે આગળ જ વધો. પછી ભલે સામે છાતીએ પીસ્તોલની ગોળીઓ, બંદુકની ગોળીઓ ખાવાની. એટલી શિસ્ત તો એ લોકોમાં હોય છે. એક દેશ બચાવવો હોય તો, રાજ બચાવવું હોય તો. આત્મા બચાવવો હોય તો શું કરવાનું એ નક્કી કરવાનું છે. ૭૦ વર્ષની ઉંમરે ગયા હતા. અનંત ભવનો નાશ કરવાનો છે એટલું ખ્યાલમાં હતું. શું કહે છે?
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ચજહૃદય ભાગ-૧૨ પરમાર્થનષ્ઠિકાદિ ગુણસંપન્ન...” ૨૮મા વર્ષે આ વિશેષણ વાપર્યું છે. પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. એ આગળ પ્રશ્ન થયા છે ને? પાંચ પ્રશ્ન. એના ઉપર તમારે ત્રણે જણાએ તમારી શક્તિ અનુસાર વિચાર કરવા યોગ્ય છે. જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય.” પોતાની વાત કરે છે. પોતાના માટે વિચારવાન શબ્દ વાપર્યો છે. જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, આખો સંસાર છે એ એકાંતે ક્લેશનું કારણ છે અને ક્લેશનું સ્થાન છે, બીજું કાંઈ નથી. સુખની ગંધ પણ એમાં નથી. એકાંતે દુઃખરૂપ છે.
સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય....” અને સંસારના ભોગઉપભોગ પ્રાપ્ત હોવા છતાં, પ્રાપ્તિ હોવા છતાં પણ જેને રસ આવતો ન હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય,...” એવા જીવને લોકોનો વ્યવહાર, લોકવ્યવહારના પણ અનેક કાર્યો ઉદયમાં વર્તતા હોય અને વ્યાપારાદિ પણ ઉદયમાં વર્તતા હોય તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય..” એવો ઉદય એને છોડવો હોય. અનુકૂળતા ખાતર નહિ. આ સંસારના કાર્યો કરવા પડે છે એ બધી મજુરી મને નથી ફાવતી એમ નહિ. અનુકૂળતા માટે નહિ. આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય. જુઓ ! આમાં ફેર છે. નહિતર એકમાં દ્વેષ આવે છે. જો અનુકૂળતા ખાતર એને ધંધાનું કામ ન કરવું પડતું હોય તો એને ધંધા ઉપર દ્વેષ છે એમ કહે છે. અને આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય તો એને દ્વેષ નથી એમ કહે છે. કેટલું જુદું પાડ્યું છે!
તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહિ પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? એવો ઉદય ટાળવા માટે એને ઉપાય શું હોવો જોઈએ? શું થવો જોઈએ ? શું કરવો જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. આ ફેરવી ફેરવીને પ્રશ્ન મૂકે છે. પોતાને ઉદયમાંથી છૂટવા માટે ઉપાય કરવો છે. ઉપાય નથી જાણતા એવું નથી પણ અંદર ચટપટી ચાલી છે એમ કહે છે. નોંધવા જેવી વાત છે. એમને ખ્યાલ છે કે ઉપાય શું ચીજ છે એ.
બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ છૂટવા અર્થે એક જ ઉપાય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૯
પત્રાંક-૬ ૧૮
સ્વશવિત્ત મ્યુશન' આ શબ્દ લીધો છે. ૧૧૬માં ‘અમૃતચંદ્રાચાર્યે જે “સમયસારમાં વાત કરી છે. ૧૧૬ નંબરનો કળશ છે. બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ બને પ્રકારનો રાગ છોડવા માટે શું કરવું ? કે સ્વશકિતને સ્પર્શવું. સ્પર્શવું. સ્વભાવની સ્પર્શના કરવી. સ્વભાવમાં સ્થિર થવું, સ્વભાવમાં લીન થવું. આ એક જ ઉપાય છે. ત્રણે કાળે બીજો કોઈ ઉપાય નથી. છતાં એ પૂડ્યા કરે છે એનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એમને પોસાતું નથી, ત્યાં રહેવું પોસાતું નથી. પુરુષાર્થ એટલો ઊભો થઈ ગયો છે. એટલે એ પ્રશ્ન ઘૂંટ્યા કરે છે.
મુમુક્ષુ --
પૂજ્ય ભાઈશ્રી – હા. એને અણગમો બહાર આવે છે. ઉદાસીનતા બહાર આવે છે. કોઈ રીતે પણ કોઈ પણ પ્રકારનો સંગ મને ન હો અને અસંગવૃત્તિ અને અસંગદશાએ હું રહી જાઉં. એનું જોર છે. એટલે એમ પૂછાવ્યું, કે શું કરવું?
“તો ટળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ?” એ બહારનું બહારનું પૂછે છે. અંદરનું નથી પૂછતા. અંદરમાં શું કરવું એ તો જાણે છે. બહારમાં શું કરવું એ કાંઈ તમારે... એ જે ઉપાય પૂછે છે એ બાહ્ય ફેરફારના પૂછે છે. બહારમાં એવો શું ફેરફાર કરવો જરૂરી લાગે છે? એક બાજુ કેટલાક મુમુક્ષુઓનો સંગ એ મુમુક્ષુઓની યોગ્યતા જોતા એમને એ કરુણા પ્રગટી છે. કારુણ્યવૃત્તિ છે. એને એક સ્થાન મળ્યું. એ હોય જ છે. મોક્ષમાર્ગી દરેક ધર્માત્માઓને બીજા જીવો આવો સુખનો માર્ગ પામે એવી કરુણાવૃત્તિ હોય જ છે. એને વાત્સલ્ય પ્રભાવનાનું અંગ કહે છે. એ સમ્યગ્દર્શનની સાથે જ હોય છે. એના વગરનું સમ્યગ્દર્શન હોઈ શકે નહિ.
* એનું સ્થાન પાછું એ પ્રકારનું સંયોગ તો એવો સંયોગ થોડો થયો હતો. અમુક માત્રામાં થયો હતો, અમુક પ્રમાણમાં હતો. અને એ યોગ્ય જીવોને પોતે હિતનું નિમિત્ત થાય એવું પણ એમને સ્પષ્ટ જોવામાં આવતું હતું. એવું પોતાનું સામર્થ્ય હતું. એમાં સંયોગની આ પ્રતિકૂળતા હતી. બાકી એમણે નિર્જરા ઘણી કરી છે. આ સંયોગો વચ્ચે રહીને મોક્ષમાર્ગનું ઘણું કામ કર્યું છે. એકાવતારીપણું રહી ગયું એટલું કામ કર્યું છે. જે એમણે વિચાર્યું છે એ કોઈ કારુણ્યવૃત્તિથી બીજા માટે વિચાર્યું છે. બીજાને જવાબ મોડો લખાય છે. જે મુમુક્ષુઓને સત્સંગ જોઈએ એને એ ઉપલબ્ધ થતો નથી. કેમકે એ તો રોકાયેલા છે.
બે પ્રકારે તકલીફ થઈ. એક તો સત્સંગ માટે નિવૃત્ત થતા નહોતા. બીજું પત્ર લખવામાં પણ નિવૃત્ત થતા નહોતા કે વૃત્તિ ચાલતી નહોતી. અને ખ્યાલ સ્પષ્ટ આવતો
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
રાજહૃદય ભાગ-૧૨ હતો કે આ જે લોકો પ્રશ્ન પૂછે છે એનું સમાધાન હું કરી શકું એમ છું છતાં લખાતું નથી. અને એમને મોડું થાય છે અથવા મળતું નથી. આ એમની એક કારુણ્યવૃત્તિ છે. એ કારુણ્યવૃત્તિમાં વચ્ચે વિક્ષેપ હતો. વ્યાપારનો ઉદય, વ્યવહારનો ઉદય એ એક મોટો વિક્ષેપ હતો. શા ઉપાયથી ટળે ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એ જ વિનંતિ. બહુમાર્મિક પ્રશ્ન પૂછ્યો છે.
મુમુક્ષુ - જરૂરિયાત... પૂજ્ય ભાઈશ્રી :- જરૂરિયાત એમને દેખાણી છે એ કારુણ્યવૃત્તિને લઈને પણ એથી વધારે જરૂરિયાત કોને છે? જેને મેળવવું છે એને. એથી વધારે જરૂરિયાત કોને છે? કે જેને મેળવવું છે અને જરૂરિયાત એક એવો વિષય છે કે જે જોઈએ એ મેળવવા માટેનો માર્ગ શોધે. માટે કાંઈ માર્ગ શોધી શકો એમ છો તો તમે ? એમ કહે છે. Necessity is mother of invention du saiell usS ? Invention એટલે શોધખોળ. જરૂરિયાતમાંથી થઈ.
એક જમાનામાં રાત્રે અંધારું થાતું ત્યારે શું કરવું એ ખબર નહોતી. લોકોએ નક્કી કર્યું કે આ તેલ છે એમાંથી દીવો પ્રગટે છે. રૂની વાટ કરીને છેવટે કોડિયામાં દીવો કરી અને ઘરમાં પ્રકાશ કરો. તો રાત્રે કાંઈ ... પ્રકાશ થાય. એમાંથી Electricity અને Battery સુધી ક્યાંથી પહોંચ્યા? કયાંથી પહોંચ્યા? જરૂરિયાતમાંથી. આમાં પ્રશ્નની, અંદર વિચક્ષણતા કેટલી છે કે જરૂરિયાત હોય એને એમ લાગે કે આની અંદર શું કરવું જોઈએ ? શું કરવું? કરવું શું? એ તો પોતે પોતાનું કામ તો ગમે તે સંજોગોમાં કરવાના છે. એક ન્યાયતો એમને કોઈ અસમાધાન ભાવ નથી. પ્રવૃત્તિ જ એની સમાધિ છે એતો વાત આવી જાય છે. ઉપાધિ છે એ જ અમારી સમાધિ છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – વિચારવું જોઈએ, વિચારવું તો જોઈએ. એ વાત પણ એમાંથી નીકળે છે. શું કરવું જોઈએ? તમને કાંઈ તમારી જરૂરિયાત માટે કાંઈ તમને બેસે છે કે આમ કરો તો ઠીક થાય. આમ કરો તો ઠીક થાય. આમ કરો તો ઠીક થાય એવું કાંઈ બેસે છે ? નિવૃત્તિ લેવા માટે કાંઈ બહારની નિવૃત્તિ મળે એવું કાંઈ કોઈ તમારું Suggestion આવે છે સામેથી ? કરવું જોઈએ ? પોતે તો ગમે ગમે તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં આત્મા સાધવાનો જ છે. વધારે તીવ્ર ઉદય હશે તો વધારે સાધવાના છે. એમાં એમને કાંઈ વાંધો નથી.
એ ૬ ૧૮ (પત્રપૂરો થયો.
Page #328
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૧૮
૩૧૧
૬ ૧૯માં મથાળું બહુ સરસ છે. કે સર્વપ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.’ મારે પણ સર્વ દુઃખથી મુક્ત થવું છે માટે કોઈ પ્રતિબંધ અમારે નથી. બધા પ્રતિબંધ.. સિદ્ધ દશામાં શું છે ?મુક્તદશામાં છે કોઈ પ્રતિબંધ ? અરિહંતપદ છે ત્યાં સુધી તો દેહનો પણ પ્રતિબંધ છે. પછી કોઈ પ્રતિબંધ રહેતો નથી. સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.' આ એક સિદ્ધાંત છે. એને અનુસરીને અંદર પછી પત્રની અંદર વાત લખી છે. એ પણ સોભાગભાઈ’ ઉપરનો પત્ર છે.
આત્માર્થી જીવને ઉદય પ્રસંગમાં વારંવાર હારવાનું બને, પરંતુ જો સત્પુરુષના સમાગમરૂપ યોગ બને તો તે ઉદય પ્રસંગે સંઘર્ષ કરીને અંતે વિજય મેળવીને જ જંપે છે. અને આ પ્રકારે પ્રકૃતિને તોડતો તે આગળ વધે છે. યદ્યપિ પ્રકૃતિ સામે લડવામાં પરિશ્રમ ઘણો લાગે છે, તથાપિ સાચો આત્માર્થી પૂરી શક્તિથી ઉદ્યમ કરે છે. (અનુભવ સંજીવની–૧૪૭૭)
તીવ્ર અશાતાના ઉદયમાં જો જીવને યથાર્થ સત્સંગ યોગ રહે, તો જીવ અતિ અલ્પ સમયમાં ઉન્નતિક્રમમાં પ્રવેશ કરી, ભેદજ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી જાય છે. - આમ ક્યારેક કોઈને તીવ્ર અશાતાનો ઉદય અધિક કલ્યાણકારી નીવડે છે. બહુભાગ શાતા સમયે જીવનો પુરુષાર્થ ધર્મ મંદ રહે છે.
(અનુભવ સંજીવની–૧૪૭૮)
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૬૧૯ મુંબઈ, અસાડ વદ ૧૪, રવિ, ૧૯૫૧
નમો વીતરાગાય
સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે; અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ? તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે; અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવા માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે, તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનુપેક્ષાર્થે પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. તે બન્ને પ્રકાર માટે કચારે યોગ થાય તો સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગલક્ષનો વિચાર અત્રેથી આ પ્રસંગ ગણી, દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે.
તેમાં કોઈ કા૨ણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે – અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તો પાછું વળવાનું
Page #330
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૧૯
૩૧૩
કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે, અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાય અક્રિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જવિનંતિ.શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયોગ્ય.
સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય.
તા. ૧૩-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬ ૧૯, ૬ ૨૦
પ્રવચન નં. ૨૮૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬ ૧૯. ૬૧૮મો થઈ ગયો. ૬ ૧૯. પાનું-૪૭૫.
સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. સર્વ પ્રકારના પ્રતિબંધ, જે ભાવ પોતાના સિવાય અન્ય પદાર્થ પ્રત્યે બદ્ધ થાય છે, બંધાય છે, પ્રતિબદ્ધ થાય છે એ ભાવપ્રતિબંધ છે. એ ભાવપ્રતિબંધ મુક્તદશાથી વિરુદ્ધ દશા છે. પ્રતિબંધ પણ રહે, મુક્તપણે પણ રહે એવું તો કાંઈ બની શકે નહિ. જે દશા પ્રતિબંધયુક્ત છે તે દશા મુક્ત નથી. મુક્તદશામાં પ્રતિબંધ હોઈ શકે નહિ. સર્વ પ્રતિબંધ નથી. કોઈપણ જગ્યાએ સિદ્ધ પરમાત્મા લોકાલોકને જાણવા છતાં ક્યાંય પ્રતિબંધિત થતા નથી. વાણીથી ઉપદેશ પણ નથી. અરિહંતપદમાં તો અનિચ્છાએ વાણી પૂર્વકર્મને લઈને છે. પણ અહીંયાં તો એટલું પણ નહિ. એમ સર્વ પ્રકારના આકર્ષણથી, પ્રતિબંધથી, સંબંધથી. બધું લઈ લેવું. છૂટ્યા વિના “સર્વ દુઃખથી મુક્ત
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૨
થવું સંભવતું નથી.’ કેમકે એ ભાવપ્રતિબંધ છે એ જ દુઃખરૂપ છે. ભાવે જે પ્રતિબંધ છે એ સ્વયં દુઃખરૂપ છે. એની સાથે દુઃખ અવિનાભાવી હોય જ છે. દુઃખ ન હોય એવું બને નહિ.
એટલે જેણે સર્વથા સ્થિર થવું હોય, એણે સર્વ પ્રતિબંધથી મુક્ત થવું એવું નક્કી કરવું જોઈએ. કોઈ જીવને પૂછો કે તમારે થોડાક દુઃખી રહેવું છે ? વધારે દુઃખી રહેવું છે ? કેટલા દુઃખી રહેવું છે ? દુઃખી રહેવા કોઈ તૈયાર નથી. જો દુ:ખી થવા કે દુઃખી ૨હેવા કોઈ તૈયાર નથી તો સર્વપ્રકારના પ્રતિબંધથી છૂટવું, મુક્ત થવું એ સિવાય બીજો કોઈ એનો ઉપાય હોય, કોઈ બીજો વિકલ્પ હોય એવું નથી. એટલું મથાળું બાંધ્યા પછી ‘સોભાગભાઈ’ને સંબોધન કરે છે.
પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.’ પરમાર્થ એટલે આત્મહિતમાં જેની નિષ્ઠા છે. જે પોતાનું હિત કરવા ખરેખર અંતઃકરણથી ચાહે છે એને ૫૨માર્થનૈષ્ઠિક કહેવામાં આવે છે. પોતાનો .. નીકળવાનો Programme છે એની આ પત્રમાં મુખ્ય વાત કરી છે.
અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે;...’ આગ્રહ કર્યો હશે કે આ વખતે તો જરૂર ‘સાયલા’ પધારો. કોઈ વિશેષ પ્રકારે લખ્યું છે એટલે વિશેષ ચાહના જાણી છે. અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું,...' કે ભલે કાંઈક બે દિવસ, ચાર દિવસ પણ ઉતરતા જઈએ.
‘તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ? આનિર્ણય લેવાની પદ્ધતિ શું છે ? યોગ્ય નિર્ણય લેવાની પદ્ધતિ શું છે ? એ આની અંદર થોડી એ વિષયમાં ચર્ચા આવી ગઈ છે. એક કા૨ણ જોવું એટલે તમને સુખ થશે, તમે ખુશી થશો, તમે રાજી થશો, તમારી વૃત્તિને પોષણ મળશે, તમારી રુચિને પોષણ મળશે, તમારી ભાવના વિશેષ આવિર્ભાવ થશે. એ કા૨ણ જોતા ઠીક લાગે છે. બીજું કા૨ણ બાધ પામે છે એટલે અમારે પરિચય વધારવો નથી. અમારે વધારે લોકોના સંગમાં આવતું નથી. ‘બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ?” ત્યારે શું કરવું જોઈએ ? એક કારણથી લાભ દેખાતો હોય, બીજા કારણથી નુકસાન દેખાતું હોય તો શું કરવું જોઈએ ?
તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી...' એટલે કાંઈ રસ્તો નીકળતો નથી કે આમ જ કરવું. ‘ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે
Page #332
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૧૯
૩૧૫ પરિણતિ રહે છે. જ્યારે જેમ બનવું હશે ત્યારે તેમ બનશે. અત્યારે કાંઈ નિર્ણય થતો નથી કે જવું કે ન જવું? એનો નિર્ણય થતો નથી. જવામાં તમારા તરફનું એક આકર્ષણ છે. નહિ જવામાં અમને આ પરિચય વધે એ બાધા આવે છે. કાંઈ નિર્ણય કરી શકાતો નથી. હવે એ વખતે બનવું હશે તે બનશે. સહેજે.
મુમુક્ષુ -પોતાના એક એક પરિણામ,વિચાર...
પૂજ્ય ભાઈશ્રી - બહુ સ્પષ્ટ. જે આવે એ લખી નાખે છે. એટલી સરળતા છે. જે વિચાર આવે તે લખે. અનિશ્ચતતા હોય તો અનિશ્ચતતા લખે, નિશ્ચિતતા હોય તો નિશ્ચિતતા લખે. આમ સૂઝે છે તો એમ સૂછ્યું એ લખ્યું, નથી સૂછ્યું તો કહે, નથી સૂછ્યું એમ લખ્યું.
સહેજેબની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે. પરિણતિ રહે છે. પરિણતિ એ પ્રકારની રહે છે. “અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધન થાયતેમ પ્રવર્તવાનું થાય છે. જેને વજન દેવા જેવું હોય એના ઉપર વજન દઈએ છીએ અને એ રીતે પ્રવર્તીએ છીએ. જેને બળ દેવા જેવું હોય, જેની વિશેષતા હોય, વિશેષતા રાખવા જેવી હોય એ બાજુનો નિર્ણય લઈ લઈએ છીએ. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું...” વ્યાવહારિક પ્રસંગનો કંટાળો એટલો હતો કે હવે કાંઈક નિવૃત્તિ પ્રસંગની અંદર નિવૃત્તિ ક્ષેત્રે રહીએ, એમ ચિત્તમાં થયા કરતું હતું, રહ્યા કરતું હતું
મુમુક્ષુ:-
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે લઈએ છીએ કે એની અંદર એમની પ્રવૃત્તિ શું છે. એનો ખ્યાલ આવે. કેવી રીતે સહજપણે એના પરિણામ કામ કરતા રહે છે.
તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના....” ખરેખર આત્માને લેવા દેવા નથી. શું કહે છે? “એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી. એટલે મુંબઈમાં વધારે રોકાવાથી, લાંબો સમય “મુંબઈમાં રોકાવું થયું છે. એટલે જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવા માતાપિતાદિના વચનાર્થે એમનો પણ આગ્રહ રહેતો હશે કે ઘણા વખતથી ભાઈ! તું “મુંબઈ છો. હવે કાંઈક દેશમાં આવે તો સારું. એમના “વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે...” એમને પણ સારું લાગે. સાદી ભાષામાં એમ કહીએ કે એમને પણ સારું લાગે છે. એટલા માટે. ‘તથા કંઈક બીજાઓનાં ચિત્તની
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૨ અનુપેક્ષાર્થે.” અનઉપેક્ષાર્થે. ઉપેક્ષા નહિ. બીજાઓના ચિત્તની અનુપેક્ષાએ એટલે અપેક્ષાર્થે. બીજાઓને પણ અપેક્ષા છે. પરિવારમાં બીજાઓ પણ એમ ઈચ્છે છે, સંબંધીઓ પણ ઇચ્છે છે કે તમારા ગામમાં આવો તો સારું. જન્મસ્થાનમાં આવો તો સારું. પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. ઉપેક્ષા અને અનપેક્ષા. કેવો શબ્દ વાપર્યો છે ! અપેક્ષા શબ્દ વાપરવાના બદલે અનપેક્ષાર્થે એવો શબ્દ વાપર્યો છે. પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. આ વવાણિયા' જવામાં આટલા કારણો જે પોતાના વિચારમાં હતા એ એમને જણાવ્યા છે.
“તે બન્ને પ્રકાર માટે કયારેયોગ થાય તો સારું... તે બન્ને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું, “એમ ચિંતવ્યાથી કઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું.” ટૂંકામાં કાંઈ નિર્ણય થતો નહોતો. સમાધાન નહોતું થતું એટલે નિર્ણય થતો નહોતો. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. એ માટેની વિચારની થોડી વિશેષતા થઈ. હવે થોડી વિશેષતા થઈ એમ લખ્યું. અને જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું. એટલે થોડી સ્થિરતા આવી. મક્કમતા થોડીક આવી. પણ હજી પૂરી મક્કમતા નથી આવી એમ કહે છે. અલ્પ સ્થિરતા આવી તો તમને જણાવ્યું કે અમે ‘વવાણિયા જવાનું કાંઈક કારણ થશે એવું લાગે છે. વિકલ્પ ચાલે છે એ ઉપરથી એમ લાગે છે કે “વવાણિયા' હવે જવાશે. મુનિદશામાં આવું હોય છે. આહારની વૃત્તિ થાય તો સહજ આહારની વૃત્તિ થાય તો ગમન કરે. સહજ આહારની વૃત્તિ ન થાય તો કાંઈ નહિ. વિચાર નથી. કે કાલે નથી ગયા, બેદિવસ નથી ગયા, પાંચ દિવસ નથી ગયા. કાંઈ નહિ.
સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી,...” સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે.” સર્વ પ્રકરાના અસંગ-લક્ષનો.” અસંગના લક્ષનો. અસંગ-લક્ષ એટલે અસંગના લક્ષનો વિચાર “અત્રેથી અપ્રસંગ ગણી, મુંબઈમાં અહીંયાં રોકાવાથી, ત્યારે અમને જે અંદરમાં વાત છે એ તો બધાથી અસંગ થવાની છે પણ અત્યારે એનો અપ્રસંગ છે. એ પ્રસંગ નજીકમાં દેખાતો નથી કે સર્વથી અસંગ થઈ જઈએ. એનો અપ્રસંગ છે. અપ્રસંગ ગણીને, તે વાતને જરા દૂર રાખીને એટલે બાજુમાં રાખીને, ગૌણ રાખીને અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે...” થોડા સમય માટે એકાંતમાં રહી જવું. નિવૃત્તિ ક્ષેત્રે જાવું તોપણ બીજા મુમુક્ષુઓને નહિ જણાવીને પોતે
Page #334
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૧૯
૩૧૭ એકાંતમાં રહી જવું એવા અભિપ્રાયથી વાત લખે છે.
અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે. એવો પણ વિકલ્પ આવ્યો છે. એકાંતમાં રહેવું છે. આ વખતે નિવૃત્તિક્ષેત્રમાં જઈએ તો એકાંતમાં રહેવું છે. બીજા મુમુક્ષુઓને ખબર કરવી નથી કે જેથી એ લોકો આવે.
મુમુક્ષુ – એ પણ સહજ સ્વભાવી ઉદયાનુસાર
પૂજ્ય ભાઈશ્રી - ઉદય અનુસાર એવો પણ સહેજે ઉદયમાં વિકલ્પ આવ્યો છે. બીજું કાંઈ નથી. સહજતા ઘણી છે, ઘણી સહજતા છે.
તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે –'પરસ્પરવિરોધ એટલે શું?કે બીજાને પણ એમ થાય કે આમ કેમ કર્યું હશે કેમ અમને નહિ જણાવ્યું હોય? કેમ અમને આવવા માટે બંધન રાખ્યું હશે કે ન આવો. એટલે પોતાને પણ એકાંત જોઈએ છે. અને બધાની વચ્ચે રહેવું નથી. બે કારણ સામાસામા છે એટલે એમાં પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે. જે વિચાર આવે છે એ લખી નાખે છે. આ પ્રમાણે અત્યારે વિચાર આવે છે. પછી વિચાર ફરશે તો એમ. અત્યારે તો આમ વિચાર આવે છે.
અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું.” સીધું. “ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના...” એટલે પંદર દિવસ રોકાઈને “બને તો પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી. એટલે પંદર દિવસ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું.જેવો ઉદય. ઉદયની અંદર જે પ્રકાર ભજેતે પ્રકારે નિવૃત્તિ ક્ષેત્રે સહેજે સહેજે સ્થિતિ થાય. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે. વધારે નિવૃત્તિ અત્યારે મળી શકે એવું દેખાતું નથી.
‘તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય. સામાન્યથી જાણી શકાય એમાં શું કહેવા માગે છે, એ કોને અનુલક્ષીને કહેવા માગે છે એ વાત સ્પષ્ટ નથી નીકળતી. સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય...” આમ તો પ્રવૃત્તિમાં તો પોતે છે. પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે...'
મુમુક્ષુ –એટલે સામાન્ય એટલે બધા મુમુક્ષુ લેવા?
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી :- એમ લાગે છે. કોઈ મુમુક્ષુ ખાસ મુમુક્ષુને ખબર આપવી. બધાને ખબર ન આપવી. એટલો ભાવાર્થ નીકળે છે. એવું લાગે છે.
“અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એટલે જતી વખતે ક્યાંય ન રોકાવું. ક્યાંક રોકાઈએ. એક જગ્યાએ જઈએ તો પછી બધે પછી ખબર એ લોકો એકબીજાને આપતા હોય છે કે અહીંયાં આવવાના છે તમારે આવવું હોય તો આવજો. અમારે ત્યાં આવવાના છે. તમારા બધાને અહીંયાં આવવું હોય તો આવજો.
એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અક્રિયપરિણતિ વર્તે છે...” એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં. કોઈપણ પ્રસંગની અંદર પ્રવૃત્તિ કરતાં કે કોઈપણ પ્રસંગની અંદર એનું લખાણ, પત્ર વગેરે લખતાં “અક્રિયપરિણતિ વર્તે છે...” પરિણતિમાં જે ક્રિયા છે એ ચાલતી નથી. અક્રિયપણું થઈ જાય છે. અંદરની જે આત્માની દશા ઘણી બળવાન થઈ છે એની અસર આ પ્રકારની આવી છે કે બાહ્ય આકારે ઉપયોગ લઈ જવો હોય તોપણ થઈ શકતો નથી એમ કહેવું છે. એટલી એકદમ અધ્યાત્મની દશામાં પોતે વર્તે છે.
‘તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી. અને એવી અક્રિય પરિણતિને લીધે જે લખવા માટે તમને વધારે જણાવવું જોઈએ એ પણ જણાવી શકાતું નથી. ‘તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. તોપણ તમારા જાણવા માટે જે બની શક્યું એટલે જણાવ્યું છે. એ જ વિનંતિ.” આટલું લખ્યું છે એ મારાથી બન્યું એટલું લખ્યું છે. આથી વધારે બની શકે એવું નથી એમ કહેવું છે. “શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયોગ્ય.’
એ રીતે પોતાના પરિણામનો થોડો ઉલ્લેખ કરીને એ વખતે મુંબઈથી નીકળવાના Programmeનો જે અંદાજ છે, એ “સોભાગભાઈને જણાવ્યો છે. સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય.’ ૬૧૯મો પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬ ૨૦
મુંબઈ, અસાડ વદ ૦)), સોમ, ૧૯૫૧ જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી. એવીવૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ
Page #336
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૦
૩૧૯
બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જજિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું તે પ્રતિબંધમાં આજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યવિચારનું વિશેષસ્થિરપણું વર્તે છે, વર્તાવું ઘટે છે.
જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વસંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મેતે પ્રકારભજવો ઘટે.
કેટલાક વખત થયાં સહજપ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજપ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્દભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાથદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેઠું છે. તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું તથા બીજા પ્રકારે પરમાથદિલખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં, પણ થવાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈનથી.
અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમન થાય તો સારું. એજવિનંતિ.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
રાજહૃદય ભાગ-૧૨
૬ ૨૦મો પત્ર છે ‘લલ્લુજી’ મુનિ ઉ૫૨નો.
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યંત નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમ ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા' મુનિદશામાં. શું કહેવું છે ? જોકે કોઈ તીર્થંકરો મુનિદશાની અંદર ઉપદેશ આપતા નથી. મૌન જ રહે છે. જેટલો મુનિદશાનો કાળ હોય એમાં એ મૌન રહે છે. ત્યારપછી કેવળજ્ઞાન થાય છે ત્યારે ઇચ્છા વગર જે વાણી નીકળે તે નીકળે. પણ જેવા મુનિદશામાં પ્રવેશ કર્યો ત્યારથી બોલવાની ઇચ્છા બંધ. બોલતા નથી. બોલવાની પ્રવૃત્તિ કરતા નથી. પછી જે વાણી નીકળે છે એ અનિચ્છાએ દિવ્યધ્વનિ સમવસરણમાં એના સ્વકાળે ઉત્પન્ન થાય તે થાય. પોતે ઇચ્છા કરતા નથી.
મુમુક્ષુ :– એવો ભાવ કેમ ?
=
પૂજ્ય ભાઈશ્રી :– સાધનામાં રહી જાવું છે. એટલો પણ કોઈની સાથે વિક્ષેપ નથી. બોલીને પોતાની સાધનામાં વિક્ષેપ આપતા નથી. અને એમનો સર્વોત્કૃષ્ટ ઉપદેશ, આમ તો મુનિ છે એ ગુરુના સ્થાને છે અને ગુરુ ઉપદેશ આપે એટલી પ્રવૃત્તિ એમને યોગ્ય છે તોપણ એ જગદ્ગુરુ હોવાથી અને સર્વોત્કૃષ્ટ ઉપદેશરૂપ વાણી પ્રગટવાની હોવાથી અત્યારે એથી નીચી કોટીની છદ્મસ્થની વાણીનો એમને સહેજે પ્રકાર નથી બનતો.
મુમુક્ષુઃ- આ પ્રકાર...
–
:
પૂજ્ય ભાઈશ્રી :– તીર્થંકર ન આપે. મુનિઓ આપે. મુનિઓ તો આપે જ છે ને. આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ ઉપદેશ આપે જ છે. શાસ્ત્રો લખે છે, ઉપદેશ આપે છે. તીર્થંકર ન તો શાસ્ત્ર લખે, ન તો ઉપદેશ આપે.
મૂળ તો શું કહે છે ? કે એમના ઉપરથી આપણે બોધ લેવો જોઈએ. કહેવું એમ છે. ભગવાન ‘મહાવીરસ્વામી'ની દશાનું વર્ણન કરીને આપણે શું બોધ લેવો છે એ વાત ક૨વી છે. કેટલા સમર્થ હતા ? કે જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં....’ એ તો લઈને આવ્યા હતા. દેવલોકમાંથી આવે છે તો મતિ, શ્રુત અને અવધિ ત્રણ તો લઈને આવે છે. ત્યાં પણ સમ્યક્ મતિ, શ્રુત અને અવધિ તો હતા. દસ ભવથી સમ્યક્ મતિ-શ્રુત તો થઈ ગયા હતા. પછી દેવલોકમાં જાય એટલે અવધિજ્ઞાન પ્રગટ થાય. મનુષ્ય પહેલા નિયમથી દેવલોક એમને હોય છે. એટલે દસ ભવ અગાઉ
Page #338
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૨૦
૩૨૧
સમ્યગ્દર્શન થઈ ગયું છે. ‘શ્રેણિક’ મહારાજાની વાત જુદી છે. જેને અગાઉના ભવમાં સમ્યગ્દર્શન થઈ ગયું એને તો મનુષ્ય અને દેવ બે જ ગતિ હોય છે. મનુષ્યગતિમાં છેલ્લે તીર્થંક૨૫દ છે એટલે આગળનો ભવ દેવગતિનો હોય છે. ત્યાં બધા દેવોને અવધિજ્ઞાન હોય છે. એમને પણ હોય છે. સમ્યક્ મતિ, સમ્યક્ શ્રુત અને સમ્યક્ અવધિ. ત્રણ જ્ઞાન તો એ ત્યાંથી લઈને આવે છે. ગર્ભમાં આવે ત્યારથી. માતાના ગર્ભમાં આવે ત્યારથી ત્રણ જ્ઞાન તો લઈને આવે છે. તીર્થંકર હોય છે.
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી....' કેવી દશા હતી ? સામાન્ય વૈરાગ્યદશા નહોતી. સામાન્ય વૈરાગ્યદશા તો મુમુક્ષુને હોય, અન્ય મતિને હોય, કોઈને પણ હોય. પણ આત્મોપયોગી. પોતાના સ્વરૂપમાં ઉપયોગ રહેવાને લીધે જેની દશા વૈરાગ્યમય હતી. અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી... જે કાંઈ ગૃહસ્થનો કાળ હતો. ૩૦ વર્ષની ઉંમર સુધી એ ઘરમાં રહ્યા છે, ગૃહસ્થદશામાં રહ્યા છે. પછી સંયમને ગ્રહણ કરતાં મુનિદશાને અંગીકાર કરતાં ભનઃપર્યંત નામનું જ્ઞાન પામ્યા હતા....' તીર્થંકરદેવને દીક્ષા લીધા પછી સપ્તમ ગુણસ્થાને આવે ત્યારે એને શરૂઆતથી જ તે મનઃપર્યય જ્ઞાન એવા ચોથા જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. મનઃપર્યય જ્ઞાન બધા મુનિઓને નથી થતું. પણ તીર્થંકરોને અને ગણધરોને તો અવશ્ય હોય છે. બીજા પણ કોઈ કોઈ મુનિઓને મનઃપર્યય જ્ઞાન થાય છે. પણ બધાને થતું નથી.
સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યય નામનું જ્ઞાન પામ્યા હતાં... આ બે શાન સંબંધી તો સામાન્ય રીતે આપણે ત્યાં જાણપણું છે. અવધિજ્ઞાન છે એ દૂરક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી અન્ય પદાર્થોને જાણવા સંબંધીનું ઉઘાડ જ્ઞાન છે. એને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ભૂતકાળના અને ભવિષ્યના કાળ સંબંધી અને બીજા ક્ષેત્રો સંબંધી. એટલે અહીંયાં મનુષ્ય હોય તો દેવલોકને જોવે, દેવલોકમાં હોય તો મનુષ્યલોકને જોઈ શકે. નારકીને જોઈ શકે. અવધિ એટલે જુદી જુદી મર્યાદા છે એની. દરેકને એકસરખી જેમ અહીં બુદ્ધિ નથી હોતી. એમ અવધિજ્ઞાન પણ દરેકને એકસરખું નથી હોતું. કોઈની અવધિ થોડી હોય છે, કોઈની અવિધ વધારે હોય છે. અવધિને હિસાબે એને મર્યાદા કહી છે. અને મન:પર્યય જ્ઞાન છે એ બીજાના મનના પરિણામ જાણી શકે. ન બોલે તોપણ કોના મનમાં શું વિચાર ચાલે છે એ ઉપયોગ મૂકે એટલે જાણી શકે. ઉપયોગ ન મૂકે ત્યાં સુધી ન જાણે.
જેમ જોવાના ઉપયોગથી જોઈ શકાય છે અને સાંભળવાના ઉપયોગથી સાંભળી
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૨ શકાય. ઉપયોગ મૂકે તો. નહિતર ન સાંભળે. ઉપયોગ ન હોય તો ન સાંભળે. એમ અહીંયાં જોવે નહિતો વાંચીન શકે એમબીજાના મનમાં શું ચાલે છે એમ ઉપયોગ મૂકે તો એ જાણી શકે. આ જે મન છે એ સૂક્ષ્મ પરમાણુની રચના છે, કમળની રચના છે. આઠ પાંખડીના કમળની રચના છે. એનો વિચાર મનમાં ચાલે છે ત્યારે એમાં પણ હલનચલન થાય છે. એ હલનચલનને એ જોઈ શકે છે. પરમાણુને જોઈ શકે છે એટલું જ્ઞાન ત્યાં સૂક્ષ્મ થાય છે કે જે કોઈ પણ સૂક્ષ્મ યંત્રદર્શકથી પણ ન જોઈ શકાય એવા એ સૂક્ષ્મ પરમાણને મન:પર્યય જ્ઞાન જોઈ શકે છે. અને એના ઉપરથી સ્પષ્ટ કોનો શું વિચાર છે એ જ્ઞાનમાં આવે છે. અને એ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનથી નીચે કોઈને હોઈ શકે નહિ. ભલે સમ્યગ્દષ્ટિ હોય તોપણ. ચોથા અને પાંચમા ગુણસ્થાન સુધી એની ઉત્પત્તિ થતી નથી. આ ઉઘાડને છઠ્ઠા-સાતમા ગુણસ્થાન સાથે, છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની પવિત્રતા સાથે સંબંધ છે. કેટલાક ઉઘાડને કષાયના અભાવ સાથે સંબંધ હોય છે એવી આ વાત છે. એટલે ત્રણ પ્રકારના કષાયનો નાશ થયો છે એને જ મન:પર્યય જ્ઞાન ઉત્પન થાય. ત્રણ પ્રકાર અને ત્રણ ચોકડીનો નાશ થયા વગર મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિ કોઈને થઈ શકે નહિ.
મુમુક્ષુ -અવધિજ્ઞાન તો મિથ્યાષ્ટિને પણ થઈ શકે.
પૂજ્ય ભાઈશ્રી :- અવધિજ્ઞાન મિથ્યાષ્ટિને હોય છે. બધા દેવને, બધા નારકીઓને હોય છે. સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાદૃષ્ટિ હોય. પણ એને એ રાગ-દ્વેષનું, વધારે બંધનનું કારણ થાય છે, મોહનું વધારે કારણ થાય છે. એને જ્ઞાન તો થાય. એ જ્ઞાનની અંદર એને ભૂતકાળના સંબંધો, રાગના, દ્વેષના, જે કાંઈ પ્રસંગો બન્યા હોય તે જ્ઞાનમાં આવે અને) એને વધારે એને તીવ્ર રાગ-દ્વેષ થવાનું એ જ્ઞાન મિથ્યાષ્ટિને નિમિત્ત પડે છે. સમ્યજ્ઞાનીને આત્મામાં જવાનું એ નિમિત્ત પડે છે કે, અરે.રે.! આવા પ્રસંગ બન્યા ! આવા પ્રસંગ ! આમ બન્યું હતું! એને વૈરાગ્ય વધે છે. એને કુઅવધિ કહેવામાં આવે છે. મિથ્યાત્વ સહિતના અવધિજ્ઞાનને કુઅવધિ કહે છે. સમ્યગ્દર્શન સહિતના અવધિ જ્ઞાનને સુઅવધિજ્ઞાન કહે છે.
મુમુક્ષુ - નારકીમાં થાય, મનુષ્યમાં કુઅવધિન થાય પૂજ્ય ભાઈશ્રી:- કોઈને થાય. અવધિજ્ઞાન. મુમુક્ષુ - આ કાળમાં?
પૂજ્ય ભાઈશ્રી :- આ કાળમાં નથી થતું. બાકી થાય. અવધિજ્ઞાન પ્રગટ ન થાય એવું નથી. મનુષ્યમાં પણ અવધિજ્ઞાન પ્રગટ થાય છે પણ અત્યારે કાળમાં કોઈને
Page #340
--------------------------------------------------------------------------
________________
૩ર૩
પત્રાંક-૬૨૦. નથી થતું. એમ છે.
મુમુક્ષુ -અવધિજ્ઞાન અને મન પર્યવ જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન થાય?
પૂજ્ય ભાઈશ્રી :- સામાન્ય રીતે તો થવું જોઈએ. બહુ સિદ્ધાંતનો ખ્યાલ નથી. સામાન્ય રીતે તો એટલી બહારની દશા જ્ઞાનમાં આગળ વધે છે કે કેવળજ્ઞાન પ્રતિ જવા જોઈએ. કોઈ મુનિરાજને મન:પર્યવજ્ઞાન સુધી પહોંચ્યા હોય...કેવળજ્ઞાન ન થાય અને દેવલોકમાં જઈને પછી થાય. મોક્ષગામી તો છે. એકાદ ભવ બાકી હોય તો એ સિદ્ધાંતનો ખ્યાલ નથી. એ વિષય થોડો કરણાનુયોગનો છે. પાકો સિદ્ધાંત જાણવામાં નથી.
મુમુક્ષુ-શ્વેતાંબરમાં તો મન:પર્યાય જ્ઞાન તો કેવળજ્ઞાન થાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સામાન્ય રીતે તો એવું લાગે છે. છતાં સિદ્ધાંતિક રીતે શું સિદ્ધાંત છે, કે અફર સિદ્ધાંત શું છે કે કાંઈ અપવાદ છે. એ આપણા જાણવામાં નથી.
શું કહે છે ? ભગવાન મહાવીરસ્વામી એ “સંયમને ગ્રહણ કરતાં મનપર્યય નામનું જ્ઞાન પામ્યા હતા. એવા શ્રીમદ્ મહાવીસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા.” મુનિદશામાં જે જંગલની અંદર વિચર્યા એ મૌનપણે વિચર્યા. કોઈને ઉપદેશ ન આપ્યો. સાધનામાં રહી ગયા. એકાંતે સાધનામાં રહી ગયા. ચોવીસ કલાક જાણે બીજું કોઈ કામ નહિ સ્વરૂપનું આરાધન કરવું આ એક જ કામમાં રહી ગયા. સાડા બાર વર્ષ રહ્યા.
આ પ્રકારનું તેમનું પ્રવર્તન.” નજીકના પહેલા તીર્થકર છે ને? નજીકના સૌથી પહેલામાં પહેલા ચોવીસમા તીર્થંકર છે એટલે એમનું દૃષ્ટાંત લીધું છે. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે. શા માટે આ વાત છે? મુનિને કાગળ લખે છે ને? લલ્લુજી છે એ ત્યાગી દશામાં હોવાથી સમાજમાંથી કેટલાક મુમુક્ષુઓ એમની પાસે ઉપદેશ સાંભળવા આવે. કોઈપણ સાધુ હોય, માણસ સાધુ પાસે ઉપદેશ સાંભળવા જાય. કાંઈક આપણને ધર્મલાભ આપે. કોઈપણ જીવ એમ કહે છે. કોઈ પણ જીવ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતો હોય. પછી એ પંડિત હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, ત્યાગી હોય. કોઈપણ. ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કરતો હોય. વક્તા હોય, લેખક હોય. બીજાને ઉપદેશ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો એને અપેક્ષિત આ વાત છે. ભગવાન મહાવીરસ્વામી સાડા બાર વર્ષ મૌન રહ્યા. બાર વર્ષ અને સાડા છ મહિના મૌન રહ્યા..... કાંઈ નથી. ઉપદેશ ગ્રહણ કરવા માટે લક્ષ રાખવા જેવું છે. એમ કહે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૪
રાજહૃદય ભાગ-૧૨ આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગપ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે... - પ્રવર્તાવવો એમ હું નથી કહેતો. ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો. પણ બહુ વિચાર કરીને પ્રવર્તાવવો. એટલે કે જે કાંઈ ઉપદેશ દેવો એની અંદર ઘણો વિચાર રાખવો. એમ ને એમ ગમે તેમ અગંભીરપણે ઉપદેશની પ્રવૃત્તિ કરવી નહિ. બહુગંભીરતાથી કરવી જોઈએ એમ એમનું કહેવું છે.
એમ એમનું જીવન છે એ કેવી અખંડ શિક્ષાને પ્રતિબોધે છે. ભગવાન “મહાવીરસ્વામીનું જીવન પોતે જ એક જીવંત દૃષ્ટાંત છે કે જે આવી અખંડ શિક્ષાને પ્રતિબોધ છે. શું થાય છે? બહુ સરસ એમણે આ વાત કરી છે. માણસને થોડુંક જાણપણું થાય એટલે બીજાને સમજાવવા, બીજાને ઉપદેશ દેવા માટે જલ્દી વૃત્તિ થઈ આવે છે. એને શાંત કરે છે. બીજાને ઉપદેશ આપવાની ઉતાવળ કરવા જેવી નથી. જ્યાં સુધી પોતાને કોઈ એવી પરિપકવ દશા ન થાય ત્યાં સુધી એક માથે આવી પડ્યું હોય અને કરવું પડે એ બીજી વાત છે અથવા દબાણ થયા પછી કરવું પડે એ બીજી વાત છે. પણ પોતે સામે ચાલીને એપ્રવૃત્તિ કરવા જેવી નથી.
અહીંયાં એક વિચાર આવે એવું છે કે બીજા જીવો પામે એવો ભાવ તો આવે કેન આવે ? આપણે વિષય વિચારીએ. બીજા જીવો પણ પામે, એવા વિચારથી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. એમાં એમ કહે છે કે જરા વિચારવા જેવું એ છે કે બીજા જીવો પામે કે ન પામે, એ વાત તો ઉપદેશની Quality ઉપર આધાર રાખે છે. પણ એમ કરવા જતાં પોતાના પરિણામમાં શું શું થશે ? એનું અવલોકન કરીએ, એનો ખ્યાલ રહે એવી કોઈ પોતાની યોગ્યતા તૈયાર થઈ છે કે કેમ ? આ પહેલું વિચારવા જેવું છે. કેમકે ઉપદેશકના સ્થાને સૌથી વધારે માન મળવાનો પ્રસંગ બને છે. પછી વક્તા હોય તો વક્તાને વક્તાને યોગ્ય માન મળે છે, લેખક હોય તો લેખકને એને યોગ્ય માન મળે છે. અને માન મળે ત્યારે એ માન ચડવામાંથી બચવું એ વાત સાધારણ જીવનું કામ નથી. એ સામાન્ય મનુષ્યનું કામ નથી કે માન મળે છતાં માનથી પોતે બચી શકે. એટલે એ પોતાને નુકસાન કેટલું કરશે? આ એક ગંભીર વિચાર માગે એવો વિષય છે. એટલા માટે એમણે ચેતાવ્યા છે. કેમકે આ તો લલ્લુજીને વ્યક્તિગત પત્ર લખે છે ને ? કે જુઓ! “મહાવીરસ્વામીએ દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષમૌન પાળ્યું છે. તમે કોઈને કાંઈ પણ વાત કરો તો જરા ગંભીરતાથી વિચારીને જે કરો તે કરજો. એમ કહેવું છે.
એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જજિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું. “મહાવીરસ્વામી જેવાએ તે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન) કર્યું, તે
Page #342
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૦
૩૨૫
પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે,...' એમણે શું ઉપદેશ આપ્યો ? એમના જીવનથી બોધ શું મળે છે ? કે અમે તો પ્રવૃત્તિ જ ન કરી. નિવૃત્ત જ રહ્યા. ઉપદેશકપણાથી અમે નિવૃત્ત રહ્યા. હવે જો કોઈ જીવ પ્રવૃત્તિ કરતા હોય તો એણે એ પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય નથી. એણે જાગૃતિ રાખવા યોગ્ય છે કે કચાંય હું મારા આત્માને... આ પ્રવૃત્તિ કરતા હું ક્યાંય મારા આત્માને નુકસાન તો નથી કરતો ને ? એવી એણે અત્યંત અત્યંત જાગૃતિ રાખવી. એમ કહેવા માગે છે.
તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય...' એટલે કોઈ જીવે અજાગૃત ન રહેવું જોઈએ એમ એમણે જણાવ્યું છે. તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે;...' અને એમ પ્રવર્તીને ભગવાન મહાવીરસ્વામી’એ અનંત આત્માર્થનો પ્રકાશ કર્યો છે, બોધ આપ્યો છે. મૌન રહીને બોધ આપ્યો છે એમ કહે છે. બોલીને તો બોધ આપે પણ મૌન રહીને એમણે બોધ આપ્યો છે.
મુમુક્ષુ :– અનંત આત્માર્થ,
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનંત આત્માર્થને પ્રકાશ્યો છે. જુઓ ! મૌનપણું એ પણ એમના પરિણામથી, એમની પરિણતિથી, એમના પ્રવર્તનથી અનંત આત્માર્થનો બોધ મળે છે એમ કહેવું છે.
મુમુક્ષુ :– ભગવાન મૌન રહ્યા એમાં...
=
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાન મૌન રહ્યા એમાં અનંત આત્માર્થનો બોધ મળે છે. તે એમણે પોતાના પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે.
જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિ૨૫ણું વર્તે છે,...’ જેવા પ્રકાર પ્રત્યે વિચારવાનું વિશેષ સ્થિ૨૫ણું વર્તે છે અને વર્તવું ઘટે છે.’ અમને પણ એ વાત વિશેષ સ્મરણમાં આવે છે, વિશેષ વિચારમાં આવે છે. વધારે એ પ્રકારે મૌન રહેવામાં સ્થિરતા રાખીએ એમ થયા કરે છે. એમ કહે છે. અને એ અમને વધારે યોગ્ય લાગે છે.
મુમુક્ષુ :– ભગવાનની પ્રતિમા...
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાનની પ્રતિમામાં મુખ્યપણે તો અનંત સ્વસંવેદન જે એમને તેરમા ગુણસ્થાને ઉત્પન્ન હોય છે ત્યાંથી પોતાના સ્વસંવેદનનું સ્મરણ કરવું. આ એક મુખ્ય મુદ્દો છે. પછી એમની વીતરાગતા, સંપૂર્ણ અંતર્મુખતા, પરિપૂર્ણ વીતરાગતા અને સંપૂર્ણ અંતર્મુખતા. એ પ્રતિમાની અંદર એટલી પ્રસિદ્ધ છે કે અરૂપી આત્માનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે. આત્મા અરૂપી હોવા છતાં એનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે. એમ પોતાનો આત્મા અંદરથી ભાસે એ દર્શનનો મુખ્ય હેતુ છે. જિનપ્રતિમાનો આ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
રાજહૃદય ભાગ-૧૨ મુખ્ય હેતુ છે.
આ તો શું છે કે જે જીવોને કાંઈ પણ ઉપદેશની પ્રવૃત્તિ રહેતી હોય તો અથવા બીજાને માટે એવો વિચાર આવતો હોય. ઉપદેશ માર્ગ પ્રવર્તાવવો. કોઈપણ પ્રવૃત્તિથી. એની ગંભીરતાથી. એટલા માટે સામાન્ય રીતે આચાર્યોના ગ્રંથો, જ્ઞાનીના ગ્રંથો. એનું જ પ્રકાશન કરવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે. કે એ જેમની સહજ વાણી નીકળી ગઈ છે અને જેમાં આત્મહિતનું નિમિત્તતત્ત્વ છે. તો કહે એનું પ્રકાશન કરો પછી જેના મળતા હોય એનું પ્રકાશન કરવું. પોતે પોતાની વાણીથી પોતાને, પોતાની રચનાથી બીજાને ઉપદેશમાં પ્રવર્તાવે એ પ્રકારમાં પોતે બને ત્યાં સુધી ન જાય, એમ કહેવું છે.
મુમુક્ષુ –આવા જ્ઞાનીમહાપુરુષોને પણ આવો વિચાર આવે છે.
પૂજ્ય ભાઈશ્રી:- એમને એ વિચાર આવે છે. કેટલા સમર્થ છે તોપણ એમને એ વિચાર આવે છે કે મારે મૌન રહેવું છે, મારે મૌન રહેવું છે. મારે ઉપદેશમાર્ગ હજી પ્રવર્તાવવો નથી. એ પોતે તો એવો નિર્ણય કરી ચૂકયા છે કે જ્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થઈએ ત્યાં સુધી ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો નહિ. વેપાર-ધંધામાં બેઠા હોય ત્યાં સુધી ઉપદેશ માર્ગે ન જાવું. કેમ? કે લોકો કંઈક જાતની શંકા કરશે. વ્યાપારમાંથી નિવૃત્તિ થયા પછી આંશિક પ્રવૃત્તિ કરવી પણ પૂરી પ્રવૃત્તિ ન કરવી. બહુ જ અલ્પ પ્રવૃત્તિ કરવી. ઘણી પ્રવૃત્તિ સ્વરૂપસ્થિરતાની કરવી અને સ્વરૂપસ્થિરતાની પ્રવૃત્તિ કરતા અંતર પ્રવૃત્તિમાંથી જો મુનિદશા આવી જાય તો જ માર્ગ પ્રવર્તાવવો. કેમકે ગૃહસ્થદશાની અંદર પણ શંકાઓ કરે છે. વ્યવસાય ન હોય પણ કુટુંબ-પરિવાર હોય તોપણ શંકા કરવાનું સ્થાન છે. અને વ્યવસાય હોય એને તો વધારે શંકા કરવાનું સ્થાન છે. કેમકે એને તો અનેક માણસો સાથે લેતી-દેતીનો પ્રસંગ રહે. પોતે એ વિચાર રાખ્યો છે કે જ્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તો બિલકુલ પ્રવૃત્તિ કરવી નહિ. વ્યવસાયમાંથી નિવૃત થતાં અલ્પ પ્રવૃત્તિ કરવી પણ વિશેષ પ્રવૃત્તિ મુનિદશામાં આવવાની કરવી. સર્વસંગપરિત્યાગ થઈ જાય પછી ઉપદેશક થવાય. આ રીતે પોતે પોતા માટે વિચાર્યું છે. એવું સ્પષ્ટ નીકળે છે.
મુમુક્ષુ – ગૃહસ્થની વાણીથી કોઈનું અકલ્યાણ થઈ શકે એવી ભાવનાથી મૌન રહેવું?
પૂજ્ય ભાઈશ્રી:-હા. જેને જે ઉપદેશ દેવાને યોગ્ય નથી, એવા જીવ ઉપદેશદેતો એનાથી બીજાને નુકસાનનું કારણ થાય. પોતાને તો અવશ્ય નુકસાન થાય જ. જે પોતાને નુકસાન થાય એ બીજાને લાભનું કારણ થાય એ વાત તો કાંઈ વિચારવા જેવી
Page #344
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૦
૩૨૭ પણ નથી રહેતી.
એક વખત “ગુરુદેવ પાસે વાંચન સંબંધીની ચર્ચા નીકળી હતી કે આપણા મંડળોની અંદર વાંચન થાય છે અને કોઈ મુમુક્ષુ વાંચન કરતા હોય છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં આ વ્યવહાર ચાલુ થયો છે. ગામેગામ મંડળોમાં વાંચન કરવાનો). મુમુક્ષુઓ કાંઈ બધા જ્ઞાની તો કોઈ હોય નહિ. તો પછી આ પ્રકારે ચાલે છે એ બરાબર ચાલે છે? રાત્રી ચર્ચામાં આ પ્રશ્ન નીકળેલો.
એમ કહ્યું કે જ્ઞાનીની આજ્ઞાએ એવી પ્રવૃત્તિ કરતાં બાધ નથી. મુમુક્ષુને પણ જ્ઞાનીની આજ્ઞાએ એવી પ્રવૃત્તિ કરતાં બાધ નથી. જ્ઞાનીની આજ્ઞાએ-આ શબ્દમાં ઘણું રહસ્ય છે. અને એ વિષય ઘણો વિચાર માગે છે. પણ સામાન્ય રીતે જ્ઞાનીની આજ્ઞા એવી છે કે મુમુક્ષુ મુમુક્ષુએ સાથે મળીને સત્સંગ કરવો. ઉપદેશ કરનાર તરીકે કોઈએન બેસવું. ઉપદેશક તરીકે ન પ્રવર્તવું. સમવિચારના મુમુક્ષુએ સાથે બેસીને પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવા માટેની વિચારણા, વિચાર-વિમર્શ કરવો. એ પ્રકારની પ્રવૃત્તિ (કરવી) એ તો બધા જ્ઞાનીઓની આજ્ઞા છે. સત્સંગ કરવા માટે બધા જ્ઞાનીઓની આજ્ઞા છે. અને ત્યાં તો સત્સંગન કરે એ જ્ઞાનીની આજ્ઞા બહાર છે. ત્યાં તો સત્સંગમાં ન રહે, સત્સંગ ન કરે તે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. પણ ઉપદેશકની વાત જુદી છે, સત્સંગની વાત જુદી છે.
ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ જે કાંઈ વાંચન આદિ થાય એ તો ઠીક છે પણ હવે શું કરવું? એ પ્રશ્ન ઊભો થાય. તો કહે છે, સત્સંગ કરવો. એ તો જ્ઞાનીની આજ્ઞા છે. એમાં કાંઈ આજ્ઞાવિરુદ્ધ જવાનું રહેતું નથી. એ તો કર્તવ્ય છે. એ પ્રકાર મુમુક્ષુને માટે યોગ્ય છે.
મુમુક્ષુ -જ્ઞાનીની આજ્ઞા એ બહુવિચારી વિચારીને... પૂજ્ય ભાઈશ્રી:- હા. બહુવિચારીને... મુમુક્ષુ -શું આજ્ઞા?કેવા પ્રકારની આજ્ઞા?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ તો સામાન્ય રીતે શું થાયકે પોતાને ક્ષોભ થાય,કે નહિ, આ મારું કામ નથી. મારે તો હજી પામવું બાકી છે. તોપણ જે-તે ગામના સમાજ તરફથી દબાણ થતું હોય તો એ સામાન્ય રીતે એક્ષોભ વ્યક્ત કરે. ગુરુદેવ’ વિદ્યમાન હોય તો. તો અભિપ્રાય જાણવા મળી જાય.કે એણે જવા જેવું છે કે જવા જેવું નથી ?પ્રવૃત્તિ કરવા જેવી છે કે પ્રવૃત્તિ કરવા જેવી નથી ?પણ એટલી પોતાને સમીપતા હોવી જોઈએ, વાત કરવાની નિકટતા હોવી જોઈએ અને એટલી એને પોતે પણ સરળતાથી તૈયારી રાખવી જોઈએ.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ચજહૃદય ભાગ-૧૨ ગુરુદેવ તો કાંઈ સામાજિક પ્રવૃત્તિમાં કોણ શું કરે છે એ પડતા નહિ. પણ કોઈ પ્રસંગ બને ત્યારે કોઈ વાર સંમતિ અને અસંમતિ પ્રગટ કરતા હતા. કોઈ કોઈ વ્યકિતગત રીતે. એવા પ્રસંગો બન્યા છે. તો આ વાત રહી જેને પોતાની જવાબદારીનું ભાન હોય એણે પોતાની જવાબદારી સંભાળવા માટે શું કરવું એટલું વિચારવાનું છે.
બીજા Paragraphથી. “જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં. વાર ન લાગે. આ પોતા ઉપરથી લે છે. પોતે જ્ઞાની છે. જ્ઞાનધારા સમાધિદશા ચાલે છે. અને એ સમાધિને વિરાધના ન થાય તો કેવી રીતે ન થાય એનું સ્પષ્ટિકરણ કરે છે. મુમુક્ષને તો સમાધિ જનથી. એટલે એને વિરાધનાનો પ્રશ્ન રહેતો નથી. એ તો વિરાધના વિરાધનામાં જ ઊભો છે. પણ પોતાને જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે....” ભોગવ્યા વિના નિવૃત્ત થાય એવું નથી દેખાતું. તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; મારે જે તે પ્રસંગ છે એમાં ઉદાસીનતા રાખવી ઘટે છે. જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય... જે ઉદયના પ્રસંગો ઊભા થાય એમાં પોતે આત્મજાગૃતિમાં ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે.” એની જે જ્ઞાનધારા છે એ છૂટી જાય.
તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવાદેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મેતે પ્રકારભજવો ઘટે.’ આ પોતાની જે અંતરંગ ચાલ છે એનો પ્રકાર શું છે એ સ્પષ્ટ કરે છે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી.... એટલે જે કાંઈ સંગભાવ ઉત્પન થતો હોય, એટલે ઉદયભાવ. ઉદયભાવ છે એ સંગભાવ છે. તે પરિણામી કરી. પરિણામી કરી એટલે એતો પરિણમ્યા વિના અનિવાર્ય છે. પરિણમવું તે અનિવાર્ય છે.
તે ભોગવ્યા વિના નછૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે... અને એ પ્રવૃત્તિ ઉદયમાં આવે એ પ્રવૃત્તિ થવા દેવી ઘટે. ‘તોપણ...” હવે ત્યાં શું ? કે તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે. એ પ્રકારનો જે પુરુષાર્થ. જ્ઞાનીને મુનિદશાનો પુરુષાર્થ હોય છે). સવંગ અસંગતા જન્મે છે એ કઈ દશામાં?મુનિદશામાં જ્ઞાની હોય તે મુનિદશાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. પૂર્વ પ્રારબ્ધને ભોગવતા મુનિદશા યોગ્ય જે પુરુષાર્થ, મુનિદશામાં આવવાનો જે પુરુષાર્થ એવો યોગ્ય પુરુષાર્થ એ ચાલુ રાખે છે અને એ પ્રકાર ભજવો ઘટે છે. એવો પ્રકાર એના પરિણમનમાં હોવો ઘટે છે. જો એવો
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૯
પત્રક-૬ ૨૦ પ્રકાર ન હોય તો વર્તમાન ઉદયની અંદર એની સમાધિ વિરાધના થયા વિના રહે નહિ. આ ચોખ્ખી Lineમૂકી દીધી.
જ્ઞાનીની દશામાં એ અંતરંગમાં શું કરે છે? ઉદય પ્રમાણે પ્રવર્તતા તો જોવામાં આવે છે. બહારથી જોઈએ તો ઉદય અનુસાર પ્રવૃત્તિ કરતા તો જોવામાં આવે છે. પણ અંદરમાં સવંગ અસંગતા જન્મે તે પ્રકારનો પુરુષાર્થ છે. એટલે એમાંથી છૂટવા માટેનો પુરુષાર્થ, એમાંથી પરિણામને પાછા વાળવાનો જે પુરુષાર્થ એ તો એમનો પુરુષાર્થ ચાલુ જ રહે છે. એ પુરુષાર્થ એ છોડતા નથી. એ પુરુષાર્થ ચાલુ રાખીને પ્રવર્તે છે, એમ કહેવું છે. એ અંદરનો પ્રકાર છે આખો.
મુમુક્ષુ - બહારમાં ઉદય અનુસાર ગમે તેવી પરિણતિ હોય પણ અંદર પુરુષાર્થ તો એનો એક જ ચાલે.
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થ ચાલે જ છે. સંગ છોડવાનો, અસંગ થવાનો એમનો પુરુષાર્થ ચાલે જ છે. ઉદયમાં તો અનેક ચિત્ર-વિચિત્રતા આવે છે. પાર વિનાની. એ બધી પૂર્વ કર્મ અનુસાર છે. પણ એનો અંતરંગનો જે પુરુષાર્થ છે એ એક જ બાજુનો હોય છે. બે બાજુનો હોતો નથી.
મુમુક્ષુ -જ્ઞાનીની પરિણતિ તો આ જ છે.
પૂજ્ય ભાઈશ્રી – આ જ છે. એ પ્રકાર કરવો ઘટે છે. અસંગતા જન્મ. “સર્વાગ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. આ તો ઘણા લોકો એમ વિચારે છે, સમ્યગ્દર્શન થાય પછી વાંધો નહિ. એને સમ્યગ્દષ્ટિનું પરિણમન કેવું હોય એની એને ખબર નથી. એમ નથી ચાલતું. જેને સમ્યગ્દર્શન થાય છે અને અનંત જન્મમરણ નથી હોતા. એને ૪૧ પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે, થાય છે પણ કારણ શું? કે કારણ એનો પુરુષાર્થ છે. સર્વાશ અસંગતા પ્રત્યે જવાનો એનો પુરુષાર્થ છે. એને લઈને નથી થતું. બંધન નથી થતું એટલે ? કાંઈ પક્ષપાત નથી. એ તો કુદરતી વ્યવસ્થા છે. કર્મના પરમાણુનું આવાગમન થવું એ તો એક કુદરતી વ્યવસ્થા છે. એ કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્રના હાથની વાત નથી. જિનેન્દ્રના હાથની વાત નથી, બીજાની ક્યાં વાત કરવી! જેવા પરિણામ થાય એવું કર્મનું નિબંધન થાય, થાય ને થાય જ. પછી તીર્થકરનું દ્રવ્ય હોય, ગમે તે હોય. પણ જ્ઞાનીને, સાધકને આ પ્રકાર હોવો ઘટે, આ પ્રકારભજવો ઘટે.
કેટલાક વખત થયાં સહજપ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે.” હવે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. જુઓ! કેટલી સરળતા છે! લલ્લુજી' પાસે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. એને જે સમજાય એ પછી એમાંથી એ પોતે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૨ જે બોધ લે એ. પણ પોતે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે- Analysis કરી દે છે. અમને કેટલાક વખત થયાં કેટલીક) સહજ પ્રવૃત્તિ અને કેટલીક) ઉદીરણ પ્રવૃત્તિ.” એટલે અમે કરીએ છીએ અને થાય છે. કેટલી સહેજે થાય છે અને કેટલીક અમે કરીએ છીએ અને થાય છે. એવી રીતે અમારી પ્રવૃત્તિ વર્તે છે.
મુમુક્ષુ -પ્રવૃત્તિના બે ભાગ પાડ્યા. પૂજ્ય ભાઈશ્રી:-બે વિભાગે વર્તે છે.
મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે તો સહજ જ પ્રવૃત્તિ વર્તે છે. સહજ પ્રવૃત્તિ એટલે શું? અહીંયાં શું કહેવા માગે છે? કે ‘સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્દભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. મારે આમ કરવું છે એવી ઇચ્છા ન થઈ હોય. પણ ઇચ્છા વિના કોઈ કામ આવી પડે અથવા તો કોઈ કામ કરવાનું બાકી હોય અને પછી ન કરવાનું થઈ જાય. ન કરવાની ઇચ્છા ન કરી હોય, ન કરવાની ઇચ્છા કરી હોય. એકપણ ઇચ્છા ન કરી હોય. આપોઆપ એ કામ નવું ઊભું થાય અથવા જૂનું બંધ થઈ જાય. ગમે તેમ થાય. એ પ્રારબ્ધ ઉદય અનુસાર જે થાય છે એ પ્રમાણે જે છે એને સહજપ્રવૃત્તિ કહીએ છીએ.
બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાથદિયોગે કરવી પડે છે. બીજાને માટે કરવી પડે તે. અમારા માટે કરતા નથી એમ કહે છે. બીજાને માટે કરવી પડે. એટલે એમ કરીને બીજી પ્રવૃત્તિ છે એ સંબંધમાં અમે કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે ચાલ ચાલીએ. છીએ એની થોડી સૂક્ષ્મ વિષયની આમાં ચર્ચા કરી છે. (અહીં સુધી રાખીએ...)
મુમુક્ષને ભલે બેહદ ઉપકારબુદ્ધિ વર્તે, પરંતુ સત્પરુષને તો, પોતે કાંઈ જ ઉપકાર કર્યો નથી - તેવો ભાવ વર્તે છે. તેથી તેઓ અંતરંગમાં નિસ્પૃહ હોય છે - જ્ઞાનીપુરુષની આ ગુપ્ત આચરણા છે.
અનુભવ સંજીવની-૧૪૬૮)
Page #348
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૦
૩૩૧
તા. ૧૪-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૧
પ્રવચન નં. ૨૮૩
“શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર ૬ ૨૦. પાનું-૪૭૬. બીજા Paragraphથી. ૪૭૬ પાને છે. ઉપરથી બીજો Paragraph. અહીંયાં પોતાની દશાનું વર્ણન કરે છે. પહેલા Paragraphથી લઈએ.
જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. આ પણ એમણે પોતાની દશાની વાત કરી છે. અંદરમાં જે સમાધિ પરિણતિ છે અને એ સમાધિ પરિણતિ દ્વારા આત્મસ્વરૂપની જાગૃતિ છે, એ જાગૃતિ નિરંતર કોઈપણ પ્રકારના પૂર્વકર્મ અથવા પ્રારબ્ધને ભોગવતી વખતે રહેવી જોઈએ. જો ન રહે તો એ સમાધિની વિરાધના થાય અથવા સમાધિન રહે.
આ વિષય જ્ઞાનીની અંતરંગ પરિણતિનો છે. પછી બાહ્ય પરિણતિનો વિષય બીજા Paragraphથી લેશે. જ્ઞાનીની અંતરંગ પરિણતિ એવી છે કે પૂર્વ પ્રારબ્ધને ભોગવે છે પણ ઉદાસીનપણે ભોગવે છે. એમાં ઉદાસીનતા રાખે છે, ઉપેક્ષાભાવ રાખે છે. એ પહેલેથી નિશ્ચય થયેલો છે અને પરિણતિ થયેલી છે એટલે ઉપેક્ષાભાવ રાખે છે. અજ્ઞાનદશામાં જેમ અપેક્ષાભાવ રહે છે તેનાથી વિરુદ્ધ એવો અહીંયાં ઉપેક્ષાભાવ રહે
મુમુક્ષુ – સહજ પરિણતિ હોય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સહજ જ ઉપેક્ષાભાવ રહે છે. એ સહજમાં સહજ પુરુષાર્થ છે, એ સહજમાં સ્વરૂપની સહજ જાગૃતિ છે. અને એ રીતે પુરુષાર્થ અને જાગૃતિની સહજતાસહિત સહજપણું છે એમ સમજવા યોગ્ય છે.
ફરીથી. જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્યે નિવૃત્ત થવા યોગ્ય છે...” ભોગવવાથી નિવૃત્ત થાય છે. અથવા તે પૂર્વ કર્મ ખરી જાય છે, નિર્જરી જાય છે. તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે. એટલે કે અનુભવવું ઘટે. એનો અનુભવ તો કેવી રીતે કરવો
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩ર
રાજહૃદય ભાગ-૧૨ જોઈએ ? કે ઉદાસીનપણે કરવો જોઈએ. ઉપેક્ષા રાખીને કરવો જોઈએ. જે ઉપેક્ષા રાખવાથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાંએટલે ઉદય પ્રત્યે પ્રવર્તતા જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે....... એટલે પ્રસંગ ઊભો થાય. તે તે પ્રસંગમાં સ્વરૂપને વિષ) જાગૃત ઉપયોગ ન હોય તો...” એમ કહેવું છે. જો સ્વરૂપને વિષે જાગૃત ઉપયોગ ન હોય તો જ્ઞાની જીવને પણ સમાધિવિરાધના થતાં વાર ન લાગે.”
મુમુક્ષુ-સમ્યગ્દર્શન છૂટી જાય?
પૂજ્ય ભાઈશ્રી – છૂટી જાય. સ્વરૂપની જાગૃતિ ન રહે અને ઉદયમાં જાગૃતિ એકાંતે આવે તો જ્ઞાનદશામાં અને અજ્ઞાનદશામાં શું ફેર પડ્યો ? શું તફાવત છે ત્યાં? કાંઈ તફાવત નથી. એટલે ત્યાં એણે સમાધિને વિરાધી. પણ બળવાનપણે જેની અંતર પરિણતિ છે એવા જ્ઞાની પુરુષને જાગૃતિ સહજ જ રહે છે. વિકલ્પ કરીને એને જાગૃતિ રાખવી પડે એવી સ્થિતિ હોતી નથી.
તે માટે એમ થવા અર્થે. સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, જેટલા સર્વ સંગભાવ છે એને મૂળથી પરિણામી કરવા એટલે અહીંયાં ભિન કરીને, સર્વ સંગભાવને મૂળથી ભિન્ન કરીને, સવશે ભિનકરીને, પૂરેપૂરા ભિન્ન કરીને ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે...” પછી જે પ્રસંગ ભોગવ્યા વિના છૂટવાનો નથી એની પ્રવૃત્તિ જે કાંઈ થાય એ સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરીને થાય, એમ કહેવું છે. અને તેમાં પણ, તોપણ એટલે તેમાં પણ એટલે એટલી પ્રવૃત્તિ કરતાં પણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. અને એમ પ્રવર્તતા પણ ત્યાંથી છૂટી જવાય, અસંગપણું થાય. અસંગપણું વધતું જાય, છે તો ખરું પણ અસંગપણું વધતું જાય તે પ્રકાર ભજવો ઘટે. એટલે તે પ્રકાર સહેજે સહેજે પુરુષાર્થમાં થવો ઘટે. | મુમુક્ષુની અથવા અજ્ઞાનદશાવાળાની ભાષામાં એમ કહી શકાય, કે અસંગતા. જન્મ એવો પુરુષાર્થ એ વખતે જ્ઞાનીએ કરવો જોઈએ. એ પ્રકારે પૂર્વ પ્રારબ્ધની અંદર જ્ઞાનીપુરુષના પરિણામની અંતર સ્થિતિ-પરિસ્થિતિ હોય છે. અને હોય છે એમાં એ શું કરે છે અને શું નથી કરતા ? આ એનો અંતરંગ પરિણામનો વિષય સમજવો. જરા ગૂઢ વાત છે. સૂક્ષ્મ પડે એવી વાત છે.
આમથી લઈએ તો જરા વધારે સમજાશે. અજ્ઞાનદશામાં શું થાય છે? કે જીવની પરિણતિ સહજપણે બાહ્ય સંયોગો પ્રત્યે સાવધાન છે. એટલે જે નવા નવા પૂર્વકર્મનો ઉદય આવે છે. એ ઉદયની અપેક્ષાવૃત્તિમાં જીવ પહેલેથી ઊભો છે, અગાઉથી ઊભો છે,
Page #350
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૦
૩૩૩ પ્રથમથી જ ઊભો છે Advance પણે. એટલે જેવો ઉદય આવે છે એની સાથે એ અજાગૃત સ્વરૂપમાં તો જાગૃતિ આવી નથી એટલે અજાગૃતભાવે તો છે જ, એ પ્રમાણે રહીને તન્મય થઈને પૂરેપૂરો પરિણમે.
મુમુક્ષુ-પૂરેપૂરો જોડાય જાય છે?
પૂજ્ય ભાઈશ્રી:-પૂરેપૂરો જોડાય છે, આખેઆખો જોડાય છે. સર્વસ્વ માનીને. એ ઉદયને સર્વસ્વ માનીને.
જ્ઞાનીજીવની બીજી દશા છે એમ કહે છે. એમને ખ્યાલ આવે છે કે આ ઉદય આવ્યો, આ ઉદયને રોકી શકાય એવું નથી, ભોગવ્ય છૂટકો છે. તો અંદરમાં પહેલેથી સાવધાન છે. એ પણ Advanceમાં–પહેલેથી સાવધાન છે કે હું મારી સ્વરૂપજાગૃતિમાં બરાબર રહું અને અહીંયાં ઉદાસીન થાવ. પછી એમાં બે પ્રકાર છે. એ નીચે લેશે. કારણ કે એ બહારનો વિષય થઈ ગયો. તો એમાં સહજપણે પણ રહે છે અને ઉદીરણ પ્રવૃત્તિ પણ કોઈ કરે છે. એટલે ઇચ્છાપૂર્વક પણ કોઈ પ્રવૃત્તિ કરે છે. બે પ્રકારે પ્રવૃત્તિ કરે છે. એમાં એનું વર્ણન એ પોતાની દશાથી નીચે કરશે. પણ એમાં કેટલીક પ્રવૃત્તિ ઇચ્છા વિના કરે છે અને કેટલીક પ્રવૃત્તિ ઇચ્છાપૂર્વક કરે છે. જે ઇચ્છા વિના કરે છે એને સહજ કહે છે. ઇચ્છાપૂર્વક કરે છે એને ઉદીરણ પ્રવૃત્તિ એમણે કહી છે. એમ પોતાના પરિણામને અહીંયાં બે વિભાગમાં સમજાવ્યા છે. .
અહીંયાં એમ કહેવું છે કે જો સ્વરૂપની જાગૃતિ ન હોય. અહીંયાં જાગૃત ઉપયોગ એટલે જાગૃતિની સાવધાની ન હોય. કારણ કે ઉપયોગ તો પૂર્વ પ્રારબ્ધને અનુસરીને પણ થવાનો છે. અને ઉપયોગ તો એકસાથે બેને વિષય કરે નહિ. આ તો છદ્મસ્થની સ્થિતિ છે. છતાં પણ સાવધાનીને અહીંયાં ઉપયોગ કહ્યો છે. ઉપયોગનો આવો અર્થ ઘણી જગ્યાએ થાય છે. ઉપયોગ એટલે સાવધાની. જરા ઉપયોગ રાખજો, એમ કહે. એટલે ધ્યાન રાખો, સાવધાન થાવ, લક્ષ આપો. એવા અર્થમાં પણ ઉપયોગ શબ્દ વપરાય છે.
એટલે જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે.” એવો પોતાને બહુ સ્પષ્ટ ખ્યાલ છે, એવું સ્પષ્ટ ભાન છે. તેથી સર્વસંગભાવને મૂળપણે. પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવીએટલે કરીએ છીએ. ‘તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર.... પુરુષાર્થ સહિતનો તે પ્રકાર ભજવો ઘટે. એ પ્રકારના પુરુષાર્થસહિત એ પ્રસંગમાં ઉદયમાંથી પસાર થવું ઘટે. ત્યાંથી એને એટલી સાવધાની અને પુરુષાર્થ વિશેષ કરવો જોઈએ.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૨ આમાં એક વિશેષ સૂક્ષ્મ વિષય શું છે? કે કેટલીક તો સહજપુરુષાર્થ અને સહજ સાવધાની પરિણતિ લઈને થાય છે અને કેટલુંક નવું બળ પણ એ વખતે પોતે કરે છે કે જેને લઈને સર્વાશ અસંગતા જન્મે. સર્વાશ અસંગતા કયા જન્મે ? મુનિદશામાં જન્મે. સર્વસંગપરિત્યાગ કર્યો છે એમણે. તો ઉદયના કાળે એ દિશાનો પુરુષાર્થ ચાલતો રહેવો જોઈએ.
સામાન્યપણે મુમુક્ષુ એમ વિચારે છે કે આપણે વેપાર-ધંધો ઉદય હોય ત્યારે તો એ બધા કાર્ય કરીએ અને નવરા પડીએ ત્યારે આપણે શાસ્ત્ર વાંચીએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ. પૂજા-ભક્તિ કરીએ, કાંઈ ને કાંઈ ધર્મપ્રવૃત્તિ કરીએ. ધર્મપ્રવૃત્તિ કરવાનો Period આપણો જુદો અને સંસાર પ્રવૃત્તિ કરવાનો Period આપણો જુદો. એમ વહેંચી નાખે છે. એ બરાબર નથી.
જ્ઞાની તો ઉદય ભોગવતા પણ, ઉદય અનુભવતા પણ, ઉદય પ્રસંગમાંથી પસાર થતાં પણ એ વખતે અમુક તો એનો સહજ પુરુષાર્થ પરિણતિને લીધે વર્તે છે અને કેટલોક પાછો વિશેષ પણ કરે છે. એમ છેલ્લી લીટીમાં કહેવા માગે છે.
મુમુક્ષુ -સાવધાનીમાં પણ જોર હોય છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. વિશેષ એ વખતે પ્રયત્ન કરે છે.
જેમ એક માણસ રસ્તા ઉપર ચાલે છે તો સહેજે સંભાળીને ચાલે છે. કે ખાડો આવે તો તરીને ચાલુ, પથરો આવે તો પગ વધારે ઉપાડીને ચાલું. ઠેસ ન લાગી જાય. નહિતર ઠેસ લાગે તો માણસ પડી જાય. પણ સામાન્ય સાવધાની-Normal સાવધાની હોય છે એ તો હોય છે. પણ એકદમ કોઈ ટોળું છૂટું આવ્યું હોય અથવા એકદમ કોઈ Traffic માં વાહન છૂટ્યા. કોઈ signalછૂટી ગયું અને પોતે આવી ગયો વચ્ચે. તો પછી શું કરે ? એ વખતે એકદમ સાવધાન થઈ જાય. અમુક તો સાવધાની એની વર્તે જ છે. પણ એ વખતે એ વધારે સાવધાની રાખે કે આમથી પણ વાહન છૂટ્યા છે, આમથી પણ વાહન છૂટે છે. હું વચ્ચે આવ્યો છું. એ વખતે થોડી વિશેષ સાવધાનીમાં આવે છે. એટલી વિશેષતા એ કરે છે.
એમ અહીંયાં પરિણામની ચાલ છે અને ઉદયનો ઘેરો વધે છે તો સહજ સાવધાની ઉપરાંત કેટલીક સાવધાની એવા પ્રકારની છે કે સર્વાગ અસંગતા જન્મે. એ વધતો પુરુષાર્થ... વધતો પુરુષાર્થ ક્યાં લઈ જશે? અસંગતાને જન્માવી દેશે. એમને તો એ જ દેખાય છે. એમને તો અહીંથી છૂટીને એ જ સર્વસંગપરિત્યાગની અસંગદશામાં ચાલ્યું જવું, પહોંચી જવું. એ જ એમને ઘૂંટાય છે. એટલે એ બાજુનો હું તો પુરુષાર્થ કરું છું એમ
Page #352
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૦
૩૩૫
કહે છે. મુનિપણામાં આવવાનો પુરુષાર્થ કરું છું. ‘સર્વંશ અસંગતા જન્મે એવો પ્રકાર ભવો ઘટે.’
મુમુક્ષુ :– સ્વરૂપની સાવધાની તો છે પણ વધારે સાવધાની...
પૂજ્ય ભાઈશ્રી :– હા. વિશેષ સાવધાન થાય છે, વિશેષ જાગૃત થાય છે, એ વખતે વિશેષ પુરુષાર્થ કરે છે. અને એ સહજ થાય છે એટલે ભવો ઘટે એમ લખે છે. એ શબ્દમાં એની સહજતા પ્રદર્શિત કરે છે કે એ પણ ભજવો ઘટે છે. એમાં કૃત્રિમતા નથી. જેમ સાવધાની સહજ જ વધે ને ? માણસ એકદમ ઘેરાઈ જાય તો સાવધાની સહજ જ વધે છે. બસ ! એ પ્રકાર છે. ત્યાં દેહરૂપી પોતાને જાતને બચાવવાની સાવધાની છે. અહીંયાં આત્મારૂપી પોતાની જાતને બચાવવાની સાવધાની છે. બસ ! આમ વાત છે.
મુમુક્ષુ ઃ– જ્ઞાનીને આમ ઉદયનું જોર વધે અને અંતરમાં પુરુષાર્થ વધે.
પૂજ્ય ભાઈશ્રી :– પુરુષાર્થ વધે છે. અજ્ઞાનીને પ્રતિકૂળતા વધારે આવે તો એકદમ પ્રતિકૂળતાનું Tension વધી જાય છે. અનુકૂળતા વધારે આવે તો એનો હરખ વધી જાય છે. કેમકે એને અંદરની કોઈ સાવધાનીનો પ્રકાર નથી. ત્યારે જ્ઞાની આ વિષયમાં જાગૃત છે. એને પણ અનુકૂળ અને પ્રતિકૂળ બેય પ્રકારના ઉદય આવે છે. ઘણા અનુકૂળ ઉદય પણ આવે અને ઘણા પ્રતિકૂળ ઉદય પણ આવે. બધા પ્રકાર ભજે. તદ્દન નિર્ધનતા પણ આવે, રોગ પણ, મહારોગ પણ થાય. બધું થાય. એવી પ્રતિકૂળતા આવે. બહુ અપમાન થાય, ઘણું અપમાન થાય એવા પણ પ્રસંગ આવે, ઘણું બહુમાન થાય એવા પણ પ્રસંગ આવે. એકદમ સમૃદ્ધિ વધે એવા પણ પ્રસંગ આવે. એકદમ તંદુરસ્તી વધે એવા પણ પ્રસંગ આવે. ગમે તે હોય એને એક જ ખાતું છે, બીજું ખાતું નથી.
આ તો જગતની દૃષ્ટિએ આ બધા ભેદ પાડવામાં આવે છે. એમને તો બધું એક ખાતામાં ખતવવાનું છે. બીજું ખાતું એમની પાસે નથી. સ્વ તે સ્વ અને પ૨ તે ૫૨. બે જ ખાતા છે. એક સ્વનું ખાતું, એક પ૨નું ખાતું. આ Entry સ્વની છે તો એ બાજુ લઈ જાવ. આ ૫૨ની Entry છે તો એ બાજુ લઈ જાવ. જાવ.
હવે બાહ્ય પ્રવૃત્તિને વધારે સ્પષ્ટ કરે છે. ‘કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે.’ એક બાહ્ય પ્રવૃત્તિમાં બે ભાગ થાય છે. એમાં પણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ છે. હવે એ બે ભાગમાં શું છે ? કે મુખ્યપણે તો સહજ પ્રવૃત્તિ છે. એટલે કોઈ ઉદય આમ આવે તો ઠીક અને આમ ન આવે તો ઠીક. એ પ્રકારમાં કાંઈ પ્રર્વતા નથી. અથવા મુખ્યપણે કોઈ ઇચ્છાઓ એકદમ ઉત્પન્ન થયા કરે, ઇચ્છાઓ વધતી જાય એ પ્રકારે પણ પરિણામની પ્રવૃત્તિ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
રાજય ભાગ-૧૨
નથી. એ પ્રવૃત્તિને એમ બતાવે છે કે સહજ પ્રવૃત્તિ એટલે કે પ્રારબ્ધ ઉદયે ઉદ્ભવ થાય. સામે ચાલીને. પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય તે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં.’ મારે આમ કરવું છે. પોતાની કોઈ ઇચ્છા હોય, પોતાનો વિકલ્પ હોય એમ નહિ. જે ઉદય સહેજે સહેજે ઊભો થયો હોય તે. એ બહા૨માં સહજપ્રવૃત્તિ છે.
બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાદિ યોગે કરવી પડે તે.’ એ બીજાને માટે ક૨વી પડે છે. કેમકે પોતે... ‘સોગાનીજી’ કહે છે એમ મૈં તો અજરૂરિયાતવાલા હું.’ શું છે ? મૈં તો અજરૂરિયાતવાલા હું.’ એકવાર તો ઘરમાં પણ કહી દીધું કે મેં પંગુ હો ગયા હું.’ પંગુ એટલે પાંગળો. પાંગળો એટલે માણસ અપંગ થાય ને ? હાથ-પગ ભાંગી જાય ત્યારે માણસ અપંગ થાય કે બહુ તો મંદવાડ આવે તો પથારીવશ થઈ જાય. તો કહે, હું હવે પરાધીન છું, મારી મેળે કાંઈ કરી શકતો નથી. મેં તો પંગુ હો ગયા હું. દો ટાઈમ કે લીયે રોટી ખીલા દેના.’ ઘરના સભ્યોને શું કીધું ? બે વખત રોટલી ખવડાવી દેજો. બાકી હું પાંગળો છું હવે. શારીરિક રીતે પાંગળા નહોતા. હજી બાવન વર્ષે તો દેહ છોડ્યો છે. એ પહેલાની ૧૮ વર્ષની આ સ્થિતિ છે. બાવન વર્ષ પહેલાની ઉંમરની ૧૮ વર્ષની આ સ્થિતિ છે. ૧૮ વર્ષથી શાનદશા હતી. વેપાર કરતા હતા, ધંધો કરતા હતા. કોઈ મોટા શ્રીમંત નહોતા. છતાં અંદરથી સુખી હતા. અતિ સુખી હતા, ઘણા સુખી હતા. ઘરમાં એમ કહી દીધું, હું પાંગળો છું. રોટલી ખવડાવી દેજો. છતાં પ્રવૃત્તિ તો કરે છે. પછી કોના માટે કરે છે ? પરાર્થે કરે છે, બીજાને માટે કરે છે. પર એટલે બીજા. પોતાને માટે કરતા નથી. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાદિ યોગે કરવી પડે તે.’ કરવી એટલે કરે છે એટલે ક૨વી પડે છે. એવું પ્રારબ્ધ છે કે જેને લઈને ક૨વી પડે છે. ક૨ે છે એમ નથી.
મુમુક્ષુ :– વેપાર આદિ બધા કરવા પડે છે.
પૂજ્ય ભાઈશ્રી :– કરવા પડે છે. એમનું ચાલે (તો સર્વસંગપરિત્યાગ કરી ચાલી નીકળે).
‘હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે,...’ અને એ જે પ્રવૃત્તિ કરવી પડે છે. જેમાં ઇચ્છા વગેરે રાગ, દ્વેષ, મોહ બધું દેખાય એ જાતની પ્રવૃત્તિ છે. એમાં આત્મા સંક્ષેપ થાય છે.’ એમાં અંદરથી આત્મા સંકોચાય છે, પાછો પડે છે. શું થાય છે ? આત્મા પાછો પડે છે એમ કહે છે. કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે,...' અપૂર્વ એવો જે સમાધિયોગ એને આ કારણે, આ ઉદીરણ પ્રવૃત્તિને કારણે થોડો રૂકાવટ આવે છે. અમારી જે દશા વધતી જોઈએ એ વધતી દશામાં રૂકાવટ છે. કેવી રીતે એ જરા વિચારવા જેવું છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૦
૩૩૭ આત્મામાં શક્તિ એવી છે કે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લે. કેવી શક્તિ છે ? કેવળજ્ઞાન લેતા એના અંતર્મુહૂર્તથી વધારે વાર લાગતી નથી. જ્યારે જે જીવ કેવળજ્ઞાન લે છે ત્યારે તેને અંતર્મુહૂર્તનો જ સમય લાગે છે..... એ જ એનો કેવળજ્ઞાનનો પુરુષાર્થ છે. બાકી કેવળજ્ઞાનનો પુરુષાર્થ નથી. ચાલતી દશાનો પુરુષાર્થ છે. અને અંતર્મુહૂર્તમાં કોઈ જીવ જો કેવળજ્ઞાન લેતો હોય તો દરેક જીવ લઈ શકે છે. એમાં વાર લાગે છે એનું શું કારણ ? જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી જેણે પોતાના આત્મામાં અનંત વીર્ય જોયું, અનંત પુરુષાર્થનું સામર્થ્ય અને શક્તિ જોઈ એને એ પ્રગટ થવામાં શું કરવા વાર લાગે છે? કોઈને એક ભવ, કોઈને બેભવ, કોઈને ચાર ભવ, કોઈને છ ભવ, આઠ ભવ લાગી જાય છે. પંદર ભવ સુધી લાગે. વધીને ક્યાં સુધી લાગે છે? પંદર ભવ સુધી લાગે. હવે સમ્યગ્દર્શન ચાલુ રહે અને પંદર-પંદર ભવ કાઢે એનું કારણ શું? અરે! એક ભવ પણ શું કરવા કાઢે ? એ તો એમ જ કહે છે કે એક ભવ પણ શું કરવા જોઈએ ? આ સદેહે શા માટે મુક્તદશા ન આવે ? કેમ ન થાય ? તો કહે છે, પ્રતિબંધ આવે છે. આવું જે પ્રારબ્ધની અંદર આત્મા પોતે ઉદીરણ પ્રવૃત્તિથી જ્યારે પ્રવર્તે છે ત્યારે એને પ્રતિબંધ આવે છે.
“સમાધિયોગને....” એટલે પોતાની વધતી દશામાં એ રુકાવટ છે. “એમ સાંભળ્યું હતું....” ભૂતકાળમાં અમે આ વાત સાંભળી હતી. સાંભળી હતી એટલે સાંભળીને અમારા આત્મામાં એ સંમત કરી હતી, એમ કહે છે. આપણે ન કહીએ? ‘ગુરુદેવ પાસે અમે આ વાત સાંભળી હતી. એનો અર્થ કે એ કહેતા હતા એ બરાબર હતી. એ વાત બરાબર હતી. “એમ (અમે) સાંભળ્યું હતું....” સાંભળ્યું હતું નહિ, અમારા જ્ઞાનમાં એમ જાણ્યું હતું. જાણ્યું હતું એમ કહો કે અનુભવ્યું હતું એમ કહો. કેમકે પૂર્વના આરાધક છે. અને હાલ તેવું સ્પષ્યર્થે વેઠું છે. અને અત્યારે સ્પષ્ટપણે અમે એ વાતનો અનુભવ કરીએ છીએ.
તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું તથા બીજા પ્રકારે પરમાથદિલખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. આ રીતે અમે સાંભળ્યું, જાણ્યું અને અનુભવ્યું એ ઉપરથી અમારો આત્મા સહેજે સહેજે કોઈના સમાગમમાં આવવા ચાહતો નથી, કોઈને પત્રથી ઉત્તર દેવા પણ ઇચ્છતો નથી કે બીજા કોઈ પરમાર્થના લેખ લખવા પણ અમને સહેજે સહેજે આત્મા સંકોચાય છે, આત્માના પર્યાય સંકોચાય છે. એવું આત્મામાં ભજ્યા કરે છે. સરવાળે શું પરિસ્થિતિ છે?
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
રાજદય ભાગ-૧૨ એ બધું વિચારીને, એ બધાની વિચારણાપૂર્વક અમારા આત્માની જેદશા થઈ છે, એવી જે સ્થિતિ થઈ ગઈ છે એને કારણે તમને લોકોને મારા તરફથી થોડી તકલીફ છે. તમારા પત્રનો ઉત્તર પણ હું આપતો નથી. બીજા લોકોના કે તમારા લોકોના સમાગમમાં પણ બહુ આવતો નથી કે કોઈ એવા પરમાર્થના લખાણો-લેખ પણ હું કાંઈ કરતો નથી, જે બીજાને ઉપયોગી થાય. એ લખવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. આત્મા એ પર્યાયને સહેજે સહેજે એમ જ ભજે છે. શું કરવું મારે ? આ તમને જણાવું છું એમ કહે છે. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે ને? લલ્લુજી ઉપરનો પત્ર
એવા પર્યાયને ભજ્યા વિના.... એટલે કે એમ થયા વિના “અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. જે આગળ અપૂર્વ અપૂર્વદશા થવી જોઈએ એને હાનિ થતી હતી. અને એમ છતાં પણ....' અને એવું જાણવા અને એમ વર્તવા, પરિણમવા છતાં પણ થવાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી.” છતાં મને મારા ધાર્યા પ્રમાણે તો આવી પ્રવૃત્તિ નથી થઈ, એમ કહે છે. મને હજી સંતોષ નથી. મારા પરિણામનો મને સંતોષ નથી.
મુમુક્ષુ -જેહદે થવા જોઈએ એનથી.
પૂજ્ય ભાઈશ્રી:- જે હદે અમારે આગળ વધવું છે એ રીતે હું આગળ વધી શકતો. નથી. અને આ બધું જે પ્રારબ્ધ ઉદય છે એની અંદર જે ઉદીરણ પ્રવૃત્તિથી જવાય છે એ મને અવરોધનું અને પ્રતિબંધનું કારણ થાય છે.
મુમુક્ષુ – લલ્લુજીને પહેલીવહેલી પોતાની અંતર પરિણતિ જાહેર કરે છે. આગળના કોઈ પત્રમાં આવું નથી આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – એમને તો શું છે કે એ પ્રારબ્ધ ઉદય છે. પેલા ત્યાગી છે. એને એ વિચારવા જેવો વિષય છે. કે આને તો કોઈ પૂર્વકર્મની સજા છે કે કુંટબ અને વેપારની વચ્ચે કુદરતે નાખ્યા છે. આપણે છૂટ્યા છીએ પણ આપણે શું કરીએ છીએ ? કેમકે એ તો કુટુંબ-પરિવાર છોડીને નીકળી ચૂક્યા હતા. એ રીતે પણ કાંઈ મુમુક્ષુની ભૂમિકાવાળા જીવને જ્ઞાનીની દશા ઉપરથી પુરુષાર્થની પ્રેરણા થાય અને આત્મહિતનો કોઈ બોધ મળે એ હેતુ છે.
“અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. આગળ લખે છે (કે) જતી વખતે હું ક્યાંય ઉતરવા માગતો નથી. “અને અમારા જવાના પ્રસંગ વિષે હાલતમારે બીજા કોઈ
Page #356
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૦
૩૩૯ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી...” કોઈ મુમુક્ષુને તમે જણાવશો નહિ કે અમે મુંબઈથી “વવાણિયા' જઈએ છીએ એટલે આ રસ્તેથી (જઈશું). જે રસ્તો છે એ રસ્તે પસાર થવું પડે. એ કોઈને જણાવતા નહિ.
કેમકે તી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય...” વળી કાંઈ તર્ક-વિતર્ક કરે, શંકા કરે. કેમ કોઈને જણાવ્યું નહિ? કેમ એમનેમ સીધા વયા ગયા હશે? કાંઈ નહિ તો આપણને દર્શનનો લાભ થાત. કેમ એમ રાખ્યું હશે ? એવું શું કારણ બન્યું હશે? એવું કાંઈ હશે ? એવી કોઈ શંકા-તર્ક-વિતર્ક કરે. એટલે કોઈને તમે જણાવતા નહિ. સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું. એ જ વિનંતિ.” જેમ મથાળા બાંધતા નથી એમ ઘણી વાર નીચે પણ પોતે કાંઈ લખતા નથી. કોઈવાર લખે છે, કોઈ વાર નથી લખતા. ૬૨૦નો બાકીનો ભાગ ત્યાં પૂરો થાય છે.
પત્રાંક-૬૨૧
મુંબઈ, આષાડ વદ ૦)), સોમ, ૧૯૫૧ તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણો જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ક્લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્વાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાયતે થવા દેવું યોગ્ય ભાસે છે.
વવાણિયેથી વળતી વખતઘણું કરી સમાગમનોયોગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો, પણ ઉદયવશાતુ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું. અને હાલ કંઈ પણ તેવું થયું
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ચજહૃદય ભાગ-૧૨
છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકારમને સંભવતો નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્યર્થ જણાવવા યોગ્ય છે.
આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તિત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્નસમાધાનાદિલખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેચવામાં લક્ષવિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે એમ વિચારથી પણ બીજા પ્રકારતેની સાથે આવતા. જાણીને પણ સંક્ષેપે પ્રર્વતીય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ.
એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.
આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશો. એ જ વિનંતિ.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૧.
પત્રાંક-૬૨૧
૬૨૧મો ‘અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે.
તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે...” “અંબાલાલભાઈને શું કહે છે? કે તમને અમારા સમાગમની જિજ્ઞાસા એટલે ભાવના છે, બીજા પણ જે સત્સંગની નિષ્ઠાવાળા... સત્સંગની નિષ્ઠા એટલે શું ? કે સત્સંગ મળવાથી આત્મહિત થશે એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે અને એ રીતે જે સત્સંગમાં આવે છે. વિરૂદ્ધ અભિપ્રાય રાખીને નથી આવતા. સમૂહ વધે ત્યારે કાંઈક પ્રકાર બને. આ તો જેને અહીંયાં આ રીતે સત્સંગ કરવાથી કાંઈક મને આત્મહિત થશે એવી નિષ્ઠા છે), બીજો કોઈ હેતુ અંદરમાં નહિ.
એવા “સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા...” એટલે ભાવના રહે છે. અહીંયાં જિજ્ઞાસાનો અર્થ ભાવના લેવો. તે પ્રકાર જાણ્યામાં રહે છે. એટલે તે વાત અમારા ખ્યાલમાં છે. પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી.” એ વિષેનો વિચાર, અમુક કારણોનો તે વિષેનો વિચાર કરીએ છીએ ત્યારે સમાગમની પ્રવૃત્તિ થતી નથી અથવા કરવામાં આત્મા ના પાડે છે કે નહિકરવી. બીજા સત્સમાગમમાં આવે છે એ
. એ વિચારોને અને તમારા આવનારાઓને પ્રવૃત્તિ સાથે સંબંધ હોવાથી તમને લખતા મને સંકોચ થાય છે. કે આવી વાત ગુપ્ત રાખવી જોઈએ. તમને કહેવી ન જોઈએ.
મુમુક્ષુ – “અંબાલાલભાઈને વાત લખે છે?
પૂજ્ય ભાઈશ્રી :– હા. “અંબાલાલભાઈની સાથે એક આખું Group હતું. ખંભાતનું એક Group હતું. ખંભાતમાં ઠીક ઠીક માણસો “અંબાલાલભાઈના હિસાબે પરિચયમાં આવ્યા હતા. અને એ લોકો નિવૃત્તિક્ષેત્રમાં જ્યાં જાય ત્યાં બધા સાથે જાય, સ્વાભાવિક છે. એમને એ બાબતની અંદર, એ પ્રકારથી બધા સમાગમમાં આવે, એ કેટલાક કારણોનો વિચાર કરતાં એમનું મન પાછું પડતું હતું. કે આ રીતે મારે સત્સંગનો પ્રસંગ ગોઠવાયએ મને બરાબર નથી લાગતું.
મુમુક્ષુ –એટલા કારણો એટલે આ ઉદય?
પૂજ્ય ભાઈશ્રી:-ના.કારણોમાં એ છે કે પેલા લોકો ભક્તિ વધારે કરે છે. અને એ એમને ગમતી વાત નથી. આ બધી લોકોત્તર Line છે આખી. સામાન્ય રીતે કોઈ બહુમાન આવે ત્યારે જીવને અંદર ગમે, સારું લાગે. આ એથી વિરુદ્ધ જાય છે. બહુ સારો
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૨ પત્ર છે. શું કહે છે એટલે તો અમને લખાણ લખતા ચિત્ત સંક્ષેપ થાય છે.
જોકે કંઈ પણ તે વિષે સ્પષ્યર્થથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ફ્લેશ પ્રાપ્ત થવા દેવાનું કે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય... જો આ બાબતમાં કેટલીક ચોખવટ કરી હોય તો તમને ખ્યાલ આવી જાય કે આમના કાગળના જવાબ ધાર્યા નહિ આવે અને આ બહુ સમાગમ પણ ઇચ્છતા નથી. એવું જો જણાવી દઈએ તો તમને આકુળતા ન થાય. ક્લેશ થાય એટલે આકુળતા. કેમ મારા પત્રનો જવાબ ન આવ્યો? કેમ મને ત્યાં આવવા માટે ના પાડે છે? અથવા હા ન પાડી? એ જાતની આકુળતા એને ન થાય. અમારા પ્રત્યેથી જે થાય છે એ ન થાય. જો તમને કેટલીક સ્પષ્ટ વાત કરી દીધી હોય તો તમને પછી એમ ન થાય કે આમ કેમ કરે છે? એમ ન લાગે. કેમકે તમે એમ થવાનું કારણ જાણો છો. તે સવાલ થવાનો સંભવ ઓછો થાય.
પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં. પણ એવું ચોખ્ખું લખતાં ચિત્ત ઉપશમ પામ્યા કરે છે,” લખતા લખતા વળી પરિણામ પાછા વળી જાય છે. આવી વાત ક્યાં લખવી. “એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું એમ યોગ્ય લાગે છે. આવું લખવું એના કરતા જે થાય તે થવા દેવું. “વવાણિયેથી વળતી વખત. પછી નીચે ચોખવટ કરશે, આ Paragraph પછી. “વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમનો યોગ થશે.' જતી વખતે નહિ પણ વળતી વખતે સમાગમનો યોગ થશે.
ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દિશા નથી. અત્યારે કોઈ વધારે તમારો સમાગમ થાય એવું હું ઇચ્છતો નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો. એટલે પોતાને એકાંતમાં રહેવાની ઘણી ઇચ્છા છે. નિવૃત્તિક્ષેત્રમાં પણ એકાંતમાં રહેવું છે. એટલે પહેલેથી જ આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો. “અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો....... અને
એકાંતમાં રહેવું એ મારા આત્મા માટે મને શ્રેયકારક લાગતું હતું. પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયોપહેલેથી જ આમ લાગતું હતું. પ્રથમથી એટલે બહુ પહેલેથી આમ લાગતું હતું કે આ આજુબાજુ ટોળું ન વધે તો સારું. પણ ઉદય જ એવો છે કે ઘણા ભાઈઓનો સમાગમ પ્રાપ્ત થઈ ગયો. ઘણાને પરિચય થયો, ઘણા સમાગમમાં આવ્યા, ઓળખાણમાં આવ્યા. જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું અને એ વખતે જ ખ્યાલ આવ્યો હતો કે આ આપણે બંધન વધ્યું,
Page #360
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૧
૩૪૩ આટલો પ્રતિબંધ વધ્યો. જેટલો પરિચય વધ્યો એટલો પ્રતિબંધ વધ્યો. અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. પહેલેથી એમ લાગ્યું હતું એ વાત હવે પાકી થઈ ગઈ છે. એમ જ થયું. આ તો બીજું કાંઈ નથી થયું. જે ખ્યાલમાં આવ્યું હતું એવું જ બન્યું છે એમ લાગે છે.
વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. મારે જો મારા આત્મામાં વિશેષ વિકાસ કરવો હોય, આત્મિક વિકાસ કરવો હોય તો મારે આ સંગ ઓછો કરી નાખવો જોઈએ. એટલે એ પ્રતિબંધ ન થાય, ન થાય એવું મને લાગે છે. પ્રતિબંધ થવા યોગ્ય હું નથી. મને નુકસાન કરવું એ મને પાલવે નહિ એમ ચોખ્ખું કહે છે. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્યર્થ જણાવવા યોગ્ય છે. હવે એનો ખુલાસો કરીએ છીએ. ચોખ્ખી વાત લખીએ છીએ. સ્પષ્ટ એટલે ચોખ્ખું. અર્થ એટલે ભાવ.ચોખ્ખો ભાવ જણાવીએ છીએ.
આ આત્માને વિષે....” એટલે અમારો આત્મા-પોતાને માટે, “આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તત્વ જાણી.” વ્યક્તપણું. વ્યક્તત્વ એટલે વ્યક્તપણે જાણી ‘તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી...લ્યો, ઠીક ! હદ કરે છે ને! ચોખ્ખું લખી નાખે છે. આવું મારે ચોખું નહોતું લખવું જોઈતું પણ હવે લખી નાખું છું. મને ગુણ પ્રગટ થયા છે. વ્યક્ત થયા છે એટલે ગુણનું વ્યક્તપણે અમારામાં થયું છે, પ્રગટપણું થયું છે એમ તમે લોકોએ જાણ્યું અને તેથી મુમુક્ષુ ભાઈઓને મારા પ્રત્યે ભક્તિ વર્તે છે પણ એવી યોગ્યતા મારી નથી. તમે મારી ભક્તિ કરો એવી મારી યોગ્યતા નથી.
મુમુક્ષુ -નિમનતા બતાવવા નથી લખ્યું પણ ખરેખર એમ લખ્યું છે. પૂજ્ય ભાઈશ્રી –ખરેખર એમને એની અપેક્ષા નથી. કોઈ ભક્તિ કરે એ અપેક્ષા એમની નથી. કે આમાં શું થઈ ગયું ? એમાં શું છે ? આ બહુ મેળવવા જેવો વિષય છે, વિચારવા જેવો વિષય છે.
સોગાનીજીએ ચર્ચામાં એક જગ્યાએ કહ્યું છે કે “સમ્યગ્દર્શન હો ગયા તો ક્યા હો ગયા?’ ગુણ પ્રગટ થયા ને? અનંત ગુણ પ્રગટ થયા તો ક્યા હો ગયા? સિદ્ધાલયમાં અનંત સિદ્ધો બિરાજે છે. હું તો હજી અનંતમા ભાગે છું. અનંત આત્માઓ સિદ્ધાલયમાં સિદ્ધપણે બિરાજે છે. કેમ એની કોઈ ભક્તિ કરતું નથી ? અરે! અત્યારે કોઈને નામની ખબર નથી કે ક્યા કયા નામ? એનું નામ છેલ્લે શું હતું? છેલ્લે શું નામ હતું ? આમ તો
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪
ચજહૃદય ભાગ-૧૨ અનંત નામ થઈ ગયા. કોઈ નામ પણ જાણતા નથી. અને સમ્યગ્દર્શનની વાત કરો, પંચમ ગુણસ્થાનની વાત કરો તો અઢી દ્વીપની બહાર સ્વયંભુરમણસમુદ્રમાં અસંખ્યાત સમ્યગ્દષ્ટિઓ અત્યારે હયાત છે. કેટલા? કરોડો-અબજોથી બહાર આગળ જાવું પડે. અસંખ્યાત સમ્યગ્દષ્ટિ અત્યારે છે. માટે સમ્યગ્દર્શન થઈ ગયું એટલે કાંઈ બધું થઈ ગયું, આગળ થઈ ગયું કાંઈ, અમને તો એવું કાંઈ લાગતું નથી.
મુમુક્ષુ -એ જવાત અહીં લીધી છે.
પૂજ્ય ભાઈશ્રી:- એ વાત લીધી છે, એ વાત અહીં લીધી છે. બેઠા એમાં કોઈએ. પાછળ તકિયો આપ્યો. આ તો વિનય કરવાની પદ્ધતિ છે જરા. પાછળ જરા તકિયો રાખો, સરખી રીતે આરામથી બેસાય. કાંઈ નહિ. આટલી બધી મુસાફરી કરીએ છીએ.
ક્યાંક કેવી રીતે રહેવું પડે છે, ક્યાંક કેવી રીતે રહેવું પડે છે. “કભી કૈસા રહના હોતા હૈ, કભી કૈસા રહના પડતા હૈ.' કાંઈ નહિ. એવું માન એને મળે એ પોતે ઇચ્છતા નથી. અંતરથી જ ઈચ્છતા નથી. એમ છે ખરેખરતો.
મુમુક્ષુ- “સુનના સુનાના નુકસાનકા ધંધા હૈ'.
પૂજ્ય ભાઈશ્રી:- હા. “સુનના ઔર સુનાના દોનોં નુકસાન કા કારણ હૈ. પોતે પણ એકાંતથી પોતાનું સ્વરૂપસાધન કરવા માગે છે. અને પોતે અવિરત સમ્યગ્દષ્ટિ છે એટલે બીજા સંસારી જેટલી જ એની ખાણી, પાણી, રહેણી, કરણી અને બહારની જરૂરિયાતો દેખાય છે. તો અંદરમાં એ પોતાના આત્માને નિંદે છે કે નિરાલંબ નિરપેક્ષ એવું આ મારું તત્ત્વ અને આટલા બધા અવલંબન શેના? એને તો ખેદ છે. એ વિષયનો એને પોતાને ખેદ વર્તતો હોય છે. ખેરવર્તે છે. અને એ રીતે બધું આખી એની વિચારણા ચાલે છે. બીજા માન આપે,વિનય કરે એ ખાતું જુદું એનું. એનું એ જાણે, મારે શું પણ ? મારા ખાતામાં મારે શું સમજવાનું છે? તમે એમ કહો કે ભાઈ ! તમે મોટા કરોડપતિ. પણ મારે તો ખીસામાં નોટ હોય એટલું સમજવાનું ને ? કે ભલે આબરૂ કરોડપતિની હોય પણ આપણી પાસે જે છે એ આપણને ખબર છે. બીજા કરોડપતિ કહે એટલે પચાસ લાખનું દાન દઈ દે તો દેવાદાર થાય. શું થાય? કાંઈ હોય તો નહિ. એટલે એ પોતે બરાબર સમજે છે કે મારી શું સ્થિતિ છે અને મને શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ.
“તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે... આ મેં બહુ વિચાર કરીને નક્કી કરેલી વાત છે. અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૫
પત્રાંક-૬૨૧ ચિત્ત રહ્યા કરે છે;” બીજાના પરિચયમાં અને સમાગમમાં જ આવવું નહિને. એનાથી દૂર જ રહેવું. સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમ જપત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. એને પત્ર લખવાની પણ ઇચ્છા થતી નથી. એને એમ થાય કે પત્ર આવે એને જવાબ દેવો એવું કાંઈ નહિ. આપણે અંદરથી આપણું કામ કરવામાં સમય વ્યતીત કરો. આમાં શું છે કે એક ડોક્ટર હોય અને બહારમાં રોગ ફાટી નીકળ્યો હોય. દવા લેવા માટે ટોળાં બહાર બેઠા હોય. ડૉક્ટરની શું દશા થાય? માંદો પડે. શું થાય? કેમકે એને સતત એક પછી એક, એક પછી એક. કોઈ ખૂટતા જ
નથી.
એમ એ જોવે છે કે જગતની અંદર આત્માના રોગી કેટલા?આખું જગત રોગી છે. તો મારે કેટલાને સમજાવવા છે? કે તારે તો હજી અહીં બાકી છે એ પૂરું કરવાનું છે. હું સમજ્યો. સમજીને તારે તારું આગળ પૂરું કરવાનું બાકી છે કે તારે હજી લોકોને સમજાવવાનું બાકી છે ? કરવું છે પહેલાં? એ વિષયનો ઉદય હોય તોપણ જ્ઞાની મર્યાદા રાખે છે, એને Break મારતા જાય છે અને પ્રવૃત્તિ અને પરિણામમાં એને સંકોચ થતો જાય છે. એ એની અંદરની બહુ નિર્ણય કરેલી પરિસ્થિતિ હોય છે. એ વિષયમાં પણ એમણે નિર્ણય કરી નાખ્યો હોય છે. એટલે કહે છે કે બહુવિચારથી. એમ.
બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. તમે પણ મારો વિચાર કરજો. થોડોક મારો વિચાર કરજો. અને મારા ઉપર થોડો કૃપાભાવ રાખજો, એમ કહે છે. ક્યાંક ક્યાંક લખે છેને? કૃપા રાખજો.
પ્રશ્ન-સમાધાનાદિલખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. એ પણ વિકલ્પ બહુ ઓછો આવે છે એટલે એ ઉદય પણ ઓછો છે એમ અમે સમજીએ છીએ. ઉદીરણ કરીને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા નથી એટલે એ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે; વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી એટલે એમાં વિશેષ જાગૃતિ રાખ્યાથી. વેપાર-ધંધો વિશેષ લક્ષથી કરવો એમ નહિ પણ વ્યાપારાદિઉદયમાં વેચવામાં એટલે અનુભવ કરવામાં વિશેષ લક્ષ રાખવાથી. એટલે અંતરનું લક્ષ વિશેષ લક્ષ રાખવાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે. બીજી પ્રવૃત્તિ જે બહારની શુભ પ્રવૃત્તિ છે તે સહેજે ઘટી શકે છે. એમ વિચારથી
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૨ પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને...' એટલે ભક્તિ આદિના જાણીને. પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ.’ એ પણ વળતી વખતે. અને ઘણું કરીને બનશે તો. એમ.
એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય....’ તમને અમારા માટે ગુણ પ્રગટ્યા છે એવું ભાસતું હોય અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો;...’ એટલે શું છે ? કે તમે કઈ અનુચિત પ્રવૃત્તિ કરો છો એમ મારું કહેવું નથી. હું મારા પક્ષે વિચાર કરું છું તો મને આ અપેક્ષા નથી. તમારા પક્ષે જો તમને એમ લાગતું હોય તો તમને ઠીક લાગે એમ કરવા તમે સ્વતંત્ર છો.
પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી....’ તમે મહેરબાની કરીને એનો ફેલાવો કરશો નહિ. મારી આબરૂ-કીર્તિ વધારવાનો કોઈ તમે પ્રયત્ન કરતા નહિ કે મારી પ્રસિદ્ધિ થાય એવો પણ તમે કોઈ પ્રયત્ન કરતા નહિ. મારા વિષે ચર્ચા કરતા નહિ. હવે તમે જે આવી ગયા એ આવી ગયા નજીકમાં. કેટલીક પાત્રતા એમણે જોઈ છે. એ પાત્રતાવશ એમની એમના પ્રત્યે કરુણા પણ છે. પણ એ બધી વાતની અંદર અંદરના પુરુષાર્થને અને બહારની પ્રવૃત્તિનું જે Adjustment છે એ ઘણો સૂક્ષ્મ અને બહુ સમજવો થોડો સૂક્ષ્મ પડે એટલા માટે એ સૂક્ષ્મ હોવા છતાં પણ એ સમજવા યોગ્ય છે કે એ કેવી રીતે પોતે એ વિષે વિવેક કરે છે.
યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી...’ ચોખ્ખું લખે છે. કેવો ઉદય છે ? ચોથા ગુણસ્થાને જે અવિરતિરૂપ ઉદય છે એની અંદર બધા જ સંસારના કાર્યો જે છે એ પ્રકારનો ઉદય છે. જેવો મનુષ્યગતિમાં સામાન્યપણે બધાને હોય એવો ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે;..' લોકોને એ વાત સમજાય એવી નથી. સહેજે ન સમજાય એ અમારો ખ્યાલ છે. સમજવી કઠણ પડે એવી છે અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય;...' તો એવા જીવોને વિરાધના થાય.
કેમકે એક બાજુથી તો તમારા લોકો તરફથી એને એમ જાણવા મળ્યું હોય કે ભાઈ આ જ્ઞાનીપુરુષ છે, તમારે લાભ લેવો હોય તો લેવા જેવું છે. બીજી કોરથી ‘મુંબઈ’ જેવું શહેર છે. એમ થાય કે લાવને એમની દુકાન બાજુથી નીકળીએ. જ્ઞાની બેઠા બેઠા શું કરે છે જોઈએ તો ખરા. ત્યાં કાંઈ દુકાને માળા લઈને તો બેઠા ન હોય કે પદ્માસન
Page #364
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૧
૩૪૭ વાળીને ધ્યાનસ્થ અવસ્થામાં કાંઈ થડે બેઠા ન હોય, ત્યાં તો વેપાર-ધંધો, ટેલિફોન, તાર-ટપાલ જે કાંઈ ચાલતું હોય એ બધું ચાલતું હોય. Routine work તો Routine work જેનો જે ધંધો હોય એ પ્રમાણે ચાલતું હોય. હવે આવા કાંઈ ભાળ્યા? હવે આવા તે (જ્ઞાની) હોતા હશે કાંઈ ? એક વખત એને જાણવા મળે, બીજી વખત એને વિરોધાભાસી ભાવ ઉત્પન્ન થાય. શું થયું એનાથી સત્પરુષની વિરાધના થઈ ગઈ.
તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. કેમકે પૂર્વના મહાપુરુષો તો સર્વસંગપરિત્યાગ કરીને પ્રસિદ્ધિ પામ્યા છે અને બીજાને ઉપદેશ આપ્યો છે. હવે અમે તો આ સંસારમાં બધી જંજાળ વચ્ચે બેઠા છીએ. દુકાન, ધંધો, કુટુંબની બધી જંજાળ વચ્ચે બેઠા છીએ. એ જંજાળ વચ્ચે કોઈને પરમાર્થનો ઉપદેશ આપીએ તો આગળના મહાપુરુષોએ જે એ બધી દશાથી આગળ નીકળીને સર્વસંગપરિત્યાગ કરીને પછી જે ઉપદેશ આપ્યો એ અનુક્રમે એ થવું જોઈએ. અમે પણ એમ માનીએ છીએ કે એવા અનુક્રમથી એ થવું જોઈએ. તો એ અનુક્રમનું અમે ખંડન કર્યુંગણાય.
મુમુક્ષુ - પૂજ્ય ભાઈશ્રી –બહુ સારું છે. મુમુક્ષુ –આવું કોઈ જ્ઞાની આટલું સહેલું માર્ગદર્શન... -
પૂજ્ય ભાઈશ્રી - બહુ સમજવા જેવો વિષય) છે. આ તો એટલા બધા પડખાં એમણે ખોલ્યા છે. પત્રો દ્વારા પણ એટલી બધી વાત ખોલી છે કે મુમુક્ષુ માટે તો એ સ્વાધ્યાયનો અસાધારણ ગ્રંથ છે. એ તો સ્વીકાર્યા વિના ચાલે એવું નથી.
મુમુક્ષુ -. જ્ઞાની માટે આ બધું...
પૂજ્ય ભાઈશ્રી:-હા, જ્ઞાની માટે પણ વાત છે. ચોક્કસ વાત છે. પૂજા, ભક્તિ કરે, બીજા બહુમાન આપે પણ તને શું થાય છે એ તો કહે. મારી તો આ સ્થિતિ છે કે હું અવિરત દશામાં છું, હું તમારી ભક્તિને યોગ્ય નથી. અને જો મને અપેક્ષાવૃત્તિ થાય તો એ પાપ લાગ્યા વિના રહે નહિ. આમ છે. બહુ નિર્દોષતાનો માર્ગ છે. માર્ગ છે એ બહુ નિર્દોષતાનો માર્ગ છે.
આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય....” ત્યાં ખંભાતમાં. તેમને હાલ નહીં. અત્યારે ને અત્યારે નહીં પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે....” એટલે એની પરિસ્થિતિ જોઈને. એનો અર્થ શું છે? કે ગમે તે વાત ગમે તે વખતે કરવા
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
રાજહૃદય ભાગ-૧૨ જેવી નથી. આ વાત પણ તમારે પ્રસંગ જોઈને, સામાની પરિસ્થિતિ જોઈને આ વાત પ્રત્યે તમે એનું લક્ષ દોરજો. કે ભાઈ ! પોતે કાંઈ નથી ઇચ્છતા. તમે જરા સંભાળજો. જેટલો સમાગમ મળે એમાં સંભાળીને જે તમને આત્માને હિત થાય એવું કરી લેજો. પણ એવું કાંઈ ન કરતા કે જેથી એ તમને કહે કે હવે ભાઈ! મારે તમારી વચ્ચે આવવું નથી એમ ન થઈ જાય. તમે ધ્યાન રાખજો. તમે પણ બહારમાં એ જાતનું Adjustment રાખજો. એકદમ એવી રીતે નહિ લાગી પડતા કે જેથી અમને એકદમ તીવ્ર વૃત્તિ થઈ જાય કે છોડો આ બધાને હવે. ચાલ્યા જાવ ક્યાંક ગુફામાં. એવું થાય નહિ ક્યાંક એટલે તમને ભલે ગુણ પ્રગટેલા લાગે, ભક્તિ આવે, સંભવિત છે. એ પણ અસ્થાને વિષય નથી. એટલે એટલું લીધું છે કે તમે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ તમે કરવા યોગ્ય છો. એટલે ત્યાં એને એનો ભક્તિ-વિનય છે અને સ્થાપ્યા છે. એટલે એ એના તરફથી વાત છે, એના પક્ષે વાત છે. મારા પક્ષે આમ વાત છે, તમારા પક્ષે આમ વાત છે. બે પરસ્પર વિરુદ્ધ છે. સંભાળીને ચાલવાનું છે.
તમને વિનય-ભક્તિ આવે. એ ભૂમિકામાં જો ન આવે તો કાંઈ કામ થાય એવું નથી. એ વાત બહુ સ્પષ્ટ છે. એ તો પુરુષના વિનય-ભક્તિ માટે તો ઠામ ઠામ (અનેક) જગ્યાએ લખ્યું છે. પણ અમારા પક્ષે વાત સાવ બીજી છે અને તદ્દન વિરુદ્ધ છે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાની વાત છે. એમ એટલું લખવા માટે એમને થોડો સંક્ષેપ થયો છે. થોડું મને સંકોચાડ્યું છે તોપણ લખી નાખ્યું છે. લાવ જરા હવે સ્પષ્ટ લખી નાખીએ છીએ. માટે હવે તમે કોઈ અમારો પ્રચાર કરતા નહિ અને સમાગમમાં આવો તોપણ આ બધું સમજીને આવજો, ધ્યાન રાખજો, લક્ષ રાખજો. અમારી આ વૃત્તિ છે. આ અમારી સમજણ છે, આ અમારી યોગ્યતા છે, આ અમારો પ્રકાર છે. બધું ચોખું કરી નાખ્યું.(અહીં સુધી રાખીએ)
જ્ઞાનીપુરુષના વચન આગમ જ છે. તેવો દૃઢ વિશ્વાસ ન હોય તેને શાસ્ત્રની. સાક્ષી મેળવવાનો વિકલ્પ આવે છે તે શાસ્ત્ર સંજ્ઞા' નામનો દોષ છે – આવો દોષ સ્વચ્છેદરૂપ હોવાથી મહાદોષ છે. જેમાં જ્ઞાની પ્રતિ અવિશ્વાસ રહ્યો છે.
(અનુભવ સંજીવની–૧૪૬૩)
Page #366
--------------------------------------------------------------------------
________________
પત્રોક-૬ ૨૨
૩૪૯
પત્રાંક-૬૨૨
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશોઃ
ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદ પરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્બસ પરિણામ કહ્યાં છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ “અનંતાનુબંધી સંભવે છે. તેમ જ હું સમજ છું, “મને બાધ નથી', એવા ને એવા બફમમાં રહે, અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે.
જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વખદશાનું પરિક્ષણપણું સંભવે.
૧. પત્રાંક ૬૧૩
તા. ૧૫-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૨ થી ૬૨૪
પ્રવચન નં. ૨૮૪
પત્ર છે ૬૨મો. પાનું ૪૭૭. અનંતાનુબંધીનો બીજો પત્ર છે. અનંતાનુબંધી કષાયના વિષયમાં એક પત્ર ૬ ૧૩ આગળ ચાલી ગયો છે.
“અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો:- એ સંબંધીનો સ્પષ્ટ અહીંયાં વિશેષ અર્થ છે એટલે સ્પષ્ટ સમજાય એવો
અર્થ છે.
‘ઉદયથી.’ ઉદયથી એટલે ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને
Page #367
--------------------------------------------------------------------------
________________
૩પ૦
રાજહૃદય ભાગ-૧૨ વિષે પ્રવૃત્તિ થાય. કોઈ પણ ઉદયકાર્યમાં પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં “જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈન સંભવે શું કહે છે કે જ્ઞાની તો ઉદયથી ભિન્ન પડે છે તેથી બાહ્યાંશમાં તેને નિષેધ અને ઉદાસીનતા હોય છે પણ મુમુક્ષુને એ પ્રકારનો જાગૃતિપૂર્વક કાંઈક પ્રયત્ન હોવો જોઈએ. ઉદય પરિણામમાં તીવ્ર રસ કરીને પ્રવર્તતા આત્માને વિશેષ અહિત થાય છે. અહિત થાય છે એટલે અશાંતિ થાય છે, દુઃખ થાય છે. જો પરિણામમાં રસ મંદ હોય તો એ પ્રકારનો પ્રયત્ન કર્તવ્ય છે. અને તો જ્ઞાનીની આજ્ઞા ઉપર એણે પગનમૂક્યો એમ ગણાય. શું કહેવું છે?
ઉદય પરિણામમાં રસ મંદ પડવો જોઈએ એ સિદ્ધાંત છે. જ્ઞાનીને તો સહજ છે. મુમુક્ષુને પોતાના હિતની કાળજીથી, પોતાના હિતની દરકારથી, હિત-અહિતની સમજણને લઈને એ રસ મંદ પડવો જોઈએ. જો રસ મંદ ન પડે તો એણે પોતાના અહિતની કાંઈ પણ ચિંતા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની દરકાર કર્યા વગર જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યો છે, એમ કહેવું છે.
જો કાંઈ જાગૃત થઈને પ્રયત્ન રાખે તો એણે જ્ઞાનીની આજ્ઞાને અનુસરવાનો કાંઈ અંશે પણ પ્રયત્ન કર્યો છે માટે એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દેવા માગતો નથી. આ મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનુબંધી કષાય તો છે. એવું નથી કે મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનુબંધી કષાય નથી હોતો. છતાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈન સંભવે એમ કહે છે તો જ્ઞાનદશા તો થઈ નથી. પત્ર તો મુમુક્ષુને લખ્યો છે. સિદ્ધાંતિક રીતે આપણે એમ સમજ્યા છીએ કે મિથ્યાદર્શનના છેલ્લા સમય સુધી અને સમ્યગ્દર્શનના પૂર્વ સમય પહેલા, એક સમય પૂર્વ, અગાઉ અનંતાનુબંધીનો કષાય વિદ્યમાન હોય છે. છતાં એની અંદર એક ભેદ છે કે અનંતાનુબંધી કષાય એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા બરાબર છે. તોપણ જો જીવ આત્મહિતની જાગૃતિથી ઉદાસભાવ સંયુક્ત અથવા મંદ પરિણત બુદ્ધિથી જો પ્રવર્તે તો એણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ નથી મૂક્યો, અમે એમ કહીએ છીએ. નહિતર નિરળ પ્રવૃત્તિ છે. આગળિયા વિનાની એની પ્રવૃત્તિ છે. એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે છે. એમ કહેવું છે.
મુમુક્ષુ-મુમુક્ષુએવિવેક કરવો.
પૂજ્ય ભાઈશ્રી -હવે અનંતાનુબંધી તો છે જાણે. અનંતાનુબંધી તો છે. હવે એમ માની લે કે છેક અનંતાનુબંધી છે. અજ્ઞાનદશામાં તો હોય જ. એમ નથી વિચારવાનું. કાંઈક બીજી વાત છે એની અંદર. જ્ઞાનીને ન હોય અને અજ્ઞાનીને હોય. જ્ઞાની થયા
Page #368
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૨
૩૫૧ પછી અનંતાનુબંધી ચાલ્યો ગયો. એક ચોકડીનો અભાવ થયો. અજ્ઞાનીને તો હોય જ ને. આ ચારિત્રના પરિણમનમાં, ચારિત્રગુણના પરિણમનમાં આવી રીતે પોતે નિરર્ગળ પ્રવૃત્તિ કરે છે અને અજ્ઞાન દશા છે એટલે વાંધો નથી. જાણે કે વાંધો નથી. એવો એની અંદરથી આશય નીકળે છે. તો જ્ઞાની ના પાડે છે. એમ ન હોય, એમન થાય.
અજ્ઞાનદશાની ભૂમિકામાં પણ તારું અહિત શેમાં છે અને હિત શેમાં છે એની યથાર્થ સમજણ કરીને મંદ રસ પરિણામયુક્ત પ્રવૃત્તિ સંભવે છે. નિર્મળ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. નહિતર જ્ઞાનીની આજ્ઞા ઉપર તે પગ મૂક્યો છે. આ પગ મૂકવા માગતો નથી તું. એમાંથી પગ ઉપાડી લેવા માગે છો), અનાદિથી મૂક્યો છે એ તું છોડી દેવા માગે છે. જુદી વાત થઈ જાય છે. ઓલી જુદી વાત થઈ જાય છે, આ જુદી વાત થઈ જાય છે. ભલે અનંતાનુબંધી ત્યાં હોય તોપણ.
મુમુક્ષુ – જ્ઞાનીની આજ્ઞા માને તો દર્શનમોહ મંદ થાય. દર્શનમોહ મંદ થાય તો ચારિત્રમોહમંદ થાય જ.
પૂજ્ય ભાઈશ્રી :- થાય જ. અને કદાચ કોઈ પ્રસંગે ઊગ્ર થઈ ગયો હોય તો એને એટલો હિસાબ ગણવા જેવું નથી, જેટલો ચારિત્રમોહનો હિસાબ ગણવાની છે. આવી જ ભૂલ એક જ્ઞાનના ક્ષયોપશમમાં જીવો કરે છે, કેટલાક વિદ્વાનો કરે છે. જ્ઞાનીને મતિશ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે અને અમને પણ મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે. વળી કેટલાક જ્ઞાની કરતા તો અમારો એવો સરસ ઉઘાડ છે કે એને અર્થન આવડે એવો અર્થ અમે ગાથાનો અર્થ, શાસ્ત્રનો અર્થ સમજીએ છીએ. એમનું તો અમારા જેટલું મગજ નથી. છે તો મતિ-શ્રુતને? એવું નથી.
એનું મતિ-યુત નિર્મળ છે અને તારું મતિ-શ્રુત દર્શનમોહ અને ચારિત્રમોહથી મલિન છે. એમાં બહુ મોટો ફેર છે. અંધારા-અજવાળા જેટલો ફેર છે. અને મુમુક્ષુની ભૂમિકામાં પણ જેટલો દર્શનમોહ મંદ છે, જેટલો દર્શનમોહનો અનુભાગ યથાર્થ સમજણથી, યથાર્થ પદ્ધતિથી, પ્રયોગાદિની કાર્યપદ્ધતિથી કાપ્યો એટલે એની ભૂમિકાનું જ્ઞાન, મુમુક્ષુની ભૂમિકાનું જ્ઞાન નિર્મળતાને પામે છે. કે જે નિર્મળતાને વશ જીવને પોતાના સ્વરૂપનું ભાવભાસન થાય. આમ પ્રકાર થાય છે. મતિ-શ્રુતનો ઉઘાડ છે, મતિશ્રુતનો એવું જાડું લઈ લ્ય. બધાયને મતિ-શ્રુતનો ઉઘાડ છે, બધાયને મતિ-શ્રુતનો ઉઘાડ છે, એમ લેવા જેવું નથી.
“જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્તિ થાય. કોઈપણ જાતની દરકાર વગર,ચિંતા વગર, ભય વગર.
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉપર
જહૃદય ભાગ-૧૨ ભવનો ભય તો હોવો જોઈએ ને. મુમુક્ષુ તો એ છે કે જેને ભવભ્રમણનો ભય છે. જેને ભવભ્રમણનો ભય નથી તે મુમુક્ષુ નથી. નામધારી હોઈ શકે છે, બાકી મુમુક્ષુ નથી.
જ્યાં ભોગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા. સંભવે નહીં, મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું છે એનો કોઈ Control નથી. જ્ઞાનીની આજ્ઞાનો અંકુશ એના પરિણામ ઉપર નથી. નિરંકુશ પરિણામ વર્તે છે. તે નિરંકુશ પરિણામ આત્માને ઘણા દુઃખરૂપ છે, ઘણા દુ:ખનું કારણ પણ થાય છે. એટલે નિર્ભયપણે એમ)વાત લીધી છે.
પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે છે કે એને કાંઈ ભય નથી. ભવભ્રમણનો કોઈ ભય નથી. જે નિર્ણસ પરિણામ કહ્યાં છે; એને નિર્ધ્વસ પરિણામ કહ્યા છે. ૬૧૩માં લીધું છે ને ? નિર્ધ્વસ પરિણામ શબ્દો વાપર્યો છે એમણે ૬ ૧૩માં. પાનું-૪૭૨. ત્યાં નિર્બસ શબ્દનો અર્થ ચોખ્ખો કરવો હોય તો... ત્યાં ન થાય એટલે અહીંથી લીધું છે. જે સ્થાનેથી વિશેષ અવજ્ઞા થાય, થાય, અશુભભાવ થાય, આગ્રહ થાય... “જ્ઞાનીના વચનમાં નિર્બસ. ચોથી લીટીમાં છેલ્લો શબ્દ છે.
અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતા...... હવે એ કઈમર્યાદા છે અહીંયાં ? કે મંદરસની મર્યાદા તોડીને તીવ્ર રસ કરીને સ્ત્રીપુત્રાદિને ઇચ્છતા નિર્વસ પરિણામ કહ્યા છે. એ નિર્ધ્વસ પરિણામ છે. તે પરિણામે પ્રવર્તતાં. પણ “અનંતાનુબંધી હોવા યોગ્ય છે.'
મુમુક્ષુ:-નિર્ધ્વસ એટલે તીવ્ર પરિણામ. પૂજ્ય ભાઈશ્રી :- નિર્ધ્વસ એટલે નિર્ભય થઈને પ્રવર્તે. નિર્ભય થઈને. ભવભ્રમણના ભય વગર. જ્ઞાનીના આજ્ઞા ઉપર પગ મૂકું છું એ જાતની એની દરકાર કર્યા વિના. જ્ઞાનીની આજ્ઞાની દરકાર કર્યા વિના.
મુમુક્ષુ –એકદમ Careless.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પોતાના હિત-અહિતની કોઈ જાગૃતિ વિના અને ભવભ્રમણના ભય વિના.નિર્બસ પરિણામને આ બધા પ્રકાર લાગુ પડે છે.
સામાન્ય રીતે જીવ જગતમાં (જેમાઠા પરિણામ કરે છે એ પોતાના દેહની અનુકૂળતા, દેહાત્મબુદ્ધિથી અને દેહને અનુકૂળ એવા સ્ત્રી-પુત્રાદિ. બીજી વ્યક્તિઓ જે એની નજીકમાં-સમીપમાં છે. કે આ મને મારા અનુકૂળતાના દેનારા છે. મને અનુકૂળ રહેનારા છે. હોય કે ન હોય બીજી વાત છે. આ તો સામાન્ય રીતે (આમ હોય). કોઈકની
Page #370
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૨
૩પ૩ વાત જુદી છે. સામાન્ય રીતે. જીવ એના માટે નહિ કરવાના માઠા પરિણામ કરે છે. ખુલ્લી વાત છે. એ બધા નિર્ધ્વસ પરિણામ છે કે જે પરિણામ કરતા એને ભવભ્રમણનો ભય નથી.
મુમુક્ષુ – એટલે એ ભવભ્રમણના ભયથી ડરતા ડરતા પરિણામ કરે.
પૂજ્ય ભાઈશ્રી:-પરિણામ કરે. પછી એ લોભ હોય અને માન હોય. એ બે પ્રકૃતિ વિશેષ છે. લોભને કારણે અથવા માન પ્રાપ્તિને કારણે અથવા કોઈ અર્થ ઉપાર્જન, પૈસાને કારણે બે ચીજ એને જોઈએ છે. મનુષ્યભવમાં લોભ જતો કરવો સહેલો છે પણ માન જતું કરવું સહેલું નથી. એને ભવભ્રમણનો ડર નથી એમ કહે છે. ભવભ્રમણનો ભય નથી એ ખરેખર તો મુમુક્ષુ જ નથી. મુમુક્ષુને ઓછામાં ઓછો ભવભ્રમણનો ભય હોવો જોઈએ. કે મારા ભવનું શું? આ પરિણામ કરતાં મારા ભવનું શું? આગળના ભવોનું શું થાશે? આટલો ઓછામાં ઓછો એને ભય હોવો જરૂરી છે. નિર્ભય થઈને પરિણામ કરે તો એને અનંતાનુબંધીના નિર્ધ્વસ પરિણામ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – જ્ઞાનીને ઉપર રાખે, જ્ઞાનીને કાયમ માથા ઉપર રાખવા.
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીને તો માથા ઉપર રાખવા જ જોઈએ. નહિતર એની આજ્ઞા ઉપર પગ મૂકીને એને ચાલવું છે. આ સીધી વાત છે. અને એ નિર્ધ્વસ પરિણામ
મુમુક્ષુ-એ પ્રમાણે રાખે તો એ અંકુશમાં આવે. *
પૂજ્ય ભાઈશ્રી :- તો અંકુશમાં આવે. એને ભય લાગે. જ્ઞાનીપુરુષની અથવા શ્રીગુરુની વિદ્યમાનતામાં મોટો ફેર પડે છે. કેટલાક પ્રસંગ બની શકે જનહિ. બની શકે જ નહિ. પૂજ્ય બહેનશ્રીએ બહુ સરસ વાત કરી હતી. ગુરુદેવના ગયા પછી સોનગઢમાં એક મહિનો જરા ખળભળાટ થયો. પહેલા મહિનાની પૂજા ઉપર. મુમુક્ષુએ સૌએ ગુરુદેવને હૃદયમાં પ્રત્યક્ષ રાખવા. ભલે અહીંથી પરોક્ષ થઈ ગયા હોય તોપણ હૃદયમાં બધાએ પ્રત્યક્ષ રાખવા. બસ ! જો આ એક આજ્ઞા માને (એટલે) હજાર ભૂલમાંથી બચી જાય, સેંકડો ભૂલમાંથી બચી જાય. મારે તો પ્રત્યક્ષ બિરાજે છે. એબિરાજતા હોય અને હું આમ કરુંખરો? બસ! આટલું જોવે તો વાત પૂરી થઈ જાય.
મુમુક્ષુ:- એક વાક્યમાં ઘણું કહી દીધું.
પૂજ્ય ભાઈશ્રી - એક વાક્યમાં તો બધી વાતનો સરવાળો મારી દીધો. શું કરવું અને શું ન કરવું? બધો સરવાળો આવી ગયો. નિર્બસ પરિણામ ન થાય. પરિણામ અંકુશમાં રહી જાય. કેવી સરસ વાત કરી છે ! “ત્રિભુવનભાઈને એક Post card
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૧ લખ્યું છે પણ કેવી સરસ વાત કરી છે!
“પણ જ્યાં ભોગાદિને વિષે...” એટલે આદિ કોઈપણ ઉદયને વિષે. ભોગાદિ અથવા બીજા કોઈપણ ઉદયને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્બસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ “અનંતાનુબંધી’ સંભવે છે. તમારે અનંતાનુબંધીની પ્રકૃતિ ઓળખવી હોય તો, અનંતાનુબંધીની પ્રકૃતિને ઓળખવી હોય તો તમે કેવી રીતે ઓળખશો ? કે જેના આગળિયા વિનાના નિર્ધ્વસ પરિણામ છે એને અનંતાનુબંધી છે. જેને ભવભ્રમણનો ભય છે, જ્ઞાનીની આજ્ઞા શિરોમાન્ય કરવી છે, શીરોધાર્ય કરવી છે એને અનંતાનુબંધી હોય તોપણ એ અહીંયાંથી પાછો વળવા માગે છે. તે તીવ્ર રસ કરીને પરિણમતો નથી.
“તેમ જ.. એક તો એ ઉદયભાવના રસનો વિષય લીધો. એ ઉપરાંત બીજી વાત કરે છે. તેમ જ હું સમજું છું, “મને બાધ નથી. આ બધી વાત પહેલા નહોતો સમજતો, હવે મને બધી વાત સમજાય છે તેથી મને હવે બાધ નથી, વાંધો નથી. “એવા ને એવા બફમમાં રહે... જુઓ! કેવો શબ્દ વાપર્યો છે! ચોખ્ખો કાઠિયાવાડી શબ્દ છે. “એવા ને એવા બફમમાં રહે એને શાસ્ત્રની બે વાત જ્યાં સમજાય છે ત્યાં એને એમ થાય છે કે હું સમજું છું. એ એવા ને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે', એના પરિણામમાં જો સમજાણું હોય તો એનો રસ તૂટવો જોઈતો હતો. સમજણ એટલે જ્ઞાન.
જ્ઞાન શું કામ કરે છે ? કે જ્ઞાન સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે અને વિભાવની. અરુચિ ઉત્પન્ન કરે છે. અનાદિથી જે વિભાવની રુચિ છે, વિભાવમાં રાગની રુચિ છે એની અરુચિ ઉત્પન્ન કરે છે અને સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે. તો એને તો નિવૃત્તિ ઘટે. એની અરુચિનો વિષય થાય એમાંથી તો એને રસ તૂટે. એના બદલે હું સમજું છું માટે મને વાંધો નથી, મને જ્ઞાન છે માટે મને વાંધો નથી એવી રીતે પૂર્વવત્ પ્રવૃત્તિ કરે છે. નિવૃત્તિ નથી કરતો એટલે શું કરે છે? પૂર્વવતુ. આ સમજણ પહેલા પણ એમ જ કરતો હતો, હજી પણ એમ જ કરે છે. વચ્ચે અનિષ્ટ શું દાખલ થઈ ગયું? કે હું સમજું છું એવું બફમ વચ્ચે આવી ગયું. કે હવે તો હું સમજું છું. તું સમજતો હોય તો તારા રસમાં શું ફેર પડ્યો? આ સીધી વાત છે. તપાસી જો. તપાસ્યા વગર કેમ ખબર પડશે ? એટલે એવીજપ્રવૃત્તિ ચાલુ રાખે છે અને નિવૃત્તિ ઘટે છે.
અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય.” છે. પુરુષત્વ એટલે
Page #372
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૨૨
૩૫૫
પુરુષાર્થ. પુરુષત્વ એટલે પુરુષાર્થ). જો જીવ સંશી પંચેન્દ્રિય છે અને પુરુષાર્થ કરવા માગે તો એનાથી થઈ શકવા જેવું છે. રસ ઘટાડવો હોય તો ન ઘટાડી શકે એવું કાંઈ નથી. એક કષાયથી બીજા કષાયનો રસ ઘટે છે. એક કષાય તીવ્ર થાય તો બીજા કષાયનો રસ ઘટી જાય છે. આમ માન કષાય મૂકે છે પણ ક્યાંક લોભની વિશેષ આવવાની પરિસ્થિતિ થઈ જાય તો ભાઈસાબ.. ભાઈસાબ... કરવા માંડે પાછો. સાહેબ.. સાહેબ કરવા માંડે. માન મૂકીને દીનતા કરવા માંડે. એટલે એક કષાય આગળ બીજા કષાયનો રસ ઘટે છે તો હવે તારે આત્મહિતના લક્ષે ૨સ ઘટાડવો છે, આત્માના કલ્યાણના અર્થે ૨સ ઘટાડવો છે. જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરવા માટે રસ ઘટાડવો છે, મોક્ષમાર્ગમાં પ્રવેશ ક૨વા માટે ૨સ ઘટાડવો છે તો સમજણથી ઘટાડ તો શું ખોટું છે ? ભવભ્રમણની નિવૃત્તિ કરવા માટે એટલું કરવું પડતું હોય તો શું ખોટું છે ? ઓલું તો એક વર્તમાન થોડા ફાયદા માટે તું એક કષાયનો રસ ઘટાડે છે, ત્યાં બીજો કષાય તીવ્ર થાય છે. તો અહીં જ્ઞાનને મુખ્ય કરીને ઘટાડ કે મારા ભવભ્રમણનો નાશ કરવો છે માટે મારે ૨સ તોડવો છે. એટલે એવું પુરુષાર્થપણું કરે તો થઈ શકવા યોગ્ય છે.
છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની...' હજી જ્ઞાન તો મિથ્યા છે. ભલે સમજ્યો હોય પણ જ્ઞાન મિથ્યા છે. એ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની' અથવા હું સમજું છું એમ માની. એ હું સમજું છું એમાં એની તો જ્ઞાનદશા આવી ગઈ. મને ખબર છે, હું સમજું એમાં એને જ્ઞાનદશા છે. એમ માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે.’ એને અનંતાનુબંધી છે. આમ અનંતાનુબંધીને ઓળખવો. ઓળખાણ કરાવી છે કે અનંતાનુબંધી કેવી રીતે ઓળખવો. એનું સ્વરૂપ શું ? પોતાના પરિણામથી, બુદ્ધિપૂર્વક નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરવું, એમ કહે છે. મુમુક્ષુ :– પોતે પરીક્ષક થઈ શકે.
=
પૂજ્ય ભાઈશ્રી :- કરવું જ જોઈએ. પોતાના પરિણામોને જોઈને પોતે ઓળખવાની, પરીક્ષા કરવાની કેળવણી લેવી જ જોઈએ, ક૨વી જ જોઈએ. ખરેખર તો બીજો કોઈ ઉપાય જ નથી. ખરેખર તો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષીણપણું સંભવે.’ જ્ઞાનદશા છે એ જાગૃતદશા છે અને અજ્ઞાનદશા છે એ સ્વપ્નદશા છે. સ્વપ્નદશા છે એટલે શું ? કે જે એ સ્વપ્નમાં અશકયને શકય કરીને અનુભવ કરે છે એમ આ પણ અશકયને શકચ કરીને અનુભવ કરે છે. જેમ કે આત્માને પુદ્દગલ પરમાણુ પ્રવેશ કરી શકતા નથી. છતા મેં ખાધું. અને ખાતા ખાતા એવી મજા
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
રાજહૃદય ભાગ-૧૧ આવી. રસથી ખાધું હોય. આ જ તો ખીર બહુ સારી હતી. ભાવતી હતી અને મેં ખાધી. સ્વપ્નની દશા છે, એમ કહે છે. બીજા પરિવારના સભ્યો અને શરીરાદિ. આ મારા છે, બીજા મારા નથી. આટલા મારા છે અને આ સિવાયના મારા નથી. વગર વિકલ્પ ભેદજ્ઞાન કરે છે કે નહિ? મિથ્યા ભેદજ્ઞાન. આટલા મારા છે અને આ સિવાયના મારા નથી. વિકલ્પ નથી કરવો પડતો. તે સ્વપ્નદશા છે એમ કહે છે. કેદિ તારા હતા?
મુમુક્ષુ:- “ગુરુદેવ' બધાને “મારા' જ કહેતા.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ગુરુદેવ’ કહેતા કે એ તારા “મારા છે. એ તને મારશે. પણ પરમાધામી એવા જ હોય છે. જેનારકીમાં પરમાધામી મારે છે એ પૂર્વના સંબંધી હોય
ગુરુદેવ’ દાખલો આપતા હતા. એક માણસ માંદો પડ્યો. વાણિયાનો કોઈ ... હશે. વાણિયા તો માંસાહાર કરે નહિ પણ તે દિ' એવું કાંઈક થઈ ગયું હશે. ડૉક્ટર કીધું કે ભાઈ! એને શરીરમાં ઘણી નબળાઈ વર્તાય છે. ઈંડા-બીંડા ખવડાવો. શિયાળો છે, શક્તિ આવી જશે. ઓલા દર્દીને એમ ચોખ્ખું કહે કે તને ઇંડા ખવડાવ્યા છે. આપીએ તો ના પાડે. એટલે એના ખોરાકમાં જે બનાવે એમાં ઇંડાનો રસ નાખી દે અને ખવડાવ્યા. બેયનરકમાં ગયા. પછી જેણે ખવરાવ્યા હતા એને ઓલો પરમાધામી થઈને મારે છે. બેયને અવધિજ્ઞાન છે. પેલો કહે), પણ આપણે તો ભાઈઓ હતા અને મેં તને સાજો કરવા માટે ખવડાવ્યા હતા. એને જ્ઞાનમાં ખ્યાલ આવે કે શું કરવા અહીંયાં આવ્યા. ઠીક, આપણે આ પાપ કર્યું છે. આપણે તો ભાઈઓ હતા તું મને કાં માર? કહે છે, પણ તેં મને ખવડાવ્યું. મારે ક્યાં ખાવું હતું ? તેં મને ખવડાવ્યું એટલે તને મારું છું હવે તું મને અહીંયાં લઈ આવ્યો. ‘ગુરુદેવ એક દાખલો આપતા હતા. એવી રીતે થાય. એ મારા તો મારે જ છે. એમ કહે છે. એને લઈને પાપ કરે છે. કુટુંબ, પરિવાર માટે પાપ કરે છે.
મુમુક્ષુ –ધૂતારાની ટોળી કહે છેને.
પૂજ્ય ભાઈશ્રી – હા. નિયમસાર'. એ બધી સ્વખદશામાં પ્રવૃત્તિ થાય છે. પોતાના જાણ્યા છે એ સ્વપ્નમાં જાણ્યા છે. એ તારા થઈ શકે કેવી રીતે? બીજો આત્મા તારા આત્માનો કેવી રીતે થાય? એ તો કોઈ સંભવિત નથી. એ તો એક તારી સ્વપ્નાની વાત છે. જાગ તો તને ખબર પડે કે તું પણ આત્મા છો અને એ પણ એક આત્મા છે. ભિન્ન-ભિન્ન આત્મા છે. કોઈના આત્માનો કોઈનો આત્મા કોઈ રીતે કાંઈ થઈ શકે એવું નથી.
Page #374
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬ ૨૨
૩પ૭. જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય...” જ્ઞાન જેમ નિર્મળ થાય, તેમ એના ભ્રમનું પરિક્ષણપણું થાય. ભ્રમ ભાંગતો જાય. જેમ જેમ જ્ઞાન નિર્મળ થાય તેમ તેમ ભ્રમ ભાંગતો જાય. આ સ્વાધ્યાય છે એ જ્ઞાનને નિર્મળ કરવાની પ્રક્રિયા છે. સ્વાધ્યાયમાં સમજણ થાય એ જ્ઞાનને નિર્મળ કરવા માટે છે. અને એ સમજણ અનુસાર પ્રયોગ કરે તો જ્ઞાન વિશેષ નિર્મળ થઈને પોતાના સ્વરૂપના ભાવભાસનમાં આવે. તો અનુભવ સુધી પહોંચી શકે.
મુમુક્ષુ-મને બાધ નથી એવા બફમમાં રહે,...
પૂજ્ય ભાઈશ્રી - શું છે કે એ વખતે જાણે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે એ સામાન્ય જીવો જગતમાં કરે છે એ લીધા. એક થોડો કાંઈક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી જેવી રીતે બીજા સંસારી પ્રાણીઓ કરે છે એવી જ રીતે. અથવા પોતે પૂર્વે કરતો હતો તત્ત્વજ્ઞાનના અભ્યાસ પહેલા એવી રીતે કરે છે. એ જીવોનો એક જુદો ભેદ પાડીને લઈ લીધા. આમ તો જે વાત છે એ તો તેની તે જ છે. પણ પેલાને શું થયું ? કે પેલા તો સમજતા નથી. એટલે અજાણ્યે અપરાધ કરે છે અને એનું અનંતાનુબંધીનું ફળ ભોગવે છે. આને ખબર પડી કે અનંતાનુબંધી શું કહેવાય ? દર્શનમોહ શું કહેવાય ? સમ્યગ્દર્શન શું કહેવાય ? સમ્યજ્ઞાન શું કહેવાય ? પુરુષાર્થ શું કહેવાય? એ બધું સમજાણું, સમજવામાં આવ્યું. જ્ઞાનીઓ દ્વારા, સન્શાસ્ત્રો દ્વારા, ગ્રંથો દ્વારા સમજ્યા પછી એને એમ થયું કે હું તો સમજું છું અને એ પ્રવૃત્તિ એમનેમ ચાલુ રહી. જે પહેલા હતી એ જ પ્રકારે. એવા જ રસથી.
કહે છે કે એને ઉદાસીનતા હજી આવી નથી, રુચિ એની બદલાણી નથી તો ત્યાં અનંતાનુબંધી સંભવે છે. એ જીવ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને, આજ્ઞા જાણી તોપણ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા માગે છે. ખબર પડી કે આ જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તોપણ તોડવા માગે છે. એને ભવભ્રમણનો ભય નથી ખલાસ થઈ ગયો.
મુમુક્ષુ-મોટો અપરાધ. પૂજ્ય ભાઈશ્રી:-મોટો અપરાધ થઈ ગયો. મુમુક્ષુ બફમમાં રહે છે. પૂજ્ય ભાઈશ્રી – મોટું બફમ થઈ ગયું. એટલે એને તો નીકળવું ભારે પડશે. ઓલો હજી છૂટશે. આને છૂટવું ભારે પડશે.
મુમુક્ષુ –એનો ઓથ ભેછે? પૂજ્ય ભાઈશ્રી - એની ઓથ લ્ય છે. મને જ્ઞાન છે. હું તો સમજું છું. આ બધો
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૧
ખ્યાલ છે, આપણે આ બધું જાણીએ છીએ. બધું વાંચ્યું છે, બધું સાંભળ્યું છે. બધું ખ્યાલમાં છે. એ રહી ગયો બમમાં.
મુમુક્ષુ :– ક્ષયોપશમશાનને જ્ઞાન માને.
પૂજ્ય ભાઈશ્રી :– હા. પરલક્ષી ક્ષયોપશમ પાછો. કેવો ? પરલક્ષી ક્ષયોપશમ એટલે ઠેકાણા વગરનો ક્ષયોપશમ. એક જાતની સ્મૃતિ સિવાય કાંઈ નથી. એ તો વિસ્તૃત થઈ જતા વાર લાગે નહિ. ૬૨૨ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૨૩
મુંબઈ, શ્રાવણ સુદ ૨, બુધ, ૧૯૫૧
આજે પત્તું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું ? તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી, તોપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે.
આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગ૨ તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ. અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ.
મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતિ.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૯
પત્રાંક-૬૨૩
૬ ૨૩. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
“આજે પતું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું?’ હવે શું છે કે એમને આગ્રહ ચાલુ રાખ્યો છે. એમણે એમ લખ્યું કે મારે ‘સાયેલા તો આવવું નથી જતાં તો કયાંય રોકાવા માગતો નથી. વળતા ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રે રહેવું છે પણ એ એકાંતમાં રહેવાનો ભાવ છે. એટલી સ્પષ્ટતા કર્યા પછી ફરીને એમને પત્ર લખ્યો છે કે “સાયલા તો તમે આવો, આવો ને આવો જ. તમે ત્યાંથી નીકળો છો. કેમકે “મૂળી' સ્ટેશન આવે એમને. “સુરેન્દ્રનગર', “મૂળી', “વાંકાનેર” અને “રાજકોટ જાય. અથવા “મોરબીથી “વવાણિયા' જાય. “વાંકાનેર-મોરબી થઈને. એટલે “મૂળી ને “સાયલા નજીક છે. અહીંથી નીકળો છો તો જરૂર આવો. ચાહીને મુંબઈથી “સાયલા આવવું એ જુદી વાત છે પણ જ્યારે આવવાનું જ છે અને મૂળી' (વચ્ચે આવે છે તો જરૂરથી પધારો).
લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે.” જુઓ ! સરળતા કેટલી છે :સ્પષ્ટ નથી, અસ્પષ્ટ પણ એટલું નથી, એકલું સ્પષ્ટ નથી પણ અત્યારે જે ઉપયોગમાં છે એ તમને લખી દઉં છું.કે મારા પરિણામ આવી છે. જરાય આઘુંપાછું લખાતું નથી, કહેવાતું નથી. જેટલું જ્ઞાનમાં વર્તે છે એ પ્રમાણે લખે છે. મનમાં (છે) એવું વાણીમાં, એમ કહે છે. મનમાં કાંઈક અને વાણીમાં કાંઈક (એમ નથી). એટલો કાંટો એકદમ સમતોલ કાંટો
રહે છે.
આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો,” અમે જે પત્ર લખ્યો એના ઉપર તમારે થોડો વધારે વિચાર કરવો હતો. અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો...” પોતે નિવૃત્તિ ક્ષેત્રે રહેવા માગતા હતા. “તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. એના પર વિચાર કરશો તો “સાયલે અથવા સંબંધીમાં એટલે કે હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પતું લખવાનું બન્યું છે. મારા પત્ર ઉપર વધારે વિચાર કર્યા વગર જલ્દી-જલ્દી લાગણીથી, લાગણીવશ વધારે વિચાર કર્યા વગર થોડો વિચાર કરીને પહેલા પત્ર લખી નાખ્યો છે.
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે છે. વળતા આવું, એટલું મોડું નહિ, એમ કહે છે. ઈ નહિ. જતી વખતે તમારો સમાગમ થાય એમ કરશો).વળી તમે પંદર દિ “વવાણિયા રહો અને પછી વળતા આવો ત્યારે પધારો)એ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
રાજહૃદય ભાગ-૧૧ પંદર દિ મોડું એમ નહિ. આ એનો પ્રેમ કેટલો છે ! “વિશેષ ઇચ્છા રહે છે, તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી.” તમારો આટલો જે નિર્મળ પ્રેમ છે એ નિર્મળ પ્રેમની ઉપેક્ષા કરવી એ મારી યોગ્યતા બહારનો વિષય છે એમ કહે છે. એમણે ભાષા કેવી લીધી છે! જેવો ભાવ છે એવી ભાષા લીધી છે.
યોગ્યતા એટલે ઓલી લાયકાતનો સવાલ નથી અહીંયાં કે મારી લાયકાત ઓછી છે એમ નથી કહેવું. તમને જેમ મારા ઉપર અનુરાગ છે, એમ મને પણ તમારા ઉપર અનુરાગ છે. તમારા આવા પ્રેમનું ઉલ્લંઘન કરું એ મારાથી અયોગ્ય ગણાય. એ વાત અયોગ્ય લાગે છે. એ હું કરી જન શકું. લાગણી છે. અનુચિત થાય એ તો. એટલે એવું અનુચિત મારાથી ન થઈ શકે એવી મારી યોગ્યતા છે. થઈ શકે એના માટે અયોગ્યતા છે. થઈ ન શકે એવી યોગ્યતા છે. એટલે કે થવા માટે અયોગ્યતા છે એમ કહેવું છે.
તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારીયોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય...તમને દુભવવા જેવું થાય. અશાતનાનો અર્થ એ છે કે તમારી લાગણીને પ્રેમને દુભવવા જેવું થાય. “એવી બીક રહે છે. કેટલું સંભાળીને ચાલે છે !એવી મને પણ બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે... હવે એના ઉપર પોતે નિર્ણય કર્યો છે એ લખે છે કે હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો... તમારી સાથે એ લોકોને આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ.” મૂળીમાં એક દિવસ રોકાઈશ. “સાયલા નહિ. “મૂળી' ઉપરથી જાવ છું તો એક દિવસ મૂળી રોકાઈશ.
“અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ.” જણાવશો એટલે તમે કહેશો. મારો વિચાર છે પણ છતાં તમે કહેશો તો કદાચ એકદિ રોકાય તો બીજે દિ' પણ રોકાય જાય. એકાદ દિવસ રોકાવાનો ભાવ છે. તમે કહેશો તો એક દિવસ રોકાઈશ. વળી કદાચ એમ કહે કે એક નહિ બે દિવસ રોકાઈ જાઉં. તો બે દિવસ પણ રોકાઈ જાય. “વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ. એટલે પછી વળતા શું કરવું એ તો આપણે મળશું ત્યારે મૂળીમાં એનો વિચાર કરી લેશે.
મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહિ જણાવશો“મૂળીની એક દિવસ હા પાડી. તો “મૂળીના બદલે “સાયેલા રોકાવ. મારું ઘર છે. આપના પગલા થાય. તમે એવું નહિ કરતા. કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુકમનો ભંગ થવાનો સંભવ છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૪
૩૬૧
એટલે ‘સાયલા’માં ‘સોભાગભાઈ’ને લઈને ‘શ્રીમદ્જી'ની પ્રસિદ્ધિ વધારે થઈ ગઈ હતી. અને નાનું ગામ હતું. બહુ નાનું ગામ છે. આજે પણ નાનું ગામ છે. તે દિ' તો કદાચ એથી નાનું હશે. એટલે પછી આખા ગામમાં ખબર પડે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ જો ગામમાં આવે એટલે આખા ગામમાં ખબર પડે. ફ્લાણા આવ્યા છે... ફલાણા આવ્યા છે. એમને તો મુમુક્ષુઓથી આ વખતે દૂર રહેવું હતું. એમની વૃત્તિ એ હતી કે આ વખતે મુંબઈ’થી છૂટીને નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંતમાં રહેવું. મુમુક્ષુને ભેગા ન કરવા. કોઈને ખબર ન આપવી. એના બદલે ઊલટાનું આ તો ધારે એના કરતા ઊંધુ થવા માંડે. અને થોડો પરિચય ઓર વધી જાય ત્યાં. એટલે એ અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે.
‘એ જ વિનંતિ.’ છે. માટે મૂળી’ રોકાશું અને ‘સાયલા' નહિ આવીએ. એક એક પ્રવૃત્તિમાં કેટલું જોખી જોખીને પગલું ભરે છે ! પોતાના પરિણામની શાનદશા છે. ઘણી સારી શાનદશા છે તોપણ પોતાના પરિણામને નુકસાન ન થાય માટે કેટલું ઝીણું ઝીણું કાંતે છે ! જગતમાં પણ માણસ એક પૈસો ખોટી રીતે ઘસાતો નથી. ચાર-આઠ આના નીચે પડી જાય તો ગોતીને લઈ લે છે કે નહિ ? ન જડે તો થોડીવાર ગોતીને પણ લઈ લે કે નહિ ? કેમકે કે ખોટી રીતે તો એક પૈસો કોઈને ઘસાવું નથી. કેમકે એ કારણ વગરનું ચોખ્ખું નુકસાન છે.
આત્માને લાભ-નુકસાનનું કારણ હોય એમાં ઝીણી નજર થઈ જવી જોઈએ. અહીંથી એમ વાત નીકળે છે કે આવી ઝીણી નજર થાય એ આત્માને બચાવે છે, એ આત્માને તારે છે, નહિતર ડૂબાડવાનું તો ચાલુ જ છે. એ ૬ ૨૩ પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૨૪
મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૯૫૧
કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી.
બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય
નથી.
૬ ૨૪. ‘લલ્લુજી’ ઉ૫૨નો પત્ર છે. બે લીટીમાં ખાલી.
‘કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી.’ પ્રતિબંધ એટલે રુકાવટ. મારી જે દશા છે એ દશામાં અમુક પ્રકારની રુકાવટ ઊભી થાય એ કરવા હું
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬ ૨
ચજહૃદય ભાગ-૧૧ માગતો નથી. અમુક દશા સુધી પહોંચવું થયું છે. એ દશામાં હવે કોઈ અમુક પ્રતિબંધો ઊભા થાય એ હું કરી શકું એમ નથી કરી શકું એમ નથી.
દૃષ્ટાંત લઈએ તો કોઈ રાજા, ચક્રવર્તી શ્રીમંત માણસ હોય છે. એ જ્ઞાનદશામાં આવે છે, વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરીને મુનિદશા સુધી આવે. તો એ કાંઈ પ્રતિકૂળતાને લઈને તો કાંઈ સંયોગોનો ત્યાગ કરતા નથી. પણ જેસંયોગોમાં રહે છે એ પ્રતિબંધ છે. એમાં રહી શકવાની યોગ્યતા નથી હોતી માટે રહેતા નથી. રહી શકે નહિ.
જેમ કે કોઈ માણસ એમ કહે કે, ભાઈ! કલેશવાળા માણસોની સાથે અમે રહીન શકીએ. અમારી પ્રકૃતિમાં એ કલેશ સહન ન થાય તો થોડું નુકસાન ખમીને, થોડું ગમે તે પ્રકારે પ્રતિકૂળતા વેઠીને પણ પોતે દૂર થઈ જાય. એમ બને છે કે નહિ? એમ આ અંતરનો જે પોતાના પરિણામની અંદર જે ક્લેશ મટવાનો છે, ત્રણ ચોકડીનો નાશ થઈને અને એકલો મંદ એવો સંજ્વલનનો કષાય રહી જશે. તો એ રહી શકે નહિ. બધાની વચ્ચે રહી શકે એવી યોગ્યતા નથી હોતી. એટલે એવો પ્રતિબંધ કરવો કે એવો પ્રતિબંધ રાખવો એવી મારી યોગ્યતા નથી, એમ કહે છે.
કોઈ દશાભેદથી.” એટલે એવી દશાનો પ્રકાર થઈ ગયો. ભેદ એટલે પ્રકાર. એવો કોઈ દશાનો પ્રકાર વર્તે છે કે અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. હું હવે કોઈ વિશેષ મને પ્રતિબંધ થાય એ કરી શકું એમ છું જનહિ. આમાં શું થાય છે કે જ્યારે એક માણસને, બે માણસને, પાંચ માણસને, દસ માણસને, પચ્ચીસ માણસને ખબર પડે છે એટલે એ બીજાને ખબર કરે છે. બેને ખબર પડી એણે પાંચને ખબર આપ્યા, પાંચને ખબર પડી એટલે પચ્ચીસને ખબર પડી. એમ એમના પરિચયની અંદર ચાલીસ-પચાસ માણસો આવી ગયા. એ ચાલીસ-પચાસ માણસોનો પરિચય થવા દરમ્યાન એમની દશા ઘણી અંદરમાં જોર કરે છે. અને એ અંદર બાજુની પ્રવૃત્તિમાં એ બાહ્ય પ્રવૃત્તિથી દૂર થવા માગે છે. મારે કોઈ પરિચય વધારીને બાહ્ય પ્રવૃત્તિ વધે એવું કાંઈ કરવું નથી. એટલે આવી સૂચના છે. ગૂઢ ભાષામાં આ બધી સૂચના છે. લલ્લુજીને, સોભાગભાઈને, “અંબાલાલભાઈને બધાને કે તમારે મારા વિષે ક્યાંય વાત કરવી નહિ. આગળનકહ્યું? ૬૨૧માં આવી ગયું ને?
પાનું-૪૭૭માં પહેલી લીટી. કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે. કે મુમુક્ષુઓથી પણ દૂર રહેવું. તેમ જપત્રાદિ દ્વારા પ્રતિબંધની. પત્રછે એ પણ પ્રતિબંધ છે. પત્રનો ઉત્તર લખવો એની પણ નિરિચ્છી રહ્યા કરે છે. એટલે બીજા
Page #380
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૫
૩૬૩ Paragraphમાં ત્રીજી લીટી. નીચેના Paragraphમાં. “બહાર આ આત્મા સંબંધી હાલ કંઈપ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. મારા માટેની કોઈ ચર્ચા તમારે ક્યાંય કરવી નહિ. ઠીક છે, તમે પરિચયમાં આવ્યા છો. એટલી મર્યાદા ઘણી છે. હવે તમારે કોઈને મારી ચર્ચા કરવી નહિ કે અમે કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈએ છીએ, બહુ સારો ઉપદેશ મળે છે. આત્માનું કલ્યાણ થાય એવું છે એમ કરીને તમે ફંફેરો કરતા નહિ. ચર્ચા કરતા નહિ એટલે મારો ફેફેરો કરતા નહિ. એટલી સાવધાની રાખી છે.
મુમુક્ષુ – આ “ન્યાલભાઈ'...
પૂજ્ય ભાઈશ્રી:- હા મારે તો સીધી વાત થઈ હતી. પહેલા જ પરિચયમાં. મેં આપસે ઇતના વિશ્વાસ કરતા હુંકિ મેરે વિષયમેં આપ કિસીસે કુછ નહિ કહેંગે.” પહેલી જવખત પરિચય થયો. પછી ખ્યાલ તો આવી જાય એમને કે અહીંયાં સમ્યગ્દર્શનનો શું મહિમા છે. ગુપ્ત રહી ગયા. મારા વિષે કોઈની સાથે કાંઈ વાત કરશો નહિ. આટલો મેં તમારી પાસે વિશ્વાસ મૂક્યો છે. મૃદુ ભાષામાં બધી વાત કરી.
બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી.” બે પત્ર મળ્યા હશે પણ એમણે ના લખી નાખી છે. આ વખતે કાંઈ અમે તમને મળી શકીએ એવી પરિસ્થિતિ અમારી નથી. એમને ના લખી નાખી છે.
પત્રાંક-૬૨૫
વિવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું, તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્યતાદિકનું સહચારીપણું ઘટેછે, તથાપિ અત્રેતો તેમ થવું અશકય છે.
મન પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.
સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ ત્યારપછીનો પત્ર છે એ “ધારશીભાઈ, મોરબી'. એ મુંબઈથી નીકળી અને વવાણિયા' આવી ગયા છે. “વવાણિયાથી પત્ર લખે છે. “વવાણિયા' આવતા ત્યારે મોરબીના મુમુક્ષુઓ પાછા વવાણિયા આવતા. “વવાણિયા થી મોરબી ૩૦ માઈલ દૂર છે. ૩૦કિલોમીટર જેવું છે.
મુમુક્ષુ – “મોરબી સીધી ટ્રેન હતી. પૂજ્ય ભાઈશ્રી:-હા. આજ તો વવાણિયા સુધી ટ્રેન છે. મુમુક્ષુ -ત્યાંથી ઘોડાગાડીમાં? પૂજ્ય ભાઈશ્રી:-હા. પણ ત્યાંથી ગાડામાં, ઘોડાગાડીમાં. મુમુક્ષુ - ૩૦વર્ષ પહેલા...
પૂજ્ય ભાઈશ્રી:- તે દિવસે વવાણિયા સુધી ટ્રેન હતી. તે દિવસે હતી. અમે હમણા ગયા ત્યારે કાયમ સ્ટેશન ફરવા જતા હતા. સ્ટેશન ઉપર ફરવા જતા હતા. ત્યારે યાદ કર્યા હતા કે “શ્રીમદ્જી” આ સ્ટેશને ઉતરીને આ ઘરે જતા હશે. ઘર તો એનું એ જ રાખ્યું છે. જ્યાં એમનું જન્મસ્થાન છે ત્યાં જ રાખ્યું છે. ભલે મોટું મકાન કર્યું છે. નજીક છે. એમના ઘરથી સ્ટેશનનો પાંચ મિનિટનો રસ્તો છે. પણ ટ્રેન છેક સુધી છે પહેલેથી જ. ઘણું જૂનું સ્ટેશન છે.
મુમુક્ષુ અંગ્રેજોના.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ અંગ્રેજોના વખતની સ્ટેશનની જે પદ્ધતિ છે એ બાંધણી દેખાય આવે છે. તે દિવસે ટ્રેન હતી. છેક સુધીની ટ્રેન હતી. ‘વવાણિયા સુધીની. પણ મોરબીથી આ ધારશીભાઈ અને બીજા મુમુક્ષુ આવતા હતા. આ “મનસુખલાલ તિરથચંદ, ધારશીભાઈ”, “નવલચંદભાઈ નવલચંદડોસાભાઈ એ બધા મુમુક્ષુઓ એ જ્યારે વવાણિયા આવે ત્યારે મોરબીથી “વવાણિયા આવતા હતા. એમને પત્ર લખ્યો છે.
પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છેપર્યાય છે એ શું છે? પદાર્થનું જરૂપ છે. વિશેષ રૂપ છે. જેત્રિકાળી છે એ પદાર્થનું સામાન્ય રૂપ છે અને પર્યાય છે તે વિશેષ રૂપ છે. એમ છે. ઓલું સામાન્ય એકરૂપ છે અને આ વિશેષરૂપ છે. પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, અને તેથી મન:પર્યયજ્ઞાન પણ જ્ઞાનોપયોગમાં ગયું છે. અને તે પણ પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય છે એમ ગણીને એને જ્ઞાનોપયોગમાં ગયું
Page #382
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૫
૩૬૫ “તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી.” હવે શું છે કે, અવધિદર્શન છે પણ મન:પર્યયદર્શન નથી. મતિદર્શન, શ્રુતદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. પણ મન:પર્યયદર્શન નથી. એમ કહેવું છે. આ જે જ્ઞાનના ભેદ છે પણ દર્શનના એટલા ભેદ નથી. એમ. એટલે તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. એટલે ત્યાં મતિદર્શન ઉપયોગ થઈને સીધો મન:પર્યય થાય એમ કહેવું છે. દર્શનઉપયોગ ન થાય એમ નથી કહેવું. મનપર્યય દર્શનોપયોગ નથી. “એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું. એટલે ત્યાં સોમવારે બપોરે ચર્ચા નીકળી હશે. શ્રાવણ સુદ ૩ ને ગુરુવાર છે અને ૧૦ને બીજો ગુરુવાર આવે. ૭ને ૩-૧૦. ૧૦ને બીજો ગુરુવાર આવે. વચ્ચે એક સોમવાર આવી ગયો. બે દિવસ પહેલાનો. એ શ્રાવણ સુદ ૧૦મે પત્ર લખ્યો છે પણ શ્રાવણ સુદ ૭ને દિવસે બપોરે કાંઈક ચર્ચા થઈ છે. ગુરુવારના બદલે સોમવારે જે ચર્ચા થઈ છે. “સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે.' એટલે કોઈ શાસ્ત્રમાંથી એ વાત પોતે જોઈ હશે.
આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, આના ઉપર સ્પષ્ટીકરણ લખીએ તો થઈ શકે એમ છે. કેમકે તેને કેટલાંક દષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે....' એ સ્પષ્ટ કરવા માટે કેટલાક દાંત આપીએ તો તમે સાવ સ્પષ્ટ સમજી શકો એમ છો. ‘તથાપિ અત્રે તો તેમ થવું અશકય છે. પણ એવી લાંબી લાંબી વાત લખી શકાય એવું નથી. વળી પ્રયોજનભૂત નથી પાછી. એ કહેશે. મન:પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. એટલા એના ઉપર બહુ વજનદેતા નહિ.પ્રયોજનભૂત સંબંધીની. ચર્ચવાની નિષ્ઠા-ચર્ચા કરવા યોગ્ય છે એવી શ્રદ્ધાથી એ વાત નથી લખી. એક જાણવાનો વિષય છે એટલે એ લખી નાખ્યું છે. ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.'
સોમવારે રાત્રે એટલે તે જ દિવસે રાત્રે. બપોરે આ ચર્ચા થયેલી છે. આશરે અગિયાર વાગ્યા પછી.. રાતના અગિયાર વાગ્યા પછી, જુઓ ! ચર્ચા ક્યાં સુધી ચાલતી હતી. આ તો એક પ્રસંગ નીકળ્યો એટલે ખબર પડે. નહિતર આપણને શું ખબર પડે? કેવી રીતે ચર્ચા અને કેવી કેવી ક્યાં સુધી થઈ હશે? “સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું. એ વખતે જે મારા વચનો નીકળ્યા છે. તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.” આટલું લખ્યું છે. કોઈ મહત્ત્વની ચર્ચા થઈ હશે તો એના ઉપર ધ્યાન ઓછું હોય કદાચ તો
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૧
ધ્યાન ખેંચ્યું છે. એ ચર્ચા ઉપર જો તમારું ધ્યાન હોય, તમને યાદ એટલું રહ્યું હોય, તમે કાંઈ લખી શકવા જેવી પરિસ્થિતિ હોય તો લખી રાખજો કે વાત કાંઈક મહત્ત્વની થઈ છે. એ ધા૨શીભાઈ’ ઉ૫૨નો પત્ર છે,
પત્રાંક-૬૨૬
વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧
‘નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે.
સહજાત્મસ્વરૂપે યથા.
ત્યાર પછી બે લીટીનો પત્ર છે ‘લલ્લુજી’ ઉપ૨નો.
“નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંત રૂપ લાગી શકે છે.’ એક સામાન્ય વચન એટલે એવી એક બોલણી છે. જેને સામાન્ય એટલે Common થઈ જાય. બોલવાની અંદર એ સામાન્ય હોય કે ભાઈ ! આ જીવ નિમિત્તવાસી છે. ખરેખર તો એના ઉપાદાનમાં ઘણી શક્તિ છે. જીવના ઉપાદાનમાં તો અનંત શક્તિ ભરેલી છે. પણ એની સંસાર અવસ્થામાં જીવની યોગ્યતા કેવી છે ? કે જેવા જેવા નિમિત્ત આવે, રાગના નિમિત્ત આવે ત્યારે એને રાગ થવા માંડે, દ્વેષના નિમિત્ત આવે ત્યારે એને દ્વેષ થવા માંડે. એટલે જેવા જેવા નિમિત્ત આવે એવું એવું લગભગ એ પરિણમન કરે છે અથવા ઉદયમાં અંદર જે જે પ્રકૃતિનો ઉદય આવે છે એ એમને પરિણમનમાં નિમિત્ત છે. એ રૂપે પરિણમી જાય છે. એને અનુસરીને પરિણમવા (લાગે છે). ઉદયમાં જોડાઈ જાય છે.
એવી યોગ્યતા જોઈને સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ...' જે જે પ્રસંગો થઈ રહ્યા છે તે તે પ્રસંગોમાં જે જીવની પરિણતિ જોઈએ છે ત્યારે એમ લાગે છે કે આ જે બોલણી છે એ તો સિદ્ધાંત જેવી છે. નિમિત્તવાસી જીવ છે એ તો સિદ્ધાંત જેવું થઈ ગયું છે. સંસારમાં જીવની યોગ્યતા કેવી છે ? નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત આવ્યું એ પ્રકારે એને પરિણામ થવા લાગે છે. એ જોઈને ઘણું કરીને અફર સિદ્ધાંત જે ત્રિકાળી સિદ્ધાંત છે એવી વાત નથી. પ્રાયઃ. મોટા ભાગમાં એવું બને છે. બહુભાગના સંસારી જીવો જેવા જેવા નિમિત્ત આવે તેવું પરિણમન કરે છે. અને એમ ન કરે તો નવાઈ લાગે એવું છે. એટલું બધું સામાન્ય થઈ ગયું છે. પીડા થાય, વેદના થાય ત્યારે માણસને દુઃખ જ થાય
Page #384
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૬
૩૬૭ ને ? ત્યારે કાંઈ રાજી થોડો થાય? પીડા થાય ત્યારે શું થાય ? એને દુઃખ થાય. વેદના થાય એટલે દુઃખી થાય. એ તો સામાન્ય વાત છે. એમાં શું? પીડા થાય છે અને દુઃખી નથી થતો તો અસામાન્ય લાગે છે. એમ એ કોઈપણ દૃષ્ટાંત લઈએ. એવી રીતે નિમિત્તવાસી આ જીવ છે. સંસારી જીવ માટે. આ જીવ એટલે સંસારીજીવ લગભગ નિમિત્તવાસી છે એવું પ્રાયે સિદ્ધાંત જેવું થઈ ગયું છે. અને એ જોતાં અનેક પ્રસંગો જોતા એ વાત બરાબર લાગે છે.
મુમુક્ષુ – આમાં બોધ શું લેવો ?
પૂજ્ય ભાઈશ્રી – બોધ એ લેવા જેવો છે કે સંસારમાં તો એમ બને છે. પણ હવે અસંસારની ગતિ પકડવી છે. સંસારની ગતિ પકડવી છે ? રસ્તો પકડવો છે? કે અસંસારનો ? ત્યારે જેવા જેવા નિમિત્ત ઉત્પન્ન થાય, સંયોગો ઉત્પન્ન થાય, સંગપ્રસંગો ઉત્પન્ન થાય છે તે પ્રસંગોના કાળે જાગૃત થઈ જાય કે મારે નિમિત્તવાસી થાવું નથી. વાસી એટલે સમીપમાં રહેનારો. વાસી એટલે સમીપમાં રહેનારો. મારે એવું નિમિત્તના સમીપમાં રહેવું થયું નથી. મારે સ્વભાવ સમીપ જાવું છે કે જેને નિમિત્ત સાથે કાંઈ સંબંધ નથી. ચાર પર્યાયોને કર્મના ઉદય કે ક્ષય કે ક્ષયોપશમ કે ઉપશમ સાથે સંબંધ છે. પણ પારિણામિકભાવરૂપ સ્વભાવને તો કોઈની સાથે સંબંધ નથી. એ બાજુ પરિણામની ગતિ કરવી એ આમાંથી લેવા જેવું છે.
મુમુક્ષુ – એટલે જેવો જેવો ઉદય આવે એમાં જોડાય ન જવું.
પૂજ્ય ભાઈશ્રી – એમ ન જોડાવું. જાગૃત રહેવું. આત્માને નુકસાન થાશે. રાગ અને દ્વેષ બંને નુકસાનના જ કારણ છે. હરખ અને શોક બને નુકસાનના જ કારણ છે. એ રીતે. અહીં સુધી રાખીએ...
તત્વ - અભ્યાસ દરમ્યાન આત્મસ્વરૂપ સમજાતાં, પરલક્ષી સમજણથી તે વિકલ્પનું કારણ થાય છે. પરંતુ સ્વલક્ષી સમજણમાં સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન દ્વારા જ્ઞાન લક્ષણના આધારે સ્વભાવનો સ્વીકાર ભાવભાસનથી આવે તો તે અનુભૂતિનું કારણ બને છે.
(અનુભવ સંજીવની-૧૪૯૨).
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૬ ૨૭
વિવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સોમ, ૧૯૫૧ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એવગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે.
તા. ૧૬-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૭, ૬૨૮
- પ્રવચન ન. ૨૮૫
પત્ર-૬ ૨૭, પાનું-૪૭૮. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.” શું કહે છે ? સોભાગભાઈએ પોતાના પત્રમાં આત્માર્થના વિષયમાં કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે સંબંધમાં પોતે એ વાતને અંશતઃ સંમત થાય છે. અને એ સિવાય કાંઈ બીજા સ્પષ્ટીકરણ, બીજા અંશમાં કોઈ વધારે સ્પષ્ટીકરણની અપેક્ષા છે એવો નિર્દેશ કરે છે.
‘આત્માર્થેએટલે આત્મ હિતાર્થે જે મુમુક્ષુજીવને આત્મહિત કરવું હોય એણે પ્રથમ વિચારમાર્ગે ચાલવું કે ભક્તિમાર્ગે ચાલવું ? વિચારમાર્ગ એટલે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ભક્તિમાર્ગ એટલે પુરુષની ભક્તિ. અહીં સપુરુષનો વિષય લેવો. એમણે એમ અભિપ્રાય લખ્યો કે, જે મુમુક્ષુઓને વિચારમાર્ગને યોગ્ય શક્તિ નથી, સામર્થ્ય નથી એટલે એવી યોગ્યતા નથી, તત્ત્વનો અભ્યાસ કરવા જતાં પોતાના
Page #386
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૭
૩૬૯
મતિદોષથી અથવા મતિવિપર્યાસથી પદાર્થને અન્યથા સ્વરૂપે અવધારી લે છે એવા જીવો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જાય તો પોતાને નુકસાન કરે છે અથવા નવું ગ્રહે છે એટલે ગૃહીત મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે. એટલે દર્શનમોહની તીવ્રતા જેને વર્તતી હોય, એવા જીવે વિચારમાર્ગે આત્મહિત આરાધવાને બદલે ભક્તિમાર્ગે આત્મહિત આરાધવું જોઈએ એવો જે અભિપ્રાય સૌભાગ્યભાઈ’નો છે...
મુમુક્ષુઃ– ધારશીભાઈ’ ઉપરનો છે.
પૂજ્ય ભાઈશ્રી :– મારામાં ‘સોભાગ્યભાઈ’ લખ્યું છે. પાછળથી ... લખેલું છે. ૬ ૨૭ છે ને ? સોભાગ્યભાઈ લલ્લુભાઈ’ છે. ‘સોભાગભાઈ' છાપેલું છે. ૬ ૨૫મો પત્ર ધારશીભાઈ'નો છે. ૬૨૬મો પત્ર મુનિ લલ્લુજી'નો છે. ૬૨૭-૨૮ બેય ‘સૌભાગ્યભાઈ’ ઉપરના છે.
મુમુક્ષુઃ-...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર શંકા કરવાનો પ્રશ્ન નથી રહેતો. બરાબર છે. કેમકે એ સીધો અભિપ્રાય તો ‘સૌભાગ્યભાઈ’ લખે. બીજા મુમુક્ષુઓ એટલે સુધી નહિ પહોંચેલા કે પોતાનો અભિપ્રાય પણ ‘કૃપાળુદેવ’ને આપે કે મને આમ લાગે છે.
આત્મહિત કરવા અર્થે એનું નામ આત્માર્થે. આત્માનું હિત કરવાનું પ્રયોજન છે એનું નામ આત્માર્થ. એમાં વિચારમાર્ગ યોગ્ય કે ભક્તિમાર્ગ યોગ્ય ? આ વિષયમાં વિચાર ભેદો ઉત્પન્ન થાય છે. કોઈ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો પક્ષ કરે છે, કોઈ પક્ષ કરે છે ભક્તિનો.
મુમુક્ષુઃ-વિચારમાર્ગ એટલે તત્ત્વનો અભ્યાસ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. સિદ્ધાંતનો અભ્યાસ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. એમ.
મુમુક્ષુ :–વિચારમાર્ગ એટલે તત્ત્વ સંબંધીનો વિચાર ? પૂજ્ય ભાઈશ્રી :- તત્ત્વસંબંધીનો વિચાર ચાલે ને.
જોકે આ વિષયમાં અત્યારે તો બે સંપ્રદાય જ સ્પષ્ટ છે કે અત્યારે જે ‘શ્રીમદ્જી’ના અનુયાયીઓ કહેવાય છે એ લોકો ભક્તિમાર્ગને પ્રધાનતા આપે છે. કેટલાક તો ખુદ ‘કૃપાળુદેવ’ના પત્ર ઉપર પણ વિશેષ વિચાર કરવાના અભિપ્રાયમાં નથી. ખાલી વાંચી જવું પણ એની ચર્ચા ન કરવી, એના ઉપર વિચાર ન કરવો, એમણે લખ્યું છે તે પર્યાપ્ત લખ્યું છે. એથી વધારે એમાંથી વાત કોઈ ઊભી કરવી એ વધારે પડતું છે. એમને Overtake કરવા જેવું છે. એવું પણ માને છે. આજે પણ.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૦
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– એનું Analysis નહિ કરવું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમણે તો પૂરેપૂરું જ કહી દીધું છે. થોડું અધુરું (કહ્યું નથી). એ તો એવા મહાપુરુષ હતા કે પૂરેપૂરી વાત કરી દે. તો તમે વધારે કહો છો એનો અર્થ કે એમણે અધૂરી વાત કરી છે અને બાકીની વાત તમે પૂરી કરો છો. એવો પણ એક અભિપ્રાય છે. તો કેટલાક લોકો ખાલી વાંચી જ જાય છે. આપણે સ્વાધ્યાય કરવો એટલે એનો પાઠ કરી લેવો. જેમ શ્લોક બોલી જાય એવી રીતે. એ શ્લોકના અર્થ ઉપર વિચાર ન કરવો.
જોકે એમણે પણ કેટલાક પત્રોમાં સ્પષ્ટ સૂચના કરી છે કે આજ્ઞા કરી છે કે આ પત્રને તમે વિશેષે કરીને વિચારજો. અમે સંક્ષેપમાં લખ્યું છે. આમાં ઘણો શાસ્ત્રાર્થ આવી જાય છે. ૨૫૪માં તો એમ લખ્યું, ભાઈ ! આમાં ઘણો શાસ્ત્રાર્થ, ગૂઢ શાસ્ત્રાર્થ સમાયેલો છે અને તમે વારંવાર એના ઉપર વિશેષ વિચાર કરજો અથવા વિસ્તારથી વિચાર કરજો. એ રીતે પણ એમણે આજ્ઞા આપેલી છે. પણ જેની જેટલી રુચિ હોય છે એ રુચિનો વિષય એ પકડી લે છે. પોતાની રુચિનો વિરુદ્ધ વિષય કોઈ પ્રતિપાદન કર્યો હોય તો એ લક્ષમાં આવતું નથી. અથવા તો એની અવગણના કરીને પણ મુમુક્ષુ પ્રવર્તે છે. એ દેખતભૂલ છે.
અહીંયાં ‘ગુરુદેવ’ના સમાગમમાં આવ્યા એટલે એમના સંપ્રદાયવાળા ગણો તો એ એની ટીકા કરશે કે આ બધા ખાલી ભક્તિ ઉપર ચડી ગયા છે. તત્ત્વજ્ઞાનનો કોઈ ખાસ અભ્યાસ કરતા નથી. ઓલા લોકો કહે કે એવા બધા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીને શુષ્કજ્ઞાની થઈ ગયા છે. આ લોકોમાં કોઈ શિસ્ત નથી. સામાન્ય જે જાતનું સૌજન્ય જોઈએ, જે જાતનું વાત્સલ્ય જોઈએ, જે જાતની ભાવનાઓ જોઈએ એવું કાંઈ દેખાતું નથી. આમ પરસ્પર વિચારભેદ છે અને વિચારભેદને લઈને અવગુણને આગળ કરે છે. સામાના અવગુણને આગળ કરે છે. આ સંબંધમાં યથાયોગ્ય વિચાર શું ? યથાર્થ વિચાર શું ? એવી કોઈ વાત છેડવા માટે એમણે આ પ્રશ્ન (દ્વારા) પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
જોકે પોતે એ વિષયમાં સ્પષ્ટીકરણ નથી આપતા. પણ એટલું લખે છે કે “તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.’ એની પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. એટલે તમે કહો છો તે યોગ્ય હોવા છતાં કાંઈક વિશેષ વાત પણ વિચારવા જેવી છે ખરી. એટલી વાત છે એની અંદર.
મુમુક્ષુ ઃ– જ્ઞાનમાર્ગમાં મૂલ્યાંકન ન આવપે ત્યાં સુધી ભક્તિ માર્ગ તો શૂન્ય છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૭
૩૭૧
=
પૂજ્ય ભાઈશ્રી :– વાત એવી છે કે, કોઈ પક્ષી જગતમાં એવું નથી કે એક પાંખે ઊડતું હોય. કુદરતી છે ને ?પક્ષીઓમાં ઊડવાની શક્તિ કુદરતી છે. તોપણ કુદરતે કોઈ એવું પક્ષી નથી રચ્યું કે જે એક પાંખે ઊડતું હોય. જોયું છે કોઈએ ? બે પાંખે ઊડે છે. પક્ષી બે પાંખે ઊડે છે. એમ મોક્ષમાર્ગમાં અથવા આત્મહિતના માર્ગમાં લ્યોને. જેને જવું છે એને બેમાંથી એકેય છોડવું પાલવે નહિ. સિદ્ધાંતિક વાત એ છે કે બેમાંથી એકેયને છોડ્યું એ વાત તો સમજણ વગરની છે. એટલે બેય હોવું ઘટે. ત્યારે સંતોષ એમ લ્યે કે બરાબર છે આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ સવારે પૂજા અને બપોરે ભક્તિ પણ કરીએ છીએ ‘સોનગઢ’માં. સવારે મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ, બપોરે સ્વાધ્યાય પછી ભક્તિ કરીએ છીએ. માટે આપણે સર્વાંશે ભક્તિને અનુસરતા નથી એવું કાંઈ નથી. માટે આપણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને ભક્તિમાર્ગને પણ આપણે અનુસરીએ છીએ. ત્યારે પેલામાં પણ એ વાત જે હતી એમાં થોડો ફેરફાર થયો છે. બહુ મોટો ભાગ એ સમાજની અંદર આ વિષે વિચારતો થયો છે, આના ઉપર પ્રવચનો આપવાના શરૂ થયા છે, આના ઉપરના પ્રવચનો પ્રસિદ્ધ થવા લાગ્યા છે. જુદા જુદા વક્તાઓના પુસ્તકાકારે આ પત્રો ઉપરના. અને એ સિવાય પણ જે બીજા ગ્રંથનો અભ્યાસ નહોતા કરતા પણ ખાસ કરીને વક્તાઓ છે અથવા વિશેષ વિચારશક્તિવાળા છે એ બીજા શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા માંડ્યા છે. અને એનું પ્રકાશન પણ કરે છે. એ પણ સંતોષ માને છે, જુઓ ! અમે તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ન માનતા હોય તો આટલું બધું પ્રકાશન કેમ કર્યું હોય ? મુમુક્ષુઓ માટે તો કર્યું છે. હજારો ગ્રંથનું પ્રકાશન કર્યું હોય, ત્યારે કોના માટે કર્યું ? અન્યમતિઓ માટે તો કર્યું નથી.. આપણા જ મુમુક્ષુઓ માટે કર્યું છે. માટે અમે પણ સર્વાંશે માનતા નથી એવું કાંઈ નથી. એવી રીતે એક સંતોષ લેવાનું કારણ બને છે. યથાર્થતા એમાં કેટલી છે ? એ વિચાર માગે એવો વિષય છે.
મુમુક્ષુ :– ૨૫૪માં કહ્યું, તમે વારંવાર વિચારજો.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, વારંવાર વિચારજો એમ લખ્યું છે. એ તો તે વખતે તો સ્પષ્ટ કર્યું હતું. એ લોકોની વચ્ચે બે-ત્રણ જગ્યાએ આ પત્ર વંચાણો છે. ઘાટકોપરમાં, પાર્લામાં, કોબામાં. નીચે લખ્યું છે કે તમે વારંવાર વિચારજો. એના ઉપર લીધું છે ‘અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.' એટલે વિસ્તાર નથી કર્યો એમ નક્કી થયું. ઉપર લખ્યું છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૨
લખ્યું છે; તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો...' શું કીધું છે ? પરસ્પર સત્સમાગમમાં ભેગા થઈને, મળીને વિસ્તાર કરવો અને તે સમજવું...' વિસ્તાર કરીને સમજજો. એમ અમે કહીએ છીએ.' ચોખ્ખી આજ્ઞા છે.
મુમુક્ષુ ઃ– એમાં બધું આવી ગયું.
=
પૂજ્ય ભાઈશ્રી :– બાકી શું રહ્યું ? વાંચ્યું હતું. આ પત્ર તો એ બધા લોકોની વચમાં વાંચ્યો હતો. જુઓ ! એવો અભિપ્રાય નથી કે ખાલી વાંચી જજો અને આપસમાં કાંઈ ચર્ચા નહિ કરતા, વિચાર નહિ કરતા. એવું નથી કહેતા. બહુ સ્પષ્ટ છે.
મુમુક્ષુ ઃ– પોતે કીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા પોતે કહે છે. ત્યાં ‘ઈંડ૨’માં પણ વંચાણો હતો.
=
શું કહે છે ? બેમાંથી એકેય છોડવા યોગ્ય તો નથી. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તે માર્ગે ઉપદેશ આપવો ન ઘટે. એ વગેરે લખ્યું છે તે તો યોગ્ય છે. હવે એમાં શું કહેવું છે ? કે બેય હોવા જોઈએ એ તો બરાબર છે અને એ બંને સંપ્રદાયો સ્વીકારે છે. સંપ્રદાય એટલે એને અનુસરનારાઓ સ્વીકારે છે.
હવે બીજો પ્રશ્ન આમાંથી આ ઉપસ્થિત થઈ શકે કે પહેલા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો કે પહેલા ભક્તિ ક૨વી ? પહેલું શું કરવું ? કેમકે જ્યારે બે છે ત્યારે બેમાં પહેલા શું કરવું ? અથવા પ્રાધાન્ય કોને આપવું ? મુખ્યતા કોને આપવી ? આ પ્રશ્ન અહીંયાં ઉદ્દભવી શકે છે. એક વાત.
આ કોઈ એક વ્યક્તિ માટે ગમે તેમ વાત હોય, બધાને માટે આ વાત કોઈ રીતે Fit બેસે નહિ. એમણે જે વાત બાકી રાખી કે તમે લખ્યું તે યોગ્ય છે. વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા જે ઊંધું ખતવે એમ છે, અન્યથા ખતવે એમ છે, વિપરીત પડે એમ છે, ગૃહીતમાં જાય એમ છે એને તો એ માર્ગ ઉપદેશવો ઘટે નહિ. એ વાત તો ઠીક છે, યોગ્ય છે. એ જો ભક્તિમાર્ગમાં આવે એટલે સત્પુરુષ પ્રત્યે ઓઘે પણ ભલે ભક્તિમાં આવે તો એને થોડો દર્શનમોહ મંદ થશે. દર્શનમોહ મંદ થશે તો એને સિદ્ધાંત સમજવાની થોડી યોગ્યતા આવશે. તો એ વાત યોગ્ય છે.
‘તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.’ એટલે એમ કહેવું છે કે આ ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ માટે એનું માર્ગદર્શન એકસરખું હોઈ ન શકે. અનેક વ્યક્તિઓ માટેનું આ વિષયનું માર્ગદર્શન એકસરખું ન હોઈ શકે. જે સારી રીતે સત્પુરુષના ચરણમાં ભક્તિથી આવ્યો છે, એ જો ત્યાં જ અટકતો હોય તો એને એ અટકવાનું સ્થાન ન બનાવવું જોઈએ. કોઈ શાસ્ત્રસ્વાધ્યાયમાં વિશેષે કરીને આવ્યો
Page #390
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૭
૩૭૩ હોય અને શુષ્કતા આદિ દોષોમાં ચાલ્યો જતો હોય તોપણ એને એ અટકવાનું કારણ થશે. એટલે વ્યક્તિગત રીતે તો દરેકને માર્ગદર્શન એની જરૂરિયાત સમજીને, એની પરિસ્થિતિ સમજીને, એની યોગ્યતા સમજીને આપવું રહે છે.
જો સિદ્ધાંત કરી નાખવામાં આવે કે પહેલા જ આમ કરવું અને પછી આમ કરવું. તો એ દરેકને માટે Fit બેસતું નથી. કેમકે જે જીવ આ બાજુ આવ્યો છે એ કાંઈક એવા આદરથી તો આવ્યો છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. છતાં પણ એની ભાવનાનું પડખું જો નબળું હોય છે તો એ શુષ્કતામાં આવે છે. અને ભાવનાવાળા જીવ પણ સ્વાધ્યાય આદિનો તત્ત્વજ્ઞાનનો, સમજણનો, પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરવાની ઉપેક્ષા કરે તોપણ એને માર્ગ હાથમાં આવતો નથી. એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. એટલે કોની શું યોગ્યતા છે? એમાપ્યા વિના સીધે સીધું એમ સ્થાપી દેવામાં આવે કે આમ જ કરવું, પહેલા આમજ કરવું, તો એ વાત બેમાંથી એક કરવું એ તો પ્રશ્ન જ નથી. બીજું ન કરે એવો પ્રશ્ન જ નથી. પણ પહેલા શું કરવું? કોણે શું કરવું? કયારે શું કરવું? એ વાત વ્યક્તિગત યોગ્યતા ઉપર આધારિત છે. એમ ને એમ કાંઈ સિદ્ધાંત સ્થાપી દેવાય એવું નથી. એટલે એમણે
મુમુક્ષુ-ઉપદેશમાર્ગ અને ભક્તિમાર્ગ બે એક જ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉપદેશમાર્ગ એટલે ઉપદેશબોધ. ઉપદેશબોધની અંદર ભક્તિનો વિષય મુખ્ય છે. એ ઉપરાંત વૈરાગ્ય ઉપશમ અને મુમુક્ષુતા સંબંધીનો વિષય ઉપદેશબોધની અંદર આવે.
મુમુક્ષુ-એના પેટામાં છે?
પૂજ્ય ભાઈશ્રી:-હા, એના પેટામાં છે. એ ઉપદેશબોધના પેટામાં આવી જાય છે. હવે ઉપદેશબોધની સાથે સાથે સિદ્ધાંતને રાખવામાં બહુ ફાયદો છે. સાથે સાથે રાખ્યો હોય તો. પોતે પણ સાથે રાખે છે. ૨૫૪ કાઢો ફરીથી. એમાં એક વિચારવા જેવો વિષય છે. એ દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો જ ખ્યાલ આવે નહિતર જરા સૂક્ષ્મ વિષય છે. ૨૮૯પાનું. એમણે પહેલી લીટીમાં મુમુક્ષુના ત્રણ દોષ બતાવ્યા છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય.” હવે આ ત્રણ મુદ્દાઓને આપણે જે અત્યારે સંબંધિત પત્ર ચાલે છે એના Angleથી-એના દૃષ્ટિકોણથી એને આપણે વિચારી લઈએ. કે “આ લોકની અલ્પ પણ સુખેચ્છા...” છે, એ મુમુક્ષુને ન હોવી જોઈએ. એટલે એક તો એને વૈરાગ્ય હોવો જોઈએ. અપેક્ષા ન હોવી જોઈએ તો ઉપેક્ષા હોવી જોઈએ એટલે વૈરાગ્ય હોવો જોઈએ,
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૨
ઉદાસીનતા હોવી જોઈએ. એ મુખ્યપણે ઉપદેશબોધના વિભાગમાં જાય છે. તોપણ એ ઉપદેશ કરતા એ સિદ્ધાંતબોધ વચ્ચે લઈ આવ્યા છે. હવે ખુલાસો વાંચો. સિદ્ધાંતબોધ વચ્ચે લઈ આવ્યા છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત્ છે એવું દૃઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી.’ સત્ અને પરમાનંદરૂપ સ્વરૂપનો નિશ્ચય છે એ વિચારમાર્ગમાં અને સિદ્ધાંતબોધના વિભાગમાં જાય છે. એટલે એમ કહ્યું કે એ સુખેચ્છાનું નિવારણ થવા અર્થે એને સિદ્ધાંતબોધના આધારે આ નિવારણ કરવું જોઈએ. નહિત૨ (સત્ પરમાનંદરૂપ જ છે એમ) નહિ રહે. સૂક્ષ્મ રહી જશે. સૂક્ષ્મ રહી જશે એટલે શું થશે ? કે મુમુક્ષુતામાં કષાયની મંદતા હોવાને લીધે કેટલોક આનંદ અથવા શાતા અનુભવાય છે તે પ્રિય લાગે છે.
ઉપદેશબોધ અંગીકાર કરનારને વૈરાગ્ય ઉપશમ થશે એટલે કષાય મંદ થશે. કષાય મંદ થશે એટલે શાતા વેદાશે. શાતા વેદાશે એટલે એ શાતા સારી લાગશે. કેમકે કષાયની તીવ્રતામાં આકુળતા ઘણી છે. ત્યાંથી કેમ ખસશે ? એટલે એને આત્મા સત્ પરમાનંદરૂપ છે એ જે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંતનો વિષય છે એના અવલંબને એ દોષ ટાળવો જોઈએ. એટલે અહીંયાં બે વાત ભેગી થઈ ગઈ. સિદ્ધાંત અને ઉપદેશબોધ સાથે થઈ ગયા. મુદ્દો છે ઉપદેશબોધનો પણ પોતે એના ખુલાસામાં સિદ્ધાંતબોધને વચ્ચે લઈ આવ્યા. બીજા મુદ્દામાં એકલો ઉપદેશબોધ લીધો છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ ભલે ચોથા ગુણસ્થાને હોય, અવિરતી હોય. પરમેશ્વરબુદ્ધિ આવવી ઘટે છે. એમાં એ સિદ્ધાંત વચ્ચે નથી લાવ્યા. એકલો ઉપદેશબોધ રાખ્યો છે.
ત્રીજો તો ચોખ્ખો મુદ્દો જ દ્રવ્યાનુયોગનો છે. તોપણ એમાં ઉપદેશબોધ વચ્ચે લાવ્યા છે. આ બંને થયા હોય તોપણ વાસ્તવિક તત્ત્વ પામવાની કાંઈક ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે.’ ‘મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થને વિષે સત્ત્ની માન્યતા હોય છે જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી.’ એટલે મહિમા આવતો નથી. એ જ પરમયોગ્યતાની હાનિ છે. એ જે ત્રીજું કારણ છે, પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી.’ એટલે પહેલું અને ત્રીજું. એક છે ઉપદેશબોધનું, બીજું જે સિદ્ધાંતબોધનું. એ બંને નુકસાન કરતા કારણો છે. એને તોડવા માટે બીજા કારણને આગળ કરવું. કોઈ મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તો
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭૫
પત્રાંક-૬૨૭. ઓળખાશે. અથવા પરમચૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે. એમ લીધું છે. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રમાણિ એ છે એટલે સત્પરુષની ભક્તિ એ ત્રણેનું બીજ છે. જોકે બીજામાં તો એ જ વાત છે. પણ બાકીના બે સમાવેશ કરી લીધા. તાત્પર્ય શું નીકળે છે?
ઉપદેશબોધને અંગીકાર કરતા સિદ્ધાંતબોધને બિલકુલ ન સ્પર્શે તોપણ યોગ્ય નથી. સિદ્ધાંતબોધને અનુસરવા માટે એનો દર્શનમોહ અને ચારિત્રમોહમાં કષાયરસ મંદ પડે નહિ અને એને કોઈ સિદ્ધાંતબોધનું ગ્રહણ થાય, અંગીકાર થાય એ કોઈ પરિસ્થિતિ નથી. ત્યારે એમણે એક રસ્તો કાઢ્યો કે જ્યારે વાત આવી સીધી સાદિનથી અને થોડીક અટપટી છે તો કરવું શું? હવે કરવું શું? સરવાળે વાત એ છે કે આનો સરવાળો શું પણ?.
એમણે એ સરવાળો પણ ત્યાં આપ્યો છે કે સર્વથી વાત એવી છે કે જો કોઈ સપુરુષ મળતા હોય, વિદ્યમાન હોય તો તું એના શરણમાં ચાલ્યો જા. તને બેય ચીજ ત્યાંથી મળશે. એ એક સુગમ ઉપાય છે, એ એક સરળ ઉપાય છે, સહેલો ઉપાય છે અને થોડો બિનજોખમી ઉપાય છે. એ થોડો બિનજોખમી ઉપાય છે. હવે એમાં શું એમણે બેમાંથી... પકડ્યું છે આ. એ બહુ સારું. ઘણા વિચાર, ચિંતન, મંથન અને અનુભવના નિષ્કર્ષરૂપ આ વાત એમણે કાઢી છે. જે ૨૫૪માં વાત કાઢી છે.
કે અનેક જીવો વૈરાગ્ય ઉપશમમાં આવે છે અને એને લઈને ત્યાગ પણ ઘણો છે. અનેક જીવો ક્ષયોપશમ વિશેષને લઈને ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે છે. અને બંને નથી પામતા એમ જોવામાં આવ્યું છે. અને ક્યાંક તો બે ભેગું હોય અને ન પામતા હોય એવું પણ જોવામાં આવ્યું છે. કોઈ એકલા ત્યાગ-વૈરાગ્ય ઉપર વયા ગયા તો આત્મસિદ્ધિમાં કીધું કે “અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન તો કોઈને શાસ્ત્રાભ્યાસ થયો અને ત્યાગ-વૈરાગ્યનો વિકલ્પ જ નથી. કે ભાઈ જ્ઞાન કરો. જ્ઞાનથી જ આગળ વધાશે. તો કહે છે કે એનું પણ આમાં કામ નથી. જો ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય નથી તોપણ આત્મજ્ઞાન થાય એવું નથી. “થાયન તેને જ્ઞાન.” ત્યાગ અને વૈરાગ્ય ન હોય તો એને જ્ઞાન થવાનો પ્રશ્ન નથી. હવે કોઈ બેય કરે છે. અને બેય સંપ્રદાયની અંદર બેય થોડું થોડું છે અને છતાં પણ નથી પામતા. આ પણ પરિસ્થિતિ થઈને ? એ પરિસ્થિતિની અંદરએમણે જેમાર્ગ કાઢ્યો છે એ બહુ સુંદર માર્ગ કાઢ્યો છે.
આ વિષયની અંદર સપુરુષને ઓળખવા, ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે. અને મુમુક્ષતા યથાર્થ આવી હશે તો મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
રાજહૃદય ભાગ-૧૨ છે. એ વાત પણ એમણે ૨૫૪ પત્રમાં નાખી છે. એટલે એ બહુ સહેલો, સુગમ અને વગર જોખમનો રસ્તો છે. નહિતર જોખમ ઘણું છે. કેમકે પોતાની કલ્પનાએ નક્કી કરે કે હું ઉપદેશમાર્ગે, ભક્તિમાર્ગે ચાલે અને પામું, કે પોતાની કલ્પનાએ નક્કી કરે કે હું જ્ઞાનમાર્ગે ચાલું અને પામું, કે પોતાની કલ્પના પ્રમાણે નક્કી કરે કે હું ક્રિયામાર્ગે ચાલું અને પામું.
આમાં પત્રાંક) ૬૯૩માં એમણે ત્રણ વાત લીધી છે. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ. એમ ત્રણ વાત લીધી છે. ક્રિયામાર્ગમાં ત્યાગ લઈ લીધો. વ્રત, ઉપવાસ, સંયમ વગેરેની ક્રિયામાં પડે છે. અને જ્ઞાનમાર્ગમાં જે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. ભક્તિમાર્ગની અંદર એ પુરુષની ભક્તિ લે છે. અને એટલા માટે એમણે એમ કહ્યું કે કોઈ પૂર્વના આરાધક હોય, કોઈ પૂર્વના સંસ્કારી હોય, એવા જીવોને કોઈ વિશિષ્ટ પ્રકારના જીવોને બાદ કરતા સામાન્ય જે મુમુક્ષુજનો છે એને સપુરુષની ભક્તિ, સપુરુષની ઓળખાણ, સપુરુષની ઓથ એ એને એક સહીસલામત માર્ગ છે, સુગમ માર્ગ છે, સહેલો માર્ગ છે, ભૂલે તોપણ એને ભૂલમાંથી પાછો વાળે એવી શક્યતા ત્યાં રહેલી છે. એટલા માટે એ માર્ગને હું પસંદ કરું છું. એ માર્ગની હું સલાહ આપું છું. એમ કરીને ૬૯૩માં એલખ્યું છે. જુઓ ! આમાં હશે. આગળ જ ૬૯૩ આવશે.
મુમુક્ષુ –૫૦૪ પાને.
પૂજ્ય ભાઈશ્રી – ૫૦૪ પાને કેશવલાલ નથુભાઈ, લીંબડી ઉપર (પત્ર લખ્યો છે). “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં...” પરમાવગાઢદશા એટલે મુમુક્ષતાની, હોં! બીજી કોઈ અહીંયાં (વાત) નથી. તીવ્ર મુમુક્ષતા આવ્યા પહેલા અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષતાને પામ્યા પહેલા તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહના ઘણા સ્થાનક છે કે આવી કેમ વાતો કરી હશે ? “વિકલ્પ, વધવાની ઘણી પરિસ્થિતિ છે. કેમકે એનો નય વિભાગ બહુ મોટો છે. આ નયથી આમ અને આનાથી આમ. અપેક્ષા જ્ઞાન ને ચારેય અનુયોગની અપેક્ષાઓ જુદી. એક શબ્દના અર્થ જોતા એની અપેક્ષાઓ જુદી. એવી ઘણી ઘણી વાતો છે. એટલે વિકલ્પ વૃદ્ધિનું કારણ થાય. હવે આ તો વિકલ્પ શાંત કરવાનો માર્ગ છે, નિર્વિકલ્પ થવાનો માર્ગ છે અને રસ્તો પકડયો વિકલ્પ વધારવાનો. “સ્વચ્છંદતા' વધે. કોઈ કોઈનું કાંઈ કરી શકતો નથી. ત્યાંથી સ્વચ્છંદતાવધે.
અતિપરિણામીપણું...” થોડું કાંઈક માહિતી જ્ઞાન મળ્યું હોય, માહિતી સંપાદન કરી હોય અને એમ લાગે કે મને જ્ઞાન પરિણમી ગયું, હું તો જ્ઞાની છું. તે
Page #394
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૭.
૩૭૭ અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે.”
મુમુક્ષુ-જીવને વારંવાર નીચે પડવાના કારણે થાય છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. જરાક આગળ ચાલે અને વળી પાછો પડે. એક નહિ ને બીજો દોષ ઊભો થાય. બીજો નહિ ને ત્રીજો દોષ ઊભો થાય, કોઈવાર સ્વચ્છંદ વધી જાય, કોઈવાર અતિપરિણામીપણું થઈ જાય, કોઈવાર વિકલ્પોમાં ફસાઈ જાય, કોઈવાર શંકામાં ગોથા ખાય. એ બધા પડવાના કારણો છે. અથવા એને આગળ વધવા દેતા નથી. એમ ગણો. બહુનીચે ન જાય તો આગળ ન વધી શકે ત્યાં અટકી જાય.
‘ક્રિયામાર્ગે અસઅભિમાન...” હું તપસ્વી, હું સંયમી, હું દઢ-મક્કમ, ફલાણું, આમ, તેમ “અસઅભિમાન...” અથવા તો દેહની ક્રિયા કરે અને મેં કર્યું. અસદ્છેને? દેહ છે તે અસ છે. એનું અભિમાન મેં આમ કર્યું. મેં આમ કર્યું. મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલી યાત્રા કરી. એ ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ.” આટલો સંયમ પાળું છું અને આટલી તપશ્ચર્યા કરું છું એનું ફળ આગળ આવ્યા વગર રહેશે નહિ. અત્યારે ભલે આટલી દેહકષ્ટ ભોગવું પણ આગળ એનું ફળ મળશે. અને શાસ્ત્રમાં આવે. આનું ફળ દેવલોક છે, આટલું કરે તો એનું ફળ (આ મળશે), આટલા વ્રત પાળે... આ છે ને ક્રિયાકોષમાં. આટલા વ્રત પાળે એને આઠમું સ્વર્ગ મળે છે. અને ઓલાને સોળમું સ્વર્ગ મળે છે. આમાં વિમાનોમાં જાય છે, ફલાણે જાય છે. શાસ્ત્રમાં આવતું હોય છે. એસિદ્ધિમોહ.
પૂજાસત્કારાદિયોગ,... એટલે માન આપે છે. એ તો ઉપરના જ્ઞાનમાર્ગે પણ એ પૂજાસત્કારાદિ યોગ છે. કોઈનો ક્ષયોપશમ વિશેષ જોઈને લોકો એને માન, સન્માન, પૂજા, ભક્તિ એ બધું ચાલુ થઈ જાય છે. એમ ક્રિયાવાનનું પૂજા, સત્કાર, રથયાત્રા અને બહુમાન કરવું એ બધું થઈ જાય છે. બંનેમાં જ્ઞાનમાર્ગમાં પણ એ દૂષણ આવે છે, ક્રિયામાર્ગમાં પણ પૂજાસત્કારાદિ યોગનું દૂષણ આવે છે. “અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેહની ક્રિયા કરે અને એ આત્માએ કરી એવી શ્રદ્ધા. એ દોષોનો સંભવ રહ્યો છે.'
કોઈક મહાત્માને બાદ કરતાં કોઈ મહાત્મામાં આ છે. કોઈક સંસ્કારી છે અથવા કોઈ આરાધન લઈને આવ્યા છે. એવા કોઈ મહાન આત્માને બાદ કરતા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્ચય કર્યો છે. આ લોકો વિશેષ પ્રાધાન્ય આપે છે એનું કારણ એ છે. ભક્તિમાર્ગનો આશ્રય કર્યો છે અને
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૨ આજ્ઞાત્રિતપણું અથવા પરમપુરુષ સદ્દગુરુને વિષે સવપણ સ્વાધીનપણું... જુઓ ! વળી પાછું ભક્તિમાર્ગમાં ઓલું નથી લીધું. પદ ગાવા એ નથી લીધું. કે ચાલો બે-ચાર પદ ગાઈ નાખે, પૂજા કરે એટલા માટે ભક્તિ થઈ ગઈ એમ નહિ.
“તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાત્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે....” સદ્ગુરુ એકલા ન લીધા. પરમપુરુષ એને કીધા પાછા અહીંયાં. ભક્તિનો વિષય છે ને ? એટલે પરમપુરુષને વિષે ‘સવપણ સ્વાધીનપણું.” સર્વાર્પણ બુદ્ધિએ વર્તવું, આજ્ઞાશ્રિત રહેવું. એને “શિરસાવદ્ય દીઠું છે. એણે એ વાત માથે ઉપાડી લીધી છે. “અને તેમ જલત્ય છે.”
તથાપિ... 'વાત તો એ છે કે તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; સપુરુષ હોવા જોઈએ ને ? નહિતર કોની ભક્તિ કરે ? એમ કહે છે. ન હોય તો ? ભક્તિ પણ કોની કરવી ? એમ કહે છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ. આખું મનુષ્ય આયુ નહિ, મનુષ્યગતિ નહિ. જેનો એક સમય ચિંતામણિ જેવો અમુલ્ય છે એવો મનુષ્યદેહ. જેનાથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય એ “ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.'
મુમુક્ષુ - એક એકવચન અમૂલ્ય છે.
પૂજ્ય ભાઈશ્રી – અમૃત છે, અમૃત ! જ્ઞાનમાર્ગે જઈશ પરિભ્રમણ વધારીશ, ક્રિયામાર્ગે જઈશ પરિભ્રમણ વધારીશ. કેમકે ધર્મનથી એને ધર્મ માનીશ.ગૃહીત થયું કે ન થયું ? જે સાધન નથી એને સાધન માન્યું. ગૃહીત થઈ ગયું. પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. જે પરિભ્રમણ નિવૃત્તિનો હેતુ થાય એવું જેનામાં નિમિતત્ત્વ છે એ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાયતો ઊંધાઈ કેટલી કરી?કે પૂરેપૂરી. એવી પરિસ્થિતિ છે.
મુમુક્ષુ -લાલબત્તી બધ ધરી છે.
પૂજ્ય ભાઈશ્રી :- એવી વાતો આવી છે. હવે ચાલુ પત્રની સાથે એ વિષયને વિચારવાનો છે. વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા માટે “સોભાગભાઈનો
અભિપ્રાય એમ છે કે વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી એ અપેક્ષા રાખી છે. એવી યોગ્યતા નથી કે આ વિચારમાર્ગને એટલે સિદ્ધાંતને સ્પર્શી શકે. તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે.” એને એવા માર્ગનો ઉપદેશકોએ ઉપદેશ ન આપવો જોઈએ એમ કહે છે. એ લખ્યું તે યોગ્ય છે. વાત તો ઠીક છે. તોપણ....” ઉપદેશકની સામે એક માણસ નથી બેઠો. ઉપદેશકની સામે તો અનેક માણસો બેઠા હોય છે. તો એને ઉપદેશ આપવામાં શું કરવું? એક જ બાજુનો ઉપદેશ આપવો અને બીજી બાજુનો ઉપદેશ ન
Page #396
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૭.
૩૭૯ આપવો એમ છે કે એમ નથી.
સામાન્ય રીતે જ્ઞાની પુરુષોના, સત્પષોના ઉપદેશમાં બંને વાત સાથે સાથે આવતી જ હોય છે. આપણે પ્રત્યક્ષ પરિચય છે. ગુરુદેવની એક કલાકની ગમે તે ટેપ લઈ લ્યો, Surprise checking માટે. At random. ગમે ત્યાંથી એક ઉપાડી લ્યો. અને એ Tape એક કલાક વગાડો. અને પછી આ દૃષ્ટિકોણ અપનાવો. આ Angleથી જુઓ એને કે એમાં ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ બેય આવે છે કે એક જ આવે છે? બેય આવે છે. એક વ્યાખ્યાન ખાલી નહિ હોય. પણ રુચિ જેની ઉપદેશ ઉપર નથી એ એકલા તત્ત્વજ્ઞાનને અનુસરવા જાય છે. જેની રુચિ તત્ત્વજ્ઞાન ઉપર નથી એ એકલા ઉપદેશને અનુસરવા જાય છે. એ બેય ભૂલ ખાય છે. બેયનો સમાવેશ કરતા આવડવું જોઈએ. બેમાંથી એકેયને છોડવું પાલવે એવું નથી.
મુમુક્ષુ –એટલે કે પોતાનો દૃષ્ટિકોણ
પૂજ્ય ભાઈશ્રી – એણે પોતે એ વાતને ક્યાં કેવી રીતે અંગીકાર કરવી ? આ એક બહુમોટો કોયડો છે અને મહત્વપૂર્ણ કોયડો છે. બહુ મોટી સમસ્યા છે આ.
મુમુક્ષુ -વાંચતી વખતે એ જ વિચાર આવ્યો કે આ બધી વાત “ગુરુદેવે વારંવાર કીધી છે પણ મેં લક્ષમાં જનથી લીધી....
પૂજ્ય ભાઈશ્રી:-વાત તો બધી આવે જ છે. અને આવે જ. “સોગાનીજીએ સ્પષ્ટ કહ્યું ને? એમનો અનુભવ એમણે કહ્યો, કે “ગુરુદેવ કે એક ઘટે કે પ્રવચનમેં પૂરી-પૂરી બાત આ જાતી હૈ. એનો અર્થ શું થાય? પૂરી વાત આવે છે એટલે શું આવે છે કે બેય વાત આવે છે. ઉપદેશની વાત પણ આવે છે અને સિદ્ધાંતની વાત પણ આવે છે. પાંચમીવાર સમયસાર’ વાંચતા વાંચતા શું કહે ભાઈ! ઘડીકમાં આંખ મીંચાઈ જશે. આ આયુષ્ય પૂરું થાય એ પહેલા કાંઈક સમજી જા. તારી ઓચિંતી આંખ મીંચાઈ જશે. એમ કહી ધે. એનો અર્થ શું? એ ઉપદેશબોધમાં જાય છે. કે તારું આયુષ્ય છે, તારી અહીંયાં મનુષ્યસ્થિતિ છે એ અનિશ્ચિત અને અનિત્ય છે. બહુ ક્ષણવર્તી છે. એ ઉપદેશબોધમાં જાય છે. સિદ્ધાંતની વાત ચાલતા ચાલતા ઉપદેશની વાત આવ્યા વગર રહે જ નહિ. એ એક વિશિષ્ટતા છે. સહેજે સહેજે આવી જ જાય). કેમકે એમને પોતાને અનેકાંતમય જ્ઞાન પ્રવર્તે છે ને ! અનેકાંતિક જ્ઞાન છે. સમ્યજ્ઞાન પોતે જ અનેકાંતિક જ્ઞાન છે. એટલે એ જ્ઞાન અનુસારની જે વાણી છે એમાં એ પ્રકાર આવ્યા વિના રહે જ નહિ.
મુમુક્ષુ -...જો કરવાનું કહેતો ઉપદેશબોધ વધારે...
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:- ઉપદેશબોધ તો વિશેષ આવે જ. આવે જ. એ સ્વાભાવિક છે. કેમકે મુમુક્ષુ સામે બેઠા છે ને ? એટલે એ જીવો ઉપદેશને યોગ્ય છે. એટલે ઉપદેશબોધ વિશેષ આવે છે.
એટલે એ વાત એટલી મર્યાદામાં ઠીક છે કે જેને વિચારમાર્ગનું સામર્થ્ય નથી તેને ઉપદેશબોધ આપવો, તેને ભક્તિમાર્ગનો ઉપદેશ આપવો, વિચારમાર્ગનો ઉપદેશ ન આપવો. ઠીક વાત છે. “તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.” એટલે તોપણની અંદર બીજી વાત છે એમ કહેવું છે. તોપણ કહેતા એમાં કાંઈક બીજી વાત છે એમ કરીને વાત લેવી છે. એટલે એમાં શું છે કે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓનો વિચાર કરવો પડે. અને આ બાજુ ઉપદેશકમાં એક વ્યક્તિને ઉપદેશ આપે છે કે સમષ્ટિગત ઉપદેશ આપે છે? એ પડખાનો પણ એણે વિચાર કરવો ઘટે છે. જો સમષ્ટિગત ઉપદેશ આપે તો એ જે ગુરુદેવશ્રીની પદ્ધતિ હતી એ પદ્ધતિ યોગ્ય હતી કે જેમાં એક જ કલાકમાં બંને વાતોનો સમાવેશ થતો હતો. બેમાંથી એકેય વાત છૂટતી નહોતી..
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, શું કહે છે? કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એ પહેલા કેટલીક વાત એને સમજાય પછી એ વાત સમજાય. એવી કેટલીક વાતો હોય છે. એટલે એમ કહે છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી કેવળદર્શનની શંકા શમાય છે. એમાં શું કારણ છે? ડુંગરભાઈ પોતે વેદાંત બાજુ ઢળેલા હતા. અને વેદાંતની અંદર કેવળજ્ઞાન સ્વીકારવામાં આવ્યું છે. જોકે જૈનદર્શન કહે છે એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ નથી સ્વીકાર્યું પણ કેવળજ્ઞાનને સ્વીકાર્યું છે કે દર્શનને નથી સ્વીકાર્યું. અથવા જ્ઞાનોપયોગમાં પણ જ્ઞાનના ઉપયોગને સ્વીકાર્યો છે. દર્શનોપયોગને એ લોકોએ નથી સ્વીકાર્યો. એના ઉપર એ કારણને લઈને વીરસેનસ્વામીએ “ધવલના ગ્રંથોમાં મોટી ચર્ચાઓ કરી છે. વેદાંતની સામે મોટી ચર્ચાઓ કરી છે, વિસ્તારથી ચર્ચાઓ કરી છે, કે ભાઈ ! દર્શન અને જ્ઞાન બે છે. એક ચૈતન્ય સામાન્ય છે તે દર્શન છે. વિશેષ છે તે જ્ઞાન છે અને એ બંનેનો વિષય જુદો એમણે પાડી દીધો કે દર્શન તો આત્મદર્શન જ કરે છે. જ્ઞાન છે એ પરને જાણે છે. આત્માને જાણતું નથી. એના ઉપર એકમુમુક્ષુએ)બહુચલાવ્યું. પણ એમતાર્થ છે ત્યાં. પણ ઘણી વિશેષ ચર્ચાત્યાં ચાલી છે.
મુમુક્ષુ:-....
Page #398
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૭.
૩૮૧ પૂજ્ય ભાઈશ્રી:- જ્ઞાન છે એ પરને જાણે છે અને દર્શન છે તે આત્માને દેખે છે. આવું વિધાન ત્યાં “વીરસેનસ્વામીએ ધવલ”, “જય ધવલ આદિ ગ્રંથોની ટીકામાં કર્યું છે. જય ધવલ, ધવલ એ “ષટ્રખંડાગમની ટીકાઓ છે. એમાં એ વાત જુદા જુદા Volume માં એના ઘણા ભાગ છે ને ? એમાં જુદા જુદા ગ્રંથમાં પહેલા ભાગમાં આવે છે. પછી બીજા પણ ઘણા ભાગમાં આવે છે.
મુમુક્ષુ – સોળ ભાગ છે ને? પૂજ્ય ભાઈશ્રી – હા. કુલ બધા ત્રણે થઈને ૩૧ છે. ધવલ”, “જય ધવલ” અને મહા ધવલ એ થઈને ૩૧ ભાગ છે. એમાં એ વિષય મતાર્થને હિસાબે આવે છે. જ્ઞાન આત્માને જાણે જ નહિ અને એકાંતે એવી વાત ત્યાં કહેવાનો અભિપ્રાય નથી. અને એ અધ્યાત્મના વિષયમાં તો બિલકુલ ચાલે એવું નથી.
મુમુક્ષુ -મુખ્ય-ગૌણ...?
પૂજ્ય ભાઈશ્રી – એમાં મુખ્ય-ગૌણનો પણ પ્રશ્ન નથી. ત્યાં તો વાત જમતાર્થની સામે છે કે ત્યાં દર્શનઉપયોગને સિદ્ધ કરવો છે. એટલા માટે એટલી હદ સુધી એ વાતને લઈ ગયા છે. બાકી દર્શનઉપયોગનો વિષય પણ આત્મા અને પર બને છે અને જ્ઞાનોપયોગનો વિષય પણ આત્મા અને પર બને છે. સિદ્ધાંતિક રીતે તો એમ છે. કેમ ? કે કોઈ પણ પદાર્થને જાણતા પહેલા દર્શનોપયોગ થઈ આવે છે. મતિજ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જ તે મતિજ્ઞાનનો જે વિષય થાય એ પહેલા દર્શનોપયોગનો વિષય થઈ જાય છે કે જે એની સામાન્ય સત્તાને સ્વીકારી લે છે, વિષય કરી લે છે. એટલે એ બંનેનો સ્વપઅકાશક સ્વભાવ છે. દર્શનનો પણ સ્વપપ્રકાશક સ્વભાવ છે અને જ્ઞાનનો પણ સ્વપપ્રકાશ સ્વભાવ છે. ખરેખર તો એમ છે.
મુમુક્ષુ-દર્શન એટલે શ્રદ્ધા?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. અહીંયાં એ વાત નથી. અહીંયાં દર્શનઉપયોગની વાત છે, ઉપયોગની વાત છે. શ્રદ્ધાનો વિષય તો એકાંતે પોતાનો શુદ્ધ પારિણામિકભાવ આત્મા છે એટલો જ છે. સમ્યકશ્રદ્ધાનો વિષય. અને એની મિથ્યા-ઊંધી અવસ્થામાં મિથ્યાશ્રદ્ધાનો વિષય એને છોડીને બાકી બધું છે. પારિણામિકભાવને છોડીને બધું છે). એટલે બે જ ખાતા પડે છે : સ્વ અને પર. સ્વમાં ત્રિકાળી શુદ્ધ આત્મા પરમપરિણામિકભાવ જ્ઞાયકતત્ત્વ તે સ્વ. એની શ્રદ્ધા તે સમ્યફ શ્રદ્ધા. એ સિવાયનું બાકી બધું તે પર. એની શ્રદ્ધા તે મિથ્યાશ્રદ્ધા. શ્રદ્ધામાં ત્રીજો પ્રકાર નથી. કાં શ્રદ્ધા સમ્યફ હોય કાં શ્રદ્ધા મિથ્યા હોય. એના બે ખાતા છે. એના બે વિષય છે. સ્વ અને પર.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૨ પછી કથન એમ આવે, નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. પણ એ તો જ્ઞાનપ્રધાન શ્રદ્ધાનું કથન છે. એ કાંઈ શ્રદ્ધાપ્રધાન શ્રદ્ધાનું કથન નથી. એ તો આપણે તત્ત્વાનુશીલન'માં છત્રીસ અપેક્ષાઓમાં લીધું છે.
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. બીજા પ્રકારે સમજાયા પછી આ સમજાય એવું છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી.” એટલે એને અત્યારે ગૌણ કરીને અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવો આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. મારે અત્યારે મારા આત્મહિતાર્થે મારે શું કરવાનું છે ? એનો જ એમને વિચાર કરવાની જરૂર છે. આ દર્શનઉપયોગ અને જ્ઞાનઉપયોગની માથાફોડમાં એને જવાનું અત્યારે યોગ્ય નથી. એમ હળવેક દઈને કહી દીધું. એ ૬ ૨૭ પત્ર પૂરો થયો.
મુમુક્ષુ – આમાં લખ્યું કે સંક્ષેપ કરી ઉપશાંત કરે. પૂજ્ય ભાઈશ્રી:- હા. સંક્ષેપ કરવો એટલે ઘટાડી નાખવો અથવા ઉપશાંત કરવો એટલે ગૌણ કરી નાખવો. એને એકકોર મૂકી દેવો. અત્યારે નીચે મૂકી દેવો. એ વાતને અત્યારે હાથમાં ન લેવી. શાંત કરી દેવો. ઉપશાંત કરી દેવો એટલે શાંત કરી દેવો. એ પ્રશ્નને અત્યારે શાંત કરવો. એ બાબતમાં હમણા તમે શાંતિ રાખો.
મુમુક્ષુ-જીવને ખરેખર આત્માજવિશેષ નિકટ છે.
પૂજ્ય ભાઈશ્રી - નિકટ એવો આત્માર્થનો. અત્યારે મારે શું કરવા જેવું છે ? નજીકમાં. નિકટમાં મારે અત્યારે આત્મહિત માટે શું કરવું? આ એણે પહેલું વિચારવાની જરૂર છે. બીજી દૂરની વાતોનો વિચાર કરતા પહેલા. નહિ તો એવી ચર્ચા કરે. શુક્લધ્યાનમાં વિતર્કવિચારતત્ત્વ શુક્લધ્યાન કેમ કહ્યું? ત્યાં કેવી જાતના વિતર્કચાલતા હશે ? ભાઈ!તારું કામ નથી. શુક્લધ્યાનનો વિચાર કરવાનો હજી તારું ગજુનથી. એવી વગર મફતની ચર્ચા જેને કહે પોતાને પ્રયોજનન હોય એવી ચર્ચા કરે.
Page #400
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૮
૩૮૯
પત્રાંક-૬ ૨૮ વાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧
અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળજ્ઞાનાદિઆ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તરશ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે.
ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે.
કંઈ ઉપાધિયોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો.
સહજાત્મભાવનાએ યથા.
(પત્રાંક) ૬૨૮. એ પણ “સૌભાગ્યભાઈ ઉપરનો છે. અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ સંભવે છે. એટલે ભાદરવા સુદ ૪ સુધી “વવાણિયા' રોકાવાના છે. કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે. એ ઉપર ઘણો વિચાર કરવો. અનુપ્રેક્ષા કરવી એટલે ઘણો વિચાર કરવો અને અંદરોઅંદર પણ તમે એકબીજા ચર્ચા પ્રશ્ન કરજો.
ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ?” પોતે આ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ?” ગુણ-ગુણી ભેદ છે ને? જ્ઞાનગુણ છે, આત્મા ગુણી છે. દર્શન ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, આત્મા ગુણી છે. તો ગુણનો સમુદાય તે ગુણી એમ કહેવાય છે. એવી વ્યાખ્યા પણ આવે છે. દ્રવ્યની વ્યાખ્યામાં ગુણ સમુદાયો દ્રવ્યું. આ સૂત્ર છે. ગુણ સમુદાયો દ્રવ્ય દ્રવ્યની અનેક પ્રકારે વ્યાખ્યા છે. એમાં આ એક ગુણસમુદાય દ્રવ્ય છે એવી પણ એક વ્યાખ્યા છે. પંચાધ્યાયીમાં આ વ્યાખ્યા લીધી છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૨
૩૮૪ ગુણસમુદાયો દ્રવ્ય આપણે પ્રશ્નોત્તરમાં પણ એ વાત લીધી છે.
વચમાં “વઢવાણમાં (એક મુમુક્ષુએ) આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગુણનો સમુદાય તે દ્રવ્ય એ દ્રવ્યની વ્યાખ્યા જખોટી છે. પછી વાત કરી કે આ ભાઈને પંચાધ્યાયી વંચાવી દેજો. પાછું એનું શું એ વળી છાપામાં લખે એટલે બધાને ઘરે ખોટે ખોટું ઊંધુ પહોંચી જાય. ગુણનો સમુદાય તે દ્રવ્ય એવું હોય જ નહિ. ભાઈ ! એ સૂત્ર છે. “ગુણ સમુદાયો દ્રવ્ય એ સૂત્ર છે. “સત્ લક્ષણં દ્રવ્ય સત્તા એ દ્રવ્યનું લક્ષણ છે. એમદ્રવ્યની તો અનેક પ્રકારે વ્યાખ્યા થાય છે. એ બધી વ્યાખ્યાઓ બરાબર છે. પાછી એકેય વ્યાખ્યાઓ ખોટી નથી. બધાને દ્રવ્યને કહેવાનો Angle જુદો જુદો છે. આ ગુણની પ્રધાનતાથી દ્રવ્યને કહ્યું. પર્યાયની પ્રધાનતાથીદ્રવ્યને કહ્યું.
ત્યાં “ઘાટકોપરની શિબિરમાં વિદ્વાનોની ગોષ્ઠીમાં વાત ચાલી હતી કે દ્રવ્ય કોને કહેવું?કે સત્ લક્ષણં દ્રવ્યું.” કીધું, ભાઈ ! એ તો ચાર વ્યાખ્યા આવે છે. એ વખતે ચારે યાદ હતી અત્યારે તો બે જ યાદ આવે છે. ચારે ચાર કઈ? ચારેય બરાબર છે. ચારેયની આવિવિક્ષા છે, આ અપેક્ષા છે. એનો અર્થ શું છે? કે.
અહીંયાં જરા એમણે પ્રશ્ન સૂક્ષ્મ પૂક્યો છે. આ પ્રશ્ન થોડોક વધારે સૂક્ષ્મ છે. અને એની ચર્ચાએ નીચેના પત્રમાં પાછા પોતે કરે છે. અહીંયાં પણ પોતે ચર્ચા કરે છે ખાલી. પ્રશ્નચર્ચા કરે છે. ઉત્તર નથી આપતા. એટલે એ પ્રશ્નની સૂક્ષ્મતા વધારે પ્રદર્શિત કરે છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? કે ગુણના સમુદાય તેટલું જ ગુણીનું સ્વરૂપ છે? એમ કહેવું છે. ગુણના સમુદાયથી કાંઈ જુદું ગુણીનું સ્વરૂપ છે? કે ગુણના સમુદાયરૂપ જગુણીનું સ્વરૂપ છે? આ પ્રશ્ન પ્રત્યે જોતમ વગેરેથી બને તો વિચાર કરશો.” તમારાથી બને શકે તો આ પ્રશ્ન ઉપર તમે લોકો વિચાર કરજો.
શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. એમને ખાસ યાદ કરે છે. કેમકે એ જરા વિચારતા હતા વધારે અને વેદાંતની અંદર પદાર્થને આ રીતે ગુણ-ગુણીના સ્વરૂપે વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદન નથી કર્યો. એટલે પણ એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે, કે જો વેદાંતમાં આત્મા સ્વીકારતા હોય, આત્માને બ્રહ્મસ્વરૂપ એટલે ત્રિકાળ છે એમ સ્વીકારતા હોય, ધ્રુવ સ્વીકારતા હોય તો ત્યાં ગુણ-ગુણી ભેદનું શું છે? ત્યાં એ વસ્તુ નથી, ત્યાં એ વાત નથી. બહુ બહુ તો ગુણની વાત આવે તો સત્વ, રજસ, તમસ એવા ત્રણ પ્રકારની જે અવસ્થાઓ છે એને જ એ ગુણ કહે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ મુખ્યપણે એટલી વાત ગીતામાં નાખી છે. એમાં પણ કયાંક ક્યાંક એ
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૫
પત્રાંક-૬ ૨૮ વિષયને યોગવાશિષ્ઠ વગેરેમાં પણ ચચ્ય છે.
મુમુક્ષુ:-ત્રણે તો પર્યાયવાચક શબ્દ છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. ત્રણેને મુખ્યપણે પર્યાયથી જ ઓળખી શકાય છે. પણ એ ગુણથી વાત કરે છે. અને ગુણીને નિર્ગુણ કહે છે. ગુણી એટલે આત્મા કેવો છે? કે નિર્ગુણ સ્વરૂપ છે. નિરંજન નિરાકાર ને નિર્ગુણ છે એમ કહે પછી એમાંથી આ શૂન્યવાદ ઉત્પન્ન થયો છે કે આત્મામાં કાંઈ નથી શૂન્ય છે અંદરમાં.એ નિર્ગુણમાંથી નીકળ્યો છે. પ્રશ્ન એમણે મહત્ત્વનો છેડ્યો છે. તમે લોકો જરા વિચારો છો તો આ વાતને વિચારજો કે ગુણના સમુદાયથી એવું કાંઈ બીજું ગુણીનું સ્વરૂપ છે કે ગુણનો સમુદાયતેજ ગુણી છે?
આ પ્રશ્ર પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિયોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે....... મારા તરફથી એમ લખે છે. મારા તરફથી કાંઈક ઓછી પ્રવૃત્તિ થતી હશે. ‘તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં....” એટલે “વવાણિયા રોકાણો છું ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પ્રશ્નોત્તર સાથેના પત્ર લખવાનું થાય તો કરશો એટલે તમારા તરફથી તમે પત્રવ્યવહાર ચાલુ રાખજો. હું કદાચ ઓછું લખીશ તો એ બનવા યોગ્ય છે. અહીં સુધી રાખીએ.
જીવને પ્રકૃતિનો ઉદય દસમા ગુણસ્થાનના અંત સુધી છે, તેથી નીચેના ગુણસ્થાને આત્મ-જાગૃતિ દ્વારા તેનો પરાભવ સાધક કરે છે, પરંતુ મુમુક્ષુની ભૂમિકા અત્યંત નાજુક હોવાથી, ત્યાં પ્રકૃતિવશ થઈ જઈને તે પ્રાયઃ પછાડ ખાય છે. પરંતુ જેણે જીતવાનો નિર્ધાર કર્યો છે, તે વારંવાર પ્રકૃતિ સામે લડે છે અને અંતે ય પામે છે. આ લડાઈ કઠણ લાગે તોપણ નીચે મને બેઠાં વિના લડવી જ જોઈએ. જે મુમુક્ષુ પ્રકૃતિ સામે હારી જાય છે, તે જાગૃતિના અભાવે પોતાને નુકસાન કરે છે. સત્પુરુષની અત્યંત ભક્તિ પ્રકૃતિમાં ન જોડાવાનું પ્રબળ કારણ છે, પ્રકૃતિને જીતવાનો આ અતિ ઉત્તમ અને સુગમ ઉપાય છે.
(અનુભવ સંજીવની-૧૪૮૦)
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ચજહૃદય ભાગ–૧૨
પત્રાંક-૬૨૯
વિવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક, ૧૯૫૧ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર, શ્રીસાયલા.
અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે: “ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? અર્થાત્ બધા ગુણનો સમુદાયતે જગુણી એટલે દ્રવ્ય? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજાં હોવાપણું છે ?? તેના ઉત્તરમાં એમ લખ્યું કેઃ “આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્રની પરિચય કરવા યોગ્ય છે.
ચોથો પ્રશ્ન કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કેઃ “પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષવિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ? કિવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે? આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા. યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો.પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંના ત્રણ પ્રશ્નના ઉત્તર અત્રે
Page #404
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૯
૩૮૭
સંક્ષેપમાં લખ્યા છે.
પ્રથમપ્ર-જાતિસ્મરણશાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે તેનો ઉત્તર આપ્રમાણે વિચારશો:
નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવાદેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિનિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ? તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે:- અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહધારણ થયો હોય અને તેનાં ચિલો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા જાતિસ્મૃતિ' હોવી સંભવે છે, અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.
બીજો પ્રશ્ન – “જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો:
જેમ આત્માને સ્થળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૨
થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિસ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે.
ત્રીજો પ્રશ્ન:- કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો:
વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કિાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે; અને આવતા. કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પયય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પયય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ર પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે.
તા. ૧૦૨-૧૯૮૧, પત્રીક ૬૯
મક પ્રવચન . ૨૮૬
પત્ર-૬ ૨૯. પાનું-૪૭૯. અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે. ચાર પ્રશ્નો લખેલા. આગળ. પાંચ પ્રશ્નનો પત્ર) હતો પણ ચાર પ્રશ્નનો કોઈ પત્ર નથી મળતો. પાંચ પ્રશ્નમાં તો કેવળજ્ઞાન, ભરતક્ષેત્ર, સમ્યગ્દર્શન એ સંબંધીના હતા. એ પ્રશ્નનું અનુસંધાન નથી. ૬૨૮માં એક પ્રશ્ન છે કે, ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ
Page #406
--------------------------------------------------------------------------
________________
પત્રાંક૬૨૯
૩૮૯ પ્રશ્ર પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો.” પ્રશ્નમાં દ્રવ્યાનુયોગનો વિષય છે. ચાર પ્રશ્નનો જે પત્ર છે એ ઉપલબ્ધ નથી થયો એવું લાગે છે. પણ આ પ્રશ્ન દોહરાવેલો છે. ચાર પ્રશ્નમાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે...” એમ પોતે ટીકા કરી છે. અને તે સામાન્યપણે યોગ્ય છે એટલું પણ પ્રમાણ બતાવ્યું છે.
તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. એ જે બને પ્રશ્નોનો સંક્ષેપમાં ઉત્તર લખ્યો છે તે વિશેષપણે લખવા યોગ્ય છે અને સૂક્ષ્મપણે વિચારીને, સૂક્ષ્મ આલોચનથી. જુઓ ! આલોચન શબ્દ વાપર્યો છે. સૂક્ષ્મ આલોચન એટલે જરા અવલોકીને ઝીણવટથી, સૂક્ષ્મપણે અવલોકીને તે પ્રશ્ન લોચ. લોક ઉપરથી લોચ. અવલોક-આલોચ. એવી રીતે છે. તે પ્રશ્નનો ઉત્તર લખવાયોગ્ય છે. એવી રીતે લખજો. લખવા યોગ્ય છે અથવા વિચારજો. વિચારીને લખજો.
એ ચારમાં તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે:” એમ કરીને જે ઉપરનો પ્રશ્ન છે એ દોહરાવેલો છે. ૬૨૮વાળો આમાં ત્રીજો છે. ચારની અંદર. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છેઃ “ગુણના સમુદાયથી જાદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? શું પ્રશ્ન છે? આત્મામાં અનંત ગુણો છે. એ ગુણો એકસાથે રહેલા છે. સમુદાય એટલે એકસાથે રહેલા છે. તો એક સાથે બધા ગુણો રહે તે જદ્રવ્યનું સ્વરૂપ છે? ગુણીનું સ્વરૂપ છે ? ગુણના સમુદાયથી જુદુ એવું ગુણીનું સ્વરૂપ હોવાયોગ્ય છે કે કેમ ? અર્થાત્ અથવા પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે કે બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? આવો પ્રશ્ન હતો. ગુણનો સમુદાય તે જ દ્રવ્ય? કે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કાંઈક બીજુંદ્રવ્યનું હોવાપણું છે? આ પ્રશ્ન છે.
ગુણ સમુદાયો દ્રવ્ય-પંચાધ્યાયીમાં આ સૂત્ર આવ્યું છે. ગુણ સમુદાયો દ્રવ્યું.” જે પ્રમાણના વિષયને જ દ્રવ્ય સમજે છે અને ઘણીવાર આ પરિભાષામાં તકલીફ થાય છે કે પર્યાય તો આમાં આવી નહિ. પણ આ સૂત્ર “પંચાધ્યાયીમાં પણ છે અને પ્રશ્નોત્તરમાળામાં પણ આ વિષય લીધો છે. ગોપાલદાસજી બારૈયા' એમણે પણ આ વિષય લીધો છે. ગુણ સમુદાયો દ્રવ્ય.પ્રશ્ન એ પૂક્યો છે કે ગુણનો સમુદાયને દ્રવ્ય?કે ગુણના સમુદાયને આધારભૂત છે એવું કોઈદ્રવ્યનું સ્વરૂપ છે?પ્રશ્ન જરા સૂક્ષ્મ છે.
તેના ઉત્તરમાં એમ લખ્યું કે “આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિરક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવેક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૨ પ્રશ્નની પરિચય કરવા યોગ્ય છે. શું કહે છે? ઉત્તર સામાન્યપણે ઠીક છે કે આત્મા એક પદાર્થ છે તે ગુણી છે. તેના જ્ઞાન, દર્શન વગેરે અનેક ગુણો છે. એક ગુણ નહિ પણ એવા અનેક ગુણો છે. ઠીક છે વાત. એક ગુણી છે અને અનેક ગુણો પણ છે. એમ ગુણી અને ગુણની તમે વિવિક્ષા કરી... સામાન્યપણે એ વાત બરાબર છે. તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. એટલે વધારે ચોખવટ તમે કરો. “શ્રીમદ્જી પોતે શું ચોખવટ માગે છે?
જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદુંએવું બાકીનું આત્માપણું શું?” આ મારો પ્રશ્ન છે. પોતે પોતાનો પ્રશ્ન વધારે સ્પષ્ટ કરે છે કે જ્ઞાન-દર્શનથી જુદું એવું આત્માપણું શું? એમ કહેવું છે. પ્રશ્નનું હાર્દશું છે? અનંત ગુણોનો સમુદાયતેદ્રવ્ય તો એક કોથળીમાં રૂપિયા ભર્યા છે અને રૂપિયાની કોથળી કહીએ, એવી રીતે ગુણી ને દ્રવ્યનું સ્વરૂપ છે? નહિ તો દ્રવ્યનું સ્વરૂપ શું? અથવા જો દ્રવ્યમાંથી બધા ગુણો બાદ કરી દેવામાં આવે. હવે ઊલટાવીને આપણે પ્રશ્ન લઈએ. આ તો એક પદાર્થનું વિજ્ઞાન છે. કે જોદ્રવ્યમાંથી બધા ગુણોને બાદ કરવામાં આવે તો કાંઈ આત્મપણું, દ્રવ્યત્વપણું રહી જાય તો ન રહે.
એક તર્ક કરવામાં આવે કે પદાર્થમાંથી બધા ગુણો જો બાદ કરી દઈએ અને પછી એ પદાર્થને વિચારીએ કે આમાં દ્રવ્યપણું શું? આત્માપણું શું ? જ્ઞાન-દર્શન આદિ સ્વભાવને જ્ઞાનમાંથી કાઢી લઈએ તો પછી કાંઈ આત્માપણું બાકી રહે છે? નથી રહેતું. નથી રહેતું તો જ્ઞાન-દર્શન આદિનો જે સમુદાય છે એ આત્માપણું છે? આ મારો પ્રશ્ન છે. પ્રશ્ન આ છે. એનો ઉત્તર એમ વિચારી શકાય, કેમકે અહીંયાં એનો ઉત્તર નથી આપ્યો, પત્રની અંદર પોતે ઉત્તર નથી આપ્યો. પોતે તો પ્રશ્ન પૂછ્યો જ છે. એટલે એ ઉત્તર પાછો વાંચવા જેવો ખરો.
દ્રવ્યત્વ શું છે?દ્રવ્યમાં દ્રવ્યત્વ શું છે? અને ગુણત્વ શું છે? આ વસ્તુ જો સમજાય તો આનો ઉત્તર યથાર્થ પ્રકારે બંધબેસે છે. નહિતર એનો ઉત્તર બંધબેસે નહિ. હવે દ્રવ્યત્વ તો એ છે કે જે અનંત ગુણોને આધારભૂત એવો એક પદાર્થનો એક ધર્મ છે કે જે અનંત ગુણોને આધારભૂત થઈ શકે છે. ફરક શું છે? કે એક ગુણને બીજા ગુણનો આધાર નથી. કોઈ ગુણને કોઈ ગુણનો આધાર નથી. પણ અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે. જો અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે તો જે આધાર આપે છે અને જેના આધારે છે, આધાર-આધય જેને કહેવામાં આવે છે, ગુણો છે તે આધય છે. એટલે આધાર લેવાને યોગ્ય છે અને દ્રવ્ય છે તે એનો આધાર છે. ગુણોનો આધારદ્રવ્ય છે. એ રીતે આધાર-આધયપણે જેને લાગુ પડે છે. ગુણોને આધારપણું નથી. દ્રવ્યને
Page #408
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
| ૩૯૧ આધારપણું છે. દ્રવ્ય અને ગુણોમાં એટલો ફરક છે. દ્રવ્ય અને ગુણમાં આટલો ફરક છે કેગુણો છે તે આધેય છે અને દ્રવ્ય છે તે આધાર છે. હવે જુદું શું? એમ પ્રશ્ન પૂછ્યો છે.
પદાર્થમાંથી જો ગુણને બાદ કરી લઈએ છીએ તો કાંઈ મળતું નથી. ગુણો બધા લઈ લ્યો, એનો સ્વભાવ લઈ લ્યો દ્રવ્યમાંથી. અહીં દ્રવ્ય સામાન્ય લેવું છે. જો એમાંથી બધા ગુણોને જ્ઞાનમાંથી બાદ કરીએ તો પછી દ્રવ્ય શું? કાંઈ દ્રવ્ય નથી રહેતું. એટલા માટે એમ કહ્યું કે, ગુણ સમુદાયો દ્રવ્ય ગુણનો સમુદાય તે જ દ્રવ્ય છે.દ્રવ્ય કોઈ ગુણ સમુદાય પછી કોઈ ચીજ બાકી રહે છે તે દ્રવ્ય છે એમ નથી. તો જો ગુણનો સમુદાય તે જદ્રવ્ય હોય તો પછી એને ગુણનો સમુદાય જ કહો ને. દ્રવ્ય શું કરવા કહો છો ? એક ગુણ, બે ગુણ, અનંત ગુણ સાથે છે માટે એને દ્રવ્ય કહીએ છીએ. સર્વ ગુણોનું સહવર્તીપણું તેને દ્રવ્ય કહી લ્યો. તો કહે છે, નહિ. એક વિશેષતા પણ છે કે એ સર્વ ગુણોનું જેમાં એકત્વછે, જ્યાં સર્વગુણોને આધારભૂતપણું છે અને જેદ્રવ્યભાવે છે પણ ગુણભાવે નથી.
મુમુક્ષુ-દ્રવ્યભાવે છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જે દ્રવ્યપણે છે પણ ગુણપણે નથી. ગુણત્વ જુદી ચીજ છે, દ્રવ્યત્વ જુદી ચીજ છે. અથવા જ્ઞાનના નયપદ્ધતિથી વિચારવામાં આવે તો બહુ સ્પષ્ટ પદ્ધતિસરનો વિષય એ છે કે દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણો છે તે પર્યાયાર્થિકનયનો વિષય છે. દ્રવ્યમાં અનંત ગુણો છે એમ કહો તો એ પર્યાયાર્થિકનયનો વિષય થઈ જાય છે. કેમકે ભેદ છે. અને દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. અથવા દ્રવ્ય છે તે અભેદનયનો વિષય છે અને ગુણો છે તે ભેદનયનો વિષય છે. એટલે એને એક Specipe character છે. Property ન કહેવાય. કેમકે બધા ગુણો એ જ Property છે. પણ વિજ્ઞાનની દૃષ્ટિએ એનું Specic character છે. એ રીતે દ્રવ્યગુણ વચ્ચે સંબંધ છે. એ રીતે દ્રવ્ય-ગુણનું સ્વરૂપ છે. જે ગુણનું સ્વરૂપ છે તે દ્રવ્યનું સ્વરૂપ નથી, દ્રવ્યનું સ્વરૂપ છે તે ગુણનું સ્વરૂપ નથી.
મુમુક્ષુ નહિતર તો આ આધાર-આધેયનો ભેદન પડે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. નહિતર આધાર-આધેયના ભેદ પણ ન પડે. અથવા કદિ એમ ન કહી શકાય કે ગુણો આધાર છે અને દ્રવ્ય આધય છે. એમ ન કહી શકાય. પણ દ્રવ્યના આધારે ગુણો રહેલા છે માટે દ્રવ્ય આધાર છે અને ગુણો આધય છે. અહીંયાં એટલું વિચારી શકાય. જે એમનો પ્રશ્ન છે એમાં સૂક્ષ્મતાથી વિચારવું હોય તો એટલું વિચારી શકાય.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ચજહૃદય ભાગ-૧૨ આમ તો એક સત્તામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે તોપણ દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયિત્વ નથી. પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ અને ગુણત્વ નથી. ગુણત્વ છે તેદ્રવ્યત્વ અને પર્યાયત્વ નથી. આમ એક પદાર્થમાં દ્રવ્યત્વ કેવું હોય?એનું ગુણત્વ કેવું હોય? એનું પર્યાયિત્વ કેવું હોય ? એ એક પદાર્થને વિષે જો બરાબર સ્પષ્ટ સમજવામાં આવે તો વસ્તુનુ બંધારણ જે છે એ બરાબર સમજાય છે. વસ્તુનું બંધારણ જો સમજાય તો પછી બંધારણ વિરુદ્ધ પોતાને વિકલ્પ કે વિચાર ઊઠે નહિ. અથવા તો સમાધાન થવામાં પણ એ બંધારણનો જ્યાં જ્યાં ઉપયોગ લઈ શકાતો હોય, થઈ શકતો હોય તે સમાધાન થવામાં પણ જીવને કામમાં આવે.
એટલે બાકીનું આત્માપણું શું? તો કહે છે, એ દ્રવ્યત્વ તે આત્માપણું છે, એમ કહેવું છે. અથવા અનંત ગુણો સર્વપ્રદેશે રહેલા છે. આખો આત્મા એક અખંડદ્રવ્ય છે. અભેદનયે એક પ્રદેશ છે. ભેદનયે અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશ ને પ્રદેશમાં બે નય લાગુ કરીએ તો. અભેદનયે આત્મા એક અખંડ પ્રદેશ પિંડ છે, અખંડ પ્રદેશનો પિંડ છે કે જે પ્રદેશના ખંડ ખંડ નથી. પરમાણુના માપથી પ્રદેશની ભેદકલ્પના કરીએ તો અસંખ્ય પ્રદેશાત્મક આત્મા છે. એ એક પ્રદેશને લક્ષમાં લઈએ કે આત્માપણું શું? બાકીનું આત્માપણું શું? તો એક અખંડ પ્રદેશપણે વિચારીએ તો એક અખંડ પ્રદેશમાં બધા જ ગુણો છે. અથવા ભેદથી વિચારીએ તો સર્વ પ્રદેશે અનંત ગુણો છે. આ પ્રદેશે પણ અનંત ગુણ છે... આ પ્રદેશે પણ અનંત ગુણ છે. આ પ્રદેશે પણ અનંત ગુણ છે... આ પ્રદેશે પણ અનંત ગુણ છે. બધા જ ગુણો બધા જ પ્રદેશોમાં, આખા પ્રદેશમાં, અખંડ પ્રદેશમાં વ્યાપેલા છે. એવું એક જ પ્રદેશમાં સર્વગુણોનું વ્યાપવું તે પણ આત્માપણું છે. એમાંથી તો એનું આત્મા એવું નામ થયું છે એનું.
સર્વગુણોને આત્મીયતા બહુ છે. ઘણી આત્મીયતા છે. જેમ આપણે કહીએ ને કે અમારી બે વચ્ચે આત્મીયતા બહુ છે. કોઈ વાત અમે ગુપ્ત રાખતા નથી. એવી અમારી આત્મીયતા છે. એમ આત્મીયતા બોલાય છે ને ? તો અનંત ગુણો વચ્ચે આત્મીયતા બહુ છે. કેટલાક ગુણો તો વિરુદ્ધ સ્વભાવી છે. તોપણ આત્મીયતા ઘણી છે. પરસ્પર સ્વભાવનો મેળ નહિ ખાતો હોવા છતાં આત્મીયતા ઘણી છે. આ એક આત્માનું આત્માપણું છે. એમણે પૂછ્યુંને કે આત્માપણું શું ? આવો એક પ્રશ્ન કર્યો છે. તો કહે છે, આ આત્માપણું છે.
કોથળીમાં રૂપિયા ભર્યા છે એવી રીતે એ વાત નથી કે કોથળીમાં રૂપિયા ભર્યા છે. કેમકે રૂપિયા જુદા જુદા લે છે. રૂપિયાની કોથળી. એમ કહીએ તો રૂપિયા અંદર બધા
Page #410
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
૩૯૩
જુદા જુદા છે. એક એક રૂપિયો છૂટો પડે છે. જ્યારે આત્મામાં ગુણ. ગુણનો સમુદાય આત્મા છે. તો કહે ગુણો જુદા જુદા છે ? નહિ. સર્વ ગુણો દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે છે. મુમુક્ષુ :- ... દૂધ ને પાણી બે જુદું પડી જાય છે. ગોળ અને ગળપણ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ગોળ અને ગળપણ બરાબર છે. ગોળ અને ગળપણ છે. ગળ્યાપણાનો ગુણ. ગોળનો ગળ્યાપણાનો ગુણ. અહીંયાં ગળપણની પર્યાય નથી લેવી. કા૨ણ કે પ્રશ્ન એટલો જ ઉઠાવ્યો છે કે ગુણ સમુદાયો દ્રવ્યં’. જો આટલી વાત છે, તો કે ગુણનો સમુદાય તે જ દ્રવ્ય છે ? કે દ્રવ્યત્વ કાંઈ બીજું સમજવા યોગ્ય છે ? આ સિવાય પણ દ્રવ્યત્વ એ કાંઈ સમજવા યોગ્ય છે. તો કહે છે, હા. દ્રવ્યત્વ સમજવા યોગ્ય છે. કેમકે ગુણ તે ગુણ છે, ગુણ તે દ્રવ્ય નથી.
મુમુક્ષુ ઃ– જુદું સમજવા છતાં જુદું નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– ગુણપણું છે તે દ્રવ્યપણું નથી. શું મુદ્દો છે ? કે જે ગુણપણું છે તે દ્રવ્યપણું નથી. બધા ગુણો એટલા દ્રવ્યો થઈ જાય. જેટલા ગુણો છે એટલા દ્રવ્ય થઈ જાય. પણ બધા ગુણોનું એકરૂપ, બધા ગુણોનું આત્મીયપણું તે આત્માપણું છે અને એને દ્રવ્યપણું અહીંયાં કહેવામાં આવે છે.
માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે.' આ રીતે પોતાને જેટલું સમજમાં આવે એટલી એની પરિચર્યા એટલે ચારે પડખેથી એની ચર્ચા કરવી જોઈએ એમ કહેવું છે.
મુમુક્ષુ :– ગોળને ગળપણ પણ છે એને ખારાશપણું પણ છે. એ જે જુદા જુદા છે એટલે એ રીતે....
પૂજ્ય ભાઈશ્રી :- ગળ્યાપણું છે એ એનો ગુણ છે પણ ખારાપણું ગુણ નથી. એટલે બીજી રીતે વિચારીએ કે એક સાકર છે. તો વર્ણપણું પણ એમાં ગુણ છે. ભલે સફેદ એની પર્યાય છે. પણ આપણે સફેદ કે પીળી સાકર છે એ પર્યાયને નથી વિચારવી. કેમકે પીળી પણ સાકર હોય અને સફેદ પણ સાકર હોય. પણ વર્ણપણું અને ગળ્યાપણું એટલે રસપણું અને વર્ણપણું એ જુદા પણ છે અને જુદા ન પડી શકે તેનું કારણ કે દ્રવ્યપણું છે.
એક માણસ Fruit market માં કેરી લેવા જાય. ત્યાં કેરી બે જાતની છે. એક પીળી છે અને એક લીલી છે. બે રંગની છાલ આવે છે. બંને મીઠી છે. પેલો વેચનારો માણસ એમ કહે છે, કે બંને સરખી મીઠી છે પણ જો તમારે લીલા રંગની કેરી લેવી હોય અને પીળા રંગની કેરી લેવી હોય તો ભાવમાં એક કીલોએ પાંચ રૂપિયાનો ફરક છે. જે
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૪
રાજહૃદય ભાગ-૧૨ પીળા રંગની કેરી છે એના હું પાંચ રૂપિયા વધારે લઉં છું. જે લીલા રંગની કેરી છે એના પાંચ રૂપિયા ઓછા લઉં છું. તો કહે પણ મારે તો કાંઈ રંગ ખાવો નથી. લેનાર શું કહે ? કે મારે કાંઈ રંગ ખાવો નથી. મારે તો રસ ખાવો છે. તું તારે રંગ બાદ કરીને મને તું એકલો રસ આપને. હવે બોલ. મારે એકેય રંગ નથી જોતો. તારે રંગના ભાવ જુદા જુદા લેવા હોય તો મારે તો એકેય રંગ નથી જોતો. રસ જોઈએ છે. મને રસ આપી દે. તો કહે, રંગ તો સાથે જ આવશે. રંગ અને રસ જુદા છે. કેમકે રંગ તે રસ નથી અને રસતે રંગ નથી. જુદા હોવા છતાં જુદા પડી શકે નહિ એવા જુદા છે. કેમકે બંનેને આધારભૂત એવું એક દ્રવ્ય છે. બંનેના આધારે રહેલા આધેય છે, આધાર લેવાને યોગ્ય છે અને આધાર તે દ્રવ્ય છે. એ રીતે. એમ જુદાપણું અને નહિ જુદાપણું. ભેદપણું અને અભેદપણું એક પદાર્થમાં દ્રવ્ય-ગુણને આ પ્રકારે છે. અને તે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે એટલે બંધારણનો આ રીતે યથાર્થવિચાર કરવા યોગ્ય છે.
ચોથો પ્રશ્નએ ચાર પ્રશ્ન છે ને ? એમાં ત્રીજો પ્રશ્ન ગુણ-ગુણીનો હતો. હવે ચોથો પ્રશ્ન કહે છે કે, “કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કેઃ પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવાયોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે હવે મારે તમને જે વિચારમાં પ્રેરવા છે, જે વિચાર બાજુ દોરવા છે એ માટે વાત કરે છે કે તમે એટલું ગ્રહણ કરશો કે એટલે મારા પ્રશ્નને આ રીતે ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ?કિવા જેનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે? આ વાત ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
હવે કેવળજ્ઞાનનો પ્રશ્ન આપણે વિચારીએ કે કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ ? તો “સોભાગભાઈએ ઉત્તર લખ્યો છે કે “પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે.” હવે કેવળજ્ઞાન એમણે કહ્યું કહ્યું? કે નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળજ્ઞાન તે, દેહછતાં નિર્વાણ.” નિજસ્વભાવનું જમાત્ર જ્ઞાન હોય. કેવળ એટલે માત્ર નિજ સ્વભાવનું જ્ઞાન હોય. અને એ જ્ઞાનનું શેય નિજ સ્વભાવ સિવાય કાંઈ ન હોય. એટલે એનું નામ કેવળ. કેવળ એટલે માત્ર એવું જે કેવળજ્ઞાન તે આ કાળમાં કોઈને
Page #412
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
૩૯૫
થાય કે ન થાય ? તો ‘સોભાગભાઈ’ કહે છે કે થાય. અને એનું અમારી પાસે પ્રમાણ છે. કે આ કાળમાં કેવળજ્ઞાન બરાબર થાય. તો કહે છે, મારે એ પ્રશ્ન નથી કરવો. શું કહે છે ? ‘શ્રીમદ્ભુ’ કહે છે, મારે એ પ્રશ્ન નથી કરવો.
એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે.’ હવે મારો પ્રશ્ન હું સ્પષ્ટ કરું છું કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે...'' જૈનાગમમાં પ્રસિદ્ધપણે કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? કે લોકાલોક પ્રકાશક છે. લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન છે. સ્પષ્ટપણે કેવળજ્ઞાનમાં તો લોકાલોક પ્રતિબિંબિત થાય છે. પ્રસિદ્ધ સ્વરૂપ આપું છે. જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ... એવું જે કેવળજ્ઞાન તે સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? એ વાત જિનાગમમાં બરાબર કરી છે ? તમને કેમ લાગે છે ? કે કેવળજ્ઞાન આવું હોય ? એમનું શું કહેવું છે ?
જે શ્રેણી છે, ક્ષપકશ્રેણી છે શુક્લધ્યાનની શ્રેણી છે અને એ શુક્લધ્યાનની અંદર કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો ધ્યાન તો આત્માનું છે. કેવળ આત્માનું ધ્યાન છે. ત્યાં જે જ્ઞાનનું પ્રગટપણું થયું એમાં લોકાલોક પ્રકાશ થયા તો એ કેવી રીતે થયા ? સામાન્યપણે જીવ ઉપયોગ જ્યારે અન્ય પદાર્થ ઉ૫૨ મૂકે છે ત્યારે અન્ય પદાર્થ શેય થાય છે. અન્ય પદાર્થ બાજુ ઉપયોગ લંબાય છે અને પદાર્થનું જ્ઞાન થાય છે. આ તો અંતર્મુખ હતા. લોકાલોકનું જ્ઞાન કેવી રીતે થયું ? સમજાવો. એક પ્રશ્ન તો એમનો, ગૂઢ પ્રશ્ન તો આ છે.
બીજું કે કેવળજ્ઞાનનું યથાતથ્ય સ્વરૂપ છે એમ પૂછ્યું એટલે એ સાચી વાત છે ? એમ પૂછ્યું. કે આવી રીતે અંતર્મુખ રહે અને બધુ લોકાલોક જણાય જાય ? બીજું, કે લોકાલોકને કેવળજ્ઞાન જાણે એટલું જ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે ? કે પૂરેપૂરું જ્ઞાન આત્મામાં નિમગ્ન રહે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે ? કેમકે કેવળજ્ઞાન બે અર્થમાં વપરાય છે. એક સર્વજ્ઞપણાના અર્થમાં વપરાય છે અને એક આત્માને જાણવાના અર્થમાં વપરાય છે. અહીંયાં પ્રશ્ન પૂછે છે. બેય રીતે પૂછે છે. લોકાલોકને જાણે તેં યથાતથ્ય છે ? એટલે કેવજ્ઞાન છે ત્યાં સર્વજ્ઞપણું છે તે યથાતથ્ય છે ? અને જો એમ હોય તો એટલું જ સ્વરૂપ છે ? કે આ સિવાય સાથે સાથે કેવળ આત્માને જાણવું એવું પણ ભેગું છે અને બેય થઈને કેવળજ્ઞાન કહેવામાં આવે છે ? કેમકે જેઓ માત્ર સર્વજ્ઞપણાને જ જાણે છે. એ આત્મામાં પરિપૂર્ણ નિમગ્નપણું શું ? એ જાણતા નથી.
‘સમયસાર’ની શૈલી અનુસાર લઈએ તો બહુ સૂક્ષ્મપણે એ વાત છે કે જ્યારે
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૨ તેરમા ગુણસ્થાને જ્ઞાન પરિપૂર્ણ વિકાસ પામે), જ્ઞાનગુણનો પરિપૂર્ણ વિકાસ થાય છે અથવા પૂર્ણપણે જ્ઞાન પરિણમે છે. પછી પ્રતિબંધ નથી જ્યાં, આવરણ નથી જ્યાં પર્યાયને એવી રીતે પૂરી શક્તિથી જ્ઞાનપ્રગટે છે. જ્ઞાનની પૂરેપૂરી શક્તિ વ્યક્ત થાય છે ત્યારે તે પર્યાયને પરિપૂર્ણ વિજ્ઞાનઘનપણું છે. સ્વસંવેદન થયું ત્યારે આત્મા પહેલોવહેલો વિજ્ઞાનઘન થયો. આ સમયસારમાં શબ્દ વાપર્યો છે. નિર્જરા અધિકાર અને કર્તાકર્મ અધિકારમાં એવા આચાર્ય મહારાજના વચનો છે કે જેમ જેમ જીવ આસવથી નિવર્તતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસવોથી નિવર્તતો જાય છે. “સમયસારમાં આવા વચનો છે.
સ્વસંવેદન થયું ત્યારે વિજ્ઞાનઘન (થયો, અને પછી પણ વધુને વધુ વિજ્ઞાનઘન થતો જાય છે. એનો અર્થ શું ? કે જ્ઞાનને જ્ઞાનનું વદન તો થયું, તે સ્વસંવેદન. તે સ્વસંવેદનમાં પણ વિજ્ઞાનઘનપણાની તારતમ્યતામાં ઉત્તરોત્તર ઉપરના ગુણસ્થાનની અંદર ફરક છે. એટલે વધુને વધુ જ્ઞાન ઘન થતું જાય છે, નિવિડ થતું જાય છે અને જ્યારે પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે ત્યારે પરિપૂર્ણ વિજ્ઞાનઘનપણે ત્યાં પ્રગટ થાય છે. જે વેદનના લક્ષણથી ભાવભાસન થયું. પરિશિષ્ટમાં કહ્યું) કે જ્ઞાનમાત્ર...
સિદ્ધિ શેની થઈ છે સાબિતી ? સ્વસંવેદનની છે. ત્યાંથી લઈને એટલે એક અંશ સ્વસંવેદનથી લઈને અનંત અંશ સ્વસંવેદનમાં જ્ઞાનઘનપણું છે એમ કહેવું છે. તો કેવળજ્ઞાનનું સ્વરૂપ શું તમે સમજો છો ? એમ કહે છે. આવું કોઈ કેવળજ્ઞાનનું સ્વરૂપ તમે સમજો છો ? કે લોકાલોકને જાણે તે જ્ઞાન, જેનાગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે જ્ઞાન. આટલું જ સમજો છો ? કે બેય થઈને કેવળજ્ઞાન છે એમ સમજો છો ? તમે શું સમજો છો ? એમનો આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે ફરીને વાંચીએ.
“જે પ્રમાણે જેનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે.” એટલે પ્રસિદ્ધપણે જે કેવળજ્ઞાન કહેવામાં આવ્યું છે. જે આ લોકાલોકનું પ્રકાશક છે એ વાત પ્રસિદ્ધ છે. શ્વેતાંબર શાસ્ત્રોની અંદર પણ લોકાલોકને જાણનારું કેવળજ્ઞાન છે એ પ્રસિદ્ધ છે. પણ પેલાનો વિષય નથી-વિજ્ઞાનઘનપણાનો વિષય નથી. જે સમયાસરમાં છે એ વિષય નથી. એટલે કહે છે કે આગમમાં લખ્યું છે એટલું જ માનો છો ? “અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ?’ લાગે છે? એમ કહે છે. એટલે કે આ સિવાયનું બીજું છે કે એમાં લખ્યું નથી એ પણ તમે સમજો છો ? આમ ધ્યાન દોર્યું છે.
અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય.” લોકાલોક
Page #414
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
૩૯૭
પ્રકાશક. જે આગમમાં કહ્યું છે તેવું. તેવું તમને લાગતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ?” આ કાળમાં એવું કોઈને કેવળજ્ઞાન પ્રગટે કે કેમ ? અથવા ‘કિવા...’ એટલે અથવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે ? આ બીજો પ્રકાર વિજ્ઞાનઘનપણાનો છે-નિરવશેષ અંતર્મુખપણાનો. કેવળજ્ઞાનની અંદર આ બે જે મુદ્દા છે એ પણ એનો કહેવાનો આશય છે ? શું સમજો છો તમે ? એમ કરીને વાતને જિજ્ઞાસામાં મૂકી દીધી છે. એમને જિજ્ઞાસામાં મૂક્યા છે કે તમે વિચારો.
‘આ વાર્તા પ૨ યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન...' એટલે ઉપરનો. ઉ૫૨ જે આ ગુણ-ગુણીનો વિષય છે એ ફરીને પાછી વાત લે છે. ‘તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે.' ગુણ-ગુણીનો વિષય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો.’ અનુપ્રેક્ષા ક૨વી એટલે વારંવાર વિચારવું એને અનુપ્રેક્ષા કહે છે. વારંવાર વિચારીને એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બની શકે તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો.’ હવે એ કયા બે પ્રશ્ન છે ? એમાં પ્રથમ પ્રશ્ન જાતિસ્મરણજ્ઞાનનો છે અને બીજો પ્રશ્ન જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું ? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો. પછી ત્રીજો તો કેવળજ્ઞાનનો લીધો છે. એમ કરીને વાત લીધી છે. જોકે એમાં કેવળજ્ઞાનનો ચોથો લીધો છે. સ્પષ્ટીકરણમાં પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે.
પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંના ત્રણ પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લખ્યા છે.' એ ત્રણ તો એમના પ્રશ્ન છે. પાંચ પ્રશ્નો ‘સોભાગભાઈ’એ લખ્યા છે. એમાંથી પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપે છે.
મુમુક્ષુ :– જે પશ્ન ઉઠ્યો છે એમાં ...
=
પૂજ્ય ભાઈશ્રી :– ૬ ૧૫ પત્રમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ, ભરતક્ષેત્રમાં આ કાળે અને જાતિસ્મરણનો કયાં પ્રશ્ન છે એમાં ? કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની..? એટલા માટે પહેલા જાતિસ્મરણનો ખુલાસો કરે છે. એટલે એ પત્ર સાથે અનુસંધાન નથી. અનુસંધાન એ પત્ર નથી.
મુમુક્ષુ :– જાતિસ્મરણ નથી બાકી બે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા બાકી બે આવે છે પાછા. પણ એટલે પાંચ જે એક સાથે છે
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૨ એમાં ઓલા પ્રશ્નો Commonહશે કદાચ. એમ લાગે છે. એટલે તમારા જે પાંચ પ્રશ્નો છે તેમાંના ત્રણ પ્રશ્નનો ઉત્તર હું અહીંયાં સંક્ષેપમાં લખું છું.
મુમુક્ષુ –કેવળજ્ઞાનના કારણો હોય છે એ ઓળખાણને હિસાબે કે...?
પૂજ્ય ભાઈશ્રી – ના. એમાં એમને વાત શું લઈ જવી છે? કે કેવળજ્ઞાનનું સાંગોપાંગ સ્વરૂપ શું? એનું અંતરંગ જે કેવળજ્ઞાનનું છે એ કેવું છે? કે અંતરંગ એવું છે કે નિરવશેષપણે અંતર્મુખ છે. અને અત્યંત જેમાં સ્વસંવેદનનું વિજ્ઞાનઘનપણું છે. અનુભવ પ્રકાશમાં પણ આ વિષયનો સંકેત મળે છે. જ્યાં દેવ અધિકાર લખ્યો છે. ત્યાં. વીતરાગદેવનું અનંત સ્વસંવેદનપણું જોઈને સાધકજીવ પોતાના સ્વસંવેદનને વિચારે છે. એમ કરીને વાત લીધી છે. સ્વસંવેદન તો સ્વસંવેદન ચોથા ગુણસ્થાને છે. અને સ્વસંવેદન તેરમા ગુણસ્થાને છે. બે વચ્ચે તારતમ્યભેદે અનંતો ફેર છે. જાતિ ભેદે જરાય ફેર નથી. સ્વસંવેદનની એક જ જાતિ છે. પણ તારતમ્યભેદ મોટો તફાવત છે, અનંતો તફાવત છે. અહીંયાં જઘન્યભાવે જેસ્વસંવેદન ચોથા ગુણસ્થાને સ્વાનુભૂતિમાં આવ્યું, એ કેવળજ્ઞાનમાં એનાથી અનંતગુણ અસંવેદન છે અને અનંતગુણ જે સ્વસંવેદન છે એની મૂર્તિ અહીંયાં મૂકી છે, એમ કહે છે. એની મૂર્તિ બિરાજમાન છે. સ્વસંવેદનની મૂર્તિ બિરાજમાન છે. એના ઉપરથી સાધકજીવને પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. સ્મરણમાં આવે છે અને સ્મરણ થતાં જ ભાવમાં આવિર્ભાવ થાય છે. એ વાત “અનુભવ પ્રકાશમાં દેવ અધિકારમાં લીધી છે. જિનપ્રતિમાની સ્થાપનાનો વિષય લઈને પોતે એ વાત લીધી છે).
એમ કહે છે કે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે એ સાંગોપાંગ વિચારો તો તમને એનું અંતરંગ પણ વિચારમાં હોવું જોઈએ, સમજમાં હોવું જોઈએ અને બહિરંગ કે જે લોકાલોકને પ્રકાશે છે એ કેવળજ્ઞાનનું બાહ્ય અંગ છે. જેમ આ કાન છે એ કાનનું બાહ્ય અંગ છે. અને અંદરની રચના છે, પડદો છે અને ત્યારપછી અંદર પણ પાછું છે, જેને ડૉક્ટરો એમ કહે કે જ્ઞાનગ્રંથી, શું કહે છે?
મુમુક્ષુ -અંતરકર્ણ. પૂજ્ય ભાઈશ્રી:-અંતરકર્ણ. પણ એને ઓલી ગ્રંથીઓ શેની કહે છે? મુમુક્ષુ - ગ્રંથી...
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનની ગ્રંથીઓ કહે છે ને ? જ્ઞાન શબ્દ વાપરે છે કાંઈક જ્ઞાનતંતુ. ગ્રંથી નહિ પણ તંતુ શબ્દ વાપરે છે. જ્ઞાનતંતુઓ. જ્ઞાનના તંતુ કહે છે. કેમકે એ લોકોનું રૂપીનું જ વિજ્ઞાન છે. અરૂપીનું તો વિજ્ઞાન નથી. પણ જે Areaની અંદર
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯
પત્રાંક-૬ ૨૯ અવાજને ઝીલવાનો જે જ્ઞાનનો પ્રકાર છે એ Areaની અંદર રહેલા ક્ષેત્રને જ્ઞાનતંતુ એવું નામ આપે છે. જ્ઞાનતંતુ એમ કહે છે. ત્યાં જ્ઞાનના તાંતણા છે. તાંતણા-ફાતણા નથી પણ એ જાતનો ત્યાં પ્રદેશોની અંદર ક્ષયોપશમ છે. આત્માનો જે પ્રદેશ છે ત્યાં એટલો ઉઘાડ છે. Speતંતિtypeનો-ખાસ પ્રકારનો. એ સૂંઘે પણ નહિ જોવે પણ નહિ માત્ર જે ધ્વનિ છે એનું જ્ઞાન કરી શકે. પછી અક્ષરાત્મક હોય, અનક્ષરાત્મક હોય. પણ ધ્વનિને ગ્રહણ કરવાનો ક્ષયોપશમ છે. એ જે ત્યાં અંદરના પુગલો છે અને અંતરનો કાન કહે છે. એટલે એ કાનનું અંતરંગ છે અને આ બહિરંગ છે-બાહ્ય અંગ છે. એ બધું થઈને એક કાનની પર્યાય.
એમ કેવળજ્ઞાનની એક પર્યાય. એનું બહિરંગ શું? કે લોકાલોકને જાણે તે. એને બહિરંગ કેમ કહ્યું? કે સામાન્ય માણસો પણ એને સમજી શકે. જેમ હું આ બધા ઘટપટાદિ પદાર્થો જાણે છે તો મારું જ્ઞાન મર્યાદિત છે તોપણ હું આટલા બધા પદાર્થો જાણું છું. તો મારું જ્ઞાન પૂરેપૂરું વિકસિત થઈ જાય, નિરાવરણ થઈ જાય અને મારી જ્ઞાનશક્તિ પૂરેપૂરી વ્યક્ત થઈ જાય તો પૂરેપૂરા પદાર્થો જણાય જાય. એવું એક કેવળજ્ઞાનનું સ્વરૂપ છે. અને તે બાહ્યદૃષ્ટિએ પણ સમજી શકાય છે માટે એને બાહ્ય અંગ કહ્યું. અને જે જ્ઞાનનું સ્વસંવેદનપણું છે તે જ્ઞાનનું અંતરંગ છે. કેમકે એ અંતરમાં વળ્યા પછી, જ્ઞાનને જ્ઞાન પોતે જ પોતામાં-અંતરમાં વળે ત્યારે એ અંગનું જ્ઞાન થાય છે અથવા અનુભવ થાય છે. માટે તે જ્ઞાનનું અંતરંગછે.
તો તમે કેવળજ્ઞાનના સ્વરૂપને અંતર-બાહ્ય એવા સાંગોપાંગ સ્વરૂપથી જાણો છો ? કે માત્ર જે આગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન, એટલું જ તમે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણો છો ? એમપ્રશ્ન મૂકીને મૂળ કેવળજ્ઞાનના સ્વરૂપને પોતે સ્પષ્ટ કરવા માગે છે. એ વાત છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે કે શ્રીમદ્જીના પરિચયમાં આવ્યા પછી સોભાગભાઈને ઓલા કેવળજ્ઞાન ઉપર આકર્ષણ નહોતું. એમને તો પોતાના આત્માનું માત્ર જ્ઞાન વર્તે એનું આકર્ષણ હતું. મારે લોકાલોકને જાણીને શું કામ છે? મારે લોકાલોકના પદાર્થો જાણવાનું પ્રયોજન શું છે? મારે કાંઈ પ્રયોજન નથી. મારે તો મારા આત્માને જાણવાનું પ્રયોજન છે અને ફક્ત એક મારા આત્માને જાણું એટલે મેં તો બધું જાણી લીધું, સમજી લ્યો ને. એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ તો નિગ્રંથ પ્રવચન છે. બસ! મારે તો આટલું જ કેવળજ્ઞાન જોઈએ છે. તો કહે છે, એમ નહિ.
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૦
રાજહૃદય ભાગ-૧૨ જિનાગમમાં છે. લોકાલોકને કેવળજ્ઞાન જાણે છે એવું જિનાગમમાં છે. જિનાગમ સિવાય ક્યાંય એવું આગમમાં નથી. બીજાના આગમમાં નથી. તો પછી જિનાગમમાં છે એ તમને બરાબર લાગે છે? એટલે એટલું જ છે એમ બરાબર લાગે છે? તો કેવળજ્ઞાનનું સ્વરૂપ તમે કેવી રીતે સમજો છો ? બસ! એ ચર્ચા એમણે પોતે છેડી છે. ૬૧૫માં કેવળજ્ઞાનનો પ્રશ્ન એમણે છેડ્યો છે.
મુમુક્ષુ -આ કાળમાં કેવળજ્ઞાન છે એ કઈ અપેક્ષાથી વાત કરે છે?
પૂજ્ય ભાઈશ્રી – એટલે કહે છે કે હું તો પૂછું છું કે કેવળજ્ઞાનનું સ્વરૂપ જે આગમમાં કહ્યું છે એ આ કાળમાં છે? થાય ખરું? તમને એમ લાગે છે? કે ઓલું જે આત્મામાં કેવળ અખંડ સ્વભાવનું જ્ઞાન વર્તે એવું આ કાળમાં થાય એ વાત કહેવા માગે છે? શું કહેવા માગે છે તમે વિચારો છો ?બંને માટે. એમ પોતે ચર્ચા કરવા માટે પ્રશ્ન મૂક્યો છે. બાકી ઓલું કેવળજ્ઞાન તો થાય નહિ. લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન તો આ કાળમાં થાય નહિ.
કોઈ સાધકજીવને, આગમન વાંચ્યા હોય અને અંતર્મુખ થઈને પહેલું કેવળજ્ઞાન થાય અને એને એમ થાય કે આવું જ્ઞાન મને હજી છૂટી જાય છે. ઉપયોગ આવીને છૂટી જાય છે, ઉપયોગ આવીને છૂટી જાય છે માટે પૂરેપૂરું નથી. અને એ કેવળજ્ઞાન સાદિ અનંતપણે રહી જાય એવું કેમ ન થાય?
જો Cycle એક Second પણ Wheel ઉપર ઊભી રહી શકતી હોય તો પછી એને ગતિ આપીને કલાકોના કલાકો સુધી શા માટે એમને એમ ઊભી ન રાખી શકાય? વિજ્ઞાનીઓએ શું વિચાર કર્યો નીચેનું Tyre છે એ તો Round O, Flat નથી Flat વસ્તુ આમ રહી જાય. પણ ગોળાઈવાળી હોય તો ન રહે. એમણે જોયું કે ગોળાઈ છે તોપણ એક Second રહે છે. જો એક Second રહે તો એક એક કરતા ઝાઝી Second આપણે કરી નાખીએ. તો કેટલી રહે? જેટલા કલાક અને જેટલા દિવસ રાખવી હોય એટલી રહી જાય. આ તો વિજ્ઞાન છે ને ? એને ગતિ આપી દો. ત્યાં ને ત્યાં રહેતો નમી જશે પણ ફરતી હશે તો નહિ નમે.
(એમ) અહીંયાં એક ક્ષણ અંદર અંતર્મુખ થવાણું. એક ક્ષણ અંતર્મુખ થયા પછી બહાર આવી જવાય છે તો પછી એક એક ક્ષણ કરીને એમને અનંત કાળ કેમ ન રહેવાય? એને ગતિ આપો Force આપો, એને Speed આપી દો. અંદર અંતર્મુખની Speed આપી દ્યો, વધારી દ્યો તે રહેશે. એવું કેવળજ્ઞાન પ્રગટ કરવાનો એમનો જે ભાવ છે એવો કોઈ સાધકને લોકાલોકના કેવળજ્ઞાનનો ખ્યાલ ન આવે. હું આવું
Page #418
--------------------------------------------------------------------------
________________
પત્રાંક૬ ૨૯
૪૦૧ કેવળજ્ઞાન શું કરવા પ્રગટ ન કરું? તો એવો તીવ્ર પુરુષાર્થે ચડી જાય. કદાચ ઓલું તેરમા ગુણસ્થાનવાળું કેવળજ્ઞાન ન પ્રગટે પણ પુરુષાર્થ જો તીવ્ર થઈ જાય તો પાછું એકાવતારીપણું થઈ જાય. ૨૫ વર્ષ પહેલા અનંતમા કાળમાં કેવળજ્ઞાન પ્રગટે કે ૨૫૫૦વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પછી પ્રગટે અથવા દેવલોકના બે-ચાર સાગરનું આયુષ્ય પૂરું કર્યા પછી પ્રગટે એમાં કાંઈ બીજો મોટો ફેર એને માટે તો રહેતો નથી.
પ્રથમ પ્રશ્ન:- જાતિસ્મરણશાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે ?” જેને મતિજ્ઞાનનો ભેદ એવું જાતિસ્મરણ કે જે આગળનો ભવ, જે ભવ પૂરો થઈ ગયો અને નવા ભવમાં જીવ આવ્યો, ઈ કેવી રીતે દેખે છે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃનાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે. પોતાનું વતન હોય. નાનપણમાં વતનમાં ઊછર્યા હોય, નિશાળમાં ભણ્યા હોય. પછી મોટી ઉંમરે ઘણા વર્ષ સુધી મુંબઈમાં કે પરદેશમાં રહેતા હોય તો એને એનું ગામ યાદ આવે કે ન આવે? સ્મરણમાં આવી શકે કેન આવી શકે? કે અમારા ગામમાં અહીંયાં ચોરો છે, આ ચોરા પાસે એક લીંબડો છે. ગામની પાસે નદી જાય છે. નદી ઉપર પૂલ છે. આ કેન આવે?ભલેને બહાર રહેતા હોય.
સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને..” જાતિસ્મરણ જેને છે એવા જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન (સ્મરણ) થાય છે. કદાપિ આઠેકાણે એમ પ્રશ્ન થશે.” આ જગ્યાએ કોઈ પ્રશ્ન કરે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?” પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે.
આ ઠેકાણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું. એટલે ત્યાં શરીર જુદું હોય. આ શરીર તો ત્યાં છે નહિ. દેવલોક હોય તો દેવલોકનું શરીર હોય, તિર્યંચ હોય તો તિર્યંચનું શરીર હોય. “એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એવાત યથાતથ્ય માનીએ...” માનો કે એ વાત સાચી છે. ‘તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ..” અથવા દેવલોકાદિ નિવાસ્થાન....” મહાવિદેહમાં શરીર મોટા હોય છે. ભલે મનુષ્યને મનુષ્ય હોય. એના નિવાસ્થાન પણ મોટા હોય. આપણી ઊંચાઈના પ્રમાણમાં આપણે દરવાજા બનાવીએ છીએ. સામાન્ય રીતે છ ફૂટથી નીચો દરવાજો આપણે નથી બનાવતા. કેમકે પાંચ, સવા પાંચ, સાડા પાંચ, પોણા છ સુધીની
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ચજહૃદય ભાગ-૧૨ ઉંચાઈ સામાન્ય મનુષ્યની છે. પછી છ અને છથી ઉપરની કોઈકની હોય છે. તો છે ફૂટનો દરવાજો બનાવીએ. સામાન્યપણે. વિશેષપણે કોઈ સવા છે, સાત ફૂટ સુધીના બનાવે છે. તો એનો અર્થ શું થયો? કે આપણી જે ઊંચાઈ છે અને ચાલતા ચાલતા. આપણે આવાગમન કરતા આપણને કાંઈપણ તકલીફ ન થાય, અવરોધ ન થાય એવું નિવાસસ્થાન આપણે બનાવીએ. એમ ત્યાં મહાવિદેહમાં મોટા મોટા શરીર છે તો એના નિવાસસ્થાન પણ એના પ્રમાણમાં મોટા હોય. એ અનુભવ્યા હોય. ત્યાં એનો અનુભવ થયો હોય.
“તે અનુભવની સ્મૃતિ થઈ છેઅને એ સાંભરે છે. તે અનુભવયથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?’ આ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે. સાંભરે એ વાત ચાલો માનીએ. કે જેમ મોટા થયેલા હોય એને બાળપણ સાંભરે, પોતાનું નામ સાંભરે એમ પૂર્વભવ સાંભરે. પણ એ અનુભવ સાચો છે અને કલ્પના નથી થઈ એનું શું પ્રમાણ છે? એનું કોઈ ખાસ ચિલ છે? એ કેવી રીતે ખબર પડે ? આ પ્રશ્ન કેમ ઉઠાવ્યો છે ? કે કોઈ જીવોને ભાસ થાય છે કે હું પૂર્વે, ફલાણો, ફલાણી જગ્યાએ હતો. હું પૂર્વે આમ હતો, દેવ હતો અથવા તિર્યંચ હતો અથવા મહાવિદેહમાં હતો. આમ હતું, તેમ હતું. તો એને જાતિસ્મરણ છે કે એને ખાલી એવો કોઈ વિચાર આવ્યો છે, ભાસ આવ્યો છે, આભાસ આવ્યો છે? સાચું હોય તો ભાસ કહેવાય અને ખોટું હોય તો આભાસ કહેવાય. તો જાતિસ્મરણ શું? ભાસ શું? આભાસ શું? આ બધી વાત વિચાર માગે છે. એમનો પ્રશ્ન આ છે.
તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે:- અમુક અમુક ચેઝ અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે....... હવે શું છે કે અમુક પ્રકારની ચે. ચેષ્ય એટલે શું છે કે મન, વચન, કાયાના ખાસ પ્રકારના પરિણામો અથવા પુરુષાર્થ આદિનું ઉત્થાન અથવા એ જાતનો Initiative જેને કહીએ. ચેષ્ટની અંદર શું હોય છે કે માણસને અમુક પ્રકારના ખાસ તીવ્ર ભાવો થતા હોય. અથવા એનું કોઈ ચિલ મળે એને લિંગ એટલે ચિલ, તથા અમુક પ્રકારના સામાન્ય પરિણામો. એ વગેરેથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. એવું પોતાને સ્પષ્ટ ખ્યાલમાં આવે કે હું આમ જ હતો, આમ છે જ, આ વાત પાકી જ છે એમ પોતાને જેસ્મરણ થાય એ પાકું સ્મરણ હોય. પણ એની ખાત્રી બીજાને થઈ શકે અને બીજાને ખાત્રી કરાવી જ શકાય, થઈ જ જાય એનો કોઈ નિયમ નથી. એવો સિદ્ધાંત નથી કે બીજા પણ એ માની જ લે. એક જીવને
Page #420
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૯
૪૦૩
જાતિસ્મરણ થયું હોય તે બીજો જીવ માની જ લે અને સ્વીકારી જ લે એવું ન પણ બને, એમ કહેવું છે. અને સ્વીકારે એવું પણ બને.
‘ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે;.’ હવે કોઈ નજીકનું ક્ષેત્ર હોય અને એવી રીતે.. જે જાતિસ્મરણ જ્ઞાનવાન કહે એવી વાત ત્યાં વિદ્યમાન હોય. આ જીવ ત્યાં ગયો ન હોય. આ માણસ ત્યાં ન ગયો હોય અને એ જેની વાત કરે એ ત્યાં સામે હોય જ. તો બીજાને ખાત્રી થઈ જાય છે કે આ કહે છે એની સ્મૃતિ સાચી છે. આમાં કાંઈ ફેર લાગતો નથી. એ રીતે પણ પ્રતીતિ થઈ શકે.
અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે.’ લ્યો, ઠીક ! આ એક નવો ભેદ લીધો. જાતિસ્મરણ જ્ઞાન કરતા પણ જેનું કોઈ જ્ઞાન વિશેષ છે તેઓ પણ જાણે. કોઈ જીવને એવી લબ્ધિ પ્રગટે કે એનો ઉપયોગ ત્યાં સુધી જાય. એમ કહે કે, ભાઈ ! હું તો દેવલોકમાંથી આવું છું. પહેલા દેવલોકની અંદર અમે આ જગ્યાએ અકૃત્રિમ ચૈત્યાલય છે ત્યાં જતા હતા. અને આ પ્રમાણે અમારું વિમાન હતું, આમ હતું, તેમ હતું. એને જાતિસ્મરણથી વાત કરે. અને જોઈ જીવને શ્રુતની એવી લબ્ધિ હોય અને નિર્મળતાને લઈને ઉપયોગ ત્યાં સુધી જતો હોય. તે જ્ઞાનમાં પ્રતિભાસ થતો હોય તો એ જાણી શકે કે આ જાતિસ્મરણ છે એનું સાચું છે. તે પણ જાણે.
મુમુક્ષુઃ– ગુરુદેવ’ ને ૐ
ૐ..
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૐ ધ્વનિ થતો હતો. એ એમને પોતાના તીર્થંકરત્વનો ભાસ આવતો હતો, ભાસ આવતો હતો.
મુમુક્ષુ :– સીમંધર ભગવાન...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો વધારે તો પૂજ્ય બહેનશ્રી'ના જાતિસ્મરણથી વધારે સ્પષ્ટ થયો. ૐ ધ્વનિ અને જે સમવસરણમાં દૈવી વાજિંત્ર સાડા બાર કરોડ વાજાં વાગે છે. એનો જે અવાજ છે એનો ભાસ પણ એમને આવ્યો હતો. બે ભાસ આવ્યા હતા. એક ભગવાનના ધ્વનિનો અને એક દૈવી વાંજિત્ર, સાડા બાર કરોડ વાજાં ત્યાં વાગે છે. એનો જે ધ્વનિ ઊઠે એ પણ એમણે સાંભળ્યો હતો. પહેલો વહેલો ‘વાંકાનેર’ ઉપાશ્રયમાં. ‘વાંકાનેર’ના ઉપાશ્રયમાં.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. સ્મરણનો વિષય છે. એટલે મતિજ્ઞાનનો વિષય છે. ઓલો
Page #421
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૨
૪૦૪
શ્રુતજ્ઞાનનો વિષય છે. એટલો ફેર છે. મુમુક્ષુ :– ઉપયોગમાં
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાનમાં નિર્મળતા એટલી છે કે જેને લઈને એવું ભાસ્યમાનપણું થાય છે. પ્રતિભાસે છે. જ્ઞેય અહીંયાં પ્રતિભાસે છે. અસંખ્ય અબજ ગાંવ દૂર હોય, માઈલ દૂર હોય. અબજોના અબજો માઈલ (દૂર હોય) અને અહીંયાં આત્મામાં ભાસ આવે. ક્ષેત્ર ત્યાં છે અને એનો ભાસ અહીંયાં આવે. જેમ આ ચોપડીનું ક્ષેત્ર બારીમાં પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે ને ? એવી રીતે. અને બીજા ન્યાયથી એમ કહેવાય કે ઉપયોગ ત્યાં ગયો એમ કહેવાય. ખરેખર તો ઉપયોગ તો અહીંયાં જ છે. આ ક્ષેત્ર છોડીને ઉપયોગ ક્યાંય જતો નથી. પણ એનું જ્ઞાન થાય છે, પ્રતિભાસ આવે છે. જેવી ચીજ છે એવું જ ભાસે છે માટે એને પ્રતિભાસ કહેવામાં આવે છે. એવું પણ બની શકે છે. આ વાત એમણે વિશેષ કરી છે અને તે પ્રમાણ છે. એમના અનુભવ પ્રમાણ છે. બીજા જ્ઞાનીઓને પણ એવું બને છે, એમ કહેવું છે. એ જાતિસ્મરણ ઉ૫૨ થોડી વિશેષ ચર્ચા છે. Time થયો છે.
શુદ્ધ નિશ્ચયથી પોતે મૂળ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે પરમાત્મપદે બિરાજમાન છે, પરંતુ આત્માર્થીને વર્તમાન ભૂમિકાનો અનુભવ સમજમાં પણ છે, જેમાં અત્યંત પામરતા અનુભવાય છે. આ બંન્ને વચ્ચે જે મોટો તફાવત છે, તેની યથાર્થતા સમજાતાં જીવનો પુરુષાર્થ અવશ્ય ઉપડે છે, અને પામરતાથી પ્રભુતા પ્રત્યેનું પરિણામમાં વલણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પામરતાનો ખેદ પામરતા મટાડવા અર્થે થાય છે, (પામરતા દૃઢ કરવા અર્થે નહિ) તેમજ સ્વરૂપની સમજણ ભાવભાસન થવા પ્રેરે છે, માત્ર કલ્પિત માનવા માટે નહિ. – આમ બંન્ને વાતનો મેળ Co. ordination કરી પ્રયોજન સાધવું ઘટે છે. કોઈ એક વાતનું અસંતુલન થાય તો પ્રયોજન સધાતુ નથી, સંતુલન જાળવવા સત્સંગ જેવું ઉપકારી સાધન બીજું કોઈ નથી..
માત્ર પામરતા જ વેદાય તો નિરાશા (Depression) આવી જવાથી ઘણું નુકસાન થાય છે – પુરુષાર્થ ઉપડતો નથી. અને માત્ર સ્વરૂપનો જ વિકલ્પ કરે તો, સ્વરૂપ પ્રગટ કરવાની જિજ્ઞાસા જઉત્પન્ન ન થાય અને જીવ કલ્પનાએ ચડી જાય છે. (અનુભવ સંજીવની–૧૪૮૨)
Page #422
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
તા. ૧૧-૨-૧૯૯૧, પત્રાંક - ૬૨૯ ૬૩૦ પ્રવચન નં. ૨૮૦
૪૦૫
...
ઉપરનો Paragraph. જાતિસ્મરણનો વિષય સ્પષ્ટ કર્યો છે પ્રશ્નના ઉત્તરરૂપે. પ્રશ્ન એ પ્રકારે છે કે જાતિસ્મરણ જ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે જોઈ શકે ? તેનો ઉત્તર આપ્યો છે. જેવી રીતે નાનપણની સ્મૃતિ ગઢપણમાં થાય છે એવી જ રીતે પૂર્વભવનું ... એવા ભવમાં એ પ્રસંગનું ભાસ થાય છે અથવા સ્મરણ થાય છે. પોતાના વિષેનું પણ સ્મરણ થાય છે, બીજા જીવ અને અજીવ વિષયનું પણ સ્મરણ થાય છે. એમ બન્ને પ્રકારે સ્મરણ થાય છે. એને પોતે પણ સમજી શકે છે. બીજા કોઈ એવા સમજી શકે છે. કોઈ એવા બીજા... અથવા બીજાઓ ક્યારે સ્વીકારે છે ? કે આ જ ક્ષેત્રમાં એવું કાંઈ પૂર્વભવનું કોઈ ચિહ્ન હોય. ત્યાં ગયા વિના કહેવામાં આવે તો લોકોને પ્રતીતિ આવે. કહેનાર બરાબર છે, એ કહે છે એ જ પ્રમાણ પોતે ગયા નથી. કેમકે દસ-બા૨ વર્ષનું બાળક હોય એને ... પોતે કોઈ દિવસ ગયો નથી. જવાની કોઈ ... પરિસ્થિતિ દેખાતી નથી. છતાં ત્યાંની વાત કરે છે. ત્યાં ખાત્રી કરતા એ વાત મળે છે. એવી રીતે જે દેશ-કાળનું નિશાન હોય અને એ નિશાન વિદ્યમાન હોય તો બીજા જીવોને પણ જાતિસ્મરણ જ્ઞાનની પ્રતીતિનો હેતુ સંભવે છે. અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે...’ એવા મતિ-શ્રુતના લબ્ધિધારક કોઈ જ્ઞાનીઓ હોય તો એને પણ જાતિસ્મરણજ્ઞાનની, બીજાના જાતિસ્મરણજ્ઞાનની પ્રતીતિ આવી શકે છે. ત્યાં સુધી વાત ચાલી છે. Paragraphમાં નીચેથી પાંચમી લીટી. ઉપર છઠ્ઠી લીટીમાં એમ કહ્યું,
અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા જાતિસ્મૃતિ' હોવી સંભવે છે, અથવા...' અહીંથી (લેવાનું છે). એક વિશેષ વાત કરે છે કે, જાતિસ્મૃતિજ્ઞાન છે તેની પ્રકૃતિ એટલે સ્મરણની પ્રકૃતિ-સ્મરણનો જે સ્વભાવ, એને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ અથવા જ્ઞાનીપુરુષ હોય તે જાણે કે આ પુરુષને પણ કાંઈક આવા જ્ઞાનનો સંભવ છે. જેમકે અનેક જીવો જાતિસ્મરણ જ્ઞાન વિષે વાત કરતા હોય અને
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૬
રાજહૃદય ભાગ-૧૨ પોતાના પૂર્વભવના સ્મરણને વ્યક્ત કરતા હોય. ધારો કે એમાં કોઈ સાચા હોય અને કોઈ સાચા ન હોય. પણ પોતાના માન, પ્રતિષ્ઠા, પ્રતિભા આદિ વધારવાને કારણે શાસ્ત્રમાં આ જે વિષય ચાલ્યો છે એ વિષયનો કોઈ ગેરલાભ ઉઠાવવા માગે તો એવી. વાત કરતા હોય કે પૂર્વભવમાં અમે આમ હતા. પૂર્વ ભવમાં અમે આમ હતા. પૂર્વ ભવમાં અમે આમ હતા. પૂર્વભવમાં અમારું આમ હતું. જગતમાં આવો પણ સંભવ થાય છે. તો કહે છે કે કોઈ એવા જાતિસ્મૃતિજ્ઞાનની પ્રકૃતિને જાણનારા વિચારવાન હોય છે અને જ્ઞાની પણ હોય છે અને જાતિસ્મરણ જ્ઞાનવાળા પોતે પણ હોય છે. એના ઉપરથી એ નક્કી કરી શકે કે આ આત્માને પણ આવું જાતિસ્મરણ સંભવે છે અથવા આ આત્માને જાતિસ્મરણ સંભવતું નથી. પણ કાંઈક બીજા હેતુથી આ બધી વાત ચલાવાતી હોવાનું એમને લાગે છે. આવો પણ સંભવ બને છે.
જોકે મુમુક્ષુને આ વિષય એટલો પ્રયોજનભૂત નથી. એ વાત રાખીને વિચારવાનું છે કે આ વિષય મુમુક્ષુને એટલો પ્રયોજનભૂત નથી. જાણવાનો વિષય છે. પરમાર્થે આનો કોઈ ઉપયોગ નથી. પ્રયોજનભૂત નથી એટલે શું ? કે પરમાર્થે આને સમજવાનો, જાણવાનો કોઈ ખાસ ઉપયોગ નથી. તેન જાણે તોપણ પરમાર્થના માર્ગે જીવ વળી શકે છે. જાણે તોપણ પરમાર્થના માર્ગે વળી શકે છે માટે અપ્રયોજનભૂત છે. આ તો કેટલા પડખેથી ખુલાસો કર્યો છે એટલું વિચારવાનું છે.
અથવા જાતિસ્મૃતિ' હોવી સંભવે છે અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે. વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. એ બીજાને પણ સ્મૃતિ થવાનું નિમિત્ત બને છે. તે પોતે વિશેષપણે બહુ પ્રસંગમાં આવ્યા હોય, પરિચયમાં આવ્યા હોય અને એને વાત કરે કે આમ બન્યું હતું... આમ બન્યું હતું.... આમ બન્યું હતું... એના ઉપરથી કોઈને ખ્યાલ આવી જાય. પ્રતીતિ આવે કે બરાબર આમ બન્યું હોવું જોઈએ, ‘ગુરુદેવના વિષયમાં આ વાત મેળ ખાય છે. ગુરુદેવને જાતિસ્મરણ જ્ઞાન નહોતું પણ કેટલાક ભાસ અને સ્વપ્ન ઉપરથી એમને કાંઈ ને કાંઈ એવું લાગતું હતું કે કોઈ અસાધારણ ભાવો આવે છે પણ કાંઈ સ્પષ્ટીકરણ થતું નથી. પૂજ્ય બહેનશ્રીએ જાતિસ્મરણશાનથી એનો ખુલાસો આપ્યો. આ પ્રકાર પૂર્વભવનો છે. કે એમને પ્રતીતિ આવી કે બરાબર છે એમ હોવું જોઈએ.
એ છેલ્લો પ્રકાર આ લીધો. જેના વિષે કહે એને જાતિસ્મરણ ન હોય. કહેનારને જાતિસ્મરણ હોય. અને બીજાને કેટલાક પોતાના વર્તમાન પરિણામો ઉપરથી એવી
Page #424
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૯
૪૦૭. પ્રતીતિ આવે કે આ જાતિસ્મરણજ્ઞાન બરાબર લાગે છે. મને પણ આવા ચિલો મારા ભાવમાં ઉત્પન્ન થાય છે. એ વિષય જાતિસ્મરણજ્ઞાનના વિષયમાં એટલે કે પૂર્વભવના વિષયની અંદર સ્પષ્ટીકરણ આપ્યું છે. અને એ સ્પષ્ટીકરણ પોતાના અનુભવ ઉપરથી એમણે આપ્યું છે).
બીજો પ્રશ્ન - જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?” તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો – જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે. ખરેખર આત્મા મરતો નથી. એ તો કહેવાની વાત છે. સ્થૂળ દેહનો વિયોગ થાય છે, બીજા સ્થૂળ દેહનો સંયોગ થાય છે. એક દેહનો વિયોગ અને બીજા દેહનો સંયોગ. વિયોગ થયો તેનું નામ મરણ પાડ્યું. બીજા દેહનો સંયોગ થયો તેનું નામ જન્મ રાખ્યું. આત્મા તો જભ્યો પણ નથી અને આત્મા મર્યો પણ નથી.
જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. પેલી સંપૂર્ણ હાનિ થઈ ગઈ. આયુષ્યની સંપૂર્ણ હાનિ થતા સ્થૂળ દેહ પણ છૂટી ગયો. એમ આયુષ્યની ક્રમશઃ હાનિ થાય તોપણ એ એક જાતનું મરણ છે. મરણ સમીપતા પણ એક જાતનું મરણ છે. તે સમયે સમયે મરણ કહેવાયોગ્ય છે. આ મરણ તે વ્યવહારનયથી કહેવાય છે; વ્યવહારનયથી કહેવાય છે એટલે શું? કે નિશ્ચયથી મરણની વાત જુદી છે અને વ્યવહારથી મરણની વાત જુદી છે. આયુષ્યકર્મના ક્ષય સાથેનો સંબંધ બતાવીને એને મરણ કહ્યું. માટે તે વ્યવહાર છે. બીજાના સાથેનો સંબંધ તે વ્યવહાર. પોતાના અને પોતાના વિષયમાં વાત થાય તે નિશ્ચય. એમ “સ્વાશ્રિતો નિશ્ચય: પશ્રિતો વ્યવહાર:' એવું જે સૂત્ર છે એ પ્રમાણે અહીંયાં પણ સમજવું.
આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે,” નિશ્ચય મરણ માટે. ગુજરાતી સમજમેં આયેગી ? હિન્દી છે. વ્યવહારમરણ દેહત્યાગ ઔર નિશ્ચયમરણ દેહત્યાગમેં વ્યવહાર પ્રાણ કા અભાવ હોતા હૈ, નાશ હોતા હૈ. શ્વાસોશ્વાસ, આયુ, પંચેન્દ્રિય, મન, વચન, કાયા કા યોગ.યે દસ પર્યાપ્તિરૂપ જો વ્યવહાર પ્રાણ હૈ, દસ પ્રાણ જિસકો કહતે હૈ, ઉસકા વિયોગ હોને સે ઉસકો વ્યવહારમરણ કહતે હૈં.
નિશ્ચયમરણ કિસકો કહતે હૈં? ભાવપ્રાણ કા નાશ હોતા હૈ ઉસકો નિશ્ચયમરણ
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૮
રાજહૃદય ભાગ-૧૨ કહતે હૈં. દોનોં પ્રાણ હૈં. નિશ્ચયપ્રાણ માને વાસ્તવિક પ્રાણ, ખરા પ્રાણ. વ્યવહાપ્રાણ માને વાસ્તવિક પ્રાણ નહીં, વહ આત્માને સંયોગરૂપ સંબંધસે પુદ્ગલીંકા કુછ સ્થિતિપર્યત સાથ રહના હોતા હૈ. ઉતની બાત હૈ. કહતે હૈંકિ, વ્યવહારમરણ ઉસકો કહતે હૈંકિ જો સ્થૂલ દેહાદિકા ત્યાગ હોવે ઉસકો વ્યવહારમરણ કહતે હૈ.નિશ્ચયસે તો આત્મા કો સ્વભાવિક ઐસે જ્ઞાન, દર્શન આદિ ગુણપર્યાયોંકી વિભાવ પરિણામ કે સંયોગ છે કારણ સે હાનિ હોને લગતી હૈ. ઔર વહ હાનિ આત્માકા નિત્યપના આદિ સ્વરૂપકો ભી ગ્રહણ કરકે રહતી હૈ તો ઉસકે સમય સમયમરણ કહનેમેં આતા હૈ. *
કયા કહા? કિ આત્માનો જો વિભાવ પરિણામ યાની વિકારકે જો પરિણામ હોતે હૈ, ઉસ વિકારપરિણામ કે કારણ ઉસકા જ્ઞાન હૈ, ઉનકા દર્શન હૈ, જો આત્મા કે પ્રાણ હૈ, ઉનકો હાનિ પહુંચતી હૈ. ઐસે પહુંચતી હૈ. જીવ ઈધર બહુત રાગ-દ્વેષ, મોહ કરતા હૈ, વિભાવપરિણામ (કરતા હૈ તો ઉસકો એકેન્દ્રિયમેં જાના હોતા હૈ,નિગોદમેં જાના હોતા હૈ. વહા ઉસકા જ્ઞાન-દર્શન બિલકુલ આવરિત હો જાતા હૈ. મતલબ નાશકે બરાબર હો જાતા હૈ. આંશિક હાનિ હોતી હૈ તો દોઈદ્રિય હોતા હૈ, તીન ઇન્દ્રિય, ચોઇન્દ્રિય ઐસા હોતા હૈ તો ઉસમેં ભી જ્યાદા જ્ઞાન નહીં હૈ. અરે.... સંજ્ઞી પંચેન્દ્રિય કો ભી બહુત કમ જ્ઞાન હૈ. વિચારશક્તિ ઉસકી કુંઠિત હો જાતી હૈ. ઇસ પ્રકાર સે જ્ઞાનકી, દર્શનકી હાનિ હુઈ.
આત્મામેં આત્મશાંતિ નામ કા પ્રાણ હૈ. આનંદપ્રાણ જિસકો કહતે હૈં, સુખરૂપ પ્રાણ કહતે હૈ. ઇસકી ભી હાનિ હોતી હૈ, રાગ-દ્વેષ-મોહકે કારણ. રાગ-દ્વેષ-મોહમેં આકુલતા બહુત હોતી હૈ, દુઃખ બહુત હોતા હૈ. બહુત દુઃખ હોને સે, આકુલતા બહુત બઢ જાને સે અશાંતિ હો જાતી હૈ, શાંતિ કા ખૂન હો જાતા હૈ, નાશ હો જાતા હૈ. યહ ભી આત્મા કે ભાવપ્રાણ કા નાશ હૈ. નિગોદમેં બહુત દુઃખ હૈ. પ્રચુર કષાયકલંકી ધવલ મેં ઐસા પાઠ હૈ. ષખંડાગમ પર “વીરસેનસ્વામીકી ટીકાહૈ. ઉસમેંલિખા હૈ કિ નિગોદકે જીવ કે પરિણામ કૈસે હોતે હૈં? જો સર્વજ્ઞ કે જ્ઞાનગોચર હોતે હૈં. પ્રચૂર કષાયકલંકમય હોતે હૈં. બહુત દુઃખ, બહુત કષાય. મન નહીં હૈ. ઔર જ્ઞાન તો બિલકુલ આવરિત હો ગયા હૈ. ઉસકો ભાવમરણ કહનેમેં આતા હૈ. ઐસા જ્ઞાન ઔર સુખ કા ઘાત હોને કા સમય સમય અનુભવ હોતા હૈ ઉસકો સમય સમય કા ભાવમરણ કહને મેં આતા હૈ.
પંદ્રહ સાલકી ઉમ્રમેં યહકાવ્ય લિખા હૈ. “બહુ પુણ્યકેરાપૂંજસે.” ઉસમેં વહબાત આતી હૈ કિ અરે..! જીવ! તુમકો લક્ષ્મી મિલતી હૈ, તુમકો સત્તા મિલતી , રાજ્ય મેં. ઔર તુમકો કુટુંબ-પરિવાર કી બઢવારી હોતી હૈ ઉસમેં તુમકો કયાં મિલા? એક
Page #426
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૨૯
૪૯ ક્ષણભર વિચાર કરકે દેખ તુજે ક્યા મિલા ? કિ ઐસે સંયોગો કે આશ્રિત તૂને બહુત આકુલતા કી, બહુત રાગ-દ્વેષ કિયા. તીવ્ર રાગ કિયા. બહુત પૈસે મિલે, કુટુંબ-પરિવાર બહુત બઢ ગયા, સત્તા બહુત મિલી. તીવ્ર રાગ કિયા, ઇસમેં કયા કિયા? “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' રાચી માને ખુશ હોના. તેરે ભાવપ્રાણ કા તો નાશ હોતા હૈ ઔર તુજે ખુશી હોતી હૈ. મૂર્ખતા કી ભી કોઈ હદ હોતી હૈ ચંદ્રહ સાલકી ઉઝમેં ઐસા કહતે હૈં તેરે નુકસાનમેં તૂખુશ હોતા હૈ. ક્યા બાત હૈ? ઇસ વિષય કો કભી સોચા નહિ, વિચારકિયા નહીં. ઇસલિયે તૂઅપના નુકસાન કરકે, વર્તમાન આયુ પૂરા કરકે, યે નોટ હૈ-પૂર્વપુણ્ય કી યહ નોટ હૈ ઉસકા ખર્ચ કર દિયા. કહાં ખર્ચ કિયા? ઝહર ખાને મેં પૈસા તો થા લેકિન અફીન ખરીદા. અપને પ્રાણ કા નાશ કરકે એકેન્દ્રિય આદિમેં જીવ ચલા જાતા હૈ. ઇસલિયે ઉસકો સમય સમય મરણ કહને મેં આતા હૈ. તીસરા પ્રશ્ન...
મુમુક્ષુ-સંસારીજીવોં કા તો ભાવમરણ હોતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી – અજ્ઞાનદશા મેં ભાવમરણ હોતા હી રહતા હૈ. ચારોં ગતિમેં. મનુષ્ય હો, દેવ હો, તિર્યંચ હો, નારકી હો. આત્મજ્ઞાન કે અભાવમેં મુજે ક્યા કરના ઉચિત હૈ,મેરા સમુચિત કર્તવ્ય ક્યા હૈ? ઔર મેરા અકર્તવ્ય ક્યા હૈ? ઉસકા જ્ઞાન નહિ હોને સે અપની હાનિ કે પરિણામ કરતે હૈં ઔર અચ્છા લગતા હૈ. યહમેં ઠીક કરતા હું, ઉસકા નામ વિપરિત જ્ઞાન કહો, ઉસકા નામ અજ્ઞાન કહો. એક હી બાત હૈ.
મુમુક્ષુ -તોફિરકયા કરેં?
પૂજ્ય ભાઈશ્રી :- સહી જ્ઞાન કરના, સચ્ચા સમ્યજ્ઞાન કરના. સમ્યજ્ઞાન કા મુખ્ય ગણ યહી હૈ કિ વહ હેય ઉપાદય કો યથાર્થરૂપ સે જાનતા હૈ. હેય ક્યા હૈ? ઉપાદેય ક્યા હૈ?મેરા કર્તવ્ય ક્યા હૈ?મેરા અકર્તવ્ય ક્યા હૈ?
“તીસરા પ્રશ્ન :- કેવળજ્ઞાનદર્શનમેં ભૂત ઔર ભવિષ્યકાલકે પદાર્થ...” કેવલજ્ઞાનદર્શન મેં ભૂતકાલકે પદાર્થ... “ઔર ભવિષ્યકાલકે પદાર્થ વર્તમાનકાલમેં વર્તમાનરૂપસે દિખાયી દેતે હૈં, વૈસે હી દિખાયી દેતે હૈંયા દૂસરી તરહ ? ઐસા એક પ્રશ્ન ઉઠાયા હૈ. કેવલજ્ઞાન હોતા હૈ તો વર્તમાન પદાર્થ કો તો હમ વર્તમાન સ્થિતિમેં દેખતે હૈં. લેકિન પૂર્વમેં જો ઇસ લકડીકી સ્થિતિ થી ઔર ભવિષ્યમેં ક્યા સ્થિતિ હોગી? ઉસકા જ્ઞાન ઉસમેં હોતા હૈ તો કિસ ઢંગ સે હોતા હૈ? કિસ પ્રકાર સે હોતા હૈ? જેસે વર્તમાનમેં એક પેડકીલકડી થી તો ઉસકા જ્ઞાન પેડરૂપ હોતા હૈ?યા અભી જો સ્થિતિ હૈ ઉસરૂપ હોતા હૈ? હોતા હૈ તો કિસરૂપ હોતા હૈ? ઔર કેવલજ્ઞાન ભૂતકાલકે પદાર્થ
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૦
રાજહૃદય ભાગ-૧૨ કો ઔર ભવિષ્યકે પદાર્થ કો કિસ તરહ જાનતા હૈ ? ઐસા પ્રશ્ન લિયા હૈ. જાનના કૈસે હોતા હૈ ? વર્તમાનવત્ જાનતા હૈ ? યા કોઈ અન્યરૂપ સે જાનતા હૈ ?કૈસે જાનતા હૈ ?
વર્તમાનરૂપ માને કૈસે કિ જૈસે યહ વર્તમાનમેં દિખને મેં આતી હૈ ઐસે. ઉસકો વર્તમાનરૂપ કહતે હૈ. ઐસે જાનતે હૈં ? યા કોઈ અન્યરૂપ સે જાનતા હૈં? ઐસા પ્રશ્ન કિયા હૈ. ઇસ પ્રશ્નસે કેવલજ્ઞાનકા જાનનેકા પ્રકાર કૈસા હોતા હૈ ? કેવલજ્ઞાન કૈસે જાનતા હૈ ? ઉસકો સ્પષ્ટ કરતે હૈ. ઉસકો સ્પષ્ટ કરને સે યહ પતા ચલતા હૈ કિ કેવલજ્ઞાનકા સ્વરૂપ કૈસા હૈ ? ઇસ પ્રશ્નમેં યહ જાનકારી મિલતી હૈ કી કેવલજ્ઞાનકા સ્વરૂપ કૈસા હૈ ?
દૂસરા પ્રશ્ન પ્રયોજનભૂત હૈ, તીસા પ્રશ્ન ઉતના પ્રયોજનભૂત નહીં હૈ. કચોંકિ દૂસરે પ્રશ્નમેં તો સમય સમય ભાવમરણ મેં અપની હાની હોતી હૈ, અપને સુખ કા નાશ હોતા હૈ. તો યહ પ્રયોજન હૈ. તીસરે પ્રશ્નમેં ઉતના પ્રયોજન નહીં હૈ. ક્યોંકિ જાનનેકા તરીકા ઐસા ? ઉતની બાત હૈ. ઔર વહ ભી કેવલજ્ઞાનીકો જાનનેકા તરીકા કૈસા હોતા હૈ ? ઉતની બાત હૈ. ઉતના ઉસમેં એક મુદ્દા અવશ્ય હૈ કિ ઐસા કેવલજ્ઞાન ઐસા જાનને સે આત્મા કી શક્તિ અગર વિકાસ હો, પરિપૂર્ણ આત્મા કી જ્ઞાનશક્તિ કા વિકાસ હો તો કિતના બડા વિકાસ હોતા હૈ ? અપની શક્તિકા અંદાજ, અપની શક્તિ કા નાપ ઇસમેં આ સકતા હૈ. ઇતની બાત હૈ.
ઉત્તર :- ‘વર્તમાનમેં વર્તમાન પદાર્થ જિસ પ્રકાર દિખાયી દેતે હૈં, ઉસી પ્રકાર ભૂતકાલકે પદાર્થ ભૂતકાલમેં જિસ સ્વરૂપસે થે ઉસ સ્વરૂપસે વર્તમાનકાલમેં દિખાયી દેતે હૈં....’ જૈસે કિ યહ લકડી પેડરૂપ થી. ઇસકા ભૂતકાલ કૈસે દિખનેમેં આવે ? ઉસકા જૈસા પૈડ થા વૈસા દેખનેમેં આતા હૈ. જૈસે યહ ચંદનકી લકડી હૈ, સુખડકી. તો ચંદન કા પેડ કૈસા થા ? ઉસમેં એક ટૂકડે કા કૌનસે પરમાણુમેં કહાં ઉસકા અવયવ થા ? સારે પેડમેં ઉસકા ભી-પરમાણુઓં કા એક અવયવરૂપ રહનેકા થા તો કિસ ઢંગસે ? કિસ પર્યાયમેં ? કિસ આકારમેં ? કિસ રંગમેં, રૂપમેં ? જૈસા ઉસી વર્તમાનમેં કોઈ દેખતા થા, વહ ભૂતકાલકી બાત, ઠીક ઉસી તરહ જૈસે વર્તમાનમેં યહ પેડ હો ઐસા દિખનેમેં આવે. ઐસે કેવલજ્ઞાનમેં ઉતના સ્પષ્ટ હોતા હૈ. વર્તમાનવત્ જિસકો કહતે હૈં. કૈસા કહતે હૈં ? ભૂતકાલકી પર્યાયેં ભી વર્તમાનવત્ દિખતી હૈ.
ઔર ભવિષ્યકાલમેં વે પદાર્થ જિસ સ્વરૂપકો પ્રાપ્ત કરેંગે...' માને જિસ અવસ્થાકો પ્રાપ્ત હોગા ‘ઉસ સ્વરૂપસે વર્તમાનકાલમેં દિખાયી દેતે હૈં...' કિ જૈસે વહ જલ જાયેગી. ઉસકી રખ્યા હો જાયેગી. જલ જાયેગી તો યહ કોયલા હો જાયેગા. ઐસે કોઈ ન કોઈ પર્યાય તો જલને કે બાદ હોગી. તો વહ ભી વર્તમાનવત્ દિખને મેં આતી હૈ.
Page #428
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૨૯
૪૧૧
કિ ઇતને કાલકે પીછે ઇનકી યહ અવસ્થા હૈ. પહલે વહ અવસ્થા થી. અબ આગામી કાલમેં વહ અવસ્થા ઉસકી હોનેવાલી હૈ. વહ સમય કા માપ આતા હૈ ઔર ઉસકી અવસ્થા ભી વર્તમાનવત્ માલૂમ હોતી હૈ.
‘વર્તમાનકાલમેં દિખાયી દેતી હૈં. ભૂતકાલમેં પદાર્થને જિન જિન પર્યાયોંકો અપનાયા હૈ, વે કારણરૂપસે વર્તમાનમેં પદાર્થમેં નિહિત હૈ...' કયા કહતે હૈં કિ લકડી કી યહ અવસ્થા હૈ. ઉસકા કારણ વહ પેડ થા. વહ એક પેડ થા ઇસલિયે લકડી બની. ચાપડી બની. અગર વહ સોના હોતા યા પત્થર હોતા તો ઐસી અવસ્થા આજ નહીં હોતી. ઐસી અવસ્થા હોને કી યોગ્યતા ઇસ પરમાણુ મેં શુરૂ સે હી થી, પહલેસે હી થી. ઐસે કારણ કો કેવલજ્ઞાન પકડ લેતા હૈ. જૈસે કોઈ કહ સકતે હૈં, અનુમાન કરતે હૈં ન ? કિ ભાઈ ! યહ આદમી આગે જાકે ઐસા હી કદમ ઉઠાયેગા. કયા કહતે હૈં કિ મૈં ઇસ આદમી કો જાનતા હૂં. અગર યહ પરિસ્થિતિ વર્તમાનમેં ખડી હો ગઈ હૈ તો આગે જાકે વહ ઐસા કદમ ઉઠાયેગા. તો વર્તમાનમેં ઉસકી ભવિષ્યકી પર્યાયકે કારણકો દેખતે હુએ ઉસકા Forecast કર સકતે હૈં, ભવિષ્યકી બાત કર સકતે હૈં. વૈસે કેવલજ્ઞાની પૂર્વ કી અવસ્થામેં કા૨ણ દેખકરકે ઉસકી કાર્યરૂપ અવસ્થા કૈસી હોગી ? બરાબર વહ જ્ઞાનમેં આતા હૈ. માને યહ કારણ-કાર્યકા Logic હૈ ઔર કારણ-કાર્યકા વસ્તુસ્વરૂપ કા જ્ઞાન હૈ. ઇસ કારન સે ઐસા કહને મેં આતા હૈ.
ફિરસે, ‘ભૂતકાલમેં પદાર્થને જિન જિન પર્યાયોંકો અપનાયા હૈ, વે કારણરૂપસે વર્તમાન પદાર્થમેં નિહિત હૈ, ઔર ભવિષ્યકાલમેં જિન જિન પર્યાયોંકો અપનાયેગા ઉનકી યોગ્યતા વર્તમાનમેં પદાર્થમેં વિદ્યમાન હૈ.’ આનેવાલી પર્યાયકા, અવસ્થાકા કા૨ણ વર્તમાનમેં ઇસ પદાર્થમેં મૌજૂદ હૈ. ઇસ કારણકી મૌજૂદગી સે કાર્યકા ભી જ્ઞાન હો સકતા હૈ. ઐસા કેવલજ્ઞાનમેં જ્ઞાન હોતા હૈ. જૈસે રોટી. રોટી હમ ચૂલ્યે ૫૨ ૨ખતે હૈ. વહ કચ્ચી હૈ, લેકિન યહ પક જાયેગી. પંદ્રહ સેકન્ડમેં યા તીસ સેકન્ડમેં વહ પૂરી કી પૂરી પક જાયેગી. કોં ? કિ પકનેકા ઇસમેં ગુણ હૈ. ઉસ જગહ પર એક લકડી રખે તો જલ જાવે. ઔર રોટીકો ૨ખે તો રોટી પક જાવે. દોનોં કા કા૨ણ-કાર્ય પદાર્થમેં અલગ અલગ કારણ હૈ ઇસલિયે દોનોં કી અવસ્થા અલગ-અલગ હોતી હૈ.
પાની ઠંડા હૈ. ઔર ઉસમેં ચૂના ડાલનેમેં આવે. ચૂના ભી સ્પર્શ કરે તો વહ ઠંડા હૈ. ચૂનાકા ઇતના બડા એક કીલો, દો કીલોકા ... લેવે ઔર બાલદીમેં પાનીમેં ઉસે ડાલદે. પાની ભી ઠંડા હૈ, ચૂના ભી ઉષ્ણ નહીં હૈ, ઠંડા હૈ. લેકિન પાનીકા સંયોગ હોતે હી ઉસમેં ગરમી આ જાયેગી. વહ ગરમી આને સે પહલે ઉસકા જ્ઞાન હો સકતા હૈ કયા ? હાં, હો
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૨
રાજહૃદય ભાગ-૧૨ સકતા હૈ. દોનોં કી અવસ્થા તો ઠંડી થી. પતા ભી લગા કી પાની ગરમ હો જાયેગા. ઉસકા કારણ કા જ્ઞાન જિસકો હૈ, ઉસકો આનેવાલી અવસ્થા કા-કાર્યકા જ્ઞાન ભી હોતા હૈ. ઉસી તરહસે.
ઇસલિયે ભવિષ્યમેં જો જો પર્યાય હોનેવાલી હૈ ઉસકી યોગ્યતા, કારણરૂપ યોગ્યતા વર્તમાન પદાર્થમેં રહી હૈ. ઉસ કારણ ઔર યોગ્યતાના જ્ઞાન વર્તમાનકાલમેં ભી કેવલજ્ઞાનીકો યથાર્થ સ્વરૂપસે હો સકતા હૈ” કેવલજ્ઞાનીકો ઐસે કારણ-કાર્ય કા જ્ઞાન યથાર્થરૂપસે હોતા હૈ, હો સકતા હૈ. ઇસલિયે કેવલજ્ઞાનીકો ઐસા જ્ઞાન હોતા હૈ. યદ્યપિ ઇસ પ્રશ્ન કે વિષયમેં બહુતમે વિચાર બતાના યોગ્ય હૈ” યે જો કેવલજ્ઞાનકા વિષયહૈ ઉસમેં તો બહુતસી બાતેં કહ સકતે હૈં ફિર ભી ઇધરમર્યાદિત.
(ઇસ પ્રકારકી તત્ત્વચર્ચા) આપસમેં પત્ર દ્વારા હોતી રહતી થી.
પત્રાંક-૬૩૦
વવાણિયા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૧ ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશોઃ
પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખાતો નથી, તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે? કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી અને વળી આવી જ રીતે સાંભળવાના દૃષ્યતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે તેનો સંક્ષેપમાં ઉત્તર:
જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી, ઇંદ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇંદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયપર્યત સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ
Page #430
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૩૦
૪૧૩
ઇંદ્રિયની લબ્ધિનો ક્ષયોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાપતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-ઇંદ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમકે ચક્ષુ-ઇંદ્રિયની ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્
યોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોયતો ચક્ષુથી દેખાઈ શકતી નથી; તેમ બીજી ઇંદ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે.
બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનડીએ સાંભળી શકાય છે. બીજી ગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક ગોએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગોએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે?’ તેનો સંક્ષેપમાં ઉત્તરઃ
જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તો સર્વપ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વભાવનું જ્ઞાયકપણું હોય; પણ
જ્યાં ક્ષયોપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાનદર્શનની ક્ષયોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે; તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૪
રાજદ્દ ભાગ-૧૨
ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોપશમ થાય છે. તથાપિ ક્ષયોપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સવગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય સત્ત્વ)નથી, કે પાંચે વિષય સવગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષયોપશમ, અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જતે ઇંદ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષયોપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છેકેનિયત પ્રદેશે (અમુક મર્યાદા-ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય.
ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારુ તમામ પ્રદેશ તેતરફ ખેંચાતા હશે ?જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેનો સંક્ષેપમાં ઉત્તર
તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વપ્રદેશમૂચ્છગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમદ્વાર આદિએક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે.
આવાં પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઇચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે; તોપણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધનથી.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૫
પત્રાંક-૬૩૦
યહ “સૌભાગ્યભાઈ પર હૈ.
ગત શનિવારકો લિખા હુઆ પત્ર મિલા હૈ. ઉસ પત્રમૈં મુખ્યતઃ તીન પ્રશ્ન લીખે હૈં ઉનકે ઉત્તર નિમ્નલિખિત હૈ જિન્હેં વિચારિયેગા પ્રથમ પ્રશમેં ઐસા બતાયા હૈ કિ એક મનુષ્યપ્રાણી દિનકે સમય આત્માકે ગુણ દ્વારા અમુક હદ તકદેખ સકતા હૈ... ક્યા કહતે હૈં? “એકમનુષ્યપ્રાણી દિન...” સૂર્યકે પ્રકાશમેં અમુક ક્ષેત્ર પર્વત દેખ સકતા હૈ. ઔર રાત્રિ સમય અંધેરેમેં કુછ નહીં દેખતા સૂર્યના પ્રકાશ મિલને સે કુછ હદ તક દેખતા હૈ. જિતના ક્ષેત્ર હૈ પૂરા તો નહિ દેખ સકતા હૈ, લેકિન મર્યાદિત ક્ષેત્ર કો દેખતા હૈ. ઔર રાત્રિકે સમય અંધેરેમેં કુછ નહીં દેખતા, ફિર દૂસરે દિન પુનઃ દેખતા. હૈ...” ઉસી પદાર્થકો. જો અંધેરેમેં નહીં દિખતા થા ઉસકો દિનકે સમયમેં ફિર દેખતા હૈ.
ઔર ફિર રાત્રિકો અંધેરેમેં કુછ નહીં દેખતા.” ફિર રાત્રિ આતી હૈ, ઉસકો દેખનેમેં નહીં આતા.
ઇસસે એક અહોરાત્રમેં. અહો માને દિન. એક દિન ઔર રાત્રિમેં ચાલૂ ઇસ પ્રકારસે આત્માને ગુણ પર, અધ્યવસાયને બદલે બિના, ક્યા ન દેખનેકા આવરણ આ જાતા હોગા ? અથવા દેખના યહ આત્માકા ગુણ નહીં પરંતુ સૂરજ દ્વારા.... સૂર્યકી ઉપસ્થિતિને કારણસે આત્મા દેખતા હૈ. ઇસલિયે સૂરજકા ગુણ હોનેસે સૂરજ માને સૂર્ય. “સૂરજકા ગુણ હોનેસે ઉસકી અનુપસ્થિતિમેં દિખાવી નહીં દેતા ? ઔર ફિર ઈસી તરહ સુનનેકે તમેં કાન આડા..” આડા માને કાન આડે હાથ રખ દેવે, અંગુલી રખનેસે સુનાયી નહીં દેતા, તબ આત્માકા ગુણ ક્યોં ભૂલા દિયા જાતા હૈ ?” કિ આત્માકા ગુણ વિનષ્ટ હો જાતા હૈ? વિનાશ હો જાતા હૈ? ઇસકા સંક્ષેપમેં ઉત્તરકયા પ્રશ્ન ચલા હૈ?
જ્ઞાન જાનતા હૈ, આંખ સે દેખતા હૈ, કાન સે સુનતા હૈ. ઐસા એક જ્ઞાનકા (કાર્ય હૈ). વર્ણકો જાનને કા કાર્ય આંખ દ્વારા હોતા હૈ. આવાજકો સુનનેકા જ્ઞાન કાન દ્વારા હોતા હૈ. તો ઐસા હોનેમેં ભી યહ ક્યા ગડબડી હૈ? કિ સૂર્ય નહીં હોવ તો આંખ નહીં દેખે ! જ્ઞાનકો દેખના બંધ હોવે ઔર સૂર્યકી ઉપસ્થિતિમેં જ્ઞાન દેખને લગે. તો યહ દેખનેકા ગુણ જ્ઞાનકા હૈ? યા ફિર સૂર્યમેં કોઈ ઐસા ગુણ હૈ કિ જો જ્ઞાનકો દિખાને લગતા હૈ?વાસ્તવમેં બાત કયા હૈ? કાનસે સુનતે હૈં. અંગુલી રખ દેવે, યા કુછ રખદેવ, બંધ કરદેવે તો સુનાઈનહીંદેતા.યહકિસ પ્રકારકી બાત હૈંકિ વહ આત્માકા ગુણ ઉસ વફત કાર્યનહિ કરતા હૈ? ઔર ગુણકા કાર્ય ઉસમેં નહીં હોતા હૈ, ઐસા દિખનેમેં આતા હૈ. ઐસા કયોં ગુણ હૈ તો કાર્ય તો કરના ચાહિયે. આત્મા ઐસા પરાધિન કયોં હોવે ?
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૬
રાજહૃદય ભાગ-૧૨ કિ કુછ દૂસરે પદાર્થની મદદસે જાને-દેખે. દૂસરે પદાર્થને આગે-પીછે હોનેસે ઉસકા જાનના-દેખના નહીં હોવે.યહ બાતમૈસી હૈ?
વાસ્તવમેં પ્રશ્ન દેખે તો યહ પ્રશ્ન નિમિત્ત-ઉપાદાનકા એક પેટા વિભાગ હૈ. મુદ્દા યહ હૈ કિ જાનનેકા ગુણ તો આત્મા કે ઉપાદાનમેં હૈ. ઉપાદાન માને નિજશક્તિ. ઔર નિમિત્ત માને પરસંયોગ, દૂસરે પદાર્થના સંયોગ. આત્માકી અવસ્થા જો જ્ઞાનરૂપ હૈ ઉસમેં પસંયોગ સે જો ફેરફાર દિખનેમેં આતા હૈ, તો વાસ્તવમેં યહ દોનોં પદાર્થકી વૈજ્ઞાનિક પરિસ્થિતિ ક્યા હૈ? ઉસકા Scienceકીન-સાહૈ?ક્યા આત્મા દૂસરે પદાર્થને આધિન હી કર સકતા હૈ, સ્વતંત્રરૂપસે નહિ કર સકતા હૈયા સ્વતંત્રરૂપસે કર સકતા હૈ? વાસ્તવિક પરિસ્થિતિ ક્યા હૈ? ઐસા એક દાંત પ્રશ્નમેં રખકરકે પ્રશ્ન પૂછા હૈ. ઇસકા ઉત્તર દેતે હૈં.
જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મકા અમુક ક્ષયોપશમ હોનેસે... અમુક માને કિંચિતુ. “જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મકા અમુક ક્ષયોપશમ હોનેસે ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન હોતી હૈ. ઉસકો લબ્ધિ કહતે હૈં. એકેન્દ્રિયકી લબ્ધિ, દોઇન્દ્રિયની લબ્ધિ, તીન ઇન્દ્રિયની લબ્ધિ ઔર મનુષ્યકો પાંચ ઇન્દ્રિય ઔર છઠવા મન, ઐસી છહ ઇન્દ્રિયોંકી લબ્ધિ અપનેકો હોતી હૈ. લબ્ધિ માને ક્યા? કિ જબ હમ ચાહે ઉસકા પ્રયોગ કર સકે. ઉસકો લબ્ધિ કહતે હૈ રિદ્ધિ-સિદ્ધિની લબ્ધિ હોતી હૈન? કિસીકો ઐસી લબ્ધિ હોતી હૈંકિ જૈસે પાનીદેતે હૈ તો ઉસકા રોગનિકલ જાતા હૈ. પાની મંત્રીત કરતે હૈંન? યંત્ર-તંત્રની લબ્ધિ હોતી હૈન? બહુત-સી અસંખ્ય પ્રકારની વિદ્યા વિશ્વમેં હૈ. ઉસકો લબ્ધિ કહતે હૈં કિ કોઈ વિશિષ્ટ પ્રકારકી લબ્ધિ હૈ. ઐસે યહ પાંચ ઇન્દ્રિય ઔર છઠવામન કી લબ્ધિહૈ. હમ મનુષ્યકો ઉતની લબ્ધિહૈ. અગર હમ સુનના ચાહતે હૈતો હમ કાન પર હમારા ઉપયોગ લે જાતે હૈં. હમ દેખના ચાહતે હૈ તો આંખ પર હમારે જ્ઞાનકે વ્યાપારકો લે જાતે હૈં. સ્વાદલેના ચાહતે હૈ તો હમ હમારે ઉપયોગકો, જ્ઞાનને વ્યાપાર કો વહાં લગાતે હૈં. કોઈ ચિંતા હોવે, યા વિચાર કરના, સોચના હોવે તો મનમેં હમારે ઉપયોગ કો લગાતે હૈં તો જિસ-જિસ કમસે યહ હોતા હૈ, એકસાથે દો કામ નહીં હો સકતા હૈ. ઇસ લબ્ધિમેં ઉતની મર્યાદા હૈ કિ છહીં પ્રકારની લબ્ધિ હોને પરભી ક્રમસે હમ એક-એક લબ્લિકા ઉપયોગ કર સકતે હૈં. એકસાથે દોકા નહીં કર સકતે. જ્યાદાકા તો સવાલ નહીં રહતા. તો ઐસી ઇન્દ્રિયલબ્ધિ, જ્ઞાનાવરણીય ઔર દર્શનાવરણીય કમકે ક્ષયોપશમસે જીવકો હોતી હૈ. ઉસકો ઈન્દ્રિયલબ્ધિ કહતે હૈ.
વહ ઇન્દ્રિયલબ્ધિ સામાન્યતઃ પાંચ પ્રકારક કહી જા સકતી હૈ. સ્પર્શેન્દ્રિયસે
Page #434
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૩૦
૪૧૭ શ્રવણેન્દ્રિય પર્યત....” પહલી સ્પર્શેન્દ્રિય ઔર પાંચવી શ્રવણેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય માને ત્વચા જો સ્પર્શકો માલુમ કરતી હૈકિયહરુખા હૈ, યહ મુલાયમ હૈયા ગરમ હૈ, ઠંડા હૈ, હલકા હૈ, ભારી હૈ ઐસે ઉસકો સ્પર્શેન્દ્રિય કહતે હૈં ફિર રસનાઇન્દ્રિયહોતી હૈ. જીભ, નાક-ધ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય ઔર કર્મેન્દ્રિય. “સ્પર્શેન્દ્રિયસે શ્રવણેન્દ્રિય પર્વત સામાન્યતઃ મનુષ્યપ્રાણીકો પાંચ ઇન્દ્રિયોંકી લબ્ધિકા ક્ષયોપશમ હોતા હૈ” સામાન્યરૂપસે. વિશેષરૂપસે કિસીકો મન નહીં હોતા હૈ, ઐસા ભી બનતા હૈ. મન બિનાકે ભી મનુષ્ય હોતે હૈ જિસકો અસંશી પંચેન્દ્રિયભી કહનેમેં આતા હૈ. જો સંમેઈન મનુષ્ય હોતે હૈ,વૈસે.યાકિસીકી આંખ ફૂટ જાતી હૈ. આંખ ફૂટ જાતી હૈતો વહદેખ નહીં સકતા. વહ ચાર ઇન્દ્રિય નહીં હોતા. વહ તો પંચેન્દ્રિય હી હોતા હૈ. લેકિન ઉસકી જો લબ્ધિહૈ ઉસકો હાનિ હો ગઈ. ઐસા હુઆ.
“ઉસ ક્ષયોપશમકી શક્તિકી અમુક વ્યાહતિ હોને તક જાન-દેખ સકતી હૈ.' ક્ષયોપશમ શક્તિકી ભી એક મર્યાદા હૈ વહ અમુક હદ તક યા અમુક ઉસકો જો કુછ જાનને-દેખનેમેં વ્યાહત હોવે માને અંતરાય હોવે, ઐસા હોવે વહાં તક વહનહીં જાનેદેખે. જૈસે હમ ખુલ્લી જમીન હોવે તો એક માઈલ, દો માઈલ, પાંચ માઈલ તક હમ દેખ સકતે હૈંયહ રાસ્તા એક માઈલ તક દીખતા હૈ. બીચમેં કોઈ દિવાર આ જાતી હૈ તો હમ તીસ ફીટ કે આગે નહીં દેખ સકતે. ઇસ કમરે કે પીછે ક્યા હો રહા હૈ હમકો પતા નહીં તો હમારી દેખનકી શક્તિ તો એક માઈલ તક થી. રાસ્તા ખુલ્લા હો તો દો કિલોમિટર તક બરાબર દીખે. દસ ફીટ આગે એક દીવાલ હો ગઈ (તો) હમારા દેખના બંધ હો ગયા. તો ઉસકો વ્યાહત કહતે હૈ. બાધા જિસકો કહતે હૈ. બાધા આને સે, કુછ બાધા આને સે કમ દિખે. બાધા નહિ હોવ તો જ્યાદા દિખે. ઐસી યહ લબ્લિકા પ્રકાર ઐસા હોતા હૈ. લબ્ધિ હૈ ફિર ભી ઉસ મર્યાદાવાલી લબ્ધિ હૈ. લબ્ધિમેં ઉસકો જાનને. દેખનેકી ઐસી મર્યાદા હૈ.
મુમુક્ષુ –ઉસકી ખુદકી શક્તિ ઐસી હૈ?
પૂજ્ય ભાઈશ્રી ખુદની ઐસી શક્તિ હૈ જૈસે હમ ચમા લગાતે હૈ હમારે નંબર અલગ અલગ હૈ. એક નંબરકા ચશમા સભીકો લાગુ નહીં હોતા. ઈસકા મતલબ કયા હુઆ ? કિકિસીકી આંખ સે દેખનકી શક્તિ કમ હૈ, કિસીકી જ્યાદા હૈ કિતની જ્યાદાકમ હૈ? તો વહ નંબરસે હમ બતા સકતે હૈ. ઇસકો જ્યાદા નંબરકા ગ્લાસ ચાહિયે, તો ઉસકી આંખમેં દેખને કી શક્તિ કમ હો ગઈ હૈ. ઉસકો બિલકુલ Glass કી આવશ્યકતા નહીં હૈ. તો ઉસકી શક્તિ બરાબર હૈ, વહ આદમી Normal વહ દેખ
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૮
રાજહૃદય ભાગ-૧૨ સકતા હૈ. તોયે શક્તિકી કમી-બેસીકા નાપ કરને કે લિયે નંબર હૈ.
મુમુક્ષુ - આંખ દેખ સકતી હૈ, વહ ઇસ પ્રકારની હૈ કી વહ ચરમાસે હી દેખ સકતી હૈ?
પૂજ્ય ભાઈશ્રી:- હાં. ઉસ પ્રકારની હૈ. વહ ઉસકી શક્તિકા માહૈિ. અવસ્થાકા, જ્ઞાનકા નાપ હુઆ. દેખનકી જ્ઞાનકી મર્યાદા કિતની હૈ કિતની નહીં હૈ? ઉસમેં ઉતની બાત હુઈ.
મુમુક્ષુ -કાંચકાનિમિત્ત ચાહિયે?
પૂજ્ય ભાઈશ્રી - હાં, કાચકા નિમિત્ત ચાહિયે કા મતલબ ક્યા હૈ? કિ ઉસકી શક્તિ કમ હૈ. તો હમારે પાસ દેખનેકે લિયેદો તરીકે હૈં કિસી ભી બાત કો દેખનેકે લિયે દો તરીકે હોતે હૈં. પદાર્થની અવસ્થાકા જ્ઞાન કરકે ઉસ પદાર્થની મૂલ શક્તિ કિસ પ્રકારકી હૈ, કિસ હાલતમેં હૈ, ઉસકો ભી હમ દેખ સકતે હૈં. દૂસરા, સંયોગસે ઉસકા નાપનિકાલના યહ ભી ઉસકીદેખનેકી દૂસરી શક્તિ હોતી હૈ. ઉસી sideતે દેખતે હૈં. યાની દો Angle સે એક હી અવસ્થાકો દેખનકા વિશ્વમેંદૃષ્ટિકોણ હૈ. કહાંસે દેખે?
જેસે એક આદમી એક જગહસે દૂસરી જગહતક જાતા હૈ. ઘરસે નિકલા, મંદિર આયા. અભી રાતેમેં ખડા હૈ. રાસ્તમે ચલતા હૈ સમજો. તો ઉસકો મંદિરને દેખે યા ઘરસે દેખે ? દો જગહસે ઉસકો દેખ સકતે હૈં ઘરસે તો ઉતના દૂર નીકલ ગયા કિ કરીબ-કરીબ મંદિરકે પાસ પહુંચા. તો ઘરસે દૂર હૈ ઐસા કહેંગે. ઔર મંદિરકે પાસ પહોંચા હૈ તો મંદિરસે દેખે તો ક્યા હૈ? કિમંદિરસે નજદીક હૈ ઐસે દેખે. વાસ્તવમેં તો જહા હૈ વહાં હૈ. લેકિન દેખનેકા દો Angle હોતે હૈં, દો દૃષ્ટિકોણ હોતે હૈ કહાંસે હમેં દેખના હૈ?પદાર્થકો હમકો કહાંસે દેખના હૈ, ઉસકા નિશ્ચય હમ કર સકતે હૈં. યહાં સે દેખે અથવા વહાં દેખે.
પ્રસ્તુત વિષય હૈ ઉસમેં જ્ઞાનકી દેખને, જાનનેકી મર્યાદાની ચર્ચા હો રહી હૈ. હમેં જ્ઞાનકો અપની શક્તિસે દેખના હૈ? યા જ્ઞાનકો દૂસરે પદાર્થને સંયોગ યા નિમિત્તસે દેખના હૈ? દો Angle સે, દો દૃષ્ટિકોણસે ઉસકો દેખ સકતે હૈં, નાપ સકતે હૈ. ઔર દોનોં તરફસે, દોનોં દૃષ્ટિકોણસે દેખનેમેં હમેં સહી જ્ઞાન કૈસે હોતા હૈ? માને દોનોં દૃષ્ટિકોણસે દેખને સે ઉસકા સહી જ્ઞાન હોતા હૈ કિ વાસ્તવમેં પરિસ્થિતિ ક્યા હૈ? ઔર સહી જ્ઞાન હોને સે અભી ઇસકે ઉપર કોઈ નિર્ણય-Decisionલેના હો તો હમલે સકતે હૈં કિ હમેં કયા કરના ચાહિયે ? હમેં ક્યા નહીં કરના ચાહિયે ? ઉતની બાત હૈ. યહ દેખનેકા દૃષ્ટિકોણ હોતા હૈ.
Page #436
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૩૦
મુમુક્ષુ :– દર્શન-જ્ઞાનને આવરણ હોય તો કેવી રીતે થાય ? પૂજ્ય ભાઈશ્રી :– કેવી રીતે થાય એટલે શું પ્રશ્ન છે ?
–
મુમુક્ષુ ઃ– આવરણનો ક્ષય કેવી રીતે થાય ?
પૂજ્ય ભાઈશ્રી :– આવરણનો ક્ષય. નિરાવરણ ઐસા જો અપના મૂલ સ્વરૂપ, ઉસકા અનુભવ કરનેસે, ઉસમેં લિન હોનેર્સ આવરણકા ક્ષય હો જાતા હૈ. સભી સર્વશ પરમાત્મા કેવલજ્ઞાની પ્રભુને અપને સ્વરૂપમેં લિન હોકકે જ્ઞાનાવરણીય ઔ૨ દર્શનાવરણીયકા ક્ષય કર ડાલા. ભગવાનકો બિરાજમાન કિયે હૈ. હમને કિસ અવસ્થામાં કિયે હૈં ? તો સ્વરૂપમેં લિન હો ગયે હૈં. ઐસી અવસ્થામાં રખતે હૈં ન ? તો ઉનકો જ્ઞાનાવરણી ઔર દર્શનાવરણી હોતા નહીં હૈ.
૪૧૯
મુમુક્ષુ :– આઠે કર્મનો નાશ....?
-
-
પૂજ્ય ભાઈશ્રી :– હાં. સભી કર્મકા ક્ષય એક હી પ્રકા૨સે હોતા હૈ. આઠ પ્રકારકા કહો યા કર્મ અનંત પ્રકા૨ણે કહો. સભી કર્મકા ક્ષય એક હી રીતિ સે હોતા હૈ. માને કર્મક્ષય કરનેકી Master key એક હી હૈ. કર્મ અનંત પ્રકા૨કે હૈં. લેકિન પરમાત્મા હોનેકે માર્ગકી જો કાર્યપદ્ધતિ હૈ ઉસમેં એક હી પ્રકાર હૈ. ઇસલિયે માર્ગકી એક સુંદરતા હૈ, યહ સુંદર ઉપાય ઐસા હૈ કિ હમકો લંબીચૌડી માથાપચીસી કરની પડે નહીં. એક હી રીત હમ સીખ જાવે. એક પદ્ધતિકો હમ ગ્રહણ કર લેવે. બસ ! ખતમ. આઠો કર્યોં કો ખતમ હોને કે લિયે ઔર સારે સંસારકો નાશ કરનેકે લિયે, નિર્વાણપદકી પ્રાપ્તિકે લિયે એક હી પદ્ધતિ હમેં સમજની હૈ, હમેં સિખની હૈ ઔર હમેં કાર્યાન્વિત કરની હૈ. ઇતની બાત હૈ. ઇતના યહ સુંદર માર્ગ હૈ.
મુમુક્ષુઃ-...
પૂજ્ય ભાઈશ્રી :– બસ ! સ્વરૂપમેં લિન હોના, સ્વરૂપમેં સ્થિર હોના. અપને સ્વરૂપકા જ્ઞાન કરના. જ્ઞાન કરનેસે આત્મામાં કિસ-કિસ પ્રકારકી શક્તિયાં હૈં ઉસકા જ્ઞાન હોગા કિ આત્માનેં જ્ઞાનશક્તિ કિતની મહાન હૈ ઔર આનંદશક્તિ કિસ પ્રકારકી હૈ. કિસ પ્રાણીકો કો આનંદ પસંદ નહીં હૈ ? ઐસા બન હી નહિ સકતા. સભીકો આનંદ ચાહિયે. જબ જીવકો અપને સ્વરૂપમેં શક્તિરૂપસે અનંત આનંદ ભા હૈ, ઐસા જબ માલુમ પડતા હૈ તો જીવ અંતર્મુખ હોકરકે ઇસ આનંદકો ભોગનેમેં, લિન હોનેમેં ઉસકો એક આકર્ષણ પૈદા હોતા હૈ.
હમારે પરિણામ પાંચ ઇન્દ્રિયોંકે વિષય પ્રતિ કચોં જાતે હૈ ? કિ વહાં આનંદ હૈ, વહાં સુખ હૈ ઐસા હમારા નિશ્ચય હૈ. હમારે પૂર્વગ્રહિત નિશ્ચયકે કારણ હમારે પરિણામ
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૦
રાજહૃદય ભાગ-૧૨ વહાં લગે રહતે હૈં, લગ જાતે હૈ, લગનેમેં હમ ખુદ રોકસકતે નહીં હૈ. ઐસી હાલત બન ગઈ હૈ. હમ કહતે હૈંકિ વહાં આનંદ હોતા તો તુજે તૃપ્તિ મિલતી. લેકિન તુજે તૃપ્તિ તો કભી ન હુઈ હૈ, ન હોનેવાલી હૈ. ઇસલિયે અગર તેરે આનંદકા તુજે પતા ચલ ગયા તો. તેરે પરિણામકા આકર્ષણ અપને આત્મામેં લગનેકા હો જાયેગા. આત્મામેં સભી પરિણામ લગ જાનેસે સબ કમકે આવરણ ખતમ હો જાયેંગે ઔર નિર્વાણપદ કી, નિરાવરણદશા કી પ્રાપ્તિ હો જાયેગી. બસ! ઈતની બાત હૈ. જો કુછ બાત હૈ વહ તો ઉતની હી હૈ. લેકિન ઇસ જીવકો સમજમેં નહીં આતી હૈ, ઇસલિયે ઉસકો લંબીચૌડી કરકે સમજાનેમેં આતી હૈ. બાકી બાતતો ઈતની હી હૈ. કોઈ લંબી બાત ઇસમેં હૈનહીં.
મુમુક્ષુ-યહ બાત હમેં અનંતકાલનિકલ ગયા.
પૂજ્ય ભાઈશ્રી - અનંત કાલસે હમ ઉલટ ચલે તો અનંત કાલ નીકલા. હમને હમારા આનંદ હમારેમેં હૈ, દૂસરેમેં નહીં હૈ ઐસા સોચા હી કબ હૈ? સોચા હી નહીં, જો બાત સમજમેં આવી નહીં ઉસકે લિયે પ્રયત્ન હોના તો સંભવ ભી નહીં. કૈસે પ્રયત્ન હો સકતા હૈ? સારે જગતકો દેખો. ક્યા પરિસ્થિતિ હૈ? કિ બાહરમેં જહાં ભી સુખકા સાધન માના હૈ ઉસકો જુટાનેકે લિયે સારી દુનિયાકી દૌડ લગી હુઈ હૈ. એક જૈનદર્શન ઐસા હૈ, યહ આસ્તિક્ય દર્શનોમેં ભી યહ બાત હૈ કિ સુખ તો આત્મામેં હૈ. આત્માકા સુખ આત્માને બાહર કહીં નહીંહૈતો આત્મામેં-સ્વભાવમેં પરિણામ લગાને ચાહિયે.
અબ યહ બાત સુનનેમેં આને પર ભી હમ સીધા નહીં ચલે, ઉલટા ચલે તો હમારી હાલત ક્યા બનેગી ? કિ જો દૂસરે સંસારી પ્રાણીઓં કી હોતી હૈ, કર્મકા બંધ બઢ જાનેરો, જ્ઞાન ઔર સુખકી હાનિ હોનેસે ફિર દુર્ગતિમેં જીવ ચલા જાતા હૈ. દુર્ગતિમેં ચલા જાના યહ સહજમાત્રમેં હૈ. સહજમાત્રમેં આયુષ્ય પૂરા કરકે જો ભી રાગ, દ્વેષ, મોહ કિયે હૈં ઉસકે ફલમેં દુર્ગતિમેં જાનેમેં દેર લગતી નહીં હૈ. આયુષ્ય પૂરા હોતે હી દૂસરે સમયમેં દુર્ગતિ ચાલુ હો જાતી હૈ.
મુમુક્ષુ -આઠેયકર્મનો ક્ષય એકસાથે થાય?
પૂજ્ય ભાઈશ્રી:- નહીં એક સાથે તો ન થાય. આઠોં કર્મોકા ક્ષય એકસાથ નહીં હોતા. પહલે સબસે બડા દુશ્મન મોહનીય હૈ. દર્શનમોહનીયકા ક્ષય હોતા હૈ. ફિર ક્રમશઃ ચારિત્રમોહનીયકા ક્ષય હોતા હૈ. ઔર જૈસે-જેસે દર્શનમોહનીય ઔર ચારિત્રમોહનીય કા ક્ષય હોતા હૈ તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઔર અંતરાય, જો તીન ઘાતિકર્મ હૈ ઉસકા ભી ક્રમશઃ ક્ષય હોને લગતા હૈ. બારહવે ગુણસ્થાનમેં યે મોહકર્મ કા ક્ષય હોનેસે તેરહd ગુણસ્થાનમેં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઔર
Page #438
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૩૦
૪૨૧
અંતરાય ભી પ્રથમ સમયમેં હી ખતમ હો જાતે હૈ ઔર વહાં ચારોં ઘાતીકોઁકા ક્ષય હોકરકે કેવલજ્ઞાનકી પ્રાપ્તિ હોતી હૈ. દેહ છતાં નિર્વાણ.' દેહ હોને૫૨ ભી ઉસકો નિર્વાણ કહતે હૈં. ચોકિ ઉસકા ફિર જન્મ-મરણ હોનેવાલા નહીં હૈ. યહ ચાર આયુ (કર્મ) જો અઘાતિ હૈ, ઉસકી સ્થિતિ પૂરી હોર્નેસે ફિર સિદ્ધપદકી પ્રાપ્તિ હોતી હૈ. ઐસા ક્રમ પડતા હૈ.
મુમુક્ષુ :– અઘાતિ ભોગવવા જ પડે.
=
==
પૂજ્ય ભાઈશ્રી :– ભોગવવા પડે મતલબ કચા હૈ કિ આપકે બગલમેં યહ દિવા૨ હૈ આપકો ચા આપત્તિ હૈ ? આપકે બગલમેં યહ ભાઈ બૈઠે હૈં ઉસકી કોઈ આપત્તિ હૈ કચા ? જૈસે ભગવાનકે બગલમેં દેહ હૈ, ગોત્ર હૈ. પરમાણુ બાજુમેં પડે હૈં. ભોગના માને ઇસસે કોઈ આપત્તિ નહીં આતી. ઉસસે કોઈ ઉપદ્રવ નહીં હોતા. ભોગનેમેં ક્યા હોતા હૈ ? કિ હમ ઉપદ્રવકો સમજ લેતે હૈં કિ દેખો ! ભગવાન કો ભી ભોગના પડતા હૈ. લેકિન કોઈ ઉપદ્રવ નહીં હૈ ઇસકા. જો કોઈ તકલીફ હૈ વહ તો ઉપદ્રવકી હોતી હૈ. ઉપદ્રવ તો કુછ હૈ નહીં. ભલે હી દેહ દેહમેં હૈ, ભગવાનકી આત્મા અપને આત્માનેં હૈ. પરમાનંદર્ભે વહ બિરાજમાન હૈ. સિદ્ધપદમેં જો પરમાનંદ હૈ ઔર તેરહમેં ગુણસ્થાનમેં જો ૫૨માનંદ હૈ, ઉસમેં કોઈ ફરક નહીં હૈ. તેરહમેં ગુણસ્થાનમેં જો કેવલજ્ઞાન હૈ ઔર સિદ્ધપદમેં જો કેવલજ્ઞાન હૈ ઉસમેં કોઈ ફરક નહીં. જબ જ્ઞાનમેં ફરક નહીં, સુખમેં ફરક નહીં, દૂસરી કોઈ બાતકીચિંતા કરનેકી કોઈ આવશ્યકતા નહીં હૈ.
મુમુક્ષુ :-અઘાતિકર્મ...
પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનમેં સારી દુનિયા દેખનેમેં આતી હૈ. અઘાતિ ભી દેખનેમેં આવે ઔર સબ ભી દેખનેમેં આવે. જ્ઞાનમેં વો જાનને કી ચીજ રહ જાતી હૈ. ઉસકા કોઈ ઉપદ્રવ તો નહીં હોતા. યહ આયુષ્ય મેરા હૈ ઐસા તો ચતુર્થ ગુણસ્થાનમેં ખતમ હો ગયા. અપની આત્માકા જ્ઞાન, ભાન હોનેસે યહ ભવ મેરા હૈ યહ બાત ખતમ હો ગઈ. ઇસલિયે જ્ઞાની શુરૂસે હી સુખી હો જાતે હૈં. યહ ભવ ભી મેરા નહીં, ઔર ભવકે પ્રસંગરૂપ જો ઉદય હૈં વે ભી મેરે નહીં હૈં. વહાં સે તો મોક્ષમાર્ગકી શુરૂઆત હોતી હૈ. ઐસી જો મોક્ષમાર્ગકી શુરૂઆત હોતી હૈ. ઇસલિયે વહ સુખકા માર્ગ હૈ ઐસા કહનેમેં આતા હૈ. કયા કહતે હૈં ? ‘એગંત સો હી મુનિ વીતરાગી.’ વિશ્વમેં કૌન સુખી હૈ ? દેવ સુખી હૈ, રાજા સુખી હૈ, શ્રીમંત સુખી હૈ ઐસા નહીં કહા. એક વીતરાગી મુનિ સુખી હૈ. ક્યોંકિ ઉસમેં આનંદકા સ્રોત ભીતરમેં સે આતા હૈ. પતા હી નહીં ચલતા હૈ કિ મૈને કપડા પહના કિ નહીં પહના, ઠંડી લગ રહી હૈ કિ નહીં લગ રહી હૈ, ગરમી હો રહી કિ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૨
રાજહૃદય ભાગ-૧૨ નહીં હો રહી હૈ. ઉસકો તો પતા હી નહિ ચલતા. ઐસે હો જાતે હૈં. કૈસે હો જાતે હૈં? ભીતરમેં સે આનંદ બહુત આતા હૈ. તેજી સે Current ચલતા હૈ. આનંદકા Current ચલતા હૈ. તો દૂસરી-દૂસરી બાતોંકા પતા નહીં ચલતા હૈ. ઉતની વીતરાગતા હો જાતી હૈ, ઉતનામોહક્ષય હો જાતા હૈ. ઐસી બાત હૈ. (સમય હુઆ હૈ...)
જ્ઞાનીને પણ આત્મદશાને ભુલાવે તેવા ઉદય, ઉદયમાં આવે છે, પરંતુ તેને સમભાવથી વેદીને અધિક નિર્મળતા પ્રાપ્ત કરવાની જ્ઞાનીની રીત હોય છે. મુમુક્ષુનો. પ્રયાસ પણ તથારૂપ હોવો યોગ્ય છે. ગમે તેવા ઉદયમાં જાગૃતિ ન છૂટવી જોઈએ. અભિપ્રાયની દઢતાપૂર્વક પ્રયત્ન થવો ઘટે, તો અવશ્ય સફળતા મળે.
(અનુભવ સંજીવની-૧૪૯)
એક ગુણને અનંત ગુણનું રૂપ છે. તેમાં સર્વશ. શક્તિને અસ્તિત્વનું રૂપ છે, તે સર્વજ્ઞ શક્તિની હયાતીથી સમજાય છે, પરંતુ અસ્તિત્વગુણને સર્વશપણાનું રૂપ દેખાતું નથી, તેથી ઉક્ત સિદ્ધાંત માટેની સમસ્યા ઊભી થાય છે. તથાપિ એમ વિચારવામાં આવે કે જે સર્વશપણાનું અસ્તિત્વ છે તે’ અસ્તિત્વને સર્વશપણાનું રૂપ હોવું ઘટે છે, જેમકે પરમાણુનું અસ્તિત્વ જડ રૂપે છે અને જીવનું અસ્તિત્વ ચેતનરૂપે છે, આ પ્રકારે ઉક્ત સિદ્ધાંત સમજવો સુગમ થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૯૫)
Page #440
--------------------------------------------------------------------------
________________
વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી)
ગ્રંથનું નામ તેમજ વિવરણ
૦૧ અધ્યાત્મિકપત્ર (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો) ૦૨ અધ્યાત્મ સંદેશ (પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો)
૦૩ આત્મયોગ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૫૯૬, ૪૯૧, ૬૦૯ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૦૪ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વચનામૃત્તોનું સંકલન) ૦૫ અધ્યાત્મ સુધા (ભાગ-૧)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૦૬ અધ્યાત્મ સુધા (ભાગ-૨) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપ૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૦૭ અધ્યાત્મ સુધા (ભાગ-૩) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૦૮ અધ્યાત્મ પરાગ
૦૯ બીજુ કાંઈ શોધમા પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૧૦ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૧) (દ્રવ્યસંગ્રહ ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો)
૧૧ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૨) (દ્રવ્યસંગ્રહ ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો)
૧૨ ભગવાન આત્મા (દ્રષ્ટિવિષયક વચનામૃત્તોનું સંકલન)
૧૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત
૧૪ દ્રવ્યદૃષ્ટિપ્રકાશ (ભાગ-૩) પૂજ્ય શ્રી નિહાલચંદજી સોગાની તત્ત્વચર્ચા) ૧૫ દસ લક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો ૫૨ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો) ૧૬ ધન્ય આરાધના (શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર
૪૨૩
મૂલ્ય
૦૨-૦૦
અનુપલબ્ધ
20-00
૧૫૦-૦૦
૩૦-૦૦
૩૦-૦૦
૩૦-૦૦
૦૨-૦૦
૦૪-૦૦
૦૬-૦૦
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન)
૧૭ દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૧૬૬,૪૪૯,અને ૫૭૨ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા પ્રવચનો)
૧૦૦૦
૧૮ ગુરુગુણ સંભારણા (પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્ફુરિત ગુરુભક્તિ)
૦૫-૦૦
૧૯ ગુરુગિરા ગૌરવ (પૂજ્ય સૌગાનીજીની અંગત દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૦૦
૨૦ ગુરુગિરા ગૌરવ (ભાગ-૧) (દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના પત્રો પર સળંગપ્રવચનો)
૨૧ ગુરુગિરા ગૌરવ (ભાગ-૨) (દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો)
૨૨ જિણસાસણું સર્વાં (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન)
૧૦-૦૦
૨૦-૦૦
20-00
૦૮-૦૦
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૪
૨૩ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦,૫૨૮, ૫૩૭ તથા ૩૭૪પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૨૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) પરમાગમસારમાંથી ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૨૫-૦૦ ૨૫ કહાન રત્ન સરિતા (ભાગ-૨) પરમાગમસારમાંથી ક્રમબદ્ધ પર્યાયવિષયક ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૩00 ૨૬ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧)કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો
૩00 ૨૭ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૨) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો
૩00 ૨૮ ક્લબદ્ધપર્યાય ૨૯ મુમુક્ષતા આરોહણ ક્રમ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૨૫૪પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)૧૫-૦૦ ૩૦ નિર્ભત દર્શનની કેડીએ લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૧૦૦ ૩૧ પરમાત્માપ્રકાશ (શ્રીમદ્યોગીન્દ્રદેવવિરચિત)
૧૫- ૩૨ પરમાગમસાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮વચનામૃત્ત)
૧૧-૨૫ ૩૩ પ્રવચનનવનીત (ભાગ-૧) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
અનુપલબ્ધ ૩૪ પ્રવચન નવનીત (ભાગ-૨) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
૨પ-૦૦ ૩૫ પ્રવચનનવનીત (ભાગ-૩) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય ઉપર ખાસ પ્રવચનો)
૩૫-૦૦ ૩૬ પ્રવચન નવનીત (ભાગ-જીપૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો) ૭૫-૦૦ ૩૭ પ્રવચન પ્રસાદ (ભાગ-૧) પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૬પ-૦૦ ૩૮ પ્રવચન પ્રસાદ (ભાગ-૨) પંચાસ્તિકાયસંગ્રહપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૩૯ પ્રયોજન સિદ્ધિ (લે.પૂજ્યભાઈશ્રી શશીભાઈ)
૦૩-૦૦ ૪૦ પથ પ્રકાશ માર્ગદર્શન વિષયકવચનામૃત્તોનું સંકલન)
૦૬-૦૦ ૪૧ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-
૧૫, ૧૨૮તથા ર૬૪ પ૨પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૪૨ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૪૦ ૪૩ પ્રવચન સુધા (ભાગ-૨)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૮૫-૦૦ ૪૪ પ્રવચન સુધા (ભાગ-૩)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩૦ ૪૫ પ્રવચન સધા (ભાગ-પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૪૦૦ ૪૬ પ્રવચન સુધા (ભાગ-૫) પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩૦ ૪૭ પ્રવચન સુધા (ભાગ-૬)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩00 ૪૮ પ્રવચન સુધા (ભાગ-૭) પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨૦ ૪૯ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨૦૦ ૫૦ પ્રવચન સુધા (ભાગ-૯)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨00 ૫૧ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨00 પર પ્રવચન સુધા (ભાગ-૧૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨૦૦
૨૦
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૨૫ પ૩ પ્રવચનસાર
અનુપલબ્ધ ૫૪ પ્રચારિતકાય સંગ્રહ
અનુપલબ્ધ ૫૫ પદ્મનંદીપંચવિશતી ૫૬ પુરુષાર્થસિદ્ધિ ઉપાય
અનુપલબ્ધ ૫૭ રાજ હૃદય (ભાગ-૧) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨00 ૫૮ રાજ હૃદય (ભાગ-૨)(શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨00 ૫૯ રાજ હૃદય (ભાગ-૩) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨00 ૬૦ રાજહૃદય (ભાગ-) (“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૨૦.૦૦ ૬૧ સમ્યકજ્ઞાનદીપિકા લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક)
૧પ-૦૦ ૬૨ જ્ઞાનામૃત્ત (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત્તો)
૦૬-૦૦ ૬૩ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટનિવાસભૂત છ પદનો પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨00 ૬૪ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦, ૫૧૧, ૫૬૦તથા ૮૧૯પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૬૫ સમયસાર દોહન પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં સમયસાર પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો)
૩પ-૦૦ ૬૬ સુવિધિદર્શન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત સુવિધિલેખ ઉપર તેમનાં પ્રવચન)
૨૫-૦૦ ૬૭ સ્વરૂપભાવના (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૯૧૩,૭૧૦અને ૮૩૩પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૬૮ સમક્તિનું બીજ (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્પરુષની ઓળખાણ વિષયક પત્રાંકઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૩00 ૬૯ તત્ત્વાનુશીલન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વિવિધ લેખ) ૭૦ વિધિવિજ્ઞાન વિધિવિષયક વચનામૃત્તોનું સંકલન)
૦૭-00 ૭૧ વચનામૃત્ત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાનાઈરોબીમાં બહેનશ્રીના વચનામૃત્ત પર થયેલાં પ્રવચનો)
૨પ-૦૦ ૭૨ વચનામૃત્તપ્રવચન (ભાગ-૧) ૭૩ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૨) ૭૪ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૩) ૭૫ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૪) ૭૬ યોગસાર
અનુપલબ્ધ ૭૭ ધન્ય આરાધક ૭૮ અધ્યાત્મ સુધા (ભાગ-જી બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૩ ૦.૦૦ ૭૯ અધ્યાત્મ સુધા (ભાગ-૫) “બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩૦.00 ૮૦ છ ઢાળાપ્રવચન (ભાગ-૧)
૨ )
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૬
८१ छ अवयन (भाग-२)
२००० ८२ छ अवयन. (म -3)
२००० ૮૩ મુક્તિનો માર્ગ સત્તાસ્વરૂપ ગ્રંથ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન)
२०.०० ८४ २२४६६य (२-५) ('श्रीम६।४यंद्र' 2 6५२ ५श्य 59. AlcuSuसवयनl)२०.०० ८५ २०४६६य (भाग-६)('श्रीम६ २४यंद्र' य.७५२ ५०यISश्री.शशमन स वयन)२०.०० ८६ २०४६६५ (भाग-७) ('श्रीम६ २०४यंद्र' य. ५२ पूथ्य मusश्री. cus-uAMAl)२०.०० ८७ २२४६६य. (01-८)('श्रीम६४यंद्र' य. 6५२ पूश्य मा श्री.श.Suसवयन)२०.०० ८८ २०४६६५.(un-८)('श्रीम६ २०४यंद्र' प्राथ.6५२ ५५ श्री.शशी.cuSuसवयन)२०.०० ८८ २०४६६य (un-१०)('श्रीम६२४यंद्र' य. ५२ पून्य CuSश्री.शशlcuSuAMuवयनl)२०.०० ૮૯ રાજહૃદય (ભાગ-૧૧)(“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦.૦૦ ८८ २०६६ (२-१२)('श्रीम६२।यंद्रथ 6५२ ५४य uSश्री.श.cuSuसवयनl)२०.०० 0 અધ્યાત્મ સુધા (ભાગ-૬) “બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
२०.००
मूल्य
२०-००
१५०-०० ५०-००
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट
उपलब्ध प्रकाशन (हिन्दी) ग्रंथ का नाम एवं विवरण ०१ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल) ०२ आत्मयोग (श्रीमद् राजचंद पत्रांक-४६९, ४९१, ६०९ पर पूज्य
भाईश्री शशीभाईके प्रवचन) ०३ अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृत्तोंका
संकलन) ०४ आत्मसिद्धि शास्त्र पर प्रवचन (पूज्य गुरुदेवश्री द्वारा) ०५ आत्मअवलोकन ०६ बृहद द्रव्यसंग्रह ०७ द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग-पूज्य श्री निहालचंदजी सोगानीजीके
पत्र एवं तत्वचर्चा) ०८ दूसरा कुछ न खोन (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) ०९ दंसणमूलो धम्मा (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) १० धन्य आराधना (श्रीमद राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा परॉ
पूज्य भाईश्री शशीभाई द्वारा विवेचन) ११ दिशा बोध (श्रीमद राजचंद्र पत्रांक-१६६, ४४९, ५७२ पर
__ पूज्य भाईश्री शशीभाईके प्रवचन) १२ धन्य पुरुषार्थी १३ धन्य अवतार १४ गुरु गुण संभारणा (पूज्य बहिनश्री चंपाबहिन द्वारा गुरु भक्ति)
अनुपलब्ध
३०-०० ०६-००
०६-००
२५-००
१५-००
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૭
१५ गुरु गिरा गौरव १६ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन)
०८-०० १७ कुटुम्ब प्रतिबंध (श्रीमद् राजचंद्र पत्रांक-१०३,३३२,५१०, ५२८,५३७ एवं ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० १८ कहान रत्न सरिता (परमागमसारके विभिन्न वचनामृतों पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
३०-०० १९ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन)
०८-०० २० मुमुक्षुता आरोहण क्रम (श्रीमद राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) २१ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर पूज्य गुरुदेवश्रीके प्रवचन)
१०-०० २२ निर्धांत दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई)
१०-०० २३ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत्त) २४ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई)
०४-०० २५ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद राजचंद्र पत्रांक-१९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२०-०० २६ प्रवचन नवनीत (भाग-१) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २७ प्रवचन नवनीत (भाग-२) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २८ प्रवचन नवनीत (भाग-३) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ नय के खास प्रवचन)
२०-०० २९ प्रवचन नवनीत (भाग-४) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ शक्ति के खास प्रवचन)
२०-०० ३० प्रवचन सुधा (भाग-१)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३१ प्रवचन सुधा (भाग-२)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३२ पथ प्रकाश
२०.०० ३३ प्रवचनसार
अनुपलब्ध ३४ प्रंचास्तिकाय संग्रह
अनुपलब्ध ३५ सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक)
१५-०० ३६ ज्ञानामृत्त (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत्त) ३७ सम्यग्दर्शनके सर्वोत्तकृष्ट निवासभूत छ पदोंका अमृत पत्र (श्रीमद रादचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१८-०० ३८ सिद्धिपका सर्वश्रेष्ठ उपाय (श्रीमद् राजचंद्र ग्रंथमें से पत्रांक-१४७,१९४, २००,५११,५६० एवं ८१९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० ३९ सुविधि दर्शन (सुविधि लेख पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
४०-०० ४० समयसार नाटक
अनुपलब्ध ४१ समयसार कलश टीका
अनुपलब्ध ४२ समयसार
अनुपलब्ध
Page #445
--------------------------------------------------------------------------
________________
२०.००
२०-००
૪૨૮ ४३ स्मरण संचिका ४४ स्वरूप भावना (श्रीमद् राजचंद्र पत्रांक-९१३, ७१० एवं ८३३
पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन) ४५ तत्त्वानुशीलन (भाग-१,२,३) (ले. पूज्य भाईश्री शशीभाई) ४६ तत्थ्य ४७ विधि विज्ञान (विधि विषयक वचनामृत्तोंका संकलन) ४८ वचनामृत्त रहस्य (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके नाईरौबीमें हुए प्रवचन ४९ भगवान आत्मा ५० जिन प्रतिमा जिन सारखी ५१. छः ढाला प्रवचन (भाग-१) ५२. छः ढाला प्रवचन (भाग-२) ५३. छः ढाला प्रवचन (भाग-३) ५४. प्रवचनसुधा (भाग-६)
२०-00 अनुपलब्ध १०-०० २०-०० २०.०० २०.०० २०.०० २०.०० २०.०० ३०.००
वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से
प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या ०१ प्रवचनसार (गुजराती) ०२ प्रवचनसार (हिन्दी) ०३ पंचास्तिकायसंग्रह (गुजराती) ०४ पंचास्तिकाय संग्रह (हिन्दी) ०५ समयसार नाटक (हिन्दी) ०६ अष्टपाहुड (हिन्दी) ०७ अनुभव प्रकाश ०८ परमात्मप्रकाश ०९ समयसार कलश टीका (हिन्दी) १० आत्मअवलोकन ११ समाधितंत्र (गुजराती) १२ बृहद द्रव्यसंग्रह (हिन्दी) १३ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर प्रवचन) (गुजराती) १४ योगसार १५ अध्यात्मसंदेश १६ पद्मनंदीपंचविंशती १७ समयसार १८ समयसार (हिन्दी) १९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित)
१५०० ४२०० १००० २५०० ३००० २००० २१०० ४१०० २००० २००० २००० ३००० १००० २००० २००० ३००० ३१०० २५०० ३०००
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૨૯
१०,००० ७६०० ६१०० ८००० ३००० ३७००
८०००
५०००
४४०० ५००० २००० ५००० ७५०० ३००० ७५०० २०००
२०००
२०००
२० द्रव्यदृष्टि प्रकाश (गुजराती) २१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) २३ क्रमबद्धपर्याय (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) २५ धन्य अवतार (गुजराती) २६ धन्य अवतार (हिन्दी) २७ परमामगसार (गुजराती) २८ परमागमसरा (हिन्दी) २९ वचनामृत प्रवचन भाग-१-२-३-४ ३० अनुभव प्रकाश (हिन्दी) ३१ निर्धांत दर्शननी केडीए (गुजराती) ३२ निर्धांत दर्शनकी पगडंडी (हिन्दी) ३३ गुरुगुण संभारणा (गुजराती) ३४ गुरुगुण संभारणा (हिन्दी) ३५ जिण सासणं सव्वं (गुजराती) ३६ जिण सासणं सव्वं (हिन्दी) ३७ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३८ दस लक्षण धर्म (गुजराती) ३९ धन्य आराधना (गुजराती) ४० धन्य आराधना (हिन्दी) ४१ प्रवचन नवनीत भाग-१-४ (गुजराती) ४२ प्रवचन प्रसाद भाग-१-२ ४३ पथ प्रकाश (गुजराती) ४४ पथ प्रकाश (हिन्दी) ४५ प्रयोजन सिद्धि (गुजराती) ४६ प्रयोजन सिद्धि (हिन्दी) ४७ विधि विज्ञान (गुजराती) ४८ विधि विज्ञान (हिन्दी) ४९ भगवान आत्मा (गुजरात) ५० भगवान आत्मा (हिन्दी) ५१ सम्यक्ज्ञानदीपिका (गुजराती) ५२ सम्यक्ज्ञानदीपिका (हिन्दी) ५३ तत्त्वानुशीलन (गुजराती) ५४ तत्त्वानुशीलन (हिन्दी) ५५ बीजुं कांई शोध मा (गुजराती)
२०००
१०००
१५००
५८५० २३००
२०००
५०० ३५०० २५००
२०००
२००० २००० १५००
१००० १५००
४००० २०००
४०००
Page #447
--------------------------------------------------------------------------
________________
४30
२००० २५०० ३५०० २००० २५०० १५०० ४००० १५००
३०००
१०००
१०००
३५००
१५०० १०००
५६ दूसरा कुछ न खोज (हिन्दी) ५७ मुमुक्षुता आरोहण क्रम (गुजराती) ५८ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी) ५९ अमृत पत्र (गुजराती) ६० अमृत पत्र (हिन्दी) ६१ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती) ६२ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी) ६३ आत्मयोग (गुजराती) ६४ आत्मयोग (हिन्दी) ६५ अनुभव संजीवनी (गुजराती) ६६ अनुभव संजीवनी (हिन्दी) ६७ ज्ञानामृत (गुजराती) ६८ ज्ञानामृत (हिन्दी) ६९ वचनामृत रहस्य (गुजराती) ७० वचनामृत रहस्य (हिन्दी) ७१ दिशा बोध (हिन्दी-गुजराती) ७२ कहान रत्न सरिता (भाग-१) ७३ कहान रत्न सरिता (भाग-२) ७४ कुटुम्ब प्रतिबंध (गुजराती) ७५ कुटुम्ब प्रतिबंध (हिन्दी) ७६ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (गुजराती) ७७ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी) ७८ गुरु गिरा गौरव (हिन्दी-गुजराती) ७९ समयसार दोहन (गुजराती) ८० समकितनुं बीज (गुजराती) ८१ स्वरूपभावना (गुजराती) ८२ स्वरूपभावना (हिन्दी) ८३ सुविधि दर्शन (गुजराती) ८४ सुविधिदर्शन (हिन्दी) ८५ आत्मसिद्धि शास्त्र पर प्रवचन ८६ प्रवचन सुधा (भाग-१) (गुजराती) ८७ प्रवचन सुधा (भाग-२) (गुजराती) ८८ प्रवचन सुधा (भाग-३) (गुजराती) ८९ प्रवचन सुधा (भाग-४) (गुजराती) ९० प्रवचन सुधा (भाग-५) (गुजराती) ९१ प्रवचन सुधा (भाग-६) (गुजराती)
१००० ३५०० १००० १००० १५०० २५०० १५०० २०००
३५००
७५०
१०००
१००० १००० १००० १९०० १२५० १४००
७५० १००० १०००
१०००
१०००
Page #448
--------------------------------------------------------------------------
________________
९२ प्रवचन सुधा (भाग-७) (गुजराती)
९३ प्रवचन सुधा (भाग-८) (गुजराती) ९४ प्रवचन सुधा (भाग-९) (गुजराती) ९५ प्रवचन सुधा ( भाग - १०) (गुजराती) ९६ प्रवचन सुधा ( भाग - ११) (गुजराती)
९७ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग - १ (गुजराती)
९८ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग - २ (गुजराती)
९९ द्रव्यसंग्रह प्रवचन (भाग-१) (गुजराती) १०० द्रव्यसंग्रह प्रवचन (भाग-२) (गुजराती) १०१ राज हृदय (भाग-१) (गुजराती) १०२ राज हृदय (भाग-२) (गुजराती) १०३ राज हृदय (भाग-३) (गुजराती) १०४ अध्यात्मसुधा (भाग - १) (गुजराती) १०५ अध्यात्मसुधा (भाग - २) (गुजराती) १०६ अध्यात्म सुधा (भाग-३) (गुजराती) १०७ अध्यात्म सुधा (भाग-४) (गुजराती)
१०८ अध्यात्म सुधा (भाग-५) (गुजराती)
१०९ गुरु गिरा गौरव (भाग-१) (गुजराती) (धारावाही प्रवचन )
११० गुरु गिरा गौरव (भाग-२) (गुजराती) (धारावाही प्रवचन )
१११ मुक्तिनो मार्ग (गुजराती)
११२ प्रवचन नवनीत ( भाग - १ ) (हिन्दी)
११३ प्रवचन नवनीत (भाग - २) (हिन्दी) ११४ प्रवचन नवनीत (भाग-३) (हिन्दी) ११५ प्रवचन नवनीत (भाग-४) (हिन्दी) ११६ धन्य आराधक (गुजराती) ११७ छः ढाला प्रवचन (गुजराती) (भाग - १)
११८ छः ढाला प्रवचन (गुजराती) (भाग-२) ११९ छः ढाला प्रवचन (गुजराती) (भाग-३) १२० जिन प्रतिमा जीनि सारखी
१२१ स्मरण संचिका
१२२ दंसण मूलो धम्मो
१२३ प्रवचन सुधा (भाग - १) हिन्दी )
१२४ प्रवचन सुधा (भाग-२) हिन्दी )
१२५ प्रवचन सुधा (भाग-३) हिन्दी )
१२६ प्रवचन सुधा (भाग-४) हिन्दी )
१२७ प्रवचन सुधा (भाग-५) हिन्दी )
७५०
७५०
७५०
७५०
७५०
१०००
१०००
१०००
१०००
१५००
१५००
७५०
१०००
१०००
१०००
७५०
७५०
१०००
७५०
१०००
१०००
१०००
१०००
१०००
७५०
१०००
१०००
१०००
५००
१५००
३५००
१०००
१०००
१०००
१०००
१०००
૪૩૧
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૨
१२८ प्रवचन सुधा (भाग - ६) हिन्दी ) १२७ धन्य पुरुषार्थी (गुजराती) १२८ धन्य पुरुषार्थी (हिन्दी)
१२९ छः ढाला प्रवचन (हिन्दी) (भाग - १)
१३० राज हृदय (भाग-४) (गुजराती) १३१ राज हृदय (भाग-५) (गुजराती) १३२ राज हृदय (भाग-६) (गुजराती) १३३ राज हृदय (भाग-७) (गुजराती) १३४ राज हृदय (भाग-८) (गुजराती)
१३५ राज हृदय (भाग-९) (गुजराती)
१३६ राज हृदय (भाग-१०) (गुजराती)
१३७ राज हृदय (भाग-११) (गुजराती)
१३८ राज हृदय (भाग-१२) (गुजराती) १३९ अध्यात्म सुधा (भाग - ६) (गुजराती)
१४० अध्यात्म सुधा (भाग-७) (गुजराती)
१०००
१५००
६५००
१०००
५००
५००
५००
१५०
१५०
१५०
१५०
१००
१००
१५०
१५०
Page #450
--------------------------------------------------------------------------
________________ કોઇ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. (પત્રાંક-પs૯) સિત સાત ટક ICIAPU જે ભાવનગ૨ 'વીતરાગ સત સાહિત્ય પ્રકાર ભાવનગર સ્ટ