Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURE & ARCHAEOLOGY સંપાદક ડૉ. ભારતીબહેન શેલત ૦ પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ ) વિ.સં. ૨૦૬0 વા અંક : ૭-૮-૯ એપ્રિલ-મે-જૂન - ૨૦૦૪ - The પાર્શ્વનાથ - ઉંદરા, તા. પાટણ, જિ. મહેસાણા PATHIK KARYALAY, Clo. B. J. Institute, Ashram Road, Ahmedabad-9 For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ. સં. ૨૦૬૦ આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ ટ્રસ્ટીમંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક અંક ઃ ૭-૮-૯ એપ્રિલ-મે-જૂન ૨૦૦૪ વર્ષ : ૪૪ અનુક્રમ Necessity of Understanding Tantra in its proper Perspective www.kobatirth.org Saswati Sen ડૉ. ભારતી શેલત ગુજરાતમાં પારસીઓની ધાર્મિક ઇમારતો અને શિલાલેખો ડૉ. આર. ટી. સાવલિયા માંડલ ઇતિહાસના ઓજસમાં ડૉ. હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં સંસ્કૃતનું મહત્ત્વ સ્વામી દયાનંદ સરસ્વતી : સમાજ પરિવર્તનના મશાલચી શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક પ્રતિબદ્ધ વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છનો ફાળો A Student's Tribute to late Dr. (Smt.) Maniben P. Kamerkar પારસી પ્રજાનો ઇતિહાસ : સંઘર્ષવિહીન સમન્વય Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાળા ૨૯ ૪ ૧૭ ૩૬ પ્રા. મનુભાઈ બી. શાહ ભરત‘કુમાર’ પ્રા. ઠાકર ૪૦ પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧ - છે Dr. Sudha Mehta ૪૮ પ્રા. ફાલ્ગુની પરીખ ૫૦ ડૉ. મહેશ એમ. ત્રિવેદી ૩૩ | જરૂરી છે. સૂચના પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. For Private and Personal Use Only પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો. પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o. ભો.જે.વિધાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Necessity of Understanding Tantra in its proper Perspective Saswati Sen* Introduction : It is very difficult to ascertain exactly when the Tantric cult crept in. The Tantra, which is very often termed as the non-Vedic, esoteric cult is a very complex, spiritual tradition of India and is very difficult to grasp by the non-initiated persons. Perhaps its complexity, uniqueness and non-resemblance with the Vedic philosophy are the base behind the misconceptions generated among the masses. Tantra is nothing but a system of rituals and is full of symbolism or magical characters. It is that system which utilizes Kundalini yoga. Tantra-sadhana is that method of yoga by which spiritual power can be achieved in this very human life. Many scholars opine that Tantra has borrowed the images and ideas from the Vedas and the Upanisads and has given them suitable shapes in the form of diagram or yantra. Tantra is a śāstra with a special set of doctrines and practices. Historical Background : The Vedic literature, the earliest known Indian literature was composed in a language which was never a spoken language of the masses. Therefore, the common people found it very difficult to understand the language and perceive the contents of these scriptures. Not only this, its rituals became very elaborate day by day and required rigorous discipline to perform the same. This performance also was not allowed to the low-caste people and women and was only restricted to a particular higher class of people. Gradually the general folk lost interest in the Vedic rites and the Hindu religion was at stake as far as its regular perforining rites were concerned. Therefore, a need was felt for an easier way of observing religious practices which could involve all class of people extending equal rites to both the sex. The Tantra came with a new concept of dehatattva contrary to the Upanişad's ātmatattva difficult to perceive by the common people, embraced all castes and creed leaving none to be untouchable. It became more popular to common man as it did not only forbade anybody from enjoying life but also did encourage them for the same declaring that this could also help to attain liberation. Misconcept about Tantra : Truly, speaking none other than the initiated persons or the gurus of the Tantra has understood it in its right perspective. The over-indulgence in ritualistic activities of Tantra to a certain extent have laid superstitions not only among people but also among the otherwise educated per-. sons. * Research Officer, Oriental Institute, M.S.University of Baroda, Vadodara. ulas Aulas – zhluc4-4-97, 2008 og For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The mysterious elements in the Tantra were not properly understood. Contrary to orthodox religion it allowed everybody including the lower-caste people and the women to participate in its rituals which being a protest against the Brahmanical religion was not accepted easily by orthodox people. Since Tantra was sadhana of dehatattva and stress the importance of the body of the being and again since human beings are very much prone to sexual intercourse and other enjoyable elements like eating flesh and fish, Tantra allows its sādhaka to enjoy all sensual pleasures. The most important thing of this part is that this attitude of Tantra was responsible for both its popularity as well as its degeneration leading to misunderstanding and contempt. Like the brāhmaṇas of the Vedic times the initiated persons of the Tantric religion preserved their system in a small circle and tried to popularize it without loosing their monopoly. Lastly, at one time the Tantric practitioners became more greedy to attain power. So they cared more for the practices than for the spiritual aspects of Tantra. They tried to influence people with the help of their powers. This created awe and misconception among the masses about Tantra which, in course of time, was misunderstood as the root of mischievious deeds. Proper Concept : Tantra contains highly philosophical matters. Sri Aurobindo thinks Tantra as "a part of the bequest of the ancient wisdom of the Veda." It is a practice of Inner Culture of an individual. The occultism of Tantra helps a sādhaka to communicate with the god. As stated earlier that Tantra is the sādhana of Kulakundalini yoga. The Kulakundalini is perceived as a serpent which is also conceived as the female energy (sakti) lying in the mulādhāra cakra of the being. This dormant energy is awakened by the sādhaka with yogic exercises and is made to travel through five cakras to the sahasrāra. This method is called "the expansion of consciousness and hightening of realization." These cakras are actually different planes of the being and the Tantra locates these as the points of concentration. The Sakti or the potential power meets the Divine Lord or Siva in the crown of the head (sahasrāra) and the sādhaka attains salvation. The Tantric worshipper identifies himself with the deity worshipped by him i.e. the sadhaka when attains salvation becomes Siva. The most important feature of Tantra is that its purpose is not liberation alone. Tantra includes enjoyment of life in this earthly manifestation of the Divine. Therefore, Tantra includes both enjoyment (bhukti) and liberation (mukti) in this world. The Tantra regards human body as the best means of getting liberation. Our body contains such a power that if it can be used properly by the sādhaka, the sādhaka can reach his goal easily. In Tantra the body has been considered as a representative of the Universe. The great goddess is present in the cosmos as the conscious Energy and the same goddess is present in the body as the Kundalini sakti. In order to raise the sakti As sulas – 1b4-7-264, 200% O ? For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પથિક ત્રૈમાસિક (or the power) in man the sadhaka has to open the nervous centers and the passages through which sakti unites with Siva as the Supreme consiciousness descends in the body. All these can be possible when the Sadhaka completely surrender himself to the bliss and love of the divine Mother or the Mother goddess. Tantra, therefore, is not in favour of oppressing the body with ascetism and so on. Tantra admits that the sensation and emotion are very powerful source of energy in man which should never be oppressed and misused, rather it should be channelised properly to enable the body to get merged with the cosmos. Conclusion : It has been seen that Tantra is nothing but a separate and a special religious method with the practice of which one can attain his goal in this life only. Tantra does not solely believe in ascetism or oppressing the body as it realizes that the body is the best means or the media for getting one's aim of life. The misconceptions regarding Tantra have been created by two types of people-one, the initiated into Tantra, who wants to keep this science within himself or within his group and the second, who does undesirable deeds with the help of the power acquired by the practice of Tantra. The ignorance about the subject resulting into the awe among the masses have aggravated the wrong impression about Tantra and this exists even today. A time has come when the initiated persons should come forward and write more books in modern languages on the subject in a very easier way and also help the masses towards this system of emancipation. Perhaps, this process will remove all misconceptions and Tantra can be understood in its proper perspective which is need of the hour. Acharya Shri Kailassagarsuri Gyanmandir sle ste sle એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ = ૩ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં પારસીઓની ધાર્મિક ઇમારતો અને શિલાલેખો વેદકાળમાં હિંદુ ધર્મની જેમ જરથોસ્તી ધર્મમાં પણ અગ્નિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જરથોસ્તી લોકો સૂર્યને-ખોરદાદને તેમજ અગ્નિને પ્રકાશમય પરમાત્માનું પ્રતીક માને છે. ‘પ્રકાશ પ્રજ્વલિત રાખો' એ જરથોસ્તી ધર્મનું મહત્ત્વનું સૂત્ર છે. અષોઈ-પવિત્રતા એ એક શબ્દમાં જરથોસ્તી ધર્મનો સર્વસાર સમાઈ જાય છે, અનુ-મૈત્રકકાલ (ઈ.સ. ૭૮૮-૯૨૨) દરમ્યાન સંજાણમાં સ્થિર થયેલા જરથોસ્તીઓએ સમય જતાં ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. દસ્તૂરોએ સંજાણમાં આતશ બહેરામની સ્થાપના કરી હતી, ત્રણસો વર્ષ પછી ત્યાંથી કેટલાક જરથોસ્તીઓ દેશનાં બીજા શહેરોમાં જઈ વસ્યા. એમાં નવસારી, વાંકાનેર, ભરૂચ, વરિયાવ, અંકલેશ્વર અને ખંભાત વગેરે સ્થળો ગણાવી શકાય. આ સમગ્ર સ્થળાંતર અને વસવાટની પ્રક્રિયા ૧૦મી સદીથી લઈ ૧૪મી સદી દરમ્યાન થયેલી જણાય છે. ડૉ. ભારતી શેલત* ડૉ. આર. ટી. સાવલિયા+ મુઘલકાલ (ઈ.સ. ૧૫૭૩)માં સુરતમાં નવસારીના પ્રથમ દસ્તૂર મહેરજી રાણાએ અકબર સાથે મુલાકાત કરી હતી. સંજાણથી આવેલા મોબેદો અને નવસારીમાં વસતા અસલ મોબેદો વચ્ચે ઈ.સ. ૧૫૧૬ થી આવકની વહેંચણીના ભાગ અંગે વિખવાદ શરૂ થયો હતો. છેવટે સંજાણા મોબેદો આતશ બહેરામને નવસારીથી ઈ.સ. ૧૭૪૧માં વલસાડ લઈ ગયા. પરંતુ રાજકીય ઉથલપાથલને કારણે ત્યાંથી સંજાણા મોબેદો નદી ઓળંગીને ઈ.સ. ૧૭૪૨ ના ઑકટોબર માસની ૨૮મી તારીખે આ પવિત્ર આતશને ઉદવાડા લઈ ગયા, ઇરાનથી લાવેલા પવિત્ર આતશને લગભગ ૨૫૦ વર્ષથી પારસીઓએ ઉદવાડામાં જતનપૂર્વક આદરથી જાળવી રાખેલ છે. ઉદવાડા પારસીઓ માટે સૌથી અગત્યનું તીર્થધામ બન્યું છે. મુઘલકાલમાં પારસીઓ નવસારી, વલસાડ, સુરત, ઉમરગામ, ભરૂચ, અંકલેશ્વર, ખંભાત, સોનગઢ, નવાપરા, વ્યારા, વસઈ, અમદાવાદ, મુંબઈ, થાણા, પુણે વગેરે સ્થળોએ વસતા હતા અને પોતાનો ધર્મ પાળતા હતા. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજો અને પારસીઓ વચ્ચે ઘનિષ્ઠ વેપારી સંબંધ બંધાયા હતા. આ સમયમાં મુંબઈ અને થાણામાં અનેક દાખમાં, દેવળો અને ધર્મશાળાઓ બંધાવવામાં આવ્યાં. બહુ લાંબા સમયથી જરથોસ્તીઓએ ગુજરાતમાં આવીને વસવાટ કર્યો હોવાથી એમના ધાર્મિક ઉત્સવો રીત-રિવાજો અને રહેણીકરણી ઉપર ગુજરાતના સંસ્કારોની છાયા જોવા મળે છે. * નિયામક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯ + અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯ બ્રિટિશકાલ દરમ્યાન ભારત અને ગુજરાતમાં ધણા સ્થળોએ અગિયારીઓ-ધાર્મિક ઇમારતો બાંધવામાં આવી હતી. સુરતમાં બે અગિયારી (આતશ બહેરામ) ૧૮૨૩ માં બંધાઈ. ખંભાતમાં ઈ.સ. ૧૮૪૪ માં એક અગિયારી બંધાઈ હતી. અમદાવાદમાં ખમાસા ચોકી પાસેના બુખારા મહોલ્લામાં ૧૮૪૬ માં એક દાદગાહ બંધાઈ. જે ઈ.સ. ૧૮૮૪ માં આદરિયાનમાં વિકાસ પામી. આ ઉપરાંત અમદાવાદમાં પારસી ધર્મશાળાઓ પણ બંધાઈ હતી, જેમાંની જૂની ધર્મશાળા ઈ.સ. ૧૮૬૬ માં બંધાઈને તેનું નવીનીકરણ ૧૮૯૨ માં કરવામાં આવ્યું. પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ m ૪ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જામનગરમાં ઈ.સ. ૧૮૯૫ માં અગિયારીની સ્થાપના થઈ.પ ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૬૦ દરમ્યાન નામાંકિત પારસી ગૃહસ્થોના દાનથી ગુજરાતમાં જુદાં જુદાં સ્થળોએ અગિયારીઓની રચના કરવામાં આવી છે. અગ્નિમંદિર એટલે અગિયારી, પારસીઓનું પૂજ્ય મંદિર. પારસીઓ આતશને ખુદાનું પ્રત્યક્ષ સ્વરૂપ માની અગ્નિમંદિરને ખુદાનો મુકામ ગણે છે. તેમાં હમદીનો (અરજદારો) પોતાના એ પરવરદિગાર સમક્ષ દિલ ખોલી ભક્તિ બતાવી દિલાસો મેળવે છે. તેને શ્રદ્ધા છે કે 'દાદારના દીકરા' તરીકે પવિત્ર આતશનો કેબલો અનેકની આરઝુ ઝીલ્યા બાદ તે આશિષ આપે છે ને તેથી અનેક જંજાળો અને સંકટો હળવાં બને છે. આવા કેબલા સમક્ષ ઉમંગથી હાજર થવું પડે, તેના પ્રત્યે ગંભીર માન રખાય, અને ત્યાંના ખુરેહ (પવિત્ર વાતાવરણ)માં સ્નાન કર્યા પછી ‘અરજદાર'ને એમ લાગે કે તે ખુદાના દરબારમાં જઈ આવ્યો. તે પછીની રોજિંદી વર્તણૂકમાં તેની અસર નભે. આ માટે અગ્નિમંદિરો જ્યાં પારસી વસ્તી હોય ત્યાં કરવામાં આવ્યાં. દરેક જરથોસ્તીના ઘરમાં આતશને વિધિપૂર્વક જાળવવામાં આવતો. એ ‘આતશે દાદગાહ’ કહેવાતો. સમય જતાં જાહેર મકાનમાં કોઈ ધર્મગુરુની દોરવણી હેઠળ આ આતશ જાહેર દાદગાહમાં સ્થાપિત થતો. ‘આતશે દાદગાહ’ ત્રીજા દરજ્જાનો આતશ ગણાતો, બીજા દરજ્જાના ચડિયાતા આતશ વજીર કક્ષાના ગણાય છે અને ‘એને આતશે આદરાન' કહેવાય છે. ચાર દિવસની પૂરતી કાળજી સાથેની ક્રિયાવિધિ પછી એમની સ્થાપના કરાય છે. ધર્મગુરુઓ વિધિપૂર્વક એમનું સન્માન સાચવે છે. સર્વશ્રી શ્રેષ્ઠ દરજ્જાના શાહ કક્ષાના ‘આતશબહેરામ’ ગણાય છે. સોળ આતશો ભેગા કરી તેની સંપૂર્ણ પવિત્રતા સાથે વિધિપૂર્વક ગાળણક્રિયા કરી મોટી ક્રિયાવિધિ બાદ એમની સ્થાપના કરાય છે. જરથોસ્તી ધર્મની નીરંગદીન, વંદીદાદ, ઇજસ્ને જેવી પાવમહેલની યોગક્રિયાઓ માત્ર આવાં આતશકદેહમાં જ હોય છે. આ ક્રિયા સાચવનાર ધર્મગુરુ ‘યોજદાર્થગર’ કહેવાય છે, જેઓ નવ દિવસ સંસારની પ્રવૃત્તિઓમાંથી અલિપ્ત રહી ત્યાગીજીવન ગાળે છે, જેને ‘બરસ્તુમ‘ કહે છે. એવા ધર્મગુરુ મોબેદને આતશે બહેરામની ખિદમત કરવાનો અધિકાર રહે છે. આવા બે ત્રણ મોબેદ પોતાના સોંપેલા વારા મુજબ સેવામાં હાજર રહે છે તેથી તેઓ તેને ‘વારોદાર’ કહે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. (૧) સુરતનું એક કદમીપંથનું શેઠ પેસ્તનજી વકીલ આતશ બહેરામ (૨) ત્યાંનું ડી.એન. મોદી સાહેબનું શહેનશાહી પંથનું આતશ બહેરામ (૩) નવસારીમાં ભગરસાથ અનજુમનનું આતશ બહેરામ. મુંબઈમાં ચાર આતશ બહેરામ છે : (૪) વાડિયાજીનું (૫) બનાજીનું, (૬) દાદી શેઠનું, (૭) અનજુમનનું અને (૮) ઉદવાડાનું સર્વશ્રેષ્ઠ અસલ ‘આતશે-ફિરોઝગર’ ધરાવતું આતશ બહેરામ. છેલ્લા પાંચ-સાત દાયકા દરમ્યાન કેટલીક નવી પારસી અગિયારીઓ (અગ્નિમંદિર) બંધાઈ, કેટલીક અગિયારીઓનો ‘આતશે દાદગાહ’માંથી ‘આતશે આદરાન' નામે જાહેર સ્વરૂપની અગિયારીમાં વિકાસ થયો. અમદાવાદમાંની કાંકરિયાની પારસી કૉલોની નજીકની શેઠ અરદેશર ડોસાભાઈ વાડિયાજીએ ૧૯૨૫ માં બંધાવેલી અગિયારી ‘વાડિયાજી આદરાન' અને શહેરમાં ખમાસા-ગેટ પાસે આવેલી સને ૧૯૩૩ની સાલની ‘વકીલ અનજુમન આદરાન' ઉલ્લેખનીય છે. કાંકરિયા પાસેની અગિયારીમાંના યદગર્દી સન્ ૧૨૯૪(ઈ.સ. ૧૯૨૫)ના તકતી લેખમાંથી જણાય છે કે આ આતશે આદરાન શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ, શેઠ શાપુરજી ધનજીભાઈ મીસ્તરી તથા શેઠ રૂસ્તમજી એદલજી લાહેરના પત્ની શીરીનબાઈ તરફથી મળેલા દાનમાંથી રૂ. ૩૦,૦૦૦ ના ખર્ચે બંધાઈ હતી. ખમાસા ગેટવાળી અગિયારીમાંનો યદગર્દી સન ૧૩૦૨ (ઈ.સ. ૧૯૩૩)નો તક્તીલેખ જણાવે છે કે પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩ ૫ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરહૂમ સર નવરોજી પેસ્તનજી વકીલ તથા ખાન બહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે એ દાદગાહનું જે મકાન બંધાવી અંજુમનને સોપેલું, તેમાં સર નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓએ લગભગ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી મરહૂમ પિતા તથા કાકાના પુણ્ય અર્થે એમાં આદરાન સાહેબ પરઠાવી આપી એ અંજુમનને સુપરત કર્યું હતું. આંતરિક રચના પરત્વે બધી અગિયારીઓ લગભગ સમાન હોય છે. આથી અહીં દષ્ટાંતરૂપે આ ખમાસા ગેટવાળી ‘વકીલ આદરાન’નું સ્થાપત્યકીય સ્વરૂપ અવલોકીએ (આ. ૧). આ અગિયારી ખમાસા ગેટની ઉત્તરે બુખારી મહોલ્લે જવાના રસ્તે ડૉ. ધનજીશાહ એદલજી અંકલેસર્યા મેમોરિયલ હૉલને અડીને પશ્ચિમાભિમુખે આવેલી છે. મૂળમાં આ અગિયારી શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ “આતશે દાદગાહ” સ્વરૂપે બંધાવેલી (સને ૧૮૭૭). તેનો ૧૮૮૪ માં શેઠ નવરોજજી વકીલ અને જહાંગીર વકીલે “આતશે દાદગાહમાં વિસ્તાર કર્યો અને એક પરિવાર તરફથી ૧૯૩૩ માં એમાં બધી સુવિધાઓ ઉમેરાતાં તેનું અદ્યતન સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આ “વકીલ અનજુમન આદરાન’ વિશાળ ચોગાનવાળી, માળ વિનાની, બેઠી બાંધણીની છાપરાયુક્ત ઇમારત છે. અગિયારીની મુખ્ય ઇમારત ચોગાનની મધ્યમાં છે, જ્યારે ચોગાનની ઉત્તરે બે મજલાવાળું મકાન છે, જેમાં ભોંયતળિયે અમદાવાદ પારસી પંચાયતનું કાર્યાલય કામ કરે છે અને ઉપલો મજલો મોબેદસાહેબોના ઉપયોગ માટે છે. ચોગાનના દક્ષિણ છેડે ડો. અંકલેસર્યા મેમોરિયલ હોલમાં જવાનો દરવાજો છે. અગિયારીના મકાનના મહોરા પર મધ્ય ભાગમાં આરસની તકતી પર મઢેલાં ચળકતી ધાતુનાં આફ્રિનગાના (અગ્નિપાત્ર), ફરોહર (આત્માનું પક્ષી સ્વરૂપનું પ્રતીક) તેમજ સૂર્ય અને તારાનાં ધર્મ નિશાનો ધ્યાન ખેંચે છે. પગથિયાં ચડતાં વરંડામાં પ્રવેશાય છે. જેની ડાબી ભીંતે દાતાઓની તકતીઓ અને અગિયારીને લગતા શિલાલેખો છે. વરંડામાં બેસવા માટેના બાજઠ (બાંકડા) રાખેલા છે. આદરાનમાં પ્રવેશ કરતાં એક વિશાળ પ્રાર્થનાખંડ આવે છે:” આ મુખ્ય પ્રાર્થના ખંડનો પ્રયોગ પ્રાર્થના ઉપરાંત બેસણું અને સભાને માટે પણ થાય છે. આ પ્રાર્થના ખંડના ઉત્તર છેડે ઉર્વીસગાહ નામે ઓળખાતો ક્રિયાકામો માટેનો ઓરડો આવેલો છે, જેમાં ૧૦૩ વર્ષ પસાર કરી ચૂકેલા પાક આતશે દાદગાહ (નાણાવટીવાળા મૂળ આતશે દાદગાહ) રોશન રાખેલ છે. પ્રાર્થના ખંડના દક્ષિણ છેડે ગુંબજ સાથેનો મુખ્ય કેબલો (મુખ્ય અગ્નિખંડ) છે, જ્યાં લગભગ દોઢ મીટર ઊંચા ‘તખત” ઉપર મોટા જર્મન 'સીલ્વરના “આફ્રિનગાન્યા’ ઉપર પાક આતશે આદરાન પાંચે પહોર સત્કાર પામે છે ત્યારે ઘંટનાદોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. કેબલામાં મોબેદ કે દસ્તૂર સાહેબો સિવાય કોઈ પ્રવેશી શકતું નથી. (આ. ૨). મજકૂર પ્રાર્થનાખંડમાં ઉર્વીસગાહની દક્ષિણે બહાર જસનગાહ (મરણોત્તર ક્રિયાઓ) માટેની જગા તેમજ યજ્ઞસ્થળ છે. મુખ્ય કેબલાની સમીપ પૂર્વ ભાગમાં કરેલી પરસાળનો મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગ થાય છે, જયાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. આદરાન સાહેબના કેબલાના મુખ્ય દ્વાર બહાર એક નાનો ખાસ પ્રાર્થનાખંડ છે જયાં ભાવિક હમદીનો આદરાન સાહેબના દ્વારે પોતાનાં અરમાનોનો ઊભરો ઠાલવે છે, નમસ્કાર કરે છે, અહેસાનની લાગણી જાહેર કરે છે અને એ માટે માચી (ચંદન ટુકડો) અર્પણ કરે છે. અને રખ્યા(ભસ્મ)ની પ્રસાદી મેળવે છે. પ્રાર્થનાખંડની પૂર્વે બહારના વાડામાં પાણીથી તનની શુદ્ધિ અને મંત્રોચ્ચાર દ્વારા મનની શુદ્ધિ કરવા અંગે કુતીગાહની જગ્યા છે જ્યાં કૂવો, પાળ સાથેની હવાડી અને કુશ્તી કરવા માટેની સગવડ છે. એ વાડાના ઉત્તર છેડે રસોડું અને દક્ષિણ છેડે કાઠીભંડાર છે. રસોડા તરફ જતાં ઉર્વીસગાહની પૂર્વે તખત સાથેનો અલાયદો ખંડ રાખેલ છે, જે મુખ્ય કેબલાની મરામત કરાવવી હોય ત્યારે આદરાન સાહેબને થોડા સમય માટે અત્રે બિરાજમાન કરવા વપરાય છે. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૬ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણા રિવાજ મુજબ હમદીનો ખુદા સાથે એકતાન થઈ શકે, આદરાન સાહેબ સાથે દિલ લગાડી શકે, કોઈ શોભા સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગ્નિમંદિરમાં સાદાઈ રખાય છે. અલબત્ત, પારસી કોમમાં થયેલ પ્રેરણાદાયી વ્યક્તિઓની છબીઓ પ્રાર્થનાખંડમાં ટાંગવામાં આવે છે. આ અગિયારીમાં પયગંબર અષો જરથુષ્ટ્ર, દાદાભાઈ નવરોજી, સ૨ ફીરોઝશાહ મહેતા, દાતા જહાંગીર વકીલ, પેસ્તનજી વકીલ તેમજ રૂસ્તમ વકીલ અને બાઈજી દીનબાઈ લાલકાકાની મોટા કદની રંગીન છબીઓ છે. આ કાલ દરમિયાન પારસીઓના દખમા(શનિકાલ-સ્થાન)માં કેટલાક નવા શાંતિમિનાર (શનિકાલઇમારત) ઉમેરાયા. દખમાનો હૅન એકસરખો હોય છે. આ દખમાની સ્થાપત્યકીય રચના નોંધપાત્ર છે (જુઓ આ. ૩). એ ટોચે ખુલ્લું હોય છે. એમાં પથ્થરની બનાવેલી ચૂનાથી ધોળેલી વૃત્તાકાર લગભગ ૬ મી. થી ૯ મી. જેટલી ઊંચી દીવાલો હોય છે. મોટા દુખમાનો વ્યાસ ૨૭ મીટર હોય છે. અંદરના ભાગમાં ૯૦ મીટર પરિઘવાળી ગોળ પીઠિકા પથ્થરની લાદીથી આવૃત્ત હોય છે. વચલો ભાગ પોલો હોય છે. એને ફરતી ત્રણ વૃત્તાકાર ‘પાવી’ઓ-ઓટલીઓની હરોળો હોય છે. દીવાલ પાસેની મોટી હરોળમાં સહુથી મોટા કદની ‘પાવી’ પુરુષો માટે, વચલી હરોળમાં વચલા કદની પાવીઓ સ્ત્રીઓ માટે અને અંદરની નાની હરોળમાં નાના કદની પાવીઓ બાળકો માટે હોય છે. પાવીઓમાંથી નીક કાઢેલી હોય છે તેમાં થઈને શબમાંથી વહેતું બધું પ્રવાહી ને વરસાદનું પાણી વચલા ઊંડા ભંડાર(ખાડા)માં વહી જાય છે. એનું તળિયું પથ્થરની લાદીઓથી ફરસ કરેલું હોય છે. શબમાંથી ગીધો પૂરું માંસ આરોગી જાય ત્યાર બાદ હાડપિંજરનાં હાડકાંને અનુકૂળતાએ આ ખાડામાં નાખી દેવામાં આવે છે. ખાડામાંથી ચાર નીકો ‘ભંડાર'ની અંદરની ગોળ દીવાલથી માંડીને બહારની મોટી ગોળ દીવાલની બહાર ચાર ખૂણે કાઢી હોય છે. દરેક છેડે એકેક નાનો કૂવો હોય છે. નીકના મોંએ કોલસાને રેતિયા પથ્થર મૂકીને જમીનમાં વહી જનાર પ્રવાહીને શુદ્ધ કરવામાં આવે છે જેથી માતા ધરતી દૂષિત ન થાય. આ કૂવાઓનાં તળિયાં પ્રવાહી અંદર ઊતરી જાય તેવાં હોય છે. તેને ૧.૫ મી- ૨.૧ ની ઊંચાઈ સાથે રેતીથી ઢાંક્યાં હોય છે, એક છેડે ભંડાર સુધી જવાનો ફૂટપાથ હોય છે. શબને ગીધોનું ભક્ષ્ય બનાવવાનો રિવાજ ક્રાંતિકારી લાગે, પરંતુ લાંબા સમયથી પ્રચલિત છે. આમ તો દફન વગેરે કરતાં અગ્નિદાહનો રિવાજ ઉત્તમ ગણાય છે, પરંતુ જરથોસ્તી ધર્મ અનુસાર શબ જેવા અશુદ્ધ પદાર્થ વડે અગ્નિદેવને દૂષિત કરવામાં પાપ છે. તેમને મતે પૃથ્વી, અગ્નિ અને જળને દૂષિત ન કરી શકાય. આથી હાડપિંજરોને ધોતું વરસાદનું પાણી પણ નીક્રોમાં થઈને શુદ્ધ કરતાં રેતી-કાંકરાના ભંડારમાં જાય છે. અમદાવાદની અગિયારીઓના શિલાલેખ : અમદાવાદમાં પારસીઓની વસ્તી ૧૯ મી સદીથી નોંધપાત્ર બની છે. અહીં પહેલું દખમું ઈ.સ. ૧૮૪૩માં ખુલ્લું મુકાયું હતું અને પહેલી અગિયારી ૧૮૪૬માં થઈ હતી. હાલ અમદાવાદમાં પારસીઓની બે અગિયારીઓ આવેલી છે - એક ખમાસા ચોકી પાસે બુખારા મહોલ્લામાં અને બીજી કાંકરિયા તળાવની ઉત્તરે. હાલ બંને અગિયારી આદરિયાન પ્રકારની છે. બંનેમાં શિલાલેખ કોતરેલી તકતીઓ મૂકેલી છે. એ પરથી એ અગિયારીઓના બાંધકામ વિશે વિગતવાર માહિતી મળે છે. અહીં એ અગિયારીઓના ટ્રસ્ટીઓના સૌજન્યની નોંધ લઈ એના શિલાલેખ સંપાદિત કરવામાં આવે છે. બુખારા મહોલ્લાની દાદગાહનો શિલાલેખ, ય.સં. ૧૨૫૩, ઈ.સ. ૧૯૯૪ અમદાવાદમાં ખમાસા ચોકી પાસે આવેલા બુખારા મહોલ્લામાં આવેલી પારસી અગિયારીના વરંડાની પથિક ત્રૈમાસિક ~ એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૭ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર દીવાલમાં ઉપલા ભાગમાં બે તક્તીઓ લગાવેલી છે. તેમાંની નીચલી તકતીમાં આ લેખ કોતરેલો છે. તકતી ૯૧ સે.મી. લાંબી અને પ૩ સે.મી. ઊંચી છે. લેખ કુલ ૧૪ પંક્તિઓનો છે, જેમાંની પહેલી આશીર્વાદાત્મક પંક્તિ ટૂંકી હોઈ વચ્ચે કોતરેલી છે; લેખ ગુજરાતી ભાષામાં લખેલો અને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. જોડણી તથા વ્યાકરણની બાબતમાં એ સમયે ઘણી અનિયમિતતા પ્રવર્તતી હતી. મંગલાચરણના આશીર્વાદાત્મક વાક્યમાં જરથોસ્તી ધર્મના મુખ્ય દેવ હોરમજુદ (અહુર મઝુદીનું સ્મરણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ પરથી જાણવા મળે છે કે આ આતશ દાદગાહ જે જગા ઉપર અગાઉ શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ દાદગાહ બાંધી હતી ને પછીથી જે જગા તેમણે પારસી પંચાયતને બક્ષિસ આપેલી તે જ જગા ઉપર બંધાવામાં આવી છે. આ દાદગાહ શેઠ નવરોજી પેશતનજી વકીલ તથા જહાંગીરજી પશતનજી વકીલે પોતાના મરહૂમ પિતા શેઠ પેશતનજી ફરામજી વકીલ તથા માતા બચુબાઈના પુણ્ય માટે પારસી પંચાયતની એ જગા ઉપર યઝુદગરદી સન ૧૨૫૩, ઈ.સ. ૧૮૮૪, વિ.સં. ૧૯૪૦ માં બંધાવી હતી. દાદગાહની સાથે તેની પાસેની ચેહેલી (ચાલી) તથા તેને લગતાં મકાનોનો તથા તે બધાંને ફરતી દીવાલનો સમાવેશ થતો. ચેહેલી તથા તેના તાબાનાં મકાન જે જગા પર બંધાવ્યાં તે જગા શેઠ કાવસજી મંચરજી કારંજવાલાએ પોતાના પિતા મરહમ શેઠ મંચરજી સોરાબજીના પુણ્ય માટે પારસી પંચાયતને ભેટ આપી હતી. એ સર્વ મકાનો બાંધતાં કુલ રૂ. ૨૦,૯૭૫ નું ખર્ચ થયેલું. ઇરાનથી આવેલા જરથોસ્તી પારસીઓ ત્યાંના સાસાની વંશના છેલ્લા પાદશાહ યઝદગર્દના રાજારોહણ (ઈ.સ. ૬૩૦)થી શરૂ કરાયેલો સંવત વાપરે છે. એના વર્ષ સૌર છે ને માસ બાર છે. પરંતુ આગળ જતાં એમાં બે પદ્ધતિ પ્રચલિત થઈ – શહેનશાહી ને કદમી. જરથોસ્તી વર્ષ ૩૬૫ દિવસનું હોય છે. આથી એમાં દર ૧૨૦ વર્ષે એક કબીસી (અધિક માસ) ઉમેરવામાં આવે છે. ઈ.સ. ૧૭૬૦ માં હિંદમાં પારસીઓને માલુમ પડ્યું કે કોઈ સરતચૂકથી અહીંનું જરથોસ્તી વર્ષ ઈરાનના કરતાં એક મહિનો મોડું શરૂ થાય છે. આથી કેટલાક વર્ષ એક મહિનો વહેલું શરૂ કરવાનું નવું સુધારક કદમ ભર્યું, તે “કદમી' કહેવાયા, ને જે ચાલુ રૂઢિને વળગી રહ્યા તે શહેનશાહી' કહેવાયા. ગુજરાતના જરથોસ્તીઓ મોટે ભાગે શહેનશાહી વર્ષની પદ્ધતિ અનુસરે છે. આ દાદગાહ ઈ.સ. ૧૮૮૪ ના એપ્રિલની ૧૧ મીએ ખુલ્લી મુકાઈ; જયારે વિ.સં. ૧૯૪૦ ના ચૈત્ર વદ ૧ ને શુક્રવાર હતો. શહેનશાહી પદ્ધતિ પ્રમાણે એ દિવસે યદગર્દી સન ૧૨૫૩ના ૭મા મહિના મહેરનો ૨૬ મી રોજ અને કદમી પદ્ધતિ પ્રમાણે ૮ મા મહિના આવાનો ર૬ મો રોજ ચાલતો હતો. દાદગાહ, ચેહેલી અને એને લગતાં મકાનો બંધાવનારાએ એ બધાં મકાન અમદાવાદની જરથોસ્તી અંજુમનને પારસીઓના ધર્મનાં કામો માટે અર્પણ કર્યા હતાં. આ લેખમાં જે ત્રણ પારસી કુટુંબોનો ઉલ્લેખ છે તે ત્રણેય કુટુંબોમાં વડા – ખરશેદજી બહેરામજી નાણાવટી, મંચેરજી સોરાબજી કારંજવાલા અને પેસ્તનજી ફરામજી વકીલ અમદાવાદની પારસી અંજુમનના અગ્રણી હતા ને અહીંની પારસી પંચાયતના પ્રથમ ટ્રસ્ટીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ અહીં દાદગાહ ૬ કી ઑગસ્ટ, ૧૮૪૬ ના રોજ ખુલ્લી મૂકી હતી. આ દાદગાહ ૧૮ મી જુલાઈ, ૧૮૭૭ ના રોજ પારસી પંચાયતને સુપરત કરવામાં આવી. શેઠ મંચરજી સોરાબજી કારંજવાલાએ અમદાવાદમાં દખમું કરાવવામાં અગ્રિમ ભાગ ભજવેલો. એમના પુત્ર કાવસજી મંચરજી કારંજવાલા ૧૮૭૯ થી ૧૮૮૭ સુધી પારસી પંચાયતના સેક્રેટરી હતા. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૮ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ પેસ્તનજી ફરામજી વકીલના કુટુંબે પંચાયતની સેવા ચાર પેઢી લગી કરી છે. શેઠ પેસ્તનજી વકીલનો જન્મ ૧૭૯૬માં થયેલો. તેઓ સુરતના વતની હતા. ત્યાંથી તેઓ ૧૮૧૪ માં અમદાવાદ આવી વસ્યા. ૧૮૧૯ માં ખેડા જઈ શેઠ રતનજી કેન્ટીનવાલાની દુકાને રહેલા, ને ત્યાંથી ૧૮૨૬ માં અમદાવાદ પાછા ફરી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. અહીં એમણે મોટી દુકાન ખોલીને સર્વ તરેહના સરકારી ઈજારા લેવા માંડ્યાં. ખંત, બાહોશી અને સાહસિકપણાથી આગળ વધી તેઓ અમદાવાદની પારસી અંજુમનના આગેવાન બન્યા. તેઓ ૧૮૭૦ માં મૃત્યુ પામ્યા. એમના નામનું ચેરિટી ફંડ છે. એમને ચાર પુત્ર હતા. ફરામજી, નસરવાનજી, નવરોજી, અને જહાંગીરજી. એમાંના એમના પુત્ર નવરોજી તથા જહાંગીરજીએ ૧૮૮૪ માં આ દાદગાહ બંધાવી છે. શેઠ નવરોજીનો જન્મ સુરતમાં ૧૮૪૦ માં થયો હતો. તેઓ નાનપણમાં પિતાની સાથે અમદાવાદ આવી વસ્યા. સોટીનો માર સહન ન થતાં હાઈસ્કૂલનું શિક્ષણ અધવચ છોડી દઈ તેઓએ માસિક રૂ. ૨)ના પગારે નોકરી શરૂ કરી, પણ આગળ જતાં ધંધામાં ઘણા આગળ વધ્યા. એમાં બી.બી.સી. આઈ રેલવેની લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ, સૉલ્ટ એજન્સી, મેગ્નેશિયા વર્કસ અને કૉલ એન્ડ આયર્ન કંપનીના હજી મીઠાના ઉત્પાદન તથા વિતરણની સુંદર કામગીરી બજાવે છે. તેઓએ લાખો રૂપિયાનાં દાન કર્યાં છે. સર નવરોજી વકીલ આંખની હૉસ્પિટલ પારસી વૉર્ડ, મેટરનિટી વૉર્ડ, પારસી મૅટરનિટી વૉર્ડ, નવરોજી ડિસ્પેન્સરી, ગુજરાતી નર્સિંગ તાલીમ ફંડ, અંધશાળા અને બહેરા મૂંગા શાળાને દાન, ગરીબ પારસી વિદ્યાર્થી ફંડ, જિમખાનું, નવરોજી હોલ વગેરે એમનાં નોંધપાત્ર પ્રદાન છે. તેઓની દાનવીરતાની કદર રૂપે અંગ્રેજ સરકારે એમને ખાન બહાદુર, સર (નાઈટ), સી.આઈ.ઈ. વગેરે ઇલકાબ એનાયત કર્યા હતા. શેઠ નવરોજીની દીકરીઓ તથા જમાઈઓએ પણ અહીંના પારસી સમાજની ઠીક સેવા કરી છે. નવરોજી વકીલે પત્ની બચુબાઈના પુણ્ય માટે ૧૮૯૩માં પારસી ધર્મશાળા બંધાવી છે, તેમજ તેમના નિભાવ માટે પણ ફંડ આપેલું છે. શેઠ નવરોજી ૧૯૦૨ થી પોતાના મરણ (૧૯૨૬) પર્યંત પારસી પંચાયતના ટ્રસ્ટી અને પ્રેસિડન્ટ હતા. તેઓની યાદગીરીમાં તેમના દૌહિત્ર બહેરામજી લાલકાકાએ ૧૯૫૭માં તેમના નામનું પારસી સેનેરિયમ બંધાવેલું છે. એમના નામની મેટરનીટી હૉસ્પિટલ અને જનરલ હૉસ્પિટલ કરી હતી, જેને આગળ જતાં સિવિલ હૉસ્પિટલમાં પારસી વૉર્ડ તરીકે ખસેડી છે. એમના કુટુંબીજનો તરફથી દાદગાહ નિભાવ ફંડ થયેલું છે. ખા.બ. જહાંગીરજી શેઠ પેસ્તનજીના ચોથા પુત્ર હતા. તેઓ પોતાના મોટાભાઈ સર નવરોજી સાથેના વ્યવસાયોમાં જોડાયેલા હતા. તેઓએ ૧૮૮૭ થી પારસી પંચાયતના સેક્રેટરી તરીકે સક્રિય સેવા બજાવી હતી. ૧૮૯૫માં સરકારે એમને ખાનબહાદુરનો ખિત્તાબ બઢ્યો હતો. ગુજરાત કૉલેજ બૉર્ડના સભાસદ હતા, હેમાભાઈ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ હતા ને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ હતા. તેઓ ૧૯૦૧ માં મૃત્યુ પામ્યા. શિલાલેખનો પાઠ ૧. પાક દાદર હોરમજદની મદદ હોતો. ૨. આ આતશ દાદગા તથા પાશેની ચેહેલી તથા તેને લગતાં મકાનો અને તે બધાંને લગતી ૩. ફરતી દીવાલ તેઓના પીતાજી મરહુમ શેઠ પેશતનજી ફરામજી વકીલ તથા ૪. માતાજી બચુભાઈનાં પુનને માટે તેઓના દીકરાઓ નવરોજી તથા જહાંગીરજીએ ૫. પોતાને ખરચે પારશી પંચાયતની જમીન ઉપર બાંધીને શ્રી અમદાવાદની ૬. જરથોશતી અનુજામને પારશીઓના ધરમના કામોને માડે શવાધન આપે છે. ૭. એ મકાનોને બાંધતાં રૂ. ૨૦,૯૭૫ થયા છે રોજ ૨૬મો માહા ૭ મો મેહર શહેનશાહી ૮. રોજ ૨૬મો માહા ૮મો આવા કદમી શને ૧૨૫૩ ઇઅજજ(ગ)રદી પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ TM ૯ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. તા. ૧૧મી અપરેલ ૧૮૮૪ ઈશવી, શંવત ૧૯૪૦ ચઈતર વદ ૧ ને વાર શુક્રર ૧૦. ઉપર લખેલી ચેહેલી તથા તેને તાબેના મકાનો શેઠ (કાવં(વ) શજી મરજી. ૧૧. કારંજાવાલાએ તેઓના પીતાજી મરહુમ શેઠ મંચરજી સોરાબજીના પુનને સારૂ પારશી પંચાએતને ૧૨. આપેલી જમીન ઉપર બાંધવામાં આવેલાં છે. તથા ઉપર લખેલી આતશ દાદગા ૧૩, જે જગા ઉપર શેઠ ખરશેદજી બેરામજી નામ વટવાલી અગાઆરી હતી અને જે જગો ૧૪. તેઓ સાહેબે પંચાએતને બખશી દીધેલી હતી તે જ જગો પર બાંધવામાં આવી છે. ૨. કાંકરિયા તળાવ પાસેની અગિયારીનો શિલાલેખ, યસ. ૧૨૯૪, ઈ.સ. ૧૯૨૫ અમદાવાદમાં કાંકરિયા તળાવની ઉત્તરે જે પારસી અગિયારી આવેલી છે, તેમાં પણ તકતી પર એક શિલાલેખ કોતરેલો છે. આ તકતી ૫૯ સે.મી. લાંબી અને ૮૭ સે.મી. ઊંચી છે. લેખ ગુજરાતી ભાષામાં લખેલો છે ને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. વાક્ય રચનાઓ શુદ્ધ છે; જોડણી એકંદરે સંતોષકારક છે, લેખ ૧૭ પંક્તિઓનો છે. એમાંની કેટલીક પંક્તિઓ ટૂંકી છે, જે મધ્યમાં કોતરેલી છે. શિલાલેખના આરંભે હોરમઝદની મદદના આશીર્વાદ દર્શાવ્યા છે. લેખ પરથી જાણવા મળે છે કે આ આંતસે આદરિઆન ય.સ. ૧૨૯૪ ઈ.સ. ૧૯૨૫ માં રૂ. ૩૦,૦૦૦ ના ખર્ચે બંધાયેલ છે. ખર્ચના રૂ. ૩૦,૦૦૦ પેટે રૂ. ૧૫,૦૦૦ શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆએ, રૂ. ૧૦,૦OO શેઠ શાપુરશા ધનજીભાઈ મિસ્ત્રી ઇજનેરે અને રૂ. ૫,૦૦૦ મરહૂમ શેઠ રૂસ્તમજી એદલજી લાહેરનાં પત્ની શીરીનબાઈએ આપ્યા હતા. આ અગિયારી થ.સ. ૧૨૯૪ ના ૮મા મહિનાના ૩જા રોજે અર્થાત્ ઈ.સ. ૧૯૨૫ ના એપ્રિલની ૯મી એ ખુલ્લી મૂકી હતી. શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ સુરતમાં ૧૮૭૧માં જન્મ્યા હતા. ત્યાંથી અમદાવાદ આવી તેઓ બોરડી મિલમાં એંજિનીઅર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ બે વખત મશીનરી બનાવવાનાં કારખાનાં કાલ્યાં હતાં. તેઓએ પણ અમદાવાદની પારસી પંચાયતના વહીવટમાં સક્રિય સેવા આપી હતી. શેઠ શાપુરજી ધનજીભાઈ મિસ્ત્રીએ અમદાવાદમાં અનેક મિલોના ઇજનેર તરીકે વરસો સુધી કામગીરી બજાવી હતી. શેઠ રૂસ્તમજી એદલજી લાહેર સુરતના વતની હતા. શિલાલેખનો પાઠ ઝદાં ૨. શ્રી પાક દાદાર હોરમઝદની મદદ હોજો ૩. શ્રી અમદાવાદના પાક આતસે આદરીઆન ૪. સાહેબનો આ મકાન ૫. શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ એમ.બી.ઈ. ૬. તરફથી રૂ. ૧૫,૦૦૦ તથા ૭. શેઠ શાપુરજી ધનજીભાઈ મીસ્તરી ઇજનેર તરફથી ૮. રૂ. ૧૦,૦૦૦ તથા ૯. મરહુમ શેઠ રૂસ્તમજી એદલજી લાહેરની પુંજીમાંથી ૧૦. તેમના ધણીઆણી બાઈ શીરીનબાઈ તરફથી ૧૧. રૂ. ૫,000 મળી પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૧૦ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. એકંદર રૂ. ૩૦,૦૦૦ ના ખરચે બંધાવી. ૧૩. જરથોસ્તી ખાસો આમના વાપરવા માટે ૧૪. રોજ ઉર્જા માહા ૮ મો સન ૧૨૯૪ યઝદગરદી ૧૫. તા. ૯મી એપ્રીલ સને ૧૯૨૫ ઇસ્વી ૧૬. ને વાર ગુરુના રોજ ઈજાવી ૧૭. ખુલ્લો મૂક્યો છે. ૩. બુખારા મહોલ્લાના આદરિયાનનો શિલાલેખ, ય.સ. ૧૩૮૨, ઈ.સ. ૧૯૩૩ બુખારા મહોલ્લામાં આવેલી ઉપર જણાવેલી પારસી અગિયારીમાં દાદગાહની તકતીની ઉપરના ભાગમાં આ તકતી મૂકેલી છે. એ ૭૪.૫ સે.મી. લાંબી અને ૪૩.૫ સે.મી. ઊંચી છે. લેખ ગુજરાતી ભાષામાં લખેલો છે ને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. લેખની ભાષા એકંદરે શુદ્ધ છે ને જોડણી અગાઉના લેખોમાં છે તેના કરતાં ઓછી અશુદ્ધ છે. લેખ ૧૦ પંક્તિઓનો છે. લેખનો આરંભ અહુરમઝ્ડના આશીર્વાદને લગતા મંગલવાક્યથી થાય છે. લેખ જણાવે છે કે મરહૂમ સર નવરોજી પેસ્તનજી વકીલ તથા મરહૂમ ખાન બહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે દાદગાહનું જે મકાન બંધાવી અંજુમનને સોંપેલું, તેમાં સર નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓએ લગભગ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી મરહૂમ પિતા તથા કાકાના પુણ્ય અર્થે એમાં આદરાન સાહેબ પરઠાવી આપી એ અંજુમનને સુપરત કર્યું છે. લેખના અંતે મિતિ આપવામાં આવી છે – યદ્દગરદી સન ૧૩૦૨ ના (સાતમા) મહેર મહિનાનો બહેરામ અર્થાત્ ૨૦ મો રોજ (શહેનશાહી પદ્ધતિએ) અર્થાત્ ઈ.સ. ૧૯૩૩ના માર્ચની ૨૫મી તારીખ. લેખમાં સ૨ નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓનાં નામ જણાવ્યાં નથી. નવરોજીનાં પત્ની બચુબાઈ સુરતના શ્રી મહેરાવાનજી સાબાવાલાનાં પુત્રી થતાં. એમણે ૧૮૮૮ મા ગુજરાત લેડીઝ ક્લબ સ્થાપી હતી. એ ૧૮૯૧માં મૃત્યુ પામ્યા. એમને દીકરો નહોતો, પાંચ દીકરીઓ હતી. સહુથી મોટાં દીકરી દીનબાઈ શ્રી સોરાબજી લાલકાકા વેરે પરણેલાં. ૧૯૩૦ થી પારસી પંચાયતમાં બે સ્ત્રી-સભ્યોનો સમાવેશ થયો ત્યારે તેમાંના એક સ્ત્રી-સભ્ય તરીકે ચૂંટાયેલાં. એમણે આ સભ્ય તરીકે પોતાના મૃત્યુ (૧૯૪૫) પર્યંત સેવા આપી હતી. એમના ઉઠમણામાં ભરાયેલી રકમમાંથી એમની ઇચ્છા મુજબ એમના તથા એમના પતિના પુણ્ય અર્થે તેઓના પુત્ર શેઠ બહેરામજી તરફથી સર નવરોજી પેસ્તનજી વકીલ પારસી સેનેટરિયમની જમીન ઉપર બે ચેરિટી બ્લોક બંધાવવામાં આવ્યા છે. શેઠ બહેરામજી સોરાબજી લાલકાકાના ભાઈ એરચશાના પુત્ર શ્રી કેરસી લાલકાકા નવરોજી પેસ્તનજી ઍન્ડ કંપની સંભાળે છે. બીજાં દીકરી પીરોજબાઈ શ્રી અરદેશર જમશેદજી લાલકાકાનાં પત્ની હતાં, ને ત્રીજાં દીકરી અલીબાઈ શ્રી હોશંગજી બરજોરજી વકીલનાં. એમના પુત્ર ફીરોઝ અને ભત્રીજા પરસી તથા તુસીએ પણ પારસી પંચાયતના વહીવટમાં સક્રિય રસ લીધો છે. ચોથાં દીકરી ગુલબાઈ મુંબઈના સૉલિસિટર શ્રી દીનશાજી જીજીભાઈ વકીલનાં પત્ની હતાં. સર નવરોજી પેસ્તનજી વકીલ પારસી સેનેટરિયમ ૧૯૫૭માં ગુલબાઈના મુબારક હાથે ખુલ્લું મુકાયેલું. નવરોજીનાં સહુથી નાનાં દીકરી શીરીનબાઈ શ્રી સોરાબજી રતનજી લાલકાકાનાં પત્ની હતાં. તેમના જમાઈ શેઠ શાવકશા ફરદુનજી તારાપોરે ૧૯૩૪માં ખાનપુરમાં સસ્તા ભાડાના બ્લૉક બંધાવેલા, જે ૧૯૫૮ માં પારસી પંચાયતને સુપરત થયા છે. શ્રી શાવકશા ૧૯૪૫ થી ૧૯૬૪ સુધી પંચાયતના પ્રેસિડન્ટ હતા. પથિક ત્રૈમાસિક એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ D ૧૧ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિલાલેખનો પાઠ ૧. પાક દાદર અહુરમઝદની મદદ હોજો. ૨. દાદગાહ સાહેબનું હાલનું મકાન જે મરહુમ સર નવરોજી પેસ્તનજી ૩. વકીલ તથા મરહુમ ખાનબહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે ૪. બંધાવી અનજુમનને સોંપ્યું હતું તેમાં અનજુમનની ઇચ્છા અનુસાર. ૫. મરહુમ સર નવરોજી પેસ્તનજી વકીલનાં દીકરીઓએ આશરે. ૬. રૂ. ૧૨૦૦૦ અંકે બાર હજારના ખર્ચે સુધારા-વધારા કરી પોતાના ૭. મરહુમ મુરબ્બીજી પિતાજી તથા કાકાજીના પુન્ય અર્થે “આદરાન ૮. સાહેબ” પરઠાવી આપી, આજ રોજ અનજુમનને સુપરત કીધા છે. ૯. શહેનશાહી રોજ બેહરાંમ યઝદ મહા મહેર યઝદ યઝદે ગરદી ૧૦. સને ૧૩૦૨ અમદાવાદ, તા. ૨૫ મી માર્ચ, ૧૯૩૩. અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખો અમદાવાદમાં સલાપોસ માર્ગ ઉપર પારસી ધર્મશાળા આવેલી છે. એમાં શિલાલેખ કોતરેલી ત્રણ તકતીઓ છે તે પરથી જૂની તથા નવી ધર્મશાળાની માહિતી મળે છે. ૧. જૂની ધર્મશાળાનો શિલાલેખ, ય.સ. ૧૨૩૫, ઈ.સ. ૧૮૬૬ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ ટાંકાવાળા મકાનના પ્રવેશદ્વારની ઉપર એક તકતી લગાવેલી છે, પહેલાં એ પાછળના કોટમાં દરવાજાની કમાન નીચે લગાવેલી હતી. આ તકતી ૬૦ સે.મી, લાંબી અને ૩૦ સે.મી. ઊંચી છે. એમાં ૮ લીટીનો લેખ કોતરેલો છે. કેટલીક લીટીઓ ટૂંકી છે તે મધ્યમાં લખેલી છે. અક્ષરોનું સરેરાશ કદ ૧.૫ ૪ ૧.૫ સે.મી. જેટલું છે. ચોથી લીટીમાંના અક્ષર એથી બમણું કદ ધરાવે છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. આ શિલાલેખ પરથી માલૂમ પડે છે કે મુંબઈના શેઠ શ્રી સોરાબજી જમશેદજી જીજીભાઈએ પોતાનાં દીકરી ગૂલમાંજીની યાદગીરીમાં અહીં પારસી મુસાફરો માટે ધર્મશાળા બંધાવી હતી ને એ અમદાવાદની જરથોસ્તી અંજુમનને સુપરત કરી હતી. એમના પિતા સર જમશેદજી જીજીભાઈ મુંબઈના અગ્રણી વેપારી, શ્રીમંત અને સખાવતી દાતા હતા. એમણે અનેક સંસ્થાઓ સ્થાપી હતી જેમાં એમના નામની હૉસ્પિટલ અને સ્કૂલ ઑફ આર્ટ ખાસ નોંધપાત્ર છે. ૧. ર. 3. ૪. ૫. આ શિલાલેખની મિતિ યદગરદી સન ૧૨૩૫ ના ૬ઠ્ઠા મહિનાનો ૧૩ મો રોજ – ઈ.સ. ૧૮૬૬ના ફેબ્રુઆરીની ૨જી તારીખ છે. આ ધર્મશાળા રેલથી પડી જતાં નામશેષ થયેલી છે, એની તકતી મોજુદ રહી છે ને તેને જાળવી રાખી પાઠ શ્રી મુંબાઈ. વાશી. પારશી. શોરાબજી. હંમશેદજી, જીજીભાઈએ. આએ. ધરંમ.શરાહ પોતાનાં. ફરજંદે દીલબંદ. બેહન, ગૂલમાંજી ની.નઈએતે ધ્રુજાવીને. શ્રી અમદાવાદની. કુલ. જરથોશતી. અનજૂમનને. પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ – ૧૨ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬, પોતાની કોમનાં મુસાફરોનાં વાપરવાશનાં. કારણસર. શપૂરદ, કરી છે. ૭. રોજ. ૧૩ મો. માહા ૬ઠ્ઠા સને. ૧૨૩૫. ઈજિદગરદી ૮. તારીખ. ૨ ફેબરવારી. સને. ૧૮૬૬. અંગરજી ૨. નવી ધર્મશાળાનો શિલાલેખ, વિ.સં. ૧૯૪૮, ઈ.સ. ૧૮૯૨, વ.સ. ૧૨૬૧ નવી ધર્મશાળાના મુખ્ય ખંડની પ્લિન્થની પૂર્વ દીવાલના ઉત્તર છેડા ઉપર આ તકતી લગાવેલી છે. એ ૮૬ સે.મી. લાંબી અને ૪૦ સે.મી. ઊંચી છે. એમાં કુલ પાંચ લીટીઓ છે. પહેલી લીટીના અક્ષર ૫ x ૫ સેં.મી.નું અને બાકીની લીટીઓના અક્ષર ૪ x ૪ સે.મી.નું સરેરાશ કદ ધરાવે છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. આ લેખ નવી ધર્મશાળાનો પાયો નંખાયો તેને લગતો છે. આ પાયો ખા.બ. ફીરોજ હોસંગ દસ્તૂરના હાથે નંખાયો હતો. તેઓ અહીંના સિટી મેજિસ્ટ્રેટ હતા. આ વિધિની મિતિ ત્રણ સંવતોમાં આપવામાં આવી છે : ૧. વિ.સં. ૧૯૪૮, ૨. ઈ.સ. ૧૮૯૨ અને ૩. યુ.સ. ૧૨૬૧. છેલ્લી બે લીટીઓના કેટલાક વચલા અક્ષરો હાલ તદ્દન ઘસાઈ ગયા હોઈ અવાચ્ય છે. સદભાગ્યે યઝુદગરદી સનની લગભગ બધી વિગતો જળવાઈ રહી છે – સન ૧૨૬૧ના સેરેવર (શહેરેવર) મહિનાનો ૧૯ મો રોજ ફરવરદીન. આ મહિનો વર્ષનો ૬ ઠ્ઠો મહિનો છે. એ વર્ષનું પારસી પંચાગ મળ્યું નથી, પરંતુ પછીના શિલાલેખમાં આપેલી નજીકની મિતિની તુલના પરથી વિ.સં.ની મિતિ અને ઈ.સ.ની તારીખની અટકળ કરતાં એ ફાગણ સુદ ૫ અને માર્ચની ૩જી તારીખ હોવાનું માલુમ પડે છે. પાઠ ૧. આ ધરમશાળાનો પાયો ૨. ખાન બહાદુર ફીરોજ હોસંગ દસ્તુર સીટી ૩. માજીસ્ટ્રેટના હાથે નાંખવામાં આવેલો છે. ૪. સંવત ૧૯૪૮ ના ફલ (ગુન સુદ ૫ ? ૩ જી માર્ચ ?) સન ૧૮૯૨ ૫. રોજ ૧૯ મો ફરવરદીન માહા [૬ ફો] સે(શહે)રેવર સન ૧૨૬૧ યજદગરદી ૩. નવી ધર્મશાળાનો શિલાલેખ, વિ.સં. ૧૯૪૯, ઈ.સ. ૧૮૯૩, ય.સ. ૧૨૬૨ નવી ધર્મશાળાના મુખ્ય ખંડની દક્ષિણ દીવાલમાં પ્રવેશદ્વારની જમણી બાજુએ આ તકતી મૂકેલી છે. તકતી અંદરની બાજુએ ૮૩ સે.મી. લાંબી અને પ૮ સે.મી. ઊંચી છે. એની અંદર લખાણ કોતરેલો ભાગ ૭૬ x ૪૯ સે.મી.ની જગા રોકે છે. અક્ષરોનું સરેરાશ કદ ૧.૫ x ૧.૫ સેં.મી. છે. લેખ ૧૩ લીટીઓનો છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. લેખના આરંભમાં પાક (પવિત્ર) દાદાર (ન્યાયકર્તા) અહુરમઝદની દુવા આપવામાં આવી છે. પછી જણાવ્યું છે કે મૂળ ધર્મશાળા જેલમાં પડી ગયાથી આ નવી ધર્મશાળા ખા... નવરોજી પેસ્તનજી વકીલે પોતાનાં પત્ની બચુબાઈના પુણ્ય માટે બંધાવી છે, તે બાંધતાં રૂ. ૨૫,૦૦૦ નું ખર્ચ થયું છે. પછી આ ધર્મશાળા અમદાવાદની જરથોસ્તી અંજુમને સુપરત કરી છે ને મરામત તથા ચાલુ ખર્ચ માટે રૂ. ૧૦,000 રોકડા નવરોજીએ અમદાવાદની પારસી પંચાયતને આપ્યા છે. એમાં બે શરત મૂકેલી છે; એક એ એનું વ્યાજ બીજા કોઈ કામમાં વપરાય નહિ, ને બીજું એ કે મુદલ રકમમાંથી કંઈ વપરાય નહિ. મિતિ વિ.સં. ૧૯૪૯ ના વૈશાખ સુદ ૧૨ ને ગુરુવાર, તા. ર૭ મી એપ્રિલ ઈ.સ. ૧૮૯૩ અને ય.સ. ૧૨૬૨ ના આવાં મહિનાનો ગોસ રોજ છે. આવાં એ વર્ષનો ૮ મો મહિનો છે ને ગોસ એ મહિનાનો ૧૪ મો રોજ છે. પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૧૩ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ ધર્મશાળા ઈસ. ૧૮૬૬ માં બંધાઈ હતી તે રેલમાં તૂટી ગઈ ને નવી ધર્મશાળા ઈ.સ. ૧૮૯૩ માં બંધાઈ. આ ગાળા દરમ્યાન અમદાવાદમાં નદીમાં બે વાર રેલ આવી હતી – પહેલાં ૧૮૬૮ માં ને પછી ૧૮૭૫ માં. એમાંની પહેલી રેલ વખતે શહેરમાં નદીનું પાણી પેઠું નહોતું પણ અતિવૃષ્ટિ અને ભારે પવનથી ૯૭૬૬ ઘર પડી ગયાં હતાં ને એની નુક્સાની રૂ. ૯,૫૧,૧૬૦ જેટલી થઈ હતી. બીજી રેલ વખતે નદીમાં ભારે પૂર આવ્યું, રેલવેનો પૂલ તૂટી ગયો, એલિસપુલ પણ તૂટી ગયો. શહેરમાં પાણી પેઠું ને શહેરમાં ૩૮૮૭ ઘર પડી ગયાં, જેની નુકસાની રૂ. ૫,૮૨,૦૮૦ ની અંકાયેલી. મૂળ ધર્મશાળા કઈ રેલમાં તૂટી ગઈ તે આ લેખમાં જણાવ્યું નથી, પણ બીજી રેલ જે વધુ ભારે હતી તેમાં એ તૂટી ગઈ હોય એ વધુ સંભવિત છે. ખા.બ. નવરોજીએ નવી ધર્મશાળા પારસી પંચાયતની અનુજ્ઞા લઈ એ જ જગ્યાએ બંધાવી હતી. શ્રી નવરોજી પેસ્તનજી વકીલ અમદાવાદના પારસીઓમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીર હતા. એમણે અહીં બંધાવેલ પારસી અગિયારી, આંખના દર્દીઓનો વૉર્ડ, પારસી વૉર્ડ, મૅટરનિટી વૉર્ડ, પારસી મૅિટરનિટી વોર્ડ, નવરોજી ડિસ્પેન્સરી, પારસી જિમખાના, નવરોજી હોલ વગેરે પણ એમનાં ચિરંતન સ્મારક છે. સરકાર તરફથી તેમને ‘ખાન બહાદુર'નો ખિતાબ ૧૮૮૮ માં મળ્યો હતો. એમનાં પત્ની બચુબાઈએ ૧૮૮૮ માં અમદાવાદમાં ગુજરાત લેડીઝ ક્લબ' સ્થાપી હતી. એ ૧૮૯૧માં અવસાન પામેલાં, તે પછી નવરોજીએ પત્નીના પુણ્યઅર્થે આ ધર્મશાળા બંધાવી હતી, આગળ જતાં ૧૯૧૭ માં નવરોજીને સરકાર તરફથી “સરનો ઇલકાબ મળ્યો હતો. નવરોજી ૧૮૪૦ માં જન્મ્યા હતા ને ૮૫ વર્ષની વયે ૧૯૨૬ માં મૃત્યુ પામ્યા હતા. પાઠ ૧. શ્રી પાક દાદાર હોરમજદની મદદ હોજો ૨. મુલ ધરમશાલા રેલમાં પડી ગયાથી આએ ૩. નવી ધરમશાલા જરથોસ્તી મુસાફરોને ઉતરવાને સારૂ અતરેના રેહેનાર ૪. ખાન બહાદુર નવરોજી પેશતનજી વકીલે પોતાનાં ખરચે પોતાનાં વાહાલા ૫. ધણીઆણી બાઈ બચુબાઈના પુનને માટે બંધાવી અમદાવાદની જરથોસ્તી ૬. અનજુમનને સ્વાધીન કરી છે. આ ધરમશાલા બાંધતા ખરચ રૂ. ૨૫,૫૦૦ થયા છે ૭. તથા મરામત અને ચાલુ ખરચ સારૂ રૂ. ૧૦,૦૦૦ ખાન બહાદુર નવરોજી ૮. પેશતનજી વકીલો રોકડા અમદાવાદની પારસી પંચાયતને સ્વાધીન કર્યા છે. ૯. એવી સરતથી કે તે રૂપીઆનું વ્યાજ મરામત તથા ચાલુ ખરચ સીવાય બીજા કોઈ ૧૦. પણ કામમાં લે નહી તેમજ મુદલ રૂપીઆમાંથી કોઈપણ દીવસ કઈ વાપરે નહી ૧૧.સંવત ૧૯૪૯ના વૈશાખ સુદી ૧૨ને વાર ગરે ૧૨. તા. ૨૭મી એપરેલ ૧૮૯૩ ૧૩. રોજ ગોસ માહા આવાં સને ૧૨૬૨ યજદજ(ગ)રદી. ઓમ, ગુજરાતમાં પારસીઓનો વસવાટ બહુ લાંબા સમયથી હતો. તે સાથે તેમનો ધર્મ, ધાર્મિક ઇમારતો, શિલાલેખો વગેરે પણ અહીં સ્થપાયા. જે ગુજરાતના ધર્મ-સંપ્રદાયો તેમજ ઇમારતી સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૪ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદટીપ ૧. આર.ટી.સાવલિયા, ‘જરથોસ્તી ધર્મમાં માનવ ધર્મ', “વિવેક સુધા”, વિશ્વબંધુત્વદિન વિશેષાંક, વર્ષ ૩, અંક ૧૦-૧૧, સપ્ટે.-ડિસે. ૧૯૯૧ ૨. ૨છો.પરીખ અને હ.ગં.શાસ્ત્રી, (સંપા.) “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' (ગુ.રા.સાં.ઇ.), ગ્રંથ પ, પૃ. ૩૮૩ ગુ.રા.સાં.ઇ., ગ્રંથ ૬, પૃ. ૩૮૬-૩૮૯ ગુ.રા.સાં.ઇ., ગ્રંથ ૭, પૃ. ૩૨૭-૩૦ ગુ.રા.સાં.ઈ., ગ્રંથ ૮, પૃ. ૫૦૦ ૬. પ્રાચિ. પરીખ અને ભારતી શેલત, “અમદાવાદનું પારસી અગ્નિમંદિર', “સામીપ્ય”, જુલાઈ-સપ્ટે. ૧૯૮૫, પૃ. ૧૧૦-૧૧૨ ૭. ગુ.રા.સાંઈ, ગ્રંથ ૯, પૃ. ૪૬-૬૧ ૮. હ.ગં.શાસ્ત્રી અને ભારતી શેલત, “અમદાવાદની અગિયારીઓના શિલાલેખ”, “બુદ્ધિપ્રકાશ', ડિસે. ૧૯૮૦, પૃ. ૪૮૫-૮૯ ૯. હ.ગં, શાસ્ત્રી અને ભારતી શેલત, અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખ', “પથિક", ડિસે. ૧૯૮૦, પૃ. ૧૮-૨૦ - - અનામત હવાડી ! અગ્નિ ફાડી. ભંડાર ખંડ - 1. 1 જુવો * કશ્તી શાહ પરસાળ તાદ શ્રાદ્ધ " માટે જગ્યા T (કેબલ) યુ . મુખ્ય હોલ 5 s. == મોરી સંજ્ઞા આદશન સબ. ઉ | દગા ! ન યા = ક = -ન-- નીની- પ્રયિની HS = ફ સ્પા ૬ ડી S પ્રવશ આકૃતિ ૧ : અમદાવાદની પારસી અગિયારીનું તલમાન પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૫ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ " લીલા - , કે *** . છે . ' ' . * : '+' - A -- +, કે * . આકૃતિ ર : પારસી અગિયારી, ખમાસા ગેટ, અમદાવાદ 1 -CL TITL | | | UJAVANI BYકતા 7 JI ( if I III I ! I | H R / TITI .uitml પી | IDL L S આકૃતિ ૩: પારસી દખમાનું તલમાન ૧. પ્રવેશ, ૨. ફૂટપાથ, ૩, પાવી-ઓટલીપુરુષ માટે, ૪. પાવી-ઓટલી-સ્ત્રીઓ માટે, ૫. પાવી-ઓટલી-બાળકો માટે, ૬, ભંડારમુખ્ય ચોક, ૭. નીક, ૮. પ્રવાહીનું શુદ્ધિકરણ, ૯. કૂવા પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૬ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંડલ ઇતિહાસના ઓજસમાં ડો. હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ ગતિશીલ સમયને કોણ રોકી શકે ? આજ ગઈકાલ થવાની જ છે. દરેક વર્તમાન અતીતના આંગણે જઈને બેસે છે. વીતેલી વાત, વીતેલો સમય, માણસ માત્રને વાગોળવો ગમે છે. જે અતીત માણસે જોયો નથી કે અનુભવ્યો નથી તે પણ સાંભળી-સાંભળીને, સંભારી-સંભારીને માણસ માણે છે. પરંતુ આખે-આખો અતીત ક્યારેય પ્રત્યક્ષ થતો નથી. છતાંય ઈતિહાસમાં ડોકિયું કરવા માણસનું મન લલચાય છે. અહીં મારી જન્મભૂમિ (માદરેવતન) માંડલના ઇતિહાસમાં નજર કરવાનો, ડોકિયું કરવાનો, અતીતને તાજો કરવાનો ખ્યાલ છે. એમાં ઐતિહાસિક ઘટનાઓનો વિનિયોગ કર્યો છે. તો પ્રજામાં પ્રચલિત દંતકથાઓમાંનું સત્ય તારવીને તથ્ય શોધવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા પછી વસ્તી, વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ અગત્યનું સ્થાન ધરાવતું માંડલ (હાલ માંડલ તાલુકો છે.) અમદાવાદથી ઉત્તરે પર (બાવન) માઈલ દૂર અક્ષાંશ ૨૩.૧૦ અને પશ્ચિમ રેખાંશ ૭૧.૫૮ સ્થાને આવેલું એક પ્રાચીન નગર છે. વઢિયાર, ચુંવાળ, ખારોપાટ, સૌરાષ્ટ્ર ગુજરાતના સીમાડાઓ એટલે કે આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જેવા જિલ્લાઓ ત્રિભેટે અહીં મળતા હોઈ માંડલ વ્યાપાર અને વ્યવહારની દૃષ્ટિએ પણ મહત્ત્વનું મથક બન્યું છે. માંડલ ગામની પુરાતનતા સૂચવતા વેરવિખેર હાલતમાં પથરાયેલા અનેક અવશેષો સાક્ષી પૂરે છે. આસપાસ પુરાણો કિલ્લો કંઈક અંશે ટકી રહ્યો છે. વેરાન પ્રદેશ વચ્ચે બહુ ઊંચાણ ભાગમાં આવેલું છે. એક તરફ ખંભલાય સરોવર અને બીજી તરફ અંધારિયા વનની વૃક્ષ ઘટાઓ વચ્ચે આવેલું ખૂબ રમ્ય સ્થળ બન્યું છે. તેવું જ રૂના વ્યાપારનું કેન્દ્ર પણ છે. મોસમ ટાણે રોટલો રળી લેવા વઢિયાર, વાગડ, ચુંવાળ અને ઝાલાવાડ સૌરાષ્ટ્રમાંથી ઊતરી આવેલા હજારો શ્રમજીવીઓથી જયારે એ ઊભરાઈ ઊઠે છે ત્યારે અજબ થનગનાટ અનુભવે છે. લોકોમાં ભરપૂર પ્રાણશક્તિ છે, એક પ્રકારની મસ્તી છે, છતાં સૌજન્ય-વિવેક અને આતિથ્ય ભાવના એની આગવી ખાસિયત છે.' વૈદિક સાહિત્યમાં ગુજરાતના કોઈ વિભાગનો ઉલ્લેખ જોવા મળતો નથી. એથી જણાય છે કે વૈદિક આર્યોને ગુજરાતની માહિતી જ નહોતી; કારણ કે ત્યાં સુધી અહીં આદિવાસી અનાર્યો કે સિંધુ સંસ્કૃતિવાળી પ્રજાનો વસવાટ હતો. વૈદિક સમયના અંતપર્યત આર્યો ગુજરાતમાં હજુ આવ્યા નહોતા. કદાચ આજ કારણથી સૂત્રકાળમાં સૌરાષ્ટ્રમાં જનાર આર્યોને ફરી સંસ્કાર કરવા યોગ્ય ગણવામાં આવતા. પણ પછીથી ગુજરાત તરફ વળવા લાગ્યા હતા. ૨ મહાભારતમાં તથા પુરાણોમાં સૌથી પ્રથમ મનુના પુત્ર શર્યાતિનો પુત્ર આનર્ત આ તરફ આવ્યાની કથા મળે છે, જેના નામ પરથી ઉત્તર ગુજરાતનું નામ “આનર્ત પડેલું. પણ પાછળથી તેનો પુત્ર રૈવત જેના નામ પરથી ગિરનારનું નામ રૈવતગિરિ પ્રચલિત થયું છે તેનું રાજય કુશસ્થલીમાં હોવાનું પુરાણો કહે છે. પછી ભગવાન શ્રીકૃષ્ણના દોરવ્યા યાદવો દ્વારકા આવ્યાની કથા મહાભારત વગેરે ગ્રંથોમાં મળે છે. પણ વાયુપુરાણ જણાવે છે કે પુણ્યજન નામના રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો હતો. તેમજ મહર્ષિ વેદવ્યાસ પણ મહાભારતમાં જણાવે છે કે શક-હૂણો કૃષ્ણના દેહત્યાગ પછી દ્વારકા લૂંટી યાદવોની સ્ત્રીઓ તથા સંપત્તિ ઉપાડી ગયા હતા. એ બતાવે છે કે ત્યાં સુધી આર્યોનો વસવાટ અહીં સફળ થયો ન હતો. જો કે ત્યારે થોડા આર્યોએ ગિરનાર-દ્વારકા * શેઠ પી.ટી.આર્ટ્સ કૉલેજ, ગોધરા-૩૮૯૦૦૧, જિ. પંચમહાલ પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૭ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસાવી સ્થિર થવાનો પ્રયત્ન કરેલો તેમજ સિંધુ સંસ્કૃતિવાળી પ્રજા જે વહાણવટામાં તથા લેવડદેવડમાં હોશિયાર હતી, તેણે વ્યાપાર તથા વ્યવહાર માટે ખંભાત-ભરૂચ જેવાં બંદરો કદાચ ઊભાં કર્યા હશે; એમ છતાં બુદ્ધમહાવીરના યુગ સધી આર્યોની અહીં ખાસ વસ્તી વધી ન હોતી. ત્યાં સુધી અનાર્ય ભીલ જેવી મૂળ પ્રજા જંગલોમાં-પહાડોમાં ભટક્યા કરતી. એથી ત્યાં સુધી ખાસ નગરો નિર્માણ થયાં નહોતાં. કદાચ આવાં જ કારણે જેને શાસ્ત્રોમાં ગણાવેલા સાડી પચીસ આર્યદેશોમાં ગુજરાત આનર્તનું નામ નહીં હોય. અશોક રુદ્રદામાના ગિરનાર પરના લેખો પરથી જાણી શકાય છે કે બુદ્ધ-મહાવીર પછી જ આર્યોની સંખ્યા અહીં વધવા લાગી હશે. તેથી એમણે એવાં વસ્તીસ્થાનો ઊભાં કર્યાં હશે. આવાં વસ્તીસ્થાનોમાં જે ઋષિની સરદારી નીચે આવેલા આર્યોની ટોળી અહીં સ્થિર થઈ એણે પોતાના નેતા ઋષિ અણિમાંડવ્યના નામે માંડવ્યપુર (માંડલ) ઊભું કર્યું હશે અને એ ઋષિની તપોભૂમિ તરીકે પાછળથી એ યાત્રાધામ બન્યું હશે. માંડલ વિષેની સૌથી આધારભૂત માહિતી માંડલ વિષેની પ્રાચીનતાનો ઉલ્લેખ બ્રાહ્મણોત્પત્તિ માર્તડ નામના પુરાણમાં “ધર્મારણ્ય' નામના પ્રકરણમાં મળે છે. એ પ્રકરણ અનુસાર શ્રી રામચંદ્રજી ભગવાન અહીં આવ્યા હતા અને મહર્ષિ વશિષ્ઠ સાથે રમણીય વાવેશ્વર તીર્થમાં ‘શ્રી માંડવ્યેશ” મહાદેવનું પૂજન કર્યું હતું. વાવેશ્વર તીર્થમાં આજે પણ માંડવ્યેશ મહાદેવનું મંદિર આવેલું છે. વૈદિક સાહિત્યમાં પ્રસિદ્ધ મહર્ષિ “અણિમાંડવ્યનો અહીંયાં આશ્રમ હતો. સંભવ છે કે એમના નામ પરથી જ ગામનું નામ માંડલ પડ્યું હશે. ચોથા સૈકામાં લખાયેલા પદ્મપુરાણના “પાતાલ ખંડમાં આવેલા “ધર્મારણ્ય માહાભ્ય” નામના પ્રકરણમાં મંડલિપુર વિષે જે નોંધ મળે છે એ માંડલ વિષેનો એક પ્રાચીનતમ ઉલ્લેખ છે. એ ઉલ્લેખને આધારે હાલના ઝિંઝુવાડા, પાલ્લા, મોઢેરા તથા માંડલ વગેરે સ્થાનોને સમાવતો પ્રદેશ “ધર્મારણ્ય પ્રદેશ” ગણાતો. કુરુક્ષેત્રની આજુબાજુ આવેલા “બ્રહ્મારણ્ય” પ્રદેશ જેટલું જ ત્યારે તેનું માહાલ્ય હતું. પાછળથી એના માહાભ્યને વધારવા અનેક કથાઓ લખાઈ છે. " અણિમાંડવ્ય વિષે ધર્મશાસ્ત્રોમાં જે કથાઓ મળે છે તે ઉપરથી માંડલ પાંડવ યુગ પહેલાંનું હોવું જોઈએ પણ એટલે બધે દૂરનો ઇતિહાસ ન જોઈએ તો પણ અન્ય પુરાણો ઉપરથી ઓછામાં ઓછાં ૨૫૦૦ વર્ષ પહેલાંનું તો માંડલ હોવું જ જોઈએ. મૌર્ય સમ્રાટના સૂબા માંડલમાં રહેતા એવી એક નોંધ જોવા મળે છે. વળી એ સમયનાં નગરોમાં માંડલ, વડનગર, વઢવાણ જેવાં ૪૫ નગરોનો ઉલ્લેખ મળતો હોઈ કદાચ એમાં સત્ય હોઈ અશોકના પૌત્ર સંપ્રતિએ ઈ.સ. પૂર્વે ૨૪૦ ની આસપાસ સૌરાષ્ટ્ર સુધી જૈન ધર્મનો પ્રથમ પ્રચાર કર્યો હતો. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રથમ સત્તા સ્થાપનાર તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક તથા તેનો પૌત્ર સંપતિના નામનો ઉલ્લેખ નજરે પડે છે. આ પ્રદેશ પ્રથમ જૈન સત્તાના અધિકાર નીચે આવ્યો હોય તેમ કલ્પી શકાય. અહીં માંડલમાં જૈન વણિક કોમનાં હજાર કુટુંબ હતાં એવી નોંધ પ્રાપ્ત થાય છે. પહેલા સૈકાની આસપાસ ભિન્નમાલ વગેરે સ્થળોમાંથી આવેલા જૈન વણિકોએ માંડલને વ્યાપારનું કેન્દ્ર બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. પછી ભારતમાં શક-હૂણોનાં આક્રમણોને કારણે આ પ્રદેશ નાબૂદ બન્યો હશે. ત્યાર બાદ બહુ લાંબા સમય સુધી એ ઈતિહાસની પંક્તિઓમાંથી અદેશ્ય બની ગયેલું માલુમ પડે છે. ' જાણીતા સંશોધક મૌલવી અબુઝફર નદવીએ તેમના ફારસી ગ્રંથ ‘તારીખે સિંધમાં જણાવ્યું છે કે સિંધના આરબ સૂબા જુનૈદ બિન અબ્દુર રહમાને ઈ.સ. ૭૨૯માં ગુજરાત પર કરેલ ચડાઈનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં તેની ચડાઈના માર્ગમાં ગણાવેલ શહેરોમાં પંજ, સરમદ અને “મનદલ' અગત્યનાં શહેરો હતાં. મનદલ તે જ માંડલ (મંડલી). શક-હૂણોના હુમલાઓ પછી પ્રથમવાર અને જુનૈદના આક્રમણ પછી બીજીવાર માંડલ તૂટ્યું હશે. છતાં ફરી એ એનાં ખંડેરો પર ત્રીજીવાર વસી સમૃદ્ધ થયું હતું. પંચાસરનો રાજવી જયશિખરી ભૂવડ સામેના યુદ્ધમાં પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૮ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાયો. તેની પત્ની ગર્ભવતી હતી. પુત્ર પ્રાપ્તિની આશાએ તેના ભાઈ સાથે તે જંગલમાં ચાલી ગઈ હતી. પાછળથી દેવીને પુત્ર જન્મ્યો. વનમાં જન્મેલો એટલે તેનું નામ “વનરાજી રાખવામાં આવ્યું. પંચાસરથી સાત માઈલ ઉપર માંડલ આવેલું છે. માંડલની બાજુમાં અંધારિયું વન હતું. આજે પણ આ વિભાગ અંધારિયા વન તરીકે જાણીતો છે. જુનેદના આક્રમણ પછી ભૂવડ રાજાને હરાવીને વનરાજ ચાવડાએ ઈ.સ. ૭૪૬માં અણહિલપુર (પાટણ)ની સ્થાપના કરી. ત્યાં પોતાની ગાદી સ્થાપી પરંતુ માંડલ તેના નાકા પરનું અગત્યનું શહેર હોવાથી તેણે માંડલમાં પાકો કિલ્લો બંધાવ્યો હતો, જેને કારણે માંડલ મહમંદ ગઝનીથી માંડીને મહમદ બેગડા સુધી થયેલાં આક્રમણો સામે આ શહેર ટકી શક્યું હતું. વનરાજ ચાવડાના વંશમાં થયેલા છેલ્લા રાજવી સામંતસિંહને મારીને એના ભાણેજ મૂળરાજ સોલંકીએ રાજસત્તા કબજે કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી' (ઈ.સ. ૯૪૨) પરંતુ મામાને મારવાને કારણે એના દિલમાં પશ્ચાત્તાપ થયો હતો. એથી પાપના પ્રાયશ્ચિત્ત રૂપે એણે ઉત્તર ભારતના બ્રાહ્મણોને બોલાવી ૧૦૧ ગામ દાનમાં આપ્યાં હતાં, જેમાંની એક ટોળીને ઈ.સ. ૯૬૮ (વિ.સ. ૧૦૨૪)ના કારતક સુદિ ૧૫ ને ગુરુવારે કૃતિકા નક્ષત્રમાં માંડલ ગામ દાનમાં આપ્યું હતું. એ બ્રાહ્મણોના વશંજોની બે શાખા માંડલિયા વ્યાસ અને માંડલિયા રાવળ હજુ પણ ગામમાં વસે છે. તેમની કુળદેવી ચામુંડા માતાનું મંદિર ખંભલાય સરોવરની મધ્યમાં હતું અને ત્યાં પહોંચવા માટે પથ્થરનો પાકો રસ્તો બાંધેલો હતો. ત્યાંથી (ખંભલાય સરોવરથી) માતાના આદેશ મુજબ એમને ખભા પર બેસાડીને ગામમાં લાવી હાલમાં મંદિરમાં પધરાવવામાં આવેલાં છે, જે કારણે એ માતાજી ખંભલાય નામ પામ્યાં છે.' - આ ઉપરાંત મૂળરાજ સોલંકીએ માંડલમાં પોતાના નામ ઉપરથી મૂળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જેનાં દર્શન માટે મૂળરાજ અવારનવાર આવ્યા કરતા. તેથી આ મંદિરમાં પાશુપત આચાર્યોને પૂજા-અર્ચના માટે ખાસ રોકવામાં આવ્યા હતા. તદુપરાંત શાસ્ત્રાગાર અને અન્ય ધર્મસ્થાનો હતાં, જેમાં તપસ્વીઓ રહેતા. વળી મંદિરની સામે જ મઠપતિને રહેવાનો વિશાળ મઠ પણ બાંધવામાં આવ્યો હતો. મૂળેશ્વર મહાદેવનું મહત્ત્વ સોમનાથ જેટલું હતું. આમ મૂળરાજે માંડલમાં આવું ભવ્ય દેવાલય બંધાવ્યું તે પરથી સાબિત થાય છે કે માંડલ એ સમયે સમૃદ્ધ શહેર હશે. ઈ.સ. ૧૩૩૭ (વિ.સં. ૧૩૯૩)માં શ્રી કર્કસૂરિએ નાભિનંદનોદ્ધારમાં ગુજરાતનાં તીર્થધામોમાં માંડલને મુખ્ય ગયું છે. એ મંદિર તો હાલ નષ્ટ થયું છે પણ યોગી મઠ ટકી રહ્યો છે, જેથી એ યોગી મઠ વિષે જાણવા મળે છે કે “સોલંકી રાજા ભીમદેવ બીજાએ માંડલના મૂળેશ્વર મહાદેવના મઠાધિપતિ “વેદ ગર્ભ રાશિ ને કેટલાંક ગામો દાનમાં આપ્યાં છે. ઈ.સ. ૧૨૩૨ (વિ.સં. ૧૨૮૮)માં ભોજુઆ (ભોજવા) અને ઈ.સ. ૧૨૪૦ (વિ.સં. ૧૨૯૬)માં રાજ સિયાણી (રખીઆણા) દાનમાં આપ્યાં હતાં. રાજ સિયાણીવાળા દાનપત્રમાં ઠેઠવસણા (ઢેઢાસણા) રીવડી (રીબડી) દાલાઉંડુ (દામોદ-દાલોદ) અને લઘુઉભડ (નાના ઉભડા) વગેરે નામોનો ચતુઃસીમા બતાવતો ઉલ્લેખ થયો છે જે ગામો આજે પણ સારી હાલતમાં છે. વળી આ મઠ પણ આજ સુધી ટકી રહ્યો છે. પણ હાલમાં તે મસ્જિદમાં ફેરવાઈ ગયો છે. આ મઠ હાલમાં જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાય છે. આ મઠની બાંધણી જોતાં તે પ્રાચીન ગણાય છે. ફક્ત મિબર અને પ્રવેશનો દરવાજો નવો બનાવવામાં આવ્યો છે. એ મસ્જિદમાં એક પત્થર પર “યોગીમઠ' એવા શબ્દો આજે પણ સ્પષ્ટપણે વાંચી શકાય છે. તેમજ થાંભલાઓ પર મગરધ જોગી ૭૦૦ તથા દાહહઠ ૧૦૦ જેવા શબ્દો છે. દાહહઠનો અર્થ અગ્નિ તાપનાર થાય છે. મગરજનો અર્થ કામદેવ પર વિજય મેળવનાર થાય છે. કામદેવનું બીજું નામ મકરધ્વજ એનું પ્રાકૃત સ્વરૂપ મગરધજ. આમ કામદેવને જીતનાર ૭00 યોગીઓ તથા પંચાગ્નિ તપ કરનાર ૧૦૦ યોગીઓનો આ મઠ હશે." સોમનાથ મંદિરમાં પ૬ થાંભલા હતા જ્યારે આ યોગીમઠમાં ૮૦ ઉપર આજે પણ છે. મુસ્લિમ તવારીખકાર ઇબ્રા અભીર કામિલુ-ટૂતવારીખમાં જણાવે છે કે “માંડલની સમૃદ્ધિ તથા મૂળેશ્વર મહાદેવની ભવ્યતા સાંભળી બ્રાહ્મણો તથા મંદિરનો પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૯ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ કરવા અન્ય સ્થાનોની જેમ માંડલ પર પણ મહંમદ ગઝનીએ આક્રમણ કરેલું. પણ માંડલનું મૂળેશ્વર મહાદેવનું મંદિર અતૂટ્યું રહ્યું. આજે તે પૂજાતું રહેલું છે. એથી સહેજે જ જણાય છે કે માંડલના વીર મર્દોએ એને હરાવ્યો હશે. માંડલ પાટણના આધિપત્ય નીચે હોઈ માંડલમાં કોઈનું સ્વતંત્ર શાસન નહોતું. એમ છતાં ઈ.સ. ૧૩૪૭ આસપાસના સમયમાં માંડલ સ્વતંત્ર હતું. મુસ્લિમ તવારીખકારોએ માંડલમાં પ્રથમ સ્વતંત્ર રાજા વૈતરીની નોંધ લીધી છે. પરંતુ તે ઝાલા વંશના ઉદેસિંહજી પછી ૧૪મા રાજા વેગાજી ઈ.સ. ૧૩૫રમાં ગાદીએ આવ્યા હતા તે પ્રાંગધ્રાનો ઇતિહાસ જણાવે છે કે કૂવા ગાદી બદલ્યા પહેલાં ઝાલા વંશની અખંડ રાજપરંપરા માંડલથી વહીવટ ચાલવતી હતી. વળી માંડલમાં વૈતરીના મરણ બાદ થોડા જ સમયમાં ઝાલાઓનું રાજય હોવાના શિલાલેખ પર પુરાવા સાંપડ્યા છે. આથી વેગડજી એ જ માંડલનો વૈતરી હોવા સંભવ છે. મુસ્લિમ તવારીખકારો એનો બરાબર ઉચ્ચાર જાળવી ન શક્યા હોય તેમજ એમના લખાણનો અનુવાદ કરનારાઓને હાથે જ પણ સહેજે ક્ષતિ થઈ હોય એ સંભવિત છે. ઉર્દૂ લખાણમાં ગાફ ઉપરની લીટી ઝાંખી પડી ગઈ હોય ને તેની બંને બાજુ ટપકું રહી જવાથી બે નુકતા જેવું કંઈક વંચાયું હોય તો “ગને સ્થાને ‘ત' વંચાય. તેમજ ઉર્દૂમાં ‘ડાલ’ અને ‘રે” અને સે લગભગ સરખા લખાતા હોઈ ‘ડને બદલે ‘૨' વંચાય એ પણ સ્વાભાવિક છે. આમ વેગડજીમાંથી વૈતરજી બની જવાની એની નોંધ વૈતરી તરીકે જ સચવાઈ હોય એ કલ્પના શક્ય લાગે છે.' આ રાણા વૈતરીએ રણાહટ સરોવર બંધાવેલું એમ કહેવાય છે. એ સરોવરને સ્થાને હાલ ઓકળી વહે છે. પણ તેની એક બાજુની પાળ હજુ ટકી રહી છે. આ સરોવરને કારણે માંડલ પર અવારનવાર ગુજરાતના મુસ્લિમોનું આગમન શરૂ થયેલું, જેથી એ આજે કો બન્યું છે. પણ એ હુમલાઓમાં ઘણા મુસ્લિમ પીરો પણ મરાયા છે, જેમને કારણે ચમન ટેકરી, ગંજપીર, કાસમપીર, સુલતાન ઇબ્રાહીમ તથા બાવા ઉંમર વગેરે સ્થાનો અસ્તિત્વમાં આવ્યાં છે. પરમાં ગંજપીર વિષે લોકોની ખૂબ ઊંડી શ્રદ્ધા જોવા મળે છે. કાસમપીર એ અહમદશાહ બાદશાહના પુત્ર મહંમદશાહ બીજાના ગુરુ શેખ અહમદ ખાટા જંગબક્ષના ભાઈ હતા. કાસમપીરે માંડલને પોતાનું વતન બનાવ્યું હતું. ગામથી થોડે દૂર કાસમપરું વસાવી રહેતા અને વણાટકામ કરતા. ત્યાર બાદના સમયમાં ખુદાની ઇબાદત કરતા, આજે તો આ કાસમપરું નામમાત્રનું રહ્યું છે. - દિલ્હીના બાદશાહ મહંમદ તગલક ગુજરાતમાં બળવો થયો હતો ત્યારે આવ્યા હતા. ત્યારે વૈતરી (વેગડજી)નું શાસન ચાલતું હતું. કહેવાય છે કે ગુજરાતમાં બળવાખોરોમાં મલેક તળી (તવી મલિક તુઘાન) બહાદુર હતો. તેને બાદશાહ પણ પરાસ્ત કરી શકતો નહોતો. ત્યારે માંડલના વૈતરી(વેગડજી)એ ભારે શિકસ્ત આપીને વશ કર્યો હતો. તેના આવા બાહોશ પરાક્રમથી બાદશાહ ખુશ થઈને વૈતરી(વેગડજી)ના આગ્રહથી બાદશાહ માંડલમાં આવ્યો હતો. તે સમય દરમ્યાન ચોમાસું બેસી જવાથી બાદશાહને ૪ મહિના માંડલમાં રોકાવું પડ્યું હતું. ત્યાર બાદ વૈતરી(વેગડજી)ને મુસ્લિમ બાદશાહ સાથે સારો સંબંધ હોવાથી તેના વંશજોની સત્તા લાંબો સમય સુધી ચાલી હતી. વેગડજીએ ઈ.સ. ૧૩૬૮ સુધી રાજય કર્યું હતું. એમના પુત્ર ખેંગારજીએ ભંકોડાની જાગીર મેળવી હતી. વેગડજી પછી ૧૫મા રાજા રામસિંહજી (ઈ.સ. ૧૩૬૮ થી ૧૩૮૫) ગાદીએ આવ્યા હતા. તેમના પુત્ર લાખાજીરાજે સીતાપુરની જાગીર મેળવી હતી. રામસિંહજીએ રામપુર ગામ વસાવ્યું હતું. રામસિંહજી પછી તેમના પુત્ર વીરસિંહજીએ (ઈ.સ. ૧૩૮૫ થી ૧૩૯૨) રાજગાદી સંભાળી હતી. વીરસિંહજીના સમયમાં ઈ.સ. ૧૩૯૦ માં અમદાવાદના સૂબા મહમદશાહે માંડલને ઘેરો ઘાલ્યો, પણ તેમાં તેઓ પરાસ્ત થયા ન હતા. આથી ફરીથી ૧૩૯૫ માં મુઝફ્ફરશાહે માંડલ પર આક્રમણ કર્યું હતું. તે સમયે પુત્ર રાજા છત્રસાલજીએ આક્રમણખોરોને મારી હઠાવ્યા હતા.૦ પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૨૦ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરસિંહજીના મરણ બાદ એમના બીજા પુત્ર રણમલસિંહજી ઈ.સ. ૧૩૯૨માં ગાદીએ આવ્યા હતા. એમણે બાડમેર કોટડાની રાઠોડ વંશની કન્યા ભગાડીને લગ્ન કર્યાં હોવાથી રાઠોડે તેનું વેર લેવા તેમને પકડીને જેલમાં રાખ્યા હતા. પરંતુ પુત્ર છત્રસાલજીએ તેમને રાઠોડના હાથમાંથી મુક્ત કર્યા હતા. ઈ.સ. ૧૩૯૪માં પિતાના મુત્યુ બાદ છત્રસાલજીએ રાજવહીવટ સંભાળ્યો હતો. ગુજરાતના અગાઉના ઝાલાઓમાં એ એક જ એવો સમર્થ પુરુષ હતો કે જેને “ઝાલાવાડના મહારાજા અથવા માંડલગઢના મહારાજા' એવું બિરુદ પ્રાપ્ત થયું હતું.રં તેઓ પિતાના મરણ બાદ ઈ.સ. ૧૪૦૮માં ગાદીએ આવ્યા હતા. પરંતુ રાજ્યાભિષેક ઈ.સ. ૧૪૧૪માં થયો હતો. તેથી સંભવ છે કે વિધિસરનો રાજ્યાભિષેક ત્યારે થયો હશે, સત્રસાલજી અથવા છત્રસાલજી ઇતિહાસમાં સુરતાનજી કે સુલતાનજીના નામે ઓળખાય છે. માળવાના સુલતાન હોશાંગશા, ઇડરના રાવ પૂંજો અને જૂનાગઢના ‘રા’ ચુડાસમા એમના ખાસ મિત્રો હતા. તેમણે અમદાવાદના બાદશાહ અહમદશાહ સામે ત્રણવાર બંડ પોકાર્યું હતું. આથી બાદશાહ ત્રણ વખત માંડલ પર ચડી આવ્યા. એક વખત બાદશાહને સફળતા મળી પણ તેમાં બે વીરનાં મૃત્યુ થયાં હતાં, જેમાંના એકની કબર રામજી મંદિર પાસે છે, બીજાની આંબલીયામાં આવેલી છે જ્યાં આંબલીયામાં જફરશાપીર આવેલા છે. તેમનો આજે પણ ઉર્સ ભરાય છે. આ સમયે જે સંધિ થયેલ હતી તેની નોંધ પણ જોવા મળે છે. ત્યારે માંડલને મંડલિ કહેવાતું અને સત્રસાલજી તથા તેમના પુત્ર જેતસિંહ ‘રાણજ' કહેવાતા. સંધિને આધારે માંડવીએ દાણ લેવાની થયેલી શરતો રજૂ કરતો એક શિલાલેખ આજે પણ માંડલમાં રામજી મંદિરમાં સચવાઈ રહ્યો છે. તેમાં સંધિની તારીખ ઈ.સ. ૧૪૧૮ના પોષ વદી શુક્રવાર આપેલી છે.૨૨ એક વાર વિપ્લવમાં બાદશાહ નંદરબાર ગયા હતા. તે સમયનો લાભ લઈને માંડલ, માળવા અને ઇડર એમ ત્રણના રાજવીઓએ આક્રમણની તૈયારી કરી, પણ આની જાણ બાદશાહને થતાં બાદશાહ આવી ગયા. તેથી માળવાના સુલતાન હોશાંગશા અને ઇડરનો રાવ પૂંજો યુદ્ધ કર્યા વગર જતા રહ્યા હતા. ત્યારે સત્રસાલજી બાદશાહની ફોજ સામે લડ્યા. પાછળથી તેઓએ નાસી જઈને સૌરાષ્ટ્રમાં આશ્રય લીધો હતો. ત્યારબાદ જૂનાગઢના ‘રા' ચુડાસમાની મદદથી તેણે બાદશાહ ઉપર બીજી વાર આક્રમણ કર્યું. આ ચુડાસમા તે જ મંડલિક તરીકે જાણી શકાય છે. આમ બે વાર આક્રમણ પછી પણ ત્રીજી વારના આક્રમણ વખતે બાદશાહે સંધિ કરી હતી. કારણ કે સત્રસાલજી જેવા વીરને પરાસ્ત કરવા મુશ્કેલ હતા. આમ જોઈએ તો માંડલના સત્રસાલજી, ઈડરના રાવ પૂંજા અને ચાંપાનેરના પતાઈ રાવળ–એ ત્રણ બહાદુર હોવાથી તેમણે ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત ને સ્થાયી ન થવા દેવા માટે સંયુક્ત પ્રયાસો કર્યા હતા. આથી ત્રણેય રાજવીઓએ જીવ્યા ત્યાં સુધી બાદશાહ સામે આક્રમણો કર્યાં હતાં. અને બાદશાહને આજીવન જંપીને બેસવા દીધો ન હતો. આથી બાદશાહ કાંઈ નક્કર કામ કરી શક્યો નહોતો. સત્રસાલજી માંડલગઢના મહારાજા કહેવાતા. આ કારણે માંડલનો મૂળ કિલ્લો પથ્થરનો હોઈ તે ખૂબ જ મજબૂત હશે અને તેથી જ સત્રસાલજી તથા તેમના પિતા અને પિતામહે માંડલમાં ગાદી સ્થાપી હશે. ઝાલાવાડમાં પાટડી અને વીરમગામના કિલ્લાઓ પ્રથમ ઈંટના કિલ્લા હતા. જ્યારે માંડલમાં પ્રથમથી જ પથ્થરનો કિલ્લો જોવા મળે છે, જે આજે પણ થોડોક જોવા મળે છે. અને એટલે જ છેક સાતમા સૈકામાં થયેલા સિંધના સૂબા જુનૈદના આક્રમણ પછીથી માંડીને છેક ઓગણીસમી સદીના પ્રારંભ કાળ સુધી થયેલા મુસ્લિમ-મરાઠા તથા પેશ્વાઓનાં આક્રમણો સામે એ અનેકવાર ટકી શક્યો હતો. એથી જાણવા મળે છે કે સૌ પ્રથમ વનરાજ ચાવડાએ આ મજબૂત ગઢ બાંધ્યો હશે, જે પરાવાસ(પટેલવાસ)ને ભરડો લઈ ઊભેલા અંતગઢમાં સૈન્ય માટે દારૂગોળો, કોઠા પાસે અનાજ ભંડારો તથા લડાયક સાધન-સામગ્રીઓ રાખવામાં આવતી. આ કિલ્લાને ખૂબ મજબૂત અને પહોળો બનાવવામાં આવ્યો હશે. આજે પણ કેટલીક જગ્યાએ પાંચ ફૂટ પહોળો લગભગ જોઈ શકાય છે. ચોરા પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ઘ ૨૧ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા દવાખાનાને ફરતો આવેલો રાજગઢ એ રાજકીય કુટુંબ તથા રાજમહેલને સુરક્ષિત રાખવા માટે બંધાયેલો હશે, જ્યારે ગામની ફરતો ગઢ તો ખૂબ વિશાળ જગ્યા રોકીને પડેલો હતો. મહંમદશાહ બાદશાહના હરીફોમાં ગુજરાતમાં ઇડરનો રાવ પૂંજો, ચાંપાનેરનો પતાઈ રાવળ અને માંડલનો સત્રસાલજી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના રા ચુડાસમા મુખ્ય હતા. જૂનાગઢમાં પાછળથી રા માંડલિક ગાદીએ આવ્યા હોઈ આ સમયે માંડલ અને જૂનાગઢ બંને રાજ્યો વચ્ચે ગાઢ સ્નેહસંબંધ બંધાયો હતો, જે આપણે આગળ જોઈ ગયા કે માંડલના સત્રસાલજીએ બાદશાહની ફોજથી ભાગીને જૂનાગઢમાં આશ્રય લીધો હતો. તેમાં વળી બંનેનાં નામોમાં ખાસ કરીને મંડલી શબ્દ આવતો હતો કારણ કે માંડલ ત્યારે મંડલી કહેવાતું હતું. ઉપરોક્ત જૂનાગઢના રા માંડલિકને માંડલ સાથે મિત્રતા હોવાથી ક્યારેક માંડલમાં પણ આવી થોડા વખત રોકાયા હોય અને ત્યારે પ્રજાના દિલમાં એમણે આદરભર્યું સ્થાન મેળવી લીધું હોય જેથી ઘણા લોકોએ માંડલ સાથે એમનું નામ જોડી દીધું લાગે છે. આથી આજે પણ માંડલવાસી લોકોના મુખે તો માંડલિક જ માંડલનો રાજા સંભળાય છે, પણ એ કેવળ માંડલના રાજવીઓનો હિતેચ્છુ મિત્ર જ હતો, નહીં કે રાજા. માંડલમાં ઈ.સ. ૧૪૦૮ થી ૧૪૨૦ સુધીના પોતાના ૧૨ વર્ષના અમલ દરમ્યાન સત્રસાલજીએ પ્રથમ બાડમેર કોટડામાં પિતાને છોડાવ્યા હતા અને ત્યાંથી માંડલ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. આવા સમયે ઝાલાઓનો શિરોમણિ ઝાલાવાડના મહારાજા માંડલગઢનો કહેવાય છે પણ માંડલમાં એનાં ગુણગાન ગવાય એવું એક પણ સંસ્મરણ રહ્યું નથી. એમનો બાર વર્ષનો સમય અમદાવાદના અહમદશાહ બાદશાહ તથા મુસ્લિમ સત્તા સામે લડવામાં ગયો છે. એને આથી એવાં સ્થાપત્યો ને સ્મૃતિચિહ્નો ઊભાં કરવાનો સમય નહોતો મળ્યો. માંડલને આવું ગૌરવ અપાવનાર સત્રસાલજી મહાન રાજવી હતા. એમણે ઊભા કરેલા એક શિલાલેખ સિવાય એમની કશી જ સ્મૃતિ હાલ દેખાતી નથી. તે માંડલ માટે એક દુઃખની વાત છે. એક નોંધને આધારે જાણી શકાય છે કે માંડલમાં બળવાને નાથવા માટે મહમૂદ બેગડાએ વિશાળ સેના અને એક હજાર હાથીઓ પણ સાથે યુદ્ધમાં મોકલ્યા હતા. મહમૂદ બેગડાના વિશાળ સૈન્યને મહારાજા સત્રસાલજી અને યુવરાજ જેતસિહે હરાવીને તેમની વીરતા બતાવી હતી. ઈ.સ. ૧૪૨૦ ના રોજ સત્રસાલજીનું અવસાન થતાં તેમના પુત્ર યુવરાજ જેતસિંહજી ગાદીએ આવ્યા હતા.૨૫ જેતસિંહજી માંડલની ગાદીએ આવ્યા બાદ પિતાની જેમ જ બાદશાહ સામે તેમનો વિપ્લવ ચાલુ જ રાખ્યો હતો. ઈ.સ. ૧૪૨૪માં બાદશાહ સામે ભારે આક્રમણ કરવામાં આવ્યું હતું. આ વખતે બાદશાહે દક્ષિણના બહ્મનીના સુલતાનની મદદ લીધી હતી. તેથી બાદશાહથી રાજ્યને સહીસલામત રાખવા માટે તેમણે માંડલની કૂવા ગામે ગાદી સ્થાપી હતી. પરંતુ ત્યાંના સ્થાનિક ભીલ કોળી સાથે ઉગ્ર લડાઈ લડ્યા પછી તે ગામનું નામ કંકાવટી રાખવામાં આવ્યું, જેની નોંધ પ્રાંગધ્રા રાજના દફતર પ્રમાણે ઈ.સ. ૧૪૨પના કાર્તિક સુદિ ૯ ગુરુવારે ત્યાં ગાદી બદલી હતી. ત્યાં તેઓ ઈ.સ. ૧૪૪૧ સુધી રહ્યા હતા. તેમના મૃત્યુ પછી તેમનો મોટો પુત્ર વનવીર કે રણવીર ગાદીએ આવ્યો. કૂવાના એક પુરાણા કૂવાની દીવાલ ઉપર “રાણશ્રી રણવીર” અક્ષરો મળે છે. એટલે અહીં રાજધાની બદલી ત્યારે જેતસિંહ પછી તેમના પુત્ર રણવીરે આવીને શહેરની આબાદી કરી છે તેવું માલુમ પડે છે. ૨૭ રણવીર ૧૪૬૦માં મરણ પામતાં ભીમસિંહ ગાદીએ આવ્યા તેની એક નોંધ “રાણાશ્રી ભીમ” એવો ઉલ્લેખ મળે છે તેથી તે રાણા રણવીરનો પુત્ર ભીમસિંહ હોઈ શકે તેવું માલૂમ પડે છે. તેણે કૂવામાં માત્ર વાવ બંધાવી હતી. ભીમસિંહ પછી તેનો પુત્ર વાઘજી ઈ.સ. ૧૪૭૯ માં ગાદી પર બેઠો હતો. એના સમયનો એક શિલાલેખ મળે છે તેમાં સંવત ૧૫૩૯ના માઘ સુદિ ૧૩ શુક્રવાર (તા. ૧-ર-૧૪૮૨) છે. એમાં સાર્વભૌમસત્તા “પાલસાથી મહમૂદ”ની અને પ્રદેશ-સત્તા “રાણથી વાઘજી”ની સૂચવાઈ છે. ૨૮ એથી માલૂમ પડે છે કે વાઘજી ત્યાંનો સત્તાધીશ હતો. તેના સમયમાં મહેમૂદ બેગડો કૂવા પર ચઢી આવ્યો હતો. એથી તે બનાવ પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૂવાનાં વેર' તરીકે જાણીતો છે. આમ જેતસિંહ પછી માંડલથી કૂવા અને ત્યારબાદ હળવદ તેમ રાજધાનીઓનું સ્થળાંતર થતું રહ્યું. પણ માંડલ પર ઝાલાઓની જગ્યાએ મુસ્લિમ બાદશાહનું આધિપત્ય સ્થપાયેલું જોવા મળે ઝાલાઓએ માંડલમાંથી સ્થળાંતર કર્યા બાદ લગભગ ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ-મુઘલ બાદશાહોનો અમલ રહ્યો હતો. પણ ઈ.સ. ૧૭૪૦માં મરાઠા સરદાર રંગોજીએ વીરમગામની જાગીર પાટીદાર ભાવસિંહજી પાસેથી પડાવી લઈને તેના કરાર પ્રમાણે પાટડીની જાગીર અને તેની આજુબાજુનાં ૨૦ ગામો આપ્યાં હતાં. માંડલ-વીરમગામનો ઇતિહાસ જોતાં માલૂમ પડે છે કે મહમૂદ બેગડા પાસેથી વીરમગામની જાગીર મળી ત્યારે ઝાલાઓ પાસે માંડલ- વીરમગામ અને પાટડી જેવાં ગામો હતાં. તેથી પાટડીની સાથે તાબામાં મળેલું માંડલ ગામ હોઈ શકે. આથી ભાવસિંહજીના ભાઈ વેણીદાસને માંડલ જાગીર તરીકે આપ્યું હતું. તેમને માંડલની જાગીર સાથે વરમોર, વીંઝુવાડા તથા વનપરડી એમ ૩ ગામો પણ તેમને મળ્યાં હતાં. તેમાં માંડલની જાગીર સંભાળ્યા બાદ તેમણે માંડલનો કિલ્લો જે અનેક આક્રમણોને કારણે જર્જરિત થયેલો હતો તે પુનઃ સમરાવ્યો હતો. ઈ.સ. ૧૭૪૭માં નવો કિલ્લો પરાના દરવાજાથી શરૂ કરીને હાલના ગામ ફરતો બંધાવવાનો શરૂ કર્યો હતો. પણ કોઈ કારણોસર પૂરો થઈ શક્યો નહોતો. એ કિલ્લાની યોજના પ્રમાણે વાટાવાસ, ભરવાડવાસ અને હરિજન મહોલ્લા બહારથી એને લંબાવવાની યોજના હતી તેમજ છનિયારી ભાગોળે દરવાજો મૂકવાની યોજના હતી. તેનું નામ “લાલીનો દરવાજો” આપવામાં આવેલું. આ કિલ્લો ત્યાંથી લંબાવીને વાઘરીવાસ પાછળના તળાવના કાંઠે કાંઠે આગળ વધારીને આજની સરકારી શાળાની દીવાલ સુધી લંબાવવાનો હશે. ગમે તે કારણોસર તે પૂરો કરી શક્યો નહોતો. ઈ.સ. ૧૭૫૦માં વેણીદાસ તેમના ભાઈ ભાવસિંહજી પાસેથી ૬ હજારની ફોજ લઈને કાઠિયાવાડની મુલ્કગીરી ઉઘરાવવા ગયા હતા. તેમાં ઝિંઝુવાડાના તાલુકદારે સલામી આપવાની આનાકાની કરતાં તેમના તાબાનાં સુરેલી અને ઘામા જેવાં ગામો લૂંટાયાં અને સલામી વસૂલ કરી હતી." આ ઉપરાંત તેમના પિતાનું દગાથી ખૂન કરનાર અલીટાકે લૂંટારાની ટોળકી જમાવી હતી. એણે આ સમયે વીસાવડી ગામ લૂંટ્યું હતું. તેણે દસાડા ગામે મુકામ રાખ્યો હતો. તેની જાણ વેણીદાસને થતાં તેમના મોટાભાઈ ભાવસિંહજી સાથે મળીને દસાડા પર ચડાઈ કરીને પિતાના ખૂનીને મારી નાખ્યો હતો. પણ તે સમયે અલીટાંકનું વેર લેવા માટે અમદાવાદના સૂબા શેર બુલંદખાનના પુત્ર કમાલુદીન બાબીએ માંડલ પર ૭ હજારની ફોજ લઈને આક્રમણ કર્યું. તેમાં બાબીની સખત હાર થઈ; જો કે આ સંગ્રામમાં દેસાઈ ભાવસિંહજીનું મૃત્યુ થયું હતું. પણ માંડલનો કિલ્લો બચાવી લીધો હતો. થોડાં વર્ષ સુધી વેણીદાસે માંડલમાં રાજય ભોગવ્યું હતું અને પછી મૃત્યુ થયું હતું. વેણીદાસના મૃત્યુ બાદ તેમના પિતરાઈ ભાઈ જેઠાભાઈ પટેલ માંડલની ગાદીએ આવ્યા હતા. તે પરાક્રમી અને બળવાન હતા. કાઠિયાવાડમાં તેમની ધાક હતી. પેશ્વાઓના તે માનતા હતા. આથી પેશ્વાઓની સૌરાષ્ટ્રમાં મુલ્કગીરી ઉઘરાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. આથી તે જ્યારે મુલ્કગીરી ઉઘરાવવા નીકળતા ત્યારે રાજાઓ અને તાલુકાદારો તેમને આવતા જોઈને નમી પડતા અને મુલ્કગીરી આપી દેતાં. આવા તે બહાદુર હોવાથી એક સમયે હળવદના મહારાજા ગજસિંહ પાસે ચડી ગયેલા રૂ. બે લાખની ખંડણી વસૂલ કરવા તેઓ સૈન્ય વિના લેવા ગયા પરંતુ તે સમયે મહારાજા મૃત્યુ પામેલા હોઈ એમની વિધવા રાણી જીજીબાઈ રાજય ચલાવતાં, કારણ કે નવા મહારાજ જશવંતસિંહ હજુ નાના હતા. આમ, છતાં જેઠાભાઈએ તેમને ધમકી આપી કે ગમે તેમ કરી ખંડણી ભરી જવી. તે સમયે જીજીબાઈએ તેમ પણ કહેલું કે વઢવાણના ઠાકોરે મારું રાજ્ય પાયમાલ કર્યું છે તેથી થોડો સમય આપો. પણ જેઠાભાઈ તો પોતાના વચનનું પાલન થાય તેમાં માનતા હતા. પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૩ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ ત્યાંથી આગળ ખંડણી વસૂલ કરવા ચાલી નીકળ્યા. હળવદના સ્વર્ગસ્થ મહારાજને ચુંવાળના પનાર ગામના ઠાકોર કૃપાજીની સાથે દોસ્તી હતી. તેથી રાણી તેને ભાઈ કહી બોલાવતી. આથી કૃપાજીને રાણીએ બોલાવીને કહ્યું કે તમે જયાં સુધી માંડલના જેઠાભાઈને ખતમ નહીં કરો ત્યાં સુધી એ મને જંપીને રહેવા દેશે નહીં. આથી કૃપાજી જેઠાભાઈને મારવા લાગ જોતા હતા. તેવામાં જેઠાભાઈ પટેલ અમદાવાદથી પેશ્વાની વતી ચુંવાળના ચરીઆળ ગામને તોરણ બાંધવા ગયા. ત્યાં કૃપાજીએ જેઠાભાઈ નિઃશસ્ત્ર હતા ત્યારે ફસાવીને હુલ્લો કર્યો જેથી જેઠાભાઈ તલવારના ઘા વાગતાં મરણ પામ્યા. આ ઘટના ઈ.સ. ૧૭૮૩માં બની હતી.' જેઠાભાઈ પટેલ વીર તથા મુત્સદી અને શરાફ પણ હતા. અમદાવાદના સૂબા જવામર્દખાન બાબી ઉપર પેશ્વાઓએ આક્રમણ કરેલું ત્યારે તેઓએ વચમાં રહીને બંનેને સમજાવ્યા હતા જેથી બાળીને રામપુર-ખેરાલુ જેવાં પાંચ પરગણાં આપવાની શરતે પેશ્વાઓને અમદાવાદ આપવાનું નક્કી થયું હતું. (ઈ.સ. ૧૭૫૩) પાછળથી બાબીએ વણોદ ઉપર આક્રમણ કર્યું ત્યારે જેઠાભાઈએ તેમને મદદ કરી હતી." જેઠાભાઈ માટે એક દંતકથા એવી છે કે તેઓ એક મોટા શરાફ પણ હતા. જેટલા રૂપિયાની એમના પર હૂંડીઓ લખાતી તેટલા રૂપિયા એ તરત જ જુદા મુકાવતા. એક વાર તેમની આબરૂ લેવા લાંબા વખત પછી એક જ દિવસે બધી જ હૂંડીઓ વટાવવાનો એમના પર મારો ચાલ્યો, પણ એમણે સહુના રૂપિયા તરત જ ગણી આપી બધાને આશ્ચર્યમાં નાંખી દીધા હતા. જેઠાભાઈ આવા વીર હતા. તેમના મૃત્યુ બાદ પત્ની માણેકબાઈએ પોતાના પતિને દગાથી મારનાર કૃપાજી ઠાકોર(મકવાણા)ના ગામ પનાર પર સવારી કરી ગામ લૂંટ્યું, બાળ્યું અને કૃપાજીને પકડી-મારીને વેર લીધું હતું. માણેકબાઈ ભારે ધૈર્યવાન સ્ત્રી હતી. તેમણે માંડલનો વહીવટ પોતાના બાળપુત્રના નામે ચલાવ્યો. માણેકબાઈ બુદ્ધિશાળી, રાજકુશળ, વ્યવહારદક્ષ, પતિવ્રતા નારી હતાં. માણેકબાઈ વિશે અનેક દંતકથાઓ છે. તેઓ રાજ્યવહીવટ કરતાં અને દરવાજાના ઝરૂખે એ દાતણ કરવા બેસતાં અને તે સમયે તેના રાજયનાં દુઃખી લોકોની ફરિયાદો સાંભળતાં અને યોગ્ય ન્યાય આપતાં. માણેકબાઈ એક વીરાંગના હતાં. તેટલાં તે આક્રમણખોરો સામે પ્રસંગે તે રણચંડિકા બનતાં. માણેકબાઈ દુશ્મનો સામે હુમલો કરતી વખતે પુરુષોનો પોશાક પહેરતાં અને ઘોડેસવારી કરીને સૈન્યની મોખરે રહીને તે સામનો કરતાં. તેની યાદ તાજી કરતો માંડલમાં આજે પણ “માણેકબાઈ દરવાજો” જોવા મળે છે. ૩૮ માણેકબાઈ જ્યાં સુધી જીવતાં ત્યાં સુધી તેણે મુસ્લિમ-મરાઠા તથા લૂટારુ ટોળીઓના હુમલાઓનો સામનો કરીને પરાસ્ત કર્યા અને માંડલના ધ્વજને નમવા નહોતો દીધો. માંડલના ઇતિહાસમાં આ એક જ નારીએ રાજવહીવટ સંભાળ્યો છે. આ માણેકબાઈએ પુત્ર નાનો હોઈ કુશળ રાજવહીવટ સંભાળ્યો હતો. જ્યારે પુત્ર દેવીસિંહજી ઉમર લાયક થતાં રાજ્યનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો હતો. દેવીસિંહજીએ માંડલની ગાદીનો વહીવટ સંભાળ્યો તે સમયે પેશ્વાના સૂબા ત્રંબકજીએ તેમની પાસે પેશકસી માગી. તેઓ પોતાની સ્વતંત્ર સનદ મેળવવા પેશ્વાની પાસે પુના ગયા હતા. પરંતુ ઈ.સ. ૧૮૧૭માં પેશ્વા બાજીરાવ બીજાએ તેમના સેનાપતિ બાપુ ગોખલેની સાથે મળીને અંગ્રેજ સરકાર સામે વિગ્રહ કર્યો હતો. આથી દેવીસિંહે આ પ્રસંગે બાજીરાવ બીજાની પડખે રહી અંગ્રેજો સામે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. યુદ્ધમાં ભારે વીરતા બતાવીને પેશ્વાની ચાહ મેળવી લીધી હતી, પણ અંગ્રેજોના છેલ્લા આક્રમણમાં બાજીરાવ બીજો પકડાતાં તેમને બચાવવા માટેના મરણિયા પ્રયાસમાં દુશ્મનોની સામે લડતાં તેઓ પણ વીરગતિને પ્રાપ્ત થયા હતા. આમ ઈ. સ. ૧૮૧૮માં પેશ્વાનો પરાજય થતાં અને પછી ગાયકવાડ સાથે સંધિમાં થયેલા કોલકરાર પ્રમાણે ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લીધો હતો. આમ અમદાવાદ જિલ્લો અંગ્રેજોના હાથમાં આવવાથી માંડલને ખાલસા કરવામાં આવ્યું હતું. પણ દેવીસિંહના પુત્ર ફતેસિંહજીને છૂટોછવાયો ગરાસ તથા પથિક 2માસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૨૪ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરમગામની પટલાઈ આપવામાં આવી હતી. ત્યારબાદ ફતેસિંહજીના પૌત્રના પૌત્ર શંકર મુખીએ છેલ્લે માંડલમાં મહાદેવના મંદિરની જમીન વેચીને માંડલનું સંભારણું છોડી દીધું હતું.૩૯ માંડલ અંગ્રેજી હકુમત હેઠળ આવવાથી તેની સ્વતંત્રતા છિનવાઈ ગઈ, પણ જયારે ભારતમાં રાષ્ટ્રીય ચળવળની શરૂઆત થઈ ત્યારે ફરી તે માંડલની જનતાએ તેમાં પોતાનો સૂર પુરાવ્યો અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં તેણે પોતાનો ફાળો આપ્યો હતો. ૧૮૫૭ના બળવામાં બળવા પછી અંગ્રેજોની ધાકને કારણે પ્રજા જયારે સત્ત્વહીન, ડરપોક અને ભીરુ બની ગઈ હતી ત્યારે પ્રજામાં નિર્ભયતા, સ્વમાન, રાષ્ટ્રભક્તિ અને સ્વતંત્ર વિચારણાનું જવલંત તેજ પાડનાર અને એ રીતે પ્રજાનું ઉત્થાન કરનાર જે પ્રથમ ક્રાંતિકારી વીર શાહ મફાભાઈ માંડલને આંગણે જન્મ્યા હતા. ઈ.સ. ૧૯૦૫માં બંગભંગની ચળવળથી ગામમાં વર્તમાનપત્રો વંચાતાં શરૂ થયાં અને શેરીએ શેરીએ સ્વદેશી વ્યાખ્યાનો થવાં લાગ્યાં. તેમાં મુખ્ય સૂત્રધાર શાહ મફાભાઈ, દોશી આશાભાઈ તથા શાહ વીરચંદ હતા.૦ ઈ.સ. ૧૯૧૭ થી મહાત્મા ગાંધીજીનું નામ લોકજીભે રમતું થયું. ૧૯૧૯માં ગાંધીજીની ધરપકડ પછી તોફાનોમાં માંડલ મોખરે હતું. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં ખાદી ધારણ કરવાનો ઠરાવ પસાર થતાં માંડલમાં યુવાનોએ તરત જ કંતાવી-વણાવીને જાડી ખાદી પરિધાન કરી લીધી હતી અને વિદ્યાપીઠના ખાતમુહૂર્તના એ પ્રસંગે અમદાવાદમાં માંડલના યુવાનોએ હાજરી આપીને માંડલનું નામ હરકોઈને મોઢે ગવાતું કર્યું હતું. ગામમાં રાષ્ટ્રીયતાનો જુસ્સો હતો, જાગૃતિ હતી અને દેશને માટે કરી છૂટવાની તમન્ના પણ હતી. તે સમયે માંડલમાં સરદાર પટેલ અને દેશભિક્ષુ મણિલાલ કોઠારી આવ્યા. તેઓ યુવાનોનો જુસ્સો જોઈ ખુશ થયા હતા. સરદારના આવવાથી અને રાષ્ટ્રીય કાર્યક્રમો ઉપરાંત પરદેશી કેળવણીના બહિષ્કારથી પ્રભાવિત થઈને માંડલમાં પ્રથમ રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. એનું નામ મોહનદાસ ગાંધી રાષ્ટ્રીય શાળા રાખવામાં આવ્યું. માંડલમાં મહાત્મા ગાંધી વિનયમંદિર નામે શાળા આજે પણ અસ્તિત્વમાં જોવા મળે છે. આ શાળામાં રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનોએ શિક્ષણકાર્ય ઉપાડી લીધું. સાથે ખાદી, રેંટિયો ગૂંજતાં થયાં, ગામડે-ગામડે પ્રચાર તથા તિલક સ્વરાજય ફાળો કરવા તથા કેંગ્રેસના સભ્યો બનાવવા યુવાનો ગામડે ગામડે પહોંચી ગયા હતા. દારૂના પીઠા પર પિકેટિંગ, પરદેશી કાપડની હોળી, શિક્ષણ કાર્યની જવાબદારી, ગામડાઓમાં પ્રચાર, ઉપરાંત પ્રભાતફેરી, સભા, સરઘસો, નેતાઓનાં સ્વાગતો તથા કાંતણના કાર્યક્રમો શાળામાં થતા. આમ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું શાળા જ કેન્દ્રસ્થાન બની. આ શાળામાં ત્યારે શકરચંદ દેવ, શાહ લીલાચંદ, શાહ મફાભાઈ, વહોરા અમૃતલાલ, વહોરા મણિલાલ, પટેલ રામભાઈ, શાહ ઉત્તમચંદ, દોશી આશાભાઈ, શાહ રતિલાલ, રતાજી ઠાકોર, વહોરા છોટાલાલ, શાહ વીરચંદ જેવા કાર્યકરોએ આ પ્રવૃત્તિને વેગીલી બનાવી હતી. માંડલમાં પ્રભાતફેરીમાં ત્યારે ર૦૦ તો ક્યારેક ૭૦૦ થી ૮૦૦ માનવી પણ જોડાતા. માંડલના આવા ઉત્સાહને કારણે નેતાઓ આવતા તો તેમની વ્યવસ્થા તથા કાર્યક્રમો થોડીક વારમાં થઈ જતા હતા. ઈ.સ. ૧૯૨૧માં અમદાવાદ મુકામે ભરાયેલ કોગ્રેસ અધિવેશનમાં જાજરૂની સફાઈ કરવાનું કામ તે સમયે મેરાઈ મફતભાઈ, ઠક્કર પ્રભુદાસજી તથા શાહ સાંકળચંદ જેવા માંડલના કાર્યકરોએ કામ બજાવીને માંડલને એમણે પણ પ્રતિષ્ઠિત બનાવ્યું હતું. આ ઉપરાંત ઈ.સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ સમયે વિદેશી કાપડ તથા. દારૂના પીઠા પર પિકેટિંગ કરનારા તથા નમક સત્યાગ્રહ કરનારા એમ ત્રણ પ્રકારના સ્વયંસેવકોની છાવણીમાં તેઓ ગાજી રહ્યા હતા. જ્યારે માંડલની શાળાના એક ભાગમાં શિક્ષણકાર્ય ચાલતું ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય કાર્યક્રમો થતા. આથી ઘણીવાર પોલીસે રેડ પણ અહીંયાં પડી હતી. નમક સત્યાગ્રહના કાર્યક્રમોમાં એક દિવસ માંડલના ૬૦-૭૦ સ્વયંસેવકોએ ખારાઘોડા ઉપર આક્રમણ કરીને મીઠાના થેલા ભરી લાવ્યા હતા. પરંતુ મિ. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૫ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિયર્સની આગેવાની હેઠળના પોલીસોએ આ સ્વયંસેવકો ઉપર આક્રમણ કરતાં તેમાં કેટલાક ઘાયલ થયા હતા, જેમાં વૈદરાજ ચીમનલાલ મોખરે હતા. માંડલમાં સભા, સરઘસ અને પકડાપકડી જેવાં કાર્યોની વાત સાંભળીને દેશના નેતાઓ આવતા અને માંડલની પ્રજામાં ઉત્સાહને વધારતા હતા. આમાંના કેટલાક સ્વયંસેવકોએ જેલ યાત્રાઓ ભોગવીને દેશની આઝાદીના જંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.] ઈ.સ. ૧૯૩૧માં પ્રથમ તાલુકા પરિષદ ભરાઈ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પધાર્યા હતા. અને શાળાની મુલાકાત લઈને કહ્યું હતું કે માંડલ તો રણમાં એક મીઠી વીરડી જેવું સ્થાન છે. હરિપુર કેંગ્રેસમાં અધિવેશનમાં “માંડલના ૧૫૦ સ્વયંસેવકોએ તેમાં ભાગ લીધો હતો. માંડલની પ્રજાએ રાષ્ટ્રીય આઝાદીના દરેક કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. પછી તે બંગભંગની ચળવળ હોય કે ૧૯૪૨ની 'હિંદ છોડો' ચળવળ કે પછી ખિલાફત આંદોલન હોય તે સર્વમાં ઉમંગથી રાષ્ટ્રીય ભાવના દાખવી હતી. આ બધી તપસ્યાઓના ફળ રૂપે આઝાદી આવી ત્યારે માંડલવાસીઓના આનંદનો પાર નહોતો. એ આનંદમાં એમણે આખું ગામ શણગાર્યું અને બાળકોને જમણ આપ્યું હતું, જનતામાં મિઠાઈઓ વહેંચી, ૧૯૪૭ના ઑગસ્ટની ૧૪મીની રાત્રે ૧૨ વાગ્યે અતિભવ્ય મશાલ-સરઘસ કાઢી જીવવાની ધન્યતા માણી. એમાં હરિજન, ભંગી, વાઘરીથી માંડી સમાજના સર્વ વર્ગનાં બાળકો, સ્ત્રીઓ, પરષો, વૃદ્ધો વગેરે લોકોએ ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. કારણ કે દરેકના હૈયામાં આઝાદીનો એક જ ધબકાર ચાલી રહ્યો. આથી આઝાદીનો સૂર્ય ઊગતાં ઑગસ્ટની ૧૫મીએ ૬૨-૬૨ બળદની જોડીથી હંકારાતા રથમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી લોકોએ જે ભવ્ય સરઘસ કાઢ્યું અને ઘેર ઘેર તોરણો બાંધી લાપસીઓ રાંધી, એ માંડલના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેવા સર્જાયેલો એક અદ્ભુત પ્રસંગ હતો. આમ ઈ.સ. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ દેશ આઝાદ થતાં માંડલ પ્રદેશમાં આજે સીધો ભારત સરકારનો અમલ ચાલે છે. માંડલ આધુનિક યુગમાં પ્રવેશતાં તેની પ્રગતિની દષ્ટિએ જોઈએ તો ઈ.સ. ૧૯૪રમાં પંચાયત, ઈ.સ. ૧૯૫૮માં બાળક્રીડાગણ અને બોટિંગ તથા ૧૯૬૦માં રાષ્ટ્રીય શાળાનું નવું મકાન બંધાવ્યાં. (શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ) ૧૯૬૩માં નાડોદા રાજપૂત છાત્રાલય, બાલમંદિર, નવું બોટિંગ તથા ૧૯૬માં વીજળી આવી. ૧૯૬૯માં સંતશ્રી રામાનંદ સરસ્વતી ધ્યાનમંદિર તેમજ ૧૯૫૭માં મદરેસાનું વિશાળ મકાન બંધાયું." બાકી આજના વૈજ્ઞાનિક યુગમાં વિશ્વની દોડ સાથે ભૌતિક પ્રગતિ અમુક અંશે તો થઈ છે પણ માનવજીવનની ખરી પ્રગતિ તો શ્રમ, સહકાર અને સંપપૂર્વક કામ કરવામાં અને એ રીતે માનવ હૈયામાં ધબકતી ભક્તિ ભાવના અને પ્રેમની લાગણીઓને વિકસાવવામાં રહેલી છે. માંડલની ખરી મહત્તા તો એની ગતિશીલતા અને જગતના પ્રવાહો સાથે દોડવાની અને નિત્ય પરિવર્તન પામતા સંસારને અનુરૂપ જીવન ગોઠવવાની એની આવડતમાં છે. માંડલની પ્રજામાં જે કંઈ પ્રાણશક્તિ છે, તેજસ્વિતા છે, થનગનાટ છે એની પાછળ એની આ જ વિશિષ્ટ પ્રકૃતિ કામ કરી રહી છે. એથી ક્યારેક શરૂ શરૂમાં નિષ્ફળતા મળવા છતાં દરેક ક્રાંતિનો મંગલ ઘોષ પ્રથમ અહીંથી જ ઊઠતો રહ્યો છે. માંડલ વિશે અંતમાં આ પંક્તિ દ્વારા આ લેખ સમાપ્ત કરું છું “અણિ માંડવ્ય ઋષિની છે તપોભૂમિ, વનરાજ ચાવડાની વીરભૂમિ, મૂળરાજ સોલંકીની છે ધર્મભૂમિ, વસ્તુપાળ-તેજપાળની છે જન્મભૂમિ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, માગધી કોષકાર પંડિત હરગોવિન્દદાસજી, શ્રી ન્યાયવિજય, શ્રી શાંતિ પ્રસારજી મહારાજની છે જ્ઞાનભૂમિ, શ્રી રામાનંદ સરસ્વતી સ્વામીની છે કર્મભૂમિ, ગાંધીયુગની છે સત્યાગ્રહ ભૂમિ, નવયુગની છે પ્રેરણાભૂમિ, માંડલજનોની છે પુણ્યભૂમિ.” પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p ૨૬ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદટીપ ૧. માંડલ ગ્રામ પંચાયતનો અહેવાલ, ૧૯૬૨ થી ૧૯૬૭, પૃ. ૪ ૨. શાસ્ત્રી દુ.કે, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ', ભાગ-૧, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૭, પૃ. ૨ ૩. શાહ રતિલાલ મફાભાઈ, “મખવાણાનો ઇતિહાસ’, ભાગ ૧, માંડલ, ૧૯૬૮, પૃ. ૩૦ ૪. શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર (ભાષાંતરકર્તા), પદ્મપુરાણ', સસ્તું સાહિત્ય, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૫૦૬ ૫. માંડલ ગ્રામ પંચાયત અહેવાલ, ઉપરોક્ત, પૃ. ૫ ૬. વિદ્યાલંકાર સત્યકેતુ, “મૌર્ય સામ્રાજ્ય કા ઇતિહાસ', શ્રી સરસ્વતી સદન, મસૂરી ૧૯૭૧, પૃ. ૫૦૨ ૭. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૩૨ C. Elliot & Dowson, History of India as told by its own Historians, Vol. 1, London, 1876, p. 125 ૯. શાહ રતિલાલ મફાભાઈ, ‘વનરાજ ચાવડો', માંડલ, ૧૯૭૦, પૃ. ૨૦, વધુ વિગત માટે મેરૂતુંગાચાર્ય, પ્રબંધચિન્તામણિ', શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૧૧૮ ૧૦. શાસ્ત્રી દુ.કે., ઉપરોક્ત, પૃ. ૪૯ ૧૧. પરીખ ૨. છો. અને શાસ્ત્રી હ.ગં, “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૪, શેઠ . ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ ૧૯૭૦, પૃ ૧૨. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૩૫ ૧૩, રાવલ પદુભાઈ, ખંભલાય મંદિરના પુજારીની મુલાકાતને આધારે. ૧૪. પરીખ ૨,છો. અને શાસ્ત્રી હ.ગં, ઉપરોક્ત, પૃ. ૪૦ ૧૫. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૂ. ૪૦, 9€. Elliot & Dowson, op.cit, p. 205 ૧૭. માંડલ ગ્રામ-પંચાયત અહેવાલ ઉપરોક્ત, પૂ. ૧૦ al. Gazetteer of the Bombay Presidency, Vol. 1, Part 1, History of Gujarat, Bombay Government Central Press, Bombay, 1896, p. 308 ૧૯, અનુવાદ (ગુજરાતી) નાયક ર.છો. (નદવી મૌલાના સૈયદ અબુદઝફર – (ગુજરાતની તમદૂની તારીખ), “ગુજરાતનો ઇતિહાસ' ભાગ ૨, અમદાવાદ, ૧૯૪૧, પૃ. ૬૦ ૨૦. ઝાલા બલવંતસિંહ મ., ‘ઝિંઝુવાડા ઝાલાવંશનો ઇતિહાસ, ઝાલા સમાજ ઝિંઝુવાડા, ૧૯૯૩, પૃ. ૩૦ 29. Misra S.C. & Rheman R.L., The Mirat I, Sikandari 4, The M.S.Uni., Baroda, 1961, p. 145 22. Epigraphia Indica, Vol. II, 1983, p. 28 23. Diskalkar D.B., Insciptions of Kathiawad, Bombay, 1938-41, p. 67 ૨૪. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૪૨ ૨૫. પરીખ ર.છો. અને શાસ્ત્રી હ.ગં, “ગુજરાતના રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ ૫, શેઠ ભો.જે.અ.સં. - વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૧૭૨ ૨૬. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૪૪ ૨૭. પરીખ ૨, છો. અને શાસ્ત્રી હ. ગં., ઉપરોક્ત, પૃ. ૧૭૩ ૨૮. એજન, પૃ. ૧૭૪ પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૭. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૪૬ 30. Gazetteer of the Bombay Presidency, Vol. IV, Bombay Government Central Press, Bombay, 1879, p. 345. ૩૧. પરીખ પુરુષોત્તમ લલ્લુભાઈ, કણબી ખત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ', વિરમગામ, ૧૯૧૨ પૃ. ૯૬ ૩૨. દેસાઈ પ્રભાતભાઈ મફાભાઈ, “પાટડી દર્શન', પાટડી બંધુસમાજ, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૩૨ ૩૩. પરીખ પુરુષોત્તમ લલ્લુભાઈ, ઉપરોક્ત, પૃ. ૯૯ 38. Gazetteer of the Bombay Presidency, Vol. 1, Part 1, History of Gujarat, Bombay Government Central Press, Bombay, 1896, p. 339 ૩૫. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ.૪૭ ૩૬. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ, રાસમાલા, ભાગ ૨, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૭, મૃ. ૧૦૬ ૩૭. દેસાઈ પ્રભાતભાઈ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૩૮ • ૩૮. ડૉ. પટેલ મંગુભાઈ આર., “કણબી ક્ષત્રિય ઉત્પત્તિ કા ઇતિહાસ', પાટીદાર સંશોધન ઓર પ્રકાશન ટ્રસ્ટ, ૧૯૯૧, પૃ. ૬૦ ૩૯. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૪૭ ૪૦. શાહ રતિલાલ મફાભાઈ, “મખવાણાનો ઇતિહાસ' ભાગ ૨, માંડલ, ૧૯૭૦, પૃ. ૧૮ ૪૧. માંડલ ગ્રામ-પંચાયતનો અહેવાલ, ઉપરોક્ત, પૃ. ૧૦ ૪૨. શાહ રતિલાલ મફાભાઈ, ઉપરોક્ત, પૃ. ૨૪ ૪૩. એજન, પૃ. ૪૬ ૪૪, લાયન્સ ક્લબ માંડલ અહેવાલ, ૧૯૯૫-૯૬, પૃ. ૯. . પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૨૮ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં સંસ્કૃતનું મહત્ત્વ ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાલા* સંસ્કૃત પ્રત્યે નિસંદેહ એક ચિર-સમ્માનિત ભાવ રહ્યો છે. કારણ કે તેને વિશ્વની પ્રાચીનતમ ભાષા અને આધ્યાત્મિક જ્ઞાન તથા વિજ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. આથી સંસ્કૃતને શ્રદ્ધાની દૃષ્ટિએ જોવામાં આવે છે. આધુનિક યુગમાં જે ઐતિહાસિક અને આલોચનાત્મક અધ્યયન તથા મૂલ્યાંકનો થઈ રહ્યા છે તેનાથી આ આસ્થા વધુ દૃઢ બનતી જાય છે. સંસ્કૃત એ તો સભ્યતાની મુખ્ય ભાષાઓમાંની એક છે. તેની તુલનામાં વિશ્વની બહુ ઓછી એવી મહાન ભાષાઓ સભ્યતાની ભાષાઓ છે – જેમકે, ગ્રીક-લેટિન, ચીની, અરબી કે જે આજે પણ પ્રભાવશાળી છે. સંસ્કૃત ભાષા માનવજાતિની અને ખાસ કરીને તો ભારતની પોષક ભાષારૂપે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ તે શબ્દો અને સૂક્તિઓનો ભંડાર પ્રદાન કરે છે કે જેનાથી અનેક આધુનિક લોકો કે જેમની ભાષા સશક્ત નથી તેમની આત્માભિવ્યક્તિ માટે અતિ આવશ્યક છે, તો બીજી બાજુ સંસ્કૃત સાહિત્ય તરફ જોઈએ તો તે માનસિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે. છેક વૈદિકકાળથી આજ સુધી ચાર હજાર વર્ષોથી ભારતીય સભ્યતાની અભિવ્યક્તિનું માધ્યમ સંસ્કૃત ભાષા જ રહી છે. પ્રત્યેક શતાબ્દીએ ભારતમાં સભ્યતાનો વિકાસ થતો રહ્યો છે. આજે આપણને સંસ્કૃત ભાષા વિભિન્ન અવસ્થાઓ અને સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે જેમ કે, ૧. વૈદિક સંસ્કૃત કે જે સંહિતાઓની ભાષા છે. ૨. બ્રાહ્મણો અને ઉપનિષદોની સંસ્કૃત. ૩. મહાભારત, રામાયણ અને પુરાણોની અધિક લોકપ્રિય સંસ્કૃત. ૪. પાણિનિ, કાત્યાયન અને પતંજલિની સંકલ્પના અનુરૂપ રચાયેલી પાંડિત્ય વિચારધારાવાળી અને વિશિષ્ટ શિક્ષિત વર્ગની સંસ્કૃત. ૫. બૌદ્ધોની મિશ્રિત સંસ્કૃત. દ, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, આયુર્વેદ અને જયોતિષનું વ્યાવહારિક તથા વૈજ્ઞાનિક લેખનની સંસ્કૃત ૭. નવા વિકસિત લલિત સાહિત્યના નાટકો અને કાવ્યોની સરળ સંસ્કૃત ભાષા. ૮. પરિષ્કૃત કાવ્યો અને ગધ આખ્યાનોની આલંકારિક સંસ્કૃત ૯. સરળ શૈલીનું સંસ્કૃત જેમ કે પંચતંત્ર અને હિતોપદેશની નીતિ કથાઓ ૧૦. વર્ણનાત્મક કાવ્યો અને અનેકાનેક સુભાષિતોની ભાષા કે જે હંમેશા સામાન્ય માણસની જીભે રમતાં રહ્યાં છે. ૧૧. આ ઉપરાંત પ્રાચીન ભારતીય ભાષાઓ જેવી કે, પાલિ, પ્રાકૃત તથા અપભ્રંશ સાહિત્યનું સ્વરૂપ પણ જો સમજવું હોય તો સંસ્કૃતના મૂળ સંદર્ભ વિના સમજી શકવું અશક્ય છે. આમ, કેવળ કદમાં જ નહીં પરંતુ પ્રાચીન તથા મધ્યકાલીન ભારતીય સાહિત્યનો બહુ મોટો ભાગ આ * અધ્યાપક, સંસ્કૃત વિભાગ, શ્રી એચ.કે.આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p ૨૯ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા અને તેના વિભિન્ન સ્વરૂપોમાં રચાયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતના લોકો અને ભારતીય સભ્યતાનો જન્મ સંસ્કૃતમાંથી જ થયો છે. સંસ્કૃતનો વિકાસ ભારતવાસીઓના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિકાસની સાથે-સાથે સંકળાયેલો જ છે. ભારતીય માનસના સર્વોચ્ચ વિચારો અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ સંસ્કૃત ભાષા બની છે. આજે તો તે આપણા દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વની ઉત્કૃષ્ટ ધરોહર છે. ભારતની રાજભાષા એવી સંસ્કૃત વિશે ડૉ. આંબેડકરના વિચારો : ૧૯૪૯ની સપ્ટેમ્બરના “ધ સને હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ નામના દિલ્હીથી પ્રકાશિત સમાચાર-પત્રમાં જે મુદ્રિત થયું છે તેની પર સૌ પ્રથમ એક નજર નાંખીએ. તેમાં લખ્યું છે : Sanskrit As Official Language of Indian Union Beld Guled4 nur 21864141 3U સંસ્કૃત. આગળ જણાવ્યું છે કે – બંધારણની ધારાઓમાં સંશોધન અને તેમાં સહી કરનારાઓમાં એક છેઆંબેડકર. આ મથાળા હેઠળના સમાચારની અંદરની વિગતમાં લખ્યું છે કે “India's law Minister Dr. B.R. Ambedkar is among those who have sponsored Sanskrit as the official language of the Indian Union. One of his supporters is Dr. B.V.Kesuar, India's Deputy Minister for External Affairs, another Mr. Naziruddin Ahmad." Bull alud Ezrulan yrial National Council of Educational Research and Training (NCERT) દ્વારા પ્રકાશિત એક પુસ્તિકામાં છે. તેમાં જે પ્રમાણભૂત માહિતી આપી છે તે પ્રમાણે ડૉ. આંબેડકર ઇચ્છતા હતા કે સંસ્કૃતને ભારતની રાજભાષા બનાવવા માટે સંસદમાં પ્રસ્તાવ પસાર થાય અને તેને સર્વાનુમતિ પ્રાપ્ત થાય. જો કે તેનો ઘણો વિરોધ થયો અને તે શક્ય ન બન્યું. જેનું દુઃખ વ્યક્ત કરતાં ડૉ. આંબેડકરે જણાવ્યું હતું કે “યહ માન્ય તથ્ય હૈ કિ સંસ્કૃત સત્ર તે વૈજ્ઞાનિક ભાષા છે | યદ મી પર્વ માન્ય તથ્યો है कि यह प्राचीनतम भाषा है जिसका व्याकरण अत्यधिक शुद्ध है । यदि संस्कृत को आधुनिक भारतीय भाषाओ में सम्मिलित कर लिया जाता है तो सदाशय व्यक्ति इसकी सराहना करेंगे । संस्कृत को स्वतंत्र भारत की राष्ट्रभाषा बन दिया जाना चाहिये ।" NCERT દિલ્હીનાં નિર્દેશક શ્રી જગમોહનસિંહ રાજપૂત સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિને એકબીજાના અભિન્ન અંગ તરીકે જોતાં હોય તેમ લાગે છે. તેઓ લખે છે કે – કોઈ પણ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને દેખીતી રીતે બે ટકડાઓમાં વિભાજિત ન કરી શકાય. ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરા રહી છે. જેને સમયે સમયે સહાયક પ્રવાહોએ સમૃદ્ધ બનાવી છે અને એક જીવન્ત નિરંતરતા રૂપે હજુ વહી રહી છે. પુરાતન સમયથી આ ચિરકાલીન પ્રવાહની વાણી સંસ્કૃતિ રહી છે. જો કે ભારતમાં અનેક ભાષાઓ જન્મી તથા અનેક દૂરનાં સ્થળોની અહીં સુધી પહોંચી : સમકાલીન સમયમાં બોલાતી તથા પ્રયોજાતી બધી ભાષાઓમાં સંસ્કૃતનું એક વિશેષ સ્થાન છે કારણ કે તે ભારતીય માનસની હંમેશા નિકટ રહેલી છે જેના પુરાવાઓ અનેક રીતે આપી શકાય એમ છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું મંતવ્ય પાંચમા દશકમાં સરકાર દ્વારા સ્થાપિત સંસ્કૃત આયોગનો રિપોર્ટ તથા ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ સંસ્કૃતનો જયઘોષ કર્યો છે અને સંસ્કૃત-શિક્ષણના પક્ષમાં તેમના સશક્ત વિચારો ભારતીય સંસ્કૃતિના સ્રોત તરીકે સંસ્કૃત ભાષાને પોતાનું અનુમોદન આપે છે અને નવાજે છે. તેથી જ ભારતના શિક્ષણશાસ્ત્રીઓ જેવા કે ડૉ. રાધાકૃષ્ણનું, જાકીર હુસૈન, ડી.એસ.કોઠારી બધાએ સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનનું સમર્થન કર્યું જ છે. સર વિલિયમ જોન્સ ૧૭૮માં પશ્ચિમના દેશોમાં એવી ઘોષણા કરી હતી કે “ગ્રીકથી વધુ પૂર્ણ, પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૦ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેટિનથી વધુ વ્યાપક તથા આ બંને ભાષાઓથી વધુ પરિષ્કૃત સંસ્કૃતભાષાની સંરચના અદભુત છે. હિન્દુ સાહિત્યના સમુચિત ભાગથી પરિચિત થવા માટે એક જીવન પૂરતું નથી.' અહીં તેમણે કેવળ ભારત પૂરતો જ નહીં પણ સમગ્ર વિશ્વને માટે સંસ્કૃતના મહત્ત્વ તરફ સંકેત કર્યો છે. - સર મિર્જા ઇસ્માઈલ તો એટલે સુધી કહે છે કે, “ઃિ સંસ્કૃતિ છે તેશ કે નનસાધારણ કે પ્રતિદિન के जीवन से अलग कर दिया जाये तो उनके जीवन से प्रकाश लुप्त हो जायेगा तथा हिन्दू संस्कृति के जिन विशिष्ट गुणों ने उसे विश्व-चिन्तन में प्रतिष्ठित किया है उन पर दुष्प्रभाव पडेगा जिससे भारत और विश्व दोनों છે ક્ષતિ ની ” સંસ્કૃત ભાષા અને ભારત(રાષ્ટ્રીય)દેશનાં આદર્શ વાક્યો : - આજે સંસ્કૃત ભારતની રાષ્ટ્રીય ચેતનામાં ટોચના સ્થાને બિરાજે છે. ૧. “ઇન્ડિયાના સંસ્કૃત નામ “ભારતને સરકારી માન્યતા પ્રાપ્ત થયેલી છે. ૨. ભારતદેશનું આદર્શ વાક્ય “સત્યમેવ જયતે' ઉપનિષદોમાંથી લીધેલું ઉદ્ધરણ છે. ૩. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલું રાષ્ટ્રીયગાન “નના મન'ની ભાષા ૯૦ % સંસ્કૃત છે અને ૧૦ % સંસ્કૃત મૂલક છે. છતાં સમસ્ત ભારતવાસીઓ તેને ખૂબ સહજતા અને સરળતાથી સમજી લે છે અને ગાય છે. ૪. ભારત સરકારે “શ્રી’ અને ‘શ્રીમતી’ એ બંને સંબોધનનો રાજકીય રૂપમાં સ્વીકાર કર્યો છે. ૫. લોકસભાનું આદર્શ વાક્ય છે - ઘવઝ પ્રવર્તાય ! ૬. આકાશવાણીનો નિર્દેશક સિદ્ધાંત અને આદર્શ વાક્ય સંસ્કૃતિનું જ કથન છે – “વહુનને સુવીય’ | ૭. જીવન વીમા નિગમનું આદર્શ વાક્ય યોગક્ષેમં વહાગ્રહ' એ શ્રીમદ્ભગવદ્ગીતાનું ઉદ્ધરણ છે જેનો અર્થ છે – “હું સુલભ પ્રાપ્તિ અને સુરક્ષાનું દાયિત્વ લઉં છું.” ૮. ભારતીય નૌસેનાનું આદર્શ સૂત્રવાક્ય છે- “નો વફT:' એ એક વૈદિક પ્રાર્થના છે. ' ૯. ભારતની વિદેશ-નીતિનો મૂલ-સિદ્ધાન્તસૂચક શબ્દ “પંચશન' સંસ્કૃતનો શબ્દ છે. ૧૦. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું આદર્શ વાક્ય છે - “યતો ધર્મસ્તતો ગય: | ૧૬. દૂરદર્શને પણ તેનું આદર્શવાક્ય સ્વીકાર્યું છે - “શિવં સુ ' | ૨૨. ભારતીય શ્રમ મંત્રાલયનું આદર્શ વાક્ય છે - શ્રમ અવ નયતે | ૨૩. ભારતીય વાયુસેનાએ તેનું આદર્શ વાક્ય રાખ્યું છે - “: કૃશ તમ્' . ૨૪. ભારત દૂરસંચાર વિભાગ પોતાની કાર્યશૈલી દર્શાવવા આદર્શ વાક્ય રાખ્યું છે – બર્નિશ સેવામદે | ભારત સરકારે ૧૯૫૭માં સંસ્કૃત વિષયના સંદર્ભે એક “સંસ્કૃત આયોગની રચના કરી હતી. તેમાં સંસ્કૃત આયોગે જે સંશોધનો કર્યા તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. આ અહેવાલનું ચોથું પ્રકરણ ખૂબ મહત્ત્વનું છે. તેમાં સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય આત્મચેતનાની નવજાગૃતિ માટે સબળ માધ્યમ તરીકે દર્શાવાઈ છે. અહીં સંસ્કૃતને ભારતની મહાનતમ સાંસ્કૃતિક વિરાસત રૂપે અનેક પ્રમાણભૂત પુરાવાઓ સાથે રજૂ કરાઈ છે. તેમાં સંસ્કૃત વિષય સંદર્ભે ૫. જવાહરલાલ નહેરુએ કરેલા વિધાનો ખૂબ ઉલ્લેખનીય છે. શ્રી નહેરુએ જણાવ્યું હતું કે, “દ્રિ મુલ્લ ભારત વિશે મહીનતમ નિધિ ગૌર સર્વોત્કૃષ્ટ વિરાસત વિષય શૈ પૂછી લાવે તો મૈ નિ:સંવ रूप से कह सकता हूँ - संस्कृत भाषा और साहित्य तथा उससे संबंधित सारा वाङ्मय एक धरोहर है और પથિક રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૧ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जब तक रहेगी और हमारे जीवन को प्रभावित करती रहेगी तब तक भारत की आधारभूत विशिष्टता भी बनी રી | સંસ્કૃત આયોગના રિપોર્ટમાં ખાસ એક વાત નોંધાઈ છે કે પશ્ચિમી રાષ્ટ્રો અને ભારતીય વિદ્વાનો અને વિદ્યાર્થીઓ પણ ભારતના દાર્શનિક વિચારો અને ભૌતિક વિજ્ઞાનમાં તેણે સદીઓ પૂર્વે કરેલા વિકાસથી અજાણ છે. અહીં ભારપૂર્વક એક વાત નોંધી છે કે જો સ્વતંત્ર ભારતમાં સંસ્કૃતનું પૂર્ણ અને મુક્ત અધ્યયન કરવા અને કરાવવામાં આવે તો આપણને દાર્શનિક વિચારો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના પરિણામકારી યોગદાન વિશે ખબર પડે, રસાયણશાસ્ત્ર અને ગણિતના ઇતિહાસને પૂર્ણરૂપે સમજવા માટે સંસ્કૃત ગ્રન્થોમાં વર્ણવાયેલી વિગતોથી ભારતીય છબી વિકસશે એમાં કોઈ શંકા નથી. તર્કશાસ્ત્ર, રાજયશાસ્ત્ર કે સાહિત્યિક આલોચના વિશે પણ આ જ વાત લાગુ પડે છે. सत्यमिदम् - 'भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं चैव संस्कृतिः ।' ખરેખર સંસ્કૃત વિના ભારતીય સંસ્કૃતિ શ્રીહીન અર્થાત સૌન્દર્યવિનાની બની જાય. વૈદિક સમયથી સંસ્કૃત ભારતીયોના જીવનના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહી છે. વૈશ્વિક ભાવનાઓની સમન્વયાત્મિક કૃતિ એટલે સંસ્કૃતિ. આપણાં વેદો એ વિશ્વસંસ્કૃતિના આદિ ગ્રન્યો છે એ આપણે જાણીએ જ છીએ. યજુર્વેદમાં પણ આ સંદર્ભે ઉલ્લેખ મળે છે કે – “ક્ષા પ્રથમ સંસ્કૃતિવશ્વવાર |' (ઉ.૨૪) માનવીના સમુન્નતજીવનનો પર્યાય એટલે સંસ્કૃતિ એમ પણ કહેવાયું છે. અને એ સમુન્નત જીવનની પ્રાપ્તિ માત્ર સંસ્કૃત જ પ્રાપ્ત કરાવી શકવા સમર્થ છે. ષોડશ સંસ્કારોમાં ગણાવેલી બધી જ ક્રિયાઓ માનવીના સકલ આચારો અને વિચારોને પરિષ્કૃત કરે જ છે. સંસ્કૃત જ સર્વ મનુષ્યોને સમન્વયની ભાવનાથી, સદાચારથી, સચિતનથી, સત્કર્મથી, સવ્યવહારથી સદ્ભાષા વડે અને સારા વિચારો વડે સંપન્ન બનાવી શકવા સક્ષમ છે. એક તરફ વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં વિભિન્નતા અને વૈલક્ષણ્ય જોવા મળે છે તથા ભૌતિક તત્ત્વોથી બંધાયેલી જોવા મળે છે ત્યારે ભારતીય સંસ્કૃતિ જ તે બધાને ત્યાગપૂર્વક ઉપભોગ કરવાનું સૂચન કરે છે. ઇશાવાસ્યોપનિષદ્દનો પ્રથમ સત્ર જ આ તરફ દિશાસૂચન કરે છે કે . ‘તેને ચત્તેન મુન્નીથા: મ પૃથ: સ્વિત્ ઇન ' અથર્વવેદમાં માત્ર ભારતીય સંસ્કૃતિની જ નહીં પણ વિશ્વસંસ્કૃતિની એકતા માટેના સંદેશનો સમુદ્દોષ થયો છે ત્યાં પૃથ્વી સૂક્તમાં ઋષિ કહે છે- “માતા પૂમિ: પુત્રોગ૬ પૃથા : ' આવા ઉત્તમ અને ઉદાત્ત વિચારો ભારતીય સંસ્કૃતિના સ્રોત એવી સંસ્કૃત ભાષામાં નિબદ્ધ થયા છે. આપણી ભારતીય સંસ્કૃતિની મહામૂલી મૂડી એવી આ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ યુરોપના દેશોના વિદ્વાનોએ પારખી લીધું છે. તેથી જ જેનું સાર્વભૌમમૂલ્ય છે એવી આ ભાષા યુરોપના વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે. ત્યાંના વિદ્વાનોએ ત્યાંની ભાષાની સાથે આ દેવવાણીના અધ્યયનને પણ અનિવાર્ય માની છે. કારણ કે તેમના મતે સમસ્ત આર્ય ભાષાઓમાં પ્રાચીનતમ અને વિશ્વવ્યાપ્ત તથા સકલકલ્યાણમયી એવી આ સંસ્કૃત ભાષા છે. ફ્રાંસ, જર્મની, ઇટાલી, રસ, ઇન્ડોનેશિયા, જાપાન વગેરે દેશોમાં પણ સંસ્કૃતનું અધ્યયન-અધ્યાપન પરંપરા સુદઢ રીતે ચાલે છે. કારણ કે આ ભાષા બધા જ પ્રકારના જ્ઞાન-વિજ્ઞાનનો અનન્ત અને અમૂલ્ય સ્રોત છે. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૨ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી દયાનંદ સરસ્વતી : સમાજ પરિવર્તનના મશાલચી ડૉ. મહેશ એમ. ત્રિવેદી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ઈ.સ. ૧૮૨૪માં સૌરાષ્ટ્રના મોરબી રાજયના નાનકડા ગામ ટંકારા મુકામે થયો હતો. તેમનું પૂરું નામ મૂળશંકર કરશનજી ત્રવાડી (ત્રિવેદી) હતું. ઉચ્ચ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ મૂળશંકરનું કુટુંબ ચુસ્ત સનાતની. પિતા રાજયના વહીવટદાર એટલે દોમદોમ સાહચબી અને ધાર્મિક ક્રિયાકાંડોની વચ્ચે મૂળશંકરનો ઉછેર થયો. મૂળશંકર જન્મથી જ વિચિત્ર પ્રકારનો બાળક હતો, એનો અણસાર એમના રોજિંદા કાર્યથી કુટુંબને હતો જ. એનો ખરો પરચો મળ્યો, મહાશિવરાત્રીની રાત્રે. ઈ.સ. ૧૮૩૭માં ચૌદ વર્ષનો મૂળશંકર કુટુંબની ઇચ્છા અનુસાર શિવરાત્રીનું વ્રત રાખી મંદિરની પૂજાવિધિમાં બેઠો હતો. એ વખતે એક ઉંદર કૂદાકૂદ કરી શિવલિંગ પરના નૈવેદ્યનો સ્વાદ ચાખી રહ્યો હતો. મૂળશંકરને એ વખતે મહાદેવની પૂજા એ નર્યો દંભ અને પાખંડ લાગી. પથ્થરોના દેવ, પૂજાપાઠ, અનુષ્ઠાન, યજ્ઞયાગાદિ વગેરેમાંથી એમની શ્રદ્ધા ઊઠી ગઈ. એ પછી મૂળશંકર પોતાના વડીલોને વારંવાર વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછવા કરતો. કાકા અને નાની બહેનના મૃત્યુ સમયે એમની આંખમાંથી એકાદ આંસુય ન સર્યું ત્યારે પિતાને મૂળશંકર “આડે માર્ગે જઈ રહ્યો છે તેમ લાગ્યું તેથી તેમનાં લગ્ન કરી સંસારની પળોજણમાં નાખવાનું વિચાર્યું. પરંતુ મૂળશંકરને શિવરાત્રીના દિવસે જે જ્ઞાન લાધ્યું હતું એ માર્ગે તે આગળ વધવા માગતો હતો. તેથી ઈ.સ. ૧૮૪૬માં ૨૨ વર્ષની ઉંમરે એમણે ગૃહત્યાગ કરી સત્યની શોધમાં પરિભ્રમણ આરંવ્યું. ‘દયાનંદ' નામ ધારણ કરી સાચા જ્ઞાનના પ્રકાશની શોધ આરંભી. ઉત્તર ભારતમાં ભ્રમણ કરતાં એક વાર થાકી હારીને હતાશ હૃદયે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરી જોયો. પરંતુ જીવન એ ઈશ્વરી દેન છે. તેને વેડફવા કરતાં સન્માર્ગે વાળવાને પુનઃ પ્રયાસ કરી લોકોની વચ્ચે રોજિંદા જીવનમાંથી બોધપાઠ લઈ આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યા. ઈ.સ. ૧૮૬૫માં એ હરિદ્વારના કુંભમેળામાં ગયા ત્યારે અંધશ્રદ્ધા, વહેમ, ધાર્મિક ક્રિયાકાંડો અને પાખંડગ્રસ્ત લોકોને જોઈને તે સમસમી ઊઠ્યા. ધર્મના નામે આચરાતો દંભ એમને દઝાડી ગયો, જેણે પાછળથી એમને કુંભમેળામાં એકલે હાથે પાખંડ ખંડન કરવા પ્રેર્યા. અનેક સાધુ-સંતો, મઠાધીશો અને ધાર્મિક પાખંડી નેતાઓથી ઊભરાતા આ કુંભમેળામાં એકલે હાથે ઝઝૂમ્યા. લોકોને આ અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા અને આડંબર ત્યાગવા સમજાવ્યા. દયાનંદે વેદોનો ઊંડો અભ્યાસ કરી તેમાંથી વિશ્વ સમાજ'નું પગેરું શોધી કાઢયું. તેમણે લોકોને વેદ તરફ પાછા વળવા ઉપદેશ આપ્યો. કુંભમેળાના એકલવીર વિજયી દયાનંદ હવે લોકોને પાખંડ અને વહેમજવરથી ઉગારવા માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરવા લાગ્યા. અનેક હિંદુ પંડિતોને એમણે શાસ્ત્રાર્થ માટે પડકાર્યા - હરાવ્યા. એક વાર ગ્વાલિયરના એક વૈષ્ણવ આચાર્યને એમણે પ્રશ્ન કરેલો કે “લમણે (કપાળ) ધોળો ટીલો તાણ્યાથી સ્વર્ગે જવાતું હોય તો પછી આખો ચહેરો જ સફેદા ભરપૂર કાં ન કરવો? આમ કરવાથી સ્વર્ગથી પણ ઊંચેરા અને અદ્ભુત કોક લોકમાં અવશ્ય પહોંચી જવાશે.” દયાનંદ કોઈ એક વર્ગ કે સંપ્રદાયને ઉપદેશ આપતા નહોતા. સમાજના તમામ સ્તરના લોકો સાથે તે હળતા-મળતા. એક હરિજનની “રોટી' એમણે ખાધી ત્યારે એમની ટીકા કરનારને એમણે ચોપડાવ્યું કે, “કોણે કીધું કે મેં હરિજનની રોટી ખાધી છે? મેં તો ઘઉંની રોટલી ખાધી છે.” “દયાનંદ હરિજનવાસમાં રહે છે એટલે ભ્રષ્ટ ગણાય” એમ કહીને શાસ્ત્રાર્થ ટાળનાર એક પંડિતને એમણે કહેલું કે, “હું તો હરિજનવાસમાં બેઠો છું પણ તમે તો ભાઈ ! આ મલેચ્છો(અંગ્રેજો)ના રાજમાં રહે છો તેનું શું? વિદેશીઓના * શ્રીમતી લક્ષ્મીબહેન અને શ્રી ચિમનલાલ મહેતા આર્ટ્સ કૉલેજ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૩ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir - પરદેશીઓના પ્રભુત્વ નીચે રહીને અભડાઈ જતા નથી ?” આ સાધુ-બાવલાંઓનાં ટોળાં દેશમાં નિરર્થક ઉપદ્રવ કરતાં ઘૂમી રહ્યાં છે. આ ઉપદ્રવી લોકોને મહેનત-મજૂરીના કામમાં જોતરવા જોઈએ.” એમ કહેનાર દયાનંદ માત્ર ધાર્મિક ઉપદેશક જ નહોતા, પણ બ્રિટિશ તાજના-રાજના પણ પ્રખર ટીકાકાર અને હિન્દુત્વવાદી હતા. “સ્વદેશી’ અને ‘સ્વરાજય” એ બે મંત્રો સૌ પ્રથમ એમણે દેશને આપેલા અને તેથી તો લોકમાન્ય ટિળક આ “સ્વરાજય’ શબ્દનો ઉપયોગ કરી સ્વરાજય અને સ્વદેશીનો પ્રચાર કરી તેના સંદેશાવાહક બન્યા. - વારાણસી (કાશી), ગ્વાલિયર, મથુરા જયાં જયાં દયાનંદ ગયા ત્યાં ત્યાં લોકો પર તેમના નૂતન વિચારોની જબરી અસર થઈ. ઈ.સ. ૧૮૭૨માં તેઓ બંગાળા પણ ગયા. બંગાળાના સમાજસુધારકો સાથે વિચારવિમર્શ કર્યો. પોતાના વહાલસોયા બાળકના મતદેહ ઉપરથી કફન કાઢી લેતી માતાને જોઈને એમને ભારતના લોકોની નિર્ધનતા અને ગરીબીનું પ્રત્યક્ષ જ્ઞાન અને ભાન થયું. ત્યાર બાદ તેમણે બીજાં કપડાંનો ત્યાગ કરી માત્ર એક લંગોટી (કૌપીન) જ પહેરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બંગાળાની મુલાકાત અને ખાસ કરીને કેશવચંદ્ર સેન જેવા સમાજસુધારકની વિનંતીથી તેમણે “સાધુનો વેશ ધારણ કર્યો હતો. ઉપરાંત લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે સંસ્કૃતને બદલે દેશી-ગામઠી (તળપદી ભાષાનો ઉપયોગ કરવાનું પણ સ્વીકાર્યું. ઈ.સ. ૧૮૭૫માં (આર્યસમાજની સ્થાપનાના વર્ષમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતો ક્રાંતિનો મહાગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ' પ્રગટ કર્યો. એમાં એમણે દર્શાવ્યું છે કે, “વેદોમાં ક્યાંય મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, સતીપ્રથા, બાળલગ્ન કે અસ્પૃશ્યતાનો ઉલ્લેખ નથી. સ્ત્રીઓ પણ પુરુષોની માફક વેદોનો અભ્યાસ કરી શકે અને તેમને પણ કેળવણીનો હક છે.” ઈ.સ. ૧૮૭૪માં કલકત્તાની મુલાકાત બાદ મુંબઈ ગયા, જયાં પોતે ગુજરાતીકાઠિયાવાડી હોવાની સૌ પ્રથમ વાર જાહેરાત કરી. ત્યાર બાદ વીર નર્મદના નિમંત્રણને માન આપી સુરત અને પછી ગુજરાતનાં અન્ય નગરો જેવાં કે ભરૂચ, અમદાવાદ અને રાજકોટ ગયા. પોતાના કાર્ય અને વિચારોને સંસ્થાગત રૂપ આપવા માટે રાજકોટમાં આર્યસમાજની સ્થાપના કરી, પરંતુ સ્થાનિક સુકાનીઓની બહાદુરી અને નૈતિક હિંમતના અભાવે તથા અંગ્રેજોની ધાકધમકીથી આ સંસ્થાનું બાળમરણ થયું. ત્યાર બાદ ઈ.સ. ૧૮૭પના એપ્રિલ માસમાં ફરી મુંબઈ મુકામે “આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. આર્ય સમાજની રચના પછી એમણે ફરી પરિભ્રમણ આદર્યું. ઉત્તર ભારતમાં લાહોર મુકામે આર્યસમાજની શાખા સ્થપાઈ. પણ રાજસ્થાનમાં એમને જાકારો મળ્યો, છતાં એમણે આ કામ જારી રાખ્યું. તેમાંથી આદિવાસી યુવાન નામે ગોવિંદ મળ્યો, જે એમનો શિષ્ય બન્યો ને એમનું કામ હાથમાં લીધું, જે પાછળથી “ગોવિંદ ગુરુના નામે જાણીતો બન્યો. હિન્દીને રાષ્ટ્રભાષા ગણવાનું ને પરદેશી ચીજનો બહિષ્કાર કરવાનું તેમણે કહેલું. દયાનંદ સાંપ્રદાયિક કે સંકીર્ણ વિચારસરણી ધરાવતા સુધારક નહોતા. તેમણે ઇસ્લામ ધર્મના પવિત્ર (પાક) કુરાને શરીફનો અનુવાદ કરાવીને એનો અભ્યાસ કર્યો હતો. એમના અનુયાયીઓ અને પ્રશંસકોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ હતા. સમાજ પરિવર્તનના મશાલચીનું હિન્દુ ધર્મની કુરૂઢિઓ અને પાખંડ સામેનું આંદોલન બેરોકટોક ચાલતું હતું, અને જનતાનો અભૂતપૂર્વ સહકાર મળતો હતો. આ બાબત રૂઢિવાદીઓને જચે ખરી ? હરગીજ નહિ. ને તેથી જ તેમની હત્યા કરવા માટે ખાસ્સા અઢાર-અઢાર વખત પ્રયાસ થયા. અંતે ૨૦મી સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ એમને જોધપુર મુકામે અપાયેલા કાતિલ ઝેર બાદ ૧૩મી ઓક્ટોબર ૧૮૮૩ને મંગળવારના રોજ એમણે પોતાની ઓગણસાઈઠ વર્ષીય જીવનલીલા સંકેલી લીધી, આર્યસમાજી શ્રી નરેન્દ્ર દવેના (‘સૌરાષ્ટ્રના સિંહ' તરીકે જાણીતા પોલીસ અફસર છેલભાઈ દવેના પુત્ર) શબ્દોમાં, “એમનું મૃત્યુ એ રૂઢ અર્થમાં શહીદી પણ ન હતી. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૪ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ તેથી વિશેષ કાંઈક હતું.” દયાનંદ સરસ્વતીનું મૂલ્યાંકન કરતાં આર્યસમાજીસ્ટ નરેન્દ્ર દવે વધુમાં જણાવે છે કે, “દયાનંદ એ રાજા રામમોહનરાયથી લઈને છેક વિવેકાનંદ સુધીની સુધારકોની શ્રેણીના મહાપુરુષ હતા. દયાનંદ ક્રાંતિકારી સાથે યુગપ્રવર્તક સમાજસુધારક હતા. ઇતિહાસકારો દયાનંદનું માત્ર એક પ્રકારના સુધારક તરીકે મૂલ્યાંકન કરે છે તે અધૂરું અને છીછરું છે. સ્વામી દયાનંદે સ્થાપેલી આર્યસમાજની સંસ્થાની અનેક શાખાઓ આજે સમગ્ર દેશમાં કાર્યરત છે. આ તબક્કે દયાનંદે પોતાનાં વિચારો અને લખાણોના રક્ષણાર્થે રચેલી “પરોપકારી સભા'ની નોંધ પણ લેવી જોઈએ. આર્યસમાજે ઈશ્વરની ઉપાસના, કન્યાકેળવણી, બાળલગ્ન સામે પ્રતિબંધ, વિધવાવિવાહ, દહેજનાબૂદી, દલિતોદ્ધાર, જેવાં અનેક પ્રસંશનીય કાર્યને લગતી પ્રવૃત્તિઓ આરંભી છે. આ પ્રવૃત્તિઓના સંકલન અર્થે દયાનંદ પ્રેરિત પ્રાચીન પરંપરા અનુસારનાં ગુરુકુલો, કન્યાશાળાઓ, વિધવાગૃહો, અનાથાશ્રમો, રુગ્ણાલયો વગેરેનું સુંદર આયોજન જોવા મળે છે. હરદ્વાર પાસે આવેલું પ્રસિદ્ધ “કાંગડી ગુરુકુલ' પશ્ચિમની અને પ્રાચીન વૈદિક પદ્ધતિએ શિક્ષણ આપતું એક સુવિખ્યાત ગુરુકુલ છે. ઈ.સ. ૧૮૮માં લાહોરમાં “દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના થઈ હતી. આ પણ આર્યસમાજની એક દેણગી ગણાવી શકાય. ગુજરાતમાં ભાવનગર પાસે સોનગઢમાં, તેમ જ પોરબંદરમાં પણ આવાં ગુરુકુળોની સ્થાપના ક્રાંતિવીર - ક્રાંતિગુરુ દયાનંદજીએ કરી હતી. .સ. ૧૮૮૩માં સ્વામી દયાનંદના નિર્વાણ બાદ આર્યસમાજની પ્રવૃત્તિઓને વિકસાવવામાં લાલા લાજપતરાય, લાલા હંસરાજ અને પંડિત ગુરુદત્તની સેવાઓ નોંધપાત્ર ગણાવી શકાય. આર્યસમાજની સ્થાપના કે રચના પૂર્વે ઈ.સ. ૧૮૧૪માં રાજા રામમોહનરાય સ્થાપિત બ્રહ્મોસમાજ (જૂનું નામ આત્મીય સભા) તેમજ ઈ.સ. ૧૮૬૭માં ન્યાયમૂર્તિ રાનડે, ભાંડારકર, પાંડુરંગ (મહારાષ્ટ્રીયન ત્રિપુટી) સ્થાપિત પ્રાર્થનાસમાજ મોટે ભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રેરિત થયેલી અને નર્યા બુદ્ધિજીવી વર્ગ પૂરતી સીમિત સંસ્થા હતી. જયારે આર્યસમાજે આમ જનતાના વિશાળ સમુદાયને પોતાની પ્રવૃત્તિમાં સામેલ કરી લોકચાહના પ્રાપ્ત કરી હતી. આર્યસમાજની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પંજાબ અને ઉત્તર પ્રદેશ રહ્યું હતું. આજે સ્વામી અગ્નિવેશ જેવા આર્યસમાજી “સંઘર્ષ જારી રહેગા' દ્વારા શોષણ સામે જે અવિરત સંઘર્ષ ખેલી રહ્યા છે તે પ્રસંશનીય છે. પ્રાર્થનાસમાજ અને બ્રહ્મોસમાજ કરતાં જનહદયમાં આર્યસમાજ અને તેની પ્રવૃત્તિઓએ મહત્ત સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહર્ષિ દયાનંદજીને અંજલિ આપતાં મહાત્માજીએ કહેલું કે, “હું ભારતમાં જ્યાં જયાં ગમન કરું છું ત્યાં ત્યાં મહર્ષિ દયાનંદના વખતમાં જે પાખંડ વહેમ અને અંધશ્રદ્ધા હતાં, તે આજે પણ એક યા બીજા સ્વરૂપે અકબંધ દયાનંદનાં અધૂરાં કાર્યોને પૂર્ણ કરવાં આપણે પ્રયત્નશીલ બનીએ તે જ ક્રાંતિગુરુને ખરી-સાચી અંજલિ આપેલી ગણાશે. પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૫ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક પ્રતિબદ્ધ વ્યક્તિત્વ પ્રા. મનુભાઈ બી. શાહ* કમલાદેવીનું પૂર્વજીવન : ક.દે નો જન્મ ૧૯૦૩માં દક્ષિણમાં કર્ણાટક રાજ્યમાં આવેલા મેંગ્લોર શહેરમાં થયો હતો. તેમણે મેંગ્લોરની કેથોલિક સ્કૂલમાં શરૂઆતનું શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ તેઓ સેન્ટ મેરી કોલેજમાં પ્રવેશ મેળવીને સ્નાતક થયાં. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં જોડાયા અને ત્યાં તેમણે પોતાની તેજસ્વિતા પુરવાર કરી. તેમનાં લગ્ન નાની ઉંમરે થયાં હતાં. કમનસીબે તેઓ નાની ઉંમરે જ વિધવા થઈ ગયાં. તેઓ જ્ઞાતિજાતિના રૂઢિચુસ્ત માળખાનાં સખત વિરોધી હતાં અને તેમને જ્ઞાતિ સંસ્થાનાં બંધનો તરફ શરૂઆતથી જ નફરત હતી. બાળવિધવા બન્યા પછી રૂઢિચુસ્તતાને ફગાવી દેવા તેઓએ સરોજિની નાયડના ભાઈ ડૉ. હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે આંતરજ્ઞાતીય, આંતરપ્રાંતીય પુનઃલગ્ન કર્યું અને આથી તેમને જ્ઞાતિની અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો, તેમજ કેટલાક પ્રત્યાઘાતો સામે ટક્કર ઝીલવી પડી. ભારતમાં આ એક સૌ પ્રથમ મહિલા હતી કે જેણે આંતરજ્ઞાતીય, આંતરપ્રાંતીય પુનઃલગ્ન કરવાની હિંમત કરી હતી. તેમનો સમકાલીન સમય પ્રબળ રૂઢિચુસ્ત માળખામાં બંધાયેલો હતો અને રૂઢિચુસ્તતાની બેડીઓ એટલી બધી તો મજબૂત હતી કે તેની સામે ટક્કર ઝીલવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેની સામે ટકવું પણ મુશ્કેલ હતું. પુનઃલગ્ન કરવાની બાબત એ પણ ખાંડાની ધારે ચાલવા બરાબર” હતી ! અને બાળવિધવાઓથી તો પુનઃલગ્ન ન જ થાય એટલું જ નહીં પરંતુ તેણે “સતિપ્રથા”માં ફરજિયાત ભોગ બનવું જ પડે એવો એ સમય હતો. પણ ક.દે, એ સામાન્ય સુધારણા કરીને આ બંને બંધનો નીડરતાપૂર્વક તોડી નાખ્યાં, તેથી તેમને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યાં. તે સમયે જો કોઈ જ્ઞાતિનાં રૂઢિગત બંધનો તોડે તો તેને જ્ઞાતિ-બહિષ્કારની સખત સજા થતી ! તેમજ તેની સાથે અને તેના સમગ્ર કુટુંબ સાથે ખાણીપીણી, લેવડદેવડ તથા રોટીબેટીનો વ્યવહાર કોઈ કરી શકતું નહીં. આવા સમયમાં આ પ્રકારની ટીકાનો સામનો કરવો એ ખરેખર હિંમતપૂર્વકનું કાર્ય હતું. સ્ત્રી-પ્રગતિમાં પ્રદાન : શ્રી ક.દે એ બાળવિધવા પુનઃલગ્ન કરીને સમાજ સમક્ષ એક પ્રેરક અને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું એટલું જ નહીં પરંતુ, સમાજ-સુધારણાના ક્ષેત્રે એક પ્રથમ અને વિરાટ પગલું ભર્યું હતું. તેઓ માત્ર પોતાનું જ પુનઃલગ્ન કરી બેસી ન રહ્યા, પરંતુ સમાજમાં જે કોઈ વિધવાઓ, નાની વયે છત્રછાયા ગુમાવતી તેમને માટે પણ, તેમનામાં જાગૃતિ આવે તેવાં પગલાઓ ભર્યા. સ્ત્રી-જાગૃતિ માટેની આ તેમની શુભ શરૂઆત હતી. પોતાના પતિ સાથે યુરોપમાં નિવાસ દરમિયાન ક.દે.એ. નાટ્ય-પ્રવૃત્તિમાં રસ દાખવ્યો તેમજ ત્યાં ભજવાતાં નાટકો અને નાટ્યગૃહો, એટલે કે રંગભૂમિનો અભ્યાસ કર્યો. તેમણે નાટ્ય-લેખન અને અભિનય બંનેમાં પ્રવીણતા મેળવ્યા બાદ, હિંદમાં આવ્યા પછી તેમણે સૌ પ્રથમ કલાત્મક નાટકો તૈયાર કર્યા અને સહકાર્યકરોના સાથ-સહકારથી રંગમંચ ઉપર ભજવાતાં એ નાટકોમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી અને એક સારા સ્ત્રી-કલાકાર તરીકેની નામના ખ્યાતિ) મેળવી, તેમનાં નાટકોનું વિષયવસ્તુ મોટાભાગે સામાન્ય હોવાથી પ્રચલિત સામાન્ય દૂષણો અને કુરિવાજો ઉપર પ્રકાશ ફેંકવાનું, એટલે કે Toarch light તરીકેનું કામ કર્યું. * પૂર્વ પ્રાધ્યાપક, ઇતિહાસ વિભાગ, બી.ડી.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ર૦૦૪ u ૩૬ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " તેમણે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા અને તેમની દયાજનક સ્થિતિ પ્રત્યેની સભાનતાનો આવિર્ભાવ કરવા ઘણો પરિશ્રમ કર્યો. અત્યાર સુધી સ્ત્રીઓને સમાજમાં પોતાનું શું સ્થાન છે, શા અધિકારો છે, કયો દરજ્જો છે, વગેરે અંગે કોઈ જ જ્ઞાન ન હતું. ઘરની ચાર દીવાલોમાં તેમનું પ્રચંડ વ્યક્તિત્વ સમાપ્ત થઈ જતું હતું. પાંજરા જેવાં ઘરોમાં તે મુખી પ્રતિભાશાળી અને સર્જક વ્યક્તિત્વ (multifold & Creative Personality) નાશ પામતું હતું. સ્ત્રીઓને એ સમયમાં ન તો કોઈ અધિકારો હતા કે ન તો કોઈ સામાન્ય દરજજો. તે સમયમાં સ્ત્રીઓની લે-વેચ પણ થતી અને ખુલ્લેઆમ કન્યાવિક્રયની પ્રથા પણ હતી. આમ સ્ત્રીઓનું સાચું સ્થાન શું છે તે સમજાવવામાં તેમજ તેમના સામાન્ય, આર્થિક, રાજકીય અધિકારો કયા કયા હોઈ શકે તે સમજાવવામાં કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો ઘણો મહત્ત્વનો ફાળો ગણી શકાય. સ્ત્રીઓના કાર્યકર્તાની કેડર તૈયાર કરવામાં પ્રદાન : કમલાદેવી ચટ્ટોપાધ્યાયે સ્ત્રી-સંસ્થા સ્થાપવાનો અને તેમાં સ્ત્રીઓને સહભાગી કરવાનો વિચાર કર્યો. આથી સ્ત્રીના સંગઠન માટે “નારી સંધ”, “સ્ત્રી ક્લબ” વગેરે સંસ્થાઓ સ્થાપી તેમાં કમલાદેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. “નારી સંઘ” દ્વારા સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા, સભાન કરવા માટે તેમણે સ્ત્રીઓને ટ્રેઇનિંગ આપવા માંડી, ઉપરાંત તેમણે સ્ત્રીઓના સુધારા માટેનાં અનેક કાર્યો પણ કર્યા. કમલાદેવીએ ગાંધીજીની પ્રેરણા અનુસાર સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી મુક્ત કરી તેમનું “ઘરકૂકડી” ભર્યું જીવન સમાપ્ત કરવા અને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા માટે સઘન પ્રયાસો કર્યા. આ માટે તેમણે સ્ત્રીઓને પિકેટિંગ કેમ કરવું, દેખાવો કઈ રીતે યોજવા, સૂત્રોચ્ચાર કઈ રીતે કરવા, જેવી અનેક બાબતોની પસંદગીની સ્ત્રીઓને તાલીમ આપી અને તે રીતે તેમણે સ્ત્રીઓને રાષ્ટ્રીય લડતમાં નેતૃત્વ માટે તૈયાર કરી. આમ, ઘરની ચાર દીવાલોની બહાર નીકળેલી નારીએ એક નવું, મુક્ત, સ્વતંત્રતાથી ભર્યું જીવન સૌ પ્રથમ વાર અનુભવ્યું. તેમની આ અનુભૂતિએ અનેક સ્ત્રીઓને-પછી તે શહેરમાં વસતી હોય કે ગામડામાં, પણ તેમણે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું; તેમણે તૈયાર કરેલી સ્ત્રી-નેતાઓએ રાષ્ટ્રીય જાગૃતિ સમાજસેવાનું અદ્ભુત કામ કર્યું. ભારતમાં સ્વાતંત્ર્ય લડતમાં પ્રદાન : ૧૯૨૨માં ગાંધીજીની હાકલથી ચૂંટણીમાં ભાગ લઈ કમલાદેવી રાજકારણમાં પડ્યાં. ભારતભરમાં ચૂંટણી લડનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે ભારતમાં ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્ય લડતમાં ભાગ લઈ સ્ત્રીઓના વિશાળ સમુદાયને લડતમાં ભાગ લેવા માટે અપીલ કરી. અને આ એ સમય હતો કે જયારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું તેમજ રૂઢિચુસ્ત માળખામાં બંધાયેલું હતું. શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે અમદાવાદની “યૂથ કેંગ્રેસને સંબોધતાં જણાવ્યું હતું કે, “તમે સવિનય કાનૂનભંગ કરો; પૂર્ણ સ્વરાજયની પ્રતિજ્ઞા લો, તેમજ ૨૬ જાન્યુ., ૧૯૩૦નો દિવસ પ્રાર્થના અને શાસનના વિરોધ તરીકેનો ઊજવો, તેમજ સમાન્તર સરકારની રચના કરો – આ બધું ગમે તે ભોગે કરો.” ૧૯૩૦ની “સવિનય કાનૂન ભંગની લડત સમયે કમલાદેવીએ મીઠું પકવવાનો આદેશ આપ્યો. અને સ્વદેશી કાપડ વાપરવાનો જ આગ્રહ રાખ્યો. આ ઉપરાંત વિદેશી કાપડ વેચતી દુકાનો અને દારૂના પીઠાં ઉપર પિકેટિંગ કરવાનું તેમણે સ્વીકાર્યું. તેમણે કાયદાનો પ્રતિકાર કરવાનો આદેશ આપ્યો. તેઓ માનતાં હતાં કે, કાયદાના ભંગથી સરકાર અવ્યવસ્થા અને અરાજકતામાં સપડાશે. છેવટે તે અંદરથી ઘણી નબળી થઈ જશે કે તેને વિદાય કરવાનું સહેલું બનશે. બ્રિટિશ સરકારનું વલણ સત્યાગ્રહીઓ તરફ વધુ ઉગ્ર હોવાથી તેમજ ન્યાયાધીશો અંગ્રેજો તરફી ચુકાદા આપતા હોવાથી નિર્દોષ નાગરિકો, મોટાભાગે સજા પામતા. આથી કમલાદેવીએ બ્રિટિશ અદાલતોની સામે પણ પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૭ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંદોલન શરૂ કર્યું. અંગ્રેજો અને હિંદી વચ્ચે સજાઓની બાબતોમાં જે ભેદભાવ રખાતો તેમજ ભારતીયો ઉપર જે સખત અત્યાચારો થતા તેનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો. તેમણે મુંબઈમાં સૌ પ્રથમ મીઠું બનાવવાનું તેમજ ખુલ્લા બજારમાં વેચવાનો આરંભ કર્યો અને મીઠું વેચવાની જગ્યા હાઈકોર્ટની સામે રાખી. મીઠાના કાયદાના ભંગ બદલ અંગ્રેજોએ કમલાદેવીને ગિરફતાર કર્યા. તેમજ ટ્રાયલ માટે કોર્ટમાં લઈ જવામાં આવ્યાં. ક.દે.હિંમત ન હાર્યા, ઊલટું આ ધરપકડથી તેમને નવું બળ મળ્યું અને રાષ્ટ્રીય લડતમાં પૂરા તન-મનથી જોડાઈ ગયાં. તેમણે અદાલતમાં પણ મેજિસ્ટ્રેટને હિંમતપૂર્વક પોતાની પાસેથી મીઠું ખરીદવાનું કહ્યું. કોર્ટમાં મીઠું વેચવાનું ચાલુ કર્યું. તેમણે મેજિસ્ટ્રેટને પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી સત્યાગ્રહમાં જોડાઈ જવા માટે આહ્વાન આપ્યું; અલબત્ત મેજિસ્ટ્રેટે તેમને ૬ માસની સજા કરી. જાહેર જીવનની પ્રવૃત્તિ અને સેવા-કાર્યો : શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધી, નહેરુ, કસ્તુરબા ગાંધી, સરોજિની નાયડૂ વગેરેના સંપર્કમાં આવતાં તેમણે પણ તેઓની જેમ જ જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અસહકારની લડતમાં ભાગ લેવાનું શક્ય બને તે માટે લંડનમાં પોતાના કોલેજ શિક્ષણને પણ ત્યજી દીધું હતું; તેમજ હિંદના યુવાન વર્ગમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવાની ભાવના વિકસે તે માટે પણ તેમણે પ્રયત્નો કર્યા હતા. ખેતીખેડૂતોની સમસ્યાઓમાં પણ ઊંડો રસ હતો. જમીન અંગેના પ્રવર્તમાન કાયદાઓ, જે ખેડૂત વિરોધી હતા તેનો તેમણે વિરોધ કર્યો હતો અને સામંતશાહી વ્યવસ્થાનો અંત લાવવાના તેમણે પ્રયાસો કર્યા હતા. આમ, જાહેર જીવનની અનેક પ્રવૃત્તિમાં જોડાઈને તેમણે યુવાનોને જાગૃત કર્યા, પ્રેરણા પૂરી પાડી. “હિંદુસ્તાનના સેવાદળ”નું પુનઃસંગઠન : કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક અગ્રણી સમાજવાદી નેતા તરીકે આગળ આવ્યાં હતાં. તેમણે “મજૂર સંઘોમાં ભાગ લઈ કામદારોનાં આંદોલનોમાં સક્રિય ભાગ લીધો હતો. તદુપરાંત સ્ત્રીઓની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. તેમજ “અખિલ હિંદ મહિલા પરિષદનાં તેઓ સભ્ય હતાં. ૧૯૨૭માં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. આ ઉપરાંત “સહકારી સંઘ” અને અખિલ હિંદ હસ્તકલા બોર્ડ”ના પ્રમુખ તરીકે રહીને આ સંસ્થાનો ઉત્કર્ષ કર્યો હતો. તેમણે “વિશ્વ હસ્તકલા સંઘ'ની કારોબારીમાં નાયબ પ્રમુખ તરીકે સક્રિય ભાગ ભજવ્યો હતો. ૧૯૨૯માં તેમના પ્રમુખપદે મુંબઈમાં પ્રાંતીક યુવક પરિષદ ભરાઈ હતી. જેમાં ભારતીય સ્ત્રીઓના સામાન્ય સ્થાન અંગે સુધારા લાવનાર વિવિધ કાયદાઓને તેમણે ટેકો આપ્યો હતો અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે જ્ઞાતિપ્રથાનો પણ બહિષ્કાર કર્યો. વિધવાઓને પુનઃલગ્ન કરવા માટે પ્રેરી હતી. વિદ્યાર્થી સંગઠનનું સંચાલન : શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાય આપણે જાણીએ છીએ તેમ સ.શો.નાં વિદ્યાર્થિની તરીકે લંડન યુનિવર્સિટીમાં જોડાયાં હતાં અને રંગભૂમિના ઇતિહાસ સાથે તેમણે ત્યાં પીએચ.ડી. કર્યું હતું, સાથે સાથે તેઓ અનેક સ્ત્રી-સંસ્થા સાથે જોડાયાં હતાં. તેમણે ચાર જેટલી અગત્યની આંતરરાષ્ટ્રીય વિમેન્સ પરિષદોમાં ભાગ લીધો હતો અને હિંદુસ્તાનના પ્રતિનિધિ તરીકે તેઓએ આવી પરિષદોમાં ભાગ લેવા યુરોપના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. ' વસ્તૃત્વ ડિબેટ)માં તેમની સાથે સ્પર્ધામાં All India level પર ઊતરી શકે તેવાં એકમાત્ર સન્નારી સરોજિની નાયડૂ હતાં. જો કે તેમણે પોતાના જીવનમાં પત્રકારિત્વનો વ્યવસાય સ્વીકાર્યો હોત તો તેમને ખૂબ જ કીર્તિ પ્રાપ્ત થઈ હોત; પરંતુ તેઓ હિંદભરમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રી-સુધારણાના ક્ષેત્રે પાયાનું કામ કરવા ઇચ્છતાં હતાં. તેથી પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૮ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે “હિંદુસ્તાની સેવાદળ”ની ઠેર-ઠેર શાખાઓ ખોલી એ સંસ્થાને પગભર કરી હતી. આ માટે તેમણે ૧૯૩૧માં સમગ્ર હિંદુસ્તાનમાં ભ્રમણ કરીને “હિંદુસ્તાની સેવાદળ” સંસ્થાનો ખૂબ જ પ્રચાર કર્યો એટલું જ નહીં, પરંતુ તેઓ “સી-હિંદુસ્તાની સેવાદળ'નાં ઇન્ચાર્જમાં હતાં. તેમણે સ્ત્રીઓને તાલીમ આપવા માટે શિબિરો યોજી. શ્રી કમલાદેવી “બોમ્બે યુથલીંગ”ના વાઈસ ચેરમેનપદે નિમાયાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવા માટે “અભ્યાસ વર્તુળો” (Study Circles) શરૂ કરીને વિદ્યાર્થીઓને આપણા દેશની તત્કાલીન આર્થિક અને રાજકીય સમસ્યાથી પરિચિત કરવા માટે પુરુષાર્થ કર્યો તેમજ એ સમસ્યાઓનો ખ્યાલ જનતાને આપવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો. અલબત્ત તેમની રાજકીય પ્રવૃત્તિને કારણે બ્રિટિશ સરકારે ૧૯૩૧માં એક વર્ષની જેલની સજા કરી હતી. ૧૯૩૪માં “કાંગ્રેસ સમાજવાદી પક્ષ”માં તેઓ જોડાયા અને મૃત્યુપર્યત એ પક્ષ સાથે જોડાયેલાં રહ્યાં. તેઓ મુંબઈની S.N.D.T. (શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી વિશ્વવિદ્યાલય) યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલાં હતાં. સમાપન : શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું વ્યક્તિત્વ અત્યંત નિરાળું હતું અને તેમની પ્રવૃત્તિઓ વૈવિધ્ય સભર હતી. તેમની પ્રવૃત્તિઓને પરિણામે આપણા દેશમાં બ્રિટિશ શાસન દરમ્યાન અનેક સ્ત્રી-સંગઠનો વિકાસ પામ્યાં. તેમના નેતૃત્વ હેઠળ સ્ત્રી-શિક્ષણ અને નારી-સુધારણાના વ્યાપક કાર્યક્રમો પ્રયોજાયા અને તેમાં તેમને નોંધપાત્ર સફળતા Holl ed. She was a great personality in the field of national movement in India. તેમણે શરૂ કરેલી નારી-સુધારણાની ચળવળ અવિરતપણે ચાલુ રહે તે માટે સ્ત્રી-નેતૃત્વની એક આખી શ્રેણી ઊભી કરી; જેમાં (૧) શ્રીમતી હંસાબેન મહેતા (૪) કુમારી મણીબેન પટેલ (૨) શ્રીમતી લીલાબેન મુનશી (૫) કેપ્ટન પેરિન (૩) શ્રીમતી મુરશીદબેન સોફિયા (૬) શ્રીમતી જયશ્રીબેન રાયજી વગેરેનો સમાવેશ થાય છે. સ્ત્રી-નેતૃત્વ સર્જવામાં તેમણે આપેલું યોગદાન ખૂબ જ મહત્ત્વનું અને અર્વાચીન ભારતના ઈતિહાસમાં નોંધપાત્ર છે.* . સંદર્ભ સૂચિ 9. Carpets and Floor Covering of India. Indian Embroidary (1977) (New Delhi Wiley Eastern). Indian Handicrafts (New Delhi, 1963). Socialism and Soceity (Lucknow, 1950) The awakening of Indian Women Indian Women's Battles for Freedom. - Abhinav Publications, New Delhi. ‘મના ત્રિમ : માને | પ્રશાશન, (૨૬૭૬ Ed.) G.G.Karkhanis : 'Devdasi' - A burning problem of Karnatak'. ૯. સુરેશભાઈ ચી. શેઠ : “ભારતમાં સામાજિક અને ધાર્મિક ચળવળો (૧૮૧૮-૧૯૬૦)” (યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ). ૧૦. ડૉ. મંગુભાઈ પટેલ : “ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને તેના ઘડવૈયાઓ” (યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ). જે છે × ર $ $ પથિક 2માસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૩૯ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છનો ફાળો ભરતકુમાર પ્રા. ઠાકર* આપણી અણમોલ આઝાદીનો ઇતિહાસ નેવું વર્ષ (૧૮૫૭-૧૯૪૭)ના સતત સંઘર્ષો અને લડતોથી ભરેલો છે. સ્વતંત્રતા માટે સમગ્ર રાષ્ટ્ર દેશકાળ અનુસાર ભૂમિકા ભજવી છે. કચ્છમાં પણ સ્વાતંત્ર્ય ચળવળની હવા પ્રસરી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા (૧૮૫૭-૧૯૩૦), યુસુફ મહેરઅલી (૧૯૦૩-૫૦) જેવા કચ્છી આંદોલનકારોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે. તો, ૧૮૫૭ના બળવાના વિપ્લવવાદીઓને કચ્છમાં આશ્રય આપીને કચ્છની પ્રજાએ પણ પોતાની ભાગીદારી નોંધાવી છે. કચ્છમાં અંગ્રેજો સામેની લડત સાથે દેશી રાજ્યના નિયંત્રણમાંથી મુક્ત થઈ “જવાબદાર રાજયતંત્ર' મેળવવાની સમાંતર લડત પણ ચાલુ રહી હતી. ગાંધીયુગનો ઉદયકાળ * રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (૧૮ ૬૯-૧૯૪૮) દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪માં ભારત પાછા આવ્યા પછી એમના કાર્યક્રમો અને વિચારો થકી દેશભરમાં છવાઈ ગયા. એમના પુનરાગમન પછી સર્વત્ર રાષ્ટ્રવાદ અને સ્વાતંત્ર્ય ચળવળની અનોખી ચિનગારી પ્રગટી હતી. કચ્છ પ્રદેશ પણ આ નવચેતન અને નવજીવનની ચિનગારીથી કેમ બાકાત રહે ?! કચ્છમાં પણ ગાંધીવિચારથી પ્રેરિત સંનિષ્ઠ કાર્યકરોએ સેવાની જયોત જલાવી હતી. ૧૯૧થી દેશમાં ગાંધીયુગનો ઉદય થયો ત્યારે કચ્છમાં પણ પ્રજાજાગૃતિનો સળવળાટ શરૂ થયો હતો. કોંગ્રેસની સ્થાપના (૧૮૮૫)થી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) સુધી કચ્છ પણ તેનાથી વિખૂટું રહ્યું નથી. તે દૂરનો મુલક હોવાથી અન્ય પ્રદેશો જેવા રોમાંચક બનાવો અહીં ઓછા બન્યા હશે કે પછી તેણે સત્યાગ્રહોની ઉગ્રતા ઓછી અનુભવી હશે; છતાં યત્કિંચિત ફાળો કચ્છ પણ જરૂર આપ્યો છે. - રાજાશાહી અને અંગ્રેજશાહીના એ કપરા કાળે સ્વાતંત્ર્ય સંબંધી પ્રવૃત્તિઓ કે ચળવળોમાં ભાગ લેવો કેટલું કઠિન હતું તે સહભાગી વ્યક્તિઓ જ જાણી શકે. તેવા સમયે પણ હિંમતપૂર્વક તેમાં સામેલ થઈ જે મુઠ્ઠીભર વ્યક્તિઓએ કચ્છની નવજાગૃતિમાં જીવન સમર્પિત કર્યું છે તે વંદનીય છે. કચ્છના ઇતિહાસની એ અમૂલ્ય પળોની વિગતો જે કંઈ થોડા સંદર્ભોમાં નોંધાઈ છે તે પર નજર ફેરવીએ. કચ્છમાં લોકલડતના મંડાણ : ૧૮૦૦ની આસપાસ કચ્છમાં અંગ્રેજોનો પગપેસારો રોકવામાં કચ્છના લશ્કરી સેનાપતિ જમાદાર ફતેહ મહંમદ અને તત્કાલીન રાવ ભારમલજી-બીજા (શાસન ૧૮૧૪-૧૯)એ પ્રયત્નો કરેલા. અંજારની જનતાએ કૂવામાં ઝેર ભેળવી અંગ્રેજ લશ્કરને પાયમાલ કરેલું. મુંબઈના હરજી કાયાણીએ કચ્છાધિપતિ પ્રત્યે વિજ્ઞપ્તિ તથા રુશ્વતખાન બહાદુર' (૧૯૦૯) પુસ્તક દ્વારા દેશી રાજ્ય સામેની લડતના મંડાણ કરેલાં. ત્યારબાદ ગતાનુગતિક રાજકીય પ્રવૃત્તિઓના પગલે ૧૯૧૯-૨૬ દરમ્યાન કચ્છમાં રાજકીય સંગ્રામનાં બીજ વ્યવસ્થિત સ્વરૂપે ફાલવા લાગ્યાં. લોકલડતો માટેના વ્યક્તિગત પ્રયાસોએ પાછળથી સંગઠનોનું સ્વરૂપ પકડ્યું. કચ્છમાં રાજકીય પ્રવૃત્તિનાં મંડાણ મુનિશ્રી જયવિજયજીના વડપણ હેઠળ સ્થપાયેલ “કર૭ સેવા સમાજ (૧૯૧૯-૨૦)થી થયાં હતાં. પરંતુ કચ્છના રાજકારણનું પહેલું વ્યાપક સંગઠન “કચ્છ પ્રજા સંઘ” હતું, જેની ૧૯૨૩માં મુનિ જયવિજયજીના નેતૃત્વમાં કચ્છમાં અને ૧૯૨૫માં અહમદભાઈ હાજીના પ્રમુખપદે મુંબઈમાં સ્થાપના થયેલી. * લેખક ખાદ્ય નિગમ(ગાંધીધામ)માં સેવારત અને અંજાર સ્થિત કચ્છના મુક્ત લેખક અને સંશોધક છે. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૦ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરમ્યાન, કચ્છના પ્રખર ગાંધીવાદી અને રાજકીય જીવનના અગ્રણી એવા કાંતિપ્રસાદ ચન્દ્રશંકર અંતાણી (૧૯૦૨-૮૬)ના પ્રયાસથી ૧૯૨૧માં કચ્છ જિલ્લાનો સિંધ પ્રાંતમાંથી ગુજરાતમાં સમાવેશ કરાયો. પ્રારંભથી જ તેઓ કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની લડતોમાં સતત સક્રિય રહેલા. સરદાર વલ્લભભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) સમક્ષ લીધેલાં સેવાવ્રતોને આજીવન વળગી રહ્યા અને મુંબઈ વિધાનપરિષદનું સભ્યપદ (૧૯૫૬) પણ ટાળ્યું. 'મહાદેવભાઈ દેસાઈ (૧૮૯૨-૧૯૪૨)ની ડાયરીમાં પણ શ્રી અંતાણી ઉલ્લેખ પામ્યા છે. દાંડીકૂચમાં કચ્છના સૈનિકો : ભારતના આઝાદી-જંગમાં “દાંડી કૂચ” (૧૨મી માર્ચથી પમી એપ્રિલ, ૧૯૩૦) ઐતિહાસિક સ્થાન ધરાવે છે. દાંડી(જિ. નવસારી)ના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને સવિનય કાનૂન ભંગની ચળવળ ઉપાડનાર મહાત્મા ગાંધીની સાબરમતી આશ્રમ(અમદાવાદ)થી દાંડી સુધીની ૨૪૧ માઈલ (એટલે કે ૩૮૬ કિ.મી. લાંબી એ ઐતિહાસિક યાત્રામાં ભારતભરમાંથી માત્ર ૮૧ સૈનિકો પસંદ કરાયા હતા. તેમાંથી કચ્છની સાત વ્યક્તિઓ ભારતીય ઇતિહાસની આ ભવ્ય ઘટનાની સાથીદાર બની હતી તેનાં નામો.... ૧. જયંતીલાલ નભુભાઈ પારેખ (આશ્રમની શાળાના વિદ્યાર્થી, વય ૧૮), ૨. જેઠાલાલ વીરજી રૂપારેલ (ખાદી ખાતામાં, વય ૨૫). ૩. ડુંગરશીભાઈ કચરાભાઈ (ખાદી કાર્યકર્તા, વય ૨૭). ૪. નારાણજી નેણશી ઠક્કર (ઉત્કલમાં ખાદી કાર્યકર્તા હતા, વય ૨૨). પ. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (આશ્રમની શાળાના વિદ્યાર્થી, વય ૧૯) ૬. મગનભાઈ વોરા (ઉત્કલમાં ખાદી કાર્યકર્તા, વય ૨૫). ૭. માધવજી વીરજી ઠક્કર (લંડનમાં ફત્તેહમંદ વેપાર ખેડેલો, કલકત્તામાં ધીકતો ધંધો છોડી આશ્રમમાં જોડાયેલા, વય ૪૦). ગાંધીજીનો કચ્છ-પ્રવાસ : ૧૯૨૫માં સરદાર પટેલ સાથે મહાત્મા ગાંધીજીની કચ્છ-યાત્રાથી કચ્છની સ્વાતંત્ર્ય-તવારીખમાં ચેતન અને વેગ આવ્યાં હતાં. માનસંગભાઈ કચરા સ્વાગત મંડળના પ્રમુખ હતા. ૨૨મી ઑકટોબરથી ૪થી નવેમ્બર (ચૌદ દિવસો સુધી ગાંધી-સરદાર કચ્છમાં રહ્યા હતા ત્યારે એમની સાથે રહેલા આગેવાનો ગુલાલશંકર ધોળકિયા, કાંતિપ્રસાદ અંતાણી અને પ્રભુલાલ ધોળકિયાને છૂતાછૂતના પ્રશ્ન “નાતબહાર થવાની સજા' મળી હતી : ગાંધીજી કચ્છ આવ્યા તે પૂર્વે અને પછી મુંબઈ કે અન્યત્ર વસતા ઘણા કચ્છીઓ ગાંધીરંગે રંગાયા હતા. મહાત્માજીને કચ્છ તેડી લાવનાર ઓરિસ્સા સ્થિત જીવરામ કલ્યાણજી કોઠારી(કોટડા-રોહા)એ તે જમાનામાં બે લાખ રૂપિયાનું અનુદાન ગાંધી-ચરણે ધર્યું હતું. તો, મુંબઈ ખાદી પ્રવૃત્તિના જનક અને કચ્છના ભીમાણી ખાદી સંઘના સ્થાપક એવા કાકુભાઈ ઉર્ફે પુરુષોત્તમ કાનજી સંપટે વિદેશી કાપડની હોળી (૧૯૨૧)માં પોતાનાં વસ્ત્રો હોમી દીધેલાં. તો, મુંબઈ સ્થિત અનેક કચ્છી અગ્રણીઓ ભારતની સ્વાતંત્ર્ય ચળવળો અને કચ્છની લોકલડતોના સહયોગીઓ તરીકે આગળ રહ્યા હતા. શેઠ વેલજી લખમશી નપુ અને શેઠ ઉમર સોબાની કોંગ્રેસના ‘ટિળક સ્વરાજ્ય ફાળા'ના ખજાનચી હતા. એમાંના વેલજી લખમશી નપુ મુંબઈ કચ્છી વેપારી આલમના સંગઠક, કચ્છના રાજકારણનાં મુંબઈમાં મંડાણ કરનાર, કરછ પ્રજા સંઘના મંત્રી તરીકે કચ્છ અને મુંબઈમાં તેના સંયુક્ત સ્વરૂપના પ્રેરક અને અખિલ ભારત કેંગ્રેસ કારોબારીના ખજાનચી રહ્યા હતા. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૪૧ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજાકીય પરિષદની સ્થાપના : - ૧૯૨૬માં શેઠ સુરજી વલ્લભદાસના પ્રમુખપદે મુંબઈમાં “કચ્છી પ્રજાકીય પરિષદની રચના થઈ, જે આઝાદીની પ્રાપ્તિ લગી ચાલુ રહી. કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધિઓમાં મહત્ત્વનું માધ્યમ બની રહેનારી આ સંસ્થાની સ્થાપના પછી વ્યવસ્થિત લોકલડતનાં મંડાણ થયાં. તેના કાર્યકાળનાં ૨૨ વર્ષો દરમ્યાન મુંબઈ અને કચ્છનાં વિવિધ સ્થળોએ સમયાંતરે યોજિત તેનાં કુલ આઠ અધિવેશનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મધ્યસ્થ ધારાસભા અને જવાબદાર પ્રધાનમંડળની, માંગણીઓ થતી રહી. પ્રતિપક્ષે કચ્છના શાસકો પણ લડતને દબાવવા લેખન અને વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતા ગયા. પરિષદના પ્રથમ મુંબઈ અધિવેશન(૧૯૨૬)ના સૂત્રધાર સુરજી વલ્લભદાસે ૧૯૨૬-૩૦ના વિકટ કાળે ચાલો હાકલ થઈ દેશનીનો નાદ કચ્છના ગામેગામ પહોંચાડી દેશપ્રેમનો જુસ્સો જગાડ્યો હતો. મુંબઈ સ્થિત આ કચ્છી અગ્રણી કચ્છમાં પણ સક્રિય હતા અને કચ્છ સંગ્રામના છેવટ લગીના કુશળ સહયોગી બન્યા. મુંબઈમાં મુક્તિ સંગ્રામના કચ્છી સેનાની યુસુફ મહેરઅલી : * ગયા વર્ષ(૨૦૦૩)માં જેમની જન્મ શતાબ્દી મનાવાઈ એવા મૂળે કચ્છના ભદ્રેશ્વર (તા.મુન્દ્રા)ના વતની અને પેઢીઓથી મુંબઈને કર્મભૂમિ બનાવનાર યુસુફ મહેરઅલી (૧૯૦૩-૫૦) પ્રખર સમાજવાદી અને રાષ્ટ્રવાદી સેવક હતા. કચ્છ જે સ્વાતંત્ર્ય વીરો દેશને આપ્યા તેમાં મહેરઅલી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આઝાદી આંદોલન સમયે કચ્છી પ્રજાકીય પરિષદના પ્રમુખ તરીકે કચ્છમાં લોકસ્વરાજની લડતને આગેવાની પૂરી પાડનાર કચ્છી બિરાદર મહેરઅલી મુંબઈના રાજકારણમાં પણ એટલા જ સક્રિય હતા અને મુંબઈના પ્રથમ કચ્છી મેયર (૧૯૪૨) બન્યા હતા. યંગ ઇન્ડિયા સોસાયટી, બૉમ્બે પ્રોવિયેલ યુથ લીગ, બૉમ્બે ટુડન્ટ્સ બ્રધરહૂડ જેવાં મંડળો સ્થાપીને ક્રાંતિકારી યુવકોને તાલીમ આપી તૈયાર કર્યા. સાયમન કમિશન (૧૯૨૮) સામેના વિરોધને મુંબઈમાં જલદ બનાવવાની પહેલ કેપ્ટન મહેરઅલી અને તેના સાથીઓએ કરી. મુંબઈ બંદરે ચારસો નવયુવકોની ટુકડી લઈને એમણે “સાયમન-પાછા જાવ'ના નારા સાથે દેખાવો કર્યા હતા. ૧૯૩૦-૩૨ની લડતો દરમ્યાન સભા-સરઘસો પર પ્રતિબંધ હતો ત્યારે જનતાના ઓસરતા જુવાળને એમની સ્થાપેલી ‘નેશનલ મિલિશિયાએ જ ચેતન પૂરેલું : “કાંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૩૪)માં તેઓ પણ એક હતા. તો, ‘હિંદ છોડો' ચળવળ(૧૯૪૨)માં રાષ્ટ્રિય નેતાઓ સાથે ભાગ લીધો. ૧૯૩૯માં એમના પ્રમુખપદેથી કચ્છી પ્રજાકીય પરિષદ દ્વારા કચ્છના જાહેરજીવનને ગતિ, વિસ્તાર અને આદર્શ પ્રાપ્ત થયાં હતાં. સુરેન્દ્રભાઈ શેઠ (૧૯૩૨-૨૦૦૩) નોંધે છે તેમ બિરાદર મહેરઅલીના નેતૃત્વનું એક અગત્યનું પરિણામ તે કચ્છની પ્રજાકીય ચળવળને ભારતના આઝાદી આંદોલનના એક અંતર્ગત ભાગ તરીકે આકાર મળ્યો. અધિવેશનો અને સૂત્રધારો : પરિષદના બીજા માંડવી અધિવેશન(૧૯૨૭)ના પ્રમુખ રહેલા લક્ષ્મીદાસ રવજી તેરસી મુંબઈના કચ્છી આગેવાન હતા અને છેક ૧૯૦૨થી રાજયના અધિકારીઓની રંજાડ સામે લડત આપેલી. તો, મદ્રાસની રાજાજી સરકારમાં પ્રધાનપદે રહેનાર જનાબ યાકુબ હુસેને રાજદ્રોહની કલમ વચ્ચે અને સ્થાનિક જ્ઞાતિબંધુઓની નારાજી વહોરીને પણ ત્રીજા અંજાર અધિવેશન(૧૯૩૦)નું પ્રમુખપદ સ્વીકાર્યું હતું. પથિક ત્રમાસિક – એપ્રિલમે-જૂન, ૨૦૦૪ ] ૪૨ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં ભારતના સ્વાતંત્રતા સંગ્રામને બિરદાવી ગાંધીજીની દોરવણીમાં શ્રદ્ધા અને સહાનુભૂતિ જાહેર કરાયાં હતાં. તે પછી ભુજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ(૧૮૮૬-૧૯૫૨)ના પ્રમુખપદે તથા કાંતિપ્રસાદ અંતાણી અને અન્યોની દોરવણી તળે ભુજમાં વિરાટ “કચ્છ ખેડૂત સંમેલન' (૧૯૩૧) મળ્યું, જેણે કચ્છની પ્રજાને બળ આપ્યું. પરિષદના ચોથા ભુજ અધિવેશન(૧૯૩૪)ના પ્રમુખ શેઠ મૂળરાજ કરસનદાસ ભારતીય સંગ્રામના મુંબઈ સ્થિત લડવૈયા, મહેરઅલીના સાથીદાર અને કચ્છમાં પ્રવાસ ખેડી જનજાગૃતિના પ્રસારક હતા. સ્વરાજય પૂર્વે ઝાંઝિબાર ખેડીને કચ્છના રાજકારણમાં ઓતપ્રોત થનાર ડૉ. બિહારીલાલ નારાણજી અંતાણી (૧૮૯૨૧૯૭૧) પરિષદના પાંચમા ભચાઉ અધિવેશન(૧૯૩૭)ના કર્ણધાર બન્યા. તેઓ પ્રખર વક્તા અને સત્તાપલટા પછી રાજ્યસભાના સભ્ય હતા. આ સંમેલનમાં મુંબઈથી બિરાદર મહેરઅલી પ્રથમવાર હાજર રહી કચ્છની સ્વાતંત્ર્ય સંઘર્ષની પ્રવૃત્તિમાં સંકળાયા હતા. પ્રજાજાગૃતિનું વળાંક-બિંદુ : કચ્છી પ્રજાકીય પરિષદના છઠ્ઠા-મુન્દ્રા અધિવેશન(૧૯૩૮)ના પ્રમુખ બનીને કેપ્ટન યુસુફ મહેરઅલી જેવી રાષ્ટ્રીય પ્રતિભાસંપન્ન વ્યક્તિ ટૂંકા ગાળા માટે કચ્છના રાજકીય સુકાની પણ બન્યા હતા. આ સંમેલનમાં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે પ્રજાને સીધી લડતની તૈયારી માટે આહ્વાન અપાયું હતું. આ અધિવેશનને હરિપુરા કેંગ્રેસ અધિવેશન સાથે સરખાવવામાં આવે છે. તેમાં લાખો લોકોએ હાજરી આપી જુસ્સાનાં દર્શન કરાવ્યાં હતાં. મુન્દ્રા અધિવેશનના આગળ જતાં બીજા વર્ષે (૧૯૩૯માં) પડઘા રૂપ અનેક બનાવો બન્યા. ૧૦મી જાન્યુઆરીની માંડવીની બેઠકમાં કચ્છના મહારાવે પ્રજાકીય ચળવળોથી દૂર રહેવા “સલાહ આપી. તો, પરિષદ પણ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું. ૧૬મી જાન્યુ.નું મહેરઅલી-મહારાવ મિલન નિષ્ફળ રહ્યું. ૧૯મીએ કચ્છના જાણીતા વકીલોની સનદ છીનવી લેવાઈ. પ્રજાનો જુસ્સો ટકાવવા ૨૦મીએ મહેરઅલીના નેતૃત્વમાં ભુજમાં વિરાટ “અખિલ કચ્છ કિસાન સંમેલન યોજાયું, જે કચ્છની પ્રજાજાગૃતિના કાળનો મહત્ત્વનો પ્રસંગ લેખાય છે. ૨૧મીએ કચ્છમાં ઠેરઠેર દારૂના પીઠાં સામે પિકેટિંગ શરૂ થયું. જવાબદાર રાજતંત્ર દિન’ : ૨૬મી જાન્યુઆરીને હિન્દભરમાં સ્વતંત્રતા દિન તરીકે મનાવવાનું ગાંધીજીએ આહ્વાન આપેલું. તે અનુસાર કચ્છમાં પણ તે “જવાબદાર રાંજયતંત્ર દિન” રૂપે ઊજવવાનું મુન્દ્રા અધિવેશનમાં ઠરાવાયેલું. તેમાં ભાગ લેવા મુંબઈથી આવતા સ્વયંસેવક દળનો વિદાય સમારંભ ૧૪મી જાન્યુઆરીના કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝ (૧૮૯૭-૧૯૪૫)ની હાજરીમાં યોજાયો હતો અને તેની સફળતા ઇચ્છતો પ્રેરક સંદેશો પણ નેતાજીએ કચ્છની પ્રજાને પાઠવ્યો હતો. તે મુજબ ર૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના પરિષદ પ્રમુખ મહેરઅલીની હાજરીમાં આ દિવસની જવાબદાર રાજતંત્ર દિવસ' રૂપે મોટા પાયે ઉજવણી થઈ. કચ્છમાં વ્યાપક સ્વરૂપનો એ પ્રથમ રાજકીય બનાવ હતો. ૨૪૨૫મી માર્ચના રાષ્ટ્રીય પ્રતિભા શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય (૧૯૦૩-૮૮)ના પ્રમુખપદે ભુજમાં “કચ્છ મહિલા સંમેલન’ મળ્યું. તે પછી દેશી રાજયો સામેની પ્રજાકીય ચળવળો મોકૂફ રાખવાના ગાંધીજીના આદેશના પગલે ૧લી એપ્રિલ, ૧૯૩૯થી કચ્છમાં પણ શરૂ થનારી “જવાબદાર રાજયતંત્ર' માટેની સૂચિત લડત મુલતવી રહી હતી. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૪૩ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લડત મોકૂફી છતાં પરિષદનાં આંદોલનોએ કચ્છની પ્રજામાં રાજકીય જાગૃતિ આણવાનું કામ તો કર્યું જ હતું. સામા પક્ષે રાજ્ય તરફથી (લડત બંધ રહી છતાં) કચ્છમાં ગરાસિયા-ભાયાતો-ચારણોનાં સંમેલનો, કણબીઓનું સરઘસ અને મુસ્લિમ સંમેલન બોલાવીને આંતિરેક ફાટફૂટની કુટિલ કૂટનીતિ પણ અપનાવાઈ. તો, ૧૯૩૯માં જ વેલજી ઠાકરશી, કાંતિપ્રસાદ અંતાણી, જમનાદાસ ગાંધી જેવા સ્વાતંત્ર્ય સંગ્રામના સિપાઈઓ કારાવાસમાં પણ પુરાયા. ‘હિંદ છોડો' ચળવળ : www.kobatirth.org ૧૯૪૦માં પ્રમુખપદેથી રાજીનામું આપી યુસુફ મહેરઅલી રાષ્ટ્રિય કક્ષાએ સત્યાગ્રહમાં જોડાવા ગયા. ૧૯૪૨માં એમને લાહોરમાં કારાવાસ અને મુંબઈમાં મેયરપદ બંને મળ્યાં. એ પછી ભારતના સ્વાતંત્ર્ય જંગની તવારીખમાં પરાકાષ્ટા અને સીમાચિહ્નરૂપ સ્થાન ધરાવતી ૧૯૪૨ની ‘ભારત છોડો' ચળવળ ‘ઑગસ્ટ ક્રાંતિ' શરૂ થાય છે. મુંબઈમાં ગોવાલિયા ટેંક ખાતે દેશના ટોચના નેતાઓ સાથે મહેરઅલીએ પણ ભાગ લીધેલો અને જેલવાસ ભોગવેલો. ગાંધીજીની હાકલ પરથી ગામડા તરફ પ્રયાણ કરી ચરખામઢી(ગઢશીશા)થી ૧૯૩૯માં કચ્છમાં ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓનો આરંભ કરનાર મૂલ્યનિષ્ઠ ગાંધીવાદી માવજીભાઈ ધરમશી વેદે (૧૯૦૭-૪૫) ‘હિંદ છોડો' લડત વખતે કચ્છમાં ખમીર ઝળકાવી બતાવ્યું હતું. ક્રમ ૧. ૨. 3. ૪. ૫. તો ગિજુભાઈ બધેકા, રતુભાઈ અદાણી, ઇસ્માઈલ નાગોરી જેવા અગ્રણીઓના હાથ નીચે કેળવાયેલા કચ્છના સ્વાતંત્ર્ય સેનાની કાસમશાહ દર્દ (૧૯૦૯-૮૯) ‘કરેંગે યા મરેંગે'ની આ ચળવળ વખતે યુવાનોને બંદૂક ચલાવવાની તાલીમ આપતા. આઝાદી બાદ તેઓ શામળદાસ ગાંધી(૧૮૯૭-૧૯૫૩)ની ‘આરઝી હકૂમત' (જૂનાગઢ)ના લશ્કરમાં એક સૈનિક તરીકે જોડાયા હતા. કચ્છી પ્રજાકીય પરિષદનાં અધિવેશનો : ૭. ૮. તારીખો ૨૨, ૨૩, ૨૪ ઑક્ટોબર, ૧૯૨૬ ૨૮, ૨૯, ૩૦ ડિસેમ્બર, ૧૯૨૭ ૨૦, ૨૧, ૨૨ એપ્રિલ, ૧૯૩૦ ૨૮, ૨૯, ૩૦ એપ્રિલ, ૧૯૩૪ ૨૦, ૨૧, ૨૨ નવેમ્બર, ૧૯૩૭ ૨૬, ૨૭, ૨૮ ડિસેમ્બર, ૧૯૩૮ ૧, ૨, ૩ ડિસેમ્બર, ૧૯૪૫ ૧૯ ઑક્ટોબ૨, ૧૯૪૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થળ મુંબઈ માંડવી અંજાર ભુજ ભચાઉ મુન્દ્રા ભુજ કોડાય પ્રમુખ શેઠ સુરજી વલ્લભદાસ લક્ષ્મીદાસ રવજી તેરસી જનાબ યાકુબ હુસેન શેઠ મૂળરાજ કરસનદાસ બિહારીલાલ નારાણજી અંતાણી યુસુફ મહેરઅલી મર્ચન્ટ ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા વિસર્જન અને વિલીનીકરણ : કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામના ભેખધારી અને જાહેરજીવનના ભીષ્મ પિતામહ ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા (૧૮૯૨-૧૯૭૨)ના પ્રમુખસ્થાને પરિષદનું સાતમું ભુજ અધિવેશન (૧૯૪૫) યોજાયું, જેમાં મહેમાનો તરીકે મોરારજીભાઈ દેસાઈ (૧૮૯૬-૧૯૯૫), મૃદુલાબેન સારાભાઈએ હાજરી આપી માર્ગદર્શન આપેલું. પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૪૪ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર બાદ પરિષદનું આખરી અને આઠમું કોડાય અધિવેશન (૧૯૪૮) પણ શ્રી ધોળકિયાના પ્રમુખપદે જ યોજાયું, સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ અટપટા કાળથી સત્તાપલટા સુધીના સાક્ષી બનેલા ગુલાબશંકરભાઈ પાછળથી ભારતની કામચલાઉ સંસદ(૧૯૫૦-પ૨)માં કચ્છના પહેલા પ્રતિનિધિ અને પ્રથમ લોકસભા (૧૯૫૨પ૭)માં કચ્છના પ્રથમ બે પ્રતિનિધિઓ પૈકીના એક બન્યા હતા. ૧૯૪૭માં ભારતની આઝાદીની પ્રાપ્તિ સાથે પરિષદનો હેતુ પૂરો થતાં કોડાય અધિવેશનમાં તેના વિસર્જનનો નિર્ણય લેવાયો. આમ કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખમાં મહત્ત્વનો ફાળો આપનારી અને ૨૨મી ઓક્ટોબર, ૧૯૨૬માં સ્થપાયેલી “કચ્છી પ્રજાકીય પરિષદ' આઝાદી બાદ ૧૯મી ઑકટોબર, ૧૯૪૮ના રોજ વિસર્જિત થઈ હતી તથા પાછળથી તેનું કેંગ્રેસમાં વિલીનીકરણ થયું હતું. બંધારણ સભા'માં યોગદાન : આઝાદીની પ્રક્રિયાના ભાગ રૂપે ભારતનું રાજબંધારણ ઘડવા રજી ઑક્ટોબર, ૧૯૪૬ના રોજ “બંધારણ સભા' (૧૯૪૬-૪૯) રચવામાં આવી હતી, જેમાં સ્થાનિક મતદાર-મંડળ દ્વારા ચૂંટાઈને બે કચ્છી સપૂતોએ પ્રતિનિધિત્વ કરેલું. બંધારણમાં નહેરુ-સરદાર સાથે કચ્છના આ બંને આગેવાનોની સહી પણ સ્થાન પામી છે. કચ્છના તેરા(તા. અબડાસા)ના વતની, મુંબઈના જૈન શ્રેષ્ઠી અને કચ્છના જાહેરજીવનના મોભી એવા ભવાનજી અરજણ ખીમજી (૧૯૦ર-૭૦) મુંબઈ પ્રાંત કોંગ્રેસ સમિતિના ખજાનચી પદે રહેલા અને ૧૯૩૦૩રની કાનૂનભંગ લડતના આગેવાન હતા. વિદેશી વેપારી પેઢીઓનો બહિષ્કાર કરવા બદલ ધરપકડ વહોરેલી. પ્રથમ લોકસભા(૧૯૫૨-૫૭)માં તેઓ કચ્છના પ્રથમ બે પ્રતિનિધિઓ પૈકીના એક હતા. સ્વરાજય પહેલાં ગુલાબશંકર ધોળકિયા અને સ્વરાજ્ય પછી ભવાનજીભાઈ કચ્છ માટે મહત્ત્વના આધારસ્તંભો બનેલા. બીજા પ્રતિનિધિ પ્રો. કે.ટી.શાહ (૧૮૮૮-૧૯૫૩) માંડવીના વતની અને પરિષદના સ્થાપક સભ્યો પૈકીના એક હતા. પંડિત નહેરુ (૧૮૮૯-૧૯૬૪)ના પ્રમુખ સ્થાને નિમાયેલ કોંગ્રેસ આયોજન મંડળ' (૧૯૩૪)માં મંત્રીપદે હતા. ભવાનજીભાઈની સાથે એમણે પણ બંધારણ સભામાં બહુમૂલ્ય ફાળો આપેલો. એક બંધારણવિદ્ તરીકે એમનું નામ ભારતભરમાં ખ્યાત થયેલું. અન્ય થોડા નામોલ્લેખ : સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષકાળ દરમ્યાન અનેક સામાજિક-રાજકીય આગેવાનો સંકળાયેલા રહ્યા હોય એ દેખીતું છે. ઉપરના લેખમાં જેની વાત આવી ગઈ છે તે સિવાય પણ નામી-અનામી અનેક મહાનુભાવોનાં નામો રહી જવા સંભવ છે, જેનો મર્યાદિત લેખમાં ઉલ્લેખ શક્ય નથી. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના એક ભાગ રૂપે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ આપેલો, જેના પણ અનેક નાનામોટા કાર્યકરો કચ્છની સ્વાતંત્ર્ય તવારીખ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે સંકળાયેલા રહ્યા છે. કચ્છમાં ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશી, લોકશિક્ષણ, હરિજનોદ્ધાર વગેરે જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યકરોમાં કચ્છના ગાંધી’ તરીકે પ્રસિદ્ધ માંડવીના ગોકુલદાસ બાંભડાઈ (૧૮૮૧-૧૯૬૨), સાધનાશ્રમ(બિદડા)ના વેલજી ઠાકરશી (૧૯૦૧-૬૬), શિક્ષણ સંસ્થા “સદનવાડી' (દશલપર-વાંઢાય)ના સ્થાપકો પ્રભુલાલ ધોળકિયા (૧૯૦૫૮૦) અને મગનભાઈ સોની (૧૯૭૯-૮૧), સેવાશ્રમ(ચકાર-કોટડા)ના હીરજીભાઈ કોટક (જ. ૧૯૧૮), ગ્રામલક્ષી બે શિક્ષણસંસ્થાઓ સર્વોદય આશ્રમ અને ગ્રામ સ્વરાજ સંઘ(બંને નીલપર)ના સ્થાપકો અનુક્રમે દયારામભાઈ કેવરિયા (જ. ૧૯૨૦) અને મણિભાઈ સંઘવી (જ. ૧૯૨૧) વગેરેને સંભારવા રહ્યા. ત્રીજું, કચ્છ રાજયના પ્રતિબંધ કે હેરાનગતિના કારણે ઘણા કચ્છી પત્રકારોએ બહુધા મુંબઈમાંથી લધુ પથિક રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૫ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખબારો બહાર પાડીને જે લોકજાગૃતિનો પ્રકાશ ફેલાવ્યો તેનો વળી એક જુદો જ ઇતિહાસ છે. તેમ છતાં તેઓનો પણ નામોલ્લેખ કરવો રહ્યો... વકીલ દયારામ દેપાળા(માંડવી)નાં બે પત્રો 'કચ્છ સમાચાર', કચ્છી ઢોલ, ચત્રભુજ જગજીવન ભટ્ટ(લાકડિયા)નું કચ્છી', રવજીભાઈ શાહ(દેવપર-ગઢ)નું ‘કચ્છ કેસરી', ફૂલશંકર • પટ્ટણી(ભુજ)નું “જય કચ્છ', કલ્યાણજી લાલજી વ્યાસ(માંડવી)નું “કચ્છી', ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા (ભુજ)નું “જાગૃત કચ્છ', છગનલાલ ભવાનીશંકર મહેતાનું “કચ્છ વર્તમાન', બી.એન. મહીશેરીનું “સ્વદેશ'... વગેરે મુખ્ય ગણી શકાય. ઉપસંહાર અને સમાપન : આઝાદી બાદ કચ્છ પ્રાંત ભારત સંઘમાં વિલીન થતાં ૧લી જૂન, ૧૯૪૮થી તેને ચીફ કમિશ્નર દ્વારા હિંદી સરકારના સીધા વહીવટ હેઠળ “ક” વર્ગના રાજ્ય (‘સી’ કેટેગરી સ્ટેટ) તરીકે અલગ દરજજો મળ્યો હતો. આમ, સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના સંઘર્ષનાં વર્ષો દરમ્યાન કચ્છમાં પણ આઝાદી માટે જાગૃતિ લાવવાનું, પોતાના હક્કો માટે લડવાનું, ભ્રષ્ટાચાર નાબૂદી, દમન સામે માથું ઊંચકવું વગેરે જેવી લડતો દ્વારા કચ્છમાં સ્વાતંત્ર્ય ચેતનાનો સંચાર થયો હતો. પરદેશમાં આઝાદી ચળવળના કચ્છી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા: કચ્છ જિલ્લાના તાલુકા-મથક માંડવી ખાતે જન્મેલા અને ગુજરાતના ગૌરવસમા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા (૧૮૫૭-૧૯૩૦) મહર્ષિ દયાનંદ સરસ્વતીના માનસપુત્ર, વીર સાવરકરના ગુરુ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના પથદર્શક હતા. અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે ક્રાંતિની મશાલ પ્રજવલિત રાખી હતી. વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે દયાનંદ સરસ્વતી(૧૮૨૪-૮૩)ની પ્રેરણાથી પ્રથમવાર ૧૮૭૯માં અને તે પછી વિદેશી ભૂમિ પરથી ભારતના મુક્તિ સંગ્રામને બળ મળે તે માટે બાળગંગાધર ટિળક(૧૮૫૬-૧૯૨૦)ની પ્રેરણાથી ફરી ૧૮૯૭માં તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં એમણે ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' અખબાર, ઇન્ડિયન હોમરૂલ સોસાયટી” સંસ્થા અને ક્રાંતિ મથક ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરીને પરદેશમાં આઝાદીની ચળવળ શરૂ કરી. ત્યાં એમની સાથે દેશના અન્ય બે ક્રાંતિવીરો લીંબડીના સરદારસિંહ રાણા (૧૮૭૦-૧૯૫૭) અને મેડમ ભિકાઈજી કામા (૧૮૬૧-૧૯૩૬) હતાં. આ ત્રિપુટીએ આઝાદી જંગમાં વિશ્વ જનમત જગાડવા ઝુંબેશ ચલાવી. ભારત પર શાસન કરતા અંગ્રેજોના પાટનગરમાં જ આશ્રયસ્થાન સ્થાપીને ભારતીય ક્રાંતિકારીઓને સંગઠિત બનાવવાનો પુરુષાર્થ કરનાર તેઓ પ્રથમ હતા. સેનાપતિ બાપટ (૧૮૮૦-૧૯૬૭), વીર સાવરકર (૧૮૮૩-૧૯૬૬), મદનલાલ ધીંગરા (૧૮૮૭-૧૯૦૯), લાલા હરદયાળ વગેરે જેવા ક્રાંતિકારીઓની હરોળ ઊભી કરી. એટલું નહિ, ભારતીય વિદ્યાર્થીઓને લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરવાની વ્યવસ્થા પણ કરી. ૧૮૫૭ના બળવાની અર્ધ-શતાબ્દીની ઉજવણી(૧૯૦૭)થી સૌની નજરે ચડતાં તેઓ પેરિસ (ફ્રાન્સ) અને જર્મની આવ્યા, સ્ટટગાર્ટમાં પ્રથમવાર ભારતીય ધ્વજ ફરકાવ્યો. ૧૯૧૪માં જિનિવા (સ્વિટ્ઝર્લેન્ડ) આવ્યા, જ્યાં એમણે અંતિમ શ્વાસ લીધા. અદ્યાપિ ત્યાં સચવાઈ રહેલા એમના અસ્થિકુંભ ગત વર્ષે રાષ્ટ્રીય સન્માન સાથે ભારત લાવવામાં આવ્યા અને મુંબઈથી માંડવી સુધીની ભવ્ય “વીરાંજલિ યાત્રા” દ્વારા માદરે વતનમાં સ્થાપિત કરાયા (૪-૯-૨૦૦૩) એ સૌને વિદિત છે. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૬ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંદર્ભ-નોંધ ૧. “સરિતા થી સાગર” (દાંડી યાત્રાની નવલકથા), (૧૯૪૯), લે. શિવશંકર પ્રાણશંકર શુક્લ, પ્ર. ગૂર્જરી ગ્રંથરત્ન (અમદાવાદ). ૨. “કુમાર' માસિક (અમદાવાદ), જુલાઈ-૧૯૫૦, ‘માધુકરી’ વિભાગ ૩. “કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખ” (૧૯૮૨), લે. કાંતિપ્રસાદ અંતાણી, સં. હરેશ ધોળકિયા, પ્ર. કચ્છ ગ્રામ્ય ઉત્કર્ષ ટ્રસ્ટ (ભુજ) ૪. “કચ્છમિત્ર” દૈનિક (ભુજ), ર૩ જી જુલાઈ, ૧૯૮૭માં સુરેન્દ્ર શેઠના લેખો ૫. “કચ્છના રચનાત્મક કાર્યકરો” (૧૯૯૩), લે. વન પાંધી અને અન્યો સં. રમેશ સંઘવી, પ્ર. વિચારશીલ પ્રકાશન (મુંબઈ) ૬. “કચ્છના અંતરંગો” (૧૯૯૬), લે. કુંદનલાલ ધોળકિયા, પ્ર. વિચારશીલ પ્રકાશન (મુંબઈ) ૭. “કચ્છ શક્તિ” વાર્ષિક(મુંબઈ)ના આષાઢીબીજ વિશેષાંકો (૨૦૦ર/ર૦૦૩)માં ભરત ઠાકરના લેખો ૮. “ગુજરાત” પાક્ષિક (ગાંધીનગર), ૧૫મી ઑગસ્ટ, ૨૦૦૩માં “સ્મરણાંજલિ’ સ્તંભ હેઠળ અશ્વિનકુમાર પટેલનો લેખ ૯. “મુંબઈમાં મુક્તિસંગ્રામના મોરચે ગુજરાત” (પ્રકાશન વર્ષ?) સં. દોલત ભટ્ટ, પ્ર. માહિતી ખાતું (ગાંધીનગર) નોંધ : ૧૪-૧૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ધોરાજી (જિ. રાજકોટ) ખાતે યોજિત સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના ૧૫મા અધિવેશનમાં “કામદાર રોપ્યચંદ્રક' પુરસ્કૃત નિબંધ. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૪૭ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A Student's Tribute to late Dr. (Smt) Maniben P. Kamerkar - Dr. Sudha Mehta A graceful and knowledgeable lady, Dr. Mani Kamerkar was respectfully and fondly known as Madam to her students and colleagues. Dr. Mani P. Kamerkara (1925 2004) A specialist in History, she had bagged the prestigious Padhye and Kanga Prizes for History when she topped at B.A. (Hons) from Elphinstone College. She completed her M.A. in 1949 and obtained her Ph.D. in 1976 from Bombay University. Having served for almost a decade as Professor and Head of History Dept. at National College, Bandra, she joined Maniben Nanavati college for Women, Vile Parle as the head of History Department and later occupied the post a its Principal in it until 1976. She then was made Director, College Development Council of SNDT Women's University, Bombay, until 1990. She had also held the distinguished post of Chairperson, Board of Studies for History and many other offices in connection with Seminars and Workshops organized during her tenure. She was Chairperson of the Society for Indian History and Culture fro years. Since 1990 She was a Vice President for the Asiatic Society of Bombay. Her publications include 2 books and 30 Research Articles that were included in several publications from India and abroad. These were collective writings on History and various topics of Modern Indian History. Maniben always chose to highlight the information about the downtrodden sections of society, neglected sections of society whose contribution to its development had been crucial but was only cursorily referred to by general historical writings. She had a keen interest in her own community of the Parsees and women's studies. She also wrote articles for the Local History Society of Bombay and took keen interest in its activities. She has guided 6 students to obtain their Ph.D. Degree from SNDT Women's University, Covering topics of historical interest from Maharashtra and Gujarat. She knew both Gujarati and Marathi well, and red profusely from the original sources for her studies. She also served as Visiting Lecturer and Professor at certain Universities of Canada and USA. She attended a large number of Seminars and Workshops of History organizations of national and international reputation, representing her University and herself. A person with great enthusiasm for life and devoted to her academic interest, Maniben was a source of inspiration in both these fields for all who came into her contact. She had a knack of building lasting relationships with all of them, be they students, colleagues and staff, or friends, relatives and neigh પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ° ૪૮ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir bors. She guided her students very naturally, like a mother leading her kid to cross the road ! Not that she was lenient all the time, though. She always insisted on principles like honesty, responsibility, teamwork, and discipline and devotion to work. She was firm as head of a college or society or any other organization and set example by working hard herself. Her innate courtesy and fair-minded attitude put everyone at ease, and reminded them of good behavior-staff or students-wherever they were, in or out of college. She never hesitated in speaking her mind if she found any interpretation of facts, .academically, defective, or shortsighted and misleading. With many reputed colleagues she indicated difference of opinion without fear or favour, and always condemned any kind of prejudice, parochialism or injustice. Her criticism though, was never biting or insulting or destructive. It was, rather kind, suggestive and constructive. Her typical Parsee humor took the edge out of it every time. Her administrative abilities were evident in her management of the Maniben Nanavati College that became from a small college of girls into a highly reputed college for women. These were also evident when she became Director of College Development Council, and spruced up the Affiliated Colleges. Transparent in her dealings she always worked among the staff as first among equals. By arraging lectures of various topics solely for her lecturers, she encouraged continued learning, inter-disciplinary exchanges and thus provided new centers of interest to all. She thus rejuvenated their enthusiasm for work and themselves, and introduced new interests in their lives. Such a personality, with a large circle of friends in India and abroad, almost a Mother. Figure to the students like us, is no longer amongst us-a sad yet an inevitable fact of life is that it comes to an end, some time. Maniben left for heavenly abode at 75, after a brief illness that did not stop her from continuing her work till last. We all pray that her kind influence continues to inspire all those who knew her personally and they in tum inspire others similarly. May God rest her soul. Dr. Sudha Mehta, a student of Maniben ulas HAS - wlue-4-44, 200% or For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારસી પ્રજાનો ઇતિહાસઃ સંઘર્ષવિહીન સમન્વય પ્રા. ફાલ્ગની પરીખ પ્રસ્તુત લેખ પારસી પ્રજાના ઇતિહાસ વિશેનો છે, જેની વિગતો “ધી કામા ઓરીએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ”ના 42445 "From the Iranian plateau to the shores of Gujarat" The Story of Parsi Settlements and Absorption in India નામનાં અંગ્રેજી પુસ્તકો ઉપર આધારિત છે. પુસ્તક જાણીતા ઇતિહાસકાર શ્રી મણિ કારકર તથા સૂત્રુ ધનજીશા દ્વારા લખાયું છે. આ લેખનો હેતુ પુસ્તકની વિગતોથી ઈતિહાસ-પ્રેમીઓને પરિચિત કરાવવાનો છે. પુસ્તકનું વિવેચન કરવાનો નથી. ઇતિહાસ-લેખનના નવા પ્રવાહો મુજબ ભૂતકાળની રાજકીય બાબતોને સ્થાને સાંસ્કૃતિક અને સામાજિક બાબતો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે કે રાજ, શાસક કે અગ્રવર્ગને કેન્દ્રમાં રાખવાને બદલે પ્રજાઓને કેન્દ્રમાં રાખી ઇતિહાસનું આલેખન કરવામાં આવે છે. ઉપરોક્ત પુસ્તક આ વિચારને કેન્દ્રમાં રાખી લખાયેલું છે. ભારતનો ઇતિહાસ કહે છે કે પ્રાચીન કાળથી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને અહીં વસી છે. તેમાંથી કેટલીક પ્રજાઓ ભારતીય સમાજવ્યવસ્થામાં એવી રીતે ભળી ગઈ છે કે તેમની મૂળ સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિનાં મૂલ્યોને હાલમાં જુદા પાડવાનું પણ મુશ્કેલ છે. બીજી કેટલીક પ્રજાઓ એવી છે કે જેણે પોતાની મૂળ સંસ્કૃતિની પરંપરાઓને જાળવી રાખી સમન્વય સાધ્યો છે. ભિન્ન મૂલ્યો ધરાવતી પ્રજાઓના સાંસ્કૃતિક સમન્વયની પ્રક્રિયાનો અભ્યાસ એ સાંસ્કૃતિક ઈતિહાસનું મહત્ત્વનું અંગ છે. એ દષ્ટિએ પારસી પ્રજાના ઇતિહાસ વિશેનું આ પુસ્તક ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર લખાયેલ પુસ્તકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં પારસી પ્રજાની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે. યુનિસેફ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ પ્રજાના ઈતિહાસ અને વારસાને જાળવી રાખવાના પ્રયત્નો હાથ ધર્યા છે. કાળના પ્રવાહમાં સંખ્યાની દૃષ્ટિએ લુપ્ત થવા તરફ જઈ રહેલી આ પ્રજાના ઇતિહાસનું સંશોધનાત્મક આલેખન માત્ર ગુજરાત કે ભારતના જ નહિ વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પુસ્તક ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલું છે, જેમાં પારસીઓના ભારતમાં સ્થળાંતર પૂર્વેના સમયના ઈરાન અને ભારત વચ્ચેના સંબંધોથી માંડીને પારસીઓના સ્થળાંતર પાછળનાં વિવિધ કારણો, પારસીઓની અગત્યની વસાહતો, તેમની આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનમાં તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પારસીઓના પ્રદાન વિશેની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. ઈરાનના પર્સ પ્રાંતમાંથી સ્થળાંતર કરી ભારતના પશ્ચિમના દરિયાકિનારાનાં સ્થળોએ આવી વસનારી પ્રજા પારસીઓ તરીકે જાણીતી છે. પારસીઓના આ સ્થળાંતર સંબંધિત અનેક વિગતો અનુશ્રુતિઓ, દંતકથાઓ, લોકગીતો તથા પ્રવાસી મુસાફરોની નોંધપોથીમાંથી મળી આવે છે. આનુશ્રવિક વૃત્તાંતોમાં સૌથી પ્રચલિત છે કિસ્સે-સંજાણ'નામનું ફારસી ભાષામાં લખાયેલું કાવ્ય. ઈ.સ. ૧૬૦૦ માં બહમન કેકોબાદ સંજાણા નામના કવિ દ્વારા નવસારીમાં લખાયેલ આ કાવ્યમાં આરબ આક્રમણને પારસીઓના સ્થળાંતર માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. ઈ.સ. ૧૬૨માં મુઘલ શાસનકાળ દરમ્યાન ભારતના પ્રવાસે આવેલા વેનેશિયાના પ્રવાસી નિકોલસ * અધ્યાપક, ઇતિહાસ વિભાગ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ E ૫૦ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનુક્કીએ પણ પોતાની પ્રવાસનોંધમાં લખ્યું છે કે “પર્શિયામાં મુસ્લિમ શાસનની સ્થાપના થઈ. મુસ્લિમ શાસકે ઈરાનીઓને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતાં ઈરાનીઓએ સુરતના શાસકને પોતાનો દૂત મોકલી તેના રાજ્યમાં વસવાની મંજૂરી માંગી." આ પ્રવાસનોંધ પરંપરાથી ચાલી આવતી સાંભળેલી વાતોને આધારે લખાઈ હોવાનું માનવામાં આવે છે. સંસ્થાનવાદની સ્થાપના પૂર્વેના મોટાભાગનાં પ્રજાકીય સ્થળાંતરો માટે સ્વધર્મના સ્વાતંત્ર્ય ઉપરની તરાપને જવાબદાર ગણવામાં આવે છે. પારસીઓના સ્થળાંતર પાછળ પણ જરથોસ્તી ધર્મને ઇસ્લામથી બચાવવાનો હેતુ હોવાનું પ્રચલિત છે. લેખિકાઓએ આ પ્રચલિત કારણ ઉપરાંત અન્ય જવાબદાર કારણો ને ઝીણવટથી કરેલી ચર્ચા રસપ્રદ છે. ઈ.સ. ૭મી સદીની મધ્યમાં આસાનીયન શાસન દરમિયાન આરબોએ ઈરાનને કબજે કર્યું. પોતાના ધર્મને બચાવવા ઈરાનીઓ ઈરાનના દક્ષિણ પૂર્વમાં આવેલા ખોરાસાનના પહાડી પ્રદેશમાં વસ્યાં, સો વર્ષના વસવાટ પછી ત્યાં પણ અસુરક્ષા અનુભવાતાં તેઓ હોરમઝ બંદરે આવ્યા, જ્યાં તેઓ ૧૫ વર્ષ રહ્યા. ત્યાંથી છેવટે માતૃભૂમિને છેલ્લા વંદન કરી તેઓ ભારતના પશ્ચિમ કિનારે આવેલા દીવ બંદરે ઊતર્યા. ખંભાતના અખાતના આ ટાપુ ઉપર તેઓ ૧૯ વર્ષ રહ્યા બાદ જ્યોતિષશાસ્ત્રને આધારે કોઈક દસ્તૂરે આપેલી સલાહ મુજબ તેઓ દીવ છોડી સંજાણ વસ્યા. શરૂઆતમાં આરબ શાસકો તરફથી ઈરાનીઓની ધાર્મિક બાબતોમાં દખલગીરી કરાતી ન હતી. પણ પછીથી આવેલા અબ્બાસીકોએ ઈરાનીઓ પ્રત્યે સામાજિક અને ધાર્મિક ભેદભાવની નીતિ શરૂ કરી. ઉપરાંત તે સમયે બગદાદ શહેર આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું હતું, જેણે હોરમઝ બંદરે વસેલા ઈરાનીઓ કે જેમાંના મોટાભાગના વેપારી હતા તેમની આર્થિક પ્રવૃત્તિઓને રૂંધવાં માંડી. ઉપરાંત મુસ્લિમોના હાથે આસાનીયનોના પરાજયને કારણે ઉત્તર ઈરાનમાં પાછા વસવાની ઈરાનીઓની શક્યતા ઉપર પાણી ફરી વળ્યું. ટૂંકમાં આરબ વેપારીઓના પર્શીયન ગલ્ફના વેપાર ઉપર વધતાં જતા પ્રભાવને કારણે હો૨મજના ઈરાનીઓને પૂર્વ તરફ એટલે કે ભારતના પશ્ચિમના દરિયાકિનારે સ્થળાંતર કરવાની ફરજ પડી. ભારત અને ઈરાન વચ્ચે પ્રાચીન સમયથી જ ધનિષ્ટ વેપારી સંબંધો હતા. પૂર્વમાં ભારત જ નહિ છેક ચીન સુધી ઈરાન દરિયાઈ માર્ગે વેપારથી જોડાયેલું હતું. ઈરાનીઓ અહીંના ‘બનીયા' રાજાઓની ઉદાર અને સહિષ્ણુ નીતિથી પરિચિત હતા. ભારત અને ઈરાનની પ્રજાના પૂર્વજો એક જ ભાષાકુળના હતા. જેથી બન્ને પ્રજાઓની સાંસ્કૃતિક બાબતોમાં ખાસ કરીને ધર્મના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક વિધિવિધાનોમાં ઘણી સમાનતા હતી. આ સમાનતા પણ ઈરાનીઓ દ્વારા ભારતની પસંદગી કરવાનું મહત્ત્વનું કારણ બની. ટૂંકમાં આરબ આક્રમણના પ્રચલિત કારણ ઉપરાંત આર્થિક પરિબળોએ ઈરાનીઓના સ્થળાંતર પાછળ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે પુસ્તક ઉપરથી સ્પષ્ટ થાય છે. હોરમઝથી ઈરાનીઓ ગુજરાતનાં સંજાણ, દીવ, ખંભાત તથા કોંકણના થાને, ચૌલ, કલ્યાણ વગેરે જગ્યાઓએ વિવિધ સમૂહોમાં ઊતર્યા. સંજાણ બંદરે ઊતરેલો સમૂહ સંખ્યાની દૃષ્ટિએ મોટો હોવાને કારણે લોકકથાઓમાં વધુ પ્રચલિત થયો હશે. આ સમૂહોમાં મુખ્યત્વે વેપારીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત ખેડૂતો, કારીગરો તથા ધર્મગુરુઓ પણ ભારતના પશ્ચિમ કિનારે આવીને વસ્યા. સ્થળાંતરના સમય અંગે ઇતિહાસકારોમાં અનેક મતો છે. પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ દસ્તાવેજોનો આધાર આપી આ સ્થળાંતરો ૭મી સદીના અંત ભાગથી શરૂ થઈ ૮મી સદી સુધી ચાલ્યાં હશે તેમ દર્શાવવામાં આવ્યું છે. ‘કિસ્સે’ અને અન્ય આનુશ્રવિક વૃત્તાંતો મુજબ આવનારા ઈરાની સમૂહનું નેતૃત્વ ધર્મગુરુઓએ કર્યું હશે. ‘કિસ્સે’ ૧૬મી સદીમાં લખાયું હતું. તે સમયે પારસી કોમ ઉપરના ધર્મગુરુઓના પ્રભાવને ધ્યાનમાં રાખી પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ - ૫૧ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિસ્સે'માં ધર્મગુરુઓને વિશેષ મહત્ત્વ અપાયું હોય તે સ્વાભાવિક છે. લેખિકાઓએ પુસ્તકના અનેક આધારો આપી વેપારીઓનું વર્ચસ્વ પણ હોઈ શકે તે અંગેની દલીલો કરી છે. આ દલીલો મુજબ હોરમઝ બંદરે વસનારા મોટાભાગના ઈરાનીઓ વેપાર સાથે સંકળાયેલા હતા. એક અનુશ્રુતિ મુજબ પારસી વડાએ દૂધમાં સોનાનો સિક્કો નાખીને શાસકને તેના રાજયની આર્થિક સમૃદ્ધિ વધારવાનો સંદેશ આપ્યો હતો, જે આવનારા સમૂહનું નેતૃત્વ વેપારીઓએ લીધું હશે તે શક્યતાને મજબૂત બનાવે છે. બન્ને પક્ષોને જાણનાર કોઈ વેપારીએ શાસક અને આગંતુકો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોય અને તેથી ભાષાનો અંતરાય ઊભો ન થયો હોય તે શક્યતા પણ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. ‘કિસ્સે-સંજાણ’ અનુસાર ઈરાનીઓના આગમન સમયે સંજાણમાં જાદી-રાણા નામનો શાસક હતો. પ્રસ્તુત પુસ્તકમાં તેના વંશ વિશેની હકીકતોની ઐતિહાસિક આધારો સાથે ચર્ચા કરવામાં આવી છે. કિસ્સે-સંજાણ તથા અન્ય આનુગ્રવિક વૃત્તાંતોમાં સ્થાનિક શાસક અને આગંતુક ઈરાનીઓ વચ્ચેના સંવાદ અંગે અનેક કથાઓ પ્રચલિત છે. તે મુજબ પારસીઓએ દૂધના કટોરામાં સાકર નાખીને પોતે સરળતાથી સ્થાનિક પ્રજાજનોમાં ભળી જશે તેવો સંદેશો મોકલાવ્યો હતો. તેના જવાબમાં શાસકે ઈરાનીઓને તેમના ધર્મના સ્વાતંત્ર્ય સાથે પોતાના રાજ્યમાં વસવાની અનુમતિ આપી. કિસ્સે મુજબ શસકે ઈરાનીઓ સમક્ષ નીચે મુજબની શરતો મૂકી હતી. (૧) ઈરાનીઓએ પર્શિયન ભાષા છોડી પ્રાદેશિક ભાષા અપનાવવી. (૨) ઈરાની સીઓએ પોતાનો પહેરવેશ છોડી પ્રાદેશિક પહેરવેશ અપનાવવો. (૩) પુરુષોએ તેમનાં શસ્ત્રો રાજયને સોપી દેવાં. (૪) લગ્નની વિધિ સમયે નીકળતું સરઘસ રાત્રે કાઢવું, જેથી સ્થાનિક લોકોનું તે પ્રત્યે ધ્યાન ખેંચાતું રોકી શકાય. (૫) પારસી ધર્મગુરુએ રાજાને પોતાના ધર્મનાં વિવિધ પાસાંઓથી પરિચિત કરાવવાનો રહેશે. ઈરાનીયનોએ આ શરતોને સ્વીકારી પોતાની ભાષા અને પહેરવેશ ત્યાગી પ્રાદેશિક ભાષા અને પહેરવેશ અપનાવ્યાં. પોતીકી પરંપરાઓ જાળવી રાખીને અનુકૂલન સાધવાની આ પ્રક્રિયા ઉત્તરોઉત્તર વિકસતી ગઈ. એટલું જ નહિ ૧૮મી અને ૧૯મી સદીમાં આ પ્રજા. ગુજરાતી ભાષાના સાહિત્ય અને પત્રકારત્વમાં મહત્ત્વનું યોગદાન આપતી જણાય છે. વેપારી મૂળિયાં ધરાવતા ઈરાનીઓ વેપારથી ધમધમતા દક્ષિણ ગુજરાત તથા કોંકણના દરિયાકિનારાનાં બંદરોએ વસ્યા. વળી દક્ષિણ ગુજરાતની રસાળ ભૂમિ અનેક જાતનાં ફળો-ફૂલોની ખેતી માટે અનુકૂળ હતી. ખેતી અને વેપારની આ સાનુકૂળતાએ આગંતુકોને આર્થિક વિકાસની અનેક તકો પૂરી પાડી. પારસીઓએ દક્ષિણ ગુજરાતના સંજાણ, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, બીલીમોરા વગેરે સ્થળોએ વસાહતો સ્થાપી. પુસ્તકમાં વસાહતીઓના જે તે સ્થળના આગમનથી માંડીને વર્તમાન સમયની સ્થિતિ વિશેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સંજાણમાં વસેલા પારસીઓએ શરૂઆતમાં ફની અને તાડની ખેતીનો, તો કેટલાકે કારીગરીનો વ્યવસાય અપનાવ્યો. પાછળથી તેઓ પોતાની પરંપરાગત વેપારી પ્રવૃત્તિમાં જોડાયા. નવસારી અને સુરતના પારસીઓ તેમના બાટા’ અને ‘તનછોઈ કાપડના વણાટકામ, ભરતકામ અને વેપાર માટે ખૂબ જાણીતા હતા. ભરૂચ, નવસારી, સુરત જેવા શહેરો તથા ગણદેવી જેવા કરબાઓમાં પારસી વણકરો દ્વારા મોટે પાયે આ કાપડનું વણાટકામ થતું. પારસી સ્ત્રીઓ દ્વારા કાપડ ઉપર થતું ભરતકામ તેની પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p પર For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલાત્મકતા માટે જાણીતું હતું. યુરોપિયન પેઢીઓ આ કાપડની મોટે પાયે ખરીદાર હતી. ભરૂચ બ્લીચિંગ અને ડાઈગ માટે જાણીતું હતું. ભરૂચ નજીક આવેલા જંબુસરમાં ગળીનું મોટે પાયે ઉત્પાદન થતું. આગ્રા અને લખનૌથી ભરૂચમાં કલીક બ્લીચ માટે આવતું. સુરત વહાણો બાંધવાના તથા વહાણના સમારકામ માટે જાણીતું હતું. સુરતમાં વસેલા ઘણા પારસીઓ આ ઉદ્યોગમાં અગ્રેસર હતા. ભરૂચના પારસીઓ પણ વહાણો બાંધતા હતા અને દરિયાઈ વેપારમાં ઉપયોગી એવાં વહાણોની માલિકી ધરાવતા હતા. આજુબાજુના નાના કસ્બાઓમાંથી ભરૂચમાં અનેક ખેતપેદાશો વેચાવા આવતી અને ભરૂચથી યુરોપિયન દેશોમાં વેચાવા જતી. અંકલેશ્વરથી માખણ આવતું. અને યુરોપિયન વહાણોમાં જતું. યુરોપિયનોની બ્રેડની માંગે ભરૂચમાં બેકરી ઉદ્યોગનો પાયો નાખ્યો. ૧૬૨૩ માં એક અંગ્રેજે ભરૂચમાં પહેલી બેકરીની શરૂઆત કરી હતી. પછીથી પારસીઓ અને મુસ્લિમો આ ઉદ્યોગમાં અગ્રેસર હતા. ભરૂચ અને બીલીમોરાના પારસીઓ લાકડાની નિકાસ સાથે પણ જોડાયેલા હતા. અનેક પ્રવાસીઓની પ્રવાસનોંધો અને જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજોનો આધાર આપીને લેખિકાઓએ પારસીઓની આર્થિક સમૃદ્ધિનું વિગતવાર વર્ણન કર્યું છે. સમૃદ્ધ પારસીઓ ધીરધારનો ધંધો પણ કરતા. નોંધપાત્ર સંખ્યામાં પારસીઓએ તલાટી, પટેલ, દેસાઈ જેવા મહેસૂલ ઉઘરાવવા અંગેના મહત્ત્વના વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. પુસ્તક અનુસાર સંજાણ, નવસારી, સુરત, મુંબઈ જેવા શહેરોના આર્થિક વિકાસમાં પારસીઓનું નોંધપાત્ર યોગદાન છે. લઘુમતીમાં રહેલા પારસીઓનો સલ્તનતકાળના શાસકો સાથેનો અનુભવ બહુમતી પ્રજાથી જુદો ન હતો. પારસીઓને પણ આ શાસકોની કટ્ટરતાનો ભોગ બનવું પડેલ. સંજાણના પારસીઓ મહંમદ તુઘલકના સમયમાં એલફખાનનો, નવસારીના પારસીઓ અલાઉદીન ખલજીના સમયમાં ઉલુઘખાનની અસહિષ્ણુ નીતિનો ભોગ બન્યા હતા. સલ્તનતકાળના સાહિત્યકાર અમીર ખુશરોએ લખ્યું છે કે “પારસીઓના લોહીથી ગુજરાતનો દરિયાકિનારો ઊભરાતો હતો.” મુઘલ શાસનની સ્થાપનાથી ગુજરાતની રાજકીય સ્થિરતા અને શાંતિ પાછાં આવ્યાં. વિવિધ ધર્મોનું રહસ્ય સમજવા અતિ તત્પર એવા મુઘલ બાદશાહ અકબરના પારસીઓ સાથેના સંબંધો ખૂબ ઉષ્માભર્યા હતા. કોમિસરિયેટના મત મુજબ અકબરના ઈરાન સાથેના ઘનિષ્ટ કૌટુંબિક સંબંધોને કારણે અકબર અન્ય ધર્મોની તુલનામાં જરથોસ્તી ધર્મ સાથે વધુ નિકટતા અનુભવતો હતો. પુસ્તકમાં આ અંગેના અનેક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પુસ્તકના આઠમા પ્રકરણમાં પારસીઓના સામાજિક અને ધાર્મિક રીતરિવાજો અને પરંપરાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. પારસીઓએ ભારતમાં વસ્યા બાદ માતૃભૂમિ ઈરાનના જરથોસ્તી ધર્મના અનુયાયીઓ સાથે આદાન-પ્રદાનની પ્રક્રિયા ચાલુ રાખેલી: ભારત અને ઈરાનના જરથોસ્તી ધર્મ પાળનારા વચ્ચેનો પત્રવ્યવહાર રેવાયત' તરીકે જાણીતો છે, જે પ્રારંભિક સમયની પારસીઓની સામાજિક-ધાર્મિક બાબતો જાણવાનું અગત્યનું સાધન છે. આ પ્રકરણમાં પારસીઓની મૂળ પરંપરાઓ અને સમય સાથે તેમાં આવેલ પરિવર્તનોનો ધાર્મિક વિધિવિધાનો અને તેની પાછળ રહેલી મૂળભૂત ભાવનાઓનો વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યો છે. ૧૯મી સદી ભારતમાં પુનઃ જાગરણની સદી તરીકે પ્રતિષ્ઠિત છે. પારસીઓ ઉપર પણ આ આંદોલનનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. પારસી સમાજ અને ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા સ્થપાયેલી વિવિધ સંસ્થાઓ અને તેની કામગીરીનું વર્ણન પુસ્તકમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. બ્રિટિશ શાસને ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરી. આ કેળવણીએ અનેક ભારતીયોને યુરોપના લોકશાહી, સ્વતંત્રતા અને રાષ્ટ્રવાદના વિચારોથી પ્રભાવિત કર્યા. જે વિચારોએ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં બીજ રોપ્યાં. ભારતમાં કાંગ્રેસની સ્થાપનાથી માંડીને આઝાદીની પ્રાપ્તિ સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામના દરેક તબક્કામાં અનેક પારસીઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. દાદાભાઈ નવરોજી, ભીખાઈજી કામા, મીઠુંબેન પેટીટ, પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૫૩ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફિરોજશાહ મહેતા વગેરેનાં નામો તેમાં આગળ પડતાં છે. કેંગ્રેસની સ્થાપના પછીના પ્રારંભિક તબક્કામાં દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા જેવા પારસીઓનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર પ્રભાવ હતો. પાછળથી ૧૮૯૩માં લોકમાન્ય તિલક જેવા હિંદુ પુનરુત્થાનવાદીઓએ હિંદુ ધર્મ સાથે સંકળાયેલા સંકેતોનો રાષ્ટ્રીય ચળવળમાં ઉપયોગ કરીને હિંદુઓને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો. તિલકે ગણપતિ ઉત્સવ અને શિવાજી ઉત્સવની ઉજવણીના પરંપરાગત સ્વરૂપને બદલી નાખીને રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો. પુસ્તક અનુસાર આને કારણે મુસ્લિમોની સાથે લઘુમતીમાં રહેલા પારસીઓ પણ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાંથી થોડે ઘણે અંશે વિમુખ બન્યા. રાજકીય રીતે સક્રિય કાવસજી જહાંગીરે વાઈસરોયને પારસીઓના હિતનું ખાસ ધ્યાન રાખવા અરજી કરી હતી, એક અન્ય રાજકીય રીતે સક્રિય સંસ્થા “મુંબઈ ફ્રીડમ ગ્રુપે' પારસીઓ પણ ભારતીયો જ હોવાથી તેમને ખાસ પ્રકારના રક્ષણની જરૂર નથી - તેવો મત વ્યક્ત કયો હતો. આઝાદી પછી પણ ફિરોજ ગાંધી, હોમી તાલયેરખાન, મીનુ મસાની, હોમી મોદી, પીલુ મોદી જેવા અનેક પારસીઓએ રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. આઝાદી પહેલાં કોંગ્રેસ સાથે નહીં રહેનારા પારસીઓ આઝાદી પછી ઊભા થયેલા ભારતના નવા રાજકીય માળખાને સંપૂર્ણ વફાદાર રહ્યા છે. પુસ્તકના છેલ્લા પ્રકરણમાં પારસીઓ મુંબઈ શહેરના વિકાસના મશાલચી કઈ રીતે બન્યા તેનો વિગતવાર ચિતાર આપ્યો છે. પારસીઓ જરથોસ્તી ધર્મ પાળે છે, જેના સ્થાપક અષો જરથુષ્ટ્ર વહેમ, અંધશ્રદ્ધા, જાદૂમંતર વગેરેનો વિરોધ કરી અહુરમઝદની પૂજા દ્વારા એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. અગ્નિ એ અહુરમઝદની દિવ્ય શક્તિનું પ્રતીક છે. પારસીઓ તેમનાં મંદિરોમાં અગ્નિને સતત સળગતો રાખે છે. પારસીઓએ ઈ. સ. ૭૧ર કે ૭ પ્રથમ સંજાણમાં પવિત્ર અગ્નિની સ્થાપના કરી. જે ઈરાનશાહના નામથી જાણીતો છે. તુઘલુક શાસન દરમિયાન સંજાણમાં મુસ્લિમોનું આક્રમણ થતાં પારસીઓ ઈરાનશાહને લઈ બહેરાનની ટેકરીઓમાં છુપાયા. ત્યાંથી વાંસદા ગયા. ત્યાં ૧૪ વર્ષ રોકાયા. ત્યાંથી ચાંગા આશા નામના આગેવાન પારસીના નેતૃત્વ હેઠળ ઈરાનશાહને વાજતે ગાજતે નવસારી લવાયો. હાલમાં તે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે જોવા મળે છે. પુસ્તકમાં જુદી જુદી વસાહતોનાં અગ્નિ મંદિરોની વિગતો આપવામાં આવી છે. માતૃભૂમિ છોડી સ્વધર્મના રક્ષણ અર્થે ભારતમાં વસેલા પારસી સમાજ ઉપર ધર્મગુરુઓનું વર્ચસ્વ હોય તે સ્વાભાવિક છે. પુસ્તકમાં ધર્મગુરુઓના પારસી સમાજ ઉપરના પ્રભાવ તથા ઈરાનમાં રહેલા જરથોસ્તીઓના ધર્મગુરુઓના અને ભારતના પારસીઓના ધર્મગુરુઓ વચ્ચેના સંબંધની પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. પુસ્તકનું એક અન્ય ઉત્તમ પાસું છે તેના ફોટોગ્રાફર્સ. પુસ્તકમાં અનેક પારસી મહાનુભવો, દોખમા, સંજાણમાં જયાં પ્રથમવાર પારસીઓ ઊતર્યા તે જગ્યાની દુર્લભ તસવીરો આપવામાં આવી છે. પ્રામાણિત દસ્તાવેજોને આધારે સંશોધન કરીને લખાયેલું આ પુસ્તક માત્ર ઇતિહાસ-પ્રેમીઓ માટે જ નહિ પણ સામાન્ય રસિકજનને પણ ઉપયોગી થશે તેમાં કોઈ શંકા નથી. પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૪ ૫૪ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private and Personal Use Only www.kobatirth.org ત્રમાસિક : એપ્રિલ-મે-જૂન, 2004 BOOK-POST પથિક Printed Matter TO, - આજીવન સભ્ય 298 ડો. રામજીભાઇ ઠાકરશી સાવલિયા એ-૪, યજ્ઞપુરૂષનગર, કર્મચારી નગર સામે, રન્નાપાર્ક, ધાટલોડિયા, એમદાવાદ - 380 06 1 રવાના : પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir