Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ વિજય કમલસૂરિશ્વરગુરૂભ્ય નમઃ
નીતિ વિચાર રત્નમાળા.
: લેખક : પન્યાસજી મહારાજ શ્રી કેસરવિજયજી ગણિ.
- a
સંપાદિકા - પ્રશાન્તમુતિ પરમ પૂજ્ય સાધ્વીજીશ્રી જ્ઞાનશ્રીજી
મહારાજ સાહેબ
દીર્ઘ ચારિત્રશીલા ક્ષમામુર્તિ પ્રવર્તિની પરમ પૂજ્ય સ્વ, સાધ્વીજી મહારાજ શ્રી સૌભાગ્યશ્રીજી
મહારાજ સાહેબના સમરણાર્થે.
--: પ્રાપ્તિસ્થાન :--
કાન્તીલાલ મણીલાલ ખ૩ખડે છે. ઝવેરીવાડ, વાઘણપોળ, ખડખડની ખડકી–અમદાવાદ, આવૃત્તિ ૨ જી ]
[ પ્રત : ૨૦૦૦
{
કિંમત : અધ્યાત્મ રસાસ્વાદ.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ વિજય કમલ સૂરિધર ગુરૂભ્યો નમઃ
નીતિ વિચાર રત્નમાળા.
પન્યાસજી મહારાજ શ્રી ક્ષરવિજ્ય ગણિ
F
~ સંપાદિકા પ્રશાન્તમુર્તિ પરમ પૂજ્ય સાધ્વીજીશ્રી જ્ઞાનશ્રીજી મહારાજ સાહેબ
ી ચારિત્રશીલા ક્ષમામુર્તિ પ્રતિની પરમ પૂજ્ય સ્વ. સાધ્વીજી મહારાજ શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબના સ્મરણાર્થે.
--: પ્રાપ્તિસ્થાન :—— કાન્તીલાલ મણીલાલ ખડખડ
ઠે. ઝવેરીવાડ, વાળુપેાળ, ખડખડની ખડકી-અમદાવાદ. [ પ્રત ઃ ૨૦૦૦
આવૃત્તિ ૨ જી]
કિંમત : અધ્યાત્મ સાસ્વાદ.
મુદ્રક :- જશવંત પ્રિન્ટીંગ પ્રેસ, દોશીવાડાની મેાળ-અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આ ગ્રંથનું નામ નીતિ વિચાર રનમાલા રાખવામાં આવ્યું છે. નામ પ્રમાણે તેમાં કાંઈક ગુણે પણ છે. વિવિધ પ્રકારનાં નીતિ વચને અને વિચાર રૂપિ રને તેમાં આવેલાં છે. આ ગ્રંથ કાંઈ સ્વતંત્ર લખાયેલ નથી પણ તેમાં આવેલા વિચાર સંગ્રહ કરાયેલા છે. મારામાં એક પ્રકારની એવી ટેવ છે કે, કેઈ પણ પુસ્તક વાંચતાં કોઈ ઉપગી બાબત આવે, પછી તે વનમાં મુકવા ગ્ય હાય, કે સમજવા લાયક હોય તે તે ઉપયેગી બાબતે ઉપર નીશાની કરતે જાઉં અને વાંચી રહ્યા બાદ જે વિચારો મને ગમ્યા હોય તેવાં વાકયોને સ ગ્રેહ પણ કરી લઉં છું. વખતે મને કઈ કઈ શાતિના વખતે ઉત્તમ વિચારે કુર્યા હોય તે પણ લખી લઉં છું, તથા કઈ કેઈ પ્રસંગે ઉત્તમ વિચારમાળા જ્ઞાની પુરૂષની પાસે બેઠે હેલું અને તેમની સાથે થતા નિશ્ચયે તેને સાર પણ નેટમાં ઉતારી લઉં છું તે પ્રમાણે થયેલે વાકને સંગ્રહ તે આ નીતિ વિચાર રત્નમાલા છે. . જે અવસરે કોઈ વ્યવહારની ઉપાધિથી મન અવ્યવસ્થિત થઈ ગયું હોય, કે માનસીક આધિપીડા કરતી હોય અથવા શારીરિક વ્યાધિ હેરાન કરતી હોય તે પ્રસંગે આ બુકમાં લખેલાં વાક્યમાંથી પિતાની માનસીક વ્યાધિને
Page #4
--------------------------------------------------------------------------
________________
લાગુ પડે તેવાં કઈ પણ વાયરૂપ દવાને શોધી કહાડી તે દઈ ઉપર આ વાકનું વારંવાર મનન કરવારૂપ દવા લાગુ પાડવામાં આવે તે જરૂર થેડા જ વખતમાં તે માનસીક ઉપાધિરૂપ વ્યાધિ શાંત થયા સિવાય રહેતી નથી. આ વાતની મને ખાત્રી થવાથી જ આ વિચારોને વ્યવહારમાં રત્નની ઉપમા આપી છે. જુઓ કે રત્ન સાથે આ વાક્યની ઉપમા ઘટી શકે તેવી નથી કારણ કે રત્ન પાસે હોવા છતાં મનની ઉપાધી શાંત થતી નથી ત્યારે આ વિચાર રનથી તે વિચારવાનને શાંતિ મળે છે. છતાં વ્યવહારમાં રત્ન ઉત્તમ ગણાય છે તેથી તેવા પ્રકારનું નામ આ વાકને આપેલ છે. ઉત્તમ વાકયપર વિચાર કરનારાઓ અને તે પ્રમાણે વર્તન કરનારાઓ અથવા વિપત્તિના પ્રસંગમાં આવાં સુંદર વાકથી હલાસો મેળવનારાઓ તેવા વિષમ પ્રસંગમાં પણ અડગ રહી વિપત્તિને પાર પામેલા છે, તેવા અનેક સુંદર વાવાળે આ લઘુ ગ્રંથ છે. મારા જેવા બીજા અનેક મનુષ્યોને આવાં સુંદર વાક્યને લાભ મળે અને તેમના દુઃખી જીવનને દિલાસે મળે. તેમના હૃદયને શાંતિ મળે આ ઈરાદાથી તે વાને જુદે જુદે સંગ્રહ એકઠો કરી પ્રજાની સમક્ષ મુકવામાં આવ્યું છે. તેમાં નીતિનાં અનેક વાળે છે. કર્તવ્યમાં પ્રેરણા કરનાર વિવિધ પ્રકારનાં વચને છે. આત્મ જાગૃતિ આપનાર વચનામૃતેને પણ સંગ્રહ છે કોઈ પણ ધર્મ પાળનારને થડે પણ વિરોધ ન
Page #5
--------------------------------------------------------------------------
________________
આવે તેવાં વાકને સંગ્રહ છે. આમાં મતપંથના આગ્રહની વાત જ નથી પણ સામાન્ય રીતે સર્વને લાગુ પડે શાંતિ આપે, કવ્ય તરફ પ્રેરે, આત્મ સ્વરૂપની જાગૃતિ આપે, સમભાવમાં વધારે કરે તેવાં વાકયે આવેલાં છે. :
આ વાક્ય એકવાર વાંચી લઈ ને જે પિતાને લાગુ પડે તેવાં હોય તે તે વાપર નિશાની કરી, સવારમાં તે વાક્ય વાંચી તેના ઉપર મનન કરવાની ટેવ રાખવામાં આવશે તે સારો ફાયદે થવા સંભવ છે. અથવા પિતાને ઉગી વાકને પાઠ દિવસમાં એકવાર વિચારપૂર્વક કરવાથી લાબે વખતે તેના દઢ સંસ્કાર પડવા સાથે મનમાં ચારે સુધારો થવા સંભવ છે. એક એક શીખામણ માટે લાખ લાખ રૂપિયાની કીંમત માણસોએ આપેલી છે, તેવી વાતે શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે. અને તેવા વિષમ પ્રસંગે તે શિખામણેએ મહાન ફાયદા કરેલા અને જીવન બચાવવા સુધીના ઉપકારે કરેલા છે. તેવાં વાક્યોને સમુહ મનુષ્યને ઉપયોગી થાય તેમાં જરાપણ નવાઈ કે આશ્ચર્ય જેવું નથી.
આ પુસ્તકમાં એક હજાર વાક્યથી પણ વધારે વાકાને સંગ્રહ થયેલે છે, તે વાંચીને વાંચનાર અને લખનાર બન્નેને શાંતિ પ્રાપ્ત થાઓ.
લી ૫. કેશરવિજયજી ગણિ. સંવત ૧૯૭૩ માગસર સુદ ૧૧
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલી આપની પવિત્ર છત્રછાયામાં ૩૯ વર્ષ સુધી રહી છે આત્મવિકાશ સાથે તેમાં આપશ્રીની અસિમ કૃપા
અમાપ વાત્સલ્ય અને નિષ્કામ સહાય ખરેખર * સાધનાની પગદં રૂપ બન્યા છે. દીર્ઘ સંયમ
યાત્રામાં પોતાના જીવન પુપને સૌમ્યતા શાનતા સેવા સૌજન્યતા આદિ અનેક સદગુણોની સૌરભથી મહેકતું કરી અપ્રમત્ત બાવે આત્મ કલ્યાણ : સાધતાં અને સમુદાયને તથા ભાવુક આત્માઓને આત્મ કલ્યાણના માર્ગે સતત પ્રેરણા આપતાં તીર્થ
સ્વરૂપ પરમ :
કરૂણા મુતિ પમેપકારી પ્રશાંત મુતિ પરમ ૫ ગુરૂજી શ્રી સૌભાશ્રીજી મ. સાહેબના પુનિત કરકમલમાં મહાન ગીરાજે વીણેલાં રત્નથી બનાવેલી આ નીતિ વિચાર રત્નમાળા ભવ્યાત્માને શિવ. સદરીની વરમાળા પરવામાં સહાયભુત બને એજ મંગલકામના .
લી. આ૫ની ચરણરેણું ”.
સાવી જ્ઞાનશ્રીના કેટીસઃ વંદન
Page #7
--------------------------------------------------------------------------
________________
ચેાગની સાધનાના પ્રકાશ
૧ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલીત થતાં તે બ્રહ્મ૨વ્ર ઉપર આવશે ત્યાં જવાળા પ્રકટ કરી ત્યાં રહેલા મળ બાળી નાખી પ્રારંધ્રની શુદ્ધિ કરી દ્વાર ખુલ્લું કરશે. ત્યારબાદ તે અગ્નિ નેત્રમાં પ્રગટ થઈ આવત્રુ રૂપ રહેલા ચાર્યાશી બારીક પડદાને બાળી નાખો. ત્યાં દૃષ્ટિ દોષ નાશ પામી યુદ્ધ ષ્ટિ બ્રહ્મરૂપ થશે તે સાથે કાન આદિના પડદાઓ પણ ખસી જશે, તેમ થતાં શબ્દો સાંભળવા દેખવારૂપ વિગેરેમાં અત્યારની સ્થિતિ કરતાં ઘણા ફેર પડી જશે. જરૂરીઆત સિવાયના વિષય-શબ્દાદિ સભળાશે પણ અથ ગ્રહણ નહિ થાય.
૨ સર્વ ઉપર સમાન દૃષ્ટિ તેમાં વિધિભૂત શુ છે તે તપાસવું. અને એક કરવું. બીજાને સમાન ગણીને ભેદ તેાડી નાખવા. તેથી સ્થીર બુદ્ધિ ઉપર અવાય છે. નાના મોટાની બુદ્ધિ થવાથી જે વિક્ષેપ થાય છે તેની એકતા સમાન રૂપ અગ્નિથી ખાળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ વર્તનથી પૂર્ણુતા પમાય છે. સાધુઓના આ પુરૂષાય છે. આથી એક બીજા વચ્ચે નું આંતરૂ ભૈદાય છે, ભેદની દિવાલા તુટી જાય છે, ચૈતન્ય મહાસાગર દેખાઇ આવે છે.
૩ સમાનતામાંજ શુદ્ધિ રહેલ છે તે સિવાય જ્ઞાન ખળ નાશ પામે છે સફ્ દૃષ્ટિ સિવાય નિષ્કામ કર્મ ન
થાય.
Page #8
--------------------------------------------------------------------------
________________
૪ શુદ્ધ વાણું તે પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાનું અમેઘ સાધન છે. અશુદ્ધ વાણી તે માયા છે માટે તે સાંભળવી નહિં. શુદ્ધ વાણી સાંભળવી. કાયમ દરેક વ્યક્તિમાં પરમાત્મ દશનને અભ્યાસ કરે. ૫ જ્યાં અંતઃકરણ શુદ્ધ છે ત્યાં પરમેશ્વર હાજર છે તે પછી બીજાની ખુશામત શા માટે કરવી જોઈએ ખરેખરો પુરૂષ કોઈ સ્થળ કે વખતને વશ નથી. બધેથી અપ્રતિબદ્ધ હોય છે. અને સંપ રાત્રિ, વરિ જજુમાવા તરે यथास्थितारमगुणत्वात्साभ्यम् साम्यं तु अत्यत निर्विकारा जीवस्थ परिणामः
સ્વરૂપમાં રમવું તે ચારિત્ર તેજ વસ્તુને સ્વભાવ હેવા ' થી ધર્મ છે. અત્યંત નિર્વિકાર છવને પરિણામ તેજ
ચારિત્ર્ય અને સમતા તેજ સમ્યકત્વ ૭ જે દ્રવ્ય જે કાળે જે ભાવે પરિણમે છે તે કાળે (ઉણતાથી પરિણમેલા હપિંડની માફક) તન્મય થાય છે તેમ આ આત્મા પિતાના જ્ઞાનાદિ ગુણમાં પરિણમે
તે ધન થાય છે. ૮ જ્યારે આત્મા શુભ અશુભ કે શુદ્ધ ભાવે પરિણમે છે
ત્યારે સ્ફટિકની માફક શુભ અશુભ કે શુદ્ધ સ્વરૂપે - પરિણમે છે. શુભ અશુભ એ અશુદ્ધ ભાવ છે અશુદ્ધ
એટલે રાગ ભાવે પરિણમવું. શુદ્ધ એટલે અરાગ ભાવે પરિણમવું. શુદ્ધ ભાવે પરિણમતે આત્મા શુદ્ધ સ્વરૂપ દશા ભેગવે છે આજ ચારિત્ર છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૯ વસ્તુમાત્ર પરિણામ સ્વભાવવાળી છે, પરિણામ ધર્મ વિના વસ્તુ સત્તા હોતી નથી, આશ્રય ભૂત વસ્તુના અભાવે નિરાશ્રય પણે પરિણામ ધર્મ કેના આધારે રહી શકશે. ૧૦ જ્યારે આત્મા પોતાના સ્વભાવ ધર્મમાં એટલે શુદ્ધ - ઉપગ પણે પરિણમે છે ત્યારે તે સ્થળે કે તે વખતે
પ્રતિપક્ષી રૂપ વિભાવ ધર્મની શક્તિ ન હોવાથી પિતાનું કાર્ય કરવામાં સમર્થ ચારિત્રવાનું થાય છે. કે.
જેનાથી સાક્ષાત મેક્ષ થાય છે. ૧૧ જ્યારે આત્મા શુભેપગની પરિણતિ પણે પરિણમે • છે ત્યારે અહીં વિભાગ સ્વરૂપ પ્રતિપક્ષી શક્તિની ૧ "હાજરી હેવાથી સ્વરૂપ સ્થિરતા રૂપ પિતાનું કાર્ય
કરવામાં અસમર્થ થાય છે કેમકે સ્વરૂપથી વિરૂદ્ધ
કાર્ય કરવાવાળું શુભેપગરૂપ ચારિત્ર અહીં હોય છે. ' માટે શુદ્ધોપગ ગ્રહણ કરવા ગ્ય છે અને શુભે- પગ ત્યાગ કરવા યોગ્ય છે. ૧૨ આત્મા જ્યાં અશુભ પગ પરિણતિનું અવલંબન કરે * છે ત્યારે દુઃખનાં બંધને અનુભવ કરે છે. સુખદુખ " માં સમદષ્ટિ હોય ત્યાં શુદ્ધોપગ હેય છે. ખરેખર
શુદ્ધોપગ તેજ નિર્વિકાર જીવને પરિણામ છે. છે અને તેજ ચારિત્ર છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
નીતિ વાક્યામૃત.
ખાનપાનમાં વિવેક રાખવાથી જન્મને નબળે બાંધે પણ સુધારી શકાય છે, આવરદાની દોરી લંબાવાય છે. અને રોગની ઉત્પત્તિની સંખ્યામાં ઘટાડે કરી શકાય છે. કેળવણીના અભ્યાસની મદદથી માનસિક શક્તિને તીવ્ર
અને વિકાશીત કરી શકાય છે. ૩ સંકટ અને દુઃખનાં પ્રત્યક્ષ કારણે આપણાં કર્તા
જ છે. આપણું ચારિત્ર સુધારવા તથા કેળવવા, અને ઉત્તમ પ્રકારને સ્વભાવ બનાવવામાં, તથા આપણું જીવન સુખી કરવામાં, આપણી મનવૃત્તિઓ ઘણે ભાગે કારણભૂત છે. ઈચ્છાનું સ્વરૂપ ચારે તરફથી જુદા જુદા લેહચુંબકથી વીંટાયેલા લોઢાના કકડા સમાન છે, અને તેથી તે બળવાન સત્તા તરફ ખેંચાય છે. ઈચ્છાની સ્થિતિ પવનચક્કીના જેવી છે. તેને પિતાની માહીતિ હતી નથી. અર્થાત્ ઈચ્છા વખતે આત્મભાન હોતું નથી. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૭ સારા કે નઠારા મનોરથો ઈચ્છા ઉપર ભારે અસર
કરે છે, તેમ ઈચ્છા પણ તેના ઉપર અસર કરવાની શકિત ધરાવે છે. સુખ દુઃખને આધાર મનની સ્થિતિ ઉપર રહે છે, બહારના સંયેગોને આપણા મનની રૂચીને અનુકુલ બનાવવાની કોશીશ કરવા કરતાં, આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકુળ બનાવવાને અભ્યાસ પાડવે, એ સુખ પ્રાપ્તિનું રહસ્ય છે. . સુખ દુઃખનું કારણ મન નથી પણ પદાર્થો છે, એમ જેઓ માને છે, તેમાં સ્પર્ધાનું જોર વધારે હોય છે. તેઓ શાસ્ત્રીય શોધખોળને આધારે મજશેખના સાધનમાં વધારો કરતા રહે છે, અને દુઃખના પ્રસંગોમાં ઘટાડે કરતા રહે છે. આવા સંયોગોમાં રહેલા લેકે સુખ પ્રાપ્તિને માટે મન અને સ્વભાવને અમુક પ્રકારનું વલણ આપવાને બદલે બાહ્ય સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ તેમની ભૂલનું ભયંકર પરિણામ એકી વખતે અત્યારની જાદવાસ્થલીરૂપે
પ્રગટ થાય છે. ૧૦ લાખ રૂપિયાની આવકવાળી જાગીર મળતાં જે સુખ
થાય છે, તેના કરતાં વસ્તુ સ્થિતિની ઉજળી તથા સુખકર બાજુ જોવાની ટેવથી વધારે સુખ મળે છે. જે મનુષ્ય દરેક વસ્તુમાંથી સારૂં જ જુવે છે. તેમને માથે ગમે તેવી આફત આવી પડે છતાં તેમને સુખ
Page #12
--------------------------------------------------------------------------
________________
ગાકાર
તે
ચા
શાંતિ દિલાસો મળ્યા વિના રહેતું નથી. આનંદી'હસમુખે સ્વભાવ, તથા હરકોઈ બાબતની ઉજળી તથા આશા ભરી બાજુ તરફ જોવાની ટેવ, એ
જીદગીના ઉપભેગનું મોટું સાધન છે. ૧૧ શરીર તથા મન બનને નિરામય હોવાં એ સુખની
ઉચ્ચ અવસ્થા મનાય છે. પણ મનની નિરામયતાને
આધાર ઘણો ખરો શરીરની નિરામયતા ઉપર રહેલે છે. ૧૨ જે રીવાજે પ્રજાની સુખાકારીને લાભકારી હોય,
અથવા નુકશાન પહોંચે તેવા નહોય, તે રીવાજોને ઉત્તેજન આપવામાં જે દેશમાં સત્તાનો ઉપયોગ
કરવામાં આવે છે. તે દેશને ભાગ્યશાળી સમજ. ૧૩ ઉગતું ઝાડ જેમ વાળ્યું હોય તેમ વળે છે, તેવી રીતે
કુમળી વયમાં જેવી ટેવ પાડવી હોય તેવી પાડી
શકાય છે. ૧૪ પહેલી અવસ્થાની નાની ભૂલે પરિણામે ભારે નુકશાન
કરે છે. ૧૫ જે વ્યવહારનું યેગ્ય હદમાં કરેલું સેવન નિર્દોષ
હિતાવહ અને પ્રશંસનીય હોય છે, તેની હદ ઓળંગી જવાથી ઘણાનાં આયુષ્ય ખંડિત થયેલાં
નજરે દેખાય છે. ૧૬ આરેગ્યતા ટકાવી રાખવા માટે મનની દઢતાના
ટેકાની ખાસ જરૂર છે. પુરતું કામકાજ એજ આપણી આરેગ્યતાની દરરોજની કસોટી તથા હંમેશનું અભય
Page #13
--------------------------------------------------------------------------
________________
૫ત્ર છે. ૧૭ જે માણસોના રગે અસાધ્ય ગણાય છે, તેવા કાયમના
દરદીઓને પણ ઉદ્યોગપૂર્ણ અને ક્રિયાશકત જીવન ગાળવાની ટેવ પાડવામાં આવે અને પિતાના દરદને વિચાર કરી પિતાના મનને ઉદ્વિવન કરવાને તેમને અવકાશ આપવામાં ન આવે તે. બરાબર અરધા
દરદીઓ સાજા થઈ જાય એમ હું ખાત્રીથી કહું છું. ૧૮ મનની નબળાઈ, નિરૂત્સાહીપણું, તથા ઉદ્યોગને તાબે
થવાની ટેવના જેવી અત્યંત હાનીકારક બીજી કોઈ
ટેવ નથી. ૧૯ મનની દૃઢતા એ જીવનનું સત્તવ છે. અને ઈચ્છાબળ
એ મગજ અને જ્ઞાનતંતુ મારફતે શરીર ઉપર બળવાન
સત્તા ભોગવે છે ૨૦ હંમેશાં કોઈપણ ઉપયોગી કામ ધંધામાં રોકાયેલા
રહેવાની ટેવ, સ્ત્રી પુરૂષ બન્નેની સુખ સંપત્તિ માટે અવશ્ય જરૂરની છે. જેનું જીવન આશય વિનાનું અને નિરૂદ્યમી હોય છે, તેમના જેવા દુઃખી મનુષ્ય
ભાગ્યે જ મળી આવશે. ૨૧ આળસ સર્વને એક સરખી રીતે પતિત કરનાર દુર્ગુણ
છે, આળસે કદી પણ દુનિયામનિશાન તેડીને નામના મેળવી નથી. જેમ કાટથી ખવાય છે, તેમ શરીર આળસથી ખવાય છે. આળસ બે છે. આળસ એક ઉપદ્રવ છે. કામના ઘસારા કરતાં
Page #14
--------------------------------------------------------------------------
________________
આળસના ઘસારાથી, જીંદગી, જલ્દીથી ઘસાઈ જાય છે. ૨૨ જેમાં ઉત્સાહની વૃદ્ધિ કરનારી તથા ચિંતાથી મુકત રાખવાને ગુણ રહેલા હાય, તેવા કામ ધંધામાં કે પ્રવૃત્તિમાં નિયમિત રીતે મચ્યા રહી જીવન પુરૂ કરવું, એજ જીવનની ઉચ્ચ દશા છે. આવું જીવન ભગવનારા વિરલા હોય છે.
૨૩ ધીર પ્રકૃતિવાલા પુરૂષા જ્યારે માથે આફત આવી પડે છે ત્યારે, ખરા મર્દોની માફ્ક મહાદુરીથી તેની સાથે બાથ ભીડવા તૈયાર થઇ જાય છે. તેમ કરવાથી તેમનામાં આત્મ અવલખનના ગુણુ જાગૃત થાય છે, તથા તેમની શ્રમ કરવાની કરવાની શક્તિએ સજીવન થાય છે.
તથા સહન
૨૪ આપણે આપણી વૃત્તિએ શુધ્ધ અને પવિત્ર રાખીએ, જુદી જુદી બાબતમાં અન્યનુ હિત ધરાવતાં શીખીએ, અને ઉદ્યોગમાં મચ્યા રહેવાની ટેવ પાડીએ, તા જીવનને અંગે જે નિરાશા તથા ઉઢંગ રહેલા છે. તેનું પણ નિવારણ કરી શકીએ,
૨૫ આફતમાં આવી પડેલા માણુસાને, પેાતાનાથી વધારે સકટ ભેગવનારા માણસાની સ્થિતિને વિચાર કરતાં દિલાસા મળે છે. અને તેમને પોતાના દુઃખને વિસારા પડે છે. આવી ટેવ ઘણી ઉપયોગી છે. ૨૬ વિવેક પૂર્વક અગમચેતીના ઉપાયે લેવા, તે ફતેહમદ જીવનનું મુખ્ય લક્ષણ છે પણ જે વિવેકથી
Page #15
--------------------------------------------------------------------------
________________
વર્તવામાં ન આવે તે, એજ ગુણ દોષ રૂપ થઈ પડે છે. ભાવી સંકટની આગળથી કલ્પના કરીને ઘણું માણસો પિતાના મનને સંતાપ કરે છે. એટલું જ નહિં, પણ જે સંકટ કદી આવવાનાં નથી, તેમના ભયની કલ્પના વડે તેઓ મનને વ્યગ્ર, કરી દે છે. અગમચેતીના ગુણેને દુરૂપયોગ કરી ડગલે ડગલે અનિષ્ટ કલ્પના કર્યા કરવી, એ મનુષ્યની સ્થિતિ
ખરેખર દયાપાત્ર છે. ૨૭ અતિશય મદ્યપાન અને વિષય લંપટપણાથી તંદુ
રસ્તીને નાશ થાય છે, અને આયુષ્ય ટૂંકું થાય છે. ૨૮ આળસ, જુગાર અને કુછંદ એ સુખ સંપત્તિને
નાશ કરે છે, * ૨૯ દુષ્ટ સ્વભાવ, સ્વાર્થ પરાયણતા અને ઈર્ષા, એ
મિત્રતાને ભંગ કરે છે, તથા વિરેાધ અને અભાવ
ઉત્પન્ન કરે છે. ૩૦ છળ કપટ, દગલબાજી, જોર જુલમ અને બળાત્કારના
માગ ગ્રહણ કરવાથી, તેમજ અન્યના હકની અવગણના કરવાથી, કાયદા કે લોકમત મારફતે શિક્ષા
મળ્યા સિવાય રહેતી નથી. ૩૧ સદાચરણને માર્ગ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે,
અને દુરાચાર પરિણામે દુઃખને ભેટો કરાવે છે. ૩૧ નિરૂઘમી અને આળસમાં ફેગટ ગુમાવેલું જીવન,
જાતે નિરસ અને કંટાળા ભરેલું થઈ પડે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
એટલું જ નહીં પણ આપણી સઘળી શકિતઓને હિતકારી માર્ગે વાળવાથી જે આનંદ પ્રગટ થાય છે,
તેનાથી આપણને બેનસીબ રાખે છે. ૩૩ અહંકારી માણસના તરફ કઈ પણ માણસ દિલશેજી
બતાવવાની દરકાર કરતું નથી. ૩૪ ઉદ્યમ, કર્તવ્ય પરાયણતા, અને સારાં આચરણ, એ
ત્રણ ચરસ્થાયી સુખનાં આવશ્યક અંગ છે ૩૫ દુરાચારથી મળતે આનંદ ક્ષણ ભંગુર યાને
અશાશ્વત છે. અને ઘણી વખત તે પિતાની પાછળ કલેશ, નબળાઈ અને પશ્ચાતાપને વારસે મુકો
જાય છે. ૩૬ સુખના સર્વ અંગમાં સદ્વર્તન જે સરસાઈ મેળવે
છે, તેનું કારણ એટલું જ છે કે, તે ક્ષણિક સુખથી નહિં લોભાતાં, દીર્ઘ દ્રષ્ટી વાપરી સાચા અને લાંબી મુદત ટકે એવા શુધ્ધ સુખના માર્ગનું દર્શન
કરાવે છે. ૩૭ પરોપકારી લાગણીઓને આપણામાં વિકાશ થવાથી
સ્વાર્થનિષ્ટ અને હું પદ ભરેલી ચિંતાઓ દૂર હઠી જાય છે. અને આપણું જીવનની દષ્ટી મર્યાદા વધારે
બહોળી વિસ્તૃત થાય છે. ૩૮ જેમ આપણે સ્વાર્થ એ છે શોધીએ છીએ, તેમ
આપણી રહેણી વધારે નિયમસર થાય છે. નિઃસ્વાથી જીવન દુર્ગુણનો નાશ કરે છે, લાલસાએ દુર કરે
Page #17
--------------------------------------------------------------------------
________________
છે, મનને જ કરે છે અને હૃદયને ઉન્નત્તિમાં આણી,
તેમાં વધારે ઉચ્ચ વિચારને સંચાર કરે છે. ૩૯ જીવનને સુખા બનાવવામાં બુધિ કરતાં સારાં લક્ષ
ને હાથ વધારે હોય છે. ૪૦ એકલપેટાપણાને દુર્ગુણ આપણામાં દાખલ થત
અટકાવવાની, તથા સ્વાર્થ પરાયણતાની વધતી જતી
કુટેવ અટકાવવા બહુ જ કાળજી રાખવી. ૪૧ પાત્ર અપાત્રની તપાસ કર્યા વિના વગર વિચાર્યું
પુણ્યદાન કરવાથી, જન સમાજને ભારે નુકસાન થાય છે. મજબુત બાંધાવાળાને ભિક્ષાથી પુરતે ખેરાક મળવાથી, મહેનત કરવાની કે ધંધે વળગવાની ગરજ રહેતી નથી. તેથી તેમને આત્મ અવલંબન ગુણ નાશ પામે છે. તેઓ બેફીકરા, આળસુ અને અવિચારી થઈ જાય છે. આળસ અને અવિચારને ઉત્તેજન મળે છે. અનુદ્યમી ભીખારીને કાળ ખટખટમાં જાય છે. તે વર્ગમાંથી સાધારણ ગુન્હા કરનાર માણસો ઉત્પન્ન થાય છે આવાઓને ભિક્ષા આપવી તે પિતાના ખરચે ગુન્હેગાર મંડળી ઉભી કરવા જેવું છે. જેનું વર્તાન સમાજની ઉન્નતિ કરવામાં સહાય ભૂત થઈ પડે
તેને જ પરે પકાર કરવો જોઈએ. ૪૨ અસ્થાને અઘટિત રાતે તથા પ્રમાણ વગરની દયા
દેખાડવાથી દુનિયા ઉપર જેટલે અપકાર થાય છે, તેટલે બીજા કશાથી થતા નથી. બહાર દેખાઈ
Page #18
--------------------------------------------------------------------------
________________
આવતા સંકટની આપણી દયાવૃત્તિ ઉપર ભારે અસર થાય છે. તેથી તેનું દુઃખ દૂર કરવા આપણે એકદમ કમર કસીને તૈયાર થઈએ છીએ. તે વખતે એટલે વિચાર કરવા પણ થંભતા નથી કે, આપણા કૃત્યનાં દેખીતાં અને પ્રત્યક્ષ પરિણામ કરતાં, છૂપાં અને પરોક્ષ પરિણામ વધારે વિશાળ અને દૂરગામી હોય છે નાના અનર્થને ટાળવા જતાં બીજો નહિ ધારેલ અનર્થ બીજી બાજુએથી છુપી રીતે ડેકું ઉંચુ કરે છે. અનેં તેની માઠી અસર વધારે વિશાળ અને
બહાળા વિસ્તારમાં થાય છે. ૪૩ જે માબાપ બાળકને અત્યંત લાડ લડાવી તેને સ્વચ્છેદ
પણે વર્તવા દે છે, વાંક આવ્યા છતાં પણ કોઈપણ જાતની શિક્ષા કરતાં અચકાય છે, અથવા જે માંગે તે લાવી આપી તેનું મન ન દુભાય તેની કાળજી
ખે છે, તે માબાપ પોતાના બાળકના માટે દુઃખી
જીવનને પાયે તૈયાર કરે છે. તે ૪૪ વસ્તુ સ્થિતિનું ખરૂં વરૂપ સમજવું અને વિકા
ક૯પના શકિતના દોરાયા દોરાવું નહિં. આ બે વાતે
હંમેશાં ધ્યાનમાં રાખવી. ૪૫ કરકસર કરવી, મિત વ્યયી થવું, નિરંતર ઉદ્યમમાં
પ્રવૃત્ત રહેવું, વચન પાળવામાં નિયમિતપણું જાળવવું, અને ભવિષ્યને વિચાર કરી અગમચેતી રાખવી, એટલા ગુણ હાલના જમાનામાં સુધરેલી પ્રજાઓની
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
નીતિ સંબંધી ભાવનામાં અગ્રસ્થાન ભેગવે છે. ૪૬ હાલને સુધારે ઉદ્યોગના જમાનાને છે, અને
લોકોને રૂચતી નીતિની ભાવનાનું સ્વરૂપ નકકી કરવામાં ઉદ્યમ વિષયીક ખાસીયતો સૌથી વધારે સત્તા ભોગવે છે. ઉદ્યોગને જમાને ઉદ્યોગને પ્રાધાન્ય પદ આપે છે અને નીતિનું ધેરણ ઉદ્યોગ વિષયિક ટેવને
અનુસરતું થતું જાય છે. ૪૭ રાજનીતિની ખરી કળા, જે લેકે બેલતા હોય છે
તેમનું સાંભળવામાં રહેલી નથી, પણ જે લેકે નથી
બેલતા તેમની ઈચ્છા સમજવામાં રહેલી છે. ૪૮ દેશના રાજવહીવટના ન્યાયીપણું ઉપરથી બહારના
લેકોની આસ્થા ઓછી થાય. તેથી દેશને જેટલું
નુકશાન છે. તેટલું નુકસાન બીજા કશાથી થતું નથી. ૪૯ મનુષ્યને જે અનેક વ્યવહારમાં પ્રવૃત્ત થવાનું છે,
તેમાં પિતાની ચાલચલગતને કેળવવાનું અર્થાત પિતાનાં લક્ષણ ઘડવાનું કામ સૌથી વિશેષ ઉપયોગી છે. તે કામમાં સફળ થવા માટે પિતાના સ્વભાવ અને મનવૃત્તિનું શાંત અને કાળજીપૂર્વક નિરીક્ષણ
કરવાની ખાસ આવશ્યકતા છે. ૫૦ મનુષ્ય જેમ પિતાના દુર્ગુણોથી અજાણ્યા રહેવું ?
જોઇતું નથી, તેમ પિતાના સદ્ગુણેથી અંજાઈ પણ
જવું નહિં. ૫૧ શારીરિક સંપત્તિ ઉપર મનુષ્યનું જેટલું ચલણ ચાલી
Page #20
--------------------------------------------------------------------------
________________
શકે છે, તેટલું ચલણ અને તેટલીજ સત્તા, તે પિતાના ચારિત્ર ઉપર પણ ભોગવી શકે છે. પર જે માણસ સંયમશીલ કે અસંયમશીલ, નિયમિત,
કે અનિયમિત જીવન ગાળતા હશે. પથ્ય કે અપચ્યા ખેરાક લેતે હશે, નબળા અવયને મજબુત બનાવવા કસરત કરતે હશે, આળસ કે દુરાચારમાં મચ્ચે રહેતે હશે, અને જેટલા પ્રમાણમાં ગજા ઉપરાંત અવળે રસ્તે મહેનત કરતે હશે, તેટલા પ્રમાણમાં તેની શારીરિક સંપત્તિ ઉપર, તેના આયુષ્યની મર્યાદા ઉપર, શરીરમાં રેગ થવાની સંભાવના ઉપર, સારી,
કે માઠી અસર થયા વિના રહેશે નહિ. ૫૩ મદ્યપાન તથા બીજા વિષય ભેગેનું અમર્યાદ પણે
સેવન કરવાથી, તેમના ઉપગ માટેની તૃષ્ણા અત્યંત ઉત્કટ અને બલિષ્ટ થઈ જય છે. અને માણસ આખરે તેને ગુલામ થઈ રહે છે. જેના ઉપર માણસને વિશેષ ભાવ હોય છે, જે વસ્તુ વિશેષ આનંદ આપે છે, તેજ આગળ જતાં પ્રધાન પદ
ભોગવે છે. ૫૪ બળવાન મને વૃત્તિના સામર્થ્ય ઉપરજ મનુષ્યના
વર્તનને આધાર રહેલું છે. જેની મને વૃત્તિ દુષિત કે દુષ્ટ નથી હોતી તેનેજ ભાગ્યશાળી ગણવે
જોઈએ. ૫૫ વયે પહોંચતાં મનોવિકાર શાંત પડતા જાય છે, તેના
Page #21
--------------------------------------------------------------------------
________________
વેગ અને જુસ્સામાં ઘટાડો થતો જાય છે, તેની પણ આદત (2) દઢ અને બળવાન થતી જાય છે. આ ઉપરથી જીવનને સુખી બનાવે તેવી ટેવ પાડવી અને વૃત્તિઓને ઈષ્ટ વલણે વાળવી એ બાલ્યાવસ્થાનું મુખ્ય કર્તવ્ય છે. ૫૬ બાલ્યાવસ્થા સુખમય નિવડે તેવી શિક્ષકે કે શીશ
કરવાની જરૂર છે. પુખ્ત ઉંમરને લાયકના વિષયે. બાલ્યાવસ્થામાં શીખવાડવામાં આવે તે તે બોજારૂપ થઈ પડે, છતાં તેના બીજ તે બાલ્યાવસ્થામાં વાવવાની
જરૂર છે. ૫૭ વિષયે ભેગેની પસંદગી કરતી વખતે એ નિયમ
ખાસ લક્ષમાં રાખવે, કે વિષયને ઉપગ એવી રીતે કરે છે તેથી ભવિષ્યનાં સુખ કે આનંદના
ઉપભેગને બાધા કર્તા થઈ પડે નહિ. ૫૮ જે માણસ યુવાવસ્થામાં અત્યંત મદ્યપાન, વિષયા
શક્તિ, જુગાર, ઉડાઉપણું, સ્વેચ્છાચાર વિગેરે દુર્ગુણેના સેવનમાં સુખ અને આનંદ માને છે, તેને
જન્મારે ખરાબ થયા સિવાય રહેતું નથી. ૫૯ વાંચનને શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની
મહાન સત્તા ધરાવે છે મંદવાડ અને નબળાઈને ' લીધે એકાંત વાસમાં સડતા આજારીના મનને રંજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રીના શૂન્ય પહેરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયિ
Page #22
--------------------------------------------------------------------------
________________
વિચારોને સંચાર કરે છે. વિષાદ અને ગ્લાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહીં તે થોડા વખતને માટે પણ મનુષ્યની ફીકર ચિંતાનો નાશ કરે છે. આ વાંચનના શેખનું વિવેક પૂર્વક પોષણ કરવામાં આવે તે ચારિત્ર કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાધન થઈ શકે છે. વાંચનને શેખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃત્તિ તેથી બળવાન થાય છે. સેબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસાર રૂપી નાટય ભૂમી ઉપર બનતા અનેક બનાવમાં હિત ધરાવતા શીખવાના ગુણેમાં બેસુમાર સુધારે વાંચનથી થાય છે. બચપણથી વાંચન ઉપર રૂચી થવી તે બાળ શિક્ષણનું ઉમદા ફળ છે. પણ જે વાંચનના શોખની સાથે જ્ઞાન સંપાદન કરવાનો શોખ ઉત્પન્ન થાય, તેમજ ખાસ એક વિષય ઉપર ચિત્તની એકાગ્રતા કરવાની ટેવ પડે, તથા અવલોકન કરવાની શકિત આવે, તે
તે ઘણેજ ફાયદો થાય. ૬૧ ઘણુ વખત એક જાતને શોખ બીજી જાતના આનંદને
Page #23
--------------------------------------------------------------------------
________________
માર્ગ બંધ કરે છે. બીજી જાતના આનંદ મેળવવાની શક્તિને નાશ કરે છે. ચારિત્ર ઉપર માઠી અસર કરે છે. દાખલા તરીકે નેવેલ કથાઓ વાંચવાની ટેવ પડવાથી ઉમદા સાહિત્ય ઉપરની રૂચી નષ્ટ થાય છે. આ હલકા સાહિત્યમાં મચ્યા રહેવાથી રસજ્ઞતા નષ્ટ થાય છે. એક પ્રકારને શેખ બીજી જાતના
શોખને પિષક હવે જોઈએ. દર પહેલાની કેળવણીને એ ઉદેશ હતું કે, મનને
કેળવીને તથા અંકુશમાં રાખીને ઈચ્છાબળ વધારવું. સુખની ઉપેક્ષા કરીને દુઃખ સહન કરવાને અભ્યાસ પાડે. સ્વાભાવિક રૂચિઓ તથા વૃત્તિઓને અંકુશમાં રાખવી. કામનાઓની સત્તા અને સંખ્યામાં ઘટાડો કર્યા જવું. બહારના પદાર્થોની ગરજ રાખ્યા સિવાય નિર્વાહ ચલાવી લેવાને મહાવરે પાડવે. અને એકંદર રીતે આત્મોન્નતિને જ પરમ પ્રાપ્તવ્ય ગણવું
એવું શિક્ષણ અપાતું હતું. ૬૩ પહેલા પ્રકારની કેળવણી ઈચ્છાઓને કેળવે છે. અને
બીજા પ્રકારની કેળવણી મનને કેળવે છે હાલની કેળવણી પહેલા પ્રકારની છે. જ્ઞાન અને નીતિને ઈચ્છાનો વિષય બનાવવા એ હાલની પધ્ધતિને
મુખ્ય ઉદ્દેશ છે. ૬૪ શરીર બળમાં પુરૂષથી ઉતરતી જણાતી સ્ત્રીઓ,
મનના બળમાં અને સહન શીલતામાં પુરૂષેના કરતાં
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫
ચડીયાતી જણાય છે. ૬૫ નીતિની અને શિક્ષણની પદ્ધતિઓમાં મનના બળને
પિોષવા ઉપર વિશેષ લક્ષ અત્યારે આપવામાં આવતું નથી. બચપણથીજ આત્મસંયમ અને સ્વાર્થ ત્યાગના ગુણ પ્રાપ્ત કરવા, અને એકાગ્ર ચિત્તથી નિયમિત પણે ઉત્સાહ પૂર્વક કામે વળગવાની ટેવ પાડવી,
એના જેવું બીજું હિતકારી એકે શિક્ષણ નથી. ૬૬ શુકાનીના અંકુશમાં નહિં રહેનારૂં વહાણ, પવન અને
ભરતીની અનુકુળતા છતાં પણ, સહીસલામત ધારેલે બંદરે પહોંચતું નથી. તેવીજ રીતે માણસને સ્વભાવ ગમે તેટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમને અંકુશ નહિં હોય અને તે મને વિકારના આવેશમાં આમ તેમ ઘસડાઈ જ હશે તે તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની
શકનાર નથી. ૬૭ કેટલાક એક માણસોએ પિતાના મને વિકારને
સ્વછંદપણે વરવા દીધેલા હોવાથી, તેમની મને. વૃત્તિઓ એટલી બધી ભ્રષ્ટ અને બલિષ્ટ થઈ ગયેલી હોય છે, તથા સન્માર્ગે દોરવાની વૃત્તિઓ એટલી બધી નિર્બળ થઈ ગયેલી હોય છે કે તેમના સ્વભાવમાં કઈપણ ઉપાયથી સુધારે થઈ શકવાને
નથી, એમ નિશ્ચય માણસને થાય છે. ૬૮ બીજાના સ્વછંદ વ્યવહાર કરતાં, આપણા પોતાને
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છેદ વ્યવહાર વધારે હાની કર્તા છે. ૬૯ કેઈના ઉપર હુકમ ચલાવ તેના કરતાં, આપણે કેઈના હુકમમાં રહેવાનું ન થાય એ પસંદ કરવા
ગ્ય છે. ૭૦ બીજાને અંકુશમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના
કરતાં પોતાની જાતને અંકુશમાં રાખવી તે વધારે
સારૂં છે. ૭૧ પિતાના આત્મા ઉપર પ્રીતિ રાખવી એ પાપ નથી
પણ, પિતાની ઉપેક્ષા કરવી એના જેવું બીજું
પાપ નથી. ૭૨ મને વિકારના દાસ થવું તેના જેવું એકે દેવ નથી. ૭૩ જે માણસ પિતાની જાતને કાબુમાં રાખી શકતો
નથી, તે બીજાને ઉપરી શી રીતે થઈ શકવાને? ૭૪ જે પોતાના મન પર જીત મેળવે છે તે આખા
જગતને વશ કરી શકે છે. જે પિતાને વશ કરી
શકતે નથી, તે બીજાને વશ થાય છે.” ૭૫ ક્રોધમાં વરસાદ જે ગુણ રહે છે. તે જેની સાથે
અફલાય છે તેને કાંઈ થતું નથી. પણ પિતે તે છિન્નભિન્ન થઈ જાય છે કેધી માણસ સામાને
પરાભવ કરવા જતાં પિતજ હારખાઈ પાછા હઠે છે. ૭૬ ડાહ્યા માણસે હમેશાં શાંત વૃત્તિનું જ સેવન કરવું,
પોતાની વૃત્તિઓને બહેકી જવા ન દેવી. ૭૭ સદગુણી કે દુર્ગણી થવું તે આપણું પોતાના હાથની
Page #26
--------------------------------------------------------------------------
________________
વાત છે. બીજી બધી વાતે પ્રારબ્ધાધિન છે. ૭૮ પિતાને નુકશાન થવામાં કદાચ કઈ બાહ્ય નિમિત્ત
હશે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ પિતાની દુષ્ટ
વૃત્તિઓ જ છે. બીજાને કોઈ લેવા દેવા નથી ૭૯ લુહાર લોઢાને ટીપીને (સોની સોનાને ટીપી કે
આપીને તેના સારા ઘાટ બનાવવાની જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી તમારા આત્માને ઉન્નત કરવા માટે પણ તમે રાખતા થી એ કેટલી શરમની વાત છે? કમળ પાણીના મારાથી જયારે પત્થર પણ ઘસાઈ જાય છે, તે પછી આપણું હૃદય તથા મનને મળ
આપણે કેમ ઘસી કે દૂર કરી ન શકીએ? ૮૧ વિષય લંપટ અને વ્યસની માણસે પશુ કરતાં પણ
હલકાં છે. દેહને દુરૂપયેગ, અતિ ઉપગ અને અનાદર થાય. ત્યારે આધિ, વ્યાધિ, તેને ઘેરી લે, અને અસહ્ય યાતના ભેગવવી પડે તેમ કોને દોષ? પિતાને જ. ૮૨ સંતેષી સ્વભાવવાળાના શરીર રૂષ્ટ પુષ્ટ હોય છે,
પણું બળેલા સ્વભાવવાળાનાં શરીર સુકલકડી જેવાં હોય છે. ચિંતાવાળા, ઈર્ષાળુ અને અસંતેષીના શરીરે
લોહી ચડતું નથી. ૮૩ કરોને છાનાં રાખવા માટે કેટલી માતાઓ, એ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
વાઘ આવ્યા! એ ઘાઘર આવ્યા ! આ ખાઉ આવ્યું ! ઇત્યાદિ કહી ખીવરાવનારી માતાઓએ યાદ રાખવું કે તેથી કરાં કાયમ માટે ખીકણુ થઇ જાય છે. એટલું નહિ પણ કેટલીક વખત તેમાંથી ગભીર પરિણામા નીપજે છે.
છે. અલ્પ
૮૪ ઘણા ખરા મંદવાડનું મૂળ કારણુ અજીણુ વિકાર હાય છે. હુંમેશાં જઠરાગ્નિ ઉપરાંત જે નાખવાથી, અનેક જાતના રાગોનાં બીજ ાપાય આહારથી શરીર હલકું રહે છે, મન પણ સ્કુત્તિ વાળું થાય છે અતિ આહારથી શરીર ભારે લાગે છે. ઇંદ્રિઓમાં જડતા આવે છે, અને બુદ્ધિપણુ કહ્યું કરતી નથી. એક તરફ દુનિયાના તમામ રાગો અને બીજી તરફ અજીણ વિકારથી થતા રાગોનુ પ્રમાણ સરખુ આવે છે.
૮૫ ૨સના ઉપભાગથી થતા આનંદ ક્ષણિક છે, અને પરિણામે હાનિકારક છે. તરવાર કરતાં સ્વાદ ઇંદ્રિયે મનુષ્યના ઘણા ભાગો લીધા છે. સ્વાદ આછે કરા અને જીવનને મચાવેા. સઘળાં ખંડ કરતાં હાજરીનાં 'ડ વિશેષ ભય'કર છે. સા અને માકસરના ખારાક યેા હાજરી પુરેપુરી ભરેલી હોય છે, ત્યારે મગજ બરાબર કામ કરી શકતું નથી, આ કારણથીજ ઉપવાસના દિવસ ધર્મક્રિયા માટે ચાન્ય મનાયેલા દેખાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૮૬ આધિ, વ્યાધિ, કલહ, બકબકાટ અને વિના પ્રજને
માર સહન કરે એ સઘળું એક સ્થળે દેખવામાં આવે છે? એમ મને જે કંઇ પ્રશ્ન કરે તે હું તેને ઉત્તર એટલે જ આપું કે જ્યાં આગળ લેકે
એકઠા થઈ દારૂ પીવે છે ત્યાં તે સર્વ હોય છે. ૮૭ મદ્યપાનના સેવનથી માણસ નિધન થાય છે. મધ
પાનને અંગે રહેલા અનર્થમાં આ સૌથી નજી અનર્થ છે પણ મને લીધે માણસ પશુ કરતાં પણ નીચ બને છે. તેને મોટી આફતે આવી પડે છે તે તેણે જાતે માંગી લીધેલી હોય છે. માથી વધારે બીવાનું કારણ એ છે કે તેનું ખરું સ્વરૂપ અત્યંત ભયંકર છતાં બહારથી તે ઘણુંજ મોહક લાગે છે. મદ્યપાનના સેવનથી બેચેની દૂર થઈ ઉત્સાહી થવાશે. એવા ખેટા, ખ્યાલથી અનેક માણસે ખુવાર થયા છે, અને થાય છે. મદ્યપાન શરીર સંપત્તિને હાની કરે છે. મદ્યપાન કરનારાનાં આયુષ્ય મદ્યપાન નહિં કરનાર કરતાં ઘણું ઓછાં હોય છે. માનસિક સંપત્તિની પણ હાની થાય છે. શાન્ત અને સુસ્ત માણસે પણ મદ્યપાનથી તકરારી અને ટંટાખોર થાય છે.
તેના વિષય ઇઢિઓ અમર્યાદિત થાય છે. ૮૮ કોમળ અને સુગંધીદાર પુપ તે માથા ઉપર ધારણ
કરવા યોગ્ય જ ગણાય, તે કાંઈ પગતળે કચરી ન નંખાય તેમ આ શરીરનું દિવ્ય મંદિર બનાવવું એ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
આપણી મરજી અને સત્તાની વાત છે. ૮૯ પરિશ્રમ-મહેનત એ સર્વ મુશ્કેલીઓને પરાભવ કરે
છે. યંગ્ય પરિશ્રમ જાતેજ આનંદરૂપે છે. આળસ એ શરીરને કાટ છે. લેતું કાટથી જેમ ખવાઈ જાય છે
તેમ શરીર આળસથી ખવાય છે. ૯૦ દિવસે કામ કરનારને રાત્રે શાંત અને ગાઢ નિદ્રા
આવે છે. ઘણી જવાબદારી અને જંજાળોવાળા માણુ ઉંઘથી બેનસીબ રહે છે. દિવસ જે સારી રીતે કામમાં ગાળવામાં આવે તે રાત્રે નિદ્રા આપઆપ આપણી સેવામાં હાજર થાય છે ઔષધની મદદ વડે કુત્રીમ ઉંઘ લાવવી એ ઘણું જોખમ ભરેલું છે. એવી લાલચમાં કદી ફસાવું • હિ. આપણા આચરણે વ્યવસ્થિત રાખીશું તે ડીવારમાં પૂર્વની માફક નિદ્રા આવ્યા કરશે. ઉંઘ શરીર અને મનને
બજે ઓછો કરે છે. ૯૧ વિશ્રાંતિ લેવાના વખતમાં પણ આપણે જે દુનિયા
દારીનાં સંકટ, જંજાળે, દુઃખ અને મુસીબતેને જ વિચાર કર્યો કરીએ, મગજને વિશ્રાતિ ન આપીએ, તે તે કાળ કામ કરવા કરતાં પણ વધારે કંટાળા ભરેલ આપણને લાગશે એવી વિશ્રાન્તિ કરતાં કામ
હજાર દરજજે સારું છે. ૯૨ દિવસની સખ્ત મજુરીથી શરીર અને મન જેટલાં
ઘસાય છે, તે કરતાં રાત્રે કંટાળા ભરેલા વિચારોમાં
Page #30
--------------------------------------------------------------------------
________________
રા
જાગતા પડી રહેવાથી બનેને વધારે ઘસારે પડે છે. ૯૩ આપણે આપણું મનને શુદ્ધ અને આનંદદાયક
વિચારોમાં રોકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબંધ નથી એવી પુરાતની કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવનચરિત્ર ઈત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખ ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મોજથી ઉડયા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાઓનું વિસ્મરણ થઈ મન આનંદમાં મન થશે. વળી આગ્રહ પૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં
આવે તે ઘણીજ ડીવારમાં ઉંધ આવી જશે. ૯૪ રાત્રિને સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાન્તિદાયક હેઇ, દિવ્ય વિચારને પિષક છે પુરાતન કાળમાં જે રૂષી, મહષી, મહાત્માઓએ પરમાત્માને સાક્ષાત્કાર મેળવેલ હતું તે સૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિ
પ્રદ પ્રદેશમાંજ મેળવ્યું હતું. ૯૫ પાપી અને અજ્ઞાની હોય તેમને જ મૃત્યુને ડર હોય
છે, પણ પુન્યશાળી કે જ્ઞાનીને મૃત્યુ એ માંગલીક
પ્રસંગ જેવું આદરણુય લાગે છે. ૬ જે મનુષ્ય ઉત્તમ જીવન ગાળે છે તે દેવ સમાન થઈ શકે છે. અને જે મનુષ્ય અધમ જીવન ગાળે
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
છે. તે પશુ સમાન થઈ જાય છે. આહાર, નિદ્રા, ભય, અને મૈથુન એ ચાર મનુષ્ય અને પશુમાં સમાન છે એમાં જે ર પચ્ચે રહે તે પશુજ છે. પણ જે સત્ય, શૌચ, અહિંસા, આર્જવ, ઇંદ્રિયદમન, શાતિ, ભકિત, જ્ઞાન વિરકિત વીગેરે ધર્મનાં લક્ષણરૂપ મનાતા દૈવી ગુણોનું અનુ
કરણ કરે છે તે દેવજ છે, ૯૮ સ્વનાં અલૌકિક સુખને અનુભવ કરે, કે નરકની
યાતનાઓ ભોગવવી, એ બને વાતે આપણા હાથમાં છે. જે મનુષ્ય દુષ્ટ કે તિરસ્કારને પાત્ર નિવડે તે તેમાં પિતાને જ દોષ છે. ૯ કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે છે, તેમ
બાળકના અંત:કરણ ઉપર કેવા સંસ્કાર પાડવા તે બાબતમાં માબાપે તથા શિક્ષકે ખાસ કાળજી
રાખવી ઘટે છે. ૧૦૦ બાળકે જેમની સાથે વિશેષ રહેતાં હોય છે, તેમની
અસર તેમનાં ચારિત્ર ઉપર વિશેષ પડે છે. બાળક સામાને જેવાં દેખે તેવાં થતાં શીખે છે. માટે માબાપ તથા શિક્ષક ઉપર બાળકને કેળવવાની મોટી
જવાબદારી રહેલી છે. ૧૦૧ બાળકનાં મન કેરા કાગળ જેવાં છે તેથી તેના
ઉપર જે લખવા ધારીએ તે લખી શકાય છે. પણ એકવાર લખ્યું તે વજલેપ જેવું થઈ જાય છે, માટે
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩
તેના ઉપર જે લખવું તે સ ́પૂર્ણ વિચાર કરીનેજ લખવુ. જોઇએ.
૧૦૨ બાળકને ઉપદેશ કરીએ, તેના કરતાં આપણા વનની તેમના ઉપર વધારે ઉંડી છાપ પડે છે. આથી કરીને જેમના વનના સંસ્કાર, બાળકના ઉપર પડવાના સંભવ હોય તેમણે પેાતાનું વતન ઉંચા પ્રકારનું રાખવુ. જોઇએ.
૧૦૩ પુરૂષામાં શીરખળ વધારે હોય છે. પુરૂષામાં મનની દૃઢતા અધિક હોય છે, સ્ત્રીઓમાં સંભાવનાની દૃઢતા અધિક હોય છે
૧૦૪ મનુષ્ય ગમે તેટલે! ગરીબ હાય પણ સદ્દવર્તનશાળી હાય તા તે રાજા કરતાં પણ ચડીયાતા છે. પણુ ધનવાન છતાં વિકારનેા ગુલામ થઈ જાય, દુષ્ટ વૃત્તિએ દોરવે ત્યાં દોરવાય, અને લાલચેામાં લપટાય તે તે અધમજ છે.
૧૦૫ મનુષ્યનું ખરૂ મનુષ્યત્વ તેના ચારિત્રમાંજ રહેલ છે. મુગટ ધારી મસ્તક હમેશાં એ ચેન રહે છે. રાજા વિગેરે મેટા લેાકેાની સ્થિતિ આકાશમાંના ગ્રહ જેવી છે, તેમને વિશ્રાન્તિ હાતી નથી.
૧૦૬ ખીજાને બંદીખાનામાં નાખનારા જુલ્મી રાજા પેાતાના કુટ્ટી કરતાં વધારે છુટ ભાગવી શકતા નથી. એટલુ જ નહિ પણ ઉલટું. વધારામાં તેને જીવ વધારે
ધાસ્તીમાં હાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
૧૦૭ માણસ જે નિર્દોષ અને નિષ્કલંક હોય, તેનું અંતઃ
કરણ પવિત્ર અને ચિત્ત સ્વસ્થ હોય તે કેદખાનું પણ તેને સારું છે, પણ જે ફિકર અને ચિંતામાં
ગ્રસ્ત હય, તે મોટું રાજ્ય પણ નકામું છે. ૧૦૮ સુખ પ્રાપ્તિના કામમાં જોર જુલ્મ કે બળાત્કારને
ઉપાય કામમાં આવતું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫
નીતિ વાયામૃત.
મણકે ૨ જે.
બીજાઓની ઉપર અધિકારી ભોગવવા ખાતર પિતાની સ્વતંત્રતા ખેવી એ તે ખેટનેજ ધંધે છે. સત્તા, ખેળવી અને સ્વતંત્રતા ગુમાવવી, બીજા ઉપર સત્તા ચાલવવા મથવું, અને પોતાની જાત ઉપર કાબુ ખોઈ બેસવે, એ પુત્ર લેવા જતાં ધણું ખાઈ
બેસવા, જેવું અગ્ય છે. ૨ દીતિએ સુખના સ્મશાન તુલ્ય છે. ૩ સંપત્તિ, માનપાન, અને સત્તાને લીધે માણસ,
જીવનનાં બીજાં સુખને ઉપભેર કરવા માટે નાલાયક થઈ જાય છે. એવા વૈભવ અને મોટાઈ તને રામ રામ છે! જે માણસ બીજાના માથા ઉપર પગ દઈને ચાલવાની ઇચ્છા રાખે છે, તેમને કઈ દિવસ શાંતિ કે સુખને અનુભવ મળતું નથી. શાંત અને સુખી જીવન ગામવાની ઈચ્છા રાખનારે મોટા થવાની લાલસા સુધી દેવી જોઈએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૫ દુનિયામાં પોતાની વાહવાહ કહેવરાવવી, મોટાઈ મેળવવી,
એના જે જોખમ ભરેલ ધંધે બીજો એક પણ નથી. કીતિ કે સત્તા મેળવવા માટે કશીશ કરવાની કે વલખાં મારવાની જરૂર નથી. તમે શાણું અને સારા હશે તે તમારી ઇચ્છા વિના પણ તે તમારી સમક્ષ હાજર થશે. ખીંટીએ લટકાવી રાખેલી કટાઈ ગયેલી તલવાર માલીકની હાંસી જ કરાવે છે. તેમ આળસુ થઈ જવાથી બટ્ટો લાગે છે. દઢ ઉદ્યોગમાં મચ્યા રહેવાથી જ ક્રીતિ ઉજવળ રહે છે. બાળકને માટે દ્રવ્ય કે ઉંચા અધિકારને વારસો મૂકી જવાનું બધાથી બની શકે તેવું નથી, પણ બાળકને સદાચારી અને સદગુણ બનાવવા જે એકે કીંમતી વાર નથી. માટે તેવાં બાળકને બનાવવા પ્રયત્ન કરે એ માતા પિતાને અમૂલ્ય વારસો છે. શ્રીમંત અને સત્તાવાન પુરૂષે પિતાનાં દુષ્ટ વર્તનથી જગને સુધારવાને બદલે બગાડતા જાય છે. સત્યજ્ઞાન એ પર્વતમાંથી નિકળતાં નિરણે જેવું છે. તે પાણી નિત્ય પ્રવાહથી વહ્યા કરે છે, તે જ સ્વચ્છ અને નિર્મળ રહી શકે છે. નહિંતર ખાડામાં ભરાઈ રહી બંધિયાર થતાં તેમાં દુધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે શાસ્ત્રિય જ્ઞાનને પ્રવાહ
Page #36
--------------------------------------------------------------------------
________________
ર૭, નિરંતર વહેતે રહે તેજ યોગ્ય છે, ૧૦ પ્રજાના આરોગ્ય, સુખ અને ખરા મનુષ્યત્વમાં
સુધારે, વધારે થાય, તેની ઉપરજ દેશની ઉન્નત્તિને
આધાર છે. ૧૧ જે તને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, તે જે પ્રાપ્ત
થયેલું હોય તેને ઈષ્ટ માનીને બેસી રહે. ૧૨ પ્રકાશને જેમ અંધારૂં વળગેલું છે તેમ સુખને, દુઃખ
વળગેલું છે. મનુષ્યની આજુબાજુ સુખ દુખની
ભરતી ઍટ થયાજ કરે છે. ૧૩ હરકતમાં બરકત રહેલી છે. મુસીબતે, એ સામર્થ્યની
કસોટી સમાન છે. આફત, એ સાવચેતીની સૂચના
કે ચેતવણી સમાન છે. ૧૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણા
હાથમાં નથી, પણ શેક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણી સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય
તે પણ હાની નથી. ૧૫ દુઃખના સે ઉદગાર કાઢવાની તસ્દી લેવી તેના કરતાં,
એકવાર પેટ ભરીને હસવું તે પસંદ કરવા ચોગ્ય છે. ૧૬ જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું
જશે. છતાં ખેદ કરીને આપણું જીવન રૂપી વાજને બેસુર બનાવવું એ તે મૂર્ખાઈ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
૧૭ આવી પડેલ દુઃખ ભોગવ્યા સિવાય છૂટકો નથી તો પછી ખડખડાટ કરીને માગળ્યા કરતાં આનદથી ભાગવવુ એ ડાહાપણ ભરેલું છે.
૧૮ મનુષ્યા જે શાક અને સટ ભેગવે છે તેમાં કેટલાંક તે પાતપેાતાની મેળેજ માથે વડારી લીધેલાં હાય છે. તે દુઃખમાંના મોટા ભાગ દુર્વ્યસન, દુરાચરણ દુષ્ટ સ્વભાવ, અને ખાવાપીવામાં અમર્યાદિતપણુ' એ બધાને લીધે ઉત્પન્ન થવા પામ્યાં હાય છે.
૧૯ માણસ જો ખરાખર કાળજી રાખી સર્વ વાતને વિચાર કરીને પગલું ભરે, તે ઘણી ભૂલે ટાળી શકાય તેવી હોય છે તેમાંથી ખચી શકે છે. ૨૦ સુખ દુઃખનું કારણ મન છે, જેવી જેના મનની વૃત્તિ તેવા તેને સંસાર લાગે છે. તારે જો સુખી જીવન ગાળવુ. હાય, તે જગતના અથા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહિ પણ તુંજ જગા જેવા થા.
૨૧ પાતાના પગમાં જોડા પહેર્યાં એટલે, તે આખી પૃથ્વી ઉપર ચામડું પાથર્યા સમાન છે તેજ પ્રમાણે આપણે શાન્ત વૃત્તિનું સેવન કરીશું, તે માથા ઉપર દુઃખના ડુંગર તુટી પડશે તે પણ આપણા સુખમાં અંતરાય આવશે નહિં. ૨૨ આ દુનિયાનું કોઇપણ સુખ એવું દુ:ખની છાયાથી તદ્ન મુકત હાય,
નથી, કે જે તેમ કોઇપણ
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯ દુઃખ એવું નથી, કે જેમાં સુખને અંશ-લેશ પણ ન હોય, માટે માથે સંકટ આવી પડે ત્યારે આજંદ કરવા બેસવું કે રોદડાં રડયા કરવાં, એના જેવી બીજી મૂર્ખાઈ શું હોઈ શકે? એમ કરવાથી સંકટ નિવારણ થતું નથી, માટે બૈર્યતાથી સહન કરે,
અને ચિત્ત શાન્ત કરી નિવારણને ઉપાય છે ૨૩ જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી, તેના જે બીજે ( નિધન કેઈ નથી. ૨૪ જે થાય છે તે સારાને માટે થાય છે, એમ માની
હંમેશાં આનંદમાં રહેવું, ફેગટની હાયવોય કરવાથી
બમણે ખેદ થાય છે ૨૫ સુખ મળે તે મેં મેળવ્યાં અને દુઃખ પડે તે દૈવે
મેકલ્યાં એવી વૃત્તિ ન રાખવી. કાંતે બને પિતે કર્યા, અને કાંતે ખનને દૈવે આપ્યાં એમ માને, જેથી મને ખેદ કરતું અટકશે પિતે કર્તા થતાં પોતાની ભૂલ સુધારાશે, અથવા દૈવ ઉપર ભરોસે
રાખતાં તેની નિશ્રા કબુલ કરાશે. ૨૬ સ્વાર્થ પરાયણતા, લુંટફાટ, ઈર્ષા ચેનબાજી, લોભ,
અહંકાર ઈત્યાદી દુર્ગુણેને ફેલા થવાથી જગતમાં
જ્યાં ત્યાં ટફિસાદ, લડાલડી, હસાતુંસી અને શકના ઉદ્દગાર સ ભળાય છે. ૨૭ ઘણી વખતે ખેટામાંથી સારૂં નીપજે છે. અને
દેખીની આફત આશીર્વાદ સમાન થઈ પડે છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૭
કેટલાક, અલૌકિક ગ્રંથે તેમના લેખકે એ, કારાગ્રહમાં હતા તે વખતે અને તેને લીધે લખાયેલા છે. એવી આફતને લીધે જ તેમનાં નામ અમર થવા સાથે
દુનિયાને માટે લાભ થાય છે. ૨૮ હું જે સ્થિતિમાં હોઉં તે સ્થિતિમાં સતેષ માનવાને
મને અભ્યાસ પડી ગયેલ છે, તેથી મને દારિદ્ર
તરફથી બીલકુલ ચિંતા નથી. ર૯ સારાં શ્રમ કરનાર કદી નઠારી ગતિને પ્રાપ્ત થતું
નથી. ૩૦ અન્ન, વસ્ત્ર, પાણી અને છાંયા, એટલી વસ્તુઓ જ
જીવન નિર્વાહ માટે આવશ્યક છે અને તે વસ્તુઓ થેડા જીવનનિર્વાહ માટે આવશ્યક છે. અને તે વસ્તુઓ છેડા પરિશ્રમથી પ્રાપ્ત થઈ શકે છે. માટે નિર્વાહ સારૂ ચિંતાતુર રહેવાથી બીલકુલ જરૂર નથી
પણ તૃષ્ણને લગામ નથી દેતી. ૩૧ વિકટ પ્રસંગે ખેદ ન કર, તેમ ના “ઉમેદ થઈ
જવું નહિ પણ કમર કસીને તેની સામે બાથ ભીડવી. મુસીબતેથી ડરીને નાશી જતાં તે આપણી પાછળ પડી આપણને પકડી પાડયા સિવાય રહેતી નથી. પણ હિમ્મતથી તેની સામે થતાં તે પાછી હઠી.
જાય છે અને આપણે વિજ્ય થાય છે. ૩૨ મહાન પુરૂષેનું ખરું સામર્થ્ય વિપત્તિના પ્રસંગેજ
પ્રગટ થાય છે, સંપત્તિના પ્રસંગમાં તેટલું પ્રગટ
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૧
થતું નથી. મગરને દેવતામાં નાખ્યાથી તેમાંથી જે સુગધ પ્રગટ થાય છે, તે સુગંધ બહાર હાય છે ત્યારે તેટલી દેખાતી નથી,
૩૩ સ`પત્તિના પ્રસંગમાં મહાન્ પુરૂષોનુ ચિત્ત કમળ જેવું કામળ હોય છે પણ વિપત્તિના પ્રસ*ગમાં તે પતથી પણ વધારે કઠીન મન હોય છે.
૩૪ જગમાં સ કટ કાંતા કરેલ કની શિક્ષા તરીકે હાય છે અથવા આગામી સકટથી સાવધ રહેવાની ચેતવણી રૂપે હોય છે. ઠોકરા ખાધા સિવાય માણસમાં હાંશિયારી આવતી નથી સંકટ આપણને સાવધ કરે છે સાવચેતીના ઉપાય સૂચવે છે.
૩૫ બીજી જાતનાં સકટ આપણા ધૈય'ની તથા આપણા દૈવતની પરિક્ષા કરે છે. પ્રહ્વાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઇત્યાદિ પુરૂષાપર સંકટ ગુજર્યાં નહાત તે તેમની ખરી કિંમત દુનિયા કરી શકત નહિ. જે મુસીખતા મૂખ લેાકેાને હેરાન કરી નાંખે છે. તેજ મુસીબતે શાણા પુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે ૩૬ વિપત્તિ માણસમાં માણસાઈ લાવે છે, જ્યારે સંપત્તિ આરાગ્ય માણસને રાક્ષસ બનાવે છે.
૩૭ મિત્રની પરિક્ષા વિપત્તિ પ્રસંગે થાય છે. અને વૈભવને જે ક્ષય અર્થાત્ ગરીબાઈ વખતે સ્ત્રીની પરિક્ષા થાય છે. જે સાચા સ્નેહી ાય છે તેજ વિપત્તિના પ્રસ`ગે પાસે ઉભો રહે છે, અને જે સ્વાથ
Page #41
--------------------------------------------------------------------------
________________
૩ર
સાધવા ભેગા થયા હોય છે તે વિપત્તિ પ્રસગે કે વૈભવ ક્ષય થયે પાસે આવતા નથી.
૩૮ અગ્નિમાં તપાવવાથી સેાનારૂપા અને કથીરની પરિક્ષા થાય છે તેમ આપત્તિકાળે ખરા અને સ્વાથી મિત્રા પરખાઇ આવે છે.
૩૯ આખા દેશપર સકટ આવી પડે છે ત્યારે ખરા સ્વદેશ પ્રેમી પુરૂષષ પેાતાની અગત લાગણીઓને કારે મૂકી દઈ દેશના રક્ષણ માટે એક દીલ થાય છે. ૪૦ આ જગતમાં થાડા થાડામાં ના ઉમેદ થઇ કે નાસીપાસ થઈ જનારનુ કામ નથી ભૂલ્યા ત્યાંથી ફરી ગણા' આ સૂત્રને લક્ષમાં રાખી જે માણસ, પડયા છતાં તેની પાછળ મડયા રહે છે. તેજ આ જગમાં વિજય મેળવે છે. પ્રેફેસર હક્ષલી મહાનૂ વકતા હતા. શરૂઆતમાં તેની ફજેતી થઇ, ભાષણ ન કરવા કાઇએ ગુપ્ત ચીઠ્ઠી લખી, કાઇએ અલાહ આપી, પણ તે પ્રયાસમાં મચ્ચે રહ્યો તે છેવટે તે એક મહાન વકતા થયે..
પા
૪૧ અભ્યાસ વડે હરેક કામમાં નિપુણતા મેળવી શકાય છે. અનેક અડચણા નડવા છતાં ઉત્તમ માણસે હાથમાં લીધેલુ કામ છેડતા નથી
૪૨ આફત આવી પડયા પહેલાં શોક કરવા બેસવુ' એના જેવું દુઃખ ખીજા કશાથી થતું નથી કલ્પનાએ ખડાં કરેલાં દુઃખ પ્રત્યક્ષ દુઃખ કરતાં વધારે ત્રાસ
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૩
દાયક છે. ૪૩ માણસને જેની દહેસત વધારે લાગતી હોય છે, તે
તેમના સ્મરણમાંથી જલ્દી નીકળી જતું નથી. રખેને કાંઇક જોખમમાં આવી પડીશું એવી બીકથી ઘણું માણસ દુઃખ અનુભવતા હોય છે. સંકટની બીકજ
ઘણી વખત સંકટને જન્મ આપે છે. ૪૪ કેટલીક વખત સુખની અવગણના કરવાથીજ આપણે
દુઃખી થઈએ છીએ. કેટલીક દવાઓ સસ્તી છતાં રામબાણ હોય છે, પણ કેટલાક એવા મૂખ હેાય છે
કે સસ્તી દવાથી મેટા રેગે મટે તે વાત તેમના | માન્યામાંજ આવતી નથી. અને સામે આવેલા સુખના
સાધનને અનાદર કરી દુખ ભેગવ્યા કરે છે. ૪૫ કેટલીક વખત માણસો નજીવી અડચણને દર ગુજર
નહિં કરવાને લીધેજ મોટા કંકાશનાં મૂળ રોપે છે. જગત્ ઉપર જળ પ્રલય, અગ્નિકો૫, મરકી, દુકાળ ઈત્યાદિ દેવી ઉપદ્રવને લીધે જેટલો માણસ મરે છે, તેના કરતાં મારામારી, લડાલડી, અને કાપાકાપીને
લીધે માણસને વધારે ઘાણ નીકળી જાય છે ૪૬ કેટલાક તે “કાજીને સારા ગામઠી ફિકર ને લીધે
દુબળા થાય છે જેમાં પિતાને બીલકુલ લેવા દેવા ન હિય, એવા કામમાં માથું મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણા માણસે દુઃખી
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
થતા હોય છે મૂખ લાકાને ખીજાની પડયા સિવાય ચેનજ પડતું નથી,
૪૭ આપણે જો ખીજાના કામમાં માથું મારવા ન જઇએ, તે આપણા કામમાં તે માથું મારવા નહિ જ આવે. ૪૮ દુનિયામાં દ્વેષી અને વિના કારણે બીજાને ઉપદ્રવ કરવાના સ્વભાવવાળા માણસાની ખેાટ નથી.
ભાંજગડમાં
૪૯ શાંતિના ચાહનારાઓએ આ સૂત્ર અજમાવી જોવા જેવુ છે કે, વઢવાડ કરનારીને વઢવાડ કરનાર કાઇ સામુ' નહિ મળે તા એની મેળે થાકીને તે ઘરમાં બેસશે.
પ૦ આપણા પાતાના દોષ કે પાપાચરણને લીધે આપણે જે દુ:ખ ભોગવવાં પડે છે. તે આપણે જાતે હારી લીધા જેમાંજ છે. ન્યાય રીતે તેમાં ફરીયાદ ઉઠાવવાના આપણુને જરા પણ હક નથી. દારિદ્ર, મઢવાડ કે સડકટ એ બધાને લીધે જીવન કષ્ટમય થતું નથી, પણ એકલપેટાપણુ, અતિલાલ, અહંકાર અને પાપાચરણુ ઇત્યાદિ દુર્ગુને લીધેજ જીવન અસહ્ય દુઃખ
રૂપ થઈ પડે છે.
૫૧ ઉપલક દૃષ્ટીથી જોતાં કેટલીક માખતા આપણને કલેશ કારક લાગે છે. પણ વાસ્તવિક રીતે જોતાં તે આપણું હિત કરતી હાય છે. સડકટને ધૈર્યથી સહન કરીએ અને કેડ બાંધીને સામા થઇએ તે આપણી ઉન્નત્તિ થયા સિવાય રહેતી નથી. શીયાળાની ટાઢના
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
ચમકારા શરીરને ધ્રુજવે છે ખરા, પણ તેથી શરીર દૃઢ ને મજબુત થાય છે. સપત્તિએ જેમનાં હાડ શીથીલ કરી નાંખ્યાં હાય છે તે માણસેા વિપત્તિના ઝપાટો સહન કરી શક્તા નથી.
પર ! દુનિયામાં સ'પત્તિએ જેટલાં માણસોને ખરાબ કર્યા છે તેટલાં વિપત્તિએ કર્યા નથી.
પ૩ ગમે એવા પ્રચંડ વાયુ વાતા હોય તે પણ સવાર થતાં તે શાંત થાય છે, અને મુસલધાર વરસાદ વરસતા હાય, તે પણ અમુક વખતે તે શમી જાય છે. એમ આ મહાભૂતાની કરણી પણ મર્યાદિત છે. તેા પછી મનુષ્ય ઉપર ગુજરતી આફ્તા મર્યાદિત અને અશાશ્વત હોય તેમાં નવાઈ શી? ગમે તેવુ સંકટ આવી પડે તે પણ માણસે ના ઉમેદ થવુ જોઇએ નહિ.
૫૪ છેદાયેલુ' વૃક્ષ પણ ફરીથી કુટે છે, ક્ષીણુ થયેલે ચંદ્ર પણ ફરીથી પરિણું થાય છે. એવા વિચાર કરી શાણા પુરૂષ કદી પણ સંતાપ પામતા નથી. ૫૫ આર્થિક સંપત્તિના પણ ઉપયાગ શારીરિક સ ́પત્તિની માક વિવેકથી કરવાના છે. સંપત્તિ જીરવવાનું કામ વિપત્તિ સહન કરવા કરતાં વધારે કઠીણુ છે.
૫૬ વિપત્તિના સમયે સહિષ્ણુતા કે ધૈય એ એકલેાજ સદ્ગુણ હાય તે પણ ચાલે. પણ સ'પત્તિમાં જો શાણપણ, દીર્ઘ ટી, મિતાહાર, નિઃસ્વાથી પણું,
Page #45
--------------------------------------------------------------------------
________________
ઔદાર્ય વિગેરે અનેક સદ્દગુણે હોય તે જ તે ટકી
શકે છે, નહિં તે તે પાયમાલ કરી નાખે છે. પ૭ જેને ધૈય રૂપી ધન નથી તેના જેવું નિધન બીજું
કેઈ નથી જે જે ઉમદા પાડે આપણને શીખવાના મળે છે, તે સંપત્તિના વખતમાં નથી મળતા, પણ
વિપત્તિના વખતમાંજ મળી શકે છે. ૫૮ મહા પુરૂષના કાર્યની સિદિધ પિતાના પરાક્રમથીજ
થાય છે, કેવળ બાહ્ય સાધનની સહાયતાથી નથી
થતી.
૫૯ સંકટ સહન કરવાં અને દઢ થતા જેવું એ દેવી
પરાક્રમને અંશ છે. સંકટમાં શાણ પણ વાપરીને સાર લેવામાં આવે છે તેથી આપણું રહેણું કરણી કેળવાય છે. અને આત્માવલંબીપણાને તે ગુણ જાગૃત થાય છે. દુઃખ આવી પડતાં કેઈએ સાહસ કરી મરવું જોઈએ નહિં, કારણ કે દુઃખરૂપી રાત્રી પસાર થઈ જઈ સુખરૂપી સૂર્યોદય થયા સિવાય રહેવાને નથી. જગત્ ઉપર બનતા કઈ પણ બનાવે નુકશાનકારક હતાજ નથી. જે થાય છે તે યોગ્ય થાય છે જળ પ્રલયથી અત્યંત નુકશાન થાય છે ખરું, પણ જે દેશ ઉપર તે ફરી વળે છે તે દેશ અત્યંત રસાળ અને ફળદ્રુપ થાય છે. જવાળામુખી ફાટવાથી આસપાસનાં ગામ સમૃદ્ધિમાન થાય છે લંડન શહેરમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૯૬૬ માં મોટી આગ લાગી હતી તે એક રીતે લાભદાયક નીવડી હતી. તેથી હવા સુધરી ગઈ અને
મરકીના ત્રાસને અંત આવ્યો હતે. ૬૨ વાવણીની મોસમમાં ખેડુત જેમ ધાન્યનાં કણસલાંને
ગુડે છે. તેમ દુદેવ પણ કેટલીક વખત આપણને નિદયપણે ગુડે છે, અને આફતને વરસાદ વરસાવે છે. પણ દૈવે બેદરકારીથી અફાળેલું ગુડીયું જ્યારે દાણાવાળા પુળા ઉપર પડે છે ત્યારે ફક્ત ઘાસ કે પરાળજ છુંદાય છે, અને દાણાને જરાપણ ઈજા થતી
નથી. ૬૩ સંકટ રૂપી ભઠ્ઠી ઘણી વખત માણસને તપાવી શુદ્ધ
કરે છે. તે માણસની વૃત્તિરૂપી ધાતુના મેલને બાળી નાખે છે. તેથી તેનું શુદ્ધ સત્વ વિશેષ ઝળકી
નીકળે છે. ૬૪ કાલે શું થશે તેની નકામી ચિંતા છેડી દઈને
આજના દિવસ ઉપર નજર રાખ. ૬૫ કઈ માણસ કાંઈ હું કામ કરે તે તેણે અમુક
ખોટું કામ કર્યું એટલું જ આપણું જાણવામાં આવે છે. પણ તે કેવા ખરાબ સંગને ભોગ થઈ પડે હતે. કેટલી લાલચને નહિં ગાંઠતાં નિરૂપાયે તેને કામ કરવું પડયું હશે, એ કશું આપણા જાણવામાં આવતું નથી. અર્થાત્ તે કામ તેણે ઈરાદા પૂર્વક કર્યું કે અજાણતાં થઈ ગયું તે સશે આપણે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ જાણું શકતા નથી. જે સર્વ હકીકત આપણું જાણવામાં આવે તે તેવા દરેક કાર્ય ક્ષમા કરવા યોગ્ય લાગી
આવે અને આપણે તેને માફી આપી શકીએ. ૬૬ પિતાની જાતને ઓળખતાં શીખવું તે સૌથી કઠણ તે કામ છે. અને બીજાના કામમાંથી ભૂલે કાઢવી એ
સૌથી સહેલું કામ છે. ૬૭ અમુક માણસે આમ કરવું જોઈએ અને આમ ન
કરવું જોઈએ એવી ભાંજગડમાં પડવાને બદલે માણસ માત્રે પોતાનાજ કર્તવ્યના ચિંતનમાં તત્પર રહેવું જોઈએ. આપણા સિવાય બીજા બધા ઉપર ક્ષમાશીલ વૃત્તિ રાખવી પિતાના દેષ ઉપર કડક દષ્ટી રાખી
બીજા બધા માણસેના દોષ ઉપર મીઠી દષ્ટી રાખવી. ૬૮ આપણા સ્નેહીઓનાં છીદ્ર ખોળવા કરતાં શત્રુઓના
ગુણ લેવાની ટેવ વધારે રાખવી જોઈએ. ૬૯ આપણે પિતેજ જ્યારે જેવા થવા ધારતા હોઈએ
છીએ તેવા થઈ શકતા નથી, તે પછી સામે ઘણી આપણુ મરજી પ્રમાણે વતે એવી આશા શા માટે રાખવી જોઈએ? આપણી મરજી પ્રમાણે લેકે ચાલે એવી જેની ઈરછા હોય તેણે લેકેની મરજી પ્રમાણે
ચાલવાને તત્પર થવું જોઈએ. ૭૦ આપણે હંમેશાં બીજાની ભૂલ કાઢવા બેસીએ છીએ.
પણ આપણે પિતાના દેષને લીધે આપણે કેટલું બધું નુકશાન વેઠતા હોઈએ છીએ તેને ખ્યાલ પણ
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૯
આવતે નથી બીજાના દેશે કરતાં આપણા પિતાના દેશે આપણને ઘણું નુકશાન કરે છે. ૭૧ - આપણુ પિતાના ચિત્તની શાંતિ અને સ્વસ્થતાની
ખાતર જેમની સાથે આપણને પાનાં પડયાં હોય, તેમનાં છિદ્ર કે ખામીઓ ન ખેળતાં તેમની ભૂલે
દરગુજર કરવી જોઈએ. ૭૨ આકાશ ઉપર ગુસ્સો કરવાથી હવામાં સુધારો થવાને
જરાપણ સંભવ હેતે નથી. તેમ સામા માણસના ઉપર અકળાવાથી આપણે તેની કુટેવો-કે ભૂલે જરા પણ સુધારી શકવાના નથી. ઉલ્ટા તેને કાયર કરીને વધારે બગાડીએ છીએ, સમજાવી પટાવીને યુકિતથી
કામ લેતાં ઘણો કંકાશ ઓછો થાય છે. ૭૩ ક્ષમા કરવાથી આપણે કાંઈ ગુમાવતા નથી પણ ફાયદો
થવાનો સંભવ છે, કારણ કે ક્ષમા એ આપણા મનેનિગ્રહની એક કસોટી છે. વળી સામે માણસ આપણું મોટું મન દેખી લજવાઈ વખતે પિતાને અપરાધ કબુલ કરી વેર છેડી દે અને કેટલીક વખત મિત્ર પણ થઈને રહે છે. ૭૪ શિક્ષા કરીને અગર વેર લઈને દુશ્મનાવટ વધારવી
તેના કરતાં ક્ષમા કરી મિત્રતા જોડવી એમાંજ ખરૂં
ડહાપણ રહેલું છે. ૭૫ જે માણસના મનમાં સામાને માટે જરાપણુ દયા,
અનુકંપા કે સહાનુભૂતી નથી, તે માણસ પોતે જરા
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
૭૬
પણ દયા કે અનુકંપાને પાત્ર નથી આપણું હૃદય તેને આવકાર આપવા તત્પર નથી તે સામાનું હૃદય આપણા તરફ સ્નેહની લાગણી ધરાવવાનું જ નહિં, અને અન્ય હદય સાક્ષી છે. પ્રત્યેક મનુષ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુટુંબને, સમાજને, દેશને, અને જગને રૂણી છે. એ રૂણ યથાશકિત ફેડવું એ પ્રત્યેકનું કર્તવ્ય છે. પરંપકાર કરીને તથા બીજાને ઉપયોગી થઈને તે રૂણ ફેલ
શકાય છે. ૭૭ લેકે પર ખરેખર ઉપકાર કર હોય તે પ્રથમ
તેમની ખરી સ્થિતિથી વાકેફ થવું, અને તેમના ઉપર પ્રીતિ પણ રાખવી જોઈએ. સાથે પરેપકાર કરવામાં સદવિચાર પૂર્વક વિવેક બુદ્ધિની પણ ખાસ જરૂર છે. વિવેક વગરની દયા લાભને બદલે હાની કરે છેકુપાત્રે આ આપેલું દાન દુધ પાઈને સાપ ઉછેરવા જેવું થાય છે.
• ૭૮ દરિદ્ર લોકોને સહાય કરવામાં તેમને સ્વાવલંબી
બનાવવાને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. વિવેક વગરની સખાવતમાં એ દોષ રહેલે હોય છે કે, સખાવત લેનાર પરાવલંબી થવા શીખે છે. તેથી
તેનું જીવન બગડે છે. ૭૯ પાસે સંપત્તિ હોય તે યાચકને આપી દેવું એ કામ
સહેલું છે. પણ સ્વાવલંબન ગુણને હાની ન પહોંચે
Page #50
--------------------------------------------------------------------------
________________
તેવી રીતે આપવું એ કામ સહેલું નથી. દાન કરવામાં આપણે ઉદ્દેશ સામાની ભીડ ભાંગવી એટલો જ હવે જોઈએ, પોતાની મેળે રળી ખાતાં શીખે એ લક્ષ હેવું જોઈએ. આપણા દાનથી તે આળસુ અને પરાવલંબી અને તે આપણે તેને લાભને બદલે નુકશાનજ કર્યું છે. દુઃખી લેકનું શાંત્વન કરે, નિરાશ્રિતોને આશ્રય આપે, નિરાધારેનું રક્ષણ કરે, તમારા હાથે થયેલી ભૂલેને સુધારે. કેઈનું અહિત તમારાથી થયું હોય તે તેને બદલે આપે. તેને સારી સલાહ આપે. સારાં કામ તરફ સહાનુભૂતિ દર્શાવે, ગઈ ગુજરી ભૂલી જાઓ. આને બદલે મટામાં માટે પરમાત્માના
સાક્ષાત્કાર પર્વતને તમને મળશે. ૮૧ એક નિષ્ફર કે ગુસ્સા ભરેલ શબ્દ હા ચહેરાને નિસ્તેજ કરવાને માટે પૂરતે છે, તેમ મમતા કે સહાનુભૂતિવાળે એક શબ્દ નિસ્તેજ ચહેરા ઉપર આનંદ ઉપજાવી શકે છે. બીજાને આનંદ આપવામાંજ આપણને આનંદ મળે તેમ છે. આપણે કોઈના મનના ઘા રૂઝાવી શકીએ, કેઈન્મ અંતઃકરણમાં ચોંટી રહેલું સત્ય કાઢી શકીએ, કોઈના મગજમાં ભરાઈ રહેલી ફીકર ચિંતાને બહાર કાઢે શકીએ, અગર કેઈની છાતીને દાહ મટાડી શકીએ, તો તે જેવા તેવા પાપકારનું કામ નથી.
Page #51
--------------------------------------------------------------------------
________________
૮૩ તમારાથી કાંઈ બની ન શકે તે બેલવામાં પણ
મમતા ચૂકશે નહિં, દુઃબીના દુઃખની વાત સાંભળવાથી પણ તેનું દુખ ઓછું થાય છે. તેને ઉમેરે શાંત થાય છે. કેવળ શુભ ચિંતનથી પણ સામાનું
ભલું કરી શકાય છે. ૮૪ નિબળ મનુષ્ય તરફ નેહ ભાવથી વર્તે, તેમનામાં જે
કોઈ સારા ગુણ હોય તે તરફ આદર બતાવે. અને તેનામાં જે કાંઈ દોષ કે દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરે. કેઈ પણ રીતે મનુષ્ય અન્યને ઉપયેગી થવું
જોઈએ,
૮૫ કેઈની પ્રીતિના પાત્ર થવું, તે કરતાં કૅઈને પ્રીતિનો
પાત્ર બનાવ એ વિશેષ સારું છે. પ્રેમનું સામર્થ્ય અગાધ છે. ભય કરતાં પ્રીતિ ઘણું ફળ નીપજાવી શકે છે. તેમાં નાનાં બાળકે તે જેટલાં પ્રીતિથી વશ થાય છે, તેટલા ભયથી વશ થતાં નથી. ઈશ્વર પણ હઠગ કરતાં પ્રેમથી વશ થાય છે. તે બીજા માટે
શું કહેવું. અર્થાત્ પ્રેમથી જગત છતાય છે. ૮૬ બીજે આપણને બગાડ કરે, તે કરતાં આપણે તેને
બગાડ કરીએ તેથી આપણને વધારે નુકસાન છે. કઈ આપણે અપકાર કરે તે તે સહન કરીને બેસવું પણ આપણે કેઈને અપકાર કરવાની ઈચ્છા ન કરવી. અને ખાનગી તથા જાહેર વર્તમાનમાં હમેશાં ભલમનસાઈ વાપરવી.
Page #52
--------------------------------------------------------------------------
________________
૯૮
૮૭ ક્ષમા કરવામાં શકિત-સામર્થોને ખપ પડતો
નથી, પણ માત્ર ઈચ્છાની જરૂર પડે છે. આપણે અપરાધ કરનાર, આપણને પિતાને અપરાધ ક્ષમા કરવાની તથા પિતા ઉપર આપણુ ક્ષમા રૂપી દેવી ગુણને ઉપયોગ કરવાની આપણને તક આપે છે એ રીતે તે આપણે ઉપકારી છે. ક્ષમા સાધુ પુરૂષનું લક્ષણ છે. વેર વાળવાની વૃત્તિએ પામર જીવનું કામ છે. અપક્કરના બદલામાં ઉપકાર કરનાર એ સાધુ પુરૂષના નામથી ઓળખાય છે. આપણે બીજાના અપરાધની ક્ષમા ન કરીએ, તે આપણને પરમાત્મા પાસે ક્ષમા
માગવાને અધિકાર રહેતું નથી. ૮૯ વેર લેવાની ટેવ રાખવામાં ફાયદે અનિશ્ચિત છે,
અને નુકસાન તે ચોકકસ છે. ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવ એ વેર લેવાને સુંદર ઉપાય છે. ઈર્ષા સપના વિષ કરતાં પણ વધારે અનર્થકારક છે. કારણ કે સર્વેનું વિષ સપને નુકસાન કરતું નથી,
પણ ઈર્ષા તે તેના માલીકને પણ નુકસાન કરે છે. ૯૧ સાચે નેહી મિત્ર બે રીતે ઉપયોગી છે તેના સમાગમ
સંપત્તિને વિશેષ સુખદાચિ બનાવે છે, અને વિપત્તિને સુસહ્ય બનાવે છે. સુખના દિવસમાં મિત્રને સહવાસ આનંદમાં વધારે કરે છે. દુઃખના દિવસમાં દુઃખને વિસારે કરાવે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૯૨ આફત વખતે મિત્રને પડખે રહી તેનું રક્ષણ કરવું.
સંકટ વખતે સહાય કરવી અને દુઃખમાં દિલાસો આપ કારણ કે ખરા સ્નેહી મિત્ર મળવા દુર્લભ છે, કે જેઓ પોતાના જીવના ભેગે પણ ખરી વખતે
મિત્રને સહાય કરે છે ૯૩ મિત્રના ઉપર આપણે બધી રીતને હક છે ખરે,
પણ તેની પાસે કેઈપણ ખોટું કે આબરુને લાંછન લાગે એવું કામ કરાવવાની આશા રાખવી જોઈએ નહિં. સનેહ દુર્ગુણને નહિં પણ સદગુણને પિષક
થવું જોઈએ, ૯૪ ખરા મિત્રે જરૂરના પ્રસંગે પિતાના નેહીના કાન
ઉઘાડવામાં જરા પણ સંકેચ માન કે પાછી પાની કરવી નહિં. ફકત તેની ફજેતી ન થાય, અને તે ઉપહાસને પાત્ર ન બને એ ઢબથી કહેવું જોઈએ. શત્રુને માઠું લગાડવાની હિમ્મત ગમે તે માણસ કરી શકે છે, પણ મિત્રને માઠું લગાડનારા વિરલાજ મળી આવે છે. ૫ મિત્રની સાથે વાદવિવાદ કરવામાં ઘણું જોખમ રહેલું
છે. તકરારમાં ઉતરવાથી ઘણું વખત વિપરીત પરિણામ આવે છે. મિજાજ ખોઇને બોલવાથી માઠું પરિણામ આવે છે. મનુષ્યને સ્વભાવજ એ છે કે પિતાની ભૂલ કબુલ કરવી તે તેને બહુ વસમું લાગે છે. માટે મિત્રએ કઈ દિવસ વાદવિવાદમાં ઉતરવું
Page #54
--------------------------------------------------------------------------
________________
નહિ. તેમ કરવાથી મિત્રતામાં હંમેશ માટે ફાટ
પડે છે. ૯૬ મૈત્રી અખંડ જાળવવાની ઇચ્છા રાખનારાએ મિત્રની
સાથે વાદવિવાદ, પૈસાને વ્યવહાર, અને તેની સ્ત્રીની
સાથે વાતચિત, એ ત્રણનો ત્યાગ કર. ૯૭ જેના સમાગમમાં આવ્યા હોઈએ તેની વૃત્તિ કે
શોખને અનુકુળ એવા વિષયજ ચર્ચાને માટે પસંદ કરવા જોઈએ. વાતમાં ને વાતમાં કેટલાક આડા અવળા સવાલ પુછીને સામાની વૃત્તિ અગર રૂચી શી છે તે જાણી લઈએ, તે દુનિયામાં એક પણ માણસ એ નહિં મળે, કે જેના સમાગમથી લાભ અગર
આનંદ ન પ્રાપ્ત થાય. ૯૮ સમાન આચાર વિચારવાળા મિત્ર સાથે વાર્તા
વિનોદ અને તેમના સમાગમમાં વખત ગાળવાથી થતે આનંદ અને સુખ અવર્ણનીય છે. સંપત્તિથી મળતે આનંદ પણ તેની આગળ તુચ્છ છે. . ૯ જેને સમાન દીલને સ્નેહ ન મળે, તેણે સૃષ્ટિ સૌદર્ય ઉપર પ્રીતિ રાખતાં શીખવું જોઈએ, જેને સૃષ્ટિ ઉપર પ્રેમ છે, તેને બીલકુલ એકલાપણું છેજ નહિં. સૃષ્ટિ સંદર્ય શાંત અને સ્વસ્થતાનું પિષક છે સૃષ્ટિની લીલા નિહાળવામાં જેનું મન મગ્ન રહે
છે, તેને આનંદને સુકાળ છે. ૧૦૦ એકાંતવાસ સુખકર કે દુઃખકર નિવડે તેને આધાર
Page #55
--------------------------------------------------------------------------
________________
પિતાની જાતના ઉપરજ રહે છે. જેવી જેની વૃત્તિ, જેવું જેનું વર્તન, તે પ્રમાણમાં એકાંત વાસ તેને માટે સ્વર્ગ કે નર્ક સમાન, વિશ્રાંતિ કે શાંતિનું સ્થળ, અગર દુઃખ કે સંતાપનું સ્થળ નિવડે છે. એકાંત વાસ કેટલાકને આશિર્વાદ સમાન નિવડે છે, તે કેટલાકને શ્રાપ સમાન થઈ પડે છે. એકાંત કેટલીક વાર દુષ્ટ વિચાર અને વાસનાને જન્મ આપે છે અને પિષે છે. દુષ્ટ મનુષ્યને એકાંત વાસ દુષ્કૃત્યનું સ્મરણ કરાવી તેના હૃદયમાં દાહ ઉત્પન્ન કરે છે. ત્યારે વૈરાગ્યશીલ મનુષ્યને એકાંત અત્યંત પ્રિય
લાગે છે. ૧૦૧ આત્મ જાગૃતિ વિનાના માણસા સહવાસમાં જેમ
જેમ વધારે રહેવાય છે, તેમ તેમ ખરૂં મનુષ્યપણું ઘટતું જાય છે. જે ખરે માણસ છે, તેણે માણસથી
અલગ રહેવું જોઈએ. ૧૦૨ જેનું મન સ્વાધિન છે, તેને ભરવસ્તીમાં પણ
એકાંતજ છે. અંધારી ગલીઓમાં તથા ઘોંઘાટવાળા રસ્તામાં ફરવા છતાં પણ ઘણું માણસે પિતાનું નિત્યકર્મ વધારે ઝડપથી કરી શકે છે. જે માણસ જનસમૂહની વચમાં રહેવા છતાં પણ સંપૂર્ણ સ્વરછતાથી એકાંતની મધુર શાંતિના સુખને અનુભવ કરી
શકે છે, તે માટે માણસ છે. ૧૦૩ વાતચિતમાં સામાને શીખવવા કે શીખામણ આપવા
Page #56
--------------------------------------------------------------------------
________________
કરતાં આપણે પિતે તેમાંથી શીખવા કે શીખામણું
લેવાની વિશેષ ધારણા રાખવી જોઈએ. ૧૦૪ ગમે તે છટાદાર વક્તા હોય તે પણ વચ્ચે થોડીવાર
વિશાએ લે, તે તેના ભાષણની અસર વધારે ઉંડા
સુધી પહોંચે છે. ૧૦૫ પંડિતની સભામાં મૌન ધારણ કરવું એજ મૂખે
માણસનું ભૂષણ છે. ૧૦૬ સાંભળી રહેવાની ટેવ પાડવી એ બેલતાં શીખવાના
જેટલું જ મહત્ત્વનું છે. જે સાંભળ સાંભળ કરે છે તેને શીખવાનું ઘણું મળે છે તેની સબત કોઈને
કંટાળા ભરેલી લાગતી નથી ૧૦૭ આપણા મિત્રના કે આપ્ત જનના સંબંધમાં કોઈ
વિરૂદ્ધ વાત આપણે કાને આવી હોય, તે તે એકદમ ખરી નહિ માની બેસતાં તેને ઉદાર અર્થ ગ્રહણ કર જોઈએ, અને રૂબરૂમાં મળતાં તેના સંબંધમાં તે જે ખુલાસે કરે તે સ્વીકારવું જોઈએ. વિવેક દષ્ટિથી વિચાર કરીશું તે આ માગ સર્વ રીતે પસંદ કરવા એગ્ય છે. બીન જરૂરી મુર્ખાઈ ભરેલી લઢવાડો અનર્થકારક છે. તે જે ખુલાસો કરે તે ન સ્વીકારતાં ગટ તકરાર ઉભી કરીએ, તે આખરે
ગેરવ્યાજબી તકરાર માટે પશ્ચાતાપ કરવો પડશે. ૧૦૮ ગઈ ગુજરી વીસરી જઈ ક્ષમા કરવી એજ સાધુતાનું
લક્ષણ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
નીતિ વાક્યામૃત.
મણકો ૩ જે.
૧ મિત્ર કે સનેહીઓ તરફથી મોકલાયેલી ભેટની ચીજ,
તેના ઉપગીપણા કે બજારની કિંમત તરફ લક્ષ નહિ કરતાં કેવા ભાવથી તે મેકલી આપવામાં આવી છે, તેના તરફ જ લક્ષ રાખવું જોઈએ. કિંમત વસ્તુની નથી પણ ભાવની છે. સ્નેહી એ મનુષ્યને માટે વિસામે છે, અને નેહી દૂર હોય પણ એનાં હદય એક હેય તે હમેશાં પાસે જ છે. પ્રેમ મર્યાદિત નથી. પ્રેમને પ્રદેશ અતી વિસ્તિણું અને આશ્ચર્યજનક છે. તેનું રાજ્ય જડ
અને ચિતન્ય સર્વ વસ્તુઓ ઉપર છે. ૩ ચાહે સર્વને, વિશ્વાસપાત્ર થોડાનેજ ગણે, ભુંડુ
કેઈનુંએ કરતા નહિં. શત્રુને સામર્થ્યથી જીતે અને મિત્રનું રત્નની માફક જતન કરો. ઓછાબલામાં ખપે પણ વાચાલુપણું બદલ ઠપકાને પાત્ર થશો.
નહિં. ૪ ઈખેર કે શંસયી સ્વભાવ મિત્રતાને હાનિકારક છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
એવા જીવનથી ઘણુંનાં જીવન ખરાબ થઈ ગયાં છે. ઘણી વખત એવા વહેમ બીલકુલ નાપાયાદાર હોય છે. એક વખત મનમાં વહેમ પેદા થયે એટલે પછી દરેક પ્રસંગ, દરેક હિલચાલ, અને દરેક બેલ,
એકંદર રીતે તદન નજીવી બીના પણ વહેમનું પિષણ કરે છે. જેના ઉપર ઈતરાજી થાય છે, તેના દરેક કામમાં દોષ માલુમ પડે છે, પણ જેના ઉપર મમતા હોય છે, તેનાં દરેક કામ સારાં લાગે છે. જેના ઉપર તમે વિશ્વાસ રાખી શકે નહિં તેની
સાથે મિત્રતાને સબંધ છેડો નહિં અને એકવાર - મિત્ર માને તે પછી તેના ઉપર અવિશ્વાસ કદી
રાખે નહિં. ૫ શત્રુ આપણને નુકસાન કરી જાય છે, અને મિત્ર
અત્યંત લાભકર્તા છે તે યર્થાથ છે, પરંતુ આપણું જાતના જે ખરે મિત્ર અને કટ્ટો શત્રુ બીજે કેઈ નથી પૈસા અને સંપત્તિએ, એ ઇદ્રવારણનાં ફળ જેવાં છે. તથા સત્તા અને પ્રતિષ્ઠા, એ પવન ભરેલા ખાલી પરપોટા જેવી છે. સત્કર્મ એજ માણસની ખરેખરી સંપત્તિ છે, સદ્વર્તન એજ દુનિયા ઉપર કિંમતિ
ચીજ છે. ૭ જગતમાં સૌથી અગત્યની સ્ત્રીને તપાસીએ તે
Page #59
--------------------------------------------------------------------------
________________
૫o
વચ્છ હવા, ચિખું પાણી, સારે ખેરાક, નિરામય શરીર પ્રકૃતિ અને પવિત્ર અંતઃકરણ એટલાં છે. ગરીબ માણસમાં જે ઉદ્યોગીપણું, અને ખંત એ બે ગુણ હોય તે તે સુખી જીવન ગાળી શકે છે. પણ શ્રીમંતનામાં જે ઉદારપણું, દાનશીલપણું, મિતાચાર, દીર્ધ દષ્ટી, ઇદ્રિયદમન ઈત્યાદિ ગુણ હોય તેજ, તે અંકુશમાં રહી શકે છે. નહિંતર તેનું અધઃપતન થયા સિવાય રહેતું નથી. અધિકાર અને ધન એ બે ઘણું ઘણું ભયંકર વસ્તુ છે. તેના લીધે ઘણુ અનર્થ ઉપજે છે તે ઈતિહાસ ઉપરથી જણાય છે. જેમના કેટલાક શહેનશાહ બચપણમાં સારા હતા, પણ ગાદીએ બેઠા પછી ધન અને અધિકારના મદને લીધે તેઓ ભષ્ટ થયા છે.
નેપલીન પણ આખરે ગર્વિષ્ટ થયું હતું. ૧૦ દ્રવ્યને અતિલોભ સિંઘ અને ત્યાજ્ય છે ખરે, પણ
ન્યાયમાગથી દ્રવ્ય સંપાદન કરીને ભવિષ્યના બચાવ - સારૂ કરકસરથી રહેવું તે કોઈ પણ રીતે અઘટિત
નથી.
૧૧ આજની આવક ખરચી નાખવા કરતાં ગઈ કાલની
બચતમાંથી ગુજરાન ચલાવવું તે વધારે પસંદ કરવા - યોગ્ય છે, પણ આજના ગુજરાનને આધાર આવતી કાલની પેદાશ ઉપર રાખવે, તે મુખઈ ભરેલું છે. અર્થાત્ “આગળ કમાઈશું” એવી આશાએ અત્યારની
Page #60
--------------------------------------------------------------------------
________________
પ૧
૧૨ )
સાડી પુછ થયા વિના મને નિશણ છે.
જરૂરીયાત માટે દેવું કરવું તે મૂર્ખાઈનું લક્ષણ છે. આજને ઉડાઉ તે આવતી કાલને નિધન છે. ઉડાઉ માણસ નિધન થયા વિના રહેતું નથી. તે છેડી પુંછએ છેડી કાળજી, મેટાની જવાબદારી પણ મેટીજ હોય છે. જેટલું તું ભેગવીશ, અગર સુપાત્રને દાન કરીશ, એટલુંજ ધન તારૂં છે. બાકીનું તે બીજાનું છે. તું તે માત્ર તેને રક્ષણ કરનાર
ચિકીદાર જેજ છે. ૧૩ જેમ અજ્ઞાન વધારે તેમ બીક પણ વધારે હોય છે. ૧૪ રસીક અને સહૃદય પુરૂષને આ સૃષ્ટિ પ્રત્યેક ડગલે
આનંદમયજ લાગે છે. શાણા અને સદવર્તનશાળી પુરૂષને આ સૃષ્ટિ દેવી સત્વથી ભરેલી જ લાગે છે, પણ તેનું ખરૂં સ્વરૂપ સમજવા માટે આપણે તેના
તરફ પ્રેમની દષ્ટીથી લેવું જોઈએ. ૧૫ જે લેકે સૃષ્ટિનું સૌદર્ય સમજી શકે છે, તેમને
દુઃખ કોઈ જાતને સંતાપ કરી શકતું નથી. એવા લે કે નિર્મળ, ભૂરા આકાશ તરફ, કે તાશના સમૂહ તરફ, કે ઘૂઘવાટ કરતા સમુદ્ર તફ, કે પદ્ગતના શિખર તરફ દૃષ્ટી કરે છે, કે તરત જ તેમનાં સંસારના
સંકટ પલાયન કરી જાય છે. ૧૬ સ્વરછ અને વાદળ વિનાના દિવસે, શાન્તિના
સમયમાં, ખુલ્લા મેદાનમાં કે ઉપવનમાં વિશ્રાંતિ લેવા છતાં, જે ચિંતાનું શમન ન થાય તે ચિંતા અત્યંત
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
ઘેાર સમજવી જોઇએ. સુદર આંખા છતાં તેનું મન ચિંતાના ઉદ્યોગમાં કેમ રહી એમ નથી.
શકતુ
હશે તે સમજાય
૧૭ સૃષ્ટિને જ્યાં સુધી મનુષ્યના
અડકતા નથી,
હાથ ત્યાં સુધી તેના સાંદમાં જરા પણ ઘટાડો થતા નથી. તમારા કૃત્યથી થયેલા ઘા અગર કાપા આપેઆપ રૂઆઇ જશે અને સૃષ્ટિ ટુંક મુદ્દતમાં હતી તેવી ને તેવીજ શાભાયમાન થઇને રહેશે.
૧૮ કુદતના ચમત્કાર સત્રના નિરીક્ષણુ માટે હંમેશાં ખુલાજ રહે છે અને તે માણસની સર્વોત્તમ કૃતિ કરતાં પણ વિશેષ આશ્ચય કારક અને સુંદર છે, છતાં ફકત થાડાજ માણસો તેનું અવલાન કરવાની કાળજી કાખતા હોય છે. એ કેટલું બધું ખેદ્દકારક છે ? ૧૯ જગત્ ઉપરનું પ્રત્યેક સ્થળ કળા કૌશલ્યની કારીગરીની અસ'ખ્ય કૃતિઓથી ભરપૂર છે, છતાં જે માણસ તે રહસ્યને સમજી લેવાની શક્તિ ધરાવતા નથી. તેને મન તે સઘળું નકામું છે. આ જગત્ ઉપર નિર્દોષ આનંદનાં એટલાં બધાં વિપુલ સાધના નથી, કે જેથી આપણને આવા એક સર્વોત્કૃષ્ટ સાધનના અનાદર કરવાનુ` પાલવે.
૨૦ કુદરતના આદરભાવપૂર્વક અભ્યાસ કરવાથી, મનુષ્યજીવનને અંગે રહેલા સુખ સાધનામાં, કેટલે! બધા વધારા કરી શકાય છે, તે ફકત વિજ્ઞાનશાસ્ત્રીજ
..
Page #62
--------------------------------------------------------------------------
________________
સમજી શકે છે. ૨૧ જે માણસ કુદરતને સટ પ્રશ્નો પૂછવાની શકિત
નથી ધરાવતે, તેને તે પિતાનું સુંદર રહસ્ય સમજાવવાની બીલકુલ દરકાર રાખતી નથી, અને જે માણસ તેના તરફ પ્રીતિની દૃષ્ટિથી જોતા નથી તેની
સામે તે જેતી પણ નથી. ૨૨ એ બુદ્ધિમાન! વર્તમાનકાળને લક્ષમાં રાખીને સર્વ
વ્યવહાર કરી લે. કાલ કેવી થશે તે કેણુ જાણે છે? શાણા! આવતી કાલપર ભરોસે ન રાખતાં કરવાનાં કાર્ય આજ અને અત્યારેજ કરી લે. આડી રાત તેની શી વાત! જે નાવિક ભરતીને સમય સાચવી લે છે, તેને દરિયાની મુસાફરી સુગમ નિવડે છે. તેવી જ રીતે મનુષ્ય જીવનમાં પણ જે માણસ અનુકુળ સંગોને પુરેપુરો લાભ લઈ લે છે તે સમૃધિન થાય છે, જે માણસ તે સંધી સાંધવાનું ચૂકી જાય છે તેની
જીવનયાત્રા સંકટમય અને નિષ્ફળ નિવડે છે. ૨૪ ભૂત, ભવિષ્ય, અને વર્તમાન તેમાં ભૂતકાળ એટલે જ
કાળ પસાર થઈ ગયે તે, તે ગમે તે ગાજ, ફરી આપણું હાથમાં આવતું નથી. ભવિષ્ય કાળ, જે હવે પછી આવશે તે, તે આવે તે આપણે, પણ તે આવશે જ એવી ખાત્રી નથી. માટે વર્તમાન એટલે ચાલતે કાળ તેજ આપણે રહ્યો.
ફરી વળ નિવડે
છે
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૫ વર્તમાનકાળજ તમારી જાતને સુધારવા માટે સર્વોત્તમ
છે. તે કાર્યને માટે જે તમે આજે તૈયાર નહિં હે
તે કાલે થશો-અગર હશે, એવી શી ખાત્રી ? ૨૬ લાંબુ આયુષ્ય ભેગવવાના ધોરણે તમારે કાર્યક્રમ
ગોઠવશે નહિ, પણ બીજી જ પળે તમારા આયુષ્યની દેરી તુટી જવાની છે, એ ભાવનાથી કાર્યમાં તત્પર રહે, અને જીવનને સાર્થક કરે. મુલત્વી રાખવાનાં
હમેશાં માઠાં ફળ છે એ સતત લક્ષમાં રાખજે. ૨૭ પુરેપુરા બદલે લીધા સિવાય કાળની એક પળ પણ
હાથમાંથી પસાર થવા દેવી નહિં. પ્રત્યેક પળ કેટલી કીમતી છે તે જે લેકે મરણપથારીએ પડયા હોય તેમને પુછી જોશો તે બરાબર સમજાશે- ગુમાવેલું દ્રવ્ય પાછું મળવાને કઈ દિવસ સંભવ રહે છે,
પણ ગુમાવેલે વખત કદી પણ પાછા આવતું નથી. ૨૮ શાણા પુરુષનું એ કર્તવ્ય છે કે આ જગત્ ઉપર
જેટલે કાળ રહેવાનું હોય, તેટલા કાળમાં બને તેટલું જીવનનું સાર્થક કરી લેવું, પસાર થતી પળને જે સારે ઉપયોગ કરી લે તેજ શાણે પુરૂષ છે. જેણે પિતાનું જીવન સારી રીતે ગાળ્યું હોય તેજ દીર્ધાયુષી ગણાય છે. જે કાળને દુરૂપયોગ થાય છે તે કાળને જીવ્યાની ગણતરીમાં લેવાનું નથી, કેમકે તે તે
એળે ગુમાવ્ય ગણાય છે. ૨૯ તમે જે શાણું છે, તે કઈ પણ કામ આવતી કાલપર
Page #64
--------------------------------------------------------------------------
________________
મુલતવી રાખશે. નહિં, કેમકે આવતી કાલને
સૂર્યોદય તમે નજ દેખી શકો એમ પણ કદાચ બને. ૩૦ દરેક કામને માટે નક્કી કરી રાખેલા વખતમાં તે કામ
પુરૂં કરી દેવું, જેથી બીજા કામની આડે તે આવે નહિં. દિવસમાં જે કામ કરવાનાં હોય, તેને ક્રમ તથા તેની પાછળ ગાળવાને વખત સવારમાં કે પાછલી રાત્રે નકકી કરી રાખ. જે તેમ નહિં કરે તે ઘણે કિમતી વખત નકામે ચાલ્યું જશે. “વખત આવે થઈ રહેશે” “થવાનું હશે તે થશે એમ
બેલના વિનાશ પામે છે. * ૩૧ જે માણસ પિતાનું કામ નિયમિત રીતે અને
વ્યવસ્થાસર કરે છે તે માણસ ચાર ગણું કામ કરવા છતાં પણ આખે દહાડો નવો ને નવરેજ માલુમ પડે છે. આગળ ઉપર કરવાના કામનું ધારણ
આગળથી નકકી કરી રાખનાર માણસ મુંઝાતો નથી. ૩૨ ઘણાં કાર્ય કરવાનાં હોય છે ત્યારે કયા કાર્યથી
શરૂઆત કરવી? આવી મુંઝવણ ઘણી વાર થાય છે, એ વખતે જે કાર્ય સૌથી ઓછી રૂચીવાળું હોય તે પહેલું હાથ ધરવું. દેખીતી અરૂચીવાળું પણ કે વખત તે પરિણામે લાભદાયક નિવડે છે, વળી જે વખતે સર્વ શકિતઓ તથા મન તાજાં હોય અને થાકયા વગરનાં ચ છે, તે વખતે એવાં કામ જલદી સિદ્ધ થાય છે. અને જે કામ વિશેષ રૂચીવાળાં હોય
Page #65
--------------------------------------------------------------------------
________________
પ
તે કામ થાકયા પછી હાથ ધરવામાં અવિતા પણ હાંશે હાંશે કરાય છે.
૩૩ કાળ નિર્દય પણ છે, અને દયાળુ પણ છે. તેણે હજારા માણસાનાં જીવન ખરાબ કરી નાંખ્યાં છે, અને તેણે હુજારાને સુખની પરાકાષ્ટાએ પહોંચાડયા છે, સારાંશ કે જેણે કાળના જેવા વ્યય કર્યો છે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે.
આ
૩૪ આયુષ્ય ક્ષણિક છે. જે ઘડી જાય છે તે આપણી છે, ખીજી પળ કાને દીઠી છે? આવાં વચન ઉપરથી કેટલાક એવા સાર ગ્રહણ કરે છે કે ચેનબાજી ઉડાવવી એજ ખરૂ છે જેટલુ ભોગવી લીધુ તેટલું આપણું પાછળ શુ' થશે? કાણે દીઠું છે ? વિચાર શ્રેણી અત્યંત હાનીકારક છે. ગઈ કાલ પાછી આવવાની નથી એ વાત ખરી, પણ પ્રત્યેક પળની કૃતિનું ફળ ચીરસ્થાયી છે, માટે દરેક પળ સત્કાર્ય માં યાજવી જોઈએ. આયુષ્ય ટુકુ છે માટે તેને દુરૂપયોગ નહિંદુ' કરતાં, સત્કમ કરવામાં તે વ્યતિલ કરવું જોઈએ.
૩૫ આપણે જે કર્મ કરીશું' તે ઉડી જવાનાં નથી, પશુ તેના સ`સ્કાર પાછળ રહી જવાના છે. આપણી કૃતિનાં ફળ ભાગવ્યા સિવાય છુટા નથી, તે પછી તે કમાં સારાંજ જોઈએ. જેથી ચીરસ્થાયી શાન્તિ મળી શકે. સત્ય પૂર્ણ જીવન જીવે, અને ખીજાને
Page #66
--------------------------------------------------------------------------
________________
સંકટ સામે હિંમતથી બાથ ભીડતાં શીખવે. દીર્ઘદષ્ટિ અને દઢ નિશ્ચય એ બેને સુગ કરવામાં જ
જીવન રહસ્ય રહેલું છે. ૩૬ પ્રત્યેક માણસ પોતાના કાળને કર્તા છે. તેજ સાથે
અને નઠારો બનાવી શકે છે. સત્યયુગ પણ આજ છે અને કલીયુગ પણ આજ છે. આપણી જેવી ભાવના હોય છે તેવી ભાવના કાળની પણ થાય છે. માટે સર્વ મનુષ્યએ સત્યયુગ બનાવવા પ્રયત્ન કર. કાળ અમુલ્ય છે એટલું જ નહિં, પણ તેની અસર કોઈપણ
રીતે નાબુદ કરી શદ્ધતી નથી. ૩૭ જેટલું બોલવું ઉચીત હોય તે કરતાં વધારે બોલી
નાખવા બદલ પિતાની જાતને ઠપકો આપવાને પ્રસ. લગભગ દરેક માણસને પ્રાપ્ત થતું હશે, પણ જરૂર કરતાં થોડું બોલ્યા બદલ પસ્તાવું પડે એ પ્રસંગ તે વિરલજ હોય છે, મૌન સર્વાર્થ સાપ
એ વાકયાનુસાર મૌન કરવું તે સોના જેવું છે. ૩૮ રાજ્ય પ્રકરણને લગતા કામકાજમાં ધીમાસ કરતાં
ઉતાવળની બી વધારે રાખવાની છે. પુખત વિચાર ર્યા વગર બાંધવામાં આવેલા પ્રયદા અત્યંત હાનીકારક નિવડે છે. એવા કામમાં ઉતાવળ કરવી તે
શાણપણ નથી. ૯ જે માણસ વગર વિચાર્યું બેલે ચાલે છે તેને પાછળથી પસ્તાવું પડે છે. જે શરૂઆતના કામકાજમાં થાડી
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૮
ધીરજ રાખશે તે પસ્તાવામાંથી બચશે. ૪૦ કોઈ કામ દેડાદોડ કરી પૂરું કરી નાંખવામાં શાણપણુ
નથી- પણ તેમાં ગુંચવાડે ઉત્પન્ન થાય છે, તે કામ તેમજ રહેવા દઈ વચમાં એક રાત્રી પસાર થવા દેવામાં લાભ છે. રાત્રીની શાંત નિદ્રામાં આપણું મગજ ગુંચવાયેલું કેકડું ઉકેલવાને ઉપાય શોધી
કાઢે છે. અથવા વખત જતાં સારી સલાહ મળે છે. ૪૧ ઉતાવળે કામ કરી પાછળથી તે ભૂલ સુધારવા બદલ,
ઉજાગર કરવા કરતાં, કામ અધુરૂં મૂકી ઉંઘ લેવી એ વધારે ઠાહાપણ ભરેલું કામ છે. શાણપણને ઈમારત બાંધવા માટે જે સામાન જોઈએ તે જ્ઞાન
પુરૂં પાડે છે. એ ઈમારતને પાયે જ્ઞાન જ છે. ૪૨ શાણા માણસ બીજાના અનુભવને પિતાને કરી લે
છે. જે માર્ગે જવાથી બીજા માણસે ખત્તા ખાતા
હોય છે તે માગે તે કદી પણ જતા નથી. ૪૩ મૂર્ખ માણસ જાતે ખરા ખાય છે ત્યારે જ તેનામાં
શાન આવે છે ત્યારે જ તે પાછા હઠે છે. ૪૪ સદુપદેશ વડે સુધરવું એ શાણપણનું લક્ષણ છે.
જાતે ઠોકર ખાધા સિવાય બીજાની શીખામણ સાંભળવાથી જ સુધરવું તે સર્વોત્તમ છે. પણ બીલકુલ નહિં સુધરવું તેના કરતાં ઠોકર ખાઈને સુધવું એ
બહેતર છે. ૪૫ અનુભવની શાળા દુઃખથી ભરેલી છે પણ મૂર્ખ માણસ
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૯
માટે તે સિવાય બીજી કોઈ શાળા કામની નથી. બીજાનું જોઈ તેઓ શીખી શકતા નથી, પણ જાતના અનુભવ પછીથી જ તેની આંખ ઉઘડે છે. અર્થાત અનુભવની સખશાળામાં ઘડાયા સિવાય તેઓ સુધરી
શકતા નથી. ૪૬ મન કે અધ્યયનનું કામ ઘણું કઠણ છે. માનસિક
શ્રમની આગળ શારીરિક શ્રમ છોકરાંની રમત જે છે. વળી સ્નાયુને થાક. જ્ઞાનતંતુઓ કરતા વધારે ઝડપથી ઉતરી જાય છે અધ્યયન કે ચિંતનને માગ અત્યંત વિકટ છે ખરે, પણ તેનાથી કર્તવ્યને
માગ સરલ અને સ્પષ્ટ થાય છે. ૪૭ માર્યાદાનું ઉલઘંન સર્વ બાબતમાં હાનિકારક છે.
સદગુણને પણ મર્યાદા હોય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગણ થઈ પડે છે. એકંદર રીતે ઉપયોગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા ગ્ય બાબતે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય થઈ ગણાય છે. ૪૮ ઉદારતા એ સદ્દગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની
ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવી જ રીતે રાજા
ઉપરાંતની હિમ્મત એ અવિચારીપણામાં ખપે છે. ૪૯ દુર્ગુણ એ એ ભયંકર પિશાચ છે કે તેને જોતાં
વેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જે રેજ ને રોજ તેના તરફ જોયા કરીએ,
Page #69
--------------------------------------------------------------------------
________________
જ પાને તેના જ તેને
તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણ પાછળથી આપણું મનમાં તેના માટે દયા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ
છીએ. ૫. દુષ્ટ પુરૂને શિક્ષા કરવા ઇશ્વર કાંઈ નવાં હથીયાર
બનાવતું નથી પણ તેમના દુર્ગણ વડે જ તેને શિક્ષા થાય છે. વ્યસની માણસને તેનાં દુર્વ્યસનેજ ખરાબ
કરે છે. પાપજ પાપીને ખાય છે. ૫૧ કઈ કઈ વખત મૂખ પણ દુર્ગુણ કે વ્યસનના
જેટલી જ ઘાતક નીવડે છે. દુનિયા ઉપરના ઘણા અનર્થ મૂર્ખાઈને પણ આભારી છે. એક માણસ બીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લેશે, જુના વેર નિમિત્તે કે ગાંડછાના આવેશમાં, એ બધાને નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે છેષપાત્ર ગણવે, એ ગુન્હા શોધક આતાની બાબતમાં ઉપગી છે, પણ તેના કૃત્યથી જગતને નુકસાન થયું, એક જીવની હાની થઈ, તેમાં તેને લીધે કશે. ફેર પડતું નથી. અર્થાત સમાજને શિર દુર્જનને સુધારવા જેટલી જ મુખને સુધારવાની જવાબદારી
રહેલી છે. પર જગતમાં ઘણે પાપકર નામના મેળવવાની લાલસાથી
કે બીજે કઈ સ્વાર્થ સાધવાની ઇચ્છાથી થતું હોય
Page #70
--------------------------------------------------------------------------
________________
છે, છતાં એવી ઉત્તમ પ્રકારની સ્વાથ દૃષ્ટીથી દોરાઇને પણ જે સત્કર્મ થાય છે, તેનાથી જગને તે શુદ્ધ પરમાર્થના જેટલેાજ લાભ થાય છે.
૫૩ આપણને જે શક્તિએ મળેલી છે તેના કુવા ઉપયેગ ગ કરવા, તે આપણી મુનસફી ઉપર રહેલુ છે. આપણને માટે સદ્દગુણના કે દુર્ગુણના અને માર્ગ ખુલ્લા છે. આ મુનસફીને બદલે જવાબદારી કહેવી વધારે ચે.ગ્ય છે. આ બન્ને માગ ખુલ્લા તે ખરા પણ એક માર્ગ સ્વર્ગ પહોંચાડે છે, જ્યારે ખી માર્ગ નરકે લઈ જાય છે.
૫૪ યોગ્ય અવસરે જરા મદદ કરવી, સારી સલાહ આપવી, એ માયાળુ શબ્દ એલી પ્રેત્સાહન આપવુ. એવું એવુ* કર્યાથી ઘણા મણુસાના દુઃખમાં ઘટાડો કરી શકાય છે. એક નાની સરખી મીણબત્તી પેાતાના પ્રકાશ કેટલે બધે દૂર સુધી પ્રસારે છે? એવી રીતે એક નાનુ સરખુ સત્કર્મ પણુ દુષ્ટ જગતમાં સર્વત્ર દીપી રહે છે.
૫૫ પેાતાની જાતની ખાખત કરતાં ખીજની આખતમાં શાણા થવુ એ વધારે સહેલુ છે. ૫૬ આપણા અંતરાત્માના જેવા શાણા માદક આપણને શ્રીને કોઇ સ્થળેથી મળનાર નથી. જ્યારે આપણા વર્તનના સબધમાં આપણને શંકા પડે, કચે માગ લેવા તે સહેલાઇથી સમજાય નહિ. ત્યારે
Page #71
--------------------------------------------------------------------------
________________
૬ર
તેની સલાહ લેવી. તે કોઇ દિવસે ખેાટે માર્ગે દોરી આપણને ફસાવશે નહિં. તેના ઉપર કેાઇની લાગવગ કે સત્તા ચાલશે નહિ. વળી તે એવેા સાક્ષી છે કે આપણે પોતે પણ કદી લાલચ આપી તેને ફોડી શકતા નથી. આપણુ કાઇ વર્તન તેનાથી છાનુ રહેતુ નથી.
૧૭ આપણે આપણી જીભને અકુશમાં રાખી શકીએ. આપણા ખરા ભાવ છુધા રાખી મુખમુદ્રા ઉપર ખીજા ભાવ પ્રગટ કરી શકીએ. મનેવિકારને નિગ્રહુ કરી શકીએ, પણ આપણા હૃદયમાં વાસ કરી રહેલા અંતર્ આત્મા ઉપર, આપણે! અમલ જરા પણ ચાલી શકવાના નથી. આપણે દુષ્કમ કરવા જઇએ કે તરતજ તે આપણને ઠપકો આપી પછા હુકાવે છે. ઢપકાની ઉપેક્ષા કરી આપણે દુકમમાં પ્રવૃત થઇએ તા પણ તે શાંત બેસી રહેતા નધી. આપણુ અંતઃકરણુ હમેશાં આપણને શ દે છે અને આપણી ચિત્તની શાંન્તિના હંમેશને માટે નાશ થાય છે. માટે સર્વ કાર્ય માં તેની સલાહ માંગવીં. અને તે જે સલાહ કે આજ્ઞા આપે તેનુ અનુકરણ કરવું એજ ખરા શાણપણનું ક્રમ છે,
૫૮ મનમાં વિ"ચારને પ્રવેશ થવા ન દેવા તે મનની શુદ્ધિ છે. શરીર અન્ન, વસ્ત્ર, જળ, ઇત્યાદિ વસ્તુએ સ્વચ્છ રાખવી તે બાહ્ય શુધ્ધિ છે. બહારની સ્વચ્છતા
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૩
મનને પ્રફુલ્ર તથા શુદ્ધ રાખે છે. માહારની મલીનતા મનને મલીન તથા વિકારી બનાવે છે. પવિત્ર વાતાવરણમાં ઉભા હાઇએ ત્યારે મનમાં વિચાર પણ પવિત્ર આવે છે. સ્વચ્છ સ્થળમાં મન પવિત્ર રહે છે બાહ્ય શુદ્ધિ કરતાં આંતર્ શુધ્ધિ વધારે કી'મતિ છે. મન મેલુ' હોય તે ફક્ત ખાહારના ઠાઠમાઠ દુનિયાને છેતરવાનાજ અથ સારે છે.
૫૯ ઈંદ્રિને સ્વચ્છ દપણે વતવા દેવામાં આવે તે તે મનને વિષયાના ખાડામાં લઈ જઈ નાંખ્યા વગર રહેતી નથી, અને તે જેમ જેમ નિરંકુશ થતી જાય છે તેમ તેમ તેમને તૃપ્ત કરવા માટે મન પણ યથેચ્છ વતૅન કરવા માટે આપણને લલચાવે છે, અને પાપાચરણ કરાવરાવે છે. માટે તેને અંકુશમાં રાખવી.
૬૦ ધર્મના માર્ગમાંથી પતિત્વ થવાની ઇચ્છા રાખનારાઆએ દરાજ રાત્રે આખા દિવસનું વર્તન તપાસી જવુ જોઈએ. પોતાની જાતને આ પ્રમાણે સવાલે પૂછવા કે શીરને આરેગ્ય રાખવા પ્રયત્ન કર્યો १ વૃત્તિએ અને મનેવિકા ને અકુશમાં રાખ્યા છે ખેાટી લાલચેાની સામે થઇ તેને પરાભવ કર્યો છે ? કોઈ પાપાચરણ મેં આજે કર્યું છે? કાઈને ઈજા કરી છે? માઠું લગાડયું" છે? કોઈનું ભલુ' કર્યુ છે ? આ વિચારણાથી ભૂલ સુધારવા સાથે નવિન માગ માં
Page #73
--------------------------------------------------------------------------
________________
વધી શકાય છે. ૬૧ ધર્મ ભાવનાને લીધે ગરિબ માણ» પણ ઉદાર,
ઉદાત્ત અને પરોપકારી થઈ શકે છે. ધર્મને ઉદ્દેશ " મનુષ્યને સ્વર્ગમાં પહોંચાડવાનું નથી, પણ અંતઃકરણમાંજ સ્વર્ગ લાવી મુકવાને છે. દુષ્ટ વિચારે મનમાં બન્યા રહે તે ધર્મને ઉદ્દેશ સફળ થતા
નથી . ૬૨ માણસ ઉઘાડાં પાપ જેટલાં કરે છે તે કરતાં હજાર
ગણાં પાપ મનમાં વિચાર વડે કરે છે. જે માણ નિરંતર દુષ્ટ વિચાર કર્યા કરે છે તેને આખરે પિતાના વિચારને વતનમાં ફેરવી નાંખતાં વાર લાગતી નથી તેમ જે માણસ હમેશાં પવિત્ર વિચારમાં રમ્યા કરે છે, તે અગ્ય વર્તન કરે એમાં બહુ સંભવ તે નથી. મન ઉપર વિચારેને પટ જલદી બેસી જાય છે. માટે મનને હમેશાં સારા અને પવિત્ર વિચારોમાં
કાયેલું રાખવું. ૬૩ પરધર્મ તરફ અસહિષ્ણુતા બતાવવી એ આપણું
પિતની હલકાઈ બતાવે છે. જે માણસ પિતાથી દે ધર્મ પાળતે હેય છે તે પિતાના ધર્મને વિરોધી છે એમ લકે ગણે છે. તથા ધર્મની બાબતમાં શંકાશીલ વૃત્તિવાળાને માણસે નાસ્તિક ગણે છે, આ
રીતે પસંદ કરવા ગ્ય નથી. ૬૪ ધમને લગતા કેટલાક ભેદ તે ફકત આચારના
Page #74
--------------------------------------------------------------------------
________________
૫
સબંધમાં હાય છે, છતાં તેજ ધર્મના મુખ્ય સિદ્ધાંત હોય તેમ લેાકેા તેને માટે એક બીજાને ધિકકારે છે. મુખ્ય મીનામાં મતભેદ ન હાય તા પછી એક ઉભું ટીલુ' કરે અને ખીને આડું ટીલું કરે અને ત્રીજો અંદર ટપકુ વધારે કરે તેમાં શુ અગઢી જતુ હશે ? સર્વને પેાતાની આસ્થા પ્રમાણે ધમ પાળવાના હક છે.
૬૫ ઉપદેશકોએ સાચું, પવિત્ર, આદર્શ રૂપ જીવન કહેવુ જોઈએ, તેના ખ્યાલ શ્રોતાઓને આપવા જોઈએ. ઉંચું જીવન કેવું હાઈ શકે તેના વિચારમાં મગ્ન થતાં લાકા પેાતાની દુનિયાદારીની ઉપાધીએ વિસરી જાય, શાશ્વત સુખ અને શાંન્તિની આગળ આ દુનિયાનાં સુખ કશા હિંસામમાં નથી એવુ‘ લેાકેાને ભાન થાય, આવા ઉપદેશકે, કે આવી ધમ સસ્થાને કાઇપણ જાતના વિરાધ નડવાના ખીલકુલ સભવ રહેશે નહિ.
'
૬૬ જેને ફક્ત એકજ ધર્મના સિધ્ધાંતાનુ જ્ઞાન હાય છે તે કોઈપણ ધર્મ બરાબર જાણતા નથી એમ કહેવુ જોઇએ. તેની સાથે એમ પણ કહેવું એઇએ કે જે માણસ ફક્ત એકજ ધર્મની ખુમખીએ સમજવાની કાશીશ કરી બેસી રહે છે તે કોઈપણુ ધમાઁની જીબી સર્જાશે સમજી શકતા નથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૭ ચિત્ત સ્વસ્થ હૉય ત્યારેજ સુવિચાર) કુરે છે. જીત મેળવવા કરતાં શાંતિ જાળવવી તે વધારે કીતિ છે. પાતાના ચિત્તની શાન્તિમાં વિક્ષેપ પડવા ન દેવા એ માણસાના પાત્તાના હાથની વાત છે. આપણી નાજી છતાં કોઈના મગદુર નથી કે આપણી શાન્તના ભંગ કરી શકે. આપણી શાંતિને શત્રુ આપણા સિવાય બીજો કોઇ નથી. દુર્જનાની સાથે પ્રસ'ગ પડતાં મનનુ સમતલપણુ ખસી સિવાય રહેતું નથી. તેમ છતાં દૃઢ નિશ્ચયવાળાને માટે એ કામ કેવળ અશકય નથી.
ગયા
૬૮ જ્યાં નિરતર કલહના વાસ છે એવા ભવ્ય મંદિરમાં રહી મિષ્ટાન જમવા કરતાં, શાંતિવાળી ઝુંપડીમાં રહી સુકા રોટલા ખાવા તે સારી છે, વિષ યા ઉંચા મનવાળા મિષ્ટાન્ન જમવા કરતાં ભાવની ભાજી પણ સારી છે, મતલમ કે શાંતિની કીમત અમૂલ્ય છે.
૬૯ માણસે નજીવી ખાખતામાં પોતાની શાંતિના ભંગ કરી બેસે છે, અને તેથી શરીરની માફ્ક મન પણ કોઇ વખત માંડુ' પડી જાય છે. શરીરના વ્યાધિની માફક મનના વ્યાધિનું શમન એટલી સહેલાઇથી થતું નથી. દરેક મુશીખત જેમ જેમ આવતી જાય તેમ તેમ તેનુ નિવારણુ કરતા જવાની ટેવ રાખવી. ૭૦ આપણે જગતને સુખી કરવા બેસીએ તેા તે કદાચ
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૭
આપણાથી ન મને એ સ્વભાવિક છે. પણ જો આપણે યોગ્ય પગલાં ભરીએ તા, આપણી જાતને તા સુખી કરી શકીએ. દરેક માણસ ધારે તે પેાતાના ચિત્તને એકંદર રીતે શાંત, સતાષી અને આની શખે શકે એમ છે.
૭૧ માણસ નિન હોય તેા પણુ, ને તે જીતેન્દ્રિય, શાંત, સમદશી' હાય, અને તેનું મન હંમેશાં સંતુષ્ટ રહેતુ હાય, તા તેને દશે દિશાએ સુખજમયજ છે. જો તમારા મનમાં શાંતિ નહિ હાય તેા તેની માહાર શેાધ કરવાથી કાંઈ વળવાનું નથી.
૭૨ માણુસ પેાતાની જાતને (દેહાભિમાનને) ભૂલી જાય છે ત્યારેજ તેને વિશ્રાંતિ મળે છે. દેહાભિમાનની વિસ્મૃતિ સિવાય આત્મ શાંતિ મળતી નથી
૭૩ જે સ‘ઢ ભવિષ્યમાં ગુજરવાનાં છે, તે કદાચ ન પણ ગુજરે. એવા સંકટના વિચાર કરીને આગળથી દુઃખી થવું એ મોટામાં મોટી મૂર્ખાઇ છે. સતત્ ચિ‘તા કરવી એ જાણુકની આફત વડારી લેવા જેવું છે. પ્રત્યક્ષ મૃત્યુ કરતાં મૃત્યુની બીક વધારે ત્રાસદાયક છે. આફ્તની સામે બાથ ભીડવાથી તેની તીવ્રતામાં ઘટાડો થાય છે, પણ તેનાથી હારો જઈ હાય વરાળ કરવાથી તે આપણા ઉપર ચઢી બેસે છે.
૭૪ જે માણસ સંપત્તિના મંદિરમાં ભાગવિલાસના દ્વારે થઈ દાખલ થાય છે, તે પશ્ચાતાપના દ્વારે થઇપા
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
બાહાર નીકળે છે. સપત્તિના સમયમાં જે માજશેાખ અને ભાવિલાસમાં રચ્યાપચ્યા રહે છે, તે આખરે વિપત્તિના ભાગ થઈ પડયા વગર રહેતા નથી. ૭૫ ઈચ્છારૂપી ખજાનાની કુંચી ધૈયજ છે. બંધ બારણું. ખાલી નાંખનાર પણ ધીરજ છે. માણસની હિંમત માઢાના તડાકા મારવાથી સમજાતી નથી, પણ તેની કીંમત તેની ધીરજથી નિર્ણિત થાય છે.
૭૬ જેના દ્વારથી ભિક્ષુક નિરાશ થઈ પાછે ફરે તેના જેવી શરમ, ઉદાર દીલના માણસને ખીજી એકે પણ નથી.
૭૭ મન માહાટુ રાખ, જેવુ' તારૂ' મન, તેવાજ તારાપર લેાકેા વિશ્વાસ રાખશે.
૭૮ યથા નિશ્ચય અને સ`પૂર્ણ પ્રયત્ન સિવાય કોઈની ઈચ્છાઓ પાર પડી નથી, જે જે દિશામાં તારી નિશ્ચયતાની લગામ તુ' ફેરવે, ત્યાં એટલી સભાળ રાખજે કે આનાકાનીને હાથે તે લગામને ઢીલી પડવા દેતા નહિ.
૭૯ માણુસને મહેનત સિવાય કાંઈ મળવાનું નથી. મારી ઈચ્છાના છેડો હું મજબુત પકડું' તે જરૂર શેક અને દિલગીરીમાંથી છુટી શકું
૮૦ ક્ષુલ્લક, નીચ કામ કરતાં પ્રાણ જાય તેના કરતાં કાઈ ઉત્તમ મહાત્ કાર્ય કરતાં આ દેહના અંત આવે તે વધારે ઉત્તમ વાત છે. કામમાં તે યત્નપૂર્વક મડયાજ
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૯
રહેવુ'. યત્નથી ગમે તેવી અસાધ્ય વસ્તુ પણ સાધ્ય થાય છે.
૮૧ સારા ભાગ્ય વડે તું ઉચ્ચ દરજ્જે પહોંચ્યા છે ત્યારે તું દયા રાખવામાં પણ મજબુત રહે. જુલ્મી અધિકારીએ જે જોરજુલમથી પાતાના આશ્રિતાને દુઃખ આપે છે તેજ કારણથી તે પેાતાને દુ:ખી મનવાળા મનાવે છે. જીમી માણુસ પેાતાનાજ પુન્યના મૂળના નાશ કરે છે. જેણે જુલમની કમાનપર અન્યાયનું માણુ ચડાવ્યુ છે તેને તમે કહો કે અરે! તું સાવધાન થા. આ તારી પાછળ તેના નિશ્વાસનુ હૃદયભેદક તીર છુપાઇ રહ્યું છે તેના વિચાર કર. ૮૨ જેવા ક્ષમા કરવામાં આનદ છે તેવા વેર લેવામાં નથી. હું તારી સમક્ષ અપરાની છું. તું પ્રભુની સમક્ષ અપરાધી છે. જો તું મને માફ કરશે તેા પ્રભુ તને પણ માફી આપશે ક્ષમા વૃત્તિએ મેટા સદ્ગુણ છે. જેનામાં ક્ષમાગુણુ છે તે માટા નસીબવાન છે. ક્ષમાના પ્રકાશથી હૃદય પ્રકાશીત થાય છે.
૮૩ તું પાતે ખીજાની મદદ ઈચ્છે છે તેાતું પણ બીજાને મદદ કર દુઃખી માણુસનું દુઃખ થયા હાય તેની ઈચ્છા પૂરી પાડ. ધુમને અને ઘરને આબાદ કર. આ જીહ્નગીમાં કાંઇ હમેશ આપણે ટકી પણ સારૂં' ખુરૂ' કામ હમેશાં યાદ રહે છે. તેમાં ખાસ
ટાળ–નાસીપાસ ન્યાયથી તારા અસ્થિર માનવ
રહેવાના નથી,
Page #79
--------------------------------------------------------------------------
________________
90
કરીને સારા કામ માટે નાંખેલા પાયાની અસર જમાનાની સપાટી પરથી કેઈ દહાડો ભૂંસાતી નથી. સારા સ્વભાવ સિવાય બીજું કાંઈ પણ માણસાઈમાં સારૂં નથી દરેક પ્રસંગમાં આ વાત ભુલાવી ન જોઈએ. લેકે જેઓ ખુશ મીજાજ રાખવે અને
હસીને વાતચીત કરવી. અર્થાત્ શોકમાં ડુબી ન રહેવું. ૮૫ તારા મનમાં જે આવે તે વિચાર કર્યા વિના સાહસથી
કર નહિં, કારણ કે તેમ કર્યાથી ભવિષ્યમાં તારે
પસ્તાવું પડશે. ૮૬ તારા ઘેડાને એટલે તોફાની ન બનાવ કે તેની
લગા - તુ ખેંચી પકડી શકે નહિં. કોઈ પણ બનાવ બનતાં પહેલાં તેને ઉપાય કરે જોઈએ જ્યારે વાન હાથથી જાય છે ત્યારે દિલગીરી કાંઈ કામ
આવતી નથી. ૮૦ ખુબસુરતિ છતાં પવિત્રપણે રહે અને મેટાઈ છતાં
નમ્રતા પકડે તે ઉત્તમ મનુષ્ય કહેવાય છે. ૮૮ તું તારા કામમાં સચ્ચાઈ વાપર તેથી તું છુટશે ને
મેક્ષ પામશે. કોઈ માણસ ગમે તેટલે કાવત્રા ખેર હોય તે પણ આખરે તેને સત્યવાદીઓના ગુલામ થવું પડે છે, કમાનની દેર ઘણું સખ્ત હોય છે તે
પણ તીરની પાસે તેને નગ્ન થવું જ પડે છે. જે તે ૮૯ હમેશાં વિચાર કર્યા વગર કાંઈ કામ કરવું નહિં.
ઉતાવળીયાપણાને રસ્તે છોડી દે. જે કોઈ પણ
Page #80
--------------------------------------------------------------------------
________________
૧
કામ કાજમાં ધીરજ રાખી વર્તે છે તેની અણછુટકે પણ મુરાદ પાર પડે છે.
તે
૯૦ ઉતાવળ, ક્રમાનમાંથી છુટેલા તીર જેવી છે, તે છુટયા પછી પાછું ફેરવી શકાતુ નથી. ધીરજ હાથમાંની તલવાર જેવી છે, મરજી પડે તે તેને ઉપયાગમાં લઇએ, નહીંતર પડી પડી કાંઇ નુકશાન કરતી નથી. ૯૧ ખની શકે ત્યાં સુધી તારી છુપી વાત કાઇને કહીશ નહિ. કારણ કે તે કહ્યાથી આન યા તે શાક થશે તારી છુપી વાતના જનાનામાં કોઇ પણ માણુસને કોઇ વખતે આવવા ન દેતા.
૯૨ ભિક્ષુકા આપણા ખરા મિત્ર છે તે આપણે ખારણે આવે છે અને કહે છે કે તમારી પાસે કાંઇ હાય તા તે અમને આપે. તે તમારે સારૂ અમે ઉચકીશું. અર્થાત્ પૂર્વભવમાં તમને તેનું ફળ મળશે. ૯૩ હજાર વખત માફી માંગે તે પશુ નીચ માણસ અરધા ગુન્હા પણ માક્ ન કરે. પણ ખુશ થવાય તેવી મહેરબાની સાથે મોટાં માણસે હજાર અપરાધ ક્ષમા કરે છે.
૯૪ સારા સામતી અત્તર વેચનાર જેવા છે, માના કે કદાચ તે પોતાના અત્તરમાંથી કાંઇ ન આપે તે પણ્ તેને સુવાસ લેવા જેટલે! તેા બીજાને ફાયદો થાય છે. તેમ ખરાબ મિત્ર લુહારની ભઠ્ઠી જેવા છે. એક વખત ધારા કે તેના દેવતાથી કાઇ બળે નહિ
Page #81
--------------------------------------------------------------------------
________________
s૨
તથાપિ તેના ગરમ ધુમાડાથી તે ઈજા થવા વિના
રહે જ નહિં. ૯૫ સલાહકાર સલાહ આપવામાં તથા રસ્તે બતાવવામાં
નરમાશની રીત રાખવી જોઈએ. તેમજ સભામાં કે મીજલસમાં શીખામણ આ પવી ન જોઈએ. પણ એકાંતમાં અને એ પ્રસંગે આપવી જોઈએ કે જ્યારે તેને એમ લાગે કે હવે મારા વચનની તેના પર અસર થશે. તે પણ નરમાશ અને સભ્યતાથીજ આપવી, કારણ હાલના જમાનામાં નરમાશથી બલવું અને સારા સ્વભાવ રાખવે તેમાં જ સુખ
રહેલું છે. ૯૬ આખી દુનિયાને અકકલની ગરજ છે અને અકકલને
અનુભવની જરૂર છે. કારણ એવું કહેવાય છે કે અનુભવ અકકલની આરસી છે તેમાં દરેક કામનો પડછાયે દેખાઈ આવે છે. અનુભવ મેળવવા માટે લાંબે વખત, લાંબી ઉમ્મર. અને બીલકુલ નિશ્ચિત
તાની જરૂર છે. ૯૭ અપૂર્ણ નીચ પતિત માણસો જ અહંકાર કરે છે.
તેમને સ્વાર્થ એટલેજ કે પિતાની અપૂર્ણતા ઢાંકવી, પણ ખરું જોતાં તે તેઓ પિતાના દુર્ગુણે ખુલ્લા
પાડે છે ૯૮ ડહાપણને થંભ સહનશક્તિ છે. જેનું મગજ હલકું
તે હમેશ નીચ વૃત્તિને હોય છે. ધર્મ સંપૂર્ણતાની
Page #82
--------------------------------------------------------------------------
________________
૩.
મીલકત છે. ૯ ઉત્તમ કાર્ય કરનારાઓને લગતી વાર્તાઓ તથા
તવારીખે મન તથા આંખને તેજ આપે છે તેમ
વિદ્યા તથા ડહાપણ ડે ઓળખાણ કરાવે છે. ૧૦૦ સારાં માણસ જેડેજ બેઠક રાખ જે તારા લાયકને
ન હોય તેની જોડે ન બેસ. ૧૦૧ પિતાની પાસે ચાલીને આવવા દે નહિં કારણ
એક પળમાં તે સે તોફાન ઉભાં કરે છે. તેમ પોતાની પાસે બોલાવીને તેને દબાવ પણ નહિ. કારણ
આખરે બીજા પાસે જઈ તારૂં તે જુઠું બેલશે. ૧૦૨ રાજા પાસે કોઇની નિન્દા કરવી જ નહિ. નિરપરાધિ
માણસના નિસાસાથી ડરતે રહે, નિરપરાષિ. માણ
સોના નિશ્વાસ બહુજ ખરાબ અસર કરે છે. ૧૦૩ દુનિયામાં શ્રેષી માણસને તેને વાજ બહુ છે. કારણ
કે તે તેને હંમેશ આફત, દિલગીરી, અને શોકમાં રાખે છે. દ્વેષી બીજા માણસને બાળવાને અગ્નિ ચલાવે છે. જે બરાબર જોઈએ તે પિતાને જ તે તેમાં
બળે છે. ૧૦૪ નરમાશ ને ધીમાશથી કંઈ કામ થાય તેવું હોય તે
ત્યાં ગુસ્સો અને સપ્તાઈ બતાવવાં નહિ. અને જે સખ્તાઈ તથા ગુસ્સાની જરૂર હોય તે નરમાશ ને
મિત્રભાવ દેખાડવે નહિં. ૧૦૫ હંમેશ લેકેપર મહેરબાની બતાવી શકાતી નથી.
* *
*
Page #83
--------------------------------------------------------------------------
________________
વખત આવે ભ્રકુટી પણ ચઢાવ. મલમ પટ્ટા નકામા થઈ પડે ત્યારે જખમ ઉપર નસ્તર મૂકવાની પણ
જરૂર પડે છે. ૧૦૬ જેના ઝાડનું મૂળજ કડવું હોય, તેને ઉત્તમ બાગમાં "જઈને રેપીએ અને ઉત્તમ નદીનું પાણી સીંચીએ
અથવા મીઠા પદાર્થોથી સીંચન કરીએ તે પણ
આખરે પિતાની જાતને તે જણાવશે જ. . ૧૦૭ નીચ સ્વભાવના માણસોની સબત કરવી યા પ્રશંસા
કરવી એ પિતાની આબરૂ દેવાનું કામ છે, કારણ જે દુષ્ટ બીજમાંથી જનમ્યા હોય તે પિતા પ્રત્યે ભલાઈ કરનારના ઉપર બુરાઈ કર્યા સિવાય આ
દુનિયામાંથી ચાલ્યા જાય તે તેના ધર્મથી ઉલટું છે. ૧૦૮ હસતું મોટું, ખુશમિજાજીપણું ને આનંદવૃત્તિ એ
સખાવત કરવામાં ઘણું અગત્યનાં છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭પ
વિચાર રત્નમાલા. આત્મદષ્ટિને વિસ્તાર, અભેદનું સામ્રાજ્ય, આનંદની
મૌનતા, અને ભેદનું મિથ્યાત્વ અનુભવ કરો. ૨. નમ્રતા, અંતઃકરણની શુદ્ધતા, બુદ્ધિબળ અને
હિમ્મત, આ ચારથી કાર્ય સિદ્ધ થાય છે. ૩ મન, વચન, શરીર, એ ત્રણેનું એક સરખું વત્તન
થવું જોઈએ. જેવું મનમાં તેવું જ ક્રિયામાં. ૪ ગમે તેવું સાંભળીને કે દેખીને મન ખેદ કે આશ્ચર્ય
ન પામે, તેવી સ્થીતિસ્થાપક દશા મનની થવી જોઈએ. ૫ પદાર્થ માત્રની કાળી બાજુ ન દેખતાં, ધોળી બાજુજ
દેખવી જોઈએ. સંદર્યતાજ જેવી, તેથી આપણે ઉધાર થાય છે. પવિત્ર મહાપુરૂષના ઉંચામાં ઉંચા જીવનને દષ્ટી આગળ રાખી પિતાનાં મન, વચન, શરીરને તે પ્રમાણે પ્રવર્તાવવાની ટેવ પાડવી જોઈએ. મનને શુદ્ધ કરવા માટે કાયમ પવિત્ર મંત્રને જાપ કર, અને મનને સ્થિર કરવા નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ. યેગમાત્રનું પ્રથમ દ્વાર પ્રેમ, વિશ્વાસ, સાહસ, અને સ્વાપણુ એ વિના અન્ય નથી. સત્યને અનુભવવાની ઈછા હોય તે એ ચારે વાત ધારણ કરવી. ૯ આત્મ પ્રેમમાં પ્રારબ્ધને અવકાશજ નથી. એ તો
કેવળ સ્વતંત્ર પુરૂષાર્થ છે. પોતાના વિચારથીજ સિદ્ધ
Page #85
--------------------------------------------------------------------------
________________
થાય તેમ છે. એ તત્વાભ્યાસિઓએ સારી પેઠે મનન
કરી સંગ્રહવા જેવું છે. ૧૦ જેવું જેનું આત્મસ્વરૂપ તે જ તેને અનુભવ, અને
તેટલેજ તેને આનંદ. દષ્ટિમાં સર્વસ્વ છે. જેવી જેની દૃષ્ટિ હશે, તેવી સૃષ્ટિ થશે એ વાત સારી
રીતે લક્ષમાં રાખવા જેવી છે. ૧૧ મૌન આનંદ વિના સ્વરૂપાનુસધાનનું અન્ય સ્થાન જ
નથી ૧૨ પ્રકૃતિને એક પ્રવિત્ર નિયમ, કે જે ઉ૯લંઘન કરી
શકાય તેમ નથી. તે એ છે કે, તમે કેઈપણ અપવિત્ર વિચાર, અમંગળ દયાન, કે તેવું કૃત્ય ગમે તેવા એકાંત સ્થળે કરે, તે પણ તમને પ્રકૃતિના દઢ અને કદી કોઈથી પણ ઉલ્લંઘન ન થાય તેવા નિયમ પ્રમાણે, તેનાં કૃત્યને બદલે મળશેજ. દુઃખ
અને દારિદ્ર પિતા ઉપર આવી પડશે જ. ૧૩ સર્વ નિબળતા અને દુર્ગુણોનું મૂળ માત્ર અજ્ઞાનજ
છે. આત્માને ન ઓળખ તેજ છે. લેકે પિતાના શરીરને આત્મા સમજે છે અને બાહ્ય જગત માંથી સંપત્તિ પેદા કરી આનંદ મેળવવા ઈચ્છે છે, પરંતુ જડ શરીર એ આત્મા નથી. તમે પરમાત્મારૂપજ છે
એવી દઢ ભાવના કરો, અને તે સાક્ષાત્કાર કરે. ૧૪ સામાન્ય અજ્ઞાનતાના પેટા વિભાગમાં પ્રકૃતિના
નિયમોનું અજ્ઞાનપણું પણ મનુષ્યને બાધા કરે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૫ તમે પ્રકૃતિને છેતરી શકશે નહિં. એકાંતની એકાંત
ગુફામાં જઈને છુપું પાપ કરે તે પણ જે ભૂમી ઉપર ઉભા રહી તે પા૫ કરો છો તે ભુમી ઉપર
ઉગેલું નિજીવ ઘાસ પણ તે વાતની સાક્ષી પુરશેજ. ૧છ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે તેના પરિ
ણામે જ બાહ્ય જગમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. આવા દુઃખનું ખરું કારણ ન જાણવાથી મનુષ્ય પોતાની સ્થિતિને દેષ દે છે, આસપાસના બનાવે ઉપર દેષ મૂકે છે. મિત્ર, બંધુ, સગા, આદિને દોષ કાઢે છે, પણ આ પરમ સત્ય વાત સર્વત્ર જાણીતી થવી જોઈએ કે, જગતની આંખમાં ધુળ નાંખવાનો પ્રયત્ન કરવાથી જ આપણે
પિતે અંધ બનીએ છીએ. ૧૭ પ્રકૃતિને નિયમ ડેકે વગાડીને કહે છે કે પવિત્ર
રહે ! છતાં અપવિત્રતાને આશ્રય લે તે દુઃખ
ભોગવવાને પણ તૈયાર રહે. ૧૮ દૈવયોગે આવી પડતા વ્યાધિરૂપ અતિથિને જેઓ
ઘટતે આદર સત્કાર કરસ્તા નથી તેઓ ખરેખર કંગાળ અને કૃપણજ છે, મતલબ કે વ્યાધિ, એ
આત્મ જાગૃતિનું ઉત્તમ નિમિત્ત છે. ૧૯ દેહાધ્યાસ (અહંકાર) ને ત્યાગ કરો, અને પિતાને
આત્મા એજ પરમાત્મા છે એ. સ્વાનુભવ કરે એ સર્વ પુસ્તને સાર છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૨૦ બધા ભેદભાવ અને બંધનેનું મૂળ કારણ તે મિથ્યા
અહંકારજ છે. તેને નાશ કરે એટલે આત્મા પ્રત્યક્ષ
થશેજ. ૨૧ વાદ વિવાદથી સત્ય કદી પ્રાપ્ત થતું નથી, પરંતુ
ખરા આતુર અને ગંભિર વિચારથીજ એ પ્રાપ્ત
થાય છે. દર શરીર અને મનને ખરેખર અને વ્યવહારિક ત્યાગ
જ્યારે થઈ શકે છે, ત્યારે જ આત્મામાં પ્રેમને અગ્નિ પ્રજવલિત થાય છે, ત્યારે જ મનુષ્યના આત્મામાં રહેલાં
વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. ૨૩ કેઈએ આવીને કહ્યું કે લેક તમારે માટે આમ
બોલે છે ને તેમ બોલે છે વિગેરે અરે ભેળા મનુષ્ય! તું આવી વાતેથી તારા તવ્યમાં અંતરાય પડવા ન દે, કેમકે જગરૂપ રંટી આમાં મનરૂપિ ત્રાક તું સિદ્ધિ નહીં રાખશે તે જરૂર કાકડું છુંચાશે ને તાંતણે તુટશે માટે તું એમાં લક્ષ ન આપ, ચિત્તમાં ત્યાગ અને આત્માનંદ ભરી તે જે, કે તે સઘળી બલાઓ આંખ મીંચીને ઉઘાડતામાં સાત સમુદ્રની
પાર પહોંચી જાય છે કે નહિં? ૨૪ સમદષ્ટિ તે ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે તેમાંથી -
ભલાઈ બુરાઈની ભાવના નષ્ટ થાય, રાગ દ્વેષને
અનિ બુઝે અને છાતીમાં કંડક થાય. ૨૫ જે આત્મારૂપિ મહારાજાને મળવું હોય તે, કામના,
Page #88
--------------------------------------------------------------------------
________________
જ
0.
:
વાસના, ને ઈચ્છા રૂપિ પુરાણું ને ફાટેલાં ચીથરાને
ઉતારી મૂકે. રાજાને ત્યાં તે રાજાજ પણ હોય. ૨૬ મનમાં હરકોઈ પ્રકારની આશા કે ઈછા હોય ત્યાં
સુધી વૃત્તિ એકાગ્ર થતી નથી. જેને કેઈ આવશ્યકતા
કે કર્તવ્ય ઘસડી ન જાય તે જ શાંત બની શકે છે. ૨૭ અંદર દેહાભિમાન રૂપી મેલ રાખી ઉપર સોહને
દળ ચડાવો તે વ્યર્થ છે. ૨૮ દેહાદિ સ્વપ્નને દુર ફેંકીને, ભેદ ભાવનાને ત્યાગ
કરીને, અંતર્ દષ્ટિ ઉઘાડે તે સંસારનાં સર્વ તત્વ તમારાં બની જશે અને એ સર્વને તમારી પોતાની
ઈચ્છાનુસાર નચાવી શકશે. ૨૯ લે અરિનમાં પડે છે એટલે અગ્નિને ગુણ તેમાં
આવી જાય છે એવી જ રીતે જ્યારે મન ચૈતન્યમાં છેડે કાળ અભેદ રહે છે એટલે તેમાં
વિચિત્ર શક્તિ આવી જાય છે. ૩૦ કોઈ મહાન કાર્ચ માથે લીધું હોય તે નિરંતર
એકાંતમાં બેસી સર્વ દિશામાંથી વૃત્તિને ખેંચી લઈને આત્મામાં અમેદ ભાવના કર્યા કરે એટલે યશકીર્તિ
ખેંચાઈને તમારે આંગણે નૃત્ય કરવા માંડશે. ૧ જયાં સુધી દેહમાં પ્રીતિ અથવા કઈ પણ પ્રકારની કામના ય છે ત્યાં સુધી તે હદયમાંથી ભેદ
ઉપાસના જ નીકળવાની. મન વિક્ષિપ્ત રહેવાનું જ. - ૩ર જે પુરૂષ સંશય રહિત થઈને પિતાની જાતને પૂર્ણ બ્રલ,
Page #89
--------------------------------------------------------------------------
________________
શુધ સચિદાનંદ જાણે છે અને સર્વમાં શુદ્ધ સ્વરૂપને જ દેખે છે. તેના ભાગ્યમાંજ નિર્ભયતાનું
સામ્રાજ્ય છે બીજા કોઈના નસીબમાં નથી. ૩૩ જે પૂર્ણ ત્યાગ કર્યો હોય તે પછી સર્વ જગત
તમારૂંજ છે. ખરી રીતે તે શક્તિઓ-સિદ્ધએ તમને ખેળતી આવે એજ રસ્તે પકડ જોઈએ. તે શકિતએની પાછળ તમારે દેડવું ન જોઈએ. પિતાની તૃષ્ણાઓમાં બંધાઈ રહેલાંજ માત્ર ભૂત પિશાચનાં
રૂપ ધારણ કરે છે, ૩૪ જ્યારે તમે નિરિછ અને નિસ્પૃહ થશે ત્યારે જ
તમે જગત તરફથી સન્માન પામશે. ૩૫ જ્યાં સુધી ઈચ્છાઓ કરે છે ત્યાં સુધી તમે એક
માંગણ ભિખારી છે. એ વખતે ઇરછાઓને તમે લાત મારે છેઅર્થાત્ ઈચ્છા રહિત થાઓ છે તેજ
ક્ષણે તમે દેવ બને છે. ૩૬ દેહાભિમાન અને દેહાધ્યાસને નિમૂળે કરવું એ
અનંત જીવનનું પુનરૂજજીવન છે. જેટલા પ્રમાણમાં આ પ્રમાણે જીવતા છતાં મૃત્યુ પામેલા જેવા બનીએ
છીએ તેટલાજ પ્રમાણમાં આપણું કાર્ય સિદ્ધ થાય છે. ૩૦ જગત્ આપણે માટે શું કહે છે તેના જે ક્ષણે
આપણે વિચાર કરવા માંડીએ છીએ, તે જ ક્ષણે આપણે સત્ય જીવનમાંથી અહં, મમત્વ રહિત જીવનમાંથી પતિત થઈએ છીએ આપણું ચારિત્રને
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
ખીલવવા માટે દુઃખ જરૂરનું છે. આ ૩૮ જ્યાં સુધી આપણે પિતાના શરીરના બનાવની વૃત્તિ
વાળા અને પિતાને નુકસાન કરનાર પ્રત્યે વેર લેવાની વૃત્તિવાળા છીએ ત્યાં સુધી આપણે સત્ય જીવનથી મરણ પામેલા જ છીએ, માન અપમાનને પ્રસંગ આવતાં તેની જરા પણ આપણા ઉપર અસર થવા ન દેવી એ આપણુ મહાપણાની ઉત્તમમાં ઉત્તમ કટી છે. ૨૯ તમે નિસ્પૃહપણના દરવાજામાંથી સ્વામીપદના મહેલમાં
પ્રવેશ કરશે. આત્મજ્ઞાનના દરવાજામાંથી મુકિતપદના ખુલ્લા મેદાનમાં વિચરે જે કાંઈ તમારી પાસે છે તે અન્યને આપી દ્યો. તે સર્વ ઉપરથી તમારે હાથ ઉઠાવી લ્ય. અને પછી જુઓ કે તમે અખિલ
બ્રહ્માંડના સમ્રાટ અને અધિરાજ બની જશે. ૪૦ દિવ્ય સ્વરૂપ સાથે સંબંધ શાથી છુટે છે? બાહા
અસર, લેકે સાથે હદ ઉપરાંત સંસર્ગ રાખ અને ઉરચ આધ્યાત્મિક જીવનમાંથી ઘણીવાર વિમુખ રહેવું. આ સર્વ બાબતને લઈ ઉચ્ચ સ્થિતિમાંથી આપણે
અધઃપાત થાય છે. ૪૧ હે આત્મન ! તું શુદ્ધ છે, અવિનાશી છે. તે સર્વ
જ્ઞાનરૂપ છે, તું સર્વ શક્તિ રૂપ છે. તું સર્વ શકિતને નિયંતા છે. તું સર્વ સૌદયને દાતા છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
તું આ વિશ્વમાં સકળ આનંદ સ્વરૂપ છે. આ શરીર તે તું છે એમ માનીશ નહિં. આ જગતની વસ્તુ ઉપર તું આધાર રાખીશ નહિં. એ બધાધી તું પર
થા. તેને વિચાર કર. શત્રુ અને મિત્ર તું પોતેજ છે. ૪૨ શુદ્ર સ્વાથી ઇરછાઓ કે જે તમને ગુંગળાવી નાંખે
છે તેને ત્યાગ કરવાથી તમે નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરી શકશે. ઈછાઓને ત્યાગ કરે એટલે તમે
લોહચુંબકની માફક આકર્ષણ સ્વરૂપ બનને. ૪૩ દુનિયાની દ્રષ્ટિમાં જે ફતેહ જણાય છે તે તે કેવળ
ઇંદ્રિયને ભમ છે ખરી ફતેહ છે ત્યારે તમને મળે છે કે જ્યારે તમે હું પરમાત્મ સ્વરૂપ છુ” “હું દિવ્ય સ્વરૂપ છું” હું જાતે જ ફતેહરૂપ છું એવી
ભાવના કરશે. ૪૪ પરમાત્મ સ્વરૂપ અને આનંદ પ્રાપ્ત કરવાને રાજમાર્ગ
હું પિતેજ સાક્ષાત્ પ્રભુ અને આનંદ સ્વરૂપ છું,
એવી આત્મ પ્રતીતિ કરવી તેજ છે. ૪પ મનુષ્યની સંગતિ અને કૃય ઉપરથી તેના ઉચ્ચ
નિચ્ચ જીવનની તુલના કરશે નહિં. પણ તેના આંતર્ વિચારો ઉપર ખરૂ ધેરણ બાંધવાનું છે, જ્યાં આપણે
વિચાર હોય છે ત્યાજ આપણે હોઈએ છીએ. ૪૬ તમારામાં ઉચ્ચ વિચારને ઉત્પન્ન કરી શકે તેવા
તેમજ તમારા હૃદયમાં દિવ્યતા, ઉત્સાહ, આનંદ અને ઉન્નત ભાવ પ્રેરે તેવા શબ્દોને તમે પાસે રાખે,
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
નેટમાં ઉતારીને પાસે રાખો પછી જ્યારે કોઈ વખત પ્રતિકુળ સ્વભાવવાળા માણસ સાથે વાતચિત્ત પ્રસંગ આવ્યા પછી તમારા મનને તે થયેલી વાતચિત્તમાં જવા ન દેતાં તરતજ તે નેટ બુકમાંના ઉત્તમ ઉત્તમ *કરાએ તમારે વાંચવા અને મનને સ્થીર કરવું, ૪૭ આ રાજાધિરાજ! આત્મદેવ! અજ્ઞાનાવરણુમાં દાસત્વ ના સ્વીકારા, ઉઠા, જાગૃત થાઓ, ને તમારી પમ સત્તા અનુભવા. તમે ઇશ્વર છે, તમે ઈશ્વર છે, તમે ઇશ્વર છે. ખીજુ કાંઇ નથી.
૪૮ તમને અધનમાં કોણ નાખે છે? તમને દાસત્વ કાણુ આપે છે? તમારી પેાતાની તૃષ્ણાજ, રાજા સમક્ષ સકાચ પામે છે. ડા છે, કાકડું વળેા છે, કારણ કે તમે તેમની કૃપાની અભિલાષા રાખા છે. ઈચ્છાઓથી મુક્ત થાઓ તા બાદશાહના પણ તમે મદશાહ છે.
૪૯ દરેક કામ કરતી વખતે ઉંચામાં ઉંચી ભાવનાથી તે કામ શરૂ કરવું, તેનુ રહસ્ય કે ફળ ઉંચામાં ઉંચી કાટીવાળું કલ્પવુ' અને તેમાં તદાકાર તદ્રુપ થઇને તે કામ કરવુ' અને તે સર્વકામ આત્માની ઉચ્ચ ભુમિ માટેજ કરવુ.
૫૦ એક ઉપયાગી સૂચના એ છે કે પ્રાતઃકાળે તમે જ્યારે પથારીમાંથી ઉઠા અથવા જ્યારે કરતા હા કે કાંઇ કાર્ય માં મશ્કુલ ડાય તે સમયે તમારા વિચારાને
Page #93
--------------------------------------------------------------------------
________________
ભ્રમણામાં ન રાખે. નિરંતર આત્મકેન્દ્રમાં રિયર રહે. કદી પણ દૂર ન ખસે. ૫૧ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કહે, કે
સમાધિ અવસ્થાએ પહોંચવા માટે કેવળ પ્રકાશમય છું. આ સર્વ વ્યવહાર પ્રકાશમય છે” એ ભાવના
અત્યંત હિતકારક હેઈ, આવશ્યક છે. પર સંસારિક ઉપાધિ અને સુખ દુઃખથી જે પર રહી
શકે છે, તે લોકો જ સાચા સુખી છે, સુખ અને દુઃખ બનેને ત્યાગ કરવામાં જ, આનંદથી ભોગવવા સાચા સુખનું રહસ્ય સમાયેલું છે, જે સુખને સ્વીકાર કરે છે તેણે દુઃખના ભાગ પણ થવું જ
જોઈએ. ૫૩ આત્મ અનુભવમાં મગ્ન રહેતાં કોઈ વિક્ષેપ પાડી
શકશે નહિં. પ્રકૃતિ મુક્ત પુરૂષની દાસી બની રહે છે સત્તાને સત્ય બનાવવામાં તમે અગત થાઓ છે. મનુષ્ય જે વખતે જગમાં દશ્ય પદાર્થોમાં કાર્ય કારણ સાને વિશ્વાસ રાખી તેને સત્ય (પ્રાપ્તવ્ય તરિકે) માનવા માંડે છે, તે જ પળે તેની અધોગતિ
થાય છે. ૫૪ તમને નુકશાન કરવા જેઓ ઈરાદે રાખતા હેય
તેમના ભણી મમતા અને પ્રેમભરી લાગણી દર્શાવે. બીજાઓના અવાસ્તવિક અભિપ્રાયને નિચાર ન કરતાં કાયમ પરમેશ્વર સંબંધી જ વિચાર કરે. પ્રભુતામાં
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૫
વિરામ પામે.
૫૫ કાંઈ પણ આશાના પાશમાં ન ધાએ, ચિંતા, ભય, ઉપાધિથી દૂર રહેા, તમારી વાસનાએ તમારી નિખળતા છે. પેાતાની વાસનાથ જ મુશ્કેલીએ અને વ્યાધી ઉત્પન્ન થયાં છે તેમ ખરાખર સમજો, ૫૬ જ્યારે જ્યારે નિખળતાને અ ંતઃકરણમાં સ્થાન આપી
એ છીએ, કે વિષય સુખની વાસનામાં સીએ છીએ, ત્યારે ત્યારે દુષ્ટ વિચારરૂપી દુશ્મને નાના પ્રકારનાં માહક સ્વરૂપ કરી માહ જાળમાં ફસાવે છે. આત્મ સાક્ષાત્કારની ઈચ્છાવાળાએ તા નીચ વૃત્તિએ નિમૂળ કરવીજ જોઈએ. એ વૃત્તિઓના મૃત્યુમાંજ તમારૂં સાચું જીવન રહેલું છે.
૫૭ લેવામાં નહિં પણ દાન કરવામાં, ત્યાગ કરવામાંજ સાચુ સુખ સમાયેલુ છે. જે ક્ષણે તમે યાચના કે પ્રાર્થના કરવાના ભાવ તમારા અંતઃકરણમાં લાવે છે તેજ ક્ષણે તમે તમારી શકિતને સકેલી યે હૈા. તમારૂં આત્મબળ સ કાચાઇ જાય છે, ને તમે તમારા આત્મસુખથી વિમુખ થાએ છે.
૫૮ દોષો થવાનુ કારણ શેાધી તે સબંધી વ્યાખ્યાન તમે તમારી જાતને સંભળાવા. તેમજ તમારા ઉપદેશક અનેા. પેાતાનુ કામ પાતેજ કરવુ જોઇએ. ઉપાધિનુ મૂળ અજ્ઞાનજ છે આત્માનુ અજ્ઞાન, દેહમાં મિથ્યા અધ્યાસ અને બહારના પદાર્થોમાં સુખની ઇચ્છા,
Page #95
--------------------------------------------------------------------------
________________
એજ દુઃખ, શેક, ખેદ કે ઉપાધિનું મૂળ છે. ૫૯ મનુષ્ય જ્યારે ભયંકર દુખવાળું પરિણામ સહન કરે
છે, ત્યારેજ પિતાની નીચ વાસનાને ત્યાગ કરે છે. એકજ વખત પવિત્ર વિચારોને પિષણ આપવામાં વિજય મળે, તે પછી ગમે તેટલે વખત પણ
ચિત્તની એકાગ્રતા રાખી શકશે. ૬૦ પિતાને હફ બજાવ સહેલું છે, પણ ધર્મ બજા
વે મુશ્કેલ છે ફળ ખાવા તૈયાર હોય છે પણ બીજ રોપવા અને પાણી પાવાને ધર્મ બજાવવા તૈયાર રહેનાર છેડા છે. કર્ણાવ્યને વળગી રહો, ફળ મળશેજ. જે આત્મસેવા કરી શકે છે તે દેશસેવા
કરી શકશે. બેલવા કરતાં આચરણથી ઉપદેશ કરે. ૬૧ નીચે રહેલાની બુમ કઈ સાંભળશે નહિં, શુદ્ધ
આચરણના શીખર ઉપર જઇ બુમ મારે સર્વ સાંભળશે. જગને જાગૃત કરવાની ઈચ્છા હોય તે તમે પહેલા જાગ્રત થાએ, તમે જેટલે અંશે જાગ્યા હશે તેટલે અંશે જગને જાગૃત કરી શકશો, જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકે તે
સ્થાન તમારે આત્મા છે. ૬૨ પિતાના માગને ભેમિયે પોતેજ છે, દુર્બળ મનને
આત્મ લાભ થતું નથી. જગત્ સાથે સંબંધ
આપણી હિમ્મત અને ભાવનના પ્રત્યુત્તર જેવું છે. ૬૩ જેવી ભાવના તેવું ફળ, ખાડે છેદે તેજ પડે. જે
Page #96
--------------------------------------------------------------------------
________________
દોષ આપણે બીજામાં શોધીએ છીએ, ખરી રીતે તેજ દોષ આપણામાં લાવીએ છીએ. લાયક થાઓ, ઈચ્છા નહિં કરે તે પણ તમને મળશે. મેહ અને અહંભાવને ત્યાગ કરીને જ મહાત્માઓએ અમર પણું
મેળવ્યું છે. ૬૪ મન પવિત્ર થયા સિવાય જ્ઞાનને રંગ ચડનાર નથી
વિષયમાં ઝેર સાથે જ રહ્યું છે, કારણ કે તેની મીઠાશ ઝેરની અસર કર્યા વિના કયાં રહે છે? વિષયે
જેને લાવી શકતા નથી તેજ દુનિયાને ફેલાવે છે. ૬૫ તેલ, બત્તી ઉપર ચડવાથી પ્રકાશરૂપ બને છે, તેમ
શક્તિને વ્યય નીચલા ભાગમાં ન થતાં ઉપરના ભાગ તરફ ચઢે તે, આકર્ષણશક્તિ, તેજની વૃદ્ધિ
અને પરમાનંદ પ્રાપ્ત થાય છે, દ૬ બ્રહ્મચર્યની પૂર્ણ જરૂર છે. બાપને કુ કહેવાથી
તૃષા છીપતી નથી, પણ પાણી પીવાથીજ. શાસ્ત્રો રાખવા કરતાં તે પ્રમાણે વર્તન કરો. સત્યને જય
થાય છે. પ્રેમને પુશામત ગમતી નથી. ૬૭ રાખી મૂકવાજ હોય તે પથ્થર અને તેનું સરખાં જ
છે. જ્ઞાનની આપ, લે ન કરવાથી પોતાને જ નુકસાન છે. અપચાથી અશકિત અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. જઠર સારી સ્થિતિમાં ન હોય તે ચિંતા અને ઉચાટ વધે છે. તબિયત સારી ન હોય તે સહજમાં ગુસ્સો ચડે છે- . . • -
Page #97
--------------------------------------------------------------------------
________________
८८
૬૮ બ્રહ્મચર્યના અભાવે આત્મિક અને શારીરિક શક્તિને પણ અભાવ થાય છે.
૬૯ સ્વાથ અને દેહભાવના અહંકારના નાશ કરવા તે ધર્મ છે.
૭૦ મુશ્કેલી ભર્યો. કાય થી જેનું મન ડગી જાય છે તે મનુષ્ય છતાં ઝાડથી પણ હલકા છે. રાત્રી હા કે દિવસ, પવન હૈા કે તાફાન, પશુ અરણ્યનાં વૃક્ષા તેને કયાં ગણકારે છે ?
૭૧ જે વસ્તુ વડે મન અને બુદ્ધિ પેાતાના અનિવચનીય મૂળ સ્થાન પરબ્રહ્મ તરફ વળીને તેમાં મળી જાય છે એવા ગહન વ્યાપાર તે ધમ છે.
૭૨ એકાગ્રતાને લીધે મનને જ્યારે સમાધિ ચડી જાય છે, ત્યારે તેનામાં પ્રકાશ પડે છે. અને એવી સમાધિ ચડતાં સત્યના વરસાદ વરસે છે. જ્ઞાનના પ્રવાહ ચાલવા માંડે છે. અને વિશ્વનાં સર્વ ગુપ્ત સત્ત્વા સમજાય છે.
૭૩ વિભાવમાંથી એક ક્ષણ પણ મુક્ત થવુ' તેનું નામજ ખરા આનદ છે.
૭૪ સર્વાત્મનિષ્ઠ મનુષ્યને આખા જગતે એક ખાજી થઇને માગ આપવા જોઈએ, જગતના પ્રભુ તમે થાઓ, નહિ' તા જગત તમારા પરજ પાતાનું પ્રભુત્ત્વ
જમાવી દેશે:
૭૫ બીજાના વતનમાંથી દાષા કાઢવામાં આપણે આપણી
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૯
શક્તિના જેટલેા વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલીજ શકિત આપણું વત્તન ઉચ્ચ મનાવવાને પુરતી થાય તેમ છે.
૭૬ કેવળ તમારા મનનીજ કલ્પના તમારા મિથ્યા, સ’કુચિત, એક દેશીય, માયિક એવા અહંભાવપર સત્તા ચલાવે છે. તમારા નસીબના સ્વામી તમેજ છે. તમારે જોઈએ તેા લય અને નરકની અંદર અથડાતા તેમના નીચ ગુલામ રહે, અને જોઇએ તેમાં જન્મ સિધ્ધ હકકના વૈભવશાળી મુકુટ ધારણ કરે.
૭૭ આત્માની જેટલે નજીક આપણે હઇશું તેટલા અધિક આપણી આસપાસ સમાનશીલ મનુષ્યા ઉપસ્થિત થશે. માત્ર, પ્રથમ તમારેજ સત્યના ઝરાની પાસે ઉભા રહેવુ જોઈએ.
૭૮ ત્યાગ એટલે પેાતાનું સર્વસ્વ સત્ય સ્વરૂપને અપ કરવું તે. આત્મજ્ઞાન વિના કાય કરનાર મનુષ્યની સ્થિતિ અધારી કાટડીમાંના મનુષ્ય જેવી થાય છે. ૭૯ દીન અને પતિત લેાકાને ખરી લાગણીથી અને માતાના જેવા પ્રેમથી જે જીવે છે તેજ ખરા ઉદાર મહાત્મા છે.
૮૦ ઉત્સાહ ભરેંગ કરનારી ટીકા કરવા કરતાં આશાજનક સ્નેહ ભરેલા ઉપદેશનીજ જરૂર છે. ગટરના બધા કાદવ રસ્તા ઉપર પાથરવાથી હિતકારી પરિણામ નહિ આવે, તેવીજ રીતે બીજાના દાષા તરફ કરડી
Page #99
--------------------------------------------------------------------------
________________
0
નજર રાખવાનું પરિણામ સારૂં નહિં આવે શાંતતા અને શુભેચ્છારૂપી પાણીને પ્રવાહ એ ગટરમાં વહેવરાવે જેથી બધે કાદવ આપ આપ દેવાઈ જશે. જ્યારે ટીકા રૂપ કાતર આપણા ઉપર ચાલતી હોય, ત્યારે આપણા અંતમાં શું છે. તે તપાસી જેવું. કદાચ ક્ષુદ્ર મનવૃત્તિઓ તરફ ઘસડાઈ જવાની ઈચ્છા દિલમાં પેદા થઈ હશે અને તેથી જ આ ચેતવણું કાં મળી ન હોય? આવી ટીકાથીજ ભયંકર સ્થિતિ વિષે સાવધ રહેવાય છે તેમ સમજે. જે પુરૂષ લેક નાયક થવાને લાયક હોય છે તે કદી પણ “મારા સંબતીઓ મૂખ છે. મારા અનુયાઈએ બેઈમાન છે, લેકે કુતદની છે, સમાજમાં કીંમત કરવાની શક્તિ નથી.” એ બડબડાટ કરતું નથી. નિરાશાથી હારીને ભાગી ન જતાં તેની સામે થવામાં
ખરૂં સામર્થ્ય રહેલું છે. ૮૩ સ્વાનુભવ કરતાં વધારે યોગ્ય બીજો કોઈ ગુરૂ નથી. તમારી શકિતઓને ઉંચા વિચારે તરફ વાળશે તે
વિયાશક્તિ વિષે વિચાર કરવાનો સમય પણ તમને મળશે નહિ. બીજાની હાજરીથી સંકેચાવું એ ખરા દેવ (અંતર્ આત્મા) ને દ્રોહ કર્યા બરાબર છે અંતરાત્મા સાથે પ્રમાણિકપણે વર્તવાથી જ તમે જગતમાં પ્રકાશ ફેલાવી શકશે.
૮૪
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૫ જેની વૃત્તિ સ્વતંત્ર હેય છે તે પિતાના આત્મા
સાથે પ્રમાણિકપણે વતે છે, અને આત્મ સંતુષ્ટ
બને છે. ૮૬ જ્યાં ઉદ્યોગને તિરસ્કાર કરવામાં આવે છે ત્યાં
પરિણામ શુન્યજ સમજવું. દુઃખ અને દારિદ્ર વગર
તેડયે આવવાના જ. ૮૭ જેવા તમે વિચાર કરે છે તેવાજ તમે થશે. જેવી
તમારી મતિ છે તેવીજ તમારી ગતિ થશે. કર્મને
સત કાયદે તમને કદી પણ છેડશે નહિં. ૮૮ કૃત્રિમ પ્રેમ અને કૃત્રિમ સહુદયતા ધારણ કરવી એ
ઈશ્વરનું અપમાન કર્યા બરાબર છે. ૮૯ લકે બીજાની કૃતવ્રતા માટે બડબડાટ કરે છે. કોઈનું
જરા કાંઈક કામ કર્યું હોય, તે બળાત્કારે વ્યાજ સહિત બદલે લેવા દેવાદેડ કરી મૂકે છે. પરંતુ જરા ધીરજ રાખે. શાંતિ પકડે. આ હાથે નહિં
તે બીજા હાથે પણ તમને તે બદલે મળશેજ. ૯૦ તમારૂં નિઃસ્વાર્થ કર્મ ઈશ્વરને દેણદાર બનાવે છે
લેતી વખતે તેણે જે હાથ વાપર્યો હતે તે હાથ કદાચ આપતી વખતે ન વાપરે. પરંતુ કેઈ બીજા
હાથ દ્વારા તે તમારું દેવું વ્યાજ સહિત ચુકાવી દેશે. ૯૧ દેષ શેધવાની દૃષ્ટી દૂર કરીને, ગુણ ગ્રાહકતા વધારે.
બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, સંપસંપીને કામ કરવાની ટેવ, અને મહેનત ભરેલાં કાર્ય કરવાની,
Page #101
--------------------------------------------------------------------------
________________
ટેવ, અને મહેનત ભરેલાં કાર્ય કરવાની, હાલ ઘણું
આવશ્યક્તા છે. ૯૨ શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ
થશે નહિં. પણ આપણું કર્તવ્ય બજાવવાથી અર્થાત પ્રેમ રાખવાથીજ કલ્યાણ થશે. પ્રેમ સર્વને જીતે છે. પ્રેમથી આખી દુનિયા તમારી છે એ અનુભવ
તમને મળી શકશે. ૯૩ દરેક વસ્તુની તેના નામ ઉપરથી નહિં પણ ગુણદોષ
ઉપરથી પરિક્ષા કરતાં શીખે તમારે પિોતેજ તમારી બાબતને વિચાર કરીને તમારે માગ નકકી કરવો
જોઈએ. ૯૪ સતત્ કર્મ-પુરૂષાર્થ અદશ્ય રીતે તમને ઉચ્ચ પગ
થીએ ઉપર અને ઉપર લઈ જાય છે મન લગાડીને
ખરાં કાર્ય કરે. · તમારૂં કમ સફળ કરવું હોય તે તેના પરિણામ
તરફ ધ્યાન આપશે નહિં. ફળની આશા રાખશે નહિં. આપણા સ્વાર્થ મૂલક ખળભળાટથીજ સર્વ કાર્ય બગડે છે. લેકો તરફથી કશાનીએ અપેક્ષા રાખશે નહિં. અને તમારા કર્મો ઉપરની અનુકુળ કિવા પ્રતિકુળ ટીકાઓથી ગભરાશો નહિ. ૬ ફકત એગ્યતાજ મેળ, ઈચ્છા કરવાની કોઈ જરૂર
નથી. દીવાએ ફક્ત બળતા રહેવું જોઈએ. પતંગને આમંત્રણ કરવાની જરૂર નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૩
૯૭ સદા દાતાર બને. નિર્પેક્ષ સેવા કરનાશ અનેા. યાચનાની આશાભૂત વૃત્તિને તમારામાં પેસવા દેશે નહિ.
૯૮ પેાતાના અંતઃકરણમાં શુઘ્ધતા અને પવિત્રતા લાવે એટલે અશુધ્ધ કે અમ’ગળ કાંઈજ તમારી સામે આવી શકશે નહિ,
૯૯ આત્મ વિશ્વાસ એજ આનંદ અને સુખનું મૂળ છે. પોતાની જાતને પતિતકે પાપી માની બેસશે નહિ. તમે અનત અને સર્વ શક્તિમાન ઇશ્વર છે.
૧૦૦ જેવી તમારી ભાવના હશે તેવાજ તમે મનશે. તમે તમારી પાતાની જે કિંમત ઠરાવશે તેના છ્તાં અધિક કિમત કાર્ય કરી શકશે નહિ
૧૦૧ વિચાર એ નસીમનું બીજું નામ છે જેવી જેની મતિ તેવી તેની ગતિ. જ્યાં તમારા હાથ કામ કર છે, ત્યાં તમારૂં હૃદય પણ રાખા, હાથ પગ કામ કરવા વડે સદા ગરમજ રહેવા દ્યો, માત્ર હું અને શાંત રાખે.
મગજ
૧૦૨ સુચના જેટલી મેઘમ આપવામાં આવે તેટલી તેની
અસર વધારે થાય છે
બળાત્કારે નીતિને ઉપદેશ આપવાથી સાંભળનારની વૃત્તિ તેથી વિરૂધ્ધ તા તરફજ દ્વારાય છે.
૧૦૩ લેાકેા પાતેજ પાતાની કલ્પનાથી આસપાસ કારાગ્રહ અને નરકવાસ બનાવે છે અજ્ઞાનતા, નીચ ઋતુ',
Page #103
--------------------------------------------------------------------------
________________
ક્ષુદ્ર સ્વાથિ સ્વભાવ, કે જે તમારા દિવ્ય જીવનને નરક સમાન બનાવે છે. એ સર્વને જ્ઞાનાગિનમાં
બાળીને ભસ્મ કરો. ૧૦૪ સાવધાન અને હુંશીઆર રહે, થોડો વખત પણ
દુનિયાની વસ્તુની અસરથી અલગ રહે. આત્મામાં સ્થિત થાઓ, અંતરણ થાય તેવાં પુસ્તક વાંચે. સત્સંગમાં રહે અથવા સદા એકાંત સે. કેટલાક
વખત ધ્યાનમાં ગાળે. ૧૦૫ તમારી વાસનાઓને ઈરછારૂપી સાંકળેથીજ તમે
બંધાયેલા છે એજ તમને બંધનકર્તા છે. ૧૦૬ સત્યને જાણવા માટે, દિવ્યતાને સાક્ષાત્કાર કરવા
માટે તમારી હાલામાં હાલી, પ્રીયમાં પ્રીય ઈચ્છાઓને વિંધી નાંખવી પડશે. પ્રીય લાગતાં તમારે તેડી નાંખવાં જ જોઈએ, દેહમાંની વાસનાઓ,
જગતની જાળ તોડી ફેડીને દૂર નાંખી દેવી જોઈએ. ૧૦૭ તમારે પવિત્ર થવા માટે તમને અધમાવસ્થાએ લઈ
જનાર અધોગતિએ પહોંચાડનાર તમારી વિષય વાસનાઓથી તમારે સ્વતંત્ર થવું જ જોઈએ. ભેગ આપ્યા
વિના આત્મ સાક્ષાત્કાર થે કઠીન છે. ૧૦૮ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે, તેના પરિણામે જ
બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. પવિત્ર રહે! પવિત્ર રહે! છતાં અપવિત્રતાને આશ્રય લે તે તેનાં ફળ ભેગવવા તૈયાર રહે.
Page #104
--------------------------------------------------------------------------
________________
વિચાર રત્નમાલા. ૧ કુદરતની સ્રરતા ગે રગે પોતામાં ઉતારવી તે જીવ
નને ખરો આદર્શ છે. કુદરતની સુધારણાને તમે રેગ કહે છે પણ તેની જરૂરીયાત છે. તે તમને સુધારવા મદદ કરવા માટેજ પ્રયત્ન કરે છે. રોગ દ્વારા તે તમારા શરીરમાંથી ઝેર બાહાર કાઢે છે કુદરતી પ્રવૃત્તિ ઠીક નથી લાગતી તેથી રેગ ખરાબ દેખાય છે. વિના જરૂરનાં તો અંદર નાખવા તે રોગ છે. તે બહાર નીકળવાથી શાંતિ થાય છે. પિતાની હાજતે માટે બીજ ઉપર આધાર રાખવે
અને પિતે બીજાને આધાર આપ. માગીને જે નહિં પણ આપીને . બધાની મદદ હશે તે તમે નિઅભિમાની થઈ શકશે. જ સ્થલ જગતનું મૂળ કારણ ઇછા છે, આ જડ દેખાય
છે તે ઇરછાનું રૂપ છે. ઈચ્છા પ્રવાહી પદાર્થ છે તેનું નકકરરૂપ આ જડ દશ્ય છે. આમ દષ્ટિ વિકાશ થઈ છે તે આ પ્રમાણે સર્વ ખ્યાપિ ઈરછા બળને જુવે છે. જેમ મનુષ્ય મહાન તેમ તેની ઇચ્છાની નજીક પ્રાપ્તિ સિદ્ધ થાય છે.
વ્યવહાર જ્ઞાન સત્તા આપે છે પણ આત્મા જ્ઞાન આનંદ આવે છે. વ્યવહાર જ્ઞાન બળ આપે છે ચાત્મજ્ઞાન આનંદ આપે છે. વ્યવહાર જ્ઞાન શરીરને
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬
સ્પર્શે છે. આત્મજ્ઞાન આત્માને સ્પર્શે છે. ૭ દરેક જીવંત વસ્તુમાં શાશ્વત રસ રેડાયેલું છે તેને
ભેટીએ છીએ, તેને દેખીએ છીએ, ત્યારે આપણું નજરબંધી ખુલી જાય છે તે મુક્ત થાય છે. છુટા છુટા મંકડા કેઈ કામના નથી. સાંકળ ઉપયેગમાં આવે છે તેમ ઉચ્ચ કોટીના લેકે શરીર તથા મનવડે અન્ય તરફથી છુટા થવા કદી ઈચ્છતા નથી. તેઓને પેહેલેથી જ ભાન થયેલું છે કે સર્વ સાથે આત્મિક સંબંધ રાખવાથી જ આનંદ પ્રાપ્ત થાય છે. ઈચ્છાઓ સાધનને સાધ્ય મનાવે છે, ખરી જીંદગી ભન્મ થાય છે છતાં ઈચ્છાઓ નાચ્યા કરે છે. વિચાર
કરતાં ઈચ્છાએ દ્રોહ કરતી માલુમ પડે છે. ૧૦ અનેક છાના જુદા જુદા અનુભવે એક બીજાને
મદદગાર-ઉપયોગી હોવાથી તે રસ્તે થઈ એક બીજા
પાસેથી લઈ સર્વે એકસ્થાને પૂર્ણ પણે આવી મળે છે. ૧૧ વિશ્વદષ્ટિ કરવા માટે આપણે અખંડ બ્રહ્માંડ સાથે
આપણી લાગણીઓ જોડી દેવી પડે છે. ૧૨ કુદરતના કાયદાને અનુસરતું જીવન ગાળવામાં આવે
છે તેમ તેમ તેને બ્રહ્મજ્ઞાનના ઉંચામાં ઉંચા હક
મલતા રહે છે. ૧૩ મફત કાંઈ મલતું નથી. દેહભાન સ્વાર્થભાન ભૂલતાં
પિતાને સ્વાર્થ સધાતે જાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૪ નિષ્કામપણે આ૫ તને મા વાર્થબુધિથી
પ્રયત્ન કરનાર બીજાની અવગણે તરિકેરે છેબીજાને પિતાનું ભક્ષ સમજે છે.
જ રીતે ૧૫ સાચું જીવન સાક્ષાત્કાર કરે તેજ છે. અણુએ
અણુમાં તેને જે. વિકલપને મારો. બ્રહ્મ સ્વરૂપ
છું વિકલ્પથી અન્ય મનેવિક૯પને હઠાવે ૧૬ બ્રહ્મકલ્પના નથી પણ સાચું સત્ય છે. મનને ઘુંચવા
ડનાર નથી પણ અમર્યાદિત દૃષ્ટિવાળું છે. ૧૭ જે જીવન રસ જગતમાં અનેક પર્યાયે બદલાવે છે
તેજ જીવન મારામાં છે. ૧૮ સર્વમાં જીવન છે. આ વિશ્વ જીવન રસથી ભરપુર
છે. મેજાંની માફક જીવન અથડાય છે. તેને જન્મ મરણ કહે છે. દ્રષ્ટિની વિશાળતા એ બહારની ક્રિયા નથી, પણ અંતર્ દષ્ટિની ક્રિયા છે. તેમાં દરિઓ ઉલેચી ચાલવા જેવું નથી પણ દરીયામાં વહાણ ઉતારી તરવા જેવું છે એક પછી એક સર્વને અનુભવ કરવા જેવું નથી પણ પિતાની અંદરને નિશ્ચય કરવાથી સર્વને
અનુભવ થાય છે. ૨૦ સર્વને અનુભવ કરવાનો પ્રયત્ન તમને થકાવનાર
થશે. દૃષ્ટિ મર્યાદા વિસ્તારવાથી પિતાને ભાર હલકે થાય છે. સાંકડી દ્રષ્ટિ મૂકી દઈ સર્વ સાથે મળવાથી
Page #107
--------------------------------------------------------------------------
________________
એક રસ થયાય છે. ૨૧ યુકિતથી ભાર ઓછો થાય છેવધારે બેજે આવી
પડે ત્યારે વિચાર કરો કે કાંઈક ભૂલ થઈ છે. રર વિવિધતાની સાથે ઐકયતાનું સૂત્ર જોડાયેલું છે એકને
જાણવાથી સર્વ જણાય છે. વિવિધતાને એક રૂપે જે તેજ સત્ય છે. જુદી જુદી નીચે પડતી વસ્તુ જેમાં તે શા કારણથી નીચે પડે છે તેને નિર્ણય અંદગીમાં થઈ નહિં શકે. પણ ગુરૂત્વાકર્ષણને નિયમ જાણવાથી તે સર્વ સમજાઈ જશે. બીજા દાખલાઓ એકઠા કરવાની જરૂર નહિં પડે તેવી જ રીતે એક વસ્તુ આત્માને પકડે
એટલે જગત્ જણાઈ જશે. ૨૪ સત્યને પ્રકાશ આનંદ આપે છે એજ મનની મુક્તિ
છે. જુદી જુદી સંબંધ વિનાની વસ્તુને જેવાથી કાંઈ લાભ થવાનું નથી. સત્ય પ્રકાશતાંજ પડદો ઉંચકાઈ
જાય છે. ૨૫ પહેલું કાંઇક સ્વીકારવું તે પડશેજ ત્યાર પછી તેને
અનુભવ થશે, વાંચવા માટે અક્ષર શીખવાની માફક
પ્રથમ આત્માને શાળખે. ૨૬ છવભાન ભુલી શીવભાન કરાવી આપનારાજ
આપણે તારૂ છે. આવા પુરૂષે જીવતાં તે અપમાન પામે છે. લોકો તેને ફાંસીએ ચડાવે છે. આ માર્ગે ચાલનારાને પરિષહ આવી પડે છેજ, આવા પરીષહે
Page #108
--------------------------------------------------------------------------
________________
જાગ્રતિ આપનારા બળની વૃદ્ધિ કરનારા છે. તેના કર્મ મળને નાશ કરનારા છે. જગની આવી સેવા કરતાં તેઓ માર્યા પણ ગયા છે. તેઓ ગગન વિહારી છે. તેમને દેહભાન હેતું નથી. તેઓ આપણને પોતાના દા ખલાથી શીવભાન ઉત્તમોત્તમ છે તે બતાવી
આપે છે. ૨૭ અન્યને દેખીને જે સુખ દુઃખ થાય છે તેનું કારણ છે
તેમાં આપણે આત્માને જે છે તેટલે દેહભાવ આપણે ગમે છે. પ્રેમનાં કુંડાળાં પણ કેટલીક વખત બંધાઈ જાય છે તે બીજા તરફ ઠેષ ઉત્પન્ન કરનાર છે, તે આપણને વિદનરૂપ છે તે સ્વતંત્ર પ્રમાણમાં
નડતર રૂપ છે. છતાં પેલું પગલું તે છેજ. ૨૮ ધર્મનું રહસ્ય આત્માને ગુરૂ પાસે ઓળખો. સર્વમાં
આત્મભાન થાય તે તેની પૂર્ણાહુતી છે. ૨૯ પ્રથમ સમાનતાનું જ્ઞાન થાય છે તે સામાન્ય જ્ઞાન
તેને દશન કહે છે. પછી દરેક સાથે વ્યક્તિનું જ્ઞાન થાય છે કે આ પણ એવું છે આ પણ એવું છે.
એવું વિશેષ જ્ઞાન થાય છે. ૩૦ અંતર્ આત્મજ્ઞાન સામે થવું તેજ પાપ છે. હુંની
ટુંકી વૃત્તિની કુરણ થવી તે પાપ છે. મનને ગમે તેવી પ્રવૃત્તિ તે પાપ છે. આત્મભાન ભુલાવું તે
પાપ છે. ૩૧ અંદરથીજ પ્રકાશ પ્રગટ થવાને છે, બહારનું ગમે
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તેવું સારું હોય, પણ તેમાંથી પ્રકાશ પ્રગટ થવાને
નથી. , ૩૨ જેને સ્વતંત્ર થવું હોય તેણે પરમાત્માને આધિન
થવું તેજ તે ખરેખર સ્વતંત્ર થઈ શકશે. ૩૩ પરમાત્માને પ્રેમથી આમંત્રણ આપે તે તમારી
પાસે આવશેજ. ૩૪ જીવન દુઃખદાઈ હેય છતાં આપણે તેને ત્યાગ
કરતા નથી. તેજ જણાવે છે કે જીવન જીવવા જેવું
છે પણ જીવતાં આવડવું જોઈએ, તે દેષરૂપ નથી. ૩૫ કેટલાએક કાળી બાજુ જેનારા છે. કાળું થોડું છે
છતાં ઘણું જોવે છે. ધોળું ઘણું હોવા છતાં તે તરફ ડીટેકટિવની માફક તદ્દન નજર પણ કરતા નથી
તેથી તે તેની પાસે જતું પણ નથી. ૩૬ દેશેને હઠાવવાથી અત્મબળ પ્રગટ થાય છે. બાહ્ય
આંતર દોષને હઠાવીને બળ મેળવવાથી આગળ
વધાય છે. ૩૭ સ્થળ જીવન માટે ખોરાકની જેમ જાર છે તેમ અધ્યાત્મિક જીવન ટકાવવા માટે દેને ભેગ આપ
જ પડશે. જીવન આ પ્રમાણે જ ચાલવું જોઈએ. દેષના ડુંગરોમાંથી નીકળતી જીવન નદીની ગતિ.
આત્મા સમુદ્ર તરફ વહન થાય છે. ૩૮ ભાવદ્રવ્ય સત્ અને શાશ્વત છે. દરેક દેશકાળમાં આ
સતજ કીંમતિ છે. સત્ એલખી શકીએ છીએ,
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ચાહીએ છીએ તે પ્રગટ કરનાર મહાન પુરૂષ તરફ
ભકિત રાખીએ છીએ. ૩૯ વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેની આગાહિ પડછાયે - પ્રથમ જણાય છે તેથી તે દશા સારી જણાય છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી વિખરાયેલી ઈચ્છાઓ મને બળનું રૂપ પકડે છે. વિસ્તાર પામતા જીવનની ઈરછાને અમલ ત્યાં જામે છે. ઇરછા વિસ્તીર્ણ જીવ
નનું સુકાન બને છે તેથી ભૂલે થથી અટકે છે. ૪૦ જ્ઞાન પછી જીવન લાંબે વખતે થાય છે. ચારિત્ર લાંબે
વખતે બંધાય છે. પછી ઈરછાએ ઇદ્રિ-શરીર તરફ વળે છે. મન વિતિ છવન તરફ દોડે છે, આમ આપસમાં યુદ્ધ ચાલે છે. વર્તમાન ઈચ્છાઓ અને સત તે બે વચ્ચે શું વિરોધ છે તે સંબંધી વિવેક જાગે છે. તેમાંથી આત્મજીવનને નિભાવનારી ઈચ્છાઓ સત્ છે. અસતને નિભાવનારી ઈચ્છા અસતું
છે. આ વિવેક થાય છે. ૪૧ સત્યની મદદના અધિકારી થવા પહેલાં થેડો પણ - પરમાર્થ કરવાની સર્વને જરૂર રહે છે. ૪૨ ચારિત્રમાં ફેરફાર થાય છે પણ દશનમાં શ્રદ્ધામાં
ફેરફાર થતું નથી. દેષ ઈજા કરનાર છે છતાં આગળ પણ તેજ લઇ જાય છે. આપણી ઈછા એ કાયદા નથી. કુદરતના કાયદાને આપણી ઈચ્છા અનુકુળ કરવી. તેમ ન હોય તે આપણે કાયદે વારંવાર
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
બદલાવવાજ પડશે. એકવાર આપણી ઇચ્છા સુખરૂપ હાય છે પણ ખીજાજ વખતે તે ઇચ્છા દુઃખરૂપ થાય છે, માટે આપણે ઇચ્છા કરવી પણ તેના કાયદો સમજી લેવા.
૪૩ વીય વાન્ થવું હાય તા કુદરતના કાયદાને સમજીને ચાલવા પ્રયત્ન કરવા.
૪૪ પૂણ સ્થિતિએ પહેોંચાડવાનુ' ચિન્હેજ દુઃખ છે. શાશ્વત પ્રેમ પ્રગઢ કરાવનારજ દુ:ખ છે. દુઃખના સ્વિકાર કરવામાં જેને આનંદ થતા નથી તે માણસ દુનિયામાં અધમ બનતા જાય છે. સ્વાની ખાતર જે દુઃખ લઇએ ત્યારે તે ખાટું છે તે વેર લે છે, ઉપાધિમાં ઉતારે છે. માટે પરમાથ અર્થે દુ:ખના સુખ રૂપે સ્વીકાર કરી.
૪૫ દુઃખ એ સતી છે. પરમાત્મા-પૂર્ણતા તે પતિ છે. પૂણુતા માટે દુઃખના સ્વીકાર કરવામાં આવે છે તે તા તે દુઃખ પોતાના કાળા પછેડા કાઢી નાખી છેવટે સુંદર શ્વેત વસ્ત્રમાં સજ થઇ મદદગાર થાય છે. જગત્ની સેવા રૂપ યજ્ઞવેદીમાં તે દુઃખ આવતાંજ પેાતાના કાળા પડદો કાઢી નાખે છે અને આનદથી ભરપુર પોતાનું સુખ ખુલ્લુ કરે છે. પેાતાના સ્વાર્થને માટે જ્યારે દુઃખના સ્વીકાર કરા તા તે પોતાના કાળા પડદા મજબુત રાખી ખેદ-કષ્ટજ આપવાનુ છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૩
૪૬ જીવાત્મારૂપ દેરે છે તેને જીવનરૂપિ સાળમાં વણીને
પરમાતમ દશારૂપ કપડું બનાવવાવું છે. ૪૭ અવિદ્યાથી જુદા પડી જાઓ. તમારા ખરા આત્માને
ઓળખે. જીવાત્માની બેડીમાંથી નીકળી જાઓ.
સને ઓળખવાથી જ મુકિત મળે છે. ૪૮ ધર્મનું કર્તવ્ય સ્વભાવને નાશ કરવાનું નથી પણ
જીવને પૂર્ણ દશાએ પહોંચાડવાને છે ૪૯ સત્ય ભાષામાં આવી શકાતું નથી. દિશા બતાવી
શકાય છે. ભાવ-અનુભવ-હદયનેહાદ અન્યને બતાવી
શકાતું નથી પણ અનુભવી શકાય છે. ૫૦ જેમ ગંભીર–ઉંડા અનુભવના વિચારે તેમ તે વિચાર
જીવના પ્રસંગના અનુભવ વિના તેના શબ્દનું રહસ્ય સમજી શકાતું નથી. આજ કારણે અનેક
મતમતાંતરે અને દશને જુદાં પડયાં છે. ૫૧ અવિધાથી મુકિત તેજ મુકિત છે. કોઈ વસ્તુના
નાશથી મુકિત નથી પણ સને વિકાશ કરવાથી આવરણ અજ્ઞાન દૂર થવાં તેજ મુકિત છે. બધા આંખવાળાની આંખ ઉઘડવી તે આંખે ફેડવા જેવું નથી તેમ મુકત થવું તે અજ્ઞાન તેડવાનું છે પણ
કાંઈ જીવને નાશ કરવાને નથી. પર વિષપભેગના તાપને ભડકે ભલે કરે પણ તેનાથી
પકાવવાની વસ્તુ તમારી પાસે નહિં હોય તે તે તાપને ભડકે બુઝાઈ જશે, તેમ તમે અનેક પ્રયત્નથી
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
વતુ એકઠી કરશે પણ જેમાંથી વસ્તુ મેળવવાની છે તે પરમાત્મા સાથે સંબંધ થયા વિના તે ભડકામાં
તમેજ ૫કાઈ જશે. ૫૩ સતના દર્શન પછીનું જીવન સત થાય છે. પછી તે
જે ક્રિયા કરે છે તેમાં તે સતને પ્રકાશ આવી શકે છે. અંતર્ સ્વભાવ-ખરું સત્ય-ખરે તવ તે ધર્મ છે. પરમાત્મા તરફ પાછા વાળે તે ધર્મ છે.
પરમાત્માને પહોંચવા માટે જે કર્મ કરાય છે તે ધર્મ છે. ૫૪ સત્ય ધર્મ અંદર છુપ-હડે રહે છે, તેને લઈને
લે કે ઉપરથી માણસને સ્વભાવ પાપરૂપ જોઈને
પાપરૂપ માને છે. ૫૫ બીજને રસાયણની પ્રગશાળામાં મોકલી પૃથક્કરણ
કરતાં માંહિથી કાળાં પાંખડાં ફળાદિ કાંઈ નહિં નીકળે, પણ છેડે કાબન પિટાસ વિગેરે નીકળશે, તેમ જ્યારે તે વસ્તુ પિતાના ખરા ધર્મમાં આવશે ત્યારે તે વૃક્ષ ફાલશે ફુલશે અને વિસ્તાર પામશે. તેમ આ જીવ પણ અત્યારે જેની તમને કાંઈ પણ કીમત લાગતી નથી તે પણ તેના ખરા ધર્મમાં
આવતાં ફાલશે વિસ્તાર પામશેજ. ૫૬ વૃક્ષરૂપે થવું તે બીજની મુકિત છે તેમ જીવની
મુકિત પિતાના ખરા ધમમાં આવવું પૂર્ણ સ્વરૂપે પ્રકાશવું તે છે. ત્યાગ તે મરણ નથી પણ વિનરૂપ અંતરાયને તેડનાર છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૫૭ દ્વીપક તેલ એકઠું કરે છે ત્યાંસુધી તેની પાસે અધારૂ જ રહે છે. તેજ જીવન ટકાવી રાખવા કે વિશેષ પ્રકાશીત કરવા પાતાના સંગ્રહીત તેલના ખજાનાના વ્યય-ત્યાગ કરે છે. ત્યાર પછીથીજ તે પ્રકાશ પામે છે. તેમ જીવ સવ સંગ્રહના ત્યાગ કરવાથીજ પૂર્ણ પ્રકાશીત થાય છે. સ`ગ્રહ કરે છે ત્યાંસુધી આત્મપ્રકાશ તેને મલતા નથી.
૫૮ ભૂમિતાકષ ણુના નિયમ પ્રમાણે જ્યારે આપણા હૃદયમાં ઈચ્છા હોય છે ત્યાંસુધી વસ્તુને આકષી રાખવાનુ મન થાય છે. મનુષ્યમાં જ્યારે પ્રેમ ઉભરાય છે ત્યારે તે રાજી ખુશી થઈને પાકાં ઝાડનાં ક્ળાની માફ્ક બીજાને આપી શકે છે,
૫૯ ગમે તેવું ાય પ્રેમથી કરી શકાય છે. પ્રેમમાંજ સુતિ છે. ક્રિયા કરવાથી આપણા સ્વભાવ પ્રગટ કરી શકાય છે તે ક્રિયા આનંદથી–પ્રેમથી કરવી જોઇએ, બીકથી કરાતી ક્રિયા, તથા જરૂરીયાત માટે કરાતી ક્રિયા આપણા શુધ્ધ સ્વભાવ આડે પડા રૂપ છે. ૬૦ એક ચિતારા આનદપૂર્વક પેાતાનાં ચિત્રા શરૂ રાખશે તે માગળ પર વિશેષ જ્ઞાન સોંપાદન કરશે, તેમ આપણે કાઈ કાર્યના પ્રારંભ આનંદથી કરવા. પ્રેમથીજ કળાવાન્ તે કળાને બહાર પ્રકાશે છે અને તે પ્રેમમાંજ પોતાનું જ્ઞાન છેલ્લી ટાંચે પહાંચાડે છે. ૬૧ મન બ્રહ્મના કિરણ લેવાથી શાંત્તિ મેળવે છે. શરીર
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સૂર્યનાં કિરણાથી તદ્ગુરસ્તિ મેળવે છે. નાત દુરરત મનુષ્યને અગીયારથી પાંચ વાગ્યા સુધીમાં કેટલાક વખત સૂર્યના તાપ લેવાની જરૂર છે. સૂર્યના તાપ શરીરને સુધારનાર છે.
૬૨ જ્યાં આનંદ છે ત્યાંજ પરમાત્મા પ્રગટ થાય છે જેમાં આનંદ વધારે તેની કીમત વધારે છે. બ્રહ્માના આનંદમાં આ વ્યિક્ત ભળી જાય છે ત્યારેજ તેની કીમત તેને મળે છે.
૬૩ મૃત્યુ એ નિર્જીવ વસ્તુ છે. જીવનના એક નિશ્વાસ જેટલુ જ મરણ છે, મૃત્યુ એ જીવનને સેખતી છે, માયા છે. દ્રવ્યનું વિકાશીત જીવન પર્યાય છે, પર્યાયનું રૂપાંતર એ મરણ છે. જીવાત્મા ક્ષણે ક્ષણે રૂપા બદલે છે તે સ્થિતિ ક્ષણે ક્ષણે ખદલાવે છે તેજ મૃત્યુ છે.
૬૪ શરીરની મુક્તિ તદુરસ્તી મેળવવી તે છે. સામાજીક ભાવની ઇચ્છા સાથે આપણી ઇચ્છા મેળવી દેવી તે સામાજીક પ્રકૃતિની મુક્તિ છે. જીવાત્માની મુકિત આખા વિશ્વ સાથે પ્રેમ થાય ત્યારે થાય છે. અહુતાના ત્યાગ કરવા તે છેલ્લી મુક્તિ છે. ત્રીજી મુકિત ખીલવવા માટે બીજી મુક્તિ ઉપયાગી છે. બીજીમાં હજી સ્વાર્થ હોય છે. પ્રેમ આવવાથી અર્હતા જાય છે. આથી અજ્ઞાનતામાં જવાતુ નથી પશુ પ્રકાશમાં જવાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૭
૬૫ કુદરત પોતાની મેળે નિયમસર નાચે છે, તે લડાઈ
જેવું બેસુર નથી લાગતું પણ આનંદજનક છે. આથી એમ જણાય છે કે તેની અંદર વિરોધી તત્ત્વ નથી
પણ સંપ છે, છતાં વિરોધ લાગે તે માયા છે. ૬૬ પિતાનું ભાન પિતાને હોય તેજ બીજાને પિતાના
જે બનાવે છે. જે મનુષ્ય પિતેજ પિતાને (આત્માને)
જાણતા નથી તે બીજાને કેમ છૂટે કરી શકશે? ૬૭ સૂર્યના પ્રકાશની માફક આત્માને પ્રકાશ પિતાની
શુધિથી બીજાને પ્રકાશ આપે છે. સૂર્યની માફક
આત્મપ્રકાશ વડે મનની સુષ્ટિ ચાલે છે. ૬૮ જન્મ મરણનું ચક્ર છે તેને પણ કાયદે પણ
જોઈએ. મુશકેલી એ છે કે કાયદે જાણીને અટકી પડાય છે તેમ વર્તન થતું નથી. કાયદો હાથમાં આવવાથી મુકિત થતી નથી તેથી બુદ્ધિને તે સંતોષ થાય છે તે કાયદે આખા દેહમાં ઉતારીએ નહિં ત્યાંસુધી અનંતતાનું ભાન થતું નથી. છુટા છુટા શબ્દમાં રસ નથી આવતે પણ તેની આખી કવિતા અથવા વાક્ય પુરૂં થવાથી તેને ભાવ સમય છે. રસ સમજાય છે. વિચારની સંકલન, સંગીત, તથા ભાવની આકૃતિ આ ત્રણ કવિતાના કાયદા સમજાય ત્યારે તેમાં રસ આવે છે આ કાયદે પણ મર્યાદિત છે. દય વસ્તુને અવલંબીને જ છે. જે થવું જોઈએ તેમાં ફેર પડતું નથી તે કાયદે બતાવે
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
છે. માણસે કારણે શોધ્યા જ કરે. કાર્ય કારણમાં અટકી પડે છે તે કાયદે જુલમ કરે છે. કાયદાથી બચી ન જાઓ તે તમારું મગજ કાયદાના દબાણ આગળ રાંક બની જાય છે. તમારે તે વસ્તુસ્થતિ આમ થવાની છે તે સમજી તેમાંથી છટકી જવું
જોઈએ. ૭૦ કુદસ્તને કાયદે એ પહેલું પગથીયું છે. દર્ય
કાયદાથી પર છે. કાયદાની મર્યાદા સાથે રહીને પર જાય છે. છોડવાએ ફુલ પેદા કરવું, કુલે ફળ પેદા કરવું. જે તે કામ ન કરે તે કુલને મરવું પડે છે. વિનને ખસેડી આગળ ન વધે તે તેનું નામ નિશાન રહેવાનું નથી. વિઘ્ન દૂર કરી આગળ વધતાં કુલ પછી ફળાદિ પેદા કરતાં ફરીને તેમાંથી છોડવા ફુલાદિપણુ ઉત્પન્ન થાય છે. તેમ વિદ્ધને દૂર કરી કામ કરે, નહિં તે દુનિયામાંથી સદા માટે નાશ પામો. કામ કરવાથી શક્તિ ખીલે છે-શક્તિ બહાર આવે છે. તેનાથી આગળનાં મેટાં કામ કરવાનું બળ
પ્રગટ થાય છે. ૭૧ જરૂરીયાત માટે પ્રવૃત્તિ, શતિ માટે નિવૃત્તિ, આને
દથી જન્મ, આનંદથી નિભાવ, આનંદમાં વૃધિ, - આનંદમાં પ્રવેશછર આ સર્વ આનંદથી જ બનાવેલું છે. તેજ કુદસ્તને
ખરે કાયદે છે.. આનંદને લઈ આકૃતિ બનાવવીજ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પડવાની. ગાનારને આનંદ થાય ત્યારે તેને ગાઇ બતાવવુ જ જોઈએ. આનારના આનંદ તેના ગાયનની આકૃતિમાં બહાર આવે છે. કવિના મનઃ કવીતાની કૃતિમાં અહાર આવે છે. માણસે આનન્દ્વના પ્રમાણમાં આકૃતિ મનાવતાજ રહે છે દરેક મનુષ્ય કર્તા છે. આનંદને લઇને આકૃતિઓ મહાર સ્ફુરે છે– નીકળે છે. આનંદને પણ એ માત્તું છે. ગાયક ગાવાના જીસામાં બે ભાગ પાડે છે. એક પાતે સાંભળે અને બીજું બીજાને સભળાવે છે.
૭૩ જેટલી આત્મ જાગૃતિ તેટલુ દુઃખ એછું. જાગૃતિ પૂર્વક જેટલુ કમ થાય છે તેનું દુઃખ લેશ પણ લાગતુ' નથી. સંબધ કલ્પે! તે સુખ દુઃખ છે. જાગૃત્તિમાં સુખ દુઃખ નથી પણ માન છે. ૭૪ પેાતાની ચારે બાજુ પ્રેમના વિશ્વાશ કરવેા. ગમે તે કારણે પ્રેમને અંતરાય પડવા ન જોઇયે. અનહદ પ્રેમ વધારવા એક તરફ પ્રેમ રાખવાથી ખીજા તરફ ઘાતકીપણું કે તીરસ્કાર ન થાય તેવા પ્રેમ હાવા જોઇએ. સુતાં બેસતાં ચાલતાં સર્વ કાળે સવ સ્થળે રાખવા જોઇએ.
૭૫ કંઠારતા તેટલા પ્રેમ ઓછો. જેટલેા પ્રેમ તેટલી ઠારતા ઓછી. પ્રેમ નથી ત્યાં વિાષી દ્વેષી હાવા ોઈએ. જાગૃતિની પરકાષ્ટા એજ પ્રેમ છે. આપણે પરમાત્માને આળખ્યો નથી માટે પ્રેમ નથી.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
૭૬ આપણી જાગૃતિને-બુદિધને એટલી વધારે કે તેને
પ્રેમ સુધી લઈ જાઓ. સ્વત્ર વ્યાપક કરી દ્યો, ત્યારે બ્રહ્મમાં વિહાર કરી શકાશે. પ્રેમને લઇને આપણે તદન ખલાસ થઈ જઈએ તેટલે સુધી જગને આપી શકીએ છીએ. અમુક વ્યકિતમાં પ્રેમ છે તેની કીંમત પૂર્ણ પ્રેમ વિના નથી જ, અંત -
કરણમાં સદાને માટે પ્રેમ રાખી મૂક. ૭૭ ઉપગીતાને પ્રેમ થડા વખતને જ છે. તે એક
પક્ષમાં ઘસડી જાય છે તેથી તે કાંઈ આત્મિક પ્રેમ નથી ઉપગી વસ્તુને પ્રેમ ઉપગીતાના સ્થળેજ હોય છે. ઉપગતા પુરી થઈ કે તે વસ્તુ નુકશાનકર્તા કે નિરૂપયેગી બેજા રૂપ લાગે છે. આ વખતે
તે પ્રેમ નાશ પામે છે. ૭૮ આપણી ઇચ્છાઓ આપણને આંધળા કરે છે તે સત્ય
આત્માને જેવા દેતી નથી. આપણી જાગૃતિને બંધ પાડી દે છે. તે ધર્મને આત્મઘાત છે. આ ઈચ્છાઓ સુધારા રૂપ દડ ઉપર કાણું પાડી તેના ઉપર બેસી
પાણી તરવા બરાબર હાઈ પિતાને ડુબાડનાર છે. ૭૯ ઇચ્છાઓ બુદિધની મર્યાદાને ટુંકી કરે છે. પાપવૃત્તિ
જગાડે છે. આ ટુબુદ્ધિ મેટામાં મેટું આવરણ છે. પરમાતમાથી તેજ અલગ રાખે છે. તે સાથે વિયેગ કરાવે છે. માત્ર ક્રિયા અમુક કરી તે પાપ નથી. નિશાન પૂર્વક-ઈરાદાપૂર્વક ક્રિયા કરવી તે પાપ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૧
મહાસત્તા
લક્ષ ખરાબ છે તેજ પાપ છે. વ્યક્તિપાની વૃત્તિ તે પાપવૃત્તિ છે. આ વૃત્તિથી જીવાત્માની તૃપ્તિ થાય તે માટે પ્રયત્ન થાય તે પાપનું મૂલ છે. ૮૦ ભાગની તૃષાથી પ્રવૃત્તિ કરશે ત્યાંસુધી સત ખ્યાલ નહિ આવે. પ્રેમથી પ્રવૃત્તિ કરશે!–પ્રેમની દૃષ્ટિ શે ત્યારે સા-સાંય તાના આનંદ થશે, સત દેખાશે. લેગની દૃષ્ટિથી લાગણી થાય છે. મન પેાતાની વૃત્તિ પ્રમાણે અથ લે છે. સામાન્ય દૃષ્ટિમાં ભળવાથી આશિત તુટે છે. ૮૧ કેળવણીની કીંમત હૃદયના વિકાશથી કરવાની છે. દિવ્ય વૃત્તિના પ્રકાશથી કેળવણીની કીંમત છે. ડીગરીયા મેળવવાથી કેળવણીની કીંમત આંકવાની નથી. કેળવણી પામેલાને પ્રશ્ન કરે કે આ મનુષ્યને તમે ભાગાપયેાગના યંત્ર તરીકે જુએછો કે દિવ્યાત્મા પ્રમાણે જુઓ છો? તમને શું ગમે છે તે કહા, એટલે તમે કેવા માણસ છો તે હું કહી આપીશ. ૮૨ જેમ જેમ જુદારા થતા અચે તેમ તેમ પદડા આવતા ગયા. માણુસની કીંમત ઘટતી ગઈ. સ્થુલ ઈચ્છા વધવાથી ખરી હૃદયની કેળવણી ઘટતી ગઈ છે. ઉંચી ટેકરી ઉપર ચડે એટલે બધી વસ્તુ સરખી લાગે છે. જેમ નીચા હશે તેમ નાની માટી લાગશે.
૮૩ દરેક મનુષ્યને શરૂઆતમાં મદદગાર માને. ગુલામ નહિં માને. દરેક પોતપાતાના પાઠ ભજવશે પણ મદદગાર છે એ ચાકકસ માના. આથી આગળ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
દિવ્યરૂપ માને તેથી દિવ્ય દૃષ્ટિ ઉઘડશે. બધાં સરખાં પાત્ર છે આત્મભાવે જુએ. સર્વ પાત્ર સુખરૂપ છે.
હલકી દષ્ટિજ દુઃખરૂપ છે. ૮૪ પિતાને બળને ઉપગ બીજાને દબાવવામાં કરવા
લાગ્યા ત્યારથી તે સત્યનું મૂળ કપાવા લાગ્યું.
સ્વતંત્ર પ્રેમ નષ્ટ થવા લાગ્યું. ખરી કેળવણી હિંસક વૃત્તિમાં ઉપગ વૃત્તિમાં ટકી શકે જ નહિ. સદ્દષ્ટિને પિષક દિવ્યપ્રેમ, અને ન્યાય હોય તેજ
તેનું પિષણ થાય છે. ૮૫ જેમ કે રાજા પાસે નિરંતર ગુલામજ ફરતા રહેતા
હેય તે તે રાજાનું માન શું? તે ગુલામ જેજ. માટે તેની પાસે સરખી સ્થિતિના કે ઉંચી સ્થિતિના લોકે આવતા હોય તે જ તેની કીંમત છે. માટે સર્વને સરખા માનવા. આત્માથી (પિતાથી) હિન જાતિના લોકો સાથે રહેવું જેમ અધમ લાગે છે તેમ પિતાથી અન્ય બધાને અધમ માનીને રહેશે. તે તમને આનંદ નહિં આવે. સરખે સરખા વિના
આનંદ નહિં આવે. જગત સરખું છે. ૮૬ મૃત્યુએ પિંજરામાંથી જેમ પક્ષી ઉડી જાય તેવું છે. પિંજરું નાશ પામશે પણ આત્મા તેથી જુદે છે. બેને વિગ તે છેજ. તે શાશ્વત ન થઈ શકે. પિંજરાને જેવાને બદલે વિશ્વ તરફ નજર કરતાં જણાશે કે સત્યને મૃત્યુ નથીજ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૩
૮૮
૮૭ પ્રેમથી વિરોધનો નાશ થાય છે. પ્રેમમાંજ એકતા છે
તભાવ છે. પણ શત્રુ તરિકે નથી પણ એક તરિકે છે. પ્રેમ એકતા કરે છે. વ્યવહારમાં જુદાઈ છે. પ્રેમમાં ગતિ અને સ્થિતિ બને છે. અંદર શાંતિ, બહાર ગતિ છે. પ્રેમને પ્રથમ શોધવા રખડે છે, મળ્યા પછી શાંતિ કરી એક સ્થળે બેસે છે. પ્રેમથી હૃદયમાં અપૂર્વ શાંતિ અને શાંતગ ઉત્પન્ન થાય છે. પ્રેમમાં આપવું એજ લેવા બરાબર છે. ત્યાગ એ ગ્રહણ કરવા બરાબર છે. પ્રેમના ચોપડામાં જમા ઉધાર એકજ બાજુ જમે થાય છે.આપવું તે પિતાના ભલા માટે જ છે. આ પ્રેમને એક મહાન યા છે, તેમાં પ્રેમ હેમ્યા કરે છે. પ્રેમ લેવાને માટે પ્રેમ, ત્યાગ ગ્રહણ એકજ કરી નાખે છે. પ્રેમના બે છેડા હોય છે–સ્વાર્થ અને પરમાથી. પેલા છેડામાં અહંતા
હોય છે, બીજે છેડે અહંતાને નાશ થઇ જાય છે. ૮૯ સ્વતંત્રાની સાથે સેવા કરવાની પણ ઈચ્છા આપણામાં
બની રહે છે. પ્રેમબંધનવાળે અને બંધનની પાર પણ છે. મર્યાદિત વ્યકિતઓ માટે પ્રેમ પિતામાં આવકાશ આપે છે છતાં તેની પાર પણ તે પહેાંચી શકે છે. પ્રેમ સર્વથી સવતંત્ર છે તેમ પ્રેમ જેટલી આધિનતા પણ કયાંઈ નથી પ્રેમથી બંધીત થવું તે મેક્ષ જેવું
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૯૦ લીલાં ઘાસ, વિશાળ નિળ આકાશ, વસતરૂતુના ખહાર, ભુરા રંગના શિયાળા, મનુષ્યના ભવ્ય દેખાવ, શાંત જીવન શક્તિને અમલ, જ્ઞાનની પ્રાપ્તિ, દુઃખના સામા થવું આ સર્વ વસ્તુએમાં આનંદ છે, પણ આ ઉપલક આનદ છે. ખરે આનંદ એકતારૂષિ સત્યતાના ગ્રહણમાં છે. પરમાત્માની સાથે આપણા આત્માની એકતા કરવી તેમાં આન' છે ૯૧ સિધ્ધાંતથી તે આત્મા મુકત છે, પણ તે મુકતતા બહાર લાત્રવા ક્રિયાની જરૂર છે. જેમ જેમ માણસ ક્રિયા કરતા જાય છે, અંદર મુક્તિ છે તેને બહાર કાઢતા જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક જતા જાય છે. જેમ જેમ અદર રહેલ છે તેને ક્રિયાની અંદર બહાર બતાવતા જશે તેમ તેમ તે વધારે નિમ ળ થશે. પેાતાને નવા નવા રૂપમાં દરેક વખતે તે જોશે. જેમ જેમ નવાપણ' પાતાને લાગશે તેમ તેમ માક્ષના માર્ગ મળ્યો છે તેમ સમજાશે ૯૨ પાતે પેાતાને ઓળખવા માંટે બહાર નીકળવું પડે છે. એમ માને કે એક જંગલને મેદાન કયુ", તેમાંથી સુંદર વાડી બનાવી, પ્રથમ બેડોળ હતું, વાડી થતાં સુંદર દેખાવ થયા. તેમ પ્રથમ પોતે મલીન હતા, ક્રિયા કરીને સુંદરતા બનાવી. આ જમીનની અંદરજ સુંદરતા હતી તે તેણે બહાર બતાવી તેમ અંદર સુંદરતા છે તે બહાર ન ખતાવે ત્યાંસુધી મુકિત
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૫
નથી. બહાર આવે ત્યારેજ મુક્ત કહેવાશો. ૯૩ ક્રિયા કરવાની હશે તે સો વરસ જીવવું ગમશે,
નહિંતર ક્ષણ પણ તમને ગમશે નહિં. આ શબ્દો જેણે કહ્યા છે તેણે આત્માને આનંદ ચાખે છે. જેણે પિતાના આત્માને ઓળખે નથી તેને ક્રિયામાં કંટાળો આવે છે ખેદ થાય છે. આ લેકે કુલથી પણ નબળી હાંડીના જેવા છે તેઓ ફળ ઉત્પન્ન કર્યા સિવાય પડી જવાની ઈચ્છા કરનાર કુલના
જેવા છે : ૯૪ ક્રિયામાં આનંદ સમજનારા પોતાની જીદગી લાંબી
વધારવા ઇરછે છે. તે કહે છે કે ફળ ન આવે ત્યાં સુધી પાછા હઠીશું નહિં-મરશું નહિં તેમ માનનારા છે. તેઓ ક્રિયામાં અને જીંદગીમાં પોતાને આત્મા આનંદથી પ્રદશીત કરે છે. દુઃખ અને દિલગીરીથી નિરાશ અંતઃકરણે તેનાં થતાં નથી. અંતઃકરણના ધકકાથી તે નમતા નથી પણ સામા થાય છે. લડાઈમાં લડવા ગયેલા ધાની માફક જીવનની લડાઈમાં તે સિધ્ધ થઈને ચાલ્યું જશે. પિતાના આત્માને પિતે જુવે છે, અન્યને બતાવે છે. તેઓના જીવનનો આનંદ પરમાત્માના આનંદ સાથે વિશ્વને ચીરીને
જેડી દે છે, પરમાત્માના આનંદ સાથે મળી જાય છે. ૯૫ ક્રિયાથી દૂર રહીને આત્માને ઓળખવાનું નહિં જ
બની શકે. તે પ્રયત્ન નિષ્ફળ જવાનાજ, દબાણથી
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
થતી ક્રિયા અસત્ય છે. દબાણ વિના આનંદ : દબાણથી થતી ક્રિયા જરૂરીયાતને લઈ માર પડશે
ત્યારે જ તમે કરશો. ૯૬ ચેતનમાં ચેતનપણું ચેતન આત્માજ પ્રગટ કરાવે છે.
દીવાથીજ દીવો થાય છે. પુસ્તકની જરૂરીયાત ચેતન
આત્માની ખોટ વખતેજ છે. ૯૭ બેસી રહેવામાં થોડો વખત મજા આવે છે પણ
જીવનનું કર્તવ્ય બંધ થવાથી તેના અસ્તિત્વના હેતુને નાશ થાય છે. જેમ માણસ મોટે થાય છે તેમ કદને નાશ થવા છતાં વધતું જાય છે તેમ તેને મહેનત ઘણી કરવી પડે છે તેના પરિણામે વર્તમાન સ્થિતિને ઓળંગી નવું કદ અને નવી સ્થિતિએ તે પહોંચે છે. આ ઉપરથી એટલે વિચાર કરે કે પિતાની આજુબાજુમાં બંધાઈ રહેવામાં તમારી
કીત્તિ નથી. ૯૮ ક્રિયા કરવા જીવવું અને જીવવા માટે ક્રિયા કરવી
આ બે સાથે રાખવું. જીવન અને ક્રિયા એવી રીતે સંધાયેલાં છે કે બંનેને સાથે રાખવાની જરૂર છે. અંતરની લાગણીથી છવાતું નથી પણ આંતર લાગણી માટે બહાર વિષય શોધી કાઢવા પડે છે. અંતરાત્માને વિચાર અને લાગણીને ખેરાક અંતરથી છે. બહાર તે લાગણી અને વિચારને કિયામાં પ્રગટ કરવી પડે છે તે તેને ખોરાક છે. આ બે ક્રિયા
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૭.
ઉપરથી ખરૂં સત્ય શોધી કાઢવું. ૧૦૦ એક અંશને પકડે અને બીજા ભાગને ત્યજી દ્યો તે
તમારી પડતી થવાનીજ બહાર લાગણી રાખે અને અંતર ન રાખે અંતર લાગણી રાખે અને બહાર નહિં રાખે તે નહિં ચાલે. બન્ને તરફ રાખવાની
જરૂર છે. ૧૦૧ પશ્ચિમાર્ચે બહારના ક્ષેત્ર તરફ આત્મા માટે લક્ષ
આપે છે. અંતરના ભાગ તરફ લક્ષ કરતા નથી તેથી અંતરમાં આનંદ તેમને મળતું નથી. બાહ્ય આનંદ મળે છે. રસાયણ શાસ્ત્રીઓ તે કહે છે કે અનંત
કાળ જાય તે પણ બહારની શોધો પુરી નહિ જ થાય. ૧૦૨ કેઈપણ કાર્ય કરે છો તે કુદરતના કાયદાનુસાર
થાય છે. તેની પરીક્ષા એ છે કે, તેમાં જરા પણ અભિમાન-કર્તાપણાની લાગણી હેવી ન જોઈએ તે તે કાર્ય કુદરતના કાયદાનુસાર થયું છે એમ સમજવું. કાર્ય ઉપરથી માલીકી ઉઠાવી લયે, તમે સેવક થઈ કામ કરે. આપણી દરેક કૃતિ-કાય પરમાત્માની
સાથે સમાગમ સંબંધવાળી થવી જોઈએ. ૧૦૩ તમારામાં જ પરમાત્મા કામ કરે છે. આમ ધારીને
કાર્ય કરે. તમારા કાર્યમાં આનંદ માનો, અને તે આનંદમાં પણ આનંદને દાતા વસે છે એમ જાણે.
બ્રામાં જેને આનંદ છે તે સર્વમાં શ્રેષ્ટ છે. ૧૦૪ આત્મવિકાશ સ પૂર્ણ થયા પછી બધું સુંદરજ થઈ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જવાનું. દષ્ટિના વિકાસની શરૂઆતમાં સૌંદર્ય અસૌ દય એ બે ભેદ રાખવાની જરૂર છે. જેમ બુદિધ વિચારણા સુમ થતી જાય છે તેમ આ ભેદની લીટીઓ પાતળી થઈ થઈને સર્વથા લેપ પામી
જાય છે. ૧૦૫ પ્રથમ દષ્ટિને સુંદરતા જોવાની ટેવ પાડે. સુંદરતાને
ખ્યાલ એવા વેગથી આવે છે કે પ્રથમ પિતામાંથી પ્રમાદને દૂર કરે છે તે વખતે વ્યક્તિનું ભાન ભૂલાઈ જાય છે. તેથી આપણે તેમાં ઊંડા ઉતરી શકીએ
છીએ. ૧૦૬ ઇંદ્રિયની દષ્ટિથી જોવાનું મૂકી દઈ પરમાર્થ દષ્ટિથી
જોશો તે સર્વ સ્થળે સુંદરતાનું જ ભાન થશે. પહેલાં જે અણગમતું તેમાં લાગતું હતું તે આપણે ઇંદ્રિયની દષ્ટિથી જોતા હતા તેમાં સુંદરતા તે હતીજ પણ આપણી દષ્ટિ નિર્મળ ન હતી. વિશ્વની રથનામાં અસુંદરતા નથી પણ આપણું ભ્રમીત દષ્ટિમાં છે. આકૃતિને આનંદ હદયમાં જેમ ઉતરે
છે તેમ સુંદરતા સાચા રૂપે બહાર આવે છે. ૧૦૭ સત્ય એજ સુંદરતા અને સુ દરતા એજ સત્ય છે.
આપણું હૃદય બધી વાસનાથી પર થાય છે ત્યારે એવું બળ આવે છે કે દરેક વસ્તુની અંદર પ્રવેશ કરીને બ્રહ્માનંદને પરિપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. અંદર જ્ઞાન અને બહાર ક્રિયા કરી બતાવે. પ્રેમ
Page #128
--------------------------------------------------------------------------
________________
બંદર થાય છે તે બહાર બતાવે. સંગીત એ
દયતાને બહાર પ્રદર્શિત કરવાનું મુખ્ય સાધન છે. ૧૦૮ ત્યાગ એજ સ્વયંપૂર્ણ છે. તે આત્માને ધર્મ છે
“આની મને જરૂર નથી” એજ બતાવે છે કે સત્ય તેનાથી પર અને જુદું છે. છોકરી ઢીંગલી રમાડે છે પણ મટી થતાં તેને ફેંકી દે છે, એ બધી વસ્તુઓ તાબામાં રહે છે તે ઉપરથી જણાય છે કે આપણે તેનાથી મોટા અને અધિક છીએ. જે વસ્તુ આપણાથી નાની છે, આધિન છે, તેને વળગી રહેવું તેજ દુઃખનું કારણ છે,
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
. વિચાર રત્નમાલા. ૧ પિતે અશકત છે એમ કદી પણ ન માને. પિતાને
ચાહતાં અને પિતાની કીંમત આંતાં શીખે. ૨ બીજાના વિચારના ગુલામ ન થાઓ. છે દરેક કાર્યને કેઈ પણ મુખ્ય ઉદેશ રાખે. ૪ હાર થવા છતાં પણ નિરાશ ન થાઓ. ઉત્સાહથી - આગળ વધે. ૫ પ્રયત્ન કરો નિરાશા મળ્યા છતાં પ્રયત્ન ચાલુ રાખે. ૬. દુઃખ આવતાં કોઈની મદદ ન માંગે તે દુઃખ
તમારાથી જ પિદા થયેલું છે. તેને શાંત કરવા તેમજ
સમર્થ છો. ૭ સારા વિચારેથી દુઃખને દબાવે, દૂર કરે. ૮ તમારા પિતા ઉપર વિશ્વાસ રાખે. ૯ આળશુ–પ્રમાદિ ન થાઓ, ૧૦ અશુભ માગે ગમન કરતા મનને પ્રયત્નથી રેકે. ૧૧ આરોગ્યતાના નિયમો બરાબર સાચ
ઈષ્ટસિદ્ધિ માટે સતત પ્રયાસ ચાલુ રાખે. ૧૩ છોડવાઓ, વૃક્ષ, જાનવરે અને મનુષ્ય દરેક સતત
અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે તેને વિચાર કરે. દરેક જ આગળ વધવાની શક્તિ ધરાવે છે એ
ચેકશ માને. ૧૫ સુખ દરેક પદાર્થમાં, દરેક સ્થળમાં, દરેક કાળમાં
૧૨.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૧ છે, તે મેળવવા માટે તમારા આત્માની સહાય તમારે
લેવી. ૧૬ વચન અને મન આત્માને વસ કરી શકતાં નથી. ૧૭ સર્વ દુનિયાના જ પુન્ય પાપરૂપ કમને આધિન છે. ૧૮ સ્વતંત્ર જીવ કે સ્વતંત્ર સુખ આ દુનિયામાં નથી. ૧૯ વિષયજન્ય યા પુદગલજન્ય સુખને અવશ્ય નાશ છેજ. ૨૦ વૈરાગ્ય પ્રાપ્ત થાય તે દીનતા રહેતી નથી. ૨૧ એકલા વૈરાગ્ય વડે અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. ૨૨ આત્મજ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થઇ શકે છે. આત્મ
જ્ઞાન પરમ હિતકારી છે. ૨૩ જ્યાં કે છે ત્યાં વૈરાગ્ય નથી. અને નિષ્ફળતા
મળ્યા સિવાય ધ ઉત્પન્ન થાય નહિં. ૨૪ ઈચ્છાને ત્યાગ તેજ વૈરાગ્ય છે ૨૫ જે મનુષ્યમાં કામ, કેયની અધિકતા છે અને તેને
જે ત્યાગ કરી શકતું નથી તેણે જ્ઞાની પુરૂષની સખત અને તત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન કરવું.
તેથી કામ કૈધ ઓછા થશે. ૨૬ જેની પ્રાપ્તિથી ભવિષ્યમાં શાંતિથી રહી શકાય તે
માટે પ્રયત્ન કરો. ' ૨૭ સત્તામાં રહેલાં કર્મો તે શુદ્ધ ઉપગે નિજી જાય.
છે. (નાશ પામે છે.) ૨૮ પોતાના (આત્માના) દ્રવ્ય, ગુણ, પચમાં તદાકાર
રહેવું તે શુધ ઉપગ.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
૨૯ મિથ્યાત્વ વડે બંધાયેલ કર્મો સમ્યક્ જ્ઞાન, સભ્ય
દર્શન વડે નિર. ૩૦ અવિરતિ (ઈરછા) વડે બંધાધલ કમ વિરતિ (ઈરછાના
નિરોધ) વડે નિર્જરે. ૩૧ ધાદિ કષાય વડે બંધાયેલ કમ ઉપશમ ભાવથી
નિજેરે. ૩૨ પ્રમા વડે બંધાયેલ કર્મ અપ્રમાદથી નિજરે. ૩૩ મનાદિ વેગવડે બંધાયેલ કમ–અગમ નિરોધ
વડે નિજરે. ૩૪ શુભ ઉપગે-મનાદિના પ્રશસ્ત વ્યાપાર વડે પુન્ય
બંધ થાય. ૩૫ અશુભ ઉગે (અનાદિના અપ્રશસ્ત વ્યાપાર વડે)
પાપ બંધ થાય. ૩૬ પુકમથી શાતા-સુખની પ્રાપ્તિ થાય. ૩૭ પાપ કર્મથી અસ્પતા-દુખની પ્રાપ્તિ થાય. ૩૮ શુભાશુભ કર્મથી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય. ૨૯ આત્માને સ્વભાવ તે ધર્મ છે ધર્મથી મોક્ષ થાય છે. ૪૦ વિકલ્પથી કમ આગમન થાય છે. ૪૧ નિર્વિકલ્પ સ્થિતિથી ધમાં થાય છે. ૪૨ શાસ્ત્રાદિ પઠન એ દ્રવ્ય જ્ઞાન છે. ૪૩ આત્મ સ્વરૂપને જાણવું તે ભાવ જ્ઞાન છે. ૪૪ આત્મ પ્રદેશ સાથે બંધાયેલ કર્મ કઢી નાખવા તે
દ્રવ્ય નિજર છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૪૫ રાગદ્વેષની પરિણતિ બંધ કરવી કે ઓછી કરવી તે
ભાવ નિર્ભર છે. ૪૬ જીવ જ્યાં સુધી સંકલ્પ વિકલ૫માં પરિણમે છે ત્યાં
સુધી કર્મબંધ છે. ૪૭ જેવી ભાવના તે અનુભવ થાય છે. ૪૮ વાદવિવાદમાં ન ઉતરવું. પણ વસ્તુતત્વના નિશ્ચય
માટે સરલતા અને નિરભિમાનથી યંગ્ય મનુષ્યને
પૂછવું. ૪૯ નિરંતર સર્વ સ્થળે એક પવિત્ર મંત્રને જા૫ હૃદયમાં
જપતા રહેવું. ૫૦ શાંત રાત્રીએ માનસીક વૃત્તિથી તીર્થયાત્રા અને
દેવનું પૂજન કરવું. ૫૧ તાવિક પુસ્તક વાંચવા અને સદ્ વિચાર આવે તે
લખવા. ૫૨ રાત્રીએ પિતાની દીનચર્યા સંભારવી, અને પ્રાતઃ
કાળમાં દિવસે વર્તન કરવાના નિયમોને નિશ્ચય
કર. ૫૩ કઈ પણ અથ જીવને છતી શકિતએ નિરાશ ન
કર . ૫૪ વિવિધ કલ્પનાઓનું અનુસંધાન મૂકી દઈ સ્વ
સ્વરૂપના અનુસાધનમાં તત્પર રહે. ૫૫ નિરંતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને
શાંત કરવાનો ઉપાય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ૬ અખંડ આત્મ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ તે - બ્રહ્માકારવૃત્તિ કહેવાય છે. ૫૭ કઈ પણ વિષય ઉપર સ્પૃહા ન રાખવી એ મનને
જીતવાની ઉત્તમ યુતિ છે. ૫૮ વિષયાકારે મનને પરિણમવું તે ભેદ દષ્ટિ છે.
અજ્ઞાનીઓને ભેદ માગ છે. ૫૯ આત્માકારે મનનું પરિણમવું તે અમેદવૃત્તિ છે. જ્ઞાનીઓને અભેદ માર્ગ છે. ભેદ ત્યાં સંસાર, અભેદ
ત્યાં મુક્તિ છે. ૬૦ આત્મસ્વરૂપમાં સ્થિરતા તે સ્વભાવદશા, પુદ્ગલાકારે
પરિણમવું તે વિભાવ દશા કહેવાય છે. ૬૧ પાણીમાં મીઠું જેમ એક રસ થાય છે તેમ આત્મામાં
મનનું અક્ય થવું તે સમાધિ છે. - ૬૨ જ્યારે પ્રાણને નિસ્પદ અને મનને લય થાય ત્યારે
સમરસપણું પ્રાપ્ત થાય છે, અને તે જ સમાધિ
કહેવાય છે. ૬૩ લાંબા વખત સુધી અનહદ નાદનું અનુસંધાન
કરવાથી વાસના ક્ષીણ થાય છે. મન મૂચ્છિત થાય છે. ૬૪ સિધાસને બેસી, બાહ્યદષ્ટિ નિર્મનીષ રહિત કરી
અંતરમાં લક્ષ આપી નાદ સાંભળવાથી અનાહત નાદ
પ્રગટ થાય છે ૬૫ સર્વ વિષયે પ્રત્યે સર્વ પ્રકારે પરમ અનાસ્થા કેવી
એજ યુક્તિ મનને જીતવાની છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૬૬ ભૂત, ભવિષ્યનું અનુસંધાન મૂકી દેવાથી મનને નાશ
થાય છે. ૬૭ પરસ્પર ક્ષમા કરો, ક્ષમા માંગે, અને ક્ષમા આપ, ૬૮ મધુર ગીતને આલાપ કરે પણ સંકલ્પનાં તીરે ન
ફે કે. જીહામાં મંગલમય સરસ્વતીજ . ૬૯ સંકલપની થોડી યા ઝાઝી અસર આ દુનિયામાં
થયા સિવાય રહેતી નથી. માટે સંકલ શુભ જ કરવા. ૭૦ મન, વચન, શરીરથી દાવાનળ સળગાવે નહિં પણ
બુઝા. * ૭૧ જ્યાં પ્રેમ છે ત્યાં શંકા કે પૃહાને અવકાશ જ નથી
જ્યાં તે જણાય ત્યાં શુદ્ધ પ્રેમની ખામીજ સમજવી. * ત્યાં પ્રેમ નથી પણ સ્વાર્થ છે. ૭૨ જીવ સહજ સ્વરૂપથી રહિત નથી પણ તેનું ભાન
માત્ર જીવને નથી જે થવું તેજ સહજ સ્વરૂપે
સ્થિતિ છે ૭૩ માન, વસ્તુની પ્રાપ્તિ, કીતિ અને સિદિધઓ એ
સર્વ આત્મગુણ લુંટનારા છે. તેને જરા પણ વિશ્વાસ - ન કર. અખંડ પ્રવાહમાં આગળ ચાલ્યા જા. ૭૪ અંતર મુખ વૃત્તિ કરી નિર્વિક૫૫ણે આત્મધ્યાન
કર અનાબાધ અનુભવ સ્વરૂપમાં સ્થીરતા થવા દે.
જે તકદિ ઉઠે તે નહિં લંબાવતા ઉપશમાવતે ચાલ. ૭૫ બીજાના કરતાં કરડે ગણું તું તારી ચિંતા કર.
હીમત રાખ. કર્મોને ઉદય નિરંતર એક સરખે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રહેતા નથી.
૭૬ આત્માની અજ્ઞાન દશા એજ મિથ્યાત્ત્વ છે. ૭૭ ક્ષણે ક્ષણે આત્મ ઉપયેય સ્થિર કરી.
૭૮ નિવિકલ્પ દશા સિવાય ઉપયેગ સ્થિર થતા નથી. ૭૯ મનની નિરાકાર સ્થિતિ તેજ નિવિકલ્પ દશા છે. ૮૦ સત્સંગ અને સવિચારથી વિચાર દૃષ્ટિ શુદ્ધ થાય છે૮૧ આત્મ ઉપયાગની અખંડ જાગૃતિ તેજ માક્ષ છે. ૮૨ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ સુખરૂપ છેજ નહિ. ૮૩ જેને માટે પ્રવૃત્તિ કરે છે તેજ ખંધન માટે થાય છે. ૮૪ આગ્રહ પકડાતાં સત્ય પણ પાડનાર થાય છે. જ્યાં ઉપાય ન હોય ત્યાં મૌન પશુ ઉચિત છે.
૮૫ ભજવવાના પાઠ આનંદથી ભજવવા, પ્રારબ્ધ પ્રમાણે ભાગવી લેવું. નવું ન બાંધવું એ પુરૂષાથ છે. ૮૬ જગત્ ગુરૂ છે તેમાંથી શીખવાનુ ઘણું છે. દરેકમાં ઉચ્ચ ઇશ્વરી ભાવ રાખવેા.
૮૭ ગુણ ગ્રહણ કરવા. દોષ ખાલી થતાં તે સ્થાન ગુણુ લેશે.
૮૮ કદાગ્રહ મ‘ધાતાં શીખવાથી વેગળા જવાય છે, પ્રહાર તે કસાટી છે.
૮૯ આત્મ બળથી પાર પહોંચાય છે. આધાત ખમી લેવા, પણુ કરવા નહિ.
૯૦ શરણે થવું. અગર આંતર્ મૌનતા ભજવી, અહંકાર કાઢવાના આ બે ઉપાયા છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૯૧ સ્વાનુભાવથી જે અસર સુધરવા કે ભાગળ વધવા માટે થાય છે તે કહેવાથી કે સાંભળવાથી થતી નથી. ૯૨ પેાતાના ડહાપણથી (અ'હુકારથી) મનુષ્યા આગળ વધતાં અને નવીન જ્ઞાન લેતાં અટકે છે.
૯૩ સામા થવા કરતાં અનુકુળ થઇ કામ લેવાથી ઘણી સહેલાઇથી કામ સિધ્ધ કરી શકાય છે.
૯૪ સામા મનુષ્યનુ પુરૂ સાંભળી લીધા સિવાય, તેનુ સમાધાન કરવા કે તેના વિચારા તાડવા માટે વચમાં જેટલુ ખેલાય છે તેની અસર કાંઇ થતી નથી. તે શબ્દે વચમાંજ ઉડી જાય છે. તેનુ હૃદય ખાલી થયા સિવાય આપણા શબ્દો તેમાં પ્રવેશ કરી શકતા નથી.
૯૫ અદૃશ્ય શક્તિ અને છાબડાં સરખાં રાખવા પ્રયત્ન કરે છે. તેની આડે જેટલા આવે છે તેટલા રૂપાંતરથી પણ પેાતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડે છે. ૯૬ સારા કામમાં આગળ અને નારા કામમાં કરેલી ઉતાવળ પશ્ચાતાપ માટે ાય છે.
૯૭ જયાંસુધી તને અન્યના દોષો જાય છે ત્યાંસુધી તે તે દોષો તારા પેાતામાંજ છે એ ચેાકસ સમજજે. ૯૮ અન્યને સુધારવા પહેલાં પેાતાને સુધરવાની જરૂર છે. ૯૯ પ્રારબ્ધ પ્રમાણેજ ચગ્યાાગ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય તરફ કટાક્ષ ન કરતાં પ્રારબ્ધને સુધારવા પ્રયત્ન કર.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૧૦૦ મનુષ્યને સુધારવા કે આગળ વધારવા માટે આ
દુનિયા મેટામાં મેટી નિશાળ છે. ૧૦૧ સંપત્તિમાં પરિમિત્ત આચરણ રાખવું અને વિપત્તિમાં
હૈયે રાખવું એ મહાન સદ્દગુણ છે. ૧૦૨ આત્મભાન ભૂલાવે તે કુસંગ. આત્મ જાગૃતિ કરાવે
તે સત્સંગ. ૧૦૩ હે પુષ! તું પ્રથમ વિકાશ તે પામ. ભમરાઓ તેની
મેળેજ તારી તરફ ખેંચાઈ આવશે. ૧૦૪ અતીત ભેગને યાદ ન કર. અનાગતની ઈચ્છા ન કર.
અને મળેલ વિષયોમાં આનંદિત ન થા. ' ૧૦૫ આશા રહિત થ. મમતા મૂકી દે. કેઈની મદદની
અપેક્ષા ન કર. સંસર્ગ રહિત રહે. સ્વતંત્ર આત્મા
પર શ્રધ્ધા રાખ. ૧૦૬ આત્મવત્ સર્વને જે. મૌન કર. સહનશીલ થા.
મેક્ષનું કારણ વેશ નથી પણ જ્ઞાન છે. ૧૦૭ લાભાલાભથી હર્ષશોક ન કર, સત્કાર અને લાભથી
આપનારનાં બંધનમાં બંધાવું પડે છે. સર્વ જીવોને અભય આપ. તને ભૂત તરફથી ભય નહિ થાય. 'શિષ્યનાં બંધનમાં બંધાઈશ નહિં. ૧૦૮ જગને જાગૃત કરવાની ઈચ્છા હોય તે પ્રથમ તમારા
આત્માને જાગૃત કરે. જેટલા તમે જાગૃત થયા હશે તેટલાજ જગતને જાગૃત કરી શકશે. જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકાય એવું સ્થાન તમારે
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૯ આત્માજ જે સ્વરૂપમાં સ્થીર થઈ જે હીલચાલ કરશે તેથી આ જગતને હચમચાવી શકશે.
વિચાર રત્નમાલા. આપણે જે ક્ષમાની યાચના કરતાં તે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ તે પછી આપણે બીજાને ક્ષમા આપવાને તત્પર રહેવું જોઈએ. સુખ દુઃખ આપવામાં મનુષ્યાદિ નિમિત્ત કારણ છે, ખરું કારણ પિતાનાં શુભાશુભ કર્મો છે સુખી થવા માટે તે કમેનેજ સુધારવાં જોઈએ. પ્રવૃત્તિ ભાવાનુસાર થાય છે, માટે ઉત્તમ પ્રકારની પારમાર્થિક ભાવનામય થવાનો અભ્યાસ અવશ્ય કરો. અજ્ઞાનીઓ ધિ કારને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે, તેવા અજ્ઞાનીઓ પર દયા લાવી તેમને શુદ્ધ માગે દેરવા જોઈએ પણ તેમના પર કેધ નહિ કરે જોઈએ. કારણકે તેથી તેઓ આપણા સદુપદેશથી વિમુખ થાય છે ૪ સંપત્તિ સમયે આત્મસંયમ ન છે. તેમ વિપત્તિ
સમયે નિરાશ અને પુરૂષાર્થ પણ ન મૂકો. કેમકે જય, પરાજય, સુખ, દુખ, માન, અપમાન, હર્ષ, શાક વગેરે કાંઈ કાયમ ટકી રહેનાર નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ જે મનુષ્યને આત્મશકિતમાં (પિતામાં) વિશ્વાસ નથી
તે મનુષ્ય ધર્મના ઉંચા પગથી ઉપર ચડવાને લાયક નથી. આત્મશકિત અનંત છે. એક ક્ષણમાં અનંત કર્મોને નાશ કરી શકે છે, માટે ગમે તેવી આફત કે વિદને આવે તે પણ તેને પાર તેથી જ પામી શકાય છે. જેને આત્મ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ કઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. ધીમે ધીમે મોટા પર્વતે પણ ઓળંગી શકાય છે. જેઓ ઉંચે ચડયા છે તેઓ આપણું જેવા મનુષ્ય જ
હતા, પણ તેમને પિતામાં વિશ્વાસ હતે. ૭ આત્માને કશું અસાધ્ય નથી. અત્યારની મારી ધીમી
પ્રવૃત્તિ દેખી ભલે તમે અત્યારે મને હસી કાઢે, પણ આગળ જતાં તમે જ મને માન આપશે અને પ્રશંશા કરશે. પ્રથમ પ્રયત્ન જ તમે કદી નિષ્ફળ જાઓ તે પણ આરંભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારંભ કરશે. આ પ્રમાણે એક્વાર નહિ, પણ હજાર વાર નિરાશ થવું પડે છતાં પણ ગભરાશો કે હિમ્મત હારશે નહિ. જોકે તમને હમણાં વિજય દેખાતે નથી છતાં દરેક વખતે તમે વિજય સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયીજ નિવડશે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૯ જ્યાંસુધી મનુષ્યોને આત્મ શ્રદ્ધા છે ત્યાંસુધી ભલેને આખું જગત તેને ત્યાગ કરે, તેા પણુ તેના ખીલકુલ ભય રાખવાનુ` કાંઇ કારણ નથી, કારણુ કે મનુષ્ય આત્મબળથી આખું જગત્ સ્વાધિન કરવાની શકિત ધરાવે છે.
૧૦ પાપી આત્માઓ ને મહાત્માએ વચ્ચે આજે તફાવત છે કે, આ જીવા પેાતાની શકિત ઉપર કાબુ ધરાવે છે ત્યારે પેલા જીવા જડ વસ્તુના કબજામાં આવેલા
છે.
૧૧ નિરંતરના સતત્ અભ્યાસથી તમારા મનેબળને એકત્ર કરતાં અને ચેાગ્ય સમયે એકજ મામતઉપર તેને વાપરતાં શીખા, જો મહાન શક્તિ મેળવવાની તમારી ઇચ્છાજ હાય તા મૌન, ગભીરતા, અને ધીરજતા ધારણ કરવાની સૌ કરતાં પ્રથમ જરૂર છે.
૧૨ જે મનુષ્ય પોતાને વશ કરતાં અને કાણુમાં રાખતાં શીખ્યા છે તેજ મનુષ્ય મીજાને વશ રાખી શકે છે અથવા આજ્ઞા કરી શકે છે.
૧૩ જે શાંતિ પ્રિય છે, ભય રહિત છે, વિચાર શીલ છે, અને સંયમવાન છે, તેઓને માટે જંગલ ઉદ્યાન કે પર્વતના શિખરનું એકાંત સ્થાન સ્વહિતાર્થે ઉત્તમ છે. ૧૪ હલકી વાસનાએ, મનની અસ્ત વ્યસ્ત સ્થિતિ, વચનની ચપળતા, અને શરીરનેા અસયમ એ પેાતાની શક્તિના દુરૂપયાગ છે, અથવા શક્તિને વિખેરી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
નાખનાર સાધન છે. ૧૫ જે વસ્તુ સ્વભાવથીજ અનિત્ય અને વિયેગશીલ છે.
તે વસ્તુ ઉપરની લાગણીથી શાશ્વત સુખ મેળવવાની આશા કેમ રાખી શકાય? અનિત્ય અને વિયેગશીલ વસ્તુઓ ઉપર રાગ ધરવાનું કે તેને માટે પુરવાનું મુકી દેવું જ જોઈએ અને નિત્ય, સ્થાયી વસ્તુનું મનન, સ્મરણ પરિશીલન, અને એકી કરણ કરવું જોઈએ. તો જરૂર શાશ્વત વસ્તુ રૂપ (આત્મ સ્વરૂપ)
થઈ રહેવાશે. ૧૬ તમે તમારી વસ્તુ બીજાને દાનમાં આપી દ્યો છે, તે
છતાં જ્યારે તેના તરફથી તમારે આભાર માનવામાં ન આવે તે વખતે જે તમારૂં દીલ દુભાય તે તમે અવશ્ય સમજજો કે તમે આપેલું દાન ખરા પ્રેમનું
ન હતું, પણ ખોટી મગરૂરીનું પરિણામ હતું. ૧૭ દાન વગર કરેલી માત્ર અરજ રૂપ સ્તુતિ, પ્રાર્થના
અથવા માગેલી માફી, તે જીવ વગરનાં ખાલી ખોખાં સમાન છે. આવી પ્રાર્થના કે માફી, મનુષ્યને પાપ કે
દુઃખથી મુકત કરી ઉચે લઈ જઈ શકતી નથી. ૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ
આવી, તમને ભેટી પડે એ ખ્યાલ સ્વપનમાં પણ લાવશો નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુધને અટકાવનાર વિચારો અને આચારોને તિલાંજલી આપે, અને આત્મ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૩
સત્તાગત વિશુધિને લક્ષમાં રાખી તેવા વિશુધ્ધ થવા
વિભાવોનું વિસર્જન કરે, ૧૯ જે મહાન પુરૂષો ઉંચા માગે ચડયા છે અને ત્યાં
ટકી રહ્યા છે તે કાંઈ એક ફર્લાગે કે એક કુદકે ચડ્યા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્ય ઘોર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માગ તરફ ચડવાનો પંથ કાપતા જ રહ્યા હતા. આત્મજ્ઞાનના ઉપાધકોએ એકાંત અને ઉગ્ર આત્મ સંયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે
લક્ષણો આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે. ૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાંખેવડે આનંદ વર્ગમાં ઉડે નિડર બને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સંભવિત છે એમ દઢ માને, તદ્દન શાંત અને ડાઘ વગરની જીંદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખે, ઉંચામાં ઉંચું સત્ય મળી શકે છે. એ વિશ્વાસ રાખો, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ, સવગય ઉંચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેએનામાં આવું શ્રધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટ
કયાજ કરે છે. અને દુઃખ પામ્યા જ કરે છે. ૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આવે તે પ્રત્યેકનાં
બાહ્ય સવરૂપ—ઉપાધિમાં જે કાંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર સત્તા ગત શુધ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આત્મા ઉપરજ લક્ષ આપો. આત્મા સ્વરૂપે શુદધ છે. છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ દેષથી દુષીત ભાગ છે એમ માને. આમ કરવાથી શ્રેષદષ્ટિ દૂર થશે, અને ગુણદષ્ટિ
પ્રગટ થશે. ૨૩ મદદ આપવાની ઈચ્છાથી તમે જેને સારામાં સારા
વિચાર સંભળાવે છે. અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરે છે છતાં તે જ્યારે તેને રૂચતી નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની યેગ્યતા નથી એમ નિશ્ચય કરે. અને તેમની લાયકાતાનુસાર ઉપદેશ આપે અથવા માર્ગ બતાવે. મેગ્યતાથી વિશેષ ન આપે. અને વિશેષ સંભળાવે પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તે ઉલટું લાભને બદલે તેમને નુકસાન થશે.
યોગ્યતા તપાસવાની ઉપદેશકોને પૂર્ણ જરૂર છે. ૨૪ આપણે વિચારેજ આપણને વિચાર જેવા બનાવે
છે. પાપના વિચારે આપણને પાપી બનાવે છે. ધર્મને વિચાર આપણને ધમી બનાવે છે. તેથી
પ્રથમ વિચારોને શુદ્ધ કરે. ૨૫ હજારે કાર્ય પડતાં મૂકે, પણ આખા દિવસમાં એક
પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થિતિ તમે મેળવો. ૨૬ સવારમાં ચાર વાગે ઉઠે. કઈ પણ ના શબ્દ ન
સંભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને બીલકુલ હલાવે નહિ; મનને એકાગ્રતા કરવા આંખોને
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩પ
બે પાંપણોની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરે. ખડખડાટ થાય કે મરછરાદિ જંતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવે નહિ. શ્વાસો શ્વાસની ક્રિયા ઘણીજ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણી જ શાંતિમાં આવશે. કોઈ કાર્યને માટે પિતે અશકત છે એમ કદી પણ માનવું નહિ બીજાના વિચારોના ગુલામ નહિ થવું. દરેક કાર્યોને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. હાર થયા છતાં પણ નિરાશ ન થવું. પ્રબળ ઉત્સાહ રાખવો. આત્મવિશ્વાસ કદી છે નહિ. આળસ અને પ્રમાદને તે દેશવટોજ આપ. કાર્યસિદ્ધિ માટે સતત અભ્યાસની જરૂર છે. નાના નાના છેડવાઓ, વૃક્ષો, જનાવરે, અને મનુષ્ય, દરેક સતત્ અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે? અને વધે છે? તેને વિચાર
કરો, દરેક જ આગળ વધવાની શકિત ધરાવે છે. ૨૮ શેચ નહિ કર. તે આર્તધ્યાન છે. તારા સિવાય તારું
ભલું કે બુરું કરનાર કેઈ નથી. તું બીજાનું ભલું કે બુરૂં નજ કરી શકે કારણકે ભલા, બુરાને આધાર
તેના કર્તવ્યપરજ છે. ૨૯ જે ઈચછા કરે છે તેવું કર્તવ્ય કર્યું હશે તે વગર
ઈરછાએ પણ તે મળશે. તેવું કર્મ નથી તે ગમે તેટલી ઈછા કર્યાથી પણ તે નહિ જ મળે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
૩૦ મન, વચન, શરીરને નિત્ય શુભમાં પ્રવર્તાવ. જગત
જી કર્માધિન છે. આશ્ચર્ય ન પામ. આત્મહિત સિવાય બીજા વિચારે ન કર દુનિયાના કર્તાવ્યોથી
છેવટે નિરાશાજ છે. આત્મ ઉપગમાં લીન થા. ૩૧ વિકલપે એ ચિત્તની શાંત અવસ્થારૂપ સરોવરમાં
પત્થર ફેંકવા તુલ્ય અશાંતિ કરનાર છે. ૩ર અમુક હદ આવ્યા સિવાય પિતાનું જ ભલું કરવા
તરફ કાળજી રાખવી જોઈએ લાયકાત સિવાય બીજાનું ભલું કરવા જતાં પોતે પતિત થવાય છે. પોતે પાણીમાં તરતાં શીખે નથી તે બીજાને પાણીમાં બુડા કેડી
રીતે બચાવી શકશે? ૩૩ મળ્યો અને વસ્તુઓ પિતાનો જે સ્વભાવ હોય
તે પ્રગટ કરી બતાવે છે તેમાં આશ્ચર્ય, દ્વેષ, કે હર્ષ, શા માટે કરે જોઈએ? લીમડાને જઈને પુછ કે તું કડવું શા માટે? અને આંબાને જઈને પુછ કે તું મીઠે શા માટે? આને ઉત્તર તેને સ્વ
ભાવજ તે. ૩૪ ત્મિ વિશુદિધમાં આગળ વધવાને ટુંકે માર્ગ આ
છે કે, આહારને જય, આસનનો જય, નિદ્રાનો જય, શરીરને જય, વચનને ય, મનને જય. તિવ્ર વૈરાગ્ય અપ્રમતા, એકાંતવાસ, સર્વજ્ઞ ધ્યાન,
આત્મવૃત્તિ. ૩૫ અ૯૫આહાર, અ૫નિદ્રા, અલ્પવિહાર, નિયમિત,
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ભાષા, નિયમિત કામ, અનુકુળ સ્થાન, મનને વા કરવાનાં આ ઉત્તમ સાધના છે.
૩૬ નિવિકલ્પ, મૌન, અને કાર્યાત્સગ કમવાથી કર્યાં આવતાં મધ થાય છે.
૩૭ દુઃષમકાળ, તત્વજ્ઞાની ગુરૂને વિરહ, પૂર્વકનું જોર, સત્સંગના અભાવ, પુદ્દગલાન દિએની સેાત્રત, ભવાબિનદિઓના સહવાસ, આ અધઃપતન થવામાં પ્રબળ કારણ છે.
૩૮ આત્મગુણ્ણાની અભેદતા, યા જડ ચૈતન્યની ભિન્નતા તે જ્ઞાન છે. નિવિકલ્પ મન તે ધ્યાન છે. માનસિક મલીનતાના ત્યાગ તે સ્નાન છે. અને ઇંદ્રિયાના નિગ્રહ તે શૌચ યાને પવિત્રતા છે.
૩૯ પૂર્વનાં કર્મો મને આ કન્ય કરવા પ્રેરે છે.
વિચારને પ્રબળ પ્રયત્નથી નીચેા બેસાડી દ્યો, પ્રત્યક્ષથી પૂર્વનું ખળવાન્ નહિ થાય. આ જન્મના પ્રબળ પ્રયત્ન પૂર્વ કર્મને હઠાવશે, પણ અત્યારના પ્રયત્ન મંદ હશે અને પૂર્વના પ્રત્યક્ષ બળવાન્ હશે તેા અત્યારના પ્રયત્નને હઠવુ પડશે. છેવટે અનુદ્વેષીને વિજય થશે, માટે પ્રયત્ન કરો.
૪૦ જેમ જેમ ધ્યાન વિશુધ્ધિ, તેમ તેમ કા ક્ષય થશે. જ્યાં સર્વોત્કૃષ્ટ શુધ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિધ્ધિ થાય છે.
૪૧ વિષય ઇચ્છાથી, જેનું મન ઇંદ્રિ સંતાપિત છે તેને
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શીતળ આત્મસુખની પ્રાપ્તિ કયાંથી થાય ? ૪૨ નિરાશા વખતે મહાત્મા પુરૂષોનાં ચિરત્રાસ'ભારે તેમના સતત્ અને લાંખા કાળના પ્રયત્ન તપાસે. તેઓએ નીરાશ થઇને પ્રયત્ન મુકી દ્વીધા હોત તે મહાત્માના નામને લાયક થાત કે ? જગત્ અનુકરણીય થાત કે? માટે નીરાશ ન થાએ, આગળ ચાલેા.
૪૩ આગળ વધનારનેજ વિઘ્ન આવે છે, અને તેની ચેાન્યતાની પરિક્ષા પણ ત્યાંજ થાય છૅ, ધનવાનને લુંટવાના ભય છે. ચડેલાનેજ પડવાના ભય છે. પણ તેથી ગભરાશો નહિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ અનુકુળ આલખને લઇ ઉત્સાહથી પ્રખળ પ્રયત્ને આગળ વધા, યામ કરીને ચાલા, અવશ્ય વિજયજ થશે. ૪૪ જો તમારે આગળજ વધવુ છે. તેા તમારા સવ સ્થળે પથરાયેલા સ્નેહ. પ્રેમ, આશકિત કે લાગણીને ખેચી લ્યે અને સર્વ તરફ વિરાગભાવ કરો. તે સવ લાગણીઓ એક આત્મભાવ તરફજ વાળા, તે કત્તવ્યનેજ મુખ્ય કરી, ખાદીનાં કત્તવ્યને ગૌણુ કરો, જરૂર આગળ વધશે.
૪૫ જો તું વીર પરમાત્માની આજ્ઞાપાલક નિગ્ર થજ હાય તા તારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રમત્તપણું અને અપ્રતિબધ્ધપણું રાખવુ. જોઇએ.
૪૬ વિષયને વિશ્વાસ જરા પણ કરવા લાયક નથી, મને
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૯
અંતર્દિષ્ટ થઇ છે એમ ધારી તે વિષયાને જરાપણ વિશ્વાસ ન કરજે. મન:પર્યવજ્ઞાન પયતની હદવાf જીવા પણ આ વિશ્વાસથી ઢંગાયા છે. અને નદિ ગતિમાં ગયા છે.
૪૭ પુદ્દગલાના અનુભવ અનાદિ કાળના હાવાથી મનુષ્ય સ્વાભાવિક રીતે તે તરફ આકર્ષાય છે, અને સહજ વારમાં પેાતાનુ ભાન ભૂલી જાય છે. ચાદ પુર્વ ધરા પણ આત્મસ્થિતિ ભૂલાયાથી નરક અને નિગાદા ગયા છે.
૪૮ વસ્તુના કેવળ વિનાશ કી પણ થતે નથી, પણ તેનું રૂપાંતર થયા કરે છે આ પ્રમાણે આત્મા માટે પણ
બન્યા કરે છે.
૪૯ આ જગત્સમુદ્ર સ્થુળ સુક્ષ્મ પુદ્ગળાથી ભરપૂર છે પાણીમાં પરાટા ઉત્પન્ન થઇ તેમાં વિલય પામે છે તેમ કના સંબંધે નાના પ્રકારની આકૃતિઓ અને છે. અને તેને વિલય પણ પાછે તેમાંજ થાય છે. આ આકૃતિના રૂપાંતરથી આત્મા મરણુ રમતા નથી.
!•
૫૦ કર્મો અવશ્ય ફળ આપવાનાંજ, એમ જાણી બ્તત્ત્વષ્ટિએ કર્મ બંધનના હેતુથી દૂરજ રહેવું વીર પુરૂષોના માર્ગમાં દુઃખે પ્રવેશ કરી શકાય તેમ છે. ૫૧ જીણુ ઈંધણાંને અગ્નિ ઘણીજ ત્વરાથી ભસ્મીભૂત કરે છે તેમ તું જો સ્નેહરહિત થઇશ તા આત્મસમવડે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કર્મોને જલદી ખાળી શકીશ.
પર આ અજ્ઞાન અને પ્રપોંચી દુનિયાની દેખાદેખીએ તુ ન ચાલીશ, પણ પૂર્વાપર વિચાર કરી. સમજીને લાભાલાભના નિશ્ચય કરી પછી આગળ પગ ધરશે. ૫૩ સર્વ કાળમાં સર્વ સ્થળે સર્વ પ્રકારે પ્રમાદી જીવાને ભય રહેલા છે. અપ્રમાદિ જીવાને કાઇ પણુ રીતે ભય નથી. તે સદા નિર્ભય છે.
૫૪ વિચારની તીક્ષ્ણ પરિણતીથી તેમજ અત્મભાવ પ્રત્યેની સ્થિરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે.
૫૫ લકી સેાબતથી, માનની ઇચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દુખાય છે, અધ:પતન થાય છે
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણ પણુ કરવાથી તરતજ અંતરાત્મપણું થતું નથી, તેમજ તે પ્રમાણે આચરણ કે ગુણા તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દૃઢતા માટે પુનઃ પુનઃ અભ્યાસની જરૂર છે. ૫૭ સારા વિચારો કરો. સારા કાર્ય માં પ્રયત્ન રાખો. તા ખાટાં કૃત્ય કરવાને વખત નહિ મળે. જીંદગી ટુકી છે ખીજે વખત કાઢી નાંખવાથી તે સફળ નહિ થાય ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાક્રિકથી લઈ તૈયાર થવા પયતમાં કેટલી મહેનત પડે છે? વિચાર કરી. ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૧
મહેનતની જરૂર છે. ૫૮ આળસ મુકે, થાડા પણ નિરંતરના અભ્યાસની
અકુરથી લઈ આ મજબુત ઝડપણને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધું આગળ વધવું છે? છેડે વખત ઉદ્યમ કરી આગળ વધવામાં તેણે આળસ કરી
હત તે તે આ સ્થિતિએ પહોંચી શકત ? ૫૯ પડી રહેલા લોઢા ઉપર કાટ ચઢી જાય છે. તેમ આળસુ
મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે, લેઢાની માફક તેને તે નિરંતર
સદુપયેગમાં લેવાં જ જોઈએ. ૬૦ ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે
છે. તે તે સાફસૂફ કર્યાથીજ (ખેડયાથીજ) સારું રહે છે, તેમ મનુષ્યનું હૃદય પણ સદુભાવનારૂપ શીરાથી (હળથી) સંસ્કારીને–ખેડીને સાફ રાખવું જ જોઈએ નહિંતર કર્મરૂપ જાળાં, ઝાંખરાં ઉગી નીકળી તે
નિરૂપાણી અથવા દુઃખદાયી થઈ પડે છે. ૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણ આવે છે
પણ બધેજ પાણી બગડી જાય છે. ઝરણુ બંધ થાય છે. તેમ સાધુ, જ્ઞાન અને ધનને વહેતાંજ રાખવું જોઇએ. એકજ સ્થાને અને વપરાશ વિના રાખવા
તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટે બગાડ થાય છે. દર આ અસ્થિર માનવાદિ પ્રર્યામાંથી મનુષ્યએ સ્થિ
થવાને પ્રયત્ન અવશ્ય કરજ જોઇએ. આર .
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
દુઃખની માતા છે. ૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહે
એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શકતાં ત્યાં જ ખરેખર સુખ રહેલું છે. એટલે મે તેટલું જ દુઃખ, એટલે હર્ષ
તેટલેજ શેક. ૬૪ આ મહાન્ દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવું
જોઈએ? ગમે ત્યાં ભરાઈ બેસો. કર્મોનું ફળ અવશ્ય
મળશેજ. કાયમ કર્મો કરતાં અટકવું જ જોઈએ. ૬૫ એક વસ્તુને ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે
તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તે તે ત્યાગ નથી, પણ રૂપાંતર છે. ત્યાગે એ. હેવો જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપયોગ સાધન રૂપે કરવું જોઈએ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કષાય ઓછા તેમ
આવરણ ઓછું જ થવાનું. ૬૭ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતો નથી. પણ પર્યાય
બદલાય છે. પુદગલની આકૃતિ બદલાય છે, પણ તેના પરમાણું તે જગતમાં કાયમ રહે છે. આ રૂપાંતર થવું તેજ દરેક વસ્તુને પુનર્જન્મ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩
૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ
વાત સ્વાનુભવ સિદધ છે. તે ગર્ભમાં આવ્યું તે કઈ ક્રિયાથી? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંને
જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ. ૬૯ આ જ , આ મરી ગયો. આ આવ્યું તે કયાંથી?
અને ગમે તે કયાં ગયે? આ ગતિ આગતિ પુન
જન્મને જ સુચવે છે. ૭૦ કાર્ય કારણુને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે.
તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ
ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.. ૭૧ સર્વે, સુખીયાં શા માટે નથી? સવે દુખીયાં કેમ
થતાં નથી ? રંક શા માટે થાય છે? આનું કાંઈપણ
કારણ સમજાવશે? આજ પુનર્જન્મ. ૭૨ પર્યાયે અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા
જેવું નથી. સંગે વિયેગશીળ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. વાર્થ એ મનુષ્યમાં મુખ્ય
દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવો તે ઉત્તમ સદ્ગુણ છે. ૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા! મરણ ધર્મવાળા શ૧
૨માં શા માટે આશકિત કરે છે? આ દેહને અવશ્ય ત્યાગ કરવોજ પડશે, જરૂર બીજે જ પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા મ ]. કરે છે? આ ઘરના નાશથી તારે નાશ થવાનેજ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
નથી.
૭૪ એ અનત મળવાન આત્મા! નિમ ળ વિચારોથી તારા બળના નાશ નહિં કર. તુ જેવી ઇચ્છા કરીશ તેવા થઇ શકીશ. અનંત ખળવાન વીર પરમાત્માનુ જીવન યાદ કર અને તેનુ પ્રબળ પ્રયત્ને અનુકરણ કર. ૭૫ એકલા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી વિષચે સાથેના શારીરિક સબંધ હાડયા પહેલાં માનસીક સબધ અવશ્ય છેડવાજ જોઇએ ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કાઇ અપેક્ષાએ માહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
૭૬ જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે કે સફળતા મળે. તથાપિ હશેાકથી લેપાવું ન જોઇએ. જે મનુષ્યને માન-અપમાન સરખુ છે. તે ત્યાગ માર્ગના અને પાપકારના માર્ગના શીખર પર પહાચી શકે છે.
૭૭ આત્મ ઉન્નત્તિના ઇચ્છકાએ, માહ્ય સૃષ્ટિની પછાડી પડવુ (દારાવું) તે વ્યર્થ છે. આખા વિશ્વનું મંથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી આત્માના સાક્ષાત્કાર કદી થવાનાજ નથી. તેને માટે તે પેાતાના આત્માનીજ પછાડી પડવું. અને તેનેજ શુધ્ધ કરવા પડશે.
૭૮ વડના બીજમાં વડવૃક્ષ ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. ખીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા,
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પાણી વિગેરે સામગ્રી મળતાં તે શિકત ૫હાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી ખીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તેા તેના છેલ્લા ભાગ પર શા માટે ના જઈ જટ્ટીએ ?
૭૯ પાણીના ઉંડા તળીએ પહેલુ રત્ન, પાણીની મલીનતાથી દેખાતું નથી. તે મેલ દૂર થાય તે અવશ્ય દેખાય છે. તેમ રત્નતુલ્ય નિર્માંળ યા અમુલ્ય આત્મા મનથી મલીનતા નીચે માર્યા છે, માટે મનની મલીનતા દૂર કરી તા અવશ્ય તેની પ્રભા દેખાશે. ૮૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરીયેાગ્ય અવસરે જે મનુષ્ય દેઢ પ્રયત્ન કરે છે, તે અશ્ય ઈચ્છિત કાર્ય સિધ્ધ કરી શકે છે. અવસર વિનાનુ ખેલવુ' અને કરવુ' તે નિક છે. ઈષ્ટ ફળદાયક થતું નથી.
.
૮૧ આ દૃશ્ય જડ વસ્તુઓનુ ઉપાદાન (મૂળ) કારણ પરમાણુ છે. તેમાં પરિણમન ધમ રહેલેા હોવાથી અનેક પરમાણુએ મળી અનેક પ્રકારના સ્કંધ ઉત્પન્ન થાય છે. તે સ્કાને જીવા શરીર દ્વારા ગ્રહણ કરી નાના પ્રકારની આકૃતિઓમાં ગોઠવે છે કાળીએ જેમ પાતાની લાળથી ઉત્પન્ન કરેલી જાળમાં ંચાય છે તેમ જીવા આ આકૃતિની માયામાં ક્રૂસાય છે, અને
૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રાગ દ્વેષ કરી સંસાર પરિભ્રમણ કરે છે. ૮૨ ઉપાસના (ભક્તિ) કરવાવાળા મનુષ્યને પ્રેમ પિતાના
ઉપાસ્ય પરમ પુરૂષ પરમાત્મા ઉપર એટલે બધે હવે જોઈએ કે તેની પરાકાષ્ટા કોઈ પણ બીજા સ્થળે હેવી નજ જોઈએ મન, વચન, અને શરીર તપરાયણ કરી દેવા જોઈએ અનીશ તેનું જ રટણ
જોઈએ. ૮૩ કિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાનાં મન,
વચન, શરીરને, વ્રત, તપ, જપાદિ યમ નિયમોમાં અનીશ પ્રવર્તાવવાં જોઈએ અને કોઈ પણ વખત અશુભ પ્રવૃત્તિ મન, વચન, શરીરથી ન થાય તેટલાં
મજબુત બનાવવાં જોઈએ. ૮૪ જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયા માર્ગમાં
દઢતા થયા પછી અહનીશ આમ ઉપયોગમાં તત્પર રહેવું જોઈએ. કેઈ નાનું સરખું વ્યવહારીક કાર્ય પણ આત્મ ઉપગની જાગૃતિ વિના ન થવું જોઈએ, અર્થાત્ સવ કાળે અને સર્વ સ્થળે આત્મજાગૃતિ
રાખવી જ જોઈએ. ૮૫ ઈચ્છાઓને માર્યા સિવાય ત્યાગધર્મ ન સંભવી શકે.
પૂર્વ કર્મને લઈ આહારાદિ ઇંદ્રિય વિષયે પ્રત્યે પ્રવૃત્તિ હેય તથાપિ ત્યાં પણ રાગદ્વેષની ચીકાશ રહિતજ પ્રવૃત્તિ હોય. તેમ ન હોય તે ત્યાગ ધર્મ પણ ન હેય.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૭
૮૭
૮૬ કોઈ પણ વસ્તુ ઉપર પિતાના ઉપગને જવા ન
દે. આમ થવાથી વૃત્તિઓનું ઉત્થાન ન થતાં પિતાના સ્વરૂપમાં સ્થિર થવાશે. સ્થિર થવાથી લય પ્રાપ્તિ ઘણી સહેલાઈથી થાય છે. આત્માની શકિત આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બહાર ફાંફાં મારવામાં આવે છે. આ કેટલું બધું પ્રબળ અજ્ઞાન ? પૂર્ણ સુખ આત્મામાં હેવા છતાં તે માંટે પુદ્ગલ (જડ વસ્તુઓ) નાં ચુંથણ ચુંથવાને પ્રયત્ન કરે તે પ્રકાશને અંધકારમાંથી
શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે. ૮૮ સ્વાનુભવ આત્મામાં ન કરતાં, કોઈ મહા પુરૂષના
કરેલ અનુભવને બેસી જવામાં કે વાંચી જવામાં અનુભવ માની લેવો એ વિશેષ અધઃપતન થવાનું લક્ષણ છે. સ્વાનુભવ માટે પ્રયત્ન નહિ કરતાં કેવળ સ્વાનુભવની વાર્તાઓમાં આત્મજ્ઞાન માનનારાઓ
આત્મજ્ઞાની નથી પણ શબ્દજ્ઞાની છે ૮૯ પિતેજ પિતાને શત્રુ છે, અને પોતેજ પિતાને મિત્ર
છે. મન સ્વાધિન અને આત્મ જાગૃતિ કાયમ હોય તે દુનિયામાં એવું કેઈ નિમિત્ત કે વસ્તુ નથી કે આત્માને જોર જુલમથી કમ વળગાડે અથવા કર્મથી બંધિત કરે. જેમ જેમ આપણા પર દુ ખ આવી પડે છે તેમ તેમ આપણું ડહાપણ વૃદ્ધિ પામે છે. આપણી ભૂલથી
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
થયેલે દુઃખને અનુભવ આપણને ભવિષ્યમાં તેવી
થતી ભૂલે અટકાવવા વિશેષ ઉપયોગી થઈ પડે છે ૯૧ દુઃખના અનુભવ દ્વારા છેવટે આત્મસાક્ષાત્કાર પણ થાય
છે એટલે દુઃખથી અસંતુષ્ટ તે થવું જ નહિ દુઃખ માત્ર કર્માનુસાર હોવાથી જેટલું ભેગવાય તેટલું તે ઓછું થાય છે, દુઃખની સાથે અથડાતાં સહન શક્તિનું વીર્ય વૃદ્ધિ પામે છે. દુઃખ મનુષ્યને મહાન ગુરૂ છે. તે દ્વારા વિચાર ખુલે છે, સત્ય શોધાય છે,
અને દોષ દૂર કરાય છે. ૯૨ આત્માના છેવટના સ્થાયી સુખની પ્રાપ્તિને સંભવ
દઢ કરે હોય તે તાત્કાલીક ફળ પ્રાપ્તિની ઈચ્છા ઘટાડવી જોઈએ. જે કાંઈ પ્રાપ્તવ્ય છે તેને માટે તેના પ્રમાણમાં કાંઈ ને કાંઈ ભેગ આપવું પડે છે. પ્રયત્ન
સિવાય ફળની આશા વ્યર્થ છે. ૯૩ થેગીક જીવનનું દુર્ઘટમાં દુર્ઘટ પ્રોજન એ છે કે
તેણે સર્વદા સમતા જાળવી રાખવી. ગમે તેવા પ્રસંગે પણ સાધકેએ તે (શરૂઆત કરનારાઓએ) શમતા અને શાંતિજ રાખવી એગ્ય છે. શુદ્ધ અંત:કરણ
સદા નિર્ભય છે અને સર્વત્ર વિજયીજ નીવડે છે. ૯૪ સત્ય માર્ગથી ભ્રષ્ટ થયેલા જનસમુહને, દેખી તે તરફ
દયાની લાગણી, અને તેને સુધારવાની દાઝ હૃદયમાં રાખવી જોઈએ તેને બદલે કે, કંટાળે, કે કલેશ ઈત્યાદિ કરવું તે તે અયોગ્ય છે. એવી દુષ્ટ ભાવનાથી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૯
આપણને જ હાની છે. એટલું જ નહિ પણ જેને માટે
એ ભાવના ઉડે છે તેમને પણ તેથી હાની પહોંચે છે. ૫ જ્યાં ક્રોધ છે ત્યાં વિવેક નથી કેમકે ઇચ્છામાં નિષ્ફળતા મળ્યા સિવાય કે ઉત્પન્ન થતો નથી. ઈચ્છા છે ત્યાં વિવેક નથી. ઈચ્છાને ત્યાગ તેજ
વિવેક છે ૯૬ કામ ક્રોધની અધિકતાવાળા મનુષ્યએ જ્ઞાની પુરુષની
સબત અને તત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન અવશ્ય
રાખવું. તેથી તે દોષે ની છાશ થશે. ૯૭ જે પદાર્થની પ્રાપ્તિથી ભવિષ્યમાં નિરંતર સુખી
થવાય તેને માટે વિદ્વાનોએ પ્રયત્ન કરે. ૯૮ મન વચન અને શરીર આ ત્રણે કર્મબંધ કરવામાં
તેમજ કર્મ બંધનથી મુકત થવામાં સહાયભૂત છે,
તેને કેવી રીતે ઉપયોગ કરે તે તમારા હાથમાં છે ૯૯ આત્મજ્ઞાનથી અજ્ઞાન નિવૃત થઈ શકે છે. માટે
આત્મજ્ઞાન વિશેષ હિતકારી છે. ૧૦૦ જે ભવમાં આનંદ માને તે ભવાભિનંદ સમજો. ૧૦૧ પુગલમાં આનંદ માને તે પુદગલાનંદિ. પુદ્ગલા
નંદિજી સંસારમાં પરિભ્રમણ કરનારા છે. આત્મા
નંદિ કમથી મુક્ત થાય છે. ૧૦૨ સર્વથા મુકત થવાની ઈચ્છા છે તે આ પ્રવૃત્તિ અને
પ્રતિબંધ શા માટે હવે જોઈએ? ૧૦૩ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ કોઈપણ વખતે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સુખરૂપ આવવાનુ નથી.
૧૦૪ તું જેને માટે પ્રવૃત્તિ કરે છે તે સર્વે તારા મ ધનને માટે થશે. છતાં આ પ્રવૃત્તિ પૂર્વના સંચિત ખપાવવાને માટેજ કરાતી હાય તા આત્મ જાગૃતિપૂર્વક નિરાશી ભાવે કર.
૧૦૫ પુદ્દગલીક વૈભવમાં સુખની ઇચ્છા કરવી તે ભય કર નિરાશાજ છે.
૧૦૬ દુનિયાના ક્ષણીક વૈભવમાં શકત મનુષ્યોના સસગ કરવા તે, આત્મગુણ ઘાતક મહાન શસ્ત્રો છે.
૧૦૭ મનમાં અશુભ વિચારો પ્રગટ કરવા તેના જેવા ખીએ કાઇ ભયકર વ્યાધિ નથી.
૧૦૮ આત્મ અજ્ઞાનીઓને એકાંતના સમાન ખીજો ફાઈ પ્રબળ વૈરી નથી. આત્મ અભ્યાસીએને મનુષ્યના સસગ સમાન ખીજુ કાઇ સબળ વિઘ્ન નથી.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧પ૧
વિચાર રત્નમાલા. ૧ તેને યોગ્ય લાગે તે તેને માટે સત્ય છે. તમને તે ન
જણાવાથી વિપરીત લાગે છે. બાકી સર્વ જ પિતાને સુખી થવા પ્રયત્ન કરે છે, પાત્ર એવું વર્તન થાય છે મજબુત પ્રકૃતિવાળાની છાપ બીજા ઉપર પડે છે અને તેના સ્વભાવને વશ બીજાને થવું પડે છે. દેશ, કાળની સ્થિતિને અનુસરીને જ્યાં જેની જરૂરિયાત
હોય ત્યાં તેવાની સાથે તેવું વન રાખવું. ૪ આત્મધમ ઉપર દઢ રહેવાથી આ સત્યાદિ ગુણોને
લય થાય છે. ઉત્તમ વિચારે આપી સામાનું અભિમાન તેડી નાખવું અને તેને પિતા તરફ ખેંચવે તે સાચી નમ્રતા છે. ઉપર ઉપરની નમ્રતા તે દેખાવ માત્ર છે. જડતારૂપ છે, અજ્ઞાનતા છે ત્યાંસુધી ઉપરની નમ્રતા ઉપયોગી છે. વિનય કરે તે વિવેક પૂર્વક કરે. આપણું માટે જેને હલકો વિચાર બંધાયેલ છે તેને વિનય કરતાં ઉલટે પણ વિષે “દંભી છે ઈત્યાદિ હલકે વિચાર બાંધવાનું તેને કારણ મળે છે. બાકી જેની ગરજ છે તેનો તે વિનય કરજ જોઈએ. દરિયાએ સામા જવું ન જોઈએ પણ નદીઓને પોતા તરફ આવવા દેવી જોઈએ. નહિંતર નદીઓ ઉલટી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પાછી હઠશે. ઉપદેશક ગુરૂને આ ન્યાય લાગુ પડે છે. ૮ જ્ઞાની અજ્ઞાનીનું વર્તન, ઉપરથી સરખું છતાં પરિ
ણામમાં ભિન્નતા હોય છે અજ્ઞાનીનું વર્તન વૃત્તિવાળું હોય છે. જ્ઞાનીનું વૃતિ-વિકલ્પ વિનાનું હોય છે. જ્ઞાનીનું વર્તન જેવાની જોડે તેવા થવાનું હોય છે. કોઈ બેધ લેવા આવે તે ગુરૂ તરીકે કામ લે છે. સામાને બેધ લેવાની ઈચ્છા ન હોય પણ બંધ દેવાની ઈચ્છા હોય તે શિષ્ય જેવું વર્તન કરે છે. મૂહની જોડે મૂઢ જેવું વર્તન કરે છે. તેનું વર્તન
કેઈ ઓળખી શકે તેવું એક દેશી હેતું નથી. ૧૦ અધિકાર અને પ્રકાશ તે થયા કરવાના જ. મને લઈ
વૃત્તિમાં ફેરફાર તે થવાને જ, પણ જ્ઞાની વિચાર દ્વારા
તેને વિખેરી શક છે. ૧૧ વસ્તુ સ્વભાવને સમજતે હોવાથી જ્ઞાની ખેદ પામતે
નથી કુદરતના નિયમને નહિં જાણનાર દુઃખી થાય છે. ૧૨ ગુણને નાશ થતો નથી, પણ નીમિત્ત પ્રસંગે તેમાં
ફેર થાય છે. ૧૩ ડાળાં પાંખડાંઓને પાણી સીંચતાં મૂળને જ પાણી
સાચે તેથી ડાળાં પાંખડાં પણ પલ્લવીત રહેશે.
સ્વરૂપ પ્રાપ્તિ માટે સર્વ ક્રિયાઓ કરે. ૧૪ બીજાના અધિકાર કે કર્તવ્ય પ્રમાણે વર્તન કરવાને
મેહ ન કરે. જે અધિકારમાં તમારી યેગ્યતાએ તમને એજ્યા છે તે પાઠ જ તમે ભજવે અધિકાર
Page #162
--------------------------------------------------------------------------
________________
૧પ૩
વધતાં શિક્ષક પણ મળી રહેશે. ૧૫ તમારે શું કરવાનું છે તે રોજે રેજને દિવસ તમને
કહેતે જશે. ચિંતા ન કરે. - ૧૬ બીજાની ફરજને માગે તમે ચાલવાનું શરૂ રાખશો
તે તમારી પોતાની ફરજને પણ તમે પૂરેપૂરી અદા
કરી શકશે નહિં. ૧૭ વર્તમાનમાં જે ફરજ તમારે માથે આવી છે તે તરફ
પૂરતું ધ્યાન આપે. ભૂત ભવિષ્યને તે વખતે યાદ ન
કરે. સુધરે અને પછી સુધારો. ૧૮ સત્તા કે પદવીના અધિકારવાળા વધારે ખરા ખાય
છે. સત્તા કે પદવીને અભિમાનને લઈ તે બીજા
પાસેથી બેધ લઈ શકતા નથી. ૧૯ સામાને હલકે માન અને પિતાને માટે માન
તે રૂપ મેટે આવરણને પડદે સત્તા કે પદવીરોની
આડે હોય છે. ૨૦ નાનાઓ પોતાની નબળાઈ કે અજ્ઞાનતા કબુલ કરી
બને તેટલું બીજાનું સાંભળે છે શિક્ષા ગ્રહણ કરે છે તેથી તેને આગળ વધવાને રસ્તે ખુલ્લો હોય છે.
વિશેષ આગળ વધવાને તેને સંભવ છે. ૨૧ ભકિત માર્ગે ચાલનાર પિતાને એકને તારી શકે છે.
જ્ઞાન માર્ગે ચાલનાર અનેકને તારી શકે છે. ૨૨ કુદરતના નિયમ જાણનારાઓને સ્વાર્થ માટે કલેશ
થતું નથી. કાયદાને જાણતા હોવાથી જ્યાં જેવું
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જોઇએ તેવુ વર્તન તે કરી લે. છે વિચારદ્વારા તે વૃત્તિએને કાબુમાં લઈ શકે છે.
૨૩ વૃત્તિએમાં રહેલી સ્થુલ મલીનતા ઉત્તમ વ્યવઙારવાળાં તપ, જપ, પૂજન, વંદન, દાન, યાદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે.
૨૪ મનમાં રહેલી સુક્ષ્મ મલીનતા વિવેક દૃષ્ટિવાળા વિચારથી વિશુધ્ધ કરી શકાય છે.
૨૫ રશુલ મલીનતાવાળાને વ્યવહારક્રિયા ઉપયોગી છે. તે દ્વારા મલીનતા એછી થાય છે. વસ્તીમાં રહીને ઉત્તમ કાર્ય કરવા દ્વારાએ તે મલીનતા એછો કરી શકશે.
૨૬ સુક્ષ્મ મલીનતાવાળા નિર્જન પ્રદેશમાં રહી વિવેકદ્વારા મલીનતા આછી કરી શકે છે. ગામ કે વન અધિકાર ભેદે ફાયદો કરનારાં છે.
૨૭ સમાં શુધ્ધ આત્મા છે એ ચેાકસ નિશ્ચય હોય તે અન્ય જે કાંઇ કરે છે તેથી ખેદ કે હે અથવા ઈર્ષા થવી ન જોઈએ કેમકે તે દ્વારા જે થાય છે. તે ચેગ્ય થાય છે. પૂર્વના નિયમ અનુસાર થાય છે. ૨૮ આ વિશ્વમાં અનતા મનાવા તથા સંબંધમાં આવતાં પાત્ર આપણા પેાતાના સુધારા માટેજ છે એમ નિશ્ચય રાખી પેાતાને સુધરવા માટે તેમાંથી ગુણે લેવા.
૨૯ અન્ય ઉપર જેટલે આધાર તેટલીજ પરાધિનતા
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૫
અને તેટલું જ દુઃખ છે ૩૦ દરેક વસ્તુને નીહાળી તેમાંથી કઈને કઈ ગુણ ખેંચી
લે. મતલબ કે સર્વત્ર ગુણ જેવાની દષ્ટિ રાખવી. ૩૧ જેટલું શરીર શુધ તેટલું મન શુધ્ધ જેટલે
શરીરમાં મળ તેટલે મનમાં દોષ સમજ. એટલે
દરજજે માનસીક દેશ તેટલે દરજજે શરીર શુદ્ધ નથી. ૩૨ વાર, વિત્ત, કફ આ ત્રણ શરીરના દોષ છે. મળ, | વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દોષ છે. ૩૩ જેવું પાત્ર તેવું અને તેટલું તે ગ્રહણ કરી શકે છે.
માટે તેવું અને તેટલું જ તેની આગળ બેલિવું તે
વાણની શુદિધ છે. ૩૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈએ. તે થાય
તે જ સંકલ્પ સિદ્ધ થાય છે. ૩૫ નાના મોટાની બુધિ થવાથીજ વિક્ષેપ થાય છે, તે
વિક્ષેપને આત્મ એકતા-સમાનતા રૂપ અગ્નિથી બાળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે. સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાં ત્યાંથી બ્રહ્મરંધ્ર ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરંધ્રને શુદ્ધ કરી દશમું દ્વાર ખુલ્લું
થાય છે. ૩૭ પોતાનું કાંઈ પણ ન માનવું એ છેવટને માગ છે.
પૂર્ણ જાગૃતિ રાખી અશુધિને સખત ફટકે મારે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
છેવટની-હદપારની ક્ષમા અને નમ્રતા રાખો. ૩૮ આવરણ તેડવા માટે આત્મદષ્ટિ રાખે. આત્માશ્રયી
થવાથી જ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપ ઘટે છે. આવરણમાંથીજ વિક્ષેપને પિષણ મળે છે. ૩૯ લાયક પ્રમાણે બેલે આગ્રહી આગળ મૌન રહે.
સત્યમાં દ્રષ, ખેદ કે આગ્રહ ન હોય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો આમ કહે છે એમ કહી જવાબ આપ. માથે ન લે. નહિંતર વિવાદમાં
ઉતરવું પડશે. ૪૦ ત્યાગ અને વેગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુધ આત્મગ
સ્વરૂપાનુંસંધાન થવું જોઈએ. આકૃતિ મૂકી દઈ
આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું ૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તે બદલાની આશા રાખ્યા
વિના કર્મ કરે. એટલે સ્વાર્થ ત્યાગ એટલે જ
પરમાર્થ છે. ૪૨ પરમાત્મભાવને સજાતિય પ્રવાહ વનમાં અને વાત
ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવ. તેમ કરતાં: દેષ દૂર થશે. દોષ દેખાય તે મનની વૃત્તિ અશુદ્ધ
માની પાછો પ્રવાહ. સાંધી દે. - -S ૪૩ સામાની વિપરીત-વૃત્તિ દેખી તેને ન્યાયથી તપાસ
કરે. વિવેકદ્રષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૭
થાય ત્યાં આપણોજ દોષ જાણી તે ભૂલ તપાસની
અને સુધારવી. ૪૪ દરેક આત્મા પોતાના રક્ષણ માટે બંધાયેલ છે.
તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકો માનવાનું કાંઈ કારણ નથી. તેની ભૂલની જોખમદાર
પણ તે છે. ભૂલ સુધારવા માટે પણ થાય છે. ૪૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહ દૃષ્ટિ આવવાની. વિચાર
દ્વારાજ મનનું કોકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલ જતિ તરફ દૃષ્ટિ આપી તે દષ્ટિથી વાતચિત્ત કેઈ પણ સાથે શરૂ કરે અને
તે અખંડ પ્રવાહ તુટવા ન દો. ૪૬ કર્મમાં ભેદ છે. આત્મમાં ભેદ નથી. વ્યવહાર ચલા
વવા માટે કર્મભેદની જરૂર છે ૪૭ જ્યાં વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છે જ.
વિક્ષેપનું કારણ શોધતા જવું. જેટલી વિવેક બુદિધ
તેટલું તે દેખી શકાશે. ૪૮ મુકેલીની ખાતર સ્થાન બદલે પણ સાથે રહીને
મુશ્કેલીઓ સહન કરે. તેવા સંગ પણ કારણસરજ મળે છે. તે તમારી કસોટીનું સ્થાન છે. કેટ'
આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે. ૪ કલેશ થાય ત્યાં આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવા
કાંતે ગુણને અવગુણુ મનાય છે. કાંતે અવગુણું ગુણ ગણ્ય છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કર્યાંથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખેા. મરજી નહિં હાય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી-અગર કર્માંના ઉદય સમજી કામ કરી પણ નારાજ થઈને કામ ન કરે.
પ૧ દુનિયામાં જ્ઞાન ભ" છે. સદ્દગુણે ભર્યા છે. જોઈએ તે લઇ લ્યે. આપનાર કાઇ નથી. લેનાર જોઇએ, ઈચ્છા પ્રખળ કરી, જોશે તે મળશેજ.
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવાં કાય તે મનુષ્યદ્વારા કરાવવામાં આવે છે. અર્થાત્ જેનુ' અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુ જ જોઈએ. ૧૩ મનુષ્યે વિરૂઘ્ધ થાય છે તેનું કારણ આપણા આગ્રહ તાડવાને છે. આપણું અભિમાન તાડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ ખેંચે એટલે સામે પક્ષ ઉઠવાનાજ.
૪ અમુક પ્રક્રિયાથીજ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કાઈ સ્થળે મ ધાતુ જ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.
૫ વાસનાના ભાગ સિવાય નાશ નથી છતાં શુભ વાસનાએ કરવી. જેથી અશુભ વાસનાને ઉદ્દેવાના અવકાશ થાડા મળશે
હું આ માહ્ય જગત દુઃખરૂપ નથી પણ મનની અંદર
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૯
ઉત્પન્ન થતું સંક૯પ વિકલ્પાત્મક જઇ –વિચારે છે
તેજ દુઃખરૂપ છે. તેને નાશ કરો. ૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી
વિકલ્પરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કમળનો સંચય થાય છે. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ ફરી જન્મે છે શુધ ઉપયોગથી આવરણ
તેડે, પર દેખાવમાં વિપરીત હોય છતાં વિચારદ્વારા સવળું
કરે-માને. દુઃખને સુખરૂપે અનુણવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળનું શિક્ષણ ઈત્યાદિના વિચાર
દ્વારા વિપરીતને સવળું કરી શકાય છે. ૫૯ આપણી ભૂલ સુધરાવવા માટેજ બીજાઓ મુશ્કેલીઓ
લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે તેને તમે સામા થાઓ કે અનુકુળ થાઓ પણ તે પાત્ર તમને
તે સુધારનાર આગળ વધારનાર છે. ૬૦ જ્ઞાન વધારવાનું સાધન વિચાર છે. પિતાના દેથી પિતાને ગોથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતે છે તે ઈશારાથી સમજી જઈને ફરી ભૂલ કરતે
ત્યાંથી જ અટકશે. ૬૧ નજીક ગયા સિવાય વસ્તુ બરાબર જણાતી ન ,
આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક સિવાય તેનું ભાન થતું નથી. વાસનાઓ ધુમસ માફક પ્રકાશ-આત્મપ્રકાશને રોકનાર છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ૬૨ કેઈના ઉપર આધાર ન રાખે. જેના ઉપર આધાર
રાખે છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશો તે સારા મીત્રે પણ વળગતા આવશે. આધાર રાખશે તે તે પણ જુદા
પડશે. ૬૩ અપ્રીતિવાળાથી જુદા પડશે તે તેની ગરજ પ્રીતિ
વાળા સારશે. મદદે આવશે. છેવટે પ્રભુને પણ આધાર છેડી સ્વઆધાર ઉપરજ રહેવું પડશે.
ત્યારેજ પરમ શાંતિ મળશે. ૬૪ જુદી જુદી વૃત્તિના માણસો સાથે મળવાથી પ્રકૃતિનું
સારું જ્ઞાન થાય છે રસ્તે ચડવાના અનેક માર્ગ છે અને તે જુદા જુદા પાત્ર દ્વારા પાર પડે છે. આપણમાં મલિન વૃત્તિ ખુણે ખાંચરે પડી હોય તે પણ
આ પાત્રના પ્રસંગથી બહાર આવે છે. ૬૫ વિવિધ પ્રકારની સ્થિતિએ. અને આકૃતિઓની હૈયાતિ
નાના પ્રકારની જીની ઈચ્છાઓને લઈને જ ટકી રહેલી છે ટકી રહે છે અને ટકી રહેશે. આ આકૃતિએને વિચારદ્વાજા મૂળ દ્રવ્યમાં સમાવેશ કરવાથી
લય કરવાથી નિર્વિચાર દશા સિદ્ધ થાય છે. ૬૬ પ્રકૃતિને અનુકુળ મન બનાવે તે કોઈપણ વ્યકિત .
તમારૂં અપમાન નહિં કરી શકે. ધર્મના ઝંડા ઉઠાવ
નારાઓએ આ નિયમ જાણવું જોઈએ. ૬૭ જે ક્ષણે નિરાશા ઉત્પન્ન થાય છે, તે ક્ષણે પ્રકૃતિ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૧
વિરૂધ્ધ તમારા મનની સ્થિતિબને છે, તે સમયે આખુ' વિશ્વ તમારી વિરૂધ્ધ થઇને બેસશે. માટે મનની શાંતિ રાખતાં શીખેા.
૬૮ પવિત્ર વિચારા રાખેા તા કાઈની તાકાત નથી કે તમારી વિરૂધ્ધ જાય.
૬૯ તમારી કે પારકાની ઇચ્છાઓના ગેરઉપયાગ ન કરશે તા સવ ઇચ્છાઓને જીતી શકશે.
૭૦ ઈચ્છાએ ઘેાડા જેવી છે જે જેની પુછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે, માટે પુંછડી ન પકડતાં સ્વારી કરતાં શીખેા.
૭૧ ખીજાની ઇર્ષા કરતાં તે દોષ તમારામાં પેસી જાય છે. માટે ઇર્ષા ન કરતાં ગુણ શેાધે. ગુણાનુરાગી ખનેા, તેથી તમારા તરફ ગુણ ઘસડાઇ-ખે’ચાઇ આવશે. ૭૨ પાપ અને પુન્યને મનની સ્થિતિ સાથે સંબંધ છે માટે મનને ઉન્નત્ત-પવિત્ર કરવાના પ્રયત્ન ચાલુ રાખા. ૭૩ ઢાષા કે નિંદા તરફ લક્ષ ન કરતાં દિવ્યતાજ જોવે. તેમ કરતાં અંતરમાંજ પ્રભુને જોઇ શકશે.
૧૧
વસ્તુ
૭૪ એ કાળી વસ્તુએ એકઠી કર્યાથી એક ધાળી ઉત્પન્ન થતી નથી, તેમ બીજાએ નિંદા કરે તેમ આપણે પણ કરીએ તે મૂળ જે અસત્ય-દોષ છે તેમાં આપણે વધારા કરીએ છીએ. તેથી વસ્તુસ્થિતિ સુધરતી નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
૭૫ આપણે આઘાતને પ્રત્યાઘાત કરીએ ત્યારે જ નિંદા
ટીકા-કે દુષ્ટ વિચારે હાનીકારક આપણને થાય છે. જે તેના ઉપર લક્ષ ન આપીએ અને સાત્ત્વિક વૃત્તિથી
તે તરફ જોઈએ તે તે બીલકુલ હાનીકર્તા થતા નથી. ૭૨ દુષ્ટ વિચાર તરફ અલક્ષ રહીએ. તટસ્થ કે ઉપેક્ષા
વાળા રહીએ તે તેવા વિચારે તેના પિદા કરનાર
તરફ જ પાછા વળે છે. ૭૭ અલક્ષ રહેવું એટલે આપણે આપણી દિવ્યતાનું ભાન
રાખીએ, મધ્યબિન્દુથી ખસીએ નહિં, સાત્વિક વૃત્તિ રાખીએ, સત્યને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીએ તે
છે. તેવી સ્થિતિવાળાને કાંઈ હાની થતી નથી. ૭૮ જેવા થવું છેય તેવું સામું આલંબન રાખે. ૭૯ જેના માલીક તમે છે તેના બંધનમાં પણ તમે છે. ૮૦ સુખ દુઃખનું કારણ અહંવૃત્તિ છે. ૮૧ વિચાર મનને સુધારવાનું કારણ છે. ૮૨ જગતનું મૂળ સંક૯પ છે. ૮૩ નિઃસંક૯૫ જ્ઞાનનું મૂળ છે. ૮૪ દેહાભિમાન સંસારનું બીજ છે. ૮૫ રાગદ્વેષ અધર્મનું બીજ છે. ૮૬ સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. ૮૭ સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. ૮૮ મમત્વ જગત્નું બીજ છે. ૮૯ સર્વ ઇચ્છાઓને ત્યાગ કરવો તે મોક્ષનું બીજ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૩ ૯૦ ક્રિયા મનને નિયમિત કરનાર સાધન છે તે ધર્મ
નથી. ૯૧ સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. ૯૨ જાગૃતિ હેય તે ભૂલે સુધરવા માટે થાય છે. ૯૩ સારા બુર બને ભાવથી રહિત થવું તે મનનો
વિજય છે. ૯૪ અનુભવ જ્ઞાન વિના ભ્રાંતિ ભાગતી નથી. ૯૫ અધિકાર પ્રમાણે બોલે. માંગે તેને જ જ્ઞાન આપો. ૯૬ અન્યને હલકે જેનાર પોતેજ હલકો છે. ૯૭ પ્રભાતે આખા દિવસ માટે વર્તન નકી કરવું. ૯૮ રાત્રીએ દિવસનું વર્તન તપાસી જવું. ૯૯ જ્ઞાની પાસે રહે. અથવા સામાના આચરણ ઉપરથી
જ્ઞાન લેતાં શીખે. ૧૦૦ અહંકારને નાશ કરવા પોતામાં, શરૂઆતમાં દાસભાવ
રાખો. બીજાથી પિતાને નાને માને. ૧૦૧ દેહાધ્યાસ દૂર કરવા સર્વ જીવોમાં ઈશ્વરી ભાવની
ક૯૫ના કાયમ ચાલુ રાખો. ૧૦૨ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ
પામે છે. ૧૦૩ પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસનાઓ તેદી શકાય છે. ૧૦૪ હલકી–નીચ ભાવના ઉત્પન્ન થાય ત્યારે તેની વિરોધી
ઉચ્ચ ભાવનાની કલ્પના તેની સામે કરવાથી પહેલી ભાવનાને પરાભવ થાય છે. મતલબ કે અસદ્દવિચારને
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સ્થાને સદ્દવિચાર કરવાથી અસદ્દવિચાર બંધ પડે છે. ૧૦૫ લેકએષણ, શાસ્ત્રએષણ, પુત્રએષણ, ધનએષણા,
સ્ત્રીએષણા ઈત્યાદિ એષણુઓ ખરા વિરાગની
પ્રતિબંધક છે. ૧૦૬ ઇચછા રહિત પ્રાપ્તાપ્રાપ્તમાં નિર્વાહ કરવો એ વીત
રાગનું ગૂઢ સ્વરૂપ છે. ૧૦૭ વૃત્તિઓનું વિસ્મરણ થવું. શુધ ઉપગે તદાકારે
પરિણમવું તેજ શુદ્ધ વૈરાગ્ય છે. ૧૦૮ શુધ સ્વરૂપાકારે વૃત્તિ કરી તે વૃત્તિનું પણ વિસ્મરણ
કરવું. પાણીમાં જેમ મીઠું ગળી જાય છે. તેમ મનનું આત્મામાં લીન થવું, એજ પરમ અનુભવ છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૫
વિચાર રત્નમાળા. ૧ જે થાય છે તે યોગ્ય થાય છે. સુધરવા માટે થાય છે. ૨ સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે. ૩ જીવોને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે.
શાંતી જોઇતી હોય તે ઈચ્છા અને અભિમાન દૂર
કરો.
હંમેશાં ઉદ્દેશ સારે રાખે. કાળાંતરે તે સ્વભાવ રૂપ
થઈ શાંતિ આપશે. ૬ બીજાનું વન તમને બેટું લાગે તે તમારે ન કરવું. ૭ તમારૂં મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં
રાખે. ૮ કઈ તરફ શત્રુ ભાવ રહેવો ન જોઈએ. ૯ વાવો તેવું લણે. કરે તેવું પામે. આપે તેવું
લ્ય. ૧૦ સારાં કર્મ સારાને વધારો કરે છે. ખરાબ કર્મ
ખરાબને વધારો કરે છે. ૧૧ ખરાબ વિચારોને બહાર કાઢે એટલે તે જગ્યા
સારા વિચારથી પુરાશે. ૧૨ સારા વિચારો કરે તેથી ખરાબ વિચાર કરવાને
વખત નહિં મળે. ૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે. ૧૪ અન્યને તિરસ્કાર કરવા કરતાં દયા વડે તેને સુધારવા
પ્રયત્ન કરો.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવું તે વધારે ઉત્તમ છે. ૧૬ લે કે સારા કહેતા હોય તે સારું વન રાખે. ૧૭ તમને લેક ખરાબ કહેતા હોય તે ભુલે શેપી
સુધરવા પ્રયત્ન કરો. ૧૮ સાત્વિક ખોરાકથી સ્થલ દેહ શુદ્ધ થાય છે. ૧૯ સત્ય વિચાર અને સત્ય ઈછાથી તેજસ અને કાર્પણ
દેહ શુદધ થાય છે. ૨૦ નમ્રતા એ ઘણા ગુણોનું મૂળ બીજ છે. ૨૧ જેમ આપણા દેશે કબુલ કરીએ છીએ તેમ ન
તામાં વધારો થાય છે. ૨૨ નમ્રતાથી સહનશીલતાને ગુણ આવે છે ૨૩ રાગદ્વેષને નાશ થાય તેજ મન સ્થિર થાય, ૨૪ નિરંતર રાત્રીએ સુતી વખતે પિતાનું દિવસ સંબંધી
વર્તન તપાસવું. - ૨૫ ચોરી, વ્યભિચાર અને હિંસા એ શરીરના મેટા
દે છે. ૨૬ નિંદા, જુઠ અને કરતા એ વચનના મેટા દે છે. ૨૭ ઈચ્છા, ખરાબ ચિંતન અને દેષ બુદિધ એ મનના
દોષે છે. ૨૮ ખરાબ ઉદેશને અટકા. ૨૯ ઈચ્છારૂપિ દેરડાઓથી બંધન થાય છે. ૩૦ ઉચ્ચ વિચાર અને ભલાઈ છે. ૩૧ દેખાવની કીંમત નથી પણ ઈશ્વરી ગુણની કીમત છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૩ર અન્યના કામની વચ્ચે પડે નહિં, આડે આવે નહિં.
અન્યની વાતે વચ્ચે બેલે નહિં. કજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તપાસી કામ કરો. ૩૫ કે.ઈને તિરસકાર કરવા કરતાં દયાની લાગણું પ્રગટ
કરવી તે ઉત્તમ છે. ૩૬ કોઈનું બુરું ઈરછવું તે પિતાનું બુરું ઇચ્છવા બરાબર છે.
૭ મુંગે માટે પણ જાગૃતિ પૂર્વક અન્યનું સાંભળે. ૩૮ બીજાના પ્રસંગમાં આવવાથીજ પિતાની કસોટી થાય છે. ૩૯ સર્વને આત્મસ્વરૂપ માની તેના કાર્યમાં મદદ કરવી
તે ભકિત છે. ૪૦ નિર્દોષ પ્રેમ આપવા ઈચ્છે છે. મહ લેવા ઈચ્છે છે. ૪૧ સસંગતીથી આવરણ ઓછાં થાય છે. ૪૨ જેમાં સવ–પરનું શ્રેય રહેલું હેય-થતું હોય તે ફરજ
કહેવાય છે. ૪૩ બીજાના ભલામાં પિતાનું ભલું રહેલું છે. ૪૪ બીજાઓના મનને સુધારવા પ્રયત્ન કરે તે ત્યાગી
એને પરમાર્થ માગ છે. ૪પ જે તમારી વૃત્તિ શુધિ છે તે તમારા શબ્દોની
અસરની પરવા ન કરો. ૪૬ આજુબાજુ પરમાત્મ ભાવ રાખી–દષ્ટિ રાખી વર્ણન
કરો. ૪૭ અંતર્ દષ્ટિ તથા બાહ્ય દકિટ જાગૃત રાખી વર્તન
કરતાં વિશુધિ વધે છે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
૪૮ બીજામાં તમારા સ્વાર્થ રહેલે છે માટે માંગે તેને
મદદ આપે. ૪૯ સામા માં હલકે ભાવ જોવામાં આવે છે ત્યાં સુધી
મલીનતા ઘટતી નથી. ૫૦ સન્યાસ-ત્યાગ–એટલે વૃત્તિને ત્યાગ કરવાનું સમજવું. ૫૧ વેગ એટલે વૃત્તિનું પરમાત્મા સાથે જોડાણ કરવું તે. પર જીના વન ઉપરથી ગુણ લઈ પિનામ થી અવગુણ
બહાર કાઢવા. ૫૩ સા ના મનુષ્યની યેગ્યતા જોઈ પિતાને જ્ઞાનનો વિરો
ઉલેચતા રહેવું. ૫૪ બીજાને આપવાનું બંધ કરતાં પાણી ગંધાઈ જવાની
માફક નવીન જ્ઞાનની આવક બંધ થશે. અને અશુદ્ધતા
વધશે. ૫૫ જ્ઞાન આપતી વખતે તેનું અભિમાન પિોતે ન લેવું.
નહિંતર અધ:પાત થવા સાથે આગળ વધતાં અટકશે. પ૬ અન્યને ઉપદેશ આપવા સાથે પોતે પણ ઉચ્ચ વર્ણન
રાખવું. પ૭ આશકિત ગઈ કે જગત મનમાંથી ઉડી જાય છે. ૫૮ આશક્તિ સિવાય બંધન કર્તા બીજુ કઈ છેજ નહિં. ૫૯ પૂર્વ કમ મેગે જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાંથી કંટાળી
નાશી છુટવાની ઈચ્છા કરવી તે અજ્ઞાન છે. ૬૦ બીજાની નિંદા કરીએ ત્યાં સુધી પિતાને સુધરવાનું
બનતું નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૯
૬૧ પોતાના ઢાષા જોનારજ સુધરી શકે છે.
૬૨ જાગૃતિ પૂર્વક અન્યને સુધારવાની પ્રવૃત્તિમાં દ્વેષ નહિં પણ પ્રીતિ હાવી જોઇએ.
૬૩ આ જીવંત પ્રભુનુ' દીલ ન દુખાય તે માટે ડરતા રહી સેવા કરી.
૬૪ બ્રહ્માકાર વૃત્તિ અને વૈરાગ્ય આ અભ્યાસથી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
૬૫ પુસ્તકે સાધન છે. તેમાંથી તમારી બુધ્ધિ પ્રમાણે મળશે. ૬૬ બુધ્ધિને ઓળંગી આગળ વધારવાનું કામ અનુભવી જીવંત ગુરૂજ કરી શકે છે.
૬૭ તમારા વત્તનથી કોઇને જરા પણ ૬ ખ થવુ... ન જોઈએ. થાય તે તેજ પાપ છે.
હૃદયમાં વિચાર ખળ છે. બ્રહ્મસ્થિતિ બ્રહ્મરંધ્રમાં થાય છે.
૬૮ જ્ઞાનીની ક્રિયા જાગૃતિ પૂર્વક હોય છે, તેથી તે ખંધાતા નથી. અજ્ઞાની ખંધાય છે.
૬૯ બીજાને જેટલે
હુલકે માના તેટલું અભિમાન
તમારામાં છે.
૭૦ ક્રિયા તથા જ્ઞાનનું અભિમાન પણ પાડનાર થાય છે. ૭૧ સૌ પોતપાતાના પાઠ ભજવે છે. રાષ, તાષને અવકાંશજ કયાં છે ?
૭૨ લક્ષજાગૃત હાય તા સર્વ સ્થળેથી આપ મળે છે. ગુણુ ગ્રહણ કરી શકાય છે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
૭૩ સત્પુરૂષ ઉપર જે દ્વેષ રહ્યા કરે છે તેજ અન‘તાતુ અધી કષાય છે.
૭૪ આથડીને સત્યના નિશ્ચય થતા નથી.
૭૫ મધ્યસ્થ દૃષ્ટિવાળાજ સત્યને નિર્ણય કરી શકે છે. ૭૬ અહંકારથી ખાા અનેક શત્રુએ ઉભા થાય છે. ૭૭ અવગુણુ કે અનિષ્ટની ઉપેક્ષા કરનાર સુખી થાય છે, નિંદા કરનાર દુઃખી થાય છે.
૭૮ ગુણગ્રાહી દૃષ્ટિવાળાને જ્ઞાન મળે છે.
૭૯ કાર્ય નુ કારણુ શેષતા જવુ અને વિચારદ્વાઽ તેને તાડતા જવું.
૮૦ પોતામાં જેટલે દરજ્જે શુધ્ધિ થઈ હોય છે તેટલે દરજ્જે બીજાના કાર્ય ઉપરથી શુધ્ધતા મેળવી શકાય છે, ૮૧ વિશુધ્ધિ માટે કાયમ જાપ ચાલુ રાખવા.
૮૨ અન્યની કાળી બાજુ નેવાથી મળદોષ આવે છે કેમકે તે અજ્ઞાન દશા છે.
૮૩ આત્મ જાગૃતિ કાયમ હોય તે આવરણ આવતું નથી, ૮૪ પરમાત્મ સ્વરૂપના આધ કાયમ રાખવે. તે મળ સંચય ન થવા દેવાના મજબુત ઉપાય છે. ૮૫ સરખા ગુણવાળાની સાથેજ સબધ જળવાઇ રહે છે. ૮૬ વિરૂધ્ધ ગુણવાળાને આપસમાં કલેશ થાય છે. ૮૭ પ્રકૃતિ આળખી સામાને સત્વગુણુ વાપરી સુધારવા.
૮૮ વિરૂધ્ધ ગુણવાળાની ઉપેક્ષા કરવી અથવા મૌન કરી તેના તે ગુણ તેનામાં બદલાવવા.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૧
૮૯ પ્રથમ ગુણ ઓળખ વિરૂધ્ધ જણાય તે મૌન
રહેવું તેથી તેને ગુણ બદલાવવાની ફરજ પડશે. તેનામાં
નમ્રતા આવતાં ગુણ બદલાય છે એમ સમજવું. ૦ પ્રતિકુળ સંગે આવી પડતાં તેને દૂર કરવાને વિચાર ન કરતાં, અનુકુળ કેમ થવું તે વિચાર કરી તેમ વર્તન કરવું. તેનાથી દૂર રહેવાને જેટલે પ્રયત્ન
કરશે તેટલે ખેદ કે દુઃખ થશે. ૯૧ જેવા છે તેવા દેખાઓ, અધિકારથી જેટલા આગળ
જશે તેટલા પાછળ હઠવું પડશે. ૯૨ કુદરત પોતાનું કામ તેવી લાયકાતવાળા પાસે કરાવે
છે. તમે શાંત રહેશે તે તે કામ અટકવાનું નથી. ૯૩ અભિમાની મનુષ્ય કાંઈ કરી શકતું નથી. શુધ
સ્વરૂપમાં મન લય થયા પછીજ અનેક શકિતઓ
પ્રગટ થાય છે. ૯૪ સ્વાર્થ બુધિથી જેટલું કરાય છે તેટલું દુઃખ રૂપ
થાય છે. ૯૫ જ્ઞાનીજ નિષ્કામ કર્મ કરી શકે છે તે સિવાય કોઈને
કેઈ અંતરમાં 6 આશા પ્રજવલિત હોય છેજ. ૯૬ કાર્ય કરે પણ આત્મ કલાઘા ન કરે. ૯૭ દૃષ્ટા રહી વૃત્તિ તપાસતા રહેવું. મલીનવૃત્તિ કે
મલિનવૃત્તિવાળાથી સાવચેત રહેવું. ૯૮ પિતાનું અજ્ઞાન કબુલ કરે તેવાને જ્ઞાન કે શિક્ષા
આપવી. જેને લેવું નથી, જે પિતાને જ્ઞાની માને છે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
તેને આપવાથી લાભ થતા નથી.
૯૯ પેાતામાં અભિમાન હાયતાજ ઇચ્છા વિનાનાને જ્ઞાન કે શિક્ષા બતાવવા કે દેવા પ્રયત્ન કરાય છે.
૧૦૦ ખીજા કરે તેવું ન કરી પણ તમારા અધિકાર પ્રમાણે થાય તે કરી.
૧૦૧ સત્યનું અનુકરણ કરે. દેહુઉપયાગી વત્તનમાં અનુકરણ ન કરે. ત્યાં તે પ્રારબ્ધ પ્રમાણેજ વન થશે. ૧૦૨ સત્ય હું ને જાણવા એજ વિવેક છે. ૧૦૩ માનસીક દુનિયાજ દુઃખ રૂપ છે. ૧૦૪ માનસીક દુનિયાના નાશ થઈ શકે છે. ૧૦૫ દેશ્ય જગત્ ફેરફાર વાળું થાય છે પણ નાશ પામનાર નથી. તે ફેરફાર થવાથીજ સુ ́દરતા વાળુ દેખાય છે. ૧૦૬ ઇચ્છા છે ત્યાંસુધી સમષ્ટિ-સમતે લપણુ" આવવાનું નથી.
૧૦૭ બાહ્ય દૃષ્ટિ છે ત્યાંસુધી ખાદ્ય ગુરૂની જરૂરીયાત રહે છે.
૧૦૮ આંતર્ ષ્ટિ થતાં આંતર્ ગુરૂની જરૂરીયાત પડે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૩
મનને સ્થીર કરવાના ઉપાયો. ૧ મનમાં પેદા થતી વૃત્તિઓને શેકવી. નિર્વિકલપ શેડો
થડે વખત રહેવાને અભ્યાસ કરવો. સાથે સ્વપરનું વિવેક જ્ઞાન નિરંતર રાખવું. હાલતાં ચાલતાં આત્મ ઉપગ અથવા એક પરમેષ્ટિ પદને જાપ શરૂ રાખ શુભમાં વધારો કર. નાભિમાંથી શ્વાસ ઉઠે છે, તે સાથે મનને જોડી દેવું. જેટલીવાર શ્વાસ ઉંચા નીચે આવે તેટલીવાર મનને ઉપગ સાથે રાખી એક, બે વિગેરે ગણતી રાખવી, તેમ રાખતાં મન શાંત થશે એટલે ઉપયોગ બ્રા રંધ્રમાં લઈ જ–અને ત્યાં લીન થઈ જવું. મસ્તકમાં યા કાનમાં એક શબ્દ સંભળાય છે. આ શબ્દ વાયુ વિનાની તેમજ મનુષ્યના સંચારવ કે શબ્દ વિનાની જગ્યામાં બેઠા હોઈએ અથવા પાછલી શાંત રાત્રીએ બેઠા હોઈએ ત્યારે સહેલાઈથી સંભળાય છે તે શબ્દમાં ઉપગ રાખવે. કેટલીકવારે એકાથ થતાં મન સ્થિર થશે એટલે ઉપગ મસ્તકના મધ્ય ભાગમાં આવે ત્યાં લીન થઈ જવું. મસ્તકના મધ્યમાં ઉપગ આપતાં ત્યાં શ્વાસને ખટકારવ થતે અનુભવાશે તે ખટકારવમાં નવકારને એક એક અક્ષર મનમાં બેલતા જવું. અર્થાત્ તે ખટકારવ સાથે નવકારના એક એક અક્ષરને ક્રમે જોડતાં આખે નવકાર તે ઉપયોગમાં પૂર્ણ કરશે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૫
७
૧૭૪
તેવી રીતે કેટલાક નવકાર ગણતાં તે શ્વાસા શ્વાસને ખટકારવ બંધ થશે એટલે તે આલંબને મૂકી દઇ આત્માપયેાગમાં સ્થિર થવું.
મનની સ્થિરતા માટે પ્રથમ પાંચથી દસ પ્રાણાયમ સ્થિરતા રહે તેટલા વખતના કુલક સહિત કરવા. પછી આત્મપયાગ મસ્તકના મધ્યમાં આપી ત્યાં સ્થિરતા કરવી.
સિધ્ધચક્રજીના નવપદ ઉપર ક્રમે ખસેપાંચસાવાર નવકાર ગણી તત્કાળ ઉપયાગ બ્રહ્મરંધ્રમાં આપવા અને ત્યાં સ્થિરતા કરવી.
અનતી મહેનતે પા કલાકથી વધારેવાર ત્રાટક કરી ઉપયાગ બ્રહ્મર ધમાં આપવા. અને ત્યાં સ્થિરતા અનુભવવી.
. ખુલ્લી નિમેષા-મેષ રહિત દૃષ્ટિએ પ્રતિમાજી સન્મુખ જોઈ રહેવું. કેટલીકવાર થવા પછી દૃષ્ટિ ત્યાંથી ઉપાડી પ્રારંધ્રમાં મૂકવી અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૯ વિચારોદ્વારા આ દુનિઆનું અનિત્યપણું સારી રીતે મનમાં ઠસાવી પ્રારધમાં ઉપયાગ આપી સ્થિરતા કરવી.
૧૦ દરેક પુદ્ગલીક આકૃતિઓનુ ચૂણુ અનાવી તેને પરમાણુરૂપે અનુભવી પ્રારમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૫
૧૧ કેવળ કુંભક કેટલીકવાર શ્વાસેાશ્વાસને ધીમા પાડી બ્રહ્મર ધ્રમાં ઉપયેાગ આપી શાંતિ અનુભવવી તેથી મન સ્થિર થાય છે.
૧૨ હળવે હળવે શ્વાસેાશ્વાસને મદ કરી આત્માપયેાગમાં રહી સ્થિરતા અનુભવવી.
૧૩ કેવળ ટા તરીકે રહી પ્રેય પ્રેરકભાવ દૂર કરી આત્મ ભાવમાં લીન થવું,
૧૪ દરેક કાર્યમાં આત્માપયેગથી જાગૃત રહી પછી પ્રવૃત્તિ કરવી.
૧૫ કાંઇપણ ખેલતાં પ્રથમ આત્મપયેાગમાં જાગૃત થઈ સાવધાનતા પૂર્વક ખેલવું.
૧૬ ક્રાંઇપણ સચિત્તાચિત્ત જોવામાં આવે કે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતાની છાપ મનમાં પાડી દેવી. પણ તેના અનુભવ મિશ્ર ભાવમાં ન લેવેા.
૧૭ કાંઇપણ વિચાર મનમાં આવે તે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતા તે વિચારના સંબધમાં કરી નાખવી. અથવા લાભાલાભની વિચારણા કરવી. અથવા અ, અનના સંબધમાં તેને વહેંચી નિરૂપયોગી હાય તે તે વિચાર બહાર કાઢી નાખવા.
૧૮ ક્રાંઈપણુ શબ્દ સાંભળાય, રૂપ જોવાય વિગેરે ઇંદ્રિચલ વિષયે અનુભવાય કે તત્કાળ તે જડ છે, નિરૂપચે છે, આત્મ ગુણ ઘાતક છે. વિગેરે દોષ દશનથી તે રાગ થતે અટકાવવા. ત્યાર પછી હું તે સ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જનાર, જાણનાર છું. તથા મનમાં ઉઠતા વિચારે તેને પણ હું જેનાર છું. સર્વને દષ્ટા હું છું, દષ્ટા તે દૃષ્ટાજ છે અને દશ્ય તે દશ્યક છે. આ વિચારણાથી
રાગ દ્વેષ અટકાવી, સ્વરૂપમાં જાગૃત રહેવું. ૧૯ મનથી જે ભૂત ભવિષ્યના વિષયોના ચિંતનરૂપ અનુ
સંધાન મૂકી દઈ વર્તમાનકાળના વિષયેમાં પણ આશકિત રહિત પણે રહેવાને અભ્યાસ રાખવામાં આવે તે ઘણા થોડા વખતમાં તે મન સ્વાધિન થઈ શકે. જ્યાં સુધી સંકલપની કલ્પનાઓ છે ત્યાં સુધી જ મનની વિભુતિઓ છે માટે સંક૯૫ની કલ્પનાઓનું અનુસંધાન મૂકી દેવું. આત્મા જ આત્માના અવલોકનમાં મુખ્ય કારણ છે. વાતચીત કરતાં, કાંઈ મૂકી દેતાં ગ્રહણ કરતાં, આખો ઉઘાડતાં, અને આંખ મીંચવા જેટલા ૩૫ વખત માટે પણ જેમાં કોઈ પણ પ્રકારની કલ્પના નથી એવા પિતાના અપરિચ્છિન્ન સ્વરૂપના અનુસંધાનમાં જ તત્પર રહે, તેમાં જ સ્થિર થાઓ. ૧ આ દેખાતી દુનિઆમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય
માનીએ તેવી કોઈપણ વસ્તુ નથી. ગ્રહણ વિના ત્યાગ પણ ન સંભવે. સારા લાગતા પદાર્થો દેશકાળને લઈ પાછા તેજ વિરસ લાગે છે, એટલે નિંદા સ્તુતિને અવકાશ પણ નથી. રાગ દ્વષ સિવાય પ્રવૃત્તિ થવી જોઈએ. માંસ, હાડકાં, લાકડાં, માટી અને પત્થરથી
Page #186
--------------------------------------------------------------------------
________________
قی
ઠવાયેલા વિચાર માત્રથી વિરામ પામે તેવા અને જેમાં કોઈપણ પદાર્થ ઈચ્છવા પેશ્ય નથી તેવા જગતુમાં શાની આસ્થા ? શા માટે વિશ્વાસ? નિરંતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાને ઉપાય છે. જડ પદાથકાર ભાવના કરવાને લીધે ચિતન્ય ત્રિને પામી પોતાના અખંડ પણાને ભૂલી જાય છે. અને સુખ-દુઃખાદિથી (જડ ચૈતન્યથી) મિશ્રિત થયેલી ઉપાધિપ (મિધ્યારૂપ) સ્થિતિને ધારી લે છે વળગી
રહે છે. ૨૩ અદ્વૈત= કેવળ આત્મ સ્વરૂપ દ્વિત =જડ ચિતન્ય મિશ્રિત. બ્રાકાર વૃત્તિ અખંડ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ,
ગ્રાહ્ય ગ્રાહક અંશથી રહિત. જીવન મુક્ત=સમભાવવાળો. ઈટા નિષ્ણામાં શગ
ષની મંદ સ્થિતિ વાળે. માયા=એકલી જડની બનેલી આકૃતિઓ તથા જડ
તન્ય મિશ્રિત વિવિધ પ્રકારની આકૃતિઓ, રજ કઈ વિષય ઉપર ખૂહાજ ન રાખવી એ મનને જીતી
લેવાની કસમ યુકિત છે. એન્મત હાથીની માફક મનને આ યુકિતથી વશ કરી શકાય છે. અભ્યાસ
નહિં કરનારને આ યુક્તિ કઠણ લાગે છે, સારી રીતે - તેને અમારા કસ્થાથી આ યુકિત સરલ થઈ પડે
Page #187
--------------------------------------------------------------------------
________________
શું છે વિષયાની લાલસાવાળાને આ યુકિત નકામી થઈ પડે છે. જ્યાંસુધી વિષયામાં નિસ્પૃહપણ' પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પરિભ્રમણ ચાલુજ રહેવાનુ
૨૫ ભેદ–પુદ્દગલાકારે ઉપયાગનુ તથા મનનુ' પરિણમવુ', અભેદ=આત્માકારે મનનું' પરિણમવુ' અથવા આત્મામાં તદ્રુપ થવું. જ્ઞાનીના માગ અભેદ છે. અજ્ઞાનીઓના માર્ગ ભેદ મય છે. ભેદ ત્યાં સંસાર અને અભેદ ત્યાં મુક્તિ છે. સર્વ વ્યાપક=સર્વ કાળમાં સર્વ સ્થળે મનનુ અખંડ આત્માકાર પણે પરિણમવું આત્મ ઉપ યોગમાંજ રહેવુ તે.
૨૬ આત્માના અવલેાકનથીજ-આત્મામાં મનને પરિણમવવાથીજ ભાગા ઉપરથી અરૂચિ થાય છે. તે સિવાયની ક્રિયાથી ભાગાની પ્રાપ્તિ રૂપ શુભાશુભ ફળ પ્રાપ્ત
થાય છે.
સ્વભાવ=આત્મ સ્વરૂપમાં સ્થિરતા અથવા આત્મ ભાવ. વિભાવ=પુદ્દગલાદિ આકારે પરિણમવું અથવા પુદગલા. ૨૭ મનને તેની ઇચ્છાનુસાર ભટકવા દેવું. પછી મન કયાં ભમે છે તે તરફ લગાર લક્ષ આપવું. મનને ભટકવા દેવાથી અને આપણે તટસ્થ રહી જોયા કરવાથી તેની ચપળતા શ્રીમે ધીમે મંદ પડે છે. વધારે દિવસ આ અભ્યાસ ચાલુ રાખવાથી એકદમ તેની ચાંચળતા મંદ થશે અને મન આપણી સત્તામાં
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭e, આવવા માંડશે. અને છેવટે તેને દેરવવા માગશું ત્યાં દેરાશે. જે ધ્યાન બતાવીશું તેમાં તદાકાર થઈ
રહેશે. ૨૮ સિદધાસને બેસી બે ભ્રમરો વરચે . અથવા નાકની
અણુ ઉપર લગાર માત્ર પણ પલકારે માય સિવાય - સ્થિર દષ્ટિએ જેવાથી મન સ્થિર થાય છે: " ૨૯ માન ! જાગૃત થાઓ. બોધ પામે. બંધનને જાણું
તેને તેડી નાખે. હું અનુભવથી કહું છું કે સજીવ કે નીરજીવ છેડે પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તેમાં આશકત થાઓ છે. ચા તે બાબતમાં અન્યને અનુમદન આપે છે ત્યાં સુધી તમે દુઃખથી મુકત થઈ
શકશે નહિ. તમે તમારામાં જ સ્થિર થાઓ. ૩૦ પરિગ્રહને માટે અન્ય જીવોને હણે છે અથવા બીજા
પાસે હણવે છે અથવા હણનારને અનુમોદન આપે છે. ત્યાં સુધી તમે વિર વધારે છે અને ત્યાં સુધી તમે
બંધનથી મુકત થઈ શકશે નહિં. ' , ૩૧ જે કુળમાં તમે ઉત્પન્ન થયા છે, જેની સાથે તમે
વસ્યા છે, તેઓની સાથે અન્ય અન્ય મમત્વે કરીને મમત્વ ભાવથી બંધન પામે છે. ધન અને સહારે એ સિવાયના બીજા પણ પ્રતિબંધન હેતુઓ તમારૂં રક્ષણ નહિં જ કરી શકે, માટે બંધનને જાણીને તેડી , નાખે અને તમે તેથી છૂટા થાઓ. ૩૨ મનુષ્ય! બધ પામે. બોધ પામે. શા માટે બોધ
,
;
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦ પામતા નથી? આગામી જન્મમાં બધી (સભ્ય જ્ઞાન) ની પ્રાપ્તિ દુર્લભ થશે. ગયેલી રાત્રી પાછી આવતી નથી. માનવ જીવન ફરી ફરી સુલભ નથી. જુઓ તે ખરા?. આ બાળકે, વૃધ, યુવાને અને ગર્ભમાં રહેલાએ સર્વ અવસ્થામાં, આ દેહ ત્યાગ કરે છે. સીંચાણે જેમ તેતરને પ્રાણ લે છે તેમ
મૃત્યુ આયુષ્યને નાશ કરે છે. ૩૩ વિચારવાને! વિરામ પામે. આગળ ભય તરફ નજર
કરો. જેનાથી આગળ જતાં અટકયા છે તે જ તમારો નાશ કરનાર છે. સદ્ગતિ દુર્લભ છે. જગત પૃથક્ પૃથફ સ્થાન પર છે દુઃખી થાય છે તે પિતાના કરેલ કમી વડેજા તે તેને અનુભવ
આપ્યા વિના છોડવાના નથી, ૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, માહણ તે
સર્વે દુખ પૂર્વક સ્થાનને (આયુષ) ત્યાગ કરે છે. કામ અને સંબંધમાં આશકત જી, અવસરે કમનાં ફળ સહન કરી બટથી જુદા પડેલા ફળની
માફક આયુષ્યથી જુદા પડે છે. ૩૫ બહુ મુતવાળે ધર્મિષ્ટ માહણ કે ભિક્ષુ. હેય તે
પણ શુભ અનુષ્ઠાનમાં મૂછિત (આશા) રહેવાથી કમથી અત્યંત પીડાય છે. શિવે તપાસે, જ્ઞાનક્રિયા
Page #190
--------------------------------------------------------------------------
________________
વિના ન નિર્વાણ પામતા નથી.. ગમે તે નરન ફ, અથવા તે મન્નેિ મહિને ભજન કરી શરીરને દુબળ કરે, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે. માન! પાપ કર્મથી વિરામ આયુષ્ય સ્વરૂપ છે દુઃખમાં આસકત મનુષ્યોના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે
છે તેથી મહ કર્મ મજબુત બંધાય છે. ૩૬ મુનિઓ? પરનિંદા મહા પા૫ છે. તેમાં કાંઈ પણ
કલ્યાણ નથી. જે પરને પરાભવ કરે છે તે સંસારમાં પર્યટન કરે છે. મદથી નિંદાની ઉત્પત્તિ છે. તમે
મદ ન કરો. ૩૭ મેં કર્યું, મેં કરાવ્યું કે અનુમોદન આપ્યું, હું કરૂં , કરાવું છું હું અનુમોદન આપું છું.
હું કરીશ, હું કરાવ્યા હું અનુમોદન આપીશ. મનથી, વચનથી, અને શરીરથી. આટલાજ આ લેકમાં કમ અધવામાં કારણ ભૂત ક્રિયાના
ભેદે છે. ૩૮ લેકે લાંબુ જીવવા માટે, કીતિ માટે, માન પામવા
માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે પતે જીવેની હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદન આપે છે પણ આ સવ તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
इतिश्री पंन्यास कमल विजय गणि शिष्य पंन्यास केशरविजय गणि संग्रहित नीतिविचार रत्नमाला सप्तत्युत्तर एकोन विंशति विक्रमिय वत्सरे मार्गशीर्ष शुक्ल एकादश्य समाप्ताः
इतिश्री
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૩ શુદ્ધિ પત્રક.
અશુદધતા
શુધધ
કહેવત નબર પેઈજ લાઈન
સુખા
સુખી
વિમર
પટ
ન થતા હમેશાં સામ શાત
વિકારી થવા હંમેશાં સામાં શાન રસ્તામાં યથાર્થ
૪૫
રસ્તામાં યર્થાથ
૪૯
૧૪
પોતાનું
૨૮
૫૪
:
ઇ
K
પિતાને આપણું વ્યતિલ હાહા પણ ઉલ્લઘંન
૯
૩૪
૪૧
४७
પહ
૫૬
૬૧
આપણું વ્યતિત ડહાપણ ઉલંઘન બીજે પોતાની . રાખી | થયા બનશે કૃતનના સુંદરતા થતી
૭૧
६७
૭.
પતની રાખે થવા બનનો કૃતપ્રતા સ્રરતા ચથી
જ
૪૨
૮૨
૧
૧૦૧
Page #193
--------------------------------------------------------------------------
________________
અશુદ્ધતા બનાવવાનું સયમનું મન
૧૮૪ શુધધ કહેવત નંબર પેઇજ લાઇન બનાવવાનું ૪૬ ૧૦૩ ૨
સમયનું ૨૦ ૧૩૩ ' , મનો અને
૧૩૭ માટે
૭૩ ૧૪૩ ૨૨
૧૩૬
અન
૧૪૫
બધનથી
વતન
આ બંધનથી
વર્તન અંધકાર કેટલા
૯૮
૨ ૧૦ ૪૮
૧૪૯ ૧૫૧ ૧૫૨ ૧૫૭
અધકાર
Page #194
--------------------------------------------------------------------------
________________ NIAM பாவம்