Page #1
--------------------------------------------------------------------------
________________ સે!ારા (તરંગવતી) IiSTER 8 Taggણાઈ ii ggCKgFવિ દીલી
Page #2
--------------------------------------------------------------------------
________________ ઉદીકર કેક હકિકત દીકરી કિદિ દિકરી શિક માતાજી list તરીકળતી હકીકરી ટિકિટ હીદી દિકરી દિકરી હમ દિકરી તાકીદ કરી હતી કરી કરી લીલા રિતિકારી કાકરાણી કામ કરતા કરી દિકરી ids k કરી હe નાતક ની કક દિકરી (તરંગવતી) : પ્રવચનકાર : વર્ધમાનતપોનિધિ સકલહિતચિંતક ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ કિશોરી મોટી ક RE HERE HERE કર્મ ! તારા : પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ 39, કલિકુંડ સોસાયટી, ધોળકા (ઉ.ગુ.)-૩૮૭૮૧૦. Rii E-P THEREFERE કાકી કાકી, રહી કરી કરી EEEEE ise વિકી ETTER કલાકાર કરી શકે તરીકે કારકિર્દી નોકરી કરતી
Page #3
--------------------------------------------------------------------------
________________ નમો નમઃ શ્રી પ્રેમસૂરયે (તરંગવતી) * પ્રેરકઃ સિદ્ધાંતદિવાકર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ - સંપાદક પ. પૂ. પંન્યાસશ્રી પવ્રસેનવિજયજી ગણિવર કિંમતઃ 140/ ચતુર્થ આવૃત્તિ, વિ.સં. 2071 - પ્રાપ્તિસ્થાન - દિવ્યદર્શન ટ્રસ્ટ | | દિવ્યદર્શન ટ્રસ્ટ | મયંક પી. શાહ 39. કલિકંઠ સોસાયટી, ધોળકા. 29/30, વાસુપૂજય બંગલોઝ, મુંબઈ-૧. ફોન: 02714-225482 | રામદેવનગર, સહેલાઇ, ફોન: 022-22666363 અમદાવાદ-૧૫ : ટાઈપ સેટિંગ -મુદ્રકા જય જિનેન્દ્ર ગ્રાફીક્સ (નીતિન શાહ - જય જિનેન્દ્ર) 30, સ્વાતિ સોસાયટી, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪. મો. 98250 24204 ફોન (ઓ) 2562 1623 (ધર) 2656 2795 E-mail : jayjinendra90@yahoo.com
Page #4
--------------------------------------------------------------------------
________________ : સજન્ય : ભાવનગર નિવાસી શ્રમણોપાસિકા લીલાવતીબેન શાંતિલાલ મૂળચંદભાઈ વોરા, વિરાગ જયપ્રકાશ વોરા-મુંબઈ ભાવનગર નિવાસી જયપ્રકાશ શાંતિલાલ મૂળચંદભાઈ વોરા, વિરાગ જયપ્રકાશ વોરા-મુંબઈ આ કલ્પનાબેન નરેશભાઈ અમૃતલાલ શાહ, માટુંગા, મુંબઈ
Page #5
--------------------------------------------------------------------------
________________ હર અનુક્રમણિકા શર 52 67 95 122 126 131 ક્રમ વિષય 1. ચાર જાતના મનુષ્ય 2. તરંગવતી સાધ્વીજી કૌશલનગરમાં 3. ઋષભસેન ગુણોનું કસોટી સ્થાન 4. તરંગવતીનો જન્મ પ. તરંગવતીને જાતિસ્મરણ 6. તરંગવતીના 108 આયંબિલ 7. તરંગવતીને સ્વપ્ન 8. ધર્મપ્રધાન કે સંસાર યુવાન પદ્મદેવને મૂચ્છ 10. કર્મની નાલેશી પર ચોંકામણ 11. તરંગવતીનો પત્ર અને સંદેશો 12. સંસાર એક રંગભૂમિ 13. વીતરાગ પર અતિશય પ્રેમ 14. પદ્મદેવ-તરંગવતીનું ગુપ્ત પ્રયાણ 15. તરંગવતીની ગાંધર્વ વિવાહની વિનંતી 16. પદ્મદેવનું દિલદર્દ 17. તરંગવતીનો કરુણ વિલાપ 18. મોક્ષદષ્ટિ પહેલા ધર્મદષ્ટિની આવશ્યકતા 19. બીજાના અચાનક કર્મ-ઉદય દેખી પોતે જાગેલાનાં દૃષ્ટાંત 20. સંયોગો અંતે રોવરાવનારા 21. તરંગવતીને મહામુનિનો ભેટો 22. પારધીનો કલ્પાંત અને મરણનિશ્ચય 23. તરુણીનું આત્મનિવેદન 24. મુનિનું વિશાળ અધ્યયન 25. વૈરાગ્યનાં કારણો 26. તરંગવતી - પદ્મદેવની દીક્ષા 27. ધનદેવની દલિલોનો પર્દાફાશ 142 152. 165 177 197 200 224 229 255 273 297 3OO 313 319 33) 336 340 349
Page #6
--------------------------------------------------------------------------
________________ “કમ! તારી ગતિ ન્યારી”, તરંગવતી. (પુના વિ.સં. 2040 ના ચાતુર્માસમાં પૂ. આચાર્યદેવશ્રીએ ‘તરંગવતી તરંગલોલા’ કથા શાસ્ત્ર પર પ્રવચનો આપેલા. તે કથાનેત્રી તરંગવતીના જીવનનાં રસઝરણાં પીરસવામાં આવે છે.) 1. ચાર જાતના મનુષ્યો | અનંત ઉપકારક શ્રી જિન શાસનના ભવ્ય ઇતિહાસમાં ઝળકી રહેલા અનેકાનેક નામી સૂરિસિતારાઓમાં આચાર્ય ભગવાન શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ પણ એક અનોખી વિભૂતિ થઈ ગયેલ છે, કે જેમને 8 વર્ષની ઉંમરે દીક્ષા અને 10 વર્ષની ઉંમરે આચાર્યપદ મળેલ છે. એક વાત સમજી રાખો, જ્ઞાન આત્મામાં શાસ્ત્રમાંથી નથી આવતું પરંતુ અંતરાત્મામાંથી પ્રગટ થાય છે. જ્ઞાન આત્મામાં ભર્યું પડ્યું છે, માત્ર જ્ઞાનની ઉપર આવરણ છે ત્યાંસુધી એ જ્ઞાન આત્માનું છતાં આત્મામાં છુપાયેલું રહે છે. આવરણ હટાવો એટલે જ્ઞાન પ્રગટ થાય. શાસ્ત્ર આ આવરણ હટાવવાનું કામ કરે છે. ડબા નીચે ઢંકાયેલ દીવામાં પ્રકાશ તો છે જ, પરંતુ તે ઢંકાયેલ છે. ડબો હટાવા અગર ડબામાં કાણાં પાડો તો પ્રકાશ બહાર પ્રગટ થાય. શાસ્ત્રો આ કામ કરે છે. આત્મા પરના આવરણમાં કાણાં પાડી આપે છે, એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે; ત્યાં ભલે કહેવાય ખરું કે શાસ્ત્રમાંથી આટલું જ્ઞાન મળ્યું, પરંતુ હકીકતમાં શાસ્ત્રના આધારે જ્ઞાન આત્મામાંથી જ પ્રગટ થયું, ઉપયોગરૂપ બન્યું... આ હિસાબે આવરણ હટાવવા જોઈએ. પરંતુ તે માત્ર શાસ્ત્રાધ્યયનથી જ હટે એવું નહિ; કિન્તુ જ્ઞાનના આચારો કાળ વિનય બહુમાન તપ વગેરે પાળો, બજાવો, એમ અહિંસા-સંયમ આરાધો...આ બધાથી પણ ભારે જ્ઞાનાવરણ કર્મ તૂટે છે, ને એથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર ભગવાન પૂર્વની એટલી બધી સાધના લઈ આવેલા અને અહીં તીર્થકર ભગવાન પ્રત્યે એટલો બધો ઊંચો વિનયભાવ લાવ્યા, એવું ભગવાનનું શરણ ગ્રહણ કર્યું. ભગવાનની પ્રત્યે એવો ઉચ્ચ સમર્પણભાવ ઊભો કર્યો કે પછી પ્રભુ પાસેથી માત્ર ત્રણ પદ (ત્રિપદી) મળવાનું થયું એમાં જંગી શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કર્મ ! તારી ગતિ ન્યારી
Page #7
--------------------------------------------------------------------------
________________ થયો, ને ત્યાં જ ઊભા ઊભા આખી દ્વાદશાંગી, ને એમાં ચૌદ પૂર્વ નામના મહાઆગમ રચી કાઢ્યા ! સુનંદા સાધ્વી વગેરેને સંયમ અને તપની મહાન સાધના કરતાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. શäભવ મુનિ જન્મે ચુસ્ત બ્રાહ્મણ છતાં દીક્ષા પછી માત્ર 8 વરસની અંદરમાં ચૌદ પૂર્વના પારગામી બન્યા ! શું માત્ર ગોખ-ગોખ ને ભણ ભણ કરવાથી આટલું બધું આવડ્યું ? ના, પૂર્વે કહ્યું તેમ ગુરુ-વિનય-બહુમાનાદિ તથા સમ્યક્ત-અહિંસા-સંયમ-તપ વગેરેની આરાધના જોરદાર કરી. એ પણ જ્ઞાનાવરણ તૂટી જ્ઞાન પામવામાં જબરદસ્ત કારણ બનેલા. આચાર્ય ભગવાન પાદલિપ્તસૂરિજી મહારાજને પૂર્વની સાધના અને અહીં સમ્યક્ત સહિત અહિંસા-સંયમ-તપની આરાધનાએ એમને નાની ઉંમરમાં જ્ઞાન ઝટપટ પ્રાપ્ત થઈ ગયું; ને માત્ર દસ વર્ષની ઉંમરે આચાર્યપદે આરૂઢ થયા ! એમના જીવનની ઘટનાઓ અલૌકિક છે. એક ઘટના જોઈએ. એમના કાળમાં નાગાર્જુન નામનો એક યોગી હતો. એણે સુવર્ણસિદ્ધિ સાધી અને એ સુવર્ણસિદ્ધિ રસનો પ્યાલો ભરીને પોતાના શિષ્ય દ્વારા પાદલિપ્તાચાર્યને ભેટ કરવા મોકલ્યો. આચાર્ય ભગવાને ના પાડી કે “અમે સાધુ છીએ અમારે એની જરૂર નથી.” શિષ્ય આગ્રહ કરીને પ્યાલો મૂકે છે, ત્યારે આચાર્યભગવાને પગેથી પ્યાલો હડશેલી મૂકતાં સુવર્ણરસ જમીન પર ઢળી ગયો... નાગાર્જુનનો શિષ્ય આ સહન કરી શકે ? ગરજી ઊઠ્યો “કેટલી મહેનતે આ મહાકિંમતી સુવર્ણરસ સિદ્ધ કર્યો છે તે આમ ઢોળી નાખવાનો ? એટલું બધું અભિમાન છે તો બતાવો તમે શું સિદ્ધિ કરી છે ?' આચાર્ય ભગવાને પ્યાલો લઈ એમાં પેશાબ કરીને આપ્યો. કહે છે કે અમારી આ સિદ્ધિ.' શિષ્યને આ જોઈ ભારે ગુસ્સો ચડી ગયો તે એ જ પ્યાલો ગુર નાગાર્જુન પાસે લઈ જઈ ગુરુને બનેલી હકીકત કહી કહે છે “લો એ જૈનાચાર્ય એમની સિદ્ધિમાં આ એમનો પેશાબ તમને ભેટ મોકલ્યો છે ' નાગાર્જુનને પણ ભારે ગુસ્સો ચડી ગયો તો ગુસ્સામાં “જૈનાચાર્ય આવા અભિમાની ને મશ્કરા ?' એમ કહેતાક એણે પ્યાલો પાસેની શિલા તરફ ફેંક્યો પરંતુ આશ્ચર્ય કેવુંક થયું કે એના પર નાગાર્જુન ભારે પસ્તાવો કરતો દોડ્યો સીધો આચાર્ય ભગવાન પાસે, ને પગમાં પડી રોતી આંખે પોતાની ઉદ્ધતાઈ ને - તરંગવતી
Page #8
--------------------------------------------------------------------------
________________ અભિમાનની માફી માગે છે. નાગાર્જુન એક સિદ્ધપુરુષ, છતાં એની કલ્પનામાં નહિ એવો શો ચમત્કાર ત્યાં બન્યો હશે કે એનાં જીવનને અને હૃદયને ફેરવી નાખે ? માણસ પોતાની થોડી ઘણી આવડતના એવા અહંત્વમાં ચડે છે કે જાણે દુનિયા પોતે જાણે છે એટલી જ છે. તેથી તો ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના અતિશય એના મગજમાં ઊતરતાં નથી, ઝટ એના તુચ્છ અને સંકુચિત મનને થાય છે કે “આવું તે વળી બની શકે ?' છતાં જુઓ - ભગવાનના અતિશયોમાં - (1) ભગવાન માતાના ઉદરમાં છે, 9-9 મહિના થવા આવ્યા છે, છતાં માતાનું બીજી ગર્ભવતી સ્ત્રીઓની જેમ પેટ ઊંચું આવેલું ન દેખાય ! વળી (2) ભગવાનને માતાનું સ્તનપાન ન કરવું પડે. ભગવાનના અંગૂઠામાં ઇંદ્ર-સંચારિત અમૃત બાળ પ્રભુ અંગૂઠો ચૂસી લેવા દ્વારા ભૂખ શાન્ત કરી લે, ને શરીરના અંગોપાંગ વૃદ્ધિગત થતા જ રહે ! (3) ભગવાનનો શ્વાસ કમળ જેવો સુગંધિત નીકળતો હોય. એમ (4) ભગવાન કેવળજ્ઞાન પામે પછી એમની સાથે ચોવીસે કલાક જઘન્યથી એક કોડ દેવતા સાથે હોય. (5) પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ એક પલકમાં જંગલમાં મંગલ ખડું કરી દે, ચાંદી-સુવર્ણ-રત્નના ત્રણ કિલ્લાનું એક જોજનનું સમવસરણ દેવતાઓ રચી કાઢે ! | (દ) ભગવાન ચાલે ત્યારે એમના પગ નીચે માખણના પિંડા જેવા મુલાયમ સોનાના કમળ ગોઠવાઈ જાય ! (7) પ્રભુ ચાલે ત્યારે રત્નસિંહાસન અને ત્રણ છત્ર આકાશમાં પ્રભુની સાથોસાથ ચાલ્યા કરે ! (8) રસ્તાની બે બાજુના ઝાડ નમતા રહે, ને (9) ઉપર ગગનમાં પંખેરા ઘૂમરી દેતા ચાલ્યા કરે. પ્રભુના આવા અતિશયો ક્ષુદ્ર સંકુચિત અને અભિમાની મગજમાં શાના બેસે ? પરંતુ એવા અતિશયો અને ચમત્કારો પર શ્રદ્ધા કરવા માટે (1) વિલક્ષણ કર્મવિપાકનો અને (2) અભુત લબ્ધિનો પ્રભાવ વિચારવા જેવો છે. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #9
--------------------------------------------------------------------------
________________ (1) કર્મવિપાકનું અદ્ભુત સર્જન : કર્મપરિણતિ-કર્મવિપાક વિચિત્ર છે. જુઓ માતાના ઉદરમાં સંતાનનું શરીર એના અંગોપાંગ, ઇંદ્રિયો, અને અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ નસો વગેરે કોણ ઘડવા બેસે છે ? વિલક્ષણ કર્મવિપાક જ એ કામ કરી રહેલ છે. એ પછી જન્મ બાદ પણ કેટલાક વખત સુધી બાળક માત્ર દૂધ પીતું હોય છે, એમાંથી શા એવા રૂપાંતર થાય છે કે દાંતને હાડકાને સફેદ કઠણ પદાર્થ, જીભને લાલ મુલાયમ પદાર્થ, વાળને કાળા પદાર્થ, લોહીને લાલઘૂમ પદાર્થ, અને માંસ ચરબીને એવા સફેદ પદાર્થ મળ્યા કરે છે ! તે પણ તેવા તેવા વિવિધ પદાર્થ માત્ર દૂધમાંથી સરજાય છે. માત્ર સરજાય એટલું જ નહિ, કિન્તુ તે તે વિવિધ પદાર્થ તે તે અવશ્ય અને ધાતુઓમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. દૂધના પરિવર્તન પામેલા લાલ અણુ લોહી તથા જીભમાં જ જાય, સફેદ કઠણ પદાર્થ દાંત અને હાડકામાં જ ભળે ! લાલ પોચા અણુ હાડકામાં નહિ, ને સફેદ કઠણ કણ જીભ વગેરેમાં નહિ... આવું બધું વિલક્ષણ છતાં વ્યવસ્થિત સર્જન અને યોગ્ય ગોઠવણ કોણ કરે છે ? કહો, વિચિત્ર કર્મવિપાક કરે છે. ખેદ-હરખ અટકાવવા વિચારણા : માણસને આપત્તિ આવે ત્યારે બેબાકળો થાય છે પણ જો ત્યાં વિચારે કે જે વિચિત્ર કર્મ-વિપાક શરીર-ગાત્ર-ઇંદ્રિયો ને ધાતુઓના ચમત્કારિક સર્જનવ્યવસ્થાપન કરે છે, એ વિચિત્ર કર્મવિપાક મારા જીવનકાળમાં આપત્તિ-સંપત્તિની વિચિત્ર ઘટનાઓ સરજે એમાં નવાઈ શી છે ? ત્યાં શું આશ્ચર્ય પામવાનું ? કે શા ખેદ-હરખ કરવાના ? એ તો કર્મવિપાકની સહજ ઘટનાઓ છે. એમ કરી ગંભીર બની એમાં લહેવાઈ ન જવાય. “અવધુ સદા મગનમેં રહેના.' કરીને ચાલવાનું. તીર્થકર ભગવાન એવી ઉત્તમ આરાધના કરીને આવેલ છે કે એમને એવા સર્વોચ્ચ પુણ્યકર્મના જૂથ ઊભા થઈ ગયેલા છે. એ કર્મના વિપાક પછી અતિશય સર્જન કરે એમાં શી નવાઈ ? (2) આત્મ-લબ્ધિઓનું અદ્ભુત સર્જન : બીજું વિચારવાનું આ છે કે આત્માના અંતરાયાદિ કર્મના તૂટવાથી જે લબ્ધિઓ ઊભી થાય છે તે અકથ્ય અચિંત્ય સિદ્ધિઓ ઊભી કરે છે. દા.ત. જોઈએ છીએ કે (1) એક જ ક્લાસમાં ભણતા અનેક મહેનતુ વિદ્યાર્થીઓમાં કોઈક જ - તરંગવતી
Page #10
--------------------------------------------------------------------------
________________ એક બે જણા અસાધારણ વિદ્યા હોશિયારી વિદ્વત્તા પામી જાય છે. કેમ ? કહો, પૂર્વભવેથી જ્ઞાનાવરણીય કર્મનો એવો ક્ષયોપશમ કરીને જ્ઞાનલબ્ધિ ઊભી કરીને આવ્યા, કે અહીં બીજા અનેકની અપેક્ષાએ અતિશયિત જ્ઞાન-વિદ્વત્તા પામી જાય ! જાણવા મળ્યું છે કે પૂ. આત્મારામજી મહારાજ એક દિવસમાં 300 ગાથા મોઢે કરી શકતા... વજસ્વામિને બાળપણામાં ઘોડિયામાં રહીને આચારાંગ ભગવતી... વગેરે 11 અંગ-આગમો સાધ્વીજીના મુખે બોલાતા સાંભળીને મોઢે કંઠસ્થ થઈ ગયેલા ! ગણધર ભગવાનને પ્રભુના મુખેથી માત્ર ત્રણ પદ સાંભળીને ત્યાં જ 14 “પૂર્વ શાસ્ત્રો અને દ્વાદશાંગી આગમનું જ્ઞાન હુરી જાય છે. ને ત્યાં જ ઊભા ઊભા અંતર્મુહૂર્તમાં એનાં સૂત્રોની રચના કરી દે છે. શું આ ? શ્રુતલબ્ધિ. એવી બીજી પણ લબ્ધિઓ હોય છે દા.ત. દેશનાલબ્ધિ :- મરીચિ ચારિત્રથી પતિત હતા, અને સંન્યાસીના વેશમાં પ્રભુની સાથે વિચરતા હતા, છતાં એમને જે લોક પૂછતા કે તમારે આવો વિચિત્ર વેશ કેમ ? તો પોતે સાધુતાથી ભ્રષ્ટ છે, એમ કહી એ નિમિત્ત પામીને મરીચિ કેટલાયને વૈરાગ્યનો ઉપદેશ આપી, વૈરાગ્ય પમાડી દેતા ! અને ઠેઠ સાધુ બનવા સુધી પહોંચાડી દેતા ! શું આ ? દેશનાલબ્ધિ. નંદીષેણ મુનિ પતિત થઈ વેશ્યાને ત્યાં રહેનારા બનેલા, છતાં રોજ ને રોજ ઉપદેશથી 10 જણને વૈરાગ્ય પમાડી પ્રભુ પાસે સાધુ થવા મોકલી દેતા ! વેશ્યાને પહેલેથી કહી દીધેલું કે “રોજ દશને પ્રતિબોધ કરી સાધુ બનાવી પછી જ ભોજન કરીશ, એ શરત મંજૂર હોય તો હું અહીં રહું.' ? પોતે પતિત છતાં બીજાને પમાડી શકે ? હા, એનું જ નામ દેશનાલબ્ધિ. લબ્ધિ આશ્ચર્યજનક કામ કરે. લબ્ધિ કોને કહે છે ? તેવા પ્રકારના કર્મ તૂટીને આત્મશક્તિ પ્રગટ થાય એ લબ્ધિ છે. દા.ત. આમોસ હિલબ્ધિ વિપ્રોસલિબ્ધિ, વગેરે લબ્ધિઓ. ઋષભદેવ ભગવાન પૂર્વના ત્રીજા ભવમાં ચક્રવર્તી મુનિ બનેલા, પછી એમના સંયમ સાથે તપસ્યા અને અગાધ જ્ઞાન-પરિશ્રમ એટલા જબરદસ્ત હતા કે પોતે 14 “પૂર્વ શાસ્ત્રની લબ્ધિવાળા બનવા ઉપરાંત એવી આમોસહિ (આમોસ સ્પર્શ, એજ ઓષધિ) લબ્ધિવાળા બનેલા કે એમના શરીરને સ્પર્શીને ચાલેલો પવન બાજુમાં કર્મ ! તારી ગતિ ન્યારી
Page #11
--------------------------------------------------------------------------
________________ બેઠેલા બીમારને સ્પર્શે, તો એની બીમારી મટી જાય !. સનતકુમાર ચક્રવર્તી મુનિને કઠોર તપસ્યાથી અને સ્વેચ્છાએ રોગો સહન કરવાથી, અનેક લબ્ધિઓ પૈકી એક વિપ્રોસહિલબ્ધિ પ્રગટ થઈ ગયેલી, તે દેવતા ધવંતરી વૈદ્યનું રૂપ કરી એમની પાસે આવી એમના રોગ મિટાવી દેવા તૈયારી બતાવે છે; ત્યારે મહામુનિ કહે છે, “જો ભાઈ રોગ તો મારા મિત્ર છે. એ છે ત્યાં સુધી એ ભોગવી ભોગવીને મારા કર્મશત્રુઓનો નિકાલ થાય છે. એ રોગમિત્રોનો, તું વિયોગ કરાવવા આવ્યો છે ? રોગ તો જો મારે કાઢવા હોય તો ભગવાનની કૃપાથી ઊભી થયેલ તપની લબ્ધિના પ્રતાપે કાઢવાનું કાંઈ જ કઠિન નથી. લે જો.” એમ કરી પોતાના ઘૂંકની કણી લઈ કોઢ રોગવાળી એક આંગળી પર એ ઘૂંક લગાડ્યું, તો ત્યાં જ કોઢના સફેદ ધબ્બા મટી જઈ, એ આંગળી કંચનવર્ણ ગોરી ગુલાબી થઈ ગઈ ! આમ (1) કર્મોના વિલક્ષણ વિપાક અને (2) આત્મલબ્ધિઓ અદ્ભુત આશ્ચર્યજનક ભાવ ભજવે, એ સહજ છે. એથી જ ભગવાનને અદ્ભુત અતિશયો કામ કરી રહ્યા હોય છે. ત્યાં આ કેમ બને એવી શંકા કરવી અયુક્ત છે. આપણા તરંગવતી કથાકાર પાદલિપ્તસૂરિજી મહારાજ એવી કોઈ વિશિષ્ટ જ્ઞાનલબ્ધિ વીર્યલબ્ધિ આદિવાળા, તે એની બિચારા યોગી નાગાર્જુનને શી ગમ ? તે એણે પોતે તો આચાર્ય મહારાજને સુવર્ણસિદ્ધિનો રસ મોકલેલા. પણ આચાર્યદેવ એ રસના ડબલાને લાત મારી રસને ધૂળ ભેગો કર્યો અને બદલામાં ડબલામાં પોતાનો પેશાબ ભરી મોકલ્યો, એને અજ્ઞાન નાગાર્જુન અપમાન અને એક ગંઘો પદાર્થ સમજી જમીન પર ફેંકે છે ! ત્યાં જ એના છાંટા જે શિલા પર પડ્યા એ શિલા રત્નમય થઈ ગઈ ! પાદલિપ્તાચાર્યની લબ્ધિ : નાગાર્જુન ચોકી ઊઠ્યો કે “બાપ રે ! આની આગળ મારી રસાયણસિદ્ધિ શી વિસાતમાં ? હું સમજું કે બહુ મહેનત કરી મહાન વનસ્પતિઓના રસથી સુવર્ણ-સિદ્ધિ બનાવું, ને એ સુવર્ણરસ લોઢાને સોનું બનાવે ! ત્યારે આના તો શરીરનો અશુચિ પદાર્થ-પેશાબ પત્થરની શિલાને રત્ન બનાવે છે ! ત્યારે આમના ખુદ શરીરમાં કેટલાય રસાયણ ભર્યા પડ્યા હશે ?" બિચારા યોગીને આત્માની લબ્ધિઓની શી ગમ ? નાગાર્જુન ઊઠીને દોડતો આવ્યો આચાર્ય પાદલિપ્તસૂરિજી મહારાજ પાસે, ને પગમાં પડી જઈ ક્ષમા માગે છે, “પ્રભુ ! ક્ષમા કરો, ક્ષમા કરો મને, હું - તરંગવતી
Page #12
--------------------------------------------------------------------------
________________ અજ્ઞાન મૂઢ છતાં અભિમાનથી યોગી નામ લઈને ફર્યો અને સાચા મહાન યોગી મહાજ્ઞાની એવા આપને મેં ઓળખ્યા નહિ...” પાદલિપ્તાચાર્ય મહારાજ મહાજ્ઞાની મહાયોગી હતા છતાં એમને અભિમાન નહોતું. પોતે સમજતા કે “ક્યાં તીર્થકર ભગવાનની મહાન યોગસાધના ? ને ક્યાં અમારી કૂપમંડૂક જેવી દશા ? ક્યાં પ્રભુનું અનંતજ્ઞાન? અને ક્યાં અમારી સમુદ્રમાં ખસખસ જેવી જ્ઞાનદશા ! અરે ! ક્યાં ગૌતમાદિ ગણધર ભગવંતોની અનંત લબ્ધિની શ્રીમંતાઈ ? ને ક્યાં અમારી એ બાબતમાં ય ગરીબી ?" આચાર્ય મહારાજ નિરભિમાનતાથી પોતાની જાતને આવી સાવ નગણ્ય સમજતા, પણ જગત એમને મહાજ્ઞાની તરીકે નવાજતા; કેમકે એવી એવી એમણે જૈનેતર વિદ્વાનોમાં પણ જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. આમ છતાં કેટલાક પંડિત બ્રાહ્મણો એમની પર ઈર્ષ્યા કરતા, પરંતુ ખૂબી એ થઈ કે જ્યારે પાદલિપ્તાચાર્ય મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એજ વિદ્વાનો રડી ઊઠીને પોક મૂકે છે કે “અરે ! એ જમરાજનું માથું કેમ ન ફૂટી ગયું કે જેના મગજમાં આવા અજોડ અદ્વિતીય વિદ્વાન પાદલિપ્તાચાર્યને ઉપાડી જવાનો ને જગતને રંડાપો દેવાનો વિચાર આવ્યો ?' ત્યારે, વિચારો આચાર્ય મહારાજે ઇતર વિદ્વાનોના હૃદયમાં કેવુંક ઊંચું સ્થાન મેળવ્યું હશે ? એમણે અનેક શાસ્ત્રો પૈકી એક શાસ્ત્ર પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠાવિધિ ઉપર રચ્યું છે, એનું નામ છે નિર્વાણકલિકા.” નિર્વાણકલિકામાં લૌકિક આશયથી ધર્મવિધાન : નિર્વાણકલિકા એ આજે ઉપલબ્ધ પ્રતિષ્ઠાવિધિના શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્ર છે. એ જુઓ તો ખબર પડે કે એમણે ધર્મ માત્ર મોક્ષ માટે જ કરવાનો કહ્યો છે ? કે ધર્મને ઠામઠામ મંગળરૂપ બનાવી જીવનવ્યાપી બનાવવાનો કહ્યો છે ? દાતણ કરતાં પહેલા ધર્મમંત્ર ભણો, સ્નાન કરતાં પહેલાં ધર્મમંત્ર ભણો, વસ્ત્ર પહેરતાં પહેલાં ધર્મમંત્ર ભણો... બહાર જતાં પહેલાં સ્તોત્રાદિ ભણો... કેમ આ બધું? જીવનમાં ધર્મમંગળથી અપમંગળ ન આવે, વિશ્ન આપદા ન આવે, મનનું ઈષ્ટ સિદ્ધ થાય. આવા મોટા સાથા ધુરંધર શાસનપ્રભાવક અગાધ જ્ઞાની અને યોગી સમ્રાટ આચાર્ય ભગવાન જ્યારે સંસારના કાર્યોમાં ધર્મ ઘાલવાના આવા વિધાન બતાવતા હશે, શું એ સમજણ વિનાનાં ? ને “ધર્મ મોક્ષ માટે જ થાય’ આમ કાર સાથે કહી મોક્ષ કર્મ ! તારી ગતિ ન્યારી
Page #13
--------------------------------------------------------------------------
________________ સિવાયના બીજા કોઈ સાંસારિક પ્રયોજન માટે ધર્મનો નિષેધ કરે, એ સમજણવાળા ? પાદલિપ્તસૂરિજીની તરંગવતી-તરંગલોલા’ કથા : આ જ મહાન આચાર્ય ભગવાન પાદલિપ્તસૂરિજીનું બીજું એક શાસ્ત્ર તે પ્રાકૃત ભાષામાં કાવ્યમય તરંગવતી (તરંગલોલા)ની ધર્મકથા... પરંતુ એમાં દેશ્ય શબ્દો અને કાવ્ય વૃત્તોની જટિલતા બહુ, તેથી પછીના આચાર્ય નેમિચંદ્રસૂરિના શિષ્ય યશ(યશસેન) મુનિએ જોયું કે આ મહા રસમય ને બોધક અદ્ભુત કથાગ્રંથ ભાષાની જટિલતા હોવાથી પઠન-પાઠનમાં એવો વ્યાપક નથી. તેથી એ પડતા કાળમાં નષ્ટ થઈ જવા સંભવ છે. જૈનાગમ-સમુદ્રમાંની એવા મહાન આચાર્યની એક મહાન વાનગી નષ્ટ કેમ થવા દેવાય ? તેથી એમણે જ તરંગવતી શાસ્ત્રમાંથી એવા અપરિચિત દેશ્ય શબ્દો અને જટિલ વૃત્તો કાઢી નાખીને સળંગ કથા તૈયાર કરી, ને એ પછી પઠન-પાઠનમાં સારી ચાલી હશે, પરંતુ આપણી અલ્પ પુણ્યાઈએ એની હસ્તલિખિત પ્રતિઓ આજે બહુ અલ્પ ઉપલબ્ધ છે. એટલે લહિયાઓના લેખનદોષવાળી પ્રતિઓને શુદ્ધ કરવા માટે એવી પ્રતિઓની સુલભતા નથી. છતાં ભાગ્યું તો ય ભરૂચ, અશુદ્ધ લખાયેલ પણ અલ્પ પ્રતિઓમાંથી આપણને તરંગવતીની મનોરમ કથા અને તરંગવતીનાં જીવનના બોધક રસઝરણાં જાણવા મળે છે, તેથી એના પર વિચારણા કરી આત્મલાભ મેળવવો છે... શાસ્ત્રકાર ભગવંતે તરંગવતીને ભગવાન મહાવીર પરમાત્માના મુખ્ય શિય્યા સાધ્વી શ્રી ચંદનબાળાજીના શિષ્યા સાધ્વીજી શ્રી સુવ્રતાના શિષ્યા સાધ્વીજી તરીકે બતાવી, એમના પોતાના મુખે એમની જીવનકથની કહેવરાવી છે. બન્યું છે એવું કે રાજા કોણિકના સમયમાં કોશલ દેશમાં કોસાંબી નગરીમાં એક આગળ પડતા ધનાઢ્ય શેઠ ઋષભસેનની ધર્મપત્ની સોમા શેઠાણીની આજ્ઞાથી દાસીઓ ભોજનના સમયે સુપાત્ર દાનનાં લાભ માટે શેરીના રસ્તા પર સાધુ-સાધ્વીજી મહારાજની રાહ જોઈ રહી હોય છે. કેવોક સુંદર યોગ ! શેઠાણી પૂર્વનું પુણ્ય ભોગવી રહી છે અને અહીં પણ એને સુપાત્રદાનાદિ પુણ્યના માર્ગ સૂઝે છે. પરિણામે ભાવિ ભવ કેવો મળવાનો ? કહો, પુણ્યાઈભર્યો. એટલે કે છે છે ને છે. જગતમાં ચાર જાતના મનુષ્ય, - તરંગવતી
Page #14
--------------------------------------------------------------------------
________________ (1) છે છે ને છે, (2) છે નથી ને નથી, (3) નથી છે ને છે, (4) નથી નથી ને નથી... (1) પહેલા પ્રકારમાં આવા કે પૂર્વે પુણ્ય કમાઈને અહીં આવ્યા, અહીં પણ પુણ્ય કમાય છે, તેથી ભવિષ્યમાં ય પુણ્યાઈ લઈને જવાના ને ભોગવવાના, આવા જીવો પુણ્યાનુબંધી પુણ્યવાળા કહેવાય. આજે એવા કેટલાક શ્રીમંત કે મધ્યમ માણસો જોવા મળે છે કે જે પૂર્વભવેથી અહીં વિશેષ યા સામાન્ય પુણ્યાઈ લઈ આવેલા ભોગવે છે, અને સાથે એમને જીવનમાં ધર્મ મુખ્યપણે સૂઝે છે, એ ભાવિ ભવમાં પણ છે' ની સ્થિતિમાં મુકાવાના. (2) પરંતુ બીજા પ્રકારમાં એવા જીવો છે જેમને અહીં શ્રીમંતાઈ છે એટલે કે એ પૂર્વ ભવે પુણ્યાઈ ઊભી કરીને આવેલા; પરંતુ અહીં એમને પુણ્યમાર્ગ અર્થાત ધર્મ સૂઝતો નથી. આ “નથી' ની સ્થિતિમાં છે. તો ભાવિ ભવ કેવો મળવાનો ? કહો “નથી” ની સ્થિતિમાં. આવા જીવો પાપાનુબંધી પુણ્યવાળો કહેવાય, પુણ્ય ખરું, પણ પાપના અનુબંધવાળું, એટલે પુણ્ય ભોગવતાં પાપ જ સૂઝે. દા.ત. મમ્મણને અઢળક પુણ્યોદય છતાં પાપાનુબંધો : મમ્મણ શેઠ પૂર્વના મુનિદાનથી પુણ્ય લઈને આવેલો, પરંતુ અહીં જીવનમાં મુખ્યપણે એક જ કામ રાખેલું કે “બસ, થાય એટલો પરિગ્રહ ભેગો કરો.' એમાં નકરાં પાપ જ ઉપાર્યા. કેમ આમ ? પૂર્વે દાનથી પુણ્ય તો ઊભું કર્યું હતું, પરંતુ પાછળથી દાનની નિંદા કરી કે “હાય ! મેં સિંહ કેશરિયો લાડ મહારાજને ક્યાં વહોરાવ્યો ?' એણે પહેલાં તો લહાણામાં આવેલો લાડુ જાતે ખાવાની લાલચ મૂકી સાધુમહારાજને વહોરાવેલો, તેથી અઢળક પુણ્યાઈ ઊભી કરેલી ! પરંતુ પાછળથી પાડોશીના કહેવાથી ખબર પડી કે આ તો સિંહ કેશરિયો લાડુ હતો અને વાસણમાં પડેલા એના કણિયા ચાખ્યા તે દાઢે લાગ્યા, તે હવે મુનિ મહારાજ પાસેથી લાડવો પાછો લેવા ગયો, પણ મળ્યો નહિ તેથી હવે દાનની જોરદાર નિંદા સંતાપ કરે છે. કરેલા ધર્મના સંતાપથી પૂર્વે બાંધેલા પુણ્યમાં જોરદાર પાપના ઝેરના કણિયા યાને તીવ્ર પાપાનુબંધો-પાપસંસ્કારો નાખી દીધા. પહેલાં તો દાન કરતી વખતે અને પછી પણ જાતને ધન્ય માનતો એણે પુણ્ય સંસ્કારો પુણ્યાનુબંધો ઊભા કરેલા, પરંતુ પછીથી દાનનો સંતાપ પેલા કર્મ ! તારી ગતિ ન્યારી
Page #15
--------------------------------------------------------------------------
________________ પુણ્યાનુબંધો-પુણ્યસંસ્કારો બળીને સાફ થઈ ગયા, અને નવાં પાપાનુબંધોપાપસંસ્કારો ઊભા કરી દીધા ! એ બંડલ અહીં લઈને આવ્યો, તેથી પૂર્વના પુણે પૈસા મળવા છતાં સૂઝયું શું? ધર્મ? કે પાપ ? કહો, પરિગ્રહ મમતાનું ઘોર પાપ સૂછ્યું. * પુણ્યાનુબંધથી ધર્મ સૂઝે. * પાપાનુબંધથી પાપ સૂઝે. એટલે જ સાવધાન થવા જેવું છે કે અહીં જેટલા પાપ સૂઝે છે....એ પૂર્વના પાપાનુબંધનું ફળ છે. એટલે જ (1) ધર્મ કરતી વખતે વિષયોની લાલચ, તથા કષાય વગેરેથી નવા પાપાનુબંધો ઊભા કરવાનું ન કરાય; તેમજ (2) પૂર્વના ઢીલા પાપાનુબંધોને અહીં ચાર શરણ, દુષ્કતગઈ, પ્રતિક્રમણ, સુકૃત-સેવન, જિનભક્તિ-ત્યાગતપસ્યા વગેરેથી તોડવાનું કરાય.. બધા પાપાનુબંધો કોઈ એવા તીવ્ર ઉગ્ર નથી હોતા કે તેને તોડવાનું મન જ ન થાય. મંદ પાપાનુબંધો ય હોય છે, ને એને જિનવાણીશ્રવણ અને સત્ કરણીથી તોડી શકાય છે. ઘણાનો એવો અનુભવ છે કે સાધુ પાસે નહોતા જતા ત્યારે નકરાં દુન્યવી પાપ જ સૂઝતા; પરંતુ સાધુસમાગમ અને જિનવાણીશ્રવણ પછી પાપબુદ્ધિ ઓછી થવા માંડી ને પાપને બદલે ધર્મ સૂઝવા માંડ્યો શું આ ? મંદ પાપાનુબંધો તૂટતા ચાલ્યા. મમ્મણને તીવ્ર પાપાનુબંધ હતા, એટલે આમ તો રાજગૃહીનો એ વાસી છતાં, અને જયાં અનેકાનેક મુનિઓનો યોગ યાવતુ કદાચ મહાવીર ભગવાનનો યોગ મળ્યો હોય, છતાં એને ધર્મ સૂઝયો જ નહિ. તીવ્ર પાપાનુબંધવાળાને કોઈ ઉપાયે ધર્મ ન સૂઝે. આ મમ્મણ બીજા પ્રકારનો જીવ,- “છે નથી ને નથી' વાળો ગણાય. પૂર્વે પુણ્યાઈ હતી, અહીં નથી, ને પરભવે સાતમી નરકે ગયો ત્યાં પણ એને ધર્મ નથી, ધર્મબુદ્ધિ જ નથી. એટલે જ અહીં સાવધ થવા જેવું છે કે પૂર્વના પુણ્ય અહીં પૈસા-કુટુંબ-પ્રતિષ્ઠા-સત્તા વગેરે તો મળ્યું. પણ એમાં પાપ નથી સૂઝતા ને? દા.ત. કોઈ મંદિરના ટ્રસ્ટી બન્યા, તો લોકોએ ભંડારમાં પ્રભુભક્તિ માટે પૈસા નાખ્યા. એનાથી પ્રભુભક્તિ કરવાને બદલે એ પૈસા ફિક્સ ડિપોઝીટમાં ઘાલી મૂકવાનું નથી કરતા ને ? નહિતર એમાં વિશ્વાસઘાતનું પાપ થાય. વળી ટ્રસ્ટી બનીને પાપાનુબંધી પુણ્ય ભોગવવાનું થાય. એમ, 10 - તરંગવતી
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રભુને પૂજારીને નથી સોંપી દીધા ને ? નહિતર એમાં પ્રભુને રોજ સવાર પડ્યે પૂજારીના હાથે વાળાકૂંચી યાને કૂચડાના ગોદા ખવરાવવાનું પાપ થાય. આ પાપાનુબંધી પુણ્યના ઉદયે ટ્રસ્ટી બનવાનું થયું કહેવાય. રોજ પ્રભુને ગોદા મરાવીને આગળ ભાવિ કેવું ? ખરાબ ! આવા જીવો છે નથી ને નથી. (3) ત્રીજા પ્રકારના જીવોને “નથી છે ને છે.” પૂર્વભવે પુણ્યાઈ નહિ, એટલે અહીં ગરીબાઈ વગેરે દુઃખભરી સ્થિતિ હોય. પરંતુ અહીં ધર્મ સૂઝે છે. એટલે “છે'ની સ્થિતિ આવી. એનાથી એને ભવિષ્યમાં પુણ્યમાર્ગ સૂઝશે. એટલે એવા જીવો નથી, છે, ને છે” કોટિના ગણાય. આજે એવા સામાન્ય સ્થિતિના ભાગ્યશાળી જૈનો છે જે અગવડ વેઠીને પણ ધર્મસાધના કરતા રહે છે. ત્યારે એવા મધ્યમ સ્થિતિમાં અને શ્રીમંતો કેટલાય છે જેમને પૂર્વભવે છે' ની સ્થિતિ; તેથી અહીં પુણ્ય લઈને આવ્યા સગવડ ઘણી મળી, પરંતુ અભાગિયા એવા કે જેમને અહીં ધર્મ સૂઝતો નથી. એટલે અહીં “નથી”ની સ્થિતિમાં થયા. તેથી પછી એના પર આગળના ભવે ‘નથી'ની સ્થિતિમાં દુખિયારા અને ધર્મહીન રહેવાના એ “છે, નથી ને નથી”ની સ્થિતિવાળા ગણાય. પરંતુ સામાન્ય સ્થિતિવાળા અહીં ધર્મ કરે છે, તેથી છે”ની સ્થિતિમાં, ને આગળ અહીં ધર્મ કર્યાના ફળમાં સારું પામવાના, એટલે ત્યાં છે”ની સ્થિતિ થવાની. એમ આ ત્રીજા પ્રકારવાળાને “નથી, છે, ને છે.” આ બતાવે છે કે “કદાચ અહીં તમારે એવી આર્થિક સંગીન સ્થિતિ નથી, અથવા શરીર સારું રહેતું નથી, તો જો કે પૂર્વભવે “ધર્મ નથી” ની સ્થિતિમાં હતા, પરંતુ અહીં જો ધર્મનું શરણું લો, જૂઠ-અનીતિ-વિશ્વાસઘાત, જીવોના બહુ આરંભ સભારંભ, ઈર્ષ્યા-મદ વગેરે કરો નહિ, ભગવદ્-ઉપાસના યાને જિનભક્તિ કરો, પ્રભુ પાસે માગો “પ્રભુ ! મારે પાપો નથી કરવા, જીવનનિર્વાહની મુશ્કેલી છે, મારે તારો જ આધાર છે, તું જ મુશ્કેલી દૂર કરશે” એવી પ્રાર્થના સાથે સાધુસેવા, સદાચાર દયા, સર્વ સાથે મૈત્રીભાવ,... વગેરે રાખો, તો અહીં છે'ની સ્થિતિમાં છો, અને આગામી ભવે ય સારી સ્થિતિ બની આવે એટલે તમારે “નથી, છે ને છે.” (4) “નથી, નથી, ને નથી” વાળા જીવો : ચોથા પ્રકારના જીવોની તો વાત જ કરવા જેવી નથી, કેમકે એ ‘નથી, નથી, ને નથી'ની સ્થિતિમાં છે. એટલે કે એમને પૂર્વ જનમમાં પણ ધર્મ નહિ, કર્મ ! તારી ગતિ ન્યારી 1 1
Page #17
--------------------------------------------------------------------------
________________ અહીં પણ ધર્મ નહિ, ને પછી આગળના ભવે ય ધર્મ નહિ. ગત ભવ, આ ભવ, અને આવતો ભવ, ત્રણેય પાપભર્યા ભવ. સંસારના મોટા ભાગના જીવો જુઓ તો આ સ્થિતિમાં છે. અનંતાનંત જીવો અનંતકાળથી નિગોદમાં પડેલા છે, એમના અતીત-વર્તમાન અનાગત, ત્રણેય ભાવો ધર્મહીન, એની શી વાત કરવી ? 2. તરંગવતી સાધ્વીજી કોશલનગરમાં તરંગવતી સાધ્વીજી એવા કુળમાં જન્મેલા કે જ્યાં “છે, છે, ને છે'નો પ્રકાર હતો. એના પિતા કોશલનગરીના ઋષભસેન શેઠની સ્થિતિ પહેલા નંબરની છે, “છે છે ને છે.” ! તેથી પૂર્વે ધર્મ કર્યો છે તેથી અહીં શ્રીમંતાઈ, અહીં પણ એના આંગણે દાસીઓ ભોજન સમયે સુપાત્રદાનના લાભ માટે ફાંફાં મારે છે કે કોઈ સાધુ સાધ્વીજી મહારાજ મળે ? એમ અહીં ઋષભસેન શેઠના જીવનમાં ધર્મ છે. પછી આગળના ભાવે ધર્મ મળવાનો એમાં શી નવાઈ ? “છે, છે, ને છે.” આ ઋષભસેન શેઠની હવેલીની નજીકમાં ગણિની સાધ્વીજી સુવ્રતાશ્રીજી પોતાના શિષ્યાઓના પરિવાર સાથે ઊતરેલા છે. ભગવાન શ્રી મહાવીર સ્વામિના સમયની આ વાત છે એટલે પ્રભુના મુખ્ય શિષ્યા ચંદનબાળા સાધ્વીજીના આ સુવ્રતાશ્રીજી સાથ્વી શિષ્યા છે. એમના એક શિષ્યા તે તરંગવતી સાધ્વીજી છે. એ જ્ઞાન-ધ્યાનમાં રક્ત રહેવાથી ભણેલા છે. એમણે વ્રત નિયમ તપસ્યામાં પણ રક્ત રહીને પોતાનું રૂપાળું લષ્ટ પુષ્ટ શરીર કુશ કરી નાખ્યું છે. કારણ ? એમને પૂર્વભવ અને વર્તમાનભવના દુ:ખદ અનુભવથી દિલમાં જિનવચન ખૂબ પરિણામ પામી ગયા છે. એટલે ભગવાનના વચનથી દેખી રહ્યા છે કે, તરંગવતીની ધર્મજોમ-પ્રેરક વિચારણા :- જેટલી વ્રત-નિયમ-તપયાની આરાધના કરતી રહું એટલે મારા આત્મા પરનાં કર્મ નષ્ટ થઈ રહ્યા છે, આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એમાંય સંયમજીવન મળ્યું, તે વ્રત-નિયમતપસ્યાદિ કર્મોનો ખોડો કાઢવા માટે જ મળ્યું છે. આહાર-વિષયાદિની સંજ્ઞાઓ પોષવાના અને તેથી પોતાના જ આત્મા પર કર્મોના ભાર વધારવાના ભવ જગતમાં ઘણા; પરંતુ એ કુટિલ સંજ્ઞાઓનાં પોષણ કર્યો ગયા એ કરવાનું હોય ? જગતમાં મનુષ્ય અવતાર દુર્લભ છે, તેમજ જીવનમાં ધર્મ-આરાધના દુર્લભ છે. દુર્લભ અવતારમાં તો દુર્લભ આરાધના જ કરવાની હોય. - તરંગવતી 1 2
Page #18
--------------------------------------------------------------------------
________________ યથેચ્છ ખાનપાન રંગવિલાસની આરાધના દુર્લભ નથી. જગતના અસંખ્ય નાના મોટા જીવોમાં દેખાય છે કે “એ બધા ય એ તો કરી જ રહ્યા છે. માટે એ સુલભ છે. દુર્લભ છે ત્યાગ-તપ-વ્રત-નિયમાદિની આરાધના, તો આ દુર્લભ મનુષ્યભવે એ દુર્લભ આરાધના જ કરવાની હોય. મનને એમ થાય કે “આવો સુંદર જનમ વારે વારે કે સહેલાઈથી નથી મળતો અત્યારે મળ્યો છે, પણ પછી કોને ખબર પાછો આવો અવતાર કેટલાય ભવો પછી મળશે ? કેમકે આવો સારી આદશ-આર્યકુળમાં અવતાર, વ્રત-નિયમ-તપસ્યા વગેરે ધર્મની આરાધના વિના ન મળે; એટલે જો અહીં આ ન કરી લઉં તો ફરીથી મનુષ્યભવ ન મળે, માટે અહીં આ જ કરી લઉં' એમ સમજ હતી, એટલે તરંગવતી સાધ્વી જોરદાર ત્યાગ-તપ ને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત હતા. કહેતા નહિ, પ્ર.- પણ અમને ધર્મ કષ્ટરૂપ કેમ લાગે છે ? ઉ.- કદાચ ધર્મ મનને કષ્ટરૂપ લાગે, પરંતુ એનું કારણ મન સુખશીલતામાં ખોટું ટેવાઈ ગયું છે તેથી કષ્ટરૂપતા લાગે છે. કિન્તુ જો થોડો વખત ધીરજ રાખીને પોતાના આત્માના કલ્યાણ માટે મન મારીને સુખશીલતા દૂર ફગાવી દઈ જરાક ખડતલ બની જવાય, અને મન મારીને પણ વ્રત-નિયમ-તપસ્યામાં શરીરને જોડી દેવાય, તો પછી મન એમાં ટેવાઈ જવાથી એને આમાં કશું કષ્ટ જ લાગતું નથી. જીવનમાં જોશો તો દેખાશે કે પહેલાં કષ્ટમય લાગતી એવી કેટલીય બાબતો, મન એમાં ધીરજ રાખી એની પૂંઠે પડી જાઓ, તો એ સરળ બની જશે, અને એવા એમાં ટેવાઈ જશો, કે પછી એ મૂકવા નહિ ગમે. તરંગવતી સાધ્વીજી ગોચરીએ : તરંગવતી સાધ્વીને એવું બન્યું છે, એટલે એક વાર છઠ્ઠના પારણે બીજી સાધ્વી સાથે ગોચરી નીકળ્યા છે, ને આ ઋષભસેન શેઠના આંગણા આગળના રસ્તે પસાર થાય છે. ત્યાં પેલી શેઠની દાસીઓ ફાંફાં તો મારતી જ હતી, ને આમને જોઈને પાસે જઈ વહોરવા પધારવા વિનંતી કરે છે. પરંતુ પહેલી ખૂબી તો એ થાય છે કે દાસીઓ એમનું અલૌકિક રૂપ-સૌંદર્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને ઘરમાંથી શેઠાણીને બહાર બોલાવી લાવે છે. સાધ્વીના અભુત રૂપ પર શેઠાણીની વિચારધારા : શેઠાણી પણ સાધ્વીજીનું રૂપ લાવણ્ય જોઈને અચરિજ પામી જાય છે, એના મનને એમ થાય છે કે “અહો ! આ તે કોઈ સ્વપ્ન સુંદરી છે ? કે રૂપની પૂતળી છે ? યા કોઈ અનુપમ રૂપ ભરી અપ્સરાનું ચિત્ર જ છે ? ત્રણેમાંથી કર્મ ! તારી ગતિ ન્યારી 13
Page #19
--------------------------------------------------------------------------
________________ એકેય નથી. કેમકે હું જાગતી ઊભી છું તેથી કાંઈ સુંદરીનું સ્વપ્ન નથી જોઈ રહી, તેમજ સાધ્વીજી હાલતા ચાલતા છે એટલે કાંઈ જડ પૂતળી ય નથી, ને ચિત્ર પણ નથી. ત્યારે શું આ સાક્ષાત્ લક્ષ્મીદેવી, રંભા ઉર્વશી જ આવી ગયા છે ? કેમકે રૂપ સૌંદર્ય અને લાવણ્ય એટલું બધું છે કે આમના મુખની આગળ બિચારો પૂર્ણિમાનો ચંદ્ર પણ ફિક્કો લાગે. એટલે આમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે એમ કહેવામાં ઊલટું આમની લઘુતા કરવા જેવું થાય. ત્યારે આમને લક્ષ્મીદેવી કે રંભા યા ઉર્વશી પણ કેમ કહેવાય ? કારણ કે એ દેવતા તો જમીનને અડીને નહિ પણ અદ્ધર ઊભા રહે, તેમજ એમની આંખો પલકારા ન લે અને એમના શરીર પરના ફૂલહાર કરમાય નહિ, ત્યારે આ સાધ્વીજી તો જમીનને અડીને ઊભા છે, ને આમની આંખો પલકારા લે છે. તેથી આ સ્વર્ગની દેવી નથી. ત્યારે, આ છે કોણ ? કોઈ માનવી સ્ત્રી આવી દેખાતી નથી. પરંતુ લાગે છે કે જે કથાઓમાં સંભળાય છે કે અનાદિની કોઈ એવી સુંદર સ્ત્રી તે આજે બહાર નીકળી પડી લાગે છે. અથવા માનીએ કે કોઈ અનાદિની ના હોઈ શકે, જન્મ પામેલી જ હોય. તો પણ લાગે છે કે પ્રજાપતિ બ્રહ્માએ જગતની સ્ત્રીઓના રૂપમાંથી સાર સાર ખેંચીને આમને બનાવી દીધા લાગે છે. જાણે આ એક સૌભાગ્ય-મંજરી જોઈ લો. આખા જગતને એમ થાય કે આપણી પાસે બેસી રહે ને આપણે આમને જોયા જ કરીએ, જોયા જ કરીએ, ને એમની સાથે વાતો કર્યા જ કરીએ. શરીરે કોઈ રેશમી વસ્ત્રો તથા અલંકાર નહિ ને શરીર પસીન વગેરેથી મલિન છતાં આટલું બધું અપ્રતિમ રૂપ અને લાવણ્ય છે તો આમને ગૃહસ્થપણે તો વળી કેટલું બધું ય સૌંદર્ય હશે ? આમનું એકેક અંગ એટલું બધું સુંદર છે કે એના પર દૃષ્ટિ નાખો દૃષ્ટિ ખસે જ નહિ. ખરેખર આમની કાન્તિ સૌંદર્ય અને લાવણ્યતા એટલા બધા અદૂભૂત છે કે આ મેળવવાના તો અપ્સરાઓ પણ મનોરથ સેવતી હશે ! શી રીતે આમને આટલું બધું સૌંદર્ય મળ્યું હશે ! અને આ મળવા સાથે વૈભવ પણ કેવાક મળ્યા હશે ! છતાં એમણે એ બધું છોડી ઘર-સંસાર કેવી રીતે છોડ્યો હશે ? કેટલો બધો ઉત્કટ વૈરાગ્ય જાગ્યો હશે ? ને એવું તે શું બન્યું હશે કે એટલો બધો વૈરાગ્ય જાગી ગયો ?... | ‘પણ મારે એમ વિચારો કરીને શું કામ છે? લાવને એમને હું ઘરમાં 6 4 - તરંગવતી
Page #20
--------------------------------------------------------------------------
________________ લઈ જઈ ગોચરી વહોરાવીને પૂછી જ ન લઉં ?' તરંગવતી સાધ્વીનું અલૌકિક સૌંદર્ય જો જો, આ મગધ દેશના કોશલનગરના ઋષભસેન શેઠની પુત્રીનું તારણહાર બને છે. સૌંદર્યે શેઠાણી પર કામણ કર્યું. પ્ર.- રૂપ એ મારક નહિ ? ઉ.- હા, પણ પાપાત્માનું રૂપ મારક, ધર્માત્માનું રૂપ તારણહાર. ભગવાનનું રૂપ જોઈને પાપી પાવન બને છે. શાસ્ત્ર એટલા જ માટે રૂપને પણ ધર્મ-પ્રભાવનાનું કારણ કહે છે. ધર્માત્મા હોય અને રૂપવાન હોય એટલે જનારને સહેજે થાય કે “અહો ! આવા રૂપાળા તો સંસારના ભોગમાં ખૂંચેલા હોય એના બદલે હે ? આ ધર્મસાધનામાં રક્ત રહે છે !' ધર્માત્માની લક્ષ્મી પણ તારણહાર, એ જાતના ઠઠારામાં નહિ, પણ લોકોનાં ઉદ્ધારમાં જાય, ભગવાનની ભક્તિમાં જાય. આ પરથી શીખવાનું છે કે આપણે ધર્માત્મા બનીને આપણા રૂપ વૈભવ વગેરેને બીજાના તારણહાર બનાવવાના છે. વસ્તુપાલ મહામંત્રી ધર્માત્મા હતા. એમણે વૈભવને એવા બનાવેલા. એમના ઘરઆંગણે રોજ 5OO સાધુ સાધ્વીને સુપાત્રદાન અને 1500 યોગી સંન્યાસી ભિક્ષુક વગેરેને અનુકંપાદાન દેવાતું. આજના શ્રીમંતને આવી કોઈ વાત આવે એટલે ભડક લાગે છે કે “હાય બાપ ! આમ પૈસા ઉડાડી દઈએ તો તો તિજોરી સાફ જ થઈ જાય ! આમ ભડકના વિચારમાં અક્કલની ઇજારદારી ? કે અક્કલનું દેવાળું ? અક્કલનું દેવાળું એટલા માટે કે આટલું સમજવાની અક્કલ નથી કે “પૈસા આવે છે, સચવાય છે તે પૂર્વના પુણ્ય; પરંતુ મારે તો સુકૃતોના ભરચક પુરુષાર્થ કર્યો જવાના. તો જ હું સાચો પુણ્યશાળી.” એમાં વળી અહીં ઉત્કૃષ્ટભાવથી ધર્મ કરાય, એ તત્કાળ ફળે. એવા પુણ્યની ભરતી થતી આવે તો આ ઉભય લોકના પુણ્યની હયાતી છે તો ભલેને તું ધર્મમાં પૈસા ખરચે જા, પુણ્ય પાછલા બારણેથી પૈસાની ભરતી કરતું જ રહેશે. આજે એવા મારવાડના ભાગ્યશાળીઓ છે કે જે માત્ર ધર્મભાવનાથી ધર્મમાં લાખો રૂપિયા ખરચે છે છતાં એમને આવક પણ એવી ઘણી રીતે થાય છે. સુકૃતોની જ વૃત્તિનો પ્રભાવ : હમણાં એક દાનપ્રેમી ભાઈ વાત કરતા હતા કે “સાહેબ ! ધર્મનો ગજબનો પ્રભાવ મને જોવા મળ્યા જ કરે છે. દા.ત. એક વાર મેં પરદેશથી કર્મ ! તારી ગતિ ન્યારી 1 5
Page #21
--------------------------------------------------------------------------
________________ હીરા મંગાવેલા અને બીજા વેપારીઓએ પણ મંગાવેલા. મને દહેશત હતી કે આ લોકોની કોમ્પીટેશનમાં એટલો લાભ નહિ થાય. પરંતુ બન્યું એવું કે કસ્ટમમાં બીજા વેપારીઓનો માલ અટક્યો ને મારો માલ સરળતાથી છૂટો થયો. તે બજારમાં માલની અછતથી મારા માલના ભાવમાં ૩૦૦નો વધારો થઈને ન કલ્પલો લાભ મળ્યો ! એવો અણધાર્યો લાભ તો બીજા પ્રસંગે પણ જોવા મળે છે” આ લાભનું કારણ શું ? આ જ કે એ ભાઈની સુકૃતો કર્યો જવાની જ વૃત્તિ. સુકૃતો મોટા, તે પાંચ લાખ ખરચવાના ધાર્યા હોય ને દસ લાખેય લાગી જાય, છતાં જરાય મન બગડવાની વાત નહિ. ઊલટું બીજા સુકૃતની તક આવી હોય તો એમાં ય બે ચાર લાખ લગાડી દે. સમાજમાં આગળ આવવાની કે નામના કરવાની લેશ પણ ઇચ્છા જ નહિ. ઇચ્છા માત્ર પુણ્યોદયે કમાયેલી લક્ષ્મી કેમ સારા માર્ગે વધુ ને વધુ જાય.” માનવ જનમનો આ મોટો લહાવો લઈ લેવાનો છે. બાકી તો સંસાર, કર્મ અને મૃત્યુ લક્ષ્મીને તાણી જવાના છે. અસ્તુ તરંગવતી સાધ્વી ધર્માત્મા છે, એમ એ શરીર પર પરસેવાના મેલ અને મેલા વસ્ત્ર છતાં એવા રૂપવાન છે કે પેલી શેઠાણીને આકર્ષે છે. સાધ્વીજી કોઈ જીવજંતુ ન મરે એ માટે નીચી દષ્ટિએ ગજગામિની ગતિએ આવી રહ્યા છે. એમને શેઠાણી સામે જઈ વંદના કરી લાભ આપવા વિનંતિ કરીને હવેલીમાં લઈ આવે છે, મેવા મીઠાઈ વગેરેના થાળ આગળ કરે છે, પરંતુ સાધ્વીજીએ પોતાના જીવનમાં જે દુ:ખદ અનુભવ કર્યા છે એનાથી પોતાનું જીવનલક્ષ્ય પાકું કરીને એ એવા ત્યાગ અને સંયમના કડક પાલનમાં હોંશભેર ચડી ગયેલા છે કે એ કાંઈ અહીં લલચાતા નથી. એ તો પોતાના ત્યાગ સંયમમય જીવનને યોગ્ય અને જરૂરી તદ્દન સાદો આહાર વહોરી લે છે. શેઠાણીને સાધ્વીજીના રૂપ-લાવણ્ય પરથી આશ્ચર્ય તો થયેલું કે આ કોઈ લક્ષ્મીદેવી છે ? પણ ના, દેવતા ધરતીને અડીને ન ઊભા રહે, એમની આંખ પલકારા ન મારે, એમના ગળામાં વણકરમાયેલ માળા હોય. આમાંનું આમને કશું નથી એટલે મન વાળેલું કે આ દેવી નથી પણ માનવી સ્ત્રી છે, ખરેખર સાધ્વીજી છે. તેથી હાથ જોડી વિનંતી કરે છે, શેઠાણીની માગણી : ‘ભગવતી ! આપના નિયમને બાધ ન પહોંચતો હોય તો કૃપા કરીને અમને કાંઈક ધર્મોપદેશ આપો !" 16 - તરંગવતી
Page #22
--------------------------------------------------------------------------
________________ પુણ્યાનુબંધી પુણ્યની વડાઈ જુઓ. પુણ્યથી પૈસાટકા સારું મળ્યું છે, પણ એમાં અંતરમાં રંગ-રાગ કે રોફ-મદ વગેરે કષાયો નથી રમતા, પરંતુ ધર્મ સબુદ્ધિ હુરે છે. પુણ્ય જો પાપાનુબંધી હોત તો એ નર્યા રંગરાગ અને કષાયોની કુબુદ્ધિ સ્ફર્યા કરતી હોત. અહીં તો પુણ્ય પુણ્યાનુબંધી છે એટલે વૈરાગ્ય, ધર્મ અને સદ્ગદ્ધિ ફુરે છે. સૌ સાંભળવા બેસી જાય છે : સાધ્વીજી કહે છે, “આમ તો અમારે ગોચરી વખતે ધર્મનો ઉપદેશ દેવા બેસવાનું ન હોય, પરંતુ ધર્મના બે અક્ષર કહેવામાં બાધ ન હોય, ને તમારી ખાસ જિજ્ઞાસા છે, તો સાંભળો. જુઓ આ જગતમાં સર્વ જીવોને હિતકારી એકમાત્ર અહિંસાસ્વરૂપ ધર્મ જ છે. અહિંસાસ્વરૂપ ધર્મ એવો કલ્યાણકારી છે કે જે ધર્મ સાંભળે એનું ય કલ્યાણ થાય, અને જે ધર્મ કહે એનું ય કલ્યાણ થાય. ધર્મનું છોડીને બીજું સાંભળે, બીજું બોલે, એ જીવને માટે અહિતકર છે. તમે આવા વક્તા-શ્રોતા બંનેને કલ્યાણકારી ધર્મની વાત સાંભળવા ઇચ્છો છો, તો હું તમને એ ધર્મના બે અક્ષર કહું છું.” આમ જ્યાં સાધ્વીજીએ ધર્મ કહેવાની તૈયારી બતાવી એટલે શેઠાણી કહે છે “બહુ ઉપકાર ! ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારી વિનંતિ માન્ય કરી, ને અમને સાંભળનાર સંભળાવનાર બંનેને પાવન કરે એવો કલ્યાણકારી અહિંસાસ્વરૂપ ધર્મ સંભળાવશો. પધારો આ આસન પર બિરાજો, અને અમને ધર્મ શ્રવણ આપી અમારા કાન અને હૈયું પાવન કરવા કૃપા કરો.” સાધ્વીજીને બેસાડ્યા, અને શેઠાણી પોતે સામે હાથ જોડી બેસી ગઈ. આ જોતાં ઘરની બીજી સ્ત્રીઓ પણ પોતાનાં કામ પડતા મૂકી આવીને ત્યાં બેસી ગઈ. હવે સાધ્વી શ્રી તરંગવતી કહે છે, સાધ્વીજીનો ભવ્ય ઉપદેશ : અહિંસાસ્વરૂપ ધર્મ : જુઓ, આ અહિંસાસ્વરૂપ ધર્મમાં પરજીવોની હિંસાનો ય ત્યાગ કરવાનો આવે, અને પોતાના સ્વાત્માની હિંસાનો પણ ત્યાગ કરવાનો આવે. બીજા જીવોની હિંસા બાહ્ય શસ્ત્રોથી થાય છે, દા.ત. ઠંડા પાણીમાં ગરમ પાણી નાખ્યું, તો એ ઠંડા પાણીના અસંખ્ય જીવોનો નાશ કરે છે, માટે એ ગરમ પાણી શસ્ત્રરૂપ બન્યું. આપણે કપડું ઝાટકિએ તો એનાથી વાયુકાયના અસંખ્ય જીવો મરે છે, તેથી એ જીવો માટે કપડું શસ્ત્રરૂપ બન્યું. જેનાથી જીવો મરે એ શસ્ત્ર કહેવાય. મરે નહિ પણ જીવને પીડા કિલામણા થાય તો ય એ કર્મ ! તારી ગતિ ન્યારી 17
Page #23
--------------------------------------------------------------------------
________________ શસ્ત્રરૂપ બને છે. બીજા જીવોને પીડા-કિલામણા એ પણ હિંસા છે. પરજીવોની હિંસા બાહ્ય શસ્ત્રથી થાય છે. આપણા આત્માની હિંસા આભ્યન્તર રાગ-દ્વેષાદિ કષાયોથી થાય છે. માટે એ રાગ-દ્વેષાદિ આંતરશસ્ત્ર છે. તેથી એ રાગદ્વેષાદિ કરાવનાર ઇંદ્રિયો અને એના શબ્દાદિ વિષયો એ પણ શસ્ત્રરૂપ ગણાય. બાહ્ય શસ્ત્રથી પરજીવના એક જનમનું મોત થાય છે, ત્યારે આ કષાયો અને વિષયોથી આપણા આત્માને અનેક જન્મોનાં મોત થાય છે, જનમ જનમ મોત સુધીની પીડાઓ ભોગવવી પડે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે આ રાગદ્વેષાદિ કષાયો અને ઇન્દ્રિય વિષયો એ મહાશસ્ત્રો છે, સ્વાત્માની મહાહિંસા કરે છે. હિંસા એ પાપ છે, અહિંસા એ ધર્મ છે. એવો અહિંસાસ્વરૂપ ધર્મ સાચા અને પૂર્ણ સ્વરૂપમાં એકમાત્ર વીતરાગસર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાને જ બતાવેલો છે; કેમકે અહિંસામાં સર્વ જીવોની એટલે કે જગતના તમામ સૂક્ષ્મ-સ્કૂલ જીવોની હિંસા ટાળવી છે. એ સર્વ જીવોનું એમને પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી એની ઓળખ એમણે આપી છે. અ-સર્વજ્ઞ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને જોઈ જ શકતા નથી જીવ તરીકે જાણી જ શકતા નથી પછી પોતે ય એની અહિંસા શી રીતે પાળી શકે ? અને બીજાને ય શી રીતે એ જીવોની ઓળખ કરાવી શકે ? કે એ જીવોની ઓળખ જ નહિ તો એમની શી અહિંસા બતાવી શકે ? એ તો સર્વજ્ઞ ભગવાન જ સૂક્ષ્મ એકેન્દ્રિય સુધીના જીવોને સાક્ષાત જોઈ શકે છે, અને જગતને એની ઓળખ આપી અને એની અહિંસા કેમ પાળવી એનું માર્ગદર્શન આપી શકે. એટલે કહો, જગતમાં એકમાત્ર સર્વજ્ઞ તીર્થકર ભગવાન જ પૂર્ણ જીવવિજ્ઞાન અને સંપૂર્ણ અહિંસાધર્મ આપી શકે. માટે એ જ જગતના સાચા ત્રિભુવન ગુરુ છે, એ જ જગતના સાચા તારણહાર છે. જગતના જીવોને જે પૂર્ણ અહિંસામાં ન લઈ જઈ શકે એ એમને ક્યાંથી ભવસાગરમાંથી તારી મોક્ષ અપાવી શકે ? શી રીતે તારણહાર બની શકે ? તાત્પર્ય, વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવાન સાચા તારણહાર છે, સર્વ દેવોના અધિપતિ દેવાધિદેવ છે. એમના ઉપદેશાનુસારે સૂક્ષ્મ જીવોની ય અહિંસા પાળે એનું ય હિત થાય, અને જે જીવોની અહિંસા પાળે એ અહિંસા દ્વારા એ જીવોને ય દુ:ખ ન પહોંચવા રૂપે એ જીવોનું ય હિત થાય. આમ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન સર્વ જીવોનું હિત કરનારા છે. 18 - તરંગવતી
Page #24
--------------------------------------------------------------------------
________________ આવા સર્વ હિતકર દેવાધિદેવ તીર્થકર ભગવાનને પામ્યા પછી પણ જો આપણે એમણે બતાવેલ હિતમાર્ગે આપણા આત્માનું હિત ન સાધી લઈએ તો આપણા જેવા મૂર્ખ અને મૂઢ બીજા કોણ ? એવા જગતદયાળુ જગન્ધિતા તીર્થકર ભગવાને ધર્મ ત્રણ પ્રકારે બતાવ્યો છે, અહિંસા, સંયમ, અને તપ; ને એ ઉત્કૃષ્ટ મંગળ છે. થો મંત્રમુઠું હિંસા સંગનો તવો !" આમાં સંયમ અને તપ અહિંસાને પુષ્ટ કરનારા છે. જીવનમાં જો સંયમ અને તપ ન હોય, તો સ્વ-પરની અહિંસાય પાળવી અશક્ય છે. માટે જયારે ધર્મનું સ્વરૂપ અહિંસા કહેવાય, ત્યારે એમાં સંયમ અને તપ સમાવિષ્ટ સમજવાના છે. તેમજ જાત માટે “ના, મારાથી સંયમ-તપ નહિ બને, હું એકલી અહિંસા પાળીશ,'- એવો ખ્યાલ હોય તો તે ખોટો ખ્યાલ છે, એમ સમજી રાખવાનું છે. સંયમ અને તપ વિના અહિંસા પાળી રહ્યા ! આ અહિંસા-સંયમ-તપનો ધર્મ સાધવા માટે સર્વજ્ઞ ભગવાન સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રની આરાધના જરૂરી બતાવે છે. સમ્યગ્દર્શનની આરાધનામાં સુદેવસુગુરુ સુધર્મ પર અનન્ય અને અપરંપાર શ્રદ્ધા બહુમાન તથા સર્વજ્ઞકથિત જીવ-અજીવાદિ તત્ત્વની અને અહિંસા-સંયમ-તારૂપી ધર્મની સચોટ શ્રદ્ધા કરવાની આવે. સમ્યજ્ઞાનમાં એ બધાનાં જ્ઞાન માટે સર્વજ્ઞકથિત શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો આવે. સમ્યક્ ચારિત્રમાં અહિંસા-સંયમ-તપ-ધર્મની આરાધના આવે. આના માટે પાંચ મહાવ્રતનો સ્વીકાર અને પાલન કરવું જોઈએ. આ બધા ધર્મના મૂળમાં વિનયની જોરદાર આરાધના જોઈએ. “વિણય મૂલો ધમ્મો' ધર્મનું મૂળ વિનય છે. અહત્વ બાજુએ મૂકાય તો જ આ વિનય ધર્મ સધાય. | સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતો સ્વયં અહિંસા સંયમ તપની સાધના કરી વીતરાગ સર્વજ્ઞ બને છે. પછી ધર્મશાસનની સ્થાપના કરે છે એમાં ધર્મની તથા તત્ત્વો અને મોક્ષમાર્ગની ઓળખ કરાવે છે. એવા જિનેશ્વર ભગવાને કહેલો વિનયમૂલક સમ્યગ્દર્શનાદિરૂપ અહિંસા-સંયમ-તપ પ્રતિપૂર્ણ ધર્મ સર્વ જગતને સુખકારી છે, જન્મ-જરા-મૃત્યુ રાગ-શોક વગેરેનો નાશ કરનારો છે ને અપરિચિત અનંત સુખને આપનારો છે...” કર્મ ! તારી ગતિ ન્યારી
Page #25
--------------------------------------------------------------------------
________________ સ્વાધ્યાયકરણ-લઘુતાની શક્તિ : સાધ્વીજીની એવી વાગ્ધારા ચાલી કે જાણે પર્વત પરથી ખળખળ ધોધ વહી રહ્યો, ને ટૂંકા સમયમાં ઘણું કહી નાખ્યું. શી રીતે એમ કહી શક્યા ? કહો, એના એ જ વૈરાગ્યના, તત્ત્વના અને મોક્ષમાર્ગના સૂત્રોના રોજ ને રોજ પાઠ-પુનરાવર્તન-સ્વાધ્યાય ચિંતન કરવાથી વાણીમાં લઘુલાઘવી કળા આવી ગયેલી. સ્વાધ્યાયકરણ-લઘુતાની શક્તિ ઊભી થઈ ગયેલી. હૈયામાં જ્ઞાનનો માલ તત્ત્વનો માલ તૈયાર હોય અને વકતૃત્વ કળા હોય પછી કેમ ? તો કે ફોનોગ્રાફની રેકાર્ડ ચાલી ! જીવનમાં આ શી રીતે બને ? ફિજૂલ વિચારો, ફિજૂલ ડાફોળિયાં, અને ફિજૂલ વાતો કરી કરી અમૂલ્ય માનવસમય વેડફી નખાય છે. એની જગાએ આ શાસ્ત્રપદાર્થો જ મગજમાં મમરાવ્યા કરાય, વાણીમાં એની રટણા ચાલે, એટલે વાણીમાં લઘુલાઘવી કળા આવી જાય. અણમોલ જિનવાણી મળ્યાની કદર જોઈએ કે “મારે અતિ ઉચ્ચ જિનવાણીનો જેટલો બને તેટલો અનુવાદ અર્થાત્ પુનઃ પુનઃ ઉચ્ચારણ કરી કરી વાણીનો વધુ ને વધુ ઉપયોગ થાય એટલો કરી લેવો છે;' તો જિનવાણીનું બોલવાનો રસ એવો ઊભો થાય કે મનને એમ થાય કે “શાસ્ત્રના વચનો બોલ્યા જ કરું બોલ્યા જ કરું,” આ ધગશ સાથે જિનવાણીનું પારાયણ જો ચાલ્યા કરે તો મફતિયા બોલવાની વિચારવાની કે જોવાની લેશ્યા જ ન રહે. તરંગવતી સાધ્વીજીએ આ કર્યું છે. જીવનના કપરા અનુભવો પછી જે ચારિત્ર લીધું છે તે લઈ જાયું છે, એટલે દુન્યવી વિકલ્પમાત્રથી બચવા તીર્થકર ભગવાનનાં શાસ્ત્રોના સ્વાધ્યાયમાં એકાકાર મનથી લાગી ગયેલા. એટલે એ શાસ્ત્રો એવા સ્વહસ્ત થઈ ગયા, શાસ્ત્ર પદાર્થ એવા સિદ્ધ થઈ ગયા, કે મન સહેજ કોઈ શાસ્ત્ર પદાર્થમાં લઈ ગયા એટલે એની આગળના પાછળના પદાર્થો સાથેનું ચિત્ર નજર સામે આવી જાય. હવે એ પદાર્થ બોલવા હોય તો વિના અટકણ ફટોફટ બોલતા જ જાય. કેમ જાણે પછી પછીનાં પદાર્થ હરિફાઈમાં હમણાં જ બોલાવા માટે આગળ આવતા હોય ! પદાર્થોની આ સિદ્ધિમાં ઝટપટ એ બોલાયે જવાનું જે શબ્દોથી થાય તે સ્વાધ્યાયકરણ-લઘુતા સ્વાધ્યાયકરણથી શીઘ્રતાવાળા શબ્દો બન્યા ગણાય. આ એવા ઢંગના સ્વાધ્યાયથી થાય ? 20 - તરંગવતી
Page #26
--------------------------------------------------------------------------
________________ સંસારની માયા મનમાંથી સરાસર કાઢી નાખી હોય એટલું જ નહિ પણ પુદ્ગલમાત્રના પરિચયને ઝેર સમજી, એની જિજ્ઞાસા-આતુરતાઓ મારી નાખી હોય, એટલે જ હવે એવી જિજ્ઞાસાના માર્યા ઊભા થતાં કોઈ ડાફોળિયાં નહિ, કોઈ વિચાર નહિ, કોઈ વાતચીત નહિ; એ સ્વાધ્યાય થાય એ શીધ્ર અને સહજ ઉચ્ચારણવાળો બને. ચારિત્રજીવનમાં આ કરવાનું છે, જેથી મન શાસ્ત્રીય પદાર્થોમાં ને પદાર્થોમાં જ રહે, એટલે કોઈ જ પાપ-વિકલ્પ, પુદ્ગલ-વિકલ્પ, વિષય-વિકલ્પ, કે કષાય-વિકલ્પ મનને અડે જ નહિ, મનમાં આવે જ નહિ. સાધ્વીજીએ એવી રીતના સ્વાધ્યાયકરણથી શીધ્રપારાયણની કળા-લબ્ધિ ઊભી કરી છે એટલે શેઠાણી આગળ ધર્મ, તત્ત્વ, મોક્ષમાર્ગના સંબંધમાં ઝટોપટ એવો સુંદર પરિચય આપી દીધો, ધર્મની એવી સુંદર ઓળખ કરાવી કે શેઠાણી ખૂબ ખુશ થઈ હાથ જોડી કહે છે. કયા દુઃખથી દીક્ષા લીધી ? : “ભગવતી ! આપે ખૂબ ઉપકાર કર્યો કેવો સરસ ધર્મનો બોધ આપ્યો ! ઉપદેશ કરતા આપને જોઈને અને આપનો ઉપદેશ સાંભળીને તો અમારા નેત્ર ને કાન પાવન થઈ ગયા. હવે વાંધો ન હોય તો જરાક પૂછું આપ મૂળ કયા દેશના રહેવાસી ? આપના પિતા કોણ ? માતા કોણ ? ઘરની કેવી સુખ સમૃદ્ધિ ? અથવા એવું કયું દુ:ખ આવેલું કે જેથી આપે આ મોહક સંસારનો ત્યાગ કરી અતિ દુષ્કર દીક્ષા લઈ લીધી ?' તરંગવતી સાધ્વી એટલા બધા રૂપાળા અને કાંતિ-લાવણ્યવાળા છે કે એ રૂપ-લાવણ્ય એમની પૂર્વની સમૃદ્ધ સ્થિતિની ચાડી ખાય છે, તેથી સહેજે પૂર્વની સમૃદ્ધિનું અનુમાન થાય. ‘એવી સમૃદ્ધિ છોડી ચારિત્ર ગ્રહણ ?' એ સંસારીને મન એક કોયડો બની જાય છે, પછી સમજી લે છે કે કોઈક એવો દુઃખનો હલ્લો આવ્યો હશે કે એનાથી સંસાર ખારો ઝેર લાગી ગયો હોય, ને એનો ત્યાગ કરી ચારિત્રમાર્ગ લઈ લીધો હોય. એ હિસાબે શેઠાણીએ સાધ્વીજીને પૂછ્યું. પરંતુ જુઓ, અહીં સાધ્વીજી કેટલો બધો વિવેક અને તત્ત્વભર્યો ઉત્તર દે છે ! સાધ્વીજી કહે છે, “ભાગ્યવતી ! આવું બધું પૂર્વનું પૂછવાનું શું કામ છે ?' તમને શું ખબર નથી કે “દિત્ની-ન-સાદૂ નો કુત્તા નહિ પમવો !" અર્થાત્ સ્ત્રી નદી અને સાધુના મૂળ-ઉત્પત્તિ જાણવા જવું એ યોગ્ય કર્મ ! તારી ગતિ ન્યારી
Page #27
--------------------------------------------------------------------------
________________ નથી. એવી લોકની કહેતી છે ! એમાં ભાવ બગડવા સંભવ છે. તેથી અમારા મૂળ વતન વગેરે જાણવામાં પડવા જેવું નથી. આનું કારણ સ્પષ્ટ છે. સ્ત્રી અંગે પુરુષને સહેજે આકર્ષણ રહે છે. એમાં જાણવા મળે કે “આ બેન અમુક ઉચ્ચ ખાનદાનના,” તો એ બેન તરફ રાગઆકર્ષણ વધી જાય; અગર જો જાણવા મળે કે “ખાનદાની બરાબર નથી” તો એના માટે કાંઈ ને કાંઈ અસત્ કલ્પના આવે. એમ નદીનું મૂળ જોવા જાય તો પર્વત પરથી ઝરણાં લીલ પરથી ઉતરી ઉતરી નદી શરૂ થતી હોય. એ જોતાં મનને નદીનું આકર્ષણ ઊતરી જાય. જેવી વહેતી નદી સુંદર દેખાય, એવાં એ મૂળનાં ઝરણાં સુંદર નહિ દેખાય. એમ સાધુના મૂળ નિવાસ, ધંધો, કાર્યવાહી વગેરે જાણવા જોવા જતાં, સંભવ છે એ ખાનદાની તદન સામાન્ય હોય યા ધંધામાં મહાપાપની કાર્યવાહી હોય, તેથી એ જાણીને સાધુ પ્રત્યેનો ભાવ મોળો પડી જાય. મનને એમ થાય કે આવાને કેમ દીક્ષા આપી હશે ? પ્ર.- પણ એવા અયોગ્યને દીક્ષા ન આપે એ સારું ને ? ઉ.- અહીં સવાલ તમારા શુભભાવની રક્ષા કરવાનો છે. એમાં જો તમે મૂળમાં ઊતરવા જાઓ તો મનમાં આવો પ્રશ્ન ઊઠતાં તમારા જ ભાવ બગડવા સંભવ. જીવનમાં એવી કેટલીય નકામી જિજ્ઞાસાઓ અને સવાલો ઊઠી ઊઠીને જ મન બગડે છે. સારા સંયમી સાધુને જોયા, તેથી મનમાં સારા ભાવ જાગ્યા, હવે મૂળ જાણીને ભાવ બગાડવાની જરૂર શી ? જીવન જીવવાની આ એક કળા હસ્તગત રાખવા જેવી છે કે આપણા હૈયાના ભાવ બગાડે, નકામા રાગદ્વેષ કરાવે, એવી જિજ્ઞાસા આતુરતા કરવી જ નહિ. તરંગવતી સાધ્વી કહે છે “સ્ત્રી-નદી-સાધુના મૂળ જાણવામાં પડવા જેવું નહિ આવું લોકમાં કહેવાય છે તે જાણતા નથી ? શેઠાણી કહે “જાણું છું, છતાં તમારા રૂપથી મારું મન એટલું બધું વિસ્મિત થઈ ગયું છે કે મને તમારામાં રસ ઊભો થઈ ગયો છે, તેથી પૂછું છું !" સાધ્વીજી કહે “તમને રસ ઊભો થઈ ગયો છે તે વાત સાચી, પરંતુ મારે પૂર્વની હકીકત કહેવામાં મુશ્કેલ છે. કેમકે એમાં પૂર્વ ક્રિીડિત સુખ યાદ - તરંગવતી
Page #28
--------------------------------------------------------------------------
________________ કરવું પડે ને એમાં અનર્થદંડ લાગે. બ્રહ્મચારીએ મનથી પણ પૂર્વના ક્રીડાસુખો ચાહીને યાદ કરવા ઉચિત નથી. એમાં આત્મા નિપ્રયોજન દંડાય, વાસનાની ઉદીરણા થાય, ને કર્મ બંધાય.” સાધ્વીજી આ કહી રહ્યા છે, ત્યારે દેખાય છે કે એ સંયમપાલનમાં કેટલા બધા સાવધાન છે. સામે પૂછનારી મોટી શેઠાણી છે, પરંતુ એની શરમમાં પડતા નથી, એની શેહમાં તણાતા નથી, કે પોતાના પૂર્વના પરાક્રમ કહીને જશ લેવો નથી. એ સમજે છે કે “શેહમાં તણાયા કે યશની લાલસાના માર્યા અજુગતી વાતો કરી તો નાખીએ, પરંતુ એમાં પોતાના આત્મા પર પ્રત્યાઘાત કેવા ખરાબ પડે ?' પૂછોને, પ્ર. પૂર્વના ક્રીડા સુખો સહેજ હકીકતરૂપે કહી નાખ્યા એટલામાં શું બગડી ગયું ? ઉ.- જ્ઞાની ભગવંત કહે છે “પૂર્વ ક્રિીડા સુખોથી પુષ્ટ થયેલી વાસનાના સંસ્કાર આમ તો આત્માની અંદર ભારેલા અગ્નિ જેવા કે સૂતેલા સાપ જેવા પડ્યા છે. પણ હવે તમે પૂર્વ ક્રિીડાસુખો યાદ કરો એટલે એ વાસનારૂપી ભારેલા અગ્નિ ઉપરની રાખ ઊડી જાય છે, એટલે વાસનાનો અગ્નિ ભભૂકી ઊઠે છે. અથવા કહો, વાસનારૂપી સૂતેલો સાપ પૂર્વક્રીડાના સ્મરણરૂપી મોરલીના નાદે જાગતો થઈ જાય છે. પછી વાસનાની આગ કે વાસનારૂપી ફણીધર શું બાકી રાખે ?' પૂર્વક્રીડાના મરણની જેમ વિષયક્રીડાની વાતો તેમજ આજની નોવેલનવલિકાઓ અને બીભત્સ ચિત્રો, પિશ્ચર, ટી.વી. વગેરે પણ ભયંકર છે, વાસનાને બહેકાવનારા છે. એમાં આજની મૂઢ પ્રજા મરી રહી છે. આખી વિચારસરણી વાસનાભરી અને વિજાતીય તરફ દૃષ્ટિદોષમાં બાકી રહી નથી. એટલેથી અટકતું નથી પણ પછી દુરાચારના માર્ગો ખુલ્લા થઈ જાય છે. રાતના ઘરે ટી.વી આવે ત્યાં અંધારું હોય આડોશી પાડોશી જોવા ભેગા થાય પછી ટી.વી.ના બીભત્સ દૃશ્યો જોઈ અંતરમાં સહેજે વાસના જાગે, ગલગિલિયાં થાય, તેથી ઉંમરમાં આવેલા સખણા રહે ? અંધારે કોણ કોની સાથે કેવી અજુગતી ચેષ્ટા કરે એનો શો પત્તો ? વળી આજની કેળવણીમાં શીલ-સદાચારના પાઠ નથી એટલે અને ટી.વી., પિક્સર તથા રવિવારિયાં ચોપાનિયાં, બીભત્સ દશ્યો પૂરા પાડે, કર્મ ! તારી ગતિ ન્યારી 2 3
Page #29
--------------------------------------------------------------------------
________________ નવલિકાઓમાં કામોત્તેજક લખાણો પીરસે, પછી ઉંમરમાં આવેલા છોકરાછોકરીને વાસનાની આગો કેમ ન સળગે ? અશ્લીલ ચેષ્ટાઓથી સે બચે ? શીલ-સદાચારમાં ચુસ્ત રહેવું હોય એણે તો પ્રતિજ્ઞાપૂર્વક આ બધાનો પડછાયો ય નહિ લેવો જોઈએ. સમજી રાખવું જોઈએ કે “કેટલાય જન્મોની તપસ્યા પછી માંડ આ પવિત્ર આર્ય જન્મ મળ્યો છે, ત્યાં વર્તમાન યુગના વિકારોત્તેજક સાધનોમાં પડ્યા, તો પવિત્રતા નષ્ટ થઈ જશે !" અનાર્ય જેવાં જીવન બની જશે, અને એમાં હૈયાના રસ સાથેના અજુગતાં પાપસેવન ભારે પાપકર્મો બંધાવશે ! તેમજ અધમ વાસનાઓને દઢ કરશે ! બંનેનાં પરિણામ દુઃખદ,દીર્ઘકાળ દુર્ગતિના અવતારોમાં ભટકવાનું થાય. અનુચિત ચેષ્ટાનો આનંદ ક્ષણિક; પણ ભવાંતરે દીર્ઘકાળ દુઃખોની ફોજ ઉતરી પડે ! અસ્તુ. સાધ્વીજી કહે છે પૂર્વક્રીડાસુખોને યાદ કરવા એ મહાન અનર્થદંડ બને છે. માટે અમારે પૂર્વાવસ્થાની વિગત કહેવી ઉચિત નથી. અહીં જોવાની ખૂબી છે કે સાધ્વીજી તરંગવતીશ્રીજી પોતાના સંયમમાર્ગમાં કેટલા બધા સાવધાન છે ! એ સમજે છે કે જુનું યાદ કરવામાં રાગદ્વેષ થાય, આર્તધ્યાન થાય, ને એથી અનર્થદંડ લાગે. સામાન્ય માણસને એમ લાગે છે કે ‘સહેજ વાત કરીએ એમાં શું બગડી જાય ?' પરંતુ આત્માર્થી જીવ એ જુએ છે કે “જરાક સાંભળી લઈએ એમાં કાનનું ને શરીરનું તો કશું બગડતું જ નથી, પરંતુ અંતરાત્માનું ભારે બગડી જાય છે. કેમકે સહેજ જોવા સાંભળવાનું કાંઈ બેભાન સ્થિતિમાં નથી બનતું, કિન્તુ ઇરાદાપૂર્વક થાય છે; એટલે કે મન એમાં રસ લે છે; તેથી જ સારા-નરસા વિષયોમાં રાગ-દ્વેષ આર્તધ્યાન થયા વિના રહેતા નથી. આર્તધ્યાન 4 પ્રકારે : (1) જડ વસ્તુ આઘી પાછી થાય ત્યાં “એ કેમ મળે ? મળેલી કેમ ટકે ?' (2) “અનિષ્ટ અર્થાત મનને ન ગમતું કેમ ન આવે ? આવીને માથે પડ્યું હોય તો એ કેમ ટળે ?"... એવી બધી ચિંતા એ આર્તધ્યાન છે. (3) એમ ગમતી વસ્તુની આસક્તિ આશંસા રહ્યા કરે, તે એવી કે ભગવાનમાં યા ધર્મસાધનામાં ચિત્તને ઠરવા જ ન દે. વચમાં વચમાં એ જડનો વિચાર દખલ કર્યા કરે, એવી આસક્તિ આશંસા એ આર્તધ્યાન છે. (4) એમ, રોગ વગેરેની વેદનાની હાયવોય અને મટવાની ચિંતા એ આર્તધ્યાન છે. સાધ્વી તરંગવતી આ બધું જાણનારા છે એટલે સમજે છે કે પૂર્વનું સંસારી અવસ્થાનું જીવન યાદ 24 - તરંગવતી
Page #30
--------------------------------------------------------------------------
________________ કરવા જતાં એના પ્રસંગો મન પર આવીને ભૂતકાળનું આર્તધ્યાન કરાવે. “ધ્યાન શતક શાસ્ત્ર બતાવે છે કે, જેમ વર્તમાનકાલીન ઘટનાઓનું આર્તધ્યાન થાય એમ ભૂતકાલીન અને ભવિષ્યકાળની ઘટનાઓ મન પર આવીને આર્તધ્યાન કરાવે. દા.ત. મનમાં એવું આવે કે “પહેલાં આ વસ્તુ જ્યાં ત્યાં મુકાઈ ગયેલી, એ શોધતાં દમ નીકળી ગયેલ” આ મનની અર્તિ-પીડા એ આર્તધ્યાન છે. એ ભૂતકાળની ઘટનાનું થયું. એમ “મોંઘવારી વધી જશે તો શું થશે ?' એવું એવું મનને આવે એ ભવિષ્યની ઘટનાનું આર્તધ્યાન છે. જીવનમાં જોવા જેવું છે કે આવા બધાં આર્તધ્યાન કેટલા ચાલે છે ? એ જીવના માટે અનર્થદંડ છે. “અનર્થ એટલે અર્થ વિનાના યાને પ્રયોજન વિનાના ચિંતન કે જેનાથી આત્મા દંડાય, કર્મના બંધનથી બંધાય એ અનર્થદંડ કહેવાય. ભૂતકાળનું એવું ચિંતન કરવાથી કાંઈ બાહ્ય પ્રયોજન સરતું નથી. મગજને નકામો ક્લેશ આપવાનું થાય છે. તેથી અહીં આવા ભૂતકાલીન વસ્તુ કે ઘટનાના ચિંતનમાં આત્મા કર્મથી દંડાય એ અનર્થદંડ સેવ્યો ગણાય. બીજાને પાપના ઉપદેશ કરે, પાપની સલાહો આપે, જૂઠની સલાહ આપે, હિંસક સાધનો છરી ચાકુ ઘંટી વગેરે બીજાને વાપરવા આપવામાં પહોળો પહોળો થાય, જુગાર-સિનેમા-તમાશા જુએ, એ બધું અનર્થદંડ છે. પૂર્વનો કથલો કહેવામાં બે મોટાં પાપ,(૧) અનર્થદંડ-આર્તધ્યાન, અને (2) વાસના જાગૃતિ : સાધ્વીજી આ સમજે છે એટલે પેલી શેઠાણીને કહે (1) “તમને મારો પૂર્વની કથલો કહેવામાં અનર્થદંડ છે, તેથી મારે સંભારવું ને કહેવું એ ઉચિત નથી. (2) એવો બીજો પણ મહત્ત્વનો વાંધો એ છે કે પૂર્વજીવન કહેવામાં પ્રિયની સાથેના પ્રસંગો કહેવા પડે એ કામવાસનાની ઉદીરણા કરે. જ્યાં સુધી એવું કશું યાદ નથી કરતા ત્યાં સુધી આપણું ચિત્ત સ્વસ્થ રહે છે, નિર્દોષ રહે છે, પણ એવું યાદ કરવા જતાં સૂતેલી વાસના જાગતી થઈ જાય છે માટે પણ એવું યાદ ન કરવામાં જ આપણે ભલા ભલા. કોઈ મહાન પુણ્યના ઉદયે મહારૂડું ચારિત્ર મારા હાથમાં આવ્યું તો હવે શા માટે એવા અનર્થદંડો અને વાસનાઓથી ભલામાંથી બૂરા થવું? કર્મ ! તારી ગતિ ન્યારી 2 5
Page #31
--------------------------------------------------------------------------
________________ સાધ્વીશ્રી તરંગવતીએ પોતાની પૂર્વની રામાયણ કહેવાની માંડવાળ કરી, કહેવાની ના પાડી, એટલે શેઠાણી હાથ જોડી કહે, ‘ભગવતી ! તમારી વાત સાચી છે કે પૂર્વનું યાદ ન કરવું જોઈએ, પરંતુ જયારે તમે આટલું અઢળક સૌંદર્ય છતાં આટલો ઊંચો વૈરાગ્ય અને સંયમ પામ્યા છો ત્યારે એની પાછળ કારણભૂત તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ તો હશે જ ને ? એ સાંભળતાં અમને પણ વૈરાગ્ય જાગવાની પ્રેરણા મળે ને ? અલબત તમારે પોતાને માટે પૂર્વના સુખ યાદ કરવામાં અનર્થદંડ છે, કિન્તુ તમે તો સારા શાસ્ત્રજ્ઞ છો સંયમી છો એટલે સામે પ્રબળ વૈરાગ્ય ભાવનાઓ જાગતી રાખીને પેલાની ખરાબ અસરથી બચી શકો છો. બાકી અમને સંવેગ-વૈરાગ્યના ઉત્તમ શુભભાવનો લાભ થવા સંભવ છે. માટે તમો કેવા સુખસમૃદ્ધિમાં હતા અને કેવું દુ:ખ ઊભું થયું કે એના પ્રતાપે તમને વૈરાગ્ય થયો ને દીક્ષા લઈ લીધી ? એ જરૂર કહો.' અહીં તરંગવતી સાધ્વીજીએ જોયું કે “અહીં પણ આટલા બધા સુખમાં મહાલતા ભાવિકો જયારે વૈરાગ્યની રુચિ અને જિજ્ઞાસા બતાવે છે, ને અને જયારે કહે છે કે “આપનું જીવન સાંભળતાં અમને સૌને સંવેગ વૈરાગ્ય વધવા સંભવ છે, તેમજ આપ મહાન સંયમી અને ઉપયોગવંતા છો તેથી આપ આપના દિલને સાવધાન રાખીને બધી વિગત કહેશો એમાં આપને કાંઈ અનર્થદંડ લાગવાનો કે વાસના જાગવાનો સંભવ નથી, તો અમારા મહાન લાભને લક્ષમાં લઈ આપ જરૂર અમને આપનું અલૌકિક જીવન સંભળાવો.' આમ જયારે કહે છે, તો સંભવ છે મારી વિગત સાંભળીને આ જીવો પામી જાય.” એટલે કહે છે,| ‘જુઓ ભાગ્યવતી ! તમે સંવેગ-વૈરાગ્યની રુચિ બતાવો છો એટલે, જો. કે મને કહેવાનો હરખ નથી, કિન્તુ મારું સાંભળીને સંસાર પર ભારે દુર્ગછા થાય એવું છે, તેથી કહું છું તે સાંભળો. શેઠાણી ખુશી થઈ ગઈ, બીજી પણ બાઈઓ રાજી રાજી થઈ ગઈ. સૌએ ઊઠીને સાધ્વીને વંદના કરી અને સામે વિનયપૂર્વક સૌ બેસી ગયા. શેઠાણી બરાબર સાધ્વીજીની સામે જ હાથ જોડીને બેસી ગઈ. સહેજ અભિમાનમાં મહાન લાભહાનિ : વાચન-વ્યાખ્યાન સાંભળવાની રીત આ છે કે ગુરુની બરાબર સામે બેસી જવું. એમાં ય અજ્ઞાન માણસોને માનહાનિ લાગે છે, તેથી સામે જગા 26 - તરંગવતી
Page #32
--------------------------------------------------------------------------
________________ છતાં બાજુમાં બેસી જાય છે, પણ એમાં અભિમાનવશ વિનય નથી જળવાતો; તો વિનય વિના જ્ઞાન કેવું મળે ? વિનય વિના વિદ્યા નહિ. વળી જેમને મહાન જ્ઞાની ગુરુની આગળ પણ “માનહાનિ ન થાય એટલે કે માન જળવાઈ રહે એ જોવું છે, એ બહાર દુનિયામાં માનની ભૂખ કેટલી બધી રાખવાના ? ત્યારે ગુરુની સામે હાથ જોડીને બેસવામાં વાચના-બોધનો લાભ તો પછી, પણ પહેલાં મહાન વિનય-નમ્રતા ગુણની કમાઈ કરતા રહેવાનો મફતમાં લાભ મળે ! કરવાનું વિશેષ કાંઈ નહિ. ચાહ્ય સામે બેસો, કે બાજુમાં બેસો, કષ્ટમાં શો ફરક પડે છે ? કશો જ નહિ. પણ સામે બેસવામાં ગુરુ પ્રત્યે અને વાચના પ્રત્યે વિનય બહુમાનભાવ આદરભાવ કમાવવા મળે એ સસ્તામાં કે મફતમાં ખરેખરો મહાન લાભ મળ્યો ગણાય. અજ્ઞાન માણસ આવા અમૂલ્ય લાભોનો વિચાર જ નથી રાખતો એટલે સામાન્ય વિનય જેવી બાબતો તરફ દુર્લક્ષ કરે છે અને મહાન લાભો ગુમાવે છે. દા.ત. સવારે ઊઠીને માતાપિતા કે વડીલને પગે પડે એમાં શું કષ્ટ પડે છે? પણ એ નહિ કરીને કેટલું ગુમાવે ? વહેલી પ્રભાતે જ માતાપિતા કે વડીલની આશિષ અને કૃપા મેળવવાનું ગુમાવે. એ ગુમાવે એટલે પૂજયોની આશીષ-કૃપાથી કાર્યોની સિદ્ધિ થવાનો લાભ ગુમાવે. કેટલા મામૂલી કષ્ટના દુર્લક્ષમાં કેવા કેવા મહાન લાભ ગુમાવવાનું થાય ? શેઠાણી વિનયભાવથી સાધ્વીજીના બરાબર સામે બેસી હાથ જોડી સાંભળે છે. સાધ્વીજી કહે છે, સાધ્વીજી પોતાની જીવન કથા કહે છે, જુઓ સૌભાગ્યવતી ! જે મેં અનુભવ્યું, જે મેં સાંભળ્યું, અને જે મને યાદ આવશે, તે કહું છું. એ ધ્યાન દઈને સાંભળજો . - વત્સ દેશ છે. એમાં મોટી કૌશાંબી નગરી છે. ત્યાં ઉદાયન રાજા છે. એને વાસવદત્તા નામે રાણી છે. ત્યાં ઋષભસેન નામે નગરશેઠ છે, એ એક નમુનેદાર શ્રાવક છે. તત્ત્વના અને જીવનના પરમાર્થને જાણનારા, એટલે નગરના વેપારીઓમાં પહેલું આસન પામનારા છે, તેમજ સર્વ કાર્યોમાં વેપારીઓ એમના સામે જુએ છે કે “એ શી સલાહ આપે છે, ને તે સૌ માન્ય કરે છે. વળી એ શ્રાવકધર્મને યોગ્ય શાસ્ત્રોના રહસ્યના સારા જાણકાર છે, એટલે એમને શાસ્ત્રનિષ્ણાત કહી શકાય. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #33
--------------------------------------------------------------------------
________________ 3. ષભસેન ગુણોનું કસોટીસ્થાના વળી એ એકલી વિદ્વતા જ ધરાવનારા, પણ એમનામાં ગુણોનું દેવાળું, એવું નથી, કિન્તુ મનુષ્યના ઉત્તમ ગુણોનું કસોટીસ્થાન છે. અર્થાત્ ઔદાર્ય ગાંભીર્ય વગેરે ગુણો કોઈના તપાસવા હોય કે એ કેટલા પ્રમાણમાં અને કેવા છે તો મહાન શ્રાવક ઋષભસેનના ઉચ્ચ ગુણોની તુલનામાં જોવાય કે એમના ગુણો કરતાં બીજા મનુષ્યના ગુણ કેટલા ટકામાં આવે ? એવા જ એમના બીજાઓ સાથેના ઊંચા વ્યવહાર પણ કસોટીતુલ્ય છે. એટલે જ જુઓ કે એ સૌ સાથે મધુર અને શોભિતી તથા અવસરયોગ્ય વાણીનો વ્યવહાર રાખે છે. શેઠના આ ગુણોનું વર્ણન એટલા માટે કર્યું છે કે ગુણના અર્થી જીવોને પોતાના જીવનમાં કેવા કેવા ગુણો લાવવા જેવા છે એની ખબર પડે. એટલે તરંગવતીની કથા સાંભળતાં આમાં વર્ણન આવે ત્યાં કંટાળો લાવશો નહિ. કેમકે આમાંથી જ આપણું ઉત્તમ જીવન બનાવવાને ઉપયોગી વાતો જાણવા મળશે. | ઋષભસેન નગરશેઠ સૌમ્ય-શાંત-પ્રકૃતિના છે, અને શાંત મુખાકૃતિવાળા છે, કહો ગુણગણના ભંડાર છે. વળી એ સ્થિર મર્યાદા અને સ્થિર ચારિત્ર્યવાળા, છે. કદી પોતાની કુળમર્યાદા અને ધર્મી તરીકેની મર્યાદાનો ભંગ ન કરે. એમ કદી પોતાના સત્ ચારિત્ર્યનું ઉલ્લંઘન ન કરે. શેઠ માત્ર સંસાર-વ્યવહારમાં જ ગુણિયલ એમ નહિ, પણ ધાર્મિક-વ્યવહારમાં પણ નિષ્ણાત છે. એ સમ્યગ્દર્શનની સુંદર આરાધના કરનારા છે, એટલે સમ્યગ્દર્શનથી ઘડાયેલી શુદ્ધ બુદ્ધિવાળા છે. જિન-પ્રવચનમાં નિશંક છે, શાસ્ત્રવચનમાં લેશ પણ શંકા નહિ કરનારા, તેમજ જિનવચનને સાંભળનારા સારા શ્રાવક છે, મોક્ષની વાત સાંભળવામાં તો ખૂબ રુચિવાળા. એમાં કોઈ વંચના-ઠગાઈ કરવા આવે, તો એનાં વચનનો સચોટ રદિયો આપી એનું ખંડન કરનારા છે. એમણે જીવ-અજીવ તત્ત્વમાં સારો પ્રવેશ કર્યો છે. શ્રાવક યોગ્ય ગુણોનો તો આકર છે, ખાણ છે; એટલે જ શ્રાવકના મુખ્ય ગુણ સમ્યફ શાસ્ત્રબોધ અને સમ્યક શ્રદ્ધા તથા વ્રતો, એના પોતે આધાર છે; એટલે જ કોઈને સમ્યગુજ્ઞાન-દર્શન તથા વ્રતો જોવા હોય તો શેઠને જુએ એટલે એ દેખાઈ જાય. વિનયના રત્નકરંડક જેવા છે. નિર્જરા યાને બાહ્ય-આભ્યત્તર તપ, તથા હેય-ઉપાદેય ને હિતાહિતનો વિવેક, અને પાપાશ્રવો આડે દીવાલરૂપ સંવર, 28 - તરંગવતી
Page #34
--------------------------------------------------------------------------
________________ આમ નિર્જરા-વિવેક-સંવર એ ત્રણ તત્ત્વની મોટી સ્તુતિ કરનારા છે તેમજ એનો પરિચય રાખનારા છે. આનાં ગાણાં બહુ ગાય. વળી શેઠ શીલવ્રતના કિલ્લા જેવા છે. નગરશેઠનો એક ગુણ એ હતો કે લોક સર્વ સમૂહકાર્યમાં એમની સામે જોતા. એટલે કે શેઠ હા ભણે તો કાર્ય થાય, ના ભણે તો ન થાય. એનું કારણ શેઠનો વિવેક નિષ્પક્ષપાતતા અને પ્રામાણિક્તા જબરી હતી, ઉપરાંત શેઠ સારામાં બહુ રાજી, પણ ખોટું સહન કરી શકનાર નહિ. શ્રી શાંતિનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં રાજા શ્રીષેણ, એના બે દીકરા બહારથી આવેલી એક સુંદર વેશ્યાને “હું મારી કરું' એ દુરાગ્રહમાં પરસ્પર લડતા હતા. રાજાએ વેશ્યાની પૂંઠે ન પડવા અને ન લડવા ઘણું સમજાવ્યા છતાં પાછા ન વળ્યા. ત્યારે રાજાને લાગ્યું કે “જો મારા જ છોકરા આડા માર્ગે જાય તો બીજાઓને હું શી રીતે વારી શકું !' રાજાથી આ ખોટું સહન ન થયું. એથી એમણે ઝેર પાયેલું ફૂલ સુંઘી આપઘાત કર્યો. અલબત આપઘાત કરવા કરતાં સંસારત્યાગ કરી ચારિત્ર લેવું સારું હતું, પરંતુ છોકરાના ઉન્માર્ગગમન પર દિલ એટલું બધું ઉદ્વિગ્ન થયેલું કે “પોતે જીવતા રહીને એ ખોટું જોઈ શકે એવી સહિષ્ણુતા એમનામાં રહી નહિ; એટલે આપઘાત વહોય.' અહીં એ ખૂબી થઈ કે રાજા મર્યા પછી એક વિદ્યાધરે આવી બે ભાઈને વેશ્યા સાથે એમનો પૂર્વભવમાં બેનનો સંબંધ સમજાવ્યો તો બંનેને એના પરનો મોહ ખરો લાગ્યો, ને બાપના મોતમાં પોતે નિમિત્ત બન્યા એ ય ખોટું લાગ્યું; ને એ સહન ન થવાથી રાજયપાટ છોડી સાધુ થયા, ને ક્રમશ: તપ-સંયમથી કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. ઋષભસેન નગરશેઠનો એક મહાનગુણ સૌમ્યતા; સ્વભાવ-વિચારણામુખાકૃતિ અને વાણીમાં સૌમ્યતાનો ગુણ હતો. સૌમ્યતા આ શીખવે છે કે એવા પ્રસંગે તમે મન પર કાબૂ રાખી ખમી ખાઓ, પણ કાબૂ ગુમાવી ઉગ્રતા ન દેખાડો. એમાં સરવાળે લાભ છે. નગરશેઠનો એક ગુણ હતો મધુરભાષી, પ્રશસ્ત-ભાષી, અને કાલોચિતભાષી. આમાં મધુરભાષીતા કેવુંક કામ કરે છે કે મધુરભાષી કુંભારણ : એક કુંભાર ગધેડા હાંકી જતી હતી, એમાં એક ગધેડી વાંકી હઠિલી કર્મ ! તારી ગતિ ન્યારી 29
Page #35
--------------------------------------------------------------------------
________________ થઈ બરાબર ચાલતી નહોતી. તેથી કુંભારણ એને કહે “ચાલને બેન ! ચાલ મોડું થાય છે !" ત્યાં એક બાઈ એને પૂછે “આવી વાંકી ગધેડીને ન ધમકાવતાં બેન કહીને કેમ વાત કરે છે ? કુંભારણ કહે “મધુર વચનનો અભ્યાસ પાડવા આમ બેન કહીને વાત કરું છું. જેથી મધુરવાણીની પ્રેક્ટિસ રહે તો તમારા જેવી બેનો મટકા ખરીદવા આવે ને ગમે તેમ બોલે તો ય એમાં મારાથી ભારે શબ્દ ન કહેવાઈ જાય, ને મીઠાં જ વચન કહી શકું.” બસ, આવા મધુર વચને લોકોમાં એટલી બધી પ્રિય થઈ પડી કે લોકો એને ત્યાંથી જ મટકા ખરીદતા. પ્રશસ્ત વચન-ભાષિતા' એટલે શોભિતા વચન જ બોલવા. સામો ગમે તેવા ‘લુચ્ચા છો બદમાશ છો'... વગેરે હલકા શબ્દ બોલે, પણ આપણે એવા શબ્દ ન કઢાય. દશવૈકાલિક સુત્ર કહે છે કે “અલ્યા !" “એ ય” એવા શબ્દ ન બોલાય મહાનુભાવ ! ભાગ્યશાળી ! પુણ્યવાન !' એવા જ શબ્દ બોલવા. કાણાને માટે “આ કાણો છે એમ ન કહેતાં “ભાઈ એક આંખે અખમ છે' એમ બોલાય. પ્રશસ્ત ભાષા નાગરોમાં પારસીઓમાં સારી જોવા મળે. ઘરે આગંતુક આવ્યો તો “આવો કરતાં “પધારો' એ પ્રશસ્ત ભાષા છે. ‘તમે જૂઠું બોલો છો? એમ કહેવા કરતાં તમારું કહેવું માનવામાં નથી આવતું એ પ્રશસ્ત ભાષા છે. વિધવાની કાલોચિત ભાષા : ‘ભાષા પ્રશસ્ત અને કાલોચિત’ જોઈએ. યુદ્ધમાં એક સૈનિક મરાયો એની વિધવા બનેલી પત્નીએ રાજા પાસેથી વર્ષાસન મળે એ માટે કહેવરાવ્યું, પણ રાજાએ દાદ ન દીધી. થોડા વખત પછી બીજીવાર કહેવરાવ્યું ત્યારે રાજાએ જવાબ દીધો “કહેજો, બીજો પતિ કરી લે.” રાજાના આ કાળને અનુચિત શબ્દ હતા. વિધવા ગઈ રાજા પાસે, અને કહે છે, “આપના યુદ્ધમાં મારા પતિ મર્યા છે, તો આપે મારો નિભાવ કરવો જોઈએ.' રાજા કહે “એ કાંઈ હું બંધાયેલો નથી.' વિધવા કહે, “એમ ? તો તો મારા પતિને મેં તો સ્વામિ કરવામાં થાપ નથી ખાધી કેમકે માલિકને વફાદાર એવા જ મેં સ્વામિ કર્યા, પરંતુ મારા પતિએ આપને સ્વામિ કરવામાં તો થાપ જ ખાધી.” 30 - તરંગવતી
Page #36
--------------------------------------------------------------------------
________________ આ કાલોચિત શબ્દ હતા, રાજા પર એની અસર થઈ, અને તરત વર્ષાસન બાંધી આપ્યું. “કાલોચિત શબ્દનો વળી કેવોક પ્રભાવ પડે છે એ રામાયણના પ્રસંગથી જુઓ. સીતાજીની કાલોચિત ભાષા : સીતાજીને રામચંદ્રજી લોકવાયકાથી દોરાઈ જંગલમાં મુકાવી દે છે. મૂકવા જનારો સેનાપતિ રુએ છે, કહે છે “મારું પેટ કેવું પાપી કે એની ખાતર તમને મહાસતીને જંગલમાં તરછોડવાનું ગોઝારું કૃત્ય કરવાની આ નોકરી બજાવવાની આવી.” ત્યારે સીતાજી કહે છે ‘તારો કોઈ દોષ નથી, સ્વામિનો ય દોષ નથી, લોકનો ય દોષ નથી. દોષ મારા પૂર્વના અપયશકર્મનો છે. તું રોઈશ નહિ કેવા સુંદર કાલોચિત શબ્દ ! હજી આગળ જુઓ સેનાપતિ કહે છે “સ્વામિને કાંઈ સંદેશો આપવો છે ?' સીતાજી કહે છે, “હા, કહેજે કે “લોકના વચનથી મને ભલે છોડી, પરંતુ લોક કદાચ તમારા જૈનધર્મની નિંદા કરે, તો તમારો જૈનધર્મ છોડશો નહીં; કેમકે મને છોડ્યા પછી તો તમને મારા કરતાં સવાઈ ગુણિયલ પત્ની મળવા સંભવ છે, ને તેથી કાંઈ તમારો મોક્ષ નહિ અટકે. પરંતુ જો જૈનધર્મ છોડ્યો છે, તો તેથી સવાયો શું, એની હરોળનો ધર્મ નહિ મળે, અને તેથી તમારો મોક્ષ અચૂક અટકી જશે !" સીતાજીના આ કાલોચિત શબ્દોએ કેવો ચમત્કાર સજર્યો કે સેનાપતિએ જયારે એ શબ્દો જઈને રામને કહ્યા ત્યારે રામચંદ્રજી પોતાની નાલાયકતા અને સીતાજીની મહાલાયકાત વિચારતાં મૂછિત થઈ ગયા ! અને ભાનમાં આવતાં સીતાજીને પોતે જ પાછા લઈ આવવા ઊપડ્યા ! તરંગવતી સાધ્વીજીના પિતાનો આ એક ગુણ હતો કે એ સ્થિર મર્યાદાવાળા’ અને ‘સ્થિર ચારિત્ર્યવાળા હતા. પોતાના કુળને યોગ્ય, પોતાની સ્થિતિને યોગ્ય, તેમજ પોતાના ધર્મસ્થાનને યોગ્ય મર્યાદા પાળવામાં સ્થિર રહેવું જોઈએ. કુળમર્યાદામાં સ્થિર દશરથ : રાજા દશરથે દીક્ષાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કૈકેયીએ કહ્યું “આપે લગ્ન વખતે મને વરદાન આપેલું કે “તને ગમે તે માગી લે ત્યારે મે કહેલું “અવસરે માગીશ તે તમે વધાવી લીધેલું. તો અત્યારે વરદાન પ્રમાણે હું કર્મ ! તારી ગતિ ન્યારી
Page #37
--------------------------------------------------------------------------
________________ ભરતને માટે રાજ્યગાદી માગી લઉં છું.” અહીં તો દશરથે સૌથી મોટા અને વહાલા પુત્ર રામને રાજયાભિષેક કરવાની તૈયારી રાખેલી છતાં કહી દીધું “ભલે ભરતને રાજયગાદી આપું છું.” કેમ ? ઇશ્વાકુ કુળની મર્યાદા કે વચન આપેલું ફોક ન કરાય. તુલસી કહે છે, “પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ, રઘુકુલરીતિ સદા ચલી આઈ.” ધર્મસ્થાનને યોગ્ય મર્યાદાના પાલક કુમારપાળ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પાટણમાં પ્રવેશ છે. કુમારપાળ રાજા સામે લેવા આવ્યા છે, આચાર્ય મહારાજના શરીર પર તાપડા જેવો કપડો ઓઢેલો જોઈ કહે છે “ભગવદ્ ! મારા ગુરુના અંગ પર આવો કપડો જોઈ મને શરમ આવે છે.” આચાર્ય મહારાજ કહે છે “તને આ શરમ આવે છે, પરંતુ જે તારા સાધર્મિક શ્રાવકને આવા કપડા વાપરવા ઓઢવા પડતા હશે, એમની ગરીબી અને સીદામણ પર તને શરમ નથી આવતી ?' તરત રાજા વિચારે છે કે અરે ! મારું ધર્મસ્થાન કર્યું ? હું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજનો ભક્ત, અઢાર દેશનો રાજા, મારા ધર્મસ્થાનની મર્યાદાનો મારા સાધર્મિક સદાય એમાં ભંગ થાય છે, ત્યાં સંકલ્પ કર્યો કે સાધર્મિક ઉદ્ધારમાં દર વર્ષે એક કોડ રૂપિયા ખરચવા. ઋષભસેન નગરશેઠ મર્યાદા અને ચારિત્ર્યપાલનમાં સ્થિર હતા, એનો ભંગ ન થવા દે. ચારિત્ર્યપાલનમાં સ્થિર સુબાજી રવચંદ : અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક સુબાજી રવચંદને એક વાર કોઈ માસી ફોઈનો પ000, રૂ. નો વારસો મળ્યો. એ સામે ચડીને ઇન્કમટેક્ષખાતાની કચેરીએ ગયા, અને ઓફિસરને કહે “મારે આ વારસો આવ્યો છે, એનો જે ઇન્કમટેક્ષ લાગે તે લઈ લો.” કેમ જાતે ગયા ? ન્યાય નીતિ પ્રામાણિક્તાનું ચારિત્ર્ય પાળવામાં, લોભામણા અવસર આવ્ય ભંગ નહિ થવા દેવાનો. એ જોઈ ઓફિસર તાજુબ થઈ ગયો. ચારિત્ર-સંકલ્પમાં સ્થિર શિવકુમાર : જંબુકુમાર પૂર્વભવે દેવતા, એની પૂર્વના ભવે શિવકુમાર રાજપુત્ર, એ જાતિસ્મરણજ્ઞાન પામી વૈરાગ્ય પામ્યા; પણ પિતા રાજા ચારિત્રની સંમતિ નથી આપતા તેથી એમણે સંકલ્પ કર્યો કે ચારિત્ર ન મળે ત્યાંસુધી છઠ્ઠ છઠ્ઠના પારણે - તરંગવતી 32
Page #38
--------------------------------------------------------------------------
________________ આયંબિલ ચાલુ રાખવા. એમના આ વ્રત-સંકલ્પમાં સ્થિર કેવા રહ્યા કે 12 વરસ સુધી એ પ્રમાણે ચલાવ્યું, એમાં શરીર સાવ ખલાસ થયું, છતાં વ્રત છોડ્યું નહિ તે એમાં જ મૃત્યુ પામી પાંચમા સ્વર્ગે ગયા. ઋષભસેન નગરશેઠ સમ્યગૂ દર્શનથી વિશુદ્ધ બનેલી બુદ્ધિવાળા હતા. એટલે અવસર આવ્યે કોઈની શેહ કે ભયમાં ન તણાતાં એ બુદ્ધિ પ્રમાણે જ બોલવાનું રાખેલું. સમ્યગ્દર્શનની બુદ્ધિમાં સ્થિર કાલિકસૂરિજી : કાલિકસૂરિજી મહારાજ, અનાડી ભાણેજ રાજા દત્ત જે હિંસક યજ્ઞ કરાવતો હતો એને હિંસા મૂકી દેવાનું સમજાવવા માટે આવેલા. * રાજા પૂછે “યજ્ઞનું ફળ શું?” આચાર્ય ભગવંત કહે “હિંસા.” * રાજા પૂછે ‘હિંસાનું ફળ શું ?' સૂરિજી કહે “હિંસાનું ફળ નરકગમન.' * રાજા પૂછે “તો શું હું નરકમાં જઈશ ? તો તમે ક્યાં જશો ?' * સૂરિજી કહે “સ્વર્ગમાં * રાજા પૂછે “નરકમાં જઈશ એની ખાતરી શું ?' આચાર્ય ભગવંત કહે,- “આજથી સાતમે દિવસે તારી ઘોડેસવારીમાં તારા મમાં વિષ્ટાનો કણ પડશે, અને તું મરશે.” રાજા ગુસ્સે થઈ કહે “જો એમ નહિ બને તો તમારો ઘાત કરવામાં આવશે' એમ કહી સાત દિવસ માટે સૂરિજીને મહેલમાં નજરકેદ રાખ્યા. અહીં રાજા દિવસો ગણવામાં ભૂલ્યો, સાતમાં દિવસને આઠમો દિવસ માની ખુશી થતો થતો ઘોડેસવારીએ નીકળ્યો. પણ બન્યું એવું કે એક માળી વહેલી પરોઢે ફૂલો લઈને આવતો હતો, એને રસ્તામાં જ જોરદાર હાજત લાગી, તેથી અંધારે રસ્તા પર જ સંડાસ કરેલો, ને ઉપર ફૂલો નાખી એને ઢાંકી દીધેલો ! હવે રાજાનો ઘોડો દોડતો આવી રહ્યો છે, તે ઘોડાનો પગ એ ફૂલો પર પડ્યો ને અંદર ઢંકાયેલી વિષ્ટાનો કણ ઊડીને રાજાના મોંમાં પડ્યો. રાજા વહેમાયો કે “આજે સાતમો દિવસ તો ન હોય ?" એટલે મોતના ભયથી તરત પાછો ફર્યો, પણ અહીં તો એના જુલમથી ત્રાસેલા અમલદારોએ એને જીવતો પકડી મોટી કુંભમાં પૂર્યો. આમ, કાલિકસૂરિજી મહારાજ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળા હતા એટલે રાજાની શરમમાં તણાયા વિના એ બુદ્ધિ પ્રમાણે ચોખી વાત એમણે કર્મ ! તારી ગતિ ન્યારી 33
Page #39
--------------------------------------------------------------------------
________________ રાજાને સંભળાવી દીધેલી. નગરશેઠનો એક ગુણ ‘કુગુરુની હંમેશ માટે ત્યાગ રાખી જિનપ્રવચનજિનાગમમાં નિશંકપણા'નો હતો, છતાં એ પાછું જિનવચનને સાંભળ્યા કરનારા હતા, જેથી જિનપ્રવચન પરની શ્રદ્ધા અધિકાધિક નિર્મળ થાય, અને મોક્ષમાર્ગનો નવનવો બોધ મળ્યા કરે. કુગુરુત્યાગ પર અંગારમર્દક આચાર્યના શિષ્યો : આ ગુણ ઉપર જ અંગારમદક આચાર્યના 500 શિષ્યોએ જ્યાં જાણું કે ગુરુ આચાર્ય અભવ્ય છે, તો તરત જ છોડી દીધા; કેમકે જિનપ્રવચન કહે છે કે “સમ્યગ્દર્શન સાચવવું હોય તો કુગુરુનો મિથ્યાત્વી ગુરુનો સંગ ન કરવો. જો સંગ રાખીએ તો સમ્યક્ત ઘવાય, ને સમ્યક્ત ઘવાયે ચારિત્ર ઘવાય.” એમાં એ સુગર આચાર્યની નિશ્રા પકડી આરાધના કરી ગયા. ને પછીના ભવે પOO રાજકુમાર થયા. ત્યાંજ અંગારમર્દક આચાર્ય ઊંટ થયેલ. જમાલિ કુગુરુ બનતાં એના 500 શિષ્યો એને છોડી ગયા : જમાલિએ ઉત્સુત્ર ભાષણ કર્યું તો એના 500 શિષ્યો એને છોડી ગયા. એમણે ખોટો સવાલો ન કર્યો કે “ભગવાને “ક્રિયમાણે કૃત' કહ્યું છે, પણ ગુરુ “કૃતમ્ કૃતમ્” કહે છે, તે અપેક્ષાએ નિશ્ચયનયની દૃષ્ટિએ સાચું છે.” કેમકે સમજતા હતા કે જ્ઞાનીનાં વચનનું ઉલ્લંઘન ન થાય, પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્ર-વચનને મરોડાય નહિ. સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળો તો શાસ્ત્રોક્ત જ અર્થ લે. ઋષભસેન નગરશેઠ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળા હતા, એટલે ગુરૂમુખે જિનવચનને સાંભળનારા હતા; પરંતુ “ચાલો જિનોક્ત તત્ત્વ-શ્રદ્ધા આવી ગઈ, હવે વ્યાખ્યાન સાંભળવાનું શું કામ છે ? એમ જિનવાણી-શ્રવણની ઉપેક્ષા નહિ. મહાન શ્રાવક જિનાગમ વાણીને એટલા માટે સાંભળનારા હોય છે કે સમ્યક્ત્વનું એ લિંગ જ છે કે સમકિતીને જિનવચન સાંભળવાનો અતિશય રસ હોય. કારણ, એ શ્રવણથી શ્રદ્ધા દઢ અને નિર્મળ થતી જાય છે, તેમજ એમાંથી આરાધનાના નહિ જાણેલા માર્ગ જાણવા મળે છે, ને ધર્મ-આરાધનાનું પ્રોત્સાહન મળે છે. અકબરનું જિનવાણીશ્રવણ : ક્રૂર ઘાતકી અને નિર્દય મોગલ બાદશાહ અકબર શી રીતે દયાળુ અને દયાધર્મનો હિમાયતી બન્યો ? અકબર બાદશાહે જગદ્ગુરુ આચાર્ય ભગવાન - તરંગવતી 38
Page #40
--------------------------------------------------------------------------
________________ હીરસૂરિજી મહારાજ પાસે જિનવચન ઉપરાઉપર સાંભળ્યા કરવાથી એને એનો રસ એવો લાગી ગયો કે ચોમાસા બાદ આચાર્ય મહારાજનો વિહાર થતો હોવાથી એમને વિનંતી કરીને શાંતિચંદ્ર ઉપાધ્યાયને રોકાવરાવ્યા, અને એમની પાસે જિનવાણી સાંભળતો રહ્યો. જિનવાણીના શ્રવણથી કેઈકના જીવન ફરી ગયા, આસ્તિક ધાર્મિક જીવન બની ગયા ! નાસ્તિક પ્રદેશી જિનવાણી સાંભળી આસ્તિક થયો : મહા નાસ્તિક પ્રદેશી રાજા શી રીતે મહા આસ્તિક બન્યો ? કહો, કેશીગણી મહારાજ પાસે જિનવાણીનું શ્રવણ કરવાથી. આજના ભયંકર યુગમાં તો જિનવાણી સાંભળવાની અતિશય આવશ્યક્તા છે. નગરશેઠ શ્રદ્ધાપૂર્વક જિનાગમવાણી સાંભળવાથી પાકી મોક્ષરુચિવાળા બનેલા હતા, ઉપરાંત પ્રતિપક્ષી અર્થાત્ જિનમતના વિરોધીથી ફેલાવાતા અજ્ઞાનના અંધકારનો નાશ કરનારા હતા. અલબત એ કાંઈ ગામેગામ વિચરનારા સાધુ નહોતા કે ગામેગામ લોકોના અજ્ઞાન અંધકારને દૂર કરે, પરંતુ પોતાના નગરમાં પોતાના સંપર્કમાં આવનારના અજ્ઞાનને દૂર કરતા, તેમજ કોઈ વાદવિવાદનો મોકો આવે, તો સામાના અંધકારને હટાવનારા હતા. થાવસ્ત્રાપુત્ર આચાર્યથી પ્રતિબોધ પામેલા સુદર્શન શ્રાવકે પોતાના પહેલાના ગુરુ શુકપરિવ્રાજકને પોતાના સમ્યકત્વની દઢતાથી આચાર્ય મહારાજ પાસે તાણેલા ! અને આચાર્ય મહારાજે પરિવ્રાજકને એક જ બોલથી વિચાર કરતો કરી દીધો. બોલ આ હતો,- જેમ લોહીથી ખરડાયેલું કપડું લોહીએ ધોવાથી ચોકખું ન થાય, એમ હિંસાથી ખરડાયેલો આત્મા બાહ્યસ્નાન-શૌચમાં અપકાયાદિ જીવોની હિંસા કર્યો જવાથી શુદ્ધ નિર્મળ ન થાય. પરિવ્રાજક આના પર વિચાર કરતાં પરિવર્તન પામી ગયો, દીક્ષા લઈ સાધુ જ થઈ ગયો. ઋષભસેન નગરશેઠ મોટા શ્રીમંત છતાં જિનાગમની વાણી સાંભળતાં સાંભળતાં જીવ-અજીવ તત્ત્વના એવા જ્ઞાતા બનેલા કે જીવન વ્યવહારમાં કામ ઠામ જિનોક્ત જડ-ચેતનનો ભેદ લક્ષમાં લેનારા હતા. એટલે જ જયાં મિથ્યા ધર્મવાળા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુને જડ પંચભૂતમાંના ભૂત તરીકે દેખે માને છે, ત્યાં નગરશેઠ પૃથ્વીકાયિક જીવ, અકાયિક જીવ, ... વગેરે તરીકે કર્મ ! તારી ગતિ ન્યારી 35
Page #41
--------------------------------------------------------------------------
________________ ઓળખનારા હતા. ઓળખનારા એટલે અમલ વિનાની ઓળખ નહિ, પણ અમલવાળી ઓળખવાળા. તરંગવતી શાસ્ત્રકારે અહીં “અભિગમ' શબ્દ વાપર્યો છે, એને અંગ્રેજીમાં Approach કહેવાય. શેઠનો જીવો પ્રત્યે એપ્રોચ યાને યોગ્ય અભિગમ જીવ તરીકે હતો. એટલે જીવ પ્રત્યે યોગ્ય અભિગમ એટલે (1) જીવોની હિંસા આરંભ-સમારંભનો પ્રસંગ આવે તો સમજતા કે “સલ્વ પાણા પરમાહમિયા” અર્થાત્ સર્વજીવો પરમધાર્મિક છે, અહીં “પરમધર્મ તરીકે સર્વજીવ વ્યાપી “સુખેચ્છા' ધર્મ સમજવાનો છે. શેઠ સમજતા કે “જયારે સર્વે જીવોને સુખની ઇચ્છા છે દુ:ખ કોઈને ગમતું નથી, તો મારા કમનસીબ છે કે મારે આ જીવોની હિંસામય આરંભ-સમારંભ કરાવવા પડે છે.” આમ એ જીવો પ્રત્યે શેઠનો સંતાપભર્યો અભિગમ હતો; એટલે જ ટાળી શકાય એવા આરંભ-સમારંભમાં એ પડતા જ નહિ. (2) બીજી રીતે જીવ તરીકે અભિગમ એ રીતે કે એમના સંબંધમાં કોઈ અપરાધી યાને કોઈ ભૂલ કરનાર જીવ આવે ત્યાં સમજતા કે “સર્વે જીવા કમ્મવસ” અર્થ, સર્વજીવો કર્મવશ છે કર્મપીડિત છે, તેથી એ બિચારા ભૂલ કરી નાખે; તો કર્મથી પીડાતા પ્રત્યે દ્વેષ શો કરવો? વૈષના બદલે એમની દયા જ ચિંતવવાની. (3) ત્રીજી રીતે જીવ તરીકે અભિગમ એટલે સર્વજીવો પ્રત્યે મૈત્રીસ્નેહભાવ, દુઃખિત પ્રત્યે કરુણાભાવ, ગુણાધિક સુખાધિક પ્રત્યે ઇર્ષ્યા નહિ પણ પ્રમોદભાવ, અને અસાધ્ય દોષવાળા પ્રત્યે ઉપેક્ષાભાવ યાવત પરદોષ માત્ર પ્રત્યે ઉપેક્ષાભાવ રાખનારા. પરચિંતા-પરતપ્તિ-પરનિંદા નહિ. આનું કારણ શેઠ સમજતા કે “સંસારમાં જીવોના સંબંધમાં રહીએ છીએ તો આપણને એમના પ્રત્યે માત્ર મૈત્રી-કરુણાદિ ચાર શુભભાવ કરવાનો જ અધિકાર છે. નહિતર એથી વિરુદ્ધ અ-મૈત્રી વગેરે અશુભભાવો કરાય તો એ આપણને સંસારભ્રમણના અધિકારી બનાવે છે. માટે (1) જીવમાત્ર સુખાર્થી હોઈ અહિંસ્ય છે. (2) અપરાધી કર્મપીડિત હોઈ દયાપાત્ર છે. (3) જીવો યથાયોગ્ય મંત્રી આદિના વિષય છે. 36 - તરંગવતી
Page #42
--------------------------------------------------------------------------
________________ જીવો પ્રત્યેનો આ ત્રણ પ્રકારનો અભિગમ કેટલો બધો ઉમદા છે કે એથી જીવન સાંસારિક છતાં અલ્પ આરંભ-સમારંભથી પતાવવાની વેશ્યા રહે છે, અને કરવા જ પડતા આરંભ-સમારંભોમાં દિલ કોમળ-કૂણું અને જીવન હિંસા પ્રત્યે સંતાપભર્યું રાખે છે. આ અભિગમની ઉત્કૃષ્ટતા થાય ત્યારે તો પોતે સ્વયં તો હિંસા કરે નહિ, પરંતુ પર-પ્રયોગથી પોતાને આ હિંસામાં નિમિત્ત બનવું પડતું હોય, તો ય દિલમાં સંતાપ થાય. જુઓ, અર્ણિકાપુત્ર આચાર્યનો જીવો પ્રત્યે અભિગમ : અર્ણિકાપુત્ર આચાર્યને નાવડામાં ગંગા પાર કરતાં વૈરી દેવતાએ નાવડું ડોલડોલ કરી પ્રવાસીઓના મગજમાં “આ અપશુકનિયા મુનિના લીધે નાવડું ડોલંડોલે છે' એવું ઊંધું સૂઝાડ્યું. એથી એ લોકોએ મુનિને ઊંચકીને પોટલાની જેમ ઊંચે ગંગા પર ઉછાળ્યા. ત્યાં લોકો પ્રત્યે મુનિનો અભિગમ “અરરર ! આ બિચારા જીવોને મારું શરીર દ્વેષનું અને ઊછાળવાના પાપનું નિમિત્ત બની રહ્યું છે !" એવો દયાભર્યો, ને પાણીના જીવો પ્રત્યે મુનિએ અભિગમ,- “અરેરે ! આ બિચારા અસંખ્ય જીવો મારું શરીર પાણી પર પછડાવાથી મોતનું દુઃખ પામશે !'- એવો દયાભર્યો ઊભો કર્યો. એમાં દેવતાએ આકાશમાં ઊછળી નીચે પડતા મુનિને ભાલે વીંધ્યા ! તો ત્યાં પણ દેવજીવ પ્રત્યે મુનિનો અભિગમ “અરરર ! આ મારું પાપિઇ શરીર કોઈ બિચારાને હિંસાના પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે ! એ પાપથી નરકાદિ ગતિમાં એને બિચારાને કેવાં દુ:ખ વેઠવા પડશે !' એમ ભાવ દયાભર્યો આવ્યો; અને નીચે પાણીના જીવો પ્રત્યે અભિગમ,- “અરરર ! આ મારા પાપી શરીરના લોહીના ટીંપા નીચે પડી પડી કેટલા બધા અસંખ્ય જીવોને મોત સુધીનાં દુઃખ આપી રહેલ છે !" એવો દયાભર્યો જ રાખ્યો ! ત્યારે પોતાના શરીર પ્રત્યે મુનિના અભિગમમાં ધૃણાનો ભાવ રાખી, સિદ્ધના જીવો પ્રત્યે અભિગમ “અહો ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે શરીર જ ન રહેવા દીધું, તો કોઈના પાપમાં કે દુ:ખમાં નિમિત્ત જ થતા નથી !', એવો અનુમોદનાભર્યો રાખ્યો. એમાં પોતાના જડ શરીર પ્રત્યે રાગનો ને દુ:ખની “હાય”નો અભિગમ નહિ, કિન્તુ બીજાનાં પાપ અને દુ:ખમાં નિમિત્ત બનનાર તરીકે ધૃણાનો અભિગમ રાખ્યો, તો એમાં અંતે અનાસક્ત બનતાં જીવ અજીવ પ્રત્યેના આવા અભિગમથી શુકલધ્યાન અને ક્ષપકશ્રેણિ પર ચડી કર્મ ! તારી ગતિ ન્યારી
Page #43
--------------------------------------------------------------------------
________________ આચાર્ય વીતરાગ બની કેવળજ્ઞાન પામ્યા ! અને હજી ભાલે વીંધાયા આકાશમાં છે, ત્યાં મૃત્યુ પામતાં મોક્ષે પધાર્યા ! આ બહુ ઊંચા પ્રકારનો અભિગમ ઋષભસેન નગરશેઠમાં નહિ, છતાં એ એથી નીચેના પ્રકારનો યોગ્ય અભિગમ રાખતા. વળી એ શ્રાવકના ગુણોના તેમજ ભાવશ્રાવકના ક્રિયાગત મૂળ 6 અને અવાંતર ગુણો, તથા ભાવગત 17 ગુણો, તથા એમાં સમકિત-૧૨ વ્રત 11 પ્રતિમાના ગુણ સમાય, અને એ ધરનારા હતા શ્રાવકના ગુણોની વાત આવે ત્યાં આપણને કાર્તિકશેઠ વગેરે યાદ આવે, કે જે મહા શ્રીમંત શ્રાવક છતાં, જેમણે શ્રાવકની 11 પ્રતિમા યાને સમ્યગ્દર્શનવ્રત-સામાયિક-પોષધ આદિના કડક અભિગ્રહ સો વાર વહન કરેલા ! શ્રીમંત કેવા કે જયાં એમને રાજાના બળાત્કારથી સમકિતથી વિરુદ્ધપણે મિથ્યાષ્ટિ ઐરિક તાપસને પારણું પીરસવાનો અવસર આવ્યો, તો વૈરાગ્ય વધી જવાથી દીક્ષા લેવા તૈયાર થઈ ગયા ! ત્યારે એમની પાછળ એક હજાર વણિકપુત્રો આવા શ્રીમંત જો દીક્ષા લે છે તો આપણે સંસારમાં શા ઠીકરા ચાટતા બેસી રહેવું ?' એમ વૈરાગ્ય પામી સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગયેલા ! જ્ઞાનગુણ વજકુમારનો : ઋષભસેન નગરશેઠનો એક ગુણ એ જ્ઞાન-દર્શન અને વ્રતના આધાર હતા. અહીં ‘આધાર’ શબ્દ મૂકીને સૂચવ્યું કે જ્ઞાન-દર્શન-વ્રતોએ જાણે વિચાર કર્યો કે “આપણે ક્યાં રહેવું ?" તો આવીને આ મહાન શ્રાવક નગરશેઠને પસંદ કર્યા ! અર્થાત્ આ ગુણો લાવવા માટે શેઠને બહુ પરિશ્રમ ન કરવો પડ્યો, પરંતુ સહેજે સહેજે આ ગુણો એમનામાં પ્રગટ થઈ ગયા ! એટલે કે કોઈ દુન્યવી માનપાનાદિ લાલચથી નહિ, યા શાસ્ત્ર ફરમાનના બળાત્કારથી નહિ પણ નિરાશસ ભાવે અને ગુણના સહજ પ્રેમથી આ ગુણોને ધરનારા બનેલા. અહીં જ્ઞાનગુણની ઊંચી કક્ષા કેવી હોય એ જોવા માટે બાળ વજકુમાર યાદ આવે છે કે જે 1-2-3 વર્ષની ઉંમરમાં પારણામાં ઝૂલતા ઝૂલતા ત્યાં રહેલી સાધ્વીઓના 11 અંગ-આગમના સ્વાધ્યાયના ઘોષ સાંભળી સાંભળતાં એના પર એવા એકાગ્ર ધ્યાનવાળા બનેલા કે એમને એ વખતે 11 અંગ મુખપાઠ થઈ ગયા ! 30 - તરંગવતી
Page #44
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનગુણ : બીજો દાખલો, પુષ્યમિત્ર : એમ આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર મુનિ યાદ આવે છે કે જે સૂત્ર-અર્થના સ્વાધ્યાયની રટણામાં એવા લીન કે રોજ એકાશન-આહાર વાપરે છતાં દુર્બલ જેવા રહેતા હતા. એમાં વિહાર કરતાં કરતાં એમના ગામમાં આવ્યા ત્યાં એમના સંબંધીઓ એમને દૂબળા જોઈ આચાર્ય મહારાજને ઠપકો આપવા લાગ્યા કે ‘તમે અમારા મહારાજને કેમ બહુ તપસ્યા કરાવી કરાવી દૂબળા બનાવી દીધા ?' આચાર્ય મહારાજ કહે “તપસ્યા કશી કરાવી નથી, પરંતુ એમની જ્ઞાન ભણવાની મહેનત આહારને ફટૂટું સ્વાહા કરી નાખે છે. તેથી જાડિયાપાડિયા નથી બની શકતા. છતાં તમને વિશ્વાસ ન બેસતો હોય તો એમને લઈ જાઓ તમારે ત્યાં એકાન્તમાં થોડા દિવસ એ રહેશે અને તમે વહોરાવશો તે વાપરશે” બસ, સાધુને મોકલ્યા, અને સગાઓએ ઘી-દૂધ-મલાઈના ભોજન વહોરાવવા મંડ્યા. મુનિએ ગુરુના હુકમથી એ વાપરવાનું રાખ્યું. બે દહાડા ચાર દહાડા આઠ દહાડા થયા છતાં શરીર વળ્યું નહિ. સગાઓએ જઈને આચાર્ય મહારાજને વાત કરી પૂછ્યું “શરીર કેમ વળતું નથી ?' સ્વાધ્યાયની મહેનતમાં ઘી-દૂધ ફૂફૂટ્ સ્વાહા : આચાર્ય મહારાજ કહે “આ તમારા ઘી દૂધ ને મલાઈ એમની જ્ઞાનસ્વાધ્યાયની મહેનતમાં 3 ફૂટ્ સ્વાહા થઈ જાય છે. હવે તમારે જોવું હોય તો જાઓ મહારાજને કહેજો હમણાં 8 દિન સુત્ર સ્વાધ્યાય બંધ રાખજો; અને તમે એમને આંબેલના લુખ્ખા આહાર વહોરાવી એજ વાપરવા કહેજો” બસ, સગાઓએ એ કર્યું. મહારાજને સૂત્ર-અર્થમાં ઓતપ્રોતતાની ચિંતા ન રહી. Tension માનસિક શ્રમ ન રહ્યો તેથી લુખ્ખા ખાવા છતાં આઠ દહાડામાં સુકલકડી શરીર ફૂલીને દડા જેવું થઈ ગયું. સગાઓ આ જોઈ સમજી ગયા, મુનિને પાછા ગુરુ પાસે મૂકી જઈ ગુરુની ક્ષમા માગે છે કે “માફ કરજો, અમે જ્ઞાનનો પરિશ્રમ શું કામ કરે છે એના અજાણ; તેથી પહેલાં આપને ઠપકો દેવાની અમે ભૂલ કરી !' દર્શનગુણ : સુલતા સમ્યગ્દર્શનગુણની ઉચ્ચતામાં આપણને સુલસા શ્રાવિકા અને ચંદનબાળા યાદ આવે છે. અંબડ પરિવ્રાજકને વીરપ્રભુનું સમ્યગ્દર્શન સ્વીકાર્યાના અભિમાનનો આફરો ચડ્યો હતો કે હું એક હજાર શિષ્યોનો અને હજારો કર્મ ! તારી ગતિ ન્યારી 39
Page #45
--------------------------------------------------------------------------
________________ ભક્તોનો સંન્યાસી ગુરુ છતાં મેં સ્વમાન મૂકી દઈ કેવો મહાવીર ભગવાનનો જૈનધર્મ અને સમ્યગ્દર્શન સ્વીકારી લીધા !' જ્યારે અંબડ મહાવીર પ્રભુ પાસે આવ્યો, ને માગણી કરે છે કે પ્રભુ ! હું રાજગૃહી જાઉં છું ત્યાં મારા યોગ્ય કાંઈ સેવા ?' ત્યારે ભગવાને એનો આફરો ઉતારવા અને સમ્યગ્દર્શન કેવું હોય એનાં આબેહૂબ દર્શન કરાવવા કહ્યું “હા, ત્યાં શ્રેણિક રાજાના અંગત અમલદાર નાગરથિકની પત્ની સુલસા રહે છે, એને અમારા ધર્મલાભ કહેજો અને એની ધર્મપ્રવૃત્તિની અમારા વતી ખબર પૂછજો.” અંબડ તહત્તિ કરી સ્વીકારી લે છે, પણ મનમાં સમસમી ગયો કે “એ સુલતા તે કેવી હશે કે આ ત્રણ જગતના નાથને આખી રાજગૃહીમાં બીજો કોઈ એવો સારો જીવ ન જડ્યો તે સુલસા એક સ્ત્રી જ સંદેશો સંભળાવવા જડી ? ખેર ! જઈને એનું પારખું કરું છું.' અંબડ પરિવ્રાજક વેશે આવી સુલતાના ઘરના પગથિયા ચડે છે, ત્યાં સુલસાએ જોઈ મોં બગાડી માં ફેરવી નાખ્યું “રખેને મિથ્યા ગુરુ સાથે આંખ મિલાવવાનો પણ સત્કાર મારું સમકિત મેલું કરે તો ?' આ ભાવ સુલસાના દિલમાં હતો. પછી અંબડે વિદ્યાના બળે નગરના ચાર દરવાજા બહાર આકાશમાંથી નીચે ક્રમસર જીવંત જેવા બ્રહ્મા શંકર વિષ્ણુ-લક્ષ્મીદેવી અને 25 મા તીર્થંકરના રૂપ ઉતાર્યા ! લોક જોવા ઉમટ્યું પણ તુલસા જોવા તો ન ગઈ, પણ “મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું ક્યાં ઓછું છે ?' એમ પ્રભુનાં જીવન-પરાક્રમ જોતી-વિચારતી સુલતાને બ્રહ્માદિનાં એ રૂપ જોવાની આતુરતા સરખી પણ શાની થાય ? કે લાવ જોઉં તો ખરી કે એ કેવાક રૂપ હશે ?" અંતે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેશ કરી સુલતાને ઘરે આવે છે. ઘરમાં એ પેસતાં જ સુલસા ઊભી થઈ સામે લેવા આવી હાથ જોડી પ્રણામ કરી “પધારો' કહી આવકારે છે. સાધર્મિક મળે એને પ્રણામ કરવો જોઈએ. એને લાવીને ગાદી પર બેસાડી થાળ ને પાણીનો લોટો લાવી કહે છે, “પરદેશથી આવ્યા લાગો છો, મારાં ભગવાનના શ્રાવક મારે ઘેર ક્યાંથી ? મારા ધન્ય ભાગ્ય કે મારું આંગણું આપે પાવન કીધું ! થાળામાં પગ મૂકો, હું ધોઈને પાવન થાઉં.' અંબડ સુલસામાં સમ્યગ્દર્શનની ઊંચી કરણી જોતો ચકિત થઈ ગયો છે, મનને એમ થાય છે કે “આની સામે મારામાં ક્યાં આવું સમ્યગ્દર્શન છે ?' એ તરત કહે છે, 40 - તરંગવતી
Page #46
--------------------------------------------------------------------------
________________ ઓ ભલી બાઈ સુલસા ! તું મારા પગ શું ધુએ? હું તારા પગ ધોવાને લાયક છું, જેથી મારામાં તારા જેવું સાચું, સમ્યગદર્શન આવે.” સુલસા કહે “આવું કાં બોલો ? મારામાં કશું નથી.' અંબડ કહે “તારામાં છે એ આખી વિશાળ રાજગૃહી નગરીમાં કોઈની પાસે નથી.” | માટે તો ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્માએ તને એકલીને કહેવા મારા દ્વારા સંદેશો મોકલ્યો છે, ને તે કહેવા હું અહીં આવ્યો છું;” એમ કહી પહેલેથી બધી હકીકત કહે છે. એમાં જ્યાં અંબડે કહ્યું “પ્રભુને કાંઈ સેવા પૂછતાં પ્રભુએ રાજગૃહીમાં નાગરથિકના પત્ની સુલતાને સંદેશા કહેવાની સેવા આપી,’ એ વાત કરી ત્યાં એ સાંભળતાં જ સુલસાનું દિલ ધડકવા લાગ્યું કે “અહો ! ત્રણ જગતના નાથ મારા જેવી રાંકડીને સંદેશો મોકલે છે ? કેટલા ઊંચા મારાં અહોભાગ્ય ?' સુલસા કહે “હા, હા, તો જલદી કહો પ્રભુએ મને પામરીને શો સંદેશો મોકલ્યો છે ?' અંબડ કહે “પ્રભુએ તમને ધર્મલાભ કહેવડાવ્યા છે, ને કહ્યું છે કે અમારી વતી સુલસાની ધર્મપ્રવૃત્તિના ખબર પૂછજો !' પ્રભુના સંદેશા પર સુલતાને ગદ્ગદતા : આ સાંભળીને સુલસા ક્યાં ઊભી રહે ? હરખનો પાર નથી, સાથે પ્રભુના અનંત અનંત ઉપકાર માનતી હૈયામાં એને પ્રભુ પ્રત્યેનો અપાર કૃતજ્ઞભાવ ઊછળી રહ્યો છે. આંખમાંથી દડદડ આંસુ પડી રહ્યા છે. ઊભી થઈને જે દિશામાં પ્રભુ વિચરે છે એ દિશામાં ખમાસમણાં દેતી બોલી રહી છે, “ઓ મારા નાથ ! આ તમે મને યાદ કરી એ તમારી કેટલી બધી આ રાંકડી પર દયા ! ક્યાં તમે ત્રિલોકના નાથ ! ઇંદ્રોના પૂજય ! અને ક્યાં હું વિષયકષાય અને હિંસાદિ પાપોમાં ડૂબેલી ! મારા પર ઓ કરુણાસિંધુ ! આ શી રીતે આટલી બધી કરણા ? પ્રભુ ! પ્રભુ !...' મોં લાલચોળ થઈ ગયું છે, આંખમાંથી પાણી ટપકી રહ્યું છે. અંબડ તો આ જોતાં આભો જ બની જાય છે. એને લાગે છે,- “ખરેખર પ્રભુએ આને પારખીને જ સંદેશો મોકલ્યો છે. સંદેશાના નિમિત્તે મને સૂઝાડ્યું કે “તું શાનો સમ્યગ્દર્શનનો ફાંકો રાખે ? સાચા સમ્યગ્દર્શનનાં દર્શન કરવા હોય તો જા તુલસા શ્રાવિકાને જો, એનામાં તને સમ્યગ્દર્શન શી ચીજ છે એ આબેહૂબ જોવા મળશે.” કર્મ ! તારી ગતિ ન્યારી 41
Page #47
--------------------------------------------------------------------------
________________ નગરશેઠનો વ્રતગુણ : આનંદ-કામદેવ ઋષભસેન નગરશેઠ દર્શનગુણના આધાર હતા, એવા વ્રતોના આધાર હતા; એય સહજભાવે હોશથી સ્વીકારી લીધેલા. આનંદ-કામદેવાદિ શ્રાવકોએ મહાવીર પ્રભુની પહેલીવાર દેશના સાંભળતાં સમ્યક્ત સહિત બાર વ્રતો હોંશથી સ્વીકારી લીધેલા. એ હોંશ એવી હતી કે આનંદ શ્રાવકે જ્યારે વ્રત લઈને ઘરે પહોંચી પત્નીને વાત કરી કે “આવી રીતે આજ તો પ્રભુ પાસેથી વ્રતોનું મહાનિધાન મળ્યું !" ત્યારે પત્ની કહે “વાહ ! તે તમે એકલા એકલા જ કમાણી કરી આવ્યા ?' આનંદ શ્રાવક કહે “તો નીચે રથ તૈયાર છે, તમે પણ પહોંચી જાઓ પ્રભુ પાસે, ને લઈ આવો વ્રતો.” વાર કેટલી ? પત્ની ઉપડ્યા પ્રભુ પાસે પહોંચી પ્રભુને વંદના કરી કહે “પ્રભુ ! તમારા શ્રાવકને વ્રતો આપવાની મહાન દયા કરી, તો હે કરુણાસિંધુ ! મારા પર પણ દયા કરો મને પણ વ્રતો આપો. પ્રભુએ વ્રતો આપ્યા, ખુશીનો પાર નથી. સૂર્યચશા રાજાની વ્રત-મક્કમતા : ભરત ચક્રવર્તીના પુત્ર અને હવે રાજા સૂર્યયશાને અષ્ટમી કરવાનું વ્રત, ને રંભા ઉર્વશી પરીક્ષા કરવા રૂપરૂપનો અંબાર વિદ્યાધરીઓનું રૂપ કરીને આવી. રાજાને એ શરતે પરણી કે “અમે ક્યારેક કાંઈક કહીએ તો તે તમારે કરવું પડે, પરંતુ પછીથી અષ્ટમીએ રાજાએ પોતે ધર્મધ્યાનમાં રહેવાનો નિર્ધાર કહ્યો, ત્યારે પેલીઓ લગ્ન વખતનું આપેલું વચન યાદ કરાવી અષ્ટમી ન પાળવાનું માગે છે. રાજા કહે, “બીજું કાંઈ માગો,” ત્યારે પહેલાં ‘ગામ બહારનું જિનમંદિર તોડાવી નાખવાનું, ને પછીથી “પુત્રનું ડોકું ઉડાવી નાખવાનું માગે છે ! રાજા અંતે પોતાનું મસ્તક છેદી આપવા તૈયારી બતાવીને પોતાના ગળા પર પોતે જ તલવાર ચલાવે છે. દેવીઓ અદશ્યપણે ગળાની અધવચ્ચે તલવાર અટકાવી દે છે, ત્યારે રાજા તલવાર કાઢી લઈ ફરીથી બીજો ઘા લગાવે છે ! એમાં પણ વચ્ચે જ અટકણ થાય છે ! એમ નવ નવ ઘા લગાવવા છતાં ડોકું પૂરું છેદાતું નથી, ત્યારે રાજા અફસોસી એ કરે છે કે “અરેરેરે ! જો આ ડોકું છેદીને નહિ અપાય, તો મારી અષ્ટમીનું શું થશે ?' દેવીઓએ રાજાને વ્રતપાલનમાં અણનમતાથી દઢ રહેલો દેખી બાજી સંકેલી દીધી, રાજાને સ્વસ્થ કરી દઈ દેવીરૂપે પ્રગટ થઈ, ક્ષમા માગી ધન્યવાદ આપે છે. 42 - તરંગવતી
Page #48
--------------------------------------------------------------------------
________________ વિનયગુણ : ગૌતમસ્વામિ નગરશેઠ વિનયના રત્નાકર છે, વિનયનું આબેહુબ દૃષ્ટાન્ન ગૌતમસ્વામિ મહારાજનું જોવા મળે છે. ગુરુ મહાવીર પ્રભુએ ક્યારે પણ કોઈ આદેશ કર્યો, વિચારવા નથી ઊભા કે “ઓ બરાબર છે કે નહિ ?" ભગવાને ગમાર ખેડૂતને પ્રતિબોધ કરી આવવા કહ્યું તો તૈયાર ! “આનંદ શ્રાવકને મોટી મર્યાદાનું થયેલું અવધિજ્ઞાન સાચું, ને ગૌતમે એટલું ન થઈ શકવાનું કહેલું તે બરાબર નહિ,” એમ પ્રભુએ કહ્યું તો તરત તહત્તિ કરી આનંદ શ્રાવકની પાસે જઈને એ કહેવા અને મિચ્છામિ દુક્કડં દેવા તૈયાર ! અંત સમયે પ્રભુએ ગૌતમસ્વામિને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાનું કહ્યું તો તૈયાર ! ક્યાંય પ્રશ્ન નહિ, કે બીજું કશું વિચારવાનું નહિ. સંવરમાર્ગનો પરિચય : ઋષભસેન નગરશેઠ નિર્જરા વિવેક સંવરના મહાન સ્તવી હતા. મહાન સ્તવી' અર્થાત્ (1) સારો પરિચય કરનારા અને (2) બહારમાં એની સારી સ્તુતિ કરનારા હતા. સંવર વિવેક નિર્જરાનો પરિચય એટલે જ્યાં જ્યાં મોકો મળે ત્યાં ત્યાં એને અજમાવનારા. દા.ત. “સંવર' એટલે જેનાથી પાપ ન બંધાય એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિ. તો ચાલવાનું આવે ત્યાં નીચે જોઈ કરીને જીવ ન મરે એની કાળજીથી ચાલવાનું. બારણું બંધ કરવું છે તો ફળાંતરમાં કોઈ ગિરોલી વંદો વગેરે જીવ ન મરે એની ય કાળજી રાખીને પૂંજી પ્રમાર્જીને બંધ કરવું. એમ કાંઈ બોલવાનું આવે તો અસત્ય અપ્રિય કે પાપનું બોલવાનું ન થાય એની કાળજી રાખીને બોલવાનું. એટલા જ માટે બને તેટલું મૌન રાખવું, ને ખાસ જરૂરી હોય એટલું જ અસત્યાદિ ન આવે એની કાળજી રાખીને બોલવાનું. એમ મન નવરું પડ્યું ખોટ ભાવમાં યા નરસા વિકલ્પોમાં ન ચડે એ માટે અનિત્યતાદિ ભાવના વિચારતું રાખવાનું. આવી બધી કાળજીજયણાવાળી પ્રવૃત્તિ કરાતી રહે એ સંવર માર્ગનો પરિચય રાખ્યો કહેવાય. પરિષહનો પરિચય : એમ ભૂખ તરસ લાગી, યા બહુ ઠંડી ગરમી પડી, તો મન ન બગાડતાં “ચાલો, “આ સહીએ એમ કર્મ તૂટે' એમ વિચારી સહર્ષ સહી લેવાય એ પરિષહનો પરિચય કર્યો કહેવાય. એવા બીજા પરિષદમાં શુભ વિચારણાથી મન ન બગડવા દઈએ એ સંવર માર્ગનો પરિચય કર્યો કહેવાય. સંવરના પરિચયની બલિહારી કેવી છે એ આપણને એક બાળ મુનિના કર્મ તારી ગતિ ન્યારી
Page #49
--------------------------------------------------------------------------
________________ તરસ-પરિષહ પર વિજયના દષ્ટાન્તમાં જોવા મળે છે. બાળમુનિનો તૃષાપરિષહવિજય. બાળમુનિ પિતામુનિ સાથે વિહારમાં જઈ રહ્યા હતા. ઉનાળો અને તડકો, તેથી બાળમુનિને ભારે તરસ લાગી, ચાલવામાં ધીમા પડી ગયા. પિતામુનિએ પૂછવાથી કહ્યું “બહુ તરસ લાગી છે.” આગળ જતાં બાજુમાં તળાવ આવતું જોઈ પિતામુનિ કહે “જો પેલું તળાવ છે, હું આગળ ઊભો રહું છું' પિતા ચોક્ખું ન બોલ્યા પરંતુ બાળમુનિ પિતામુનિનો કહેવાનો ભાવ સમજી ગયા કે “તું તળાવે પાણી પીને આવી જા.” બહુ તરસ તો લાગી જ હતી, ને પિતામુનિએ 2-3 વાર એજ કહ્યું, એટલે ગયા તળાવ પાસે. મન આવું કાચું પાણી પીવા ના પાડતું હતું, પરંતુ તરસની ઉત્કટતા વધી જવાથી ખોબામાં પાણી લીધું, ને મોં સુધી લાવ્યા, પણ પાછો વિચાર આવ્યો કે “અરેરે ! આ હું શું કરી રહ્યો છું ? પાણીના એકેક ટીપામાં ભગવાને અસંખ્ય જીવ કહ્યા છે, તે મારી તરસ મિટાડવા આ અસંખ્ય જીવોનો સંહાર કરું ? ના, ભલે તરસે મરીશ, પણ આ હિંસા ન કરું.” એમ કરી ખોબો સાચવીને ઠેઠ તળાવના પાણી નજીક લઈ જઈ પાણી મૂકી દીધું. બહુ નજીક લઈ જવાનું એટલા માટે કે પાણી પર પાણી પછડાય નહિ, નહિતર બંને પાણીના કેટલાય જીવ મરે. બાળમુનિ પાછા વળ્યા, પણ અસહ્ય તૃષામાં ત્યાંજ મર્યા ને પડ્યા. શુભભાવમાં મર્યા છે તેથી દેવતા થયા ! દેવ થઈને અવધિજ્ઞાનથી જોયું, પરિસ્થિતિ સમજી ગયા, ખૂબ ખુશી થયા કે “હાશ ! પીવા લીધેલ પણ પાછું મૂકેલ, તો પાણીના અસંખ્ય જીવ બચી ગયા ! ને મારે દુર્ગતિ અટકી.” પણ ‘નિર્ધામણાનું સંભળાવવાને બદલે ખોટી સલાહ આપનાર બાપમુનિને શિખામણ આપું” એમ વિચારી તરતમાં પડેલા પોતાના મૃત શરીરમાં પ્રવેશ કરીને ચાલતા ચાલતા પિતામુનિને ભેગા થઈ ગયા. એમણે સંતોષ દેખાડ્યો,- “ચાલો સારું થયું પાણી પી લીધું, તરસ મટી.” બાળમુનિદેવતા વિચારે છે,- “અહો ! મોહસ્ય માહામ્યું !' રસ્તામાં તરસ્યા મુનિઓની ભક્તિ કરવા દેવતાએ ભરવાડોની ઝુંપડીઓ વિકૂર્તી. મુનિઓ સ્વાભાવિક સમજી પૂછે છે “અહીં દહીં છાશ મળશે ?' ભરવાડો કહે “આવા કપરા જંગલમાં અમારા અહોભાગ્ય ક્યાંથી કે આપ મહાત્માઓનો લાભ મળે ? લો ખુશીથી, દહીં છે, દૂધ છે, છાશ છે.” મુનિઓએ વહોરી વાપરીને ચાલ્યા. એમાં એક મુનિનું કપડાનું વીંટોલું દેવતાએ ભુલાવી દીધું, તે મુનિ ઠેઠ મકાને પહોંચ્યા પછી યાદ આવ્યું. આચાર્ય મહારાજને 44 - તરંગવતી
Page #50
--------------------------------------------------------------------------
________________ પૂછી પાછા લેવા ગયા, પરંતુ એકલું વીંટોળું પડેલું દેવું, ઝુંપડા કોઈ જ દેખ્યા નહિ. આવીને ખબર આપી આચાર્ય મહારાજ કહે “મુનિને દેવપિંડ ન ખપે એટલે નક્કી કોઈ દેવતા દ્વારા આ ઝુંપડા, ભરવાડો, વગેરે માયાજાળ મુનિઓની ભક્તિ અર્થે કરાયેલી લાગે છે !' દરમિયાન પેલા બાળમુનિદેવ બધાને વંદન કરતાં પિતામુનિને વંદન ટાળે છે. આચાર્ય મહારાજે પૂછતાં કહે છે, “એ વંદનને યોગ્ય ક્યાં છે ? પૂછો એમને, રસ્તામાં મને તરસ લાગેલી તો એમણે શી સલાહ આપેલી ? તળાવનું કાચું પાણી પીવા 2-3 વાર ઇસારો કરેલો ને? આ તો મેં ઠેઠ મોં સુધી લાવેલ ખોબો કાચું પાણી, સારું થયું કે આપશ્રીની હિતશિક્ષા યાદ આવી કે “કાચા પાણીના ટીંપે ટીંપે અસંખ્ય જીવો, તેની રક્ષા કરવી જોઈએ.” તેથી પાણી જયણાથી પાછું મૂકી ચાલવા માંડ્યું, એમાં અસહ્ય તરસથી મૃત્યુ થયું, અકાય રક્ષાથી હું દેવ થયો, પિતામુનિને શિખામણ આપવા મેં એજ મડદામાં પ્રવેશ કરી અહીં સુધી હું આવ્યો. રસ્તામાં મુનિઓની ભક્તિ કરવા ઝુંપડા વગેરેની માયા મેં જ વિદુર્વેલી. ક્ષમા કરજો, આપ સૌને મેં ઠગ્યા. બાકી પિતામુનિની સલાહ માની કાચું પાણી પી મર્યો હોત તો કેવી દુર્ગતિમાં જાત !" પીપાસા પરિષહ એ સંવર છે, એની બલિહારી છે, સદ્ગતિ અપાવે. ત્યારે સંવર ન રાખવામાં અને યથેચ્છ બોલવામાં કેવા મહાનુકસાન ! એ આપણને સમરાઇઍ કહાના મજુરણ અને એના છોકરાના દૃષ્ટાન્તમાં જોવા મળે છે. મા લોકોના પાણીનાં બેડાં કૂવેથી ભરી લાવે; અને છોકરો લોકોના ઢોરા ચરાવી લાવે. એક વાર છોકરો ઘરે મા કરતા વહેલો આવ્યો. ખાવા રોટલો શોધે છે પણ મળ્યો નહિ, ધૂંઆપૂંઆ થઈ ગયો. ભાષા પર કાબૂ ગુમાવ્યો, મા આવી કે તરત ગરજયો “ક્યાં શૂળિએ ચડવા ગઈ હતી ? તારો સગલો ભૂખ્યો થશે એની ખબર નહિ રાખવાની ? તે રોટલો કરી મૂકતા શું થયું ?" માતા પણ વાણી પર કાબૂ ભૂલીને તરત સંભળાવી દે છે “તારા કાંડા કપાઈ ગયા હતા ? આ શીકા પરથી રોટલો લેતાં શું થયું ?" બસ, બંનેએ ભાષાનો સંવર ગુમાવ્યો તો એવા કર્મ બંધાયા કે પછીના ભવે માતા છોકરી થઈ, એના કાંડા કપાયા ! અને છોકરો શેઠનો છોકરો થયો એને શૂળિએ ચડવા વખત આવ્યો ! કર્મ અને ભવિતવ્યતાની વિચિત્રતા કેવી કે આ છોકરાની સગાઈ બીજા ગામમાં જન્મેલી એજ માતાછોકરી સાથે થયેલી, કર્મ ! તારી ગતિ ન્યારી 45
Page #51
--------------------------------------------------------------------------
________________ અને એ પરગામ જતાં અંધારું પડવાથી વચમાં સાસરાના ગામ બહાર મંદિરમાં સૂતેલો. ત્યાં પેલી છોકરી સંધ્યાકાળે મકાનની પાછળના બગીચામાં ફરતી હતી, ત્યાં ચોરે આવી એના હાથ પરનાં મોતીનાં બંગડિયા આપી દેવા કહ્યું, ન આપ્યા, તો ચોરે બે હાથ પકડી છરાથી કાંડા કાપી નાખી, બંગડિયા લઈ ભાગ્યો. છોકરીએ બૂમરાડ-રોકકળ કરી, બાપે ચોરની પાછળ સિપાઈઓ દોડાવ્યા. ચોર ભાગતાં ભાગતાં ગામ બહાર મંદિરમાં પેઠો, સિપાઈઓ દોડતા આવવાનો અવાજ સાંભળી ચોરે દાગીના પેલા સૂતેલા છોકરાની પછેડી નીચે મૂકી દઈ, પોતે જંગલમાં છૂપાયો. સિપાઈઓ મંદિરમાં એ સૂતેલા છોકરાની જડતી લે છે, બંગડિયો મળી આવવાથી છોકરાને રાજા પાસે લઈ જઈ હકીકત કહે છે. રાજા એને શૂળિએ ચડાવે છે. જુઓ કર્મની શિરજોરી ! છોકરાને કહેવાનો અવસર નથી રહેતો કે “હું તો ચોર નહિ. પણ આ ગામનો જમાઈ છું. તમે તપાસ કરો,” ત્યારે કર્મની ને ભવિતવ્યતાની વિચિત્રતા કેવી, કે પોતાની પત્નીના જ બંગડિયાના નિમિત્તે પોતાને શૂળિની સજા મળે ! ગુના વિના સજા? ના, ગુનો પાછલા ભવનો હતો. ભવિતવ્યતા કેવી કે કન્યાના કાંડા એજ વખતે કપાય કે જ્યારે પતિ ગામ બહાર મંદિરમાં સૂતો છે, ને ચોર એની પાસે બંગડિયા મૂકવાનો છે ! જગતના કેટલાય ભાવો આમ ભવિતવ્યતાના બળે ધારણા બહાર ગોઠવાઈ જાય છે. ભવિતવ્યતા ક્યાં કામ કરે ? : યુવાનનો અહીં કોઈ ગુનો નથી, છતાં કેમ એમ ગોઠવાયું ? અહીં એકલા યુવાનના એવા કર્મથી સમાધાન નથી મળતું; કેમકે કર્મ શૂલિની પીડા આપે, પરંતુ તે તો ગમે તે કારણે પીડા આવી શકતે. પોતાની પત્નીના જ બંગડિયા અને એના જ કાંડા કપાવા નિમિત્તે અને ચોરે ઊંઘતા એવા એની પાસે બંગડિયા મૂકી દીધા, એ બધી ગોઠવણ ભવિતવ્યતાએ કરી એમ માનવું પડે. સવારે ત્યાં જ્ઞાની ગુરુ પધારે છે, અને બંને અંગે ખુલાસો કરતાં પૂર્વભવ કહે છે. ત્યારે કન્યાને ને કન્યાના બાપને ખબર પડે છે, બધાય પસ્તાય, પણ હવે કરે શું ? રાજા પસ્તાય કે “હાય ! મેં કાં નિર્દોષને સજા ફરમાવી ?" કન્યા પસ્તાય કે “હાય ! મારા જ બંગડિયાના નિમિત્તે મારા પતિને ખોટી રીતે સજા ?' બાપ પસ્તાય કે “હાય ! મેં સારો જમાઈ ખોયો ?' જ્ઞાની ત્યાં કહે છે “માટે પ્રમાદ ન કરો. પૂર્વ જન્મે આવેશમાં આવી એવા ભારે બોલ બોલી નાખવાનો પ્રસાદ બંનેએ કર્યો તો આ પરિણામ આવીને - તરંગવતી
Page #52
--------------------------------------------------------------------------
________________ ઊભું ! આવેશ આવે એ ય પ્રમાદ છે, અને ભારે બોલ બોલાય એ પણ પ્રમાદ છે. એ રોકવા સંવર કરવો જોઈએ. ભાષાસમિતિ એ સંવર, એનાથી ભારે બોલ અટકે. મનોગુપ્તિ એ સંવર, એનાથી આવેશ અટકી જાય. વિવેક એ મોટો ગુણ : ઋષભસેન નગરશેઠ સંવરનો બહુ પરિચય રાખતા અભ્યાસ રાખતા એવો વિવેકનો અભ્યાસ રાખતા. વિવેક એટલે સારભૂત શું ને અસાર શું ? હિતકર છું, ને અહિતકર શું ? એની ચોક્કસ પ્રકારની સમજ. એમ સારભૂતમાં ય શેમાં વધુ લાભ, શેમાં ઓછો ? કેવા પાત્રને કેવું કહેવું, કેવું ન કહેવું ? દા.ત. તોફાની બાળકને આંખ કાઢીને ધમકાવવો; પણ મોટાને એમ ન ધમકાવાય. | વિવેક માણસાઈ લાવે છે. વિવેક વિનાનો નર એ પશુ જેવો છે. વિવેક બોલવાની હોશિયારી આપે છે. રાજા શિકાર કેમ છોડે છે ? : રાજા શિકારે ચડેલો, સાથે દીવાનને લીધેલો. જંગલમાં એક હરણીયાના પૂંઠે ઘોડો દોડાવ્યો. હરણિયું નજીકમાં આવવા થાય અને રાજા બાણ મૂકવાની તૈયારી કરે ત્યાં હરણિયું જોરથી ભાગે. પણ દોડતા ભાગતાં પૂંઠે જોતું જાય, ને પાછું દોડે. ત્યારે રાજા દીવાનને પૂછે “આ કેમ વારે વારે પાછું જુએ છે ?' દીવાનને રાજા શિકાર કરે એ ગમતું નહોતું એટલે શિકાર છોડાવવો હતો એમાં અહીં મોકો દેખ્યો તે એવી વિવેકવાળી ભાષા વાપરી કે રાજા શિકારનો ત્યાગ કરે છે. દીવાને કહ્યું “મહારાજા ! હરણિયું એ જોતું જાય છે કે મારી પાછળ ક્ષત્રિય દોડે છે કે નમાલો ? કેમકે ક્ષત્રિય બચ્ચો પીઠ પાછળથી ઘા ન કરે.” દીવાનના આ એવા વિવેકભર્યા બોલ હતા કે રાજાને હૈયે ચોંટી ગયા અને લાગ્યું કે “ખરેખર હું હરણિયાને પીઠ પાછળથી બાણ મારવા જાઉં છું, તેથી હું ક્ષત્રિય ન ગણાઉં.” રાજા કહે “દીવાન ! દીવાન ! તમે કમાલ વાત કરી ! બસ, આજથી જીવનભર માટે મારે શિકાર બંધ.” નિર્જરાના અભ્યાસી : નગરશેઠ વિવેકના અભ્યાસી હતા. એવા નિર્જરાના અભ્યાસી હતા. કર્મની નિર્જરા શી રીતે થાય ? કહો, બાહ્ય-આભ્યન્તર તપથી અનશનથી કર્મ ! તારી ગતિ ન્યારી 47
Page #53
--------------------------------------------------------------------------
________________ નિર્જરા. એક ટંક માટે પણ ભોજનના ત્યાગનો અભિગ્રહ કર્યો એ અનશન થયું. એનાથી કર્મ નિર્જરા, કર્મોનો ક્ષય થાય. તપ તરીકે સમજીને ખાવામાં 2-4 કોળિયા જતા કર્યા, ઊનોદરી રાખી એ તપ થયો. એનાથી કર્મોનો ક્ષય થાય. એમ ખાવાના દ્રવ્યોનો સંક્ષેપ-સંકોચ કર્યો, રસનો ત્યાગ કર્યો એ તપ થયો. એનાથી કર્મોની નિર્જરા થાય. એમ ધર્મ તરીકે કાયકષ્ટ ઉપાડો એ તપ. એમ ધર્મ તરીકે કાયાને અંગોપાંગ ઓછા હલાવો, વાણીથી મૌન રાખો, એ તપ એનાથી કર્મોનો ક્ષય થાય. 28ષભસેન નગરશેઠ સંવર વિવેક અને નિર્જરાની પ્રશંસા ગુણગાન કરનારા હતા, એટલે સ્વાભાવિક છે કે એના પ્રતિપક્ષી અસંવર યાને પાપાશ્રવ, અવિવેક, અને અનશનાદિ તપના વિરોધી ખાનપાન રંગરાગ એશ આરામી... વગેરેના ગુણગાન કરનારા નહિ. એમ વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાયાદિના જે વિરોધી દોષો અવિનય, સ્વાર્થવૃત્તિ, હરામહાંડકા, તથા બાહ્યભાવની વાતોના ગુણગાન કરનારા નહિ; એટલે નિંદા કુથલી કરનારા નહિ એટલે નિંદા કુથલી પાપકથા તો કરે જ શાના ? સાધુ : લૂંટારાની જાણ છતાં મૌન ! એક સાધુ હતા, ગુરુ સાથે વિહાર કરતાં પોતાના મૂળ વતનની નજીકના ગામમાં આવ્યા ત્યારે ગુરુની રજા લઈ સગા સંબંધીને દર્શન આપવા અને ધર્મબોધ આપવા પોતાના ગામ તરફ ચાલ્યા. રસ્તામાં જંગલ, તે એમાં લૂંટારા મંત્રણા કરતા હતા. એમણે મુનિને જોઈ કહ્યું, જુઓ ગામ તરફ જાઓ છો, પણ ખબરદાર ! ત્યાં કોઈને અમો અત્રે હોવાની બાતમી આપી છે તો ? બોલો, ગામમાં જઈ વાત કરવાના છો ? તો તમને અહીં જ પકડી રાખશું.” | મુનિ કહે “અમારે અધિકરણ અર્થાત્ ઝગડો થાય કે પાપાચરણ થાય, એવું બોલાય નહિ, સાધુનો એ ધર્મ નહિ.” લૂંટારાઓએ મુનિની કબૂલાત જોઈ મુનિને જવા દીધા. હવે મુનિ ગામમાં ગયા, સગાઓને દર્શન આપ્યા, ત્યાં સગાઓને ય ખબર પડેલી કે “આપણા મહારાજ આવી રહ્યા છે ને બાજુના ગામમાં છે,' તે ગાલ્લી તૈયાર કરી નીકળવાની તૈયારીમાં હતા. પોતાના મહારાજને જોઈ ખુશી થયા, અને એમને મૂકવા જવા તથા ગુરુ તથા બીજા મુનિઓના દર્શન વંદન અર્થે ચાલ્યા. મુનિ પણ સાથે હતા પરંતુ એમણે કહ્યું નહિ કે જંગલમાં 48 - તરંગવતી
Page #54
--------------------------------------------------------------------------
________________ લૂંટારા છે કેમકે તો ચોકિયાતો સાથે લે અને એમાં લૂંટારા સાથે મારામારી થાય એ અધિકરણ થયું કહેવાય. એમાં મુનિથી નિમિત્ત ન થવાય. પૂછો, પ્ર.- તો પછી લૂંટાય એ સારું ? ઉ.- ના, પરંતુ અહીં લૂંટાય જ એવો નિશ્ચય નથી, ને કદાચ લૂંટાય તો એમાં પોતે નિમિત્ત થયા ન કહેવાય; કેમકે સગાઓ આપમેળે ચાલવાના જ હતા. મુનિપણાનો માર્ગ સૂક્ષ્મ છે, નિપુણ બુદ્ધિથી સમજાય એવો છે. સ્કૂલ બુદ્ધિથી ન સમજાય. મુનિપણાનો માર્ગ આ, કે- “કોઈના પાપમાં કે દુઃખમાં નિમિત્ત નહિ થવાનું.” જીવો પોતે પાપ કરે, પોતાની પ્રવૃત્તિથી દુઃખ પામે, એમાં મુનિ જવાબદાર નહિ. મુનિના વચન વગેરેનું નિમિત્ત પામીને બીજાઓ પાપ કરે, દુ:ખ પામે, એમાં મુનિ જવાબદાર. માટે તો મેતારક મુનિએ “સોનીના સોનાના જવલા પક્ષી ચણી જઈ ઝાડ પર બેઠું' એ જોયેલું છતાં સોનીએ પૂછ્યું કે “બોલો જવલા ક્યાં?' તો મેતારજ મુનિ બોલ્યા નહિ; કેમકે જો કહેત કે પેલું પક્ષી ચણી ગયું છે, તો સોની કદાચ ગોફણ નાખી પક્ષીનો ઘાત કરત. એમાં પક્ષી પર દુ:ખ આવ્યું, એમાં મુનિ નિમિત્ત થાત. પૂછો, પ્ર- સોનીના કિંમતી જવલા જાય એની મુનિને દયા ન આવે ? ઉ.- મુનિ એવી સંસારીઓની દયા કરતા ન બેસે, એમાં તો એમના અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરે મહાવ્રત ઘવાય. મુનિ બન્યા, સંયમ લીધું, એટલે પોતાના મહાવ્રત પહેલા સાચવવાના, દુનિયાની દયા ખાતર એને ગુમાવાય નહિ. મેતારક મુનિએ પોતાને સોની તરફથી ઠેઠ જીવલેણ ઉપસર્ગ આવ્યો ત્યાં સુધી મુનિએ પક્ષીનું નામ પાડ્યું નહિ. તો શું બગડ્યું? પોતે કર્મ ખપાવી મોક્ષે ગયા ! અને પાછળથી સોનીનો પણ ઉદ્ધાર થયો. મુનિમાર્ગ સૂક્ષ્મ છે, સ્કૂલ બુદ્ધિવાળા એ ન સમજી શકે. સાધુના સગાઓ જંગલમાં ચાલતાં લૂંટારાઓએ છાપો માર્યો. એમને લૂંટ્યા. બેઠા ખાલી ખમ થઈને. ત્યાં એક લૂંટારો સાધુને જોઈ બીજા લૂંટારાને કહે “આ સાધુ સાચા, કબૂલાત પ્રમાણે એમણે ગામમાં આપણી વાત ન કરી. મુનિની સંસારીપણાની માતા આ સાંભળી ગઈ, તે પુત્રમુનિને કહે કર્મ ! તારી ગતિ ન્યારી 49
Page #55
--------------------------------------------------------------------------
________________ ‘તમે જાણતા હતા કે અહીં લૂંટારા છે, છતાં અમને તમે કહ્યું નહિ? કહ્યું હોત તો સાથે ચોકિયાતો લઈ લેત ને ? અમને લૂંટાવા દેનાર તમે કુપુત્ર છો, આવા કુપુત્રને મેં કાં દૂધ પાઈને ઊછેર્યો ? લાવો છરી, લાવો મારા સ્તન કાપી નાખું.” ત્યાં લૂંટારાનો આગેવાન કહે “મા ! આ શું બોલી ? આ તો તારો કુપુત્ર નહિ, પણ સુપુત્ર, રતન છે રતન ! એણે સાધુપણું લીધું, તમે એને સાધુપણું અપાવ્યું, એ એણે બરાબર પાળ્યું, તમારી ને તમારા કુળની શાન વધારી. સાધુથી અધિકરણ થાય એવું બોલાય નહિ, પછી ભલે સગાઓ કષ્ટમાં મુકાય. ચોકિયાતો આવતે તો મારામારી થાત. એ અધિકરણ થાય એમાં નિમિત્ત સાધુથી થવાય નહિ. તમારા પુત્રરત્ન તો સાધુપણું અજવાળું, ને સાથે તમારું કુળ અજવાળ્યું. આવા સાધુ-પુરુષને અમારી લાખો વંદના છે, ને આવા સાધુના જનેતા તમે, તમને ય અમારી વંદના છે, એટલે તમારું લૂંટ્યું એ ભૂલમાં તમને ઓળખ્યા નહિ તેથી લૂંટ્યું. તમારા જેવાનું લૂંટાય નહિ. જાઓ લઈ લો બધો તમારો માલ.” એમ કહી બધો માલ આપી દીધો. માતા સમસમી ગઈ કે “વાહ કેવો મારો પુત્ર સાધુ સાધુપણામાં ચુસ્ત !' એમ, નગરશેઠ શીલવ્રતના ઊંચા કિલ્લા સમાન હતા. કિલ્લામાં રહેલાં બધાનું રક્ષણ થાય. એમ આ નગરશેઠના આશ્રમમાં રહેલાના શીલનું રક્ષણ થાય, એવા એ ખબરદાર શ્રાવક હતા. કુટુંબનું શીલ સાચવનાર શેઠ પેલા શ્રાવક શેઠની વાત આવે છે ને ? એમની હવેલી પાસેના મકાનમાં રાજાએ પરદેશી સંગીતકારોને ઉતારો આપ્યો. બસ, સંગીતકારોને બીજું કામ શું ? રાજાના ટાઇમે જઈને સંગીત સંભળાવે, બાકીના સમયે મુકામ પર ગીતસંગીતનો અભ્યાસ કરે, એમાં મોહનાં ગીતડા ગવાય. શેઠ ચોક્યા કે હાય ! આવું બધું સાંભળીને તો ઘરની દીકરીઓ-વહુરો છકી જ જાય ! કામના ઉન્માદમાં ચડી બેસે ! ને તો તો અનર્થ કરી બેસે !" ત્યારે આજે સાસુ-સસરા-વહુ-દીકરીઓ બધા સાથે પિકચર જોવા જાય, સાથે ટી.વી. જોવા બેસે, એમાં નાનડિયાની શીલની ભાવના ક્યાં ટકે ? ત્યારે જીવનમાંથી શીલ ગયું તો શું રહે ? કવિ કહે છે. “સાધુ અને શ્રાવકતણાં વ્રત છે સુખદાયી રે શીલ વિના વ્રત જાણજો કુસકા સમ ભાઈ રે, શીલ સમો વ્રત કો નહિ, - તરંગવતી પC
Page #56
--------------------------------------------------------------------------
________________ નવ વાડે કરી નિર્મલું, પહેલું શીલ જ ધરજો રે ઉદયરત્ન કહે તે પછી, વ્રતતણો ખપ કરજો રે, શીલ” પેલા શ્રાવક શેઠે જોયું “આ સંગીતકારો પાસે રહ્યા, એ પાપ છે. એમનાં મોહનાં ગીતડાં નાનડિયાની શીલની ભાવના બગાડે. માટે એ પાપ કાઢવું જોઈએ.' શેઠની સંગીતકારોને હટાવવા કુનેહ : પણ રાજાને કહેવાથી રાજા થોડો જ માને ? એટલે શેઠે યુક્તિ કરી મોટો નજરાણાનો થાળ લઈ રાજાને મળવા ગયા. રાજા પાસે જઈ નજરાણું ધરી કુશળ પૂછે છે. રાજા કહે- “કાંઈ કામકાજ હોય તો કહેજો.” શેઠ કહે કામ તો કાંઈ મોટું નથી. મારે કુટુંબ હવે મોટું થયું એમાં ઘરમાં પરમાત્માનું મંદિર કરવું છે. તેથી આપની રજા લેવા આવ્યો છું.” રાજા કહે “ઓહો ! પરમાત્માનું મંદિર કરવું, એ તો ઉત્તમ કાર્ય છે. એમાં રજા શાની લેવાની હોય ?' શેઠ કહે “સાહેબ ! વાત એમ છે કે મંદિર થાય એટલે નગારા ઢોલ વગેરે વાજિંત્ર વાગે, એમાં જો કોઈ આપની પાસે ફરીયાદ લઈને આવે કે આથી ઘોઘાટ થાય છે, તો આપ મને કહોને કે “કોને પૂછીને મંદિર કર્યું ?' તેથી પહેલેથી જ આપની રજા લઈને મંદિર કર્યું હોય તો વાંધો ન આવે.” રાજા કહે “જાઓ જાઓ કરો ભગવાનનું મંદિર, હું એવી કોઈની ફરિયાદ સાંભળવાનો નથી.' બસ, શેઠે ઘેર આવી ઘરમંદિર બનાવી ટકોરખાનું બેસાડી દીધું, ચાલ્યું આખો દિવસ નગારા વગાડવાનું ‘તડિતુમ્ તડિતુમ્, ધડિતુમ્, ધડિતમ...' હવે પેલા સંગીતકારો ઝીણા સ્વરે શું ગાઈ શકે ? જઈ દીવાનને ફરિયાદ કરી. દીવાને રાજાને વાત કરી. રાજાએ કહ્યું “આપણે શેઠને રજા આપેલી છે. સંગીતકારોને બીજા લત્તામાં મકાન અપાવી દ્યો.” પત્યું. સંગીતકારો ત્યાંથી બીજે ખસેડાઈ ગયા, અને શેઠને નિરાંત થઈ કે હાશ ! કુટુંબના શીલના ભાવને ધક્કો લગાડે એવું પાપ ટળ્યું !' શ્રાવકોની આ કાળજી; આશ્રિતોના શીલની રક્ષા થાય એ ખાસ જોવાનું. ઋષભસેન નગરશેઠ એ માટે શીલના કિલ્લા સમાન હતા. અનેક સુંદર ગુણોના ભંડાર આ નગરશેઠ કુળમાં દીવા જેવા હતા. કર્મ ! તારી ગતિ ન્યારી પ 1
Page #57
--------------------------------------------------------------------------
________________ 4. તરંગવતીનો જન્મ તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે કે ઋષભસેન શેઠ પોતાના કુળવંશમાં દીવો છે. એમનાથી એમનું કુળ એમનો વંશ દીપી રહ્યો છે, પ્રકાશમાન બની ગયો છે. શેઠનું આટલું વર્ણન ગૃહિણી ! એટલા માટે કર્યું કે એ મારા સંસારીપણે પિતા છે; એમની હું કુળબાલિકા, તે પણ શેઠને આઠ પુત્રો પછી જન્મેલી. નાનામાં નાનું સંતાન, સિંહના સ્વપ્નથી માતાના ઉદરમાં આવેલી, એટલે રૂપલાવણ્ય-કાંતિ-સૌંદર્ય અનુપમ કોટિનું સરજાયેલું. મારા જન્મ વખતે ધાવમાતાઓ સેવામાં તૈયાર હતી. એમણે પિતાજીને મારા જન્મની વધાઈ આપી. પિતાજીએ મોટું વધામણી દાન આપ્યું અને નગરમાં વધામણી ઉજવી. દાનથી કેઈ ગરીબોના દુઃખ ફેડ્યાં, સ્નેહી સ્વજનોને ઊંચા જમણ આપ્યા. જિનમંદિરોમાં ભવ્ય ઉત્સવ ઉજવ્યા. એક બાળકીના જન્મમાં આટલો બધો ઠાઠ ? હા, આઠ આઠ દીકરા પર ખોટની દીકરી હતી. વળી રૂપકાન્તિ અલૌકિક હતી, એટલે હરખનો પાર નહોતો; ને પોતે શ્રીમંત માણસ છે શું કામ લાડકી પુત્રીનો જન્મ ન ઊજવે? એમાં પોતે ચુસ્ત અરિહંત-ભક્ત, એટલે સહજ છે કે આવી દુર્લભ પ્રાપ્તિ બદલ અરિહંતદેવનો મહાન ઉપકાર માની પ્રભુભક્તિ-ઉત્સવ ઊજવે જ, અરિહંત-ભક્તને કોઈ ને કોઈ નિમિત્ત મળવું જોઈએ; એટલે એ નિમિત્ત પામી અરિહંત પ્રભુની ભક્તિમાં લાગ્યો જ સમજો. પૂછો, પ્ર.- પુત્રી જન્મ તો એક સાંસારિક બાબત છે, એમાં અરિહંતને લવાય? ઉ.- જરૂર લવાય. સાંસારિક બાબતમાં ઉપકારી તરીકે અરિહંતને મન પર લાવે તો સાંસારિક બાબતમાં રાગના ઝેર ઓછા ચડે છે. ધર્મ અરિહંત પ્રત્યે કૃતજ્ઞતા બજાવવા માટે કરો : ભગવાનનો ધર્મની બાબતમાં જ ઉપકાર છે ? સાંસારિક સુખ-સગવડો મળે એમાં ભગવાનનો ઉપકાર નથી ? જો ઉપકાર હોય તો ઉપકારીને કેમ ભુલાય ? અરિહંતના ઉપકારની કૃતજ્ઞતાની રૂએ અરિહંત ભગવાનને ભજવા જ જોઈએ. ભગવાનને એવા ભજીએ કે એ જોતાં બીજાઓ પણ અરિહંતદેવ પ્રત્યે આકર્ષાય. ઋષભસેન એ કરી રહ્યા છે. પુત્રીનું જન્મ-નિમિત્ત પામીને અરિહંત પ્રત્યેની કૃતજ્ઞતારૂપે ઓચ્છવ મહોત્સવ કરાવી રહ્યા છે. હવે નામ 52 - તરંગવતી
Page #58
--------------------------------------------------------------------------
________________ પાડવું છે તો જમના નદીમાં વ્યાપી રહેલા અનેક જાતના સુંદર તરંગો સ્વપ્નમાં જોવામાં આવેલા તેથી બાળકીનું નામ ‘તરંગવતી તરંગલોલા’ પાડવામાં આવ્યું. સાધ્વીજી કહે છે કે આ નામનો કોણ જાણે શો પ્રભાવ પડ્યો કે જેમ જેમ ઉંમર વધતાં જ્ઞાન-પ્રાપ્તિ વધવા માંડી, તેમ તેમ અનેક પ્રકારના સુખદ તરંગો મને સ્ફરવા લાગ્યા. કેટલીકવાર નામ પણ સૌન્દર્ય બની જાય છે. નામ પ્રમાણે માણસ જો ધ્યાન પર લે તો ગુણ પ્રગટતા જ જાય છે. બાલિકા તરંગવતી બહુ લાડકોડમાં ઊછરે છે, અને આઠ વરસની ઉંમર થતાં એને ભણાવવા ખાસ ધીરગંભીર એવા કળા-ગુણ-વિદ્યાના વિશારદ નિષ્ણાત પંડિત રાખવામાં આવે છે. એવી પુણ્યાઈ લઈને આવી છે કે પંડિતને ભણાવવામાં ઝાઝી મહેનત નથી કરવી પડતી, કેમ જાણે વિદ્યાઓ એને સામે ઊઠીને સ્વયં વરવા આવી હોય ! એમ ટૂંકા સમયમાં ઝટપટ કળાવિદ્યાઓમાં પારંગત થાય છે. લેખન, ગણિત, ચિત્રકામ, પૂતળા-પત્રછેદ્ય બનાવવાની કળા, ગીત, નૃત્ય, સંગીત-વાજિંત્ર, પ્રશ્ન-પ્રહેલિકા,... વગેરે કળા વિદ્યાઓ સિદ્ધ કરી. પ્ર- ટૂંકા સમયમાં આટલી બધી વિદ્યાઓ શે સિદ્ધ થાય ? ઉ.- આમાં મુખ્યપણે જીવના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કામ કરે છે. જીવમાં જ્ઞાન બહારથી નથી આવતું, પરંતુ જીવનો પોતાનો અંદરમાં જ્ઞાનગુણ છે, એના પર કર્મનાં આવરણ ચડેલા છે, એ વિનય-બહુમાન જિનભક્તિ, તપ-સંયમ આદિ ધર્મસાધનાઓ, અને બાહ્ય ગોખવા ભણવાની મહેનત, એ આવરણોને તોડે છે. કહો જાણે આવરણના પડદામાં બાકાં પડે છે, એમાંથી અંદરનો જ્ઞાન પ્રકાશ બહાર પ્રગટ થાય છે. મતલબ આત્મામાં જ્ઞાન બહારના પુસ્તક કે ગુરુવાણીમાંથી નથી આવતું, કિન્તુ અંદરમાંનું જ્ઞાન પ્રગટ થાય છે. આ પ્રગટ થવામાં બરાબર સમજી રાખજો કે એકલું પુસ્તક ભણવાનું કામ નહિ લાગે, પણ સાથે મુખ્યપણે ગુરુ વિનય-ભક્તિ, ગુરુ-બહુમાન, શાસ્ત્ર-વિનય-ભક્તિ, બહુમાન ખાસ જોઈશે; અને ઉપરાંત શક્ય ત્યાગ તપસ્યા પણ જોઈશે. આ જે કામ કરશે, એ એકલા પુસ્તક કામ નહિ કરે. ઇંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ સાથે લડવા-શાસ્ત્રાર્થવાદ કરવા આવ્યા હતા. ભગવાને એમનો દિલની અંદરનો સંશય કહી બતાવ્યો એનાથી એ પ્રભુ પ્રત્યે આકર્ષાયા, જૈન ધર્મનો સંયમ માર્ગ સમજ્યા. પ્રભુ પાસે સંયમમાર્ગ કર્મ ! તારી ગતિ ન્યારી
Page #59
--------------------------------------------------------------------------
________________ સ્વીકારી પ્રભુના શિષ્ય બન્યા. અહીં સુધી પ્રભુ પાસે ક્યાં એવા શાસ્ત્રો ભણ્યા છે ? છતાં સંયમ લીધા પછી હવે પ્રભુને ત્રણ વાત પૂછે છે. પ્રભુ તત્ત્વ શું? અને ભગવાન એમને ઉત્તરમાં ઉત્પન્ન થાય છે” “નષ્ટ થાય છે “ધ્રુવ (સ્થિર) છે.” એમ ત્રણ પદ (ત્રિપદી) કહે છે એટલામાં શી રીતે ગૌતમસ્વામિને સમસ્ત દ્વાદશાંગી-ચૌદપૂર્વનો બોધ થઈ જાય છે ? ભણ્યા વગર આટલું બધું આવડી ગયું ? આવડ્યું તે કેટલું બધું આવડ્યું ? કે સમસ્ત દ્વાદશાંગી અને ચૌદ પૂર્વોના ત્યાં ને ત્યાં સૂત્રો રચી કાઢ્યા ! આટલું બધું જ્ઞાન શી રીતે પામી ગયા ? કહો, પોતાનો ગુપ્ત આંતરિક સંશય પ્રભુ દ્વારા પ્રગટ થવાથી પ્રભુગુરુ પ્રત્યે આકર્ષિત થયા કે “આ સાચા સર્વજ્ઞ છે, જો જગત પર આવા સર્વજ્ઞ જીવંત મળે છે, તો પછી એમને જ ગુરુ કરી એમને સમર્પિત કાં ન થઈ જવું?' ગૌતમના ગુરુ પ્રત્યે આકર્ષણે જ્ઞાનાવરણ તૂટવા માંડ્યા. પછી સંશયનું સ્યાદ્વાદ-શૈલીએ નિરાકરણ થવાથી અને પ્રભુ પાસેથી સંયમસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ જાણવા મળ્યાથી પ્રભુનું શરણું લીધું. આ શરણગ્રહણ અને સંયમ-સ્વીકારે વળી જ્ઞાનાવરણો તોડ્યા ! બાદ, ખૂબ જ વિનય અને બહુમાનભાવે તત્ત્વ પૂછે છે અને અત્યંત શ્રદ્ધાથી ઉત્તર શ્રવણ. અને ઉત્તર સ્વીકાર સાથે ઉત્કૃષ્ટ કોટિના વિનય બહુમાન સમર્પણે, વળી જ્ઞાનાવરણ એવા તોડ્યા એવા તોડ્યાં કે ત્યાં દ્વાદશાંગી અને ચૌદ પૂર્વોનો જ્ઞાન-પ્રકાશ જળહળી ઊઠ્યો. સાધુ કે શ્રાવક જો આ ગુઢ વિનય ભક્તિબહુમાન અને સમર્પણનું મહત્ત્વ ન સમજે, એનો વિશેષ પ્રયત્ન ન કરે અને એકલું ભણ ભણ કરે તો એ ભૂલો પડેલો છે. ગુરુની મહાતારણહાર સેવા વિનય ભક્તિ-બહુમાન અને સમર્પણની અહીં મળેલી અનુપમ તક મૂર્ખ ગુમાવી રહ્યો છે. માનવદેહથી જ આ શક્ય છે એ ભૂલતા નહિ; અને એ ગુરુસેવાસમર્પણ એકલા જ્ઞાનાવરણ કર્મને જ નહિ, પણ મોહનીય અને મોટમોટા અંતરાય કર્મને તોડવામાં અનન્ય ને અદ્ભુત સાધન છે, એ પણ ખૂબ લક્ષમાં રાખવા જેવું છે. તરંગવતી સાધ્વી કહે છે, “સંસારી અવસ્થામાં મને ધીર ગંભીર યાને કળા વિદ્યાના વિશારદ વિદ્યાગુરુ પાસેથી કળા-વિદ્યા-વિજ્ઞાનનું સુંદર જ્ઞાન મળ્યું; ઉપરાંત મારા પિતાજી પોતે જિનવચનને મોકો મળે ત્યારે ત્યારે 54 - તરંગવતી
Page #60
--------------------------------------------------------------------------
________________ સંભળાવનારા, મારા માટે પણ શું કામ બાકી રાખે ? અને, એમાં ય વળી મને સાંસારિક કળા-વિદ્યાઓ મળ્યાથી એમને સંતોષ નહોતો, કેમકે ગમે તેમ તોય એ કાંઈ આત્મવિદ્યાઓ નહોતી. નરી ભૌતિકવિદ્યાઓ હતી, જે માત્ર આ જનમમાં ઉપયોગી થાય, પણ પછી પરલોકે એ કાંઈ કામ ન લાગે. સંતાનને કઈ કળા-વિદ્યા અપાવવી ? : પરલોકમાં તો અહીં મેળવેલી આત્મ-અધ્યાત્મ વિદ્યાઓના સંસ્કાર જ કામ લાગે. તેથી એ પ્રાપ્ત કરવા માટે “પ્રાવચનિક વાચકો' અર્થાત જિનપ્રવચન-જિનઆગમ'માં કુશળ પાઠકો મને મેળવી આપતા, એમજ જિનપ્રવચનસાર ગર્ભિત ઉપદેશ આપનાર મુનિઓ ઉપાધ્યાય આચાર્યોનો અવર નવર યોગ મેળવી આપતા. તેથી મને જૈન મોક્ષમાર્ગ, નવ તત્ત્વો, જૈન આચાર-અનુષ્ઠાનો તથા શ્રાવક યોગ્ય બારવ્રતો, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો, તથા 11 પ્રતિમા વગેરેનો સુંદર બોધ પ્રાપ્ત થયો.” આ પરથી માબાપો આજે જે સ્કૂલ કોલેજની ભૌતિક કેળવણી અપાવી સંતોષ માને છે અને મોક્ષમાર્ગ વગેરે અધ્યાત્મ કેળવણી આત્મવિદ્યાઓ નથી અપાવતા, એમણે બોધપાઠ લેવા જેવો છે, કે કોરી ભૌતિકવિદ્યાઓ સંતાનોને અહીં કશી કલ્યાણ ધર્મસાધનાઓ નહિ સૂઝાડે, ને એથી પરલોકમાં એનું કશું ભલું નહિ થાય. એ તો આધ્યાત્મિક કેળવણી જ પરલોકમાં ભલું કરે. તેથી કમમાં કમ ભૌતિકવિઘાઓની સાથે સાથે રવિવારની રજાઓ તથા વેકેશન જેવામાં આધ્યાત્મિક ધાર્મિક વિદ્યાઓ અપાવવા જેવી છે. આજની ભૌતિક કેળવણીના અંજામણમાં છોકરાઓ કદાચ આધ્યાત્મિક વિદ્યા લેવા ના પાડે, તો પણ એમને સાધુ પાસે લઈ જઈ એનું મહત્ત્વ સમજાવવાની અને ધાર્મિક જ્ઞાન લેવા ઉત્સાહિત કરવાની આજે ખાસ જરૂર છે. તરંગવતી સાધ્વીજી આગળ કહે છે. “ગુહિણી ! કળા વિદ્યા અને ધાર્મિકમાં હું કુશળ થઈ એટલું જ નહિ, પણ ધાર્મિક આચારો પાળવામાં અને અનુષ્ઠાનો આચરવામાં પણ મને સારો રસ રહેવા લાગ્યો, પરંતુ આ બધું જોઈને પિતાજીને ભારે ચિંતા રહેવા લાગી કે આના ઉત્તમ ગુણો અને હોશિયારી તથા સૌંદર્ય લાવણ્ય જોતાં આને યોગ્ય એવો ગુણિયલ કળા વિદ્યા અને ધર્મમાં હોશિયાર તથા સૌંદર્યવાળો પતિ મળશે કે કેમ ? એનું પરિણામ એ આવ્યું કે હું ઉંમરમાં આવતા, ઘણા શેઠિયાઓ તરફથી પોતાના પુત્ર માટે મારા માંગા કર્મ ! તારી ગતિ ન્યારી
Page #61
--------------------------------------------------------------------------
________________ આવવા માંડ્યા, પરંતુ એ મૂરતિયાઓ જોતાં પિતાજીને કશો સંતોષ થતો નહિ. સમાજમાં આજે દેખાય છે કે પહેલું તો વિદ્યાભ્યાસ કરવામાં સામાન્ય રીતે છોકરીઓની જે ખંત અને મહેનત દેખાય છે એવી છોકરાઓમાં ઓછી દેખાય. અલબત વિશેષતાએ છોકરા પણ કોઈ કોઈ સારા ખંતી અને મહેનતું દેખાય છે, પણ છોકરાઓનો જે સમૂહ એવો ખંતી નહિ દેખાય એવો છોકરીઓનો સમૂહ ખેતી ને મહેનતુ દેખાશે. કેમ આમ દેખાય છે ? છોકરીઓમાં ખંત અને શ્રમ વધારે કેમ? : એનું કારણ એ કહી શકાય કે સામાન્યથી છોકરીઓ નરમ મૃદુ, પ્રકૃતિની એટલે છોકરા કરતાં એ માબાપને વિશેષ આજ્ઞાંકિત અને સમર્પિત રહે છે; અને બીજું કારણ એ કે છોકરીઓના મન પર ભાર રહે છે કે મારે પારકે ઘેર જવાનું છે ને ત્યાં પતિને આધીન રહેવાનું છે તેથી હું જો રોબ્લડ રહીશ તો મારે ગુલામીના દુ:ખનો પાર નહિ રહે. એટલે છોકરીઓમાં વિદ્યાભ્યાસમાં વિશેષ ખંત ને મહેનત જોવા મળે એ સહજ છે, તેમજ છોકરીઓમાં ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક પ્રવૃત્તિ વિશેષ જોવા મળે છે. એનું કારણ એ પોતાની જાતને પાપના ઉદયે પોતાને સ્ત્રીપણું મળ્યાનું સમજે છે, તેથી અહીં એની સામે એને સહેજે ધર્મરુચિ થાય છે ને ધર્મપ્રવૃત્તિ કરે છે. છોકરાઓને 3 વાત સમજાવો : આ જોતાં છોકરાના અવતારે તો માબાપ એના બાળપણાથી એને સમજાવે કે (1) મૃદુતા, નરમ સ્વભાવ અને આજ્ઞાંકિતતા તથા સમર્પિતતામાં ખાસ લાભ છે, એનાથી મહાન બનાય છે, દુનિયામાં જશ મળે છે, બધાના પ્રિય બનાય છે, તો એ પણ વિદ્યાભ્યાસમાં સારી ખંત-મહેનત રાખે. (2) બીજું છોકરાને સમજાવે કે “તમે જો દેવગુરુના સેવક થઈને રહેશો તો તમારું પુણ્ય વધશે; તેથી અહીં પણ સુખ પામશો અને ભવાંતરે દુર્ગતિ નહિ થાય, પાડા ગધેડા કૂતરા-બિલાડીના અવતારમાં નહિ પૂરાઓ,” તો છોકરા દેવગુરુ પ્રત્યે સેવકપણાનું માનસ રાખશે અને તેથી પણ વિદ્યાભ્યાસ વગેરેમાં સારી મહેનત લેશે. (3) ત્યારે એનામાં ધાર્મિક રુચિ અને ધાર્મિક પ્રવૃત્તિ લાવવા એને એ સમજાવવું જોઈએ કે “આપણા પુણ્ય દૂબળાં છે, ને કેટલાય પાપના ઉદય ભોગવીએ છીએ. તેથી જ આપણને ન ધાર્યું ન ઇચ્છયું કેટલું ય દુઃખ કષ્ટ આવી પડે છે, તેમજ સુખ-સગવડ મળે છે એ તકલાદી અને બહુ બહુ અધૂરી; - તરંગવતી પ૬
Page #62
--------------------------------------------------------------------------
________________ એનું મૂળ કારણ આ જ કે પૂર્વે ધર્મ સાધવામાં ભારે કચાશ રાખીને કાચી ધર્મસાધનાઓ કાચાં પુણ્ય ઊભાં થયાં, તેથી ઉચ્ચ કોટિના સુખ ને સગવડ ન મળે. માટે અહીં એની સામે ધર્મસાધના ખૂબ કરતા રહો. “પુણ્ય પાપને ઠેલે” ‘પુણ્યથી વિઘ્નો દૂર થાય, પુણ્યના માર્ગો અપનાવતાં એટલું એટલું પાપોથી બચાય, તો જીવન સુંદર અને પ્રશંસનીય પસાર થાય'... આમ છોકરીઓના ખંત અને શ્રમનાં નિદાન પરથી છોકરાઓને સમજાવતાં એનામાં સુધારા સારા થાય. તરંગવતીને શીલ માટે કેવા ઉપાય ? : ‘તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે,’ ‘ગૃહિણી ! સંસારિપણે આવા મારા પિતાજીએ મને કળા-વિજ્ઞાનના શિક્ષણ ઉપરાંત જૈનધર્મ અને ગુણોનું એવું શિક્ષણ અપાવી મને હોશિયાર કરેલી કે જયારે હું ઉંમરમાં આવી ત્યારે સામેથી અનેક શેઠિયા પોતાના પુત્ર માટે મારી માગણી કરતા આવ્યા; પરંતુ પિતાજીને એક પણ ઉમેદવાર ધાર્મિક્તા અને ગુણિયલતાની દૃષ્ટિએ નજરમાં ઠરતો નથી. બીજી બાજુ મારા અંગે જેમ પૂર્વે કહ્યું તેમ પિતાજી આશ્રિતો માટે શીલના કિલ્લા સમા હતા, એટલે એમને મારા શીલની પણ ચિંતા રહેતી, તેથી એમણે મને વિશેષ ધર્મપ્રવૃત્તિમાં રહેવાની પ્રેરણા કરવાનું રાખ્યું. આમે ય મને ધર્મનો પ્રેમ હતો, એમાં પિતાજીની પ્રેરણા, તેથી સાધ્વીજી મહારાજોનો સંપર્ક, સામાયિક પોષધ, શાસ્ત્ર-અધ્યયન વગેરે વધારી દીધું. એમાં વિશેષમાં પિતાજી પોતે જિનવચન-શ્રવણના રસિયા, તે મને પણ જિનમતના સારા જ્ઞાનવાળી બનાવવાના અભિલાષી, તેથી જિનાગમના જાણકાર આચાર્ય મહારાજ મુનિ મહારાજોને વિનંતી કરીને લઈ આવતા, તેમજ મોટા નગરમાં કોઈ જૈન શાસ્ત્રોના સારા જાણકાર અધ્યાપક જાણવા મળે તો એમને લઈ આવતા, ને એમની પાસેથી મને જિનપ્રવચનનો સાર જાણવા મળતો. એમાં કમસર શ્રાવકના 12 વ્રતોનું જાણવા મળતું. એથી ધર્મ પર મારી મમતા ખૂબ વધતી ચાલી. આનો એવો પ્રભાવ પડ્યો કે અવારનવાર બાપુજી નવનવા ઉમેદવારના પિતાજીને જુદી જુદી દલીલથી કન્યા આપવા ના પાડતા તે જાણવા મળતું, છતાં મને નિરાશા થતી નહોતી; કેમકે એમનો મુખ્ય સૂર એક જ કે “મારા આશ્રિતનાં જીવન ધર્મ અને શીલ સદ્ગુણોથી મઘમઘાયમાન રહેવા જોઈએ. એની અનુકૂળતા તમારા સંયોગોમાં મને દેખાતી નથી” આ એમની મારા માટેની કાળજી જોઈ મનમાં એમને હું દુવા દેતી કે આવી કાળજીવાળા કર્મ ! તારી ગતિ ન્યારી 57
Page #63
--------------------------------------------------------------------------
________________ તમે જુગજુગ જીવો. તમો ઇચ્છો એવું મારું જીવન ઠેઠ સુધી અખંડ શીલવંતુ અને ધર્મમય બન્યું રહે એવી પ્રભુને પ્રાર્થના કરતી.. હું ઉંમરમાં આવી ચુકેલી ને પૂર્વકર્મની પ્રબળતાએ સંસાર ત્યાગનો તેવો વીર્ષોલ્લાસ નહિ. તેથી પિતાજી ઉંમરના હિસાબે સમજે તો ખરા કે આ વય વિકારોની રાજધાની છે, હજી યોગ્ય ઉમેદવાર મળતો નથી તો મારું મન નિરાશા નીસાસામાં ન પડે એ માટે પિતાજી વગેરે વડીલજનો મને “સાધુ પુરુષોને દાન દેવું”.... વગેરેમાં પ્રવર્તમાન રાખી મારા મનને આનંદમાં રાખવા પ્રયત્ન કરે છે. કેવો બુદ્ધિભર્યો પ્રયત્ન ! કહે છે ને “નવરો પડ્યો નખ્ખોદ વાળે ! શીલની રક્ષા માટે વ્યવસાય જોઈએ. ઋષભસેન નગરશેઠે આ રાખેલું. સાધ્વીજી કહે છે, અહીં તો માતાપિતા સમજદાર હતા એટલે મને પહેલેથી જ ધર્મનો રાહ પકડાવેલો. મારા મનને જિનવચનથી ખૂબ જ ભાવિત કરવા માટે સારા વિદ્વાન સાધ્વીજી મહારાજો તથા જૈન પંડિતોનો સમાગમ આપતા, તેથી હું સામાયિકો-સ્વાધ્યાય-અધ્યયનમાં બહુવાર પ્રવર્તમાન રહેતી. બા બાપુજી-વડીલો પણ મારા મનને પ્રસન્ન રાખવા એની જ પ્રેરણા કરતા, પ્રોત્સાહન આપતા. આ બધાથી મારું મન એવું જિનવચનથી ભાવિત થતું ગયું કે જિનવચનથી ભાવિત એટલે જીવનના પ્રસંગોને હું જિનવચને કહેલા તત્ત્વની દષ્ટિએ મૂલવતી; એટલે મારા માટે મોટા શેઠિયાઓની પોતાના પુત્ર માટે સામેથી આવેલી માગણીને મારા પિતાશ્રી સ્વીકારતા નહિ, તેથી કાંઈ મને ખેદ નહિ થતો કે “અરે ! હજી મારું ઠેકાણું નથી પડતું ? કેવી હું કમનસીબ !! કેમકે જિનવચનની ભાવનાથી હું સમજતી કે “જેટલું મોડું થાય છે એટલું પાપમાં પડવાનું મોડું છે, શું ખોટું છે ? એમાં તો મારે ધર્મપ્રવૃત્તિ નિરાંતે અને ભરપૂર પ્રમાણમાં થાય છે, એ મહાન લાભ છે.' તરંગવતીની પવિત્ર વિચારસરણી અને એની પાછળ કામ કરતી એની સત્સંગ ધર્મક્રિયાઓ વગેરેની પવિત્ર કરણી ખૂબ લક્ષમાં લેવા જેવી છે. “અનાદિથી મલિન ભાવોમાં મેલું દાટ રહેલ હૈયું સુધારવું હોય, તો આવું ઘડતર કરવું પડે. અલબત એની સંસાર-વાસના હજી મરી નથી ગઈ, છતાં વાસનાના જોર કરતાં જિનવચનની મન પર ઘેરી છાયા વધુ જોરદાર છે; તેથી સંજોગવશાતુ વાસના સફળ ન થાય એમાં એને એવો શોક ઉગ નથી. જિનવચનથી એ - તરંગવતી. 58
Page #64
--------------------------------------------------------------------------
________________ સમજે છે કે, બાહ્ય સંયોગો શુભાશુભ કર્મને આધીન છે, પરંતુ ત્યાં આપણું હૃદય જિનવચનને આધીન બનાવી શકાય છે, દા.ત. અશુભ કર્મને લીધે કોઈ રોગ વગેરે આપદા આવી એ કર્માધીન; પરંતુ ત્યાં કર્મવિપાકનો વિચાર, આત્મસ્વરૂપનો વિચાર, વૈરાગ્યબુદ્ધિ, વગેરે કરીએ એ આપણા હૃદયને જિનવચનને આધીન બનાવ્યું ગણાય. આમ, હૃદયને જિનવચનના આશ્રવ-સંવર-નિર્જરાના તત્ત્વની સુયોગ્ય વિચારણાથી પવિત્ર રાખવાનું કરી શકાય છે. તરંગવતીના વડીલ કેટલા શાણા કે વર્તમાન સ્થિતિમાં એનું મન ન બગડે એ માટે એને ધર્મના સંયોગો અને ધર્મની પ્રવૃત્તિની સગવડ કરી એમાં પરોવાયેલી રાખે છે. જૈનકુળોની આ બલિહારી આ વિશેષતા કે ઘરમાં ધર્મનું વાતાવરણ એવું રાખે કે કુળના માણસોના દિલ ધર્મસુવાસથી મઘમઘતા રહે. કુળનો માણસ અનુચિત કે આડાઅવળા વિચારોમાં ન ચડે. મનનાં ઘડતર જ એવા થઈ ગયા હોય. સપ્તપર્ણા પુષ્પ કમળવર્ણ કેમ ? : તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે મારે આનંદમંગળમાં દિવસો પસાર થતા હતા, એમાં એક દિવસ એવું બન્યું કે હું સવારનું પ્રતિક્રમણ અરિહંત ભક્તિ આદિ કાર્ય પતાવી રહી છું એમાં મારા પિતાજીની આગળ માળી ફૂલ લઈને આવ્યો, ફૂલો સુંદર હતા એટલે પિતાજીએ કુટુંબીઓને એકેકને ફૂલો આપ્યા, તો મને પણ બોલાવી ફૂલ આપ્યા તે મારે ક્યાં જાતનો ઠઠારો કરવો હતો ? મારા દિલમાં અરિહંત પ્રભુ રમતા હતા એટલે મેં જઈને ઘરમંદિરમાં ભગવાનને એ ફૂલ અર્પિત કર્યા. ત્યાં પિતાજી મને બોલાવીને કહે, જો તરંગવતી ! આ એક ફૂલ સપ્તપર્ણીનું છે. એ આમ તો સફેદ હોય, પરંતુ આ કમળવર્ણનું કેમ દેખાય છે ?" કહ્યું, તરંગવતીનો અક્કલભર્યો ખુલાસો : બાપુ ! પુષ્પના છોડની પાસમાં કમળ ઊગ્યું હોય તો એની પરાગ પવનથી ઊડી ઊડીને આવી આ પુષ્પ પર પથરાઈ જાય તેથી કમળવર્ણનું કરી નાખે...' કર્મ ! તારી ગતિ ન્યારી પk
Page #65
--------------------------------------------------------------------------
________________ શેઠ કહે “પરંતુ ત્યાં પાસમાં કમળને ઉગવાની શક્યતા જ નથી. કમળ તો તળાવમાં ઊગે.” તો મેં કહ્યું “પાસમાં કોઈ સરોવર હોવું જોઈએ. ભમરાઓ એના કમળોના રસને ચૂસી આ બાજુ ઊડતા હોય, ને આ સપ્તવર્ણોના સુંદર પુષ્પને જોઈ એના પર બેસતા હોય એટલે એના પગે લાગેલી ઝીણી ઝીણી પરાગ પુષ્પ પર ચોંટતી જાય. ભમરાઓના બહુવારના ભ્રમણથી આમ પુષ્પ પર પરાગ સારા પ્રમાણમાં છવાઈ જતી હોય, એટલે સ્વાભાવિક છે કે સપ્તવર્ણા પુષ્પ કમળવર્ણનું થઈ જાય.' - તરંગવતીએ બુદ્ધિ કેવી લડાવી ! એનું કારણ એણે આ કળા વિદ્યા વિજ્ઞાનના સારા પરિશ્રમથી બુદ્ધિને કેળવી હતી. વિશિષ્ટ બુદ્ધિશક્તિના આ માનવ અવતારમાં એને જો સારામાં કામ ન લગાડાય, એ માટે કળા વિદ્યા તથા શાસ્ત્રોમાં પરિશ્રમ ન થાય અને માત્ર આહારાદિ સંજ્ઞાઓનાં પોષણમાં જ બુદ્ધિશક્તિ વપરાય એ સોના જેવા ખાતરને રસાળ ભૂમિને બદલે ઉકરડામાં હોમવા જેવું થાય. એમાં બુદ્ધિશક્તિ વેડફાઈ જાય ! સાધુ પણ જો આ ન સમજે કે “મને બુદ્ધિશક્તિ મળી છે, અને શાસ્ત્રો મળ્યા છે, તો બુદ્ધિશક્તિને એ શાસ્ત્રોનાં ખૂબ અવગાહનમાં વાપર્યે રાખું,'જો આ ન સમજે તો એને પણ બુદ્ધિશક્તિ ગોચરી-પાણી આડુંઅવળું અને ભગતોમાં વેડફાઈ જાય ! જો સદુઉપયોગ થાય તો એથી કેળવાયેલી બુદ્ધિનો યોગ્ય સ્થાન પર વિશિષ્ટ અને હિતકર ઉપયોગ થાય. તરંગવતીએ કેળવેલી બુદ્ધિનો અહીં ઉપયોગ થઈ રહ્યો છે, એમાં “સપ્તવણિયું સફેદ ફૂલ કેમ કમળવર્ણનું ?' એનો ખુલાસો કરે છે. વિશિષ્ટ બુદ્ધિનો દાખલો : પેલા વિમળ મહામંત્રીની બુદ્ધિની વાત આવે છે ને ? શાંતિનાથ ભગવાનના પ્રથમ ગણધર ચક્રાયુધ એક ભવમાં પોતનપુરના રાજા શ્રીવિજય છે. ત્યાં બહારથી આવેલ નિમિત્તિયાએ રાજાના અને સભાના અતિશય આગ્રહથી ભવિષ્યવાણી ભાખી છે કે “આજથી સાતમે દિવસે પોતનપુરના રાજાના માથે વિજળી પડશે. ત્યારે મંત્રીમંડળમાંથી કોઈક કહે “મહારાજાને સમુદ્ર વચ્ચે વહાણમાં રાખો,” બીજો કહે “પર્વતની ગુફામાં બેસાડી દો,” ત્રીજો વળી કાંઈક ત્રીજી જ જગા બતાવે છે. ત્યાં મોટો મંત્રી કહે, 6) - તરંગવતી
Page #66
--------------------------------------------------------------------------
________________ “આ તમને ખબર છે નિમિત્તિયાની વાણી એટલે સર્વજ્ઞ ભગવાનના નિમિત્તશાસ્ત્રનાં વચન ? એ જૂઠાં પડે નહિ. મહારાજાને ગમે ત્યાં મૂકી આવો, નિમિત્તિઓએ ભાખેલી આફતમાંથી એ બચી શકે નહિ. મુખ્યમંત્રી કહે “વિધાતાના લેખ મિથ્યા ન થાય.” ત્યારે બીજા મંત્રીઓ કહે “તો શું મહારાજાને આપણે ગુમાવવાના ?" “ના, ગુમાવવાના નહિ. મહારાજને બચાવી લેવાનો રસ્તો છે. જુઓ નિમિત્તિયાએ મહારાજાનું નામ લઈ નથી કહ્યું કે શ્રીવિજય રાજાના માથે વિજળી પડશે, માત્ર પોતનપુરના રાજાના માથે વિજળી પડશે એટલું જ કહ્યું છે, તેથી જો મહારાજા આ સાત દિવસ માટે ગાદીનો ત્યાગ કરે અને આપણે બીજાને રાજયગાદીએ બેસાડીએ, તો મહારાજ ભયમુક્ત બની જાય.” મંત્રીઓ આ સાંભળી મુગ્ધ થઈ ગયા કે વડામંત્રીની કેવી કુશાગ્રબુદ્ધિ ! એમાં ય જ્યારે રાજાએ ના પાડી કે કોઈ બીજાના પ્રાણના ભોગે મારે મારા પ્રાણ નથી બચાવવા,” ત્યારે બીજા મંત્રીઓ વિમાસણમાં પડ્યા કે “આમ તો રાજા ગાદી ન છોડે તો સાતમા દિવસનો ભય ઊભો જ રહ્યો. તો હવે શું કરવું?’ તો આનો પણ ઉકેલ મંત્રીએ પોતાની વિશિષ્ટ બુદ્ધિથી કાઢી આપ્યો કે ‘નગર બહારના અધિષ્ઠાયક યક્ષની મૂર્તિને રાજા તરીકે ગાદીનશીન કરવી. પછી વિજળીથી મૂર્તિ નષ્ટ થાય તો રત્નની મૂર્તિ ભરાવી ત્યાં મંદિરમાં સ્થાપવી.' વિશિષ્ટ બુદ્ધિના આવા અનેક દાખલા છે. તરંગવતીએ વિશિષ્ટ બુદ્ધિથી સપ્તવર્ણા પુષ્પની સફેદાઈ ઉપર રક્તાશ કેવી રીતે આવી એનો ઉકેલ આપ્યો. આ ઉકેલથી પિતાજીના મનને સંતોષ થયો, મને કહે “દીકરી ! તે મારા દિલમાં હતું એ જ કહ્યું. આ તો મેં તારી પરીક્ષા કરવા પૂછેલું કે તે વિદ્યા-વિજ્ઞાન કેટલું પ્રાપ્ત કર્યું છે ને કેટલું પરિણત કર્યું છે. ખરેખર ! તારી વિદ્યાથી મને સંતોષ થયો છે. ને મારા તને આશીર્વાદ છે કે ‘તને આવા જ વિદ્યા-વિજ્ઞાનવાળા તથા વિનય-રૂપ-લાવણ્ય-શીલ આદિ ગુણોથી સંપન્ન અને ધર્મનિષ્ઠ પતિ પ્રાપ્ત થાઓ.” - સાધ્વીજી કહે “પિતાજીના એ વચનથી મને શરમ લાગી. મેં મુખ નીચું કરી દીધું. પછી મેં વિનતિ કરી કે “મારે એ સપ્તવર્ણ પુષ્પની સ્થિતિ જોવી છે કે કલ્પના પ્રમાણે બરાબર સરોવરમાંથી ભમરાઓ ઊડીને આવી એના પર બેસે છે કે કેમ ?' પોતાનું કલ્પેલું બરાબર છે કે નહિ એ જિજ્ઞાસા પણ તત્ત્વશ્રદ્ધા દૃઢ કર્મ ! તારી ગતિ ન્યારી દ 1
Page #67
--------------------------------------------------------------------------
________________ કરવામાં કારણભૂત છે; નહિતર સંભવ છે કે પોતે કલ્પેલું બરાબર હોય નહિ, ને શાસ્ત્ર જોવા ન હોય, તો માણસ એ કલ્પિત અસત્ તત્ત્વમાં જ તણાયો જાય તે સંભવિત છે. બિચારો જિંદગીભર મિથ્યાત્વની શ્રદ્ધાની પકડ રાખીને બેસે. એમાં વળી આગળ જતાં કોઈ એની માન્યતાને શાસ્ત્રપાઠથી વિરુદ્ધ હોવાનું બતાવે, તો તે ન સ્વીકારવાનો અભિનિવેશ આવી જાય. તરંગવતીની ધર્મચર્યા : તરંગવતીને “સપ્તપર્ણાની કલ્પના યથાર્થ છે કે કેમ ?' એની તપાસ કરવાની આતુરતા થઈ એ પિતાને કહી. પિતાએ મુખ્ય માણસને હુકમ કર્યો કે કાલે ઉદ્યાનમાં ઉજાણી જમણ ગોઠવવાનું છે. ઘરમાં બધાને કહી દીધું. સાધ્વીજી શેઠાણીને કહે છે “સવારે વહેલી ઊઠીને અરિહંત વંદના અને સંક્ષિપ્ત પ્રતિક્રમણ કરી લઈ વડીલોને પગે પડી આવી. બધાએ ‘તું સુખી થા એવી આશિષ આપી. પછી સ્નાન કરી ગૃહમંદિરમાં પરમાત્માની પૂજા ભક્તિ કરી. પ્રભુભક્તિમાં મને ખૂબ ઉલ્લાસ રહેતો. અંતે પ્રાર્થના કરી કે “હોઉ મર્મ તુહપ્પભાવઓ ભયવં ભવનિબૅઓ... ઇફ્રુફલ સિદ્ધિ” “હે ભગવંત ! તમારા (અચિંત્ય) પ્રભાવે મને ભવનિર્વેદ...ઇચ્છિત (ઇહલૌકિક) કાર્ય સિદ્ધ થાઓ.’ આ પ્રાર્થનાથી હું ‘ઇચ્છિત પતિ ક્યારે મળશે...' વગેરે ચિંતાથી મુક્ત રહેતી. ચિંતા શું કામ કરું ? મારા નાથ અચિંત્ય પ્રભાવવંતા છે. કલ્પના બહારના એમના પ્રભાવથી અચિંત્ય સિદ્ધિઓ થાય છે. ઠેઠ નિગોદમાંથી અહીં સુધી આપણે શી રીતે આવ્યા ? એ નાથના જ પ્રભાવે. હજી આગળ પણ ઠેઠ મોક્ષ સુધી પહોચશું એ કોના પ્રભાવે ? આ જ જગતદયાળુ અરિહંત દેવના જ પ્રભાવે. આમ અરિહંતના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા રાખી પ્રભુને આપણો કેસ સોંપી દેવાથી ચિંતાઓ વિકલ્પો અને આર્તધ્યાનથી બચી જવાનું. પછીથી બધાની સાથે અલ્પાહાર પતાવી અમારી ઉદ્યાન તરફ સવારી નીકળી. એમાં બા બાપુજી આઠ ભાઈઓ ને ભોજાઈઓ બધાની હું લાડકી, તે મારા માટે દેવ વિમાન જેવી પાલખીમાં મને બેસાડેલી ને નગરના મોટા રસ્તા પરથી જયારે અમારી સવારી પસાર થતી હતી, ત્યારે નગરની સ્ત્રીઓ મને જોઈને મુગ્ધ થઈ જતી હતી કે કેમ જાણે આ સાક્ષાત લક્ષ્મીદેવી શૃંગાર સજીને જઈ રહ્યા લાગે છે ! નાગરિક સ્ત્રીઓ ઓવારણાં ઉતારતી, બોલતી,- “શું વિધાતાએ આને રૂપ સૌંદર્ય અને સમૃદ્ધિ આપી છે !' - તરંગાવતી
Page #68
--------------------------------------------------------------------------
________________ પિતાજી અવસરે અવસરે અનુકંપાદાન ઔચિત્યદાન વગેરે કરતા રહેવાથી નગરમાં મહા દાનવીર તરીકે પ્રસિદ્ધ હતા, એટલે લોકો મને આશીર્વાદ આપતા. “બેન ! જુગજુગ જીવજે ! વિધાતા તને અખંડ સૌભાગ્યવંતી બનાવે !" દાન ધર્મની બલિહારી છે. તબલાના મોઢા પર એક કણેકનો લૂંદો આપો, તબલું તડિંગ અવાજ કાઢે છે. એમ અનુકંપાદાન ઔચિત્યદાન લેનારા છૂટા મોઢ દાતારના ગુણ ગાય છે. ઔચિત્યદાનનો પ્રભાવ : કુમારપાળ :રાજા કુમારપાળની સભામાં બહારથી આવેલ સોમદેવ બારોટે કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સુંદર શ્લોકથી ગુણ ગાયા. રાજાએ પ્રસન્ન થઈ ઔચિત્યદાન તરીકે એને પ૦ હજાર રૂપિયાનું ઇનામ અપાવ્યું. ચારણ ઉપકાર માની નમસ્કાર કરી ચાલતો થયો. મંત્રીને આશ્ચર્ય થયું કે કુમારપાળ મહારાજા સ્વભાવે જરાક કૃપણ, તે માત્ર એક શ્લોકમાં આવડું મોટું ઇનામ શી રીતે આપી શક્યા ? રાજાને પૂછે ‘મહારાજાધિરાજ ! એક શ્લોકમાં આવડું મોટું ઇનામ ?" રાજા કહે ‘તમને ખબર નથી, આટલી મોટી રકમે શું કામ કર્યું ? ભાટનું મોટું એવું ભરી દીધું, કે હવે એ જયાં જયાં રાજાઓની સભા વગેરેમાં જશે ત્યાં ત્યાં આપણા ગુરુના ગુણ ગાવામાં થાકશે નહિ. ગામેગામ જો આ થાય, તો આ ઇનામના પૈસા શું વસૂલ નથી ? દાનની બલિહારી છે. તરંગવતીને જોઈ નગર ઘેલું : સાધ્વીજી કહે, ‘ગૃહિણી ! એ સવારીમાં મને જોઈને નગરની માત્ર સ્ત્રીઓ જ આકર્ષાતી નહોતી, પરંતુ યુવાન પુરુષો ય મને જોઈને એવા મુગ્ધ થતા કે જાણે છે ખરા કે આ કન્યા કાંઈ આપણને પરણવા મળવાની નથી, છતાં બિચારા લહારા કરતા હશે કે “શું સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી પડી છે ? શું આપણને આ પરણવા મળે ?' તાત્પર્ય, કામના બાણથી બિચારા ઘવાઈ જતા હતા. નિમિત્ત બળવાન છે ‘સારું નિમિત્ત સારા પુરુષાર્થને જગાવી દે, નરસું નિમિત્ત નરસા પુરુષાર્થને. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #69
--------------------------------------------------------------------------
________________ વીતરાગ ભગવાન યા ત્યાગી મુનિઓ જોવા મળે, એ સારા વૈરાગ્યાદિની વિચારણાના પુરુષાર્થ જગાવી દે છે. એના બદલે રૂપાળી સ્ત્રી નજરમાં આવે એ નરસા કામરાગ આદિની વિચારણાના પુરુષાર્થ જગાવી દે છે. આમ, નિમિત્તથી સપુરુષાર્થ-અસપુરુષાર્થ જન્મે છે માટે જ આત્મહિતાર્થી જીવે નરસા નિમિત્તોથી દૂર રહેવા જેવું છે, અને સત્સંગ વગેરે સારાં નિમિત્ત ખૂબ સેવવા જોઈએ. મહાપુરુષાર્થ સિંહ ગુફાવાસી મુનિ કેમ પડ્યા? નરસું નિમિત્ત સેવ્યું માટે. વેશ્યાનું રમણીય રૂપ નજરમાં લીધું તો ઝટ એમના મનને થયું કે “ઓહો ! આવું રૂપ સૌંદર્ય જગતમાં હોય છે ?" બસ, પછી એક વાર ગાડી સ્ટાર્ટ કરી કે ચાલી આગળ. એ વિચારમાં આગળ વધ્યા કે ‘ત્યારે એના શરીરનો સ્પર્શ કેવો સુંવાળો મુલાયમ હશે ?' હવે ગાડી અટકે ? મનમાં વાસના વિકારોની જોરદાર ગડમથલ ચાલી, ને વેશ્યા પાસે ભોગની નફટ માગણી કરતાં એ અચકાયા નહિ. કોણ આ માગણી કરે છે ? 4-4 મહિના સુધી સિંહની ગુફા આગળ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહેવાનો મહાન પુરુષાર્થ ખેડનારા મહામુનિ ! એમને ભોગની માગણી કરતાં શરમ ન લાગી ! અને વેશ્યાએ નેપાલ દેશના રાજા પાસેથી રત્નકાંબલ ભેટ લઈ આવવા કહ્યું તો ચોમાસામાં વરસતા વરસાદે ઊપડ્યા પાટલીપુત્રથી જંગલો વટાવતા નેપાલ દેશમાં પહોંચ્યા ! જરાક સેવેલું નરસું નિમિત્ત સત્યાનાશ કાઢી નાખે. નિંદીષેણ કેમ પડ્યા ? : આજના ટી.વી.-વિડિયો બીભત્સ ચિત્રો-લખાણો કેટલા અનર્થ સરજે છે એ જાણો છો ? ટી.વી. અંધારે જોવાનું, તે સાથે જોવા બેઠેલા ભાઈ બેનના ય અડપલા સુધી પહોચી જવાનું સાંભળવા મળે છે. નંદીષેણ મહાતપસ્વી મહાવૈરાગી મુનિ અજાણતા વેશ્યાના ઘરે ગોચરી લેવા જઈ ઊભા ને ધર્મલાભ કહે છે, ત્યાં પેલી મશ્કરીમાં કહે “અહીં તો અર્થલાભનું કામ છે, ધર્મલાભને શું કરે ?" આ વચન એ અસત્ નિમિત્ત હતું. મુનિએ એનો જવાબ આપવા ઊભા રહેવા જેવું નહોતું, પણ સક્રિય જવાબ આપવા ઊભા, વેશ્યાને બતાવી આપવા ૧રા ક્રોડ સોનૈયા લબ્ધિથી વરસાવ્યા, અને પછી ય ઊભા રહી સમજુતી કરવા લાગ્યા, તો વેશ્યાએ હાવભાવ સાથે મુનિને કહ્યું, “અમે વેશ્યા ખરી, પરંતુ આર્યદેશની, તે એવી અપ્રામાણિક નહિ કે માલ આપ્યા વિના નાણાં લઈ લઈએ. બેસો, અહીં પહેલાં માલ લો,' એમ - તરંગવતી
Page #70
--------------------------------------------------------------------------
________________ કહી પગ પકડ્યા, હવે મુનિની મજાલ છે કે સંયમના ભાવમાં ટકી રહે ? ના, તે પડ્યા ! મૂળ કારણ ? નિમિત્ત ખોટું સેવ્યું. કૂળવાળક મુનિ મહાતપસ્વી એવા કે એમના તપના પ્રભાવે નદીએ કૂળ અર્થાત કાંઠો બદલ્યો તેથી પૂરમાં બૌદ્ધોનો આશ્રમ તણાતો બચી ગયો. તેથી નામ કૂળવાળક પડ્યું. આવા મહાન તપસ્વી પણ જંગલમાં એકલા કાઉસ્સગ્ન ધ્યાનમાં ઊભા રહેવા ગયા, તો ત્યાં કોણિકે મોકલેલી કપટ શ્રાવિકા-વેશ્યાએ આવી લાભ આપવા કહ્યું. મુનિએ પોતાને ઉપવાસ હોવાનું જણાવ્યું તો પેલી કહે તો પછી હું રાત અહીં રહી કાલે પારણાનો લાભ લઈને જઈશ'. તે રહી ત્યાં છતાં મુનિ ત્યાંથી પોતાના મુકામે ન ચાલ્યા ગયા, મને વૈરાગીને આ શું કરવાની હતી ! એમ અભિમાનમાં તણાયા તો અંતે પડ્યા. નરસા નિમિત્ત સેવ્યાં. ખોટાં અનાડી માણસ હલકો બોલ બોલી જાય, પણ જો એને ધ્યાન પર લઈ જીભાજોડી કરવા જાઓ તો પરિણામ સારું ન આવે. સારા-નરસા નિમિત્તની અસર : રોહગુપ્તને આચાર્યું ના પાડી કે માયાવી વાદી સાથે વાદ કરવા જવા જરૂર નથી, છતાં એ વાદ કરવા ગયો, તો અંતે ઐરાશિક મત કાઢનારો નિન્યવ થયો. જેવું નરસા નિમિત્તના સેવનમાં નરસું પરિણામ, એવું સારા નિમિત્તના સેવનમાં સારું પરિણામ. અકબર બાદશાહને ચંપાશ્રાવિકા છ મહિનાના ઉપવાસ કરતી જોવા મળી તો એ શુભ નિમિત્તના પ્રારંભથી આગળ વધતાં આચાર્ય ભગવાન હીરસૂરિજી મહારાજ તરફ ખેંચાયો ! અને પરિણામે હિંસક મટી દયાળુ બન્યો ! અહીં રૂપાળી તરંગવતીને જોઈને નગરની યુવતીઓ રૂપની ઇર્ષ્યા કરે છે અને યુવાનો વાસના વાસિત બને છે. દુનિયાનું સારું સારું જોઈએ એમાં શું બગડી જાય? એમ કહી જે ઝેરનો અખતરો કરવા ગયા એ મર્યા. જેમ ન બોલ્યામાં નવ ગુણ, એમ દુનિયાનું ન જોયામાં નવસો ગુણ. એટલા માટે તો સમકિતી આત્માને દુનિયાનું એવું એવું જોવાનો અભખરો ય નહિ ને આતુરતા ય ન હોય. તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહે છે “અમે ઉદ્યાનમાં પહોચ્યા ત્યાં સપ્તવર્ણીના છોડને જોવાની મને તત્પરતા હતી એટલે હું એના વનમાં પહોંચી. બીજી મહિલાઓ બીજા બીજા પુષ્પો જોવામાં પડી હતી પણ હું જ્યાં ભમરાઓથી કર્મ ! તારી ગતિ ન્યારી 65
Page #71
--------------------------------------------------------------------------
________________ વિટળાયેલ સપ્તવર્ણાના પુષ્પો જોવા નજીક ગઈ અને સફેદ પુષ્પોને પદ્મ પરાગથી રંગીન થયેલા જોઈ રહી છું ત્યાં, ઉદાર માણસને જોઈને યાચકો કેમ દોડી આવે ? એમ મારા મુખકમળને જોતાં ખરેખર કમળ સમજી ભમરાઓ ઉડીને મારા મુખ પર દોડી આવ્યા. પણ અહીં તો એને મળવાના રસની વાત તો દૂર, પણ મને તો ચટકા લાગતાં ભય લાગ્યો કે કાંક ચોટી ન પડે ? એટલે હું હાથેથી ઉરાડવા માંડી, કિન્તુ આ તો બેને ઉરાડ્યા કે બીજા ચાર આવી લાગ્યા, અને ભમરા સરોવર પરથી ઊડી ઊડીને અહીં આવી રહ્યા હતા, તે હું ગભરાઈ ગઈ કે કેટલાને ઉરાડવા ? તે ત્યાંથી ભાગીને કેળના ઘરમાં જઈ બેસી ગઈ. આ સંસારમાં ય શું છે ? આવી ચિંતાઓ આવ્યા જ કરે છે, એને મિટાવી ત્યાં બીજી બે ચાર ઊભી થઈ જ સમજો. કારણ ? સંસારના સંયોગો જ એવા છે કે એને મન પર લીધા એટલે એના અંગેની ચિંતાઓ ઊભી થઈ જ જાય. સંસારમાં આમ ચિંતા પર ચિંતાઓ ઊઠ્યા જ કરે છે માટે તો જ્ઞાનીઓ સંસારને અસાર કહે છે. પૂછો, દેવોને દુઃખ : સંસારમાં ચિંતાઓ : પ્ર.- દેવતાઓ દિવ્ય સુખ-સાધન પામ્યા હોય છે, એમને ક્યાં ચિંતાઓ હોય છે ? ઉ.- દેવો પણ પોતાનાથી અધિક રૂપ-સૌદર્ય તથા અધિક સુખસામગ્રી દેખીને સહન નથી કરી શકતા, એટલે મનમાં બળે છે. અથવા (2) કોઈ કામ કરવાની હોંશ ન હોય અને ઉપરી અધિકારી દેવતાની આજ્ઞા આવે તો અંતરને ઉદ્વેગ થાય છે. (3) પ્રિય દેવી રીસાઈ જાય તો ય ચિંતા થાય છે કે આ કેમ રીસાઈ હશે ? મનને ખેદ થાય છે અને દેવીને મનામણાં કરવા જાય છે. પેલા કાઉસ્સગમાં મુનિ હસ્યાની વાત આવે છે ને ? કાઉસ્સગ્રની ઉચ્ચ ભાવનામાં અવધિજ્ઞાન થયું અને એથી પહેલા દેવલોકમાં જોયું તો શું દેખાયું ? ઇંદ્ર ઇંદ્રાણીને મનાવતો હતો. ઇંદ્ર જેવાની આ દશા, તો બીજા દેવોની શી વાત ? (4) અરે ! એનાથી મોટી ચિંતા તો જ્યારે અંત સમય બહુ નજીક આવે છે. ત્યારે થાય છે કે “હાય ! આ ગળાની ફૂલમાળા રોજ તાજી ને તાજી રહેનારી. તે કરમાવા માંડી ? શું હવે મારે મરવાનું ? હાય ! ક્યાં જવાનું ?'.. દેવગતિમાં આ ચિંતાઓ, તો બીજી ગતિઓમાં ચિંતાઓનું શું પૂછવાનું ? - તરંગવતી
Page #72
--------------------------------------------------------------------------
________________ સંસાર આવી ચિંતાઓથી ભરેલો છે, છતાં તમને એના પર નફરત નથી છૂટતી એ આશ્ચર્ય છે. મનને એમ નથી થતું કે “આ ચિંતા-શોક-ઉદ્વેગભર્યા સંસાર કરતાં સંયમજીવન સારું કે એમાં ચિંતાઓની આ લોથ નહિ. સંતાનોને કદી આ શિખવાડતા નથી કે ‘ચિંતાઓની ને ખેદ-ઉદ્વેગની હોળીÍ સંસારમાં કાંઈ માલ નથી. ચિંતામુક્ત સુખી જીવન જીવવું હોય તો સંયમજીવન છે.” તમારા મનને દુ:ખ હોય તો તમે કહો ને? હૈયું બિઠું બનાવી દીધું છે, એટલે મનને માંડવાળ કરો છો કે “સંસારમાં ચિંતાઓ તો હોય, પણ સુખ કેવાંક મળે છે ! માટે કાંઈ સંસાર છોડી બાવા ન બનાય !" આમ ધર્મની માંડવાળ હોય, અને એમાં ધર્મને કષ્ટમય-દુઃખમય દેખવાનો હોય, એટલે પછી ધર્મ કરવાનો આવે ત્યાં “ચાલો, ચિતા વિનાનો ધર્મ કરવા મળે છે, તો હાશ, ધર્મમાં લાગી જાઉં !' એવું શાનું થાય ? પેલી તરંગવતીને મોઢા પર ભમરા આવીને બેસવા માંડ્યા, ચિંતા થાય છે ‘હાય ! આ તો બે ઉરાડ્યા, ત્યાં બીજા ચાર આવી લાગ્યા !...' ચિંતાથી ગભરાઈ ત્યાંથી દોડીને એ કેળના ઘરમાં પેસી ગઈ. જરા સ્વસ્થ થતાં ત્યાં રહી પાસેના સરોવરની મજા જુએ છે. તરંગવતીને બીજી વિમાસણ : તરંગવતી સાધ્વી કહી રહી છે કે ‘ભમરાઓની ચિંતાથી છૂટવા ત્યાં કેળના ઘરમાં ગઈ, તો ત્યાં મોટી વિમાસણ આવી પડી. કહે છે ને,- “ઘરની બળી વનમાં ગઈ, તો વનમાં ઊઠી આગ !' ત્યાં શું એવું બન્યું કે તરંગવતીને બીજી જ ચિંતા વધી પડી ? એ પદ્મસરોવરને જોઈ રહી છે. એમાં જુએ છે તો કમળો શોભી રહ્યા છે. હંસો ચક્રવાકો વગેરે પક્ષીઓ ખેલી રહ્યા છે,... એ બધું જોતાં જોતાં ને એમાં મનને ખૂબ આલ્હાદ થતાં, એમાં એક કમળપત્રની નીચે એક ચક્રવાક અને ચકોરી ખેલી રહ્યા હતા, એકબીજાના રાગમાં સામસામા ચંચુપાત કરી ખૂબ આનંદમાં ગરકાવ બનેલા હતા, એ જોવામાં આવ્યું અને તરંગવતી ઊંડા ચિંતનમાં પડી ગઈ. 5. તરંગવતીને જાતિસ્મરણ | સાધ્વીજી કહે છે “ગૃહિણી ! મારા માટે જીવનનો આ એક અદ્ભુત પ્રસંગ હતો. ઉંમરમાં આવેલી હું, મને ચક્રવાક ચકોરીને ક્રીડા જોતાં મનને જરાક રાગની વિહ્વળતા ઊભી થઈ અને મનને થયું કે “આવું તો ક્યાંક મેં જોયું છે. જ્યાં જોયું?.. ક્યાં જોયું?... એ ઊહાપોહમાં ઊંડી ઊતરી ગઈ કર્મ : તારી ગતિ ન્યારી
Page #73
--------------------------------------------------------------------------
________________ અને મને ત્યાં જ પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વ જન્મનો એ વૃત્તાન્ત એવો હતો કે એ હૂબહૂ નજર સામે તરવરતાં મન પારાવાર ખેદમાં અતિશય મગ્ન બની ગયું, ને ભાન ગુમાવી બેઠું, મૂચ્છ ખાઈને નીચે પડી. મારી સખી આ જોઈને ગભરાઈ ગઈ કે હમણાં તો આ પદ્મસરોવર જોઈ રહી હતી એટલામાં આ શું થઈ ગયું ? એણે તરત મારા મોં પર ઠંડા પાણીની છાલકો મારી. મગજને ઠંડક પહોંચતાં ચિંતાની ગરમી ઓછી થઈ, બેભાન મન ભાનમાં આવ્યું અને મેં રોવા માંડ્યું, સખીને બિચારીને આ કશી ખબર નહિ, એ તો ગભરાઈ જ ગઈ, મારા આંસુ લૂછતી લૂંછતી કહે “બેન ! આ શું થઈ ગયું તને ? એકાએક જ રોવા લાગી છે ? શું કોઈ ખાધેલું પચ્યું નહિ, ને પેટમાં દુઃખે છે ? અથવા તને પરિશ્રમ પડી ગયો તેથી મૂર્છા આવી ગઈ ? કે તને કોઈએ નજરથી વીંધી તેથી આમ બન્યું? મને ખુલાસો કર.” સખી આમ પૂછે છે, પરંતુ તરંગવતી બોલતી નથી અને રોવાનું ચાલુ છે. ત્યારે સખી કહે “તારું આ રૂદન જોઈને મારા તો દિલના ટૂકડા થઈ જાય છે. તને મારા સોગન છે જો તું મને ન કહે તો ? માટે જરૂરથી મને તું મૂચ્છિત થવાનું અને રોવાનું કારણ કહે, જેથી એના પ્રતિકાર રૂપે તારા દુ:ખને નિવારવાનો ઉપાય લેવાય. જો તારે શારીરિક તકલીફ હોય તો એને સુધારવામાં વિલંબ કરવા જેવો નથી. કેમ,” રોગ અને ઋણ બેની સ્થિતિ એવી છે કે જો અંકુશમાં ન લેવામાં આવે તો એ વધી જતાં એ સર્વ નાશને લાવી મૂકે. એમ દુનિયામાં કહેવાય છે કે મહિલા કુશીલના માર્ગે જતી હોય ને એની જો ઉપેક્ષા સેવાય તો ભયંકર પરિણામ આવે છે. માટે સમયસર એની ચિકિત્સા કરાવી લેવી જોઈએ જેથી શરીર ક્ષીણ થતું ન ચાલે. માટે સુંદરી ! સર્વત્ર યોગ્ય કાળે પ્રયત્ન કરી લેવો એ શુભોદય માટે થાય, ને અનર્થના ભોગ ન બનવું પડે. તો આમાં જરાય પ્રમાદ નહિ કરવો.' દાસીને બિચારીને શી ખબર કે “આને શાનું દુઃખ છે ? એમજ શારીરિક બીમારી કલ્પીને એણે શરીરશાસ્ત્ર ખોલ્યું, પણ તરંગવતીને એના તરફ લક્ષ જ નહોતું. જગતમાં આમ જ ચાલે છે. બીજાનાં દિલનું દુ:ખ જાણ્યા વિના પોતાની કલ્પનાનું દુઃખ ગણી એના નિવારવાના ઉપાયનું લેક્ટર કરે, એ શું કામ લાગે ? પછી ખુલાસો કરે ત્યારે ભોંઠા પડવા જેવું થાય. અહીં દાસીને એવું જ થાય છે. - તરંગવતી
Page #74
--------------------------------------------------------------------------
________________ તરંગવતી કહે છે, “મને કશી અજીર્ણ વગેરે શારીરિક પીડા નથી, કોઈ પરિશ્રમ લાગ્યો નથી, કે કોઈના જોવામાં આવી નથી.' દાસી પૂછે તો પછી કેમ તું એકાએક પડી ગઈ ?' તરંગવતીની મૂચ્છનું કારણ : હા, તે હું કહું. જો સારસિકા ! તું મારી સાથે જનમથી સુખદુઃખમાં સાથે છે. એટલે મારા સર્વ રહસ્ય તું જાણે છે, માટે જ તને કહેવાય; પરંતુ એટલું ધ્યાન રાખજે કે એ રહસ્ય તારી પાસેથી બહાર ન નીકળે અને મને વિશ્વાસ છે કે તું કોઈને એ નહિ કહે, તેથી તને કહું છું. જે કહું છું તે પણ એમાં કશું છુપાવ્યા વિના કહીશ, એટલે પૂર્વે અનુભવેલું દુઃખ કહું તો ભવિષ્યમાં કદાચ દુઃખ આવે એવો ભય રાખ્યા વિના બધું જ રહસ્ય તારી આગળ પ્રગટ કરવામાં મને સંકોચ નહિ રહે. માટે સાંભળ, પ્રિયના વિયોગના મહાદુઃખથી કરુણ એવી મારા સુખદુઃખની પરંપરાની કહાણી શોકભર્યા દિલે તને કહું છું. આમ તરંગવતીએ સખીને પોતાની આત્મકથા કહેવાની ભૂમિકા કરી લીધી, જેથી એ કહાનીની વિગત બહાર ન જાય; કેમકે રહસ્ય બહાર ફેલાઈ જવામાં એને મોટો ભય દેખાતો હતો. અલબત સખી વિશ્વાસપાત્ર હતી, છતાં વસ્તુનું મહત્ત્વ ન સમજીને અણજાણમાં બહાર કોઈને ન કહી બેસે એટલા જ માટે તરંગવતી ભૂમિકામાં રહસ્ય ગુપ્ત રાખવા પર ભાર મૂકે છે. રહસ્ય અકાળે બહાર પડવામાં કેટલું બધું જોખમ છે ! તરંગવતીનો અહેવાલ : દાસી કબૂલ થાય છે એટલે તરંગવતી એને કહે છે, “જો સારસિકા ! આપણે કેળના ઘરમાં બેઠા ત્યારથી હું પદ્મસરોવરની શોભા જોઈ રહી હતી. એમાં મેં કમળપત્રની નીચે ચક્રવાક ને ચકોરી પરસ્પર બહુ પ્રેમથી ક્રીડા કરી રહેલા જોયા. આમેય મનમાં લગ્નના તરંગ તો આવી જતા, એમાં આ પક્ષીયુગલની પ્રેમચેષ્ટા જોતાં મન એના પર લાગી ગયું, ને મનને એમ થવા માંડ્યું કે આવું તો મેં ક્યાંક જોયું છે. ક્યાં જોયું? ક્યાં એમ મનમાં ઉહાપોહ કરતાં કરતાં મને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. એમાં અહાહા ! એમાં જે પ્રિયના વિયોગની કરુણ કહાણી છે, એ આજે યાદ આવતાં શરીર કંપી ઊઠે છે. તને એ જીવનની કશી વસ્તુ છૂપાવ્યા વિના શોકભર્યા દિલથી કહીશ. પહેલાં પ્રિયના સંયોગનું મહાસુખ અને પછીથી પ્રિયના વિયોગનું મહાદુઃખ સાંભળતાં તું દુખિત થઈ જશે. પરંતુ તારે જાણવું જ છે તો જાણે વર્તમાનમાં કર્મ ! તારી ગતિ ન્યારી 69
Page #75
--------------------------------------------------------------------------
________________ એ બની રહ્યું હોય એવી રીતે કહું છું. ચકોર-ચકોરીનો અનોખો પ્રેમ : અંગ દેશ છે એમાં ચંપા નામની મહાનગરી છે. એની પાસેથી નદી વહે છે. એમાં અનેક પ્રકારના પક્ષીઓ હંસ-સારસ-ચક્રવાક વગેરે પક્ષીઓ ખેલી રહ્યા છે. એમાં યુગલો સ્વેચ્છા મુજબ પૂર્ણ વિશ્વાસથી એકબીજા પર પ્રેમ દાખવી રહ્યા છે. ત્યાં હું પૂર્વભવે ચકોરી હતી, અને આવી રીતે મારા પ્રિય ચકોર સાથે પ્રેમલીલા કરતી હતી, એવું મને આબેહૂબ દેખાયું. પ્રિય તરફથી ખૂબ જ સર્ભાવ, સુખ; અને સરોવર-નદી-તટ વગેરે ખેલવા માટે મળેલી સંપત્તિમાં એવી અત્યંત રક્ત હતી કે મને લાગે છે સંસારમાં સર્વયોનિઓમાં જીવો જન્મીને સુખ-સંપત્તિમાં લીન થાય છે, પરંતુ જે રાગ ચક્રવાક ચક્રવાકીને હોય છે એવો જગતમાં ભાગ્યે જ કોઈ યુગલને હોતો હશે. કેમકે સાંજ પડ્યું યુગલના મોઢા એકબીજાથી તદ્દન ઊલટી દિશા તરફ થઈ જાય, તેથી એમ જ લાગે કે જાણે પ્રિયનો વિયોગ જ થઈ ગયો, તે રાતભર એમ ચાલે, તેથી રાતભર ઝૂરી મરે ! તે સૂરજ ઊગે પાછા ભેગા થાય ત્યારે આનંદનો પાર ન રહે. દુનિયામાં કોને આવા રાગ રહેતા હશે ? મારા પ્રિય ચકોરનું માથું ભારે નહિ, હળવું, ને એનું શરીર કાંઈક-ગોળાકાર એટલે ખૂબ રમણીય એની સાથે નદી સરોવર ને એના કાંઠા ઉપરની રેતીમાં અમે એવા એકરૂપ થઈ ખેલતા કે એકબીજાથી જરાય જુદા થવું ગમતું નહિ.” ચકોર ચોરીના આ પ્રેમ પર ભગવાનની સ્તવના કરી શકાય. ‘પ્રભુ! અમને તમારા પર ચકોરીને ચકોર પર પ્રેમ હોય છે તેવો પ્રેમ છે, તો પ્રભુ તમે અમારા અંતરમાંથી જરાય દૂર ન રહેશો...' પરંતુ જોવાનું આ છે કે ખરેખર આપણને પ્રભુ પર એવો પ્રેમ છે ? ચકોરી રાતના ચકોર વિના નૂરી મરે છે. કયો દિવસ એવો યાદ આવે છે કે એ દિવસ પ્રભુ વિના આપણે ઝૂરી મર્યા હોઈએ? કમાઉ દીકરો દેશાવરથી આવવાની તારીખ પછી પાંચ દિવસ મોડો પડે, તો એ પાંચ દિવસ કેવા જાય ? દહાડામાં કેટલીવાર છોકરો યાદ આવે ? તરંગવતી સખીને કહી રહી છે “સારસિકા ! આજે મને એ વખતે એમ ચકોર ચકોરી નદી સરોવર વગેરેમાં કેવા અકલ્પનીય આનંદમાં પરસ્પર ખેલી રહ્યા હતા, એ યાદ આવતાં શરીરે રોમાંચ ખડા થાય છે. પરંતુ આ દુનિયાના 70 - તગવતી
Page #76
--------------------------------------------------------------------------
________________ આનંદ કેટલા ટકે છે ? છતાં જીવની ગમારિતા છે કે એવા નાશવંત આનંદ ખાતર અઢળક પાપો કર્યે જાય છે. ક્યારેય પૂર્ણવિરામ નથી. દુનિયાના ક્ષણિક આનંદ ખાતર અઢળક પાપ આચરાય, એ ગમારિતા છે. તરંગવતી આગળ ચલાવે છે,- ત્યારે જો બેન ! આ દુનિયાના વિષયોની રમતમાં અણધાર્યા આક્રમણ કેવા આવે છે ! ત્યાં સરોવરમાં એક જંગલી હાથી ખેલવા માટે આવ્યો અને સૂંઢમાં પાણી ભરીને ચારેબાજુ ઉડાડવા માંડ્યો. નાના પંખેરાના શા ભાર કે આ પાણીની ઝાપટમાં સરખી રીતે ખેલી શકે ? ટપોટપ દૂર ઊડવા લાગ્યા એમાં મારો પ્રિય ચકોર કમનસીબ, તે ઊડતાં બાણથી વીંધાયો ! બન્યું એવું કે ત્યાં એક વનચર પારધી જુવાને દૂર ઝાડ પર ચડી હાથીનો શિકાર કરવા બાણ છોડેલું. બાણ બરાબર એ વખતે જ છૂટ્યું કે જ્યારે મારો પ્રિય ચકોર હાથીના જલ છંટકાવના ત્રાસથી ઊડીને દૂર જવા જતો હતો, તે બાણ હાથી સુધી પહોંચે એ પહેલાં એણે મારા પ્રિયને લઈ નાખ્યો ! તીક્ષ્ય બાણ મારા પ્રિયના શરીરમાં ઘૂસ્યું, એના પ્રહારથી મારો પ્રિય ચકોર ભારે વેદનાથી બાણ સાથે પડ્યો નીચે પાણી પર. સારસિકા ! પેલા પારધીએ જ્યાં મોટા હાથીનો વિનાશ કરવા છોડેલું તીક્ષ્ય બાણ વચમાં ઊડતા મારા પ્રિય ચકોરને કમ્મરના ભાગમાં વીંધી નાખ્યું, ત્યાંથી મારા દુઃખની કહાણી શરૂ થાય છે. નદી સરોવરમાં અને એના તટ પર અમે અન્યોન્ય એકમેક થઈને ખેલી રહ્યા હતા ને એટલા બધા સુખમગ્ન હતા કે એકબીજા વિના અમે રહી શકતા નહોતા, એ સ્વર્ગીય આનંદનો અહીં અંત આવ્યો. સંસારની 84 લાખ યોનિઓમાં જીવો ઝાંઝવાના નીર જેવી સંસારની ક્ષણિક સુખ-સગવડમાં મોહિત થઈ શું જોઈને આનંદ માણતા હશે ? મોતનો વિકરાળ પંજો જોતજોતામાં આવી પડે છે, ત્યાં બધું ય સુખ અને બધો ય આનંદ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, ને જીવ પારાવાર દુઃખમાં ખૂંચી જાય છે. ચકોરીનો કલ્પાંત : મારો પ્રિય ચકોર બાણે વીંધાયો. ગાઢ પ્રહારથી વેદના વિહ્વળ થઈ તરફડતો બાણ સાથે પડ્યો પાણી પર; એ દશ્ય મારે જોવું અસહ્ય હતું, તેથી હું વિના બાણ-પ્રહારે અતિશય પ્રેમની મારી બેભાન થઈ પડી પાણી પર. થોડી કર્મ ! તારી ગતિ ન્યારી 71
Page #77
--------------------------------------------------------------------------
________________ જ વારમાં ભાનમાં આવતાં મારા પ્રિયની દશા જોતાં શોકથી આંસુભીની આંખે હાય ! હાય !' એમ વિલાપ કરવા લાગી ! મારા મોંથી બાણ કાઢવા ખેંચવા લાગી, પણ મારું શું ગજું કે એમ બાણ નીકળે ? છતાં બાણ ખેચાવા સાથે મારો પ્રિય પણ ખેચાવા લાગ્યો તે તટ પર આવી ગયો. ત્યાં હું પાંખોથી પ્રિયને પવન નાખતી કરુણ કલ્પાંત કરવા લાગી “હા! હા ! કંત ! આ તમને શું થયું ? આ કોણ દુષ્ટ તમને બાણ માર્યું ?" જોઉં છું તો થોડી જ વારમાં એના સર્વ અંગ નિશ્ચેષ્ટ થઈ ગયા છતાં મારા સ્વાર્થની મોહ-મૂઢતામાં અને અતિશય પ્રેમના કારણે એને મરી ગયેલાને પણ જીવતા માની રહી હતી; તેથી એના શરીર પર ને મો પર મારું મો મિલાવીને ‘નાથ ! મારી સાથે હસીને બોલો. આ તમારા કોમળ શરીરને કયા રાક્ષસે બાણે વીંધ્યા? તમને વીંધવાને બદલે મને કેમ ન વીંધી નાખી ?' સારસિકા ! પ્રિયને બોલાવવા ચલાવવા કરુણ વિલાપથી ઘણી મથું છું, પરંતુ જ્યાં જોયું કે એ જરાય સળવળતા નથી, એટલે મને નિર્ણય થતાં શોકનો ઉછાળો વધી ગયો. એ એવો દુસ્સહ શોક હતો કે એના આઘાતથી મારું ત્યાં ને ત્યાં મોત જ થઈ જાત. પરંતુ મોત ન પામતાં હું મૂચ્છિત થઈ ગઈ. મૂચ્છએ ક્ષણવાર મારું દુઃખ દબાવ્યું, પરંતુ ભાન આવતાં હૈયા પર દુ:ખનો ભાર એટલો બધો હતો કે મને થયું કે “હાય ! આ હું જીવતી કેમ રહી ગઈ ! એ દુઃખના સંતાપમાં મારી ચાંચથી મારી પાંખના અગ્રભાગને ટોંચી રહી છું, જરાક ઊડી ઊડીને ધૂળમાં આળોટી રહી છું, અને હૃદયના કરુણ વિલાપ કરી રહી છું કે,- “બીજાની સંપત્તિનો વિનાશ સર્જનારા કોણ નિર્દયે આ મારા પ્રિયનો સર્વનાશ કરી નાખ્યો ? મહિલાના પ્રાણસમા પ્રિયને મારી નાખતાં એને કશી અરેરાટી ન થઈ ? પ્રિય જીવંત હોય તો મહિલાને બધી વાતે સુખ છે, ને એ મરી જતાં બધા સુખનો અંત આવી જાય છે.' હે મારા નાથ ! તમે આ મારું દુઃખ તો જુઓ. તમારો વિરહ પડતાં તો હું એવા ચિંતા-સંતાપમાં સળગી રહી છું કે મને પદ્મસરોવરની ઠંડી રેતીમાં પણ ઠંડક નથી મળતી. હે પ્રિય ! તો શું હવે તમે મને પ્રેમથી નહિ જુઓ ? મારા પ્રાણ ! એક વાર તો મને તમારી પ્રેમાળ ચક્ષુથી નિહાળો ! શું મારે હવે પ્રિયના વિયોગમાં હંમેશાં બળ્યા કરવાનું રહેશે ?'... આમ કરૂણ કલ્પાંત કરતી મારા પ્રિયના શરીર પર દુ:ખની મારી ચંચુપાત કરી રહી હતી, હાય હાય કરતી માથા પછાડી રહી હતી. વિચારવા જેવું છે, 72 - તરંગવતી
Page #78
--------------------------------------------------------------------------
________________ દુન્યવી રાગના અંજામ કેવા કરુણ આવે છે ! શું તમને નથી લાગતું કે જો રાગના અંતે આવા કરણ કલ્પાંત કરવાના હોય, તો બહેતર છે કે એવા રાગ એવા મમત્વ નહિ કરવા ? એ પણ જોવા જેવું છે કે શું રાગ માણસને જ કરતા આવડે છે? કે અબૂઝ પંખેરાને પણ આવડે ? એ સૂચવે છે કે આ સંસારમાં જીવને અનંત અનંત કાળના રાગના અભ્યાસ છે. બધી જ ગતિઓમાં પૂર્વરાગના સંસ્કારોથી નવી નવી રાગની પ્રવૃત્તિ થયે જાય છે, અને એથી રાગ-સંસ્કારો દઢ દૃઢતર થતા રહે છે. હવે અહીં જો અજ્ઞાન અબૂઝ તિર્યંચો કે અનાર્ય મનુષ્યોની જેમ પૂર્વ સંસ્કારવશ રાગની પ્રવૃત્તિઓ વિનાસંકોચ કર્યો જ જઈએ, કર્યે જ જઈએ, તો રાગમાં કદીય ઓછપ થવાની ? ના, નહિ થવાની. એ તો તો જ થાય કે રાગની પ્રવૃત્તિઓ પર કાપ મૂકતા જઈએ, ને વિવિધ ત્યાગના નિયમો કરતા જઈએ. બાકી રાગ-સંસ્કારોના કેવા કેવા અનર્થ નીપજે છે કે અહીંથી સાથે લીધેલ રાગસંસ્કાર ભવિષ્યમાં પણ તેવા પ્રસંગ આવ્યું જુનું પુરાણું યાદ આવીને ય દુ:ખ કરાવે છે. બેનોમાં આ દેખાય છે. સગામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે લોકાચારમાં જશે ત્યાં વર્તમાનના મૃત્યુપ્રસંગ પર જુનો પ્રિય સ્વજનનો મૃત્યુપ્રસંગ મનમાં યાદ લાવી રોશે. આમાં કેવુંક ઊંધું વેતરણ છે ? વાત બનવાકાળ બની ગઈ, હવે એ જાતે યાદ કરી જાતે જ દુ:ખી થવાનું ને ? શું એવું ભૂતકાળને યાદ કરીને મરનારનું ભલું કરાય છે? એથી મનનું શુદ્ધિકરણ થાય છે ? મનનું શું સત્ત્વ વધે છે ? આમાંનું કશું જ નહિ. પછી શી જરૂર યાદ કરવાની ? ચકોરી ચકોરના અકાળ મૃત્યુ પર રડી રહી છે. શું એથી ચકોર પાછો આવવાનો ? ના, તો પોતાના મનને શાંતિ રહેવાની ? ના, તો પછી રુદન શું કામ કરશે ? ખરું તો આ વિચારવા જેવું છે, જીવનું ધાર્યું શું થાય છે ? ને નહિ ધારેલું શું નથી આવી પડતું ? સુખના માટે કરેલા પુરુષાર્થ જ દુઃખ માટે થાય છે. ચકોર સુખ માટે ઊડી જતો હતો, એમાં જ આ બાણના પ્રહારનો ભોગ બન્યો ! માટે તો જ્ઞાની ભગવંતો કહે છે. 'दुःख द्विट् सुखलिप्सुर्मोहान्धत्वात् अदृष्ट-गुणदोषः / यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते // ' / અર્થાતુ, જીવ મોહથી અંધ બનેલો હોવાથી, “પ્રવૃત્તિના શા લાભ થશે? કે નુકસાન?' એ એને ધ્યાનમાં જ નથી હોતું. તેથી જે જે પ્રવૃત્તિ સુખના માટે કર્મ ! તારી ગતિ ન્યારી 93
Page #79
--------------------------------------------------------------------------
________________ કરે છે એનાથી જ એ દુઃખ પામે છે. ચકોરની સુખ માટે ઊડવાની પ્રવૃત્તિઓ જ બાણે વીંધાવાનું દુ:ખ આપ્યું. આમાં ખૂબી પાછી એ કે પારધીએ પક્ષીને વીંધવા મુદલે ય ધાર્યું નહોતું, છતાં સુખ માટે ઊડતું પંખી જ વીંધાયું. માણસ અભિમાનથી સુખના ફાંફાં મારે એ નકામા છે. મીઠાઈથી શક્તિ મળે ? : માણસ મીઠાઈ ખાવા જાય સુખ માટે, પણ એનાથી જ પેટ દુઃખવા આવી જાય છે. કદાચ આરોગ્ય સારું હોય, પેટ ન દુ:ખવા આવે, પરંતુ હોજરી બહુ સાકર ખાવાથી દૂબળી તો પડતી જ જાય છે, તેથી જતે દહાડે પાચન મંદ પડી જાય છે, અશક્તિ આવી જાય છે. એમાં ય જીવની મૂઢતા કેવી કે આ ગુણ-દોષની ગમ નહિ, તેથી માને છે કે “લાવ, થોડી મીઠાઈ લઉં, શક્તિ આવે.” પરિણામ? પાચન મંદ પડતાં પડતાં જિંદગી ટુંકાવી નાખે છે, ને જિંદગીના પાછલા વરસો રોઈ રોઈને પૂરા કરે છે. મોહ-મૂઢતાથી સુખના માટે કરેલા પુરુષાર્થ દુઃખ માટે થાય છે. રાવણ ઠગાય છે : રાવણ જબ્બર શરીરબળ અને મોટા લાવલશ્કરના ભરોસે ચંદ્રહાસ ખડગ ઉગામી વાલિ રાજા પર ત્રાટક્યો ! પરંતુ વાલિ રાજાએ ડાબે હાથે એનો ખડગવાળો હાથ પકડી ઊંચકીને છત્રીના ડાંડાની જેમ પોતાની બગલમાં દાબી દીધો ! ને આકાશગામિની વિદ્યાથી આખા જંબુદ્વીપને રોન લગાવી, લાવીને યુદ્ધભૂમિ પર પાછો એને ખડો કરી દીધો ! શું માન રહ્યું રાવણનું ? અહીં મજાલ હતી કે મોં ઊંચું કરી શકે ? વાલિના પગમાં પડી જવું પડ્યું; કેમકે એ જુએ છે કે “આમ તો વાલિ એને અહીં જ શા માટે છોડી દે ? સીધો લોખંડી જેલના સળિયા પાછળ જ જિંદગીભર સડવા મૂકી દે ! પણ એ સમય નથી આવ્યો ત્યાંસુધીમાં પગે પડી જવા દે.” રાવણ વાલિના પગે પડીને માફી માગે છે. રાવણની મદદે આવેલા સેંકડો રાજાઓ અને લાખોના લશ્કરના દેખતાં જ આ બને, ત્યાં માંધાતા રાવણનું માન શું રહ્યું ? વિજય માટેના કરેલા પુરુષાર્થથી જ રાવણની નાલેશી થઈ. મોહની અંધતાથી અદૃશ્ય ગુણદોષ-પ્રવૃત્તિમાં લાભ થશે કે નુકસાન ? એ ધ્યાનમાં જ ન લે. નહિતર અહીં રાવણ પહેલેથી જ વિચારી શકત કે “એ સંભવિત છે કે જયારે વાલિ આજ્ઞામાં આવવાની ના પાડે છે, અને મિત્રાચારીનો સંબંધ રાખવા ખુશી બતાવે છે, તો એની પાછળ જરૂર વાલિ પાસે કોઈ બળ હોવું જોઈએ. એ હોય તો મારી આ એની પર ચઢાઈ કરવાની પ્રવૃત્તિ સફળ ન 74 - તરંગવતી
Page #80
--------------------------------------------------------------------------
________________ થાય'- આ પ્રવૃત્તિનો દોષ રાવણના ખ્યાલમાં જ ન આવ્યો, નાલેશી થઈ, હવે શું કરે ? રાંડ્યા પછી ડહાપણ આવે એ શું કરે ? રાવણ વાલિની ક્ષમા માગતાં કહે છે, “પ્રભુ મેં પહેલાં તમારા બળને જાયું નહિ ને આ સાહસ કર્યું. મને ક્ષમા આપો.” વાલિ કહે છે, ‘ભલા આદમી ! આ તું ચંદ્રહાસ ખડગ મળ્યાના પુણ્યના આપું? હું પણ હજી આયુષ્ય, બળ, ને રાજયસંપત્તિના પુણ્યના ભરોસે જ બેઠો રહ્યો છું. હું પણ એક દિ' ઠગાવાનો. એવું ઠગાવાનું આવે એ પહેલાં સોપું છું, ને એને તારી આજ્ઞામાં રહેવા હુકમ કરું છું.' વાત આ હતી, કર્મસત્તા અને ભવિતવ્યતા કેવી કેવી અણધારી ઘટનાઓ સરજે છે ! રાવણને અણધારી ભારે નાલેશીભરી હાર મળી. ચકોર પર અણધારી જીવલેણ આફત આવી. ભવિતવ્યતા કેવી કે પેલાનું બાણનું છોડવું, ને એ જ વખતે ઊડતા જવું ને વીંધાઈ જવું. પૂછો, “બીજા કોઈ પંખીને નહિ, પણ આ રીતે ? હા, એનું જ નામ ભવિતવ્યતા. ત્યારે પારધીના હાથી તરફ તકાયેલા બાણથી હાથી બચી ગયો એ પણ ભવિતવ્યતાએ બચી ગયો, અને શુભકર્મના ઉદયે બચી ગયો. બાકી હાથીનો બચવાનો પુરુષાર્થ ક્યાં હતો ? એ તો નિશાનબાજ પારધીના બાણના નિશાન તરીકે તકાઈ જ ગયો હતો, જેની હાથીને કશી ખબર જ નહોતી. છતાં એ બચી ગયો, અને પારધીના જે લક્ષ્ય તરીકે જ નહિ, એ ચક્રવાક બાણથી ઝડપાઈ ગયું! આ પરથી એમ લાગે કે કેમ જાણે આ બધું ગોઠવાઈ ગયું હતું. પરંતુ કોઈ ગોઠવવા આવતું નથી, કર્મસત્તા, ભવિતવ્યતા વગેરે તત્ત્વો જ કામ કરે છે. કરંડિયાના સાપને ભક્ષ્ય પ્રાપ્તિ ભવિતવ્યતાથી : ફળના કરંડિયામાં સાપ પૂરેલો હતો. સાપ ભૂખ્યો ડાંસ; પણ ત્યાં શું ખાવા મળે ? એને લાગતું હતું કે આમ જ અંદર પૂરાયા ભૂખ્યા ભૂખ્યા મરી જવું પડશે. એમાં બહારમાં એક ભૂખ્યો ઉંદર ફળની ગંધથી ખાવા આવ્યો. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #81
--------------------------------------------------------------------------
________________ એને લાગ્યું કે “આજ તો ઘી કેળા થશે કેમકે કરંડિયો કોચીને અંદર પેસી નિરાંતે ફળ ખાઉં તો કોઈ રોકનાર દેખાતું નથી.' બંનેમાં કોનું ધાર્યું થાય એવું છે ? ઊંદરડો કરંડિયો કોચવા મંડ્યો. પછી ખૂબી એ થઈ કે ઉંદરડે કરંડિયાની બહારમાં એ જ જગાએ કોચવા માંડ્યું કે જ્યાં અંદરમાં સાપનું મોટું હતું. આ કોણે ગોઠવી મૂક્યું ? ભવિતવ્યતા જ એવી કે એ આ બધું અમુક ચોક્કસ પ્રકારનું ગોઠવી દે; અલબત એમાં સાપ અને ઉંદરના શુભ-અશુભ કર્મ કામ કરી જાય. શુભાશુભ કર્મે સાપને ભક્ષ્ય મળી જાય, અને ઉંદરને કરપીણ મોત મળે; પરંતુ એ શુભાશુભ કર્મ આ જ રીતે કામ કરી જાય એમાં ભવિતવ્યતાનું નિયોજન છે. એણે ઊંદરને અહીં લાવી મૂક્યો, જયાં એને ભયંકર મોતની વેદનાના અશુભ કર્મ ઉદય પામી જવાના ! ઉંદરે કરંડિયો કોચીને કાણું પાડ્યું, તે એવી જગાએ કે જયાં સાપનું મોટું છે. ઉંદરને ફળની સરસ સોડમ અને ખાવાના લોભમાં જોવા ફુરસદ ન રહી કે અંદર કોણ છે ? તે એ તો કાણામાંથી સીધો સાપના ફાડેલા મોમાં જ દાખલ થઈ ગયો. કેમ જાણે સાપની ઉપર વહાલ ઊભરાયું,- “લે ભઈલા ! તું ભૂખ્યો છે ને ? હું આ તારા મોઢામાં જ સીધો આવું છું !" વહાલ કાંઈ નહિ કવિકલ્પના છે. કલ્પના એટલા માટે કે જેમ વહાલ-વાત્સલ્યથી કોઈનું કામ કરીએ એ બીજા ત્રીજા વિચાર વિના સહેજે. અને ઝટપટ થાય છે, એ રીતે આ ઉંદર આફતના કશા વિચાર વિના સહજભાવે અને ઝટપટ સાપના મોંમાં પેસી ગયો. ઉંદર ત્રાસથી મર્યો ! અને સાપ પેટ ભરીને એજ કાણામાંથી બહાર નીકળી ચાલી ગયો ! સાપને ભક્ષ્ય અને મુક્તિ, બેવડો લાભ ! તરંગવતી કહી રહી છે “સારસિકા ! તને શું કહું મારા દુઃખની વાત ? મારી પ્રિય ચકોર બિચારો બાણે વીંધાયો બાણ સાથે પાણી પર પડ્યો ને કારમી વેદનાથી એ જોતાં હું પણ બેભાન થઈ પડી પાણી પર, પાણીની ઠંડકથી જરાક વારમાં ભાન આવતાં ભારે કંપવા લાગી, પ્રિયને બચાવી લેવા ફાંફાં મારતી મેં ચાંચ વડે બાણને ખેંચવા માંડ્યું પણ બાણ એમ શરીરમાં ખેંચેલું શાનું નીકળે ? પરંતુ બાણને ખેંચવામાં બાણ સાથે મારો પ્રિય પાણીને કિનારે ખેંચાઈ આવ્યો. ત્યાં હું વલખા મારતી માથા પછાડ કરી રહી હતી એ જોતાં લાગે કે, - તરંગવતી
Page #82
--------------------------------------------------------------------------
________________ જીવ શા સારું પ્રેમમાં પાગલ થતો હશે જેના અંતે જીવને આવા માથા પછાડ દુઃખ કરવાના આવે ? ખૂબી તો એ કે સામા પ્રેમપાત્ર પર ગમે તેટલો પ્રેમ-રાગ-લાગણી આમ માથા પછાડ કષ્ટથી વ્યક્ત કરે, પરંતુ એનું કશું ઉપજતું તો છે નહિ. સામાને કશી શાતા નથી આપી શકતો, ને નથી એને બચાવી શકતો. પ્રિય પર આફત અંગે લાગણી-પ્રદર્શન પણ ક્યાં સુધી ? પોતાના પર બીજી આફત ન આવે ત્યાં સુધી ! મારે એવું જ બન્યું. મારો પ્રિય વીંધાયો એ જોઈ પેલો પારધી યુવાન ત્યાં દોડતો આવ્યો. પારધીની કાયા જોઈ હોય તો જાણે મોટા રાક્ષસની કાયા ! કાળા શીશમ જેવી અને મોં વાઘના જેવું વિકરાળ ! એમાં આંખો ભારે ભયાનક એવી કે એ જોતાં જ મારા તો હોશકોશ ઊડી ગયા. હું ગભરાઈ, મને થયું કે હાય ! આ નિર્દય શું કરશે ? મને હાથમાં પકડી મસળી તો નહિ નાખે ?" સ્વાર્થની માયા કેવી છે ! પોતાના પર આફતના ભયની લાગણીએ હું આકાશમાં ઊડી ત્યાં જ ગોળ ગોળ ભમવા લાગી; જોઉં છું પારધી યુવાન શું કરે છે. તો સારસિકા ! શું એ યુવાન ત્યાં નિર્દયતાથી આવ્યો હતો? ના, કઠોર માણસના ય દિલના ખૂણામાં ક્યાંક કોમળતા હોય છે. એ મને ત્યાં જોવા મળ્યું. આમે ય એમ તો બીજા પ્રાણીઓ પ્રત્યે ભયંકર ક્રૂર વાઘવાઘણમાં ય પોતાના બચ્ચા તરફ ક્યાં કોમળતા નથી હોતી ? પરંતુ પારકા પર કોમળતા આવે એ નવાઈ છે. પારધીમાં ચકોર પ્રત્યે એ કોમળતા આવી કે “હાય મેં તો હાથીનો શિકાર ધારેલો, એમાં આ બિચારા પંખેરાનો ક્યાં શિકાર થઈ ગયો ! એમાં વળી એણે જ મારો (ચકોરીનો) કલ્પાંત અને માથા પછાડ દૂરથી જોયો હશે, તેથી એની લાગણી વધારે ઉત્તેજિત થઈ ગઈ... શિકારી પારધીની ચકોર પ્રત્યે કૂણી લાગણી : આ રીતે એણે મારા પ્રિય ચકોરનું શરીર હાથમાં લઈ બહુ સાચવીને એમાંથી બાણ ખેંચી કાઢ્યું. પછી જુએ છે તો ચકોરમાં પ્રાણ રહ્યા નથી, તેથી એ પારધીએ કેમ જાણે પોતાના અપરાધના પ્રાયશ્ચિત્તરૂપે કમમાં કમ કાંઈક કરવું' એમ વિચારી ચકોરના મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરવા એ લાકડા લેવા ઉપડ્યો. તરંગવતી કહે છે “હે સારસિકા ! હું મારા પ્રિયના દેહ પર ભારે કલ્પાંત કરી રહી હતી. આ કલ્પાંતનો પાર નહોતો એટલામાં પેલો પારધી કર્મ ! તારી ગતિ ન્યારી
Page #83
--------------------------------------------------------------------------
________________ કાઠ લઈને આવ્યો. કાષ્ઠની ચિતા ગોઠવી, અને એના પર મારા પ્રિયનું શરીર ગોઠવ્યું એના પર બીજા કોઇ મૂક્યા, અને કાષ્ઠની પાસે એના બાણને પત્થર પર ઘસીને અગ્નિ-તણખા પ્રગટાવી કાષ્ઠ સળગાવ્યા. હું જે મારા પ્રિયના શરીર પર ચાંચો લગાડી એને બોલાવવા મથતી હતી, એ પારધીને ત્યાં આવતાં જ ઊડી આકાશમાં ચારે બાજુ ઘુમવા લાગેલી. ઘૂમતી જોતી હતી કે આ શું કરે છે એમાં જ્યાં ભડભડતો અગ્નિ અને એની અંદર મારા પ્રિય ચકોરનું શરીર બળતું દેખવા લાગી ત્યાં મારા મનને ભારે દુઃખ-ઉદ્વેગભર્યો કલ્પાંત શરૂ થઈ ગયો, મને થયું, અરેરે પ્રિય ! આ હું શું જોઈ રહી છું ? તમે બળો છો એ મારે જોવાનું આવ્યું, એ પહેલાં મને કેમ બાળી ન મૂકી ? તમારા ગાત્ર બળતા જોઈને તો મારા ગાત્ર બળવા લાગ્યા છે. અમારે સ્ત્રીઓને તો એકમાત્ર પ્રિયનો આધાર હોય છે, તે તમે બળી મરો પછી શું મારે આધાર વિના જીવવાનું ? અને તમારા વિયોગે જીવનભર એક સંતાપની આગમાં સદા બળતા રહેવાની કારમી પીડા જીવનભર સહવાની ? એના કરતાં તો આ આગમાં બળી મરવાની પીડા વિસાતમાં નથી; ક્ષણભરની પીડા છે. તો લાવ તમારી હારોહાર બળી જ જવા દે. મારા પ્રિયના બળવાની સાથે મારે બળવામાં તો કલેજે ઠંડક રહેશે કે હાશ ! મને પ્રિયની સાથે બળવાનું મળ્યું.' એમ કરી મેં ભડભડતી આગમાં ઝુકાવ્યું. સારસિકા ! મારા અંગેઅંગ ભડકે બળતા હતા, પણ મારી સાથે બળતા પ્રિયની હૂંફ એવી હતી કે મને કલેજે બળતરા નહિ, પણ ઠંડક હતી.” રાગના લીધે બળવામાં પણ ઠંડક : જગતમાં મોહ રાગ શું કામ કરે છે, એ અહીં દેખાય છે. અગ્નિની ભડભડતી જવાળાઓમાં બળવાનું પણ હૈયાને બાળતું નથી, ઠંડક આપે છે ! કારણ પ્રિય પર ભારે રાગ. ત્યારે આ પરથી સમજી શકાય છે કે કમઠના કાષ્ઠમાંથી અડધીપડધો બળેલો સાપ પાર્શ્વકુમારે બહાર કઢાવી સેવકના મુખે એને નવકાર આપ્યો, ત્યારે એ સાપે અગ્નિએ બળ્યાની વેદના શી રીતે ભૂલીને કલેજે ઠંડક અનુભવી હશે ? શી રીતે ઠંડકથી નવકારપદના શ્રવણમાં અને પાર્શ્વકુમારની મુખમુદ્રાનાં દર્શનમાં લીન થઈ ગયો હશે ? એવી ઠંડકથી શ્રવણદર્શન કર્યા હશે તો જ ત્યાંથી મરીને ધરણેન્દ્ર થયો હશે ને ? ઠંડકને બદલે જો હૈયે બળ્યાની લાયનો સંતાપ હોત કે “હાય કેટલી બધી બળતરા ! કેટલી 78 - તરંગવતી
Page #84
--------------------------------------------------------------------------
________________ બધી વેદના !" તો તો એ આર્તધ્યાનમાં હોત; ને આર્તધ્યાનમાં કાંઈ ઇંદ્રપણાનું દેવગતિનું આયુષ્ય ન બંધાય. આર્તધ્યાનમાં તો તિર્યંચગતિના પાપ બંધાય. એ તો ઊંચું શુભધ્યાન આવેલું તો જ ઇંદ્રપણાનું પુણ્ય ઊભું થયું, અને ભવનપતિ-નાગલોકના ઇંદ્ર ધરણેન્દ્ર બન્યા ! એ ઊંચું શુભધ્યાન શાના પ્રભાવે ? કહો, અગ્નિદાહની બળતરા ભૂલી નવકારશ્રવણ અને પ્રભુમુખ-દર્શનની ઠંડક એવી અનુભવી કે આ ઠંડકમાં પેલી બળતરા સદંતર ભુલાઈ ગઈ ! ભુલાઈ તે એવી કે એનો કશો સંતાપ-હાયકારો રહ્યો નહિ. બસ આપણે જોવાનું આ છે કે જેમ ધરણેન્દ્ર સાપ શરીર બળ બળની સ્થિતિમાં નવકારના અક્ષરો પર અને પ્રેમ કરુણાભર્યા પ્રભુમુખ પર ઠર્યો, એમ આપણે બીમારીમાં તો નહિ, કિન્તુ સારી સ્થિતિમાં ય નવકાર અને પ્રભુમુખ-દર્શનમાં ઠરીએ છીએ ? નવકારમાં ઠરવાનો ઉપાય : સાપને તો નવકારના અર્થ કે નવકારના મહિમાની કશી ખબર નહિ. છતાં એમાં ભારે ઠર્યો ! ત્યારે આપણે તો નવકારની અને પ્રભુની ઓળખનો દાવો રાખીએ છીએ તો પછી કેમ ઠરતા નથી ? કહો, સાપને બળતી સ્થિતિમાં આશ્વાસન લાગ્યું કે “અહો ! મને કોઈક પ્રેમથી દયાથી કાંઈક સંભળાવે છે ! મારા પર કોઈક પ્રેમ અને દયાભરી દષ્ટિથી જુએ છે !' એ આશ્વાસનથી એનું ચિત્ત નવકારશ્રવણ ને પ્રભુમુખદર્શનમાં કર્યું. એમ આપણને આ આશ્વાસન લાગે કે “અહો ! આ નવકારના અક્ષર જ્ઞાનીઓએ કેટલા બધા પ્રેમથી અને કેટલી બધી દયાથી સંભળાવેલા છે ! જ્ઞાનીઓએ જ્યારે એટલી બધી દયા અને પ્રેમથી આ અક્ષરો સંભળાવ્યા ત્યારે આ નવકારના અક્ષરો કેટલા બધા પ્રભાવવંતા હશે !" એમ આપણને અભુતતા લાગે. કમઠનો સાપ અગ્નિની શેકામણથી બળતો હતો એમ આપણે કેટલીય વાતોથી ચિંતા અને સંતાપોથી બળી રહ્યા છીએ, એ ભાવ મન પર લાવીએ, તો એમાં પ્રભુની આ દયા અને પ્રેમથી ઉચ્ચારાયેલા અને પ્રભાવવંતા નવકારના અક્ષરો પર આપણે ઓવારી જઈએ ! એમાં ઠંડકથી ઠરીએ. આવું માત્ર નવકારમાં જ નહિ, પણ શાસ્ત્રના વાંચન-શ્રવણમાં ઠંડકથી ઠરવાનો અનુભવ કરવાનો. ગૌતમ મહારાજ સ્વયં દ્વાદશાંગી આગમોના રચયિતા હતા, એટલા બધા એ મહાજ્ઞાની હતા ! છતાં મહાવીરસ્વામિ ભગવાનના વચન વિસ્મિત કર્મ ! તારી ગતિ ન્યારી 79
Page #85
--------------------------------------------------------------------------
________________ હૃદયે લય-લીનતાથી સાંભળતા હતા. શું પ્રભુના કથનના પદાર્થને જાણતા નહોતા ? જાણતા જ હતા; છતાં કેમ આશ્ચર્ય ? ને કેમ ઓવારી જવાનું? એટલા માટે કે એમને આ લાગતું કે “અહો ! પ્રભુ કેટલી બધી દયા અને કેટલા બધા પ્રેમથી આ કહી રહ્યા છે !' ભારે બીમારીની અસ્વસ્થતામાં કોઈ બહુ પ્રેમ લાગણી અને ગદ્ગદતાથી નવકાર સંભળાવે, જાણીતા સ્તવન-સજઝાય સંભળાવે, ત્યાં આપણને ક્યાં એમ લાગે છે કે “આ તો મેં સાંભળેલું છે?' ત્યાં તો ભાવથી સંભળાય છે. એમ, આપણને આપણી કર્મ-પીડિતતાની ભારે અસ્વસ્થતા થાય, તો બહુ પ્રેમ-લાગણીથી સંભળાવાતા એના એ શાસ્ત્ર-અક્ષર ને શાસ્ત્ર-વાતો વિસ્મયથી સાંભળીએ. | ‘ભવપાર કરી ગયેલા પરમપુરુષ પણ જ્યારે અમારા જેવા કર્મ-પીડિત જીવો પર દયા અને પ્રેમથી કહે છે, તો એમાં અમારું મહાન હિત સમાયેલું છે,'- આમ જો જ્ઞાનીઓની દયા અને પ્રેમની આપણે કદર કરીએ તો આપણને એ વચનોમાં ચમત્કાર દેખાય, પછી ભલે એ વારંવાર બોલવા-સાંભળવામાં આવે. મોટા મોટા મેઘકુમાર મુનિ, શાલિભદ્ર મુનિ, જંબૂકુમાર મુનિ જિનાગમોનાં શ્રવણ અને પારાયણમાં એ પ્રમાણે પ્રભુની અપરંપાર દયા અને પ્રેમ દેખીને એ પારાયણમાં એ સ્વાધ્યાયમાં ભાવતરબોળ રહેતા; તેથી એવો ભરચક આનંદ એ અનુભવતા કે એ આનંદના લીધે સ્વાધ્યાયની સાથે સાથે કરાતા ત્યાગ અને તપસ્યામાં એમને કશું કષ્ટરૂપ લાગતું નહોતું; અને આ સ્વાધ્યાય-સંયમ-ત્યાગ તપસ્યામાં આડાઅવળા કોઈ પણ વિચારો વિના દિવસ ક્યાં પસાર થઈ રહ્યા છે, એની એમને ખબર પડતી નહોતી. શાસ્ત્ર સ્વાધ્યાય આશ્વાસન માટે : આ પરથી સમજાશે કે જ્ઞાની ભગવંતો શાસ્ત્ર-સ્વાધ્યાય પર કેમ એટલો બધો ભાર આપે છે ? એટલા જ માટે કે એમાં આપણને આશ્વાસન મળે છે. આપણને એમ થાય કે “જ્ઞાનીઓ વડે આ શાસ્ત્ર-અક્ષરો શાસ્ત્રવચનો આપણા જેવા કર્મ-પીડિત પામર જીવો પરની કેટલી બધી અથાગ દયા અને પ્રેમથી ઉચ્ચારેલા છે !' માટે એમની એ દયા અને પ્રેમ જોઈ આશ્વાસન લઈએ કે વાહ ! જ્ઞાની પોતે તો તરી ગયેલા અને કૃતકૃત્ય બનેલા; છતાં હું ? અમારા પર આટલી બધી દયા અમારા પર આટલો બધો પ્રેમ !' સાપને શું હતું ? આમ તો એને પોતાને નવકારની કશી ગતાગમ - તરંગવતી
Page #86
--------------------------------------------------------------------------
________________ નહોતી. તેમજ એને નવકાર સંભળાવતા પહેલાં નવકારનો કશો મહિમા ય સંભળાવ્યો નહોતો; છતાં એણે જોયું કે “અહો ! મને આ બળેલી સ્થિતિમાં આ બહુ પ્રેમ અને લાગણીથી કાંઈક સંભળાવે છે ! તો લાવ, ધ્યાનથી સાંભળવા દે.’ એમ કરી શરીરમાંની ભારે બળતરા ભૂલી જઈ નવકારના બોલાતા પદ પર ઠરી જઈને સાંભળવા લાગ્યો !... વળી સાથે પ્રભુ પાર્શ્વકુમારનું દયા અને પ્રેમભર્યું મુખદર્શન થયું તો એમાં ય એ પ્રેમ અને દયા પર આકર્ષાયો,- “અહો ! આ મને કેટલા બધા પ્રેમ અને દયાથી જોઈ રહ્યા છે !..." એમ કરી પ્રભુમુખનાં દર્શનમાં ઠર્યો. બસ એ રીતે આપણે રોજ પ્રભુદર્શન કરીએ ત્યાં પણ પહેલું આ દેખાય કે અહો આ પ્રભુ મને કેટલા બધા પ્રેમથી અને કેટલી બધી કૃપાથી જોઈ રહ્યા છે !' એમ કરી પ્રભુ પ્રત્યે આકર્ષાઈને દર્શન કરીએ. દર્શન એટલે શું ? પ્રભુને માત્ર જોવાનું એટલું જ નહિ, કિન્તુ પ્રભુ આપણને ખૂબ પ્રેમ અને દયાથી કેવા જોઈ રહ્યા છે એ જોવાનું. કહો, પ્રભુદર્શન એટલે પ્રભુ વડે કરાતા દર્શનનું દર્શન. એટલે હવે મંદિર જાઓ ત્યાં એકેક પ્રભુને એવી રીતે જોજો, કે “આ પ્રભુ મને પ્રેમ ને કરુણાથી જોઈ રહ્યા છે. એ જઈ આ પ્રાર્થના કરજો કે પ્રભુ ! તમે અગણિત જીવોને પ્રેમ અને દયાથી જોઈને તાર્યા છે, તો આ એક સેવકને પણ દયા અને પ્રેમથી જુઓ, આમ જરાક ઠરીને જોઈએ એટલે એવો ભાસ થાય કે પ્રભુ હવે આપણા પર પ્રેમ-દષ્ટિ અને કરુણા-દષ્ટિ નાખી રહ્યા છે. આનું નામ ‘દર્શન.” વાત આ હતી કે પેલી ચકોરી જાતે ચાહીને ચકોરની ભડભડતી આગવાળી ચિંતામાં પડી સળગી રહી છે, પણ એને હાયકારો નથી ! કેમકે એને પ્રિયની સાથોસાથ બળવાનું મળે છે એનું હૈયે આશ્વાસન છે. જગતની આફતોમાં ચિત્તને આમ સ્વસ્થ રાખી શકાય છે, માત્ર સામે પ્રબળ આશ્વાસન જોઈએ. ખંધકમુનિ વગેરેને આ આશ્વાસન હતું કે “આ ચામડી ઉખેડનારાઉખેડાવનારા મારા કર્મોને કેવા ખલાસ કરી રહ્યા છે ! મારા પરમ ઉપકારી છે.” તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહ્યા છે “ગૃહિણી ! આ પ્રમાણે મારી સખી સારસિકાને પૂર્વભવનું ચકોરીપણે મારા પ્રિય ચકોરની પાછળ અગ્નિમાં પડી મારું બળી મરવાનું કહેતાં કહેતાં હું મૂછિત થઈ ગઈ ! સંસાર કર્મ ! તારી ગતિ ન્યારી 81
Page #87
--------------------------------------------------------------------------
________________ દુ:ખદ છે. કેમ ? ભૂતકાળનાં દુઃખ અને પ્રસંગ તો વીતી ગયા, છતાં અત્યારે ય એ યાદ કરતાં ભારે દુઃખ કરાવે છે ! ત્યારે તો તરંગવતી એમાં મૂચ્છિત થઈ ગઈ. એટલાં જ માટે ધ્યાનશતક શાસ્ત્રમાં અતીતનાં પણ આર્તધ્યાનની ઓળખ કરાવી એથી બચવાનું કહ્યું. પૂછો, પ્ર.- ભૂતકાળ સંબંધી આર્તધ્યાનથી શી રીતે બચાય ? ઉ.- ભૂતકાળને સરાસર ભૂલી જવાથી અર્થાત્ એને બિલકુલ યાદ જ નહિ કરવાથી બચાય. તે એમ વિચારીને કે વર્તમાનમાં એ વીતેલા પ્રસંગ કશા ઉપયોગી નથી, તો શા માટે એને મનમાં ઘાલું ? ઊલટું મનમાં વર્તમાન સુખસાધન રહેવાથી જે સુખાનુભવ થતો હોય તેનો એ લોપ કરી નાખે છે. પણ જીવનું આ ગાંડપણ છે કે મનમાં બિનજરૂરી સત્તર પંદર ઘાલવા જોઈએ છે. આ ગાંડપણ અટકાવવા એક ઉપાય આ કે અરિહંત યા તત્ત્વ અંગેની 17-15 વસ્તુ મનમાં મમરાવવી જોઈએ દા.ત. અરિહંતના 1008 નામ છે એક વાર એને મોઢે કરી લો, પછી ક્રમસર એકેક નામ લઈ એને વિચારતા ચાલો અથવા અરિહંતના સમવસરણની યા શિબિરની એકેક વસ્તુ પર મન લગાવતા જાઓ એ મનની સામે લાવતા જાઓ. આ કરવામાં મન એમાં રોકાયેલું રહે ને તેથી ફિજૂલ વિચારો છૂટી જાય.. ઇંદ્રભૂતિ ગૌતમે સમવસરણ અને પ્રભુને જોયા પછી એમાં મન એવું બનાવ્યું કે પૂર્વનો યજ્ઞ-બજ્ઞ બધું ભુલાઈ ગયું. ભરત ચક્રવર્તીએ સંયોગોની અનિત્યતામાં મન ઘાલ્યું, ત્યાં પોતાની ચક્રવર્તીપણાની સત્તા ઠકરાઈ વગેરે બધું ભૂલી ગયા, અને તો જ અનિત્યતાની ભાવનામાં ઊંડા ઊતરી ગયા ! તે ત્યાં સુધી કે જો આ નાશવંત શરીર અને નાશવંત સામગ્રીના સંયોગ પર જ અહંત મમત્વ થાય છે, તો એ અહંતમમત્વનો સંયોગ પણ અનિત્ય છે તો મારે એવા અહત્વ મમત્વ રાખવાનું શું કામ ? એમ અહત્વ-મમત્વ મૂકી દે તો અનાસક્ત યોગમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બની ગયા... તરંગવતી મૂચ્છિત થઈ ગઈ એટલે દાસી સમજી ગઈ કે આના દિલમાં પ્રિયના વિયોગનું દુઃખ વધી જવાથી આ મૂર્છા આવી ગઈ છે એટલે તરત તો એણે ઠંડો પવન ને પાણીના છાંટણાં નાખ્યા એટલે તરંગવતી ભાનમાં આવી. હૃદય પ્રિયના રાગ અને વિયોગવશ ક્ષુબ્ધ થઈ ગયું છે તેથી એ રુદન કરવા લાગી. 8 2 - તરંગવતી
Page #88
--------------------------------------------------------------------------
________________ દાસી કહે “સ્વામિની ! એ શા માટે ? બનવાની વસ્તુ બની ગઈ. હવે તો આખો જનમ પલટાઈ ગયો. પછી પૂર્વનું યાદ કરી કરી રોવાનું હોય ?' તરંગવતી કહે “ભલે જનમ પલટાઈ ગયો, પણ મારો આત્મા તો એનો એ ઊભો જ છે ને ? એ પોતાના પ્રિયને શી રીતે વીસરી શકે ? અને પ્રિય હવે છે નહિ, તેથી શોક સિવાય બીજું શું કરવાનું હોય ?' સખી કહે “સ્વામિની ! ધીરજ રાખો, કદાચ એ તમારો પ્રિય અહીં જન્મી ગયો હશે, તો સંભવ છે એનો તમને યોગ મળશે.' તરંગવતી આ સાંભળી ખુશી થઈ. એને આશા બંધાણી કે “સંભવિત છે એ મનુષ્યરૂપે મને અહીં મળે.' એ આશા-આશ્વાસનમાં દુઃખ-શોક મંદ પડી ગયા. એ સખીને કહે છે,‘તો જો સારસિકા ! જો એ પ્રિય મને આ જનમમાં મળશે તો જ મારે આ સંસારના ભોગોની ઇચ્છા છે, ને તે પ્રિય માટે હું સાત વરસ રાહ જોઈશ. નહિતર પછી મોક્ષના સાર્થવાહ શ્રી જિનેશ્વર ભગવાને જે મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે ચારિત્રમાર્ગે હું ચડી જઈશ, અને એ એવી રીતે પાળીશ કે જેથી મારા આત્માપરથી સંસારના સંબંધનો અંત જ આવી જાય ! કેમકે, સંસારના ફાંસલામાં તો પ્રિયના સંયોગ સહેજે થાય; અને એ થાય એટલે પાછળ પ્રિયના વિયોગ નિશ્ચિત છે, જે ફરીથી પાછા દુઃખના ડુંગર ઊભા કરે છે માટે હું શ્રમણપણું જ આદરીશ. શ્રમણપણે યાને ચારિત્ર પાળવું એટલે તો અવ્યાબાધ સુખના પર્વત પર ચડવા જેવું છે. જેના અંતે અક્ષય અવ્યાબાધ સુખ નિશ્ચિત છે; અને એથી જન્મ-મરણાદિ સમસ્ત દુઃખોનું વિરેચન થઈ જાય છે. દુઃખી જાય તે હંમેશ માટે જાય... તરંગવતી સાધ્વીજીના આ બોલ સાંભળતાં શેઠાણી સ્તબ્ધ થઈ જાય છે. એના મનને થાય છે કે સાધ્વીજીનો કેવો જબરદસ્ત વિવેક ! 7 વર્ષ રાહ જોયા પછી નિષ્ફળતામાં બીજો પતિ કરવાનો નહિ, પણ આખો સંસારત્યાગ. અલબત્ત હજી પ્રિયના રાગવશ સંસારવાસના બેઠી છે, છતાં જો પૂર્વ પ્રિય ના મળે, તો બીજા કોઈને પ્રિય કરવાની અને સંસારમાં મહાલવાની લેશ પણ ઈચ્છા નથી ! અહીં પ્રશ્ન થાય, કર્મ ! તારી ગતિ ન્યારી 83
Page #89
--------------------------------------------------------------------------
________________ પ્ર.- તરંગવતી જો સંસારવાસને દુઃખદ માને છે, અને પૂર્વપ્રિય સિવાય બીજા કોઈને પોતાના પ્રિય બનાવી સંસારમાં મહાલવા ઇચ્છતી નથી, તો પછી પૂર્વ જન્મના પ્રિય ચકોરને પણ અહીં કેમ પ્રિય કરવા ઇચ્છે છે ? ઉ.- એજ મોહનીય કર્મની પ્રબળતા સૂચવે છે. તીર્થકર ભગવાન જેવા જનમથી મહાવિરાગી ! એમનું આખું ય ગૃહસ્થજીવન મહાવૈરાગ્યથી ઝળકતું ચમકતું, તે રાજાશાહી ખાનપાન વસ્ત્રાલંકાર અને સુખની ઉચ્ચ સામગ્રી છતાં બીજા પામર પ્રાણીની જેમ એમાં, તળાવડામાં ભેંસની જેમ, ઠરીને નિરાંતે બેસતા નથી. વિષયના કીચડમાં લીન-લંપટ બનતા નથી, પરંતુ જળકમળવતું નિર્લેપ અલિપ્ત રહે છે. કુટુંબીઓએ એમને સારું સારું ખવડાવવા-પીવડાવવાપહેરાવવા મનામણાં કરવા પડે છે. આવા મહાન વિરાગી ભગવાન પણ લગ્ન કેમ કરે છે ? કહો, મોહનીય કર્મની બળવત્તાને લીધે. અલબત આ મોહનીય તે નિકાચિત રાગમોહનીય કર્મ, એનાં દળિયા એવા ખંધા કે એ મહાવૈરાગ્યથી પણ તૂટે નહિ ! એ તો ઉદયમાં આવી પોતાનો ભાવ ભજવે જ. જીવ પાસે જડ વિષયોના રાગની પ્રવૃત્તિ કરાવે જ; પરંતુ સાથે દર્શનમોહનીય કર્મ એવું નબળું પડી ગયેલું છે કે એ જીવને વિષયોમાં અંધમોહિત-ભાનભૂલો ન કરે, હેયતાનું ભાન ન વીસરાવે; રાગમોહનીય કર્મ જડ વિષયો પર રાગ અને રાગની પ્રવૃત્તિ કરાવે કિન્તુ સાથે દર્શનમોહનીયનો ક્ષયોપશમ એમાં ત્યાજયતાનું ભાન જાગ્રત રખાવે; અર્થાત અંતરમાં મનને લાગ્યા કરે કે “આ વિષયો વિષ સરખા છે, એનાથી જીવને કશો જ્ઞાનાદિનો લાભ નહિ, ઊલટું પાપોનો લાભ કરાવે ! માટે એ વિષયો અત્યંત ત્યાજય છે.” તરંગવતીની સંસારની ઓળખ અને વૈરાગ્યભાવના : તરંગવતીની એ સ્થિતિ હતી, પૂર્વના પ્રિય પર ભારે મમતા હતી છતાં સંસારના વિષયોના સંગને વિટંબણા લેખે છે, તેથી નક્કી કરે છે કે પૂર્વના પ્રિય ન મળે તો જિન સાર્થવાહે પ્રરૂપેલ મોક્ષમાર્ગે પ્રયાણ કરીશ.” ત્રિભુવન ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલ સર્વ દુઃખનો અંત કરનાર મોક્ષમાર્ગને અપનાવીશ, જેમાં સર્વ સંગનો ત્યાગ હોવાથી પ્રિયના સંગ-સમાગમ કરવાના રહે જ નહિ. પ્રિયના સંગ હોય તો વિયોગનો સંભવ રહે ને ? પણ મોક્ષ થયા પછી જયાં જનમ જ નહિ, ત્યાં સંગ પણ નહિ, તો વિયોગ પણ નહિ જન્મમરણની પીડા કેમ ઊભી થાય છે ? સંયમમાર્ગમાં એક માત્ર પોતાના આત્માના હિત-અહિત સામે જ જોવાનું રાખ્યું, અહિતનો 84 - તરંગવતી
Page #90
--------------------------------------------------------------------------
________________ ત્યાગ અને હિતનો આદર કરવાનું રાખ્યું, એટલે ઇંદ્રિયોના વિષયોને ઇષ્ટ અનિષ્ટ કરવાનું છૂટી ગયું; પછી એના અંગે રાગદ્વેષ કરવાના રહે જ શાના? સીધું મોક્ષ તરફ પ્રયાણ ચાલુ રહે, જેથી અંતે મોક્ષ આવીને ઊભો રહે.” સારસિકાને કહે- “આ મારી અંતિમ ભાવના છે, પરંતુ અત્યારે પૂર્વના પ્રિયના પ્રેમ અને સંગ યાદ આવી આવી મારા દિલને ભારે વ્યથિત કરી રહ્યો છે...' એમ કહેતાં કહેતાં તરંગવતીની આંખમાં આંસુ આવી જાય છે. એની સખી પણ આ જોઈ રડી પડે છે. સખી કહે છે, સખીનો વિવેકી ઉત્તર : “બેન ! આજે તમને પ્રિયનો વિયોગ થવાથી દુઃખ થાય છે, પરંતુ હવે તમે જાણો છો કે કર્મના વિપાક અકાટ્ય હોય છે. જીવને એ અવશ્ય ભોગવી લેવાના હોય છે. આ વિયોગનું દુઃખ પણ કર્યજનિત જ છે તેથી અંતે બાંધેલા કર્મ અવશ્ય ભોગવવા પડે છે. ત્યાં જીવનું કશું ઉપજતું નથી, કર્મ કરે તે થાય, પછી શા માટે દુઃખી થવું ? કર્મના ઉદય આવ્યા તે સમભાવે વેઠી લેવાના. ડાહ્યા માણસનું આ કામ છે. માટે બેન ! ધીરજ ધર. વળી તારે શુભકર્મનો ઉદય થશે, તો તારા પ્રિયનો સંપર્ક પણ બની આવશે...' સખીએ તરંગવતીને આશ્વાસન આપ્યું, એના આંસુ પાલવથી લૂક્યાં. તરંગવતી કહે છે “સખી ! તારી વાત સાચી છે, પણ હવે આ મારા પૂર્વ પ્રિયની વાત કોઈને કહીશ નહિ. તને સોગન છે. ચાલ હવે માતા પાસે જઈએ. બંને ઊઠીને ત્યાંથી માતા પાસે ગયા. અહીં તરંગવતીએ બીજો પ્રિય ન કરવા નક્કી કર્યું એમાં તરંગવતીનો વિવેક ધ્યાનમાં રાખવા જેવો છે, સંસારમાં માણસને કર્મપરવશતાથી અનિષ્ટ સંયોગ આવી મળે છે, ને અનિષ્ટ પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ એમાં આ વિચારવું જોઈએ કે આ કર્મજનિત અનિષ્ટમાં હું વિચારસરણી મલિન કરવા બંધાયેલો નથી, પાપ વિચારો કરવા બંધાયેલો નથી. મારા વિચાર ને વિચારસરણી નિર્મળ રાખી શકું છું, જિનવચનને અનુસારી રાખી શકું છું. મૈત્રી-કરુણા-પ્રમોદભાવના વિચાર રાખી શકું છું. જોવા જાઉં તો દેખાય છે કે | મલિન વિચારો અને જિનવચનથી વિરુદ્ધ વિચારો સેવીને દુન્યવી કશું સુધરતું નથી, ત્યારે પવિત્ર વિચારો ને જિનાજ્ઞા-અનુસારી વિચારસરણી રાખવા જતાં કશું બગડતું નથી. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #91
--------------------------------------------------------------------------
________________ પછી શા સારુ જિનંવચનાનુસારી વિચારો ન રાખું ? શા સારુ પવિત્ર વિચારો ન રાખું ?' કેવા કેવા વિચારોથી વિષયરંગથી બચાય ? : (1) માનવકાળ વાસનાઓને વિસારે પાડવા માટે છે. ઉત્તમ માનવજન્મનું આ ઉત્તમ કામ મનગમતા વિષયોના આનંદ સાથે સંપર્ક કરવાથી ગુમાવવાનું થાય છે; ક્યારે આ મેવા મીઠાઈના રસની ગોઝારી લપ છૂટે !" આવો વિચાર કરીએ તો વિષયરોગના સંસ્કારોને કાંઈક ઘા પડે. (2) અથવા જુદા જુદા મંદિરો અને તીર્થોના ભગવાનના ક્રમસર સ્મરણ કરીએ, માનસિક દર્શન કરતા ચાલીએ, તો મનને મીઠા વિષયોમાં મહાલતું બચાવી શકીએ; અથવા (3) સકલાઉત્ સ્તોત્રની ગાથાઓથી અરિહંત-વિશેષણો ક્રમસર કડીબદ્ધ વિચારતા રહીએ; દા.ત. | (i) સકલ અરિહંતમાં વ્યાપેલું અરિહંતપણે મોક્ષ-લક્ષ્મીનું સ્થાન છે; અને એ અરિહંતપણું ત્રિભુવનના ભક્ત જીવો અને સુખ પર વર્ચસ્વ ધરાવે છે. (i) એવા ઋષભદેવ પ્રમુખ અરિહંતો નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી જગતને પવિત્ર કરે છે. (ii) એમાં ઋષભદેવપ્રભુ રાજાઓ મુનિઓ તથા તીર્થકરોની પરંપરામાં સૌથી મથાળે એટલે કે પહેલા છે. (iv) એ પ્રભુ તીર્થકર શી રીતે કહેવાયા ? તો કે વિશ્વના ભવ્ય જીવોરૂપ કમળોને વિકસ્તર કરનાર સૂર્યસમા પ્રગટ થવાથી, એ પણ શી રીતે વિકસ્તર કરે છે ? તો કે એમણે જગત જેમાં પ્રતિબિંબિત થયું છે એવું અરિસા જેવું કેવળજ્ઞાન ધરવાથી. (O) એ કેવળજ્ઞાન તો ભગવાનની પોતાની પાસે રહ્યું, એથી ભવી જીવો કેમ બૂઝે ? કેમ વિકસ્વર થાય ? તો કે એ કેવળજ્ઞાનમાં જે તત્ત્વ-પદાર્થ અને મોક્ષમાર્ગ ભાસે છે, એની વાણી રેલાવે છે. આ વાણી જાણે ભવીજીવારૂપી છોડવાના બગીચાની નીક છે, ને એમાંથી વાણીરૂપી પાણી વહેતું બની એ ભવી જીવોરૂપી છોડવાઓને સિંચે છે... આમ “સકલાર્વત” સ્તોત્રની ચોવીસ ભગવાનની સ્તુતિઓમાંનાં વિશેષણની કડી જોડીને વિચારાય, તો એ વિચારમાં વિષયોના વિચારો ભૂલી જવાય. ધ્યાન રાખો, બાહ્ય વિષયોની સૃષ્ટિ કર્મોને આધીન છે, પણ અધમ કે ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આપણને આધીન છે. - તરંગવતી
Page #92
--------------------------------------------------------------------------
________________ અગ્નિશમને ત્રણ ત્રણ માસખમણનું પારણું ગુણસેન રાજાની ગફલતના કારણે બગડ્યું, એ અગ્નિશર્માના કર્મની પરતંત્રતાના કારણે; પરંતુ અગ્નિશર્માએ રાજા પર ગુસ્સો, ને રાજાને જનમજનમ મારવાનું નિયાણું કરવાની વિચારણા કરી, એવી માનસિક સૃષ્ટિ ઘડી, એ તો પોતાની સ્વતંત્રતાથી. જો અધમ-ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આત્માને આધીન યાને આત્માના પુરુષાર્થને આધીન ન હોત, તો અગ્નિશમને બે પારણા ચૂકાયા તે વખતે એણે જે ઉત્તમ ક્ષમાસમતાના વિચાર રાખેલા તે વિચાર શી રીતે કરી શકત ? છેલ્લા પારણા વખતે પોતે જ પોતાની માનસિક સૃષ્ટિ અધમ ખડી કરી. એના ગુરુ કુલપતિએ એને ઘણું સમજાવ્યો કે “આપણે તાપસ વ્રતવાળા છીએ, આપણાથી રાજા ઉપર ગુસ્સો ન કરાય, છતાં એ પોતાની માનસિક અધમ સૃષ્ટિને ઉત્તમમાં ફેરવવા તૈયાર ન થયો. ધારત તો છેવટ ગુરુના વચનનો માથે ભાર રાખીને ફેરવી શકતે. ફરીથી યાદ રાખો, બાહ્ય સંયોગો-નિમિત્તો અર્થાતુ બાહ્ય સૃષ્ટિ આપણા કર્મોને આધીન છે, આપણી આંતરિક માનસિક વિચારોની સૃષ્ટિ આપણા પુરુષાર્થને આધીન છે, આપણે રચવી હોય તેવી રચાય. એજ અગ્નિશર્માએ દેવ થઈને પારણું ચૂકાવનાર રાજા ગુણસેન ઉપર અગ્નિમય રેતીનો વરસાદ કર્યો, રાજાને ભારે દાહ-શેકામણની પીડા ઊભી થઈ, એ રાજાના અશુભ કર્મને આધીન હતી, પરંતુ રાજાએ ક્ષમા-સમતાના વિચાર કર્યા એ ઉત્તમ માનસિક સૃષ્ટિ રાજાના પોતાના પુરુષાર્થને આધીન હતી. આપણે ધારીએ તેવી ઉત્તમ કે અધમ માનસિક સૃષ્ટિ ઊભી કરવામાં આપણે સ્વતંત્ર છીએ. આપણને આ સ્વાતંત્ર્યની જો કિંમત હોય તો શું કામ અધમ વિચારોની માનસિક સૃષ્ટિને મચક આપીએ ? દુન્યવી વિષયોના ગમે તેવા સારા નરસા સંયોગ ઊભા થાય, પરંતુ એ વખતે ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આપણે ચલાવી શકીએ છીએ. એટલે જ જુઓ તરંગવતીએ પૂર્વજન્મના પ્રિયના વિયોગના દુ:ખમાં કેવી ઉત્તમ માનસિક સૃષ્ટિ ખડી કરી,'अण्णहा जिणसत्थवाहपणयं मुक्खपहं अंगीकरिस्सामि, तहा काहं जहा संसारवाससुलहं पियवियओग-दुक्खं पुणो न पावेमि... समणत्तणं जम्मणमरणाइसव्वदुक्खविरेयणं / ' અન્યથા અર્થાત્ સાત વરસમાં પ્રિયનો સમાગમ જો નહિ મળે, તો કર્મ ! તારી ગતિ ન્યારી
Page #93
--------------------------------------------------------------------------
________________ જિનેશ્વર ભગવંતે સાર્થવાહ બનીને સ્વયં ખૂંદેલો (અને પછી જગતને બતાવેલો) મોક્ષમાર્ગ અંગીકાર કરીશ, અને એમાં એવું કરીશ એવું શ્રમણપણે પાળીશ) કે જેથી સંસારવાસમાં સુલભ એવા પ્રિયના વિયોગના દુઃખ મારે ફરીથી દેખવાના રહે નહિ. શ્રમણપણું એ જનમવું-મરવું વગેરે દુ:ખોનું વિરેચન છે. એટલે જેમ નેપાળો એ પેટમાં આંતરડામાં ભરાયેલી સમસ્ત બાદી-મળને કાઢનારું વિરેચન-જુલાબ છે, એમ સંયમ-ચારિત્ર એ સર્વ દુઃખોના મળને કાઢનારો જુલાબ છે. તરંગવતીની જૈનધર્મ પરની જિનવચન પરની, અને જિનેશ્વર ભગવંત ઉપરની શ્રદ્ધા જોવા જેવી અને અનુસરવા જેવી છે. કેટલી બધી સમૃદ્ધિવાળા શેઠની લાડકી દીકરી છે ! એના અપ્રતિમ લાવણ્ય અને સૌંદર્ય પર ઓવારી જઈને કેટલાય મોટા શેઠિયાઓ પોતાના દીકરા માટે એના માંગ કરી રહ્યા છે ! બહાર નીકળે ત્યારે યુવાનો કેવા આકર્ષાઈ રહ્યા છે ! આવા વૈભવસૌંદર્યવાળી તરંગવતીની આ ધાર્મિક વિચારધારા એ શું સૂચવે છે ? એ જ કે એવી માનસિક સૃષ્ટિ રચવામાં એ સ્વતંત્ર છે. તરંગવતી માતા પાસે જઈ પગમાં પડે છે. એનો ઉદાસ ચહેરો જોઈ માતા પૂછે છે, “કેમ બેટી ! ઉદાસ ?' આ શું કહે ? એટલું જ કહે છે, “માથું દુખે છે. કેમકે એને પૂર્વ જન્મની કશી વાત માતાને કહેવી નથી. માતા કહે “તો તમે જલદી ઘરે પહોંચી જાઓ; હું પણ પાછળ આવું છું.” સખી સાથે તરંગવતી ઘરે પહોંચી માતા પણ બીજી બાઈઓને “મારે જરૂરી કામ છે તેથી હમણાં જ હું ઘરે જાઉં છું' કહીને ઘરે આવે છે. ઘરે આવી શેઠને વાત કરે છે. ઉદ્યાનમાંથી તરંગવતી ઘરે : મા-બાપને લાડકી દીકરી છે, એટલે બાપ માને છે કે “એના થોડા પણ રોગની ઉપેક્ષા ન થાય, નહિતર શત્રુનો વૈભવ વધવાની ઉપેક્ષા જેવું થાય !! તેથી એમણે તરત કુશળ વૈદ્યને બોલાવ્યો. વૈદ્ય મુદ્રા અને નાડી પરથી પરખી લે છે, છતાં પૂછે છે, તને ક્યાં પીડા છે ? કાલે આહાર શો લીધેલો ? રાત કેવી ગયેલી ? તરંગવતીએ જાતિસ્મરણની બીના સિવાયની હકીકત કહી. વૈદ્ય શેઠને કહ્યું “કશી ચિંતા કરવાને કારણ નથી કેમકે વાત-પિત્ત-કફ એકેયનો પ્રકોપ નથી સમનાડી છે.” 88 - તરંગવતી
Page #94
--------------------------------------------------------------------------
________________ શેઠ કહે “તો વૈદ્યરાજ ! અને તાવ જેવું અને અસ્વસ્થતા કેમ છે ? વૈદ્ય કહે “શેઠ સાહેબ ! તમે આટલું ફરી આવ્યા, કાં તો એના પરિશ્રમના લીધે છે, અથવા કોઈ શોક-ઉદ્વેગ-જનિત ચિત્ત-વિકારની અસ્વસ્થતા હોઈ શકે. વૈદની અડધી વાત સાચી છે, પૂર્વભવના પ્રિયના વિયોગના કારણે ઊભા થયેલ શોક-ઉદ્વેગ ચિત્ત વિઠ્ઠલ વ્યાકુળ કરેલું, પણ એ વૈદ્યને કહ્યા વિના વૈઘ શી રીતે જાણી શકે ? તો એનો ય ઉપચાર શી રીતે બતાવી શકે ? ગુપ્ત પાપરોગ ગુરુને કહ્યા વિના ઉપચાર ન મળે. આત્માના ગુપ્ત પાપો ને દોષોનું પણ આવું જ છે. ગુરુને કહ્યા વિના ગુરુ શી રીતે જાણી શકે ? ને શું પ્રાયશ્ચિત્ત આપી શકે ? ત્યારે શરીરના ગુપ્ત રોગ ઔષધ વિના વધી જઈ શરીરને ખલાસ કરે, એમ આત્માના ગુપ્ત પાપોનું ગુરુ આગળ પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ-વહન કર્યા વિના આત્મામાં એના શલ્ય રહી જઈ, એ આત્માને ખલાસ કરે, જનમોજનમ ત્રાસ આપ્યા કરે ! માણસને ત્યાં આલોચના ન કરવામાં સ્વમાન નડે છે; માટે સ્વમાન બાજુએ મૂકી ગુરુ આગળ આલોચનાપ્રાયશ્ચિત્ત કરી લઈ પોતાના આત્માને દુર્ગતિઓના ત્રાસથી બચાવી લેવો જોઈએ. આલોચના પ્રાયશ્ચિત્તમાં કામ ટૂંકે પતે. આ ભવમાં પાપનો હિસાબ ચૂકતે થઈ જાય. એ જો ન કરે, તો એના અશુભ ખંધા અનુબંધોને લીધે અનેક ભવો સુધી પાપબુદ્ધિ, પાપો અને દુઃખોની પરંપરા ચાલે. અહીં વૈદની વાત સાચી કે હૃદય પર શોકના કારણે અસ્વસ્થતા છે. પરંતુ વંદ્યને બિચારાને ખબર નથી કે આમાં બીજા કોઈ કારણે અસ્વસ્થતા નથી પણ પૂર્વના પ્રિયના વિયોગના ને એના શોક-સંભારણાને કારણે અસ્વસ્થતા છે એમાં તમારી કોઈ દવા કામ નહીં લાગે. શારીરિક રોગમાં ભૌતિક દવા કામ કરે, પણ માનસિક રોગમાં આધ્યાત્મિક દવા ઉપયોગી થાય. ક્રોધરોગ દાબવા તાત્ત્વિક વિચારસરણી : દા.ત. કોઈના પર મનમાં ક્રોધ ઊભો થઈને એના ધમધમાટમાં અસ્વસ્થતા થઈ છે, તો ત્યાં કોઈ તાત્ત્વિક આધ્યાત્મિક ક્ષમા-સમતાની વિચારસરણી કામ કરે; એ ક્રોધરોગને શમાવે. ત્યાં ભૌતિક દવા શું કામ કરે ? તાત્ત્વિક વિચારસરણી આ, કે હું ક્રોધમાં તણાઈશ તો મને શો લાભ? અને સામાને ય શો લાભ ? (1) મારું મન વધુ ને વધુ અસ્વસ્થ થવાથી મારાથી કાંક અજુગતું બોલાઈ ચલાઈ જશે, જેમાં સંભવ છે પાછળથી પસ્તાવાનો અવસર કર્મ ! તારી ગતિ ન્યારી 89
Page #95
--------------------------------------------------------------------------
________________ આવે. વળી (2) આ અસ્વસ્થતામાં મારાં બીજા કામ પણ બગડે. (3) સામાની દષ્ટિએ ગેરલાભ આ, કે એ મારો ગુસ્સો જોઈ એના દિલમાં અસ્વસ્થતા થાય. તેમજ (4) મારા પર એનો સ્નેહ-સદૂભાવ તૂટે. વળી (પ) મારે ક્રોધના સ્વભાવની પુષ્ટિ થાય તો આગળ પર પણ ક્રોધ સુલભ થવાનો. ને (6) આમ જિંદગીના છેડા સુધી જો હું ક્રોધનો જ અભ્યાસ રાખીશ, તો તારણહાર ઉપશમનો અભ્યાસ ક્યારે કરીશ ? તો શું આવા ઉત્તમ મનુષ્ય-જન્મથી પણ ક્રોધનો જ સ્વભાવ દઢ કરીને જવાનું ? ઉપશમનો અભ્યાસ કરવા માટે આવા ઉચ્ચ આર્યમાનવ જન્મ જેવો બીજો કોઈ સમર્થ જન્મ નથી. આવી બધી તાત્ત્વિક આધ્યાત્મિક વિચારસરણી અપનાવે, દિલને એનાથી ભાવિત કરે, તો તો ક્રોધ-રોગનું વૈદું થાય. એના બદલે અનાર્ય મ્લેચ્છના જેવો ક્ષુદ્ર સ્વભાવ અને શુદ્ર વિચારણા કરે એમાં ક્રોધના રોગને મટવાનું ક્યાંથી થાય ? કે કોઈ ભૌતિક ઔષધ એમાં શું કામ કરે ? તરંગવતીને વૈદે કાંઈક દવા આપી હશે અને એણે લીધી પણ હશે, કિન્તુ એથી શું વળે ? પ્રિયના વિયોગનું દુઃખ એના મનને બાળી રહ્યું છે. એનું પરિણામ એ આવ્યું કે એને ભૂખ અને ઊંઘ બેય હરામ થઈ ગયા. છતાં સ્વજનોનું મન સાચવવા કાંઈક ખાવું પડતું, બાકી મનને વિખવાદ ભારે છે. “સંસારનું એક દુઃખ સો સુખને રદ કરી શકે આ સ્વરૂપ બહુ વિચારવા જેવું છે. તરંગવતીને સમૃદ્ધિ સગવડ ઉચ્ચ કોટિના મળ્યા છે ! છતાં એ સુખી નથી. કારણ ? એકમાત્ર પૂર્વપ્રિયના સંભારણા પર વિયોગનાં દુઃખે. પછી એનો અર્થ તો એજ ને કે સુખના ઢગલો સાધન હાજર છતાં સંસારની એક ચીજ પણ જીવને દુઃખી દુઃખી કરી શકે છે ! | ઋષભદેવ ભગવાન જેવાનો પણ જીવ પાંચમા ભવે લલિતાંગદેવ, એની દેવી સ્વયંપ્રભા ગુજરી ગઈ એની પાછળ 10-12 વરસ એના વિયોગના શોકથી દુઃખિત થતા રહ્યા, દેવ વિમાનમાં દેવતાઈ સુખસાધનમાં શી કમીના હતી ? એવા મોટા તીર્થકરના જીવ દેવતાને દિવ્ય ભોગસાધનો વચ્ચે એક પ્રિય દેવીના વિયોગના કારણે બાર બાર વરસ મહાદુઃખભર્યા કલ્પાંત રહ્યા ! કલ્પાંત એટલે બીજા બધા સુખસાધનને રદ બાતલ કર્યા, નાકામિયાબ બનાવી દીધા, એ સુખ ન આપી શકે. એ સંસારના કેવા સ્વરૂપને પ્રગટ કરી રહ્યા છે? સુશોભિત ? કે કદ્રુપા સ્વરૂપને? સોહામણા કે બિહામણા સ્વરૂપને ? આપણને વિશ્વ શ્રેષ્ઠ શ્રી વીતરાગ અરિહંત પરમાત્મા દેવાધિદેવ તરીકે (8 ) - તરંગવતી
Page #96
--------------------------------------------------------------------------
________________ મળ્યા! છતાં એમની ભક્તિ કરવામાં મુફલિસ કેમ રહીએ છીએ ? કહો, સંસારના કદ્રુપ અને બિહામણાં સ્વરૂપને ધ્યાન પર લેતા નથી, અને સંસાર હજી દિલથી વહાલો લાગે છે, પણ એનાથી ઉભગી જવાતું નથી માટે વિચાર નથી કે સંસારની એકેક આઈટેમ એવી છે કે જે વક્ર વાંકી થતાં બાકીની સારી લાગેલી આઈટેમોને પણ બગાડી નાખે. સુકોશળ નાની ઉંમરમાં રાજા હતો. એને આવું જ બન્યું. એણે વિચાર્યું, ? મારી માતા મારા પિતામુનિને સિપાઈઓ પાસે ધક્કા મરાવી નગરની બહાર કાઢી મૂકાવે છે ? બસ, આટલી વાત પર એને રાજ્યપાટ-રાણીખજાનો; બધી સારી સુખ-સામગ્રીવાળો આખો સંસાર બિહામણો લાગ્યો ! તે 48 નીચે ઉતરી પિતામુનિ પાસે ચારિત્ર લેવા નીકળી પડ્યો. તરંગવતીને પૂર્વ પ્રિયના વિયોગના દુઃખ પર એને માટે બાકીના બધા સુખ નકામા થઈ ગયા ! સંસારના સુખ આવા જ ને ? એનાથી હવે કશો આનંદ એને લાગતો નથી. એટલે પોતાની સખી સારસિકાને કહે છે,- “જો સખી ! મને જીવનના સેકડો મનોરથો ને આશાઓની ઓથ ન હોત તો મેં પૂર્વના તીવ્ર વિયોગ દુ:ખમાં મારું જીવન નષ્ટ કરી દીધું હોત.' તરંગવતીને આ દુઃખમાં નહાવા ધોવા ખાવાપીવામાં વગેરેમાં કશું મન નહિ, પણ પરિજનને મન રાખવા બધા કામ પરાણે પતાવે છે. પૂછો પ્ર.- તો શું એમ પણ કામ પતાવતાં ઊંચા સુખ સાધનોથી સુખનો અનુભવ તો થાય ને ? _ઉ.- આનો જવાબ પોતે જ કહી રહી છે, કે અંતરમાં વાસનાની વિહ્વળતા એટલી બધી હતી કે રાતના શીતલ પણ ચાંદની ઉષ્ણ લાગતી હતી. એકલી ચાંદની જ શું, જીવને સ્વસ્થતામાં સારી સારી અનુકૂળ લાગતી એકએક ચીજ વિરહ-વેદના વખતે મને બાળતી હતી !" આ પરથી સમજાશે કે જ્ઞાનીઓ જે કહે છે કે “સંસારમાં સુખ નથી,' એ તદ્દન સાચું છે. તરંગવતીને અત્યારે ક્યાં સુખ રહ્યું ? એક બાજુ તરંગવતીને આ વિટંબણા હતી, ત્યારે બીજી બાજુ શ્રીમંત જુવાનિયા એનું અપ્સરા જેવું રૂપ જોઈ બિચારા કામથી પીડાઈ રહ્યા હતા ! એમાં કેટલાકના બાપ ઋષભસેન શેઠ પાસે આવી આવીને પોતાના દીકરા માટે તરંગવતીની માગણી કરતા ત્યારે, શેઠ ઉમેદવારોનો શીલ-વ્રત-નિયમ-પોષધાદિમાં કેટલો પ્રયાસ કર્મ ! તારી ગતિ ન્યારી 91
Page #97
--------------------------------------------------------------------------
________________ છે.ઇત્યાદિ પૂછતા. પણ યુવાનિયાઓમાં એ લાવવું ક્યાંથી? એનો સંતોષકારક જવાબ એકે ય જણ પાસેથી મળતો નહિ તેથી એને દીકરી આપવાની ના કહી દેતા. માગનારા મોટા શેઠિયા છતાં આ બાબતમાં જરાય શરમમાં તણાયા વિના હાથ જોડી કહી દેતા કે “માફ કરજો, દીકરી આપવાનો મારો વિચાર નથી.' પૂછશો, દીકરી મોટી થતાં સાવધાની : પ્ર.- તો શું શેઠને દીકરી મોટી થઈ ગયાનો વિચાર નહિ હોય? કુંવારી કન્યા તો સાપનો ભારો કહેવાય; તો શા સારુ વિલંબ કરતા હશે ? ઉ.- કન્યાને જલદી વરાવી દેવી એનો એ અર્થ નથી કે “કન્યાને જ્યાં ત્યાં વરાવી એને કૂવામાં ઉતારવી; કેમકે જેવો તેવો પતિ જો શીલવાન ન હોય, સંયમી ન હોય, તો એમાં તો દીકરીનો માત્ર આ જનમ નહિ, પણ જનમ જનમ બગડી જાય. અલબત દીકરીને ન પરણાવાય ત્યાંસુધી એને સારા સંયોગ સત્સંગ ને ધાર્મિક ક્રિયાઓમાં ઓતપ્રોત રાખવી જોઈએ, તેમજ સામાન્યથી એના જીવન અને બોલચાલ ઉપર અંકુશ, હિતશિક્ષા વગેરે આપતા રહેવું, તેથી એના મનને કોઈ ખોટા વિચાર આવે નહિ. ઋષભસેન શેઠે આ રાખ્યું હતું તેથી એમને તરંગવતી મોટી થતી જાય છે એમાં ભય જેવું નથી લાગતું; કેમકે એ કન્યા સુંદર ધાર્મિક જીવન જીવી રહી હતી છતાં એટલું ખરું કે તરંગવતીના પૂર્વના પ્રિયના વિરહના શોકમાં એને ચાંદની જેવી શીતલ પણ વસ્તુ હૃદયને સંતાપી રહી હતી. અતિ પ્રિય વસ્તુના વિયોગમાં બીજા સારા સુખસાધનો પણ અકારા લાગે છે. તરંગવતી કહે છે, પ્રિયતમના વિયોગમાં ઇષ્ટ વિષયો પણ શોક જગાવે છે. જો અરિહંત પરમાત્મા સાથે સંબંધ બાંધવો હોય, વધારવો હોય તો આ વચન કેટલું સુંદર છે ! આપણને પ્રિયતમ મહાવીર ભગવાનનો વિયોગ પડ્યો છે, તો એમાં તપાસવા જેવું છે કે (1) એક, તો શું એથી ચિત્તને ભારે વિહ્વળતા છે? અને (2) બીજું એ, કે અતિપ્રિય પરમાત્માના વિયોગમાં મનગમતા વિષયો શોક જગાવે છે ખરા ? પૂછો, પ્ર.- વહાલાના વિયોગમાં રૂડા રૂપ રસ શબ્દનો શો ગુનો કે એ શોક વધારે ? દુ:ખ વધારે ? 9 2 - તરગવતી
Page #98
--------------------------------------------------------------------------
________________ ઉ. કારણ આ, કે શોક આનંદનું મુખ્ય સ્થાન મન છે. બધાય વિષયો આનંદ તો જ આપે છે કે જો મન એમાં પરોવાયેલું હોય. હવે મન જો કોઈ ભારે શોકમાં પરોવાઈ ગયું, તો સહજ છે કે એ વખતે એ શોકવાળું મન બીજા વિષયોના આનંદમાં ન પરોવાઈ શકે. એટલે કહો કે બીજા અનેક મનગમતા વિષયો હાજર છતાં શોકથી નષ્ટ આનંદવાળું મન એનો આનંદ નહિ માણી શકે; ઊલટું ઇષ્ટ વિષય મન પર આવતાં પેલા શોકમાં વૃદ્ધિ થો! મનને એમ થશે કે પેલી વસ્તુ છતે આ બીજી સુખસામગ્રીમાં મને આનંદ હતો. પેલી વસ્તુ જતાં, આ મને ખાવા ધાય છે. દા.ત. સુશીલ સ્ત્રીને પરણીને બે વરસમાં પતિ ગુજરી જતાં, હવે સ્ત્રીને પાસે સમૃદ્ધિ હોય તેનો પેલા શોકની આગળ આનંદ રહેતો નથી. સમૃદ્ધિ જાણે ખાવા ધાય છે ! શોકના વિચાર વખતે મનને બંગલો મોટર બધું બળ્યું લાગે છે; કેમકે આ બધા ઓછી કિંમતના તે ઊભા રહ્યા, ને મહાકિંમતી પ્રિયતમ ચાલી ગયા ! તેથી અલ્પ કિંમતવાળા પદાર્થ જોતાં દિલને ખેદ વધે છે. પ્રિયતમના વિરહના શોકમાં બંગલો વગેરે મન પર આવતાં શોક વધે છે. સંસાર કેવો વિલક્ષણ છે ! સંસારમાં સંયોગ ફરતાં સુખનાં સાધન દુ:ખરૂપ બને છે. મતિમાનને મનુષ્ય જન્મ આવા બધા વિચાર કરીને વૈરાગ્ય વધારવા માટે થાય છે; પરંતુ મોહમૂઢ જીવોને આ કાંઈ વિચાર કરવો જ નથી એટલે સંસારના નાશવંત પદાર્થ ઉપર વૈરાગ્ય શાનો થાય ? જો એ નહિ, તો પછી વૈરાગ્યના પાયા ઉપર સુકૃતો કરવાનું મન પણ શાનું થાય ? એમ, જેવી રીતે જો વિધવા બનેલી પત્ની વિટ્ટી હોય, તો એને બંગલો મોટર પૈસા કશું અકારું લાગતું નથી, એવી રીતે પરમાત્માના વિરહમાં બંગલો મોટર વગેરે કશું અકારું લાગતું નથી. આપણે શું આવા ધિદ્દા છીએ ? જો બિઠ્ઠા હોઈએ તો એનું કારણ પરમાત્મા આપણને એવા ગમતા નથી કે એમના વિયોગનું પારાવાર દુઃખ હોય. ભગવાન પર અથાગ રાગ અને શ્રદ્ધાની આ ચાવી કે આપણને પ્રભુના વિરહમાં બીજા બધા સુખ અકારા લાગે; જેમ પતિના વિરહમાં સુશીલ પત્નીને. હવે અંતરમાં તપાસ કરો,- “ભગવાનના વિરહનું દુઃખ છે ?" હજી નેહીના વિરહનું દુઃખ હશે, મનને થતું હશે કે “મારી પત્ની, મારો ભાઈ, બહુ સારા હતા પણ હું કમનસીબ કે આજે એ મારી પાસે નથી. હોત તો દિલને કેટલી બધી હૂંફ રહેત ! ભગવાન આપણી પાસે નથી, પાસે હોત તો કર્મ ! તારી ગતિ ન્યારી
Page #99
--------------------------------------------------------------------------
________________ કેટલી બધી મને હૂંફ રહેત? એવું પ્રભુવિરહનું દુઃખ નથી ! કારણ, ભગવાન જવામાં આપણો કોઈ સ્વાર્થ ભંગાયો લાગતો નથી. ‘વિષયો પ્રતિકૂળ થતાં હું તો માનું કે કર્મના તંત્ર મુજબ ચાલનારા વિષયો જો મારા કહ્યામાં નથી મારા કબજામાં નથી તો એની ખાતર મારા અણમોલ ચિત્ત-રત્નને વિષયો ખાતર બગાડવાની જરૂર નથી. ઊલટું, એવા કષ્ટ પ્રતિકૂળતા વખતે શુભભાવોને ટકાવવા સત્સંગ, શાસ્ત્રવાંચન, ત્યાગ, તપસ્યા.... વગેરેને આરાધવામાં મન લગાડી દેવું જોઈએ; તેથી બાહ્ય ભાવો કે અંદરના દિલના ભાવ બગડે નહિ. જુઓ, ચંદનબાળા માથે મુંડાઈ, પગે બેડીએ જકડાઈ, ને ભોંયરામાં કેદ પૂરાઈ, તો એણે શું કર્યું ? પ્યારા મહાવીર ભગવાનનું દિલથી નામ રટતી અને પ્રભુના જીવનને દિલથી સંભારતી બેઠી. મનના અધ્યવસાય બગડ્યા નહિ, પ્રશસ્ત ચાલ્યા. શુક રાજાનું રાજય ગયું, પત્ની ય ગઈ, તો એ શત્રુંજય તીર્થાધિરાજની ગુફામાં જઈ શત્રુંજયનું ધ્યાન ધરતા બેઠા, શુભ અધ્યવસાયમાં ઝીલવા લાગ્યા. સતી દમયંતીને પતિ નળ રાજા જંગલમાં રાતના ઊંઘતી મૂકીને જતો રહ્યો. તો એ ય પર્વતની ગુફામાં શાંતિનાથ ભગવાનની માટીની મૂર્તિ બનાવી દર્શનપૂજા-ધ્યાન કરતી સાત વરસ રહી ! આપણે દુ:ખની બૂમ તો પાડીએ છીએ. પરંતુ આવું કાંઈક આવડે ? ત્યારે ખૂબી પાછી એ છે કે ધર્મનું આલંબન લેવાનું સારું કાંઈક નથી કરતા, તો તેથી કાંઈ દુઃખ ટળતું કે ઓછું નથી થતું. વધારામાં શુભભાવ કમાઈ લેવાના ગુમાવી દિલમાં તીવ્ર અશુભ ભાવોની હોળી સળગાવીએ છીએ, અને સંતાપના તાપમાં શેકાઈએ છીએ. બ્રાહ્મીની જેમ સુંદરીને દીક્ષા ન મળી તો 60 હજાર વર્ષ આયંબિલ કરતી બેઠી અંતે પાપ ટળ્યાં, પુણ્ય વધી ગયાં, તરત જ ભરત ચક્રીએ દીક્ષાની રજા આપી દીધી અને એણે તરત જ દીક્ષા લઈ લીધી. સુલતાને પતિની અસમાધિનું દુઃખ આવ્યું. અસમાધિનું કારણ પુત્ર નહોતો એ, સુલસાએ ધર્મ વધારી દીધો અધિક ત્યાગ, અધિક તપ, અધિક જિનમાયા. ઇંદ્ર એનાં ધર્મસત્ત્વના વખાણ કર્યા. દુઃખમાં કષ્ટમાં આપત્તિમાં દિલ ન બગડે, ભાવ ન બગડે માટે ધર્મનું આલંબન લેવું અર્થાત ત્યાગ-તપ-જિનભક્તિ વગેરેની આરાધના ચાલુ કરવી. ચાલુ હોય એમાં વધારો કરવો. જેથી શુભ અધ્યવસાય બન્યા રહે. ( 4 - તરંગવતી
Page #100
--------------------------------------------------------------------------
________________ તરંગવતી એકલા સંતાપમાં બળવું એમાં ભાવ બગડવાનું સમજે છે. એના કરતાં કોઈ યોગ્ય ઉપાયથી મનને શાંત સ્વસ્થ રાખવું એમાં ડહાપણ સમજે છે. આ હિસાબ પર તરંગવતી હવે શો માર્ગ લે છે, એ જુઓ. એના મનને એમ થાય છે કે “આમ શોકમાં ડૂબી મરવું અને દિલ બગડેલું રાખવું એના કરતાં મને ધર્મનો આશ્રય લેવા દે. ધર્મથી સૌ સારા વાનાં થાય. અરિહંત પ્રભુ અને ધર્મનો અચિંત્ય પ્રભાવ છે. સર્વ સંયોગોમાં એજ શરણ કરવા લાયક છે. મનના મનોરથ અરિહંત કપા અને ધર્મથી જ સિદ્ધ થાય છે. તો આડા અવળા ફાંફાં શું કામ મારું ? લાવ, પ્રિયતમના સમાગમ માટે 108 આયંબિલ જ કરું કેમકે 6. તરંગવતીના 108 આયંબિલ આયંબિલ તપ એ સર્વ દુઃખનો વિનાશક અને સર્વ સુખનો સંપાદક છે, એમ શાસ્ત્ર કહે છે.” આયંબિલે દ્વૈપાયનને આકાશમાં લટકતો રાખ્યો; એને દ્વારિકાનો દાહ કરતો અટકાવ્યો. નેમનાથ ભગવાનના વચનથી લોકોને શ્રદ્ધા થઈ ગઈ કે આયંબિલ આદિ તપ, બ્રહ્મચર્ય અને અરિહંત ભગવાનની ભક્તિ કરવાથી બચાવ મળશે, તો લોકોએ એ શરૂ કર્યું, ને બાર વરસ ચલાવ્યું, ત્યાંસુધી તૈપાયન દેવે આકાશમાં ઊંચે ફાંફાં મારતાં આંટા લગાવ્યે રાખ્યા, પરંતુ તપસ્યા અને અહંદુ ભક્તિરૂપી ધર્મના તેજથી એવો અંજાઈ ગયો, એવો પ્રભાવિત થઈ ગયો, કે ન નીચે ઊતરી શક્યો કે ન કાંઈ કરી શક્યો. અરિહંત-ભક્તિ અને ધર્મ-પ્રવૃત્તિનો અચિંત્ય પ્રભાવ છે. તરંગવતીનું શ્રદ્ધાબળ : સાંસારિક વસ્તુ માટે ધર્મ કરાય ? : તરંગવતીને અરિહંત પરમાત્મા અને ધર્મ પર કેટલી બધી શ્રદ્ધા છે ! એ મોક્ષાર્થી જીવ તો એવી શ્રદ્ધા ધરાવે છે કે “જયાં સર્વ દુઃખનો નાશ અને અનંત સુખની પ્રાપ્તિ થયેલી છે, ત્યાં એ દુ:ખનાશ કરનાર અને સુખ અપાવનાર કોઈ હોય તો તે એકમાત્ર અરિહંતદેવ અને એમનો ધર્મ છે. ધર્મથી એ મોક્ષ મળે નહિ ત્યાંસુધી અરિહંત ભક્તિ અને ધર્મસાધનાની અનુકૂળતા માટે ચિત્તની સ્વસ્થતા જોઈએ; અને એ ચિત્તની સ્વસ્થતામાં જરૂરી વચગાળાના દુ:ખના નિવારણ તથા જરૂરી સુખસાધનોની પ્રાપ્તિ માટે કોનો સહારો લેવો ? પાપનો? કર્મ ! તારી ગતિ ન્યારી 95
Page #101
--------------------------------------------------------------------------
________________ પાપ ઉપાયોનો? કે ધર્મનો ને અરિહંત શરણનો? કહેવું પડે કે અરિહંત પ્રભુ અને ધર્મનો જ સહારો લે; કેમકે એ સમજે છે કે જેનામાં સર્વદુ:ખનાશ અને સર્વસુખ પ્રાપ્તિ કરાવવાની તાકાત છે એનામાં અલ્પ દુ:ખનાશ અને અલ્પ સુખસાધન-પ્રાપ્તિ કરાવવાની જે તાકાત હોય એ બીજા કશામાં ય ન હોય. એટલે જ મોક્ષ નથી થયો ત્યાંસુધી સહારો લેવાનો હોય તો અરિહંતદેવ અને જૈનધર્મની સાધનાનો જ સહારો લેવાનો હોય; પણ નહિ કે કોઈ મિથ્યાદેવ દેવીનો યા ન કોઈ પાપ પ્રપંચોનો સહારો લેવાનો. શોક-મુંઝવણ ટાળવા શાસ્ત્ર શો ઉપાય કહે છે ? આત્મ-પ્રબોધ' નામના શાસ્ત્રમાં સુલસા શ્રાવિકાનો અધિકાર મૂક્યો છે. એમાં એના પતિના મનને પુત્ર ન હોવાનું ભારે દુઃખ છે, એટલે એ સુલતાને કહે છે. “પુત્ર માટે તમે કોઈ દેવી દેવતાની ઉપાસના કરો ને ?" ત્યારે સુલસા કહે છે, સુખ-સુખસાધન દેવા માટે અરિહંત પરમાત્મા જેવા કોઈ સમર્થ દેવ દેવી નથી; તો હું અરિહંત પ્રભુને છોડીને શા માટે બીજાને ભજું? પુત્ર માટે હું તો અરિહંત ભગવાનને જ ભજીશ.” પૂછો, પ્ર.- સાંસારિક વસ્તુ માટે અરિહંતને ભજાય ? ઉ.- જો એ પ્રભુને ન ભજાય, તો શું મિથ્યા દેવ દેવીને ભજાય ? અથવા પાપ પ્રપંચો કરાય ? જીવનમાં જ્યારે ને ત્યારે અરિહંતદેવ અને એમના ધર્મને જ આગળ કરતા રહેવાનું છે; તો જ એ દેવાધિદેવ અને એમના ધર્મની એવી મમતા અને બહુમાન પક્ષપાત ઊભા થાય કે જે જગતની કોઈ ચીજ પર ન હોય. આયંબિલની કુનેહથી માગણી : તરંગવતી એજ કરી રહી છે, “પૂર્વનો પ્રિય મળવાના નકોમાં વલોપાત કરવા એના કરતાં 108 આયંબિલ કરવા દે.” પરંતુ એમાં વડીલની સંમતિ જોઈએ, અને તે કાંઈ પૂર્વ ભવની વાત કહ્યા વગર મેળવવી છે, એટલે માતા પિતાને પગે પડીને તરંગવતી કહે છે, “કેટલાય વખતથી મનને શાંતિ નથી, તો શાંતિ માટે આયંબિલ કરું. એમ મનને થાય છે કે તો આપની અનુજ્ઞા અને આશીર્વાદ જોઈએ. માતા પિતા એને પૂછતા નથી કે કેમ અશાંતિ રહે છે ? કારણ, સમજે છે કે દીકરી ઉંમરમાં આવેલી છે, અને અમે એના માટે યોગ્ય પતિ હજી સુધી શોધી શક્યા નથી, તેથી એને સહેજ મનોદુ:ખ રહે, એ આપણે સમજી લેવાનું. 96 - તરંગવતી
Page #102
--------------------------------------------------------------------------
________________ એટલે અશાંતિનું કારણ પૂછાય નહિ. પૂછીએ તો જવાબ દેવામાં એ શરમાઈ જાય, નાનડિયાને એવું પૂછાય પણ નહિ. એ આયંબિલ કરવા માગે છે તો ભલે કરે એમ જ એના અંતરાય કર્મ તૂટશે તો સુયોગ્ય પતિ મળી આવશે. તરંગવતીના 108 આયંબિલ : 108 આયંબિલ કરવા પાછળ તરંગવતીનો હેતુ કયો ? અને માબાપનો હેતુ ક્યો? આમ, સંસારમાં કાર્ય એકજ પ્રકારનું પરંતુ માણસોના ઉદ્દેશ જુદા જુદા, એવું બને છે. દા.ત. છોકરો ફરવા જવા માટે પૈસા માગે છે. અને બાપ એ આપે છે, પણ છોકરાનો ઉદ્દેશ મોજમજાહ ઉડાવવાનો હોય છે, ત્યારે બાપનો ઉદેશ છોકરાને પૈસા આપી એના મન પર અહેસાન ચઢાવવાનો છે, તે એટલા માટે કે એથી છોકરાનો બાપ પર સભાવ વધે તો આગળ પર બાપ છોકરાને હિતનું કહી શકે. આમ બાપનો ઉદ્દેશ જુદો, ને છોકરાનો જુદો હોય એવું બને છે. એમાં છોકરાને બાપના ઉત્તમ ઉદ્દેશની ખબર નથી હોતી એવું અહીં તરંગવતીના પ્રસંગમાં બને છે. માતા પિતાને તરંગવતીના આયંબિલ કરવા પાછળના આંતરિક ઉદ્દેશની ખબર નથી. એ તો સમજે છે કે તરંગવતીને મનની શાંતિ માટે આયંબિલ કરવા છે, અને પોતે ધાર્મિકવૃત્તિ છે તેથી કરવાની સંમતિ આપી દે છે. તરંગવતીનો ઉદ્દેશ પૂર્વ પ્રિયનો સમાગમ મેળવવાનો છે, અને એ ઉદેશ સિદ્ધ કરવા માટે આયંબિલ તપ ધર્મ અને અરિહંત ભક્તિને સમર્થ માને છે, તેથી માતા પિતાની સંમતિ મેળવી આયંબિલ શરૂ કર્યા. આમાં એ જોવાનું છે કે અલબત સંસારી પ્રિયતમને મેળવવાની ઇચ્છા પૌગલિક રાગદશાની છે, પરંતુ એ મળવાની શ્રદ્ધા અરિહંતપ્રભુ અને ધર્મ ઉપર છે એ મહત્ત્વનું છે. ભગવાન મોક્ષ તો આપે જ છે; પરંતુ સાંસારિક સુખ સગવડ આપનાર પણ એ જ છે. આમ શ્રદ્ધા કરી અરિહંતદેવ અને ધર્મને દિલમાં ઊંચું સ્થાન અપાય એ તો અનંતકાળથી અરિહંત અને અરિહંતના ધર્મથી વિમુખ રહેલા જીવને માટે ઉદ્ધારની નિશાની છે. શાસ્ત્રો મોક્ષ પ્રત્યે દ્વેષ ન હોય એવા જીવને માટે આ ઉદ્ધારક તત્ત્વ કહ્યું છે. લૌકિક આશંસા દ્વિવિધ : બાધ્ય અને અબાધ્ય. ‘બત્રીશ બત્રીશી' શાસ્ત્રમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે. अपि बाध्यफलापेक्षा सदनुष्ठानरागकृत् / सा च प्रज्ञापनाधीना, मुक्त्यद्वेषमपेक्षते // અર્થાત્ - (ધર્મસાધનામાં રખાતી લૌકિક ફળની અપેક્ષા આશંસા જો કર્મ ! તારી ગતિ ન્યારી 97
Page #103
--------------------------------------------------------------------------
________________ અબાધ્ય નહિ, પણ) બાધ્ય કોટિની ફલાપેક્ષા હોય તો તે સત્ (નિરાશસભાવના) અનુષ્ઠાનનો રાગ કરાવનારી બને છે, કેમકે તે ગુરુના ઉપદેશથી સાધ્ય છે અર્થાત્ આશંસા નીકળી જાય એવી છે, (માત્ર) ત્યાં મોક્ષનો દ્વેષ ન જોઈએ (તાત્પર્ય મુક્તિનો અદ્વેષ હોય તો લૌકિક આશંસા ‘બાધ્ય' યાને ગુરુ-ઉપદેશથી ટળી જાય એવી હોય છે.) અહીં જુઓ માણસ ધર્મસાધના કરે એમાં એને પૌદ્ગલિક ફળની આશંસા અપેક્ષા હોઈ શકે છે. પરંતુ એ આશંસા અપેક્ષા બે પ્રકારની હોય છે, 1. એક અબાધ્ય અને ર બીજી બાધ્ય. (1) બ્રહ્મદત્તને અબાધ્ય આશંસા : (1) અબાધ્ય ફળ અપેક્ષા એટલે જે અપેક્ષા આશંસા આગળ પર સુધરે જ નહિ, પણ એવી ને એવી મલિન પૌદ્ગલિક આશંસા ઊભી જ રહે. દા.ત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ પૂર્વ ભવે સંભૂતિ મુનિ, એને પાછળથી સનકુમાર ચક્રવર્તી પોતાની પટ્ટારાણી સાથે વંદનાર્થે આવ્યો, એમાં પટ્ટરાણી વંદન કરતાં એની કેશવાળીની લટ આગળ ઊછળી પડતાં, મુનિના ચરણે સ્પર્શી ગઈ; એથી મુનિનું મન વિહવળ થયું વિકૃત થયું, અને મનથી નક્કી કર્યું (નિયાણું કર્યું કે “મારા તપ સંયમના પ્રભાવે પરભવે આવા ભોગ સુખો મળો.” ચક્રવર્તીના ગયા પછી સાથેના ચિત્ર-મુનિએ સંભૂતિ મુનિના ચહેરા પર ફેરફાર જોતાં પૂછ્યું, તો સંભૂતિ મુનિએ પોતાનો અભિપ્રાય કહ્યો; એટલે ચિત્રમુનિએ એમને ઘણું સમજાવ્યા કે આવું શું કામ ઇચ્છો છો ? આ પૌદ્ગલિક સુખો તો પાછા અંતે નાશ પામનારા છે, અને પછી પરભવે ભવચક્રમાં ભમાવનારા છે. એના બદલે આવી આશંસા કર્યા વિના આ તપ-સંયમમાં જ જીવન પસાર થવા દો, એથી અંતે મોક્ષના એવાં અનંતા શાશ્વત સુખ મળશે કે જે પછી કદી જાય જ નહિ, પરંતુ સંભૂતિ મુનિએ તો માન્યું જ નહીં આશંસા મૂકી જ નહિ. એ ચક્રવર્તીના ભોગ સુખોની આશંસા અપેક્ષા એ અબાધ્ય કહેવાય, ત્યારે, (2) સંપ્રતિની બાધ્ય ફલાપેક્ષા : (2) બાધ્ય ફલાપેક્ષા એટલે કે જે અપેક્ષા પાછળથી ઉપદેશ મળતાં સુધરી જાય, અર્થાત લૌકિક સુખાદિની અપેક્ષા આશંસા સુધરીને માત્ર કર્મનિર્જરારૂપ ફળની અપેક્ષા આશંસા બની જાય. મોક્ષની જ આશંસા બની 88 - તરંગવતી
Page #104
--------------------------------------------------------------------------
________________ જાય. તાત્પર્ય, નિરાશસભાવ આવી જાય. દા.ત. સંપ્રતિના જીવ ભિખારીએ ચારિત્ર લેતાં ખાવાની આશંસા રાખી હું મુનિ બનું તો મને ખાવા મળશે ને ? ગર આર્યસુહસ્તિમહારાજે એને એમ પણ દીક્ષા આપી. પરંતુ પાછળથી એને એજ રાતે અજીર્ણની વેદના ઊપડી ત્યાં ગુરુએ નિર્ધામણા કરાવી એનો અશંસાભાવ મુકાવી દીધો. આ બાધ્ય કોટિની ફલાપેક્ષા કહેવાય. એમ, ગોવિંદ બ્રાહ્મણે વાદકળા શીખવા માટે ચારિત્ર લીધું. પરંતુ પાછળથી પછી શાસ્ત્રો ભણતાં ને ગુરુની હિતશિક્ષા સાંભળતાં એમની એ આશંસા ટળી ગઈ, અને ગુરુની આગળ ફરીથી નિરાશસ ભાવે ચારિત્ર લેવા ઇચ્છા બતાવી. આ ‘બાધ્ય” ફળાપેક્ષા કહેવાય. સંઘમાં કેટલાય જીવો પહેલાં પ્રભાવનાની લાલચે પૂજામાં, વ્યાખ્યાનમાં ને ઉપધાનાદિ ધર્માનુષ્ઠાનમાં જોડાય છે, પોસહ-ઉપધાનાદિ અનુષ્ઠાનમાં જોડાય છે. સારા જમણની લાલચે. પણ પાછળથી ઉપદેશાદિ સાંભળતાં સાંભળતાં એવી લાલચ આશંસા અપેક્ષા છોડી દે છે, એ બાધ્ય ફલાપેક્ષા કહેવાય. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે, આવી બાધ્ય ફલાપેક્ષા. બાધ્ય કોટિની ફલાપેક્ષા પ્રજ્ઞાપનાધીન છે, અર્થાત્ ઉપદેશથી સુધરી જવાને યોગ્ય છે. અલબત આવી લૌકિક ફળની યાને સાંસારિક ફળની અપેક્ષા આશંસાવાળું અનુષ્ઠાન એ સત્ અનુષ્ઠાન ન કહેવાય, સદ્ અનુષ્ઠાન નિરાશસ ભાવવાળું હોય, પરંતુ એ લૌકિક આશંસાવાળું અનુષ્ઠાન સદ્ અનુષ્ઠાનનો રાગ કરાવનારું બને છે. શરત આ, કે એમાં મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ, કેમકે એ લૌકિક આશંસા ઉપદેશાધીન, અર્થાત ઉપદેશને ગ્રહણ કરનારી હોય છે, ઉપદેશથી સુધરવા યોગ્ય હોય છે. એમાં આવશ્યકતા આ બતાવી કે સાંસારિક વસ્તુની આશંસા હોવા સાથે મોક્ષ પ્રત્યે દ્વેષ અરુચિ અણગમો ન જોઈએ. જો મુક્તિ દ્વેષ હોય તો એ આશંસા અપેક્ષા સુધરે જ નહિ. એટલે જ પૂર્વે કહ્યું તેમ સંભૂતિમુનિને ચક્રવર્તીના ભોગસુખોની આશંસા અપેક્ષા થઈ, તે સુધરી જ નહિ કેમકે એમાં સાથે મુક્તિ પ્રત્યે અણગમો વૈષ થયેલો. એટલે તો ભાઈ મુનિએ જયાં એમને એવું નિયાણું ન કરવાનું સમજાવતાં કહ્યું કે આ તપ સંયમથી મોક્ષ મળી શકે એમ છે, ત્યારે એ સંભૂતિમુનિ કહે છે, ‘ભાઈ ! હમણાં મોક્ષની વાત રહેવા દો. હમણાં તો મારે... આ શબ્દોની પાછળ હૈયામાં શું છે ? કહો, મોક્ષ પ્રત્યે અરુચિ અણગમો દ્વેષ છે, આમ મોક્ષ પ્રત્યે અ-દ્વેષ નહિ હોવાથી એની સાધનામાં ફળની અપેક્ષા બાધ્ય ફળાપેક્ષા કર્મ ! તારી ગતિ ન્યારી --
Page #105
--------------------------------------------------------------------------
________________ નહિ, અ-બાધ્ય ફલાપેક્ષા બની. લૌકિક ફળની અપેક્ષા મોક્ષ તરફ અરૂચિ કે ઉપેક્ષાવાળી હોય તો એમાં આગળ પર ઉપદેશ મળવા પર પણ સુધારો થવાનો નહિ. એ અપેક્ષા મટીને નિરાશસ ભાવ નહિ આવવાનો. ત્યારે જેને મોક્ષ પ્રત્યે દ્વેષ અરુચિ અણગમો નથી ને એને ધર્મ કરતાં સાંસારિક ફળની આશંસાવાળું અસદ્ અનુષ્ઠાન હોવા છતાં એને એ સદ્ અનુષ્ઠાનનો રાગ કરાવનારું બને છે કેમકે ધર્મ પ્રવૃત્તિમાં ગુરુના ઉપદેશનું શ્રવણ કરે છે, ને એમાં સમજવા મળે છે કે સંસારના કોઈ પણ પદાર્થની આશંસા અપેક્ષા કરવા જેવી નથી, તેથી હવે આશંસા મૂકી દઈ નિરાશસભાવમાં આવે છે. તેથી એનું અનુષ્ઠાન નિરાશસભાવવાળું સદ્ અનુષ્ઠાન બને છે. આ બતાવે છે ? આ જ, કે જીવ પહેલાં કોઈ લાલચથી ધર્મ કરવા આવે, અગર ધર્મ કરીને પોતાની સાંસારિક આપદા ટાળવાનું માગે, યા આજીવિકાદિ અર્થે પૈસા ટકા માગે, તો એને એમ ન કહેવાય કે તું સાંસારિક વસ્તુની લાલચથી ધર્મ કરે છે ? યા ધર્મ કરીને સંસારના સુખ માગે છે ? તો દુર્ગતિમાં રીબાવી રીબાવીને મારશે !...સાંસારિક ઇચ્છા પૂરવા ધર્મનું શરણું લે એ મહામૂર્ખ ને પાપપ્રવૃત્તિનું શરણું લે, એ શાણો.- આવું બધું એને કેમ ન કહેવાય ? કારણ એ છે કે જો એને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, તો બત્રીશ બત્રીશી શાસ્ત્ર વચનના હિસાબે આ એની ધર્મ પાસેથી સાંસારિક ફળની અપેક્ષા બાધ્ય કોટિની છે, એટલે કે એ પ્રજ્ઞાપનાધીન છે, અર્થાત ગુરુની સમજુતીને આધીન છે, એમ પણ ધર્મ કરતાં કરતાં એ સદ્ગના ઉપદેશને પામશે, અને એથી એમ સમજશે કે, “દુન્યવી વિષયો વિષ સરખા છે માટે એની તૃષ્ણા આશંસા નહિ રાખવી જોઈએ. તુષ્ણા આશંસા ઓછી ઓછી કરતા ચાલવું જોઈએ. એને દબાવતા ચાલવું જોઈએ જેથી અંતે એ નામશેષ થઈ જાય. આવી સમજ આવ્યા પછીથી સહેજે એ આશંસા વિનાનો નિરાશસ ધર્મ કરતો રહેશે. ત્યારે અહીં પૂછશો - પ્ર.- તો પછી તરંગવતી તો સમજુ તત્ત્વ ભણેલી શ્રાવિકા હતી, તો એણે પૂર્વ જન્મનો પતિ મેળવવાની આશંસાથી કેમ 108 આયંબિલનો ધર્મ કરવા ધાર્યું ? એ ધર્મ તો આશંસાવાળો ધર્મ થયો સમજી એણે તો નિરાશ આયંબિલ તપ કરવો જોઈએ ને ? ઉ.- એ તપધર્મ કરવા જે એણે ધાર્યું અને આયંબિલ તપ શરૂ પણ કર્યો, 1OO - તરંગવતી
Page #106
--------------------------------------------------------------------------
________________ તે પૂર્વ પ્રિયને મેળવીને ચિત્તની વ્યાકુળતા વિહ્વળતા મિટાવવા માટે કર્યો હતો, એ મિટાવીને અવ્યાકુળ યાને શાંત ચિત્તે ધર્મસાધનાઓ કરવાના ઉદ્દેશથી કર્યો હતો. ધર્મપ્રવૃત્તિ માટે જેમ શરીર-સ્વસ્થતા આદિ બીજા બીજા સાધનની જરૂર છે, એમ માનસિક સ્વસ્થતાની પણ જરૂર છે, જેથી ધર્મસાધનામાં વ્યાકુળતાઆર્તધ્યાનની દખલ ન રહે, અને ધર્મ ઉછળતા હરખથી ને જોમ ઉત્સાહથી થાય. દિવસોના ભૂખ્યાને કહો તું ભૂખ સહન કરી લે, ચિત્તની વિહ્વળતા કાઢી નાખ, અને ધર્મ કર, તો આ પેટમાં કુવો ને વરઘોડો જુઓ કહેવા જેવું છે, ચિત્તની વિહ્વળતામાં ધર્મનું પ્રણિધાન જ ન થાય, પછી પ્રણિધાનપૂર્વકની ધર્મ-પ્રવૃત્તિ ક્યાંથી થવાની હતી ? જો એ નહિ, તો તો પછી ધર્મની સિદ્ધિ ય ક્યાંથી થાય ? માટે કહો,-કોઈ પણ ધર્મ પ્રવૃત્તિમાં પ્રણિધાન જોઈએ જ, ને એ પ્રણિધાન માટે ચિત્તની સ્વસ્થતા જોઈએ જ. એવી ચિત્ત-સ્વસ્થતા માટે જ તરંગવતીએ પતિ વિયોગથી થતી અસ્વસ્થતા ટાળવા સારુ અને સ્વસ્થતાપૂર્વકની ધર્મપ્રવૃત્તિ કરવા સારુ એણે પતિ વિરહને તોડનાર અર્થાત્ પતિસંયોગકારી 108 આયંબિલ તપની સાધના માંડી. શ્રદ્ધા છે કે જે તપ સર્વ દુ:ખ ટાળવા સમર્થ છે, એ તપ મારા પતિ વિરહના નાના દુઃખને જરૂર ટાળશે.” એમ “જે તપ સર્વ ઇષ્ટ મેળવી આપવા સમર્થ છે, એ ઇષ્ટ પતિને જરૂર મેળવી આપશે.” એ શ્રદ્ધાથી એ આયંબિલ ધપાવ્યે જાય છે. શ્રીમતીએ પણ પૂર્વ જન્મના પતિ અહીં આદ્રકુમારને મેળવવા 108 આયંબિલ કરેલા. તરંગવતી અને શ્રીમતી બંનેના પ્રસંગમાં શાસ્ત્રકાર ભગવંતોએ આવું કાંઈ કહ્યું નથી કે એણે વિષક્રિયા કરી. અધર્મ કરતાં ભંડો ધર્મ કર્યો. એ એનાથી સંસારમાં રખડી પડી...” એવું કાંઈ લખ્યું નથી ઊલટું તરંગવતીની જે ભાવના લખી છે કે “આયંબિલ તપથી સમસ્ત દુ:ખો જાય' એ ભાવનાથી સૂચવ્યું છે કે “તમારે દુઃખ ટાળવું હોય તો ભગવાન જિનેશ્વરદેવ અને એમના તપની આરાધના કરો,” દુઃખનાશ અને સુખપ્રાપ્તિ માટે એકમાત્ર ધર્મ જ ઉપાદેય છે. અહીં સવાલ આ છે કે, “સંસારની કોઈ આપદા ટાળવી છે, યા કોઈ વસ્તુ જોઈએ છે, તો એ માટે પાપ કરવા સારા ? કે ધર્મ કરવો સારો ?" અહીં કેટલાક આશ્ચર્ય કરે છે, “હે ! સંસાર માટે ધર્મ કરવાનો ? એની સામે આ આશ્ચર્ય છે કે “હેં ! સંસાર માટે ધર્મને બદલે પાપ કરવાના ? પૂછો કર્મ ! તારી ગતિ ન્યારી 101
Page #107
--------------------------------------------------------------------------
________________ પ્ર.- પરંતુ સંસાર માટે ધર્મ કરે તો પાપ લાગે ને ? ઉ. એટલું વિચારો કે, દા.ત. કોઈનો પુત્ર કોઈ ભૂત વળગાડ વગેરે ગમે તે કારણે ગાંડો થઈ ગયો છે, તો હવે બાપ વળગાડ અને ગાંડપણ કાઢવા માટે મિયાના પીર પાસે જાય તો વધારે પાપ લાગે? કે શંખેશ્વર ભગવાન પાસે જાય તો વધારે પાપ લાગે ? વધારે પાપ ક્યાં લાગે ? અહીં સંસાર માટે ધર્મ કરવામાં મોટું પાપ લાગે એમ કહેનારે તો આ જ ઉત્તર કરવો પડે કે, “પુત્રાદિ માટે અરિહંતભક્તિ કરનાર તો મહાપાપ બાંધે; એના બદલે મિથ્યાષ્ટિદેવીદેવતાની પૂજા માન્યતા કરે તો ઓછું પાપ બાંધે આ શું વાજબી છે ?" પ્ર.- પતિ-સંયોગ એ તો સંસારની ચીજ છે, એ મેળવવા માટે ધર્મ થાય ? ધર્મ તો મોક્ષ માટે જ કરવાનો ને ? કે સંસાર સુખ માટે ? ઉ.- અહીં સામે સવાલ ઊઠે છે કે, સંસારની ચીજ માટે ધર્મ ન થાય તો પાપ થાય ? તરંગવતીને ઇષ્ટ પતિ જોઈએ છે, તો એ માટે શું એણે ચંડીભવાનીને પૂજવા ? શું મિથ્યા દેવદેવીની માન્યતા રાખવી ? “આત્મ-પ્રબોધ'-શાસ્ત્રમાં સુલતાના અધિકારમાં લખ્યું છે કે શ્રેણિક મહારાજના અમલદાર પતિ નાગરથિકને પુત્ર જોઈતો હતો એ માટે સુલસાએ જયારે એને કહ્યું કે, મારા ભાગ્યમાં પુત્ર નથી, તો તમે બીજી પત્ની કરી લો, ત્યારે પતિ કહે છે, “આ જનમમાં તારા સિવાય બીજી સ્ત્રી માટે કરવાની નથી એ નિશ્ચિત છે. મારે તો તારા થકી જ પુત્ર જોઈએ છે. એ માટે તું કોઈ દેવી દેવતાની માન્યતા કર” ત્યારે સુલસા કહે છે, હું શા માટે મારા અરિહંતદેવને મૂકી બીજા પાસે જાઉં ? હું તો અરિહંતની જ પાસે માગીશ. એ માટે અરિહંતની વિશેષ પૂજા ભક્તિ અને અરિહંતે કહેલ ત્યાગ તપસ્યા આચરીશ ! એમ કરી એણે અરિહંતની પૂજા ભક્તિ વગેરે વધારી દીધું. આમાં સ્પષ્ટ થશે કે સુલસાએ સંસારની વસ્તુ માટે ધર્મ કર્યો. એમ તરંગવતીએ પૂર્વના પ્રિયને મેળવવા 108 આયંબિલ આદર્યા સુલતા તરંગવતી વગેરેએ જે ધર્મ કર્યો તે વાજબી છે. તરંગવતીને 108 આયંબિલ ચાલવા માંડ્યા. એ સુકોમળ શરીરની છે, તેથી શરીર દૂબળું પડે છે, પરંતુ એનું એને દુઃખ નથી. એનો આત્મા દૂબળો નથી પડતો; અલબત પ્રિય-વિરહનો શોક હજી ઊભો છે તેથી એની એના 102 - તરંગવતી
Page #108
--------------------------------------------------------------------------
________________ મનને દૂબળાશ છે. ખૂબી કેવી થઈ ! કુટુંબીઓ એને દૂબળી પડતી જુએ છે એટલે એમ સમજે છે કે એ તપને લીધે દૂબળી છે. ત્યારે વાસ્તવમાં એ પ્રિયવિરહના શોકથી દૂબળી પડેલી છે. કહે છે ને કે સ્નેહના કામના બાણ જેને વાગ્યા હોય તે એનું દુઃખ જાણે, બીજાને એને ખબર ન પડે; એમ તરંગવતીના શોકનું કષ્ટ તરંગવતી જાણે છે. બીજાઓ એના આયંબિલને કષ્ટમય દેખે છે. સમકિતીને અંતરમાં કેટલાં દુઃખ ? : શાસ્ત્રો સમ્યક્ત્વવાળાની આ સ્થિતિ બતાવે છે કે એ બહારથી સુખી પરંતુ અંતરથી દુઃખી, કેમકે બહારથી એ સંસારના વૈભવ પરિવારવાળો હોઈ શકે, તેથી લોક એને સુખી તરીકે દેખે છે, પરંતુ અંદરથી એનું મન જાણે છે, (1) સંસારમાં ફસામણ, (2) પાપોની પરાધીનતા, (3) આત્મ સમૃદ્ધિનો વિયોગ, (4) ગુણોની દરિદ્રતા, (5) જન્મ મરણની વિટંબણા, (6) કર્મ-પીડિતતા... વગેરે વગેરે ઘણી વાતનું એના હૈયે ભારે દુઃખ છે. ભરત ચક્રવર્તી લોકોને સુખી દેખાતા હતા પરંતુ “મનહી મેં વૈરાગી ભરતજી મનમાં પોતાના આત્માની ભાવશત્રુ રાગાદિથી થઈ રહેલ કcથી એ ભારે દુ:ખી હતા. તરંગવતીએ આયંબિલની તપસ્યા તો કરી, છતાં અંતરમાં શોક સતાવતો હતો. એમાં એણે જોયું કે આમ પ્રિયના સંગ માટે ખાલી ખાલી ઝૂરતા બેસી રહેવાનો કંઈ અર્થ નથી. કોઈ રચનાત્મક ઉપાય કરવો જોઈએ. ઉપાય, આ કે જેમ મને જાતિસ્મરણજ્ઞાન થયું, એમ જો પ્રિય અહીં મનુષ્ય તરીકે જન્મી પડ્યો હોય, અને એ કોઈ રીતે જાતિસ્મરણજ્ઞાન થાય, તો એ પૂર્વ ભવના મારી સાથેના સંબંધની વાત કરે, અને એ પરથી ઓળખાઈ જાય કે આ જ મારો પૂર્વના પ્રિય !' પ્રશ્ન આ, પ્રિયને જાતિસ્મરણ થવાનો ઉપાય શો? : તરંગવતી ગૃહિણીને કહે છે, અહીં ઉપાય આ સૂક્યો કે “હું પૂર્વ ભવનું ચિત્ર બનાવું અને કોઈ તહેવારના દિવસે જાહેરમાં ચિત્ર ખુલ્લું મૂકાવું હજારો માણસ એ જોતા જાય, એમાં નથી ને કદાચ મારા પ્રિયનો જીવ આવી કર્મ ! તારી ગતિ ન્યારી 103
Page #109
--------------------------------------------------------------------------
________________ જાય, અને એ ચિત્ર જુએ તો મને ખાતરી છે કે એને પણ જાતિસ્મરણજ્ઞાન થઈ જાય. તો તો પછી એ જ મને શોધતો આવે. એમાં વળી કૌમુદી મહોત્સવ આવવાનો છે, એ વખતે શહેર આખું એ જોવા નીકળશે, ત્યાં એ દાસી પાસે ખડું કરી શકાશે, અને એ જોનારાઓમાં સંભવ છે મારો પૂર્વ પ્રિય આવી ગયો, તો કાર્યસિદ્ધિ થવા સંભવ છે.” પ્રિયનો પત્તો મેળવવાની કેટલી બધી લગન છે. પ્રિય પરમાત્માનો પત્તો મેળવવા શું કરવું ? : મહર્ષિઓ કહે છે આપણા અંતરમાં પ્રિય પરમાત્માનો વાસ છે, હવે જો એ શોધી કાઢવામાં આવે, અને પહેલાં સંભેદધ્યાન અને પછી અભેદધ્યાન ધરવામાં આવે, તો પોતાનો આત્મા પરમાત્માના પ્રભાવવાળો બને છે. જુઓ, કલ્યાણમંદિરની ગાથામાં 'आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया / ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः // અર્થાત્ બુદ્ધિમાનો વડે હે જિનેન્દ્રદેવ ! આ આત્માનું તમારી સાથે અભેદ-બુદ્ધિથી ધ્યાન કરવામાં આવે તો તે તમારા જેવા પ્રભાવવાળો બને છે. મહર્ષિઓનું આ ટંકશાળી વચન ધ્યાન પર લઈને આપણા પ્રિય પરમાત્માનું ક્યારે ધ્યાન કરીએ છીએ ? અતંરમાં પ્રભુનો કાંઈક પણ પત્તો લાગે એ માટે શી યોજના કરીએ છીએ ? પ્રભુના જીવનપ્રસંગના ચિત્રપટ્ટ એ એક યોજના છે. એના આધારે ચિંતન ધ્યાન કરતા રહેવાય, તો પ્રભુની લેશ પણ ઝાંખી મળે એમ છે. ત્યારે સંસારના પ્રિય ખાતર એવી યોજના કરાય, પ્રિયનો પત્તો મેળવવા જહેમત ઉઠાવાય, એ બધું ખપે, માત્ર પરમાત્મા માટે એ નથી ખપતું ! કેવો પ્રભુ-પ્રેમ ! તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહી છે કે મને પૂર્વ પ્રિયના વિરહનો શોક શમતો નહોતો, તેમજ મારે એનો સંયોગ મેળવવો હતો, એટલે મેં મારા પૂર્વ ભવનું ચિત્ર તૈયાર કર્યું. તરંગવતીએ ચિત્રમાં શું શું આલેખ્યું? ચિત્રમાં એક બાજુ નદી વહી રહી છે, એમાં અનેક પંખેરા ખેલી રહ્યા છે. એમાં હું પણ ચકોરી તરીકે મારા પ્રિય ચકોર સાથે ઘડીમાં નદીમાં ઘડીમાં નદીના કાંઠાની રેતીમાં ખેલી રહી હતી. એમાં એક વિશાળ હાથી આવ્યો છે, 104 - તરંગવતી
Page #110
--------------------------------------------------------------------------
________________ એય નદીમાં સૂંઢમાં પાણી ભરીને ઊંચે ફૂંકારી રહ્યો છે. ત્યાં એક ઝાડ પરથી યુવાન શિકારી હાથીનો શિકાર કરવા બાણ છોડી રહ્યો હોય તે બતાવ્યું છે. પરંતુ એ બાણ હાથી સુધી પહોંચે એ પહેલાં વચમાં જ ઊડતા મારા પ્રિય ચકોરને વધે છે એ દેખાડ્યું છે. ચકોર ઘવાઈને બાણ સાથે નીચે પાણીમાં પડે છે. હું અતિ ખિન્ન થઈ બાણ સાથે એને ખેંચી જઈ કિનારે લાવું છું, ને માથું પછાડી કલ્પાંત કરું છું. ત્યાં પેલો શિકારી ખિન્ન થઈ, આવીને મારા પ્રિયની ક્ષમા માગે છે. પછી લાકડાની ચિતા કરી, એમાં મારા પ્રિયના શરીરને મૂકી અગ્નિસંસ્કાર કરે છે. ત્યારે ઉપરમાં ભમતી હું ચિતામાં પડી બળી મરું છું. ચિત્રમાં ગંગા નદીની આસપાસ ઘણા વૃક્ષો છે, કમળોનું સરોવર છે, વગેરે વગેરે પ્રસંગો ચિતરીને મેં ચિત્રપટ્ટ તૈયાર કર્યો. ચિત્રપટ્ટ તૈયાર કરીને જ્યારે હું એ જોઉં છું ત્યારે એમાં મારા જીવન પ્રસંગો બધા આબેહૂબ દેખાવા લાગ્યા, અને મારો શોક ઓર વધી ગયો ! આંખે આંસુ છલકાયા, ને હું રોવા માંડી તે હાય ! હે મારા પ્રિય ! તમે આમ વીંધાયા ? ને મર્યા ! તમે ક્યાં ગયા ? એમ કલ્પાંત કરતી રોવા મંડી. - ચિત્ર કેવુંક કામ કરે છે ! માણસ સ્વસ્થ બેઠો હોય પણ એવું કાંઇક ચિત્ર જો નજર સામે આવે, તો દિલમાં એને અનુરૂપ ભાવ ઊછળે છે. દા.ત. સિદ્ધગિરીનું ચિત્ર, તે પણ અક્ષયતૃતીયાના દશ્યોવાળું નજર સામે આવે, તો દિલમાં એકદમ હર્ષોલ્લાસ અને તીર્થભક્તિના ભાવ ઊભરાય છે. એના બદલે મસાણનું ચિત્ર નજર સામે આવે કે જેમાં મડદાં બળતા દેખાયા હોય, તો એ જોઈને દિલમાં જીવન અને વૈભવ-પરિવારની અસારતા પર વૈરાગ્ય ભાવ ઊછળે છે. - સમરાદિત્ય કેવળીનો જીવ પહેલા ભવે રાજા ગુણસેન તાજો ધર્મ પામેલો છે. તે એકવાર ઝરૂખામાં બેઠા કોઈની સ્મશાનયાત્રા જુએ છે, ને એ જોતાં એમનો વૈરાગ્ય વધી જાય છે, તે તરત દીકરાને રાજ્યગાદીએ બેસાડી બીજા દિવસે ગુરુ પાસે જઈ દીક્ષા લેવાના નિર્ણયથી મહેલના એકાન્ત ભાગમાં ધ્યાનમાં બેસી જાય છે. આ દશ્યની અસર આજે સિનેમા-ટી.વી.-વીડિયો પેપરોમાંનાં બીભત્સ ચિત્રો વગેરે જોતા રહેનારની કઈ દશા ? એની મન પર કેવીક અસરો ? એના ઢગલા બંધ પડેલા ઊંડા સંસ્કારો પરભવે લઈ ગયે ત્યાં કેવા ભયંકર પરિણામ ? ઠાઠડી ને ડાઘુનું ચિત્ર : મેસાણા “સુધારા-ખાતાની પેઢી' એટલે કે જૈન સંઘની પેઢી, એમાં કેટલાક કર્મ ! તારી ગતિ ન્યારી 105
Page #111
--------------------------------------------------------------------------
________________ વરસો પૂર્વે સાધારણ ખાતાના માથે દેવદ્રવ્યનું 4OOOO રૂપિયાનું દેવું ખેંચાયા કરતું હતું; તેથી મેસાણાના એક મુંબઈવાસી ભાઈને લાગી આવ્યું. પોતાની તેવી સ્થિતિ નહિ, તેથી એકવાર એક સામયિકમાં છપાયેલ કાર્ટુન ખીસામાં ઘાલી ટીપ કરવા નીકળી પડ્યા. પહેલા પહેલાં એક મેસાણાના શ્રીમંતને ત્યાં જઈને એમણે વાત કરી કે, આપણા સંઘની કેવી કમનસીબી છે કે સાધારણ ખાતાને આટલું દેવદ્રવ્યનું દેવું વર્ષોથી ખેંચાતું રહે છે. આ દેવું એટલે ? આપણે દેવદ્રવ્યનું ખાઈએ છીએ. તમારા જેવા સુખી આગેવાન શેઠ છે ને આમ ? પેલા ભાઈ કહે “ચમનભાઈ ! શું થાય ? એકલેથી થોડું પહોચાય એવું છે ? લો તમે ટીપ કરતા હો, તો મારા લખી લો 500/- રૂપિયા !! ચમનભાઈ કહે શેઠ મારા ! તમારા જેવાના 500 રૂ.ના મથાળિયાથી 40 હજારની રકમ થવાની છે ?' શ્રીમંત કહે જુઓ ભાગ્યશાળી ! અમારે પણ બીજી ટીપો વગેરે ભરવાનું, જોવાનું હોય છે ને ? ત્યાં ચમનભાઈએ ખીસામાંથી કાર્ટુન કાઢી બતાવ્યું. કાર્ટુનમાં શું ચિતરેલું હતું ? : ચાર માણસો નિર્જન વેરાન ભૂમિ પર ખાંધે એક મડદાની ઠાઠડી ઉપાડીને ચાલતા હતા, આગળ એક દોણીવાળો, ને પાછળ ત્રણ ડાઘુ મોઢે કપડું દઈ રોતા રોતા ચાલતા હતા. બસ, આટલી જ આકૃતિઓ, બાકી વિશાળ પ્લેઈન જમીન અને ઉપર આકાશ દેખાતું હતું. ચમનભાઈ આ કાર્ટુન બતાવીને કહે - જુઓ, શેઠ ! અંતકાળે આપણી આ દશા થવાની છે. આજે પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ અહીંથી વિદાય લેતાં એક તાંબિયો પૈસો સાથે નહિ લઈ જઈ શકાય, ને લોકો રૂપિયા મૂકીને મર્યા તે રૂપિયા પાછળવાળા ભોગવશે, પારાવાર પકાય જીવોની હિંસામય આરંભ સમારંભ કરશે ! અને વિષય વિલાસોમાં ખરચશે ! એના કરતાં શેઠ અહીં આપણે જીવતા છીએ ત્યાં સુધી ભરચક સુકૃત કરી લેવા સારા.” ઠાઠડીના ચિત્ર પર હૈયે ધક્કો : મૂર્તિપૂજા : પેલા શ્રીમંતની આ ભાઈની વાધારા સાંભળવા સાથે ઠાઠડીનું ચિત્ર કાર્ટુન જોતાં આંતરના ચક્ષુ ખૂલી ગયા ! કહે છે લો ! ચમનભાઈ ! મારા અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા લખી લો, અને બીજ ફરી વળી આ કાર્ટુન દેખાડી મારી જેમ બીજાની આંખ ખોલી નાખો. ચિત્ર કેવુંક ગજબનું 106 - તરંગવતી .
Page #112
--------------------------------------------------------------------------
________________ કામ કરે છે. મૂર્તિનો વિરોધ કરનારને ગમ નથી કે (1) એ કરીને અમે ભગવાનની મૂર્તિ અને ચિત્ર વગેરેની દર્શન-પૂજાથી હજારો ભવ્ય જીવોને વંચિત રાખી કેવાક અંતરાય મહાપાપ બાંધીએ છીએ ? (2) ભવ્યાત્માઓને વીતરાગની મૂર્તિ અને ચિત્રથી ઉત્પન્ન થવા શક્ય શુભ અધ્યવસાયોથી કેવા વંચિત રાખીએ છીએ ? સંસારી જીવનમાં જયારે અશુભ અધ્યવસાયો ઠમઠોક ચાલે છે, ત્યાં વીતરાગની મૂર્તિ ને ચિત્ર મનને ખેંચી એમાંથી બચાવી લે છે, ને શુભ અધ્યવસાયોની ભેટ કરે છે ! કેવો મહાલાભ ! ત્યારે આ જીવનમાં ખાસ કરવા કમાવા જેવું શું છે ? કહો, મનના શુભ અધ્યવસાયો. શુભ ભાવો માટે જ ધર્મ ક્રિયાઓ છે, ધર્મ-યોગો છે, ધર્મની સાધનાઓ છે. જિનાગમની જેમ જિનપ્રતિમા યાને વીતરાગની મૂર્તિ શુભ અધ્યવસાયનું પ્રબળ સાધન છે, કહ્યું છે ને, ‘વિષમકાળે જિનબિંબ-જિનાગમ ભવિયણકું આધારા” ચિત્રની વાત હતી, તરંગવતી પૂર્વ જન્મનું પોતાના પ્રિય સાથેનાં જીવનપ્રસંગોને આલેખતું ચિત્ર બનાવી, પછી એને ગંભીરતાથી જોતાં એના દિલમાં શોક ઉછળે છે. જાતિસ્મરણ જ્ઞાનથી જે શોક થયેલો એમાં આ ચિત્ર વધારો કરે છે. માટે બીભત્સ ચિત્રો શૃંગારી ચિત્રો સ્ત્રીનાં ચિત્ર વગેરે જોવાની ખાસ મનાઈ છે. તરંગવતી રોતી હતી એને સખી સારસિકા કહે છે,- “બેન ! શું કામ રડે ? હું જાણું છું તને પ્રિયના વિરહનું દુઃખ છે, પરંતુ આમ રોવાથી એનો સમાગમ થોડો જ મળવાનો ?' જ્ઞાની કેમ મોહવશ ? : પ્ર.- તરંગવતી તો સારું ધર્મનું ભણેલી અને સમજુ છે, તો એ કેમ આમ રોતી હશે ? ઉ.- જ્ઞાનીઓ કહે છે મોહનીયકર્મની એવી પ્રબળતા છે કે એ ઉદયમાં આવતાં જીવને શૂનમૂન બનાવી દે, સાનભાન ભુલાવી દે. આપણને ખબર નથી કે આપણા આત્માના કોથળામાં કેવાં કેવાં ને કેટલાં કર્મ સંગૃહીત પડેલા છે? માટે જ એ ઉદયમાં આવે એ પહેલાં જ એનો ક્ષય કરનારી શક્ય એટલી જિનભક્તિ જિનવાણી, ત્યાગ અને દાનાદિ ચાર પ્રકારનો ધર્મ સેવતા રહેવાનું છે, જેથી એવા મોહનીય કર્મ નષ્ટ થઈ જાય, તો એના દુ:ખદ વિપાક ભોગવવા ન પડે. કર્મ ! તારી ગતિ ન્યારી 107
Page #113
--------------------------------------------------------------------------
________________ જાહેરમાં ચિત્રપટ્ટ-પ્રદર્શનની ભલામણ : તરંગવતી કહે છે, “સારસિકા ! હું જાણું છું કે રોવાથી કાંઈ નહિ, વળે; પણ સામે ચિત્ર એટલે જાણે આબેહૂબ પ્રસંગો છે ! એ જોતાં રોવાઈ જવાય છે. પરંતુ તું એક કામ કર, કૌમુદીમહોત્સવ નજીકમાં છે, એ વખતે લોકોનો મોટો મેળો ભરાશે. ત્યાં તું આ ચિત્ર લઈને જજે. ત્યાં હજારો લોકોની દષ્ટિ પડે એવા ભાગમાં આ ચિત્રપટ્ટ લઈને ઊભી રહેજે, અને જોયા કરજે કે કોઈ પ્રેક્ષકને આ ચિત્ર જોતાં અસર થાય છે કે કેમ ? મને તો લાગે છે કે જો મારો પ્રિય અહીં જનમ્યો હશે, તો મહોત્સવમાં જોવા આવે એવો સંભવ છે. એ જો આ ચિત્ર જોશે, તો જરૂર એ જોતાં એને જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય, તો એ મૂચ્છ ખાઈ જાય, અથવા એના મિત્રો સાથે આ અંગે વાતો કરવા માંડે. એ પરથી સમજી લેજે કે એ મારો પ્રિય હશે. એને તું બરાબર ઓળખી લેજે, અને બને તો પૂછી લેજે કે કેમ મૂચ્છ આવી ? પ્રભુદર્શનમાં શેની જહેમત ? : માણસને કોઈ ચીજની તમન્ના જાગે ને લગન લાગે, પછી એની પાછળ કેટકેટલી જહેમત ઉઠાવે છે ! અને કેટકેટલી તકેદારી રાખે છે ! તો તપાસવા જેવું છે, કે પ્રભુનાં દર્શન આદિ ધર્મ સાધનામાં પણ એવી આપણી જહેમત અને તકેદારી ખરી ? શાકભાજી જેવી સામાન્ય ચીજ પણ ખરીદવી છે તો માણસ તકેદારી રાખે છે, વળી વાસી ન આવે સડેલી ન આવે; એટલે તાજી અને સડા વિનાની શોધવા જહેમત ઉઠાવે છે. શું દર્શનમાં આ નહિ જોવાનું કે હું દર્શન તાજાં ફુર્તિવાળા કરું છું ? એમાં શુભ ભાવો ઉછાળવા જહેમત ઉઠાવું છું ? પૂર્વ પુરુષોને ધર્મથી કામ સીધ્યા છે, તો મારે જહેમત અને તકેદારીવાળા ધર્માનુષ્ઠાન-સેવનથી મારે કામ કેમ ન સીઝે? પછી દર્શન ક્રિયામાં જહેમત એવી કે પ્રભુ પર આંખ અને હૈયું એવા ચોટી જાય કે ત્યાંથી આંખ સહેજ પણ બીજે જાય નહિ, પ્રભુને જોયા જ કરું, જોયા જ કરે.” એમ થયા કરે. દર્શનમાં તકેદારી એવી કે બીજો કોઈ વિચાર આવે નહિ, ને પ્રભુનાં જીવનનાં સુકૃતો સગુણો પરાક્રમો નજર સામે હૂબહૂ આવ્યા કરે. તરંગવતીને પતિ સમાગમ જોઈએ છે, તેથી ભારે જહેમતથી ચિત્રપટ્ટ તૈયાર કરેલો, તે સખીને એના પર હવે શું કરવું, એની સમજ આપે છે. સખીને કૌમુદીમાં મોકલે છે :કૌમુદી મહોત્સવનો દિવસ આવી લાગ્યો. આજે આગલો ચૌદશનો દિવસ 108 - તરંગવતી
Page #114
--------------------------------------------------------------------------
________________ છે, તરંગવતીએ ઉપવાસ કર્યો છે, સાંજના પ્રતિક્રમણ કરે છે. ચોમાસી અતિચારોનું આલોચના પ્રતિક્રમણ કરે છે, સર્વ જીવોને ક્ષમાપના કરે છે. અહીં જોવા જેવું છે કે તરંગવતી એક બાજુ સાંસારિક મોહમાં ફસાયેલી છે, છતાં અંતરથી કેવી જાગ્રત છે કે એને શ્રાવકધર્મના આચાર અનુષ્ઠાન બનાવવામાં પ્રમાદ નથી ! પૂછો, એવા મોટા શ્રીમંત ઘરની દીકરીમાં હૈયે ધર્મની આ સુવાસ ? હા, કેમકે ઘરમાલિક સ્વયં મહાન શ્રાવકધર્મનું જીવન જીવી રહ્યા હતા, અને કુટુંબને પહેલેથી જ ધર્મમાં જોડી રહ્યા હતા. વડીલપણું કોને કહેવાય ? : આર્યદેશમાં વડીલપણું બનાવ્યું શાને કહેવાય ? શું માત્ર રૂપિયા કમાઈને કુટુંબનું ભરણપોષણ કરવું એટલામાં જ વડીલપણું કૃતકૃત્ય થઈ ગયું ? એ તો અનાર્ય માણસો પણ કરે છે. આશ્રિતના ખોળિયાની ચિંતા ઉપરાંત એના આત્માની ને એના પરલોકની ચિંતા કરવાનું મોટું કર્તવ્ય એના માથે છે. એ ધર્મ કર્તવ્ય બજાવનાર વડીલો આજે જગતમાં ઓછા થઈ ગયા, તો આ ધર્મ કર્તવ્ય નહિ બજાવનારા વડીલ પોતાના સંતાનથી સુખી પણ નથી, તેમ સંતાન પણ સુખી નથી. સુખશાન્તિ ધર્મી જીવનમાં બહુ સુલભ. પૂછો, પ્ર- ધર્માત્માને સુખશાન્તિ સુલભ કેમ ? - ઉ.- એનું કારણ ધર્માત્માને સમાધાન કરી લેતાં આવડે છે. માણસ દુઃખી કેમ થાય છે ? બાહ્યની અગવડ કરતાં મનની વ્યાકુળતા માણસને દુઃખી કરે છે. જો વ્યાકુળતા ન હોય તો કશું દુ:ખ નથી લાગતું. ધર્મની સમજ મનને સમાધાન કરી આપી વ્યાકુળતા દૂર કરી દે છે. દા.ત. વેપારમાં પૈસા ખોયા. ધર્મસમજથી મનને એમ થાય કે અશુભોદયમાં મનને જ સમાધાન : (1) પૈસા મળ્યા હતા તે શુભ કર્મનો ઉદયે, એ સહજ છે. તો હવે અશુભ કર્મનો ઉદય થયો ને પૈસા જાય એ પણ સહજ છે, એમાં હૈયાના ભાવ બગાડવાની જરૂર નથી. (2) આમાં કાંઈક કુદરતનો સંકેત હશે કે પૈસા છતે કાંક પાપના કામમાં પહોળો થાત, અથવા કોઈક અનર્થ આવત, તે પૈસા ગયે બચી જવાશે. (3) મારા અરિહંત પ્રભુના અચિંત્ય પ્રભાવે ઇષ્ટફળસિદ્ધિ થઈ જવાની છે, અર્થાત્ હું પ્રભુને શરણે રહું તો મારી ચિંતા જાણે મારા પ્રભુ કરવાના છે. કર્મ ! તારી ગતિ ન્યારી 109
Page #115
--------------------------------------------------------------------------
________________ પછી હું શું કામ વ્યાકુળતા- વિહ્વળતા કરું ? (4) કર્મના ઉદયે તો મારી બાહ્ય મૂડી બગાડી, મારું હૈયું નહિ. પણ હવે દીનતાના વિચાર કરી હું મારું હૈયું મારી જાતે શું કામ બગાડું? એ બગાડવાથી બીજા સુખસાધનો હયાત છતાં એની સુખશાન્તિ લોપાઈ જશે...' ઇત્યાદિ મનને સમાધાન કરી લેવાથી ચિત્ત વ્યાકુળ ન થતાં સુખશાન્તિ અખંડ ચાલે છે આમ ધર્માત્માને સુખશાન્તિ સુલભ છે. પ્ર.- પણ કુટુંબી કજિયાળા હોય તો ક્યાંથી સુખશાન્તિ રહે ? ઉ.- ત્યાંય ધર્માત્મા મનને આ સમાધાન કરી લે છે કે જીવનમાં અનેક મુદ્દા હોય છે, તે મુદ્દા મુદ્દાવાર નડનાર શુભાશુભ કર્મ જુદા જુદા હોય છે. તેથી માનો પૈસા સંબંધી આજે શુભોદય છે, પણ કુટુંબી સંબંધી અશુભોદય હોય, તો પૈસા તો સારા મળી જવા છતાં પણ કુટુંબી અનુકૂળ ન મળે. આમાં કોના પર મદાર બાંધવો ? હમણાં કુટુંબી સારા મળેલા છતાં દુ:ખ રહેવાનું. તો નિશ્ચિત સુખ ક્યાં રહ્યું ? માટે આ બધું ગણિત જ ખોટું કે પૈસાથી સુખ યા સરખા કુટુંબીથી સુખ'... વગેરે. સાચું ગણિત આ, કે મનની સ્વસ્થતા હોય તો સુખ, અસ્વસ્થતા હોય તો દુઃખ, પછી ચાહ્ય પૈસા ગયા છતાં મનને સમાધાન કરી લીધું કે “ચક્રવર્તીના મોટા, છ ખંડના સામ્રાજય ગયા, મારે તે શું એવું ગયું છે ? ઊલટું મમતા પાપની બલા ઓછી થઈ સારું થયું;' તો એને સુખશાન્તિ રહેવાની. મૂળમાં, સાચી ધર્મની સમજ જોઈએ, તો સમાધાન કરી લેતાં આવડે. જેના જીવનમાં ધર્મ નથી, ધર્મની સમજ નથી, એને કલેશનો પાર નથી. તરંગવતી એવા કુળમાં જન્મી છે. એવા એને ધર્મિષ્ઠ માતાપિતા મળ્યા છે, તેથી કાલે કૌમુદી મહોત્સવમાં પોતાના પૂર્વ પ્રિયની શોધ માટે ચિત્ર મોકલવું છે, એનો હરખ હોય ને ? છતાં આજે એ ચૌદશ મોટી તિથિની આરાધના ચૂકવાની વાત નહિ ! એમની ધર્મચર્યામાં પણ સવારે સંક્ષિપ્ત પ્રતિક્રમણ જિનભક્તિ વગેરે ધર્મસાધનાઓ કર્યે જવાની, એમાં ય ક્યારે વિશિષ્ટ કાર્ય માટે બહાર જવું હોય ત્યારે પણ અરિહંતભક્તિ કરવાપૂર્વક બહાર નીકળવાનું. ચૌદશના બીજે દિવસ કૌમુદી મહોત્સવ નગરમાં દાનનો મહિમા ચાલ્યો. લોકો મકાનના દરવાજે ઊભા રહી ઘોષણા કરે છે. માગો માગો જોઈએ તે માગો. લો આ કપડાં, લો અનાજ પાણી લો, લૂલા-લંગડા માટે વાહન લો, એવા પણ દાતારો છે, ને સામાની ઇચ્છા પ્રમાણે દેનારા છે. 1 10 - તરંગવતી
Page #116
--------------------------------------------------------------------------
________________ આના પરથી એ કાળના લોક-જીવનનો ખ્યાલ આવે છે. આજે દેનારના તોટા છે. લેનારના તોટા નથી. એ કાળે લેનારના તોટા, એટલે દેનારાને ઘોષણા કરવી પડતી કે આવો આવો, માગો જોઈએ તે માગો. તે કેમ આ ફરક? કારણ આ, કે આજે માત્ર આ લોક સામે દષ્ટિ રહે છે, એટલે એટલું જ જુએ છે જાતે ખાધું તો સુખી થયા; પણ બીજાને જો દઈ દઈએ તો એટલું આપણે ગુમાવ્યું. ત્યારે પૂર્વ કાળે લોકો પરલોક સામે જોનારા હતા, તેથી લોકોમાં દાનરુચિ પ્રસરેલી હતી. દાન શા માટે ? : આર્ય સંસ્કૃતિ આલોક પછી પરલોકને માનનારી એટલે લોકો સમજતા કે અહીંથી ઊઠીને આગળ નવા જનમમાં આત્માએ ચાલવાનું છે, ને ત્યાં અહીંની “કરણી તેવી ભરણી’ થવાની છે તેથી અહીં દીધું હશે તો ત્યાં પામવાનું છે. કુદરતનો હિસાબ છે “વાવો તેવું લણો,” “દ્યો તેવું પામો.” અહીં પણ પામ્યા છીએ, કિન્તુ નહિ કે પૂર્વ જનમમાં બીજાનું લુટ્સ માટે પામ્યા; અથવા પૂર્વે માત્ર સ્વાર્થમાયા રાખી કોઈને કશું દીધું નહિ માટે અહીં પામ્યા !' એવું નથી. જો એમ લાગતું હોત તો તો આખું જગત પામી ગયેલું દેખાત. વસ્તુસ્થિતિએ દેખાય છે જગતના ઘણા જીવો દુઃખી છે, સુખ પામ્યા નથી; કેમકે ઘણા જીવો બીજાને સુખ દેવાનું શીખ્યા જ નથી. એ તો પરલોક માનનારા લોકો દે છે. એમાં વળી જે લોકો તપ સંયમને વહન કરનારા ત્યાગી મહાત્માઓને દે છે, એ વિશિષ્ટ કોટિના પુણ્ય કમાય છે; ને તેથી પરલોકમાં આદશમાં ઉચ્ચગોત્રના ફળોમાં જન્મ પામનારા બને છે, અને આરોગ્ય સંપત્તિયશ વગેરેના ભાગી બને છે. પૂર્વ કર્મ ઉચ્ચ કોટિનો પાક આપે છે. એમ ત્યાગી-સંયમી-તપસ્વી મહાત્માઓ એ ઉચ્ચ પાત્ર છે, એમાં દીધેલું ઉચ્ચ કોટિના પુણ્યના વિપાક દેખાડે એ સહજ છે. શાલિભદ્રનો જીવ પૂર્વભવે મજૂરણનો દીકરો, તે બીજા જન્મે શાલિભદ્ર કેમ બની ગયો ? કહો એણે મા ખમણના મહાન તપસ્વી મહાત્માને પારણામાં પોતે ખીર ખાવાનો લોભ પડતો મૂકી તપસ્વી સંયમી મહાત્માને ઉછળતા ભાવથી વહોરાવી દીધેલી. પૂછો, પ્ર.- એટલું થોડું દીધું એનું શું આટલું મોટું ઉચ્ચ ફળ કે રોજની નવી ભોગ સામગ્રીની નવાણું દેવતાઈ પેટી પોતાને ત્યાં ઉતરે ? ઉ.- હા, એણે પોતાની કટોકટીમાં દાન દીધેલું અને દીધા પછી મર્યો ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 1 11
Page #117
--------------------------------------------------------------------------
________________ સુધી એ દાનની અનુમોદના કર્યે રાખેલી. સુકૃતનું સારું ફળ પુણ્ય તો મળે, પણ એની અનુમોદનાથી નવું નવું પુણ્ય બંધાય. કરણ-કરાવણ ને અનુમોદન સરિખા ફળ નીપજાવે. એટલે વારે વારે સુકૃતની અનુમોદના કરતાં કરતાં પુણ્યની થપ્પી થતી જાય. ધ્યાનમાં રાખી લેવા જેવું કે આપણા જીવનમાં પ્રતિપળ કર્મ બંધાયે જાય છે. ને તે પ્રતિપળ આપણા મનના શુભ કે અશુભ વિચારોને આધારે શુભ કે અશુભ કર્મ બંધાયે જાય છે. મનની મશીનરી કામ કરતી જ રહે છે તેમ કર્મનું પ્રોડક્શન (ઉત્પાદન) થતું જ રહે છે. - શાલિભદ્રના જીવે પૂર્વ ભવમાં દાન એક જ વાર દીધેલું, પણ પછીથી એના મનની મશીનરી દાન અને ગુરુની અનુમોદનાનું કામ કરતી રહી તેથી પુણ્યનાં ઉત્પાદન થયે જ ગયા. પ્ર.- સુકૃતની વારંવારની અનુમોદનાનો આટલો મોટો પ્રભાવ ? ઉ.- હા, સુકતની સાચી અનુમોદનામાં જેમ સુકૃત પ્રત્યે સદભાવ તેમ જ દુષ્કૃત્યો પ્રત્યે અભાવ ગર્ભિત છે. આ જગતમાં દુષ્કૃત્યો પ્રત્યે અભાવ થાય, એ બહુ મહત્ત્વનું છે; કેમકે એથી પછી દુષ્કતો આચરવાનું મોળું પડે છે, ને તેથી ભવના ફેરા ટૂંકા થાય છે. સમજી જ રાખવાનું કે દુષ્કતો 18 પાપસ્થાનકો એ દુષ્કતો છે એને આચર્યે જઈએ તેમ તેમ દુર્ગતિના ભવના ભ્રમણ વધ્યે જાય છે. શાસ્ત્ર કહે છે, 18 પાપસ્થાનકની દુર્ગતિગામીઓ :'मुक्खमग्गविग्घभूयाइं दुग्गइ निबंधणाई अट्ठारसपावठाणाई' અર્થાત્ પ્રાણાતિપાત મૃષાવાદ આદિ અઢાર પાપસ્થાનક, મોક્ષમાર્ગ દર્શનજ્ઞાન-ચારિત્રનો આત્માને સંબંધ થવાની આડે વિપ્ન ભૂત છે. અને દુર્ગતિનાં કારણ છે. માછલા ખાઈ જવાના અર્થાત્ હિંસાના વિચાર માત્રથી તંદુલિયો મચ્છ સાતમી નરકે જાય છે ! - રાજા વસુભૂતિ મૃષાવાદના પાપે નરકમાં ગયો. - રોહિણિયાનો બાપ ચોરીઓ કરી કરી સંસારમાં ભટકતો થઈ ગયો. - ચક્રવર્તીની પટ્ટરાણી માત્ર પોતાના પતિ સાથેની વિષયવાસનાના જોસમાં છઠ્ઠી નરકે જાય છે. 1 1 2. - તરંગવતી
Page #118
--------------------------------------------------------------------------
________________ - મમ્મણશેઠ રત્નના બળદિયાના પરિગ્રહની મમતામાં મારી સાતમી નરકે ગયો. - બહુભોગી ટિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમીએ ગયો અને પછી પણ સંસારમાં બહુ ભટક્યો. - જિનપ્રતિમા ભરાવી પરભવે બોધિ મળવાનું નક્કી કરનાર સાગરચંદ્ર શેઠ વેપાર ધંધાના આર્તધ્યાનમાં મરીને ભરૂચના રાજાનો અશ્વરત્ન (ઘોડો) થયો. - સંયમી તપસ્વી સાધુ ક્રોધ પામસ્થાનક સેવતાં ક્રમશ ચંડકૌશિક સાથિયો. - માન કષાયના પાપે સમ્યગ્દર્શન પામેલો પણ રાવણ ચોથી નરકે ગયો. - લોભ કષાયના પાપે સુભૂમ ચક્રવર્તી વિમાન લહાવલશ્કર સાથે લવણસમુદ્રમાં ડૂબી મરી સાતમી નરકે સિધાવ્યો. - રાજકુમારી સુનંદાના દર્શન મિલાપના રાગના પાપે શ્રેષ્ઠિપુત્ર રૂપસેનને એજ સુનંદાના એક જ ભવની હયાતીમાં સાત ભવ થયા. બે મનુષ્યભવ અને સાપ કાગડો-હંસ-હરણ અને હાથીના એમ પાંચ તિર્યંચના ભવ થયા. ત્યારે દ્વેષ કષાય કેવો ખતરનાક ! અભાગિયો ખેડૂત ગૌતમ મહારાજથી પ્રતિબોધ પામી સાધુ થવા છતાં એને મહાવીર ભગવાન પાસે લઈ આવતાં પ્રભુ પ્રત્યે દ્વેષ-કષાય ઊછળ્યો, પ્રભુ પર એને અરુચિ અભાવ થયો, તે ચારિત્ર મૂકીને રવાના થઈ ગયો ! ભગવાન બહુ પૂર્વે ૧૮મા ભવે ત્રિપૃષ્ઠવાસુદેવ હતા ત્યારે આ ખેડૂત સિંહ હતો, અને એને વાસુદેવે ચીરેલો, તેથી સિંહને વાસુદેવ પર અભાવ થયેલ, દ્વેષ થયેલો, તેના ઝેરના કણિયા આટલે લાંબે ચાલી આવીને એવા નડ્યા કે ભગવાન પર બહુમાન ધરી જગત તરતું હતું ત્યારે આ બિચારા ખેડૂત મુનિને ભગવાન પર દ્વેષ અરુચિ સૂગ થઈ ! કોઈના પ્રત્યે દ્વેષ સૂગ-તિરસ્કાર કરતાં પહેલાં આ વિચારવાનું છે કે આગળ જઈને કદાચ આ કોઈ મહાન ગુણનિધિ અને તારક આત્મા થશે ને એમના પર લોક બહુમાન ધરી તરશે, ત્યારે મને એ વખતે અહીંના આના પર કરેલ દ્વેષ અભાવ સૂગનું પુનરાવર્તન થઈ મારે ડૂબવાનું થશે ! બીજા પર આવા દ્વેષ સૂગ તિરસ્કાર એ દુષ્કૃત છે, એ જીવનમાં ન આવે માટે સુકૃતની અનુમોદના છે. જયાં દ્વેષ થવા જાય ત્યાં એનામાં કોઈ સગુણ સુકૃતો છે ને ? એજ જોવાનું બસ, એના પર દૃષ્ટિ રાખી એની અનુમોદના જ મનમાં લાવવાની. સુકૃતની અનુમોદના જ મનમાં લાવવાની. સુકૃતની અનુમોદનામાં જેમ સુકૃત કર્મ ! તારી ગતિ ન્યારી 1 13
Page #119
--------------------------------------------------------------------------
________________ પર ને સુકૃતકારક પર સદ્ભાવ છે, એમ એના પ્રતિપક્ષી દોષ-દુકૃતો પ્રત્યે અભાવનો લાભ થાય છે. તરંગવતી જે નગરીમાં રહેતી ત્યાંના લોક ભારે દાનરુચિવાળા હતા, તેમજ એમાં ય વિવેકી માણસો. દેવાધિદેવના મંદિરમાં પ્રભુના પૂજન સત્કાર ઉપરાંત સુપાત્ર મુનિઓની ભક્તિ સત્કાર ભારે કરતા. લોકોની આ માન્યતા હતી કે અહિંસા સંયમ અને તપને આરાધનારાઓની દાન ભક્તિ કરવાથી સારા કુળમાં જન્મ મળે છે, આરોગ્ય મળે છે; માટે આપણે સુપાત્રદાન ખાસ દેવું. કોઈ પણ દીનદુખિયારાને અનુકંપા દાન દેવાય. એમાં એવા ચોર જેવાય કોઈક આવી જવા સંભવ; પરંતુ અનુકંપાદાન એટલે ભૂખ્યા કે પીડિત આદિ દુ:ખીના દુઃખ ફેડવા અપાતું દાન. એવા દાન સમયે યાચકમાં ભેદ નથી પડાતો; નહિતર દુઃખીના દુ:ખ પર ઉપેક્ષા કરવા જતાં કરુણા કરવાનું ગુમાવી હૈયામાં કઠોર પરિણામ કરવાનું થાય. સમ્યકત્વના પાંચ લક્ષણ પૈકી ચોથું લક્ષણ અનુકંપા છે, ને એમાં દ્રવ્ય દુઃખી અને ભાવદુ:ખી બંનેની પોતાની શક્તિ અનુસાર દયા કરવાની કહી છે. એટલે જ કસાઈ જેવો પણ પાણી વિના તર તરફડી મરતો હોય તો એને પણ પાણી પાવું જોઈએ. નહિતર એ બિચારો તરસથી ભારે અસમાધિમાં મરી વિશેષ હલકી ગતિમાં રખડી પડે. સુપાત્રદાનનું મહત્ત્વ : બાકી સુપાત્રદાન માટે લોક સમજતા કે સુનિહિત અર્થાત્ જેમનો સર્વજ્ઞ કથિત જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચારમાં સારો પ્રયત્ન છે, એવા તપસ્વી સંયમી મુનિમહાત્માઓને કરેલું દાન એટલે સુપાત્રદાન છે; અને સુપાત્રદાનનો નાશ થતો નથી, અર્થાત્ સુપાત્રદાન સફળ જ બને છે, તેમજ એથી ભવાંતર માટે દાનને સંસ્કાર ઊભા થઈ દાન આગળ ચાલે. અલબત દાન દેવાય તે ખૂબ શ્રદ્ધા સત્કાર અને વિનયપૂર્વક દેવું જોઈએ. શ્રદ્ધા છે કે, આ ત્યાગી મુનિઓ એ જ દાન માટે ખરેખરા સુપાત્ર છે, ને એમને દીધેલું આપણા પોતાના આત્માના મહાકલ્યાણ માટે થાય છે, ભવનાં બંધન છેદનારું બને છે, એવો અટલ વિશ્વાસ, સત્કાર એ, કે મુનિઓને ખૂબ આદર, સંભ્રમ યાને નિધાન પ્રાપ્તિ જેવો હર્ષ, તથા બહુમાનથી આવકારાય, અને એમને ખપે એવા વિશિષ્ટ પદાર્થનો લાભ આપવા આગ્રહ કરાય. તથા ગદ્ગદ દિલથી દાન દેવાય, એ દેતાં - તરંગવતી 1 14
Page #120
--------------------------------------------------------------------------
________________ રોમાંચ સાથે હર્ષ અનુભવાય, એ.. સત્કાર. વિનય એ, કે પોતે નમ્રભાવ-સેવકભાવ મનમાં રાખીને દાન કરવાનું. દાન દેતાં મનમાં થાય કે, “આ મુનિ મહારાજ મારા કરતાં ઉચ્ચ જીવન જીવનારા છે. હું એમનો સેવક છું, એ મારા સેવ્ય-પૂજય છે.' દિલના આ ભાવ સાથે હાથ અંજલિ જોડેલા અને મુખમુદ્રા પણ નમ્ર ભાવની રખાય. આવી શ્રદ્ધા-સત્કાર અને વિનય સાથે તપ સંયમમાં ઝીલતા મુનિઓને દાન કરાય એનું ફળ ઊંચું ગોત્ર, નિર્મળ યશ, ને નિર્મળ સંપત્તિ લાવી આપનારા પુણ્યનો બંધ થાય... શુભ પાત્રથી આવા શુભ પુણ્યનો બંધ થાય, અને અશુભ પાત્રથી હલકા પુણ્યનો બંધ થાય. એના પર પૂર્વનું એક દૃષ્ટાન્ત, નંદીષેણ અને સેચનક હાથીનું દૃષ્ટાન્ત : નંદીષેણ તે શ્રેણિકરાજાના પુત્ર, જેણે પૂર્વ જન્મમાં શ્રાવકપણે મુનિઓને ખૂબ ભાવથી દાન દીધેલું, તે પણ મુનિઓને શોધી શોધી લાવીને દાન દીધેલું, ત્યારે સેચનક હાથીએ પૂર્વભવે બ્રાહ્મણોને ચોર્યાશી જમાડેલી. ફળમાં કેટલો ફરક? ખૂબી કેવી થઈ ? શ્રાવકને દાન માટે માલ એજ ચોર્યાશી જમાડનાર બ્રાહ્મણને મળેલો ! તો પૂછો, - પ્ર.- શું પારકા માલથી સુપાત્રદાનનો આવો મોટો લાભ ? ઉ.- ના, પારકો માલ પોતાનો થઈ ગયેલો, પછી દાન કરેલું, વાત એમ હતી કે બ્રાહ્મણને ચોર્યાશી જમાડવી હતી, એમાં વ્યવસ્થામાં મિત્ર શ્રાવકની સહાય લીધેલી. જમણનો યશ મળેલો તેથી બ્રાહ્મણે જમણમાં વધેલો માલ લાડુઘી વગેરે શ્રાવકને ભેટ કર્યા. ત્યારે શ્રાવકે વિચાર્યું કે ભેટના માલ પર સુંદર ભાવના : “આ આયતો માલ છે, મુનિ મહારાજો માટે નિર્દોષ છે. એમના માટે બનાવેલો કે ખરીદેલો નથી, તો આવા શુદ્ધ નિર્દોષ માલથી મુનિઓની જે ભક્તિ થાય, તે ઉચ્ચ ફળ લાવનારી બને. માલને દાનના બદલે ઘરમાં રાખી દઈ દિવસો સુધી ખાઉં એમાં કયો આત્મિક લાભ થવાનો હતો ? ઊલટું, રાગ આસક્તિ મમતા અને આહાર વિષય પરિગ્રહ સંજ્ઞાનાં પોષણ થશે, ને એથી અઢળક પાપ બંધાશે. એના બદલે અઢળક પુણ્ય બંધાવનારું સુપાત્રદાન શું ખોટું ? જાત-ભોગમાં તો પાછું ખાધેલું ખોવાઈ જવાનું. બીજે જ દિવસે જીવ કર્મ ! તારી ગતિ ન્યારી 1 15
Page #121
--------------------------------------------------------------------------
________________ પાછો ભુખાવો થવાનો. ત્યારે દાનમાં દીધેલું પુણ્યરૂપે સધ્ધર મૂડી સ્વરૂપ બની જશે.” આમ વિચારી શ્રાવકે જે રાગ મમતા તોડ્યા, પાપ સંજ્ઞા દબાવી, ને એની સાથે દાન દીધાં, એનું મૂલ્ય ઘણું ઊંચું, એટલે એ મગધ સમ્રાટને ત્યાં નંદીષેણ રાજકુમારનો જન્મ પામ્યો ! તે પણ એવો કે ભગવાન મહાવીરદેવની વાણી સાંભળી મહાવૈરાગી બન્યો ! સાધુ બન્યો અને મોહને તોડવા મહાતપસ્વી બન્યો ! તપસ્વી એવો કે એનાથી દુર્લભ અને મહાકિંમતી લબ્ધિઓ ઊભી થઈ ગઈ ! નંદીષેણ મુનિની લબ્ધિઓ કેવી ? આંખના મેલથી આકાશમાંથી સાડા બાર ક્રોડ સોનૈયા વરસાવી દે એવી ! તેમજ વેશ્યાને ત્યાં બેઠા બેઠા વાણીની લબ્ધિથી રોજ દશ જણાને પ્રતિબોધ પમાડી મુનિપણું લેવા મોકલે એવી લબ્ધિ ! આ શાનું ફળ? નિરાશંસ ભાવે અને શ્રદ્ધા સત્કાર અને વિનયભાવથી સંભ્રમ-અપૂર્વ હર્ષોલ્લાસથી સુપાત્ર દાન દીધેલું, તેથી અભુત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જેલું, એનું એ ફળ. તરંગવતીનો ચિત્રપટ્ટ બજારમાં : તરંગવતી કહે છે “કૌમુદી મહોત્સવના દિવસે નગરમાં આવા દાન ચાલેલાં મેં પણ સવારે ઉઠી આવશ્યક વિધિ અને પરમાત્મા ભક્તિ કરી, સુપાત્ર દાન દીધાં, પછી ઉપવાસનું પારણું કર્યું. હવે એ સારસિકાને, પોતે જે તૈયાર કરેલ ચિત્રપટ્ટને કૌમુદી મહોત્સવમાં ખુલ્લો મૂકવાનું ધારેલું, તે કહી બતાવતાં કહે છે, “જો સખી ! આ ચિત્રપટ્ટ જાહેર કોઈ જગાએ જયાં બધાનું આગમન હોય ત્યાં ખુલ્લો મૂકી તું બાજુમાં ઊભી રહેજે અને ચિત્રપટને ધારી ધારીને જોનારના મોના ભાવ પરખજે. ત્યાં ખાસ આ ધ્યાનમાં રાખજે કે જેને આ જોતાં પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થશે તેના મો પર ને આંખોમાં અવનવો હરખ ઊભરાતો દેખાશે ! અને એ પૂર્વના અનુભવ યાદ કરીને પોતાની પૂર્વ પ્રિયા ચકોરીને મળવા ઉત્કંઠિત થશે. એ વસ્તુ એની આંખમાં રાગ ઊભરાતો દેખાવાથી સમજાશે. 116 - તરંગવતી
Page #122
--------------------------------------------------------------------------
________________ વિવિધ દૃષ્ટિઓ : જો દષ્ટિનો નિયમ સમજી રાખ, અંતરમાં ભારે રુક્ષતા હોય એની દષ્ટિ સાવ લુખ્ખી હોય છે. ત્યારે જો પ્રસન્નતા હોય તો એની દૃષ્ટિ ઉજળી સફેદ હોય છે. પણ જો વીતરાગ હોય તો એમની દષ્ટિ મધ્યસ્થ હોય છે, ન ઉપરની ભમ્મર તરફ ખેંચાયેલી, કે ન નીચેની પાંપણ તરફ ઢળેલી. જો અંતરમાં સામા તરફ દયા ઊભરાઈ હોય તો એની દૃષ્ટિ સહેજ નીચી ઢળેલી ને કરુણાભીની હોય છે. અસ્તુ. એટલું ધ્યાનમાં રાખજે સખી ! કે જો આ ચિત્રપટ્ટ જોતાં કોઈ ભાઈ મૂચ્છ ખાઈ જાય, તો સમજવું કે એને ચિત્રપટ્ટ જોતાં પૂર્વ જન્મનું સ્મરણ થયું હોવું જોઈએ. પછી એની મૂચ્છ ઊતરી ગયે એની આંખ શોકભીની દેખાશે, અને પૂછશે કે આ ચિત્ર કોણે તૈયાર કર્યું છે? જો આવું બને તો તું જાણી લેજે કે એજ મારા હૃદયના નાથ છે; અને તું એના રૂપરંગ આકૃતિ વગેરે ધારી લેજે, જેથી પછી મળવાનું કરાય તો તું ઓળખી શકે કે આ એ જ છે. સાથે સાથે તું સાથેવાળાને પૂછી લેજે કે આ મૂર્છા આવી એ કોણ છે ? કોના દીકરા? ક્યાં રહે છે ? વગેરે વગેરે... બસ, લઈ જા ચિત્રપટ્ટ , અને કાલે મને અહેવાલ આપજે કે શું શું બન્યું. જો આ કામમાં બરાબર સાવધાન રહેજે; કેમકે મારે તો જો એ પૂર્વ પ્રિયનો યોગ બની આવ્યો, તો તો મારા શોકનો અંત આવશે; અને જો હું મંદભાગિની હોઇશ અને યોગ નહિ બની આવે, તો મારો નિર્ધાર મોક્ષમાર્ગ ચારિત્ર અપનાવવાનો છે; કેમકે એવું જીવતર નિરર્થક છે કે જયાં પ્રિયનો સમાગમ ન હોય, અથવા ધર્મનું આચરણ ન હોય.” તરંગવતીના એકેક બોલ વિચારવા જેવા છે. અલબત એણે જે સખીને ચિત્રપટ્ટ જાહેરમાં ખુલ્લું મુકવા અંગે ભલામણો કરી, એ બધી સંસારની રામાયણ છે, પરંતુ એમાં તરંગવતીની ચોકસાઈ જોવા જેવી છે. જેથી ખ્યાલ આવે કે જીવની જો આત્મા અને એના ધર્મ બાબતમાં આવી ચોકસાઈ આવી જાય તો જીવ ન્યાલ થઈ જાય ! આદ્રકુમારની ચોકસાઈ : અનાર્ય દેશના રાજપુત્ર આન્દ્રકુમારને અભયકુમારે મોકલેલ જિનમૂર્તિને ચોકસાઈથી જોતાં એને પૂર્વ ભવનું સ્મરણ થયું, ને આ ચોકસાઈ આવી ગયેલી, તેથી હવે એ આર્યદશમાં ભાગી ન જાય એ માટે એની સેવામાં રખેવાળ તરીકે કર્મ ! તારી ગતિ ન્યારી 1 17
Page #123
--------------------------------------------------------------------------
________________ ગોઠવેલા 500 માણસોને કુનેહથી વિશ્વાસ પમાડવાનું કર્યું કે આ ઘોડેસવારીએ જાય છે પણ પાછો આવે છે, અને એમ કરી આગળથી ખાનગી રીતે વહાણ તૈયાર રખાવી એક દિવસ પોતે ઘોડા પર ભાગી છૂટી સમુદ્રતટે પહોંચ્યો. તરત વહાણમાં બેસી પલાયન થઈ ગયો, અને આર્ય દેશમાં આવી ગયો. પ્ર.- માણસોનો આમ વિશ્વાસભંગ કરાય ? ઉ.- ચાલુ જીવન અર્થે ન કરાય, પરંતુ આત્માના કલ્યાણ માટે કરાય. કહ્યું છે. “થને માયા નો માયા' ધર્મ ખાતર માયા કરવી પડે એ માયા દોષ નથી. જો આમ ન કરે તો તો જીવને કદીય આત્મહિતનો માર્ગ લેવાય જ નહિ; કેમકે નાનપણમાં માતાપિતા વિશ્વાસ રાખીને બેઠા છે કે “આ મોટો થયે અમને સંભાળશે.” મોટો થયે પત્ની વગેરે વિશ્વાસ રાખીને બેઠા છે કે આ અમને ઠેઠ સુધી સંભાળશે. પછી ઘરડો થયે તો પુત્ર પૌત્રો વિશ્વાસ રાખી બેઠા છે કે આ અમને ઉપયોગી થશે, અમારું સંભાળશે. આમ બધીય ઉંમરમાં કોઈ ને કોઈ વિશ્વાસ ધરી બેઠા હોય એટલે એમના વિશ્વાસનો ભંગ ન કરાય એમ કરી ચારિત્ર ન લે, તો પછીથી મોહમાયા ને સર્વપાપ છોડી ચારિત્ર લેવાનો અવસર જ ન રહે. અલબત ચારિત્રમાં સંમતિ લેવા માટે એમને સમજાવાય, પરંતુ સંમત ન જ થાય તો એમને જીવન નિર્વાહની શક્ય ચિંતા સગવડ કરી છે રાખી ખાનગી ચારિત્ર લેવું પડે, ને એમાં વિશ્વાસભંગ કોઈ દોષરૂપ નહિ. આદ્રકુમાર આમ જ અનાયદશમાંથી આર્યદેશમાં આવી ગયા ને ચારિત્ર લઈ લીધું, એવા મહાન ઉત્તમ વૈરાગ્ય અને ઉચ્ચ ચારિત્રપાલન અર્થે ભવી જીવોને આલંબનરૂપ નીવડ્યા. વિશ્વાસભંગ જોવા રહ્યા હોત તો આ કાંઈ કેવી તકેદારી અને ઉદ્યમ કેવા ? મિથ્યાત્વ અને અવિરતિનો ફરક : તરંગવતીનો અંતિમ નિર્ણય એના હૃદયમાં રહેલ સમ્યકત્વનો ઉજાળો સૂચવે છે. અલબત અવિરતિના ઉદયે પૂર્વ પ્રિય પર રાગ છે, પૂર્વ પ્રિયનું સુખ ગમે છે, એ મળે તો સુખ થાય એમ એને લાગે છે, પરંતુ મિથ્યાત્વનો ઉદય નથી એટલે એ સુખ ભંડે એમ સમજે છે, તેથી જો એ સુખ ન મળે તો જીવન પાપમાં વેડફી નાખવાનું માનતી નથી. સમ્યક્ત્વના પ્રતાપે અંતરમાં સુખ ખોટું પાપ ખોટાં એ બેઠું છે, તેથી જો કે પૂર્વના સ્નેહરાગની પ્રબળતાએ પૂર્વ પ્રિયના - તરંગવતી 118
Page #124
--------------------------------------------------------------------------
________________ સમાગમનું સુખ ઇચ્છે છે, છતાં પણ વાસ્તવમાં સંસાર સુખો ખોટાં એમ અંતરમાં બેઠું હોવાથી, હવે પૂર્વ પ્રિય ન મળે તો બીજા કોઈને પ્રિય કરવો નથી, ને સર્વ પાપ ત્યાગરૂપ ચારિત્ર લઈ માનવ જનમને અને જીવનને સાર્થક કરવા એજ વાજબી માને છે. આ સમ્યત્વનો જળહળતો પ્રકાશ છે. સમકિતી અવિરતિને ઇન્દ્રિયોના સુખ ગમે છે સારા લાગે છે, પરંતુ એના અંતરને હૈયાને સુખ ભૂંડા લાગે છે. મિથ્યાત્વીને હૈયાને પણ સુખ સારા લાગે છે. તેથી એમનામાં એક બાજુ ભલે કોઈ રાગની પ્રવૃત્તિ દેખાય, પણ બીજી બાજુ હૈયામાં સંસારની અસારતાનું દર્શન જાગતું હોય છે, સંસાર પ્રત્યે અંતરના ઊંડાણમાં સૂગ પડેલી હોય છે. આ તો જ બને કે અહીં મળેલ અતિ દુર્લભ જિનશાસનની કિંમત સમજાય, જૈનધર્મની પ્રાપ્તિની કિંમત સમજાય, કે જગતમાં ઘણું બધું કિંમતી કિંમતી પણ પ્રાપ્ત કરવું સહેલું છે, પરંતુ જૈનધર્મ પ્રાપ્ત કરવો અતિ અતિ મોઘો છે, અતિ દુષ્કર છે; ત્યારે જૈનધર્મ-જિનશાસન મળ્યા પર જીવનમાં કેટકેટલું અદ્ભુત પણ સુલભ બન્યું છે ! જિનશાસનની વિશિષ્ટ બક્ષીસો : મળવાનું ભાગ્ય ક્યાં છે ? ત્યારે આપણને અનંતા અરિહંત મળ્યા તેથી ‘નમો અરિહંતાણં' “નમો જિણાણે બોલીએ ને જો માનસિક ઉપયોગ હોય તો આપણો નમસ્કાર ભૂત ભવિષ્ય વર્તમાનના અનંતા અરિહંત ભગવંતોને પહોંચે છે ! આ તો એક પરમેષ્ઠી, એવા બીજા ચાર પરમેષ્ઠી અને નવકાર મંત્ર એ જૈનધર્મની બક્ષીસ છે. કેવી ત્રસ જીવોની પણ શક્ય દયા ! કેવા અલૌકિક વ્રત-નિયમો અને પર્વ તિથિએ તપ ! કેવો સ્યાદ્વાદનો સિદ્ધાન્ત ! તીર્થાધિરાજ શત્રુંજય વગેરે કેવા મહાન તીર્થો ! કેવા ઐતિહાસિક મહાન પૂર્વ પુરુષો અને સતીઓનાં ચરિત્ર ! વગેરે વગેરે બધું જ અદ્ભુત ! એ મળ્યાનો હૈયે હરખ હરખ રહેવો જોઈએ. વારે વારે મનની સામે આ આવ્યા જ કરવું જોઈએ, તો જ પછી જીવનમાં એની આરાધના કરી લેવાની મુખ્ય ઊલટ રહે. મનને એમ થાય કે, જીવન તો જવા બેઠું છે, પાણીના રેલાની જેમ વહી ચાલ્યું છે, એટલે જ્યાં જ્યાં અવસર હોય ત્યાં ત્યાં એ જિનશાસનના અંગોની આરાધના કમાઈ લેવી છે. 119
Page #125
--------------------------------------------------------------------------
________________ આ ભાવનાનુસારે આરાધના કરનાર કદાચ કોઈ સાંસારિક ઇચ્છા પૂરવા પ્રયત્ન કરે એ વસ્તુ પર રાગ કરે, તેથી કાંઈ એ ધર્મનો અશ્રદ્ધાળુ કે વિષક્રિયા કરનારો નથી બનતો; એમ યોગબિન્દુ શાસ્ત્ર કહે છે, અને પૂર્વના ધર્મપ્રિય શ્રાવકોનાં જીવનમાં આવું દેખાય પણ છે. “ભક્તામર’–સ્તોત્રની એકાદ એકાદ ગાથાનું આલંબન લઈને ભક્તોએ સાંસારિક ભયંકર વિદ્ગો ટાળ્યા છે, ને લૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. વિશેષતા તો એ થઈ છે કે ઈષ્ટસિદ્ધિ થઈ જતાં એમણે ધર્મને પડતો નથી મૂક્યો, ઊલટું ધર્મશ્રદ્ધા અને ધર્મપ્રવૃત્તિ વધારી છે. આવા ઢગલાબંધ દાખલા શાસ્ત્રમાં અંકિત છે. તેથી “સંસારના હેતુ માટે ધર્મ કરનારો એકાંતે દુર્ગતિગામી છે” એવું બોલવું એ કેટલું શાસ્ત્રસંગત અને વાજબી કહેવાય ? તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે, “ગૃહિણી ! સારસિકા ચિત્રપટ્ટ લઈને ગઈ. અલબત હવે એ શું કરી લાવે છે ? પૂર્વ પ્રિય પતિ મળી જશે ને ?" એવી આતુરતા નહિ કે જે ધર્મ ભુલાવી દે. એટલે સૂર્યાસ્ત થયે ઘરની પોષધશાળામાં માતાપિતાની સાથે એણે પ્રતિક્રમણ કર્યું. જીવનમાં બીજું બધું તો કર્મ સંયોગના અનુસાર ચાલ્યા જ કરવાનું છે, પરંતુ શ્રાવકપણાની દિનરાતની ધર્મચર્યામાં શા માટે ખામી રાખવી ? કહો, સમકિતીને દુન્યવી વિષયની આતુરતા ધર્મ ન ભુલાવે. મંત્રીનું યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ : તમને યાદ હશે પૂર્વકાળની આ વાત છે, રાણીનું રાજય હતું, દીવાન જૈન હતો કુશળતાથી રાજ્ય સંભાળતો, એમાં સીમાડાના રાજાના મનને થયું કે આ બાઈ માણસ શું રાજય સંભાળી શકે ? એને મારી હકુમતમાં લઈ લઉં,’ એમ ધારી લશ્કર લઈને એ ચડી આવ્યો. સીમાડા પરના માણસોએ રાણીને ખબર આપ્યા. એણે તરત દીવાનને વાત કરી પૂછ્યું “કેમ કરશું ?' દીવાન કહે “મહારાણી સાહેબ ! જરાય મુંઝાવાની જરૂર નથી, લડી લઈશું. રાણીને જોવું હતું કે દીવાન કેવી રીતે યુદ્ધ ગોઠવે છે, તેથી રાણી કહે તો હું યુદ્ધ જોવા આવું? દીવાન કહે “આપને યુદ્ધમાં કાપાકાપ જોતાં ગભરામણ ન થાય તો ખુશીથી પધારો; અને આપણા તરફથી સામતરાજાઓને પણ મદદ આવવા કહેવરાવી દઉં છું' સેના તૈયાર કરી, સામંતરાજાઓ પણ પોતપોતાની સેના સાથે આવી 1 2) - તરંગવતી
Page #126
--------------------------------------------------------------------------
________________ ગયા. દીવાન બધા સરંજામ અને રાણીને સાથે લઈ ઊપડે છે. નગરની બહાર નીકળ્યા, લશ્કર વ્યુહ ગોઠવાઈ ગયા. પડાવ પડ્યો, વહેલી સવારે પરોઢિયે દીવાન પ્રતિક્રમણ કરવા બેસે છે. પ્રતિક્રમણની જયણાની ક્રિયા જોતાં અને ઇરિયાવહિયં વગેરે સૂત્ર સાંભળતાં સામતરાજા અને નાના મંત્રીઓ સ્તબ્ધ થઈ ગયા કે અહીં યુદ્ધભૂમિ પર આ ધર્મક્રિયા ! પરંતુ માનવ જન્મમાં ધર્મનું કેટલું ઊંચું મહત્ત્વ છે એ નહિ જાણનારા ને યુદ્ધ ઉપર જ દષ્ટિવાળા એ જઈને રાણીને કહે છે. મહારાણી સાહેબ ! માફ કરજો, આ યુદ્ધ તમે જીતી રહ્યા !! રાણી કહે,- કેમ શું છે ? આપણાં દીવાન એવા બાહોશ અને શૂરવીર છે કે વિજયમાં શંકા નથી.” પેલા કહે “પરંતુ મારા સાહેબ ! એ શું લડશે ? હમણાં જુઓ તો દેખાશે કે લૂગડાના છેડાથી હાથ વગેરેને અને પોચા ઉનના સાધનથી ભૂમિને જીવ ન મરે, જીવાત ન મરે એમ પૂજે પ્રમાર્જે છે, અને એગિદિયા બેઇંદિયા કહી સૂક્ષ્મ જીવ માર્યાનો સંતાપ કરે છે ! એ શી રીતે મોટા હાથી ઘોડા અને માણસોનો સંહાર કરી શકે ? યુદ્ધમાં તો આ બધું કરવું પડશે. રાણીને દિવાન પર પૂરો ભરોસો છે કે આ મને વફાદાર એવો છે કે મારું કામ કદી બગાડે નહિ,” એટલે મંત્રી પર શંકા કરનાર પેલાઓને કહે છે ચૂપ રહો, હું મંત્રીને એના પરાક્રમને અને એની નિષ્ઠાને બરાબર જાણું છું' એ તો પછી મંત્રીનું પ્રતિક્રમણ પૂરું થયું, સૂર્યોદયે ખૂનખાર યુદ્ધ શરૂ થયું, પ્રતિક્રમણ કરનાર એ મુખ્ય મંત્રીએ મોખરે રહી વિજય સાધ્યો ! પરંતુ એમાં એના શરીર પર ઘા સારા પડી ગયા. એને ખાટલામાં નાખી છાવણીમાં લઈ આવ્યા. ઘા પર મલમપટ્ટા કરવામાં આવ્યા. રાણી પાસે બેઠી છે, મંત્રીને શાંતિ વળતાં રાણી કહે છે, ‘મંત્રીશ્વર ! તમે તો ગજબ પરાક્રમ બતાવ્યું ! મારા કાર્યમાં આ તમારી નિષ્ઠા ? જીવ સટોસટનાં ખેલ સાથે ઝઝુમવાનું ?' | ‘મંત્રી કહે, મા ! તમારું અન્ન ખાઉં છું એટલે તમારું કાર્ય માટે પ્રાણના ભોગે પણ બજાવવું જ જોઈએ, એમ મારો ધર્મ મારા ભગવાન શીખવે છે. રાણી કહે પણ મંત્રીશ્વર ! એક સવાલ પૂછું? તમે પરોઢિયે ઊઠીને તો ઝીણો પણ જીવ ન મરે, જીવ ન મરે, એવી ક્રિયા કરતા હતા ! ને એચિંદિયા બેઇદિયા બોલી અજાણતા પણ ઝીણો પણ જીવ મર્યાનો ખેદ પ્રગટ કરતા હતા ! તો તમે આવી મોટા જીવોની હિંસાની લડાઈ શી રીતે લડી શક્યા ?' કર્મ ! તારી ગતિ ન્યારી 1 21
Page #127
--------------------------------------------------------------------------
________________ માનવકાયા દિવસના અન્નદાતાની સેવામાં, અને રાતના સ્વાત્માની સેવામાં : મંત્રી કહે, “મા ! જુઓ, વાત એમ છે કે આ કાયા તમારું અન્ન ખાય છે એટલે એ દિવસના તમારી સેવામાં હતી, તેથી દિવસના એણે તમારું કામ કર્યું. અને રાતના આ કાયા મારા આત્માની સેવામાં હતી તેથી રાતના એણે મારા આત્માનું જીવદયા અને પાપનાં પશ્ચાત્તાપ વગેરેનું કાર્ય કર્યું. રાણી સાંભળીને સજડબંબ થઈ જાય છે, ને પાસે બેઠેલા સામંતરાજા અને અમલદારોને કહે છે “જુઓ, આ નરોત્તમના શબ્દ સાંભળ્યા ? કેટલું ઉમદા અને નિષ્ઠાવાન એમનું હૃદય ! ત્યારે, ક્ષુદ્ર દિલવાળા આપણે એમના ઉમદા દિલને શું સમજી શકીએ ? આવું ઉમદા અને નિષ્ઠાળું દિલ બનાવનાર એમનો જૈનધર્મ કેટલો બધો ઉચ્ચ કોટિનો !' સામંત રાજા વગેરે કહે છે, “વાત આપની સાચી છે. અમે અમારી ભૂલની ક્ષમા માગીએ છીએ, એમ કહીને રાણી અને મંત્રીને વંદન કરે છે. વાત આ હતી, તરંગવતીએ ચિત્રપટ્ટ લઈને સખીને ઉત્સવમાં મોકલી છે એટલે એને ભારે આતુરતા હોય કે મારો પૂર્વ ભવનો પ્રિય મળી ગયાના સમાચાર સખી ક્યારે લઈ આવે ? ક્યારે લઈ આવે ? એવી આતુરતા હોય ત્યાં પ્રતિક્રમણ કરવાનું સૂઝે ? પરંતુ ધર્માત્માને સાંસારિક ગમે તેવા અગત્યના કામ હોય, છતાં એને મન ધર્મ-કર્તવ્ય એ બહુ અગત્યના લાગે છે, એટલે રોજિંદી ધર્મસાધના એ ચૂકે નહિ. | 7. તરંગવતીને સ્વપ્ન તરંગવતી માતાપિતા સાથે પ્રતિક્રમણ કરી લે છે, અને પછી રાતના ઊંઘમાં એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એ જુએ છે કે હું એક પર્વત પર ચ છું અને શિખરે જઈ પહોંચું છું. સવારે એ જાગ્યા પછી માતાપિતાને પગે પડવા જાય છે, અને પગે પડીને નમસ્કાર કરી પિતાને કહે છે, બાપુજી ! આજે રાતના ઊંઘમાં મેં પર્વતના શિખર પર ચડી ગયાનું સ્વપ્ન જોયું, એનું શું ફળ મળશે ?' પિતા ઋષભસેન કહે છે, “જો બહેન ! સ્વપ્નમાં હાથી, બળદ, મકાન, પર્વત કે ક્ષીરવૃક્ષ પર ચડી જવાનું દેખાય, અથવા સમુદ્ર કે નદી તરી ગયાનું જોવામાં આવે, તો કોઈ પણ પ્રકારના દુ:ખમાંથી છૂટકારો થાય છે; તેમજ 1 2 2 - તરંગવતી
Page #128
--------------------------------------------------------------------------
________________ પુરુષને સ્ત્રીલિંગ નામની ચીજનો લાભ થાય છે, ને સ્ત્રીને પુલ્લિગ નામની ઇષ્ટ વસ્તુનો લાભ થાય છે. એમાં ય જો પહેલી રાત્રે સ્વપ્ન જોયું હોય તો એ છ મહિનામાં ફળે છે. મધ્યરાત્રિનું સ્વપ્ન ત્રણ મહિને, પાછલી રાતનું દોઢ મહિને અને બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન એક સપ્તાહમાં ફળે છે. કન્યાએ આ સ્વપ્ન જોયું હોય તો એને સારા પતિનો ને ધનનો લાભ થાય છે તો પુત્રી ! તને ઉત્તમ પતિનો લાભ થશે. એવું તારું ઉત્તમ સ્વપ્ન કહે છે. ઋષભસેન શેઠનો બોધ કેટલો વિશાળ હશે એનો આ પરથી ખ્યાલ આવે છે. પૂછશો, પ્ર.- ગૃહસ્થને આટલો બધો બોધ ? ઉ.- આ પ્રશ્ન થવાનું કારણ વાતોડિયાપણાનો સ્વભાવ લાગે છે. જો એવો સ્વભાવ ન હોય તો એવી વાતોચીતોમાં વેડફાઈ જતા સમયનો સારો ઉપયોગ થાય, શાસ્ત્ર વાંચનનું કામ રખાય, અને એથી નિરંતર બોધની વૃદ્ધિ થતી રહે. પરંતુ, વાતોડિયાપણું એ મૂર્ખ રહેવાનો ધંધો છે. એ કેમ ચાલુ છે ? તો કે જીવને જ્ઞાનની ભૂખ નહિ, અને મનની નિ:સત્ત્વતા એવી કે વાતો વગેરે ફિજૂલ ક્રિયાની લાલચને વશ થઈ જવાય, એટલે જ્ઞાન પ્રાપ્તિનો વ્યવસાય શી રીતે કરી શકે ? જ્ઞાનપ્રાપ્તિનાં 3 સાધન :જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કરવા ત્રણ ચીજ જોઈએ, - (1) જ્ઞાનની ભૂખ જાગતી રહેવી જોઈએ, * (2) વાતચીતોની લાલચ ફગાવી દેવાનું સત્ત્વ જોઈએ, અને * (3) શાસ્ત્રોનો વ્યવસાય જોઈએ. વાતોના વ્યસનમાં કેટલા મોટાં નુક્સાન ? (1) જ્ઞાનપ્રાપ્તિનો સમયનાશ, (2) જ્ઞાનપ્રાપ્તિની અટકાયત, (3) બાહ્યરસની વૃદ્ધિ, (4) આભ્યન્તર હિતમાં નીરસતા. (1) વાતચીતોનું વ્યસન સંતોષવા જતાં એટલો સમય શાસ્ત્રવાંચનમનનો શુભ વ્યવસાય ગુમાવવાનું થાય છે, એથી (2) એટલો શાસ્ત્રબોધ પ્રાપ્ત કરવાનો રહી જાય છે. જો વાતોમાં ન કર્મ ! તારી ગતિ ન્યારી 1 23
Page #129
--------------------------------------------------------------------------
________________ પડત તો શાસ્ત્ર-શ્રવણ-વાંચન-પારાયણનો શુભ વ્યવસાય થાત; તેથી બોધ વધત. (3) વાતચીતોનું વ્યસન સેવવામાં બાધનો ને તે પણ તુચ્છ બાહ્યનો રસ પોષાય છે. જે અનાદિની ચાલને મજબૂત કરે છે. (4) બાહ્યરસ પોષાવાથી પછી શાસ્ત્ર-શ્રવણ-વાંચન-પારાયણ આદિમાં એટલો રસ જામતો નથી; નીરસતા આવે છે. તરંગવતી કહે છે મારા પિતાજીને આવી વાતોચીતો વગેરેનો રસ નહિ તેથી શાસ્ત્રબોધ વધારતા રહેતા, એને વાગોળતા રહેતા, એટલે એ બોધના આધારે મને સ્વપ્ન-ફળ કહેતા, કહ્યું દીકરી સાત દિવસમાં તને સારા પતિનો લાભ થશે. તરંગવતીની ચિંતા : અલબત પિતાજીએ વાત તો સારી કરી, પરંતુ મારા મનને ચિંતા થઈ કે શું સારા પતિ તરીકે પૂર્વ પ્રિય નહિ મળે ? જો પૂર્વ ભવનો પ્રિય મળે તો તે જ મારે સ્વીકાર્ય છે, બીજો કોઈ પુરુષ નહિ, ને જો બાપુજી કોઈ બીજો મને વળગાડવાનું કરે, તો મારે શું ? મારે તો જીવવું જ ભારે થઈ પડે. એવું થાય તો તો જીવવા જ ઇચ્છતી નથી. મારે તો પૂર્વ પ્રિયની અથવા ચારિત્રની જ ઇચ્છા છે. આ બેમાંથી એકેય ન બને તો જીવવાનો કશો અર્થ નથી. આમ મને ચિંતા તો થઈ પરંતુ હજી તો “ભેંસ ભાગોળે.. જેવો ઘાટ' મારે એ ચિંતા બહાર વ્યક્ત ન કરતાં છુપાવી રાખી. માતાપિતાએ મારા સારા સ્વપ્ન પર મારું અભિનંદન કર્યું. અહીં તરંગવતીની હૃદયની પરિણતિ ખુલ્લી થાય છે. અલબત પૂર્વભવના પ્રિયનો મોહ છે, એટલે એની સાથે સંસાર માંડવાની વાસના છે, પરંતુ એ સંસારવાસના મર્યાદિત છે, અંકુશિત છે. એટલે જ જો એ પ્રિય ન મળે તો સંસારની ઇચ્છા નથી પરંતુ મોક્ષમાર્ગ ચારિત્રની જ ઇચ્છા છે. તે પણ ઇચ્છિત પતિ ન મળ્યાની નિરાશા કે શોકમાં નહિ. કિન્તુ એ જ્ઞાન-દર્શન-ચારિત્રના માર્ગ સર્વ દુ:ખનાશક અને સર્વ કલ્યાણકારક છે, માટે ચારિત્રની ઇચ્છા છે. ત્યારે જોવાનું છે કે મનગમતો પ્રિય મેળવવાની તીવ્ર તાલાવેલી એના સમ્યકત્વને અટકાવતી નથી. એનું કારણ આ જ કે મૂળ તો દિલમાં સચોટ બેઠેલું છે કે સર્વ દુઃખનાશક અને સર્વ હિતકારક જો કોઈ હોય તો તે જિનેશ્વર ભગવાને કહેલું સમ્યગ્દર્શન-જ્ઞાનયુક્ત સમ્યક ચારિત્ર જ છે, સંસારના વિષયો 1 24 - તરંગવતી
Page #130
--------------------------------------------------------------------------
________________ તો વ્યાધિરૂપ વિટંબણા રૂપ છે. આ એની સમ્યકત્વની ભાવના છે. આ જો દિલમાં બરાબર અંકિત થઈ જાય તો પછી પ્રશ્ન ન રહે કે તો પછી તરંગવતી કેમ પૂર્વ પ્રિય માટે વલખા મારી રહી છે ? કેમકે સમ્યત્વ હોવા છતાં અવિરતિનો ઉદય હોય તો સહજ છે કે અવિરતિ આસક્તિ કરાવે. રાગ કરાવે. છતાં સાથે સમ્યકત્વ હોવાની વિશેષતા એ છે કે એને હૈયાના ઊંડાણમાં એ પ્રિય પર પ્રેમ વગેરે બધું ય કર્મે સરજેલી વ્યાધિ-વિટંબણા-બીમારીરૂપ લાગતું હોય. જેને સમકિત ન હોય એને તો હૈયામાં પણ સંસારસુખ મીઠાં મીઠાં લાગે છે. એની ઇચ્છા થાય એ ય સ્વાભાવિક લાગે છે. પછી એને સુખની ઇચ્છાને બીમારી શાનો માને ? સમ્યકત્વનો પ્રકાશ અને અવિરતિનો ઉદય : વાત એ હતી કે સમ્યક્ત્વના અજવાળામાં રંગરાગ-વિષયભોગો અને વિષયો એ વિટંબણારૂપ વ્યાધિરૂપ દેખાય છે. પરંતુ અવિરતિનો ઉદય હોય એથી રંગરાગ વિષયભોગ કરે છે. મોટા તીર્થકર ભગવાનની પણ ઘરવાસમાં આ સ્થિતિ હોય છે. એમને ય રાજાશાહી સુખ ભોગવવાનું બને છે. લગ્ન કરવા પડે છે. એ સમજે છે. કે સુખ તૃપ્તિનો આ નીચ ઉપાય છે, પરંતુ નિકાચિત નીચ કર્મરૂપી અંધા દુશ્મનને નીચ ઉપાયથી જ તુષ્ટ કરી રવાના કર્યો છૂટકો છે. અવિરતિનું નાટક જબરું છે. એ પરમ પુરુષને પણ સ્પષ્ટ વિટંબણા સમજવા છતાં વિષયભોગની ક્રિયામાં જોડે છે. અલબત એ લોકોત્તર પુરુષ અંતરમાં સાવધાન છે, એટલે પામર જનની જેમ એમને વિષયભોગનો અંતરમાં આનંદ નહિ, પણ ખેદ છે; કેમકે એને એ લોકોત્તર પુરુષ આત્માની વ્યાધિ-વિટંબણારૂપ દેખે છે. પેલી તરંગવતી અંતરમાં સમ્યક્ત્વની આ ભાવના ધરનારી છે કે સંસારના વિષયભોગ આત્માની વ્યાધિ વિટંબણારૂપ છે. પછી એને કદાચ અવિરતિના ઉદયે સંસારના ભાવ જાગે, તો તેથી કાંઈ એની શ્રદ્ધાનો ઇનકાર ન કરી શકાય. કારણ એક જ, કે સમકિતીનું મન સંસારના ભાવોમાં પામર જનની જેમ તદન અંધ નથી બનતું. એટલે જ એ સંસારના ભાવોની વચ્ચે વચ્ચે જિનેશ્વર ભગવંતને, જિનવચનને અને જિનોક્ત ધર્મક્રિયાને ભૂલતું નથી. સંસારના ભાવોમાં જે તદ્દન અંધ બની આસક્ત થતો હોય એ પહેલાં કે પછીથી પણ જિન-જિનવચન-જિનોક્ત આચારને શું યાદ કરે ? કર્મ ! તારી ગતિ ન્યારી 1 2 5
Page #131
--------------------------------------------------------------------------
________________ જુઓ, રાવણ સમ્યગ્દષ્ટિ હતો, અને નીકળ્યો હતો દિગ્વિજય કરવા - પરંતુ વિમાનમાં જતાં વચમાં અષ્ટાપદ તીર્થ આવ્યું અને ફૂલ સ્પીડમાં જતું વિમાન ખચકાયું, ત્યાં નીચે જોતાં તીર્થ દેખીને નીચે ઉતર્યો અને ભગવાનની ભક્તિ-પૂજામાં લીન થઈ ગયો ! પૂછો ને, પ્ર.- પણ રાવણને દિગ્વિજયના મહાન કાર્યની ઉતાવળ ન હોય ? ઉ.- સમકિતીને ધર્મકાર્યની આગળ સંસાર કાર્યની ઉતાવળ નહિ; કેમકે સમજે છે કે જેને ધર્મ-કાર્યની ઢીલ અને સંસાર કાર્યની ઉતાવળ છે, એને સદ્ગતિની ઢીલ અને દુર્ગતિની ઉતાવળ છે. એથી ઊલટું, જેને ધર્મકાર્યની ઉતાવળ અને સંસાર કાર્યમાં ઢીલ, એને સદ્ગતિની ઉતાવળ અને દુર્ગતિની ઢીલ છે. અર્થાત્ એને દુર્ગતિ જલદી તાણવા ન આવી શકે. રાવણને સંસાર કાર્યની એવી ઉતાવળ નહોતી, જેવી ધર્મ કાર્યની ઉતાવળ હતી; એટલે દિગ્વિજયની યાત્રામાં વચમાં તીર્થ મળ્યું તો ઊતરી પડ્યા તીર્થ પર; અને ભક્તિ જમાવી !! તરંગવતીને પિતા તરફથી સ્વપ્નના ફળાદેશરૂપ આનંદદાયક આગાહી તો મળી કે તને સાત દિવસમાં સારો પતિ મળશે. પરંતુ પોતે ઓર ચિંતામાં પડી કે જો મારા પુર્વ પ્રિયને છોડી બીજો કોઈ મારા માથે પડે તો તો મારે જીવવું જ મુશ્કેલ થાય. પરંતુ હજી પેલી સારસિકા જે અહેવાલ લાવવાની છે. એમાં આશા છે તેથી એના પોતાના મનને મનાવી રાખે છે. પછીથી તરંગવતી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી રાત્રિના લાગેલા દોષ અતિચારોની આલોચના પ્રતિક્રમણ કરે છે, બૃહદ્ગુરુવંદન કરે છે, પરમાત્માના ભક્તિ-સ્તોત્ર ભણે છે, અને એટલામાં સૂર્ય ઉદય પામે છે. 8. ધર્મપ્રધાન કે સંસાર જોવાની ખૂબી છે કે ગઈ સાંજના સખી સારસિકાને ચિત્રપટ્ટ લઈને કૌમુદી મહોત્સવમાં મોકલ્યા પછી આતરતા તો છે જ કે “ત્યાં લોકો જોઈ શકે એ રીતે ચિત્રપટ્ટ ખુલ્લો મૂક્યા પછી એમનાં કોઈ માડીના લાલ પર આ ચિત્રપટ્ટ જોયાની અસર પડે છે કે કેમ ?' છતાં સાંજનું પ્રતિક્રમણ ને પ્રભાતનું પ્રતિકમણ ચૂકતી નથી ! આ બતાવે છે કદાચ સાધુ ન થઈ શક્યા તો પણ 1 26 - તરંગવતી
Page #132
--------------------------------------------------------------------------
________________ દિલમાં સમ્યગ્દર્શન કેવી રીતે ઝગમગતું રાખી શકાય ! અને ધર્મના શક્ય કર્તવ્ય આચારોનું પાલન કોઈ સાંસારિક ચિંતાની વચમાં પણ કેવું અખંડ રાખવાનું ! સમ્યગ્દર્શન વાતોની વડાઈથી ન આવે, ન ટકે. મૂળ, હૈિયામાં વસ્યું હોય કે સંસારને પછી, ને શાસનને પહેલું સ્થાન આપું.' તો જ દિલને ધર્મ ગમ્યો ગણાય, અને સંસાર પર અભાવ રહ્યો ગણાય. વાત આ હતી; ધર્માત્મા સાંસારિક જીવનની વચમાં વચમાં ય ધર્મને ભૂલે નહિ. આજના જડવાદમાં અંજાઈ જઈ આત્મષ્ટિ ગુમાવી બેઠેલાને આ તારણહાર તત્ત્વો મગજમાં બેસતા જ નથી. ટી.વી. રોજ જોશે ! પ્રતિક્રમણ મહિને એક વાર પણ નહિ ! પેલી તરંગવતીએ પ્રભાતની ધર્મસાધનાઓ કરી લીધી, સૂર્યનો ઉદય થયો અને સારસિકાની રાહ જોતી હતી. એમાં એ આવી પહોંચી અને તરંગવતી પોતાના આવાસમાં એકલી રાહ જોતી બેઠી હતી ત્યાં આવી. એ દરવાજામાં પેસતાં જ ખૂબ ઊભરાતા હરખથી કહે છે. સખી ! ખુશખબર ! કામદેવ તારી કામના પૂરી કરે ! તારો પ્રિય મળી ગયો છે. એમ બોલતી બોલતી પાસે આવીને ઊભી રહી. આ સાંભળતાં જ તરંગવતીને હરખનો પાર નથી રહેતો ! ને એને છાતી સરસી ભેટી પડે છે, અને કહે છે, વાહ વાહ સખી ! તારા મોંમાં ગોળ ! ત્યાં શી કમાલ થઈ ? બોલ બોલ સખી ! જલદી બોલ શું શું બન્યું ? કેવી રીતે તે મારા પ્રિય ચકોરને ઓળખી લીધો ?' એમ પૂછતાં એના ખૂબ હરખમાં એમ દેખાય કે જાણે પ્રિય ચકોર પોતાની સામે આવીને ઊભો છે ! જીવને જ્યારે પહેલપહેલું સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે શાસ્ત્ર કહે છે એને આખા સંસારકાળમાં નહિ થયેલો એવો અપૂર્વ આનંદ થાય છે. એમાં એને પ્રિય પરમાત્માનું દર્શન અને વિકેદમાંથી મુક્તિ થવાનું દેખાય છે. સમકિતીના આનંદ-ઉગ જુદા, મિથ્યાત્વીના જુદા. તરંગવતી અત્યારે પ્રિય મળવાના આનંદમાં છે. એ ને દાસી નીચે બેઠા, સારસિકો કહે,- “સાંભળ શું બન્યું એ હું કહું છું. “હું અહીંથી ચિત્રપટ્ટ લઈને ગઈ જયાં કૌમુદી મહોત્સવનો મેળો જામ્યો છે, ત્યાં એવી જગાએ જઈ પટ્ટ ખુલ્લો મૂકીને ઊભી રહી કે રસ્તા પરથી રથો કર્મ ! તારી ગતિ ન્યારી 1 27
Page #133
--------------------------------------------------------------------------
________________ અને બીજા વાહનો પસાર થઈ રહ્યા છે, લોકો પણ ટોળેટોળાં જઈ રહ્યા છે, એ બધાને નજરમાં પડે એ રીતે પટ્ટને ખોલીને ઊભી રહેલી. “જોનાર લોકો આશ્ચર્ય પામે છે કે આ વળી કેવુંક ચિત્ર ! ધારી ધારીને જુએ છે, પણ ચિત્રનો પરમાર્થ નથી સમજી શકતા. સ્ત્રીઓ જુએ છે, પુરુષો જુએ છે, હું બધાના મોં પર શી અસર થાય છે એ જોયા કરું છું પરંતુ એમાં કોઈના મો પર ખાસ અસર થતી દેખાતી નથી. પૂનમની રાત્રિ પસાર થઈ રહી હતી મારા મનને અધીરાઈ થતી હતી કે મારી સખીનો પૂર્વ પ્રિય કોઈ પ્રેક્ષક અહીં મળશે કે કેમ?” કાર્યસિદ્ધિના ઉદ્યમમાં સ્થિતપ્રજ્ઞતા : સહજ છે કે કાર્ય-સિદ્ધિને માટે નીકળેલ માણસને જયાં સુધી કાર્ય થવાને અનુકૂળતા ન દેખાય, ત્યાં સુધી મનને અધીરાઈ થાય. પરંતુ કાર્યની અનુકૂળતા ન દેખાય ત્યાં સુધી નાસીપાસ નહિ થવું જોઈએ. નહિતર નાસીપાસી તો તો પ્રયત્નમાં આગળ વધતાં અટકાવી અધવચ્ચે ઉદ્યમ છોડાવી દે, તો કાર્યસિદ્ધિ થવાના સમય સુધી પહોંચી ન શકે. એટલા માટે સ્થિતપ્રજ્ઞતા જોઈએ, કાર્ય પાર પાડવાની પ્રજ્ઞાબુદ્ધિ સ્થિર રાખવી જોઈએ. આ સ્થિરપ્રજ્ઞા ઊભી કરીને ઉદ્યમ ઉપાડ્યો; તે એ પ્રજ્ઞા સ્થિર રાખીને પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. વેપારમાં શું કરો છો ? દુકાન ખોલી ચાર ઘરાક એવા જ આવ્યા કે સોદો ન કર્યો, તો શું એવું કરો કે “બંધ કરો દુકાન, આમાં કાંઈ નહિ વળે ? ના, ત્યાં તો બુદ્ધિ સ્થિર રાખી દુકાન ચાલુ રખાય છે, તો પછી ધર્મની બાબતમાં જરાક પાછા પડતાં કેમ પ્રયત્ન મોળા ? જુઓ, ગુણસ્થાનકની પાયરી ઉપર શી રીતે ઊંચે ઊંચે ચડાય છે ? પ્રજ્ઞા સ્થિર રાખીને ઉપર ઉપરના ગુણસ્થાનકનો પ્રયત્ન ચાલુ જ રાખે જાય. તો ઉપર ઉપરના ગુણસ્થાનકના પગથિયે ચડતા જવાય છે. દા.ત. પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વ-અવસ્થા છે. એમાં મિથ્યાત્વને અને અનંતાનુબંધી કષાયો રાગ-દ્વેષાદિને મંદ પાડતા જવાની બુદ્ધિ સ્થિર રાખીને આગળ આગળ પ્રયત્ન ચાલુ રાખે, તો જ મિથ્યાત્વ મંદ મંદ બનતું આવે છે. પૂછો,| મિથ્યાત્વ મંદતાના શા ઉપાય ? :પ્ર.- મિથ્યાત્વ મંદ કરવાના શા પ્રયત્ન હોય ? ઉ.- એ માટે વિવિધ પ્રયત્ન કરવાના છે, પહેલું તો આ જ સુધી - તરંગવતી
Page #134
--------------------------------------------------------------------------
________________ પાપાચરણમાં જે હોશ ખુશમિશાલતા અને રાચવા-માગવાપણું હતું, તે હવે એમાં મંદતા કર્યે જવાની. અર્થાત્ પાપાચરણ પરલોકનો ભય રાખ્યા વિના જે તીવ્રભાવે અર્થાત ખૂબ હોંશથી કરતા હતા, તે હવે પરલોકથી ડરતા રહીને કરવાના, ને તે ય તીવ્રભાવથી નહિ કરવાના. એથી મિથ્યાત મંદ પડતું આવે. પ્રશ્ન થાય, પાપપ્રિયતાનો સ્વભાવ બદલવાના શા ઉપાય ? : પ્ર.- હિંસાદિ અને કષાયોનાં પાપો રાચી માચીને કરવાનો જીવનો સ્વભાવ એટલે કે પાપપ્રિયતાનો સ્વભાવ છે, તે કેમ છૂટે ? કેમ બદલાય ? ઉ.- એ બદલવાના ઉપાય અનેક છે, (1) પહેલો ઉપાય આ, કે મનને વિચાર થાય કે “આ મારો આર્ય ઉત્તમ માનવ અવતાર, એમાં કેવી વિશિષ્ટ કાયશક્તિ, વાણીશક્તિ અને બુદ્ધિશક્તિ વગેરે મળી ! વિશિષ્ટ મન-વચન-કાય-શક્તિનો વિનિયોગ (ઉપયોગ) પૂર્વના અનંતા અજ્ઞાન-મોહમૂઢ માનવભવોમાં જેવો કર્યો, એવો શું કચરાપટ્ટી પાપોમાં પાપકાર્યોમાં કરવાનો ?' રોજ પરોઢિયે ઊઠીને આ વિચાર દિલમાં ઠહેરાવવામાં આવે, તો એની દિલ પર અસર થાય, અને પાપકાર્યોમાં તન મન અને વાણીને તદ્દન નહિ તો અંશે પણ જતા અટકાવાય, (2) બીજો ઉપાય આ છે કે કદાચ બધા પાપકાર્યોમાં ન બને તો પણ રોજના કમમાં કમ 4-5 પાપકાર્યોમાં મન મારીને પણ હોંશ-હરખ રોકી રાચી માચીને આપણી શક્તિઓનો ઉપયોગ યાને પ્રયત્ન નહિ કરવાનો. આવો રોજને રોજ પ્રયત્ન થાય તો અનાદિના સ્વભાવ પર અસર પડે, સ્વભાવ બદલવાની શક્યતા ઊભી થાય. રાચવા માગવામાં જો મંદતા ઊભી થાય; તો તેથી મિથ્યાત્વમાં મંદતા આવે. (3) મિથ્યાત્વની મંદતા માટે વળી એક ઉપાય એ છે કે, ઘોર સંસાર પર ધૃણા સૂગ ઊભી કરવાની. ઘોર સંસાર પર આદર બહુમાન નહિ ધરવું, આમ ગુણસ્થાનકની અવાંતર પાયરીએ ચડવાનું થાય. આ ભવનિર્વેદ ભવોગ ભવ-વૈરાગ્યનું કાર્ય વધારે સતેજ બનાવવા અને આગળ વધવા માટે એક અગત્યનો ઉપાય આ કરવાનો છે, કર્મ ! તારી ગતિ ન્યારી 1 29
Page #135
--------------------------------------------------------------------------
________________ ભવનિર્વેદનો અગત્યનો ઉપાય : આપણે તો વીતરાગ અરિહંત ભગવાનને પામ્યા છીએ, એટલે દરેક કાર્ય કરતાં અરિહંતને આગળ કરવાના, એમના અચિંત્ય પ્રભાવને આગળ કરવાનો છે. અર્થાત્ મનને થાય કે, પ્રભુ ! ભવનિર્વેદ લાવવા વધારવા ઉપાયો તો કરું છું પરંતુ તે આપના પ્રભાવે જ ફળવાના છે. આપના પ્રભાવે જ આપના ઉપકારથી જ આટલે ઉચ્ચે આવ્યો છું, અને હજી પણ આગળ જઈશ. તે આપના પ્રભાવે જ જઈ શકવાનો. આમ વાતવાતમાં અરિહંતને આગળ કરીએ એમાં ભવનિર્વેદના કાર્યરૂપે સમ્યત્વ સુલભ થાય છે; કેમકે વાતવાતમાં અરિહંતને મુખ્ય કરવાથી અરિહંત ઉપર પ્રેમ-શ્રદ્ધા બહુમાન વધે છે. રોજના માટે અને દિવસમાં અનેક વાર જયવીયરાય સૂત્રમાં ભગવાન આગળ હોઉ મમં તુહપ્પભાવઓ ભયવં ભવનિÒઓ... ઇઠફલસિદ્ધિની પ્રાર્થના શા માટે કરવાનું રાખ્યું ? કહો, રોજ ને રોજ માંગવાનું આટલા જ માટે કે, જ્યાં સુધી ભવનિર્વેદ માર્ગાનુસારિતા ઇષ્ટફળસિદ્ધિ વગેરે કાર્યો સિદ્ધ ન થાય, ત્યાં સુધી એ માટે વીતરાગ ભગવાનના અચિંત્ય પ્રભાવની શ્રદ્ધા વધારતા રહો, અને ભવનિર્વેદ વગેરેની માગણી કરવાનો પ્રયત્ન ચાલુ રાખો' એ સૂચવવું છે. કાર્ય સિદ્ધ નથી થતું માટે નાસીપાસી ન કરો. નિરાશા ન કરો. સામે પૂર્વ કર્મોનું જોર હોય તો કાર્ય સિદ્ધ થવામાં વિલંબ થાય, પરંતુ પાકો વિશ્વાસ રાખો કે મારા અરિહંતદેવના અચિંત્ય પ્રભાવથી ને મારા યોગ્ય પ્રયત્નથી પૂર્વકર્મ તૂટી જ રહ્યા છે. તે આગળ જતાં સારા પ્રમાણમાં તૂટીને કાર્યસિદ્ધિ થનાર જ છે. ચિત્રપટ્ટ ઓળખનાર મળ્યો : પેલી સારસિકા કહી રહી છે કે રાત વીતી રહી હતી, ચિત્રપટ્ટની અસર લેનારો કોઈ દેખાતો નહોતો. મનને નિરાશા થતી હતી. પરંતુ બેન ! એમ માંડવાળ કર્યો કેમ ચાલે ? વળી કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' એ કવિની ઉક્તિ છે. એટલે આશા ઊભી રાખીને ચિત્રપટ્ટ ખુલ્લો રાખીને ઊભી છું. એટલામાં સખી ! તારા પ્રખર પુણ્ય શું મનમાન્યું બન્યું તે તું સાંભળ, સારસિકાના આ બોલપર તરંગવતીનું હૈયું નાચી ઊઠ્ય ! મનને થયું હાશ ! હવે લાગે છે કે, પૂર્વના મારા પ્રિયનો પત્તો લાગ્યો લાગે છે !' 13) - તરંગવતી
Page #136
--------------------------------------------------------------------------
________________ 9. યુવાન પદ્મદેવને મૂચ્છ | યુવાનનો આશ્ચર્યકારી હેવાલ : સારસિકા આગળ ચલાવે છે કે, “ત્યાં એક તરુણ માણસ પોતાના ગોઠિયામિત્રો સાથે આવી પહોંચ્યો. શી એની કાયા ! ભારે સુંદર રૂપ ! વિશાળ છાતી ! હાથ લાંબા અને લષ્ટપુષ્ટ ! મુખ તો એનું પૂનમના ચંદ્ર જેવું ! ચંદ્ર જેમ રાત્રિ વિકાસી કમળોને વિકસ્વર પ્રફુલ્લિત કરે, એમ આ એના મિત્રાને પ્રફુલ્લિત કરે છે ! મતલબ, એના મુખારવિંદનું દર્શન કરી કરી મિત્રો ખુશી ખુશી થઈ જાય છે ! ત્યારે યુવતીઓની તો બિચારીની દુર્દશા જ થાય છે, એવી કોઈ યુવતી નહિ મળી હોય કે જેના મનમાં આ ન પેઠો હોય, તથા આ યુવાનને જોઈ જે કામ વિહવળ ન થઈ હોય, અને જેણે મનમાં ને મનમાં આને વરી લેવાની પ્રાર્થના ન કરી હોય ! આવો એ યુવાન ચિત્રપટ્ટ પાસે ઊભો રહી જોતો જ રહ્યો, અને પોતાના મિત્રમંડળ આગળ પ્રશંસા કરી રહ્યો છે કે, દોસ્તો ! જુઓ જુઓ, આ ચિત્રમાં શું સુંદર પદ્મસરોવર આલેખેલું છે ! પાસે નદી કેવી મજેની આલેખેલી છે ! વળી નદીના પટમાં કેવી સરસ સફેદ રેતી પથરાયેલી પડી છે ! પાસે શું આણે આબેહૂબ જંગલ આલેખેલું છે ! એમાં ફૂલોની લતાઓ કેવી અદ્ભુત છે ! ત્યારે સરોવરમાં આ ચકોર-ચકોરીનું જોડલું કેવું પરસ્પરના પ્રેમમાં ગરકાવ છે ! એમાં કોને અધિક પ્રેમવાળો કહેવો એ મુશ્કેલ છે. ત્યારે આ જુઓ પેલો હાથી, નદીમાંથી સૂંઢમાં પાણી ભરીને નદી બહાર આવી સુંઢ ઊંચી કરીને ચારે બાજુ પાણી કેવું ઉરાડી રહ્યો છે ! તે પાણીના સપાટામાં કેટલાક પંખેરા બિચારા આવી આવીને ગુલાંટ ખાઈ રહ્યાં છે ! “તરણ પોતાના ગોઠિયાઓને કહે, જુઓ- જુઓ મિત્રો ! ચિત્રમાં હાથી પર પેલી બાજુ ઝાડ પરથી એક શિકારી બાણ તાકીને છોડે છે ! અરેરે ! પણ આ જુઓ, બાણ ત્યાં સુધી ન પહોંચતાં બિચારા આ વચ્ચે ઊડીને જતાં એક ચકોરને વીંધી નાંખે છે ! હાય ! જીવનાં કર્મની કેવી ગતિ ! એમાં વળી જુઓ ચિત્ર દેખાડે છે કે, પેલી ચકોરી બાણે વીંધાઈને પડેલા ચકોરના શરીર પર માથું પછાડી કલ્પાંત કરતી દેખાય છે ! અહીં જુઓ ચકોરની અગ્નિ-ચિતા ભડભડ સળગતી દેખાય છે. એમાં ચકોરી ઝંપલાવે છે ! “સ્વામિની ! એ રૂપાળો યુવાન ગોઠિયાઓને કહે છે,- “ભાઈઓ ! ચિત્ર તો સુદંર છે પરંતુ શેમાંથી આ ચિત્રની કલ્પના ઊઠી હશે એની ખબર કર્મ ! તારી ગતિ ન્યારી 1 31
Page #137
--------------------------------------------------------------------------
________________ નથી પડતી...' એમ બોલતાં બોલતાં યુવાન ઊંડા ચિંતનમાં પડી જાય છે. એમાં થોડીવારમાં તો એ મૂચ્છિત થઈ ગયો. એ જઈ થોડેક દૂર ઊભેલી હું ત્યાં પહોંચી ગઈ, એ જોવા કે હવે શું થાય છે? યુવાન શું બોલે છે? એના દોસ્તારો ગભરાઈ ગયા કે મિત્રને એકાએક આ શું થઈ ગયું ? એને પવન નાખે છે, ભાનમાં લાવવા પ્રયત્ન કરે છે.” સારસિકા તરંગવતીને કહે છે. “જો બેન ! તું ય ઉદ્યાનમાં ચક્રવાક ચકોરીના જોડલાને જોઈ મૂચ્છિત થઈ ગયેલી ને ? એમ અહીં પણ એનું ચિત્ર જોઈ આ સમૃદ્ધ યુવાન મૂચ્છિત થઈ ગયો. મને વહેમ પડ્યો કે, “શું આ ચક્રવાક તો ન હોય ? પરંતુ મારાથી એકદમ એને પૂછાય કેમ ? છતાં આ પરિસ્થિતિ જોઈ હું પ્રસન્ન તો શ્રઈ ગઈ અને મને લાગ્યું કે, નથીને જો આ યુવાન જ પૂર્વનો ચક્રવાક હોય, તો તો મારી બાળીભોળી સખીને એનો મનગમતો પતિ મળી જાય !" તરંગવતી ખૂબ આતુરતા અને ધ્યાનપૂર્વક સાંભળી રહી છે, એમાં આ સાંભળતાં તો એને એટલો બધો હરખ ઉભરાયો કે, એનાં હૈયામાં શ્વાસના ધબકારા વધી ગયા. પૂર્વનો પ્રિય મળવાની આશા બંધાણી એમાં એને લાગે છે કે, જાણે મોટું સામ્રાજ્ય કે કોઈ અપૂર્વ નિધાન મળવાનું છે ! પાંચ વરસથી ગુમ થયેલો દીકરો હવે એકાએક મળવાની આશા બંધાય તો એના માતા પિતાને કેટલો બધો અવર્ણનીય આનંદ થાય છે ! એ તો પુત્ર; ત્યારે અહીં તો પોતાનો અત્યંત વહાલો પ્રિયતમ મળવાની આશા બંધાય, પછી અત્યંત હર્ષનું પૂછવું જ શું ? પરમાત્મા મળવાની આશા રહે છે? :- આ હિસાબે વિચારો કે આપણને પરમાત્માના અનંત અનંત કાળના વિરહ પછી સાધના દ્વારા એ અરિહંત પ્રભુ મળી જવાની સુખદ આશા બંધાય, તો એનો આનંદ કેટલો ઊભરાય ? પરંતુ પહેલું તો પ્રભુ નિકટમાં મળવાની જીવને આશા રહે છે ? કહોને ‘ના; કેમકે પ્રભુના વિરહનું દુઃખ નથી, પ્રભુ ન મળે તો કશી ખોટ નથી લાગતી છો ? પ્રભુ પહેલાં ભેદ અને પછી અભેદભાવે દેખાય. અરિહંત પ્રભુને ભેદભાવ જોવા માટે આ કરો, : આંખ મીંચીએ ને સહેજ મનનો ઉપયોગ લઈ જઈએ ત્યાં ઝટ પહેલાં તો કોઈ અત્યંત પરિચિત કરેલા જિનપ્રતિમા અંતરમાં આબેહૂબ દેખાય ! અને 1 32 - તરંગવતી
Page #138
--------------------------------------------------------------------------
________________ એ દેખવાનો અભ્યાસ થઈ ગયા પછી અષ્ટપ્રાતિહાર્ય સહિત જીવંત અરિહંત ભગવાન આબેહૂબ દેખવાના તે પણ આપણી સામે કરુણા નજરથી જોતા હોય એવા દેખાય. ઈલેક્ટ્રિકની સ્વીચ દાબો ને ફડ અજવાળું થાય, એમ આંખ મીંચી આપણા મનનો અંદરમાં ઉપયોગ જાય ને તરત જ અંદરમાં ભગવાન દેખાય. પ્ર.- આ શી રીતે બને ? ઉ.- કહો, પ્રભુને બહારમાં જોઈ જોઈ તરત અંતરમાં આ રીતે પ્રભુને જવાના. બહુ અભ્યાસથી બને. પ્રભુ અત્યંત પરિચિત થઈ જાય. એટલે પછીથી પ્રભુ સહેજમાં આબેહૂબ દેખાય. પ્રયત્ન જોઈએ. પ્રભુને બહારમાં જોઈ પછી મીંચેલી આંખે અંદરમાં જોવાના. ક્ષણવાર અંદરમાં દેખાય પછી પ્રભુ અંદરમાં દેખાતા બંધ થાય એટલે પછી આંખ ખોલી પાછા બહારમાં પ્રભુને જોઈ મનમાં બરાબર ધારી લઈને પછી બંધ આંખે પ્રભુને અંદરમાં જોવાના. પ્રભુને જોવાના એટલે ખાસ તો પ્રભુનું મુખારવિંદ જોવાનું. તે પણ લલાટ કેટલું ઊંચું છે ? નાસિકા કેટલી ઊંચી ? આંખ કેવી ? હોઠ કેવા પહોળા ? ગાલ કેવા માપના ને કેવી આકૃતિ ? દાઢી મુખની પછી નીચે કેટલા અંતરે ? તે ગોળાકાર ? કે ચપટી ?...વગેરે વગેરે બરાબર ધ્યાન રાખીને જોવાના. જેવા બહારમાં દેખાય એવા જ આપણને અંતરમાં દેખાવા જોઈએ. પ્રભુને આ અંતરમાં જોવાના વારંવાર અભ્યાસ થાય ને પછી એ સહેજે દેખાવાનો મહાવરો પડે, એ આપણા આત્મા માટે એક મહત્ત્વની મૂડી બને છે. પછીથી આંખ મીંચીને વારંવાર જોતાં આનંદનો પાર નથી રહેતો. એનો નાદ લાગે છે. એક નમુત્થણે સૂત્ર આંખ મીંચીને બોલીએ ત્યાં પદેપદે આ પ્રભુ દેખાયા કરે, તે ક્રમશઃ ગોઠવાયેલા દેખાય. 33 પદોમાં 33 તીર્થકર દેખાય. એમાં ય છેલ્લે ‘સિવ મયલ મરુએ...' વાળા પદમાં આઠ વિશેષણમાં આઠ ભગવાન દેખાય. એવું લોગસ્સસૂત્રમાં ચોવીસ ભગવાન જોવાના, આમ અંતરમાં ભગવાન આબેહૂબ જોવાનાં અભ્યાસ વધારતા જઈએ,. એટલે ભગવાન સાક્ષાત્ દેખાવાની આશા બંધાય, ને ત્યાં એનો આનંદ એવો અદ્ભુત રહે કે બીજા બાહ્યદર્શનનાં આનંદ ફિક્કા પડી જાય. સારસિકાનાં વચન પર તરંગવતીને પ્રિય મળવાની આશા બંધાણી છે. એટલે તરત એને કહે છે હ કહે, કહે, એ યુવાનને મૂચ્છ આવી પછી શું થયું?' કર્મ ! તારી ગતિ ન્યારી 133
Page #139
--------------------------------------------------------------------------
________________ સારસિકા કહે, “બેન ! એના મિત્રોએ એને પવન નાખ્યો. પાણી છાંટ્યું એટલે એ ભાનમાં તો આવી ગયો, પરંતુ એના મોં પર ઉદાસપણું વ્યાપ ગયેલું તે જોઈ મિત્રો પૂછે છે,| ‘મિત્ર ! આ તને શું થયું? કેમ એકદમ બેભાન થઈ ગયો? શું મગજ પર કશી મોટી ચિંતા આવી ?' યુવાન કહે છે. ભાઈઓ ! શું કહું મારા કર્મની કહાણી ?' એમ કહીને એણે ત્યાં રસ્તા વચ્ચે રહ્યા રહ્યા કરુણ રુદને રડવા માંડ્યું. તરંગવતીને સારસિકા કહે છે, “બેન ! એણે આવું આક્રદ કરવા માં કે “અરેરે ચકોરી ! તું ક્યાં ગઈ ? ઓ મારા પ્રેમની પેટી ! ઓ મને હંમેશાં - બહુ જ પ્યારી ! તેં કેટલો ગજબ કર્યો કે તેં મારી ખાતર તું અહીં (ચિત્ર તરફ આંગળી ધરી) બળી મરી !' એમ વારંવાર વિલાપ કરે છે. ‘હરે ક્યાં મળે ?' આ એનું શરમ મૂકીને કલ્પાંત કરવાનું જોઈ એના મિત્રો આભા બની ગયા ! કાંઈ સમજયા નહીં, એટલે એને કહે છે, અરે મિત્ર ! તું શું કાંઈ ભૂલો પડી ગયો ? આ તું શું બોલે છે? શાની ચકોરી ? શી રીતે તારી પ્રિય અહીં વિચારો, તરંગવતીને પાસરોવરમાં ચક્રવાક ચક્રવાકીની પ્રેમી જોડલું જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું; આને પોતાના પૂર્વ ભવના પ્રસંગનું ચિત્ર જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું. બંનેને એનું ફળ શું આવ્યું ? જાતિસ્મરણજ્ઞાન થતાં તો દેખાય કે પોતાનું એક શરીર ગયું, ને બીજું ઊભું થયું, એટલે બંને શરીરમાં સંલગ્ન એવો શરીરથી જુદો પોતાનો આત્મા સ્પષ્ટ રીતે નક્કી થયો. પોતાના એ જુદા આત્માને પૂર્વ ભવના શરીરમાં ત્યાંના અનુભવો ય ભાસે છે, ને આ ભવના જુદા જ શરીરમાં ય પોતાને જ અનુભવો વર્તાય છે. આમ ભવભવમાં પસાર થતાં પોતાનો આત્મા ભાસ્યા પછી શું મમત્વ આત્માનું થાય ? કે શરીરનું ? આત્માને બિચારાને ભવ ભવના ખોળિયા મૂકી મૂકીને ચાલવું પડે છે. એની કોઈ દયા આવે ? એ આત્માની કશી ચિંતા થાય છે ? ના, શરીરનું મમત્વ, શરીરની દયા, ને શરીરની જ ચિંતા રહ્યા કરે છે, પણ પોતાના પ્રિય આત્માની જ નહિ ! આત્મા કર્મ-પરવશ હોવાથી ગુલામી ભોગવે છે. કર્મપીડિત બને છે, કર્મજનિત વિટંબણાઓથી સીદાયા કરે છે, એની કશી ચિંતા નહિ કરવાની ? 1 34 - તરંગવતી
Page #140
--------------------------------------------------------------------------
________________ આ બે ઉત્તમ આત્માઓને પણ આ આત્મચિંતા નહિ ? કારણ ? કારણ આ જ, કે કર્મની વિચિત્રતા છે, મોહની વિટંબણા છે. અત્યારે એ મોહની અસર નીચે છે. માટે જ ઉત્તમ માનવભવનું મહાન કર્તવ્ય કર્મ અને મોહની ગુલામી ઘટાડવાનું છે. - જ્યાં પેલા યુવાનને એના મિત્રોએ એમાં “ઓ મારી ચકોરી ! ઓ મારા પ્રેમની પેટી !... તું મારી ખાતર બળી ?' એના કલ્પાંત પર પૂછ્યું કે તું શું ભૂલો પડી ગયો કે છે શું ? ત્યારે એ યુવાન કહે છે મારા ભાઈઓ ! હું કાંઈ ભૂલો નથી પડ્યો. મારું મગજ ઠેકાણે છે. મારા રુદનનું કારણ આ ચિત્રપટ્ટની વિગતો છે તે વિગતો દુ:ખદ છે, એનું રહસ્ય હું જાણું છું. તેથી મને આ કલ્પાંત થાય છે. તમે નથી જાણતા તેથી તમને હું ભૂલો પડી ગયો લાગું છું. મિત્રો પૂછે તો તને ચિત્રના રહસ્યની શી રીતે ખબર પડી ? યુવાન કહે છે, “મને મારા પૂર્વભવનું સ્મરણ (જાતિસ્મરણ) જ્ઞાન થવાથી ખબર પડી. એ જ્ઞાનમાં મને અનુભવ થાય છે કે આ ચિત્રમાં ચિતરાયેલ ચકોર હું પોતે જ હતો. અને આ અગ્નિમાં બળી મરવા પડતી ચકોરી મારી પ્રાણ પ્રિયા હતી,”... સારસિકાનો અહેવાલ :અહીં એમ કહીને સારસિકા તરંગવતીને કહે છે. બેન ! જે તમે જાતિસ્મરણ થયા પછી તે મને તારા પૂર્વભવનો આખો ચિતાર આપેલો, ફિટ બરાબર એ જ ચિતાર આ યુવાને મિત્રોને પોતાના પૂર્વભવનો આપ્યો. એમાં ય એણે જે ચકોરીના અવિહડ પ્રેમ અને એના ગુણોની વિશેષતાનું વર્ણન કર્યું, એ પરથી તું સમજી શકે છે કે, જો તને ચકોરના વિયોગનું ભારે દુ:ખ રહે છે. તો હવે એને ચકોરીના વિયોગનું કેટલું દુઃખ હોય ? આ હું એટલા માટે કહું છું કે હવે તું વિયોગનું એટલું બધું દુઃખ કરવું રહેવા દે, કેમકે દુઃખિયાને દુઃખિયારા મળ્યા તો મનને રાહત થાય છે; અને ખરું જોતાં તું મારી જેમ પરમ આનંદ માન. યુવાને ભલે આક્રંદ કર્યું પરંતુ મને તો બેન ! પારાવાર આનંદ થયો કે હાશ ! મારી સહિયરને એનો પૂર્વપ્રિય પતિનો પત્તો મળી ગયો ! તો પછી એટલા માટે તારે પણ ખુશી થઈ જવા જેવું છે. બાકી તો સખી ! તારે એના પર જે પ્રેમ છે એના કરતાં એનો તારા પર પ્રેમ કેટલો બધો હશે એ એની હવે પછીની હકીકત પછી તું સમજી શકશે. એ જ્યારે મિત્રો આગળ તારા ગુણોની પ્રશંસા કરતો હતો ત્યારે એના કર્મ ! તારી ગતિ ન્યારી 135
Page #141
--------------------------------------------------------------------------
________________ મોં પર હાય ! આવી ગુણિયલ પ્રિયા મેં ખોઈ ?' “વિષાદ એના મુખ પર તરવરી ઊઠતો હતો !" વળી સખી ! જોતો ખરી કે, આટલા તારા વખાણ અને આટલો વિષાદ કરીને એ બેસી ન રહ્યો, પરંતુ એણે મિત્રોની આગળ પોતાનો ભીખ સંકલ્પ જાહેર કર્યો. જુઓ ભાઈઓ ! એ મારી પૂર્વ જન્મની ચકોરી સિવાય બીજું કોઈ આ ચિત્ર ચિતરી શકે નહીં, જરૂર એ અહીં મનુષ્ય અવતાર પામી હશે. તેથી હવે મારો આ દઢ સંકલ્પ છે, કે જો મારે એની સાથે સંબંધ થશે તો જ હું સંસારસુખની અભિલાષા રાખું છું, નહિતર જીવનભર માટે નહિ, એટલે હવે તો આપણે તપાસ કરવી રહી કે આ ચિત્રપટ્ટ ચીતરનારી કોણ ? એ જાણવા મળે તો નક્કી વાત છે કે એ જ મારી પૂર્વની પ્રિયા ચકોરી, એના વિના બીજાનું આબેહૂબ અને પૂર્ણ વિગતો સાથે આ ચિતાર ચિતરવાનું બીજાનું ગજું નહિ. પરમાત્માની ખોજ છે ? : એક દેહના સંબંધનો પ્રેમ કેટલો તલસાટ જગાવે છે ! ત્યારે એ પરમાત્મા સાથે આપણો આત્માનો પ્રેમબંધ બાંધ્યો હોય તો પરમાત્માને ખોજવાનો, પરમાત્માનું સ્વરૂપ સમજવાનો આપણને કેટલો તલસાટ હોય ? પેલી સારસિકા તરંગવતીને આગળ કહે છે કે, યુવાનને જિજ્ઞાસા જાણીને હું ત્યાંથી ખસી અને ચિત્રપટ્ટ પાસે આવી ઊભી રહી. કારણ કે મને લાગ્યું કે, આ યુવાન ! ને પેલો મિત્ર ચિત્રપટ્ટ પાસે આવશે અને મને પૂછશે કે આ ચિત્ર કોણે કર્યું, તો મને ખુલાસો કરવો ફાવશે. અને બરાબર એજ પ્રમાણે બન્યું. મિત્ર આવ્યો અને મને પૂછે છે કે આખી નગરીને લોકોને વિસ્મય પમાડી દે એવું આ ચિત્ર કોણે તૈયાર કર્યું? ત્યારે મેં એને કહ્યું અહીં નગરશેઠ ઋષભસેન છે ને? એમના તરંગવતી નામની કન્યાએ આ જાતે તૈયાર કર્યું છે. આમાં એણે જે જે ચીતર્યું છે, એ કશું ખોટું નથી, કાલ્પનિક નથી, પણ એણે હકીકત પ્રમાણે ચીતર્યું છે. એ રહસ્ય સમજીને પોતાના એ મિત્ર પાસે ગયો, મને પણ એ જાણવાની તાલાવેલી થઈ કે એ લોકો હવે શી વાતચીત કરે છે, એટલે હું પણ એ મિત્રની પાછળ પાછળ ત્યાં ગઈ.' તરંગવતી પૂછે છે, તને શરમ ન લાગી કે કદાચ એ લોકો તને કહે કેમ અહીં આવી ? 136 - તરંગવતી
Page #142
--------------------------------------------------------------------------
________________ સારસિકા કહે “બેન ! તને ખબર નથી લાગતી કે માણસ જયારે કોઈ અતિ ઈષ્ટ કાર્યમાં ગુંથાયેલા હોય ત્યારે એમને બીજી કશી તથાજ હોતી નથી કે કોણ આવ્યું ને કોણ ગયું ? હૃદયને બહુ ગમતા કાર્યનો મન પર કબજો હોય છે. મનને એમાં એવું ઓતપ્રોત કરી દે છે કે મન બીજે જાય નહિ.” સારસિકાનું આ કથન ધ્યાનમાં રાખવા જેવું છે. જેથી ધર્મક્રિયામાં મન ચંચળ રાખીએ છીએ તે ચંચળતા મિટાવાય. મન ધર્મક્રિયામાં કેમ ચંચળ ? કહો, ધર્મ ક્રિયા જીવને એટલી બધી ઇષ્ટ નથી લાગી હોતી, તેથી એ મનનો કબજો નથી કરતી. ધર્મને બહુ ઇષ્ટ કરીએ, તો એ મનને પકડી રાખે, સારસિકા કહે છે, મિત્રે ત્યાં જઈને કહ્યું કે, તું દોસ્ત ! હવે ગભરાતો નહીં,- સમજી લે કે નગરશેઠ ઋષભસેનની બાળા તરંગવતી તારા ઉપર તુષ્ટમાન થઈ છે ! એણે આ ચિત્ર જાતે તૈયાર કર્યું છે. પેલી ચિત્રવાળી બાઈને પૂછતાં એણે મને આ ખુલાસો આપ્યો, અને તેથી એ કન્યાને હવે પ્રાપ્ત કરવાની આશા છે. તારા પિતાજી પણ મોટા શેઠિયા છે, એ માગણી કરે એટલી વાર, તારા મોટા ઘરના હિસાબે અને તારી લાયકાતના હિસાબે નગરશેઠ જરૂર કન્યાને આપે.' ત્યાં આ યુવાન કહે “અરે ભાઈ ! તને શું ખબર નથી કે આ નગરશેઠ બહુ અભિમાની છે? એની પાસે કેઈક શેઠિયા પોતાના દીકરા માટે તરંગવતીની માગણી કરવા ગયેલા, પરંતુ નગરશેઠે બધાયને કન્યા આપવા ના પાડેલી. એની નજરમાં બધાય ઉમેદવાર નપાસ ! એ એનું કેટલું બધું અભિમાન ગણાય?' ત્યારે મિત્ર કહે છે, તેથી આપણને પણ નપાસ કરશે એવું કેમ માની લેવું? જો, કન્યાને જયાં સુધી કોઈને દીધી નથી, ત્યાં સુધી એ તો સમાજની સાધારણ વસ્તુ છે, અને સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ એને માગી શકે છે. આપણે તારા પિતાજી દ્વારા માગણી મુકાવશું; અને કદાચ નગરશેઠ જો ના પાડશે, તો અમે ચોર બનીને એ કન્યાનું અપહરણ કરીને તારી પાસે લાવી દેશું. બોલ, હવે કોઈ ગભરામણ ?' કર્મ ! તારી ગતિ ન્યારી 137
Page #143
--------------------------------------------------------------------------
________________ ત્યાં આ સાંભળતાં, યુવાન ખુલાસો કરતાં કહે છે, જુઓ ભાઈ ! આપણે તરંગવતી જોઈએ છે એ વાત સાચી, પરંતુ આપણી ઉચ્ચકુળની પરંપરા, ઉચ્ચશીલની પરંપરા અને ઉચ્ચગુણ પરંપરાને તોડીને એને આવી છૂપી રીતે ઉપાડી લઈ આવવાની રીત ખોટી. ક્યારે ય પણ આપણી ઉત્તમ ખાનદાનીને બટ્ટો લાગે એવું કરવાનો વિચાર કરતા નહિ.” મિત્ર કહે પણ એના પિતા સીધે સીધા હા ન કહે, કન્યા આપવા મંજૂરી ન થાય, તો પછી શું કરવું ?' યુવાન કહે એના બાપને આપણા ઘરનું સર્વસ્વ અર્થાત બહુ મોટી કિંમતના જર-ઝવેરાત વગેરે માલ આપીને પણ કન્યાની માંગણી કરી શકાશે. હંમેશાં ન્યાયના માર્ગે ચાલવામાં નિર્મળ યશ મળે, ને પુણ્યની વૃદ્ધિ થાય. એ થવાથી ઇષ્ટ ફળની સિદ્ધિ થાય. સારસિકા તરંગવતીને કહે છે,- બસ, સખી ! હવે તારા પ્રિયની તારે મેળવવા ઝંખના નહિ કરવી પડે. તારો પ્રિય જ સામેથી માગતો આવશે.' અહીં યુવાનનું સાંભળીને મિત્રો ડઘાઈ ગયા. એમ વિચારીને કે વાહ ! આ આપણા મિત્રને આ પૂર્વભવની પૂર્વ કન્યા લેવાનો ઉછરંગ ઘણો છે છતાં એનું દિલ કેટલું બધું ઉમદા છે કે અન્યાયના માર્ગે જવા એ ચાહતો નથી ! આવા ઉમદા જ આત્માઓ જગતને અજવાળી રહ્યા છે, ને જગતમાં પ્રશંસા-પાત્ર બને છે. ત્યાં મિત્રોએ યુવાન પમદેવના ઉમદા દિલની પ્રશંસા કરી. હવે મિત્રો ત્યાંથી જવાની તૈયારીમાં દેખાયા, એટલે (સારસિકા તરંગવતીને કહે છે કે,) એ જ વખતે મેં એક મિત્રને પૂછ્યું કે આ ભાગ્યશાળી યુવાનનું નામ શું? એ કોના સુપુત્ર છે ? અને ક્યાં રહે છે ? એણે મને કહ્યું “બેન ! જેમના વિના આ પૃથ્વી રત્નરહિત કહેવાય એવા પૃથ્વીના એકમાત્ર રત્ન ધનદેવ નામના સાર્થવાહના આ પુત્ર છે; ને જેમનું દર્શન સૌ કોઈને પ્રિય છે એવા આ રૂપે કામદેવ જેવા આમનું નામ પાદેવ છે; ને એ અમુક જગાએ રહે છે. સારસિકા જ્યારે તરંગવતીને કહે છે ત્યારે તરંગવતી બોલી ઊઠે છે, ‘સખી ! તું પણ બહુ ભાગ્યવાન કે મારો પ્રિય તને પહેલો જોવા મળ્યો ! હવે મને જલદી એનાં દર્શન કરાવ. બાકી કામ તું અવ્વલ કરી આવી ! તને શું 1 38 - તરંગવતી
Page #144
--------------------------------------------------------------------------
________________ ઈનામ આપું ? તરંગવતીને આનંદનો પાર નથી, પૂર્વનો શોક બધો નીકળી ગયો, ઇષ્ટ મળવાની આશામાં પણ માણસને કેટલો બધો આનંદ થાય છે ? ત્યારે ઇષ્ટ ખરેખર મળે ત્યારે આનંદનું પૂછવું જ શું ? અહીં તરંગવતી પ્રિય મળવાની આશાના આનંદમાં, રાત્રિ પૂરી થઈ ગઈ છે એટલે પ્રતિક્રમણ કરી નહાઈ ધોઈ પૂજાના ઉત્તમ દ્રવ્યો લઈ ઘરદેરાસરમાં અરિહંત પ્રભુની પૂજા ભક્તિ કરે છે. પ્રભુનો જીવનમાં સર્વત્ર ઉપકાર માની, પ્રભુ પૂજામાં લયલીન બને છે. પછી પારણું કરે છે. કર્મની વિચિત્રતા જુઓ કે હમણાં તો કર્મે સારી અનુકળતા કરી આપી હોય એટલે એના આનંદ મંગળ અને ધવલગીત ગવાતા હોય, પણ પછી કર્મ કોઈ એવું પ્રતિકૂળ ઊભું કરી મૂકે કે, બધો આનંદ મંગળ સુકાઈ જાય ! અહીં તરંગવતીને એવું બને છે. ત્યારે વિવેકી જીવને એમ થાય, કે આ સંસારમાં આવી કર્મની વિચિત્રતા તો ઠામઠામ પ્રસરેલી છે. કહે છે ને કે “ઘેર ઘેર માટીના ચૂલા, કર્મની મોકાણ !' તો પછી આવા સંસારમાં કરીને બેસવાનું ? કે હવે પછી આવી કર્મ વિચિત્રતાઓ વિટંબણાઓ ન વેઠવી પડે એના ઉપાય કરવાના ? ઉપાય જાણો છો ? કર્મની વિચિત્રતા અને વિષમતા ટાળવા માટે એકમાત્ર ઉપાય પાપાચરણ બંધ કરી ધર્મસેવન કરવું એ જ છે. એટલે કોઈ પૂછે કેમ કાંઈ વાતવાતમાં વ્રત ને નિયમ ? સામાયિક ને સ્વાધ્યાય, સાધુની ભક્તિ અને અરિહંતદેવની ઉપાસના ? આ બધું કેમ કરો છે? તો કહીએ આત્માના ખજાને પાર વિનાના વિચિત્ર કર્મો છે, એને તોડવા માટે ધર્મ સિવાય બીજો ઉપાય નથી, માટે ધર્મ કરું છું. અદશ્ય કર્મક્ષય પર શ્રદ્ધા કેમ થાય ? : પ્ર.- ધર્મ તો કરીએ છીએ, પણ કર્મ તૂટતા હોય એવું દેખાતું નથી ને? પછી શી રીતે કર્મ તોડવાનો ઉદ્દેશ મનમાં આવે ? ઉ. એમ તો તમે ખોરાક ખાઓ છો, એવું અંદર કેવુંક લોહી માંસ વગેરે બને છે, એ ક્યાં દેખાય છે ? એમાં ય દૂધ વગેરે પૌષ્ટિક આહારથી સારું લોહી માંસ વગેરે બને છે, એ પણ ક્યાં દેખાય છે ? છતાં એ બનવાની કર્મ ! તારી ગતિ ન્યારી 139
Page #145
--------------------------------------------------------------------------
________________ શ્રદ્ધાથી ખોરાક પૌષ્ટિક વસ્તુ વાપરો છો ને? આ ન દેખાવા છતાં કેમ એની શ્રદ્ધા રહે છે ? કહો, ડોક્ટર વૈદ, આયુર્વેદ શાસ્ત્ર વગેરે કહે છે માટે શ્રદ્ધા રહે છે કે, તે તે આહાર ખાવાથી લોહી માંસ વગેરે બને છે. તો પછી અહીં (1) અનંતજ્ઞાનીઓ કહે છે કે તે તે ત્યાગ-તપ જિનભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય, વ્રત, નિયમ, ચારિત્ર વગેરે ધર્મ સાધવાથી ભરપૂર કર્મોનો ક્ષય અને પુણ્યની કમાઈ થાય છે, પછી એના પર શ્રદ્ધા થવી શી કઠિન છે ? કર્મ- કર્મક્ષય પર શ્રદ્ધા કેમ થાય ? : ન જતાં અહીં મનુષ્ય જન્મ પામ્યો ? શું હિંસા, જૂઠ, ચોરી, લબાડી વગેરે પાપો કરેલા તેથી આ ઉચ્ચ અવતાર મળ્યો કે એ પાપો બંધ કરી ધર્મ કરેલો માટે ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો ? પૂછો, પ્ર.- એ શી રીતે ખબર પડે ? ઉ.- ખબર એ રીતે પડે, કે દુનિયામાં દેખાય છે કે, અનંતાનંત જીવો છે એમાં મનુષ્ય તો બહુ જ અલ્પ સંખ્યામાં છે, કહો મોટા સમુદ્રની સામે એક નાના ખાબોચિયાના ટીંપા જેટલા ય નહિ. ત્યારે હવે એ જુઓ કે દુનિયામાં ધર્મ કરનારા જીવો કેટલા? કહો, એ તો બહુ અલ્પ; બાકી તો લગભગ ઘણા નરદમ પાપો આચરનારા ! આ પરથી ગણિત માંડો તો સ્પષ્ટ દેખાય છે કે, મનુષ્યો થોડા, અને ધર્મ કરનારા પણ થોડા તેથી ધર્મ કરનારા જીવો મનુષ્ય અવતાર પામ્યાં. બાકી પાપ કરનારા જીવો અપરંપાર, તેથી મનુષ્ય સિવાયની હલકી ગતિના જીવો ય અપરંપાર ! એ સૂચવે છે કે, પાપો કરવાથી ખરાબ કર્મ બંધાય. ધર્મ કરવાથી પાપકર્મો તૂટે અને પુણ્ય કર્મ બંધાય. હવે જો નજર સામે આ રહે કે ધર્મ કરું છું તો મારા ઢગલો પાપકર્મ તૂટે છે, તો ધર્મ-સાધનામાં વેગ કેટલો બધો રહે ? આત્માના કોથળામાં કઈ જાતના વિચિત્ર કર્મ કેટલા બધા પડ્યા છે ? એમાંથી ધર્મ દ્વારા પાપકર્મોનો જેટલો ક્ષય કરતા રહીએ, એટલી ભવિષ્ય માટે નિર્ભયતા. ધર્મથી કર્મક્ષય કરવાની અમૂલ્ય તક માનવભવે. કર્મોની વિચિત્રતા તોડવા માટે એક માત્ર ધર્મ એ જ શ્રેષ્ઠ ઉપાય છે, અને આ ધર્મ કરી કરીને આ વિચિત્ર પાપકર્મોનો ક્ષય કરતા જવાનું છે. બાકી સમજી રાખો કે,- એ પાપક્ષય ન કરતાં ઊભા રહી ગયેલા વિચિત્ર કર્મોથી આત્માની વિટંબણા ભારી ! હમણાં શુભકર્મ કાંક સારું અનુકૂળ દેખાડ્યું, 140 - તરંગવતી
Page #146
--------------------------------------------------------------------------
________________ પરંતુ પછી જોતજોતામાં અશુભકર્મ ઉદયમાં આવતાં કાંક એવું પ્રતિકૂળ દેખાડે છે કે આનંદ મંગળમાં મહાલતો જીવ, તેલમાં માંખ ગરી ગયા જેવો બની, શોક ઉદ્વેગ પામે છે. આ એક જ જીવનમાં નહિ, પણ જન્મ જન્મ શુભને Null and Void યાને રદ બાતલ કરનારા અશુભકર્મના દારુણવિપાક જીવ પર વિટંબણાઓની દીર્ધ પરંપરા વરસાવતા આવ્યા છે. જીવને કર્મની એ વિટંબણાઓ ગમતી નથી, તો માનવ અવતારે એ વિટંબણાઓને લઈ આવનારા પાપોનો ક્ષય કરવો અને પાપક્ષયકારી ધર્મ કરવો. સારાંશ, ધર્મ જ એકમાત્ર કર્તવ્ય છે. આ સમજીને જ પૂર્વે મોટમોટા રાજા મહારાજા અને શેઠ શાહુકારો તથા સુકોમળ કાયાની રાજાની રાણીઓ, શેઠાણીઓ અને શ્રીમંત ઘરની કુમારિકાઓ પણ સંસાર ત્યાગ કરી કઠોર ચારિત્ર પંથે નીકળી પડતી. દા.ત. જુઓ, ઋષભદેવ ભગવાનની પાટ પરંપરાએ અસંખ્ય રાજાઓએ શું કરેલું ? આજ, સત્તા અને સમૃદ્ધિ ભરી રાજગાદી પરથી ઊભા થઈ જઈ સંયમ લઈ લીધું. ત્યાગ-તપસ્યાથી કર્મોના ભુક્કા બોલાવ્યા ! સનતકુમાર ચક્રવર્તી, રાજા દશાર્ણભદ્ર, ઉદાયન રાજા, એમ મેઘકુમાર, જંબૂકુમાર ગજસુકુમાલ - શાલિભદ્રધનાજી, ધન્નો, વગેરેએ અઢળક સંપત્તિઓ છોડી સંયમ પંથે સિધાવ્યું ! કુષ્ણવાસુદેવની રકમણિ વગેરે રાણીઓ અને ચંદનબાળા, રાજીમતી, બ્રાહ્મી, સુંદરી વગેરે રાજકુમારીઓએ શું કર્યું ? કુટિલ કર્મોનો કચ્ચરઘાણ કાઢનાર કઠોર-સંયમ માર્ગને અપનાવી ઉચ્ચકોટીના ત્યાગ-તપ-જ્ઞાન-ધ્યાન, ઉપશમભાવ વગેરેમાં ખેંચી ગયા. બધાનો એક હિસાબ “વિચિત્ર કર્મોના વિધ્વંસનો ભેખ લો’ નહિતર હમણાં અનુકૂળ કર્મ, અનુકૂળ સુખ ઊભું કરી દેખાડશે, પરંતુ પછી જોતજોતામાં પ્રતિકૂળ કર્મ રુદન કરાવે એવાં દુઃખ ખડા કરી દેશે ! તરંગવતીને આવું જ થાય છે, હમણાં તો સખી સારસિકા પાસેથી કૌમુદીની રાત્રિનો અહેવાલ સાંભળીને, તથા એનો ચિત્રપટ્ટ જોનાર પૂર્વ પ્રિયને મૂર્છા જાતિસ્મરણજ્ઞાન થવાનું, ને પછી રસ્તા વચ્ચે શરમ મૂકીને ઓ મારી ચકોરી ! ના હૃદયફાટ રુદન કરવાનું, પાછો એનો ચકોરીના જીવને (અર્થાત્ ચિત્રપટ્ટ ચિતરનાર તરંગવતીને) જ પરણવાનો નિર્ધાર કરવાનું...વગેરે જાણીને તરંગવતીને અપાર આનંદ થઈ આવેલા, પરંતુ પછીથી દાસી દોડતી આવીને જે વેદનાભર્યો અહેવાલ આપ્યો એથી તરંગવતીને ખેદનો પાર ન રહ્યો ! આ જોતાં મન મુંઝવણમાં મૂકાય કે, કર્મ ! તારી ગતિ ન્યારી 141
Page #147
--------------------------------------------------------------------------
________________ ત્યારે શું જીવે કર્મોના નચાવ્યા નાચ્યા જ કરવાનું? પોતાની સ્વસ્થતાનો પોતે માલિક જ નહિ? કર્મોની આ નચામણનું શું જીવને કશું દુઃખ જ નહિ? કશી નાલેશીની શરમ જ નહિ ? કર્મ નચામણની શરમ આવે, અસહ્ય દુ:ખ થાય, તો તો હવે એનો ફેંસલો કરવાના ભારેખમ ઉપાય વિચારાય અને એમાં લાગી જવાય. પણ વો દિન કહાં ? 10. કર્મની નાલેશી પર ચોંકામણ. કાકા રાજા અજિતસેન પરદેશથી સમૃદ્ધ થઈને આવેલ ભત્રીજા શ્રીપાળ કુમાર સામે યુદ્ધ લડવા નીકળી પડ્યા, પરંતુ એમાં હાર્યા ત્યાં કર્મ નચામણની ભારે નાલેશી જોઈ મનને થયું હાય ! યુદ્ધ પહેલાં હું એને કહેનારો કે, “જો, જા, રાજ્ય પાછું માગનારા નાદાન ! હજી તું બાળક છે. તારું શું છે અહીં ? પાછો ચાલ્યો જા, નહિતર વગર મોતે મરીશ. મારી સાથે યુદ્ધનું તારું શું ગજું ?- આમ કહેનારો હું અત્યારે હારીને ઊભો ? હવે દુનિયાને શું મોટું દેખાડું પરંતુ આ મારા જ ઊભા કરેલ કર્મ તરફથી નાલેશી છે, તેથી ચારિત્રથી કર્મોને તોડી નાખ્યું બસ, કર્મ તરફથી આ પોતાની નાલેશી થઈ દેખી, કર્મ જાળ તોડી નાખવા માટે ત્યાં યુદ્ધભૂમિ પર જ ચારિત્ર સ્વીકારી લીધું ! સગર ચક્રવર્તીના 60 હજાર પુત્રો દેવના પ્રકોપમાં એકી સાથે બળી મરી ગયા, એવી ભારે કર્મનાલેશી જોઈ સગર ચક્રવર્તી કર્મોનો વિધ્વંસ કરવા ચારિત્ર માર્ગે ચડી ગયા ! મદનરેખા-મહાસતીના રૂપમાં લોભાઈ એના જેઠે (મણિરથે) એના પતિ યુગબાહુનું અર્થાતુ પોતાના ભાઈનું મોત નીપજાવવા વિનયથી નમેલા એ યુગબાહુની પીઠ પર તલવારનો ઘા ઝીંકી દીધો. હવે યુગબાહુની લાલ આંખ પરથી મહાસતીએ એનો ગુસ્સો જાણી એને કહે છે, મદનરેખાનો ઉપદેશ : “જુઓ, ભાઈ પર ગુસ્સો ન કરશો. ભાઈ તો નિમિત્ત માત્ર છે. અસલમાં આ જુલમ કરનાર તમારા પૂર્વનાં કર્મ છે. પૂર્વે તમે કોઈને માર્યા હશે, એનાં ઊભા થયેલા કર્મ તરફથી આ તમારી નાલેશી છે. પણ હવે ધ્યાન રાખજો, આ પ્રસંગે ભાઈ પર ગુસ્સો અને એની હિંસાની ભાવના કરી નવાં કર્મ ન ઊભા કરશો; ને એ માટે નવકારસ્મરણ અને ચારશરણને સ્વીકાર કર્યા કરો. 1 42 - તરંગવતી
Page #148
--------------------------------------------------------------------------
________________ કર્મસત્તાની આ વિટંબણા છે. જીવ એમાં ફસી અજ્ઞાનતાથી કષાય કરે છે. તેથી કર્મ જીવને જકડે છે, ને પછી જીવને ધાર્યા નચાવે છે. નાચ્યા, નાચ્યા ઘણું નાચ્યા, હવે નિર્ધાર કરો કે કર્મના નચાવ્યા નાચવું નથી. માટે કર્મને ઊભા કરનાર કષાયોને વોસિરાવો, ભાઈને ક્ષમા આપી દો, ભાઈની ક્ષમા માગી લો.” મહાસતીએ પતિને આ નિર્ધામણા કરાવી. પતિને કર્મસત્તાથી સાવધાની બતાવીને ભાઈ પરના તીવ્ર ગુસ્સાથી પાછો વાળ્યો. નરક તરફ મીટ માંડી ચૂકેલા પતિને પાંચમાં દેવલોકે ચડાવી દીધો ! ત્યારે મહાસતીને પોતાનું શું મહાસતી પર વિટંબણાઓ કેટલી ? : જીવનમાં કર્મની અનેક વિટંબણાઓ જોઈ, પહેલી તો અકાળે આ પતિ-મૃત્યુની વિટંબણા ! પછી પોતે ગર્ભિણી અવસ્થામાં શીલ રક્ષાર્થે જંગલમાં એકલી અટૂલી ભાગવું પડ્યું એ વિટંબણા ! પછી પુત્રને વનમાં જન્મ ! સરોવરમાં શુદ્ધિ કરતી એને હાથીએ ઊંચે ઉછાળી એ વિટંબણા; એમાં વિદ્યાધરે વચમાંથી ઝીલી. પણ કહે, તું મારી રાણી થવાનું કબૂલ કર; તો જ તારા તરત જન્મેલા પુત્રને લાવી આપું, એ વિટંબણા. એમાંથી નંદીશ્વરદ્વીપમાં પહોંચી ત્યાં પૂર્વ પતિ દેવ થઈને આવ્યો; ને વંદન કરી ઓળખ આપી કહે છે. મારા પર તારા ઉપકારની અવધિ નથી. અંતકાળે તે નિર્ધામણા ન કરાવી હોત તો હું નરકમાં ચાલ્યો ગયો હોત ! તે મને દેવલોક દેખાડ્યો ! એક સદ્ગતિ ઉપર કેટકેટલી સારી વસ્તુ બક્ષીસ કરી ! હું આનો બદલો શો વાળી શકું ? બોલ તારું શું પ્રિય કરું ? કહો, ઉપકૃત પતિ દેવ થયેલો પોતે જ માગવાની ઓફર કરે છે ! કેવી લાલચ સામે છે ? છતાં મહાસતીએ શું માગ્યું ? કર્મની ઘણી વિટંબણાઓ થયેલી ભૂલી નથી, તેથી કર્મનો જ નિકાલ કરનારું ચારિત્ર લેવા માટે ઉત્તમ ગુરુણી માગી લીધી ! કર્મ તરફથી નાલેશી ક્યાં સુધી ચલાવવી ? આવા દેવતાઈ વરદાન મળવા પ્રસંગે કઠોર ચારિત્ર માગવાનું? હા, કર્મોના નચાવ્યા ન નાચવું હોય, તો ધર્મનો સહારો લેવાય. કર્મની વિટંબણાઓ મિટાવવાની તાકાત અને કર્મની વિચિત્રતાના ભોગ બનવામાંથી છોડાવવાની તાકાત કોઈનામાં હોય, તો એકમાત્ર ધર્મમાં છે. તરંગવતી પર કર્મની વિચિત્રતા કેવી કામ કરી રહી છે કે હજી હમણાં કર્મ ! તારી ગતિ ન્યારી 1 43
Page #149
--------------------------------------------------------------------------
________________ તો દાસી પાસેથી પૂર્વ ભવનો પ્રિય અહીં મળી ગયાના સમાચાર મળવાથી એને આનંદ મંગળ વર્તાઈ ગયો હતો, એટલામાં થોડીવાર પછી સારસિકા ઊના શ્વાસ લેતી આવીને રડમસ ચહેરે કહે છે, તરંગવતી માટે પિતાની માગણી : સ્વામિની ! જુલમ થયો, સાર્થવાહ ધનદેવ પોતાના પુત્ર પદ્ધદેવ માટે પોતાના સગા-સ્નેહી, વહાલા-વાલેસરી સાથે તારી માગણી કરવા આવેલા, અને એમણે ઔપચારિક વાતચીત પછી તારા બાપુજીને કહ્યું. એક વિનંતી છે શેઠજી ! મારા પુત્ર પદ્મદેવને વેરે તમારી કન્યા તરંગવતી આપો. જેમ તમારી કન્યા-કળા-વિજ્ઞાન વગેરેમાં હોશિયાર છે, એમ મારો પમદેવ પણ સારો હોશિયાર છે. વળી એ તમારી કન્યાની જેમ રૂપાળો પણ છે, અને ધર્મિષ્ઠ પણ છે. એટલે જુગતે જોડું થાય એમ છે. તો આટલી અમારી વિનંતી માન્ય કરો !" ઋષભસેન શેઠ કાંઈ ન બોલ્યા, એટલે ધનદેવ શેઠ કહે છે, જુઓ શેઠજી, અમારાથી બોલાય નહિ, પણ તમારી કન્યા એટલી બધી લાયક છે, એને મારા સુયોગ્ય પુત્ર માટે ગમે તેટલી મોટી રકમ કે ઝવેરાત આપવું પડે તો તે પણ આપવાની મારી તૈયારી છે. અહીં જોવા જેવું છે કે શું પોતાના પુત્ર માટે કન્યા પૈસાથી ખરીદી લેવી છે ? ના, એને એમ લાગે છે કે પુત્રના પનારે કાંઈ ગમે તેવી કન્યા ન પડે, પણ એની સહચારિણી પત્ની તરીકે જ ગુણગણના ભંડાર ભૂત શ્રેષ્ઠ કન્યા બનતી હોય તો એની આગળ પૈસાની કશી કિંમત નથી. એથી વિશેષ તો એ છે, કે પદ્મદેવે કૌમુદી મહોત્સવમાં ચિત્રપટ્ટ જોયા પછી જે જાતિસ્મરણ જ્ઞાનથી પોતાની પૂર્વ ભવની પ્રિયા મેળવવાની ઝંખના ઊભી કરી છે, એ વાત એણે ઘરે આવ્યા પછી તરત જ મિત્રો દ્વારા પોતાના માતાપિતાને પહોંચાડેલી, અને સાથે કહેવરાવેલું કે જો લગ્ન કરવાનું થશે તો નગરશેઠ ઋષભસેનની કન્યા તરંગવતીની સાથે જ લગ્ન કરીશ, નહિતર આ જીવનમાં બીજી કોઈ કન્યા મારે ખપશે નહિ. મિત્રોએ એ હકીકત એના માતાપિતાને કહ્યા પછી કહેલું કે આ નક્કી ન થાય ત્યાં સુધી પાદેવ ખૂબ જ દુઃખી છે માટે જલદી આ માટેની તજવીજ કરો.” ધનદેવશેઠને પુત્ર પદ્મદેવ ખૂબ લાડકો હતો, એટલે એની મનસા પૂરી કરવા હંમેશાં તૈયાર હતા. એમાં વળી નગરશેઠની સુયોગ્ય કન્યાની જ વાત છે, એટલે તો એમાં કશો મનને સંકોચ નહોતો. એવા અતિશય પ્રિય અને સુયોગ્ય પુત્રની યોગ્ય મનસા પૂરી કરવા જરૂર પડે તો પોતાનું સર્વસ્વ ત્યજી 144 - તરંગવતી
Page #150
--------------------------------------------------------------------------
________________ દેવા તૈયારી હતી. પ્રેમપાત્ર ખાતર ૮માં એડવર્ટે રાજ્ય છોડ્યું ? : માણસ પ્રેમપાત્ર માટે શો ભોગ દેવા તૈયાર નથી હોતો ? વિલાયતના રાજા આઠમાં એડવર્ડને લેડી સિમ્પસેન સાથે લગ્ન કરવા હતા, પણ પાર્લામેન્ટ કહ્યું, “લેડી સિમ્પસન આમ કુટુંબની છે. બ્રિટિશ સલ્તનતના રાજા અમીર કુટુંબના હોઈ અમીર કુટુંબની જ કન્યાને પરણી શકે. તેથી આ કન્યા નહિ પરણી શકાય અને આ જ પરણવાનો જો આગ્રહ હોય તો બ્રિટિશ રાજયની ગાદીના હકદાર તમારે રાજ્યગાદી છોડવી પડશે ! આઠમા એડવર્ડને લાગતું હતું કે મેં લેડી સિમ્પસેનને પરણવાનો વિશ્વાસ આપ્યો છે, તે વિશ્વાસનો ભંગ કેમ કરાય ? પછી ભલે બ્રિટિશ સલ્તનતની રાજ્યગાદી જતી કરવી પડે તો કરવાની.” એણે રાજગાદીનો ત્યાગ કર્યો શું એને અમીર કુટુંબની કન્યા મળે એમ નહોતી ? આવા મોટા સમ્રાટ રાજાને કન્યા દેવા કોણ તૈયાર ન હોય ? યા કઈ કન્યા પરણવા તૈયાર ન થાય ? અવ્વલ રૂપ, હોશિયારી અને સમૃદ્ધિવાળી કન્યા તૈયાર થઈ જાય, પરંતુ સામાને આપેલ વિશ્વાસનો ભંગ નહિ કરવો એ નિર્ધારમાં પોતાની અત્યંત પ્રીતિપાત્ર સિમ્પસન ખાતર એણે રાજયગાદીનો ત્યાગ કરી દીધો. ધરણશાહે પ્રભુપ્રેમ ખાતર 99 ક્રોડના ખર્ચે : ધરણશાહ પોરવાલને નલિની ગુલ્મવિમાનનું સ્વપ્ન આવ્યું. પોતાને અરિહંત પરમાત્મા પર અતિશય પ્રેમ હતો. તેથી મનને મનોરથ થયો કે મારા ભગવાનનું આ વિમાન જેવું દેરાસર બને તો કેવું સારું એમાં એવા જ સ્વપ્નવાળો કારીગર મળી આવ્યો. એણે પ્લાન બનાવ્યો ને ધરણશાહને લાગ્યું કે, ફિટ-બરાબર આ વિમાન જેવું જ દેરાસર થઈ શકશે. કારીગરને કહે, આપણે આવું દેરાસર બનાવવું છે. કારીગર ચોંક્યો ! શેઠને કહે, આ શું વાત કરો ? આ ઉંચા ત્રણ મજલાનું દેરાસર જેમાં કેટલાય મંડપો જોખઝરુખા, તોરણો, ઘુમટ્ટો, ચોર્યાશી તો ભોયરા, 1444 જંગી થાંભલા, આ બધું બનાવવાનું, આનો ખરચો શું સમજો છો ? આવું મહાજંગી દેરાસર તમારે એકલાએ બનાવવું છે ?' ધરણશાહ કારીગરને કહે, તારા પેટમાં શું દુ:ખે ? કારીગરી તારી, ને પૈસા મારા. ભલે અબજ રૂપિયા લાગે, તો ય મારા પ્રભુની ખાતર એ ખરચવા તૈયાર છું.” કર્મ ! તારી ગતિ ન્યારી 1 45
Page #151
--------------------------------------------------------------------------
________________ દેરાસર બનાવરાવ્યું. જે આજે રાજસ્થાનમાં રાણકપુરજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એમાં એ સસ્તીવારીના કાળના રૂપિયા 90 ક્રોડ લગાડી દીધા ! પ્રેમપાત્ર ખાતર ગમે તેટલો ભોગ આપવો પડે તો આપવાનો, આ હૃદય હતું. ખૂબી કેવી છે કે, આઠમાં એડવર્ડ લેડી સિમ્પસન ખાતર મોટા સલ્તનતની ગાદી છોડી, પણ એ ત્યાગ મોહના પલ્લે પડ્યો ! મોહના પોષણ અને કર્મબંધ માટે થયો ! ત્યારે ધરણશાહ પોરવાલને 99 ક્રોડ રૂપિયાનો વ્યય જિનભક્તિના પલ્લે પડ્યો ! જિનભક્તિરાગ અને લખલૂટ પુણ્યાનુબંધી પુણ્ય માટે થયો ! પત્ની ખાતર સંપત્તિ ત્યાગ; પ્રભુ ખાતર સંપત્તિ ત્યાગ : બેમાં ફરક : પ્રેમપાત્ર ખાતર ગજબનો ભોગ ! ચીજ એક, પરંતુ એક ભવના ફેરા વધારે, બીજી ભવના ફેરા ટૂંકાવી નાંખે. એકથી ભવિષ્યની સલામતી નહિ કિન્તુ બિન-સલામતી; ત્યારે બીજી ચીજથી ભાવી અનંતકાળ સલામતી ભર્યો બને ! ૮મા એડવર્ડનો પત્ની ખાતર સંપત્તિ ત્યાગ, એ વચ્ચે આટલો મોટો ફરક છે. એક મારક છે, બીજો તારક છે, પરંતુ એટલું ખરું કે, માણસ પ્રેમપાત્ર ખાતર મોટો ભોગ આપવા તૈયાર હોય છે. આ પરથી એ સૂચિત થાય છે કે, જો એવો ભોગ આપવાની તૈયારી ન હોય તો સમજવું પડે, સામી વ્યક્તિ એટલા બધા પ્રેમની પાત્ર નથી, જેટલી પ્રેમની પાત્ર સંપત્તિ છે.” વ્યવહારમાં દેખાય છે કે, પત્ની પુત્રો પર અતિ પ્રેમ છે તો એમની પાછળ પૈસાનો જે ભારે ભોગ અપાય છે, ને શરીર સુખશીલતાનો જે ભોગ અપાય છે, એટલો પ્રેમ સગાભાઈ, બહેન કે કાકા પ્રત્યે નથી, તો એમનો પાછળ એવો ભોગ નથી અપાતો. એમ આપણને દેવ-ગુરુ-ધર્મ પર અનહદ પ્રેમ હોય તો એમની પાછળ ભારે તન-વ્યય, ધન વ્યય, સમય વ્યય કરાય. મંદિર ઉપાશ્રય તારણહાર છે માટે એમના પર જો અતિ પ્રેમ છે તો એના સાધારણ ખર્ચ માટે સારો ધનભોગ અપાય એમાં નવાઈ શી ? પણ જે. ત્યાં પૈસા ખરચતાં સંકોચ થાય છે, તો એનો અર્થ એ કે એમના પર એટલો પ્રેમ નથી. પ્ર.- સાધારણ ખાતામાં પૈસા ન ખરચ્યા એમાં એના પર પ્રેમ ઓછો છે એમ શી રીતે ગણાય ? ઉ.- મંદિર-ઉપાશ્રયના સાધારણ ખર્ચમાં સારો ભોગ કોણ નથી આપવા દેતું ? કહો, પૈસાનો પ્રેમ. 146 - તરંગવતી
Page #152
--------------------------------------------------------------------------
________________ સાધારણમાં ન ખચ્યનો અર્થ એ કે દેવગુરુ મંદિર-ઉપાશ્રય જે ગમ્યા એના કરતાં પૈસા વધુ ગમ્યા. એટલે એ પૈસા ખાતર દેવ-ગુરુ વગેરેની ભક્તિ ગૌણ કરી, એ ભક્તિને ઓછા મૂલ્યની ગણી, અને પૈસાનું મૂલ્ય ઊંચું ગયું. કેમ જાણે પ્રભુને કહેતા હોઈએ કે, પ્રભુ તમે મને બહુ ગમો છો; પરંતુ તમારા કરતાં પૈસા વધારે ગમે છે; તેથી તમારી પાછળ મારા પૈસા ન તોડી નાખું; કદાચ પૈસા ખાતર તમારો ઉપયોગ કરી લઉં. ધનદેવ શેઠને દીકરા પદ્મદેવ પર અતિશય પ્રેમ હતો તેથી એના માટે તરંગવતી કન્યા મેળવવા તરંગવતીના બાપને ખુશ કરવા એ અંગે ગમે તેટલા પૈસા ખરચવા પડે, આપવા પડે, એની તૈયારી બતાવે છે. ત્યાં ઋષભસેન મોટો નગરશેઠ છે ને ? એ ગુસ્સે થઈ જાય છે, કહે છે, “આ શું બોલ્યા ? શું મેં દીકરીને વેચવા કાઢી છે ?" ધનદેવ કહે “ના, ના, શેઠ ! એમ મારે કહેવું જ નથી. મારે તો એ કહેવું છે કે, દીકરીના નામે જુદા પૈસા મૂકવા હોય તો તમે કહો એટલા મૂકવા તૈયાર છું. એમ પણ મારા પમદેવને તમારી દીકરી આપો ! ઋષભસેન દીકરી દેવા કેમ ના કહે છે ? : ઋષભસેન કહે,–જુઓ, તમે રહ્યા સાર્થવાહ, એટલે તમારો દીકરો પણ સાર્થવાહગીરી કરવાનો, એટલે દેશ દેશાવરનો વેપાર અર્થે પ્રવાસ ખેડવાનો. એમાં મારી દીકરીને તો ઘરે બેઠી રહી પતિના સહવાસ વિનાનું જ જાણે એક પ્રકારનું વિધવાપણું જ મળે. એવા ગામ ગામ ભમનારા ઉમેદવારને દીકરી આપી દીકરીને જાણી જોઈને કૂવામાં નથી ઉતારવી. માટે એમ મારે દીકરી આપવાનો વિચાર નથી.” બાપની દીકરીને સાચી સુખી કરવા માટે કેવી દીર્ધદષ્ટિ છે ! કદાચ દીકરી આપે તો શું વેવાઈને ત્યાં પૈસા ભરપૂર નથી ? હવેલી નથી ? વાહનો નથી ? શું નથી ? પણ એ કાળ જીવનમાં સુખ માલ મિલકત પર નહોતા પાતાં, કિન્તુ સગુણ, શીલ રક્ષા, મર્યાદા પાલન, સદ્ આચાર-પ્રવૃત્તિ અને શાંતિ પર મપાતાં. જમાઈ પ્રવાસી હોય તો દીકરીની શીલરક્ષા કેમ થાય ? અનંત અનંત કાળનો વાસના વાસિત જીવ મનુષ્ય ભવ તો પામ્યો પરંતુ વાસના રહિત થોડો જ બનેલો છે ? એ તો સારા સંયોગ-સામગ્રી સત્સંગ વગેરે હોય તો જ કર્મ ! તારી ગતિ ન્યારી 1 47
Page #153
--------------------------------------------------------------------------
________________ વાસનાને અંકુશમાં રાખી શકે, ને શીલવંત જીવન જીવી શકે. ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે એ, શીલ સંયમ અને સદાચારોથી જીવન મઘમઘતું હોય, તો દિવ્ય દેવી જનમ છે. નહિતર તો શીલ વિહોણો જનમ પશુ કરતાં ય બદતર એક પ્રકારનો દાનવ જનમ છે. | ઋસભસેનશેઠે દીકરી આપવાની ઘસીને ના પાડી, તેથી ધનદેવ શેઠ અત્યંત ખિન્ન અને નિરાશ થઈને નીકળી ગયા. ઘરે જશે એટલે પુત્ર પદ્મદેવને પડતાં એની સ્થિતિ કેવીક થવાની ? એનું શાસ્ત્રકાર હવે કેવું વર્ણન કરે છે, એ જોવા જેવું છે; તે એટલા જ માટે કે સંસાર કેવા સ્વરૂપનો છે અને મોહ જીવને પરવશ કરી કેવાંક ખતરનાક કામ કરાવે છે એ સમજમાં આવે. તરંગવતીને સારસિકા આ બધો અહેવાલ આપી રહી છે, એમાંથી જ્યારે એણે સાંભળ્યું કે ધનદેવ શેઠ નિરાશ થઈને ચાલી ગયા,” તરંગવતીની દશા ! : ત્યાં જ તરંગવતીના મનમાં નિશ્ચિત થઈ ગયું કે મને પતિ તરીકે મારો પૂર્વ પ્રિય આ પદ્મદેવ, અહીં જન્મેલ હોવા છતાં, અને મને ચાહતો હોવા છતાં, મને મળે નહિ !' ત્યા જ એના દિલને ધ્રાસકો પડ્યો અને એકદમ રડી પડી ! કરુણ રુદન કરે છે, ત્યાં સારસિકા કહે બેન ! રોવાનું હોય ? રોવાથી શું વળે ? તરંગવતી કહે છે, તું જાણે છે ખરી કે હું કેમ રોઉ છું? હું એટલા માટે રોઉં છું કે હવે એ મારો પ્રિય તો અત્યંત નિરાશ થઈ જઈ કયાંક આપઘાત ન કરી બેસે ? એ જો આમ કદાચ જીવનનો અંત લાવી દેશે તો તો પછી મારે તો જીવવું જ ભારી પડે ! એક, જો મેં તિર્યંચ પંખીના અવતારે પ્રિયની પાછળ એના પ્રેમની કદર રૂપે આગમાં ઝુકાવી પ્રાણ ત્યાગ કરી નાખેલો, તો પછી આ તો વિશેષ બુદ્ધિનો અવતાર, એમાં પ્રિયના પ્રેમની કદર ન કરું? પ્રિયનાં વિરહમાં જીવી જ કેમ શકું ? એમ જીવીને જીવનભર હૃદય-બળાપો કરવો એનાં કરતાં એકજ વાર મૃત્યુનું દુઃખ વેઠી લેવું શું ખોટું ?" ત્યાં સારસિકા કહે છે, “હજી તું ચિંતા ન કર અને બીજું તને ખોટું ન લાગે તો પૂછું ? “પૂછ.” 148 - તરંગવતી
Page #154
--------------------------------------------------------------------------
________________ દાસી કહે “આ તું તો પૂર્વે કહેતી હતી કે સાત વરસ રાહ જોઈશ. બાકી મારે તો જો પૂર્વ પ્રિય નહિ મળે, તો સંસાર ત્યાગ કરવાનો છે. તો હવે અહીં આવો મરવાનો કનિષ્ઠ વિચાર શું કામ કરે છે ? સંસાર ત્યાગને બદલે આપઘાત કેમ ? : તરંગવતી કહે બાઈ ! તું સમજતી નથી. એ વાત હતી એ પ્રિય મળવાની આશા જ નહોતી, તે વખતની હતી. પૂર્વ ભવનો એ ચકોર મારી માફક અહીં મનુષ્ય થયો હોય અને તે મને મળે, એની સંભાવના જ શી રીતે કરાય ? પરંતુ હવે જ્યારે એ અહીં જન્મી ગયા, એને ય જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, એ ઓળખાઈ પણ ગયા, તેમજ મળવાનાં સંયોગો પણ ઊભા થઈ ગયા, અને છતાં હવે જ્યારે એ મળવાનો અસંભવ થઈ ગયો, અને હવે એ જો પ્રાણત્યાગ કરે તો પછી મારાથી કેમ જીવતા રહેવાય. સારસિકાનું ડહાપણ H સારસિકા કહે છે, “તો મારી સહિયર ! હવે તું કાંક એવું કર કે એ મરે જ નહિ. પછી તો ભલે ને તારા પિતાજીએ હમણાં ના પાડી, પરંતુ જો એ જીવંત છે, તો મળવાની આશા ઊભી છે. માટે આ કામ કર કે એ હાલ તરત નિરાશ થઈને જીવન ન ગુમાવે.' તરંગવતીને મુખ્ય તો એનો સમાગમ મેળવવો હતો, તેથી દાસીની વાત એ મંજૂર કરે છે, ને કહે છે, તારી વાત બરાબર છે, એ માટે હું ઉપાય કરું, પરંતુ તું જાણે છે ને કે આપણે રહ્યા બાઈ માણસ, આપણી જિંદગી કેટલી બધી પરાધીન છે ? આપણે બાપુજીને આપણી સ્થિતિ કહી શકીએ નહિ, તેમજ હજી જે મૂરતિયા તરીકે નક્કી થયો નથી એને ન તો મળી શકીએ, ન કશું કહી શકીએ.' સ્ત્રીવેદ કેવો ખતરનાક ! જીવની સંસારમાં કેવી પામર દશા છે ! માયા વગેરે એવા કોઈ દોષ હોંશથી સેવે એમાં જો સ્ત્રીવેદ જેવા પાપ બાંધી લીધા, તો પછી કરમ કહે છે, હવે તું ક્યાં જાય ? આવ, બીજી વાતે તું ઘણો ય હોશિયાર અને વૈભવાદિની પુણ્યાઇવાળો હોય, છતાં હું તને સ્ત્રીનું જ શરીર આપું.” જીવની, સંસારમાં કેવી પામર દશા ? મહાસતી સીતાજી, ચંદનબાળા,...વગેરે કેટલી બધી ઊંચી કોટિના આત્મા ! છતાં એમને અવતાર મળ્યો સ્ત્રીનો ! તો પરાધીનતા કેવી કે સીતાજીની કર્મ ! તારી ગતિ ન્યારી 149
Page #155
--------------------------------------------------------------------------
________________ જંગલમાં રખેવાળી રામ લક્ષ્મણને કરવી પડે ! રામ લક્ષ્મણની રખેવાળી કોઈને ય ન કરવી પડે. એમાં રખેવાળી કરતાં રામ જરાક આઘા પાછા થયા કે રાવણ સીતાજીને ઉપાડી ગયો ! જેના પર રામ-રાવણનું મોટું યુદ્ધ થયું ! ચંદનબાળાની પરાધીનતા કેવી કે એક વખત રાજકુમારી છતાં સ્ત્રી અવતારના કારણે ઊભે બજારે વેચાવું પડ્યું... દ્રોપદી મહાસતી મહાગુણિયલ, મહાપુણ્યવંતી છતાં સ્ત્રી અવતારના કારણે જુગારની હોડમાં મુકાવું પડ્યું! અને ભારી રાજસભામાં ચીર ખેંચાવાનો મહા શરમજનક દુ:ખદ પ્રસંગ આવીને ઊભો ! કેમ આમ ? કહો સ્ત્રી અવતાર ! બ્રાહ્મી સુંદરી બંને ઋષભદેવ ભગવાનની સુપુત્રીઓ, બંને વૈરાગી, પણ બ્રાહ્મીને ભરતે દીક્ષાની રજા આપી, સુંદરીને ન આપી, કેમ? સુંદરીનો સ્ત્રીઅવતાર એટલે પુરુષની પરાધીનતા ! જીવને તેવા કેવા કર્મ બાંધતાં વિચાર નથી રહેતો “આના ફળમાં એવી કોઈ ગુલામી વેદના વિટંબણા આવીને ઊભી રહેશે ! પછી બાપરે બાપ કરતાં એ નહિ અટકે, નહિ ટળે; ત્યારે તું શું કરીશ ?' તરંગવતી સારસિકાને કહી રહી છે, આપણો સ્ત્રીનો અવતાર તેથી કેટલી પરાધીનતા ! ત્યાં પેલી સારસિકા કહે છે, મારી સ્વામિની ! એમ કર, તારા પ્રિય પર ચિઠ્ઠી લખી આપ. હું લઈ જઈ એને આપે જેથી એ તારી મનસાની અજાણમાં એકાએક મરવાનું સાહસ ન કરી બેસે ! તરંગવતી એ રીત મંજૂર કરે છે; કેમકે એમ કાંઈ કિંમતી જનમ વ્યર્થ ખોઈ નાંખવો નથી, સાધના દ્વારા કિંમતી જીવન જીવી જન્મને સફળ કરવો છે, ને એ માટે જનમ તો ઊભો જ રાખવો જોઈએ; એમ માને છે અને સાથે એ માટે કોઈ પણ રીતે પૂર્વ પ્રિય પણ જીવતો રહે એ કરવું જોઈએ, અને તે કરવું શક્ય છે, એમ સમજે છે. કલંક અટકાવવા આપઘાત : રુકુમી રાજપુત્રી પરણીને તરત રાંડી ! પિતા રાજાને કહે “બાપુજી ! નગર બહાર ચિતા તૈયાર કરાવો, મારે એમાં બળી મરી જીવનનો અંત લાવવો છે. રાજા કહે “દીકરી ! આ શું બોલે છે ? હું જાણું છું કે તને મોટું દુઃખ આવ્યું છે પણ એનાથી આવો કંટાળો લાવીએ, એ ચાલે ? કેમકે અહીં જયાં 150 - તરંગવતી
Page #156
--------------------------------------------------------------------------
________________ સુધી જનમ હાથમાં છે, ત્યાં સુધી એનાથી મહાન સુકૃતો-સાધનાઓ કરવાની તક છે, અવકાશ છે. તારે કર્મના ઉદયે એક વિપત્તિ આવી, સૌભાગ્ય નંદાયું. પણ એના એક કર્મોદયના વાંકે આવા મહાકિંમતી જનમને આપણી જાતે જ ખોઈ નાખવો એટલે કેટલું બધું ખોવાનું ? કો, જીવન હાથમાં છતે, જે જે સાધનાઓ ને જે જે સુકૃતો કમાઈ લેવાની ઉત્તમ તક છે, તે તક આ જનમ હાથમાંથી ચાલી ગઈ ! માટે તારે દૌર્ભાગ્યનું દુઃખ આવ્યું છે, પણ તે સહન કરી લે. કિન્તુ એથી કાંઈ નિરાશ થઈને મહાકિંમતી જનમ હારવાનો વિચાર ન કર.” ત્યારે રુકમી કહે છે, “બાપુજી ! મારે સંસારસુખ ગયા, દુઃખ આવ્યું એટલા માટે નથી મરવું, પરંતુ મારી ખીલતી યુવાન ઉંમર છે, ને હવે પતિ છે નહિ એટલે અહીં રાજકુળની ઉભટ સગવડોમાં વાસના વિફરે ને અકાર્ય કરી બેસું, તો તમારા ઉત્તમ કુળને કલંક લાગે ! માટે જીવતા રહી કલંક લગાડવું એના કરતાં જીવનનો ત્યાગ કરી દેવો સારો.' બાપ સાંભળીને બહુ પ્રસન્ન થઈ ગયો, “વાહ દીકરી વાહ ! આટલી બધી તારી કુળને કલંક ન લગાડવાની ઉચ્ચ ભાવના છે માટે તું આપઘાત ઇચ્છે છે ? તો એના કરતાં તને વાસનાને ઉત્તેજન ન મળે એવા સંયોગ કરી આપું. તારો મુકામ અલાયદો; તારી પાસે કોઈ પુરુષ નોકર ન ફરકે; ખાનપાન રાજાશાહી નહિ, પણ તારી નિર્વિકાર ભાવનાને અનુકૂળ આવે એવા તદ્દન સાદા; તેમજ સાધ્વીજીઓના સંપર્ક અને શાસ્ત્રાધ્યયન-પારાયણ-ચિંતન-મનન વગેરેમાં વ્યગ્ર રહેવાનું તેથી તારે મન બગડવાને કોઈ અવસર જ નહિ, પછી કુળ કલંકની વાત જ નથી રહેતી.” આ સાંભળીને રુકમીને સંતોષ થયો, અને એ પ્રમાણે ચિતામાં આપઘાતનો વિચાર માંડી વાળી એ રીતે સુકૃત સાધનાઓ કરવા લાગી. તરંગવતીએ પણ આ જ વિચાર્યું કે હજી પ્રિય જીવતો છે ત્યાં સુધી મને ઉપાય કરી લેવા દે, કે જેથી એ જીવન ત્યાગ ન કરી બેસે ! એટલે એ સારસિકાને રોતી રોતી કહે છે, જો સારસિકા ! તિર્યંચના અવતારે પણ જે પ્રિયની પાછળ હું મરી, તે અહીં પણ જો જીવન ત્યાગ કરે તો હું કેમ જીવી શકે ? તો તું પ્રિય પાસે મારો પત્ર હાથો હાથ દઈ કહેજે. કર્મ ! તારી ગતિ ન્યારી 1 પ૧
Page #157
--------------------------------------------------------------------------
________________ 11. તરંગવતીનો પત્ર અને સંદેશો “બહુ અલ્પ અક્ષરમાં લખેલા પણ મહાન અર્થ ભરેલો આ મારી સખી તરંગવતીનો તમારા પરનો પત્ર લો. તિર્યંચ જાતમાં પણ જે તમારી પ્રિયા હતી એ જ ચકોરી હું છું. આજે શેઠની દીકરી થઈ છું. તમને શોધી કાઢવા માટે ચિત્રપટ્ટ તૈયાર મેં જ કર્યો, ને એમાં ચકોર તરીકે તમને દર્શાવેલા છે. હવે તમે મળી ગયા છો, તો મારો પ્રયત્ન સફળ થયો છે. તો હે વીર ! મને હવે એ જ સ્નેહ, સદભાવ ને એ જ દિલ આપો. પૂર્વના અખૂટ સ્નેહના સંબંધો યાદ કરો. અહીં કોઈ પણ શામ-દામ-ભેદ વગેરે ઉપાય કરવા પડે તે કરો, પણ મિલનકારી ઉપાય કરીને મને દર્શન આપો.” આમ કહેવાનું કહીને લેખ આપી દાસીને રવાના કરી. તો હવે તો મન નિશ્ચિત બને ને ? ના, હવે તો તરંગવતીનું મન વધુ ચિંતાતુર બન્યું ! એના મનને વિચારો આવવા લાગ્યા કે આ અજાણી દાસીને પ્રિયના ઘરમાં પેસવા દેશે કે કેમ? જો પેસવા જ ન દે, તો તો પ્રિયને સંદેશો ક્યાં પહોંચવાનો? અથવા માનો પેસવા દે અને જઈને એ સંદેશો આપે, તો એના પ્રત્યાઘાત કેવા પડશે? શું એ શીધ્ર મિલનનું કહેશે કે લાંબો વાયદો નાખશે ? જાતિસ્મરણ પછીની પ્રિયની સ્થિતિ જે થયેલી એ એટલું તો સૂચવે છે કે એ મને ચાહે તો છે જ; પરંતુ હવે એ પુરુષ છે અમો સ્ત્રી જાત, સ્ત્રી જાતને પ્રિયના વિરહનું જે દુ:ખ હોય, એ પુરુષો પ્રિયાના વિરહનું તેટલું દુઃખ નહિ કરનારા શી રીતે સમજી શકે ?...વગેરે વગેરે કઈ ચિંતાના વિચારોમાં તરંગવતી ચડી ગયેલી. માણસ ખોટી ચિંતામાં ચડી જાય તો એને શું મળે છે? કેવળ આર્તધ્યાન કે બીજું કાંઈ ? દાસી ગઈ છે. પરિણામ શું લાવે છે એનો આધાર કાંઈ આ ચિંતા પર નથી કે ચિંતા કરવાથી પરિણામ સારું આવશે, ને ચિંતા ન કરે તો પરિણામ બગડી જશે,'- એવું કાંઈ નથી, છતાં ચિંતા મુકાતી નથી એ આશ્ચર્ય જેવું છે. પૂછો, પ્ર.- ખોટી ચિંતા અટકાવવા કોઈ ઉપાય ? ઉ.- ખોટી ચિતા ટાળવા અટકાવવા એક ઉત્તમ ઉપાય આ છે કે (1) પહેલાં તો મનને આ નક્કી કરવું કે આ ઉત્તમ જીવનનું એક મહાન લક્ષ્ય આ છે કે અહીં જે મનની મહાન મૂડી મળી છે એનાથી શક્ય એટલા વધારે 1 5 2. - તરંગવતી
Page #158
--------------------------------------------------------------------------
________________ ઉત્તમ વિચારો, પવિત્રભાવનાઓ, ને વિશુદ્ધ અધ્યવસાયોનું સર્જન કરવાનું છે. પરંતુ મનની મૂડીને અધમ, શુદ્ર, તામસી, ને પાપ વિચારો-ચિતાઓમાં વેડફી નાખવાની નથી. જીવનનું આ એક લક્ષ્ય જો નક્કી કરી રખાય, તો પછી વારંવાર એ લક્ષ્ય મન પર લવાય તો ઘણો ફેર પડી જાય. ખોટા વિચારો દોઢડહાપણના વિચારો, ખોટી ચિંતાના વિચારો,...વગેરે પર કાંઈક અંકુશ આવે. બસ, ઉત્તમ ઉપાય આ, કે અહીં મળેલ મહાન મન મૂડીની કદર કરી નિર્ધાર રાખો કે આ મન મૂડીથી લેવાના, તે દેવાના નથી કરવાના. જો ખોટી ચિતા કરું તો (1) મન મૂડીથી સારું કમાવાનું તો જાય, (2) વધારામાં આર્તધ્યાન અસમાધિથી નવાં પાપના પોટલાં બંધાય (3) વિશેષમાં મલિન વિચારસરણીની કુટેવ વધી જતાં (4) પછીથી એ કુટેવ હેરાન કર્યા જ કરે. એવા ખોટા ટેવાયેલા મનને અંટ-સંટ વિચારણા, આચડ-કુચડ ચિંતવવાનું ને ઇધર ઉધરના વિચારો સુલભ થઈ જાય. | મનમૂડીથી સારા વિચારની કમાઈ કરવા માટે મસાલો પુરતો જોઈએ એ મસાલો કયો ? આ, -મન મૂડીથી સવિચાર-કમાઈનો મસાલો, (1) જીવ વિચાર પ્રકરણ, તત્ત્વાર્થ આદિ શાસ્ત્રોનો સંગીન બોધ, જેમાંથી વિચારવા માટે તાત્ત્વિક પદાર્થો એ મસાલો, એ મનમાં ક્રમસર લાવ્યા કરાય. (2) અરિહંત પ્રભુના 34 અતિશય, તીર્થંકર પદની પુણ્યાઈ ઊભી કરનાર 20 સ્થાનક, સકલાહ વગેરે સ્તોત્રોમાં મૂકેલા અરિહંતના વિશેષણો, આ મસાલો; ક્રમશઃ એને વિસ્તારથી વિચારી શકાય. (3) એમ સમ્યકત્વના 67 પ્રકારે વ્યવહાર; માર્ગાનુસારીના 35 ગુણ, શ્રાવકના 21 ગુણ, ભાવ શ્રાવકના લક્ષણ ક્રમશઃ એકેક વિચારી શકાય. એમ (4) જીવનમાં જેટલા તીર્થો દેરાસરો સ્પર્યા હોય એને ક્રમસર મનમાં લાવી શકાય. એમ (5) ભરોસર સઝાયના ક્રમસર એકેક મહાપુરુષના ખાસ જીવન પ્રસંગ મનમાં લવાય. આવું બધું મનમાં રમતું રાખવું એ મન મૂડીથી સુંદર કમાણી છે. એ કરવા માટે જે માનવ મનની મહાન મૂડી મળેલી છે અને આ જનમમાં મારે આ જ કરવું છે, આવું જીવનનું સાધના-લક્ષ્ય હોય, તો પછી ખોટી ચિંતા કરી મન મૂડીને વેડફી નાખતાં બહુ વિચાર થઈ પડે. એવી ચિંતા મગજમાં પેસતાં કર્મ ! તારી ગતિ ન્યારી 153
Page #159
--------------------------------------------------------------------------
________________ જ દિલને આંચકો આવે. મૂળ આ કરવાનું છે કે એવા સાત્ત્વિક ચિંતનનો ખૂબ અભ્યાસ રાખવો જોઈએ. ખૂબ અભ્યાસ હોય તો બીજી ત્રીજી ખોટી ચિંતા થા ખોટા વિચાર ઉઠવા જાય ત્યાં ઝટ એ સારા અભ્યસ્ત તાત્ત્વિક ચિંતન મનમાં શરૂ થઈ જાય !.. વાત એ છે કે માણસને આવી વ્યવસ્થિત તાત્ત્વિક ચિંતન મગજમાં ચલાવવામાં શ્રમ લાગે છે. પરંતુ એને ખબર નથી કે જેમ આપણને કાયા મળી છે, એ આરામ માટે નહિ પણ કામ માટે, શ્રમ માટે મળી છે. તે કાયાને શ્રમ આપવાથી સારી તંદુરસ્ત રહે છે એમ મનને સારા તાત્ત્વિક ચિંતનનો શ્રમ આપવાથી મન સારું તંદુરસ્ત રહે છે. ને એ મોટી ઉંમર સુધી કાયાની જેમ સારું કામ આપે છે. ઉપયોગી વસ્તુ કે કાર્ય માટે સારી વ્યવસ્થિત વિચારણા કરી શકે છે, સ્મરણ શક્તિ સતેજ રહે છે. પ્ર.- એવું તાત્ત્વિક ચિંતન અઘરું કેમ લાગે છે ? ઉ.- પહેલાં કહ્યું તેમ કારણ આ છે કે જેવી રીતે શરીરને બેઠાડું રાખવું ગમે છે, એમ મનને પણ બેઠાડું રાખવું ગમે છે. અરે ! એક ચૈત્યવંદન જેવી નાની ક્રિયા કરતો હશે તો ય એમાં સૂત્રો પોપટપાઠની જેમ બોલી જશે પરંતુ એને સૂત્રના પદ પદ પર મન પરોવવાનું નહિ ગમે. ' અરે ત્રણ નવકાર જ ગણી જવાના હશે તો ય એમાં એકે એક પદ પર મન પરોવવાનું નહિ ગમે. કેમ જાણે એટલામાં મનને થાક લાગે છે ! થોડાક જ સૂત્રપદો પર મન પરોવવામાં સુસ્ત અને એદી માણસો ખોટી ચિંતા અને ખોટા વિચાર અટકાવવા માટે તાત્ત્વિક વિચારણા શી રીતે કરી શકે ? શી રીતે મનને તાત્ત્વિક પદાર્થમાં પરોવી શકે ? માટે કહો. મનને અવસરે અવસરે તાત્ત્વિક જ વિચારસરણીમાં રમતું રાખવા માટે આ ઉપાય કે એને વારે વારે સૂત્રના પદ પદમાં પરોવતા રહો. આજના માનસશાસ્ત્રીઓ પણ કહે છે, “જેટલા નિષ્ફળ વિચાર કરો એટલી મનની શક્તિ હણાય છે, મન નિર્બળ બને છે. ને જેટલા સફળ વિચાર કરો એટલી મનની શક્તિ વધે છે, મન સબળ બને છે.” તાત્ત્વિક વિચારણા એ સફળ વિચારણા છે, ખોટી ચિંતા, ખોટા વિચાર એ નિષ્ફળ વિચારણા છે. તાત્વિક વિચારણા એ સફળ વિચારણા એટલા માટે કે પૂર્વે બતાવેલ જેવી તાત્ત્વિક વિચારણાથી 154 - તરંગવતી
Page #160
--------------------------------------------------------------------------
________________ (1) મન તંદુરસ્ત અને પ્રસન્ન પ્રફુલ્લિત બને છે; (2) મનમાં પ્રભુ ભક્તિ વગેરે શુભ ભાવો જન્મે છે; (3) એના શુભસંસ્કાર પડે છે; (4) મનની અનંત અનંત કાળની ખોટી ચિંતા, ખોટા વિચારોની કુટેવ મટે છે; (5) મન પ્રસન્ન પ્રફુલ્લિત રહે એની શરીર પર સારી અસર પડે છે; (6) “હૃદય હેમખેમ રાખો” બુક પ્રમાણે મન ફોરું પ્રસન્ન પ્રફુલ્લિત રાખવાથી મગજમાંથી એક પ્રકારનું પ્રવાહી વહે છે, જે શરીરની નાડીઓમાં ફરી વળે છે, ને હાર્ટએટેક જેવા પણ દર્દ મટાડી દે છે. વાત આ છે કે ખોટા વિચારો અટકાવવા તાત્ત્વિક વિચારણા અને તાત્ત્વિક ચિંતનનો અભ્યાસ રાખો પેલી તરંગવતી ખોટી ચિંતામાં પડી છે કે દાસી ગઈ તો ખરી, પરંતુ પદ્મદેવને ત્યાં એને પ્રવેશ મળશે ? પદ્મદેવની સાથે વાતચીત થશે ? ત્યારે પદ્મદેવે કોઈ ખોટું સાહસ તો નહિ કર્યું હોય ને ? મને મળશે ખરા ?.. કેવી ખોટી ચિંતા છે ? વિચારવું તો એ જોઈએ કે જો અમને બંનેને મનુષ્ય જન્મ મળ્યો છે, ઉપરાંત જાતિસ્મરણજ્ઞાન થયું છે, બંનેને પરસ્પરની જાણ થઈ છે. જ્યારે ગાડી આટલે સુધી આવવાના પુણ્યોદય જાગ્યા છે, તો પરસ્પરને મળવાનું કેમ નહિ થાય ? આમ આશાસ્પદ વિચારણા કરે, તો મન પ્રફુલ્લિત રહે. તેથી આર્તધ્યાન ન થાય, અને બીજા કર્તવ્ય ઉલ્લાસથી થાય, કામ બગડે નહીં. અસ્તુ. તરંગવતીને બહુ ઝાઝો સમય ચિંતા ન કરવી પડી સારસિકા આવીને પોતે શું કરી આવી એનો અહેવાલ આપે છે, કહે છે, સારસિકાનો અહેવાલ : “સ્વામિની ! હું અહીંથી ગઈ, તારા પ્રિયના આવાસે પહોંચી. મોટી હવેલી હતી. દરવાજે જઈને ઊભી રહી ત્યાં હવેલીની દાસીઓ અવર જવર કરતી હતી, એમાં હું નવી જ હતી એટલે મને દ્વારપાલ પૂછે છે, બેન ! ક્યાંથી આવી છે ?' મારે તારી કે તારા ઘરની વાત તો કરવી જ નહોતી, અને ખરી વસ્તુ છૂપાવવી હતી, એટલે જૂઠું જ બોલવું હતું. અને સ્ત્રીઓને જૂઠ બોલવાનું તો હંમેશાં સ્વાધીન જ હોય, એટલે તરત જ મેં કહ્યું આર્યપુત્ર પાદેવની પરિચિત કર્મ ! તારી ગતિ ન્યારી 1 55
Page #161
--------------------------------------------------------------------------
________________ છું, અને મને એમણે બોલાવી છે, એટલે હું અહીં આવી છું. સ્ત્રીસુલભ જૂઠ હંકાર્યું તો ખરું પણ ચાલાક માણસ આગળ એ કેટલું ચાલે ? તરત દ્વારપાળ મને કહે બાઈ ! તું પરિચિત હોવાનું કહે છે, પણ અહીં તો તું તદ્દન નવી લાગે છે. અમે તને અહીં પહેલાં કદી જોઈ નથી, શાની પરિચિત હોવાની વાત કરે ?' દ્વારપાળે મને અપરિચિત તરીકે પકડી પાડી. ત્યારે જૂઠ બોલતાં જો પકડાઈ જાય તો શું માણસ એ ભૂલનો ઇકરાર કરે ? માફી માગે ? સુધરી જાય? ના, એ તો પકડાઈ ગયા તો નવું જૂઠું ! અંગ્રેજીમાં કહેવત છે, 'One lie begets a score of lies' એક જૂઠ કડીબંધ જૂઠને તાણી લાવે છે. એટલે ? તો પહેલાં જૂઠથી જ પાછા વળ્યાં, જૂઠ ન બોલ્યા, તો પછી 20 જૂઠ્ઠાણાથી બચી જવાય. પેલી સારસિકાએ એક જૂઠ્ઠાણું હલકાર્યું કે હું પદ્મદેવને પરિચિત છું, ને મને એમણે બોલાવી છે. ત્યાં દ્વારપાલ કહે છે. બેન તમે તો અહીં નવા જ છો. પરિચિત હો, તો પહેલાં ક્યારે ય દેખાવા જોઈતા હતા ને ?' ત્યાં સારસિકા બોલી હું જાણું છું કે તમને નવી લાગું પરંતુ હું આર્યપુત્ર પદ્મદેવ માટે અજાણી નથી...' ' એમ કહીને હસતી હસતી દ્વારપાળની પ્રશંસા ચાપલૂસી કરવા કહે છે બાકી, હા, હા, હા... સાર્થવાહના કુળને ધન્યવાદ ઘટે છે કે જ્યાં તમારા જેવા આર્યપુત્ર દરવાજા પર જ આવી ચોકસાઈ કરે છે. જરા મારા પર મહેરબાની કરીને આટલી કૃપા કરો, ને એકવાર તમે આર્યપુત્ર પધદેવની મને ભેટ કરાવો. ત્યારે દ્વારપાળ રાજીથી કહે છે, જરૂર તને ભેટ કરાવું છું. માત્ર મારે તો પરસ્ત્રીના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનું મારું કર્તવ્ય છે, એ કર્તવ્યને મારા હાથે ભંગ ન થાઓ. દાસી કહે “એમાં તમે બે ફિકર રહો, હું કોઈ એવી હલકી કે અજાણી પરસ્ત્રી નથી.” ' જોવાની ખૂબી છે કે પદ્મદેવના પિતા ધનદેવ શેઠે ઘરમાં કેવી તકેદારી 1 56 - તરંગવતી
Page #162
--------------------------------------------------------------------------
________________ રાખેલી છે ! કોઈ અજાણી સ્ત્રીનો ઘરમાં પ્રવેશ ન થાય. પૂછો, પ્ર- શું શેઠને ઘરના પુરુષવર્ગ પર અવિશ્વાસ છે કે એવા સંયોગ મળે તો શીલભંગ કરી નાખે ? ઉ.- આવો સવાલ સંસારના નિયમનું અજ્ઞાન સૂચવે છે. સંસારનો સામાન્ય નિયમ આ છે કે સંસારી જીવ નિમિત્તવાસી છે, જેવું નિમિત્ત તેવું પરિણામ. એટલે ? સારા નિમિત્તોમાં જીવ સારો રહે અને ખરાબ નિમિત્તમાં બગડી જવા પૂરો સંભવ છે. સંભવ એટલા માટે કહેવાય છે કે આમાં અપવાદ અર્થાત્ નિમિત્ત ખરાબ મળવા છતાં કોઈ જીવ ન પણ બગડે. પણ તે અપવાદ તો કેવો? દસ હજારે એક. સુદર્શન શેઠ, ઝાંઝરિયા મુનિને ખરાબ નિમિત્ત મળવા છતાં પોતાના બ્રહ્મચર્યમાંથી ડગ્યા નહિ ! બાકી તો જુઓ અરણિક મુનિને પરદેશ ગયેલા પતિવાળી પત્નીએ ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. બોલીએ છીએ ને સજઝાયમાં, વયણ રંગીલીએ નયણે વીંધીઓ, ચંદ્રવદનીએ ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, એવું નંદીષણમુનિને થયું, વેશ્યાએ પાડ્યા ! એ તો રહનેમિમુનિની સામે રાજીમતી સાધ્વી જબરા હતા, તે રહનેમિના કામવાસનાના બોલરૂપી ખરાબ નિમિત્ત મળવા છતાં સંયમમાં જાતે મક્કમ રહ્યાં ! બાકી જો રાજીમતી લોભાયા હોત, તો બંનેનું પતન થાત. પરંતુ ખરાબ નિમિત્તની અસર ન થવી એવા દાખલા કેટલા? અતિ જૂજ. બાકી તો જીવ નિમિત્તવાસી છે. સિંહગુફાવાસીમુનિ કેવા પરાક્રમી ! સિંહની ગુફા આગળ ચાર મહિનાના ઉપવાસ કરી ચોમાસું રહેલા ! કશી બીક ન લાગે ? સિંહ બહારથી આવે ત્યારે તો માનો પેટ ભરીને આવ્યો હોય તે ગુફામાં પેસતાં મુનિ પર ન ત્રાટકે; પરંતુ પેઠા પછીથી સમય વીત્યે ભૂખ્યો થઈને શિકારની શોધ માટે ગુફામાંથી બહાર નીકળે ત્યારે મુનિને ભય ન લાગે કે “હાય ! નથી ને હમણાં જ આ સિંહ મારા પર ત્રાટક્યો તો એના મોઢામાં જામફળની જેમ ચવાઈ જઈશ ?' મુનિને કેમ સિંહનો ડર નહિ ? કહો, પહેલેથી સમજી મૂકીને આવ્યા છે કે સંભવ છે કદાચ સિંહ આપણા શરીર પર ત્રાટકે ય ખરો, ને જીવતા ચાવી ય ખાય. માટે આપણે પહેલેથી કર્મ ! તારી ગતિ ન્યારી 1 57
Page #163
--------------------------------------------------------------------------
________________ સમજીને જ જંગલમાં ચાલો કે આ શરીર આપણા આત્માનું ભૂષણ નથી, પણ ગૂમડા જેવું દૂષણ વળગેલું છે. શરીરરૂપી ગૂમડાનું નસ્તર થઈ જાય તો સારું; ગૂમડાની વેઠ મટી.” ઉપસર્ગમાં આ જ ભાવના રાખવાની કે શરીર ગૂમડા ! તું કપા કપા, તું કપાય એમ મારાં કર્મ કપાય.” આવું પહેલેથી નક્કી કરીને જંગલમાં સિંહની ગુફા આગળ આવી ઊભા રહે એમને ડર શાનો કે “હાય ! સિંહ મારા શરીરને ચાવી ખાશે તો ?" શરીર ચાવી ખાય ભેગાં કર્મ ચવાઈ જવાના છે, એટલે ચાવી ખાય એ લાભમાં છે. આમ ચવાઈ જવામાં પહેલેથી લાભની દૃષ્ટિ જીવંત રાખી હોય પછી ચવાઈ જવાનું કદાચ આવે તો ગભરામણ શી ? કશી જ નહિ. મૂર્ખ માણસ દુઃખમાં તો રુએ છે. પરંતુ ભાવી દુઃખની કલ્પનામાં ય એ છે ! એને કોણ કહે “અલ્યા ! દુઃખ આવશે ત્યારે આવશે. ત્યારે રોવું હોય તો રોજે, પણ અત્યારથી શાનો રોવા બેઠો ?" પણ ત્યાં એ કહેશે “ભાઈ સાહેબ ! દુઃખ તો કંપાવી મૂકે જ છે ! પરંતુ દુઃખનું નામ પણ કંપાવી મૂકે છે !' તમે પણ આ જ કહો છો ને ? તો સમજી રાખો, દુઃખમાં ન ગભરાવાની આ ચાવી છે કે ત્યાં વિશિષ્ટ લાભની દૃષ્ટિ ઊભી કરો, ને એને જીવતી જાગતી રાખો. સિંહગુફાવાસીમુનિએ આવું કાંક કર્યું હશે, દા.ત. (1) “શરીર ચવાય એમ મારાં કર્મ ચવાશે.” એવી કોઈક દૃષ્ટિ રાખી હશે; યા (2) “શરીર ચવાશે એમાં દેહ-દેહમમતા-દેહાધ્યાસ ઓછો થઈ મારા આત્માનું મમત્વ વધશે.” યા (3) “શરીર સંયમનું ખૂની છે, માટે ખૂનીને સજા મળે એ એણે ભોગવવી જ જોઈએ;' (4) “નરકના એકેક ભવમાં શરીરના છેદન-ભેદનની પીડા અસંખ્ય વાર ભોગવી. ત્યારે આ સંયમ જીવનમાં તો શરીરનું ભેદન થશે તો તે માત્ર એક જ વાર થશે. એ શી વિસાતમાં ?" નરકાદિની ઘોરાતિઘોર પીડા પર અકામ-નિર્જરા અને સંકલેશ માટે થઈ ત્યારે અહીંની એની અપેક્ષાએ સામાન્ય પીડા પણ સકામ-નિર્જરા અને વિશુદ્ધિ માટે થવાની છે. એમાં દુઃખ શાનું કરવાનું ?' (5) . 1 58 - તરંગવતી
Page #164
--------------------------------------------------------------------------
________________ (6) “કાયરતાના મોત અનંતી વાર પામ્યો એમાં જગતના ચિક્કાર અધમ પુરુષોની હરોળમાં રહ્યો; ત્યારે જો આવી સિંહના મોમાં ચવાઈ જવાનું મોત મળે છે, ને તે વધાવી લઉં તો ઉત્તમ પુરુષોની હરોળમાં બેસવા મળે છે ! ને આ ફક્ત એકજ વાર બને તો પણ તે આત્માને ન્યાલ કરી શકે છે ! આ લાભ જેવો તેવો નથી.” (7) આમે ય કોઈ અકસ્માત વગેરે થાય, તો ય પીડા અપરંપાર પણ જીવને ભોગવવી જ પડે છે. (આજે ય ઇસ્પિતાલોમાં એવા કેટલાય દેખાય છે) તો એના કરતાં સ્વેચ્છાએ આવા મૃત્યુની પીડા, ધર્મપરાક્રમ માનીને, સમાધિથી સહન કરી લઉં તો સમાધિમરણ-પંડિતમરણનો લાભ મળે છે. આવી આવી લાભની દષ્ટિ રાખી હોય પછી સિંહગુફાવાસમુનિને ગભરામણ શાની થાય ? - દુનિયાના સમસ્ત દુ:ખોમાં ધીર વીર સહિષ્ણુ બનવા માટે આ લાભની દૃષ્ટિ રાખવી એજ ખરી બુદ્ધિમત્તા છે. જો લાભની દૃષ્ટિ નથી રાખવી, અને રોદણાં જ રોતા બેસવું છે, તો તેમાં બુદ્ધિ હીનતા અને નિઃસત્ત્વતા છે. પેલા સિંહગુફાવાસીમુનિ આમ તો બુદ્ધિમાન હતા, એટલે એમણે લાભની દષ્ટિ ઊભી રાખી સિંહની ગુફા આગળ ધ્યાનમાં રહેવામાં આવી પડતા સંભવિત સિંહના આક્રમણનું દુઃખ વિસાતમાં નહિ ગણેલું. હવે કોઈ પૂછે કે આવા મહાન આત્મા વેશ્યાના ઘરે પતન પામે ? તો સહેજે આપણે ખચકાતા વિના કહીએ કે “આવા જંગે બહાદુર તે વળી શાના પતન પામે?' છતાં જૈન ઇતિહાસ કહે છે કે “એ પડ્યા હતા કેમ વારું? કહો, જીવ નિમિત્તવાસી છે, કલ્પના બહારના રૂપવાળી વેશ્યાનાં દર્શનરૂપી નિમિત્તે સિંહગુફાવાસી મુનિને ઢીલા પાડી નાખ્યા. - સિંહના મોંમાં ચવાઈ જવું પડે એની પીડા એમને સહ્ય હતી, પરંતુ કામની પીડા અસહ્ય હતી. તેથી વેશ્યાને જોતાં મનમાં કામરાગ ઊઠ્યો ! તો સમજી જઈને પાછા ગુરુ પાસે સીધા પહોંચી જવું ડહાપણભર્યું હતું, કિન્તુ એ પીડા જ અસહ્ય તેથી ગુરુ પાસે ન જતાં વેશ્યા પાસે જઈ ભોગની નફફટ માગણી કરી ! વિચારો, આજે પિચર ટી.વી. વીડિયો જોનારા કેટલા કામરાગમાં મરતા હશે ? નરકનાં પાપ બંધાવે એવા જાલિમ રાગના કેવા કર્મ ! તારી ગતિ ન્યારી 1 59
Page #165
--------------------------------------------------------------------------
________________ સંકલેશ અનુભવતા હશે ? જો આવા અસદ્ દર્શનનાં નિમિત્ત ન સેવે, તો કેટલા બધા બચી જાય ? પેલા ધનદેવશેઠનો દ્વારપાળ તરંગવતીનો સંદેશ લઈને ગયેલી સારસિકાને કહી રહ્યો છે કે “હું અહીં પરસ્ત્રીને પ્રવેશ આપવામાં ગુનેગાર ન થાઉં એ મારે ખાસ જોવાનું છે, તેથી તને અજાણીને અહીં પ્રવેશ કેમ અપાય ?' આ પરથી શેઠની તકેદારી ધ્યાન પર લેવા જેવી છે. આમાં કુટુંબના માણસો પર અવિશ્વાસનો સવાલ નથી, કિન્તુ કુટુંબને અસત્ નિમિત્તોથી બચાવી લેવાનો હિસાબ છે. કેમકે સંસારી જીવો નિમિત્તવાસી છે નિમિત્તથી વાસિત થઈ જાય, ભાવિત થઈ જાય; સારાં નિમિત્ત મળે તો સારી ભાવના જાગે, ખરાબ નિમિત્તમાં ખરાબ. એટલા જ માટે મંદિર-ઉપાશ્રયની મોટી કિંમત છે, ધર્મપ્રવૃત્તિની મોટી કિંમત એ બધાં સારા નિમિત્ત છે. જીવન જીતી જવું છે ? તો સારા જ નિમિત્ત સેવો. જીવન હારી જવું છે? ધ્યાન રાખો, ખરાબ નિમિત્તોથી જીવન હારી જવાશે પેલા દ્વારપાલે સારસિકાની પૂછપરછ કરી લીધી, અને ઘરની એક દાસીને બોલાવી કહ્યું આ બેનને ઉપરના માળે કુમાર સાહેબ છે ત્યાં મૂકી આવ. દાસી લઈ ગઈ ઉપર, અને કુમારને દૂરથી બતાવી દઈ ચાલી ગઈ પાછી. સારસિકા ! ત્યાં જ ઊભી રહી જુએ છે તો અદ્ભુત જોયું. હવે સારસિકા તરંગવતીને પોતે પદ્મદેવની સામે ઊભી થઈ. પછી શું બન્યું, એનું જે વર્ણન કરે છે એ તરંગવતીને ઊંચી નીચી કરી મૂકે છે; કેમકે એ ઘટનામાં મોહની જીવ પર શિરજોરી કેવી છે !' એ જોવા મળે છે. સારસિકાએ વર્ણવેલ પદ્મદેવની મહાવ્યથા : સારસિકા કહે છે સ્વામિની ! જયાં હું તારા પ્રિયની સામે જોઉં છું ત્યાં : હું સ્તબ્ધ થઈ ગઈ ! તને એમ થતું હશે કે મને મારા પ્રિય પર કેટલો બધો પ્રેમ છે ! પરંતુ ત્યાં હું જોઉં છું તો તારા પ્રિયને તારા કરતાં વધુ તારા પરનો પ્રેમ દેખવા મળ્યો !' તરંગવતી પૂછે છે એવું તે શું દેખવા મળ્યું કે મારા કરતાં એમને વધુ પ્રેમના ટકા આપે છે ?' 16) - તરંગવતી
Page #166
--------------------------------------------------------------------------
________________ સારસિકા–“સખી ! હું જ્યાં ઉપર ગઈ ત્યાં હજી એમનું ધ્યાન મારા પર ગયું નહોતું, એટલે હું એમ જ ઊભી રહી જોતી હતી કે એ શા વિચારમાં હશે ? પરંતુ સખી ! તને શું કહું ? એમણે એક પાટિયા-ફલક પર ચક્રવાક ચકોરીને પ્રેમ આપી રહ્યો છે એવું ચિત્ર દોરેલું, અને એ ચિત્ર ફલક પોતાના ખોળામાં રાખેલ. વારે વારે એ હાથમાં ઉઠાવી પોતાની છાતી સરસું ચાંપતા કેમ જાણે પોતાની પ્રિય ચક્રવાકીને પ્રેમથી મનાવી રહ્યા હતા ! એ મનાવવામાં ઊછળતી અત્યંત પ્રેમની લાગણીથી આંખમાંથી શ્રાવણ-ભાદરવાની જેમ આંસુની ધારા વહાવી રહ્યા હતા ! એવી એમની મુદ્રા અને ગમગીની જોતાં મારું તો કાળજું જ પીગળી ગયું, હું ય એમના ભારે દુઃખની અસરમાં આવી ગઈ. સખી ! તારા કરતાં એમનો વધારે પ્રેમ અને વધારે દુ:ખ એટલા માટે કહું છું કે એ પુરુષ છે, મોટા શ્રીમંતના દીકરા છે, મોટી હવેલીમાં રહેનારા છે, અને એમનું કુટુંબ તથા નોકર-ચાકરોમાં કેટલું બધું માન છે, આ બધું છતાં એને ભૂલી તારા પર એ જે પ્રેમનું પૂર ઊભરાવી રહ્યા હતા એ આશ્ચર્ય છે ! એમણે જાતિસ્મરણજ્ઞાન થયા પછી અને એમના પિતા તારા પિતા કન્યા આપવાની ના પાડી તો એમના પર હવે એની જે દશા જોઈ તે પરથી મને લાગે છે કે એમનો પ્રેમ તારા પ્રેમને આંબી દે એવો છે !... એમના આંખના આંસુ ચિત્રપાટીને પખાલી રહ્યા છે, એ પરથી મને લાગ્યું કે તારો સમાગમ કરવાનો એમના હૃદયને મનોરથ પૂરાયો નહિ તેથી એમના દિલમાં અપરંપાર શોક હતો, એટલે જ મો પરથી હાસ્ય ઊડી ગએલું, એટલું બધું ઉદાસ એમનું મો દેખાતું હતું. એમનું ધ્યાન મારા તરફ નહોતું, પરંતુ હવે મારે એમને તારી સ્થિતિ જણાવ્યે જ છૂટકો હતો એટલે જરા પાસે જઈને વિનયપૂર્વક નમીને મેં એમને કહ્યું, સારસિકા કુમારને મળે છે :‘ચિરંજીવો આર્યપુત્ર !' તરત મારા તરફ જોઈ મને પૂછે છે કલ્યાણી ! તું ક્યાંથી આવી છે ?' મેં કહ્યું “હે કુળચંદ્ર ! હે વિનયરૂપી આભૂષણવાળા ! હે ગુણોએ કરીને મોટા ! હે યશસ્વી ! હું ઋષભસેન શ્રેષ્ઠિની અપ્સરા જેવી કન્યા તરંગવતી પાસેથી આવી છું. એના હૃદયમાં તમારા પર ચક્રવાક જાતિમાં કરેલો પ્રેમસંબંધ હજી આજે પણ એવો જ ફરી રહ્યો છે, અને એ પ્રેમની પાછળ હવે એનું જીવંત રહેવાનું તમારા હાથમાં છે, તમારો સંબંધ ન મળે તો એને કર્મ ! તારી ગતિ ન્યારી 161
Page #167
--------------------------------------------------------------------------
________________ જીવવાનું મુશ્કેલ છે. એણે તમને વચનથી આ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો છે. કે હું એજ ચક્રવાકી છું, જે ચિત્રપટ્ટમાં આલેખેલી. ચક્રવાકના અવતારે તો તમે મને પ્રેમનું અમૃત પાયું છે, તો તે નરવીર ! અહીં પણ મને એ જ સદ્ભાવ ને એજ નેહભર્યું દિલ મને આપો. શામ-દામ-ભેદ વગેરે ઉપાય કરી જે ગુણકારી બને તે કરો.” લો આ રહ્યો એનો તમને આપવાની વિનંતી પત્ર.” ' એમ કહીને તે તરંગવતી ! મેં એમને તારો પત્ર આપ્યો. એ જ્યારે હું પત્ર આપવાનું કરતી હતી, ત્યારે એ પદ્મદેવકુમાર એટલા બધા લાગણીવશ હતા કે એમનાં શરીરના સર્વ અંગો કંપાયમાન થઈ ગયેલા તારા પરના પ્રેમના હરખના, અને તું નહિ મળવાથી થયેલ શોકના, એમ મિશ્ર લાગણીના આંસુ આંખમાં ભરાઈ આવ્યા ! એ પરથી મેં જોયું કે એના અંગે અંગમાં આટલો બધો લાગણીનો ધ્રુજારો અને આંખમાં ઊના આંસુ સૂચવી રહ્યા છે કે તારા પરનો એમના દિલમાં રાગ ભારે પુષ્ટ થઈ ગયો છે ! નહિતર પૂર્વ ભવના વિયોગનું દુઃખ હળવું કરવા પાટી પર પૂર્વ ભવનું ચિત્ર દોરીને એને છાતીએ લગાડી લગાડી એના પર આંસુ કેમ સાર્યા કરે ?" તરંગવતી પર અસર : તરંગવતી જેમ જેમ સાંભળતી જાય છે, તેમ તેમ પોતાના પર પમદેવનો પ્રેમ જોઈ જોઈ હરખાતી જાય છે. એનો અર્થ એના દિલમાં પહ્મદેવ ઉપર રાગ વધુ પુષ્ટ થતો જાય છે. આ સૂચવે છે કે આ “સંસારમાં કોઈની પર રાગ કર્યો પછી એના અંગે જેમ જેમ સારું સાંભળવા મળે તેમ તેમ રાગ વધતો જવાનો. તો કહો, સંસાર કેમ અસાર ? : આટલા જ માટે કે સંસારના જડ ચેતન ભાવો પર રાગ કરવા જતાં એના અનુકૂળ ઉત્તેજક સંયોગો આવી આવીને એ રાગમાં એવી વૃદ્ધિ થતી જાય છે, કે સાંસારિક પદાર્થો પરનો રાગ અને એમાં મુગ્ધ મન વીતરાગ અને એમના ધર્મમાંથી ખસી જવા મોટો સંભવ ! આ નુક્સાન જેવું તેવું નથી. સંસારના માલ મિલકત પૈસા પરિવાર વગેરે વિષયોના ને એના રાગના દુર્ગતિમાં ભયંકર પરિણામ આવે છે, એ વાત પર માણસને હજી એવી શ્રદ્ધા નથી બેસતી કે “જે એને વિષયો ને એના રાગમાં ભડક લગાવે કે હાય બાપ ! આવા ગોઝારા વિષયો ? ને એવો ગોઝારો એનો રાગ ?' શ્રદ્ધા ન બેસવાનું કારણ કે એ ગોઝારાં પરિણામ એ પરભવની વસ્તુ છે, ને તે અહીં નજરે 16 2 - તરંગવતી
Page #168
--------------------------------------------------------------------------
________________ દેખાતી નથી. તો પછી પૂછો, વિષય મનમાં પેઠાનું પ્રત્યક્ષ મહાનુક્સાન :પ્ર.- શું એવી કોઈ પ્રત્યક્ષ વસ્તુ છે કે જેથી વિષયોની ભડક લાગે ? ઉ.- હાં, વિષયોથી પ્રત્યક્ષમાં તરણતારણ ભગવાન અને માર્ગ ભૂલવાનું થાય એ મોટું નુક્સાન છે. એ જોઈને વિષયોની ભડક લાગે. આપણે જાણીએ છીએ કે આ સંસારમાં અનેક પ્રકારના જીવો જોઈએ, યાવત્ અનાર્ય જેવા મનુષ્યો જોઈએ, તો એમની પાસે ભગવાન નથી, ભગવાને ફરમાવેલો પવિત્ર માર્ગ નથી, જે આપણને મળેલ છે, માટે એ બિચારા જીવોનો ભગવાન અને એમના માર્ગની આરાધના સાધના કરી લેવાનો કોઈ કલાસ નથી. આપણો એ કરવાનો કલાસ છે, તેથી આપણા માટે એ આરાધના કરી લેવાની સોનેરી તક છે. મનમાં સંસાર પેસતાં ભગવાનની હકાલપટ્ટી : હવે જો આપણે મન દઈ એ આરાધના કરતા હોઈએ, એમાં જો મનમાં સંસાર, સંસારની કોઈ વસ્તુ પેઠી, તો ખલાસ ! તરત જ એ બીજી વસ્તુ મનમાંથી ભગવાન ભગવાનના માર્ગને હડસેલી દે છે ! દા.ત. પ્રભુના દર્શનમાં મન લગાડ્યું, એજ વખતે જો કોઈક એવું મન પર લાવ્યા કે દા.ત. શાક લેવા જવાનું મોડું થયું છે તો તરત જ મનમાંથી ભગવાનની હકાલપટ્ટી થાય છે. એવું માળા ગણતી વખતે મનમાં સાંસારિક કાંઈક આવતાં મનમાંથી માળાના પદ છૂટી જાય છે. મનમાં સારી વિચારણા ઊભી તો કરી, પરંતુ જો ત્યાં વિષયની વિચારણા ઘાલી, તો પેલી સારી વિચારણા ઝટ બંધ પડી જાય છે ! ત્યારે વિચારવા જેવું છે કે આ દુન્યવી વિષયો કેટલો ખતરનાક કે એક બાજુ આપણને અનંત અનંત કાળ પછી મનમાં ભગવાન, ભગવાનનો માર્ગ અને સારી વિચારણા લાવવાની આ ઉત્તમ ભવમાં તક મળી, ત્યાં એ બધાને ક્ષણવારમાં મનમાંથી હકાલપટ્ટી કરવાની દુષ્ટતા આ વિષયો કરે છે ! મોટા ભગવાનને ય કેવા ભુલાવે ? એક ભાઈ સિદ્ધગિરિ યાત્રાએ ગયા. નવા પરણેલા તેથી સજોડે ગયા, ત્યાં દાદાની પૂજા કરતાં હજી તો ભાઈની આંગળી પ્રભુને ખભે તિલક કરી રહી છે, ત્યાં યાત્રિકોમાંથી કોઈ બેન આગળ ઘૂસી જઈ આમના મિસીસને પાછળ પાડ્યા, ભાઈની નજર ત્યાં જતાં શું કરે ? ના, મારે તો મારા ભગવાનના નવ અંગે તિલક પૂરા કરવામાં જ મન રાખવાનું. હમણાં મિસીસમાં કે એને કર્મ ! તારી ગતિ ન્યારી 16 3
Page #169
--------------------------------------------------------------------------
________________ પાછી હડસેલનાર બેનમાં મન નહિ લઈ જવાનું, એવું ધોરણ રાખે? કે મનમાંથી ભગવાનને હટાવી દઈ મિસીસને અને બીજી બાઈને ઘાલવાનું કરે ? ત્યારે જોવાનું એ છે કે દુનિયાના વિષય કેટલા જોરદાર કે મનમાં પેસી તરણતારણ પરમાત્માને પણ મનમાંથી બહાર કાઢી દે ?' બસ, માણસ આટલો વિચાર કરે કે આ દુન્યવી માલ-મિલકત-પૈસા, વેપાર-ઘર-પરિવાર, એકેક એવા પટ્ટા છે કે એ મનમાં માંડ માંડ લાવેલા ભગવાનને, ને ધર્મને યા ધર્મની વિચારણાને તત્કાલ પૂરતા સાવ લોપ જેવા કરી નાખે ! વિષયોની કેવી દુષ્ટતા ! આવા ઊંચા ભાવમાં આવ્યા અને ઊંચા દેવ-ગુરુ-ધર્મનાં આલંબન મળ્યાં છતાં જો વિષયો એ તારકતત્ત્વોની હકાલપટ્ટી કરી નાખે, તો શું એ વિષયો ગોઝારા નહિ ? શું એના પર ભારોભાર નફરત, તીવ્ર અભાવ ને જવલંત વૈરાગ્ય ન થઈ જાય ? કેવી વિચિત્રતા છે ! મનમાં સંસારની ગડમથલ ચાલતી હશે, ત્યાં મનમાં ભગવાન કે ધર્મની વિચારણા નહિ આવે ! પરંતુ મનમાં ભગવાન કે ધર્મ લાવ્યા ત્યાં વચમાં વચમાં વિષયો ટપ કૂદી પડવા તૈયાર છે ! વિષયોની આ ધર્મમાં વચ્ચે કૂદી પડવાની તાકાત ખરી પણ કેમ જાણે ભગવાન કે ધર્મની વિષયોના વિચારમાં વચ્ચે કૂદી પડવાની તાકાત નહિ ! પૂછો, પ્ર.- આવું ઊંધું વેતરણ કેમ ચાલે છે ? ઉ.- કારણ એ છે કે મનને વીતરાગ ભગવાન અને એમના ધર્મની સાથે ઓરમાયાનો સંબંધ છે અને વિષયોની સાથે પોતિકા તરીકેનો સંબંધ છે ! એટલે ? વિષયો પોતાના ! વીતરાગ પરાયા !" પોતાનાની વાતમાં પરાયો ન ઘૂસી શકે. પરાયાની વાતમાં પોતિકો ઘૂસી શકે. માતાના પોતાના અને શોક્યના છોકરા પ્રત્યેના વલણમાં કેવો ફરક હોય છે ? પોતાના છોકરાની ચિંતામાં શોક્યના છોકરાનો વિચાર નહિ ઘૂસે, અને કદાચ ક્યાંક ઘૂસશે તો દ્વષ ભરેલા હૃદયે; ત્યારે શોક્યના છોકરાની ક્યારેક ચિંતા કરવાની આવશે, તો એની વચમાં પોતાના છોકરાના વિચાર સહેલાઈથી ઘૂસી જશે ! ત્યારે તમારી દશા વિચારો. ધર્મનો વિચાર લઈ બેસો ત્યારે સંસારના વિચાર ન જ આવે ને ? ને સંસારના વિચાર લઈ બેઠા હો, ત્યાં વચમાં ધર્મનાં વિચાર ઘૂસી જાય છે ને ? તો સમજાય કે ધર્મ પોતાનો અને સંસાર ઓરમાયો - તરંગવતી 164
Page #170
--------------------------------------------------------------------------
________________ લાગ્યો છે. ના, જો આવું નથી પણ ઊલટું છે, સંસારના વિચારમાં વચ્ચે ધર્મનો વિચાર નથી ઘૂસતો, ધર્મના વિચારમાં સંસારના વિચાર ઘૂસી જાય છે, તો એમ જ થયું ને કે સંસાર પોતિકો અને ધર્મ ઓરમાયો ! દિશા ફેરવવાની જરૂર છે. વીતરાગ ભગવાન પોતિકા, ધર્મ પોતિકો, અને સંસાર પરાયો, - આ ભાવ-પરિવર્તન લાવવા જેવું છે. જેને જેનો રાગ, એને એનું સારું સાંભળતાં રાગ વધે. અત્યારે, પેલી તરંગવતીની આ દશા છે. પોતાના પ્રિય પદ્ધદેવ પાસે જઈ આવેલી સખી સારસિકા અહેવાલ આપી રહી છે એમાં એણે પદ્મદેવની રાગે ઝૂરવાની વાત કરી. પધદેવ પાટી પર પૂર્વ ભવનું ચક્રવાક-ચક્રવાકીનું ચિત્ર બનાવી એને વારેવારે છાતી સરસું લગાડી રોઈ રહ્યો હતો...વગેરે વાત કરી, એ સાંભળતાં તરંગવતીને પ્રિય પરનો રાગ ઉછાળા મારવા લાગ્યો. એટલે હવે અહેવાલ આગળ સાંભળવાની ઈંતેજારી ખૂબ વધી રહી છે, તેથી સારસિકાને પૂછે છે, તેં મારો પત્ર એમને આપ્યો પછી શું થયું ?' | 12. સંસાર એક રંગભૂમિ | પદ્મદેવની પત્ર વાંચતાં સ્થિતિ : સારસિકા કહે “બેન ! એનું હું શું વર્ણન કરી શકું ? એમણે તારો પત્ર લેતાં અને એને ફોડીને વાંચતા એમના આખા શરીરે ઝણઝણાટી હતી ! અને આંખોમાંથી આંસુ ટપકતા હતા ! અરે ! એ તો એક હાથમાં એમની ચિત્રપાટી, ને બીજા હાથમાં તારો પત્ર લઈ ઊભા થઈ નાચવા લાગેલા. નાચતાં મારી શરમે ય ન લાગી ! મને કહે “અલી એ સારસિકા ! આ તું શું લઈ આવી ! તને વધારે શું કહું ? ટૂંકમાં કહું છું કે જો તું અત્યારે અહીં ન આવી હોત, અને આ પત્ર સાથે તરંગવતીનો સંદેશો ન લાવી હોત, તો સમજી લે કે આજે મારું મોત હતું ! પણ તારા આવવાથી મારા દિલમાં ધમધમેલો ઉકળાટ શાંત થયો. “ચિત્રપટ નિરીક્ષણથી મને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું.” એમ કહી એણે રસ્તા પર બનેલી હકીકત કહી. પછી મને કહે છે, સારસિકા ! ત્યાંથી ઘરે જઈ શું બન્યું એ તને કહું. મારા દિલમાં એ મારા ચક્રવાકના ભવમાં ચકોરી પર જે ગાઢ અનુરાગ હતો તે અહીં પાછો કર્મ ! તારી ગતિ ન્યારી 165
Page #171
--------------------------------------------------------------------------
________________ એવો ઊભરાઈ આવ્યો કે હવે તો મને કશું ચેન જ ન પડે. આખી રાત મેં ઊના નીસાસા નાખતા પસાર કરી. ઊંઘ તો વૈરિણી થઈ ગઈ. મને લાગ્યું કે હું અશરણ નિરાધાર બની ગયો છું, એટલે કેટલું તો મને રોવું આવી ગયું. મને લાગ્યું કે હું તરંગવતી વિના જીવી નહિ શકું.” અહીં બંનેની કરણ સ્થિતિ જોવા જેવી છે. કોણ કરાવે છે એ ? મોહનીયા કર્મ. એમાં કશું ય ડહાપણનું કામ ? ના, આત્માને કશું લાભકારી નહિ. છતાં જીવો કેમ એવું કરે છે ? સંસારના રંગ એવા છે. એટલા માટે અંગ્રેજી કવિ શેક્સપિયરે પણ કહ્યું છે, 'This world is a stage, Men and women are the actors and actresses.' આ સંસાર એક રંગભૂમિ છે; (એમાં) પુરુષો અને સ્ત્રીઓ નટ અને નટીઓ છે.” કેવુંક આધ્યાત્મિક વાક્ય ! માણસ સમજે તો દેખાય કે સંસારની બધી ખટપટ કરું છું એ બધી નટ-નટીના ખેલ ખેલવા જેવું છે. વાસ્તવિક રીતે જોઈએ તો બધી હાસ્યાસ્પદ ચેષ્ટાઓ છે. નટનટી જુદા જુદા પાર્ટ ભજવે છે, પરંતુ એની પાછળના એમના ચાલુ જીવન કેવાં ? એ જીવનને આ ખેલ ખેલામણની સાથે શો મેળ ? કશો નહિ. તો ચાલુ જીવનની અપેક્ષાએ આ ખેલ (પાત્રો ભજવવાનું એ ઢોંગ-ધતુરો જ ને ? બસ, એ રીતે આત્માની દષ્ટિએ ચાલુ સાંસારિક જીવન એ ઢોંગ ધતુરો નથી ? પૈસા કમાયા, પોતાના માન્યા, પણ પછી આયુષ્ય ટૂંકું નજીકમાં મોત સામે આવ્યું ! ડૉક્ટરો એ વખતે કશું સારું થવાની ઘસીને ના પાડતા હોય. ત્યાં પોતાના કરીને રાખેલા પૈસા કેવા દેખાય ? શું એમ ન લાગે કે આ પૈસા મારા કર્યા એ ઢોંગ ધતુરો જ થયો ? અહીં ધડો લેવાનો છે કે જીવનની બધી માયાજાળ અને એની પાછળની દોડધામ એ જો નાટકિયાનો ખેલ છે, તો એવી માયાજાળ પાછળ દીવાનાની જેમ આખો ઓતપ્રોત થઈ મારું પરભવ હિત સાધી લેવાનું કેમ ગુમાવું ? શક્ય સાધના સાધી લઉં.” આ હિસાબ પર લઘુકર્મી જીવો જીવનને વ્રત નિયમથી ભર્યું ભર્યું રાખે. ત્રિકાળ જિનભક્તિ, ઉભય/ક પ્રતિક્રમણ, જિનવાણી-શ્રવણ..વગેરે સાથેનું શ્રાવકના 12 વ્રતનું જીવન જીવે. દાનરુચિવાળા સુખી માણસો મોકે મોકે 166 - તરંગવતી
Page #172
--------------------------------------------------------------------------
________________ મહાન દાન સુકૃતો કરે. ત્યાગ તપસ્યાની શક્તિવાળા ધર્માત્માઓને તો હાલતાં ને ચાલતાં અનેક પ્રકારના ત્યાગ અને તપસ્યાની આરાધના ! મૂળમાં શું ? દિલમાં વસી ગયેલું કે વેપાર ધંધા ખાનપાન, સ્નેહી-કુટુંબીના વ્યવહાર...બધું ય એક પ્રકારની વિટંબણા છે. સ્વસ્થ જીવન ધર્મનું છે. પેલો પદ્મદેવ આમ તો મોહમાયાને વિટંબણારૂપ સમજનારો છે, પરંતુ અત્યારે એના મન પર મોહનો એવો હલ્લો આવ્યો છે કે એ પોતાની જાતે જ વિટંબણા ભોગવી રહ્યો છે. એ પોતાની દુ:ખદ સ્થિતિ સારસિકોને જણાવતાં કહે છે, જો સખી ! જાતિસ્મરણથી ચક્રવાકનો ભવ જોયા પછી એ ભવની ચક્રવાકી અને આ ભવની તરંગવતી પર એટલો બધો રાગ ઉભરાયો હતો કે સવારે મિત્રોને મેં કહી દીધું કે તમે જાઓ મારા માતાજીને કહી દો કે “પદ્મદેવને ઋષભસેનશેઠની કન્યા તરંગવતી પર એટલો બધો રાગ ઉભરાયો છે કે જો તમો તમારા દીકરા માટે હમણાં જ તરંગવતીની માગણી નહિ કરો, તો તમે દીકરો ગુમાવશો, એ પરલોકનો મહેમાન થઈ જશે ! એવું અમને લાગે છે.” પ્ર.- શું પૂર્વનાં ઉત્તમ કાળે પણ આવું ચાલતું હતું કે અમુક કન્યા ન પરણવા મળે તો આપઘાત કરી નાખે ? ઉ.- હા, પૂર્વનો કાળ ગમે તેટલો ઉત્તમ, પરંતુ એ ય સંસારનો કાળ તો ખરો જ ને ? એ કાળે પણ સંસારી જીવો કાંઈ મોક્ષ પામી ગયેલ નહોતા, સંસારમાં ફસાયેલા જ હતા, એટલે કર્મથી પીડિત જ હતા, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે,- સર્વકાળ માટે સંસારી જીવોની કર્મપરિણતિ વિચિત્ર હોય છે, તેથી તેવી તેવી કર્મપરિણતિવશાત્ જીવ કમેં દીધી ચિત્રવિચિત્ર વિટંબણા ભોગવે એમાં નવાઈ નથી. એટલે તો આપણને સમરાદિત્ય કેવળીના ચરિત્રમાં ઠામ ઠામ જોવા મળે છે કે દુશ્મન બનેલો અગ્નિશર્માનો જીવ ભવિતવ્યતા વશાત્ સમરાદિત્યના બીજા ભવના જીવતા સંબંધમાં આવે છે, ને દુશ્મનનું કામ કરે છે ! છતાં ત્યાં સમરાદિત્યના જીવ કે જેણે ગુણસેન રાજાના ભાવથી ધર્મની ચઢતી કળા ખીલવી છે ને જે ઉત્તરોત્તર ભવમાં વિશેષ સમતાભાવવાળા બને છે, એ આ દુમનનું કામ કરનાર અગ્નિશર્માના જીવ પ્રત્યે આટલું જ વિચારે છે, ખરેખર ! જીવોની કર્મ-પરિણતિ વિચિત્ર છે; એના લીધે બિચારા અનુચિત રાગ-દ્વેષથી પીડાય અને અનુચિત આચરે એમાં નવાઈ નથી.” તત્ત્વ કર્મ ! તારી ગતિ ન્યારી 167
Page #173
--------------------------------------------------------------------------
________________ સમજનારે એના પર જરાય વૈષ-અરુચિ ન કરાય માત્ર ભાવકરુણા જ વિચારવાની. સમરાદિત્યના જીવની કેટલી બધી ઊંચી તત્ત્વદષ્ટિ છે ! ઊંચી તત્ત્વદૃષ્ટિ લાવવી હોય તો ગમે તેવા વિરોધી કે અયોગ્ય જીવો માટે પણ આટલું જ વિચારવાનું કે, “વિવિત્તા ઘનુ મ્ પરિપા' ' અર્થાત્ ખરેખર જીવોની કર્મપરિણતિ ચિત્રવિચિત્ર છે, તેથી એનાં ચિત્રવિચિત્ર સર્જન દેખાય. કર્મપરિણતિને પરવશ પડેલો સંસારી જીવ બિચારો ત્યાં શું કરે ? આમ વિચારવામાં કર્મ દોષિત દેખાય, અને જીવ નિર્દોષ દેખાય ! તેથી ગુસ્સો કર્મ પર આવે, પણ જીવ પર ગુસ્સો ન આવે. આમ જો વિચિત્ર કર્મપરિણતિ ને તત્ત્વ પર શ્રદ્ધા હોય તો પછી પ્રશ્ન માત્રથી કેમ આપઘાતનું વિચારે? કેમકે તે જીવની મોહનીય કર્મની વિચિત્ર પરિણતિ જ એવી કે એવા અસમંજસ અનુચિતભાવ મનમાં લાવી મૂકે. રામાયણમાં આવે છે ને કે વનવાસ દરમ્યાન લક્ષ્મણજી એક નગરની બહાર જંગલમાં પહોંચે છે ત્યાં રાજકુમારી વિશલ્યા ઝાડે ફાંસો ખાઈ રહી હતી ! લક્ષ્મણજીએ દૂથી એ દેખતાં ઝટપટ ત્યાં પહોંચી ઝાડ પર ચઢી ફાંસાનો છેડો છોડી નાખી કન્યાને સાચવીને નીચે લીધી. વિશલ્યા કેમ ફાંસો ખાઈ રહી હતી ? ખૂબી કેવી થયેલી કે એ રાજકન્યા વિશલ્યાએ લક્ષ્મણજીના જ વિશિષ્ટ ગુણાનુવાદ સાંભળેલા, તેથી મન સાથે નક્કી કરેલું કે “પરણીશ તો લક્ષ્મણજીને, નહિતર જીવનભર કુંવારી રહીશ !' એણે સખીઓ દ્વારા પોતાની આ ઇચ્છા માતાને પહોંચાડેલી. માતાએ એના પિતા રાજાને વાત જણાવી. રાજાએ ખુશી થઈ રામચંદ્રજી પાસે માણસો મોકલી માગણી કરવા પ્રયત્ન કર્યો પરંતુ એમાં જાણવા મળ્યું કે રામચંદ્રજી ને લક્ષ્મણજી તો વનવાસે નીકળી ગયા છે. આ વાત વિશલ્યાના જાણવામાં આવતાં એને લાગ્યું કે હવે કાંઈ લક્ષ્મણજી મળે નહિ. એ મળવાની આશા જ નથી; તેથી ધીરજ ગુમાવી બેઠા, અને જંગલમાં આવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. વિશલ્યાની આપઘાતની કોશીશ : ફાંસો ખાતા પહેલાં ઝાડ પર ચડી એણે મોટેથી જાહેર કર્યું કે “હે વનદેવતા ! હું મન-વચન-કાયાથી ગુણગણનિધિ લક્ષ્મણજીને પતિ તરીકે ચાહું છું, એ વનવાસે નીકળી પડ્યા હોવાથી 168 - તરંગવતી
Page #174
--------------------------------------------------------------------------
________________ એમનો પત્તો મળ્યો નહિ. છતાં મેં બહુ રાહ જોઈ, પણ મળવાની આશા નથી. તો એમના વિના હું હવે વધારે વખત રહી શકું એમ નથી, તેથી તે વનદેવતા ! હવે તમને એ મળે તો એમને કહેજો કે આ વિશલ્યા એકમાત્ર તમને ચાહે છે. તમે મળ્યા નહિ તેથી એણે આત્મહત્યા સ્વીકારી, ને ઇચ્છે છે ભવાંતરે તમે જ મને સ્વામી તરીકે મળજો.” સંસારમાં જીવની કેવી મોહમૂઢદશા છે ! એક દુન્યવી માણસ ખાતર પ્રાણ છોડવા અને ઉત્તમોત્તમ માનવભવ ગુમાવવા તૈયાર થઈ જાય છે, પરંતુ એ નથી વિચારતો કે “આમે ય જ્યારે ઇષ્ટ પતિ મળવાના નથી અને જિંદગી ગુમાવી જ દેવી છે, તો એના કરતાં જીવતા રહીને ચારિત્ર અને કઠોર તપસ્યા માર્ગની આરાધના કાં ન કરી લઉં ?' આપઘાતથી મરીને ખલાસ જ થવું છે, તો એના કરતાં તપસ્યાથી કાયાને ઓગાળી નાખી ખલાસ થવું શું ખોટું ? પરંતુ મોહમૂઢતાને લીધે મનને આ સૂઝતું જ નથી. લક્ષ્મણનો ભેટો : વિશલ્યાના શબ્દો લક્ષ્મણજીએ સાંભળ્યા હશે, એટલે એ દોડતા આવ્યા, ફાંસો છોડી એને બચાવી લઈ પૂછે છે, શા માટે આવું આપઘાતનું અધમ કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ ? વિશલ્યા કહે “તમે ફાંસો છોડનારા કોણ છો ? તમે આઘા જાઓ; મને ફાંસો ખાઈ મરી જવા દો !' લક્ષ્મણ પૂછે, પણ એવું તે શું દુઃખ આવ્યું તારે ?' વિશલ્યા કહે, લક્ષ્મણજીને મેં હૃદયથી પતિ ઘાર્યા છે, પણ સાંભળ્યું કે એ તો વનવાસે ચાલ્યા ગયા; તો એમના વિના હવે હું સમય કાઢી શકું એમ નથી. ત્યાં લક્ષ્મણજી ખુલાસો કરે છે કે “અહો ! અહો ! તો તો તારે મરવાની જરૂર જ નથી. જો હું પોતે જ લક્ષ્મણ છું. અહીં બાજુમાં મોટાભાઈ રામચંદ્રજી બિરાજમાન છે. એમની સાથે હું વનવાસે નીકળેલો છું. વિશલ્યા સાંભળીને ખુશીનો પોટલો થઈ ગઈ ! પગમાં પડીને હાથ જોડી વિનંતી કરે છે કે તો પછી હવે તમે મને હમણાં જ ગાંધર્વ વિવાહથી પરણી લો, અને મને સાથે લઈ ચાલો; નહિતર હું તમને સ્ત્રી હત્યાનું પાપ આપીશ. કર્મ ! તારી ગતિ ન્યારી 169
Page #175
--------------------------------------------------------------------------
________________ વિશલ્યાની મહાનતા : આ વિશલ્યાનો આત્મા કેટલો ઊંચો છે એ જાણો છો ? જુઓ, આગળ પર, જ્યારે રામ રાવણનું યુદ્ધ થાય છે, અને ત્યાં રાવણ, રામની સેના પર “જરા’ વિદ્યા મૂકીને આખી સેનાને મૂર્શિત કરી દે છે, ત્યારે રામચંદ્રજી મુંઝવણમાં પડી જાય છે કે હવે શું કરવું કેમકે સેનાની મૂછિત દશામાં આમ ને આમ જો રાત નીકળી ગઈ, તો સવારે રાવણની સેના આ આખી સેનાની લણણી જ કરી નાખે !" રામચંદ્રજી ને લક્ષ્મણજી ગમે તેવા બળવાન, પરંતુ વિદ્યાદેવીના પ્રભાવ આગળ શો સામનો કરી શકે ? તો માણસ પોતાના બળનું ગુમાન રાખીને ફરે એનો શો અર્થ ? અહીં મુંઝવણનો પાર નથી, કેમકે સવારે અનર્થ ભયંકર દેખાય છે. ત્યાં કોઈએ કહ્યું વિશલ્યા એવા શુદ્ધ બ્રહ્મચર્ય સદાચારની નિષ્ઠાવાળી છે, અને પૂર્વ ભવની વિશિષ્ટ આરાધનાવાળી છે, કે એના શરીરના નાનાજળને તેના પર છાંટવામાં આવે, તો જરાવિદ્યા પરાસ્ત થઈ ભાગી જશે ! રામચંદ્રજીને આશ્ચર્ય સાથે વિશલ્યા માટે માન ઊપજયું, અને દિલને ઘણી રાહતનો અનુભવ થયો. તરત વિદ્યાધરોને મોકલવામાં આવ્યા, અને એ વિશલ્યાના પિતાને હકીકત કહી એમની રજા લઈ મહાસતીને અહીં લઈ આવ્યા, ને એના સ્નાન-જળને તેના પર છાંટતાં સેના તરત જ સચેતન થઈને યુદ્ધભૂમિ પર શસ્ત્રો સાથે ખડી થઈ ગઈ !! વિશલ્યાનો ત્યાં અભુત પ્રભાવ પ્રસરી રહ્યો. આ હિસાબે વિચારો આવી પ્રભાવવંતી અને શીલ સદાચારના ઊંચા ભાવવાળી વિશલ્યા કેમ આપઘાત માટે ફાંસો ખાવા તરફ જંગલમાં ગઈ ? શુદ્ધ ભાવવાળી છતાં સંસારસુખની વાસનાથી એ મુક્ત નહોતી. એ બતાવે છે કે, સંસારસુખની વાસનાથી મુક્ત થવું એ સહેલું નથી. માટે, સંસારવાસનાથી જે મુક્ત થાય છે એ મુનિઓને ધન્ય છે. એમના પર જિનશાસનની એવી પ્રભા પડેલી હોય છે કે એમના હૈયાને સંસાર ચેષ્ટાઓ નરી પાશવી જનાવરની ચેષ્ટા, પાગલની ચેષ્ટા લાગે છે, એનાથી મહાપવિત્ર માનવભવ અભડાઈ જતો દેખાય છે, કલુષિત-કલંકિત થતો ભાસે છે ! એથી એમને શરમ લાગે છે કે હાય ! આવા ઊંચા માનવભવે આ હલકટ-કૃત્ય ! તેથી જ મુનિપણું પાળતાં નિરંતર પવિત્ર પરમાત્માનાં સ્વરૂપ તથા આત્માના વિશુદ્ધ જ્ઞાનમય સ્વરૂપને વિચારતા રહે છે, વિશુદ્ધ જ્ઞાતૃ-દષ્ટ્રભાવમાં રમતા રહે છે. 17) - તરંગવતી
Page #176
--------------------------------------------------------------------------
________________ સ્થૂલભદ્રસ્વામિએ આવી જ કોઈક શુદ્ધ આત્મસ્વરૂપની રમણતા જીવંત જાગ્રત રાખી હશે, તો જ વેશ્યાના ગીત-નૃત્ય-હાવભાવની સામે અણનમ અવિકૃત પત્થર જેવા થઈને બેઠા હશે ને ? ત્યારે તો કોશાવેશ્યાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા ! સંસારવાસની વાસનાને હજી સમૂળ નષ્ટ નથી કરી, ત્યાંસુધી પોતાની આંતરિક સ્થિતિ એટલી પરવસ્તુને પરવશ રહે છે. વિશલ્યા એટલે જ લક્ષ્મણજીમાં લોભાઈ હતી. પરંતુ એમને છોડીને પરપુરુષમાત્રની તરફ અનાસક્ત હતી, કહો મહાશીલવંતી હતી, એટલે એનું સ્નાન-જળ આવું પ્રભાવવંતું બન્યું કે દેવી જરા વિદ્યાને એણે હટાવી દીધી ! પરંતુ લક્ષ્મણજીને પતિ કરવા અંગે એ પરવશ મોહવશ હતી, તેથી એ ન મળે તો આત્મહત્યા સુધીના વિચારમાં ચડી ગયેલી ! અસ્તુ. અહીં પધ્ધદેવ મહાન સગુણી અને શીલવાન મર્યાદાવાન યુવાન છે. પૂર્વ ભવની પ્રિયા અહીં તરંગવતી બનેલી જાણી તો એવી જ કોઈક પરવશતાથી એને મેળવવા મોહાસક્ત બની ગયો છે. એ તરંગવતીની સખી સારસિકાને કહે છે - મેં મિત્રો દ્વારા માતાને તરંગવતીનું માંગુ કરવા સૂચવ્યું, અને માતાએ મારા પિતાને વાત કરતાં પિતાજીનો મારા પર અત્યંત પ્રેમ હોવાથી માંગ કરવાનું મંજૂર કર્યું. મંજૂર કરીને પોતાના નિકટના સ્નેહી વર્ગ સાથે તરંગવતીના પિતા ઋષભસેન શેઠ પાસે જઈ માગણી કરી. પરંતુ ઋષભસેન શેઠે તરંગવતી આપવાનો ઇનકાર કર્યો, પિતાજી પાછા આવ્યા, અને મને એની જાણ થતાં મારા ખેદનો પાર રહ્યો નહિ; હું ભારે ઉદાસ બની ગયો. માતાપિતાએ મારી ભારે ઉદાસ સ્થિતિ જોઈને મને સમજાવતાં આશ્વાસન આપ્યું કે વત્સ ! તું જરાય ચિંતા ન કરીશ. આ તો બધા કર્મના હિસાબ છે. આપણા કર્મ એવા અનુકૂળ ન હોય તો ધારી વસ્તુ ન મળે, ન બને, તેથી કઈ આપણે ખેદ કરવાનો ન હોય. એક નહિ તો બીજી સારી કન્યા; જગતમાં સારી કન્યા એક જ થોડી છે? અનેક કન્યાઓ દુનિયામાં હોય છે. તું જરાય ચિંતા સંતાપ ન કરીશ; આપણે તરંગવતી સિવાય તું ઇચ્છે તે બીજી સારામાં સારી કન્યા તને પરણાવશું.” “ચેટી ! માતાપિતા ખૂબ પ્રેમભરી લાગણીથી મને આ આશ્વાસન આપી કર્મ ! તારી ગતિ ન્યારી 171
Page #177
--------------------------------------------------------------------------
________________ રહ્યા હતા, એટલે એ વખતે મારે એમને હતાશ નહોતા કરવા તેથી મારા દિલનો નિર્ધાર કહેવાને અવસર નહોતો. કેમકે નહિતર તો મારી બીજી કન્યા નહિ અને માત્ર તરંગવતી જ પરણવાનો નિર્ધાર કહેવા જતાં અવિનય થાય, મોટાની આમન્યા તોડવાનું થાય; અને સારસિકા ! આપણે ખાનદાન કુળના, તે વિનય-આમન્યા-મર્યાદાપાલન એ આપણી ખાનદાની તે કેમ ચૂકાય ? મેં તરત વિનયભાવે એમને કહી દીધું કે જેવી તમારી આજ્ઞા એમ કરીને વડીલજનને વિશ્વાસ તો આપી દીધો. પરંતુ મારું અંદરથી દિલ બિલકુલ માનતું નહોતું.” અહીં પૂછો, પ્ર.- અંદરખાને એવું દિલ ન માને, તો શું બહારમાં સારા દેખાવાનો ઢોંગ-ધતુરો કરાય ? ઉ.- ખાનદાનીની મર્યાદા જાળવવી હોય તો એકવાર તો વડીલ વચન તહત્તિ કરવું જ જોઈએ; નહિતર તો અનાર્ય વ્યવહાર ચલાવવા પડે. પેલો પઘદેવ કહી રહ્યો છે, “બાઈ ! તરંગવતીના બાપે એમની પાસે સામા પગલે ચાલીને આવેલા મારા પિતાને ઘસીને ના પાડેલી. એથી દુઃખિત થયેલા મારા પિતાના બોલનો ભારે વિરોધ કેમ કરાય ? અમારું ન સ્વીકાર્યું માટે એમને વધુ દુઃખિત કેમ કરાય ? એમનું વચન “ભલે એમ હો' કહીને માથે ચડાવવાનો દેખાવ કર્યો. “પરંતુ સખી !' દિલ માનતું નહોતું. તેથી મેં જોયું કે હવે તરંગવતી મળે એમ નથી તો પ્રિયા વિના જીવીને શું કામ છે ? જીવતા રહીને પ્રિયાનો અ-સંપર્ક સહેવાનું મારે મુશ્કેલ છે તેથી મેં આત્મહત્યાનો નિર્ણય કરી લીધો.” સાંસારિક કોઈ વાતમાં હતાશ નિરાસ થયેલો જીવ ક્યાં સુધી પહોચે છે ? કેવા ઘેલા નિર્ણય લે છે ! અમૂલ્ય મનુષ્ય જિંદગી એટલે સુકૃતો કમાઈ લેવાનો અને પૂર્વના પાપોનો ભુક્કો કરવાનો અમૂલ્ય કાળ ! એને શું એક કોઈ વસ્તુની નિરાશામાં વિણસાડી નાખવાનો ? દઢપ્રહારી : દઢપ્રહારી ચોર પણ ચાર મહાન હત્યાના પાપથી ત્રાસી જઈ આપઘાત કરવા ચાલેલા ! એમાં મુનિ મળ્યા અને મુનિએ વાત જાણી, એને આ જ કહ્યું,- “માનવજીવન ખો નહિ. જીવન હાથમાં છે ત્યાં સુધી પાપોને ધોવા માટે, અને ભાવી સલામતિકારક પુણ્યાનુબંધી પુણ્યની મૂડી એકત્રિત કરવા માટે, ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધના કરતો રહે, જીવતો રહીશ તો એ કરવાને તક છે. મરીશ તો તક ગઈ સમજ.” 172 - તરંગવતી
Page #178
--------------------------------------------------------------------------
________________ દઢપ્રહારીને ગળે વાત ઊતરી ગઈ, ત્યાં જ ચારિત્ર લઈ ઘોર અભિગ્રહ કર્યો કે આ જ નગરના ચાર પૈકી એકેક દરવાજા બહાર 1-1 માસ કાયોત્સર્ગ ધ્યાને રહેવું, અને જે દિવસે પેલું ચાર હત્યાનું ઘોરપાપ યાદ આવે તે દિવસે ઉપવાસ કરવો.' બસ, કેમ આવો ઘોર અભિગ્રહ ? : એ પ્રમાણે ધ્યાનમાં રહેવા લાગ્યા છ મહિનાના ઉપવાસ ખેંચ્યા ! કેમકે રોજ સવારે લોક નગરની બહાર ઝાડે ફરવા જાય ત્યારે આને ધબ્બો ધોલ ધપાટ કરતા જાય ને બોલતા જાય “જુઓ આ પાપિયા પેલા બ્રાહ્મણ કુટુંબનો હત્યારો !' આમ ધોલ ધપાટા સહિત ગાળો, ત્રાસ, અપમાન, તિરસ્કાર સહતાં 6 મહિના કાઢ્યા ! શું બગડી ગયું ? દઢપ્રહારી અનંત સંસાર તરી ગયા ! આ ક્યારે બન્યું ? જીવતા રહ્યા તો બન્યું. અલબત આરાધના કર્યા પછી મર્યા, પણ મરતા પહેલાં પાપોને મારી મર્યા. આ હિસાબ છે, “પાપોને માર્યા વિના મરે તે પરભવે બેહાલ થાય, પાપોને મારીને મરે તે પરભવે ન્યાલ થઈ જાય.” પેલો પડાદેવ તરંગવતીની સખીને કહી રહ્યો છે,- “માતાપિતાએ બીજી સારી કન્યા પરણવાનું આશ્વાસન આપી તરંગવતીની ઇચ્છા પડતી મૂકવાનું કહ્યું, ને તે મેં એમના દાક્ષિણ્યથી જેવી આપની આજ્ઞા એમ કહીને સ્વીકારી તો લીધું, પરંતુ મારું મન થોડું જ માને એવું હતું ? હવે તરંગવતી આ જનમમાં મળે એમ નથી એવી નિરાશાથી આત્મહત્યા કરવાનો નિર્ધાર કરી લીધો; ને એ કામ રાતે કરવાનો નિર્ણય કર્યો, કેમકે દિવસના તો એવા આત્મહત્યાના કામમાં કાંઈ ને કાંઈ વિઘ્ન આવે, તેથી એ કાર્ય રખડી પડે. આમ હું આજે રાતે જીવતરની તદ્દન સ્પૃહા વિનાનો અને અવશ્ય મોત સ્વીકારી લેવાના નિર્ણયવાળો બનેલો, એમાં તું તરંગવતીનો સંદેશો લઈને આવી, એ બહુ સારું કર્યું ! કેમકે આ કિંમતી જનમ નકામો ખોઈ નાખતાં બચ્યો ! હવે મારે મરવાની કોઈ જરૂર નથી. હવે તું એક કામ કર, પાદેવનો સંદેશો : “તું જા જઈને મારા વચનથી એ મારી પ્રાણથી અધિક પ્રિયાને મારા તરફથી કહે કે “હું તારો સર્વ પ્રકારે દાસ છું. તારા ચિત્રપટ્ટના દર્શનથી મને પૂર્વ જન્મનું સ્મરણ થતાં ત્યાં તે જે મારા પર અનહદ પ્રેમભર્યા સત્કાર સન્માન કરેલાં એ વીસર્યા વીસરાય એવા નથી, અને હવે તો આજે યાદ આવતાં રોમાંચ ખડા થાય છે, દિલ ગગદ થઈ જાય છે, તું કર્મ ! તારી ગતિ ન્યારી 173
Page #179
--------------------------------------------------------------------------
________________ નથી મળી ત્યાં સુધી મારા મનને વિષાદનો પાર નથી. હવે તો તું મને ક્યારે એ પૂર્વના અવિસ્મરણીય ભારોભાર પ્રેમથી વિનોદના મીઠા મીઠા બોલ સંભળાવી મારા ઊકળતા દિલને શાંતિ આપે ?" આમ કહીને એણે તારા પત્રના જવાબરૂપે પત્ર લખી નાખ્યો અને તે તને આપવા માટે મને આપ્યો; ને મને વિદાય આપી. સખી સારસિકાએ આ પ્રમાણે તરંગવતીને કહી એને એના પૂર્વપ્રિયનો એ પત્ર આપ્યો, એમાં શું લખ્યું હતું? એવું લખ્યું હતું કે જે વાંચીને તરંગવતીનું હૃદય રાગના ઊભરાતા હરખથી જાણે ફાટ ફાટ થવા માંડે છે ! એમાં શું લખ્યું હતું એ જોવા પહેલાં જરાક પમદેવની સ્થિતિ અને સંદેશા પર આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો દેખાય છે કે, રાગાધિન પર આધ્યાત્મિક દૃષ્ટિપાત : આ જગતમાં જીવ જયારે મોહને પરવશ બને છે ત્યારે કેવી કેવી ઘેલી વિચારણા ઘેલા નિર્ણય અને ઘેલી પ્રવૃત્તિ કરે છે ! કોણ માનવી કે દેવતા આ ઘેલી વિચારણા નિર્ણય અને પ્રવૃત્તિ કરવા બળાત્કાર કરે છે ? કોઈ જ નહિ. મોહના ઘેરાવામાં પોતે જ આ બધું કરી રહ્યો છે. ખૂબી તો એ છે કે જગત પર જિનશાસનની તાત્ત્વિક સુંદર સમજ હયાત છતાં એને બાજુએ મૂકી ઘેલી વિચારણા ઘેલા નિર્ણય અને ઘેલી પ્રવૃત્તિમાં જાતે ફસાય છે. કારણ? મોહની પ્રબળ પરવશતા. જુઓ, પમદેવ કેવો ફસાયો ? ધારેલી કન્યા નથી મળવાની, એવું લાગવા પર ઠઠ આપઘાત યાને મહાકિમતી માનવભવનો નાશ કરવાના નિર્ણય સુધી પહોંચ્યો ! એ વખતે એ ધ્યાનમાં ન આવ્યું કે આવો મહાકિંમતી માનવભવ નષ્ટ કરવા છતાં શું પરલોકે ધારી કન્યા મળવાનું નક્કી છે ? અરે ! મૂળ પાયામાં માનવભવ મળવાનું ય ક્યાં નક્કી છે ? કદાચ મળી જાય તો ય પોતે કયા સ્થાને હોય ? અને કન્યા કયા સ્થાને હોય ? કદાચ માનો કે બંનેને એક સ્થાને જન્મ મળ્યો તો ય બંને એકબીજાને જાતિસ્મરણ દ્વારા પૂર્વની સગાઈથી ઓળખશે એ ય ક્યાં નક્કી છે ? આનંદઘનજી મહારાજે ‘ઋષભપ્રભુના સ્તવન'માં કહ્યું ને, * પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. * કોઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરે રે, મિલશું કંથને ધાય; એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય. - તરંગવતી. 174
Page #180
--------------------------------------------------------------------------
________________ કવિ કહે છે, “ઋષભદેવ ભગવાન મારા પ્રીતમ છે, પ્રીતિપાત્ર છે, પરંતુ એમની સાથે પ્રીતસગાઈ કેવી કરવી?...જગતમાં એમ તો મેં પ્રીતસગાઈ બહુ કરી, પરંતુ એકેય નિત્યસ્થાયી પ્રીતસગાઈ ન બની, કેમકે જગતમાં દેખાય છે કે કોઈ હજી પતિ મરી જતાં, હું દોડીને પતિને ભેગી થઈ જઈશ” એમ કરી કાષ્ઠભક્ષણ કરે છે, અર્થાત પતિની ચિંતામાં પડી બળી મરે છે, પરંતુ તેથી શું પતિના બીજા જનમમાં પતિ પહોંચેલા સ્થાને એ પહોંચી જાય છે ? ના, કેમકે “મેળો ઠામ ન ઠાય.” પતિના અને પોતાના કર્મ જુદા જુદા છે; કોનાં કેવા કર્મ એને કયા સ્થાને લઈ જાય, ને બીજાનાં જુદા કર્મ એને ક્યાં લઈ જાય, એનું શું કહેવાય ? એટલે કહો, બંનેનો મેળો કોઈ એક સ્થાનમાં વારેવારે મેળા થતા નથી. એટલે પ્રભુ સાથે મેળો એમ ન થાય જો આ હકીકત છે તો પધદેવ શું જોઈને આપઘાતનો નિર્ણય બાંધી બેસતો હશે ? એમ શું પ્રિયાનો મેળો થવાનો હતો ? માણસ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે, તો આવા અનુચિત સાહસના આંધળિયા ન કરે. પ્ર.- શું પદ્મદેવમાં એટલી દીર્ધદષ્ટિ નહિ હોય કે આપઘાત તો કરી શકીશ, પરંતુ તેથી શું આગળ પર તરંગવતી મળવાનું નક્કી છે ? આ વિચાર કરતો નથી તો શું જોઈને આપઘાતનો નિર્ણય લીધો ?' ઉ.- અહીં મોટું કારણ આ લાગે છે કે આને પૂર્વભવનો મેળાપ દેખાઈ ગયો, અને આ ભવમાં પણ મેળાપ થવાની પૂરી શક્યતા ઊભી થઈ ગયેલી દેખાઈ. પૂર્વભવની જ પ્રિયા અહીં જન્મી ગયેલી અને પદ્મદેવની પોતાની પાછળ પ્રેમથી ઝૂરતી જાણવા મળી, એટલે એના પર રાગ અનહદ વધી ગયો એ રાગની પ્રબળતા, એણે અત્યારે આપઘાત પછી શું એનો વિચાર જ ન આવવા દીધો. રામચંદ્રજીએ દીક્ષા લીધી; પછી સીતાજી જે બારમા દેવલોકના ઈન્દ્ર થયેલા છે, એમને લાગ્યું કે “આ રામચંદ્રજી વહેલા વહેલા મોક્ષે જશે તો મારે એમનો ભાવી યોગ થઈ, એ ગુણનિધિના આલંબને આરાધના કરવાનું નહિ મળે. માટે થોડો વખત એમને એમના ત્વરિત મોક્ષપ્રમાણમાં જરા વિલંબ કરાવું,’ આવા કોઈક મોહમય આશયથી એ મુનિ રામચંદ્રજી જે ધ્યાનમાં રહેતા હતા, એમની આગળ સીતાનું રૂપ લઈને અનુકૂળ ઉપસર્ગ કરવા આવ્યા ! એમની આગળ પોતે સીતાજીનું રૂપ કરી અનેક વિદ્યાધર કન્યાઓ વિકૂર્તી ગીત નૃત્ય કરે છે, અને પ્રાર્થના કરે છે, સ્વામિનાથ ! આ તમને જ એક સ્વામિ તરીકે ધરનારી કર્મ ! તારી ગતિ ન્યારી 1 75
Page #181
--------------------------------------------------------------------------
________________ હું સીતા તમારા વિના નૂરી રહી છું. એને જરા રહેમનજરથી નિહાળો ! વાતાવરણ પણ વસંતઋતુનું અને દિવ્યદશ્યોવાળું એવું ખડું કરી દીધું કે, એ દેવતાઈ ગીત નૃત્યભર્યા મોહક વાતાવરણમાં પવૈયાને પાનો ચડી જાય ! ભડવીર મહામુનિ રામચંદ્રજીએ ચારિત્ર લીધા પછી તપ-સંયમ અને ધ્યાનની પ્રખર આરાધનાથી રાગના ટાંટિયા જ ભાંગી નાંખ્યા છે. હવે રાગની પ્રબળતા પરાધીનતા મરી પરવારી છે. તે પણ આ ક્યારે બન્યું? જો વિષયોના સરંજામના ઘેરાવાનું નિમિત્ત પડતું મૂકી, સંસાર ત્યજી અણગાર બન્યા, અને સદ્ નિમિત્ત રત્નત્રયીની આરાધનામાં જ લાગ્યા રહ્યા ત્યારે. સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગમાં જરાય પીગળ્યા નહિ, ને આગળ જતાં ધ્યાનમાં ઊંચે ને ઊંચે ચડતાં ચડતાં શુક્લધ્યાન અને કેવળજ્ઞાનમાં ચડી ગયા ! ત્યાં સીતેન્દ્રને પોતાના પ્રબળ રાગ ઉપર ધિક્કાર છૂટ્યો કે “હાય જલદી મોક્ષ જવા તૈયાર સ્વામિને મારી સાથે મોડા મોક્ષે જવાના મિથ્યા રાગમાં એમને સંસારમાં રોકી રાખવાની કેવી દુર્બુદ્ધિ અને બાલિશ ચેષ્ટા કરી ! ત્યાં ક્ષમા માગે છે. રાગની પ્રબળતા પરાધીનતા, રાગનાં નિમિત્તભૂત વિષયોના સંપર્ક છોડવાથી કપાય, મોળી પડતી આવે.” એ સમજીને જ મોટા થાવસ્યાકુમાર, મેઘકુમાર, જંબુકુમાર, ગજસુકુમાળ, શાલિભદ્ર, ધનાજી વગેરેએ સંસારત્યાગ કરેલા; જેથી પછી પૈસા પરિવાર માલ મિલકત વગેરે વિષયોના સંપર્ક જ નહિ, એટલે રાગને પોષાવાનો અવસર જ ન મળે. પેલા પદ્મદેવને કેમ તરંગવતી પર એવા રાગની પ્રબળતા ઊઠી કે હવે એ નથી મળવાની એવી કલ્પનામાં આપઘાત કરવાનો નિર્ણય કરે છે ? કહો, ચિત્રદર્શનથી પૂર્વભવનું સ્મરણ થઈ આવતાં, પૂર્વભવની પ્રેમલીલારૂપી વિષયોનું સ્મરણ થઈ આવ્યું. એજ વિષયસંપર્ક થયો, અને અહીં પૂર્વપ્રિયા જન્મી ગઈ છે અને એણે જ આ ચિત્ર કર્યું છે એ જાણવા જોવા મળ્યું, એ વિષયસંપર્ક વધ્યો. એના પર રાગની પ્રબળતા વધી ગઈ, એટલે આપઘાત કરવાના ઘેલા વિચારમાં ચડી ગયો. આ જાણીએ ત્યારે આપણા મનને એમ થવું જોઈએ કે “એક રજોવીર્યથી ઉત્પન્ન થયેલી અને એક ભવ માત્રની સગી કન્યા પર અતિરાગ થાય, અને એ અતિરાગની પાછળ મૃત્યુ જેવું ભારી કષ્ટ વધાવવા તૈયાર થવાય, તો અનંતજીવની કરુણા ભાવનામાંથી ઉત્પન્ન થયેલ અને વીતરાગતા કેવળજ્ઞાન 176 - તરંગવતી
Page #182
--------------------------------------------------------------------------
________________ સુધીના ઉત્કૃષ્ટ ગુણોનો ભંડાર બનેલા પરમાત્મા પર આપણને અતિરાગ કેમ નથી થતો ? એ ક્યારે થવાનો ? અને એ અતિરાગમાં મૃત્યુ જેવું મહાકષ્ટ તો નહિ, પરંતુ એનાથી નાના નાના ત્યાગ-પરિષદનાં કષ્ટ વધાવવાની આપણી તૈયારી ક્યારે ? 13. વીતરાગ પર અતિશય પ્રેમ | પેલો વિષયોનો અતિરાગ તો પાગલતાનો છે, મોહ-મૂઢતાનો છે; ત્યારે વીતરાગ પર અતિરાગ એ પ્રકાશમાન સમ્યગ્દર્શનનો વિવેક છે. ઘાણીમાં બાળમુનિ : પાલક પાપીની ઘાણીમાં નાના બાળમુનિ ય હોંશે હોંશે કૂદી પડ્યા ને પીલાયા ! એ ક્યા બળ પર ? કહો, પ્રભુ પરના અતિરાગના બળ પર. બાકી એમની ઉંમરના પ્રમાણમાં તો એટલો શાસ્ત્રબોધનો સંચય એમની પાસે હતો નહિ, ઊંડા તત્ત્વોની સમજ હતી નહિ, તો કયાં બળ ઉપર આ મહાપરાક્રમ કર્યું ? કહો, પરમાત્મા મુનિસુવ્રતભગવાન પરના અતિ રાગથી ભગવાનની વાણી મનમાં ધરી, “ભગવાન ! તમારી ખાતર' એમ કરી સહર્ષ ઘાણીમાં પલાઈને મૃત્યુનું કષ્ટ પણ વધાવી લીધું ! દુનિયાનો માણસ જો કોઈની ઉપરના અતિ રાગથી આત્મહત્યા સહર્ષ વહોરી શકે છે, તો ભગવાનના સેવકને ભગવાન પરના અતિરાગથી એવા કોક અવસરે મોત વધાવી લેતાં શાનો આંચકો આવે ? બોલો, બાળમુનિ બુદ્ધિમાન ? કે આપણે ? બાળમુનિ નાદાન ? કે આપણે નાદાન ? ભગવાન પરના અતિરાગથી એમણે ઘાણીમાં પીલાઈ જવા સુધીનું કષ્ટ ઉપાડ્યું તો ઈનામમાં કેવળજ્ઞાન અને મોક્ષ ! કાયાદિનો રાગ મિટાવવા વીતરાગ ભગવાન પર અતિ પ્રબળ રાગ ઊભો કરવાનો. પેલો પમદેવ તરંગવતી પરના પ્રબળ રાગમાં તણાયો, હવે એ મળવાની આશા જવાથી આપઘાત કરવા તૈયાર થયેલો ! એ તો સારું થયું કે તરંગવતીની ચેટી સખી સારસિકા ત્યાં પહોંચી ગઈ, એણે તરંગવતીની પણ આશા પડી ભાંગવાથી એને થયેલ પારાવાર દુઃખનું વર્ણન કર્યું, એનો પ્રેમપત્ર આપ્યો, એટલે પમદેવ આપઘાતના વિચારથી અટક્યો ! હવે એ સારસિકાને મૌખિક સંદેશો આપી તરંગવતીને આપવાનો એક પત્ર આપે છે. સારસિકા ઊપડી તરંગવતી પાસે, અને કહે છે, “સ્વામિની ! જરાક મોડું થયું, કેમકે નીચે દ્વારપાળને સમજાવીને મારે એક પરસ્ત્રીને ઉપર તારા પ્રિય પપ્રદેવકુમાર પાસે જવું મોધું હતું, કારણ, એ ઘરમાં એટલી બધી શીલા કર્મ ! તારી ગતિ ન્યારી 177
Page #183
--------------------------------------------------------------------------
________________ મર્યાદાનાં પાલન, કે સ્ત્રીઓને જેમતેમ પ્રવેશ ત્યાં ન મળે. એટલે મકાનમાં પેસતાં જ દરવાને મારી જડતી લીધી કે બાઈ તું કોણ છે ? ક્યાંથી આવી છે?' સારસિકાની ચતુરાઈ : હવે મારે દરવાનને વહેમ ન પડે એટલા માટે ખચકાતો જવાબ દેવો ચાલે નહિ, એટલે મેં બંડલ ઠોક્યું કે “હું આર્યપુત્ર પમદેવની પરિચિત છું, ને એમને મળવા આવી છું,” ખૂબ ઉલ્લાસથી કહ્યું, પાછી દરવાનની થોડી ચાપલૂસી કરી, કે આર્યપુત્ર ! તમને ધન્ય છે, કે ગમે તે ગમે તે સ્ત્રીને અંદર જવા દેતા નથી ! આ ઘરની શીલ મર્યાદા પ્રશંસનીય લાગે છે, સારું સારું, કુળવાન ઘરોમાં આ જરૂરી જ છે, નહિતર ત્રીજાત તો જોગમાયા, વિશ્વાસ કરવા લાયક નહિ. હવે તમે મને કુમારસાહેબ પાસે લઈ ચાલો. સખી ! એ તો એવો પ્રભાવિત જ થઈ ગયો કે તરત એણે એક દાસીને હુકમ કર્યો જા રે ! આ બેનને ઉપર કુમારસાહેબ પાસે મૂકી આવ...” વગેરે વગેરે બધી હકીકત સારસિકાએ તરંગવતીને એવી રીતે કહી કે એની જિજ્ઞાસા-આતુરતા ચાલુ રહે કે હા પછી શું બન્યું ? પછી શું બન્યું? તરંગવતીને સારસિકાએ અહેવાલ એવી રીતે આપ્યો કે બહુ રસપૂર્વક એ સાંભળતી રહી, છેલ્લે એ કહ્યું કે તને આપવા માટે કુમારસાહેબે પત્ર આપ્યો છે. તે લે આ પત્ર. પેલી તરંગવતીને પોતાના પ્રિય પર અતિશય પ્રેમ છે, તેથી એના અંગેની એકેક વાત સાંભળવામાં રસ છે. દાસી પાસેથી પદ્મદેવનો પત્ર મળ્યા પર એનું હૈયું એકદમ પુલકિત થઈ ગયું ! અને પત્રને નમન કરી ફોડે છે. પત્રના મરોડદાર અક્ષર પરથી એના લેખક પોતાના પ્રિયનું સુંદરરૂપ કલ્પી લે છે. આમ તો હજી પ્રિય જોવા નથી મળ્યો, એટલે અક્ષર પરથી એનું રૂપ કલ્પીને ખુશી થાય છે. ખુશી થઈને પત્ર વાંચે છે. કોઈનો પ્રેમપત્ર વાંચતાં વૈરાગ્ય જગાવો. જ્ઞાનીઓની દષ્ટિએ આવા પ્રેમપત્ર એ મોહની પાગલતામાંથી લખાયેલા હોય છે. તેથી એવો કોઈનો પ્રેમપત્ર વાંચતાં સાંભળતાં મનમાં કોઈ અસર રાગની ઊર્મિ નહિ જગાડવાની, કિન્તુ સંસારિઓનું હાસ્યાસ્પદ નાટક જોઈ ભવવૈરાગ્ય વધારવાનો કે હે આ પાગલ સંસાર ! એમાં ફસેલા જીવ કેવા કેવા ગાંડા પ્રલાપ અને ગાંડી ગાંડી પ્રવૃત્તિ કરે છે !" આવો વૈરાગ્યભાવ જાગતો કરવામાં આવે પછી પ્રેમપત્રનાં ગાંડપણભર્યા ઉલ્લેખ વાંચતાં મનને 178 - તરંગવતી
Page #184
--------------------------------------------------------------------------
________________ કશો કામરાગ સ્પર્શે નહિ; ઊલટું એમાં ઉત્તમોત્તમ મનુષ્ય ભવની વિટંબણા થતી દેખાય. પઘદેવ પત્રમાં તરંગવતીને લખે છે કે,- “મારી હૃદયવાસિની તરંગવતીને મારી સ્મૃતિ પહોંચે, તારું આરોગ્ય સુચારું હશે, હાલ તો તારી અને મારા નેહભર્યા પરસ્પરના સ્મરણ-ચિંતનથી કુશળતા સમજવી. અહીં મારે બધું કુશળ છે. માત્ર કામદેવના બાણના પ્રહારથી ઘવાયેલ હું, તને નહિ પ્રાપ્ત કરીને, ધીરજ ધરી શકતો નથી. તારી પણ એ જ સ્થિતિ હશે; કેમકે પૂર્વ ભવના રાગ અહીં વારસામાં ઊતરીને આપણને બાળી રહેલ છે. “પરંતુ તે સુંદરાશિ ! આ જગતની સ્થિતિ જોજે. અજ્ઞાન અને મોહના અંધકારથી વ્યાપ્ત આ જગતમાં જીવો વિવિધ યોનિઓમાં જન્મ પામીને આવા ઘેલા રાગ કરી કરી પરલોકને નષ્ટ કરે છે. આપણે એવા આંધળા મોહમાં તણાવાનું નહિ, કશું અજુગતું કરી બેસવાનું નહિ માટે હે સુજ્ઞ બાળા ! હું તને પ્રાર્થના કરું છું કે આપણે પરસ્પર રૂબરૂ મળીએ નહીં ત્યાંસુધી, તારે ધીરજ ધરી કાળ પસાર કરવાનો, તારી ખાતર થઈને હું મિત્રો સગા-સ્નેહીઓ દ્વારા તારા પિતાજીને રાજી કરવા, સમંત કરવા જોરદાર પ્રયત્ન કરું છું. ત્યાંસુધી થોડો કાળ વિલંબ થશે. એટલી તું રાહ જોજે. બસ, આટલી આ તારા દાસની વિનંતી છે.” આ પત્રમાં પદ્મદેવનું કેટલું બધું ડહાપણ તરવરે છે ! તરંગવતી વિલંબ થવામાં ફોગટ રોઈ ન મરે કે આત્મહત્યા જેવું કાંક અજુગતું કરી ન બેસે, એની શિખામણ આપે છે. પરંતુ વિધિની વક્રતા જુઓ કેવી છે ! તરંગવતી પત્રનો ભાવાર્થ એવો તારવે છે કે “પ્રિયને મારા પર એટલી બધી પ્રેમની લગન નથી. નહિતર જો ભારે લગન હોત તો એક ક્ષણ પણ વિલંબની વાત ન કરત.” આવું પત્ર પરથી સમજી તરંગવતી ખિન્ન થાય છે. આશય નહિ સમજવાના અનર્થ. પ્રિયના હાર્દિક આશયને નહિ સમજવાના કારણે પ્રિયનો પ્રેમ અને શાણપણ ભર્યો પણ વ્યવહાર અને દુ:ખરૂપ બને છે. પોતાના મનથી પોતે જ અઘટતું વિચારી જાતે જ દુ:ખ ઊભું કરે છે ! આ સંસારની કેવીક વિચિત્રતા છે ! માણસને કર્મ કે બીજા કોઈ દુઃખ આપે એના કરતાં વધુ દુઃખ પોતે પોતાની અસત્ કલ્પનાથી ઊભા કરે છે. કર્મ ! તારી ગતિ ન્યારી 1 79
Page #185
--------------------------------------------------------------------------
________________ દા.ત. (1) અશાતા વેદનીય કર્મ ઉદય આવ્યા, તાવ ખાંસી થઈ, એ કર્મથી દુ:ખ તો આવ્યું, પરંતુ હવે એના પર એમ વિચારવા બેસે કે “હાય ! આ ક્યાં તાવ આવ્યો ? મારે કેટલાં કામ બગડશે ?' યા “આ દિવાળીમાં તૈયાર કરેલા માલ મેવા ઉડાવવાના રહી જશે ! આમ કર્મે આપ્યા દુ:ખમાં બળાપામાં દુ:ખ વધી ગયું. એમ (2) કોઈના તરફથી આપણને કશું દુઃખ આવ્યું, કશી પ્રતિકૂળતા થઈ, તો એના પર જો એમ વિચારવા બેસીએ કે “આ નાલાયક સમજે છે શું ? એના બાપનું મેં શું બગાડ્યું હતું તે આમ મારું બગાડવા આવ્યો ? આવા હરામીઓને તો બતાવી દેવું જોઈએ !' તો સામાએ આપેલા દુ:ખમાં આમ અસત્ વિચારો કરી વધારે દુઃખી થઈએ છીએ. આ તો કદાચ સામા તરફથી પ્રતિકૂળતા આવી એના પર અસત્ વિચારણાથી સંતાપનું દુ:ખ, પરંતુ કેટલીકવાર સામાએ આપણું કશું બગાડ્યું નથી, છતાં ય પોતે સામાના આશયને નહિ સમજી અસત્ કલ્પના કરાય, તો એનું દુઃખ મફતિયું ઊભું થાય છે. આશયની ગેરસમજથી આનંદકુમારે પિતાને તલવાર મારી : દા.ત. સમરાદિત્ય કેવળી બીજા ભવમાં રાજા સિંહકુમાર છે, તે એકવાર નદીના કિનારે જુએ છે તો એક દેડકાએ મોંમાં જીવડું પકડ્યું છે; ને દેડકાને સરદાએ મોંમાં પકડ્યો છે, તેમજ સરતાને વળી એક સાપે મોમાં પકડ્યો છે, તો સાપને એક જંગલી પ્રાણી તરછાએ પકડ્યો છે !..' આ “મસ્ય-ગલાગલ આવી દીકરાને રાજય સોંપી ચારિત્ર લેવાની તૈયારી કરે છે. એ માટે દીકરાને બોલાવવા એના આવાસે માણસ મોકલે છે. માણસ જઈને કહે છે કે તમને રાજયગાદી સોંપવાની છે, તો પધારો, બાપાજી બોલાવે છે, ત્યારે છોકરો આનંદ પિતાના આશયને ઊંધો સમજે છે. તેથી કહે છે, શું હું ગરીબડો દયાદાન પર જીવનારો ? તે બાપાજી મને રાજ્યનું દયાદાન કરે, ને તે મારે લેવાનું ? છત્ હું કાંઈ ભિખારી નથી તે બાપાજી રાજ્યની ભિક્ષા આપે ને તે હું લઉં. હું તો મારા બાહુબળથી રાજ્ય લઈશ.' આટલું કહીને ય એ જપ્યો નહિ, પરંતુ માણસે જઈને બાપ રાજાને આ વાત કરી ત્યારે રાજા પોતે સમજાવવા અને ગેરસમજ હોય તો કાઢી નખાવવા આવ્યા, ત્યારે એ રાજાના આશયને ઊંધો સમજનાર કુમારે શું કર્યું જાણો છો ? એણે સીધી તલવાર હાથમાં લઈ બેઠેલા રાજાના શરીર પર તલવારનો ઘા ઠોક્યો ! - તરંગવતી
Page #186
--------------------------------------------------------------------------
________________ આશય ન સમજવામાં કેવું પાપ ? સામાનો શુદ્ધ આશય ન સમજવામાં કેવાક અનર્થ થાય છે ! પછી, ન છાજતા વિચાર કરશે, અણછાજતા બોલ બોલશે, અને અઘટતાં આચરણ કરશે !" ત્રિશલામાતાને આશય ન સમજાતાં દુઃખ : જુઓ, મહાવીર પ્રભુ ગર્ભમાં હતાં ત્યારે એમને માતૃભક્તિ ઊભરાઈ આવી. એમને એમ થયું કે હું આ શરીરથી હાલ હાલ કરું છું એમાં માતાને કષ્ટ પડે છે, માટે હું મન મારીને શરીરને સ્થિર નિષ્કપ રાખું' એમ વિચારી પ્રભુ સ્થિર બની ગયા, ત્યારે માતાને ગર્ભના જીવનો આશય સમજાયો નહિ. એટલે એમને ઊંધો વિચાર આવ્યો કે હાય ! પહેલાં મારો ગર્ભ સળવળતો હતો, હવે એ સળવળાટ દેખાતો નથી તો શું મારો ગર્ભ ચ્યવી ગયો ? ગળી ગયો ?..." એમ કરી માતા ભારે ગમગીનીમાં પડ્યા; પ્રભુએ એ જાણીને જોયું કે મેં માતા પ્રત્યેની ભક્તિથી એમને શાતા માટે સ્થિર રહેવાનું કર્યું, તો માતાને અશાતા માટે થયું ! તેથી મારે પૂર્વવત્ સળવળતા રહેવું જ ઉચિત છે.' એમ કરી ગર્ભમાં સહેજ સળવળ્યા એટલે માતાને સંતોષ થયો કે હાશ ! મારો ગર્ભ પડી ગયો નથી,' પ્રભુના ભક્તિભર્યા આશયને નહિ સમજી શકવાથી માતાને સ્વમતિ કલ્પનામાં દુઃખ થયું ! તરંગવતીને આશય ન સમજવાથી દુઃખ : એવું અહીં તરંગવતીને બને છે. પોતાના પ્રિય પમદેવનો ગંભીર આશય નહિ સમજી શકવાથી ઊંધું માની બેસે છે કે એ વિલંબનું કહે છે એ સૂચવે છે કે એમની મારા પ્રત્યે પ્રેમ-લગન ઓછી છે, ને તેથી એ ખિન્ન થઈ જાય છે. સંસારમાં આવું કેટલું ય ચાલતું હોય છે કે સામાનો આશય ન સમજી શકવાથી માણસ કષાયની પરિણતિમાં પડે છે. જો સામાના આશયનો વિચાર કરે અને આશય સમજે, તો ખોટા દુઃખ ખોટા કષાય ઊઠવાનું ન થાય. આશયની ઊંધી સમજમાં દુઃખ; અને સીધી સમજમાં દુઃખ પલાયન. તરંગવતી, પમદેવનો વિલંબ થાય એટલી ધીરજ ધરવાની એ કથનનો આશય ઊંધો સમજી બેઠી ! કે મારા પર હવે એવો પ્રિયનો જવલંત પ્રેમ નથી, તેથી દુઃખી થાય છે. ત્યાં સારસિકા કહે,- અરે મારી સ્વામિની ! દુઃખી શાને થાય ? જરા એમણે આપેલા પ્રેમ પ્રીતિ ભર્યા પત્રના લખાણને જો. તારા મનોરથને પૂરે એવી કેટલી બધી પ્રીત એમાં ઠાલવી છે ! અને તારા સમાગમની કેટલી બધી આતુરતા બતાવી છે !' કર્મ ! તારી ગતિ ન્યારી 1 81
Page #187
--------------------------------------------------------------------------
________________ તરંગવતી કહે “તો પછી એ સમાગમના વિલંબનું કેમ લખે છે ? જો જોરદાર પ્રીત હોય, તો સમાગમમાં વિલંબનું લખે ?' ઉત્તમ પુરુષ કેવા હોય ? : સારસિકો કહે “અરે ! સ્વામિની મારી ! એ ઉત્તમ પુરુષ છે, ને ઉત્તમ કુળમાં જન્મેલા છે, એટલે ઉત્તમ કુળમર્યાદાને પાળનારા હોય, તેમજ પોતાને મળેલ શાસ્ત્ર-બોધનો ઉપયોગ કરનારા હોય. તેથી પોતે કાંઈ પ્રવૃત્તિ કરવી હોય તે આ બધો વિચાર કરીને કરે, પણ આંધળું સાહસ ન કરે. વગર વિચાર્યું કામ કરનાર, અને કાર્ય સાધક ન હોય એવામાં પ્રવૃત્તિ કરનાર અંતે પસ્તાય છે. એટલે વિચારીને કામ કરનાર અને ચોક્કસ ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર આવા ઉત્તમ પુરુષ ચોક્કસ કાર્યસાધક ઉપાય અને સમયની રાહ જુએ. તો એટલા માત્રથી માની લેવાની જરૂર નથી કે એમના પ્રેમમાં મંદતા આવી છે. હું મારી નજરે જોઈને આવી છું કે તારા પરના અથાગ પ્રેમના લીધે તો તારા વિયોગમાં ઝૂરી રહ્યા છે, પરંતુ કુળવંશના નિર્મળ યશને કલંક લાગે એનાથી ડરે છે, તેથી કામના બાણથી અતિ પીડિત છતાં એવાં કલંકના ભયથી સન્માર્ગને છોડતા નથી. આવા ઉત્તમ પુરુષને પ્રિય તરીકે પામીને તું તો મહાન ભાગ્યશાળી બની છે.... ઇત્યાદિ સમજાવટથી તરંગવતી એ વખતે તો સમજી ગઈ, ભોજન કરી લીધું. પણ પછીથી પાછો રાગનો ઉછાળો આવ્યો તે દાસીને કહે, “અલી એ સારસિકા ! જો હું બહુ દુઃખિત છું. હવે મારે પ્રિયના દર્શન વિના રહેવાય એવું નથી. હૈયું સંશયથી બળી રહ્યું છે. માટે તું મને જલદી એમનાં દર્શન કરાવ.” સખીની શાણપણભરી વાત : સખી કહે “બેન ! તારા કુળના પર્વત જેવા ઊંચા યશને ધક્કો ના લગાડ. હમણાં ને હમણાં એનાં દર્શને જવાની વાત એક સાહસ છે. એમ કરવામાં તો બીજાની દૃષ્ટિએ હાંસીપાત્ર થવું પડે. પહેલાં તારા પિતાજી જ હાંસી કરે કે જુઓ અને જેને નપાસ કર્યો, જેના સાથે સગાઈ પણ નથી થઈ, એને આ ગાંડી મળવા દોડી. લોકમાં પણ કુલીન કન્યાનું સગાઈ-સંબંધ વિના પ્રિયને મળવા જવાનું પગલું ગેરવાજબી ગણાય છે, અને તારા પ્રિય પાદેવની દષ્ટિમાં પણ તું આવું કરે એ અનુચિત હોઈ હાંસીપાત્ર લાગે. માટે શું કામ આવા સાહસનો વિચાર કરે છે ? 182 - તરંગવતી
Page #188
--------------------------------------------------------------------------
________________ “તું શું કામ અધીરી થાય ? તારા પ્રિયતમે તો તને જીવિત અર્પણ કર્યું છે. હવે શા સારુ ઉતાવળી થઈને અપયશ મળે એવું પગલું ભરવાનો વિચાર કરે છે ? દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખ કે એમના પ્રભાવે તારી ધારણા સફળ થવાની જ છે. તરંગવતી સાધ્વીજી પોતાની આત્મકથા પેલી શેઠાણી આગળ કહી રહી છે, એમાં એ કહે છે, ગૃહિણી ! દાસીની શિખામણ યથાર્થ હતી કે સાહસ કરવું એમાં ઉત્તમ કુળને અપયશ લાગે, વડીલ ને બીજાઓની દષ્ટિમાં હાંસીપાત્ર બનવું પડે. પોતાના પ્રિયને પણ આ વાત અણગમતી લાગે...વગેરે વગેરે નુક્સાને બતાવેલા તો એનું કથન વાજબી હતું, પરંતુ તમે જાણો છો ને કે સ્ત્રીનો સાહસનો સ્વભાવ હોય છે અને એને વિવેક હોતો નથી કે આનું કેવું સારું-નરસું પરિણામ આવે ?" એટલે, અતિ રાગ મારે : આપઘાતનો વિચાર :| મેં તો દાસીને કહી દીધું કે સારસિકા ! ભલે તું સાહસ ન કરવા કહેતી હોય, પરંતુ સાહસ કર્યા વિના મોટા કાર્યની સિદ્ધિ નથી થતી; અને તું જાણે છે ખરી કે મને આજે દિલમાં પ્રિયતમના સમાગમની ઇચ્છાની કેવી આગ લાગી છે ! આજ હું એના પ્રત્યેના રાગથી એનું દર્શન પણ નહિ મળવાથી અંગે અંગમાં બળું બળું થઈ રહી છું. તારે બધી ડહાપણની વાતો કરવી છે, પરંતુ મારા દિલમાંની આગ તારે જોવી નથી. ભલે ને જ, પણ હું તને કહી દઉં છું કે હમણાં જ મને તું પ્રિયનું દર્શન કરાવ, નહિતર હવે મારે જીવવું મુશ્કેલ છે. જો તું મને પ્રિય પાસે નહિ લઈ જાય, તો તું મને હવે જીવતી નહિ જોઈ શકે. મારે હવે એક જ રસ્તો છે આત્મઘાતનો.” રાગ ઊઠ્યા પછી કાબૂ બહાર : આ ઉપરથી રાગ અતિ થઈ જાય ત્યારે એનો કેવો પ્રત્યાઘાત જીવન ઉપર પડે છે, તે અહીં જોવા મળે છે. એટલા જ માટે જ્ઞાની ભગવંતો જીવનમાં પૌદ્ગલિક રાગ કરતા પહેલાં બહુ વિચાર કરવાનું કહે છે; કેમકે રાગ ઊભો કર્યા પછી કાબૂમાં રહેતો નથી, ને એવાં એવાં ન કરવાનાં કામ ને ન કરવાના સાહસ કરાવે છે, કે પછીથી એમાં પસ્તાવાનો પાર નથી રહેતો. તરંગવતીનો ભારે નિર્ણય : “જો તું મને પ્રિય પાસે નહિ લઈ જાય, તો તારી સમક્ષ મારા પ્રાણ ગયા સમજજે. માટે હવે કાળ વિલંબ ન કર. ભલે અત્યારે પ્રિયના દર્શને જવું કર્મ ! તારી ગતિ ન્યારી 183
Page #189
--------------------------------------------------------------------------
________________ મારા માટે અકાર્ય હોય તો ય જો તું મને મરતી જોવા ન ઇચ્છતી હોય, તો ઊઠ લઈ જા મને એમની પાસે.” આવું જ્યારે તરંગવતી બોલી ત્યારે એમાં દાસીએ જોઈ લીધું કે હવે વિલંબ કરવા જેવો નથી કોણ જાણે શુંનું શું કરી બેસે ?" તેથી તરંગવતીને કહે સ્વામિની તારો બહુ આગ્રહ છે તો ચાલ લઈ જાઉં તને.' પ્રિયને મળવાની કેવી તાલાવેલી ! આપણે આ પરથી આપણા આત્મા માટે આ તપાસવા જેવું છે કે “આપણા પ્રિય પરમાત્માને મળવાની તાલાવેલી કેવી ? અને કેટલી ? | દર્શનની તાલાવેલી કેવી ? વકીલને મળવા જવા જેવી ? : પ્ર.- રોજ પ્રભુદર્શને તો અમે જઈએ જ છીએ; તે શું તાલાવેલી વિના જઈએ છીએ ? ઉ.- તાલાવેલી સમજો છો ? કોરટની કેસની મુદત હોય અને વકીલે કહ્યું હોય “તમે વહેલી સવારે મને મળવા આવજે એટલે તમારી પાસે બધી વિગત સમજી લઈ બપોરે કોરટમાં કેમ રજુઆત કરવી તે ગોઠવી દઈશ.” હવે બોલો, વકીલને મળવાની પેલાને તાલાવેલી કેવી હોય ? કેટલી હોય ? અને સવારે વેળાસર ઊઠીને જાય, વકીલ મળી જાય, અને પોતાની વાત વકીલ સાંભળી લે, ત્યાં એને કેટલો બધો સંતોષ થાય કે હાશ ! વકીલ તરત મળી ગયો ને મારી વિગત બરાબર સાંભલી લીધી ! સારું થયું.” આપણને સવારે પ્રભુના દર્શને જવાની આવી તાલાવેલી ખરી ને ? પેલાને રાત્રે સૂવા જતાં આ ખણજ કે મારે વહેલા વકીલને મળવાનું છે,' એમ આપણને રાત્રે સૂવા જતાં ખણજ ખરી ને કે મારે સવારે વહેલા પ્રભુને મળવા જવાનું છે ? ને મારે મારી વિગત સંભળાવવાની છે ?' આ ખણજ, આ તાલાવેલી છે ખરી ? એમ કહો રાતની કાં માંડો ? ઠેઠ સવારે દર્શનના સમય પહેલાં પણ એવી તીવ્ર ખણજ તીવ્ર તાલાવેલી ક્યાં છે ? બસ, રોજના રાબેતા મુજબ સવારે પ્રભુદર્શન કરી આવવાના, એટલી જ ગણતરી છે. દર્શનની કોઈ તેવી તીવ્ર ખણજ તીવ્ર તાલાવેલી કશી જ નહિ ! એટલે પ્રભુદર્શને પ્રભુને આપણું કશું દરદ સંભળાવવાની પણ તીવ્ર તાલાવેલી નથી કેમ એમ જ ને ? કારણ કાંઈ ? કહો, અમે પેલા વકીલની જેમ પ્રભુ પ્રિય નથી બનાવ્યા ! આ તો માત્ર દર્શન વખતની તાલાવેલીની દિવસમાં પ્રિય પ્રભુનાં દર્શનની, પ્રભુને મળવાની, અને આપણી વાત 1 84 - તરંગવતી
Page #190
--------------------------------------------------------------------------
________________ સંભળાવવાની તાલાવેલી તો નહિ, પણ સંભારણું ય ક્યાં છે? આ તો બાહ્યમાં નાનારૂપમાં પ્રદર્શનની મૂર્તિદર્શનની) તાલાવેલીની વાત થઈ, પરંતુ તેથી ય મોટા દર્શન આભ્યન્તરમાં કરવાના છે. આપણે પરમાત્માને મનમાં લાવીએ, હૃદયમાં ધારીએ, અને એ જાણે જીવંત બેઠા છે. અને એમને આપણે વિનંતી કરીએ છીએ, તથા આત્મસાત કરવા પ્રયત્ન કરીએ છીએ; એમ ધારવાનું છે. આમાં દા.ત. ભલે સીમંધર પ્રભુની હજૂરમાં આજે આપણે ન પહોંચી શકીએ, કિન્તુ આત્યંતરમાં પ્રભુની સાથે મળવાનું ગમે તે સમયે સાક્ષાત્ જેવું કરી શકીએ છીએ, યાવત્ કષ્ટમય અંતિમ મૃત્યુ સમયે પણ આપણા અંતરમાં સીમંધર પ્રભુને હાજરાહજૂર જેવા મળી શકીએ છીએ, ને એમને વાત વિનંતી કરી શકીએ છીએ. પ્ર.- આભ્યન્તરમાં પ્રભુની શી રીતે ધારણા કરી શકીએ ? : ઉ.- આનો ઉપાય સરળ છે,- મંદિરમાં પ્રભુનું દર્શન કરતાં હોઈએ ત્યારે એક બે મિનિટ પ્રભુને ઉઘાડી આંખે જોઈ લીધા પછી બંધ આંખે મનથી જોવાના. એ પણ પહેલાં બહારમાં ધારવાના અને પછી અંદરમાં હૃદયમાં બિરાજમાન ધારવાના. ખૂબી એ થશે કે કે ઉઘાડી આંખે પ્રભુને જોઈએ ત્યારે પ્રભુની સાથે આસપાસનું ય દેખાતું રહે છે, એટલે પ્રભુ ઉપર એટલી બધી એકાગ્રતા કોન્સન્ટેશન કરવાનું મુશ્કેલ પડે છે; પરંતુ જ્યાં પ્રભુને બંધ આંખે જોવાનું કરીએ, ત્યાં આસપાસનું બધું દેખાતું બંધ થાય છે, અને માત્ર પ્રભુને ધારીએ એટલે પ્રભુ જ દેખાય છે. અલબત અંતરમાં પ્રભુને ધારવા માટે, મગજ પર બાહ્યદર્શનનાં બહુ ભાર, ટેન્શન નહિ રાખવા જોઈએ. નહિતર અંતરમાં પ્રભુને ધારવા જઈએ ત્યારે ય એ ભૂતડાં અંતરમાં સળવળ્યા કરે એટલે પ્રભુને ચોક્કસ રૂપે ધારવા ન દે. બાકી તો ફોરા મનથી અંતરમાં પ્રભુને ધારીએ એટલે તો અંતરમાં પ્રભુ જાણે આપણી સામે આપણી અરજી સાંભળવા હૂબહૂ બેઠેલા દેખી શકાય. પછી ત્યાં પ્રભુને આપણાં દિલદર્દ કહી શકીએ કે પ્રભુને પ્રાર્થના : “નાથ ! હું કર્મોથી અને મોહની રાગ-દ્વેષાદિ લાગણીઓથી ઘણો ઘણો પીડિત છું. ભૂતકાળની ભૂલો યાદ આવી આવી મનને વ્યથિત કરી દે છે. મનને એમ થયા કરે છે કે અમુક વખતે મેં આમ કર્યું હોત તો ઠીક રહેત ! અથવા કરવા જેવું અમુક ન કર્યું તો બાજી ભારે બગડી ગઈ ! એના દુઃખદ પરિણામ મારે હજી ભોગવવા પડે છે ! આ બધાં કર્મ ! તારી ગતિ ન્યારી 185
Page #191
--------------------------------------------------------------------------
________________ સંભારણાં પ્રભુ ! ખોટાં છે, વળતું કાંઈ નથી, ખોટાં કર્મબંધન થાય છે. એટલે હવે મારે તમારું જ શરણ છે, તુમે જિમ જાણો તિમ કરોજી, હું નવિ જાણું રે કાંઈ દ્રવ્ય ભાવ સવિ રોગનાજી, જાણો સર્વ ઉપાય.કૃપાનિધિ. હું એક જાણું તાહરુજી, નામ માત્ર નિરધાર; (નમન માત્ર નિરધાર) આલંબન મેં તે કર્યું છે તેથી લહું ભવપાર...કૃપાનિધિ.” “પ્રભુ ! મારી મુશીબતીઓમાં મને સમજ નથી પડતી કે મારે શું કરવું? એ બધા મારા આત્માના રોગ છે. એ બધા દ્રવ્યરોગ ભાવરોગો મિટાડવાના સર્વ ઉપાય તમે જાણો છો. એ ઉપાયોની મને ખબર નથી. હું તો ઉપાય ગણો કે જે ગણો તે, એક માત્ર તારું નામ હું જાણું છું તારું માત્ર નમન જાણું છું. અને પ્રભુ ! બધી મુશીબતોની કે ઇચ્છિતોની ચિંતાનો ને આર્તધ્યાનનો ભાર મારા માથે ન રાખતાં સુખશાન્તિ માટે એકમાત્ર તારા નામનો અને નમન વંદનનો આધાર મેં રાખ્યો છે. એથી બધી જ ચિંતાઓને પાર કરી જઈશ, એવો મને વિશ્વાસ છે.” આમ, પ્રભુની સાથે અંતરમાં મળવાનું થાય, અને પ્રભુને આપણી પ્રાર્થના અરજી સંભળાવવાનું થાય. આવી અરજીનો મોટો પ્રભાવ પડે છે; કેમકે અરિહંત પ્રભુની અચિંત્ય શક્તિ છે. પંચસૂત્ર શાસ્ત્ર કહે છે “અચિંતસત્તિજુત્તા હિ તે મહાણુભાવા ભગવંતો વીયરાગા સવણું' અર્થાત્ તે વીતરાગ સર્વજ્ઞ ભગવંતો અચિંત્ય શક્તિવાળા છે. અચિંત્યશક્તિ એટલે કે એમના શરણે જવાથી એને આપણો બધો કેસ સોંપી દેવાથી અચિંત્ય એટલે કે આપણી કલ્પના બહારની સિદ્ધિઓ કરી આપવાની એ શક્તિ ધરાવે છે. પ્રભુની આ અચિંત્ય શક્તિ પર અથાગ શ્રદ્ધા જોઈએ. અંતરમાં પ્રભુ આગળ રજુઆત કરીએ કે “હે વીતરાગ સર્વજ્ઞ પ્રભુ ! તમે અચિંત્ય શક્તિના માલિક છો, મને પૂરો વિશ્વાસ છે કે તમારી એ શક્તિના પ્રભાવે મારાં કાર્ય સિદ્ધ થવાના જ છે, મારી મુશ્કેલીઓ મટી જ જવાની છે મારે માત્ર તમારું એક શરણ છે.” આવી આવી અંતરમાં પ્રભુને વિનંતી કરી શકીએ, આત્માની વેદના કહી શકીએ; 186 - તરંગવતી
Page #192
--------------------------------------------------------------------------
________________ દાસી હવે સમજી ગઈ કે આ કાંઈનું કાંઈ કરી બેસે એના કરતાં એને લઈ ચાલવા દે. કહે છે, “તારી બહુ ઇચ્છા છે તો ચાલ ચાલ હું તને લઈ જાઉં છું. ઉઠ.' તરંગવતીના પ્રિયદર્શન અંગેના તરંગો : તરંગવતી સાધ્વી જ્યાં વહોરવા ગઈ છે તે ઘરની શેઠાણીની માગણીથી પોતાની આત્મકથા કહી રહી છે. ત્યાં એ કહે છે,- ગૃહિણી ! મારી દાસી સારસિકાએ જયાં મને લઈ જવા મંજૂર કર્યું ત્યાં મને એટલો બધો અત્યંત આનંદ થયો કે કહેવાની વાત નહિ ! મનમાં તરંગો ચાલ્યા, “અહાહા ! હવે મને પ્રિયનાં દર્શન મળશે ! ને એમને જોઈ જોઈ મારાં નેત્ર ધરાશે નહિ ! જઈને સીધી એમને જયનાદથી વધાવીશ. જય હો જય હો મારા અંતર્યામી સ્વામિનાથનો,” અને વધાવીને સીધી એમના પગમાં પડીને આંખના આંસુથી એમના ચરણનું પ્રક્ષાલન કરીશ. અને કહીશ કે “નાથ ! નાથ ! મારા પૂર્વના પ્રાણનાથ ! ઘણા વખતે આપનાં દર્શન મળ્યા ! આપે દર્શન આપી મારા પર અસીમ ઉપકાર કર્યો ! હવે ભાઈસાબ ! મને કૃપાદૃષ્ટિથી નવરાવી નાખો. તમને જોઈ જોઈ મારું હૈયું ઊછળે છે કેવી ભગવાનની અપરંપાર દયા કે તમારો ફરીથી યોગ કરાવી આપ્યો ! લાખ લાખ ધન્યવાદ પ્રભુને ! હવે મારે હૈયાનો પ્રેમ ઠાલવવા મનમાન્યું મહાપાત્ર મળી ગયું ! ધન્ય ભાગ્ય મારાં કે ચોવીસે કલાક તન મન મોડીને સેવા કરવા સેવ્ય મારા નાથ મળી ગયા ! હવે મારે શી ખોટ છે ? મારા પ્રભુ ! મારા નાથ ! ચિરંજીવો ! ચિરકાળ જયવંતા વર્તો, તમારું આરોગ્ય-કૌશલ્ય ચિરકાળ સુખરૂપ ચાલો...' પરમાત્મદર્શન અંગેના તરંગો : તરંગવતી કેવા તરંગોમાં ચડી છે ! શેના પર ? હવે નાથ મળશે એના હરખ હરખ ઉપર તરંગવતીના હૈયાના આ ભાવ આપણે આપણા હૈયામાં પ્રભુ પ્રત્યે ઉતારવાના છે. જોઈ જોજો એ બધા સંબોધન પરમાત્મા પ્રત્યે લાગું કરતાં કેવો હરખ હરખ થશે. જુઓ, ભગવાનને આપણે પણ સંબોધી શકીએ જય હો, જય હો, જય જય, મારા અંતર્યામી સ્વામિનાથનો જય હો ! ક્યારે જાઉં મારા પ્રભુ પાસે અને એમના પગમાં પડી આંખનાં આંસુથી એમના ચરણને પ્રક્ષાલન કરું ! ને કહું નાથ ! મારા પ્રાણનાથ ! અનંત કાળે આપનાં દર્શન મળ્યાં ! આપે દર્શન આપી મારા પર અપરંપાર ઉપકાર કર્યો ! હવે પ્રભુ ! મને કૃપાદૃષ્ટિથી નવરાવી નાખો, જેથી મારા રાગદ્વેષ કામક્રોધાદિ મેલ કર્મ ! તારી ગતિ ન્યારી 187
Page #193
--------------------------------------------------------------------------
________________ સાફ ધોવાઈ જાય. અહાહા ! પ્રભુ તમને જોઈ જોઈ મારી આંખો ધરાતી નથી. કેમ જાણે પ્રભુ તમને જીવનભર ક્ષણનું આંતરું પાડ્યા વિના તમને જોયા જ કરું. કેવીક તમારી વીતરાગી મુદ્રા ! તમને ને તમારા ઉપકારોને જોઈ જોઈ અને તમારા ગુણ ગાઈ ગાઈ મારું હૈયું ઉછળું ઉછળું થાય છે. મારા નાથ ! બસ, હવે એટલું જ માગું છું કે મારે ભારોભાર અનન્ય પાત્ર બની રહો; અને મારે તનતોડ મનમોડ સેવા કરવા તમે જ મારે અનન્ય સેવ્ય બની રહો. જય હો જય હો પ્રભુ ! આપ સદા મારા દિલમાં જયવંતા વાર્તા !" પરમાત્માનાં દર્શને જવા પૂર્વે શું આપણને પ્રભુને મળવાની ભારે તાલાવેલી સાથે આવા આવા તરંગો થાય છે ખરા ? જ એ થતા હોય, તો પછી આપણે વીતરાગના મંદિરે જઈ કેવાંક પ્રભુદર્શન કરીએ ? દાસીએ તરંગવતીને એના પ્રિય પાસે લઈ જવાનું મંજૂર કર્યું ત્યારે તરંગવતીના મનમાં કેવા કેવા હરખના તરંગો ઊછળ્યા એ પરથી પ્રભુદર્શને જતા પહેલાં કેવાક તરંગો હૈયે ઉછળતાં કરવાના એનો આ સામાન્ય વિચાર કર્યો. તરંગવતી સાધ્વી શેઠાણીને આગળ કહી રહી છે કે પ્રિય પાસે જવા હું અને સારસિકા બંને ઊઠ્યા, એમાં હું મારા પ્રિયના મુકામે હૃદયથી તો પહેલા પહોંચી ગઈ, અને પગેથી પહોંચતા વાર લાગી. અમે બંને એકબીજાનો હાથ પકડી મકાનના ગુપ્ત દરવાજેથી નીકળ્યા, રસ્તા ઉપર ચાલ્યા, ત્યાં તો કૌમુદી તહેવાર ચાલતો હતો એટલે રસ્તા પર બહુ મનોહર પખણા-દશ્યો જોવાના ગોઠવાયેલા હતા. આખો રાજમાર્ગ વિવિધ રમણીય પંખણાંની હારમાળાથી વ્યાપ્ત હતો. દશ્યો ખરેખર જોવા જેવા સુંદર હતા. પરંતુ પ્રિયપુરુષનાં દર્શન મિલન માટે ભારે ઉત્સુક મારું મન એ કોઈ દશ્યમાં જતું નહિ. યોગી પુરુષોની આ સ્થિતિ હોય છે. યોગીજનોને અંતરમાં પરમાત્મ-તત્ત્વ શોધવાની ભારે ઉત્સુકતામાં એમની આંખ કાન કે મન બીજા કશામાં જતું નથી. તરંગવતી દાસીની સાથે જઈ રહી છે, પેખણાં કશા જોવામાં મન નથી, વાહનમાં ફરનારી અને અત્યારે ચાલવાનો શ્રમ લાગતો નથી ! જઈ ઊભી પમદેવની હવેલી પાસે. ત્યાં જુએ છે તો હવેલી આગળ પાદેવ મિત્રો સાથે ગોષ્ઠી કરી રહ્યો છે. સારસિકો જરાક આઘે ઊભી રહી ને તરંગવતીને દેખાડે છે કે જો, પેલો મિત્રોથી વિટળાઈને બેઠેલ યુવાન એ જ તારો પ્રિય પદ્મદેવ 1 88 - તરંગવતી
Page #194
--------------------------------------------------------------------------
________________ છે. તરંગવતી એને જોઈને ઠરી જાય છે ! શું એનું રૂપ-લાવણ્ય-કાન્તિ ! જોઈને જ માતાનાં ઓવારણાં લે છે “માડી ! આવા ધન્ય પુત્રને જન્મ આપનાર તું? તારા હું ઓવારણાં લઉં ! એને મનોમન થાય છે કે આવા ગુણગણ-ભંડાર સ્વરૂપ પુત્રને જન્મ આપનાર માતાપિતાને કેટલો બધો ધન્યવાદ ઘટે છે ! “ધન્ય માતા જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જસ કુલે અવતરિયા.” પૂર્વભવમાં પ્રિય કરેલો ચક્રવાક જ અહીં લાંબા કાળે દેખવા મળ્યો, તે આંખ હરખના આંસુથી ભીંજાઈ ગઈ. દાસી કહે છે “અહીં એક બાજુ આપણે ઊભા રહીએ, એમ કરી તરંગવતીને બાજુએ ઊભી રાખે છે. તે એમ ઊભી ઊભી તરંગવતી પ્રિયનું મુખદર્શન કરી રહી છે. દાસી એનાથી જરાક આગળ ઊભી છે, તે પદ્ધદેવની નજરે ચડી. એણે એને તો પહેલાં જોઈ છે. કેમકે પોતાને એ મળી છે, વાતો કરી છે, તેથી તેને જોતાં જ પદ્મદેવ સમજી ગયો કે કાંઈક મહત્ત્વનો સંદેશ લાવી લાગે છે. એટલે એને મળવા માટે પહેલાં એણે પોતાના મિત્રોને કૌમુદી મહોત્સવ જોવા નિમિત્તે રવાના કર્યા. પદ્મદેવ પછી હરખભેર ઊઠ્યો. જ્યાં હું શરમાતી ઊભી છું ત્યાં એની નજર બાજુએ ઊભેલી દાસી પર રાખી દાસીને હરખભેર બોલાવે છે; બાજુમાં ઊભેલી તરંગવતીને એ ઓળખી શકતો નથી, તેથી દાસીને કહે છે, બોલ, બોલ, મારા જીવનતળાવની પાળ સમાન, મારા સુખને કરનારી, મારી સહચરી, એ તારી સ્વામિની કુશળ છે ને ? હું તો કામદેવના બાણથી વિધાયેલો હોઈ મને જરાય ચેન નથી. આ તો તને જોઈ એટલે મને કાંઇક ચેન પડ્યું કે એ પ્રિયાના કોઈ ખબર લાવી હશે. તેથી મારો શોક ઊડી ગયો; અને મને આનંદ થતાં મિત્રોને મેં બહાનું કાઢીને અહીંથી રવાના કર્યા. હવે પ્રિયાને મળવા અતિ ઉત્કંઠિત બન્યો છું, તેથી તારી સાથે આવવા ઇચ્છું છું. પરંતુ તે પહેલાં તને પ્રિયાએ શું કહી મોકલી છે, તે સાંભળવા ઇચ્છું છું. માણસને પ્રિય હૈયે વસી ગયા પછી પ્રિયના ખુશી સંદેશા માટે બહુ જિજ્ઞાસા હોય છે. આપણા દિલને પ્રભુ પ્રિય તરીકે હૈયે વસી ગયા હોય તો એમના ખુશી ખબર અને સંદેશાને કેવા જિજ્ઞાસુ હોઈએ ? ત્યાં દાસી કહે છે, એના સંદેશાને શું ઝંખો છો ? એ ખુદ પોતે અહીં આવી છે, આવો આ તમારી પ્રિયાને હાથેથી જ ધારણ કરો. જેમ સમુદ્રને ગંગા જઈ મળે એમ તમને તરંગવતી મળવા આવી છે, એમ કહી પદ્મદેવને દાસી તરંગવતી પાસે લઈ જાય છે, ત્યાં તરંગવતીની સામે જઈને ઊભા, ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 189
Page #195
--------------------------------------------------------------------------
________________ તરંગવતી કોઈ અપૂર્વ હર્ષવશ શરીરે કંપ અનુભવે છે, અને પદ્મદેવના પગે પડી જાય છે. પહ્મદેવ ઊભરાતા પ્રેમથી કહે છે,–“સુસ્વાગત તને !" એમ કરી અનિમેષ નયને એના સામે જોઈ રહે છે ત્યાં તરંગવતી પણ એને એ રીતે જોવામાં લીન બને છે. પમદેવ તરંગવતીને કહે, “આટલું બધું સાહસ શું કામ કર્યું ? કેમકે તારા પિતાને જો આ ખબર પડે, તો જુલમ થાય ! કારણ તારા પિતાજી રાજાને વહાલા છે. નગરશેઠિઆઓમાં અગ્રણી છે, સર્વમાન્ય વચનવાળા છે. એ જો આપણા બંનેનો આ અવિનય જાણે તો રોષાયમાન થઈ જાય, અને આપણા બંનેના કુળને ધક્કો લાગે એવું કરી બેસે ! માટે જયાંસુધી એમને ખબર નથી પડી ત્યાંસુધીમાં તું તારા ઘરે પાછી પહોંચી જા, અને વિશ્વાસ રાખ કે હું તેવા કોઈ પ્રયત્ન કરું છું, જેથી તારા પિતા જ તને મારી સાથે વરાવી દે, બીજા શેઠિયા દ્વારા તારા પિતાને સમજાવવા હું પ્રયત્ન કરીશ.” કેટલી ન્યાય પુરસ્સર અને ધીરજથી વાત કરે છે ! શું એને તરંગવતી નથી ગમતી ? ગમે છે, અને વળી એ સામે ચાલીને આવી છે. પરંતુ પોતે કુળવાન માણસ, તે જોઈ વિચારીને પગલું ભરવું એમ માનનારો છે. ઊગતી યુવાનીમાં યૌવનના ઉન્માદને દાબીને પ્રૌઢ વિચારસરણી રાખવી એ આત્માની વિશિષ્ટ યોગ્યતા સૂચવે છે. પમદેવને પૂર્વ ભવનો પ્રેમ છે, તે અહીં વિશેષ ઉત્તેજિત થયો છે, આમ યોગ્ય પાત્ર મળ્યું છે, પરંતુ કુળકલંક લોકનિંદા થાય એવું એને કરવું નથી. જીવ હૈયાથી ધર્મ કેવોક પામ્યો છે, એનું અનિંદ્ય વ્યવહાર પર માપ નીકળે છે. દુન્યવી રાગની ફસામણી ખરી, પરંતુ એમાં વિવેકશૂન્યતા નહિ, અંધ આવેશ નહિ; એટલે પધદેવ તરંગવતીને કહી રહ્યો છે કે આંધળિયા ન કર, હમણાં ઘરે પાછી પહોંચી જા, હું તને મેળવવા પ્રયત્ન કરું છું તું ચિંતા ન કરીશ.' આ જયાં કહી રહ્યો છે ત્યાં કુદરતી બાજુમાં કોઈ ગીતનો અવાજ આવ્યો, જેમાં એ વાત હતી કે “જે સામે ચાલીને આવેલા પોતાના પ્રિય પાત્રને ઇચ્છતો નથી, તે પ્રેમી જ નથી.' એ પરથી તરંગવતી કહે છે, જોયું ? કુદરતે આ કેવો સંવાદી સૂર મળ્યો ? પત્રદેવ કહે હા, તો પછી એ જ સારું છે કે આપણે બીજી જ દિશામાં - તરંગવતી 190
Page #196
--------------------------------------------------------------------------
________________ ચાલ્યા જઈએ શુક્ન કરતાં શબ્દ આગળ એમ કહેવત છે. બહાર કોઈ કામ માટે નીકળવા જતા હોઈએ અને કુદરતી બાજુમાંથી કોઈ શબ્દ સંભળાય કે કશો ભલીવાર નહિ આવે તો પછી સમજી રાખવાનું કે કાર્ય માટે જવામાં સફળતા નહિ મળે. એથી ઊલટું જો છેલ્લા શબ્દ સાંભળવા મળે કે ફતેહના ડંકા બેડા પાર તો સમજવું કે સફળતા મળશે એમ સારા શુકનમાં પણ. શુકન કરતાં શબ્દ આગળ, શુકન શુકનનો ભાવ ભજવે” ઇત્યાદિ કહેતીઓ એટલા માટે યાદ રાખી અવસરે અવસરે એનો ઉપયોગ કરવાનો છે કે જો એ શુકનવંતા શબ્દો કે અન્ય શુભ શુકનોની અવસરે અવગણના કરી હોય છે તો સારા મહાન લાભ ગુમાવવાનું થાય છે. જો એ લાભ ન ગુમાવ્યા હોત તો એ લાભથી ચિત્તની સમાધી-સ્વસ્થતા-સ્કૂર્તિ એવી ઊભી થાત કે એના પર વિશેષ તેજસ્વી ધર્મસાધના બનાવી શક્યા હોત; નવી કોઈ સાધના યા સુકૃત કરવાની પ્રેરણા ઊભી થાત. એમ જો શુકન યા અપશુકનના શબ્દની અવગણના કરી કામ કરવા નીકળ્યા હોઈએ, તો પછી આફત વહોરીને પસ્તાવાનું થાય છે, ને જરૂર પડ્યે એ પસ્તાવો અવારનવાર યાદ આવી આવીને ભવિષ્યમાં ય દુ:ખ થતું રહે છે. કર્મના ઉદય બે પ્રકારે, સનિમિત્તક-અનિમિત્તક : પન્નવણાશાસ્ત્ર કહે છે, કર્મ બે જાતના હોય છે, - (1) એક સનિમિત્તક ઉદયવાળા, અને (2) બીજા નિર્નિમિત્તક ઉદયવાળા. આમાં પહેલી જાત એવી કે તમે નિમિત્ત આપો તો એ કર્મ ઉદયમાં આવે દા.ત. ચાલતાં ભાન ન રાખો અને ઠોકર ખાઓ તો વાગે એ અશાતા વેદનીય કર્મ સનિમિત્તક ઉદયવાળા હતા તે ઉદયમાં આવ્યા. ત્યારે નિમિત્ત આપ્યા વિના ઉદયમાં આવ્યા તે નિર્નિમિત્તક દા.ત. સનતકુમાર ચક્રવર્તીએ કોઈ નિમિત્ત આપ્યા વિના એકાએક એને 16 રોગ ઉત્પન્ન થઈ ગયા, તે એવા નિર્નિમિત્તક ઉદયવાળા કર્મના લીધે. શુકન ! અપશુકન તેવાં તેવાં કર્મના સુચક છે. દા.ત. ધનાજી પર એમના ત્રણ ભાઈઓ ઈર્ષ્યા કરતા હતા. બાપે એકવાર ચારેય ને 100-100 રૂા. આપી વેપાર કરી આવવા કહ્યું. ત્રણ મોટા તો શુકન જોયા વિના એક દાણા બજારમાં ગયો, બીજો કોલસા બજારમાં, ત્રીજો લાકડા બજારમાં ગયો, ત્રણેયે બબ્બે ત્રણ ત્રણ રૂપિયા કમાવી લાવ્યા. ધનાજી કુશળ, તે ઘર બહાર નીકળતા પહેલા દરવાજામાં ઊભા રહી નવકાર ગણે છે, અને શુભ શુકનની રાહ જુએ છે. એમાં ભંગાર બજારની કર્મ ! તારી ગતિ ન્યારી 191
Page #197
--------------------------------------------------------------------------
________________ દિશામાં સુંદર શુકન જોયું, તો “નમો અરિહંતાણં' કરી ભંગાર બજાર તરફ ઊપડ્યા ! ત્યાં મશાણનો ભંગી કોઈ મરેલાને ખાટલીમાં ઉપાડી લાવેલા, તેની ખાટલી પરાણે માગી લઈ અહીં વેચવા લઈ આવેલો, ધનાજીએ ભંગીની એ બધી વાત સાંભળી કે મરનાર ડોસાએ છોકરાઓ પાસેથી મરતાં વચન લીધેલું કે તમને મર્યા પછી ખાટલીમાં જ મશાણે લઈ જઈ ખાટલી સાથે જ બાળીશું' આ પરથી ધનાજીએ અનુમાન કર્યું કે “મરનાર ડોસાએ હિસાબ માંડ્યો હશે કે ખાટલી સાથે શરીર બળવાથી પરભવે શરીર મળે છે, તો પછી એ ખાટલી સાથે એમાં છુપાવેલા રત્નો પણ બળીને પરભવે મને રત્નો પણ મળશે. આ હિસાબે ડોસાને ખાટલી સાથે બાળવા લઈ આવ્યા. હવે ભંગી છોકરાઓને કહે તમે વચન આપ્યું એટલે ડોસાનો જીવ તો સગતિએ પહોંચી ગયો. હવે તમે મને ગરીબને ખાટલી આપી દો; તેથી કાંઈ ડોસાની ગતિ નહિ બગડી જાય કે નહિ બદલાઈ જાય. એટલે છોકરાઓએ દયાથી ભંગીને ખાટલી આપી દીધી.” બસ આ અનુમાનથી 1-2 રૂ.માં ધનાજી ખાટલી ખરીદી ઘરે લાવ્યા અને ઘરના ચોકમાં ઊંચેથી ખાટલી જોરથી નીચે પટકતાં ઇસો ભાંગી, અને એ પોલી ઇસોમાંથી રત્નો નીકળી પડ્યા ! શુકન શું કામ કરે ? આ ! અલબત ધનાજીના શુભ કર્મ ઉદયમાં આવ્યા. પરંતુ શુકન પર વિશ્વાસ રાખી એની દિશામાં ચાલ્યા, તો એ નિમિત્ત મળ્યું અને સનિમિત્તક કર્મ ઉદયમાં આવ્યા. | ‘તો તો પછી બહેતર છે કે આપણે કોઈ અન્ય દેશમાં ચાલ્યા જઈએ. પરંતુ એમાં તમને કષ્ટ બહુ પડશે.” અહીં તરંગવતી પતિ-વિયોગના દુ:ખને અને પતિ વિના બાપને ઘરે એકલી અટૂલી સોસાઈ મરવાના દુઃખને મનમાં લાવી રોઈ પડે છે, ને રોતી રોતી કહે છે, “કષ્ટ ? કષ્ટ ગમે તેટલા આવો, પણ તમારી સાથે રહીને એ કષ્ટ સહી લેવા હું તૈયાર છું, એ કષ્ટને હું ઘી-કેળાં માનું છું તેથી એ સહીશ, પણ હવે પાછી ઘેર જવા મારી શક્તિ નથી. હું તમો જ્યાં જાઓ ત્યાં તમારી સાથે રહીશ તમો જ્યાં કહો ત્યાં આપણે જઈએ.” સાંસારિક જીવોના આવા પ્રસંગ આપણને ભવ્ય બોધપાઠ આપી જાય છે, કે પરમાત્મા સાથે અથાગ પ્રીત લાગી જાય પછી અંતરમાં પ્રભુનો સંગ ન છૂટે, એ માટે દુનિયાનું બીજું બધું વહાલું પણ છોડવાની કેટલી બધી ઉત્કંઠા હોય ? તરંગવતીની એ દશા થઈ કે પોતાના પ્રિયનો હવે સંગ ન છૂટે, વિયોગ 19 2 - તરંગવતી
Page #198
--------------------------------------------------------------------------
________________ ન રહે, એ માટે પોતાના અત્યંત વહાલા માતાપિતા અને પિતાના ઘરની સુખ સગવડ-સન્માન છોડી જવા તૈયાર, તેમજ ઘરે વાત ભેગા વાહનમાં જ બહાર જવાની અનુકૂળતા છોડી પ્રિય સાથે ચાલી નીકળવા તૈયાર થઈ ગઈ છે ! અવંતીસુકુમાળે કેમ એકાએક બધું છોડી દીધું ? : અવંતીસુકુમાલને પૂર્વ જન્મ યાદ આવી નલિનીગુલ્મવિમાન અને એનો વસવાટ અતિ સુખદ લાગ્યા. પછી એનો તલસાટ એવો લાગ્યો કે રાત્રિના તરત મહેલની ઊંચી અટારીએથી નીચે ઊતરી નલિનીગુલ્મવિમાનના વર્ણનનો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિ મહારાજ પાસે જઈ પૂછે છે “ભગવન ! આ વિમાનમાંથી આયુષ્ય ક્ષયે હું અહીં આવેલો છું. ત્યાંના સુખ અને સામગ્રી જોતાં અત્રેનું બધું મનોરમ, પુષ્પો ફળો આદિના ઉદ્યાનની સામે ગંદવાડાભર્યા ઉકરડા જેવું લાગે છે. માટે હવે જલદી મારે ત્યાં પાછું જવું છે. તો શી રીતે જવાય ? એનો ઉપાય બતાવો.” આચાર્ય મહારાજ કહે, “સંયમથી સુખ પામીએ, સ્વર્ગ મોક્ષના શ્રીકાર, કુંવરજી !' ત્યારે અવંતીસુકમાળ કહે, “તો પ્રભુ ! મને સંયમ આપો. હું માતાજીને કહીને હમણાં જ આવું છું. કુમારે ઉપર જઈ સંયમની રજા માંગી ત્યાં માતા અને 32 પત્નીઓ બેફાટ રુદન કરે છે. કુમારે એ બધાને સંસારની અસારતા, માનવ જનમની એક માત્ર ઉદ્દેશ સંયમ-સાધના આદિ અંગે સમજાવવા છતાં માતા કહે છે, “અહીં કોઈ તને સંયમની રજા આપનાર નથી.” હવે શું કરે અવંતીસુકુમાલ? હશે ત્યારે, હવે બેસો ઘેર, એમ ? ના, અંતરમાં સંયમનો તલસાટ છે, તેથી પોતે અંદરના ઓરડામાં ગયો અને જાતે પોતે જ કેશલૂચન કરી લઈ સાધુવેશ સજી લીધો ! અને પછી ઓરડાની બહાર નીકળે છે ! ત્યારે માતા અને પત્નીઓ સ્તબ્ધ થઈ જાય છે. અવંતીસુકમાલનું એકદમ જ આ પગલું ? કહો, જેને જેનો ઉત્કટ તલસાટ લાગ્યો પછી એની ખાતર જે અતિ-પ્રિય પણ છોડવું પડે એ છોડવાની તૈયારી હોય જ છે. પરમાત્મા સાથે ઉત્કટ પ્રીત પરમાત્મા ખાતર અતિપ્રિયનો પણ ત્યાગ કરાવે છે. કેમકે ખબર છે કે પરમાત્મા સાથે એવી ઉત્કટ પ્રીત કરવા માટે શ્રેષ્ઠ એકમાત્ર મનુષ્ય ભવ છે. એટલા જ માટે અષ્ટમી ચતુર્દશી જેવી પર્વ તિથિએ તપ કરવામાં મન અચકાતું હોય ત્યારે આ વિચાર જોમ આપે છે “પ્રભુ ! તમારા પ્રેમની ખાતર કર્મ ! તારી ગતિ ન્યારી 193
Page #199
--------------------------------------------------------------------------
________________ તમોએ બતાવેલ પર્વ તિથિએ યથેચ્છ ખાવાનું છોડી તપ કરીશ ! કહે છે ને, | ‘ભગવાન તેરે નામ પર' દેવ-ગુરુ-સંઘની ભક્તિમાં નાણું ન છૂટતું હોય, સીદાતા સાધર્મિકનો ઉદ્ધાર કરવા પૈસા ખરચતાં સંકોચ થતો હોય, ત્યારે આ વિચાર આવવો જોઈએ,- “પ્રભુ ! તમારા પરના અતિપ્રેમની ખાતર મારે આ ત્યાગ કરવાનો; આજે આ તપ કરવાનો.' વાત એ છે કે પ્રભુ પર એવો પ્રીતિરંગ જામી પડ્યો હોવો જોઈએ, અથવા એવો પ્રીતિરંગ જોડવો હોય. ધરણશાહ પોરવાળે નલિની ગુલ્મવિમાનના સ્વપ્નથી પ્રભુના પ્રેમની ખાતર 99 ક્રોડ રૂપિયાના ખર્ચે એ વિમાન જેવું રાણકપુરનું મંદિર બંધાવી દીધું ! શાલિભદ્રમહામુનિએ મહાવીર પ્રભુના પ્રેમની ખાતર માસખમણો સુધીની ઘોર તપસ્યાઓ આદરી ! ગોરી ગુલાબી લષ્ટ પુષ્ટ કાયાને કાળી હાડપિંજર શી કરી નાખી ! | વિજય-વિજયાએ એકેકને અનુક્રમે કૃષ્ણ પક્ષના અને શુક્લ પક્ષના બ્રહ્મચર્યના, પરણ્યા પહેલાં લીધેલાં નિયમ, તે કેમ પાળવા ? “પ્રભુ ! તમારા પ્રેમની ખાતર અમારે બંનેને નિયમ બરાબર પાળવા માટે હવેથી જીવનભરના બ્રહ્મચર્યનો નિયમ.” જો પ્રભુ પર અથાગ રાગ છે તો એની પાછળ ઇષ્ટનો ભોગ આપવો જોઈએ. તરંગવતી પધદેવ પરના પ્રેમની પાછળ એની સાથે અહીંથી ચાલી જવું છે. એ ચાલી જવામાં પછી ગમે તેટલા કષ્ટ વેઠવાનાં આવે, તો તે વેઠવાની તૈયારી બતાવે છે. એ વખતે પદ્મદેવ કહે છે, રહો, હું રસ્તાની ખરી માટે મારી ઝવેરાતની પેટી લઈ આવું. એમ કહીને એ હવેલીની અંદર પેટી લેવા ગયો. તરંગવતી દાસીને કહે “જો તું પણ ઘરે જઈ મારો ઝવેરાતનો ડબો લઈ આવ !' દાસી ઉપડી ઘરે, બંનેને ખબર નથી કે આ ઝવેરાત રસ્તામાં ઉપયોગી સહાયક થશે કે ઉપદ્રવકારી થશે ? તમે કહેશો. પ્ર.- એમ તો સંસાર વ્યવહારમાં બેઠા દેશાન્તર જવું હોય તો પૈસા તો સાથે લેવા જ પડે ને ? ઉ.- ભલે લેવા પડતા હોય પરંતુ એના પર ઉપદ્રવનો સંભવ ખરો કે નહિ ? વધારે પૈસા હોય તો એના જ લીધે કોઈકવાર જાન પણ જાય ને ? એવા ઉપદ્રવ સંભવિત છે, છતાં પૈસાને કેવી નજરથી જુઓ છો ? પૈસા સુખકારી કે ઉપદ્રવકારી ? જીવની આ મૂઢ દશા છે કે પૈસા લાવવા હોય ત્યાં દુઃખ નહિ, ને ધર્મ - તરંગવતી 194
Page #200
--------------------------------------------------------------------------
________________ લાવવો હોય ત્યાં દુઃખ દેખાય છે. ધર્મનો પક્ષપાત અને પાપમાં નીરસતા હોય તો ધર્મસેવન અને પાપત્યાગ હોંશે કરાય. પધદેવ અને તરંગવતી હવે દોડે છે બહાર સુખના લહાવા લેવા ! પાછું એમાં ઝવેરાત સાથે લઈને જવું છે. ઝવેરાતમાં સુખ ? કે ઉપદ્રવ ? પમદેવ પોતાનું ઝવેરાત લેવા મકાનમાં ગયો, અને અહીં તરંગવતીએ દાસીને કહ્યું, જા તું મારો રત્નનો ડાબડો લઈ આવ, એમ કહી દાસીને લેવા મોકલી, પધદેવ પોતાનું ઝવેરાત લઈને ઝટ આવી ગયો, અને તરંગવતીને કહે છે, ચાલ હવે આપણે નીકળી જઈએ.” ત્યાં તરંગવતી કહે છે, જરાક ખમો, દાસીને મેં મારા આભૂષણ લેવા મોકલી છે, તે લઈને આવતી હશે. એટલે આપણે એ લાવે એટલે એ લઈને જઈએ.” પધદેવની અનુભવવાણી : પમદેવ કહે, “હવે જરાય રાહ જોવા જેવી નથી, કેમકે હજી જયાં સુધી આપણા બંનેની પિતાજીને ખબર નથી એટલામાં નીકળી જવું સલામત છે. વળી દાસીનો ભરોસો નહિ કે એના પેટમાં આ વાત કેટલી ટકે ? અર્થશાસ્ત્રમાં તો કહ્યું છે. ટૂર્ણ પરિમવ તૂરું, ન ઋગ્નસ્ય સિદ્ધિ%ી મંતો " –અર્થાત દૂતી તો ઉન્નતિની દૂતી નહિ, પણ અવગતિની દૂતી છે. એથી કાંઈ કાર્ય સિદ્ધિ નિયમા થાય એવું નહિ; કેમકે એનાથી જ ગુપ્ત રહસ્ય પ્રગટ થઈ જવા સંભવ છે. દૂતીનું પેટ કેટલું ? કોઈ લાલચ મળે તો આપણી વાત બહાર પાડી દે, અથવા એની હિંમત કેટલી ? કોઈએ જો એને ધમધમાવી કે ક્યાં ચાલી ? બોલ, નહિતર તારું મોત સમજજે, તો ય ઝટ ગુપ્તભેદ બહાર કહી દે. એટલે આપણો ભેદ બહાર પ્રગટ થઈ જાય, તો જવામાં વિઘ્ન આવવા મોટો સંભવ ! ને આપણું ગમન બંધ થઈ જાય. ત્યાં ઝવેરાત સાથે લીધું કે રહી ગયું એની શી કિંમત છે ? અને મેં મારા બધા કિંમતી દાગીના સાથે લઈ લીધા છે, એટલે કશી ચિંતા કરવાને કારણ નથી. પરદેશ જઈને આનાથી મોટો ધંધો ચલાવી શકાય એમ છે. માટે હવે દાસીની રાહ જોયા વિના ઝટપટ નીકળી જઈએ.” આધુનિક નારીની વિચારણા : તરંગવતી બાઈ માણસ છે એટલે સહેજે દાગીનાનો મોહ હોય. તેમ, કર્મ ! તારી ગતિ ન્યારી 195
Page #201
--------------------------------------------------------------------------
________________ એ જમાનામાં એવું નહિ કે સારા કુળમાં પત્નીને ભય હોય કે (1) આજે તો પતિ સાથે સારાસારી છે, પણ કાલે ઊઠીને અણબનાવ થાય, અને પતિ આપણને રઝળતી કરી દે તો ? આપણી પાસે આપણી પોતાની માલ મિલકત વિના આપણે ક્યાં જઈને ઊભા રહીએ ? વળી (2) આપણી પાસે માલ હોય તો પતિ આપણને સારી રીતે બોલાવે ચલાવે. બાકી માલ વિના તો પતિની નજરમાં આપણી શી કિંમત ? પતિની ઓશિયાળી થઈને રહેવું પડે. (3) જયારે કહેવાય છે કે “વસુ વિનાનો નર પશુ,” તો પછી વસુ વિનાની નારીની તો બિચારીની ઢોર જેટલી જ કિંમત રહે. પુરુષ ફાવે તેમ ઉઠાડે ને ફાવે તેમ બેસાડે. ધણી પાસે પશુનું ન ઊપજે એમ પુરુષ પાસે માલ મિલકત વિનાની પત્નીનું કશું ન ઊપજે. માટે આપણી પાસે આપણી પોતાની મિલકત તો હોવી જ જોઈએ.” આ આધુનિક યુગની નારીની વિચારણા છે. પૂર્વની કુલીન નારીની આ વિચારણા નહિ; કેમકે પૂર્વની કુલીનતા આ શીખવતી કે, સ્ત્રીએ પતિમાં દૂધમાં પાણી ભળી જાય એમ ભળી જવાનું. પછી પોતાની કોઈ સ્વતંત્ર વિચારણા નહિ, પોતાનો કોઈ સ્વતંત્ર સિદ્ધાન્ત નહિ, સ્વતંત્ર ઇચ્છાઓ નહિ; વિચારણા, સિદ્ધાન્ત ઇચ્છાઓ...બધુ જ જે પતિનું એજ પોતાનું પતિ સાથે જીવન ગાળવું છે તે પતિને પોતાના ઈષ્ટદેવ તરીકે માનીને ગાળવાનું. જીવનમાં કોઈ ઇષ્ટદેવ પૂજય તરીકે મળ્યા પછી એ ક્યાં જોવાય છે કે એમનો સ્વભાવ તેજ, એમની આજ્ઞા બહુ કડક. એમને દેવ કર્યા પછી શી રીતે સદા સરખાઈ આવે ?" ના, આવું કાંઈ જોવાતું નથી. એમ નારીએ માથે પતિ ધર્યા પછી પતિ સાથે હંમેશાં સરખાઈ આવશે કે કેમ એ શંકા જ નહિ કરવાની. તરંગવતીને પહ્મદેવ કહે છે, મેં સારું ઝવેરાત લીધું છે એટલે હવે તારા દાગીના ન આવે તો ય કાંઈ ખૂટે એવું નથી. ચિંતા ન કરીશ, અને તરંગવતીએ કાંઈ પોતાની જુદી મિલક્ત રાખવા પોતાના દાગીના નહોતા મંગાવ્યા. એ તો પદ્મદેવના બાપ નાના શેઠ એટલે પાદેવ કદાચ મોટા પ્રમાણમાં ઝવેરાત ન લાવી શકે, તો તરંગવતીના બાપ મોટા શ્રીમંત તેથી પોતાની પાસે સારા પ્રમાણમાં ઝવેરાત, તે કામ લાગે; તેથી એણે દાસી પાસે પોતાના દાગીના મંગાવેલા. પરંતુ હવે જ્યારે પદ્મદેવ ખુલાસો કરે છે કે મારી પાસે પૂરતું ઝવેરાત છે, તેથી ખૂટવાની ચિંતા કરવાની રહેતી નથી.' એટલે 196 - તરંગવતી
Page #202
--------------------------------------------------------------------------
________________ તરંગવતીનું મન નિશ્ચિત થઈ ગયું, ખાસ કારણ તો પદ્મદેવે એ કહ્યું કે દાસીને દૂતી બનાવી, પરંતુ કર્મસંજોગે દૂતી આપણા આ એકાએક ભાગી જવાનું ગુપ્ત રહસ્ય કોઈને કહી દે, તો ગુપ્ત ગમનમાં મોટો અંતરાય આવી પડે, અને પ્રત્યક્ષમાં બીજાની મશ્કરી જોવાની આવે. 14. પદ્મદેવ-તરંગવતીનું ગુપ્ત પ્રયાણ. બસ, દાસીની રાહ જોવાની માંડી વાળી, બંને જણ ત્યાંથી તરત જ નીકળી જઈ, નગરની બહાર પહોંચ્યા. રસ્તો કોઈ રાજમાર્ગ લેવો નહોતો; કેમકે ખાતરી હતી કે બંને ઘરે ખબર પડે એટલી જ વાર ! તરત જ “બંને જણ ભાગી ગયા છે, તો “ઘોડેસવારો દોડાવો”ના વિચાર પર ગામ ગામના રસ્તાઓ પર ઘોડા દોડે. એમાંથી બચવા આમણે તદન જંગલનો જ રસ્તો લીધો, અને ચાલતાં ચાલતાં યમુના નદીના કિનારે પહોંચી ગયા. ક્યાં પિતાના ઘરે તરંગવતી બહાર નીકળી ત્યારે મ્યાન-પાલખી-રથમાં બેસીને જનારી ? અને ક્યાં અત્યારે દૂર દૂર પગે ચાલતી જનારી ? પરંતુ પાલખીમાં જતાં કદાચ એટલો આનંદ નહિ હોય તે અત્યારે પગે ચાલી કાઢતાં અનહદ આનંદ છે. કેમ વાર? કહો, જીવનમાં જેની અતિશય ઝંખના ઊભી કરી છે, એ પોતાનો પૂર્વ ભવનો પ્રિયતમ સાથે છે, ને એની સાથે જીવનભરના સંબંધ સાધવા ચાલી નીકળેલ છે માટે. બંને જણ યમુના નદીના કાંઠે પહોંચ્યા, ત્યાં એક નાવડી ભાડે કરી લે છે, અને એમાં બેસી જાય છે. અપશુકનના દેખાવ : હવે નાવડી જ્યાં હંકારવાનું થાય છે, ત્યાં જમણી બાજુ શિયાળનો રોવાનો અવાજ આવે છે, આ અપશુકનિઓ અવાજ છે. પદ્મદેવ જરા ખચકાય છે, એ તરંગવતીને કહે છે, શિયાળના અવાજનાં ફળ :वामा खेमा, धायंति दाहिणा मग्गओ नियत्तंति / वहबंधणं च पुरओ दिति सियाला अणुसरंता // શિયાળ (1) ડાબી બાજુ અવાજ કરે, તો ક્ષેમ કલ્યાણ માટે થાય; ને (2) જમણી બાજુ અવાજ કરે તો મારપીટનું કષ્ટ લાવે, (3) પાછળના ભાગમાં રૂએ તો નિયંત્રણ લાવે; અને (4) જો આગળના ભાગમાં રૂએ તો વધ-બંધન લાવે. આ હિસાબે અત્યારે જમણી બાજુનું શિયાળરૂદન લાભકારી કર્મ ! તારી ગતિ ન્યારી 197
Page #203
--------------------------------------------------------------------------
________________ ન ગણાય; પરંતુ અહીં એક બચાવ છે કે આપણા જીવતરનો નાશ નથી, અને દિશા અનુકૂળ હોવાથી આફતમાં ઓછાશ પણ રહેશે. પણ પાછળવાળાના ભયથી હવે પાછા તો નહિ જ જવાય.” તરંગવતી કહે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. મને ફાવશે કે નહિ એની ચિંતા જ નહિ કરતાં. મને તો તમારા સાંનિધ્યમાં બંધુ અનુકૂળ છે. હું તમારી સાથે જ છું,’ સુશીલ સ્ત્રીને પતિ પરના પૂરા વિશ્વાસ અને પૂરી સમર્પિતતાના પ્રભાવે ગમે તેવા કષ્ટ વેઠીને પણ પતિનું સાંનિધ્ય રાખવું ગમે છે. તો સમકિતી આત્માને ભગવાન પરના પૂરા વિશ્વાસ અને સમર્પિતતાના પ્રભાવે ભગવાનના સાંનિધ્ય ન છોડવાની કેટલી બધી ઉમેદ હોય ? વિચારજો,- કેવા કેવા પ્રસંગમાં ભગવાનને ભૂલી જઈએ છીએ? અરે ! મામૂલી મામૂલી પ્રસંગમાં ય ભગવાન કેટલા યાદ આવે છે ? વાતવાતમાં ભગવાન યાદ આવે એ માટે આ એક સરળ ઉપાય છે,- કોઈ પણ કામના પ્રારંભે માત્ર “નમો અરિહંતાણં વાણીમાં કે મનમાં લાવવાનું રાખો, તે પણ પ્રતિજ્ઞા સાથે કે “દરેક નવા કામના પ્રારંભે “નમો અરિહંતાણં' યાદ કરવું, કદાચ ભૂલાય તો પછી દંડમાં 3 નવકાર ગણી આપવા.” પછી સવારે જાગ્યા નમો અરિહંતાણ,” પથારી બહાર પગ મૂકતાં નમો અરિહંતાણં, પાણી મોમાં નાખતાં એજ, નાસ્તો શરૂ કરતાં એજ, નહાવા બેસતાં એજ, ઘરબહાર નીકળતા એજ. પેલો પાદેવ નાવ ઉપડતાં જમણી બાજુ શિયાળના રૂદનના અવાજનું અપશુકન થયું છતાં તરંગવતીને કહે છે ચંદ્રની દિશા શુભ હોવાના હિસાબે તેમજ ભગવાનનાં સ્મરણ નમસ્કાર કર્યા હોવાના ભાવે આપદા મોત કરતાં ઓછી આવશે. આપદાના સંભવમાં શું કામ જવાય ? પરંતુ પાછા ફરાય એમ નથી, કેમકે પાછળથી શોધ કરનાર આવી પહોંચી ઝડપી જ લે ! એટલે નાવડી હંકારી પવન અનુકૂળ હતો તેથી નાવડી વેગબંધ ઉપડી. પાછળ જુએ છે તો શોધ કરનાર કોઈના આવવાનો અણસારો દેખાતો નથી તેથી પકડાઈ જવાનો ભય નથી, બંનેને મનગમતાનો મેળાપ થઈ ગયો છે. એટલે આનંદનો પાર નથી. તેથી નાવના વેગબંધ ચાલવા વખતે પરસ્પર દિલની વાતો કરે છે. દિલની મીઠી વાતો : એમાં તરંગવતી પધદેવને કહે, “પ્રિય ! ચક્રવાક 198 - તરંગવતી
Page #204
--------------------------------------------------------------------------
________________ ચક્રવાકીના અવતાર પછી કેટલા લાંબા કાળથી આપણે છુટા પડી ગયેલા, તે શી રીતે ભેગા થઈ ગયા ? ભગવાનની કેવીક મહેર વરસી ! જો મને જાતિસ્મરણ ન થયું હોત, ને પૂર્વ ભવનો ચિત્રપટ્ટ ચીતરી બજાર વચ્ચે ના મુકાવ્યો હોત, અને આપણે બંનેએ એકબીજાના પરિવર્તન પામેલ જનમને ન ઓળખ્યા હોત, તો આજે આ સમાગમ શાનો બની આવ્યો હોત ? એમાં નાથ ! તમે તો મારા પર ભારે અનુગ્રહ કર્યો, મોટી મહેરબાની કરી, કે પૂર્વજન્મની ઓળખ થયા પછી મને સ્વીકારી લીધી ! એ પણ મને દેવાની મારા બાપાજીની બિલકુલ ઇચ્છા નહિ છતાં મને તમે અપનાવી લીધી અને મારી ઇચ્છાનુસાર અત્યારે દૂર દેશ લઈ જવા ચાલ્યા છો ! તમારો કેટલો ઉપકાર માનું ? તમારા કેટલા ગુણ ગાઉં ?" પદ્મદેવ કહે “અરે પ્રિયા ! એમાં તારા પર મારો અનુગ્રહ શાની ? મને ય તે જાતિસ્મરણ કરાવ્યા અને તારા ભાવ મળ્યા પછી તારા પર કેટકેટલો પ્રેમ ઊભરાયો છે, એ હું શું કહું? હું તો માનું છું કે તારા વિના ઝૂરતા એવાં મારી સાથે આવા વિકટ પ્રદેશ તું સાથે ચાલી એટલે મારા પર તારો જબરદસ્ત ઉપકાર છે કે મને તે સંગત આપી.” તરંગવતી કહે, “બેસો, એવું બોલશો નહિ, ખરેખર તો આપણા બંને પર દેવાધિદેવ અરિહંત પ્રભુનો અચિંત્ય અનંત ઉપકાર છે કે એમણે આપણે આટલા ઊંચા મનુષ્યભવે લાવી મૂક્યા ! એમાં વળી પૂર્વના પંખેરાના જનમમાં એવો ધર્મ પણ ક્યાં કરેલો ? છતાં ત્યાંથી અકાળે મરીને અહીં બે મોટા જૈન શેઠિયાઓના ઘરે આપણે બંને માનવીય પુત્ર-પુત્રીપણે જન્મી પડ્યા ! એ અરિહંતની અનંત કૃપા વિના શે બને ?'... આવી અને બીજી કાનને સુધારસનું પાન કરાવે એવી પરસ્પરની મીઠી મીઠી વાતો ને મનોરમ આલાપમય સંસારમાં શો એવો ભલીવાર છે ? ભૂતકાળમાં જે કાંઈ ભૌતિક જીવનનું અનુભવ્યું એનું પિંજણ છે, એટલે કે પિષ્ટનું પેષણ છે, જેમાં કોઈ આધ્યાત્મિક શુભ અધ્યવસાય જાગવાના નહિ દા.ત. વાત કરી કે તમે તેડવા આવ્યા અને હું કામમાં હતો. પણ મેં ઝટપટ કામ પતાવ્યું, અને તમારી સાથે આવવા તૈયાર થઈ ગયો. પણ તમે સારા ડાહ્યા માણસ કે તમને આટલા ખોટી કર્યા, તો ય તમે ખોટું લગાડ્યું નહિ...' ઇત્યાદિ વાતમાં આધ્યાત્મિક શું આવ્યું ? આમાં આત્માને સારું શું મળ્યું ? હજી મહાપુરુષોનાં જીવનના ગુણોનું વર્ણન કર્યું જાય, તો (1) એમના કર્મ ! તારી ગતિ ન્યારી 199
Page #205
--------------------------------------------------------------------------
________________ ગુણોના સુકૃતના અને પરાક્રમના પિષ્ટ-પેષણ કરવાથી આપણામાં અને સામામાં ગુણાનુરાગ પુણ્યાર્જન વગેરે સારો ગુણ થવાનો લાભ મળે, (2) એની અનુમોદનાથી શુભાનુબંધનો લાભ મળે, (3) સારી સુકૃત સદ્ગુણની પ્રેરણાનો લાભ મળે. એવો ભૌતિક કથલો કરવાથી શું મળે ? બોલ્યા,- “આજે બજારમાંથી ભીંડા લાવ્યા પણ ઘરડા અને સડેલા નીકળ્યા, કાછિયા કૅવા ચોર હોય છે? અધૂરામાં પૂરું દાળ દુણાઈ ગઈ,...' વગેરે વગેરે તુચ્છ વાતો કરવામાં ઉચ્ચ ઉમદા માનવજનમમાં મળેલી વચનશક્તિ સરાસર વેડફાઈ જાય છે, કહો કે, શક્તિને કલંક લાગે છે. માણસના દિલમાં કોઈ એવી આધ્યાત્મિક વાતોનો જાણે સ્ટોક જ નથી. હૃદય આધ્યાત્મિક વાતોથી સાવ ખાલી ખાલી, અને ભૌતિક વાતોથી ભર્યું ભરેલું હોય એટલે બિચારો અહીંયાં ભૌતિક વરાળ ખાલી કરે છે ! એવા કચરાળ હૈયામાંથી વાણી દ્વારા શું બહાર આવે ? એ જ ભૌતિક કચરો બહાર આવે ! 15. તરંગવતીની ગાંધર્વ વિવાહની વિનંતિ તરંગવતી અને પદ્મદેવને મનમાન્યો મેળાપ મળી ગયો એનો એટલો બધો રસ અને આનંદ છે કે અત્યારે પ્રેમના પિજેલાના પિંજણ કરી રહ્યા છે. એમાં અંતે તરંગવતી કહે છે કે નાથ તમારી સાથે સુખ-દુઃખમાં પૂરી સહાનુભૂતિ કરવાના નિર્ધારવાળી છું. મેં તમારે માટે પિતાનું ઘર છોડ્યું, તો હવે મહેરબાની કરીને મને આઘી મૂકશો મા. તમારા વિના એક મુહૂર્ત માત્ર પણ હું રહી શકું એમ નથી. આ એટલા માટે કહેવાઈ જાય છે કે પુરુષોના હૃદય ચંચળ હોય છે. અલબત તમારા પર જરાય આરોપ કરતી નથી, કિન્તુ મારા દિલની વ્યથા હું તમને કહું છું.' પમદેવ વાત સાંભળીને કહે છે, - પ્રિયે ! તું લેશ માત્ર પણ આવી વ્યથા કે એવો ભય યા શંકા રાખ મા; હવે તને દુઃખ થાય એવું કાંઈ પણ હું કરીશ નહિ, એની તને ખાતરી આપું છું...” આમ પ્રેમની વાતોમાં નદીમાં નાવ ચાલી જતી હતી, ત્યાં દૂરથી એક સફેદ મકાન દેખાયું, એટલે નાવને કિનારે લીધી, અને નીચે ઊતરીને સફેદ મકાનમાં બંને પહોંચ્યા. તરંગવતી કહે છે, અહીંથી આપણે કાકંદી નગરી તરફ જઈએ ત્યાં મારા ફોઈ રહે છે. એમને ત્યાં મુકામ કરશું પણ સાંભળો. એ પહેલાં હવે હું તમારી સાથે એક કુમારી તરીકે રહેવા માગતી નથી, માટે મને અહીં જ ગાંધર્વવિવાહથી પરણી લો.' - તરંગવતી 200
Page #206
--------------------------------------------------------------------------
________________ પમદેવ કહે, તરંગવતી ! “તું આટલી બધી ઉતાવળી કેમ થાય ? પેલી કહે, “હું ઉંમરલાયક છું, અને જીવનમાં તમારા સિવાય બીજો કોઈ પતિ નહિ કરવાનો મારે નિર્ધાર છે. વળી ક્યાંક કોક પૂછે તો આપણે આપણી ઓળખ શી આપવાની ? એટલે હવે મારે મારા જીવનસાથીને વરી લેવાનો વિલંબ નથી કરવાનો; અને તમે જો આ વાત વિલંબે નાખવાના હો, તો મારે આહાર-પાણીનો ત્યાગ કરવો પડશે.” પદ્મદેવને નમતું જોખવું પડ્યું. ગાંધર્વવિવાહથી એની સાથે પાણીગ્રહણ કરવું પડ્યું. તરંગવતી કહે, “હાશ ! હવે હું નિઃસંકોચ બહાર કોઈને પણ કહી શકીશ કે આ મારા પતિ છે, હું એમની પત્ની છું. સાંસારિક સંબંધમાં જીવો કેટલા બધા ઓતપ્રોત થઈ જાય છે ! અને ઠેઠ ઊંડા હૈયાથી કેટલી બધી નિકટતાની લાગણી અનુભવે છે ! સાંસારિક સંબંધીની જેમ માનવઅવતારે જો પરમાત્મા સાથે કે ગુર સાથે સંબંધ બાંધી એમનામાં ઓતપ્રોત થતા આવડે, અને હૈયાથી નિકટતાની લાગણી અનુભવાય, તો આપણું કેવું કલ્યાણ થઈ જાય ? માનવેતર ભવોમાં આ ન આવડ્યું. ત્યાં અબૂઝ હતા, પરમાત્માની કે સદગુરુની કશી ગતાગમ ને ઓળખ પારખ હતી નહીં, ત્યારે તો દેવગુરુથી હજારો ગાઉ દૂર રહ્યા ! પરંતુ હવે જ્યારે ઉચ્ચ માનવઅવતાર મળ્યો છે ત્યારે, તેમજ દેવગુરુ માત્ર મળ્યા જ નહીં પણ ઓળખાઈ પણ ગયા છે ત્યારે, જો એમનામાં ઓતપ્રોત થતાં ન આવડે અને એમની જ સાથે હૃદયના અતિ નિકટ સંબંધ બાંધતા ન આવડે તો એનામાં પશુ કે અનાર્ય મનુષ્ય કરતાં શી વિશેષતા છે ? પૂર્વના મહાપુરુષોને જુઓ કે એ નહોતા પામ્યા ત્યાં સુધી કોરા ધાકોર હતા, પરંતુ જ્યાં દેવ-ગુરુ-ધર્મની ઓળખ થઈ કે તરત એમની સાથે હૈયાના નિકટના સંબંધ બાંધતા અને એમનામાં ઓતપ્રોત થતાં વાર ન લગાડી. ઇન્દ્રભૂતિ ગૌતમને શું બનેલું ? આજ કે મહાવીર પ્રભુને ઓળખ્યા નહોતા ત્યાં સુધી અબૂઝપણે ગામેગામ યજ્ઞ-યાગ કરાવતા ચાલ્યા; પરંતુ પાવાપુરીમાં પ્રભુ મળ્યા, અને પ્રભુ સર્વજ્ઞ તરીકે ઓળખાયા, પછી શું એમણે બાકી રાખી ? પ્રભુ સાથે એમણે હૈયાના એટલા બધા નિકટ સંબંધ બાંધી દીધા, અને એ પ્રભુમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે ત્યાં જ પ્રભુ પાસે ચારિત્ર લઈ લીધું ! અને વિનયી શિષ્ય બની બેઠા ! યજ્ઞવાળાને કહેવા ય પણ ન ગયા કે “ભાઈ ! હવે તમે કામ બીજા કર્મ ! તારી ગતિ ન્યારી 201
Page #207
--------------------------------------------------------------------------
________________ પાસે કરાવી લેજો. હું છૂટો તેમજ કુટુંબને પણ એવું કહેવા ન ગયા કે હવે તમારા ને મારા સંબંધ પૂરા થયા. | રોહિણિયો પ્રખર ચોર હતો. એકવાર સિપાઈઓ પૂંઠે પડેલા, તેથી બચવા સમવસરણની નીચેથી ભાગતો જતો હતો, એમાં પગમાં કાંટો ઘૂસી ગયો. મહાવીર પ્રભુનું એક પણ વચન ન સાંભળવાની બાપે કરાવેલી પ્રતિજ્ઞા પાળનારો છતાં અહીં શું કરે ? પ્રભુનું એકપણ વચન ન સંભળાઈ જાય એટલા માટે તો બે કાનમાં આંગળિઓ ખોસીને દોડતો હતો તે પ્રભુના ત્રણ વચન પરાણે સંભળાઈ ગયા ! ત્યાંસુધી પણ પ્રભુને તારણહાર તરીકે સમજતો નથી; કિન્તુ પછી પાછળથી જયાં અભયકુમારની દેવવિમાન ને દેવદેવીઓ જેવી ભેદી ચાલમાં સપડાયો. ત્યાંથી છુટકારો મેળવવા પ્રભુનાં પેલા ત્રણ વચન કામ લાગ્યા, ત્યારે પ્રભુને તારણહાર સમજ્યો. અભયકુમારની ચાલમાં રોહિણિયો આમ સપડાયો,- અભયકુમારને ત્યાં મીઠાં ભોજન કરીને ઉપર ચંદ્રહાસ દારૂ પીને મસ્તીથી સૂતો છે. એને ઉપાડીને ઉપરના મજલે દેવવિમાન જેવી શોભા ઠઠારો કરેલા હોલમાં પલંગ ઉપર ફૂલની શય્યામાં એને સુવાડવામાં આવ્યો છે. અંગ ઉપર દિવ્ય વસ્ત્ર, હીરાના અલંકાર, આજુબાજુ દેવાંગના જેવી શણગારેલી રમણીઓ ગીત નૃત્ય કરી રહી છે. એટલામાં જ ઘેન ઊતરતાં રોહિણિઓ જાગીને જુએ છે તો એને ભ્રમ થાય છે કે શું હું મરીને દેવલોકમાં જન્મ્યો છું ?' રમણીઓ પૂછે છે, “સ્વામિનાથ ! જય જય નંદા ! જય જય ભદા! આપનો જય હો વિજય હો... આજ તમારો અમારા પુણે અમારા સ્વામિ દેવતા તરીકે જનમ થયો છે... કહો તો ખરા કે પૂર્વ ભવમાં શું શું કરેલું ? કયા કયા સુકૃતો કરેલા ?' | રોહિણિયાને મનમાં આવ્યું કે હવે જો હું પૃથ્વી પરથી મરી જ ગયો છું, અને સ્વર્ગમાં જન્મી જ ગયો છું તો કહી દેવા દે કે સુકૃત-બુકૃત કાંઈ નહીં મેં તો અઠંગ ચોરીઓ કરેલી. આમ બોલી નાખવાનું એના ગળા સુધી આવ્યું પણ ત્યાં પ્રભુનાં પેલા પરાણે સંભળાઈ ગયેલા 3 વચન યાદ આવ્યા કે, * (1) “દેવતાના ગળામાં ફૂલની માળા કદી કરમાતી નથી. * (2) દેવતાની આંખ કદી પલકારા મારતી નથી. * (3) દેવતા જમીનને અડીને ઊભા રહેતા નથી.” અહીં એ જુએ છે તો બધું એનાથી ઊલટું જ દેખાય છે (1) તૈયારી તરંગવતી 202
Page #208
--------------------------------------------------------------------------
________________ માટે 6-7 કલાક પહેલાંથી પહેરાવેલાં ફૂલ-હાર કરમાઈ ગયા છે. (2) આંખો પલકારા લે છે; અને (3) જમીનને ચોંટીને ઊભા છે. રોહિણિયો સાવધાન થઈ ગયો કે નક્કી અભયકુમારે મારા મોઢે ચોરીઓ કર્યાનું કબૂલ કરાવવા આ પેતરો રચેલો છે. પરંતુ એ જો બુદ્ધિનિધાન છે તો હું હવે મહાવીર પ્રભુની ઓળખ થયા પછી બુદ્ધિનો મહાસાગર છું. તો અભયકુમારને બતાવી આપું કે એનો પેતરાનો પત્તાનો મહેલ કેવો વેરવિખેર થઈ જાય છે ! દેવીઓને રોહિણીઓ કહે “ઓહો ! સુકૃતોનું શું પૂછવાનું ? પૂર્વ જનમાં કેટલા બધા જિનમંદિરો બંધાવ્યા ! કેટલી ધર્મશાળાઓ દાનશાળાઓ બંધાવી ! તીર્થયાત્રાના સંઘ કાઢ્યા ! ત્યાગ તપસ્યા કરી ! વગેરે વગેરે... દેવીઓ કહે બરાબર, આ સિવાય બીજું કાંઈ ? રોહિણીઓ કહે એટલે તમારે શું એમ માનવું છે કે પૂર્વે પાપો કર્યા તેથી આ દેવલોકમાં અવતાર મળ્યો ? ભગવાન ભગવાન કરો. પૂર્વ જનમમાં એમ કાંઈ પાપો કર્યો અહીં અવાય ? પૂર્વે મેં હિંસા જૂઠ ચોરી વગેરે વગેરે એક પણ પાપ કર્યું નથી. બસ, ખાનગી માણસોએ નીચે જઈને અભયકુમારને ખબર આપી કે એ તો આમ કહે છે. એટલે અભયકુમારે શ્રેણિક રાજાને કહ્યું મહારાજા ! આ ચોરીની કશી કબૂલાત કરતો નથી. તમે એણે ચોરી કર્યાના કોઈ માલમુદ્દા પકડ્યા નથી, એટલે ન્યાયી રાજ્યમાં ગુનો પુરવાર થયા વિના સજા કરાય નહીં. માટે આપને વિનંતિ છે કે આને છોડાવી મૂકો.' રોહિણિયાની પ્રભુને વિનંતિ : બસ, રોહિણીઓ ત્યાંથી છૂટીને સીધો સીધો મહાવીર ભગવાન પાસે દોડી ગયો. જઈને ભગવાનના પગમાં પડી ગયો, કહે છે, “ઓ મારા ભગવાન ! મારો બાપ જરાય મારે વિશ્વાસ કરવા યોગ્ય નહિ એવો અનાડી, એણે એના અંત સમયે મને પ્રતિજ્ઞા કરાવેલી કે મારે વર્ધમાનની કલ્યાણ વાણી સાંભળવાથી જિંદગીભર દૂર રહેવાનું. પરંતુ એ કાંટો કાઢવામાં આપના 3 વચન પરાણે સંભળાઈ ગયા, અને એણે કેટલો ગજબ ચમત્કાર કર્યો કે એના આધારે શ્રેણિક રાજાની પકડમાંથી નિર્દોષ તરીકે જીવતો છૂટ્યો ! બાપલિયા ! જો આ વચન ન મળ્યા હોત, તો જીવનભરનાં અઠંગ ચોર ગુનેગાર તરીકે પકડાઈ ગયો હોત, ને પછી તો રાજા મને હડકાયા કૂતરાના મોતે માત ! આપે આપના માત્ર ત્રણ વચનોથી મને અભયદાન આપ્યું, તો જીવનભર કર્મ ! તારી ગતિ ન્યારી 203
Page #209
--------------------------------------------------------------------------
________________ આપના વચનો સાંભળતો બેસું, તો કેટલા બધા આગામી ભવોના મોતથી મને અભયદાન મળે ? કૃપા કરી મને ચારિત્ર આપો. ચારિત્ર આપી જીવનભર મને આપના ચરણમાં બેસાડી દો.' બસ, ચોર રોહિણીયાએ શાહુકારને શરમાવે એવું કર્યું. પ્રભુની સાથે હૃદયના ગાઢ નિકટના સંબંધ બાંધી દીધા અને પ્રભુમાં ઓતપ્રોત જીવન બનાવી દીધું. તરંગવતી અત્યારે પ્રબળ મોહની અસર નીચે છે તેથી પરમાત્મા કે ગુરુ સાથે ઓતપ્રોત થવાનું નથી સૂઝતું. અત્યારે તો એ પમદેવની સાથે ગાંધર્વવિવાહ કરીને હૃદયના ગાઢ નિકટ સંબંધ બાંધી એનામાં પોતાનું જીવન ઓતપ્રોત કરી લેવાનું કરે છે. રાત્રિ ત્યાં ગાળીને સવારે સવારે ઊઠી આગળ ચાલ્યા. બંનેના ઉપર મહા આફત : જયાં નદીના કિનારે કિનારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર પૂરી સલામતીના વિશ્વાસથી ચાલી રહ્યા છે, ત્યાં ચોરોએ એમને દૂરથી પડકાર્યા, “ખબરદાર ! આગળ વધ્યા તો ? છો ત્યાં ઊભા રહી જાવ.” તરંગવતી આ જોતાં જ એકદમ ગભરાઈ ગઈ, અને પતિને રોતી રોતી કહે છે મારા નાથ હવે કેમ કરવાનું ? મને ભય લાગે છે કે હાય ! આ લોકો કોણ જાણે શું કરશે ?' પહ્મદેવ એને આશ્વાસન આપતાં કહે છે કે, “તું જરાએ ગભરાઈશ નહિ. હું જીવતો ઊભો છું ત્યાં સુધી તારું રક્ષણ કરીશ.” તરંગવતી કહે “પ્રિય ! આ તો કોઈ ભયંકર ચોરો લાગે છે, અને પાછા શસ્ત્રોવાળા છે ! પપ્રદેવ કહે, “ગભરાઈશ ના એને હું રોકીશ. અલબત આપણી આ ભૂલ થઈ ગઈ કે વિશ્વાસમાં આપણે કોઈ શસ્ત્ર સાથે લીધું નહિ. પરંતુ સાહસ બુદ્ધિવાળા પુરુષની આગળ એ શું કરી નાખવાના હતા ? એ કદાચ તને ઉપાડવા આવે, તો જ્યાં સુધી એમણે મારી ભુજાનું બલ નથી જોયું ત્યાં સુધી રોફ મારી શકે. મારા હાથમાં એટલી બધી તાકાત છે, અને અત્યારે આ પ્રસંગ જોઈને સાહસિકપણાની મારી તાકાત એટલી બધી વધી ગઈ છે કે આમને હેઠા પાડીને આપણે નાશી છૂટીશું.” ત્યાં તરંગવતી કહે છે, એ લોકો પાસે શસ્ત્ર છે, તમારી પાસે નથી, તમે શું કરશો ? પદ્મદેવ કહે પુરુષાર્થ મોટી ચીજ છે. પુરુષાર્થ આ બધાનો મુકાબલો કરી 204 - તરંગવતી.
Page #210
--------------------------------------------------------------------------
________________ શકશે. એમાં કદાચ મોત આવતું દેખાશે, તો પણ ચોરને તો તને અડવા નહિ દઉં, કેમકે જીવતો છું ત્યાંસુધી ચોરો થકી તને ઉપદ્રવ થતો હું જોઈ શકું જ નહિ. તારા પર તને ભગાડી જવાનો ચોરનો ઉપદ્રવ જોવાનો અવસર આવે એ પહેલા મારે મોત વધાવી લેવાનો નિર્ધાર છે. એ તો હવે આ આફતમાંથી ઉગરવું યા ન ઉગરાય તો મરવું, એજ મારે શોભાસ્પદ છે. હું જીવતો છું ત્યાંસુધી તો તારા શીલ પર આક્રમણ હું જોઈ શકું તેમ નથી. માટે તું રોઈશ ના, નિશ્ચિત રહે. હું મરીશ પણ તને અડવા નહિ દઉં. તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને પોતાની આત્મકથા કહી રહી છે, એમાં આ પ્રસંગ વર્ણવતાં કહે છે, “ગૃહિણી ! એ વખતે મારા પતિના એ બોલ સાંભળી હું એમની શૂરવીરતા પર એમના પગે પડી ગઈ, અને મેં કહ્યું “સ્વામિનાથ ! આ તમે શું બોલો છો ? તમે મારા શીલની રક્ષાર્થે મરી ખૂટશો? “જે તમે મારું શીલ કોઈ ભાંગે એ જોવા સમર્થ નથી, એમ હું તમારા પ્રાણનો કોઈ નાશ કરે એ જોવા સમર્થ નથી, તમે તો મારા પ્રાણમાં એવા વસાઈ ગયા છો કે મારે જીવતે તમારા પ્રાણનાશને સાંભળવાની કે વિચારમાં લાવવાની પણ મારી શક્તિ નથી. એ તો સમજી લો કે તમારા પ્રાણ જવા પહેલાં જ મારા પ્રાણ નીકળી ગયા હશે. બંને પરસ્પરનો પ્રેમ એવો બતાવે છે કે એની પાછળ પોતાના પ્રાણનો ભોગ આપવાની તૈયારી બતાવે છે. પરંતુ એથી ઊપજયું શું ? એમ છતાં સલામતી ક્યાં છે ? આ સંસારમાં જીવ કેવો કર્માધીન છે ! એટલો બધો પ્રેમ અને ભોગ આપવાની તૈયારી છતાં કર્મને કયાં શરમ છે ? પરસ્પરનો પ્રેમ છતાં જંગલમાં લૂંટારાનું આગમન કોણે કરી આપ્યું? સમરાદિત્ય કેવળીના ચોથા ભવમાં પોતે શ્રેષ્ઠિપુત્ર ધન્યકુમાર છે, એને દેશાવર વેપાર અર્થે જવાનું થાય છે, એમાં તામલિપ્તી નગરીમાં પહોંચે છે ત્યાં સામેથી એક સજ્જન શેઠ આવકારે છે, ને પોતાને ત્યાં મુકામ કરાવે છે. આ કોણે સગવડ કરી આપી ? કહેવું જ પડશે કે સામાની સજ્જનતા ભલે એમાં કામ કરી રહી હોય, પરંતુ મુદ્દામ એવા સજ્જનનો ભેટો કોણે કરી આપ્યો? કહેવું પડે કે ધન્યકુમારના શુભ કર્મો કરી આપ્યો. સારા-નરસા બાહ્ય સંયોગો પર જીવના શુભ અશુભ કર્મની જ મોટી અસર પડી હોય છે. કર્મ ! તારી ગતિ ન્યારી 205
Page #211
--------------------------------------------------------------------------
________________ શુભ કર્મ સારો સંયોગ-સગવડ મેળવી આપે ને અશુભ કર્મ નરસા સંયોગ લાવી દે. જુઓ, અહીં પહ્મદેવ તરંગવતીને અહીં સુધી કશી આફત આવવાની કલ્પના જ નહોતી, ને એકાએક લૂંટારાની ધાડ આવી ! કોણ એમને બોલાવી લાવ્યું? કહો, બંનેના અશુભ કર્મ લૂંટારાને બોલાવી લાવ્યા... યુધિષ્ઠિર અને નળ જુગારના અડસે ચડ્યા, તે પહેલાં બંનેને કલ્પના નહોતી કે આમાં આખું રાજ્ય ગુમાવવાનું થશે ! પરંતુ તેમજ બન્યું. કર્મની શિરજોરી છે. જુગાર કે વેપાર, બંનેમાં કર્મ અનુકુળ હોય ત્યાં સુધી જ ફાવટ દેખાય; પરંતુ એજ દાવ ને એ જ સોદા કર્મ પ્રતિકૂળ આવીને ઊભા કે બંનેમાં પછાડ ખાવાની આવે. ત્યારે એક પ્રશ્ન થાય, વેપાર કરતાં જુગાર સટ્ટો કેમ ખરાબ? પ્ર.- જો અંતે તો કર્મના હિસાબે જ લાભ નુકસાન છે, તો પછી વેપારને બદલે જુગાર-સટ્ટો ખેલવામાં શો વાંધો ? નરસાં કર્મ હશે તો જેમ જુગારમાં સટ્ટામાં નુક્શાન થાય, એમ વેપારમાં ય તો અશુભ કર્મથી નુક્શાન જ થવાનું છે, પછી વેપાર છોડી જુગારનો સટ્ટાનો આનંદ કેમ ન લૂંટવો ? ઉ.- (1) વેપાર અને જુગાર સટ્ટો, બંનેમાં મોટો ફરક છે. સીધી લાઈનના વેપારમાં જુગાર-સટ્ટા જેવા દુષ્ટ ભાવ નથી તેથી તેવાં પાપકર્મ બંધાતા નથી, ત્યારે જુગારમાં ભય છે કે કદાચ પાસા ખોટા પડે તેથી બહુ સીફતથી પાસા નંખાય છે. આ સીફત એટલે માયા. એ દુષ્ટ ભાવ છે. વળી જુગારમાં ચડસ છે; ભલે મોટાં નુકસાનનો સંભવ હોય, છતાં દાવ લગાવાનો, એમ મનન રહ્યા કરે છે. એમાં આત્મહતને નુક્સાની થવાનો ભય ન રાખો પાપક્રિયામાં ઝંપલાવવાનો ભાવ એ દુષ્ટ ભાવ છે. વેપારમાં એવી પાપની નિર્ભયતા નહિ, ચડસ નહિ, તેથી મોટાં નુક્સાનનો સંભવ દેખાય ત્યાંથી માણસ ખસી જાય છે. એટલે એમાં એવો દુષ્ટ ભાવ નહિ, તેથી તેવો પાપબંધ નહિ. જુગારમાં પાપનિર્ભયતા તેથી ઘોર પાપકર્મો બંધાય છે. એ પાપકર્મ જરૂર પચ્ચે અહીં પણ પોતાનો પચો દેખાડી દે ! તેવા નુક્સાનના ભય વિનાનો જુગાર ચડસ સતત ચાલુ, તેથી જુગારમાં સતત પાપ બાંધવાનું ચાલુ ! માટે કહેવાય કે જુગાર ખેલવા જવું એટલે વિનાશના પંથે જવું. “સટ્ટો લગાડે બટ્ટો.' માટે જુગારને તો દૂરથી જ નમસ્કાર કરી દેવો. (2) જુગાર ખરાબનું બીજું કારણ એ છે, કે જુગારમાં બેઠા બેઠા માત્ર - તરંગવતી
Page #212
--------------------------------------------------------------------------
________________ દાવ લગાવીને હજારો કમાઈ લેવાની વૃત્તિ છે, એ ચોરની જેમ હરામ હાડકાની વૃત્તિ છે, અર્થાત્ હરામનું ખાવાની વૃત્તિ છે. એમાં આંતર પરિણતિ તામસી, વિઠ્ઠી, અને સત્ત્વહીન બને છે. (3) જુગારમાં ત્રીજું મોટું નુકસાન એ છે કે વેપાર એ વ્યસન નથી ગણાતું પરંતુ જુગાર એ વ્યસન ગણાય છે. જુગાર વ્યસન એટલે એનો ચડસ લાગે છે, ને ખરાબ વસ્તુનો ચડસ ભૂંડો ! એમાં એ સર્વનાશ સુધી લઈ જાય ત્યાંસુધી એ ચડસ છૂટે નહિ. વ્યસનને નથી વળગ્યા ત્યાંસુધી સહીસલામત; વળગ્યા પછી દેખવા છતાં પાછા વળી રહ્યા ! હાર્યો જુગારી બમણું રમે. વેપાર માટે એમ નથી કહેવાતું કે હાર્યો વેપારી બમણું રમે, અસ્તુ. વાત કર્મની શિરજોરીની હતી, (1) એને કોઈની શરમ ન નડે. (2) કર્મકોપે ત્યાં લાગવગ ન લાગે. (3) ભાઈબાપા ન ચાલે. (4) ગમે તેવી ગુણિયલતાને એ ન ગણે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલાં ભવમાં મરભૂતિ મહાશ્રાવકના ભવથી કેટલા બધા ગુણિયલ ! છતાં એમના દશ ભવમાં આંતરે આંતરે ભવે મહા ગુણિયલ છતાં ભયંકર જીવલેણ ઉપદ્રવ આવ્યા ! શું એ પોતાના અશુભ કર્મ વિના આવ્યા ! ના, પોતાના અશુભ કર્મો જ એ આપદાઓ આવી. તરંગવતીની શીલની ભાવના : પેલી તરંગવતી પદ્મદેવને કહી રહી છે કે, “શીલની ખાતરી કરવામાં બીજો ગુણ થાઓ કે ન થાઓ, પરંતુ જીવતી છું ત્યાંસુધી શીલને ભાંગવા દેવાનું નથી, તેથી તમારે મારી શીલની રક્ષા કરવાની. દુષ્ટોના આક્રમણમાં પરિણામ આવવું હોય તે આવે, પણ એક વાત નક્કી રાખજો કે આપણે બંનેએ એક બીજાને છોડવાના નહિ, નિર્ધારિત અશુભ કર્મના ઉદય તો આવવાના તે આવવાના, પણ એનાથી ડરીને કર્તવ્ય ચૂકવાના નહિ. “કર્તવ્યથી નાસવામાં (ભાગવામાં) અશુભ કર્મ નાસી જતા નથી; એ તો એનો ભાવ ભજવે જ છે. “હું જીવતી રહીને શીલ ભાગું તો તેથી કાંઈ મોત અટકવાનું નથી તો મોતથી ગભરાઈ કર્તવ્ય શીલ કેમ ચૂકું ? શીલ ખાતર મરીશ.” અહીં પધદેવને તરંગવતીની રક્ષા કરવાનું કર્તવ્ય છે. હવે એ મનમાં ચોરોનો ભય રાખે કે કદાચ રક્ષાનું કર્તવ્ય બજાવવા રહું તો ચોરો મને મારી નાખે તો ? આવો ભય રાખીને જ રક્ષા કરવાનું કર્તવ્ય બજાવવાથી ભાગે, કર્મ ! તારી ગતિ ન્યારી 207
Page #213
--------------------------------------------------------------------------
________________ કર્તવ્ય ચૂકે તો ય ચોરોથી એવા મરણાત્ત કષ્ટ આવવાનાં કર્મ ભાગી જતાં નથી. અલબત પમદેવ નિર્ભય છે, અને કર્તવ્ય બજાવવામાં એની પૂરી તૈયારી છે. પ્ર.- તો પછી તરંગવતી કેમ નિર્ભય રહેવાનું કહી રહી છે. ઉ.- તરંગવતી નિર્ભયતા રાખવાનું કહી રહી છે, એ પોતે નિર્ભય રહેવા માટે કહી રહી છે. બંને પર ચોરોનું આક્રમણ : હવે ચોરો આવીને બંનેને ગુપચુપ પોતાની સાથે આવવા માટે દમ મારે છે ત્યારે પહ્મદેવ એમને પડકારે છે, કંગાળો ! તમે કોણ અમને લઈ જનારા ?' ત્યાં ચોરો શસ્ત્ર ઊગામી કહે, બહુ પાવર રહેવા દે. આ જોયું છે શસ્ત્ર ? હમણાં ધડથી ડોકું જુદું કરી નાખશું...' તરંગવતી બિચારી આ આફત જોઈ એકદમ રડી પડી ! ભય લાગ્યો કે ચોરો રખેને પતિને મારી ન નાખે ! એટલે રોતી રોતી એકબાજુ પમદેવને કહે આ લોકોને એવા ભારે શબ્દ કહેશો નહિ,' અને બીજી બાજુ ચોરોને રોતી રોતી કહે ભાઈસાબ ! તમારે દાગીના જોઈએ, તો લઈ જાવ પણ મારા પતિને તમે મારશો નહિ.' ચોરો કહે, “એમ કાંઈ અમારે એકલો માલ નથી લેવાનો, તમને બંનેને અમારી પલ્લીમાં લઈ જવાના છે. ચાલો, લાવો પહેલાં માલ મૂકી દો.' હવે શું કરે પદ્મદેવ ? ઝવેરાતનો ડાબડો આપી દે ? કે ન આપે ? “ના, આટલો બધો કિંમતી માલ એમ કેમ આપી દેવાય ?' એમ જો વિચાર કરવા રહે તો સામે મોતનો ભય દેખાય છે. તો મોત વધાવવું ? કે ઝવેરાત સાચવવું ? કહો ! મોત વધાવ્યા પછી ઝવેરાત કોણ સાચવવાનું હતું ? શું મડદું ઝવેરાત સાચવે ? ના, પોતાના પ્રાણ ગયા એટલે માત્ર ઝવેરાત નહિ, પણ પોતાનું શરીર સુદ્ધા બધું જ જતું કરીને પોતાના પ્રાણ બચાવી લે છે. કેમકે પ્રાણ બચી જીવતો નર ભદ્રા (કલ્યાણ) પામે. એવું જ અહીં પધદેવને કરવું પડ્યું; ઝવેરાતનો ડબ્બો ચોરોને આપી દેવો પડ્યો ! અને ચોરોને કહે છે, “લો આ માલ, હવે જાઓ તમે તમારા રસ્તે, ને અમને જવા દો અમારા રસ્તે.” ચોરો કહે “એમ શાના જાઓ ? અમારો અને તમારો હવે એક જ રસ્તો છે ચાલો સીધે સીધા પલ્લી તરફ' એમ કહી એકેય પાદેવને પકડ્યો, - તરંગવતી 208
Page #214
--------------------------------------------------------------------------
________________ બીજો તરંગવતીને ઝાલવા જાય ત્યાં તરંગવતી કહે છે, “મને ઝાલશો નહિ. હું ભાગી નથી જવાની. હું મારા પતિની જીવનભર સાથે જ છું, પતિ જીવતા હોય ત્યાંસુધી એમની સાથે જ રહેવાની.” પત્યું એને ઝાલ્યા વિના ચાલ્યા. તરંગવતી રસ્તામાં પોકે પોક રડે છે, “હાય ! હાય ! હે ભગવાન ! આ અમને કોણ જાણે આ જંગલમાં ક્યાંય લઈ જશે ? ઓ ભાઈઓ ! અમે તમને અમારો માલ આપી દીધો, હવે તમારું અમે શું બગાડ્યું છે, તે અમને પકડીને લઈ ચાલો છો ? હાય હાય રે !' એમ બોલતી ચીસો પાડીને તરંગવતીને મોટી ચીસો પડી જાય છે. એની એવી રોવાની મોટી ચીસો જોઈને લૂંટારા ગભરાય છે કે શાંત જંગલમાં આ કરુણ ચીસો કદાચ દૂરમાં કોઈને સાંભળવામાં આવે, ને અહીં દોડી આવે તો ? આપણો ભાવીનો ધંધો ય ઊંધો વળી જાય ! એટલે બાઈને ચીસો પાડતી અટકાવવા એને ધમકી આપે છે કે એય ! રોવાનું બંધ કર, નહિતર આ તારા ધણીને તારા દેખતાં હમણાં જ પૂરો કરી નાખશું. જોઈ છે આ તલવાર ? તરંગવતીને રુદન તરત બંધ કરવું પડ્યું, ન કરે તો ક્યાં જાય ? પેલા દુષ્ટોને દુષ્ટ કામ કરતાં આંચકો કે વિલંબ જ ક્યાં છે? ઝટ પદ્મદેવનું ગળું કાપી નાખે. તેથી તરંગવતી રોતી બંધ. જોજો, વ્યવહારમાં પ્રિય પરના મોતના ભયથી રુદન બંધ કરાય છે, તો પછી શાસ્ત્ર કહે છે; ‘પ્રિયના મૃત્યુ પર શોક અને રુદન કરવા પર એ મરનાર પ્રિયને ભારે કર્મબંધનો સંભવ છે, તેથી એના ભયથી શોક રુદન કેમ ન બંધ કરાય ?' જેમ તરંગવતીને તેમ અહીં હાય હું રોઉં શોક કરું તો મરનારને મફતિયાં કર્મ બંધાય તો ? એમ ભય રાખી શોક રુદન બંધ કરવા જોઈએ. તરંગવતી પધદેવ ક્યાં નીકળ્યા હતા? કયા મનોરથથી નીકળેલા ? ને કેવી સ્થિતિમાં મુકાયા ? સંસારમાં માણસ ખોટાં સાહસ કરવા જાય, પણ મૂર્ખને કર્મ કુસંગ વગેરેની પરાધીનતાની ખબર નથી રહેતી, તેથી આઘો જઈ પાછો પડે છે. પૂછો, પ્ર.- એમ તો પછી કશું સાહસ જ ન થાય ? ઉ.- ખોટું સાહસ કરનારા કેટલા ખાટી ગયા ? સાહસ કરવામાં પ્રારંભે કદાચ થોડો લાભ દેખાયો ય ખરો, પણ પછી પાછળથી ખોટમાં કામ ચાલ્યું તે પછડાયા ! હા, કહેવાય છે ખરું કે સાહસ વિના સિદ્ધિ નહિ.” પરંતુ સાહસ કરીને દુન્યવી સિદ્ધિ કદાચ મેળવી ય લીધી પણ પછી શું ? કાં તો નકરું શ્રીમંતાઈનું અભિમાન અથવા નીતરતા રંગવિલાસ, કર્મ ! તારી ગતિ ન્યારી 209
Page #215
--------------------------------------------------------------------------
________________ કે મમ્મણગીરી ! આ જ ને ? એમાં જીવ સરવાળે શું ખાટે ? દીર્ઘ દુર્ગતિ પ્રયાણ કે બીજું કાંઈ? ખોટા સાહસમાં પ્રારંભે નકરાં અભિમાન અને વિષયવિલાસ, અને જીવનના અંતે દુઃખ ને દુઃખ ! પદ્મદેવ અને તરંગવતીને પસ્તાવાનો પાર નથી. ઝવેરાતનો ડબ્બો તો ગુમાવ્યો ! પરંતુ હવે કલ્પનામાં નથી આવતું કે “લુંટારા અમને ક્યાં લઈ જશે ? શું કરશે ? ઝવેરાતનો માલ પણ ઓછો નહોતો, લૂંટારાનો આગેવાન ડબો ખોલીને ઝવેરાતના દાગીના જોતાં ચમકી ઊઠ્યો કે “વાહ ! આટલું બધું ઝવેરાત ! કદાચ કોઈ ઠેકાણે ધાડ પાડી હોય તો ય આટલું બધું ઝવેરાત ન મળે. ચાલો ઠીક થયું દારૂની મહેફિલ સાથે જુગારના દાવ ખેલવા માટે આ માલ લાંબે સુધી કામ લાગશે ! જ્યારે લૂંટારાનો આગેવાન આમ હરખી હરખીને બોલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ પદ્મદેવ અને તરંગવતીના પેટમાં તેલ રેડાય છે ! માત્ર ઝવેરાત ગુમાવાનું દુ:ખ નથી, એ દુઃખને તો એ બહુ મામૂલી ગણે છે, પરંતુ હવે આ લૂંટારા ટોળકી શું મનુષ્ય-લોહીનો વેપાર કરતી હશે ? શું આ બધા પરસ્ત્રી લંપટો દુરાચારના અખાડા ખેલતા હશે ?...' ઇત્યાદિ કઈ જાતના ભયાનક વિકલ્પો એમના મનમાં આવે છે, અને એનાથી અંગે અંગમાં ધ્રુજારી છૂટે છે ! મનને એમ થાય છે કે હાય ! ઘરેથી નીકળતાં આવી કોઈ કલ્પના નહોતી; ને આ આપણાં કર્મ કેવાં રુક્યાં છે ! ખરેખર કર્મની ખફા મરજી થાય ત્યારે કલ્પના બહારના એનાં ધાડે ધાડાં છૂટે છે ! પ્રભુ ! અમે ઘરે કેવી શાંતિથી બેઠા હતા ? અને આ ક્યાં મુકાઈ ગયા ?..' વિચારતાં વિચારતાં આંખમાંથી આંસુની ધાર છૂટે છે. જ્ઞાનીઓ આ જ કહે છે. પાપાચરણમાં પુણ્યોદય છે ત્યાં સુધી શાંતિથી બેસી રહેનારને જ્યાં પાપોદય જાગે છે ત્યારે કલ્પના બહારનાં કષ્ટ આવી પડે છે; અને કમનસીબી હવે એવી રહે છે કે હવે એમાંથી બચવાનો કોઈ માર્ગ જ દેખાતો નથી ! ચોરો બંનેના હાથ દોરડેથી બાંધી પકડીને દક્ષિણ તરફ ચાલ્યા. આગળ જતાં પર્વતની હારમાળા આવે છે. એની કોતરોની વચ્ચે એમની પલ્લી છે. એ પલ્લીની આસપાસ બહુ પાણી છે. જેથી પાણીની બીજી બાજુથી આવનારને - તરંગવતી 210
Page #216
--------------------------------------------------------------------------
________________ ગમે ત્યાંથી સીધેસીધું આવીને પાણી ઓળંઘી પ્રવેશ કરી શકાય નહિ. ફક્ત પાણીની વચ્ચેથી જવા આવવા માટે સાંકડો રસ્તો છે, ને જેનો નાકા પર પલ્લીપ્રવેશનો દરવાજો છે, ત્યાં તે દરવાજાની આગળ મજબૂત ચોકી પહેરો અને સંરક્ષક ભડવીર સિપાઈઓ ઊઘાડા શસ્ત્ર સાથે ચોકી કરી રહ્યા છે. એ બે જાતની ચોકી કરે છે. ન તો કોઈ અંદરના માણસને બહાર નીકળી અહીંથી ભાગી જઈ શકાય, કે ન તો કોઈ બહારથી આવી અહીંથી પ્રવેશ પામી શકે. પલ્લીની અંદર કેવાં દૃશ્ય છે ? એવાં કે એ જયાં આ પધદેવ ને તરંગવતીએ જોયાં, ત્યાં જ એમનાં કલેજા કંપે છે. અંદર શુંનું શું કરશે એ તો પછી, પણ દૃશ્યો જોતાં ધ્રુજારી છૂટે છે ! વિચારો, ઘરેથી નીકળ્યા ત્યારે એમને કશી કલ્પના હતી ? ના, છતાં કર્મ કેવાં અઘટિત ઘટનાઓ ખડી કરે છે ! ત્યારે દેખાય, માણસ કર્મનાં આવાં અઘટતાં ઘોર સર્જનની આગળ કેવો રાંક છે ! માણસની ધારણા બહાર કર્મ ભાવમાં આવું અઘટતું ઘડી કાઢે ને ? ના” કહેવાય એવી નથી, કેમકે જગતમાં ઢગલાબંધ એવા દાખલા જોવા સાંભળવા મળે છે. ઇતિહાસમાં અને પૂર્વ ચરિત્રોમાં પણ આવું ઘણું સાંભળવા મળે છે. છતાં આશ્ચર્ય એ છે કે ભાવીમાં કર્મના અઘટતાં ઘોર સર્જન ઊભા થાય અને ત્યાં પછી ધર્મ સાધી લેવાને અવકાશ જ ન રહે, એ પહેલાં અત્યારે સારાસારીમાં ધર્મ સાધી લેવા માટે તૈયાર નથી ! ગુરુઓ ધર્મ કરી લેવાની વાત કરે તો એ વાત બહેરાના કાન પર અથડાય છે; મન ગલોચિયા લે છે કે હજી શી ઉતાવળ છે ? થાય છે, જોઈશું એવી અઘટતી ઘટના તો તરંગવતી પર આવી. બાકી આપણા પર થોડી જ આવવાની છે ?'... આમાં અજ્ઞાનતા અને મૂઢતાનો પાર નથી ! ભાન નથી કે મોટા ચમરબંધી ઉપરે પણ એવી અઘટિત ઘટના ત્રાટકી પડે ! ને તુચ્છ માણસ પર પણ આવી પડે. રામચંદ્રજીને કાલે નિશ્ચિત થયેલો રાજ્યાભિષેક તો ઊઠી જશે પરંતુ એના બદલામાં રાજયમાં રહેવાપણું ય નહિ કિન્તુ વનવાસ ખડો થઈ જશે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?" આવું સાંભળતાં આપણે માનવું છે કે એ તો રામ-લક્ષ્મણ-સીતાજીને બને, આપણને નહિ, નળરાજા રમતમાં ભાઈ સાથે ચોપાટ ખેલી રહ્યા છે, ત્યારે એમને કલ્પના ય નહોતી કે આ રમત એ રમત નથી, રાક્ષસ છે. તારું આખું રાજય ખાઈ કર્મ ! તારી ગતિ ન્યારી 2 11
Page #217
--------------------------------------------------------------------------
________________ જશે અને તેને માત્ર પહેર્યો લૂગડે રાણી દમયંતી સાથે જંગલમાં હકાલપટ્ટી કરાવશે. અહીં ય શું આ માનવાનું કે “એ તો નળ-દમયંતીને બને, આપણને નહિ ?' મોટા માંધાતા રાવણ, એક હજાર વિદ્યાઓનો સ્વામિ ! ને હજારો વિદ્યાધર રાજાઓના અધિપતિ અને અનન્ય શસ્ત્રો ચંદ્રહાસખડગ તથા સુદર્શનચક્રનો માલિક ! એને રામ-લક્ષ્મણ સાથે લડવા આવતાં ક્યાં કલ્પના હતી કે આ લડાઈમાં વિજય તો નહિ, પણ જીવતા રહેવાનું નહિ મળે ?" આવા થોકબંધ દૃષ્ટાન્તો વર્તમાન અને ભૂતકાળના કર્મની અઘટતી ઘટનાઓના જોવા સાંભળવા મળે છતાં જીવને સારાસારીમાં ધર્મ સાધી લેવાનું સૂઝતું. નથી ! કેવી અજ્ઞાન અને અત્યંત મોહમૂઢ દશા ! પલ્લીમાં શસ્ત્રો : કેવો ભય? : પદ્મદેવ અને તરંગવતી પર હવે નહિ કલ્પેલી ભયંકર ઘટનાઓ ત્રાટકી પડવાની છે, જે સાંભળતાં બાપરે ! થાય એવું છે. બંનેને જયારે પલ્લીમાં પેસતાં અંદર લઈ જવાઈ રહ્યા છે, ત્યારે પહેલું તો જુએ છે એવી પડાળીઓ ખુલ્લી મુકાઈ છે, કે જેમાં છરાં, તલવારો, ભાલા, બરછી, ખંજરો, શૂળિયો, ધારિયાં, મોઘરો, સાણસા, કરવતો, ધનુષ્ય બાણ...વગેરે વગેરે જાતજાતના શસ્ત્રો લટકી રહ્યા દેખાય છે. એના પરથી પદ્મદેવ તરંગવતીને કલ્પના આવી જાય છે કે શું માણસો પર આ શસ્ત્રોમાંથી એક યા બીજાનો ઉપયોગ કરી માણસના છેદન-ભેદન થતાં હશે ? તો શું આપણાં પર પણ આવા કોઈ શસ્ત્રનો પ્રયોગ થવા સંભવ ?'... કલ્પનાથી કંપી ઉઠે છે ! માણસ ખરેખર દુઃખદ પ્રસંગથી ત્રાસ તો પામે ત્યારે પામે, કદાચ કર્મ સીધાં ઊતરે તો પ્રસંગથી બચી ય જાય, પરંતુ એની પહેલાં કલ્પનાથી તો ત્રાસ પામે જ છે; તે ય સામાન્ય પણ નહિ, પણ ભયંકર ત્રાસ ! રાત્રિભોજન વખતે ઉંદરને કેવો ત્રાસ એ યાદ કરો : બિલાડી જીવતા ઉંદરને ખાય ત્યારે ઉંદરને ત્રાસનો પાર નહિ એ તો ખરું જ, પરંતુ એ પહેલાં ઉંદરની શી દશા કરે છે એ જાણો છો ? એ ઉંદરને જીવતો મોમાં પકડી ઘરના માળિયા જેવામાં લઈ જાય છે. ત્યાં બિલાડીના મોમાં ઉંદર પકડાવાથી જ ઉંદરનું જોમ અડધું ખલાસ થઈ ગયું હોય છે, ને એને તરફડાટનો પાર નથી રહેતો. એવા ઉંદરને માળિયાના ખૂણામાં મૂકી એની આગળ બિલાડી અને એના ગલુડિયાં એક બાજુથી બીજી બાજુ ઉંદરની 2 1 ર - તરંગવતી
Page #218
--------------------------------------------------------------------------
________________ સામે વિકરાળ મોં ખુલ્લું રાખી ઘુરકિયાં કરતા અર્ધ ગોળાકારે આંટા લે છે ! ઉંદરને લાગે છે કે જાણે હમણાં જ એ બધા બચકાં ભરી લેશે ! ભયાનક આંખોથી ઘુરકિયાં સાથે ચિસિયારી મચાવી મૂકે છે. બોલો, આમાં બિલાડી અને એનાં બચ્ચાં ઉંદરને હજી અડતાં નથી, છતાં ઉંદરના હૈયે ત્રાસ કેટલો ? પૂજામાં બોલો છો ને, તિહાં રાત્રિભોજન કરતાં થકાં રે લો, માંજાર ઘુવડ અવતારજો'' રાત્રિભોજન ટેસથી કરતાં કરતાં ઉંદરનું આયુષ્ય જો બંધાઈ ગયું અને મરીને ઉંદર થવું પડ્યું, તો કદાચ બિલાડીની ઝડપમાં આવી ગયા પછી એ ત્રાસની પૂર્વે કહી તેવી દશા આવતાં જીવનું શું થશે ? “અમારે એવી કોઈ દુર્ગતિનો અવતાર થવાનો નહિ” એવું અભિમાન રાખવા જેવું નથી. મરુભૂતિ ક્યાં જનમ્યા ? : ખુદ પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ મહાન શ્રાવક, તે એ ભવમાં ભાઈ કમઠે ખોપરી પર ઠોકેલી શિલાથી મર્યો, અને ઉપરાંત વિંધ્યાચળની અટવીમાં હાથણીના પેટમાં તિર્યંચ હાથીનો અવતાર પામ્યો હતો ! જયાં એને અલબત પૂર્વ ભવમાં રાજા અરવિંદમહર્ષિ પાસેથી જંગલમાં ‘બુઝ બુજઝ, મરભૂઈ !' નો લલકાર મળતાં જાતિસ્મરણજ્ઞાન થયું અને મહર્ષિ તરફથી શ્રાવકના વ્રતનો ધર્મ મળ્યો, પરંતુ અંતકાળ કેવો આવ્યો ? એકવાર ઉનાળાના દિવસોમાં ભારે તરસથી પાણી પીવા ગારામાં એના પગ ખેંચી જાય છે, તે ન આ બાજુ કે ન પેલી બાજુ ચાલી શકે ! ત્યાંથી ખસી શકતો નથી. એમાં એ જ કમઠ મરીને અહીં જળચર સર્પ થયેલો, ગંડસ્થલના મર્મસ્થાનમાં દંશ માર્યા કરી અંદરમાં પોતાનું ઝેર ઉતારે છે ! એની એવી તીવ્ર વેદનાની અગન ભોગવે છે કે જે અસહ્ય છે. બોલો, મરુભૂતિના ભવમાં જો વિશ્વાસ બેઠો હોય કે “આપણને કાંઈ શિલાના આઘાત યા સર્પના દંશની વેદના આવે નહિ અથવા આપણને કાંઈ એવો દુર્ગતિના અવતાર થવાના નહિ, તો એ વિશ્વાસ કેવા ઠગારા ? કર્મસત્તા રુઠે છે ત્યારે ભલભલાનાં પાણી ઉતારી નાખે છે. માટે જ દયાળુ જ્ઞાની ભગવંતોનો આ ઉપદેશ છે કે એવી અઘટતી ઘટના બને એ પહેલાં, સારાસારીમાં એવો ધર્મ કરી લો કે જેથી એવી દુઃખદ ઘટનામાં, વખતે પૂર્વે ધર્મ ન કર્યાનો પસ્તાવો ન થાય. કર્મ ! તારી ગતિ ન્યારી 2 13
Page #219
--------------------------------------------------------------------------
________________ તરંગવતી અને પાદેવ જેમાં શસ્ત્રો લટકતા હતા, એવા મકાન જોઈને દેખાતા માણસો દારૂ પીને ઢોલ ત્રાંસા, શંખ ભેરી વગેરે વાંજિત્રો વગાડતા હરખી હરખીને નાચગાન કરી રહ્યા છે. જાણે લાગે કે કોઈ કેદ પકડાયેલા હોય ? વિચારજો, આવું બધું જોવાં મળવા પર પહ્મદેવ અને તરંગવતીના હૈયાને કેટલો બધો ત્રાસ વર્તાતો હશે ? આવા ત્રાસની આગાહી વખતે શું કરવાનું ? ચત્તારિ સરણે... “અરિહંતા મે સરખું; સિદ્ધા મે સરણં; સાહુ મે સરણે; જિણ ધમ્મો મે સરણે “પ્રભુ ! મારે તમારું શરણ છે. તમે જ મને ઉગારશો. તમારો અચિંત્ય પ્રભાવ છે. વારંવાર આ યાદ કરવાનો અભ્યાસ હોય, તો કોઈ તકલીફ આપદા સમસ્યા વખતે આનાથી આર્તધ્યાન અટકાવાય. ચોરોનું ભવન : ચોરો એમને પકડીને આગળ લઈ ચાલતાં એક મોટું સફેદ વગડા જેવું મકાન આવ્યું ત્યાં અંદર પેઠા. અંદરમાં એક ભાગમાં કાત્યાયની દેવીનું મંદિર બનાવેલું હતું. એમાં લૂંટારા દેવી આગળ નમસ્કાર કરી દારૂનું નૈવેદ્ય મૂકે છે, અને દેવીને પ્રદક્ષિણા દે છે. પછી દેવીને પ્રાર્થના કરે છે. “હે મા કાત્યાયની ! અમે ચોરો તારા પ્રસાદથી બહુ સુખી છીએ. તને શાબાશી ઘટે છે કે તું અમને ચોરી લૂંટ ધાડ વગેરેમાં રક્ષણ આપે છે ! એટલું જ નહિ, પણ લૂંટમાં સારો સારો માલ પણ અપાવે છે ! તારી અમારા પર દૃષ્ટિ જ એટલી બધી કૃપામય છે કે અમારી સારી સારી ચોરીઓને લૂંટનો ધંધો ધીકતો ચાલે છે. આમ પ્રાર્થના કરી લૂંટારાનો સરદાર ચોરોની સાથે અને તરંગવતી પમદેવની સાથે મકાનની અંદરના ભાગમાં જાય છે.. જો જો, આવા ઘોર કૃત્ય કરનારા પણ દેવીને માને છે. અને સમજે છે કે દેવીમાતાની દયાથી જ લૂંટ ચોરી વગેરે ભયંકર કૃત્યો સારા પાર પડે છે ! માટે એની પૂજા પ્રાર્થના સારી જમાવવી જોઈએ. ત્યારે આશ્ચર્ય છે કે કદાચ કેટલાંક શાહુકાર ગણાતાને ઈષ્ટદેવ પર આવી શ્રદ્ધા નહિ થતી હોય ! નહિતર જીવનમાં સારું સારું મળવા પર ઇષ્ટદેવની દયા ન માને ? ઇષ્ટદેવની પૂજા પ્રાર્થના સ્તવના કરવાના અખાડા કરે ? - આ ઉત્તમ માનવદેહ વગેરે અનેક પુણ્યાઈનો ભગવાનનો માલ ખાવો 2 14 - તરંગવતી
Page #220
--------------------------------------------------------------------------
________________ છે, ને ભગવાનની પૂજા ભક્તિ નથી કરવી એમાં તો નફટાઈ અને હરામખાઉપણાની હદ છે ? બોલો, અહીં આવો ઉચ્ચ આર્યમાનવ અવતાર અને હામ-દામ-ઠામની બધી સુખ સગવડ મળી એ કોની હોશિયારીથી મળી ? પૂર્વ ભવે આપણે વીતરાગ ભગવાનને ભજેલા અને ભગવાને કહેલા ધર્મ-સુકૃત કરેલા, માટે આ સંપત્તિ મળી ? કે પૂર્વ ભવે ભગવાનને ભૂલી નકરાં પાપકર્મો કરેલાં, માટે સંપત્તિ મળી? માણસ જો હૈયાથી આ વિચારે, તો પૂજા ન કરવાના બહાનામાં મને ટાઈમ નથી મળતો,” “મને પૂજામાં રસ નથી આવતો,” મારે ઘણી જવાબદારીઓ છે,'... વગેરે કહેવાનું મન થાય ? મનને હાડોહાડ લાગી જાય કે અલ્યા ભૂંડા ! આ ઉત્તમ દેહથી માંડી નાની મોટી સેંકડો હજારો સગવડો ભગવાનના પ્રતાપે પામ્યો, ને હવે ભગવાનને જ ટીકો કરે છે ? કે “મારી પાસે પૂજાની 10 મિનિટ પણ નથી, અને એક અગરબત્તીનો ટૂકડો કે ઘીની એક બત્તી પણ ધરવા માટે નથી ? હવે પધદેવ-તરંગવતી દેવી મંદિરથી આગળ ચાલે છે ત્યારે શું જુએ છે? પલ્લીમાં કેદ પકડાયેલાની દુર્દશા ! : જુદા જુદા વિભાગમાં સારા ખાનદાન કુળના દેખાતા મનુષ્યો દોરડે બંધાઈને જકડાયેલા પડ્યા છે ! જોતાં કમકમી થાય “હાય આ લૂંટારાએ, આ ધંધો શો માંડ્યો છે ? હવે આ બિચારા જકડાયેલાનું શું કરશે ? એ અહીં કેવી રીતે ફસાયા ? એમજ કોઈને કોઈ રીતે આ લૂંટારાની જાળમાં ફસાઈ ગયા હશે ને ? પણ એમની હવે વલે શી ?' જયારે પદ્મદેવ-તરંગવતી આ વિચારતાં જઈ રહ્યા છે ત્યારે એ બંધાઈને પડેલા એ સ્ત્રી પુરુષોમાં પરસ્પર વાત કરે છે, જુઓ આ લૂંટારા કેવા યુવાન યુગલને પકડી લઈ આવીને આ પલ્લીમાં બંધને બંધાયેલા અનેક યુવાન યુગલોના ભેગા ઉમેરવાના છે ! આમાંનો તરુણ પુરુષ તો જાણે ચંદ્રમાં કામદેવ અને તરુણી જાણે રતિ ! આટલા બધા રૂપાળાને બિચારાને હું અહીં ફસામણી ? લૂંટારાઓએ એક રાખ્યું હતું જ્યાં ક્યાંય જંગલમાં એકલા પડેલા કે યમુના નદીના કિનારે કિનારે નાવમાં એકલા જનારને પકડી લેવા એટલે આ બિચારા પણ એ હિસાબે અહીં ફસાઈ ગયા હશે !' તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે ચોર પલ્લીમાં એવું બધું ભયંકર જોતાં અમે આગળ વધી રહ્યા હતા ત્યાં મને અને મારા પ્રિયને ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 2 1 5
Page #221
--------------------------------------------------------------------------
________________ પકડાયેલાની સ્ત્રીઓ તો જોઈને રોઈ રહી છે; ત્યારે ચોરોની વહુઓ રૂપાળા પદ્મદેવને જોઈને કામાતુર ચેષ્ટાઓ કરે છે અને એક વહુ બીજીને તરંગવતીને દેખાડતી કહે છે આના જેવા સૌભાગ્યની દેવીને પ્રાર્થના કરી કે મને આવતા જન્મ આવો રૂપાળો પતિ મળો ! આ તો રંભા ઉર્વશીનો અવતાર લાગે છે! મોટા ઋષિઓના મનને પણ ચળવિચળ કરી નાખે ! અલી એ જો તો ખરી એનું સૌંદર્ય ને લાવણ્ય, હજાર આંખોવાળો ઇંદ્ર પણ આને જોઈ જોઈ ધરાય નહિ. કેવી દુર્દશા છે. એક બાજુ પોતે લૂંટારાની પત્નીનું અધમ જીવન જીવી રહી છે ને બીજીબાજું પદ્મદેવના રૂપ પર ઓવારી જાય છે !... ત્યારે કેદ પકડાયેલા પુરુષોનું શું ? એમને ય માથે ભારે વિટંબણા તોલાઈ રહી છે ! દોરડે બંધાઈને પડ્યા છે ! એ વખતે પણ દૃષ્ટિનું પાપ છૂટતું નથી ? તરંગવતીને જોઈને એવા ઓવારી જાય છે કે એ પણ કામવાસનાવશ તરંગવતીના શરીરનાં અંગેઅંગ પર દષ્ટિ નાખતાં મનોરથ કરે છે કે આ કોઈ સ્વર્ગમાંથી સરી પડેલી અપ્સરા જેવી સ્ત્રી આપણને ક્યારે મળે ?' એમ વિચારતાં એ બિચારા કામની આગથી બળી રહ્યા છે. એમને ભાન નથી કે આવા મલિન વિચારો કે ઓરતા કરીને શું વળવાનું હતું ? ધર્મથી સાધેલા પુણ્ય વિના એવા મનગમતા દુન્યવી સંયોગો મળતાં નથી. કિન્તુ ભયંકર દષ્ટિદોષના પ્રતાપે “નરકમાં પરમાધાની આંખમાં ખંજરની અણીઓ ભોકે,...' એવી એવી કાતિલ વેદનાઓના પાપ ઊભા થાય છે. પોતાની વર્તમાન સ્થિતિ એ જોતા નથી કે, “પૂર્વના પાપના ઉદયે અહીં આવી રીતે લૂંટારાઓની કેદમાં ફંસાવું તો પડ્યું છે ! અને આગળ પર ઘોર ત્રાસવિટંબણાઓ માથે લટકતી ઊભી છે !' પરંતુ મોહની વિચિત્રતા છે કે, “વર્તમાન દુઃખભરી સ્થિતિ છતાં, વિવેક ન આવવા દે, અને પૂર્વના દુષ્કતોનો પસ્તાવો પણ ન આવવા દે !" ઊલટું હજી પણ નવાનવા દુષ્કતો કરવાના વિચારો ઊઠે ! તેમજ દુષ્કતોનાં એવાં આચરણ પણ થાય,” મનુષ્ય જન્મે ય આ વિવેક નહિ તે છતી બુદ્ધિએ !! પશુજન્મ કરતાં મનુષ્યજનમની વિશેષતા આ, કે એમાં બુદ્ધિશક્તિ, વિચારણાશક્તિ ને વિવેકશક્તિ મળી છે ! પરંતુ આશ્ચર્ય છે કે માત્ર ખોળિયે મનુષ્ય, કિંતુ હૈયાથી પશુ જેવા જ રહેલા મૂઢ મનુષ્યોને પોતાને મળેલી બુદ્ધિશક્તિ વિચારશક્તિનો ઉમદા ઉત્તમ 216 - તરંગવતી
Page #222
--------------------------------------------------------------------------
________________ લાભ લેવો નથી, અને જીવનમાં પૈસા ટકા પરિવાર વગેરે કરતાં પણ જે અત્યંત કિંમતી ગણાય એવી આ બુદ્ધિની સંપત્તિને વેડફી નાખવી છે. વેડફી નાખતાં કોઈ લાજ શરમ, સંકોચ કે સંતાપ છે નહિ ! પરલોકભીર કેદીઓ ત્યારે કેટલાક પરલોકના ભયવાળા અને પરસ્ત્રીભીરુ પુરુષો તરંગવતીને જોતાં જ દષ્ટિને સંકોચી લે છે, વધુ ગંભીર બની જાય છે, રખેને રૂપાળી પરસ્ત્રીને જોતાં કૂતરા ગધેડા જેવા મલિન ભાવ કરીને હૈયું બગડે તો ?' ત્યાં પણ પરસ્ત્રીદર્શનથી બીનારા માણસ કેમ હતા ? એટલે બહારથી સારા કુળના ખાનદાન માણસોને પણ અહીં ઉપાડી લાવતા, અને એ ખાનદાન માણસો, પરસ્ત્રીદર્શનથી ભય પામનારા હોય, એમાં નવાઈ નથી, તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે ગૃહિણી ! એ ચોરોની પલ્લીમાં હૈયે ત્રાસનો ફફડાટ હતો. એમાં વળી જયાં બીજા કેદીઓની વચ્ચે અમે પસાર થઈ રહ્યા હતા ત્યાં કેદીઓના ભયંકર બોલ સાંભળ્યા કે- “આ યુવાન (મારા પ્રિય પદ્મદેવ)ને આ લોકો મારી નાખશે ! કેમકે એમની દેવીની બત્રીસલક્ષણા પુરુષનો ભોગ આપવા જોઈએ છે. પછી આ યુવતીનું તો આ પરદારા-લંપટો કોણ જાણે શું ય કરે ? કારણ કે આમનો સેનાપતિ ભયાનક માણસ છે.' કેદ પકડાયેલા એ પુરુષો અને સ્ત્રીઓ આવા બોલ બોલતા અમે સાંભળ્યા ત્યારે અમે થરથરી ઊઠ્યા ! એમાં મારા પ્રિય પદ્મદેવને જેટલું મરવાનું દુઃખ ન હતું, એના કરતાં અત્યધિક દુ:ખ મને બચાવી ન શકવાનું હતું. ત્યારે મને તો બેવડું દુઃખ હતું. ચોરોથી તરંગવતીને બેવડું દુઃખ : એક તો ચોરો દ્વારા કરાતા પ્રિયના મૃત્યુ સાથે જીવનભર માટે એમના વિયોગનાં દુઃખથી બળવાનું ! અને બીજી બાજુ એથી પણ મોટું દુઃખ મારા શીલ ઉપર આપત્તિનું આવે ! આખું શરીર અને ગાત્રો કંપવા લાગ્યા ! મનમાં કંઈ ને કંઈ દુ:ખદ વિચાર ચાલવા માંડ્યા, મનને થયું કે “હું શું આ આફતમાંથી છૂટાશે જ નહીં? શું આવી રીતે જ મરવાનું ? પ્રભુને પ્રાર્થનાઃ- “આટલો ઊંચો મનુષ્યજનમ છતાં સંયમ-ચારિત્રની પ્રાપ્તિ જ નહીં ? પૂર્વે એવા કેવા પાપ કરીને અંતરાય કર્મ બાંધ્યા હશે કે સંયમની પ્રાપ્તિ સુધીનું બધું હાથવેંતમાં, છતાં એક માત્ર અત્યારે લૂંટારાની કેદમાં છીએ કર્મ ! તારી ગતિ ન્યારી 217
Page #223
--------------------------------------------------------------------------
________________ એટલા માત્રથી બધી જ શક્યતાઓ નામશેષ થઈ જાય છે ! હે પ્રભુ ! હે જીવનનાથ ! કંઈક મહેર વરસાવો ! આ ભયંકર આપત્તિમાંથી છોડાવો.” અંગોમાં ધ્રુજારી સાથે મારી આંખમાંથી આંસુની ધાર વહે છે. હજી વધારે કમકમી સેનાપતિના દશ્ય ને બોલ પર કેવી થાય છે ! એ જુઓ.- અમને સેનાપતિના મુકામમાં દાખલ કરાયા ત્યાં ઊંચો સભામંડપ છે, સભામાં એના સુભટો એટલે ચોર, ડાકુ, લૂંટારાં જ હોય ને? એમના રાક્ષસ જેવા મોઢાં જોતાં ગાતર (ગાત્રો ઢીલાં પડી જાય ! સેનાપતિને બે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે. કેમ જાણે શ્રેષ્ઠ સુભટોનો યમરાજ જેવો ચૂડામણિ ન હોય ! મરણના ભયથી ભયંકર ત્રાસ પામેલા અમે એને હાથ જોડ્યા, ચોર સમૂહ એના પગમાં પડી ગયો, ગાય, સ્ત્રીઓ અને બ્રાહ્મણનો ઘાત કરવામાં નિધૃણ તથા સ્વભાવે કરીને રૌદ્ર ચહેરાવાળો એવો એ સેનાપતિ અમારી સામે જુએ છે, અને જોઈને એક ઘોર પ્રવૃત્તિવાળા સુભટને સેનાપતિએ પાસે બોલાવ્યો, અને એના કાનમાં કંઈક કહ્યું, પરંતુ એવું કહ્યું કે જે નજીક ઊભેલા પમદેવ અને તરંગવતીને સંભળાઈ ગયું અને સાંભળતાં જ મોતિયાં મરી ગયા ! આંખ સામે લાલ પીળાં આવી ગયાં ! મગજ ચક્કર ચક્કર ઘૂમવા માંડ્યું, જાણે હમણાં જ બેભાન થઈને પડી જશે ! એવો એ સેનાપતિનો ભયંકર આદેશ હતો. માણસના કાન પર જ્યારે ભયંકર આદેશ સંભળાય છે, ત્યારે આદેશનો અમલ તો ભલે દિવસો પછી થવાનો હોય, પરંતુ અત્યારથી જ ભારે ગભરામણનો પાર નથી રહેતો. એ જ્યારે કર્મના ભયંકર આદેશ કાન પર સંભળાતા નથી, એટલે ઠેઠ આદેશનો અમલ અત્યંત નિકટમાં આવે ત્યાંસુધી પણ કશી ગભરામણ જ થતી નથી ! એ આશ્ચર્ય છે. ત્યાં જોઈએ તો ખબર પડે છે કે કર્મસત્તા ભવિષ્યમાં અણધારી ત્રાટકે એવો સંભવ હોવા છતાં માણસ કેવા કેવા આંધળિયા કરે છે ! અને પછી જયારે કમસત્તા અણધારી ત્રાટકે ત્યારે કેવા લોહીના આંસુ પાડે છે. દાખલા તરીકે, નળરાજાનું આંધળિયું કાર્ય : નળરાજા નાના ભાઈ પુષ્કર સાથે જુગારના ચડસે ચડ્યા ! એ વખતે રાણી દમયંતી મહાસતી ના પાડતી રહી છતાં માન્યું નહીં. તો પરિણામે બધું હારીને દમયંતી સાથે પહેર્યો લૂગડે રાજમહેલ છોડીને નીકળવું પડ્યું ! એ વખતે રાજા બનેલ ભાઈ પુષ્કરે રાજયમાં ફરમાન કાઢેલું 2 18 - તરંગવતી
Page #224
--------------------------------------------------------------------------
________________ કે કોઈએ નળ દમયંતીને આશરો આપવો નહીં, અને પાણીનો પવાલો પણ ધરવો નહીં.' એ હિસાબે નગરના લોકો ઇચ્છવા છતાં નળ-દમયંતીને પોતાના ઓટલે બેસવા દેવા તૈયાર નહોતા, કે એમની તરસ મિટાવવા લોકો એમને પાણીનો પવાલો ય ધરવા તૈયાર નહોતા ! યાવત નગરની બાહર નીકળ્યા પછી જંગલમાં ચોરોએ કપડાં પણ લૂંટી લીધા, માત્ર દમયંતીનો એક સાડલો રહેવા દીધો, તે અડધો દમયંતીએ ઓઢ્યો, અને અડધો નળરાજાએ ઓઢ્યો; ને જંગલમાં માર્ગે ચાલવું પડ્યું ! વિચારો કે, કોને કેવું લુંટાવાનું ? : એ વખતે આ બધા કર્મસત્તાના ભયંકર ત્રાસ વરસાવા માંડ્યા ત્યારે નળ-દમયંતીને હૈયે કેટલો બળાપો હશે ! એક વખતના મોટા સામ્રાજ્યના માલિક રાજા, જેની તહેનાતમાં મંત્રીઓ અમલદારો સુભટો સેવકોનો પાર નહીં ! એ જંગલમાં એકલા અટૂલા પડે ! બંનેને ઓઢવા એકજ વસ્ત્ર ! ખાવા માટે એક ભાતાની નાની પોટલીય નહીં ! પીવા માટે પાસે પાણીનો લોટો પણ નહીં ! ત્યારે વિટંબણા કેટલી મોટી ? શું જુગાર ખેલવા માંડ્યો ત્યારે આવા ભવિષ્યની એક આંકડો ય કલ્પના હશે ? ડાહ્યા માણસે અયોગ્ય માર્ગ લેતા પહેલાં અને પાપના રસ્તે ચાલતા પહેલાં ભાવી દુ:ખદ કર્મસત્તાની આગાહી કરી લેવી જોઈએ. દુઃખદ કર્મસત્તા પોતાનું વિટંબણાનું કાર્ય કરવા માંડશે ત્યારે કશો બચાવ નહીં થાય. એવું જ પાંડવોને ભયંકર બન્યું. યુધિષ્ઠિર દુર્યોધન વગેરે કૌરવો સાથે જુગાર ખેલવા બેઠા, એમાં ય દ્રૌપદી વગેરેએ ઘણી ના પાડવા છતાં યુધિષ્ઠિર જુગાર રમતા જ રહ્યા, રમતા જ રહ્યા, તો અંતે બધું હાર્યા ! વધારામાં દ્રૌપદીને પણ હોડમાં મૂકી ! ને એ ય હારી ગયા !! પરિણામ ? ભરી સભામાં દુઃશાસનના હાથે દ્રૌપદીની સાડી ખેંચાણી એ વખતે, વિચારો કે, દ્રૌપદી અને પાંડવોને હૈયે કેટલા લોહી બળાપા હશે ? એથી ય આગળ જુઓ, અલબત શાસનદેવીએ દ્રૌપદીના ચીર પૂરીને લાજ રાખી એટલું સારું થયું, છતાં બાર વરસ જંગલમાં કુંતા માતા અને દ્રૌપદી સહિત પાંડવોને ભટકવાનું થયું ! એ વખતે એમના પગ કેવાંક ભાંગી ગયા હશે ? અને દુ:ખના દરિયામાં ડૂબેલા રહેતા હશે ? એ ધ્યાન પર લેવા જેવું છે, જેથી અકળ કર્મસત્તાનો ડર રાખીને અજુગતાં આંધળિયા ન થાય. કર્મ ! તારી ગતિ ન્યારી 2 19
Page #225
--------------------------------------------------------------------------
________________ માણસ સીધી લાઈન પર ચાલતો પણ હોય. છતાં કર્મસત્તાના અણધાર્યા ભયંકર આક્રમણ જગતમાં જીવો પર કેવા કેવા આવે છે !' એ જો ધ્યાન પર લેવાય, તો એ વખતે હૃદયને શાંતિ કોણ આપી શકે ? એક માત્ર દેવ-ગુરુધર્મ સિવાય કોઈ જ શાંતિ આપી શકવા ઓથ આપવા સમર્થ નથી. સંકટમાં દેવ-ગુરુ-ધર્મની જ ઓથ રહેવાનું લક્ષમાં લઈએ તો જીવન ધર્મપ્રધાન બનાવવું અતિ આવશ્યક લાગે. સાંસારિક વિષયોના નાદે ચઢેલાને આ કશું જોવું નથી; ધર્મનું શરણું લેવું નથી; અને પછી પાપાચરણમાં પૂરા વેગમાં દોડતા જવું છે. ત્યારે જો. ભારે આફત આવીને ઊભી રહેશે, ત્યારે “મા ! મને કોઠીમાંથી કાઢ' જેવું થાય છે. પછી મા કહેશે “રોયા ? તો કોઠીમાં પડ્યો તો શું કરવા ?" પણ અહીં કોણ કહે કે તો પછી પાપાચરણમાં પડ્યો હતો શું કરવા ? અહીં જ જુઓને, પધદેવ-તરંગવતીની કેવી દુર્દશા થઈ રહી છે ? એમના હૈયે કેવાક ભારે બળાપા થતા હશે કે હાય ! ઘરેથી ભાગી છૂટવાનું આ આંધળું સાહસ ક્યાં કર્યું ? હજી આગળ એમની વિટંબણા જુઓ. સેનાપતિનો ભયંકર આદેશ : સેનાપતિ એક લૂંટારા સુભટને હુક્ત કરે છે કે “ચાતુર્માસ સમાપ્ત થયું છે, તેથી દેવીને ભોગ આપવાનો સમય થઈ ગયો છે. માટે સ્ત્રી સહિત આ પુરુષના યુગલનો નોમના દિવસે ભોગ આપવાનો છે. તો જોજે બરાબર ધ્યાન રાખજે આ લોકો ભાગી ન જાય એ રીતે આ બંનેની બરાબર ચોકી જાળવણી કરજે.” તરંગવતી કહે છે, સેનાપતિનો આદેશ એટલો બધો ભારે અવાજ સાથેનો હતો કે એમાં એક તો એ સૂચિત થતું હતું કે જેને આદેશ કર્યો એ માણસે પૂરી તકેદારીથી અમને બંધનમાં સજ્જડ બાંધી રાખવાના, - તેમજ બીજું એ સૂચિત થતું હતું કે નોમના દિવસે એ અમારો અવશ્ય ઘાત કરી નાખવાના ! આ સાંભળતાં તો આવા નિકટના ક્રૂર મોતથી રીબાઈ રીબાઈને મરવાનું નિશ્ચિત જાણી, અમારા હોશકોશ ઊડી ગયા ! અહીં અમારે ઊંચે આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ જ આશરો હતો નહિ, ભલે અમે જૈન ધર્મ પામેલા હતા એટલે આવા પ્રસંગે “અરિહંતા મે સરણે, સિદ્ધા કે સરણ, વગેરે મનમાં આવે; પણ આ જીવનમાં દુઃખ જોયું ન હતું, અને જોવાનું આવ્યું ત્યારે લૂંટારાના હાથમાં બધું જ લૂંટાઈ ગયું ! ને ક્રૂર રીતે કપાઈ જવાનું દુઃખ 2 20 - તરંગવતી
Page #226
--------------------------------------------------------------------------
________________ આવવાનું સામે દેખાવા માંડ્યું ! ત્યારે એ વખતે બંનેના હૈયામાં કેટલો વલોપાત હશે, એ સાજી સારી સ્થિતિમાં બેઠેલાને કલ્પનામાં ક્યાંથી આવે ? દા.ત. મોટરના અકસ્માતમાં હાડકા ભાંગ્યા હોય ચરબી માંસ છુંદાયા જોનારને પણ અનુભવમાં શું આવે ? કર્મસત્તા આવા માત્ર સ્વયંવેદ્ય ભયંકર દુઃખો આપે છે, એમાં કોઈ બચાવનાર કે ઓથ સહારો નથી મળતો માટે જ કવિ કહે છે, બંધ સમય ચિત્ત ચેતીયે રે, શ્યો ઉદયે સંતાપ?' પધદેવ પર જુલમ, - પેલો સુભટ માણસ પોતાના સ્વામિનો હુકમ બજાવવા અમને પોતાના આવાસમાં લઈ ચાલ્યો ત્યાં અમને બાંધ્યા. એમાં ય મારા પ્રિયતમના તો બંને હાથ પીઠ પાછળ કરી એને એવા કસીને બાંધતો હતો કે તે વખતે મારાથી ન રહેવાયું તે હું છૂટા હાથે એને રોકવા મથતી હતી, અને એને કહેતી હતી કે હે અનાર્ય ! તું મારા પતિને રહેવા દે, અને મને બાંધ કે જેની ખાતર આ નરવીરે અહીં સુધી આવવાનું કષ્ટ ઉપાડ્યું છે ! એટલે મોટી ગુનેગાર તો હું છું. પરંતુ કર્મે આપેલી કુદરતી પીડા, માણસ એને અટકાવવા ગમે તેટલો પ્રયાસ કરે તો પણ, અટકતી નથી. કહો કે કર્મસત્તા, માણસને જાણે મગતરું સમજે છે ! એટલે જાણે કર્મને મન મોટો માંધાતા માણસ પણ કાંઈ વિસાતમાં નથી ! એમ અહીં પણ એવું જ બન્યું કે પેલા લૂંટારાએ મારી કશી વાત ધ્યાનમાં લીધી નહીં અને મારા પ્રિયતમને બાંધતા અટક્યો નહીં, અને ઊલટું રોષે ભરાઈને પોતાના હાથેથી મને 2-4 ધપાટો ઠોકી મને હડસેલી મૂકી ! તે હું જઈને એક ખૂણામાં પડી. વિચારવા જેવું છે કે એજ ભવમાં તરંગવતીના પોતાના ઘરે ભવ્ય વૈભવી લાલનપાલન ક્યાં? અને અહીં હલકટ માણસના હાથે પોતાના પતિની જ હાજરીમાં ધપાટો ખાવાનું અને ધકેલાઈને એક ખૂણામાં ધકેલાઈ પડવાનું ક્યાં ? પરંતુ આમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. મહાવીર ભગવાનના સંસારીપણે ઘરે લાલનપાલન કેવાં હતા ! છતાં ય સંયમ જીવનમાં જ્યારે દુષ્ટ સંગમ દેવતા છ મહિના પૂંઠે પડી ગયો હતો, અને ગામેગામ મૂઢ લોકોને ચઢાવી ચઢાવીને એમની પાસે ભગવાનની ભારે વિટંબણા તિરસ્કાર કરાવતો હતો એ કયાં ? એવી રીતે ભગવાન છ મહિના અનાર્ય દેશમાં વિચર્યા ત્યાં પણ અનાર્યોએ ભગવાનને ગાળો ગડદાપાટું વગેરે વિટંબણા કરવામાં બાકી ન રાખી એ ક્યાં ? કર્મસત્તાના આ ક્રૂર હુમલા ભગવાન જેવાને પણ આવે, તો આપણા શા કલાસ ? કર્મ ! તારી ગતિ ન્યારી 2 2 1
Page #227
--------------------------------------------------------------------------
________________ રાજા મુંજ ભારે અભિમાની હતો. એણે રાજા સિંહલનાં દૂતનું ઘોર અપમાન કરેલું, યા એવો કોઈ અપમાન યા પ્રપંચનું કાંઈ કરેલું, એટલે રાજા સિંહલે એના પર મોટી ચઢાઈ કરીને એને હરાવીને પકડી લઈ જઈ પોતાની રાજધાનીમાં કેદમાં રાખ્યો. પરંતુ જેલમાં પડ્યો પડ્યો રાજા મુંજ સખણો ના રહ્યો. આમ તો મુંજ બકરીની જેમ ગરીબડો દીન હીન રાંક થઈને પડ્યો છે! રાજા સિંહલ કોકવાર મુલાકાતે આવે ત્યારે કહે કેમ ? તારા અભિમાનનું માન કેટલું રહ્યું? હવે મારા પગમાં પડી ભાઈબાપા કરવા છે? તો છૂટાય.’ પરંતુ મુંજ અભિમાનનું પૂતળું, તે શાનો ગરીબડાની જેમ ભાઈબાપા કરે? છતાં ઉદાર અને વિવેકી રાજા સિંહલ એને હલકું ભોજન નહિ, પણ પોતાને માટે બનતી રસોઈમાંથી ભોજન મોકલાવતો. તો શું રાજા મુંજ એનાથી નિરાંત માની લે ખરો કે “ચાલો રાય ગયું, મહા અપમાન નાલેશી થઈ, છતાં આવું ઉમદા ભોજન તો મળે છે ?' એવી નિરાંત વાળે તો મૂર્ખ ગણાય, ક્યાં રાજવીપણાની બાદશાહી ? અને ક્યાં સર્વસ્વ લૂંટાઈ જઈ જેલની બેડીઓમાં જકડાઈ રહેવાપણું ? ત્યાં શું સારા સન્માન સાથેના ભોજનમાં, લૂંટાઈ ગયું એની અપેક્ષાએ ‘તો ય ઠીક મળ્યું માનવાનું? મુંજ એવું માને તો મૂર્ખ ન કહેવાય ? માનવના સુખોમાં કેમ વૈરાગ્ય ? : ત્યારે તમારે શું છે ? દેવલોકમાં હતા ત્યાંનું બધું લૂંટાઈ જઈ આજે અહીં માનવભવની કેદમાં આવ્યા. હવે દેવલોકની સુખ-સમૃદ્ધિની અપેક્ષાએ અહીં કેવુંક મળ્યું છે ? તો ય “કાંક ઠીક મળ્યું” એમ લાગે છે ને ? જો મુંજ રાજયપાટ ગયા તો ભોજન સારું મળે છે.” એવું માને તો મૂર્ખ, તો તમે મૂર્ખ નહિ ? ઉત્તરાધ્યયન શાસ્ત્ર કહે છે, દેવલોકના ભોગ-સુખ સમુદ્ર જેવડા, ત્યારે એની અપેક્ષાએ અહીં મનુષ્ય લોકના સુખ એક ટીંપા જેવડા !" ત્યાં શાસ્ત્ર કહે છે. તમને ખરેખર ઊંચા ભોગ સુખ ગમતા હોય, તો તે અહીના બિંદુ જેટલા ભોગસુખનો ત્યાગ કરવાથી અને સંયમ ચારિત્રનાં પાલનથી મળે છે, તો પછી અહીં ગટરકલાસ ભોગસુખમાં રાચીમાચી ચારિત્ર કેમ ગુમાવો છો ? અને પાપપ્રવૃત્તિઓ પાપારંભોમાં કેમ રાચ્યા માચ્યા રહો છો ? એ તમારી સરાસર મૂર્ખાઈ છે.’ તાત્પર્ય, “પાપપ્રવૃત્તિ છોડો અને ધર્મપ્રવૃત્તિ કરો. ત્યાં ઉત્તરાધ્યયનની ટીકામાં 222 - તરંગવતી
Page #228
--------------------------------------------------------------------------
________________ વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજે લખ્યું કે, | ‘વિષયfમનાષિાપ થર્ષે પુર્વ યતિતવ્ય' અર્થાત્ વિષયસુખની અભિલાષાવાળાએ પણ પાપપ્રવૃત્તિ છોડી ધર્મપ્રવૃત્તિમાં જ લાગવું જોઈએ. જ્ઞાનીઓનું તાત્પર્ય એ છે, કે તમે આ મનુષ્યભવમાં પાપપ્રવૃત્તિઓ છોડો અને ભલે વિષયસુખની કામનાથી પણ તમે ધર્મપ્રવૃત્તિઓમાં મગ્ન રહો. પ્ર.- શું સંસારના સુખ માટે ધર્મ કરાય ? ઉ.- તો શું સંસારના સુખ માટે ધર્મને અવગણીને ધરખમ પાપપ્રવૃત્તિ કરાય ? | ‘શક્ય વધુ બ્રહ્મચર્ય પાળવાથી શરીરશક્તિ સારી રહે છે, રોગો ઓછા આવે, કામકાજમાં સુસ્તી ન આવે હુર્તિ રહે, એ માટે મહિનામાં 25 દિવસના બ્રહ્મચર્યની બ્રાધા લઈ પાળે, તો શું આ બ્રહ્મચર્યનો ધર્મ ભૂંડો ? અને સંસારસુખ માટે ધર્મ ન કરાય એમ માની મહિનાના ત્રીસો દિવસ અબ્રહ્મ સેવાય આ અધર્મ તેવો ભૂંડો નહિ ? કઈ અક્કલના આ મિથ્યા સિદ્ધાંત કે સંસારસુખ માટેનો ધર્મ અધર્મથી ભૂંડો ? અસ્તુ. મુંજને પીરસવા રૂપાળી કન્યા કે દાસી જતી હશે તે મુંજ એનામાં મોહી પડ્યો; મોહક વાતોથી એનું આકર્ષણ કર્યું, અને એને લઈને ભાગી જવા તૈયારી કરી. પરંતુ પેલીને સારું સૂઝયું કે રાજા સિંહલને મુંજની એને લઈને ભાગી જવાના પ્રપંચની વાત કરી. ત્યારે રાજા સિંહલે મુંજનું અભિમાન ઉતારવા માટે જેલના સિપાઈઓને હુક્ત કર્યો કે, “મુંજને આપણું ખાવાનું આપતા નહીં, પણ એને હાથે પગે બેડીઓ સાથે ઘર ઘર માંગી ખાવા ફેરવજો. એમ માંગી લાવેલું ભલે ખાય.” મુંજ ભાયડા રોફમાં ને રોફમાં 2-3 દિવસ તો ખાવા ન મળ્યું એટલે ભૂખ્યા રહ્યા પરંતુ પેટ ક્યાં મૂકી આવે ? પેટ કરાવે વેઠ. તે હાથે બેડીઓ સાથે ઘર ઘર ભીખ માંગવા નીકળવું પડ્યું સાથે ચોકીદાર સિપાઈઓ તો હતા જ, જેથી ભાગી ન જાય. ઘરે ઘરે મુંજ આગળ થઈને ભીખ માંગે” ઓ માઈ ! ખાવાનું દે, દે.” પ્રજાને પણ મુંજની પૂર્વ કારકિર્દીના એના અભિમાન સાંભળીને મુંજ ઉપર નાખુશી હતી, એટલે કોઈ કોઈ તો એને આવકારતા જ નહીં ! ત્યારે મુંજને વધારે કાકલૂદી કરવી પડતી હતી” “ઓ મા ! દયા કર, ભૂખ્યો છું, મહેરબાની કરીને મને ખાવાનું દે...” ત્યારે વળી ખાવાનું મળતું ! આમ ભિખારીની દીનહીનતા દેખાડી ઘર ઘર ભીખ માંગીને બેડીઓ સાથે ચાલવું કર્મ ! તારી ગતિ ન્યારી 2 23
Page #229
--------------------------------------------------------------------------
________________ પડતું હશે અને તે પાછું આવીને જેલમાં જ બેડીઓમાં જકડાયા રહેવું પડતું હશે, ત્યારે એના મનને વિખવાદ કેટલો હશે ? શિર પર કર્મસત્તાના જુલમ વરસે ત્યારે માણસને પસ્તાવાનો પાર રહેતો નથી; પરંતુ સારાસારીમાં પાપપ્રવૃત્તિઓ છોડી ધર્મપ્રવૃત્તિઓ કરી લેવાનું મન થતું નથી ! કેવું આશ્ચર્ય ? હજી પણ મુંજની વધુ વિટંબણા જુઓ, કે એકવાર એક સામાન્ય સ્થિતિની બ્રાહ્મણીની ત્યાં ભીખ માંગવા ગયો, ત્યારે નીચે આગળ એક ભેંસ ને વાછરડી બાંધેલા હતા અને મેડી પર ઘરમાં 3-4 ભૂલકાં હલબોલ મચાવતા હતા. એના પર અભિમાન રાખી બ્રાહ્મણી મુંજને ગાળોથી ફટકારે છે, બ્રાહ્મણી અને મુંજરાજાના પરસ્પર બોલ : અલ્યા કૂતરા ! અહીં શાનો ભીખ માંગવા આવ્યો છે ? તારા બાપનું અહીં શું દાટેલું છે ? ગધેડા? હરામનું માગવા હાલી નીકળ્યો છે તે શરમ નથી આવતી?” મુંજને બહુ જ લાગી ગયું કે ક્યાં એક વખતની રાજાધિરાજની સાહ્યબી ને સત્તાધીશપણું? અને ક્યાં ટૂકડા રોટલાની ભીખ માગતાં વરસી રહેલો ગાળોનો વરસાદ ? મુંજ બ્રાહ્મણીને કહે ઓ મારી બહેન ! એક મેડી, એક પાડી, અને ચાર ભૂલકા પર આટલું બધું અભિમાન શું કરે ? જો મારે મોટી મહેલાતો હતી, આંગણે સંખ્યાબંધ હાથીઓની કતાર ઊભી રહેતી, તથા રાણીઓ-પુત્રપુત્રીઓ-સુભટો-સિપાઈઓનો મોટો પરિવાર રહેતો ! છતાં એના પર રાખેલું મારું અભિમાન કર્મસત્તાએ રાજા સિંહલ દ્વારા તોડી નાખ્યું ! તું શાના ઉપર આટલો બધો રોફ રાખે છે ? માણસને કર્મની લાતો ખાય ત્યારે ડહાપણ આવે છે, એટલે પાપો રદ કરવા અને જોરદાર દાન, શીલ, તપ, વગેરે ધર્મની પ્રવૃત્તિ કરવા જગા જ નથી હોતી !.. 16. પદ્મદેવનું દિલદર્દ અહીં લૂંટારો પદ્મદેવને ભીંતના થાંભલા સાથે બાંધે છે ત્યારે પહ્મદેવને એટલું દુઃખ ન થયું જેટલું તરંગવતીને ધોલધપાટ તિરસ્કાર આદિ થતાં અને ખૂણામાં ધકેલાઈ જતી જોતાં દુ:ખ થયું. એ ખૂબ જ રોઈ પડ્યો, અને રોતો રોતો તરંગવતીને કહે છે, “હાય ! હાય ! મારા કારણે તારું આ અપમાન અને તિરસ્કાર મને મારા મોત કરતાં પણ વધારે દુ:ખદ લાગે છે ! પરંતુ હું 2 24 - તરંગવતી
Page #230
--------------------------------------------------------------------------
________________ લાચાર બની ગયો છું કે નથી તો આ નિર્દય ચોરોને કાંઈ કરી શકતો, કે નથી તો તારી પછીની ચિંતામાં મરી શકતો ! કર્મના અણધાર્યા હુમલા પર ચિંતન : વિચારવા જેવું છે કે, બંને જણા અત્યંત કષ્ટમાં મુકાયા છે. લૂંટારા ધારે તેમ એમના પર કષ્ટ વર્ષાવી રહ્યા છે. માણસ કોઈ હઠવાદમાં ચઢે અથવા કોઈ લાલસા અભિમાનમાં ચઢે ત્યારે એને ભાવી કર્મના આવા કોઈ હુમલા મનની સામે આવે ખરા ? કેમ જાણે દુનિયામાં જે માણસના જોવા સાંભળવામાં ય આવે છે, એ પોતાને કદી નથી આવવાની ! એટલે પોતાની જાત માટે નિશ્ચિત બેઠો રહે છે. ઉત્તમ મનુષ્યજન્મ કે જયાં એવાં એવાં ત્રાસને લાવનારા પાપોનો નાશ કરવા માટે વીતરાગ પરમાત્માના ધર્મને આરાધવાની ઉત્તમોત્તમ તક છે, ત્યારે બુદ્ધ જીવને તેની ગમ જ પડતી નથી ! જનાવરના અવતારે તો ત્રાસ વરસવા છતાં એને બિચારાને ધર્મની ગમ ન પડે એટલે ધર્મ સંભાળવાની વાત નહિ. માત્ર ભયંકર ત્રાસ વેઠી વેઠી પૂર્વના એટલા પાપના જથ્થા ખપાવવાનું થાય; પરંતુ બીજી બાજુ અજ્ઞાનતા અને મૂઢતાથી મનમાં કેટલાય કષાય તથા રૌદ્રધ્યાન કરી કરી પાર વિનાના નવા ઘોર પાપ બાંધે છે ! નાગદત્ત શેઠનો બાપ ધૂમધામ વેપાર અને અન્યાય-અનીતિના પાપ કરી, મરીને પાપફળની પાશેરામાં પહેલી પૂણી રૂપે બકરો થયેલો તે કસાઈના હાથમાં બે રૂપિયામાં ખરીદાયો ! કસાઈ બજાર વચ્ચેથી એને લઈ જતાં બકરાએ પોતાની દુકાન જોઈ, અને પૂર્વ જન્મનું એને સ્મરણ થઈ આવ્યું, દુકાન ઓળખી, પોતાનો દીકરો એમાં શેઠ થઈને બેઠેલો એને ઓળખ્યો, એટલે દીકરો મને બચાવશે એમ ધારી હડપ કરતોક કૂદીને દુકાનમાં ઘૂસી ગયો. કસાઈ નાગદત્ત શેઠને કહે શેઠ ! બકરો નીચે ઉતારો ! ન ઉતારવો હોય તો રૂપિયા બે આપી દો, બીજો બકરો ખરીદી લઈશ. બકરાના ભારે કર્મની લીલા જુઓ, નાગદત્ત શેઠ બકરાને ઓળખતો નથી કે આ મારો બાપ છે એટલે તો કદાચ એને ન બચાવે, છતાં બે રૂપિયા જેવી મામૂલી વસ્તુ ફેંકી દઈ આ એક પંચેન્દ્રિય જીવને બચાવી લઉં ! એટલી દયા પણ એને નથી આવતી ! તે કસાઈને કહે છે, શું રૂપિયા ઝાડ પરથી મફતમાં મળે છે? લે તારો બકરો, હમણાં એને આંકણી ફટકારીને નીચે ઉતારું છું,” એમ કહી બકરાના શરીર પર આંકણી જોરજોરથી ફટકારીને હટ હટ કહેતોક નીચે ઉતારે છે ! ત્યારે બકરો, જે કર્મ ! તારી ગતિ ન્યારી 225
Page #231
--------------------------------------------------------------------------
________________ દીકરાને પોતે લાખો રૂપિયાની મિલકત આપી છે એ માત્ર બે રૂપિયાથી પણ બચાવતો નથી” એ વાતનું એને બહુ દુ:ખ લાગ્યું અને આમ પાછું કસાઈના હાથમાં જવું પડશે અને કપાઈ મરવું પડશે !' એની કલ્પનાથી ધ્રુજી ઊઠ્યો ! અને રોતો રોતો દુકાનની નીચે ઊતરી જાય છે. વિચારો, સંસારમાં જીવની કર્મ તરફથી આ કેટલી વિટંબણા ! આમ છતાં સંસારની ખૂબી કેવી છે કે જીવને અહીં પોતાના પાપ નજરે નથી ચઢતાં અને એકવાર જે દીકરા પર ભરપૂર વહાલ કર્યા છે, એજ દીકરા પર ભયંકર ગુસ્સો ચઢે છે ! પણ ગુસ્સો કરીને હવે દીકરાની સાથે શો ઝઘડો કરી શકે ? અથવા દીકરાની નાલાયકી બદલ ક્યાંથી એને દુકાન પરથી હેઠો ઉતારી શકે ? કેમકે કર્મસત્તાએ તંત્ર બધું પોતાના હાથમાં રાખ્યું છે. એટલે જ દીકરાએ એ વખતે તો ન બચાવ્યો; પરંતુ જ્યારે પાછળથી દીકરાને જ્ઞાની સાધુ પાસેથી જાણવા મળ્યું કે એ બકરો તારો બાપ હતો,' એટલે ચોંકી ઊઠીને તરત દોડીને કસાઈના ઘરે પહોંચ્યો, અને કસાઈને કહે “પેલો બકરો લાવ.” કસાઈ કહે છે, હવે નહીં મળે.' “અરે ભાઈ ! બે રૂપિયાના બાર રૂપિયા લે, પણ બકરો આપ;” તો હવે દીકરો બાપ-બકરાને બચાવી શકે ખરો ? ના. તંત્ર જ્યાં કર્મસત્તાના હાથમાં છે, ત્યાં માણસનું ધાર્યું કાંઈ ચાલતું નથી. પ્ર.- કેમ બેને બદલે બાર રૂપિયા આપવા તૈયાર થાય તો પછી કસાઈ બકરો ન આપી દે ? ઉ.- હવે મોડું થયું થયું હતું... કસાઈ કહે છે,- “બકરો ક્યાંથી આપું? જુઓ પેલા ચૂલા ઉપર રંધાઈ રહ્યો છે ! શેઠ કહે “અરરર ! બકરાને તે આટલો જલદી કાપી નાખ્યો ? કસાઈ કહે “શેઠ ! આટલા મોડા બચાવવા કેમ નીકળ્યા ? હું તો પહેલાં જ કહેતો હતો કે શેઠ બે રૂપિયા ફેંકી દો, ભલે બકરો તમારે ત્યાં રહે. હવે શું કહેવા નીકળી પડ્યા કે બકરો આટલો જલદી કાપી નાખ્યો ? પહેલાં તમારી અક્લ ક્યાં ગઈ હતી ? ત્યારે બકરાને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું હતું, અને અહીં બચાવનાર પોતાનો દીકરો જ સામે હતો, તો પછી એને બચાવ મળ્યો ? ના, 226 - તરંગવતી
Page #232
--------------------------------------------------------------------------
________________ એકલી અહીંની તો પોતાની કત્વથી બચવાની વાત નહીં, પરંતુ પોતાની ભાવી અસંખ્ય કલોથી પણ બચવાની વાત ક્યાં છે ? કારણ કે, તંત્ર કર્મસત્તાના હાથમાં છે. કર્મ! તારી ગતિ ન્યારી !! તે જીવને અજ્ઞાન અને મૂઢ રાખે. શુભ વિચાર આવવા જ ન દે, અને જીવને ઊંચકીને નરકમાં પટકી દે ! બકરાને દીકરા પર તો ગુસ્સો ચડ્યો જ હતો, વધારામાં અહીં કસાઈના હાથે કૂરપણે કપાઈ મરતાં કસાઈ ઉપર ભયંકર ગુસ્સો અને રૌદ્રધ્યાન આવ્યું, અને તે મરીને પહેલી નરકમાં ઊતર્યો કે જયાં હજારો લાખો કે અસંખ્ય વર્ષો સુધી પરમાધામીઓના હાથે છેદન-ભેદન વગેરે ભયંકર ત્રાસ સહવાના આવ્યા ! જનાવરના અવતારે અને નરકના અવતારે પણ ધર્મબુદ્ધિ ફરવાની વાત ક્યાં છે ? કેમકે મનુષ્ય અવતાર ધર્મબુદ્ધિ લાવ્યો નથી. નાગદત્ત શેઠ રોતો કકળતો પાછો વળ્યો. પછી એ જ્ઞાની સાધુ પાસે જઈ આ વાત કરી પૂછે છે,- “પ્રભુ ! મને હવે એ બતાવો કે મારા બાપનો જીવ એ બકરો કપાઈ મરીને હવે એ ક્યાં જન્મ્યો ? જાણું તો ત્યાં જઈ છોડાવી લાવું.' સાધુ કહે હવે તો ભાઈ ! એ તારો બાપ મરીને એના વેપાર અસત્ય અનીતિ આદિના પાપોથી યાં ગયો છે ત્યાં જવા જેવું નથી. એ પહેલી નરકમાં નારકીના જીવ તરીકે જનમી ગયો છે ! અને એના પર કતલેઆમ ચાલુ છે. જુઓ, નાગદત્ત શેઠનો બાપ પૂર્વ કર્મનો માર ખાવારૂપે બકરો થઈ કસાઈના હાથે કપાઈ મરવા છતાં વિસ્તાર ક્યાં ? નરકમાં ઉત્પન્ન થયો, ત્યાં હજારો લાખો ક્રોડો કે અસંખ્ય વરસો સુધી કેવી છેદન ભેદન-કુટન-જવલન વગેરેની ઘોરપીડાઓ? કારણ કપાઈ મરવા છતાં પાપોનો પસ્તાવો નથી. ઊલટું, ઘોર કષાયો અને રૌદ્રધ્યાન છે કે જેના પરિણામે નરકગતિનાં પાપ ઊભા થાય ! તરંગવતી અને પદ્મદેવ ઉપર કર્યજનિત ન કલ્પેલી આફતો વરસવા માંડી છે. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે જ્યાં મારા પ્રિય પદ્મદેવને ચોર મુશ્કેટોટ બાંધી રહ્યો છે તે વખતે તેમને જે દુ:ખ ન લાગ્યું તે ચોરે મને ધપાટ મારી ખૂણામાં ધકેલી દીધી ત્યારે દુઃખ લાગ્યું. દુઃખ તો એટલું લાગ્યું કે કર્મ ! તારી ગતિ ન્યારી 2 2 7
Page #233
--------------------------------------------------------------------------
________________ પોતાને પોતાના મોત કરતાં પણ વધારે દુઃખ લાગ્યું, એવું મને એ કહેતા રહ્યા, અને ચોરે એમને ખીલા સાથે કોરડેથી જકડી દીધા. અન્યોન્યના દુઃખ ઉપર અમે ગમે એટલો વિષાદ કરતા રહ્યા, પણ ત્યાં એમાંથી છોડાવનાર કે આશ્વાસન આપનાર કોણ ? કોઈ જ ન મળે. કર્મના મિજાજની સામે માણસનો મિજાજ શો ચાલે? મોટા દેવતાનો મિજાજ કર્મ સામે ચાલતો નથી. દેવતા પણ છેલ્લે છે મહિના આયુષ્ય બાકી રહે ત્યારે એના પર કર્મનો જ મિજાજ ઊતરે છે, અને તેથી જે ગળાની ફૂલની માળા અસંખ્ય વર્ષો સુધી નહિ કરમાનારી, એ કરમાવા માંડે છે ! સાથે વિમાનના રત્નો ઝાંખા પડી ગયા દેખાય છે ! દેવીઓના પ્રેમ ઘટી ગયા દેખાય છે ! પછી ત્યાં દેવતા ગમે એટલા રોદણાં કરે કે હાય હાય કરતો ઝૂરતો રહે, એ બધા કર્મોના મિજાજના ખેલમાં કશો ફરક પડતો નથી. એની સામે ચમરબંધી દેવતા પણ શું કરી શકે છે ? કશું જ નહીં.. તરંગવતી આગળ ચલાવે છે કે પેલો નિર્દય ચોર મારા પ્રિયને બાંધીને બીજી પડાલીમાં ગયો, અને સેનાપતિએ મારા પ્રિયનો નોમના દિવસે દેવીને ભોગ આપવાની આજ્ઞા કરેલી, એ પ્રિયનું મોત સાંભળીને હું ત્રાસી ઊઠેલી તે પ્રિયને રોતી રોતી કહું છું કે બાપરે ! શું તમારે આ રીતે કપાઈ મરવાનું? હાય હાય રે ? શું થશે ? પણ પ્રિય શું બોલી શકે ? પદ્મદેવ ચોરને ધનની લાલચ દેખાડે છે : એટલામાં ચોર પાછો આવ્યો, એને મારા પ્રિયે કહ્યું કે, જો હું કોસાંબી નગરના સાર્થવાહનો પુત્ર છું અને આ બાળા પણ મોટા શેઠની પુત્રી છે. તું રત્નો મોતી સુવર્ણ જેટલું ધન ઇચ્છે એટલે અમે તને અપાવા તૈયાર છીએ. તું તારા કોઈ માણસને મોકલ, હું ચિઠ્ઠી લખી આપું. એ માણસ ત્યાં જઈ ચિટ્ટી બતાવશે એ પછી ધન લઈને અહીં આવી જાય, પછી અમને છૂટા કરજે....” ત્યારે વિચારો, માણસને એટલું બધું અઢળક ધન મળતું હોય તો લલચાય કે નહિ ? પરંતુ અહીં જુદી સ્થિતિ છે. ચોર કહે છે, ચોર લાલચને અવગણે છે : અમારા સેનાપતિ વડે કાત્યાયની દેવીને યજ્ઞમાં હોમવા માટે તમે પશુ તરીકે અર્પિત કરાયેલા છો, એટલે જેમ યજ્ઞમાં પશુનાં અંગ અંગ કાપીને ભોગ અપાય, તેમ તમારો ભોગ આપવાનું નક્કી થઈ ગયું છે. હવે દેવીને જયારે વચન અપાઈ ગયું છે, તો જો એ ભોગ ન અપાય તો દેવી રોપાયમાન થઈ જાય ! પછી અમારી શી વલે કરે ? એ કહેવું 2 28 - તરંગવતી
Page #234
--------------------------------------------------------------------------
________________ મુશ્કેલ છે, આ દેવીને તમે ઓળખતા નથી. આ દેવીમાતાની મહેરબાનીથી તો અમારા સઘળાય ઇચ્છિત પૂર્ણ થયા છે, સર્વ કાર્યમાં સિદ્ધિ મળે છે, અને યુદ્ધમાં વિજય મળે છે, તેમ પૈસા અને સર્વ પ્રકારનું સુખ મળે છે. જે દેવીની મહેરબાનીથી આ બધું સિદ્ધ થતું હોય, એને વચન આપ્યા પછી ભોગ ન આપીને એ દેવીમાતાને રોષાયમાન કરાય ? એ તો જે નક્કી થયું છે, તે જ થવાનું. દેવીને ખુશ કરવાની, દેવીમાતાની એ ખુશી આગળ તમારા હીરા, માણેક, મોતીની કશી કિંમત નથી. માટે તમો છૂટવાની આશા જ રાખતા નહીં, એમ કહીને ચોર ત્યાંથી પાછો ચાલ્યો ગયો. | 10. તરંગવતીનો કરુણ વિલાપ | તરંગવતી શેઠાણીને કહે છે, એ વખતે ગૃહિણી ! ચોરના વચન સાંભળી વચનના પરિણામ વિચારીને હું તો ખૂબ રોઈ પડી ! અને પ્રિયના શરીરને દોરડેથી જકડાયેલું મારી નજરે શી રીતે જોઈ શકું? તેથી હું મારું માથું કૂટવા લાગી, છાતી પીટવા લાગી અને જમીન પર આમતેમ આળોટતી મારા કેશ ખેંચીને પોકાર કરવા લાગી કે હાય હાય ! આ દુષ્ટ પ્રિયને બાંધીને મને કેમ છૂટી રાખી ? પ્રિયને છોડીને મને બાંધે તો મને દુઃખ ન લાગે. શું હું આ સ્વપ્ન જોઈ રહી છું કે સાચું છે ? હે પ્રિય ! તમે મને કેટલી બધી મુસીબતે મળ્યા, તે શું આવી રીતે ઘોર ત્રાસ વેઠતાં તમને હું છૂટી રહી જોતી રહું એ માટે મળ્યા ?...' આ અને આવા બીજા કરુણ વિલાપ હું કરતી રહી છું, તેમજ પ્રિયનો બે દિવસમાં જે ભયંકર ઘાત થશે, એના અને પછી જે મારે પ્રિયનો અસહ્ય વિયોગ જોવો પડશે, એના ભારે શોકમાં હું સળગી રહી હતી !! એટલામાં ત્યાં કોઈ સુભટોએ હિંમત આપતું ગીત ગાયું, કોઈ સાહસથી મત બીઓ. સાહસ કરતાં મોતનો સંભવ, અથવા સિદ્ધિનો લાભ લીયો, કોઈ..૧ સાહસ ન કર્યું તો પણ મૃત્યુ, આજ નહીં તો કાલ; પણ સંપત્તિ વિણ જીવનભર, દારિદ્ર દુઃખ વિકરાલ; કોઈ..૨ અગર સાહસ કરતાં સંપત્તિ, આઈ મનગમતી વિશાળ; પ્રિયજનોની સાથે જીવનભર, આનંદ મંગળ માળ. કોઈ ...3 સાહસથી કોઈ કાર્ય કરવા જતાં કાં વિનાશ આવીને ઊભો રહે અથવા સિદ્ધિ મળે છે. તો પછી સાહસનું કાર્ય કરવું કે નહીં ? અગર સાહસ કરો તો કર્મ ! તારી ગતિ ન્યારી 229
Page #235
--------------------------------------------------------------------------
________________ સંપત્તિ મળવાનો સંભવ છે, ત્યારે કદાચ સંપત્તિ ન મળી, અને મોત આવ્યું, તો આમે ય મોત તો આજે નહીં તો કાલે આવવાનું જ છે. પણ સાહસ ન કરવાથી જીવનભર સંપત્તિ વિનાના ગરીબડા નિધન બન્યા રહેવું પડે એ લાંબા ગાળાનું મોટું દુઃખ છે. એટલે જો સાહસ કરીને મનોરથ પૂર્ણ થાય, તો જે લાંબા ગાળાનો આનંદ મળે છે, એમાં પછી જીવનને અંતે ભલેને મૃત્યુ આવે તો પણ એ મૃત્યુ સફળ ગણાય છે. અને જિંદગીમાં સાહસથી ધાર્યા પ્રમાણે સંપત્તિ મળવાથી કશી અફસોસી રહેતી નથી કે “છતે પુરુષાર્થના અવસરે સાહસ ન કર્યું, અને જીવનભરના દુખિયારા ગરીબડા નિધન બન્યા રહ્યા ! માટે વિષમ દશાને પામેલા પણ પુરુષે સાહસનો પુરુષાર્થ કરવો જોઈએ, તો સંભવ છે ધારી સંપત્તિ મળે, અને પ્રિયજનોની સાથે આનંદ મંગળમાં જીવનભર રહી શકાય...' આ પ્રમાણે સાંભળીને મારા પ્રિય મને કહે છે, પ્રિયે ! આ સાંભળ આપણે જો સાહસ કર્યું ને ધારી સુખસંપત્તિ ન મળતાં મોત આવ્યું, તો એમાં ખોટું શું થયું છે ? ધારી સુખસંપત્તિ મળી હોત તો તો રાજી રાજી થઈ જાતને? તો પછી જો આપણાં તેવાં ગુપ્ત કર્મના પ્રભાવે સંપત્તિ ન મળતાં મોત આવ્યું, તો ય રાજી જ રહેવાનું. સાહસ એટલે સાહસ, કાં એકદમ સુખી થાઓ, યા એકાએક ઉડી જાઓ. પણ સાહસના અભાવે સંપત્તિ વિના જીવનભર દીર્ઘ કાળ રોતા તો નહિ બેસવાનું. બાકી તો આમાં પ્રિયે ! મુખ્ય તો આપણાં કર્મ જ કામ કરે છે. પૂર્વે કરેલા કર્મથી જે નીપજે છે એમાંથી ભાગી છૂટવાનું શક્ય નથી. કારણ કે કર્મનાં નિર્માણ અટળ અફર હોય છે. માણસ ત્યાં પરાધીન છે. કર્મના પ્રભાવે અનિચ્છાએ પણ જરૂર પડે ઠેઠ જમરાજના દરવાજા દેખવા પડે છે. જો ને ચંદ્રમાં અંદર-બહારથી અમૃતમય છે, તો પણ એના પર નિત્યરાહુ અને પર્વરાહુના સંકટ કેવા આવે જ છે ! માટે જો આપણા પર સંકટ આવ્યા, તો તેને આપણાં જ કર્મના વિપાક સમજવાનાં. વિચિત્ર વિપાકી કર્મ : કર્મ પણ એવા જ હોય છે કે કોઈ કર્મ ક્ષેત્ર વિપાકી એટલે કે કોઈ અમુક ક્ષેત્ર મળે ત્યાં જ વિપાક પામનારાં, તો અમુક દ્રવ્ય વિપાકી અર્થાત અમુક જાતના દ્રવ્યો એટલે કે વસ્તુઓ મળે ત્યારે જ ઉદયમાં આવે. કોઈ વળી એવાં કાળ વિપાકી કે અમુક કાળનું નિમિત્ત પામીને જ ઉદયમાં આવે. એ ગમે તે હોય, પણ કર્મના ઉદયમાં નિમિત્ત બનનાર 23) - તરંગવતી
Page #236
--------------------------------------------------------------------------
________________ બિચારા આ દ્રવ્ય ક્ષેત્ર આદિ ગુનેગાર નથી; ગુનેગાર તો મૂળભૂત કર્મ જ છે. માટે સુંદરી ! કાંઈ ખેદ વિલાપ કર નહિ, કે ચોરને દુશ્મન તરીકે દેખ નહિ; એ બિચારો તો નિમિત્ત માત્ર છે. અસલમાં આપણા કોઈ એવા પૂર્વનાં કર્મ, એણે જ આપણને ભયંકર સંકટમાં મૂક્યા છે. વિધિના લેખ મિથ્યા થતા નથી કે એને ઓળંઘી શકાતા નથી. વિધિના લેખે સર્જેલું વધાવી જ લેવું પડે છે. પરંતુ જેમ પેલા ગીતમાં સાંભળ્યું તેમ, સાહસ કર્યું છે, તો આફત ટળીને સંપત્તિ મળવાની આશા છે..” તરંગવતી કહે “ગુહિણી ! પ્રિયની આ સમજાવટથી મને આશ્વાસન મળ્યું મારો શોક ઓછો થયો. અહીં જોવા જેવું આ છે કે તરંગવતીને પોતાના પ્રિય પાસેથી અવસરોચિત આશ્વાસન મળતાં, એવા ઘોર કપરા સંયોગમાં પણ શોક હળવો પડે છે. જગતમાં કલ્યાણ-મિત્રો અને ગુરુઓની આથી જ મોટી કિંમત છે કે એ અવસરોચિત અદ્ભુત આશ્વાસન આપે છે. * માણસની માથે ગમે તેવી મોટી આફત આવી હોય, તો પણ કલ્યાણ લહેરી આવી જાય છે !... તરંગવતીને ભારે નિરાશા આવીને કરુણ કલ્પાંત ઊભા થઈ ગયેલા, તેમાં પેલા સાહસ-ગીતના શબ્દો પાદેવનાં કર્મસિદ્ધાન્તની અટલતા ઉપરના આશ્વાસન-વચનોએ જાદુ કર્યું... તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે કે “ગૃહિણી મારા પતિએ મને સુંદર આશ્વાસન આપ્યા પછી હું સ્વસ્થ બની. હવે હું ત્યાં આસપાસમાં જોઉં છું તો બીજા કેદીજનો ત્યાં બંધાયેલા પડ્યા હતા. એમાંના કેટલાક તો પોતાની પૂર્વની જાહોજલાલી યાદ કરીને રોઈ રહ્યા હતા. જીવ પર કર્મની દારુણ સજાઓ ઊતરે છે ત્યાં એ કેવો લાચાર બને છે કે કર્મની સજાઓમાંથી છૂટવા એને કોઈ ઉપાય દેખાતો નથી ! કર્મના ભયંકર ત્રાસ સહન કર્યા વિના એને ચાલતું નથી. એટલે રોવા સિવાય એ બીજું કશું જ કરી શકતો નથી કે એ કર્મ બાંધેલા હસતે હસતે, અર્થાત્ રાજી થઈ થઈને પાપો આચરીને કર્મ બાંધેલા, તે હવે રોવાનું કરતાં પણ છૂટતાં નથી. રુક્મિણીએ હસતાં કર્મ બાંધેલ : કૃષ્ણવાસુદેવની પટ્ટરાણી રુક્મિણીને સોળ વરસ પોતાના અતિ પ્રિય રૂપાળા અને હોશિયાર પુત્ર પ્રદ્યુમ્નનો વિયોગ કેમ થયો, તે એને શોકમાં ને કર્મ ! તારી ગતિ ન્યારી 231
Page #237
--------------------------------------------------------------------------
________________ શોકમાં સમય કાઢવો પડ્યો ? એનો જવાબ રુક્મિણીને ભગવાન નેમનાથ સ્વામિ કહે છે. પૂર્વે રાજાની રાણી તરીકે તું બહાર ગયેલી ત્યાં વિયાયેલી મોરલીનું ઇંડું કંકુવાળા હાથે તેં હાથમાં લીધેલું, તેથી એ ઇંડું લાલ થઈ જતાં તે એને નીચે મૂકી દીધું. પરંતુ મોરલી ઇંડાને ઓળખી શકી નહિ. એટલે શોકથી બિચારી ઝૂરવા લાગી ! એમાં સોળ ઘડી પછી વરસાદ પડ્યો, અને એમાં ઇંડા ઉપરનું કંકુ ધોવાઈ જતાં ઇંડું સફેદ થઈ જવાથી મોરલીએ ઓળખ્યું, એટલે એ સ્વસ્થ રાજી થઈ. આમ સોળ ઘડીના વિયોગથી તે સોળ વરસના પુત્રવિયોગનું કર્મ બાંધેલું તેથી અહીં પુત્રનો સોળ વરસનો વિયોગ થયો... “એ ખુલાસો કરતા કહ્યું કે “હસતા તે બાંધ્યા કર્મ રોતાં તે નવી છૂટે પ્રાણિયાજી” આમ હસી ખીલીને વિષયોના રંગરાગ કે દુષ્કતો સેવી બાંધેલા કર્મની ભયંકર સજાઓ લાચારીથી ભોગવવી પડે છે. ત્યાં રોવા સિવાય કોઈ બીજો. આરોવારો દેખાતો નથી. એમ કેટલાક કેદીઓ બંધનમાં પડેલા કરુણસ્વરે રોઈ રહ્યા હતા. ત્યારે બીજા વળી આમ રોતા નહીં હોય, પરંતુ અમને જયાં ત્યાં લાવવામાં આવ્યા, અને અમારી દુર્દશા કરાયેલી જોઈ, તે જોતાં એ બિચારા રોઈ પડ્યા ! પલ્લી-કેદી સ્ત્રીનો તરંગવતીને પ્રશ્ન : ત્યાં કેદ પકડાયેલ સ્ત્રીઓ અમને પૂછે છે કે “તમે અહીં ક્યાંથી આવ્યા ? આ દુષ્ટ ચોરોના હાથમાં શી રીતે તમે ફસાઈ પડ્યા ? તરંગવતી સ્વ વિગત કહે છે : ત્યારે આમ તો મારે એમને કહેવાનો કાંઈ અર્થ નહોતો, કેમકે એ કાંઈ અમને છોડાવી શકે એમ દેખાતું જ નહોતું. પરંતુ દિલનું મહાદુઃખ હળવું કરવાને મેં એમને મારી પૂર્વ હકીકત કહેવા માંડી, ને ચકોર ચકોરીના પૂર્વ ભવથી શરૂઆત કરી. સમય પસાર જ કરવો હતો એટલે ટૂંકામાં ન પતાવતાં વિસ્તારથી તે તે પ્રસંગો તેવા તેવા ભાવ સાથે રોતી રોતી હું વર્ણવવા લાગી. અહીં કેદમાં પડેલી મને બોલવામાં સંકોચ નહોતો, એટલે રોતી જાઉં ને શું શું કેવી રીતે બન્યું એ ખુલ્લા અવાજે ભાવ પૂરીને વર્ણન કરતી જાઉં. એમાં, પૂર્વ ભવનું કથન : અમે ચકોર ચકોરી કેવી ક્રીડા કરી રહ્યા હતા; એમાં જ્યાં મારા પ્રિય ચકોરને કેવી રીતે અચાનક બાણ લાગીને એ કેવો તરફડી રહ્યો હતો ! તે રોતાં રોતાં હું કહી રહી હતી. એના પર બાણ મારનાર પારધી એનું દુ:ખ 232 - તરંગવતી
Page #238
--------------------------------------------------------------------------
________________ અને મારા કલ્પાંતનું દુઃખ જોતાં, પારધી પણ પોતાના હાથે અજાણતાં થયેલી આ ભૂલ ઉપર કેવો શોક કરી રહ્યો હતો ! કેમકે એણે તો મોટા હાથીનો શિકાર કરવા બાણ છોડેલું, પરંતુ એ બાણ વચમાં ઊડવા ગયેલા મારા પ્રિય ચકોર પંખીને કેવુંક લાગ્યું ! એ રોતાં રોતાં કહી રહી હતી. એમાં પોતાની ભૂલ અને મારો ભારે કલ્પાંત દેખી, એના ભારે શોકથી પારધીએ પંખીની મરેલી કાયા પર કેવો અગ્નિસંસ્કાર કર્યો, એમાં ઝૂરી રહેલી મેં એની ચિતામાં કેવો જીવતા પૃપાપાત કર્યો, ...એ બધું રોતા રોતાં કરાતું કરુણ વર્ણન સાંભળતાં શ્રોતા સ્ત્રીઓ પણ હાય ! હાય ! કરતી રડી રહી હતી. આ ભવની કથની : એ પછી આગળ વર્ણન લંબાવતાં અહીં જે મને તરંગવતીનો અવતાર મળ્યો તેમજ મારા પ્રિય ચકોરને પધદેવનો અવતાર મળ્યો, બંને મોટા શેઠીઆને ત્યાં જન્મ પામેલા...વગેરે વર્ણન પછી કેવી રીતે સરોવર પર પ્રેમની ક્રીડા કરતા ચકોર ચકોરીને જોઈ મને જાતિસ્મરણ (પૂર્વ ભવનું જ્ઞાન) થયું, એના પર મને કેવી રીતે મારા પ્રિયના વિયોગનું જાલિમ દુઃખ થયું, એ પણ રુદન સાથે કરાતું વર્ણન સાંભળતાં શ્રોતાઓ વળી રોઈ પડ્યા ! એ પછી મેં કેવી રીતે પૂર્વ ભવનો તાદશ ચિત્રપટ્ટ બનાવેલો, તે કૌમુદી મહોત્સવમાં બજારમાં જાહેર મૂકાવેલ, એ જોતાં કેવી રીતે મારો પ્રિય ચકોર જ અહીં પમદેવ થયેલ એ ત્યાં આવી જતાં એના જોવામાં આવ્યો, ને કેવી રીતે એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. એને ય કેવો પ્રેમ ઉભરાયો, એમાં વળી એના પિતાએ કેવી રીતે એના માટે મારા પિતા પાસે માગણી મૂકતાં, પિતાજીએ કેવી રીતે ઘસીને ના પાડી; એથી એમાં બંનેને કેવા થયેલ કારમાં કલ્પાંત ! એનું રોતાં રોતાં વર્ણન કર્યું, પછી તો અમો બંને પોત-પોતાના ઘરે આપઘાત કરવા તૈયાર, પણ દાસી દ્વારા અમારાં મિલન. તે આપઘાત ન કરતા કેવી રીતે મોટી આશામાં માંડ ભાગી છૂટ્યા ! ને અહીં ચોરોના હાથમાં કેવી રીતે સપડાઈ ગયા,... વગેરે રોતાં રોતાં વર્ણવતાં, એમાં અમારા સંતાપના આબેહૂબ વર્ણન સાંભળતાં, શ્રોતા કેદી સ્ત્રીઓને પણ ભારે દુઃખ થતાં, ને એ ય બિચારી રોતી જ રહી... દુઃખનાં વર્ણન પણ પોતાને દુઃખ કરે છે, ને બીજાનાં દુઃખનાં શ્રવણ પણ પોતાને દુઃખ કરે છે, ત્યારે દુઃખ તો કેવું ય પીડતું હોય? આ સંસારમાં જીવને દુઃખ કેવી કેવી રીતે પડે છે એ જો ધ્યાન પર લેવાય, તો આ દુઃખદ સંસારની અસારતા હૈયાને સચોટ લાગી જાય. કર્મ ! તારી ગતિ ન્યારી 233
Page #239
--------------------------------------------------------------------------
________________ અને જીવ સંસારથી જ ઊભગી જાય. માટે તો સમ્યકત્વનું બીજું લક્ષણ ‘નિર્વેદ' અર્થાત દુઃખ. આ અંગે ઉપાધ્યાયજી મહારાજે સજઝાયમાં કહ્યું. નારક ચારક સમ ભવ ઊભગ્યો, તારક જાણીને ધર્મ; ચાહે નીકળવું નિર્વેદ તે, એહી જ પ્રવચન મર્મ,” અર્થાત્ નરકાગાર અને કારાગાર સમો ભવ છે, સંસાર છે. નરકાગારી એટલા માટે કે એમાં દુઃખ જ દુઃખ છે. “કારાગાર' એટલા માટે કે એમાં પાપાચરણની બેડીઓ છે. એથી ઊભાગેલો જીવ જુએ છે કે આમાં ચારિત્ર ધર્મ જ તારણહાર, દુઃખ અને પાપાચરણથી બચાવનાર છે. તેથી હંમેશાં સંસારમાંથી નીકળવાનું (અને ચારિત્ર સ્વીકારવાનું) ચાહે છે. એનું નામ છે નિર્વેદ, અને એજ જિનશાસનનો મર્મ છે. આ નિર્વેદ જો આવડ્યો તો બધું આવવું; પણ જો આ ન આવડ્યું તો કશું ન આવડ્યું! કેમકે ચારિત્ર અર્થાત્ સર્વ પાપત્યાર વિના જીવનો ઉદ્ધાર નહિ, જીવના સંસારનો અંત નહિ. 10 પૂર્વધર વજસ્વામિજી મહારાજે અનશન કરવા જતાં પહેલાં પોતાના પટ્ટધર શિષ્ય વજસેન મહારાજાને કહી રાખેલું કે “ભારે દુકાળ પડશે એમાં જયારે કોઈ ઠેકાણે લાખ રૂપિયાના અનાજની હાંડી ચડાવી, એમાં ઝેર નાખી ખાઈને મરવાની તૈયારીનો પ્રસંગ દેખાય, ત્યાં બીજે જ દિવસે સુકાળ થશે. એમ સમજી રાખી અને ખરેખર એક ચાર માણસના શ્રીમંત કુટુંબમાં અને ખૂટી જવા આવ્યું હતું તેથી એમણે એક લાખ રૂપિયાથી અન્ન ખરીદી એની ! હાંડલી ચૂલે ચડાવી. હાંડલીમાં અન્ન ભેગું ઝેર રાંધી લેવું, અને ખાઈ લઈ જીવન પૂરું કરી લેવું.” એવો નિર્ણય કરેલો. ખીચડી રંધાવા આવી; અને હવે એમાં ઝેર નાખી દેવું એમ વિચાર કરતા હતા એટલામાં સાધુ મહારાજ ગોચરી ? આવ્યા એટલે કહે છે કે, પધારો પધારો ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી સમયસર પધારી ગયા ! અમને સુપાત્રદાનનો મહાન લાભ મળશે. સહેજ મોડા પધાર્યા હોત તો આ એક લાખ રૂપિયાના અન્નની હાંડીમાં હમણાં જ ઝેર નાખીને એ ખાઈને અમે ચારે જણા અંતિમ શયન કરવાના હતા. તેથી કદાચ આપ થોડા મોડા પધાર્યા હોત તો આપને ગોચરી તો નહિ, પણ અમારા મડદાં જોવા મળત ! ઉપકાર આપનો કે અમે બચી ગયા.' જીવન બચ્યું તો શું કર્યું? - ત્યારે સાધુ મહારાજ ગુરુવચન યાદ કરીને કહે છે,- “જો એવું છે તો મરશો નહીં. ગુરુ મહારાજ કહી ગયા છે કે જે દિવસે કોઈ સ્થળે આવું દેખો એના બીજા જ દિવસે નિશ્ચિત સુકાળ થઈ 234 - તરંગવતી
Page #240
--------------------------------------------------------------------------
________________ જવાનું સમજી લેજો . સાધુ વહોરીને ગયા પછી એ કુટુંબે શું કર્યું ? ચાલો ત્યારે આવતી કાલે સુકાળ થઈ જાય છે. અને જીવતા રહ્યા છીએ તો પૂર્વની જેમ સંસાર આનંદમંગળથી ચલાવશું,'- શું આવો વિચાર કર્યો ? ના, એ જૈન ધર્મી હતા, સંસારમાં ભલે રહ્યા હતા, પણ સંસારને ઓળખીને રહ્યા હતા. એટલે કે સંસાર દુઃખ ભરેલો ને પાપ ભરેલો છે, માટે છોડવા યોગ્ય જ છે.” પછી. સારાસારીમાં, કે શું કપરા સંજોગોમાં, એ સદાનો દુઃખદ સંસાર ત્યાજ્ય એટલે ત્યાજ્ય. આવી સમજ હતી; જેથી હવે જીવતા રહ્યાં માટે સંપત્તિ ભોગવવાના લોભમાં ન પડ્યા, અને બીજી સવારે આખા કુટુંબે દીક્ષા લીધી ! શું આવા હંમેશાંના દુઃખભર્યા સંસાર પર નફરત ન થાય ? ભલે એ સંસાર કામચલાઉ સુખ દેખાડતો હોય, તો પણ સદાના દુઃખભર્યા એ સંસાર પર તો નફરત જ હોય અભાવ જ હોય, અરુચિ જ હોય. હવે અહીં એક બહુ મોટી વાત બની આવે છે. જેમાં પદ્મદેવ તરંગવતીને દુઃખનાં દહાડા ગયા જેવો ઘાટ બને છે. આમ તો બચવાની કોઈ જ આશા નહોતી, કેમકે 1-2 દિવસમાં જ પદ્મદેવને દેવીની આગળ ભોગ અપાઈ દેવાનું નક્કી થઈ ગયું હતું, તેમજ એ ચોર સેનાપતિ વગેરે એટલા બધા ક્રૂર માણસો હતા કે એમને મન માણસને કાપી નાખવો એટલે જાણે એક ફળ કાપી નાખવાનું ! અને એમાં વળી દેવીમાતાને ભોગ આપી દેવાનું વચન અપાઈ ગયેલું, તેમજ “હવે જો એ વચન ન પળાય, તો દેવીમાતાનો કોપ ભયંકર વિનાશ કરી નાખે, એવી એમને શ્રદ્ધા હતી, આમાં પદ્મદેવને બચવાની કોઈ આશા ? આડા હાથે પુણ્ય એટલે : આડા હાથનું પુણ્ય ગેબી સહાય કરે : આડા હાથનું પાપ સોનાની થાળીમાં લોઢાની મેખ મારે. પરંતુ કહે છે ને કે પૂર્વ ભવમાં કાંઈક આડા હાથે પુણ્ય કર્યું હોય અર્થાત્ કાંઈક સારું કર્યું હોય, તો તે અહીં આપત્તિઓની આડે આવી ઊભું રહે છે. એટલે જ ડાહ્યા માણસો બહુ પાપારંભની વચ્ચે જ્યાં ક્યાંક કાંઈક સારું કરવાની તક જુએ, ત્યાં તે ઝડપી જ લઈ, સારું કામ કરી જ લે છે,...જેથી એ આડા હાથનું પુણ્ય આગળ પર દુઃખની વચ્ચે આડું આવીને ઊભું રહે; ગેબી સહાય કરે. આ પરથી એટલું આપણે સમજી રાખવાનું છે કે પૂર્વભવે ઘણો ધર્મ કર્મ ! તારી ગતિ ન્યારી 235
Page #241
--------------------------------------------------------------------------
________________ કરવાની વચમાં કાંક નરસું કામ થઈ ગયું, તો તે ય અહીં સુખની આડે આવીને ઊભું રહેશે. જેમ દા.ત. આદ્રકુમારે પૂર્વ ભવમાં ચારિત્ર સુંદર પાળેલું, પરંતુ એમાં પત્ની સાથ્વી પ્રત્યે રાગ ઊછળી આવ્યો એ નરસું કામ થઈ ગયું; તો અહીં એના એક માઠા ફળમાં અનાર્ય દેશમાં મનુષ્ય જનમ મળ્યો. અને બીજા માઠાં ફળમાં આગળ પર ચારિત્રથી પતિત થાય છે. ભલે પૂર્વની ભૂલે અનાર્ય દેશમાં જન્મ મળ્યો, અને બીજા માઠાં ફળમાં અનાર્ય દેશમાં જન્મ, છતાં પૂર્વ જન્મની જોરદાર ધર્મસાધનાએ અહીં જાતિસ્મરણ જ્ઞાન થયું ! પ્રખર વૈરાગ્ય ઊછળ્યો અને ચોરી છૂપકીથી આર્યદેશમાં આવી જઈ ચારિત્ર લઈ લીધું ! અલબત દેવીએ હમણાં ચારિત્ર લેવા ના પાડેલી, પરંતુ પૂર્વની પ્રબળ ધર્મ-સાધનાના પ્રતાપે જાગેલા પ્રખર વૈરાગ્યે દેવીના નિષેધને ગણકાર્યો નહિ, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ એટલા પ્રબળ વૈરાગ્યમય ચારિત્રની સાધના વચ્ચે પૂર્વ પત્નીસાથ્વી પર કરેલા રાગનું નરસું કામ અહીં આડે આવ્યું, અને એજ પૂર્વ ભવની પત્ની અહીં શ્રીમતી નામે શ્રેષ્ઠિકુમારી થયેલી એણે એમને ચારિત્રથી પાડ્યા....લખી રાખો, સો ધર્મનાં કામની વચ્ચે કરેલ એક અધર્મનું કાર્ય કેવું સુખની આડે આવે ! એમ, સો પાપના કામની વચ્ચે કરેલું એક સારું ધર્મનું કામ પણ કેવું દુઃખની આડે આવે ! તરંગવતીને પૂર્વ ભવનું આડા હાથનું પુણ્ય બચાવે છે : પદ્મદેવ તરંગવતીને પૂર્વ ભવના કોઈ નરસા ભાવ અને નરસું કામ થઈ જવાના પ્રતાપે અહીં આવા ભયંકર ચોરોના હાથમાં પકડાઈ જવાનું આવ્યું ! અને હવે નજીકમાં દેવીમાતાને ભોગ આપવાનું નક્કી થઈ ગયું છે ! પરંતુ પૂર્વે ભવે કોઈ સારું કામ સારા ભાવ થયા હશે તેનું પુણ્ય અહીં દુઃખની આડે આવી ઊભું. આ કેવું ગેબી રીતે બને છે એ જુઓ એટલે સમજાશે કે કર્મસત્તા મહા વિચિત્ર છે, જે માણસની કલ્પના બહારના પ્રસંગ બનાવી મૂકે છે. આવી કર્મની ગેબી વિચિત્રતા જોઈને માણસે અભિમાન લેવું નકામું છે કે મેં આમ સારું કરી નાખ્યું... ક્રૂર ચોરને દયા : તરંગવતી જ્યારે કેદી સ્ત્રીઓ આગળ રોતી રોતી ગદ્દગદ અવાજે પોતાની પૂર્વની કથની કહી રહી હતી અને બીજી સ્ત્રીઓને ય રોવરાવી રહી હતી, ત્યારે પાદેવને બાંધી જનાર પેલો ચોર બાજુની 236 - તરંગવતી
Page #242
--------------------------------------------------------------------------
________________ પડાળીમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો. એને એ સાંભળતાં સાંભળતાં કોણ જાણે શું થયું તે એ ચોરના હૃદયને એવો આઘાત લાગી ગયો કે અરરર ! આજ તરંગવતી એના પૂર્વના ચક્રવાકીના ભાવે પ્રિયના મૃત્યુ પાછળ ભયંકર કલ્પાંત અને માથા પછાડ કરનારી ને એ ચક્રવાકની ચિતામાં ઝંપલાઈ બળી મરેલી, ને એને પાછો અહીં એજ પ્રિય મળ્યો તો એમને પાછા અહીં સુખમાંથી ભ્રષ્ટ થઈ ચોરોની પલ્લીમાં કેદ ? ને એમને માટે જ બાંધી રાખવાના ? જેથી સેનાપતિ એમનો દેવીના ખપ્પરમાં ભોગ આપે ?' એવા અતિ ક્રૂર ચોરને સામાના ગમે તેવા પણ દુઃખ સાંભળવા પર દયા આવે ? પરંતુ તરંગવતી-પપ્રદેવના આડા હાથે થયેલા કોઈ પૂર્વના પુણે અહીં એક એવી ગેબી પરિસ્થિતિ સરજી,- જેનો ખુલાસો આગળ આવશે, એ પરિસ્થિતિ પર અહીં અત્યારે ચોરનું દિલ કકળી ઊઠ્ય ! એને એમ કે સારું થયું આ બે જણ કદી તરીકે મને જ સોપાયેલા છે તો સેનાપતિના ગમે તેવા કડક અનુશાસન વચ્ચે, અને અનુશાસન ભંગ કરતાં પકડાઉ તો ક્રૂર રીતે મારે મરાઈ જવાના ભયની વચ્ચે પણ, મારે આ બે જણને બચાવી જ લેવા જોઈએ. એના દિલમાં અનુકંપાનો ઝરો ફૂટી નીકળ્યો ! કહોપત્રદેવ તરંગવતીને અહીં કોઈ બચવાની આશા હતી ? ના, પરંતુ તરંગવતી વડે દિલદર્દ સાથે કહેવાયેલી આત્મકથાએ કેવું ગેબી કામ કર્યું! પાછું આત્મકથા ચોરને સંભળાવવા માટે કહી નહોતી, છતાં ગેબી કર્મસત્તા કેવુંક કામ કરે છે કે એ આત્મકથાનો ધ્વનિ આડકતરી રીતે બાજુની પડાળીમાં રહેલા ચોરના કાન સુધી પહોંચાડી દે છે ! ને એને ય કોણ જાણે શું થયું તે એના ય દિલમાં અનુકંપાનો ધોધ ઉછાળે તેથી એ તરત ઊઠીને અહીં આવે છે. આ બધી કર્મની લીલા સમજી અશુભ કર્મ બાંધવાથી પાછા હટો, અને શુભ-કર્મબંધનાં કારણો બહુ સેવો. ચોરને હવે પદ્મદેવ તરંગવતીને બોલાવી લેવા છે. તે કાંઈ અહીં પલ્લીમાં રહીને ન થઈ શકે; કેમકે સેનાપતિ અને એના ભેર આમને ન છોડે એવા સાવ નિર્દય અને ભારે ક્રૂર છે. એ તો અહીંથી એને ખાનગીમાં ભગાડી જાય તો જ બને. એમ કરવામાં પણ પોતે અને પહ્મદેવ-તરંગવતી સિવાય બીજા કોઈને ગંધ પણ ન આવવી જોઈએ. એટલે જુઓ એ કેવી કુનેહથી કામ લે છે.. કર્મ ! તારી ગતિ ન્યારી 2 37
Page #243
--------------------------------------------------------------------------
________________ ચોર આવીને પદ્મદેવનું બંધન ઢીલું કરે છે, અને બીજી ત્યાં બેઠેલી સ્ત્રીઓને તિરસ્કારતો કહે “એ ! અલીઓ એ ? ચાલો ઊઠો, જાગો અહીંથી. એટલે એ ગભરાઈ તો ખરી કે આ દુષ્ટ માણસ આ બંનેને બિચારાને શું કરશે ! કેવી મારપીટ કે જુલમ કરશે ? પરંતુ પોતાને ધોલધપાટના ભયથી સ્ત્રીઓ એ પડાલીમાંથી બીજી પડાલીમાં જતી રહે છે. પછી ચોર પદ્મદેવતરંગવતીને આશ્વાસન આપે છે કે તમે ગભરાશો નહિ. મોતની શંકા રાખશો નહિ. હું તમને આમાંથી છોડાવીશ, અને તમારા પ્રાણનું રક્ષણ કરીશ. લો, હમણાં આ પાણી પીઓ, હું નાસ્તો લઈ આવું. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે જુઓ, ભાગ્યવતી ! જયાં મને અણધાર્યા આ બચાવના શબ્દ મળ્યા ત્યાં આશ્ચર્ય થયું, મનોમન લાગ્યું કે અરિહંત ભગવાન પૂર્વે ભજયા હોય તો એ ભયંકર આફતમાંથી પણ કેવા બચાવી લે છે ! કેદખાનામાં ધર્મચર્યા યાદ : ચોર સરભરા કરે છે : સવાર પડી ગઈ હતી. એટલે અમે ભગવાન અરિહંત ભગવાનની વંદના-સ્તુતિ કરી, પ્રભુની ક્ષમા માગી, “પ્રભુ ! ક્ષમા કરજો, સામગ્રીના અભાવે અમે નિત્યક્રમમાં અમે તારી પ્રભાતની પૂજા નથી કરી શકતા; એટલે અમે કમનસીબ છીએ. છતાં તારી કેવી દયા ! ધન્ય પ્રભુ ! ધન્ય અવતાર ! તું અમને ભજવા-પૂજવા મળ્યો ! એટલામાં પેલો ચોર પાણી અને માંસ પકાવી લઈ આવી અમારી આગળ મૂકી અમને કહે છે હમણાં તો આ જ જરા હાજર છે તે ખાઈ લો.' અમે કહ્યું અમારે આ ખાવાનું ખપે નહિ, પણ તમે ચિંતા નહિ કરતાં, અમે પાણી પી લઈશું. તમે અમને ભયંકર મોતના ભયમાંથી બચાવી લેવાની વાત કરો છો, એથી તો અમારે ભૂખનું તો દુઃખ શું, બીજા કેટલાય દુ:ખ ભાગી ગયા !! અમે જરા પૂછીએ તમને ? તમને અમારા પર એકાએક આટલી બધી દયા કેમ ઊભરાઈ આવી ?' ચોર કહે છે, એ કાંઈ પૂછશો નહિ; તમને મુશ્કેટાટ બાંધવાનો અને બેનને ધોલધપાટ કરી ધકેલી મૂકવાનો જે મેં ત્રાસ આપ્યો, તેની ક્ષમા માગું છું. બાકી તમારા પર લાગણી થઈ આવવાનું કારણ કહેતાં મને સંકોચ થાય છે. હું તમારો ગુનેગાર છું, પ્રાણના ભોગે હું તમને આ પલ્લીમાંથી બહાર લઈ જઈશ. તમે નિશ્ચિત રહેજો. કશી શંકા કુશંકા કરશો નહિ. 238 - તરંગવતી
Page #244
--------------------------------------------------------------------------
________________ ચોરના પૂર્વના નિર્દયતાભર્યા તોછડા શબ્દ ક્યાં? અને આ લાગણીભરી મુલાયમ ભાષા ક્યાં ? અમે પચ્ચકખાણ પારી લઈ માત્ર પાણી પી લીધું. ચોર કહે પણ થોડું ખાઈ લો કેમકે આપણે દૂર જવાનું છે. એટલું ચાલવા શક્તિ જોઈશે. અમે કહ્યું ચાલવામાં વાંધો નહિ આવે. બાકી આ માંસભોજનનું ભક્ષણ અમારે માટે અનુચિત છે, વજર્ય છે.” ઘોર જંગલના રસ્તે કેમ ? ચોર કહે તો જેવી તમારી મરજી, પણ અહીં દિવસ પસાર કરવો પડશે. એટલો કાળ અહીં બેઠા રહો, પછી જયારે બીજાઓ જમવામાં પડ્યા હશે ત્યારે આપણે અહીંથી બીજી બાજુની ચોરી બારીમાંથી ભાગીશું. અને આપણે મુખ્ય કેડી માર્ગ છોડીને સરિયામ જંગલના રસ્તે ચાલવું પડશે; જેથી પાછળથી કદાચ સેનાપતિને ખબર પડે અને એના માણસોને તપાસ કરવા છોડે, તો પણ આપણો પત્તો જ ન લાગે. આ મારો મુખ્ય આશય છે, એટલે જ એવા નિર્જન જંગલના આડા માર્ગે મારી સાથે એકલા અટૂલા ચાલતાં કશી શંકા કરશો નહિ. માત્ર ક્ષેમકુશળ તમને આ દુષ્ટોના સકંજામાંથી છોડાવી દેવા એ જ મારો નિર્ધાર છે. ચોરના વચનથી અમને ભારે રાહત મળી. આમ તો હજી આ પલ્લીમાંથી સુખરૂપ બહાર ન નીકળી જઈએ ત્યાં સુધી મોતનો ભય અમને ભારે કંપાવી રહ્યો હતો. પરંતુ મનને મોટી આશા રહી કે “જ્યારે અમારે એવું પુણ્ય જાગ્યું છે કે નિર્દય ચોરમાં પલટો આવી જાય, અને એજ પોતાની જાતના ભોગે અમને બચાવી લેવાનું કરે, તો પછી એજ પુણ્ય આપણને મોતથી કેમ નહિ બચાવી લે ? અરિહંતને ભજી લેવાનો જ આ મળેલો જનમ એમ અકાળે શાનો ઝુંટવાઈ જાય ? અમારે વાત અતિ ગુપ્ત રાખવાની હોઈ બહાર આનંદ દેખાડવાનો નહોતો, પણ અંદરખાને અમને છૂટવાનો આનંદનો પાર ન હતો.! યોગ દર્શનવાળા કહે છે, “જીવને જયારે પોતાના આત્માનું ભાન થાય છે અને એમાં સંસારમાંથી છુટકારો કરાવનાર તત્ત્વજ્ઞાન મળે છે, ત્યારે એને અપૂર્વ આનંદ થાય છે; કેમકે એ સમજે છે કે “આ અંતરમાં તત્ત્વપ્રકાશ એ વિકેદમાંથી પલાયન થવાની કાળઘંટા છે. એ જીવને વિશ્વાસ આપે છે કે હવે તમારે બહુ ભવમાં ભટકવાનું નહિ. કાળઘંટા સમજો છો ને ? “કાળઘંટા એટલે કાળ પાડ્યો છે એને સૂચવતી કર્મ ! તારી ગતિ ન્યારી 239
Page #245
--------------------------------------------------------------------------
________________ ઘંટા; જે સાંભળીને જીવ નજીકમાં સંસારમાંથી છૂટીને પલાયન થઈ જવાનો.” એ વખતનો આનંદ અનહદ હોય છે. પહેલ વહેલું સમ્યકત્વ પામે ત્યારે જીવને જાણે ઘંટ વાગ્યો તેથી અપૂર્વ આનંદ થાય છે, “અપૂર્વ એટલે પૂર્વે કદી નહીં અનુભવેલ. પછી તો મરણથી ઊગરી જવાના અને કેદખાનામાંથી બહાર નીકળી જવાના આનંદમાં ભૂખ્યા ભૂખ્યા દિવસ પસાર કર્યો એમાં કશું કષ્ટ લાગ્યું નહીં. ચોર બંનેને લઈ ચાલે છે : દિવસ આથમી ગયો. રાત્રિ આવી. ચંદ્રમાં ઊગેલો જ હતો, અને ચોર અમારી પાસે આવીને કહે છે, ચાલો જલદી ઊઠો, હમણાં અહીંના બધા ભોજન કરવામાં પડ્યા છે, એટલે આપણે જલદી નીકળી જઈએ. જરાય ગભરાશો નહિ. હું તમને એવા રસ્તે બહાર લઈશ કે જયાં કોઈને ય ખબર ન પડે. એમ કરીને એ નીકળ્યા, અને એક નાની ઝુંપડીમાંથી પાછલા દરવાજેથી જંગલ સાવ ઉજ્જડ જેવું હતું જેમાં કોઈ રસ્તાની ખબર જ ન પડે; પરંતુ ચોરને એ જંગલ પૂર્વનું પરિચિત જંગલ હતું એટલે નિશ્ચિત હૃદયે ચાલતો. રખેને કોઈ ત્યાં હાજર હોય ને એમને જોઈ જાય તો ? તેથી ચોર એવા નિર્જન રસ્તે જ ચાલતો, આગળ જુએ, પાછળ જુએ, બાજુમાં જુએ, એમ આડો અવળો જોતો જોતો ચાલતો અમને લઈ જાય છે. પકડીને ચાલુ રસ્તો છોડીને ચાલે છે. અમને કહે છે કે જુઓ આપણે પેલા રસ્તે ચાલતા તો ત્યાં રસ્તો થોડો ટૂંકો, પણ વાધ વરુ વગેરેનો મોટો ભય હતો, અને તેમાં તો મોત જ થઈ જાય, છતાં આ રસ્તે ભય નથી તો પણ મારી પાસે તીર કામઠું વગેરે શસ્ત્રો હોવાથી તમે જરાય ગભરાતા નહીં. અલબત વાંકું ટેટું ચાલવું પડશે, વાટ પણ કંઈક લાંબી થશે. છતાં શિકારી પશુનો ભય લગભગ નહિ નડે.” બંનેને તો ચોરોની પલ્લીમાંથી છૂટવાનો એટલો બધો આનંદ હતો કે આખી રાત ચાલવું પડે એની ચિંતા નહોતી એનો કંટાળો નહોતો. સુકોમળ તરંગવતી આટલું બધું ચાલી શકે ? હા, કારણ કે નજર સામે પેલી પલ્લીમાં દેવીના ભોગ આપવા તરીકે કરપીણ રીતે કપાઈ મરવાની ક્રૂર મોતની પીડામાંથી ઊગરવાનું મળે છે, એ આનંદ સુકોમળ પણ શરીરને લાંબુ ચલાવાનું બળ આપે છે. 240 - તરંગવતી
Page #246
--------------------------------------------------------------------------
________________ રાજકુમાર મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એમાં પૂર્વ ભવનું ચારિત્ર યાદ આવ્યું એમાં નરકાદિ દુર્ગતિના ભારે કષ્ટ ત્રાસ જાણે હૂબહૂ નજર સામે આવી ગયા. હવે માતા પાસે ચારિત્રની રજા માગે છે. માતા ત્યાં એને ચારિત્રના ભારે કષ્ટ દેખાડે છે, ત્યારે મૃગાપુત્ર કહે છે કે “મા ! મેં નરકમાં જે ત્રાસ અને યાતનાઓ વેઠી છે, એમાં તને શું વર્ણન કરું ? એની આગળ અહીંના ચારિત્રના ભારે પણ કષ્ટ કોઈ વિસાતમાં નથી. એમ છતાં પણ માની લે કે ચારિત્રનાં કષ્ટ ભારે પણ હોય, તો ય જ્યારે ચારિત્રથી અનંત ભવની કેદમાંથી છૂટી જવાય છે, પછી એ ધર્મ કષ્ટ અનિષ્ટ અણગમતા નહિ, ઈષ્ટ જ લાગે છે.” માણસને ધર્મનાં કાર્ય અને પરોપકાર કષ્ટરૂપ ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી એનાથી દુઃખદ અનંતકાળના ભવ કારાગારમાંથી છુટકારો નથી દેખાતો. એને, અલ્પ સમય આવી તુચ્છ વિષયસુખની સ્વાર્થમાયાની રમત મહા ઉત્તમ જિંદગીને બરબાદ કરનારી છતાં, એના પર જ આકર્ષણ રહે છે ! એને ધર્મનાં કષ્ટ કષ્ટરૂપ લાગે છે ને સંસારના કષ્ટ કશા કષ્ટરૂપ લાગતા નથી ! એ આશ્ચર્ય છે. તરંગવતી-પધદેવ ભૂખ્યા તરસ્યા જંગલનો આડો અવળો લાંબો પંથ આનંદભેર કાપી રહ્યા છે; કેમકે નજર સામે મરણાંત કેદમાંથી છુટકારો છે. ત્યાં મહા ભયભરી અટવીમાં ભવિતવ્યતાના યોગે રાત્રિના સમયમાં પણ કોઈ વાઘ-વરુ ભેટતા નથી, ને ભેટે તો કોઈ સાબર હરણિયાં વગેરે ભેટી જાય છે. ચોર કહે છે,- આ મોટું જંગલ છે તેથી બીક તો નથી લાગતી ને? ત્યાં પધદેવ કહે, “અરે ભાઈ ! તમે આવા દયાળુ અને ખૂબજ કાળજીવાળા રખેવાળ સાથે છો, પછી ભય શેનો લાગે ? ઊલટાનું અમને તો એ રાક્ષસી પલ્લીમાંથી બહાર દૂર દૂર લઈ જઈ રહ્યા છો એનો પરમ આનંદ છે ! તમારો બહુ ઉપકાર છે.” ચોર કહે “હું કશો ઉપકાર કરતો નથી, હું તો માત્ર મારું દેવું ચુકાવી રહ્યો છું,' અહીં જોવાની ખૂબી છે કે તરંગવતી એના કહેવાનો ભાવ સમજી રહી છે કે એણે જે પહેલાં પ્રિયને દોરડે બાંધ્યા અને પોતાનો તિરસ્કાર કર્યો એ દુઃખ આપ્યું એ દેવું થયું. હવે કેદમાંથી છોડાવી એ દેવાને ચુકવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં ચોરની નજર સામે હવે યત્કિંચિત ચુકવવાનો પોતાના માથે મહાપાપનો બીજો જ કર્મ ! તારી ગતિ ન્યારી 241
Page #247
--------------------------------------------------------------------------
________________ કોઈ મહત્ત્વનો ભાર છે, અને એ ભારને માથેથી યત્કિંચિત્ ઉતારવાનો અવસર આવી લાગ્યો છે, એટલે આ બંનેને ચોર પલ્લીથી દૂર ને દૂર લઈ જઈ નિર્ભય કરી રહ્યો છે. અલબત એ ભાર શો છે એનો અત્યારે પોતે કશો ખુલાસો કરતો નથી; કેમકે એના મન પર એ મહાપાપનો ભાર એટલો બધો છે કે એની સામે આમને સેનાપતિનો આમનો ભોગ આપવાની મરણાંત પીડામાંથી આમને આબાદ બચાવી લેવાનો ઉપકાર વિસાતમાં લાગતો નથી. એટલે એમની સામે એ પોતાની મહાપાપની હકીકત કહીને શી શાબાશી લેવાની ? જીવનમાં સેવાઈ ગયેલા કોઈની ઉપરના મહા અપરાધનો ભાર જો હૈયાને ભારે ખેંચતો હોય, તો અવસર આવ્યું એના પર ભારે ઉપકાર કરીને પણ સજ્જન કશી વડાઈ ન માને. ચોર અમને કહે છે કે જુઓ હવે આપણે કોઈ ગામની નજીકમાં જઈ રહ્યા છીએ એટલે ધીરજ રાખજો. વનની વાટ પૂરી થાય છે એમ પ્રેમથી કહેતો કહેતો ચાલે છે. ત્યાં કૂતરાના ભસવા વગેરેનો આવતો અવાજ સાંભળવા મળે છે. તેથી કહે છે. હવે ગામ નજીકમાં છે. અહીંથી આથમણા જજો, હું પણ જાઉં છું, અને સ્વામિની આજ્ઞાથી અજ્ઞાનતાને લીધે જે મેં તમને પલ્લીમાં બાંધ્યા, અને બાઈને લાત મારી, તે હું તમારો અપરાધી છું. એ મારા અપરાધની ચોરની ક્ષમાયાચના : પદ્મદેવની સેવાયાચના :- એ જોઈને પમદેવ તરંગવતી પણ રડી પડે છે. પદ્મદેવ રોતાં રોતાં કહે છે, ભાઈ ! તમે અપરાધી શાના ? તમે તો અમને જીવતદાન આપ્યું, એ તમે તો અમારા બહુ મોટા ઉપકારી છો. આ તો તમે હતા તો અમને મોતથી બચાવી કેદમાંથી બહાર કાઢી અહીં લઈ આવ્યા. અમે તો ત્યાં અશરણ નિરાધાર બનેલા હતા, જીવવાની આશા જ મૂકી દીધેલી. તમારા સિવાય ત્યાં બીજો કોણ અમને બચાવાનું હતું ? ચોર કહે હું શું બચાવું ? તમને ભગવાને બચાવ્યા. લો હું જાઉં. ત્યારે પાદેવ કહે, “પણ તમે ક્યાં જાવ ? હવે તો અમારે તમારી કાંઈક સેવા કરવાનો અવસર આવી મળ્યો. ત્યારે તમે જવાની વાત કરો છો? તમે અમને જીવન આપ્યું તે અમારે તમારું કાંઈ નહિ કરવાનું ? “જુઓ હું વસપુરીનો ધનદેવ સાર્થવાહનો પુત્ર છું. પદ્મદેવ મારું નામ છે. ત્યાં આવો અમારા સાથે અમે તમને ખૂબ ધન આપીશું.” ચોરને પોતાની પલ્લીવાળાનો કાંઈક ભય છે કે ગમે તે કારણે એ કહે 242 - તરંગવતી
Page #248
--------------------------------------------------------------------------
________________ છે, જુઓ જ્યાં તમારે જવાનું છે ત્યાં નહિ આવી શકું. કારણ મને પૂછશો નહિ; અને તમે ત્યાં મારું નામ પણ લેતા નહિ; તમને મારા સોગન છે. પાદેવ કહે પરંતુ આ જગતમાં જીવને સૌથી વધુ પ્યારું અને સારભૂત પોતાનું જીવન છે. એ તમે અમને આપ્યું તો હવે જરાક ઘરે નહિ આવો ? બેસીને પાણી પીને ચાલ્યા જજો.” ત્યારે ચોર કહે “મારે ત્યાં કોઈની નજરે ચડવું નથી. બાકી તમે જે હવે ખૂબ જ સંતોષથી રાજી થઈને જાઓ છો, એમાં તમારે મારા પ્રત્યે જે કાંઈ કરવાનું તે બધું જ કરી દીધું છે, તમે મને ધનના ઢગલા આપો એના કરતાં આ તમે ખૂબ રાજીખુશીમાં છો એ મારે મન મહાસંપત્તિ છે. લો બસ, એમ કહીને એ ચોર ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે “ગૃહિણી ! એણે જે અમને મોતમાંથી ઉગારી અહીં સુધી લાવી મૂક્યા, અને હવે જ્યારે અમે નિર્ભય બની ગયા, ત્યાં અમારા પર વરસેલ જીવતદાનનો અતિ ઊંચો ઉપકાર પામેલા અમે એને ધનના ઢગલા આપી દેવા તૈયાર છીએ, એ વખતે જે એની નિસ્પૃહતા જોઈ, તેથી અમે દિંગ થઈ ગયા ! પાછો વળી એ કહે છે, | ‘તમે મરણાંત કષ્ટની કેદમાંથી છૂટીને હવે ખૂબ રાજીખુશીથી જાઓ છો એ જ મારે સંપત્તિ છે.” આવો જે નીચેની કક્ષાનો માણસ ગણાય, એનામાં આટલી બધી નિસ્પૃહતા ! અને એને નિઃસ્વાર્થ પરોપકાર કર્યાનો જ મહા આનંદ ? એ ઘડીભર આપણને વિચારતા કરી દે છે. ગુણોનું ગૌરવ, ગુણોનો લોભ, એ માનવજનમની વડાઈ છે. ચોર ચાલ્યો ઉત્તર તરફ, આ બંને ચાલ્યા પશ્ચિમ તરફ. બદલાની અપેક્ષા વિનાના ઉપકારનો આનંદ અદ્ભુત ! બીજા જીવોને આપણે જે શાતા સ્વસ્થતા આપીએ, એનો આનંદ અનેરો છે ! તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને આગળની હકીકત જણાવતાં કહે છે કે ગૃહિણી ! અમે ત્યાંથી પશ્ચિમ તરફ ચાલ્યા. જંગલની વચ્ચે ચાલવાનું હતું તેથી કાંઈ આફત ન આવે એ માટે અમે ઉતાવળે ઉતાવળે ચાલ્યા. એમાં મારે ભૂખ તરસ વધી ગઈ, જીભે ય સુકાઈ ગઈ, અને કંઠ પણ સુકાઈ ગયો છે. એટલે હવે ચાલવામાં અરબડિયાં આવે છે. એટલે મેં પ્રિયને કહ્યું હવે પાણી વિના ડગલું આગળ નહિ ચાલી શકાય. માટે કાંઈક તપાસ કરો કે પાણી ક્યાં મળે ? ત્યારે પ્રિય મને કહે જો અહીં છાણાં દેખાય છે એ પરથી લાગે છે કે કર્મ ! તારી ગતિ ન્યારી 243
Page #249
--------------------------------------------------------------------------
________________ નજીકમાં ગોકુળ હોવું જોઈએ તો હું જઈને તપાસ કરું.” ' કહ્યું મને એકલીને મૂકીને ક્યાં જાઓ ? આ તો જંગલ છે આપણે બંને સાથે જ ધીમે ધીમે જઈએ. એમ કરીને અમે ધીમે ધીમે ચાલ્યા. ત્યાં આગળ એક ગોવાળ મળ્યો. એ પૂછે છે તમે અહીં ક્યાંથી આવી ચડ્યા ? આર્યપુત્ર કહે “દોસ્ત ! અમે રસ્તો ભૂલ્યા છીએ. આ કયો દેશ છે ? અને અહીં નજીકમાં કયું ગામ છે ? ગોવાળ કહે,- અહીં ખાયક નામનું ગામ છે. એમ કહી એણે ગામનો રસ્તો બતાવ્યો. ત્યાં અમે પાણી પીધું. ત્યાં ગામડીયન સ્ત્રીઓ અમને જુએ છે અને વિસ્મય પામે છે કે આવા સારા માણસો અહીં ? મારા મનને સંતોષ થયો કે પત્યું ગામ આવ્યું ! ક્યાં અટવીનો ભય ભરેલો રસ્તો ? અને ક્યાં નિર્ભય ગામ આવ્યું ! આના સંતોષમાં ભૂખને નહીં ગણતી ચાલી રહી છું, પરંતુ ભૂખ કાંઈ થોડી જ કોઈની સગી થાય છે ? ગામ મળ્યાના આનંદમાં ક્ષણભર ભૂખ ભલે ભુલાઈ ગઈ, પરંતુ ચાલતાં ચાલતાં પાછી ભૂખ ઉત્તેજિત થઈ ગઈ. એટલે મેં પ્રિયતમને કહ્યું હવે ભૂખ ભારે પીડે છે, તેથી ચાલો કોઈ જગ્યાએથી ભોજન મળે તો તપાસ કરીએ.” સંસારના સુખ-દુઃખ આવા અસ્થિર અને અનિશ્ચિત છે. જંગલમાં ભૂખ તરસનું દુઃખ તો હતું જ, પરંતુ ત્યાં રોકાવામાં ભય હતો, તેથી એ ભયના દુ:ખમાં ભૂખ તરસનું દુ:ખ ગૌણ થઈ ગયું, ભુલાઈ ગયું. મહાત્માઓને ત્યાગ તપશ્ચર્યા કરતાં કરતાં દુઃખ કેમ નથી લાગતું ? કહો, એમને ખાનપાન મોજ ઊડાવવામાં સંસારમાં અનંત દુઃખોમાં અટકી પડવાનો મોટો ભય હોય છે, એટલે જ એ ભયના માર્યા ત્યાગ-તપનાં ભૂખ-તરસ અને અશક્તિના દુઃખને ગણકારતા નથી. સ્થૂલભદ્રજીએ મંત્રીમુદ્રિકા કેમ ન સ્વીકારી લીધી ? : સ્થૂલભદ્રજીએ સહેજ વાતમાં શી રીતે દીક્ષા લઈ લીધી ? રાજા કહે, લો આ તમારા પિતાજીની મંત્રીમુદ્રિકા, હવે તમે એ પહેરી લો, અને આજથી તમે મહામંત્રી. ત્યારે સ્થૂલભદ્ર સહેજ વિચાર કરીને મંત્રીપણું ય નહિ, ને કોશાવેશ્યા ય નહિ, અરે ! આખો સંસાર પણ નહિ જોઈએ, એમ કરી ચારિત્ર લઈ લીધું ! તે આ સમજીને કે સંસારના સુખ સાપેક્ષવાદના ઘરના છે. જોયું જો હું મંત્રીમુદ્રિકાના મોટા હોદ્દા સન્માનનાં સુખ લઉં, તો કોશાના ચોવીસે કલાકના - તરંગવતી 244
Page #250
--------------------------------------------------------------------------
________________ સુખ જાય, કેમકે દિવસના મંત્રીપણાની ખટપટ બજાવવી પડે. પરંતુ હું એટલું આ જ શું કામ જોઉં છું ? મોક્ષમાં કોઈ સાપેક્ષભાવ નથી તો ત્યાં અનંત સુખ છે. પરંતુ તે ક્યારે મળે ? જો સંસારના તુચ્છ સુખ લેતો બેસી રહું તો એ મોક્ષના અનંત સુખ ન મળે ત્યારે, જો કોશાના ચોવીસે કલાકના સુખ ખાતર મંત્રીપણું ન જોઈએ કરું છું તો પછી એથી આગળ મોક્ષના અનંત સુખ ખાતર મારે સંસારના સુખ પણ ન જોઈએ. મારે તો હવે મોક્ષના સાધનભૂત ચારિત્ર જ જોઈએ. એમ કરી તરત ત્યાં ને ત્યાં મનથી ચારિત્ર લઈ સાધુવેશ કરી દીધો. સંસારમાં ગમે તેવા મોટા દેવતાઈ પણ સુખ હોય, એ સાપેક્ષભાવ પર જીવે છે. તેથી જ એના પર બુદ્ધિશાળી જીવને વૈરાગ્ય થાય છે. તરંગવતી-પપ્રદેવ સંસારની આવી સાપેક્ષભાવની સુખ-દુઃખની ઘટનાઓમાંથી પસાર થતા થતા આટલે સુધી આવ્યા છે કે ઘરેથી લાખોનું ઝવેરાત લઈને નીકળેલા છતાં અત્યારે એમની પાસે એ કશું નથી. ને એક ગામડામાં ભેગા થયેલા શું ખાવું? એની મુંઝવણમાં છે. છે ને સંસાર ? તરંગવતી કહે, આર્યપુત્ર ! ભૂખ ખૂબ લાગી છે, કંઈક ભોજનનું શોધો... કેવી વિષમતા? કરોડપતિની કન્યાને ખાવાનું નથી મળતું ! ત્યારે પાદેવ કહે ચોરોએ બધું લૂંટી લીધું હવે સાવ નિર્ધન થઈ ગયેલા આપણે કોઈના ઘરમાં ઓળખ-પારખ વિના શી રીતે પેસી શકીએ ? અત્યારે ભારે સંકટથી પીડાતા છતાં પણ આપણે ઉત્તમ ફળની ખાનદાનીને વહન કરતા હોવાથી, બીજાની આગળ કેવી રીતે કરગરતા ભીખ માંગી શકીએ કે “અમને ખાવાનું આપો? ખાનદાન માણસ માટે તો, બીજાની આગળ ગરીબડા થઈને દીનતા કરવી એમાં તો હલકાઈ છે, ને એ અપમાનનું મૂળ છે. કેમકે સામાને ખાવાનું આપવાનું મન ન હોય, અને આપણે ગરીબડા સત્વહીન થઈને માગીએ તો સંભવ છે કે એ આપણા પર ચડી બેસે ! ને ગમે તેવા ચાલ હટ અહીંથી ભિખારડા ? કેમ અહીં માગવા આવ્યો ?'...વગેરે અપમાન ન થવું, ને ન કરગરવું, એ જ ડહાપણભર્યું છે. બાકી તારી ખાતર હું બધું જ કરવા તૈયાર છું. તારી ખાતર મારે કશું નહિ કરવા જેવું છે નહિ. બધું જ કર્તવ્ય છે, તારી ખાતર જે જે કરવું પડશે તે તે કરીશ; પણ હમણાં જરાક ખમી જા, અહીં આપણે આ પાસે દેવળ છે કર્મ ! તારી ગતિ ન્યારી 2 ૪પ,
Page #251
--------------------------------------------------------------------------
________________ એમાં જઈ જરા બેસીએ, અને ત્યાં જુવાનિયા વાર્તા વિનોદ કરે છે તે સાંભળીએ, તેથી તારું મન જરાક એમાં લાગવાથી મનને ભૂખની પીડા ઓછી લાગશે. ભૂખ વેઠી લેવાનું તરંગવતી કેમ સમજી ગઈ ? : તરંગવતીને ભૂખની પીડા બહુ છે, ને પધદેવ ભીખ માગવા જવાની ના પાડે છે, પરંતુ એ ના પાડવા પાછળ એણે જે ઉત્તમ કુળવતની રીતિનીતિ બતાવી, એ તરંગવતીના ગળે ઊતરી જાય છે. એ સમજે છે કે ગરીબડા થઈને દીનહીન વચનથી ભીખ માગવાનું કરવા જતાં, જગતમાં બધા માણસો સરખા નથી હોતા, એમાં શુદ્ર પ્રકૃતિના માણસો ય હોય; ને જો હલકા તિરસ્કારભર્યા અપશબ્દ બોલી કાઢે, તો એ સાંભળતાં તો ખાનદાન માણસને ભૂખનું દુઃખ નાનું; જે એ દુઃખ તો ગાળ સાંભળતા પણ પાછું ઊભું તો છે જ. એમાં વળી ગરીબડા થઈ કરગરીને ભીખ માંગતા કાંઈ વળતું તો છે નહિ, તો પછી અસભ્ય શબ્દો સાંભળવાના આવી પડે, એ મહાદુઃખ શા માટે ઊભું કરવું? એના કરતાં ભીખ ન માગવી સારી. આ તો ઠીક છે કે ગામ આવી લાગ્યું એટલે માગવાનું મન થાય; બાકી જંગલ જ લાંબુ નીકળ્યું હોત તો ત્યાં ક્યાં માગવાની વાત જ હતી ? તો ત્યાં ભૂખનું દુ:ખ સહન કરી જ લેવાનું હતું ને ? માટે હમણાં એમ સમજી લે કે હજી જંગલના પ્રવાસમાં છીએ, તો શા માટે અપમાન-પરાભવ-તિરસ્કાર પામવાનો પ્રસંગ જ ઊભો કરવો ? તરંગવતીએ મન વાળી લીધું. એને પદ્મદેવની વાત વાજબી લાગી; ખાનદાન માણસ ગમે તેવા સંકટમાં પણ એવો ગરીબડો ન થાય કે જેથી સામાં કોઈ તુચ્છ માણસ માથા પર ચડી બેસે. તરંગવતી ભૂખનું દુ:ખ ભૂલી ગઈ. દુઃખ શેમાં ? ભૂખમાં? રોગમાં? નિર્ધન થઈ જવામાં ? ના, કશામાં નહિ, પણ દુઃખ પોતાની અસત્ અપેક્ષામાં. અપેક્ષા છોડી દઈએ તો દુઃખ ગયું. તરંગવતીને ભૂખની પીડા હતી, પરંતુ પદ્મદેવે જયાં સમજાવ્યું કે “હજી આપણે જંગલમાં જ ચાલતા હોત તો ભૂખ સહન કરી જ લેવી પડત ને ? એટલે તેવા તેવા સંયોગોમાં આપણે કષ્ટ ક્યાં નથી વેઠી લેતા ? નથી ચલાવી લેતા ? તો અહીં પણ અપમાન તિરસ્કારના મહાકષ્ટ રોકવા માટે ગામનો સંયોગ છતાં ભીખ માગ્યા વિના ચલાવી લેવાનું.' 246 - તરંગવતી
Page #252
--------------------------------------------------------------------------
________________ મહાદુઃખ ભૂલી ગઈ. બંને જણ દેવળમાં પેઠા, બેઠેલા ગોઠિયાઓને સામાન્ય પ્રણામ કરી અંદરના સીતાના મંદિર પાસે જઈ બેસે છે. અજાણ્યા ગામમાં ગેબી સહાય ! : હવે અહીં જેમ પહેલાં લૂંટારાની પલ્લીમાં કે જયાં મોત નિશ્ચિત થયું હતું, ત્યાંથી ગેબી રીતે છૂટકારો મળ્યો, એમ અહીં ગેબી રીતે ઘરભેગા થવાનો એક આધાર મળી આવ્યો ! વાત એમ બની કે જયાં તરંગવતી પઘદેવ મંદિરમાં બેઠા છે, ત્યાં એક ઘોડેસ્વાર યુવાન બહારથી આવીને મંદિરને પ્રદક્ષિણા દેવા મંડ્યો. એમાં એની અને આમની નજર સામસામે મળી, ત્યાં તો ઘોડેસ્વાર યુવાન ઘોડા પરથી ફટાક કરતો નીચે ઊતરી દોડતો અંદર આવ્યો ! અને પદ્મદેવના પગમાં પડી ગયો, અને એકદમ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો ! ને રોતાં રોતાં કહે છે, “અરે ! મારા નાના શેઠ ! મને ઓળખ્યો ? હું તમારે ઘરે બહુ કાળથી રહેલો નોકર કુલમાષહસ્તિ !' એ સાંભળતાં જ પદ્મદેવ નમેલા એને બાવડે ઝાલી ઊભો કરીને એને ભેટી પડે છે. કહે છે, ઓહો ! કુલમાષહસ્તિ ! તું અહીં ક્યાંથી ? કેમ ઘરે પિતાજી માતાજી કુશળ છે ને ? બીજા સગા સ્નેહી ખુશીમાં ને ?' પરદેશમાં ઘરનું માણસ જોવા મળ્યું, અને તે પણ જ્યાં કશો આધાર નહોતો, ખાવા માટે ય એક પૈસો નહિ ! ક્યાં જઈને ઊભા રહેવું એની મોટી વિમાસણ ! એવા સમયે ઘરનો જ માણસ જોવા મળ્યો એટલે તો તરંગવતી અને પદ્મદેવની છાતી હરખના આવેગથી ભરુભરુ ને ઉછળઉછળા થઈ રહી છે, શ્વાસ જોરજોરથી ચાલવા માંડ્યા છે. આંખમાં હરખના આંસુ ઉભરાય છે. મનને એમ થાય છે કે “હાશ ! હવે દુઃખના દહાડા ગયા ! નાસ્તિક રાજા પ્રદેશને કેશીગણી પાસે આત્માનો, જૈન ધર્મનો, અને વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માનો બોધ તથા શ્રદ્ધા મળી, સમ્યક્ત્વ મળ્યું ત્યારે એને કેટલો અપૂર્વ આનંદ થયો હશે કે મગજ પરથી એકદમ જ અત્યંત પ્રાણપ્રિય કરેલી રાણી સૂર્યકાન્તા, અને મોટું રાજ્યપાટ, માનમર્તબો, અને બીજો રસાલો...બધું જ હેઠું ઊતરી ગયું ! મગજ પરથી ઊતરી તો એવું ગયું કે હમણાં સુધીના નાસ્તિક એવા પ્રદેશીએ ત્યાં ને ત્યાં જ ગુરુ પાસે સમ્યક્ત્વ અને શ્રાવકનાં વ્રત ઉચ્ચરી લીધા ! ગુરુનો અપરંપાર ઉપકાર માને છે ! અને ત્યાંથી હવે ઘર તરફ નીચે જોઈને ઘોડો હંકારતાં જીવદયા ભરેલા પગલાં માંડે કર્મ ! તારી ગતિ ન્યારી 247
Page #253
--------------------------------------------------------------------------
________________ છે ! એમાં પહેલાં મહેલ નજીક આવતાં ઊંચે ગવાક્ષમાં રાહ જોઈને ઊભેલી પ્રાણપ્યારી સૂર્યકાન્તા રાણીનું મોં જોતાં જોતાં આવતા, તે હવે જોવાનું માંડી વાળ્યું ! મહેલમાં પહોંચીને ય હર્ષ-હાસ્યપૂર્વક રાણી સાથે પ્રેમાલાપ ને મોહના ટાયલાં કરતા હશે, તેય બંધ થઈ ગયું ! ગંભીર ચહેરે આવી એવા પ્રેમાલાપ વગેરે કશું જ નથી કરતાં. રાણી પૂછે, કેમ આજે કાંઈ દિલગીરી ?" તો રાજા કહે છે. ના, કશી જ દિલગીરી નથી.' ‘તો કેમ આજે પ્રેમના બોલ પ્રેમના વહાલ નહિ ?" પ્રદેશી રાજાની વૈરાગ્યવાણી : રાજા કહે આજે અદ્ભુત તત્ત્વજ્ઞાન મળ્યું ! તેથી લાગે છે કે આપણો તે કાંઈ આ કૂતરા-ગધેડા જેવો બદતર જનાવરનો અવતાર છે ? આપણે તો ઉચ્ચ કોટીનો માનવ અવતાર પામ્યા છીએ. એટલે એવા જનાવર જેવા મોહની ચેષ્ટાઓ મોહના ખેલ આપણને શોભતા નથી. મોહાંધ રાણીની દુષ્ટતા : રાણી સમજી ગઈ કે “આજે રાજા પલટાઈ ગયા છે, તેથી હવે મારી સાથે પ્રેમના આલાપ અને કામરસના વર્તાવ કરે નહિ તેથી મારે માટે આ પતિ નકામો થઈ ગયો. તેથી એનો હવે નિકાલ કરી નાખવો જોઈએ, નહિતર એ હયાત છતે એના સિપાઈ રક્ષકો મહેલમાં બીજા કોઈને આવવા જ દે નહિ, પછી મારે મોહની ક્રીડા વિના સુખ શું ?' રાણીની રાજાનો નાશ કરવાની, દુષ્ટ મનોભાવના રાજાનું ગંભીર અને ધર્મમય જીવન દેખીને, વધતી ચાલી. આ પરથી વિચારવા જેવું છે કે પ્રદેશી રાજાએ પૂર્વે નાસ્તિકપણે રાણી સાથે કેવાક શૃંગારી વિષય વિલાસના આનંદ માણ્યા હશે ? છતાં ધર્મ પામ્યા પછી હવે સમ્યગ્દર્શનનો અને ગંભીર ધર્મમય જીવનનો આનંદ જે અનુભવે છે, એ પેલા વિષયાનંદ કરતાં કોઈ ગુણો ઊંચો છે, એટલે જ એની આગળ વિષયના આનંદ લૂંટવા એને માત્ર સાવ ફિસ્સા જ નહિ, પણ નર્યું પાગલનું ગાંડપણ લાગે છે. પ્રદેશી રાજાનું શું બગડી ગયું છે તે એકાએક મન પરથી મોહમાયાને ઉઠાડી મૂકે ? કશું જ બગડ્યું નથી. પ્રાણથી અધિક પ્યારી રૂપસુંદરી સૂર્યકાન્તા રાણી ચોવીસે કલાક રાજાને વધાવી લેવા જીવંત ઊભી છે, રાજય ઊભું છે. મહેલાતો છે, ખજાના છે, નોકરો, સેના, અમલદારો વગેરેનો આજ્ઞાંકિત પરિવાર ઊભો છે; એ બધામાં મનમાન્યા ભોગવિલાસ વિષયવિલાસના આનંદ લૂંટી - તરંગવતી 248
Page #254
--------------------------------------------------------------------------
________________ શકે એમ છે, પરંતુ ધર્મપ્રાપ્તિ થઈ એટલે રાજાના મનમાંથી એ તુચ્છ આનંદના ફુરચા ઉડી ગયા ! એ ભોગસાધનો તણખલા તુલ્ય દેખાય છે. અરે ! ખાવા ધાતા હોય એવા દેખાય છે ! હવે તો વિલાસના રંગ છોડી સામાયિક-પ્રતિક્રમણપોષધ અને જિનભક્તિમાં અભુત અનેરા આનંદની મસ્તી માણે છે. રાણીએ આ પતિને ધર્મનું પૂંછડું બનેલો માનીને પોતાના રંગરાગ માટે નકામો ગણી લીધો, અને અમુક પૌષધના પારણે એને ખોરાકમાં કાતિલ ઝેર આપી દીધું ! ઝેરથી તરત મોત આવતું જોઈ, શ્રાવક રાજા પ્રદેશી સાવધાન થઈ જાય છે. નવકાર સ્મરણ ચાર શરણ, દુષ્કતગહ અને સુકૃત અનુમોદના સાથે સર્વ જીવ ક્ષમાપના કરી લીધી ! રાણી પર વિશેષ દયાભાવ ચિંતવ્યો અને સમાધિ મૃત્યુ વધાવી લીધું ! તો શું બગડ્યું ! મરીને એ પહેલા દેવલોકમાં સમૃદ્ધિવંતા સૂર્યાભ દેવલોકમાં એના માલિક તરીકે જન્મ્યો ! તમે જૈનધર્મ પામ્યા છો ને ? તમને આ કશો અનુભવ થાય છે ? દુન્યવી રંગરાગ ભોગવિલાસ અને એનાં ભરપુર સાધન સરંજામમાંથી આનંદ સાવ ઊડી ગયાનો અનુભવ થાય ? દેવદર્શન-પૂજા, વ્રત-નિયમ, સામાયિકપ્રતિક્રમણ-પોષધમાં પારાવાર આનંદનો અનુભવ થાય ? હૈયે એનાં આનંદના પૂર ઉછળે ? પ્રદેશી મોટો રાજા અને વર્ષોનો નાસ્તિક એ જૈનધર્મ પામીને આટલો બધો પલટાઈ જઈ શકે ? ને ધર્મસાધનામાં પરમ આનંદ અનુભવે ? ને દુન્યવી રાજાશાહી સુખસાધનોમાં આ સરંજામ જાણે મને ખાવા ધાય છે !" એવો અનુભવ કરે ? ત્યારે તમે જનમથી જૈનધર્મી કેટલીય હજારોવાર દેવ-ગુરુના પડખા સેવનારા, તમને ધર્મપ્રાપ્તિના આનંદનો એવો અનુભવ નહિ ? આનંદ, કામદેવ વગેરે મહાવીર પ્રભુનાં ચુનંદા શ્રાવકોને પણ પ્રભુ પાસેથી ધર્મ મળ્યા પછી એના એવા જ દિવ્ય આનંદ મનમાં ઊછળવા લાગ્યા કે એની સામે કોડોની સંપત્તિ વગેરેમાંથી આનંદના ફુરચા ઊડ્યા ! પાદેવ-તરંગવતીને કુલ્માષહસ્તિ વિગત આપે છે : તરંગવતી પદ્મદેવને પરદેશમાં અજાણ્યા ગામમાં જયાં કશી આશા નહિ ત્યાં ઘરનો જ નોકર શોધતો આવી મળ્યો ! એટલે કેવો પારાવાર આનંદ છે એ પરથી સમજી શકાય. પહ્મદેવે જયાં પિતાજી માતાજી વગેરેના કુશળ સમાચાર પૂછડ્યા, અને તું અહીં ક્યાંથી ? એમ પૂછવું એટલે એ કુલ્માષહસ્તિ નામનો નોકર પદ્મદેવનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં લઈને કહે છે,- “તમો કર્મ ! તારી ગતિ ન્યારી 249
Page #255
--------------------------------------------------------------------------
________________ બંને ઘરેથી ભાગ્યા પછી ઘરે શું બનેલ જાણો છો ? નાના શેઠ ! શું કહું તમને ? મોટા શેઠને ત્યાંથી તરંગવતીબેન અદશ્ય થતાં કન્યા ક્યાં ગઈ ? ક્યાં ગઈ ? એમ બધે શોધાશોધ ચાલી ! એટલે લોકમાં વાત ઊડી કે નગરશેઠની કન્યા ભાગી ગઈ ! શેઠે દાસીને બોલાવી પૂછ્યું તું કાંઈ જાણે છે ? ત્યારે દાસીએ જોયું કે વાત તો ખાનગી રાખવાની હતી, પરંતુ હવે જો બનેલ હકીકત નહિ કહું તો આ લોકો બિચારાં કુટાઈ મરશે ! તેથી એણે શેઠને ઠેઠ પદ્મસરોવરમાં તરંગવતીને થયેલ જાતિસ્મરણથી માંડીને બધી વાત કરી કે દાસીનો હેવાલ : “બેન જાતિસ્મરણથી મૂચ્છિત થયેલ, પછી ભાનમાં આવતાં રોવા બેઠેલી, એને મેં આશ્વાસન આપ્યું, તેથી પૂર્વનો પ્રિયને શોધવો એણે પૂર્વ ભવનો ચિત્રપટ્ટ તૈયાર કરેલ. એ બજારમાં મુકાવેલ, તે એ જોતાં શું શું થયેલ તેમાં એણે પદ્મદેવને થયેલ જાતિસ્મરણ, ચિત્રપટ્ટ પરથી તરંગવતીની મેળવેલી હકીકત, પોતાના પિતા પાસે કરાવેલી એની માગણી, શેઠ દ્વારા કરાયેલ ઇન્કાર, એથી એક બાજુ પાદેવની આત્મઘાતની તૈયારી, બીજી બાજુ તરંગવતીની આત્મહત્યાની તૈયારી, એમાં દાસીએ એને સમજાવી ત્યારે એ રાતના ઊપડી પાદેવને ત્યાં તેથી એય જીવતી બચી. ને પદ્મદેવ પણ બચી ગયેલ ! બંનેએ ત્યાંથી કરેલું ખાનગી પ્રયાણ વગેરે હકીકત દાસીએ શેઠને કહી બતાવી... આમ કહીને નોકર કહે છે, “શેઠને ખેદનો પાર ન રહ્યો ! પસ્તાવો કરે છે,- “અરેરેરે ! આ મને કશી ખબર નહિ. પદ્મદેવના પિતા સાર્થવાહ ધનદેવ તો સામે પગલે ચાલીને મારે ત્યાં આવેલા; છતાં હાય ! એમના દીકરા વેરે મારી કન્યા આપવાનો મેં નન્નો ભણવાની કેવીક મુર્ખાઈ કરી ? શેઠને પોતાની આ ભૂલ બહુ ગંભીર તો એટલા માટે લાગી કે તરંગવતી પદ્મદેવને પૂર્વ ભવનો કેવોક પ્રેમ ! જેમાં પોતાની દીકરી તરંગવતી તે ચક્રવાકી, એ પારધીના બાણે મરાયેલા પોતાના પ્રિય ચક્રવાકની ભડભડતી આગની સળગતી મૃત્યુચિતામાં જીવતી ઝંપલાવી દે? આવો પ્રેમ પૂર્વે ધરનારીએ, અહીં આ ભવમાં એ જ પ્રિય પદ્મદેવને પતિ તરીકે ન મળે. તો બીજો પતિ ન કરતાં, એની ચારિત્ર માર્ગે જવાની તૈયારી, એ કેવોક પ્રેમ ! એને મેળવવા શ્રીમંત કુટુંબમાં જન્મેલી અને લાડકી છતાં 108 આંબેલની ઉગ્ર તપસ્યા ! અને ચિત્રપટ્ટથી પ્રિય પમદેવની ભાળ મળી તો એ હવે પતિ તરીકે ન મળે તો આપઘાતની તૈયારી !! આ બધી વસ્તુઓ શેઠના દિલને હચમચાવી નાખ્યું. દિલમાં પશ્ચાત્તાપની આગ સળગી ઊઠી ! તે એકદમ ઊઠીને ગયા ધનદેવ સાર્થવાહની હવેલીએ.” 2 5) - તરંગવતી
Page #256
--------------------------------------------------------------------------
________________ આવેલ નોકર કુલ્માષહસ્તિ શું બન્યું તે કહેતો આગળ ચલાવે છે કે ત્યાં પણ પદ્મદેવ ગુમ છે, એને કાળો કકળાટ ચાલતો જોયો, તેથી ઋષભસેન શેઠનું દિલ ઓર વલોવાઈ ગયું ! તે સીધા ધનદેવ શેઠને હાથ જોડી ક્ષમા માગે છે, ને રોતાં રોતાં કહે છે શેઠ માફ કરજો ભાઈસાબ ! તે કાળે મેં તમને કન્યા આપવાની ના પાડી ! અને એમાં જે મેં તમને કડવાં વેણ કહ્યા એની ક્ષમા માગું છું, હવે તો હું સામે ચડીને તમારા પુત્રરત્નને જમાઈ તરીકે માગું છું, કેમકે આ તમારા પુત્ર ને મારી કન્યા, બંનેયના રોમાંચક પ્રસંગો છે. બંનેને પૂર્વ જન્મ ચક્રવાક ચક્રવાતી તરીકે પ્રિય-પ્રિયા હતા.' એમ કહી શેઠે દાસીએ કહેલ આખો અહેવાલ ધનદેવ સાર્થવાહને સંભળાવ્યો. અજ્ઞાનતાવશ મેં કેવી ગંભીર ભૂલ કરી કે એટલા કરુણ પ્રસંગોમાંથી પસાર થયેલા બંનેનો સંબંધ ન થવા દીધો !! ધિક્કાર પડે મારી અજ્ઞાનતાને ! મારા અભિમાનને ! હાય હાય ! અત્યારે એ બંને બિચારા એકલાઅટૂલા ને સાધન-સામગ્રી વિનાના કોઈ અજાણ્યા સ્થળે કેવા દુ:ખમાં હશે ? એમ બોલતા બોલતા ઋષભસેન શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, ને બધું સાંભળતાં ધનદેવ સાર્થવાહ પણ રડી પડ્યા. આજુબાજુ બેઠેલા બધા ય કરુણ રુદન કરવા લાગ્યા. “નાના શેઠ ! તમારા બંનેનું એકલું કુટુંબ જ નહિ, પણ ત્યાં ભેગું થઈ ગયેલું ગામ આખું રડી રહ્યું ! એમાં ય તમારી માતા તમારા વિયોગ પર જે છાતી ફાટ રૂદન કરવા લાગ્યા. એ જોઈને તો ત્યાં ભેગા થઈ ગયેલ ગામલોકોમાં એક માણસ એવો નહિ હોય કે જે રોયો ન હોય. એમાંય ખરેખર ! માતા જાતે ધ્રુસકે રોતી હતી, ને બીજાઓને રોવરાવતી હતી !" આ સાંભળતાં તરંગવતી-પમદેવનું પણ હૃદય ભરાઈ આવ્યું. એમની ય આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એમને એમ લાગ્યું કે આપણે કેવુંક સાહસ કરી નાખ્યું કે “આ બધાઓને કરુણ કલ્પાંતના આપણે આંધણ મૂકી આવ્યા !" માણસ સહેજમાં સાહસ કરી નાખે છે, પણ તેનું વિકટ પરિણામ આવતાં હૃદયને ભારે બળાપો ઊભો થાય છે ! સંસારનું સ્વરૂપ આ પરથી વિચારવા જેવું છે. કોઈના જીવનમાં બનેલા કરુણ પ્રસંગ બીજાઓ પર પણ કેવીક હૃદયભેદી અસર કરે છે, એ જોતાં માણસને નાશવંત સુખસંપત્તિના શા અભિમાન કરવા જેવા ? કે શા કાયમી આનંદ મળી ગયાના ભ્રમ સેવવા જેવા હતા ? આવું નાશવંત યા પરિવર્તનશીલ થોડુંક સુખ મળ્યામાં શા હરખપદુડા થવા જેવું છે ? બીજું આમાં એ જોવા જેવું છે કે કેટલીક બાબતોમાં ગર્ભિત મોટા રહસ્ય કર્મ ! તારી ગતિ ન્યારી 2 51
Page #257
--------------------------------------------------------------------------
________________ જાણ્યા વિચાર્યા વિના ઉતાવળા નિર્ણય લઈ લેવામાં અને તદનુસાર અનુચિત વાણી વર્તાવ કરવામાં આવે છે, પણ પાછળથી કેવુંક પસ્તાવું પડ્યું ને ? પ્ર.- પણ સંસારમાં આપણને પહેલેથી બધી વાતની થોડી જ ખબર પડે છે તે બહુ વિચાર કરી નિર્ણય લઈએ ? ઉ.- ભલે ઉપલકથી ખબર ન પડે, પરંતુ નિર્ણય લેતાં પહેલાં એનાં વિવિધ પ્રત્યાઘાત વિચારી શકાય. પ્રસ્તુતમાં જ (1) ઋષભસેન શેઠે ધનદેવ શેઠ માગવા આવ્યા ત્યારે તરંગવતીનો સહેજ અભિપ્રાય લીધો હોત, તો એને કેટલો બધો પ્રકાશ મળત !! અથવા (2) ધનદેવને સહેજ પૂછ્યું હોત કે તમારા પુત્રની ઇચ્છા પૂછીને આવ્યા છો ? અથવા (3) એના પુત્રને બોલાવી પૂછ્યું હોત કે તને કેમ મારી કન્યાની ઇચ્છા થઈ ?... વગેરે વિશેષ તપાસ કરતાં કાંઈક નવું જાણવા મળી આવતે ખેર. પેલો કુલ્યાહસ્તિ નોકર કહી રહ્યો છે કે “નાના સાહેબ ! નગર આખામાં તમો બંનેના જાતિસ્મરણની અને તમારા પૂર્વભવની રોમાંચક વાતોની ખબર પડતાં, તેમજ તમારી માતાનો કલ્પાંત જોતાં સૌને રોવું આવી ગયું હતું. વાતાવરણ ખૂબજ કરુણ બની ગયું હતું. પછી ઋષભસેન શેઠે ધનદેવ શેઠને કહ્યું આપણે ખાલી પસ્તાવો કરતાં બેસી રહીશું એમાં કાંઈ વળશે નહિ, આપણે ચારે બાજુ તપાસ કરાવીએ; કેમકે હજી ગઈ સાંજનો બનાવ છે, તેથી બંને કેટલે પહોચ્યા હશે ? એમ કહી બંને શેઠિયાએ ચારે બાજુ તપાસ માટે માણસો દોડાવ્યા; એમાં મને પણ તપાસ માટે રવાના કર્યો. “મેં પણ જુદે જુદે સ્થળે જઈ તપાસ કરવા માંડી, પણ તમારો પત્તો ક્યાં મળે ? કોઈ જ તમારી ભાળ આપતું નથી, એમાં મને વિચાર થયો કે તમારી પાસે ભાતું ખૂટી ગયું હોય એટલે કોઈ મોટા શહેરમાં માગવા ન જાય. એ તો ગામડાઓમાં આમતેમ ફરતા હોય કે જેથી ત્યાં કોઈ ને કોઈ ગામડાના સહૃદય માણસ એમનો અતિથિ સત્કાર કરનાર મળી આવે. બીજું મને એ લાગ્યું કે (1) જેમ કોઈ માણસ રોષમાં બહારગામ ચાલી જતાં સાથે પૈસાનો સંગ્રહ બરાબર ન રાખ્યો હોય, તો આજીવિકા માટે નાના ગામડાનો આશ્રય લે છે; કેમ કે ત્યાં એની હોશિયારીનો સારો ઉપયોગ થાય; એમ, (2) જેમણે અપરાધ કર્યો હોય એ પણ જો ખાનગી ફરવું પડે તો મોટા શહેરોમાં ન સંતાતો ફરે પણ ગામડાઓમાં જ ગુપ્ત રીતે ફરતો હોય; મારે મન આમ બંનેએ માતાપિતાને જણાવ્યા વગર આ ગુપ્તપણે ભાગી જવાનો 2 પર - તરંગવતી
Page #258
--------------------------------------------------------------------------
________________ અપરાધ કર્યો, એટલે આપ પણ ગામડાઓમાં જ ફરતા હો, તેથી મેં આમતેમ ગામડાઓમાં જ તપાસ માંડી. એમાં અહીં તહીં ગામડાઓમાં જોતા જોતા બહુ ફરતા અહીં આવી ગયો, અને ભગવાનની મારા પર મહેર થઈ કે તમો બંને અહીં મળી ગયા ! અને લીલાલહેર થઈ ! મારો શ્રમ સફળ થયો..” સંસારમાં બધે જ અંતે માણસના ભાગ્યાનુસાર બને છે. જ્યાં સુધી ભાગ્ય જોર ન કરતું હોય ત્યાંસુધી ઇષ્ટ પ્રસંગ ન બને; પરંતુ જ્યારે ભાગ્ય જોર કરે છે ત્યારે ગેબી રીતે ઈષ્ટ બની આવે છે. તરંગવતી અને પદ્મદેવને ભાગ્ય મંદું હતું ત્યાંસુધી ઈષ્ટ ન બન્યું, ઊલટું, મરણાંત જેવી આફત આવી ઊભી ! પરંતુ ભાગ્યે જોર મારતાં ચોરોની પલ્લીમાંથી છુટકારો ય મળ્યો ! તેમ અહીં પણ આ ઘરના જ નોકરનો ભેટો ય થઈ ગયો ! ભાગ્યતત્ત્વની હિસાબે આમ બને એમાં નવાઈ નથી. ભાગ્યની શ્રદ્ધા વિનાનો માણસ ભાવી સલામતી ભૂલે છે : ભાગ્યની બળવત્તા ન માનવાથી કાં તો સંપત્તિમાં અતિ હરખના ઉન્માદમાં ચડી ન કરવાના કામ, ન કરવા જેવાં પાપો કરે છે, ને ભાવી દીર્ઘ કાળની સલામતીના વિચારને જ ભૂલી જાય છે ! ને એમાં અંતે ખુવાર થાય છે. છેવટે એને મોત ભયંકર આવે છે. મોત વખતે દુર્દશાનો પાર નથી રહેતો ! ત્યાં કરણ ચીસો સાથે એ મરે, એમ આ પોતાની દુર્દશાના હાય ! હાય !' સાથે કલ્પાંત કરતો કરતો મરે છે. ત્યારે જો ભાગ્યની બળવત્તા સમજતો હોત તો સંપત્તિમાં બહુ હરખના ઉન્માદમાં ન ચડતાં, સભાવના કરતે કે - ભાગ્યની શ્રદ્ધાવાળાની સંપત્તિમાં સદ્ભાવના : એટલે આજે જ્યારે ભાગ્યની અનુકુળતામાં મારે સારાસારી છે, ત્યારે સારાં સુકૃત કરી લેવા દે.” આ આધુનિક શિક્ષણની અસર નીચે અનાત્મજ્ઞ બનેલાને ક્યાંથી સૂઝે ? આ તો સંપત્તિ વખતની વાત થઈ. ત્યારે આપત્તિ વખતે પણ અનાત્મજ્ઞા માણસ ભાગ્યની બળવત્તા ન સમજી, આફત ટાળવા માણસાઈ મૂકીને કઈ પ્રકારના પાપ પ્રપંચો સેવે છે ! એમાં વર્તમાન આપત્તિમાં એ ભોગવીને અલબત્ત અશુભ કર્મને ખપાવે છે, પરંતુ પાપ પ્રપંચોથી નવાં લખલૂટ અશુભ કર્મ લોટ જથ્થો બાંધી જાય છે ! કર્મ ! તારી ગતિ ન્યારી 2 53
Page #259
--------------------------------------------------------------------------
________________ મૂળ પાયામાં, ભાગ્યની બળવત્તા સમજી આપત્તિઓમાં રોદણાં બંધ કરી દેવા જોઈએ. જેવી ભાગ્યની બળવત્તા, એવી ધર્મની પણ એક બળવત્તા છે. માણસ ધર્મસાધના ધર્મપ્રવૃત્તિમાં બહુ જોડાયેલો રહે, સદ્ગુરુઓનાં પડખાં સેવતો રહે, અને એમની પાસે એવું આધ્યાત્મિક બળ ઊભું થાય છે કે પહેલું તો તો કેટલાં ય અશુભ કર્મ દબાઈ જઈને ક્ષુદ્ર ઉપદ્રવો દૂર થઈ જાય છે. યોગબિન્દુ શાસ્ત્ર બતાવે છે કે યોગીજનોની ભક્તિ વૈયાવચ્ચેથી ક્ષુદ્ર ઉપદ્રવો ટળી જાય છે. રોજ બોલીએ છીએ, “ઉપસર્ગો ક્ષય યાત્તિ, છિદ્યત્તે વિદનવલ્લય, મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે.....' જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી ઉપસર્ગ ઉપદ્રવો નાશ પામે છે, વિપ્નની વેલીઓ કપાઈ જાય છે, ને મન પ્રસન્ન પ્રફુલ્લિત બન્યું રહે છે, આ ધર્મની બળવત્તા છે, કે સદા મન પ્રસન્ન રાખે, ને શુભના સંચય થાય, ક્ષુદ્ર અશુભ કર્મો નાશ પામતા આવે. નમસ્કાર મહામંત્રનું જીવન-શરણ રાખનારને અવસરે અવસરે ગેબી સહાય મળ્યાના કેટલાય દાખલા બને છે. પ્ર.- પણ ધર્મીને ઘેર ધાડ કહેવાય છે ને ? ઉ.- એ અજ્ઞાનીઓનો બોલ છે. શું ધર્મહીન માણસોનાં જીવન કેવળ સુખભર્યા જ રહે છે? એમને ધાડ નથી આવતી ? એમ કહો, ધર્માને ઘેર તો કદાચ પૂર્વના અશુભ કર્મના ઉદયે આપત્તિ આવે તો ય ધર્મીને ઘેર ધાડમાં અબજનું દેવું દસ હજારમાં ચુકતે થાય છે. એટલે ? ધર્મ સમજે છે કે, “આ આફત અહીં આ જન્મમાં આવી તે સારું થયું, અહીં મારી પાસે ધર્મની સમજ છે એટલે ટૂંકે પતે છે. નવા અનંતા કર્મ બંધાતા અટકે છે ! દુર્ગતિઓની આપદાઓ સામે આ આપદા શી વિસાતમાં છે ? એમ કરી ચિત્તની સમાધિ જાળવી શકું છું; શુભ ભાવના કરી શકું છું ને તેથી આફતના અશુભ કર્મોની સાથે સાથે બીજા પણ કેટલાંય જથ્થાબંધ અશુભ કર્મોનો ક્ષય થાય છે. એ અશુભ કર્મનું અબજનું દેવું 10 હજારમાં પતવા બરાબર છે, એના બદલે જો આફતનાં કર્મ એવા જ તીવ્ર ઊભા રહી પરભવે એવા કોઈ જનમમાં ઉદય આવતે, તો ત્યાં ધર્મની સમજના અભાવે દુઃખના ગુણાકાર થત, તેમજ અસમાધિ કષાયો અને આરીદ્રધ્યાન થઈને બીજા નવા ભારે કર્મ 2 54 - તરંગવતી
Page #260
--------------------------------------------------------------------------
________________ ઊભાં થતે ! એમ અશુભનું અજબનું દેવું ચુકતે કરવામાં દમ નીકળી જતે.” ધર્મની બળવત્તા સમજનાર ધર્માત્માઓ એટલે જ ધર્મમય જીવન ધર્મપ્રધાન જીવન જીવે છે. એનાં રોજિંદા જીવનમાં પરમાત્મભક્તિ સાધુસેવા, જિનવાણીશ્રવણ, વ્રત, નિયમ, ત્યાગ-તપસ્યા, સામાયિક પ્રતિક્રમણ સ્વાધ્યાય, વગેરે ચાલુ જ રહે છે. 18. મોક્ષદૃષ્ટિ પહેલા ધર્મદષ્ટિની આવશ્યકતા શાસ્ત્રમાં બતાવ્યું છે કે રાજા નરસિંહ પૂર્વ ભવમાં ભિખારી હતો, નગરમાં બરાબર પૂરી ભીખ મળતી નહિ, તેથી કંટાળી બીજે ગામ જવા નીકળ્યો. એમાં એને સાધુ મળ્યા ! સાધુને હાથ જોડીને કહે છે, | બાપજી બહુ દુઃખી છું, ભૂખે મરું છું ભીખ માગતો ભટકવા છતાં મળતી નથી. કાંઈક એવું કરવાનું બતાવો જેથી એ કરું ને રોજ પેટપૂર ખાવાનું મળે. ભલે લુખ્ખો રોટલાનો ટૂકડો જ મળે, તોય ચાલશે. પણ આ ભૂખ સહન નથી થતી. ત્યારે સાધુ કહે છે, જો ભાઈ ! તે પૂર્વે ધર્મ નથી કર્યો એટલે અહીં દુઃખી છે. તું ધર્મ કર, તો સુખી થઈશ.....” અહીં ભિખારી સુખદુ:ખ શાને કહી રહ્યો છે ? શું સુખ મોક્ષનું ? અને દુઃખ ભવભ્રમણનું ? કે ભૂખનું દુઃખ અને રોટલાનું સુખ ? કહો ભૂખમરાનું દુઃખ અને રોટલાના સુખને દુઃખ-સુખ કહી રહ્યો છે. તો સાધુ જે જવાબ આપે છે કે ધર્મ કર, સુખી થઈશ એ પણ કઈ સમજથી આપી રહ્યા છે ? શું મોક્ષના સુખને અહીં સુખ સમજીને કહી રહ્યા છે? કે રોટલાના સુખને સુખ સમજીને ? જો ધર્મથી મોક્ષના જ સુખની વાત કરવી હોત, તો તો ફોડ પાડત કે “જોજે ધર્મ કરજે, પણ માત્ર મોક્ષના સુખ માટે જ કરજે, સંસારના રોટલાના સુખ માટે નહિ. સંસારના સુખ માટે પાપો ભલે કરાય, પરંતુ ધર્મ ન કરાય.” - સાધુએ આવું સ્પષ્ટીકરણ નથી કર્યું એ સૂચવે છે કે સંદર્ભ અનુસાર એમણે એજ કહ્યું તારે રોટલાનું સુખ જોઈએ છે ? તો સમજી રાખ કે, બીજા સુખની જેમ રોટલાનું સુખ પણ ધર્મથી જ મળશે. માટે ધર્મ કર.' જીવને પહેલો ઉપદેશ તો એની પાસે ધર્મની ભરચક પ્રવૃત્તિ કરાવવાનો જોઈએ. તેથી જ અહીં સાધુ મહારાજે તારો-સંસાર સુખનો આશય છે ? કે મોક્ષસુખનો આશય ? એવું કાંઈ પિંજણ ન કરતાં, “તું ધર્મ કર” એ જ વાત બતાવી. કર્મ ! તારી ગતિ ન્યારી 2 55
Page #261
--------------------------------------------------------------------------
________________ અહીં સાધુએ એ બોધ ન આપ્યો કે “જોજે દર્શન કરજે, ખૂબ કરજે, પરંતુ જોજે દર્શનથી રોટલા ન ઇચ્છતો, નહિતર દુર્ગતિમાં રખડી પડીશ. ધર્મથી સંસારસુખ મળવાનું ન ઇચ્છાય, ન મંગાય. ધર્મથી તો મોક્ષ જ પામવાનું ઇચ્છાય, મોક્ષ જ મંગાય.” બસ, ભિખારી પછી દર્શનમાં લાગી ગયો, મંદિરો ઘણા હતા, એટલે જેટલા બને એટલા ભગવાનનાં એ દર્શન કર્યું જાય છે. જોજો અહીં એને મોક્ષનો આશય ન હતો, પરંતુ એટલી સમજ સાધુ પાસેથી મળી હતી કે આ જગતની અનુકૂળતાઓ પણ ધર્મ કરે એને મળે છે, માટે બીજા ફાંફાં મારવા કરતાં ધર્મ કરવો એમાં જ ડહાપણ છે. શ્રી ઉત્તરાધ્યયન-ટીકાશાસ્ત્રી પણ એજ કહે છે. લખ્યું છે.” અર્થ કામના અભિલાષીએ પણ સમજવું જોઈએ કે ધર્મ વિના સુખ મળે નહિ, માટે ધર્મમાં જ યત્ન કરવો ઉચિત છે.” પ્ર.- પણ એકલા સંસારસુખની દૃષ્ટિથી ધર્મ કરતા હશે તો જિંદગી સુધી એ સંસારસુખની જ દૃષ્ટિ રહેવાની, પછી એવાને મોક્ષની દૃષ્ટિ ક્યારે આવવાની? તેથી ઉપદેશ તો મોક્ષની દૃષ્ટિનો જ આપવો જોઈએ ને ? શ્રાવકના કેવા કેવા આચાર જોઈએ ? ઉ.- દષ્ટિ-લક્ષ્ય-ઉદ્દેશનો ઉપદેશ કોને ? ધર્મ કરે એમને ? કે હજી એવો ધર્મ જ નથી કરતા એમને ? જેના રોજના જીવનમાં શ્રાવકના આચારનાં ઠેકાણાં નથી, માત્ર પાંચ મિનિટનાં દર્શન યા દશ મિનિટની પૂજા છે, તે પણ મંદિરના ભગવાન, મંદિરનું કેસર, મંદિરની અગરબત્તીથી ! ગાંઠનું કાંઈ લાવવું નથી ! પૂજામાં પણ ભગવાનને નિયમિત પ્રક્ષાલ કરવો નથી, જાતે અંગભૂંછણાં કરવાં વગેરે કશું કરવું નથી, રેડીમેડ ભગવાન પર ટીલીઓ કરી લેવાની.'બસ આટલો મનમાન્યો રાબેતા મુજબનો પ્રભુપૂજાનો ધર્મ, બાકી દયા, દાન શીલ, તપ વગેરે ધર્મની ગરજ નથી; ઘરમાં જીવજયણાની કશી કાળજી નથી; ગેસના ચૂલાને સીધી દીવાસળી ચાંપે, તે ભલું હોય તો બર્નરમાં રાતવરાત છૂપાયેલા નાના વાંદા-કીડીઓ બળીને સાફ ! કપડાં, જો એમાં માંકણ વગેરે જીવ ચડેલા, સીધા ધોવામાં જતાં હોય, પાટલામાં માંકણ છૂપાયા હોય એના પર બેસી સીધું ગરમાગરમ પાણીમાં સ્નાન કરાતું હોય, તો આમાં ક્યાં જીવોની રક્ષાની કાળજી ? બે રાત રહેલા દહીં, વિદળ, વાશી પેંડા...વગેરે અભક્ષ્ય ખવાતા હોય. ટી.વી.-વીડિયોના બીભત્સ દશ્યો સસરો વહુ મા-દીકરો-દીકરી 2 56 - તરંગવતી
Page #262
--------------------------------------------------------------------------
________________ સાથે બેસીને જોતા હોય; જીવનમાં નથી કોઈ ત્યાગના વ્રત નિયમ, નથી કાંઈ તપ, મોટી ચૌદશ જેવી તિથિઓ પણ લીલાં શાકભાજી ને રાત્રિભોજન ખુશખુશાલ કરતા રહેવું છે; હોટેલ પિક્સર, ટી.વી. વગેરે સૂઝે છે, પણ નથી કોઈ વ્યાખ્યાન-શ્રવણ, ન રાતે કુટુંબને બેસાડી ધર્મશાસ્ત્ર રાસ વાંચન, ન સામાયિક, ન પર્વ તિથિએ પણ પતિક્રમણ,......વગેરે વગેરે શ્રાવકના આચારનાં ઠેકાણાં નથી; આચારહીનને એવો જીવનમાં આચાર-ધર્મ લાવવાનો ઉપદેશ હોય ? કે આચાર-ધર્મના ઉદ્દેશનો ઉપદેશ જોઈએ ? શાસ્ત્રોના ભરચક ઉપદેશ ધર્મદષ્ટિ જગાવવા અર્થે ? કે મોક્ષદૃષ્ટિ જગાવવા અર્થે ? નહિ જેવા દર્શન પૂજા કરતો હોય એને જ કહીએ કે તું ધર્મ મોક્ષ માટે નથી કરતો ? તને સુખ ભૂંડું નથી લાગતું? સંસારસુખ ગમે છે ? જા, તારા ભાવ મેલા છે. મેલા ભાવથી ધર્મ કરીશ તો દુર્ગતિનાં પાપ બાંધીશ. માટે પહેલાં દૃષ્ટિ સુધાર, આવું કહીએ તો એ શું એને ધર્મમાં જોમ લાવે ? ઉત્સાહ વધારે ? કે ધર્મમાં નિરુત્સાહ કરે ? હજી એને ઢગલાબંધ સંસારનાં કામ કરતાં આવડે છે, કરવા ગમે છે, ને કરવા મથે છે, પણ શ્રાવકપણાના ધર્મ-આચાર જાણવા-પાળવાની કશી ગરજ નથી, તમન્ના, નથી, એનામાં આપણે મોક્ષની દૃષ્ટિ જગાડી આપવાની હોય ? કે ધર્મની દૃષ્ટિ જગાડવાની હોય ? શાસ્ત્રો જઓ તો દેખાશે કે જીવોમાં ધર્મદષ્ટિ જગાવવાને વધારવા માટે, ને એમને પાપપ્રવૃત્તિમાંથી બહાર કાઢી ધર્મપ્રવૃત્તિમાં જોડવા માટે થોકબંધ ઉપદેશો એમાં લખાયેલા પડ્યા છે. આજના જીવોમાં તો જીવનમાં પહેલી ધર્મની દૃષ્ટિ જગાવાય, અને એ માટે એને સમજાવાય કે “મહાનુભાવો ! આ આર્ય માનવનો ઉત્તમ જનમ સંસારના પાપોમાં રાચ્યા માચ્યા રહેવા માટે નથી, પરંતુ ધર્મસાધના કરવા માટે છે. આ ઉત્તમ જનમ માત્ર જનાવરની જેમ આહાર-વિષય-પરિગ્રહ અને આરંભ સમારંભો તથા 18 પાપસ્થાનક સેવવા માટે નથી, પરંતુ ત્યાગ તપસ્યા, જિનભક્તિ સાધુસેવા, જીવદયા, દાન-શીલ વગેરે ધર્મસાધના કરતા રહેવા માટે છે.” આમ એમને માનવજનમનો ઉદ્દેશ ધર્મ સાધના બતાવાય, માનવ જનમની દૃષ્ટિ ધર્મસાધના પર ખેંચાય, તો એમના જીવનમાં ભરચક ધર્મસાધના આવે. એમને તો કહેવાય કે “જા ધર્મ નહિ કરો, ને મોહમાયામાં જ રમતા રહેશો તો જે જીવન જીવતાં છે, એ અંતે કર્મ ! તારી ગતિ ન્યારી 2 57
Page #263
--------------------------------------------------------------------------
________________ સૂઝશે, એ હિસાબે અહીં અંતકાળ પણ બગડી જશે ! ને પરભવે તો બેહાલ દશાનો પાર નહિ રહે ! કોને ખબર અહીં ધર્મ સાધ્યા વિના આ જન્મ પછી તો કેટલાય ધર્મ વિનાના પાપભર્યા હલકા અવતાર મળ્યા કરશે !!" આમ એમને જીવનમાં ધર્મદષ્ટિ ઠસાવીએ, તો એમનામાં ધર્મ સાધના આવે. એ વિના મોક્ષદષ્ટિનું જ સમર્થન કર્યા કરાય તો ધર્મના આચાર ક્યાંથી આવવાના ? જેનશાસ્ત્રો જીવનમાં આવા પ્રધાનપણે ધર્મદષ્ટિ જગાવવાના ઉપદેશોથી ભર્યા ભર્યા છે. કોઈએ એમ નથી કહ્યું કે “ધર્મ બહ કરતો હોય કે એની ચિંતા નહિ. માત્ર દષ્ટિ મોક્ષની રાખવી. જો મોક્ષ સિવાય સંસારની અનુકૂળતા માટે ધર્મ કરે તો દુર્ગતિમાં ભટકે. આવું જ્ઞાનીઓએ કેમ ન કહ્યું? કહો, ધડમૂળમાં જેમને હજી જીવનમાં ધર્મદષ્ટિ જ નથી આવી, સાંસારિક કા છોડીને ધર્મ કરવાની કશી તાલાવેલી જ જેમને નથી. એને પહેલાં માત્ર મોક્ષદષ્ટિનું સમર્થન કરતા રહેવામાં, એ જીવો જીવનમાં મોક્ષની દૃષ્ટિને ગોખશે, પણ ધર્મદષ્ટિને નહિ, તેથી ધર્મના આચરણને મુખ્ય નહિ કરે. એ તો ધર્મદષ્ટિ જગાડવા જીવોને જીવનમાં ધર્મની પ્રધાનતા રાખવાનું ઠસાવ્યા કરો; જિનશાસન મળ્યાની કિંમત સમજાવી પાપ છોડી છોડી ધર્મમાં લાગ્યા કરવાનું કહ્યા કરો;- “બને તેટલી પાપપ્રવૃત્તિ બંધ કરો, અને બને એટલો ધર્મ કરી લો, નહિતર માર્યા જશો, જીવન તો જોતજોતામાં પૂરું થઈ જશે, પછી ધર્મ વિના એકલા પાપાચરણો લઈને ક્યાં જઈને ઊભા રહેશો?” એમ પાપત્યાગ અને ધર્મપ્રવૃત્તિની ખૂબ પ્રેરણા કર્યા કરો, તો જ એ ધર્મપ્રવૃત્તિ ખૂબ કરતા થાય, અને શ્રાવકધર્મના ખૂબ આચારો પાળતા થાય. “આજના જીવોમાં મોક્ષદષ્ટિ પહેલાં ધર્મદષ્ટિ જગાવવાની તાતી જરૂર છે. ધર્મદષ્ટિ તો એવી જગાવાય કે શ્રોતાને હાડોહાડ લાગી જાય કે બાપ રે ! હું જો જીવનમાં ધર્મની મુખ્યતા અને ધર્મની પુષ્કળતા નથી લાવ્યો તો માર્યો જઈશ ! અસ્તુ. નોકર કુલ્માષહસ્તી વિગત કહે છે, નાનાશેઠ ! ગામડે ગામડે ભટકતો શોધતો અહીં આવ્યો, ને સારું થયું કે ભગવાન મારા પર રીઝયા તે તમારો ભેટો થઈ ગયો ! ને મારો પરિશ્રમ સફળ થયો ! લો, હવે મને બંને શેઠ સાહેબોએ આ બે પત્રમાં તમને આપવા માટે આપ્યા છે, તે લો,” પદ્મદેવ પત્રને નમસ્કાર કરીને સ્વીકારે છે, અને ખોલીને ધીમે ધીમે વાંચી લે છે, મોટેથી બોલીને નહિ, કેમકે એમાં જો કાંઈક રહસ્ય ગુપ્ત રાખવા 2 58 - તરંગવતી
Page #264
--------------------------------------------------------------------------
________________ જેવું લખ્યું હોય તો તે ગુપ્ત રાખી શકાય. પછી પત્રમાં જોયું કે એવું કાંઈ ખાનગી રાખવા જેવું નથી, એટલે મોટેથી વાંચે છે શું લખ્યું હતું એમાં ? તરંગવતી સાધ્વી શેઠાણીને પોતાનો અહેવાલ કહી રહી છે કે ‘ગૃહિણી ! મને ભારે ભય હતો કે પિતાજીના આવેલા પત્રમાં કોણ જાણે કેવો ય ગુસ્સો ઠાલવ્યો હશે ? ને કડક ઠપકો લખ્યો હશે ? પણ જ્યાં પહ્મદેવે હવે મોટેથી પત્ર વાંચ્યો, ત્યારે જોયું કે પત્ર બિલકુલ રોષ વિનાનો અને ખૂબજ પ્રેમભર્યો, લાગણીભર્યો, અને પ્રસન્નતાભર્યો, તથા વિશ્વાસઆશ્વાસન આપતો પત્ર હતો. ત્યારે મારે કલેજે ઠંડક વળી. એમાં લખ્યું હતું કે “તમે જરાય ચિંતા કરશો નહિ; તમારા મનના મનોરથ પૂરા થશે; અને તમો સુખેથી ઘરે જલદી ચાલ્યા આવો, તમને મારા સોગન છે કે જલદી ઘરે આવી જાઓ; નહિ આવો તો મારા જીવનનું જોખમ છે.” આટલો બધો પ્રેમ અને વિશ્વાસ તથા બહુ આવકારભર્યું આમંત્રણ દેખી બંનેનો શોક અને ભય દૂર ભાગી ગયા. પ્રેમભર્યો આશ્વાસનપત્ર કેટલું કામ કરે છે ! એના બદલે રોષપૂર્વક ઠપકો જ લખ્યો હોય, તો સામાના ભાંગી પડેલા હૃદયને કેટલો બધો ભારે આઘાત લગાડે ? ને એમાં પોતે નાનડિયા હોય, તેમ ગુન્હાહિત હોય, એટલે ઠપકો સાંભળી કાંઈ બોલી તો શકે નહિ, પરંતુ શું વડીલના પ્રત્યે દિલમાં પ્રેમ અને સદ્ભાવ વધે ? ના, વધે નહિ કિન્તુ ઘવાય, ઓછો થાય. અપરાધી અંગે માનવશાસ્ત્ર : એને પહેલાં સ્નેહ સહાનુભૂતિથી નવરાવી નાખો : આ સાયકોલોજી (માનસશાસ્ત્ર) છે કે સામા અપરાધીને પણ, પહેલાં તો સ્નેહ-સભાવ-સહાનુભૂતિથી નવરાવી નાખો ! તેથી તમારી તરફ એનું હૈયું ઝૂકશે, અને તમારા પર એનો સદ્ભાવ વધી જશે; એના દિલમાં તમારા પર એનો સદૂભાવ વધી એના દિલમાં તમારા કથન માટે ઢાળ ઊભો થશે, તમારે એને ઠપકાનું કાંઈક કહેવું હોય તે કહો, તે અંદરમાં ઊતરશે, તે આદરથી સાંભળશે સ્વીકારશે અને પોતાની ભૂલ હરખથી કબૂલ કરી પસ્તાવા સાથે ક્ષમા માગશે. આ અનુભવની વસ્તુ છે. આ અનુભવ કરશો તો સમજાશે. બાકી ભૂલ કરે એને તો ‘તરત ડામવા-દબાવવા જ જોઈએ, નહિતર માથે ચડી બેસે, ને વંઠી જાય.' એવા ગલત હિસાબ પર અત્યારસુધી ચાલ્યા અને નાનડિયાના કે આશ્રિતના સ્નેહ સભાવ ઘટાડ્યા છે છતાં આશ્ચર્ય છે કે હજી કર્મ ! તારી ગતિ ન્યારી 259
Page #265
--------------------------------------------------------------------------
________________ પેલો માનસશાસ્ત્રીનો હિસાબ સમજવો જ નથી ! અને અનુભવમાં મૂકવો જ નથી ! તો એનાં રૂડાં ફળનાં જિંદગી સુધી ભાગી નહિ બની શકો. તરંગવતીના પિતાનો રોષ વિનાનો અને ‘હવે જલદી ઘરે આવી જાઓ તમારા મનોરથ સિદ્ધ થશે' એવો પ્રેમભર્યું આમંત્રણનો પત્ર આવ્યો એથી એને શોક દૂર થઈ ગયો, અને મનને ભારે સંતોષ થયો. નોકર વીતક પૂછે છે : ત્યાં પેલો નોકર કુલ્માષહસ્તિ પૂછે છે પણ નાનાશેઠ ! મેં તો તમારા ગયા પછી ઘરે બનેલ બધી હકીકત કહી, પણ તમે શો શો અનુભવ કરી આવ્યા તે તો કહો ?' ત્યાં પહ્મદેવ ઘરેથી નીકળ્યા ત્યાંથી માંડીને અત્યારસુધીની બધી હકીકત કહે છે એ સાંભળવામાં જીવતા કપાઈ જવાની તૈયારી સુધીના ભયંકર કષ્ટની વિગત સાંભળતાં સાંભળતાં નોકર રડી પડ્યો ! કહે છે, ‘હાય ! હાય ! દુષ્ટોએ તમને આટલી બધી ભયંકર સ્થિતિએ પહોંચાડેલા?” પદ્રદેવ કહે -ભાઈ ! એ બિચારાનો શો વાંક ? વાંક અમારા તેવાં પૂર્વના અશુભ કર્મન; નહિતર મહા સુખમાં બેઠેલા અમારે એ ભયંકર સ્થિતિમાં શાનું મુકાવું પડે ? એ ચોર બિચારા થોડા જ અમને ઠેઠ ઘરમાંથી જ તાણી જવા આવેલા ? પરંતુ અમારા કર્મો જ અમને ભુલાવ્યા, તે સુખના મૃગજળમાં તણાયા પર છોડી જાતે જ નીકળી પડ્યા !' પદ્મદેવ વીતક-વર્ણનમાં પછી ઠેઠ અહીં તરંગવતીને છેલ્લે ભારે ભૂખનું સાંભળતાં તો નોકર ચમક્યો ! અને કહે છે, “અરરર ! બાપ રે ! તમે ભૂખ્યા જ પીડાઈ રહ્યા છો, એ તો હું જોવું જ ભૂલ્યો ! નાનાશેઠ ! માફ કરજો ભાઈ-સાહેબ ! પહેલું તો મેં તમને ભોજન પાણીનું જ પૂછ્યું નહિ ? જે સગવડ તો મારે પહેલી જ કરવી જોઈતી હતી, તે જ હું ભૂલ્યો? ચાલો ચાલો ઊઠો, તમને હમણાં જ ભોજન કરાવું.” એમ કહીને ગામના એક માન્ય સારા બ્રાહ્મણકુળમાં બંનેને લઈ ગયો; ત્યાં હાથ પગ ધોવરાવ્યા, અને રસોઈ તૈયાર કરાવી બંનેને નાસ્તો કરાવ્યો; એટલે બંનેને જીવમાં જીવ આવ્યો તે કુળનું બંનેએ અભિનંદન કર્યું, આભાર માન્યો. હજી આગળ એવા ભયવાળા પ્રદેશમાંથી પસાર થવાનું હતું. તેથી ફલ્માષહસ્તિએ પોતાના જાણીતા રક્ષક માણસોને ઊભા કર્યા, અને એ બધાની સાથે ત્યાંથી બંને નાવડા દ્વારા નદી ઊતર્યા... 26) - તરંગવતી
Page #266
--------------------------------------------------------------------------
________________ અહીં નોકરે પહેલેથી એક માણસને વાહન લેવા મોકલેલો, તે વાહન નદી કાંઠે તૈયાર આવી ઊભેલું, એટલે નોકર સાથે બંને વાહનમાં બેસી ગયા, અને એક સ્નેહીના ગામમાં પહોંચી ગયા. ત્યાં જઈને સ્નાન કર્યું. બંનેને નોકરે સારી રીતે ભોજન કરાવી આરામ કરાવ્યો. બંને બહુ જ થાકેલા હતા, એટલે એમણે સારી રીતે ઊંઘ કાઢી એટલે તાજા માજા (મસ્ત) થયા. પછી ઊઠીને દેવાધિદેવનું ચૈત્યવંદન અને સ્તુતિ કરી. અહીં કુલમાષ પાસે પૈસા એટલા હતા નહિ તેથી આગળ શી રીતે વધવું ? એટલે એણે કોસાંબી તરફ કાગળ લઈને એક માણસ મોકલ્યો, અને એ થોડા દિવસમાં જવાબ લઈને પાછો આવે ત્યાં સુધી બધાએ ત્યાં જ સ્નેહીના ઘરે રોકાવાનું કર્યું. થોડા દિવસમાં માણસ જવાબ અને કોસાંબી સુધીના ખર્ચ માટે ખાસું ધન અને કપડાં વગેરે સામગ્રી લઈને પાછો આવ્યો. એટલે અહીં આનંદ આનંદ થઈ ગયો. એમાંથી અહીં થોડુંક રહ્યા એનું ઉચિત કરવા, આ સ્નેહીના ઘરે એક હજાર રૂપિયા આપ્યા. તેમજ છોકરા બૈરા અને પુરુષો માટે કપડા આપ્યાં, જેથી સ્નેહીને સારું સંભારણું રહે. પછી ત્યાં વાહન તૈયાર કર્યું, ને સાથે શસ્ત્રધારી મજબૂત માણસો રક્ષક તરીકે સાથે લીધા. પદ્મદેવ અને તરંગવતી હવે આ પરિવાર વગેરે મોટી સમૃદ્ધિ સાથે ત્યાંના રાજમાર્ગ પરથી પસાર થતા હતા ત્યારે એ નગરના હજારો માણસો જોઈ ચકિત થઈ જતા ! અને આમને સ્નેહની દૃષ્ટિથી જોતા હતા. નગર બહારથી વાહનમાં બેસી ગયા, અને કોસાંબી તરફ પ્રયાણ ચાલુ કર્યું. પુણ્યપાપની વાદળીઓનાં અવનવાં : પુણ્યપાપની વાદળીઓ કેવાંક કલ્પના બહારના અવનવાં કામ કરી જાય છે ! પહેલું અવનવું, તરંગવતી પક્ષીના અવતારમાં પાપના ઉદયે પ્રિયનો વિયોગ પામીને એની ચિતામાં બળી મરી, પરંતુ કોઈક શુભ ભાવે પુણ્યના ઉદયે મોટાશેઠની દીકરી તરંગવતી થઈ ! તો બીજું અવનવું, એમાં જાતિસ્મરણ થયું ! અને પ્રિયની યાદમાં મોહના ઉદયે ઝૂરતી હતી ! પછી ચિત્રપટ્ટ સૂઝયો તો એ પૂર્વ ભવના ચિત્રપટથી પુણ્યના ઉદયે પ્રિય મળ્યો ! તો પોતાના બાપે પાપના ઉદયે એ પ્રિયના વેરે દેવા ના પાડી ! પરંતુ પુણ્યના ઉદયે પ્રિય ખાનગીમાં મળી ગયો ! ને એને પરગામ લઈ ચાલ્યો; તો પાપના ઉદયે ત્યાં ચોરો મળ્યા, ને એમનું ઝવેરાત તો લૂંટી લીધું ! પરંતુ વધારામાં એમને લઈ કર્મ ! તારી ગતિ ન્યારી 261
Page #267
--------------------------------------------------------------------------
________________ જઈ પલ્લીમાં કેદ પૂર્યા ! એટલું જ નહિ, પણ પ્રિય પમદેવનો દેવીને ભોગ આપવાનું નક્કી થયું ! કેટલી હદ સુધી પાપોદય ? પણ ખૂબી જુઓ, આવા ભયંકર પાપના ઉદયની વાદળી ય પાછી ખસી ગઈ, ને પુણ્યની વાદળી આવી ! તો એણે એ જ પલ્લીના ચોર દ્વારા છુટકારો અપાવ્યો ! પાછા છૂટીને જંગલ વટાવી કોઈ ગામમાં ગયા, તો પાપના ઉદયે કારમી ભૂખ વેઠવાની આવી, ત્યાં પાછો પુણ્યનો ઉદય થયો તો ઘરેથી શોધવા નીકળેલ માણસ જ ત્યાં મળી ગયો ! તે હવે વતન કોસાંબી તરફ વાહનમાં ઠાઠમાઠ પરિવાર સાથે લઈ ચાલે છે ! ઘડીમાં પુણ્યની વાદળી ! તો ઘડીમાં પાપની વાદળી ! એથી ઘડીમાં સુખ વસ્યું ! તો ઘડીમાં દુઃખ વરસું ! સંસારી જીવને જુદા જુદા જનમમાં તો સુખના ને દુઃખના અનુભવ થાય છે. પરંતુ આ એક જ જનમમાં પુણ્યોદય પાપોદયે કેવાંક પરિવર્તન લીધા ! આમાં જ સંસારી જીવની કેવીક કર્મ પરવશતા દેખાય છે ! કર્મસત્તા આગળ માણસની કેવીક રાંક સ્થિતિ છે ! જે સંસારમાં કર્મસત્તા જીવ પર આમ પલટા મારવાનું કામ કરે છે, શું એવા સંસારને માથે ચડાવવાનો ? કે કર્મસત્તાની બેડીઓમાંથી છોડાવે એવા દેવ-ગુરુ-ધર્મને માથે લેવાનો ? બીજો વિચાર એ છે કે પુણ્યોદયની વચમાં વચમાં જીવના માથે જો. પાપોદય ટપકી પડી એને મહાદુઃખમાં મૂકે છે, તો એ શું સૂચવે છે ? આ જ, કે પૂર્વે ધર્મ તો કરેલો તેથી સારા પુણ્યોદય જોવા મળ્યા; પરંતુ એમાં પાપોદયો જાગી જાગી દુઃખ લઈ આવ્યા, એ સૂચવે છે કે પૂર્વ જનમમાં ધર્મ કરવાની સાથે પાપાચરણ કેવા કેવા કરેલા હશે ? એ આપણું આ આત્મનિરિક્ષણ કરવા પ્રેરે છે કે, આત્મનિરીક્ષણ : આપણને સદ્ભાગ્યે અહીં ધર્મ તો ગમે છે, પરંતુ સાથે સાથે વિવિધ પાપાચરણ કેટલાં ગમે છે ? એ ભવાંતરે શું દેખાડશે ? પેલા ધર્મનાં ફળરૂપે આવતાં સુખોની વચ્ચે વચ્ચે એ પૂર્વ પાપાચરણે દુ:ખોની દખલ કેવી આવવાની ? દુ:ખોનાં રોદણાં કેવાં થવાના ? તરંગવતીનાં જીવનમાં જોઈએ તો દેખાય છે કે સુખો વખતે તો આનંદ મંગલ; પરંતુ દુઃખ આવ્યા ત્યારે છેલ્લે ઠેઠ આપઘાતના વિચાર સુધી ચડી ગયેલી ! પણ હવે એને એમ લાગે છે કે દુઃખનાં દહાડા ગયા, તે વતન 26 2 - તરંગવતી
Page #268
--------------------------------------------------------------------------
________________ કોસાંબી તરફ એ અને પ્રિય બંને વાહનમાં બેસીને પ્રયાણ કરી રહ્યા છે. રસ્તામાં ડાંગરના રોપાઓ બહુ શોભી રહ્યા છે, આગળ આશાલિક ગામ આવે છે, ત્યાં અવનવું જોવા મળે છે ! વડની પૂજા : વીર વાસો : વડ પર વીરપ્રભુની ભાવના : એ ગામની બહાર એક મોટું વડનું ઝાડ છે. ત્યાંનાં લોકો એ વડની પૂજા કરતા હતા. કહે છે કે મહાતપસ્વી વર્ધમાનસ્વામિ પોતે તીર્થકર બનવા અગાઉ વિહારમાં અહીં આ વડના ઝાડની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા ! એ સાંભળીને તરંગવતી પદ્મદેવને ભારે આનંદ અને એ વડના ઝાડ પર માન ઊપજયું ! મનને થયું કે અહો ! નિર્ઝન્ય ધર્મ યાને શ્રમણ ધર્મની પ્રધાનતાવાળા શ્રી જિનશાસનના સ્થાપક ઉપદેશક, અને પોતાના જીવનમાં શીલ અને સંવરનું નિયંત્રણ રાખનારા વર્ધમાન સ્વામિ ઓહોહો ! અહીં રહેલા ? શીલનાં નિયંત્રણથી અહિંસાદિના મહાવ્રત પાળનારા, તે એવાં કે મને ક્યાંય અવ્રત પાપમાં તણાઈ જાય નહિ. તેમજ સંવરના નિયંત્રણથી બાર પ્રકારના તપની સાધનામાં જ દત્તચિત્ત બનેલા મહાવીર પરમાત્મા; હે ? એ પ્રભુ અહીં આ વડ નીચે ઠહેરેલા ? પ્રભુને આશ્રય આપનારા આ વડ અત્યારે આપણે મન જાણે પોતે જ મહાવીર પ્રભુ તરીકે ઊભો છે ! માટે વંદનીય છે. લાવો એને વંદન કરીએ”..... એમ કરી બંને જણ વડને પ્રત્યક્ષ મહાવીર પ્રભુ માનતા હરખિત થઈને ખૂબ ભાવથી વંદના કરે છે ! નામ નિક્ષેપે નામ પણ ભગવાન : પ્ર. ઝાડને ભગવાન મનાય ? માનીને વંદન થાય ? એથી લાભ મળે? ઉ.- જિન શાસન સામાન્યથી વસ્તુમાત્રના ચાર નિક્ષેપા માને છે. વસ્તુ ચાર નિક્ષેપે હોય છે,- નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે અને ભાવ નિક્ષેપે. નામ નિક્ષેપે વસ્તુનું નામ આવે, વસ્તુનું નામ એ પણ એજ વસ્તુ છે. નામ લખ્યું હોય, કોઈ પૂછે આ શું લખ્યું છે, તો કહેવાય છે. એ વસ્તુ દા.ત. અરિહંત નામ લખ્યું છે, ને પૂછાય આ શું લખ્યું છે ? તો કહેવાય અરિહંત ! શું અરિહંત ભગવાન પોતે આ છે ? હા, નામથી આ અરિહંત જ છે. અરિહંત અરિહંત નામ રટતાં હો ને કોઈ પૂછે શું રટો છો ? તો કહેવાય કે અરિહંત રટું છું. પ્ર.- અરે ! અરિહંતનું નામ રટો છો કે અરિહંત ? કર્મ ! તારી ગતિ ન્યારી 263
Page #269
--------------------------------------------------------------------------
________________ ઉં, વ્યવહારમાં બંને બોલાય છે. “અરિહંત' રટું . અરિહંતનું નામ રટું છું;” કેમકે અરિહંતનું નામ અપેક્ષાએ અરિહંતથી કાંઈ જુદું નથી. માટે તો સામો કહે “અરિહંત' રટું , તો એની સાથે કોઈ ઝગડો નથી કરતું કે “એય! અરિહંતનું નામ રટે છે ? કે અરિહંત રટે છે ? કેમ ઝગડો નહિ ? કહો નામ અને નામવાળાને એક જ યાને અભિન્ન માનવામાં આવે છે. માટે સવારે ઊઠતાં જ “અરિહંત' બોલો, ત્યાં એમ નથી કહેતા કે હું અરિહંતનું નામ બોલ્યો, એમજ કહો છો “અરિહંત' બોલ્યો. હવે સામો પૂછે “અરિહંત' શું છે? તો ઉત્તરમાં કહેવાય છે “અરિહંત' અમારા ભગવાન છે. સામો પૂછે - પ્ર.- કોણ ભગવાન? અરિહંત તો નામ છે, તો શું નામ એ ભગવાન? સ્થાપના નિક્ષેપે મૂર્તિ પણ ભગવાન : ઉ.- હા, જેમ વિચરતા તીર્થકર ભગવાન એ અરિહંત છે, તેમ “અરિહંત' નામને પણ અરિહંત જ કહેવાય. એમ સ્થાપના નિક્ષેપે અરિહંતની મૂર્તિને પણ આ અરિહંત છે એમ કહેવાય છે; ત્યાં અરિહંત મૂર્તિ માટે એમ ખુલાસો નથી કરાતો કે આ અરિહંત નહિ, પણ અરિહંતની મૂર્તિ છે. જેમ “અરિહંત' નામ એ અરિહંત, તેમ અરિહંતની મૂર્તિ પણ અરિહંત જ છે. કોના દર્શને જાઓ છો ? તો કહેવાય છે કે મહાવીર ભગવાનનાં. ત્યાં એમ નથી કહેવાતું કે મહાવીર ભગવાનની મૂર્તિનાં દર્શને. કેમ વારુ એમ ? કહો, ભગવાનની મૂર્તિ એ ભગવાન જ છે માટે, તેથી તો વ્યવહારમાં જુઓ ઘરમાં ગ્રૂપ ફોટો હોય અને બહારથી અજાણ્યો મહેમાન આવેલો ફોટામાં ઓળખ પૂછે, આ કોણ ? “તો ઘરનો છોકરો કહે છે,- “આ મારા પિતાજી, આ મારા માતાજી,” ત્યાં એમ થોડું જ કહેવાય કે આ તો મારા પિતાજીનો ફોટો છે. મારા પિતાજી નહિ” અરે ! એટલું જ નહિ, પણ ફોટામાં ખરેખર પિતાજી સમજી પિતૃભક્ત પુત્ર રોજ એમને ફૂલહાર ચડાવે છે. દેશનેતાના બાવલાની લોક પૂજા કરે છે ને ? સન્માન-સલામી કરે છે ને ? મૂર્તિમાં વ્યક્તિનો આ જગપ્રસિદ્ધ વ્યવહાર છે. મૂર્તિને વ્યક્તિ માની જગત એનાં પૂજન સત્કાર સન્માન સલામી કરે છે. મૂર્તિપૂજાના વિરોધી બિચારા આ સમજી શકતા નથી, એટલે મશ્કરીમાં - તરંગવતી 264
Page #270
--------------------------------------------------------------------------
________________ લવારો કરે છે કે લો આમના ભગવાન પત્થરમાં આવી ગયા ! એમ કરી ભગવાનની મૂર્તિની એટલે કે ભગવાનની આશાતના કરે છે ! પાછો એ પોતાના બાપની કે ગુરુની તસવીરને જોઈને કહેશે આ મારા પિતાજી આ મારા ગુરુજી; ને જો કોઈ વિરોધી એ તસવીર પર ઘૂંકશે, તો તો એના પર આ મૂર્તિ વિરોધી ગુસ્સે થઈ કહેશે એય હરામખોર ! મારા બાપ પર થૂકે છે ? મારા ગુરુ પર થૂકે છે ? ખૂબી તો જુઓ, મૂર્તિનો ને મૂર્તિપૂજાનો વિરોધી યુવાન જો કોઈ મનમાની રૂપસુંદરી યુવતી સાથે સગાઈ સંબંધથી ગંઠાયો, તો એનો ફોટો લોકેટમાં રાખી એકાંતમાં કામ વિહ્વળ બનેલો લોકેટને બચ્ચી ભરી કહે છે - ઓ મારી પ્યારી ! શું તારું રૂપ ? એને કોણ કહે, “અલ્યા ! શું લોકેટ- ફોટો એ તારી પ્યારી ? કે જીવંત જાગ્રત એ યુવતી તારી પ્યારી ?' - વડ એ મહાવીર ? :- મૂર્તિ-ફોટો વગેરેમાં મુખ્ય વસ્તુ તરીકેના જગપ્રસિદ્ધ વ્યવહાર છે. સો રૂપિયાની નોટનો લોકો એમજ વ્યવહાર કરે છે. કોઈને નોટ આપતાં કહે છે, લો આ સો રૂપિયા. ત્યાં સામો એમ નથી કહેતો કે આ તો સો રૂપિયાની નોટ છે, સો રૂપિયા નહિ; કેમ એમ ? કહો, ગવર્મેન્ટની ટંકશાળમાં છાપેલી નોટમાં સો રૂપિયાની સ્થાપના થયેલી છે. વસ્તુની સ્થાપનાને પણ વસ્તુ જ કહેવાય છે, અને એના પ્રત્યે વસ્તુ જેવો વ્યવહાર થાય છે. માટે તો બજારમાં માલ ખરીદીને ઘરાક નોટ આપતાં કહે છે લો આ સો રૂપિયા. એવું કાંઈ નોટનાં માપનું ખાલી કાગળિયું આપી ન બોલાય કે ‘લો આ સો રૂપિયા.' કેમકે કાગળિયામાં સો રૂપિયાની સ્થાપના નથી થઈ. સ્થાપનાનો કેટલો બધો મહિમા છે ! કે ક્ષત્રિયાણીઓ પતિ પરદેશ જાય ત્યારે એની મોજડી લઈ રાખતી, અને એમાં પતિની કલ્પના (સ્થાપના) કરીને એને પતિ તરીકે પૂજતી, અને વિનંતી કરતી કે “સ્વામિનાથ ! મારે તો તમે જ એક નાથ, તમારા સિવાય કોઈના તરફ મારી આંખ પણ ન જાય, એવું મને બળ આપજો. મારા શીલની રક્ષા કરજો. આ જ વાત અહીં છે, - જે વડના ઝાડ નીચે મહાવીર પ્રભુ ધ્યાનમાં રહેલા, એ વડમાં પ્રભુની સ્થાપના કરી વડને જ મહાવીર જિનવર તરીકે માનતી તરંગવતી નીચે પડી નમસ્કાર કરે છે ! ને પછીથી હાથ જોડી સ્તુતિ કરે છે. વડ પર વીરની સ્તુતિ :* “હે તરુવર ! તને ધન્ય છે, તું કૃતાર્થ થયેલો છે, કે જે તારી છાયામાં કર્મ ! તારી ગતિ ન્યારી 265
Page #271
--------------------------------------------------------------------------
________________ ભગવાન મહાવીર પ્રભુ રહી ગયા !એમ કરી વડનું પૂજન કરી એને પ્રદક્ષિણા દે છે, એ વખતે દિલમાં એટલો બધો આનંદ અને તુષ્ટિપુષ્ટિ અનુભવે છે કે દિલમાં સંવેગરંગ (દવ-ગુરુ-ધર્મ-ઉપરનો ભક્તિરંગ) ઊભરાય છે. મનને એમ થાય છે કે વાહ રે મારા ભગવાન ! તમે આ જગત ઉપર અવતરીને કેવાં જ્ઞાનનાં અજવાળાં કર્યા ! નિરાધાર જીવોના કેવાક આધારભૂત બની ગયા ! અમારાં કેવાં અહોભાગ્ય કે તમે અમને મળી ગયા ! તમને છાયા આપનારા આ ધન્ય વૃક્ષનાં દર્શન થયા, એ અમારે તમારું જ દર્શન છે. ગિરિવર-રજ તરુમંજરી રે, શીશ ચડાવે ભૂપ, લલના.” પૂર્વ સિદ્ધિગિરિ તરફ છરી પાળતાં સંઘો જતા, ત્યારે યાત્રિકો ને મોટા રાજાઓ પણ રસ્તે આવતા વૃક્ષની મંજરી અને એ રસ્તેથી ચાલી ગયેલા યાત્રિકોના પુણ્યવંતા પગથી પવિત્ર થયેલી જમીન પરની રજને માથે ચડાવતા! યાત્રિક સંઘ તો પૂજય છે જ, પણ સંઘની પાદ રજ પણ જાણે પૂજય છે ! આવા માર્ગની રજના સ્પર્શને નકામો ગણતા નહિ; કેમકે એથી દિલમાં જે ભાવનો ઉછાળો આવે છે, એ સમ્યકત્વને નિર્મળ કરે છે. કમમાં કમ, ગિરિવર ચડતાં વચમાં વચમાં ગિરિનો હાથેથી સ્પર્શ કરીએ, અને અનંતાને મોક્ષે મોકલનાર ગિરિવરને ધન્ય ધન્ય માનીએ, તો દિલમાં ભક્તિ શ્રદ્ધાનો રંગ વધે છે, સમકિત નિર્મળ થાય છે. તરંગવતી-પધ્ધદેવ મહાવીર ભગવાન જે વડ નીચે કાઉસ્સગ્ગ ધ્યાન રહેલા, એ વડની સ્તુતિ કરે છે કે “હે મહાવડ ! તને ધન્ય છે કે પ્રભુની માથે તે છાયા ધરી ! અને એમ સ્તુતિ કરતાં અંતરમાં સંવેગની તુષ્ટિપુષ્ટિ અનુભવે છે. પછી તે ચાલ્યા આગળ કોશાબી તરફ. નોકર માણસે આગળથી બંને શેઠિયાને સમાચાર મોકલી દીધા છે. એટલે કોશાબીની બહાર જયાં કમળવન છે, ત્યાં આખું કુટુંબ અને લોકો હજારો ભેગું થઈ ગયું હતું; કેમકે આ બે આવી રહ્યા છે એ જાહેર થઈ ગયું હતું. કોશાબમાં લોક-વધામણાં : લોકો એકેક જોઈ જોઈને હાથ જોડીને પ્રણામ કરી જાય છે. ત્યાં કુટુંબને આનંદનો પાર નથી ! ત્યાંથી એમને નગરમાં લઈ જવામાં આવે છે. રાજમાર્ગ ઉપર લોકોની કતાર જામી છે. મકાનોની બારીઓથી ને અગાસી ઉપરથી લોકો જોવામાં તલ્લીન થઈ ગયા છે અને જોઈ જોઈને લોકોની આંખો ધરાતી નથી, એમાં ટસી ટસીને જુએ છે એટલું જ નહિ, પણ લોકો અક્ષત ફૂલ વગેરેથી વધામણાં કરે છે ! “ચિરંજીવો' એમ આશીર્વાદ 266 - તરંગવતી
Page #272
--------------------------------------------------------------------------
________________ આપે છે. એમાં ફૂલહારનાં વધામણાં તો એટલા બધા આવે છે કે પદ્મદેવ એ બધાને સ્વીકારવા પહોંચી શકતો નથી. લોકોમાં બંનેના પૂર્વ ભવની ખબર પડી ગઈ છે એટલે લોકો આંગળી કરીને બોલી રહ્યા છે, અરે ! જુઓ જુઓ આ પમદેવ તે પેલો ચક્રવાક, જેને ચિત્રપટ્ટમાં પારધીએ બાણથી હણેલો બતાવેલો: અને એની પાછળ ચિતામાં બળી મરેલી આ પેલી ચક્રવાકી, તે આ શેઠની લાડલી પુત્રી તરંગવતી થઈ; અને હવે આ પદ્મદેવની પત્ની બની ! ખરેખર દૈવે બંનેની જુગતી જોડી બનાવી ! કેવો આ વિનયશીલ શૂરવીર અને કુળનું રતન તે બધાને આદરણીય બન્યો છે ! એ એમના કુટુંબના ઉલ્લાસ અને લોકોના સન્માનથી સ્પષ્ટ જણાઈ આવે છે. એમ નગરમાં રાજમાર્ગ ઉપર સવારી ચાલતાં ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. લોકોની દષ્ટિએ પ્રવાસમાંથી આવેલા છે. “કેવા દુઃખ વેઠી આવ્યા છે !" એની લોકને ખબર નથી એટલે કોઈને મન એવી લાગણી નથી થતી કે આ બિચારા કેવા દુઃખ વેઠી આવ્યા છે ! સારું થયું દુઃખથી છૂટ્યા ! હવે દુઃખમાં ન પડો.” આવું આવું કોઈને નથી થતું. જીવની પણ આ દશા છે. અહીં જન્મ પામે છે. હજારો આજુબાજુના લોક ખુશી થાય છે,- “વાહ ! બાબો કેવો સારો રૂપાળો ! કોઈ આ જીવ ગર્ભમાં બિચારો કેવાં દુઃખ પામ્યો ! એની પૂર્વેના જનમમાં કેવાં દુ:ખ પામ્યો હશે ! હવે દુ:ખ ન પામો ! કોઈ જ આનું મનમાં નથી લાવતું ! સગા માબાપ મનમાં નથી લાવતા ! નહિતર જે નવા જન્મેલા બાબા માટે જ માબાપ એ વિચારતા હોત કે “મોહના વિષયોના કારણોએ આ પૂર્વે દુઃખો પામ્યો,” તો એવાં મોહના કારણોમાં એને અહીં ન જોડે. એ તો વધામણાં જ કરે છે ! તરંગવતી પદ્મદેવનાં પણ મહા વધામણાં થઈ રહ્યા છે. પક્ષીના અવતારે ધર્મ નહિ, તો અહીં પુણ્યોદય શી રીતે ? પ્ર.- પૂર્વે ચક્રવાક-ચક્રવાકીના અવતારમાં કશો ધર્મ તો કર્યો નથી તો પછી આટલું બધું પુણ્ય શી રીતે ઉદયમાં આવ્યું ? ઉ.- અલબત પક્ષીના અવતારમાં ધર્મ, દાન પુણ્ય કર્યું દેખાતું નથી; પરંતુ એક તો પૂર્વ ભવોમાં એ કર્યું હોય એમ બની શકે છે. અને કોઈક એવી કસૂરના કારણે વચગાળાનો પક્ષીનો અવતાર આવી ગયો હોય. પરંતુ પૂર્વની ધર્મસાધનાનો પુણ્યનો જાંગડ માલ પડ્યો હોય એટલે એ અહીં ઉદયમાં આવે. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #273
--------------------------------------------------------------------------
________________ ને એનો પ્રભાવ બતાવે. પૂર્વ પુરુષનાં ચરિત્ર ગ્રંથોમાં આ જોવા મળે છે, કે પાપના માર્ગમાં રચ્યાપચ્યા રહેવાને બદલે ધર્મની પ્રવૃત્તિ ખૂબ ખૂબ કરતા હોય, પણ તેથી નથી ને કદાચ પરભવનું આયુષ્ય બંધાતી વખતે કોઈ નરસા ભાવ આવી જવાના લીધે હલકાં અવતારમાં જવું પડ્યું, તો ય એ જનમ પૂરો થતાં પૂર્વની ધર્મસાધનાઓથી ઊભા થયેલા ને જાંગડ પડેલા પુણ્યથી આત્માનો ઉદ્ધાર થયો....અહીં આ બે તરંગવતી-પદ્મદેવને આમ બનવા પામ્યું હોય, તેથી પક્ષીઅવતારનું આંતરું પડ્યું. ઋષભપ્રભુને ધર્મહીન ભવનું આંતરું: ઋષભદેવ ભગવાન પહેલા જનમમાં ધન સાર્થવાહ તે મુનિઓને સાર્થમાં લઈ ગયા. ત્યાં રસ્તામાં ઉનાળો ભારે આવ્યો એમાં સાર્થવાહ, “સાર્થમાં કોણ, કોણ છે,” એનું લિસ્ટ મંગાવી જોતાં મુનિઓ યાદ આવ્યા, મુનિઓ પાસે જઈ ક્ષમા માગે છે, કે “આપને સાર્થમાં વિશ્વાસ આપીને લીધા, પણ આપને ભૂલી ગયો આપની સંભાળ ન લીધી ! ક્ષમા કરજો મને.” મુનિઓ કહે છે, તમે અમારો કોઈ અપરાધ કર્યો નથી. બલકે આટલે સુધી અટવી લંઘવામાં તમે રક્ષણ આપી અમારા પર ઉપકાર કર્યો છે.” | મુનિઓની ઉદાર ઉમદા વાણી સાંભળી ધનસાર્થવાહ પ્રભાવિત થઈ જાય છે, મુનિઓને લાભ આપવા નિમંત્રણ કરી લઈ જાય છે, ત્યાં સાધુધર્મનો અજાણ ધનસાર્થવાહ પહેલાં તો ફળોનો લાભ આપવા કહે છે. મુનિઓ સમજાવે છે કે ભાગ્યવાન ! મુનિઓને આવી સચિત્ત સજીવ વસ્તુ લેવી ન ખપે. ત્યારે સાર્થવાહ ખૂબ ભાવપૂર્વક ઘી વહોરાવે છે, ને પછીથી એ ભવમાં ધર્મની સમજ મળતાં સમ્યક્ત પામે છે. સુંદર ધર્મ આરાધના કરે છે, મહાન પુણ્ય સંપત્તિ કમાય છે. પણ એમને જીવનનો અંત પુત્રના પ્રપંચથી અકાળ દ્વારા સમજ કે ધર્મ સાધના નથી હોતી, છતાં એમને તેવા કષાયો નહિ, એટલે મરીને એમને દેવગતિમાં જ અવતાર મળે છે. ત્યારે પેલા દાનના પુણ્ય સંચયનું શું? કહો, જાંગડ પડ્યું છે, એ હવે ચોથા ભવે મહાબળ તરીકે મનુષ્ય અવતાર પામે છે. ત્યાં ઉદય આવે છે. અલબત પૂર્વનાં મોહનીય કર્મ અને કુમિત્રોનો સંયોગ અહીં એમને જલદી ધર્મ નથી પામવા દેતા, છતાં પૂર્વના પુણ્ય મુખ્યમંત્રી સારો મળ્યો છે, તેથી એના સહારે અંતે ચારિત્ર લે છે ! લઈને તરત જીવનભરનું અનશન કરી લે છે. 268 - તરંગવતી
Page #274
--------------------------------------------------------------------------
________________ આ પૂર્વના જાંગડ પડેલા પુણ્યનો અને ધર્મ-સંસ્કારોનો પ્રતાપ. તરંગવતીના આત્મામાં આવું જ જોવા મળે છે કે પૂર્વના ચક્રવાકીના અવતારમાં કશી ધર્મ સાધના નહોતી, છતાં અહીં ઉત્તમકુળ અને બાળપણથી ધર્મસાધના આવી. શી રીતે આવી ? તો કહેવું પડે કે એ પૂર્વની કોઈ જાંગડા પડેલી પુણ્યાઈ અને ધર્મ સંસ્કારની મૂડીનો પ્રતાપ. આ એક સમાધાન છે. બીજો ખુલાસો આ છે કે ચક્રવાકીના અવતારમાં એને ચક્રવાક સાથેના પ્રેમમાં મોહમૂઢતા હતી, પરંતુ હૈયાના પરિણામ તેવા ક્રૂર અને સંકલેશભર્યા નહોતા; પરિણામ કોમળ મુલાયમ હતા; તેથી પુણ્યોદયે અહીં એને તરંગવતી તરીકેનો નગરશેઠને ત્યાં અદ્ભુત માનવ અવતાર મળ્યો, ને જનમથી જૈનધર્મ, ધર્મનાં અનુષ્ઠાનો મળ્યા ! પૂર્વ પુરુષોનાં દૃષ્ટાન્ત જોઈએ તો આવા પ્રસંગ જોવા મળે; કે જીવનમાં ધર્મ સાધના ન હોય, પરંતુ કોમળ પરિણામે પછી દેવાદિ અવતાર મળે. જેમ કે કુમારનંદી સોની કામલંપટ હતો, એને કશી ધર્મસાધના નહોતી, પરંતુ હાસા પ્રહાસા બે અપ્સરાનો ધણી દેવ થવાનું નિયાણું કરી અગ્નિમાં બળી મર્યો તો એ પ્રમાણે દેવનો અવતાર પામ્યો ! શી રીતે પામ્યો ? નિયાણાંની પાછળ ધર્મસાધનાનું પીઠબળ તો હતું નહિ, તો શી રીતે નિયાણું ફળ્યું ? કહો, બળતી વખતે એના દિલનાં પરિણામ એવા ક્રૂર નિષ્ફર નહિ થયા હોય, કોમળ મુલાયમ રહ્યા હશે, તો જ દેવનું આયુષ્ય બાંધી દેવ થયો હોય નહિતર તો તીવ્ર સંકલેશ કે હાયવોયમાં નરક કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધી દેત. તરંગવતી ચક્રવાકીના અવતારમાં અંતે આવા કોમળ પરિણામમાં રહી હોય, બળી મરી છતાં પ્રિય પરના સ્નેહને લીધે બળતાં હાયવોયમાં ન પડી હોય, તો રૂડો માનવ-અવતાર મળ્યો, એમ કહી શકાય. તરંગવતીના પિતાના ઘરમાં પ્રવેશ : અહીં હવે પધદેવ અને તરંગવતીને સગા સ્નેહીઓ તરંગવતીના પિતૃગૃહે લઈ આવે છે. મોટો જનસમૂહ ભેગો થઈ ગયો છે, હવેલીમાં પ્રવેશ કરાવતા પહેલાં જોષી એને પાસે મંગળરૂપે દહીં અક્ષત પુષ્પોથી દેવપૂજન કરાવે છે, પછી એમને અંદરમાં પ્રવેશ કરાવે છે. ઉ.- મંગળ એ ધર્મ છે; એનાથી વિપ્નો નાશ પામે. ઘરપ્રવેશ કર્યા પછી એ ઘરમાં રહેતા વિઘ્નો કષ્ટો ન આવે, એ માટે ધર્મ મંગળ કરવું જોઈએ. કર્મ ! તારી ગતિ ન્યારી 269
Page #275
--------------------------------------------------------------------------
________________ પ્ર.- ઘરમાં રહેવાનું તો એક સાંસારિક કાર્ય છે. શું સાંસારિક કાર્ય માટે ધર્મ કરાય ? ઉ.- આની સામે પ્રશ્ન છે કે જો ધર્મ ન કરાય, તો શું સાંસારિક કાર્ય માટે પાપ કરાય ? શું સાંસારિક કાર્ય માટે પાપ કરે તો વાંધો નહિ, ને ધર્મ કરે તો વાંધો ? શું સાંસારિક કાર્ય માટે પાપ કરે ટૂંકી દુર્ગતિ થાય ? ને ધર્મ કરે તો લાંબી દુર્ગતિ થાય ? શકે, માત્ર ધર્મ ન થઈ શકે ? સાંસારિક કાર્ય માટે ધર્મ કરવાના ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળે છે. છતાં કહેવું કે ધર્મ મોક્ષ માટે જ થાય, સાંસારિક કાર્ય માટે ન થાય, એ અનેકાનેક મહાન વિદ્વાન પૂર્વાચાર્યોના વચનને અને પૂર્વાચાર્યોને ઓળવવાનો ધંધો છે. મહા માહનીયના ઉદય શાસ્ત્રો ઓળવવાનો ધંધો થાય. મોક્ષના આશય વિનાના ધર્મના દાખલા “મોક્ષના આશય સિવાય બીજા કોઈ આશયથી ધર્મ ન જ થઈ શકે, એવા પોતાના મનઃકલ્પિત અને શાસ્ત્રોથી વિરુદ્ધ સિદ્ધાન્તને સાચો ઠરાવવા માટે.” જમવાનું શરૂ કરતાં પહેલાં નવકાર ગણ્યો એ મોક્ષ માટે. વેદનાની પીડા ઓછી કરવા નવકાર ગણ્યા એ મોક્ષ માટે. “મોટો સોદો કરતા પહેલાં નવકાર ગણ્યો એ મોક્ષ માટે'...આ મનઃકલ્પિત જોડાણો છે. ધરાર અનુભવથી વિરુદ્ધ બોલવું, અને મનઘડંત સિદ્ધાન્તને યેનકેન પ્રકારે સાચો ઠરાવવા મથવું, એ અનેકાંતવાદી જિનશાસનથી વિરુદ્ધ બોલવા જેવું છે. શ્રાદ્ધવિધિ - ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રો શું કહે છે એ જુઓ : એ તો સાફ સાફ લખે છે કે “સમુદિત (મોટા રૂપના) ક્રય-વિક્રય કરવા હોય ત્યારે સફળતા માટે નવકાર આદિ ધર્મમંગળ કરવાં. અહીં “સફળતા' એટલે મોક્ષ નહિ, પણ વેપારમાં નફો. પાછું ત્યાં લખ્યું કે “સર્વત્ર અર્થાત્ સાંસારિક કાર્યો હોય કે ધર્મનાં કાર્ય હોય, બધે જ “ધર્મ પ્રાધાન્યન સાફલ્યા અર્થાત ધર્મને મુખ્ય કરવાથી સફળતા મળે.' આ શાસ્ત્રપાઠ સાફ સાફ સાંસારિક કાર્ય માટે પણ ધર્મમંગળ કરવાનું કહે છે. - : વતી
Page #276
--------------------------------------------------------------------------
________________ જનાવરને મોટર અકસ્માત થયો, ને એ રસ્તામાં મરવા પડ્યું છે, અને તમે દયાથી નવકાર સંભળાવો, તો તમે એ મોક્ષ માટે સંભળાવ્યો ? ને એણે મોક્ષ માટે સાંભળ્યો ? ના; જો મોક્ષના આશયથી નહિ, તો શું એ નવકાર કથન અને નવકાર શ્રવણના ધર્મથી દુર્ગતિમાં રીબાઈ રીબાઈને મરવાનું ? વાહિયાત પ્રલાપ અને વાહિયાત લેખન કરવા, એ મહા અજ્ઞાનતા છે, મહમૂઢતા છે. એ નિવારવા જૈન શાસ્ત્રો પૂરા પૂરા જોવા વિચારવાની જરૂર છે. શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા વિના વ્યાખ્યાતા અને લેખક બની બેસવામાં અને એમાં વાતવાતમાં જ કારવાળી ભાષા વાપરવામાં કોણ જાણે કેટલાય ઉસૂત્ર ભાષણ થતા હોય ? અસ્તુ. પેલા તરંગવતી સાધ્વીજી શેઠાણીને પોતાની આત્મકથા કહેતાં કહી રહ્યા છે કે ‘હિણી ! હવેલીમાં પેસતાં અમે મંગળ કરીને પછી અંદર પેઠા, ત્યારે શું જોયું ? અંદરમાં મારા પિતાજી જાણે પોતાના અપરાધથી જરાક લજ્જિત મુખવાળા દેખાતા હતા. શો અપરાધ, સમજી ગયા ને ? શેઠે પદ્મદેવના બાપને પદ્મદેવ માટે પોતાની કન્યા આપવાની ઘસીને ના પાડેલી એ અપરાધ. અને બંને ગાયબ થઈ ગયા પછી દાસીએ જે અમારા બંનેની પૂર્વ જન્મના હેવાલ સાથે બનેલી કરુણ ઘટનાઓ કહેલી, એ પરથી શેઠને સ્વયં સમજાઈ ગયેલ કે પોતે કેવો મહાન અપરાધ કરેલો. હું જોઉં છું તો ત્યાં સામે પિતાજી બેઠા છે, સાથે અમદેવના પિતાજી પણ બેઠેલા છે. બંનેને જોતાં અમે અતિ હર્ષિત થઈ જઈ, પ્રત્યક્ષ દેવસમાન અમન જોતાં એમ એમના પગમાં પડી ગયો. અમ મરણાંત જવા દુ:ખે અનુભવીના આવેલા જ્યાં મોતથી બચવાની કોઈ જ આશા નહોતી, એમાંથી ઉગરીને આવેલા ને આજે જીવતાં જીવનમાં પરમ ઉપકારી પિતાજી જોવા મળ્યા નથી એ દેવ જેવા લાગે, એમાં શી નવાઈ ? એનારો એ સંભ્રમભય નમન પર બંને વડીલ રાજીના રેડ થઈ જઈ અમારા મસ્તક પર એમને ભેટી પડ્યા, અને એમની આંખોમાં આંસુ છલકાયા ! સાર - જુમાં બેઠેલા માતાજી તથા સાસુજીને પણ અમે ખૂબ હરખથી પગમાં -- સ્કાર કર્યા. એમણે પણ અમને આંખમાં હરખના આંસુ સાથે આલિંગન આપ્યાં આજુબાજુમાં બેઠેલા ભાઈઓ. ભોજાઈઓ, વગેરેને પણ એકેકને અમે. પગમાં પડી પડીને નમસ્કાર કર્યા. સૌની આંખો આંસુથી છલકાતી હતી. એ વખતનું દશ્ય અલૌકિક હતું ! કેમ જાણે નરકમાંથી છૂટીને આવેલ પાતાનો સંબંધી ન મળ્યો હોય ? કર્મ : ર ગતિ ન્યારી
Page #277
--------------------------------------------------------------------------
________________ સારસિકાનો ટોણો : એ પછી ત્યાં ઊભેલા બીજા સંબંધીઓ તથા નોકર વર્ગ એકેકને અમે બોલાવ્યા. એમાં ધાવમાતાને બોલાવતાં તો એ એકદમ ઊઠીને પગે પડી ગઈ, અને આંખમાં આંસુ છલકાવે છે; ત્યારે પેલી સારસિકા સખીને બોલાવતાં ને કુશળ પૂછતાં એ તો ધ્રુસકે રડી પડે છે; ને રડતાં કહે છે, “સ્વામિની ! તે તો ખરું કર્યું ! તને પ્રિય મળી ગયા એટલે સર્વસ્વ મળી ગયું પછી મારી કિંમત શી રહે, તે તેં મને વિસારી મૂકી અહીં મને રોતી કકળતી રાખી, પ્રિય સાથે પલાયન ! ખેર ! પણ મને એનું બહુ દુ:ખ ન લાગ્યું, કેમ કે તારી ધારણા મુજબ પ્રિયની સાથે પરદેશ જવાનું ગોઠવાઈ ગયું, એનો મને ખૂબ આનંદ હતો.” પછી અમે બેઠાં ત્યાં સારસિકાને સ્નેહીજનો પૂછે છે કે તે સારસિકા ! તું તો બધું જાણે છે, તો એ તો કહે આ બંનેને પૂર્વ જનમમાં શું શું બનેલું ? ત્યાં સારસિકા કહે “ભાઈ ! પૂર્વ જન્મનું શું પૂછો છો? આપણે માણસ જાત જેટલા પ્રેમીને વફાદાર નથી, એટલા આ બંને ચક્રવાક ચક્રવાકી પક્ષી હોવા છતાં પરસ્પર ભારે વફાદાર હતા ! તે જરૂર પડ્યે એક બીજાને પોતાનાં પ્રાણ કાઢી આપે એવા ! એમ કહીને સારસિકાએ અમારા પૂર્વ ભવનો હેવાલ કહી બતાવ્યો. સાંભળનારા તો એ સાંભળતાં એવા ચકિત થઈ ગયા ! અને એમાં પારધી જેવાએ જે ચક્રવાક તરફની ભલી લાગણીથી એના મડદાને અગ્નિ સંસ્કાર આપ્યો, એ સાંભળતાં તો સૌને એમ થઈ ગયું કે હો આવો જંગલી શિકારી માણસ છતાં એના દિલમાં વગર ધાર્યો શિકાર થઈ ગયો. એમાં એને આટલો બધો પશ્ચાત્તાપ ? અને પક્ષી જેવા ઉપર આટલી બધી લાગણી ? ત્યારે “ચક્રવાકીએ બળતી ચિતામાં પ્રિયના પ્રેમની ખાતર ઝંપલાવ્યું.' એ સાંભળતાં તો સૌની આંખમાં આંસુ ભરાઈ આવ્યા ! એ પછી સંબંધી વર્ગે અહીં બનેલી વિગતો પૂછી, ત્યારે સારસિકાએ પદ્મસરોવરમાંથી જાતિસ્મરણથી માંડીને ઠેઠ અમારા બંનેના અહીંથી ભાગી જવા સુધીનો હેવાલ આપ્યો. સાંભળનારા બધાને રોમાંચ ખડા થઈ ગયા ! હવે સ્નેહી સંબંધી “અમે બંને અહીંથી કોઈને વગર કહ્યું નીકળી ગયા, ને પછીથી અત્યારસુધી શું શું બન્યું એ પૂછે છે, ત્યારે “ગુહિણી ! મારા પ્રિય પદ્મદેવે જ બધો અહેવાલ આપ્યો. એમાં જે ચોરોની પલ્લીમાં ફસામણી અને આશા નહિ, વગેરેનું વર્ણન કર્યું, તે સાંભળતાં તો સૌના હોશકોશ જ ઊડી ર 72 - તરંગવતી
Page #278
--------------------------------------------------------------------------
________________ ગયેલા ! પણ પછીથી ત્યાંનાં જ ચોરને એકાએક દયા આવી, ને ગુપ્ત રીતે ગુપ્ત રસ્તે અમારો છુટકારો કર્યો, એની સહાયથી અમે ત્યાંથી પલાયન થયા. ભયાનક જંગલ ભૂખ ભારે છતાં ખાવા કશું જ નહિ ! યાવત્ કુલ્માષહસ્તિ નોકરનું શોધતાં શોધતાં એક ગામડામાં આવી મળવું, તે અહીં કોસાંબી પહોંચવા સુધીનો બધો અહેવાલ કહ્યો. તરંગવતી સાધ્વીજી આગળ વધતાં કહે છે, આ અમારી આત્મકથા સાંભળતાં સૌને દિલ પીગળી ગયા. કેઈકને થયું હોય બાપ ! આ કેવાં નરક જેવાં દુઃખ ! અને તે પણ આવા મોટા ઘરનાને ? કશી શરમ છે કર્મને ? પરંતુ ખૂબી કેવી છે કે માણસને પોતાની જાત પર વિચાર નથી આવતો કે શું કર્મ એમને જ નડે ? આપણને નહિ નડે ?' આત્માના કોથળામાં કેઈ જુગજુગના કર્મબલાડાં ભરેલાં સૂતાં છે. એમાંનું કેવું બલાડું ક્યારે બહાર પડે એનું કાંઈ કહેવાય નહિ. માટે, એ કેવું ય ક્યારે કર્મબલાડું જાગી પડે એ પહેલાં લાવ, હું મારા આત્માનું હિત સાધી લઉં, એમ કરી સતત એક યા બીજા પ્રકારનું આત્મહિત સાધતા રહેવા તરફ લક્ષ રહે. 19. બીજાના અચાનક કર્મ-ઉદય દેખી પોતે જાગેલાનાં દષ્ટાંત - વાલિરાજા યુદ્ધ કરવા આવેલા રાજા રાવણને જીતી આ વિચારમાં ચડ્યો કે “આ રાજા રાવણને હારનું કર્મ ઉદયમાં આવી એ કમેં એને પછાડ ખવરાવી, તો મારા ય કર્મનો શો ભરોસો ? કે એ મને પછાડ નહિ ખવરાવે ? એ ઉદયમાં આવે એ પહેલાં હું આત્મહિત સાધી લઉં.” એમ વિચાર કરી રાજય ભાઈ સુગ્રીવને ભળાવી આત્મહિત સાધવા ચારિત્ર માર્ગે નીકળી પડ્યા. માસખમણ આદિ ઘોર તપસ્યા કરવા માંડી અને ધ્યાનમાં રહેવા લાગ્યા તો અવધિજ્ઞાન ઉપાજર્યું ! લવણ, અંકુશ, રામ-સીતાના બે રત્નો, એમણે જોયું કે કાકા લક્ષ્મણ હમણાં તો સાજા સારા બેઠેલા તે અચાનક દેવની પરીક્ષામાં મરી ગયા ! ને પિતા રામચંદ્રજી એકાએક એના પર પાગલ થઈ ગયા ! તો અમારાં કર્મનો શો ભરોસો ? માટે ચાલો, આત્મહિત સાધી લઈએ, એમ કરી મોટું અયોધ્યાનું રાજ્ય મળતું જતું કરી ચારિત્ર લેવા નીકળી પડ્યા ! આ કાકાની આફત પર ભત્રીજાને વૈરાગ્ય ! રાજા ચંદ્રાવતંસક રાતના જાગી ગયા તો વિચારે છે કે હવે ઊંઘીશ તો શું હિત કમાવાનું ? માટે લાવ આત્મહિત સાધું, એમ કરી ગોખલામાં દીવો કર્મ ! તારી ગતિ ન્યારી 2 73
Page #279
--------------------------------------------------------------------------
________________ બળે ત્યાં સુધી દેશાવકાશિક વ્રત લઈ ધ્યાનમાં બેસી ગયા ! પણ દાસી અજાણે દીવામાં તેલ પૂરતી રહી. રાજા ધ્યાનમાં બેઠા બેઠા તંગ થઈ ગએલ, માથાની નસ તૂટી, અચાનક મરી ગયા ! કોઈને ખબર નથી રાજા કેમ મર્યા. તે મોટો પુત્ર એ મરેલા દેખી મારે ય આવો કર્મોદય જાગી પડે તો ? માટે ચારિત્ર સાધી લેવા તૈયાર થઈ ગયા ! આ પિતાની આફત પર પુત્રને વૈરાગ્ય. મદનરેખા મહાસતીએ પોતાના પતિનું જેઠના હાથે ખૂન થવામાં પતિનો કર્મોદય દેખ્યો. એ જોઈને પહેલું તો શીલરક્ષાર્થે ત્યાંથી નીકળી પડી, અને ક્રમશઃ આગળ વધતાં નંદીશ્વર દ્વીપે કોઈ વિદ્યાધરે પહોંચાડી, ત્યાં મરેલ તિ દેવ થઈને આવ્યો. ઉપકાર માની સેવા માગે છે, તો મહાસતીએ “ચારિત્ર માટે સારા સાધ્વી પાસે મને મૂકો' એવી માગણી કરી. કેમ ? દેવ સહાયે અત્યારે જો મોટો સ્ત્રીરાજા બનવાનું માગી સંસારની લહેર કરવા જાઉં, ને પછી અચાનક પતિની જેમ એવાં કોક વાંકા કર્મ ઉદય આવે તો ? એના કરતાં આત્મહિત સાધી લઉં, એ વિચાર કરી પતિની આફત પર પોતે બોધ પામી ગઈ. ત્યારે સંસાર કેવો ફાંસલો છે કે અહીં પધદેવ-તરંગવતીને પરદેશમાં નડેલી મહાઆફત સાંભળી સાંભળી સૌ પીગળી તો ગયા, પરંતુ એમાંથી બોધ પામી જાગી જનાર ક્યાં છે ? હાય ! આવા મોટા શ્રીમંતને પણ આવા કર્મના અચાનક ઉદય આવે, તો આપણા શા ભરોસા ? આમ એવી કોઈક આફત ટપકી પડે એ પહેલાં આત્મહિત સાધી લઉં, એવું કોને થયું ? એકને નહિ. સંસારનો ફાંસલો જ આવો છે. દુનિયા બીજાની આફતો જોવા છતાં આમ જ ગફલતમાં ડૂબી રહી છે. શેઠનો સવાસલો :- હવે અહીં જયાં ઋષભસેન શેઠે દીકરી પર આ આફતો વરસેલી સાંભળી, એટલે ગળગળા થઈ જઈ કહે છે, દીકરી ! આવું જ હતું, તને જો જાતિસ્મરણ જ્ઞાન થઈ આવું આવું બન્યું તો તે મને પહેલાં જ કેમ કહ્યું નહિ ? કહ્યું હોત તો આવી કોઈ આપદા તો ન આવતે ? અને આ અમારે પશ્ચાત્તાપ તો ન કરવા પડત કે ક્યાં મેં સાર્થવાહને કન્યા આપવા ના પાડી ?' અહીં તરંગવતી શું કહે? એમ કહે કે “બાપુ એ તો અમારી આપદાઓ સાંભળીને હવે બોલવું સહેલું છે કે પહેલાં કેમ ન કહ્યું ? બાકી તમારા અભિમાનના તોરમાં અમારા નાનડિયાનું કેટલું સંભળાય ? ખેર ! બન્યું તે બન્યું. અમારા જ કર્મનો વાંક' આવું ઉલ્લંઠાઈભર્યું તરંગવતીને બોલતા નથી 274 - તરંગવતી
Page #280
--------------------------------------------------------------------------
________________ આવડતું. અરે ! સ્વપ્નમાં પણ એવો કોઈ વિચાર નથી આવ્યો. કેમકે જૈન ધર્મનું ઊંચું તત્ત્વજ્ઞાન પામેલી છે. માણસ અહીં ભૂલો પડે છે ને વિવાહની વરસી કરી નાખે છે. મનમાં કોઈ ગાંઠ બંધાઈ ગઈ હોય, ને અવસર આવે, એટલે એમજ સમજે છે કે “ઠીક મોકો આવ્યો છે લાવ રોકડું સંભળાવી દેવા દે. અલબત આપમતિના તોરમાં સંભળાવી તો દે, પરંતુ મીઠાશ લેવાના ખરેખરા અવસરે ભારે કડવાશ લઈને ઊઠે, એનું નામ વિવાહની વરસી કરી. એને ભાન નથી કે એવું ટોણાનું ઉલ્લંઠાઈથી ન સંભળાવ્યું, તો શું ખોટ પડી જાય એવી છે ? ઊલટું એવા અવસરે જ સામાને ટોણાની બદલે જો જાત પર કોઈ વાંક લઈ લીધો, તો શું બગડી જાય ? એમાં તો સામાનો સદ્ભાવ ઓર વધી જાય અને સામાને ટોણાથી નીપજનારા અનર્થોથી બચી જવાય. સામાને બદલે જાતનો વાંક કહેવામાં સામાનો સદ્ભાવ વધે. તરંગવતીનો કુલીન ઉત્તર : “બાપુજી ! પ્રિય અંગે કાંઈ પણ વડીલને માટે બોલવું એમાં મને શરમ લાગી, નિર્લજ્જતા દેખાણી, અવિનય દેખાયો, તેથી હું તમને જાતિસ્મરણાદિની વાત કરી શકી નહિ. અરે ! એનો અડધો અક્ષર પણ બોલવા મારી હિંમત ચાલી નહિ. જીભ જ ન ઊપડી. આમ તો તમે મને દેવાની ના પાડ્યા પછી હું આપઘાતનું જ નક્કી કરી બેઠેલી, પરંતુ એમણે મને ટેકો આપી બચાવી લીધી ! એટલે જ આજે તમને હું જોવા મળું છું. નહિતર તો હું આત્મહત્યાથી ક્યાંય ઉપડી ગઈ હોત ! બાપુજી ! એમણે મને બચાવીને મારી ખાતર એમણે કેટલા બધા કષ્ટ સહન કર્યા છે ! એમાં પહેલો ઉપકાર તો સારસિકાનો કે મને આપઘાતથી બચાવવા સારસિકા રાતના મને એમની પાસે લઈ ગઈ. પછી પ્રિયની કેવી ખાનદાની, કે દાસીએ એમને બધી વાત કરી, ત્યારે એમણે મને કેટલી બધી ઉમદા શિખામણ આપી ! કે “અરરર ! આ રીતે તારે અહીં રાત્રે આવવું યોગ્ય નહિ, તારા બાપુ જો આ જાણે તો ગુસ્સે થાય, ગુસ્સામાં કાંઈ બોલી નાખે, તો આપણા બંને કુળની આબરૂ બગડે. માટે તું હમણાં ને હમણાં જ પાછી જા. હું બીજા શેઠિયાઓ દ્વારા તારા પિતાજીને સમજાવવા પ્રયત્ન કરીશ. તું ચિંતા ન કરીશ. પણ આપણાં ઉત્તમકુળને કલંક લાગે એવું નહિ કરવું. અલબત એ પણ મારા પર તીવ્ર રાગવાળા હતા તેથી કર્મ ! તારી ગતિ ન્યારી 275
Page #281
--------------------------------------------------------------------------
________________ બાપુજી ! તમે એમને ના પાડ્યા પછી અલબત એમણે ય રાતના આત્મઘાત કરવા તૈયારી રાખેલી, પરંતુ મારા એમને રૂબરૂ મળવાથી એ વિચાર એમણે સમજીને જ પડતો મૂકેલો, પરંતુ હવે એમના કહેવા પ્રમાણે મારે પાછા જવું જ નથી, છતાં જો મને પાછી મોકલશો તો મારે આત્મહત્યા કરવા સિવાય બીજો માર્ગ નથી એમ મેં આગ્રહ રાખ્યો, ત્યારે એમણે ન છૂટકે મારા પરની અપરંપાર દયાથી મને લઈને અહીંથી જ તરત બહાર નીકળી જવાનું નક્કી કર્યું, ને અમે બહાર નીકળી ગયા. પ્રવાસમાં એમણે મારી ખાતર કેટલા બધા કષ્ટ ઉપાડ્યા ! કે યાવત્ ચોરોની પલ્લીમાં એમનો દેવી આગળ ભોગ આપવા તરીકે કપાઈ જવું પડશે ! એટલે સુધીનું નક્કી જ થઈ ગયેલું. પણ સદ્ભાગ્યે એક ચોરે જ અમને ઉગાર્યા, ખાનગીમાં ઘોર જંગલના રસ્તે અમને લઈ ચાલ્યો. રસ્તામાં ભૂખ્યાને તરસ્યા ઘોર કષ્ટ એમણે મારી ખાતર ઉપાડેલા ! આ તમને પહેલેથી જ મારાં જાતિસ્મરણ વગેરેની વાત શરમથી નહિ કરેલી, એમાં અમારે જાલિમ કષ્ટો વેઠવાનું આવ્યું. વાંક મારો છે, બાકી અરિહંતદેવનો અનંત ઉપકાર અને આપનો અપરંપાર ઉપકાર કે આ તમારા ચરણમાં હાજર થઈ શકી છું.' તરંગવતીનું આ વિસ્તૃત રોમાંચક નિવેદન અને એમાં પાદેવના ઉમદા દિલ અને તરંગવતી પર જીવંત રાખવા સુધીના શ્રેષ્ઠ ઉપકારો સાંભળીને તરંગવતીના પિતા ઋષભસેન શેઠ ખૂબ ગદ્ગદ થઈ ગયા આંખમાંથી પાણી નીકળી ગયાં, કહે છે, ઋષભસેનનો ઉચ્ચ કૃતજ્ઞભાવ : “અહો ! અહો ! દીકરી ! પદ્મદેવનો તારા પર જીવતદાન આપવા સુધીનો અને તારી ખાતર આટલાં આટલાં કષ્ટ ઉપાડવાનો અતિ ઉચ્ચ ઉપકાર છે ? મને કશી જ ખબર નહિ, પરંતુ આજે જાણ્યા પછી મારે કહેવું પડે છે કે એમણે માત્ર તને જ જીવતદાન નહિ પણ તને જીવતદાન આપવા દ્વારા અમને ય જીવતદાન આપવાનો મહાન ઉપકાર કર્યો છે ! ત્યારે સર્જન માણસને કોઈના તરફથી થોડો પણ ઉપકાર મળ્યો હોય તો એ સજ્જન કૃતજ્ઞભાવથી એને માથે ઋણ ચડ્યાની જેમ અધિક ઉપકાર કરીને માને છે, અને જ્યાં સુધી એનો પ્રત્યુપકાર ન કરી શકે ત્યાં સુધી માથે એનો મેરુભાર વહન કરે છે. ત્યારે માથે એવા કેઈ ઉપકાર ઋણ ઊભા હોય, એ માણસ સુખે શ્વાસ પણ કેમ લઈ શકે ? સજ્જન માણસ તો જ્યાં સુધી બેવડો પ્રત્યુપકાર - તરંગવતી
Page #282
--------------------------------------------------------------------------
________________ ન કરે ત્યાં સુધી પોતાની પુરુષાર્થ-શક્તિને નિષ્ફળ જતી માને છે. માટે હું પધદેવકુમારના તારા અને અમારા પર આટલા મોટા જીવતદાન દેવા જેવાં મહાઉપકારને હું પ્રત્યુપકારરૂપે હું પમદેવકમારને મારી કન્યા તરંગવતીને પરણાવવા ઇચ્છું છું. એમ કરીને મારી પુરુષાર્થશક્તિ સફળ થાઓ.” તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે “ગુહિણી ! આ અને બીજા એવા ઉમદા બોલ મારા સાંસારિક પિતાશ્રી ઋષભસેન શેઠ ઉચ્ચારીને અમને એવા વશ કરી લીધા કે અમે ખૂબ જ ખુશ થઈ ગયા ! આ આનંદમાં અમે અમારા પૂર્વ દુઃખને નહિવત ગણી કાઢ્યું. ત્યાં બેઠેલો આખો પરિવાર ખુશ થઈ ગયો. શેઠ વાજાંવાળાને તત્કાલ બોલાવી વાજાં વગડાવ્યા, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, ગરબા લેવા મંડી. હવે તો નગરજનો પિતાજીને મળવા કુશળ પૂછવા આવે છે. ત્યાં પિતાજી માણસોને ધનથી યોગ્ય સત્કાર અને યાચકોને દાન કરે છે. એમાં ખાસ કરીને જેણે અમને શોધી કાઢ્યા તે માણસ કુલ્માષહસ્તિને એક લાખ સોનૈયાનું દાન કર્યું. સાથે મેં પણ એક આભૂષણ એને ભેટ આપ્યું. કેટલાક પ્રશ્ન ઉઠાવે છે કે, પ્ર.- પ્રિય કન્યા પાછી મળી ગઈ અને હરખ હરખ થઈ ગયો એમાં દાન શા માટે કરવાનું ? ઉ.- આ પ્રશ્ન પૈસાને બહુ મહત્ત્વના ગણનારા ઉઠાવે છે. નહિતર વાજાં વગડાવ્યાં, ગીતો ગવાયાં, વગેરેમાં કેમ પ્રશ્ન નથી થતો કે આ કન્યા ગુમ થઈ હતી તે પાછી આવી ગઈ એમાં વાજાં શા માટે ? ગીતડાં શા માટે ? વગેરે અંગે પ્રશ્ન નહિ, ને ખુશાલીમાં સારાં દાન દેવાય-કરાય, એમાં જ પ્રશ્ન કેમ થાય છે કે દાન શા માટે ? ખરી વાત આ છે કે જો પૈસા બહુ ગમે છે, પૈસા જ બહુ મહત્ત્વના લાગે છે, તો હવે જો એના કરતાં કન્યા વધારે ગમે છે, વધારે મહત્ત્વની લાગે છે, તો એ દિલમાં બરાબર ઠસાવવા માટે પૈસા દાનમાં ઉરાડવા જ જોઈએ ને? નહિતર તો જાણે એવું થાય કે દીકરી તરંગવતી ! તું મને બહુ ગમે છે, પરંતુ તારા કરતાં મારા પૈસા મને વધારે ગમે છે. તેથી તારા પ્રેમની પાછળ પૈસા ન ઉરાડી નાખું ! સંસારમાં પૈસાની મોકાણ છે, એ જાણે છુપું છુપું કહે છે કે, જોજો કન્યા મળી ગયાનો આનંદ જરૂર માનજો, પરંતુ મને સાચવી રાખ્યાના આનંદ કરતાં વધારે આનંદ માનતા નહિ ! એટલે કે કન્યા મળ્યાનો લુખ્ખો આનંદ માનજો. કર્મ ! તારી ગતિ ન્યારી 277
Page #283
--------------------------------------------------------------------------
________________ ધર્મના ક્ષેત્રમાં શું થાય છે ? આવું જ. પ્રભુની અદ્ભુત આંગીના દર્શન મળ્યાં. હૈયું ખૂબ હરખાયું, છતાં એ હરખ પૈસા સાચવી રાખ્યાનાં હરખની હેઠ ! નહિતર તો જો આ પ્રભુદર્શનનો હરખ વધી ગયો હોય, અને ધનસંગ્રહનો આનંદ આની આગળ તુચ્છ લાગ્યો હોય, તો ઝટ 50-100 રૂ. ભંડારમાં નાખી દેવાય. પરંતુ હૈયામાં બેઠેલું ધન-મહત્ત્વ જાણે કહે છે જોજે પ્રભુદર્શનનો હરખ માનજે, પણ એનાં કરતાં અમને (ધનસંગ્રહને) સાચવી રાખ્યાનો હરખ વધારે માનજે ! આ પ્રભાવ છે કારમી ધનપ્રીતિનો ! રામજી ગંધારને ગુરુવધામણી મળવા પર 11 લાખનું દાન : જગતગુરુ મહાન આચાર્ય ભગવાન હીરસૂરિજી મહારાજ ખંભાત નજીક પધારી ગયા છે. માણસ પાસેથી એ સાંભળતાં રામજી ગંધાર શેઠ એવા ખુશીમાં આવી ગયા કે “અહો ! ભયંકર ભવસાગરથી તારણહાર ગુરુ મહારાજ પધારી ગયા ? મારે ધન્ય ઘડી ! ધન્ય દિવસ ! એમ માનતાં વધામણી દેવા આવેલા માણસને 11 લાખ રૂપિયાનું દાન દઈ દીધું ! જીવને ધન અતિપ્રિય છે. એની સામે તીર્થકર ભગવાન, ગુરુ, ધર્મપ્રસંગો વગેરેને અતિપ્રિય કરવા હોય, તો પૈસાની અતિપ્રિયતા હટાવો, વાતવાતમાં હરખ-દાન, સત્કાર-સન્માન વગેરે કરો, કન્યાને સારો પતિ મળી ગયો હોય તો જમાઈ બહુ માગતો નથી, છતાં સસરાને એને ઘણું દેવાનું મન થાય છે, મને કન્યા વધુ વહાલી છે, પૈસા નહિ. આવી સારી મારી કન્યા આગળ પૈસા કોણ ચીજ છે ?'- એમ એના મનને થાય છે. | ઋષભસેન શેઠે જોષી તેડાવ્યા, ઉચિત ભેટશું કરી નજીકનું લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું, ઉપર વળી જોષીનો સત્કાર કર્યો. વિવાહનો મોટો મહોત્સવ મંડાયો, અને ભારે દબદબા સાથે તરંગવતી પદ્ધદેવનું લગ્ન ઉજવાયું. બંને પક્ષે ગરીબો યાચકો વગેરેને દાન, અને સ્નેહી સંબંધીને ઊંચા જમણ પહેરામણીમાં કસર ન રાખી, હવે વર-વહુ બંનેના કુળનો ગાઢ સ્નેહ સંબંધ બંધાઈ ગયો; જાને એક જ કુળ જેવું થઈ ગયું ! તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહે છે, “ગૃહિણી ! અહીં મારે તો એક ભવમાં બે ભવ જોવા જેવું થયું ! ક્યાં એ ચોરપલ્લીમાં સપડામણી ? ને પ્રિય પદ્મદેવને મારી નજર સામે ચોર વડે ગાઢ બંધને બંધાવાનું ? ક્યાં એનો દેવીને ભોગ અપાવાનું નક્કી થઈ જવું ? ને ક્યાં અત્યારના ભારે દબદબા સાથે વિવાહ મહોત્સવ આદિ ? બનો મેળ ન મળે. ત્યારે જ કહેવાય છે કે કર્મ! 278 - તરંગવતી
Page #284
--------------------------------------------------------------------------
________________ તારી ગતિ ન્યારી.” જોજો આ તો એમને જ થયું, આપણને કાંઈ ન થાય.- એમાં ઊંધતા નથી રહેવાનું. કર્મને ત્યાં વારા પછી વારો છે, એમ સમજીને અનિષ્ટ કર્મ ઉદયમાં આવી તોફાન મચાવે એ પહેલાં ચેતી જઈ ભરપૂર ધર્મપ્રવૃત્તિ કરવા ઠામઠામ આ જ ઉપદેશ આવે છે કે ભરચક ધર્મપ્રવૃત્તિ કરો.' ત્યારે આજની પરિસ્થિતિ જોઈએ તો એવી દેખાય છે કે શ્રાવકના દૈનિક અને પર્વતિથિના ત્યાગ તપ ક્રિયાદિના આચારો અનુષ્ઠાનો ધર્મપ્રવૃત્તિમાં તેમજ જીવજતના ન્યાયનીતિ ભક્ષ્યાભઢ્ય વિવેક આદિની ધર્મપ્રવૃત્તિમાં ખૂબ જ છાસ આવ્યો દેખાય છે. એવું જ ચૈત્યવંદન માળા સામાયિક પ્રતિક્રમણાદિ કરનારમાં પણ સૂત્ર અર્થ પર ઉપયોગ, વાંદણાંના 25 આવશ્યક, 17 સંડાસા વગેરે વગેરેમાં સારો એવો પ્રમાદ સેવાય છે. જો મોક્ષઆશય પર જ ખૂબ ભાર ને એને જ પ્રધાનતા અપાય, પરંતુ ભરચક શાસ્ત્રો જે ધર્મપ્રવૃત્તિને પ્રધાનતા આપે છે, એ ન અપાય, તો આમાં સુધારો શી રીતે થાય ? મોક્ષના આશયને પ્રધાનતા આપવાથી પુષ્કળ ધર્મપ્રવૃત્તિઓનું જોમ નથી ઊભું થતું. એ તો ધર્મપ્રવૃત્તિઓને પ્રધાનતા આપ્યાથી જ ઊભું થાય; અને ધર્મ ખૂબ કરતાં કરતાં મોક્ષના આશયનું જોમ ઊભું થાય છે એ અનુભવસિદ્ધ વસ્તુ છે. લોકિક આશયથી પણ ધર્મપ્રવૃત્તિ કરવા અંગે શ્રી પંચાશક ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રો તો કહે છે કે, હજી મોક્ષનો રાગ ન જાગ્યો હોય, છતાં મુક્તિનો જો અદ્વેષ હોય, તો સૌભાગ્યાદિ માટેની તપધર્મની પ્રવૃત્તિ જીવને આગળ લઈ જાય છે; અનુષ્ઠાનનો રાગ કરાવે છે; માત્ર બોલવાનો નહિ પણ ખરેખર તાત્ત્વિક મોક્ષાશય જગાવે છે. મોક્ષના અષ સાથેની ધર્મપ્રવૃત્તિને નિષ્ફળ કે નુક્સાન કરનારી નહીં, પરંતુ સફળ કહી છે, ઉન્નતિકારક કહી છે. આટઆટલા શાસ્ત્રો જયારે મોક્ષ આશય પર ભાર નહીં, પરંતુ મોક્ષના અષપૂર્વક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર ભાર મૂકે છે. પછી ભલે તે પ્રવૃત્તિ પ્રારંભે લૌકિક ફળની આશંસાથી ય કરાતી હોય, ત્યારે ધર્મપ્રવૃત્તિ પર ભાર મૂકવાને બદલે મોક્ષના આશય પર ભાર મૂકવાનું કરાય, એ કેટલા બધા શાસ્ત્રોને ઓળવવાનું અને અવગણવાનું થાય ? “ઉત્તરાધ્યયન' સૂત્રની પાઇય ટીકામાં વાદી વેતાલ શાંતિસૂરિજી મ. સ્પષ્ટ લખે છે કે “જો તમને વિષયોની પણ અભિલાષા હોય, કર્મ ! તારી ગતિ ન્યારી 279
Page #285
--------------------------------------------------------------------------
________________ તો પણ તમે સંયમ ધર્મનો પ્રયત્ન કરો, અર્થાત્ વિષયોની ઇચ્છાવાળાએ પણ ધર્મ જ કરવાનો, પાપ નહિ, એમ કહ્યું. મોક્ષ-અદ્વેષ છતે વિષક્રિયા ન થાય :પ્ર.- શું આ ધર્મ એ વિષક્રિયા ન થાય ? ઉ.- ના, જો મોક્ષ પ્રત્યે દ્વેષ નથી તો આ ધર્મપ્રવૃત્તિ એ તહેતુ અનુષ્ઠાન છે, અર્થાત અમૃત-અનુષ્ઠાનનું કારણભૂત અનુષ્ઠાન છે. અ-ચરમાવર્ત કાળમાં વિષયસુખના આશયથી અનંતીવાર ચારિત્રધર્મની ક્રિયાઓ કરી, પરંતુ તે વિષક્રિયા એટલા માટે થઈ, કે ત્યાં મોક્ષ પ્રત્યે દ્વેષ હતો અરુચિ-ઇતરાજી હતી, એમ બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ત્રિપૃષ્ઠ વાસુદેવ જેવાને પૂર્વભવે ધર્મસાધનામાં લૌકિક ફળની આશંસા થઈ ત્યાં મોક્ષ પ્રત્યે દ્વેષ એટલે કે અરુચિ આવી,મોક્ષની વાત મૂકો, મારે તો ચક્રવર્તીના વિષયસુખ જોઈએ, શારીરિક અથાગ બળ જોઈએ, એવો નિર્ધાર આવ્યો. એટલે મોક્ષ પ્રત્યેના વૈષવાળી એમની ધર્મસાધના વિષક્રિયા યાને નિયાણારૂપ બની. તાત્પર્ય, “મોક્ષ પ્રત્યે દ્વેષ ન જોઈએ. એ શરત રાખીને ધર્મપ્રવૃત્તિ પર જ શાસ્ત્રકારોએ બહુ ભાર મૂક્યો. - જ્યારે તરંગવતી-પત્રદેવ પર અણધારી કર્મની મહાન આફતો ત્રાટકી પડી, તો એ પરથી બોધ લેવા જેવો છે કે, આપણા પર અશુભ કર્મની એવી આફતો અણધારી ત્રાટકી પડે એ પહેલાં જ ખૂબ જ ધર્મપ્રવૃત્તિમાં લાગી પડવું જોઈએ; કેમકે “કર્મ ! તારી ગતિ ન્યારી' એ સૂત્રના હિસાબે કર્મની વિચિત્ર ગતિથી કદાચ એવી પરિસ્થિતિમાં મુકાવું પડે કે ત્યાં ધર્મપ્રવૃત્તિ કરવા માટેના હોશકોશ જ ન હોય. તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે ગૃહિણી ! અમારા બંનેનાં કુળ સ્નેહ સંબંધથી એક કુળ જેવા થઈ ગયા ! અમે પાંચ અણુવ્રત સ્વીકાર્યા. મારા પિતાજી ચારિત્ર લઈ પાંચ મહાવ્રતના પાલનમાં લાગી ગયા. અને હવે અમારા મનોરથ પૂર્ણ થવાથી, તથા અમૃતતુલ્ય જિનવચન શ્રવણમાં ખૂબ રક્ત બનવાથી, પૂર્વે “જો આ પ્રિય પતિ મળી જાય તો 108 આયંબિલ કરવા સંકલ્પ કરેલો, તે પાળવા માટે તપ શરૂ કર્યો અહીં પ્રશ્ન થાય, પ્ર.- શું મનગમતો પતિ મેળવવા માટે આયંબિલનો તપધર્મ થાય ? અથવા શું તપધર્મ પાસે યા ભગવાન પાસે આ મંગાય કે હું તપ કર્યું અને મને મનગમતો પતિ મળે ? ધર્મ પાસે કે ભગવાન પાસે સંસારની વસ્તુ મંગાતી 280 - તરંગવતી
Page #286
--------------------------------------------------------------------------
________________ હશે ? સંસાર માટે ધર્મ થાય ? ઉ.- આજના આ સવાલો “ધર્મ પાસે કે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું મંગાય જ નહિ, સાંસારિક વસ્તુ મંગાય જ નહિ એવો શાસ્ત્રવિરુદ્ધ ભ્રમ રાખી બેઠેલા અનેકાનેક શાસ્ત્રપાઠોને નહિ જાણનારા યા જાણીને છૂપાવનારના શિક્ષણના લીધે ઉઠે છે. નહિતર પહેલું તો રોજ જયવીયરાણ સૂત્રમાં પ્રભુ આગળ ઇઠ્ઠફલસિદ્ધિ માંગીએ જ છીએ, ત્યાં જ ઇષ્ટફળ માગ્યું એમાં અભિમત ઇહલૌકિક પદાર્થની જ નિષ્પત્તિ માગી છે; ને એવી અનેકાનેક પૂર્વ મહર્ષિઓએ વ્યાખ્યા કરી છે. એને ક્યાં મૂકી આવવાની ? આ વ્યાખ્યા સ્પષ્ટ કહી રહી છે કે “ઇહલૌકિક અર્થ એટલે મોક્ષ નહીં, પણ સાંસારિક વસ્તુ’ - મતલબ ભગવાન પાસે મોક્ષ સિવાયની ઇચ્છિત સાંસારિક વસ્તુ મંગાય એ ઠેઠ ગણધર ભગવાનથી માંડીને અનેક પૂર્વ મહર્ષિઓ સુધીનાએ બતાવ્યાથી વિરુદ્ધ જઈને એમ કેમ બોલાય, કે ભગવાન કે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું મંગાય જ નહીં ? શું આવું બોલવામાં, ગણધર ભગવાન અને અનેક પૂર્વાચાર્યોનાં વચનનો અપલા૫ નથી ? જો ઇષ્ટફળથી મોક્ષ જ માંગવો હોત તો ગણધર ભગવાને જ ‘ઇડ્રફલસિદ્ધિ' ને બદલે ઇટ્ટ મોખસિદ્ધિ કે “મોખફળસિદ્ધિ' પદ કેમ ન મૂક્યું ! તેમજ શું પૂર્વાચાર્યોને આવડતું નહોતું તે એમણે ઇષ્ટફળની વ્યાખ્યા મોક્ષ એવી ન લખતાં, ઈહલૌકિક અર્થ એવો લખ્યો ? મોક્ષને બદલે ‘ઇહલૌકિક અર્થ” એટલે કે “સાંસારિક વસ્તુ” એવી જ વ્યાખ્યા લખીને સ્પષ્ટ સૂચવ્યું છે કે ભગવાન પાસે સાંસારિક વસ્તુ માગી શકાય છે. આ એટલા માટે કે સાંસારિક આફત ટાળવા શ્રાવક મિથ્યા દેવી દેવતા પાસે ન જાય પણ અરિહંતને જ ભજે, પ્રાર્થે. દા.ત. બે વેપારી હોય, અને એક એમ માને છે કે, પૈસા માટે દેશકાળ જોઈને જૂઠ-ડફાણ અનીતિ વિશ્વાસઘાત અને મહાકર્માદાનનાં પાપધંધા ન છૂટકે કરવા પડે એમાં બહુ પાપ નહીં, કેમકે આપણે પાપમાં જ બેઠા છીએ; પરંતુ ભગવાન પાસે પૈસા માગવા, કે ધર્મ કરીને પૈસા માગવા, એ મહાભયંકર પાપ ! કેમકે ધર્મ કે ભગવાન પાસે પૈસા માગવાથી તો દુર્ગતિઓમાં રીબાઈ રીબાઈને મરવું પડે. જૂઠ ડફાણ વગેરેથી એટલી ભયંકર દુર્ગતિઓ ન થાય- આવું એક વેપારી માને છે; અને એ પ્રમાણે છૂટથી ભરપૂર અસત્ય અનીતિ ચલાવે છે. બીજો વેપારી એવું માને છે કે,- “આ ઉત્તમ જીવનમાં અને જૈન ધર્મ કર્મ ! તારી ગતિ ન્યારી 281
Page #287
--------------------------------------------------------------------------
________________ પામીને અન્યાય અનીતિ જુઠ વિશ્વાસઘાત અને કર્માદાનનાં મહાભયંકર પાપધંધા કરાય જ નહીં. એનાથી જ ભયંકર દુર્ગતિઓમાં રીબાઈ રીબાઈને મરવું પડે. એના બદલે ન્યાયનીતિથી બહુ ઓછા પાપનો ધંધો કરી આવકમાં ખોટ પડે એની પૂર્તિ કરવા ભગવાન પાસે માગવામાં કાંઈ વાંધો નહિ. (1) ભગવાન ભજીને ભવનિર્વેદની જેમ આવી બધી જીવનજરૂરી વસ્તુઓ ભગવાન પાસે જ માગવા માટે તો “ઇડ્રફલસિદ્ધિ' રોજ બોલવાનું જયવીયરાય’ સૂત્રમાં ગણધરોએ મૂક્યું છે. વળી. (2) જીવનમાં ઠામઠામ ધર્મમંગળ આગળ કરાય એ જિનાજ્ઞા છે. (3) શ્રાવક ધર્મપ્રધાન જીવન જીવે, “ચાર પુરુષાર્થમાં ધર્મ પ્રધાન છે.” ધર્મથી જિનભક્તિથી અનેક ક્ષુદ્ર ઉપદ્રવો સહજ રીતે દૂર થાય છે. રોજ બોલીએ છીએ કે, 3 : સત્યં યાન્તિ, છિદ્યત્તે વિખવલ્તય: | મન: પ્રસન્નતામતિ પૂજ્યમાને ત્રિનેશ્વરે છે'' જિનેશ્વર ભગવાનની પૂજાનો આ પ્રભાવ છે, ઉપસર્ગ-ઉપદ્રવો અને વિપ્ન વેલડીઓ અર્થાત્ અંતરાયો છેદાઈ જાય છે. આ એટલા માટે જ કહ્યું છે કે, “તમારે ઉપદ્રવો કે વિઘ્ન ટાળવા હોય તો આડા અવળા પાપધંધા કે ચંડીભવાનીની પૂજા માન્યતા કરવાને બદલે તમે જિનેશ્વર ભગવાની પુજા-ભક્તિ કરો.” આવું માગનાર બીજો વેપારી માગું તો અરિહંતપ્રભુ પાસે જ આ ટેકથી બીજા દેવી દેવતાને છોડી માત્ર અરિહંત ભગવાનનાં અચિંત્ય સામર્થ્ય પર શ્રદ્ધા કરી સાંસારિક હેતુ માટે ભગવાનની પૂજા ભક્તિ કરતો હોય. એ શું મહાપાપ બાંધનાર કહેવાય ? અને ભગવાન પાસે સંસારનું કશું મંગાય જ નહિ, એમ કરી મોટી કમાઈ માટે જૂઠ-અનીતિ વિશ્વાસઘાત અને મહાકર્માદાનના ધંધા કરનાર એ બહુ ઓછું પાપ બાંધનારી કહેવાય છે. શાસ્ત્રોમાં દામઠામ ઉપદેશ છે કે, “સુખી થવું હોય તો પાપ છોડો ને ધર્મ કરો.' એટલે કે એ ઉપદેશમાં સુખની ઇચ્છાથી પણ ધર્મ કરવાનું સૂચવ્યું કેમકે “દુ:ખ પાપાતું સુખ ધર્માત” દુઃખ પાપથી મળે સુખ ધર્મથી મળે છે તેમ શાસ્ત્રવાતા સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે. દુ:ખ ઇચ્છો તો જ પાપ પ ક ડા, સુખ છે. તે ધર્મ કે ડા. ઉપમિતિ શાસ્ત્ર' મહાવરાનો ઉચ્ચ કોટ ગ્રંથ. એ વખંજર શ્રી સિtપગણિ મહારાજે પણ એમાં લખ્યું કે - - ડગવતી
Page #288
--------------------------------------------------------------------------
________________ अर्थकामौ हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्यतिरेकेण संपद्यते / धर्मवतां पुनरतर्कितौ स्वतः एवोपनमेते / अत: अर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्मएव उपादातुं युक्तः / तस्मात् स (धर्मपुरुषार्थः) एव प्रधानम् इति / અર્થાત્ અર્થ અને કામ પણ ઇચ્છનારા પુરુષોને ધર્મ સિવાય એ અર્થકામ પ્રાપ્ત થતો નથી. જયારે ધર્મીને તો ધારણા બહાર અર્થ ને કામ આપોઆપ આવી મળે છે. એટલા માટે અર્થકામની ઇચ્છાવાળા પુરુષોએ (પણ) વાસ્તવિક રીતે ધર્મ જ કર્તવ્ય છે, ધર્મ જ આરાધવો યોગ્ય છે. એટલા જ માટે (જીવનમાં) ધર્મ જ પ્રધાન છે. આ ઉપમિતિ મહાશાસ્ત્રનાં વચન છે. આમાં સ્પષ્ટ સુચવ્યું કે, “અર્થકામની ઇચ્છાથી પણ ધર્મ કરાય; એટલે કે ધર્મ જ કરવો જોઈએ, પાપ નહિ, પણ ધર્મ જ કરવા યોગ્ય, કિન્ત; પાપો કરવા યોગ્ય નહિ.” અને એમ કહીને સૂચવ્યું કે જીવનમાં જે કારણે વારે વારે જરૂરિયાત ઊભી થાય છે, તેથી જ ઠામઠામ ધર્મને આગળ કરવો જોઈએ. તરંગવતીને આ શાસ્ત્રકાર ભગવંતો ને એમનાં શાસ્ત્રો પર કેટલી બધી શ્રદ્ધા હશે ! કે મનમાન્યો પતિ મેળવવા માટે કોઈ મિથ્યા દેવી દેવતાની પૂજા માન્યતા કરવાનું મનમાં ય લાવતી નથી. પરંતુ અરિહંત ભગવાનનો કહેલો આયંબિલ તપધર્મ કરવાનો નિર્ધાર કરે છે. કુત્વની ત્રણ ગુદ્ધિમાંની વચનશુદ્ધિ પણ એજ કહે છે કે, સમકિતી આવું જ બોલે, કે “જિનભક્ત જે નવિ થયું તે બીજાથી નવિ થાય રે !' ‘તરંગવતી’ શાસ્ત્રકાર કેવા ? : ભૂલવા જેવું નથી કે આ ‘તરંગવતી તરંગલોલા મહાશાસ્ત્ર રચનાર જબરજસ્ત યુગ પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજા છે. એ જ સમજતા હોત કે ‘તરંગવતીએ મનગમતા પતિ માટે 108 આયંબિલ ધાર્યા. એ એણે દુર્ગતિઓમાં રિબાવાનું પાપ કર્યું,' તો તો એ વસ્તુનો એમણે સાથે ઉલ્લેખ કર્યો હોત. પરંતુ એવો ઉલ્લેખ ન કરતાં, તરંગવતીને મનગમતો પતિ મળ્યા પછી 108 આયંબિલ કરનારી બતાવીને એની ધર્મિષ્ઠતા સૂચવી છે. શાસ્ત્રવિરુદ્ધ ભાષણો કરનાર કે લેખો લખનારા લોકો મહાન પાદલિપ્તાચાર્યને અને મહાન તરંગવતી સતીને શું ન્યાય આપી રહ્યા છે ? કે અન્યાય કરી રહ્યાં છે ? એ સ્વમતિકલ્પિત સિદ્ધાન્તની અંધશ્રદ્ધાનાં કાળા ચમાં ઉતારીને ‘શાસ્ત્રી પ્રમાણ' એ શ્રદ્ધા સાથે ડાહ્યા માણસે વિચારવા જેવું છે. કર્મ ! તારી ગતિ ન્યારી
Page #289
--------------------------------------------------------------------------
________________ દ્રૌપદીએ ચીર માગ્યા : દુર્યોધનની સભામાં દ્રૌપદીનાં ચીર ખેંચાતા હતા ત્યાં દ્રૌપદીએ અરિહંતને પ્રાર્થના કરી કે, પ્રભુ ! મારે તમારો જ આધાર છે. તમે મારી લાજ રાખો “લજ્જા મોરી રાખો દેવ ખરી, દ્રૌપદી રાણી યું કર વિનવે, કર દોય શીશ ધરી,” અને ખરેખર અરિહંતની પ્રાર્થનાથી ખેચાઈને શાસનદેવીએ આવી એની લાજ રાખી. અંગ ઉપર ચીર કેટલાં બધા લાંબા પૂર્વે રાખ્યા કે ચીર ખેંચનારો ચીર ખેંચ્યું જ જાય, ખેંચ્યું જ જાય, પરંતુ દ્રૌપદીનું શરીર ચીર વિનાનું ખુલ્લું થયું જ નહિ ! અંગ ઉપર ચીર બન્યા જ રહે, અને લાજ ઢંકાઈ રહે, એવી સાંસારિક વસ્તુ માગી ?' જો, આ સાંસારિક વસ્તુ માગી, એ હકીકત છે તો “ભગવાન પાસે મોક્ષ જ મંગાય, સંસારનું કશું મંગાય જ નહીં.” એમ બોલવું એ શાસ્ત્રોને અસંગત છે. મહાસતી ઋષિદત્તાએ પોતાના ઉપર ચડેલો ખૂની ડાકણ તરીકેનો ખોટો આરોપ ઉતારવા જંગલમાં પોતાના તાપસ પિતાએ પૂર્વે રાજાપણામાં કરાવેલ ભવ્ય જિનમંદિરનો આશરો લીધો; તથા ભગવાનની પૂજા ભક્તિ વગેરે ધર્મ કરવામાં સમય પસાર કર્યો અને સમય જતાં આરોપ કલંક તો ઊતરી ગયું, ઉપરથી કલંક ચડાવવાનો પેંતરો રચનાર બીજી રાજકન્યા રુક્મિણીને પરણી બેઠેલા પતિ રાજકુમારે રુક્મિણીનો પ્રપંચ જાણ્યા પછી એને તરછોડવાનું કર્યું, ત્યારે ઋષિદત્તાએ જ એને માફી અપાવવાની મહાન ઉદારતા કરી. અહીં ઋષિદત્તાએ કલંક ચડ્યા પછી જંગલમાં જિનભક્તિ આદિ ધર્મ કર્યો, એ કલંક ઉતારવાની સાંસારિક વસ્તુ માટે કર્યો. એકવાર તરંગવતીએ સારસિકાને પૂછ્યું કે, “અલી સારસિકા, જ્યારે હું અહીંથી પ્રિયની સાથે ભાગી ગઈ, પછી તું ઘરેણાનો ડબ્બો લઈને તો આવી હશે અને મને જોઈ નહીં હોય, પછી તે શું કર્યું? અને આગળ શું શું બન્યું, તે મને કહે " સારસિકાએ આપેલા પૂર્વ અહેવાલ : સારસિકા કહે છે, “સ્વામિની ! તે મને દાગીનાનો ડબ્બો લઈ આવવા આદેશ કર્યો, એટલે હું સીધી ઘરે ગઈ, અને જોઉં છું તો ઘરમાં માણસો પોતપોતાના કાર્યમાં વ્યગ્ર હતા, તેથી હું કોઈ ન જાણે એમ ચુપકીદીથી ઘરની અંદર પેસી ગઈ. પણ ભય અને શંકાશીલ હતી છતાં તમારા ઓરડામાં જઈને - તરંગવતી 284
Page #290
--------------------------------------------------------------------------
________________ બધા દાગીના એકત્રિત કર્યા, અને ડબ્બામાં ભરી લીધા. ત્યાંથી હું બહાર નીકળી, અને તારા પ્રિયના મકાનની પાસે આવી. પણ ત્યાંય તમને મેં જોયાં નહીં, આજુબાજુ તપાસ કરી, એટલે ખૂબજ દિલગીરી હતાશ અને દુ:ખિત થઈ ગઈ, અને મને ખૂબ જ રોવું આવી ગયું કે,- “હાય ! મારી સ્વામિની ક્યાં ગઈ ?' લાગ્યું કે કદાચ ઉતાવળ કરીને નીકળી ગયા હોય. તો હવે શી ખબર એ કઈ બાજુ ગયા હોય ? અને એમને હું ક્યાં શોધતી ફરું ? એમાં વળી કિંમતી ઘરેણાંનો ડબો હાથમાં હતો, રાતનો વખત હતો, એટલે એ જોખમ લઈને એકલી ક્યાં ભટકું ? તેથી બહેતર એ છે કે મારે પાછું ઘરે જ આવી જવું, સવારે તપાસ કરીશ. એમ કરીને ત્યાંથી હું એકલી પાછી આવી. ઘરે આવીને વિચાર થયો કે, શેઠને આ વાત કરું કે નહીં ? ત્યારે મનને એમ થયું કે, જો કહેવા જઈશ, તો શેઠ એકદમ ચારે બાજુ તપાસ કરાવશે, અને એમાં તમે કદાચ પકડાઈ જાઓ, તો તમને ત્યાંથી પાછા જ લઈ આવે અને તમારી ધારણા સફલ થાય નહીં, વળી તમે મારી પાસે સોગન લેવરાવ્યા હતા કે, મારે આ રહસ્ય કોઈને કહેવું નહીં, એટલે મેં કોઈને કાંઈ જ કહ્યું નહિ. ભલે મને તપાસ કરવા દે. શેઠ ને બધા આ કાંઈ જાણતા નથી ત્યાં સુધી એ બધાને રાતભર સુખે સૂવા દો. એટલામાં સ્વામિની ક્યાંક ક્યાંક દૂર નીકળી ગઈ હશે; અને પછી શેઠ સવારે માણસો દોડાવશે તો પણ તમે ક્યાંય દૂર નીકળી ગયા હશો, એટલે માણસોને તમારો પત્તો નહીં લાગે, આમ કરી મેં શેઠને કે કોઈને તમારી ઘરેથી નીકળી જવાની વાત કરી નહીં, અને મારાથી બને એટલી આજુબાજુ ખાનગી તપાસ ચાલુ રાખી. બધા તો રાતનાં નિરાંતે સતા હતા. ત્યારે મારી રાત તો ચિંતા અને વિષાદમાં જ પસાર થઈ. હવે પ્રભાત કાળે તમારે માટે શેઠ ને બધા તપાસમાં પડ્યા કે તરંગવતી ક્યાં ગઈ ? ક્યાં ગઈ ? પણ તપાસ તો ગામની અંદર ને અંદર, એટલે તમારો શેનો પત્તો મળે ? સાપનાં મોઢામાં અમૃત નહિ : વિષયોમાં સુખ નહિ : જે વસ્તુ જ્યાં નથી ત્યાં એની લાખ શોધ કરવાનું કરાય પણ એ વસ્તુ ત્યાં શાની મળે ? સાપના મોઢામાં કોઈ અમૃતની તપાસ કરવાનું કરે કે એના ક્યા ખૂણામાં અમૃત પડ્યું છે? તો એ શોધનાં પરિણામ શું પામે ? અજ્ઞાન જીવ આમ જ સંસારના વિષયોમાં અટવાય છે. કેમકે, વિષયોમાં સુખ છે નહિ, અને મૂરખ જીવ વિષયોમાં જ સુખ શોધવા ભારે મહેનત કરે છે ! કર્મ ! તારી ગતિ ન્યારી 285
Page #291
--------------------------------------------------------------------------
________________ પરંતુ તે ત્યાં શેનું મળે ? પાણીની બ્રાંતિથી રણમાં હરણિયું ઝાંઝવા તરફ દોડાદોડ કરે છે; આખો દિવસ દોડે છે. પણ જો ઝાંઝવામાં પાણી જ નથી તો એને હોય તો મળે ને ? પાણીનું ત્યાં એક ટીપું પણ મળે શાનું? દાસી સવારે હકીકત કહે છે : આમ જયારે એ લોકોને અહીં તહીં તમે મળ્યાં જ નહીં, એટલે મેં શેઠને સાચવીને હકીકત કહી કે “તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થયેલું અને એણે પૂર્વ જન્મનો ચિત્રપટ્ટ તૈયાર કરેલો, ને તે મને બજારમાં કૌમુદી મહોત્સવ વખતે ખુલ્લો મૂકીને જોવા કહેવું કે કોઈ માણસ આ ચિત્રપટ્ટ જોઈને ચકિત થાય છે કે કેમ ? એમાં પૂર્વ ભાવે પોતે ચક્રવાકી હતી; ને એનો પ્રિય ચક્રવાક જે અહીં ધનદેવ શેઠનો દીકરો પદ્મદેવ થયેલો, એનાં જોવામાં આ ચિત્રપટ્ટ આવતાં, એને પણ પૂર્વજન્મનું સ્મરણ થવાથી માત્ર ચકિત જ નહીં, કિન્તુ તરત જ ત્યાં મૂચ્છિત થઈ ગયો ! એના મિત્રોએ એને સાવધાન કર્યો, ત્યારે એ ખૂબ જ રોવા બેઠો, અને મિત્રોએ આગ્રહ કરીને રોવાનું કારણ પૂછે છે ત્યારે પૂર્વ ભવની પોતાની બધી વાત કરી. જે ચિત્રપટ્ટમાં વિસ્તારથી આલેખેલી ચીતરેલી હતી. પછી મને ખાતરી થઈ ગઈ કે મારી સખી તરંગવતીનો આ જ પૂર્વનો પ્રિય છે. એનું નામ ઠામ વગેરે જાણી લઈને મેં તરંગવતીને આ વાત કરી એટલે એ ખુશી ખુશી થઈ ગઈ કે મારો પ્રિય મને મળી જશે. પરંતુ આપે એ પાદેવને માટે કન્યા આપવાની ઘસીને ના પાડી એટલે લાગે છે કે, પોતાના પ્રિયતમની સાથે એ નગર છોડીને ચાલી ગઈ હોય.' શેઠને આ જયાં કહ્યું ત્યાં રાહુથી ચંદ્રમા પકડાય અને જેમ ચંદ્ર ફિક્કો પડી જાય, તે પ્રમાણે શેઠ ઝાંખા પડી ગયા ! અને ગુસ્સામાં આવી કહે છે, શેઠનો ગુસ્સો અને સંતાપ : ‘ધિક્કાર છે ધિક્કાર છે આ છોકરીને ! કે જેણે આવું ભયંકર અકાર્ય કર્યું ? અમારા વંશને અપયશનું કલંક લગાડ્યું ? આ કલંકથી મારું દિલ એટલું બધું દાઝેલું છે કે હવે હું શું કરું ? આમેય એ ધનદેવ સાર્થવાહ બિચારાનો દોષ નથી કે મારી પણ કોઈ ભૂલ નથી; કેમકે, અમને બંનેને આ જાતિસ્મરણની વાત કશી ખબર નહીં, અને આ છોકરીએ સ્વચ્છંદપણે પોતાનું કાર્ય સાધવા માટે બહુ જ ઉતાવળિયું પગલું લીધું ! હવે લોકમાં અમારે મોં શું દેખાડવું ?' 286 - તરંગવતી
Page #292
--------------------------------------------------------------------------
________________ દુઃશીલ સ્ત્રીઓ વેગિલી નદીઓ જેવી : ખરેખર ! આ જગતમાં જેમ જોશમાં દોડતી નદીઓ બે બાજુનાં મૂળને એટલે કે કિનારાને તોડી ફોડી નાખે છે, એમ દુઃશીલ સ્ત્રીઓ અને દીકરીઓ સ્વચ્છંદાચારી કામ કરીને કુળની કીર્તિને તોડી નાખે છે, એટલે કે અપયશમાં પાડી દે છે. સ્વચ્છેદ દીકરીઓ સેંકડો દોષોથી ભરેલી અને અપકૃત્ય કરનારી એ વિશાળ ઘરકુટુંબને કલંક લગાડીને મલિન કરનારી હોય છે. એટલે જ સંસારમાં તે માણસોને ધન્ય છે, કે જેના કુળમાં દીકરીઓ જ જનમતી નથી. કુશીલ દીકરીઓનાં નિમિત્તે અપયશ ઊભો થાય, એનાથી જીવનભર બળતા સંતાપ કરતાં રહેવું પડે, એવી સ્થિતિ જ બનતી નથી. દીકરીઓ પર કેટલો વિશ્વાસ મૂકાય ? દીકરીઓ તો સાપના ભારા જેવી છે. જો એના પર અંકુશ ન રાખ્યો, તો એ સાપ ક્યારે ડસી બેસે અને કુળને કલંકનું ઝેર આપી દે, એનો પત્તો નહીં, એવી સ્થિતિ શીલ સંયમમાં નિશ્ચલ નહીં અને છૂપા દુરાચાર કરનારી પરણેલી સ્ત્રીઓની હોય છે. ધિક્કાર પડજો મને ! કે મારે ત્યાં આવી દીકરી જન્મી ગઈ ?'' સંસારની કેવી વિચિત્ર સ્થિતિ છે. એ આ પરથી દેખાય છે કે, માણસ જયાં પોતાનું મનમાન્યું ધાર્યા મુજબનું બને ત્યાં ખુશીનો પોટલો થઈ જાય છે. પણ મનસાથી વિરુદ્ધ તે પણ પોતાની ધારણા બહારનું બને, ત્યાં દુઃખની પોક મૂકે છે ! અને જેને વખાણતો હતો એનો જ ભારે શોક અને કલ્પાંત કરે છે. એ પરથી નક્કી થાય છે કે સાંસારિક વસ્તુમાં સુખ પણ નથી અને દુ:ખ પણ નથી. સુખ અને દુઃખ માત્ર પોતાની કલ્પના પર છે. એ પ્રસંગ અંગે તેવી તેવી કલ્પનાથી સાબિત થાય છે. છતાં શું જોઈને જીવો દુનિયાના પદાર્થ પર ઓવારી જતા હશે ? જેના પર રાગ એના પર જ વૈષ ને દુ:ખ કરવા પડે ? એવું જીવનમાં તો ઠામઠામ અનુભવવામાં આવે છે. દીકરાને સારી રીતે રાખીને ઉછેરીને મોટો કર્યો હવે એ જ દીકરો પત્નીનો ચડાવ્યો માબાપથી વિરુદ્ધ થાય ! જુદું રહેઠાણ માંડે ! અને માબાપના પોતાના દુશ્મન દેખી એમના સામું પણ ન જુએ ! ઊલટું ઉપકારી માબાપનું સમાજમાં ઘસાતું બોલે !... આવું આવું સંસારમાં કેટલું ય બને છે એ નજર સામે દેખાય છે. છતાં અજ્ઞાનતા ને મૂઢતા એવી છે કે જીવોને વસ્તુનું એ વિપરીત નીપજનારું ભાવી સ્વરૂપ પહેલાં દેખાતું નથી ! તેથી એની પાછળ પાગલ થઈ જાય છે. કર્મ ! તારી ગતિ ન્યારી 28 7
Page #293
--------------------------------------------------------------------------
________________ એ પાગલતામાં દેવને ભૂલે, ગુરુને ભૂલે, કુલાચારને ભૂલે એવું કેટલું ય બનતું હોય છે; છતાં આશ્ચર્ય છે કે વર્તમાનમાં એમાં હોશે હોશે પ્રવૃત્તિ કરે છે ! જગતમાં ઘણું ય દેખાય છે કે કેટલીક દીકરીનાં હોંશે હોંશે લગન કર્યા, પરંતુ એ દીકરીને પછી થોડા વખતમાં રંડાપો આવે છે ! ત્યારે કેટલીય દીકરીઓને દુરાચારી પતિ તરફથી ત્રાસ હોય છે ! અથવા કેટલીયને ભયંકર ગુસ્સાખોર સ્વભાવવાળા પતિ તરફથી મારપીટ પણ મળે છે ! કેટલીય દીકરીઓને સાસુ નણંદ દેરાણી જેઠાણી વગેરે તરફથી ત્રાસ હોય છે. તો બિચારી કેટલીય દીકરીઓને પોતાના પરણાવેલા ઉલ્લંઠ છોકરા તરફથી ત્રાસ મળે છે ! જગતનાં જીવોને આવું બધું ઘણું ય નજરે ચડે છે, છતાં મૂઢતાનો પાર નહીં, કે દીકરીઓને પહેલેથી જ સારા સાધ્વીજીનાં સંપર્કમાં રાખીએ, ને આપે છે ! દીકરીઓના ઘર મંડાવ્યા એ શું દીકરીઓને સુખમાં ચડાવી? કે દુઃખના દરિયામાં ડૂબાડી ? સુખનાં ઘરમાં નાખી ? કે દુઃખનાં ઘરમાં ? અને પછી પરણાવેલી દીકરીનાં ઉપર વરસતા ભારે ત્રાસ જોઈને કલ્પાંત કરવા બેસે, એનો શો અર્થ પરણાવ્યા પછી એની કુભારજાથી વલે કેવી ? ભારે ગુસ્સાખોર અને રાતદિવસ કકળાટ કરનારી કર્કશા ભાર્યાનું ઘંટીનું પૈડું દીકરાના ગળામાં ભરાવી દીધું ! બિચારાની કઈ દશા ! એમાં વળી એ પુત્રવધુ ગુપ્તપણે જયાં ત્યાં ભટકનારી હોય, એટલે દીકરાને સમાજમાં ભારે અપયશ મળે ! અથવા કમાય દીકરો, પણ ઘરમાં વર્ચસ્વ એની પત્નીનું. એને એના સાસરિયા સ્નેહી તરફથી વારે વારે ટોણાં મેણાં પણ સાંભળવા પડે. પત્ની બહુ ખર્ચાળ હોય એટલે એનું પૂરું કરતાં છોકરાનું તેલ નીકળી જાય ! આમાં દીકરાને આ બધા સંસારના રંગઢંગ જોતાં, બોલો, દીકરાને શું સંસાર મંડાવી સુખી કરો છો? કે દુઃખનાં સમુદ્રમાં નાખો છો ? ત્યાં એવું પણ બને છે કે, લગ્ન પછી દીકરો કુમિત્રોના સંગમાં ચડી જઈ પત્તાબાજી જુગાર વગેરે વ્યસનો મોડે સુધી બહાર ભટકવાનું કરે, અને પાછો બહારનો ગુસ્સો ઘરની બૈરી પર ઉતારે ! એ દીકરો પરણ્યા પહેલાં જે સારો દેખાતો હતો, હવે પરણ્યા પછી એના જ તરફથી જિંદગીભર હૈયાહોળીમાં બળવાનું થાય છે, તો મૂરખ જીવો શું જોઈને દીકરાનાં હોશેહોંશે લગન કરી ઘરે વહુ લાવીને ખુશી ખુશી થતાં હશે ? એના બદલે નાનપણથી - તરંગવતી 288
Page #294
--------------------------------------------------------------------------
________________ દીકરાને ત્યાગી સાધુનાં ખૂબ સંપર્ક અપાવી, ત્યાગ વૈરાગ્ય અને ધર્મના માર્ગે ચડાવવાનું અજ્ઞાન માબાપને સૂઝતું જ નથી ! સંસારની મોંકાણ : સંસારની આ એક મોંકાણ છે ! આજના એકલા કોરા કળકળતા વિષય વિલાસો અને સ્વચ્છંદાચારથી સરિયામ બગડી ગયેલા યુગમાં એવી તો કેટલીયે મોંકાણો સર્જાતી હોય છે. રોજિંદા છાપાં જુઓ તો એમાં રોજને રોજ બનતી એવી ભયંકર ઘટનાઓ વાંચવા મળે છે ! ત્યાં ધર્મ રસાતળ જતો દેખાઈ રહ્યો છે. સગા-સ્નેહી મિત્રોમાં કલાકોના કલાકો બગાડવા સમય છે, દેવનાં દર્શનપૂજન કરવામાં સમય નથી. | મોજશોખ ટાપટીપ હોટલ સિનેમાઓમાં છૂટથી પૈસાનો ધુમાડો કરનારાઓને ભગવાનની પૂજા માટે સામાન્ય કિંમતી વસ્તુઓ ઘરેથી લાવતા આવડતું નથી ! 3 કલાક TV. શો જોવામાં ગાળશે, પરંતુ (i) બે ઘડીનું એક સામાયિક કે પ્રતિક્રમણ કરવાની ગરજ નથી ! કે (i) ગુરુ પાસે જઈ જિનવાણી સાંભળવાની અગર (ii) અનુકૂળ સમયે ઘરે બેસી ધર્મનું પુસ્તક વાંચવાની પડી નથી ! એટલી બધી જાણે ધર્મ તરફ નફરત ! ધર્મની સરાસર બેપરવાઈ એવી કે પોતાના જીવનમાં તો ધર્મનું મીંડું ખરું, પરંતુ આશ્રિતોનાં જીવનમાં ય નાની ઉંમરથી ધર્મનું દેવાળું ! આમાં પૂર્વજોનો ધર્મવારસો ક્યાં ઊભો રહે ? કે વારસો ક્યાં આગળ ચાલે ? અનાર્યો અને હલકા કુળના માણસો તો ધર્મને સમજતા નથી પરંતુ આ ઊંચા કુળમાં જન્મેલા માણસો ધર્મ ભૂલીને અનુચિત વ્યવહારો ને પાપાચારોમાં પડેલા ધર્મની ઘોર ખોદી નાખે છે. એટલે જ જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં ઠામઠામ બરાબર જ લખ્યું છે કે, જીવન ધર્મપ્રધાન બનાવો. જીવનમાં ધર્મસાધનાની પ્રચુરતા-પુષ્કળતા હશે તો જ સદાચારો, ન્યાયનીતિ, દયા, દાન...વગેરે સદ્ગુણો ખીલી ઉઠશે; નહિતર તો સારા કુળમાં જન્મી ગયા એટલે કહેવાનાં આસ્તિક ! પણ તેવાં તેવાં આચરણો અને કૃત્યોથી છૂપા નાસ્તિક ! દોષો-દુષ્કૃત્યોથી ભરેલાં જીવનવાળા આજે શાસનને અને ધર્મને કેવાં કલંક લગાડી રહ્યા છે. સારસિકાનું આગળ વ્યાન : પેલી સારસિકા તરંગવતીને કહી રહી છે કર્મ ! તારી ગતિ ન્યારી 289
Page #295
--------------------------------------------------------------------------
________________ કે “તારા બાપાજી કુશીલ કન્યાઓ તથા કુભાર્યાઓના સ્વચ્છંદાચાર ઉપર ગુસ્સે થઈ ગયેલા, તે મને પણ ધમધમાવે છે કે જો તું આ બધું પહેલેથી જાણતી હતી, તો તે મને પહેલેથી કેમ કહ્યું નહીં ? તો પછી આ રામાયણ - સરજાત ને ? ત્યારે મારે કહેવું પડ્યું કે “આ જાતિસ્મરણની વાત વગેરે બીજાને ન કહેવાના તરંગવતીએ મારી પાસે સોગંદ લેવડાવ્યા હતા, તેથી મેં પહેલેથી જ કોઈને કે આપને આ વાત કરી નહોતી, મારો અપરાધ માફ કરો, સારા ઉપર પ્રસન્ન થાઓ.' પછી તરંગવતી કહે, “પછી આગળ શું બન્યું ? તે કહે.” મેં કહ્યું. આ સાંભળીને તારી માતાને એટલો બધો આઘાત લાગ્યો કે એ મૂચ્છિત થઈ ગયા, ને ભાનમાં આવતાં જ ભારે વિલાપ કરવા લાગ્યા ! વિલાપ તે કેવો એ ધ્રુસકે ધ્રુસકે રુએ ને એ જોઈ તમારા ભાઈઓ ભોજાઈઓ ય બહુ રૂએ ! ત્યાં બધા ય રોવા લાગ્યા ! ખરેખર માતાનું રુદન છાતી ફાટ, તે ભલભલાને પાણી પાણી કરી નાખે ! આખું વાતાવરણ ભારે રુદનમય થઈ ગયું. ત્યાં તારી માતા તારા પિતાજીનો ગુસ્સો ઉતારવા પ્રાર્થના કરે છે કે, માતાનો પિતાને ઠપકો : હવે તમે રોષ રાખો નહિ, અને જલદીથી ચારે બાજુ તપાસ કરાવી તરંગવતી અને એના પ્રિયને પાછા લઈ આવો. આમાં તો મારે બે અનર્થ થઈ ગયા, એક તો મારી વહાલી લાડકી દીકરીનો વિયોગ થયો ! ને બીજું લોકની અંદર ભારે અપયશ થયો ! કે ઉંમરમાં આવી ગયેલા મોટા ઘરના આ છોકરો છોકરી બંનેને જ્યારે પૂર્વ ભવનો સ્નેહ ચાલ્યો આવતો હતો, છતાં એ બિચારા ઉપર કેટલો બધો જુલમ થયો હશે કે બંનેને છેવટે ખાનગી રીતે એકલા અટુલા ભાગી જવું પડ્યું? પણ આ મોટા ઘરવાળાઓને કાંઈ દયા જ ન આવી ? કશી લાગણી જ ન ઉભરાઈ ? આ ઓછો અપયશ છે ? જરાક સમજો કે “બધું પૂર્વે કરેલાં કર્મનાં હિસાબે જ બની આવે છે. એવા વિધિએ નિર્માણ કરેલા શુભ કે અશુભ ભાવો જીવોને ભોગવવા જ પડે છે. ત્યાં મોટા માંધાતાઓ પણ પરવશ બને છે ! કશું જ એમનું ઊપજતું નથી ! “તો આ બે નાનડિયા બિચારા પૂર્વ જન્મના રાગવશ દોરાય એમાં એનો શો વાંક ગણવાનો ? માટે તમે ડાહ્યા થઈને એમને જરાય દોષ ન દો, એમનો વાંક ન ગણો. 290 - તરંગવતી
Page #296
--------------------------------------------------------------------------
________________ “દીકરી તો મારી કેટલી બધી શીલસંપન્ન કે કોઈ પરપુરુષના સામે કદી જોનારી નહીં ! તેમજ કેટલી બધી વિનયવંતી કે ક્યારે ય પણ આપણી આમન્યા ચૂકનારી નહીં ! એને દોષ દેવાતો હશે ? યુવાનીમાં આવી છતાં આવી ગુણગણનાં ભંડારસમી દીકરી, એના પર જરાં ય ગુસ્સો કરાતો હશે ? તમને એની ગુણસંપન્નતા અને મહાલાયકીની કશી કદર નથી થતી ? કશો વિચાર નથી આવતો તે આટલા બધા રોષમાં ધમધમો છો ?..." તરંગવતીની લાયકી અને ગુણસંપન્નતાને જ મુખ્યપણે જોનારી માતા પણ શેઠના ગુસ્સા પર આકુળવ્યાકુળ થઈ ગઈ છે, તે શેઠને વસ્તુસ્વરૂપ અને સંયોગો જોવા તથા પરિસ્થિતિ ઓળખવા કહી રહી છે. “આ તો એને પૂર્વ જન્મનું સ્મરણ થયું, અને જોગાજોગ એને પૂર્વ ભવનો પ્રિય પતિ અહીં મળી આવ્યો, તો જેમ પૂર્વભવે એ પ્રિય પંખેરાની પાછળ એણે એની ભડભડતી ચિતામાં બળીને જાતનો ભોગ આપેલો, એમ જ અહીં એ વસ્તુના સ્મરણથી પોતાના એ જ પ્રિયની પાછળ લાગી જાય એમાં શી નવાઈ છે ? સંસારમાં એમ બનવું એ સ્વાભાવિક છે; અને એથી જ એની સાથે એ, આપણે જ્યારે એના પ્રિય સાથે સંબંધ થવામાં આડે આવીએ અને એ જિંદગીભરની હતાશ થાય ત્યારે, એના પ્રિયની સાથે અહીંથી એને ભાગી જવું પડે, એમાં એને દોષ શાનો દેવાય ?' “ખરેખર મોટો વાંક તો આપણો જ છે. ગુસ્સો કરવો હોય તો જાત પર કરો, કે અમે કેવા નિર્દય કે એનાં પ્રિયનો એની સાથે સંબંધ કરવા ઘસીને ના પાડી ? આ આપણો માફ ન થઈ શકે એટલો મોટો ગુનો છે, સારું થયું કે સારસિકાએ એને આત્મહત્યા કરતાં અટકાવી, ને એના પ્રિયને ભેગી કરી ! બાકી આપણા હઠવાદમાં તો એને જમનાં ઘેર પહોંચાડી દીધી હોત ! માટે એનો ગુનો જોયા વિના આટલા મોટા આપણા ગુનાનો જ ભારે પસ્તાવો કરો; અને એનાં પ્રાયશ્ચિત્તરૂપે હવે ચારે બાજુ ચાંપતી શોધ કરાવીને ગમે ત્યાંથી એ બંનેને પાછા લાવી ધામધૂમથી બંનેનાં પરસ્પર લગ્ન સંબંધ જોડી આપો. માતાએ હૈયામાં ઊભરાયેલા આવેગ તો ઠાલવ્યો, પરંતુ અંતરનો શોક શમતો નથી તેથી ધ્રુસકે ધ્રુસકે રોતી આજંદ કરે છે,- “હાય હાય ! મારી લાડકી દીકરી ! તું ગુણની પેટી, તું ક્યાં ગઈ ? અહીં બધી ઊંચી સુખ સગવડમાં રહેનારી તને પરદેશમાં કેટકેટલી વિટંબણા હશે ? હાય રે !." આમ સારસિકા તરંગવતીને અહેવાલ આપતાં આપતાં કહી રહી છે કે સખી ! તારી કર્મ ! તારી ગતિ ન્યારી 291
Page #297
--------------------------------------------------------------------------
________________ માતા એટલું બોલતાં બોલતાં વળી પાછી ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડી પડી; અને કરુણ રુદન કરતાં કરતાં શેઠને કહી રહી છે કે “એ મારી મહાગુણિયલ બાળકીને જો નહીં લઈ આવો, તો હું તમને કહી દઉં છું કે એના વિના જીવવા માટે હું સમર્થ નથી ! હું આપઘાત કરીશ ! હવે મારી દીકરી જોવા નહિ મળે, તો એક ક્ષણવાર પણ જીવતી રહી શકું એમ નથી; ભલે તમારે તમારા રોષમાં એની ઉપેક્ષા કરવી હોય તો કરો પણ હવે મારા જીવનની આશા રાખશો મા.” તરંગવતીને આ સાંભળતાં હૈયામાં ભારે દુઃખ સાથે આંખે પાણી આવી ગયા. સારસિકા આગળ કહી રહી છે, “આમ કરુણ રુદન સાથે શેઠાણીનું કરગરવાનું દેખીને શેઠ પણ પીગળી ગયા, વસ્તુસ્થિતિ સમજી ગયા, અને “ભલે તેમ કરું છું.” એમ કહી શેઠાણીને ઠંડા પાડવા કહે છે, તમે હવે રોવાનું મૂકી દો, હું તાબડતોડ ગમે ત્યાંથી તરંગવતીને પાછી બોલાવી લાવવાનું કરું છું,” એમ કહી એમણે પદ્મદેવના પિતા ધનદેવ સાર્થવાહને ત્યાં માણસો દોડાવ્યા, તપાસ કરો તરંગવતી ત્યાં છે કે કેમ ?" સારસિકા તરંગવતીને આગળ કહે છે, “પરંતુ ધનદેવ શેઠને ત્યાં ભાળ મળે ? એકલા માણસો જ પાછા નહીં પરંતુ સાર્થવાહ ધનદેવ પણ કુટુંબ સાથે અહીં દોડતા આવ્યા, અને બોલ્યા કે, અમારો પમદેવ પણ ઘરે છે નહિ, અને ક્યાં ગયો હશે, તેની અમે પણ શોધમાં છીએ ! ત્યાં ઋષભસેન શેઠે એમને તમો બંનેની જાતિસ્મરણ જ્ઞાન વગેરેની વાત કરી. હવે બંને શેઠિયાઓ તમો બંનેની તપાસ માટે ચારેકોર માણસો દોડાવે છે. દિવસ પર દિવસ જાય છે. છતાં તમારો કોઈ પત્તો મળતો નથી. ઊલટું મોકલેલ માણસો તપાસ કરતાં કરતાં રોજના રોજ નિરાશાના સમાચાર મોકલે છે કે હજી ભાઈ કે બેનનો પત્તો મળતો નથી. “ત્યાં બંને કુટુંબોમાં શોક કલ્પાંત અને રુદન ચાલ્યા કરે છે; કેમકે બંને કુટુંબના માત્ર એકએક સભ્ય જ નહિ, કિન્તુ નોકર પરિવારને પણ તમારા ઉપર સ્નેહનો પાર નહોતો અને પરિસ્થિતિ આટલી બધી વિકટ થઈ ગઈ છે કે સૌનાં મન દુઃખિત થઈ ગયા છે. ઘોડેસવારો દોડાવ્યા છતાં અને એ ચારેકોર દૂર દૂર ઘૂમતા ફરે છે છતાં તમારો પત્તો મળતો નથી. બધાને જાણે ખાવું હરામ થઈ ગયું છે ને ઊંઘ પણ હરામ થઈ ગઈ છે ! કલ્પાંત સિવાય બીજું 292 - તરંગવતી
Page #298
--------------------------------------------------------------------------
________________ કાંઈ નથી.” એમ બોલતાં બોલતાં સારસિકા રડી પડે છે. જીવની સંસારમાં રંજાડ પર બોધપાઠ : ખૂબી જુઓ કે આવા મોટા સુખી માણસોને પણ કર્મસત્તા કેવા રંજાડે છે ! એ કર્મની રંજાડ અનુભવવા છતાં જીવને સંસાર પર નફરત છૂટતી નથી ! “બળ્યો આ સંસાર ! જ્યાં આવી કઈ પ્રકારની કરુણ ઘટનાઓ ઘરે ઘરે એક યા બીજા પ્રકારે બનતી હોય છે, છતાં સંસાર પર નફરત કે અભાવ થતો નથી અને તરણ તારણ ધર્મનું શરણું લેવાનું મન થતું નથી ! ધિક્કાર પડો આવા જાલિમ મોહને કે સંસાર જીવને ભારે રંજાડે છતાં જીવને ધર્મ ન સૂઝવા દે ! એ તો કોક વિરલ કે આવી ઘટના દેખીને કે સાંભળીને, પછી ભલે તે બીજાને ત્યાં બની હોય તોય, એ જોઈને પોતે વૈરાગ્ય પામી જાય ! ધર્મમાં લાગી જાય ! સંસારની રંજાડમાં ખતમ થઈ જતા પહેલાં, પરલોક હિતકારી અને આ રંજાડને પડકારનારી ધર્મસાધના કાં ન કરી લેવી ? સગર ચક્રવર્તીના 60 હજાર પુત્રો અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં દેવતાના ક્રોધના ખપ્પરમાં હોમાઈ ગયા ! એ પુત્રો પર વરસી પડેલી આપદા જોઈ સગર ચક્રવર્તી પોતે મોટી છ ખંડની ઠકરાઈ ઉપર વૈરાગ્ય પામી ગયા ! અને સંસાર ત્યાગ કરી ચારિત્ર માર્ગે ચડી ગયા ! સાધુ સુકોશલ, તે પૂર્વે રાજપુત્ર અને ઇક્વાકુ વંશની ગાદીએ પિતા કીર્તિધરના ચારિત્ર પછી બાલપણામાં રાજા બનેલા; તેમને “હવે એમાં પિતા રાજા કીર્તિધર સાધુ પાછા અહીં આવીને વૈરાગ્ય પમાડી સાધુ બનાવી ઉપાડી ન જાય,'એ માટે માતાએ નગરના દરવાજે દરવાજે સખત પહેરો રખાવેલો અને રક્ષક સિપાઈઓને તાકીદ આપેલી કે કોઈ પણ બાવા જોગી સાધુ સંન્યાસીને નગરમાં પેસવા જ દેતા નહીં. પરંતુ જ્યારે એકવાર ખુદ એ કીર્તિધર રાજામુનિ બહારથી વિહાર કરતાં આવીને નગરમાં પ્રવેશ કરવા જતા હતા, ત્યારે સિપાઈઓ એમને પેસવા ન દેવા રકઝક કરતા હતા. નાનારાજા સુકોશલ મહેલના ઊંચા ગોખમાંથી આ દશ્ય જોતાં ધાવમાતાને પૂછે છે કે ત્યાં દરવાજે આ શું ચાલી રહ્યું છે કે સિપાઈઓ કોઈ સાધુ મહારાજને નગરમાં પેસવા દેતા નથી? એની નાની ઉંમરમાં રાજા એને રાજા બનાવીને નીકળી પડેલા. તેથી એ બાપમુનિને ઓળખી શકતો નથી; એટલે જ ધાવમાતાને એણે આવો પ્રશ્ન કરેલો. ત્યારે ધાવમાતાની આંખમાં પાણી આવી ગયા ! અને ખુલાસો કરે છે કે, કર્મ ! તારી ગતિ ન્યારી 293
Page #299
--------------------------------------------------------------------------
________________ એ સાધુ તમારા પિતામુનિ છે. તમારા પિતાએ તમને નાની ઉંમરમાં રાજા બનાવી તમે મોટા થાઓ ત્યાં સુધી રાજય તમારી માતા અને મુખ્ય દીવાનને ચલાવવાનું સોંપી એમણે ચારિત્ર લઈ લીધેલું. હવે સાધુ બની ગયેલા એ અહીં આવ્યા દેખાય છે. પરંતુ અહીં તો એમની દીક્ષા પછી તમારી માતાને ડર લાગેલો કે એ પતિ સાધુ જો અહીં આવશે, તો આ પુત્ર પણ એમની જ ખાનદાનનો છે. એટલે એ સાધુ થઈ પિતામુનિ સાથે ચાલ્યો જશે તો પછી મારે આધાર કોનો ? એટલે એવું કરું કે પિતામુનિ આ નગરમાં આવી જ શકે નહિ. પણ એટલા માટે કાંઈ એકલા સાધુને નગરમાં પેસવા દેવાનો નિષેધ કરાય નહીં, તેથી માતાએ સર્વ સામાન્ય કોઈ જ સાધુ બાવાને પેસવા ન દેવા એવો પ્રબંધ કર્યો. એટલે સિપાઈઓ ગમે તે સાધુ બાવા જોગીને નગરમાં પેસવા દેતા નહોતા. એ હિસાબે અત્યારે આ પિતા રાજાને પણ અહીં દાખલ થવા દેતા નથી એમ લાગે છે.” આ સાંભળીને નાના રાજા સુકોશલની આંખમાં એક બાજુ પિતાની કરુણ દશા જોઈને આંખમાં આંસુ આવી ગયા, અને બીજી બાજુ માતા રાણી પર ધિક્કાર છૂટ્યો, ભારે ગુસ્સો આવ્યો કે “આ સ્ત્રી પોતાના પતિની જ આ વિટંબણા કરે છે ? પરંતુ એમાં એનો વાંક નથી આ ગોઝારો સંસાર જ એવો કે જીવો પાસે ન કરવાનાં કામ કરાવે.' આમ માતાની દુર્દશા દેખવા પર, પોતાના મન પર પોતાના સંસારની પણ સંભવિત ભાવી દુર્દશા જાણી, વૈરાગ્ય લશ્કર...વગેરેની ભારે અનુકૂળતા હતી; એના પર કશો ભય નહોતો આવ્યો છતાં પોતે બીજાનાં (માતાના) સંસારની દુર્દશા જોઈને વૈરાગ્ય પામી ગયા ! અને તરત સીધા નીચે ઊતરી નગર બહાર પિતામુનિ પાસે પહોંચી જઈ ચારિત્ર આપવાની પ્રાર્થના કરે છે. આમ સંસારમાં કઈ પ્રકારની દુર્દશા જીવો ભોગવે છે. જો હૈયું વિટું ન હોય તો એ જોતાં જીવ પોતે ભડકી ઉઠે, અને સંસાર પર વૈરાગ્ય લાવી, ચારિત્ર માર્ગે નીકળી પડે ! અલબત બધાની આટલી તાકાત ન હોય એટલે એકદમ જ ચારિત્ર માર્ગે જ નીકળી પડે એવું ન બને, તો પણ મનમાં ભારે તલસાટ હોય કે ક્યારે હું ચારિત્ર લઉં અને સર્વપાપથી મુક્ત બનું! ક્યારે હું મોક્ષ પામું !' તેમજ એ ચારિત્ર જલદી ઉદયમાં આવે એ માટે શ્રાવકધર્મનાં વ્રત નિયમ આચારો અને બીજી બાજુ અનેક પ્રકારની ધર્મકરણીઓ ખૂબ ખૂબ હોશથી કરવા લાગી જાય. 294 - તરંગવતી
Page #300
--------------------------------------------------------------------------
________________ દુર્ગતિઓ કોની સામે તાકે છે ? : પાપપ્રવૃત્તિઓમાં જ રાચતા નાચતા જીવો સામે તો જાણે દુર્ગતિઓ તાકીને રહી હોય છે કે “સાચા ઢોંગી ધૂતારા જીવડાઓ ! અહીં આવી જાઓ ! તમારા જેવાની અને દુર્ગતિઓ રાહ જ જોઈએ છીએ !" સરિયામ ધૂમ સાંસારિક પ્રવૃત્તિઓ અને ભરચક હિંસામય આરંભ સમારંભો તથા અનેક પ્રકારનાં વિષય વિલાસો સદ્ગતિમાં શાના લઈ જાય ? પ્રબળ શ્રદ્ધા જોઈએ કે,- સગતિ તો ધર્મથી જ મળે, ધર્મ આચરણથી મળે, ધર્મસેવનથી અને ધર્મની પ્રવૃત્તિની જીવન વ્યાપિતાથી મળે. આજનાં ધરખમ આરંભ સમારંભ જૂઠ અનીતિ વિષય વિલાસો અને એના પોષક ક્રોધ લોભાદિ કષાયોની પુષ્કળ પ્રવૃત્તિથી રિબાઈ રહેલા બિચારા પામર જીવોની દયા ખાવા જેવી છે, અને એમને ભરચક ધર્મપ્રવૃત્તિમાં જોડવા જેવા છે. એ તો જ પામે કે વ્યાખ્યાનોમાં ઉપદેશોમાં આના પર વારે વારે ભાર મૂકાય કે ધર્મ ખૂબ ખૂબ કરતા રહો, તો સુખી થશો, નહિતર નર્યા અઢાર પાપસ્થાનકનાં ભરચક આચરણોથી દુર્ગતિમાં ફેંકાઈ જઈ દુઃખી મહાદુઃખી પરમદુ:ખી બની જશો. પેલી સારસિકાએ તરંગવતની આગળ એના ભાગી ગયા પછી બંને કુટુંબોની જે કરુણ દુર્દશા થયેલી એનું જે વર્ણન કર્યું એ હૈયાને હચમચાવી નાખે એવું હતું. છેવટે એ કહે છે - જ્યારે દિવસો પછી પેલા કુભાષહસ્તિ નોકર દ્વારા તમારો પત્તો મળ્યો, ત્યારે સૌનાં હૈયાં હેઠાં બેઠાં અને પછી તો જે જે બન્યું તે તમે જાણો જ છો.' | કિંમતી માનવસમયનો પહેલો સદુપયોગ :જેમાં પહેલું તો આપણા અંતરના અધ્યવસાય, વિષયો પ્રત્યે વૈરાગ્ય વધારવાનાં કરવાના હોય; અથવા (2) ક્રોધલોભાદિ કષાયોનાં શમનના કરવાના હોય; યા (3) હિંસામય આરંભ સમારંભો તથા અસત્ય અન્યાય અનીતિ ચોરી વગેરે દુષ્કતો તરફ ધૃણાના કરવાના હોય; (4) દેવાધિદેવ-સર-સંઘ પ્રત્યે ભક્તિ પ્રીતિ બહુમાન વગેરે વધારવાના કરવાના હોય; યા (5) મૈત્રીભાવ, કરુણાભાવ, ગુણી ઉપર પ્રમોદભાવ અને પરની પંચાતી પ્રત્યે ઉપેક્ષાભાવના કરવાના હોય. કર્મ ! તારી ગતિ ન્યારી (1) 295
Page #301
--------------------------------------------------------------------------
________________ માણસ જો આ સાવધાની રાખે તો કથા-વાંચન કે શ્રવણ એમજ ગબડાવતો ન જાય, કિન્તુ એક એક પ્રસંગ ઉપરથી એવા નિર્મળ અધ્યવસાય કરવાનો બોધપાઠ લેતો જાય, ને પોતાના મલિન અધ્યવસાયો કેમ ઓછા થતા જાય, એનો બોધપાઠ લેતો જાય એટલા જ માટે આપણે સારસિકાએ કરેલા વર્ણન પર વિહંગાવલોકન કરીએ છીએ, જેમાંથી અમૂલ્ય બોધપાઠ મળે એવો છે. દા.ત. સારસિકાએ વિશ્વાસભંગ કર્યો ? : તરંગવતી રાતના ભાગી ગઈ એ વાત સારસિકા જાણતી હતી પણ છતાં એણે રાતભર એ વાત છૂપાવી રાખી અને ઘરના વડીલને એ વાત કરી નહીં. અહીં સારસિકા શેઠનો પગાર ખાતી હતી તો શું એની ફરજ નહોતી કે એણે શેઠની નોકરીની રૂએ શેઠના વિશ્વાસનું પાલન કરવું જોઈએ ? અને શેઠને વાત જણાવવી જોઈએ ? અલબત સામાન્ય પ્રસંગોમાં નાનડિયાની કે નોકર માણસની આ ફરજ રહે જ કે વડીલને એવી કોઈ બાબતમાં અંધારામાં નહીં રાખવા જોઈએ.” તો જ એણે પોતાના હોદ્દાની રૂએ વિશ્વાસનું પાલન કર્યું કહેવાય. દાસીએ વિશ્વાસભંગ ન કર્યાનું રહસ્ય :પ્ર.- તો પછી વિશ્વાસપાત્ર સમજદાર દાસીએ આમ કેમ કર્યું ? ઉ.- એનું સમાધાન એ છે કે દાસીએ પ્રસ્તુત પ્રસંગ બહુ જ ગંભીર તરીકે જોયો હતો. એણે જોયું છે કે શેઠને વાત કરવામાં શેઠ તાબડતોબ માણસો દોડાવી, તરંગવતી શોધી કઢાવી, પાછી ઘરે લાવે,- એમ બનવા સંભવ છે, ને એમાં તો પછી તરંગવતી પ્રિયનો સમાગમ મળવાની નિરાશામાં આપઘાત કરે એવી છે; કેમકે શેઠે પહેલાં જ ઘસીને પમદેવને કન્યા આપવાની ના જ પાડેલી છે. એટલે જો તરંગવતી નિરાશ થઈને આપઘાત કરવા જાય તો એમાં શેઠને અને સહુને પાછળથી વસ્તુ સ્થિતિ જાણવા મળતાં મોટો પસ્તાવો થાય, અરે ! જીવનભરના હૃદય-સંતાપ ઊભા થાય ! અને તરંગવતી અમૂલ્ય માનવજન્મ ધર્મસાધના વિના ગુમાવી નાખે !" આ બધા મોટા અપાય યાને અનર્થ ન બને એટલા જ માટે દાસીએ નાના વિશ્વાસભંગનું પાપ વહોરીને પણ એ રહસ્ય શેઠની આગળ કહ્યું નહિ, એટલે કે એનાં ભાગી જવાની વાત તત્કાલ કરી નહીં, કે જેથી શેઠ તત્કાલ તાબડતોબ તરંગવતીનો પીછો પકડીને એને પાછી લાવવાનું કરે, ને એમાં આ બધાં મહાઅનર્થો ઊભા થાય. 296 - તરંગવતી
Page #302
--------------------------------------------------------------------------
________________ 20. સંયોગો અંતે રોવરાવનારા સવારે શેઠના ઘરે તરંગવતી ગુમ થયાનું જણાતાં ધાંધલ ધમાલ મચી સૌ રોવા બેઠા, એ પરથી સંસારનું નાટક જોવા મળે છે, કે સંસારી જીવ એક સ્નેહી સમાગમને બહુ ઇષ્ટ કરીને માને છે, ખુશીનો પોટલો થઈ જાય છે, પણ જીવને ભાન નથી કે “સંયોગા વિયોગાન્તા' સંયોગની પાછળ અવશ્ય વિયોગ છે. કાળ, કર્મ અને ભવિતવ્યતા ક્યારે સંયોગોને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે એનો પત્તો નથી. આવી જગતભરમાં બનતી સાંસારિક ઘટનાઓ પરથી દેખી શકાય છે, કે સંયોગોને જેટલા વધારે ઈષ્ટ કરી માન્યા, ત્યાં અચાનક સંયોગ નષ્ટ થઈ ઈષ્ટનો વિયોગ કરતાં વધુ પ્રમાણમાં દુ:ખનાં પોટલાં ઊભા થાય છે. માટે જ જ્ઞાની કહે છે કે, 'संजोगमूला जीवेण पत्ता दुक्ख परंपरा / ' અર્થાતુ જીવે દુઃખની પરંપરા મેળવી છે, તે મૂળ સંયોગનાં જ કારણે. સાક્ષાત્ તો એવું દેખાય કે વિયોગ થતાં દુઃખ થયું, વિયોગનાં કારણે દુઃખ થયું, પરંતુ વાસ્તવમાં સંયોગ જ ન થયો હોત, અથવા સંયોગને સુખરૂપ ન માન્યો હોત, તો વિયોગનું કોઈ દુ:ખ થાત નહીં., શોક્ય માતાને શત્રુ જેવો લાગતો ઓરમાયો પુત્ર મરી જતાં ક્યાં દુઃખ થાય છે ? બાકી પતિ પત્ની કે પુત્રના સંયોગ થયા પછી જ, અને એને બહુ સુખરૂપ ઇષ્ટ મનગમતો માન્યા પછી જ, પતિ મરણ પત્ની મરણ કે પુત્ર મરણ પર દુ:ખની પોક મુકાય છે. * કુંવારી રહેનાર યા સાધ્વી થનાર બાઈને ક્યાં જિંદગીમાં વિધવાપણાનું દુઃખ લાગે છે ? * એમ કુંવારા રહેનાર કે સાધુ થનારને ક્યાં પત્ની મરણનું દુ:ખ આવે છે ? * અથવા વાંઝિયા માબાપને ક્યાં પુત્ર મરણની પોક મૂકવી પડે છે ? સગર ચક્રવર્તીને એકી સાથે 60 હજાર પુત્રો મરી ગયાના સમાચાર આવ્યા, ક્ષણવાર શોકનો આઘાત લાગ્યો, પરંતુ દેવની દરમ્યાનગિરિથી સમજાઈ ગયું કે, પુત્રોનાં સંયોગને મેં બહુ ઈષ્ટ કરીને માન્યો હતો, તેથી જ હવે આ પુત્રોનો વિયોગ થતાં દુ:ખ થાય છે. એટલે દુ:ખ વાસ્તવમાં પુત્ર વિયોગના હિસાબે નહિ, પરંતુ મૂળ સંયોગના હિસાબે જ, યા સંયોગ સારો સુખદાયી માન્યા હિસાબે જ થયું ગણાય. ઇષ્ટ સંયોગમાં સુખ એ મારી ભ્રાન્તિ જ હતી. કર્મ ! તારી ગતિ ન્યારી 297
Page #303
--------------------------------------------------------------------------
________________ કોના એ છોકરા ? અને હું કોણ એનો બાપ !' એમ કરી ઇષ્ટ સંયોગનું સુખ મનમાંથી કાઢી નાખ્યું તો મન પરથી વિયોગનું દુઃખ ઊતરી ગયું, ઊલટું આવા દેવકુંવર જેવા કનૈયાઓને પણ અચાનક મોત આવે ! એવો આ સંસાર ભયાનક છે ! એમ કરીને સંસાર ઉપર વૈરાગ્ય વધી ગયો. તરંગવતી ગુમ થવા પાછળ માતા પિતા વગેરેને ભારે દુઃખ થયું છે. એમાં ઇષ્ટ સંયોગને બહુ સુખકર કરીને માન્યો હતો માટે જ એ દુઃખ થયું છે. એટલે જ આ પરથી શીખવા મળે છે કે ધર્માત્મા તરીકનું શુદ્ધ જીવન જીવવું હોય તો ઇષ્ટ પુત્રાદિના સંયોગને એવો લેખવો જોઈએ કે “ઘરમાં આ એક મહેમાન આવ્યો છે. એ કેટલો રહે, અને ક્યારે ઊઠીને ચાલ્યો જાય, એનો કોઈ ભરોસો નહિ.' આવો ભાવ મનમાં સતત કેળવવો જોઈએ. એ કેળવ્યો હોય તો ઈષ્ટ સગું મરી જતાં એવું દુઃખ થાય નહીં. મહેમાન ગમે ત્યારે ચાલી જાય એના પર કોણ રોવા બેસે છે ! દાસી સારસિકાએ શેઠ આગળ સવારે ભેદ ખોલ્યો કે “તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી ચિત્રપટ્ટ દ્વારા એના પૂર્વનાં પ્રિયને અહીં મેળવી એની સાથે રાતના પલાયન થઈ ગયેલી.” પ્ર.- આ વાત પર શેઠ કેમ ગુસ્સે થઈ ગયા ? કેમ મનથી માંડવાળ ન કરી કે સહજ છે કે મેં એના પ્રિયનો સંબંધ ન બાંધી આપ્યો, એટલે એ ભાગી જાય ? ઉ.- માંડવાળ ન કરવાનું કારણ શેઠ સમજે છે કે “આ નાનડિયા ગમે તેવાને પ્રિય કરી બેસે, પણ પછી એમાં એને પાછળથી જીવનભરના કલેશસંતાપ ઊભા થાય. વળી આ પ્રિય તો સાર્થવાહપુત્ર એટલે વારંવાર પરદેશ લાંબી ખેપે જાય, એમાં દીકરીને ટેમ્પરરી રંડાપા જેવું બનતું રહે, તેથી કલેશ સંતાપ થયા કરે. એવું ન થાય માટે મોટેરાની ફરજ છે કે નાનડિયાને આંધળિયા કરતા અટકાવવા જોઈએ.” આમ એમના ભાવી જીવનભરના કલેશ-સંતાપથી બચાવી લેવાનો શેઠનો પવિત્ર આશય હોય, ત્યાં એ નાનડિયાનો આપમતિનો ઉદ્ધત વ્યવહાર દેખે તો સહેજે ગુસ્સો થાય. પ્ર.- તો પછી પાછળથી કેમ એમણે ગુસ્સો ભૂલી જઈ પોતાની જાત પર સંતાપ કરવા માંડ્યો કે “હાય ! મેં એનાં પ્રિય પમદેવને વેરે કન્યા આપવાની ક્યાં ના પાડી ?' ઉ.- ગુસ્સો ભૂલવાનું કારણ, સારસિકાએ પછીથી જયારે ખુલાસો કર્યો - તરંગવતી 298
Page #304
--------------------------------------------------------------------------
________________ કે “આમ તો તરંગવતી, શેઠે કન્યા દેવાની ના પાડ્યા પછી, આપઘાત કરવા તૈયાર થઈ ગઈ હતી, પરંતુ એના પ્રિયનો સમાગમ કરાવી આપવાના મારા પ્રયત્ન માત્રથી જ એ જીવતી બચી ગઈ,” ત્યારે શેઠને તરંગવતી અને પમદેવનો આટલો બધો પૂર્વથી ચાલ્યો આવતો ગાઢ પ્રેમ જાણવા મળ્યો ! એટલે પછી સ્વાભાવિક લાગ્યું કે “એને તોડવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ ! એટલે જ સમજી શેઠ હવે ગુસ્સો ભૂલીને જાતના અકાર્ય પર સંતાપ કરે છે. એમાં વળી શેઠાણીનો લાડકી પુત્રીના વિયોગ પર કલ્પાંત દેખ્યો તેથી શેઠ વધારે ગગદ થઈ જઈ તરત જ એ બંનેની ભાળ લગાડી એમને ઘરે લાવી ધામધૂમથી એમના લગ્ન કરાવી આપવાનું મનમાં ધારી લે છે. સંસારની કૂરતા H અહીં માતાએ જે કલ્પાંત માંડ્યો હતો અને જનસમાજ સહિત બધાને રોતા કરી મૂક્યા હતા, એ પણ માતાનો કલ્પાંત-પ્રસંગ સંસારની જીવો પરની એક મહાન ક્રૂરતા બતાવે છે. શું સંસાર ક્રૂર ? હા, અવશ્ય ક્રૂર. જે સંસાર એકવાર જીવોને હસતા ખીલતા કરનારો હોય છે, એજ સંસાર વિચિત્ર ઘટના ઊભી કરીને જીવો પાસે કારમાં આજંદ રૂદન અને હૈયાં બાળતા ભારે શોક-સંતાપ કરાવે છે; જીવો પર સંસારની આ ક્રૂરતા નહીં તો બીજું શું છે ? એટલા જ માટે, સંસારની કૂરતા દેખીને સુબુદ્ધ ભવ્યાત્માઓ વેળાસર સંસારમાંથી ઊભગી જઈને ધર્મ-મહારાજાનું શરણું લે છે, કૂર અને નપાવટ સંસારનો ત્યાગ કરીને ચારિત્રનાં પ્રભુનાં પંથે નીકળી પડે છે, નિર્મળ ચારિત્રની આરાધના કરીને અંતે અનંત દુઃખમય સંસારથી મુક્ત થઈ અનંત સુખમય શાશ્વતા સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. હવે તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહ્યા છે કે “ગુહિણી ! એક સુંદર હવેલીમાં હું મારા પ્રિયતમ પમદેવની સાથે પૂર્વનાં ચક્રવાક-ચક્રવાકીની જેમ સુખ-વિલાસમાં સમય પસાર કરી રહી હતી, એમાં કોણ જાણે અમને બંનેને એટલો બધો રાગ હતો, કે અમે એકબીજાને છોડી શકતા નહીં; ને નાટક વગેરે જોતાં અમે સુખપૂર્વક રહેતા હતા. એટલામાં શરદ ઋતુ, શિશિર ઋતુ, ને હેમંત ઋતુ, ક્યાં વીતી ગઈ એની ખબર પડી નહીં. ખરે જ ! સુખના ને દુ:ખના દહાડામાં કેટલો બધ ફરક છે ! ક્યાં પેલા ચોરપલ્લીનાં મહાદુઃખના 3 દિવસ પસાર કરતાં દિવસ મોટો મહિના જેવો લાગતો ? ને ક્યાં સુખનાં 3 મહિના 3 દિવસની જેમ પસાર થઈ ગયા ! કર્મ ! તારી ગતિ ન્યારી 299
Page #305
--------------------------------------------------------------------------
________________ દેવતાઓને સુખનાં હજારો વર્ષ પસાર થતાં જાણે “હજી તો એક જ દિવસ પસાર થયો !" એમ લાગે છે ! ત્યારે નરકના જીવોને બિચારાને ક્ષણે ક્ષણે અતિ વેદનામાં રિબાતાં એક દિવસ પણ પસાર કરવો હજાર વર્ષ જેવો લાગે છે ! સાધર્મિક ઉદ્ધાર સહેલો ? શેઠિયા માણસ આમ સુખમાં વર્ષ પસાર કરતી વખતે, જો “ગરીબ દુઃખી સાધર્મિકો આજે દુ:ખનાં દહાડા કેમ પસાર કરતા હશે ? એક એક દિવસ એમને કેટલો લાંબો લાગતો હશે !' એનો વિચાર કરે, અને સાધર્મિક ભક્તિ તો પછી, પણ માનવદયા ભર્યું હૈયું કરે, તો સાધર્મિકના આજે ઉદ્ધાર કાંઈ જ કઠિન નથી. એક એક શ્રીમંતનાં માત્ર ખાનપાનનાં ખર્ચ એટલા મોટા છે કે એમાં 3/4 સાધર્મિકનો ખુશીથી અનાજ પાણી દ્વારા ઉદ્ધાર સહેલાઈથી કરી શકે. બાકી ગાડીઓ અને મોજશોખ વગેરેનાં ખરચામાંથી થોડુંક ઓછું કરે, યા એમાં 10.20 ટકામાં ૪પ સાધર્મિકનો ઉદ્ધાર સહેલાઈથી કરી શકે; અને પોતાને કશી ખોટ આવે નહીં. 21. તરંગવતીને મહામુનિનો ભેટો | અમારે સુખના મહિના જ નહિ, વરસો ઝટપટ પસાર થતા હતા, બાર વરસ નીકળી ગયા, એમાં એક વાર વસંત ઋતુ આવી. અમે બહાર ઉદ્યાનમાં ફરવા માટે નીકળ્યા. ત્યાં એક શિલા ઉપર એક મહાત્મા મુનિ ધ્યાનમાં બિરાજમાન જોયા ! તરત જ દૂરથી વિનયપૂર્વક કાયા નમાવીને અમે નમસ્કાર કર્યો, અને વસંતની શોભા જોવામાંથી મન ઉઠાવી લઈ “જાણે આ સંયમનાં ગુણોનું નિધાન છે ! એ રીતે એમને જોઈને અમે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા ! મુનિરાજને ધર્મ અને ગુણોનો ખજાના સમાન, માયા-મદ-મોહ વગેરે દોષોથી તદન રહિત બનેલાં, અને નિસંગ,-નિરભિમ્પંગ-અનાસક્ત ધ્યાનમાં રહેલા જોઈ, અમે એમની પાસે ગયા, અને હાથની અંજલિ જોડી વિનયપૂર્વક ખૂબ ભક્તિથી જમીન પર પડી એમને વંદન કર્યું. એ કરતાં અતિવર્ષથી અમારી રોમરાજી ખડી થઈ ગઈ ! અમે “આપને વિહાર તથા સંયમ-યાત્રા નિર્વિબે સુખરૂપ પ્રવર્તે છે ને ?' એમ સુખશાતા પૂછી. ત્યાં કોણ જાણે મહાત્માની અમારા ઉપર કેવી મહેર વરસી ! કે મહાત્માએ અમને કંઈક કહેવા માટે ધ્યાન પાર્યું. મહાત્મા કેમ વાતમાં ન પડે? :- નહીંતર પોતાની અતિકિંમતી ધ્યાનાદિસાધનામાં એકતાન બનેલા આવા મહાત્માને આપણી શી પડી હોય કે પોતાનો 300 - તરંગવતી.
Page #306
--------------------------------------------------------------------------
________________ ધ્યાન-સ્વાધ્યાય મૂકીને આપણી સામે ય જુએ? કેમકે એમણે જાતે જ સર્વસંગનો ત્યાગ કર્યો હોવાથી આપણી પાસેથી કોઈ વાતની અપેક્ષા-આશંસા-અભિલાષા એમને હોતી નથી, પછી શું કામ આપણી પાછળ વ્યર્થ સમય બગાડે ? એ તો આપણો જ મહાન પુણ્યોદય સમજવો કે આવા નિક્સંગ નિસ્પૃહી મહાત્મા આપણી સામે પણ જુએ ! અને આપણને ધર્મબોધ આપે ! મહાત્માને મોક્ષોપાય પૂછે છે : મહાત્માએ ધ્યાન માર્યું. અમને જન્મ મરણની જંજાળ તોડનારો, તથા સર્વ દુઃખનો નાશક એવો “ધર્મલાભ” આપ્યો. અમે મહાત્માને વિનંતિ કરી, “પ્રભુ ! સંસારનાં જન્મ-મરણાદિનાં ભયંકર સમસ્ત દુ:ખોથી જીવનો છૂટકારો કેમ થાય ? મોક્ષમાં સર્વ પ્રકારનાં વિષયસુખોનો અભાવ છે, તેથી જ એમાં અનુપમ સુખ છે. તો એવો મોક્ષ કેમ મળે ?' આમ સવાલ કરીને અમે મસ્તકથી વંદના કરતાં અમે ધરતી પર એમની સામે નીચે બેઠા. મહાત્માજી અમને કહે છે કે “જુઓ મહાનુભાવ ! તમે સંસાર જન્મ મરણાદિ ભયંકર દુઃખોથી ભરેલો છે એ સમજ્યા છો એ તમારી વડાઈ છે. પરંતુ એમ વિષય-સુખોમાં નિશ્ચય નયથી લેશ પણ સુખ નથી, એ સાથે સમજી લેવાનું છે. પ્ર.- તો પ્રભુ ! સંસારમાં તો મનગમતા વિષયો ભોગવતાં સુખનો અનુભવ થાય છે એવું કેમ ? ઉ.- એ સુખનો અનુભવ ઝાંઝવાનાં નીરના અનુભવ જેવો છે, ખરજવાની ખણજના સુખના અનુભવ જેવો છે. અહીંના અતિ અલ્પકાળનાં વિષયસુખની સામે પછી દુર્ગતિનાં ઊભા થતાં હજારો-લાખો-ક્રોડો વર્ષનાં કારમાં દુ:ખોની અપેક્ષાએ જો વિચારો, તો એ વિષયસુખ સુખ જ ન લાગે. માત્ર એ સુખો તો સુખરૂપ નહિ; કિન્તુ ઇષ્ટ વિષયો અને સગાં-સ્નેહી એ કોઈ સુખરૂપ ન લાગે. મ્લેચ્છનાં બોકડાને જ્યારે અંગ અંગ કાપવા બેસે, ત્યારે એ બોકડાને પહેલાં ખવરાવેલ ફળ-મેવા વગેરે ભરચક માલમલીદા આપનાર એ મ્લેચ્છ અત્યારે ખરેખર મહાદુઃખરૂપ દેખાય છે ! તેમજ એ ફળ મેવાના માલ-મલીદા પણ “બળ્યા એ ગોઝારા ફળ મેવા! કે એની પાછળ આ કૂરપણે રહેંસાઈ જવાનાં ને અંગેઅંગ જીવતા જીવે કપાઈ જવાના ભયંકર ગોઝારા ત્રાસ આવ્યા !' તાત્પર્ય, એ માલમલીદા હવે મહાદુઃખો લાગે છે.” મહાત્મા જયાં અમૃત-રસાયણ જેવાં મનોહર બોલ બોલી રહ્યા હતા કર્મ ! તારી ગતિ ન્યારી 301
Page #307
--------------------------------------------------------------------------
________________ ત્યાં, તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે અમને એટલો બધો આનંદ આવ્યો કે લાગ્યું કે જાણે અમૃતનો મેઘ વરસી રહ્યો છે ! મહાત્માજી આગળ ચલાવે છે કે, જિનેશ્વર ભગવંતોએ બંધ-મોક્ષ અને એનાં કારણો બતાવ્યા છે. બંધ-મોક્ષનું ટૂંકું સ્વરૂપ : “આ આત્મા ઇન્દ્રિયોને મનગમતા રૂપ-રસસ્પર્શ. .વગેરે ગુણવાળા વિષયોમાં રક્ત બને છે, સારું સારું ખાય, સન્માનસંગીતના શબ્દ સાંભળે, રમણીઓનાં રૂપાળા અંગોપાંગ જુએ, મીઠા મીઠા સ્પર્શમાં આસક્ત બને એટલે અનેક પ્રકારનાં પાપકર્મો બાંધે છે.” તો જો એ ઇષ્ટ વિષયોનો સ્વેચ્છાએ ત્યાગ કરે, અને તપના ગુણમાં ચડી જાય.. ઇત્યાદિ અશુભથી નિવૃત્ત થાય, અને શુભમાં પ્રવૃત્તિવાળો બને; તો શુભ પુણ્યકર્મ ઉપાર્જે છે. મૂળમાં સંસારમાં વિષય-રાગથી વિષયોમાં આસક્ત બનેલો હિંસાજૂઠ વગેરે ઘોર પાપપ્રવૃત્તિઓ મન-વચન-કાયાથી કરી કરીને કર્મનાં થોકેથોક બાંધી સંસારની 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. અને એ પાપકર્મોનાં નરક-નિગોદ ગતિ સુધીના દુઃખદ વિપાકો ભોગવે છે. આ મૂળ પાપ વિષયરાગ’નું છે તેથી જિનેશ્વર ભગવાનનાં ઉપદેશને હૈયામાં ઉતારીને જે ભવ્યાત્માઓ આત્માનું નિકંદન કાઢનારા એવા ગોઝારા વિષયોથી વૈરાગ્ય પામે છે, એની વિષયો તરફની ભારે ધૃણાથી પ્રવૃત્તિ શિથિલ બને છે, અને પછી સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને ફરમાવેલા દાન-શીલ-તપ-ભાવ, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપ, વગેરે ધર્મ-મંગળને જીવનમાં અપનાવે છે. બાંધેલા પાપકર્મથી છૂટકારો થાય છે...યાવતુ પરાકાષ્ઠાએ સર્વથા છૂટકારો થાય છે, એટલે કે જીવનો સંસારથી છૂટી મોક્ષ થાય છે. તરંગવતીનાં પ્રશ્ન ઉપર મુનિએ બંધ-મોક્ષનું સુંદર સ્વરૂપ બતાવ્યું, જેના પર વિચાર કરતાં માણસની પાસે જે બુદ્ધિ-શક્તિ છે, તેનો ઉપયોગ કરે તો પોતાને ખ્યાલ આવી જાય કે “હું જીવન કેવું જીવી રહ્યો છું? કર્મ બાંધવાનાં કેટલા ચાલુ છે ? અને કર્મ છોડવાનાં કેટલા ચાલુ ? મુશીબત એ છે કે આ કર્મ એ અદશ્ય વસ્તુ છે. જીવને એ દેખાતા નથી. એટલે પાપાચરણ કરતાં કોઈ સંકોચ નથી કે “મને આટલા બધા આનાથી પાપકર્મ બંધાય છે તો જરાક થોભે. કેમકે અત્યારે તો વિષયો ને આરંભ સમારંભાદિ પાપોની મનની માનેલી લહેર ઊડાવવામાં ભવિષ્યનો વિચાર નથી, પરંતુ ખબર નથી કે ભવિષ્યમાં આનાથી દમ નીકળી જશે ! 302 - તર ગવતી
Page #308
--------------------------------------------------------------------------
________________ પાપાચરણનો સમય થોડો. પરંતુ પાપોદયનો સમય લાંબો લચક હોય છે. તરંગવતીને મુનિ આગળ શું કહે છે? : તરંગવતીને પેલા મુનિ કહી રહ્યા છે કે “આમ જીવ બંધનાં કારણો સેવવાથી કર્મથી બંધાય છે, અને વિપરિત કારણો સેવવાથી કર્મથી મૂકાય છે. એ કૂવાનાં અરઘટ યંત્રની ઘડીઓની જેમ ઊંચેથી નીચે, ને નીચેથી ઊંચે; અર્થાત્ દેવ-મનુષ્યની સદ્ગતિમાંથી નરક-તિર્યંચગતિની દુર્ગતિમાં અને ત્યાંથી ફરી દેવ-મનુષ્ય ગતિમાં ભટક્યા કરે છે. | મધ્યમ શુભ યોગોથી મનુષ્યગતિ પામે છે, અને ઉત્તમ શુભ યોગોથી દેવગતિ પામે છે; જ્યારે અશુભ પાપયોગોથી તિર્યંચગતિ, અને ઉત્કૃષ્ટા અશુભ પાપયોગોથી નરકગતિ પામે છે. પાપ-યોગો દુર્ગતિનું કારણ છે અને ધર્મ-યોગો સતિનું કારણ છે. જીવનાં મન ઉપર મોહનું અંધારું એવું છવાઈ જાય છે કે પછી એ ક્ષણિક વિષય-સુખો માટે હિંસા-જૂઠ ચોરી–મૈથુન-પરિગ્રહ, ક્રોધાદિ ચાર કષાયો, રાગ-દ્વેષ કલહ-અભ્યાખ્યાન (આળ ચડાવવું) પૈશુન્ય (ચાડી ચુગલી) રતિઅરતિ (હરખ-ઉદ્વેગ) બીજાની નિંદા, માયા, મૃષાવાદ અને મિથ્યાત્વશલ્યનાં 18 પાપસ્થાનક સેવે છે. તે પણ મન-વચન અને કાયાથી આંખ મીંચીને સેવ્યું જાય છે ! પાપિઠ વિચારો કરી કરી પોતાના જ મનને મહા ખરાબખસ્ત રાખે છે ! અહો ! અજ્ઞાન દશા કેટલી બધી ભૂંડી-ભયંકર છે કે એ પોતાના આત્મા સામે જોતો જ નથી ! આત્માનાં પરલોક સામે ય જોતો નથી ! અને રૂડાં મનુષ્ય-અવતારમાં કૂડા અઢાર પાકિસ્થાનક સેવે છે ! એ સેવરાવનાર પહેલા નંબરમાં એને મળેલી લુચ્ચી ઇન્દ્રિયો છે, જેને મૂરખ જીવ વિષયોમાં યથેચ્છ અને બેફામ દોડાવે છે ! ઇન્દ્રિયો ઉપર કશો અંકુશ મૂકાતો નથી. એથી સતત મલિન અધ્યવસાયોમાં રમતો રહી આ જીવ ચારે ગતિઓમાં ભટકે છે ! એમાં વિશેષ કાળ તો દુર્ગતિઓમાં કાઢે છે, ને ત્યાં ભયંકર દુઃખોમાં રિબાતો રહે છે. તમને સંક્ષેપમાં બંધનાં આ કારણો બતાવ્યા. જેવી રીતે શરીર જો તેલથી ચિકાશવાળું કરેલું હોય તો એનાં પર વાતાવરણમાંની ધૂળ ચોંટ્યા કરે છે; એમ આ 18 પાપસ્થાનકની ચિકાશથી આત્મા ઉપર ઢગલો કર્મર ચોંટ્યા કરે છે. કર્મ ! તારી ગતિ ન્યારી 303
Page #309
--------------------------------------------------------------------------
________________ જીવનાં માથે અનાદિ કાળથી કર્મના સમૂહનું કાર્મણ-શરીર ચાલ્યું આવે છે. જેવી રીતે ઉદરના અગ્નિથી ભૂખ્યો ડાંસ જીવ ગમે તે ગમે તે અભક્ષ્યો પણ ખાઈ નાખે છે, તેમ આ કાર્પણ શરીર પણ દોષોનાં અગ્નિથી ગમે તે ગમે તે અશુભ કર્મો આરોગી લઈ પુષ્ટ થતું રહે છે. એ તો જયારે એ અધમ પાપમાર્ગ સર્વથા છોડે, ઉત્તમ ધર્મ-માર્ગની આરાધના કરે, ત્યારે આ કાર્પણ શરીરનાં કર્મોની જોરદાર નિર્જરા (ક્ષય) થતાં થતાં, ધર્મ-સાધનાની પરાકાષ્ઠાએ એનો સર્વથા ક્ષય કરી, જીવ મોક્ષ પામે છે. આ કર્મો મૂળ આઠ પ્રકારના છે, (1) જ્ઞાનાવરણીય કર્મ, (2) દર્શનાવરણીય કર્મ, (3) વેદનીય-કર્મ, (4) મોહનીય કર્મ, (5) આયુષ્ય કર્મ, (6) નામકર્મ, (7) ગોત્રકર્મ, અને (8) અંતરાય-કર્મ. જેમ જુદા જુદા પ્રકારનાં બીજ વાવેલા જુદા જુદા પ્રકારનાં પુષ્પ અને ફળ આપે છે, તેમ આ જુદા જુદા કર્મો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવને પામીને વિપાકમાં આવીને આત્માના જ્ઞાન-દર્શન-સુખ વગેરેને દબાવી દેવાનાં ફળ દેખાડે છે. બાંધેલાં કર્મોને ભોગવતા જવાનું, અને નવા કર્મોનો સંચય કરતા રહેવાનું ! આ સંસારમાં અનાદિ કાળથી જીવને આ ચાલુ છે. જીવની ઇન્દ્રિયોથી વિષયસુખો મેળવવાની ને ભોગવવાની કારમી તૃષ્ણાઇચ્છાને લીધે, ખરજવાની ખણજની જેમ, વાસનાની વેદનાની આગને મિટાવવા અને તુચ્છ વિષયસુખ લેવા, ઘોર નરકાદિ દુઃખોને લાવનારા અધમ-અધમ મહાપાપો કર્યો જ જાય છે ! જન્મ-મરણનાં મહાસાગરમાં અનંતા આંટા-ફેરા કરતાં અનેક પ્રકારના સુખ-દુ:ખ, રતિ-અરતિ આદિના દ્વન્દ્રોનો અનુભવ કરે છે. દા.ત. શાતા-અશાતા, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, ઊંચ-નીચ ગોત્ર, સંયોગ-વિયોગ, હર્ષ-શોક વગેરે જોડકાનો અનંતીવાર અનુભવ કરતાં કરતાં જીવ હજી થાક્યો નથી ! હાં, અહીં એક વિશેષતા છે કે, મનુષ્ય ભવમાં સર્વ દુઃખથી મુકાવનાર એવો, અને સંસાર-મહાવનનાં અજ્ઞાન-અવિરતિ આસક્તિ વગેરે વૃક્ષોને તોડી નાખનારો જિનેશ્વર ભગવાને નિર્વાણનો મહા પંથ ઉપદેશેલો મળે છે, જેમાં સમ્યગુ તત્ત્વજ્ઞાન અને સંયમક્રિયાનો મુખ્ય ઉપદેશ છે. એના અનુસારે સંયમથી સમસ્ત પાપમાગનો નિરોધ-અટકાયત થઈ જાય છે, અને ત્યાં સાથે તપમાર્ગની આરાધનાથી કર્મોનાં કચરા સાફ થઈ થઈ જીવ નિર્મળ થતો આવે છે. અને 304 - તરંગવતી
Page #310
--------------------------------------------------------------------------
________________ તેમાં અંતે સર્વથા કર્મક્ષય થઈ જીવ સિદ્ધિપદ પામે છે. તે એક જ સમયમાં અસ્પૃશદ્ ગતિથી જીવ ઊંચે જઈ ઉપર, લોકના અંતે રહેલ સિદ્ધશિલા પર આરૂઢ થાય છે. જ્યારે અહીં સર્વકર્મ ક્ષય કરનારા છેલ્લા શૈલેશી કરણને કરે છે ત્યારે, શરીરમાં રહેલા જીવની અવગાહના 1/3 ભાગ ઓછી થઈ જાય છે. એટલે હવે આત્મા 2/3 ભાગની અવગાહનાવાળો સિદ્ધશિલા ઉપર જઈ શાશ્વત કાળ માટે બિરાજમાન થાય છે. ત્યાં હવે કોઈ રાગ, દ્વેષ...વગેરે પાપ-સ્થાનકની ચિકાશ આત્મા પર છે નહીં, તેથી એના પર કોઈ કર્મ-રજ ચોંટી શકતી નથી. જે સંસ્થાન અર્થાત આકૃતિ અહીં મોક્ષ પામતાં હોય છે, તે જ સંસ્થાન સિદ્ધશિલા પર કાયમ માટે અવસ્થિત બને છે.” તરંગવતી-પધદેવ શું કહે છે ? : મુનિનો આ ભવ્ય ઉપદેશ સાંભળીને તરંગવતી અને પાદેવ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે; એમનાં હૃદય પર એ ભારે અસર કરી જાય છે ! અને એ હાથ જોડી કહે છે કે, “ભગવન ! “ઇચ્છામો અણુસર્ફિં,' અર્થાતુ આપની હિતશિક્ષાને અમે સ્વીકારીએ છીએ.” પછી મસ્તક નમાવીને વંદન કરવા સાથે કહે છે કે “પ્રભુ ! ખરેખર આપે મનુષ્ય જન્મ સારો સફળ કર્યો કે આવી યુવાન વયમાં વિષય-સંગ છોડી દીધો ! અને ચારિત્રનાં કપરા પંથે જીવન ઝુકાવી દીધું ! પ્રભુ ! કૃપા કરીને એ બતાવો કે, તમને આ શી રીતે સૂર્યું? તરંગવતી આ એટલા માટે પૂછી રહી છે કે એ સાધુનાં જીવનમાંથી કોઈ એવી ભવ્ય પ્રેરણા મળી જાય કે જે પોતાને પણ સંસારમાંથી ઊભા કરી દે !' ત્યાગી મુનિ તો મળે, અને ખાલી ખાલી જીજ્ઞાસાથી એમનો પૂર્વ વૃત્તાંત પૂછવાનું ય કરાય, પરંતુ એ જાણીને કશી મહાન ત્યાગ-વૈરાગ્યની પ્રેરણા લેવાની ઇચ્છા જ ન હોય તો મુનિના જીવનને જાણીને પોતાને શી લેણદેણ? એમ વ્યાખ્યાનમાં કે એમ જ ખાલી ખાલી પ્રશ્નો કરી જિજ્ઞાસા બતાવી, પરંતુ એ જાણીને જીવનમાં આચરવાનું કશું લેવાનું ન હોય, તો એવાં ખાલીખમ પ્રશ્નો કરીને શું ? ભલે ને મહારાજ પાસેથી એનાં રોચક-પ્રેરક અને બોધક ઉત્તરો મળે, પણ એ મેળવીને શું? એવાઓ જિંદગી સુધી આ જ આદતવાળા બન્યા રહે છે ! અને એમનું જીવન તો પાછું “મિંયા ઠેર કા ઠેર” જેવું હોય છે. તરંગવતી પ્રશ્ન કરે છે તે અંતરની સાચી જિજ્ઞાસાથી કે આ મુનિ મહાત્માનું જીવન સાંભળવા મળે, તો એમાંથી અમને ક્યાંક જોરદાર વૈરાગ્યની પ્રેરણા મળે. કર્મ ! તારી ગતિ ન્યારી 305
Page #311
--------------------------------------------------------------------------
________________ મુનિનો પૂર્વ ભવ : પારધી-વૃત્તાંત H મહાત્મા ત્યાં મધુર સંગતિવાળી અને મિતાક્ષરી વાણીથી કેવળ પરના ઉપકાર માટે કહી રહ્યા છે. તે પણ સ્વયં નિર્વિકાર રહીને કહે છે; કેમકે એ જિન-વચનોનાં વિશારદ બનેલા છે. વાણી મધુર હોય તો સામાને પ્રિય અને ગ્રાહ્ય થાય. એથી ઊલટું વાણી કર્કશ અને કડવું કહેનારી હોય તો પોતાનાં કિંમતી પણ વસ્તુ કથનથી સામા પર સારી અસર પાડી શકતા નથી. કેટલાંય માબાપોની એવી કર્કશ ભાષાથી છોકરા પર સારી અસર થતી નથી. સાધુ પણ વ્યાખ્યાનમાં જો એવી કર્કશ ભાષા વાપરે, તો શ્રોતાજનો એમાંથી સારી અસર લઈ જવાને બદલે ઊલટું કહે છે કે “મહારાજનો સ્વભાવ તેજ છે.” સાધુએ આમાં વ્યાખ્યાનથી શું સારું આપ્યું ? ત્યારે પ્રિય અને મધુર ભાષાવાળા માબાપોની સંતાન પર સુંદર અસર પડે છે. એમ એવાં વ્યાખ્યાનોની શ્રોતા ઉપર હૃદયવેધી ઊંડી અસર પડે છે. વેપારી ઘરાક સાથે એવી પ્રિય મધુર ભાષા વાપરે તો એ ઘરાક તો કાયમનો થઈ જાય, પણ બીજા ય ઘરાક લઈ આવે છે. ભાષા કર્કશ હોય તો વેપારી ઘરાકને ગુમાવે છે. પ્ર.- પરંતુ ઘરમાં બચપણથી માબાપની એવી કર્કશ ભાષા સાંભળી સાંભળીને અમને એવી ભાષાની કુટેવ પડી ગઈ હોય તે કેમ સુધરે ? ઉ.- કુટેવ સુધારવા માટે પહેલાં તો મન પર નિશ્ચિત કરી દેવું જોઈએ કે “બોલીને સામા પર અસર પાડવાની વાત તો પછી, પરંતુ પહેલો તો મારા પોતાના આત્મા પર એવી કર્કશ બોલીથી ક્રોધ-દ્વેષ-અભિમાન વગેરેની ખરાબ-મલિન લાગણી પોષાય તે હવે મારે નથી પોષવી. “એની પોતાની જાતમાં ખોટી અસર છે, જિંદગી સુધી આવી જ્યારે ને ત્યારે કઠોર-કર્કશ અપ્રિય ભાષા વાપરતો રહું તો એથી પરભવ માટે કેવા સંસ્કારનું પોટલું ઉપાડીને ચાલવાનું? જો અહીં જિંદગીના છેડા સુધી આ નહીં સુધારું, તો પછી કયા ભાવે સુધારવાનું થવાનું હતું ? માટે બીજાનાં ભલાની વાત તો પછી, પરંતુ મારા આત્માનું ભલું થાય એ માટે મારે મધ જેવી મીઠી અને પ્રિય ભાષા બોલવાની ખાસ ટેવ પાડવી છે.” આવો જો નિર્ધાર કરી રાખ્યો હોય, ને વારે વારે મનમાં એ લાવ્યા કરાય કે; “જો જે જીવ ! ક્યાંક કઠોર-કર્કશ-અપ્રિય શબ્દ ન બોલાઈ જાય.” આમ વારે વારે જાગૃતિ રાખવામાં આવે, તો પ્રિય મધુર ભાષા બોલવાની સારી ટેવ પડે. | કુંભારણ ગધેડીઓ લઈને જતી હતી. ગધેડીઓ આડાઅવળી ચાલતી. 306 - તરંગવતી
Page #312
--------------------------------------------------------------------------
________________ ત્યારે કુંભારણ દંડી દેખાડીને એમ કહેતી કે બેન ! સીધી ચાલને બા !' રસ્તે જતી એક બાઈએ એને પૂછયું કે “આવી અવળચંડી ગધેડીઓને “બેન” ને “બા” શું કહે છે ? તેથી એ થોડી જ સુધરી જવાની છે ?" ત્યારે કુંભારણ કહે. ‘બાઈ ! એ સુધરે કે ન સુધરે, પણ જો એને હલકા અને કર્કશ શબ્દો બોલું, તો પહેલું તો મારું જ બગડી જાય ! કેમકે એવી કર્કશ ભાષાની કુટેવ પડ્યા પછી મારે ત્યાં ઘડા લેવા આવનારી ઘરાકણ બાઈઓ પણ એવી આવે છે કે ચાર આનાનો ઘડો એક આનામાં માગીને ઊભી રહે, પાછી ઉપરથી મને કહે “અલી કુંભારણ ! તું તો લૂંટારણ છે કેટલા બધા પૈસા માંગે છે ?' હવે આવી ઘરાકણને જે હં કર્કશ ભાષાથી વાત કરું, તો એ એમ ને એમ ઘડો લીધા વિના ચાલતી જ થઈ જાય. તો મારે તો ઘરાકી જ તૂટી જાય. પણ બાઈ ! તને ખબર છે ખરી, કે એને પણ “બેન ને “બા” કહીને મધુરી પ્રિય ભાષાથી વાત કરવાની ટેવ રાખું છું, તો મારે ત્યાં માથાફોડીયા ઘરાકણોની ફોજ ઊતરી પડે છે, એની સાથે “બેન” ને “બા” ની ભાષાથી વાત કરવામાં ઘરાકી સારી થાય છે. કહે બેન ! એમાં મારું ભલું થયું કે નહીં ? ગધેડીઓ તો આમે ય કર્કશ બોલથી કાંઈ સુધરે એવી જાત નહીં, પછી શા માટે એવી ભાષાથી મારો સ્વભાવ બગાડું ? અને ઘરાક સાથે શા માટે એ સ્વભાવથી એવાં કર્કશ-અપ્રિય બોલ બોલીને ઘરાકી ગુમાવું ?' સંગત ભાષા કેવી હોય ? મહાત્મા મધુર અને પ્રિય ભાષાથી પોતાનો અધિકાર કહે છે તે પણ સંગતિવાળી ભાષાથી. “સંગતિવાળી ભાષા” અર્થાત્ સંગત ભાષા એટલે કે એક વાક્ય પછી બીજું વાક્ય બોલાય તે પૂર્વની સાથે સંબંધવાળું બોલાય. એની પછી ત્રીજું વાક્ય બીજા વાક્યની સાથે સંબંધવાળું બોલાય. એવાં એક પછી એક સંકલનાબદ્ધ વચનો બોલાય ત્યાં શ્રોતાનાં કાન ઊંચા ને ઊંચા રહે છે કે “હા, પછી શું ? પછી શું ?' અને જે સંભળાતું જાય છે એ સંગત સંકલનાબદ્ધ હોવાથી, એને હૃદયમાં ગોઠવવાનું શ્રોતાને સરળ થઈ પડે છે. ભણેલા માણસોમાં આવી સંગત ભાષાનો ખૂબ પ્રભાવ પડે છે. મિતાક્ષરી બોલીનો લાભ :- મહાત્મા જે અહીં કહે છે, તે મિતાક્ષરી ભાષામાં કહે છે, અર્થાત્ કોઈ જ વધારે પડતા શબ્દો કે વાક્યો બોલવાનું ટાળીને માત્ર જરૂરી એવા મર્યાદિત જોખેલા શબ્દોમાં બોલે છે. પ્ર.- એવું મર્યાદિત શબ્દોમાં બોલતાં સામા પર અસર શી રીતે પડે ? ઉ.- મર્યાદિત શબ્દમાં બોલનાર ઠરી કરીને બોલે છે, અને ચોક્કસ હેતુ કર્મ ! તારી ગતિ ન્યારી 307
Page #313
--------------------------------------------------------------------------
________________ દલીલ-દષ્ટાંત વગેરે સાથે બોલે છે, એનું બોલવાનું ઠરેલ અને પ્રૌઢ ભાષાનું હોય છે, એટલે એની ઊંડી અસર પડે છે. ઉછાંછળા 50 વાક્યો બોલી નાખવાથી જે અસર ન થાય, તે હેતુ, યુક્તિવાળા અને પ્રૌઢ તથા ગંભીર જોખેલા માત્ર 15 શબ્દોથી અસર થાય છે. બહુ બોલવામાં નુકસાન H માનસશાસ્ત્ર એમ કહે છે કે “એક જ વાત માટે તમે વધારે વાર એનું એ બોલો છો એમાં તમને પોતાને તમારા જ આત્માનો વિશ્વાસ નથી કે “આ મારું બોલેલું સામાએ સાંભળ્યું-સ્વીકાર્યું હોય.” જો આત્મ-વિશ્વાસ હોય કે “સરખી રીતે અને હેતુ પુરસ્સર એક કે બે વાર કહું, તો એની સામા પર અસર પડે જ,' તો એ રીતે વ્યવહાર રાખવાથી પહેલો તો પોતાનો આત્મ-વિશ્વાસ વધે છે, અને સામા પર “આ તો બહુ બોલકણા' એવી આપણા માટે ખોટી છાયા પડતી નથી. દુનિયાના મહાન માણસોને જુઓ તો દેખાશે કે એ મોટા ભાગે જોખીને બોલનારા હોય છે. અલબત એક વાતની પુષ્ટિ મળે એટલા માટે જુદી જુદી દલીલથી અને દરેકની પાછળ જુદા જુદા દૃષ્ટાંતથી બોલી શકાય છે, ને એમ બોલવું એ કાંઈ બહુ વાચાલતા નથી ગણાતી. મિતાક્ષરી બોલવામાં એક મહાન લાભ એ છે કે, બોલવામાં (1) અસત્ય ઓછું આવે છે; (2) અપ્રિય ઓછું આવે છે; (3) પાછળથી ખોટા અને ભોંઠા પડવાનું થતું નથી. એમ જો મિતાક્ષરી ન હોય તો અસત્ય. નિરર્થક તથા અભિમાનભરી ભાષાનાં નિમિત્તથી કેટલાય પાપ બાંધવાનું થાય. એ નુકસાનોથી મિતાક્ષરી ભાષામાં બચી જવાનું થાય છે. દુનિયાની વિચિત્રતા કેવી છે કે માણસ જયારે પોતાના શરીરની અસ્વસ્થતાનું વર્ણન કરે છે, ત્યારે શબ્દોની મર્યાદા રાખતો નથી. પરંતુ પ્રભુની આગળ પોતાના આત્મદર્દની કથની કહેવામાં સાવ કંજૂસ ભાષાવાળો બને છે ! ખરી રીતે તો પ્રભુની આગળ પોતાના આત્મદર્દ જો વિસ્તારીને કહે તો એની પોતાનાં દિલ પર ઊંડી અસર પડે, અને એ દર્દી સુધારવાની વૃત્તિ ઊભી થાય. આ મનુષ્ય જીવનમાં મળેલી મહાકિંમતી સરસ્વતીનો સદુપયોગ શો? સરસ્વતી આપણી માતા છે. એને પવિત્ર જ રાખવી જોઈએ; તેમજ જયાં ત્યાં એનો ગેરઉપયોગ કરાય નહીં; નહીંતર પોતે પોતાની માતાને જ વ્યભિચારિણી બનાવવાનું કામ કર્યું ગણાય ! પરિમિત બોલવાનું રાખે એમાં જીભ-સરસ્વતીનો ગેરઉપયોગ કરવાનું અર્થાત્ અયોગ્ય સ્થાને ઉપયોગ કરવાનું ન થાય. 308 - તરંગવતી
Page #314
--------------------------------------------------------------------------
________________ મધુર-સંગત-મિતાક્ષરી વાણીનું કારણ : એ મુનિ આવા મધુર, સંગત અને મિતાક્ષરમાં બોલનારા કેમ હતા ? કારણ એ હતું, કે એ જિનવચનના વિશારદ હતા. અર્થાત જિનાગમના અને જિનાગમે કહેલા પદાર્થોના કુશળ જ્ઞાતા હતા. જિનાગમનું અને આગમોક્ત વસ્તુનું જ્ઞાતાપણું એક અલૌકિક ચીજ છે, આત્માનો મહાન ગુણ છે. આગમજ્ઞાન એ તો દીવો છે; જાણે નહિ તો પાળે શું ? એનાથી હેય અને ઉપાદેય, કાર્ય અને અકાર્ય, વાચ્ય અને અવાચ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, કર્તવ્ય અને અકર્તવ્ય, આચાર અને અનાચાર, હિત ને અહિત... વગેરેનું ભાન થાય છે. ત્યારે જીવનમાં આ ભાનની આ પ્રકાશની પહેલી જરૂર છે; કેમકે એ હેય-ઉપાદેયનું ભાન જ ન હોય તો બિચારો પાળે શું? હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર શી રીતે કરી શકે ? જૈનેતરોમાં “કાચું પાણી એ અસંખ્ય અપૂકાય જીવોનું જૂથ છે, એમાં અસંખ્ય જીવો સમાયેલા છે, માટે એની હિંસા હેય છે, ત્યાજ્ય છે,” એવું એમને જો ભાન જ નથી, તો એ ઇતરો બિચારા કાચાપાણીનો આરંભ-સમારંભ ક્યાં છોડી શકે છે? જંગલમાં રહેનારો મોટો તાપસ પણ નદીએ જઈ પાણીથી હાથ પગ ધોઈ લે છે, ને એ પી પણ લે છે, એમાં એના મનને જરાય લાગતું નથી કે “હું જીવ-હિંસા કરી રહ્યો છું.” પ્ર.- એમ તો છેતરોમાં અસ્નાનનું વ્રત આવે છે ને ? ઉ.- એ આવે છે તે અપૂકાય જીવની વિરાધનાથી બચવા માટે નહીં, પણ સ્નાન એ કામનું અંગ છે, બ્રહ્મચર્યનું ઘાતક છે, અબ્રહ્મનું પોષક છે, માટે એના ત્યાગનું એટલે કે અસ્નાનનું વ્રત આવે છે. તાત્પર્ય કે, “આવા સૂક્ષ્મ પણ જીવની હિંસા ત્યાજ્ય છે એ જો ભાન જ ન હોય, તો હિંસાનો અર્થાત પાણી વગેરેના આરંભ સમારંભ વગેરેનો ત્યાગ ક્યાંથી કરી શકવાનો ? માટે જ, જિનાગમની બલિહારી છે કે એનાથી હેય-ઉપાદેય, હિત-અહિત...વગેરેનું ભાન થાય છે, આત્માને પ્રકાશ મળે છે. પેલા મુનિ જિનાગમનાં વિશારદ અર્થાત્ સારા જ્ઞાતા હતા, એમનાં દિલમાં આગમજ્ઞાન છલકાતું હતું, એટલે પછી એ જિનાગને દર્શાવ્યા મુજબ મધુર-સંગત અને મિતાક્ષરી જ વાણી કેમ ન બોલે ? કર્મ ! તારી ગતિ ન્યારી 309
Page #315
--------------------------------------------------------------------------
________________ મુનિ પૂર્વભવે કોણ ? : હવે જિનાગમનાં વિશારદ એ મુનિ પહેલાં પોતાના પૂર્વભવ કહે છે, જે તરંગવતીના પૂર્વભવની સાથે સંબંધવાળો છે. એ કહે છે કે, ચંપાનગરીની પાસે જંગલ છે. ત્યાં પારધીઓનો વાસ હતો. પારધીઓનો પોષાક બહુ સામાન્ય, પરંતુ શિકારે જાય ત્યારે લાલ કામળ ઓઢીને જાય; ને સાથે ધનુષ્ય અને પીંછાવાળા બાણનું ભાથું રાખે. શિકારમાં નાના હાથીઓનો શિકાર કરીને એનાં દાંત કાઢી લે, અને એ હાથીદાંતનો વેપાર કરે. હું ગયા ભવમાં હસ્તિ-પ્રહસ્તિ નામનો પારધી હતો. અમારે કોઈ આજીવિકાનો બીજો વેપાર નહીં, તો ખાવાનું શું ? ખાવામાં અમે માંસાહારી હતા. બાણ-વિદ્યામાં મારી એવી કુશળતા હતી કે મારું બાણ નિષ્ફળ જાય નહીં. એવો અચૂક-લક્ષ્મી હું બાણાવલિ હતો, તેમજ કોઈના પર ઘા કરવાનું આવે તો એમાં દઢપ્રહારી હતો. અર્થાત્ બાણનો સચોટ ઘા કરનારો. એક જ બાણપ્રહારથી મોટા હાથીને પણ પાડી નાખનારો હતો. મારા પિતાનું નામ કુંભસિંહ, અને મારી માતા અટવીશ્રી નામની હતી. મને મારા પિતા શિખામણ આપે છે “કે તું આપણો કુળધર્મ સાંભળ.” પારધીનો કુળધર્મ : અમુકની હિંસા નહિ :(1) કૂતરાને હણવો નહિ; કેમકે શૂરવીર માણસ કાયર કૂતરાનો શિકાર ન કરે. શિકાર કરે તો બહાદુર સિંહ-વાઘનો કરે. (2) શૂરવીર યુથાધિપતિને તારે હણવો નહીં; કેમકે એથી એનું આશ્રિત યુથ (ટોળું) બિચારું નિરાધાર થઈ જાય. (3) બચ્ચાઓની માતાને નહીં હણવી; કેમકે એમાં પણ બચ્ચા બિચારા નિરાધાર થઈ જાય. (4) માતાથી નહીં ત્યજાયેલું બચ્યું પણ તારે નહીં હણવું; કેમકે એથી પણ માતાને કારમો શોક થાય. કામ-મોહિત મતિથી ક્રીડા કરતું યુગલ તારે નહીં હણવું; કેમકે એમાં એને મરવાનાં દુઃખ કરતાં ઉત્કૃષ્ટ આનંદ ભોગવવામાં ત્રુટક પડવાથી ભયંકર દુઃખ થાય છે. (6) અતિ પ્રેમબદ્ધ યુગલમાંથી એકને નહીં હણવો કેમકે એમાં પછી જીવતા રહેલાને જિંદગીભર સંતાપ રહ્યા કરે છે. આ કુળ-ધર્મ બરાબર પાળજે; કેમકે જો કુળધર્મનો નાશ કરવામાં આવે, તો કુળનો હ્રાસ થાય છે કુળને હાનિ પહોંચે છે. 310 (5) - તરંગવતી
Page #316
--------------------------------------------------------------------------
________________ માટે કુળધર્મને સારી રીતે પાળતો રહેજે, અને તારું કાર્ય સાધતો રહેજે; તેમજ આ કુળધર્મ તારા પુત્રોને પણ સમજાવજે.” પારધીમાં દયા આર્યદેશનો પ્રતાપ : પારધી જેવામાં પણ દયાભર્યા આ કેવાક કુળધર્મ ! એનું કારણ આર્યદિશમાં સર્વત્ર દયા પ્રસરેલી છે. એટલે જ કસાઈનાં કામ કરનારો પણ કૂતરાને રોટલો નખાવે છે. અહીં આ પારધી છતાં એના હૈયામાં નિરાધાર બનેલા કે નિરાધાર બનતા ઉપર દયા ઊભરાય છે ! ત્યારે વિચાર આવે કે, જે વણિકને પોતાના આર્યધર્મ કે જૈનધર્મની કશી જ પરવા કે ગરજ નથી ! પરદ્રોહ, બીજા પર અતિક્રૂરતા વગેરેથી તો પોતાનું હૃદય અત્યંત નિર્ગુણ અને કાળુ મેંશ કરે છે ! જેનાં પરિણામમાં ભયંકર નરક-તિર્યંચ ગતિઓમાં ભવોના ભવો રઝળપાટ કરવાનું આવીને ઊભું રહે છે ! કેમકે આત્મામાં એવી અત્યંત ક્રૂર નિર્દયતાનાં ચીકણા સંકુલેશમય અશુભ અનુબંધો એવા ઊભાં થાય છે કે જે જનમ-જનમ ભયંકર પાપબુદ્ધિ, ક્લિષ્ટ કાળી લેશ્યા, અને કૂર પાપિચ્છ આત્મ-પરિણતિ ઊભી કરે છે. ત્યારે પારધીમાં પણ જે કુળધર્મ બજાવે છે, એનું પાલન કરતો રહે છે, એ આમ તો પારધીનાં કામ કરતો દેખાય, છતાં અવસરે એના કુળ ધર્મનાં પાલનના પ્રભાવે એનો ઉદ્ધાર થઈ જાય ! જે અહીં આ પારધીમાં આગળ જોવા મળશે. પારધી તરે ! ને વાણિયો ડૂબે !" કેવુંક આશ્ચર્ય ! પર દ્રોહ, બીજા પર અતિ ક્રૂરતા, અને નિષ્ફર હૃદય વગેરેથી જે દુન્યવી લાભ મળે એ તો માત્ર પાંચ પચાસ વર્ષનું ટકનારું, પરંતુ પછીથી અસંખ્ય વર્ષો અને અગણિત જન્મો સુધી નરકાગારની વેદના ભોગવ્યા કરવાનું થાય ! ત્યારે ત્યાં માણસને વિચાર આવવો જોઈએ કે “આ કૂર કર્મો કેટલા વર્ષની જિંદગી જીવવા માટે ? ને પછીનો અત્યંત દુઃખમય અસંખ્ય અનંત વર્ષોનો કાળ શે” પસાર થાય ? માટે એવા ક્રૂર કર્મો કોઈ કરો નહીં. રાજા શ્રેણિક એક ગર્ભિણી હરિણીનો શિકાર કરીને ફૂલ્યા કે “ચાલો એક સાથે કેવોક બે જીવનો શિકાર કર્યો !' તો એમાં પહેલી નરકનું 84 હજાર વર્ષનું અગ્નિમાં શેકાવા, વગેરેનાં રૌરવ નરકનાં દુઃખ વેઠવાનાં ઊભા થયા ! ત્રિપૃષ્ઠ વાસુદેવ, બ્રહ્મદત્ત ચક્રવર્તી, મમ્મણશેઠ, વગેરેએ અતિ કઠોર નિષ્ફર હૃદયથી ક્રૂર કર્મો કર્યા...તો અહીં સુખ અલ્પકાળ પણ પરભવે સાતમી નરકનાં 33 સાગરોપમનાં અસંખ્યાતા વર્ષોની નરકાગારની વેદનાઓ ભોગવવી પડી. કર્મ ! તારી ગતિ ન્યારી 311
Page #317
--------------------------------------------------------------------------
________________ પેલા મુનિ કહી રહ્યા છે કે, “પૂર્વના પારધીનાં અવતારમાં પારધીપણામાં પણ બાપે સમજાવેલ દયાનાં કુળધર્મનું હું પાલન કરી રહ્યો હતો, અને સાથે અજ્ઞાનતાવશ પારધીપણું પણ આચરી રહ્યો હતો. મારે વનરાજિ નામની ભાર્યા હતી. શિકારે નીકળતો ત્યારે દેવીને નમસ્કાર કરીને નીકળતો, જેથી મને શરીરે કાંઈ વાંધો ન આવે, અને મારું કામ સફળ થાય.” પારધીપણાનું ખ્યાન: “એમાં એકવાર હું શિકારે નીકળેલો એમાં, ગંગા નદી પર એક હાથી આવેલો જોયો. ઝાડ પર ચડી મેં એનો શિકાર કરવા એના પર સણસણતું બાણ છોડ્યું. બાણનો ઘા એવો હતો કે જો એ સીધું હાથી પર ટકરાયું હોત, તો હાથી ત્યાં ઊંધો પડી જાત. પરંતુ એના સદ્ભાગ્યે એના સુધી બાણ પહોંચતાં પહેલાં, વચમાં ઊડતા એક ચક્રવાક પંખેરા ઉપર બાણ ટકરાયું, ને બિચારું એ ચક્રવાક પક્ષી બાણથી વિધાઈને બાણ સાથે નીચે ગંગાનદીમાં પાણી પર પડ્યું ! એ વખતે ત્યાં ચક્રવાકી પોતાનાં પ્રિયને ઘવાયેલો જોઈ અત્યંત શોકથી ચક્રવાકના કલેવર ઉપર આવી, માથું પછાડી કલ્પાંત કરવા લાગી ! ચાંચમાં બાણ પકડીને ખેચવા જાય છે પરંતુ બાણ ન ખેંચાતાં, ઘવાયેલું શરીર કિનારા તરફ આવતું જાય છે, એનો કલ્પાંત જોઈ મને દયા આવી ગઈ કે “અરેરે ! આ બિચારી કેટલી તરફડે છે ! હાય ! હાય ! મેં આ શું કર્યું? જોડલું નદી પર ઊડતું ક્રિીડાથી આનંદ મંગલ કરી રહ્યું હતું, એમાં ચક્રવાકને મારીને મે હાય ! બંનેના આનંદમાં ભંગ પાડ્યો ! અને ચક્રવાકીને ભયંકર શોક-સંતાપમાં નાખી દીધી ! પિતાજીએ કહેલા નિયમનો ભંગ થયો. ઝાડ પરથી ઊતરીને હું તરત ત્યાં પહોંચ્યો. ચક્રવાકને હાથમાં લઈને બાણ ખેંચી કાઢ્યું, અને પક્ષીને કિનારા પર મૂક્યું. પણ તે મરી ગયું હતું. મને થયું કે “આ મેં ભયંકર પાપ કર્યું, પિતાજીએ ખરેખરી શિખામણો આપી હતી એનું મેં ઉલ્લંઘન કર્યું. હવે મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડે. પ્રાયશ્ચિત્ત બીજું તો શું કરે ? પરંતુ લાવ, ચક્રવાકના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરું ! એમ કરી હું મરેલું શરીર ત્યાં મૂકીને જંગલમાં લાકડા લેવા ગયો. લાકડા ખૂબ જ લઈ આવ્યો અને ત્યાં આવ્યો ત્યારે જોઉં છું તો ચક્રવાકી મડદા પર માથા પછાડીને ભારે કલ્પાંત મચાવી રહી છે ! મારે પણ દુ:ખનો પાર રહ્યો નહિ. 31 ર - તરંગવતી
Page #318
--------------------------------------------------------------------------
________________ 22. પારધીનો કલ્પાંત અને મરણનિશ્ચય “ઓહો ! આવા નિર્દોષ જીવોને મેં કેવાં રંજાડ્યા !' એમ સંતાપ કરતા મેં લાકડાની ચિતા ગોઠવી, ચક્રવાકનાં શરીરને એના પર મૂક્યું. ઉપર બીજા લાકડાં ગોઠવ્યાં. એ વખતે ચક્રવાકી ઉપર આકાશમાં ચીસાચીસ કરતી ચિતાને આંટા મારી રહી હતી. જ્યાં મેં પથ્થર પર બાણનાં અણિયારાને ઘસી અગ્નિ પ્રગટાવી ચિતાને સળગાવી, અને ભડભડ સળગતાં અગ્નિમાંથી જવાલાઓ નીકળવા માંડી. ત્યાં પેલી ચક્રવાકીએ જવાળામાં સીધું પડતું જ મૂક્યું, અને જીવતી ભડભડ સળગતી બળી મરીને ખાખ થઈ ગઈ ! આ જોઈને મને પારાવાર પસ્તાવો થયો. “અરેરે ! આ મેં શું કર્યું? એક તો ચક્રવાકને વીંધી નાખ્યો ! અને બીજું આ બિચારી ચક્રવાકીને બળીને આપઘાત કરવાનો પ્રસંગ આપ્યો ! ઓહો ! પક્ષી જાતિમાં પણ કેટલો બધો પ્રિય પર પ્રેમ હશે ? કે એકના વિના હવે બીજું પક્ષી જીવંત રહેવા તૈયાર નથી ! ને બળી મરવાનું કારણું દુઃખ વધાવી લે છે ! ત્યારે દેખાય છે કે એને જીવંત બળી મરવાનાં દુઃખ કરતાં પ્રિયના વિયોગનો સંતાપ-પશ્ચાત્તાપ કેટલો બધો જવલંત હશે કે સમજે છે કે હું જીવંત રહી જિંદગીભર વિયોગનાં એ પ્રબળ સંતાપનાં દુઃખમાં બળ્યા કરું, એના કરતાં આ અગ્નિમાં તત્કાલ બળી મરવાનું દુઃખ ઓછું.” આવો આત્મભોગ આપનાર અજ્ઞાન પંખેરા કરતાં ય બહુ બુદ્ધિવાળો અને સમજદાર હું મનુષ્ય પ્રાણી ગયો? કે મેં આ ઘોર પાપ કર્યું ! ખરેખર પંખેરા કરતાં પણ અધમાધમ ગણાઉં. માટે આનાં પ્રાયશ્ચિત્તમાં બીજું શું કરું ? હવે મારે જીવી શકાય જ નહીં ! પારધીનાં કેટલાં પાપ ? : (1) એક તો ઉપકારી પિતાની આજ્ઞાનો ભંગ ! અને (2) બીજું, બંને પંખરાનો અતિ દુઃખદ ઘાત ! (3) ત્રીજું, બંનેનું મોત કરતાં પણ પરસ્પરનાં વિયોગનો જાલિમ સંતાપ ! આ બધું કરનાર મારાથી આ પૃથ્વી ભારે મરે છે ! તેથી બહેતર છે કે “હું પણ જીવનનો અંત લાવું. ભલે અગ્નિદાહની થોડી વાર લાય સહવી પડે !' એમ વિચારી એ ભડભડ સળગતી ચિંતામાં મેં પણ ઝંપલાવી દીધું.” પારધી જ્યારે આ કહી રહ્યો છે, એ વખતે ચક્રવાક-પમદેવને જાતિસ્મરણ કર્મ ! તારી ગતિ ન્યારી 313
Page #319
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનથી પોતે ચક્રવાક અને પ્રિયા ચક્રવાકી આવી આવી રીતે મરેલા એ ખ્યાલ પાછળ સળગતી ચિતામાં ઝંપલાવી દેવાનું મહાસાહસ કરેલું ! એટલે મનને શંકા પડી કે “શું પેલો ચોર પૂર્વે આ પારધી તો નહીં હોય ?' દુન્યવી પ્રેમની પાછળ પંખેરા ખતમ થઈ જાય છે અને આવો હાથીનાં શિકાર કરનારો અતિક્રૂર ઘાતકી અને નિર્દય જંગલી પારધી જેવો મનુષ્ય પણ દયાની ખાતર પ્રાણની આહુતિ આપી દે છે ! તો પછી આપણે તો આર્ય મનુષ્ય આપણને દેવ-ગુરુ-ધર્મમાં એવો રાગ ક્યાં છે, કે જરૂર પડે એમની ખાતર પ્રાણ પણ આપી દઈએ ? અરે ! એવો પ્રાણનો ભોગ તો પછી, પરંતુ એમની ખાતર થોડો પણ તન-ધન-સુખ-સગવડનો ભોગ આપી ધર્મ કરવાની એટલી બધી ઉમેદ કોડ ક્યાં છે ? આજે ભલે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ન હોય, તો પણ જયાં એકબીજાનાં ઉપર દુન્યવી અતિશય રાગના દાવા કરાય છે, પરંતુ પ્રેમીનાં એવાં કોઈ ભયંકર દર્દથી, યા એવાં ભયંકર અકસ્માતથી, કે બીજા કોઈ દુન્યવી ભયંકર સંયોગ ઊભા થવા પર મોત થતાં, એની પાછળ જાતે મોત વધાવી લેનાર પ્રેમી કેટલા ? અને દેવ-ગુરુ-ધર્મને સમજીને પ્રાપ્ત કર્યો હોય, એ કદાચ મરેલા અત્યંત પ્રિયની પાછળ એવો ખોટો આપઘાત ન કરે, તો પણ સંસારઘરવાસનો ત્યાગ કરીને ચારિત્ર માર્ગે નીકળી જનારા પ્રેમી કેટલા ? આ શું બતાવે છે ? એ જ કે એવો આપઘાત નહીં કરનારા ધર્મહીના મનુષ્યોને, યા ચારિત્ર-માર્ગ નહીં અપનાવનારા ધર્મી મનુષ્યોને, પોતાનાં મરેલા પ્રિય કરતાં પોતાના રંગરાગ અને માલ-મિલકત-પરિવાર ઉપર અતિશય વધારે ગાઢ રાગ છે. માટે તો જો પોતે પુરુષ હશે તો મરેલી અત્યંત પ્રિય પત્ની ઉપર બીજી પત્ની કરી રંગરાગ-વિલાસમાં મહાલશે ! “તમારા પર અમને અતિશય સાબિત થાય છે... એટલે જ ત્રિભુવનગુરુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશના સાંભળીને 32 ક્રોડ સોનૈયાનો અને દેવાંગનાશી 32 યુવાન રમણીઓનો માલિક, આવીને માતાને ને પત્નીઓને પોતાનો ચારિત્ર લેવાનો નિર્ધાર જાહેર કરે છે ! ત્યાં માતા અને પત્નીઓ કલ્પાંત સાથે તેમ ન કરવા સમજાવે છે. પત્નીઓ 31 4 - તરંગવતી
Page #320
--------------------------------------------------------------------------
________________ કહે છે. કે, “બખશો (બક્ષો) ગુના અબળા તુમચી, પ્રીતમ પ્રાણાધાર. વિણ અપરાધે વહાલા એવો, ક્યાં ઘો ટાઢો માર....” ઇત્યાદિ અઢળક પ્રેમના બોલ સંભળાવે છે; ત્યારે ધન્યકુમાર કહે છે કે, કહે ધનો કામિની પ્રત્યે; કાજ ન આવે કોય રે, પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જોય રે. માતા પિતા ભાઈ બેનડી, સહુ કુટુંબ તણો પરિવાર રે, સ્વારથમાં સહુ કો સગાં, મિલિયા છે સંસાર રે..” અર્થાત્ જીવને પરલોકે જતાં અહીંનું કોઈ સગું કામ આવતું નથી. ન તો એ સગા પર આવી ઊભેલા મોતની કારમી સજામાંથી એને બચાવી શકતું, કે ન તો મૃત્યુ બાદ પરલોકમાં સથવારો કરતું. એટલું જ નહીં પણ મરનાર જીવને પરલોકે જવાનું થાય ત્યારે, ત્યાં એને શું કામ લાગે ? માત્ર જીવનમાં કરેલાં એવા જંગી પુણ્ય પરલોકે કામ લાગે. એવા જંગી પુણ્યની કમાઈ કરાવી આપવા પણ અહીં જીવતાં કોઈ સગા તૈયાર હોતા નથી ! સગાઓનો તો આ સગાના જીવતાં માત્ર એની પાસેથી એનાં પુણ્ય વટાવરાવી, પોતાની સુખ-સગવડ સાધી લેવાની જ એક માત્ર તમન્ના રહે છે. એનો અર્થ એ, કે આ સંસારમાં માતા-પિતા-ભાઈ-બેન વગેરે આખો કુટુંબ પરિવાર જીવને જે મળ્યો છે, તે એ સગા જીવનું કલ્યાણ કરાવવા માટે એટલે કે એમ નહિ, પણ પોતાના દેહનું કલ્યાણ એની પાસેથી આંચકી લેવા માટે મળ્યો છે. ખરી વાત એ છે કે માણસને પોતાને જ પોતાના ને કુટુંબના દેહકલ્યાણની પડી છે, એમ પોતાના ને પરનાં આત્મકલ્યાણની પડી નથી ! કદાચ ધર્મ કરશે તો પાપોના આટામાં લૂણ જેટલો ! એટલે જ દા.ત. જુઓ કે, દેરાસરમાં કદાચ ભગવાનને પ્રક્ષાલ કરવાના દૂધના દેઘડામાં દૂધની દદૂડી મૂતરાવશે, અને કુટુંબી દરેકને પીવા મોટા કટોરા ધરાશે ! એજ રીતે અહીં પૂર્વના ધર્મની લગભગ બધી કમાઈ કુટુંબના રાગમાં કર્મ ! તારી ગતિ ન્યારી 315
Page #321
--------------------------------------------------------------------------
________________ હોમવાનું કરશે ! આવા જીવો મરતી વખતે પણ દેવ-ગુરુ-ધર્મના ખોળે કેટલું નાખવાના ? - દુનિયાની આ સ્થિતિ છે કે દાખલા તરીકે ઘરમાં 6 માણસનું કુટુંબ હોય, તો એક એક કુટુંબીની પાછળ કરાતા ખર્ચ જેટલું પણ ધર્મની પાછળ ખર્ચાતું નથી ! અને દેવ-ગુરુ-ધર્મને ભૂલીને આ સગાઓનો સ્વાર્થ સાધવા પાછળ સઘળું હોમી દેનારો, જો દિવાળીમાં માંદો હોય, તો એનાં ભાગે માત્ર મગનું પાણી અને ચા-ઉકાળો હોય છે. ત્યારે કુટુંબ આખું દિવાળીનાં માલની મિજબાની ઉડાવે છે ! અથવા એ મરવા પડે ત્યારે કુટુંબીઓ આંખમાંથી આંસુ પાડશે, પણ સાથે પોતાના ભાગના વલ પર મરવા પડેલાની સહી કરાવી લેવા દોડા દોડ કરશે ! કિન્તુ કોઈ લાવો એમની પાછળ મોટું સુકૃત જાહેર કરી, એમને પરલોક જવા ટાણે એમને સમાધિ આપવા ભરચક પુણ્યનું ભાતું બંધાવો.” એવું કોઈ કહેતું નથી. ધન્યકુમાર એટલે જ કહી રહ્યો છે કે “સ્વારથમાં સહુ કો સગા-મિલિયા છે સંસારે રે.” જ્યાં નકરા સ્વાર્થની જ માયા હોય, ત્યાં કદાચ એ બહુ પ્રિય માનેલો સગો ભયંકર આગ અકસ્માત કે રોગથી મરે એની પાછળ મરવાની તો વાત દૂર, પરંતુ ખાનપાનાદિ કશા સુખનો ભોગ આપવાની યે વાત રહેતી નથી ! ત્યારે અહીં, ચક્રવાકી અને પારધીએ જે ભોગ આપ્યો એ ધડો લેવા લાયક બને છે. આપણે ભલે મરનારની પાછળ અજ્ઞાનતાથી આપઘાત ન કરીએ, કિન્તુ સંસાર ત્યાગ કરવો યા તો જીવનભરનું બ્રહ્મચર્ય લેવું...વગેરે કોઈ પ્રબળ ત્યાગ કેમ ન બને ? તરંગવતી પારધીની આત્મ-કથા સાંભળતાં, પોતાની પાછળ એણે જીવતાં બળી મરવાનું જે પોતાની જાતનો ભોગ આપ્યો, એ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે ! પારધી મરીને વણિક: પારધી હવે આગળ કહે છે કે “મારા મનમાં ભરતી વખતે મારા પાપનો ખૂબ પસ્તાવો હતો, મારી પાપી જાત ઉપર અત્યંત દુર્ગચ્છા યાને ઘણા હતી, તેમજ દિલમાં અનુકંપા અને પાપ-પશ્ચાત્તાપથી ધર્મની શ્રદ્ધા થયેલી, એમ વિશુદ્ધ પરિણામનાં કારણે હું મરીને મનુષ્ય અવતાર પામ્યો, કાશી દેશ વારાણસી નગરીમાં એક વણિક શ્રેષ્ઠીનાં કુળમાં મારો જન્મ થયો, મારું નામ રૂદ્રયશ રાખવામાં આવ્યું. મોટો થતાં લેખન-ગણિત વગેરે કળાઓ શીખ્યો. 316 - તરંગવતી
Page #322
--------------------------------------------------------------------------
________________ જુગાર કેટલાં પાપ લાવે ? : ખાનદાન પણ ખૂની ! : પરંતુ કમનસીબી એવી થઈ કે હું જુગારના માર્ગે ચડી ગયો, અને એને લીધે સર્વ પ્રકારનાં દોષોની આદત પડી ગઈ. ઉત્તમ કુળનો છતાં ચોરીનો રંજ રહ્યો નહીં ! જરૂર પડ્યે બીજાને મારવામાં પણ સંકોચ રહ્યો નહીં ! આવા જુગાર ચોરી હિંસા વગેરેનાં પાપોથી જનસમાજમાં હું દુગંચ્છિત અને ધૃણાપાત્ર બની ગયો ! જ્યાં જાઉં ત્યાં મને ધુત્કાર જ મળે ! છતાં હું તલવાર લઈને જ ફરતો. સૌ કોઈ મારાથી ડરે, અને મોં મચકોડીને મારાથી આઘા જાય. પરંતુ એવાં એકલા અટૂલા પડી ગયેલા મારે એવા ચારે બાજુના ધૃણાતિરસ્કારનાં વાતાવરણમાં શી રીતે દહાડા જાય ? એટલે હું ત્યાંથી નીકળી ગયો, અને બીજો કોઈ આશ્રય દેખ્યો નહીં, એટલે હું વિંધ્યાચળની અટવીમાં ચોરોની પલ્લીમાં પહોંચી ગયો !. જયાં ચોરો હાથમાં શસ્ત્ર લઈને ફરતા હતા. અને અનેક પ્રકારની વંચનાઓ-લુચ્ચાઈ-ઠગાઈ કરી કરીને લોકોને લૂંટતા હતા, એમનામાં ધર્મ કે દયા જેવું કાંઈ હતું જ નહીં, એથી જ એ કેટલાય બ્રાહ્મણો સાધુઓ અને સ્ત્રીઓને પકડીને બાંધી લાવતા ! તે ચોરોની સેનામાં હું ચોર તરીકે દાખલ થયો, અને એક શૂરવીર અને સત્ત્વપ્રિય ચોર તરીકે પલ્લીમાં ગવાવા લાગ્યો. ત્યારે ચોરોનાં સેનાપતિએ મને આવકારથી બોલાવ્યો, મને માન આપ્યું, અને ત્યાં મને રાખી લીધો. હું હવે નિર્દય અને પાપનાં બિલકુલ ભય વિનાનો થઈ ગયેલો, ત્યાં રહેતો હતો. ત્યારે ત્યાં પકડી લાવેલાનાં ઉપર નિર્દયતાથી ચોકી કરવા વગેરે પાપ-સુભટનાં પરાક્રમથી ચોરોમાં મેં સારી કીર્તિ જમાવી ! એટલે સેનાપતિ મારો સંગ છોડતો નહોતો; મને પાસે જ રાખે ! અને હું પણ બહુ બળવાન તરીકે, ને અત્યંત નિર્દય તરીકે, અને જમરાજના પુત્ર તરીકે નામ પ્રસિદ્ધ થઈ ગયું ! એ લોકો ચોરી-લૂંટફાટ કરવાની ન હોય ત્યારે નવરા બેઠા શું કરે ? તે ચોપાટ જુગાર ખેલતા હતા. જુગારમાં તો હું પહેલેથી જ પાવરધો તો થઈ ગયેલો જ હતો, એટલે સચોટ દાવ નાખનાર અને વિજેતા બનનાર તરીકે ચોરો મારું સન્માન કરતા. માણસને માન-સન્માન કેવું મારે છે ! પાપના ધંધા કરતાં માન મળે છે, તો પાપ વધુ અને જોરદાર કરવાનો પાનો ચડે છે ! આ હિસાબે ધ્યાન રાખવા જેવું છે કે ધર્મ કે સુકૃત કરતાં માન મળ્યું, પણ જો આ માન-સન્માનથી હરખાયા, તો અવસરે પાપના કામમાં પણ સન્માન મળતાં પાપમાં તેજી આવશે ! જેના પર પરલોક મહાભૂંડો સરજાશે ! કર્મ ! તારી ગતિ ન્યારી 317
Page #323
--------------------------------------------------------------------------
________________ એકવાર એવું બન્યું કે ચોરો એક ખૂબસુરત યુવાન જોડલું યાને સ્ત્રી-પુરુષને પલ્લીમાં પકડી લાવ્યા; અને એ યુવાન-યુવતી એમની માન્ય કરેલી દેવી કાત્યાયની માટે બલિદાનના પશુ તરીકે સંકલ્પિત કરાયા ! પરંતુ ચોરોનાં સેનાપતિએ એ જોડલામાંની યુવાન સ્ત્રી જે અપ્સરા જેવી સુંદર બદનવાળી હતી, અને ચોરોનાં પણ હૃદયને આકર્ષી લેનારી હતી, એને દેવી કાત્યાયનીનાં ભયથી “આ સ્ત્રી જાત છે માટે અવધ્ય છે' એથી બલિદાન તરીકે દેવી આગળ ધરવાની એની હિંમત ચાલી નહીં. એ જોડલાને પકડી લાવતાં અલબત ઝવેરાત ભરેલી પેટી ચોરોને મળી ગયેલી, તે સેનાપતિને સોંપી દીધેલી. એટલે પણ ઝાઝું ધન મળી ગયું હોવાથી, સેનાપતિએ યુવતીનું બલિદાન દેવાનું માંડી વાળેલું; અને જોડલામાંના યુવાન પુરુષને સેનાપતિએ 2-3 દિન પછી નોમના દિવસે આનું દેવીની આગળ એક પશુ તરીકે બલિદાન આપવું, એમ જાહેર કરેલું. એમ કરીને એ બંનેને પાકી રક્ષા માટે મને સોંપવામાં આવ્યા. હું એ બંનેને પલ્લી-અંદરની એક પડાલીમાં લઈ ગયો. એમાં પુરુષને મેં એની પીઠ પાછળ એના બે હાથ બાંધી ભીંત પાસે લઈ જઈ, એ પુરુષને બંધન ખીંટીએ લટકાવી જમીન પર ઊભો રાખ્યો. એ વખતે એ સ્ત્રી કારમું રુદન કરતી હતી, પરંતુ મને કાંઈ એની દયા આવી નહીં; ઉપરથી એ પુરુષને હાથ બાંધતી વખતે એ સ્ત્રી રોકવા આવી તો મેં એને લાત મારીને દૂર ધકેલી ! પુરુષને બરાબર બાંધેલા હાથે જકડી ઊભો રાખીને હું બાજુની પડાળીમાં ચાલ્યો ગયો. ત્યારે એ તરૂણી કારમા રુદન કરતી, બીજા પણ બંદી તરીકે પકડાયેલા લોકોને રડાવી રહી હતી. એ રુદન સાંભળી મને એની કશી દયા ન આવી. હું જ્યારે ત્યાંથી ખસી ગયો એટલે બંદીજનોએ આશ્ચર્ય પામી અનુકંપાથી એને પૂછ્યું, અરે બેન ! તમે અહીં ક્યાંથી ?" એ વખતે એ સ્ત્રીએ મૂળ ચક્રવાકીનાં પૂર્વભવથી માંડીને બધી વાત કહેવા માંડી. અલબત હું ત્યાં બેઠો નહોતો. પરંતુ એનો અવાજ બાજુની પડાળીમાં જ્યાં હું બેઠો હતો ત્યાં સંભળાતો હતો. એમાં એ તરણી કહી રહી હતી કે, 318 - તરંગવતી
Page #324
--------------------------------------------------------------------------
________________ | 23. તરુણીનું આત્મનિવેદન “એકવાર કોઈ પારધીએ મારા પ્રિય ચક્રવાકને અજાણ્યે હણી નાંખ્યો, પણ પછીથી એને પશ્ચાત્તાપ થયો એટલે એણે મારા પ્રિયનાં મરેલા શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો ! અને એ અગ્નિની ચિતામાં ઝંપલાવી હું પણ બળીને ખાખ થઈ ગઈ ! અને ત્યાંથી મરીને અહીં કોસાંબીમાં મોટા શેઠનાં ઘરમાં આઠ દીકરા ઉપર બહુ માનીતી દીકરી તરીકે જન્મી. વખત જતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને મારા પૂર્વના અતિ પ્રિય ચક્રવાકનાં જીવને શોધી કાઢવાની લગન લાગી. એ માટે મેં પૂર્વના ભવનો ચિત્રપટ તૈયાર કર્યો. એના એજ નગરમાં મારો પ્રિય ચક્રવાક એક મોટા સાર્થવાહ વેપારીના પુત્ર પદ્મદેવ તરીકે જન્મેલો ! તે એ પણ ચિત્રપટનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પામીને મૂચ્છિત થયેલો ! એ પરથી લાગ્યું કે આ જ મારો પૂર્વનો પ્રિયતમ ચક્રવાક એ તરીકે નિર્ધાર થયો. પછી એકબીજાની ઓળખ થઈ ગઈ એટલે, એ સાર્થવાહપુત્ર પદ્મદેવના આગ્રહથી, એના પિતા મારા પિતા પાસે મારી માગણી કરવા આવ્યા, મારું નામ તરંગવતી, પરંતુ મારા પિતાએ ઘસીને ના પાડી દીધી તેથી રાત્રિના હું મારી સહિયર દાસી સાથે પ્રિયતમના ઘરે ગઈ અને બંને જણ, જે એકબીજા વિના આપઘાત કરવાના વિચારમાં હતા, પણ હવે મિલન થયા પછી એમજ મરી જવું એના કરતાં, “ચાલો બંને અહીંથી ભાગી જઈએ,' એમ કરીને વડીલોનાં ભયથી ગુપ્ત રીતે અમે બંને ત્યાંથી ભાગી છૂટ્યા, અને નાવડામાં જોરદાર વેગથી આ બાજુ આવી રહ્યા હતા, ત્યાં ચોરોએ અમને પકડ્યા, અને અમારા સાથે જે અમારી પાસે કિંમતી ઝવેરાતનો ડબો હતો તે ઝુંટવી લીધો ! અને બંનેને હાથ બાંધીને કેદી તરીકે અહીં લઈ આવ્યા. આ બોલતાં બોલતાં એ યુવતી ભારે હૃદયફાટ રુદન કરી રહી હતી, અને બંદીજનોને પણ રોવરાવી રહી હતી.” પેલા મુનિ તરંગવતી અને પદ્મદેવને પોતાનો આ અધિકાર બતાવી રહ્યા છે, એમાં હવે એ કહે છે કે મૂળ ઉત્તમ કુળનો ખાનદાન વણિક પુત્ર જુગારના વ્યસનથી નિર્દય ચોર બની ગયેલો, અને આ બંનેને ચોરની પલ્લીમાં સેનાપતિએ મને સોંપવાથી, મેં નિર્દયપણે આ લોકોને કબજે રાખેલા, તે હું એ યુવતીનાં રુદન સાથેનો એનો પૂર્વ અધિકાર સાંભળી રહ્યો હતો. એની વિગતો સાંભળતાં મનેય મનમાં થયું કે “આવું બધું મેં ક્યાંક અનુભવ્યું છે ! ક્યાં અનુભવ્યું? ક્યાં અનુભવ્યું?' એમ ઉહાપોહ કરતાં મને મારા પૂર્વના પારધીના કર્મ ! તારી ગતિ ન્યારી 319
Page #325
--------------------------------------------------------------------------
________________ ભવનું સ્મરણ થઈ ગયું ! અને મને ખ્યાલ આવી ગયો કે આજ સ્ત્રી-પુરૂષનાં જોડલાના પૂર્વભવમાં એ જ ચક્રવાક-ચક્રવાકી ! એમાં ચક્રવાકને બાણથી હણનાર પારધી તરીકે હું જ હતો.” એમ પૂર્વ જન્મ સાંભરી આવ્યાથી મને જરાક મૂર્છા આવી ગઈ. પછી મૂર્છા વળી જતાં, હું મારું પૂર્વ ચરિત્ર અને પારધીનાં પણ કુળનો એ કુળધર્મ યાદ કરું છું, ત્યારે મારા હૃદયમાં એ જોડલા પ્રત્યે ભારે કરુણા અને વાત્સલ્ય ઉભરાઈ આવ્યા ! કેમકે એ તરણીનો કહેલો પોતાનો અધિકાર સાંભળીને મને ખાત્રી તો થઈ જ ગઈ કે, મેં હણી નાખેલ ચક્રવાક એ આ જ જોડલાનો પુરુષ, અને મેં ચક્રવાકનાં મડદાને કરેલા અગ્નિ સંસ્કારની ચિતામાં સ્વયં ઝંપલાવી બળી મરેલી ચક્રવાકી, એ જ આ જોડલામાંની સ્ત્રી. આમ હું એ વખતનાં પારધી તરીકે આ બંનેનો મોટો ગુનેગાર જેમ પારધીને અવતારે મારા એ ગુના પર અતિ દુઃખિત થયેલી ચક્રવાકી પર મને દયા આવેલી, તેમ અહીં પણ આ બંને ઉપર મને ભારોભાર દયા ઊભરાઈ ! એટલે મને થયું કે “દેવી આગળ આવા જોડલાનો કાંઈ બલીદાન દેવાઈ પૂર્વનાં મારા પાપનાં પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તની રૂએ બચાવી લેવા જ જોઈએ, પછી ભલે મારે બળી જવું પડે કે મરી જવું પડે એની પરવા નહીં.” એમ વિચારીને હું બાજુની પડાલીમાંથી આ પડાળીમાં આવ્યો, બીજા બંદીજનોને ‘ભાગો અહીંથી’ એમ હાકોટો કરી ત્યાંથી બીજી પડાલીઓમાં ચાલ્યા જવા હુકમ કર્યો, એટલે બધા ભાગી ગયા. પરંતુ એ લોકો ગભરાતા હશે કે “આ પાપી હવે આ બિચારા જોડલા પર કેવો ય જુલમ કરશે !" પરંતુ એમને બિચારાને ક્યાં ખબર હતી કે અહીં તો જુદું જ થવાનું છે ? એ લોકો ગયા; અને મેં એ જોડલાને મારી કશી જાતિસ્મરણ જ્ઞાનની વાત કર્યા વિના દયાભર્યા હૃદયે મેં એટલું જ કહ્યું કે “તમે ગભરાશો નહીં; હું તમને આ પલ્લીમાંથી અંધારી રાતે બહાર લઈ ગયો; અને જંગલના રસ્તે લાંબે સુધી ચલાવી એક ગામની નજીકમાં લાવી મૂક્યા. ત્યાં એ બંનેને બતાવી દીધું કે તમે આ દિશામાં ચાલ્યા જજો. ત્યાં તમને નિકટમાં એક ગામ મળશે. ત્યાંથી પછી પૂછીને તમારા મૂળ વતનનાં નગરે ચાલ્યા જજો, હવે હું તમારી સાથે નહીં આવી શકું.' એમ કહીને હું બીજી દિશામાં ચાલ્યો. 320 - તરંગવતી
Page #326
--------------------------------------------------------------------------
________________ (ર) સંસારની વિચિત્રતાઓ : વિચિત્ર સંસારનું આમાં કેવું અદ્ભુત દર્શન છે? જુઓ, આમાં સંસારની કેટકેટલી વિચિત્રતાઓનાં દર્શન થાય છે ? (1) હાથીને મારવા છોડેલું બાણ ચક્રવાકને લાગે છે ! એમાં નથી પારધીની ધારણા કે “આને મારું,” તેમ નથી પક્ષીની ધારણા કે “હું ઊડતાં આમ મરીશ.” આમ કલ્પના બહારનું બન્યું એ વિચિત્ર ! પારધીના કુળમાં પણ આવા નિયમ કે ‘નિરાધાર થનારને નહિ મારવા, બહુ સુખરતિમાં રહેલ યુગલને નહિ મારવા,...વગેરે ! (3) નિરાધાર થનાર ચક્રવાકીના પ્રિયને માર્યો એ નિયમ ભંગના પ્રાયશ્ચિત્તમાં પારધીનું ચિતામાં બળી મરવું ! (4) તરંગવતી ધર્મિષ્ઠ અને મહાન તત્ત્વ વિદુષી પણ પૂર્વભવનો ચિત્રપટ્ટથી પ્રિય શોધી કાઢતાં, ને પછી બાપે એને ન દેવાના લીધે આપઘાતની તૈયારી ! (5) તરંગવતી પધદેવ બંને ભાગ્યા સુખ લેવા પણ ચોરોની પલ્લીમાં સપડાયા. (6) પલ્લીમાં દેવીને પદ્મદેવનો ભોગ આપવાનું નક્કી થઈ ગયેલ, ત્યાં બીજા બંદીજનોને ઉદેશીને તરંગવતીએ કહેલ આત્મકથા ભીંત ઓઠે એ રક્ષક ચોરના સાંભળવામાં આવે, અને એને જાતિસ્મરણ થાય, ને એમાં વળી પોતે જ પૂર્વનો પારધી નીકળે ! આ કેવી વિચિત્રતા ! (7) ચોરને દયા આવે અને બંનેને કેદમાંથી ભગાડી લઈ જાય ! (8) પારધી આગળ પર પૂર્વધર મહામુનિ થનાર છે ! આ સૂચવે છે કે (1) સંસારના શા ભરોસા? (2) માણસ ગુમાન શું જોઈને રાખે? - પારધીને ઉચ્ચ મનુષ્ય અવતાર કેમ ? : અહીં એક પ્રશ્ન થાય, કે અહીં મુનિએ જે તરંગવતીના પહેલાનાં ચક્રવાકી-પંખેરાનાં અવતારમાં પોતે પારધી થઈને ત્યાં આવેલો અને એણે હાથીના શિકારનાં લક્ષ્ય છોડેલા બાણથી બિચારું ચક્રવાક પક્ષી વિધાઈ ગયું, એના પર જે એને પશ્ચાત્તાપ થયો અને એજ ચક્રવાકના અગ્નિ-સંસ્કારની ચિતામાં જે એણે ઝુકી પડવાનું કર્યું, અને એથી જ પોતે બીજા જન્મમાં રૂડો વણિકનો અવતાર પામ્યો. આમાં એ જોવાનું છે કે જીવનમાં બીજી કોઈ કર્મ ! તારી ગતિ ન્યારી 321
Page #327
--------------------------------------------------------------------------
________________ ધર્મસાધના નથી અને છતાં પણ એ જીવન પછીના ભવમાં એને સારો મનુષ્ય અવતાર કેમ મળ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં બે વાત મળે છે, (1) શિકારીના જીવનમાં પણ એના બાપે તેવા તેવા રાગાધીનને, યા આશ્રિત જીવન જીવનારને વગેરેને વિયોગ-કષ્ટ-દુઃખ નહીં આપવાનો કુળધર્મ બતાવ્યો, એજ મોટી વિશેષતા હતી. જીવન શિકારીનું અને બીજાને દુઃખ નહીં આપવું એ નિર્ધાર પણ નાનો સૂનો ધર્મ નથી. પછી ભલે બધાની પ્રત્યે દુઃખ ન આપવાનો વર્તાવ ન કરી શકે, છતાં થોડાને પણ દુઃખ ન આપવું એવી જે બુદ્ધિ છે, તો એ ધર્મની બુદ્ધિ છે. માણસ એક બાજુ ઉપવાસાદિ તપ-સામાયિક-પૂજા...વગેરે ધર્મ કરતો હોય, પરંતુ બીજી બાજુ એવા આશ્રિત કે રાગબદ્ધ જીવોને વિયોગ કરાવી કારમાં સંતાપમાં મૂકતો હોય, એ ભારે મોટી નિધૃણતા-નિર્દયતા-ક્રૂરતા છે. એવા નિર્દય કૂર પરિણામમાં બધાય તપ-જપ-પ્રભુપૂજા વગેરેનાં ધર્મ નિર્માલ્ય બની જાય છે. કિંમત આત્માના પરદ્રોહ-રહિત અને દયામય કોમળ પરિણામની છે. પૂજા-સામાયિક તપશ્ચર્યા કરવા છતાં જો આવા દ્રોહ રહિત કોમળ દયામય પરિણામ આત્મામાં ન જાગે, તો એણે તપશ્ચર્યાદિ ધર્મથી શું મેળવ્યું ? હાથીને કેમ ઉત્તમ મનુષ્યભવ? : મેઘકુમારનો જીવ હાથી બીજો કશો ધર્મ નહોતો પામ્યો, છતાં ખણવા માટે પોતાના ઊંચા કરેલ એક પગ નીચે જગ્યા થવાથી, બાજુમાં ભીચડાઈ રહેલ એક સસલું જીવંત રહેવાના વિશ્વાસે એમાં ગોઠવાઈ ગયું. ત્યાં જીવતો રહેવાના વિશ્વાસે રહેલ સસલાની ઉપર પગ મૂકવામાં એનો વિશ્વાસભંગ થાય, દ્રોહ થાય, તેમજ એ કચરાઈ મરે એમાં એને કારમું દુઃખ થાય. પોતાને તો માત્ર સરખો પગ મૂકી સ્વસ્થ ઊભા રહેવાનું થાય એટલું જ સુખ; અને પગ ન મૂકે એમાં થોડી અસ્વસ્થતા થાય એટલું જ દુઃખ; જયારે પેલા નાના જીવને બિચારાને તો ઠેઠ કચરાઈ મરવા સુધીનું કારણું દુ:ખ ! એ કારમું દુઃખ દેવાના ક્રૂર પરિણામ કેમ જ કરાય ?' આ વિચાર પર હાથીને દયામય કોમળ પરિણામ થયા ! અને પોતે પગ ઊંચો રાખી સસલાને સુખશાંતિમાં રહેવા દીધો, તેમજ પોતાને મરણાંત દુઃખ આવ્યું. તો સસલા પર કચવાટ વિના એ મરણનું દુઃખ સહી લીધું ! એ કેવો ખરેખર ઉચ્ચ ધર્મ સધાયો? તો જ ઊંચો મેઘકુમારનો માનવ અવતાર મળ્યો ને ? એ મહાવીર ભગવાને મેઘકુમારને જે યાદ દેવરાવ્યું કે 32 2 - તરંગવતી
Page #328
--------------------------------------------------------------------------
________________ ‘एवं खलु भो मेहा / ताए पाणानुकंपाओ परित्ती कओ ते संसारो / ' ' અર્થાત “હે મેઘકુમાર ! એ રીતે તે જીવ ઉપર દયા કરવાનો મહાન ધર્મ સાધ્યો, એનાથી તે તારા સંસારને મર્યાદિત કરી નાખ્યો !" આમ હાથીનાં જીવનમાં બીજો દેવદર્શન-પૂજા, સામાયિક, ઉપવાસાદિ તપસ્યા વગેરેનો કશો ધર્મ ન હોવા છતાં આ બીજાનાં દુઃખ પર દયામય વિચાર અને એની રક્ષા કરવાનો કોમળ પરિણામ, એ એના માટે મહાન ધર્મ બની ગયો ! ત્યારે જ તો ત્યાંથી સીધો મગધનરેશ શ્રેણિક રાજાને ત્યાં રાજપુત્ર મેઘકુમાર તરીકેનો ભવ્ય મનુષ્ય અવતાર મળે ને ? અને અનંત સંસારનો સંક્ષેપ થઈ જઈ માત્ર ત્રણ ભવમાં એનો સંસાર સીમિત થઈ જાય ને ? મહાન ધર્મ વિના આવા મહાન ઈનામ ન મળે ! પેલો પારધી એવા જ પરદ્રોહ-નિવારણ તથા સંક્લેશ ત્યાગનાં દયામય કોમળ પરિણામ તરફ વળી ગયો; એટલે આર્ય દેશમાં વણિકને ત્યાં સુંદર મનુષ્ય અવતાર પામી ગયો ! અહીં તરંગવતીના શાસ્ત્રકાર લખે છે કે, પારધી જયારે પોતાના નિમિત્તે ચક્રવાક-ચક્રવાકીનાં અતિ દુઃખમય મોત નીપજેલા જોઈને કંપી ઊઠ્યો, અને બળતી ચિંતામાં પોતે ઝંપલાવ્યું, ત્યારે એના દિલમાં પાપનો તીવ્ર પશ્ચાત્તાપ હતો તથા એને પોતાની જાત પર ભારે દુર્ગચ્છા ઊભી થઈ હતી. તેમજ પોતાને ધાર્મિક કુલાચારનો પોતે ભંગ કરવા ઉપર સંતાપ ભારે ઊભો થયેલો. કુલાચાર આ હતો કે “તેવા તીવ્ર રાગવશ યા આશ્રય રહિત બનનારની હિંસાથી આઘા રહી એની દયા પાળવી.' એવા સારા કુળાચાર પર શ્રદ્ધા રહી એથી, એ પોતાનાં પાપનાં પ્રતાપે નરકાદિમાં ન જતાં, સુંદર મનુષ્યઅવતાર પામ્યો ! પાપનાં પશ્ચાત્તાપ અને દયામય કુળધર્મની શ્રદ્ધાનો આ કેટલો બધો પ્રભાવ છે. ચોર કેમ પીગળ્યો ? : હવે અહીં અવતાર તો સારો મળ્યો, પરંતુ એમાં સારા કુળમાં અવતાર મળવા છતાં, અને એમાં સારા સંસ્કાર મળવા છતાં, કુસંગતે જુગારનાં વ્યસનમાં ચડી ગયો, અને એમાં અંતે પલ્લીનો પ્રસિદ્ધ ક્રૂર રક્ષક ચોર બનવા સુધી પહોંચ્યો, અને એમાં એક યુવાન યુવતીને પકડી લાવેલા તેમાં યુવાનને મેં બાંધી ભીંત પર ખીંટીએ ટીંગાવેલો, અત્યારે એ મુનિ બનીને આપણે જોઈ ગયા કે આ પોતાનો અહેવાલ કહી રહ્યો છે કે પછી હું બાજુમાં ચાલ્યો ગયેલો ત્યારે, અહીં યુવતીએ કરુણ આક્રંદ કરવા માંડેલા, ત્યાં બીજા બંદીજનોએ કર્મ ! તારી ગતિ ન્યારી 323
Page #329
--------------------------------------------------------------------------
________________ એને ‘તમે અહીં ક્યાંથી ?' એમ પૂછેલું એટલે એણે પોતાનો પૂર્વ ભવથી અહીં સુધીનો અહેવાલ કહેતાં મને બાજુમાં એ સાંભળવા મળ્યો ! અને મને જાતિસ્મરણથી મારો પૂર્વનો પારધીનો ભવ દેખાઈ જતાં મને લાગ્યું કે “જે ચક્રવાક-ચક્રવાકી મારા નિમિત્તથી મરેલાં, તે જ આ યુવાન જોડલું હોવું જોઈએ.’ એનો મને ખૂબ પસ્તાવો થયો, અને પ્રાણના ભોગે પણ આ બંનેને બચાવી લેવાનો મેં નિર્ણય કરી એમને ગુપ્ત રસ્તે બહાર કાઢી જંગલના રસ્તે લઈ ચાલ્યો. એમાં રાતભર ચાલીને એક ગામ આવ્યું ત્યાં એમને છોડીને હું છૂટો પડી ગયો. હવે મને વિચાર આવ્યો કે ‘મારે ઘોર પાપોનાં ધામધૂત ચોરોની પલ્લીમાં પાછો જવાની કોઈ જરૂર નથી. મેં જે પૂર્વે સંસાર-સુખમાં રક્ત બનેલાં પંખેરાને વિયોગ કરાવેલો, એ પાપનાં પ્રાયશ્ચિત્તમાં અહીં મારા પ્રાણના ભોગે પણ આ બંનેને ચોરની પલ્લીમાંથી છોડાવવા.' છોડાવ્યા એટલે એટલા પાપનું વળતર થયું. પરંતુ એટલાથી શું થાય? જીવન તો મારું બહુ પાપોથી ખરડાયેલું હતું, મને આગળ વિચાર આવ્યો કે “જે રાગમૂઢ માણસ બીજાને દુઃખી કરીને સુખ મેળવવા મથે છે, તે ખરેખર પરિણામે પોતે જ મહાદુઃખી થવાનું કરી રહ્યો છે. એવું કોઈક જીવન મળે તો લઈ લેવું કે (1) જેમાં કોઈ જીવને દુઃખ ન આપવું પડે; (2) જેમાં પત્ની-પરિવાર-સગાવહાલા વગેરેનાં બંધન ન હોય; (3) જેમાં દુન્યવી પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા પડે; અને (4) જેમાં સુખ-દુઃખ પર સમભાવ રહે, સુખ-સગવડ-અનુકૂળતાના હરખ-આકર્ષણ નહિ, તેમ દુઃખ-અગવડ-પ્રતિકૂળતાના ખેદ-અભાવ નહિ. બસ, પરમાત્માની જ ઉપાસના હોય. આવું જીવન લઈ લેવું. એવા વિચાર પર આવી ગયો. જુઓ, એક વખતના દુષ્ટ જીવન જીવનારનું પરિવર્તન ! તરંગવતી અને પત્રદેવને પલ્લીમાંથી બહાર કાઢતાં ચોરે છેલ્લે જે વિચાર્યું, તે એ વાત અત્યારે પોતે મુનિ બનેલ તે અહીં તરંગવતીની આગળ કહી રહ્યા છે, કે મેં તો એ સ્ત્રી-પુરુષ બંનેને માત્ર પલ્લીમાંથી છોડાવ્યા એટલું જ; પરંતુ મારી જાત માટે તો માત્ર ચોરપલ્લીમાંથી જ નહીં કિન્તુ પરને દુઃખ આપવાના પાપ ઉપરાંત જૂઠ-ચોરી-પરિગ્રહ-વિષયગૃદ્ધિ...વગેરે પાપોથી ભરેલા આ 324 - તરંગવતી
Page #330
--------------------------------------------------------------------------
________________ સંસારમાંથી છોડાવવાનાં વિચારોમાં ચડી જાય છે ! તે પણ માત્ર વિચારથી માંડવાળ ન કરી, કિન્તુ હવે તો એવાં પાપ ભરેલા સંસારમાંથી છૂટી જવાની તૈયારી રાખી. ક્યાં એનું ચોરપલ્લીમાંનું ક્રૂર જીવન ? અને હવે કેટલા ઊંચા વિચારમાં ચડે છે ! શું માણસ આટલો બધો ફરી જાય ? હા, કેમકે અહીં તરંગવતી-પદ્મદેવનું પૂર્વ જન્મ તથા આ જન્મનું જે સાંભળ્યું અને જોયું છે, તેમજ પોતાના પૂર્વભવ તથા આ ભવનું જે અનુભવ્યું છે એ બધી હકીકત જ આ ફેરફાર કરી રહી છે. મુનિ અહીં પોતાની એ ભાવના તરંગવતી આગળ બતાવી રહ્યા છે કે “ધન્ય છે તે ભવ્યાત્માઓને જે, સ્ત્રીની બેડીમાંથી, સ્ત્રી જાતના કેદખાનામાંથી, પોતાની જાતને બહાર કાઢી પ્રેમનાં અને રાગનાં બધા જ બંધનથી મુક્ત થાય છે !' અહીં જોવા જેવું છે કે એક વખતનો ગુણવાન માણસ જુગાર વગેરેનાં વ્યસને ચડી ક્રૂર કર્મ કરનારો ઘાતકી ચોર બનેલો, અને એવા જ ચોરોની પલ્લીમાં દાખલ થઈ ક્રૂર કર્મ કરનારો બનેલો, તે હવે જ્યારે પલટો પામે છે, ત્યારે કેટલો જબરજસ્ત પલટો પામે છે ! અને પૂર્વના સારા કુળ-સંસ્કારની રુએ શુભભાવનામાં કેટલે ઊંચે ચડે છે ! આમાં હવે ઘરે ન જવા માટે પહેલી વાત આ મન પર લીધી, કે મન પર કયો ભાર ? : સ્ત્રી એટલે ? : આ જગતમાં સ્ત્રીઓ એ બેડી છે, કેદખાનું છે. સ્ત્રીમાં મોહ્યા-ફસાયા એટલે સમજી રાખવાનું કે એ બેડીની રૂએ ભગવાનને અને ગુરુને તથા ધર્મને વિસારી દઈ બધી જાતનાં પાપ કરવા પડશે. જગતનાં જીવોને સાન-ભાન ભૂલાવનારી આ સ્ત્રીતત્ત્વ એ કેવી ખતરનાક મોહિની ! આજે દુનિયા સામે જુઓ તો દેખાય છે કે માણસો “પોતે પરણેલા છે' એ ભાર જ મુખ્યપણે પોતાનાં માથે રાખતા હોય છે; પરંતુ નહીં કે “પોતે માંડ માંડ નરક-નિગોદ આદિ દુર્ગતિઓમાંથી છૂટીને મોક્ષ પમાડી શકવા સમર્થ એવાં ઊંચા મનુષ્ય-જન્મ સુધી આવેલો છે! અને એમાં ભાગ્ય યોગે ઠેઠ જિનશાસનને વરેલા છે !" આ ભાર મન પર નહિ ? પણ “હું પરણેલો એટલે મારે પત્ની વગેરે બધાનું જોવાનું. કદાચ નબળા ભાગ્યે મારે ભૂખ્યું પણ રહેવું પડે, અને પાર વિનાનાં કષ્ટ સહવા પડે, તો કર્મ ! તારી ગતિ ન્યારી 32 5
Page #331
--------------------------------------------------------------------------
________________ તેમ કરીને ય પરણેલાને પાળવાના;” તે જિંદગીના છેડા સુધી પાળવાનો ભાર ! એનું મનને ભારે બંધન ! પરંતુ “હું ઉત્તમ મનુષ્યભવ તથા જિનશાસન અને દેવગુરુને વરેલો, માટે મારે એ દેવ-ગુરુ તથા જિનશાસનની આરાધના જરૂર પડ્યે ભૂખ્યા રહીને અને કષ્ટ વેઠીને પણ આ જિદગીના છેડા સુધી કર્યે જ જવાની.” આ બંધન હૈયા પર નથી હોતું, તેથી જ દેવ-ગુરુ-ધર્મને ભૂલીને પત્ની અને એના પરિવારને સંભાળવાનો અહર્નિશ ખ્યાલ અને એનું જ જીવન રહે છે ! પરંતુ એ જેલખાનાના બંધન જેવા પત્ની અને એના પરિવારને ભૂલીને દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવાનો ભાવ મન પર નથી લેતો ! જો માંડ માંડ મળેલા આવા અતિ દુર્લભ જૈન માનવભવમાં પણ આ ખ્યાલ ન આવે કે “મારી પરણી બેસવાની ભૂલથી હું આ માયાનાં અને પાપોનાં ખોટા બંધનોમાં પડેલો છું,' તો પછી જીવનો ઉદ્ધાર ક્યાં ? અને ક્યારે ? કમનસીબી તો એ છે કે સ્ત્રી એ જેલખાનું છે, અને એની તથા એના પરિવારની, જિંદગીના છેવાડા સુધી પાપાચરણો કરી કરીને, સંભાળ કરવાની એ બધી પ્રવૃત્તિમાં જેલખાનાની જેલરથી બળાત્કાર કરાવાતી ગુલામીની પ્રવૃત્તિઓ જેવી છે, આ જ મનમાં ઊતરતું નથી ! પછી સમકિત ક્યાં પામવાનું? જુઓ જગતમાં સ્ત્રીની પાછળ માણસોએ કેવાં કેવાં ભયંકર અપકૃત્યો નથી કર્યા ? અને ક્યાં જીવનભર પાપ-જીવનો નથી ચલાવ્યા ? પત્નીના પાપે કેવાં કેવાં અપકૃત્ય ? : (1) મહાઉપકારી મા-બાપથી છોકરો જુઆરું કરે છે, એ કોના પાપ ? કહો, પત્નીનાં જ પાપે. (2) કુંવારા સારી રીતે સલાહ-સંપથી રહેનારા સગા ભાઈઓ પછીથી જદા પડી અલગ ઘર માંડી એક બીજાને આર્થિક સહકાર પણ ન આપે એવા બને છે, એ કોના પાપે ? ભાઈઓને પોતાને તો પરસ્પર કોઈ ખટરાગ ઊભો થયો નથી હોતો; છતાં હવે પરસ્પરને અલગ અલગ ઘર માંડવાની તથા અલગ વેપાર કરવાની ને અલગ મૂડી કરવાની જરૂર લાગે છે તે માત્ર સ્ત્રીનાં જ પાપે ને ? (3) ત્યારે માણસ સારું કમાયા પછી એમાંથી મોટો હિસ્સો દેવગરનાં ચરણે ધરી દઉં' એ વિચાર નથી આવતો એ કોનાં પાપે ! કહો, એ જ પત્ની - તરંગવતી 326
Page #332
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીનાં પાપે ! કે જેનો મોહ કમાઈનો બહુ મોટો હિસ્સો પત્ની-પરિવારની પાછળ લગાવવાનું કરાવે છે ! (4) એ પત્ની કર્યા પછી ઘરમાં બેઠો માણસ પત્નીને અને એના અંગપ્રત્યંગને જોતો ખુશી ખુશી થાય છે ! એનાંથી કરાતી સેવા-સરભરા પર ગાંડુત્ર મોહિત બને છે ! આમાં ક્યાંય પરમાત્માને વારંવાર જોવા યાદ કરવા માટે કંઈજ મોહિત થતો નથી. (5) પત્ની અને પરિવારનાં ભવિષ્યમાં ભરણ-પોષણ તથા સુખ-સાહ્યબીવિલાસનો વિચાર આવશે, પરંતુ પોતાને ને કુટુંબને પરલોકમાં રક્ષા અને ધર્મ આરાધનાની સારી સગવડ-સાધન-સામગ્રી વગેરે મળે એનો વિચાર જ નહિ આવે ! માણસનાં મન પર સ્ત્રી પ્રત્યે આટલી જબરદસ્ત મોહિની હોય છે, કે એનાથી મોહિત થયેલાને દેવ-ગુરુ-ધર્મનું માથે જાણે કોઈ બંધન જ નથી ! “હું સ્ત્રીને બંધાયેલો, એના પરિવારને બંધાયેલો;' પણ “હું દેવ-ગુરુ-ધર્મને બંધાયેલો,” એવું મન પર નથી ! તારણહાર કોણ ? ને મારણહાર કોણ ? કોઈ જાલિમ અસાધ્ય પીડા, અકસ્માત યા મૃત્યકાળ હૈયાને હૂંફ આશ્વાસન કોણ આપે ? પત્ની કે દેવ-ગુરુધર્મ ? આનો કોઈ વિચાર જ નથી એટલે વાતવાતમાં “અમારા ઘરવાળા” યાદ આવે છે. આગળ ધરાય છે ! અને એની ખાતર કેટલી બધી ય ધર્મતક ગુમાવાય છે ! જયાં હું પત્નીને બંધાયેલો છું' એવો ભાર મન પર રહે છે, ત્યારે આવા ઉત્તમ જૈન માનવભવમાં પણ દેવ-ગુરુ-ધર્મની ઊંચી કોટિની જૈનધર્મ પામ્યો છતાં પત્નીની પાછળ બધી જાતનાં પાપ કરવા તૈયાર છે ! પરંતુ પોતાનાં ભવિષ્યના અનંતકાળનાં આત્મહિત માટે થોડી પણ ધર્મસાધના કરતો રહેવાનું એના મન પર નથી ! તરંગવતી-યુગલને મુનિ પોતાની આત્મકથામાં પોતાને હવે થયેલી પોતાની આ ભાવના બતાવી રહ્યા છે કે “મને સ્ત્રી એ ધરખમ પાપોના જેલખાનાનાં અપકૃત્યો કરાવનારી કોઈ અનન્ય બેડી સમાન લાગી ! તેથી જ “એ બેડીને એ બેડી-બંધનમાંથી બહાર નીકળી ગયા પછી પણ હવે મનમાં પણ એ પ્રેમ કર્મ ! તારી ગતિ ન્યારી 327
Page #333
--------------------------------------------------------------------------
________________ બંધનોનો કોઈ અંશ પણ રાખવાનો નહિ; નહિતર એ મહા લપસણું સ્થાન છે. માણસને જ્યારે અંતરમાં પ્રકાશ લાધી જાય છે, અને એ અંધકારને ફગાવી દે છે, પછી જીવનમાં અવનવો પલટો આવી આત્માનાં દેદાર એવા ફરી જાય છે કે પૂર્વની સ્થિતિ જોતાં એ કલ્પનામાં ન આવે કે “હું કેવો? અને અત્યારે આ પરિવર્તન ?' સત્સંગ, તત્ત્વ પ્રકાશ, અને પુરુષાર્થની બલિહારી છે કે જીવનમાં અસાધારણ આત્મોન્નતિ કરે એવું પરિવર્તન આવી ગયું. પેલા મુનિએ તરંગવતી-પહ્મદેવને આવી જ વાત કરી કે “મારો ચોરખુની-ડાકુના જીવનમાંથી પલટો આવી ગયો ! ને હું મુનિ બની ગયો. તરંગવતી પૂછે છે, “આપ મુનિ કેવી રીતે ને ક્યારે બની ગયા? એ કૃપા કરી બતાવો. ત્યારે મુનિ કહે છે, “જુઓ એ દંપતીને જંગલ વટાવી ગામની નજીકમાં છોડી દઈ, મારે કાંઈ હવે પલ્લીમાં તો જવું નહોતું, અને હવે મને આ સંસાર પર વૈરાગ્ય પણ જાગી ગયો હતો, તેથી “હવે કોઈ યોગી મહાત્માનો સત્સંગ મળે તો સારું,” આ આશામાં ચોરને પુરિમતાલ ઉદ્યાનમાં : ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાનનું વડવૃક્ષ : હું ઉત્તર દિશા તરફ ચાલ્યો, એમાં આગળ ચાલતાં પુરિમતાલ નામના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં એક વિશાળ સુંદર મંદિર હતું, જેમાં સો તો ભવ્ય થાંભલા હશે ! એની પાસે માં ઊંચું વડનું ઝાડ હતું, મેં ત્યાં પ્રદક્ષિણા દઈને ત્યાંના લોકોને પૂછ્યું કે, “આ ક્યા ભગવાનનું દેવળ છે ? અને આટલી બધી એમની ભવ્ય પૂજા થઈ રહી છે. આવું તો મેં પૂર્વે ક્યાંય કદી દેખ્યું નથી.' ત્યારે એણે મને કહ્યું કે “આ ભરતક્ષેત્રમાં પહેલા ભગવાન ઋષભદેવ થયા. એ સંયમ-સાધના કરતાં કરતાં આ વડના ઝાડની નીચે આવી ધ્યાનમાં રહેલા ! ત્યારે એમને અનંતજ્ઞાન-અનંતદર્શન ઉત્પન્ન થયેલું ! એટલે આ વડની પાસે પ્રભુનો મહિમા કરવા માટે આ સુંદર મંદિર બંધાવવામાં આવ્યું છે, અને દેવ દાનવથી પૂજાયેલા એ ભગવાનના મહિમાને યાદ કરી કરી લોકો આ વડને અને મંદિરને પૂજવા માટે આવે છે.” ઋષભદેવ ભગવાનનો કેટલો બધો મહિમા ? અસંખ્ય વર્ષના વહાણા વીત્યા છતાં એ પ્રભુના કેવળજ્ઞાન સ્થળના સંભારણારૂપે વડ ઊભો છે. ભવી જીવને એ સ્થળનું દર્શન પણ શુભ ભાવ ઊભો કરે છે ! મૂર્તિ-પૂજનનો 328 - તરંગવતી
Page #334
--------------------------------------------------------------------------
________________ વિરોધ કરનાર આ સ્થળનો મહિમા નહિ માને એને પૂજય નહિ માને, કેવી અજ્ઞાન મૂઢ દશા ! આજે સિદ્ધગિરિના સ્થળ પર જતાં માણસનાં દિલ પીગળી જાય છે ને ? મહાપુરુષનો આત્મા તો પૂજ્ય છે જ, પરંતુ એમનું શરીર, એમની મૂર્તિ, એમનું સ્થળ, અરે ! એમનું નામ પણ પૂજ્ય છે ! આગળ મુનિ કહે છે, “એ સાંભળીને મેં પણ એ ત્રિલોકનાથની પ્રતિમાને તથા વડને વંદન કર્યો, અને ત્યાં જોઉં છું તો સાધુ ભગવાન બિરાજમાન દેખ્યા. મુનિરાજ કેવા હતા ? કષાયથી સળગી રહેલા આપણા દિલને ઉપશમ રસની ઠંડક આપે એવા ! કેમકે પહેલાં તો એવા ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા કે એ સાધુ જાણે બહારમાંથી નીકળી પોતાના આંતર હૃદયમાં સ્થિર થઈ ગયા છેએટલું જ નહિ, પણ પોતાની ઇન્દ્રિયોને પણ અંદરમાં જ ઠારી દીધી છે ! એટલે હવે એમની પ્રવૃત્તિ બાહ્ય વિષયમાં થતી દેખાતી નથી; પછી અસ્થિરતા દોષ શાનો રહે ? મનની એકાગ્રતા એવી કરી છે કે સંવરના માર્ગો પર જ મનને લગાડેલું છે. તેથી મનને બહારમાં ભટકવાનું રાખ્યું જ નથી, પછી મન કેટલું શાંત-પ્રશાંત-ઉપશાંત હોય ? પ્રશાંત મુનિનું દર્શન કેવું પ્રભાવક ? : “મારું મન ઘણાં કાળથી ક્રૂર કર્મો કરી કરીને અત્યંત અશાંત બની ગયેલું, તેમાં આવા ઉપશાંત-મૂર્તિ મહાત્માને દેખીને એમના પ્રત્યે આકર્ષાઈ ગયું ! મનને થયું કે, “એમની પાસેથી કાંઈક શાંતિ મળશે.” એટલે હું તેમની પાસે ગયો, નમસ્કાર કરીને બેઠો, અને હાથની અંજલિ જોડીને પૂછું છું કે ચોરનો મુનિને પ્રશ્ન : “હે ભગવન્ આપ તો કોઈપણ પ્રકારનાં અભિમાન ને ક્રોધ વિનાના છો, તેમજ કોઈપણ પ્રકારના સુવર્ણાદિ દ્રવ્યનાં પરિગ્રહ વિનાના છો, તથા કોઈપણ પ્રકારનાં આરંભ-સમારંભ વિનાના દેખાઓ છો; તો હે મહાયશસ્વી પુરુષ ! હું તમારો શિષ્ય બનીને એ જાણવા સાંભળવા ઇચ્છું છું કે, “આ જન્મ-મરણનાં અનંતકાળથી ચાલી આવેલા ફેરાના આવર્તમાં ફસાયેલો હું શી રીતે આ અગાધ સંસાર-મહાસાગરને તરી જાઉં ?" “મને વિશ્વાસ છે કે તમારા પ્રભાવથી જરૂર આ ભીમ ભવસાગરને તરી જઈશ; પણ મને એવો કલ્યાણ માર્ગ બતાવો.' મહાત્માની ઉપાયવાણી : ત્યારે એ મહાત્મા બોલ્યા કે “મહાનુભાવ ! કર્મ ! તારી ગતિ ન્યારી 329
Page #335
--------------------------------------------------------------------------
________________ ભવસાગર તરવા માટે કઠિન આચારોનો મોટો મેરુભાર અવિશ્રાંતપણે એટલે કે ભારે કષ્ટ છતાં વચમાં એ ભાર ઉતારી નાખીને વિસામો લીધા વિના, ભારને સતત અખંડપણે વહન કરવો પડે છે ! ને એ કામ બહુ દુષ્કર છે. તું શી રીતે વહન કરી શકે ?" ત્યારે મેં કહ્યું, “હા પ્રભુ ! એ પવિત્ર આચારોનો માર્ગ કઠિન હશે, પરંતુ ઉદ્યમી પુરુષાર્થી પુરુષને કશું જ કઠિન નથી. આમે ય દુર્ગતિઓમાં દુઃખોનાં મૂશળધાર વરસાદ નીચે ભારે ભારે કઠિનાઈઓ પણ ક્યાં નથી વેઠી ? હવે મારો નિર્ધાર છે કે તમારી દીક્ષાને અંગીકાર કરીને પવિત્ર આચારોના પાલનમાં લાગી જાઉં, ને એમાં ક્યારેય પણ પાછી પાની કરું નહીં.” 24. મુનિનું વિશાળ અધ્યયન મહાત્મા કહે, “તો આ તારો નિર્ધાર સુંદર અને વાજબી છે, કેમકે એ આચાર-પાલન સર્વ દુઃખોનો અંત લાવનાર છે. હું તને એનું પ્રદાન કરું છું.” એમ કહીને એમણે મને પાંચ મહાવ્રત ઉચ્ચરાવ્યા. અને સાધુ ધર્મમાં સ્થાપિત કર્યો સાથે મહાવ્રતનાં પચ્ચકખાણનાં મર્મ મને સમજાવ્યાં. - સાધુ બનેલા મને (1) પહેલી આસેવન-શિક્ષામાં વિનયના અને સામાચારીના પ્રકારો સમજાવ્યાં, ગમનાગમન, બેઠક-ઉઠક, ગોચરી-ભિક્ષા અંગેની નિર્દોષ વિધિ, ચીજ-વસ્તુનું સ્થાપન-ગ્રહણ...વગેરેની વિધિ, જેમાં મુખ્યતયા સૂક્ષ્મ પણ જીવની ય વિરાધના ન થાય એવી સાવચેતીઓ હોય છે, એની યાને સમિતિની, તથા અશુભ પ્રવૃત્તિ ત્યાગ શુભ પ્રવૃત્તિ પ્રવર્તનરૂપ ગુપ્તિની તાલિમ આપી. ઉપરાંત રાતભર અને દિવસભરના પૂલ સૂક્ષ્મ પાપોનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું, એ પણ શિખવાડી દીધું, (2) બીજી ગ્રહણ-શિક્ષામાં મને શાસ્ત્રો ભણાવ્યા. એમાં ક્રમશઃ આવશ્યક દશવૈકાલિક વગેરે “ઉત્કાલિક શ્રુત', તથા “કાલિક શ્રુત’માં ઉત્તરાધ્યનનાં 36 અધ્યયન વગેરે કાલિક શ્રુત, અને આચારાંગમાં વિમુક્તિ-માર્ગ સુધી આચાર; એમ સૂયગડાંગ ઠાણાંગ સમવાયાંગ,...વગેરે “અંગ-પ્રવિણ' શ્રુત ભણાવ્યા. એ પછી તો મારા જીવનમાં આ મહાન આગમ-સૂત્રોના પદાર્થો હું વારંવાર રટતો-મમરાવતો ગયો, એમાં વળી આગળ વધતાં ગુરુએ મારામાં યોગ્યતા જાણીને અગિયાર અંગ આગમ ઉપરાંત દૃષ્ટિવાદ નામનું બારમું “અંગ” આગમ પણ ભણાવવા માંડ્યું. 33) - તરંગવતી
Page #336
--------------------------------------------------------------------------
________________ આ “દષ્ટિવાદ 12 મા અંગ આગમમાં એક વિભાગ "14 પૂર્વ' નામના શાસ્ત્રોનો છે. આ “પૂર્વ શાસ્ત્રો એ મોટા દરિયા જેવા વિશાળ હોય છે. દા.ત. 14 પૂર્વોમાનું પહેલા પૂર્વમાં જ એટલા બધા સૂત્રો છે કે એને પાના પર લખવા હોય તો લખવા માટે 1 હાથી પ્રમાણ ઊંડા ખાડામાં જેટલી મપી (શાહીની ભૂકી) સમાય એટલી કુલ મલીની બનાવેલ શાહી જોઈએ ! ત્યારે પહેલું જ પૂર્વ કેટલું મોટું જંગી પૂર્વ ? પછી ઉત્તરોત્તર ૨જં-૩જું-૪થું...વગેરે પૂર્વ લખવા માટે ડબલ ડબલ હાથી પ્રમાણ ખાડાઓની મષી જોઈએ ! દા.ત. રજું પૂર્વ લખવા 2 હાથી-પ્રમાણ, ત્રીજું લખવા 4 હાથી પ્રમાણ...એમ ઉત્તરોત્તર બમણાં બમણાં થતાં ૧૪મું પૂર્વ લખવા 8192 હાથીના ખાડા પ્રમાણ મષી જોઈએ ! કુલ 16383 હાથી-પ્રમાણ મશીથી ચૌદ પૂર્વ લખાય ! આ હિસાબે ‘પૂર્વ' નામના શાસ્ત્રોમાં સૂત્રો કેટલા ! આ બધા કાંઈ લખેલા ન મળે; પણ ગુરુના મુખેથી સાંભળી-સમજી મુખપાઠ કરવા પડે.” | મુનિ કહે છે, "12 વર્ષમાં ગુરુની કૃપાથી આ ચૌદમાંના નવ પૂર્વોનું જ્ઞાન મને મળ્યું.” સંયમનો રંગ કેમ લાગે? : આવા દરિયા જેવડા સુંદર શાસ્ત્ર-અધ્યયન સાથે સંયમનું પાલન કરતાં કરતાં મારા આત્મામાં સંયમનો એવો રંગ લાગ્યો છે, કે એની આગળ દેવતાઈ સુખ પણ વિસાતમાં લાગતા નથી ! આજે મારી મતિ સંયમથી એવી ભાવિત થઈ ગઈ છે, એવી રંગાઈ ગઈ છે, કે હવે દરેક વિચાર સંયમથી રંગાયેલો જ આવે છે. અહો ! જિનશાસનનો ને શાસનના સંયમનો કેટલો બધો ઉપકાર ! કે અનંત અનંત કાળના અ-સંયમ અર્થાત્ વિષય-કષાયોના કુસંસ્કારથી કલુષિત લાગણીઓ, વિચારો, મનોરથો વગેરેથી મન જે મલિન ને મલિન જ રહેતું, તે બંધ થઈ ગયું; અને બહુ ઉત્તમ પવિત્ર લાગણીઓ અને વિચારો આવ્યા કરે છે ! હું તમને સંયમના રંગથી રંગાયેલી બુદ્ધિના મારા અનુભવથી કહું છું કે તમારે આરાધવા લાયક એક માત્ર જૈન શાસને કહેલો આ સંયમ-માર્ગ જ છે.” એક વખતનો સુવિચારો કરનારો ઉત્તમ કુળવાન પુત્ર પણ પછીથી કુસંગે જુગાર વગેરે વ્યસનમાં ચડી ડાકુ-ધૂર-ચોરપણાનું જીવન બનાવનાર એવા એના અધમાધમ વિચારો અને અધમાધમ કરણી ક્યાં ? અને હવે ઠેઠ નવ પૂર્વના જ્ઞાનથી તેમજ ઉત્તમ સંયમથી રંગાઈ જનાર આ મહામુનિની વિચારધારા ક્યાં? એક જ કર્મ ! તારી ગતિ ન્યારી 331
Page #337
--------------------------------------------------------------------------
________________ તરંગવતી પર મુનિવાણીની અસર : તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે, કે “એ પ્રમાણે એ મુનિનું જીવન અને ઉપદેશ સાંભળીને અમે જે દુ:ખ ચોરપલ્લીમાં અનુભવેલું, તે યાદ આવતાં અમને કંપારો થઈ ગયો ! અને અમે બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. અમને લાગ્યું કે “અમને ચોરપલ્લીમાંથી જે કૂરકર્મ કરનાર માણસને દયા આવવાથી એણે અમને પલ્લીમાંથી ગુપ્ત રીતે છોડાવેલા, તે જ આ પછીથી સંયમી મુનિ બનેલા છે ! આવા એક વખતના કૂરકર્મી પણ જો પ્રભુના શાસનના આવા ઉત્તમ સંયમમાર્ગને સ્વીકારે તો પછી અમારે તો સંયમ સિવાય બીજું શું કરવાનું હોય ? એમાં પણ જોરદાર તપશ્ચર્યા જ કર્યે જવાની હોય, જેથી અમારા ભવના દુ:ખ ભાંગે. આ જ જીવનના એ પૂર્વેના દુઃખો સાંભર્યા, ને અમને કામ-ભોગ ઉપર નફરત છૂટી ! અમે અત્યંત વૈરાગ્યથી વાસિત થઈ ગયા, અને એ સંયમ-સમાધિના ભંડાર સમા તે શ્રમણ ભગવંતના પગમાં પડી ગયા, નમસ્કાર કરીને અમને લાગ્યું કે હવે જાણે અમને નવા જ બનેલા અતિ નિકટના સગા મળ્યા ! એમને અમે કહ્યું, પૂર્વની ઓળખ કરાવે છે : “પ્રભુ ! જે આપે પૂર્વભવમાં ચક્રવાકચક્રવાકીના જોડલાના અકાળ મૃત્યુમાં નિમિત્ત બનેલા, તે ચક્રવાક-ચક્રવાકી અમે જ હતા અને આ જનમમાં ચોર-પલ્લીમાંથી આપે જે સ્ત્રી-પુરુષના યુગલને પલ્લીમાંથી બહાર લઈ આવેલા, અને જંગલમાંથી પસાર કરી ઠેઠ એક ગામના નાકે લાવી મૂકેલા, તે પણ અમે જ હતા ! અને એ જ અમે બન્ને આજે આપની સામે ઊભા છીએ. ભગવંત ! તમે તો અમને જીવતદાન આપ્યું નહિતર ચોર પલ્લીમાં દેવીના બલિદાનમાં હોમાઈ જવાના હતા, તે તમે અમને જીવંત રાખ્યા ! આ તમારા પરમ ઉપકારનો બદલો વળે એમ નથી; પરંતુ એ જ રીતે હવે, સંયમ કેમ માગે છે ? : આપ અમને સંસારના સમસ્ત દુઃખોનો અંત આવે એવા માર્ગે ચડાવી દો. હવે તો અમે સંસારવાસથી બી ગયા છીએ; કેમકે સંસારમાં જનમ અનિત્ય જ હોય છે. ક્યાંય કાયમી સ્થિરતા મળતી જ નથી. એટલે ઊંચા પર્વત પરથી ગબડેલો ગોળો વચમાં ક્યાંય સ્થિર ન ટકે, પરંતુ ગબડ ગબડ કરતો નીચે નીચે ગબડ્યા જ કરે, એમ જીવને સંસારમાં એક જનમથી બીજા જનમમાં ભટક્યા કરવાનું થાય. વળી પાછું એમાં ક્યાંય 332 - તરંગવતી
Page #338
--------------------------------------------------------------------------
________________ સુખશાંતિ મળે જ નહીં ! આવા સંસારથી અમે થાકેલા છીએ, માટે ભગવન્! અમે આપની નિશ્રામાં જિનવચનથી ભાષિત મોક્ષમાર્ગે ચાલીએ. ને વિવિધ તપ-નિયમનું ભાતું વાપરતાં વાપરતાં મોક્ષ તરફ ઝડપી પ્રયાણથી આગળ વધીએ, એમ ઇચ્છીએ છીએ.” અમારી આ માગણી સાંભળીને મહાત્મા કહે છે, “ભાગ્યવાન ! તમોએ બહુ સારો વિચાર કર્યો. જિનેશ્વર ભગવાન કહે છે, કે જે અહિંસા-સત્ય-શીલ-બ્રહ્મચર્ય આદિ વ્રતો સદાચારો અને સંયમની સાધના કરે છે, એ સંસારના સર્વ દુઃખોથી મુક્ત થાય છે. “અગર આટલે ઊંચે આર્ય માનવભવે ચડ્યા પછી પણ જો સેંકડો અધમ ભવોની પરંપરામાં અધઃપતન પામી ફસાઈ મરવાનું ઇચ્છતા ન હો, તો પાપકર્મોને સદંતર તિલાંજલિ આપી દો, અને ધર્મ-કર્મમાં ભગીરથ પુરુષાર્થ કરો. "नज्जइ धुवं तु मरणं, न नज्जइ होहिती कया तं ति / जाव जीवियं न जायइ, ताव वरं मे कओ धम्मो // " અર્થાત્ મૃત્યુ નિશ્ચિત્ત છે એ સમજાય છે. પરંતુ એ નથી સમજાતું કે એ ક્યારે થશે ? માટે જ્યાં સુધી જીવિત હાથમાંથી જાય નહિ ત્યાંસુધીમાં તમારે ધર્મ કરી લેવો શ્રેયસ્કર છે.” પ્ર.- તરંગવતી અને પમદેવને ચોરપલ્લીમાં દુ:ખનો અનુભવ તો થયેલો, પરંતુ ત્યાં સંસાર પર આટલો વૈરાગ્ય ન ઊછળ્યો તે અહીં કેમ ઊછળ્યો ? ચોરપલ્લીમાંથી છૂટવા છતાં વૈરાગ્ય નહિ ! ને અહીં કેમ વૈરાગ્ય? : ઉ.- કારણ એ હતું કે પોતાના દુઃખ કરતાં અહીં આ મુનિએ પોતાની જે હકીકત કહી, એમાં પૂર્વ ભવથી બધું જાણવા મળ્યું કે ગતભવના પારધીપણામાં પણ પોતાના હાથે હણાઈ ગયેલા નિર્દોષ પંખેરાની ચિતામાં પશ્ચાત્તાપથી જાતે પડીને બળી મરવાનું,...તેમજ આ ભવમાં પણ વ્યસનના છંદથી ચોર બનેલાએ પલ્લીમાં કેદ લાવેલ તરંગવતીના મુખે પૂર્વ ભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. ને જ્ઞાન થવાથી બંનેને છોડાવ્યા પછી હવે ચોર-જીવન નહિ સંસારી શાહુકાર-જીવન પણ નહિ, કિન્તુ સીધું સાધુ-જીવન જ લઈ લીધું ! ઉપદેશક મુનિ અંગેની આ બધી વિગત જાણવા મળી, એ તરંગવતીપદ્મદેવ માટે હૈયાને ચોંકાવનારી અને આંચકો આપનારી હતી ! પોતાના ધર્મીપણાને શરમ લગાડનારી હતી ! કે પૂર્વના પંખેરાના ભાવમાં ઘોર દુઃખ કર્મ ! તારી ગતિ ન્યારી 333
Page #339
--------------------------------------------------------------------------
________________ અને આ ભવમાં ચોરપલ્લીમાં ફસામણના ભયંકર દુઃખ જોયા પછી પણ એવો ગોઝારો સંસાર છોડવાનું મન ન થયું ! તે પલ્લીમાંથી કપાઈ મરવામાંથી છૂટવા મળ્યા પછી પણ વિષયોનાં ઠીકરાં ચાટવાનું મન થયું ! ધિક્કાર છે અમને કે પારધીમાંથી ચોર અને ચોરપણામાંથી સાધુ બની જનારને નજરે નિહાળવા છતાં અમને સાધુ થવાનું મન ન થયું ? આમ મુનિના જીવનનાં મળેલા શ્રવણે બંનેના હૈયાને જોરદાર ધક્કો લાગી ગયો ! ધક્કો તે એવો જોરદાર કે ત્યાં જ ઊઠીને ચારિત્ર લેવાનો નિર્ધાર કરે છે ! તે પણ હવે ઘરે પણ કહેવા કરવા જવું નથી, અને સાધુ-દીક્ષા આપો’ એ માટે વિનતિ કરે છે. તમારે હૈયાને આવો કોઈ ધક્કો ? સંસારી હૈયાને ધક્કો ક્યાં લાગે ? : દશરથ : રાજા દશરથને કંચુકીનું ઘડપણ જોઈ ધક્કો લાગી ગયો. બન્યું એવું કે રાજા દશરથે જિનેન્દ્ર-ભક્તિનો સ્નાત્ર-મહોત્સવ ઊજવ્યો, પછી સ્નાત્ર-~વણજળ નોકરો દ્વારા રાણીઓને મોકલ્યું. તે બીજી રાણીઓને હવણ જળ જલદીથી પહોંચી ગયું, ત્યારે કૌશલ્યા રાણીને જલદી પહોંચ્યું નહિ, તેથી એના મનને લાગ્યું કે “મહારાજાએ મને સ્નાત્રજળ નહિ, ને બીજી રાણીઓને સ્નાત્ર-જળ મોકલ્યું. એ બીજી રાણીઓ પર પક્ષપાત કર્યો, એ બતાવે છે કે હું મોટી રાણી ઉંમરે વધી ગઈ એટલે મહારાજાને અણમાનિતી થઈ ગઈ છું.” તેથી એ તરત રીસ-ઘરમાં બેસી ગઈ. માણસને ઇર્ષ્યા કેવી સતાવે છે ! નહિતર અહીં શી મોટી વાત હતી કે આટલામાં રીસ ચડી જાય ? ખરી રીતે અહીં વિચારવું આ જોઈતું હતું કે હું મોટી ને મહારાજાએ મારી પ્રત્યે કેટલીય વાર પ્રેમના વર્તાવ કર્યા જ છે; તો હવે આ બીજી નાની રાણીઓ પાછળથી પરણેલી એમને પ્રેમના ઓછા વર્તાવ મળ્યા છે, તેથી એમને ભલે આ વખતે પ્રેમથી સ્નાત્ર-જળ મોકલ્યું, તો એ મારી બેનો છે, એમને મોકલ્યું એટલે મને જ મોકલ્યું છે. મોહની વિચિત્ર પરિણતિ છે. ખેર ! મહારાજા દશરથને દાસીઓએ ખબર આપી કે “મહારાણીને રીસ ચડી લાગે છે.' મહારાજા દોડતા આવ્યા, કૌશલ્યાને રીસનું કારણ પૂછે છે, તો એણે કહ્યું કે “તમને બીજી રાણીઓ વહાલી, ને હું અણમોનિતી, તેથી બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલ્યું, ને મને ન મોકલ્યું ? 334 - તરંગવતી
Page #340
--------------------------------------------------------------------------
________________ રાજા ખુલાસો કરે છે કે એવું કાંઈ નથી મેં તો તમને બધાને સ્નાત્ર-જળ મોકલ્યું છે. તમને કે કોઈને ટાળ્યા નથી.' કૌશલ્યા કહે, “તો પછી મારી પાસે કેમ સ્નાત્રજળ ન આવ્યું ? એમ કહો કે હું ઘરડી થઈ એટલે હું અણગમતી થઈ, તેથી મને ભૂલી જ ગયા છો !' આ વાત ચાલે છે એટલામાં કંચુકી સ્નાત્ર જળ લઈને આવ્યો. કૌશલ્યાને રાજા કહે, “જુઓ, આ માણસ સ્નાત્રજળ લઈને આવ્યો કે નહિ ? નકામો વિખવાદ ન કરો.” પછી રાજા કંચુકીને પૂછે છે “અલ્યા ભાઈ ! બીજા માણસો સ્નાત્ર-જળ જલદી લઈ આવ્યા, ને તું કેમ મોડો પડ્યો ?' માણસ કહે “મહારાજા ! જુઓ આ મારી ઉંમર થઈ ગઈ છે. એટલે લાકડી ઠોકતો ઠોકતો ધીમે ધીમે ચાલી શકું છું. તેથી અહીં પહોંચવામાં જરાક મોડું થયું. બીજા જુવાન તે જલદી પહોંચી આવ્યા.” દશરથની વૈરાગ્યવિચારણા : દશરથ રાજા કૌશલ્યાને કહે “બોલો, તમારા પર અણગમા જેવું કાંઈ આમાં દેખાય છે ? ખોટી કલ્પનામાં જ દુઃખી થયા ને ? કૌશલ્યા હસી પડ્યા, પરંતુ મહારાજા દશરથને આ પ્રસંગ પર હૈયે ચોટ લાગી ગઈ કે “હાય ! આ કંચુકી પર જોતજોતામાં ઘડપણ ઊતરી પડ્યું, તો મારા પર પણ આ ઉંમર તો ઘટતી ચાલી તો એમજ ઘડપણ કેમ નહિ ઊતરી પડે ? ને ઘડપણ આવી ગયા પછી તો હું કષ્ટમય ચારિત્રની આરાધના શી રીતે કરી શકવાનો હતો ? માટે હવે તો સંસાર બહુ જોયો. જીવને આ સંસારસુખના ખરજવાની ખણજ ખણવા જેવા ભોગોથી કદી તૃપ્તિ થવાની નથી, એ તો એનો ત્યાગ જ કરી દઈએ, તો જ મન ધરપતમાં આવે; ને વિષયોની ખણજ લાલસા મટે. માટે હવે હું ચારિત્ર લઈ લઉં” આમ દશરથના હૈયાને કંચુકીના ઘડપણની સ્થિતિ જોતાં ધક્કો લાગી ગયો. દશરથની કુટુંબને વૈરાગ્યની વાત : બસ, પછી તરત કુટુંબ ભેગું કરી વાત કરે છે કે “જુઓ મારા પૂર્વજો આ પાપભર્યા સંસારમાંથી સવેળા ઊભા થઈ ગયેલા અને ચારિત્ર માર્ગે ચડી ગયેલા ! અને હું હજી ભોગ-વિલાસના કીચડમાં એમ જ બેઠો છું ! મને એની શરમ આવે છે, તેથી હવે તો હું ચારિત્ર-માર્ગ જ લઈ લઈશ. તમે બધા મારા કલ્યાણમાં સંમત થઈ જાઓ.” એમાં ભરત ઊઠીને કહે “પિતાજી ! તમે જો સંયમ લેશો તો હું તમારા વિના એક ઘડી પણ ઘરે નહિ રહી શકું, એટલે હું પણ તમારી સાથે જ ચારિત્રમાર્ગ લઈશ.' કર્મ ! તારી ગતિ ન્યારી 335
Page #341
--------------------------------------------------------------------------
________________ જુઓ આ પૂર્વ કાળના પુરુષો ! વૃદ્ધ કંચુકી આવવામાં જરા મોડો પડ્યો એ પરથી મોટા રાજયના માલિક મહારાજા દશરથના હૈયાને ધક્કો લાગી જાય છે ! આખા સંસાર પર વૈરાગ્ય ઝળકી ઊઠે છે ! એમ દીકરા ભરતને પિતાના સંસાર-ત્યાગની ભાવના જોઈ પિતાના પ્રેમની પાછળ ભરતના હૈયાને ધક્કો લાગી જાય છે. વૈરાગ્યનાં આ કારણો કેવા મામૂલી ! છતાં એનાથી અંતરમાં સમસ્ત સંસારસુખો પર વૈરાગ્ય જાગી જાય, એ આત્માની કેટલી ઊંચી વિવેકબુદ્ધિ! આજે આ વિવેકબુદ્ધિ કેટલામાં જોવા મળે ? બોલો, તમને આજે વૈરાગ્યના મામૂલી નહિ, પણ મહાન કારણો કેટલા જોવા મળે છે ? સંસારમાં લગ્ન વખતના કોલના પછીથી ભંગ છતાં વૈરાગ્ય ક્યાં છે? પહેલું તો, ઘેર ઘેર માટીના ચૂલા કહેવાય છે એ શું છે ? પરણ્યા'તા હોશે હોશે ! પરસ્પર કોલ આપ્યા હતા “હું તમને જીવનભર ખૂબ પ્રેમથી વળગી રહીશ” હવે કેમ છે ? કહો, હજી પાડોશી ગમશે ! ને એની જોડે વાત વીસામો કરશે ! પણ ઘરનું માણસ એટલું નથી ગમતું, ને એની જોડે શાંતિથી બેસીને વાત વિસામો નથી ગમતો ! ક્યાં ગયા પેલા કોલ કે જીવનભર હું તમને પ્રેમથી વળગી રહીશ ? શું આ વૈરાગ્યનું કારણ નથી ? જેણે આપણને પૂરા હેત ને પ્રેમ જીવનભર રાખવાના વિશ્વાસ આપ્યા, એ જ વિશ્વાસનો ભંગ કરે છે ! શું મનને એમ ન થાય કે “બળ્યો આ સંસાર ! કે જ્યાં આવા કેટલાય વિશ્વાસભંગ વધાવવા પડે છે !" પણ ના, વૈરાગ્ય નથી એટલે આવું કશું મનમાં ખોટું લાગતું નથી. મન વાળી લે છે “એ તો સંસારમાં એમ ચાલ્યા કરે. બાકી એમનાથી સુખ નિરાંત કેટલી બધી છે ! આ તો નાની વાત; બાકી વૈરાગ્યનાં કારણો તો આજે કેવા મોટા મોટા અને કેટલીય જાતના બને છે. 25. વૈરાગ્યનાં કારણો (1) આજના ભયંકર અકસ્માતો દા.ત. મોટર અકસ્માત, વિમાન અકસ્માત, સ્કૂટર-રીક્ષા અકસ્માત, ટ્રેન અકસ્માત કેવા કેવા થાય છે ! એમાં કેવી ભયંકર હોનારતો સરજાય છે ! અકાળે ધારણા બહાર કોઈનો પતિ ઊડી જાય છે ! તો કોઈની પત્ની ને કોઈનો દીકરો, તો કોઈનો બાપ ઊડે છે ! કીર્તિમેઈલનો ભયંકર અકસ્માત :વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં કીર્તિમેઇલનો અકસ્માત થયો એમાં ફર્સ્ટ ક્લાસના 336 - તરંગવતી
Page #342
--------------------------------------------------------------------------
________________ ડબામાં બેઠેલી લગ્નની જાનને જીવલેણ અકસ્માત નડ્યો. મોટી ટિકિટ ખર્ચા ફર્સ્ટ ક્લાસના ડબામાં બેઠેલાને જીવલેણ અકસ્માત નડે ? મોટી ટિકિટ ખર્ચી ફર્સ્ટ ક્લાસમાં બેસે એને સ્પેશિયલ સગવડ કે એ ડબ્બા ટ્રેનમાં વચમાં જ રાખવામાં આવે છે, જેથી આગળથી કે પાછળથી કોઈ ટ્રેનની ટકરામણ થઈ અકસ્માત થાય તો સૌથી આગળના કે પાછળના થર્ડ ક્લાસના ડબ્બા ને એમાં બેઠેલા પ્રવાસીઓ જ કચરાય ને વચ્ચેના ફર્સ્ટ ક્લાસ ડબ્બાવાળાને સંરક્ષણ મળી જાય. ત્યારે પૂછો, પ્ર.- અહીં કેમ ફર્સ્ટ ક્લાસના જ ડબ્બા કચરાયા ? ઉ. કારણ, આ અકસ્માત બીજી ટ્રેનની ટકરામણનો નહોતો, પરંતુ એક પાટા પરથી બીજા પાટા પર ગાડીને ચડાવવા વચમાં જે સાંધાનો ભાગ રહે, એને મિલાવવામાં સાંધાવાળાની ભૂલ થઈ, મેલ જોસમાં દોડતો હતો તેથી અહીં ખચકાતાં એવો આંચકો લાગ્યો કે આગળના થર્ડ ક્લાસના 2-3 ડબ્બા તો ખેમકુશળ નીકળી ગયેલા, પણ વચલા ફર્સ્ટ ક્લાસના ડબ્બા જ ઊંધા વળી ગયા. એમાં જાનૈયા બેઠેલા, તેમજ વરરાજા ને વહુ સ્પેશિયલ જુદા ડબ્બામાં હતા એ બધા ડબ્બા નીચે કચરાયા. ત્યાં વરરાજો બિચારો પગથી છાતી સુધી કચરાઈ ગયેલો ! એ રોતો કકળતો પોકાર કરતો હતો “મને બહાર ખેચી કાઢો. બહાર ખેંચી કાઢો,” પણ ભારેખમ ડબ્બાની નીચેથી એકદમ શી રીતે બહાર ખેંચી કાઢે ? કેટલાકના મોઢા ડબ્બાની બારી બહાર લટકી પડેલા, ને જીભ બહાર લટકી પડેલી ! કોઈના ડોળા બહાર ઉપસી આવેલા ! દશ્ય કંપાયમાન કરી નાખે એવું હતું. એમાં એક રાજકોટની ડોશી ઘરે બેઠી રોતી રોતી હતી કે “હાય ! આ જાનમાં મારા પાંચ દીકરા મર્યા! તે હું કેમ નો મરી ગઈ ?' કહો, આ વૈરાગ્યનું કારણ નથી ? પેલી ડોશીના મનને ન થાય કે બળ્યો આ સંસાર કે એણે મારા પાંચે દીકરાને આવી ક્રૂર રીતે માર્યા ?' મોટા વેપારીનો સૌથી હોશિયાર પુત્ર ઊડ્યો : એમ એકાએક ત્રણ દિવસના તાવમાં મુગ્ધ યુવાનીમાં રળતો કમાતો દીકરો મરે કે પતિ મરે, પાછળ મા બાપ ભાઈઓ અને પત્ની રો-કકળ કરે, એ શું વૈરાગ્યનું કારણ નથી ? વર્ષો પહેલાં અમદાવાદમાં એક શ્રીમંતને ચાર છોકરા. એમાં સૌથી નાનો છોકરો ત્રીસેક વર્ષની ઉમરનો હોશિયાર એવો, કે ત્રણ મોટા ભાઈઓ કર્મ ! તારી ગતિ ન્યારી 337
Page #343
--------------------------------------------------------------------------
________________ તો દુકાન પર કાપડનો માલ વેચવાનું સંભાળે, પણ આ વાતચીત કરવાની હોશિયારીથી મિલોમાંથી વાજબી ભાવે જોઈતું કાપડ ખરીદી લાવે. આજે તો ક્વોટાનો જમાનો છે ને ? ક્વોટા જેટલો જ માલ મળે. પરંતુ આ યુવાન મિલના ક્વોટાને મિલમાલિકના ખીસામાં રખાવે ! એમાં અચાનક બન્યું એવું કે આને તાવ કે એવી બીમારી આવી કે હોસ્પિટલમાં દાખલ કર્યો ને ત્રણ દિવસમાં એ ઊપડી ગયો ! એથી અમદાવાદમાં હાહાકાર વ્યાપી ગયેલો. બાપને હજી ત્રણ મોટા દીકરા છે, પરંતુ મિલમાંથી સારી ખરીદી વિના સારુ વેચાણ શાનાં પર કરે ? બોલો, આ વૈરાગ્યનું કારણ નથી ? ત્રણ મોટા ભાઈ વેચાણ ભલે હોશિયારીથી કરતા હોય પરંતુ હવે એટલા માલ વિના શાનું વેચાણ કરે ? એ ય ભલે મિલોમાં માલ લેવા જતા હોય, પરંતુ ખરીદીના કોમ્પિટિશન (હરિફાઈ)માં બીજા ભારે હોશિયાર ખરીદનારની સામે શી રીતે ટક્કર ઝીલી શકે ? આ એક યુવાન નાની ઉંમરમાં મરી જતાં માબાપને કલ્પાંતનો પાર નહિ ! મોટા ભાઈઓનો કલ્પાંતનો પાર નહિ ! એની યુવાન પત્નીને ને બાબા-બેબીને કલ્પાંતનો પાર નહિ ! અનેકોને છાતી ફાટ રુદન કરાવે એવા આ અકાળ મૃત્યુને જે સંસાર નીપજાવે એ સંસાર પર “બળ્યો આ સંસાર !' એમ નફરત ન થાય ? વૈરાગ્ય ન થાય ? સંસાર છોડવાનું મન ન થાય ? વૈરાગ્યનાં કારણ ક્યાં લેવા જવા છે ? જગતમાં ઘૂમી વળો તો ઢગલાબંધ કારણો મળી આવશે. જેમકે, માબાપે પેટે પાટા બાંધીને છોકરાને ઊછેરી મોટો કર્યો, પરણાવ્યો, ને હવે પરણીને 12 વરસમાં જ છોકરો જુઆરે લે છે આવા ઘર કેટલા મળે ? એમ મોટા ભાઈએ બાપ મરી જતા નાના ભાઈઓને દેશમાંથી મુંબઈ જેવામાં લાવીને હોશિયાર કરી સ્વતંત્ર ધંધે લગાડ્યા હોય, પરણાવ્યા હોય, પણ પછી એ ભાઈઓનું નસીબ જોરદાર તે સ્વતંત્ર સારું કમાતા થયા, તો એ મોટા ભાઈને નાના ભાઈઓની કમાઈમાંથી કેટલો ભાગ મળે ? આજે હીરાના ધંધે લગાડેલા કેટલાય નાના ભાઈઓમાં આ દેખાય છે, એ જાણે મોટા ભાઈને કહે છે, “તમે તમારા નસીબ પ્રમાણે ધંધો કૂટી ખાઓ, હું મારા નસીબ પ્રમાણે લઉં છું.” જે મોટા ભાઈએ પ્રેમથી પાળી પોષી મોટા કર્યા, હોશિયાર બનાવ્યા, ને ધંધે લગાડી જયારે સગા બાપને છોકરાઓ કમાણી ન સોંપતા હોય, ત્યાં નાના ભાઈઓ મોટા ભાઈને શું પરખાવે ? જ્યાં હોશિયાર બનાવેલા છેહ દે, એ 338 - તરંગવતી
Page #344
--------------------------------------------------------------------------
________________ સંસાર પર વૈરાગ્ય ન થાય ? એથી ઊલટું મોટા ભાઈએ નાના ભાઈને મોટો કર્યો હોય, પરંતુ એની એટલી હોશિયારી નહિ, તે હવે નાનો ભાઈ એ જ મોટા ભાઈની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો જોવા મળે છે. વૈરાગ્યનાં કારણ તો માત્ર બાપ ભાઈ વગેરે સગાના જ વિચિત્ર વર્તાવ નહિ. પરંતુ પોતાની પત્ની પણ એવા વિચિત્ર વર્તાવની હોય છે કે એને પાડોશી વહાલા લાગે, પણ પતિ સાથે ટક-ટકારો કરતી હોય.. આ પરથી સંસારની નિર્ગુણતા સમજીને એનાથી વૈરાગ્ય ન થઈ જાય ? રાજા ભર્તુહરિ કેમ વૈરાગ્ય પામ્યો ? પોતે અતિપ્રિય કરેલી રાણી પિંગલાને દુઝારિત્રી જોઈ, તે પણ ઝાડુવાળા સાથે ! એથી એ વૈરાગ્ય પામી ગયો. રાજા પ્રદેશી ધર્મ પામ્યા પછી મોહ ઘેલી ચેષ્ટાઓ અને મોહ ઘેલા બોલ બંધ કરવાથી અતિપ્રિય રાણી સૂર્યકાન્તાને અળખામણો થયો. રાણીને હવે પશુ જેવા મોહના ચાળા રાજા તરફથી મળતા બંધ થઈ ગયા, તો રાણીને હવે પતિ પારણે ઝેર આપી મારી નાખ્યો ! શું આ વૈરાગ્યનું કારણ નથી ? રાજા પ્રદેશી આ જોઈ મોત વખતે સંસાર પર જવલંત વૈરાગ્યથી વીતરાગ ભગવાન પર ઉત્કટ રાગવાળો બની, પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનનો માલિક સૂર્યાભદેવ તરીકેનો જવલંત પ્રભુભક્તિનો અવતાર પામ્યો ! તરંગવતી અને પારધીનાં અદ્ભુત જીવન - તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને કહી રહી છે કે “અમે તો સારા જૈન કુળમાં જન્મ પામેલા, જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના પંખરાના અવતારમાં થયેલા કારમાં મૃત્યુના દુઃખ અહીં યાદ પણ આવ્યા, તેમજ આ ભવમાં ચોર-પલ્લીમાં ય ભયંકર ત્રાસનો અનુભવ કરી આવેલા, છતાં તેવા વૈરાગ્યના ફાંફાં ! આ અમારી બધી હકીકતની સામે મુનિ જોયા તે પૂર્વ ભવમાં પારધીપણું કરનારા ! છતાં એ ય જાતિસ્મરણ જ્ઞાનથી અમને ચોર-પલ્લીમાંથી છોડાવી સીધા ચારિત્ર માર્ગે ચડી ગયા ! એ 12 વરસ ચારિત્ર પાળનારા ! ત્યારે અમે હજી 1212 વરસ સંસારના વિષયોના કીચડમાં આળોટીએ છીએ ! આ મહાત્મા બાર વરસમાં તો નવ પૂર્વધર મહા જ્ઞાની બન્યા, એમનો વૈરાગ્ય કેવો જવલંત ! અને એના ઉપર એ કેવા પ્રખર પુરુષાર્થી ! કે ઉચ્ચ કોટિના સંયમ અને જ્ઞાનનો વૈભવ પામ્યા ! આમ છતાં એ પરથી જો કે હજી પરણીને અમને માત્ર 12 બાર વરસ થયા હતા, તો પણ મુનિના મુખેથી એમની કહાણી અને કર્મ ! તારી ગતિ ન્યારી 339
Page #345
--------------------------------------------------------------------------
________________ ઉપદેશ સાંભળી અને વૈરાગ્ય-વાસિત બન્યા, વૈરાગ્યથી ભીના ભીના બની ગયા; અને અમે મુનિને પ્રાર્થના કરી કે, | 26. તરંગવતી - પઘદેવની દીક્ષા પ્રભુ ! અમે પણ હવે આ દુઃખદ સંસારવાસથી ઊભગી ગયા છીએ. હવે અમારે જિનવચને કહેલા માર્ગે મોક્ષે જલદી પહોંચવું છે. એ માટે અમારું મન ખૂબ તલપાપડ બન્યું છે. અમને કર્તવ્ય સુઝાડો.” ત્યારે મહાત્માએ અમને કહ્યું “જુઓ હવે ભવ પરંપરામાં વિનિપાત ન ઇચ્છતા હો, તો શીલ-સંયમમાં તરત લાગી જાઓ; કેમકે કાળનો ભરોસો નથી; તેમ આયુષ્યની બાકીની ખબર નથી. એમાં યમરાજ ક્યારે ત્રાટકી પડે એનું શું કહેવાય ? માટે પાપ-ત્યાગ અને ધર્મ-પ્રવૃત્તિને જરાય વાયદે રાખ્યા વિના તરતમાં જ એમાં લાગી જવું ઉચિત છે. કહ્યું છે, जस्स न वरेज्ज मच्चू दुक्खं च जो न पावेज्जा / तस्स अकयउव्व, जुज्जेज्जा जीवियं सि चलंमि // धम्माचरणंमि बुद्धि नरेण निच्चंपि कायव्वा / અર્થાત્ જેને મૃત્યુ ન વરવાનું હોય, તેમજ જે દુ:ખ પામવાનો જ ન હોય, એ કાંઈ સારા પરલોક માટે આગળથી તૈયારી ન કરે એ બરાબર છે. સિદ્ધ ભગવાનને હવે કદી મૃત્યુ નથી, તેમજ એમને હવે કદી દુ:ખ આવવાનું નથી, તો પરલોક સુધારવા સિદ્ધ ભગવાનને ક્યાં કશી તૈયાર કરવી પડે છે? પરંતુ જેને મૃત્યુ આવવાનું છે, અને જેને પૂર્વ કર્માનુસાર હજી દુ:ખ પણ પામવાનો અવકાશ છે, એણે તો પરલોક સુધારનારા કર્તવ્યોની અને કર્મનાશના ઉપાયોની તૈયારી મોત આવતા પહેલાં આગળથી જ કરી રાખવી જોઈએ. એ જો ન કરે, ને અચાનક મોત વહેલું આવી જાય, તો પરલોક હિત-કર્તવ્યો કરવાનાં રહી જાય ! ને મોત પછી એ ક્યારે કરે ? અને પછી તો અહીંથી એકલા પાપનાં પોટલાં લઈ ક્યાં જાય ? એને સદ્ગતિમાં નહિ, પણ દુર્ગતિમાં જ જવું પડે. માટે માણસે સમજી રાખવું જોઈએ કે જયારે જીવન ચંચળ છે, તો પછી ધર્મની આરાધનામાં જ હંમેશાં તત્પરતા રાખવી જોઈએ.” તરંગવતી-પઘદેવની દીક્ષા : તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે મહાત્માએ અમને આ માર્ગદર્શન આપ્યું, તેથી એ સાંભળીને અમને સંસાર પર ભારે ઉદ્વેગ થઈ 340 - તરંગવતી
Page #346
--------------------------------------------------------------------------
________________ ગયો, મનને લાગી ગયું કે “માથે લટકતી મોતની તલવાર નીચે હવે શા સંસારસુખના અભરખા રાખવા ? મોતથી એકાએક ઢળી જઈએ એ પહેલાં જ તપ-સંયમધર્મની આરાધનામાં જ લાગી જઈએ.” એમ ધર્મનો ઉત્સાહ વધી જવાથી અમે વિશ્વાસપાત્ર નોકર વર્ગના હાથમાં અમારા શરીર પરનાં અલંકાર ઉતારીને આપી દીધા અને એમને કહ્યું કે “તમે જાઓ, અને અમારા તરફથી માતાપિતાને એમ કહેજો કે, સાધ્વી તરંગવતીનો માતાપિતાને સંદેશો “આ સંસારમાં અનેક પ્રકારની અધમ યોનિઓમાં કરવા પડતા રઝળપાટથી અમે થાકી ગયા છીએ. હવે ભવમાં ભટકવાનું અમને જરાય મન નથી, અને ભવભ્રમણથી બચાવનાર એક માત્ર તપ અને સંયમ ધર્મ છે; તેથી અમે એ માર્ગ સ્વીકારી લઈએ છીએ. મૃત્યુની અનિશ્ચિતતામાં અમે હવે સંયમ અને તપની આરાધના કાળના ભરોસે રાખવા માગતા નથી. આમે ય પેલા ચોરોની પલ્લીમાં કપાઈ મર્યા હોત, તો તો સંયમની સાધના વિના ગયા જ હોત ને ? એ તો ભાગ્યયોગે જીવતા રહી ગયા ! તો હવે જીવતા રહીને અમારે પાપ પોષવા નથી; ધર્મની આરાધના જ કરી લેવી છે; તેથી અમે સંયમમાર્ગ અંગીકાર કરીએ છીએ. તમો સૌની પ્રત્યે અમારાથી આજ સુધી જે કોઈ અવિનય આદિ અપરાધ થયો હોય, એની અમે ક્ષમા માગીએ છીએ. અમારા પ્રમાદ-ભાવથી થયેલ ભૂલોની ક્ષમા આપજો ." | મુનિના જીવન-વૃત્તાન્ત તરંગવતી-પપ્રદેવનાં હૈયા કેવાં હચમચાવી નાખ્યા હશે કે અહીં ઉદ્યાનમાં વસંતઋતુની મજા જોવા માટે ફરવા આવેલા. તે હવે મનને કશો સવાસલો કરતા નથી કે “આ મુનિનું જીવન સાંભળીને તો એમજ લાગે છે કે “સંયમ વિના જીવનો ઉદ્ધાર નથી, તેથી દીક્ષા તો લઈ જ લેવી છે. પરંતુ પહેલાં સાધુમહારાજનો પરિચય સાધીએ, અને ધીમેધીમે ધર્મમાં આગળ વધતા જઈએ, બે વરસ સાધુમહારાજનો પરિચય અને ધર્મનો બરાબર અભ્યાસ કરી લઈએ પછી સંયમ માર્ગે ચડીશું. બાકી મહારાજ કહે હમણાં ઝટોઝટ દીક્ષા લઈ લો, તે કાંઈ એમ દીક્ષા લેવાય નહિ. નહિતર જો આંધળિયા કરીએ, ને પછી ન ફાવ્યું તો આઘા જઈને પાછા પડવાનું થાય. એમાં તો પછી ન ઘરનાં ને ન ઘાટનાં રહીએ.” આવો સવાસલો ન કરતાં એમણે તો ‘તરત દાન ને મહાપુણ્ય'નો સોદો અપનાવી લીધો. તરંગવતીના નોકરોની ચીસ : તરંગવતીએ જ્યાં નોકર માણસોને દાગીના કર્મ ! તારી ગતિ ન્યારી 341
Page #347
--------------------------------------------------------------------------
________________ આપીને આ કહ્યું કે “તમે બા-બાપુજીને આ આપજો ને કહેજો કે અમે ભવ ભવ ભટકવાથી ત્રાસી ગયા છીએ; એટલે સંસાર-ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારી લઈએ છીએ,” ને સાધુવેશ લઈ લીધો, ત્યાં નોકર માણસો ચીસ પાડી ઊઠે છે, “હાય ! હાય ! આ તમે શું કરો છો ?' એવી ચીસો પાડી રડારોળ કરવા લાગી ગયા. તરંગવતી-પમદેવના પગમાં પડી ગયા, અને રોતાં કકળતાં કહે છે, “હે નાથ ! નાથ ! અમને અનાથને તરછોડશો નહિ. તમે જો ઘર છોડી જાઓ, તો પછી તો અમને ઘરમાં અમારી આંખોને ઠારનારું તમારું પ્રિય મધુરું દર્શન જ ન મળે ! વાસ્તુ મહેરબાની કરો, ઘરમાં જ રહી જાઓ. હમણાં સાધુ થવાની વાત ન કરશો. ઓ પ્રભુ ! પ્રભુ ! દયા કરો અમ સેવકો પર.' એમ કરી નોકર-વર્ગ કરુણ રુદન ને વિલાપ કરે છે, ને ઘરે પાછા ફરવા વારંવાર કાકલૂદીભરી વિનંતી કરે છે. પરિવાર-રુદન પર કેમ ન પીગળ્યા? : કેશ ગૂંચનમાં ક્લેશ લૂચન : પરંતુ અહીં તો આ બંનેને પાકા વૈરાગ્ય પર ત્યાગ લેવો છે. તેથી પરિજનની એવી કરુણ વિનંતિઓની શી અસર ? કશી જ નહિ. એ તો પમદેવ ત્યાં પોતાના માથાના કેશનો લોચ કરી નાખે છે ! અને આ જનમનો ઉપકાર માને છે કે જેમાં શીરકેશના લંચનમાં સંસાર-ક્લેશોનું લૂચન કરવા મળે છે. “અહો અહો ! કેવો સુંદર આ આર્ય માનવજનમ ! અને કેવો ઉત્તમ આ વીતરાગનો સંયમ-ધર્મ ! જેમાં કેશનો લોચ એ માત્ર કેશ-લૂચન નથી, પરંતુ રાગદ્વેષાદિ ક્લેશોનું પણ લૂચન છે !" તરંગવતીની સંયમ-માગણી : તરંગવતી પણ મુનિના ચરણે નમસ્કાર કરીને વિનંતી કરે છે, ‘ભગવંત ! તો આપ મારા પર પણ કૃપા કરો, હું પણ મારા પ્રિય પતિની સાથે સંસારના દુઃખોથી છુટકારો જ ઇચ્છું છું, અને સંયમ વિના સંસારના દુઃખોથી છુટકારો નથી તો મને પણ સંયમ આપવાનો અનુગ્રહ કરો, મહેરબાની કરો.” | મુનિ સંમત થયા, એટલે તરંગવતીએ પણ પોતાના મસ્તકેથી કેશનો લોચ કરી નાખ્યો. મુનિએ ત્યાં બંનેને સર્વપાપ-ત્યાગનાં અર્થાત સર્વવિરતિ સામાયિકનાં પચ્ચકખાણ કરાવ્યાં, કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા જાતે નહિ કરવાની, બીજા પાસે કરાવવાની પણ નહિ, તેમજ હિંસા કરનારાની અનુમોદના ય નહિ કરવાની, એમ જૂઠ વગેરે પાપોનો ત્રિવિધ ત્યાગ; એવાં 34 2 - તરંગવતી
Page #348
--------------------------------------------------------------------------
________________ પચ્ચકખાણ હોય છે તે આપ્યા. મૂળગુણો ને ઉત્તરગુણો : મુનિએ એ પાપોની સમજ આપી, એનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ અર્થાત્ “પાપસેવન મનથી ય નહિ, વચનથી ય નહિ, ને કાયાથી પણ નહિ તેમજ જાતે ય કરવાના નહિ, બીજા પાસે ય કરાવવાના નહિ, ને બીજા દ્વારા એ પાપો સેવાતા હોય એને સારા માનવાનાય નહિ.” એ રીતે ત્રિવિધ ત્રિવિધ પાપત્યાગ સમજાવ્યો. આ તો મૂળ ગુણો, પણ સાથે સાથે મુનિએ એનાં રક્ષણ માટે ઉત્તર ગુણો પણ સમજાવ્યા. ઉત્તર ગુણોમાં, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આવે. ઈર્ષા સમિતિમાં માર્ગે ચાલતાં નીચે જોતાં જોતાં જ ચાલવાનું, જેથી કોઈ બિચારો નિર્દોષ જીવ ભૂલો તો નથી પડ્યો ? મારી ગફલતમાં નાહક મારા પગ નીચે કચરાઈ ન મરે' એ લક્ષથી ચાલતાં એની હિંસા અટકે. એવા બીજા ઉત્તર ગુણો સમજાવ્યા. સંયમ જીવન એટલે સ્વર્ગીય જીવન ! : તરંગવતી-પદ્મદેવ સાધ્વી ને સાધુ બનેલા, તે ગુરુ મુનિ પાસેથી સંયમ અને ગ્રહણ-આસેવન-શિક્ષા પામીને ખૂબ જ આનંદિત થયા ! કેમ જાણે સ્વર્ગનું રાજય મળ્યું ! એમ એમને લાગે છે. ક્યાં પલ્લીમાં જીવતા કપાઈ મરી મહકિંમતી પણ માનવજન્મ સરાસર ગુમાવી દેવાનો અવસર ? અને ક્યાં એ આફત ટળી જીવંત રહેવા ઉપર આ સંયમ જીવન પામવાનો અવસર આવ્યો ? તે કોઈ સામાન્ય વસ્તુ નહિ, પણ ઠેઠ અનંત સુખના ધામધૂત મોક્ષ અપાવનાર માનવ-જન્મની ઉત્કૃષ્ટ વસ્તુ પામવાનો અવસર આવ્યો, એ ક્યાં ? એમના મનને આ રીતે વિચારતાં લાગે છે કે, ‘આ તે શો ચમત્કાર બન્યો ?' અને સાથે ખેદ પણ થાય છે કે “અરે ! આ ચમત્કાર બન્યો તે ચોર પલ્લીની કેદમાંથી છૂટ્યા પછી ઠેઠ બાર વરસે કેમ બન્યો ? ખેર, પણ બાર વરસે ય ઉદ્ધાર થયાનો આનંદ અપરંપાર છે ! ત્યારે, પેલા નોકરો અહીં પધદેવ-તરંગવતીનો સંસાર-ત્યાગ કેશ-લૂચન અને સાધુ-વેશ ધરવાનું જોઈને ઘરે ગયા છે, તે એમનું તો મગજ જ કામ કરતું નથી ! એટલે જ અહીં પોક મૂકીને રોયેલા, તે હવે ઘરે જઈને બંને ઘરે વાત કરે છે કે “તરંગવતી બહેને અને પદ્મદેવભાઈએ સંસાર-ત્યાગ કરી ચારિત્ર માર્ગ સ્વીકારી લીધો છે; લો આ એમના દાગીના, આપને આપવાના કહ્યા છે. અમે તો ભારે કલ્પાંત કરવા સાથે આમ ન કરવા ઘણી વિનવણીઓ કરી, કર્મ ! તારી ગતિ ન્યારી 343
Page #349
--------------------------------------------------------------------------
________________ પરંતુ એમને તમારી દયા ન આવી, તો અમારી તો દયા શાની જ આવે ? અમે લાચાર બનીને આ આવ્યા છીએ.” બંનેની દીક્ષા સાંભળતાં માબાપોની દશા : નોકરો પાસેથી આ સાંભળીને શેઠિયા છક્કડ ખાઈ ગયા કે “આ શું? હમણાં તો વસંતઋતુની મોજ માણવા ગયા છે, કશી ત્યાગ-વૈરાગ્યની વાતે ય નહોતી, અને એકાએક આ એમણે શું ગજબ સાહસ કરી નાખ્યું !!' બંનેના કુટુંબ આખાય ચમકારો પામી ગયા ! કુટુંબ-પરિવાર સાથે બંને શેઠીયા અહીં દોડતા આવે જ ને? વાત માનવામાં આવે એવી નથી; કેમકે કેટલી અઢળક સંપત્તિ ! અને તરંગવતી-પપ્રદેવ બંનેનું કેવું લચપચતું યૌવન ! તથા બંનેના પૂર્વજન્મથી ચાલી આવેલો કેટલો ગાઢ પરસ્પર રાગ ! બંનેના ગાઢ રાગમાં એક બીજાની પાછળ કેવી આત્મઘાત સુધી પહોંચવાની તૈયારી ! એ સાંભળી છે, એટલે એમને એમ થાય છે કે, પરસ્પર અતિપ્રિય એમની એકબીજાના વિષયોમાં તો આત્મઘાતની તૈયારી હોય; પરંતુ હવે બંનેને જ્યારે ભારે અનુકૂળ મિલન થઈ આવ્યું છે, તો પછી એકાએક બંને એક બીજાનો ત્યાગ કરીને આ મહાકપરા ચારિત્ર માર્ગે કેમ પ્રયાણ કર્યું હશે? આ બનવું જ અસંભવિત છે.” એમના મગજમાં આ બેસતું જ નથી. સંસારી જીવોને સંસારની વાસના એવા મોહમૂઢ બનાવે છે કે પોતાના જીવનમાં રાગના ખેલેલા તાંડવના અનુભવ પર બીજાના ત્યાગ-વૈરાગ્યના પરાક્રમ મનમાં બેસતા નથી. મોહમૂઢતા અને રાગના સુખદ માનેલા અનુભવ પોતાના જીવનમાં તો ત્યાગનું સ્વપ્ન ન આવવા દે, પરંતુ બીજાના જીવનમાં આવેલા ત્યાગને ય મનમાં ન બેસવા દે ! ને એમના મનને એમ થાય કે “ત્યાગ તે હોય ? ભોગો જ ઉડાવવાના હોય; ને એમ સુખી બન્યા રહેવાનું હોય.' સંસાર-વાસના “સંસારમાં રાગાદિ ભાવો સહેજે થાય જ,' એમ મનાવે છે. હવે વિચારવાનું આ છે, કે આવું તો જીવ અનંત અનંત કાળથી માનતોકરતો આવ્યો છે, તેમ અત્યારે પણ એવું તો અનાર્ય અને ભંગી કુળવાળા ય માને કરે છે; પછી એમાં ફેરફાર ક્યારે અને ક્યાં ? ક્યા અવતારે ? ને કયા કુળમાં ? અહીં બંને શેઠિયાઓને શું લાગી રહ્યું છે ? આ જ કે આવા યુવાનયુવતી આટઆટલી સમૃદ્ધિ-સાહ્યબીનો એકાએક ત્યાગ કરી નાખે ? મતલબ ? - તરંગવતી 344
Page #350
--------------------------------------------------------------------------
________________ ત્યાગ કરી દે એ દુઃખદ લાગે છે, ઉતાવળિયું સાહસ લાગે છે, પણ ખૂબી કેવી કે કોઈ તેવા વિષમ સંયોગમાં ત્યાગ કરે એ સાહસ કે એ વિચિત્ર નથી લાગતું! શ્રીમંતને પરણાવેલી દીકરી પરણીને 2 વર્ષમાં રાંડે, એ વિચિત્ર નહીં? દેશાવર ગયેલો નવયુવાન દીકરો વાહનના અકસ્માતમાં માર્યો જાય યા એને કોઈ ડાકુ, કોઈ નકસલાઈટ ઉપાડી જાય, એ કશું સાહસ નહિ ? મા-બાપ અને કુટુંબ ઉદ્યાનમાં : જ્યાં બંને શેઠિયાઓ પરિવાર સાથે નગરની બહાર ઉદ્યાનમાં દોડતા આવ્યા, ત્યાં પરિવાર તો આમને સાધુવેશમાં જોઈ મોટી પોક મૂકીને રડી પડ્યો; અને બંને શેઠિયા તો એકાએક બેભાન થઈ ગયા ! એમાં ય સુકોમળ તરંગવતીને સાધ્વી બનેલા જોતાં વિશેષ ચોંકી ઊઠ્યા ! જાણે ખબર નથી કે આ સંસારના રંગઢંગ કેવા? આ સંસારના રંગમંચ ઉપર ખેલતા જીવો જન્મ જન્મ નવનવા અજાણ્યા સ્નેહીઓના સંબંધમાં આવે છે, “તું મારો, હું તારો,' “તું મારી, હું તારો,'...એમ નવા નવા હિસાબ ઊભા કરે છે, ને પછી એની જ પાછળ શોક-પોક-રુદન ચાલે છે ! કારમાં હિંસા-પરિગ્રહાદિ પાપો કરશે, કષાયો કરશે, તો તે પણ એની જ પાછળ ! પણ પછી મરીને એમને મૂકી નવો ભવ ! હવે ગત ભવના સગા-સ્નેહી સાથે કશો સંબંધ નહીં ! કશું કોઈને યાદ પણ કરવાનું નહિ ! આવી સંસારી જીવની વિચિત્ર અને ગુલામીભરી દુ:ખમય સ્થિતિ જોઈને જ જ્ઞાનીઓ આવા અસાર સંસાર પર વૈરાગ્ય લાવવાનું કહે છે. અહીં બંને શેઠિયાઓ સંસારની દુર્દશાને સમજનારા છે, તેથી અજ્ઞાન પરિવારની જેમ ચીસો પાડીને રોવા નથી બેસી જતા. જિનવચનથી ભાવિત થયેલી યાને જિનવચનથી રંગાયેલી મતિવાલા છે, એટલે સમજે છે કે “સંસારમાં આવું બધું અણઘટતું બને એમાં કશી નવાઈ નથી.' આમ તત્ત્વસમજ છે, પરંતુ રાગદશા છે, તેથી આંખમાં ઝળઝળીયાં આવી જાય છે. તરંગવતીના માતાપિતા આંસુને માંડ રોકતાં કહે છે, શેઠ શું કહે છે? : “આ તમે યુવાનીના ઉદયમાં, જયારે તોફાની યૌવન ખીલવા માંડ્યું છે ત્યારે, આ સાહસ શું કરી નાખ્યું ? સાધુપણાના આચાર અને ગુણો પાળવા બહુ કઠિન છે ! કેમકે, યુવાન વય તો વિકારોની ખાણ છે એમાં વિકારો જલદી ઊઠે. એવા વિકારોના ઝંઝાવાતમાં રખે તમે ચારિત્ર-સંયમની વિરાધના કરી નાખો તો ? માટે અમારે તો એટલું જ કહેવું છે કે આ કર્મ ! તારી ગતિ ન્યારી 345
Page #351
--------------------------------------------------------------------------
________________ ચારિત્ર એ તો મનુષ્ય-જન્મનો સાર છે.' એ કમાઈ જ લેવો જોઈએ. સાર કમાઈ લે એ બુદ્ધિમાન છે. પરંતુ મોહની રાજધાની સમી યુવાની તમને ઠગી ન જાય, ખીલતી યુવાનીમાં મોહના વિકારો સંયમની વિરાધનામાં પાડી ન દે, એટલા માટે પહેલા માળેલા મનગમતા વિષયો યુવાનીમાં ભોગવી લઈ, પછી સંયમમાર્ગે જજો. તરણતારણ સંયમમાર્ગે જવાનો અમારો નિષેધ ન હોય; માત્ર સંયમ-માર્ગે મોહના વિકારોથી વિરાધના ન થાય, તેથી વિકારની વય વહી જાય પછી પ્રૌઢ વયે સંયમ લેજો. એમ સંયમ લેવામાં જોખમ નહિ.” કેવો અનુકૂળ ઉપસર્ગ ! માબાપ લલચાવે છે. પ્ર.- તરંગવતી-પપ્રદેવ ખીલતી યુવાનીમાં છે. એમને ઇન્દ્રિયોના મનગમતા વિષયો મળ્યા છે. એમાં વડીલની આ સલાહ મળે, એટલે વૈરાગ્ય માર્ગેથી પાછા ફરી જવાનું સહજ ન બની જાય ? ઉ.- ના, અહીં તો બંનેએ જીવનમાં વૈરાગ્યપ્રેરક ઘણું ઘણું જોયા પછી એમના કાન પર આ મોહની અનુકૂળ વાતો આવે છે, ત્યાં પેલી યાતનાઓ નજર સામે હોય એટલે, એમ કાંઈ એ શાના ડગે? એ ડગી જાય એવા નથી. એમને તો પેલી પલ્લીમાં અનેક સારા માણસો જેવા કેદીઓની દુર્દશા, અને વિશેષ પોતાના પર વરસેલી ભયાનક દુર્દશા, તથા નિશ્ચિત થઈ ગયેલ નિકટમાં જ ક્રૂર રીતે કપાઈ મરવાની આગાહી નજર સામે તરવરે છે, પછી એ શાના વૈરાગ્યમાંથી ચલિત થઈ જાય ? તરંગવતીનો વૈરાગ્યપૂર્ણ ઉત્તર : એ તો કહે છે, “મહાનુભાવ ! તમે જે યુવાનીમાં ભોગ સુખો કહ્યા, એ તો ખરજવાની ખણજ ખણવા જેવા ક્ષણિક સુખો છે. પણ એના વિપાક ભયંકર છે ! કેમકે વિષય-ભોગના ગુનાથી ઊભા થતાં પાપ અને પાપાનુબંધોથી નરકાદિ દુર્ગતિઓની જેલમાં પૂરાવું પડે છે. એ જેલોની હારમાળામાં પૂરાઈ જવું પડે તો ત્યાં ભયાનક દુઃખોમાં કેવું રીબાવું પડે ? અહીં એક જનમ વિષય ભોગની ભૂલ કરી નાખી, પછી અનેક જનમ દુર્ગતિઓના લેવા પડે ! એમાંથી કોઈ જ બચાવનાર ઉદ્ધારનાર મળતું નથી ! તો એવા ક્શ માત્ર સુખ દેખાડનાર ને પરિણામે ભયંકર દુઃખોમાં રીબાવનારા એવા વિષય સુખમાં કોણ બુદ્ધિમાન આકર્ષાય ? તરંગવતીની સમજ શી ખોટી છે ? સનતકુમાર ચક્રવર્તી, અબજોપતિ થાવસ્યાકુમાર, રોજની નવી દેવતાઈ - તરંગવતી 346
Page #352
--------------------------------------------------------------------------
________________ સમૃદ્ધિ-સામગ્રી ભરેલી નવાણું પેટી પામનાર શાલિભદ્ર,..વગેરેને કેવા ઊંચા વિષય-સુખો ચરણે લોટતા હતા ! છતાં એમણે ખીલતી યુવાનીમાં એ બધાને ઠોકર મારી ચારિત્ર લીધું ! તે કઈ સમજથી ? આવી જ કોઈક સમજથી ને? કે આ વિષય ભોગના સુખ હલાહલ ઝેર કરતાં ભયંકર છે ! ઝેર એક મોત આપે, વિષય ભોગના સુખ જનમ જનમ મોત આપે ! આ સમજથી જ તરંગવતીએ પિતા તથા સસરાનાં યુવાનીની વિષયલહેરો લૂંટી લેવાના લલચાવનારા વચનોને જરાય મન પર ન લીધાં, એને જરાય મહત્ત્વ ન આપ્યું, ઊલટું એમ કહ્યું કે “આ વિષયની લહેરો લૂંટનારી ઇન્દ્રિયો તો વાસ્તવમાં આત્માની ભાવશત્રુ છે. શત્રુને સાલિયાણાં ભરાય ?' ત્યારે ઋષભસેન શેઠ કહે “પણ બેન ! આ ભર્યા કુટુંબ વચ્ચે જે આનંદમંગળમાં રહ્યા એ એકદમ કેમ વીસરાશે ? તમે ઘરેથી નીકળ્યા ત્યારે તો આ કોઈ વિચારણા નહોતી, બધાની સાથે સ્નેહભાવમાં રહેલા, હવે એકાએક તમને શું થયું ? ક્ષણિક ઊભરામાં બધા સ્નેહભાવ તોડી મહા કપરા ચારિત્રમાર્ગે નીકળી પડવું છે, તો પાછળથી ઊભરો શમી જતા, ને એ પૂર્વના સ્નેહ યાદ આવતાં, આ ત્યાગનું સાહસ કરી નાખવા પર અફસોસી થશે.” નવી સાધ્વી તરંગવતી સંસારનું હાર્દ રજૂ કરે છે : અહીં તરંગવતી સાધ્વી, જુઓ, હવે શાસ્ત્રની બે ગાથા ટાંકીને કેવો વૈરાગ્ય ભર્યો અદ્ભુત ઉત્તર કહે છે ! भोगा खणमित्तसुहा, विवागकडुयत्ति तो अहं बेमि / बहु दुक्खो य कुटुंबो, न मुत्ति-सोक्खा परं सोक्खं // जाव न मुयंति ( हायंति) अक्खा, थामो जा अत्थि संजमं काउं। जाव न हरेइ मच्चू ताव वरं मे तवं काउं // અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટા ક્ષણમાત્ર સુખ દેખાડનારા છે; ઉપરાંત (એથી બંધાતા પાપકર્મોના) વિપાક ભયંકર કડવા હોય છે ! તેથી હું કહું છું કે કુટુંબ આપણને જે આ ભોગસુખો દેખાડે છે તે સુખના આભાસ દેખાડી સ્નેહની સાંકળે બાંધી જકડી રાખે છે, પણ એમાં બહુ (અતૃપ્તિ-અજંપો શોક-સંતાપાદિ દુ:ખોના લીધે એ) દુઃખ રૂપ નીવડે છે. સાચું સુખ તો મોક્ષ સુખ છે. મોક્ષના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. માટે એ મોક્ષ સુખ મેળવવા સારુ (1) જયાં સુધી ઇન્દ્રિયો પોતાની શક્તિઓ ગુમાવે નહિ, (2) જયાં સુધી કર્મ ! તારી ગતિ ન્યારી 347
Page #353
--------------------------------------------------------------------------
________________ આપણી પાસે સંયમ પાળવાની શક્તિ પહોચે છે, ને જ્યાં સુધી મૃત્યુ આપણને હરી જતું નથી, ત્યાં સુધી આપણે એ સંયમમાર્ગની આરાધના કરી લેવી, એ જ શ્રેયસ્કર છે. કેવી મજેની વાત કરી ! કુટુંબ સાથે રહીને વિષયોની સુખ-મોજ માણવાનું તો જીવને ગળથુથીમાંથી ગમે છે, પણ એનો અર્થ શો ? રજાનો દહાડો છે, કુટુંબ સાથે બેસીને નાસ્તો ઉડાવ્યો, ચાર ભજિયાં ખાધાં, ચાર ખમણ ખાધાં, ચા પાણી ઉડાવ્યા, આનો કેટલો આનંદ ? રાખ ને ધૂળ. એક ભજિયું કે એક ખમણ ખાધું પણ એનો સ્વાદ 2-4 મિનિટ પણ ટકતો નથી ! એટલે તો તરત બીજું ભજિયું કે ખમણ ખાવા જોઈએ છે. મોંમાં બેનો ભેગો ય સ્વાદ ઊભો રહેતો નથી. “ખા ગયા, ખો ગયા'ના ખેલ છે. એમ બીજા વિષયોમાં ય શું છે ? ભોગવતા સહેજ સુખનો વિજળી-ઝબૂકો ! પણ પછી એ તરત ઊડી ગયો! એમાં શું સુખ માનવાનું? ત્યારે કોઈ કહે છે, પ્ર.- પણ સાહેબ ! પ્રેમાળ કુટુંબ સાથે બેસીને આ વીજ ઝબૂકાનાં સુખ અનુભવવાની ય કોઈ અનેરી મજા છે ને ? ઉ.- તરંગવતીના શબ્દોમાં આનો જવાબ છે, કે 1. “ભોગા ખણમિત્ત સુહા, 2 વિવાગ-કડુયા, 3 બહુ-દુખો ય કુટુંબો.” (1) ભોગોમાં ક્ષણમાત્ર આનંદ ! (પછી ઇન્દ્રિયો લુખી ને ભૂખારવી !) (2) એના પાછા સરજાયેલ પાપોના વિપાક ભૂંડા ! અને (3) કુટુંબના કારણે બહુ દુઃખો ! જો આ બરાબર હૈયે વસી જાય, તો પછી બોલો કુટુંબ સાથે બેસીને વિષયોની મોજ ઉડાવવામાં બુદ્ધિમત્તા લાગે છે ? તરંગવતી એટલે જ કહે છે “ક્ષણમાત્ર સુખ દેખાડનારા ભોગોનો અમે ત્યાગ કરી દીધો છે. બાકી જે કુટુંબ સાથે રહીને વિષયવિલાસના સુખ માણી લેવાનું આપે કહ્યું, એ કુટુંબ તો બહુ દુ:ખરૂપ છે. જીવને રોજિંદા જીવનમાં ય કુટુંબના જ કારણે કેટલીય ચિંતાઓ, કેટકેટલા સંતાપ ટોણાં-મેણાં અપમાનઅવગણના વગેરે અહીં સહન કરવા પડે છે; ને પાપોના વિપાકો પરલોકે તો તેથી જ કુટુંબ અને વિષયોનો અમે ત્યાગ કરી સંયમ માર્ગ સમજપૂર્વક લીધો છે. અને એક વાત કહું. આપે અમને યુવાનીમાં વિષયસુખો ભોગવી લેવા કહ્યું, પરંતુ યુવાની વીત્યે ઇન્દ્રિયો દૂબળી પડી જાય છે, શરીરશક્તિ પણ 348 - તરંગવતી
Page #354
--------------------------------------------------------------------------
________________ ઓછી થઈ જાય છે, તેમજ મૃત્યુ ક્યારે ત્રાટકી પડે એનો ય ભરોસો નથી. આ સ્થિતિમાં ધર્મ ભવિષ્યના વાયદે કરવાનો રાખીએ તો ઠગાઈ ન જઈએ ? ધર્મની સાધના ક્યારે કરવાની ? અને કેવી સાધના કરવાની ? એટલે જ જ્ઞાનીઓ જે કહે છે કે જયાં સુધી ઇન્દ્રિયો આંખ, કાન, જીભ વગેરે સીદાતી ન થાય, દૂબળી ન પડી જાય, તેમજ જ્યાં સુધી સંયમ પાળવાનું જોમ-સામર્થ્ય હયાત છે, તથા જ્યાં સુધીમાં મોતનો હલ્લો નથી આવ્યો, ત્યાં સુધીમાં અમારે સંયમ ધર્મ જ આરાધી લેવો એ શ્રેયસ્કર છે.” તરંગવતીના આ વૈરાગ્ય-નીતરતા બોલ સાંભળી બંને શેઠિયાઓને ખાતરી તો થઈ ગઈ કે “આમનો વૈરાગ્ય સમજપૂર્વકનો છે, અને હૈયામાં એ જડબેસલાક બેસી ગયેલો છે.” એમાં હવે ઋષભસેન શેઠ આશીર્વાદ આપે છે. | ‘ફૅવિયોર હિwifમ નિત્થર૬ મUવિહિ' અર્થાત ઇન્દ્રિયોરૂપી ચોરોથી વ્યાપ્ત આ સંસારરૂપી વનમાંથી નિરાબાધપણે પાર ઉતરી જજો એવી અમારા અંતરની આશિષ છે. 27. ધનદેવની દલિલોનો પર્દાફાશ ત્યારે પમદેવના પિતાજી સાર્થવાહ ધનદેવશેઠ પદ્મદેવને સમજાવવા માટે કહ્યું? શું કોઈએ ઠપકો આપ્યો ? તમારો તિરસ્કાર કર્યો ? અથવા શું કોઈ એવું અજુગતું દીઠું ? હજી તો તમે ઘરેથી આનંદમંગળમાં ઉદ્યાનમાં ફરવા આવ્યા છો, ત્યાં આ તમે એકાએક સંસારથી કેમ ઊભગી ગયા ? “જુઓ, તમે અહીં સંયમ પાળો તો તેથી તમારે દેવલોક જવાનું થાય, અને ત્યાંય પણ કામ ભોગો છે, વિષય-સુખો જ છે. એમાં પણ સારભૂત દેવીસ્ત્રીઓ જ છે; તો અહીં પણ તમને અપ્સરા જેવી સ્ત્રી મળી, તો સારા કામભોગો ભોગવી લો; ને યુવાની વીતી ગયા પછીથી ધર્મ કરજો ." ટૂંકી બુદ્ધિથી જોનારને આ વાત કેવી ગળે ઉતરી જાય ! એના મનને એમ થઈ જાય કે “આમે ય જયારે અત્યારથી ધર્મ કરીને ય આગળ પર તો દેવલોકમાં કામભોગોના વિષય સુખો જ ભોગવવાના છે, તો લાવ ને અત્યારે હાથવેંતમાં છે એ કામ ભોગો કાં ન ભોગવી લઉં ? ચારિત્રની નકામી ઉતાવળ શી કરવી ? કામ-ભોગોની ઉંમર વહી જાય, પછી ચારિત્ર લેવાનું તો છે જ ને ?' ટૂંકી બુદ્ધિવાલાને આમ ભ્રમણા થાય...અજ્ઞાનતાથી આ બરાબર લાગે, કર્મ ! તારી ગતિ ન્યારી 348
Page #355
--------------------------------------------------------------------------
________________ પણ હવે પધદેવ મુનિ બનેલા તે શું કહે છે એ જુઓ એટલે એ ભ્રમણાઅજ્ઞાનતા હટી જશે. પધદેવ મુનિ કહે છે. ભોગોથી રેશમના કોશેટા જેવી દુર્દશા : “જુઓ મહાનુભાવ ! કોઈએ અમને રીસવ્યા નથી, કે કશું અજુગતું બન્યું નથી. પરંતુ આપે જે સ્ત્રીની મુખ્યતાવાળા કામભોગોના વિષયસુખોની દલાલી કરી, એ ભોગો ભોગવતા બેસવામાં અમને રેશમના કોશેટા જેવી ભયંકર મૂઢતા દેખાય છે.” રેશમના કોશેટાનું જીવડું જેમ પોતાના મુખમાંથી નીકળતી સુંદર રેશમના તાર માત્ર પર નિર્ભર રહી, પોતાની જાતને એનાથી વીંટાળે જ રાખે છે, વીંટાળે જ રાખે છે, પણ અંતે વીંટાયેલો કોશેટો દડી જેવો થતાં એ જીવડાને ઉછેરનાર ક્રર માણસો વડે કોશેટા સહિત એ જીવડું એકદમ ગરમા ગરમ કકળતા પાણીમાં ઝબોળાય છે. એ કોશેટાનું જીવડું બીચારું અંદરમાંથી બહાર નીકળી શકતું નથી, પણ અંદરમાં ને અંદરમાં અતિશય ગરમ પાણીથી દઝાતું શકાતું રહે છે, એને લાયો ઊઠે છે, પરંતુ શું કરે? વેક્ય જ છૂટકો. એમાં એ રીબાઈ રીબાઈને મરે છે. એમ મૂઢ જીવ ભોગોના તાત્કાલિક આનંદમાં પરિણામ શું પામે છે ? દીર્ઘ દુર્ગતિ ! સ્ત્રી-સંબંધના કારણે જ ધર્મ ભૂલે : પદ્રદેવ કહે છે, “જુઓ મહાનુભાવ ! જે કોશેટાની અંદર ફસાયા આમ ભયંકર બળવાની પીડા આવે છે, એજ કોશેટાના તાર એ જીવડાએ પોતે જ ઊભા કરેલ, અને જાતે જ પોતાને એ તાર વીંટાળેલા. જેમ જીવડું મૂઢ છે, અજ્ઞાન છે, કે જેના સંબંધથી પોતાને ભાવી ભયંકર દુ:ખ ઊભા થનાર છે, એવા સંબંધ પોતે જ યોજે ! એમ મૂઢ જીવો જે સ્ત્રીના સંબંધથી પોતાને જ ભાવી નરક સુધીની વેદનાઓ યાતનાઓ ઊભી થનાર છે, એ સ્ત્રી-સંબંધને પોતે જ ઊભા કરે છે. કોશેટો કદમાં વધતો ગયો ચળક-ચળક દેખાતો રહ્યો, એથી કોશેટાના જીવડાની શી વડાઈ થઈ ? કશી નહિ, છતાં જાતે ને જાતે વડાઈ સમજી ફૂલીને ફાલકો થાય એ કેવી મૂઢતા ! એમ સ્ત્રી-સંબંધ કરીને સ્ત્રી સારી દેખાવડી વગેરેથી માણસ વડાઈ માને એમાં પોતાનું શું વળ્યું ? ઊલટું ખરેખર તો એમાં પોતાની ફસામણી એવી થઈ કે પછી એ કશી ધર્મસાધના, કશી પરમાત્મભક્તિ, કશા સંયમ-બ્રહ્મચર્યને યોગ્ય રહ્યો નહિ ! ને એ સ્ત્રી-સંબંધનાં જ કારણે અહીં કેટલીય ચિંતાઓ સંતાપ અને પાપાચરણને ૩પ૦ - તરંગવતી
Page #356
--------------------------------------------------------------------------
________________ પરવશ બનવું પડ્યું ! ને પરલોકમાં તો નરકાદિ દુઃખો પારાવાર સરજાય છે ! સારાંશ, કોશેટાનો જીવ તંતુઓથી પોતાની જાતને જ બાંધે છે, એમ મોહથી મોહિત મતિવાળો પુરુષ સ્ત્રીની કાયાના મોહથી પોતાના આત્માને રાગ-દ્વેષથી જકડે છે, ને પછી પોતાના આત્માને 84 લાખની વિવિધ યોનિમય આ સંસાર-અટવીમાં ભ્રમણ કરાવ્યા કરે છે. માટે સ્ત્રી એ બહુ સુખ માટે નહિ, પણ બહુ બહુ દુઃખ માટે નીવડે છે. પાદેવના સ્ત્રી તત્ત્વના અંગેના આ નિરૂપણથી હવે પિતા ધનદેવને કાંઈ બોલવાનું રહે ? “ના, ના, સ્ત્રીતત્ત્વ ગમે તેવું ? પણ હમણાં તો તમે એના ભોગસુખો ભોગવી લો” એવો આગ્રહ ધર્માત્મા ધનદેવ હવે કહી શકે ? ત્યારે હજી પમદેવને સંસારમાં રોકવા પિતા ધનદેવ નવો મુદ્દો રજૂ કરે છે. પિતાનો પુત્રને ખેંચવા નવો મુદ્દો : ‘ભાઈ ખેર ! સ્ત્રી માટે અમારો આગ્રહ મૂકી દઈએ છીએ, પરંતુ તમારે માતા પિતાની સામે તો જોવું જોઈએ કે નહિ ? તમારા પર અમે પ્રેમથી ઝૂરી મરીએ, અને તમે અમને એકાએક તરછોડી ચાલ્યા જાઓ ?' જવાબમાં “માતા પિતા મોક્ષ માર્ગ રુંધે' પદ્મદેવ એનો જવાબ કહે છે “માફ કરજો, જ્ઞાનીઓ કહે છે, માતાપિતા એ મોક્ષમાર્ગે ચાલવા આડે પગે બેડીઓ છે. જીવ એમના સ્નેહના બંધનમાં જકડાયો એમનું મન સાચવવા બેસે, એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના ન કરી શકે. માતાપિતાનું મન સાચવવા પહેલું તો આ જ કરવું પડે કે એ જે બોલ બોલે એમાં હા જી હા કરવી પડે; અને સંસારી માતાપિતાના બોલ કેવો હોય ? મોહના ઘરના. જેવા કે, એ કહેશે “ભાઈ ! માતાપિતાને તો જિંદગી સુધી પાળવા જ જોઈએ ને ?" શું ? “મોક્ષમાર્ગ સંયમમાર્ગ એ કાંઈ જિંદગી સુધી પાળવા જેવો નહિ ! માતપિતા જિંદગી સુધી પાળવા જેવા !' આ બોલ કેવી માન્યતા ઉપરના ગણાય? શું આ માન્યતા સમ્યક્ત્વના ઘરની ? કે મિથ્યાત્વના ઘરની ? સમ્યક્ત્વના ઘરની માન્યતામાં હિંસાદિ પાપો, ક્રોધાદિ કષાયો, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ-દ્વેષ-મોહ એ બધા આશ્રવો કહેવાય, અને “આશ્રવઃ સર્વથા હેયર, ઉપાદેયશ્ચ સંવરઃ'. ' અર્થાત આશ્રવ એ સર્વથા ત્યાજ્ય છે, છોડવા જેવા છે, આચરવા જેવા નહિ. તો માતાપિતા પણ એક વિષય છે, રાગનો, મોહનો વિષય; એ જિંદગી સુધી પાળવા જેવા કેમ મનાય ? એ તો સર્વથા ત્યાજય છે. ત્યાગ કરવા યોગ્ય કર્મ ! તારી ગતિ ન્યારી 351
Page #357
--------------------------------------------------------------------------
________________ છે, પાળવા યોગ્ય નહિ, પાળવા યોગ્ય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર જ. આમ માનવામાં સમ્યક્ત્વ છે. આનાથી ઊંધું માનવામાં તો મિથ્યાત્વ આવે, આમ પહેલું તો સમ્યગ્દર્શન જ ન રહે, પછી માતાપિતાની સેવામાં પડ્યા રહ્યું સમ્યજ્ઞાન-ચારિત્રની આરાધના કરવાની વાતે ય ક્યાં રહે ?" પમદેવની દૃષ્ટિ મોક્ષ તરફ અને મોક્ષમાર્ગની આરાધના તરફ બંધાઈ ગઈ છે, એટલે હવે જો માતા-પિતાના સામે જોવા જાય, એમના પરના સ્નેહના બંધને બંધાયો એમને સાચવવા તરફ દષ્ટિ લઈ જાય, તો એને લાગે છે કે એમાં મોક્ષમાર્ગ-ચારિત્રની આરાધના ચૂકી જવાય,' તેથી એ કહી રહ્યો છે કે “માતાપિતા તો મોક્ષમાર્ગની આરાધનામાં ન જવા દેનાર બેડરૂપ છે.' ત્યારે એના પિતા ધનદેવ કહે છે, “ભાઈ ! અહીં જનમ પામ્યા એટલે માતા પિતાના સંબંધ થયા, એ હિસાબે વ્યવહારથી એ જનમના સંબંધ પાર તો પાડવા જ જોઈએ ને ?" પમદેવ ઉત્તર કરે છે, “તમે સાર્થનો દાખલો વિચારો, જનમના સંબંધ પાર પાડવા જોઈએ ? : સાર્થના દૃષ્ટાંતે વૈરાગ્ય : એ કહે છે, “જુઓ, જેમ કોઈ મોટા નગરે કોઈ સાર્થ (જનસમૂહ) જતો હોય, તો એમાં ગામ-ગામથી નવનવા લોકો જોડાય છે, અને વચમાં વચમાં પોતપોતાનું ઇષ્ટ ગામ આવતું જાય તેમ તેમ સાર્થમાંથી છૂટા પડી ત્યાં પહોંચી જાય છે; ત્યાં પછી એ જોવા નથી બેસતા કે “સાર્થમાં બીજા સાથે છે એમને મૂકીને કેમ જવાય ?' એ તો છૂટા પડીને જાય જ છે; તેમ સાર્થમાંથી કોણ ક્યારે જાય? ક્યારે છૂટા પડી ક્યાં જાય? એનો કોઈ નિયમ પણ નથી રહેતો. એમ આ આપણો જનમ એટલે એક સાર્થરૂપી કુટુંબમાં ભળ્યા જેવો જનમ છે. એ કુટુંબમાં કોણ ક્યાંથી આવ્યું, એનું ય કશું બંધારણ નહિ; તેમજ અહીંથી કોણ ક્યારે ને ક્યાં જવા માટે છૂટું પડે, એનો ય નિયમ નહિ. દરેક પોતપોતાના સ્વતંત્ર કર્મના હિસાબે ક્યાંકથી આગમન અને ક્યાંક ગમન કરે છે. વળી જેમ સાર્થમાં, કોઈના કોઈક ગામેથી જોડાતાં એને ગામના કે કુટુંબના કોઈનો ય સથવારો નહિ, કોઈ સાથે નહિ, એકલો જ જોડાઈ જાય છે, ને પછી સાર્થમાંથી નીકળી પોતાના ઈષ્ટ ગામે જતાં ય સાર્થમાંથી કોઈનોય સથવારો નહિ. કંઈ જ એની સાથે જાય નહિ, એકલો નીકળી જાય. આમ જેમ સાર્થમાં આગમન-ગમન દરેકનું સ્વતંત્ર; એમ આ જનમમાં આગમનગમનમાં કોઈનો ય સથવારો નહિ. સાર્થ તુલ્ય અહીંના કુટુંબમાં આવવાનું ય 35 2 - તરંગવતી
Page #358
--------------------------------------------------------------------------
________________ એકલે પંડે, અને કુટુંબમાંથી જવાનું ય એકલે પંડે. સગાસ્નેહી સાથે ઘણાય સ્નેહ કર્યા હોય, પરંતુ જવાનું થાય ત્યારે જાણે કશી ઓળખ જ નથી. તે કોઈ “એટલા માટે કે કલેજું ઠેકાણે છે કે “મારે માત્ર રોઈ લેવાનું; પછી ભલે મરનાર મર્યા પછી પોતાના કર્મના વિપાકના હિસાબે એ કોણ જાણે ક્યાંય દુ:ખમાં સડતો હોય તો પણ મારે સંસારનાં સુખોને ધક્કો નથી પહોચાડવાનો.” ત્યારે મરનારને પણ અહીંના બધા હક મૂકીને જવું પડે છે, ત્યાં માબાપ કે બીજા શા કામ લાગ્યા ? પદ્મદેવ કહે છે “મહાનુભાવ આ બધું સૂચવે છે કે સાંસારિક રાગના આ બધા નાટક ખોટા છે. માટે જો કાળઝાળ સંસાર દાવાનળથી છૂટવું હોય, તો આ જ માર્ગ હોય કે સાંસારિક સગા અને સાંસારિક પદાર્થોનો રાગ છોડાય. એ રાગ તો જ છૂટે કે એનો સંગ યાને સંબંધ જ છોડી દેવાય. વસ્તુનો સંગ છૂટે તો જ રાગ છૂટે. પદ્મદેવ મુનિ બનેલા તે પિતાના માતા પિતાના પ્રેમને આમ તરછોડી ન જવાય' એવા વચન પર આ જવાબ કેટલો ઉમદા દઈ રહ્યા છે ! કે માતા-પિતા એ તો સંસારમાં જકડી રાખનાર બેડી છે. એમના રાગમાં જકડાયો જીવ તારણહાર ચારિત્રમાર્ગ નથી અપનાવી શકતો, અને ચારિત્ર વિના તો મોક્ષ ક્યાં મળે એવો જ છે ? ઊલટું એમના રાગના બંધનમાં જીવ એવા પાપો કરે છે કે એક દિ “એમનાથી છૂટા પડતાં એ ઉપાર્જેલ પોતપોતાના પાપોના હિસાબે સંસારની વિવિધ ગતિઓમાં જીવોને ભટકતા રહેવું પડે છે.” જો આ ભવભ્રમણ ન જોઈતું હોય તો 'अवरागो मुक्तिमग्गो जाव आउ पडिच्छेओ' અર્થાત્ જયાં સુધી આયુષ્યનો પૂર્ણ છેદ ન થાય, આયુષ્ય હાથમાં હોય, ત્યાં સુધી માનવ કર્તવ્ય આ છે કે સંસારના માતાપિતાદિ સગા વહાલા અને સાંસારિક વિષયો પરના રાગનો ક્ષય કરતા ચાલવું; એ મોક્ષમાર્ગ છે. એટલે જ ચારિત્રમાર્ગ લીધા પછી પણ ખૂબ જ ખૂબ જતના સાવધાની રાખવાની છે કે ક્યાંક પૌદગલિક પદાર્થ પર આકર્ષણ-આસક્તિ ન થઈ જાય, ! યાવતુ..પોતાના અહંન્દુ પર પણ આસક્તિ ન થવી જોઈએ. એટલે જ પધદેવ મુનિ કહે છે. “ચારિત્ર લીધા પછી પણ ક્યાંય કર્મ ! તારી ગતિ ન્યારી 353
Page #359
--------------------------------------------------------------------------
________________ આસક્તિ આકર્ષણ ન થાય એ સાવધાની પાકી રાખવાની છે. તો સુખેથી મોક્ષે જવાનું સુલભ બને. બાકી જે તમે કહ્યું “હમણાં કામ ભોગો ભોગવી લો એમાં મોટો વાંધો એ છે કે મરણ અનિયત છે. ક્યારે કરવાનું તેની ખબર નથી. તેથી જો ધર્મસાધના વિના ગફલતમાં રહીએ અને મોત ત્રાટકી પડે, તો સાધના વિના આ જીવનમાંથી દેશ નિકાલ થવાનું થાય ! અને ધર્મ-સાધના વિના એકલી પાપ-પ્રવૃત્તિઓથી પરભવે ગતિ કેવી મળે ? રૂડી રૂપાળી ? ડામ, આવો આઘા પરલોકે સારી ગતિઓ તો ધર્માત્માઓ માટે રીઝવર્ડ થયેલી છે. માટે તુચ્છ અને નાશવંત કામભોગો ભોગવી લેવાની વાત બુદ્ધિહીનને શોભે એવી છે. આમ પદ્મદેવે પોતે ઘરે પાછા આવવાનો સચોટ ઈનકાર કરી દીધો. એમાં એનો મિત્રવર્ગ તો સાવ નિરાશ થઈ ગયો ! હવે બોલવાની હિંમત ન રહી. ત્યારે પિતા ધનદેવ હવે પોતે જ પદ્મદેવ મુનિની દલાલી કરે છે ! અને મિત્રોની નિરાશા દૂર કરવા કહે છે, જુઓ ભાઈઓ ! હવે જ્યારે મુનિ બનેલા પદ્મદેવકુમાર પોતે જ કહે છે કે “રાગ તો અનંતા ભવ કર્યા, એથી તો પરિણામમાં સંસાર જ ચાલ્યો છે, તો રાગનો ત્યાગ એ જ સંસારમાંથી છોડાવનાર છે, એ જ મોક્ષમાર્ગ છે.” “વળી આ ઉત્તમ જન્મમાં જિનશાસન મળ્યું છે, તો એના સહારે રાગમાત્રનો ત્યાગ કરી, જ્યાં સુધી આયુષ્ય આપણા હાથમાં છે ત્યાંસુધી ચારિત્ર માર્ગની જ સાધના કરી લેવી એ જ શ્રેયસ્કર છે. તે પણ ખૂબ જયણાયતનાસાવધાની રાખીને સાધના કરવાની; જેથી ક્યાંય સાધનામાં વિરાધના ન પેસે. વળી એ પણ સંયમ-સાધના આત્માને ક્યાંય દુન્યવી પદાર્થમાં એક ક્ષણ પણ આસક્ત બનવા દીધા વિના કરવાની. અર્થાત પૌગલિક કશીય બાબત પર યાવતુ પોતાની કાયા પર પણ સહેજે ય આસક્તિ-મમતા ન ઊઠે એવી પક્કી તકેદારી રાખીને સંયમ પાળવાનું. આ સંયમ આત્માને મોક્ષ સાથે જોડી આપનારું યોજી આપનારું છે, માટે સંયમ એ મહાન યોગ છે. “મોક્ષણ યોજના યોગ..” વળી કુમારને સંયમની લગન લાગી, તે વાજબી જ છે; કેમકે જયારે આપણે કુમારને કહ્યું “હમણાં યુવાનીમાં કામસુખો ભોગવી લો, પછી સંયમ લેજો,' ત્યારે કુમાર મુનિએ ઠીક જ કહ્યું કે “આયુષ્યની આપણને નિશ્ચિત ખબર નથી કે “એ કેટલું છે ? અને ક્યારે તૂટે ?" તો પછી આયુષ્યની અનિશ્ચિત દશામાં સંયમને વિલંબે કેમ નખાય ? એમાં તો કદાચ ઠગાઈ જ 354 - તરંગવતી
Page #360
--------------------------------------------------------------------------
________________ જવાનું થાય. “હવે ચારિત્ર લેવું છે' એવી ભાવના કરતા બેઠા હોઈએ અને એકાએક મોત આવીને ઊભું રહે ! માટે ચારિત્રમાં વિલંબ નહિ કરવો. અંકુશ સંસારત્યાગ કરવા માટે ઊભા થઈ ગયા ! મંત્રીઓ રાજ્યગાદી સંભાળી લેવા કહે છે, તો એ ઘસીને ના પાડી દેતાં, કહે છે “કાકા જો આમ સંયમ લીધા વિના અકાળે એકાએક મર્યા, તો શું અમે પણ આયુષ્યના અણભરોસામાં એમજ સંયમ વિના એકાએક મરી પડીએ ?' બસ, બંને ઊઠીને ચાલતા થઈ ગયા, અને સંયમ લઈ લીધું ! રાજા દશરથ વૃદ્ધ કંચુકીની શરીરની નિર્માલ્ય બની ગયેલી દશા જોઈને, સંસારમાંથી ઊભા થઈ ગયેલા અને ચારિત્ર લઈ લીધેલું ! આ બધું સમજીને પધદેવ ચારિત્ર લઈ લીધું છે. એમને વારંવાર જન્મ-મરણના ફાંસલામાં ફસ્યા રહેવાની ભારે પીડા અને નાલેશી લાગી છે, અને તેથી જ એમણે પોતાની આપમેળે આત્મ-સૂઝથી સ્વેચ્છાએ જ સંસારના ભોગ-વિલાસોને તિલાંજલિ આપી છે; અને એ અહિંસા-સંયમ–તપની સાધના કરી લેવા તલપાપડ બન્યા છે, તો હવે એમને એમાં અંતરાય કરવો વાજબી નથી... આવા સાધનાના મહાન કલ્યાણ માર્ગે જે અંતરાય કરે એ મિત્ર નથી મિત્ર તો પોતાનું દુઃખ વેઠી લઈને પણ આપણું ભલું કરનારો હોય એના બદલે પોતાના તુચ્છ સ્વાર્થ-સુખ ખાતર આપણા અનંત હિતને બગાડે એ મિત્ર નથી બનતા. દુઃખી તો (1) આપણા પૂર્વ કર્માનુસારે થઈએ છીએ. તેમજ (2) વર્તમાનની મોહમૂઢતાને લીધે થઈએ છીએ.” ત્યાં જો સામો મોહમૂઢતાને ફગાવી દઈ કર્મનાશના અને અનંત સુખના માર્ગે જતો હોય તો એ શું ખોટું કરે છે ? વિચારો, ચારિત્રના પુરુષાર્થને યોગ્ય એકમાત્ર ભવ આ મનુષ્ય ભવમાં માંડ આવ્યા, ત્યાંય જો આપણે તો ચારિત્ર ન લઈએ, પણ ઊલટું એમને ચારિત્રના પુરુષાર્થની આડે આવીએ તો પછી બીજા કયા સારા અવતારે એ ચારિત્ર-પુરુષાર્થ કરી શકવાના ?" ધનદેવશેઠ આમ કહી કુટુંબને અને મિત્રોને ઠંડા પાડ્યા, અને પદ્મદેવના ચારિત્ર-ગ્રહણમાં સંમતિ દેખાડી. હવે મુનિને કહે છે, “તમે તો તરી ગયા, કર્મ ! તારી ગતિ ન્યારી 355
Page #361
--------------------------------------------------------------------------
________________ પરંતુ અમારો પણ ક્યારેક વિસ્તાર કરજો.” | ક્યારે આ કહેવાય ? કહો, પોતાની આંતરિક જાગૃતિ હોય કે “હું આવા દુ:ખદ સંસારમાં ખૂંચેલો છું, અને એમાંથી વિસ્તાર પામવાનો પુરુષાર્થ નથી કરતો એ મારી મહા કમનસીબી છે, ભારે અજ્ઞાન દશા છે. પરંતુ કેમે ય કરીને સંસારમાંથી છૂટવાનું થાય તો સારું;' આવું અંતરના ખૂણે પડ્યું હોય, તો આવા પોતાના સ્નેહીનો સંસારમાંથી નીકળી જવાનો ભગીરથ પુરુષાર્થ દેખે, તાત્ત્વિક સમજ દેખે, ત્યાં કહેવાનું મન થઈ જાય કે “અવસરે તમે અમારો હાથ પકડજો, બાવડું ઝાલીને અમને સંસારમાંથી ઊભા કરી દેજો.” અંતરથી આસ્તિક હોય એના આ હિસાબ છે કે, “દીક્ષાર્થી કુટુંબી, દેખીતું દેખાય કે આપણને તરછોડીને જાય છે, પરંતુ એ એના આત્માનું સુધારી લેવા જાય છે; ત્યારે મને મારા જ આત્માના હિતની પડી નથી કે પરલોકમાં મારું શું થશે ?' સાચો આસ્તિક આ વિચારે. બાકી, બહારની તો કહેવાની આસ્તિક્તા, પરંતુ ખરેખર અંદરમાં નકરી સ્વદેહચિંતા અને સ્વાર્થ-ચિંતા જ હોય, ને આત્મચિંતા જ ન હોય, એ પોતાના નહિ તો સામાના આત્માના ય હિતનો વિચાર જ શાનો કરે ? પદ્મદેવના પિતા અંતરથી આસ્તિક છે, તેથી દીક્ષિત બનેલા પમદેવના સ્વાત્મહિતના પુરુષાર્થની અનુમોદના-ઉપબૃહણા-સમર્થન કરે છે; ને પોતાના નિસ્તારની વિનંતિ કરે છે; અને સાથે કહે છે, તમો પણ વારંવારના જન્મ-મરણના તરંગોવાળો, અને વિવિધ યોનિઓમાં ભ્રમણરૂપી આવર્તવાળો, તથા કર્મરૂપી મલિન પાણીના સંચયવાળો, અને પ્રિયના વિયોગ તથા ઈષ્ટના રાગરૂપી મગરમચ્છોથી પરિવરેલો જે આ ભીષણ સંસાર-સમુદ્ર છે, તેને વિવિધ નિયમો અને તપસ્યાઓના ગૌરવવાળા શ્રમણ-ધર્મથી તરી જજો, એવી અમારી શુભેચ્છા છે, પ્રભુને પ્રાર્થના છે.” સંસારને સમુદ્ર કેમ કહે છે ? : ધનદેવશેઠ તત્ત્વબોધવાળા છે, એટલે પોતે મોટેરા તરીકે તરંગવતી પધદેવા ભલે વ્રતથી સાધુ-સાધ્વી પણ ઉંમરથી નાનડિયા હોઈ, એમને સાવધાની આપે છે કે “આ સંસારને ઓળખી લેજો. સંસાર એ ભયાનક સમુદ્ર છે. એને પાર ન કરી જઈએ ત્યાં સુધી એમાં જન્મ મરણના તરંગો ચાલ્યા જ કરે છે. તરંગો સમુદ્રમાં, ધરતી પર નહિ, એમ જન્મ-મરણ સંસારમાં છે, મોક્ષની ધરતી પર નહિ, 356 - તરંગવતી
Page #362
--------------------------------------------------------------------------
________________ આ જન્મ-મરણના તરંગોભર્યા સંસાર-સમુદ્રમાં વળી આવત છે, “આવર્ત એટલે જ્યાં પાણી ગોળગોળ ઘૂમ્યા જ કરે. મોટું વહાણ પણ જો એમાં ફર્યું, તો બસ ખલાસ ! એમાંથી બહાર નીકળી જ ન શકે, ને એમાં જ ગોળગોળ ઘૂમતું થઈ જાય ! એમ આ સંસારમાં 84 લાખ યોનિઓના આવર્તમાં ફસાયો જીવ એમાં ને એમાં જ ભમ્યા કરે છે, બિચારો બહાર નીકળી જ શકતો નથી. સંસાર સમુદ્રમાં પાણી ક્યું છે ? તો કે કર્મરૂપી મેલું પાણી છે. સમુદ્રમાં હંમેશાં માટે પાણી, એમ સંસારમાં હંમેશાં માટે કર્મ. અનાદિ અનંતકાળથી જીવ સંસારમાં, તો જીવ સાથે કર્મ પણ અનાદિ અનંતકાળથી છે. તે કર્મરૂપી પાણી મેલું છે, એટલે જ જીવના શુદ્ધ સ્વરૂપને એણે અશુદ્ધ કરી નાખ્યું છે. એ અશુદ્ધ સ્વરૂપ તો જ મીટે કે જો કર્મનો સંબંધ મિટાવી દે. પાછું આ જીવને સંસાર-સમુદ્રમાં ભટક્યા કરવામાં પ્રિય વિયોગ અને રાગરૂપી મગરમચ્છોની સતામણી ઘણી ! ગમતી વસ્તુઓના વિયોગ ચાલ્યા જ કરે છે, જેથી જીવને સંતાપ સદા ચાલ્યા જ કરે છે. હમણાં એક વિયોગ, તો પછી વળી બીજીનો વિયોગ. પ્રિય ગમતું હતું એટલે એના જતાં સહેજે બળવાનું જ થાય. ત્યારે સંસારમાં ગમે તેટલું સુખ મળો પણ આ સંતાપ જો સતાવ્યા જ કરતા હોય, તો શુદ્ધ સુખ-આનંદની ક્ષણ કેટલી ? અને સંતાપની ક્ષણો કેટલી ? વિવેકીને એટલા જ માટે સંસાર પરથી આસ્થા ઊઠી જાય છે. એના પ્રત્યે અભાવ થઈ જાય છે, પછી ભલે સંસારમાં રહેવું પડ્યું હોય તો ય તે અભાવથી રહે છે. “ભરતજી ! મનહી- વૈરાગી'નો અર્થ આ છે. સંસાર પ્રત્યે ઉમળકો નહિ. પણ અભાવ હોય. પ્ર.- વૈરાગી ખાય-પીએ-ભોગવે તો બધું, છતાં વૈરાગી શી રીતે ? ઉ.- મોટી કરોડપતિ શેઠાણીને એકનો એક યુવાન પરણેલો પુત્ર અકસ્માતમાં એકાએક મરી જાય, તો પછી શું એ ખાતી પીતી કે બીજા સુખ ભોગવતી નથી ? પણ કેવા દિલે એ બધું કરે છે ? કહો, એ ખાનપાન આદિના બધા પદાર્થ એના દિલને જાણે ખાવા ધાતા હોય ! એવા લાગે. વારેવારે દિલને એમ લાગ્યા કરે કે “બળ્યું આ ખાવાનું ! ને બળ્યું આ ભોગવવાનું ! બળ્યો આ બંગલો ! ને બળી આ મોટર ! મારે તો હૈયાના પ્રાણરૂપ, હાય !, મારો દીકરો ચાલી ગયો !" એવું વૈરાગીને ખાય, પીએ, બધું, પરંતુ જાણે એ ખાવા ધાતું હોય એમ લાગે; બધું ય બળ્યું લાગે ! આ કર્મ ! તારી ગતિ ન્યારી 357
Page #363
--------------------------------------------------------------------------
________________ બધું બળ્યું લાગે એ જ વૈરાગ્ય. એટલે જ આવા વૈરાગીને અવસર આવતાં એ સંસારમાંથી ઊભો થઈ જતાં વાર નહિ. પછી જેમ સાપ સુંદર કાંચળીને છોડી જાય એમ એ સંસારના જડ ચેતન પદાર્થોને, દિલમાં કોઈ દુભામણ વિના, આસાનીથી છોડી જાય છે ! ધનદેવશેઠ આ કહી રહ્યા છે કે “આવા દુઃખદ સંસાર સમુદ્રને તરી જાઓ.” પરંતુ તે કઈ સાધનાથી ? તો કે વિવિધ નિયમ-ઉપવાસથી, ને ગૌરવવાળા શ્રમણધર્મ-સાધુધર્મથી. અહીં સાધુધર્મને વિવિધ નિયમ-ઉપવાસથી ગૌરવવંતો કહ્યો. વિવિધ નિયમ અને ઉપવાસ ચાલતા હોય તો એ સાધુધર્મની શોભા છે. રોજ ને રોજ સાધુ ત્રિટંક ખાયા કરે તો શું એમાં શોભા છે ? એમ વિવિધ ત્યાગના નિયમ ન હોય, તથા નિયમસર સેવા-વૈયાવચ્ચ ન હોય, તેમજ સ્વાધ્યાયના ઘોષ ન હોય, તો શું એમાં સાધુનું ગૌરવ રહે ? મોટમોટા શાલિભદ્ર, ધનાજી, ધન્નો, મેઘકુમાર વગેરેએ મુનિ થઈને શું કર્યું ? આ જ. તો એ જગત તરફથી મહા ગૌરવ પામી ગયા. શાસ્ત્રો પણ કહે છે, धण्णा कलत्त-गोत्तीहिं निग्गया पेमबंधणविमुक्का / अवगय-माण-कोहा चरंति धम्मं जिणक्खायं // અર્થાત્ “કામિની-કુટંબ યાને પત્ની-પરિવાર ઉપરના પ્રેમનાં બંધન છોડી નાખીને જે ઘરવાસમાંથી નીકળી ગયા છે, પછી જે અહંકાર અને ક્રોધનો ત્યાગ કરી ભગવાન જિનેશ્વરદેવોએ ભાખેલા ધર્મની જ આરાધનામાં એકમેક થઈ જાય છે, એમને ધન્ય છે.' શાસ્ત્રકારો આમ કહે છે, પરંતુ અમે મોહના બંધનથી બંધાયેલા હમણાં ને હમણાં ઘરવાસથી નીકળી જવા સમર્થ નથી, એ અમારી કમનસીબી છે.” બસ, એ પ્રમાણે ધનદેવ સાર્થવાહે કહ્યું, કેમકે એમણે ધર્મનો પરમાર્થ યાને ધર્મનું રહસ્ય જાણેલું હતું, એટલે એ એવી ધર્મરસભરી વાણી બોલે એ સહજ છે. પરંતુ ત્યાં ઉદ્યાનમાં આવેલી ઘરની સ્ત્રીઓ કોઈ એવા ધર્મ-પરમાર્થની જાણકાર નહિ, થોડું જાણતી હોય તો ય એમણે કાંઈ દિલને એનાથી ભાવિત કરેલું નહિ, એટલે હવે પાછા જવા વખતે એ રોવા લાગી. 358 - તરંગવતી
Page #364
--------------------------------------------------------------------------
________________ સંસારના હરખ અને રુદન ધર્મ-પરમાર્થની અજ્ઞાનતાના કારણે થાય છે. નહિતર ધર્મનાં રહસ્ય જાણવા પર તો સંસારની નાશવંત વસ્તુ પર હરખ શા કરવાના હોય ? કે રોદણું શાનું કરવાનું હોય ? સંસારની મનગમતી ગમે તેવી વસ્તુ મળી અને હરખા હરખા થઈ જાઓ, પરંતુ અંતે એનો વિયોગ જ થવાનો છે; તો હરખ કરેલો શો કામ લાગ્યો ? ઊલટું સંયોગમાં જો વધારે હરખ, તો વિયોગમાં વધારે રુદન થવાનું. એ સૂચવે છે બાહ્યના હરખ શા કરવા ? હરખ હજી થાય, તો ધર્મની કોઈ સિદ્ધિ થવા પર થાય, અગર તારણહાર ધર્મસાધના મળવા પર થાય. બાહ્યના હરખ શા ? તરંગવતી સાધ્વીજી શેઠાણીને આ કહી રહ્યા છે કે સગાઓને તો અમારો વિયોગ થવાથી રોવું આવ્યું, પરંતુ જે ત્યાં, બહુલોક એકત્રિત થઈ ગયેલ એ અમારા મહાવૈભવ અને કુટુંબ પરિવારનો ત્યાગ દેખીને ચકિત થઈ ગયો કે “અરરર ! આ શી વાત છે ? અમારે પાંચ પૈસાનો કે એક સગાનો સંયોગ છૂટતો નથી, ને આ બંને ધનના ઢગલા અને પરિવારની મોટી ફોજ છોડીને નીકળી જાય છે !! બાપ રે ! આવો ભીખ ત્યાગ શું થાય ? તે પણ જીવનભર માટે ? વિસ્મિત થયેલું લોક અમારો ઉત્કટ ધર્મનો અનુરાગ દેખીને ધર્મનું અનુમોદક અને ધર્મનું રાગી બન્યું. હવે તરંગવતી સાધ્વી શેઠાણીને કહે છે તરંગવતી સાધ્વીના ગુરુણીનું આગમન. પછી ત્યાં મહાશ્રમણને વંદના કરવા ચંદનબાળા-મહત્તરાના શિષ્યા સુવ્રતા નામની ગણિની સાથ્વી સપરિવાર પધાર્યા ! શ્રમણ ભગવંતને વંદન કરે છે, ને પછી મહાત્મા કહે છે, “આ નવી સાધ્વી એ તમારી શિષ્યા થાઓ.” ગણિનીએ એમનું વચન તથાસ્તુ કરી લીધું, સ્વીકારી લીધું. પછી મને કહ્યું “વંદન કર હવે તારી આ ગુરણી પ્રવર્તિની સુવ્રતા ગણી સાધ્વીજીને.' હું ગણિનીના પગમાં પડી ગઈ, પછી મને હિતશિક્ષા આપી કે મુનિની તરંગવતી સાધ્વીને અમૂલ્ય હિતશિક્ષા - “આ ચારિત્ર નિશ્ચિતપણે દુશ્ચર છે, બહુ કરે પાળી શકાય એવું છે. એને સહેલું માનીને ઉતાવળથી “લાવ ત્યારે ચારિત્ર લઈ લઉં' એમ આંધળિયા કર્મ ! તારી ગતિ ન્યારી ૩પ૯
Page #365
--------------------------------------------------------------------------
________________ કરવા જેવા નથી. મનને બરાબર પાકું કરી લેવાનું, અને લેશ પણ વિરાધના ન લાગે એ રીતે પાળવાનું છે. “આ ચારિત્ર એ ત્રિલોકપતિ તીર્થકર ભગવાનનું લોકોત્તર અનુશાસન છે. જો એક સામાન્ય રાજાના પણ અનુશાસનના ભંગની મોટી સજા મળે છે, તો આ તીર્થકર ભગવાન તો ત્રણ ભુવનનાં ચક્રવર્તી મહારાજા ! એમના અનુશાસનના ભંગની સજા કેટલી મોટી હોય ? અમે તો તમને માત્ર એ પ્રભુનાં વચનથી એમનાં અનુશાસનનો રાહ બતાવીએ એટલું જ; બાકી અનુશાસન મૂળ તો ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું ફરમાવેલું છે. એને જો તમે બરાબર બજાવશો, તો તમારું મહાન કલ્યાણ થશે, ને મોક્ષમાર્ગે તમારું આગળ-આગળ અખંડ અવિરત પ્રયાણ ચાલુ રહેશે.” મહામુનિનાં વચન સાંભળીને સાધ્વી બનેલા તરંગવતી કહે છે, તરંગવતી સાધ્વી આદેશ સ્વીકારે છે : સંસારભ્રમણથી ભારે ભય પામેલી હું આપના આદેશને બરાબર પાળીશ.” એમ કહી પછી એ સાધ્વીઓને વંદના કરે છે, અને છેલ્લે સાધુ બનેલ પોતાના પ્રિય સાર્થવાહપુત્ર પધદેવમુનિને પણ વંદના કરે છે. એ પણ હવે ધર્મતેજથી દીપી રહ્યા છે; કેમકે એમને તરંગવતી પરનો કામરાગ પણ નષ્ટ થઈ ગયો છે. આનંદઘનજી મહારાજ એ જ કહે છે, “નારી નાગિણીકા જસ નહિ પરિચય, સો સાહિબકા પ્યારા.” ભગવાનને પ્યારો કોણ થઈ શકે ? તો કે જેને નારીનાગણનો પરિચય નથી, એટલે જેને એના પ્રત્યે લેશ પણ આકર્ષણ નથી, આસક્તિ નથી, મમત્વ નથી, એ પ્રભુને પ્યારો થાય; પ્રભુ એને ખેંચી રાખે, એટલે મન પ્રભુમાં ગયા કરે. આ માટે નારીનું આકર્ષણ જ ખતમ કરવું પડે. તો જ મન નારીમાં જતું અટકે. નહિતર તો મન આકર્ષણ-આસક્તિ હોય ત્યાં જાય છે. હવે પદ્મદેવ મુનિને ભગવાનનું જ આકર્ષણ છે, પ્રેમ-આસક્તિ લાગી છે, પછી તરંગવતી સાધ્વી વંદના કરે એમાં રાગનું મન જ ક્યાંથી રહે ? તેમજ તરંગવતી સાધ્વીને પણ હવે વીતરાગ ભગવાનનું આકર્ષણ છે, મમત્વ છે, તેથી મન પદ્મદેવ મુનિમાં શાનું જાય ? તો પછી એમને વંદન કેમ ? તો કે સંયમજીવનની વિધિ, કે વડીલને વંદના કરવી જોઈએ, એ હિસાબે વંદના કરે છે. 360 - તરંગવતી
Page #366
--------------------------------------------------------------------------
________________ પછી તરંગવતી સાધ્વી બીજી સાધ્વીઓથી પરિવરેલા ગુણી ગણિની સાથે ત્યાંથી વિહાર કરી જાય છે. અને ગ્રહણ-શિક્ષા આસેવન-શિક્ષા એ બે પ્રકારની શિક્ષા લેતાં લેતાં, જ્ઞાન અને ક્રિયાની ઉત્તમ આરાધનામાં લયલીન બનેલા વિચરે છે. એમને ધર્મનો અનુરાગ એટલો બધો છે કે આ ઉચ્ચધર્મની સાધનામાં દિવસ-રાત ક્યાં પસાર થઈ રહ્યા છે એની ખબર પણ પડતી નથી. પધદેવ મુનિ પણ મુનિઓ સાથે વિહાર કરી જાય છે, અને બંને પ્રકારની શિક્ષા લેતાં લેતાં જ્ઞાન-ધ્યાનમાં રક્ત રહે છે. શેઠાણીને તરંગવતીનો છેલ્લો બોલ : તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહી છે, ગૃહિણી ! ગુરુણી સાથે વિચરતા અમે અહીં આવ્યા છીએ, અને છઠ્ઠના પારણા માટે હું નીકળી છું. આ તમે મારો જીવન વૃત્તાંત પૂછળ્યો એટલે મેં તમને કહ્યો. અમે ઇચ્છીએ કે આ અમારા શ્રમ તથા સમયવ્યયને સફળ કરશો.” સાધ્વીજીના આ વૃત્તાંતને સાંભળીને શેઠાણી ખૂબ ઊંડા વિચારમાં ચડી ગઈ. એને લાગ્યું કે “અહો ! આ અહેવાલ સૂચવી રહ્યો છે કે આ સાધ્વીજી મહારાજે ખૂબ જ દુષ્કર કાર્યને કર્યું છે ! આવી ખીલી ઊઠેલી યુવાન વયમાં વળી આટલો દુષ્કર તપ આચરે છે ! ભગવતી ! આપનું ચરિત્ર બહુ અભુત ! અને બહુ દુષ્કર સાધના ભર્યું ! તેમજ બહુ બોધ અને પ્રેરણાદાયક ! આપની કૃપા ઇચ્છીએ છીએ. આપે જે આપનું ચરિત્ર કહ્યું તે આપે અમારા પર અનહદ ઉપકાર કર્યો. અમે આપને આટલી બધી તકલીફ આપી, એની ક્ષમા માગું છું,' એમ કહેતાંક શેઠાણી સાધ્વીજીના પગમાં પડી ગઈ. ભવના ભયંકર ભ્રમણથી એ બી ગઈ, હાય ! તો હું આ મોહમાયા લઈને બેઠી છું, કશી એવી મારે જોરદાર ધર્મસાધના છે નહિ, તો હું ? શું મારે ભવાટવીની દુર્ગતિઓમાં કૂટાઈ મરવાનું? એમાં મારે કેવી કેવી નારકી સુધીના કેવાં કેવાં ભયંકર દુઃખો વેઠવાં પડશે ?" એને ભારે ભય લાગી ગયો. કોઈની કરુણકથની પર ભવભય : ખરેખર, આસ્તિક જીવને જયારે એવો જીવતો જાગતો કોઈનાં જાલિમ દુઃખભર્યા કરુણ જીવન-પ્રસંગોનો દાખલો જોવા-સાંભળવા મળે ત્યારે એને એવો ભવનો ભય લાગી જાય છે. દા.ત. “સમરાઈથ્ય કહા” માં સમરાદિત્યના જીવને નવ ભવના અધિકારમાં ભવભવે આચાર્ય કે મુનિ એવો કાં તો પોતાનો કર્મ ! તારી ગતિ ન્યારી 361
Page #367
--------------------------------------------------------------------------
________________ અગર બીજાનો દાખલો આપે છે કે જે સાંભળીને ખુદ સમરાદિત્યના જીવને યા અવાંતર કથાના નાયકને ભવનો ભારે ભય વ્યાપી જાય છે, અને પછી પોતે ભવના દાવાનળમાંથી મુક્ત કરાવનાર ચારિત્રમાર્ગ આદરે છે. | મેઘકુમાર વૈરાગ્ય પામીને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવા આવે છે. ત્યારે એ પ્રભુને આ જ કહે છે, ‘ભગવન્ ! આ સંસાર-દાવાનળથી હું ત્રાસેલો છું. એમાંથી હું મહામૂલ્યવાન મારા આત્મારૂપી ઝવેરાતનો ડબો બચાવી લાવ્યો છું, મને શરણું આપો.' અલબત, આમાં એને વીર પ્રભુની દેશનાથી ભવભય લાગ્યો હતો; બાકી ભવી જીવને કોઈને કરૂણ જીવન-કથની સાંભળીને પણ ભવ ભય લાગી જાય. જેમકે યશોધર મુનિના નવ ભવોની કરુણ કથનીને સાંભળીને કેટલાય જીવોને ભવનો ભય લાગી ગયેલો. શેઠાણીને ભવભય : તરંગવતી સાધ્વીજીના રોમાંચક જીવનની વાતો સાંભળીને શેઠાણીને ભવભય લાગી ગયો, તેથી એ સાધ્વીજીને હાથ જોડીને કહે છે, સ્વામિની ! તો પછી વિષયોના કીચડમાં ખૂંચેલા અમારું શું થશે ? એ સર્વથા છોડીને તમોએ આદરેલી સાધ્વીચર્યા આદરવી એ તો અતિ અતિ દુષ્કર છે. અમારા જેવા કંગાલ પામર જીવોથી એ શે બને ? અને તદન પાપરહિત સાધ્વી-ચર્યા વિના અમારો ઉદ્ધાર પણ ક્યાં છે ? તો અત્યારે પામરતાને લીધે અમારાથી એ ન લેવાય તો શું અમારે ભવમાં ભટકતા જ રહેવાનું ? એવો સંયમમાર્ગ પામવા માટે અમારે શું કરવાનું ?" ચારિત્રની તાકાત ન હોય એ શું કરે ? : ત્યારે ત્યાં સાધ્વીજી કહે છે, “જુઓ, સાધ્વીચર્યા યાને સંયમમાર્ગ લેવાય એ તો શ્રેષ્ઠ કર્તવ્ય છે, એ લેવો જરૂરી તો છે જ, પરંતુ જેની એવી તાકાત ન હોય, એ સમ્યકત્વ મૂલક દ્વાદશ વ્રતનો ગૃહસ્થ ધર્મ પાળે, એ જતે સમયે સંયમ-ધર્મની તાકાતવાળો બની શકે છે. માટે તમે આ સમ્યક્ત્વ અને વ્રતોનો પુરુષાર્થ કરો. સાથે એ પણ કરવું જરૂરી છે કે, (1) આપણી વેશ્યા ધર્મમાં જ લાગેલી રાખવાની. (2) દિનપ્રતિદિન “સંવેગ” એટલે કે દેવગુરુ ધર્મની આરાધનામાં પ્રેમ તથા ઉલ્લાસ વધારતા રહેવાનું. ઉદ 2 - તરંગવતી
Page #368
--------------------------------------------------------------------------
________________ (5) (3) એનાથી શ્રદ્ધા-બળ વધારતા રહેવાનું. (4) જીવ-અજીવ વગેરે તત્ત્વોનો પરિચય વધારતા રહેવાનું; એટલે કે એનું અધ્યયન-મનન-ભાવન કરતા રહેવાનું... અહિંસાદિ પાંચ અણુવ્રતો સ્વીકારી લઈ, વ્રતો અને યોગ્ય શીલ-આચારઅનુષ્ઠાનોનો તથા ત્યાગ-તપસ્યા-શાસ્ત્રસ્વાધ્યાયનો ખૂબ અભ્યાસ રાખવાનો. તરંગવતી સાધ્વીજીના આ માર્ગદર્શને શેઠાણીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું. સાથે ત્યાં બેઠેલી બીજી યુવાન સ્ત્રીઓનું હૈયું ધર્મશ્રદ્ધામાં દઢ થઈ ગયું. સાધ્વીજીનો આ વૈરાગ્યરસભર ઉપદેશ સાંભળીને એ જિનવચનથી પ્રભાવિત થઈ સંવેગ યાને મોક્ષ અને મોક્ષના સાધન પર અથાગ પ્રેમ અને શ્રદ્ધાવાળી બની ગઈ. સાધ્વીજી ત્યાંથી શિષ્યા સાથે મુકામે પાછા વળી ગયા. એકનો ધર્મ કેટલાને તારે છે ! એક તરંગવતીના જીવનને કેટકેટલાને ધર્મ તરફ આકર્ષા! એક જુગારી યા એક દારૂડિયો બીજા કેટલાયને જુગાર મા દારુમાં તાણે છે ને ? પરંતુ એમાં તો અંતે પોતે ય ખુવાર ! દુર્ગતિના ગર્તામાં પડવાનું, ને બીજાઓને ય એમાં પાડવાનું થાય. ત્યારે અહીં તરંગવતી સાધ્વીજી કેટલાયને જીવન ઉત્થાન માટે આલંબનરૂપ થઈ ગયા ! અરે ! પોતાના જીવન દરમિયાન તો પોતે કેઈના ઉદ્ધારક થયા ! એટલું જ નહિ, પરંતુ શાસ્ત્રમાં અંકિત થયેલ એમનું ચરિત્ર પણ લગભગ 2000 વર્ષથી કેટલાય હજારો લાખો ભવી જીવોને તારણહાર, બનતું આવ્યું છે. એટલે જ આ કથાના આલેખક મહાન જયોતિર્ધર ને વિદ્યામંત્રયોગના વિશારદ શાસ્ત્રકાર મહર્ષિ પાદલિપ્તસૂરિજી મહારાજ છેલ્લે ભવ્ય જીવોને સમ્યમ્ બોધ કરાવવાના હેતુથી આ ચરિત્ર રચ્યું. એ તમારા સકલ પાપને હરો, અને તમારા આત્મામાં ભગવાન જિનેશ્વરદેવ ઉપર અથાગ ભક્તિ-શ્રદ્ધા અને બહુમાન પ્રગટ કરો”... તરંગવતીના ચરિત્રનાં વિવેચનમાં જો જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય, તો તેનો મિચ્છામિ દુક્કડં. કર્મ ! તારી ગતિ ન્યારી 363
Page #369
--------------------------------------------------------------------------
________________ T L TITLE વાંચો..... વિચારો... પ્રત્યેક ઘરમાં મનની શાંતિ તથા સમાધિસર્જક અને જિનવચનનું મર્મોદ્ઘાટક 'તાક જિનાજ્ઞા માસિક સંઘહિતચિંતક પૂજ્ય આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી; મહારાજા તથા ગીતાર્થ ગચ્છાધિપતિ પૂજ્ય આ.: * શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા આદિના વૈરાગ્યવર્ધક, સાત્ત્વિક, તાત્ત્વિક અને માર્મિક શાસ્ત્રીય ચિતનો-શંકાઓના સચોટ સમાધાન, શાસન પ્રભાવક સમાચારોને પ્રકાશિત કરતું તારક જિનાજ્ઞા માસિક વાંચો. -: પ્રાપ્તિસ્થાન : કુમારપાળ વિ. શાહ 39, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ.અમદાવાદ-૩૮૨૨૨૫. ફોનઃ (02714) 225482 364 - તરંગવત
Page #370
--------------------------------------------------------------------------
________________ પ્રિન્ટીંગઃ જય જિનેન્દ્ર અમદાવાદ મો.૯૮૨૫૦ 24204