Page #1
--------------------------------------------------------------------------
________________
SKCKCE OSOK
જારી TET, .,
cc : 0
(૧૯મી અને ૨૦મી સદીના)
જૈન સાહિત્યના અક્ષર-આરાધકો
સંપાદક : માલતી શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
(૧૯મી અને ૨૦મી સદીના)
જૈન સાહિત્યના અક્ષર-આરાધકો
સંપાદક માલતી શાહ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ દ્વારા યોજિત ૨૨મા જૈન સાહિત્ય સમારોહ મોહનખેડા-મધ્યપ્રદેશમાં તા. ૭, ૮, ૯ માર્ચ ૨૦૧૪ દરમિયાન પ્રાપ્ત થયેલા
એક વિભાગના શોધ નિબંધોનું સંકલન
પ્રકાશક શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી અને
શ્રી રૂપ-માણેક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨૮/૧૨૯, મિત્તલ ચેમ્બર્સ, ૨૨૮, નરિમાન પોઇન્ટ, મુંબઈ ૪૦૦૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
JAIN SAHITYANA AKSHAR-AARADHAKO a collection of Essays on Scholars of Jain literature and Research
Edited by Malti Shah
Published by Shri Veer Tatva Prakashak Mandal Samadhi Mandir, VTP chowk, Shivpuri - 473551
Mukeshji Bhandavat.
M.No. 09425136615 Shri Roop Manek Bhanshali Cheritable Trust
128/129, Mittal chambers, 228 Nariman Point, Mumbai 400 021
Phone: 022-66376491 પ્રથમ આવૃત્તિ ૨૦૧૬
પ્રત ઃ ૩૦૦ કિંમતઃ ૭૦૦
ISBN : 978-93-8381-60-2
પ્રાપ્તિસ્થાન શ્રીરૂપ માણેક ભંસાલી ચેરીટેબલ ટ્રસ્ટ
૧૨૮/૧૨૯, મિત્તલ ચેમ્બર્સ, ૨૨૮, નરિમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦ ૦૨૧ ફોન : ૦૨૨-૬૬૩૭૬૪૯૧
ગુર્જર એજન્સી રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન : ૨૨૧૪૪૬૬૩
ટાઈપસેટિંગ
શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, એલિસબ્રિજ, અમદાવાદ-૬.
ફોનઃ ૨૬૫૬૪૨૭૯
મુદ્રક ભગવતી ઓફસેટ, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ .
સાહિત્યપ્રેમી
અને
જૈન સાહિત્ય સમારોહની ઇમારતના શિલ્પી
ડૉ. રમણલાલ ચી. શાહને
તથા
આ ઇમારતના સૌ શબ્દ-ઉપાસકોને
માલતી શાહ
3
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રુતપૂજા
શબ્દ અને શિલ્પ થકી જ ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે. એટલે આ બે તત્ત્વોનું પૂજન કરવું એ માનવ માત્રની પવિત્ર ફરજ છે.
જૈન ધર્મનું પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન સાહિત્ય વિપુલ છે. લગભગ વીસેક લાખ હસ્તપ્રતો ભારતના વિવિધ જ્ઞાનભંડારોમાં જીવંત છે. આ પ્રતો ઉકેલવાની છે. એ પ્રતો તેમ જ પ્રકાશિત થયેલા અમૂલ્ય ગ્રંથોમાંથી તંતુ શોધી એનું ભાષ્ય કરી વર્તમાન શૈલીમાં એ જ્ઞાનને લબ્ધ પણ કરવાનું છે.
ભૂતકાળે આપણને સાહિત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે, તો વર્તમાનમાં આપણે એ શબ્દ ઝવેરાતને સાચવવાનું છે, અને એમાં પૂજનનો ભાવ હોય તો જ એ શક્ય બને અને દીપી ઊઠે.
આ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઉદાર શ્રુત પૂજકોની સહાયથી૧૯૭૭થી શ્રી મહાવીર જૈન વિદ્યાલય લગભગ પ્રતિ બે વર્ષે જૈન સાહિત્ય સમારોહનું ભારતના વિવિધ તીર્થસ્થોનોએ આયોજન કરે છે.
આ સમારોહમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી ચારેય ફિરકાના જૈન અને અજૈન વિદ્વાનો પોતાના શોધ નિબંધો લઈને પધારે છે. લગભગ ત્રણ કે ચાર દિવસ માટે યોજાતા આ સમારોહમાં વિદ્વાનો પોતપોતાના નિબંધનું અંશતઃ પઠન કરે છે અને આગામી સમારોહ વખતે એ નિબંધોનું પુસ્તક આકારે પ્રકાશન થાય છે, જેથી વિદ્વદ્શનોનું આ સંશોધન ભવિષ્યની પેઢી માટે જળવાઈ રહે.
રૂપ માણેક ભેંશાલી ટ્રસ્ટના સૌજન્યથી ૨૦મો સમારોહ રતલામમાં, ૨૧મો પાવાપુરી રાજસ્થાનમાં અને ૨૨મો મોહનખેડા મધ્યપ્રદેશમાં યોજાયો.
આ પ્રત્યેક સમારોહમાં લગભગ ૨૫૦ વિદ્વાનો અને સાહિત્ય જિજ્ઞાસુઓ
પધાર્યા.
સામાન્ય રીતે લગભગ એક વર્ષ પહેલાં આગામી સમારોહ માટેના વિષયની જાહેરાત થાય છે, જેથી વિદ્વાનોને લેખન માટે પૂરતો સમય મળે.
4
Page #6
--------------------------------------------------------------------------
________________
રૂપ માણેક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૨૦૧૪, માર્ચ ૭, ૮, ૯ના ત્રિદિવસીય ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થસ્થાનમાં આયોજન થયું હતું.
આ સમારોહના વિષયો હતા . જેન ગઝલો, જૈન ફાગુ કાવ્યો તથા જૈન બારમાસી કાવ્યો, જૈન ચોવીસી કાવ્યો અને ૧ભી-૨૦મી સદીના જૈન સાહિત્યકારો.
આ વિષય માટે શોધ નિબંધ લખનારને માર્ગદર્શકની સેવા આપી હતી વિદ્વર્જન ડૉ. કલા શાહ, ડૉ. સેજલ શાહ. ડૉ. અભય દોશી અને ડૉ. માલતીબહેન શાહે.
ઉપરના વિષયો ઉપર આવેલા શોધ નિબંધોના ગ્રંથોનું સંપાદન એ તજજ્ઞ વિદ્વાનોએ કર્યું છે, એ ગ્રંથોનું પ્રકાશન આ તા. ૪-૫-૬-૭ ફેબ્રુઆરી ૨૦૧૬માં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ-સોનગઢ ખાતે યોજાનારા ૨૩મા જેને સાહિત્ય સમારોહમાં થઈ રહ્યું છે.
૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં “૧૯-૨૦મી સદીના જૈન સાહિત્યકારો આ વિષય ઉપર વિદ્વાનોને માર્ગદર્શન આપ્યું ડૉ. માલતીબહેન શાહે. પરિણામે પચાસથી વધુ શોધનિબંધો લખાયા. લગભગ બધા જ નિબંધોનું અંશતઃ વાચન પણ થયું અને શ્રોતાઓએ આ શોધશબ્દોને વધાવ્યા પણ ખરા.
આ બધા શોધનિબંધોને ડો. માલતીબહેને તપાસ્યા, અભ્યાસ કર્યો અને પરિણામે આ શબ્દ ગુલદસ્તો પુસ્તક સ્વરૂપે જૈન સાહિત્યના અક્ષર-આરાધકો’ શીર્ષકથી આપણને પ્રાપ્ત થાય છે.
આ પુસ્તક એટલે ડો. માલતીબહેનના માર્ગદર્શન, સંચાલન અને સંપાદન એમ ત્રિવિધ તપનું પરિણામ.
ડૉ. માલતીબહેનના આ પુસ્તકમાં પ્રસ્તુત સંપાદકીય લેખથી એમના પરિશ્રમની સુગંધ આપણને અનુભવાય છે.
આવા સારસ્વત કાર્ય માટે જૈન સાહિત્ય આ વિદુષી બહેનનું ઋણી રહેશે.
આ શબ્દ સેવા માટે અમે યશાધિકારી ડૉ. માલતીબહેનનો અંતરથી આભાર માનીએ છીએ.
મા શારદાની અવિરત કૃપા એમના ઉપર વહેતી રહે એવી પ્રાર્થના.
૨૨મા સમારોહમાં આ વિષયની બેઠકમાં પ્રમુખીય માર્ગદર્શન અને સમારોહ લેખ-સંચય વિશેષ” લેખ માટે વિદુષી ડૉ. સુધાબહેન પંડ્યાનો આભાર માનવા ક્યાંથી શબ્દો લાવું ?
Page #7
--------------------------------------------------------------------------
________________
રૂપ માણેક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લક્ષ્મી અને સરસ્વતીના દ્રય અર્કથી સુગંધિત એવા ભંશાલી પરિવારના બે બાંધવો – શ્રી વલ્લભભાઈ અને શ્રી મંગળભાઈ તન-મન-ધનના થાળ સાથે અમારી સાથે ભાવભક્તિથી ઉપસ્થિત રહ્યા એટલે જ આ શ્રુત પૂજા શક્ય બની. શબ્દદેવ અને શાસનદેવની કૃપા આ પરિવાર ઉપર અસીમ વરસતી રહે એવી ભાવના ભાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અંતરથી આભાર માનું છું.
શ્રત પૂજા એ જિન પૂજા છે. સર્વ સહયોગીઓનો ઋણ-સ્વીકાર કરું છું.
તા.૩૧-૧૨-૨૦૧૫
ડૉ. ધનવંત શાહ
સંયોજક જૈન સાહિત્ય સમારોહ dtshah1940@gmail.com
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
ક્યારેક કોઈ કામ આકસ્મિક આવી પડે અને તે કામ બીજાં અનેક કામો શિખવાડી જાય એવું જ કંઈક આ સંપાદનમાં પણ બન્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત “જૈન સાહિત્ય સમારોહમાં તેના વિદ્વાન સંયોજક ડો. ધનવંતભાઈએ રતલામ મુકામે એક બેઠકમાં સંચાલનનું કામ મને સોંપ્યું. ફરીવાર મને મોહનખેડા મુકામે એક વિભાગના માર્ગદર્શન અને તે વિભાગની બેઠકના સંચાલનનું કામ સોંપ્યું. પ્રેમાદરપૂર્વક થયેલ તેમના આ આદેશનું પાલન કરવાનો મેં પ્રયત્ન કર્યો અને તેના પરિણામસ્વરૂપે મોહનખેડા તીર્થ મુકામે યોજાયેલ ૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ મારા વિભાગના શોધનિબંધોને સંપાદિત કરીને પુસ્તકરૂપે ગ્રંથસ્થ કરવાનું આ કામ પણ મારા ભાગે આવ્યું, જેનું પરિણામ છેઆ પુસ્તક. કામ કામને શીખવે એ ન્યાયે આ નવા ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા અને જૈન સાહિત્ય સમારોહ બંને જ્ઞાનના પ્રસાર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. આજથી સો વર્ષ પૂર્વે સ્થપાયેલ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાયામાં પણ સરસ્વતી મંદિરો સ્થાપવાની કલ્યાણમય ભાવના રહેલી છે. નવયુગનિર્માતા પ. પૂ. આત્મારામજી મહારાજ સાહેબની એ દીર્ઘદ્રષ્ટિ હતી કે અજ્ઞાન એ સર્વ દુઃખોનું મૂળ છે અને જ્ઞાનનો દીપક આ સર્વ પ્રકારના અંધકારને દૂર કરીને સમાજમાં પ્રકાશ ફેલાવવાનો ઉપાય છે. તેઓની આ દૃષ્ટિને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે પંજાબકેસરી પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સતત પ્રયત્નશીલ હતા. મુંબઈના તેઓના ચાતુર્માસ દરમિયાન આ પ્રયત્નમાં વેગ આવ્યો અને ઈ. સ. ૧૯૧૪માં ઘાટ ઘડાયા બાદ, ઈ. સ. ૧૯૧૫માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની
સ્થાપના થઈ. ઉત્તરોત્તર વિદ્યાલયની નવી-નવી શાખાઓ ખૂલતી ગઈ જેના પરિણામસ્વરૂપ આજે વિદ્યાર્થી ભાઈઓ માટે આઠ અને વિદ્યાર્થિની બહેનો માટે ત્રણ શાખાઓ તથા એક મેનેજમેન્ટ કૉલેજ કાર્યરત છે. ધાર્મિક સંસ્કારો સાથે કેળવણી માટેની રહેવા-જમવાની સગવડ પૂરી પાડતી આ શાખાઓમાં દર વર્ષે લગભગ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં લાભાન્વિત થાય છે. આ લાંબી યાત્રા દરમિયાન વિદ્યાલયે સમાજને ઉચ્ચ કારકિર્દી ધરાવનાર ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, સાહિત્યકારો, નાગરિકો વગેરેની મોટી ભેટ ધરી છે, જે જ્ઞાનજ્યોતના પ્રકાશસ્વરૂપ જ છે ને
Page #9
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનનો વ્યાપ વધારવાની નેમ સાથે શરૂ થયેલ વિદ્યાલયે શાસ્ત્રમર્મજ્ઞ અનેક ગ્રંથોના, આગમગ્રંથોનાં પ્રકાશનો કર્યા. પચીસ વર્ષે રજત મહોત્સવ, પચાસ વર્ષો સુવર્ણ મહોત્સવ, સાંઈઠ વર્ષે હિરક મહોત્સવ, પંચોતેર વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી તો વિદ્યાલયે કરી જ, સાથેસાથે આ દરેક મહોત્સવ પ્રસંગે તથા શતાબ્દી નિમિત્તે ખૂબ સમૃદ્ધ કહી શકાય તેવા વિશેષાંકો દ્વારા પણ અમૂલ્ય સાહિત્ય પ્રકાશિત કર્યું.
વિદ્યાલયને સાંઈઠ વર્ષ પૂરાં થયાં ત્યારે હિરક મહોત્સવ પ્રસંગે એક અદકેરી પ્રવૃત્તિનાં પગરણ મંડાયાં. ખાસ કરીને સમાજના દરેક વર્ગના ચિંતનશીલ, સ્વાધ્યાયપ્રેમી વિદ્વાનો અને નાગરિકો પોતાના અભ્યાસને વેગ આપી અને એક જગ્યાએ એકઠા થઈને વિચારવિનિમય કરી શકે તે માટે જૈન સાહિત્ય સમારોહ યોજવાનો નિર્ણય લીધો. આવા સાહિત્ય સમારોહ યોજવાના ઉદ્દેશો સ્પષ્ટ કરતાં જણાવવામાં આવ્યું છે કે ભૌતિકવાદી વિચારસરણી વચ્ચે જીવનાર વ્યક્તિ વાચન કરે, સ્વાધ્યાય કરે, પોતાની રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને એકાંતમાં અધ્યયન કરે, કંઈક વાંચે-વિચાર-લખે અને સંશોધનાત્મક કામ કરે તો તેને પોતાને તો જીવનમાં જ્ઞાનપ્રાપ્તિનો કંઈક સંતોષ મળે છે અને સમાજને તેમાંથી કંઈક નવનીત મળે છે.
જૈન સાહિત્ય સમારોહના પ્રારંભથી જ તે માટે સતત પ્રયત્નશીલ ડૉ. રમણલાલ ચી. શાહને વિવિધ ગુરુમહારાજો, અનેક વિદ્વદૂજનો, વિદ્યાલયના જે-તે સમયના હોદ્દેદારો વગેરે સૌનો બહોળો સાથ સાંપડ્યો. ઈ. સ. ૧૯૭૭માં શરૂ થયેલ આ પ્રવૃત્તિ બાવીસ પડાવો પાર કરી ગઈ. તેમાં ભાગ લેનારા વક્તાઓ અને શ્રોતાઓની સંખ્યાની સાથે સાથે તેમાં ચર્ચાતા વિષયોનો વ્યાપ ઉત્તરોત્તર
વધતો ચાલ્યો.
તા. ૭, ૮, ૯ માર્ચ, ૨૦૧૪ દરમિયાન મોહનખેડા તીર્થ (મધ્યપ્રદેશ) મુકામે યોજાયેલ આ જૈન સાહિત્ય સમારોહમાં (૧) “જૈન ગઝલ', (૨) “જૈન ચોવીશી', (૩) જૈન ફાગુકાવ્યો' તથા જૈન બારમાસી કાવ્યો અને (૪) “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો’ આ ચાર વિભાગોમાં લગભગ સોએક વક્તાઓએ પોતાના શોધનિબંધો રજૂ કર્યા. આ પુસ્તકમાં “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો વિભાગમાં રજૂ થયેલ શોધનિબંધોનું સંપાદન કરવામાં આવેલ છે. અત્રે જે શોધનિબંધો લેખરૂપે રજૂ થયેલ છે તે સૌ સર્જકો-સાહિત્યકારોસંશોધકો-વિચારકોએ જૈન સાહિત્યમાં જે ખેડાણ કર્યું છે, તેઓએ અક્ષરની જે આરાધના કરી છે, જીવનભર તેના વિધાનો જે વ્યાસંગ છે તેને અનુલક્ષીને આ પુસ્તકનું શીર્ષક (૧૯મી અને ૨૦મી સદીના) જેને સાહિત્યના અક્ષર-આરાધકો'
Page #10
--------------------------------------------------------------------------
________________
એવું પસંદ કરવામાં આવ્યું છે. અહીંયાં જે કોઈ અક્ષર-આરાધકો (વિદ્વાનો) વિશે અભ્યાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તેમાંના કેટલાક જન્મે કદાચ જેન ન હોવા છતાં પણ જૈન સાહિત્યમાં તેમનું ઊંચા ગજાનું પ્રદાન હોવાથી તેઓને કર્મે કદાચ સવાયા જેન કહીએ તો તેમાં કશું ખોટું ન ગણાય. આ પુસ્તકમાં જેને સાહિત્યનું વ્યાપક ક્ષેત્ર રાખવામાં આવ્યું છે.
અક્ષરના આ સૌ આરાધકોના કામને અનુલક્ષીને આ પુસ્તકમાં ત્રણ વિભાગોમાં લેખોની વહેંચણી કરવામાં આવી છે. ૧. સાહિત્યસર્જન વિભાગમાં ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપો જેમ કે કાવ્ય, નવલકથા, નવલિકા, નિબંધ, ચરિત્ર, વિવેચન વગેરેનું ખેડાણ કર્યું હોય તેવા સર્જકોના પ્રદાનની વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે. ૨. ચરિત્રલેખન વિભાગમાં એવા ગુરુભગવંતો અને વિચારકોની વાત રજૂ કરવામાં આવી છે કે જેઓએ સાહિત્યસર્જન થોડું કે ઝાઝું કર્યું હોય, પણ તે ઉપરાંત જેઓએ પોતાના આચરણ અને ક્રાંતિકારી વિચારો. દ્વારા સમાજને નવો રાહ ચીંધ્યો હોય. આ દૃષ્ટિએ તેમના જીવનચરિત્રની વાત તેમાં વિશેષરૂપે નોંધપાત્ર બની રહે છે. ૩. સંશોધનકાર્ય વિભાગમાં સંશોધનક્ષેત્રે જાતજાતની તકલીફો વેઠીને, વિરોધોની વચ્ચે પણ અડગ રહીને જેમણે જિંદગીભર અક્ષર-શબ્દલિપ-ભાષાની આરાધના કરી છે તેઓનાં વિવિધ સંશોધનક્ષેત્રોને આવરી લેવાયાં છે. આ ત્રણ વિભાગો માત્ર અનુકૂળતા માટે જ છે. કેટલાક સર્જકો એવા પણ છે કે જેનો સમાવેશ કદાચ આમાંના બે વિભાગમાં કરવો પડે, પણ તેમના અમુક કાર્યને પ્રાધાન્ય આપીને તેમના પ્રદાનની નોંધ એક વિભાગના લેખમાં જ થઈ હોય. અહીંયાં કોઈ ચુસ્ત વિભાગીકરણ નથી.
આ અક્ષર-આરાધકો વિશેના જે લેખો છે તે લેખોને વિદ્વાન મહાપુરુષોના જન્મના કાળક્રમને આધારે ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. જે તે લેખમાં રજૂ થયેલા વિચારો જેતે નિબંધકર્તા લેખકોના છે, તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. સંપાદકને યોગ્ય લાગ્યું તે રીતે ભાષાકીય દૃષ્ટિએ જરૂરી સુધારા કરવામાં આવેલ છે. બિનજરૂરી લંબાણને દૂર કરવામાં આવેલ છે, તો કેટલાક થોડા લેખો આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનું મુશ્કેલ લાગ્યું છે.
વિવિધ શૈલીથી લખાયેલ આ લેખોનું એક વિહંગાવલોકન કરીએ.
જેઓની પૂજાઓ આજે પણ આનંદપૂર્વક દેરાસરમાં ગવાય છે તેના રચયિતા પ. પૂ. પંડિત શ્રી વીરવિજયજીની કાવ્યરચનાઓમાં અવિરત કાવ્યપ્રવાહ સ્વયંસ્ફર્ત ઝરણાંની જેમ વહેતો અનુભવાય છે. આ જ રીતે સ્વરોદયજ્ઞાનના તજજ્ઞ તથા સાધક પ. પૂ. ચિદાનંદજી મ. સા.ની કાવ્યરચનાઓ પણ સરળતાપૂર્વક ઉચ્ચ મનોભાવોને વ્યક્ત કરે છે. મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબકેસરી
Page #11
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીની કાવ્યસૃષ્ટિના પરિચયનો લેખ વાચકોને તેમના વ્યક્તિત્વના એક અલગ જ પાસાંનો અનુભવ કરાવે છે. તો ‘દેવરચના' જેવી અદ્દભુત રચનાના રચયિતા કવિવર્ય શ્રી હરજસરાયજીની સર્જકતા વિશિષ્ટ પ્રકારની હતી. પ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.સા. તો સ્વયં સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો જ હોય તેમ ૨૫ વર્ષમાં ૧૪૦ જેટલી રચનાઓ આપીને અમર થઈ ગયા.
જેઓને ડબલ ડિલિટની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે તેવાં સાહિત્યસામ્રાજ્ઞી પ. પૂ. જ્ઞાનમતી માતાજીએ બાળકો, યુવાનો, વિદ્વાનો માટે વિપુલ સાહિત્યરચનાઓ કરી છે. રાષ્ટ્રના વિકાસ માટે અણુવ્રત આંદોલનને પ્રાધાન્ય આપનાર આચાર્ય તુલસીએ અને તેમના શિષ્ય યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ સમાજની ચેતનાને જાગ્રત કરે તેવું સાહિત્ય આપીને મોટો ઉપકાર કરેલ છે. આ જ રીતે માનવતાલક્ષી અભિગમયુક્ત પ.પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબ અને તેઓના શિષ્ય, મહાન ઉદ્ધારક, સમાજસુધારક પૂ. સંતબાલજીનું સાહિત્ય અને તેઓનાં સામાજિક કાર્યો તેઓની વિચક્ષણ દૃષ્ટિને આભારી છે. આત્મચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ ગદ્ય અને પદ્યમાં ખૂબ ચિંતનશીલ સાહિત્યની રચનાઓ દ્વારા અને પોતાના ચારિત્ર દ્વારા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
‘કલ્યાણ' સામયિકના પ્રેરક અને સ્વયં એક સાહિત્યકાર પપૂ. આ. વિજયકનકચંદ્રસૂરિજીએ પોતે અનેક પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી અને કેટલાયને લખવા માટે પ્રેરણા આપી લખતા કર્યા. કવિકુલકિરીટ પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજીના દ્વાદસાર નયચક્ર' ગ્રંથનું સંપાદન તૈયાર થયું ત્યારે તેનું વિમોચન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદહસ્તે થયું, તેમ જ તેઓએ ઉર્દૂ સહિત અનેક ભાષાઓમાં રચનાઓ કરી તે હકીકત જ તેમની વિદ્વત્તા પ્રત્યે અહોભાવની લાગણી જન્માવે તેવી છે. પ. પૂ. આ. ભદ્રગુપ્તવિજયજી પોતાના જ્ઞાનાનંદ માટે સરળ શૈલીમાં નવલકથા, બાળસાહિત્ય વગેરેની રચનાઓ કરતા.
૧૯મી અને ૨૦મી સદીમાં વાચકવર્ગ ઉપર પક્કડ ધરાવનાર લોકપ્રિય લેખકોનું પ્રદાન પણ નોંધપાત્ર છે. શીઘ્રકવિ, આયુર્વેદભૂષણ, નાટ્યલેખક શ્રી મોહનલાલ ચુનિલાલ ધામીની નવલકથાઓનો વાચકવર્ગ ખૂબ બહોળો હતો. કથારસમાં વાચકને તરબોળ કરનાર મૂઠી ઊંચેરા માનવી, પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી જયભિખ્ખનાં પુસ્તકોના વાચકો આજે પણ તેમની કલમને યાદ કરે છે. આજીવન કર્મશીલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની નવલિકાઓ, જૈનના અગ્રલેખો, ઇતિહાસનું આલેખન કરતાં પુસ્તકો ખાસ વંચાતાં. ધાર્મિક રુચિ સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં નિમગ્ન ડૉ. રમણલાલ ચી. શાહ અને તેમનાં ધર્મપત્ની સંશોધક,
Page #12
--------------------------------------------------------------------------
________________
વિદ્યાપ્રેમી ડૉ. તારાબહેન ૨. શાહ – આ દંપતીનું વિશાળ સાહિત્ય અને તેઓએ તૈયાર કરેલ મોટો વિદ્યાપ્રેમીવર્ગ – આ બધાંનું સવિશેષ મૂલ્ય છે. લોકસાહિત્યપ્રેમી શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ગુજરાતનો જય’ રચાઈ તેના પાયામાં પૂ. જિનવિજયજીનો અગત્યનો ફાળો છે તે હકીકત અત્રે પ્રકાશમાં આવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ધૂમકેતુએ પોતાની રસિલી કલમ દ્વારા, સમગ્ર ગુજરાતને તેજસભર બનાવનાર, કલિકાલ સર્વજ્ઞ “શ્રી હેમચંદ્રાચાર્ય' વિશે ખૂબ રસપ્રદ કૃતિની રચના કરી છે.
પપૂ. મુનિરાજ શ્રી બુટેરાય (બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ એવા ક્રાંતદ્રષ્ટા હતા કે તેઓની પાસે ઘડાયેલા શિષ્યોએ સમાજના હિતનો ખૂબ જ જાગૃતિપૂર્વક વિચાર કરીને, નવયુગને અનુરૂપ અવનવા પારખીને મંગળદાયક વિચારો વહેતા કર્યા. તેઓના પ્રખર શિષ્ય તેજસ્વી જ્યોતિર્ધર, નવયુગનિર્માતા ૫. પૂ. શ્રી આત્મારામજી (પ.પૂ.આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સાહેબે કાળબળને પારખીને જ્ઞાનની જ્યોત ઝગાવવા માટે સરસ્વતીમંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો. ઈ. સ. ૧૮૯૩ની શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે પ.પૂ. આ. શ્રી આત્મારામજીને આમંત્રણ મળેલ, પણ પોતે સાધુ હોવાથી ત્યાં જઈ ન શકે તેમ જણાવીને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને આ પરિષદમાં મોકલ્યા. શ્રી વીરચંદ ગાંધીએ પરદેશમાં જઈને શુદ્ધ આચારવિચારપૂર્વક રહીને જૈન ધર્મ-દર્શનનો ડંકો વગાડ્યો અને ઘરઆંગણે જૈન સમાજના વિરોધને સહન કર્યો. પ.પૂ. આત્મારામજી મહારાજ સાહેબ અને શાસનરક્ષક શ્રી વીરચંદ ગાંધીએ સમાજને ઉત્કૃષ્ટ સાહિત્યની ભેટ પણ આપી.
જૈન ધર્મનું એક મહત્ત્વનું અંગ તે જ્ઞાનભંડારો. વિવિધ જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતોનો સંગ્રહ અને તેની કાળજીપૂર્વકની સાચવણીના બહુમૂલ્ય કાર્યક્ષેત્રમાં પ.પૂ. શ્રી હંસવિજયજી મ.સા.નું મહત્ત્વનું પ્રદાન. શાસનસમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી નેમિસૂરિજી સંઘના પ્રશ્નોનો વિચક્ષણતાપૂર્વક નિવેડો લાવવામાં સતત પ્રયત્નશીલ હતા. “સત્યં નતિ શાસનનું સૂત્ર આપનાર ક્રાંતિકારી પ. પૂ. ન્યાયવિજયજી મહારાજે પોતે આરંભ-સમારંભનો ત્યાગ કરીને સમાજને સત્યના રાહે લઈ જવા સતત મથામણ કરી. સંવેગી વાચનાચાર્ય પ.પૂ. કુશલચંદ્રવિજયજીએ શુદ્ધ ચારિત્ર પાળીને કિયોદ્ધાર કર્યો. આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠે શ્રીમદ્ રાજચંદ્રને લગતી લોકભોગ્ય રચનાઓ કરી. એક નવી જ દૃષ્ટિ સાથે અભ્યાસરત રજનીશજી – ઓશોનું સાહિત્ય વિચારની નવી રાહ ચીંધનાર બની રહ્યું.
સંશોધનકાર્યની વાત કરીએ તો આ યુગમાં મોટા ગજાના સંશોધકોએ ગંજાવર કામો કર્યા છે. જ્ઞાનસાધક પ.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજીએ અન્ય સાહિત્યની
11
Page #13
--------------------------------------------------------------------------
________________
સાથે સાથે “અભિધાન રાજેન્દ્રકોષનું ખૂબ શ્રમસાધ્ય કાર્ય કર્યું. આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ આજીવન નિષ્ઠાપૂર્વક આગમસંશોધનનું કાર્ય કર્યું. આગમસંશોધનના કાર્યને આગળ ધપાવનાર શ્રુતવારિધિ પપૂ. મુનિશ્રી જબૂવિજયજી વર્ષોની મહેનતે જ્યારે નવું પુસ્તક તૈયાર થાય ત્યારે પ્રભુના ચરણે ધરીને તેનું વિમોચન કરતા. કેવો સમર્પણભાવ ! નખશિખ પ્રામાણિક, સત્યના આરાધક પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવજિયજીએ દેશ-પરદેશમાં ભ્રમણ કરીને સંશોધનનાં નવાં નવાં કાર્યો જોયાં અને તેનાથી પ્રેરિત થઈને પોતે ખૂબ મૂલ્યવાન, પ્રગતિકારક કાર્યો કર્યા, ગહન અભ્યાસપૂર્વકના સાહિત્યનું પ્રદાન કર્યું. તેઓએ સંશોધનનાં જે નવાં દ્વાર ખોલ્યાં તેનો પ્રકાશ આ યુગના કેટલાય સંશોધકોના જીવનમાં ફેલાયો અને આગમસંશોધકો, હસ્તપ્રતશાસ્ત્રના વિદ્વાનો, ખૂબ મૂલ્યવાન એવી સંસ્થાઓના હોદ્દેદારો વગેરેના માધ્યમથી સમાજને ખૂબ મૂલ્યવાન વારસો પ્રાપ્ત થયો. બહુશ્રુત વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાએ સંશોધક દૃષ્ટિથી જીવનભર કાર્ય કર્યું. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી તથા સત્યશોધક પંડિત બેચરદાસજી વગેરે ચિંતનશીલ સાહિત્યકારોએ વિરોધોની વચ્ચે પણ સત્યની મશાલને પ્રજ્વલિત રાખી.
આજથી લગભગ આઠ દાયકા પહેલાં સી.એ.ની પદવી મેળવ્યા પછી, તે સમયમાં સંસારનો ત્યાગ કરીને, દીક્ષા લીધા બાદ પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિજીએ પોતાના ચારિત્રમાર્ગમાં જ્ઞાનને પ્રાધાન્ય આપીને શિબિરો યોજીને યુવાવર્ગનું ઘડતર કર્યું. પરિણામે કેળવાયેલા અનેક યુવાનો સ્વવિકાસના અને સમાજવિકાસનાં કાર્યોમાં પ્રવૃત્ત થયા. તો વળી સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજીનું જીવન અને પ્રવૃત્તિઓ જૈન સાહિત્ય તથા વિવિધ કળાઓને અભિવ્યક્ત કરવા માટે નોંધપાત્ર છે. અનેક ભાષાઓમાં કોષના કામ કરનાર ભારતભૂષણ મુ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું પ્રદાન અવિસ્મરણીય છે. શ્રુતઉપાસક પ. પૂ. શ્રી દેવેન્દ્રમુનિજીએ નારીસન્માન, વ્યસનમુક્તિ, પર્વમહત્ત્વ દર્શાવતી રચનાઓ આપી.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે જિંદગીના અનેક આરોહઅવરોહોની વચ્ચે મબલખ સાહિત્યની ખેતી કરી છે. ડૉ. નગીનભાઈ શાહે દર્શનશાસ્ત્ર અંગે ગુજરાતી, અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર કામ કર્યું છે. પરદેશમાં જેન ચિંતન અંગે જાગૃતિ આણનાર ફ્રેંચ વિદ્વાન પ્રો. ડૉ. કોલીટ કેલિયેટના પ્રયત્નો થકી જૈન ધર્મના સિદ્ધાંતોની જાણકારી દેશ-પરદેશમાં વિકાસ પામી. સાહિત્ય સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણીએ મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રે તથા અનેક પ્રાચીન કૃતિઓ અંગે જે કાર્ય કર્યું તે નમૂનેદાર બની રહ્યું. લિપિ
Page #14
--------------------------------------------------------------------------
________________
વિશેષજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો લિપિ ઉકેલવા અંગેનો સઘન અભ્યાસ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. અનેક સંસ્થાઓની ધુરા સંભાળનાર, વિદ્યાલયના પાયાના પથ્થર સમાન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ પોતાના સ્વાધ્યાય અને સામાયિકના નિત્યક્રમ દ્વારા અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકો આપ્યાં, વિદ્યાલયના માધ્યમથી બહોળા યુવાવર્ગનું ઘડતર કર્યું.
અત્રે પ્રસ્તુત પ્રત્યેક લેખક વિશે તો વિશેષરૂપે કાંઈ કહેવાનું શક્ય નથી છતાં આ પ્રત્યેક લેખના નિબંધકર્તાઓએ, આ દ્વિશતાબ્દીના સમયગાળાના વિદ્વાનોના સાહિત્ય વિશે જે અભ્યાસપૂર્ણ વિગતો પોતપોતાના લેખમાં દર્શાવી છે તેને આધારે કેટલાંક તારણો આ પ્રમાણે રજૂ કરી શકાય.
૧. મોટા ભાગના સાહિત્યકારોએ આજીવન અક્ષરની આરાધના કરી છે, જ્ઞાનનાં કાર્યોને જ પ્રાધાન્ય આપીને વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચનાઓ કરી છે. અનેક કાવ્યો, પૂજાઓ, નવલકથાઓ, વિવેચનાત્મક ગ્રંથો તેઓની પાસેથી સમાજને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આગમોની સંશોધનાત્મક આવૃત્તિઓ તથા અનુવાદો, વિવિધ ભાષાના કોષો જેવી રચનાઓ પણ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી, શ્રી જયભિખ્ખ, પં. વીરવિજયજી, પ.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજી, પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી, આ. મહાપ્રજ્ઞજી, પ.પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજી જેવાં અનેક નામો અહીંયાં દર્શાવી શકાય તેમ છે.
૨. કેટલાય સર્જકો, સંશોધકોએ જીવનમાં સત્યને પ્રાપ્ત કરવા માટેની મથામણ કરી છે અને પોતાને જે માર્ગ સાચો જણાયો તે માર્ગે વિરોધોની વચ્ચે પણ આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. પૂ. જિનવિજયજી, પં. બેચરદાસજી, પૂ. ન્યાયવિજયજી, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા અનેક સર્જકોના જીવનમાં આ સત્યપ્રીતિ પ્રતિબિંબિત થાય છે.
૩. કેટલાય સર્જકોએ બાળપણમાં કાં તો માતા-પિતા ગુમાવ્યાં છે, મુશ્કેલીઓ વચ્ચે જીવનનનો માર્ગ કાઢ્યો છે અને છતાં પોતાને માબાપ, ગુરુજનો કે વડીલો પાસેથી સંસ્કારનું જે બીજ પ્રાપ્ત થયું છે તેની જાળવણી કરીને તે સંસ્કારબીજના સંવર્ધનમાં જ, સંઘર્ષ કરીને પણ જિંદગી પસાર કરી છે અને સમાજને તેમના જ્ઞાનયજ્ઞનાં ફળ આપ્યાં છે. આજે આપણને સહજ લાગતા આગમોનાં પ્રકાશનો, અનુવાદો, સંશોધનો, વિવેચનો અને વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે તે સૌના પ્રદાનને સમજવા માટે તેમના જીવનને જાણવું પણ એટલું જ અગત્યનું અને રસપ્રદ છે.
આ સંપાદનકાર્ય નિમિત્તે મને અનેક તજજ્ઞોનો સહકાર પ્રાપ્ત થયો છે એમનું આ તબક્કે હું આનંદપૂર્વક ઋણ સ્વીકારું છું. પ્રેમાળ વડીલ શ્રી ધનવંતભાઈ
13
Page #15
--------------------------------------------------------------------------
________________
શાહે મારામાં વિશ્વાસ મૂકી મને સંપાદનકાર્ય સોંપ્યું અને મારી અનેક મૂંઝવણોમાં માર્ગદર્શન આપી મને બળ પૂરું પાડ્યું. તે જ રીતે શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મહત્ત્વનાં સૂચનો આપી મારા કાર્યને સરળ બનાવી દીધું. આ માટે બંને મહાનુભાવો પ્રત્યે આદરપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. વડોદરાનાં શ્રી સુધાબહેન પંડ્યાનો આ સંપાદન સંદર્ભે જ્યારે જ્યારે સંપર્ક કર્યો ત્યારે ત્યારે ઉષ્માપૂર્વક હકારાત્મક પ્રત્યુત્તર મને મળ્યો. આ સમારોહ દરમિયાન એમની સાથે સંબંધ થયો એ કંઈક ઋણાનુબંધ જ ગણું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હોદ્દેદારો અને સમારોહના આયોજકોએ મને જરૂરી સામગ્રી અને માહિતી પૂરી પાડી ઉપકૃત કરી છે તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે સાચા દિલથી સહકાર આપી આ સંપાદન ગ્રંથને સમયસર પૂર્ણતા અર્પવામાં રસ દાખવ્યો છે તે માટે એમની ઓશિંગણ છું. મારા આ સંપાદનકાર્યની ત્રુટિઓ અંગે અથવા તો મહત્વની બાબતો અંગે વિદ્વજનો મારું ધ્યાન દોરશે એવી આશા અસ્થાને નથી.
વિવિધ શૈલીથી લખાયેલા આ લેખો એક સુંદર ગુલદસ્તા સમાન છે. કોઈક ફૂલ નાનું છે તો કોઈ મોટું, કોઈ સુગંધી છે તો કોઈ મંદમંદ સુગંધ ધરાવે છે, દરેક ફૂલ પોતાની અલગ-અલગ રંગછટાથી દર્શકને આકર્ષે છે અને સમગ્ર રીતે વાતાવરણને મઘમઘતું રાખે છે. આ ગુલદસ્તામાં હજી તો ઘણાં ફૂલો ઉમેરી શકાય તેમ છે, પણ અત્યારે તો આ ગુલદસ્તો સાદર, સાનંદ સમર્પિત કરીને વિરમું છું. ૨૨, શ્રીપાલ ફ્લેટ, દેરી રોડ,
માલતી શાહ કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧ તા. ૧૬-૧૨-૨૦૧૫ સંપર્ક : ૯૮૨૪૮ ૯૪૬૬૯
Page #16
--------------------------------------------------------------------------
________________
સમારોહ લેખ-સંચય વિશેષ
જૈન ધર્મના મુનિવર્યો અને વિદ્વાનોની અભિરુચિ, જૈન શાસ્ત્રો અને સાહિત્યના સાચવણીપૂર્વકના સંગ્રહ અને સંવર્ધનની રહી હોવાથી ઈ. સ. પૂર્વેનો સમૃદ્ધ વારસો પણ એમના જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતો રૂપે અકબંધ જોવા મળે છે. મહદ્અંશે આચાર્યો અને મહારાજસાહેબો સાહિત્યસર્જન કરી જૈન શાસ્ત્રોનાં આગવાં અર્થઘટનો સમાજ સમક્ષ મૂકતા. એ રીતે શાસ્ત્ર, વ્યાકરણ, સિદ્ધાંતો, ધાર્મિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, ચરિત્રલેખો, પદો, સ્તવનો, અનુવાદો, સમશ્લોકી અનુવાદો, સંપાદનો જેવું મબલખ સાહિત્ય તેઓની સૂઝ, શક્તિ અને કુનેહને કારણે આજે પણ ઉપલબ્ધ છે. બધા જ મુનિવરો બહુશ્રુત વિદ્વાનો હોવાથી તત્ત્વજ્ઞાનની ગહન વાતો ગ્રંથાકારે અવારનવાર પ્રગટ થતી રહે છે. સર્જાતા રહેતા વિપુલ સાહિત્યના અભ્યાસને ઉત્તેજન આપવા જૈન યુવક સંઘ આયોજિત સમારોહમાં ઘણા વિદ્વાનો અને નવોદિત સર્જકો અભ્યાસલેખ રજૂ કરી, ત્રણ દિવસ સાથે રહી વિચારોનું આદાનપ્રદાન કરે છે. આ સંદર્ભે મોહનખેડામાં યોજવામાં આવેલ ૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો વિશે એક દિવસ લગભગ પચાસ અભ્યાસલેખ રજૂ થયા, જેનો આ સમૃદ્ધ સંચય છે.
અહીં સમાવિષ્ટ નથી એવા પણ કેટલાક વિદ્વાનોએ આ નિયત સમયગાળામાં વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એમના ગુણવત્તાસભર સર્જન વિશે થોડું જાણીએ, પામીએ અને પ્રમાણીએ એ ઉચિત લેખાશે. હાલમાં વિદ્યમાન નથી એવા સર્જકો વિશેનો આ અભ્યાસગ્રંથ હોવાથી મોટા ગજાના વિદ્યમાન સર્જકો વિશે તો ફરીથી ક્યારેક.
સૌપ્રથમ યાદ કરું છું વાડીલાલ મોતીલાલ શાહને, જેમનો જીવનકાળ ૧૮૭૮થી ૧૯૩૧ હતો અને જેઓ સર્જક, ચિંતક, સંપાદક, સંશોધક, સંનિષ્ઠ ક્રાંતિકારી પત્રકાર, સમર્થ ગદ્યકાર અને ઘનિષ્ઠ સામાજિક નિસબત ધરાવતા વિદ્વાન હતા. જૈન’ શબ્દને એમણે એટલા વ્યાપક અર્થમાં પ્રયોજીને ઊંચાઈ પર સ્થિત કર્યો છે જે વૈશ્વિક ભૂમિકાએ સ્વીકૃત બને. જેન' એટલે “સામાન્ય મનુષ્ય' નહિ પણ “મનુષ્ય વિશેષ.” જે સામાન્ય જનને માથે જ્ઞાન અને ક્રિયારૂપી બે માત્રાઓ લાગે તેને જૈન' કહેવાય. એટલે કે જેનો અર્થ જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરનારી જ્ઞાતિ નહિ. એ સમૂહસૂચક શબ્દ નથી પણ ભાવસૂચક
13
Page #17
--------------------------------------------------------------------------
________________
શબ્દ છે. તેથી જૈન' થવા માટે વણિક બનવાની જરૂર નથી એવું વાડીલાલે વારંવાર લખ્યું છે.
મધ્યકાલીન કવિઓ ભોજા ભગત અને અખા ભગતની જેમ ચાબખા મારીને સૂતેલાને જાગ્રત કરવાનું કાર્ય એમણે સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું એટલે જૈન સમાચાર' સાપ્તાહિક અને જૈન હિતેચ્છુ માસિક, અનેક તખલ્લુસો ધારણ કરી અનેકવિધ વિષયો પર લેખો લખી ચલાવ્યાં હતાં. એમણે નમીરાજ,
સ્થૂલભદ્ર, કપિલમુનિ’, ‘ચક્રવર્તી બ્રહ્મદત્ત' જેવા ઘણા ચરિત્રલેખો આપ્યા છે તો કેટલીય ધાર્મિક કથાઓને બોધાત્મક આગવી શૈલીમાં રજૂ કરી છે. જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિોનું Thus spake zarathustra' વાંચ્યા બાદ મહાવીર કહેતા હવા' (૧૯૨૧) અને “The Gospel of Supermanના અભ્યાસ પછી “મહાવીર સુપરમેન દીર્ઘનિબંધ એમણે લખ્યો હતો. મહાવીર કહેતા હવામાં મહાવીરના કથન દ્વારા પોતાના મનમાં ઘોળાતા સમાજસુધારણા અને ધર્મસુધારણાના વિચારો પ્રગટ કર્યા હતા. આ ઉપરાંત મૃત્યુના મહોમાં અથવા અમૃતલાલ શેઠનું અઠવાડિયું (૧૯૨૧) નવલકથા, રાજકીય તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતો ગ્રંથ “Politcal Gita' (૧૯૨૧), તત્ત્વજ્ઞાનને હળવી વાર્તાઓ સ્વરૂપે રજૂ કરતો માસ્ટરપીસ ગ્રંથ “મસ્તવિલાસ' (૧૯૨૬), તો “જનતામાંથી જેન' બનવાની સંપ્રદાયનિરપેક્ષ સાધનાપ્રક્રિયાનો સંદેશ આપતો ગ્રંથ જૈન દીક્ષા (૧૯૨૯) પુનઃમુદ્રિત – ચેતનવાદની શોધમાં સંપાદક : ત્રિભુવન વીરજી હેમાણી) જેવા ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પચાસથી વધુ પુસ્તકો આપ્યાં છે. આ તીખા સર્જક વાડીલાલને તત્કાલીન જૈન સમાજે એમની આકરી, તેજાબી, સુધારાવાદી કલમને કારણે ઉવેખ્યા તો એમના જૈન' શબ્દના અતિઆગ્રહને કારણે જૈનેતરોએ અવગણ્યા, તેથી ભુલાયા, પરંતુ જૈન સમાજે ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે પંડિતયુગના વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક બ. ક. ઠાકોરે ગુજરાતના દસ ગદ્યપ્રભાવકોમાં એમની ગણના કરી છે અને ઝવેરચંદ મેઘાણીએ તો ‘ચિંતનગદ્યના જનક કહ્યા છે. વાડીલાલ પોતે પણ જાણતા હતા કે તેઓ ખોટા’ નહિ પણ “ઘણા વહેલા’ હતા.
હવે સ્મરણમાં આવે છે મોહનલાલ દલીચંદ દેસાઈ, જેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના ૧૯૧૫માં થઈ ત્યારે એના સ્થાપક સભ્યોમાંના એક હતા. એમણે જૈન ઐતિહાસિક રાસમાળા' ભા. ૧, ૨, જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, ૨, ૩; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', જેનો ને તેમનું સાહિત્ય' જેવા અભ્યાસપૂર્ણ ગ્રંથો આપ્યા છે તો જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ', ગૂર્જર સાહિત્ય સંગ્રહ' ભા. ૧ અને સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાય વિરચિત ભાનુચન્દ્રમણિચરિતનું
16
Page #18
--------------------------------------------------------------------------
________________
સંપાદન કરી આ સમયગાળામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની દલસુખભાઈ માલવણિયાને કેમ ભુલાય ? જૈન ગુરુકુળોમાં રહીને એમણે જૈન વિશારદ અને ન્યાયતીર્થનો તથા મુનિશ્રી જિનવિજયજી પાસે જેન આગમોનો અભ્યાસ કર્યો. ગુજરાતી તેમ જ હિંદી બંને ભાષાઓમાં ધર્મદર્શનગ્રંથોનું સંશોધન અને વિવેચનકાર્ય કરતાં એમણે ભગવાન મહાવીર’, ‘આત્મમીમાંસા', જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવનસંદેશ', પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, જૈન દાર્શનિક સાહિત્ય કે વિકાસકી રૂપરેખા’, ‘આગમ યુગકા અનેકાંતવાદી, જૈન દાર્શનિક સાહિત્યકા સિંહાવલોકન” જેવા ગ્રંથોની રચના કરી; જૈન આગમગ્રંથો અને ભારતીય દર્શનોની પાંડિત્યપૂર્ણ વ્યાપક તેમ જ તલાવગાહી સમીક્ષા કરી એમણે જૈન સાહિત્યને સમૃદ્ધ કરવામાં માતબર યોગદાન કર્યું છે.
આપણે યાદ કરીએ રાજસ્થાનના બિકાનેરના વતની, જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના પ્રખર અભ્યાસી અગરચંદજી નાહટાને, જેઓ મૂર્ધન્ય સારસ્વત તો હતા જ પરંતુ જૈન સાહિત્યના સંશોધન માટે જીવતી જાગતી વોકિંગ એન્સાઇક્લોપીડિયા જેવા હતા. રમણલાલ ચી. શાહે નોંધ્યું છે કે “નાહટાજીએ છ દાયકા જેટલા સમયમાં છ હજારથી વધુ લેખો લખ્યા છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી અને જૂની ગુજરાતીના અનેક ગ્રંથોના અભ્યાસી હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફગુસાહિત્ય ક્ષેત્રે સંશોધન કરી પ્રાચીન ગુર્જર રાસસંચય', “સીતારામ ચોપાઈ તેમ જ “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ જેવા ગ્રંથો આપી એમણે અમૂલ્ય પ્રદાન કર્યું છે તો મરુ ગુર્જર કવિઓ અને એમની રચનાઓ' શીર્ષકવાળો ગ્રંથ, ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો તપાસીને એના અભ્યાસ બાદ રચ્યો છે. સાહિત્યમાં સંશોધન કરનારને કેટલા ખંત, ધીરજ અને શ્રમપૂર્વક વિષયમાં અવગાહન કરવાનું હોય છે તેનો ઉત્તમ માપદંડ નાહટાજીએ આપ્યો છે.
ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીથી જેઓ ઘણા જ પ્રભાવિત હતા એવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસથી વધુ વર્ષ કાર્યરત રહેનાર પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાને તથા ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ ધરાવતા બહુકૃત વિદ્વાન, ચિંતનશીલ લેખક અને કુશળ વહીવટકર્તા, સુખ્યાત ધારાશાસ્ત્રી ચીમનલાલ ચકુભાઈ શાહને આ ક્ષણે યાદ કરવા જ પડે.
સર્જનકાર્યની સાથેસાથે સંશોધનકાર્ય કરનાર વિદ્વાનોને પણ આ ગ્રંથમાં આપણે સમાવ્યા છે ત્યારે સંસ્કૃત, અર્ધમાગધી અને પ્રાકૃતના પ્રખર અભ્યાસી,
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાષાવિજ્ઞાન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ડૉ. રાટર્નરના માર્ગદર્શન હેઠળ મુનિશ્રી જિનવિજયજીએ સૂચવેલા તરુણપ્રભસૂરિ ત ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિના વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર, પ્રાકૃત ભાષા, ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન તથા ‘વ્યાકરણ : અર્થ અને આકાર' જેવા ગ્રંથો આપનાર ડૉ. પ્રબોધ પંડિતનું મૂલ્યવાન યોગદાન તો અનિવાર્યપણે આપણે સ્વીકારવું જ રહ્યું.
એવા જ મોટા ગજાના ભાષાવિદ્ વિવેચક, સંપાદક અને ગુજરાતી ભાષા - વ્યાકરણના ઊંડા અભ્યાસી, વિદ્વાન અધ્યાપક જયંત કોઠારી હતા જેમણે ‘ભારતીય કાવ્યસિદ્ધાંત', પ્લેટો –એરિસ્ટોટલની કાવ્યવિચારણા' જેવા ભારતીય સાહિત્યમીમાંસાના ગ્રંથો; ‘ઉપક્રમ', “અનુક્રમ', 'વિવેચનનું વિવેચન', મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન, જયવંતસૂરિ કૃત “શૃંગારમંજરી', “સાહિત્યિક તથ્યોની માવજત', અને “સંદર્ભ' જેવા વિવેચન સંગ્રહો; “જૈન ગૂર્જર કવિઓ', “આરામશોભા રાસમાળા' જેવાં સંપાદનો અને વ્યાકરણ સંદર્ભગ્રંથ તરીકે સર્વસ્વીકૃત બનેલું પુસ્તક “ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ' લખીને વ્યાકરણના અભ્યાસીઓની અને ભાષાસાહિત્યની ઘણી મોટી સેવા કરી છે.
૧૯મી અને ૨૦મી સદીના સર્જકો, સંશોધકો અને ચરિત્રલેખકોનાં નામ યાદ કરીએ તો કેટલાય નાના-મોટા વિદ્વાનોએ ઓછા-વધતા પ્રમાણમાં લેખનકાર્ય કર્યું જ છે. એમાંના કેટલાકનો નામોલ્લેખ કરવો હું અનિવાર્ય સમજું છું. એમાં પંડિત લાલન, સુશીલ (ભીમજી હરજીવન પારેખ), પ્રભુદાસ બેચરદાસ પારેખ, પંડિત ટોડરમલજી, ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, ડૉ. એ. એન. ઉપાધ્ય, પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ, અમૃતલાલ સવચંદ ગોપાણી, તપસ્વી નાન્દી વગેરે છે. આ સિવાય પણ જૈનસાહિત્યક્ષેત્રે યથાશક્તિ પ્રદાન કરનાર ઘણા અભ્યાસીઓ છે જેમણે સાહિત્યના કોઈ ને કોઈ ક્ષેત્રમાં પોતાની વિદ્વત્તાનો પરિચય કરાવ્યો હોય. જૈન શાસ્ત્રોના અને શબ્દના સૌ ઉપાસકોના પ્રદાનના મૂલ્યને સ્વીકારીને, જૈન યુવક સંઘના આ ૨૨મા સમારોહની ઉપલબ્ધિને અહીં અંકે કરી લઈએ. અસ્તુ.
સુધા નિરંજન પંડ્યા સી/, ડૉ. સી. એસ. પટેલ એન્કલેવ
૩, પ્રતાપગંજ વડોદરા-૩૯૦૦૦ર સંપર્ક : ૯૪૨૭૫૩૯૨૭૯
Page #20
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાલા) આગમન : સંવત ૧૯૨૪, સન ૧૮૬૮ – મહુવા, જિલ્લો ભાવનગર
દીક્ષા: સંવત ૧૯૪૩, સન ૧૮૮૭ શાસ્ત્ર વિશારદ: સંવત ૧૯૬૪, સન ૧૯૦૮
કાળધર્મ: સંવત ૧૯૭૮, સન ૧૯૨૨ પ્રથમ સાહિત્ય સંમેલન-જોધપુરમાં, સંવત ૧૯૭૦, સન ૧૯૧૪
સ્થાપનાકર્તા: શિવપુરી પાઠશાળા યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા (બનારસ),
વીરતત્ત્વ પ્રકાશક મંડળ, મુંબઈ
Page #21
--------------------------------------------------------------------------
________________
20
ઋષિતુલ્ય પિતાશ્રી શ્રી રૂપચંદજી પન્નાલાલજી ભંશાલી
૧૫-૧૧-૧૯૧૫ - ૪-૬-૨૦૦૭
Page #22
--------------------------------------------------------------------------
________________
પરમ પાવન માતુશ્રી શ્રીમતી રૂપકુંવર રૂપચંદજી ભંશાલી
૧૯૨૦-૧૯૬૫
21
Page #23
--------------------------------------------------------------------------
________________
છે
.
કિરીટ
િ
સંસ્કાર પુરુષ કુટુંબવત્સલ જ્યેષ્ઠ ભ્રાતાશ્રી માણેક રૂપચંદજી ભંસાલી
પ-૧૨-૧૯૪૮ – ૫-૨-૨૦૦૧
Page #24
--------------------------------------------------------------------------
________________
એક પ્રેરણાત્મક જીવન શ્રી રૂપચંદજી ભંસાલી
(૧) કેટલાક પ્રસંગોનું નિમિત્ત વ્યવહાર હોય છે, કેટલાકને આનંદ અભિવ્યક્તિનું તો કેટલાંકનું પારંપારિક, પરંતુ આ બધાંથી પર કુદરત અને શુભ કર્મો પણ પોતાનું નિમિત્ત પોતે જ શોધીને એક ભવ્ય પ્રસંગનું સર્જન કરાવી દે છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત ૨૦મા જૈન સાહિત્ય સમારોહનો પ્રસંગ એક ઋષિતુલ્ય વ્યક્તિ અને એમના પરિવારનાં શુભ કર્મોનું નિમિત્ત બની ગયો.
જૈન ગ્રંથ ગૌરવ' શીર્ષકથી યોજાયેલ ત્રિદિવસીય આ સમારોહ રતલામ ખાતે ૨૦૧૦ના જાન્યુઆરીની ૨૯, ૩૦, ૩૧ના યોજાયો અને માર્ચ-૨૦૧૨માં ૨૧મો જૈન સાહિત્ય સમારોહ, રાજસ્થાન પાવાપુરીમાં યોજાયો અને માર્ચ૨૦૧૪માં ૨૨મો સમારોહ મોહનખેડામાં યોજાઈ રહ્યો છે જેમાં જૈન ધર્મના ચારેય ફિરકાના અને અજૈન એવા પણ ૨૫૦ વિદ્વજનોએ એક છત્ર નીચે એકત્રિત થઈ જૈન સાહિત્યના ગૌરવભર્યા વિવિધ ગ્રંથો અને વિવિધ સાહિત્ય અંગે ચર્ચા-ચિંતન કર્યા અને કરશે.
આ સમગ્ર જ્ઞાનોત્સવનું યજમાનપદ શોભાવ્યું ઋષિતુલ્ય પિતા શ્રી રૂપચંદજી અને જ્યેષ્ઠ બંધુ સુશ્રાવક માણેકચંદજી ભંસાલીના પરિવારે.
આજના શણગાર, વૈભવ અને ઉત્સવપ્રિય સમાજ વચ્ચે એક પરિવારે પોતાના પિતા અને જ્યેષ્ઠ બંધુને જ્ઞાનાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી એ એક અમૂલ્ય અને પ્રેરણાત્મક ઘટના છે. ઉત્તમ પિતૃ-ભ્રાતૃ-તર્પણ છે.
પૂ. રૂપચંદજી આ સાહિત્ય સમારોહના પ્રણેતા અને આ સંસ્થા-શ્રી મુંબઈ જેન યુવક સંઘના પૂર્વપ્રમુખ અને “પ્ર.જી'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહના જ્ઞાનમિત્ર હતા અને આ સંસ્થાના આવા જ એક મહામાનવ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. રૂપચંદજીના પ્રેરક પુરુષ હતા.
ડો. રમણલાલ ચી. શાહના બે ગ્રંથો, જૈન ધર્મ દર્શન અને જૈન ધર્મ
Page #25
--------------------------------------------------------------------------
________________
આચાર દર્શનનો હિંદી અનુવાદ પણ આ ભંસાલી પરિવારે પ્રકાશિત કર્યો છે.
આ પ્રકાશન દરમિયાન પૂ. રૂપચંદજીના જીવનને અને એમના પરિવારમાં સરસ્વતી અને લક્ષ્મી બંને આસનસ્થ છે, તેમ જ હૃદયમાં અને જીવનચર્યામાં જૈન ધર્મ દઢસ્થ છે એવા એ કુટુંબીજનોને ઓળખવાનો અને સમજવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
બાપુજી સા : એક પ્રેરણાદાયી જીવન' એ શીર્ષકથી ગુજરાતી, હિન્દી અને હવે અંગ્રેજીમાં એમના પુત્ર શ્રી વલ્લભ ભંસાલીએ એક નાની પુસ્તિકા આ સમયે પ્રકાશિત કરી. પુત્રની કલમે લખાયેલી આ પુસ્તિકામાં સહજ પ્રવેશો પછી પૂરી જીવનાભૂતિ પામ્યા પછી જ તમે એના બે મુખ્ય પૃષ્ટોને ભેગા કરી શકો એવી આ પુસ્તિકામાં પિતૃભક્તિની ગંગા છે.
પૂ. રૂપચંદજીનો જીવનકાળ ૧૯૧૫થી ૨૦૦૭, આયુષ્ય સાડા એકાણું વર્ષ. જન્મ રાજસ્થાનના મારવાડ પાલીમાં. એમના પૂર્વજો રાજ્યના પદાધિકારી હતા. પિતાનું નામ પનાલાલજી અને માતાનું નામ ગુમાનબાઈ. આ દંપતીને બે પુત્ર, રૂપચંદજી અને પારસમલ. પિતાએ બને પુત્રોને નાનપણમાં જ જેન છાત્રાલયમાં મોકલી દીધા. રૂપચંદજી આઠ વર્ષની ઉંમરમાં જ પૂ. વલ્લભસૂરિના શિષ્ય મુનિ તિલકદાસની સાથે ઘેર પત્ર મોકલી સાધુ બનવા માટે ચાલી નીકળ્યા હતા. આ રૂપચંદજી ૧૧-૧૨ વર્ષની ઉંમરે ગ્વાલિયર નજીક શિવપુરીમાં પૂ. વિજયધર્મસૂરિજી (કાશીવાળા) દ્વારા સ્થપાયેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળના વિદ્યાર્થીગૃહમાં ગયા. રૂપચંદજીએ ચાર વર્ષ શિવપુરીમાં રહીને સંસ્કૃતમાં ઉત્તર મધ્યમાની પરીક્ષા પાસ કરી. ધાર્મિક સૂત્રો શીખ્યાં. અહીં શિક્ષણ અને અધ્યયનની ઊંડી લગન લાગી. ૧૪-૧૫ વર્ષની વયે રૂપચંદજી રજાઓમાં પાલી આવે અને શેરી સફાઈ જેવું સમાજ સેવાનું કામ પણ કરે. ૧૭ વર્ષની ઉંમરે રૂપચંદજી મુંબઈ આવ્યા અને દાદીના સંબંધીની પેઢી ઉપર કામે લાગ્યા.
પાલીનાં ઉત્તમ કુટુંબોમાં છાજેડ પરિવાર. એમની સૌથી મોટી પુત્રી રૂપકુંવર સાથે રૂપચંદજીની સગાઈ થઈ. ૧૯ વર્ષનો વર અને ૧૫ વર્ષની કન્યા. પાલીનો પ્રતિભાશાળી છોકરો અને સમર્થ પરિવારની ગંભીર અને બુદ્ધિમાન છોકરી. બન્ને આત્માનું મિલન થયું. શાનદાર વિવાહની યોજના થઈ, પરંતુ એ ૧૯૩૩ની ગાંધી ચળવળનું વર્ષ અને ચારે તરફ રાષ્ટ્રીય જુવાળ,
Page #26
--------------------------------------------------------------------------
________________
રૂપચંદજી આ વાતાવરણની બાકાત કેમ રહી શકે? ખાદી પહેરવી, રેંટિયો કાંતવો, ભૂગર્ભ પ્રવૃત્તિમાં રસ લેવો, સ્વાતંત્ર્યવીરોને સહકાર આપવો વગેરે રૂપચંદજીની પ્રવૃત્તિ બની અને લગ્ન માટે શરતો મૂકી, ખાદી જ પહેરશે અને જૈન વિધિથી જ લગ્ન કરશે. અને દઢ માનવીની આ શરતો સ્વીકારાઈ અને લગ્નની શરણાઈ ગૂંજી ઊઠી.
રૂપચંદજીને દાદા ગુરુ પૂ. આચાર્ય વિજયધર્મસૂરિજીમાં અનન્ય શ્રદ્ધા હતી. જીવનની વિકટ પળોએ એઓ “બાપજીને યાદ કરતા અને સહાય મળી રહેતી. રોજ સવાર-સાંજ આ “બાપજીની એઓ આરાધના કરતા. આ આરાધના એમનામાં શ્રદ્ધા, સંસ્કાર અને બાળ જન્માવતાં. આ આરાધના જ એમની બધી સફળતાનો આત્મા હતી.
|
(૨)
હવે કેટલાક અમી છાંટણાભર્યા શબ્દો એમના સુપુત્ર વલ્લભભાઈની ઉપર નિર્દેશેલ પુસ્તિકામાંથી અવતારીએ :
મહામાનવ રૂપચંદજીનું જીવન એટલી બધી ઘટનાઓ અને પ્રતિભાઓમાંથી અલંકૃત છે કે તેને સંક્ષિપ્તમાં લખવાનું અસંભવ છે.
રૂપચંદજીને શિવપુરીથી નાની ઉંમરમાં જ વિભિન્ન વિષયોમાં રસ પડ્યો. અને તેનાથી આરંભ થયો પુસ્તક સંગ્રહનો અને તેમાંના દરેક પુસ્તકના અધ્યયન અને ચિંતનનો.
યોગ, સાહિત્ય, વિભિન્ન મતોના ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો, ઇતિહાસ, કાવ્ય, ઈત્યાદિ વાંચ્યાં અને યથાશક્તિ બાળકોને વંચાવ્યાં.
જ્યોતિષશાસ્ત્ર તથા હસ્તરેખા શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષ છોડીને આયુર્વેદને અપનાવ્યું. આયુર્વેદનાં પુસ્તકોનો વિપુલ સંગ્રહ કર્યો, ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને સેવાનું માધ્યમ બનાવ્યું. અનેક ઔષધિઓ બનાવી. જીવનભર પોતાનું સ્વાથ્ય સાચવ્યું. (સોનેરી વાળને કાળા બનાવ્યા અને અંત સુધી વાળ કાળા રહ્યા.) અન્યોની સેવા કરી, ત્યાં સુધી કે હૉસ્પિટલમાં ડૉક્ટરો તથા નસના પણ ઉપચાર કર્યા.
હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપર સારી નિપુણતા. જૈન
Page #27
--------------------------------------------------------------------------
________________
સૂત્રો, સ્તોત્રો અને અનેક શાસ્ત્રોનું, ગીતાના શબ્દ, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન. ઘણું બધું કંઠસ્થ.
વિષયના દરેક પાસાં પર ચિંતન કરતા અને તેને આત્મસાત કરતા. તેમની ટિપ્પણો અદ્વિતીય, સરળ અને માર્મિક હતી. કોઈ પણ વિષય પરની વાત સંક્ષિપ્ત હોય. ચર્ચા નહીંવત્, કદાગ્રહ ક્યારેય નહીં.
પૂ. બાપુજી કહેતા : આપણા અસ્તિત્વનાં ત્રણ પાસાં છે : તન, મન અને ધન. મન સૌથી વ્યાપક છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સૌથી વધારે સમય અને શક્તિ ધનના ક્ષેત્ર ઉપર ત્યાર પછી તન ઉપર અને ઓછામાં ઓછો સમય મન પાછળ આપીએ છીએ.
પૂજ્ય બાપુજી રોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરતા. પૂજા ઘણી જ શાંતિથી કરતાં, સારગર્ભિત એવા ચૈતન્યવંદન અને સ્તવન જ ગાતા. તેઓશ્રી રોજ સામાયિક કરતા. નવરાશના સમયમાં પણ સામાયિક કરતા. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહનો દાખલો આપતા કે રોજ એક સામાયિક કરવાના નિયમને કારણે તેઓ આટલા મોટા વકીલ, સમાજસેવક અને સાહિત્યકાર બની શક્યા હતા.
રોજ સવારસાંજ નવસ્મરણના પાઠ અને ગુરુદેવ વિજયધર્મસૂરિની પૂજા, જાપ, આરતી, ઈત્યાદિ કરતા. આ બધું અર્થપૂર્ણ રીતે અને પરમ ભક્તિભાવથી કરતા હતા. નિયમોનું શાંતિપૂર્ણ અનુશાસન કરતા, તેમના નિયમોમાં કદીય ચૂક નથી આવી. છેલ્લા મહિનાઓમાં અસ્વસ્થ હોવા છતાં યથાશક્તિ નિયમો પાળતા. તેઓ ભારપૂર્વક કહેતા કે, “એવા અને એટલા નિયમો ન રાખો જેથી તમને કે અન્યોને તે નિયમો ભારસ્વરૂપ લાગવા માંડે.”
પર્યુષણમાં ઉપવાસ ઉપરાંત દરરોજ આઠ સામાયિક કરતા. આખો દિવસ મૌન રાખતા, સામાયિકમાં નવકારનો જાપ, પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. આનંદઘનજી મ.સા., પૂ. યશોવિજયજી મહારાજ રચિત સઝાય, સ્તવનનો સ્વાધ્યાય કરતા. ધ્યાન કરતા. સંવત્સરીના દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર સાંભળતા અને ઘરે પણ વાંચતા. ઘણાં વર્ષોથી સમગ્ર પરિવાર સાથે સવાર સાંજ પ્રતિક્રમણ કરતા.
પૂ. બાપુજીએ કરોડો નવકાર જાપ કર્યા. ૧૫-૨૦ વર્ષથી રોજ યશોવિજયજી રચિત જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર અને યોગસારનો સ્વાધ્યાય કરતા.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭ વર્ષથી રોજ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તથા આદ્ય શંકરાચાર્ય રચિત ભજગોવિંદમ્ વાંચતા.
તેમની ભક્તિમાં પ્રેમ ઊભરાતો હતો – રૂઢિ જરા પણ નહીં. તે કહેતા કે શુદ્ધ હોય તો પણ લોકોથી વિરુદ્ધ હોય તે ન કરવું, ન આચરવું.' આટલા માટે આપણી પોતાની સમજ સાચી હોય તોપણ આવશ્યકતા ન હોય તો લોકોથી વિરુદ્ધ કામ ન કરવું. ધર્મ સગવડિયો ન થઈ જાય તેનું તે હંમેશા ધ્યાન રાખતા.
આત્મશુદ્ધિ માટે તપની અનિવાર્યતા તેમને પૂર્ણ રૂપે પ્રાપ્ત હતી. તેમાં પણ સહજ અને અત્યંતર તપની. તપના તમામ પ્રકાર તેમણે અપનાવ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ બધું તેમના જીવનમાં હતું. - રોજ ૪-૪.૩૦ વાગે ઊઠતા. ૧૨ વર્ષની ઉંમરથી જ આ નિયમ બનાવ્યો હતો. ૮૫ વર્ષની ઉંમર સુધી પૂર્ણ રીતે સ્વાવલંબી જીવન હતું. જાતે જ કપડાં ધોવાં, પથારી ઉપાડવી, પાણી ગરમ કરવું ઈત્યાદિ. ઘરમાં દીકરા, વહુઓ, નોકર બધાં જ હતાં. પણ સંભવતઃ કોઈને પણ કશું કામ કરવાનું કહેતા ન હતા. બહુ જ નાની ઉંમરથી ચૌદશનો ઉપવાસ, પ્રતિક્રમણ ઈત્યાદિ કરતા. લગભગ ૬૫ વર્ષ સુધી આ નિયમનું પાલન કર્યું. ૬૦૬૫ અઠ્ઠાઈઓ (આઠ દિવસના ઉપવાસ), ૧૧૨૫ નવપદજીના નવ દિવસના આયંબિલ તપ કર્યા. આયંબિલ દરમિયાન મંદિરમાં માત્ર ખમાસમણાં ઇત્યાદિ કરતા અને પૂજા ઘેર વાંચતા.
૮૯ વર્ષની ઉંમરે છેલ્લી અઠ્ઠાઈ કરી. તેઓ કહેતા, શક્તિ પ્રમાણે તપ કરવું જ જોઈએ. તેનાથી ઓછું કે વધારે પણ નહીં. શક્તિથી વધારે તપ કરવાથી અહંકાર અને મિથ્યાત્વનો ભાવ જાગે છે; ઓછું કરવાથી પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત થતો નથી.'
પૂ. બાપુજીએ ૪૨ વર્ષ (૧૯૬૫ થી ૨૦૦૭) પત્ની રૂપકુંવરનો વિયોગ સહજ અને સમતાપૂર્વક સહન કર્યો.
તેમનું જીવન ગાંધીજીથી પ્રેરિત હતું. ખાદી પહેરતા હતા. રૂમાલ, ટુવાલ, મોજાં બધું જ ખાદીભંડારમાંથી લાવતા હતા. જરૂરિયાતો ઓછામાં ઓછી રાખતા. ૪૦ વર્ષ પહેલાં વર્ષમાં રૂ. ૫૦ (પચાસ)ના સ્વખર્ચનું લક્ષ્ય હતું.
27
Page #29
--------------------------------------------------------------------------
________________
મોંઘવારીને કારણે વધુમાં વધુ રૂ. ૨૦૦૦ થઈ ગયું હશે. ધોતી, ઝભ્ભો, ટોપ અને બંડી જ પહેરતા. પરંતુ કોઈ રૂઢિ ન હતી.
સત્ય અને પ્રેમની એક ઝલક : ભાગીદારીના ધંધામાં ગડબડ થતી દેખાઈ એટલે છૂટા થઈ ગયા. આર્થિક તંગીએ તેમને ભીંસમાં મૂક્યા. નોકરી કરવા નીકળી પડ્યા. શેઠજીએ થોડા દિવસ બાદ કહ્યું કે બે નંબરનો હિસાબ પણ રાખવો પડશે. તેમણે ના પાડી અને પગાર ચારસો રૂપિયાથી અઢીસો રૂપિયા થઈ ગયો. આ સમય એવો હતો કે જ્યારે ડૉક્ટરની ફી પણ બાકી રહેતી. ભલે બાકી રહે તોપણ ઈમાનદારી સત્ય સૌથી પહેલું હોય.
રાજકારણમાં સ્વાર્થનો પ્રવાહ જોઈને તેમણે રાજકારણનો સદંતર ત્યાગ કરી દીધો.
મુંબઈ આવ્યા પછી સેવાનાં નવાં અનેક ક્ષેત્રો ખૂલ્યાં, જેમાં એક કામ આજીવન ચાલ્યું. એ હતું બહારથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવી. અજાણ્યા વિદ્યાર્થીઓની સાથે જઈ તેમને છાત્રાલયમાં દાખલ કરાવવા; સી.એ. કોર્સ માટે આર્ટિકલ તરીકે રખાવવા, તેમના માટે ડિપોઝિટ ભરવી, નોકરી અપાવવી વગેરે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા પણ નીવડ્યા.
આ બાબતમાં એટલા ઉત્સાહી હતા કે કેટલાય લોકોને પોતાના નાના ઘરમાં લાવીને રાખ્યા. બે યુવકોના પિતા બનીને લગ્ન પણ કરાવ્યું. આ એમના અદ્ભુત આત્મવિશ્વાસ અને પત્નીના અનુપમ સાથને કારણે શક્ય હતું. વધારે સંપત્તિ ન હતી અને ૬ બાળકોનો પરિવાર હોવા છતાં આ બધું ચાલ્યા કર્યું. ૨૦૦૧માં એક યુવક દીપકભાઈને ઉપાશ્રયમાંથી લાવ્યા હતા. કેટલાય માસ ઘેર રાખ્યો. અને હીરાનું કામ શિખવાડવું, મૂડી આપી. પ્રેમ અને પ્રેરણા આપ્યાં. આજે તે સફળ વ્યાપારી અને આદર્શ ગૃહસ્થ છે.
તેઓ કહેતા, માત્ર હોશિયાર વિદ્યાર્થીને જ મદદ કરો જેની ઇચ્છા પ્રબળ હોય તેને વિશેષ મદદ કરો.
આગળ વધો અને અન્યને આગળ વધવાની પ્રેરણા આપો.” એ જ રૂપચંદજીનું સૂત્ર હતું.
તેઓ પોતે પણ અપરિગ્રહી હતા.
ગરીબોની હોસ્પિટલમાં જવાની શરૂઆત વ્યાપારમાં હતા ત્યારથી કરી દિીધેલી. એમણે ત્રણ હૉસ્પિટલોમાં અભિયાન શરૂ કર્યું – સેન્ટ જ્યોર્જ, જી.
Page #30
--------------------------------------------------------------------------
________________
ટી. અને કામા. ધીરે ધીરે કે. ઈ. એમ, કસ્તુરબા, નાયર અને જે. જે. ને પણ તે અભિયાનમાં જોડી દીધાં. વિશાળ કદની જે. જે.માં અઠવાડિયામાં એક વાર જતા અને અન્ય જગ્યાએ ર૩ વાર. અઠવાડિયામાં પ-૬ દિવસ પૂરા પ-૬ કલાક આ કામમાં વ્યસ્ત રહેતા. કોઈ પણ કારણસર આ કાર્યમાં વિઘ્ન આવે તે તેઓ સહન કરી શકતા નહોતા.
સને ૧૯૯૬માં પોતે જ કેન્સરમાં સપડાયા. રોગના ઉપચાર (રેડીએશન) વખતે પણ તેઓ નિયમિત રીતે હોસ્પિટલોમાં જતા હતા. પરિવાર તેમના સ્વાથ્ય અંગે ચિંતિત હતો, ત્યારે પણ તેઓ તો મસ્ત હતા લોકસેવામાં જ. તેઓ દરેક દર્દી પાસે જતા અને સ્નેહ દર્શાવતા. સુખદુઃખની વાતો કરતા. જે પણ નાનામાં નાનું અને મોટામાં મોટું કામ હોય તે કરતા. તન, મન અને ધનથી દરદી સાથે આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરતા. તેના માટે પોસ્ટકાર્ડ લખતા. સંદેશા પહોંચાડતા. એવી નાની બાબતોમાં રસ લેતા જેથી દર્દીને પોતાના પ્રત્યે દયનીયતા નહિ પણ પોતાપણું લાગે.
ધીરે ધીરે હોસ્પિટલના વ્યવસ્થાપકોમાં તેઓ અજાણ્યાને બદલે અભૂતપૂર્વ વિભૂતિ બની ગયા. કેટલાક ડૉક્ટરો અમને કહેતા કે, “જ્યારે આપના પિતાજી કોઈ દર્દી પાસે ઊભા હોય ત્યારે અમને એમનામાં સાક્ષાત્ ઈશ્વર જ દેખાય છે.”
તેઓ ક્યારેય વ્યવસ્થા કે પ્રસિદ્ધિમાં પડ્યા ન હતા. ગમે તેટલું દબાણ પણ તેમને નમાવી શક્યું ન હતું. યથાસંભવ તેઓ ‘કાકાજીના નામથી ઓળખાતા. ઘણા પત્રકારો તેમની પાસે જતા પરંતુ તેઓ તેમનાથી અળગા રહેતા.
તુર્ખ ને તેઓ બરાબર જાણતા હતા. આ નિત્યક્રમ ૩૦ વર્ષ સુધી ચાલ્યો.
નાયર હોસ્પિટલે તેમની પ્રેરણાથી પોતાની વધારાની જગામાં વ્યવસાય પ્રશિક્ષણ શરૂ કર્યું. સ્વતંત્રતા અને સ્વાવલંબનની તેમની ભાવના અહીં પણ દેખાઈ.
કહેતા કે “એક વ્યક્તિ કામ પર લાગે તો પાંચનાં પેટ ભરાય.”
જેમ જેમ જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ વધારે વહેંચવાની હંમેશાં વૃત્તિ રહી. મુંબઈ હૉસ્પિટલ તેમની પ્રિય સંસ્થા હતી અને ત્યાં લગાતાર યોગદાન અપાતું રહ્યું.
Page #31
--------------------------------------------------------------------------
________________
પોતાના જન્મસ્થળ પાલીમાં કન્યા મહાવિદ્યાલય બનાવ્યું, જેની ત્યાં અત્યંત જરૂર હતી.
પાલીની શાનદાર ગૌશાળામાં મોટો ફાળો આપ્યો. તેમનું અને તેમના નાના ભાઈ પારસમલજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.
તેઓ કહેતા હતા કે, પ્રામાણિકતાથી ખૂબ કમાઓ અને સારા કામમાં ખર્ચો, લોકોના કામમાં આવો. ઉચ્ચ શિક્ષણની ઇચ્છાવાળાને વિશેષ શિક્ષણ આપો.' આ વાત ઉપર વિશેષ ભાર મૂકતા હતા. દાનમાં તેમની ભાવના હંમેશાં સેવાની જ હતી – દાતાની નહીં.
તે કહેતા બોધિ-લાભ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શરીરથી સ્વસ્થ હોવું અનિવાર્ય છે. તે માટે આરોગ્યની પ્રાર્થના બોધિથી પહેલાં કરવામાં આવી છે. ‘આરુષ્ણનો અર્થ-ભાવ આરોગ્ય (સ્વસ્થતા) એવો અર્થ કરવો ન જોઈએ. તે માટે જૈન દૃષ્ટિકોણની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તેમણે સ્વાથ્યને સૌંદર્ય, શૃંગાર અથવા ભોગનું સાધન નહિ, પરંતુ મોક્ષનું જ સાધન બનાવ્યું.
માંદગીને વધવા ન દો – આ તેમનું સૂત્ર હતું.
જે સજાગ અને સ્વસ્થ હોય છે, તેમને થોડો જ ફેરફાર તરત જ ખ્યાલમાં આવી જાય છે અને તે માટે તેમને સહજ ચિંતા થતી હતી. બીજું, જ્યારે કોઈ સમસ્યા નાની હોય ત્યારે તેનું સમાધાન કરવું સરળ હોય છે. આ બીજી વાતમાં ઊંડો અનુભવ અને અત્યંત કૌશલ્ય સમાયેલું છે. | મુંબઈમાં ૪૫ વર્ષ સુધી કોઈ મોટા ઘરમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ તેઓ દિવસમાં કેટલીય વાર ઊંચો દાદરો ચઢી-ઊતરીને પણ પછી મરીનડ્રાઈવ કે હેન્ગીંગ ગાર્ડન ચાલવા જતા. કોઈક વાર ત્યાં સુધી ન જઈ શકાય તો નાના એવા રૂમમાં પણ સેંકડો ચક્કર લગાવતા. ઘણી તન્મયતાથી નિયમિત યોગાસન પણ કરી લેતા હતા.
તેમણે જાણી લીધું હતું કે સ્વાચ્ય, સેવા અને આત્મકલ્યાણ આ ત્રણે એકબીજા પર આધારિત છે.
મારું એવું માનવું છે કે તેમના જેવી વ્યક્તિ સંસારથી મુક્ત થવા માટે જ સંસારમાં આવે છે. તે સમજી જાય છે કે સ્વતંત્ર થવા માટે “સ્વસ્થ” હોવું જરૂરી છે. આવી ઊંડી અને સ્પષ્ટ સમજ કોઈ વિરલને જ હોય છે.
એમણે મને ઘણી વાર ચેતવ્યો હતો કે મોહ ન રાખવો; હું એમની
30
Page #32
--------------------------------------------------------------------------
________________
એ ચેતવણીને પ્રૌઢ થયા પછી જ થોડી થોડી સમજી શક્યો છું.
એમના વ્યવહારનું વિશ્લેષણ કરવાથી કેટલાક સિદ્ધાંતો સમજમાં આવે છે.
અનાવશ્યક ચર્ચા-પ્રપંચ કરવો નહીં. પ્રપંચ કરતાં કરતાં તો ઘટનાઓની સાથે બીજાઓના અભિપ્રાય જોડાઈ જાય છે અને સ્વયં આપણે પણ અભિપ્રાય બાંધવા બનાવવા મંડી પડીએ છીએ, એવું કરવાથી મનમાં વ્યર્થ કષાયો વધે છે અને એમની છાયા સંબંધો ઉપર પડે છે.
એક સૂક્ષ્મ પ્રભાવ પડે છે કે આ સિવાય અભિપ્રાય ઊંડા રાગ-દ્વેષમાં બદલાઈ જાય છે. આનાથી ભરાયેલું મન સરળતાથી નિર્ણયો લઈ શકતું નથી, કાર્ય પણ કરી શકતું નથી.
પોતાના પિતાજીના અકાળ અવસાન પછી પોતાની માતાની વિકટ સ્થિતિ ઘણી દુઃખદાયક હતી. મહિનાઓ સુધી એ ઘરની બહાર નીકળી શકતા નહીં. આવી સ્થિતિમાં એ માત્ર બે સપ્તાહ પછી જ માતુશ્રીને રિવાજોની પરવા કર્યા વગર મુંબઈ લઈ આવ્યા. શોભાસ્પદ વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું.
અચાનક આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં તેઓએ ગભરાયા વગર દીકરીના શ્વશુર પાસે જઈને પોતાની સ્થિતિ બતાવી. શાનદાર જાન બોલાવવાને બદલે એમણે દીકરીને સસરાના શહેરમાં લઈ જઈ ત્યાં લગ્ન કરાવી દીધું. પછી બે દીકરીઓનાં લગ્ન એકીસાથે કરાવી દીધાં. ખર્ચ ભરપૂર કર્યો, પણ નિરર્થક મહેનત ટાળી દીધી. બધાં સ્નેહીજનોમાં એમની સ્નેહભરી ધાક રાખી.
એમનો સંદેશ મોહ મત કરો એ આ સંદર્ભમાં દ્યોતક છે. ભાઈસાહેબનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જવું, વ્યાપારમાં ઘણી ઊથલ-પાથલ થઈ જવી, નાની વયમાં મારાં માતાજીનું નિધન થઈ જવું, જેવી ઘટનાઓમાં એ પોતાની શક્તિ મુજબના પ્રયાસો કરી જોતા અને નિષ્ફળ જાય તો આગળ વધતા.
પોતાની પરિસ્થિતિને કર્મફળ સમજીને સમયના પ્રવાહને એમણે અપનાવી લીધો. કોઈને દોષ ન દીધો, ન કોઈને ઠપકો આપ્યો. જે કરવું પડે એ એમણે કર્યું.
ધન ઉપાર્જન કરવાની બાબતમાં એમની સમજણ સ્પષ્ટ હતી. ગૃહસ્થ પ્રત્યેક સમયે ધન મેળવવાનો ઉત્સાહ સેવવો જોઈએ, પણ એને માટે લાલસા રાખવી જોઈએ નહીં. ખોટા માર્ગો કે ખોટી રીતિઓથી ધન કમાવું જોઈએ
31
Page #33
--------------------------------------------------------------------------
________________
નહીં, ધનનો ખોટો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. જોકે એ ૬૧ વર્ષની ઉંમરે ધન કમાવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તોપણ સંતાનોને થોડી પણ ચિંતામાં જોતાં તો કહેતા કે ગભરાઓ છો કેમ, હું કમાઈશ – ચાલો, મારી સાથે. મુશ્કેલી આવી છે તો શું થઈ ગયું? શૂન્ય થઈ જાઓ તો ફરીથી પાછા ચાલવાનું શરૂ કરવું. ક્યારેય આવી કઠિન સ્થિતિ આવી નહીં, પરંતુ એમને વિવશતા કે દીનતા કદી પસંદ નહોતી. પોતાના મનને તરત જ ઉત્સાહમાં લાવવાનું એ ખૂબ જાણતા હતા.
કહેતા કે વધારે પડતી સંપત્તિ દુઃખનું મૂળ છે, ખૂબ કમાઓ અને શુભ માર્ગે ખર્ચ કરો.”
“સંસારમાં થોડું જ વધારે આનંદ આપે છે. આ સિદ્ધાંત જ એમની જીવનશૈલી દ્વારા અમને શીખવી ગયા.
તેમના જીવનનો સંદેશ કે મૂલ્યાંકન છે : ‘આચરણ અધિક, ઉપદેશચર્ચા ઓછી.”
વિદ્યાવિજયજી મ. સા. પાસેથી શિવપુરીમાં શીખેલી અને અપનાવેલી વિચારધારા
જે થવાનું હશે તે થશે, જે થાય તે સારાને માટે, ઉતાવળ ન કરો
અને ખેદ ન કરો.”
ષાયમુરિત નિમુક્તિવ' – કષાયોથી મુક્તિ જ ભવ-મુક્તિ છે. એ સિવાયની કોઈ બાબત પર લક્ષ્ય રાખવું નિરર્થક છે.
સમયે યમ! | માયણ' મહાવીરે મુખ્ય ઉપદેશ પરમ શિષ્ય ગૌતમને સંબોધીને આપ્યો હતો - હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. જૈન ધર્મનો આ જ સાર છે. સારો માર્ગ જાગૃતિનો છે. જે ક્રિયાઓમાંથી જાગૃતિનું લક્ષ્ય નીકળી ગયું છે તે ક્રિયાઓ માત્ર નિરર્થક જ નહીં, નુકસાન કરવાવાળી છે.
પાંડિત્યપૂર્ણ વાતો સાંભળી અવારનવાર કહેતા. બહુ જ સારું પરંતુ હોંશમાં રહેજો.’
‘મહંમતિ મંત્રોડયમ્' – અહં અને મમ” – મોહના બે મહાશત્રુ છે. આ શત્રુ દરેક સ્થાને છુપાઈને આવે છે, ખાસ તો પંડિતાઈમાં વિશેષ રૂપથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
અમને ખિન્ન અને મૂંઝાયેલી સ્થિતિમાં જોતા ત્યારે કહેતા, “શાંત રહો, જે થઈ રહ્યું છે તે જુઓ. સ્વયંને જુઓ. મનને ભારે થવા ન દેશો’
વર્ષોથી વિપશ્યના ધ્યાન કરતાં કરતાં આ જ સમજાયું કે મનનો ભાર શરીર પર અભિવ્યક્ત થાય છે અને જો સાધક તેને તરત સમજી લે તો તે કષાયોમાં ફસાતો નથી અને નીકળવા માંડે છે.
| ‘પરસ્પૃહી મા:વું નિસ્પૃહત્વે મહાસુરઉં’ - “બીજાની અથવા બીજા દ્વારા અપેક્ષા મહાદુઃખ છે અને તેનાથી મુક્તિ મહાસુખ છે.” “જ્ઞાનસારના આ ઉપદેશનું પુનરાવર્તન કરતા રહેતા હતા
જીવનમાં આર્થિક દૃષ્ટિએ કેટલાક પડતીના પ્રસંગો પણ આવ્યા. એ સમયમાં જે લોકોથી ઘોર નિરાશા પ્રાપ્ત થઈ તેમના પ્રત્યે મનમાં કોઈ કટુતા આવવા ન દીધી. તેમની સાથે આજીવન સ્નેહસંબંધો બનાવી રાખ્યા. અમને સંસાર સ્વરૂપ સમજાવવા માટે આ એક ઘટના વિશે કહેતાઃ અમુક વ્યક્તિને તૈયાર કરી તેનું લગ્ન કરાવ્યું. તે સમયે તે કહેતો, “મારી ચામડીના જૂતાં બનાવીને પહેરાવું તો પણ આપના ઉપકારનો બદલો વાળી શકીશ નહીં.' એ જ વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં કહ્યું કે, જાવ, જાવ, તમને આપવા. માટે મારી પાસે કશું નથી. મને નહીં પણ આપની પત્ની અને બાળકોને પ્રેમ કરો.” આવા પ્રસંગો વર્ણવી કહેતા કે બુદ્ધિ કર્માધીન છે.”
પૂજ્ય માતાજીને નાની ઉંમરે કેન્સર થયું હતું. તેમના જેવી વિદુષી, ધર્મપરાયણ, તપસ્વી, કર્મઠ અને સમર્પિત સંગિની તો અનેક જન્મોમાં પણ ન મળે. ઘણા ઉપચાર કરાવ્યા પરંતુ નિદાન ઘણું મોડું થયું. તેમણે ઘણી સેવા કરી, એક વર્ષ બધું છોડી રાતદિવસ તેમની પાસે રહ્યા. એક દિવસ સંધ્યા-પ્રાર્થના કરતી વખતે તેમને આભાસ થયો કે અંતિમ દિવસ આવી ગયો છે. અમને કહ્યું, “ત્રણ કલાક અથવા ત્રણ દિવસ એટલો જ સમય બાકી છે.” એક કલાકમાં જ માતાજીની સ્થિતિ બહુ જ ખરાબ થઈ. બાપુજી સંપૂર્ણ સજાગ થઈ ગયા અને સંગિનીના સમાધિમરણની યોજના તૈયાર કરી લીધી. તેમણે માતાજીને કહેવાનું શરૂ કર્યું: ‘તમારો અંતિમ સમય આવી ગયો. છે. તમને ભૂમિ ઉપર સુવાડી રહ્યા છીએ.” ઘોર અને અસહ્ય વેદનામાં પણ તેમનો સંદેશો માતાજીના મનમાં વીજળીની જેમ વ્યાપી ગયો, તેઓ પૂરેપૂરાં જાગી ગયાં. પૂજ્ય બાપુજી આગળ બોલ્યા, “સંસારમાંથી મન ઉઠાવી લો.
Page #35
--------------------------------------------------------------------------
________________
બધાંની ક્ષમાપના કરી લો. અને પોતાના આત્મામાં ધ્યાન લગાવી દો. કોઈ આખરી ઇચ્છા હોય તો કહો.' ત્રણ પુત્રીઓ (ત્રણે પુત્રો કરતાં મોટી) અને ત્રણ પુત્રો (ત્રણે ઉંમરમાં નાના જ હતા. મોટો ૧૬ વર્ષનો અને સૌથી નાનો ૧૧ વર્ષનો)નો પરિવાર હતો. પરંતુ તેઓ એવા આત્મલીન થયાં કે બધું જ ભૂલી ગયાં. વિચારીને ધીમા સ્વરે બોલ્યાં, “મારા ગળાની કંઠી મોટી પુત્રીને આપી દેજો.’ હાથ જોડીને પાસે ઊભેલા બધા જ પરિવારજનોની ક્ષમાયાચના કરી અને પછી શાંત થઈ ગયાં અને શાંતિમુદ્રામાં જ સંસાર છોડી દીધો.
૩૧ વર્ષોનો સાથ, બાળકો, પોતાની ઉંમર ૫૫૧ વર્ષ. એક વર્ષથી દિવસ-રાત જેની સેવામાં હતા તેની પત્ની ચાલી ગઈ. તેઓ હિમાલય જેવા બની ગયા – કંઠમાંથી એક શબ્દ નહીં, આંખોમાં આંસુ નહીં. ઘરમાં કેટલાય સભ્યો ઉપસ્થિત હતા. નાનાં-મોટાં બધાં અસ્વસ્થ થયાં, પરંતુ તેના અભાવનું દુઃખ જણાવા દીધું નથી. બાળકોની સફળતા અને સંપન્નતા જોઈને એક-બે વાર કહ્યું હશે કે, તે કેવળ તંગી જોઈને ચાલી ગઈ. સુખ જોઈ શકી નહીં.”
તેઓ આવી વિપરીત સ્થિતિમાં આટલા અચલ કેવી રીતે રહ્યા? મૃત્યુને કદાચ ઊંડાણથી જાણતા હતા. આથી કેવળ પત્નીનું જ નહીં પરંતુ કોઈ પણ મૃત્યુ તેમને હલાવી શક્યું નથી.
સને ૧૯૬૫માં પત્નીનો વિયોગ થયો. ૨૦૦૧ સુધી કોઈ અકાળ અકારણ ઘટના બની નહિ. પાછો ભૂકંપ આવ્યો. પૌત્રી શુભાના લગ્નના માત્ર સાત દિવસ પહેલાં સૌથી મોટો પુત્ર માણેક, જે તેમના હૃદયનો માણેક હતો, દવાઓની મિશ્ર પ્રતિક્રિયાથી ગંભીર રીતે બીમાર થઈ ગયો. તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં હતો ત્યારે જેમ તેમ કરી પૌત્રીનાં લગ્ન પતાવ્યાં.
૫ ફેબ્રુઆરી, ૨૦૦૧, સવારે ૮-૩૦ વાગે હું ઘેર આવ્યો. તેઓ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતા. થોડીવારમાં નિત્યક્રમ પરવારીને આવ્યા. મેં કહ્યું બેસી જાવ.” “બોલ બેટા. મેં કહ્યું, “ભાઈસાહેબ હવે રહ્યા નથી.” તેમનો ચહેરો ગંભીર બની ગયો. શરીર સ્તબ્ધ થઈ ગયું. સ્થિતિ વિકટ થવા લાગી. પછી અચાનક બોલ્યા, “મને એક મિનિટ આપ.” આંખો બંધ થઈ ગઈ ને જાણે ક્યાંક ખોવાઈ ગયા. ૧૫-૨૦ સેકન્ડ બાદ ફરી સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, જે થાય છે તે સારા માટે પર વર્ષનો યુવાન દીકરો અકસ્માત અકારણ મૃત્યુ પામ્યો. એવો પુત્ર જેણે ૧૬ વર્ષની
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉંમરે ઘરમાં માતાનું સ્થાન સંભાળ્યું હતું. પોતાના ગાઢ પ્રેમથી, સાહસ અને સમજથી પોતાના પરિવાર અને અગણિત લોકોને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને રસ્તો બતાવ્યો. માણેક ભાઈસાહેબે ભેંશાલી પરિવારમાં સંસ્કાર, સમૃદ્ધિ અને વિકાસ ત્રણેના પાયા નાંખ્યા હતા અને તેના યશમાં ચાર ચાંદ લગાડ્યા હતા. માણેક પિતાના તો શ્રવણ જ હતા. જીવનમાં માણેક દ્વારા જેટલું સુખ અને સન્માન મળ્યું હતું તેટલું કોઈનાથી મળ્યું ન હતું. એવો પુત્ર અચાનક ચાલ્યો જાય અને તેઓ કહે, જે થાય છે તે સારા માટે.' સંસારી માટે આ માનવું કે જાણવું અત્યંત અઘરું છે. ફરી પાછી તે જ અટલતા, એક શબ્દ નહીં, એક આંસુ નહીં, જીવન પૂર્વવત્.
દરેક વખતે તે મૃત્યુને અંગૂઠો દેખાડતા. દરેક પરિસ્થિતિમાં તેઓ કાંઈક ને કાંઈક સારું જ જોતા હતા. પુત્રીઓ ગઈ તો કહ્યું, જુઓ દુઃખ જોયું નહીં અને સધવા તરીકે જઈ રહી છે.' પુત્રી પછી જમાઈ ગયા તો પણ તે જ પત્નીના વિયોગનું દુઃખ જોયું નહીં.” વગેરે.
ડિસેમ્બર, ૨૦૦૫માં જી. ટી. હૉસ્પિટલની એક સીડી જે તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ન હતા, તેના ઉપ૨થી તેઓ પડી ગયા. ઊતરતી વખતે વિચારતા હતા કે, આનું હું સમારકામ કરાવીશ,' પોતે જ પડી ગયા. નાની વહુ મીનુ વર્ષોથી એમના સેવાકાર્યમાં જોડાઈ ગઈ હતી. આજે પણ એણે એ ક્રમ જાળવી રાખ્યો છે. તેનો ફોન આવ્યો. સમાચાર મળતાં જ હું દોડ્યો, તેઓ અધિક્ષકના ઓરડામાં બેઠા હતા, મેં ગભરાઈને પૂછ્યું, ‘શું થયું બાપુજી? સાંભળ્યું છે કે હાડકું ભાંગ્યું છે?” તેમણે કહ્યું, બહુ સારું થયું. છેલ્લા પગથિયેથી પડ્યો, છેક ઉ૫૨થી પડ્યો હોત તો?” હાથમાં કાચો પાટો હતો અને ચહેરા પર હાસ્ય. જીવન માટે પ્રેમ હતો, પરંતુ કાયાની આસક્તિ નહોતી.
પ્રત્યેક શ્વાસ ઋણરૂપ માનતા હોય એવી રીતે એઓ જીવન જીવ્યા. હું કઈ રીતે દરેક ક્ષણે સ્વસ્થ રહું જેથી મારું જીવન અન્યને ઉપયોગી થાય અને જીવન પ્રસન્ન રહે.’ દુઃખી દેખ કરુણા જગે સુખી દેખ મન મોદ’ દુઃખીને જોઈને મનમાં કરુણા જાગે, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. ઉચ્ચતમ બ્રહ્મવિહારી અધ્યાત્મભાવ તેમણે નિભાવ્યો.
આ જીવન એમનો યશ હતો. તેન ત્યક્તેન ભૂંનીયા:' અર્થાત્
35
Page #37
--------------------------------------------------------------------------
________________
ત્યાગીને ભોગવી જાણો એવા ઉપનિષદનું તેઓએ અક્ષરશઃ પાલન કર્યું હતું. તેમણે આ જીવનસત્યને સમજી લીધું હતું. એની પ્રમુખ પ્રતીતિ એ એમનો બિનસાંપ્રદાયિક સ્વભાવ હતો. બીજું સંસારમાં ખાસ તો મનુષ્યજન્મ મળવાથી દરેક પરિસ્થિતિમાં સુખી રહેવાની સહજ વૃત્તિ.
ઈશ્વરનું દરેક માન્ય સ્વરૂપ તેમને માટે વંદનીય હતું. ઘ૨માં વિભિન્ન દેવી દેવતાનાં અનેક ચિત્રો, શૉ-પીસ, કૅલેન્ડર વગેરે હોય જ. દરરોજ તેઓ કૃષ્ણ, શંકર, દત્તાત્રેય બધાની સમક્ષ એટલી જ શ્રદ્ધાથી ધૂપ દીપ કરતા, જેટલી શ્રદ્ધાથી તેઓ મહાવીરસ્વામીની સમક્ષ કરતા. તેમનો ભગવાન આખરે કોણ હતો?
તેમના માટે ઈશ્વર, એ તત્ત્વ હતું, જે સંસારના મોહ અને અસ્થિર સ્વભાવના જીવોમાં જાગૃતિ લાવવાની પ્રેરણા આપતું હતું, સહાયતા કરતું હતું. અથવા કહો કો જાગૃતિ અને કરુણાનું પ્રતીક હતું. લાખો કરોડો નવકાર જપવા છતાં તેમના મનમાં પોતે જૈન પરિવારના છે એવો ભાવ ન હતો. આ મહામંત્રના મુક્ત આત્માઓ અને સાધુજનોના ગુણોના શરણે જવું એ સર્વ મંગળ સાધવાની યુક્તિ છે, આ જ વાત ઉપર તેમનું લક્ષ્ય હતું. નવકા૨ મંત્રમાં પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણોનું રટણ તેમના મનમાં સતત ચાલ્યા કરતું. આ જ કારણ હતું કે સર્વ તપ કે નિયમો પાળવા છતાં જરા પણ આળસ કે રૂઢિના પટ ચઢવા દેતા ન હતા. દરેક ક્ષણે જાગૃત, પ્રતિક્ષણ સચેત.
માનવ જીવનનો પૂરેપૂરો લાભ લેવા માટે જ તેમણે ગીતાના તમામ યોગો એકસાથે અપનાવ્યા હતા કર્મઠતા, ભક્તિ, જ્ઞાનધ્યાન અને કર્મસંન્યાસ. તેમની વ્યાપક દૃષ્ટિના બે બીજાં ઉદાહરણો ઃ તેમની એક યોજના જે પૂ. વિજ્યધર્મસૂરિજી સ્થાપિત યશોવિજય સંસ્કૃત પાઠશાળા'થી પ્રેરિત હતી, તે હતી જૈન પંડિતો તૈયા૨ ક૨વાની. પરંતુ તેઓ સાથે સાથે એમ પણ કહેતા કે આ યોજના અંતર્ગત ૨૫ હિન્દુ પંડિત તથા ૨૫ મુસ્લિમ અને ખ્રિસ્તી પંડિતોને પણ તૈયાર કરો અને તેમના યોગક્ષેમનો ખર્ચ ઉપાડો. તે સમજતા હતા કે સર્વ પરંપરાઓમાં રૂઢિ અને વ્યક્તિપૂજા વધી રહી છે, તત્ત્વ અને સત્ત્વનું જ્ઞાન ઘટી રહ્યું છે. આટલા માટે જ જાણકારોને તૈયાર કર્યા સિવાય જાણકારીનો વધારો થઈ શકે નહીં.
-
કષાયમુક્તિ જ એમનો ધર્મ હતો, સ્વધર્મ હતો અને તેનું શરણ તેમણે અપનાવ્યું હતું. ભક્તિ, તપ, વાંચન, ચિંતન, ધ્યાન, સેવા વગેરે કરતાં તેમણે
36
Page #38
--------------------------------------------------------------------------
________________
આત્માના પ્રત્યેક ગુણને અનુભવમાં ઉતાર્યા હતા. જીવન એક પ્રયોગ બની ગયું હતું. કેવી રીતે પોતાના આત્માને સતત પ્રયત્નથી પરમાત્મારૂપ બનાવી શકાય, અથવા જિનેશ્વર, ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરીએ જેથી આત્મા પવિત્ર બને.
એક ઉદાહરણ : નાનપણથી જ ચૌદશનો ઉપવાસ રાખતા હતા. કેન્સરની બીમારીમાં પણ તેમણે તે ચાલુ રાખ્યો હતો. થોડાંક વર્ષો પહેલાં તેઓ પોતાની પુત્રી પુષ્પાને ત્યાં અમેરિકા ગયા હતા. તેણે કહ્યું કે, “મારા ઘરે ખાવાનું બંધ ન કરશો, આ ચૌદશે ઉપવાસ ન રાખશો. મારે ત્યાં વળી પાછા તમે ક્યારે આવશો?” તેમણે તરત જ વાત માની લીધી. મુંબઈ પાછા આવીને તેના બદલામાં અનુકૂળતા મુજબ ત્રણ દિવસના ઉપવાસ કરી લીધા.
અધ્યાત્મનો અર્થ જ, આત્માની સમીપ’, ‘આત્મા પ્રેરિત થાય છે. જ્યારે મિથ્યાત્વ સહજ રીતે છૂટી જાય છે, ત્યારે દરેક કાર્ય કરતી વખતે સાધક સમતા અને આત્મામાં જ દૃષ્ટિ રાખે છે. તેનું જીવન આ જ દર્શાવે છે. પૂ. આનંદઘનજી મ.ના બે પદ તેમની દૃષ્ટિ માટે યોગ્ય રીતે લાગુ પડે છે :
ચારો ચરન કે વાસતે ગૌઆ વનમેં જાય, ચારો ચરે ચૌદિશી ફિરે, પન બાકી નજર બિરિયા માંય, ચારપાંચ સહેલિયાં મિલ, પાની હિલહિલ જાય,
તાલી દીયે, ખડખડ હસે, બાકી નજર ગગરિયા માંય. અર્થાત જેવી રીતે ગાય ચારે દિશામાં ચારો ચરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન તો વાછરડામાં જ હોય છે, જેમ ચાર-પાંચ બહેનપણીઓ પાણી ભરવા જાય, તાલી દે, ખડખડ હસે પરંતુ તેમનું ધ્યાન તો તેમની ગાગર ઉપર જ હોય છે, તેવી જ રીતે જ્ઞાનીની દૃષ્ટિ સંસારના તમામ કામ કરતાં, છતાં આત્મા પર જ રહે છે.
સંસારની સર્વ જવાબદારી અદા કરતાં, ખેલકૂદ ખાન-પાન, વેપારવ્યવહાર બધામાં રસ લેવા છતાં, તેમની દૃષ્ટિ પોતાના ઉજ્જવળ આત્મા પર મંડાયેલી રહેતી હતી. દરેક કાર્ય દ્વારા જાણે કે તેને અધિક ઉજ્વળ બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. આવા વિરલા અનેક જન્મોમાં પણ દુર્લભ, વિશ્વવંદ્ય પૂજ્ય બાપુજીને અમારા સૌનાં કોટિ કોટિ વંદન.
37
Page #39
--------------------------------------------------------------------------
________________
આવા તપોનિધિ, ૫૨મ જ્ઞાની, ઈશ્વરભક્ત, સેવારત્ન, સંસારસાગરના ચતુર નાવિક, અનુપમ આત્મયોગી અને મૃત્યુંજય ઋષિતુલ્ય સુશ્રાવક રૂપચંદજીને નમન કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામાનવનું જીવન આપણને સર્વદા પ્રેરણા અને પથદર્શક રૂપ બની રહો.
એમના પુત્રો વલ્લભભાઈ અને મંગળભાઈ તેમજ પરિવારે ૨૦, ૨૧ અને ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું યજમાનપદ સ્વીકારી - શોભાવીને જ્ઞાનાંજલિ દ્વારા પિતા-ભ્રાતાને શ્રદ્ધાંજલિ અર્પી છે એમાં આપણે પણ આપણા આત્મભાવની એક પાંખડી ઉમેરીએ અને કવિ ન્હાનાલાલના પિતૃતર્પણ’ કાવ્યની કેટલીક પંક્તિઓને સ્મરીએ :
“છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય. શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શા, તે જ વાઘા સજી જાણે, ફરિશ્તો કો મનુષ્યમાં. સહવારે સાંજરે જેવો, તપે ભાનુ દિને દિને, શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને. નિત્ય જીવનમાં મહાયોગી, તત્ત્વચિંતક ચિંતકો, ચતુર હતા સંસારે, તપોવને તપસ્વી મહીં. શું શું સંભારું? ને શી શી પૂજું પૂણ્યવિભૂતિએ પૂણ્યાત્માનાં ઊંડાણો તો, આભ જેવાં અગાધ છે.”
વિશ્વના સમગ્ર માતા-પિતાને આપણા વંદન હજો. સૌજન્યઃ પ્રબુદ્ધ જીવન' તા. ૨૬ ૧-૧૪
38
• ધનવંત શાહ
drdtshah@hotmail.com મો. 9820002341
Page #40
--------------------------------------------------------------------------
________________
माणक सा. मेरी अनुभूति
आदरणीय श्री माणकजी रूपचंदजी भंशाली के जीवनवृत, पर लेखन की जवाबदारी श्री धनवंतभाई ने मुझे दी है। यह मेरा परम सौभाग्य है कि मैं आज तो कुछ भी लिख रहा हूँ यह सब उन्ही के आशीर्वाद का प्रतिफल है।
आदरणीय श्री माणकजी भंशाली का जन्म दि. ०५ / दिसम्बर / १९४८ को मुम्बई में श्री रूपचंदजी भंशाली के परिवार में हुआ। परिवार के प्रथम पुत्र यथा नाम तथा गुण उनका नाम 'माणक' रखा गया। ऐसे नाम को चरितार्थ करने वाले माणकजी का जन्म सुसंस्कारी परिवार में हुआ ।
श्री माणक सा. जन्म से हि कुशाग्र बुद्धि के थे । असल में तो वे बुद्धि और भावना दोनों से समर्थ थे इस प्रकार का सामंजस्य विरल लोगों में ही देखा जाता है । विलक्षण बुद्धि से वह देख पाते जो और नहीं देख सकते थे। भावना से, प्रेम और साहस से वह कर पाते जो और कोई नहीं । जीवन भर की घटनाएँ इसी अद्भुत गुण - मिश्रण को दर्शाती हैं। आपकी धार्मिक कार्यों में विशेष रुचि थी। विरासत में मिले माता-पिता के संस्कार उनमें पुरी तरह से समाऐ हुए थे। वे पिता के परम भक्त थे । पिताश्री का कोई भी आदेश उनके लिये शिरोधार्य व पथ्थर की लकीर था । पढाई में बहुत होशियार थे, युं तो वे ३ बडी बहन से छोटे थे व दो छोटे भाईयों से बडे परन्तु उनका सभी के साथ अटुट स्नेह था । मुझे याद है कि घर में जब सभी के लिये वे कपडे लाते थे तो उन्हे हॉल में रख देते थे और सभी से कहते थे कि सब अपनी-अपनी पसन्द के ले लो फिर आखिरी मे जो बचा रहता था वो स्वयं अपने लिये रखते थे । वे पुरे परिवार की स्नेह की धुरी थे । उनका प्रिय वाक्य था 'जो देने में मजा आता है वो लेने में नहीं' सदा दुसरों के कार्यो में साथ देने के लिये तत्पर, उदारता उनका सबसे प्रिय शौक था । "
-
बहुत ही अल्प आयु में आपने व्यापार शुरु किया । पहले कपडे का व्यापार मूलजी जेठा मार्केट से करते थे उनके भागीदार एक सिंधी भाई गोप सेठ थे। फर्म का नाम था 'आदि टेक्सटाईल्स' । आप अपने व्यवसाय में इतनी प्रामाणिकता से कार्य करते थे कि वर्ष के अंत में जब हिसाब मिलाते और अगर मुनाफा ज्यादा होता तो सभी खरीददार व्यापारियों को वापस
39
Page #41
--------------------------------------------------------------------------
________________
अपने मुनाफे मे से हिस्सा बिना मांगे दे देते थे। इस प्रकार आपने पुरे कपडे मार्केट में छोटी सी उम्र में अपनी विशिष्ठ साख स्थापित की। ___माणक सा. व्यापार में दिव्य द्रष्टा थे। कई वर्ष तक वे कपडे के व्यवसाय में रत थे लेकिन उन्हे कपडे के व्यापार में उधारी का चलन कतई पसन्द नहीं था इसलिये वे दुसरे मौको की तलाश में रहते थे। १९७० से शेयर मार्केट में रस रखने लगे थे। जब १९८३ में उन्हे पता चला कि मनुभाई माणकलाल जो कि मार्केट के दादा कहलाते थे, वो उभरती उम्र के नेमिष शाह के साथ मिलकर ENAM FINANCE नाम की कम्पनी खोलने जा रहे थे, तब उन्होने अपने प्रिय छोटे भाई वल्लभ के लिये तुरंत प्रस्ताव रखा कि वह भी जुड जाये। कुछ वक्त बाद शेयर मार्केट में ENAM के पाँव जमने लगे तो वे भी ENAM के बुलंदियों में पहुँचाने और पूरी तरह से शेयर मार्केट में जुट गए। इस तरह उन्होने कपडे के व्यापार से निजात पायी। यह उनकी कुशाग्रता ही थी कि उन्होने थोडे वक्त के बाद यह अनुभव किया कि भागीदारी उसी रूप में चलने वाली नहीं थी - यद्यपि उपर से
अत्यंत सफल दिखती थी। उनके आग्रह पर नेमिष ने उससे परिवर्तन कुबूल किया। इस परिवर्तन के कारण भागीदारी आज भी कायम है। यह ज्ञातव्य है कि ENAM के नए आदर्शो, नई प्रमाणिकता के साथ उच्चतम मापदण्ड पर एक नया स्थान हाँसिल किया, जिसकी आज तक देश मे मिसाल दी जाती है। उन्होने शेयर बाजार में रह कर भी कभी कोई Hotel या जिसके उत्पाद में Non-Veg का उपयोग हो या शराब इत्यादि का उपयोग हो में कभी निवेश नहीं किया न हि वे किसी को उस बारे में सलाह देते थे।
साधारणतया मार्केट में व्यापारी अपने सौदे या रुख को गुप्त रखते हैं। यह आवश्यक भी है क्योंकि 'जो जल्दी करे, इसीकी चाँदी हो' ऐसा यह मार्केट है। लेकिन माणेक सा. बडे उदार मन से लोगों को अपनी राय देते थे, अपना नुकसान कर के भी लोगों को बचाते थे। या नफा कराकर प्रसन्न होते थे। यद्यपि, वे तकनीकी रूप से (जैसे सी.ए. इत्यादि) शिक्षित नहीं थे, फिर भी अपनी सूझ-बूझ के कारण मार्केट में बडे-से-बड़े व्यापारियों का भी भरपूर सम्मान पाते थे।
शेयर मार्केट की Arbitration कमिटी में उन्होने महत्त्वपूर्ण काम किया
Page #42
--------------------------------------------------------------------------
________________
और कई पेचीदा विवाद सुलझाए । साधारणतया, Arbitrator का पद धन्यवाद हीन होता है, परन्तु उन्होने चौतरफ का यश पाया। वह उनकी लोकप्रियता ही थी, जिस कारण एक उम्मीदवार को उन्होने, अनपेक्षित रूप से मार्केट का प्रेसिडन्ट बनवा दिया था।
श्री माणक सा. व्यक्तिगत जीवन में बहुत धार्मिक स्वभाव के थे। रोज ध्यान, नव स्मरण, माला, पाठ इत्यादि करना, अष्ठमी, चतुर्दशी का उपवास करना कभी भी नहीं छोड़ते थे। अपने सिद्धांतो से वे कभी भी समझौता नहीं करते थे। वे हॉलाकि शेयर बाजार में व्यापार करते थे जो शुरु होता था उस समय पर १० बजे और वे ऑफिस जाते थे १२.३० बजे तब तक कभी भी ऑफिस फोन नहीं करते थे न ही उतार-चढाव के भाव लेते थे। वे सदा कहते थे कि सेठ वो ही होता है जो अपनी मर्जी से कार्य करे। समय उसी के हिसाब से चलेगा, वह समय के हिसाब से नहीं। ___ माणक सा. हमेशा सम्बन्धों में प्रेम का निर्माण करते थे। वे परिवार, व्यापार, रिश्तेदार, बिल्डिंग, सोसायटी के हर व्यक्ति से प्रेम करते थे। हर व्यक्ति उनको अपने दिल की बात कहता था ये उनका प्रेम ही था कि सामने वाला सहज होकर अपने दिल की बात उनसे करता था। हमेशा सबसे प्रेम करना, इतने बड़े आदमी होकर भी सहज व्यवहार करना व हर एक के साथ प्रेम से रहना, स्नेह देना उनके स्वभाव का अंतरंग हिस्सा था जो मैंने देखा है।
वे परिवार मे संस्कार के पोषक थे। उनका आग्रह रहता था कि हमें सबके साथ कैसे रहना, कैसे बडो को आदर देना, नित्य प्रणाम करना, इत्यादि उन्ही ने सभी को सिखाया। बडो का आदर, छोटो को अपार स्नेह यह उनके इस विशिष्ठ स्वभाव के कारण, वे पूरे परिवार, सभी रिश्तेदार के सबसे प्रिय पात्र थे। सबके हृदय में बसे हुए थे। कोई भी तकलीफ हो तो माणक सा. को कह दो उसका समाधान उनके पास था। हमेशा सबको साथ लेकर चलने का आग्रह था। कभी भी कोई कार्य अकेले करने का निर्णय नहीं लिया, परिवार के आदर्श, पितृ भक्त थे। स्वास्थ्य के प्रति सजग थे। खान पान मे बहुत ध्यान रखते थे। जीवनभर प्याज लहसन एवं चाय का उपयोग नहीं किया। हमेशा सबसे स्वास्थ्य के प्रति सजग रहने का बोध कराते थे।
एक घटना जिससे मुझे जीवन मे एक बड़ी शिक्षा मिली, का उल्लेख
41
Page #43
--------------------------------------------------------------------------
________________
करना चाहता हूँ कि वर्ष १९९२ में माणक सा. रतलाम आए। मैं उनके साथ स्टेशन गया। छोटा शहर है अच्छी जान पहचान है अत: मेने रौब डालने के लिये कहा फुफासा प्लेटफॉर्म टिकट लेने की कोई जरुरत नहीं है यहाँ सभी मुझे जानते है जब की उस वक्त प्लेटफॉर्म टिकट ५० पैसै का आता था उन्होने कुछ नहीं कहा। बस कहा प्लेटफॉर्म टिकट खरीदो। फिर घर आकर समझाया कि हम ५० पैसै की चोरी कर रहे है और उफर से रौब गाँठ रहे है और इसे अपनी होशियारी समझ रहे है। यह चोरी है ऐसा कभी मत करना, उनकी वह बात मेरे जीवन का एक टर्निंग पाईन्ट था। उनकी छोटी सी बात ने इतना बड़ा संदेश दिया कि आज भी जब भी कहीं पार्किंग, प्लेटफॉर्म इत्यादि का शुल्क चुकाता हुँ तो अचानक उनकी याद आ जाती है। चरित्र निर्माण में उनकी इसी तरह की छोटी छोटी सी बातो ने मेरा जीवन का तरीका ही बदल दिया।
माणक सा. का अल्पायु (५२ वर्ष में) ०५/फरवरी/२००१ में निधन हो गया। जब उनका निधन हुआ उसके पूर्व उन्हे १३ दिन तक बॉम्बे हॉस्पीटल में इलाज के लिये भर्ती रखा गया था तब वहाँ पर प्रतिदिन मुंबई जैसे शहर में जहाँ किसी के पास किसी के लिये समय नहीं है उनके लिये रोज शाम एवं सुबह मिलने को करीबन २०० आदमी नीचे बैठे रहते थे। हम उन्हे समझाते थे फिर भी लोग घर नहीं जाते थे। वहीं बैठे रहते थे। पहले मैं यह समझता था कि माणक सा. सिर्फ मेरे है व मैं ही उनके सबसे करीब हूँ और उनकी जिन्दगी में भी ऐसा ही है, परन्तु मेरा यह भी भर्म टुट गया जब उनके निधन के पश्चात् सेकडो लोगो से मैं मिला जो यही कह रहे थे कि वो तो सिर्फ उनके थे। उनके सबके जीवन मे सबसे प्रिय, सबसे नजदीकी व्यक्ति अगर कोई था तो वे श्री माणक सा. थे।
यद्यपि माणक सा. आज वो हमारे बीच नहीं है परन्तु उनके बताए मार्ग पर हम सभी उनकी यादों के सहारे आगे बढ़ रहे है। ये सभी यादें चिरस्मरणीय रह कर पग-पग पर हमारा मार्गदर्शन करती रहेगी। उनकी धर्मपत्नी लता जी मेरी भुआ है। धर्म के मार्ग पर बहुत आगे बढ गई, उदारता उनके रोम-रोम में बसी हुई है। उनका पुत्र आकाश सच मे यथा नाम तथा गुण आकाश की तरह पुरे परिवार को साथ लेकर आगे बढ रहा
42
Page #44
--------------------------------------------------------------------------
________________
है। उनके छोटे भाई श्रीवल्लभजी भंशाली का नाम पूरे देश में प्रामाणिक, देश हितचिंतक के रुप में जाना जाता है। निवेश बाजार में उनके विचारो को अलग रूप से देखा जाता है एवं श्री मंगलजी भंशाली समर्पित भाव से मानव सेवा के कार्य में लगातार आगे बढ़ रहे है, परिवार के धार्मिक एवं मानव सेवा के कार्य में लगे हुए है। यह श्री माणक सा. द्वारा दिए गए संस्कार ही है कि हम अपने परिवारो को आज साथ लेकर चल रहे है। हर कार्य मैं करता हुं और सोचता हूँ कि अगर आज माणक सा. होते तो मैं कैसै करता या उनका क्या आदेश होता उसी तरह मैं उस कार्य को करने की कोशिश करता हूँ।
मैं सदैव ऋणी हुँ, रहुंगा आदरणीय माणक सा. का व भंशाली परिवार का... प्रणाम। अंत में चार पंक्तियों के साथ कलम को विराम,
मीठी मधुर स्मृतियां आपकी, कभी नहीं मिट पाएगी। आपका व्यवहार, आपकी बात सदैव हमें याद आएगी। आपका विरल व्यक्तित्व प्रेरित सदा करते रहेगा।
आपका आत्मविश्वास, हममें होलाला भरता रहेगा। मेरी अनुभूति के साथ विनम्र हृदय से माणक सा. को भावांजलि। रतलाम
मुकेश जैन ०८.०१.२०१४
Page #45
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
શ્રુતપૂજા પ્રકાશકીય સંપાદકીય.... સમારોહ લેખ-સંચય વિશેષ... એક પ્રેરણાત્મક જીવન – શ્રી રૂપચંદજી ભંસાલી....... ૨૩ માપ સા. કેરી અનુભૂતિ
.......૩૯
સાહિત્યસર્જન • પંડિત વીરવિજયજી..
ફેલ્યુની ઝવેરી • વિવર્ય શ્રી હનરાયનવૃત રેવાવન'.
रुपाली बाफना - પ.પૂ, ચિદાનંદજી મ.સા...........
સુવર્ષા જૈન • શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન..........
કોકિલા શાહ • કવાર્યશ્રી વિનવપરિ વ્યક્તિત્વઋવિઝાચ.
महेन्द्रकुमार मस्त
...
........
Page #46
--------------------------------------------------------------------------
________________
..૧૦૪
૧૨૮
• પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીઃ સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો.
..........................૮૮ ધનવંત 2. શાહ • કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન .૯૭
મધુ બરવાળિયા • કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ
કીર્તિ એન. શાહ • ધૂમકેતુ કૃત હેમચંદ્રાચાર્ય.... ......... ...... ૧૧૬
મીના ધારશી • શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ગુજરાતનો જય..............
હીના શાહ • જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતા મુનિશ્રી સંતબાલજી....૧૪૦
ગુણવંત બરવાળિયા • સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી.... .............૧૪૮
પારુલ ગાંધી • સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ... .............
પ્રવીણ શાહ • જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું..........
રેખા વોરા • आचार्य श्री तुलसी के साहित्यिक अवदान..
विजयालक्ष्मी मुंशी • સાહિત્યકાર શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ. ...... ....૨૦૧
કિરીટ જે. શાહ • પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ ... ૨૦૯
રશ્મિ ઝવેરી • સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ ....
છાયા શાહ
૧૬૮
૧૭૭
૧૯૩
૨૨૬
45
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૩૭
૨૪૮
• પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ..
જાદવજી વોરા • પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ પ્રિયદર્શન)..
ચંદ્રિકા શાહ • સાહિત્ય-સાક્ષી : પૂ. જ્ઞાનની માતાની.
महेन्द्र गांधी
... ર૬૧
૨૮૩
૨૮૫
૩૦૭
૩૧૩
ચરિત્રલેખન • मुनिराज श्री बुद्धिविजयजी(बूटेरायाजी महाराज..
महेन्द्रकुमार मस्त • ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી
હર્ષદ શાહ મુનિ શ્રી હંસવિજયજી મહારાજ................
રક્ષા ઉપાધ્યાય • શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી.
હિંમતલાલ ગાંધી • સંવેગી-વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા...............
કાનજી જે. મહેશ્વરી • જ્ઞાનતપસ્વી, ઉદારચેતા પૂ. ન્યાયવિજયજી મહારાજ.
કૈલાસ શાહ • આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ ...
જશવંતલાલ શાહ • શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા...
રુચિ મોદી ૦ આચાર્ય રજનીશ – ઓશો.....................
પ્રીતિ એન શાહ
.... ૩૩૫
૩૫૨
હO
. ૩૮૮
46
Page #48
--------------------------------------------------------------------------
________________
૪ON
...૪૨૮
............. જર
૪૫૪
.૪૬૫
સંશોધનકાર્ય • श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की
ज्ञान अवं तपः साधना...
विजयलक्ष्मी पोरवाल • સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મૌક્તિક
ચેતન શાહ • દાર્શનિક વિદ્યાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી.
હિંમતભાઈ કોઠારી • વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી ...
ખીમજી મણસી છાડવા • પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી.
મીતા ગાંધી • સત્યશોધક પંડિત બેચરદાસ જીવાજ દોશી..
માલતી શાહ • આગમપ્રભાકર મુનિશ્રી પુણયવિજયજી...
જયશ્રી દોશી શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ....
વસંત વીરા • પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજનું જીવન-કવન
મંજુ આર. શાહ • साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि.
मंजुला गांधी • જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી...
કુણાલ કપાસી
૪૭૩
४७८
.૪૯૧
પ૦૩
૫૧૫
.......
૫૮
Page #49
--------------------------------------------------------------------------
________________
• બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા. કુમારપાળ દેસાઈ
• સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક.
નંદિની ઝવેરી
♦ Prof Dr. Colette Caillat.
Varsha Shah
• શ્રુતવારિધિ મુનિ શ્રી જમ્મૂવિજ્યજી મહારાજ. પૂર્ણિમા મહેતા
૦ પ્રો. નગીનદાસ જીવણલાલ શાહ
સંકલિત
• આચાર્યશ્રી તેવેન્દ્રમુનિ (બેષ્ઠ સાહિત્યા). हंसाबहेन गाला
48
૫૪૦
૫૪૭
૫૫૯
.૫૬૬
૫૭૯
૫૮૨
Page #50
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસર્જન
Page #51
--------------------------------------------------------------------------
Page #52
--------------------------------------------------------------------------
________________
પંડિત વીરવિજયજી
ફાલ્ગની ઝવેરી.
ડિો. ફાલ્ગનીબહેન વિશેષ ધર્મરુચિ ધરાવે છે. પૂજાસાહિત્ય ઉપર તેઓએ વિશેષ કામ કર્યું છે. પ્રસ્તુત લેખમાં પં. વીરવિજયજીના સાહિત્યના પરિચયની સાથે તે સાહિત્યની લાક્ષણિકતાઓ પણ દર્શાવી છે. – સં.]
રાજનગર કે જ્યાં અનેક સુંદર જિનપ્રાસાદ છે જ્યાં શેઠ હેમાભાઈના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈ વસે છે ત્યાં શાંતિદાસનો પાડો એ નામની પ્રધાન પોળ ઘીકાંટા આગળ આવેલ છે, તેમાં જણેશ્વર અથવા યજ્ઞેશ્વર નામનો બ્રાહ્મણ પોતાની પ્રિયા નામે વિજયા સહિત રહેતો હતો. તેને એક પુત્રી નામે ગંગા અને એક પુત્ર નામે કેશવ થયાં હતાં. કેશવ મોટો થતા તેને એક વિપ્રકુમારિકા નામે રળિયાત સાથે પરણાવ્યો. કેશવ અઢાર (૧૮) વર્ષનો થયો એટલે ભીમનાથ ગામે માતા સહિત ગયો ને ત્યાં એક દિવસ માતા સાથે કલહ થયો એટલે કેશવ રોચક ગામ ગયો. ત્યાંથી પાલિતાણા જતાં રોગ થયો. ઘણા ઉપાય કરતાં તે મટે નહીં. શુભવિજય ગુરુ મળતા તેનો રોગ ગયો. પછી કેશવે પોતાને ઘેર જવાની આજ્ઞા માગી એટલે ગુરુએ કહ્યું કે ઘેર જઈને શું કરવાનું છે? અમારી પાસે દીક્ષા લ્યો. કેશવે વિચાર કરતાં તેમ કરવા કબૂલ કર્યું. ગુરુએ ખંભાત જઈ દીક્ષા આપવા જણાવ્યું, ત્યારે કેશવે વચમાં કોઈ સારું ગામ આવે ત્યાં જ દીક્ષા લેવા કહ્યું. વિહાર કરતાં માર્ગમાં પાનસર પહોંચ્યા, ત્યાં ગુરુએ સં. ૧૮૪૮ના કાર્તિક માસમાં કેશવને દીક્ષા આપી નામ વીરવિજય પાડ્યું જન્મ : સં. ૧૮૨૯ આસો સુદ દશમ વિજયાદશમી અમદાવાદ
રાજનગર, શાંતિદાસના પાડામાં માતા-પિતા : વિજયા બ્રાહ્મણી, જગ્નેશ્વર (યજ્ઞેશ્વર) બ્રાહ્મણ
કુળ : ઓદિચ્ય બ્રાહ્મણ બહેન : ગંગા પત્ની : રળિયાત દીક્ષા : સં. ૧૮૪૮ કારતક માસમાં પાનસરમાં ગુરુદેવ : શુભવિજયજી કાળધર્મ સં. ૧૯૦૮ ભાદરવા વદી ત્રીજને ગુરુવારે ભઠ્ઠીની પોળ, અમદાવાદ
પંડિત વીરવિજયજી + ૩
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનના ગગનાંગણમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા અનેક વિશિષ્ટ કવિઓ કવિપુંગવોની ઉજ્જ્વળ પરંપરામાં જેમનું નામ શુક્રતારકવત્ ચમકી રહ્યું છે તે પંડિત વીરવિજયજી મહારાજ પ્રભુ વીરની ૬૭મી પાટને શોભવનારા વિરલા.
પર્વતમાળામાંથી ખળખળ વહેતા ઝરણાની જેમ તેમના મસ્તિષ્કમાંથી કાવ્યપ્રવાહ અવિરત વહ્યા જ કરતો હતો, જેને ગાનાર સાંભળનાર કોઈપણ અર્નિવચનીય આનંદનો આસ્વાદ મેળવ્યા સિવાય રહેતો નહીં. ભિન્ન ભિન્ન વિષયમાં વિપુલ પ્રમાણમાં તેમણે કરેલી થોકબંધ રચના જોતા આપણે તેમને મોટા ગજાના કવિ કબૂલ કરવા જ પડે.
તેમણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને ઉપદેશ આપ્યો હતો તે દૃષ્ટિએ જૈન ધર્મના વિવિધ વિષયોને પસંદ કરીને કાવ્યરચના, સાહિત્યરચના કરી છે. વીરવિજ્યજીનું સાહિત્ય સર્જન
વીરવિજયે દીક્ષા લીધા પછી ગુરુ પાસે અભ્યાસ કર્યો. શુભવિજ્યજીનો ભાવ શિષ્ય વીરવિજયજી ઉપર બહુ સારો હતો તે આ દુહાથી જાણવા મળે છે. એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય, ગુણનિધિ જળનિધિ જળભર્યો, ગગ્ગરીમેં ન સમાય.’
આવા બહુમાન ભાવથી ગુરુકૃપાના પાત્ર બન્યા ત્યાર પછી એમની કવિત્વશક્તિનો પરિપાક એટલો બધો વિસ્તાર પામ્યો કે લઘુ૨ચનાની સાથે મધ્યકાલીન કાવ્ય પરંપરા અનુસાર નોંધપાત્ર રચનાઓ કરીને જૈન ધર્મ અને સાહિત્યના વિચારો સર્વસામાન્ય જનતા સુધી પહોંચાડવાનું અમૂલ્ય કામ કર્યું.
જૈન સાહિત્યનું સર્જન ચાર અનુયોગમાં છે. વીરવિજ્યજીએ પોતાની રચનાઓમાં ચારે અનુયોગનો સુચારુ ઉપયોગ કર્યો છે. અનુયોગ એટલે કે વ્યાખ્યાન કે વિષયવસ્તુનું નિરૂપણ કે વર્ણન. તેના ચાર પ્રકાર છે. (૧) દ્રવ્યાનુયોગ જેમાં જીવ, જગત, આત્મતત્ત્વને લગતા વિષયોનો સમાવેશ થાય છે.
(૨) ગણિતાનુયોગ: જેમાં ગણતરી, પ્રકાર અને ભેદ-પેટાભેદ વગેરેનો સમાવેશ થાય છે. ગતનું સ્વરૂપ દર્શાવવા ચૌદ રાજલોકની માહિતી જંબુદ્વીપ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, લઘુ સંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરેનો સમાવેશ થાય છે.
(૩) ચરણકરણાનુયોગઃ જેમાં તીર્થંકર ભગવાનના આચારના પ્રરૂપેલા સિદ્ધાંત, સાધુ-શ્રાવક આચારનું અનેકાન્તના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી સ્યાદ્વાદની શૈલીમાં નિરૂપણ છે.
(૪) કથાનુયોગઃ ચિરત્ર ઉપરાંત કલ્પનાનો આશ્રય લઈને કથા રજૂ કરવામાં આવે છે.
૪ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #54
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદની અપેક્ષાએ પ્રત્યેક વ્યક્તિ આ ચારમાંથી કોઈ એક અથવા અન્ય યોગથી ધર્મ પામે છે. ગુરુના ઉપદેશમાં મુખ્યત્વે ૮૪ લાખ જીવયોનિમાં ફરતા જીવને સ્વસ્વરૂપ પામવા માટેનું માર્ગદર્શન, દશ દગંતે દુર્લભ મનુષ્યજન્મ સફળ કરવો, સુખદુઃખના પ્રસંગે કર્મજન્ય સ્થિતિનો વિચાર કરી સમતા રાખવી ઈત્યાદિ વિષયોનો ઉપદેશ તેમની રચેલી રચનાઓ | કૃતિઓમાં મળે છે.
વીરવિજયજીનું સાહિત્ય જુદાજુદા ચોકઠામાં ગોઠવાયેલું છે. રાસ (રાસા), વિવાહલો, સ્તવન, સક્ઝાય, સ્તુતિ, ચૈત્યવંદન, પૂજા, ઢળિયાં, દુહા, લાવણી, હરિયાળી, ગહુલી, આરતી, પૂજા જેવા સ્વરૂપોમાં રચના કરીને તેઓએ પોતાની અભુત સર્જનશક્તિનો પરિચય કરાવ્યો છે. એમની લઘુ રચનાઓ કયા સમયમાં રચાઈ તે વિશે માહિતી મળતી નથી, પરંતુ દીર્ઘ રચનાના અંતે કવિએ પોતે જ જે ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી રચનાનો સમય જાણવા મળે છે.
કવિનું વિષયવૈવિધ્ય જૈન ધર્મના વિવિધ વિષયોને આવરી લે છે. જેમ કે ૨૪ તીર્થકરોમાંથી મુખ્યત્વે ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી અને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધર સ્વામીને પસંદ કરીને ચૈત્યવંદન, સ્તવન, દેવવંદન, પૂજા, દુહા વગેરેની રચના કરી છે. પંચતીર્થો જેવા કે શત્રુંજય, અષ્ટાપદ, સમેતશિખર, આબુ, ગિરનાર જેવાં તીર્થો, ધાર્મિક તહેવારો પર્યુષણ, દિવાળી, ચોમાસી ચૌદસ, અક્ષયનિધિ તપ, વર્ષીતપ, વીસસ્થાનકતપ, પંચમીતિથિ વગેરે વિષયક રચનાઓ છે. તેમનું શાસ્ત્રીય અને આગમિક વૈદુષ્ય પણ એવું જ અપ્રતિમ હતું એની પ્રતીતિ એમણે રચેલી પૂજાઓમાં સરળ રીતે ગૂંથેલા પદાર્થો વાંચતા થાય છે.
પંડિત વીરવિજયજીની સાહિત્યક રચનાઓની સૂચિ જોતા આપણને લગભગ ૧૩૨ જેટલી રચનાઓ મળે છે. આ સાહિત્યસર્જન વિશે સંપાદક દિપ્તી શાહે વીરવિજયજીનો સ્વાધ્યાય' ગ્રંથમાં નિબંધ પ્રસ્તુત કર્યો છે. જે આજ ગ્રંથમાં પૃ. ૨૧૮થી પૃ. ૨૪૦ પર મળે છે.
| ગુજરાતી સાહિત્યનો ઈતિહાસના દ્વિતીય ખંડમાં વીરવિજયજી વિશે લખતા વાડીલાલ ચોકસી તેમને મધ્યકાલીન રાસ સાહિત્ય અને ઊર્મિપ્રધાન કવિતાના છેલ્લા પ્રતિનિધિ' અને અંતિમ સ્તબકના છેલ્લા અગ્રણી કવિ તરીકે ઓળખાવે છે. તેમના કવિયશમાં રાત્રથી એક કલગી સમાન છે. વીરવિજયે (૧) “સુરસુંદરીરાસ' (ઈ. ૧૮૦૧), (૨) ધમ્મીલરાસ (ઈ. ૧૮૪૦), (૩) ચંદ્રશેખર રાસ (ઈ. ૧૮૪૬) આ ત્રણે દીર્ઘ કથાઓને રાસ રૂપે આપી છે. પદ્યવાર્તાના ખાસ રંજક એવા સમસ્યા અને અવાન્તર કથાઓનો વિનિયોગ પણ આ રાસરૂપ કૃતિઓમાં કર્યો છે. આ રાસકૃતિઓનો સંબંધ સામાન્ય- આમવર્ગ, વિદ્વદવર્ગ એમ બંને સાથે છે. આ દષ્ટિએ વીરવિજયના આ રાસાઓ મધ્યકાલીન કથાકૃતિના લોકતાત્વિક અધ્યયનમાં પણ મૂલ્યવાન કૃતિઓ છે.
પંડિત વીરવિજયજી + ૫
Page #55
--------------------------------------------------------------------------
________________
(૧) સુરસુંદરીરાસઃ મુખ્ય બે પાત્રો છે. નાયક તરીકે અમરકુમાર અને નાયિકા તરીકે સુરસુંદરી. બંને બાળપણનાં સાથી છે. શાળામાં સાથે ભણે છે. એક દિવસ સુરસુંદરી વિરામસ્થાને ઊંઘી ગઈ. એની સાડીને છેડે સાત કોડી બાંધેલી હતી. અમર ફરતો ફરતો તે સ્થાને આવ્યો. ઊંઘતી રાજકુમારી એવી સુરસુંદરીને છેડે બાંધેલી સાત કોડી છોડી લીધી અને તે વેચી સુખડી લઈ બધા નિશાળીયાને વહેંચી. સુરસુંદરીએ ખરી વાત જાણતા અમરને ઠપકો આપતા કહ્યું સાત કોડીમાં તો હું રાજ્ય લેત.' હવે બંને યૌવનવય પામતા લગ્ન કરે છે. અને સાથે સિંહલદ્વીપ જવા નીકળે છે. વચ્ચે યક્ષદ્વીપમાં વાણ થોભ્યું. પતિપત્ની દ્વીપ ૫૨ ફરવા નીકળ્યાં. સુરસુંદરીને ત્યાં ઊંઘ આવી ગઈ. અમરે એની સાડીના છેડે સાત કોડી બાંધી. આમાંથી તું રાજ્ય લેજે લખી સુરસુંદરીને ઊંઘતી તજી ચાલ્યો ગયો. કર્મજન્ય પરિસ્થિતિઓનો સામનો કરતી શિયળની રક્ષા કરતી વિદ્યાઓને પામતી બેનાતટપુર નામનો રાજા બને છે. સુરસુંદરી પોતાનું પુરુષરૂપ બનાવી વિમલયશ નામ રાખે છે. ફરતો ફરતો અમર આ જ નગરમાં આવે છે. વિમલયશે એને ચોર ઠરાવી પકડી લીધો. સવાશેર ઘી પગમાં માલિશ કરી ઉતારી આપે તો મુક્તિ મળે એવી શરત મૂકી. વિમલયશે ઊંઘવાનો ડોળ કર્યો. આ સવાશેર ઘી પગમાં માલિશ કરી કેવી રીતે ઉતારી શકાશે, એની ચિંતામાં ઊંઘનો લાભ લઈ ઘી પીવા માંડયું અને ત્યાં જ વિમલયશે એને ઠપકાર્યો. કોઈની ઊંઘનો લાભ લઈને ચોરી કરવાની નાનપણની આદત ગઈ નથી? પછી મેળાપ ‘મધુરેણ સમાપયેતુ' ન્યાયે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ. આ રાસમાં કુલ ૪ ખંડ છે. પ્રથમ ખંડનું મંગલાચરણ ૧૦ દુહાઓમાં કરીને ૮ ઢાળ, બીજા ખંડમાં ૧૨ ઢાળ, તૃતીય ખંડમાં ૧૩ ઢાળ અને ચોથા ખંડમાં ૧૮ ઢાળ એમ કુલ ૫૧ ઢાળ છે. આરંભ, અંત, કથાનુસંધાન, વ્યવહારબોધ વગેરે માટે વચ્ચે વચ્ચે દોહરાનો અને ક્વચિત્ ચોપાઈનો ઉપયોગ કર્યો છે. આમ સમગ્ર રચના દેશીમાં ગવાઈને રજૂ થતી રસપ્રદ કથા અને ધર્મના પાસને કારણે, ઉત્તરાર્ધના અન્ય રાસની જેમ, પ્રસ્તુત કૃતિ પણ મધ્યકાલીન ‘આખ્યાન’ સાથેનું નજીકનું સગપણ ધરાવતી બને છે. વ્યવહાર દક્ષતાના નિરૂપણમાં કલિકાલગૌતમ એવા હરિભદ્રસૂરિના વિવેકવિલાસ ગ્રંથનો પ્રભાવ સ્પષ્ટપણે બોધિત થાય છે.
(૨) ધમ્મિલકુમારનો રાસઃ કુલ છ ખંડ અને ૭૨ ઢાળમાં વિભાજિત આ કૃતિમાં અગિયાર જેટલી અવાંતરકથાઓ દૃષ્ટાંતકથા તરીકે વણી લેવામાં આવી છે. છ ખંડની મળીને ૨૪૫૦ જેટલી કડીમાં આ બધી કથાઓ આલેખાઈ છે. આ રાસમાં કેન્દ્રમાં ધમ્મિલકુમાર છે. વિરક્તભાવી જીવ છે. માતા-પિતાને ચિંતા થાય છે. તેનો વિક્તભાવ દૂર કરવા ગણિકાગૃહે મોકલે છે. વસંતસેનાગણિકા સાચા અર્થમાં તેના પ્રેમમાં પડે છે. સમય જતા ધમ્મિલકુમાર નિર્ધન થયો. માલમિલકત ન રહી એટલે વસંતસેના ગણિકાની માતાએ તેને અરણ્યમાં ફેંકાવી દીધો. ત્યાં મુનિ સાથે મેળાપ થતા કથાઓ અને અવાન્તકથાઓનો પ્રારંભ થાય છે. વિવિધ ૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #56
--------------------------------------------------------------------------
________________
કથનકેન્દ્રો દ્વારા કથાઓ રજૂ થાય છે. કથકોની પસંદગી કર્તાની કથનકળાશક્તિની પરિચાયક છે. વીરવિજયજીએ “વસુદેવહિંડીમાંના મૂળ કથાનકમાં કાંટ-છાંટ અને ઉમેરણ કરીને પોતાની રીતે અહીં રજૂ કર્યું છે.
(૩) ચંદ્રશેખર રાસઃ આ વીરવિજયજીની ત્રીજી અને છેલ્લી દીર્ઘ રાસકૃતિ છે. ૪ ખંડ અને તેની ક્રમશઃ ૯, ૧૧, ૧૭ અને ૨૦ ઢાળોમાં રચાયેલા આ રાસનો મુખ્ય ઉદ્દેશ ન્યાયોપાર્જિત દ્રવ્યથી કરેલા દાનનો મહિમા વર્ણવવાનો છે. વર્ણનોમાં પુનરુક્તિભર્યો વિસ્તાર કવિએ ટાળ્યો છે. પીંછીના એક જ લસરકે ચિત્ર ઊપસી આવે, તેમ પાત્ર કે પ્રસંગનું ઓછા શબ્દોમાં કવિ આબેહૂબ વર્ણન આપે છે. કાવ્યના આરંભમાં માત્ર બે જ પંક્તિમાં મહાસેન રાજાનું વિશાળ રાજ્ય, સમૃદ્ધિ, વીરતા અને ન્યાયપ્રિયતાનું સમગ્રદર્શી આલેખન કર્યું છે.
મહાસેન નામે રાજા રાજતો, હય, ગય, સૈન્ય, સામ્રાજ્ય,
ચોરપિન શત્રુતિમિરે રવિ, ન્યાયે પાળે રે રાજ્ય.’ આ રાસનું સૌથી ધારદાર પાસું કોઈ હોય તો તે શુકન-અપશુકન, પશુઓની બોલી છે. પ્રચલિત દેશીઓ અને દોહરા – ચોપાઈનો સમુચિત વિનિમય નિરૂપિત પ્રસંગને માર્મિક અને સચોટ બનાવવામાં ઉપકારક બન્યો છે. રાજા મહાસેન રતિસુંદરીને મનાવવા જે ભાષા વાપરે છે તે ભવાઈના ચાલુ ગાયન જેવી છે. હિંદી-ગુજરાતીના મિશ્રણ જેવા અને વ્યાકરણના નિયમોથી રહિત આ ભાષાપ્રયોગો અહીં વારંવાર થયા છે. સ્થૂલિભદ્રજીની શિયળવેલ
પંડિત વીરવિજયજીએ આ કૃતિનો પ્રારંભ ૭ દુહાના મંગલાચરણ દ્વારા કર્યો છે જેમાં મુખ્યત્વે સ્થૂલિભદ્ર અને કોશાગણિકા વચ્ચેના સંબંધનું શૃંગારરસથી પ્રારંભ કરી નાયકનું શાંતરસ પ્રતિ પગરણ અને પ્રવજ્યાના ગ્રહણનું રસાળ શૈલીમાં વર્ણન છે. આ વેલી' ૧૮ ઢાળમાં વિસ્તરેલી છે. ૨૪૬ કડીઓ ધરાવે છે.
શુભવીર શિયળવેલીની શરૂઆતમાં મજાનું મંગલાચરણ મૂકે છે જેમાં સ અને રની જુગલબંધીને જબરી જમાવે છે.
સયલ સહંકર પાસજી, શંખેશ્વર સિરદાર શંખેશ્વર કેશવ જરા હરતકત ઉપકાર સરસ વચન રસ વરસતી, સરસતી ભગવતી જેહ
શુભ મતિદાયક શુભગુરુ પ્રણમ્ ત્રિકરણ એહ” કૃતિની સમાપ્તિ સુધી લાલિત્ય પ્રવાહ અતૂટ વહે છે. મગધના મહાસામ્રાજ્યના મુખ્યમંત્રી શકટાલના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર ચતુરાઈના દાવપેચ શીખવા કોશા નામની વેશ્યાને ત્યાં નિવાસ કરે છે. બંને વચ્ચે પ્રણય સોળે કળાએ ૧૨ વર્ષ સુધી ચાલે છે. પછી ધૂલિભદ્રના પિતાનું નિધન થતા રાજસંદેશો આવતા સ્થૂલિભદ્રને વૈરાગ્યની ઉત્પત્તિ અને દુ:સમ દુસમ એવા ચારિત્રધર્મનું પાલન,
પંડિત વીરવિજયજી + ૭
Page #57
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસ કોશાની હાજરીમાં તેની જ રંગશાળામાં. એક વિચાર કરીએ કે જ્યાં કામદેવ અને રતિની જેમ પોતે બાર વર્ષ નિરંતર ભોગાસક્ત રહ્યા છે ત્યાં પોતે વિરાગની રાખને રોમેરોમમાં સમાવી અચળ થઈ બેઠા છે. વયરસ્વામીની ગહુલી
વયરસ્વામી એટલે વજસ્વામી, જૈનશાસનના ઇતિહાસનું આ એક પાત્ર છે કે જેમના જન્મ પૂર્વે એમના પિતા ધનગિરિએ સાધુદીક્ષા લઈ લીધી. માતા સુનંદાથી કેમે કરી આ નવજાત શિશુ છાનું રહેતું નથી. એમ કરતા છ માસ વીત્યા. એવામાં આર્ય ધનગિરિ વિહાર કરતા ત્યાં પહોંચ્યા અને ભિક્ષાર્થે પોતાને ઘેર ગયા. ત્યાં બાળકના રુદનથી થાકેલી કંટાળેલી સુનંદાએ પોતાના પુત્રને હોરાવ્યો. હવે આ બાળકનો ઉછેર સાધ્વીઓના ઉપાશ્રયમાં થવા લાગ્યો. આઠ વર્ષના થતા તેમને સાધુ દીક્ષા આપવામાં આવી. ત્યાં સુધીમાં તો આ બાળકે સાધ્વીઓનો સ્વાધ્યાય સાંભળી અગિયાર અંગગ્રંથો કંઠસ્થ કરી લીધા. આ ગહૂલીની અંદર ત્રણ ત્રણ રચના પ્રકારોનો સંગમ છે. હાલરડું વત્તા પ્રહેલિકા વત્તા ગહૂલી (ગુરુના વિજય માટે ગવાતાં ગીતોને વર્તમાનમાં ગહૂલી કહે છે.) અહીંયા બે પાત્રો વચ્ચેનો સંવાદ યોજ્યો છે જેમાં બે સ્ત્રી સખીઓ છે અને એકબજાની સાથે વાતો કરતા ઉખાણાની રીતે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, સાધ્વાચારને અવળવાણીની પદ્ધતિથી લોક સમક્ષ મૂક્યું છે. અહીં કબીરની નાવ મેં ડૂબ ગઈ નદિયાં જેના પરથી આનંદઘનજીએ નાંવમેં નદિયા ડૂબી જાય' આ પદ બનાવ્યું છે. તેની સ્પષ્ટ અસર દેખાઈ આવે છે.
સખી રે, મેં કૌતુક દીઠું સાધુ સરોવર ઝીલતા રે” ર ગણાંકિત ૬૩૬ અક્ષરાત્મક કાવ્ય
આ કવિ પંડિત વીરવિજયજીની પાંડિત્યપૂર્ણ સંસ્કૃત રચના છે. આ કાવ્યની વિશેષતા એ છે કે સમગ્ર રચનામાં ર ગણીનો પ્રયોગ થયેલો છે. “ર' ગણમાં ગુરુ લઘુ ગુરુ એમ વર્ણ યોજના હોય છે. આ કાવ્યનાં ચાર ચરણ છે તેમાં પ્રભુના જે મૂલ ચાર અતિશય છે. તેનું જ નિરૂપણ કર્યું છે જે આ મુજબ છે.
(૧) જ્ઞાનાતિશય (૨) વચનાતિશય (૩) પૂજાઅતિશય (૪) અપાયા પગમાતિશય. આ ચારે અતિશયો વામાનંદન પ્રભુ પાર્શ્વનાથ પાસે કેવા શોભી રહ્યા છે, કે જેના કારણે ઘાતીઅઘાતી કર્મનો ક્ષય થઈ સિદ્ધગતિને પામ્યા છે.
આ એક જ વિલક્ષણ વૃત્તમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ રચીને પોતાના ભક્તિભાવના, સંસ્કૃત ભાષાના પાંડિત્યનાં, કાવ્યજ્ઞ અને રસિક ભાવકમાં જોવા મળે તેવા પદલાલિત્યનાં દર્શન કરાવ્યાં છે જ. (લે. પૂ. પ્રદ્યુમ્નસૂરિજી, વીરવિજય સ્વાદ્યાયગ્રંથ
૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #58
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજીનું પૂજાસાહિત્ય
પૂજાઓ તો વીરવિજયજીની જ આવી એક ઉક્તિ લોકોમાં પ્રચલિત છે. જેમજેમ આપણે પૂજાઓ વાંચીએ અને ભણાવીએ એમ એમ આપણને આ વાત શીરાની જેમ ગળે ઊતરે છે. એમની રચેલી પૂજાઓમાં વિષય વૈવિધ્ય છે. જેમ કે (૧) સ્નાત્રપૂજા, (૨) પંચકલ્યાણકપૂજા, (૩) બાર વ્રતની પૂજા, (૪) પિસ્તાલીશ આગમની પૂજા, (૫) ચોસઠ પ્રકારી પૂજા, (૬) અષ્ટપ્રકારી પૂજા, (૭) ૯૯ પ્રકારી પૂજા 1 પ્રો. અનિલા દલાલ લખે છે એ મુજબ વીરવિજયજીનું પૂજા-સાહિત્ય એ માત્ર અભ્યાસ કે વાંચનનું જ સાહિત્ય નથી, પણ એ એક Living Ritual – જીવંત આચાર છે; જાણે કે Performing ..... તરીકે દશ્ય-શ્રાવ્ય રૂપે રજૂ થાય છે. તેમની પૂજાઓ તેમની બહુમુખી પ્રતિભાની જેમ જ વિવિધ આયામોવાળી છે. પૂજાઓના બંધારણમાં કાવ્ય, છંદ, અલંકાર, ભાષાસમૃદ્ધિ, ગેયતા, લયબદ્ધતા, દેશીઓનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ છે. આ બધા કારણોને લીધે પૂજા એટલી બધી લયબદ્ધ બને છે કે જાણે આપણે અમૃતનું રસપાન કરતા હોઈએ એવી પ્રતીતિ થાય છે.
પૂજાઓ અને વીરવિજયજી એ બંને જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો જ બની ગયા છે.
કવિ પંડિત વીરવિજયજીની રચનાઓની યાદી જોતા, તેમાંથી પસાર થતા તેના વિવિધ પરિબળો ધ્યાનમાં આવે છે.
શીર્ષકરચના: વ્યક્તિવાચક સ્ત્રી પુરુષોનાં નામથી કરવામાં આવી છે. આવી પાત્રપ્રધાન શીર્ષકરચના સમગ્ર કૃતિમાં કેન્દ્રસ્થાને હોવાથી પાત્રની પસંદગી કરીને શીર્ષક રચના કરી છે.
ગુરુ પરંપરા અને રચના સમય: વીરવિજયજીની નાની મોટી પ્રત્યેક રચનાઓમાં શુભવીર’ એવો ઉલ્લેખ છે. “શુભનો એક અર્થ કલ્યાણ, મંગલ છે અને બીજો અર્થ શુભવિજય એટલે કે કવિના ગુરુ. ‘વીરના પણ બે અર્થ છે. ભગવાન મહાવીર સ્વામી અને બીજો અર્થ કવિ પોતે જ કે જેમનું નામ વીરવિજયજી હતું. આમ શ્લેષયુક્ત અભિવ્યક્તિ કરી છે. દરેક કૃતિને અંતે રચના સમય મૂક્યો છે.
ફળશ્રુતિઃ પંડિત વીરવિજયજી જૈન પરંપરાના સાધુકવિ છે. એટલે તેમની રચનાઓનો પ્રધાનસૂર ધર્મોપદેશ જ છે. તેથી બીજા કવિઓ જે વિભિન્ન પ્રયોજનથી કાવ્ય બનાવે જેમાં ધન, યશ, કીર્તિની ઇચ્છા હોય એવું અહીં પ્રયોજન નથી. લાઘવ શૈલીથી ફળશ્રુતિ દર્શાવે છે.
સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે ઘરઘર હર્ષ વધાઈ.’
પંડિત વીરવિજયજી + ૯
Page #59
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ / રસનિષ્પત્તિ
વિરવિજયજીની નાની મોટી પ્રત્યેક રચનાઓમાં સર્વસામાન્ય રીતે કેન્દ્રમાં શાંતરસ રહેલો છે. પાત્રો અને પ્રસંગોના નિરૂપણથી શાંતરસ તરફ ગતિ થયેલી છે. રચનાના આરંભથી મધ્યભાગ સુધી વ્યવહારજીવન અને શૃંગાર રસની સામગ્રી હોય છે. પ્રસંગોચિત ચમત્કારથી અદ્ભુત રસ, યુદ્ધ વર્ણનના પ્રસંગમાં વિરરસ, નાયિકાના વિરહ વર્ણનમાં કરૂણરસ, પ્રેમી-પ્રેમીકાના મિલનમાં શૃંગારરસ અનુભવાય છે. નેમિવિવાહલો રચનામાં શૃંગારરસનું વર્ણન હાસ્યરસના સંયોજન સાથે કર્યું છે.
દડો ફૂલ કેરો રે ઉછાલે, બીજી રંગભર રમતી ઝાલે,
નેમિને કાંધે રે મારે, તવ એક જાઈ છાતી પંપાળે.' સુરસુંદરી રાસ, ચંદ્રશેખર રાસ, ધમ્મિલકુમાર રાસ, દર્શાણભદ્રની સઝાય, મહાવીર ભગવાનના ૨૭ ભવના સ્તવન ઇત્યાદિમાં અભુત રસનો અલૌકિક અનુભવ કરાવે છે.
સ્થૂલિભદ્રની શિયળવેલમાં સ્થૂલિભદ્ર કોશાને મૂકી નીકળી જાય છે ત્યારે સમાવિયોગથી કોશા ક્રોધિત બને છે. અહીં કરુણરસ અને રૌદ્રરસની સંયોગિકતા છે.
હો સજની રે બપૈયાને વાર રે કિમ પીકે પીઉ કરે, હો સજની રે પાંખો રે છેદીને ઉપર લૂણ ધરે,
હો સજની રે હું પીઉની પીઉ મહારી પીઉ પીઉં હું કરું? છંદ દેશીઓ અને રાગનો પ્રયોગઃ
વીરવિજયજીએ રાસ, સ્તવન, ઢાળિયા, વિવાહલો, ગહુલી, સઝાય, હરિયાળી, લાવણી, પૂજા વગેરે સ્વરૂપોમાં વિવિધ દેશીઓનો પ્રયોગ કર્યો છે. ચૈત્યવંદનમાં દોહરા છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્તુતિમાં છંદની સાથે દેશીઓનો પ્રયોગ થયો છે. અજિતનાથની સ્તુતિમાં પ્રહ ઊઠી વંદુ, સંભવનાથની સ્તુતિમાં શાંતિ જિનેસર સમરીયે', વિમલનાથની સ્તુતિમાં ચોપાઈનો પ્રયોગ છે. અનંતનાથની સ્તુતિમાં વસંતતિલકા, કુંથુનાથની સ્તુતિમાં ત્રાટકછંદનો પ્રયોગ છે. પૂજા સાહિત્યમાં અંતે કાવ્ય રચવામાં આવે છે. આવી પૂજામાં ઉપજાતિ, વ્રતવિલંબિત શાર્દૂલવિક્રીડિત વગેરે છંદોનો પ્રયોગ થયેલો છે. એમની વિવિધ રચનાઓની સમીક્ષામાં છંદ અને દેશીઓને સંદગંત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી બિલાવલ, કાફી, આશાવરી, ગોડી, સારંગ, મારુ, વસંતધુમાલ, અલૈયા, બંગાળી કેરબો, ધન્યાશ્રી, યમન કલ્યાણ જેવા વિવિધ અને પ્રચલિત રાગોનો પ્રયોગ કર્યો છે. આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે એમની રચનાઓમાં છંદ, શાસ્ત્રીય રાગ અને દેશીઓનો સમન્વય સધાયેલો છે. એટલે ગેયતા એમની રચનાઓનું અનેરું આકર્ષણ છે. એમની
૧૦ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #60
--------------------------------------------------------------------------
________________
રચનાઓ સુગેય પદાવલી તરીકે લોકજીભે રમતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપે સાહિત્યમાં ભક્તિરસની રમઝટ જામે છે. તેમની સમગ્ર સાહિત્યિક રચનાઓમાં ૨૧૦ જેટલી દેશીઓ છે. અલંકારઃ
વીરવિજયજીની રચનાઓમાં ઉપમા, દાંત, માલોપમા, યમક, રૂપક જેવા અલંકારોનો વિશેષ પ્રમાણમાં પ્રયોગ થયો છે. નગરવર્ણન, પાત્ર પરિચયમાં અલંકારોની સંખ્યા વિશેષ છે. યમક રચના તો કવિની આગવી સિદ્ધિ છે. વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ તો સહજ રીતે સ્થાન પામેલા જોઈ શકાય છે.
ધમિલકુમાર રાસમાં નાયક ધમ્મિલ વેશ્યા સાથે પ્રેમમાં પડે છે તે પ્રસંગને વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, ઉપમા અને દાંત અલંકાર દ્વારા પ્રાસાદિક અભિવ્યક્તિ કરી છે.
વિનયવતી વારાંગના, વચને વીંધાણો,
વિકસિત વનજ વનાશ્રયે, અલિક્યું લપટાણો || ૨ ||', તેમની નાનીમોટી પદ્યરચનાઓમાં પ્રાસયુક્ત મધુર પદાવલીઓ અને ગીત પ્રકારની લયાન્વિત પંક્તિઓ જોવા મળે છે. જેના નમૂના જોઈએ.
સરસ વચન રસ વરસતી, સરસ્વતી ભગવતી જેહ, શુભ મતિ દાયક શુભ ગુરુ, પ્રણમું ત્રિકરણ એહ.' સુણ અલબેલા અલબેલી વિણ કિમ જાશે જનમારો, હે રંગીલા, રંગીલી વિણ એળે જાશે અવતારો, ‘એક દિન અમે રંગભર રમતાંતાં, માહરે પગ,
ઝાંઝર રમઝમતાંતાં, નમ્રતા કહી નાથને નમતાંતાં.' ઉપરોક્ત ઉદાહરણોથી કવિની વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને ગીત રચનાની મંજુલ પદાવલીનો પરિચય થાય છે. ભાષાપ્રભુત્વ / ભાષાસમૃદ્ધિ
વીરવિજયજીની પ્રતિભાનો વિચાર કરતાં તેમની ભાષા સમૃદ્ધિ પ્રત્યે અનાયાસે ખેંચાઈ જવાય છે. તેમને પ્રાકૃત-સંસ્કૃત, મારુ ગુર્જર, હિંદી, જૂની ગુજરાતી, વર્તમાન ગુજરાતી આ બધી જ ભાષાઓ પર પ્રભુત્વ હતું. પંડિતની પ્રતિભા કવિ તરીકે પૂજાસાહિત્યમાં સોળે કળાએ ખીલે છે. તેમની ભાષાકીય લઢણ કેટલાક ઉદાહરણો દ્વારા માણીએ. સ્નાત્રપૂજામાં પ્રારંભના કાવ્યની રચના સંસ્કૃત ભાષામાં છે.
'सरस शांति सुधारससागरं, शुचितरं गुणरत्न महागरम्;
भविकपंकज बोध दिवाकरं, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम्.' દુહો ગુજરાતી ભાષામાં છે.
પંડિત વીરવિજયજી + ૧૧
Page #61
--------------------------------------------------------------------------
________________
“કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરીય વિવેક,
મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક’ ગાથા – આર્યગીત પ્રાકૃત ભાષામાં છે.
'जिणजम्मसमये मेससिहरे, रयणकणयकलसेहिं;
देवासुरेहिं अहविओ, ते धन्ना जेहिं दिट्ठोसि.' નેમનાથના સ્તવનમાં હિંદી ભાષાનો વિશેષ પ્રભાવ પડ્યો છે તે નીચે મુજબ છે.
તોરણ આઈ ક્યુ ચલે રે, નયણ મિલાઈ સેંણ મોહનિયા, નાથ બિના મેં તો ક્યું રહુંગી, ચલિએ દિવાની બનાય,
આપ ચાલે અંદાજસે રે, ક્યા હમ દોષ લગાય... મોહનિયા.' આમ વીરવિજયજીની કોઈ પણ રચના બૌધિક અને સામાન્યજન બંને માટે ભોગ્ય બને છે.
વર્ણનકળા: વીરવિજયજીએ પરંપરાગત રીતે વર્ણન કર્યું છે. તેમની વર્ણનશક્તિ બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. પાત્રવર્ણન અને પ્રસંગવર્ણન. એમની રચેલી રાસત્રિપુટી, વિવાહલો, વેલિ, પંચકલ્યાણક પૂજા, સ્નાત્રપૂજા, ભગવાન મહાવીરના સત્તાવીશ ભવનું સ્તવન, દશાર્ણભદ્રની સઝાય, ગોડીજી પાર્શ્વનાથનાં ઢાળિયાં, મોતીશાનાં ઢાળિયાં જેવી રચનાઓ એમની વર્ણનશક્તિના નમૂનારૂપ છે. કવિનું પાત્ર વર્ણન અલંકારિક શૈલીનું હોવાથી ચિત્રાત્મક બનીને અત્યંત પ્રભાવોત્પાદક બન્યું છે, જેના કેટલાક નમૂનાઓ આપણે જોઈએ. ધમ્મિલકુમાર રાસ વારાંગનાનું વર્ણન પાત્રવર્ણન) :
વિનયવતી વારાંગના, વચને વીંધાણો, વિકસિત વનજ વનાશ્રયે, અલિરૂં લપટાણો. (૨) વિકસ્યો કુંઅર વિહાયસે, વચ્ચે વીજળી ભાળી,
લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાળી' (૩)
સ્થૂલિભદ્રની શિયળવેલમાં રૂપકોશાનું વર્ણન ચિત્રાત્મક શૈલીમાં કરવામાં આવ્યું છે. પાત્રવર્ણન):
શરદ પૂનમનો ચંદ્રમા, મુખ દેખી હરાવે.
અધર અરૂણ પ્રવાલની, પણ ઉપમા ન આવે || ૨ || નેમકુમારને પરણાવા ભોજાઈઓ જળક્રીડા કરવા લઈ જાય છે તે (પ્રસંગવર્ણન)
કાંઈ દિયરીયા રે વાગ્યું, પરણવા કાયર કો તુમ લાગ્યું, પ્રભુને છાંટે સઘળી નારી, જલશું ભરી સોવન પીચકારી()
૧૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિદર્શનઃ પ્રકૃતિનો માનવ જીવન સાથે સંબંધ છે. વીરવિજયજીની કેટલીક નમૂનેદાર કૃતિઓમાં પ્રકૃતિદર્શન અદ્ભુત રીતે યોજવામાં આવ્યું. પંચકલ્યાણક પૂજામાં અવનકલ્યાણની પૂજા
રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા, કેતકી જાય ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા; કોયલ મદભર ટહુક તીરે, બેઠી આંબાડાળ વાલા, હિંસયુગલ જળ ઝીલતાં રે, વિમળ સરોવરપાળ વાલા,
મંદ પવનની લહેરમાં રે, માતા સુપનનિહાળ વાલા. ઉપરોક્ત પંક્તિઓ વસંતઋતુના આનંદોલ્લાસની અનુભૂતિ કરાવે છે. ભ્રમર કરે ઝંકાર વાલા એ પંક્તિ કાનને સ્પર્શીને મનોમન કોયલના ટહુકારનું ગુંજન થતા વાતાવરણમાં માદકતા સર્જે છે.
શિયળવેલની સઝાયમાં કોશા સ્થૂલિભદ્રની પ્રતીક્ષા કરી રહી છે. વિરહમાં ઝૂરે છે તેની અભિવ્યક્તિ
પાવસ માસે ધન વરસે ધન ધોરીયો,
મારે કંદર્પ તણો વન મોરીઓ.. (૨) વર્ષાઋતુના વર્ણન દ્વારા રૂપકોશાના વિરહને હૃદય સ્પર્શી વાણીમાં આલેખ્યો
કાળા ભમ્મર વાદળો, વરસતો વરસાદ અને વિરહગ્નિમાં બળતી
પ્રેમિકા.' નેમનાથ રાજિમતિ બારમાસામાં કવિએ વસંત, ફગણ અને હોળીના સંદર્ભથી રાજીમતિના વિરહનું આલેખન કર્યું છેઃ
હલકારો હસંત વસંત, હોળી ખેલે ગોપીગોવિંદ
અતિકેચુઆ ઝપાપાત, વિયોગે માલતી. મધુ. સમાજદર્શનઃ કવિ વ્યવહારકુશલ હતા, એની પ્રતીતિ એમની રચનાઓમાં સમાજદર્શન થયેલું છે તે ઉપરથી થાય છે. ખાસ કરીને તેમની રચેલી પૂજાઓમાં ૧૪ સ્વપ્ન આવવા, ગર્ભવતી સ્ત્રીના દોહદ પૂર્ણ થવા, જન્મકલ્યાણક દ્વારા પુત્રજન્મની ઉજવણી, શુભ દિવસે અભ્યાસ કરાવવો, રાસત્રિપુટીની સઝાયોની અંદર સમસ્યાપૂર્તિ દ્વારા વરકન્યાની પસંદગી, સ્વપરાક્રમથી શુકન જોઈ ધન કમાવવા જવું, નેમ-રાજુલના બારમાસામાં વરઘોડાનું વર્ણન, લગ્નમહોત્સવની ઉજવણી, કન્યાવિદાય જેવા પ્રસંગોનું નિરૂપણ છે. તો વિવાહલો, સઝાય, તેની અંદર બહુપત્નીત્વ, ધનવૈભવની ઇર્ષા, કપટથી ઝેર આપવું, સંસારસુખ ભોગવવું, કામી પુરુષોનું અધ:પતન, સ્ત્રીઓની ચતુરાઈ, સત્સંગ અને કુસંગનું પરિણામ, ધર્મોપદેશ સાંભળવો, દાનપુણ્ય કરવું વગેરેનું નિરૂપણ થયેલું છે.
પંડિત વીરવિજયજી + ૧૩
Page #63
--------------------------------------------------------------------------
________________
સમાજમાં જીવન કેવું જીવવું તેના વિશે તેમણે હિતશિક્ષા છત્રીસી રચી છે
છત્રીસીની આ રચનામાં કવિએ પ્રથમ ૧૮ કડીમાં પુરુષને, પછીની આઠ કડીમાં સ્ત્રીઓને અને છેલ્લી દસ કડીમાં સ્ત્રી-પુરુષ બંને ઉપયોગી શિખામણ આપી છે. જેનો રસાસ્વાદ આપણે કેટલીક કડીઓ દ્વારા માણીશું.
હિતશિક્ષા છત્રીસી આ રચનામાં મનુષ્યની નીતિ, સદાચાર-વ્યવહાર અને કુશળતા પ્રાપ્ત કરવાની વિગતો દર્શાવી છે. જેમાં પુરુષના સાત દુઃખ'નું વર્ણન કરતા કહે છે. પહેલું દુઃખ પાડોશી આડ, બીજું દુઃખ ઘર વિષનું ઝાડ. ત્રીજું દુઃખ નજરે આહાર, ચોથું દુઃખ શિર વહેલો ભાર. પાંચમું દુઃખ પાલા ચાલવું, છઠ્ઠું દુઃખ જે નિત માંગવું. કવિ કહે સાતે નર દુઃખ, ન૨ નિર્ધનને ઝાઝી ભૂખ. સ્ત્રીના સાત સુખનું વર્ણન કરે છે.
*પહિલુ સુખ તે પિહર ગામ, બીજું સુખ જે ગુણવંત સ્વામ. ત્રીજું પિયુ પરદેશ ન જાય, ચોથું સુખ લક્ષ્મી ઘર માંય. પાંચમું સુખ જે દિલે નરી, છઠ્ઠું સુખ થોડી દીકરી. સહિયર સાથે વિનોદ વાત, સુર સુંદરીના એ સુખ સાત.'
છેલ્લી ત્રણ કડીઓમાં કવિ ગુરુ મહારાજ પાસે વ્રત નિયમ લેવાનું, તીર્થયાત્રા કરવાનું, સંઘ કાઢવાનું, માર્ગમાં મોકળું મન રાખીને સંઘજમણ કરવાનું, કલ્યાણકારી સિદ્ધાચલજી અને ગિરનાર પર જઈ પ્રભુભક્તિ કરી અવતારને તારી લેવાનું કહે છે. છત્રીસમી કડીમાં વ્યવહારમાં અને મોક્ષમાર્ગમાં ઉપયોગી શિખામણોના કર્તાના મુખથી નીકળતી મોહનનેલ જેવી મનોહર વાણી હિતકર હોવાનું જણાય છે. વ્યવહારથી પર થના૨ વ્યક્તિ ઘણી વાર વ્યવહારને સાચી રીતે ઓળખી શકે છે. કવિ વીરવિજયજીએ ફક્ત એક જ વરસ જેટલું લગ્નજીવન ભોગવ્યા છતાં તેમની રચનામાં સમાજીવન વ્યવહારદક્ષતાના દર્શન થાય છે.
પંડિત કવિ વીરવિજ્યજી માટે સ્વસંવેદના
જ્યારે મોગલસલ્તનતે હિંદ ઉપર પકડ જમાવી ત્યારે દક્ષિણ હિંદમાં ચૈતન્યમહાપ્રભુનો ભક્તિજુવાળ ઊભો થયો અને હવેલી સંગીતનો સૂર્ય લગભગ સમગ્ર હિંદમાં મધ્યાહ્ને તપવા લાગ્યો. રાધાકૃષ્ણની ભક્તિ શૃંગારથી છલોછલ છલકતી, શ્રુતિમધુર દેશીઓની અપૂર્વ રાગ-રાગિણીઓમાં બંધાયેલાં ભક્તિગીતોની છાકમછોળ સમગ્ર ગુજરાતને રસતરબોળ કરી રહી હતી, ત્યારે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુર્જર સાહિત્યના પૂર્વાંચલ ઉપર જૈન પરંપરાના પ્રેમલક્ષણા ભક્તિના ઉત્કૃષ્ટ રસકવિ પંડિત વીરવિજયજીનો ભારે દમામદાર ઉદય થયો જે જૈનોના દયારામ તરીકે ઓળખાયા.
બહુમુખી પ્રતિભાના ધની એવા પૂજ્યશ્રીએ ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવી બહુઆયામી રચનાઓ કરી. તેમની ખૂબી કહો કે વિશિષ્ટમાં વિશિષ્ટ લાક્ષણિકતા કહો, તેઓ ગજબના સમયજ્ઞ! સમકાલીન લોકવ્યવસ્થા, બોલી,
૧૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #64
--------------------------------------------------------------------------
________________
વ્યવહારના એકદમ નાડપારખુ વૈદ્ય. મધ્યકાલીન યુગ જાણે કે કથાયુગ જેવો હતો. ચાહે એ ઉપદેશતત્ત્વ હો, ચાહે ધર્મતત્ત્વ હો. એને કથાઓના માધ્યમે પ્રસરાવવામાં આવે તો ખૂબ લોકભોગ્ય બની જનમાનસ પર ઊંડી અને ઘેરી છાપ છોડી જાય.
વીરવિજયજીએ આ સમયની માંગને હૃદય સોંસરવી ઠેરવી અને તેમની રચેલી કોઈ પણ રચના એવી નહિ હોય જેમાં કથાનુયોગનો આશ્રય નહીં લીધો હોય. એમના સાહિત્યની વિષયવૈવિધ્યતા પર નજર કરતા એમનો અનેકાંતિક દૃષ્ટિકોણ આંખે ઊડીને વળગે છે. જૈન શાસનના ચાર સ્તંભ સમાન ચાર અનુયોગના તાણાવાણા પોતાની કૃતિમાં જરીભરતની જેમ ગૂંથી લીધા છે. દ્રવ્યાનુયોગનો આવિષ્કાર કરતી તેમની રચનાઓ એટલે અધ્યાત્મસાર ટબો, અષ્ટાંગ યોગની ગહુંલી, ૪૫ આગમની પૂજા, ગણધરની સઝાય. ચરણ કરણાનુયોગનો આવકાર પામતી કૃતિઓમાં શ્રાવકશ્રાવિકાના ૧૨ વ્રતની પૂજા, દશાર્ણભદ્રની સક્ઝાય, નેમિનાથ વિવાહલો, પર્યુષણની ગહુલી, પાર્શ્વજિન આરતી, લાવણી, ઢળિયા, ચૈત્યવંદનો, મિચ્છામિ દુક્કડમ્ સઝાય, રોહિણી તપ સ્તવન, સમવસરણ સ્તવન જેવી રચનાઓ છે. ગણિતાનુયોગના ચોકઠામાં સમાય એવી ૨૮ લબ્ધિની ગહુંલી, ૯૯ પ્રકારી પૂજા, હિતશિક્ષા છત્રીસી, ૬૪ પ્રકારી પૂજા, સામાયિકના ૩ર દોષની સઝાય, ૪૫ આગમની પૂજા, મહાવીર પ્રભુના ૨૭ ભવનું સ્તવન, ૧૨ વ્રતની પૂજા, મુહપતિના ૫૦ બોલની સઝાય, ૩૫ વાણી ગુણગર્ભિત સ્તવન, પ૨ જિનાલયનું ચૈત્યવંદન, પ્રશ્નોત્તર ચિંતામણિ. કથાનુયોગથી જેનો જન્મ અને કથાનુયોગમાં જ જેનું વિલીનીકરણ એવા રાસાઓ, બારમાસા, એમનું રચેલું સમગ્ર પૂજાસાહિત્ય, સ્તવનો, ગહુંલીઓ, ચરિત્રો, સ્થૂલિભદ્રની શિયળવેલ, તેમની વાણી વૈખરીથી આરંભી પરા સુધી પહોંચી અસ્મલિતપણે વહે છે.
આમ સમગ્રપણે વીરવિજયજીના વ્યક્તિત્વનું વિહંગાવલોકન કરતા આપણા મુખમાંથી ઉગાર સરી પડે. વીરે ખરેખર વીર (મહાવીર)ની ધરોહર સંભાળી છે.
સંદર્ભ ગ્રંથસૂચિ (૧) ઐતિહાસિક જૈન ગુર્જર કાવ્યસંચયઃ સં. મુનિ જિનવિજયજી (૨) પંડિત વીરવિજયજીનો ટૂંકો પ્રબંધ: લે. ગિરધરલાલ હિ. શાહ (૩) પંડિત વીરવિજયજીનું જન્મચરિત્ર: લે. શ્રી મોતીચંદ કાપડિયા (૪) વીર નિર્વાણ રાસ: કવિ રંગવિજય (૫) વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ: સં. કાંતિભાઈ બી. શાહ (૬) કવિ પંડિત વીરવિજયજી – એક અધ્યયન: લે. ડૉ. કવિન શાહ (૭) મહાસતી સુરસુંદરીનો રાસઃ નામે ‘વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથમાં
હસુ યાજ્ઞિકનો લેખ
પંડિત વીરવિજયજી + ૧૫
Page #65
--------------------------------------------------------------------------
________________
(૮) ચંદ્રશેખર રાસઃ “વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથમાં. (૯) સ્થૂલિભદ્રની શિયળવેલઃ “સક્ઝાયમાલા' – ભીમશી માણેક (૧૦) ગહુલી સંગ્રહનામા: પ્રા. ખીમજી ભી. માણેક (૧૧) કાવ્યરૂપના વિવિધ તાણાવાણાઃ શ્રી જયંત કોઠારી (૧૨) જૈન પૂજા સાહિત્ય: લે. શત્રુની પી. ઝવેરી (૧૩) શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહઃ વિજયદાનસૂરીશ્વરજી (૧૪) સાર્થપૂજા સંગ્રહઃ પ્રકા. નમસ્કાર આરાધના કેન્દ્ર (૧૫) વિવિધ પૂજા સંગ્રહઃ પ્રકા. જસવંતલાલ શાહ (૧૬) સઝાય માલાઃ ભીમશી માણેક (૧૭) ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ (૧૮) ગુજરાતી સાહિત્ય પરિષદ બારમું સંમેલન (૧૯) ગુજરાતી સાહિત્ય પરિષદ સાતમું સંમેલન (૨૦) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨ (૨૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (૨૨) વીરવિજય કૃત પૂજાઓ: પ્રો. અનિલા દલાલ (૨૩) ‘હિત શિક્ષાછત્રીસી': સં. આ. વિજયધર્મધુરંધરસૂરિ
ડો. ફાલ્ગની પી. ઝવેરી ૩૦૧, રમણ પન્ના, સુભાષ રોડ, વિલે પાર્લે (ઈસ્ટ)
મુંબઈ-400057 મો.9930495745
૧૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #66
--------------------------------------------------------------------------
________________
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना'
रुपाली बाफना
[શ્રી રૂપાલીબહેન બાના ધુલિયા પાસેના નાના સેંટરમાં રહીને ખૂબ
મુશ્કેલીઓ વેઠીને પણ લગનપૂર્વક સંશોધનમાં કામ કરી રહ્યાં છે. પ્રસ્તુત લેખમાં તેમણે કવિ શ્રી હરસરાયજીની એક વિશિષ્ટ કૃતિનો પરિચય આપ્યો છે. – સં.] ग्रंथकर्ताका परिचयः
-
देवरचनाके प्रणेता कवि हरजसरायजी अभी-अभी लगभग २५० वर्ष पहले हुए है। तथापि इनका जन्म, मृत्यु या जीवनवृत्तांतके बारेमें परिचय टिकसे प्राप्त नहीं है। उनका संक्षिप्त परिचय ग्रंथोके आधार पर कुछ इस तरह मिलता है वे पंचनद प्रान्तवासी कसूर ( कुशपूर) निवासी थे। यह शहर पूर्व में अखंड भारत के लाहौर जिलेमें था। यह प्रदेश आजकल पाकिस्तान के अंतर्गत हैं। ऐसी मान्यता हैं की वे आचार्यश्री नागरमलजी म. के श्रावक तथा पंजाब स्थानकवासी परंपराके आचार्यश्री कुशलचंदजी के गुरुभ्राता थे। जैन सिद्धांतो के साथ अन्य मत-मतान्तरो पर भी उनका प्रभुत्व था। कहा जाता है की उन्होंने अन्य कई ग्रंथका भी प्रणयन किया परंतु वे ग्रंथ आज उपलब्ध नही है। उनकी उपलब्ध तीन रचनाये पंजाब में अत्यंत प्रख्यात है। (१) देवाधिदेव रचना ( २ ) साधु गुणमाला (३) देवरचना। तीनो ही कृतिया पटनीय, मननीय, धारणीय हैं।
(१) देवाधिदेव रचना: कविश्रेष्ठ हरजसरायजीने सबसे पहले वि.सं. १८६० में देवाधिदेव रचना लिखी। जिसमें परमेष्टी मंत्र के प्रथम दो देवपदो की स्तुति की है। अरिहंत और सिद्ध प्रभु के गुणोंका किर्तन इस रचना का प्रमुख विषय है, जिसमें ८५ पद हैं।
(२) साधु गुणमाला : देवाधिदेव रचना के माध्यम से अरिहंत और सिद्धप्रभु का किर्तन करने के बाद कविने गुरु पद के प्रति अपना समर्पण भाव साधु गुण-माला रचना में किया हैं । परमेष्टिमें आचार्य, उपाध्याय का भी समावेश हो जाता है अतः अपने आराध्य के गुणोंकी माला पिरोनेमें कविने विद्वत्ता का परिचय दिया हैं। इसके कुल १२५ पद है और रचना का काल वि. सं. १८६४ हैं ।
(३) देवरचना: पंच परमेष्टि के चरणों में देवता भी वंदन करते है इसलिये कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + १७
Page #67
--------------------------------------------------------------------------
________________
दो ग्रंथो के बाद कविने देवगति को अपनी रचना का विषय बनाया है। यह अद्भुत छंदवद्ध काव्यविद्या हैं जिसमें देवगति के साथ कविने अन्य कई सिद्धांत, इतिहास व तत्त्व की वातों का समावेश किया है। इसमें ८४३ पद है और रचनाकाल है संवत १८७०। ___कविवर्य हरजसरायजी की ये तीनो ही कृतिया श्रुतसागर की विंदु होते हुए भी विराटता से मंडित, लघु होते हुए भी महद् हैं, विशद् है। भाषाः
देवरचना छंदवद्ध काव्यरचना है। जिसमें कुल ८४३ छंद, दोहरे, सर्वेय आदि है। प्रत्येक समाज की अपनी एक सहज भाषा होती है। कवि जिस समाज में रहता है प्रायः उस समाजकी बोलीभाषामें ही वह लिखता है। महाकवि हरजसरायजी के समयमें कुशपूर (पाकिस्तान) समाजकी भाषा में पंजाबी, उर्दू, फारसी, अरवी, आदि भापाओं को अपने में समेटे हुए हिंदी भाषा बोली जाती थी। स्वयं कवि न्याय, व्याकरण, साहित्य और आगममर्मज्ञ होने के साथ संस्कृत, प्राकृत भापाओं पर भी प्रभुत्व रखते थे इसलिए इन छंदो में उक्त भाषाओं का पुट सहजता से दिखाई देता है। जो विपय असहज है उनके लिये कविने पूर्ण संस्कृतनिष्ट अथवा पूर्ण प्राकृतनिष्ट भापाका प्रयोग किया है। जैसे अरिहंतत्व, सिद्धत्व, जिनवाणी महिमा आदि। महत्त्वपूर्ण वात यह है कि विपय के अनुरुप चित्रालंकारमयी, चित्रमयी, संगीतमयी, दार्शनिक, सांकेतिक आदि भापाओं का सुंदर प्रयोग किया है। अनुवादः
(१) प्रस्तुत ग्रंथ देवरचना का हिंदी अनुवाद स्व. पूज्य आचार्य श्री सोहनलालजी म. के शिष्य मुनिश्री ताराचंद्रजी म. संवत् २००९ में कर चुके है। यह अनुवाद देववाणी के नाम से तीन भागो में प्रकाशित है। श्री वर्धमान स्थानकवासी शासन धर्म समिती, भिवानी (हिसार) ने इसका प्रकाशन संवत् २००९-२०१० में किया है।
(२) स्वामी श्री गोविंदरामजी महाराज के शिष्य मुनिश्री छोटेलालजी महाराज(पंचनदीय) ने देवरचना के मूलपाटका संशोधन दो हस्तलिखित प्रतियोंमें किया तथा पदच्छंद स्वयं की बुद्धि के अनुसार किया है।
(३) देवरचना का हिंदी भाषा में सरल, रोचक व स्पष्ट अनुवाद वर्तमान में महासती डॉ. मंजुश्री म. ने अत्यंत श्रम, निष्ठा व समर्पण भावसे किया है। यह अनुवाद जनजन को सहजतया देवगति का विशद ज्ञान कराता हैं। महासती डॉ. मंजुश्री म.ने इस संदर्भमें अनेकानेक आगमिक प्रमाण भी प्रस्तुत किये है। जैसे भगवती सूत्र, कल्पसूत्र, उत्तराध्ययन सूत्र, प्रज्ञापना सूत्र, जम्बूद्वीप प्रज्ञप्ति आदि। देवरचना का हिंदी अनुवाद कर आपने साहित्य भंडारमें अमुल्य निधि भेट की है। आपकी यह श्रुतसेवा चिरस्मरणीय रहेगी।
૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #68
--------------------------------------------------------------------------
________________
ग्रंथ विषयः
यथानाम देवगतिका स्वतंत्र चिन्तन इस ग्रंथ का मुख्य प्रयोजन है। भवनपति, व्यन्तर, ज्योतिष्क और वैमानिक देवो के शरीर, अवगाहना, आयु, संघयन, संस्थान, संज्ञा, लेश्या, कषाय, इंद्रिय, वेद, शक्ति, ज्ञान, अज्ञान, योग, उपयोग, आहार, गति, स्थिति आदि सभी पैलू प्रस्तुत ग्रंथ के विषय बने है। विविध छंदोके माध्यम से कविने देवताओके विशेष लक्षणों का चित्र प्रदर्शित किया है। ग्रंथ के उत्तरार्धमें सिद्ध भ. की तथा जिनवाणी की महिमा अनेकानेक उपमाओ के माध्यम से की गई है। तीर्थंकरो के अतिशय, कल्याणक, तीर्थंकर गोत्र बंधन के २० बोल, कर्म, प्रकृति, गति आगति, आदि कई थोक, बोलों पर भी चिन्तनात्मक प्रकाश डाला है। विविध छंदो की रचना, बंधो की चित्रमय प्रस्तुति और अलंकारो का प्रयोग यह इस ग्रंथराज की अनोखी पहेचान है। जैन शासनमें प्रभावः
समकित रस से ओतप्रोत यह अंसी रचना हैं जिसे गानेसे, पढने-सुनने से या चित्तमें धारण करने से अद्भुत आनंद प्राप्त होता है। ज्ञान और सद्बुद्धि में वृद्धि के साथ यह आराध्य के प्रति निष्टा, भक्ति व समर्पण भाव जगाती हैं। चाहे इसकी विषयवस्तु देवगति है पर स्थानस्थान पर यह मनुष्य गतिकी दुर्लभता का, महानता का स्पष्ट बोध कराती है। इस रचनाका सृजनात्मक पहलु यह है की यह आत्मवादी धारणा को पुष्ट करती है। साधक को जैन इतिहास, जैन दर्शन व सिद्धांत से अवगत कराती है। देव, गुरु और धर्म के प्रति आस्था दृढ वनाती है। अपनी रचना के हेतुओं को दर्शाते हुए कवि लिखते हैं कि पांच कारणो से प्रेरित होकर मैने यह देवरचना लिखी (दोहा ८३७)
(१) जैन धर्मको जगत् में दिपाने के लिये। (२) संसार का स्वरूप बताने के लिये। (३) कर्म निर्जरा के लिये। (४) ज्ञानवृद्धि के लिये। (५) अविचल क्षेत्र मुक्ति पाने के लिये।
इस रचना हृदय, बुद्धि और कंट का संमिश्रण है। इसका स्मरण करते हुए हम हृदय से सोचते हैं, बुद्धि से अनुभूति करते हैं और कंटसे मधुर संगान करते है। चाहे छंद, बंध व अलंकार इनका व्याकरण जटिलतम विषय है पर भापा, लय, तान, गति का असा सुमेल कविने साधा हैं जिससे विस्मृति के कगारपर खडी इस काव्यशैली को पुनः नवजीवन मिलना अपेक्षित हैं। देवरचना - शब्द विन्यासः
देव और अपर शब्दरचना इन दो शब्दों को मिलाकर देवरचना शब्द बना हैं। इन दोनो शब्दो के सात सामासिक रुप बनते हैं - तद्यथा
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + १८
Page #69
--------------------------------------------------------------------------
________________
(१) देवरचासौ रचनाः देवरचना (२) देवम् रचनाः देवरचना (३) देवेन रचना ः देवरचना (४) देवाय रचनाः देवरचना (५) देवात् रचना ः देवरचना (६) देवस्य रचना ः देवरचना (७) देवे रचनाः देवरचना
देवरचनामें 'देवस्य रचना' यह षष्टी विभक्ति परक अर्थ घटित होता हैं अर्थात् देवकी रचना या देवसम्बन्धी रचना। देव कौन ? भूदेव, गुरुदेव, नामदेव, स्थापनादेव, द्रव्यदेव, भावदेव या वैदिक धर्ममें मान्य अग्निदेव, वायुदेव आदि आदि। यहां देवरचना ग्रंथमे देव अर्थात् देवगतिमें स्थित देव जो चार प्रकार के हैं - भवनपति, व्यन्तर, ज्योतिष्क और वैमानिक। देवरचनाः छंद विधानः
छंद - छंदवद्ध रचना काव्यसाहित्य की वह विधा है, जिसमें वर्ण और मात्राओं का विशिष्ट तालमेल, सुमेल होता है। जो अलग अलग सूर, ताल, लय, गति, यति, तुक, आरोह, अवरोह के साथ गाया जा सके वह छंद कहलाता है। छंदको समझने के लिये अवयवों को जानना जरूरी है यथा -
यति - छंदको गाते या पढते हुए वीचमें कुछ रुकना पडता हैं उस स्थान को गद्यमें अर्थविराम और पद्यमें यति कहते हैं।
गति - छंदको लयमें आरोह-अवरोह के साथ पढा जाता है अथवा गाया जाता हैं, छंदकी इस लयको गति कहते है।
तुक - पद्य रचनामें चरणांतक साम्यको तुक कहते हैं अर्थात् पदके अंतमें एक जैसे स्वर वाले एक या अनेक अक्षर आते है उन्हे तुक या छेकानुप्रास कहा जाता है।
चरण - छंदकी प्रत्येक पंक्तिको चरण कहते हैं। प्रायः सभी छंद चार चरण के होते है। कुछ छंद दो चरणवाले (मरहटा) या छ: चरणवाले (छप्पय, कुंडलिया) भी होते है। छंदके भेदः (१) वार्णिक छंद (२) मात्रिक छंद
(१) वर्गों की विविध प्रकार की संयोजना से बने हुए छंद वार्णिक छंद हैं।
वर्ण दो प्रकार के होते है - एक मात्रिक और द्विमात्रिक। एक मात्रावाले वर्ण को लघुवर्ण तथा दो मात्राके वर्णको गुरुवर्ण कहते है। लघुका संकेतचिह्न ।' है और गुरुका संकेत चिह्न '5' हैं।
मात्राके आधारपर वर्णोंका उच्चार होता हैं अतः वार्णिक छंद मात्राप्रधान होते है पर मात्रिक छंदोसे भिन्न, बहुरंगी होते है। वार्णिक छंदो को समझने के ૨૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #70
--------------------------------------------------------------------------
________________
लिये एक पंक्ति ध्यानमें रखनी आवश्यक हैं ‘य मा ता रा ज भा न स ल गा।'
तीन वर्णोका समुह गण कहलाता है। उक्त पंक्तिके आट गण होते है जिनका नामकरण गणकं प्रथम अक्षर से समझना चाहिये। आट गण -
(१) य गण - ‘यमाता' - पहला वर्ण लघु, दुसरा और तिसरा गुरु होता हैं। (२) म गण - ‘मातारा' - तीनो वर्ण गुरु होते हैं। (३) त गण - 'ताराज' - इसमे दो वर्ण गुरु एक लघु होता हैं। (४) र गण - ‘राजभा' - इसमे गुरु, लघु, गुरु इस तरह तरहसे वर्ण होते हैं। (५) ज गण - 'जभान' - इस गणमें लघु गुरु लघु इस प्रकार वर्ण हात हैं। (६) भ गण – “भानस' - गुरु लघु लघु इस प्रकार वर्ण होते हैं। (७) न गण - ‘नसल' - तीनो वर्ण लघु होते हैं। (८) स गण - ‘सलगा' - लघु लघु गुरु वर्णोका संयोग हैं। (२) सिर्फ मात्राओ के आधार पर बननेवाले छंदो को मात्रिक छंद कहते है।
कवि श्रेप्ट हरजसरायजीने इस ग्रंथमें वार्णिक और मात्रिक दोनाही प्रकारके छंदोका प्रयोग किया है। देवरचनामें प्रयुक्त छंदः
देवरचना अध्यात्मरससे ओतप्रोत काव्यरचना हैं जिसमें कविने कुल २५ छंदोका (वार्णिक और मात्रिक) विस्मयकारी प्रयोग किया है यथा १) दोहरा, (२) मत्तगयंद, (३) शंकर, (४) सर्वय्या, (५) चौपाई, (६) मालती, (७) मालिनी, (८) सारंगी, (९) साटक, (१०) आडिल्ल, (११) मरहटा, (१२) कडका, (१३) कवित्त, (१४) कामणी माहना, (१५) सोरटा, (१६) वसंत तिलका, (१७) गीया, (१८) छप्पय, (१९) इंद्रवजा, (२०) दुमल, (२१) द्रुतविलंव, (२२) भुयंगप्रयात, (२३) रसावल, (२४) नाराच, (२५) कामधेनु कवित्त। प्रसंगवश कुछेक छंदोपर ही यहां प्रकाश डाल रहे है।
___ दोहराः हिंदी में इसे दोहा भी कहा जाता है। जिसके चार चरण होते हैं। पहले और तीसरे चरणमें १३ मात्राये दूसरे और चौथे चरणमें ११ मात्राये हाती है। बहुप्रचलित इस छंदमें कविने कई प्रयोग किये है। एक दोहेमें बारह स्वरोंका अनुक्रम से कथन किया है तो एक स्थानपर " वर्णकी वारहखडी को पाँच प्रश्न व एक उत्तरके साथ जोड दिया है। एक दोहरे में मात्र ‘स' वर्णकी प्रस्तुति से शिप्यकी विशेपताओं का निरुपण किया है। एक नौकाके आकारमें लिखा जा सकं असा भी दोहरा हैं जिसका नाम हैं - नाविका वंध दोहरा। एक दोहरे में केवल लघुवर्णा का तो एक में केवल गुरुवर्णो का प्रयोग किया है। एक दोहरा यमक अलंकार में लिखा हैं तो एक चक्रबंध दोहरा भी है जिसमें एक भी संयुक्ताक्षर नहीं है।
मत्तगयंदः यह वाणिक छंद है जिसके दो चरण होते है। कविने जिव्हा दांत और होटोंका स्पर्श न करे, सिर्फ उन्ही वर्णोका प्रयोग करके कोई मत्तगयंद छंद
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + २१
Page #71
--------------------------------------------------------------------------
________________
बनाया हैं तो किसीमें बार बार होठोंको बंद करना पडे, जैसे रसनाबंध मत्तगयंद छंदकी रचना भी कविने कि है। एक मत्तगयंद छंदके प्रत्येक चरणके आधे वर्णाको उलटा करे तो चरणका दुसरा भाग बन जाता हैं और इतना सुंदर साकिया, स्वस्तिक का चित्र बनता हैं की देखते रह जाय।
वसंततिलकाः यह वार्णिक छंद हैं जिसमें १४ वर्ण होते है। यह छंद जैन स्तोत्र साहित्यका लोकप्रिय छंद है। भक्तामर और कल्याणमंदिर जैसे कई प्रसिद्ध छंद इस रचनामें लिखे गये हैं कविने इस छंदमें अष्टकोन पदाकार चित्रकृतिमें जिनश्वर भगवान की स्तुति कि है। इसमें विशेषता यह हैं कि पहले चरणका अंतिम अक्षर दुसरे चरणका प्रथम अक्षर हैं यावत् दूसरे - तीसरे चरणका अंतिम अक्षर तीसरे - चौथे चरणका प्रथम अक्षर हैं और चौथे चरणका अंतिम अक्षर पहले चरणका प्रथमाक्षर है। (छंद ४८५)
__ छप्पयः इस छंदमें छह चरण होते हैं। कहीं सर्व मुक्ताक्षरों का, तो कहीं असंयुक्ताक्षरों का तो कहीं सर्व लघु अक्षरों का प्रयोग कर कविने छप्पय छंदमें अभिनव प्रयोग किये है। छप्पय छंदम कविने ज्ञानियों के, देवाके और संसारीयों के नौ रसोंका सटिक वर्णन किया है। (१) शृंगार रस, (२) वीर रस, (३) करुणा रस, (४) हास्यरस, (५) रौद्ररस, (६) भयरस, (७) विभत्स रस, (८) अद्भुत रस, (९) शांतरस। एक छप्पय में तो संसारी जीवोक ५६३ भेद बडी कुशलतास कविन गिना दिय है। (छंद क्र. ५११)
सवैय्याः इस छंदके प्रत्येक चरणमें ३१ या ३२ मात्राये होती हैं अतः १६ और १५ या १६ और १६ पर यति होती है। कई सवैय्यामें असे चित्रांलकार चित्रित किये हैं की केवल चित्रके आधारपर सवैय्या सामने न हो तो पाटक के दिमागकी अच्छी कसरत हो जाये। एक सवैय्यमें कविने सभी हृस्व वर्णोका प्रयोग किया हैं तो एकमें सभी दीर्घ अक्षरोंको काममें लिया है। कामधेनु कवित्त रचनाः
कविप्रतिभाका अप्रतिम उदाहरण हैं कामधेनु कवित्त रचना - जिसमें एक ही विपय, एक ही भावका कविन दोहा, मत्तगयंद, चौपाई, सोरटा, अडिल्ल तथा कवित्त छंदामें प्रकट किया है। उस दोहेका भावार्थ है श्री जिनचंद मुनिंदका वंदन देव और मनुप्यकं लिये हितकारी हैं। उनकी काय पाप नष्ट होते है, उनके ध्यानसे भयका निवारण होता है। उनके ज्ञानसे आत्मा अपने स्वरूपका विस्तार करती है। (छंद ४१७५०५)
देवरचनामें प्रयुक्त अनेकानेक छंद वाग्देवीके कृपापात्र महाकवि हरजसरायजीकी व्युत्पन्न प्रतिमा, छंदशास्त्रकी मर्मज्ञता तथा अक्षरज्ञानकी व्यापकताका दिग्दर्शन कराते है।
૨૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #72
--------------------------------------------------------------------------
________________
देवरचनामें प्रयुक्त बंधः
देवरचनाके छंदोको कई स्थानपर सुंदर चित्राकृति अलंकारोकी जोड मिलने से उन छंदोका सौष्टव सोनेमें सुहागा हो गया है। विविध छंद व बंधको ग्रंथके विपयके साथ साधना अर्थात मणिकांचन योगको साधना है। प्रस्तुत कृतिमें कमलवंध, चक्रबंध, सरवरबंध, सरुबंध, सेहरावंध, नाविका वंध, रसना बंध, वृक्षबंध, छणकणा बंध, चौपड बंध, साथिया बंध आदि बंधोका प्रयोग हुआ है। एक एक विपय के लिये एक एक छंदको चुनना, अलग अलग चित्रालंकार बनाना और छोटे से छोटे छंदमें व्यापक अर्थकी, व्यापक भावो की प्रस्तुति करना महाकविकी विद्वत्ताका द्योतक हैं। देवरचनामें प्रयुक्त प्रहेलिका अलंकारः
प्रहेलिका अलंकार के दो भाग होते है - अतंरलापिका और वहिापिका। दोनो ही अलंकारोका कवि श्रेष्ठ हरजसरयजीने अपनी कृतिमें रंजकता के साथ उपयोग किया है। जिस प्रहेलिकामें प्रश्न के शब्दमे ही उसका उत्तर गर्भित हो उसे अंतरलापिका कहते है। जिस प्रहेलिका में उत्तर उसके शब्दोमें निहित नहीं अपितु उसके लिये अलग से दिमाग लडाना पडे, उसे वर्हिलापिका कहते हैं। दोनों ही अलकारोंको पहेलीयोमें रचनाकर कवि श्रेष्टने अपनी कृतिकी रंजकता और व्यावहारिकता वढा दी हैं। एक छप्पय छंद के छह चरणो में कविने ग्यारह प्रश्न और उनका उत्तर गुंफित किया है। छंदके अंतिम चरणका पद्यांश 'ऋपभादिक तिरणकरण' इन ग्यारह अक्षरोमें प्रत्येक अक्षरको अंतमें 'ण' वर्ण लगाने से ग्यारह प्रश्नो के ग्यारह उत्तर मिल जाते है। छप्पय छंदका पद्यांश 'दिवाली की रात' इन छह शब्दामें कविके सात प्रश्नो के उत्तर मिलते है। इसी तरह एक सर्वय्येके चार चरणमें वारह प्रश्न पूछे गये हैं और सवका उत्तर एकाक्षरी है। अंतिम पद्यांश 'चन भुपण कंज सुंगधी' मे ग्यारह प्रश्नो के क्रमशः उत्तर लिये गये है। एक सवैय्या में तो कविने अपनी प्रतिभा कौशलका असा चमत्कार किया है कि जो प्रश्न के शब्द है, अक्षर है; वही शब्द वही अक्षर उसका उत्तर भी है। वह सभी पहेलिया इतनी रोचक और मार्मिक हैं कि सहज ही पाटक का मन कविकी प्रतिभाको दाद देना चाहता है।
विषय-निरुपण देवगतिः
संसारके सभी आत्मवादी दर्शनाने गति चार मानी है - नरक, तिर्यंच, मनुष्य और देव। सन्नी तिर्यंच और सन्नी मनुष्य की गति देवलाी हो सकती है। सराग संयम, संयमासंयम, अज्ञान तप और अकाम निर्जरा ये देवगति के चार कारण है। देवलोी भूमि श्रेष्ठ है। वहां वर्ण, गंध, रस और स्पर्श शुभ ही शुभ होते हैं। देवलोकमें कंकर, कांटे, किचड, धुल आदि अपवित्र वस्तुए विलकुल नहीं है। वहां
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + २३
Page #73
--------------------------------------------------------------------------
________________
पशु, पक्षी, मनुष्य या विकलेंद्रिय प्राणी भी नहीं है। स्वर्ग में नित्य ही दिव्यप्रकाश रहता है अतः रात्रि और दिन नहीं होते। यह ऐसा दिव्यक्षेत्र है जहां आकाशमें कोई विकार नहीं आता। न तो सूर्य अधिक तप्त होता हैं और न चंद्र अधिक शितल होता है और न ग्रहोंका प्रकोप होता हैं। वहां सदा सुखदायी वसंत ऋतु रहती हैं सुगंधीत पवन मंदगति से वहता है। सुगंधित मिटे जलसे भरी बावडीया हैं, सरोवर है, पर्वत है अनको वृक्ष, लताये उद्यान, वनखंड और मंदिर है। इस प्रकार की रचना स्वर्ग में प्राकृतिक है, कृतक नहीं। वहां के भवन और विमान दिव्य है। भवनपति और व्याणव्यन्तर दवोंका निवासस्थान भवन कहलाता है। ज्योतिष्क और वैमानिकांके निवासस्थान विमान होते है। विमानो पर, भवनो पर उंची उंची श्रेष्ट ध्वजा पताकार्य लहराती है। मणि-मातियोंकी चमकसे ये विमान सदा दिप्त रहते है। उनमें दुर्दूभी और घंटोके मनोहर नाद हात रहते है। नाटक और गीत चलते रहते है। देवला' देवता पांचा इंद्रिया व ताना योगकं विपयसुखोंका मनोज्ञ आनंद निरंतर लेते रहते हैं। कहा गया है कि स्वर्गिय भागविलासमें लिन देवता भी मनुष्य लोकमें आना चाहते है पर आ नहीं सकते है इसके कारण हैं -
(१) मनुष्य लोक भयंकर अपवित्र और दुर्गंध युक्त होनेके कारण यहां आनेकी इच्छा मिट जाती हैं, (२) स्वर्गिय सुपुम्ना वैभव और देवांगनामें उन्हे महारस मिलने के कारण उस लोकसे प्रेम हो जाता हैं, (३) इस लोक सम्बंधी प्रेम दिलसे हट जाता हैं। अभी कछ समय यहां विताकर जाऊंगा असा सोचते सोचते वे समय वीता देते है।
देवता इस लोकमें क्यु आते हैं, उन कारणा की भी कविने चर्चा कि है।
(१) तीर्थंकर भ. कं जन्म, दिक्षा, कैवल्य व निर्वाणपर तथा तीर्थंकरके वंदन पूजनके लिये देवता पृथ्वीलोकमें आते हैं (२) घोर तपस्वी या ज्ञानीमुनिकी उपासना के लिये, (३) पूर्वजन्माकं स्वजनाकं माहवश अथवा वैरका वदला लेने के लिये, (४) उत्कृप्ट मंत्राराधना या ध्यानसाधना से आत्कृप्ट होकर देवता मनुष्यलोकमें आते है।
आगे छंद ३६३ में कविन कहा है संसारमें अनेक लोग देवताओंकी सेवा करते है, मंत्र लिखते हैं ध्यान करते है, देवगतिकी वांछा करते है परंतु जिनेश्वर भगवानने देवगतिसे मनुष्यगतिको ज्येष्ट, श्रेष्ट माना है। देवता भी संयभी को वंदन, नमस्कार करते हैं, मनुष्य जन्म पाने के लिये तरसते है क्योंकि मुक्तिका मार्ग मनुष्यगति से जाता है, देवगति से नहीं। उत्कृष्ट ज्ञान, दर्शन, चारित्र की आराधना केवल मनुष्य गति से ही संभव है।
देवताओं की विशेषताये (१) जन्म और शरीर के लक्षणः
देवों का जन्म गर्भस नहीं होता हैं वे देवशय्या पर उत्पन्न होते है। प्रारम्भमें अर्थात जन्मसे एक अन्तर्मुहूर्तपर्यंत उनकी अपर्याप्त दशा होती हैं उस समय उनके
૨૪ - ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #74
--------------------------------------------------------------------------
________________
ज्ञान आदिका विकास नही होता है । अन्तर्मुहूर्तकं बाद उनका शरीर पर्याप्त होता हैं, पूर्ण तैय्यार हो जाता है। देवोकी वाल्यावस्था एक अन्तर्मुहूर्त है तत्पश्चात वे युवा दिखने लगते है।
देवीके शरीरमें हड्डी, खुन, मांस नही होता हैं। उनका श्वास सुगंधित होता है। उनको रोग नही आता, बुढापा नही आता । देवोंका शरीर वैक्रिय होता हैं और शुभ परमाणुओसे बना होता है। उनको कभी आलस्य, थकान या निंद नही आती । उनके शरीर पर पसिना नही आता, कान नाक, आंख और जीभ पर मैल नही जमता। उनके मल, मुत्र, कफ नही आते, वे सदा पवित्र रहते है। उनके शरीर की परछाई नही पडती । उनके फुलोंकी माला कभी मुरझाती नही है । उनकी पलके कभी झपकती नही है । उनके पैर भूमिका स्पर्श नहीं करते है। वे आकाशगामी होते है। देवताओंमें समचतुरस्त्र संस्थान होता है । भवनपतिसे लेकर दुसर देवलांक तक शरीरकी अवगाहना, उंचाई सात हाथकी है उसके आगे घटते घटते पांच अनुत्तर विमानांमें एक हाथकी अवगाहना है।
(२) रंग / वर्ण:
देवताओंके शरीर के रंग अनेक प्रकार के होते है। कुछ देवता देदिप्यमान स्वर्ण वर्णके होते हैं तो कुछ गौरवर्णी होते हैं। कुछ देवता श्यामवर्णी होते हैं तो कोई देवता शंखवर्णी या नीलवर्णी होते हैं। कोई देवता लालमणिकं समान रक्तवर्णी होते है | शरीरका वर्ण चाहे कैसा भी हो सभी प्रकारके देवता सुंदर, आकर्षक, मनोहारी लगते है। वे अनेक प्रकारके रुप धारण कर जब अपने विमानमें चढते हैं या वाहन पर सवार होते है तो वहीत ही सुशोभित होते है। (३) लिंग:
तीनो ही लिंगवाले, स्त्रीलिंग, पुरुषलिंग, नपुसकलिंग जीव देवगतिमें जा सकते हैं और देवगति से निकलकर जीवको तीनो ही लिंग प्राप्त हो सकते है परंतु दंवगतमें दो ही लिंग पाये जाते हैं स्त्रीलिंग और पुरुपलिंग । देवताओंमें नपुसकलिंग नही होता है। जीव यदि आराधक हो तो देवगतिमें पुरुपलिंग ही प्राप्त होता हैं और यदि विराधक हो तो स्त्रीलिंग या पुरुपलिंग दोनांमे से कोई भी वन सकता है। (४) लेश्याः
जिसके कारण कर्म आत्माको चिपकते है, वंधको प्राप्त होते हैं उसे लेश्या कहते है । लेश्या छह है कृष्ण, नील, कापोत, तेजस, पद्म और शुक्ल । प्रथम तीन लेश्या अशुभ है जो अधोगति का कारण है और अंतिम तीन शुभलेश्या है जो उच्चगति का कारण है । भवनपति और व्यन्तर देवोमें प्रारंभकी चार लेश्याए होती है, ज्योतिपी और पहले दूसरे देवलोक में तेजोलेश्या होती है। तीसरे से पाचवे तक पद्मलेश्या होती है। छट्टे से छब्बीसवे देवलोक में शुक्ल लेश्या होती है।
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + २५
Page #75
--------------------------------------------------------------------------
________________
(५) आहार:
देवताओं का आहार निहार दृश्य नही होता है। देवता कवलाहार अर्थात मुंहमे ग्रास डालकर आहार नहीं करते हैं। जब देवताओंको भूख लगती है तव भोज्यपदार्थ की कंवल सुगंध लेनमात्रसे तृप्ती हो जाती है। उत्तम देवता भूख लगनेपर सुधा, फल, पक्वान्न मेवा, मिष्टान्न आदि शुभ पदार्थोकी सुगंध लेते हैं और निम्न जातिक देवता मद्यमांस आदि अभक्ष्य पदार्थोकी दुर्गंध लेते है । आहारके संबंध में यह नियम है की जघन्य आयुवाले देवोंको एक दिनके अंतरसे भूख लगती हैं अर्थात् दस हजार वर्षकी आयुवानं देव एक-एक दिन वीचमें छोडकर आहार लेते है । पल्यांपमकी आयुवाले देव दो दिन से लेकर नऊ दिनके अंतरसे आहार लेते है। सागरोपमके विषयमें यह नियम है की जिनकी आयु जितने सागरोपमकी हो, उतने हजार वर्ष के वाद आहार लेते है। देवताओंका आहार दो प्रकारका है। आभोग निर्वर्तित और अनाभोग निर्वर्तित। आभोग निर्वर्तित अर्थात ज्ञानपूर्वक आहारकी अभिलापा, कमसेकम एक दिवस के पश्चात और अधिकसे अधिक सहस्र वर्ष से अधिक समय पश्चात होती है। अनाभाग निर्वर्तित अर्थात् अज्ञानता से इप्सित आहारकी अभिलापा देवों की निरंतर होती है।
-
(६) वाहनः
देवोंकं वाहन अनेक प्रकार के होते हैं यथा हाथी, घोडा, बैल, भैसा, शेर, हिरण, सर्प, मोर, हंस, गरुड आदि । किन्ही किन्ही देवताओ के वाहन गधा और कुत्ता भी है।
(७) अवधिज्ञानः
देवता अवधिज्ञानसं तीनों कालकी बात जानते हैं । भवनपति और व्याणव्यन्तर देवोंका अवधिज्ञान उर्ध्वदिशामें अधिक होता है। ज्योतिपी देवताओंका अवधिज्ञान तिरछी दिशामें अधिक होता है। वैमानिक देवताओंका अवधिज्ञान अधोदिशामें अधिक होता है। पहले दुसरे देवलॉ देवता पहली नरक तक देख सकते हैं, तीसरे, चौथ 'देवलॉ' देवता दुसरी नरक तक, पांचवे छटे देवलों' देवता तीसरी नरक तक, सातव आटव देवला' देवता चौथी नरक तक, नववं, दसवें, ग्यारहवे बारहवे देवलो' देवता पाचवी नरक तक देख सकते हैं तेरहवे से अटारवे देवलो' देवता छटी नरक तक देख सकते है । उन्निससे इक्किसवं देवला देवता सातवी नरक तक देख सकते है। बावीससे पच्चीसवे देवला देवता अधोदिशामें कुछ न्युन सवकुछ देखते हैं। पाचवे अनुत्तर विमानवासी देवता अधोदिशामें सबकुछ देखते हैं तात्पर्य यह हैं की भवनपति और व्याणव्यन्तरमें जघन्य अवधिज्ञान होता हैं, पाच अनुत्तर विमानोमें उत्कृष्ट अवधिज्ञान होता है । द्रव्य, क्षेत्र, काल, भावकी अपेक्षासे देवोके अवधिज्ञान के असंख्य भेद जिनवाणीमें कहे गये है।
૨૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #76
--------------------------------------------------------------------------
________________
(८) कामभोगः
भवनपति, व्याणव्यन्तर, ज्योतिषी और पहले दुसरे वैमानिक देवलोक तक देविया उत्पन्न होती है इसके आगे सिर्फ देव ही उत्पन्न होते है। देवलोकमें कुछ देविया स्वामीगृहीता है तथा कुछ वेश्याके समान हैं, वे सभी रूपकी निधान है। कामक्रिडाकी विधियोमें प्रविण है। जब देवताओं के मनमें कामविकार पैदा होता है तो कोई देवता अपनी ही देवीके साथ रमण करते हैं तो कोई देवता कुवुद्धिके कारण दुसरे देवताकी देवीके साथ भोग भोगते है और कोई वेश्याक समान देवीके साथ भाग भोगते है। वैक्रिय शरीर का लाभ उठाते हुए विविध प्रकार का रूप वनाकर तरुण देवियोके साथ देवता भोग विलासमें मस्त रहते हैं। इस प्रकार पहले दुसरे देवलोकमें शरीरसे भोग भोगते हैं अर्थात मनुष्यवत सहवास करते है। तीसर चौथमें स्पर्शमात्रसे भोग भोगते है। पाचवे छटमें रूप अवलोकनस तृप्ती हो जाती है। सातवे आटवे में वचनपालनसे तृप्त होते है। नवे से वारहवे देवलोकमें मनमात्रसे मैथुनसेवी होते है। तात्पर्य यह है कि कल्पवासी एकसं बारहवे देवलो' देवताकामवली होते है। इसके आग कल्पातीत तेरहवसे छवासवे देवला' देवताओं को भोगकी इच्छा भी नहीं होती है। वे कामजयी होते है। (९) ऋिद्धिः
देवता अपने मनःशक्तिके आधारपर सारे मनवांछित कार्य शिघ्रगतिसे पूर्ण कर लेते है। वे आकाशमें छलांग लगा सकते है, पातालमें प्रवेश पा सकते हैं, तिर्यक गमन कर सकते हैं, पृथ्वी, पहाड, अग्नि, जल, जंगल आदि सर्वत्र विना रुकावटके गमनागमन कर सकते है। दृश्य, अदृश्य दोनो प्रकारकं रूप बना सकते है। देवता अपन मूल शरीरसे मानव जैसी सुरतके होते है। किंतु उत्तर वैक्रियसे नाना रूप वना लत हैं। स्थूल से सूक्ष्म या सूक्ष्मसे स्थूल रुप बनाकर विविध कौतुक किया करते हैं, नाचत है, डरात है, मटकते है अनेक खेल खेलते है। किसी भी देहधारीकं शरीरमें प्रवेश कर सकते है या निर्जिव देहमें प्रवेश कर उस सजीववत् बना सकते हैं। देवता जलमें पत्थरको तेरा सकते है। पर्वतोंको आकाशमें उड़ा सकते हैं। कुछ समयक लिये रात्रीको दिन और दिनको रात्री बना सकते है। सर्दीका गर्मी और गर्मीको सर्दीका मौसम बना सकते है जलके स्थानपर भूमि और भूमिकं स्थानपर जल कर देते है। जलको अग्नि और अग्निको जलमें बदल सकते है। देवता कभी गर्भस्थ शिशुओंका गर्भ परिवर्तन कर देते है यह काम वे इतनी शिघ्रता व कुशलतासे करते है की माता और गर्भको तनिक भी पीडा नहीं होती हैं इसतरह से देवता वहात पराक्रमी, चतुर, ऋिद्धीवान होते हैं। वे संसारके वहोतसे कार्य झटसे सिद्ध कर लेते हैं किंतु उनमें सर्वविरत मुनि अथवा देशविरत श्रावक वननेकी शक्ति नहीं है। व कोई त्याग प्रत्याख्यान नही कर सकते है इसलिये सभी सम्यगदृष्टि देवता मुनिपदको उच्च मानते है उनके चरणोमें झुकते है, खुव भक्ति करते है।
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + २७
Page #77
--------------------------------------------------------------------------
________________
(१०) देवोमें वैचित्र्यताः
कोई देवता भव्य होते है तो कोई देवता अभव्य भी होते है। कोई देवता मंत्राधीन होते है, कोई तंत्राधिन होते है, कोई यंत्राधीन होते है। कोई देव सम्यगदृष्टि हात है, काई मिथ्याप्टि होते है, कोई मिश्र दृष्टिवाले भी होते है। कोई सुलभवोधी हैं तो कोई दुलर्भवाधि है। कोई देवता आराधक होते है, कोई विराधक होते है। कोई अंतभवी होते है, कोई अनंतभवी होते है। कोई प्रजारूप है, कोई प्रजापती है। कोई सुवुद्धि है, कोई कुवुद्धिदेवता है। कोई क्रोधी है, कोई शांतस्वभावी है। कोई धीरगंभीर है, कोई चपल है। कोई उर्ध्वलोकवासी है, कोई मध्यलोकवासी है कोई तिर्यकलाकवासी है। काई देवता सतोगुणी है, कोई देवता रजोगुणी है, कोई देवता तमोगुणी है। देवताओमें पाचो इंद्रिया, तीन योग, तीन ज्ञान, तीन दर्शन, चार कपाय, चार संज्ञा, छः लेश्या, आट कर्म, दस प्राण होते है। इस तरह देवलो" देवताआमें विविधता, वैचित्र्यता है। (११) मृत्युः
देवताओकी जघन्य आयु दस हजार वर्प और उत्कृप्ट आयु तेत्रीस सागरोपमकी है। मध्यम असंख्य भेद है। जैसे जैसे आयुकी अधिकता है, उसी अनुपातमें उनमें द्युति, शक्ति, कांति, गति, बुद्धि, ऋिद्धि, सुख आदिकी अधिकता होती है। देवोंकी वृद्धावस्था अंतिम छह माहकी होती है। देवताआकी मृत्युका समय जव नजदीक आता है तब वे अपने अवधिज्ञानसे यह जान लेते है कि अब इस देवलोकमें मेरी आयु पूर्ण होनेवाली है तव उन्हें अपने आभुषण और विमानोंकी कांति घटी हुई दिखाई देती है। वस्त्र मलिन दिखाई देते है। कल्पवृक्ष और फुलोंकी माला कुम्हलाये हुए दिखती है। शरीरकी कांति, वल क्षीण होता हुआ दिखाई देता है, उनका हास्यविनोद जाता रहता हैं। दवियाँ और मित्रोकं वियोगकी कल्पनासे वे पिडित हो जात है। उस समय जिवित होते हुए भी जिवित नहीं लगते है। जब देवता अपने अवधिज्ञानस यह जान लेते है की हमारा आगामी जन्म मानव पर्यायमें होना है, वहा आर्यक्षेत्र, उत्तम कूल और सुधर्मकी प्राप्ति होगी तो वे हर्पित हो जाते है की हम आगामी जन्ममें धर्मसाधना करेंग किंतु वे जब यह देखते है की हमारा जन्म पृी, पानी, वनस्पति और तीर्यंचमें होगा तो वे आर्तध्यानसे दुःखी हो जाते है। कभी कभी देवीकं ावित रहते देवता काल कर जाते है तो वह देवी उस स्थान पर उत्पन्न होनेवाले दुसर देवताकं साथ भोग भोगती है और कभी देवीके काल होने पर उस स्थानपर उत्पन्न होनेवाले दूसरे देवी के साथ वह देव भोग भोगता है
और अपने चित्तकं वियोगजन्य शो दूर करते हैं। देवोमें अपनी या दूसरोंकी आयु वढाने, घटाने की क्षमता नहीं है। गति और योनि छुडानेकी शक्ति नहीं है। देवता निरुपक्रमी आयुवाले होते है।
૨૮ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #78
--------------------------------------------------------------------------
________________
(१२) गति आगतिः
देवताओ की गति-आगति नारकी, वायुकाय, अग्निकाय, विकलेंद्रिय तथा संमूर्छिम मनुष्योमें नहीं हैं अर्थात न तो देवता मरकर इन स्थानोमें उत्पन्न होते है और न तो इन स्थानोके जीव मरकर देवता बन सकते है। मनुष्य और सन्नी तिर्यंच ही महान पुण्योदयके कारण देव बन सकते है। तथा देवता मरकर मनुष्य या तिर्यंच बन सकता है। देवता देवगतिसे निकलकर पुन्हा देवता नहीं बनते या नरकगतिमें नहीं जाते। युगलिया मनुष्योकी गति देवगति है परंतु देवता युगलियोमें उत्पन्न नही हो सकते है। क्रोधी तपस्वी, अकाम निर्जरा करनेवाले भवनपति और व्यन्तर देवोमें उत्पन्न हो सकते हैं। मिथ्याप्ति अतान तप करनेवाले शावक व्रतोंकी विराधना करनेवाले, तापस आदिकी गति ज्योतिपी देवकी है, जो साधु होकर आचार्य, उपाध्याय, कुल, गण, संघकी निंदा करता है और अंतमें आलोचना प्रतिक्रमण किये बिनाही काल करता है, वह साधु किल्विपिक देवों के रूपमें उत्पन्न होता है। सम्यकदृष्टि तिर्यंच पंचेद्रिय जीव धर्मरुची और शुभभावकै कारण उत्कृष्ट आटवे सहस्रार देवलोक तक पहुंच सकते है। आराधक साधु यदि सराग संयमी है तो उत्कृष्टतः बारहवे देवलोक तक पहुंच सकते हैं और यदि वितराग संयमी है तो शिवपदको प्राप्त कर सकते है। आट वर्पकी आयुसे लेकर करोड पूर्वकी आयुवाला कोई भी मनुष्य महाव्रत या देवव्रतोंका पालन कर सकता है। वह आराधक जीव मनुष्य और देवके साथ या आट भव करके निश्चित ही मोक्षगतिको प्राप्त होता है। ९९ प्रकारके देवताः (छंद-५१३) अडिल्ल
१० भवनपति देव, १५ परमाधर्मी देव, ८ व्यन्तर देव, ८ व्याणव्यन्तर देव, १० तिर्यकर्जूभक देव, १० ज्योतिषी देव, ३ किल्विपिक देव, ९ लाकान्तिक देव,
२६ वैमानिक देव,
१२ कल्पवासी + १४ कल्पातीत
९ ग्रेवयक ५ अनुत्तर १० भवनपति देवः
(१) असुरकुमार, (२) नागकुमार, (३) सुवर्णकुमार, (४) विद्युतकुमार, (५) अग्निकुमार, (६) द्विपकुमार, (७) उदधिकुमार, (८) दिशाकुमार, (९) पवनकुमार, (१०) स्तनितकुमार। १५ परमाधर्मी देवः
(१) अंब, (२) अंबरीष, (३) श्याम, (४) शबल, (५) रौद्र, (६) महारौद्र, (७) काल, (८) महाकाल, (९) असिपत्र, (१०) धनु, (११) कुम्भ, (१२) वालुक,
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + २८
Page #79
--------------------------------------------------------------------------
________________
(१३) वैतरणी, (१४) खरस्वर, (१५) महाघोप। ८ व्यन्तरदेवः
(१) भूत, (२) पिशाच, (३) राक्ष, (४) राक्षस, (५) किन्नर, (६) किंपुरुष, (७) महारग. (८) गंधर्व। ८ व्याणव्यन्तर देवः
(१) अणपन्नी, (२) पणपन्नी, (३) ऋपिवादी, (४) भूतवादी, (५) कंद, (६) महाकंद, (७) कोहंड, (८) पयंग। . १० तिर्यकजुंभक देवः
(१) अन्न मुंभक, (२) पान मुंभक, (३) फल मुंभक, (४) पूष्प मुंभक, (५) वीज मुंभक, (६) वस्त्र मुंभक, (७) शयन मुंभक, (८) लयन जुंभक, (९) वायु मुंभक, (१०) अवायु मुंभक। १० ज्योतिषी देवः
(चर) (१) सूर्य, (२) चंद्र, (३) ग्रह, (४) नक्षत्र, (५) तारा। (अचर)
) ग्रह, (४) नक्षत्र, (५) तारा। ३ किल्विषिक देवः
(१) तीन पल्योपमकी स्थितिवाले, (२) तीन सागरोपमकी स्थितिवाले, (३) तेरह सागरोपमकी स्थितिवाले । ९ लोकान्तिक देवः
(१) सारस्वत, (२) आदित्य, (३) वहीं, (४) वरुण, (५) गर्दनायक, (६) तुपित, (७) अव्यावाध, (८) आग्नेय, (९) अरिप्ट। वैमानिक देवः १२ कल्पवासी देवः
(१) सौधर्म, (२) ईशान, (३) सनत्, (४) महेंद्र, (५) ब्रह्म, (६) लांतक, (७) महाशुक्र, (८) सहस्रार, (९) आनत, (१०) प्राणत, (११) आरण, (१२) अच्युत। १४ कल्पातीत देवः
A-९ ग्रेवयकदेव -
(१) भद्र, (२) सुभद्र, (३) सुजात, (४) सुमनस, (५) सुदर्शन, (६) प्रियदर्शन, (७) अमोघ, (८) सप्रबुद्ध, (९) यशोधर।
૩૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #80
--------------------------------------------------------------------------
________________
१४ कल्पातीत देवः B-५ अनुत्तर देव
(१) विजय, (२) वैजयंत, (३) जयंत, (४) अपराजित, (५) सर्वार्थ सिद्ध । उपरोक्त सभी देवताओंकी जघन्य और उत्कृष्ट स्थिति, उनके भवन या विमानोकी संख्या, उनकी गति आगति ऋिद्धि, चिन्ह, संपदा आदि सभी विशेषताओंकी चर्चा कविश्रीने अनेक छंदोमें कि है।
देवता और तिर्थंकरोके कल्याणकः
-
तिर्थंकरके पांच कल्याणक च्यवन, जन्म, दीक्षा, कैवल्य और निर्वाण । इन पंचकल्याणकांकं समय देवोकी भूमिका, उनका कार्य, उनका प्रमुदित भाव रंगाने में कविमन खुब रमा है।
च्यवन : जिस रात्री में तिर्थंकरका जीव माताकी कुक्षीमें आता है, उस रात्रीको माता हाथी, बैल, सिंह, लक्ष्मी आदि चौदह महास्वप्न देखती है। देवगतिसे आनेवाला जीव हो तो तिर्थंकरकी माता वारहवा स्वप्न विमानका देखती है और नरकगतिसे आनेवाला जीव हो तो भवनका स्वप्न देखती है। जब प्रभु माताके गर्भम आते है तव अवधिज्ञानसे जानकर कुवेर तिर्यक जृंभक देवाद्वारा तिर्थंकरके यहा धन धान्य, भोजन पान आदि से खजाना परिपूर्ण कर देते है। गर्भके सुपोपणकं लिये सभी ऋतुओंको अनुकूल वना देते है। यदि मां का कोई दोहद देवो के विना पूर्ण न होता हो तो उस समय देवता आकर वह दोहला पूर्ण कराते है ।
जन्मः प्रभुका जन्मोत्सव ६४ इंद्र और ५६ दिक्कुमारीया अतिआनंदसे विधिवत् मनाते है । ६४ इंद्र अर्थात दस भवनपतियोके २० इंद्र, १६ व्याणव्यन्तरोके ३२ इंद्र, ज्योतिपी देवताकं २ इंद्र और वारहवे देवलोक ते देवताओके १० इंद्र । ५६ दिशाकुमारीया अर्थात् आट अधोदिशाकी, आट उर्ध्वदिशाकी, आठ-आठ पूर्व, पश्चिम, दक्षिण और उत्तर दिशाकी, मध्यदिशाकी चार और विदिशाकी चार । तिर्थंकर का जन्म होनेपर इंद्रादिक उन्हे सुमेरुपर्वत पर ले जाते है और यथाविधि वंदन, पूजन, स्तुतिकर उन्हें स्वस्थान पहुंचा देते है ।
दीक्षा : लोकान्तिक देव तीर्थ प्रवर्तनका समय जानकर उन्हें दीक्षाकी प्रेरणा देते है । दीक्षाके समय उन्हें स्नान, वस्त्राभूषण आदिसे अलंकृतकर रत्नमय शिविकामें विटाने हैं और नगरीके बाहर जंगल या उद्यानमें देवो द्वारा वह शिविका अशोकवृक्षके नीच लायी जाती हैं। प्रभु स्वयं वस्त्राभूषणको त्यागकर लोच करते है तब इंद्र उस वालोंको ग्रहणकर मणिमय पिटारेमें रखता है और क्षीरसमुद्रमें डालता है। प्रभुका जव ग्रामनुग्राम विचरण होता है तव देवता वहांकी विषम भूमिको सम बना देते है। पारणेके समय जयकार करते हैं, देवदुंदुभि बजाते हैं अहोदानं की घोषणा करते है और साढ़े बारह करोड सोनैय्याकी आकाशसे वर्षा करते है, पांच वर्णके अचित कुल बरसाते है।
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + 39
Page #81
--------------------------------------------------------------------------
________________
कैवल्यः प्रभुको केवलज्ञान, केवलदर्शन प्राप्त होनेपर सब इंद्र अपने परीवारके साथ प्रभुकी पयुर्पासना करने आते है। प्रभु जब प्रवचन करते हैं तब समवसरणमें जघन्य १ करोड देवता उनकी सेवा करते हैं। धर्मकथा सुननेके पश्चात भव्य देवता और मनुष्य प्रश्न करते है और प्रभुके मुखसे समाधान पाकर प्रमुदित होते है ।
निर्वाणः अष्टकर्मीको क्षयकर प्रभु जव सिद्ध होते है तब इंद्र के आसन कंपायित होते है। देवाधिदेव इंद्र आदि वहां पर पहुंचते है । प्रभुके शरीरको स्नान कराते है, चंदनका लेप करते है और वस्त्र उढाते है । उस समय उनका हास्य विलास छुट जाता है। आंखोसे वियोगाश्रु वहते है । प्रभुके शरीरको चंदनकी चितापर रखते है, इंद्रकी आज्ञासे अग्निकुमार चितामें अग्निप्रज्वलित करता है, वायुकुमार इसे प्रदिप्त करता है, शरीरके जल जानेपर मेघकुमार उसे शांत करते है । मघवादि इंद्र शुभभावोसे अस्थिया चुनकर माणवक चैत्यमें रखते है।
प्रभुके जन्म, दिक्षा, कैवल्य और निर्वाणपर सभी देव देविया अत्यंत हर्षउल्लासके साथ नंदिश्वरद्विपमें जाकर अष्टाह्निक महोत्सव मनाते है, शुभ कर्मोका बंध करते है ।
उपसंहारः देवरचनाका मूल प्रयोजन देवगतिका वर्णन हैं प्रसंगवश कविश्री हरजसरायजीकी सिद्धहस्त कलम ने कई अन्य विषयोंको भी स्पर्श किया है। सिद्ध स्तुति और जिनवाणी महिमा इन दो विषयो पर कविने पर्याप्त चिन्तन अपनी रचनामें किया है। अनेकानेक उपमाओसे उपमित करते हुए सिद्ध भगवान और जिनेंद्र भगवानकी २२ छंदोमें स्तुति की है। जिनेंद्र स्तुतिके वाद कविने हृदयकी गहराईयोसे, शुभ भावोसे जिनवाणी की श्रेष्ठताका संगान किया हैं। क्यो की जिनवाणी प्राकृत भाषामें है अतः कविने प्राकृत भाषाका ही उपयोग किया है। जिनवाणी परमगुरुकी वाणी है और गुरुओके माध्यमसे ही हमतक पहुंची हैं अतः कविने सर्व गुरु अक्षरोसे जिनवाणीकी महिमा गायी है। एक लघुअक्षरका प्रयोग इन छंदोमें नही हैं इस कारण यह ग्रंथका सबसे जटिल विषय वना हैं तथापि कविकी पांडित्यपूर्ण रचनाशैली भक्तिरसका पान कराने में समर्थ रही है।
देवरचना ग्रंथकं उत्तरार्धमें कविश्रीने कई थोकबोलीकी भी अनेकानेक छंदोमें चर्चा की हैं: जैसे बासटिया बोल, १८ वोलका अल्पवहुतत्व, आठ कर्मकी प्रकृतिया, जीवकी गति - आगति, तिर्थंकरोके ३४ अतिशय, तिर्थंकर गोत्र उपार्जनके २० बोल आदि कवि हरजसरायजीने एक एक छंदमें अलग अलग विषयोंको, तत्त्वोको सटिकतासे गुंथा हैं । दुमल छंद क्रं. ४०२ में श्रावे' २१ गुण तथा ११ प्रतिमाओंका उल्लेख हुआ है। और छंद क्र. ४०३ में साधुके २७ गुण तथा १२ प्रतिमाओंका उल्लेख हुआ है। इंद्रवजा और सोरटा छंदमें कविने देव, गुरु, धर्मकी महिमा बताते हुए समकितधारी जीवकी स्तुति की है। दोहरा छंद ६ और नाराच छंद ४७७ में कविने नव पुण्योका वर्णन किया हैं तो रसावल छंदमें अठारह पापस्थानका वर्णन ૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #82
--------------------------------------------------------------------------
________________
किया है। एक दोहरे में छह पर्याप्ति और दस प्राणोका विवेचन किया हैं। अडिल्ल छंदके चरणमें १०१ प्रकारके मनुष्योकी गिनती लगा दि है। जिसमें १५ कर्मभूमि, ३० अकर्मभूमि और ५६ प्रकारके अंतरद्वीपोके युगलिया मनुष्योंका समावेश है। एक बेजोड छप्पयमें कविवर्यने एक से अठारहतक की संख्याकी कडी जोडते हुए मुक्तिका वरण कौन करता है, उसका उत्तर दे दिया है। जो -
एक आत्माका ध्यान करता है, दो बंधन - राग द्वेषको तोडता है, तीन - मन, वचन कायाको वशमें करता है, चार - कपायोंका दमन करता है, छह - काय जीवोकी रक्षा करता है, सात - कुव्यसन टालता है, आट - मद छोडता है, नव - वाड सहित शुद्द ब्रह्मचर्य पालता है, दस प्रकारे यति-धर्म पालता है, ग्यारह प्रकारकी प्रतिमाओंको मानता है, वारह प्रकारे साधु प्रतिमाका आचरण करता है, तेरह क्रियाओंको हटाता है, चौदह प्रकारके जीवोंको जानता है, पंद्रह प्रकारके सिद्धोंका ध्यान करता है, सोलह कषायोंको हरता है, सत्रह प्रकारके संयमका वरण करता है, अठारह पापोसे रहित होता है, वह भव्य जीव मुक्तिका अधिकारी होता है। इस तरहके अनेक छंदामें कविप्रतिभाका उत्कृष्ट दर्शन होता है।
ग्रंथराजके अंतिम पद्योमें भरत औरावत क्षेत्रके चौविसी को ध्याते हुए भरत क्षेत्रके वर्तमानकालके २४ तिर्थकरोंको आत्मभावेन वंदना की गई है। तत्पश्चात ६३ पदवीधर अर्थात २४ तिर्थंकर, १२ चक्रवर्ती, ९ बलदेव, ९ वासुदेव, ९ प्रतिवासुदेव इन ६३ श्लाघनीय पुरुषोंको भक्तिभावपूर्वक वंदन किया गया है। साथमें महाविदेह क्षेत्रमें विराजित २० विहरमानोंको अनंत आस्थाके साथ नमन किया है। तत्पश्चात २४ तिर्थंकरोका अंतरालकाल बताते हुए अंतिम तिर्थंकर भ. महावीरके ग्यारह गणधर, तथा उनके पादपर विराजित स्थविर, आचार्य आदि परंपराका संक्षिप्तमें वर्णन करते हुए, वंदन नमस्कार करते हुए अपनी महाकृति देवरचनाको अंतिम मंगल प्रदान किया है। देव, गुरु, धर्मके प्रति यह समर्पणभाव इस ग्रंथराजको कलश चढाता है, पावन तीर्थ बनाता है, सत्यम, शिवम्, सुंदरम् की त्रिवेणीमें अभिस्नान कराता है।
कविवर्य श्री हरजसरायजीकृत 'देवरचना' + 33
Page #83
--------------------------------------------------------------------------
________________
निबंध हेतू संदर्भ - देवरचना - कवि हरजसरायजी सम्पादन एवम् अनुवाद - महासाधिका डॉ. मंजुश्रीजी म.सा.
प्रस्तुति - सौ. रुपाली अजयजी बाफना / धुलिया
मा. ९४०३०८६५७१ / ९४०४३४०१७१
૩૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #84
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. ચિદાનંદજી મ.સા.
સુવર્ણા જૈન
[અવારનવાર પોતાના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત કરતાં શ્રી સુવર્ણાબહેનના સાતેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. ચિત્રકળાનો શોખ ધરાવના૨, કાવ્યોની રચના ક૨ના૨ સુવર્ણાબહેને પ્રસ્તુત લેખમાં પ.પૂ. ચિદાનંદજીના સાહિત્યનો ૨સાસ્વાદ કરાવ્યો છે. – સં.]
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓમાં જૈન સાહિત્યનું ઘણું પ્રભુત્વ રહ્યું છે. સ્તવન, સજ્ઝાય જેવી લઘુ રચનાઓમાં ધાર્મિક, નૈતિક, આચાર વિચારનો ઉપદેશ હોય છે. જૈન સાહિત્યમાં વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, આત્મા અને મોક્ષમાર્ગ વિશે ભરપૂર લખાય છે. જૈન કવિઓનો ગ્રંથ-રચનાનો ઉદ્દેશ મુખ્યત્વે જ્ઞાનસાધના, ધર્મભક્તિ, આત્મકલ્યાણ, કર્મક્ષય, ગુણવૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો હોય છે.
પૂજાઓની રચનામાં પં. વીરવિજ્યજી, પં. રૂપવિજયજી, પં. બુદ્ધિસાગરજીનું વર્ચસ્વ જોવા મળે છે. સાયમાં તત્ત્વની પ્રરૂપણા અથવા મહાપુરુષના જીવન પ્રસંગના વર્ણન દ્વારા ઉપદેશ અપાય છે. જે પાંચથી માંડી દશ ઢાળ સુધી હોય છે જેનું મૂળ સ્વાધ્યાય છે.
જૈન કવિઓમાં કવિ યશોવિજ્યજી, દેવચંદ્રજી, આનંદઘનજી, ઉદયરત્નજી, સમયસુંદરજી, મોહનવિજ્યજી, જ્ઞાનવિમલજી, ચિદાનંદજી જેવા અનેક કવિઓ થઈ ગયા.
પરમ પૂજ્ય ચિદાનંદજી મહારાજનું ટૂંકું જીવન
તેઓ આ વીસમી સદીમાં વિદ્યમાન હતા. તેઓ અધ્યાત્મશાસ્ત્રના રસિક, નિપુણ કવિ હતા. તેમના રચેલા સ્તુતિ, સ્તવનો આજે પણ ભાવવિભોર બનાવી દે છે. સંવત ૧૯૦૬માં કાર્તિક માસની તેરસે ભાવનગરમાં ૫.પૂ. ચિદાનંદજીનો જન્મ થયો. તેઓએ અતિગૂઢ ભાવોથી ભરેલા પરમાત્મ ભક્તિનાં અનેક પદો રચીને ભક્તિક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું. આ પદો લાલિત્યથી ભરેલા ભાવવાહી છે. અંતરમાં તોફાન ઊભું કરી દે છે. એ ઉપરાંત એ સંસારની અસારતા-દર્શક અને વૈરાગ્યવર્ધક છે. પુદ્ગલ ગીતા, અધ્યાત્મ છત્રીસી વગેરેનો અંતરપૂર્વક સ્વાધ્યાય કરવાથી પુદ્ગલની આસક્તિ ઘટ્યા વગર રહે નહી.
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૧ ૩૫
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિદાનંદજીની રચનાઓ – સર્વસંગ્રહ
બહોતી, સવૈયાઓ, અધ્યાત્મબાવની, દયા છત્રીસી, પ૨માત્મ છત્રીસી, પ્રશ્નોત્તર માળા જેવા હિતશિક્ષાના દુહા વગેરે હ્રદયંગમ, સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યની એમણે રચના કરી છે. એમના વિશાળ સાહિત્ય સમુદ્રનાં અમૃતરસથી ભરેલ કળશમાંથી એકાદ છાંટો પણ મળે તો તે પામવા જેવું છે.
પૂ. ચિદાનંદજી અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા, યોગશાસ્ત્રમાં પારંગત, તેમ જ ઉત્તમ સાધક હતા. કવિશ્રી પાસે શબ્દોનું પ્રભાવક સામર્થ્ય છે.
બહોતરીના રચિયતા તરીકે બે જ નામ પ્રસિદ્ધિમાં છે આનંદઘનજી અને ચિદાનંદજી.
શ્રી ચિદાનંદજીનું અપરનામ શ્રી કપૂરચંદજી છે. તેઓ અષ્ટાંગયોગના અભ્યાસી હતા તેથી એમનામાં ઉત્તમ યોગબળ હતું. શત્રુંજ્ય અને ગિરનારમાં તો અમુક ગુજ્ઞ કે સ્થાન તેમના પવિત્ર નામથી આજે પણ ઓળખાય છે. તેમનું અંતઃકાળ સમેતશિખરજીમાં થયું હતું. તેઓ નિઃસ્પૃહી હતા તેથી લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લોકો ભાગ્યે જ જાણી શકે એવી સાદી રીતે પોતાનું જીવન ગાળતા હતા. કાકતાલીય ન્યાયે જ્યારે એ વાતની કોઈને જાણ થતી ત્યારે પ્રાયઃ પોતે તે સ્થાન ત્યજી દેતા હતા. તેમને અનેક સતુશાસ્ત્રનો પરિચય હતો એ એમની કૃતિઓનું સૂક્ષ્મ અવલોકન કરવાથી સમજાય છે. તેઓની વાણી રસાળ, ભાષા આલંકારિક અને શબ્દરચના સાદી છે. ચિદાનંદજીની કાવ્યરચના રસયુક્ત પ્રેમસભર, ઉપમા, અલંકાર, તર્ક, કલ્પના, સુંદર રાગરાગિણી સર્વ વાતે પરિપૂર્ણ છે. પોતાના પ્રભાવ કે જ્ઞાનનું પ્રદર્શન કરવાનું, દેખાડી, ભપકો કે નામના વધારવાનું કોઈને પણ મન થાય. ખરેખર તો એ સંસારી કહેવાય, પરંતુ ચિદાનંદજી ખરા સંત હતા જે ખ્યાતિ પામવા તત્પર નહોતા.
ચિદાનંદજીની કૃતિઓઃ
બોતી: જેમાં રસપ્રદ અને નાટ્યાત્મક શૈલીનું પ્રયોજન ધ્યાન ખેંચે એવું છે. મોહથી અંધ આત્મા અનંતકાળથી કુમતિના ફંદામાં ફસાયેલો છે અને અત્યંત પાયમાલ સ્થિતિમાં છે. ત્યારે સુમતિને ચેતનની પ્રિયા તરીકે કલ્પી છે એ ચેતનને આ બંધનથી મુક્ત કરવા પ્રિયતમ ચેતનને પ્યારભર્યાં શબ્દોથી, પ્રેમળ વાણીથી કર્તવ્યનું ભાન કરાવે છે અને કુમતિના સંગનું વિકૃત પરિણામ સમજાવે છે. જેમ પથ્થરમાં સોનું, દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં પરિમલ તેમ શરીરમાં જીવનું સ્થાન છે.
જેમ રાજહંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધ તત્ત્વને અલગ કરી સત્ત્વની પસંદગી કરે છે તેમ આત્મજ્ઞાન પામ્યા પછી ચેતન કર્મના મળ-મેલને દૂર કરી શુદ્ધ સ્ફટિકમય રૂપ ધારણ કરે છે. કર્તાએ આવી અનેક કલ્પનાઓ અને ભાવ વિભાવનાઓથી કૃતિને રસપ્રદ બનાવી છે.
૩૬ : ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #86
--------------------------------------------------------------------------
________________
ચોરાશી લાખ જીવયોનિમાં નાટકના પાત્રોની જેમ વિવિધ વેશ ધારણ કરી નાચ નાચનાર આત્મા - ચેતન જીવ મોહદશામાં જકડાયેલો રહે છે. સ્ટેજના વિવિધ વેશે પોતાના પાત્રો ભજવી અંતે ચાલ્યા જાય છે. જ્યારે આ આત્મા બંધનમુક્ત બને છે, ત્યારે એ એના પાત્રની ભજવણી પૂર્ણ થતા પરમાત્મામાં લીન બને છે અને શુદ્ધ ચેતના સાથે એકાકાર થતાં જ્ઞાનનો પ્રકાશપૂંજ રચાય છે. અહીં આત્માને પાંચે પ્રમાદ તજી મોહજાળ તોડવાનું કહે છે. આ ભવને વૃથા ન ગુમાવવા કહે છે.
પદ ૪૧
ઉઠોને મારા આતમરામ જિનમુખ જેવા જઈએ રે, વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે.’ તન, મન, ધન, યૌવન સુખનાં સાધનો છે, એ અસ્થિર છે. વાદળની છાયા જેવા ક્ષણ વિનાશી છે. બહોતરીમાં ચિદાનંદજીએ માત્ર આત્મવિષયક પદો રચ્યાં છે. બહોતરીમાં ૧૨ સ્તવનો, જૈન શ્રાવકનાં કર્તવ્યો, અને પર્વનો મહિમા દર્શાવતી એક સ્તુતિ, ગુરુ મહારાજ સમક્ષ ગવાતી ગફુલી ધ્યાનાકર્ષક છે. સ્તવનોમાં મુખ્યત્વે ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી પરમાત્માની સ્તવના છે.
૫૪મા પદમાં નેમિનાથની સ્તવના સાથે ગિરનાર પર્વતનું મનમોહક દશ્ય ઉપસાવ્યું છે. પરમાત્માના રૂપનું વર્ણન પણ ચિત્તાકર્ષક બન્યું છે. પદ વાંચતા નજર સમક્ષ એક અકથ્ય અને અજોડ ભાવજગતનું ચિત્રાંકન થાય છે. નેમિનાથનું ૫૪મું પદ જ્યારે તેઓએ ભાવનગરથી સંઘ કાઢ્યો ત્યારે રચ્યું હોવાનું માનવામાં આવે છે. પદ ૬૮માં પાર્શ્વનાથજીના સ્તવનમાં જિનવાણીનું ઉત્તમ સ્વરૂપ પ્રકટ કર્યું છે.
શ્રી ચિદાનંદજી રચિત જિનવાણીનું પદ ભવ્ય જીવોના ક્ષયોપશમ ભાવની વૃદ્ધિ કરનાર છે. અને અશુભ ગતિનો નાશ કરનાર છે.
પદ ૬૭મું વાંચતા શબ્દપ્રવાહ અને ચિત્રકારની પીંછીનું સંમિશ્રણ હોય એમ શબ્દ અને ચિત્રનું મિશ્રણ નજર સામે પ્રત્યક્ષ સમવસરણનું દશ્ય ઊભું કરે છે. શ્રી ચિદાનંદજીએ જેનશાસનની પાયારૂપ બાબતોને પરમાત્માની વાણીને, આત્માના સૌંદર્યને, ચેતનના કર્તવ્યને, પરમાત્મા સ્વરૂપને, વિવિધ પદોમાં વણી લીધા છે. પર્યુષણ પર્વની સ્તુતિમાં પર્વનો મહિમા અને આત્માનું ગાન કરી પર્વનો મહિમા સાબિત કર્યો છે.
ઉખડ, બંજર જમીન પર અનાજ ઉગાડવા જેમ ખેડૂત વ્યર્થ જમીન ખેડે જેમાં વાવેલું કશું ઊગે નહીં તેમ કુમતિને વશ થઈ અવળી મહેનત કરે તો લાભને બદલે હાનિ જ થાય. ભવસાગર પાર કરવા ઈન્દ્રિયોને વશ કરવી પડે.
ધાન કાજ જિમ મૂરખ ખિત હડ ઉખડ ભૂમિકો ખંડેરી ઉચિત રીતે ઓળખવિણ ચેતન નિશદિન ખાટ ઘડેરી
પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૩૭
Page #87
--------------------------------------------------------------------------
________________
કુમતા વશ મન વક્રતુરંગ જિન ગ્રહી વિકલ્પ મગમાંહી અડે રે પદ ૪૬
અનુભવ ચિત્ત મિલાય છે, મોકુ શ્યામસુંદર વર મેરા રે. શિયળ ફાગ પિયા સંગ રમૂંગી, ગુણ માનુગી મૈ તેરા રે. જ્ઞાન ગુલાલ પ્રેમ પિચકારી, શુચિ શ્રદ્ધા રંગ મેરા રે. પંચ મિથ્યાત્વ નિવાર ધરૂગી મે સંવર વેશ ભૂલેરા રે.
ચિદાનંદ ઐસી હોરી ખેલત બહુરિ ન હોય ભવ ફેરા રે.'
અહીં ચેતનરૂપ આત્મા સ્વામીને મળી શ્રદ્ધાના રાગના શિયળરૂપ ફાગ હોળી રમવાની કલ્પના કરી છે. જેમાં પાંચ પ્રકારના અશુભ, મિથ્યાત્વ તજી શુદ્ધ સંવર ચરિત્રનું રૂપ ધારણ કરવાની કલ્પના કરે છે જેથી ભવના ફેરા રહે નહીં. આ નાનકડા પદમાં જ્ઞાની આત્મા કેવી હોરી ખેલે તેનું સ્વરૂપ બતાવ્યું છે. શિયાળ રૂપ ફાગ, જ્ઞાનરૂપ ગુલાલ, પ્રેમરૂપ પિચકારી તેમાં શુચિ, શ્રદ્ધા, રૂપ-રંગથી સંવર રૂપ સુંદર વેશ, અને તજેલ મિથ્યાત્વ રૂપ આ પ્રકારની હોળી રમનાર આત્મા ટૂંક સમયમાં સિદ્ધિ પામી શકે છે. પદ ૪૭માં સુમતિ તેની સખીને કહે છે,
વિશુદ્ધ આત્મા સહજ શ્યામ ઘર આયે સખી, ભેદ જ્ઞાન કુંજગલનમાં રંગ રચાઓરી. શુદ્ધ શ્રદ્ધાન સુરંગ ફૂલકે મંડપ છાઓરી, વાસ ચંદન શુભ ભાવ અરગની અંગ લગાઓરી.
અનુભવ પ્રેમપિયાલે પ્યારી ભરભર પાઓરી. આત્માને શુદ્ધતાના રંગે રંગવાની કેટલી સુંદર કલ્પના છે. સુમતિ કહે છે તમે આદિમાં હોરી ગાઓ શુદ્ધ જ્ઞાનરૂપી કુંજની ગલીમાં અનેક પ્રકારના રંગ રચાઓ. સુંદર ફૂલોના મંડપ બંધાવો. સુવાસિત ચંદન અને શુદ્ધ ભાવરૂપ અરગ અત્તર આદિ દ્રવ્યો પ્રીતમને લગાઓ, વિલેપન કરો. અનુભવ જ્ઞાન રૂપ રસ, પ્રેમરૂપ પ્યાલામાં ભરીભરી મારા કંથ આત્માને પાઓ પછી રસના મેવા હળીમળી ખાઓ. આમ પુષ્પમંડપ, ચંદન શુદ્ધ ભાવનું વિલેપન, અનુભવનો પ્રેમરસ સમતારૂપ મીઠાઈ મેવા સહિત હોરી ગાવાની કલ્પના ખૂબ જ સુંદર છે. નેમિનાથજીનું સ્તવન
પરમાતમ પૂરણ કળા ગુણ હો, હો પૂરણ જન આશ,
પૂરણ દષ્ટિ નિહાલીને ચિત્ત ધરીએ હો અમથી અરદાસ” આ સ્તવનની હલક હૃદયના તારને ઝણઝણાવી નાખે છે. હૈયું નાચી ઊઠે છે. અંતરના દ્વાર ઉઘાડી નાખે એવી અદ્દભુત રચના છે. બહોતરીના એક એક પદના શબ્દો ચેતનાને જગાડી મૂકે છે.
૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #88
--------------------------------------------------------------------------
________________
કાલ કાલ તુ ક્યા કરે મૂરખ, નાહી ભરોસા પલ એકકા હી,
ગાલિ છિન ભર નાહી રહા તુમ, શિરપર ઘૂમે તેરે કાલ અરી.” ચિદાનંદજીએ આપણી અનિગ્રહીત ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હઠાવવા અનેક લાલિત્ય પદોમાં બોધ આપેલો છે. એમનાં વાક્યો, પદો, શબ્દો અને અક્ષરોનો આત્મા રસથી ભરપૂર હોય છે. જે શ્રોતાગણને રસતરબોળ કરી મૂકે તે કાવ્યપ્રભુ સાથે પ્રીત બાંધવામાં ઉચ્ચ ભાવભર્યા મધુર શબ્દોથી લવચીક સ્તવનો પ્રેમના પ્રતીક સમા છે, જે વારંવાર વાંચવાનું ને એમાં ડૂબી જવાનું મન થાય. ધર્મની ભાષામાં મધુરતા હોવી જરૂરી છે, ધમકીભર્યા શબ્દો નહીં. જેમ કે રાત્રિભોજન નરકનો નેશનલ હાઈવે, મહાપાપ, સૂર્યાસ્ત પછી ખાનાર નરરાક્ષસ છે, માંસભક્ષી છે, પાણી પીનાર લોહી પીનાર છે, નરકગામી જીવ છે, તિર્યંચગતિમાં જાય, લોહીમાંસ ખાવાની કડવી ભાષા કલ્પનાઓ જ સંહારક છે. ધર્મની ભાષા નિર્મળ પ્રેમળ હોવી જોઈએ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ જેવી નહીં.
પદ ૭૧
ક્યા તેરા ક્યા મેરા પ્યારે, સહુ પડાઈ રહેગા, પછી આપ ફિરત ચિહુ દિશથી, તરુવર રેન બસેરા. સહુ આપણે આપણે મારગ ને, હોત ભોરકી વેરા, ઈન્દ્રજાળ ગંધર્વ નગર સમ, ડેઢ દિનકા ઘેરા. સુપન પદારથ નયન ખુલ્યા જીમ, જરત ની બહુવિધ હે, રવિસુત (કાળ) ફરત શીશ પર તેરે, નિશદિન છાના ફેરા.
ચેત શકે તો ચેત ચિદાનંદ સમજ શબ્દ એ ફેરા.” જીવનનો મર્મ, જીવવાની રાહ જીવનની વ્યાખ્યા, તર્ક તત્ત્વ અહીં સમજાવ્યા છે. એમની આ અલંકૃત ભાષાશૈલી ફરી ફરી વાંચવા લલચાવે છે. તેઓ કહે છે તારું મારું શું કરે છે અંતે બધું અહીં જ રહી જવાનું છે.
મનથી માનેલું કે આ બધા છે મારા, સ્વાર્થ વિના કોઈ પ્રીત કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે ભાઈ કોઈનું નથી,
તું મારે છે નાહક ફાં તારું કોઈ નથી.” પક્ષીઓ વૃક્ષ પર રાત્રિયાસો કરે છે અને પહોર ફાટતાં પોતપોતાને રસ્તે ચાલી જાય છે. માનવને પણ મુસાફરની ઉપમા આપી છે. ને આ ભવને મુસાફરખાનું કચ્યું છે એમ ચિદાનંદજીએ મનુષ્ય ભવને ઈન્દ્રજાળ, ગંધર્વનગરની જેમ દોઢ દિવસનો વાસ કહ્યો છે. જે સ્વપ્ન પદાર્થની જેમ નીંદર ઊડતાની સાથે ઊડી જશે, જડશે નહીં. તું ચાલી જઈશ એ પદાર્થ અહીં જ રહેશે. જીવનનું
પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૩૯
Page #89
--------------------------------------------------------------------------
________________
સત્ય એ જ છે. સમયસારમાં પણ આ જ વાત સ્વ અને પર પદાર્થ સમજાવતા કહી છે. ઉપમા કાન રૂપક જે ઉદાહરણ દ્વારા દરેક વાત હૃદયને સ્પર્શી જાય એવી રીતે રજૂ કરાઈ છે.
વળી ચિદાનંદજી મહારાજ કહે છે કે, “તારા માથે રાતદિવસ કાળ ઘૂમ્યા કરે છે. માટે ચેતી જા અને આત્મસાધના કરી જન્મ સફળ કર. અહીં સંસારની અસારતા દર્શાવી પ્રમાદ છોડવાનો સંદેશ છે. માથે સતત ફરતો કાળ ગ્રસી લે એ પહેલા સ્વપ્નની દુનિયા છોડી ધર્મધ્યાન કરવા સાવધાન કરે છે. સંત કબીરજીએ એમના એક દોહામાં પણ આજ વાત કહી છે.
પાવ પલકકી ખબર નહીં, કરે કલકી સાજ, કાલ અચાનક મારસી જ્યોં તીતરકો બાજ.' કલ ફરે શિર ઉપરે હાથમેં ધરકે કમાન,
કહે કબીર રટો હરિનામ છોડ સકલ અભિમાન.' ચિદાનંદજી સ્વર, સૂર, ધર્મ, જ્ઞાન જેવી ઉચ્ચતા પામેલા હતા. એમનાં પદોમાં ક્યાંય કડવાશભર્યા કટુ શબ્દોનો પ્રયોગ નહોતો. મધુર, મીઠા, સૂરમયી પદો દિલને હલાવી નાખે અને વારંવાર વાંચવાની ઈચ્છા પેદા કરે એવા છે. મધુરતા, સંગીત, મીઠાશ, મૃદુતાભરી વાણી રાગરાગિણી સૂરમયી પદો એ પ્રભુનું જ એક રૂપ છે. સવૈયાઓ
પદ ૧૧
જે અરિમિત્ત બરાબર જાનત પારસ ઔર પાષાણ જવું દોઈ.”
અર્થાત્ જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર, રાગ અને દ્વેષને ગૌણ ગણી બધા પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે છે તે નર ધન્ય છે.
| સવૈયા ૧૯મા કવિશ્રીએ સંસારની ક્ષણભંગુરતા અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે. દા.ત., કીડીનું એકઠું કરેલું ધાન્ય તીતર ખાઈ જાય છે. મધમાખીનું એકઠું કરેલું મધ બીજા લઈ જાય છે તેમ માણસ કરોડોનું ધન એકઠું કરી આખી જિંદગી કષ્ટ કરી વેડફી નાખે છે અને છેલ્લે ખાલી હાથે જ જાય છે. અહીં મારી કવિતાની બે લાઈનો, કહેવાનું મન થાય છે.
ખાલી હાથે આવ્યો છું પણ સંસ્કાર સાથે લાવ્યો છું. કુમળા આ આત્મદેહમાં મતિ જ્ઞાન બુદ્ધિ લાવ્યો છું. જીનમાં મળેલા આચાર વિચાર આદતો સંગે લાવ્યો છું. ખાલી હાથે આવ્યો, જઈશ પણ ખાલી હાથે જ હું...
પરંતુ યાદ કરે સર્વે એવા કર્મો કરવા આવ્યો છું. ૪૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #90
--------------------------------------------------------------------------
________________
આ સવૈયામાં જીવનનું સાચું દિશાસૂચન કર્યું છે એમાં સાચું દર્શન છુપાયેલું છે. નાના નાના પદોમાં અને ઓછા શબ્દોમાં જીવનનો મર્મ સમજાવ્યો છે. 'Brevity is the soul of brave man ની જેમ સવૈયા ૨૭મા તેઓ જણાવે છે કે સજ્જનની સાથે દુર્જન થોડી વાર પણ રહે તો સજ્જનના સત્કર્મની સુવાસથી દુર્જનની કિંમત વધી જાય છે. જેમ તલના તેલને સુગંધી તેલમાં મેળવવામાં આવે કે લોખંડને પારસનો સ્પર્શ કરાવવામાં આવે તો તેની કિંમત અનેકગણી વધી જાય છે.
સવૈયામાં ફિલસૂફી દર્શાવતી ઊંડી બાબતોને સરળ અને સક્ષમ ઉદાહરણોથી માર્મિક બનાવ્યું છે.
સવૈયા ૫ ધન અરૂ ધામ સહુ પડ્યો હી રહેંગો નર ધારકે ધરામે તું તો ખાલી હાથ જાવેગો. દાન અરૂ પુણ્ય નિજ કરથી કર્યો ને કહ્યું, હોય કે જમાઈ કોઈ દુસરો હી ખાતેગો. પુન્ય વિના દુસરો ન હોયગો સખાઈ તવ, હાથ મલ મલ માખી જીમ પછતાવેગો.' કેવું સુંદર પદલાલિત્ય અને શબ્દલાલિત્ય. સવૈયા ૪. શિર પર શ્વેત કેશ ભયા તોહુ નાહિ ચેત, ફિરત અચેત ર્યું ધન હેત પરદેશમેં. મેરો મેરો કરત ન ધરત વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત લેશમે. પડ્યો નાનાવિધ ભવભૂપમેં સતત દુઃખ મગન ભયો હે મધુબિંદુ લવલેશમેં.” સવૈયા ૭ ધરમ વિના, તો ઓર સફળ કુટુંબ મલી, જાનકે પરેતાં કોઈ સુપને ન જોવેગો. બટક સલામ કે સખાઈ વિના અંતસમે, નેણમાંહિ નીર ભર ભર અતી રોવેગો. જાનકે જગત એસો જ્ઞાની ન મગન હોત, અંબ ખાયા ચાહી તે તો બાઉલ ન બોવેગો.’ સવૈયા-૧૭ શુભ સંવર ભાવ સદા વરતે,
પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૪૧
Page #91
--------------------------------------------------------------------------
________________
મન આશ્રવ કેરે કહા ડર હૈ. સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસો નર હૈ નિજ શુદ્ધ સમાધિમે લીન રહે, ગુરુ જ્ઞાનકી જાકું દીયો વર હે. મન હાથ સદા જિનકુ તિનકે ઘર હી વન હે વન હિ ઘર હે” સવૈયા-૩૪ ‘છાંડકે કુસંગત સુસંગથી સ્નેહ કીજે. ગુણ ગ્રહી લીજે અવગુણ દૃષ્ટિ યરકે. ભેદ જ્ઞાન પાયા જોગ, જ્વાલા કરી ભિન્ન કીજે. જ્ઞાની જો મિલે તો, જ્ઞાન ધ્યાન કો વિચાર કીજે.
મિલે જો અજ્ઞાની તો, હિજે મૌન ધારકે” મૂરખથી માથું ફોડવું નિરર્થક છે એટલે મૌન ધરવું જ લાભદાયી છે. ભેંશ આગળ ભાગવત નકામી વ્યર્થ છે.
સવૈયા ૩૯ વનિતા વિલાસ દુઃખકો નિવાસ.... વનિતાવિલાસી નાનાવિધ દુઃખ પાવે.'
સવૈયા૪પ ધીર વિના ન રહે પુરુષારથ, નીર વિના તરખા નહિ જાવે, ભૂપ વિના જગ નીતિ રહે નહીં, રૂપ વિના તન શોભ ન પાવે. દિન વિના રજની નાહી ફિટત, દાન વિના ન દેવતાર કહાવે, જ્ઞાન વિના ન લહે શિવમારગ, ધ્યાન વિના મન હાથ ન આવે.' સવૈયા પર વેલકું પલત તેલ લહે નહી, તુષ લહે નહીં તોય વિલોય, સિંગકુ દુહત દૂધ લહે નહીં, પાક લહે નહીં ઉખર બોયા. બાઉલ બોવત અંબ લહે નહિ, પુન્ય લહે નહી પારકો તોયા,
અંબર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકુ નિત ધોય. સંસારની ફિલોસોફી, તર્ક, આ સવૈયાઓમાં જોવા મળે છે. તથા મુક્તિમાર્ગનું દર્શન પણ અહીં મળે છે.
પુદ્ગલ ગીતાઃ પુદ્ગલનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ દર્શાવે છે કે પુદ્ગલથી જ કોઈ પણ પદાર્થના રંગ, રૂપ, ગંધ અને સ્વરૂપ નક્કી થાય છે. પુદ્ગલ વગર જ આત્મા શિવસુખ પામી શકે છે. પુદ્ગલ થકી જ કોઈ પણ જીવને જરા મૃત્યુ ૪૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #92
--------------------------------------------------------------------------
________________
વગેરેનું દુઃખ છે જ્યારે તે દૂર થાય છે ત્યારે આત્મા અજરઅમર પદ પામે છે.
જૈન શાસન અને જૈન શાસ્ત્રોમાં જીવ બંધારણમાં પુદ્ગલની આવી જ કલ્પના કરી છે.
પુદ્ગલ ખાણો પુગલ પીણો પુદ્ગલરૂપી કાયા, વર્ણ ગંધ રસ સ્પર્શ સહુ એ પુદ્ગલ હું કી માયા. જન્મ જરા મરણાદિક ચેતન નાનાવિધ દુઃખ પાવે, પુદ્ગલ સંગ નિવારત તિણ દિન અજર અમર હો જાવે. પુદ્ગલ રાગ કરી ચેતન હું હોત કર્મકી બંધ, પુદ્ગલ રાગે બાર અનંતી નાતમાત સૂત થઈયા. કિસકા બેટા કીસકા બાબા ભેદ થાય જબ લહીયા, વિષય વાસના ત્યાગો ચેતન સાચે મારગ લાગો રે. તપ જપ સંજમ ધનાદિ સહુ ગિણતિ એક ન આવે રે,
ઈન્દ્રિય સુખમે જી લૌ એ મન વક્ર તુરંગ જેમ ધાવે રે. હાથી કામવાસનામાં, મત્સ્ય રસનામાં લુબ્ધ બનવાથી, ભ્રમર સુગંધમાં લપટાવાથી, પતંગિયું રૂપમાં, મૃગ શ્રોતેન્દ્રિયને વશ થવાથી પ્રાણ ગુમાવે છે એમ એક જીવ ઇન્દ્રિયોમાં આસક્ત થતા નાનાવિધ દુઃખ પામે છે. જ્યારે માનવી તું તો પાંચે પાંચ ઇન્દ્રિયોમાં રાગાંધ મોહાંધ બન્યો છે તો તારી દશા કેવી થશે?
પંચ પ્રબળ વર્તે નિત્ય જાક તાક કહા જ્યુ કહીએ રે
ચિદાનંદ એ વચન સુણીને નિજ સ્વભાવમાં રહીયે રે.” ૫૦મા પદમાં ધ્યાનનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવાયું છે. ચિદાનંદજીએ ધ્યાન અને યોગ પર ઘણું લખ્યું છે, એમની રચેલ સર્વ સંગ્રહમાં આઠ કાવ્યો છે એમાં જ્ઞાનરૂપી સાગરનું મંથન કરીને અપૂર્વ અને અભુત નવનીત જ્ઞાન ઠાલવી દીધું છે.
અધ્યાત્મ બાવનીમાં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ છે. (૧) બાહ્ય સ્વરૂપ, (૨) આંતર સ્વરૂપ, (૩) શુદ્ધ સ્વરૂપ અધ્યાત્મબાવની
ધર્મ થકી ધન સંપજે, ધર્મે સુપિયા હોય, ધર્મે યશ વાધે ઘણો, ધર્મ કરો સહુ કોય. ધર્મ કરે છે પ્રાણીયા, તે સુખિયા ભવ માંહ,
ગમાં સહુ જી જી કરે, આવી લાગે પાય. ધર્મ ધર્મ સહુ કરે, ધર્મ ન જાણે કોય; ધર્મ શબ્દ જગમાં વડો, વીરલા બુજે કોય. આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ, જન મન રંજન ધર્મનું મૂળ ન એક બદામ.
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૨ ૪૩
Page #93
--------------------------------------------------------------------------
________________
આપે આપ વિચારતા, મન પામે વિસરામ, રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકી નામ. અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસ કૂપ,
અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. અહીં ધર્મનો મહિમા સમજાવ્યો છે. દયા છત્રીસીનું આ પદ બહુ સુંદર છે.
દયા ધરમકો મૂળ હૈ, દયા મૂળ જિણ આણ,
આણા મૂળ વિનય કહ્યો, તે સિદ્ધાંતે જાણ.' દયા છત્રીસીમાં કવિશ્રીએ શાસ્ત્રોનો આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જિનપૂજા કરવાથી હિંસા થાય એવી જેની માન્યતા છે એને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે. પુષ્પો ચડાવવાથી હિંસા માલુમ પડે છે તે ખરેખર હિંસા નથી કારણ કે તે જીવો તરફ ધ્યાની દૃષ્ટિથી, પૂર્ણ દયાથી લાગણીથી આ થાય છે. આ દ્રવ્યહિંસાનો, સ્વરૂપ હિંસાનો કર્મબંધ આત્માના પ્રદેશ પરથી સરળતાથી ખરી જાય છે.
પરમાત્મા છત્રીસી રચનામાં રચયિતાએ ૩૬ દુહાની રચના કરી છે જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે.
પરમાતમ એહ બ્રહ્મ હૈ, પરમ જ્યોતિ જગદીશ,
પરસુ ભિન્ન નિહારીયે, જોહ અલખ સોઈ ઈશ.’ હે આત્મા, તું રાગદ્વેષને તજી ભવબંધનોથી મુક્ત થવાને અને પરમ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પરમાત્માનું ધ્યાન કર એવો ભાવ રજૂ કર્યો છે.
મૈ હી સિદ્ધ પરમાત્મા, મૈ હી આતમરામ, મૈ હી ધ્યાતા ધ્યેયકો, ચેતન મેરો નામ. મૈહી અનંત સુખ કો ધની, સુખમેં મોહે સોહાય, અવિનાશી આનંદમય, સોહે ત્રિભુવન રાય. શુદ્ધ હમારો રૂ૫ હૈ, શોભિત સિદ્ધ સમાન, કહેકુ ભટકત ફરે, સિદ્ધ હોને કે કાજ.
રાગદ્વેષકુ ત્યાગ દે, વો હી સુગમ ઈલાજ સ્વરોદય જ્ઞાનમાં પણ ઘણા વિષયો આવરી લેવાયા છે. યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સ્વરોદયજ્ઞાન વગેરે. ૪૫ર શ્લોકમાં જ્ઞાનનો બોધ ઠાલવ્યો છે.
સ્વરોદયજ્ઞાનમાં ૪૫૩ પદોની વિશાળ પદરચના કરીને કવિશ્રીએ સાહિત્યસાધનાનો સુંદર પરિચય કરાવ્યો છે. આ રચના ગૂઢ અને માર્મિક છે એમાં આ જગતમાં કુદરતે મનુષ્ય જાતિને વિશેષ જ્ઞાન આપ્યું છે તેથી ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત એ સ્વરોદય જ્ઞાન
૪૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #94
--------------------------------------------------------------------------
________________
છે એમાં વિદ્યાનો ન્યાય માર્ગે ઉપયોગ કરવાનું સૂચન છે.
સ્વરોદય શબ્દનો અર્થ શ્વાસનું કાઢવું એટલે પ્રાણાયામના ઉચ્ચ પ્રકારની યોગસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી એનું જ્ઞાન છે. ઉત્તમ પુરુષો ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળની વાત જાણી શકે છે. કાળ જ્ઞાન જાણવાની સરસ રીત તે સ્વરોદય જ્ઞાન છે. તેનાથી કોઈ સાધન વગર મનુષ્ય કાળજ્ઞાન જાણી શકે છે. આ જ્ઞાન પૂર્વના યોગીશ્વરોએ શોધન કરીને સિદ્ધ કરેલ છે. માત્ર મનુષ્ય પોતાના પ્રમાદવશ જ્ઞાનથી અજાણ રહી અંધની માફક ફર્યાં કરે છે. સ્વરોદયનો સ્પષ્ટ અર્થ પવનનું પ્રગટ થવાપણું સ્વર + ઉદય છે. આ શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે અને નીકળવાના મુખ્ય રસ્તા બે છે. તે કેવી રીતે ? કયા સમયે અને કયા સ્થળેથી નીકળે તો શું થાય તેનું જ્ઞાન સ્વરોદય જ્ઞાન છે.
સ્થિર ચિત્તે એકાંતમાં બેસી શુભ ભાવથી દેવનું સ્મરણ કરી સ્વર જુઓ અને સ્વરોદયના જ્ઞાન પ્રમાણે કાર્યો કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનનો નિંદિત કાર્યમાં ઉપયોગ કરવાથી ઊલટું અને અનિષ્ટ પરિણામ આવે છે. પવિત્ર અને આત્માનું કલ્યાણ કરી અવિનાશી પદને પ્રાપ્ત કરતા શ્રી જિનેન્દ્રદેવ અને ગણધર મહારાજ એ વિદ્યામાં પૂરા જ્ઞાતા હતા અને પ્રાણાયામ આદિ સર્વ અંગઉપાંગને સારી રીતે જાણતા હતા. ભદ્રબાહુ સ્વામી ચૌદપૂર્વનું અંતર્મુહૂર્તમાં પર્યાલોચન કરી જવા માટે મહાપ્રાણધ્યાનની સાધના કરતા હતા. જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ તથા આચાર્ય જિનદત્તસૂરિ આ વિદ્યાના પૂરેપૂરા અભ્યાસી હતા. ત્યાર પછી સો બસો વર્ષ અગાઉ શ્રી આનંદઘનજી, ચિદાનંદજી મ., જ્ઞાનસારજી મ. તથા યશોવિજ્યજી વગેરેના ગ્રંથો પરથી જણાય છે કે આત્માનું કલ્યાણ કરવા માટે પૂર્વકાળમાં મુનિઓ યોગાભ્યાસની ક્રિયા બહુ સારી રીતે કરતા હતા. પરંતુ વર્તમાન કાળમાં મંદતા નજરે ચડે છે, કારણ શરીરની શક્તિ ઘટી છે. સાધુઓ પુસ્તકો એકત્ર કરવામાં, પોતાનું માન મહત્ત્વ વધારવામાં, સાધુપણું સમજવા લાગ્યા છે. શિષ્યોના લોભે પોતાનો પંજો તેમના તરફ લંબાવ્યો છે તેથી સ્વરોદય જ્ઞાનના અભ્યાસી બની શકતા નથી કેમ કે આ જ્ઞાન નિર્લોભી અને આત્મજ્ઞાનીનું છે. યોગની સાધના અને ધ્યાનના અભ્યાસથી આત્મકલ્યાણ થઈ શકે. ધ્યાન સમાધિ એ મોક્ષનું અંતિમ ચરણ છે. કેટલાક સાધુ આત્મકલ્યાણનો માર્ગ છોડી અજ્ઞાની સંસ્કારી મનુષ્યો પર ઢોંગ અને દંભ દ્વારા સાધુપણાની છાપ બેસાડવા જાય છે. જ્યારે ચિદાનંદજી લોકપરિચયથી દૂર રહેતા. દંભ, માન કીર્તિ પામવાની લાલચથી તેઓ કોષો દૂર હતા.
પ્રાણાયામ યોગની દશ ભૂમિકા છે તેમાં પ્રથમ ભૂમિકા સ્વરોદયજ્ઞાનની છે. એના અભ્યાસ દ્વારા મોટા મોટા ગુપ્ત ભેદોને પણ મનુષ્ય સુગમતાપૂર્વક જાણી શકે છે. ઘણા વ્યાધિનું નિવારણ કરી શકે છે એમાં ફક્ત શ્વાસની ઓળખાણ *રાવવામાં આવે છે. નાક ૫૨ હાથને રાખતા જ નાડીનું જ્ઞાન થવાથી તેનો અભ્યાસી ગુપ્ત વાતોનું રહસ્ય ચિત્રની માફક જાણી શકે છે. એના જ્ઞાનથી અનેક પ્રકારની
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૧ ૪૫
Page #95
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ સંસારી જીવથી આ અભ્યાસ સારી રીતે થઈ શકતો નથી કેમ કે આ વિષય કઠિન છે. વળી એમાં અનેક પ્રકારના સાધનોની આવશ્યકતા રહે છે. આ વિષયના ગ્રંથોમાં આ કઠિન વિષયનું સંક્ષેપમાં વર્ણન છે તેથી સાધારણ માનવથી એ વિષય સમજી શકાતો નથી આ વિષયના જાણકાર યોગીપુરુષો વિરલ છે તેથી ઓછી જાણકારીને લીધે લાભને બદલે ઊલટું હાનિ થવાની સંભાવના રહે છે. આ વિદ્યાનો અભ્યાસ આ ભવમાં તેમ જ પરભવમાં પણ હિતકારી છે અને આત્મકલ્યાણને પ્રાપ્ત કરાવનાર છે.
પ્રશ્નોત્તર રત્નમાલા – એમાં દેવ, ધર્મ-ગુરુ, સુખ, દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, જીવ-અજીવ, પુણ્ય-પાપ (નવતત્ત્વ), ચતુરમૂરખ પુરુષની વ્યાખ્યા, ચપળ ચંચળ કોણ? ચિત્રાવેલી ક્યાં છે? શું સાધવાથી દુઃખ જાય? કાન આંખ હાથ હથેળી હૃદય ગળુ એનું મંડન કયા છે? પાપ, રોગ, અને દુઃખનું કારણ શું છે? પવિત્રતા અને અપવિત્રતા, અમૃત અને વિષ ક્યાં છે? સુસંગ અને કુસંગ કયા છે? વગેરે અનેક પ્રશ્નોના ઉત્તર એમાં મળે છે. કુલ ૧૧૪ પ્રશ્નોને ૧૬ દેહામાં વણી લીધા છે તેમના જ્ઞાનના ઊંડાણનો પરિચય તેમના વિસ્તૃત, સરળ અને સ્પષ્ટ ઉત્તરોમાં થાય છે. ઉત્તરો ચોપાઈ સ્વરૂપમાં ૩૮ રચનાઓમાં છે.
અરિહંત નિરાગી છે. દયાનું મૂળ પવિત્ર ધર્મ છે. ગુરુનો ઉપદેશ હિત સાધવા માટે હોય છે. જગતમાં જ ઉદાસીનતા, સુખદુઃખ, આશા-નિરાશા બેઉ છે. જન્મમરણ જેવું બીજું કોઈ દુઃખ નથી આત્મબોધ અને જ્ઞાન હિતકારી છે. સંસારમાં ભ્રમણ એ અજ્ઞાન છે. ચિત્તની ચંચળતાને રોકવી એ ધ્યાન છે. ચિત્તની ચંચળતા રોકી જ્ઞાની થવાથી સંસાર ભ્રમણમાંથી મુક્તિ મળે છે. ભવ્યતા પામવી એ મહા માન છે અભવ્ય ત્રિભુવન અપમાન છે. જીવનું લક્ષણ ચેતન છે. ચેતન વિનાની વસ્તુ અજીવ છે. પરોપકાર પુણ્ય છે, પરપીડા પરનિંદા પાપ છે. આસવ એટલે કર્મ આગમન, સંવર એટલે કર્મનો વિરોધ. હંસ જેવી નિર્મલતા હોય ત્યાં નિર્જરા હોય. વેદ, ભેદ, બંધન, દુખરૂપ બંધનોનો અભાવ તે મોક્ષ. પરિણતિ મમતા, હય, સ્વસ્વભાવ, જ્ઞાન, આ આત્માના ગુણો સુખકારી છે. પરમ બોધથી મિત્યાત્વ રૂંધી આત્મહિતની ચિંતા કરવી સુવિવેક છે. એનાથી વિરોધી જડતા. અવિવેક છે. પરભવનો સાધક ચતુર કહેવાય છે.
મૂર્ખ કર્મબંધ બાંધે છે. ત્યાગી રાજપદ પામે છે. લોભી ગરીબ કહેવાય છે કેમ કે લોભીને સદા ઓછું જ પડે છે. એ અસંતોષી હોવાથી એની માંગ પૂર્ણ થતી જ નથી. ઉત્તમ ગુણોનો રાગી ગુણવંત છે તે ભવોનો અંત આણે છે. જોગી જે મન ઇન્દ્રિયને જીતે છે, સમતા રસ સાધે છે એ સંત, અભિમાન તજે એ મહાપુરુષ, અવિવેકી નર પશુ સમાન છે, આત્મજ્ઞાની માનવ છે, દિવ્યદૃષ્ટિ ધારે તે જિનદેવ, જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, ક્ષત્રિય જે કર્મના દુશ્મનને વશમાં આણે, વૈશ્ય જે વૃદ્ધિ કરે, શુદ્ર જેને ભદ્ર અભદ્ર બધું ભાવે. અસ્થિર એ સંસારી
૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #96
--------------------------------------------------------------------------
________________
છે. અને સ્થિર જિનધર્મ હિતકારી છે. ઇન્દ્રિયસખ નકામું છે, ઈચ્છાને રોકવી એ મનોહર તપ છે. નવકાર જાપ જગમાં ઉત્તમ છે. સંયમ આત્માને સ્થિરતાભાવ આપે છે જે ભવસાગર તરવાની નાવ છે. સાચો શિવસાધક શક્તિને સાધીને દુર્જય મનની ગતિને જુએ છે. નારીમાં અતિકપટ હોય છે. નીચ વ્યક્તિ બીજાનો પરદ્રોહ વિચારે છે જ્યારે ઉચ્ચ મહાન પુરુષ પરદુઃખનું નિવારણ કરે છે. તે કાંચનને સરખું જાણે છે, હરખશોકમાં ફરક પડતો નથી. ક્રોધ એ પ્રચંડ અગ્નિ છે. માયા, મોહ, લોભ એ રિપુ સમાન છે. નીચ સંગથી ડરીયે અને સંતથી હંમેશા મળીયે. સાધુસંગથી ગુણમાં વૃદ્ધિ થાય છે નારી સંગતથી પતન થાય છે. ચપળ ચંચળ વાયુથી પાન ખરે છે. ધર્મ એક જ ત્રિભુવનમાં સારમય છે. શરીર ધન યૌવન બધુ અસાર છે. નારીને સરકાર સમજો તેથી એના પર પ્રેમ ન કરો. મોહ જેવો કોઈ દુશ્મન નથી. પાપ હિંસાથી ડરો. જેને કામના નથી અને જે સંતોષી છે એ સદા સુખી છે. મૃત્યુ જેવો કોઈ ભય નથી. સંયમથી બધા દુઃખ જાય છે અને સર્વ દુઃખ જતા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. પાપનું મૂળ લોભ છે. રોગનું મૂળ રસ છે. દુઃખનું મૂળ સ્નેહ છે. ખુદની કાયા અપવિત્ર છે. જે માયાને ત્યજે છે તે પવિત્ર પુરુષ છે. અધ્યાત્મની વાણી, અમૃત સમાન છે અને કુકથા, પાપ કહાણી પરનિંદા ઝેર સમાન છે જેનાથી અપલક્ષણ આવે છે.
નિષ્કર્ષ: ચિંદાનંદજીનું સાહિત્ય પ્રભુભક્તિ તરફ વાળી મોક્ષ માર્ગ દર્શાવે છે. ભાષા શૈલી, શબ્દો મધુર, અત્યંત સુંદર ઉપમાઓથી સજેલી મનમોહક છે. જે સાહિત્યપ્રેમીને વારંવાર વાંચવા આકર્ષિત કરે છે. અને ગાવાનું મન થાય એવી સૂરમયી રાગરાગિણી છે. શબ્દોમાં કઠોરતા ધાર્મિક ભાષા માટે અશોભનીય છે. ધર્મ પ્રેમ શિખવાડે છે એની ભાષા લજ્જાસ્પદ ન હોવી જોઈએ, કે તલવાર જેવી ધારદાર કે વેધક ધમકીભરી ન હોવી જોઈએ. શ્રી ચિદાનંદજી ભાષા મન મોહી લે છે. દા.ત. બહોતરી પદ ૬૫મું.
લાગ્યા નેહ જિનચરણ હમારા જિમ ચકોર ચંદ પિયારા. સુનત કુરંગ (હરણ) નાદ મન લાઈ પ્રાણ તજે પણ પ્રેમ નિભાઈ ધન તજ પાન ન જાવતજાઈ (જાવજીવ) એ ખગ (પક્ષી) ચાતક કેરી વડાઈ. જલત નિઃશંક દીપકે માંહી પીર પતંગકુ હોત કે નહી ? પીડા હોત તદ પણ તિહાં જાહી, શક પ્રીતિવશ આવત નાંહી. મીન (માછલ્લી) મગન નવી જળથી ન્યારા, માન સરોવર હંસ આધારા ચોર નિરખ નિશિ અતિ અંધિયારા, કેકી (મો૨) મગન સુનસુન ગરજારા. પ્રણવ (ૐકાર) ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસ સાધક
" (સુવર્ણ રસના સાધનારા) સાધે. અધિક સુગંધ કેતકીમે લાધે, મધુકર તસ સંકટ નવિ વાધે? જાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મરમ તો તે હિ જ જાને.”
પ.પૂ. ચિદાનંદજી મ.સા. * ૪૭
Page #97
--------------------------------------------------------------------------
________________
બીજુ શ્રી ચિદાનંદજી કીર્તિ કે માનના ભૂખ્યા નથી. તેઓ પ્રશંસાના લોભી નથી. પોાતનું માનમહત્ત્વ વધારવા, નામ કરવા કે શિષ્યો વધારવાના લોભી નહોતા તેથી તેઓ સદાય લોકોના જૂથથી દૂર રહેતા. તેઓની રચનાઓ – ગ્રંથો લો'લ્યાણ આત્મકલ્યાણાર્થે રચાયા હોય એવું જણાય છે. તેઓ નિર્લોભી અને આત્મજ્ઞાની હતા. તેઓ સંસારી મનુષ્યો ૫૨ પોતાના ઢોંગ કે દંભ દ્વારા છાપ બેસાડવાનો પ્રયત્ન નહોતા કરતા. તેમના પદો ઘણી જગ્યાએ ગવાતા સંભળાય છે. તેઓ લોકપરિચયથી દૂર રહેતા. પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એનો પ્રચાર કરી મહાનતા પામવાની તેઓની ભાવના ન હોવાથી તેઓ સાદી રીતે જીવન ગાળતા.
પ્રભુભક્તિમાં લીન થવા ઈશ્વરમાં ચિત્ત સ્થિર કરવું ભટકવા ટેવાયેલ મનને સ્થિર કરવા અભ્યાસ કરવો, એ માટે ચિત્તવૃત્તિ નિરોધ કરવો. જ્ઞાન એટલે શ્રવણ-મનન, ધ્યાન એટલે ઉપાસના, ચિત્ત અશાંત હોય તો ધ્યાન ન થઈ શકે એટલે ચાર કષાયોથી મુક્ત થઈ મૈત્રીભાવ, કરુણા, દયા, સમતા સંતોષ, યોગયુક્ત ઇન્દ્રિય નિગ્રહી, દૃઢનિશ્ચયી થઈ મન, બુદ્ધિ, ઈશ્વરને સમર્પિત કરી હર્ષ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, ભય, ઉદ્વેગમુક્ત, માનાપમાન, શીતઉષ્ણ સુખદુઃખ જેવા દ્વંદ્વો પ્રતિ સમતા રાખી અનિકેત સ્થિર મતિયુક્ત થયેલ ભક્ત ભગવાનને પ્રિય હોય છે. એવા ભક્તો શુદ્ધ ચેતનને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. અંતિમ ચરણ સમાધિ દ્વારા આત્મા સિદ્ધત્વને પામે છે.
સુવર્ણા જૈન
૨૫૦૧ મોન્ટ્રીયલ ટાવર, શાસ્ત્રીનગર, લોખંડવાલા, અંધેરી વેસ્ટ, મુંબઈ-53 M. 8976484216
૪૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન
કોકિલા શાહ
|ડી. કોકિલાબહેન મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને કે. જે. સોમૈયા જૈન સેંટર - મુંબઈમાં માનદ્ અધ્યાપક તરીકે કાર્યરત હોવાના નાતે વિશદ અભ્યાસ ધરાવે છે. અધ્યાપનકાર્યની સાથેસાથે અવારનવાર સંશોધનલેખો લખવામાં તેઓ કાર્યરત છે. – સં.
'महा दिव्याकुक्षिरत्नं शब्द जितवरात्मजम्। राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम्।' અહા! જ્ઞાની વાણી, પ્રશમરસ શબ્દ નીતરતી, પ્રકર્ષ બોધે છે, નહિ ગુણગુણો સંખ્ય ગણતી; પ્રતિભા રંગે જે, બુદ્ધ હૃદયના તાર સ્પર્શે,
નમું વંદુ તેને, કર ઉભયથી ચિત્ત ઉલ્લસે.'
ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં થઈ ગયેલા ગુજરાતીઓમાંના એક જૈન સાહિત્યકાર તે શ્રીમદ્ રાજચંદ્ર – રાયચંદભાઈ રવજીભાઈ મહેતા. દુષમકાળના યુગપુરુષ જ્ઞાનાવતાર “સાક્ષાત સરસ્વતી – શ્રીમદ્ રાજચંદ્ર ઓગણીસમી શતાબ્દીની એક અસાધારણ વિભૂતિ હતા. જૈન સાહિત્ય ક્ષેત્રમાં તેમનું અપૂર્વ યોગદાન છે. તેમના જીવનચરિત્ર વિશેનું લખાણ સુલભ છે; પરંતુ સાહિત્ય વિશે મૂલ્યાંકનની દષ્ટિએ ઘણું ઓછું લખાયું છે. આ નિબંધમાં તેમના સમગ્ર સાહિત્ય-ગદ્ય અને પદ્યનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું પરમ કલ્યાણમય જગહિતકારી સાહિત્ય માર્મિક છે–અજોડ છે. તેમની આત્મિક અત્યંતર અવસ્થાનો નિચોડ તેમનાં લખાણોમાં મૂર્તિ સ્વરૂપ પામે છે. તેમની સાહિત્યિક કૃતિઓ જોતાં તેઓ અર્વાચીનયુગના ગુજરાતી સાક્ષરોમાં મહત્ત્વનું સ્થાન ધરાવવાને યોગ્ય છે. તેમની કૃતિઓમાં કાવ્યો, પત્રો, ચિંતનલેખો, ભાષાંતર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે સ્ત્રી, સમાજ શિક્ષણ, શૌર્ય જેવા વિવિધ વિષયો પર પણ લખ્યું છે. બધા જ સાહિત્યના પ્રકારોમાં જૈન તત્ત્વને પ્રકાશવાનો જ પ્રયત્ન છે. આધુનિકયુગના મહાન સંત અને દર્શનિક શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય લક્ષ આત્મચિંતન અને આત્મદર્શન હોવાથી તેમનાં લખાણોમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષય જ પ્રધાનપણે છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૪૯
Page #99
--------------------------------------------------------------------------
________________
તેઓ તત્ત્વચિંતક, યોગી હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે લખેલું ગુજરાતી પદ્ય અને ગદ્ય જૈન સાહિત્ય અજોડ છે. એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. કાવ્ય સાહિત્ય:
શ્રીમને કેટલાક કવિ તરીકે સંબોધન કરે છે, જે તેમણે સાર્થક કર્યું છે. એમનું પદ્યસાહિત્ય ભાવવાહી, સુંદર, ગેય છે.
શ્રીમદે નાનામોટા થઈ કુલ ૪૫ કાવ્યો રચ્યા છે જે વર્તમાનમાં પ્રાપ્ય છે. તેમનું સાહિત્ય તેમની અદ્ભુત જ્ઞાન દશા અને નિર્મોહ દશા રજૂ કરે છે. તેમના બીજા કેટલાક પદો અપ્રાપ્ય છે. ગેય ઢાળોમાં દોહા પણ લખ્યા છે. સત્તરમા વર્ષે તેમણે લોકપ્રિય કાવ્ય ‘અમૂલ્ય તત્ત્વ વિચાર’ની રચના કરી હતી. જેની શરૂઆત જ આકર્ષક છે. ‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો' – અહીં મનુષ્યભવની દુર્લભતા બતાવી જૈન તત્ત્વજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંત – હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું... કહી કાવ્ય ચિંતનસભર બનાવી દીધું છે. તેમનાં કેટલાંક પદોમાં પ્રાસાનુપ્રાસની અદ્ભુત રચના તેમ જ શબ્દસૌંદર્યનો અનુભવ થયો છે.
ચોવીસમા વર્ષે સં. ૧૯૪૭માં ચા૨ કાવ્યોની રચના કરી – એક જ દિવસે ભાદરવા સુદ આઠમના દિને ‘હે પ્રભુ', ‘યમનિયમ', જડભાવે', જિનવર કહે છે જ્ઞાન’, ‘જડભાવે’માં એક જ પદમાં દ્રવ્યાનુયોગનો સાર આપી દીધો છેઃ હોય તેહનો નાશ નહીં... ભેદ અવસ્થા જોય' વિજ્ઞાન પણ અહીં સંમત છે.
૨૯મે વર્ષે સં. ૧૯૫૨માં ‘મૂળ મારગ સાંભલો જિનનો રે' જેમાં રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગનું વર્ણન છે. આવું તત્ત્વસભર કાવ્ય દુર્લભ છે અને તે જ વર્ષે આસો વદ એકમના દિવસે નડિયાદ મુકામે રાત્રે ફાનસના પ્રકાશમાં એક જ બેઠકે કંઈ પણ ચેકચાક કર્યા વગર ૧૪૨ પદનું અતિ ઉત્તમ માકલ્યાણકારી, સકળ શાસ્ત્રોના સારરૂપ, સમગ્ર જૈન દર્શનના અર્ક સમા, અતિ દુર્લભ, અત્યંત ઉપકારી, તાત્ત્વિક જ્ઞાનના સાગર સમ તેમ જ બધી રચનાઓમાં શિરમોર એવાં શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રની રચના કરી.
ત્રીસમા વર્ષે સં. ૧૯૫૩માં ‘અપૂર્વ અવસ૨’ નામનું જીવની ચઢતી દર્શાવતું, ચૌદ ગુણસ્થાન વર્ણવતું, અત્યંત ગૂઢ અને સૂક્ષ્મ કાવ્ય રચ્યું. તેઓશ્રીએ આ કાવ્યમાં બતાવ્યું છે કે સમ્યક્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. અહીં મુખ્યત્વે પરમપદ પ્રાપ્તિની ભાવના છે. આ કાવ્ય જૈન શાસ્ત્રો-આચારાંગ, ઠાણાંગ, દશવૈકાલિક આદિ સૂત્રોના અર્કરૂપ તથા સ્વાનુભવરૂપ છે.
તેમના બધા જ પદોનો અનંત મહિમા છે. ‘હે પ્રભુના વીસ દોહામાં સંસારી જીવના વર્તમાન પર્યાયના દોષોનું વર્ણન છે. સંસારમાં જીવ અનંત દોષોથી મલિન છે તેવું જ્યારે જીવને ભાન થાય છે ત્યારે તે શુભ દશા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે, વીર્ય ફોરવે છે. સંસારી જીવની પૂર્ણતા અને શુદ્ધતાનો અભાવ દર્શાવવા દરેક પદમાં ‘નહીં’, નથી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રીમની કવિત્વશક્તિ ૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #100
--------------------------------------------------------------------------
________________
અજોડ છે. આમાં જીવને પોતાની સમક્ષ દર્પણ ધરી દીધું છે, જેથી ગર્વ ગળી જાય છે. આ દોહા આમ જીવને યોગ્યતાની પ્રાપ્તિ કરાવે છે. સદ્દગુરુ ભક્તિ રહસ્યરૂપ આ પ્રાર્થના સ્વચ્છેદ ટાળવાનો ઉપદેશ આપે છે. તેઓના કાવ્યો આ પ્રમાણે છેઃ ૧. ગ્રંથારંભ પ્રસંગ. ૨. નાભિનંદન નાથ. ૩. ભિન્ન ભિન્ન મત દેખિયે. ૪. મોહિનીભાવ વિચાર અધીન ૫. સુખકી સહેલી હૈ ૬. લઘુવયથી અદ્ભુત થયો. ૭. મારગ સાચા મિલ ગયા ૮. હોત આસવા પરિસવા ૯. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ! ૧૦. ધન્ય રે દિવસ આ અહો ! ૧૧. અવધાન કાવ્યો ૧૨. મોતી તણી માળા ગળામાં ૧૩. સાહ્યબી સુખદ હોય ૧૪. જળહળ જ્યોતિ સ્વરૂપ તું ૧૫. વિદ્યુત લક્ષ્મી – આદિ ભાવનાના પદો ૧૬. શુભ શીતળતામય છાંય ૧૭. હતી દીનતાઈ ત્યારે તાકી ૧૮. મંત્ર તંત્ર.. ૧૯. વચનામૃત વીતરાગનો ૨૦. તપોપધ્યાને રવિરૂપ થાય ૨૧. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? ૨૨. યમનિયમ સંયમ આપ કિયો ૨૩. બહુ પુણ્યકેરા પુંજથી ૨૪. ધર્મતત્ત્વ જો પૂછ્યું મને ૨૫. નીરખીને નવયૌવના ૨૬. લોકપુરુષ સંસ્થાને કહ્યો ૨૭. જડ ને ચૈતન્ય બંને ૨૮. બિના નયન પાવે નહીં ૨૯. જડ ભાવે જડ પરિણામે ૩૦. મૂળ માર્ગ રહસ્ય
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + પ૧
Page #101
--------------------------------------------------------------------------
________________
૩૧. જિનવર કહે છે જ્ઞાન તેને ૩૨. પંથ પરમ પદ બોધ્યો. ૩૩. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૩૪. ઈચ્છે છે જે જોગીજન ૩૫. જળહળ જ્યોતિ સ્વરૂપ તું ૩૬. અનંત અનંત ભાવ ભેદથી ભરેલો ૩૭. તૃષ્ણાની વિચિત્રતા તથા
અવધાન કાવ્યોના પદો અને ભાવનાના પદો વગેરે મળી લગભગ ૪૫ જેટલાં કાવ્યો થાય છે. સામાજિક સુધારણાનાં કાવ્યો પણ રચ્યાં છે. હાથનોંધ
હાથનોંધ નંબર એકમાં પોતાનું સ્વાત્મવૃત્તાંત આલેખ્યું છે, તેમાં તેઓશ્રી જણાવે છેઃ (આત્મદર્શન કે સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિશે)
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે; ઓગણીસમેં ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે, ઓગણીસસે ને સુડતાલીસે, સમતિ શુદ્ધ પ્રકાડ્યું રે,
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. વળી, પોતે એક દેહધારી મોક્ષ પામશે તેમ દઢતાથી કહ્યું છે –
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે, કેવલ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે”
આ સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની દશા કોઈ વિરલા જ પામી શકે છે. વળી તેઓ હાથનોંધમાં લખે છે,
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર
હો...
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ, પરમ વીતરાગ-સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.'
તેવી જ રીતે, એક જ વાક્યમાં સમ્યક્દર્શનનું માહાત્મ શ્રીમદ્ પ્રગટ કરે છે:
‘અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રામાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.”
તેમણે શ્રી લલ્લુજી મહારાજને “સમાધિશતકમાંથી બોધ આપ્યો. તે પુસ્તક
પર + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #102
--------------------------------------------------------------------------
________________
વાંચવા-વિચારવા આપ્યું અને પાછા બોલાવી પુસ્તકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી
આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” નિગ્રંથ પ્રવચનમાં પણ આજ કહ્યું છે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.'
સર્વપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ્ય કરવા યોગ્ય અને સ્વાનુભવ સિદ્ધ કરવા યોગ્ય છે.”
અન્યત્ર કહે છે – અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ, અહો ! તે સર્વત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ, આ વિશ્વમાં સકળ તમે જયવંત વર્તાજયવંત વર્તી’
- શ્રીમદ્ રાજચંદ્ર (હાથનોંધ ૩/ર૩) અહીં તીર્થંકરે પ્રરુપેલ મોક્ષમાર્ગ બોધનું માહાસ્ય બતાવ્યું છે.
હાથનોંધ ૧/૧૧: અહો ચેતના અહો તેનું સામર્થ્ય! અહો જ્ઞાની! અહો તેમનું ધ્યાન !
શિક્ષાપાઠ ૧૦૫ (મોક્ષમાળા) વિચારયોગ્ય – સ્વીકારવાયોગ્ય મહાવાક્યો, બોધવાક્યો યથા -
નથી ધર્યો દેહ વિષય વધારવા;
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” શ્રીમના ભાષાંતરો અને વિવેચનો
તેમની શૈલી મનોહર અને તલસ્પર્શી જોવા મળે છે.
(૧) “શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫માં “સંયતિ મુનિધર્મ વિશે ૫૧ બોલ લખેલા છે. પ્રથમના આઠ બોલ ચોથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાંથી છત્રીસમા સુધીના બોલ છઠ્ઠા અધ્યયનની નવથી ૩૬ ગાથાઓ પર લખેલા છે અને છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કોઈ કોઈ વખતે લખી રાખેલા બોલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાપ્યા હોય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં, મૂળ ગાથાઓની વાંચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે, કોઈ વખતે તો આખી ગાથાનો અર્થ ટૂંકા વાક્યમાં સમાઈ જતો હોય તો તે વાક્ય જ મૂકી દીધું છે, આવી તેમની
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૩
Page #103
--------------------------------------------------------------------------
________________
સૂત્રાત્મક શૈલી ભાષાંતરોમાં પણ પ્રગટ જણાઈ આવે છે.
(૨) સં. ૧૯૫૩માં લખેલા અવતરણો મોક્ષસિદ્ધાંત' નામે પ્રસિદ્ધ થયેલા છે તેમાં દ્રવ્યપ્રકાશ” લેખમાં દ્રવ્ય સંગ્રહના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરો રહેલો તે લેખ છે, તે જ અંકના આઠમા વિભાગમાં દ્રવ્યસંગ્રહની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય શ્રીમદે સુંદર ભાષામાં જણાવ્યું છે.
(૩) વિશ વર્ષ સુધીના લખાણ વિશે શ્રી ચિદાનંદજીના “સ્વરોદય’નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું – તે જ પ્રમાણે શ્રી આનંદઘનજીના ચોવીશીના સ્તવનોમાં જે રહસ્ય છે તેનું વિસ્તૃતિકરણ કરવાની શરૂઆત કરેલી છે. પ્રથમના બે સ્તવનના અધૂરાં વિવેચનો “શ્રીમદ્ રાજચંદ્ર ૭૫૩મા અંકમાં પ્રસિદ્ધ થયા છે.
- શ્રી યશોવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સઝાયની છઠ્ઠી દષ્ટિમાંથી એક કડી લઈ – મન મહિલાનું રે વહાલ ઉપર બીજા કામ કરત, એમ મૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત' - આ કડીનું વિવેચન ૩૯૩, ૩૯૪ અને ૩૯૫ એમ ત્રણ પત્રોમાં સુંદર રીતે કર્યું છે. સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ જાય એ રીતે. અપ્રગટ ભાષાંતર
આત્માનુશાસનનાં સો શ્લોકોનું ભાષાંતર કર્યું છે પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓમાંથી બે ભાવનાઓ પૂરી કરી સંસાર ભાવના વિશે થોડું લખ્યું છે. જે ભાવનાસંગ્રહ સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયો છે તેમાં પ્રગટ કરવામાં આવ્યું છે. તે સ્વાભાવિક સરળ ભાષામાં લખાયેલ છે. તાર્કિક સમંતભદ્રના એક પ્રસિદ્ધ શ્લોકનું ભાષાંતર કર્યું છે. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર શ્રીમદે કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્યના પંચાસ્તિકાય' ગ્રંથના ૧૫૮ શ્લોકો છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રમાણે આ ગ્રંથ લખાયો છે. તેના પર ટીકા કે વિવેચન કંઈ કર્યું નથી. સ્વતંત્ર પુસ્તકોઃ
તેમના નીતિવિષયક પુસ્તક સ્ત્રીનીતિબોધ વિભાગ-૧ની છાપેલી પ્રત મળી શકતી થી જેમાં ગરબીઓ છે. સોળ વર્ષની ઉંમર પહેલા લખાયેલ તેમની કૃતિઓમાં
(૧) “પુષ્પમાળાનો સમાવેશ થાય છે. આ કૃતિ તેમની કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નથી પણ સર્વસાધારણ નૈતિક ધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. તેમાં સુવાક્યો વગેરે છે અને અસાંપ્રદાયિક છે. મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેની વૈયક્તિક અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે પુષ્પમાળાની રચના કરી છે. શ્રેયાર્થીને તે માર્ગદર્શક છે.
ત્યાર બાદ બીજી આધ્યાત્મિક કૃતિ જેનું નામ છે (૨) “મોક્ષમાળા' જે સત્તર વર્ષની ઉંમરે રચી છે. એમાં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરીને જૈન ધર્મને ૫૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #104
--------------------------------------------------------------------------
________________
જ અનુલક્ષી લીધેલા છે. એમાં પણ માળાના મણકાની જેમ ૧૦૮ પાઠનો સંગ્રહ છે. શ્રીમદ્ પોતે જ સં ૧૯૫૫માં લખે છેઃ જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય... તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે. કથાઓ અને ઉદાહરણોથી ભરપૂર ૧૦૮ પાઠોનું ભાવપૂર્વક મનનચિંતન મોક્ષના કારણરૂપ થઈ પડે એમ છે. શ્રીમદે પોતે જ આ પુસ્તકનું મહત્ત્વ વિશદતાથી દર્શાવ્યું છે.
(૩) ‘ભાવનાબોધ’ પુસ્તક સં. ૧૯૪૨માં શ્રીમદે લખ્યું હતું. આ ગ્રંથ ટૂંકો છતાં વૈરાગ્યથી ભરપૂર છે, અનિત્ય, અશરણ વગેરે બાર ભાવનાઓનું વર્ણન છે. શરૂઆતમાં મુક્તક મૂક્યું છે અને પછી દૃષ્ટાંતોથી સમજાવી છે. દા.ત., અનિત્ય ભાવનાની શરૂઆતમાં કાવ્યપંક્તિ મૂકી છે
વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ...’ એવી જ રીતે બધી ભાવનાઓ વિશે લખ્યું છે.
આ ગ્રંથો રચ્યા એ જ અરસામાં તેમણે (૪) ‘મિરાજા નામે એક કાવ્યગ્રંથ લખ્યો હતો જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનો ઉપદેશ કરી અંતે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. આ ગ્રંથ પાંચ હજાર શ્લોકનો કહેવાય છે પરંતુ તે ઉપલબ્ધ નથી. આ ગ્રંથનો માત્ર ઉલ્લેખ સં ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા ‘સાક્ષાત્ સરસ્વતીમાં મળે છે.
‘નીતિવિષયક પુસ્તક’ની છાપેલી પ્રત મળી શકતી નથી.
સં. ૧૯૫૩માં લખેલા અવતરણો મોક્ષસિદ્ધાંત’ નામે પ્રસિદ્ધ થયેલાં છે. તેમાં ‘દ્રવ્યપ્રકાશ' લેખમાં ‘દ્રવ્યસંગ્રહ'ના ત્રણે ભાગનું વિવેચન કરતા અધૂરો રહેલો તે લખે છે તે જ એકના આઠમા વિભાગમાં દ્રવ્યસંગ્રહની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છે જે પ્રસિદ્ધ છે અહીં મૂળ ગાથાઓનો રહસ્ય ભાવ સ્પષ્ટ પ્રગટ થાય છે.
‘શ્રીમદ્દ્ની દૃષ્ટાંત કથાઓ' પ્રકાશિત થઈ છે તેમની કથાનુયોગની શૈલી અનોખી હૃદયવેધક અને વૈરાગ્યપ્રેરક છે. તેમજ આત્મોપયોગી છે. દૃષ્ટાંતકથાઓ ભાગ ૧-૨-૩ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ અને રાજચંદ્ર આશ્રમ અગાસ તરફથી પુનર્મુદ્રિત કરવામાં આવી છે. તેમના પુસ્તકો તાત્ત્વિક હોવા છતાં સરળ શૈલીમાં લખાયા હોવાથી સ્પષ્ટ છે.
સોળથી ઓગણીસ વર્ષની વય દરમિયાન શ્રીમદ્દે ગૃહસ્થ જીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત કરવું એ અંગે પણ એમની અંગત નોંધમાં ઉતાર્યું છે. એમાંથી થોડા ઉતારા જોઈએઃ (જેમાંથી આદર્શ ગૃહસ્થ જીવનની પ્રેરણા મળે છે.) (૧) ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો.
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૫
Page #105
--------------------------------------------------------------------------
________________
(૨) ધર્મ વડે અર્થ પેદા કરું. (૩) સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (૪) જીવ હિંસક વેપાર કરું નહીં. (૫) નીતિ વિના સંસાર ભોગવું નહીં. (૬) કુટુંબને સ્વર્ગ બનાવું. વગેરે.
તેમના લગ્નકાળના લખાણ જોતાં એ સ્પષ્ટ થાય છે કે તેમાં આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંચે છે. પોતાની હાથનોંધ અત્યંતર પરિણામ અવલોકનમાં શ્રીમદ્ લખે છે –
‘ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસલીએ
તેમ વધે ન ઘટે રંચ રે.” ઉદય કર્મ મહાવીરને પણ ભોગવવા પડ્યા – તેમ સર્વને વેચવા પડે છે. કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાયનું ભાષાંતર વિશેના પત્રમાં શ્રીમદ્ લખે છે - દ્રવ્યાનુયોગની મહત્તા - સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે – હાથનોંધમાં એ ઉપકાર દર્શાવતા લખે છે હે કુંદકુંદદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.'
સત્તર અઢાર વર્ષની વયે તેમણે દગંતિક દોહરા (લગભગ ૮૦) જે શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ્ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં છપાવ્યા છે, તે રચ્યા છે જેમાં નીતિવ્યવહારનો ઉપદેશ દાંત સહિત છે. યથા –
ફરી ફરી મળવો નથી આ ઉત્તમ અવતાર, કાળી ચૌદશ ને રવિ આવે કોઈક વાર’ વળી’
હોય સરસ પણ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય, કેમ કટારી કનકની પેટ વિશે ઘોંચાય?”
બુદ્ધિપ્રકાશ' સામાયિકમાં શૂરવીર-સ્મરણનામે તેમણે લખેલ ૨૪ સવૈયા છપાયા છે. પત્રોમાંથી પ્રગટતા વિચારરત્નો – સાહિત્યનો ગૂઢાર્થ
પત્ર (૧) ભક્તિ
(૨) સદ્ગુરુ સત્કૃત સતસંગનો મહિમા દર્શાવતા વચનો – શ્રીમદે તેમના પત્રોમાં, લખાણોમાં અને આત્મસિદ્ધિશાસ્ત્રમાં પ્રત્યક્ષ સત્પુરુષ-સદ્ગુરુનો અતિશય મહિમા ગાયો છે. આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સન્દુરુષોનો
પ૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #106
--------------------------------------------------------------------------
________________
સમાગમ જીવને ક્વચિત્ પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે...
જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રોનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક ૮૨૫) ‘સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે.'
શ્રીમદ્ રાજચંદ્ર (૩૭૫) પત્રાંક ૧૭૨માં તેઓશ્રી કહે છે – સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું? વળી,
જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી.' (૨૦૦)
યથા જે સત્પરુષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સહેજે આત્મબોધ થાય.. તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી નમસ્કાર હો.”
પત્રાંક ૪૯૩) (ભક્તિ – પત્રસાહિત્ય) હિંદી ભાષામાં કાવ્ય દ્વારા જણાવ્યું છેઃ
થમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો... વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યું ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે”
યમનિયમ એટલે વ્રત, સંયમ એટલે જીવરક્ષા. આમ, જીવને અનંતકાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં, પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. તે આશ્ચર્યકારક છે. પછીના અધ ભાગમાં શ્રીમદ સત્ સાધના બતાવી છે. મોક્ષનો અલૌ િમાર્ગ સગુરુ વિના મળવો દુષ્કર છે. સહજ આત્મસ્વરૂપ પરમગુરુ અને છેવટે ભક્તિમાં ધર્મનું રહસ્ય બતાવતાં કહે છે:
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૭
Page #107
--------------------------------------------------------------------------
________________
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસે,
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભવ બતલાઈ દિવે તેમણે રચેલ બીજું હિંદી કાવ્ય ૧૯૪૭માં રચેલ છે.
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત,
સેવે સદ્દગુરુ ચરન, સો પાવે સાક્ષાતું.’ આવા કેટલાક પદો પણ હિંદીમાં રચ્યા છે – જે ઊંડા ઊતરી વિચારવા યોગ્ય છે.
વ્યવહાર અને નિશ્ચયનય વિશે સુંદર ભાષામાં સમજાવી સમગ્ર જૈન પ્રવચનનો સાર આપી દીધો છે અદ્ભુત રીતે કહીને
વ્યવહારસે હૈ દેવ જિન, નિર્ચે સે હૈ આપ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચન કી છાપ' પત્રાંક ૬૩૧માં કહે છે તે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ – એ જ વાત કરી છે – હિંદી પદમાં – જબ જાન્યો નિજ રૂપકો તબ જાન્યો સબ લોક” વચનાવલી (
૨૭)માં કહ્યું છે – જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સતસુખનો વિયોગ છે.
‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે. મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે (૫૮ પત્રાંક) માર્ગને પામેલો માર્ગ પમાડશે' (૧૬૬) એમ લખી માર્ગનો મર્મ તેમણે ખુલ્લો કર્યો છેપત્રાંક (૫૪૮)માં કહ્યું છે.
‘જ્ઞાની પુરુષનો સત્સંગ થયે અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે એ વાત પ્રગટ સત્ય છે.
જ્ઞાની પ્રત્યે પરાભક્તિ – એટલે પરમાત્મા પ્રત્યે ભક્તિ – કારણ કે જ્ઞાની તો પરમાત્મા જ છે. દેહધારી પંચ પરમેષ્ઠિ મંત્રમાં નમો અરિહંતાણં પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાનીની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૨૨૩)
પત્રાંક (૭૭૧)માં અતિસુંદર, ભાવવાહી શબ્દોથી, અદ્દભુત વચનશૈલીથી જણાવ્યું છે કે – “સપુરુષ કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગ વિના સમકિત આવવું કઠણ છે – તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે. (૭૭૧)
આ વચનામૃતથી એ નિયમ સાબિત થાય છે કે પરમાર્થ માર્ગની પ્રાપ્તિ તથા રૂપ પુરુષના પ્રત્યક્ષ યોગથી થાય છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્ત સદ્દગુરુ લક્ષ,
૫૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #108
--------------------------------------------------------------------------
________________
સમકિત તેને ભાષિયું, કારણ ગણી પ્રત્યક્ષ, માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) આચારાંગ સૂત્ર (૧૯૪)માં પણ કહ્યું છે આ જ સામેથી આજ્ઞાનું આરાધન એ જ ધર્મ –
ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. (૫૩૦)
આ વચનામૃત મહાત્મા ગાંધીનો પ્રશ્ન – અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે? તેના ઉત્તર રૂપે છે. - આત્મસિદ્ધિમાં ષટ્રપદ પ્રાપ્તિના મૂળ સદ્ગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન શ્રીમદે પાયું છે. મુક્તિનો માર્ગ – ભક્તિ
શ્રીમદ્દની તીર્થંકર પ્રત્યે અનન્યભક્તિ હતી. તેઓના મત પ્રમાણે જિન – સિદ્ધ ભગવંત આરાધ્ય છે કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેવું જ નિશ્ચય નયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. જિનપદ અને નિજપદથી એકતા છે એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રયોજન છે. તેથી જ તેઓ કહે છે –
ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કોઈ,
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયી.” ઉપાદાન અને નિમિત્ત ભક્તિમાર્ગનું પ્રાધાન્ય
ભગવદ્ભક્તિના અવલંબન પરથી શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢવાનું છે તે માટે સમ્યક સમજ જોઈએ તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્દગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે આ અંગે પરમતત્ત્વ દ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય.’ વળી
ઉપાદાનનું નામ લઈ જે એ ત્યજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત.'
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૯
Page #109
--------------------------------------------------------------------------
________________
વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્દની અપૂર્વ વીતરાગતા – તેમની અનન્ય તીર્થકર ભક્તિ
શ્રીમદ્ભા વચનામૃતો તેમની વીતરાગદશાનું અનન્ય પરાભક્તિની પરાકાષ્ઠા પ્રકાશે છે. તેમના વચનોમાં –
બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે તીર્થંકર દેવ છે – તીર્થંકર દેવ પ્રણીત શ્રી વીતરાગદર્શન જ છે. પત્રાંક ૧૭૦માં તેમણે જણાવ્યું છે તેમ તેમને તીર્થકરને અનુસરવાની ઈચ્છા છે –' મહાવીરનો આદર્શ સતત જેની દૃષ્ટિ સન્મુખ હતો એવા આ અનન્ય વીતરાગ ભક્ત શ્રીમદે તીર્થંકરદેવને અનન્ય તત્તસ્તુતિ કરતા – આ ચાર અલૌ િનમસ્કારમાં તો લાખો સ્તોત્રો અને કરોડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવી અનન્ય વીતરાગ ભક્તિ દાખવી છે.
| પૃ. ૧૧, ડૉ. ભગવાનદાસ મહેતા) (૧) જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા
કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્તિ કહ્યો છે, તે તીર્થકરને નમસ્કાર
કરીએ છીએ. (૨) સન્દુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને
નમસ્કાર કરીએ છીએ. (૩) તીર્થકરના માર્ગબોધને નમસ્કાર. (૪) ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો
બલવાન પરિશ્રમ કર્યો છે તે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને
નમસ્કાર કરીએ છીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર, વિશિષ્ટ કૃતિ
સમકિત આપવા માટે કોઈ જિજ્ઞાસુની વિનંતિને માન આપીને શ્રીમદે છે પદનો પત્ર લખ્યો.
આત્મા છે, “આત્મા નિત્ય છે, આત્મા કર્યા છે, આત્મા ભોક્તા છે? મોક્ષ છે અને તે મોક્ષનો ઉપાય છે એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે.
આ છ પદનો પત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવો સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. એ જ છ પદ વિસ્તારરૂપે પદ્યમાં ગુરુશિષ્યનો સંવાદ કલ્પી ‘આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદે કરી છે તે જોઈએ. છ પદનું આત્મસિદ્ધિમાં શાસ્ત્રીય વિસ્તરીકરણ છે.
મહાન ગંભીર વિષયોને સરળ પદ્યમાં ઉતારી આત્મસિદ્ધિ રચી છે જે ૬૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દી પરમ્ કૃતિ છે.
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. દોહરામાં છે. તેનો વિષય દાર્શનિક, જૈન સંપ્રદાયસિદ્ધ છે. તેમાં વિષયોની વિવિધતા નથી તેમ દૃષ્ટાંતિક કથા કે વર્ણનો નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તર રૂપે તત્ત્વનિરૂપણનો વિષય હોવા છતાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠણાઈ તેમાં નથી. આત્મા સંબંધી સાધક નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એકસો બેતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે.
આત્માની સત્તાથી દેહાદિ સર્વ પ્રવર્તે છે છતાં સર્વ અવસ્થાઓમાં જે-જે જુદો જ રહે છે ‘સર્વ અવસ્થાને વિશે સદા જણાય' જાણનાર રૂપે રહે છે, તે જીવ ચૈતન્યરૂપ લક્ષણે છે. ચૌદ પૂર્વમાં સાતમું પૂર્વ ‘આત્મપ્રવાદ’ નામે છે તે સર્વ પૂર્વના સારરૂપ શ્રી ‘આત્મસિદ્ધિશાસ્ત્રની રચના આત્મસ્વરૂપનો અનુભવ કરીને શ્રીમદે કરી છે. આત્મસિદ્ધિશાસ્ત્ર એટલે જિનેન્દ્ર પ્રણીત દર્શનનો સાર. આમ એનું શાસ્ત્ર સાર્થક છે. આ શાસ્ત્રનું ગૌરવ ૧૪૨ ગાથાઓનું હોવા છતાં તેના ૫૨ ૧૪૨૦૦ શ્લોકની ટીકા લખાઈ શકે તેમ છે. આત્મસિદ્ધિ ‘દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. આ શાસ્ત્રના સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં ભાષાંતર થયા છે પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. કહે છે કે જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર કોઈપણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. પ્રશમરસથી ભરપૂર આ કાવ્યમાં આત્મગુંજનને ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. આ કાવ્યની વિશિષ્ટ યોજના છે તે ગુરુશિષ્યના સંવાદરૂપ છે. આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણરહસ્ય બતાવી આપ્યું છે. સદ્ગુરુ, સત્પુરુષ અને ભક્તિનું રહસ્ય બતાવ્યું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મા એક જ ૫રમાર્થ તત્ત્વ છે. એને ઓળખવું એ જ રાજવાણીનું રહસ્ય છે. પંડિત સુખલાલજી ‘આત્મસિદ્ધિ આત્મોપનિષદ પદ છે એમ કહે છે તે યોગ્ય જ છે. સત્પુરુષની ભક્તિથી અનંતકાળની ભ્રાંતિ ફ્ળ છે. આત્મા પરમાત્મા બને તે પરાભક્તિની પરાકાષ્ઠા છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં' કહી આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન બતાવ્યું છે.
શ્રીમદ્દ્ની કવિતાઓની વિશેષતા એ છે કે એના બાહ્ય ભાવને ભેદીને ભીત૨માં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થાય છે, આથી શ્રીમા કાવ્યો એની ભાવસૃષ્ટિ, આલેખન રીતિ અને વિષયવસ્તુને કારણે ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
શ્રીમદૂના સાહિત્યમાં ભાષાનું સૌંદર્ય, વિચારોની ગહનતા, ઉન્નત ભાવોની પ્રેરણા અને આત્મોપયોગી બાબતની સમૃદ્ધિ અખૂટ ભરેલી છે તેથી તત્ત્વ જિજ્ઞાસુ માટે તેમ જ વર્તમાન સંદર્ભમાં યુવાનો માટે ઉપયોગી છે – તેમને આત્મહિત ભણી લક્ષ કરવામાં સહાયક થઈ શકે.
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૬૧
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
સમાલોચના કરીએ તો કહી શકાય કે વિશ્વવત્સલ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં છેલ્લા ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં અનેક ધર્મપ્રભાવક મહાન પુરુષો થઈ ગયા છે. એ બધામાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસન પ્રભાવના અને વિપુલ સાહિત્ય સર્જન આદિને કારણે શ્રીમદ્ રાજચંદ્ર આગળ તરી આવે છે. તેમનું મૌલિક સાહિત્ય તત્ત્વજ્ઞાનની ગહનતાથી ભરપૂર છે. તેમણે અનેક વિષયો પર સફળતાપૂર્વક કલમ ચલાવી છે. વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવા તાત્ત્વિક ગહન ગ્રંથો લખ્યા છે, તેમ સહુ કોઈ સરળતાથી સમજી શકે એવું લોકભોગ્ય સાહિત્ય પણ સર્યું છે. ગદ્યમાં લખ્યું છે અને પદ્યમાં પણ – વિવેચનો પણ લખ્યાં છે અને ભાષાંતરો પણ.
એક વિશિષ્ટતા એ પણ છે કે તેઓ જૈન શાસ્ત્રના પારંગત તો હતા જ, પરંતુ અન્ય દર્શનોના પણ અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વતા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિના સુભગ દર્શન થાય છે તેમની કવિતા જોતા લાગે છે કે તેઓ કોઈ મહાન કવિ ન હતા છતાં કવિતાનું અભિવ્યક્તિ સામર્થ્ય તેમનામાં હતું. તેમના પદોની રચનાની અપૂર્વતા નોંધપાત્ર છે. એમનું દાર્શનિક સાહિત્ય એમની વિલક્ષણ પ્રતિભાનો સુંદર પરિચય કરાવે છે. એમણે રચેલા પદો વારંવાર મનન કરવા યોગ્ય છે જે તેમના આંતરવૈભવનો પરિચય આપે છે. આ મહાત્માએ પોતાના શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાનનો નિચોડ તેમના સાહિત્યમાં આપી દીધો છે. અલબત્ત તેમના સાહિત્યનો રસાસ્વાદ અનુભવવા જૈન પરિભાષા અને સિદ્ધાંતોનું જ્ઞાન આવશ્યક છે. શ્રીમદના લખાણોની બીજી એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું છે તે જ તેમણે લખ્યું છે તેથી ક્યાંય કૃત્રિમતા જોવા મળતી નથી પંડિત સુખલાલજીના મત પ્રમાણે વીસમી શતાબ્દીમાં ગંભીરતા, મૌલિકતા અને મધ્યસ્થતાની દૃષ્ટિએ શ્રીમદ્ રાજચંદ્રના લખાણોની સાથે સરખાવી શકાય એવા પુસ્તકો અલ્પ જોવા મળે છે. એમના સાહિત્યમાં જૈન સમાજમાં નવીન પ્રજાને કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જેને શિક્ષણ આપી શકે એવી ક્ષમતા પણ છે. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ અને વિશેષ કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ શ્રીમદ્દના લખાણોનું ભારે મૂલ્ય છે, તેમાં ક્યાંય પાંડિત્યતા નથી પણ સહજપણે ઉગેલી આધ્યાત્મિકતાના દર્શન થાય છે. વીસ દોહા, આત્મસિદ્ધિ, ક્ષમાપનાપાઠ વગેરેનું મહત્ત્વ અત્યંત છે! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. એમના સાહિત્યમાં ધર્મ તેમ જ તત્ત્વચિંતન વિશેનું તેમનું મૌલિક દષ્ટિબિંદુ સ્પષ્ટ થાય છે જે અપૂર્વ છે – કાળલબ્ધિની પ્રાપ્તિ હોવાથી તેમના લખાણોમાં સતુ નીખરી રહ્યું છે. અંતમાં, તેમના અનુભવના નિચોડરૂપ તેમના વચનો જે દ્વારા શ્રીમદ્જીએ મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને આત્મસિદ્ધિ માટેનું ગુપ્ત રહસ્ય પ્રગટ કર્યું છે, તે અમૃતતુલ્ય, અદ્દભુત વચનો જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશ્યા છે તે –
૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #112
--------------------------------------------------------------------------
________________
અહો, સત્પરુષના વચનામૃત, મુદ્રા. સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્રક ૮૭૫) આ રીતે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ આપનાર સપુરુષના વચનામૃતનું માહાત્મ છે. સં ૧૯૫૫માં આ અમૃતપત્ર લખીને મુમુક્ષુ પર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્જીએ લખેલ સાહિત્ય સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ.
આવા મહાન જ્ઞાની, આત્મજ્ઞ સંતપુરુષ પરમકૃપાળુ શ્રીમદરાજચંદ્રને ભાવપૂર્વક વંદન કરી જીવન સફળ કરીએ.
સંદર્ભ ગ્રંથસૂચિ (૧) શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતઃ પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૮૧. (૨) શ્રીમદ્ રાજચંદ્રઃ સં. ગોપાલદાસ પટેલ (જીવનયાત્રા – વિચારરત્નો) (૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના: મુકુલભાઈ કલાર્થી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર
આશ્રમ, અગાસ, ૧૯૪૭. (૪) શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર-ટીકાઃ ડૉ. ભગવાનદાસ મહેતા,
પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૯૪ (૫) ધર્મ અને દર્શન (દર્શન અને ચિંતન) ભાગ-૧: પંડિત સુખલાલજી (૬) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા (૭) શ્રીમદ્ રાજચંદ્ર – અધ્યાત્મ જીવનગાથા સંગ્રહઃ ભોગીલાલ શેઠ, પ્ર.
શ્રેયસ પ્રચારક સભા, મુંબઈ, ૧૯૭૮. (૮) મોક્ષમાળા: શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીતઃ પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૮૪.
ડૉ. કોકીલા હેમચંદ શાહ મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઓનરરી પ્રોફેસર કે. જે. સોમૈયા જૈન સેંટર, મુંબઈ શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૬૩
Page #113
--------------------------------------------------------------------------
________________
आचार्यश्री विजयवल्लभसूरि __व्यक्तित्व-कवि-काव्य
. महेन्द्रकुमार मस्त
શ્રી મહેન્દ્રકુમારજી મસ્ત પંજાબના રહેવાસી છે. પોતાના લેખો અને પુસ્તકો દ્વારા અનન્ય સાહિત્યસેવા કરી રહ્યા છે. પંજાબ કેસરી પ.પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીનો તેઓને ખૂબ નિકટનો પરિચય હતો. પૂ. વલ્લભસૂરિજીની કાવ્યસૃષ્ટિ અંગેનો આ લેખ એક અજાણ પ્રદેશ પર પ્રકાશ પાથરનાર છે. –સં.)
भारतीय संस्कृति की ओक विशिष्ट परम्परा के आचार्य श्री विजयवल्लभसूरि, - वीसवीं शताब्दी के सुप्रसिद्ध धर्मगुरु, आध्यात्मिक नेता व तत्त्ववेता हो चुके हैं। आदर्श
गुरु, समाज सुधारक, शिक्षा प्रचारक, राष्ट्रीय नेता तथा प्रकाण्ड विद्वान के रूप में आप युगों युगों तक जाने जाते रहेंगे।
श्री दीपचन्द-इच्छाबाई के घर सन् १८७० की भाईदूज के दिन बडौदा में जन्मे विजयवल्लभने १७ वर्ष की आयु में अपने आराध्य गुरु श्री विजयानंदसूरि (आत्माराम) से साधु दीक्षा ली। आचार्य विजयानंदसूरि जो कि स्वामी दयानंद व श्री रामकृष्ण परमहंस के समकालीन तथा उन्नीसवीं शताब्दी के “भारतीय सुधार' के प्रणेता गुरुओं व नेताओं में गिने जाते थे, अपने युग के विद्वान मनीषी, लेखक, सत्य-ग्वेषक और भारतीय वाङ्मय के ऐसे प्रकाण्ड पंडित थे कि जिन्हें सन् १८९३ में चिकागो में हुई सर्वधर्म परिषद की सलाहकार परिषद में पधारने का विधिवत् निमंत्रण मिला था।
आचार्य विजयवल्लभने अपने इन्हीं गुरुदेव की निर्दिष्ट शैली पर निष्काम कर्मयोग का आजीवन ब्रह्मचारी रहकर अनवरत अनुष्ठान करते हुओ युगान्तर उत्पन्न किया और अपने युक्तिपूर्ण शास्त्राधारित मनमोहक अमृतमय उपदेशों द्वारा समाज तथा देश को जीवन व जागृति दी। देश-काल के पूर्ण ज्ञाता तथा महान समाज सुधारक आचार्य विजयवल्लभने जैन धर्म के रूप में भारतीय संस्कृति एवं भारतीय सभ्यता को सदा के लिए अमर बनाओ रखने के सतत प्रयत्न किये। प्रसिद्ध इतिहासवेत्ता पद्मश्री जिनविजयजी व महान साहित्यकार पद्मश्री पं. सुखलालजी को विचारों, चिंतन व जीवन ध्येय की इतनी उच्च भूमिका तक लाने का श्रेय आपको ही है।
૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #114
--------------------------------------------------------------------------
________________
लक्ष्य, उपलब्धि और देन आचार्य विजयवल्लभने राष्ट्र और समाज को एक एसी नई दृष्टि दी, जिससे नव चेतना और अंतर-ऊर्जा का विस्फोट हुआ। समता भावने जाति और सम्प्रदायवाद की दीवारों को तोडा। राष्ट्र की एकता के लिओ धर्म-सद्भाव का जयघोष हुआ। राष्ट्रीय, सामाजिक और क्रांतिकारी शैक्षणिक अभियान उनके महान आचार्यत्व के परिचायक है। वे अभाव पीडित जन समुदाय के लिओ करूणा के अपार पारावार की भाँति थे। संयम, साधना, तपस्या, मानवसेवा, समाजसुधार, अछूतोद्धार, शिक्षाप्रसार एवं देशप्रेम उनकी उज्जवल मानवीयता के ही दो पहलू थे। ज्ञान, प्रेम और करुणा की तीनों नदियां विजयवल्लभ के हृदय में आन मिली थी।
अपनी एक विज्ञप्ति में उन्होंने लिखा कि 'गुरुदेव श्री विजयानंदसूरिजी के द्वारा बख्शी हुई ‘मुनि' उपाधि के सिवा अन्य कोई उपाधि मेरे नाम के साथ कोई भी महाशय न लिखा करें।'
____ पुनश्चः २-२-१९४९ को जैन श्वेताम्बर कोनफ्रेंस के फालना अधिवेशन में जैन समाज आप को 'शासन सम्राट' 'युग प्रधान' आदि पद से विभूषित करना चाहता था। उस प्रस्ताव को विनम्रतापूर्वक ठुकराते हुओ कहा - 'क्षमा करना। आज देश की ओर दृष्टिपात करो। पीडित भाई बहिनों को देखो। देश और समाज के इन विपम हालात में मुझे अपनी आचार्य पदवी भी भारी पडती है। आप मुझे पद नहीं, काम दें।'
वे भोलीभाली जनता को मिथ्या-दृष्टि ठगों से बचाने के लिओ अपनी कृतियों - "भीम ज्ञान त्रिंशका', 'गप्प दीपिका समीर' और 'जवाबदावा' में पाखण्डियों के झूठ और मिथ्या अंधकार पर कठोर प्रहार करते हुए, भारतीय वाङ्मय पर अपने अधिकार का भी परिचय देते हैं। _ 'व्यसनों से राष्ट्र को बचाइये' - यह एक घण्टे का प्रवचन श्री विजयवल्लभसूरिजीने महाराष्ट्र सरकार की ओर से आयोजित विशाल सभा में दिया था। तत्कालीन मुख्यमंत्री श्री मोरारजी देसाई इस के सभापति थे। आपने कहा था -
ये सात व्यसन राष्ट्र के शत्रु हैं। इन व्यसन-शत्रुओं का हमारे राष्ट्र पर हमला हो रहा है। सामान्य शत्रु तो शरीर का नाश करता है, किंतु ये शत्रु हमारे राष्ट्र के शरीर, मन-बुद्धि और आत्मा पर हमला करते हैं और धीरे-धीरे इन्हें गुलाम बनाकर नाश कर देते हैं। इसलिओ शत्रु-राष्ट्रों की अपेक्षा ये व्यसन रूपी दुश्मन अधिक जबरदस्त हैं।'
देशभक्ति आज शायद यह अंदाजा लगा पाना भी मुश्किल होगा, कि एक जैनाचार्य अपने आचार और कर्तव्यों के प्रति पूर्ण जागरूक रहते हुओ देश की आजादी के
आचार्यश्री विजयवल्लमसूरि व्यक्तित्व-कवि-काव्य + ६५
Page #115
--------------------------------------------------------------------------
________________
बार
आंदोलनों में कैसे व कितना योगदान कर सकता है। यह सोचकर भी ताज्जुब होता है कि विजयवल्लभ के नगर प्रवेशों और सिर-वारने की राशियाँ गांधीजी के हरिजन उद्धार फण्ड और खिलाफत फण्ड में भेजे जाते थे। स्वयं विजयवल्लभसूरि तथा उन के शिष्य उपाध्याय सोहनविजय व मुख्य साध्वी देवश्रीजीने विदेशी हिंसक चीनी के विरुद्ध और खद्दर के पक्ष में इतना प्रचार किया कि लगातार कई साल पंजाब के जैनोंने खद्दर के दहेज ही दिये। पंजाव महासभाने भी खद्दर के हक में प्रस्ताव पास किये। विजयवल्लभ की अक सभा में गाया थाः
.... आज से प्रण करलो सब भाई, बन जाओ खद्दर के शौदाई
ईश्वर होंगे आप सहाई, जो बेडा पार लगाने वाले। ... बूटा ते शिवराम दो लाले, खद्दर दे जिन्हां दाज सिला लये
बौनियां कर दिखलाइयां, वे स्वामी तेरे लैक्वर ने। हिंदी, स्वदेशी, खिलाफत आंदोलन की हिमायत के साथ-साथ वे महात्मा गांधी, लाला लाजपतराय, डॉ. किचलू, मोतीलाल नेहरू, डॉ. राजेन्द्रप्रसाद, सरदार पटेल, मोरारजी देसाई, मौलाना शोकत अली, मुहम्मद अली तथा मणिलाल कोटारी आदि नेताओं के संपर्क में रहे। विजयवल्लभने घोषणा की -
'स्वतंत्र भारत का नागरिक चेतनाशील नागरिक हो,
राष्ट्र समाज और विध की संवेदनाओं को समझाने वाला हो।' स्वयं विजयवल्लभने सारी उमर खादी ही पहनी। उनके द्वारा स्थापित गुरूकुल - गुजराँवाला का प्रत्येक छात्र खद्दर के कपड़े और गांधी-टोपी पहनता था। उनके कई श्रावक - गुजराँवाला के तिलकचंद, अंबाला के विलायतीराम, राजकुमार M.sc. जालंधर के कपूरचंद, पट्टी के लाला दौलतराम व गुमानीलाल आदि गांधीजी के आंदोलनों में कूदे। सामाना के श्री सागरचंद, नाजरचंद, जगमिंदरलाल, शीतलदास व सुरेन्द्रकुमार आदि तत्कालीन गांधीवादी 'रियास्ती प्रजा मंडल' के आंदोलनों में सरगर्म रहे।
राष्ट्रहित की कुछ घोषणाएँ तथा व्याख्यानों के ओजस्वी अंशः * राष्ट्र की स्वतंत्रता के बिना धर्म, समाज और देश की उन्नति नहीं हो
सकती। * देश को दासता के बंधन से छुडाने के लिए राष्ट्रीय एकता अत्यंत जरूरी
* हिंदु, मुसलमान, सिख, ईसाई, जैन, आर्य समाजी आदि भारत की संतान है।
सब को एक विशाल कुटुंब के समान समझना प्रत्येक भारतवासी का धर्म है। यही आज की सच्ची पूजा, सच्ची नमाज और सच्ची गुरुवाणी है। * मालेरकोटला (प्रवचन) - भारत की आजादी तभी कायम रह सकती है जब
૬૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #116
--------------------------------------------------------------------------
________________
हिंदु, मुसलमान, सिख आदि एक होकर रहें। हमें बलिदान देकर भी अपनी
एकता को कायम रखना होगा। * 'जन्म के समय हिंदु बालक चोटी लिए जन्म नहीं लेता, मुसलमान बालक सुन्नत के साथ पैदा नहीं होता, और सिख शिशु के सिर पर बाल नहीं होते। ये सब चिह्न तो संस्कारजन्य हैं।' * 17-10-1947 (दैनिक उर्दू पत्र ‘वीरभारत' अमृतसर) : भारत के तमाम जैनों से अपील है कि जो हिंदु सिख जैन भाई बहिन पाकिस्तान से दुखी होकर आए हैं, वे सब तुम्हारी सहायता के योग्य है। उनको अपना भाई-बहिन समझो। उनकी सेवा करना हमारा धर्म है। जैनों से ही नहीं, में भारत के हर नागरिक से अपील करता हूँ कि बंगाल के दुष्काल पीडित भाई-बहिनों के लिए शुरू किये जा रहे - 'बंगाल-राहत फण्ड' में दिल खोलकर धन देवें।
बडौदा, पालनपुर, माँगरोल, जैसलमेर, बीकानेर, उदयपुर, नाभा, मालेरकोटला, लिंबडी, पालीताना, सलाना, जम्मु आदि रियास्तों के नवाब, राणा व राजाओं को उपदेश देकर सदाचार और लोक मंगल की ओर प्रेरित किया। सिरोही के महाराज को निजी पत्र लिखकर विख्यात हिंदु तीर्थ 'अंबाजी' पर होने वाली पशुबलि को बंद कराया।
विदेशी ब्रिटिश शासन के प्रति भी विजयवल्लभने कहा था कि हमने मूर्खता और नासमझी से विदेशी शासकों को अपना स्थान (राष्ट्र) सौंप दिया है।
... मूरख हम भारी नादान, किया चोरों को आह्वान
___दिया उन को निज थान, जो हमें गुलाम बनाने वाले' देशवासियों को गुलामी की जजीरें तोडने के लिए वीर बनने को कहते हैं - ... बने शूरवीर विनों के, अडे जो सामने रहते,
_ दिखाते हैं पराक्रम को, उन्हें जगवीर गाता है। युवा पीढी को कहा... ___... वर्तमान अवस्था देश की दिल में विचारो ... जो चाहो शुभ भाव से, निज आतम कल्याण
तीन सुधारो प्रेम से, खान, पान, पहरान ३१-५-१९४० को गुजराँवाला में भव्यतम नगर प्रवेश के अवसर पर 'गुजराँवाला म्युनिसिपल कार्पोरेशन' की ओर से एक मानपत्र, उनकी सेवा में दिया गया, जिसके शुरू की पंक्ति थी... 'पेशवाये कौम, रहनुमाये मिल्लत'। इसके उत्तर में अत्यंत शांत स्वभाव से ही विजयवल्लभसूरि ने कहा...
'मुझे ये मानपत्र किस लिये दिया गया है ? मैं न तो कोई बड़ा व्यापारी हूँ,
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ६७
Page #117
--------------------------------------------------------------------------
________________
न ही कोई राजनेता। मुझे ऐसे मानपत्र देने से क्या लाभ ? यदि मुझे कुछ देना ही चाहते हो, तो सच्चा मानपत्र दो। में पिछले कुछ दिनों से सुन रहा हूँ कि नगर में अशांत वातावरण है और हरेक के मन में फिरकंदाराना फिसाद का डर है। जब शहर में ऐसे विस्फोटक हालात हों, तो ऐसे मानपत्र भी कुछ अप्रासंगिक से लगने लगते हैं।'
समाजोत्थान समाजसेवा व संगठन भारत की सामाजिक व सांस्कृतिक पृष्टभूमि को सुदृढता प्रदान करने हेतु भागीरथ-प्रयत्न करने वाले, आचार्य विजयवल्लभ ने समाज के मध्यम वर्ग की ओर विशेष ध्यान दिया। ईस्वी सन १८९१ में अमृतसर मंदिर की प्रतिष्टा के अवसर पर जब उनके गुरु श्री आत्मारामजी महाराज की प्रेरणा से समाज सुधार व फिजूलखर्ची रोकने के कुछ नियम निर्धारित हुए, तव विजयवल्लभ ने यह सब देखा था। उसके बाद तो समाज सुधार का एक सिलसिला ही चल पड़ा। अनेक निरर्थक रुढियों, रस्मों-रिवाजों को त्यागा गया, या उनमें सुधार किया गया। पंजाब जैन महासभा तथा भारतीय जैन कोनफ्रेंस के सशक्त प्लेटफार्म से समाज सुधार व मध्यम वर्ग उत्कर्ष के अनेक प्रस्ताव पास करवाये गए।
पचहत्तर वर्ष की अवस्था में, अक ऑप्रेशन के बाद उन्होंने व्याख्यान में कहा था - ___ 'संसारका त्याग कर, ये वेश पहन कर, भगवान महावीर के समान हमें अपने जीवन के पल पल का हिसाब देना है। आत्मशांति व आत्मशुद्धि तो मिलते-मिलते ही मिलेगी, पर समाज, धर्म व देश के उत्थान में, इस जीवन में जो कुछ देन दी जा सकती है, वह हम कैसे भूल सकते हैं।'
आचार्यश्री ने संगटन, सहिष्णुता और सहयोग पर हमेशा वल दिया। संवत १९६५ (सन् १९०८) जेठ मास की कडकती धूप में पालनपुर के संघ का आपसी वैमनस्य देख कर भोयणी तीर्थ जाने का निश्चय कर लिया। पूछने पर बताया - 'मैं यहां रोटियों के लिए नहीं ठहरा हूँ, मुझे तो प्रेम की भिक्षा चाहिए।' फलस्वरूप श्रीसंघ के आपसी मतभेद दूर कराये। इसी तरह सादडी में साँवत्सरिक प्रतिक्रमण तब तक शुरू नहीं किया, जब तक वहां के दो रूटे हुआ भाइयों ने परस्पर क्षमा . याचना न की और गले नहीं मिले।
विषमता और असमानता को दूर करने के निश्चय और ध्येय ने ही बडौत के हरिजनों को कुएँ से पानी लेने का अधिकार दिलाया।
लक्ष्मीपतियों से उन्होंने कहा - ....... भिक्षु हूँ और सदा रहूँगा। मैं पदवी से अधिक कीमती वस्तु आपसे माँग रहा हूँ। आप लोग एकता में रहो। शिक्षण संस्थाओं के लिए अपनी तिजोरियों
૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #118
--------------------------------------------------------------------------
________________
के मुँह खोल दो। आप लोग लक्ष्मी के ट्रस्टी हो । लक्ष्मी समाज की है। गरीब भाई बहिनों की सुध लो। उनकी पीड़ा समझो।'
श्री दसवेकालिक सूत्र का उल्लेख करते हुए कहा
'असंविभागी न हु तस्स मोक्खी'
बाँटता नहीं हैं, उसकी मुक्ति नहीं होती ।'
अपनी प्लाटिनम जुबली (७५वा जन्मदिन, गुजराँवाला) : उस दिन एकत्र जन समूह को बहुत ही मार्मिक शब्दों में संबोधन करते हुये कहा
... पंजाव वालो, मैं आज आप लोगों से माँगता हूँ। मुझे बस दो चीजें दे दो । लडके लडकी की सगाई पर शगुन लेन-देन में सिर्फ पाँच रूपये और पाँच सेर लड्डू दिया- लिया करें।"
समाज में मर्यादा बाँधने के लिये कहा
-
रहेगा।"
-
यानि जो प्राप्त सामग्री को साथियों में
-
-
'बाल वृद्ध कुयोग्य लगन, मर्यादा से बाहर'
पूरे समाज को आपसी प्रेम, एकता और भाईचारा के सूत्र में पिरोने के लिए पूना से जम्मु तक श्री आत्मानंद जैन सभा के एक ही नाम की सभाएँ स्थापित कराई। सामाना, साढौरा, रोपड, बडौत, विनौली, रायकोट व सयालकोट आदि नगरों में मंदिरों की प्रतिष्टाएँ करवा कर सुसंगठित श्री संघो की स्थापना, आपके बुद्धि, कौशल के उज्ज्वल उदाहरण हैं।
अनेक अवसरों पर वे कहा करते थे
-
'समाज जिंदा रहेगा, तो धर्म जिंदा
विश्व शांति
२६०० वर्ष पहले भगवान महावीर ने विश्वशांति के लिए 'मित्ति से सव्व भूयेसु...' सारे प्राणी मेरे मित्र हैं... का उपदेश देकर विश्वशांति का मार्ग प्रशस्त किया था। उसी समानता, शांति और मैत्री की भावना का प्रस्फुटन हुआ आचार्य विजयवल्लभ के जीवन में।
सन् १९५२ में कोरिया का युद्ध शुरू हुआ तो तीसरे विश्वयुद्ध का खतरा मँडराने लगा था। चौपाटी के मैदान पर वर्ल्ड पीस कांग्रेस के आयोजन में उपस्थित विशाल मानवमेदनी को संबोधित करते हुए विजय वल्लभ ने कहा था
'यद्यपि में एक संप्रदाय विशेष का आचार्य हूँ, पर यदि हम वास्तव में सारे विश्व में सत्य और अहिंसा के द्वारा शांति स्थापित करना चाहते हैं, तो हमें साम्प्रदायिकता को भूल कर मानवता की दृष्टि से सोचना पडेगा । विश्वशांति के लिए हमें अपने संकीर्ण सम्प्रदायवादी विचारों को तिलांजलि देनी होगी। साथ ही हमें सोचना पडेगा कि विश्वशांति किन ठोस उपायों से स्थापित हो सकती है। उस समय हमें यह न सोचना है कि हम जैन हैं, बौद्ध हैं, मुसलमान हैं, पारसी अथवा
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ६७
Page #119
--------------------------------------------------------------------------
________________
इसाई हैं। उस समय हम केवल मानव हैं, मानवता हमारा मूल धर्म है और मानव की शांति ही हमारा उद्देश्य है। तभी जाकर चिरस्थायी विश्वशांति स्थापित हो सकती है।'
शिक्षा प्रचार व सरस्वती मंदिरः गुरु वल्लभ की सबसे बडी देन शिक्षा-प्रचार के क्षेत्र में है। वे जानते थे कि शिक्षा के बिना समाज या देश की प्रगति नहीं हो सकती। बंबई में अक जैन कालेज खोलने के लिए ईस्वी सन् १८९४ में जो पत्र अंबाला से उनके गुरु आचार्य विजयानंदसूरिजीने लिखवाया था, वह मुनि वल्लभविजय के हाथ व कलम से लिखा गया था। इन्हीं परम गरुदेव के अंतिम संदेश कि 'जगह-जगह सरस्वती मंदिर खोलना' को विजय वल्लभने अपने जीवन का लक्ष्य बना दिया। सन् १९१८ में गोडवाड के क्षेत्र में लुटेरों ने उनको व साथ चल रहे मुनिगण को लूट लिया। चिंतन की गहराई में उनको लगा कि यह सब अज्ञान के कारण हुआ। इस क्षेत्र का अज्ञान अंधकार दूर करने के उपाय खोजने चाहिएँ। राजस्थान के पूरे क्षेत्र समेत देश भर में विद्या-दीप जलाने के लिए उन्होंने स्कूलों, पाटशालाओं, कन्याशालाओं, बोर्डिंग और कालेजों की एक शृंखला ही खडी कर दी। ___ सन् १९१४ में महावीर जैन विद्यालय-बंबई की स्थापना, १९२४ में श्री आत्मानंद जैन गुरुकुल-गुजराँवाला और १९३८ में श्री आत्मानंद जैन डिग्री कालेज अंबाला की स्थापना की। गुरुकुल के चांसलर पद को कई साल तक सुशोभित किया। उच्च शिक्षा के लिए योग्य विद्यार्थीयों को विदेश भिजवाया। वे व्यवहारिक शिक्षा के साथ-साथ नैतिक शिक्षा द्वारा मानव को चरित्रवान बनाने के अभिलापी थे। वनारस हिंदु यूनिवर्सिटी की स्थापना के समय पंडित मदन मोहन मालवीयजी को फण्ड भिजवाए और वहाँ जैन पीट की स्थापना कर के प्रकाण्ड विद्वान पं. सुखलालजी को डायरैक्टर पद पर आसीन किया। अपने स्वर्गवास से मात्र एक साल पहले समाज के नाम दिये गए संदेश में भी कहा 'एक जैन युनिवर्सिटी की स्थापना हो फलस्वरूप सभी शिक्षित हों, कोई भूख से दुःखी न हो।'
२२-९-१९५४ को, बंबई में आपके स्वर्गवास की खबर को ऑल इण्डिया रेडियो तथा वी.वी.सी. ने सुबह के न्यूज वुलेटिन में – ‘महान शिक्षा शास्त्री जैनाचार्य विजयवल्लभसूरिजी के स्वर्ग सिधारने' का समाचार प्रसारित किया। उनके शिक्षा प्रचार को पूरे राष्ट्र की यह सच्ची श्रद्धांजलि थी।
देव द्रव्य व साधारण खाताः अपने जीवन काल में विजयवल्लभ ने दो मुनि सम्मेलनों का संयोजन एवं भाग लिया। प्रथम सम्मेलन में तत्कालीन आचार्य विजय. कमलसूरिजीने अपनी ओर से बोलने एवं मंच चलाने की पूरी जिम्मेदारी विजयवल्लभ को सौंपी थी। दूसरे वृहत तपागच्छीय सम्मेलन में आचार्य विजय नेमिसूरि, आ. सागरानंदसूरि, आ. विजयदानसूरि, आ. विजय धर्मसूरि, आ. विजयशांतिसूरि, आ. विजयलब्धिसूरि, आ. विजय रामचंद्रसूरि तथा आ. विजयवल्लभसूरि ने भाग लिया। इसमें जब स्वप्नों की बोलियों की राशी की बात चली तो विजयवल्लभने बेधडक
૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #120
--------------------------------------------------------------------------
________________
व पुरजोर तरीके से अपना पक्ष समझाया। विक्रम संवत १९४४ में राधनपुर के श्री संघ की वही किताब में श्री विजयानंदसूरिजी का हस्ताक्षरित, श्री संघ का निर्णय कि 'स्वप्नों की बोली की आय साधारण में ही ली जाएगी का हवाला देकर उन्होंने बताया कि पंजाब में पाठशालाएँ, स्कूल और ज्ञानशालाओं के लिए धन की जरूरत सिर्फ इसी आय से ही पूर्ण हो सकती है। अतः यह राशी साधारण खाता में ही रहनी चाहिए। उनकी दलीलें व वक्तव्य इतना वजनदार था कि अन्य किसी ने भी इसका विरोध न किया ।
विजयवल्लभ ने तीज त्योहारों को भी सुसंस्कृत रूप से मनाने का उपदेश दिया। होली के लिए -
* ज्ञान रंग समता पिचकारी, छाँटो समता नार रे आतम लक्ष्मी होरी खेली, वल्लभ हर्ष अपार रे
* पास गौडी के दरबार आज खेलिये होरी, घूर उडाना गारी गाना, नहीं सज्जन आचार रे
अनेकांत : भगवान महावीर द्वारा प्रतिपादित अनेकांत के सिद्धांत को विजयवल्लभ ने भी वैचारिक हिंसा को मिटाने के लिए एक अमोघ अस्त्र माना । भिन्नता में अभिन्नता का दिग्दर्शन करना ही अनेकांत का लक्ष्य है। 'ही' और 'भी' का मौलिक अंतर न समझाने वालों के लिए उन्होंने कहा....
अंधा और लुला दो मिलकर पहुँचे इच्छित स्थान, दोनों ही जुदे एकाँ |
निश्चय और व्यवहार के मूल में हमेशा ही कुछ फर्क सा रहता है। 'नय' दृष्टि
से वस्तु के स्वरूप को समझ लें तो समस्त भेदभाव भूल जाएंगे।
* बिना समझे वचन नय के, खींचते हैं सभी अपनी, अगर नयवाद को समझें, नहीं कुछ भेद भारी है।
* कथंचित नित्य चेतन है, अनित्य भी है अपेक्षा से द्रव्य पर्याय नय मानें, जिन्हें प्रभु आज्ञा प्यारी है ॥
पर्यायवरण: अपने काव्यो में विजयवल्लभने बताया है कि अहिंसा से जैविक और वनस्पतिक संपदा का संरक्षण होता है और अपरिग्रह से साधनों का सीमित और विवेकपूर्ण दोहण होता है। पर्यावरण की शुद्धि में वृक्षों का महत्त्वपूर्ण साथ है। उनके काव्य में अशोक, रायण, नंदी, साल, कादम्बरी-अटवी, कमल शोभित सरोवर, फूलों-फलों की सुपमा तथा पुष्पवृष्टि का सुन्दर वर्णन किया गया है। उन्होंने ऐसे विवेकशील मानव- समाज का वर्णन किया है जो वनस्पतिक और जैविक संरक्षण के लिए सतत् जागरूक और प्रयत्नशील है।
आचार्य श्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ७१
Page #121
--------------------------------------------------------------------------
________________
साध्वी उत्थान का युगाँतरकारी संदेशः आचार्य विजयवल्लभ ने जो युगाँतरकारी संदेश, अपने जीवनकाल में दिया, उसके अनुसार वे चाहते थे कि हमारे साध्वी समाज को ज्ञानार्जन तथा व्याख्यान वाचन की समुचित सुविधा दी जानी चाहिए, क्योंकि तीर्थंकर भगवान द्वारा प्रतिपादित संघ का वे एक अंग है। बौद्ध प्रभाव तथा मुस्लिम शासन काल में केवल धार्मिक क्रियाएं करना या तपश्चर्य करना ही साध्वियों का मुख्य कार्य रह गया था। इससे साध्वी व श्राविका - दोनों पर प्रतिकूल प्रभाव पड़ा। उन्होंने कहा – 'साध्वी समाज को भी भगवान महावीर की वाणी को सुनाने और प्रचार करने का अधिकार है। उन्हें सूत्रो-शास्त्रों के पढने का भी उतना ही हक है, जितना साधु समाज को।' आगे कहा - 'यदि हमारी साध्वी समाज के लिए ज्ञानार्जन की समुचित व्यवस्था समाज द्वारा की जाए, तो उससे हमारा साध्वी समाज तो जागृत होगा ही, पर उसके साथ-साथ श्राविका समाज का भी उत्कर्प होगा
और अक सुव्यवस्थित सुदृढ आचारयुक्त समाज का निर्माण होगा।' विजयवल्लभ की सशक्त वाणी से समाज में चेतना का संचार हुआ और साध्वियों के अध्ययन की व्यवस्था की गई। खरतरगच्छीय साध्वी विचक्षण श्री जी को 'जैन कोकिला' पदवी से सुशोभित करना और अपनी ही आज्ञानुवर्तिनि महत्तरा साध्वी मृगावती श्री जी को सूत्र-वांचन की आज्ञा देना उनके युगांतरकारी कार्य बने।
नारी शिक्षा व जागरण के लिए भी जगह-जगह कन्या-शालाएँ व गज स्कूल खुलवाए। उनके द्वारा स्थापित कालेजों में भी लडकियों के दाखिले को खोला गया।
आधुनिक नारी मुक्ति के विषय को आध्यात्मिक दृष्टिकोण से उठाकर, 'राजीमति रहनेमि' और 'जम्बूस्वामी' गीत-नाटिकाओं में नारी के शील-सौंदर्य और उसकी अद्भुत अन्तशक्तिका वर्णन हुआ है। वह अपनी शक्तिसे चरित्रभ्रष्ट युवाजन को सन्मार्ग पर लाने में सक्षम है तथा समाज में सत्यं शिवं सुन्दरम की अधिष्ठात्री है। अपनी कविताओं में कहा -
... 'चमक दमक अति पातला, वस्त्र धरे नहीं अंग ... काम दीपावन भूषण दूषण, अंग विभूषण टारी'
कवि और काव्यत्व आचार्य विजयवल्लभ द्वारा रचित कविताएँ, दोहे, गीत, भजन व स्तवनादि को समझने परखने से पहले उस युग की सामाजिक, धार्मिक व राजनैतिक परिस्थितियों तथा लोकभाषा का थोडा अध्ययन करना आवश्यक होगा।
राजनीतिक क्षेत्र में कांग्रेस के जन्म के बाद विप्लववादी आँदोलन बंगाल व पंजाब में चल रहे थे। पढे-लिखे लोग विदेशों में जाकर भारत की स्वतंत्रता के छुटपुट प्रयास कर रहे थे। बंगाल विभाजन, प्रथम विश्वयुद्ध तथा जलियांवाला काण्ड के बाद गाँधीजी का एक शक्तिशाली व्यक्तित्व के रूप में पदार्पण, ये सब
૭૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #122
--------------------------------------------------------------------------
________________
आचार्य विजयवल्लभ ने स्वयं देखे थे। पुनः १९१९ से १९४७ ई. तक की सभी राष्ट्रीय घटनाएँ भी उनके सामने ही घटित हुई थी।
समाज में धार्मिक चेतना का क्रम अपने चरम शिखर पर था। राजाराम मोहनराय, स्वामी दयानंद, श्री परमहंस, स्वामी विवेकानंद, स्वामी रामतीर्थ और आचार्य विजयानंद ने देश के बुद्धि जीवियों का ध्यान समाज सुधार की ओर खींचा था। उच्च कोटि के समाज सुधारक, विद्वान व कवि आचार्य विजयानंद का पालीताना में आचार्य पदवी से विभूषित किया जाना भी विजयवल्लभ ने अपनी साधु-दीक्षा पूर्व के समय, छगन के रूप में देखा था। चिकागो (अमेरिका) में सन् १८९३ में हुई पहली विशाल वर्ल्ड-पार्लियामेंट आफ रिलीजियन्ज में उनके गुरु आत्मारामजी (विजयनंदसूरि) को जैनधर्म के प्रतिनिधि के रूप में निमंत्रण मिला था। उसका पूरा पत्र व्यवहार तथा बैरिस्टर वीरचंद राघवजी गांधी को तैयार करके भेजना आदि में भी विजयवल्लभ का अतुलनीय योगदान था। उन्हीं गुरु के चरित्र, व्यक्तित्व, विद्वत्ता, दूरदर्शिता तथा शिक्षाओं व उपदेशों का प्रभाव विजयवल्लभ पर पूर्ण रूप से पड़ा था। उनके नगर प्रवेशों में गुरुभक्ति, देशभक्ति तथा एकता आदि के गीत गाए जाते थे - जैसे
..... तेरा चमकेगा रोशन सितारा गुरु
... है नाम गुरु वल्लभ तारण तरन तुम्हारा विदेशी शासकों के प्रतिः ... तुसीं इंगलैंड नू जावोजी
उत्थे कोयला लोहा खावो जी ... गाँधी बाबा केहँदा सानुं चरखे दी लोड है .... छई, छई बाबा लून वालिया... (लून - नमक)
काव्य-भाषा विजयवल्लभ की रचनाएँ, प्रायः हिंदी, खडी वाली व प्रचलित भाषा में है। हिंदी भाषा में रचित उनके काव्यों में गुजराती, मारवाडी, उर्दू, संस्कृत, प्राकृत, अवधी, व्रज आदि के सुप्रचलित शब्दों का भी खूब प्रयोग हुआ है। हिंदी को 'जिनवर वाणी भारती' कह कर उन्होंने हिंदी को राष्ट्रभाषा माना और स्पष्ट तौर पर कहा कि 'जनहित कारणे गावो जी, हिंदी भाषा मांही प्रचार।' खुद गुजराती भापी होते हुओ भी अन्य महान संतों की तरह अत्यंत संयत व संतुलित भाषा का ही प्रयोग किया। फिर भी उनके विहारक्षेत्र व कार्यक्षेत्र का प्रभाव उनकी भाषा पर स्पष्ट था।
___अपनी दीक्षा के तीन साल बाद ही वे अपने गुरुदेव श्री आत्मारामजी के साथ पंजाब में आ गए और लगातार १९ साल पंजाव की ही भूमि पर उनके
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + 93
Page #123
--------------------------------------------------------------------------
________________
ये सभी चौमासे हुए। पंजाबी भाषा के शब्द, क्रिया व संज्ञाएँ उनकी कविताओं में भरपूर मिलते है। पंजाबी के कुछ स्तवनों में उनकी रचना - 'दिल है करदा, चलिये अपने सतगुरु दे कोल' तथा 'लीनी मैं वागां सब तो मोड' अभी तक भी पूरे चाव से गाये जाते हैं।
प्रचलित पंजावी तर्जे, लच्छी के गाने, मराठी व सोरठी लावणियां, गुजराती गीतों की धुनें, अंग्रेजी बैंड व कव्वालियों, गजलों की तर्जे विजयवल्लभ को विशेष पसंद रही। गजलों में उनकी संस्कृत कव्वाली -
जाने किं गतं मावि, यदि मां त्रास्यसे स्वामिन्
वदन्ति पण्डिता नित्यं, भवतं तारकं स्वामिन्... (ध्रुवपदम) संस्कृत गजल - .. करूणा सुधामि भरितं, चरितं हि ताव कीनम् राजस्थानी लोकप्रिय धुन पर... ___... वारी जाऊँ रे केसरिया, सायरा गुण गाऊरे तथा ___... फूल्यो मास वसंत का, म्हारा हालाजी
अंग्रेजी शब्दों-कैमरा, डिग्री, फोटा, प्लीडर, नाईट, माईल आदि की शब्दावली मिश्रण करके राष्ट्रभाषा हिंदी को गौरव प्रदान किया है। प्रभु के आगे वे कहते हैं -
तुम मूर्ति मुझ मन कैमरा
फोटो सम स्थिर एक विपुल में काव्य रचनाओं में फारसी के शब्द, अनलहक (अहंब्रह्मास्मि), फजर, जम्बुनद (स्वर्ण) मुजक्कर (पुल्लिंग), मुअन्नस (स्त्रीलिंग) आदि भी मिलते हैं।
समकालीन गीतों के अनुरूप ही वे कह रटे - 'सजनी मोरी, पर्व पजूसण आव्या रे, तथा 'सुमति सखी प्रीतम सुख जोवे।' __ सबसे अधिक प्रभाव उर्दू भापा ने आचार्यश्री पर डाला। पंजाव व उत्तर भारत में उर्दू ही प्रचलित होने से विजय वल्लभने इस का खूब प्रयोग किया। उर्दू में विजयवल्लभ की संरचनाएं इतनी सरस हैं कि पद के बोल कानों में अमृत घोलते हैं।
... नहीं सानी तेरा कोई, लिया जग ढूँढ सारा है .... खुदी से नाथ तू न्यारा, खुदी ने जग सताया है
खुदी के दूर करने को, मुझे तेरा सहारा है ... अनलहक सच्चिदानंदी, बिला तास्सुब निहारा है
૭૪ - ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #124
--------------------------------------------------------------------------
________________
... खुद को रहम की खातिर किया कुरबां
तुमसा और किसी का जिगर न हुआ विजयवल्लभसूरिजीने अपने काव्य और प्रवचनों में समन्वय को अहिंसा की प्राणवायु दी और मानव को शांति का जीवन संगीत दिया। राम-रहीम, अल्लाह-ईश्वर, जिनेश्वर-शिवशंकर की एकता को दर्शाया। भक्ति काल के वैभव को अपने काव्य में अंकित करके मानव को अपने अंतर का मधुर मौन संगीत सुनने का अवसर दिया। उनके काव्य में कबीर के ज्ञान, सुरदास के वात्सल्य, तुलसी का मंगल, मीरा का प्रेम, आनंदघन व चिदानंद की आत्म-रमणता, यशोविजय व देवचंद की दास्यानुभूति तथा विजयानंद की तात्त्विक साख्य-भक्ति का सहज प्रसार नजर आता है।
___ आचार्य विजयवल्लभ कविता नहीं करते थे, अपितु कविता की रसधारा उन के अंतर से सहज ही प्रवाहित होती थी। एक मौन मधुर कलनाद उन के अंतर में हमेशा गूंजता था, अतः कविता की रसवती गंगा सहज ही फूटती थी।
सम्यग् ज्ञान, सम्यग् दर्शन और सम्यग् चरित्र की तुलना वैश्णवदर्शन के ज्ञान, भक्ति और कर्म से करके विजयवल्लभ ने सिद्धान्त और व्यवहार से समन्वित जीवन पर बल दिया। मुनि सुव्रतस्वामी स्तवन में दर्शन से नयन, वंदन से तन, स्तवन से वाणी और ध्यान से हृदय सुन्दर और स्वच्छ बनते हैं -
* दर्शन नयन सफल हुए रे, वंदन कर तनु सार __ स्तवन से वाणी सफल रे, ध्यान हृदय मनोहार। * श्रद्धा मूल क्रिया कही, ज्ञान मूल है तास,
पावे शिव सुख आतमा, इस से अविचल वास। * समकित दर्शन है मुक्ति का निदान। आत्मा अजर अमर है। गीता के इस ज्ञान को विजयवल्लभ ने भी खूब अनुभव किया है -
सत् चित् आनंद रूप स्वरूपी, सिद्ध अचल पद धार,
जल अग्नि गाले नहीं जाले, छेदे नहीं हथियार। "हम तुम सरिखा नाथ जी' कहकर, ध्याता, ध्येय और ध्यान के लिए कहा - 'त्रिपुटी जब होवे, तभी तुम हम समा जानु। करूणा, कृपा, दया भगवान का नित्य गुण है। सगुण और निर्गुण ईश्वर तात्त्विक दृष्टि से एक हैं। सगुण अपन मूल रूप में निर्गुण ही होता है।
* प्रभु दर्शन निज आतम दर्शन। * तू अज अचल ईश विभु चिदघन, रंग रूप विन तू कहिये,
अज अचल निराशी शिव शंकर, अध हर जग महिये॥
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ७५
Page #125
--------------------------------------------------------------------------
________________
यह शरीर जो क्षणिक है 'पर' है, तथा 'स्व' है आत्मा, जो अजर अमर है। चेतन स्वरूप जीव ही सुख-दुख की अनुभूति करता है -
• पर के कारण करी है धारण,
पापों की सिर पर गठरिया। • मैं हूं कारण उपादाने, निमित्त कारण तुम्हें जानूं • सुखी मैं हूं, दुखी मैं हूं, मुझे संशय सताता है,
अगर चेतन नहीं होवे, कहो शक किसको आता है। * मुझ में भी शक्ति प्रभु तुमरी,
जो पद तुमारा सो पद होवे। विजयवल्लभ की कविता के अनुप्रास, सजावट, छटा, बुलंदी और गहराई को दर्शाता सुमतिनाथ प्रभु का यह स्तवन -
पंच पंच को त्याग के, कियो पंच से राग, पंचेन्द्रिय निग्रह करी, पंच-भिदा धुन लाग, पंच दूर करी पंच का, दिया शुद्ध उपदेश, पंच पदे धुरी राजता, जैसे ज्योति दिनेश। और अपने अगले ही स्तवन में, शायर इसका उत्तर भी देते लगते हैं - • सुमतिनाथ पंचम प्रभु भजके, पंचाश्रव को तजता रे,
संवर पांच को धारीमार्ग, पंचम गति को सजता रे, भावे पंचम प्रभु को नम के, पांच प्रमाद को भमता रे, पंच आचार को विधि से धारी, पंच आचार में रमता रे। नाम अनुपम, काम अनुपम, धाम अनुपम धारी,
अनुपम प्रभु सेवा सारी, अनुपम फल शिव दातारी, * आणा तप जप, संयम आणा, आणा समकित जानी,
आणा में ध्यानी ज्ञानी, करनी शुभ आणा धारी। द्रव्य-गुण पर्याय
तत्त्वार्थ सूत्र में आचार्य उमास्वातिने जैन दर्शन के 'त्पादव्यय-ध्रौव्य युक्तं सत्' के नियम का उल्लेख किया है। यह निर्विवाद सत्य है कि यह जगत् द्रव्यों का समूह है, अर्थात् सत् वह है जिस में उत्पाद (नए पर्याय की उत्पत्ति), व्यय (पुराने पर्याय का नाश) तथा ध्रुवता (स्वभाव की स्थिरता) है। आधुनिक विज्ञान में भी एटम के न्यूट्रोन-प्रोटोन इसी क्रम में नो वनते, खत्म होते और स्थिरता कायम रखते है। विजयवल्लभ के अनुसार भी -
૭૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #126
--------------------------------------------------------------------------
________________
* द्रव्यार्थिक से जानिये, नित्य पदारथ जीव,
नाशोत्पति न होत है, ध्रुव रूपे हि सदीव' * उत्पाद व्यय से जानिये, अनित्य यह संसार
ध्रौव्य अंश माने बिना, नाश होय व्यवहार॥ * उत्पत्ति स्थिति नाश को, जाने जिन समकाल॥ भगवान की माता के रूप में उन्होंने भारत मां के दर्शन किये थे। 'प्रभु माता तू जगत की माता, जग दीपक भी धरनारी।' इसी तरह अपने गुरु श्री विजयानन्द सूरि के लिए उन्होंने कहा - 'गुरु शशि सम निर्मल काया, तरणि से तेज सवाया।' एक ओर जहां कुगुरु की फांस अत्यंत दुःखदायी हैं, क्योंकि वह अपने स्वार्थ के लिए समाज और राष्ट्र में अशांति पैदा करते हैं, वहीं सदगुरु के लिए उन्होंने कहा -
'भूरख शिष्य को पंडित करता, जन्म जन्म की पीडा हरता'। तीर्थ दर्शन हमारी चेतना जगाने के लिए महत्त्वपूर्ण है, जहां हम अलौ भाव-भूमि के प्रेम-परिमल में पहुंच जाते हैं -
• तीर्थयात्रा मन मल धोवा, निर्मल नीर झरो,
भूवि जन अर्चन तीर्थ करो। • गिरि राज दर्श पावे, जग पुण्यवंत प्राणी
• साचा केसरिया कर तुम ने, मोह महा मल्ल वारिया रे॥ तीर्थ की परिभाषा समझाते हुओ बोले 'तरना होवे जीव का तीर्थ कहिए तेह'। सभी तीर्थो को वंदन करते हुए कहा - 'तीर्थ नहीं जग एक है, मैं तो एक ही ए। तीर्थयात्रा भी जरूरी है - जो दिन जावे भवि का तीर्थ में, उत्तम वो मानी।'
जीवन के चरम ध्येय के रूप में उन्होंने सिद्ध पद की कामना की थी, जहां - 'केवल आतम रमणता, पुद्गल रमण वियोग' हो। उनके अनुसार सिद्ध पद - मोक्ष की स्थिति भी इस प्रकार है -
* सिद्ध अनंते हो गओ, होंगे और अनंत,
स्थान न रोके ज्योति में, ज्योति अंक मिलंत, * मित्र नहीं वैरी नहीं, नहीं संयोग वियोग,
भूख नहीं तरषा नहीं, नहीं विषय रस भोग, * शब्द रूप रसगंध नहीं, नहीं फरस नहीं वेद,
गुरु चेला नहीं मोक्ष में, नहीं वृद्ध लघु खेद॥ मानव जीवन भगवान का स्वच्छ और पवित्र मंदिर है, योग, समाधि, अनुष्ठान करते हुए, सिद्धशिला अर्थात् मोक्ष तक पहुंचने का रास्ता दिखाया है -
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ७७
Page #127
--------------------------------------------------------------------------
________________
* भव्य कनक को निर्मल करता, पूरण ब्रह्म समाधि
* आतम लक्ष्मी गगन भेदी, अलख जलवा प्रभु तेरा, परम ज्योति श्रुति वल्लभ, मिला नहीं हर्ष पारा है।
गगन (ब्रह्मरंध्र ), परम ज्योति (केवल ज्ञान) श्रुति वल्लभ (अनाहत नाद) * मथानी घूमती दधि में, प्रकट करती है माखन को भावना शुद्ध तप दाने, चिदानंद रूप उपजाने ।
* जोग समाधी धार के, भोग रोग को छार
आतम रस में लीन हो, करम भरम सब जार।
* ध्याता ध्यान ध्येय पद होवे, भाव से त्रिपुटी शिवफल पावे,
* मेरे मानस सरोवर में प्रभु तूं हंस सम राजे,
धरी संपद निजातम की, अनाहद बाजते बाजे ।
जीवन में इन्द्रीय संयम का होना परमावश्यक है। अपनी कवि सुलभ सहजता से वे कहते हैं - 'ब्रह्मा भी ब्रह्महीन हो तनिक न पावे मान।' पतित मनुष्य चैतन्यहीन हो जाता है
-
-
* काम सुभट वश जीव हो, जाने नहीं निजरूप,
* ब्रह्म नाम है ज्ञान का, ब्रह्म नाम है जीव, सदाचार ब्रह्मनाम है, रक्षा वीर्य सदीव ॥
* विषयन संग राज्यों रे, बंदर से सिंह हारा ॥
विजयवल्लभ ने 'सहधर्मी के अपमान को महावीर का अपमान कहा। वे
सारी उमर मध्यम वर्ग के उत्कर्ष की योजनाएं बनाते रहे। वे सोच भी नहीं सकते थे कि 'श्रावक होकर भिक्षा मांगे, अधमा अधम कहाई ।' घनी जैनों को 'साहमी वच्छल बहुला कीजे का उपदेश दिया तथा 'घर अनुसारे दान करीजे निज शक्ति अनुसारे' कहकर दान और समर्थता में संबंध जोडा । जैन मुख्यतया व्यापारी हैं। अतः अपनी कविता में व्यापारियों को चेतावनी दी
जिस व्यापार को निंदे लुकाई, इह परलोक विरुद्ध जो थाई, लाभ अति होवे व्यापारे, तो भी इनको त्यागो ।
* माल चोरी का हाथ न लावे,
*
* कुडा
तोला, कुडा मापा, कूडा लेख न करिये,
खोटे जन को वयण न भाखे, झूठी गवाही न भरिये ।
*
लोभ से चलती नहीं नीति ॥
૭૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #128
--------------------------------------------------------------------------
________________
आचार्य विजयवल्लभ बम्बई में विराज रहे थे। दहेज का विनाशकारी अजगर किस तरह से समाज को निगल रहा है, ऐसे समाचार भी आते रहते थे। अत्यंत दर्द भरे शब्दों में उन्होंने कहा था -
____ आज जो वर विक्रय का रोग लगा हुआ है, यह रोग इतना चेपी है कि समाज इस भयंकर रोग के कारण मुर्दा सा बन रहा है। जहां देखो वहां लडकों का नीलाम हो रहा है। लडकी वालों से बडी बडी रकमें तिलक, बीटी (अंगूठी) के रूप में मांगी जा रही है। सोने के जेवर से कार तक ही नहीं, अब तो विदेश जाने और पढाई का खर्च तक मांगा जाने लगा है। पराये और बिना मेहनत के धन पर गुलछरें उडाए जा रहें हैं। युवकों के लिए यह बेहद शर्म की बात है।'
पंजाब में शुद्ध सनातन जैन धर्म के स्वरूप का पुनः प्रकाश आचार्य विजयानंद सूरि द्वारा हुआ। मूर्ति पूजा के बारे में कई भ्राँतियों का निवारण विजय वल्लभ को करना पडा। द्रव्य पूजा तथा भाव पूजा के अनेक शास्त्रीय प्रमाण उन्होंने दिए - 'द्रव्य भाव पूजन कही, महा निशिथे बात। इस के साथ ही प्रभु कीर्तन से होते है, निःश्रेयस पद सार' 'वंदन पूजन भाव से, लीजे पद अभिराम', 'सुरसम भविजन पूजा रचावे' तथा 'पूजा प्रभु की करी, सफल वो ही घरी' नर से नारायण होने वाली बात प्रभु पूजा द्वारा संभव है -
'पूजक पूजा कारणे रे, स्वयं पूज्य पद लेत।" विजयवल्लभ के काव्य की विधाएं
आचार्य विजयवल्लभ ने कविता की विभिन्न विधाओं में रचना की। महा-काव्य, खण्ड काव्य, काव्य नाटिका, गीति नाटिका, मुक्तक, स्तवन एवं गीत, ये सभी काव्य-शास्त्र के लक्षणों से परिसम्पन्न हैं। प्राचीन व नवीन छंदों, अलंकारों, शैलियों
और राग-रागनियों में काव्य को ढाला है। गजल और कव्वाली का प्रयोग भी उनके हिंदी गीतों में हुआ। उनका वात्सल्य वर्णन अत्यंत सरल, सरस और स्वभाविक है।
सम्यक ज्ञान, दर्शन और चरित्र की रत्नत्रया के मूल में से उन के काव्य का प्रस्फुटन हुआ है, जिसमें उन्होंने न केवल समकालीन साहित्य-परम्पराओं को संजोया, बल्कि ‘सगुण' और 'निर्गुण' का समीकरण भी किया। वे ज्ञान और भक्ति दोनों के समन्वयक थे।
काव्य में श्री आनंदघन के वैराग्य का शांत-निर्मल अध्यात्म और साम्प्रदायिक निरपेक्षता के साथ-साथ उपाध्याय यशोविजयजी की फकीरी की मस्ती और आचार्य विजयानंदसूरिजी की अतुलनीय दार्शनिकता भी रही हुई है। वे दार्शनिक विषयों को सरल भाषा में समझाने का प्रयास करते हैं। पारम्परिक मान्य धारणाओं को अपने काव्य के माध्यम से वाणी दी है।
कबीर के दोहे, 'लाली मेरे लाल की... के समान विजयवल्लभ भी प्रभु की लाली में समस्त जगत को लाल ही देखते है -
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ७८
Page #129
--------------------------------------------------------------------------
________________
'तू प्रभु राता, सेवक राता, राता राता मेला,
पिण नहीं वीर प्रभुजी राता, यह आतम का खेला मीराबाई ने अपनी भक्ति की एकाग्रता व अनाहत नाद की झंकार में कहा था - 'घायल की गति घायल जाने, और न जाने को।' विजयवल्लभ ने भी ध्यान के सोपान पर चढते हुओ कहा -
वेधक वेधकता को जाने, और नहीं तस स्वाद लहंदा काव्य की मधुरता रमणीय शैली में निहित है -
फूल्यों मास वसंत... केतकी जाई मालती... भ्रमर करें झंकार... हंस युगल जल खेलते... मंद पवन की लहर... पूनम चांदनी खिली अहीं रे... घन देख के मोर, जैसे चंद चकोर... बुंद कुसुम बरसावे... मंजर विन नहीं कोयल टहके।
स्तवन ‘फूलों की बहार' में इक्कीस प्रकार के विभिन्न फूलों का अति सुन्दर वर्णन हुआ है। एक अन्य स्तवन में -
भव सागर मेरी नाव अटत है, पांच इन्द्रियां जहां चोर कटत है,
लाख चौरासी भ्रमर नटत है, पार उतारो मेरी नाव जिनंद जी।
अटत, कटत, नटत शब्दों के सहज प्रयोग से भावों को स्वच्छ प्रतिबिंवित किया है।
आचार्य विजयवल्लभ जन्मजात कवि थे। अपनी दीक्षा के चौथे साल में ही संवत १९४८ में होशियारपुर मंदिर की प्रतिष्ठा पर उनकी रचना-स्तवन (विढंस राग में) - 'सेवो भवि वासुपूज्य जिन चंदा' उनकी शुरू की रचना कही जा सकती है।
__ वल्लभसूरि का काव्य मानवतावाद से परिपूर्ण है। उनके लिए कविता कोरा विलास नहीं, जीवन की एक विभूति है। नर से नारायण होने के बारे में, इहलोक
और परलोक के बारे में कविता का स्वर अमर है। अपनी रचनाओं में आत्मनिवेदन करते हैं - 'प्रभु बख्शो अपना सुनूर' हे प्रभु, मुझे आपका स्वरूप प्रदान करो। उनके काव्य में संतो के अभेद भाव की अभिव्यक्ति हुई है।
• 'रमे निज रूप में रामा, भव्य गोपी में है कान्हा,
रहम से रहीम होता है, यथार्थ रूप धारी है * तू ही ब्रह्मा तू ही विष्णु, तू ही शंकर तू ही पारस
देवाधिदेव निर्दोषी, प्रभु गुण गण भण्डारी है, * देव प्रभु ईश्वर खुदा, हरिहर ब्रह्मा राम
तीर्थंकर अरिहंतजी, उनको करूं प्रणाम • हरिहर राम और अल्ला, बुद्ध अरिहंत या ब्रह्मा
अनलहक सच्चिदानंदी, बिला तास्सुब निहारा है।
૮૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #130
--------------------------------------------------------------------------
________________
* सार्थवाह जगनाथ शिवंकर, जग बांधव जगदेव सुहंकर
वीतराग-प्रभु जगगुरू शंकर, नमिये ज्ञानानंदजी दर्शन धार। * जिनवर ब्रह्मा शंभु मुरारी, आतम लक्ष्मी हर्ष अपारी। * हरि विरची वीर बुद्ध शंकर
राम ऋषभ सुखकारी • सीता माता जग गाता। रुपये पैसे व भौतिक समृद्धि की अंधी दौड को 'कलदार' कहकर बहुत सुंदर भाव मुखरित हुओ हैं -
मन मोहे टनन-टनकारा, इक देखा अजब नजारा पास होवे कलदार जिसके, वो ही जगत सरदारा। कलदार जे. पी. कलदार नाइट, कलदार मामलत दारा कलदार गाडी, कलदार वाडी, कलदार होटल सारा कलदार विद्या, कलदार हुन्नर, कलदार खिदमतगारा,
कलदार कुर्सी, कलदार गादी, कलदार बैठन हारा। श्री केसरिया नाथ तीर्थ के प्रभु को स्थानीय भील लोग कालिया वाबा कहकर पुकारते है। विजयवल्लभ भी उन के दर्शन से मुग्ध होकर कह बैठे -
* चोर अपूर्व तू जगनामी, काला विरूद धराया जी
चोर हरे विन देखे, मुझ मन देखत तुमने चुराया जी पंजाब में प्रचलित सूफी कलाम के अनुरूप -
• विछोरा किया जिन तेरा...
यार अपने को ढूंढता फिरा जग में बहु, मिला नहीं कहीं मुझे, संग कुमता परी ने। • जिन प्रतिमा जिन सारखी मानो, * पूजा करत जोई, सफल हाथ सोई,
देखे प्रभु को जोई, सफल आंख वोई, काव्यों में गुजराती की मिठास, पंजावी का लावण्य, उर्दू फारसी का माधुर्य, राजस्थानी का सारल्य, ब्रज का लालित्य और संस्कृत का सौंदर्य सहज में आ गया है। शब्दों का अनुप्रास देखें -
कंद नंदा, नंद चंद नंदा, नंदन श्री जिनंद
तार तारक तरण तारण, धार धारक गुणकर शास्त्रीय और लोक संगीत दोनों के अनूठे प्रयोग विजय वल्लभ ने अपने
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ८१
Page #131
--------------------------------------------------------------------------
________________
काव्यों में किए है। बसंत राग (होई
आनंद बहार रे प्रभु बैठे मगन में) भैरवी - ( प्रभु
दर्शन भव ताप हरण); श्री राग ( कुंथुजिन पूजा शिव तरू कंद); जयजयवंती (सूरपद पूजे भाव, अजर अमर पावे); कलिंगडा - (अरचुं मैं पारस जिनंद चरनं); मालकोश - (प्रभु पार्श्वनाथ मुझ पकारो हाथ); ध्रुपद - (पार दूध परमातम परमेश्वर परमानंद, कंद नंदा नंद नंदा, नंदन श्री जिंनद )
अपने परम गुरू श्री आत्मारामजी के स्वर्गस्थ हो जाने पर तो वे सचमुच बिलख पडे थे
—
हे जी तुम सुनियो जी आत्तमाराम सेवक सार लीओ जी । दिन दिन कहते ज्ञान पढाउं, चुप रहे तुम को लड्डु दिलाउं, जैसे मात बालक पितयावे, तिम तुम काहे न कीजो जी |
विजयवल्लभ की कविताएँ 'अनुभव सहज स्वभाव' पर आधारित थीं । पूजाओं के प्रारम्भिक दोहों में 'सिमरी सारद माय' कह कर माता सरस्वती देवी को प्रणाम करते हैं। मानव को 'बंदे प्रभु कर ले सहाई रे' कह कर उसे 'मन शुद्ध साफ कर अपनी बात' का आह्वान किया तथा 'भवि जाग तू गई रात रे, कहकर हर समय मनुष्य के 'स्व' को उपर उठाने का प्रयत्न किया। अपने अन्तर को पहचानने के लिए मनुष्य को 'आतमराम रमापति रे कहा। यह ठीक है कि 'करम मरम कोई विरला पावे किंतु मनुष्य के आत्मविश्वास को जगाने के लिए आतम लक्ष्मी निज गुण प्रगटे, वल्लभ हर्ष मनाना तथा वंदन फल हो आतमरूप पाउं अथवा आतम गुण समकित सार जगत् में मानो कहकर आत्मा के सहज गुणों के विकास पर वल दिया है। उन्होंने भगवान से केवल 'निजातम संपदा' मांगी तथा 'समकित आतम गुण प्रगटाना की प्रार्थना की। उन का मनन व चिंतन 'आतम अनुभव सिद्ध' एक बार तो प्रभु से मांग ही वैटे 'आत्म लक्ष्मी आपकी प्रभु है वो मुझको दीजिए।' काव्य रचनाओं की ईमानदारी
विजयवल्लभ के काव्य में समाज सुधार, चरित्र निर्माण, एकता, भक्ति व पांडित्य की स्पष्ट झलक मिलती है। काव्य में उन की सत्यता, निर्भीकता और ईमानदारी उनके चरित्र की बुलंदी की परिचायक है। परम गुरू आत्मारामजी का स्वर्गवास विक्रम संवत १९५३ में हुआ और सनख़तरा में अगले ही साल (संवत १९५४ में) अपने परम गुरू आत्माराम की संपूर्ण जीवनी उन्होंने सात ढालों (सात स्तवनों) में लिखते हुओ, 'वहां के श्रावक लाला गोपीनाथ, लाला अनंतराम, लाला प्रेमचन्द की प्रेरणा का उल्लेख किया है।' गुजराती भाषा में पंडितवर्य मुनि श्री वीर विजयजी की रचित पूजाएं उनसे ५०-६० वर्ष पहले से प्रचलित थीं । विजयवल्लभ की कई पूजाओं में श्री वीरविजय की कृतियों का आधार उन्होंने लिया है, यथा
द्वादश व्रत पूजा में 'विजय शुभ वीर अनुसारी, करी रचना मनोहारी' इसी ૮૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-
Page #132
--------------------------------------------------------------------------
________________
तरह, पार्श्वनाथ पंच कल्याणक पूजा के प्रत्येक स्तवन में श्री शुभ विजय श्री वीरविजय नाम जोडा गया है -
__'श्री शुभ वीर वचन अनुसारे, पंच कल्याणक गाया' नंदीश्वरद्वीप पूजा में.... वीर विजय अनुसारी ने -
श्री विजय वल्लभ की आचार्य पदवी से पूर्व की रचनाओं (पूजाओं) में श्री विजय कमलसूरि का योग्य नाम आदर पूर्वक आया है। यह उन के चरित्र की महानता है कि अपनी आचार्य पदवी से पूर्व की रचनाओं को उन्होंने यथावत् ही रहने दिया।
शास्त्रों के संदर्भ व आधार देकर भी उन्होंने किसी संभावित त्रुटि के लिए क्षमा याचना करते हुए कहा -
'सुधारी भूलचूक लेवे, सज्जन मोहे माफ कर देवे'
छोटी-छोटी व साधारण समझी जाने वाली वातों को भी दृष्टि से ओझल न किया। दैनिक जीवन में 'कम खाना और गम खाना' का उपदेश दिया। व्यवहार धर्म की शिक्षा देते हुअ श्रावक को संबोधन करते हुओ कहा -
* 'श्रावक सो उठे प्रभात्
चार घडी ले पिछली रात * गुरू के सामे बैठे विधि सुं, लंबे पांव न करिये पांव के ऊपर पांव चढावे,
तो अशातना कहिये। * अजाना फल और रात्री भोजन,
तिन का कबहुं न करिये सेवन। * पाथी ईंधन चुल्हा देखे,
शोधे अन्न को नारी, * तेल तक्र धृत दूध को ढकिये,
पानी दहीं खुला न रखिये। * छहो तिथि आरम्भ न करिये, ब्रह्मचर्य को धरिये * सर्व पाप के तुल्य है, मदिरा मांसाहार * पर के मांस से अपने मांस को, नीच पुरुष पोषण करता, जिम सुअर गंदगी में रुलता, फिरता गली मंझार जी। (मदिरा पान)
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ८३
Page #133
--------------------------------------------------------------------------
________________
संगीत और वाद्यंतरः
आचार्य विजयवल्लभ स्वयं उच्चकोटि के संगीतज्ञ, कवि और गायक थे। संगीत के माध्यम से ही मनुष्य अपने इष्ट देव के अधिक से अधिक समीप पहुंच सकता है। लय, सुर, ताल तथा राग रागनियों में जब वे अपने प्रभु को रिझाते थे, तो भावविभोर हो जाते थे। इसी भावानुभूति में उनके अन्तर का कवि भगवान् से साक्षात्कार होते ही मुखरित हो पडा -
• मेरी अरजी प्रभुजी स्वीकार करो,
भव भव की तो फेरी दूर करो, प्रभु शरण आए की बाहं फरो। • सरणा तो ले चुका हूं, चाहे तारो या न तारो। * नजर टुक मेहर की करके दिखा दोगे तो क्या होगा।
* ज्ञाता के आगे अधिक क्या कहना, आखिर पार लगाना होगा। संगीत के वाद्यतरों के बारे में भी उन्हें पर्याप्त ज्ञान था। दुंदुभी, ढोल, दमामा, वीणा, वेणु, नाद, तबला तथा झल्लरी आदि के साथ-साथ सात स्वर व तीन ग्राम (कुल इक्कीस) के आलाप वे लेते थे। गीत, नृत्य व ध्वनियों के पद -
त्रौं त्रौं त्रिक त्रिक वीणा बाजे, धौ धौ धप मप धुन ढक्कारी,
दगड दउं दगड दउं दुंदुभि गाजे, ता थेइ जय जयकारी। त्रिशला अपने लाल को झुला रही है -
छननन छननन धुंधरु बाजे, मोती झालर झलकाई इक्कीस प्रकारी पूजा में -
• झण झण रणके ने उरा, घुघरियां छनकंत। • धौ धौं धपधपमप, मादल झंकार बजेवा
___ौं त्रौं त्रिकत्रिक वीना बाजे, इन्द्राणी नाचे शिव सुख लेवा। देश विभाजन और गुजरांवाला से प्रस्थानः
देश को आजादी मिली १५ अगस्त १९४७ को। आचार्य विजयवल्लभसूरिजी उस समय गुजरांवाला में थे। यह समय ऐसा था जब चारों ओर मारकाट आगजनी, बम और गोली चल रहे थे। गुजरांवाला में भी हालात ऐसे ही थे। एक दिन बम का एक गोला उपाश्रय में भी फेंका गया। गुरूदेव बाल-बाल बच गए। एक कोने में धुंआ सा छोड कर बम शांत हो गया।
गुजरात व पूरे भारत से जैन मुख्याओं, आचार्यो और श्री संघों की तरफ से भारत सरकार पर दबाव बन रहा था कि गुरू महाराज को सुरक्षित भारत लाया ૮૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #134
--------------------------------------------------------------------------
________________
जाए। सेठ श्री कस्तूरभाई लालभाई आदि भी प्रयत्नशील थे। गुरूदेव को हवाई जहाज से ले जाने की पेशकश की, जिसे वे नहीं माने। बोले कि मैं सभी के साथ ही भारत जाउंगा, अकेले नहीं। जब तक श्री संघ का एक भी बच्चा यहां मौजूद है, मैं अकेला नहीं हिलूंगा ।"
सितम्बर १९४७ के अंतिम हफ्ते में, शायद २७ सितम्बर को गुरूदेव वहां से निकले । कुल १४ ट्रक थे। हिंदुओं को वहां से निकालने के लिए आफिसर साहनी थे और डी. सी. मि. मिढ्ढा थे। शाम को पता आ गया था कि कल को ट्रक आएंगे। उस दिन गुरू महाराज पैदल चल कर श्री विजयानंदसूरि की समाधि पर ( एक मील) प्रार्थना करने चले गए। श्री जनक विजय ने हाथ पकडा हुआ था और श्री समुद्र विजयजी साथ थे। उन्होंने एक बार पीछे देखा, फिर आगे बढ गए। जैन परिवार जिनमें स्थानकवासी भी थे, सामान लेकर उपाश्रय में आ गए। तमाम ड्राईवर मुसलमान थे। दो दो मिलिट्री मैन वो भी मुसलमान थे। ट्रकों में अभी बैठा जा रहा था कि दंगाईयों का हुजुम इकट्टा हो गया। ट्रक चला दिए गए। कुछ भाई पीछे रह भी गए थे।
एक ट्रक में गुरू महाराज और सभी मुनि मण्डल बैठे। साध्वी श्री देवश्रीजी व अन्य साध्वियां भी साथ थे। सभी ट्रक डेढ मील दूर गुरूकुल पर रूके, इससे आगे दो मील पर पानी से भरी नहर थी। तभी देखा के बलवाई अपने टेलों टांगों पर नहर की तरफ भागे जा रहे थे। गुण्डे जुनूनी अनसर सभी के हाथों में टकवे, कुल्हाडी व छुरे लिए हुए थे। ट्रक गुरूकुल के बाहर खड़े कर दिए। सभी को लगा कि मौत हमारे सामने है, अब कत्लेआम होगा। माल लूटकर, जख्मी अधमरे नहर में बहा देगें।
तव हुई गुरू कृपा | हिंदु मिलिट्री की एक टुकडी पाकिस्तान से भारत आ रही थी। उसका कमाण्डर एक सिख आफिसर था । उसकी पत्नी ने कुछ दूर खडी साध्वी देवश्री जी महाराज को देखकर पहचान लिया। शायद बचपन में उसने जैन साध्वीयों को देखा होगा। उसके कहने पर, कमाण्डर ने सब को हौसला दिया और अपनी जीप पर स्टेनगन तानकर ट्रकों को अपने पीछे चलने को कहा। नहर पर पहुंच कर उसने ढंगाइयों को ललकारा कि मुंतशिर हो जाओ, नहीं हुए तो गोली चला दी जाएगी। दो तीन हवाई फायर भी किए। बलवाई भागे और खेतों में छुप गए ।
फिर आया लाहौर कैंप । यहां पता चला कि ओक तेरापंथी मुनिराज (श्री अमोलक मुनि) भी लाहौर में फंसे हुए है। आचार्य महाराज ने उनको भी साथ ले लिया और अमृतसर पहुंचे। वहां कर्फ्यू लगा होने के कारण, यह रात वृक्षों के नीचे ही गुजारी।
सभी ने गुरू महाराज की परम कृपा का उपकार माना कि बच कर आ गए, पर आपने कहा कि 'यह सब साध्वी देवश्री जी के शील संयम की कृपा से हुआ है
आचार्यश्री विजयवल्लभसूरि व्यक्तित्व-कवि-काव्य + ८५
Page #135
--------------------------------------------------------------------------
________________
भारत में भारत में टूटे फूटे और फटेहाल पंजाबी गुरू भक्तों को आपने ढाढस बंधाया। दैनिक अखबारों में शांति और सहायता की अपीलें छपाई। गुजरात आदि में विराजमान पूज्य जैनाचार्यों को पत्र लिखे। आचार्य श्री सागरानंदसूरिजी तब पंजाबीयों के पुनर्वास व सहायता के लिओ ७८००० की सहायता भिजवाई थी।
बंबई में बंबई में विराज रहे श्री विजयवल्लभ के हर स्वांस में 'मेरा पंजाब, मेरा पंजाब' की आवाजें ही निकलती थीं। तभी कहा - 'मेरी हार्दिक इच्छा तो यह है कि इस चातुर्मास के बाद, पालीताना की यात्रा करूं, और वहां से विहार करके पंजाब जाऊँ। जीवन की अंतिम सांसें पंजाब में पूरी करूं, और वहां की माटी में इस शरीर का विसर्जन करू।' बम्बई के महावीर विद्यालय में अपनी इन भावनाओं को व्यक्त करते हुए, गुरूदेव सेठ कान्तिलाल ईश्वरलाल के मैरीन ड्राईव स्थित बंगले में पधारे। बंबई से पंजाब की ओर विहार की इस पहली कडी में आसोज वदि दशमी (२०११ विक्रमी) को शाम के समय में प्रतिक्रमण आदि से निवृत होकर, पूज्य गुरूदेव थोडा विश्राम कर रहे थे। सेठ श्री कांतिलाल व उनके परिवार के अन्य सदस्यों ने गुरूदेव के पांवों को दबाया व विश्राम दिलाया। पूज्य मुनि जनकविजयजी आदि साधु महाराज भी पास विराजमान थे। तब तक रात्री हो गई थी।
अचानक गुरूदेव का स्वांस कुछ उखडने लगा। गुरूदेव वृद्ध तो थे पर अन्तर से सचेत, जागृत व आत्मरत् थे। अगले क्षणों के प्रति भी वे पूरे जागरूक थे। तभी उन्हें, अपने परम गुरू श्री विजयानन्दसूरि के उस आवह्न का ख्याल आया जिसमें 'वल्लभ, मेरे पंजाब को संभालना। इन पंजाबियों की रक्षा करना' और इसी सोच में अपने उखडते हुए स्वांसों में ही उन्होंने रात्रि दस बजे के आसपास सेठ कांतिलाल को कहा कि गेई पंजाबी इधर आसपास हो तो उसे बुलवाना।' सेठ साहिब के परिवार जन इधर-उधर भागे, फोन किए। आखिर करीब ११-१२ बजे एक पंजाबी जैन भाई मिले तो उन्हें गुरूदेव के पास लेकर आए।
दय और स्वांस अब तक और भी उखड रहे थे। एमनीसिया की सी स्थिति हो गई थी। अभी कुछ याद है, अभी कुछ याद नहीं। ऐसी स्थिति में गुरूदेव श्री जी को यह याद आना कठिन हो रहा था कि उन्होंने क्या कहने के लिए एक पंजाबी श्रावक को अपने जीवन की इस अंतिम वेला में बुलाया था। पास बैठे डॉक्टरों ने भी मना कर दिया कि गुरूदेव को ज्यादा न बुलाया जाए। रात्रि के अढाई बज गए। गुरूदेव अमर हो गए। और उस समय के सब से बडे मीडिया ओल इण्डिया रेडियो और बी.बी.सी. (हिंदी) से प्रातः ८ बजे गुरूदेव के काल धर्म का समाचार प्रसारित हुआ।
૮૬ ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #136
--------------------------------------------------------------------------
________________
पंजाब केसरी कहे जाने वाले गुरूदेव ने बंबई से पंजाब की ओर विहार करने का विचार किया । एक पंजाबी श्रावक को पंजाबीयों के नाम अपना अंतिम संदेश देने हेतु बुलाया। आत्मा और शरीर के शाश्वत् धर्म के समक्ष, उन की आत्मा, 'निजातम संपदा' में विलीन हो गई....
•
सरकार की विशेष आज्ञा से भायखला के जैन मंदिर से संलघ्न परिसर में आपका अंतिम संस्कार हुआ। बंबई के आजाद मैदान की सभा में सभी धर्मो की १५० संस्थाओं ने सर पुरुषोत्तम ठाकुरदास की अध्यक्षता में श्रद्धांजलियां अर्पित की। मेयर श्री गणपतिशंकर देसाई ने कहा था कि 'गुजरात ने दो वल्लभ इस देश को दिए हैं पहले वल्लभभाई पटेल और दूसरे आचार्य विजयवल्लभ' 'तू चुप है लेकिन सदियों तक, गूंजेगी सदाए-साज तेरी, दुनिया को अंधेरी रातों में, ढाढस देगी आवाज तेरी ।
-
महेन्द्रकुमार २६३ सैक्टर १०, पंचकूला, हरियाना १३४११३ मो. ०९३१६१ १५६७०
आचार्य श्री विजयवल्लभसूरि व्यक्तित्व - कवि काव्य ८७
Page #137
--------------------------------------------------------------------------
________________
- પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી 1
સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો
૦ ધનવંત ટી. શાહ
Jપ્રસિદ્ધ વિદ્વાન ડો. ધનવંતભાઈ કલામર્મજ્ઞ, સાહિત્યરસિક, પ્રેમપૂર્વક અનેકને જ્ઞાનયજ્ઞમાં જોડનાર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' અને પ્રબુદ્ધ જીવનના માધ્યમથી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહે છે. પ.પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના પદ્યસાહિત્યનો સવિશેષ પરિચય અત્રે તેમના લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. – સં.]
અલ્ય બુદ્ધિ છે માહરી, આપો મુજને જ્ઞાન નમન કરું વંદું સદા, આપો મુજને સાન ! નથી લેખક નથી કવિ હું, નથી જ્ઞાન વા નથી વિદ્વાન બાળક ચાલે પ્રેમે લખ્યું મેં,
સત્ય જણાય તો લેજો જ્ઞાન.” માત્ર પંદર વર્ષની ઉમરે આવું કવન કરનાર અને આવી નમ્રતા પ્રગટ કરનારને જૈન અને જૈનેતર સમાજે જેમને કર્મયોગી, ધ્યાનયોગી, જ્ઞાનયોગી, અધ્યાત્મયોગી, સૂરિપુંગવ, પ્રવચન પ્રભાવક, મસ્ત અવધૂત, અઢારે આલમના પૂજનીય, દિશાદર્શક, કર્ણધાર, સૂત્રધાર, જીવનમુક્ત જીવદયાના જ્યોતિર્ધર, અપ્રમત્ત અને વિશુદ્ધ સંયમી આવાં અનેક વિશેષણોથી વિભૂષિત કર્યા છે એ પ.પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.નું સાહિત્યસર્જન સાગર જેટલું વિશાળ અને ગહન છે.
આયુકાળ માત્ર ૫૧ વર્ષનું, દક્ષા ર૭મી વરસે અને સર્જનકાળ માત્ર ર૪ વરસ. આ ૨૪ વરસમાં ૧૪૦થી વધુ પુસ્તકોનું સર્જન. કેટલાંક પુસ્તકો ગ્રંથ કક્ષાનાં. સર્જન ગદ્ય અને પદ્યમાં. જાણે સાહિત્યસર્જનનો ફુવારો.
પંદર વરસની ઉંમરે પહેલી કવિતા લખી નર્મદ-દલપત શૈલીની. પછી સર્જનયાત્રા શરૂ થઈ દીક્ષા લીધા પછી. સંસારી નામ બેચરદાસમાંથી બુદ્ધિસાગર પ્રગટ્યા. સૂર્યકિરણ સ્પર્શવાથી જેમ કમળ ખીલી ઊઠે તેમ જ્ઞાનનાં દિવ્યકિરણો આત્મામાં પ્રવેયાં અને જ્ઞાનવૈરાગ્યનું કમળ ખીલી ઊહ્યું અને વિવિધ સર્જનોમાંથી એ મહેકી ઊઠ્યું.
૮૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #138
--------------------------------------------------------------------------
________________
પુસ્તક સર્જનમાં ભાષાની દૃષ્ટિએ ગુજરાતીમાં ૧૧૧, પ્રાકૃતમાં ૧૧, સંસ્કૃતમાં ૩૮, હિંદીમાં ૧ અને જે ગુજરાતીમાં સર્જાયાં એમાંનાં સંયુક્ત ગુજરાતી-સંસ્કૃત ૧૮ અને ગુજરાતી પ્રાકૃતમાં ૮. આ બધાં પુસ્તકોનાં પૃષ્ઠોની કુલ સંખ્યા ઓગણીસ હજાર થાય. આ પુસ્તકગ્રંથમાં નાનામાં નાની પુસ્તિકા પાંચ પાનાંની અધ્યાત્મગીતા' અને મોટામાં મોટું પુસ્તક ૮૪૦ પાનાંનું ભજનપદસંગ્રહ ભાગ-૮. પૂજ્યશ્રીએ લગભગ ૩૦૦૦ ભજનો લખ્યાં છે. આ ભજનોમાંથી સંકલિત કરી સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય પુસ્તિકાને ભૂતકાલીન વડોદરાના મહારાજાએ પ્રત્યેક શાળામાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન અપાવ્યું હતું.
ઉપર જણાવેલ પુસ્તકોની યાદી પ્રકાશિત થયેલાં પુસ્તકોની છે. આ ઉપરાંત અપ્રગટ પુસ્તકો અને રોજનીશી ડાયરી પણ અપ્રગટ છે જે ક્યારેક અવશ્ય પ્રકાશિત થશે. માત્ર ૨૪ વરસમાં આવું ભવ્ય સર્જન. ગણિત માંડો તો ૮૭૬૦ દિવસ, એના કલાક વગેરે ગણો તો આ ઘટના દંતકથા જેવી લાગે. પૂજ્યશ્રીનું વાચન પણ વિશેષ હતું. લગભગ ૨૨૦૦૦ પુસ્તકોનું વાચન. એઓશ્રી રોજનાં ૫૦૦ પાનાં વાંચતા. આ બાવીસ હજાર પુસ્તકોના વાંચનમાં કેટલાંક તો અનેક વખત વાંચેલાં. જેમ કે ભગવદ્ ગીતા આઠ વખત, આગમ સાર સો વખત, આચારાંગસૂત્ર ત્રણ વખત વાંચ્યું. પૂજ્યશ્રીની એક મહત્ત્વની નોંધ આ સંદર્ભે જોઈએ.
આજ રોજ પંચકલ્પ ભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂર્ણિ વ્યવહારવૃત્તિ, બૃહત્કલ્પવૃત્તિ, જિનકલ્પ વગેરે સુરતમાં સંવત ૧૯૬૬માં વાંચ્ય, શ્રાદ્ધજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મસંગ્રહણી પાલિતાણામાં વિહારમાં વાંચી. તત્ત્વાર્થસૂત્ર પરની બે ટીકાઓ અમદાવાદમાં ને સંમતિતર્ક તથા અષ્ટસહસી માણસામાં શ્યામસુંદર પાસે વાંચ્યાં. સ્યાદ્વાદ મંજરી ને સ્યાદ્વાદ રત્નાકર અવતારિકા પં. ગન્નાથશાસ્ત્રી પાસે ૧૯૬૦માં મહેસાણામાં વાંચી.'
‘એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર વાંચ્યું. ૧૦૮ ઉપનિષદો છાપેલાં ગુટકામાંથી વાંચ્યાં. યોગવાસિષ્ઠ મહારામાયણ વાંચ્યું. સજ્જાય પદસંગ્રહ પૂર્ણ વાંચ્યું. ભારતના સંતપુરુષો નામનું પુસ્તક વાંચ્યું. સામાજિક સેવાના સન્માર્ગ વાંચ્યું. બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ વાંચ્યો. જ્ઞાનાર્ણવ ત્રીજી વખત વાંચ્યો. પ્રવચનસાર, પ્રમેય, કમલ માર્તડ, ષટુ પ્રાભૃત વગેરે દિગંબરી દશ પુસ્તકો વાંચ્યાં. વિચારસાગર ગ્રંથ વાંચ્યો, પંચદશી ગ્રંથ વાંચ્યો. ઋગ્વદ અને યજુર્વેદ આર્યસમાજી ટીકાવાળાં વાંચ્યાં. ભારતની સતીઓ પુસ્તક વાંચ્યું. આજ સુધીમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી છપાયેલાં પ્રાયઃ સર્વ પુસ્તકો વાંચ્યાં. છ માસમાં આ સર્વ ગ્રંથોનું વાંચન થયું. હાલ ગ્રંથો લખવાની પ્રવૃત્તિ મંદ છે. ડહેલાના ઉપાશ્રયમાં વીસમા ડાબડામાંથી પ્રશ્નોત્તર નામનો ગ્રંથ વાંચ્યો. આચારાંગ સૂત્ર પણ ત્રણ વાર વાંચ્યું. ટીકા સહિત છ કર્મગ્રંથ તથા પંચાશક વાંચ્યું.”
- રોજનીશી તા. ૧૬ જુલાઈ ૧૯૪૩
પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીઃ સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૮૯
Page #139
--------------------------------------------------------------------------
________________
આગળ જણાવેલાં ૧૧૧ ગુજરાતી પુસ્તકોમાં લગભગ ૯૦ પુસ્તકોનું લખાણ ગદ્યમાં અને એ પણ વિષયવૈવિધ્ય સાથે. અધ્યાત્મ મહાવીર ગીતા, અધ્યાત્મ ગીતા, આત્મશક્તિપ્રકાશ, આનંદઘન પદ ભાવાર્થ, ઈશાવાસ્યોપનિષદ, કર્મયોગ, ગચ્છમતપ્રબંધ, જેનોપનિષદ, જેન-ખ્રિસ્તી ધર્મનો મુકાબલો, ધ્યાનવિચાર, લાલા લજપતરાય અને જૈન ધર્મ, યોગદીપક, સમાધિશતક, અધ્યાત્મસાર, કર્મપ્રવૃત્તિ, દેવચંદ્ર ચરિત્ર અને નવચક્રસાર. આ તો થોડા ગ્રંથોનો માત્ર નામોલ્લેખ છે જેથી વિષયવૈવિધ્યની આપણને પ્રતીતિ થાય. આ બધા ગ્રંથોમાંથી કેટલાક ઘટનાત્મક અને ઐતિહાસિક ગ્રંથોનો અહીં ઉલ્લેખ વિચારીએ.
જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલોમાં પૂજ્યશ્રીએ જૈન ધર્મની વિશિષ્ટતા સિદ્ધ કરી છે. જે જૈન સાધુ સાધુપણું છોડીને ખ્રિસ્તી થયો હતો, તેને પૂજ્યશ્રીએ આ પુસ્તકથી મહાત કર્યો હતો. એ જ રીતે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનું વિધાન લખી મૂર્તિપૂજામાં ન માનનાર સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્થાનકવાસી સંપ્રદાયને તત્ત્વસિદ્ધ ઉત્તર આપ્યો, એ જ રીતે લાલા લજપતરાયે પંજાબમાં જૈન ધર્મ વિરોધી કેટલાંક વિધાનો કર્યા હતાં. એના ઉત્તરમાં લાલા લજપતરાય અને જૈન ધર્મ પુસ્તક લખ્યું. પૂજ્યશ્રીનો કર્મયોગ ગ્રંથ વાંચી લોકમાન્ય તિલકે જેલમાંથી લખેલું કે, જો મને પહેલેથી ખબર હોત કે તમે આ કર્મયોગ લખી રહ્યા છો તો હું મારો કર્મયોગ કદી ન લખત. આ ગ્રંથ વાંચી હું પ્રભાવિત થયો છું.'
પૂજ્યશ્રીની ગુણગ્રાહકતાની પ્રશંસા કરતાં એઓશ્રીના સમુદાયના પૂ. આચાર્ય વાત્સલ્યદીપ લખે છે, “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની ગુણાનુરાગી જીવનદષ્ટિની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ગચ્છ કે સંપ્રદાયની સંકુચિતતામાં પડ્યા વિના એમણે સદૈવ સારું એ મારુંની ભાવના જીવંત રાખી છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ જે. મૂ. તપાગચ્છીય પરંપરાના હતા પણ તેમણે ખરતરગચ્છીય પરંપરાના શ્રીમદ્ દેવચંદ્રજી વિશે મહત્ત્વપૂર્ણ સંશોધન અને લેખન કર્યું.'
ખરતરગચ્છીય શ્રીમદ્ દેવચંદ્રજીનું વિશિષ્ટ સ્થાન છે. તેમની અધ્યાત્મ રસપ્રચુર રચનાઓ વેરવિખેર હતી અને તેમના જીવન વિશે ઓછી માહિતી ઉપલબ્ધ હતી. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ગચ્છભેદ વિસારીને તેમના વિશે જાણવા અથાગ પ્રયત્ન કર્યો અને શ્રીમદ્ દેવચંદ્રજી નામે બે ગ્રંથો પ્રગટ કર્યા. લગભગ બે હજાર પાનાંના આ વિશિષ્ટ ગ્રંથોમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યદષ્ટિ અને સંશોધન ક્ષમતા સુપેરે પ્રગટ થાય છે. તેમાં ભર્યું ગુણાનુવાદ પણ છલકતો જોવા મળે છે. પૂજ્યશ્રીની શ્રીમદ્ દેવચંદ્રજી પ્રતિ ઊંડી શ્રદ્ધા પણ જોવા મળે છે.
પૂજ્યશ્રીએ નિયમિત ડાયરી લખી છે. જૈન સાધુએ આવી રોજનીશી લખી હોય એવું જાણવામાં નથી આવ્યું. આ દૃષ્ટિએ સાહિત્યજગતમાં શ્રીમદ્ , બુદ્ધિસાગરજીનું આ પ્રદાન ઐતિહાસિક છે. વિહાર સમયે તેમ જ ચાતુર્માસ દરમિયાન જે-જે ઘટના ઘટી અથવા પ્રકૃતિદત્ત જે-જે અનુભવો થયા એ આવી રોજનીશીમાં ૯૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #140
--------------------------------------------------------------------------
________________
શબ્દબદ્ધ થયા છે. આ રોજનીશીનું સાહિત્ય મૂલ્યાંકન પણ સ્મરણીય છે. હજી કેટલીક રોજનીશી અપ્રગટ છે. એ જ્યારે પ્રગટ થશે ત્યારે સાહિત્યજગતને એનું મૂલ્યવાન પ્રદાન સમજાશે.
શ્રીમના અંતિમ બે ગ્રંથો પૂજ્યશ્રીના કાળધર્મ પછી એટલે એમની હયાતી પછી પ્રગટ થયા. ાલ્પનિક અધ્યાત્મ મહાવીર’ અને ‘શ્રી જૈન મહાવીર ગીતા' આ ગ્રંથો વિશે આચાર્ય વાત્સલ્યદીપ લખે છે, જીવનના અંતિમ સમયે તેમણે ખાંભાના અંતેવાસી અને ગુરુભક્ત કવિ મ. ઓ. પાદરાક૨ને કાલ્પનિક અધ્યાત્મ મહાવીર અને શ્રી જૈન મહાવીર ગીતાની હસ્તપ્રત સોંપી અને કહ્યું કે મારા મૃત્યુ પછી એક પચ્ચીસી વીતે પ્રકટ કરજો.' લગભગ ૪૦ વર્ષ પછી ગ્રંથોની હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટ પરંપક શિષ્ય, પરમ પૂજ્ય, શાંતમૂર્તિ આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજના હાથમાં આવી. તેમણે વિ.સં. ૨૦૨૫માં પ્રકાશન કાર્ય કર્યું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પૂ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજીની ગુરુભક્તિ અને ગ્રંથ પ્રકાશનને જૈન સંઘની મહત્ત્વપૂર્ણ ઘટના કહી છે.’
આ મહાવીરગીતા મૂળ સંસ્કૃતમાં, આજથી છ વર્ષ પહેલાં આ ગ્રંથનું ગુજરાતીમાં અવતરણ થયું અને પ્રબુદ્ધ જીવન માસિકમાં ક્રમશઃ પ્રકાશિત થયું, જે વર્તમાનમાં પુસ્તકાકારે ઉપલબ્ધ છે. આ ગ્રંથનું સંપાદન-ભાષાંતર પૂ. આચાર્ય વાત્સલ્યદીપે કર્યું છે. પૂજ્યશ્રીના સમગ્ર સાહિત્યની વિશેષતા એ છે કે પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવના સ્વયં પોતે લખી છે. અને એમાં એ ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને મર્મ પ્રગટ કર્યો છે. આ પ્રસ્તાવનાઓમાં એમની વ્યાપક વિચારસૃષ્ટિનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ વિવિધ વિષયો સાથે જેટલું ગદ્ય લખ્યું છે એ પ્રમાણે પદ્યમાં પણ એમનું સર્જન વિશાળ અને તત્ત્વભર્યું ગહન છે. આપણે થોડી પંક્તિઓ આસ્વાદીએ.
અલખ હમારા દેશ ખરા હૈ, અલખ હમારા નામા હૈ; સિદ્ધ સ્થાન હૈ સત્ય હમારા, આશ્રય આતમ રામા રે.
** *
આર્ત રૌદ્ર બે ત્યાગી ને, ધરીએ ધર્મનું ધ્યાન, શુક્લ ધ્યાનને ધ્યાવતા, ચિદાનંદ ભગવાન.
**
નાભિ કમલમાં સુરતા સાધી, ગગન ગુફામાં વાસ કર્યો, ભૂલાણી સૌ દુનિયાદારી, ચેતન નિજ ઘરમાં હી ઠર્યો, ઇન્દ્રાસનની પણ નહિ ઇચ્છા, વંદન પૂજન માન ટળ્યું, અલખ નિરંજન સ્વામી મળિયો, જલબિંદુ જલધિમાં ભળ્યું.
**
પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીઃ સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૧
Page #141
--------------------------------------------------------------------------
________________
દેહ તંબુરો સાત ધાતુનો, રચના તેની લેશ બની, ઇડા પિંગળા અને સુષષ્ણા, નાડીની શોભા અજબ ઘણી.
જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણ મારા પાથરું, તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ, એ અશ્રુનો સાગર કરું.
*
*
*
અમો ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતા, ગાવીશું હૃદયની ગુફ, ધ્રુજાવીશું વિકલ્પોને, ગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું,
ભયે હમ આતમ મસ્ત દવાના દુનિયા કી નહિ હમકુ પરવા ભી સબ ળ નાટક માના
આ પંક્તિઓ નીચે કર્તા તરીકે પૂ. બુદ્ધિસાગરજી નામ ન લખાયું હોત તો વાચક એમ જ સમજે કે આ પંક્તિઓ અવધૂત આનંદઘનજી અથવા કવિ કલાપીની હશે.
ઊંચી અને ઊર્ધ્વગામી કવિતા કલાથી વિભૂષિત આ કવિપ્રતિભાએ ૩000થી વધુ કાવ્યો લખ્યાં હશે. એમનાં ભજનો, સ્તવનોની પુસ્તિકાની લગભગ સોળ સોળ આવૃત્તિ થઈ છે. જે ગુજરાતી કવિતાક્ષેત્રે નોંધનીય ઘટના છે. થોડી વધુ પંક્તિઓ આસ્વાદીએ.
જ્યાં જ્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ, આનંદ જ્યાં તે જાણીએ, રાખી અને વિશ્વાસ પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર, મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર, નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય, કોટિ ઉપાય કરો કદી, કાક ન ધોળો થાય.
નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની, બુધ્યબ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.
*
*
*
૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #142
--------------------------------------------------------------------------
________________
ભક્તિ માતા બોધ પિતા છે, કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે વ્હેની નીતિ, જીવનની છે કમાઈ.
ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, બોલે મીઠી વાણી, ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી.
આત્મજ્ઞાની હોય તો હમકું, આતમ રૂપે જાને, બુદ્ધિસાગર દિલમેં ખરગટ પરમેશ્વરકું પ્રમાને.
મેરા આતમ આનંદ નૂર, અમીરસ છાય રહા, હમ લાલન મસ્ત ફકીર, અગ્નિરસ પાન લહાં, બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી દુઆ મસ્તાના, બુદ્ધિસાગર આત્મમેં રે, હુઆ પરમ ગુલ્લાના.
આવવું મળવું લેવું ન દેવું ફરવું ખરવું ન કરવું, બુદ્ધિસાગર શુદ્ધોપયોગે આતમપ્રભુપદ ધરવું.
આતમ અકલ કલા હારી, હારી અલખ અભિ ન્યારી, નહિ તું માયા નહિ તું કાયા, નહિ તું પવન ને પાણી રે, નહિ તું પૃથ્વી, નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની.
અમારો નિશ્ચય જ્ઞાન સમાધિ, યોગે પ્રભુરૂપ થાવું તેહ, અનુભવ એવો અમને આવ્યો, પ્રભુપદ વરશું બની વિદેહ.
જે દુર્ગશ વ્યસનો નહિ જીતે, નપુંસકમાં તે વડો, મનથી હાર્યો તે જગથી હાર્યો, મન જીતો, નહિ રડો.
અહીં કવિતા છે પણ ભાષા કે કવિનો આડંબર નથી. સાધના દ્વારા જે આંતર અનુભૂતિ પ્રાપ્ત થઈ એની જ કાવ્યબાનીમાં ચોટદાર અભિવ્યક્તિ છે. અહીં આત્માનંદની મસ્તી ભાવકના મનને ભેદવા સમર્થ છે. સાથેસાથે ચિંતનની કેડી પણ પકડાવી દે છે.
પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૩
Page #143
--------------------------------------------------------------------------
________________
પૂ. સૂરિજીએ કાવ્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. આ કાવ્યોમાં વિષયવૈવિધ્ય ઉપરાંત પ્રકારનૈવિધ્ય પણ છે. ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડકાવ્ય, કાફી, ચાબખા, ગહુલી, પૂજા, દુહા, ચોપાઈ વગેરે કાવ્યપ્રકારોમાં પૂજ્યશ્રીનું ખેડાણ છે.
તત્ત્વચિંતનની કેટલીક પંક્તિઓ આપણને અવધૂત આનંદઘનની યાદ અપાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી અને અવધૂત આનંદઘન પછી આટલું વિપુલ અને વૈવિધ્યસભર સાહિત્ય સર્જન પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી સિવાય ભાગ્યે જ કોઈ જૈન સાહિત્યકારે કર્યું હશે.
પૂજ્યશ્રીએ પોતાનું આ વિપુલ સર્જન જૈન સાધુના સર્વ વ્રત-નિયમો પાળતાં પાળતાં કર્યું છે. ઉગ્ર વિહાર કરતાં કરતાં પચ્ચીસ ચાતુર્માસ દરમિયાન આ સર્જન કર્યું. પૂજ્યશ્રી સતત ધ્યાનમાં બેસતા. જીવનભર ખાદીનાં વસ્ત્રો જ ધારણ કર્યા. ગોચરી-ભોજન એક જ સમયે, અને એમાં પણ સ્વાદનો કોઈ આગ્રહ નહીં. ગોચરીમાં જે આવ્યું હોય તે ભોજન એક પાત્રમાં સમરસ કરીને વાપરતા. પૂજ્યશ્રીએ જેમ ગુજરાતીમાં ત્રણ હજાર કાવ્યો લખ્યાં છે, એમ સંસ્કૃતમાં વીસ કાવ્યસર્જનો કર્યા છે.
ગ્રંથલેખન માટે એઓ એકાંત પસંદ કરતા હતા. વિજાપુર કે મહુડીમાં હોય ત્યારે ભોંયરામાં બેસીને પલાંઠીવાળી ઘૂંટણ પર ડાયરી ટેકવીને લેખન કરતા. લખવા માટે એઓશ્રી પેન્સિલનો ઉપયોગ વિશેષ કરતા. ક્યારેક દિવસ દરમિયાન દસથી બાર પેન્સિલનો ઉપયોગ થતો. ક્યારેક બરુની કલમથી પણ લખતા.
મા સરસ્વતીની સાધના સાધુ જીવનનું તપ. મૌન અને સમાધિની આત્મસાધના. પ્રાણીમાત્રનું કલ્યાણ થાય એવી ભાવના, સાધનાથી શુદ્ધિ તરફનું પ્રયાણ અને પરિણામે પૂજ્યશ્રીની કલમ અને આત્મામાંથી પ્રગટ્ય જગતનું ભાવિદર્શન. આ સત્યની પ્રતીતિ એમના નીચેના કાવ્યમાંથી થાય છે.
એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગતમાં થાવશે. એક દિન..૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભદિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવરો કર્મવીરો, જાગી અન્ય ગાવશે. એક દિન..૨ અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અશ્રુ હોઈ સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. એક દિન...૩ સહુ દેશમાં, સહુ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે. એક દિન..૪ સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે;
જે ગુખ તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક દિન..૫ ૯૪ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #144
--------------------------------------------------------------------------
________________
રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહેવાશે, હુન્નર, કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક દિન...૬ એક ખંડ બીજા ખંડની, ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન..૭ એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્રમાં આવશે,
બુદ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. એક દિન...૮
આ કાવ્ય પૂજ્યશ્રીએ લખ્યું ઈ. સ. ૧૯૧૧માં એટલે આજથી ૧૦૩ વર્ષ પહેલાં. આ કવિતા વરસોથી મહુડી મંદિરની બહાર પ્રદર્શિત થયેલી છે. આશ્ચર્ય એ વાતનું છે કે ૧૦૩ વર્ષ પહેલાં પૂજ્યશ્રીએ ભાખેલી બધી જ વાતો આજે સત્ય સાબિત થઈ છે. કવિનું આ આર્ષદર્શન.
સાહિત્યમાં આ વિશાળ ખેડાણ, પ્રતિભા અને સાહિત્ય પ્રભાવ સાથોસાથ એમનું સાહિત્ય દ્વિરુક્તિ દોષથી મુક્ત નથી, પણ ઝડપથી આટલા વિશાળ સાહિત્યનું સર્જન થતું હોય ત્યારે સ્મૃતિમાંથી કેટલાંક તત્ત્વો અને વિચારની વિસ્મૃતિ થઈ પણ જાય.
| સુપ્રસિદ્ધ નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ પૂજ્યશ્રીના સાહિત્ય વિશે લખે છેઃ “આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે? એને હિંદુ પણ વાંચી શકે, જેન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ શકે તેવું એ કાવ્યસાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.”
શ્રી ૨. વ. દેસાઈ વિશેષમાં લખે છે, “સાચા સાધુ હોવું, ઉચ્ચ કોટિના સાહિત્યકાર થવું, અને છતાં માનવતાભર્યા સહૃદયી સમાજસેવક બનવું – એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.'
ડૉ. કુમારપાળ દેસાઈ લખે છેઃ તત્ત્વજ્ઞાન સાથે અનુભવજ્ઞાનનો અનુપમ સંયોગ આચાર્યશ્રીએ એમના જીવનમાં અને કવનમાં સાધ્યો છે. પોતાના આત્મદર્પણમાં પ્રગટેલા સાધનાના પ્રતિબિંબને એમણે અક્ષર રૂપે પ્રગટ કર્યું. સવિશેષ તો એમણે સંસ્કૃત ભાષામાં તત્ત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા અને સંસ્કૃતમાં લખેલ પોતાના બે ગ્રંથો ઉપર એમણે સ્વયં વિસ્તૃત વિવેચના કરી છે.”
હવે આ યુગના અને સમકાલીન મહાકવિ ન્હાનાલાલના પૂજ્યશ્રી માટે ઉચ્ચારેલા શબ્દકમળની સુગંધ માણીએઃ “બુદ્ધિસાગરસૂરિજી મહાનુભાવ વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયોના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી. એમની ભવ્યમૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહથંભ, યોગીન્દ્ર જેવી દાઢી ને જબરદસ્ત દંડ! આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે.” પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૫
Page #145
--------------------------------------------------------------------------
________________
આટલું વિશાળ તત્ત્વભર્યું સાહિત્યસર્જન કરી પૂજ્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. તત્ત્વ, અનુભૂતિ અને આવી અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ સર્જકમાં મળે. સાચે જ, પૂજ્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો હતા.
ડો. ધનવંતભાઈ ટી. શાહ માનદ તંત્રી: પ્રબુદ્ધ જીવન'
C/o શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-400004
મો. 09820002341
૯૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #146
--------------------------------------------------------------------------
________________
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન
- મધુ બરવાળિયા
વાળિયા
મુબઈ સ્થિત ડૉ. મધુબહેન જી. બરવાળિયાએ હિન્દી સાહિત્યમાં Ph.D. કર્યું છે. જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં “શાકાહાર', “અધ્યાત્મ સુધા અને અધ્યાત્મસૂર’ તેમના દ્વારા સંપાદિત પુસ્તકો છે. સં.
સંતો, મહંતો અને વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર. આ પુણ્યભૂમિ સૌરાષ્ટ્રમાં અન્ય પ્રદેશોની સરખામણીમાં સૂકા ગણાતા ઝાલાવાડનું એક નાનકડું ગામ એ સાયલા.
આ ગામના લાલા ભગતથી પ્રભાવિત થયેલ આસપાસના વિસ્તારની જનતા આ સાયલાને ભગતના ગામથી જ ઓળખતા હતા.
આ ગામમાં જેચંદ જસરાજનું જૈન વણિક કુટુંબ. એ કુટુંબના પાનાચંદભાઈ અને રળિયાતબહેન બંને વિરલ દંપતી. પાનાચંદભાઈ ધર્મ પરાયણ અને નીતિનિષ્ઠ તેવા જ રળિયાતબાઈ ભદ્રહૃદયા અને દયાળુ.
સંવત ૧૯૩૩નો શિયાળાનો સમય અને રળિયાતબાઈની કુક્ષિમાં પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું નાગરદાસ.
સ્થાનકવાસી સંતો આ ગામમાં આવતા બાળક નાગરને કુતૂહલ થતું મહારાજ સાહેબ આવા કપડા કેમ પહેરે છે? શું વાંચે છે? વગેરે. વડીલો બાલસહજ જિજ્ઞાસા સંતોષતા.
પાંચ વર્ષની ઉંમરે નાગરે માતા રળિયાતબાનું છત્ર ગુમાવ્યું. નાગર પાસે સાયલાની તાલુકાશાળામાં શિક્ષણ લીધું. એક વાર ગામમાં એક સાધુ આવેલ તે બીમાર પડે છે ત્યારે જ નાગરદાસ ભાભુ સાંકળીમા સાથે ઉપાશ્રયે ગયા. સાધુને ઝાડા ઊલટી થયાં, પણ સાંકળીમા કશું કરી શકતા નથી અને નાગરને સમજાવે છે કે એક સ્ત્રી સાધુને અડી ન શકે તેથી તે સાફ કરી શકતા નથી. સાધુના કોઈ શિષ્ય પણ નથી. એ સમયે ઉલ્લાસભાવથી નાગર સાધુની સેવા વૈયાવચ્ચ કરે છે. નાગર ઉપાશ્રયે આવતા સાધુની જીવનચર્યા અને સામાયિક અંગે જાણે છે, વ્યાખ્યાનો સાંભળે છે.
નાગરદાસની ૧૩-૧૪ વર્ષની ઉંમર. સાયલામાં મુનિ ચતુરલાલ અને જીવણજી મ.સા. પધારે છે. એ વખતે નાગરદાસ અને તેના પિત્રાઈ ભાઈ જીવરાજ નિર્ણય
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૯૭
Page #147
--------------------------------------------------------------------------
________________
કરે છે કે આપણે આ સંસાર છોડી દીક્ષા લઈએ અને સાધુઓએ વિહાર કર્યો તો છુપાઈને તેની પાછળ ગયા. રામપરા ગામે પહોંચ્યા ત્યારે મહારાજે તેમને જોતા પૂછયું કે માતાપિતાને કહીને આવ્યા છો ? તો કહે, ના. વડીલને બોલાવી લીધા. વડીલો સાથે જવાની બંનેએ ના પાડી. મહારાજશ્રીએ સમજાવી કહ્યું કે વડીલો પાસેથી પ્રેમપૂર્વક સંમતિ લેશું પછી દીક્ષા આપશું ને પાછા ગયા.
પછી પિતાજીનું અવસાન થયું. મોટાભાઈ જેશીંગભાઈનાં લગ્ન થયાં.
સં. ૧૯૫૫નું વર્ષ આ વખતે નાગરદાસની ઉંમર ૨૧-૨૨ વર્ષની હતી. જીવનમાં ત્યાગધર્મની પ્રતીતિ થતા તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. તેમની સગાઈ માટે કપટથી કન્યા મોટી બતાવેલ અને સગાઈ કરી તે કન્યા નાની હતી તે જાણ થતાં કપટમય સંસારનું વધુ સ્પષ્ટીકરણ થયું. આમ આજીવન બ્રહ્મચર્ય વ્રત માટે આ નિમિત્ત મળ્યું. લીમડાના શેઠ કુટુંબના પોપટભાઈએ નાગરદાસને લીમડી સંપ્રદાયના પૂ. દેવચંદ્રજી મ.સા.ને મળવા જણાવ્યું. સદ્ગુરુની શોધમાં નીકળેલ નાગરભાઈનો મુનિને મળવા તલસાટ વધ્યો.
સુદામડામાં વાગદત્તાને ઘરે જઈ તેના માતાપિતાની પ્રત્યક્ષ કહ્યું સમજુબહેન, આજથી તું મારી બહેન... ભાઈ તરીકે આ ચુંદડી ભેટ આપું છું. અને સગપણથી મુક્ત થયા.
ત્યાગધર્મની પ્રેક્ટીસ કરવા નાગરદાસ લોચ કરતા, ઉપવાસ કરતા. તડકામાં રેતી પર આતાપના લેતા. સં. ૧૯૫૬માં દેવચંદ્રજી મ.સા. નાગરભાઈના અંતરમાં ગુરુસ્થાને પ્રતિષ્ઠિત થયા.
ગુરુ અંજારમાં હતા. સં૧૯૫૭ના ફાગણ સુદ ૩ના આનંદ ઉલ્લાસ સાથે દીક્ષા અપાઈ. નવ દીક્ષિત નાગરભાઈનું નામ “મુનિ નાનચંદ્રજી રાખવામાં આવ્યું.
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુના અહેસાસ
આતમ થયો ઉજાગર,(૨) પરમાત્મા થવા... પરમાત્મા દીક્ષિત જીવનના ૧૦ વર્ષ સં. ૧૯૫૭થી ૬૬ દરમિયાન તેમણે માંડવી (કચ્છ), જામનગર, મોરબી, જેતપુર, જૂનાગઢ, માંડવી, વાંકાનેર અને રામણિયા ચાતુર્માસ કર્યા.
સં. ૧૯૬૬માં રામણિયામાં સાધુસંમેલનમાં યોગ્ય પ્રેરણા આપી. સમાજ સુધારણા માટે સમાજકલ્યાણ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરી.
સં. ૧૯૬૭થી ૭૬ના તબક્કામાં પૂ. ગુરુની સેવા, વૈયાવચ્ચ અંગે ૯ વર્ષ લીમડી રહ્યા. સેવાને કારણે “કળિયુગના પંથકજીનું બિરુદ મેળવ્યું
તેમનું હીર, તેમની આત્મદશાનું દર્શન તેમના ભક્તિગાનમાં અને પ્રવચન અને કથાઆખ્યાનમાં દર્શાવેલ છે. તેમની વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ તો કરતી પરંતુ, તેમના અંતરના ઊંડાણમાં પહોંચી જીવનનું પરિવર્તન અને સંસ્કરણ પણ
કરાવતી.
૯૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #148
--------------------------------------------------------------------------
________________
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.નું સાહિત્યસર્જનઃ
પ્રાર્થના મંદિર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ “સંત શિષ્ય' દ્વારા તૈયાર કરાયેલ આ સુંદર પ્રાર્થના સંગ્રહ છે. જેમાં પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનો સંગૃહીત થયેલ છે. આમાં કવિવર્યે પોતાના સ્વરચિત રચનાઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો અને ભક્તકવિઓની રચના સંગૃહીત કરી છે.
આ સંગ્રહની અંદર આવૃત્તિઓ પ્રકાશન પામી ચૂકી છે તે જ એની લોકપ્રિયતાનો પુરાવો છે.
સંસ્કૃત કાવ્યાનંદ ૧થી ૩ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીએ આ નાનકડી પુસ્તિકામાં ૩૭૧ સુંદર અને પ્રસિદ્ધ શ્લોકોનું સંકલન કર્યું છે.
સંસ્કૃત કાવ્યાનંદનો આ બીજો અને ત્રીજો ભાગ પ્રબોધ પ્રભાકર' રૂપે પ્રગટ થયો.
આ પુસ્તિકામાં સંસ્કૃત ગ્રંથો જેવા કે ગીતા, વિવેક ચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલા શ્લોકો, વિવિધ વિષયો પરનો બોધદાયક સુભાષિત સંચય ઈત્યાદિ સાહિત્યસામગ્રી આપવામાં આવી છે.
પૂ. નાનચંદ્રજીના શિષ્ય મુનિશ્રી સંતબાલજીએ ગીતાના આ શ્લોકોમાંથી પ્રેરણા મેળવી જેન દૃષ્ટિએ ગીતાદર્શનના બે સુંદર ગ્રંથોની રચના કરી.
પ્રેરણા પીયુષ આત્માના ઊર્ધ્વકરણના હેતુને લક્ષમાં રાખીને કવિવર્ય નાનચંદ્રજી મ.સા. સંપાદિત ૧૧૨ પાનાના આ પુસ્તકમાં મહર્ષિ અરવિંદ ઘોષની જીવનની ઝાંખી કરાવતો ‘અધ્યાત્મ પથદર્શન' નામનો લેખ પૂરા ૪૫ પાનાનો છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી સુશીલે અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી તારવેલ સાધક જીવનને ઉપયોગી થાય એવી સુંદર કંડિકાઓનું આ સંકલન છે. આ કંડિકાઓ આધ્યાત્મિક જીવનની અભીપ્સા સેવનારાઓ માટે ખરેખર ઉપયોગી તેમજ માર્ગદર્શક બની રહે છે.
જ્યારે પરમેશ્વરની હજુરમાં એ શીર્ષક નીચેના લખાણમાં ચિંતક અને લેખક વાડીલાલ મોતીલાલ શાહે ભક્તિયોગની દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. છેલ્લે સંસ્કૃત સુવાક્યો, આગમ સુધાબિંદુ અને વચનામૃતો છે.
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન ૯૯
Page #149
--------------------------------------------------------------------------
________________
સંતશિષ્ય પત્રસુધા સંતોનો સાધકો સાથે, ગુરુવર્યનો શિષ્ય-શિષ્યાઓ સાથે અને શ્રાવકો કે મહાજન સાથે પત્રવ્યવહાર થતો હોય છે. પરંતુ આપણે ત્યાં આવા પત્રોની સાચવણી અને તેનું સંપાદન કરી અને પ્રકાશન કરવાનું બહુ જ જૂજ બન્યું છે. આવા પત્રો સચવાણા હોય અને યોગ્ય સમયે તેનું પ્રકાશન થાય તે ઘણું ઉપયોગી અને ઉપકારી છે.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજનો પત્રવ્યવહાર વિપુલ છે અને સદ્ભાગ્યે મોટી સંખ્યામાં પત્રો સચવાયા છે અને પ્રકાશન માટે પ્રાપ્ત થયા છે. પત્રોનું સંકલન મુનિશ્રી સંતબાલજીએ વિષયવાર વિભાગ કરી ૨૬ વિભાગમાં વહેંચ્યા છે. દરેક પાત્રને યોગ્ય શીર્ષક પણ આપ્યું છે. દરેક વિભાગની શરૂઆતમાં વિષયપ્રવેશ રૂપે ઉદ્દબોધન અને અંતે ઉપસંહાર સંતબાલજીએ લખી આપ્યો છે. પૂ. દમયંતીબાઈ મ.સા.એ પણ સંગ્રહ તૈયાર કરવામાં ઘણો પરિશ્રમ લીધો છે.
આમ જોઈએ તો પત્રવ્યવહાર અંગત વસ્તુ છે. કેટલેક દરજે નિરપેક્ષતાથી લખી શકાય છે. પત્ર લેખનમાં નિકટ સંબંધ છે. તેમાં કેટલુંક પ્રાસંગિક હોય અને કેટલુંક ચીર તત્ત્વ હોય.
બધા ધર્મોમાં અને ખાસ કરીને જૈન ધર્મમાં ગુરનો અસીમ મહિમા બતાવ્યો છે. ગુરુ વિના જ્ઞાન નહિ સાચું આધ્યાત્મિક જ્ઞાન બુદ્ધિ કે તર્ક નહીં, પણ આધ્યાત્મિક અનુભૂતિનો વિષય છે. જ્યારેજ્યારે અધ્યાત્મમાર્ગ સાધનામાં મૂંઝવણ ઊભી થાય ત્યારે ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય બની જાય છે. ગુરુનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે પત્રો દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
અહીં ગ્રંથસ્થ પત્રો જીવનપંથને સાચો રાહ બતાવતા માર્ગદર્શક પત્રો છે. સંતશિષ્ય પત્ર સુધારૂપ જે પત્રસંગ્રહ પ્રગટ થયો છે, તેમાં મુનિશ્રીએ વિવિધ સ્વરૂપે માર્ગદર્શન આપ્યું છે તે જોઈ શકાય છે. કવિશ્રીની એક વિશેષતા એ હતી કે ગૃહસ્થને ગૃહસ્થ ધર્મોને લગતો જ ઉપદેશ આપતા. શ્રાવક અને શ્રાવિકા બંનેને લક્ષમાં લઈને આપતા. ટૂંકમાં નિશ્ચય અને વ્યવહાર દષ્ટિનો બરાબર સમન્વય સાધતા.
વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું હોય ત્યારે શિષ્યની લાયકાત પ્રમાણે જ્ઞાન આપે, ન ઓછું ન વધુ.
અધ્યાત્મ પંથે વિચરતાને વિટંબણા, મુસિબતો કે મુંઝવણો હોય, કોઈને ધ્યાન માટે, કોઈને તપ માટે, કોઈને નામસ્મરણ જાપ માટે, કોઈને યોગ માટે, તો કોઈને કષાય મંદતા માટે યોગ્ય સાધકને યોગ્ય સમયે પત્રોથી પ્રેરણા આપતા.
આમ કવિશ્રીના આ પત્રોએ દિશાવિહીનને દીશા બતાવી છે, તો ભટકી ગયેલાને પાછા યોગ્ય રાહ પર લાવવામાં આ પત્રોએ અગત્યની ભૂમિકા ભજવી છે.
૧૦૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #150
--------------------------------------------------------------------------
________________
કવિવર્ય નાનચંદ્ર મ.સા.ના ભજનો અને પદો
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજે કાવ્યો, પ્રાર્થનાઓ, ભજનો અને પદોની રચના કરી છે. મહારાજશ્રીએ જૂના ભજનોના લોકઢાળો લઈને પદો રચ્યા છે. અપરિચિતોને તો એમ જ લાગે કે આ કોઈ જૂનું ભજન છે. પરંતુ નામાચરણમાં સંતશિષ્ય' એવું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજશ્રી રચિત ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને સર્વધર્મ સમભાવ સુધી આ પદોની ભાવના પહોંચી છે.
માનવતાનું મીઠું ગત ભાગ ૧થી ૪ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રવચનોના આ ગ્રંથો આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતા સાત્ત્વિક સાહિત્યના સંપુટ છે.
સમાજમાં જીવનમૂલ્યોને જાયેઅજાયે સારું એવું પરિવર્તન થઈ રહ્યું હોઈ સંપત્તિ અને માત્ર સંપત્તિની સૃષ્ટિની જાણે બોલબાલા દેખાય એવા સંજોગોમાં મૂલ્ય પરિવર્તનનો આ ઝોક સાચી દિશામાં છે કે કેમ એ એક ગંભીર અભ્યાસનો વિષય બની જાય છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનના આ મૂલ્યોને સ્પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શોધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો માર્ગ વગેરે બાબતોની છણાવટ કરીને, મુનિશ્રીએ આ ભૌતિક
ગતમાં જ દિવ્યતા પ્રગાવવાનો, અહીં આ ધરતી પર જ સ્વર્ગને સજાવવાનો સંદેશો આ ગ્રંથોમાં આપ્યો છે.
ટૂંકમાં કહીએ તો આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્કૂલ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિકતાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસો સમજી શકે તેવી સરળ શૈલીમાં આલેખન થયું છે.
આ ગ્રંથની ખાસ એક વિશિષ્ટતા એ કહી શકાય કે મુનિશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમનાં લખાણો – કાવ્યો કે વ્યાખ્યાનોમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દૃષ્ટિનો અભાવ છે. એ કારણ જ આ પુસ્તકોનું મૂલ્ય વધારી દે છે. વળી આ સંપાદન પણ યોગ્ય અધિકારી વ્યક્તિ – મુનિશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી સંતબાલજીના હસ્તે થયું છે. પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે.
મોટે ભાગે સંસારત્યાગ કરીને સંયમને માર્ગે ગયેલા સંતો, ધર્મગુરુઓ, સંન્યાસીઓ ધર્મ, અધ્યાત્મ અને આત્માની વાતોને જ કેન્દ્રસ્થાને રાખીને ઉપદેશ આપતા હોય છે. કર્મમુક્તિની સાધનાના મહત્ત્વને કારણે માનવતા વિશે પ્રવચન કરનારા કે લખનારા ભાગ્યે જ જોવા મળશે. મન પડે કર્મબંધન થાય. મન જ કર્મમાંથી મુક્તિનો માર્ગ કરી આપે છે. આ માનવભવમાં શક્ય છે, માટે માનવભવ જ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે માનવો જ નિર્જરાનો માર્ગ લઈ શકે છે.
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૧૦૧
Page #151
--------------------------------------------------------------------------
________________
જનસમાજમાં સામાન્ય રીતે એક એવી છાપ છે કે જૈનધર્મ નિવૃત્તિપ્રધાન છે. પ્રવૃત્તિથી કર્મબંધન છે, માટે અહીં આત્મલક્ષી સાધનાને જ માત્ર સ્થાન છે. પરંતુ આ એકાંગી કથન છે. ભગવાન મહાવીર પ્રબુદ્ધ કરુણાના કરનાર હતા. તેઓ અહિંસાના વિધેયક દૃષ્ટિકોણના પુરસ્કર્તા હતા. અન્યની હિંસા ન કરવી તે અહિંસાનું એક પાસું, પરંતુ અન્યને શાતા પમાડવી કે તેની પીડા ઓછી કરવી તે અહિંસાનું બીજું પાસું છે. આ વાત સમજી શકે તે જ સ્વીકારી શકે કે મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત ભર્યું છે અને આ અમૃતપ્યાલીના પાન કરીને કરાવનાર કવિવર્ય નાનચંદજી મહારાજ હતા. તે હંમેશાં મહાવીર ધર્મના સેવાભાવને ઉજાગર કરવાની વાત કરતા.
મુનિશ્રીએ જનતા સમક્ષ અનેક વાતો અને દાંતો રજૂ કરીને આ પંચમકાળમાં માનવતાનું મીઠું જગત' ક્યાં છે અને તેની મીઠાશ કેમ માણી શકાય તેવી અનેક કળા પોતાના માનવતાનું મીઠું જગત' એ ગ્રંથોમાં જિજ્ઞાસુઓને પીરસી છે.
ચાર ભાગમાં વહેંચાયેલા આ વિશાળ સંપુટમાં આવી શિખામણની ઉચ્ચ કક્ષાની વાતો કરનાર ગ્રંથના સર્જક કે પ્રવચનકારે તો પોતાને પણ સહુની કોટીમાં ગણીને “સંતશિષ્ય' એ નામે જ એ મીઠા જગતની ચૂંટી કાઢેલી વાનગીઓ પીરસી છે. તેઓ માનતા કે અધૂરો માનવી બીજાને શી રીતે ઉપદેશ દઈ શકે?
વાસ્તવિક રીતે જોઈએ તો આવા મહાપુરુષો જ “માનવતાનું મીઠું જગતનું સાહિત્ય લોકોને પીરસી શકે કારણ કે તેમણે એ મીઠા જગતની મીઠાશ માણેલી હોય છે માનવતાનું મૂલ્ય એ કાવ્ય દ્વારા કવિવર્ય મુનિશ્રીએ આ વાતને સ્પષ્ટ કહી છે.
પોતે પૂરણ અહિત રચી પોતા તણું, સંતશિષ્ય કહે, દુર્ગતિએ જાય. મદમાતા, મછટાળા, મૂરખ માનવી,
નથી સમજતા માનવભવનું મૂલ્ય જો.’ પોતાની જાતને પૂર્ણ માનનારા ઉપદેશકો જનતા પર સાચી શિખામણની અસર કદી ઉપજાવી શકતા નથી.
એમની વાતો સર્વદેશી, અને સર્વસ્પર્શી જ રહેતી. ભક્તો કે સંપ્રદાય પ્રતિ પક્ષપાત ક્યારેય કર્યો નથી.
ભક્તિનો મહિમા એ વિષય પર બોલતા હોય તો સર્વધર્મને લક્ષમાં રાખતા. ગીતા અને ઉપનિષદનાં પદો તેમની પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ. તેઓ કહેતા ભક્તિ કરનારનું હૃદય નિર્મળ સ્વચ્છ, સ્ફટિક જેવું હોય તો જ પરમાત્મા તેની સ્તુતિ કબૂલ રાખે છે. મનમાં ભરી રાખેલો મેલ તો મેલને જ આકર્ષે છે. નીતિમય અને પવિત્ર જીવન વગર માનવી પ્રાર્થના કરી શકે જ નહિ.”
રમણ મહર્ષિ અને આનંદઘનનો સંદર્ભ આપી તેઓ કહેતા કે ઘણાં
૧૦૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #152
--------------------------------------------------------------------------
________________
ક્રિયાકાંડો કરતાં સત્યનો સ્વીકાર કરી મસ્ત જીવન જીવનારાનું જ અનુકરણ આપણું કલ્યાણ કરી શકે.
બ્રહ્મચર્ય અને સંયમની વાતની પુષ્ટિ કરવા ત્રીજા ભાગમાં નાગિલા અને ભવદેવનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. માનવતાનું મીઠું જગત એ એવા વ્યાખ્યાનોનો સંગ્રહ છે કે તેનું સતત અમૃતપાન કર્યા જ કરીએ એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી.
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ. સા. ની શિષ્ય સંપદા જોઈએ તો વિ. સં. ૧૯૮૩માં પૂ. ચુનીલાલજી મ. સા. ને તથા વિ. સં. ૧૯૮૫માં પૂ. મુનિશ્રી સંતબાલજીને દીક્ષા આપી હતી.
સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું. તેમણે પોતાના ગુરુના વિચારો ઝીલ્યા હતા અને ગાંધીવિચારધારા તેમના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે ભાલનળકાંઠા અને વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ તથા ચીંચણમાં મહાવીર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરેલી.
વિ. સં. ૨૦૨૧ના માગસર વદ ૯ને રવિવારે પ્રાર્થના - નિત્યક્રમ પૂર્ણ કરી ચાર શરણા સ્વીકારી સમાધિભાવે ૧૦.૧૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. ભારતભરના અનેક સ્થળેથી અંતિમવિધિમાં સાયલામાં દસ હજાર ભક્તોએ ભાગ લીધો.
એકંદર ૬૪ વર્ષના સંયમપર્યાય બાદ માનવ-ધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કાર રેડી પૂ. મહારાજશ્રીએ ચિરવિદાય લીધી. સદાચાર અને નિર્બસનતાના પુરસ્કૃત કવિવર્ય નાનચંદ્રજી મ. સા. ને ભાવાંજલિ.
ડૉ. મધુબહેન ગુણવંતભાઈ બરવાળિયા ૬૦૧, ‘સ્મિત ઉપાશ્રય લેન, ઘાટકોપર (દ)
મુંબઈ 022-25oi0658 મો. 09833598481
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૧૦૩
Page #153
--------------------------------------------------------------------------
________________
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ
- કીર્તિ એન. શાહ
–
સમય : વિ. સં. ૧૯૪૦થી વિ. સં. ૨૦૧૭
(ગુજરાતી, હિંદી, ઉર્દૂ, સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના કરનાર પૂ. આ. લબ્ધિસૂરિજી વિશે ડૉ. કીર્તિભાઈએ પોતાના લેખમાં સુંદર રીતે રજૂઆત કરીને તેમના જીવન અને કૃતિઓનો પરિચય આપ્યો છે. – સં.].
જૈનોનું સાહિત્ય એટલું વિશાળ છે કે કાળના થપેડા ખાતા ખાતા જેટલું બચ્યું છે તે જગતના ધાર્મિક સાહિત્યમાં મહત્ત્વ ધરાવે એટલું છે.
જૈન શાસ્ત્રોમાં શાસનના આઠ પ્રભાવકો કહ્યા છે એક પ્રવચનિક, બીજા ધર્મકથિક, ત્રીજા નૈમિતક, ચોથા વિદ્યાસિદ્ધ, પાંચમા યોગસિદ્ધ, છઠ્ઠા વાદી, સાતમા વિકૃષ્ટ તપસ્વી અને આઠમા મહાકવિ.
જૈન સાહિત્ય એ નામ જ બે અર્થમાં વાપરી શકાય. એક તો જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવતું સાહિત્ય અને બીજું જૈન ધર્મના અનુયાયીઓએ રચેલું સાહિત્ય. દા.ત., જેનાચાર્ય શ્રી હેમચંદ્રકૃત સિદ્ધહેમ વ્યાકરણ એ ભાષાઓનું વ્યાકરણ હોઈ જૈન કે જૈનેતરને માન્ય છે. છતાં સિદ્ધહેમ વ્યાકરણની ગણના તેના રચનાર જૈન હોવાને લીધે જૈન સાહિત્યમાં થઈ છે. સાહિત્ય સર્જકો પ્રધાનપણે આચાર્યો, મુનિઓ છે. સંસાર ત્યાગ કરી શ્રમણદીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યો અને તેની શિષ્ય પરંપરાનો ઉપકાર મુખ્ય છે કે જે કદી ભૂલી શકાય તેમ નથી. દીક્ષાના રહસ્યને પામેલા સૂરિવરો લોકકલ્યાણ અર્થે જે બોધ આપી ગયા, ગ્રંથો લખી ભવિષ્યની પ્રજા માટે મૂકી ગયા તેમને આપણા વંદન છે.
૧૯મી સદીમાં તપાગચ્છના વિજય લક્ષ્મી સૂરિએ ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ રઓ (૧૮૨૩૪). વીરવિજય (૧૮૩૭), દીપવિજય જેઓ કવિરાજ બહાદુર તરીકે ઓળખાતા હતા. (૧૮૫૯-૮૬), રૂપવિજય (૧૮૬૧-૧૯૦૦), પદ્મવિજય વગેરે મહાન કવિ હતા. વીરવિજય તે જૈનોના દયારામ છે. વીરવિજયે મોટામોટા રાસો પણ રચ્યા છે.
૧૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #154
--------------------------------------------------------------------------
________________
વિક્રમનું ૨૦મું શતક
૨૦મી સદીમાં જોઈએ તો ચિદાનંદ (કપૂરવિજય) મસ્ત અધ્યાત્મી મહાપુરુષ હતા. ડાહ્યાભાઈ ધોળશાજી નાટાર અને રામચંદ્ર કવિ, અધ્યાત્મી ફિલસૂફ હતા. હુકમ મુનિ અધ્યાત્મ મુનિ થયા. તેમણે સં. ૧૯૦૩માં દીક્ષા લીધી હતી. તેમણે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચી. વિજય રાજેન્દ્રસૂરિનું મહાનમાં મહાન કાર્ય “અભિધાન રાજેન્દ્ર કોષ' નામનો સંગ્રહ ગ્રંથ છે. જૈન આગમોનો એવો કોઈ વિષય નથી કે જે આ મહાકોષમાં ન આપ્યો હોય. આખા ગ્રંથનું પ્રમાણ સાડાચાર લાખ શ્લોક પ્રમાણ છે.
વીસમી સદીના મહાન સાહિત્યકાર તરીકે પૂ. શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ) જાણીતા છે. તેમણે સત્તરભેદી પૂજા, વીસ સ્થાનક પૂજા વગેરે ઘણી પૂજાઓ બનાવી છે. ૧૯૩૯માં આંબલામાં “અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ લખવો શરૂ કર્યો. ખંભાતમાં ત્યાંના પ્રાચીન તાડપત્રો પરના ધર્મપુસ્તકો વાંચ્યા ને અજ્ઞાન તિમિર ભાસ્કરનો ગ્રંથ પૂરો કર્યો. તેઓ બુદ્ધિવિજય (બુટેરાયજી)ના શિષ્ય હતા.
અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઇતિહાસકારને પુષ્કળ અવકાશ છે.
અત્યંત પ્રાચીનકાળથી ગુજરાતે એવા નરરત્નો નિપજાવ્યા છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર ક્યાંય સુધી વિસ્તરેલ હોય. એમની સિદ્ધિઓને કાળ કદી થાપટ મારી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી.
mત પાસેથી આવાં નરરત્નો જેટલું પામ્યા છે તેના કરતાં અનેકગણું ગત તેમની પાસેથી પામેલ છે. એમણે પ્રગટાવેલો જ્ઞાનદીપ અવિરતપણે ઝબુક્યા જ કરે છે અને ઘણી વાર તો એમની જીવનજ્યોત વિલિન થયા બાદ પણ એમની પ્રેરણા અનેકના જીવનને અજાણી રહે છે.
મોતી અનેક પ્રકારના હોય છે. કેટલાક મોતી એવા હોય છે કે જમીન પર પડતાની સાથે જ ફૂટી જાય. કેટલાક મોતી એવા હોય છે કે અંગૂઠા અને આંગળી વચ્ચે દબાવીએ તોપણ તૂટી જાય. પણ સાચા મોતી તો એવા હોય છે કે એમના પર ઘણનો ઘા પડે તોપણ એ તૂટતા નથી.
જગતમાં કેટલાક માનવીઓ “ત્રણ ટકાનાં તેર” જેવા હોય છે તો બીજી તરફ લાખ સોનામહોર દેતાં પણ ન મળે તેવા હોય છે. માણસની વિવિધ કક્ષાઓ દર્શાવવા માટે “માણહ, માણસ, મનુષ્ય અને મનિષી જેવા શબ્દો વપરાય છે.
આવા એક મનિષીઓમાંથી પણ મહાન માનવોત્તમ હતા શાસન પ્રભાવક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ. આચાર્ય શબ્દનો અર્થ થાય છે – જેમનું તમામ વર્તન અનુકરણ કરવા યોગ્ય હોય છે. આવા આચાર્ય જ સાચા અર્થમાં આચાર્ય ગણાય. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ - ૧૦૫
Page #155
--------------------------------------------------------------------------
________________
મહારાજ તો આવા આચાર્યોમાં પણ ઉત્તમ આચાર્ય હતા.
તેમનું જીવન આત્માની અગાધ શક્તિનું દર્શન કરાવે છે અને સાથોસાથ આપણને પરમ પુરુષાર્થ કરવા પ્રેરે છે. તેમના કવન, લેખન અને પ્રવચનની પાછળ સ્વાનુભવ અને સ્વઆચરણની પરિપુષ્ટિ છે. મહામાનવની પધરામણી : સાહિત્યકારનો પરિચય :
માતા હતી ગરવી ગુજરાતણ નારી. તેઓનું શુભનામ મોતીબહેન. પિતા હતા પિતાંબરદાસ. આ દંપતીયુગલ કોઈ મોટા શહેરનું રહેવાસી ન હતું, પણ કુદરતના ખોળે રહેલ નાના ગામમાં કલ્લોલ કરનાર હતું. નાનું મજાનું ગામ બાલશાસન. નવજાત બાળક તે માતા મોતી અને પિતા પિતાંબરદાસનું રત્ન તેનું નામ લાલચંદ. આ બાળક એક બાલશાસન ગામનો નહિ, ગુજરાતનો નહિ, હિંદુસ્તાનનો નહિ પણ જીવમાત્રની સંભાળ રાખનાર મહાસંત બનવાનો છે. તેઓને ક્યાંથી ખબર હોય કે એમને ત્યાં એક બાળકનો જન્મ નથી થયો પણ વિશ્વોદ્ધારક અહિંસાના મહાપૂજારી – મહામાનવની પધરામણી થઈ છે. વિ.સં. ૧૯૪૦
બાલશાસનથી બે ત્રણ માઈલ દૂર ભોયણી તીર્થ છે. ભગવાનનું કલ્યાણક હોય. ઉત્સવ મહોત્સવ હોય, કંઈ વારતહેવાર હોય તો બાલશાસનના જૈનો તરત ભોયણીની યાત્રાએ પહોંચી જાય. અઢી વર્ષની ઉંમર હતી ત્યારથી લાલચંદ પણ તેના પિતાશ્રી સાથે અવારનવાર ભોયણી જતો. બાલ્યાવસ્થા મનોરથની દુનિયા છે. યુવાવસ્થા પ્રયત્નની દુનિયા છે. ત્યારે વૃદ્ધાવસ્થા ફલાનુભાવની દુનિયા છે. છતાં માનવજીવનનો મહત્ત્વનો પાયો બાલ દુનિયા છે. બાલ્યાવસ્થા જીવનઘડતરનો અમૂલ્ય અવસર છે. બાલ્યઉંમરમાં જે શુભ અને સુંદર સંસ્કારનાં બીજારોપણ થયાં હોય તે ભાવિકાળમાં વટવૃક્ષ બને છે.
વિ.સં. ૧૯૫૯માં ઓગણીસ વર્ષની ભરયૌવન વયે શ્રી લાલચંદે પૂ. આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરિજી મહારાજની પાસે દીક્ષા લીધી હતી. તે દિવસથી લાલચંદ મટીને તે પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી થયા. પૂ. મુનિશ્રી લબ્દિવિજયજીના સર્વતોમુખી વિકાસ માટે પૂ. ગુરુદેવ એટલા જ ઉદ્યત બન્યા. પૂ. ગુરુદેવે મુનિશ્રી લબ્ધિવિજયજીના સંયમ જીવન માટે જરૂરી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાની પૂરતી સગવડ અને સાથ આપ્યો.
પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી પણ નિર્મળ અને કુશાગ્ર બુદ્ધિના બળે અલ્પ સમયમાં જ આવશ્યક સૂત્રો અને પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કરી સંયમની સાધનામાં નિષ્ણાત બન્યા. પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, કોષ, સાહિત્ય અને ન્યાય વગેરેનો અભ્યાસ તેમણે કરી લીધો. બીજી બાજુ જેનાગમોનું અધ્યયન પણ કરનાર રહ્યા અને હિંદી, ઉર્દૂ તથા સંસ્કૃતમાં બોલવાની કળા પણ પ્રાપ્ત કરી લીધી. ગુરુકૃપા શું ન કરે ? મુનિ લબ્ધિવિજયજી થોડા વર્ષોમાં જ એક વિદ્વાનની પંક્તિમાં મુકાયા.
૧૦૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #156
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય રચના :
સાહિત્ય રચનામાં વિશેષ ભાગ ભજવે છે. વર્તમાન સમય, જનતાની માંગ, જનતામાં કયું તત્ત્વ ઘટે છે ? મારે શું આપવું જોઈએ ? જનતાની બુદ્ધિ મર્યાદા કેટલી છે ? આ બધી પરિસ્થિતિના વિચારપૂર્વક સાહિત્યકાર સાહિત્યસર્જન કરવા પ્રેરાય છે કેમ કે આવું સાહિત્ય ચિરંજીવ બને છે. | મુનિશ્રી જેમ આગમ અને ન્યાયના અભ્યાસી છે તેમ લોકમાનસના પણ સારા અભ્યાસી છે. સાહિત્યકાર થવાની શક્તિ મુનિમાં છે. ગુરુની પ્રેરણા મળી જનતાની માંગ વધી. મુનિની જ્ઞાનગંગા કલમ દ્વારા વહેવા લાગી. તેઓ કલમ દ્વારા ઈચ્છતા હતા અધ્યાત્મવાદનું – અધ્યાત્મ સંસ્કૃતિનું - અધ્યાત્મી જગતનું મંડન. સાત્ત્વિકભાવના સ્વામી મુનિવરો જે સાહિત્ય રચે તે પણ સાત્ત્વિક જ હોય એ સ્વાભાવિક છે. | મુનિશ્રી રચિત સંસ્કૃત સાહિત્ય અતિવિશાળ અને ઉમદા છે. મુનિશ્રીએ બહુ સુંદર શૈલીએ ગૂંથ્યા છે કથા, વૈરાગ્ય, પ્રભુભક્તિ, આગમ અને ન્યાયના વિષયોને. મુનિની માભોમ ગુર્જરી છે, તો સાહિત્યભોમ પંજાબ છે.
પૂ. આચાર્ય મહારાજશ્રીએ ૫૮ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાયમાં ૩૮ જેટલા અનુપમ ગ્રંથોની રચના, સંકલના અને સંપાદન કર્યું છે. ગુજરાતી હિંદી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં પણ તેમણે વિવિધ વિષય પર વિવિધ ગ્રંથો રચ્યા છે. પૂર્વાચાર્યના દાર્શનિક ગ્રંથોનું મહાન ભગીરથ પ્રયત્નથી સંપાદન કર્યું છે અને અનેક ગ્રંથોનું સંકલન કર્યું છે. આટઆટલા વિશાળકાય ગ્રંથોના સંપાદન, સંકલન અને નવરચના કરવામાં કેટકેટલો પુરુષાર્થ આદર્યો હશે ! કેટકેટલાં શાસ્ત્રોનું અધ્યયન અને નિરીક્ષણ કર્યું હશે ! સરસ્વતી પણ કેટલી પ્રસન્ન હશે ! આળસ એમના અંગમાં નહોતી, પ્રમાદને તેઓ જાણતાં નહોતાં. ભવ્ય જીવોના કલ્યાણની ભવ્ય ભાવના તેમની રગેરગમાં ભરી હતી ત્યારે જ તેઓશ્રી આવા ઉત્તમ કોટિના ગ્રંથોની રચના કરી શક્યા છે. તેમાંના કેટલાક ગ્રંથો લોકભોગ્ય છે. કેટલાક વિદ્વદભોગ્ય છે અને કેટલાક તો કાશીના દિગ્ગજ પંડિતોને પણ કઠિન પડે તેવા ઉચ્ચ કોટિના છે. ગદ્યપદ્યમાં રચેલી તેઓશ્રીની સંસ્કૃત કૃતિઓ :
(૧) મેરુ ત્રયોદશી કથા પદ્ય). (૨) વૈરાગ્ય રસ મંજરી (પદ્ય) (૩) તત્ત્વન્યાયવિભાકર (ગદ્ય) (૪) તત્ત્વન્યાયવિભાકર – સ્વોપજ્ઞટીકા (૫) ચૈત્યવંદન સ્તુતિ ચતુર્વિશતિ (૬) સ્તુતિ ચતુર્વિશિકા (૭) શુકરાજ કથા (૮) દ્વાદસાર નયચક્રના ટીપ્પણો
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૦૭
Page #157
--------------------------------------------------------------------------
________________
નીચેના ત્રણ ગ્રંથોની સંકલના કરી છે. (૯) સમ્મતિ તત્ત્વસોપાન (૧૦) સમ્મતિ તર્ક અને તત્ત્વબોધિની વૃત્તિનું સંક્ષિપ્તીકરણ
(૧૧) સૂત્રાર્થ મુક્તાવલી (આગમ સાહિત્ય) હિંદી ભાષામાં રચેલા ગ્રંથો
(૧૨) દયાનંદ કુતર્ક તિમિર તરણિ (૧૩) મૂર્તિમંડન (૧૪) અવિદ્યાંધકાર માર્તડ (૧૫) હી ઔર ભી (સ્યાદવાદ વિષયક નિબંધ)
(૧૬) વેદાંત વિચાર ગુર્જર ભાષામાં રચેલા ગ્રંથો
(૧૭) દેવ દ્રવ્યાદિ સિદ્ધિ (૧૮) પ્રગતિની દશા (જાહેર વ્યાખ્યાનો)
(૧૯) ભગવતીજી સૂત્રના વ્યાખ્યાનો ભા. ૧-૨ હિંદી
(૨૦) લુધિયાનામાં આપેલ વ્યાખ્યાન
(૨૧) વ્યાખ્યાન દેહલી પૂજાઓ
(૨૨) પંચજ્ઞાન પૂજા (૨૩) નવતત્ત્વ પૂજા (૨૪) તત્ત્વત્રથી પૂજા (૨૫) પંચ મહાવ્રત પૂજા (૨૬) અષ્ટપ્રકારી પૂજા (૨૭) મહાવીર સ્નાત્રપૂજા (૨૮) દ્વાદશ ભાવના પૂજા (૨૯) નવપદ પૂજા (૩૦) એકવીશ પ્રકારી પૂજા (૩૧) પંચપરમેષ્ઠિ પૂજા (૩૨) મહાવીર કલ્યાણક પૂજા (૩૩) શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (૩૪) નવ્વાણું પ્રકારની પૂજા (૩૫) વીશ સ્થાનક પૂજા
(૩૬) સત્તરભેદી પૂજા ૧૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #158
--------------------------------------------------------------------------
________________
(૩૭) પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા (૩૮) નૂતન સ્તવનાવલી (સ્તવન-સઝાયનો દળદાર ગ્રંથ)
જ્યારે મુનિશ્રી રચિત ચૈત્યવંદન ચતુર્વિશતિ અને સ્તુતિચતુર્વિશતિ વાંચીએ છીએ ત્યારે પ્રત્યેક શ્લોકના વિવિધ છંદ, અપૂર્વ ભાવ અને કાવ્યની મસ્તી ભક્ત અને ભગવાનનું સજીવ ચિત્ર ખડું કરે છે. વાચક ભક્તિમાં લીન બને છે, તેના સર્જકને “કાવ્યસમ્રાટ' કે “અતૃપ્ત ભક્ત' કહેવામાં ભૂલો પડી જાય છે.
મેરુ ત્રયોદશી કથા” અને “શુકરાજ કથા સંસ્કૃતમાં પદ્યબદ્ધ છે. ગ્રંથનું કદ નાનું છે પણ ભાવ વિશાળ છે. કથાની શૈલી અનુપમ છે. તેનું વાંચન કર્યા બાદ વાચક પૂશ્રીને એક મહાકથાકાર તરીકે સંબોધિ શકે છે.
‘તત્ત્વન્યાયવિભાકર અને તેની ન્યાયપ્રકાશ' નામની વિશદ ટીકામાં મુનિશ્રીની જ્ઞાનશક્તિના અદ્ભુત દર્શન થાય છે. મૂળ સૂત્રોની રચનામાં પૂ. ઉમાસ્વાતી મહારાજની પવિત્ર શૈલીના દર્શન થાય છે. આ ટીકામાં મુનિશ્રીએ નવ્ય ન્યાયને જીવંત સ્વરૂપ આપ્યું છે. આ ટીકાનું સર્જન મુનિવર્યો ઉત્તરાવસ્થામાં ઉત્તર ગુજરાતની તીર્થભૂમિ ઈડરમાં કર્યું છે. નવ્ય ન્યાયના અભ્યાસીને આ ગ્રંથના વાંચન કર્યા બાદ ગ્રંથ રચયિતા પૂ. સૂરીશ્વરજીના “ન્યાયનિકાય' સ્વરૂપે દર્શન કરે છે.
“સૂત્રાર્થ મુક્તાવલી' આચારાંગ, સૂયગડાંગ, પ્રણાંગ, સમવાયાંગ અને અનુયોગદ્વાર સૂત્રના સાર રૂપે મુનિશ્રીએ બનાવેલી છે. તેના પર પોતે જ ટીકા લખી છે. આગમનો અધિકાર જેને પ્રાપ્ત થયો નથી તેને પણ આગમનું, સિદ્ધાંતનું જ્ઞાન લાધ અને તીર્થંકર પ્રભુની આજ્ઞાનાં રહસ્યો જાણે- આ ગ્રંથ રચના પાછળ મુનિનો આ પવિત્ર ઉદ્દેશ છે. આ ગ્રંથમાં મુનિશ્રીની સિદ્ધાંત પ્રત્યેની એકનિષ્ઠા ઝળકી ઊઠે છે.
“સમ્મતિ તત્ત્વસોપાન' – વિક્રમ પ્રતિબોધક પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ સાહિત્યકારની આલમના અનોખા રત્ન છે. તેઓની વિશિષ્ટ કૃતિ તરીકે સમ્મતિ તર્ક ખ્યાત છે. આ ગ્રંથ પર વાદિપંચાનન પૂ. શ્રી અભયદેવસૂરિ મહારાજે મહાર્ણવ નામની ટીકા રચી છે. આ ટીકા મહાકાય છે. દીર્ઘકાય અનેક વાદોથી ભરપૂર છે. એક વાદ સંપૂર્ણ ચર્ચા પછી પ્રતિવાદની શરૂઆત થાય છે. પ્રતિવાદને સમજવા પ્રથમ ચર્ચાયેલ વાદ સંપૂર્ણ યાદ હોવો જરૂરી છે. આજના અલ્પબુદ્ધિજીવો આ ગ્રંથના રહસ્યને પ્રાપ્ત કરવા અસમર્થ છે. આવું અનેક પ્રાજ્ઞજનોનું માનવું હતું. સમ્મતિતર્કરૂપ મહાપ્રાસાદ પર આરોહણ કિરવા કોઈ વિદ્વાન સોપાન શ્રેણી મૂકે તો આવકારદાયક બને. આ ભાવનાએ જ જાણે મુનિવર્યને પ્રેરણા આપી. મુનિશ્રીએ સમ્મતિતર્કનું સરળ રીતે અવગાહન થઈ શકે, તેનાં રહસ્યો પ્રાપ્ત થઈ શકે અને પૂ. દિવાકરજીના ગ્રંથને સૌ સમજવા પ્રયત્ન કરે તે માટે સમ્મતિ તત્ત્વસોપાનની રચના કરી તેની ટીકાનું સંક્ષિપ્તીકરણ કર્યું. આ અતિ જરૂરી ગ્રંથની રચના કરી અલ્પબુદ્ધિ જીવોને બુદ્ધિના વિકાસની સુંદર તક આપી છે અને જીવંત રૂપ આપ્યું છે.
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ * ૧૦૯
Page #159
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય રસ મંજરી' આ ગ્રંથની રચના મનોરમ્ય છે, સંસ્કૃતમાં પદ્યબદ્ધ આલેખાયેલ છે. આ મંજરી ખરેખર વૈરાગ્યની અને આધ્યાત્મિકતાની અપૂર્વ રસલહાણ કરે છે. મુનિરાજે સુરત નજીક બુહારીમાં પોતાના પૂ. ગુરુદેવની અંતિમ અવસ્થા સમયે આ ગ્રંથની રચના કરી છે. વૈરાગ્ય રસ મંજરીનું ગુજરાતીમાં ભાષાંતર પણ થયેલ છે. આ ગ્રંથ જે આત્મા એક વાર વાંચે છે તે પુનઃ વાંચ્યા. વિના રહી શકતો નથી. વિલાસ અને વિષયના ભયંકર ઝંઝાવાતભર્યા યુગમાં આ ગ્રંથ અધ્યાત્મની દીવાદાંડી છે. | મુનિશ્રીએ જેમ ભવ્ય ગ્રંથોની રચના કરી છે તેમ પુરાણ શાસ્ત્રનો પણ જીર્ણોદ્ધાર કર્યો છે. તાર્કિક શિરોમણિ આચાર્ય ભગવાન મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજના અઢાર હજાર શ્લોક વાળા દ્વાદસાર નયચક્ર નામના મહાન ગ્રંથનો સૂરીશ્વરજીએ પુનરુદ્ધાર કર્યો છે. નયચક્રને સૂરીશ્વરજી પોતાના પ્રાણ કરતાં અધિક લેખતા. આ ગ્રંથના સંપાદનમાં મુનીશ્વરનો અતૂટ પરિશ્રમ હતો. એક બે નહિ પણ સોળ સોળ વર્ષની અવિરત સાધના દ્વારા આ ગ્રંથનું સંપૂર્ણ ચાર ભાગમાં પ્રકાશન થયું છે. સૂરીશ્વરજીએ નયચક્ર પર “વિષપદ વિવેચન ટીપ્પણ લખી સિદ્ધિ સાધનાની દાસી છે.' એ ચરિતાર્થ કર્યું છે. સિદ્ધિના સ્વામી બનવા સાધનાના સ્વામી બનવું જરૂરી છે. સૂરીશ્વરજીની આ સાહિત્યસાધનામાં તેમના પ્રિય અને વિદ્વાન શિષ્ય પંન્યાસ વિક્રમવિજયજી ગણિવરે સારો સહકાર આપ્યો છે. ભક્તોએ ધનને હાથનો મેલ ગણી તેનો અપૂર્વ સદ્વ્યય કર્યો છે. નયચક્ર એટલે ન્યાયનો આકર ગ્રંથ ! નયચક્ર એટલે મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનનો અપૂર્વ નીચોડ ! નયચક્ર એટલે જિનશાસનના ગ્રંથભંડારનું આભૂષણ ! પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજીની સાહિત્યોપાસનાનો આ અણમોલ ગ્રંથ છે.
આ ગ્રંથનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિ તત્ત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે દાદરમાં ઈ. સ. ૧૯૬૦ના માર્ચ માસમાં થયું હતું. તે વખતે ભારતીય વિદ્યાભવનના ડો. દીક્ષીતાર પણ હાજર હતા. આ બંને મહાનુભાવો સંસ્કૃતમાં જ બોલવાના હતા. તે સમયે પૂ. આચાર્ય ભગવાન તાવથી પીડાતા હતા, છતાં ચાલીસ વર્ષ બાદ પણ સંસ્કૃતમાં પ્રવચન કર્યું હતું. બુલંદ અવાજ અને ભાષાનું પ્રભુત્વ સૌને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. પ્રવચન સાંભળી વિદ્વાનો હર્ષવિભોર બની ગયા હતા. નયચક્રના અભ્યાસમાં ન્યાયનિપુણ વિદ્વાનોની બુદ્ધિ પણ કુંઠિત થાય છે, છતાં પરિશ્રમથી બુદ્ધિને સતેજ કરી આ ગ્રંથના રસમાં તરબોળ બને છે. નયચક્રના વાંચન પછી આવા વિષમગ્રંથના સંપાદક સૂરિદેવને સૌ નયચક્રોદ્ધાર' તરીકે ઓળખતા થયા.
દયાનંદ કુતર્ક તિમિરતરણી' નામનો ગ્રંથ મુનિશ્રીએ હિંદી ભાષામાં આલેખ્યો છે. પંજાબમાં અડ્ડો જમાવી રહેલ દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશનું આ ગ્રંથમાં મુનિશ્રીએ ખંડન કર્યું છે. દુરાગ્રહીઓને યુક્તિ પ્રયુક્તિથી સત્યાગ્રહી બનાવવા
૧૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #160
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રીએ અહીં અથાગ પરિશ્રમ લીધો છે. સત્યાર્થપ્રકાશના ચૌદમા સમુલ્લાસમાં દેખો જૈનીઓકા ગપ્પા' એમ કહી કહીને જૈન ધર્મીઓ ઉપર ગાળોનો વ૨સાદ વરસાવ્યો છે. છતાં સૌમ્યભાવને જરા પણ ઓછો કર્યા વગર મુનિશ્રીએ જુદીજુદી યુક્તિઓથી જવાબ વાળ્યો છે, જેનું વાંચન કરીને આજે પણ આર્ય સમાજીઓને ચૂપ કરી શકાય છે. આવા જ મુનિઓ જૈનશાસનના પ્રભાવક બને છે.
મુનિશ્રીએ હિંદી ભાષામાં ‘હી ઔર ભી’ વેદાંત વિચાર, અવિદ્યાંધકાર, માર્તંડ જેવા ગ્રંથો લખ્યા છે. ‘મૂર્તિમંડન’ નામનો ગ્રંથ સહુ પ્રથમ ઉર્દૂ ભાષામાં ૨ચ્યો પછી હિંદી ભાષામાં રચ્યો. પ્રભુમૂર્તિના વિરોધીઓને પણ મૂર્તિને માનવાની આ ગ્રંથમાં ફરજ પડે છે.
આમ સૂરીશ્વરજીએ અનેકાનેક ગ્રંથની રચના કરી છે. એમના જમાનામાં ઉપસ્થિત થતી ચર્ચાઓના શાસ્ત્રીય પાઠોથી, ન્યાયથી, યુક્તિથી જવાબો વાળ્યા છે. જે એમના સમયમાં ‘વર્તમાન પત્રો’ ૫૨થી જાણવા મળે છે.
મુનીશ્વરે જે સાહિત્યસર્જન કર્યું છે તે સાહિત્યકાર થવા નહિ, તેમ પ્રખ્યાત લેખક થવા પણ નહિ; પણ જિનશાસનની સેવા કરવા, સરસ્વતીના પૂજારી થવા, ગુરુદેવનું ઋણ ફેડવા. આથી જ તેઓ હંમેશાં દરરોજ એક નવીન સંસ્કૃત શ્લોકની રચના કરતા. આ શ્રુતોપાસના જીવનના અંતિમ દિન સુધી અવિરત ચાલી છે.
મુનિશ્રીની સાહિત્યોપાસના ઉર્દૂ ભાષાથી આરંભાઈ, હિંદી ભાષા, ગુર્જરી ભાષાને સ્પર્શી દેવવાણી (સંસ્કૃત)માં વિકાસ પામી.
આજે મુનિ લબ્ધિવિજ્યજી નથી કે નથી આચાર્યદેવ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ. છતાં તેમનો સાક્ષરદેહ શાશ્વત રૂપે આપણી પાસે છે. સાહિત્યના ઉપાસકોને આયુષ્યની મર્યાદા આડે આવે છે પણ તેના સાહિત્યને નહિ. તેનું સાહિત્ય અજર અમર છે.
‘અમર રહો મુનિશ્વરનો શબ્દ દેહ’
શાશ્વત રહો સરસ્વતી પુત્રનો વાવૈભવ.’
કવિ કુલ કિરીટ :
પૂ. આચાર્ય મહારાજ એક ખ્યાતનામ કવિ હતા. પૂજ્યશ્રીએ આધુનિક યુવક સમાજ ઉપર આધુનિક ઢબે સ્તવનોની રચના કરીને મહાન ઉપકાર કર્યો છે. શાસ્ત્રોમાં આઠ પ્રભાવક ગણાવ્યા છે આઠ પ્રભાવકમાં કવિ પણ પ્રભાવક ગણાય છે. તાર્કિક શિરોમણિ પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી એ વિક્રમાદિત્યની રાજસભામાં જે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ પ્રભાવ હતો કવિત્વશક્તિનો. પૂ. શ્રી બપ્પભટ્ટ સૂરીશ્વરજીએ કવિત્વશક્તિથી શ્રી આમરાજાને પ્રભાવિત કર્યાં હતા. કવિને શાસનપ્રભાવક ગણવાનું કારણ એ કે તે પોતાની અનોખી કાવ્યશક્તિ દ્વારા હજારો હૈયાને ડોલાવી શકે છે અને શાસનના અનુરાગી બનાવે છે. જે જનતા સિનેમાના અશ્લીલ અને શૃંગારિક ગીતો જ્યાં ત્યાં લલકારતી
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ + ૧૧૧
Page #161
--------------------------------------------------------------------------
________________
હતી, એ જનતાને પ્રભુભક્તિમાં તન્મય બનાવવા અને આ માર્ગે ચઢાવવા આધુનિક શૈલીએ તેઓશ્રીએ સેંકડોની સંખ્યામાં સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ અને ચૈત્યવંદનોની રચના કરી છે. તેઓશ્રીની કવિત્વકળા કોઈ અનોખી હતી. સાદી, સરળ અને ભાવવાહી શબ્દોની ગૂંથણી થવાથી વારંવાર ગાવાનું મન થાય તેવી આકર્ષક હતી. બોધક, રોચક, પ્રેરક અને વૈરાગ્યવાદી પદો હોવાથી જનતા આ સ્તવનો ગાતા ભક્તિરસમાં તરબોળ બની જાય છે.
જ્યારે આત્મા ભાવપૂજા યાને પ્રભુભક્તિમાં મીઠા-મધુરા ગીતો દ્વારા તલ્લીન બની જાય છે તો તે આત્મા અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે અને જુગજુગ કર્મોના બંધનોને તોડી નાંખે છે અને નિર્મળ બને છે. અને એ વાત ક્યાં અજાણી છે કે રાવણ જેવો જ્યારે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર પ્રભુભક્તિમાં તન્મય બની જાય છે, વીણાનો તાર તૂટે છે પણ ભક્તિનો તાર તૂટતો નથી ત્યારે શ્રી રાવણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે.
૫૨મ ગુરુદેવે આધુનિક ઢબે સ્તવનોની રચના કરી ખરેખર મહાન ઉપકાર કર્યો છે. હિંદભરમાં શહેરે શહેરે અને ગામડે ગામડે તેઓશ્રીનાં સ્તવનો હોંશે હોંશે ગવાઈ રહ્યા છે.
જનારૂં જાય છે જીવન, જરા જિનવરને જપતો જા.
હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધોતો જા.'
શબ્દો ઓછા છતાં ભાવ સભર-પૂર્ણ. એક પદમાં, એક પંક્તિમાં હૈયાના નિતરતા ભાવને જીવંત સ્વરૂપ આપ્યું. જીવન કેવું છે ? જીવનનું કર્તવ્ય શું ? જિનનામસ્મરણની મહત્તા શું ? તેનું સુંદર ભાન કરાવે છે.
સૂરીશ્વરજીનાં કાવ્યો હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલાં હતાં. આત્માને પરમાત્મા બનવા પ્રેરણા અર્પી રહ્યા હતા. આત્મજાગૃતિના વિકાસના પ્રેરક હતા. તેઓ શ્રી જનમનોરંજનનો કોઈ દી પ્રયત્ન કરતા નહીં પણ અથાગ પ્રયત્ન કરતા જિન મનોરંજન માટે.' જિનનેજુએ, તીર્થને જુએ ને ભક્તનો કવિનો આત્મા પોકારી ઊઠતો :
મહાવીર મેરે નયના અમીરસ સે ભર તો દેના.’
જો હી હૈ રૂપ તેરા, વો હી હૈ રૂપ મેરા.'
‘આહા કેવું ભાગ્ય જાગ્યું.’ સિદ્ધાચળના વાસી જિનને ક્રોડો પ્રણામ.'
આત્મ કમળ-લબ્ધિ આ શબ્દો ઠેરઠેર જિનમંદિરોમાં ભાવુક હૈયાના કંઠમાંથી ગવાતા સાંભળવામાં આવે છે.
એમનાં રચેલાં કાવ્યો કેવી સચોટ અસર કરતા હતા તે તો ખંભાતમાં વિ.સં. ૨૦૦૦ની સાલમાં તેઓશ્રીની નિશ્રામાં ચાતુર્માસ હતું ત્યાં અનુભવાતું. તેઓશ્રી સાંજે નવી સજ્ઝાય બનાવતા હતા અને તે જ દિવસે પ્રતિક્રમણમાં આ જ
૧૧૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #162
--------------------------------------------------------------------------
________________
નવી સઝાય ગવાતી હતી. ત્યારે સઝાય પૂરી થતાની સાથે જ બે ભાઈઓએ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાચે જ તેઓશ્રી કવિ કુલકિરીટ' હતા. કેવળ ગુજરાતી ભાષામાં જ કાવ્યોની રચના કરી છે તેવું નથી પણ ઉર્દૂ, હિંદી તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે ઘણી સુંદર રચનાઓ કરી છે. ચૈત્યવંદન, ચતુર્વિશતિ, વૈરાગ્ય રસમંજરી, મેરુત્રયોદશી કથા વગેરે અનેક ગ્રંથોમાં તેઓશ્રીનું કૌશલ્ય ઝળકી ઉઠે છે. કવિત્વ શક્તિ દ્વારા તેઓએ શાસનની અનેરી પ્રભાવના કરી છે. પૂ. શ્રી આચાર્યદેવે હજારથી પણ વધુ કાવ્યો રચ્યાં છે.
તું જુદા નહિ, મેં જુદા નહિ ઔર કોઈ જુદા નહિ.” આવા પદ્યોમાં તેઓશ્રીએ પરમાત્મા, સમદર્શિત્વ, આત્મ સમદર્શિત્વના ભાવો રેલાવ્યા છે.
મહાકવિનું એક ગીત ઘણું જ ભાવવાહી છે. એ ગીત દ્વારા તેઓ આ સંસારના યાત્રીને કહે છે :
તું ચેત મુસાફિર ચેત જરા, ક્યોં માનત મેરા મેરા હૈ ઈસ જ્ઞમેં નહિ કોઈ તેરા હૈ,
જો હૈ સો સભી અનેરા હૈ” પૂ. આચાર્ય માટે વિવિધ અભિપ્રાયઃ
તેઓશ્રી સરલહૃદયી સાધુચરિત મહાપુરુષ હતા. તેઓશ્રીના પવિત્ર સુવિશાળ હૃદયસાગરમાં પ્રમોદભાવનાનાં નિર્મલ ગંગાતરંગો ઊછળતા હતા. હાનામાં ન્હાના માણસના પણ ગુણને ગ્રહણ કરવામાં તેઓશ્રી સજાગ હતા. કોઈના પણ દોષને જોવાનું તેમનું નિર્મળ હૃદય કદી તૈયાર ન હતું. તેઓ જ્ઞાનના ગંભીર સાગર પણ હતા છતા શાંત, ધીર અને સ્થિતપ્રજ્ઞ હતા. તેઓશ્રી બાળક પ્રત્યે પણ નિખાલસભાવે વર્તતા હતા.” ભદ્રેશ્વરજી જૈન વસઈ તીર્થ
પં. કનકવિજયજી ગણિ તા. ૧૧-૧-૬૨, ગુરુવાર
“મહાપુરુષો એની કાયથી નહિ પણ એમની જીવનધારાથી જ શોભતા હોય છે. પૂ. શ્રી આચાર્ય ભગવંતની જીવનધારા અનેક આત્માઓને મંગળ માર્ગનું ઉદ્દબોધન આપી શકી હતી.”
વૈદ્ય શ્રી મોહનલાલ ધામી જેઓ કવિ કુલકિરીટ હતા, જેઓ વ્યાખ્યાન વાચસ્પતિ હતા, જેઓ સ્વપર શાસ્ત્રોના જાણકાર હતા, જેઓ 'લ્યાણ' માસિકમાં ભવ્યાત્માઓની શંકાઓને દૂર કરનારા હતા, જેઓ સરળ, શાંત, દાન્ત આદિ અનેક ગુણોથી વિભૂષિત હતા.'
પૂ. આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૧૩
Page #163
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ અનેક શક્તિઓના સ્વામી હતા. તેઓ વાદી પ્રભાવક હતા. પૂ. આ. શ્રી ગુણાનુરાગી યોગી પુરુષ હતા.
પૂ. પંન્યાસજી શ્રી ભાનુવિજયજી મહારાજ પૂ. પાદ સૂરીશ્વરજીના અંતિમ સમયે તેઓશ્રીએ ફરમાવેલ બે હીત શિક્ષા વચન :
જો સુખી થવું હોય તો વધુ નહીં પણ આટલું તો જરૂર યાદ રાખજો કે (૧) કોઈની નિંદા કરશો નહીં, તેમ (૨) કોઈના દુર્ગુણ દેખશો નહિ.”
પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્ર વિ. મ. સા. પ્રબુદ્ધજનોના શબ્દોમાં ગુજરાતી સાહિત્ય ઉપર એમનું કદીએ ન ભુલાય તેવું ઋણ છે.
શ્રી ગુણવંતરાય આચાર્ય, મુંબઈ ગુર્જર ગિરામાં પૂજાઓ અને સ્તવનો રચીને ભક્તિરસને પુષ્ટ કરનારા, પંજાબ જેવા દૂર દેશમાં કુશળ વક્તત્વ કળાથી વિભૂષિત, ગુજરાતી ઉપરાંત ઉર્દૂ તેમ જ સંસ્કૃત ભાષાના જ્ઞાતા તેમ જ મૃતોપાસનામાં આસક્ત, વિ.સં. ૧૯૪૦માં જન્મી ૧૯૫માં દીક્ષા લઈ ૧૯૮૧મા આચાર્ય પદવીથી અલંકૃત થનારા તથા વિ.સં. ૨૦૧૭માં સ્વર્ગે સંચરનારા પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજીને મારા કોટિ કોટિ વંદન.
પ્રો. શ્રી હીરાલાલ ર. કાપડિયા (M.A.) સુરત પૂ. આચાર્ય શ્રીના નામની સંસ્થા
પૂ. આચાર્ય મ. સા ગુણોના તો ભંડાર હતા પરંતુ તેમના નામથી પણ શરૂ થયેલ કાર્યમાં પણ લબ્ધિ જ રહેલી છે તેનું જીવંત ઉદાહરણ છે ખંભાતમાં ચાલતું સાધર્મિક કેન્દ્ર. સંસ્થાનું નામ છે “શ્રી લબ્ધિ વિક્રમ સાધર્મિક ઉત્કર્ષ વ્યવસ્થા કે આ સંસ્થા વિ.સં. ૨૦૪૦માં પૂ. શ્રી વિક્રમ સૂ. મ. તથા તેમના શિષ્ય પૂ. આ. શ્રી રાજયશ સૂ. માના આશીર્વાદથી શરૂ થયેલ છે. આ સંસ્થાના નેજા હેઠળ શ્રી લબ્ધિ વિક્રમ ફાઉન્ડેશન' નામની બીજી સંસ્થા ચાલે છે. રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. ૮૦ G પણ પ્રાપ્ત થયેલ છે.
ઉપરની બંને સંસ્થા કોઈ પણ જાતના હોદ્દા વગર સાત સંનિષ્ઠ કાર્યકરોથી ચાલે છે. આ સંસ્થા છેલ્લા ૩૦ વર્ષથી કાર્ય કરી રહી છે. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. આર્થિક રીતે સીધાતા સાધર્મિક ભાઈબહેનોને મદદ કરવા માટે અનાજ વિતરણ યોજના, કપડા વિતરણ યોજના, દવા વિતરણ યોજના, વગર વ્યાજની લોન યોજના, તીર્થ વિકાસ યોજના, શૈક્ષણિક યોજના, ઔદ્યોગિક યોજના તથા વેયાવચ્ચ યોજના ચાલે છે.
આ સંસ્થાના મુખ્યત્વે બે ઉદ્દેશ રહેલા છે.
(૧) આર્થિક રીતે નબળા કુટુંબોને મદદ કરવી. ૧૧૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #164
--------------------------------------------------------------------------
________________
(૨) આર્થિક રીતે નબળા કુટુંબોને ઉચ્ચ શિક્ષણ આપી પગ પર સધ્ધર કરવા.
આ સંસ્થા સામેથી દાન લેવા જતી નથી છતાં છેલ્લા ત્રીસ વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. સંસ્થામાં હંમેશાં લબ્ધિ થતી રહી છે. આ સંસ્થાનું પોતાનું સાધર્મિક કાર્ય માટે મકાન છે. સં. ૧૯૯૪માં બનેલ છે. ભારતભરમાં સાધર્મિક પ્રવૃત્તિ માટેનું કદાચ આ પહેલું મકાન હશે. નાગરવાડા, ખંભાતમાં આ મકાન આવેલ છે. આ સંસ્થાની મુલાકાત લેવા જેવી છે.
અંતમાં વીસમી સદીના “વાદિ ઘટ મુગર’ “કવિ કુલ કિરીટ', “છોટ આત્મારામજી', જેનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ' મહાન ગુર્જર કવિ, સાહિત્યરત્ન, પ્રખર વિદ્વાન, ગીતાર્થ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજીની જીવનઝાંખી રજૂ કરી ભૂરિ ભૂરિ વંદના કરી હું વિરમું છું. Reterence books : (૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : લેખક : મોહનલાલ દલીચંદ દેસાઈ
વિ.સં. ૧૯૮૯ (૨) કવિકુલ કિરીટ યાને સૂરિશેખર ભાગ-૧ અને ૨ : લેખક : કમાટી
વિ.સં. ૧૯૯૫, વિ.સં. ૨૦૦૮ (૩) દિવ્ય વિભૂતિ : લેખક : શ્રીમદ્ વિજયકીર્તિચંદ્રસૂરિ મ. વિ.સં. ૨૦૩૦ (૪) કમલ-પરાગ : લેખક : લબ્ધિ શિશુ વિ.સં. ૨૦૨૦ (૫) સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂ.મહારાજશ્રીનો "લ્યાણ વિશેષાંકઃ જાન્યુઆરી ૧૯૬૨.
ડો. કીર્તિ એન. શાહ ખારવાડો, જિ. આણંદ, ખંભાત-388620
મો.09428564948
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૧૫
Page #165
--------------------------------------------------------------------------
________________
ધૂમકેતુ કૃત “હેમચંદ્રાચાર્ય –
જ મીના ધારશી
શ્રીમતી મીનાબહેન ધાર્મિક રુચિની સાથેસાથે સાહિત્યનો અભ્યાસ કરવાની દૃષ્ટિ પણ ધરાવે છે, તેનો ખ્યાલ પ્રસ્તુત લેખમાંથી આવે છે. – સં.]
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જે ધૂમકેતુના નામથી ઓળખાય છે, એમનો જન્મ તારીખ ૧૨-૧૨-૧૮૯૨ના શુભ દિવસે, સૌરાષ્ટ્રના નાનકડા વીરપુર નામના ગામમાં થયો હતો. ધૂમકેતુના શૈશવકાળ દરમિયાન વીરપુર આર્યસમાજના એક અભેદ્ય કિલ્લારૂપ હતું, પરંતુ ધૂમકેતુ માટે વીરપુર ગામ સંસ્કારતીર્થ બનીને રહ્યું. ધૂમકેતુને એમના બાળપણ તથા યુવાનીમાં સમાજના સામાન્ય અને પછાત ગણાતા
સ્તરની અનેક વ્યક્તિઓનો સંપર્ક થયો હતો. બાળપણની અવસ્થાથી જ એમને વાંચનનો ભારે શોખ હતો. ઝવેરચંદ મેઘાણીએ ‘નર્મદના વીરોએ સીંચેલું શિશુહૃદય’ એવા ઉચિત શીર્ષક થકી નર્મગદ્યના ઇતિહાસ વિભાગના વાચને ધૂમકેતુમાં પ્રેરેલા પ્રભાવને વર્ણવ્યો છે. તેઓ બાળપણથી જ ઇતિહાસ અંગેના પુસ્તકો વાંચવાની વિશેષ રુચિ ધરાવતા હતા. ગુજરાતી સાહિત્યમાંનું કોઈ પુસ્તક એવું રહ્યું નહિ હોય કે જે તેમણે વાંચ્યું ના હોય. જીવરામ જોશી પાસે સાંભળેલી વાર્તાઓએ ધૂમકેતુના બાળકપણામાં જ સુપ્ત સર્જનશક્તિને સંકોરી હતી. બાળપણને પસાર કરતાં કરતાં, યુવાનીમાં કદમ માંડતાં વીરપુરથી જેતપુર સુધીના ચાર ગાઉના રસ્તાને પગે ચાલીને પસાર કરતાં કરતાં ધૂમકેતુને જે કલ્પનારસ પ્રાપ્ત થયો તેનાથી કુદરતી સૌંદર્ય નિહાળવાના સંસ્કાર તેમના સર્જકચિત્તે ઝીલ્યા અને ઘણું લખી શકવાની ટેવ પડી.
ધૂમકેતુના સુદીર્ઘ, સુસંવાદી અને લેખનપ્રવૃત્તિ માટે પોષક નીવડેલ દાંપત્યજીવનનો પ્રારંભ ઈ. સ. ૧૯૧૦માં કાશીબહેન જોડેના લગ્નથી થયો. ત્યાર પછી ઈ. સ. ૧૯૧૪માં પોરબંદરમાં મેટ્રિક પાસ કરી. જૂનાગઢમાં કૉલેજનો અભ્યાસ કર્યો. તે દરમિયાન આનંદશંકર ધ્રુવના ‘વસન્તમાં લેખો લખવા લાગ્યા હતા. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૦માં અંગ્રેજી તથા સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાં બી.એ. થયા. તેમ જ ઈ. સ. ૧૯૨૬માં તણખા મંડળ-૧' વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો. ઈ. સ. ૧૯૩૫માં એમણે રણજિતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો
૧૧૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #166
--------------------------------------------------------------------------
________________
હતો, પરંતુ ઈ. સ. ૧૯૪૯થી ૧૯૫૩ના પાંચ વર્ષના ગાળામાં થયેલા ઉત્તમ સર્જન લેખે આત્મકથા “જીવનપંથ' માટે નર્મદ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે એમનો ષષ્ટિપૂર્તિ સમારંભ યોજ્યો હતો. તેમ જ રશિયા જવા માટે ઈ. સ. ૧૯૫૮માં મળેલા આમંત્રણનો સવિનય સાથે અસ્વીકાર કર્યો હતો. તેઓ મોટા ભાગનો સમય વાચન અને લેખનપ્રવૃત્તિમાં જ વિતાવતા હતા. સાહિત્ય સર્જનઃ
અર્વાચીન ગુજરાતના એક સુકીર્તિત લેખક શ્રી ધૂમકેતુએ ગદ્ય સાહિત્યનાં ઘણાં સ્વરૂપો પ્રગટ કર્યા છે. ટૂંકી વાર્તા, નવલકથા, નાટકો, આત્મકથા, પ્રવાસજીવન, જીવનકથા તેમ જ સાહિત્ય વિશે મંતવ્યો રજૂ કરતા નિબંધો, બાળકો અને પ્રૌઢો માટેની સંખ્યાબંધ રચનાઓ ધૂમકેતુની બહુમુખી પ્રતિભાનો નિર્દેશ કરે છે. લગભગ એમની કૃતિઓ ગાંધીયુગના સમય દરમિયાન જ રચાઈ તથા પ્રગટ થઈ. દેશની આઝાદી પ્રાપ્ત થયા પછીના સમયમાં ઘણા પ્રમાણમાં લેખો લખ્યા હતા. ટૂંકી વાર્તા
ધૂમકેતુની ટૂંકી વાર્તાની કૃતિઓમાં તણખા મંડળ ૧-૨-૩-૪, આકાશ દીપ, અનામિકા, વનવેણુ, મંગલદીપ, નિકુંજ, વસંતકુંજ, સાંધ્યરંગ, સાંધ્યતેજ વગેરે જેવી અનેક કૃતિઓ છે કે જેમાં એમની નૈસર્ગિક દૃષ્ટિની ઝાંખી થતી હોય. એમણે ટૂંકી વાર્તાના ફલકને વિષયની દૃષ્ટિએ અપૂર્વ વિશાળતા અર્પ. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન કાળને સ્પર્શતી અને ક્યારેક તો ભાવિ જગતમાં ડોકિયું કરવા મથતી ટૂંકી વાર્તાઓ રચી ગુજરાતના નાના ગામડાંઓથી માંડીને હિમાલયની ગોદ સુધીની વૈવિધ્યસભર પશ્ચાદ્ભૂમિકાઓ વાળી વાર્તાઓ ધૂમકેતુએ રચી છે. ગુજરાતી ટૂંકી વાર્તાની કેડીને રાજમાર્ગનું સ્વરૂપ આપવાનું મહત્ત્વનું કાર્ય બજાવનાર સર્જકોમાં ધૂમકેતુ મોખરાનું સ્થાન ધરાવે છે.
માત્ર આંતરસામગ્રીની દષ્ટિએ નહિ, અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ ધૂમકેતુએ એમના એ સમયમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ રીતે ટૂંકી વાર્તાના સ્વરૂપનું હાર્દ પામી જઈને વાર્તાનું સર્જન કરનાર આપણા પહેલા સર્જક ધૂમકેતુ હતા. ભાષાના નિહિત સૌંદર્ય અને શક્તિને અનાચ્છાદિત કરવાનું સાહિત્યકારનું જો એક કર્તવ્ય હોય તો ધૂમકેતુએ એને રૂડી પેરે બનાવ્યું છે.
વળી ધૂમકેતુએ એમના કાળમાં ગુજરાતી વાર્તા સાહિત્યની ભાષા સમૃદ્ધિની ક્ષિતિજોને વિસ્તૃત કરવાનો પ્રયાસ આરંભ્યો હતો. ગુજરાતી ભાષાના કાંઠાને મજબૂત બનાવ્યું. ગુજરાતી ભાષાની ગુંજાશ એમણે ધારી આપી. તેમ જ વાર્તા કહેવાની એમની પાસે નૈસર્ગિક છટા હતી. વાર્તા જાણે પ્રત્યક્ષ કહી સંભળાવવી ન હોય એવો રણકાર એમાંથી જાગતો.
આમ ટૂંકી વાર્તામાં પ્રસંગોના મધ્યપ્રવાહમાં વાચકોને સીધેસીધા જ મૂકી દેતી શરૂઆત કઈ રીતે કરવી, વાર્તાને મધ્યભાગમાં કઈ રીતે બહેલાવવી અને
ધૂમકેતુ કૃત 'હેમચંદ્રાચાર્ય + ૧૧૭
Page #167
--------------------------------------------------------------------------
________________
અંતિમ ચોટ શી રીતે મારવી એના એક ઉદાહરણ જેવી ધૂમકેતુની ટૂંકી વાર્તા “પ્રેમાવતી’ છે. ધૂમકેતુની નવલકથા:
ધૂમકેતુએ ટૂંકી વાર્તા ઉપરાંત સામાજિક નવલકથાઓમાં પૃથ્વીશ, રાજમુગુટ, રુદ્રશરણ, અજિતા, પરાજય, જીવનનાં ખંડેર, મંઝિલ નહીં કિનારા લખી છે. ચાલુક્ય નવલકથાની તથા ગુપ્તયુગ નવલકથાવલિની ઐતિહાસિક કૃતિઓ રચી છે. તેમાં ચૌલાદેવી, રાજસંન્યાસી, કર્ણાવતી, રાજકન્યા, જયસિંહ સિદ્ધરાજ ગુર્જરેશ્વર, કુમારપાળ, રાજર્ષિ કુમારપાળ, આમ્રપાલી, મગધપતિ, ચંદ્રગુપ્ત મૌર્ય, પ્રિયદર્શી અશોક પ્રિયદર્શી સમ્રાટ અશોક વગેરે જેવી બત્રીસ નવલકથાઓ લખી છે. એમાંથી ધૂમકેતુની રચનાઓના વૈપુલ્ય અને સાતત્યનો ખ્યાલ આવે છે.
સામાજિક નવલકથાઓ મોટે ભાગે મનોરંજન માટે લખી છે. સાહિત્યના આનંદ પાસે બીજાં સઘળાં આનંદ ક્ષુલ્લક લાગે, કેમ કે સાહિત્ય થકી પ્રાપ્ત થતો આનંદ સમર્થનો – શક્તિશાળીનો આનંદ છે એવો ધૂમકેતુનો અભિપ્રાય હતો. તેમની સામાજિક નવલકથામાં આદર્શ માટેની ધૂન પણ જોવા મળે છે. તેમાં “અજિતા'નો અજિત, પરાજયનો અભય અને “રુદ્રશરણનો અવનીશ આદર્શનિષ્ઠ પાત્રો છે. ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા:
ધૂમકેતુ કિશોરવયના હતા ત્યારથી જ ઈતિહાસની વાતો સાંભળવા અને વાંચવામાં અધિક રુચિ ધરાવતા હતા. આરંભમાં જ ધૂમકેતુએ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા ઉપર ઐતિહાસિક નિબંધો લખ્યા હતા. ખૂબ મહેનત કરીને ચૌલુક્ય અને ગુપ્તયુગને લગતી નવલકથાઓનાં સાધનો એકઠાં કર્યા હતાં. તેમ જ ઇતિહાસ પ્રત્યે વફાદારી જાળવવાની તમન્ના ધૂમકેતુમાં ઘણી હતી. તેમનું કહેવું હતું કે, ખીચડીમાં જેવું મીઠું તેવું નવલકથામાં ઇતિહાસ તત્ત્વ માનવું. ભૂતકાળના ખાતામાંથી વર્તમાનની ભોંયને કસવાળી બનાવવાનો ધૂમકેતુનો ઇરાદો છે. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાતો સોલંકીયુગ તથા ભારતના ઇતિહાસનો એવો જ ગુપ્તયુગ, આ બે કાળ ચૌલુક્ય નવલકથાવલિમાં તેમણે દર્શાવ્યા છે. ધૂમકેતુના સ્ત્રીપાત્રો પુરુષપાત્રો કરતાં અધિક તેજસ્વી બતાવાયાં છે.
મેતિહાસિક નવલકથા “મહાઅમાત્ય ચાણક્યમાં નારી સૌંદર્યનું નિરૂપણ ધૂમકેત કરે છે. એમાં શૃંગારદેવીને નારીસૈન્યની અધિપતિની બતાવવામાં આવી છે. “આમ્રપાલીમાં બિંબિસાર આમ્રપાલીના પ્રેમમાં પડે છે અને ‘અજિત ભીમદેવનો ભીમ ચૌલાના પ્રેમમાં પડે છે.
ધૂમકેતુની ઐતિહાસિક નવલકથામાં વિષકન્યાઓ આવે છે. પક્ષીઓ, પ્રાણીઓ, સાધુસંન્યાસીઓ પણ આવે છે.
ધૂમકેતુએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનું સુંદર જીવનચરિત્ર લખ્યું છે. ધૂમકેતુની સંખ્યાબંધ ચૌલુક્ય નવલકથાઓના સગડ આ જીવનચરિત્ર તૈયાર ૧૧૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #168
--------------------------------------------------------------------------
________________
કરવામાં એમણે ઉપયોગમાં લીધેલી અભ્યાસ સામગ્રી સુધી જાય છે.
શ્રી હેમચન્દ્રાચાર્યની આ ચરિત્રકૃતિને ધૂમકેતુની નિરૂપણ કલાનો લાભ સાંપડ્યો છે. હેમચન્દ્રાચાર્યના જીવનના પ્રસંગોને ધૂમકેતુએ ઉઠાવદાર શૈલીમાં આલેખ્યા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. એમનું જીવનચરિત્ર લખવાની ધૂમકેતુને જે તક મળી તેનાથી તેમને સાહિત્યની નવી જ દિશા દેખાણી. વિખ્યાત તથા લોકપ્રિય થયેલી ચૌલુક્ય નવલકથાઓની જન્મભૂમિકા ધૂમકેતુને એ અભ્યાસમાંથી મળી. અને એને કારણે ચૌલાદેવી', રાજ સંન્યાસી', કર્ણાવતી’, ‘રાજકન્યા, ‘જયસિંહ સિદ્ધરાજ જેવી નવલકથાઓ રચાતી ગઈ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય
ચાવડા વંશ પછી સોલંકીયુગ ગુજરાત માટે સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન હતો. આ યુગમાં મૂળરાજ ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એમ એક પછી એક પરાક્રમી અને પ્રજાવત્સલ રાજાઓ થઈ ગયા. ૩૦૦ વર્ષના એ સુવર્ણકાળને પરાકાષ્ઠાએ પહોંચાડનાર બે રાજવીઓ હતા. સિદ્ધરાજ અને કુમારપાળ અને એ બંને રાજવીઓના પીઠબળ સમા હતા – “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી.’
વિક્રમ સંવત ૧૧૪૫, કારતક સુદ પૂર્ણિમાને શુભ દિવસે, ધંધુકામાં એક પ્રૌઢ, મહિમાશાળી, ધર્મજનોમાં અગ્રેસર એવા શેઠ જેમનું નામ ચાચ હતું તેમના પત્ની પાહિણીદેવીએ એક બાળકને જન્મ આપ્યો જેનું નામ ચાંગ (એટલે સુંદર) પાડ્યું, પરંતુ વિ. સં. ૧૧૪૪માં દેવચંદ્રસૂરિજી મહારાજ ધંધુકા પધાર્યા હતા ત્યારે પાહિણી શ્રાવિકાએ એક દિવસ, વંદના કરીને પૂછ્યું, “મેં ગઈ કાલે રાત્રે સ્વપ્નમાં જોયું કે મને ચિંતામણિ રત્ન મળ્યું અને મેં તે રત્ન આપને અર્પણ કર્યું ! આનો અર્થ શો ? જ્યોતિષ અને સામુદ્રિક લક્ષણના જાણકાર આચાર્યશ્રીએ કહ્યું કે, ‘તમને એક પુત્રરત્ન થશે જે તમે અમને સોંપી દેશો.”
એક દિવસ પાહિણીમાતાની કૂખે અવતરેલ આ પુત્રરત્નને એટલે કે નાના ચાંગને લઈને માતા દેવચન્દ્રસૂરિજીના વંદનાર્થે ઉપાશ્રયે ગયા. આચાર્ય મહારાજ દર્શન કરવા ગયા હતા. ચાંગદેવ રમતાં રમતાં ગુરુમહારાજની પાટ ઉપર જઈને બેસી ગયો. આચાર્ય મહારાજે ઉપાશ્રય આવતાં બાળકને યોગી પુરુષની અનોખી અદાથી બેઠેલો જોયો. એમણે પૂછ્યું “દીક્ષા લેવી છે? બાળકે જવાબ આપ્યો હા! હું તો દીક્ષા લઈશ, આચાર્ય બનીશ અને મોક્ષમાં જઈશ !'
લગભગ બરાબર એ જ સમયે ચાંગદેવનો એક સમકાલીન તેજવી રાજપુત્ર, રાજસિંહાસન ઉપર બેસી પૃથ્વીપાલની છટાથી સૌને પાટણનગરીમાં આશ્ચર્ય મુગ્ધ કરી રહ્યો હતો – જાણે વિધિની યોજના હોય કે આ બંને બાળકો ગુજરાતનો યશોધ્વજ ફરકાવે! એક ચંગદેવ – હેમચંદ્ર, બીજો જયસિંહ સિદ્ધરાજ. એક
ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૧૯
Page #169
--------------------------------------------------------------------------
________________
શાંતરસથી રંગાયેલો સાધુ, બીજો વીરત્વથી રંગાયેલા મહત્ત્વાકાંક્ષી રાજાધિરાજ.
એક ઘડી પછી એનો એ પુત્ર એનો નહિ હોય પણ ધર્મ સંસ્થાનો હશે. ગુજરાતનો હશે, સૌને માટે જીવનધર્મ સરજનારો થઈ રહેશે, એ લાડઘેલી માતાને ખબર નથી.
જ્યારે ગુરુ મહારાજે પાહિણીદેવી પાસે ગંભીર, શાંત તથા પ્રશાન્ત સમુદ્રની ધીરગંભીર ગર્જના જેવા સૂરિના સ્વર થકી પુત્રરત્નની માંગણી કરી ત્યારે પાહિણીદેવી વિહ્વળ થઈ ગઈ. તેની આંખમાં જરાક આંસુ આવી ગયાં અને કહ્યું કે, હે પ્રભુ! મારો એકનો એક પુત્ર છે, નાનો છે, મારો એકમાત્ર આધાર છે, લક્ષ્મીનંદન છે. એના પિતા હાલમાં હાજર નથી. તેમ જ એના પિતાને આવતાવેંત જ એને તેડીને વ્યવહારની મુશ્કેલીમાત્ર ભૂલી જવાની ટેવ છે !” આવા અત્યંત ગદ્દગદ કંઠેથી બોલાયેલાં પાહિણીદેવીના શબ્દોથી ઘડીભર દેવચંદ્રસૂરિને એમનું પોતાનું બાળપણ યાદ આવી ગયું. પરંતુ બીજી જ ક્ષણે જેણે જીવનભર દર્શનપ્રવર્તકનું હરક્ષણે ચિંતન કર્યું હતું, એમણે ગંભીર-શાંત વાણીમાં પાહિણીને કહ્યું, “ભદ્ર! તૃણાંકુર પર રહેલા જલબિંદુ જેવું જીવન ક્ષણિક છે. જે જન્મ્યો છે તે મર્યો જ છે માટે આ મોહ ન જગાડ! તે મહાસ્વપ્નને યાદ કર! આ બાળક કદાચ લક્ષ્મીનંદન થશે, યશ મેળવશે. સમાજમાં શ્રેષ્ઠ ગણાશે, રાજ્યાધિકારમાં પણ સમયે સ્થાન પામશે પણ એ બધામાંથી સંતોષ થશે? એ યોગી થવા જન્મેલાને તું આંહી રાખીને શું કરશે?
ગુજરાતની નારીઓ જેવી બહાદુરીથી પોતાના વ્યાપારી પતિઓને મહાસાગરની મુસાફરી માટે અનુજ્ઞા આપે છે, તેવી જ બહાદુરીથી સંસારસાગરની એક મહાન મુસાફરી પાર કરવા આ શિશુની જીવનનૌકાને તું ધર્મધ્વજ નીચે જવા દે. ગુજરાતની સરસ્વતી એના વિના અપૂર્ણ રહેશે. આહંત દર્શન એના વિના અધૂરું લાગશે. જેને માટે ગુજરાતનો વિશાળ પ્રદેશ પણ ફળી જેવો છે, એને તું ઘરઆંગણે રાખીને ઘરકૂકડી બનાવી શું કરીશ ? એની મુદ્રામાં વિજયનો રણકો છે, એની જિલ્લામાં માલવાની સરસ્વતી છે, એના જીવનમાં આહત દર્શનની સૌરભ છે. તું એ સરસ્વતી પુત્રને, દ્રણને, યોગીને, કવિને એને તું શું કરશે, ભદ્ર ?
ધર્મની ઉપાસના એ પાહિણીના જીવનનું કેન્દ્રસ્થ બળ હતું. એ કોઈ આચારઘેલી, ધર્મવેવલી ન હતી કે આ મહાત્યાગનું મૂલ્યાંકન આંકતાં પાછી. હઠે. પાહિણીદેવીએ તો અનેક શિશુઓને આ રીતે ધર્મધ્વજ નીચે જતા અને ધર્માધિકારી થતા જોયા હતા. લક્ષ્મી કરતાં એને મન ધર્મ એ વધારે સત્ય હતો. પુત્રના પિતાની ગેરહાજરી છે એ વિચારે એ જરાક વિહ્વળ તો થઈ, પણ પછી તરત જ સાબદી થઈ વિચાર્યું કે એ ગેરહાજરીમાં જ કોઈ ઈશ્વરી સંકેત નહિ હોય?
આમ વિચારી તક્ષણે, વધુ વિચાર્યા વિના ગુરુના ચરણમાં પોતાનો સુપુત્ર ધરી દીધો. આ પાહિણીદેવી ચૈત્યમંદિરના પગથિયાં ઊતરતી ધીર, પ્રશાંત અને છતાં
૧૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #170
--------------------------------------------------------------------------
________________
વેદનાપૂર્ણ સ્ત્રી, સાધ્વી અને માતાનું ચિત્ર હજી સુધી કોઈ કવિએ કે ચિત્રકારે દોર્યું નથી. પૂજ્ય પાહિણીદેવીની નજરે એ વખતે ભવિષ્યના ગુજરાતમાં ધર્મવિજય કરતો, પોતાનો સરસ્વતીપુત્ર આવી રહ્યો હતો. ધંધુકાની એ નારી રમણીના દેહ ઉપર, ગુલમહોર ઉપર ફુલપ્રફુલ્લ રક્ત પુષ્પો શોભે તેમ, પાટણનું મહામોલું નારીકુંજર શોભી રહ્યું હતું, એના કંઠમાં સોનાની માળા પડી હતી; કાનમાં શિરીષ પુષ્પના જેવું કર્ણફૂલ ઝૂલી રહ્યું હતું, એમાં લટકતા મૌક્તિક લંકાની સુવર્ણરજથી અંતિ થતાં હતાં. એના નાના સુંદર લાલ હોઠ ઉપર ધર્મની પવિત્રતા બેસી ગઈ હતી. એના ભાલમાં કુંકુમનો ચાંદલો શોભી રહ્યો હતો. એના પગમાં પડેલી ઘૂઘરીઓ અવાજ કરવા અધીરી થઈ રહી હતી. એ એક ઘડીભર પગથિયે થોભી ગઈ, જરાક ઊંચી ડોકે પાછા ફરીને જોયું તો નિર્દોષ સ્મિતમાં કોઈ આજન્મ યોગીની છટાથી શોભતું હોય તેવું ચાંગદેવનું રૂપાળું મો પોતાના અંતરમાં એણે ઉતારી લીધું અને પછી સડસડાટ પોતાના ઘર તરફ ચાલી ગઈ.
ત્યાર બાદ ચંગદેવને ગુરુમહારાજ શ્રી દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થ તરફ વિહાર કરીને લઈ ગયા અને આ બાજુ ઘરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂઘરીના રણકાર કરતો ચંગદેવ દોડતો આવતો તેને બદલે નીરવ શાંતિ વર્તાતા પિતા ચાચને આ શાંતિમાં કોઈ મહાતોફાનની આગાહી લાગી. ઘરમાં પ્રવેશ કરતાં વિરકતાવસ્થામાં બેઠેલી, ધર્મકાર્યમાં તલ્લીન પાહિણીને નજરમાં કાંઈક ખેદ અનુભવતાં પુત્ર ચંગદેવની પૃચ્છા કરી તો પાહિણીએ જવાબ આપ્યો કે, આપણો સુપુત્ર ગુરુ દેવચંદ્રસૂરિને ચરણે ધર્યો છે એટલું સાંભળતાં જ પુત્રવાત્સલ્યથી પ્રેરાયેલો ચાચ આકુળવ્યાકુળ થતો ખંભાત આવ્યો ને પોતાનો પુત્ર દેવચંદ્રસૂરિ પાસેથી પાછો મેળવવા ઉદયન મંત્રી પાસે આવી પહોંચ્યો. સમાધાનપૂર્વક કામ લેવાની વૃત્તિવાળા મંત્રીએ પોતાની મહત્તાનો લેશ પણ ગર્વ કર્યા વિના, ધૂળથી ખરડાયેલા શરીરવાળા, હાંફળાફાંફળા થયેલા કૂશદેહવાળા વિહ્વળ બની ગયેલા અને અન્નનો ત્યાગ કરી કૃતનિશ્ચય થયેલા ચાચને અત્યંત સન્માનપૂર્વક પોતાની પાસે બેસાડ્યો.
પરંતુ ચાચનું અંતર તો શરીર નષ્ટ ન થાય તો, દેશ છોડવો યોગ્ય એ ઉક્તિ મુજબ પુત્ર ન મળે તો શરીર ત્યાગ કરવો, એમ નહિ તો દેશત્યાગ કરી દેવો, પણ દુર્જનની છાયા નીચે તો ન જ રહેવું, એવા ભારે નિશ્ચયથી ઉગ્ર બની ગયું હતું. તેમ છતાંય, ઉદયન મંત્રીએ ચાચને મીઠો આવકાર આપ્યો. ચાચને અતિશય આતિથ્યતામાં અવિવેક લાગ્યો. તેને ઉદયન મંત્રીએ કહ્યું કે મંત્રીરાજ! દિવસ તો ચડતો પડતો આવ્યા જ કરે છે. પુત્રવિરહથી વ્યાકુળ એવા મુજ જેવા ગરીબને આમ સત્કાર આપવો ઠીક નથી.
જરાપણ શાંતિ ખોયા વિના ઉદના મંત્રીએ જવાબ આપ્યો, શ્રેષ્ઠી ! શરીરનું સુખ અધમને માટે છે, સમૃદ્ધિનું સુખ મધ્યમને માટે છે, માત્ર ઉત્તમ પુરુષો જ કોઈ અદ્ભુત પદાર્થ માટે પ્રયત્ન કરે છે?
ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૨૧
Page #171
--------------------------------------------------------------------------
________________
ચાએ કહ્યું: “હે મંત્રીરાજ! મારે ન્યાય જોઈએ છે. પંચ ભેગું કરી ન્યાય આપો નહિ તો, ઈન્દસભાની બરોબરી કરનારી મહારાજ સિદ્ધરાજ જયસિંહની સભામાં હું ન્યાય મેળવવા જાઉં?
ઉદયન મંત્રી કહે, શ્રેષ્ઠી! તમને પ્રિય એવું હું શું કરું, જેથી તમે શાંત થાવ. પરંતુ ચાચને તો પોતાના પુત્ર સિવાય બીજી કોઈ જ વાતમાં રસ ન હતો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે, હું ન્યાય આપીશ! તે પહેલાં અન્નભોજનાદિથી સત્કાર કર્યો. જ્યારે ચાચ કાંઈક શાંત થયો ત્યારે મંત્રી પોતે ચંગદેવને આંગળીએ લઈને આવ્યાં અને ચાચને તેના ખીળામાં બેસાડ્યો અને અત્યંત ગંભીરતાથી કહ્યું, “સજ્જન ! આ તમારો પુત્ર જો તમે એને ગુરુ મહારાજ પાસે રહેવા દેશો તો એ ગુજરાતને, ધર્મધ્વજથી અંકિત કરી દિગંતવ્યાપી કીર્તિ મેળવશે.” ચાચ બોલ્યો: “લક્ષ્મી લઈને પુત્ર વેચનાર જેવો અધમ હું નથી.” ઉદયન મંત્રીએ કહ્યું “શ્રેષ્ઠી! દેશનું ગૌરવ કેવળ લક્ષ્મીમાં, યુદ્ધવિદ્યામાં કે વ્યાપારમાં જ નથી, પણ જો એની જીવનસમૃદ્ધિ લઈ લેવામાં તમે તમને અને એને બંનેને ભારે પાતકમાં પાડી રહ્યા છો.”
સરસ્વતીની શક્તિ કરતાં પણ મંત્રશક્તિનું આકર્ષણ ચાચને સારું લાગ્યું. પોતાનો પુત્ર કોઈ મહાન સાધુ અને વિજેતા થવા જભ્યો હોય આ વિચારધારાથી પુત્રને રત્નત્રયી – જ્ઞાન, દર્શન ને ચારિત્રનો વારસો લેવા ગુરુને ચરણે ધરીને મહાપુણ્ય સંપાદન કર્યું.
ત્યાર બાદ ચંગદેવ ખંભાતમાં રહ્યો અને પછી તેમની દીક્ષાની ઘડી આવી. ઉદયન મંત્રીના મધુર વચનોથી શાંત થઈ ચાચે પોતાના પુત્રના ધાર્મિક જીવનના પ્રમાણમાં સંમતિ આપી. દીક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે એ ચંગદેવ સોમમુહ – સૌમ્યમુખ – સોમચન્દ્ર બન્યો. ગુરુ મહારાજે ચંગદેવને દીક્ષા આપી તેનું નામ સોમચન્દ્ર પાડ્યું હતું. આ સોમચન્દ્ર ત્યાર પછી, લગભગ સોળ વર્ષે હેમચન્દ્રસૂરિ થયો. પરંતુ એ સોળ વર્ષ દરમિયાન મૌનના મહાસાગરમાં નિમજ્જન કરી એક એવી અદ્વિતીય વસ્તુ સિદ્ધ કરી. ‘આચારાંગસૂત્રમાં વીરપ્રભુની તપશ્ચર્યામાં વર્ણવે છે તેમ, સોમચન્દ્ર વિશે કહી શકાય કે, “તે ઇંદ્રિયોના ધર્મથી વિરક્ત રહેતાં અને અલ્પભાષી બની વિહરતા હતા.'
આ પ્રમાણે સોમચન્દ્ર વ્યાકરણ, યોગ, કાવ્ય, કોષ, ન્યાય, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ તથા બીજા અનેક વિષયોમાં પ્રવીણ થવા મૌનના મહાસાગરમાં પોતાની નાવ ચલાવી રહ્યો હતો. એની સાથે રાત ને દિવસ, ચાલતાં ને ફરતાં, ઊઠતાં ને જાગતાં, નિદ્રામાં ને સ્વપ્નમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શાંતિસૂરિ, વાદીદેવસૂરિ અને સમકાલીન સોમપ્રભસૂરિની પ્રતિમાઓ ફરી રહી હતી. આમ, વર્ષો જતાં ગુરુ દેવચંદ્રસૂરિએ સોમચન્દ્રમાં નવીન જ પ્રતિભા નિહાળી. જર્જરકાવ થયેલા દેવચંદ્રસૂરિએ પોતાના પટ્ટશિષ્ય જિતેન્દ્રિય સોમચન્દ્રને
૧૨૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #172
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. એમાં આ વિશે એક દંતકથા છે.
એક વખત ગુરુ શિષ્ય બંને વિહાર કરતા હતા, તેટલામાં કોલસાનો ઢગલો જોઈ દેવચંદ્રસૂરિએ પૂછ્યું, ‘આ શું છે? ત્યારે સોમચન્દ્રે જવાબ આપ્યો, ‘હેમ !” પોતાને કોલસા દેખાતા એવા ઢગલા ઉપર મુનિને બેસવા વિનંતી કરી. મુનિ બેઠા કે તરત જ એ સોનાના ઢગલા તરીકે દેખાવા લાગ્યા! તેથી ૨૧ વર્ષની વયે જ્યારે તેઓ આચાર્યપદથી અલંકૃત થયા ત્યારે તેઓ હેમચન્દ્રાચાર્ય કહેવાયા ! તે દિવસ વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયા હતી, અને વિ. સંવત ૧૧૬૬ હતો. મધ્યાહ્ન સમયે દેવચંદ્રસૂરિએ પોતાની કંથા સોમચન્દ્રને ઓઢાડી. પોતાનું ‘આચાર્ય’ પદ તેને સોંપી દીધું.
આચાર્ય હેમચન્દ્રનો મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. લોકોને આ જુવાન તપસ્વી વધારે આકર્ષી શક્યો હતો. જેમ કોઈ રાજપુત્ર યોગી બને અને વધુ આકર્ષક થઈ રહે તેમ હેમચન્દ્ર વધુ આકર્ષક બની રહ્યો હતો. પણ જેણે વાત્સલ્યભાવને અળગો કરી પોતાનું શિશુ ધર્મપ્રવૃત્તિને ચરણે ધર્યું હતું, તે પાહિણીદેવીએ આ મહોત્સવ નિહાળ્યો ત્યારે એને પોતાનું જીવન સાર્થક લાગ્યું. એની આંખમાંથી પ્રેમનાં આંસુ સરી રહ્યાં હતાં. ખંભાતના નગરજનો, શ્રેષ્ઠીઓ, રાજપુરુષો અરે, ખુદ ઉદયન મંત્રી પોતે એની પાસે નાના લાગતા હતા.
થોડી વાર પછી મહોત્સવની પૂર્ણાહુતિ થવાનો વખત આવ્યો. તે વખતે ધીમે પગલે, સભાજનોની ભીડ વચ્ચે પોતાની સાધ્વી માતા પાહિણીદેવીને આચાર્ય મહારાજે નિહાળ્યા. પ્રથમ તીર્થંકર ઋષભદેવને નિહાળવા જેમ એમની માતાનાં પ્રજ્ઞાનયન ખૂલી ગયાં હતાં, તેમ પાહિણીદેવીના આંત૨નયન આજે સોમચન્દ્રનાં દર્શને ખૂલી ગયાં. જે નારીના પ્રેમસાગરના તટે ઊભા રહીને મોટા મોટા નરપુંગવો નતમસ્તકે અમે તો હજી છીપલાં શોધીએ છીએ ! અમે તો હજી શંખલા વીણીએ છીએ એમ બોલવામાં ગૌરવ લે, એવા મહાન પ્રતીક જેવી આ નારી હતી. આચાર્ય હેમચન્દ્રે ઊભા થઈને દોટ મૂકી અને સૌના દેખતાં એમના ચરણમાં મસ્તક મૂક્યું.
હેમચન્દ્રે કહ્યું: “આવો, મા! આવો. જે રસ્તો તમે મને બતાવ્યો, એ જ રસ્તો આજે હું તમને બતાવું છું. તમે મને આ ધર્મધ્વજનો આશ્રય લેવરાવ્યો, આ કલ્યાણકેતુ તમારે માટે પણ સુખરૂપ બનો !”
ત્યાર પછી હેમચન્દ્રાચાર્યે માતા, પાહિણીને સાધ્વીવર્ગમાં આચાર્યપદે સ્થાપ્યાં અને પ્રવર્તિની પદ અપાવ્યું. સંઘની સમક્ષ આચાર્યના સિંહાસનની માતાને અધિકારી બનાવી અને પોતાનું પુત્રઋણ અદા કર્યું. અંતસમય માતાને સાડાત્રણ કરોડ શ્લોકનું નવનિર્માણનું વાગુદાન આપ્યું અને એમની સમાધિ ટકી રહે તે માટે એક કરોડ નવકાર ગણ્યા.
જે વખતે સ્તમ્ભતીર્થમાં હેમચન્દ્રાચાર્યનો વાવૈભવ નાગરિકોને, શ્રેષ્ઠીઓને,
ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય' + ૧૨૩
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રજાજનોને આકર્ષી રહ્યો હતો, જે વખતે આચાર્ય મહારાજના મોંમાંથી નીકળતી સરસ્વતી જુદું જ રૂપ ધરી રહેતી તે વખતે કાશ્મીરથી કોંકણ સુધી, ને અંગદેશથી સૌરાષ્ટ્ર સુધી એમ આખા ભારતવર્ષમાં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો નૃપાળ હતો.
હેમચન્દ્રાચાર્ય વિહાર કરતાં પાટણમાં આવ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહની કિર્તિ દિગંતવ્યાપિની હતી. તેની રાજનીતિ દિગ્વિજવી હતી. તે વિદ્વાન હતો ને વિદ્યારસિક હતો. એને ગુજરાતમાં સરસ્વતી આણવી હતી. ગુર્જર દેશ' એમ બોલતી એની વાચાનો પ્રતાપ જુદો હતો. એને એક કાલિદાસની જરૂર હતી, જે પોતાની કવિતા વડે ગુજરાતને એના ગૌરવનો વારસો આપી જાય. ચૌલુક્ય કીર્તિકથન સાંભળીને, ભવિષ્યનો કોઈપણ ગુજરાતી પોતાની જાતને નાની ન માને એવી કોઈ અજર કૃતિ માટે એ ઝંખી રહ્યો હતો.
ગમે તેટલું મહાન પણ તે વખતનું સન્મતીર્થ પાટણના હિસાબે કાંઈ ન હતું. પાટણમાં તો મહાલયો મહામંદિરો, મહાપુરુષો, મહાજનો અને મહાપાઠશાલાઓ હતી. આંહીની સભામાં બેસવું એ કાંઈ જેવાતેવાનું કામ ન હતું. એટલે પાટણમાં રહેવાની સાથે હેમચન્દ્રાચાર્ય પાટણથી અને પાટણ હેમચન્દ્રાચાર્યથી વધારે મહાન દેખાવા લાગ્યા. મેરૂતુંગના કહેવા પ્રમાણે જેનું શૈશવ પૂરું થવા આવ્યું છે, તેવા હેમચન્દ્રાચાર્ય, દેવસૂરિના સહાયક તરીકે તેમાં હાજર હતા. દેશવિદેશને જીતતો. કુમુદચંદ્ર ગુજરાત દેશમાં આવ્યો હતો. પાટણનો નૃપાળ હરેક વિદ્વાનને સત્કારતો, પોતાની માતાના પિતાનો ગુરુ એટલે એને વિશેષ આદર આપીને પાટણમાં શાસ્ત્રાર્થ ગોઠવ્યો. સિદ્ધરાજને હેમચન્દ્રાચાર્યની પ્રતિભાની ખાતરી થઈ. દેવસૂરિને કર્ણાવતીથી આવવા સિદ્ધરાજે તથા પાટણના સંઘે વિજ્ઞપ્તિ કરી. દેવસૂરિ આવ્યા અને મહારાણી મીનળદેવીની હાજરીમાં શાસ્ત્રાર્થ શરૂ થયો. તેમાં કુમુદચંદ્રની હાર થઈ, તેથી હેમચન્દ્રાચાર્યનું સ્થાન વધારે ને વધારે પ્રતિષ્ઠાભર્યું થયું.
એક વખત સિદ્ધરાજ હાથી ઉપર બેસીને મુખ્ય રસ્તા ઉપર થઈને જતો હતો. એવામાં સૈનિકો ને નગરજનોની ભીડને લીધે એક દુકાન ઉપર ઉભેલા હેમચંદ્રાચાર્યને રાજાએ જોયા. રાજાએ હાથી ઊભો રાખીને આચાર્યને કાંઈક કથન કરવા વિજ્ઞપ્તિ કરી. હેમચન્દ્રાચાર્યે રાજાને કહ્યું કે, હે રાજનું સિદ્ધરાજ! તારા હાથીને તો નિરંકુશ આગળ વધવા દે; દિગ્ગજો ધ્રુજે તો ભલે ધ્રુજતા, એ ચિંતા કરવાની તારે ન હોય, કારણ કે તું પૃથ્વીનો ભાર ધારણ કરે છે.' આ કથન સાંભળી રાજાએ પોતાને ત્યાં સભામાં હંમેશાં આવવાની વિનંતી કરી.
થોડાં વર્ષો પછી સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ લખવા વિનંતી કરી. હેમચન્દ્રાચાર્યે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી વ્યાકરણ તૈયાર કરવાનું માથે લીધું. આ વ્યાકરણ તૈયાર કરવામાં સિદ્ધરાજે દેશ-વિદેશથી ખાસ કરીને ભારતીભૂમિ કાશ્મીરમાંથી રાજપુરુષોને મોકલી વ્યાકરણો મંગાવ્યાં. આમ, હેમચન્દ્રાચાર્યે જે
૧૨૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #174
--------------------------------------------------------------------------
________________
અદ્વિતીય ગ્રંથ રચ્યો, તે “સિદ્ધહેમ-વ્યાકરણ – ‘સિદ્ધ હેમ શબ્દાનુશાસન' નામ રહ્યું. રાજસભામાં પંડિતોની સમક્ષ જ્યારે એનું વાચન થયું ત્યારે સર્વ પંડિતો મુગ્ધ બની ગયા હતા.
પુસ્તક વિદ્વન્માન્ય છે એ જાણીને સિદ્ધરાજે સરસ્વતીને આપવું જોઈએ. એવા યોગ્ય માનથી, પોતાના પટ્ટહસ્તી પર એને પધરાવી, એની ઘોષણા કરાવી. ૩૦૦ લહિયાઓને બેસાડી એની નકલો કરાવી. આ નકલોને અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશમીર, ઈરાન, લંકા એમ બધે જ મોકલાવી. વ્યાકરણની રચનાથી સિદ્ધરાજ જયસિંહને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે વધારે ને વધારે આકર્ષણ થતું ગયું. “સિદ્ધહેમ' વ્યાકરણ પછી તેમને વધારે પુસ્તકો બીજા બનાવ્યાં, કે જેથી ગુજરાતની કીર્તિ વધી. લોકોને વાણી આપી અને બોલવાની શૈલી આપી. “અભિધાન ચિંતામણિ અને દેશીનામમાળા' જેને શબ્દકોશ કહેવાય તે તૈયાર કર્યો.
સિદ્ધરાજ જયસિંહને કોઈ સંતાન ન હતું તેથી તેનું મન સંતાપશીલ રહ્યા કરતું પરંતુ સિદ્ધરાજને પુત્ર ન થયો તે ન જ થયો તેથી એમનાં છેલ્લાં વર્ષો ઘણાં વિષાદમય ને વ્યાકુળ બની ગયાં હતાં. એ વ્યાકુળતામાં સિદ્ધરાજે ભાન ભૂલીને કુમારપાળ ગાદીએ ન આવે તે માટે ઘણાં પ્રયત્નો કર્યા. છતાં પણ કુમારપાળને ગાદી મળી અને સિદ્ધરાજ જયસિંહના મરણ પછી ઈ. સ. ૧૧૯૯માં ગાદી ઉપર કુમારપાળ આવ્યો.
હેમચન્દ્રાચાર્યનો જીવનકાળ ગુજરાતના સૌથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલો છે. ગુજરાતની મહત્તા સિદ્ધરાજે કરી, કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી. જે અર્થમાં હેમચન્દ્રાચાર્ય જૈનદર્શનને પોતાના જીવનની જરૂરિયાત સમજ્યા હતા, તે જ અર્થમાં કુમારપાળ જૈનદર્શનને પોતાના જીવનની ધાર્મિક જરૂરિયાત સમજ્યા હતા. કુમારપાળને સઘળાં દર્શન કરતાં જૈન દર્શનનો દ્વાદ વધારે અસરકારક લાગ્યો. એ અર્થમાં એ જૈન હતા. જૈન દર્શનના મુખ્ય અંગ અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેનો મહિમા એમણે ગાયો છે. એમણે એ રસ્તો સ્વીકારી જૈનદર્શનની મહત્તા સ્વીકારી છે.
કુમારપાળે જીવનમાં પ્રથમ પચાસ વર્ષ સુધીની વય દેશાંતરમાં ગાળેલી. એક વખત એ સાધુવેષે પાટણમાં આવેલો પણ ચરપુરષોએ તેને ઓળખી કાઢ્યો, અને ત્યાંથી તે ભાગીને હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રયમાં ગયો. આચાર્ય મહારાજે કેવળ કરુણતાથી પ્રેરાઈને તેને તાડપત્રોમાં છુપાવી દીધો અને પછી રાત્રે બહાર કાઢી. દેશાંતરમાં જવાની સલાહ આપી. કુમારપાળ આ રીતે રાજા થતાં પહેલાં ઘણી ઘણી વિટંબણાઓમાંથી પસાર થયો હતો. કુમારપાળ તેના બંને ભાઈઓ કરતાં વધારે તેજસ્વી હોવાથી રાજપ્રાપ્તિ કરી શકે એમ હતા. તે પોતાની ગાદી ઉપર સ્થિર થયો, અજમેર, માળવા વગેરેના રાજાઓને તેણે હરાવ્યા તે વશ કર્યા. રાજપદમાં સ્થિર થઈ પોતે શાંત જીવન ગાળવાનો નિશ્ચય કર્યો.
ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૨૫
Page #175
--------------------------------------------------------------------------
________________
આ સમય હેમચન્દ્રાચાર્ય માટે ખૂબ અનુકૂળ હતો. જે રાજર્ષિના સામાન્ય ધર્મ છે તે અને જૈન આચારના અને જૈન વિચારના જે મુખ્ય રત્નો છે તે પ્રત્યે એમણે કુમારપાળને જાગ્રત કર્યો. કુમારપાળની વિનંતીથી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર રચ્યું. કુમા૨પાળના જીવનનાં છેલ્લાં વર્ષો વીતરાગની પ્રશંસામાં ને વિરક્ત દશાનો વિકાસ સાધવામાં ગયા છે. પહેલાં પંદર વર્ષનો કુમારપાળ રાજા હતો. છેલ્લા પંદર વર્ષનો રાજર્ષિ માંસત્યાગ, મઘત્યાગ, જુગારત્યાગ, શિકારત્યાગ, ધનલોભત્યાગ અને છેવટે તો સર્વ ત્યાગીના જેવી એમની સ્થિતિ બની ગઈ હતી. છતાં પણ હેમચન્દ્રાચાર્યે એની પાસે ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર કરનારા સામાજિક કાર્યો કરાવ્યાં.
?
કુમારપાળ ગુપ્તપણે નગરચર્યાં કરતો. તે દરમિયાન એક વખત એણે જોયું કે, કેટલાક માણસો પશુઓને વધસ્થાન પ્રત્યે ખેંચી જતા હતા. એમનું હૃદય દયાથી દ્રવી ગયું. જે બોલી શકતા નથી, ફરિયાદ કરી શકતાં નથી, કેવળ માનવને આધારે રહે છે, એવાં પશુઓને માંસાહાર માટે મારવાનો મનુષ્યને અધિકાર કેટલો ? હજારો પશુઓનો નિરર્થક થતો વધ પોતે અટકાવી શકે એ વસ્તુ એને અત્યંત આકર્ષક લાગી અને તેણે પોતાના રાજ્યમાં સર્વત્ર અમારી ઘોષણા કરાવી; જે જન્મે તેને જીવવાનો હક્ક', કુમારપાળના જીવનના આ સુંદર ભાગે એને રાજર્ષિ કુમારપાળ બનાવ્યો. પોતાના કુલાચારનો અવિનયી ત્યાગ કર્યા વિના એ પરમાર્હત' થઈ શક્યો. એ જમાનાની વિચારસરણી પ્રમાણે કંટકેશ્વરી દેવીને પશુવધનો બિલ નહિ દેવાય તો રાજ્ય ૫૨ અને પ્રજા ૫૨ મહાન આફત આવે એવી વાતો ફેલાવી કુમારપાળના નિશ્ચયને ફેરવવામાં આવ્યો હોય. કુમારપાળ એમાંથી રસ્તો શોધવા હેમચન્દ્રાચાર્ય પાસે ગયો.
જે પ્રાણીઓને દેવી પાસે વધ માટે આપવાનાં હતાં તે બધાંને દેવીનાં મંદિરમાં લઈ જવામાં આવ્યાં અને આખી રાત બરાબર બંદોબસ્ત રાખવામાં આવ્યો. સવારે જ્યારે લોકોની નજર સમક્ષ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે બધાં પ્રાણી સાજાંસમા ચરી રહ્યાં હતાં. આ જોતાં રાજાએ ગંભીર વાણીથી કહ્યું, “જો દેવીને આ પશુઓનું માંસ વહાલું હોત તો તે એનું ભક્ષણ કર્યાં વગર ન રહેત પરંતુ એમાંના એકનો પણ સ્વીકાર કર્યો નથી. માટે મારી જે ઘોષણા છે તે નિશ્વલ છે.”
બીજો પણ એક અત્યંત કરુણાસભર પ્રસંગ એ છે કે એક વખત મધ્ય રાત્રિએ આખું પાટણ નગર શાંત હતું ત્યારે આકાશને વીંધી નાંખતો કરુણ સ્વર કુમારપાળ રાજાના કાને પડ્યો. રાજા પોતાના પ્રાસાદેથી એકલો આ સ્વરદિશા તરફ ચાલી નીકળ્યો. ત્યાં શબ્દને પાસે ને પાસે આવતો સાંભળીને સાવચેત થઈ જુએ છે તો એક વૃક્ષ નીચે બેઠેલી એક સ્ત્રીને જોઈ. રાજાએ તેને કહ્યું, હે પ્રેમપૂર્ણ! અત્યારે આવી રીતે અહીં બેસવું યોગ્ય નથી ? ત્યારે તે સ્ત્રીએ તેનો
૧૨૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #176
--------------------------------------------------------------------------
________________
આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. સ્ત્રીની વાત સાંભળી રાજાએ આશ્વાસન આપી ન્યાય તોળ્યો. સ્ત્રી નિરાધાર થતાં તેનું ધન રાજપુરુષ લઈ લે તેવા નિયમનો ભંગ કરી તે સ્ત્રીને સાંત્વન આપ્યું. આવા અનેક પ્રસંગોથી કુમારપાળ રાજાની ઉદારતા, મહાનતા, કરુણા જણાય છે.
જ્યારે હેમચન્દ્રાચાર્યનો કાલધર્મ નજીક આવ્યો ત્યારે તેમનું વય ચોરાસી વર્ષનું હતું. વીસ વર્ષની વયથી એમણે એકધારી રીતે, ૬૪ વર્ષ સુધી સરસ્વતીની ઉપાસના કરી હતી. એમને લાગ્યું કે હવે પોતાના કાલનિર્માણનો સમય આવી પહોંચ્યો છે ત્યારે તેમણે સંઘને, શિષ્યોને અને રાજાને, મંત્રીને આમંત્રી છેલ્લી રજા લેવાનો નિશ્ચય કર્યો.
રાજાને વ્યગ્ર અને ચિંતાતુર જોઈને પોતે બોલ્યા, “હે રાજનું! તમારો શોક નકામો છે. તમે પોતે પણ હવે આંહી થોડો વખત છો !”
પછી સૌની સાથે વિનમ્રતાથી ક્ષમાયાચના કરી યોગીન્દ્રની જેમ, હેમચન્દ્રાચાર્યે અનશન વ્રત ધારણ કરી લીધું. છેવટે, એક પળ એવી આવી, જ્યારે એમને સઘળું વિશ્વ પોતાનામાં અને પોતે વિશ્વમાં છે એમ સ્પષ્ટ પ્રતીતિ થવા લાગી.
સંવત ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્ય પરમધામમાં ગયા !
હેમચન્દ્રાચાર્યની જીવનસિદ્ધિના ચાર પ્રકાર છેઃ એ વિદ્વાન સાહિત્યકાર છે, સંસ્કાર નિર્માતા સાધુ છે, સમય ધર્મી રાજનીતિજ્ઞ છે અને સૌથી વિશેષ એ આધ્યાત્મિક પંથના મહાન મુસાફર છે.
ભગવાન હેમચન્દ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞ' બિરુદ મુનિશ્રી પુણ્યવિજયજી યોગ્ય રીતે કહે છે તેમ, તેમના અદ્વિતીય ગુણોને આભારી છે.
અંતે હેમચન્દ્રાચાર્યનું જીવન અને કવન એટલું વિશાળ છે અને એ જીવન અને કવનને એમણે સર્વ સામાન્ય હિતમાં એવી રીતે ઓતપ્રોત કર્યું છે કે, એના સમ્યક અભ્યાસથી ગુજરાતી સાહિત્યની તેમ જ ગુજરાતના ઇતિહાસની કેટલીક નવી દિશા અને દૃષ્ટિઓ મળી શકે તેમ છે. .
સૂર્યોદય સમયે સરસ્વતી નદીકિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી – તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્યો અને તમને હેમચન્દ્રાચાર્ય દેખાશે’ –શ્રી ધૂમકેતુ
મીનાબહેન પી. ધારશી
૪, અજિતનાથ સોસાયટી પુલકિત સ્કૂલ પાસે, ફતેહપુરા, અમદાવાદ-380007
મો. 9879556621
ધૂમકેતુ કૃત હેમચંદ્રાચાર્ય + ૧૨૭
Page #177
--------------------------------------------------------------------------
________________
- શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત –
ગુજરાતનો જય’
જ હીના શાહ
Jસાહિત્યરસિક શ્રી હીનાબહેને પ્રસ્તુત લેખમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ગુજરાતનો જયનો જન્મ કેવી રીતે થયો તેની અપ્રગટ બાબતોને
સવિસ્તર જણાવીને આ નવલકથાનો પરિચય કરાવેલ છે. – સં.] ગુજરાતની ધરતી પર અનેક કવિઓ, શાયરો, સાહિત્યકારો થઈ ગયા, જેમણે લોકભાષામાં જે સાહિત્ય લખ્યું છે તે અમર થઈ ગયું છે. આજે પણ જ્યારે આપણે સાહિત્યકાર તરીકે કોણ આવે? તે વિચારીએ તો તેમાં સ્નેહરશ્મિ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી આદિ અનેક નામો યાદ આવી જાય. આ બધા જ સાહિત્યકારોએ બહુ જ ઊંચી ગુણવત્તાનું સાહિત્ય જગત સમક્ષ મૂક્યું છે. તેમાં પણ ઝવેરચંદ મેઘાણીએ તો ન ફક્ત નવલકથા લખી છે, પરંતુ જીવનચરિત્ર – જેમાં સોરઠના સંતો પણ આવી જાય અને રાજા અકબર પણ આવી જાય અને દયાનંદ સરસ્વતી પણ આવી જાય. તે ઉપરાંત નવલિકાઓ, કવિતાઓ, નાટકો, લોથા, લોકગીત, લોકસાહિત્યનાં સંશોધન, વિવેચન, પ્રકીર્ણ, શાયરી અને પત્રકારત્વ. સાહિત્યનું એક પણ પાસું તેમણે બાકી નથી રાખ્યું. આવી ઝળહળતી સફળતા અને બહુમુખી પ્રતિભા ધરાવનાર ઝવેરચંદ મેઘાણી વિશે પણ અનેક લેખકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે.
ઝવેરચંદ મેઘાણીએ “અંકલ ટોમ્સ કેબિન', “એન્ડ ક્લાયેટ ક્લોઝ ધ ડોન, ઓલ ક્લાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', કહ્ન જેવી સુપ્રસિદ્ધ કૃતિઓની ચર્ચા કરી છે. ટોલર, બાયરન, પુશ્કિન, બર્નાડ શો, બીથોવન, સમરસેટ મોમ, રશ્કિન જેવા વિદેશી કલાકારો અને દ્વિરેન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, સુભદ્રાદેવી, મૈથિલીશરણ ગુપ્ત જેવા ભારતીય નામાંકિત સર્જકો તેમની કલમ પર આવી ગયા છે. એ સમયમાં લગભગ અનન્ય ગણી શકાય તેવી ફિલ્મીકળાને સમજવાનો પણ તેમણે પ્રયાસ કર્યો છે. ચાર્લી ચેપ્લિનની ‘સિટી લાઈટ્સ' કે “મોડર્ન ટાઈમ્સ' જેવી સુવિખ્યાત ફિલ્મોની ચર્ચા કરી છે. તો આર્થિક કારણસર દિક્ષા લેતી યુવતીને દીક્ષા લીધા બાદ પરિવારની યાદ આવે છે એ ફિલ્મ કેડલ સોંગ' પર પણ તેમણે વિવેચન કરતા કહ્યું છે કે ધાર્મિક લાગણી દૂભવવાની ધાક છૂપી છરીઓ લઈ આ દેશમાં
૧૨૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #178
--------------------------------------------------------------------------
________________
ચોકી કરે છે.' ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યજીવનની ઘડતર કથાઃ
તેમનો જન્મ પાંચાળનાં સુપ્રસિદ્ધ કેન્દ્ર ચોટીલામાં, ડુંગરની તળેટીમાં ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬માં થયો હતો. ૧૯૧૨માં અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં જ તેમનામાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ લઈને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૧૬માં B.A. થયા. ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક થયા.
અભ્યાસ દરમિયાન લોકસાહિત્યનો ખ્યાલ સરખો પણ ન હતો. ગુજરાતી સાહિત્યમાં વિશેષ કરીને ન્હાનાલાલને વાંચતા. સ્કૂલના અભ્યાસ દરમિયાન કલાપી તેમનો પ્રિય કવિ હતો. અને અંગ્રેજી કવિઓમાં બાયરન તેમને ગમતો.
૧૯૧૭માં મેઘાણી કલકત્તા ગયા. ત્યાં બજારના સાઈનબોર્ડ પરથી ભાષા શીખ્યા. બંકિમચંદ્રની નવલકથાઓ અને બ્રિજેન્દ્રરાયનાં નાટકો વાંચવાં શરૂ કર્યા બ્રહ્મ સમાજની રવિવારની ઉપાસનામાં જતાં અને આવી રીતે બંગાળી ભાષા સમજતા થઈ ગયા. અને આ ભાષાના પરિચયથી પહેલું ગીત “દીવડો ઝાંખો બળે' રચાયું. ત્યાં તેમણે થોડા નાટકના પ્રવેશોનો અનુવાદ કરેલો. ત્યાંથી તેમને જાણે કાઠિયાવાડ સાદ પાડીને બોલાવતું હોય તેમ તેઓ ૧૯૨૧માં કાઠિયાવાડ પરત થયા, પરંતુ કાઠિયાવાડમાં આવીને જાણે દિશાશૂન્ય બની ગયા.
થોડા સમય પછી ઝવેરચંદ મેઘાણીએ બે-ત્રણ લેખો “સૌરાષ્ટ્ર પત્રમાં કોઈ જ ઉદ્દેશ વગર લખી મોકલ્યા. ત્યાં અમૃતલાલ શેઠનું ધ્યાન ખેંચાયું. અમૃતલાલ શેઠે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. અને સાહિત્યપ્રવૃત્તિમાં મેઘાણી જોડાઈ ગયા. તેમનું પ્રથમ ફૂલ તે કુરબાનીની કથાઓ.’ જેનાથી તેમણે સાહિત્ય ક્ષેત્રમાં મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની શરૂઆત
સૌરાષ્ટ્રનાં હડાળા દરબાર તરીકે જાણીતા વાજસૂર વાળાએ તેમને દીકરાની જેમ રાખ્યા હતા. ચારણો પાસેથી સાંભળેલી મૃત દસોંદીની વાતો કહેતા, આ વાતો મેઘાણીને ઘણી જ મીઠી લાગતી. આ કથા તેઓએ લખવાની શરૂઆત કરી. આ તેમની લોકસાહિત્ય દીક્ષા. ત્યાં તેમણે કાઠિયાવાડના જૂની વીરજાતિઓનાં રીતરિવાજની, ખાસિયતો, ખૂબીઓની અનેક માહિતી ભેગી કરી.
- ઝવેરચંદ મેઘાણીની ગેરહાજરીમાં જ સૌરાષ્ટ્રની નવી ભેટ તરીકે રસધાર આપવાની અમૃતલાલભાઈએ રજૂઆત કરી. તેથી પહેલો ભાગ ખૂબ જ ઉતાવળથી લખાયેલ જણાય છે. ૧૯૨૩માં “સૌરાષ્ટ્રની રસધાર' પહેલો ભાગ બહાર પડ્યો ને તેઓ લેખક તરીકે જાણીતા થયા. ૧૯૨૭ સુધીમાં રસધારના પાંચ ભાગ પૂરા થયા. લોકસાહિત્યનું સંશોધન-સંપાદન તેમના જીવનની ઉપાસના બની અને લોકસાહિત્યનાં સંશોધન બદલ તેમને ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત 'ગુજરાતનો જય’ + ૧૨૯
Page #179
--------------------------------------------------------------------------
________________
થયો. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું. જ્ઞાનપ્રસારક મંડળીએ મુંબઈમાં લોકસાહિત્ય વિશે તેમનાં છ વ્યાખ્યાન યોજ્યાં.
તેમની પર મોટી અસર તેમના જન્મસ્થળની જણાય છે. તેમના માતા ઘણા જ મધુર કંઠથી રાસ ગાઈ સંભળાવતા જેનાં સંભારણા ઘણા જ વર્ષો સુધી તેમની સાથે રહ્યા હતા. મેઘાણીના પિતા કાઠિયાવાડ એજન્સી પોલીસનાં નોકર તરીકે જુદાજુદા થાણામાં જતાં. મેઘાણી પણ નાનપણમાં વિકટ ગ્યાઓ જેવાં કે ડુંગર, નદી, કોતર, ખીણ કે રણમાં તેમની સાથે જતા. આ બધા ગામડાના પ્રવાસો ઘોડેસવારી કરીને કરતા ત્યારે તેમને કુદરતની ભયાનકતા, રમ્યતા, એકાંત, આહલાદકતાનો અનુભવ થવા લાગ્યો હતો. સાથે સાથે ગ્રામ્ય જનતાના પરિચયમાં પણ આવવા લાગ્યા અને જેના કારણે લોકગીતોનાં ગરબા, રાસ, હાલરડા, લગ્નગીતો આદિનું સર્જન થયું.
મેઘાણી જન્મભૂમિમાં કલમ અને કિતાબ એ કટાર તથા અન્ય સામયિકોમાં પણ કટાર ચલાવતા. આ રીતે તેઓ સાહિત્યિક પત્રકાર હતા. તેમનામાં સાહિત્યની એક વિશાળ સમજ હતી. સાહિત્ય પ્રત્યેની તેમની દૃષ્ટિ સાહિત્યલક્ષી અને રસલક્ષી છે એમ તેઓ પોતે કહેતા. તેમની સાહિત્યદૃષ્ટિ સાંકડી નહોતી પરંતુ એમાં ભરપૂર જીવનલક્ષિતા સમાયેલી હતી. તેમનાં લોકસાહિત્ય તરફનાં આકર્ષણનાં મૂળમાં લોકજીવન, લોકઇતિહાસ, લોકસંસ્કાર તરફ અનુરાગ જણાય છે. બહારવટા સંબંધી મીમાંસાઓ અંગે તેઓ કહેતા કે એ સાહિત્યદષ્ટિએ નહીં પરંતુ જીવનનાં મૂલ્યાંકનની દષ્ટિએ થયેલી છે. લોકસાહિત્ય એ એમના માટે શાશ્વત જીવનનું રસાયણ હતું. કવિતા સર્જનઃ
ત્રીસીનાં ગાળામાં કદાચ સૌથી વધુ રંગીન કવિમાં મેઘાણી આવે છે. પ્રણય, પ્રકૃતિ, યુગનાં આદર્શો ને પ્રવૃત્તિઓ આ સર્વ પ્રત્યે એમનું વલણ ઊર્મિલ ભાવના પરસ્તનું છે. ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું છેલ્લો કટોરો' એ કાવ્ય ૧૯૩૧માં તેમણે લખ્યું. એ જોઈને ગાંધીજીએ કહ્યું, મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. ત્યાર પછી રાષ્ટ્રીય શાયર' તરીકે તેઓ ઓળખાયા.
ગાંધીજીનાં અંતરમાં પ્રવેશી શકનાર અને ગાંધીભાવનાનાં હૃદયંગમ કાવ્યો રચનાર આ કવિ ગાંધીવિચારને પ્રતિબદ્ધ ન હતા. તેઓ પોતાને ફુરેલા કાવ્યોને કોઈ ઊંચા સ્થાને મૂકતા ન હતા, પરંતુ એને માત્ર સમયજીવી' કહેતા. ઝવેરચંદ મેઘાણીની લેખનપ્રવૃત્તિ વિશે તેમનું આત્મ-નિવેદનઃ
ઝવેરચંદ મેઘાણી કહેતા, હું કેમ લખું છું? હું જો કહીશ કે કશા વિચાર વિના કે પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર લખું છું, તો લોકો માનશે નહીં, અથવા તો મારા સર્જન વિશે મોહ ગુમાવી દેશે. ૧૩૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #180
--------------------------------------------------------------------------
________________
તેઓ કહેતા કે હું કશી જ પૂર્વયોજના કે રૂપરેખા બાંધ્યા વગર પ્રારંભ કરું છું. પ્રારંભ પૂર્વેની મનોદશા અત્યંત અકળાવનારી હોય છે. લખવાની ફરજમાંથી કોઈ પણ વાતે છટકવાની ઈચ્છા થાય છે. લખવું એ સજા કે શ્રાપ સમાન લાગે છે, પરંતુ એક વખત પ્રારંભ કરું એટલે એની મેળે જ આકૃતિઓ ઉપસવા લાગે.
હું નથી હિંડોળે બેસીને લખતો કે નથી અમુક પ્રકારનાં કાગળ કલમથી લખતો. બાહ્ય ઉપચાર તો માણસની આદત છે. સર્જન માટે કોઈ અનિવાર્ય પરિસ્થિતિ નથી. હા, પણ મેં સખત પરિશ્રમ કર્યો છે. બાહ્ય પ્રલોભનોને આવવા દીધું નથી. દિલને ઘણા જ ઘાવ પડ્યા છે, પરંતુ તેણે જ મારી સર્જનકલાને દીર્ઘજીવી બનાવી છે. ગુજરાતનો જયની પસંદગી:
ઝવેરચંદ મેઘાણીએ અનેક નવલકથા લખી છે. તેમાં આ નવલકથા ભારતનું અને ગુજરાતનું ઐતિહાસિક પાસે ઉજાગર કરે છે. ગુજરાતનો જય' ગુજરાતના પુનરુદ્ધારની ગૌરવકથાનું આલેખન કરે છે અને આ પુનરુદ્ધારમાં ગુજરાતના બે વણિક બંધુઓ વસ્તુપાળ અને તેજપાળ નષ્ટ થયેલા ગુજરાતને એકચક્રી તથા મહિમાવંત બનાવવા કમર કસે છે.
વસ્તુપાળ અને તેજપાળ એ બંને જૈન સમાજના અગત્યના પાત્ર છે. ગુજરાતની પ્રજા જેને ફક્ત દાનવીર તરીકે જ ઓળખે છે તે દાનવીરની સાથે ભડવીર પણ હતા, જેમણે ગુજરાતને જીવંત રાખવામાં અપૂર્વ યોગદાન આપ્યું છે. અને આ પાસુ થોડું દબાયેલું હતું. આ નવલકથામાં વસ્તુપાળ-તેજપાળની ધાર્મિકતાની વાતો ઓછી છે, પરંતુ તેઓ રાજનીતિમાં કેવા અબ્દુલ હતા તેના પર પ્રકાશ પાડ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ આ નવલકથામાં ઐતિહાસિક, રાજનૈતિક, સામાજિક અને કૌટુંબિક ઘટનાની સુંદર રીતે છણાવટ કરી છે. જૈન મુનિઓ ફક્ત ધર્મ, અધ્યાત્મ, સ્વર્ગ કે મોક્ષની વાતો ન કરતા પરંતુ તેઓ રાજનીતિમાં પણ સક્રિય હતા અને જરૂર પડ્યે મંત્રી કે રાજાઓને માર્ગદર્શન આપતા. આ આખી કથામાં મુખ્ય વાત એ વણિક બંધુઓ, બે ક્ષત્રિયો અને એક સ્ત્રીની આસપાસ ફરે છે. ગુજરાતનો જયનું સર્જન
એક વખત વડોદરામાં વાર્ષિક વ્યાખ્યાનમાળા ચાલતી હતી. તેમાં એક વક્તા ઝવેરચંદ મેઘાણી પણ હતા. ત્યાં તેમનો મેળાપ જૈન મુનિ શ્રી જિનવિજયજી સાથે થયો. તેઓએ ઝવેરચંદ મેઘાણીના હાથમાં કેટલાક નવા ગ્રંથો મૂક્યા. આ બધા ગ્રંથો શાંતિનિકેતનના વિશ્વભારતીની શ્રી સિંઘી જૈન વિદ્યાપીઠ તરફથી મુનિજીએ સંશોધિત-સંપાદિત કરેલા પ્રાચીન સંસ્કૃત પ્રબંધોનાં સંગ્રહો હતા. મુનિશ્રીએ એવું માનીને આ ગ્રંથો મેઘાણીજીને આપ્યા કે આ ગ્રંથોની નોંધ તેઓ જન્મભૂમિની ‘કલમ-કિતાબ' કારોમાં લે. વિવેચન ક્ષેત્રમાં તે વખતે ઝવેરચંદ મેઘાણીને ફક્ત પાંચ વર્ષ થયા હતા.
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત 'ગુજરાતનો જય' + ૧૩૧
Page #181
--------------------------------------------------------------------------
________________
તેમને લાગ્યું કે એક સુખ્યાત વિદ્વાનના આવા મૌલિક સંપાદનોની સમીક્ષા લેવા મળે, એ મોટું માન મળ્યા બરોબર છે. તેમણે ઘરે આવીને હોંશે હોંશે આ ગ્રંથોનાં પાના ફેરવ્યાં. પરંતુ તેમને આ કામ ઘણું જ અશક્ય લાગ્યું. તેમણે ૧૯૧૭માં B.A.ની examમાં સંસ્કૃત પ્રશ્નપત્રને લખ્યા પછી સંસ્કૃતિને તિલાંજલિ આપી હતી. અનુવાદ વગરનાં આ સંસ્કૃત પ્રબંધપાઠમાં તેમણે પોતાની અશક્તિ કબૂલી લીધી અને આ પ્રકરણને પૂરું કરેલું માન્યું.
આ પછી ઘણા મહિનાઓ પછી તેમનો મેળાપ માટુંગામાં મુનિશ્રી સાથે થયો. એ વખતે મુનિ જિયવિજયજી ઊંચા નંબરના ચશ્માં પહેરીને ઝીણાં ઝીણાં પૂફ આંખો પાસે માંડીને તપાસતા હતા. તેમણે કહ્યું કે આંખોના તેજ ઓછા થયા છે પરંતુ પૂફો વાંચવાનો પાર નથી. મેઘાણીને આપેલા તેના જેવા પ્રબંધોનાં તો ગંજેગંજ પડ્યા છે. તેનો ઉદ્ધાર કોણ કરશે?
મેઘાણીએ શરમાઈને કહ્યું કે, મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન કટાયેલું ને અણખેડાયેલું છે. પ્રયત્નો કરવા છતાં પ્રબંધો ઉકેલી શકાતા નથી. | મુનિશ્રીએ પ્રબંધોનું સંસ્કૃત કેટલું સહેલું છે તે બતાવતા તેમણે વસ્તુપાળતેજપાળનો પ્રબંધ ખોલીને લવણપ્રસાદ, દેવરાજ પટ્ટકિલ ને મદનરાણીવાળો એક ફકરો વાંચી સંભળાવ્યો (જેના આધારે ગુજરાતનો જયનાં પ્રથમ પ્રકરણની શરૂઆત થઈ.) મુનિએ કહ્યું કે આવા તો અનેક પ્રસંગો પ્રબંધમાં પડ્યા છે. ખાસ કરીને વસ્તુપાળ – તેજપાળનાં પ્રબંધમાં.
- ઝવેરચંદ મેઘાણી આ પ્રસંગથી સંસ્કૃતનાં વાંચનની ચાવી લઈને ઘરે આવ્યા અને પ્રબંધોના અર્થો આ ચાવીથી ખોલવા માંડ્યા. તેઓને સંસ્કૃત લોકસાહિત્ય જેવું સરળ અને મીઠું લાગ્યું. પ્રબંધની ભાષાકીય સરળતાની ચાવી જડી અને તેનાં પરિણામ સ્વરૂપ આ વાર્તાની ઉપલબ્ધિ થઈ. વાતનું એક પણ પાત્ર કલ્પિત નથી. વાર્તાનાં લગભગ બધાં જ મુખ્ય પ્રસંગો પ્રબંધોના આધારિત છે.
આ સમગ્ર કાળપટને તેમણે બે ખંડમાં આલેખ્યા છે. પ્રથમ ખંડમાં ગુજરાતનાં એ મહાન પુનરુદ્ધારકો હજુ પ્રવેશદ્વારે ઊભેલા છે, જ્યારે બીજા ખંડમાં ગુજરાતનાં પુનનિર્માણમાં શૃંગો અને તેનાં પતનની કંદરાઓ બને છે. બીજા ખંડમાં કલ્પનાને ઓછું સ્થાન છે, પરંતુ ઇતિહાસથી વધુ ચણતર કરાયું છે. બે વીર ક્ષત્રિયો, બે વીર વણિકો, એક બ્રાહ્મણ અને બે નારીઓ એવા સાત મુખ્ય પાત્રોએ પોતાના પરાક્રમ, શીલ, શાણપણ અને સમર્પણથી ગુર્જર દેશને અંધકારમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો છે.
- ઝવેરચંદ મેઘાણીએ અલગ અલગ પાત્રોને પોતાની નવલકથામાં ઉપસાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. રાણા લવણપ્રસાદનો પુત્ર અને વરધવલનો ભાઈ વીરમદેવને અનાડીનું સ્વરૂપ આપ્યું છે. તેને દુષ્ટ તરીકે ન ઓળખાવતા કંઈક ગેરસમજનો ભોગ બનેલ, તિરસ્કૃત પાત્ર તરીકે ઉપસાવ્યું છે. લવણપ્રસાદને વિષ દઈને માર્યાની હકીકત ઝવેરચંદ મેઘાણીએ મુનિશ્રી જીનવિજયજીએ સંપાદિત કરેલ પુરાતન પ્રબંધ ૧૩૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #182
--------------------------------------------------------------------------
________________
આધારિત છે. તેજપાળને અનુપમા ઉપરાંત સુહડા નામે બીજી પત્ની હતી, એવું ‘આબુ’ નામના ગ્રંથના બીજા ભાગમાં તેના કર્તા મુનિશ્રી જયંતવિજયજીએ આપેલ પ્રાચીન લેખો, પ્રશસ્તિઓમાંથી તેમણે લીધું છે.
‘ગુજરાતનો ય’ નવલકથાની ઝલકઃ
મંઝિલપુર (આજનું માંડલ)ના તળાવના કિનારે ત્રણ છોકરા અને ત્રણ છોકરી સાથે ચાલીસેક વર્ષની ઉંમરની બાઈ ઊભી હતી. જેણે રાતી સાડી પહેરી હતી. હાથમાં ચૂડો નહોતો. પહેરવેશ વિધવા જેવો પરંતુ મોં પર તેજ ઝગારા મારતું હતું. તેની આંખોમાં ધાર્મિક શાંતિ અને ઉંમરની પૂરેપૂરી પચાવેલી વેદનાભરી સ્વસ્થતા હતી.
તેમણે તેમના ત્રણેય પુત્રોને નવકારમંત્ર, શાંતિપાઠ અને મંગળસ્તોત્ર સંભળાવીને શૈવપંથી ગુરુ કુમારદેવ પાસે પાટણ મોકલ્યા. ત્રણેય પુત્રોનાં નામ વસ્તિગ, તેજિગ અને સૌથી મોટો ભાઈ લુણિગ હતા. જેને આજે આપણે વસ્તુપાળ અને તેજપાળ તરીકે ઓળખીએ છીએ. લુણિગ હંમેશાં માંદો રહેતો અને તેનું નાની ઉંમરમાં અવસાન થયું હતું. ત્રણેય પુત્રીઓનાં નામ વયજૂકા, સોહગા અને ધનદેવી હતું.
આ સંતાનોની વૈધવ્યવતી માતા એટલે તે કુંઅરબાઈ. ગામના લોકો કુંઅરબાઈનાં વખાણ કરતા થાકતા નહોતા. લોકો કહેતા કે અમારા ગામમાં ડાહ્યું માણસ તે આ કુંઅર શેઠાણી. તેમને પેટ અવતાર લેવા જોગ જોગમાયા છે. તેમના પતિ તે આસરાજ શેઠ.
અરબાઈના વિવેચનમાં ઝવેરચંદ મેઘાણીને તેમના પ્રત્યેનો અહોભાવ દેખાઈ આવે છે. તેમનું શબ્દચિત્ર આપતાં તેઓ લખે છે કે, કુંઅરબાઈને ભગવાન નવો હશે ત્યારે ઘડી હશે. એવી ગોરી, નમણી, હીરામોતીથી શોભતી, આનંદનો અવતાર અને રૂપનો ભંડાર. બારમે વર્ષે પરણીને બે જ મહિનામાં વૈધવ્ય આવ્યું. વૈધવ્ય આવતા તે ધરમમાં ઊતરી ગયા. એ તેર-ચૌદ વર્ષની દીકરી ભલભલા સૂરિઓને ય ભૂ પાઈ દે તેવી ચર્ચા કરે, શાસ્ત્રો તો કડકડાટ મોંઢે બોલે. આંબેલ – ઉપવાસ – પૂજા – પ્રતિક્રમણ આ બધું રોજનું થઈ ગયું. સાધુઓને પણ થાય કે હવે કુંઅર ક્યારે દીક્ષા લે.
સોમમંત્રી જે મહારાજ સિદ્ધરાજના કારભારી હતા. તેમનો પુત્ર એટલે આસરાજ, જે અરબાઈના પિતા આભૂશેઠને ત્યાં વાણોતર તરીકે રહેતા હતા. આ આસરાજે એક રાતે વિધવા કુંઅરબાઈનું અપહરણ કર્યું, કારણ કે મહારાજ હરિભદ્રસૂરિએ કહ્યું હતું કે કુંઅરબાઈ વૈધવ્ય નહીં ભોગવે. કુંઅરબાઈ ચાલતા હતા ત્યારે તેમણે સામુદ્રિક ચિહ્નો જોયા હતા. સૂરિજીએ કહ્યું કે તેઓ વૈધવ્ય ભોગવવા માટે નહીં પરંતુ તે તો રત્નોની જનેતા બનવા સર્જાયાં છે. સંસારનો ત્યાગ કરનાર સાધુ ભવિષ્ય જોઈ શકતા હતા અને તેને યથાર્થ ઠેરવવા માટે
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય’ + ૧૩૩
Page #183
--------------------------------------------------------------------------
________________
તેમણે આસરાજ અને કુંઅરબાઈને મેળાપ કરાવવા માટે પ્રયત્ન કર્યા. તેમનાં લગ્ન પછી સાધુ હરિભદ્રસૂરિની વાણીને સાચી ઠરાવતા કુંઅરબાઈ અગિયાર સંતાનોની માતા બને છે. જેમાંથી વસ્તુપાલ અને તેજપાળે ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ રોશન કર્યું.
પાટણ વિદ્યા શીખવા જતા આ બાળકોને ધોળકાનો રાણા લવણપ્રસાદ મળે છે, જેને વાણિયાઓ માટે કંઈક તિરસ્કાર છે. અને છોકરાઓને કટુ વચન સંભળાવતા વ્યંગમાં બોલે છે કે, તમે ભણવા જાવ છો, ત્યાં જઈને બાયડીને મૃગાક્ષી કહેવાય કે મીનાક્ષી કહેવાય એવું વાદ કરતાં બરાબર શીખજો. અને ઉપાલંભ ભરી દષ્ટિથી કહ્યું કે મીનાક્ષીઓ અને મૃગલાક્ષી જ્યારે મૃગલાને માછલાંની માફક લૂંટાતી હોય, ફસાતી, તરફડતી હોય ત્યારે તેની રક્ષા કેવી રીતે કરવી, તેનું ભણતર તો તમારા ધરમમાં છે જ નહીં. નાહકની હિંસા થઈ બેસે. સાચું ભણતર તો અપાસરામાં ગોરજીની સામે ઊઠબેસ કેટલી કરવી અને પારસનાથની પ્રતિમાને કેસરનાં કેટલા ચાંદલા ચોડવા એ જ છે. વળી, કટાક્ષમાં હસતા કહ્યું કે, મોટા થઈને જાતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી દેજો અને પછી લીલાલહેર કરજો.
ઉપરના પ્રસંગને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ બહેલાવીને લખ્યો છે કે એક વખત તો એમ થઈ જાય કે કદાચ લવણપ્રસાદની વાત સાચી છે. આમાં અન્યધર્મી લોકોનો જૈનધર્મી લોકો પ્રત્યે થોડો ઉપાલંભ, તિરસ્કાર દેખાઈ આવે છે. જૈનધર્મી દંભી છે તેવું પણ કદાચ લોકો માનતા હશે તેવું આ પ્રસંગથી દેખાઈ આવે છે.
લવણપ્રસાદનાં કટુ વચનો મેઘાણીએ ટાંકતા વધુમાં લખ્યું છે કે પટ્ટાબાજી, સમશેરવિદ્યા નહીં કરો તો ચાલશે, પણ વ્યાકરણમાં પાવરધા બનશો તો રાજપા મળશે દેવગિરિનો જાદવ સિંઘણ તમને રાજકવિનો મોડ બાંધશે. આવા કટુવચનો સાંભળીને ત્રણેય છોકરાઓને પગથી માથા સુધી ઝાળ લાગે છે અને જાણે એવું લાગે કે એ જ વખતે તેમનામાં ક્રાંતિકારી બીજ રોપાયા હશે. ગુરુ કુમારદેવની શિક્ષા:
સાઠ વર્ષનાં શૈવપંથી ગુરુ કુમારદેવ પાસે વસ્તિગ અને તેજિગ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણ, રાજનીતિશાસ્ત્ર અને જીવનના પાઠ શીખ્યા. જ્યારે મોટો બંધુ લુણિગ અભ્યાસમાં કંઈક અશક્ત હતો, તેણે અભ્યાસની આશા છોડી દીધી હતી, પરંતુ તેને શિલ્પ અને સ્થાપત્યમાં અત્યંત રુચિ હતી. જ્યારથી આબુ પર્વત પર વિમલ વસહીનું જિનમંદિર જોયું હતું ત્યારથી તેને જિન પ્રતિમા બનાવવાના અત્યંત શુભ મનોરથ થયા કરતા હતા.
ગુરુ કુમારદેવ વસ્તિગ અને તેજિગને આશીર્વાદ આપતા કહેતા કે, તમે સમભાવી બનો ને કોઈક દિવસ ભવિષ્યમાં ગુજરાતની ભૂમિને આ ધાર્મિક વૈરવૃત્તિમાંથી બહાર કાઢો. સર્વ નદીઓ એક જ સાગરમાં ઠલવાય છે તેવી જ
૧૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #184
--------------------------------------------------------------------------
________________
રીતે સર્વ ધર્મો એક જ ઈશ્વરમાં લય પામે છે. તેઓ કહેતા કે સર્વ માર્ગોને ગુજરાતના પુનરુદ્ધારની ટોચે લઈ જાઓ, અને સર્વ વ્યક્તિગત સિદ્ધિઓનો ફૂલહાર ગૂંથીને મા ગુજરાતને કંઠે આરોપો. ગુજરાત પ્રત્યેનો ગુરુ કુમારદેવનો અનુરાગ દેખાઈ આવે છે. અને ગુજરાતનાં પુનરુદ્ધારનું બીજ વસ્તુપાળ અને તેજપાળમાં જે રોપાઈ ગયું હતું તેને ખાતર-પાણી મળવા લાગે છે.
આ બાળકોને શૈવપંથી ગુરુ કુમારદેવ જૈન મુનિ હરિભદ્રસૂરિ પાસે વંદન કરાવવા લઈ આવે છે. અને બાળકોની ઓળખાણ આપતા કહે છે કે આ બાળકોનાં માતા કુંઅરબાઈ અને પિતા આસરાજ જેમનો મેળાપ આપે કરાવ્યો હતો. તે વખતે શૈવ અને જૈનમાં ઘણા જ ભેદ હતા, વેરઝેર હતા, તેઓ એકબીજાના કટ્ટર દુશમનો હતા. તે વખતનાં બંનેના સંવાદનું ભાવવાહી વર્ણન કરતા મેઘાણીએ સર્વધર્મ સમભાવની ભાવનાનું સમર્થન કર્યું છે. આ સંજોગોમાં ગુરુ કુમારદેવ અને જૈન મુનિ એકબીજાને સન્માન આપે છે. દિલથી વંદન કરે છે. ક્ષમા માંગે છે. અને જ્યારે મુનિ હરિભદ્રસૂરિ કાળધર્મ પામે છે ત્યારે તેમનો મૃતદેહ અશ્રુભરી આંખોવાળા કુમારદેવના જનોઈધારી ખંભા પર ટેકવાય છે. જાણે કે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું.’ આ ગીતની અનુભૂતિ થાય છે. રાજનીતિમાં જૈનમુનિની સલાહ:
ફક્ત ધર્મ – અધ્યાત્મ બાબતે જ નહિ, પરંતુ જિંદગીના કપરા સમયમાં કે રાજનીતિના આટાપાટા વચ્ચે વ્યવહાર શું સાચો હોવો જોઈએ તેની જૈન મુનિ સલાહ આપતા હતા. આ પાસુ ઉજાગર કરતા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે ઉપાશ્રયમાં મુનિ હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ, વસ્તુપાળ, તેજપાળ, સોમેશ્વરદેવ અને દેવરાજ પટ્ટકિલ મળીને રાજ કારભાર વિશે ચર્ચા વિચારણા કરતા હતા.
એક જૈનમુનિ, એક બ્રાહ્મણ ગુરુપુત્ર, બે વણિક વીરબંધુઓ, એક ક્ષત્રિય આ બધા જ એકસાથે અને એક મત પર વિચારણા કરતા જોવા તે દશ્ય અજોડ લાગે. તેજપાળે મંત્રીપદ લેતાં પહેલાં વિજયસેનસૂરિજીએ કહ્યું કે મંત્રીપદ એ લોઢાના ચણા છે. એ ફક્ત લક્ષ્મીનો ચાંદલો નથી, જો ધ્યાન ન રહે તો એ મેશની ટીલી પણ બની શકે. તેમણે તેજપાળને આગળ કહ્યું કે, જો બુદ્ધિ, ચિત્તવૃત્તિ અને તલવાર એ ત્રણ તમારી સાબૂત હોય તો જ મંત્રીપદ માટે હા ભણજો. શ્રાવકો કે સાધુઓની અને સંઘની વાહવાહ પર વિશ્વાસ નહીં મૂકતા. જિનમંદિરો કે શિવપ્રસાદો નહીં બનાવો તો ચાલશે પણ વણકર, ખેડુ, મુસ્લિમ અને બીજા નાના વ્યક્તિઓનાં દિલ જીતવા પડશે.
જે મંત્રી કોઈનાં માથા ઉપર હાથ મૂક્યા વગર ભંડાર વધારી શકે, કોઈને દેહાંતદંડ દીધા વગર દેશનું રક્ષણ કરી શકે, ને લડાઈ કર્યા વગર રાજ્ય વધારે તેને કુશળ મંત્રી સમજવો.
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત “ગુજરાતનો જય’ + ૧૩૫
Page #185
--------------------------------------------------------------------------
________________
વસ્તુપાળનાં લગ્ન લલિતા સાથે થયા હતા. તે ઉપરાંત લલિતાની બહેન સોખુ સાથે તેમણે બીજા લગ્ન કર્યાં હતાં. તે કવિહૃદય હતા. જ્યારે તેજપાળ સૈનિક યોદ્ધા હતા. તેમનાં લગ્ન અનોપ કે જેને આજે આપણે અનુપમાદેવીથી ઓળખીએ છીએ તેની સાથે થયાં હતાં. અનોપ વર્ષે શ્યામ હોવાથી તેજપાળને પસંદ ન હતા. તેજપાળ તેમની વારંવાર અવહેલના કરતા હતા, પરંતુ અનોપ ખૂબ જ સુશીલ અને ખાનદાન ઘરનાં પુત્રી હતાં તેથી તે દરેક વસ્તુ સમભાવથી સહન કરતા. અને અત્યંત ધાર્મિક વૃત્તિનાં હોવાથી તેમનું ધ્યાન મોટા ભાગે ધર્મમાં જ રહેતું.
વસ્તુપાળની સહૃદયતાઃ
વસ્તુપાળ કવિહૃદય હતો. તે પોતાની બંને પત્નીઓ માટે પ્રેમભરી કવિતાઓ રચતો. વસ્તુપાળને માતા પ્રત્યે અનુપમ પ્રેમભક્તિ હતી. નાના ભાઈની પત્ની અનોપમાદેવી માટે સન્માન, આદરની ભાવના, ભગવાન માટેની ભક્તિ, સાધુસંતોની સેવા અને આ બધાની સાથેસાથે રાજનીતિમાં ન્યાય અને નિષ્ઠાથી તેમનાં મંત્રીપદને ગરિમા મળતી હતી. ઘોડિયાની દોરી તાણનાર એક ગોલામાં તેનું કૌવત પારખીને તેને સૈનિક બનાવ્યો અને તેનામાં વિશ્વાસ મૂક્યો. આ સૈનિક ભૂવનપાલ વસ્તુપાળની બહેન વયજૂકાનો પ્રેમપાત્ર બન્યો. આ ભુવનપાલ જૂના મંડલેશ્વર લાટપતિ સિંધુરાજનો પુત્ર શંખરાજ (ઉર્ફે સંગ્રામસિંહ)ની સામે એક વીરની જેમ ઝઝૂમ્યો. અને શહીદ થયો. ત્યારે એક અદના સૈનિક માટે પણ વસ્તુપાળે પૂરા અદબથી માથા પરથી પાઘડી ઉતારીને, દુપટ્ટો માથે ઓઢીને અગ્નિસંસ્કાર કર્યાં. શત્રુંજ્યની વિજ્યયાત્રા
વિ.સં. ૧૨૧૭માં માઘ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે ધોળકાનાં મહામાત્ય વસ્તુપાળે સમસ્ત ગુર્જરભૂમિની પ્રથમ દેવયાત્રા કાઢી હતી. વસ્તુતઃ એ વિજયયાત્રા હતી, જેનાં સંઘપતિ વસ્તુપાળ હતા અને સંઘની અધિષ્ઠાત્રી હતા દાનમૂર્તિ અનુપમા દેવી.
આ વિજ્યયાત્રાનું વર્ણન કરતા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે સંઘમાં ઘોડા, હાથી, સાંઢ તૈયાર કરેલા હતા. બ્રાહ્મણોની કતાર વેદના ઘોષ કરતી હતી. ભોજકો ગાતા હતા. ચારણો પ્રશસ્તિના છંદો લલકારતા હતા. આગળ રથમાં પ્રભુનું દેવાલય, દેવને માથે ત્રણ છત્રો, વસ્તુપાળની બંને પત્ની સોખુ અને લલિતા હાથમાં ચામર લઈને નૃત્ય કરતી વીંઝણા ઢાળતી હતી. તૂરી ભેદના નાદ થતા હતા. મેઘાણીજીએ આગળ આબેહૂબ વર્ણન કરતાં લખ્યું છે કે આદિનાથનું દેવાલય, દીપ-ધૂપ, કપૂર-કેસરથી મઘમઘતું હતું. તેના પ્રવેશદ્વાર પર એક પૂરા માપની સ્ત્રી પ્રતિમા હતી. જે શોભનદેવ શિલ્પીએ બનાવેલ હતી. પ્રતિમાને જોઈને વસ્તુપાળનાં નેત્ર સજળ થઈ ગયા અને એ યોદ્ધામાંથી એક બાળક બની જાય છે. એણે રૂદનભર્યા અવાજમાં આક્રંદ કર્યું. બા! ઓ બા! ગુર્જરેશ્વરનો મંત્રી એક ૧૩૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #186
--------------------------------------------------------------------------
________________
અનાથ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડે છે. પરંતુ મુનિ શ્રી વિજયસેનસૂરિએ જ્યારે વાત્સલ્યભાવથી તેમને હિંમત આપી ત્યારે તેઓ થોડા સ્વસ્થ થયા.
લલિતા અને સોખુ માટે મદભરી કવિતાઓ રચનાર વસ્તુપાળ આદિનાથ પ્રભુ માટે કાવ્ય રચવા લાગ્યા. શત્રુંજ્યનાં આદિનાથ પ્રાસાદનાં ઘુમટ નીચે કાવ્યઘોષ તેમનાં અંતરમાં ઊઠવા લાગ્યા. અને ચેતનાસભર શબ્દો તેમના મોંએથી સર્યાં.
त्वत्प्रासादकृत नीड वसन् शृण्वन गुणास्तव । संघदर्शनतुष्टात्मा भूयासं विहगोऽप्यहम् ॥
અર્થાત્ આ તારા મંદિરમાં માળો કરતો, અંદર વસતો, તારા સ્તવનો સુણતો અને તારા યાત્રીસંઘોનાં દર્શન સંતુષ્ટ બનતો હું એક પંખી જન્મ્યું, તારા ઘુમટમાં પારેવું બની ઘુઘવતો રહું એવું હું ભાવું છું. હે નાભેય! હે ઋષભદેવ ! ત્યાર બાદ વધારે ધ્યાનમાં ઊતરી જતાં વસ્તુપાળે એક નવી રચના કરી.
यद दावे द्युतकारम्य, यत्प्रियायां वियोगिनः ।
यद राधावेधिनः लक्ष्ये, तद् ध्यानं मेडस्तु ते मते ॥
દાવમાં જેવું જુગારીનું ધ્યાન, વિરહી પિયુનું જેવું પ્રિયામાં ધ્યાન, તીરંદાજનું જેવું નિશાનમાં ધ્યાન, તેવું જ એકાગ્ર ધ્યાન, હે દેવ! મારું પણ (ધ્યાન) તારામાં લાગી રહો.
ગિરાિજથી નીચે ઊતરતા પહેલા વસ્તુપાળે જોયું કે એક માલણનાં ઘણા જ ફૂલો વેચાયા વગરનાં રહી ગયાં છે અને ત્યારે તેમણે એ બધા જ ફૂલો લઈને સર્વ તીર્થંકરોના દેવાલયરૂપ ગિરિરાજ શત્રુંજ્યની પૂજા કરી. તેમને આ સિદ્ધાચલ યોગાસન વાળીને બેઠેલો મહાસિદ્ધ લાગતો હતો.
આવા કવિહૃદય વસ્તુપાળ વિ. સં. ૧૨૯૮માં સર્વેને ખમાવીને મહારાજા વીસળદેવ પાસે શત્રુંજ્ય પર્વત ૫૨ જવાની રજા માગે છે કારણ કે તેમને લાગ્યું કે આયુષ્ય હવે તૂટતું જાય છે. રજા માંગતી વખતે તેમણે રાજાને અરજ કરતાં કહ્યું કે આ વ્રતધારી સાધુઓને કોઈ સંતાપશો નહિ અને તેનું રક્ષણ કરજો. અનશનુ લીધા પછી પણ તેમનાં કંઠમાં એક સુક્તિ રમતી હતી.
न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् । मनोरथैकसाराणामेवमेव गतं वयः ॥
અર્થાત્ અહો ! સત્પુરુષોના સ્મરણને લાયક એક પણ સુકૃત્ય થઈ શક્યું નહિ. આયુષ્ય એમ ને એમ જ ચાલ્યું ગયું. તેમના મૃત્યુ પછી તેમની બંને પત્નીએ પણ અનશન વ્રત લઈ દેહ વિસર્જન કર્યો.
ઉપસંહારઃ
આ નવલકથામાં સદીકની લુચ્ચાઈ, શંખની ધૃષ્ટતા, ગોધક (આજનું ગોધરા) નો ઘુઘલરાજ કે જેનાથી આખો ગુર્જર દેશ થરથર ધ્રુજતો તેને એક કાષ્ટપિંજરમાં
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય' + ૧૩૭
Page #187
--------------------------------------------------------------------------
________________
કેદ કરીને, સાડી પહેરાવીને અને કાજળ લગાડીને તેજપાળ લઈ આવ્યો. આવો કદાવર અને બિહામણો ઘુઘલરાજ શરમના માર્યાં જીભ કરડીને કાષ્ઠપિંજરમાં જ દેહત્યાગ કરે છે. આવી અનેક ઘટનાની ઝવેરચંદ મેઘાણીએ ઐતિહાસિક રીતે મુલવણી કરી છે.
તો તેજપાળનું પણ ખૂબ સુંદર ચિત્રણ રજૂ કર્યું છે. એક યોદ્ધા તરીકે તેજપાળનો ગુસ્સો, અનુપમાદેવીની અવહેલના કરતા તેજ્વાળ અને તે જ તેજપાળ જ્યારે અનુપમાદેવી મૃત્યુ પામે છે ત્યારે ઘર આક્રંદથી ભરી દે છે. અનુપમાદેવીની ધાર્મિકતા, ઉદારતા, રાજનીતિમાં કુશળતા, કોઈને અન્યાય ન થાય તેવી ભાવના, પોતાની ધાર્મિકતાથી તેજપાળને તકલીફ થતી જાણી તેના માટે બીજી પત્ની લઈ આવવાની ઉદાર ભાવના, નાની વ્યક્તિનું પણ ધ્યાન રાખે અને કુટુંબ વાત્સલ્યથી છલોછલ એવા અનોપમા દેવીનું નામ અમર થઈ જાય તેવું તેનું ચિત્રણ કર્યું છે.
સાહિત્ય વિશે તેમની વિભાવના વ્યક્ત કરતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે ધ્યેય અને સાધ્ય જીવન છે. જ્યારે સાહિત્ય માત્ર સાધન છે. આ સાધનની શુદ્ધિ સચવાય તો જ સાધ્ય મળી શકે. મેઘાણીનાં લખાણોમાંથી એક તારણ એ જડે કે પ્રચારલક્ષી કે ધ્યેયલક્ષી' સાહિત્ય તેમને સ્વીકાર્ય નથી. તેમની દૃષ્ટિમાં માત્ર વાચકો જ નથી પરંતુ લેખકો પણ છે. વાચકોને પોતાની રસવૃત્તિ કેળવવાનો માર્ગ બતાવતા મેઘાણી કહે છે કે લાગણીતંત્રને ઉશ્કેરી ઝણઝણાવી મૂકનાર પુસ્તક ચાહે ગમે તેવું સારું હોય, છતાં પહેલા દરજ્જે ત્યાજ્ય ગણજો.’ તમે જેનું વાંચન કરો તેનાં ઊર્મિ સંવેદનનો સ્થિર દીપક તમારા દિલમાં બળ્યા કરે, એ દીપકની જ્યોત ભડક ભડક ન થાય તે સ્થિતિ સાચા વાચનરસની છે.
ઝવેરચંદ મેઘાણીની એ વિશેષતા છે કે એમણે સામાન્ય માણસમાં – એક સામાન્ય ગૃહિણીમાં પણ રહેલ ઉચ્ચ માનવતાનાં દર્શન કર્યાં છે. દરેક મનુષ્ય જગતની દૃષ્ટિએ કદાચ મહાન ન પણ હોય તે પોતાના નૈતિક જીવનમાં ઉન્નતિ મેળવીને સાચી મહત્તા પ્રાપ્ત કરી શકે છે. ઝવેરચંદ મેઘાણી માનવતાના શોધક અને આલેખક છે. સમાજ ચિત્રણમાં એમની વાસ્તવપ્રિયતા પર તેમની પકડ અસાધારણ છે.
આબેહૂબ ચિત્રો ખડા કરવાની ઝવેરચંદ મેઘાણીની શક્તિ વિશે બે મત નથી. ધીરજલાલ ધનજીભાઈ શાહ કહેતા કે, મેઘાણીએ કરેલ વર્ણનમાં ક્યાંય એક કાંકરી પણ ખરેલી નહીં લાગે. તેમની તળપદી સૃષ્ટિના અવલોકનમાં એક તાજગી અને સમૃદ્ધિ લાગે છે. સોરઠનાં લોકવાણીનાં વિશિષ્ટ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો અને બોલચાલનો લહેકો નવલકથાને રસમય બનાવે છે.
વસ્તુપાળ – તેજપાળનાં રાસમાંથી અવતરણઃ
જૈન સાહિત્ય સંશોધક’ ત્રૈમાસિકનાં સં. ૧૯૮૩નાં અંક પહેલામાં આવેલ મહામાત્ય વસ્તુપાળ-તેજપાળનાં બે રાસ' નામે લેખમાંનાં સંપૂર્ણ રાસમાંથી લીધેલ
૧૩૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #188
--------------------------------------------------------------------------
________________
અવતરણ :
તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સોમિગ આસરાજ; પોરૂઆડ વંશ મૂલગઉ એ, પુર્ણ નિર્ધન આજ. કર્રહ આગલિ કોઈ નિતિ, છૂટઈ રંક ન ચણઉ. તીણઈ કાણિ છાંડિયઉ એ, પાટણ સપચણઉ. ૧
રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી; પૂર્વકર્મહ તણઈ યોગિ, રંડાપણ પામી. પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ; ધર્મનીમ આહિનિસિ કરંઈ એ, અનઈ ભાવના ભાવઈ. ૨
હરિભદ્ર સૂરિઈ ઈમ કહિઉં એ, એહ કૂંખઈ નીરયણ; બેઅ પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ. કુંરિ લેવા કરઈ ઉપાય, મંત્રી ગુરનઈં વયણિ; પઢમ જિજ્ઞેસ૨ આદિનાથિ, જે કીધઉ ઈંશઈ. ૩
આધારિત ગ્રંથોઃ
મુનિશ્રી જિનવિજ્યજીના સંપાદિત
(૧) પ્રવન્ધોશ (રાજશેખરસૂરિ)
(૨) પ્રવન્ધચિંતામણિ (મેરુત્તુંગાચાર્ય)
(3) पुरातन प्रबन्धसंग्रह
(૪) શ્રી વસ્તુપાળનું રચેલું નરનારાયળ મહાાવ્ય (૫) શ્રી જિનહર્ષગણિ કૃત વસ્તુપાળ ચરિત્રનું ભાષાંતર
હીના વાય. શાહ
B-402, Devraj tower,
Nr. Pride Hotel,
judjes bunglow cross Rd.,
Bodakdav
Ahmedabad-380054 (Gujarat)
Ph.079-26842535
M.9925038148
Email: hinaycshah@gmail.com
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય' + ૧૩૯
Page #189
--------------------------------------------------------------------------
________________
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર 1 ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી
- ૫ ગુણવંત બરવાળિયા
સિી .એ. સુધી અભ્યાસ કર્યા પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત છે. મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ ગુણવંતભાઈએ પચાસથી વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે અને જ્ઞાનસત્રોનું આયોજન કરે છે. –સં.)
વિશ્વની અનેક સંસ્કૃતિ અને દાર્શનિક પરંપરાઓનું પિયરઘર ભારત છે એમ જ્ઞાની પુરુષોનું કથન છે, એવા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર એ સંતો અને વીરપુરુષોની ભૂમિ છે. મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રભક્ત શ્રીમદ્ રાજચંદ્ર અને દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિ આ ધરાની દેન છે. એવા સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા ટોળા નામના નાનકડા ગામમાં ૨૬-૮-૧૯૦૪ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો. પિતા નાગજીભાઈ દેવજીભાઈને ત્યાં માતા મોતીબહેનની કૂખે અવતરેલા આ બાળકનું નામ શિવલાલ રાખવામાં આવ્યું અને તેમની નાની બહેનનું નામ મણિબહેન હતું. પિતાની નાની દુકાનથી પૂરતી કમાણી નહોતી તેથી રાજકોટ ગયા. ત્યાં ન ફાવતા ફરી ટોળ આવ્યા. ઘરખર્ચાને પહોંચી વળવા ખૂબ મહેનત કરવી પડતી. અતિ શ્રમથી માંદગી આવીને ખૂબ જ નાની વયે શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું.
યેળમાં શિક્ષણની સુવિધા ન હોવાથી બે માઈલ દૂર અરણી ટીંબા ગામે બે ગુજરાતીનો અભ્યાસ કર્યો અને પછી મોસાળ બાલંભામાં સાત ગુજરાતી ભણ્યા ને થોડું અંગ્રેજી શીખ્યા પછી મામા સાથે મુંબઈ ગયા. પહેલા કપડાના વેપારીને ત્યાં અને પછી પારસીને ત્યાં નોકરી કરી.
શિવલાલને મુંબઈનું દેશભક્તિના આંદોલનનું વાતાવરણ સ્પર્શવા લાગ્યું અને ખાદી પહેરવાની શરૂઆત કરી. રાજસ્થાનથી પધારેલ સૌભાગ્યમલજી મહારાજથી પ્રભાવિત થયા. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધ્યો. તેમની પાસે દીક્ષિત થવાના ભાવ જાગ્યા. પછી નાનચંદ્રજી મહારાજના વિશેષ પ્રભાવ હેઠળ આવ્યા.
ટોળમાં શિવલાલના માતા મોતીબાએ ઇમામ સાહેબની આગાહીથી ગભરાઈને શિવલાલની સગાઈ કરી. દેશમાં આવી શિવલાલે મણિબહેનના લગ્નનું કાર્ય પૂર્ણ કરી કુટુંબની ફરજ પૂર્ણ કરી. મોતીબાની તબિયત નાદુરસ્ત હતી. પેટના વ્યાધિના
૧૪૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #190
--------------------------------------------------------------------------
________________
ઑપરેશન બાદ તેઓનો સ્વર્ગવાસ થયો. વૈરાગ્ય દઢ થતાં પૂ. નાનચંદ્રજી મહારાજને પત્ર લખી પોતાની ભાવના દર્શાવી.
પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની પાસે બોલાવી સંસારત્યાગ પૂર્વેની તૈયારી તથા અભ્યાસ કરાવ્યો.
શિવલાલે કાકા-દાદાની રજા આજ્ઞા મેળવી. શિવલાલની જેમની સાથે સગાઈ થઈ હતી તે દિવાળીબહેન પાસે ગયા અને કહ્યું,
“..મારી ઇચ્છા વિતરાગ માર્ગમાં પ્રવેશવાની છે ભાગવતી દીક્ષા લેવી છે. આપને આવવું હોય તો સંતો મદદ કરશે અને જો સંસાર માર્ગે જવું હોય તો મારી એક ભાઈ તરીકે શુભેચ્છા છે અને તેને વીરપસલીની સાડી ભેટ આપી. બહેને પણ ગોળની ગાંગડી ખવડાવી શુભ માર્ગે આગળ વધવાની શુભેચ્છા આપી.
મણિબહેનની આજ્ઞા લીધી. પૂ. સૌભાગ્યમલજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદ પણ મળ્યા. પછી નાનચંદ્રજી મ.સા. સાથે શિવલાલ મોરબી આવ્યા. રાજવી લખધીરસિંહે ત્યાં વૈરાગી ભાવદીક્ષિત શિવલાલના ટૂંકા પ્રવચનથી રાજવી પ્રભાવિત થયા ને મોરબીમાં દીક્ષા થાય તેવા ભાવ દર્શાવ્યા, પરંતુ મોરબીમાં જૈન દીક્ષા પર પ્રતિબંધ છે તે બાબત રાજવીનું ધ્યાન દોર્યું. રાજવીએ હુકમથી પ્રતિબંધ દૂર કરી સં. ૧૯૮૫, ઈ. સ. ૧૯૨૯ના જાન્યુઆરીમાં રાજ તરફથી બધી જ સુવિધા આ દીક્ષા માટે કરવી તેવો હુકમ કર્યો. ને તે શિવલાલમાંથી સૌભાગ્યચંદ્ર થયા.
પૂ. ગુરુદેવ કવિવર્ય નાનચંદ્રજી મહારાજના સાનિધ્ય સાધનામાં આગળ વધતા સૌભાગ્યચંદ્ર મુનિશ્રી સંતબાલ બન્યા.
સંતબાલજીએ જૈન આગમો, ભારતીય દર્શનો, ષટ્રદર્શન અને વિશ્વની વિવિધ દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મો અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.
- સંતબાલજીએ એમના વિચારોને આદર્શોને ચરિતાર્થ કરવા કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી જેમ, - ભાલ નળ કાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ – મુંબઈ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર - ચીંચણ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, ભાલનળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ – રાણપુર, માતૃસમાજ – ઘાટકોપર, સી. પી. ટૅક – મુંબઈ અને અમદાવાદ સહિત વીસેક સંસ્થાઓની સ્થાપના કરેલી. સંતબાલજીએ વ્યસનમુક્તિ બલિપ્રથા બંધ કરાવવાનાં ખેડૂતોના પ્રશ્નો સોલ કરવા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા એવાં અનેક કાર્યો કર્યા. અને લોકકલ્યાણલક્ષી સાહિત્યનું સર્જન કર્યું.
૧૯૩૧માં દિનકર માસિકમાં “સુખનો સાક્ષાત્કારના નામે તેઓના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ જેમાં વ્યક્તિગત કે સમાગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો દર્શાવેલ.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૧
Page #191
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી સંતબાલજીએ રાણપુર નજીક નર્મદાના કાંઠે ઈ. સ. ૧૯૩૬નો પૂરો એક વર્ષ મૌન સાધનાનો ગાળ્યો. આ કાળ દરમિયાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો. ઉપરાંત કાવ્યો – લેખ વગેરેની લેખનપ્રવૃત્તિ જોરદાર બની ગઈ.
વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સામાજિક બાબતો અંગે શું કરવું, લો લ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારી વિચારો તેમનામાં ઉદ્દભવ્યા. ૧૯૩૭માં તેમણે મૌન તોડ્યા પછી એક જાહેર નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનથી રૂઢિચુસ્ત જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. તેઓએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે તેઓએ દીક્ષા લીધા. પછી તેઓ વિશાળ વિશ્વયોજનાનો એક ભાગ બની ગયા છે. જૈન સાધુઓએ સમાજ સુધારણા માટે કામ ન કરવું જોઈએ તેવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. લોકસેવાના કાર્યથી તેઓ સંપ્રદાયથી જુદા થયા. સાધુવેશ ન છોડ્યો. ગુરુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહિ જગત સાધુ છે.
અહીં તેમના લખાણોમાં ધર્મ આધારિત સમાજ રચનાના વિચારો સ્પષ્ટ થયા. તેમના ધર્માનુબંધી વિશ્વદર્શનના ૧૦ પુસ્તકો પ્રગટ થયા.
ધર્મપ્રાણ લોકશાહીની લેખમાળા લખી, પાછળથી તે પુસ્તક રૂપે પ્રગટ થઈ જેમાં ધર્મમાં આડંબર, આરંભ-સમારંભ, અને ચૈત્યવાદના વિકારો સામે લાલબત્તી ધરી. આ લેખોની સાધુ સમાજ પર અસર થઈ, સમાજમાં પણ ઘણો ઊહાપોહ થયો.
મુનિશ્રીએ આચારાંગ સૂત્રનો અનુવાદ અને વિવેચના કરી, તેની પ્રસ્તાવનામાં લખે છે કે “શ્રી આચારાંગ સૂત્ર” પ્રત્યેક સાધક પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસી, ધનિક કે ગરીબ, સાધનસંપન્ન કે સાધનવિહિન એને નવી દષ્ટિ ને નવી પ્રેરણા આપી શકે છે.
ઉત્તરાધ્યયન સૂત્રઃ ઉત્તરાધ્યયન સૂત્રના ગ્રંથ અંગે મુનિશ્રીના વિચારો હતા કે “આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, ટીકા, અવચૂરિ, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબ્બાઓ અને હિંદી ટીકાઓ જુદીજુદી સંસ્થાઓ તરફથી બહાર પડી છે પરંતુ આ ગ્રંથમાં ખાસ કરીને કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે. આ બધા દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ એ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જેન જૈનેતરો સૌ લઈ શકે.
ભગવતી સૂત્ર પર મુનિશ્રીએ લખાણ કરેલું પરંતુ તે તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થયેલ નહિ. તાજેતરમાં ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીની લાયબ્રેરીમાંથી આશરે ૪૦૦ પાનાના હસ્તલિખિત ભગવતી સૂત્ર વિવૃત્તિ પ્રત પ્રાપ્ત થઈ છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.
મુનિશ્રી સંતબાલજીએ જૈન રામાયણ અને મહાભારત પર પણ ગ્રંથો લખ્યા છે.
૧૪૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #192
--------------------------------------------------------------------------
________________
દાર્શનિક દૃષ્ટિ
ભિન્નભિન્ન દર્શનો વિશે મુનિશ્રીએ પોતાની ડાયરીમાં અલગ અલગ વિષયની નોંધ કરેલી જેમાંથી દાર્શનિક દૃષ્ટિ (સંપાદક ગુણવંત બરવાળિયા) પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું, જેમાં ઋગ્વેદ સંહિતા, મહાભારત, આરણ્યક ઉપનિષદ, જૈન બૌદ્ધ ઇતિહાસ, પાંચ કોસની સ્પષ્ટતા, સ્મૃતિના શ્લોકો, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કેવલાદ્વૈતનો સિદ્ધાંત, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્ય શુદ્ધદ્વૈત નિર્ણાયક, સાંખ્યદર્શન, યોગદર્શન, વૈશેષિક અને નૈયાયિક, રામાયણ અને યોગવશિષ્ટ, અન્યાન્ય પુરાણો, કબીરનાં પોનું ૨સદર્શન તુલસીદાસ, નાનક, મીરા, સુરદાસ, પ્રેમમૂર્તિ ચૈતન્ય સ્વામી, સહજાનંદ સ્વામીના સર્જન અંગેની સુંદર નોંધો જોવા મળે છે.
રાજા રામમોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, કૃષ્ણમૂર્તિ વિશેના વિચારો અને જૈન આગમ અંગેની નોંધ ઉપલબ્ધ છે.
મીરાબહેને લખેલ પુસ્તક સંતબાલઃ મારી મા પુસ્તકમાં સંતબાલજીના વાત્સલ્યભાવનાં દર્શન થાય છે.
સંતબાલજીની કાવ્યરચનાઓ
સંતબાલજીએ કેટલાંક યાદગાર કાવ્યોનું સર્જન કર્યું છે.
તેમના કાવ્યોમાં ૐ મૈયા એટલે સમગ્ર નારી પ્રત્યે આદરભાવ, વિશ્વવાત્સલ્ય અને સર્વધર્મ સમભાવના વિચારો પ્રતિબિંબિત થાય છે.
સાત વારની પ્રાર્થનામાં રામ, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, મહમદ સાહેબ, અશો જરથ્રુસ્ટ અને ઈશુના વિશિષ્ટ ગુણોને સ્મરીને અભિવંદના કરી છે. આ પ્રાર્થના બધા ધર્મો માટેના સ્નેહ અને આદરનું પ્રતીક છે.
એમણે રચેલ કૂચગીત
પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા... અંતરના અજવાળે વીર પંથ તારો કાપ્યું જા દુર્ગમપંથ કાવ્યે જા.
આ કાવ્યને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળ્યું. સર્વ ધર્મના સંરક્ષણને ઉદ્દેશીને કાવ્ય લખ્યું:
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતાસમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને
તો આત્મચિંતન કાવ્યમાં વિશ્વપ્રત્યેનું વાત્સલ્ય અભિપ્રેત છેઃ
ધર્મ અમારો એક માત્ર એ, સર્વધર્મ સેવા કરવી,
ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વ મહીં એને ભરવી.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદૃષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૩
Page #193
--------------------------------------------------------------------------
________________
સર્વને સુખી થવાની અભિલાષા પ્રગટ કરતી કવિની લોકપ્રિય પંક્તિઓ:
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો,
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. પૂ. સંતબાલજીનું પત્રસાહિત્ય
આપણે ત્યાં પત્રસાહિત્ય ઘણું જ ઓછું પ્રગટ થયું છે, તેમાં મુનિશ્રીના પત્રોના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે.
૧. અનંતની આરાધના – સાધકોને પત્રો ૨. શ્રીમદ્જી અંગેના સાધકને પત્રો ૩. સંતબાલ પત્રસુધા – સાધક સેવિકા કાશીબહેનને પત્રો ૪. સંતબાલ પત્રસરિતા – સાધ્વીજીઓ અને સાધકોને પત્રો ૫. ‘અમરતાના આરાધક પુસ્તકમાં સાધકોને લખેલા પત્રો
અનંતની આરાધનામાં સાધકોને લખેલા પત્રો સાધકોની મૂંઝવણનો ઉકેલ દર્શાવતા સાધકોને માર્ગદર્શન આપતા પત્રો છે.
શ્રીમદ્ રાજચંદ્ર અંગે સાધક અરવિંદભાઈ અને સાધિકા પુષ્પાબહેનને લખેલા પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, સાહિત્ય અને તેમના વિચારો અંગેનું સુપેરે વિશ્લેષણ છે.
કાશીબહેને કૌમાર્યવ્રત સ્વીકારી મુનિશ્રીના કાર્યને જીવન સમર્પિત કર્યું, તો મુનિશ્રીએ એક કેળવણીકારની અદાથી તેમનું પ્રત્યક્ષ અને પત્રો દ્વારા જીવન ઘડતર કર્યું.
છોટુભાઈ મહેતા અને કાશીબહેન મહેતા આ પિતા-પુત્રીએ મુનિશ્રી પ્રેરિત ભાલ નળકાંઠા પ્રયોગને પોતાનું જીવન સમર્પિત કર્યું. આ પત્રો દ્વારા અમૃતપાન કરીને પિતા-પુત્રીએ પોતાના જીવન ધન્ય બનાવ્યા અને જીવન સાફલ્યનો આત્માનંદ અનુભવ્યો.
મુનિશ્રીએ સાધકોને લખેલા પત્રો: વિશ્વચેતના સાથે અનુસંધાન કરાવતા આ પત્રો વાંચતા મુનિશ્રીમાં, ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મસ્થ સંતના દર્શન થાય છે. પત્રોમાં લખાયેલ એક એક સૂત્રો પાછળ અનેક સાધકોની વૃત્તિ, વિહ્વળતા, સ્પંદનો અને આંખોના આંસુડાનો ઇતિહાસ છે. શ્રીમદ્જીના તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય
મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી તેમાં ચાર વિભાગોની કલ્પના આપી. તે વિભાગો સ્થાપવાની પ્રેરણા આપી તેમાં પ્રથમ જ શ્રીમદ્ રાજચંદ્રનો એક વિભાગ છે આજે પણ ચીંચણમાં પ્રતિ વર્ષ શ્રીમદના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે ને શ્રીમદ્ રાજચંદ્રને લગતા ચાર પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે.
૧૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્જીએ અપૂર્વ અવસર કાવ્યનું વિવેચન લખ્યું જે સિદ્ધિના સોપાન' નામે પ્રગટ થયું છે.
સાધક સહચરી જૈન આગમો દશવૈકાલિક, ઉતરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ વગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી તારવેલું નવનીત એટલે સાંધક સહચરી. જૈન-જૈનેતર, સાધુ ગૃહસ્થી તેમ જ સામાન્ય સાધક માટે પણ ખૂબ ઉપયોગી છે. આ લોકપ્રિય પુસ્તિકાની ચાર આવૃત્તિઓ થઈ છે. ગાંધીવિચારના પુરસ્કર્તા
કવિવર્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીજીના વિચારના પુરસ્કર્તા હતા તેમના શિષ્ય સંતબાલજી પણ ગાંધી વિચારના રંગે રંગાયેલા હતા. દીક્ષા લીધા પહેલા જ તેઓએ ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. જૈન આગમ (આચારાંગ) ગ્રંથ તેમણે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલ.
ચીંચણમાં મહાવીરનગર આ. રા. કેન્દ્રની સ્થાપના સમયે જે ચારે વિભાગ સ્થાપવાની પ્રેરણા કરી તેમા મહાત્મા ગાંધી વિભાગ અંગે મુનિશ્રી જણાવે છે કે આ પ્રયોગમાં ગાંધીવિચાર પાયારૂપ છે. ગાંધીજી માત્ર માનસિક ગુરુરૂપ છે. સામુદાયિક અહિંસાની પ્રવૃત્તિઓ આ વિભાગમાં થશે. નઈ તાલીમનું શિક્ષણ, અર્થકારણના વિકેન્દ્રીકરણના પ્રયોગો અને અભ્યાસ પણ આ વિભાગમાં થશે.
સંતબાલજીના અન્યાય સામે લડત અને આંદોલન, વ્યસનમુક્તિ અભિયાન, સત્યાગ્રહ રૂપ શુદ્ધિપ્રયોગો અંગેના લખાણો અને કાર્યોમાં ગાંધીવિચાર પ્રતિબિંબિત થાય છે.
પત્રકારત્વક્ષેત્રે સંતબાલજીનું યોગદાન
તેમની પ્રેરણાથી ત્રણ પત્રોનું પ્રકાશન ચાલુ થયેલું ‘નવા માનવી’, ‘પ્રયોગદર્શન’ અને ‘વિશ્વવાત્સલ્ય'
આ ત્રણે પાક્ષિકોમાં મુનિશ્રી લેખો લખતા. નવા માનવીમાં પ્રાસંગિક લેખો, પ્રયોગ દર્શન’ અને વિશ્વવાત્સલ્યમાં અગ્રલેખો લખતા.
આ લેખોમાં વર્તમાન સમયના પ્રશ્નોની છણાવટ થતી. મુનિશ્રી પોતાના વિચારો સ્પષ્ટ અને પારદર્શક રીતે નિકટતાથી તથા પૂર્વગ્રહરહિત રજૂ કરતા.
આ લખાણોમાં મુનિશ્રીના એક આદર્શ લોકશિક્ષક રૂપે આપણને દર્શન થતાં. પત્રકારત્વમાં જૈનષ્ટિ ઝળહળતી હતી.
મુનિશ્રીના જીવનકાળ દરમિયાન તેમણે ૬૦ કરતાં વધુ ગ્રંથોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. તેમની સંસ્થાઓ, જીવનકાર્ય અને સાહિત્ય ૫૨ બે પ્રોફેસરોએ શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે.
મુનિશ્રી સંતબાલજી વિશે અનેક ગ્રંથો લખાયા છે. તેમના જીવન અને કાર્યને ઉજાગર કરતા પાસાઓ વિશે જસ્ટીસ ત્ર. ઉ. મહેતા, મનુ પંડિત, બળવંત ખંડેરિયા, મીસબહેન અને ગુણવંત બરવાળિયાના પુસ્તકો પ્રગટ થયા છે.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદૃષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૫
Page #195
--------------------------------------------------------------------------
________________
સંતબાલજીની જીવનસાધના પર દુલેરાય માટલીયા અને પૂ. મુનિશ્રીના વિહાર અંગે સાધુતાની પગદંડી જેવા ગ્રંથો મણિભાઈ પટેલે લખ્યા છે. તેમાં નોંધ છે કે જ્યારે વિરમગામમાં કોલેરો ફેલાયો ત્યારે ઝાડુ લઈને આ સંતે શેરીઓ સાફ કરી અને મળ પર રાખ છાંટી હતી.
જૈન દષ્ટિએ ગીતાદર્શન એક જૈન મુનિની ગીતા પર લખવાની આ પહેલ હતી. ગુરુ નાનચંદ્રજી મહારાજે એક શ્લોકસંગ્રહ કર્યો હતો તેમાં ગીતાના શ્લોકો પણ હતા. ગુરુદેવે આ શ્લોકો મુનિશ્રીને પણ કંઠસ્થ કરાવેલ, ત્યાંથી ગીતાજી પરત્વે ખેંચાણ થયું હતું.
મુનિશ્રી ગીતાને એક જૈનગ્રંથની કક્ષામાં જ મૂકે છે. તે અનુરોધ કરે છે કે ગીતાના પાઠક આચારાંગને વાંચે અને આચારાંગના પાઠકો જરૂરથી એક વાર ગીતાને વાંચે. એ ગીતાને માતા કહે છે તો આચારાંગને પિતા. એ બંનેના યોગે જન્મતી સંસ્કૃતિ એ વિશ્વવ્યાપી સંસ્કૃતિ છે. ગીતામાં કોઈ પણ વિષય એવો નથી કે જે જૈન સૂત્રોમાં ન હોય. ગીતાએ જૈન દષ્ટિને જેટલી આકર્ષક ઢબે મૂકી છે એવી ઢબે એ બીજે ક્યાંય મુકાઈ નથી. આથી જ ગીતાગ્રંથ વિશ્વમાન્ય થયો છે. જૈન દષ્ટિ એટલે જગતના સર્વ મતો, પંથો કે સર્વ ધર્મમાં રહેલા સત્યને આવકારવું. તું ખોટો છે એમ ન કહેતા તું અમુક દૃષ્ટિએ સાચો છે એમ સાબિત કરીને અલ્પદષ્ટિમાંથી મહા સત્ય તરફ પ્રેરી જવો. ગીતાએ આ દૃષ્ટિમાં અજબ સફળતા મેળવી છે તેથી જ ચુસ્ત મીમાંસકથી માંડીને ચુસ્ત વેદાંતીને એ માતા આગળ દોડી જઈને બાળક બનવાની ઇચ્છા આપોઆપ થઈ છે.
અલબત્ત ગીતાનું વસ્ત્ર વેદાંત છે અને ભૌતિક યુદ્ધની પીંછીથી ગીતાની શરૂઆત થાય છે. મુનિશ્રી કહે છે કે એટલે જ ગીતા જૈન સંસ્કૃતિનો આત્મા છે, એમ માનવા અને અવકાશે ગીતાને સગે અપનાવવામાં જૈનવર્ગમાં આવતી આ મુશ્કેલી નાનીસૂની નથી જ. તેને આ ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે.
જૈન પરિભાષા અને ગીતા મુનિશ્રી કહે છે કે ગીતામાં સમત્વ છે એ જ જૈન સૂત્રોનું સમકિત છે. ગીતાનું કર્મ કૌશલ ત્યાં જૈનસૂત્રોનું ચારિત્ર ઘડતર. જૈન પરિભાષાના બહિરાત્મને ઠેકાણે ગીતાનું સવિકારક્ષેત્ર અને અંતરાત્માને સ્થાને ક્ષેત્રજ્ઞ, પરમાત્માને સ્થાને પરધામ અથવા પરમાત્મા. જૈનસૂત્રોના શુભાસવને સ્થાને ગીતાનું સુકૃત. અશુભ આસવને સ્થાને ગીતાનું દુષ્કૃત્ય. સંવરને ઠેકાણે ગીતાનું સ્વભાવજ અથવા સમત્વયોગ જૈન સૂત્રોની સકામ નિઝંરા એ જ ગીતાનો અનાસક્ત યોગ અથવા કર્મફળની આકાંક્ષાનો ત્યાગ.
જૈન સૂત્રોનો કર્મબંધ ગીતાની ભૂતપ્રકૃતિ. જૈન સૂત્રોનો રાગદ્વેષ તે ગીતાનો કામક્રોધ. જૈન સૂત્રોનું સિદ્ધસ્થાન એ ગીતાનું પરમધામ. ગીતા એ જૈનત્વનો ૧૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #196
--------------------------------------------------------------------------
________________
ભોમિયો છે કારણ કે ગીતામાં એક પણ તત્ત્વ જૈન ધર્મ વિરોધી નથી.
ગુરુઆજ્ઞાથી એમણે અવધાન પ્રયોગોના પ્રદર્શન બંધ કર્યા હતા, સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલો વચ્ચે પણ ધર્માનુબંધી વિશ્વદર્શન અને આગમોની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા મુનિશ્રી સ્વપર સાધના માટે ખૂબ જાગૃત હતા. પ્રત્યેક સાધક માટે એકાત્મતાનો અનુભવ કરતાં તેઓના આ શબ્દો પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે. “સાધકોનો વિકાસ મારો પ્રમોદ છે, સાધકોનું સૂક્ષ્મ પતન પણ મારું આંસુડે છે.”
ગુજરાતના નવનિર્માણ આંદોલન પછી રાજકીય આગેવાનો પ્રધાનમંડળની રચના માટે મુનિશ્રીની સલાહ લેવા અમદાવાદથી ચીંચણ આવે છે. અહીં પ્રત્યેક વર્ગમાં મુનિશ્રીની લોકચાહનાના દર્શન થાય છે. બંગલાદેશમાં મુજીબુર રહેમાનની હત્યા પ્રસંગે ઉપવાસ કરતાં મુનિશ્રીમાં પ્રબુદ્ધ કરુણાના દર્શન થાય છે.
મૈયાના આરાધક, વિશ્વ વાત્સલ્યના સંદેશાવાહક મુનિશ્રી સંતબાલજીના જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અભુત સમન્વય જોવા મળે છે.
વક્તવ્ય અને કર્તવ્યને એક રેખા પર રાખનાર આ આત્મ સંતે ૨૬-૩૮રના ગુડીપડવાને દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો. પૂર્વ પંતપ્રધાન મોરારજી દેસાઈના અધ્યક્ષસ્થાને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભામાં અનેક સંઘોના પ્રમુખો, શ્રેષ્ઠીવર્યોએ શ્રદ્ધાંજલિ આપી. અંતિમ સંસ્કાર – મહાવીરનગર પાસે ચીંચણના દરિયા કિનારે થયા અને ત્યાં જ સમાધી બનાવવામાં આવી. તેઓ આત્મમસ્તીમાં જીવનાર લોકમાંગલ્યના કાર્યો કરનાર શતાવધાની ક્રાંતિદ્રષ્ય હતા. વિપુલ સાહિત્યનું સર્જન કરનાર શ્રુતસાધક મુનિશ્રીને અભિનંદના.
જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવે છે, ઊતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે.
ડો. ગુણવંતભાઈ બરવાળિયા
ઘાટકોપર, મુંબઈ મો. 09820215542
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી * ૧૪૭
Page #197
--------------------------------------------------------------------------
________________
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી
૧ પારુલ ગાંધી
શ્રીમતી પારલબહેન ગાંધી પુસ્તક લેખન તથા સંપાદન, વિવિધ સંશોધનલેખન, ધાર્મિક અને અન્ય અભ્યાસ પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન રહેલ છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ લોકોના દિલમાં વસેલા લેખક શ્રી મોહનલાલ ચુ. ધામીના સાહિત્ય ઉપર એક વિશદ નજર ફેરવીને તેનો સુંદર પરિચય કરાવ્યો છે. – સં.]
જૈન સાહિત્યનો વ્યાપ મોટો છે. ધાર્મિક શાસ્ત્ર, વાર્તાઓ, વ્યાકરણ સાહિત્ય, નાટ્યશાસ્ત્ર, ગણિત સાહિત્ય, કોશ સાહિત્ય, શિલ્ય સાહિત્ય, નિમિત્ત સાહિત્ય, વૈદક સાહિત્ય, યોગ સાહિત્ય, લલિત સાહિત્ય, સ્તોત્ર સાહિત્ય, કાવ્યો, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, જંતુવિદ્યા, જીવવિદ્યા, વનસ્પતિશાસ્ત્ર, હીરાની પરખ, ઘોડાઉછેર, દરિયાપારના દ્વીપોની કથાઓ વગેરે જૈન શાસનનો સાંસ્કૃતિક મૂલ્યવાન ખજાનો શોભી રહ્યો છે.
આવા આ ખજાનામાં સૌથી લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યપ્રકાર રહ્યો હોય તો તે કથાસાહિત્ય છે. કથાસાહિત્ય દ્વારા તત્ત્વની અઘરી વાતો પણ સરળતાથી રજૂ કરી શકાય છે. વળી આબાલવૃદ્ધ તેને હોંશે હોંશે આવકારે છે. રસિક વર્ણન તથા ભાષા પરના પ્રભુત્વથી લોકોને જકડી રાખી શકાય છે. વાર્તાની અટપટી ગૂંથણી દ્વારા રહસ્ય અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી વાચકવર્ગને આટાપાટા ઉકેલવાની આંટીઘૂંટી સમજાવી શકાય છે. કથા દ્વારા કોઈ સંદેશ આપવો હોય તો સરળતાથી આપી શકાય છે. આથી આ પ્રકાર ખૂબ જ ઉપયોગમાં પણ લેવાયો છે. ૧૯મી૨૦મી સદીમાં જે મહાન સાહિત્યકારો થઈ ગયા તેમાં સિદ્ધહસ્ત નવલકથાકાર, સરસ્વતીપુત્ર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનો પરિચય
માતા-પિતાઃ પુંજીબા (ઝવેર ભગતના પુત્રી) તથા ચુનીલાલભાઈ ધામી
જન્મભૂમિઃ ઉત્તર ગુજરાત પાટણ મુકામે. જન્મતિથિ સં. ૧૯૬૧ જેઠ સુદ અગિયારસ. | ગૃહસ્થાશ્રમમાં પ્રવેશઃ ઉનાવાના નગરશેઠ શ્રી ભીખાચંદના પુત્રી કાન્તાબહેન સાથે સં. ૧૯૯૨ના વૈશાખ માસમાં લગ્નગ્રંથિથી જોડાયા. ૧૪૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #198
--------------------------------------------------------------------------
________________
અભ્યાસઃ સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ. પરંતુ વાંચનનો અનહદ શોખ નાનપણથી જ. પિતા ૯-૧૦ વર્ષની વયે જ દેહાવસાન પામતા, અભ્યાસ ન થયો. પરંતુ પાટણની વિદ્યાભારતી નામની સંસ્થામાં જૈનદર્શન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વૈદ્યરાજ શ્રી કાલિદાસભાઈ પોપટભાઈ શાસ્ત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી વૈદકનો ચાર વર્ષનો કોર્સ બે વર્ષમાં પૂર્ણ કર્યો. પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ એમના ગુરુજી હતા.
વિશેષતાઃ સાહિત્યના બધા જ ક્ષેત્રોનું ખેડાણ કરેલું છે. બાલસાહિત્ય, પ્રવાસકથા, નિબંધ, જીવનચરિત્ર, વાર્તા, ધર્મ, ઇતિહાસ, કામશાસ્ત્ર, લોથા, લોકગીતો, ચારણીગીતો, ચિત્રપટ, પત્રકારત્વ. વળી ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી, વ્રજ, સંસ્કૃત. પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી આ બધી ભાષાઓ ૫૨ પ્રભુત્વ. કારકિર્દી પ્રાવીણ્ય ઃ સિદ્ધહસ્ત નવલકથાકાર, ઉત્કૃષ્ટ ગજાના લેખક, ૧૭૦ કથાના સર્જક.
*
*
ગાતા.
એક શીઘ્ર કવિ, લગભગ ૨૦૦ કાવ્યોના રચયિતા, ઉત્કૃષ્ટ, જોશીલા ગાયક. આઝાદીના રંગે રંગાઈને સત્યાગ્રહ ભોગવી ચૂક્યા છે. મહારાષ્ટ્રનાં ગામડાઓમાં આઝાદીની ચળવળના પ્રચારની જવાબદારી લીધેલી. આઝાદીની લડતમાં દેશદાઝ ભરેલા ઉત્તમ વક્તા પુરવાર થયેલા. વૈદક ક્ષેત્રે આયુર્વેદભૂષણ અને આયુર્વેદશાસ્ત્રી જેવી શ્રેષ્ઠતમ પદવીઓ પામવા છતાં દર્દી તપાસની ફી ક્યારેય લીધી નથી. પૈસા આપે તો ભલે. ગરીબોને ઔષધ પણ મત આપતા. આમ એક વિરલ અને સાત્ત્વિક વૈદ્ય, પ્રભુ ધનવંતરિના આદેશ અને સિદ્ધાંતના નિષ્કામ અનુગામી. લોકસાહિત્યકારઃ દૂહા-છંદ-ભજન-સ્તવન ખૂબ સુંદર રીતે પહાડી અવાજે
નાટ્યલેખકઃ (૧) ભક્ત પુંડરિક, (૨) સંસ્કારલક્ષ્મી, (૩) રાણકદેવી. આ ત્રણ નાટક લખેલા જે ભજવાતા ત્રણેય નાટક ખૂબ સફળ થયેલ.
(૧) વરઘેલી (૨) ભણેલી વહુ એ બે ગુજરાતી ચિત્રપટના ગીત-કથાપટકથા-સંવાદ વગેરેના લેખક.
શાસ્ત્રીય સંગીતની તાલીમ માકુભાઈ શાસ્ત્રી પાસે લીધેલી.
જયહિંદમાં વર્ષો સુધી અગ્રલેખ લખવાની જવાબદારી અદા કરેલ. તંત્રી તરીકે પણ સફ્ળતાપૂર્વક કાર્ય કરેલ.
ધામીજીની ‘રૂપકોશા’ નવલકથા મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. જેનું અંગ્રેજી અને હિંદીમાં ભાષાંતર પણ થયું છે.
પોષાકઃ ગાંધીજીના પ્રભાવથી ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું પહેરતા. વિશેષઃ બંગાળી લેખકોમાં તેઓ સૌરિન્દ્રમોહન મુખોપાધ્યાય અને રવીન્દ્રનાથ સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી - ૧૪૯
Page #199
--------------------------------------------------------------------------
________________
ઠાકુરથી પ્રભાવિત. જૈન ઇતિહાસના વાંચનથી અનેક ઐતિહાસિક નવલકથાઓના સર્જનની પ્રેરણા. હિંદીમાં દેવકીનંદન ખત્રીને વાંચતા-વાંચતા ડિટેક્ટીવ વાર્તાઓ લખવાની પણ પ્રેરણા. જૈન ધર્મની ઊંડી શ્રદ્ધા તથા જૈન અને વૈદિક ધર્મનો તેમનો ઊંડો અભ્યાસ હતો. ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, નરસિંહરાવ દિવેટીયા, ૨. વ. દેસાઈ વગેરે તેમના સમકાલીન લેખકો હતા. પરંતુ મો. ચુ. ધામી માટે કદાચ એ એક વિક્રમ હશે કે ગુજરાતી ભાષામાં તેમના જેટલા વિવિધ વિષયો ૫૨ અને તેમણે જેટલું લખ્યું છે એટલું કોઈએ લખ્યું નહિ હોય.
માથે નગારા વાગતા હોય તોય જેને લખવામાં તકલીફ ન પડે અને શાંતિથી સ્થિર રીતે વહેતા ગંગાના પ્રવાહ જેવી જેની કલમ સરસરાટ ચાલી જાય, જૈન સાધુ થતાં થતાં સ્હેજમાં રહી જવાનું દુઃખ જેને જિંદગીભર સાલ્યું અને પરિણામરૂપે દૂધપાક ન ખાવાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી, તો વળી રાતના આઠથી માંડીને શેતરંજની ૨મત એક જ આસને બેસીને જે સવારના આઠ સુધી ખેલી શકે તેવા ખેલાડી, જૈન સાહિત્યના પ્રતિભાસંપન્ન, પ્રખર લેખક, બાહોશ વૈદ, કવિ એવા શ્રી ધામીજીના અદ્ભુત સર્જન નવલકથાઓની એક યાદી ઉપર નજર કરીએ.
વૈદ મોહનલાલ ચુનીલાલ ધામી રચિત પુસ્તકોની યાદી
ચિત્રમંદિર
અર્પણા
ભારતગાન
બકુરાણી
પાંચાળનો એક વીરલો
મિલન
આત્મવિનોદ
ડાયરો
મહાયાત્રા
અમર બલિદાન
લોહીના લેખ
લોખંડી પંજો
પ્રલયમૂર્તિ
કાળનો ચક્કી
પરિચારિકા
રાજરાણી
પ્રલયબંસરી
અનુરાગ
માનસિક વ્યભિચાર
અધિકાર
ભણેલી વહુ
અસ્વીકાર
પાષાણ
શ્રીમતી રૉય
સાડા આઠ ખૂન
સંતમહંત
એમાં શું?
સ્તવન મંજરી
જીવન સંસ્કૃતિ નરપિશાચ
જીવન જાગરણ
મુક્તપંખી
મમતા
ગૃહત્યાગ
ટપાલપેટી
રાસકટોરી
૧૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #200
--------------------------------------------------------------------------
________________
સેતાની ભૂતાવળ મધરાતની મહારાણી કું. પદ્મલેખા
મધરાતનો મહાપુરુષ
નારી
સમર્પણ
પારૂ
અભિમાન
વારસદાર
દાદીમાનું વૈદું
ચતુર સુજાણ સ્નેહ અને સમર્પણ
રૂપનાથ
વાગદત્તા
સતી લક્ષ્મી
મોહનમદારીના પરાક્રમો
વરઘેલી (ચિત્રપટ)
ભક્ત પુંડરિક (નાટક)
સંસ્કાર લક્ષ્મી (નાટક)
વીણાના તાર તૂટતા રહી ગયા પરણ્યા પહેલા
છૂપી તરસ
નિરૂપમા
લાલ માટીનો રસ્તો
પચરંગી ફૂલ
ડાયરાની વાતો
સળગતી ખોપરી એકલીયાના પરાક્રમો
નાથ અનાથ
સૌભાગ્યકંકણ
તરંગ લોલા
પિયા મતવાલી ભાગ ૧-૨ તૃષા-તૃપ્તિ
તિલકમંજરી
અજ્ઞાતવાસ
દ્રુપદનંદિની
નિષધપતિ
અલખ નિરંજન
મિલનમાધુરી
રાજનંદિની
એક જ દે ચિનગારી
વેળા વેળાની વાદળી.
કુલવધૂ
રાજદુલારી
વિશ્વાસ
રૂપગર્વિતા
સંસાર ચાલ્યો જાય છે
મંત્રપ્રભાવ
રૂપમાધુરી
રાત વીતી ગઈ
રત્નમંજરી
ધુમ્મસના પડછાયા
ભગતબાપા
વેરથી વે૨ શમતું નથી ૧-૨-૩
મહાન સમરાદિત્ય
રંગ રાગ વિરાગ
પુણ્યપ્રભાવ ભાગ ૧-૨ રૂપકોશા ભાગ ૧-૨
ઊંચો ગઢ ગિરના૨ ૧-૨
સિંધુની સુંદરી – સોરઠની સુંદરી ગોરી ધીરે ચલો ૧-૨
પદ્મસેના
દત્તા મહત્તા
વનવાસ
વાદળ વિખરાયા
નટરાજ ભાગ ૧-૨
અંજના મેખલીપુત્ર
વૈરના વિષ
જિણકા શેઠ
રજની રંગભરી
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી * ૧૫૧
Page #201
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ
ભવબંધન ૧-૨ ચંદ્રવદના
મલયસુંદરી – મહાબલકુમાર નંદિની શાહ
ભાવડશાહ મગધેશ્વરી ભાગ ૧-૨-૩
સંસાર એક સ્વપ્ન પરદુઃખભંજન ૧-૨-૩
વાસવદત્તા વૈતાલ વિક્રમાદિત્ય, સવાઈ વિક્રમ ચર સમ્રાટ સાચવી રાખો – અનુભવપોથી નમિરાજ સાચવી રાખો – દાદાજીનું વૈદું - એ ગૌરી એ સાંવરી સાચવી રાખો – દાદાજીના પ્રયોગો સિદ્ધ વૈતાલ ભાગ ૧-૨-૩ પાયલ બાજે ૧-૨
રોહિણી – અનંગલેખા – માયાપુરી કલ્યાણી – ઈલાચી
અલબેલી ૧-૨-૩ દેદા શાહ
આંબપાલી, સુદર્શન શેઠ
બિંબિસાર, સ્નેહપ્રિયા
જનપદકલ્યાણી આર્ય લલિતાંગ
સૂરસુંદરી બલિદાન
સ્મરણમાધુરી પ્રેતનું રહસ્ય
પંજો પાવરિયો બંધન તૂટ્યા ભાગ ૧-૨-૩ રાજરાજેશ્વર પૌરવી રાજલક્ષ્મી – રાજકન્યા જાવડશેઠ વાસવી ૧-૨ પ્રિયા-પ્રિયતમ અંજના સુંદરી પ્રેમનો મારગ છે શૂરાનો
વૈતાલ ભટ્ટ પ્રીત ન કરિયો કોઈ
સાત સવાલ વાસનાના રંગ
પ્રિયંકર
એક મહાન, સરળ, સાદગીભર્યું, સાત્ત્વિક અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ એટલે શ્રી મોહનલાલ ચુ. ધામી. એમના સર્જક અને વિદ્વત્તાભર્યા લેખન વિશે લખવું એ અલ્પજ્ઞના વશની વાત નથી, પરંતુ ગુજરાતના ગૌરવને, મા સરસ્વતીની કૃપા સદૈવ જેના પર વરસી છે તેવા એક સારસ્વતપુત્રનો સાહિત્યપ્રેમીઓ સાથે પરિચય કરાવવા માટે આજે તેમની પાંચેક કૃતિઓ વાંચી, વિચારી તેના વિશે મનન કરી તેમને શબ્દાંજલી આપવાનો પ્રયાસ કરી રહી છું. (૧) રૂપકોશા:
તેમની એક નવલકથા રૂપકોશા બે ભાગમાં પ્રગટ થઈ છે. જે મહારાષ્ટ્રની યુનિ.ઓમાં અનુસ્નાતક કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામી છે એ જ તેની કક્ષાનું મહત્ત્વ અને તેનામાં રહેલી શિષ્ટતાને નક્કી કરે છે. આ પુસ્તકની પાંચ ૧૫૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #202
--------------------------------------------------------------------------
________________
પાંચ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે એ જ તેની લોકપ્રિયતાને સાબિત કરે છે. આ કથા ધામીસાહેબની કેટલીક શ્રેષ્ઠ ઉલ્લેખનીય કથાઓમાંની એક છે. આ કથા સં. ૨૦૦૧માં પ્રગટ થયેલી પરંતુ ત્યાર પછી તેમાં કેટલીક માહિતીઓ મળતાં સં. ૨૦૧૦માં .ફરીથી લખી નવા જ કલેવર સાથે પ્રગટ કરવામાં આવી.
જૈનોના ઇતિહાસને નજર સમક્ષ રાખીને રચાયેલી આ એક ઐતિહાસિક કથા છે. આજથી લગભગ ૨૪૦૦ વર્ષ પૂર્વે આ કથાનો ઇતિહાસકાળ પ્રારંભ થાય છે. તે કાળના સમાજીવનને, સંસારજીવનને, સ્વભાવદોષને અને આચાર-વ્યવહારને પૂરેપૂરો ન્યાય આપવાના પ્રયત્ન સાથે કલ્પનાના સુંદર, સપ્રમાણ રંગો પૂરીને કથા રચાઈ છે. ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનપ્રસંગોને અદ્યતન શૈલીએ, પ્રમાણિકપણે આલેખવાનું કાર્ય અતિશય કપરું છે. સ્વચ્છ બુદ્ધિ, પૂર્વગ્રહમુક્ત દૃષ્ટિ તથા તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિનો વિશાળ અભ્યાસ આ બધું એના લેખક પાસે હોવું જોઈએ.
ઐતિહાસિક પ્રસંગોને શબ્દોની શક્તિથી ફૂલગૂંથણી કરનાર લેખક ખરેખર કલાકા૨ની જેમ ભૂતકાલીન પાત્રોને સાહિત્યના શ્લક પર પોતાની કલમ પીંછી દ્વારા સજીવ બનાવી જાય છે. આમાં જ લેખકની અસાધારણ લેખનકલાનું કૌશલ્ય રહેલું છે. ભૂતકાળને વર્તમાનકાળમાં જીવંત બનાવવો અને વાંચકોના માનસપટ પર તેની હૂબહુ છબી ઉપસાવવી એ કાર્ય અતિશય કઠિન છે. લેખકની એ શક્તિ ભગીરથ પુરુષાર્થ તથા અવિરત સાધનાના પરિપાકરૂપ ગણાય છે. કાલ્પનિક નવલકથા લખવામાં કે તેના પાત્રો વિકસાવવામાં તેના લેખકને કશી મર્યાદા કે બંધનો હોતાં નથી. લેખક ધારે તે રીતે પોતાનાં પાત્રોનું સર્જન કરી શકે છે. શબ્દોનો ભંડાર, કલ્પનાપ્રચુર શૈલી અને વર્તમાનકાલીન પ્રવાહોનું સામાન્ય દર્શન આટલા સાધનો દ્વારા કોઈપણ લેખક પોતાની પ્રતિભાને નવલકથાના ઘડતરમાં વિકસાવી શકે છે. જે વિચાર, વાદ કે પ્રણાલીનો લેખકને પ્રચાર કરવાની ઇચ્છા હોય તેને જ લક્ષ્યસ્થાને રાખીને વાર્તાકાર પોતાની વાર્તાને વિસ્તારી શકે છે.
જ્યારે ઐતિહાસિક વાર્તાકારની પરિસ્થિતિ આના કરતાં તદ્દન ભિન્ન છે. તેની કલા કે શક્તિ, ઇતિહાસના વાતાવરણને પ્રામાણિકપણે સ્પર્શીને પાત્રોને વિકસાવે છે. આવા સુરત વાર્તાલેખકો ભૂતકાલીન સંસ્કૃતિની યશસ્વી ગૌરવ ગાથાઓને પોતાની લેખિની દ્વારા આલેખીને સંસાર સમસ્તને મંગલમાર્ગનું ઉદ્દ્બોધન કરે છે. આવા સંસ્કારશીલ લેખકોનું સ્થાન સાહિત્ય જગતમાં ખૂબ જ શ્રદ્ધેય તથા ગૌરવભર્યું હોય છે.
શ્રી મો. ચુ. ધામી આવા જ સુરચિત શ્રદ્ધેય કથાલેખક છે. તેઓની ઐતિહાસિક વાર્તાઓ નવલકથાની દુનિયામાં તથા સાહિત્યના વિશાળ સાગરમાં મહામૂલ્ય શણગાર સમી સર્વશ્રેષ્ઠ અને માનાર્હ ગણાય છે. તેઓએ વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું છે. પોતાની લેખનકલાથી સંસ્કૃતિનો ભવ્ય સંદેશ તેઓ
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી * ૧૫૩
Page #203
--------------------------------------------------------------------------
________________
સુણાવી રહ્યા છે. વર્ષોથી સાહિત્યની એકધારી સાધના દ્વારા તેઓની સર્વતોમુખી પ્રતિભાએ સાહિત્ય જગતમાં અદ્ભુત ચમત્કાર સર્જ્યો છે. ઐતિહાસિક વાર્તાલેખક તરીકે અસાધારણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની ભાષામાં શિષ્ટતા, સૌંદર્ય અને શાલીનતા જોવા મળે છે તો શબ્દોમાં માધુર્ય જોવા મળે છે. તેમની શૈલી ગાંભીર્યપૂર્ણ પ્રૌઢ તથા તેજસ્વી છે. તેઓ પાત્રને જીવંત કરવાની મહત્ત્વની સિદ્ધિ ધરાવતા હોવાને કારણે નવલકથાકારોમાં સર્વ પ્રથમ પંક્તિના કથાકાર તરીકે સહૃદય વિદ્વાનોએ સત્કાર્યા છે.
ભગવાન મહાવીરના ભક્ત શ્રેણિક રાજા મગધમાં સત્તા પર હતા તે પછી કોણિક, ઉદાયી, નંદવંશ સત્તા પર આવ્યા. શ્રેણિકની પાટનગર રાજગૃહી હતી તે કોણિકે ચંપાનગરી કરી, ઉદાયીએ પાટલીપુત્ર કરી તે નંદવંશમાં પણ ટકી રહી. નવમા નંદ ધનનંદના મહાઅમાત્ય ૫રમાર્હત શ્રી શકટાલ મંત્રીશ્વરના પુત્ર ભગવાન શ્રી સ્થૂલભદ્ર તથા મગધ સામ્રાજ્યની રાજનર્તકી રૂપ અને કલાના ભંડાર સમી રૂપકોશાના જીવનપ્રસંગોનું અદ્ભુત આલેખન ધામીજીએ પોતાની ચમત્કારિક શૈલીમાં અદ્ભુત રીતે કર્યું છે. શૃંગાર, અદ્ભુત, શૌર્ય, શાંત તથા વૈરાગ્ય રસના ઝરણાઓ કલકલ નિનાદ કરતાં આ કથામાં વહી રહ્યા છે. ઓજસ્વી શૈલીએ સુમધુર ભાષામાં અને અસાધારણ કાવ્યમય ગદ્ય દ્વારા તેઓએ ગૂંથણી કરી વાંચકોને બરાબર જકડી રાખ્યા છે. તે કાળના ઇતિહાસનું ભવ્ય આલેખન જૈન, બૌદ્ધ તથા વૈદિક સાહિત્યનું પરિશીલન કરીને કર્યું છે.
કથાના પાત્રોનાં જીવનમાં આવતી સુખ-દુઃખની ઘટનાઓનું સંવેદન આપણને થતું હોય તેવું લાગે છે. સ્થૂલિભદ્રજી અને કોશાના વિલાસ, કલા તથા વૈભવોનું આલેખન જેવી સુંદર રીતે કર્યું છે તે જ રીતે સ્થૂલભદ્રના જીવનના મંગલ પરિવર્તનને પણ વર્ણવ્યું છે. તેમણે જે રીતે પ્રેમને છોડી શ્રેયના માર્ગે પ્રયાણ કર્યું તેનું આલેખન પણ કેટકેટલું વેધક, સચોટ અને સર્વાંગસુંદર તેઓ આ ગ્રંથમાં આલેખે છે. આ ગ્રંથના પાત્રો પુણ્યપુરુષ શ્રી સ્થૂલભદ્રજી, મહામાત્ય શ્રી શકટાલ, રૂપકોશા, સુકેતુ, વરચિ વગેરે મુખ્ય પાત્રોનું તેમ જ પ્રાસંગિક પાત્રોનું જે રીતે ઘડતર થયું છે તેમાં તેઓની કલા અને સાધનાનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચે છે. સ્થૂલિભદ્રજી જીવનના યૌવનકાળે વિલાસના બંધનમાં જે રીતે ઝકડાય છે તે પ્રસંગને સ્પર્શીને કથાનો વિકાસ અને અંતે મુક્તિપંથના યાત્રી બની, જે રીતે બંધનથી મુક્ત બની મંગલ માર્ગે પ્રયાણ કરે છે તે સુંદર રીતે આલેખાયું છે.
પ્રથમ સ્થૂલિભદ્રજીનું સંયમ માર્ગે પ્રયાણ, સુકેતુ સેનાધ્યક્ષનું રૂપકોશાના આવાસમાં આગમન, રૂપકોશાની કલાસિદ્ધિ, શ્રમણ સ્થૂલિભદ્રનું કોશાને ત્યાં ચાતુર્માંસાર્થે પુનરાગમન, રૂપકોશાને પ્રતિબોધ વગેરે પ્રસંગોના વર્ણનમાં ભાષાનો ભવ્ય વૈભવ અને શબ્દોને સંજીવની આપવાની નૈસર્ગિક શક્તિ નજરે પડે છે. વળી મહામાત્ય શકટાલના વ્યક્તિત્વને લેખકે વિકસાવ્યું છે તે ખરેખર શકટાલ જેવા
૧૫૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #204
--------------------------------------------------------------------------
________________
પુણ્યપુરુષની મહત્તાના શિખર પર કલશ સમું છે. શકટાલ જેવા મગધ સામ્રાજ્યના સર્વસત્તાધીશ ભવ્ય પુરુષનું સ્વેચ્છાએ આત્મવિસર્જન, તેના અંગેનો શકટાલ તથા શ્રીયક પિતા-પુત્રનો તેજસ્વી સંવાદ, શકટાલની સ્મશાનયાત્રા, સ્થૂલિભદ્રજીના કોમળ હૃદયમાં લાગેલી ચોટ, સ્થૂલિભદ્રનું આત્મનિરીક્ષણ વગેરે પ્રસંગો એક પછી એક ક્રમશઃ એવા આલેખાયા છે કે લેખકને દાદ આપવાનું મન થયા વિના રહે નહિ. અદ્ભુત શૈલીમાં વર્ણવાયેલ પ્રસંગો વાંચતા આત્મા તેમાં તઘકાર બની જાય છે. નવલકથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો જે રીતે પ્રચાર-પ્રસાર કરાયો છે તે ખરેખર અભિનંદનીય છે. ભોગ ગમે તેટલા ભોગવીએ છતાં તેનાથી તૃપ્તિ થવાની નથી, નથી અને નથી એ બાબતને સ્પષ્ટતાપૂર્વક, દાખલા દલીલો સાથે સ્થૂલિભદ્રજીના પાત્ર દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. વળી એક એક પાત્રના પહેરવેશનું, આભૂષણોનું, પુરુષોના શસ્ત્ર આદિનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર અકલ્પનીય છે. રાજનર્તકી, રાજવી સ્ત્રીઓ વગેરેના વસ્ત્રોના વર્ણનમાં જે ઝીણવટપૂર્વક કામ થયું છે અને તેને વર્ણવાયા છે તે ખરેખર કાબિલે દાદ છે. નગરીના જુદાજુદા વિભાગોનું વર્ણન, રાજમહેલનું વર્ણન, જુદાજુદા વસવાટો નગરીના જુદાજુદા ભાગમાં હોય તેનું વર્ણન વાંચતા વાંચતા જાણે વાંચક પોતે જ એ નગરીમાં વિહરી રહ્યો હોય એવું હૂબહૂ વર્ણન કરાયું છે.
રૂપકોશાની માતા સુનંદા એક નર્તકી હોવા છતાં સંસ્કાર, ચારિત્ર, તેજસ્વિતા, બુદ્ધિ, ચાતુર્ય, સ્ત્રીઓની ૬૪ કલામાં પ્રાવિણ્ય, પ્રેમ અને પુત્રી પ્રત્યેની લાગણીમાં કોઈપણ સારા ઘરની કુળવધૂને પણ પરાસ્ત કરી શકે તેવી છે. તેણે રૂપકોશાના ઉછેરમાં, તેનામાં રીતિ-નીતિનું આરોપણ કરવામાં, સંસ્કારોનું સીંચન કરવામાં, ભારતીય સંસ્કૃતિની એક નખશિખ સુંદર કલાકૃતિનું, જીવતી જાગતી સાધનામૂર્તિનું ઘડતર કરવામાં જે કૌશલ્ય દાખવ્યું છે તે અદ્ભુત છે. નર્તકી હોવા છતાં ક્યાંયે વિલાસિતા, અભદ્રતા, ઉછાંછળાપણું, સ્વેચ્છાચાર કે સ્વચ્છંદતાનો એક છાંટો જોવા મળતો નથી. એ જ શ્રી ધામીની કલમનું અદ્ભુત કૌશલ્ય બતાવે છે.
આજે જૈન અને જૈનેતર લેખકો જૈન ઇતિહાસના સુવર્ણ પાત્રોને નવલકથાની શૈલીએ આલેખતા જે પ્રકારે કલ્પનાના વિકૃત રંગો ચઢાવી, ઇતિહાસને તથા તેના પ્રસિદ્ધ પાત્રોના વ્યક્તિત્વને જાણ્યે-અજાણ્યે અન્યાય કરી પોતાની કળાને કલંકિત કરી રહ્યા છે તેવા લેખકોએ ધામીજીની નવલકથાઓ વાંચીને તેમાંથી પ્રેરણા લેવા જેવી છે. શૃંગા૨૨સ હોવા છતાં ક્યાંય બેહૂદાપણું નહિ, અશ્લીલતા નહિ, કલ્પનાશીલ પ્રસંગો હોવા છતાં ક્યાંય ઇતિહાસ સાથે તડજોડ નહિ, પાત્રને અનુરૂપ બીજા પાત્રોને જોડી વાર્તાને કેવી રીતે લંબાવવી અને છતાંય ક્યાંય કંટાળો ન આવે તે રીતે રસસભર વર્ણન કરી વાંચકોને જકડી રાખવાની કલામાં ધામીજીનું પારંગતપણું દેખાઈ આવે છે, એટલે જ તેમણે રચેલી નવલકથાઓને જબ્બર લોકપ્રતિસાદ મળ્યો છે. તેમની દરેક નવલકથા લોકપ્રિય અને લોકભોગ્ય બની છે તેનું શ્રેય તેમની અદ્ભુત લેખનકલાને ફાળે જાય છે.
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી - ૧૫૫
Page #205
--------------------------------------------------------------------------
________________
ચોવીસસો વર્ષ પહેલાનો યુગ આપણા દેશમાં એક સુવર્ણયુગ તરીકે ઓળખાતો હતો. તે કાળે રાજા પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી રહે તેવા હતા. ભારતીય સંસ્કૃતિના મૂળભૂત આદર્શો પ્રત્યે સર્વકોઈને સભાવ હતો. જનતા પર વેરાનો વિરાટ બોજ નહોતો. જનતાના જીવનને કાયદા અને નિયમોની રાજકીય જંજીરો વડે રૂંધવામાં આવતું નહોતું. નાના નાના રાજ્યો હોવા છતાં, નાના-નાના યુદ્ધો થતાં હોવા છતાં જનતા સ્વતંત્ર અને સુખી હતી.
સુખી અને સ્વતંત્ર જનમાનસ હોય ત્યારે જ સંગીત, વિજ્ઞાન, ઉદાત્ત દૃષ્ટિ, કલા અને બીજા અનેક અંગો વૈભવના શિખરે પહોંચી ભવ્ય કીર્તિમાન સર્જતા હોય છે. રૂપકોશાનું સર્જન એ તે વખતના આવા જનમાનસને આભારી છે. ભારતના સુવર્ણ યુગે કામરૂપમાં પોતાના રૂપ પર ગર્વ કરી શકે એવી શ્રીદેવી નામની ભવ્ય નર્તકી સર્જી હતી... ભગવાન બુદ્ધના સમયમાં વૈશાલીએ આમ્રપાલિ નામની જાજરમાન નર્તકી આપી હતી અને ત્યાર પછી લગભગ એકસો ચાલીસ વર્ષે સમગ્ર ભારતમાં શુકના તારા માફક ઝળહળી રહેલી રૂપકોશા... મગધની એક મહાન નર્તકી આપી હતી.
રૂપકોશા કોઈ સામાન્ય નર્તકી ન હતી.. મગધેશ્વર ધનનંદની રાજનર્તકી હતી અને ગૌરવભર્યા જીવન સાથે પોતાના યૌવનની ઊર્મિઓને મગધના મહામંત્રી શકટાલના પુત્ર આર્ય સ્થૂલિભદ્રના ચરણમાં બિછાવી રહી હતી. રૂપકોશાનો વૈભવ કોઈ ચક્રવર્તીને ઘડીભર શરમાવે તેવો હતો કારણ કે કોશા કેવળ રૂપનો ભંડાર ન હતી.... ધન અને કલાનો પણ ભંડાર હતી. નર્તકી હોવા છતાં તેનું જીવન સંયમમય હતું. તે કોઈ ઉછાંછળી નવયૌવના ન હતી પરંતુ એક ઠરેલ, ગંભીર, સંસ્કારી, સરળ, પ્રવીણ, અત્યંત તેજસ્વિની રૂપયૌવના હતી. પોતે અસાધારણ રૂપ યૌવન ધરાવતી હોવા છતાં તેની નજરમાં ક્યાંય વ્યભિચાર જોવા મળતો નથી. આર્ય સ્થૂલિભદ્રને પ્રાણથી પણ અધિક પ્રેમ કરનારી રાજનર્તકી તેની યૌવનવસ્થાને રંગભરી બનાવી દે છે પરંતુ જ્યારે વાસ્તવિકતાની ખબર પડે છે ત્યારે આર્ય
સ્થૂલિભદ્ર અધ્યાત્મના રંગે રંગાયેલા બને છે, સંસારમાંથી રસ ઊડી જાય છે ત્યારે કોશા તેને રીઝવવાના અથાગ પ્રયત્નો કરે છે પરંતુ તે ડગતા નથી. સંયમમાર્ગે ગયા પછી ગુરુદેવની આજ્ઞા લઈ કોશાના રંગભવનમાં ચાતુર્માસ કરે છે અને પોતાના સંયમી વર્તન, દઢ ધર્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસથી કોશાને એક અવિહડ શ્રાવિકા બનાવી દે છે અને છેલ્લે કોશા પણ આર્ય સ્થૂલિભદ્રની જેમ સંયમમાર્ગે જાય છે. આમ “રૂપકોશાની સમગ્ર નવલકથા ભાગ માં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ છે – રૂપકોશાઃ રાજનર્તકી, બીજો ભાગ છે – રૂપકોશા: આર્ય સ્થૂલિભદ્ર. બે ભાગના પાનાની સંખ્યા ૫૪૪.
આમ પ્રસ્તુત નવલકથામાં જનપરંપરાની ઐતિહાસિક કડીઓને લેખકે પ્રમાણિકતાપૂર્વક વિશાળ અભ્યાસ સાથે, ઉદાત્ત દૃષ્ટિથી અને શ્રદ્ધાભર્યા હૈયે સંકલિત
૧૫૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #206
--------------------------------------------------------------------------
________________
કરી છે. એકંદરે રૂપકોશા ગ્રંથ ઐતિહાસિક વાર્તાઓના વિશાલ સાહિત્યસાગરમાં મહામૂલ્ય મૌક્તિક સમો છે. ત્યાગ, તપ, સંયમ, તથા સંસ્કારની ગૌરવગાથાઓ આ ગ્રંથમાં પંક્તિએ પંક્તિએ આલેખાયેલી છે. શ્રી ધામીજી પાસે જે અદ્ભુત કલા છે, જે ચમત્કારિક સાધના છે, જે મંગલ દષ્ટિ છે તેમ જ જે તેજસ્વી લેખિની છે, તે સમસ્ત સંસારના સંસ્કૃતિપ્રેમી, સંયમ, તપ, ત્યાગના પૂજક વિશાળ માનવ સમુદાયનું પરમધન છે. આમ રૂપકોશા એ ધામીજીનું ઉત્કૃષ્ટ સર્જન છે. હવે આપણે મો. ચુ. ધામીની બીજી એક નવલકથા વિશ્વાસ વિશે જાણીશું. (૨) વિશ્વાસઃ
શ્રી મો. ચુ. ધામીની આ નવલકથા એક ભાગમાં ૩૧૨ પાનામાં રચાયેલી છે. આ નવલકથાની પણ ચાર આવૃત્તિ બહાર પડી છે તે સાબિત કરે છે કે શ્રી ધામીજીની નવલકથાઓને વાંચકોએ કેટલા ઉત્સાહ, આનંદ અને ઉમળકાથી વધાવી છે. જેના ઐતિહાસિક નવલકથાઓ લખવાની શરૂઆત ધામીજીએ આ કથાના સર્જનથી કરી છે. એક વખત તેઓને અકસ્માત થતાં હાથ-પગ ભાંગી ગયા હતા. એ અવસ્થામાં તેઓને એકાદ વર્ષ ચોટીલામાં રહેવું પડ્યું. નવરાશની પળોમાં તેમણે જૈન ઇતિહાસના ભંડારમાં રહેલા અમૂલ્ય ગ્રંથો વાંચ્યા. આ વખતે નવરસ પ્રધાન મહાકવિ શ્રી વાચક નયસુંદર મહારાજશ્રીએ રચેલો એક રાસ તેમણે જોયો. એ રાસનું નામ હતું “સુરસુંદરી રાસ” જેની રચના નયસુંદરજી દ્વારા વિક્રમ સંવત ૧૬૪૬ના જેઠ સુદ તેરસના દિવસે ગુજરાતી ભાષામાં થઈ હતી. શ્રી ધામીજીને એ મહાકાવ્યમાં ખૂબ રસ પડ્યો અને એને પાયામાં રાખી તેમણે માત્ર બાર દિવસમાં જ આ નવલકથાની રચના કરી હતી. આ કથાનો ઇતિહાસકાળ લગભગ મુનિસુવ્રત સ્વામીનો સમકાલીન ગણાવી શકાય.
એક નારીના જીવનને ઉજાગર કરતી આ નારીપ્રધાન નવલકથા છે. ભારતની નારી એ સહનશીલતા, શૌર્ય અને સંસ્કારની મૂર્તિ છે. ગમે તેટલી વિપત્તિઓ, ઉપસર્ગો આવે તોપણ તે ક્યારેય વિચલિત થતી નથી, એટલે જ કહેવાયું છે કે “નારી તું કદીયે ના હારી.” કથાની નાયિકા સુરસુંદરીના આશ્રમના અભ્યાસથી કથા શરૂ થાય છે. તે તથા તેના પતિ અમરકુમાર બંને આશ્રમમાં સાથે જ ભણતાં. એક નજીવી મશ્કરીએ બંનેના દાંપત્યજીવનમાં એવી તો તિરાડ પાડી કે વર્ષો સુધી બંને એકબીજાથી દૂર રહ્યા. બંને વચ્ચે અનહદ પ્રેમ, વિશ્વાસ, એકબીજાના થઈને રહેવાની ભાવના હોવા છતાં કર્મોના ખેલ નિરાળા છે. એક નાદાન વયમાં અજાણતા થયેલા અપમાનને અમરકુમારે મનમાં લઈ લીધું અને આખી નવલકથાનું સર્જન થયું.
સુરસુંદરી સાથે પ્રસન્ન દાંપત્યજીવન જીવતા અમરકુમારને સાગર ખેડવાનું મન થયું અને માતા-પિતા તથા સાસુ-સસરાની રજા લઈને નીકળ્યો. આર્ય નારી પતિની સાથે જ હોય એ ન્યાયે સુર પણ સાથે ગઈ અને રસ્તામાં જ કર્મોએ
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૫૭
Page #207
--------------------------------------------------------------------------
________________
ભૂલવાડ્યા. એક જનરહિત ટાપુમાં, સુરસુંદરીને એકલી મૂકી અમર ચાલ્યો ગયો અને શરૂ થઈ એક નારીની વિતકકથા.
નાનપણમાં જ સતીજી પાસે સાંભળેલી વાણી, નવકારમંત્રનો મહિમા અને તેના જાપ સ્મરણ કરતી વખતે કેવી રીતે મંત્રઆરાધન કરવું તે બાબતોને હૃદયસ્થ કરીને સુરસુંદરીએ પોતાના જીવનમાં અને આચારમાં એવી રીતે ઉતાર્યું કે આવેલી અનેક વિપત્તિઓ પણ તેનું કશું બગાડી શકી નહિ. ઊલટાનું આવેલી વિપત્તિઓએ તેના મંત્રમાં રહેલા વિશ્વાસને વધારે દઢ કર્યો, એટલું જ નહિ ધર્મમાં રહેલા વિશ્વાસ મંત્રમાં રહેલી આસ્થાએ તેને અનેક દુઃખોમાંથી ઉગારી અંતે પતિ સાથે મિલન કરાવ્યું અને છેલ્લે બંનેએ ભાગવર્તી દીક્ષા અંગીકાર કરી. આમ આ કથાનો અંત સુખાંતમાં, ત્યાગમાર્ગે અગ્રેસર થવામાં આવે છે.
વાર્તાના મુખ્ય પાત્રો સુરસુંદરી, અમરકુમાર, રાજા રિપુમર્દન, રતિસુંદરી, ધનાવહ શેઠ, કુંજબિહારી, વસંતપ્રભા વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. કુંજબિહારીની કુટિલતા, લાલસા અને વિકારી દૃષ્ટિમાં દુર્જનનો દુષ્ટાત્મા જોવા મળે છે તો પ્રબળસેન જેવા પરદુઃખભંજન, સુશીલ અને માયાળુ રાજવીમાં સજ્જનની શીતળતા જોવા મળે છે. વિદ્યાધર રાજા રત્નજી અને તેની ચાર રાણીઓનું આલેખન વાર્તાને નવા જ વળાંકે પહોંચાડે છે. અહીંથી વાર્તા સુખાંત તરફ આગળ વધે છે. વળી વિદ્યાધરોની વિદ્યા કેવા કેવા પ્રભાવ પાડી શકે છે તેનું સુંદર નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. વિદ્યાના પ્રભાવથી જ સુરસુંદરી વિમળયશ બની પોતાના પ્રાણપ્રિય પતિ અમરકુમારને શોધી શકે છે. સુરસુંદરીનું પાત્ર નારીના સહજ ગુણોની અભિવ્યક્તિ ખૂબ સુંદર રીતે કરે છે. આ જગત પર જન્મ ધરીને જેણે અપમાન, દુઃખ, તિરસ્કાર અને નફરતના બદલામાં પણ સુખ, સન્માન, આદર અને પ્રેમની ચારે બાજુ લ્હાણી કરી એવી સુરસુંદરીનું પાત્ર દર્શાવે છે કે નારી એ અબળા નથી, પુરુષોના હાથનું રમકડું નથી. નારી એ તો શક્તિનું સ્વરૂપ છે, પ્રેમ અને કરુણાની ભવ્ય મૂર્તિ છે, શૌર્ય અને સમર્પણની સરિતા છે, તપ અને ત્યાગની તેજોમૂર્તિ છે. આવી નારી જ પોતાના ગુણોના કારણે સંસ્કૃતિની ધરોહર બની રહી છે. સંસ્કૃતિનું હસ્તાંતર પેઢી દર પેઢી સુંદર, વ્યવસ્થિત અને મૂળરૂપે નારી દ્વારા જ થાય છે. માતા દ્વારા જ બાળકોમાં સુસંસ્કારનું, સંસ્કૃતિનું અને રીતરિવાજોનું અનુક્રમે સિંચન, જતન અને રોપણ થાય છે. પછી તે બાળક નર હોય કે નારી હસ્તાંતરનું કામ તો નારી દ્વારા જ થાય છે. નારીનું સ્વરૂપ ગમે તે હોય તેની ભૂમિકા અગત્યની છે. મમતાળુ માતા હોય કે માડીજાયા વીરની વ્હાલેરી બેનડી હોય, સદાય નિર્દોષ વહાલના ઝરણા વરસાવતી સ્નેહાળ ભાભી હોય કે પછી સદાને માટે પતિની સેવા કરનારી, તેના દરેક કાર્યમાં ડગલે-પગલે સાથ દેનારી અને સત્કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરતી સહધર્મચારિણી હોય કે પછી બાળકોને કથા-વાર્તાનું ઘેલું લગાડી સંસ્કારોનું ભાતું બંધાવતી દાદી કે નાની હોય. નારીનું સ્થાન અને તેનું સમાજમાં યોગદાન સદાયે મહાન છે. ૧૫૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #208
--------------------------------------------------------------------------
________________
આવી નારીના સ્વરૂપને યથાયોગ્ય ન્યાય આપી તેની મહત્તાને સાબિત કરી સુરસુંદરી જેવા પાત્ર દ્વારા સમાજની સન્મુખ મૂકી ધામીજીએ નારીને મુઠ્ઠી ઊંચેરી સાબિત કરી છે. વળી નવલિકામાં પ્રકૃતિના સુંદર સ્વરૂપોનું પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરી હૂબહૂ હોવાની અનુભૂતિ કરાવતાં શ્રી ધામીજીનું દરેક વિષયમાં જાણપણું ખરેખર અભિનંદનને પાત્ર છે. અમરકુમાર અને સુરસુંદરી જ્યારે કાલો લઈ વહાણમાં વિદેશ વ્યાપાર કરવા જાય છે ત્યારે દરિયાનું સુંદર વર્ણન કર્યું છે તે ખરેખર તેમના કવિહૃદયની સંવેદનાનો પડઘો પાડી જાય છે. પ્રકૃતિનું સૌમ્ય, સુંદર અને સાહજિક રૂપ માણસને પળે પળે પ્રેરણા આપી પ્રગતિના શિખરે પહોંચવાની પ્રેરણા આપે છે તો એ જ પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ માનવીને અવનતિની ગર્તામાં ઊંડે ઊંડે ધકેલી દે છે. તેમના જ શબ્દોમાં પ્રકૃતિને જોઈએ તો,
“પ્રલયના પ્રચંડ ઘવાનળ વચ્ચે પણ કુદરત હસતી હોય છે અને સુધાના રસાસ્વાદ વચ્ચે તે ક્રૂરતા સેવી શકે છે. ભયંકર વાવાઝોડામાં શાંતિનો શ્વાસ
ત્યે છે તો કલેજા થંભાવતી નીરવતામાં મીઠા સંગીત છેડે છે. પ્રકૃતિ એકધારી રહેવા છતાં યે પળે પળે પોતાના રંગ પલટે છે. જ્યાં શંકાને સ્થાન હોવાની સંભાવના પણ ન હોય ત્યાં કરોડો શંકાઓ રચી શકે છે. એથી જ સારાયે વિશ્વ પર પ્રકૃતિ પોતાનું અબાધિત રાજ્ય ચલાવી રહી છે. પ્રકૃતિની આ આશ્ચર્યકારક શક્તિ શું લાખ લાખ વંદનને યોગ્ય નથી? લાખો પ્રયત્નોને મિથ્યા કરવાનું બળ ધરાવતી એ મહાશક્તિ કોને પૂજ્ય ન હોય? માનવ બુદ્ધિ ભલે મથી રહી પણ અંતે પ્રકૃતિના ચરણમાં બુદ્ધિનું મસ્તક નમી પડવાનું. છતાંય બુદ્ધિનો ગર્વ ઉન્નત મસ્તક રાખતો હોય તો તે ક્ષણિક છે, પાંગળો છે, પાગલ છે !”
પ્રકૃતિની લીલા અગમ્ય છે. એ અગમ્ય લીલા માનવજાતને ખૂબ જ મુંઝવી રહી છે. એ લીલાનો પાર પામવા – કિનારો મેળવવામાં માનવોની બુદ્ધિએ અનંત યુગોથી પ્રયત્નો કર્યા છે છતાંયે વીતરાગ સિવાય કોઈ કિનારો શોધવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા નથી. એથી જ કહેવાય છે કે પ્રકૃતિની લીલા અગમ્ય છે.”
આ બંને પેરેગ્રાફ એ લેખકની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા, વિચારોની વિશાળતા તથા જે તે વિષયનું ઊંડું જાણપણું દર્શાવે છે. વળી આ કથાની નાયિકા સુરસુંદરીનું પાત્ર એ પ્રેમની મહત્તા સાબિત કરે છે. પ્રેમ એ તો પ્રાણનો પ્રકાશ છે, વિશ્વની સૌરભ છે. પથ્થરમાંથી પણ અમીઝરણાં પ્રગટાવવાની જે પ્રેમમાં શક્તિ છે તે પ્રેમ શા માટે વિશ્વનું ઉચ્ચ તત્ત્વ ન ગણાય? જે પ્રેમ સ્મશાનભૂમિમાં નંદનવન સર્જી શકે છે તે પ્રેમ શા માટે સંસારમાં સુવાસ ન પાથરી શકે? પ્રેમ તો હૈયાનું અમૃત છે. જેના હૈયામાં પ્રેમનું અમૃતઝરણ પ્રગટ્યું નથી, તેના હૈયાને હૈયું કહી શકાય જ નહિ, એને તો હાડકાનું માળખું કહેવાય. જે આંખ પ્રેમમાં રસપાન કરી કે કરાવી ન શકે તે આંખ નહિ પણ અંધકારને ઓળખનારા ખાડા છે!
પ્રેમ એ આત્માની પ્રતિભા છે, ત્યાગનું પૂર્વ સ્વરૂપ છે. પ્રેમ એ પ્રકૃતિનું
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૫૯
Page #209
--------------------------------------------------------------------------
________________
ચિરંજીવ ગીત છે. આવા દિવ્ય પ્રેમનો પ્રભાવ અનન્ય, અદ્ભુત છે. સાત્ત્વિક પ્રેમની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં ન હોય કલહ કે ન હોય કલ્પાંત! ન હોય વાસના કે ન હોય વિકાર!હોય છેષ કે ન હોય સ્વાર્થ! ત્યાં તો બસ પ્રકૃતિના ખોળે ખેલતો નિર્દોષ આનંદ જ હોય.
સાચો પ્રેમ કેવો હોવો જોઈએ અને તેની કેવી અસર હોય તે લેખક પોતાના શબ્દોમાં વર્ણવે છે. વળી નાનપણથી જ તેમના અંતરમાં દઢ શ્રદ્ધા હતી કે ત્યાગ કરવાથી જ આત્માનું શ્રેય થાય છે, ત્યાગ વિશે તેઓ નવલિકામાં કહે છે કે માનવજીવનનો સાચો માર્ગ ત્યાગ છે. પ્રેમનું અંતિમ અને ઉજ્વળ સ્વરૂપ ત્યાગ છે. ત્યાગ વગર મુક્તિ નથી. મુક્તિ વગર શાશ્વત સુખની પ્રાપ્તિ નથી. ત્યાગના ચરણોમાં વિશ્વની સમગ્ર સંપત્તિ માટી બરાબર છે. ત્યાગ હૈયાનો હોવો જોઈએ.. ત્યાગ પાછળ જ્ઞાન અને વિશ્વાસનો પ્રદીપ પ્રગટવો જોઈએ. એ વગરનો ત્યાગ માત્ર નામનો જ ત્યાગ છે ત્યાગ એ જીવનનો પરમ મંત્ર છે. ત્યાગ એ જીવનનું સાચું તત્ત્વ છે. ત્યાગ એ આત્મદર્શનનો અરીસો છે. ત્યાગ વગર મુક્તિ નથી. સુખનું સાચું દર્શન ત્યાગ છે. મુક્તિની ઝાંખી અને પ્રાપ્તિ ત્યાગ સિવાય બીજે અસંભવિત છે. આત્માની સમગ્ર શક્તિઓને વિકસાવનારું કોઈપણ ચિરંજીવ ઔષધ હોય તો તે કેવળ ત્યાગ છે.
ત્યાગનો મહિમા તેમણે માત્ર આ પુસ્તકમાં જ નહિ પરંતુ તેમની મોટા. ભાગની નવલકથાઓમાં વર્ણવ્યો છે. રૂપકોશાનો અંત પણ તેમણે સ્થૂલિભદ્રજીના સત્સંગ અને સદુપદેશના ફળરૂપે રૂપકોશા જેવી રાજનર્તકીનું સંયમમાર્ગે પ્રયાણ કરાવ્યું છે. આ વાર્તા દ્વારા પણ પોતે ત્યાગમાર્ગે ન જઈ શક્યા તેનો રંજ દેખાઈ આવે છે. એકંદરે આ નારીપ્રધાન નવલકથા બહેનોને વિશ્વાસ, શ્રદ્ધા અને દૃઢ નિશ્ચયનું બળ આપનાર સાત બની રહે છે. (૩) વેળા વેળાની વાદળી:
સિદ્ધહસ્ત લેખક શ્રી મોહનલાલ ચુ. ધામીના ૧૨૭મા પુસ્તકમાં તેઓએ ઐતિહાસિક ચરિત્ર ભીમસેનને નાયક બનાવી તેના દ્વારા જૈનદર્શનના કર્મના સિદ્ધાંતને ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. આ પુસ્તકની પણ ચાર-પાંચ આવૃત્તિઓ થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં ભીમસેન ચરિત્ર નામનો એક સુંદર કથાગ્રંથ છે. આ ગ્રંથનું મૂળ પ્રાકૃતભાષાના ઇતિહાસમાં પડ્યું છે. શ્રી અજિતસાગરજી મહારાજે સંસ્કૃત ગ્રંથ પરથી ગુજરાતી ભાષામાં ભીમસેન ચરિત્ર તૈયાર કરેલું છે. લેખકે આ ગ્રંથ પરથી પ્રેરણા લઈ દૈનિક વર્તમાનપત્ર “જયહિંદમાં ધારાવાહિક કથારૂપે આ નવલકથા લખી. ૩૧૧ પાનાના આ પુસ્તકમાં જીવનમાં આવતી તડકી અને છાંયડીઓની તથા પૂર્વકર્મની લીલાઓનું વર્ણન ખૂબ સુંદર રીતે કરાયું છે.
ભગવાન મુનિસુવ્રતસ્વામીનું જન્મકલ્યાણક જે નગરીમાં ઊજવાયું છે તે નગરી રાજગૃહીના વર્ણનથી કથાની શરૂઆત થાય છે. આ કથાનો સમય લગભગ
૧૬૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૮૫૦ વર્ષ પહેલાનો ગણાવી શકાય. શ્રી નેમનાથપ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના સુવર્ણયુગની આ વાત છે. રાજા ગુણસેન જૈનધર્મ મતાવલંબી હોવાને કારણે વિનમ્ર, બળવાન, સદાચારી અને ધર્મપ્રિય હતો. બ્રહ્મચર્યની મહત્તા જાણવાને કારણે તેને અંતઃપુરની શોભા વધારવામાં રસ નહોતો. આથી તેણે પ્રિયદર્શના નામે એક જ પત્ની કરી હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવનારી, પતિપરાયણ, ધર્મિષ્ઠ સ્ત્રી હતી. સોળ-સોળ વર્ષ સુધી ખોળાનો ખૂંદનારની પ્રાપ્તિ ન થવાથી તે ઉદાસ રહેતી હતી. જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાવંત પતિએ સમજાવ્યા બાદ તે ફરી પ્રસન્નતાથી જીવવા લાગી. આનર્ત દેશના એક નિમિત્તકના નિમિત્તથી રાજા-રાણી એક નહિ બે-બે સુંદર પુત્રોના માતા-પિતા બન્યા. મોટો પુત્ર તે કથાનાયક ભીમસેન અને નાનો પુત્ર તે હરિષેણ. આશ્રમજીવનમાં ગુરુસાનિધ્યે રાજકારણ, ન્યાય, વ્યાકરણ, ધર્મ, કલા આદિ વિદ્યાઓના અભ્યાસાર્થે બંનેને મૂકવામાં આવ્યા હતા. બંને ખૂબ સુંદર રીતે ગુરુના માર્ગદર્શન હેઠળ ઘડાયા હતા. વળી માતા-પિતા ધર્મમાં શ્રદ્ધાવાન, આચારવંત અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હોવાને કારણે બંને પુત્રો પણ સંયમી, ધીરગંભીર, આજ્ઞાવંત અને વિનયી હતા. બંનેમાંથી કોઈને પણ એક નાનુંસરખુંયે વ્યસન નહોતું. તેઓ માનતાં હતાં કે જુગારથી માનવી કર્તવ્યભ્રષ્ટ થાય છે. મૈરેયપાનથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. નાચગાન કે પરાયી સ્ત્રીના રૂપદર્શનથી મહાપાપના ભાગીદાર બનાય છે. આથી બંને તેનાથી દૂર જ રહેતા.
વાર્તાના અન્ય પાત્રોમાં નિમિત્તક, આશ્રમમાં વિદ્યાદાન આપનાર ગુરુદેવ, સમરસેન, કામાગિની ગણિકા, ગણિકાપુત્રી નંદિની વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે થયું છે. બંને પુત્રીના લગ્ન થયા તે ક્રમશઃ સુશીલા અને સુરસુંદરી પણ પોતાના વ્યક્તિત્વ દ્વારા વાંચકોના મન-મસ્તિષ્ક ઉપર છવાઈ જાય છે. બંને દેરાણી-જેઠાણી હોવા છતાં એકમેકથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતી હતી. સુશીલા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સજ્જન પ્રકૃતિની હતી જ્યારે સુર તેના નામ પ્રમાણે ભોગવિલાસમાં રાચનારી, અન્યના કહેવાથી દોરવાઈ જનારી સ્ત્રી હતી. ભીમસેન તથા હરિષણના લગ્ન પછી માતાપિતાએ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. ભીમસેનને બે પુત્રો થયા દેવસેન અને કેતુસેન.
અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીવનનૈયાને અચાનક એક વંટોળ આવી ધ્વંશ કરી ગયો. અત્યાર સુધી રાજા ભીમસેન અને સેનાધ્યક્ષ હરિષણ એક મગની બે ફાડની જેમ જીવતા હતા, પરંતુ સૂરસુંદરીએ હરિફેણની કાનભંભેરણી કરી ત્યારથી ભીમસેન પર દુઃખના વાદળો છવાયા. અચાનક ભીમસેનને રાજમહેલ છોડી જીવ બચાવવા પત્ની અને બે પુત્રો સાથે ભાગવું પડ્યું. ગામ-ગામ અને નગરનગરની ઠોકરો ખાતા બંને પતિ-પત્ની અને પુત્રોને ઘણુંઘણું દુઃખ સહન કરવું પડ્યું. પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવતા જે કાંઈ પણ કરે તે ઊંધુ જ પડતું. જુદીજુદી વિપત્તિઓ આવતી છતાં બંને પતિ-પત્ની ધર્મમાં દઢ શ્રદ્ધા રાખી, બૂરા
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૧
Page #211
--------------------------------------------------------------------------
________________
કર્મોનો વિપાક જાણી શાંતિથી જિંદગી પસાર કરતાં હતાં. એકબીજાના સંગાથમાં ડુંગર જેવડા દુઃખોને રાઈ જેવડા બનાવવાની શક્તિ છે તે પણ સાબિત થઈ ગયું. પ્રેમ, વિશ્વાસ, પરસ્પર પાત્રો વચ્ચેની શુભ ભાવના આવેલા દુઃખોને વામણા બનાવી દે છે, પરંતુ આ સુખની પણ દૈવને ઈર્ષા જાગી હોય તેમ, અશુભ કર્મોનો ઉદય થતાં પતિ ભીમસેનને કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છા હોવાથી થોડા સમય માટે પત્નીથી અલગ દૂર દેશાવર ગયો. આ પછી બંને પર કેટકેટલી વિપત્તિ આવી. સંકટોનો સામનો કરતાં હાર્યા ત્યારે નબળી પળે આત્મઘાતનો વિચાર પણ કર્યો, પરંતુ દૈવયોગે બચી ગયો. દુઃખનો વિપાક પૂર્ણ થતાં ધીમે ધીમે બધા સુખો સામે આવીને પાછા મળ્યા. જે હરિષેણે ભાઈની હત્યા કરી પોતે રાજ્ય હડપવાનો નિર્ણય કર્યો હતો તે હરિજેણે પણ સત્ય વાત જાણતાં પશ્ચાત્તાપ કર્યો. આ બધી બાબતોની જડરૂ૫ રાણી સુરસુંદરીને પિયર વળાવી, પોતે ભાઈની પાસે ગયો. તેને ભવ્ય સ્વાગત કરી પાછો લાવ્યો. પરંતુ સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિઓએ તેના મનમાં રહેલી ત્યાગની ભાવનાને જગાડી હતી. ભાઈને કરેલા અન્યાય બદલ સદાય ડંખતા હૃદયે ભાઈ-ભાભીને પુનઃ રાજ્ય સોંપી સંયમમાર્ગે પ્રયાણ કર્યું. સુરસુંદરી પણ સાચી વાત સમજી પતિની પાછળ ચાલી નીકળી. પોતે કરેલાં પાપોનું શુદ્ધ હૃદયે પ્રક્ષાલન કરવા તે કટિબદ્ધ બની. ભીમસેને થોડા વર્ષ રાજ્ય સંભાળ્યું ત્યારબાદ બંને પુત્રો યુવાન થતાં દેવસેનનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, કેતુસેનને યુવરાજપદ સોંપ્યું. બંને પુત્રોને ખાનદાન કુળની રાજકન્યાઓ સાથે પરણાવી યોગ્ય સમયે હરિષણમુનિ પાસે ભીમસેને તથા સુરસુંદરી આર્યાજી પાસે સુશીલાએ સંયમમાર્ગ સ્વીકાર્યો.
આમ સમગ્ર કથામાં કર્મનો સિદ્ધાંત, સુખ-દુઃખની આવનજાવન, નારી ધારે તો સ્ત્રીચરિત્ર દ્વારા કેટલાયના જીવન નરક બનાવી શકે અને ચાહે તો ધરતી પર સ્વર્ગ ઉતારી શકે, દુઃખમાં હિંમત હારી માનવી તૂટી જાય છે ત્યારે ધર્મના સંસ્કારો સહારો આપે છે, ખાસ કરીને કર્મો કરેલા ભોગવવાના જ હોય તો હસતાં-હસતાં ભોગવી કર્મની નિર્જરી કરી આત્મકલ્યાણ શા માટે ન કરવું? આ બધી બાબતો પર આ કથા સારી રીતે પ્રકાશ પાડે છે. (૪) મગધેશ્વરીઃ નૃત્યાંગના ભાગ ૧, ચાણક્ય ભાગ ૨, ચિત્રલેખા ભાગ ૩
આગળ આપણે રૂપકોશા નવલકથા ભાગ-૧ રૂપકોશાઃ રાજનર્તકી તથા ભાગ-૨ રૂપકોશા: આર્ય સ્થૂલિભદ્ર કથા વિશે વિસ્તૃત રીતે જોયું. આના પછીની આગળ વધતી કથા એટલે મગધેશ્વરી ભાગ ૧-૨-૩ની કથાનું સર્જન લેખન દ્વારા થયું છે. રૂપકોશાની નાની બહેન એટલે નૃત્યાંગના ચિત્રલેખા.
તેઓએ લખેલી પ્રાણવાન ઐતિહાસિક મહાકથા મગધેશ્વરી લગભગ ૧૦૦૦ જેટલા પાનાઓની તેજસ્વી નવલકથા છે. આ નવલકથાના દળદાર ગ્રંથમાં રૂપકોશા ગ્રંથમાં આલેખાયેલી ઘટનાઓ પછીનો કાળ મુખ્યત્વે સંકલિત થયેલો છે. ત્રણ
૧૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષરઆરાધકો
Page #212
--------------------------------------------------------------------------
________________
ભાગોમાં પ્રકાશિત થયેલી આ પ્રસિદ્ધ નવલકથા ખૂબ જ સુંદર, સરસ અને પ્રવાહબદ્ધ શૈલીએ લખાઈ છે. ભાષા તથા ભાવનાની માધુરીના જ્યાં પાને-પાને દર્શન થઈ રહ્યા છે, તેવી આ મહાકથાના પાત્રો એટલા પ્રભાવશાળી છે કે જે વાંચતા એ પાત્રોના ઉન્નત વ્યક્તિત્વને પોતાની લેખિની દ્વારા શબ્દોમાં આલેખનાર લેખકની લેખનકલાને અનેકશઃ ધન્યવાદ આપવા દરેકનું મન લલચાય છે.
નવમા નંદ ધનનંદના મહામાત્ય શકટાલે જે રીતે મગધને સંભાળ્યું હતું. તેમના જેવી કુનેહ, દીર્ધદષ્ટિ અને કુશાગ્ર બુદ્ધિ બીજા કોઈનામાં જલ્દી જોવા ન મળે. રાજકીય ખટપટોને કારણે કાચા કાનના રાજા ધનનંદે શકટાલ પર આળ મૂક્યું તે આ પ્રભાવશાળી નરવીર સહન ન કરી શક્યો અને પોતાની પ્રમાણિકતા, વફાદારી અને નિષ્ઠા સાબિત કરવા તેણે પોતાના પુત્ર શ્રીયકના હાથે ભરસભામાં મૃત્યુ વહોરી લીધું. એક નિર્દોષ મહામાનવના અકાળે અવસાન બાદ નવમા નંદ ધનનંદના સામ્રાજ્યનું પતન થયું અને મૌર્યવંશના આદ્ય સમ્રાટ ચંદ્રગુપ્તનું ઉત્થાન થયું. આ બધી વાતો ક્રમબદ્ધ રીતે મહાકથામાં આલેખાઈ છે.
રૂપકોશા ગ્રંથમાં રૂપકોશા આર્ય સ્થૂલિભદ્રની જેમ ત્યાગમાર્ગે ગયા ત્યાંથી કથાનકને પૂર્ણ કરી. મગધેશ્વરીમાં રૂપકોશાની નાની બહેન કે જે રૂપકોશાની પ્રેરણા, કલાનો વારસો, સંસ્કાર વગેરે જેના જીવનમાં જીવંત બન્યો છે તે સૌંદર્ય, રૂપ અને કલાના ભંડારરૂપ ચિત્રલેખાની આસપાસ સમગ્ર કથા ગૂંથાઈ છે. મહામાત્ય શકટાલના પ્રિય શિષ્ય એવા શ્રી ચાણક્યની કુશાગ્ર બુદ્ધિ, તેજસ્વી પ્રતિભા, અદ્ભુત કૌશલ્ય તથા અનન્ય સાધનાનો યશોજ્વલ ઇતિહાસ મગધેશ્વરી ગ્રંથમાં ખૂબ સુંદર રીતે આલેખાયેલ છે.
ધનનંદે કરેલ ચાણક્યનું અપમાન, ચાણક્યની પ્રતિજ્ઞા સહિત ઘણા બધા પ્રસંગોને અહીં. એકતાંતણે ગૂંથી લઈને સુંદર રીતે મહાકથાને મઠારવામાં આવી છે. ચિત્રલેખા એક પ્રતિભાસંપન, કૌશલ્યકલા ધરાવતી નૃત્યાંગના છે. જુદીજુદી ઘટનાઓની સાથે ચિત્રલેખાના જીવનને સાંકળી લઈ એક પછી એક પ્રવાહબદ્ધ ઘટનાઓની સંકલના દ્વારા લેખકે ઈતિહાસની સાંકળને પ્રામાણિકતાપૂર્વક વર્ણવી છે. જે ખરેખર તેમની લેખિની અને લેખનકળાનો ગૌરવશાળી ચમત્કાર જ ગણી શકાય.
આમ આ મહાકથા પણ ધામીજીના ગૌરવશાળી સર્જનોમાંની એક છે. (૫) બંધન તૂટ્યા: ભાગ-૧ પૌરવી, ભાગ-૨ રાજલક્ષ્મી, ભાગ-૩ રાજકન્યાઃ
જયહિંદ દૈનિકમાં દર સોમવારે આ કથા પ્રસિદ્ધ થતી હતી. હજારો વાંચકો આ વાર્તાને વાંચવા કાગડોળે રાહ જોતા હતા. આ મહાકથા લગભગ દોઢ વર્ષ સુધી પ્રસિદ્ધ થઈ. તેણે જે રીતે હજારો શાણા, સંસ્કારી વાંચકોના હૈયાને જકડી રાખી, રસજમાવટ કરી હતી તેવી ભાગ્યે જ કોઈની કથા હશે. કથાના પ્રવાહમાં રસતરબોળ બનેલા હજારો વાંચકોએ તેને એકી અવાજે વધાવી લીધી હતી.
આ મહાકથા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવની મંગલસાધનાને તેમ જ
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૩
Page #213
--------------------------------------------------------------------------
________________
તેઓના સમકાલીન પાત્રોને – વ્યક્તિઓને સ્પર્શીને આલેખાઈ છે. જેમાં વૈશાલી ગણતંત્રના નાયક મહારાજા ચેટક, ચંપાના મહારાજા જિતશત્રુ દધિવાહન, કૌશાંબીના મહારાજા શતાનિક, મહારાણી પદ્માવતી, ધનાશેઠ, મૂળા શેઠાણી, ચંદનબાળા ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનનું તથા પ્રાસંગિક પાત્રોનું સજીવ આલેખન થયું છે. મહાકથાની શરૂઆત વૈશાલી ગણરાજ્યના વર્ણન, સુવર્ણયુગમાં જોવા મળતી રાજાઓની પ્રજાવત્સલતા, સ્નેહાળ હૃદય, પ્રજાને પુત્રવત્ પાળવાની તમન્ના તથા તે માટે કરવામાં આવતા પ્રયત્નોથી થાય છે. ધીમે ધીમે કથા જુદાજુદા પાત્રોને લઈને આગળ વધતી જાય છે તેમતેમ લેખકની કલમનો અમૃતમય ૨સાસ્વાદ પણ ચાખવા મળતો જાય છે. ઘણાબધા પ્રસંગોને સુંદર રીતે સાંકળી લઈ આ કથા ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધે છે.
-
ભગવાન શ્રી મહાવીરદેવને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ તેમની પ્રથમ દેશના ખાલી જાય છે. બીજી દેશનામાં ચાર તીર્થની સ્થાપના કરી ત્યાર બાદ શ્રી ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. ચાર તીર્થની સ્થાપના કરતી વખતે પ્રથમ સાધુ ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણધર બને છે. જ્યારે ચંદનબાળા અનેક ઉપસર્ગો, સંકટો સહીને, મૂળા શેઠાણી દ્વારા મુંડિત થઈને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે દેવાધિદેવ પ્રભુ મહાવીરના શરણે જઈને પોતાના કર્મોના બંધનને તોડે છે, ત્યાં કથાનો અંત આવે છે. આમ આ મહાકથાનું ક્લેવર પણ ઐતિહાસિક નવલકથાનું જ છે.
કાળની દૃષ્ટિએ જોઈએ તો લેખક શ્રી ધામીજીની આ મહાકથા ઐતિહાસિક મહાકથાઓમાં સર્વપ્રથમ આવે છે. ત્યારબાદ ઠેઠ શ્રી ભગવાન મહાવીરદેવના નિર્વાણ બાદ ૧૫૦ વર્ષ પછીના સમયનું આલેખન કરતી ‘રૂપકોશા' નવલકથા ગણાય. ત્યાર બાદ મગધેશ્વરી’ નવલકથાને લઈ શકાય.
આ ત્રણેય ઐતિહાસિક નવલગ્રંથો, આજે જૈન ઇતિહાસના સુવર્ણ યુગને પ્રામાણિકપણે આલેખતા મહમૂલ્ય, સમૃદ્ધ તથા ગૌરવશાળી ગ્રંથરત્નો છે. રૂપકોશાના દ્વિતીય ભાગમાં એક પ્રસંગ જૈન પરંપરાથી ભિન્ન રીતે આલેખાયેલો મળે છે. રથ સેનાધ્યક્ષ સુકેતુની સમક્ષ રૂપકોશા નૃત્યકલાની અંતિમ સિદ્ધિ પ્રત્યક્ષ બતાવી તેને આશ્ચર્યચકિત કરી, વિલાસના બંધનમાંથી મુક્તિના માર્ગે પ્રયાણ કરાવે છે. આ પ્રસંગ સ્થૂલિભદ્રજીના શ્રમણ બની ચાતુર્માસ અર્થે આવવા પહેલા બનેલો બતાવાયો છે. જ્યારે જૈન ઇતિહાસની પરંપરા પ્રમાણે આ ઘટના સ્થૂલિભદ્રજીના ચાતુર્માસ બાદ રૂપકોશાના જીવનનું કલ્યાણકારી પરિવર્તન આવ્યું ત્યારબાદ બનેલી બતાવાઈ છે. આમ સામાન્ય હકીકત ભેદ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલા વર્ષો પૂર્વેનો ઇતિહાસ હોવા છતાં શ્રી ધામીજી ક્યારેય કોઈ અણછાજતી છૂટ લેતાં નથી. ઘણી વાર એવું બનતું હોય છે કે કથાને વધારે રસિક, વિસ્તૃત, લોકભોગ્ય બનાવવા માટે લેખકો ઇતિહાસને વિકૃત કરી નાખતા હોય છે. આમ
૧૬૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #214
--------------------------------------------------------------------------
________________
આ પાંચ કૃતિઓના અવલોકન પરથી ખ્યાલ આવે છે કે ધામીજી માત્ર સૌરાષ્ટ્રના જ નહિ પરંતુ સમગ્ર ભારતવર્ષના એક ઉત્તમ કોટિના નવલકથાકાર છે. ઉપસંહારઃ
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી મહાગુજરાતના સાક્ષર અને સિદ્ધહસ્ત વાર્તાલેખક છે. તેઓ એકાંતપરાયણ, સંસ્કારશીલ, નિષ્ઠાવાન, સિદ્ધાંતપ્રેમી સાહિત્યકાર છે. ઐતિહાસિક નવલકથાઓ લખતાં હોવા છતાં તેમણે ક્યાંય, ક્યારેય, કોઈ પણ સંજોગોમાં આર્થિક લાભ ખાતર કે કથાને લોકપ્રિય બનાવવા માટે ઇતિહાસ સાથે બાંધછોડ કરી નથી કે સિદ્ધાંતોને નેવે મૂક્યા નથી. કીર્તિની જેમને કામના નથી, પ્રતિષ્ઠાપ્રાપ્તિને જેઓ ઈચ્છતા નથી, કર્તવ્યપરાયણતામાં જ જેમણે આનંદ માન્યો છે, એવા લબ્ધપ્રતિષ્ઠિત પ્રતિભાશાળી, સર્વાગ સુંદર મહાકથાઓના સર્જક એક વૈદ્યરાજ પણ હતા. તેઓ એક નિઃસ્પૃહ વ્યક્તિ હતાં. દ્રવ્યોપાર્જન માટે તેમને અતિ સ્પૃહા કે લોભ નથી એનો ઘણાને પ્રત્યક્ષ અનુભવ છે. સેવાભાવ તેમના વ્યવસાયનો પ્રાણ છે. અવિરતપણે સાહિત્યની સાધના કરીને તેઓ એક અગ્રીમ પંક્તિના સર્જક બન્યા છે. તેઓ ગુજરાતના હોવાથી એક ગુજરાતી તરીકે મને તેનું ગૌરવ છે કે આવા સર્જક આપણા સૌરાષ્ટ્રના છે. માત્ર એટલું જ નહિ તેઓએ દરેક સાહિત્યપ્રકારને પ્રાધાન્ય આપી ઘણી બધી રચનાઓ કરી છે પણ જૈન સંસ્કૃતિને, જૈન ઇતિહાસને, જૈન સાહિત્યને તેમણે જે અર્પણ કર્યું છે તેનું ગૌરવ એક જૈન તરીકે આપણને બધાને હોવું ઘટે. આવા મહાન લેખક માટે પૂ. કેસરવિજયજી ગણિવરના શિષ્ય પં. કનકવિજય ગણિવરે મહા સુદ ૫ના દિવસે તા. ૨૮-૧૫૫ના દિવસે લખેલ પુરોવચનમાં જે રીતે ધામીજી માટે લખ્યું છે તે જોઈએ તો – | ‘ભાઈ શ્રી ધામીની અદ્દભુત કલાસિદ્ધિને હું કયા શબ્દોમાં બિરદાવું? તેઓની ઐતિહાસિક કથાઓ મેં વાંચી છે. વાંચતા-વાંચતા મારું ચિત્ત પ્રસન્ન બને છે. આત્મા અપાર આનંદ અનુભવે છે. જૈન સંસ્કૃતિનો વિશાળ દષ્ટિએ કથાના પાત્રો દ્વારા પ્રચાર કરવામાં એમની કલમે જે શકવર્તી ઇતિહાસ સર્જ્યો છે તે જાણી હું ખૂબ જ ગૌરવ લઉં છું. ભાઈ શ્રી ધામી જૈન છે એટલે નહિ, પણ જૈન સંસ્કૃતિ જે સમસ્ત સંસારની મંગલમયી માતા છે, તેનો એક સંસ્કારશીલ સતપુત્ર પોતાની તેજસ્વી કલમે, મૃદુ-મધુર શૈલીએ, ભવ્ય ભાષા વૈભવ દ્વારા જે રીતે તેની ગૌરવગાથાઓને તેમ જ તેના સુવર્ણ યુગના ઇતિહાસ પ્રસિદ્ધ જ્યોતિર્ધર મહાપુરુષોની કલ્યાણકારિણી મંગલ સાધનાને આલેખવા દ્વારા ત્યાગ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, શૌર્ય, ક્ષમા, સ્વાર્પણ તથા સંસ્કારના ઉદાત્ત તત્ત્વોને ઓજસ્વી ભાષામાં શબ્દોની અદ્દભુત શક્તિથી પોતાની અંજલિ સમર્પને વિલાસ, વૈભવ, સત્તા અને સંપત્તિની પાછળ પામર બનીને સંસાર સમસ્ત આજે જે અનીતિ, અનાચાર, છલ તથા વિશ્વાસઘાતના પાપમાર્ગે ગબડી રહ્યો છે, તેને “જાગતા
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૫
Page #215
--------------------------------------------------------------------------
________________
રહેજોનો ભવ્ય સંદેશ આપે છે, તે માટે એક જૈન શ્રમણ તરીકે આજે હું તેમની કલાસિદ્ધિને વિનમ્ર શબ્દોમાં અંજલિ આપતાં ખૂબ જ પ્રમોદ પામું છું.'
આમ સમગ્ર રીતે તેમની ગદ્ય-પદ્ય બંને કૃતિઓને જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે તેઓએ પોતાના સર્જન દ્વારા સમસ્ત સંસારને સંયમ, સેવા, સ્વાર્થત્યાગ, પ્રામાણિકતા, કર્તવ્યપરાયણતા, નીતિમત્તા, ઔદાર્ય, પાપભીરૂતા, દયાદષ્ટિ, પરોપકાર, સચ્ચારિત્ર, સંસ્કારી માનવતા ઈત્યાદિ મંગલ તત્ત્વોનો પ્રેરક સંદેશ આપ્યો છે. તેઓ વૈદ્ય હોવાને નાતે શારીરિક-માનસિક આરોગ્ય જાળવવા માટે પણ તપ અને ત્યાગની મહત્તા દર્શાવવા સાથે આર્ય સંસ્કૃતિએ પ્રબોધેલા સંયમી જીવનની આવશ્યકતા ભારપૂર્વક જણાવે છે.
તેમની મોટા ભાગની નવલકથાઓમાં જે સંદેશો છે તે વાંચી-વિચારી સહુ કોઈ સહૃદય, સંસ્કારપ્રેમી વાંચકો વિલાસ, કામ, ક્રોધ, મદ, મત્સર તથા મોહના બંધનથી મુક્તિ મેળવીને સંયમ, સદ્વિચાર, ત્યાગ અને વિશ્વ વાત્સલ્યના મહામંગલ માર્ગે ચાલી, મુક્તિના શાશ્વત સુખધામમાં વિહરવા કટિબદ્ધ બનીએ એ જ મંગલ કામના વ્યક્ત કરી શકાય.
લખાણ કેવું હોવું જોઈએ? એ વિશે તેઓ કહેતા કે આધુનિકતાના અંચળા. હેઠળ મોટે ભાગે જાતીય વિકૃતિ ઉત્પન કરે તેવું સાહિત્ય પીરસાઈ રહ્યું હોવાથી પ્રજાનું સંસ્કારબળ નબળું પડે છે જેને કારણે જાહેરજીવનને હાનિ પહોંચે છે. શૃંગાર રસ તરીકે આવકારદાયક છે પરંતુ ગલીપચી કરાવનાર તરીકે ઉપયોગ થાય તો યુવાપેઢીના બળને હણી નાખનાર બને છે. આમ તેઓ માત્ર એક લેખક નહોતા પરંતુ આખાબોલા નીડર પત્રકાર હતા, જૈન ધર્મનો તન-મન-ધનથી પ્રચાર કરનારા એક જૈન, સંસ્કૃતિપ્રેમી, શિષ્ટ સાહિત્યકાર હતા. તેઓ એક જવાબદાર નાગરિક પણ હતા. દેશપ્રેમના કેસરિયા રંગે રંગાઈને તેમણે આઝાદીની ચળવળમાં ઝંપલાવી જેલવાસ પણ ભોગવ્યો હતો.
તેઓ એક અત્યંત તેજસ્વી, બાહોશ, પ્રતિભાસંપન્ન લેખક હતાં. એક સાથે પાંચ-પાંચ દૈનિકોમાં તેઓ એકસાથે નવલકથા લખતાં, એટલું જ નહિ આ પાંચ નવલકથાના સેંકડો પાત્રોના નામ તેમના હૈયે રહેતા. એ જ તેમની અદ્દભુત, અસાધારણ, સર્જનાત્મક શક્તિની સાક્ષી પૂરે છે. તેમણે પત્રકારત્વનો કોઈ અભ્યાસ કર્યો નહોતો છતાં તેઓ વાસ્તવિકતાને ઊજાગર કરતાં અગ્રલેખો લખતાં. સાહિત્યના બધા જ ક્ષેત્રોનું ખેડાણ જેમણે કરેલું છે તેવા એક પ્રતિભાસંપન્ન લેખક ચાર-પાંચ દિવસમાં તો ઐતિહાસિક નવલકથાનું સર્જન કરી શકતા અને ડિટેક્ટીવ નવલકથા તો બે દિવસમાં જ સંપૂર્ણ કરતાં. આ બધી બાબતો દર્શાવે છે કે તેઓ કોઈ સામાન્ય લેખક નહોતા. ૧૭૦ નવલકથાના સર્જક, ૨૦૦૦ ગીતોના રચયિતા, આયુર્વેદભૂષણની પદવી ધરાવતા વૈદ્ય અને અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા ધામીજી ઉપર મા સરસ્વતીની અસીમ કૃપા હતી અને એટલે જ તેઓએ આટલું
૧૬૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #216
--------------------------------------------------------------------------
________________
સર્જન કર્યું, આટલા લોકપ્રિય થયા છતાં સુંદર વ્યક્તિત્વ વિકસાવેલું.
સરળતા, સાદગી, અહમ્રહિતતા, નમ્રતા, સચ્ચાઈ જેવા ગુણોને તેમણે પોતાના જીવનમાં તો ઉતાર્યાં જ હતા, પરંતુ લોકો પણ એ રીતે જીવે તો જ સુખી થઈ શાંતિ અને સમાધિનો અનુભવ કરી શકે એ વાત તેઓ બરાબર જાણતા હોવાથી તેમણે પોતાના લેખોમાં એ બાબતને પ્રાધાન્ય પણ આપ્યું.
તેઓએ જે ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં તેમણે ખૂબ જ સુંદર રીતે નામ પણ ઉજ્જ્વળ કર્યું. પોતે સંસારમાં હોવા છતાં કાદવમાં જેમ કમળ અલિપ્ત રહે છે તે રીતે સંસારને ક્યારેય પોતાના હૃદયમાં સ્થાન આપ્યું નહિ. અંતિમ સમય સુધી તંદુરસ્ત રહી જેમણે સમાજને શિષ્ટ સાહિત્યનું ભાથું આપ્યું જ રાખ્યું એવા મહાન સાહિત્યકાર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સાહિત્યગગનના તેજસ્વી તારક હતાં તેમ કહીશું તો ખોટું નહિ ગણાય. અંતે આવા મહાન સાહિત્યકારના સર્જનને સો સો સલામ આપી મારી લેખનીને વિરામ આપીશ.
સંદર્ભગ્રંથઃ
(૧) સ્મરણ માધુરી, (૨) રૂપકોશા ભાગ ૧-૨, (૩) વેળા વેળાની વાદળી, (૪) વિશ્વાસ, (૫) બંધન તૂટ્યા ભાગ ૧-૨-૩: નવયુગ પ્રકાશન, લે. મો. ચુ. ધામી
શ્રીમતી પારૂલબહેન ભરતકુમાર ગાંધી ‘ઉષા-સ્મૃતિ’ ૧, ભક્તિનગર સોસાયટી,
જૈન ઉપાશ્રય પાસે, 218512-360002
081-2222795 M.9824485410
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૭
Page #217
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
–
પ્રવીણા શાહ
સાહિત્યરસિક શ્રીમતી પ્રવીણાબહેને પ્રસ્તુત લેખમાં શ્રી રતિભાઈના સાહિત્યની લાક્ષણિકતાઓ તારવીને પોતાની ક્ષમતા સ્થાપિત કરી છે. – સં.]
ચિંતન એ મનનું સૌંદર્ય છે. વિકાસને અનુકૂળ તર્ક એ બુદ્ધિનું સૌંદર્ય છે. પ્રેરક ફુરણા એ હૃદયનું સૌંદર્ય છે. મન, બુદ્ધિ અને હૃદયનાં આવા મોહક સૌંદર્યના સ્વામી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું જૈનસાહિત્યમાં પ્રદાન એ આજનો મારો વિષય છે.
આત્મલક્ષી સાહિત્યના સર્જક શ્રી રતિલાલ દેસાઈનો ટૂંક પરિચય જોઈએ તો જેણે જીવનની પ્રત્યેક પળ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્યની સાધનામાં જ ગાળી છે તેવા કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ સાધકનો જન્મ વિ.સં. ૧૯૬૩ના ભાદરવા સુદ ૫ ને ગુરુવાર તા. ૧૨ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ તેમના મોસાળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે થયો હતો. માતાનું નામ શિવકોરબહેન અને પિતાનું નામ દીપચંદ દેસાઈ હતું. તેમનું મૂળ વતન સાયલા હતું.
બાળપણથી જ ભક્તિના સંસ્કાર તેમના પિતાશ્રી પાસેથી સાંપડેલ. પિતાશ્રી એટલા બધા ભક્તિપરાયણ હતા કે બધાં તેને દીપાભગત તરીકે જ ઓળખતા. પાછલી વયમાં તેમણે દીક્ષા પણ અંગીકાર કરી હતી. તેમના જીવનમાં સંઘર્ષનો પ્રારંભ અભ્યાસકાળથી જ શરૂ થયો હતો. જુદાજુદા સ્થળે સ્થળાંતર કરવાના કારણે તેઓશ્રીના અભ્યાસમાં સાતત્ય ન જળવાઈ શક્યું. પિતાશ્રી દીપચંદ દેસાઈની નોકરીના કારણે પ્રાથમિક શિક્ષણ લેવલામાં, ધૂળિયામાં, વઢવાણમાં, ફરી પાછા ધૂળિયા, ફરી સુરેન્દ્રનગરમાં એમ શિક્ષણકાળમાં એમની કસોટી શરૂ થઈ. હજુ અભ્યાસમાં સ્થિર થયા ન થયા ત્યાં તેમના માતુશ્રી શિવકોરબહેનનું અવસાન થયું. શ્રી રતિભાઈએ ૧૪ વર્ષની નાની વયમાં જ માતાની પ્રેમાળ છાયા ગુમાવી.
શ્રી રતિભાઈના પિતા પત્નીના મૃત્યુના વિયોગને સતત ઘૂંટ્યા કરવાને બદલે તેમની પુનિત સ્મૃતિને જાળવી રાખવા આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને કોઈપણ પ્રલોભનોમાં લપેટાયા વિના બાળકોને માની ખોટ ન સાલે એમ ઉછેરવા લાગ્યા. કાશીવાળા આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની સલાહથી રતિભાઈને મુંબઈમાં
૧૬૮ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #218
--------------------------------------------------------------------------
________________
વિલેપારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશ મંડળ' નામક પાઠશાળામાં અભ્યાસ માટે મૂક્યા. આ સમય રતિભાઈના સાધકજીવન માટેનો પ્રારંભકાળ ગણી શકાય. ત્યાં પાઠશાળાના ગૃહપતિ શ્રી નાગરદાસ કસ્તુરચંદ શાહના ચરિત્ર અને પંડિતવર્ય શ્રી જગજીવનદાસની જ્ઞાનસાધનાથી રતિભાઈએ પોતાનાં જીવનને સુસંસ્કૃત બનાવ્યું અને આ રીતે તેમનું જીવન એક નવા વળાંકે આવી ઊભું રહ્યું.
વિલે પારલાની પાઠશાળામાં સ્થાયી થયા ત્યાં આખી પાઠશાળાનું બનારસ ખાતે સ્થળાંતર થયું. ત્યાં તેમના પિતરાઈ ભાઈ બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખ) પણ આ પાઠશાળામાં જોડાયા. બંને ભાઈઓએ સાથે રહીને અભ્યાસ કર્યો. બે અઢી વર્ષ સુધી પાઠશાળાને બનારસ અને આગ્રામાં ચાલુ રાખ્યા બાદ શિવપુરીમાં આ પાઠશાળા સ્થિર થઈ. અહીં તેમની સ્થિરતાથી અભ્યાસ શરૂ થયો. શ્રી રતિભાઈએ ખૂબ ખંતપૂર્વક અભ્યાસનો જાણે યજ્ઞ માંડ્યો. તેઓ નિયમિત સ્વાધ્યાય, ચિંતન, મનન કરતાં અને સતત પરિશ્રમ કરીને તેઓશ્રીએ ઈ. સ. ૧૯૨૮માં કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી પ્રાપ્ત કરી. આવી પદવી મેળવનાર તેઓ પાઠશાળામાં પ્રથમ વિદ્યાર્થી હોવાથી પાઠશાળાએ તેમને તાર્કિક શિરોમણિની પદવી આપવાનું નક્કી કર્યું, પણ પોતે આ પદવી માટે યોગ્ય નથી તેમ કહી ન સ્વીકારી. આખરે પાઠશાળાએ તેમને ‘તર્લભૂષણની પદવી આપી.
શિવપુરીની પાઠશાળા અને પોતાના અન્ય અભ્યાસ દરમિયાન શ્રી રતિભાઈનાં જીવન પર ન્યાયના અધ્યાપક રામગોપાલાચાર્ય, પંડિતશ્રી જગજીવનદાસ, મુનિરાજ શ્રી જયંતવિજયજી મ.સા. શ્રી નાગરઘસ કસ્તુરચંદ શાહ, પંડિતવર્ય શ્રી સુખલાલજી, પંડિત શ્રી બેચરદાસજી, પ્રો. ફિરોજ કાવસજી દાવર, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. દર્શનવિજયજી મ.સા. ઉપરાંત આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા. વગેરેનાં સંસ્કાર અને સાધના સિંચાયેલા છે. તેમાંયે પૂ. શ્રી પુણ્યવિજયજી મ.સા. પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા તો અવર્ણનીય હતાં.
શિવપુરીનો અભ્યાસ, પદવીની સફળતા તથા ઉપરોક્ત મહાનુભાવોની ભક્તિ અને આશીર્વાદ સહ તેમની સાધક તરીકેની જીવનયાત્રા અને સાહિત્યની યાત્રા શરૂ થઈ. ઈ. સ. ૧૯૩૦માં સખત પુરુષાર્થ કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી સાથેસાથે એ જ વર્ષમાં સંસ્કારી કુટુંબના મરઘાબહેન (મૃગાવતીબહેન) સાથે તેમનાં લગ્ન થયાં. ગૃહસ્થજીવનની મંગલ શરૂઆત થઈ. સંસારરથને ચલાવવા માટે તેઓએ શ્રી વિજયલક્ષ્મી જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે પ્રથમ નોકરી સ્વીકારી. લગભગ અઢી વર્ષ નોકરી કર્યા પછી એમને સંસ્કૃત સાથે M.A.ની ડિગ્રી મેળવવાની ઇચ્છા થઈ એટલે ૨૬ વર્ષની ઉંમરે અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રિવિયસના વર્ગમાં જોડાયા પણ પ્રયત્નમાં સફળતા ન મળી. સાથે આર્થિક સંજોગોએ પણ સાથ ન આપ્યો અને M.A. થવાની મહત્ત્વકાંક્ષા તો મનની મનમાં જ રહી.
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૬૯
Page #219
--------------------------------------------------------------------------
________________
આ પછી તેઓશ્રી મુનિ સંમેલનનાં માસિક મુખપત્ર જૈન સત્યપ્રકાશનાં સંપાદનમાં જોડાયા. તેર વર્ષ સુધી સંપાદન કાર્ય કર્યું. તે દરમિયાન તેઓને પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તેમ જ તેઓનાં શિષ્યોનો ગાઢ સંપર્ક થયો. સાથેસાથે શ્રી બેચરભાઈ શાહ અને ભાઈચંદભાઈ શાહ જેવા મિત્રો મળ્યા. એ પછી વિ.સં. ૨૦૦૦માં તેઓ માસિક સો રૂપિયાના પગારથી અમદાવાદ સીઝ ટ્રેડર્સ એસોસિએશન નામની વાયદાના વેપારની સંસ્થામાં જોડાયા. અહીં તેઓ પ્રમાણિકતા અને કાર્યનિષ્ઠાથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિશ્વાસપાત્ર બન્યા. આ સમય એમના માટે આર્થિક મુશ્કેલીનો હતો. છતાંય તેઓ સટ્ટાથી દૂર રહ્યા. અહીં ૧૪ વર્ષ અને બે મહિના સુધી પ્રમાણિકતાથી કામ કર્યું.
પોતે જે કામ કરતા તેનું જે મહેનતાણું મળતું તે પોતાના કામ કરતાં જો વધારે લાગે તો પગાર ઓછો કરવા માટે સંસ્થાને અરજી કરતા અને તે રીતે જે તે સંસ્થા પ્રત્યેનું પોતાનું ઋણ ચુકવતાં. જ્ઞાનોદય ટ્રસ્ટમાં, મહાવીર જૈન વિદ્યાલયમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં તેમણે આ રીતે પગાર ઓછો લેવાનું સ્વીકાર્યું હતું.
વિ.સં. ૨૦૦૩માં ભાવનગરમાં સુપ્રસિદ્ધ લેખક શ્રી સુશીલના સંપર્કમાં આવ્યા. શ્રી સુશીલ સુપ્રસિદ્ધ જૈન' સાપ્તાહિકમાં લેખો લખતા. પણ તેમની નાદુરસ્ત તબિયત અને હાથના દુખાવાને લીધે લખી શકતા નહોતા. તેઓ ચિંતામાં હતા કે જૈનના લેખોનું શું થશે ? શ્રી રતિભાઈએ અગ્રલેખો લખવાનું કામ સંભાળ્યું. એમાંથી એમને સાચા જૈનને છાજે તેવા જ્ઞાન-દર્શન-ચરિત્ર ચકાસવાની, સમજવાની ચાવી મળી. એને લીધે એક બાજુ જૈન ધર્મ તથા સાહિત્યનાં અધ્યયનની આદત પડી. સાથેસાથે નિર્ભય સમતોલ સત્યકથન, વસ્તૃત્વ અને લેખનમાંથી પત્રકારત્વનો પ્રારંભ થયો. વર્ષોપર્ધત તંત્રીલેખ લખ્યા. રજૂઆતની કુનેહ વિચારોની સ્પષ્ટતાથી એ લેખો એટલા સરસ રહેતા કે સૌને વાંચ્યા વિના ન ચાલે. તે લેખોની પ્રાસંગિકતા, વિવિધતા અને ઘટનાના હાર્દ સુધી પહોંચવાની તીક્ષ્ણ દૃષ્ટિ ઉલ્લેખનીય છે. શિવપુરીમાંથી જે ઉત્તમ પામ્યા, તેને અનેકગણું ઉત્તમોત્તમ બનાવીને સૌ સુધી પહોંચાડ્યું.
શ્રી રતિભાઈની દૃષ્ટિ પરિશ્રમકારક સંશોધનથી સત્ય શોધવા તરફ રહી તેથી તેમની ગુણગ્રાહી અને રસગ્રાહી દૃષ્ટિ પ્રાચીન સાહિત્ય અને સમકાલીન જીવન પર ફરી વળી અને તેમાંથી જન્મ્યા એમના આગવા સાચુકલા ઝગમગતા હીરા જેવા કથારનો અને “ગુરુ ગૌતમ સ્વામી’ જેવું પુસ્તકરત્ન. તેમની નખશિખ પ્રમાણિકતા તથા નિર્મળ પ્રજ્ઞાને લીધે તેઓ સમકાલીન શ્રમણ પરંપરાની સમાલોચના કરી શક્યા અને તેમાંથી જ ઉદારચિત સાધુ-સાધ્વી પ્રત્યે વાત્સલ્ય અને ભક્તિ જન્મ્યા. અને જૈન સાહિત્યના સદ્ભાગ્યે પૂજ્ય ધર્મસૂરીશ્વરજી જેવા રત્નપારખુ
૧૭૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #220
--------------------------------------------------------------------------
________________
પરીક્ષક તેમને મળ્યા અને આપણને એક સાચા સાહિત્યકાર મળ્યા.
જૈનસાહિત્યનાં શીલ, સંસ્કારિતા અને સર્જકતાનાં તેઓ સર્વોત્તમ શિષ્ય હતાં. જીવનનાં સનાતન મંગલોમાંની તેમની શ્રદ્ધા તેમના સાહિત્યમાં દેખાય છે. જેમ કે તેમણે તેમના એક લેખમાં લખ્યું છે કે વિકાસ સાધવો હોય કે મુસીબતોની સામે ટકી રહેવું હોય તો તે એકલે હાથે થઈ શકતું નથી. આ માટે જરૂરી એવા સાથ અને સહાયતા ત્યારે જ મળી શકે જ્યારે માનવસમૂહોએ પોતાની અંદર સહકારની મંગલમય ભાવના પ્રગટાવી હોય.' (વિના સહકાર નહીં ઉદ્ધાર’ – જૈનમાં પ્રગટેલ લેખ) તેમણે ૧૦ વાર્તાસંગ્રહો આપ્યા - અભિષેક, સુવર્ણકંકણ, રાગ અને વિરાગ, પાપરાગ, કલ્યાણમૂર્તિ, હિમગીરીની કન્યા, સમર્પણનો જય, મહાયાત્રા, સત્યવતી અને મંગળમૂર્તિ. આ કથારત્નો તથા ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ, આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ ભાગ ૧ અને ૨, નંદનસૂરિ સ્મારકગ્રંથ, અમૃત ધુરંધરસૂરિ સ્મારકગ્રંથ, શત્રુંજય પ્રતિષ્ઠાનો અહેવાલ વગેરે વિપુલ સાહિત્ય આપ્યું. તેમ જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન મહાજ્ઞાની, સિદ્ધ અને મહામંગલકારી ધર્મપુરુષ ગૌતમ સ્વામીના વાર્તાત્મક ચરિત્રને પોતાનાં જ્ઞાનદર્શન સાથે વણી લઈને ભાવાત્મક પણ સરળ ચરિત્રકથા આપી. જેમાં ગૌતમસ્વામી વિશે લખે છે કે “ભવ્ય અને ભદ્ર એની પ્રકૃતિ હતી. કષાયો અને ક્લેશો, કર્મો અને દોષોને દૂર કરવાની તેમની વૃત્તિ હતી અને નીતરેલા નીર જેવી નિર્મળ અને ઉપકારક એમની વૃત્તિ હતી.” આ ત્રણ વાક્યોમાં જ ગૌતમ સ્વામીનું ચરિત્ર પ્રગટ થાય છે.
તેઓશ્રીની કૃતિઓની વિષય પસંદગીમાં વિશાળતા દેખાય છે. પ્રાચીન જૈન ધાર્મિક તેમ જ ઐતિહાસિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં સત્યો સાથે સાથે પોતાની નજર સામે જીવાતા, જોવાતા, જગત તથા જીવનમાંથી જીવનનાં સંગીન સત્યો અવલોકી, વિચારી નવલિકામાં મૂર્ત સ્વરૂપે મૂક્યા. ઉપરનાં ઠાઠ અને દમામને દૂર કરી હૃદયનો ભાવ પારખવાનું ને વ્યક્ત કરવાનું કાર્ય એમની કલમે અનુપમ રીતે પાર પાડ્યું. બાહ્ય આડંબરોથી પર, ઊંડાણમાં નજર કરી એમણે માનવહૃદય જોયું, એના ભાવ જોયા, માણસની ભાવના અને કલ્પના જોયા, એને કલાકૃતિમાં સરળ રીતે કંડાર્યા – જેમકે “દિલનો ધર્મ એ વાર્તા સંગ્રહની સુંદર અને સરોજ એ વાર્તામાં વાર્તાનાયક સુંદરના મોંમાં શબ્દો મૂક્યા છે કે, દિવસ આખો દિલ દઈને અને તન તોડીને એવું કામ કરીએ કે રાતે નિદ્રા માતા પ્રસન્ન થઈને પોતાના હેતાળ ખોળામાં આપણને આરામથી સુવાડી દે. એશઆરામ કે વૈભવ વિલાસીને સુખની નિંદ કેવી ? કામ જ જગતની સાચી કામધેનુ છે. કામ કરે તે સહુને પ્યારો લાગે અને સફળતાને મેળવે.’ આમ તેમાં આત્માનુભૂતિનો પ્રબળ રણકાર અને પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા જોવા મળે છે. તેમનાં વાર્તાસંગ્રહો જોતા લાગે છે કે ઇતિહાસ, પુરાણ, જાતઅનુભવ,
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૧
Page #221
--------------------------------------------------------------------------
________________
અવલોકન, કલ્પના એ વાર્તાઓનું ઉગમસ્થાન છે. જીવનમાંથી અનુભવાતી લાગણીઓને આ સમર્થ સાહિત્યકારે નવરસમાં સમાવી લીધી છે. તેમની કેટલીક વાર્તાઓ મધ્યયુગીન છે. જ્યારે કેટલીક વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડીને વિક્રમની બીજી સદી સુધીનાં લગભગ સાતસો વર્ષને સ્પર્શે છે. બધી વાર્તાનું મૂળ બહુધા જૈન સાહિત્ય જ છે.
તેમની કેટલીક વાર્તાઓનાં મુખ્ય પાત્ર ઐતિહાસિક છે. જેવાં કે કોણિક, ચેટક, હલ્લબિહલ્લ, મૃગાવતી, શકટાળ, આર્યરક્ષિત, ઉદયનમંત્રી, આર્યભટ્ટ જેવા અને તેની સાથે સંકળાયેલ હકીકતો કેટલાંક અંશે ઐતિહાસિક છે અને તે વાર્તાઓનું મૂળ જૈન પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. કેટલીક વાર્તાનાં મૂળ જૈન આગમમાં પણ છે. જેમ કે નંદિષણ, સંયતિરાજ, કપિલકુમાર, ધન્નાશાલિભદ્ર, શાલ મહાશાલ વગેરે.
તેમની વાર્તામાં વી૨૨સ છલકાય છે ભલે એ રસ જુદીજુદી રીતે જુદેજુદે માર્ગે કે પ્રસંગે તીવ્રતમ રૂપે આવિર્ભાવ પામતો હોય અને તેનું મૂળ ઉત્સાહમાં છે. ક્યારેક એ રણાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વલી ઊઠે છે. જેમ કે ‘માનવની મહાયાત્રા’ સંગ્રહની ‘રણશય્યા’ વાર્તામાં લખે છે એ આતશને જલતો રાખવા કેટલાય વીર નરોએ હસતે મોંએ પોતાનાં જીવનની આહુતિ આપી હતી. અજયપાળનાં અત્યાચારનો અંધકાર ખાળવા અનેક નરોએ બલિદાનનાં કોડિયામાં પોતાનાં રૂધિરનાં તેલ પૂરી દીધાં હતાં.' ક્યારેક દાન અને ત્યાગને માર્ગે, ક્યારેક પ્રેમ અને પરિત્રાણને રસ્તે તો ક્યારેક બીજા સદ્ગુણો દ્વારા તેમની ભાવનાઓ પ્રગટે છે. વળી ગાંધીયુગીન જૈન સાહિત્ય એટલે મહદ્અંશે નિષ્ઠાથી ઓપતું અને છલકાતું સાહિત્ય તેમજ નૈતિક અને આધ્યાત્મિક જીવન મૂલ્યો પ્રત્યેની આસ્થા, આશા એ સાહિત્યના પ્રાણતત્ત્વો હતાં. તેમની કેટલીક વાર્તાઓમાં આ ગાંધીયુગીન સાહિત્યની ઝલક જોવા મળે છે.
–
તેઓશ્રીએ જૈન ગ્રંથો કે જૈન કથાઓ ઉપરાંત ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો ઉપયોગ કરી તેમાંથી સરસ કથાઓ સર્જી છે. વળી તેમણે પોતાને થયેલાં કેટલાંક પ્રેરણાદાયી સ્વાનુભવોને કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. નારીકથાઓ, શીલકથાઓ, ઇતિહાસકથાઓ, ધર્મકથાઓ, શૌર્યકથાઓ આલેખી છે અને સત્ય બનાવોને પણ સુરેખ વાર્તાદેહ આપ્યો છે.
જૈન સાહિત્યની અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિના પ્રબળ પુરસ્કર્તા શ્રી રતિભાઈએ સાહિત્ય, સંસ્કાર, શિક્ષણ, ધર્મ આદિ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ સાકાર કરી જીવનનાં અનેક બિંદુને સ્પર્શી તેને શબ્દોથી શણગાર્યાં છે અને કાર્યથી અજવાળ્યા છે.
તેઓની સાહિત્યસાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વનો
૧૭૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #222
--------------------------------------------------------------------------
________________
ફાળો આપ્યો છે. તેઓશ્રીની કલમ કોઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લે છે. જેમ કે આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવા માટે શેઠશ્રી કસ્તુરભાઈએ રતિભાઈને આ ભગીરથ કાર્ય કરવા માટે કહ્યું. આ માટે કોઈ નાની સરખી હકીકત પણ લક્ષ્ય બહાર રહી ન જાય તેની ખૂબ જ ચીવટ સાથે પેઢીનાં ઈતિહાસનો પ્રથમ ભાગ તૈયાર કર્યો. વિશાળ પાયા પર જૂના સંગ્રહો, જૂના થયેલ પાનાઓ, ચોપડાઓ, ચુકાદાઓ, સામગ્રીઓ ઝીણવટપૂર્વક તપાસી ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધ સાથે આ ઐતિહાસિક ગ્રંથ તૈયાર કર્યો અને બીજો ભાગ પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂર્ણ કર્યો.
આ ઉપરાંત જૈનધર્મનું જાણીતું અને માનીતું તીર્થધામ શ્રી ભદ્રેશ્વરનો “શ્રી ભદ્રસ્વર વસઈ મહાતીર્થ નામનો અભ્યાસ પૂર્ણ ગ્રંથ આપ્યો. તે માટે તીર્થની હસ્તલિખિત, મુદ્રિત, વેર-વિખેર સાહિત્ય સામગ્રીને શોધીને સુદીર્ઘ વાંચન, મનન તથા ઊંડા સંશોધન દ્વારા સમય અને શક્તિનો ભોગ આપીને તીર્થમાં થોડો સમય વસવાટ કરીને ગ્રંથનું સર્જન કર્યું. વિષયની છણાવટ, રજૂઆતની સુગમ, સરળ શૈલી અને પ્રાસાદિકતાથી આ ગ્રંથ લોકભોગ્ય અને વિદ્વત્ભોગ્ય બની રહ્યો છે.
ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પર દાદાની મુખ્ય ટૂંકમાંથી ઉત્થાપન કરેલ પાંચસોથી પણ વધુ જિનપ્રતિમાઓને બાવન જિનાલયવાળો નૂતન જિન પ્રસાદમાં પુનઃ પ્રતિષ્ઠિત કરતી વખતે જે અવિસ્મરણીય મહોત્સવ ઉજવાયો તેની રજેરજ માહિતીનો ચિતાર આપતો “પ્રતિષ્ઠાનો અહેવાલ સુંદર રીતે આલેખ્યો છે.
આમ તેમનાં સાહિત્યને જોતાં લાગે છે કે સાહિત્યકાર તેની અપૂર્વ મેધા વડે, તેની નિત્ય નવોન્મેષ પ્રજ્ઞા વડે જીવનનાં ગહનમાં ગહન મને પકડી લે છે, તેનો તાગ કાઢે છે, તેમાંથી તત્ત્વપ્રસાદ સારવી સમગ્ર માનવજાતીનાં કલ્યાણ અર્થે માનવ ચરણે ધરે છે અને માનવીય આદર્શોની સ્થાપના કરી તેમાં પ્રજાની શ્રદ્ધા જગાડે છે. તેથી જ તેમની કૃતિઓ શાશ્વતકાળ ઝળહળવાની અધિકારી છે. વળી જીવનનાં ગહન સત્યોને સહજ અને સરળ રીતે ફુટ કરી આપતાં વાક્યોમાં ચિંતનકાર તરીકે પણ ઊપસે છે. જેમ કે સંસાર તો સુખ-દુઃખની ફૂલગૂંથણી જેવો છે.” “સૌંદર્ય અને સંપત્તિ તો ચાહે તેને પોતાનાં ઘર બનાવી શકે છે પણ જે સૌંદર્ય અને સંપત્તિની મોહિનીને જાકારો આપી જાણે છે એનાં તો એ બંને દાસ બની જાય છે.', ‘આપણે તો ભલો આપણો ભગવાન અને ભલી આપણી આસ્થા, ભગવાન જે કરે એ સાચું અને તેની મરજી ના હોય તો હજાર હંફા મારો તોય કશું ન વળે.” આવાં ચિંતન વાક્યો તો એમની વાર્તાઓમાં ઠેર-ઠેર પથરાયેલા છે.
મનુષ્યની સાદી લાગણીઓથી ભરેલા આ લેખકે જૈન સાહિત્યમાં ગરવો સુહાગ પ્રગટાવ્યો છે. તેમનાં સાહિત્યમાં ભાષાની સરળતા, શૈલીની પ્રાસાદિકતા, અલંકારોની પ્રચુરતા, વસ્તુનિરૂપણની કલાત્મકતા, પ્રકૃતિનું વર્ણન વગેરે જોવા મળે છે. જેમ કે “સૌરભ સહુને સુવાસિત કરવા ચાહે છે, દુર્ગધ સર્વત્ર દુર્ગધ પ્રસારવા
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૩
Page #223
--------------------------------------------------------------------------
________________
મથે છે. બેમાં જે બળવાન હોય તે જીવે છે' ‘એનો ઊજળો વાન ચીમળાયેલી ચંપાકળીની યાદ આપતો હતો.’ ‘વર્ગમાંથી શિક્ષક બાર જાય અને છોકરાંઓ આઘાપાછા થઈ રમવા, તોફાન કરવા લાગે એમ સૂર્યાસ્તને થોડો વખત વીત્યો અને અનેક તારલિયા આકાશમાં લબૂકઝબૂક થવા લાગ્યા. “જાણે ફૂલની વસંત વીતી ગઈ અને બળબળતી ગ્રીષ્મ આવી લાગી.” સત્તા અને સામર્થ્ય કોઈ વાતને અશક્ય માનવા ટેવાયા નથી હોતા. એ તો ધાર્યા નિશાનને પાડવામાં જ માનતા હોય છે.’
તેઓશ્રીના વાર્તાસંગ્રહનાં નવસંસ્કરણ વખતે આપણા વિદ્વાન આ. શ્રી શીલચંદ્રસૂરિએ સાચું જ કહ્યું છે કે એમની વાર્તાઓ વાંચતા હોઈએ ત્યારે અગાધ પરંતુ શાંત સાગરમાં ધીરી છતાં સ્વસ્થ ગતિએ હલ્લેસાંની સહાયથી નૌકાવિહાર કરતાં હોઈએ તેવો અહેસાસ થયા કરે. ક્યાંય તોાન નહિ, કોઈ આછકલાઈ કે છીછરાંપણું નહીં, અનૌચિત્ય તો ફરકે જ શાનું? સરળ શૈલી, વાક્યે વાક્યે ઝળકતી મૂલ્યપ૨સ્તી અને સંવેદનશીલતા – આ તેમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે.’
આ ઉપરાંત તેમનાં લખાણો કાળગ્રસ્ત બને એ પહેલાં ગ્રંથસ્થ થવા જોઈએ તેવી અનેક વિદ્વાનોની લાગણીને લક્ષમાં લઈને તેમનાં સુપુત્ર શ્રી નીતિનભાઈએ તેમનાં ‘જૈન’ સાપ્તાહિકના વિપુલ લેખ સાહિત્યને ‘અમૃત સમીપે’, ‘જિનમાર્ગનું જતન’ તથા ‘જિનમાર્ગનું અનુશીલનમાં પુસ્તકાકારે પ્રગટ કરી પિતૃઋણ અદા કર્યું છે.
આ પુસ્તકોમાં જૈન ધર્મનાં તેમજ અન્ય વિદ્વાનો, જૈનાચાર્યો, મુનિવરો, સાધ્વીજીઓ, સંતો, શિક્ષણકારો, પત્રકારો, સાહિત્યકારો, કલાકારો, શ્રેષ્ઠિઓ, રાજપુરુષો, ધર્મ-ક્રિયા પ્રેમીઓ, સમાજસેવકો તથા સ્ત્રીરત્નો વિશે લેખ લખેલા છે. તેમ જ જૈન સંઘના વિવિધ અંગો જેવા કે સાધુઓના આચાર, પદવીઓ, સાધ્વીજીના પ્રશ્નો, જ્ઞાનાભ્યાસ, સંઘની તથા જૈનોની એકતા, તીથીચર્ચા વગેરે વિશે વિશદ્ વિશ્લેષણ, વેધક નિરીક્ષણ, સરળ ઉપાયોની શોધ, સ્પષ્ટ અને નીડર મંતવ્ય, નીડર વ્યક્તિત્વ અને સંવેદના વગેરે વ્યક્ત થાય છે.
‘જિનમાર્ગનું જતન'ના લેખોથી ખ્યાલ આવે છે કે તેમની નજર ક્યાં ક્યાં પહોંચી છે. દેશ-પરદેશનાં વિદ્વાનો તેમની પ્રવૃત્તિથી લઈને કળા એ પછી ચિત્રકળા, શિલ્પકળા કે છબીકળા હોય – બધાં જ ક્ષેત્રોને તેમની કલમે આવરી લીધા છે. આ બધા લેખોમાં તે તે યુગનાં જૈન યુગનું પ્રતિબિંબ ઝિલાયું છે. તેના પરથી જણાય છે કે કથાલેખનના કસબી તો હતા જ, પણ એક સારા વિચારક
-
પણ હતા.
આ લેખો માટે પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું છે કે લેખોમાં વિષય વૈવિધ્ય એટલું બધું છે કે જેને જેની રુચિ હોય તેને તે વિષયનું અહીં મબલક મળી રહેશે. શ્રી નીતિનભાઈ કહે છે તેમ ગુણશ્રદ્ધામૂલક પ્રથમ ગ્રંથ ‘અમૃત સમીપે’ દર્શન પ્રધાન છે. જૈન ધર્મ સંસ્કૃતિનાં વર્તમાનનું વિસ્તૃત
૧૭૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #224
--------------------------------------------------------------------------
________________
ચિત્રણ કરતો જિનમાર્ગનું જતન ગ્રંથ અત્યંત ખપનાં જ્ઞાનનાં પ્રાધાન્યવાળો છે.
અને વર્તમાનમાં જૈન ધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને * સાધનાપથનો વિચાર કરતો જિનમાર્ગનું અનુશીલન' ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. જૈન ધર્મની આધારશિલા સમી રત્નત્રયી આ ગ્રંથોમાં સમતુલાથી ઉપસી છે.
લેખકે જીવનનાં મૂલ્યો માટે એક એક ક્ષણ આપી છે. પુરુષાર્થથી એક વ્યક્તિ અનેક ક્ષેત્રોમાં નિષ્ઠાથી કેટલો મોટો ફાળો આપી શકે છે તેના પુરાવારૂપ તેમનું જીવન હતું. મધુરપની પરબ બાંધી બેઠેલા રતિભાઈમાં ગજવેલનો પણ ગુણ હતો. જીવનમાં વાસ્તવનો સ્વીકાર તેમના લેખોમાં પ્રગટ થાય છે. જીવનનું તત્ત્વજ્ઞાન તેમણે ખૂણેખૂણે ભમીને મેળવ્યું હતું અને અનેકગણું અમૃતમય બનાવીને સાહિત્યરૂપે આપ્યું. જીવનમૂલ્યોનાં ભેખધારી શ્રી રતિભાઈમાં નિવ્વજ ઋજુતા હતી. અને એ ઋજુતા એમના લેખોમાં સાંગોપાંગ ઊતરી છે. તેમનાં લેખોમાં સ્વાભાવિક સત્ય શોધક દૃષ્ટિ, તત્ત્વદર્શી ચિંતન અને વિશિષ્ટ સરલ સાહજિક શૈલી ઉપસે છે.
ભવ્ય અને સત્ત્વશાળી વસ્તુ, સૂક્ષ્મ જીવનદષ્ટિ, અડગ સત્ત્વનિષ્ઠા, વિશાળ માનવભાવ, અમાપ નિખાલસતા, ઊંડું ચિંતન અને તીવ્ર મનોમંથન, પરમ સંવાદિતાનું શાશ્વત જ્ઞાન તેમનાં લેખોમાં જોવા મળે છે. તેમનું લખાણ તેમની આધ્યાત્મિક સિદ્ધિની પારાશીશી બની રહે છે. સાદી, સરળ, બલિષ્ઠ, સંક્ષિપ્ત છતાં સચોટ શૈલી તેમના લેખોનું કલાવિધાન કરે છે. જીવનનાં અસંખ્ય સંઘર્ષો વચ્ચે પણ તેમણે મધુરતા, સુંદરતા અને સમતાનું જ ગીત ગાયું છે તેથી તેમનું સર્જન સ્મરણ, વંદન અને સેવન કરવા જેવું બન્યું છે.
અમૃતના બિંદુ જેવી મધુરતા અને ગુલાબનાં પુષ્પના જળ જેવી શીતળતા લેખોમાં છે. આ લેખોમાં શબ્દજાળ કે શબ્દગુઢતા નથી. એમાં એક એવી સંજીવની છે કે જે અબોધ પણ ઈચ્છુક એવાં હૈયાને સ્પર્શી બોધ આપી જાય છે.
એક વ્યક્તિ તરીકે જોઈએ તો ધર્મ અને કર્મનો સુમેળ તેમનાં જીવન સાથે વણાયેલ સંસ્કાર છે. તેઓએ પોતાની ધર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠામાં દઢ રહી પોતાના જીવનને આગળ વધાર્યું છે. અણહકનો પૈસો લેવાઈ ન જાય અને પ્રામાણિકપણે જીવન પસાર થાય એ માટે જીવનભર સબળ પુરુષાર્થ કર્યો છે. પ્રામાણિકતાને તેઓએ તેમનાં તમામ કાર્યનો માપદંડ રાખ્યો છે. જે આપણને મહાવીર જૈન વિદ્યાલયનાં આગમ સંશોધનનાં પ્રકાશન પ્રસંગે દેખાય છે.
મહાવીર જૈન વિદ્યાલયની ધાર્મિક શિક્ષણ પ્રવૃત્તિ સાથે બાર વર્ષ સંકળાઈને ૧૯૭૨માં નિવૃત્તિ લીધી ત્યારે તેઓએ જણાવ્યું છે, મને સોંપવામાં આવેલ કાર્યો માટે જે રીતે ન્યાય આપવો જોઈએ તે રીતે હું આપી શક્યો નથી, તેથી સંસ્થાની નોકરીમાં વધુ વખત રહેવું મારા માટે ઉચિત નથી. એમ કહી રાજીનામું આપેલ. પણ મહાવીર જૈન વિદ્યાલયે રાજીનામાનો અસ્વીકાર કરતાં લખ્યું છે
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૫
Page #225
--------------------------------------------------------------------------
________________
કે જિનઆગમ અને સાહિત્ય પ્રકાશન તેમ જ ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. તે ઉપરાંત વિદ્યાલય તરફથી અન્ય જે કાર્ય તેઓશ્રીને સોંપવામાં આવતાં તે ઉલ્લાસપૂર્વક કરી પૂરો ન્યાય આપી સંસ્થાની પ્રતિભા સમાજમાં વધારવામાં સારો એવો ફાળો આપેલ છે. આ સંસ્થા સાથેનાં સંબંધ દરમિયાન તેઓ સતત પ્રયત્નશીલ રહી સંસ્થા પ્રત્યેની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે.' આમાં તેઓની પોતાનાં કામ પ્રત્યેની ધગશ, નિષ્ઠા છતાં પોતે કશું કરી શક્યા નથી તેવું નિરાભીમાન જોવા મળે છે.
અધ્યાત્મ દૃષ્ટિએ જોઈએ તો દ્વૈતમાંથી અદ્વૈત તરફ, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ અને સાકારમાંથી નિરાકાર તરફ તેમની ગતિ રહી છે. સચ્ચાઈ, સાલસતા અને નિખાલસતા તેમના ગુણો છે. જીવનમાં ઉચ્ચ પ્રકારની ટેક, ઉત્સાહ ભરેલું ધૈર્ય અને સો ટચના સોના જેવું સત્ય હતું.
જગતના એ મિત્ર હતા, પણ જગતના કોલાહલથી દૂર હતા. કર્મયોગ તેમણે પચાવ્યો હતો, છતાં યોગીના વિરાગ અને તપસ્વીના તપ વધારે હતા. આત્માનાં ઉપાસક પણ સ્થૂળતાનાં ચિકિત્સક હતા. પ્રલોભન ભરેલા સંસારમાં રજત શું શ્વેત અને નિર્મળ દિવાદાંડી રૂપ પ્રકાશ ફેંકતું તેમનું જીવન આપણા જીવનને અજવાળતું રહે એ જ શાસનદેવને પ્રાર્થના. સામાન્ય માણસ તરીકે જીવી ગયા અને અસમાન્ય મધુ૨૫ રેલાવી ગયા.
1
પ્રવીણાબહેન મુકેશભાઈ શાહ ૧૦૧, મહાવીર પાર્ક, જૈન દેરાસર સામે, વિદ્યાનગર, ભાવનગર - 364001 M. 9428990456
૧૭૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #226
--------------------------------------------------------------------------
________________
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર –
જયભિખ્ખું
- આ રેખા વોરા
જિન સ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર ઉપર Ph.D. કરનાર શ્રી રેખાબહેને આદિ તીર્થકર ઋષભદેવ પુસ્તક આપ્યું છે. વ્યવસાયે તેઓ ફિઝીયોથેરપિસ્ટ હોવાની સાથેસાથે અવારનવાર અધ્યયન લેખો પણ રજૂ કરે છે. – સં.).
આ મોહનખેડા એ મધ્યપ્રદેશમાં આવ્યું છે અને આ જ મધ્યપ્રદેશમાં પ્રસિદ્ધ ગ્વાલિયર શહેરની બાજુમાં શિવપુરીના ગુરુકુળમાંથી નીકળેલો એક યુવાન જયભિખુ જીવનમાં ત્રણ સંકલ્પ કરે છે:
(૧) પૈતૃક સંપત્તિ લેવી નહિ, (૨) પુત્રને સંપત્તિ આપવી નહીં અને (૩) કલમને આશ્રયે જીવવું.
આ એ જમાનાની વાત છે કે જ્યારે માત્ર લેખક તરીકે જીવનનિર્વાહ કરવો અશક્ય નહીં બલકે અત્યંત મુશ્કેલ હતો. યુવાન જયભિખ્ખું ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે અને નવલકથા લખવાનો પ્રારંભ કરે છે. તેમણે ભાગ્યવિધાતા, કામવિજેતા, ભગવાન ઋષભદેવ, ચક્રવર્તી ભરતદેવ, ભરતબાહુબલી (રાજવિદ્રોહ), પ્રેમભક્ત કવિ જયદેવ, વિક્રમાદિત્ય હેમુ, સંસાર સેતુ (મહર્ષિ મેતારાજી, ઈત્યાદિ સત્તર જેટલી નવલકથાઓ લખી. બીજા જૈન લેખકોની તુલનામાં નવલકથાકાર જયભિખૂની વિશેષતા એ હતી કે એ કથાનકમાંથી ચમત્કારો ગાળી નાંખતા હતા. સાંપ્રદાયિક અભિનિવેષની વાતો કથામાંથી અળગી કરતા હતા અને પરિભાષાનો બોજ કે તત્ત્વજ્ઞાનનો ભાર એમાંથી દૂર કરતા હતા. આ રીતે શુદ્ધ કથાતત્ત્વ પર દષ્ટિ રાખીને એમણે આ નવલકથાઓની રચના કરી છે. આને કારણે આ નવલકથાઓમાં જૈન સમાજના ચરિત્રો આલેખાયેલા હોવા છતાં એ બહોળા વાચકવર્ગમાં આવકાર પામી.
નવલકથાકાર તરીકે જયભિખુની બીજી વિશેષતા એ હતી કે આ જૈન કથાનકોમાંથી એમણે માનવમૂલ્યો ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. માનવીના જીવનને ઊર્ધ્વ બનાવે એવી ભાવનાઓ પ્રગટાવી અને એ રીતે આ કથાનકો એ માનવીય
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૭૭
Page #227
--------------------------------------------------------------------------
________________
સંવેદનાઓથી ધબકતા બન્યા.
આ બધા કરતા પણ વિશેષ નવલકથાકાર જયભિખ્ખુની ગદ્યશૈલી છે. સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસના કારણે એમણે પોતાના ભાવ પ્રગટ કરવા માટે શબ્દો શોધવા જવા પડતા નથી. એમની છટાદાર શૈલી વાચકને નવલકથાના પ્રવાહમાં ખેંચી જાય છે તો એમની વર્ણન શૈલી કથાના વાતાવરણની જમાવટ કરે છે અને વાચક અનુપમ રસાનુભૂતિ કરે છે. જેમ ચિત્રકાર પોતાની પીંછીથી ચિત્ર સર્જે છે એ જ રીતે આ લેખક શબ્દ ચિત્રો રચી શકે છે. આથી જ ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ભરત-બાહુબલિની કથા આલેખાતી ‘રાજવિદ્રોહ’ નામની નવલકથામાં લેખક આદિયુગને હૂબહૂ દર્શાવી શક્યા છે. જીવનધર્મી સવાયા સાહિત્યકાર જ્યભિખ્ખુઃ
જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ. અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?”
આ શબ્દો મૃત્યુ પૂર્વે રોજનીશીમાં નિખાલસતાપૂર્વક લખનાર હતા શ્રી બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ, જે ગુજરાતી સાહિત્ય જગતમાં જ્યભિખ્ખુ’ના નામે પ્રસિદ્ધ છે. પુરુષાર્થને પરમધર્મ માનીને જીવ્યા. એમના જીવનનું સોનેરી વાક્ય હતું, તું તારો દીવો થા.' એમણે સ્વયં પોતાના આત્મદીપકને પ્રજ્વલિત બનાવ્યો અને સતત વાંચનની વૃત્તિ અને લેખનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા. આવા જયભિખ્ખુના જીવનની શબ્દવેદીને એમની વિદાયનાં વરસો પછી પણ વિસ્મૃત કરી શકાય તેમ નથી.
બાલાભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસને શુક્રવારે, તા. ૨૬ જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વીંછિયામાં થયો હતો. એમના પિતાનું નામ વીરચંદભાઈ હીમચંદ દેસાઈ હતું અને માતાનું નામ પાર્વતીબહેન. બાલાભાઈને ઘરમાં બધા ‘ભીખો’ કહેતા. ચાર વર્ષના ભીખાને મૂકીને પાર્વતીબહેને ચિરવિદાય લીધી. એટલે એમનો ઉછેર મોસાળમાં થયો. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ લીધું નહોતું. બાલ્યકાળથી જ પિતા અને બીજા અન્ય કુટુંબીજનો તરફથી ધર્મપ્રીતિ અને જૈન ધર્મના સંસ્કાર તેમને સુપેરે પ્રાપ્ત થયા હતા. તેથી શ્રી વિજયધર્મસૂરિ (કાશીવાળા)એ મુંબઈમાં સ્થાપેલી વીરતત્ત્વ પ્રકાશ મંડળમાં તેઓ સંસ્કાર શિક્ષણાર્થે દાખલ થયા. આ સંસ્થાએ જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું ત્યાં ત્યાં કાશી, આગ્રા અને અંતે શિવપુરીમાં નવ વર્ષ રહી સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા સાહિત્યનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનનો તલસ્પર્શી અભ્યાસ પણ તેમણે કર્યો હતો. શિવપુરીના ગુરુકુળમાં વિદેશી વિદ્વાનો જૈન ધર્મના અભ્યાસ અર્થે આવતા. તેઓના સંપર્કમાં આવતાં જયભિખ્ખુને અંગ્રેજી ભાષા સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કારોનો પરિચય
૧૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #228
--------------------------------------------------------------------------
________________
થયો. વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન અને જૈનદર્શનનું અધ્યાપન પણ કર્યું.
અભ્યાસના અંતે કલકત્તા સંસ્કૃત એસોસિએશન દ્વારા લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ન્યાયતીર્થની ઉપાધિ પ્રાપ્ત કરી. તો શિવપુરી ગુરુકુળની તર્કબૂષણ' પદવી પણ મેળવી. આ સમય દરમિયાન તેમના મનમાં જિંદગી અંગેનું કંઈક અલગ જ મનોમંથન ચાલતું હતું. મનોમંથનના અંતે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યાં કે (૧) નોકરી કરવી નહીં, (૨) પૈતૃક સંપત્તિ લેવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં (૨) કલમના સહારે જિંદગી જીવવી. આ નિર્ણયો પાછળ ગોવર્ધનરામ ત્રિપાઠી અને નર્મદની મનોભાવનાનું બળ હતું. આ નિર્ણયોએ તેમની તાવણી તો ઘણી કરી પણ સાથે સાથે જીવનમાં પ્રાણ પણ રેડ્યો. આ સંકલ્પોને એમણે જીવનના વિપરીત સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળ્યા.
જીવનચરિત્રના આલેખનથી તેમણે સાહિત્ય જ્ઞતમાં પદસંચાર કર્યો. ઈ. સ. ૧૯૨૯માં ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીનું જીવન ચરિત્ર ભિક્ષુ સાયલાકરના ઉપનામે લખ્યું હતું. પાછળથી ભિક્ષુને સ્થાને નાનપણનું ભિખુના નામને ઉત્તરાર્ધ બનાવ્યું અને સહધર્મચારિણી જયાબહેનના નામમાંના “જયને લઈને બન્યા “જયભિખુ. ડૉ. ધીરુભાઈ ઠાકરને તે તખલ્લુસ ‘દામ્પત્યના અદ્વૈતનું પ્રતી' લાગ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ભિખુ શબ્દમાં વીતરાગતાનો ભાવ છે. જયભિખ્ખું એટલે વીતરાગતાનો જય થાવ.
પ્રેરણા અને આનંદ, કરુણા અને માંગલ્ય, સભાવ અને સુખ, ધર્મ અને જય આ એકબીજાના પર્યાયવાચી શબ્દો. જ્યાં એક છે ત્યાં બીજાની હાજરી સ્વાભાવિક જ છે. આ તથ્યોએ જીવનના સંઘર્ષના સ્વંદ્વયુદ્ધોથી દૂર રાખીને જયભિખ્ખને આંતરબાહ્યમાં ચૈતન્યગતિનો અનુભવ કરાવ્યો છે. ઐતિહાસિક નવલકથાઓમાં જયભિખ્ખએ જે-તે યુગની ઝીણવટભરી અભ્યાસપૂર્ણ વિગતો આપી સુંદર ચિત્રાંકન કર્યું છે, આમાં એમનું વિવિધ વિષયોનું જ્ઞાન પણ ધ્યાનાકર્ષક બને છે. ઐતિહાસિક નવલકથાઓમાં પૌરાણિક સંદર્ભના અર્વાચીન અર્થઘટનો બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. સાથે સાથે રાષ્ટ્રીય અસ્મિતાનું એમાં થયેલું નિરૂપણ કૃતિને એક અનોખું ગૌરવ પ્રદાન કરે છે.
ઈ.સ. ૧૯૩૦ના મે મહિનામાં જયભિખ્ખએ જયાબહેન સાથે લગ્ન કર્યા. જયાબહેન સાચા અર્થમાં તેમના અધગીની, સહધર્મચારિણી બની રહ્યાં. સંસ્કારસંપન્ન એ સન્નારીની આતિથ્યભાવના તો એમની જીવનમૂડી હતી. ઈ.સ. ૧૯૩૩માં અમદાવાદમાં તેઓ સ્થાયી થયા. જયભિખ્ખએ કારકિર્દીનો પ્રારંભ પત્રકારત્વથી કર્યો. તેઓ Freelance પત્રકાર હતા.
ધીરજલાલ ટોકરશી શાહના જૈન જ્યોતિ' સાપ્તાહિકના તંત્રીની જવાબદારી જયભિખ્ખએ સ્વીકારી હતી. તેમાં તેઓ અગ્રલેખ લખતા. વાર્તા લખતા અને
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૭૯
Page #229
--------------------------------------------------------------------------
________________
છેલ્લા પાને વિવિધ રસપ્રદ માહિતી લખતા. એ ગાળામાં જ જયભિખ્ખું વિદ્યાર્થી સાપ્તાહિકમાં પણ લખતા હતા. અરવિવાર' સાપ્તાહિકમાં રસ પાંખડીઓ લેખ લોકપ્રિય થતાં તેમાં પણ તેઓ નિયમિત લખતા થયા. અહીં તેઓ પ્રેરક કથાઓ વીરકુમાર' ઉપનામે લખતા હતા. “સવિતા', જનકલ્યાણ’, ‘વિશ્વમંગલ' જેવા વિશેષાંકોનું સંપાદન પણ તેમણે કર્યું.
તેમણે કિસ્મત અને ઝગમગમાં લખ્યું. સંદેશમાં ગુલાબ અને કંટ', ગુજરાત ટાઈમ્સમાં ન ફૂલ ન કાંટા' લખી. ઈ. સ. ૧૯૫૩માં ગુજરાત સમાચાર દૈનિકમાં ઈંટ અને ઇમારત' કોલમ દર ગુરુવારે લખવાની શરૂ કરી. પછી તો ત્યાં “જાયું છતાં અજાણ્યું કોલમ દર રવિવારે આવવાનો પ્રારંભ થયો. અને તે “મુનીન્દ્ર એવા તખલ્લુસથી લખતા હતા. જે આજે ૬૧ વર્ષે પણ તેમના ચિરંજીવ ભારતના પનોતા પુત્ર પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ આ કોલમો લખી રહ્યા છે.
' જયભિખ્ખું સ્વતંત્રતાની ચળવળ સમયના દેશભક્તિભાવવાળા લેખક હતા. તેમની કોલમોમાં દેશભક્તિની ગાથા અવશ્ય ગણાતી. એમના મતે રાષ્ટ્ર એટલે બધાનો સમન્વય અને તેમાં સંસ્કાર, સંસ્કૃતિ ને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તે રાષ્ટ્ર ન કહેવાય. રાષ્ટ્રની આ વિભાવનાને લક્ષમાં રાખીને એમણે આજીવન લેખન કાર્ય કર્યું.
જયભિખ્ખએ મુખ્યત્વે નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો, ચરિત્ર, બાળસાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે પ્રદાન કર્યું છે. એમણે કુલ ૩૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં. ઈ.સ. ૧૯૪૦માં લખાયેલી કામવિજેતા' નવલકથાની કથાવસ્તુનો આધાર આંશિક ઐતિહાસિક અને પ્રાગઐતિહાસિક છે તેમ છતાં તેમાં માત્ર જૈન ધર્મના ગ્રંથો નહીં પરંતુ જૈનેતર ગ્રંથોનો આધાર પણ તેમણે લીધો છે. સ્થૂલિભદ્રના કથાનક દ્વારા તેઓ કહે છે કે, “દુનિયામાં દંભી બનીને જીવવા કરતાં ઉઘાડા જો ગણિકાગામી હોઈએ, તો તેનો સ્વીકાર કરીને ગણિકાગામી થઈને જીવવું એમાં જ મને મારો ધર્મ લાગ્યો છે. આ કથન દ્વારા જયભિખ્ખના ક્રાંતિકારી માનસ સાથે દંભ પ્રત્યેનો એમનો અણગમો વ્યક્ત થયો છે. કદાચ અદંભીપણું એ જ જયભિખ્ખનું વ્યક્તિત્વ હતું. એ એમનું જમાપાસુ છે. કામવિજેતા’ નામની નવલકથામાં નારીનું ગૌરવ પણ કર્યું છે, એ પણ એમની જીવન-વિભાવનાનો અંશ છે. એમાં વ્યક્ત થયેલો જીવન સંદેશ જયભિખ્ખનો ઉદ્દેશ હતો.
ભગવાન ઋષભદેવ' નવલકથા વર્ણનાત્મક છે. એમાં જયભિખુએ શ્રી ઋષભદેવનાં ચરિત્રનું આલેખન કર્યું છે. આવા પ્રકારની કથાવસ્તુ લઈને સર્જાતી કથાસાહિત્યના સર્જકની મથામણ કેવી હોય છે તે વિશેનું એમનું આત્મકથન છે, “મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણુંઘણું વીત્યું છે ને ન જાણે મારા હાથે એ મહાન દેવતાના ચરિત્ર પર શું-શું નહીં વીત્યું હોય !” આ કથનમાં જયભિખુ નવલકથાના પાત્ર સાથે જે તાદાભ્ય સાધે છે તે સર્જકની નિષ્ઠા છે. ૧૮૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #230
--------------------------------------------------------------------------
________________
કથાસર્જન પાછળની દૃષ્ટિ સમજાતાં એમણે લખ્યું છે કે, “માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા “ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.” જયભિખ્ખું અહીં તેમના સર્જનનો હેતુ સ્પષ્ટ કરે છે. ઐતિહાસિક નવલકથાઓમાં આધુનિક વૈજ્ઞાનિક યુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને જચે એવા પૌરાણિક સંદર્ભના અદ્યતન સમાજને અનુરૂપ અર્થઘટનો કર્યા છે. એ જયભિખૂની નવીનતા છે.
એમણે કુલ ૩૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. કામવિજેતા, સ્થૂલિભદ્ર (૧૯૪૦), વિક્રમાદિત્ય હેમુ (૧૯૪૪), ભગવાન ઋષભદેવ (૧૯૪૫), શત્રુ કે અજાતશત્રુ ભાગ ૧-૨, (૧૯૬૧) જેવી ૨૦ પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક નવલકથા; પારકા ઘરની લક્ષ્મી (૧૯૫૦), કન્યાદાન (૧૯૬૪), પગનું ઝાંઝર (૧૯૬૭), જેવા ૩૬૫ વાર્તાઓ સમાવતા ૨૧ વાર્તાસંગ્રહ; રસિયો વાલમ અને બીજાં નાટકો (૧૯૫૫) જેવાં ૭ નાટકો; નિગ્રંથ ભગવાન મહાવીર (૧૯૫૬), સિદ્ધરાજ જયસિંહ, શ્રી ધર્મસૂરીશ્વરજી ચરિત્ર, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી, શ્રી ચારિત્રવિજયજી, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી જેવા ચરિત્રોમાં નિરૂપણની નવી ભાત જયભિખ્ખને યશ આપનારી બની છે, પ્રતાપી પૂર્વજો ભાગ ૧થી ૪, કુલ ર૩ ચરિત્ર ગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની ૧૦ શ્રેણીમાં ૬૬ ટૂંકાં ચરિત્રો, તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્ય મળે છે. આમ ગુજરાતી અને જૈન સાહિત્ય ક્ષેત્રે એમનું વિપુલ અને નોંધપાત્ર પ્રદાન છે.
જયભિખ્ખની નવલકથાઓમાંની ભાષાશૈલી સરળની સાથે વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા છતાં ધારદાર ચિંતનાત્મક વિધાનો એમના ગદ્યને સર્જનાત્મક લય આપે છે. જયભિખ્ખ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની સંયુક્ત રજૂઆત એમની ભગવાન ઋષભદેવ', “ભક્તકવિ જયદેવ', 'મવિજેતા જેવી નવલકથાઓને અવિસ્મરણીય બનાવી છે.
“ભક્ત કવિ જયદેવ' નામની નવલકથા પરથી “ગીતગોવિંદનામનું ચિત્રપટ તૈયાર થયેલ. હાલમાં જ ડો. ધનવંતભાઈ શાહે આ નવલકથા પરથી તેનું નાટ્યરૂપાંતર કરે છે. તેનો નાનો એવો ભાગ (એક્ટ) અમદાવાદમાં શ્રીકુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ શ્રી મહેશ ચંપકલાલ રજૂ કર્યો હતો.
જયભિખુને અધ્યાત્મ-જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એમની પંદર કૃતિઓને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિલના દીવા' નામના એમના પુસ્તકને પ્રૌઢ સાહિત્ય, બાળસાહિત્ય અને તેના અંગ્રેજી અનુવાદને – એમ ત્રણ રીતે પારિતોષિકો મળ્યા હતા.
કે. લાલ જાદુગર જયભિખ્ખના ખાસ મિત્ર હતા. તેમને જયભિખ્ખની
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું + ૧૮૧
Page #231
--------------------------------------------------------------------------
________________
ષષ્ટિપૂર્તિ ઊજવવાનો વિચાર આવ્યો. આ સમારંભમાં સન્માન રૂપે જયભિખ્ખને થેલી અર્પણ થઈ હતી, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા? પોતાને અર્પણ થયેલી થેલીને સવિનય પરત કરીને તે સાહિત્યના પ્રચારાર્થે વાપરવાનો ખ્યાલ રજૂ કર્યો. કે.લાલે સમાજને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને જયભિખ્ખ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક માર્ગને જયભિખ્ખું માર્ગ નામ આપવામાં આવ્યું છે.
ષષ્ટિપૂર્તિ પછીના સમયમાં જયભિખ્ખનું સ્વાથ્ય કથળતું ગયું, પરંતુ મનોબળ પ્રબળ હતું તેથી વ્યાધિને અવગણીને પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હતા. ઈ.સ. ૧૯૬૮ની રોજનીશીમાં લખાયેલું આ વિધાન એમની ઝિંદાદિલીનું પ્રમાણ છે – “મનમાં ખૂબ મોજ છે, જિંદગીને જીવવાની રીતે જીવાય છે.” ઈ. સ. ૧૯૬૯માં શરીર કથળવા માંડ્યું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પર અખૂટ શ્રદ્ધા. ચાર દિવસ તીર્થધામમાં રહ્યા. તબિયતમાં ખાસ્સો સુધારો જણાયો. આવીને રોજનીશીમાં નોંધ્યું હતું, “અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં નવા ચેતનનો અનુભવ થયો. મન “અબ હમ અમર ભયે ન મરેંગેનું ગીત ગાવા લાગ્યું. મારા જીવન સંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.”
શંખેશ્વરમાં એ તીર્થ વિશે પુસ્તક લખવાનો સંકલ્પ કર્યો હતો. અને વેગથી એ કાર્યનો પ્રારંભ પણ કર્યો હતો. એ દરમિયાન તેમનું સ્વાથ્ય કથળ્યું અને ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે જયભિખ્ખની જીવનયાત્રા થંભી ગઈ. મૃત્યુના એક મહિના અગાઉ ૨૫ નવેમ્બરે તેમણે રોજનીશીમાં લખ્યું હતું, “મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુ ભજન અવારનવાર રાખવા. નિરાધાર – અશક્ત - ગરીબને ભોજન આપવું. તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.”
આ હતી એક ભાવનાશાળી સર્જકની આંતર ઇચ્છા. એમાં મૃત્યુનો સ્વીકાર પણ છે અને એક સાચા જૈનની મનોભાવના પણ છે.
જ્યભિખ્ખની જીવનવિભાવનાને જયભિખ્ખું ટ્રસ્ટ દ્વારા સતત ગતિશીલ રાખી છે તેના પુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ. તેઓ એમના જીવનઉદ્દેશને જીવંત રાખવા પ્રયત્નશીલ છે. ડૉ. કુમારપાળે જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે જે યત્ન-પ્રયત્ન કર્યા છે તે શ્રી જયભિખ્ખના અંતરાત્માને પ્રસન્ન કરતા હશે જ. જયભિખ્ખએ આપેલું સૂત્ર “તું તારો દીવો બનીને શ્રી કુમારપાળ સાર્થક કરી રહ્યા છે તે એક અપૂર્વ ઘટના છે.
શ્રી જયભિખ્ખએ સત્તર જેટલી નવલકથાઓનું આલેખન કર્યું છે. એમાંથી આપણે ત્રણ નવલકથાનો જયભિખુની કલમનો રસાસ્વાદ કરીશું. ૧૮૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #232
--------------------------------------------------------------------------
________________
ભગવાન ઋષભદેવઃ ચક્રવર્તી ભરતદેવઃ ભરત-બાહુબલિ
વર્તમાન ચોવીશીના આદિ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ અને તેમના બે પુત્રો ચક્રવર્તી ભરત અને મહાબલી બાહુબલીના ચિરત્રને આલેખતી નવલત્રયી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ”, “ભરત બાહુબલી (રાજવિદ્રોહ)’ લેખકની ઐતિહાસિક – પૌરાણિક નવલકથાઓમાં નોખી ભાત પાડતી નવલકથાઓ છે. ભગવાન ઋષભદેવ માત્ર જૈનોના જ નહીં પરંતુ સમગ્ર હિંદુઓના હૃદયસ્થ, પૂજનીય, વંદનીય રહ્યા છે. હિંદુસ્તાનના સીમાડા વટાવીને પણ તેમની પૂજા-અર્ચનાઉપાસના થતી આવી છે. તેમણે અસિ-મસિ-કૃષિ ભરતને આપેલી, બોંતેર કલાઓ બાહુબલીને શીખવેલી. ચોસઠ કલાઓ પુત્રી બ્રાહ્મીને જમણે હાથે શીખવેલી, ચૌદ લિપિ ડાબા હાથે સુંદરીને શીખવેલ. તેમને ગણિતશાસ્ત્રના આદ્ય ગુરુ તરીકે ઓળખાવી આદિ તીર્થંકર રૂપે પૂજ્યા છે. જ્યારે ઋગ્વેદમાં તેમને ‘કેશી’ અને ‘અર્હત’ કહ્યા છે. તો ભાગવત પુરાણમાં તેમને વિષ્ણુનો અવતાર અને શિવપુરાણમાં શિવનો અવતાર માનવામાં આવ્યા છે.
-
શ્વેતામ્બરી, દિગમ્બરી, અવધૂતપંથી કે વૈદિક એવા સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલા શ્રી ઋષભદેવ, ભરત ચક્રવર્તી અને મહાબલી બાહુબલી વિશે વિવિધ રીતે આલેખાયેલા ચરિત્રો વાંચીને, એમાં દર્શાવાયેલા ચમત્કારો, મોટાઈના વર્ણનો વગેરેને ગાળી નાખીને લેખક શ્રી જ્યભિખ્ખુએ પ્રસ્તુત નવલત્રયીમાં શ્રી ઋષભદેવ અને તેમના પુત્રોનું જે ચિરત્ર ઉપસાવ્યું છે તેમાં કેન્દ્રસ્થાને છે શ્રી ઋષભદેવ દ્વારા રજૂ થયેલો માનવતાનો મહિમા.
જૈન આગમગ્રંથોને આધારે રચાયેલી આ નવલત્રયીનું કથાવસ્તુ કંઈક આવું છે. સાતમા કુલકર નાભિરાયા અને મરુદેવા રાણીના પુત્ર શ્રી ઋષભદેવ. સર્વપ્રથમ રાજ્ય સંસ્થા અને લગ્નસંસ્થા શરૂ કરવાનો યશ શ્રી ઋષભદેવને ફાળે જાય છે. તેઓ સૌ પ્રથમ રાજા બન્યા. પ્રજાને અસિ-મસિ-કૃષિ અને કુંભાર કલા, લુહાર કલા, ચિત્રકલા, પાત્રોની કલા અને શિલ્પ કલાઓ શીખવી. અને એ રીતે સમાજ વ્યવસ્થાની શરૂઆત કરી. અને અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યાગ-ધર્મમાં છે એ બતાવવા તમામ રાજવૈભવ છોડી એ સંયમી બન્યા.
શ્રી ઋષભદેવને સુમંગલા અને સુનંદા નામની બે પત્નીઓ હતી. સુમંગલાના બે સંતાનો ભરત અને બ્રાહ્મી અને સુનંદાના પ્રથમ યુગલ સંતાનોમાં બાહુબલી અને સુંદરી. સુનંદાએ બીજા ૯૮ પુત્રોને જન્મ આપ્યો. શ્રી ઋષભદેવે પોતાના ૧૦૦ પુત્રો અને બે પુત્રીઓને શિક્ષણ આપ્યું. સ્ત્રી શિક્ષણના મંડાણ શ્રી ઋષભદેવે કર્યાં. તેમણે આત્મકલ્યાણ અર્થે જ્યારે સંસારનો ત્યાગ કર્યો ત્યારે જ્યેષ્ઠપુત્ર ભરતને અયોધ્યાની ગાદી અને બાહુબલિને તક્ષશિલા (બહીલ)નું રાજ્ય આપ્યું. ભરતનું ચક્રવર્તી બનવું – સુંદરીનું સંયમ ગ્રહણ – ભરત બાહુબલિ વચ્ચે યુદ્ધ ભરતનો પરાજ્ય – બાહુબલિનો પશ્ચાત્તાપ અને યુદ્ધના વિજયને ભૂલી મોટાભાઈ
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ ↑ ૧૮૩
-
Page #233
--------------------------------------------------------------------------
________________
ભરતની ક્ષમા માગી તે આત્મવિજય તરફ વળ્યા. ભરત-બાહુબલિ રાજવિદ્રોહનું આ મુખ્ય કથાવસ્તુ છે.
આ ત્રણેય નવલકથાઓનું કથાવસ્તુ નવું નથી, પરંતુ તે જ્યારે અહીં નવલકથાકારના શબ્દોમાં રજૂ થાય છે ત્યારે એના રૂપરંગ અનોખાં બની જાય છે.
બાણ-મયૂર, ભવભૂતિ, કાલિદાસના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં તરબોળ બની ગયા હોય તેવો અનુભવ જયભિખુની કલમમાંથી નીકળતી આ કથા કરાવે છે. નવલકથાકાર જે રીતે અહીં એકએક પ્રસંગ વર્ણવે છે તેમતેમ એમાંથી એકએક સુરેખ ચિત્ર ખડું થાય છે.
નવલકથામાં આદિયુગનું વર્ણન ગદ્યને પદ્યની કોટિએ પહોંચાડે છે. અને એને કારણે યુગલિક જીવનની આ સરસ રોમાંચક કથા આલેખનની સુંદર છટાથી નવલકથામાં ઘણે સ્થળે કાવ્યની અનુભૂતિ કરાવે છે. જેમ કે “ભગવાન ઋષભદેવના આરંભમાં લેખકે વસંતઋતુનું વર્ણન કંઈક આવી જ શૈલીમાં કર્યું છે.
વસંત વનેવને હસી રહી હતી. ડુંગરોની તળેટીમાં સુંદર ઉપવન વસેલાં હતાં. ઉપવનોને બારે માસ લીલાછમ રાખતાં નાનાં નાનાં ઝરણાં આભઊંચા ડુંગર માથેથી રમતિયાળ કન્યાના ઝાંઝર જેવો ઝણકાર કરતા રહ્યા આવતા. અહીંના લીલોતરીથી છવાયેલાં ડુંગરોનાં શિખરો પર કોઈ મહાકવિનો કળામય મેઘ અલકાનગરી રચતો.” (પાના નં. ૪ ભગવાન ઋષભદેવ)
આદિમ યુગમાં વસતા માનવીઓના આચારવિચાર, રહેણીકરણીને નાના નાના ગદ્યપદોમાં ચિત્રણ કરીને લેખક કંઈક આવી રીતે ઉપસાવે છે –
હતી તો પૃથ્વી પણ સ્વર્ગ જેવી હતી. રંગબેરંગી પંખીઓ અહીં ગીત ગાતાં. વનવગડાનો વાયુ અહીં વેણુ બજાવતો. ભાતભાતના પતંગિયાં ફૂલગોટાને ચૂસતાં નિરંતર ઊડ્યા કરતાં. આકાશમાં આંધી નહોતી ને વાયુમાં તોફાન નહોતું. ઇષનો ઉગમ નહોતો.”પાના નં. ૫) “અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો.” પાના નં. ૭ ભગવાન ઋષભદેવ)
લેખક ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો સંદેશો કિંઈક આ રીતે આપે છે. “વિશ્વ માત્રનો માનવ એક છે' એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો” પાના નં. ૭ ભગવાન ઋષભદેવ)
આમ કથા અને પાત્રો જૂના છે પરંતુ લેખકની ભાવના તો અહીં તદ્દન નવી જ છે.
ભગવાન ઋષભદેવના ચરિત્રમાંથી લેખકને પ્રેરણા મળી છે અર્વાચીન યુગને નવસંદેશ આપવાની. આ સંદેશ તે અરિના હંતાને હણવાનો. બાહ્ય અને આંતર બંને પ્રકારના શત્રુ સામે નિર્ભય બનાવવાનું લેખક સૂચવે છે. આદિયુગના માનવીને પ્રફુલ્લ અને નિર્ભયી બનાવે છે. અને નવલકથાના પ્રથમ ભાગના અંતમાં જગતને
૧૮૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #234
--------------------------------------------------------------------------
________________
જેણે પ્રથમ રાજા, પ્રથમ લગ્નસંસ્થા, પ્રથમ સમાજવ્યવસ્થા, પ્રથમ રાજ્યવ્યવસ્થા આપી તે ઋષભદેવ સર્વ પ્રથમ હૃદયસ્થ રિપુઓ સામે જંગે ચઢવાનું આવાહન કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહમાયા જેવા કષાયો રૂપી શત્રુ સામે લડવાનું અને તેમાં જીત મેળવનાર ભગવાન શ્રી ઋષભદેવ દ્વારા લેખક સૂચવે છે કે ગતને જીતી જનારો જો જાતને ન જીતી શક્યો તો એનો વિજય ઝાકળના જળબિંદુ સમાન ક્ષણિક છે. લેખક ઋષભદેવના પાત્ર દ્વારા આ સૂપેરે સૂચવે છે.
યુગલિકોની અજ્ઞાનઅવસ્થાને દૂર કરતો નાદ જેટલી વ્યાપકતાથી અને અણીશુદ્ધ રૂપે ભગવાન શ્રી ઋષભદેવે વર્તમાન કાળમાં પ્રથમવાર જગાવ્યો છે એટલો ઝૂતના અન્ય ચરિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ આ ચરિત્ર લેખક શ્રી જયભિખ્ખના આકર્ષણનું કેન્દ્ર બન્યું.
લેખક સ્વતંત્રતાની શરૂઆતના સમયને સંદર્ભમાં રાખીને કહે છે કે, આપણું આધ્યાત્મિક ઊર્ધ્વગમનવાળું સંસ્કારી શુદ્ધ જીવન પણ આજની અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો અને વિદેશી સત્તા સાથેના સંઘર્ષમય જીવનમાં આપણે ગુમાવી બેઠા છીએ. આપણું હૃદય આપણા પ્રાચીન ગળથૂથીના સંસ્કારોને હૃદયસ્થ કરીને બેઠું છે અને આપણી બુદ્ધિ નવીનતા તરફ આકૃષ્ટ થઈ રહી છે. હૃદય અને બુદ્ધિના આ અસમંજસના કપરા સમયે ભગવાન શ્રી ઋષભદેવનું ચરિત્ર ઘણુંબધું કહી જાય છે. “સાદું અને નિખાલસતાપૂર્વકનું જીવન જીવી શકીએ તેવી કલા હસ્તગત કરીએ. માનવમાત્ર તરફ બંધુ પ્રેમની અને સહૃદયતાની ભાવના કેળવો.”
સંસ્કારપ્રિય સર્જક જયભિખ્ખું કથાત્રયીમાં જીવનપોષક વિચારોને સતત ગૂંથતા જણાય છે. તેથી જ કથાત્રયીના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે કોઈ પણ કળા જીવનમાં આનંદને પ્રગટ કરતી હોવી જોઈએ અને એ આનંદ આત્માને ઊર્ધ્વગતિએ લઈ જતો હોવો જોઈએ. સાદું અને નિખાલસ જીવન અર્થાત્ સત્ય અને અહિંસાવાળું જીવન જીવવાની કળા શીખવી. આ દૃષ્ટિએ આ કથાત્રયીને તપાસીએ તો જીવન-સંસ્કારને પ્રગાટવતા અનેક સંદેશાઓ લેખકે ભગવાન શ્રી ઋષભદેવ દ્વારા આપ્યા છે. જેમ કે શ્રી ઋષભદેવ જીવનવિકાસ માટે પુરુષાર્થ પર ભાર મૂકે છે. માનવ સ્વયં જ માનવનું ભલું કરશે એમ માને છે. સ્વર્ગ જેવી પૃથ્વી માનવે પોતાની પાપવૃત્તિથી નર્ક સમાન કેવી રીતે બનાવી એ વિશે ઋષભદેવ કહે છે –
પ્રકૃતિની અપાર શક્તિને તમારી પુરુષશક્તિ પિછાની ન શકી. માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સંયમ ખોયો, સ્વાચ્ય ખોયું એ બીજું પાપ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની, ઉદરવૃત્તિ એ તમારું પરમ ધ્યેય બન્યું. પુરુષાર્થને બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો.
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું + ૧૮૫
Page #235
--------------------------------------------------------------------------
________________
હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતા તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી. કામધેનું હવે અહીં નહીં દૂઝે! કલ્પવૃક્ષો હવે અહીં નહીં ફળે.”
શ્રી ઋષભદેવની આ વાત આજે પણ એટલી જ સત્ય નથી લાગતી! ઋષભદેવના કથાનક દ્વારા લેખકે અહીં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને વણી લીધા છે. સાદું અને નિખાલસ જીવન અર્થાત્ સત્ય અને અહિંસા. અને હવે પેટ પર પોટલો એટલે સંગ્રહવૃત્તિ છોડી અપરિગ્રહી બનવું તે.
માનવીને સુખી બનાવવાની જડીબુટ્ટી બતાવતા શ્રી ઋષભદેવના કથાનક દ્વારા લેખક કહે છે – “સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થાશો.”
અહીં બીજાને મદદ કરવા દ્વારા દાનનો મહિમા વર્ણવ્યો છે.
આજની આપણી વર્તમાન લોકશાહીમાં પણ દેશનું સુકાન સંભાળનારને પ્રેરણારૂપ બને એવો આદર્શ આપતાં સાતમા અને અંતિમ કુલકર નાભિરાયા કહે છેઃ “રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક. સમગ્ર પ્રજાનો એ પતિ. પ્રજાના સુખ-દુઃખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર... રાજ્યપદ એટલે જવાબદારીનું સદા જાગતું બંધન.... કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજ્યપદ” (પાનુ ૧૮૭, ભગવાન ઋષભદેવ)
આદિ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવે યુગલિયા ધર્મ નિવારી સૌ પ્રથમવાર લગ્નપ્રથાની શરૂઆત કરી. પ્રભુએ પ્રરૂપેલા લગ્નના આદર્શને સંસ્કારોના ચિંતક, સમાજના હિતેચ્છ, સમાજશાસ્ત્રી જયભિખ્ખું ભગવાન ઋષભદેવની યુગલિ. સુમંગલાના મુખે આવી રીતે રજૂ કરે છે, “આપણાં સંતાનને આમ નહીં જીવવા દઈએ. આપણી પુત્રીને કોઈના પુત્ર સાથે ને આપણા પુત્રને કોઈની પુત્રી સાથે નિયોજીશું. એમ કરીશું તો જ આ માનવકુળો વચ્ચેથી રોજની લડાઈઓ, વેરઝેર
ઓછાં થશે. આજે તેઓ ભેગા થઈને જે ઝેરી લડાઈઓ લડે છે, એ ઝેર આ રીતે લોહીની સગાઈ ઉતારી શકશે.”
તાત્પર્ય કે દીકરી લેવા-દેવાનો વ્યવહાર થાય તો માનવીના આંતરિક સંબંધોમાં લોહીના સંબંધો બંધાય અને તે દ્વારા સમાજમાં ઐક્ય-પ્રેમ-સ્નેહ વધે.
યુગની શરૂઆતનો માનવી વનવગડામાં, જંગલોમાં, ગિરિ શિખરો પર અહીંતહીં ભટકતો હતો. કલ્પવૃક્ષો ક્ષીણ થઈ ગયા હતા. તેથી તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા કારણ કે અત્યાર સુધી જે અપરિગ્રહવાળો હતો તે પરિગ્રહવાળો બન્યો. અપરાધ કોને કહેવાય તેની જાણ નહોતી તે અપરાધ કરવા લાગ્યો. આ સમયે નવલકથાના નાયક શ્રી ઋષભદેવની એક જ ચિંતા છે, “આ માનવજાતનો ઉદ્ધાર કેમ થાય? એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ
૧૮૬ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #236
--------------------------------------------------------------------------
________________
આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે ?” લેખક જયભિખ્ખુ જ શ્રી ઋષભદેવના પાત્ર દ્વારા પોતાના અંતરના ભાવ વ્યક્ત કરતા હોય એવું નવલકથાના સમગ્ર વાંચન દરમિયાન આપણે અનુભવીએ છીએ.
ભગવાન શ્રી ઋષભદેવે ઉપદેશેલા જીવનસંદેશનો જગતમાં પ્રસાર કરતાં એમના બે પુત્રો ભરત અને બાહુબલિની કથાનું બીજા અને ત્રીજા ભાગમાં લેખકે સુંદર આલેખન કર્યું છે. ‘ચક્રવર્તી ભરતદેવની કથામાં સમાજને શ્રમશીલ બનવાની કળા શિખવાડતાં, સંસ્કારી નાગરિક બનવાનો બોધ આપતા ભરતદેવને આલેખ્યા છે. ભરતદેવ છ ખંડને જીતવા નીકળે છે તે સમયના તેમના પરાક્રમો, રણભૂમિ ઇત્યાદિનું વર્ણન કર્યું છે. પૃથ્વીનું માનસચિત્ર’ પ્રકરણમાં લેખક જ્યભિખ્ખુએ ભૂગોળનું વર્ણન કર્યું છે. “આ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વતથી ભરતક્ષેત્ર ઉત્તર ભરત અને દક્ષિણ ભરત એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે.”
“ભરતક્ષેત્રની ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલો હિમવાન પર્વત છે અને મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. હિમવાન પર્વત પર એક દ્રહ છે, જ્યાંથી સિંધુ અને ગંગા નદી નીકળી છે, જે હિમવાન પર્વતને વીંધતી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં જઈ મળે છે. લવણસમુદ્રથી લઈને હિમવાન પર્વત સુધીની ભરતક્ષેત્રની પહોળાઈ ૫૨૬૧૧ યોજન છે.” (પાનું ૪૪ ચક્રવર્તી ભરતદેવ)
વિનીતા નગરી, લવણ સમુદ્ર, જંબુદ્વીપ, પુષ્કરાર્ધ દ્વીપ ઇત્યાદીનું લેખક જ્યભિખ્ખુએ કરેલું વર્ણન તેમના ભૂગોળના જ્ઞાન માટે માન ઉપજાવે છે.
ચક્રવર્તી ભરત છ ખંડની વિજ્યકૂચ કરે છે તે દરમિયાન મિ-વિનિમ સામે વિજય, મ્લેચ્છ કુલ ૫૨ વિજ્ય, નમિ-વિનમિની પુત્રી સુભદ્રાના લગ્ન ભરત સાથે. ઇત્યાદિ આલેખનો ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. છ ખંડનો અધિપતિ ભરતદેવ સંયમ ગ્રહણ કરતાં નમવનિમને અંજિલ રચી પ્રણામ કરી કહે છે, “હું જીતીને હારી ગયો... સંસારમાં જે ત્યાગે છે, તે જ મોટો છે ન કે જે ભોગવે છે તે !” લેખકે ત્યાગને સરળ ભાષામાં સુંદર રીતે જણાવ્યો છે. જ્યભિખ્ખુની રસભરી શૈલીને કારણે નવલત્રયીનો આ મણકો ચક્રવર્તી ભરતદેવ એવો રસપ્રદ બની જાય છે કે વારંવાર રસાસ્વાદ કરવાનું મન થાય છે.
ભગવાન ઋષભદેવના બે વીરપુત્રો ભરત અને બાહુબલિની કથા જૈન સાહિત્યની પ્રચલિત કથા છે. આ કથાનક ઉપરથી શ્રી શાલિભદ્રસૂરિએ આપણા સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે પ્રચલિત છે તેવો ‘ભરતેશ્વર બાહુબલિ' નામનો રાસ લખ્યો છે. આ જ કથાવસ્તુને લઈને જ્યભિખ્ખુએ અર્વાચીન યુગને અનુરૂપ નવલકથાનું સર્જન કર્યું છે.
–
આ નલકથામાં સુંદરીના સૌંદર્યનું વર્ણન છે. જેની પાછળ ભરત પાગલ છે પણ જ્યારે ભરત ૬૦ હજાર વર્ષ પછી છ ખંડનો અધિપતિ પાછો આવે છે
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ + ૧૮૭
Page #237
--------------------------------------------------------------------------
________________
ત્યારે સુંદરીને જોઈને સ્તબ્ધ બની જાય છે. સુંદરી આત્માની સુંદરતાની વાત કરે છે જે આત્મા અમૂલખ છે. ભારત અને સુંદરી વચ્ચેનો આધ્યાત્મિક વાર્તાલાપ ખૂબ સુપેરે આલેખ્યો છે.
સંયમ માર્ગે પ્રયાણ કરતી સુંદરી ભરતને કહે છે, “સત્કર્મનાં આમ્રવૃક્ષ અધિક મહેનતે ને અતિ જળે પાંગરે છે, ને દુષ્કર્મની વેલ અલ્પ પાણીએ પાંગરે છે; પણ તેથી સત્કર્મ પર અણવિશ્વાસ ન રાખશો. અરિ માટે અસિ નહિ, અંતરનું સ્નેહદ્વાવણ વિશેષ જરૂરી છે.
સત, ચિત ને આનંદ પ્રકરણમાં લેખકે બ્રાહ્મી અને સુંદરીનું બાહુબલિ પાસે આવવું અને
વીરા મારા ગજ થકી હેઠા ઊતરો
ગજ ચડે કેવળ ન હોય” બાહુબલિનો પશ્ચાત્તાપ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું વર્ણન લેખકે ખૂબ સુંદર કર્યું છે.
નવલકથાત્રયીમાં પ્રેમ-જ્ઞાન-વૈરાગ્યના મોતી ઘણીવાર કાવ્યાત્મક સ્વરૂપ ધારણ કરતું દેખાય છે. રંગમહેલ, ઉપવન, ભૌગોલિક રચના, યુદ્ધના પરાક્રમો કે પ્રણયના વાર્તાલાપનું વર્ણન લેખકે સુંદર કલાત્મક શૈલીમાં કર્યું છે. પાત્રોને બળવત્તર બનાવવા લેખકે અલંકૃત શૈલીનો પ્રયોગ કર્યો છે. પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે, વિશ્વવિજયમાં નહિ, આત્મવિજય મહત્ત્વનો છે. જયભિખ્ખએ આ નવલકથામાં વિવિધ રંગો પૂરીને જૈન સાહિત્ય જગતમાં નવો સૂર્યોદય કર્યો છે.
ભગવાન ઋષભદેવની કથા આજના વૈજ્ઞાનિકો માટે પણ અભ્યાસ યોગ્ય છે તે સંદર્ભે જયભિખ્ખું પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, “નૃવંશશાસ્ત્ર, પ્રાણવિદ્યાને વિકાસવર્ધનની સુંદર કથાઓ દસ્તાવેજી રૂપમાં અહીં પડેલી છે, પણ એને શોધવા માટે સહૃદયતા જોઈએ. એક તરફ પલ્યોપમ ને સાગરોપમ પર અશ્રદ્ધા ધરાવનાર ને બીજી તરફ પૂરી શ્રદ્ધાથી પૃથ્વીનું આવરદા પચાસ કરોડ જેટલાં વર્ષનું સ્વીકારનાર, માનવ ઉત્પત્તિની ૧ કરોડ ૨૦ લાખ વર્ષની સમય-કલ્પનાને સ્વીકારનાર, આજના જીવનવિકાસની અવધિ દશ લાખ વર્ષની આંકનારે એટલું સ્વીકારવું જ પડશે કે કોઈક મહાકલ્પના ને મહાગણિત પર જ આ બધું નિર્ભર છે; આપણને પ્રત્યક્ષ તો કંઈ નથી જ, એટલે નવું કે જૂનું બધું વિવેકદૃષ્ટિથી નિહાળવાની જરૂર છે.”
માનવજીવનના આદિકાળથી લઈને આજ સુધી માનવી કેવી રીતે સાચા સુખની પ્રાપ્તિ કરે એ પ્રશ્ન દરેક કાળ-સમય સંદર્ભમાં સર્વસામાન્ય રહ્યો છે. આ કૃતિ માનવીને શાશ્વત સુખની શોધમાં મદદરૂપ થાય છે. આજ ધર્મનું મુખ્ય ધ્યેય છે. સાચું શાશ્વત સુખ માત્ર વિશ્વવિજયથી નહીં પરંતુ આત્મવિજયથી જ મેળવી શકાય છે એવું લેખકે સચોટ રીતે સૂચવ્યું છે.
૧૮૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #238
--------------------------------------------------------------------------
________________
સામર્થ્યવાન સર્જક માટે કોઈપણ કથાવસ્તુ એક પ્રાથમિક ઘટક તરીકે જ ઉપયોગી થાય છે. સર્જક પોતાની સર્જનશક્તિ દ્વારા એ વસ્તુવિન્યાસની આગવી આભા ઊભી કરે છે અને કૃતિને પુનઃ પુનઃ આસ્વાદવાનું મન થાય તેવી કલાત્મક શૈલીમાં લખે છે. જયભિખ્ખની નવલકથાની વિશેષતાઓ:
ગુજરાતી નવલકથાનો ઇતિહાસ તપાસીએ તો જયભિખ્ખ પહેલાં યોગિની કુમારી’ કે ગુલાબસિંહ' જેવી જૂજ નવલકથાઓ સિવાય ધાર્મિક કથાવસ્તુ નવલકથા રૂપે પ્રગટ થયું હોય તેમ જણાતું નથી. જયભિખુની ત્રીસેક વર્ષના વિશાળ સમયગાળા દરમિયાન લખાયેલી નવલકથાઓ મોટે ભાગે ઐતિહાસિક કથાને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે.
અગિયારમીથી સોળમી સદીના મુગલકાલીન ઇતિહાસના પાત્રોને લઈને તેમણે વિક્રમાદિત્ય-હેમુ, દિલ્હીશ્વર', “ભાગ્યનિર્માણ, ‘ભાગ્ય વિધાતા” અને એ જ સમયના રાજપૂતી ઇતિહાસના આધારે લખાયેલી બૂરો દેવળ” તથા પ્રેમભક્ત કવિ જયદેવ ઐતિહાસિક નવલો છે. પ્રેમનું મંદિર, સંસારસેતુ, નરકેસરી શત્રુ કે અજાતશત્રુ ભાગ ૧-૨', “લોખંડી ખાખનાં ફૂલ ભાગ ૧-૨', “કામવિજેતામાં ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ. ૧00ની આસપાસના સમયનો ઐતિહાસિક યુગ કથાનું કેન્દ્ર બન્યો છે. પ્રાચીનકાળના ઐતિહાસિક પાત્રોને કથાનકોમાં વણી લઈને તેમણે ભગવાન ઋષભદેવ', ચક્રવર્તી ભરતદેવ', ભરત-બાહુબલિ' અને પ્રેમાવતાર ભાગ ૧-૨' જેવી નવલકથાઓ રચી છે. આમ પ્રાચીનકાળથી લઈને મુગલકાલીન સમય સુધીના ઐતિહાસિક જૈન પાત્રોને લઈને નવલકથાઓનું આલેખન કરીને સાંસ્કૃતિક સાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું છે. તેમણે જૈનધર્મના કથાવસ્તુવાળી નવલકથાઓમાં કથામાંના મૂળભૂત જીવનમૂલ્યો અને માનવીય પરિબળોનું જ વિશેષ રૂપે નિરૂપણ કર્યું છે.
જૈનધર્મ – સાહિત્ય અને ઇતિહાસ તથા સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાનો વિશાળ પરિચય, ઊંડા અભ્યાસી જયભિખ્ખએ જૈન ધર્મના વિવિધ વિષયો-પાત્રોકથાનકો લઈને વિપુલ પ્રમાણમાં નવલકથાઓ, નવલ – ટૂંકીવાર્તાઓ અને અન્ય સાહિત્યની રચના કરી છે. તેથી જ તેમના પર “સાંપ્રદાયિક સર્જનું લેબલ લગાડી દેવામાં આવ્યું છે. જયભિખુને માત્ર જૈનોનાં સાહિત્યકાર, જૈન કથાવસ્તુને લક્ષમાં રાખીને લેખનકાર્ય કરનાર – કંઈક આવા પ્રકારની ઓળખ જ એમને માટે અપાઈ છે. સત્ય હકીકત તો એ છે કે તેઓએ જૈન ધર્મના કથાનકો પસંદ કરીને લેખન કાર્ય કર્યું છે, પરંતુ એ આલેખનોમાં જૈન ધર્મ ક્યાંય સંપ્રદાયના વાડામાં બંધાઈને નિરૂપાયો નથી. તેમાં તેમણે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને લોકગમ્ય રૂપે રજૂ કર્યા છે. આ પાછળ તેમનો આશય ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર જનમાનસ સમક્ષ ખડું કરવાનો હતો. જયભિખ્ખએ જૈન ધર્મને કદી
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૮૯
Page #239
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાય માન્યો નથી. ધર્મ અને સંપ્રદાયને તેઓ સરિતા અને સરોવર સમાન માને છે. તેઓ કહે છે કે, સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે. જ્યારે ધર્મ મુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જલની જેમ સમન્વયકારી છે.”
ધર્મ અને સંપ્રદાય વિશે આટલી મનમાં ચોખવટ કરી લેનાર, સંપ્રદાયમાં સદા જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ થતો નથી, વિશ્વની કોઈ વિભૂતિના મુલ્યાંકનમાં કદી પાછો પડતો નથી. તેમણે સંપ્રદાયોએ પ્રભુની પ્રતિમા પર ચડાવેલા શણગારોને દૂર કરી આકરણરહિત પ્રતિમાનાં દર્શન કરવા યત્ન કર્યો, તે સંદર્ભમાં તેઓ કહે છે કે, પ્રતિમાના દર્શન થતાં દષ્ટિને જે લાધ્યું, તેથી તો ક્ષણવારમાં મનને અજબ આકર્ષણ થયું. અરે ! આવી છે. આ વિશ્વતોમુખ વિભૂતિ
અલબત્ત જયભિખ્ખએ જૈન સંપ્રદાયની કથાસામગ્રીનો ટેકણ લાકડી તરીકે ઉપયોગ જરૂર કર્યો છે, પણ એ દ્વારા એમને રજૂઆત તો જૈન ધર્મના પાયાના મૂળભૂત વિશાળ ધર્મતત્ત્વની જ કરવી છે.
જયભિખ્ખું માત્ર સાંપ્રદાયિક સર્જક નથી. એમણે વિવિધ ધર્મના સિદ્ધાંતોને વિષય-કથાનકો લઈને નવલકથાઓ સર્જી છે. ઉદાહરણ રૂપે પ્રેમભક્ત કવિ જયદેવમાં વૈષ્ણવધર્મ, પ્રેમાવતારમાં મહાભારત તથા ભાગવતના ધર્મતત્વને ચિંતનું છે તો દિલ્હીશ્વર, ભાગ્યવિધાતા તથા વિક્રમાદિત્ય હેમુમાં મુસ્લિમ ધર્મનું આલંબન લઈ આલેખન કર્યું છે.
પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં જયભિખ્ખએ ઈતિહાસનો વિવેકયુક્ત ઉપયોગ કરી કલાત્મક નવલકથાઓનું સર્જન કર્યું છે. તેમના દરેક સર્જન પાછળ તેમનું કોઈને કોઈ ધ્યેય રહેલું છે, આ વિશે તેઓ કહે છે કે, “માનવ સંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા “ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકા કોઈ આદર્શ, હેતુ કે ધ્યેય લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રચતું નથી.” (બૂરો દેવળઃ પ્રસ્તાવના: પાનુ પ-૬) પ્રથમ પ્રેમ અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી નવલો સર્જકના માંગલ્યવાદી દષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. આ નવલકથાઓ જીવનમાંગલ્યપોષક આલેખન કોઈ એક કાળનું નહીં પણ સાર્વત્રિક – સર્વાશ્લેષી અભિગમથી ચિરંજીવ મૂલ્યોનું દર્શન કરાવે છે. એ ઐતિહાસિક નવલકથાકાર તરીકે જયભિખુની આગવી અને અભ્યાસપાત્ર વિશેષતા છે.
જયભિખ્ખ નવલકથાના આયોજનમાં વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ યોજે છે. સંવાદ, પ્રત્યક્ષ કથન, વર્ણન, નાના પાત્ર દ્વારા નવી કથાનું નિરૂપણ, ભાવનાને વેગીલી બનાવવા પદ્યશૈલીનો ઉપયોગ વગેરે પદ્ધતિઓ એમની નવલકથાઓમાં જોવા મળે છે.
સાહિત્યના પ્રકાર રૂપે નવલકથા વર્ણનાત્મક, કથનાત્મક હોય છે. આમ છતાં
૧૯૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #240
--------------------------------------------------------------------------
________________
નવલકથાકાર સચોટ, ચેતનવંતા, ટૂંકા અને વ્યક્તિત્વના રંગો સુંદર રીતે રંગાય એવા સંવાદોનું આલેખન કરીને નવલકથાને નાટ્યાત્મક બનાવે છે. જ્યભિખ્ખુની નવલકથાઓમાં ક્યાંક સંવાદો ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. શાંત, કરુણ અને શૃંગાર રસનું નિરૂપણ ‘ભગવાન ઋષભદેવ’ ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘ભરતબાહુબલિમાં સરસ થયું છે. ત્યાં પણ છેવટે તો સર્વોપરી ઉપશમનો શાંત રસ જ બને છે. જયભિખ્ખુની નવલકથાઓમાં ચિંતનનું તત્ત્વ ક્યાંક કલાત્મક રૂપે આપ્યું છે તો ક્યાંક ઉપદેશાત્મક ઢબે. એ કથાવસ્તુમાં એવું કલાત્મક રૂપે વણાઈ ગયું હોય છે કે વાચક ક્યારે ચિંતનના ઊંડા વહેણમાં તણાઈ જાય છે એનો ખ્યાલ પણ આવતો નથી.
યભિખ્ખુનાં મનોસંઘર્ષ અને ભૌગોલિક વર્ણનો ઉલ્લેખનીય બન્યાં છે. આ વર્ણનો એમાંની વિગતસભરતા, સૂક્ષ્મ અવલોકન શક્તિ, સચોટ ચિત્રીકરણના કારણે ગ્રાહ્ય બન્યાં છે. તેમની ભાષાશૈલી સરળ, વિશદ, ગતિશીલ અને ટકોરાબદ્ધ છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો યભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જ્યભિખ્ખુ કવિ નથી છતાં તેમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની વણજાર તેમની નવલકથાઓમાં જોવા મળે છે. ‘ભગવાન ઋષભદેવ', પ્રેમાવતાર ભાગ ૧-૨' ઇત્યાદિ જયભિખ્ખુની ગદ્યશૈલીના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
જયભિખ્ખુ પહેલાં સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા ત૨ફ કોઈની નજર ગઈ ન હતી. જ્યભિખ્ખુએ સાહિત્યની આ નવી દિશાનાં દ્વાર ખોલી આપ્યાં. આ જ કારણે પંડિત સુખલાલજી જેવા કહે છે, “જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારવાળું કથાસંવિધાન ક૨ના૨ હું જાણું છું ત્યાં સુધી જ્યભિખ્ખુ એક જ છે.” (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા – ડિસેમ્બર ૧૯૭૦ પાના નં. ૯૧)
સૌ પ્રથમવાર જયભિખ્ખુએ જ જૈન કથાનકોને વ્યાપક સંદર્ભમાં અને વ્યાપક ફ્લક પર ગુજરાતી સાહિત્ય સમક્ષ મૂકી આપ્યાં છે. જ્યભિખ્ખુ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે ભગવાન ઋષભદેવના ઉપદેશને વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપ૨ તેને મૂકી આપે છે. કથાઓને સાર્વજનીન રૂપ આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનની ઊંડી અસર જ્યભિખ્ખુના વ્યક્તિત્વ અને વાડ્મય ઉપર હોવા છતાં એ સાંપ્રદાયિક સર્જક નથી બન્યા એ એમની એક ઉચ્ચ કોટિના નવલકથાકાર તરીકેની વિશેષતા છે.
પોતાની ઐતિહાસિક-પૌરાણિક-સામાજિક નવલકથાઓમાં જ્યભિખ્ખુ
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ + ૧૯૧
Page #241
--------------------------------------------------------------------------
________________
ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, મનુભાઈ પંચોલી વગેરેની જેમ રાષ્ટ્રીય કક્ષાના નવલકથાકાર તરીકે ઊપસી આવે છે.
માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.
કાંદીવલી (વેસ્ટ) મુંબઈ
મો. 09820824281
૧૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #242
--------------------------------------------------------------------------
________________
आचार्य श्री तुलसी के साहित्यिक अवदान
- . विजयालक्ष्मी मुंशी
શ્રીમતી વિજયાલક્ષ્મી મુંશી સેવાનિવૃત્ત પ્રધાનાચાર્ય છે. અધ્યયનની તેમની વિશિષ્ટ દૃષ્ટિ આ લેખમાં દેખાઈ આવે છે. – સં.)
सम्राट नेपोलियन ने कहा है - विश्व में दो ही शक्तियाँ है - तलवार और कलम। तलवार की शक्ति स्पष्ट है पर अन्त में वह सदा कलम से हार खाती है। ऐसे ही बीसवीं सदी के शलाका पुरुष आचार्य तुलसी ने जब अपनी लेखनी को कागज पर उतारा तो सृजन की सारी संभावनाएं मूर्त हो गई।
आचार्य श्री तुलसी का व्यक्तित्व एवं कर्तृत्व बहुआयामी था। आप एक ऐसे प्रकाशपुंज थे, जिन्होंने अपने ज्ञान और चारित्र की ज्योति से मानव मात्र के मन और हृदय को अपनी वाणी एवं कार्यों से आलोकित कर, प्रचलित भ्रमात्मक धारणाएं, रूढियों, सम्प्रदायवाद, हिंसा, अधर्म, अनैतिकता तथा परिग्रह के उत्पीडन से मुक्त कर नई दिशा, नया मार्गदर्शन एवं प्रेरणा देकर उनके ताप, संताप एवं संत्रास का हरण किया।
आपका जन्म लाडनूं जैसे छोटे से कस्वे में २० अक्टूबर १९१४ को कार्तिक शुक्ला द्वितीया को हुआ था। माता के सुसंस्कारों के कारण बाल्यकाल में ही आपमें अध्ययन, अध्यापन, अनुशासन, परोपकार, सत्य और ईमानदारी की परम्पराएं पूर्ण रूप से पुष्ट हो चुकी थी।
पारिवारिक विरोध एवं परिस्थितियों की प्रतिकूलता को भी अपने सहज व्यक्तित्व से अनुकूल बना कर ११ वर्ष की उम्र में अपने हृदय सम्राट कालूगणी के हाथों दीक्षा ग्रहण कर ली।
आपके जीवन में ग्यारह वर्ष का यह चक्र अत्यन्त महत्वपूर्ण रहा है। प्रथम ग्यारह वर्ष गृहस्थी में, दूसरे ग्यारह वर्ष मुनि जीवन में तथा तीसरे ग्यारह वर्ष में अध्ययन-अध्यापन व आचार्य पद की प्राप्ति तथा चौथे में रचनात्मक कार्य यथा अणुव्रत आन्दोलन आदि का प्रवर्तन। ___आपकी शिक्षा-दीक्षा का कार्य गंभीरचेता आचार्य कालूगणी के सान्निध्य एवं निर्देशन में सम्पन्न हुआ।
आचार्य श्री तुलसी के साहित्यिक अवदान + १८3
Page #243
--------------------------------------------------------------------------
________________
मुनि जीवन में आपने संस्कृत, प्राकृत, न्यायशास्त्र, काव्यशास्त्र, व्याकरण, साहित्य, दर्शन और आगम विषयो के अनेक ग्रंथ कण्ठस्थ कर लिए। कण्ठस्थ श्लोकों की संख्या लगभग २० हजार थीं। लगभग १३-१४ वर्ष की उम्र में आपने छोटे साधु-साध्वियों को पढाना शुरू कर दिया। १६ वर्ष की उम्र में आते-आते आप कविता करने लगे। १८ वर्ष की उम्र में 'कल्याण मंदिर स्त्रोत' की समस्या पूर्ति के रूप में 'गलू कल्याण मंदिर' नामक स्तोत्र रच डाला। अध्ययन, गुरु-उपासना, स्मरण व चिंतन करना तथा अल्पभाषी व अनुशासित होना आपकी प्रकृतिगत प्रवृत्तियां थीं। हर अनुकूल एवं प्रतिकूल परिस्थिति में सहजता एवं समभाव से रहना आपके कालजयी व्यक्तित्व की विशेषता है। ___ अनुशासन एवं वात्सल्य आदि गुणों के कारण मात्र २२ वर्ष की अवस्था में इतने बड़े धर्मसंघ के आचार्य बन गए। आचार्य बनते ही आपको अनेक आंतरिक एवं बाह्य संघर्षों का सामना करना पडा। मगर आप जरा भी विचलित नहीं हुए और पुरुषार्थ, आत्मबल, आकिन्चन्य एवं सिंह वृत्ति से सबका मुकाबला कर सत्य और अहिंसा के बल पर विजयपताका हांसिल करते रहे।
आप एक मूर्धन्य साहित्यकार थे। आपने साहित्य को गगनचुम्बी ऊंचाईयां प्रदान की। आपका साहित्य, आपकी अन्तदृष्टि, विशाल चिंतन, गहरी सोच, ग्रहणशीलता एवं विकास की उत्कंठा को परिलक्षित करता है। एक साहित्यकार की भूमिका निभाते हुए अपने प्रेरणा पाथेय से आशा निराशा के बीच झूलती हुई भ्रांत मानवता को आध्यात्मिक, व्यवहारिक एवं वैज्ञानिक मार्गदर्शन दिया। आपके साहित्य की परिधि बहुत व्यापक थी।
विषय की दृष्टि से आपके साहित्य को तीन भागों में बांटा जा सकता है। १. मानवतावादी दृष्टिकोण २. भावात्मक एकता ३. सम्प्रदायातीत वैज्ञानिक धर्म की अवधारणा।
आपका लक्ष्य था मानव में मानव का दर्शन कराकर करुणा, मानवीय एकता तथा समाज में व्याप्त विघटनकारी मानसिक हिंसा फैलाने वाली धारणाओं, विचारणाओं एवं प्रवृत्तियों को समाप्त करना। इस दिशा में चिंतन कर ‘नया मोड' कार्यक्रम प्रारम्भ किया। नशामुक्ति, व्यसन मुक्ति, आहार शुद्धि, मानवीय एकता व नैतिकता के अभियान चलाये गए। 'प्रचुर मात्रा में साहित्य निर्माण कर प्रवचन, विचार गोष्ठियों एवं शिविरों द्वारा मानस परिवर्तन के प्रयास किये गए। धार्मिक सहिष्णुता, सौहार्द और समन्वय की बात होने लगी।
इसी भावना से प्रेरित होकर अणुव्रत जैसे आध्यात्ममूलक आंदोलन के प्रवर्तक बने। इस धर्मक्रांति का उद्देश्य था चरित्र विकास, आत्मोदय, नैतिकता, जनकल्याण, अनाक्रमण, अहिंसा, अपरिग्रह एवं विश्वशांति की भावना, सर्वजन हिताय एवं आसाम्प्रदायिक धर्म का उदय, धर्म को जातिवाद व वर्णवाद तथा धर्मग्रंथों व ૧૯૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #244
--------------------------------------------------------------------------
________________
धर्म स्थानों से मुक्त कर सार्वजनिन एवं सार्वभौम बनाना, मानव को सच्चे अर्थों में मानव बनाना तथा उपासना एवं क्रियाकाण्डों से मुक्त कर शुद्ध आचार-विचार से चरित्र निर्माण करना । अणुव्रत आचार संहिता का निर्माण कर छोटे-छोटे व्रतों द्वारा मानव को संयमित रहने का आह्वान किया। आप व्यक्ति सुधार में विश्वास करते थे। जब व्यक्ति की धारणाएं बदलेगी तो समाज का रूप भी अपने आप बदल जायेगा। धर्म के मंच से अणुव्रत जैसे निर्विशेषण मानव धर्म की स्थापना करने का महती प्रयास आपकी विलक्षण बुद्धि, दृढ संकल्प शक्ति एवं अपराजेय मनोवृत्ति का ही परिणाम है।
संकल्प शक्ति, आस्था एवं संयम के विकास हेतु आपने प्रेक्षाध्यान की विधि बताई जिससे मन की निर्मलता, चित्त की समाधिं एवं भावों की उच्चता का विकास होता है। अंतप्रेरणा का जागरण होता है तथा आत्म नियंत्रण एवं आत्मालोचन की प्रक्रिया प्रशस्त होती है। यह रुपान्तरण की ऐसी प्रक्रिया है जो ज्ञात से अज्ञात तथा स्थूल से सूक्ष्म जगत की ओर ले जाती है। शिक्षा के क्षेत्र में जीवन विज्ञान के नाम से प्रयोग शुरू हुए। जीवन विज्ञान में अध्यात्म और विज्ञान का समन्वय है । इसके द्वारा मस्तिष्क में असीम शक्ति की जागृति वगैर तनाव व थकान के की जा सकती है। जीवन विज्ञान पाठ्यक्रम का मुख्य उद्देश्य है।
-
१. जीवन मूल्यों की शिक्षा
२. मानवीय संबंधों की शिक्षा
३. भावनात्मक विकास की शिक्षा
४. सिद्धान्त और प्रयोग के समन्वय की शिक्षा |
समण - समणी श्रेणी की अवधारणा आपके प्रगतिशील विचार एवं विकास का परिचायक है। उच्चतम आध्यात्मिक एवं व्यावहारिक शिक्षा प्रदान कर विश्व के कोने-कोने में भेजकर धर्म के शाश्वत सिद्धान्त सत्य, अहिंसा व अपरिग्रह द्वारा भ्रांत मानवता को परिचित कराया जो आज भी उसी तरह हो रहा है।
भाषा की दृष्टि से आपके साहित्य का अवलोकन करने पर हमें ज्ञात होता है कि संस्कृत, प्राकृत, राजस्थानी, हिंदी के साथ-साथ मारवाडी, गुजराती आदि प्रान्तीय भाषाओं पर भी आपका अच्छा अधिकार था।
तेरापंथ के चतुर्थ आचार्य जयाचार्य ने संस्कृत का जो बीजवपन किया था उसे गुरु कालूगणी ने अनेक कठिनाइयों के बावजूद सरल सुबोध व्याकरण द्वारा पल्लवित किया, जिसकी सुरक्षा, संरक्षा एवं विस्तार का कार्य आपके द्वारा किया गया। उन्नीसवीं सदी में संस्कृत के प्रति रुझान कम था । यद्यपि अच्छे विद्वान थे, परन्तु प्रचलित संकीर्ण विचारों के कारण वे जैन साधुओं का संस्कृत पढाना पाप मानते थे। पुरुषार्थ एवं संकल्प के धनी होने के कारण आपने हार नहीं मानी। गुरु ने आपको कण्ठीकरण का मार्ग बतलाया। आपने लगभग वीस बाईस हजार ग्रंथाग्र (अनुष्टुप श्लोक परिमाण) कण्ठस्थ कर लिये । 'गणरत्न महोदधि' तथा 'उणादि' जैसे आचार्य श्री तुलसी के साहित्यिक अवदान + १७५
Page #245
--------------------------------------------------------------------------
________________
वाचनीय प्रकरण रटे और उनका पुनरावर्तन करते रहे। इनकी प्रतियां उपलब्ध नहीं होने के कारण कई बार हाथ से लिखना पडता था। जैन आचार्य हेमचन्द्र के काव्यानुशासन का भी अध्ययन किया। जैन व जैनेतर अनेक ग्रंथ पढे और धीरे-धीरे स्वयं ने लिखना शुरू कर दिया तथा 'शिक्षा षण्णवति', 'कथा प्रदीप', 'जैन सिद्धान्त दीपिका', 'मनोनुशासनम्' भिक्षु न्याय कर्णिका जैसे कई महत्वपूर्ण ग्रंथ लिखे।
जैन सिद्धान्त दीपिका में सूत्र रूप में जैन धर्म के आधारभूत तत्त्वों को संक्षेप में प्रस्तुत किये गए हैं। इसके लेखन से आचार्य भिक्षु के अहिंसा - सिद्धान्त को दार्शनिक रुप मिल गया।
मनोनुशासनम् - आध्यात्मिक योग विषय का जैन साधना पद्धति का प्रतिनिधि ग्रंथ है। इसके द्वारा अपनी साधना का नवनीत जनता को सुलभ कराया। पंच सूत्रम् - जैसे अनुशासन ग्रंथों का निर्माण किया। संस्कृत भाषा को पल्लवित एवं पुष्पित करने के लिए आपने अपने साधु-साध्वियों को भी संस्कृत भाषा का अध्ययन करने के लिए प्रेरित किया। उनका ज्ञान बढाने के लिए हस्तलिखित मासिक पत्रिका 'जैन ज्योति' एवं 'प्रयास' निकाली गई।
आगम् सम्पादन के कार्य के संदर्भ में एपणा और अन्वेषणा पत्रिकाओं का प्रकाशन शुरू कर संस्कृत विकास को विस्तृत आयाम दिया। भाषण, निवन्ध, श्लोक एवं काव्यपाट, कहानियां, निबंध, समस्या पूर्ति तथा उच्चारण आदि प्रतियोगिता के माध्यम से साधुओं के ज्ञान को पुष्ट किया। संस्कृत में वक्तव्य देने के लिए प्रेरित किया। आचार्य महाप्रज्ञजी ने एक दिन में १००, राकेश मुनिजी ने १००० तथा मुनि गुलावचन्दजीने १५०० श्लोकों की रचना कर डाली। संस्कृतज्ञ मुनियों से आप संस्कृत में ही वार्तालाप करते थे। ___आगमों के अध्ययन के लिए प्राकृत भाषा का ज्ञान आवश्यक था। आचार्य बनते ही आपने जैन आगमों का स्वयं एवं साधु-साध्वियों से भी पारायण कराने का निश्चय किया। आपने स्वयं तो आचार्य हेमचन्द्र का प्राकृत व्याकरण कण्टस्थ कर रखा था, अपने शिष्यों को भी कण्ठस्थ करने के लिए प्रेरित किया। आपकी प्रेरणा एवं मार्गदर्शन पाकर ही मुनिश्री नथमलजी (आचार्य महाप्रज्ञ)ने पण्डित रघुनंदन शर्मा के सहयोग से प्राकृत व्याकरण की बृहत् प्रक्रिया तैयार की, जिसका नाम 'तुलसी मंजरी' रखा गया। आगम सूत्रों की भाषा भी प्राकृत होने से उनके सम्पादन कार्य में महनीय सहयोग रहा।
आपका हिंदी साहित्य भी बड़ा समृद्ध एवं सशक्त था। साहित्य की हर विधाओं में आपने साहित्य की रचना की तथा व्यक्ति, समाज और राष्ट्र की हर समस्याओं को प्रतिबिम्बित किया। जीवन के महानतम से लेकर लघुत्तम को छुआ। आपने जो कुछ देखा, सुना, संवेदना से अनुभव किया उसे अनसुना नहीं किया, बल्कि अपनी लेखनी में उतार कर प्रचुर साहित्य का निर्माण किया। आध्यात्मिक विषयों के साथ-साथ समसामायिक परिस्थितियां समस्याओं एवं अनेको विषयों पर साहित्य ૧૯૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષરઆરાધકો.
Page #246
--------------------------------------------------------------------------
________________
द्वारा चर्चा और निराकरण प्रस्तुत किये। गरीबी, अभाव एवं भ्रष्टाचार आदि का समाधान अर्थव्यवस्था परिवर्तन में न खोज कर हृदय परिवर्तन एवं स्वभाव परिवर्तन में खोजा। इनका हल अपरिग्रह, अहिंसा और विसर्जन में पाया। हर सामाजिक व्यक्ति संविभाग का अधिकारी होता है। विसर्जन न दान है और न व्यवस्था। यह तो हिंसा क्रूरता एवं विलास को रोकने का व्यक्तिगत संयम का प्रतिफल है। ___आपके संदेश आपकी उच्च कोटि की मानसिकता के परिचायक है। 'अशांत विश्व को शांति का संदेश में आपने विश्वशांति के उपायों को बताते हुए 'सम्यकत्व' की बात बताई। इस संदेश का विश्व स्तर पर काफी स्वागत हुआ।
इसी तरह 'धर्म सन्देश' और 'धर्म रहस्य' के माध्यम से आपने बताया कि मानवीय समस्याओं से निपटने के लिए धर्म का उपयोग हो सकता है।
राजस्थानी भाषा आपकी मातृभाषा होने के कारण उस पर पूर्ण अधिकार था। इस भाषा में आपने कई पुस्तकें लिखी। गलूयशोविलास' राजस्थानी साहित्य का उत्कृष्ट उदाहरण है।
गुजराती व थली भाषा पर भी आपका अधिकार था। इस प्रकार विभिन्न भाषा में साहित्य लिखकर धार्मिक एवं आध्यात्मिक तत्त्वों द्वारा ईर्ष्या, मात्सर्य, राग-द्वेष, विषमता एवं युद्ध की विभिपीका से हताहत मानव में अहिंसा, समता, प्रेम, सहिष्णुता आदि मानवीय मूल्यों को स्थापित कर सुप्त मानस को जगाया।
प्राच्य विद्या की अनमोल धरोहर आगम सम्पादन का भगीरथ कार्य आपके नेतृत्व में सम्पन्न हुआ। देवर्धिगणी के वाद लगभग १५०० वर्षों बाद आपके वाचना प्रमुख में सम्पादन का यह महनीय कार्य प्रारम्भ हुआ। कार्य प्रारम्भ करने से पूर्व ही आपने अपने शिष्यों को यह कड़ा निर्देशन दिया कि गवेषणा कार्य पूर्णतया निष्पक्ष भावना से किया जाय, उसमें सम्प्रदाय की दृष्टि प्रधान नहीं होनी चाहिए। मौलिक अर्थ की प्रस्तुती की जावे। इसी आसाम्प्रदायिक दृष्टि से किया गया दश वैकालिक सूत्र देखकर ही पंडित प्रवर सुखलालजी सिंघवी ने कहा, 'जैन आगमों और जैन दर्शन का कार्य आचार्य तुलसी ही कर सकेंगे, एसा मुझे विश्वास हो गया है।'
सबसे पहले जैनागम शब्द कोष का निर्माण एवं हिंदी अनुवाद का कार्य प्रारंभ किया गया। इस कार्य के निष्पादन में अनेक कठिनाईयों का सामना करना पड़ा। सबसे बड़ी समस्या तो मूल पाट के संशोधन की थी। व्याप्त लिपि दोष तथा दृष्टि दोष के कारण पाठ भेद आ गये थे, जिनके कारण मूलपाठ ढूंढ निकालना सहज कार्य नहीं था। वाचना की अनेकता एवं परम्परा का मौलिक स्रोत उपलब्ध नहीं होने से अर्थभेद हो गया था। उपलब्ध टीका आदि भिन्न-भिन्न आचार्यों द्वारा लिखे जाने के कारण सूत्रों का मौलिक आशय पकड़ना जटिल एवं उत्तरदायित्व पूर्ण कार्य था।
संकल्प फलवान हुआ। एक वर्ष में लगभग २०-२५ आगमों की सूचियां
आचार्य श्री तुलसी के साहित्यिक अवदान + १८७
Page #247
--------------------------------------------------------------------------
________________
तैयार कर ली गई। आचारांग-आचार चूला के हिंदी अनुवाद, संस्कृत छाया और टिप्पण का कार्य भी प्रारम्भ हो गया। धीरे-धीरे कार्य ने विस्तार लिया तथा सभी दिशाओं यथा पाठ संशोधन, संस्कृत छाया, हिंदी अनुवाद, समाचोलनात्मक टिप्पणी समीक्षात्मक अध्ययन, शब्द कोष आदि कार्य होने लगे। आश्चर्य की बात तो यह है कि निरूक्त कोश, एकार्थक कोश, देशी शब्द कोश, भिक्षु आगम विषय कोश आदि का निर्माण, स्त्री जाति यानि साध्वियों, समणियों एवं मुमुक्षु बहिनों द्वारा किया गया।
__ प्रवचन साहित्य की एक विशेष विद्या है। आप एक प्रखर प्रवचनकार एवं सटीक व्याख्याकार थे। आपके प्रवचन में आपकी आत्मा, आपकी साधना और आपका जीवन बोलता था। आपकी सरल और सरस वाणी से गूढ़तम आध्यात्मिक विषय भी इतने स्पष्ट और हृदयग्राही हो जाते थे कि साधारण से साधारण श्रोता के लिए भी आसानी से बोधगम्य हो जाते थे। बीच-बीच में पद्य, गीत, कथानक
और समीक्षात्मक टिप्पणी के कारण वे और भी उपादेय एवं सर्वजनहिताय हो जाते थे। प्रवचनों में अध्ययन की ठोसता, अनुभव की प्रवणता और व्यवहार की दक्षता होने के कारण अर्थ के गांभीर्य के साथ वे नई दिशा, नई दृष्टि और नया दर्शन प्रदान करते थे।
तुलसी वाङ्गमय के महत्त्वपूर्ण अंग के रूप में प्रकाशित 'प्रवचन प्राथेय ग्रंथमाला' के विभिन्न पुष्पों (भाग) की उपादेयता असंदिग्ध है। इनके स्वाध्याय से मानव आज भी अपना नैतिक व चारित्रिक उद्धार कर सकता है। इसी तरह पत्र साहित्य का भी अपना अलग ही महत्त्व है। आपके द्वारा अपने शिष्यों को लिखे गए पत्र गुरु-शिष्यों के सम्बधों के महाभाष्य है। ये पत्र आपके विचार एवं अनुभूतियों के परिचायक है। इनमें अंतरात्मा का स्पर्श है जो सीधे पाठक के अन्तःस्तल को छूती है। कभी आत्मीयता, कभी मधुरता और कभी तीखापन लिये ये बोधपाठ देते है। इन पत्रों की भाषा, शैली एवं विषय की विविधता पत्र साहित्य के भाषाशास्त्रीय और मानसशास्त्रीय अध्ययन की अपेक्षा का अनुभव कराते है। पत्र मुख्यतः राजस्थानी और हिंदी भाषा में है। संस्कृत और गुजराती में भी है। कुछ पत्रों पर मेवाड़ी, मारवाड़ी, हरियाणवी आदि बोलियों का भी प्रभाव है। पत्रों के विषय भी विभिन्न आयामों को समेटे हुए है - यथा साधना, सेवा, शिक्षा, आस्था, संधीय व्यवस्था, सुरक्षा, चिंता अनुशासन, सजगता आदि।
___ आप एक लेखक, प्रशासक, प्रवचनकार से भी बढ़कर एक कवि थे। आपका कवित्व स्वयं स्फूर्त था और बाल्यकाल से ही प्रस्फुटित हो रहा था। मुनिजीवन धारण करने के कुछ ही समय बाद अपने गुरु को काव्य रूप में श्रद्धासुमन अर्पित किये उसका एक पद देखिए -
'महर राखो महाराय, लख चाकर पद कमल नो,
सीख आपो सुखदाय, जिम जल्दी शिवपति लहूं। सोलह वर्ष की अवस्था में आप स्तर की कविताएं करने लगे। जब आप अपने ૧૯૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #248
--------------------------------------------------------------------------
________________
मधुर स्वर से काव्यपाठ करते तो परिषद मंत्र मुग्ध होकर सुनती। आपकी हर कविता एक न एक संदेश या विषय लिए हुए होती थी, जो मनोरंजन के साथ-साथ पाठक के हृदय व मन को मोह लेती थी। आपने हिंदी, राजस्थानी एवं संस्कृत में कविताए लिखी। अपने गुरु कालुगणी की प्रेरणा से संस्कृत में काव्य लिखने लगे और १८ वर्ष जैसी अल्पवय में ही कालू कल्याण मंदिर की रचना कर डाली ।
प्रेक्षा संगान प्रेक्षा ध्यान की प्राथमिक जानकारी प्रदान करने वाली एक महत्त्वपूर्ण कृति है । इसके ११७ पद्यो में आपने ध्यान जैसे गूढ़ विषय की जिस सरलता, सहजता एवं सरसता से व्याख्या की है उसे तो पढ़ने वाला पाठक ही समझ सकता है। कभीकभी तो पढ़ते-पढ़ते पाठक स्वयं ध्यान की गहराई में उतरने के लिए अधीर हो जाता है। अगर इन पद्यों को कण्ठस्थ कर लिया जावे तो अवबोध एवं प्रयोग की दृष्टि से इस सृजन की सार्थकता और अधिक सिद्ध हो जाती है।
कालू उपदेश वाटिका, भरत मुक्ति, आषाढ़ भूति, अग्नि परीक्षा आदि आपकी अद्भूत रचना शक्ति के परिचायक है । कालूयशोविलास में आपने अपने आचार्यश्री का इस तरह से वर्णन किया कि एक चित्रकार एवं एक कवि की भूमिका में कोई फर्क ही नजर नहीं आता ।
आपने अनेकों गीत लिखे है, जिनमें इतिहास है, संस्मरण है, सिद्धान्त है, श्रद्धा है और आस्था है। इनमें आत्मविभोर कर देने की शक्ति है तथा काव्य की श्रव्य और दृश्य दोनों विधाओं से साक्षात्कार करा देते है। आपके गीतों में अद्भुत करिश्मा है। उनमें आध्यात्मिक विषयों से लेकर आम समस्याओं व कार्यों की झलक मिलती है यथा अणुव्रत, प्रेक्षाध्यान, जीवन विज्ञान, सामाजिक कुरीतियां आदि ।
आपने संस्कृत और हिंदी भाषा में गद्य और पद्य दोनों में कई जीवनवृत्त लिखे। मुख्यतः भगवान महावीर, प्रज्ञा पुरुष जयाचार्य, महामनस्वी, आचार्यश्री, कालूयशोविलास, सहिष्णुता की प्रतिमूर्ति आदि ।
आपने अपने धर्म संघ में शिक्षा का एक अच्छा आदर्श तरीका दिया था। साधु-साध्वियों के लिए अध्ययन व अनुसंधान की अनेक शाखाओं खोली । इनकी प्रारम्भिक शिक्षा के लिए 'शैक्ष शिक्षा' तथा 'धर्मबोध' लिखवाया ।
साहित्य संवर्धन के कार्य में पदयात्रा जनजागरण की महान यात्रा थी। अपने जीवन में उन्होंने ८० हजार किमी से भी ज्यादा की पदयात्रा की। उनकी पदयात्रा का मुख्य उपदेश्य था । १. मानवता का निर्माण, २. साम्प्रदायिक एकता, ३ . धर्मक्रान्ति। वे कहा करते थे मैं सर्वप्रथम मनुष्य हूं, फिर धार्मिक, फिर जैन और फिर तेरापंथी ।'
अपने कार्यो एवं भावनाओं को मूर्त रूप देने, प्रचूर मात्रा में साहित्य निर्माण करने एवं करवाने, शिक्षा, साधना, रिसर्च, सेवा और सांस्कृतिक संरक्षण, आगम सम्पादन, प्रेक्षाध्यान, जीवन विज्ञान आदि कार्यों को सम्पन्न करने हेतु सन १९७१ में लाडनूं में जैन विश्व भारती की स्थापना की। साथ ही यहाँ शिक्षण का कार्य भी
आचार्य श्री तुलसी के साहित्यिक अवदान + १८
Page #249
--------------------------------------------------------------------------
________________
किया जा रहा है। जीवन विज्ञान, प्रेक्षाध्यान, योग आदि के कई पाठ्यक्रम और परीक्षा का आयोजन किया जा रहा है।
सन् १९४६ में साहित्य प्रकाशन हेतु आपके निर्देशन में आदर्श साहित्य संघ की स्थापना की गई। यह विज्ञप्ति के प्रकाशन, पत्राचार, अणुव्रत यात्रा, अणुव्रत प्रसार आदि कार्यो में महत्त्वपूर्ण भूमिका निभाता है। साहित्य की धारा अबाध गति से बहती रहे इसके लिए तरंगीनी, पराग, जैन भारती, अणुव्रत, तुलसी प्रज्ञा, प्रेक्षाध्यान जैसे कई जर्नल एवं पत्र पत्रिकाओं का प्रकाशन आपके मार्गदर्शन में हुआ तथा आज भी अविराम गति से हो रहा है।
स्यादवाद आपका मान्य सिद्धान्त था । यही कारण है कि अन्य सम्प्रदायो में आपने समन्वय के तत्त्व ही देखे, न कि विरोधी तत्त्व। आप अपने प्रवचन की शुरूआत भी प्रायः समन्वयकारी श्लोक से ही करते थे। जैन एकता के संदर्भ में 'समण सुत्तं' के निर्माण में आपका एवं आपके शिष्यों का विशेष प्रयास रहा है।
आपकी साहित्य रचना के अलग-अलग युग रहे है। एक युग में आपने जैन सिद्धान्त दीपिका जैसे तत्त्वज्ञान के ग्रंथों की रचना की। एक युग में 'मनोनुशासनम्' जैसे योग ग्रंथों का प्रणयन किया, एक युग में पंचसूत्रम जैसे अनुशासन ग्रंथ, तो एक युग में जीवन वृत्तों की रचना की ।
जीवन की सान्ध्य वेला में 'आचार- बोध', 'संस्कार-बोध', 'व्यवहार-बोध', 'तेरापंथ प्रबोध' और 'श्रावक संबोध' जैसे अनुभव एवं ज्ञान आधारित ग्रंथों का प्रणयन कर एक नये दौर का प्रारम्भ कर दिया।
आपके अभूतपूर्व साहित्यिक अवदान के पीछे आपका वहुआयामी व्यक्तित्व एवं कर्तृत्व था । इस शब्दातीत बहुलता का कारण है आपकी अद्भूत कल्पना शक्ति, अपूर्व स्मरण शक्ति, अपूर्व ग्रहण शक्ति, शुभ संकल्प, शिवंकर शक्ति, अमाप्य करुणा, अदम्य-पुरुषार्थ, अपराजेय मनोवृत्ति एवं अनुशासन । अपने इन गुणों से स्वयं तो आलोकित हुए ही, नभ, धरा, दिगन्त को भी अलोकित कर दिया। आपका जीवन मानवता की गाथा, सत्य-अहिंसा का संगान तथा अपरिग्रह और नैतिकता का आख्यान वन गया है। आप जैसे अशेष पुरुष ने जीवन में कुछ भी शेष नहीं छोड़ा है।
'तुम अमृत के रूप, कर दिया तुमने क्षर को अक्षर
धन्य हो गया तुम्हे प्रकट कर
यह भव का रत्नाकर।'
श्रीमती विजयालक्ष्मी मुंशी
१०९, कानुनगों का नोहरा, सूरजपोल अन्दर, उदयपुर (राज.) मो. ९४१३७६३९२८
૨૦૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #250
--------------------------------------------------------------------------
________________
સાહિત્યકાર શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહાસ
જય
કિરીટ જે શાહીગયા ! એates
[અભ્યાસુ શ્રી કિરીટભાઈએ પ્રસ્તુત લેખમાં પ.પૂ. આ. શ્રી વિજય
કનકચંદ્રસૂરિજીના જીવન અને સાહિત્યની સેવાનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. – સં.]
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કલિકાલસર્વજ્ઞ તરીકે પૂજાયેલ છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી જૈન સંઘને જ્ઞાનનો ભંડાર અર્પણ કર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાની કવિત્વ શક્તિ દ્વારા શિવલિંગમાંથી પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યાં. પૂજ્ય આચાર્ય હીરસૂરિએ શાસનની શાન વધારી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે જ્ઞાનનો ધોધ વહાવી ન્યાય વગેરે ગ્રંથોની રચના કરી.
શ્રી સાગરાનંદસૂરિએ આગમ સાહિત્ય ક્ષેત્રે ઘણું મોટું યોગદાન કર્યું છે. વિજ્યાનંદસૂરિ મહારાજશ્રીએ વિ.સં. ૧૯૪૨માં ખંભાતના પ્રાચીન ભંડારોમાંથી શાસ્ત્રોના આધાર અને પ્રમાણો મેળવી અજ્ઞાન તિમિર ભાસ્કર' નામના સુંદર ગ્રંથની રચના કરી. સં. ૧૯૯૩માં શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ સાહેબે તાડપત્રિય જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યાં. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે જ્ઞાનશાળા અને સાહિત્યક્ષેત્રે પુસ્તક ભંડારોનું નિર્માણ કર્યું. વિજય લાવણ્યસૂરિનું સાહિત્યક્ષેત્રે અપૂર્વ યોગદાન છે. ૧૯-૨૦મી સદી દરમિયાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ બહુમુખી પ્રતિભાસંપન્ન વિરલ વ્યક્તિત્વના સ્વામી, પ્રખર સાહિત્યકાર અને ઉત્કૃષ્ટ ચારિત્રના ગુણોથી વિભૂષિત અનુપમ આધ્યાત્મિક વિભૂતિ હતા. તેઓશ્રીના વ્યક્તિત્વમાં દુર્લભ સંયોગોનું ચમત્કારિક સામંજસ્ય ખૂબ જ વિસ્મયજનક હતું. તેઓ શ્રી તપસ્વી હોવા ઉપરાંત વિશિષ્ટ શ્રુતસંપન્ન, સરળ પ્રવચનકાર અને સિદ્ધહસ્ત લેખક હતા.
અમદાવાદમાં ઝવેરીવાડ વાઘણપોળ નિવાસી વિશા શ્રીમાળી જ્ઞાતિના મહાપુણ્યશાળી શ્રેષ્ઠીવર્ય શ્રી સકરચંદ તેચંદભાઈના કુટુંબમાં શણગારબેનની કુક્ષીમાં સંવત વર્ષ ૧૯૭૨ના કાર્તિકવદ પાંચમના શુભ દિવસે મહાપ્રભાવશાળી ભાવિ જૈનશાસન અલંકાર શ્રી કલ્યાણભાઈનો જન્મ થયો. જીવનના બાલ્યકાળથી
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ - ૨૦૧
Page #251
--------------------------------------------------------------------------
________________
એશઆરામ તથા સાંસારિક પ્રલોભનોથી દૂર રહીને મોક્ષમાર્ગની આરાધના તેમના જીવનની મુખ્ય વિશેષતા હતી.
આ કલ્યાણભાઈ આગળ જતા આચાર્યદેવ શ્રીમદ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના રૂપમાં જૈન સંઘમાં સુપ્રસિદ્ધ બન્યા. તેમના એકના એક બહેન લીલાવતીબહેને પણ ૧૩ વર્ષની નાની વયે દીક્ષા લીધી.
વિરક્ત કલ્યાણભાઈએ ખંભાતમાં વિક્રમ સંવત ૧૯૮૩માં ૧૧ વર્ષની વયે સંઘપતિ અને ધર્મપ્રેમી શેઠ શ્રી કસ્તુરચંદ અમરચંદના ઘરેથી વાજતેગાજતે નીકળી ખંભાત પાસે શકરપુર ગામમાં વિશાળ ભક્તજનો વચ્ચે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ.સં. ૧૯૮૩ના વૈશાખ સુદ અગિયારસના મંગળ દિવસે દીક્ષા અંગીકાર કરી અને જેઠ સુદ તેરસના તેઓની વડી દીક્ષા થઈ. સિદ્ધાંત મહોદધિ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તેમ જ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શુભ સાનિધ્યરૂપ છત્રછાયામાં પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજય મહારાજશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને વિનયવેચાવચ્ચ આદિ ગુણોની આત્મસાધનાની સાથે ભવ્ય જીવો ઉપર ઉપકાર કર્યો. તેઓના પિતાશ્રીએ પણ સંવત વર્ષ ૧૯૮૪માં દીક્ષા ગ્રહણ કરી.
પૂજ્યશ્રીએ ન્યાય-જ્યોતિષ તેમ જ જૈન ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૫માં તેઓ ગણીપદથી અલંકૃત થયા. તેઓશ્રીએ અનેક ગ્રંથોની રચના કરીને સાહિત્યની અભિવૃદ્ધિ કરી. તેઓશ્રીનું હિંદી ગુજરાતી સાહિત્ય અતિ લોકોપયોગી સરળ તેમ જ ગહન છે. તેઓ શ્રી જૈન સંઘના સુપ્રસિદ્ધ અને શાસનમાન્ય, શ્રદ્ધા, સંસ્કાર તેમ જ સચ્ચારિત્રના પ્રેરક સાહિત્યના ઉચ્ચતમ આદર્શરૂપ લ્યાણ' માસિકના આદ્યપ્રેરક હતા. તેઓશ્રીએ ૯ વર્ષીતપ કર્યા હતા. અને દસ તિથિ ઉપવાસ આદિ તપશ્ચર્યા તો હંમેશાં ચાલતી. આ સિવાય પણ તેઓશ્રીએ ઘણી તપશ્ચર્યા કરી.
પૂજ્યપાદશ્રીની સુયોગ્યતા જોઈને શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૨૦૬૯ના માગસર સુદ બીજના મંગલ દિવસે મુંબઈમાં આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારો પરિશ્રમપૂર્વક વ્યવસ્થિત બનાવ્યા.
મહાપુરુષોનાં જીવન ખડક જેવાં હોય છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન નજર સમક્ષ તરવરતા જ મહાસાગરમાં અડગ અણનમ રહેતા કોઈ ખડકનું સ્મરણ થઈ આવે છે. પૂજ્યશ્રીનું જીવન આપણી સમક્ષ છે તેના કરતાં અધિક તો આપણાથી અપરિચિત રહ્યું છે.
પૂજ્યશ્રી લેખક હતા તે તો સૌ કોઈ જાણે છે પણ કેવા સંજોગોમાં તેઓશ્રીએ લેખનકળા સિદ્ધહસ્ત કરી અને બીજા કેટકેટલાકના જીવનમાં લેખક તરીકેની બારાખડી ઘૂંટવાનો પુરુષાર્થ કર્યો તેની વિગતો ઘણા ઓછા જાણે છે.
૨૦૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #252
--------------------------------------------------------------------------
________________
લખવું સહેલું છે પણ બીજાને લખતા કરવા એ અઘરું છે, અને એથીય વધારે અઘરું બીજાના લખાણને સુવ્યવસ્થિત કરીને, સંપાદિત કરીને પ્રકાશિત કરવું એ છે. પૂજ્યશ્રીમાં આ ધીરજ અને પરોપકારવૃત્તિ હતા. તેથી જીવનના અંત સુધી આ કાર્યમાં રત રહ્યા. પરિણામે આજે શાસ્ત્રીય શૈલીમાં લખતા લેખકોનું એક જૂથ તૈયાર થઈ ચૂક્યું છે. પૂજ્યશ્રીએ પોતાના લખાણમાં સરળતા, સુંદરતા અને નવીનતા આણી. જૈન સાહિત્યને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી લખવાની પ્રેરણા પૂજ્યશ્રી દ્વારા મળી. અને એવી લેખનપદ્ધતિનો પ્રચાર કરવાનું કાર્ય કલ્યાણ માસિક દ્વારા થયું. જૈન સમાજમાં કલ્યાણ માસિક જુદી ભાત પાડતું હતું. તે સમયે બદલાતા સમાજની નાડ પારખી. સંસ્કારવાંચ્છુ સમાજે પૂજ્યશ્રીના ચરણે બેસીને ધર્મ સાહિત્ય સસ્તા દરે અને સમયસર સમાજમાં પહોંચતું થાય તેની યોજનાઓ ઘડી. તેનાં માર્ગદર્શક અને સહાયક બનીને પૂજ્યશ્રીએ અનોખી શાસન સેવા કરી.
પૂજ્યશ્રીમાં રહેલું ગુરુતત્ત્વ સૌને જણાઈ આવતું હતું. શિષ્ય સમુદાય એમના વાત્સલ્યને પામીને જીવનના અનેક ક્ષેત્રોમાં વિકસિત થયો. જોકે શાસન સિદ્ધાંતની રક્ષાના પ્રસંગે આ પ્રકૃતિમાં ઉગ્રતાનાં પણ દર્શન થતાં. એ દૃષ્ટિએ પૂજ્યશ્રી ભીમ ક્રાન્ત' હતા. ધર્મ રક્ષાના અવસરે તેઓશ્રીની કલમમાં અને જબાનમાં જુસ્સો ધસમસતો. ધર્મયુદ્ધની પળોમાં એ કલમમાંથી વીરરસ રેલાતો. બાલદીક્ષા વિરોધ, સુધારકવાદ, કેસરિયાજી પ્રકરણ, અંતરિક્ષજી પ્રકરણ જેવા પ્રસંગો વખતે તેમનું કલ્યાણ માસિકમાંનું સાહિત્ય તેનો પૂરો ખ્યાલ આપે છે.
સાહિત્યક્ષેત્રે તેઓશ્રીનું બીજું એક પ્રદાન પ્રસ્તાવના લેખન છે. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી પુરસ્કૃત પુસ્તકોની સંખ્યા નાનીસૂની નથી. પુસ્તકમાં સમાયેલા સાગરને પૂજ્યશ્રી આત્મસાત કરીને પ્રસ્તાવનાની ગાગરમાં ખૂબ જ કુશળતાથી મૂકવા લાગ્યા. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી વાચક પુસ્તકમાં રહેલા વિષયને પામવા તત્પર બનવા લાગ્યા અને એ રીતે પૂજ્યશ્રી સાહિત્યસર્જક અને વાચક વચ્ચેની મહત્ત્વની કડી બની રહ્યા. એનાથી અનેકોને લખવાની પ્રેરણા મળી. સંયમ-જીવનના આરંભ કાળે પૂજ્યશ્રીએ કવિતાની કેડી પણ ખૂંદી હતી. જુદાજુદા ઉપનામે અનેક ધર્મ કવિતાનું સર્જન કરીને તેઓશ્રીએ અનોખી સાહિત્ય સેવા કરી.
પૂજ્યશ્રીનાં નામમાં જ નહીં પણ કામમાં પણ કનક જેવી નક્કરતા અને સુંદરતા તેમ જ ચંદ્ર જેવી શીતળતાનો સમન્વય હતો. પૂજ્ય આચાર્યશ્રીએ ૨૮ વર્ષની ઉંમરે પ્રવાસી તરીકેની પોતાની જીવનકથા આલેખવાની શરૂઆત કરેલી. પૂજ્યશ્રી લિખિત સાહિત્યના સાગરમાંથી માંડ થોડા પાના ઉપલબ્ધ થયા છે. આ જીવનકથા આગળ વધી હોત તો ચોક્કસ જૈન સાહિત્યમાં એક નવલી ભાત પાડતી કથા અથવા પ્રથાનો પ્રવેશ થાત. વર્ષો પહેલા લખાયેલું આ લખાણ પૂજ્યશ્રીના બાલ્યકાળ વખતનું વાતાવરણ કેવું હતું અને ત્યારના પ્રસિદ્ધ ધાર્મિક કુટુંબમાં કેવી ધર્મભાવના હતી એનું સુંદર દર્શન કરાવવા ઉપરાંત પૂજ્યશ્રીની કલમને
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ + ૨૦૩
Page #253
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીની કૃપા કેવી અને કેટલી બધી મળી હતી એની ઝાંખી કરાવી જાય છે. નાનો બાળક શું સમજી શકે? સ્કૂલમાં શી રીતે ભણી શકે? આ પ્રશ્નોના જવાબ પણ તેમની આત્મકથામાં સચોટ રીતે મળે છે.
પોતાની આત્મકથાના માત્ર બે પાનામાં પોતાના વિચારો રજૂ કરતા લખે છે – આજે શિક્ષણ વધ્યું છે એવી બૂમો સંભળાય છે પણ તેમાં વાસ્તવિક દૃષ્ટિએ જે “આત્માને સુસંસ્કારિત કરે તે શિક્ષણ નથી વધી શક્યું. તેથી જ આજે જૈન સંઘમાં મોટે ભાગે ઘેરઘેર જૈન બાળકો જૈનત્વની મીઠી સુવાસથી લગભગ વંચિત રહેવા પામ્યા છે. તેઓ જણાવે છે કે આપણાં પવિત્ર ધર્મસ્થાનોમાં જનારાઓની સંખ્યાબળમાં માનનાર વર્ગને કદાચ આત્મસંતોષમાં ઉમેરો થશે, પણ માત્ર સંખ્યાની જ વૃદ્ધિ કંઈ એટલી એવી સમૃદ્ધિ નથી કે ધાર્મિકતાના સાચા તત્ત્વનું રક્ષક બની શકે. પરિણામે તેઓ જણાવે છે કે ભૂતકાળના આત્માઓમાં કદાચ અજ્ઞાનતા હશે, પણ ભદ્રિતા અને સંસ્કારિતા તો અવશ્ય હતા.
ઘણાં વર્ષો તેઓએ વિવિધ સામયિકોમાં વિવિધ વિષયો પર મનનીય સેંકડો લેખો લખ્યા છે, જે જૈન જગતમાં અત્યંત લોકપ્રિય બન્યા છે. પ્રેમ વાણીનો પ્રતિકાર' નામના પુસ્તકમાં તેઓશ્રીએ પોતાના વિચારો અને કડવી વાતોને મીઠાશથી પણ નીડરપણે રજૂ કરી છે. તેઓ કલમના કસબી હતા. લેખનકળાની સુંદર હથોટી હતી. ભાષામાં માધુર્ય, શબ્દવૈભવ અને ઐતિહાસિક વિષય પર પણ પ્રકાશ પાથરવાની ખૂબી તેઓશ્રીના સંસ્કારદીપ', “દીપમાળા' જેવા સંખ્યાબંધ પુસ્તકોમાં જોવા મળે છે.
પરમ પૂજ્ય આચાર્યશ્રી પદાર્થના મર્મ સુધી પહોંચતા જે તેઓશ્રીના મૌલિક ગ્રંથો, અનુવાદ ગ્રંથો લેખો વગેરેમાં દેખાય છે. આજે પણ તેમના અનુવાદ શત્રુંજય માહાભ્ય, શ્રાદ્ધવિધિ, ધન્ય ચરિત્ર વગેરે ગ્રંથો હોંશ અને રસપૂર્વક વંચાય છે. એમાંય એમના હૃદયમાં ઓતપ્રોત થયેલી વિતરાગ પ્રત્યેની ભક્તિથી શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા કથા, શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર વગેરે મહાશાસ્ત્રોમાંથી વીતરાગ પ્રભુની સ્તુતિઓ – ઉપદેશો વગેરે તારવીને એ સંગ્રહનું ગ્રંથ રૂપે સંપાદન પણ એમણે સુંદર રીતે કર્યું.
કલ્યાણ પત્રિકામાં તેઓ પુસ્તકોનો સ્વીકાર-સમાલોચના વિભાગ લખતા. તેઓશ્રીના લેખોથી ખ્યાલ આવે છે કે માત્ર જૈનદર્શનનું જ નહીં, પણ બીજા દર્શનનુંય તેમને જ્ઞાન હતું. તેમની ભાષા સાહિત્યસભર હતી. તેઓશ્રી જુદાજુદા ઉપનામોથી તેમ જ પોતાના નામ સાથેના વિવિધ લેખો લખતા. લગભગ ૫૦ ગ્રંથોની રચના કરી સાહિત્યની સુંદર સેવા બજાવી. અનેકવિધ લેખો દ્વારા શાસનના મૂંઝવતા પ્રશ્નો – શંકા સમાધાન વગેરે અનેક રસપ્રદ સામગ્રીથી તેમના સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું.
તેઓ સ્વમાં રત છતાં સર્વના બની ચૂકેલા એક સાહિત્યકાર ગણાય.
૨૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #254
--------------------------------------------------------------------------
________________
કુમતોનો પ્રચાર અટકાવવા જમાનાના ઝેરી પ્રચારનો વિનાશ કરવા પૂજ્યશ્રીની લેખન અને વક્તૃત્વની કલા સમર્થ નીવડી. ‘કલ્યાણ’નું ચિરસ્થાયી અને લાભદાયી એક જ પ્રદાન એવું છે કે જે વર્ષો સુધી પૂજ્યશ્રીના સ્મૃતિ દીપને અજવાળતું રાખે.
તેઓ એટલા જ પ્રખર વાચસ્પતિ હતા. ૧૨ વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ સુરત શહેરની પાટ ઉપર બેસી પ્રભાવક પ્રવચન આપ્યું. નિયમિતતા એટલી કે જીવનમાં પ્રમાદ જરાય જોવા ના મળે. શરીરને આરામ આપવાની વાત નહીં. નિયમિત પ્રમાર્જન કરતા. તેઓ સ્વાશ્રયી જીવન ખૂબ જ ઇચ્છતા. તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય, પણ કોઈ સાધુ ભગવંત એમની પાસે કશું પૂછવા આવે તો તરત પોતાનું કામ પડતું મૂકી ખૂબ પ્રેમથી એની વાત સાંભળી ખૂબ જ વાસ્તુલ્યભર્યા શબ્દોમાં યોગ્ય સમાધાન આપતા.
વિક્રમ સંવત ૧૯૯૭ના ખંભાત ચાતુર્માસમાં સુશ્રાવક કસ્તુરભાઈ અમરચંદને છેવટ સુધી ખૂબ જ અદ્ભુત નિર્ધામણા કરાવેલી, કસ્તુરભાઈ શેઠે તેમના પગમાં માથું મૂકીને પ્રાણ ત્યજ્યા હતા. તેઓશ્રીએ ખંભાતમાં પથી ૭ ચોમાસા કર્યાં. પૂજ્ય મહારાજશ્રીને ત્રણ ગુરુભગવંતો દાનવિજ્ય, પ્રેમસૂરિ અને રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબોની છત્રછાયા મળી.
તેઓશ્રી ન્યાય-વ્યાકરણ વગેરે ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. કર્મ સાહિત્ય, આગમ સાહિત્ય, સ્યાદ્ાદ સિદ્ધાંત તથા નય નિક્ષેપા વગેરેનું પણ સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ ક્યારેય ‘હમણાં નહીં' એમ નકાર ભણતા નહીં. તેઓ માનતા કે દર્શન શુદ્ધિ માટે તીર્થયાત્રા એ મહત્ત્વનું અંગ છે. તેથી તેમણે મારવાડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, શિખરજી, કલકત્તા તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય તીર્થોની યાત્રા કરેલી. વ્યાખ્યાનની પાટ પર તેઓ ઉપદેશાત્મક શૈલી અપનાવીને ગ્રંથોના પુરાવા સહિત વાત કરતા.
શાસન વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિનો તેઓ નીડરતાપૂર્વક સામનો કરતા અચકાતા નહીં. એક વાર પાટણમાં સરકાર તરફથી કૂતરાઓને ઝેર આપી મારી નાખવાની જુલમ પદ્ધતિ શરૂ થઈ, જેથી જૈનો અને બીજી કોમના લોકોના હૃદયને સખત આઘાત પહોંચ્યો. ત્યારે આચાર્યશ્રીએ ખૂબ જ જોશીલી શૈલીથી સરકારની હિંસક પ્રવૃત્તિને વખોડી કાઢી. પરિણામે સરકારને એ હિંસક પ્રવૃત્તિ બંધ કરવી પડી.
તેઓશ્રીએ પોતાના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી મહારાજને પ્રેરણા આપીને ખંભાત-રતલામ વગેરે સ્થળોએ મોટા જ્ઞાનભંડાર સ્થાપિત કરીકરાવીને જ્ઞાન પિપાસુ અભ્યાસી વર્ગ માટે જીવનવાણીની સુંદર પરબો ઊભી કરાવવામાં–કરવામાં સહાયતા કરી. સાહિત્યના ક્ષેત્રમાં તેઓએ અનેકોને સહાય કરી. આજે પણ આ ક્ષેત્રોમાં જ્ઞાનભંડારો સારી રીતે કાર્યરત છે અને સુજ્ઞજનો તેનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છે. સિદ્ધહસ્ત લેખિની દ્વારા લખાયેલું દાખલાદલીલો-યુક્તિઓથી રસભરપૂર તેઓશ્રીનું સાહિત્ય આબાલગોપાલ રુચિકર છે.
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ - ૨૦૫
Page #255
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીની લેખિની સ્વાભાવિક રીતે વહેતી ગંગા પ્રવાહ જેવી શાંત, સુરમ્ય અને પ્રભાવશાળી હતી.
સંયમ માર્ગના પ્રેરક એવા પૂજ્યશ્રીના જીવનમાં અનેકાનેક ગુણો પ્રકાશિત હતા. એમના દિલમાં દંભનો છાંટો ન હતો, અહમનો કાંટો ન હતો. સહનશીલતા અજબ-ગજબની હતી. જ્ઞાનની પ્રાપ્તિ અને પરિણતિ તેઓશ્રીને મોટા પ્રમાણમાં થઈ હતી. સ્વભાવમાં ચંદન જેવી શીતલતા હતી. છતાં જાત માટે તેઓ સૂર્યની જેમ કઠોર તાપવાળા બની શકતા. એનો અનુભવ તો બીમારીમાં મહિનાઓના મહિના સુધી અલૂણા આહા૨ ૫૨, દિવેલ અને મગના પાણી ૫૨ કે મોળી ચા ઉપર પ્રસન્નભાવે રહેલા એમને જેણે જોયા હોય તેઓ જ કહી શકે!
તેઓએ પોતાના વડીલ ગુરુ ભગવંતોથી સ્વતંત્ર થઈને રહેવાનો વિચાર સરખો પણ કર્યો ન હતો. ગુરુ પ્રત્યે ભક્તિ, પ્રેમ, બહુમાન એમના દિલમાં તરવરતાં હતાં. આ પુણ્ય પુરુષે પોતાના ગુરુ ભગવંતોની સેવા સાથે પોતાના પરમ ઉપકારી (પિતા) પૂ. પં. શ્રી સુબુદ્ધિવિજયજી મહારાજ સાહેબની અનન્ય ભાવે સેવા સાથે અંતિમ નિર્મામણ કરાવી તેમ જ પોતાના બેન) સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ સાહેબને પાટણ મુકામે કેન્સરની બીમારીમાં પણ અપૂર્વ સમાધિ માટે ભવ્ય નિર્મામણ કરાવી.
ભક્તોને, શિષ્યોને, જ્ઞાનભંડારોને, ઉપાશ્રયોને, બાહ્ય પ્રસિદ્ધિને તેઓ પોતાની અંગત મૂડી માનતા ન હતા.
તેમણે ‘શશધર'ના નામે કલમનો પ્રવાસ આરંભ્યો. તેની સાથે તેમણે ‘ફૂલ અને ફોરમ'નો વિભાગ પણ શરૂ કર્યો. ક્યારેક તેમની જાહેર પ્રવચનોની શ્રેણી પણ યોજાતી જેમાં ‘ભારતીય સંસ્કૃતિનો આપણને પ્રાપ્ત થયેલ ભવ્ય વારસો' આ વિષયને અનુલક્ષીને જાહેર પ્રવચન ફરમાવતા. ચાતુર્માસ દરમિયાન રોજ ૪-૪ કલાક સુધી સાધ્વીજી ભગવંતોને વાચના પ્રદાન કરતા. એમના સાહિત્યના કેટલાક વાક્યો ચિરંજીવ સત્યનો સાક્ષાત્કાર કરાવે એવા છે. દા.ત. નૃત્યો વિમા હિં મૂ' મૂર્ખ ઊઠ જાગ ! મૃત્યુથી શા માટે ડરે છે. ઘેલછાને ખંખેરી મૃત્યુ ઉપર વિજય મેળવવા તૈયાર થા અને તે માટે ફરી જન્મ ન લેવો પડે તે રીતે જીવનને જીવતા શીખ.
૮૫થી વધારે સંપાદિત સર્જીત પુસ્તકોની સૃષ્ટિમાં જે ઊંડા ઊતરે એને જ પૂજ્યશ્રીની કામણગારી કલમનો અને સરસ્વતી દેવીની એમને મળેલી કૃપાનો ખ્યાલ આવી શકે. વર્તમાન વાતાવરણમાં જીવનાર પ્રત્યેક વ્યક્તિએ સંવત વર્ષ ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ એઓશ્રીએ લખેલ લઘુ નિબંધોનું પુસ્તક દીપમાલા’ વાંચવું જરૂરી છે.
તેઓશ્રીનો ચારિત્રપર્યાય ૫૫ વર્ષનો હતો. તેઓ ઘણી વાર કહેતા, કે જીવન અભ્યાસ છે, મ૨ણ પરીક્ષા છે અને સમાધિ સર્ટિફિકેટ છે. આજે પૂજ્ય ૨૦૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #256
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કીર્તિદો અસ્તિત્વ ધરાવે છે. ત્યારે આવી સ્મૃતિઓ હૈયામાં અનેક પ્રકારની લાગણીઓ જન્માવે છે. એમ કહી શકાય કે પૂજ્યશ્રી ભલે ગયા પણ સંયમ સાધનામાં સહાયક એવા આદર્શો મૂકતા ગયા છે કે એનો આધાર લઈને આગળ વધનારને તેઓશ્રીનું અસ્તિત્વ હાજર હોય એમ જણાય છે.
કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત વ્યાકરણ ગ્રંથમાં પૂજ્યપાદશ્રીએ સમસ્ત શબ્દશાસ્ત્રના સાગરને ઠાલવ્યો છે. તે મહાન વ્યાકરણ ગ્રંથનું અવગાહન કરવા માટે નૌકા રૂપ હેમ સંસ્કૃત પ્રવેશિકા ના ત્રણે ભાગો ખરેખર સંસ્કૃત ભાષાનાં જ્ઞાનના અર્થી સર્વ કોઈને માટે પરમ આલંબનરૂપ હોવાથી મહાન ઉપકારક છે.
રમણલાલ ભોગીલાલ પરીખ ખંભાતવાળાએ પૂછ્યું કે માણસને મોટો ભય મોતનો જ સતાવતો હોય છે. એને દૂર કરવા માટે મરવાનું છે. એવો જાપ કરી શકાય કે કેમ? જેના જવાબમાં પૂજ્યશ્રી જણાવ્યું કે મૃત્યુને હંમેશા આંખ સમક્ષ રાખીને સંસારના સંયોગોની ક્ષણ વિનશ્વરતા સમજી ધર્મારાધનામાં અપ્રમત્ત ભાવે રહેવું એ બરાબર છે. બાકી એવો કોઈ જાપ કરવાનો હોય નહીં. જાપ તો જે ધ્યેય સ્વરૂપ હોય તેવા અરિહંત આદિના નામનો કે નવકાર મહામંત્રનો જ કરવાનો હોય. જન્મનો ભય રાખતા અજન્મા બનવા માટે પ્રયત્નશીલ બનવાનું હોય !
પૂજ્યશ્રીની કલમે લખાયેલ તમામ સાહિત્ય પ્રાચીનતા અને અર્વાચીનતાના સુમેળ સાથે આધ્યાત્મિક માર્ગે દોરી જનારું છે. તેમના સ્તવન સજઝાય સંગ્રહ નામના પુસ્તકમાં ચૈત્યવંદન, સ્તુતિઓ, સ્તવનો અને સઝાયોનો મોટો સંગ્રહ તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીના પ્રકાશિત “ધન્ય જીવન’ પુસ્તકમાં આપણું પર્વ શીર્ષક હેઠળ આરાધના માટે કેટલોક બોધ જણાવ્યો છે. આ ઉપરાંત તેમાં મુનિમહારાજોએ તેમ જ પૂજ્ય સાધ્વીજી વર્ગ આ બંનેને ખાસ ઉપયોગી બને તેવું વિવરણ જોવા મળે છે. તેમાં પૂજ્યશ્રીએ મૈત્રીભાવના, કરુણાભાવના, પ્રમોદભાવના તેમ જ માધ્યસ્થ ભાવના પર ખાસ વિવેચન કર્યું છે. પૂજ્યશ્રીના અન્ય પુસ્તક વીતી રાત અને પ્રગટ્યું પ્રભાતમાં પોતાની ઓજસ્વી અને પ્રભાવિક પ્રસન્ન ગંભીર શૈલીમાં જૈન શાસનના ધર્મકથાનુયોગના સાહિત્ય રત્નાકરમાંથી વીણીવીણીને રત્નસમી કથાઓ પ્રસિદ્ધ કરી છે. તેમાં સંકળાયેલા પ્રસંગો સંસારમાં કર્મ સત્તાના પ્રભાવે સ્વાભાવિક રીતે બની રહ્યા છે, ઉપરાંત ધર્મનો પ્રભાવ કઈ રીતે અદ્ભુત ચમત્કાર સર્જી રહ્યો છે તે વર્ણવ્યું છે. પૂજ્યશ્રીનું “જાગ મુસાફિર ભોર ભાઈ મુક્તિના માર્ગ પર ચાલનાર મુસાફર માટે પ્રકાશ સ્થંભ છે. તેઓશ્રીના આ પુસ્તકમાં સ્વતંત્રતાની સાધના, સુખ ક્યાં છે? શિક્ષણનો સાચો આદર્શ, ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ, શક્તિનો સદ્દઉપયોગ કેવી રીતે કરવો, વિકાસનો માર્ગ વગેરે | વિષયો પર માર્મિક અભ્યાસ જોવા મળે છે. તેઓશ્રીના દીપ સે દીપ જલે' નામના પુસ્તકમાં માનવજીવનની સમસ્યાઓ
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ + ૨૦૭
Page #257
--------------------------------------------------------------------------
________________
અને પ્રશ્નોના યુક્તિપૂર્વકના જવાબો જોવા મળે છે. તેઓના લખાણો ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય છે. પૂજ્યશ્રીએ લખેલ પુસ્તક “સ્વાધ્યાય સુધા સંદેહ અને ઝળહળતી જીવન જ્યોતમાં તેઓશ્રી જણાવે છે કે ચારે ગતિમાં માનવ દેહને પામ્યા પછી કર્મનો સર્વથા નાશ કરવાની સલ પ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ આત્મા અવશ્ય જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક અને સંતાપ તેમ જ આધિવ્યાધિ અને ઉપાધિ આ બધાની દારુણ પરાધિનતાને દૂર રાખીને આત્મા સ્વતંત્ર બની શકે છે. તે માટે જિનેશ્વર દેવોએ ફરમાવેલ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન તથા સમ્યફચારિત્રની નિર્મલ આરાધના આત્માને કર્મબંધનોથી મુક્ત કરી અનંત, અવ્યાબાધ શાશ્વત સુખધામમાં લઈ જાય છે. પૂજ્યશ્રીના “સંસ્કૃતિનો સંદેશ તેમ જ બીજા લેખો' નામના પુસ્તકમાં આજના વાતાવરણમાં એક પ્રસ્તાવનારૂપ બની રહે તેવું લખાણ છે. આચાર્ય મહારાજા શ્રીધનેશ્વરસૂરીશ્વરજી વિચરિત “શ્રી શત્રુંજય મહાતીર્થ માહાભ્ય' નામના ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ કરી પૂજ્યશ્રીએ ગ્રંથ રચ્યો છે. તેમાં જણાવે છે કે ભવોદધિતારક તિર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થનો મહિમા, તેની યાત્રા, દર્શન-સ્પર્શન-વંદન-નમન તેમ જ તે ગિરિરાજની છત્રછાયામાં કરાતા ધમનુષ્ઠાનોનો પ્રભાવ શાસ્ત્રકાર ભગવંતોએ જે ફરમાવેલ છે તે બધું જાણવા માટે આ ગ્રંથરત્ન ખરેખર મહાન માર્ગદર્શક તથા અનન્ય ઉપકારક છે. આમ તેઓ ફરમાવે છે કે પરમ પુરુષાર્થ મોક્ષની અખંડ આરાધના માનવદેહ સિવાય ચારેય ગતિમાં ક્યાંય નથી.
આમ તેઓશ્રીએ પોતાના સાહિત્ય-પુસ્તકોમાં ખાસ કરીને માનવતાને જગાડનાર દાન, દયા, સંયમ, પરોપકાર, ત્યાગ વગેરે ગુણોને વધારવા પ્રયત્ન કર્યો છે, સામગ્રી આપી છે. તેઓશ્રી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નહીં કરવા અનુરોધ કરે છે. આમ તેઓએ ધાર્મિક જાગરણ, નૈતિકતા, સંયમી જીવન, શિક્ષણની સાચી દિશા, શક્તિની આરાધના, સિદ્ધિની સાધના વગેરે પર ભાર મૂક્યો છે.
૫૫ વર્ષના સુદીર્ઘ ચારિત્ર પર્યાયમાં અનોખું સાહિત્ય સર્જન અપૂર્વ સ્વાધ્યાય વડે કર્યું અને શાસનની અદ્ભુત સેવા કરી શાસનના પ્રભાવક આચાર્ય ૬૭ વર્ષની વયે સં. ૨૦૩૮માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
કિરીટ જે. શાહ માંડવીની પોળ, ખંભાત
મો. 9979157374
૨૦૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞા
જ રશ્મિ ઝવેરી
ડો. રશ્મિભાઈ ઝવેરી આચાર્ય મહાપ્રજ્ઞજના સમુદાયના નિકટના પરિચિત છે. પોતાની ધર્મભાવનાને કારણે તેઓએ પૂ. મહાપ્રજ્ઞજીની સંસ્કારસરિતાને સારી રીતે ઝીલીને તેમની સાહિત્ય-યાત્રાનો સુંદર પરિચય પ્રસ્તુત લેખમાં કરાવ્યો છે. – સં.] ૧. જીવન ઝરમર
ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મફુરણાથી સંસારનો ત્યાગ કરી જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અષ્ટમાચાર્ય કાલુગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્ય મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાત વેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા અને બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઇતિહાસમાં આવા ગુરુ-શિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કૉલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે તુલસી વિશ્વ વિદ્યાલયમાં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સૈદ્ધાંતિક પરિચય, પ્રવચન, લેખન અને આગમ-સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું, અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહિ પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા.
ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કોલકાતા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યો. એ કહેતા કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૦૯
Page #259
--------------------------------------------------------------------------
________________
સાચો ધર્મ છે. તામસિક અને પાશવિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રેક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી બાન-પ્રક્રિયાના સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી બાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિક – વૈજ્ઞાનિક પદ્ધતિ, સર્વાગીણ વિકાસયોગ્ય બનાવી, જગત સામે રજૂ કરી. આજે આ પ્રેક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશવિદેશમાં સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં ૫૦૦થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands)ના પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (negative) ભાવોને વિધેયાત્મક (positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. ૨. સાહિત્યસૃજન
આચાર્ય મહાપ્રજ્ઞ ઉચ્ચ કોટિના ચિંતક અને મનીષી હતા. એમણે વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી, એને માટે સમાધાન પણ આપ્યું. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર', ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર', રાજકીય તંત્ર માટે લોકતંત્ર: નવી શક્તિ નવો સમાજ અને જૈનતત્ત્વ માટે જૈન દર્શન – મનન અને મીમાંસા' જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા તો પચાસેક ગ્રંથોની રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં આગમ સાહિત્ય પર અનુસંધાન કરી જૈનાગમોના અનુવાદનું અને સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું છે જે માટે જૈન સમાજ એમનો ઋણી છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમ જ ગૂઢ મનાતા, આચારાંગ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમવાર “આચારાંગ ભાષ્ય' લખ્યું, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાંય ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા. મહાવીરના દર્શનની સાંપ્રત સંદર્ભોમાં – અહિંસા, પર્યાવરણ, સૃષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી. કુશળ સાહિત્યકાર મહાપ્રજ્ઞ એક સંવેદનશીલ કવિ પણ હતા. સંસ્કૃતના તો આશુ કવિ હતા. “સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેઘકુમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જેનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ઋષભાયણ' પ્રથમ તીર્થંકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. ૩. મુનિ નથમલમાંથી આચાર્ય મહાપ્રજ્ઞ
આવા મહાન દાર્શનિક, ચિંતક, વૈજ્ઞાનિક, ત્યાગી યોગીની અંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ઈ. સ. ૧૯૬૮માં આચાર્ય તુલસીએ એમને મહાપ્રજ્ઞનું ૨૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #260
--------------------------------------------------------------------------
________________
અલંકરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાનસાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દષ્ટિમાં મહાપ્રજ્ઞ એને કહી શકાય જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હોય. મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનો ત્રિવેણી સંગમ છે.”
- ઈ. સ. ૧૯૭૯માં એમને યુવાચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. યુવાચાર્ય મહાપ્રજ્ઞ'નું સાહિત્ય ગુજરાતી ભાષામાં, “અનેકાન્ત ભારતી પ્રકાશન (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
૧૯૮૯થી મહાપ્રજ્ઞજી આંતરરાષ્ટ્રીય ભારતીય દર્શન કૉંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય હતા. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખનીય કાર્યથી ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને જૈન યોગના પુનરુદ્ધારક સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય તુલસીએ પોતાના આચાર્ય પદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો. ૪. વિદ્વાનોની નજરે
જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે. “મુનિ શ્રી નથમલજી (આચાર્ય મહાપ્રજ્ઞ)ની સાથે મારો પરિચય બહુ જૂનો છે. અમે આપસમાં વાદવિવાદ પણ કર્યો છે. આ પ્રસંગોમાં એમનો વર્તાવ વિદ્વાન જનોચિત અને અદ્વિતીય હતો. મેં એમને હંમેશ પ્રસન્ન જ જોયા છે. વિનમ્રતા અને ગુરુ પ્રતિ સમર્પણભાવ એ એમની બે વિશેષતા છે. આચાર્ય તુલસીએ જૈન સમાજને ઘણું આપ્યું છે પણ મુનિ નથમલજી આચાર્ય મહાપ્રજ્ઞ બનીને એનાથી પણ વધારે કેવલ જૈન સમાજને જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજને આપશે એમાં કોઈ સંદેહ નથી.”
શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પોતાની અભિનંદના વ્યક્ત કરતાં કહેલું છે. મને એ જાણી પ્રસન્નતા થઈ છે કે આચાર્ય તુલસીજીએ મહાપ્રજ્ઞજીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. મારી હજારો વંદના.”
આવા અધ્યાત્મયોગી, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહાપ્રજ્ઞ કોઈ વ્યક્તિ નહોતા, વિચાર હતા; એવો વિચાર કે જે ક્ષેત્ર અને કાળની સીમાઓમાં ક્યારેય બંધાતો નથી. તેઓ જ્ઞાનના જળાશય નહીં, સોત હતા. જળાશયમાં દરેક વખતે સ્વચ્છ પાણીની પ્રાપ્તિ શક્ય નથી હોતી. એ શક્તિ તો ગહન સોતમાં જ હોય છે. આચાર્ય મહાપ્રજ્ઞ એક એવા સોતા હતા જે અસંખ્ય લોકોની તરસ ઉત્પન પણ કરતા અને બુઝવતા પણ હતા.
પ્રસિદ્ધ સાહિત્યકાર જૈનેન્દ્રકુમારે એમને એક “અનૂઠા અનાગ્રહી ચિંત’ તરીકે બિરદાવ્યા છે. ગુજરાતી જૈન અગ્રણી ડૉ. કુમારપાળ દેસાઈ એમને “જ્ઞાનદર્શનચારિત્રના ત્રિવેણીસંગમ' માને છે. અને કહે છે કે, “એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૧
Page #261
--------------------------------------------------------------------------
________________
એમના કાર્યની મહાનતા બોલતી હોય છે. મેં એમને નિકટથી જોયા છે. એમાં પણ સાહિત્યિક નિકટતા અધિક છે. મને લાગે છે કે એમની વાણી બોલતી વાણી છે. એમના સાહિત્યમાં દર્શનનું ઊંડાણ અને ભાવોનું ગાંભીર્ય છે. એમના સાહિત્યમાં બધી જગાએ સ્યાદ્વાદનું દર્શન થાય છે. જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ એમના ચિંતનને વૈશ્વિક અને અર્થઘટનને મૌલિક, માર્મિક અને માંગલિક ગણાવે છે.
એકવાર ગુરુદેવ તુલસીના સાનિધ્યમાં મહાપ્રજ્ઞ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અધ્યાપન કરાવી રહ્યા હતા. અનેક સાધુ-સાધ્વીઓ અને સમણીઓ આનો લાભ લઈ રહ્યા હતા. તત્ત્વાર્થસૂત્રનો અંગ્રેજી અનુવાદ કરનાર જેન વિદ્વાન ડૉ. નથમલ વટિયા પણ રોજ એમાં ભાગ લેતા. એક વાર નયવાદનું પ્રકરણ ચાલી રહ્યું હતું. મહાપ્રજ્ઞ આ અઘરા વિષયની અનેક સમસ્યાઓનો સરલ ભાષામાં બોધ આપી રહ્યા હતા. ડૉ. ટાટિયાજી એમની પ્રજ્ઞાથી એટલા બધા પ્રભાવિત થયા અને કહ્યું, મહાપ્રજ્ઞશ્રી હું તમને જૈનપરંપરાના આચાર્ય સિદ્ધસેન માનું છું અને ગુરુદેવ તુલસીને ઉદ્દેશીને કહ્યું “ગુરુદેવ! પ્રશાસક બહુ મળશે પણ મહાપ્રજ્ઞ જેવા વિદ્વાન, પ્રજ્ઞાવાન અને વિલક્ષણ બુદ્ધિમાન નહીં મળે.'
ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીના નિમિત્તે સાહૂ શાંતિપ્રસાદ જૈનના નિવાસસ્થાન પર ગુરુદેવ તુલસી અને મહાપ્રજ્ઞજીના સાનિધ્યમાં સાહિત્યકારોની ગોષ્ઠી ચાલતી હતી. એમાં રાષ્ટ્રકવિ દિનકર, જૈનેન્દ્રકુમાર, ડો. વિજયેન્દ્ર સ્નાતક, યશપાલ જૈન, કનૈયાલાલ મિશ્ર પ્રભાકર' વગેરે વિદ્વાનો ઉપસ્થિત હતા. આ વખતે ગહન વિચારોનું સંસ્કારી સાહિત્ય આપવા માટે પ્રભાકરજીએ મહાપ્રજ્ઞજીને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા.
આચાર્ય મહાપ્રજ્ઞજીની ચિર વિદાય વેળાએ “ગુજરાત સમાચારમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ લખ્યું છેઃ ‘આચાર્યશ્રી તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુ-શિષ્યની અનુપમ જોડીએ તેરાપંથ સમાજમાં પ્રચંડ ક્રાંતિ કરી. આજથી સાઠ વર્ષ પહેલાં આ સમાજ પાસે પુસ્તક રૂપે સંપ્રદાયની આચારસંહિતાની નાની, ફાટેલી-તૂટેલી પુસ્તિકા હતી. એમાંથી આ ગુરુશિષ્યએ જ્ઞાનનું એવું પ્રચંડ આંદોલન જગાડ્યું કે આજે એકમાત્ર આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખેલા અઢીસો પુસ્તકો મળે છે.
ભગવાન મહાવીર વિશે એમણે જેટલા ગ્રંથોની રચના કરી તેટલા ગ્રંથો આજ સુધી કોઈએ રચ્ય નથી. આજે છવીસસો વર્ષે પણ ભગવાન મહાવીર વિશેષ પસ્તુત છે, એની એમણે વાત કરી.
જૈન આગમો પર સાંપ્રદાયિક સંકીર્ણતા તજીને વ્યાપક દૃષ્ટિએ ભાષ્યની રચના કરી. અન્યત્ર એવું ન હોય, તેવી ગાથાઓ કાઢી નાખવામાં આવતી અથવા તેનો મારીમચડીને અન્ય અર્થ કરવામાં આવતો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞજીએ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સૂત્રકતાંગ જેવાં બાર આગમો પર વિસ્તૃત ભાષ્ય લખ્યું જેનાથી એમણે પૂ. અભયદેવસૂરિ,
૨૧૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #262
--------------------------------------------------------------------------
________________
શીલાંક શંકરાચાર્ય, સાયણાચાર્ય અને વાચસ્પતિ મિશ્ર જેવા ભાષ્યકારોની કોટિમાં સ્થાન મેળવ્યું. | ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને આચાર્ય મહાપ્રજ્ઞજીની ગોષ્ઠિ વિજ્ઞાન અને અધ્યાત્મના મધુર મિલન જેવી લાગતી હતી.
૨૦૦૭ની ૧૫મી ઓક્ટોબરે સુરતમાં ધર્મગુરુઓના સંમેલનમાં આ બંને મહાનુભાવોનો પ્રથમ મેળાપ થયો. એમણે સુરતમાં સંયુક્ત રૂપે આધ્યાત્મિક ઘોષણા કરી અને એને માટે ક્યુરે નામની સંસ્થાની સ્થાપના કરી. એટલું જ નહીં પણ એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મળીને એમણે ધ ફેમિલી એન્ડ ધ નેશન' નામના ગ્રંથની રચના કરી. આત્મા અને વિજ્ઞાન બંને સામસામે છેડે હોવાની વાતનો વિરોધ કર્યો. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એમની વચ્ચે કશો વિરોધ નથી. વર્તમાન યુગની માનવીય સમસ્યાઓના લ માટે બંનેનું સાયુજ્ય અનિવાર્ય છે. શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાત સમાચાર)
આચાર્ય મહાપ્રજ્ઞજીની ૮મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં જૈન વિદ્વાન અને સાહિત્યકાર શ્રી ગુણવંત બરવાળિયા ગુંજન” લખે છે કે, “આચાર્ય મહાપ્રજ્ઞજીના લખાણો કે પ્રવચનોમાં ઉચ્ચસ્તરીય વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનની લગીરે ન્યૂનતા કે અભાવ નથી. વળી સાથેસાથે પ્રાથમિક જ્ઞાનની હાજરીની નોંધ લેવી પડે. તેમનું જીવન અને કવન નિશ્ચયનો સ્પર્શ કરી વહેવારના શિખર પર વિવેકની ધ્વજ લહેરાવે છે.
તેઓશ્રીએ સેંકડો પુસ્તકોના વિશાળ સાહિત્ય સર્જન-સંપાદનમાં વિવિધ વિષયોની છણાવટ કરી પોતાની સર્જક પ્રતિભાના આપણને દર્શન કરાવ્યા છે. જેમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવી આત્મકત્ત્વના અચલ સનાતન નિયમોનું વ્યાવહારિક સંકલન કર્યું છે તે “સંબોધિ' પુસ્તક જૈન ધર્મની ગીતા કહી શકાય એવું દિવ્ય સર્જન છે.
ધર્મનો આધાર જીવન છે અને દર્શનનો આધાર સાહિત્ય છે. સાંપ્રત સ્થિતિમાં જીવનગત, આત્મગત, વ્યક્તિગત કે સમૂહગત તથ્યોને સાહિત્યના માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય. એ ઉક્તિને આચાર્ય મહાપ્રજ્ઞજીએ સર્જન દ્વારા ચરિતાર્થ કરી છે.'
આચાર્ય મહાપ્રજ્ઞના અમૂલ્ય સાહિત્યનું આચમન (૧) આગમ સંપાદનઃ શ્રુતની અવિસ્મરણીય સેવા
તેઓશ્રીએ જેનાગમોના સંપાદન-અનુવાદનું ભગીરથ કાર્ય કર્યું, એ શ્રુતસેવાનો એક અનન્ય ઉપક્રમ છે. આ મહાન કાર્યમાં જે સફળતા મળી છે એને માટે હમ વ્યાકરણનું આઠમું અધ્યયન, ધાતુપાઠનું સુદઢ જ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ પર અધિકાર અને દર્શનનું ગહન અધ્યયન – આ ચારેયનું મોટુ યોગદાન તેઓશ્રી માનતા હતા.
શરૂઆતમાં આ આગમ-સંપાદનની વિપુલ આલોચના થઈ. વિદ્વાનો એને
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૩
Page #263
--------------------------------------------------------------------------
________________
શંકાની નજરે જોવા લાગ્યા. પણ પછી આજ વિદ્વાનો અને કટુ આલોચકો તેઓશ્રીના પ્રશંસક બની ગયા. પંડિતપ્રવર પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી અને એમનો શિષ્યવર્ગ જૈનદર્શનના અધિકારી વિદ્વાનો હતા. પણ તેરાપંથના આચાર્ય સાંપ્રદાયિક દૃષ્ટિથી મુક્ત થઈ આગમ-સંપાદન કરી શકશે કે કેમ એ માટે તેઓ શંકાશીલ હતા. પણ આચાર્ય મહાપ્રજ્ઞજી સંપાદિત “દશવૈકાલિ' સૂત્રની સમીક્ષા કરી ત્યારે પંડિતજીની ધારણા બદલાઈ ગઈ, આચાર્યજીના અમદાવાદ ચોમાસા (સં. ૨૦૨૪)માં બંનેનું મિલન થયું ત્યારે પંડિતજી એમનાથી બહુ પ્રભાવિત થયા હતા. એમણે કહ્યું હતું - ‘તમારી પાસે યુવક સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં છે, એ બધામાં અધ્યયન છે, ચિંતન છે; તર્કશક્તિ છે અને અનુશાસન પણ છે. હવે મારો વિશ્વાસ છે કે તમે જૈનદર્શન અને જેનાગમોનું કાર્ય કરી શકશો.”
સન ૧૯૮૭માં દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આગમનો એક સેટ Cazla Euclu 24 DELA 24L4R3L (University Grant Commission-ugc) ને સમર્પિત કરવામાં આવ્યો, ત્યારે આયોગના અધ્યક્ષ શ્રી સચ્ચિદાનંદ મૂર્તિએ આગમના આ વિશાળ કાર્યને પ્રત્યક્ષ જોઈ કહ્યું કે, આચાર્યજી ! તમે ભારતીય પ્રાચ્ય વિદ્યાનું મહાન કામ કર્યું છે, એનું યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ. આ વિશાળ સાહિત્ય યુજીસીના સંગ્રહાલયને સમૃદ્ધ કરશે.'
| સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. ડી. એચ. કોઠારીએ કહ્યું હતું – “આ આગમ-ગ્રંથોની પ્રામાણિકતા અને ઉપયોગિતા અસંદિગ્ધ છે. મને જ્યારે કોઈ પણ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે ત્યારે મને આ આગમ-ગ્રંથોમાંથી સમાધાન મળી જાય છે. જૈન શાસન અને શ્રુતની આ અવિસ્મરણીય સેવા છે. (૨) વિવિધ વિષયો પરનું વિપુલ સાહિત્ય
તેઓશ્રી ખરા અર્થમાં મહાપ્રજ્ઞ હતા. એમની પ્રજ્ઞા પ્રખર હતી. એમનું મનનચિંતન-લેખન વિવિધ વિષયોને આવરી લેતું હતું. તેઓ ખરા અર્થમાં સત્યાગ્રહી હતા. સત્યની શોધ માટે પોતાના મૌલિક ચિંતન દ્વારા એમણે અનેક રહસ્યોનું ઉદ્દઘાટન કર્યું હતું. અધ્યાત્મ, અનેકાંત, અભ્યદય, અહમ્, અસ્તિત્વની ખોજ અને અસ્તિત્વનો બોધ, આત્માકા દર્શન, આલોક પ્રજ્ઞાકા, આદિ વિષયો પર વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. આ સિવાય શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાચ્ય, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પરિવાર, પર્યાવરણ, બાલદીક્ષા, યુવકો અને વૃદ્ધો માટેના વિષયો, વિચાર-નિર્વિચાર, વિશ્વશાંતિ, શિક્ષણશાસ્ત્ર, સમય પ્રબંધન (Time management) આદિ વિવિધ વિષયો પર એમની સશક્ત કલમ ચાલી હતી. (૩) ધ્યાન અને યોગ
મહાપ્રજ્ઞ અધ્યાત્મયોગી હતા. જેનાગમો આધારિત પ્રેક્ષા ધ્યાન પદ્ધતિના તથા જૈન યોગના પુનરુદ્ધારક હતા. આ વિષયો પર એમણે વીસથી વધુ પુસ્તકોની રચના કરી હતી. આજે દેશવિદેશમાં પ્રેક્ષાધ્યાન પદ્ધતિ બહુ લોકપ્રિય બની છે. ૨૧૪ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #264
--------------------------------------------------------------------------
________________
એનું શ્રેય એમના પ્રયોગાધારિત ચિંતન અને લેખનને જાય છે. ધ્યાન અને યોગ પછી અનુપ્રેક્ષાધ્યાન અને અંતે કાયોત્સર્ગ – શરીર અને આત્માનું ભેદજ્ઞાન ઉપર ગહન મનનાત્મક પુસ્તકો રચ્યા છે. આ પુસ્તકોનું વિવરણ પરિશિષ્ટ ૧૬૯થી ૧૮૦ સુધી દષ્ટવ્ય છે. (૪) કવિ – મહાપ્રજ્ઞ
મહાપ્રજ્ઞનું હૃદય કવિહૃદય હતું. તેઓ કવિતાનું સર્જન નહોતા કરતા, એ તો સ્વયં એમની લેખિનીમાંથી વહી જતી. એમના ઉત્તમ કાવ્યાત્મક સર્જનો છે – સંબોધિ, અગ્નિ જલતી હૈ, અક્ષરકો પ્રણામ, અતુલા-તુલા, અપથકા પથ, અભ્યદય, અશબ્દકા શબ્દ, આલોક પ્રજ્ઞાકા, ઊર્જાકી યાત્રા, ઋષભાયણ, એક પુષ્પ એક પરિમલ, ગાગરમેં સાગર, ઘટ ઘટ દીપ જલે, ચૈત્ય પુરુષ ગ જાએ, જ્ઞાત-અજ્ઞાત, તટ દો: પ્રવાહ એક, તુલસી યશોવિલાસ, પાથેય, ફૂલ ઔર અંગારે, બંદી શબ્દ મુક્ત ભાવ, ભેદમેં છિપા અભેદ, મુકુલમ્, શ્વાસઃ વિશ્વાસ, સૂરજ ફિર આએગા આદિ.
લગભગ ૨૫-૩૦ વર્ષની વયે એમણે લઘુકાવ્ય બનાવેલું – મનકા પંખી ચોંચ માર રહે હૈ, જીવનકે દર્પણ પર, ઔર ઉસમેં દેખ રહા હૈ અપના પ્રતિબિંબ, પર ઉસે માન રહા હૈ અપના પ્રતિદ્વન્દ્ર ||
ગહન વિષયોને કાવ્યબદ્ધ કરનારી આવી હતી એમની વિરલ કાવ્ય-પ્રતિભા! (૫) જૈન ધર્મ અને જૈન દર્શન પર વિપુલ સાહિત્ય
તેઓશ્રીએ શ્વેતાંબર જૈનાગમોનો અને દિગંબર સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આનાથી એમને જૈન દર્શનનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વયં એક મહાન દાર્શનિક અને સ્વતંત્ર ચિંતક હતા. એમના પ્રખર જ્ઞાન અને મૌલિક ચિંતનના આધારે એમની કલમે જૈન ધર્મ, જૈન દર્શન અને જૈન તત્ત્વજ્ઞાન વિષયો પર વીસથી પણ વધુ મનનીય પુસ્તકોનું સર્જન કર્યું હતું (જુઓ પરિશિષ્ટ ક્રમાંક ૧૦૩થી ૧૨૫). આ પુસ્તકોમાં જૈન દર્શન, મૌલિક તત્ત્વ (ભાગ ૧/૨) અને જેના દર્શનઃ મનન ઔર મીમાંસા' એ જૈન ધર્મ અને દર્શનના આધારભૂત ગ્રંથો છે.
માત્ર છવીસ વર્ષની ઉંમરે એમણે “શ્રાવકુ પ્રતિક્રમણ' પુસ્તકમાં ષડાવશ્યકની વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી હતી. સન ૨૦૦૨માં “જીવ-અજીત' પુસ્તકમાં જૈન તત્ત્વ જ્ઞાનના પચીસ બોલ' પુસ્તકમાં નવ તત્ત્વો અને છ દ્રવ્યોનું સરળ ભાષામાં વિવેચન કર્યું હતું. જૈન ધર્મ, દર્શન અને તત્ત્વજ્ઞાનના અમૂલ્ય સાહિત્યસર્જન માટે જૈન સમાજ એમનો ચિર ઋણી રહેશે. (૬) અમૂર્ત ચિંતન
જૈન દર્શનની પ્રસિદ્ધ અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને એને પુષ્ટિ કરનાર
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૫
Page #265
--------------------------------------------------------------------------
________________
મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ૫૨ એમણે આ ગ્રંથમાં અદ્ભુત મીમાંસા કરી છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ આદિ અનુપ્રેક્ષાનો પ્રત્યેક વિષય એક સનાતન સત્યને ઉદ્ઘાટિત કરે છે. આ બધી વૈરાગ્યની ભાવનાઓ ૫૨ એમણે મૌલિક લેખો લખ્યા છે, એ સર્વ મનનીય છે. સાંપ્રત યુગની સમસ્યાઓનું સમાધાન આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. દુનિયાની બધી જ વસ્તુઓ, સંબંધોના સંયોગ-વિયોગો વગેરે બધું જ અનિત્ય છે. એ સત્ય સમજાઈ જાય ત્યારે વ્યક્તિ સુખ-દુઃખના અતિરેકમાં સમભાવ રાખી શકે છે. એકત્વ અને અન્યત્વ એક જ સત્યના સિક્કાની બે બાજુઓ છે. ‘આ દુનિયામાં મારા આત્મા સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી' એ હકીકત હૃદયંગમ કરનાર મૃત્યુથી પણ ડરતો નથી. આવી પ્રતીતિ થવી એ જ એમના મતે સમ્યક્ દૃષ્ટિ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. (૭) ગાથા ૫૨મ વિજ્યકી
-
જૈન વિશ્વભારતી દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત આ ગ્રંથના લગભગ ચારસો પૃષ્ઠોમાં એમણે અંતિમ કેવલી જંબુકુમારની વૈરાગ્ય કથા પોતાની આગવી શૈલીમાં વર્ણવી છે. અભય અને મૈત્રીના મહાન પ્રભાવથી મદમસ્ત હાથી પર વિય કરનાર આ વી૨ કુમારને પરમ વિજ્યની ઉત્કંઠા જાગે છે. માતાપિતાને ખુશ કરવા આઠ કન્યાઓ સાથે વિવાહ કરે છે પણ વૈરાગ્યની પ્રબળ ભાવનાથી કેમ બધાને દીક્ષા માટે સમજાવે છે તેનું શતાધિક દૃષ્ટાંતો – કથાઓ દ્વારા આ ગ્રંથમાં વર્ણન છે. પ્રભવ જેવો અઠંગ ચોર પણ પોતાના પાંચસો સાથી સાથે દીક્ષા લે છે એનો રોમાંચક ચિતાર એમણે આપ્યો છે. આવો દળદાર ગ્રંથ હાથમાં લીધા પછી સંપૂર્ણ વાંચન કરવા મજબૂર કરે એવો રસ આમાં છે.
યાત્રા એક અકિંચનકી
જુલાઈ ૨૦૧૦માં જૈન વિશ્વભારતી દ્વારા ૩૭૫ પૃષ્ઠોનું આ પુસ્તક એમની અંતિમ કૃતિ છે. પોતાના ગુરુ આચાર્ય તુલસીની પ્રેરણાથી એમણે આ આત્મકથા લખી હતી. પ્રથમ વિભાગ ‘નયા આકાશઃ નયા નક્ષત્રમાં એમણે પોતે મુનિ કેમ બન્યા, એમના માતાજી, દીક્ષા ગુરુ, વિદ્યા ગુરુ, અધ્યયન, મારી કાવ્ય ચેતના, આદિ સાથે પોતાના જીવનની સફ્ળતાનાં કેટલાંક રહસ્યો ઉદ્ઘાટિત કર્યાં છે. અન્વેષણ અને અભિનય ઉન્મેષ’ વિભાગમાં આગમ સંપાદન, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણ ઉપર પ્રકાશ પાડ્યો છે. અંતિમ નયી વ્યવસ્થાઃ નયે દાયિત્વ’ વિભાગમાં સંઘીય વ્યવસ્થા, મહાપ્રજ્ઞ અલંકરણ, યુવાચાર્ય ઘોષિત કરવામાં આવ્યા ત્યારની ક્રિયા અને પ્રતિક્રિયા, આચાર્ય પદાભિષેક, વિકાસ મહોત્સવ, આચાર્ય બન્યા પછીનો સમય, આદિ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
આચાર્ય મહાપ્રજ્ઞને જાણવા-સમજવા માટે આ એક અનિવાર્ય કૃતિ છે.
૨૧૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #266
--------------------------------------------------------------------------
________________
(૮) આચાર્ય મહાપ્રજ્ઞ અને અણુવ્રત સાહિત્ય
ઈ. સ. ૧૯૪૭માં આઝાદી પછી દેશની બહુઆયામી પ્રગતિ વિશે પંડિત નેહરુના નેતૃત્વ નીચે અનેક યોજનાઓ બનાવવામાં આવી, પણ આચાર્ય તુલસીને લાગ્યું કે આ બધી ભૌતિક પ્રગતિ માટેની યોજનાઓની સાથે નૈતિકતા અને સંયમ જેવા ગુણોના વિકાસથી જ દેશનો સર્વાગીણ વિકાસ થઈ શકશે, એ માટે એમણે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું. નાના નાના નૈતિકતામૂલક વ્રતો દ્વારા વ્યક્તિમાં સંયમ અને ઈમાનદારી માટેના આ આંદોલન માટે આચાર્ય મહાપ્રજ્ઞજીએ અનેક પુસ્તકોનું સર્જન કર્યું. એમાં અણુવ્રત દર્શન' આદિ મુખ્ય છે. ૨૩ માર્ચ, ૧૯૬૬થી ૧૩ એપ્રિલ ૧૯૬૬ સુધી દિલ્હી (મેહરોલી)માં ત્રિસાપ્તાહિક અણુવ્રત સાધના શિબિરનું આયોજન થયું, જેનું ઉદ્દઘાટન મોરારજી દેસાઈએ કર્યું હતું. આ શિબિરમાં મહાપ્રજ્ઞજી સાથે અણુવ્રત અને અન્ય વિષયો પર પ્રખ્યાત સાહિત્યકાર જૈનેન્દ્રકુમાર, ખેડૂભાઈ દેસાઈ, ધદા ધર્માધિકારી, હરિભાઈ ઉપાધ્યાય, શ્રીમન્નારાયણ, મદલસા અગ્રવાલ, યશપાલ જૈન, ભૂરેલાલ બયા, સાહૂ શાંતિપ્રસાદ જેન, ડૉ. હરિવંશરાય બચ્ચન આદિ ચોસઠ વ્યક્તિઓ સાથે ગહન ચિંતન કર્યું.
આના ફળસ્વરૂપે “અણુવ્રત કી ઘર્શનિક પૃષ્ઠભૂમિ અને અણુવ્રત વિશારદા જેવા પુસ્તકોનું સર્જન થયું. (૯) અહિંસા પર વિશદ વિવેચનાત્મક સાહિત્ય
અહિંસા જેન ધર્મનો પ્રાણ છે. આવા ગહન વિષયનું એમણે સાંગોપાંગ ઊંડું અધ્યયન કર્યું. | તેરાપંથ સંઘના પ્રથમ આચાર્ય ભિક્ષુસ્વામીના ક્રાંતિકારી વિચારોથી તેઓ અત્યંત પ્રભાવિત હતા. “મોટા જીવોની રક્ષા માટે નાના જીવોની હિંસા કદી પણ અહિંસા ન થઈ શકે. શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધન પણ આવશ્યક છે. આચાર્ય ભિક્ષના આ વિચારોથી તેઓ આંદોલિત થયા. સામાજિક શોષણ અને અસમર્થ લોકો પર થતી ક્રૂરતાથી એમનામાં વિશેષ સંવેદના જાગી. એમણે આ વિષયો પર મહાત્મા ગાંધીના વિચારોનું પણ વાંચન કર્યું. અને નીસવીં સદી કા નયા આવિષ્કાર' પુસ્તકનું સૂચન કર્યું. (સંવત ૨૦૧૦)
સુરતના પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ‘અહિંસા' વિષય પર ગ્રંથનું સંકલન કરી રહ્યા હતા. આચાર્ય ભિક્ષુના અહિંસા સંબંધી વિચારોને આ ગ્રંથમાં સંકલિત કરવા એમણે આચાર્ય તુલસીને પ્રસ્તાવ મોકલ્યો. આચાર્ય તુલસીના કહેવાથી મહાપ્રજ્ઞજીએ “અહિંસા' નામનું લઘુ પુસ્તક લખ્યું.
ત્યાર બાદ ‘ભિક્ષુ વિચાર દર્શન, ‘અહિંસા ઉવાચ આદિ અહિંસા પર પંદરેક ગ્રંથોની રચના કરી. (મહાપ્રજ્ઞ સાહિત્ય ક્ર. ૩૮થી ૫૧)
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
(૧૦) મૈં ઔર મેરે ગુરુ’ (જૈન વિશ્વભારતી)
- આત્મા મારો ઈશ્વર છે, ત્યાગ મારી પ્રાર્થના છે, મૈત્રી મારી ભક્તિ છે,
સંયમ મારી શક્તિ છે, અહિંસા મારો ધર્મ છે.' આ શબ્દોમાં એમણે પોતાના ભાવાત્મક વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો.
આચાર્ય મહાપ્રશના નવમી મે, ૨૦૧૦ના મહાપ્રયાણ પછી એમના ઉત્તરાધિકારી આચાર્ય શ્રી મહાશ્રમણની પ્રેરણાથી મહાપ્રજ્ઞજીના સાહિત્યમાંથી એમના જ શબ્દોમાં એમની આત્મકથાનું સર્જન-સંપાદન મુનિશ્રી ધનંજયકુમારજી અને સાધ્વી વિશ્રુતવિભાજીએ કર્યું અને મેં ઔર મેરે ગુરુ' ગ્રંથ (પૃ. ૩૬૮) જુલાઈ, ૨૦૧૩માં પ્રકાશિત થયો.
આ આત્મકથાના સંપાદક લખે છે કે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિના જીવન્ત હસ્તાક્ષર છે.'
આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુશિષ્યની જોડી વિરલ હતી. ગુરુનું અમિત વાત્સલ્ય, સ્નેહ અને વિશ્વાસ અને શિષ્યનું અદ્ભુત સમર્પણ, શ્રદ્ધા અને વિનય – આ બંને અનન્ય અને અદ્વિતીય હતા. આ ગ્રંથમાં મહાપ્રજ્ઞજીએ પોતાના ગુરુ વિશે દિલથી કૃતજ્ઞતા પ્રગટ કરી છે.
આચાર્ય તુલસી ૫૨ એમના વિવિધ પુસ્તકો છે ૧. આચાર્યશ્રી તુલસી (જીવન પર એક દૃષ્ટિ) ૨. આચાર્ય તુલસી ઔર ઉનકે વિચા૨ ૩. આચાર્ય શ્રી તુલસી જીવન દર્શન ૪. તુલસી મંજરી
૫. તુલસી યશોવિલાસ
૬. ધર્મચક્રકા પ્રવર્તન
આ સિવાય ‘આચાર્ય ભિક્ષુઃ જીવન દર્શન’, ‘ભિક્ષુ વિચાર દર્શન’, ‘ભિક્ષુ ગાથા’, ‘ભિક્ષુ ગીતા’ આદિ પુસ્તકોનું સૃજન તેરાપંથના પ્રથમ આચાર્ય ભિક્ષુસ્વામી ૫૨ કરેલું.
ચતુર્થ આચાર્ય જયાચાર્યની પાંચ અમર કૃતિ – ચૌબીસી, આરાધના, ધ્યાન, અધ્યાત્મ પદાવલી અને બડી ચોબીસી પર તેઓશ્રીએ ‘આરાધના' પુસ્તકમાં વિશદ વિવેચન કર્યું છે.
(૧૧) મહાવીરનો પુનર્જન્મ
આચાર્ય મહાપ્રજ્ઞની આ વિશાળ રચનામાં એમણે યોગક્ષેમ વર્ષ’ દરમિયાન પ્રભુ મહાવીરસ્વામીના જીવનના કેટલાંક અછૂતા પ્રસંગોના આધારે મહાવીરના ઉપદેશોને પોતાની આગવી શૈલીમાં આપેલા પ્રવચનોનો અનુપમ સંગ્રહ છે. મૂળ સંપાદક મુનિ શ્રી દુલહરાજજી અને મુનિ શ્રી ધનંજ્યકુમારજી છે અને ગુજરાતી આવૃત્તિના અનુવાદક સંપાદક રોહિત શાહ છે. પાંચસોથી અધિક પૃષ્ઠોમાં ૨૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-
Page #268
--------------------------------------------------------------------------
________________
અઠ્યાસીથી વધુ વિષયો આવરી લેતો આ દળદાર ગ્રંથ મહાપ્રજ્ઞજીના દર્શનનું ઊંડાણ અને જ્ઞાનની પરિપક્વતા રજૂ કરે છે.
મહાગ્રંથના શીર્ષક વિશે સાધારણ રીતે પ્રશ્ન થાય કે શું મહાવીરનો પુનર્જન્મ શક્ય છે ? મહાપ્રજ્ઞજી આ ગ્રંથ દ્વારા સિદ્ધ કરે છે કે મહાવીરનો પુનર્જન્મ માત્ર એક જ વખત નથી થયો, પણ યુગે યુગે થઈ રહ્યો છે તેઓ કહે છે મહાવીર અમર છે.
•
સતત પ્રભાવિત સ્વર છે.
વિચાર અને ચિંતનની ક્ષિતિજ ઉ૫૨ ઝગમગતો પ્રકાશિત દીપક છે.
સમસ્યાના ગઠ્ઠન તિમિરમાં લાગે છે સૂર્ય સમીપ છે.
પ્રશ્ન શાશ્વત છે કે સામયિક,
વૈજ્ઞાનિક છે કે દાર્શનિક,
વ્યક્તિનો છે કે સમષ્ટિનો,
પૃથ્વીનો છે કે અંતરીક્ષનો,
આપે છે દરેક પ્રશ્ન મહાવીરને નવજીવન.
જ્યારે કરે છે મહાવીર એનું નિદાન / સમાધાન
જ્યાં સુધી રહેશે પ્રશ્ન, સમસ્યા અને ઉલઝન
ત્યાં સુધી મહાવીર પણ પ્રાસંગિક
અને આ જ પ્રાસંગિકતાની કૂખેથી જન્મ લે છે દરેક દિવસે, દરેક પળે એક નવા મહાવી૨
-
ગમે તેટલી હોય બળબળતી બપોર
શીતળ અને મનભાવન બનીને શાંત સમીર.’
(૧૨) ગીતાઃ સંદેશ ઔર પ્રયોગ
એક વિશાળ જૈન સંઘના આચાર્ય હોવા છતાં એમણે શ્રીમદ્ ભગવત્ ગીતા ઉપર શતાધિક પૃષ્ઠના મનનાત્મક સાહિત્યનું સર્જન કર્યું હતું. આ વિષયમાં એમના પોતાના શબ્દોમાં વિવેચનઃ
‘હું જૈન ધર્મ દર્શનમાં દીક્ષિત થયો છું એટલે અનેકાંતનો સિદ્ધાંત મને વારસામાં મળેલો છે. મેં એનો સ્વીકાર ફક્ત વારસાના રૂપમાં જ નથી કર્યો, પણ એને આધુનિક સંદર્ભોમાં સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે. સાપેક્ષવાદ અને સંભાવનાવાદ અનેકાંતના આધારસ્તંભ છે. એ બંનેને સમજીને એમને હૃદયંગમ કર્યાં છે.
“મારી દૃષ્ટિમાં ગીતા એ અનેકાંત દર્શનનો સુંદર ગ્રંથ છે. આચાર્ય સિદ્ધસેને ‘સન્મતિતર્ક’ અને આચાર્ય સમંતભદ્રએ ‘આપ્તમીમાંસામાં નયવાદનું સૂક્ષ્મતાથી નિરૂપણ કર્યું છે, અને એ બંને દાર્શનિક ગ્રંથ બની ગયા. ગીતા આધ્યાત્મિક અને દાર્શનિક બને છે. એમાં નયષ્ટિનો પદ-પદ પર ઉપયોગ ઉપલબ્ધ છે. એટલે એ દ્વૈતવાદી અને અદ્વૈતવાદી બંને છે, એટલે એ બંને માટે આધારભૂત ગ્રંથ છે.
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ - ૨૧૯
Page #269
--------------------------------------------------------------------------
________________
જીવનને સિદ્ધાંત કરતાં પ્રયોગ વધુ પ્રભાવિત કરે છે. ગીતા કેવળ સિદ્ધાંત ગ્રંથ નહીં, એ પ્રયોગ ગ્રંથ પણ છે. એમાં અનેક પ્રયોગો નિર્દિષ્ટ છે.”
એમની દષ્ટિએ ગીતાનો ઐશ્વર્ય યોગ એટલે જ સાપેક્ષવાદ, કારણ ગીતામાં સ્થૂળ દૃષ્ટિનો વ્યવહાર નય અને સૂક્ષ્મદષ્ટિનો નિશ્ચય નય બને છે. વિસંવાદિતાના આ યુગમાં ગીતા એક મધ્યવર્તી સેતુ સમાન છે. એમની દૃષ્ટિએ ગીતાનું નવનીત છે – એનો અનાસક્તિ યોગ. જેનદર્શનની દૃષ્ટિએ અનાસક્ત રહેવું એટલે જ વીતરાગ બનવું. રાગદ્વેષરહિત વ્યક્તિને પાપકર્મનો બંધ નથી થતો. ગીતાના અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ પુરુષ એ જ જૈનદર્શનના વીતરાગ પુરુષ છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા આ યુગપ્રધાન આચાર્યપ્રજ્ઞનું વ્યક્તિત્વ, કર્તુત્વ અને સાહિત્યસર્જન એટલું વિશાળ છે કે પંદર-વીસ પૃષ્ઠોના લેખમાં એને સમાવી ન શકાય. પણ સંક્ષેપમાં કહી શકાય કે વીસમી સદીના જૈન સાહિત્યકારોમાં એમનું એક આગવું – અદ્વિતીય સ્થાન છે. જૈન વિદ્વાનોએ એમના સાહિત્યની ગરિમા અને ગહનતા માટે એમને ડૉ. રાધાકૃષ્ણન’, ‘આચાર્ય સિદ્ધસેન અને વિવેકાનંદની સંજ્ઞા આપી હતી. વાસ્તવમાં તેઓ એક મૌલિક સાહિત્ય-સણ અને અન્વેષક હતા. એમનું ભગીરથ કાર્ય આગમ-સંપાદન, આચારાંગ-ભાષ્ય, સંબોધિ, જૈન ધર્મઃ દર્શન અને મીમાંસા, ચિત્ત અને મન પર પચાસથી વધુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા પુસ્તકોની શ્રેણી, પ્રેક્ષાધ્યાન, જૈનયોગ, જૈન અર્થશાસ્ત્ર, આદિ વિવિધ વિષયો પરના વિપુલ સાહિત્ય રૂપી શ્રુત-સાધનાથી તેઓએ જૈન સાહિત્યની અનન્ય અને અવિસ્મરણીય સેવા કરી હતી.
परिशिष्ट
श्री महाप्रज्ञ का साहित्य 9. નિ ના ઈં
99. સંતુના તુના. २. अजातशत्रु की जीवन गाथा १२. अध्यात्म का प्रथम सोपान : ३. अक्षर को प्रणाम
सामायिक ४. अज्ञात द्वीप की खोज १३. अध्यात्म के रहस्य ५. अणुव्रत आन्दोलन और भावी की १४. अध्यात्म की वर्णमाला रेखाएं
१५. अध्यात्म की पगडंडिया ६. अणुव्रत की दार्शनिक पृष्टभूमि १६. अध्यात्म विद्या ७. अणुव्रत दर्शन
१७. अनुभव का उत्पल ८. अणुव्रत विशारद
१८. अनुभव, चिंतन, मनन ९. अतीत का बसंत, वर्तमान की १९. अनुशासन के सूत्र सौरभ
२०. अनुशासन संहिता १०. अतीत को पढो, भविष्य को देखो २१. अनेकान्त है तीसरा नेत्र ૨૨૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #270
--------------------------------------------------------------------------
________________
२२. राष्ट्रीय-अन्तर्राष्ट्रीय समस्याएं ५०. अहिंसा तत्त्वदर्शन और अणुव्रत
५१. अहिंसा : व्यक्ति और समाज २३. अपथ का पथ
५२. आगम-सम्पादन की समस्याएं २४. अपना दर्पणः अपना बिम्ब ५३. आचार्य तुलसी और उनके विचार २५. अपने घर में
५४. आचार्यश्री तुलसी ः जीवन और २६. अप्पाणं शरणं गच्छामि
दर्शन २७. अभय की खोज
५५. आचार्यश्री तुलसी (जीवन पर एक २८. अभ्युदय
दृष्टि) २९ अमूर्त चिन्तन
५६. आचार्यश्री तुलसी (जीवनगाथा) ३०. अर्हम्
५७. आचार्य भिक्षुः जीवनदर्शन ३१. अमृत पिटक
५८. आत्मा का दर्शन ३२. अवचेतन मन से सम्पर्क ५९. आभामण्डल ३३. अशब्द का शब्द
६०. आमंत्रण आरोग्य को ३४. अश्रुवीणा
६१. आलोक प्रज्ञा का ३५. अस्तित्व और अहिंसा ६२. आहार और अध्यात्म ३६. अस्तित्व का बोध
६३. इक्कीसवीं शताब्दी और जैन धर्म ३७. अस्तित्व की तलाश
६४. उत्तरदायी कौन ? ३८. अहिंसा उवाच
६५. उन्नीसवीं सदी का नया आविष्कार ३९, अहिंसा और अणुव्रतः सिद्धान्त ६६. ऊर्जा की यात्रा और प्रयोग
६७. ऋषभ और महावीर ४०. अहिंसा समवायः एक परिचय ६८. ऋषभायण ४१. अहिंसा प्रशिक्षण : सिद्धांत और ६९. एकला चलो रे इतिहास
७०. एक पुष्प अक परिमल ४२. अहिंसा प्रशिक्षण ः हृदय परिवर्तन ७१. एकान्त में अनेकान्तः अनेकान्त ४३. अहिंसा प्रशिक्षण: अहिंसक मे एकान्त जीवन-शैली
७२. एसो पंच णमाक्कारो ४४. अहिंसा प्रशिक्षणः सम्यक् ७३. कर्मवाद
आजीविका एवं आजीविका ७४. कार्य कौशल के सूत्र प्रशिक्षण
७५. किसने कहा मन चंचल है ? ४५. अहिंसा और उनके विचारक ७६. कुछ देखा कुछ सुना कुछ समझा ४६. अहिंसा और शांति ..
७७. कैसी हो इक्कीसवीं शताब्दी ४७. अहिंसा की सही समझ ७८. कैसे लगाएं मूड पर अंकुश ४८. अहिंसा के अछूते पहलू ७९. कैसे सोचें? ४९. अहिंसा के संदर्भ में
८०. कैसे हो सकता है शुभ भविष्य પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૨૧
Page #271
--------------------------------------------------------------------------
________________
का निर्माण ?
११०.जैन दर्शनः मनन और मीमांसा ८१. क्यों आता है क्रोध ? . १११. जैन दर्शन में आचार मीमांसा ८२. क्रान्तदर्शी आचार्य भिक्षु ११२. जैन दर्शन में ज्ञान मीमांसा ६३. क्रांति के पुरोधाः आचार्य तुलसी ११३. जैन दर्शन में तत्त्व मीमांसा ८४. क्षमा करें गुरुदेव
११४.जैन दर्शन में प्रमाण मीमांसा ८५. गागर में सागर
११५. जैन धर्मः अर्हत् और अर्हताएं ८६. गुरुता को नमन
११६. जैन धर्म का प्रवेश पाट ८७. गूंजते स्वर ः बहरे कान ११७. जैन धर्म के साधना सूत्र ८८. घट-घट दीप जले
११८. जैन धर्म और दर्शन ८९. चांदनी भीतर की
११९. जैन धर्मः बीज और बरगद ९०. चित्त और मन
१२०.जैन न्याय का विकास ९१. चिन्तन का परिमल १२१.जैन परम्परा का इतिहास ९२. चिर यौवन का रहस्य १२२.जैन योग ९३. चेतना का ऊर्ध्वारोहण १२३.जैन योग की वर्णमाला ९४. चैत्य पुरुष जग जाए १२४. जैन श्वेताम्बर साधुओं की भिक्षावृत्ति ९५. जागतिक संकट पर एक नया १२५. जैन और बौद्ध प्रकाश
१२६. ज्ञान-अज्ञात ९६. जीव-अजीव
१२७. तट दोः प्रवाह ओक ९७. जीवन का अर्थ
१२८. तत्त्वबोध ९८. जीवन की पोथी
१२९. तत्त्व संहिता ९९. जीवन विज्ञान : शिक्षा का नया १३०. तनाव आयाम
१३१. तव होता है ध्यान का जन्म १००.जीवन विज्ञान ः सिद्धांत और प्रयोग १३२. तुम अनन्त शक्ति के स्रोत हो १०१. जीवन विज्ञान ः स्वस्थ समाज रचना १३३. तुम स्वस्थ रह सकते हो का संकल्प
१३४. तुम्हारा भाग्य तुम्हारे हाथ १०२. जीवन विज्ञान क्या और क्यों? १३५. तुलसी मञ्जरी १०३. जैन तत्त्व चिन्तन
१३६. तुलसी यशोविलास भाग-१ १०४.जैन धर्मः ध्यान और कायोत्सर्ग १३७. तुलसी विचार दर्शन १०५.जैन दर्शन और अनेकान्त १३८. तेरापंथ १०६.जैन दर्शन और संस्कृति १३९. तेरापंथः शासन अनुशासन १०७.जैन दर्शन और सम्यक दर्शन १४०. दया दान। १०८. जैन दर्शन के मूल सूत्र १४१. धर्म के सूत्र १०९ जैन दर्शन के मौलिक तत्त्व; १४२. धर्मचक्र का प्रवर्तन भाग १-२
१४३. धर्म प्रज्ञप्ति भाग १, २
૨૨૨ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #272
--------------------------------------------------------------------------
________________
१४४. धर्म बोधः भाग १, २, ३ १७७. प्रेक्षाध्यानः शरीर प्रेक्षा १४५. धर्म मुझे क्या देगा ? १७८. प्रक्षाध्यानः शरीर विज्ञान १४६. ध्यान क्यों?
१७९. प्रेक्षाध्यानः श्वास प्रेक्षा १४७. नए जीवन का निर्माण १८०. प्रेक्षाध्यानः सिद्धान्त और प्रयोग १४८. शान्ति और समन्वय का पथः १८१. फूल और अंगारे नयवाद
१८२. बंटी शब्द मुक्त भाव १४९. नया मानव : नया विश्व १८३. बाल दीक्षा पर मनोवैज्ञानिक १५०. नवतत्त्व ः आधुनिक संदर्भ
दृष्टिकोण १५१. न सोचना भी सीखें
१८४. भक्तामर : अन्तस्तल का स्पर्श १५२. नई सृष्टिः नई दृष्टि १८५. भगवान महावीर १५३. नास्ति का अस्तित्व
१८६. भाव और अनुभाव १५४. निर्विचार की ओर
१८७. भिक्षु गाथा १५५. निष्पत्ति
१८८. भिक्षु गीता १५६. नैतिकता का गुरुत्वाकर्षण १८९ भिक्षु विचार दर्शन १५७. नैतिक पाटमाला
१९०. भीतर का रोग : भीतर का इलाज १५८. परिवार के साथ कैसे रहें ? १९१. भीतर की ओर १५९. पर्यावरण ः समस्या और समाधान १९२. भीतर है अनन्त शक्ति का स्रोत १६०. पहला सुख निरोगी काया १९३. भेद में छिपा अभेद १६१. पाथेय
१९४. भौतिक प्रगति और नैतिकता १६२. पुरुषार्थ के पचास वर्प १९५. महावीर जीवन दर्शन १६३. पुरुपोत्तम महावीर
१९६. मंजिल के पडाव १६४. प्रतिदिन
१९७. मंत्रः एक समाधान १६५. प्रस्तुति
१९८. मन का कायाकल्प १६६. प्राकृत वाक्य रचना बोध १९९. मन के जीते जीत १६७. प्राच्य विद्या
२००. मनन और मूल्यांकन १६. प्रासंगिक है धर्म दर्शन २०१. मस्तिष्क प्रशिक्षण १६९. प्रेक्षाध्यान
२०२. महाप्रज्ञ की कथाएं भाग १-३ १७०. प्रेक्षाध्यान ः अनुप्रेक्षा
२०३. महाप्रज्ञ ने कहा भाग १-३० १७१. प्रेक्षाध्यानः आधार और स्वरुप २०४. महावीर का अर्थशास्त्र १७२. प्रेक्षाध्यानः आहार और विज्ञान २०५. महावीर का पुनर्जन्म १७३. प्रेक्षाध्यानः कायोत्सर्ग २०६. महावीर का स्वास्थ्य शास्त्र १७४. प्रेक्षाध्यानः चैतन्य केन्द्र प्रेक्षा २०७. महावीर की साधना का रहस्य १७५. प्रेक्षाध्यान ः प्रयोग पद्धति २०८. महावीर क्या थे ? १७६. प्रेक्षाध्यान : लेश्याध्यान २०९. मानवता का भविष्य
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૨૩
Page #273
--------------------------------------------------------------------------
________________
छैनी
२१०. मुकुलम्
२४२. संस्कृत और भारतीय संस्कृति २११. मुक्त भोग की समस्या और ब्रह्मचर्य २४३. संस्कृत वाक्य रचना बोध २१२. मेरी दृष्टिः मेरी सृष्टि २४४. संस्कृति के दो प्रवाह २१३. मेरी मां
२४५. सत्य की खोजः अनेकांत के २१४. मेरे जीवन के रहस्य
आलोक में २१५. मैं कुछ होना चाहता हूं २४६. सफलता के सूत्र २१६. में युवा हूं
२४७. समय के हस्ताक्षर २१७. मैंने कहा
-- २४८. समय प्रबन्धन २१८. मैं : मेरा मन ः मेरी शान्ति । २४९. समयसारः निश्चय और व्यवहार २१९. मैं हूं अपने भाग्य का निर्माता की यात्रा २२०. मैत्री बुढापे के साथ
२५०. समस्याः समाधान २२१. यात्रा अहिंसा कीः खोज हिंसा के २५१. समस्या का पत्थर, अध्यात्म की
कारणों की २२२. युगीन समस्या और अहिंसा २५२. समस्या को देखना सीखें २२३. युवा कौन ?
२५३. समाज और हम २२४. रत्नपाल चरितं
२५४. समाज व्यवस्था के सूत्र २२५. रूपान्तरण की प्रक्रिया २५५. समाधि की खोज २२६. लोकतंत्रः नया व्यक्ति नया समाज २५६. समाधि की निष्पत्ति २२७. विचार और निर्विचार २५७. सम्बोधि २२८. विचार का अनुबन्ध २५८. साधना और सिद्धि २२९. विचार को बदलना सीखें २५९. सार्थकता मनुष्य होने की २३०. विजय के आलोक में २६०. सिंह पुरुप आचार्य भिक्षु २३१. विजय यात्रा
२६१. सुख का स्रोत कहां? २३२.विश्व शांति और अहिंसा २६२. सुखी कौन ? २३३. विश्व स्थिति
२६३. सुप्रभातम् भाग १, २, ३ २३४.विसर्जन
२६४. सुबह का चिन्तन २३५. व्रत दीक्षा
२६५. सूरज फिर आएगा २३६. शक्ति की साधना
२६६. सोया मन जग जाए २३७. श्वासः विश्वास
२६७. स्मृति का पहला सप्ताह २३८. शांति का प्रश्न
२६८. स्वास्थ्य की त्रिवेणी २३९ शिक्षा जगत के लिए जरूरी है २६९. हम स्वतंत्र हैं या परतंत्र ? नया चिंतन
२७०. हिंदी जन-जन की भाषा २४०. श्रमण महावीर
२७१. The family and the २४१. संभव है समाधान
Nation ૨૨૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #274
--------------------------------------------------------------------------
________________
प्रस्तुत साहित्य सूची के अतिरिक्त भी कुछ ग्रंथ श्री महाप्रज्ञ द्वारा लिखित हो सकते हैं। कुछ ग्रंथ संयुक्त लेखन के रूप में भी हैं। आगम वाङ्मय का संपादन पूज्यश्री के द्वारा हुआ है, हो रहा है, वह भी इस सूची में शामिल नहीं किया है। इन सबको साथ मिलाने पर भी महाप्रज्ञ की साहित्यसंपदा काफी परिवर्धित हो जाती है। ज्ञातव्य है कि; The family and the Nation पुस्तक के लेखक भी महाप्रज्ञ और पूर्व राष्ट्रपति अब्दुल कलाम हैं।
स्व. डॉ. रश्मिम . ॐवे. c\ અંજનાબહેન રમિભાઈ ઝવેરી
M. 9870777475
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૨૫
Page #275
--------------------------------------------------------------------------
________________
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ
છાયા શાહ
જિન ધર્મ-દર્શન-પરંપરા વિશે પોતાની આગવી દષ્ટિથી સહજતાપૂર્વક દેશવિદેશમાં વ્યાખ્યાનો આપતા અને તે અંગેનાં શોધપત્રો, લેખો લખતા છાયાબહેન શાહે પ્રસ્તુત લેખમાં શ્રી રમણભાઈના સાહિત્યનો આસ્વાદ કરાવીને સાહિત્યકાર તરીકેના તેઓના ગુણોને તારવી બતાવ્યા છે. – સં.).
એક સાગરને આપણે પાણી વિશે માહિતી આપીએ તો કેવું લાગે ? આકાશ ને તારાઓની કથા કહીએ તો કેવું લાગે ? ફૂલને સુગંધનું વર્ણન સંભળાવીએ તો કેવું લાગે ? આજે મેં આ બધું કરવાનું સાહસ કર્યું છે.
જે સંસ્થાના ઉપક્રમે આ બધા સમારોહ યોજાય છે તે સંસ્થાના જેઓ પ્રાણ હતા, સમારોહનું સમગ્ર સંચાલન કરનાર ધનવંતભાઈના જેઓ ગુરુ હતા, આજની સભામાં જેમના શિષ્યો પ્રેક્ષક બનીને બેઠા છે, જેમનું સાનિધ્ય મેળવનાર ઘણી વ્યક્તિઓ આ સભામાં હાજર છે એ સૌ સમક્ષ પૂ. રમણભાઈને રજૂ કરવાનું સાહસ આજે મેં કર્યું છે, કારણ કે મહાવીર જૈન વિદ્યાલય ૧૦૦ વર્ષ પૂરાં કરે છે, પ્રબુદ્ધ જીવન ૬૨ વર્ષ પૂર્ણ કરે છે અને સાહિત્ય સમારોહ બાવીસ વર્ષની યુવાવયે પહોંચ્યો છે ત્યારે આ સમગ્ર કાર્યોમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરનાર શ્રી રમણભાઈને મારે અંજલિ અર્પવી હતી. તેમના પ્રત્યેનું બહુમાન પ્રગટ કરવું હતું અને તેમની સેવાઓને બિરદાવી હતી. જીવન ઝરમર
શ્રીયુત રમણભાઈ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ અને માતા રેવાબહેનના પુત્ર હતા. તેમનો જન્મ પાદરા જિલ્લો વડોદરા)માં ૩જી ડિસેમ્બર ૧૯૨૬ - કારતક વદ ૧૩ના દિવસે થયો. પિતાશ્રી ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. ધાર્મિક વાંચનમાં ખૂબ રસ. અનેક સ્તવનો કંઠસ્થ. તેમનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો હતો. તેમના સરળ, નિરભિમાની નિઃસ્પૃહ, ધર્મમય, શાંત પ્રસન્ન જીવનમાંથી હંમેશાં સતત પ્રેરણા મળતી.
માતા રેવાબા એક અભણ પણ ધર્મપરાયણ સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રી ૨૨૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #276
--------------------------------------------------------------------------
________________
હતા. દુઃખના દિવસોમાં પણ તેઓ સમતા અને ધીરજ ધારણ કરતા હતા. એમનું જીવન એટલે સમવિષમ સંજોગોથી સભર સમતામય જીવન.
શ્રીયુત રમણભાઈનો જન્મ બાના ચોથા દિકરા તરીકે થયો હતો. તેમને તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. પાદરાની સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું. પાદરાથી મુંબઈ રહેવા આવ્યા ત્યાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ચિત્રકળાનો શોખ. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ બંને પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મેળવ્યો. ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્ક છતાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં આર્ટ્સમાં એડમિશન મેળવ્યું. સ્વપ્ન હતું સારા લેખક થવાનું. ઘર છોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વક્તત્વ સ્પર્ધા, નાટ્યલેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ઇન્ટર આમાં ફર્સ્ટક્લાસ. બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો લીધા. બી.એ.માં ફર્સ્ટક્લાસ પાસ થયા. ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમણૂક પામ્યા. એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ. સાજન વર્તમાન પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. યુનિવર્સિટીમાં બલવંતરાય કલ્યાણરામ ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ આવવા બદલ સેન્ટ ફ્રાન્સિસ મેડલ મળ્યો. જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાપ્યા. ૧૯૫૬માં ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠલ કામ શરૂ કર્યું. ૧૯૬૦માં પીએચ.ડી.ની ડિગ્રી મળી. ૧૯૬૩માં પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા. તેમના પત્ની તારાબહેન સોસાયા કૉલેજમાં અધ્યાપક હતાં. તેમનાં સંતાનોમાં અમિતાભ અને દીકરી શૈલજા. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. મુંબઈ જૈન યુવક સંઘના મેંબર બન્યા. આ ઉપરાંત વિદેશોમાં વ્યાખ્યાનો આપવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી, પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. મુંબઈ જેન યુવકસંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહમંત્રી બન્યા. મુંબઈ જેન યુવકસંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતા રમણભાઈ સર્વાનુમતે જૈન યુવક સંઘના પ્રમુખ બન્યા. એમના પ્રમુખપદ નીચે જૈન સાહિત્ય સમારોહ શરૂ થયા, જે આજ સુધી ચાલુ છે. આવું પ્રવૃત્તિમય જીવન જીવ્યા પછી ૨૨ ઓક્ટોબરે તબિયત બગડી, ૨૪ ઓક્ટોબર ૨૦૦૪માં સમાધિમૃત્યુ થયું. જૈન સમાજને એક પૂરી ન શકાય તેવી ખોટ પડી... રમણભાઈ – વિશિષ્ટ સાહિત્યકાર
જીવન ઝરમર જોતા દેખાઈ જ આવે છે કે તેના દરેક વળાંક સાહિત્યસર્જન તરફ વળે છે. સમગ્ર જીવન દરમિયાન તેમણે સાહિત્યપૂજા જ કરી છે. રમણભાઈના
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૨૭
Page #277
--------------------------------------------------------------------------
________________
વિપુલ સાહિત્યનું વાંચન કરવું અને તેનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતા પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્ય સાગરમાં મોતી જ મોતી. આ સારું અને એનાથી આ વિશેષ મારું એવી વિશેષ સ્પર્ધા જ અહીં શક્ય નથી.
મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અને જૈન ધર્મ સાહિત્યના ઊંડા અભ્યાસી રમણભાઈ પાસેથી સાહિત્ય વિવેચન ક્ષેત્રે મૂલ્યવાન સાહિત્ય સાંપડયું છે.
‘પડિલેહા' પ્રાકૃત બાષાનો શબ્દ છે. તેનો સંસ્કૃત અર્થ છે પ્રતિલેખા. પડિલેહાનો એક એ પણ અર્થ છે, વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. લેખકે લખેલા ‘પડિલેહા’ના બધા જ લેખોમાં લેખકની આ લાક્ષણિકતાઓ પ્રતિબિંબિત થયેલી દેખાય છે. ‘પડિલેહા’ (૧૯૭૯) તેમના પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, સાહિત્યકારો અને વિચારધારા વિશેના અભ્યાસલેખોનો સંગ્રહ છે. તેમાં દસ અભ્યાસલેખો સંગૃહીત થયા છે. સંગ્રહનો પ્રથમ લેખ પ્રાચીન ભારતના વાદો વિશે છે. બીજા લેખમાં તેમણે વિક્રમના નવમા સૈકામાં પાકૃત ભાષામાં શ્રી ઉદ્યોતનસૂરિ દ્વારા રચાયેલ લગભગ ૧૩૦૦ શ્લોકોના ગ્રંથમણિ ‘કુવલયમાલા’ની વિસ્તૃત સમીક્ષા કરી છે. ચંપૂર્વરૂપની આ વિશિષ્ટ રચનાનો વિગતે પરિચય કરાવી ડૉ. શાહે તેની વિશેષતાઓ આપી છે અને અંતે અભિપ્રાય આપ્યો છે ‘કુવલયમાલા માત્ર પ્રાકૃત ભાષાનું અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે. રમણભાઈએ આ પ્રાકૃત મહાકથાના ગુર્જરાનુવાદનું સંપાદન પણ કર્યું છે.
કલિકાલસર્વજ્ઞ તરીકે જાણીતા થયેલા હેમચંદ્રાચાર્યનો જીવનકાળ ગુજરાતી ભાષાસાહિત્યનો ઉદ્ગમકાળ છે. તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘સિદ્ધહેમમાંથી જ ગુજરાતી ભાષાની પ્રારંભિક કૃતિઓ સાંપડે છે. આ. હેમચંદ્રાચાર્યના જીવન અને કવનનો પરિચય એક લેખમાં મળે છે.
ડૉ. ૨. ચી. શાહ જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી છે. એનો ખ્યાલ જૈન સાહિત્ય અને એ અંગેના અન્ય લેખો પરથી આવે છે. પડિલેહા’નો અંતિમ લેખ, ઈ. સ. ૧૪૫૦થી ૧૬૦૦ દરમિયાન મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યની છણાવટ કરે છે. આ સમયગાળાના મુખ્ય સાહિત્યસ્વરૂપો, કવિઓ, કૃતિઓનો પરિચય આ અભ્યાસલેખમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યના ઇતિહાસમાં જે કવિઓનો નામોલ્લેખ મળે છે અને નામોલ્લેખ સુધ્ધાં નથી મળતો એવા સંખ્યાબંધ જૈન કવિઓ વિશે તેમના અભ્યાસલેખમાં અધિકૃત માહિતી મળે છે. ‘સાંપ્રત સહચિંતન’ના ત્રીજા ભાગમાં જૈન સાહિત્ય-ક્ષેત્ર અને દિશાસૂચન' નામક લેખ પણ સાંપડે છે.
‘સમયસુંદર’ વિશે ગુજરાતી ગ્રંથકાર શ્રેણીના ૧૬મા મણકામાં લઘુગ્રંથ આપનાર ડૉ. શાહ અહીં સમયસુંદરનો પરિચય કરાવી તેમની મહત્ત્વની બે ૨૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #278
--------------------------------------------------------------------------
________________
રાસકૃતિઓ – મૃગાવતી ચરિત્ર ચોપાઈ” અને “વલ્લકચીરી રાસનો આસ્વાદમૂલક અવબોધ કરાવે છે. કૃતિઓનો આસ્વાદ મળે એ માટે સમીક્ષક મૂળ કૃતિની સંખ્યાબંધ પંક્તિઓ છૂટથી ઉદ્ધત કરે છે. યશોવિજયજી વિશેનો લેખ પણ આ પદ્ધતિએ લખાયો છે. લેખના પૂર્વાર્ધમાં લેખક યશોવિજયજીના જીવનકવનનો ખ્યાલ આપી ઉત્તરાર્ધમાં તેમની કૃતિ “શ્રી જંબુસ્વામી રાસની આસ્વાદમૂલક સમીક્ષા કરે છે. આ બંને લેખો મધ્યકાળના બે મોટા ગજાના જૈન કવિઓનો સમ્યક પરિચય કરાવવાની સાથે તેમની સાહિત્યિક દૃષ્ટિએ સક્ષમ કૃતિઓની સમાલોચના પ્રસ્તુત
કરે છે.
મધ્યકાળના મોટા ગજાના સમર્થ કવિ જયશેખર સૂરિની કૃતિઓમાં ત્રિભુવનદીપક પ્રબંધ' અનેક દષ્ટિએ ઉલ્લેખનીય છે. નરસિંહ પૂર્વેની કૃતિઓમાં અને ખાસ તો રૂપક પ્રકારની કૃતિઓમાં આ રચનાનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે. ડો. રમણલાલે તેમના લેખમાં આ રચનાની વિશેષતાઓ સુપેરે ઉપજાવી છે.
પડિલેહાના અન્ય લેખો પૈકી બે લેખો નળાખ્યાન' સંબંધ છે. પ્રથમ લેખમાં તેમણે આખ્યાનના પિતા ગણાતા ભાલણના બીજા નળાખ્યાનનું પગેરું શોધવાની મથામણ કરી છે. છેક મહાભારતના નળાખ્યાનથી માંડી, ભાલણના પ્રથમ નળાખ્યાન સાથે બીજા નળાખ્યાનોનો તુલનામૂલક અભ્યાસ કરી તેઓ તારણ પર આવ્યા છે કે ભાલણના કહેવાતા નળાખ્યાનોનું કર્તુત્વ ભાલણનું નથી, પણ અર્વાચીન સમયનું છે. આ પરાક્રમ કોણે કર્યું હશે તેનો સંકેત પણ તેમણે કર્યો છે. તેમનો આ લેખ એક નમૂનેદાર સંશોધન લેખ બને છે. નળાખ્યાન' વિષયક બીજા લેખમાં રમણલાલે મધ્યકાળના સર્વશ્રેષ્ઠ આખ્યાન ગણાયેલ પ્રેમાનંદના ‘નળાખ્યાનના કથાવસ્તુની સમીક્ષા કરી છે અને પ્રેમાનંદ પર એના પુરોગામી કવિઓ પૈકી ભાલણ અને નાકરની તથા જૈન પરંપરાની નવલકથાની કેટલી અસર થઈ છે તે તારવી આપવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. કથાવસ્તુની કવિએ કેવી સંયોજના કરી છે એની તપાસ પણ તેમણે કરી છે અને એ દ્વારા આ કૃતિ સર્વશ્રેષ્ઠ કૃતિ શા માટે બની શકે છે તે સમજાવ્યું છે.
આ રીતે પડિલેહાના દસદસ અભ્યાસલેખો રમણલાલની અધ્યયનશીલતા, સંશોધક વૃત્તિ, વિવેચકપ્રતિભા અને અભ્યાસશીલતા પર પ્રકાશ પાડે તેવા બની શક્યા છે. આ એક જ વિવેચન સંગ્રહથી ડૉ. ૨. ચી. શાહ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક તરીકે ઊપસી આવ્યા. તેમાં વિવેચકની લાક્ષણિકતા પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે.
ડૉ. રમણભાઈએ બંગાકુ-શુમિ શીર્ષકવાળો વિવેચન ગ્રંથ પણ લખ્યો છે. આ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. બંગાકુ એટલે સાહિત્ય, શુમી એટલે અભિરુચી. બંગાકુ શુમી એટલે સાહિત્યમાં અભિરુચી. તેમાં બાર લેખો છે. તે પૈકી આરંભિક ત્રણ લેખો અલંકાર' – કાવ્યપ્રયોજન અને ધ્વનિવિરોધ ભારતીય કાવ્યશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. પ્રથમ લેખમાં લેખકે કાવ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૨૯
Page #279
--------------------------------------------------------------------------
________________
અલંકારની સમજૂતી આપી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ એ અંગે કરેલી વિચારણાથી આપણને અવગત કર્યા છે. બીજા લેખમાં કાવ્યપ્રયોજનની વિવિધ કાવ્યાચાર્યોએ કરેલી વિચારણાઓનો ખ્યાલ આપી રમણલાલે તેની વિસ્તૃત છણાવટ કરી છે. અંતે લખ્યું છેવર્તમાન યુગમાં કાવ્યના પ્રયોજનની નવા સંદર્ભમાં નવી દષ્ટિએ વિચારણા અવશ્ય કરી શકાય, પરંતુ તેવે વખતે પણ આપણા પૂર્વસૂરિઓએ કરેલી વિચારણાને પ્રકારાને પણ નવી પરિભાષામાં જ્યાં ઘટાવી શકાય તેમ હોય ત્યાં તેનું વિસ્મરણ થવું ન ઘટે. અહીં વિવેચકની વિવેકબુદ્ધિનો પરિચય થાય છે.
કરુણ પ્રશસ્તિ' (Elegy) અને ટૂંકીવાર્તા પશ્ચિમમાંથી આપણા સાહિત્યમાં આવેલા બે મહત્ત્વના સાહિત્યસ્વરૂપો છે. આ સ્વરૂપોની પશ્ચિમના વિવેચકોએ વિચારણા કરી છે એને આધારે રમણભાઈએ બે લેખોમાં આ સ્વરૂપોનો, એનાં લક્ષણોનો ખ્યાલ આપ્યો છે.
વિવિધ કલાઓમાં સાહિત્યને શ્રેષ્ઠ માનવામાં આવી છે. વર્સોલ્યું તો સાહિત્યને માનવજાતિના મગજ તરીકે ઓળખાવ્યું છે. વિશ્વના અનેક વિચારકોએ - સમીક્ષકોએ સાહિત્યની સમજ આપવા પ્રયત્ન કર્યો છે. સાહિત્ય ઘણું બધું કરી શકે છે પણ એ એક અર્થમાં સંસ્કારસેતુ પણ છે એ વાત રમણભાઈએ સંગ્રહના અંતિમ લેખમાં સારી રીતે મૂકી આપી છે. આ લેખ લેખકની સાહિત્ય પ્રત્યેની દૃષ્ટિને, બીજી રીતે કહીએ તો તેમના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરી આપે છે.
- રમણભાઈએ સંગ્રહના અડધા લેખોમાં મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચા-વિચારણા કરી છે અને બાકીના અડધા લેખોમાં ત્યક્ષ વિવેચન કર્યું છે, અર્થાત્ કૃતિલક્ષી વિવેચન કર્યું છે. તેમને જે કૃતિઓ વિશે વિવેચન કર્યું છે તેમાં સૌથી મહત્ત્વની કૃતિ “સરસ્વતીચંદ્રનું વિવેચન છે. ગુજરાતી ભાષાની આ અસાધારણ નવલકથાની એમણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી સર્વાગી સમીક્ષા કરી છે.
સર્જનાત્મક સાહિત્યમાં, ખાસ તો કથાસાહિત્યમાં જેવું ઉચ્ચ સ્થાન “સરસ્વતીચંદ્રનું છે એવું જ ઉચ્ચસ્થાન વિવેચાત્મક સાહિત્યમાં સુંદર કૃત અર્વાચીન
કવિતાનું છે. શતાબ્દીની કવિતાનું શક્રવર્તી વિવેચન' શીર્ષકથી રમણભાઈએ આ - વિવેચનગ્રંથની સમીક્ષા કરી છે. સંગ્રહમાં આ ઉપરાંત ધૂમકેતુની ઐતિહાસિક
નવલકા આમ્રપાલી, રણછોડભાઈ ઉદયરામકૃત 'નળદમયંતી નાટક', કવિ કલાપીએ લખવા ધારેલ પણ અધૂરું રહેલ હમીરજી ગોહેલ બોટાદકરનું ખંડકાવ્ય ‘એભલવાળો’ વિશે પણ સંશોધનમૂલક અને આસ્વાદમૂલક લેખો મળે છે.
રમણભાઈએ ‘ક્રિતિકા' નામક વિવેચનગ્રંથ ૧૯૮૨માં પ્રગટ કર્યો. ‘ક્રિતિકા' એ રશિયન ભાષાનો શબ્દ છે. આમાં રમણભાઈએ ચૌદ લેખો સંગૃહીત કર્યા છે. આ સંગ્રહમાં પ્રાચીન અને મધ્યકાલીન કવિલેખકો, કૃતિઓ અને પરિભાષિક વિષયો વિશેના અભ્યાસ લેખો આપવામાં આવ્યા છે. મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી રમણભાઈએ આ લેખમાં નરસિંહ પૂર્વેના લગભગ અઢીસો – ત્રણસો
૨૩૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #280
--------------------------------------------------------------------------
________________
વર્ષના ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. પ્રવાહી, પ્રાસાદિક શૈલીમાં લખાયેલો આ લેખ ગુજરાતી સાહિત્યના આરંભિક સ્તબકનો ખ્યાલ આપે છે.
દયારામના આખ્યાનોમાં દયારામની કવિપ્રતિભાનો વિચાર કરી, સંશોધનની સહજ સૂઝ ધરાવતા રમણભાઈએ દયારામે આખ્યાન સ્વરૂપે કરેલા ખેડાણનો ખ્યાલ આપી તેને ઉચિત પરિપેક્ષ્યમાં, મૂલ્યાંકન ધોરણોને સહેજ પણ શિથિલ કર્યા સિવાય, મૂલવ્યો છે.
રમણભાઈને જ્ઞગુકાવ્યનું સ્વરૂપ અને એના વિકાસમાં ઠેઠ કૉલેજના અધ્યયનકાળથી રસ હતો. તેમણે આ વિષય પર સર્વગ્રાહી ગ્રંથ આપ્યો છે. આ ગ્રંથમાં તેમણે ફાગુકાવ્ય પ્રકારનો પરિચય કરાવી ક્ષગુકાવ્યની વિકાસરેખા આંકી છે. તેમણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના લગભગ બધા ફાગુકાવ્યોનો પરિચય કરાવ્યો છે. તેનો આસ્વાદ કરાવી મૂલ્યાંકન કર્યું છે. આ ઉપરાંત સ્ફૂલિભદ્ર વિશેના, તીર્થવિષયક, અન્ય તીર્થંકર વિષયક, આધ્યાત્મિક, વૈષ્ણવ, લો'થા વિષયક અને સંસ્કૃત ફાગુકાવ્યો વિશે પણ તેમણે લખ્યું છે.
રમણભાઈએ ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવા નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પર શોધનિબંધ લખ્યો હતો. વર્ષો પછી વિજયશેખર કૃત નલદવદંતી પ્રબંધની હસ્તપ્રત હાથમાં આવતા તેનું સંશોધન-સંપાદન કરી પ્રગટ કરી. આમ તેઓ જૈન પરંપરાની એક મહત્ત્વની નલકથાને પ્રકાશમાં આણવા નિમિત્ત બન્યા છે.
આ ઉપરાંત ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય અને મનસુખલાલ ઝવેરી સાથે તેમણે કરાવેલ ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પણ ધ્યાનમાં લેવું પડે. પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ તેમણે ઘણાં વર્ષો સુધી સંભાળ્યું એના તંત્રીલેખો નિમિત્તે તેમણે જે નિબંધો-લેખો લખ્યા તે મુખ્યત્વે અભિચિંતના અને સાંપ્રત સહચિંતન’ના દસેક ભાગ ગ્રંથસ્થ થયા છે. એમાં પણ સાહિત્ય અને કલા સાથે સંકળાયેલા વિષયો પરના અનેક લેખો સાંપડે છે. તેમાં તથા ‘વંદનીય હૃદયસ્પર્શના'ના બે ભાગમાં તેમણે ગુજરાતીના કેટલાક સાહિત્યકારો વિશે લખ્યું છે.
એકાંકી સંગ્રહ પણ તેમના વિવેચન અને સંશોધન-સંપાદનનો વિષય હતો. સંશોધક, સંપાદક, સમીક્ષક, ચરિત્રલેખક, પ્રવાસલેખક ધર્મતત્ત્વશાસનના અભ્યાસી રમણભાઈમાં એક સર્જક પણ છુપાયેલો છે- એનો અહેસાસ આ એકાંકીસંગ્રહ કરી આપે છે.
રમણભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી છે મધ્યકાલમાં પણ રમણભાઈની રુચિ જૈન સાહિત્યમાં વિશેષ જણાય છે. જૈન કવિ અને કૃતિઓ ૫૨ તેમનો વધુ ઝોક છે એ દેખાય છે. જૈન ધર્મ તથા તત્ત્વદર્શનના ઊંડા અભ્યાસી રમણભાઈ જૈન સાહિત્યના પણ અચ્છા અભ્યાસી છે. યશોવિજ્યજી, સમયસુંદર, વિજયશેખર વગેરે જૈન કવિઓ અને ત્રિભુવનદીપક પ્રબંધ’, જંબુસ્વામી રાસ',
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ ૧ ૨૩૧
Page #281
--------------------------------------------------------------------------
________________
નલદવદંતી પ્રબંધ' વગેરે કૃતિઓ પર તેમના લેખો દાંત લેખે જોઈ શકાય.
રમણભાઈ ગુજરાતી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક પણ હતા. ટૂંકી વાર્તા, કરુણપ્રશસ્તિ જેવા સ્વરૂપો પરના લેખો હોય કે અલંકાર કાવ્યપ્રયોજન,
ધ્વનિવિરોધ જેવા ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓ હોય કે સાહિત્યસંસ્કારસેતુ, લેખકનો શબ્દ અને ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન' જેવા લેખો હોય, રમણભાઈમાં રહેલો ગુજરાતી ભાષા સાહિત્યનો અધ્યાપક પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. અનંતરાય રાવળ, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ભોગીલાલ સાંડેસરા જેવા ઉત્તમ અધ્યાપક - વિવેચકોની પરંપરામાં ડૉ. રમણભાઈનું નામ પણ નિઃસંકોચપણે મુકી શકાય એ બરનું તેમનું પ્રદાન છે.
રમણભાઈ સાચા અને સમર્થ અધ્યાપક હોવાથી અનિવાર્યપણે જ એમને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પણ ભણાવવાનું થયું હોય. એ નિમિત્તે ભલે અલ્પ પ્રમાણમાં પણ તેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે પણ લખ્યું છે જ. સરસ્વતીચંદ્ર', “અર્વાચીન કવિતા', “આમ્રપાલી', 'હમીરજી ગોહેલ', “એભલવાળો', ‘આપણા સામાયિકો વગેરે લેખો તથા ૧૯૬૨નું “ગ્રંથસ્થ વાડુમય' પુસ્તક તથા સાંપ્રત સહચિંતનમાં ગ્રંથસ્થ થયેલા અર્વાચીન સાહિત્યકારો ભોગીલાલ સાંડેસરા, હીરાબહેન પાઠક, હરીન્દ્ર દવે, ઉમાશંકર જોષી – વિશેના લેખો અર્વાચીન ગુજરાતી સાહિત્ય સાથે પણ તેમનો જીવંત સંપર્ક હતો એ હકીકત સ્પષ્ટ કરે છે.
રમણભાઈએ શ્યામરંગ સમીપે' એકાંકીઓ અને બેરરથી બ્રિગેડિયર કે ‘વંદનીય હૃદયસ્પર્શનાં કેટલાંક ચરિત્ર નિમિત્તે પોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો હતો. તેઓ મુખ્યત્વે સંશોધક અને સમીક્ષક હતા, વિવેચક હતા. તેથી તેમની ભાષાશૈલી સંશોધકની શિસ્તને અનુસરતી સીધી, સરળ, પ્રવાહી અને પ્રાસાદિક છે. તેમાં અલંકારોની અનાવશ્યક આતશબાજી નથી. ભાષાનો ભભકો નથી કે ક્લિષ્ટતા, દુરાધ્યતા પણ નથી. તેમણે ભાવસાહિત્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખ્યું હોવા છતાં તેમની ભાષામાં એવી સરળતા, સહજતા, પ્રવાહિતા છે કે સામાન્ય વ્યક્તિ પણ તેમના લેખો અનાયાસે વાંચી શકે, સમજી શકે.
રમણભાઈ બહુશ્રુત વિદ્વાન હતા. ભારતીય તથા પ્રાશ્ચાત્ય સાહિત્યનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. તેમના વિશાળ વાંચનમાંથી સંખ્યાબંધ સંદર્ભો અવતરણો રૂપે આવે છે પણ અનિવાર્ય હોય ત્યાં જ, સાહિત્યનું પ્રદર્શન કરવા નહીં. આ અવતરણો તેમના લેખમાં એવા સહજ રીતે ગૂંથાઈ જાય છે કે ક્યાંય ખટકતા નથી, આસ્વાદમાં અવરોધક બનતા નથી.
શ્રી રમણભાઈનું આ સાહિત્ય પ્રદાન ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમણે કરેલા બહુમૂલ્ય પ્રદાનનો અહેસાસ કરાવે છે. મધ્યકાલીન સાહિત્યના અને સવિશેષ તો જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી તરીકે તેઓ ચિરસ્મરણીય રહેશે.
૨૩૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #282
--------------------------------------------------------------------------
________________
એક સાહિત્યકાર તરીકે વિશિષ્ટ ગુણો
(૧) શ્રી રમણભાઈનું સમગ્ર જીવન સાહિત્યને જ સમર્પિત હતું. એવું લાગે કે તેમણે સાહિત્યનો ભેખ લીધો હતો. એમનો વ્યવસાય અધ્યાપકનો હતો, તેમની જીવનની પ્રવૃત્તિઓ સાહિત્યને લગતી જ હતી. જેમ કે તેઓ પ્રબુદ્ધજીવનના તંત્રી હતા, જેન યુવક સંઘના પ્રમુખ હતા. વ્યાખ્યાનમાળાના સમીક્ષક હતા. જેન સાહિત્ય સમારોહના પ્રમુખ હતા. આમ તેમનું સમગ્ર જીવન સાહિત્યમય જ હતું. તેમના દેશવિદેશના પ્રવાસો પણ સાહિત્યના પ્રસાર-પ્રચાર માટે જ હતા.
(૨) તેઓ અનેકમુખી સાહિત્યપ્રતિભા ધરાવનાર હતા. તેઓ સંશોધક હતા, વિવેચક હતા, સંપાદક હતા, લેખક હતા, તત્ત્વજ્ઞાની હતા, પ્રકીર્ણક હતા. એકાંકી લખતા, ચારિત્રો પણ આલેખતા, અને પ્રવાસોની માહિતી પણ આપતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા.
(૩) તેઓ પોતે જૈન હતા અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા. પોતે રિટાયર્ડ થયા પછી રોજના સાતથી આઠ સામાયિક કરતા. પોતાનાથી કે બીજાથી ક્યાંય ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેનું ખૂબ ધ્યાન રાખતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સમીક્ષક તરીકે આ બાબતનું ખૂબ ધ્યાન રાખતા. એક વાર એક વિદ્વાન વક્તાએ ઘાતી-અઘાતી કર્મોના નામ બોલવામાં ભૂલ કરી તો તેમણે નિઃસંકોચ તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. જૈન ધર્મના સૂત્રોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો તેઓ વિરોધ કરતા. તેઓ કહેતા કે ડૉક્ટર કે એન્જિનિયર થવા મહેનત કરો છો તો આ ભણવું હોય તો તેના માટે ગુજરાતી શીખો, સંસ્કૃત ભણો. એક વક્તાએ ‘સર્વધર્મ સમભાવની વાત કરી ત્યારે તેમણે ટકોર કરી કે “સોનાને જ સોનું કહેવાય બધાને સોનું ન કહેવાય.
(૪) તેઓ જૈન શિક્ષણસંઘ' આયોજીત વખ્તત્વ સ્પર્ધામાં જજ તરીકે આવતા ત્યારે હરિફાઈ દરમિયાન તે દરેક મુદ્દા નોટ કરતાં. હરિફાઈનું પરિણામ જાહેર કરતા પહેલા વક્તાઓને ઉપયોગી થાય તેવી માહિતીની અત્યંત સૂક્ષ્મ છણાવટ કરતા. વક્તાઓને ઉપયોગી થાય, તેનું વક્તવ્ય ઉત્તમ કોટિનું બને એ માટેની સમજણ આપતા. સાહિત્ય સમારોહમાં પણ તેમણે સમારોહના અંતે કરેલી સમીક્ષા વક્તાઓને વિશિષ્ટ માર્ગદર્શન આપતી.
રમણભાઈ વિશે જેટલું લખીએ અલ્પ જ હોવાનું છે. તેમના વિશે આ જે માહિતી આપી તે સાગરમાંથી ગાગર જેટલી જ માહિતી છે.
આવા શાસ્ત્રજ્ઞ, પ્રેમાળ અધ્યાપક, હિતેચ્છુ એવા મહાન સાહિત્યકારની વિદાયથી સાહિત્યજગતને, જૈનધર્મને, અધ્યાપન જગતને મોટી ખોટ પડી છે.
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૩૩
Page #283
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ
શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર.રેખાચિત્ર-સંસ્મરણ
ગુલામોનો મુક્તિદાતા હેમચંદ્રાચાર્ય વંદનીય હૃદયસ્પર્શ પ્રભાવકસ્થવિરો, ભાગ ૧થી ૬ : તિવિહેણ વંદામિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી મોહનલાલજી મહારાજ શેઠ મોતીશાહ બેરરથી બ્રિગેડિયર
પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર
એવરેસ્ટનું આરોહણ રાણકપુર તીર્થ ઉત્તરધ્રુવની શોધ-સફર ન્યૂઝીલેન્ડ પ્રદેશે જય-વિજયના ઓસ્ટ્રેલિયા પાસપોર્ટની પાંખે પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન
પાસપોર્ટની પાંખે – ભાગ ત્રીજો નિબંધ
સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫
અભિચિંતના સાહિત્ય-વિવેચન
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય બંગાકુ-શુમિ
ક્રિતિકા
૨૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #284
--------------------------------------------------------------------------
________________
નળ-દમયંતીની કથાનો વિકાસ
સમયસુંદર
પડિલેહા
૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય ગૂર્જર ક્ષગુસાહિત્ય
સંશોધન-સંપાદન
નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) જંબુસ્વામી રાસ (યશોવિજ્યકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિષ્કૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) થાવચ્ચાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) નલરાય-દવદંતી ચરિત્ર
(ઋષિવર્ધનસૂરિકૃત)
ધના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) બે લઘુ રાસકૃતિઓ
(જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત)
ધર્મ-તત્ત્વજ્ઞાન
જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ)
જ્ઞાનસાર
જિનતત્ત્વ, ભાગ ૧થી ૮
કન્ફ્યૂશિયસનો નીતિધર્મ
વીર પ્રભુનાં વચનો ભાગ ૧-૨ Buddhism
havir & Jainism
An Introduction Shraman Bhagwan Ma
જૈનધર્મ (હિંદી આવૃત્તિ)
બૌદ્ધધર્મ
નિદ્ભવવાદ તાઓ દર્શન
અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ અધ્યાત્મસાર (સંપૂર્ણ)
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૩૫
Page #285
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપ
સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ
રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી)
ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે)
મનીષા ચિંતનયાત્રા અવગાહન સમયચિંતન મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ શ્રેષ્ઠ નિબંધિકાઓ નીરાજના જીવનદર્પણ તત્ત્વવિચાર અને અભિવંદના શબ્દલોક અક્ષરા કવિતાલહરી
પ્રકીર્ણ
એન. સી. સી. જેન લગ્નવિધિ
ડો. છાયા શાહ ૯૪, લાવણ્ય સોસાયટી, વિકાસગૃહ રોડ, પાલડી,
અમદાવાદ ટેન.નં. 26612860 મો. 9998336992
૨૩૬ મે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ
જાદવજી વોરા
[ગમતાંનો કરીએ ગુલાલ’ એવો સ્વભાવ ધરાવનાર શ્રી જાદવજીભાઈ પોતાની પાસે કોઈ સુંદર સાહિત્ય, નવો વિચાર આવે કે તરત પોતાના બહોળા મિત્રવર્તુળમાં તેને વહેંચવામાં આનંદનો અનુભવ કરે છે. પ્રસ્તુત લેખતાં તેઓએ પ્રો. તારાબહેન અને તેમના સાહિત્યની અવનવી વાતો કરી છે. – સં.]
આર્યાવર્તના અજવાળા અને પરમ પ્રકાશના તેજોમંડળે જે ધરતીને સોનેથી મઢેલી છે, એવી અધ્યાત્મ સંસ્કૃતિથી આચ્છાદિત આ ભારત દેશની માટીના કણકણ સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓના આદર્શની ઉજ્જ્વળ યશોગાથાઓથી સુરભિત છે. ભારતના વિવિધ ધર્મ તેમ જ દર્શનોમાં વૈયક્તિક રૂપથી નારી સાધિકાઓના વિશાળ પ્રમાણમાં ઉલ્લેખો મળે છે. પરંતુ, શ્રમણી અને શ્રાવિકાસંઘનું વ્યવસ્થિત અને વિશાળ સ્વરૂપ જૈન ધર્મમાં દૃષ્ટિગોચર થાય છે. જૈન ધર્મનો સાચો વારસો તેનું વિપુલ સાહિત્ય છે. આ સાહિત્યિક વારસાને જાળવવા અને તેનું સંવર્ધન કરવા પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહે અથાગ પરિશ્રમ કર્યો છે.
જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સ્વામી સુધી ચતુર્વિધ સંઘમાં નારીને શ્રમણી અને શ્રાવિકા સંઘમાં સમ્મિલિત કરી છે. પ્રોફેસ૨ તારાબહેન રમણલાલ શાહ જેવી સુશ્રાવિકાઓ જૈન ધર્મની આન, બાન અને શાન છે.
શ્રુતઉપાસિકા પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના શ્રી દીપચંદભાઈ ત્રિભોવનદાસ શાહને ત્યાં માતા ધીરજબહેન દીપચંદભાઈ શાહની રત્નકુક્ષીએ ૩૧મી જુલાઈ, ૧૯૨૮ના સપરમા દિવસે લખનૌ શહેરમાં થયો હતો. તારાબહેનના પિતાશ્રી દીપચંદભાઈ ત્રિભોવનદાસ શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માનદ મંત્રી હતા અને આ સંસ્થાની ઊજળી ઇમારતના તે પાયાના પથ્થરસમ હતા.
તારાબહેનનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદ, કાંચી અને મુંબઈમાં થયો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ. એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ૨૩ વ૨સની વયે ૧૯૫૧માં સોફિયા કૉલેજમાં બી.એ.ના ગુજરાતી વિષયના પ્રાધ્યાપિકા તરીકે જોડાયા. સતત ૩૮ વ૨સો સુધી અધ્યાપન
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૩૭
Page #287
--------------------------------------------------------------------------
________________
કરાવીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ' તરીકે ફરજ બજાવતાંની સાથેસાથે ૨૦ વરસો સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય પણ રહ્યા. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતીના સભ્ય અને આત્મવલ્લભ મંગલ મંદિરના ચેરપરસન તથા શ્રાવિકાશ્રમ પાલિતાણા)ના મંત્રી હતા.
તારાબહેનના જીવનમાં જૈનધર્મ તાણાવાણાની જેમ રોમેરોમમાં વણાઈ ગયો હતો. એ મહા ગૌરવની બાબત છે કે તેમના હાથ નીચે પ્રસિદ્ધ કવિ ડો. સુરેશ દલાલ, વિદુષી ડૉ. કલાબહેન શાહ, પ્રબુદ્ધ જીવનના તંત્રી ડો. ધનવંતભાઈ શાહ, જાણીતા પ્રોફેસર ડો. ગુલાબભાઈ દેઢિયા, શ્રી કાંતાબહેન ભટ્ટ, શ્રી દિનેશભાઈ ભટ્ટ તથા શ્રી સીતાંશુ યશશ્ચન્દ્ર જેવી મહાન હસ્તિઓએ એમ.એ.નો અભ્યાસ કર્યો છે.
તારાબહેનને જૈન ધર્મદર્શનનું અનન્ય આકર્ષણ હતું. જૈન સાહિત્યના તેમના વાંચન અને ઊંડા અધ્યયનને કારણે શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજીત પર્યુષણ તથા વસંત વ્યાખ્યાનમાળાઓમાં તેમને સર્વ પ્રથમ સ્ત્રી વ્યાખ્યાતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ત્યારથી જેનોની આવી અગ્રગણ્ય મહાન સંસ્થામાં તેઓ મરણપર્યંત આશરે ૫૦ વરસ સુધી સંકળાયેલા રહ્યા. તેમણે જૈન સાહિત્ય સમારોહમાં સત્રપ્રમુખ તરીકેનું સ્થાન પણ શોભાવ્યું હતું. તેમની પ્રેરણા થકી શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં અન્ય સ્ત્રી વક્તાઓ પણ આવતી થઈ. એક વખત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૧૮ જેટલી બધી જ સ્ત્રી વક્તાઓ હતી. નારીઓ માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના છે.
તારાબહેનની પ્રવચન શૈલી એટલી બધી આકર્ષક હતી કે માત્ર વિદ્વાનોને જ નહીં પણ જનસામાન્યને પણ આકર્ષિત કરતી જેથી કરીને આગળ વિવિધ જૈન સોશ્યલ ગ્રૂપ, ઝાલાવાડ ગ્રૂપ, અન્ય સામાજિક સંસ્થાઓ તથા મહિલામંડળોમાં પણ વક્તવ્યો આપવા માટે તેમને આમંત્રિત કરવામાં આવતા. ભારત સિવાય વિદેશના દેશોમાં પણ તેઓ પ્રવચનો આપવા જતા હતા. ડૉ. રમણભાઈ સાથે તેમણે પણ લંડન, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ તથા સિંગાપોરમાં જૈન સાહિત્યના વિષયો ઉપર ગુજરાતી ભાષામાં પ્રવચનો આપીને હજારો-લાખો લોકોને પોતાની મધુરી વાણીથી મંત્રમુગ્ધ કર્યા હતા.
અનેક દૈનિકો અને સામયિકોમાં અવારનવાર પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહના જેન ધર્મ તથા ગુજરાતી સાહિત્ય વિશેના લેખો તો છપાતા જ હતા તથા ભારતના અને દુનિયાના ઘણા દેશોમાં વ્યાખ્યાનો પણ આપતા હતા. તેમણે પ્રાચીન સાહિત્ય સુધા શ્રેણી અંતર્ગત સંસ્કૃતના પ્રખ્યાત નાટકોને ૧૯૫૭માં ગુજરાતી ભાષામાં કથાસ્વરૂપે રજૂ કર્યા, જે પાછળથી દસ નાની નાની પુસ્તિકા સ્વરૂપે પ્રગટ થયા અને ફરી વાર ૨૦૦૫માં સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧ રૂપે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પ્રગટ કર્યા.
સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧માં મહાકવિ કાલિદાસના 'શાકુન્તલ', ૨૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #288
--------------------------------------------------------------------------
________________
‘વિક્રમોર્વશીય’ તથા માલવિકાગ્નિમિત્ર' નામક ત્રણ, કવિ હર્ષના પ્રિયદર્શિકા', રત્નાવલી’ અને ‘નાગાનંદ' નામક ત્રણ તથા કવિ ભાસ લિખીત પંચરાત્ર', પ્રતિમા', પ્રતિજ્ઞાયોગન્દરાયણ” તથા “સ્વપ્નવાસવદત્તા' નામક ચાર નાટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહાકવિ કાલિદાસ આપણા સંસ્કૃત સાહિત્યના એક અમર કવિ છે. બાણ, રાજશેખર, જયદેવ, મલ્લિનાથ, દંડી, ગટે, ટાગોર વગેરે એમની પ્રશંસા કરતાં થાક્યા નથી. કાલિદાસનું સર્વશ્રેષ્ઠ નાટક “શાકુન્તલ' જગતની એક શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ તરીકે અમર થયું છે. એમાં આપણને સંપૂર્ણ સંવાદી દામ્પત્યજીવનનું સુરેખ દર્શન થાય છે. વિક્રમોર્વશીય’ નાટકમાં બુધ અને ઇલાથી ઉત્પન્ન થયેલા ચંદ્રવંશના રાજા પુરૂરવા અને નારાયણની જંઘામાંથી ઉત્પન્ન થયેલી દેવલોકની અપ્સરા ઉર્વશીની પ્રેમકથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકને કાલિદાસે સંવિધાનનું ચાતુર્ય, મનોહર કલ્પનાઓ, પ્રકૃતિસૌંદર્યનાં સુંદર વર્ણનો, પદ્મનું માધુર્ય અને રસના પરિપૂર્ણ આલેખન વડે એક ઉચ્ચ કક્ષાની કલાકૃતિ બનાવ્યું છે. માલવિકાગ્નિમિત્ર' નાટક કાલિદાસની તરુણાવસ્થાની પ્રથમ કૃતિ હોવા છતાં એક સફળ કૃતિ છે. નૃત્ય-નાટકની સ્પર્ધા, બંને નાટ્યાચાર્યો વચ્ચેનો ઝઘડો, નૃત્ય કરતાં રાજકુમારી માલવિકાએ ગાયેલું સૂચક ગીત, વિદૂષકને સાપનું કરડવું, રાણી ધારિણીના પગને ઈજા થવી, માલવિકાએ અશોકનો દોહદ પૂરો પાડવા જવું વગેરે પ્રસંગોના આલેખનમાં કવિ કાલિદાસની અસાધારણ કલ્પનાશક્તિ અને સંવિધાન કલા જોવા જેવી છે.
હર્ષવર્ધનના પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામક નાટકોના કર્તા ખરેખર પોતે હતા કે પછી પૈસા આપી બીજાઓ પાસે લખાવી પોતાને નામે એ નાટકો ચડાવ્યા એ વિશે પ્રાચીન કાળમાં મતભેદ ઊભો થયો હતો. જોકે એના લેખક હર્ષ જ છે એ વિશે હવે કોઈ શંકા રહી નથી. ઉપરૂપક પ્રકારના આ નાટક પ્રિયદર્શિકામાં રાજા ઉદયનને રાણી પ્રિયદર્શિકા કેવી રીતે મળે છે એનું આલેખન કરવામાં આવ્યું છે. આ નાટકમાં શૃંગાર રસની સાથેસાથે કરુણ, હાસ્ય અને અભુત રસનું સંયોજન થયેલું છે. નાટક “રત્નાવલીમાં રાજા ઉદયનને રાણી રત્નાવલી કેવી રીતે મળે છે એનું આલેખન કરવામાં આવ્યું છે. આ નાટકમાં મુખ્ય શૃંગાર રસ છે. હર્ષ રચિત ત્રીજું નાટક ‘નાગાનંદ સંસ્કૃત નાટક સાહિત્યમાં કથાવસ્તુની દૃષ્ટિએ તદ્દન જુદી જ ભાત પાડે છે. તેમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય અને અદ્દભુત રસનું આલેખન કરવામાં આવ્યું છે. બૌદ્ધકથાવસ્તુ, બુદ્ધની સ્તુતિ તથા અહિંસાની ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
- ત્રીજી શતાબ્દીના અંતે અને ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલ સુપ્રસિદ્ધ નાટ્યકાર ભાસે કુલ તેર નાટક લખ્યા છે. તેના નાટકોના આદિ મંગલ જોતાં તે વિષ્ણુભક્ત હોય એમ લાગે છે. મહાભારતમાંથી કથાવસ્તુ લઈને પંચરાત્ર’ નાટકમાં
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૩૯
Page #289
--------------------------------------------------------------------------
________________
માત્ર પાંચ રાત્રિીઓમાં જ પાંડવો પોતાના અજ્ઞાતવાસમાંથી પ્રગટ થાય તો તેમને અડધું રાજ્ય આપવાની શરતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રતિમા' નાટકનું કથાવસ્તુ રામાયણમાંથી લેવામાં આવ્યું છે. આમાં રામના રાજ્યાભિષેકથી માંડી વનમાંથી પાછા ફરે છે ત્યાં સુધીની કથા ગૂંથવામાં આવી છે. મોસાળેથી પાછા ફરતા ભરતને દશરથ રાજાના મૃત્યુનો ખ્યાલ નથી, પરંતુ, તે રાજધાનીમાં પ્રવેશતાં પહેલાં સૂર્યવંશી સ્વર્ગસ્થ રાજાઓની પ્રતિમાઓના પ્રાસાદમાં દશરથ રાજાની પ્રતિમા જોતાં જ મૂછ પામે છે, તેથી આ નાટકનું નામ પ્રતિમા રાખવામાં આવ્યું છે. ત્રીજા નાટક પ્રતિજ્ઞાયૌગંધરાવણમાં તત્કાલીન સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. વીરરસ પ્રધાન આ નાટકનું સંયોજન લેખકે રસિક રીતે કર્યું છે. “સ્વપ્નવાસવદત્તા” એ ભાસનું એક ઉત્તમ અને સફળ નાટક છે. સમાલોચનારૂપી અગ્નિમાં ભાસના નાટકોનો સમૂહ નાખવામાં આવ્યો ત્યારે એ અગ્નિ સ્વપ્નવાસવદત્તાને બાળી શક્યો નહીં એટલે આ ભાસનું સુંદર, સફળ અને શ્રેષ્ઠ નાટક ગણાય છે.
સન ૧૯૫૮માં તારાબહેને સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ ૧-૨ પ્રગટ કર્યા જેમાં મહત્ત્વના આદિ કવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, શામળ, દયાનંદ વગેરેનું જીવન તેમ જ તેમની કૃતિઓનું વિવેચન કર્યું છે તથા છંદ, અલંકાર વગેરેનું ઝીણવટભર્યું નિરૂપણ કર્યું છે. આ પુસ્તક પ્રગટ થયાની સાથે જ એમ.એ.ના પાઠ્યક્રમમાં સ્થાન પામ્યું, જે તેમની આગવી સિદ્ધિ અને એક સમર્થ જૈન શ્રાવિકાનું સાહિત્યક્ષેત્રે અનન્ય પ્રદાન ગણી શકાય.
સન ૧૯૮૯માં તારાબહેન લિખીત શ્રીમદ રાજચંદ્ર નામક પુસ્તિકા પરિચય ટ્રસ્ટના નેજા હેઠળ બહાર પાડવામાં આવી, જેની છ આવૃત્તિઓ થઈ. સન ૧૯૯૯માં તારાબહેને આર્ય વજસ્વામી નામક પુસ્તિકા બહાર પાડી. જોકે તેમના અવસાન બાદ પાછળથી નવેમ્બર, ૨૦૦૯માં આ બંને પુસ્તિકાનો સમાવેશ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશિત પ્રબુદ્ધ ચરણેમાં કરવામાં આવ્યો છે.
આ પુસ્તિકાઓ પછીનું તેમનું પુસ્તક એટલે આપણા તીર્થકરો. આ પુસ્તકને આપણે આપણા તીર્થકરો વિશેની તમામ માહિતી પૂરી પાડતો એક એન્સાયક્લોપીડિયા જેવો ગ્રંથ કહી શકીએ. આપણા તીર્થકરો વિશે વિવિધ પ્રકારની પ્રકીર્ણ પારિભાષિક માહિતી આપતો, સંદર્ભ ગ્રંથની ગરજ સારે એવો, સંકલનના પ્રકારનો આ ગ્રંથ છે. એક જ સ્વતંત્ર ગ્રંથમાં એક જ સ્થળે આ બધી માહિતી સાંપડી રહે એવા શુભ આશયથી તેમણે આ ગ્રંથનું સંકલન કર્યું છે. એ માટે તેમણે પ્રવચન સારોદ્વાર તથા સપ્તતિશતસ્થાનક પ્રકરણ જેવા અનેક ગ્રંથોનો આધાર લઈને આ ગ્રંથને પ્રમાણભૂત બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.
આ ગ્રંથમાં વર્તમાન ચોવીશીના તીર્થકરોના માતા-પિતા, લાંછન, જન્મસ્થળ, જન્મદેશ, યક્ષ-યક્ષિણી, શરીરની ઊંચાઈ, વર્ણ, ચ્યવન કલ્યાણક, ચ્યવન નક્ષત્ર, કયા લોકથી અવન, ભવ સંખ્યા, તીર્થંકર નામકર્મની નિકાચનાનો ભવ, પૂર્વભવ
૨૪૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #290
--------------------------------------------------------------------------
________________
નગરી, પૂર્વ દેવભવનું આયુષ્ય, ગર્ભવાસ માસ-દિવસ, જન્મ કલ્યાણક, જન્મ નક્ષત્ર, દિક્ષા નક્ષત્ર, કેવળજ્ઞાન નક્ષત્ર, રાશિ, ગણ, વંશ, ગોત્ર, યોનિ, કુમાર અવસ્થા, રાજ્ય અવસ્થા, પદવી, માતા-પિતાની ગતિ, વિવાહિત કે અવિવાહિત, પત્નીનું નામ, દીક્ષા કલ્યાણક, દીક્ષાનગરી, દીક્ષાભૂમિ, સહદીક્ષા, દીક્ષા વખતે બેઠેલા તે શિબિકાનું નામ, દીક્ષાનો સમય, દીક્ષા સમયનું તપ, દીક્ષા પછી પ્રથમ પારણાનું દ્રવ્ય, પ્રથમ ભિક્ષાદાતા, છઘ0 કાળ, કેવળજ્ઞાન કલ્યાણક, કેવળજ્ઞાન નગરી, કેવળજ્ઞાન ભૂમિ, કેવળજ્ઞાન સમયનું તપ, જ્ઞાનવૃક્ષની ઊંચાઈ, પ્રથમ દેશનાનો વિષય, ગણધર સંખ્યા, મુખ્ય ગણધર, પ્રથમ શિષ્ય-શિષ્યા, મુખ્ય ભક્ત રાજા, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર, વૈક્રિય લબ્ધિધર, સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા, નિર્વાણ કલ્યાણક, નક્ષત્ર, રાશિ, આસન, તપ, કુલ દીક્ષાપર્યાય, આયુષ્ય, નિર્વાણભૂમિ, સહનિવણ, નિવણવેળા તથા નિવણ પછી આંતરાની સંપૂર્ણ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આ પુસ્તકમાં ગઈ ચોવીશી તથા આવતી ચોવીશીના તીર્થકરોના લાંછન, શરીરની ઊંચાઈ, આયુષ્ય, કોનો જીવ હાલ ક્યાં છે તથા વીસ વિહરમાન જિનેશ્વરો તથા ઉત્કૃષ્ટ કાળે વિચરેલા ૧૭૦ તીર્થકરોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, પરિશિષ્ટમાં અતિ ઉપયોગી એવી અરિહંત પરમાત્માના બાર ગુણ, તીર્થંકર પરમાત્માના અતિશયો, તેમની વાણીના પાંત્રીસ ગુણ, તેમની માતાના સ્વપ્ન, પૂર્વ ભવના દીક્ષાગુરુ, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરો, તેમના પૂર્વભવ તથા શાશ્વતા જિનચૈત્ય તથા તેમાં રહેલી પ્રતિમાઓની સંખ્યા, વર્તમાન ચોવીસીના તીર્થકરોના યક્ષ-યક્ષિણીની માહિતી તથા શ્રી મહાવીર સ્વામીના ગણધરો અને ૬૩ શલાકાપુરુષો સંબંધિત માહિતી આપીને આ ગ્રંથને એક દળદાર સંગ્રહવાલાયક ગ્રંથ બનાવવામાં આવ્યો છે.
/ તારાબહેન રમણલાલ શાહનું અંતિમ પુસ્તક એટલે : પ્રબુદ્ધ ચરણે. આ પુસ્તકમાં જિનશાસનના પ્રભાવશાળી એવા પાંચ મહાપુરુષના જીવનેચરિત્રો આલેખવામાં આવ્યા છે. ૧. આર્ય વજસ્વામી, ૨. અધ્યાત્મવીર શ્રીમદ રાજચંદ્ર, ૩. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી, ૪. આત્મદર્શી પ્રતિભાવંત શ્રી રાકેશભાઈ ક્વેરી અને ૫. શ્રદ્ધેય વિદ્વાન શ્રી રમણલાલ ચી. શાહ તારાબહેને સમયે સમયે આ ચારિત્રો આલેખ્યાં હતાં, પરંતુ તે જુદાં જુદાં સામયિકોમાં છપાયાં હોઈ તેમની ઈચ્છા હતી કે આ બધા જ ચારિત્રો એકસાથે પુસ્તકરૂપે છપાય. આ કાર્યનો પ્રારંભ કરતા પૂર્વે જ શ્રીમતી તારાબહેનનું દુઃખદ અવસાન થયું. આ તેમની અંતિમ ઇચ્છા તેમના સુપુત્રી શૈલજાબહેનને ખ્યાલ હોઈ તેમણે આ કાર્ય સહર્ષ સ્વીકારીને પૂર્ણ કર્યું.
સમયે સમયે જિનશાસનમાં અનેક પ્રભાવક પુરુષો થયા છે જેમના જીવન અને કવનથી જિનશાસન ગૌરવવંતુ બન્યું છે. આર્ય વજસ્વામીનું જીવન, વૈરાગ્ય, જ્ઞાન અને પ્રભાવ અદ્દભુત હતા. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી એમના
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૪૧
Page #291
--------------------------------------------------------------------------
________________
શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વરસે આવનાર આર્ય વજસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા.
ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ઈ. સ. ૧૮૬૭ની કાર્તિક પૂર્ણિમાને દિવસે શ્રીમદ રાજચંદ્રનો જન્મ પિતા રવજીભાઈ પચાણભાઈ મહેતા ધર્મે વૈષ્ણવ તથા માતા દેવબાઈ ધ જૈનને ઘેર થયો હોઈ જન્મથી જ વૈષ્ણવ અને જેન એમ બંને ધર્મના સંસ્કારનો લાભ મળ્યો હતો. સામાજિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે ક્ષેત્રોની જાગૃતિ માટે તૈયાર થયેલી ભૂમિકાને વધુ વેગ અને બળ આપનારા મહારથીઓમાં ગાંધીજી, ટાગોર, અરવિંદ ઘોષ વગેરેની સાથે શ્રીમદ રાજચંદ્રનો પણ ઉલ્લેખ કરાય છે.
સાહિત્યકાર તરીકેની શ્રીમદની પ્રતિભા નૈસર્ગિક અને ઉચ્ચ પ્રકારની હતી. માત્ર અગિયાર વરસની ઉંમરે તેમણે કાવ્યલેખનની પ્રવૃત્તિ આરંભી. કિશોરાવસ્થામાં ઈનામી નિબંધો લખવા માંડ્યા જે બુદ્ધિપ્રકાશ, સૌરાષ્ટ્ર દર્પણ તથા વિજ્ઞાન વિલાસ જેવા સામયિકોમાં છપાતા. સોળ વરસની વયથી તેમની અંતરંગ દશા જાગ્રત થઈ ગઈ હતી જ્યારે તેમણે ભાવનાબોધ, મોક્ષમાળા, અપૂર્વ અવસર તથા આત્મસિદ્ધિ જેવી મહાન કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. આ ઉપરાંત, શ્રીમદે ઉતરાધ્યયનસૂત્ર, દ્વાદશાનુપ્રેક્ષા, સ્વરોદયજ્ઞાન, પુષ્પમાળા, વચનસપ્તશતિ, વચનામૃત વગેરે કૃતિઓની રચના કરી.
શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રેરણામૂર્તિ અને શરૂઆતના વર્ષોમાં સલાહકાર પુણ્યશ્લોક પદ્મભૂષણ પંડિત સુખલાલજી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રેરણાસ્ત્રોત તથા પહેલા પ્રમુખ હતા. તેમની પ્રેરણાને કારણે જૈન યુવક સંઘને કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, ક. મા. મુનશી, બ. ક. ઠાકોર, ઢેબરભાઈ, ચીમનલાલ ચકુભાઈ, પરમાનંદ કાપડિયા જેવા કેટલાય પ્રતિષ્ઠિત વક્તાઓનો લાભ મળ્યો. પંડિતજી ૩૦ વર્ષ સુધી વ્યાખ્યાનમાળાના પ્રમુખ રહ્યા. એ પછી ડૉ. ઝાલાસાહેબ ૧૦ વરસ સુધી, ડૉ. રમણભાઈ ૩૪ વરસ સુધી અને હાલમાં ૨૦૦૬થી ડો. ધનવંતભાઈ શાહ જેવા વિદ્વાન પ્રમુખો આપણને સાંપડ્યા છે.
માત્ર સોળ વરસની ઉંમરમાં શીતળામાં આંખો ગુમાવ્યા છતાં ભણવા માટે કાશી ગયા. અસહ્ય ગરમી અને અસહ્ય ઠંડી વેઠી જીવાતવાળા ઘાસ ઉપર સૂઈને માત્ર એક શેતરંજી ઓઢે. પૈસાની, રહેવાની અને જમવાની મુસીબતોને અવગણી દઢ મનોબળથી મહેનત કરી ચાલીસ જેટલા મહાન ગ્રંથોનું સર્જન કરી, અનેકને અધ્યયનમાં સફળ માર્ગદર્શન આપી, ભારતના મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત બન્યા.
૧૯૫૭માં અખિલ ભારતીય ધોરણે પંડિતજીની વિદ્વતાને અને સિદ્ધિઓને બિરદાવવાનો કાર્યક્રમ તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખ પદે થયો હતો. ૨૦૦૭માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનુપમ આદર અને ખ્યાતી
૨૪૨ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #292
--------------------------------------------------------------------------
________________
' પામનાર પંડિત સુખલાલજીને સવાસો વરસ થયા તેની ઉજવણીરૂપે શ્રી મુંબઈ યુવક
જૈન સંઘ અને ગુજરાતી સાહિત્ય પરિષદની હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠના સંયુક્ત ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિતજી નિસ્પૃહ હતા. તેમને અનેક સુવર્ણચંદ્રકો, એવોર્ડ અને પારિતોષિકો મળ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિર્વર્સિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ ત્રણે યુનિવર્સિટી તરફથી તેમને ડી.લિટ.ની પદવી મળી. અન્ય ઘણી સંસ્થાઓ તરફથી તેમના પુરુષાર્થની યોગ્ય કદર થઈ. એ બધું તેમણે સહજભાવે સ્વીકાર્યું. તેમના વાણી, | વિચાર કે વર્તનમાં કોઈ જ અસર નહોતી.
પંડિતજીએ આંખની ઊણપ હોવા છતાં એક યુનિવર્સિટીનું મોટું ડિપાર્ટમેન્ટ કરી શકે તેવા મોટા પ્રોજેક્ટ જેવા અનેક કામો કર્યા. તેમણે હેમચંદ્રાચાર્ય લિખિત ૧૮૦૦ શ્લોક પ્રમાણ વ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસન મોઢે કર્યું. પૂર્વાચાર્યો સિદ્ધસેન દિવાકર, હરીભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરેની કૃતિઓનું સંશોધન કર્યું. અંધ અવસ્થામાં પણ તેમણે કરેલા ભગીરથ પ્રયત્નો જાણીએ ત્યારે આપણને નવાઈ લાગે કે પંડિત સુખલાલજીએ કેટલી સમતાથી સંકટને સિદ્ધિમાં ફેરવ્યું હશે !
અશુભને ખંખેરીને શુભ તરફ ગતિ કરાવતો પંડિતજીનો મંગળ અભિગમ સર્વેને માટે પ્રેરણાદાયી રહ્યો છે. છલકાતી પ્રસન્નતાપૂર્વક લખે છે કે, મારી પ્રવૃત્તિ અધ્યયન, લેખન, સંશોધન, સંપાદન, સામાજિક તથા ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. દીર્ઘકાલીન શાસ્ત્રીય અને વ્યવહાર કાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનની વૃત્તિ જ રહેલી છે. આ વૃત્તિએ જ મને અનેક સપુરુષોની ભેટ કરાવી, પંથ અને ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢી, અનેકવિધ પુસ્તકોના ગંજમાં ગરકાવ કરી, અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેય.”
આત્મદર્શી ડૉ. રાકેશભાઈ ઝવેરી અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર વિશેના લેખની શરૂઆતમાં તારાબહેન લખે છે કે, વર્તમાન સમયમાં માણસ જેટલો કુદરતનિર્મિત આપત્તિથી દુઃખી છે તેના કરતાં માનવસર્જિત આપત્તિથી વધુ દુઃખી છે. આ દુઃખમાંથી માનવને બચાવવો દુનિયા સામે મોટો પડકાર છે. આવી શક્તિ ધર્મને જાણનાર, જીવનાર અને લોકોને તેના માટે માર્ગદર્શન આપનાર ધર્મપુરુષોમાં છે. વર્તમાન સમયમાં આવી વ્યક્તિઓમાં જેમનું નામ આદરપૂર્વક, પ્રેમપૂર્વક લેવાય છે તેવી એક વ્યક્તિ ડૉ. રાકેશભાઈ ઝવેરી છે.”
૧૯૮૯માં તત્ત્વજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે હાંસલ કરી. ૧૯૮૫થી ૧૯૯૧ સુધીમાં તેમણે ષડ્રદર્શન, જૈન શ્વેતાંબર અને દિગંબર શાસ્ત્રોનો, ન્યાય અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્રનો તેમના જીવન પર ઘણો મોટો પ્રભાવ છે. ડો. રમણલાલ સી. શાહના માર્ગદર્શન હેઠળ તેમણે શોધનબિંધ લખ્યો, જેમાં અધ્યાત્મપથના અભ્યાસીને
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૪૩
Page #293
--------------------------------------------------------------------------
________________
જરૂરી ખુલાસા મળવા ઉપરાંત ગાથાઓમાં રહેલું ગૂઢ રહસ્ય સરળ રીતે સમજાવ્યું છે. એ વાંચતા તેમાં સંક્ષિપ્તમાં મોક્ષમાર્ગનો સંપૂર્ણપણે પરિચય થાય છે.
શ્રી રાકેશભાઈ ઝવેરીનું મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે યુવાવર્ગને નવી દિશા બતાવી. સમાજનો શિક્ષિત વર્ગ, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યાપક વગેરે જૈન અને જૈનેતર, ભારતનો અને વિદેશનો યુવાવર્ગ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાયો છે.
તારાબહેન રમણલાલ શાહના સાહિત્ય સર્જનના શિરમોરસમ પ્રબુદ્ધ ચરણે પુસ્તકનો અંતિમ અધ્યાય તેમણે આપણા સહુના પ્રિય એવા ડો. રમણલાલ ચીમનલાલ શાહને અર્પણ કર્યો છે. તેમનો જન્મ માતા રેવાબહેન અને પિતા ચીમનલાલ અમૃતલાલ શાહની કૂખે ૩જી ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ વડોદરા જિલ્લાના પાદરા ગામે થયો હતો. ૧૯૫૦માં ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ.માં પ્રથમ આવવા માટે તેમને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક તથા કેશવલાલ ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત થયા. ઝેવિયર્સ કોલેજમાં પ્રથમ આવવા માટે સંત ફ્રાન્સિસ ચંદ્રક મળ્યો. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. કૉલેજે અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવા માટે તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાં પંડિત સુખલાલજી અને મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સંપર્કને કારણે પ્રાકૃત, અપભ્રંશ તથા જૂની ગુજરાતીનો અભ્યાસ કરી પીએચ.ડી. માટે નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પસંદ કર્યો. ગાઈડ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ ૧૯૬૧માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને ૧૯૬૩માં જ પોતે પણ પીએચ.ડી.ના માર્ગદર્શક બન્યા. ફાગુ, ખંડકાવ્ય વગેરે જેવા ગુજરાતી સાહિત્યના જુદાજુદા વિષયો, ગીતા, રામાયણ, મહાભારત, સ્વામિનારાયણ સંપ્રદાય અને જૈન ધર્મના જુદાજુદા વિષયો, ચંદરાજાનો રાસ, જયશેખરસૂરિ વગેરે વિવિધ વિષયો પર તેમણે ૧૮ વિદ્યાર્થીઓ પાસે શોધનિબંધો તૈયાર કરાવ્યા. રમણભાઈ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. તેમના હાથ નીચે પીચ.ડી. થયેલા કેટલાય વિદ્યાર્થીઓ આજે પોતે પણ પ્રોફેસર તથા પીએચ.ડી.ના ગાઈડ બન્યા છે.
પચીસ વરસની વયે રમણભાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘના સભ્ય બન્યા. થોડા વરસોમાં કારોબારીના સભ્ય બન્યા અને જિંદગીના અંત સુધી કોઈ ને કોઈ પદે ચાલુ રહ્યા. ૧૯૭૨થી તેમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજીત પર્યુષણ તથા વસંત વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે ૩૩ વરસ સુધી પોતાની સેવાઓ આપી.
રમણભાઈ પ્રમુખ બન્યા પછી માનવસેવાની અને કેટલીક સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેમણે શરૂ કરેલી ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતના પછાત ગ્રામ વિસ્તારમાંની કોઈ ને કોઈ સંસ્થા માટે ફંડ એકઠું કરી તેને મદદ કરવાની હતી. આ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર સફળતા મળી. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દાન લોકોએ કર્યું છે. વિવિધ લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની સુવાસ ખૂબ જ પ્રસરી છે. ૨૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખકો માટે કોપીરાઈટ એ નામના, હક્ક અને આવક એમ અનેક દૃષ્ટિએ અતિ મહત્ત્વનું તત્ત્વ છે, પરંતુ રમણભાઈએ પોતાના ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં લખાણોના કોપીરાઈટનું વિસર્જન કર્યું. આનો બહુ જ સારો પડઘો પડ્યો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર તરફથી પ્રકાશિત થતા પુસ્તકોના કોપીરાઈટ એ સંસ્થાએ શરૂઆતથી જ ન રાખ્યા. મુનિશ્રી સંતબાલજીની મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થાએ પણ ન રાખ્યા. અમેરિકાની પ્રસિદ્ધ જૈન સંસ્થા જેના એ પણ પોતાના કોપીરાઈટ છોડ્યા છે.
આયુષ્યના સિત્તેરમા વર્ષે જાહેરજીવનના બધા પદ છોડવા એવો નિશ્ચય તેમણે કર્યો. એ અનુસાર મુંબઈ જૈન સંઘનું પ્રમુખપદ છોડ્યું. ફર્બસ ગુજરાતી સભા તથા અધ્યાત્મ પ્રસારક મંડળનું પ્રમુખપદ તથા મહાવીર જૈન વિદ્યાલયનું મંત્રીપદ પણ છોડ્યું. આ પદ મોભાવાળા અને માન વધારનારા હતા, પણ નક્કી કર્યું હતું એટલે છોડ્યા. તેમણે વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય સજર્યું છે. જિનતત્ત્વના આઠ ભાગ, જિનવચનના હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતરો, ભગવાન મહાવીરનાં વચનો, જૈન ધર્મ-પરિચય પુસ્તિકા, પ્રભાવક સ્થવિરો, તિવિહેણ વંદામિ, શેઠ મોતીશા, વંદનીય હૃદયસ્પર્શ, બેરરથી બ્રિગેડિયર, પાસપોર્ટની પાંખના ત્રણ ભાગ, સાંપ્રત સહચિંતનના ચૌદ ભાગ વગેરે ઉલ્લેખનીય છે.
તારાબહેન રમણભાઈ સાથે તા. ૧૮-૨-૧૯૫૩ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા પછી ત્રેપન વર્ષનું તેમનું લગ્નજીવન લીલીછમ હરિયાળી સમું હર્યુંભર્યું હતું. તારાબહેન અને રમણભાઈ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. તેમની વચ્ચે પરસ્પર એકબીજા પ્રત્યે કોઈનું પણ કોઈની ઉપર આધિપત્ય ન હતું. પરંતુ સહજપણે સહર્ષ બંને એકબીજાની ઇચ્છા જાણીને કોઈ પણ પ્રકારનો બોજ અનુભવ્યા વગર વર્તાને પ્રવૃત્તિઓ કરતા. બંને જ્યાં પણ સાથે હાજર હોય ત્યારે વાતાવરણ હંમેશાં પ્રસન્ન રહેતું.
તારાબહેન તથા રમણભાઈનું દામ્પત્ય એટલે સીતામાતા અને રામ જેવું આદર્શ દામ્પત્ય. આ દામ્પત્યજીવન એટલે જીવનના બધાં શુભ અને સંપનો સરવાળો. સંપ ત્યાં જંપ. એક શાંત, સ્વસ્થ અને વિદ્યામાં તેમ જ મંગળમય જીવન જેમાંથી પાંગર્યું એક કિલ્લોલ કરતું કુટુંબ ઉદ્યાન. પુત્રી શૈલજા અને જમાઈ ચેતનભાઈ, દોહિત્રી-દોહિત્રો ગાર્ગી અને કૈવલ્ય, અમેરિકા સ્થિત પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ તેમ જ પૌત્ર-પૌત્રી અર્ચિત અને અચિરા. બધાં જ તેજસ્વી કારકિર્દીથી છલોછલ ભર્યાભર્યા. તેમાં પણ તેમની પુત્રી શૈલજાબહેન પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં તેમના જેવા જ વિદ્વત્તાસભર તથા ચિંતનાત્મક વ્યાખ્યાનો આપીને રમણભાઈ તથા તારાબહેનની યાદ તાજી કરાવે છે. ૨૪મી ઓક્ટોબર, ૨૦પના દિને રમણભાઈની વિદાય બાદ તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૦૬ના પ્રબુદ્ધ જીવનના અંકમાં રમણભાઈને શ્રદ્ધાંજલિ અર્પતા ત્વમેવ માઁ
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ - ૨૪૫
Page #295
--------------------------------------------------------------------------
________________
7 7 વિપ્રયોTM નામક લેખમાં તારાબહેન સંસ્કૃતના સમર્થ નાટાર ભવભૂતિનાં 'ત્તર રામચરિત' નાટકમાં સીતાએ રામ માટે ઉચ્ચારેલા શબ્દોનો પુનરુચ્ચાર કર્યો હતો. મુદ્દો યથા મેં અન્માન્તરેપુ ત્વમેવ મí 1 = વિપ્રયોળઃ ।' ‘જન્મજન્માંતરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીય વિયોગ ન થાવ.' રામ પ્રત્યે સીતાનું કેટલું ઉન્નત વલણ ! ત્યારે તારાબહેને કહ્યું હતું કે, “મને અઢળક સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઈને આ શબ્દો હું ન કહી શકું” તેમણે આગળ લખ્યું હતું કે વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમના દરેક સ્વરૂપ ગમ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષો તારાબહેન તથા રમણભાઈ સંસારમાં રહેતા હોવા છતાંય, ગૃહસ્થ કરતાં સહયાત્રિકની જેમ જીવ્યાં. બાહ્ય દૃષ્ટિએ કંઈ ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે.
૧૨મી જુલાઈ, ૨૦૦૯ના પરોઢિયે જ્યારે ૮૦ વરસની વયના માતૃતુલ્ય તારાબહેન વિશ્વના અણુ અણુને સમર્પાઈ ગયા ત્યારે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માસિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'ના માનદ તંત્રી શ્રી ધનવંતભાઈ શાહે ‘અમારા તારાબહેન’ નામક તંત્રીલેખની શરૂઆત કવિ ન્હાનાલાલની આ પંક્તિઓથી કરેલ : માતા-ભગિની, પરમ પાવનકારી શ્રાવિકા
કલ્યાણિની ! ગૃહિણી, ઓ ! પ્રભુપ્રેમી આર્યાં !
અમારા કુળમાં, બીજે, જ્યાં હો ત્યાં ત્યાં; ઓ તપસ્વિની ! નમો-નમો, મહાદેવી ! ઓમ નમો, કુલ યોગિની.
અસામાન્ય એવા આપણા સ્વજન પ્રો. તારાબહેન રમણલાલ શાહ સામાન્ય બનીને જીવ્યા. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, ‘અસામાન્યની કક્ષાએ પહોંચી સામાન્ય બનીને રહેવું, જીવવું બહુ કપરું હોય છે.' પણ આપણા તારાબહેને એ શક્ય કરી બતાવ્યું.
આ સંશોધનાત્મક નિબંધની પૂર્ણાહુતિ પૂજ્ય મહાવીર ભગવંતે પ્રરૂપેલ અને પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહે જેને પોતાના જીવનમંત્ર તરીકે પ્રસ્થાપિત કરેલ . શ્લોકથી કરું છું.
जरा जाव न पीलेइ
वाही जाव न वड्ढइ ! जाविंदिया न हायंति
ताव धम्मं समायरे !!
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી,
જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી સારી રીતે
૨૪૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #296
--------------------------------------------------------------------------
________________
ધર્મનું આચરણ કરી લેવું. તારાબહેનનો આ સંદેશો આપણા જીવનમાં ઊતરે એવી અભ્યર્થના. માહિતી સંદર્ભ:
ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર મંથન' પુસ્તકનો લેખ : સાહેબ સુગંધનો
ફુવારો
ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર નવનીત' પુસ્તકનો લેખ : અમારા તારાબહેન ડૉ. હંસાબહેન ઉમરશી ગાલા : જૈન સાહિત્યમાં નારીનું પ્રદાન પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહના પુસ્તકો : સાહિત્ય અને છંદ અને અલંકાર ભાગ ૧-૨ સંસ્કૃત નાટકોની કથા ભાગ ૧-૧૦ આર્ય દ્રસ્વામી શ્રીમદ રાજચંદ્ર સામાયિક સૂત્ર આપણા તીર્થકરો પ્રબુદ્ધ ચરણે
શ્રી જાદવજી કાનજી વોરા ૨૦૪, બી. પી. એસ. પ્લાઝા, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ),
મુંબઈ-400080 મો. 09869300046 ઘર : 022-25605640
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ * ૨૪૭
Page #297
--------------------------------------------------------------------------
________________
- પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી 1
મહારાજ (પ્રિયદર્શન)
ચંદ્રિકા શાહ
સિગીતપ્રેમી, સંસ્કારી, સ્વાધ્યાયરત શ્રી ચંદ્રિકાબહેને પ્રસ્તુત લેખમાં પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીના વિવિધ પ્રકારના સાહિત્યનો સુગમ શૈલીમાં પરિચય આપ્યો છે. – સં.] સાહિત્યક્ષેત્રે જૈન સાહિત્યકારોનું પ્રદાન :
જૈનોનું સમસ્ત સાહિત્ય ચાર ભાગમાં જોવાય છે: (૧) ચરણ કરણાનુયોગ, (૨) દ્રવ્યાનુયોગ, (૩) ગણિતાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ (ચરિતાનુયોગ) આ ચાર અનુયોગો પૈકી કથાનુયોગ સર્વ સાધારણ જન માટે ઉપદેશ દેવામાં બહુ જ ઉપયોગી છે.
અલંકાર, ભાષા, છંદોની દષ્ટિએ જોઈએ તો લોકોને ધર્મ પમાડવા માટે ભાષા એ જ માધ્યમ છે. પ્રાકૃત, સંસ્કૃત કથા સાહિત્ય પરથી દેશી ભાષામાં અનેક કવિઓએ અનુવાદ રૂપે – સાર રૂપે ઘણી વાર્તાઓ લખી છે. ગુજરાતી સાહિત્યમાં પદ્યાત્મક લોકવાર્તાઓનું સાહિત્ય વિશાળ છે. અને એમાંનું મોટા ભાગનું સાહિત્ય જૈન સાધુઓને આભારી છે. સાહિત્ય સર્જનમાં ધર્મપ્રેરક અને પોષક પરિબળ હતું. ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો
૧૯મી સદીમાં સંસ્કૃત સાહિત્યમાં કેટલાક ગ્રંથો રચાયા છે. વિ.સં. ૧૮૦૪માં આ. ઉદયસાગરસૂરિએ “સ્નાત્ર પંચાશિકા', સં. ૧૮૧૪માં રામવિજય ગણિએ ‘ગુણમાલા પ્રકરણ', સં. ૧૮૨૨માં ફતેન્દ્રસાગર ગણિએ ૧૩૯ શ્લોકમાં હોલીરજ પર્વકથાની રચના કરી છે. આ જ શતકમાં થયેલા તપાગચ્છના વિજયલક્ષ્મીસૂરિએ ‘ઉપદેશ પ્રાસાદ' નામનો ગ્રંથ ૩૬૦ વ્યાખ્યાનોમાં રચ્યો છે. પદ્મવિજયગણિએ ‘જયાનંદ ચરિત્રની સંસ્કૃત ગદ્યમાં રચના કરી છે. ખરતરગચ્છના ક્ષમા કલ્યાણ ઉપાધ્યાયે સં. ૧૮૨૯થી ૧૮૬૯ના સમયમાં અનેક ગ્રંથોના સાદી ભાષામાં વિવરણ કરેલ છે. ગૌતમીય કાવ્ય વ્યાખ્યા, ખરતર ગચ્છ પટ્ટાવલી’, ‘ચાતુર્માસિક હોલિકા, ‘આદિ દશ પર્વકથા' વગેરે અનેક ગ્રંથોની પણ રચના કરી છે. વળી
૨૪૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #298
--------------------------------------------------------------------------
________________
ભાષા સાહિત્યમાં તેમણે જૂની ગુજરાતીમાં ગદ્ય રૂપે ‘શ્રાવક વિધિ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી છે.
સં. ૧૮૮૨માં રૂપવિષ્યે ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’, સંવત ૧૮૯૭માં ભટ્ટારક પદ પ્રાપ્ત કરનાર ખરતર જિનહેમસૂરિના શિષ્ય સિદ્ધાંત રત્નાવલી’ લખેલ છે. આ શતકમાં ગુજરાતી કવિઓમાં લબ્ધિવિજ્ય, પદ્મવિજય, ભાણવિજય, વિજયલક્ષ્મીસૂરિ, ઉત્તમવિજય, કાંતિવિજય, વીરવિજય, દીપવિજય, રામવિજય, રૂપવિજય, રૂપમુનિ, પ્રેમમુનિ વગેરે. વીરવિજ્ય તો જૈનોના દયારામ છે. ગરબી જેવાં ગીતો, પૂજાઓ, સ્નાત્ર, રાસાઓ વગેરે રચેલા છે.
આ જ શતકમાં લોકકથા સાહિત્યમાં ગુજરાતી ભાષામાં વિ.સં. ૧૮૨૫ પહેલા ક્ષેમહર્ષે ચંદન મલયાગિરિ', ભાણવિજ્યે સં. ૧૮૩૦માં વિક્રમ પંચદંડ રાસ’ વગેરે તથા ઐતિહાસિક સાહિત્યમાં સં. ૧૮૦૨માં ઉદયસાગર, માણિક્યસાગર, વિ બહાદુર’ દીપવિજ્યે ‘સુરત, ખંભાત, જંબુસર, ઉદયપુર, ચિતોડ’ આ પાંચ શહેરો પર ગઝલો, મોટો સોહમકુલ પટ્ટાવલી રાસ', વીરવિજ્યે સં. ૧૮૬૦માં સ્વગુરુ શુભવિજ્ય ૫૨ ‘શુભવેલી'ની રચના કરેલી છે. ગદ્ય સાહિત્યમાં સં. ૧૮૦૧માં જીવવિજ્યે ‘કર્મગ્રંથ', દીપવિજ્યે સં. ૧૮૭૬ પછી નવ બોલની ચર્ચા’ પ્રશ્નોત્તર સમુચ્ચય' રચ્યું છે.
૨૦મી સદીમાં ખાસ નોંધવા જેવી સંસ્કૃત કે પ્રાકૃત કૃતિ જોવામાં આવી નથી. જૂની પદ્ધતિ ૫૨ કવિતા રચનારા થોડા ભાષા કવિઓમાં ચિદાનંદ (કપૂરવિય) સં. ૧૯૦૭, બાલચંદ-૧૯૦૭, વિજ્ય સં. ૧૯૧૦, રંગવિજ્ય ૧૯૪૭, જિનદાસ ૧૯૩૦, મણિચંદ્ર ગોરજી હુલાસચંદ્ર ૧૯૪૭
અર્વાચીન શુદ્ધ અને શિષ્ટ ગુજરાતીમાં લખનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ ડાહ્યાભાઈ ધોળશાજી નાટા૨ અને રાયચંદ કવિ અધ્યાયી ફિલસૂફ. ચિદાનંદજીએ મિશ્ર ભાષામાં અધ્યાત્મકૃતિઓ પદ્યમાં રચી છે. હુકમમુનિએ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચી છે. વિજ્ય રાજેન્દ્રસૂરિએ અભિધાન રાજેન્દ્ર કોષની રચના કરી છે.
૨૦મી સદીના પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીએ ‘સત્તરભેદી પૂજા', ‘વીસસ્થાનક પૂજા', ‘અષ્ટપ્રકારી પૂજા'ની રચના કરી છે. ઉપરાંત ‘સમ્યક્ત્વ શલ્યોહાર' નામનું ખંડનાત્મક પુસ્તક પણ રચ્યું છે. ‘અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ, ‘જૈનમતવૃક્ષ’ નામના ઐતિહાસિક ગ્રંથની પણ રચના કરી છે.
શ્રીમદ્ રાજચંદ્ર, કવિ કુલ કિરીટ લબ્ધિસૂરિ મહારાજ સા., આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ સા. (પ્રિયદર્શન), કનકચંદ્રસૂરિ ૨૦મી સદીના મહાન સાહિત્યકાર ગણી શકાય. ૨૦મી સદીનો તેજસ્વી તારલો એટલે આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સા. પ્રિયદર્શન)
પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીનો જન્મ વિ.સં. ૧૯૮૯ શ્રાવણ સુદ ૧૨, માતા હીરાબહેન તથા પિતા મણિભાઈ. જન્મ સ્થળ મહેસાણા (ગુજરાત) પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૪૯
Page #299
--------------------------------------------------------------------------
________________
| વિ.સં. ૨૦૦૮ પોષ વદ ૫ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા રાણપુર સૌરાષ્ટ્રમાં. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સા.ના હસ્તે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી ભુવનભાનુવિજયજીના શિષ્ય બન્યા, મુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજી.
દીક્ષા જીવનના આરંભથી જ ગુરુદેવોના માર્ગદર્શન નીચે અધ્યયન-અધ્યાપન. ૪૫ આગમોના અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે માઈલસ્ટોન વિતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી.
૨૦ વર્ષની ઉંમરે “મહાપંથનો યાત્રી' નામના પુસ્તકથી આ સર્જનયાત્રા શરૂ કરી હતી. લગભગ ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન પૂજ્યશ્રીએ કર્યું છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર, પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ, ટૂંકી વાર્તાઓ, કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી, સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન – આમ સાહિત્યસર્જનની યાત્રા સમૃદ્ધ બનતી ગઈ. પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ-મધુર આંતરબાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય – બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસું છે.
નાના બાળકોના સંસ્કાર સર્જનમાં એમની રુચિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન, અનુષ્ઠાન અને પરમાત્મભક્તિના વિશિષ્ટ આયોજનો એમનું બહુમુખી વ્યક્તિત્વ દર્શાવે છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મભાવનાના કાર્યો થયેલ છે.
‘અરિહંત' હિંદી માસિક પત્ર દ્વારા તથા “વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિંદી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહ્યું હતું. “ભવના ફેરા' પુસ્તક લખ્યા બાદ પૂ.શ્રીએ પોતાનું તખલ્લુસ પ્રિયદર્શન રાખ્યું હતું.
કોલ્હાપુરમાં તેમને તા. ૪-૫-૮૭ના દિવસે આચાર્ય પદ પ્રદાન થયું હતું.
૧૯-૧૧-૧૯૯૯ના દિવસે શ્યામલ-અમદાવાદ ખાતે દેહવિલય થયો હતો. અસ્વસ્થ તબિયત વચ્ચે પણ તેઓએ સતત સાહિત્યસર્જનનું સાતત્ય જાળવી રાખ્યું છે. તેઓ પોતાની જ્ઞાન-ધ્યાનની યાત્રામાં હંમેશા મસ્ત રહેતા. “હું તો મારા મનને જ્ઞાનાનંદમાં રમતું રાખવા જ લખું છું. જેટલું તમે સારું લાગે તેટલું જ ગ્રહણ કરજો. આ પુસ્તકનો એકાદ શબ્દ, એકાદ વાક્ય કે એકાદ પ્રસંગ પણ તમારા આત્મવિકાસમાં સહાયક બનશે તો મને ઘણો આનંદ થશે. જોકે લખતાં લખતાં મેં ખૂબ જ આંતર પ્રસન્નતા તો મેળવી જ છે. મારા રુણ દેહમાં મારું મન સદૈવ પ્રસન્ન રહે, મારો આત્મભાવ નિર્મળ રહે તે માટે હું ઝઝૂમી રહેલો છું. સહુ જીવો શાંતિ પામો.. શાંતિ પામો. આ મારી આંતરભાવના છે.
૧૯૯૮માં પ્રકાશિત નવલકથા “મયણાની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી ૨૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #300
--------------------------------------------------------------------------
________________
ભદ્રગુપ્તસૂરિ મહારાજ સાહેબનું આ આત્મનિવેદન તેમના સાહિત્ય સર્જનનો સોત છે. અને આ સોતમાંથી સાહિત્યના ઘણાં બધાં સ્વરૂપોની ધારા ફૂટી છે. તેમણે રચેલાં કાવ્યો, સ્તવનોએ આપણાં અંતરને ભીંજવ્યાં છે. સહુનું કલ્યાણ થાય એવી ભાવનાએ જ તેમને આ સ્તવન લખવા પ્રેર્યા હશે.
સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ સહુનું કરો કલ્યાણ.... તુમ ભક્તિના પુય પ્રભાવે... પ્રગટો કેવળજ્ઞાન... શિવમંગલ સહુ જીવો પામો પ્રિયદર્શન ભગવાન.... કૃપાનિધિ....
સહુનું કરો કલ્યાણ.' આવા તો કંઈક કેટલાય સ્તવનો અને ગીતો તેમની કલમેથી ફૂટ્યા છે. ક્યાંક તમને ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, ક્યાંક કરુણાની મીઠી નદી અને ક્યાંક શાંતિ ને સુધારસ તેમના કાવ્યમાંથી આપણને સતત મળતો રહે છે. કાવ્ય તેમના હૃદયમાં સતત વહ્યા જ કરે છે. અને માટે જ તેઓ કવિતાના મર્મી પણ છે. કવિતા લખે છે, કવિતા સમજે છે અને કવિતાને બિરદાવે છે. અન્ય કવિઓની રચનાઓની અનુમોદના તરીકે જ ગીતોના ગુલાબ જેવું સુંદર પુસ્તક તેમની પ્રકાશન સંસ્થા “વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે.
પૂ. ભદ્રગુપ્તસૂસ્નિા જીવનકાળમાં રચાયેલા અને ઉપલબ્ધ બધા ગીતો – સ્તવનોની એક પુસ્તિકા એટલે ગીતગંગા. સં. ૨૦૧૪ ખંભાતના ચાતુર્માસમાં ૨૦ દિવસની નવકારમંત્રની આરાધના પ્રસંગે શ્રી નવકાર મંત્રના ૨૦ ગીતોની રચના કરી હતી. જેમ કે :
‘અરિહંત' “અરિહંત' જાપ જપો, જપતાં જપતાં પાપ ખપો ! અરિહંતને સહુ નિત્ય નમો, નમતાં નમતાં દુઃખ દમો.. પળપળ સમરો શ્રી અરિહંત ! ક્ષણક્ષણ સમરો શ્રી અરિહંત !
પ્રેમ-ભાનુ પૂરણ પ્રગટે, ભદ્રગુપ્ત ભવથી છટકે... આવા તેમનાં ગીતો ખૂબ ગવાયાં હતાં.
ચોવીશીની રચનાનો શુભ સંકલ્પ તારંગા તીર્થમાં ઉદ્ભવ્યો અને ત્યાં જ ભગવાન ઋષભદેવ તથા અજિતનાથના સ્તવનની પણ રચના કરી.
અજિત જિન ! વંદના પાપનિકંદના, આપના ધ્યાનની એક મુજ કામના, ચિત્તમાંથી કરું, દૂર સહુ વાસના, આપ મુજ મન વસો એવી ઉરભાવના,
પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૧
Page #301
--------------------------------------------------------------------------
________________
અને છેલ્લે
અજિત જિનરાજ ! ચગી થયો આપનો, પ્રેમદષ્ટિ કરો નાથ મારા, - જલધિજલકલ્લોલ જિમ હૃદય મારું થયું
પ્રિયદર્શન કરીને તમારાં ! આવા બીજા અન્ય ભાવસભર સ્તવનોની રચના સંવત ૨૦૧૯-૨૦માં મોટા ભાગે પ્રાચીન રાગોમાં તથા ચોવીશી સિવાયનાં સ્તવનો અર્વાચીન રાગમાં રચાયા છે. આ રચનાઓ જુદાજુદા સમયે સહજ ભાવે થયેલી ફુરણાઓ છે. હિંદી ભાષામાં પણ કેટલીક ગીત રચનાઓ : શંખેશ્વર તીર્થ કી કહાની, પાર્શ્વનાથજી કે ૧૦ ભવ’, ‘મહામંત્ર નવકાર કરેલી છે. પ્રિયદર્શનના સાહિત્યનું વિહંગાવલોકન
પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ કરેલ “શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની સ્થાપના પછી પહેલું પુસ્તક ભવના ફેરા' વિ.સં. ૨૦૧૭ જ્ઞાનપંચમીના દિવસે ચાણસ્મામાં પ્રકાશિત થયું હતું.
કષાયો પર વિજય મેળવ્યા વિના ચિત્તશાંતિ મળી શકે જ નહિ ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે, પણ કષાયોનો ઉપશમ ન થાય તો બધું વ્યર્થ છે. કષાયોને ઉપશાંત કરવા માટે આ પુસ્તક લખ્યું છે.
ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો જ ભવનું મૂળ છે. કથાનક દ્વારા જીવનચર્યા કેવી રીતે જીવવી તે માટે કહ્યું કે,
થોડું ખાય અને થોડું બોલે, ઊંઘે પણ જે થોડું
કપડાં લત્તાં થોડાં રાખે, આવે શિવનું તેડું. ચિત્તની શાંતિ, પ્રસન્નતા અને સ્વસ્થતા આ ચાર કષાયોની મંદતા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. અને એ માટે ચાર કષાયોનું સ્વરૂપ, એનું તાંડવનૃત્ય, એનાથી થતી જીવની ખુવારી, એમાંથી મુક્ત થવાનું માર્ગદર્શન વગેરે ભવના ફેરા પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો આધાર ગ્રંથ છે – “સૂત્રકતાંગ ગ્રંથ. * ભવના ફેરા' પુસ્તક લખ્યા બાદ પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સાહેબે પોતાનું તખલ્લુસ પ્રિયદર્શન રાખ્યું છે.
પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ તત્ત્વજ્ઞાન વિવેચન, વાર્તાઓ, કાવ્યો, નવલકથાઓ, પ્રવચનો, અનુવાદો, કથાઓ ઉપરના ચિંતનાત્મક પુસ્તકો, પત્ર સાહિત્ય, બાળસાહિત્ય જેવા સાહિત્યના વિવિધ રૂપો આપણને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં એક પ્રસાદી રૂપે આપ્યા છે.
તેમના વાર્તાસંગ્રહો જોઈએ તો – વાર્તાની વાટે, ફૂલપાંદડી, વાતદીપ, દોસ્તી, નિરાંતની વેળા, હિસાબકિતાબ,
૨૫૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #302
--------------------------------------------------------------------------
________________
મને તારી યાદ સતાવે, એક રાત અનેક વાત, પ્રીત કિયે દુઃખ હોય, પાંપણે બાંધ્યું પાણિયારું, નીલ ગગનનાં પંખેરુ, શ્રદ્ધાની સરગમ, પ્રિય વાર્તાઓ, સર્વજ્ઞ જેવા સૂરિદેવ, રિસાયેલો રાજકુમાર વગેરે નાની-મોટી વાર્તાઓના વાર્તાસંગ્રહો તેમણે આપણને આપ્યા છે.
પ્રાચીન વાર્તાઓ ૧૮ વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓ “મહાવીરનંદન’ નામના હિંદી માસિકમાં હિંદી ભાષામાં પ્રકાશિત થતી હતી. ત્યાર બાદ તેનો ગુજરાતી અનુવાદ થયો. મોટા ભાગની વાર્તાઓ મહાવીર ભગવાનના સમયની છે. આ વાર્તાઓ સરળ-સુબોધ અને સુવાચ્ય શૈલીમાં લખાયેલી છે.
સર્વજ્ઞ જેવા સૂરિદેવ એ વિક્રમની બારમી શતાબ્દીમાં થઈ ગયેલા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિનું આ નાનકડું જીવનચરિત્ર છે. આ જીવનચરિત્રમાં શૈલીની સુપાક્યતા છે, ભાષાની સરળતા છે અને સંકલનની સુગમતા છે.
આ ચરિત્રરચનાના આધારભૂત ગ્રંથો છે – (૧) સિંહસૂરિ વિરચિત કુમારપાળ ભૂપાલચરિત્ર (૨) શ્રી જયશેખરસૂરિ પ્રણીત ચતુર્વિશતિ પ્રબંધ (૩) શ્રી મેરૂતુંગાચાર્ય – વિરચિત પ્રબંધચિંતામણિ.
પૂ. શ્રીએ આ જીવનચરિત્ર વિશેષ રૂપે બાળકોને દષ્ટિમાં રાખીને લખ્યું છે. નાના વાક્યો, સુગમ શબ્દો અને સરળ શૈલીમાં આ ચરિત્ર લખ્યું છે.
બાલસાહિત્ય : બાળકોની સુવાસ, બાળકોનું જીવન, બાળકોનું ચિંતન (નાનાં બાળકોને સંસ્કારી બનાવવા અને ધાર્મિક શિક્ષણ આપવા આ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.) બાળકોનું ધર્મવિજ્ઞાન, બાળકોનું કર્મવિજ્ઞાન, બાળકોનું આત્મવિજ્ઞાન - બાળકોને સરળ ભાષામાં ધર્મ, કર્મ, આત્મા વિશેની સમજ આપી છે. આ ત્રણે પુસ્તકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કર્યા છે. પૂ.શ્રીને બાળકોના સંસ્કાર સિંચનમાં ઘણો રસ હતો વળી તેઓ સંસ્કાર શિબિરો પણ યોજતા.
પૂ. શ્રીએ લખેલ કથાઓ અને નવલકથાઓ પણ આપણા આંતરમનને ભીંજવે છે. મયણા', “સુલતા', “અંજના, સર્વજ્ઞ જેવા સૂરિદેવ, જૈન રામાયણ ભાગ ૧થી ૭” જેવી સુંદર કથાઓ તેઓશ્રીએ આપણને પીરસી છે. સુલસા, મયણા અને અંજના એ નારીના વિવિધ રૂપોને પ્રગટ કરતી નવલકથાઓ છે. તેના આંતરજગતને, તેના સંવેદનને બિરદાવતી નવલકથા છે. | સુલતા' નવલકથામાં સુલતાના પાત્ર દ્વારા ભક્તિના ઉચ્ચતમ બિંદુને રજૂ કર્યું છે, અને પૂ. ભદ્રગુપ્તસૂરિજી મહારાજ સાહેબે ખૂબ નિખાલસતાપૂર્વક કહ્યું છે કે – આ નવલકથામાં લખાયેલા ગીતોની પાછળ રવીન્દ્રનાથ ટાગોર, સુરેશ દલાલ, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેના ગીતોનું પ્રતિબિંબ એમણે ઝીલ્યું છે. દા.ત, નરસિંહ મહેતાની રચના –
પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૩
Page #303
--------------------------------------------------------------------------
________________
હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે..ના બદલે એમણે સુલસામાં લખ્યું,
હળવે હળવે હળવે વીરજી મારે મંદિર આવ્યા રે” જૈનસંઘમાં હોંશભેર અને આતુરતાથી વંચાતું કથાસાહિત્ય એટલે પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજનાં પુસ્તકો ! પ્રાચીન પાત્રોને નવા ઓપમાં, નવા રૂપરંગ અને અવનવા ઢંગ સાથે જીવંત પ્રસ્તુત કરવા એ એક આગવી સૂઝબૂઝ ભરી કળા પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીની કલમમાં પુરબહારમાં ખીલી છે.
| વિક્રમની નવમી શતાબ્દીમાં આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ “કુવલયમાલા કથાગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં આવતી કામગજેન્દ્રની કથાવસ્તુ પૂ. આ.શ્રીએ ગુજરાતી ભાષામાં લખી. મગજેન્દ્રમાં જે રીતે રંગ અને ભોગવિલાસની પ્રચુરતા દેખાતી હતી તેટલી જ આંતરજીવનમાં ત્યાગ, વૈરાગ્ય અને ઉત્કૃષ્ટ પ્રેમની અભિવ્યક્તિ દેખાતી હતી. આ કારણે જ ગુજરાતીમાં તેઓશ્રીએ “રાગ-વિરાગના ખેલ નામે કથા લખી પ્રકાશિત કરી, જેનું હિંદી રૂપાંતર શ્રી સ્નેહદીપે કર્યું છે.
એક રાત અનેક વાત ખૂબ જ લોકપ્રિય બનેલ કથાગ્રંથ છે. તેની વાર્તા જંબુસ્વામી રાસ’ (ઉપા. શ્રી યશોવિજયજી ગણિવર)ના આધારે આલેખાઈ છે. પ્રિયદર્શને ખૂબ જ રસમય અને પ્રવાહી શૈલીમાં આખી કથાને ગૂંથી છે. પ્રસ્તુત વાર્તા “અરિહંત' માસિકપત્રમાં છપાઈ છે અને “સંસાર સાગર હૈ' નામે હિંદી ભાષામાં પુસ્તક રૂપે પ્રકાશિત થઈ છે.
પ્રીત કિયે દુઃખ હોય – દીર્ઘકથાનો મુખ્ય આધાર વીરવિજયજી કૃત “સુર સુંદરી રાસ' ગ્રંથ છે. આ રાસકાવ્યની કથાવસ્તુ લઈને પૂ.શ્રીએ સં. ૨૦૩૭માં ધાનેરાના ચાતુર્માસ દરમિયાન પ્રસ્તુત પુસ્તક લખ્યું હતું. શીલ, સંસ્કાર અને સદાચારના મૂલ્યો પ્રત્યે આદર અને અહોભાવ જગાવતી આ વાર્તા શ્રી નમસ્કાર મહામંત્રના અચિંત્ય પ્રભાવને દરેક પ્રકરણે પ્રતિધ્વનિત કરે છે. હિંદી ભાષામાં પણ આ પુસ્તકની નકલો છપાઈ છે.
આચાર્ય હરીભદ્રસૂરિજી (ઈ. સ. ૮૦૦ આસપાસ) વિરચિત “સમરાઈથ્ય કહા' પ્રાકૃત ભાષામાં લખાયેલી કથા પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં અદ્વિતીય છે. બે આત્માઓના નવ-નવ જન્મોના સંઘર્ષની આ કથા છે. કથાવસ્તુ તો મૂળ કથાલેખક આ. શ્રી હરીભદ્રસૂરિજીનું જ છે. પરંતુ પૂ. શ્રીએ તે કથાની મર્યાદામાં રહીને જ કથાના પાત્રોને આધુનિક શૈલીમાં આલેખ્યા છે. કેટલાક પ્રસંગોનું એન્લાર્જમેન્ટ કર્યું છે. પ્રસ્તુત કથા ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. “સમરાદિત્ય' ભાગ ૧-૨-૩
ચિંતન અને મનનની પ્રક્રિયા એ જ્ઞાનીઓનો ઉચ્ચત્તમ ગુણ છે અને જે પ્રવચનો દ્વારા આપણને મળતો રહે છે, તત્ત્વજ્ઞાન અને વિવેચન – મૌલિક ચિંતનો દ્વારા તેમણે ખૂબ ગહન સાહિત્ય આપણને આપ્યું, દા.ત. હરીભદ્રી યોગદર્શન, ‘જ્ઞાનસાર’, ‘શુભરાત્રી, પ્રાર્થના’, ‘સુપ્રભાતમ્, જિનદર્શન, “ભવના ફેરા’, ‘વિચારપંખી’, ‘નપ્રિયતે', હું તો પલપલમાં મુંઝાઉં', “મારગ સાચા કૌન
૨૫૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #304
--------------------------------------------------------------------------
________________
બતાવે’, ‘સમાધાન’, ‘પર્વ પ્રવચન માળા’, ‘પીઓ અનુભવ રસપ્યાલા' (અધ્યાત્મ વિવેચન), ધર્માં, સરણ, પવજ્જામિ' (ભાગ ૧-૨-૩-૪), ‘શાંત સુધારસ પ્રવચનો’ (ભા. ૧-૨-૩-૪) ‘શ્રાવક જીવનનાં પ્રવચનો' (ભાગ ૧-૨-૩-૪) તેમ જ મીઠી મીઠી લાગે છે મુનીવરની દેશના' જેવા સુંદર પ્રવચનાત્મક પુસ્તકો આપણને ધર્મના સ્વરૂપે સમજવામાં એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે.
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સં. ૨૦૩૫માં પ્રકાશિત થયું. ઇન્દોરના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રી હરીભદ્રસૂરિ રચિત ધર્મબંદુ' ગ્રંથને આધારે આપેલ પ્રવચનો આ પુસ્તક રૂપે પ્રગટ થયા. તે જ રીતે જીવનને જીવી તું જાણ’ પણ ‘ધર્મબિંદુ' ગ્રંથ આધારિત તેઓશ્રીનાં પ્રવચનોનું પુસ્તક છે. આ પ્રવચનો હિંદી ભાષામાં આપ્યા હતા ત્યાર બાદ તેનો સરળ, સુબોધ ભાષામાં ગુજરાતી અનુવાદ થયો, અને પુસ્તક રૂપે આપણને સાંપડ્યો, ગૃહસ્થ ધર્મના ૩૫ ગુણોમાંથી પહેલા બે ગુણોનું વિસ્તૃત વિશ્લેષણ વિશદને રસપૂર્ણ વિવેચન કરતા ૧૪ પ્રવચનોનો આ સંગ્રહ છે. ગૃહસ્થજીવન અને સાધુજીવનની ખૂબ જ ઝીણવટભરી છણાવટ કરી છે.
આ. શ્રી હરીભદ્રસૂરિ વિરચિત ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય ઉપર પૂ. શ્રી આપેલા પ્રવચનો શ્રાવક જીવન’ (ભા. ૧, ૨, ૩, ૪) પ્રવચનો મૂળ હિંદી ભાષામાં અપાયેલાં છે. એનો ભાવાનુવાદ ડૉ. પ્રહૂલાદ પટેલે કર્યો છે અને સંપાદન મુનિ ભદ્રબાહુએ કર્યું છે.
જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા સાચા અર્થમાં બનવું છે, તેમના માટે આ ‘શ્રાવક જીવન’ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પ્રિયદર્શને સરળ છતાં રોચક અને પ્રેક ભાષામાં આ પ્રવચનો આપેલા છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પર્યાલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. સંસારમાં રહીને પણ ક્રમિક આત્મવિકાસની કેડીએ કેવી રીતે અગ્રેસર થવું એનું સર્વાંગસુંદર નિરૂપણ આ ગ્રંથમાં જોવા મળે છે. ‘ધર્મબિંદુ’ ભારતીય સંસ્કૃતિના સૂત્રાત્મક સાહિત્યમાં મૂર્ધન્યસ્થાને મૂકી શકાય તેવો ગ્રંથ છે. આ ગ્રંથ ઉપર પ્રવચનમાળા શરૂ કરીને તેઓશ્રીએ એક યુગવર્તી કાર્ય કર્યું છે. મૂળ કૃતિના પેલા ગાંભીર્યને સરળતમ શૈલીમાં લોક્ભોગ્ય બનાવ્યું છે.
‘શાંત સુધારસ’ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીની અદ્ભુત અને અનુપમ રચનાનું તેઓશ્રીને એમના દીક્ષાજીવનના પ્રારંભિક વર્ષોથી આકર્ષક રહ્યું હતું. આખો ગ્રંથ કંઠસ્થ કરીને ગાવામાં નિજાનંદની અનુભૂતિનો આછેરો અણસાર પણ જોયો, જાણ્યો અને માણ્યો પણ છે. આ ગ્રંથની ગાથાઓ, ભાવનાઓ ઉપર પ્રવચનો કર્યાં છે. ૧૬ ભાવનાઓ ઉ૫૨ કુલ ૭૨ પ્રવચનો હિંદીમાં આપ્યાં છે. જેનો ગુજરાતીમાં અનુવાદ પ્રહ્લાદ પટેલે કર્યો છે. પ્રસ્તુત ગ્રંથ ત્રણ ભાગમાં છે. ‘શાંત સુધારસ' (ભા. ૧-૨-૩) વિનયવિજયજી કૃત ‘શાંત સુધારસ’ ગ્રંથ ૨૫૦૦ વર્ષના સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં આવી વૈરાગ્યભરી અને અધ્યાત્મપૂર્ણ મહાકાવ્ય પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) - ૨૫૫
Page #305
--------------------------------------------------------------------------
________________
રચના આ એક જ છે. અને તેથી જ તે અદ્વિતીય રચના છે, પ્રિયદર્શનનો આ પ્રિય સ્વાધ્યાય ગ્રંથ રહ્યો છે. તેઓશ્રીએ આ ભાવનાઓનું ગાન તથા વિવેચન કર્યું છે.
“તીન તારે” અને “વાસના ઔર ભાવના આ બે હિંદી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ એટલે “પાંચ પ્રકરણ’ પુસ્તક. જેનો અનુવાદ શ્રી લાલચંદભાઈ કે. શાહે કરેલ છે.
મનનું ધન’, ‘આંતરનાદ', ‘ચિત્ત પ્રસન્નતા આ ત્રણેય પોકેટબુકોનું વિભાગવાર સંકલન એટલે “આત્મ સંવેદન”. પૂજ્યશ્રીના મૌલિક ચિંતનનો આ અણમોલ થાળ છે. જેન હોય કે જૈનેતર હોય સહુના ચિત્તને શાંતિ, આનંદ અને પ્રસન્નતાથી ભરી દેનારું આ ચિંતનપૂર્ણ સાહિત્ય છે.
જીવનકલા” પણ એક પોકેટબુક છે. જેને પરમાત્માએ બતાવેલ ઢંગે જીવવું છે, જેને ઇન્દ્રિયના વિષયોના ઉપભોગમાં અરુચિ જાગી છે, ઉન્નત વિચારોની સૃષ્ટિમાં વિચરવું છે, એ આત્માઓ માટે આ પોકેટબુક શુભ ઉદ્દબોધન છે.
આ. શ્રી શાન્તિસૂરિજીએ ધર્મરત્ન' ગ્રંથમાં જીવન જીવવાની કળાનું અદ્ભુત આલેખન કર્યું છે. પણ તે પ્રાકૃત ભાષામાં હોવાથી સર્વે જન સમજી શકે તે માટે ગુજરાતીમાં જીવન જીવવાની કળા” નાની પુસ્તિકા સ્વરૂપે રચના કરી છે. આ પુસ્તિકામાં બતાવેલા માર્ગો સરળ-સચોટ છે. જેમ કે વ્રતગ્રહણ માટે કહે છે કે માણસ નળનો ઉપયોગ ન કરતો હોય છતાંય એને કર તો ભરવો જ પડે છે. પરંતુ નગરપાલિકાને નોટિસ આપીને ઉપયોગ ન કરે તો કર ભરવો પડતો નથી. તેમ પ્રતિજ્ઞા એ નોટિસ છે. પાપને પ્રતિજ્ઞાની નોટિસ આપો પછી એ પાપ તમને ન લાગે.
પૂ. મહારાજશ્રીએ ગંભીર ચિંતન કરીને શ્રી નવકારમાં નવ રસોનું દર્શન કર્યું છે અને “રસગંગા પોકેટ બુક દ્વારા આપણને દર્શન કરાવ્યું છે. ધીરજલાલ ટોકરશી શાહે આ બુકની મોટી પ્રસ્તાવનામાં લખ્યું છે કે “નમસ્કાર – રસગંગા જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ નમસ્કારના સ્મરણ-ચિંતનથી નવે રસનું સાતત્ય અનુભવી શકાય એવું માર્ગદર્શન આપનારી એક અવનવી આ કૃતિ છે અને તે રસપિપાસુઓ દ્વારા અત્યંત આદર પામશે એમ માનવું વધારે પડતું નથી.”
હું જ ખોવાઈ ગયો છું. એ પુસ્તક અભિનવ શૈલીનું પુસ્તક છે. પૂજ્યશ્રીનું આંતર-ચિંતન-મનન શબ્દસ્થ બનીને આ પુસ્તકમાં પ્રગટ થયેલું છે. અર્વાચીન ભાષામાં આ ચિંતન વિશેષ મધુર અને સ્વાદિષ્ટ બન્યું છે. આ પુસ્તકમાં પોતાના ખોવાઈ જવાની વાત એક પોકાર રૂપે, એક આંતરનાદ રૂપે રજૂ થાય છે. તેમનું એક quatation અહીં લખવાની ઇચ્છા મને થઈ રહી છે. ખરેખર, હું ખોવાઈ ગયો છું. હવે હું ભવની ભુલભુલામણીમાં ખૂબ અકળાયો છું. માટે પરમાત્માને પોકારીને કહું છું “મને શોધી કાઢો અને તમારી પાસે લઈ લો.’
સ્વને ખોળવાની વાત તમને આ પુસ્તકના પાને પાને મળે છે. ક્યાંક દષ્ટાંતો દ્વારા, ક્યાંક કાવ્યો દ્વારા, ક્યાંક ચિંતન અને મનન દ્વારા એ વાત શબ્દબદ્ધ થઈ છે. ૨૫૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #306
--------------------------------------------------------------------------
________________
પર્વ પ્રવચનમાળા જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ પર્વોનું હાર્દ સમજાવતાં રોચક અને બોધક પ્રવચનોનું સંકલન, પર્વો અને મહાપર્વોનું મહત્ત્વ, હાર્દ અને ઉપયોગિતાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવતાં આ ૧૪ પ્રવચનોનું સંકલન છે. એ જ પ્રવચનોનો આ ગુજરાતી અનુવાદ છે.
ચેતનને ઉદ્દેશીને લખેલા, જીવનમાં બનતી-બગડતી સમસ્યાઓને કર્મની ફિલોસોફીના રોજબરોજની જિંદગીમાં બનતી ઘટનાઓના અનુસંધાનમાં સમજવાની દિશા પૂરું પાડતું પ્રકાશન ‘સમાધાન' પુસ્તક છે. તે હિંદી ભાષામાં પણ છપાયેલ છે.
હું કોણ ?’ આ એક લેખમાળાનું સંકલન માત્ર છે. હુંનું જ્ઞાન કરાવવા માટે જ આ લેખમાળા લખવામાં આવી છે. આ તેમનું પોતાનું મૌલિક ચિંતન છે.
‘અરિહંત' હિંદી માસિક પત્રમાં છપાયેલ ચિંતનાત્મક લેખોનો રસાળ અનુવાદ એટલે હું તને શોધી રહ્યો છું.” તેનો ભાવાનુવાદ મહાસતી પદ્માબાઈએ કરેલ છે. પ્રથમ પ્રકાશન ૧૯-૧૨-૧૯૯૯.
હું તો પલ પલ મુંઝાઉં' પૂ. શ્રીએ પોતાનું જ ચિંતન રજૂ કર્યું છે. મોટા ભાગનું આ ચિંતન તેઓની પોતાની મૂંઝવણોમાંથી પ્રગટેલું છે. મુનિ ભદ્રબાહુએ ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. હું તો પલપલ મૂંઝાઉં !'
નાના મારા અંતરને શું મનાઉં શાંત સુધાના સમદર તીરે રચવા મારે મિનારા પ્રિયદર્શન એ મહેલ અમોલા દીસે ન તેના કિનારા.
હું તો પલપલમાં મૂંઝાઉં !
ભાવના ભવનાશિની ભાવનાથી ભવનો નાશ થાય છે. નવપદજીના એક એક પદની છણાવટ “ભાવનામૃતમાં દર્શાવી છે.
બારમી સદીમાં થઈ ગયેલા મહાન જ્યોતિર્ધર આચાર્યદેવ માલધારી શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યદેવ શ્રી ચન્દ્રસૂરિ વિરચિત “બૃહત સંગ્રહણી' ગ્રંથના પદાર્થોની સુંદર સંકલના એટલે ત્રિલોક દર્શન.” પ્રિયદર્શને વિષયોનું ખૂબ સુંદર વિભાગીકરણ અને સંકલન કરેલું છે. શાસ્ત્રગ્રંથોના અધ્યયન, પરિશીલન અને ચિંતન માટે બૃહત સંગ્રહણી ગ્રંથના અભ્યાસી વર્ગને આ પ્રકાશન સહાયક બનશે. - પ્રિયદર્શને “જ્ઞાનસાર' ગ્રંથના ૩૨ અષ્ટકોનું વિવેચન ચાર ભાગમાં આપ્યું છે. મૂળ શ્લોક, શ્લોકાર્થ અને વિશદ વિવેચન યુક્ત “જ્ઞાનસાર ગ્રંથના અધ્યયન કરનારા સર્વે માટે ખૂબ ઉપયોગી ગ્રંથ બન્યો છે. વળી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજોના અધ્યયન માટે પણ આ ગ્રંથ ઉપાદેય બન્યો છે.
મૃતપ્રાય બની ગયેલી ચેતનાને નવજીવન આપનારી સંજીવની એટલે
પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૭
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રશમરતિ ગ્રંથ, વિ. સં. ૨૦૩૬માં ભુજમાં કરેલ ચાતુર્માસ દરમિયાન ઉમાસ્વાતિ લિખીત “પ્રશમરતિ ગ્રંથના મૂળ શ્લોક, અર્થ અને વિવેચનનો પહેલો ભાગ પૂ.શ્રીએ પ્રકાશિત કર્યો હતો. પ્રિયદર્શન' પોતે આત્મનિવેદનમાં જણાવે છે કે “પ્રશમરતિ' ગ્રંથ એવો અદ્દભુત ગ્રંથ છે કે વારંવાર એનું અધ્યયન કરવા છતાં ક્યારેય કંટાળો આવતો નથી. સતત આત્મરતિની અનુભૂતિ થયા કરે છે. આત્મભાવમાં સ્થિરતા અનુભવાય છે. સળગતા જીવનમાં શીતળતા અનુભવાય છે.”
કહેવાય છે કે “પ્રશમરતિ’ વિવેચનનો પહેલો ભાગ પ્રકાશિત થયા પછી જૈનસંઘમાં આ ગ્રંથનો સ્વાધ્યાય વધ્યો હતો, અધ્યયન વધ્યું હતું. વળી કેટલાક તત્ત્વજિજ્ઞાસુ જૈનેતર ભાઈઓ પણ આ ગ્રંથ તરફ આકર્ષાયા હતા અને સ્વાધ્યાય કરી રહ્યા હતા.
જૈન સમાજમાં તીર્થદર્શનનું ખૂબ મહત્ત્વ છે. તીર્થરક્ષા, જીર્ણોદ્ધાર, નવા તીર્થોનું નિમણ એ જૈન સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સા. ખૂબ દીર્ઘદૃષ્ટા હતા અને માટે જ તેમણે તીર્થ વિષયક પુસ્તકોની પણ રચના કરી. જેમાં “તીર્થયાત્રા અને જય શંખેશ્વરનો સમાવેશ થાય છે.
જય શંખેશ્વર' આ પુસ્તકમાં શ્રી શંખેશ્વરજી મહાતીર્થની ઉત્પત્તિ, વિકાસ, જીર્ણોદ્ધાર, ચમત્કારો, સગવડો... વગેરેની માહિતી ટૂંકમાં, ગાઈડના રૂપમાં પ્રકાશિત થઈ છે. પૂ. મહારાજશ્રીએ ટૂંકમાં સરળ-સરસ ભાષામાં પોતાની આગવી શૈલીથી આ પુસ્તક તૈયાર કરી આપી મહાન ઉપકાર કર્યો છે. ( પત્રો એ સંવેદન ઝીલતા અરીસા જેવા છે. વિશ્વસાહિત્યમાં પત્રોને પણ એક આગવું સ્થાન મળ્યું છે, જેમ કે ટાગોરના પત્રો. પત્રવિશ્વ' જેવા પુસ્તકો એ વ્યાવહારિક જગતને લગતું પત્રસાહિત્ય રહ્યું છે. અને આ બધાથી કંઈક અવનવો વિચાર એટલે કે ચેતનાને અને આત્માને લગતું પત્રસાહિત્ય, અને જે સાહિત્ય આપણને પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ આપ્યું છે. “તારા સુખને વિખેરી નાખી અને જીવનધર્મ નામના પુસ્તકમાં તેમણે જુદા વિષયોને અનુલક્ષીને પત્રો લખ્યા છે.
જીવનધર્મ' નામના પુસ્તકમાં જીવનમાં અનિવાર્ય કહેવાય તેવા રસગુણોનું રોચક વિવેચન કરતા આ પત્રો ચેતનસ્વરૂપ આત્માને લખાયેલા છે. જેમ-જેનેતર સહુના માટે આ ૨૧ ગુણો “જીવનધર્મ બનવા જોઈએ, ગુણવાન આત્મા જ ધાર્મિક અને આધ્યાત્મિક બની શકે. ગુણો વિના ધર્મ નથી, ગુણો વિના અધ્યાત્મ નથી.
તે જ રીતે “તારા સુખને વિખેરી નાખ' આ પુસ્તકમાં પૂ. શ્રીએ ખાસ તો યુવાનોને, મુમુક્ષુ સાધકોને અને જિજ્ઞાસુઓને ઉદ્દેશીને લખેલા આ મૂલ્યવાન પત્રો છે. આ પત્રોના વાંચન-મનનથી અશાંત, સંતપ્ત અને મૂંઝાયેલા માનવીને અવશ્ય શાંતિ, સમતા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે.
“ન મિયતે' પુસ્તકમાં મોતને ઓળખી લઈએ તો જીવનની સંધ્યા શ્યામલ નહીં પણ સોનેરી બની જાય એ હેતુથી જ પૂ. શ્રીએ પત્રો લખ્યા છે. ૨૫૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #308
--------------------------------------------------------------------------
________________
મનને બચાવો’ પુસ્તકમાં સ્થિર મન, માનવજીવનું મૂલ્ય, શ્રદ્ધા અને પ્રજ્ઞા, ધર્મવિજ્ઞાન - આ ચાર જાહેર પ્રવચનોની સુંદર છણાવટ કરી છે.
આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશ ગ્રંથો કે ફિલોસોફીના ગ્રંથો કરતાં કથાગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. રામાયણની મહાકથા એક એવી મહાકથા છે કે એને વાંચનારા પર એના પ્રભાવો પડ્યા વગર રહે જ નહિ. પ્રિયદર્શને “શ્રી જૈન રામાયણ ગ્રંથાવલિ'ના સાત ભાગ લખ્યા છે. ૧થી ૭ ભાગના નામ – ૧. લંકાપતિ, ૨. અંજના, ૩. અયોધ્યાપતિ, ૪. વનવાસ, ૫. અપહરણ, ૬. લવ-કુશ, ૭. રામનિર્વાણ. પૂ. મહારાજશ્રીએ “રામાયણનું ગુજરાતી ભાષામાં સુંદર આલેખન કર્યું છે. હજારો પ્રશંસકો મુક્તકંઠે એની પ્રશંસા કરે છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ લખેલી રામાયણને આધારે પ્રિયદર્શને આ સાત ભાગનું આલેખન કર્યું છે. સં. ૨૦૧૭માં તેઓશ્રીએ ‘રામાયણ' લખવાનો આરંભ કર્યો હતો અને સં. ૨૦૧૭ સુધીમાં સંપૂર્ણ રામાયણ સાત ભાગમાં પ્રકાશિત થઈ ગયું. આ જૈન રમાયણ જૈન-જૈનેતર પ્રજાને ઉચ્ચત્તમ પ્રેરણાનાં પાન કરાવનારી છે. માનવજીવનનાં મહાન આદર્શીનો બોધ કરાવનારી છે.
રાવણના જન્મથી માંડીને યૌવનકાળ પર્વતની અનેક અજાણી વાતો, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ, હનુમાનના માતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર, શ્રી રામના પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ, મહારાજા દશરથનો મગધવિજય અને વનવાસની અનેક ઘટનાઓ આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જેન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે.
પૂ.શ્રીના જૈન રામાયણના સાતે ભાગ બાળકોને આદર્શો આપશે, સ્ત્રીઓને સતીત્વનો દિવ્ય સંદેશ આપશે, યુવાનોને નવી જીવનદષ્ટિ આપશે, વૃદ્ધોને માનવજીવનની સફળતાના શિખરો બતાવશે.
‘રામાયણમાં જીવનદૃષ્ટિ પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીનું અતિ સુંદર પુસ્તક છે. તેમાં તેઓ જણાવે છે કે રામાયણ એ તો Master key જેવું છે. માતૃભક્તિનો આદર્શ રાવણ પૂરો પાડે છે. રાવણની બીજી દષ્ટિ છે સદાચાર શક્તિ. હનુમાનજીની માતા અંજના પણ રામાયણનું અદ્દભુત પ્રેરણાદાયી પાત્ર છે. અંજનાના જીવનને જોતા એમાંથી જીવન જીવવાની દિવ્યદષ્ટિ પ્રાપ્ત થાય છે. રાવણની રાજનીતિ અધ્યયન કરવા જેવો વિષય છે. ખલ પાત્ર હોવા છતાં એમની પણ વિશેષતાઓ હતી.
પ્રિયદર્શનના ગીતો, સ્તવનો, ચોવીસી, ભક્તિગીતો ખૂબ જ સરળ અને સચોટ હૃદયસ્પર્શી છે. એમના કેટલાક ગીતો તો એવા હૃદયસ્પર્શી છે કે ગાતા ગાતા ભાવવિભોર થઈ જવાય છે. પ્રભુ મારે તારા મારગ જાવું... જો આ મનડું માની જાય આ ગીત કોઈ અલગ ભાવવિશ્વમાં આપણને લઈ જાય છે. પ્રિયદર્શને રચેલ આ ગીત રજૂ કરું છું.
પૂ. આચાર્યશ્રી ભગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૯
Page #309
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મારે તારા મારગ જાવું, જો આ મનડું માની જાય... મારગ જાણું? પંથે ચાલું ? ધીરજ ખૂટી જાય; ઈન્દ્રજાળમાં પંથ ભૂલું હું દિલડું ત્યાં ભરમાય.. પ્રભુ. જ્ઞાન-ધ્યાનનાં શીતલ પાણી... તે મુજથી ના પીવાય; મોહ-મદિરા જામ પીધા મેં પગલાં લડથડ થાય... પ્રભુ. ગુરુવરના સથવાર મળે પણ.... મુજથી ના જળવાય; દુર્જનના મેં સંગ કર્યા ને હાલ બેહાલ થવાય... પ્રભુ. સહેલ અનંતની સામે ભાળું... તો ય ના ઉડાય, સોનાને પિંજર લલચાણું પંખીડું પીંખાયપ્રભુ. કોઈ મહામાનવ મરજીવા. પંથે લઢતા જાય, સોનાનો સૂરજ ઊગ્યો. પણ ઘેન નયન ઉભરાય.. પ્રભુ. પરમ પુરુષ પરમેશ્વર મળતાં... જનમ જનમ દુઃખ જાય; પ્રિયદર્શન હવે મારગ ચાલો ! વેળા વીતી જાય.... પ્રભુ. પ્રભુ મારે તારા મારગ જાવું, જો આ મનડું માની જાય.... જો આ દિલડું માની જાય.. જો આ ચીતડું ચેતી જાય.
* ચંદ્રિકા કે. શાહ ખારવાડો, ખંભાત-388620 જિ. આણંદ (ગુજરાત)
મો. 9828564948
૨૬૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #310
--------------------------------------------------------------------------
________________
.
साहित्य-साम्राज्ञी
प. पू. ज्ञानमती माताजी
महेन्द्र गांधी
[મુંબઈ I.T.માંથી સાડાચાર દાયકા પહેલા મિકેનિકલ એન્જિનિયરીંગનો
અભ્યાસ ક૨ના૨ શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ વાંચનશોખ અને અધ્યાત્મ પ્રેમના કારણે અભ્યાસલેખ લખવાનો આ પ્રથમ સ્તુત્ય પ્રયાસ કર્યો છે. – સં.]
मानद उपाधियों से विभूषित गणिनीप्रमुख आर्यिकाशिरोमणि परम पूज्य 'ज्ञानमती' माताजी को इस निबंध का विषय बनाया गया है।
किसी महाविद्यालय आदि में पारम्परिक शिक्षा प्राप्त किये बिना मात्र स्वयं के धार्मिक अध्ययन के पुरुषार्थ से विदुषी - रत्न प. पू. माताजी ने अध्ययन, अध्यापन एवं साहित्य - निर्माण का जिन ऊँचाइयों को स्पर्श किया है, उस अगाध - विद्वत्ता के सम्मान हेतु डो. राममनोहर लोहिया अवध विश्वविद्यालय ने वीर नि. सं. २५२१ (सन् १९९५) में मानद् D. Lit की उपाधि प्रदान कर स्वयं को गौरवान्वित अनुभव किया। दिगम्बर जैन साधु-साध्वियों में इस उपाधि को प्राप्त करने वाली प. पू. माताजी प्रथम व्यक्तित्व बन गई ।
श्री समंतभद्राचार्य विरचित 'वेवागम स्तोत्र' की आचार्य श्री विद्यानंद स्वामी रचित ‘अष्ट सहस्री' टीका का हिंदी अनुवाद, आ. श्री कुंदकुंद देव के 'नियमसार प्राभृत' पर संस्कृत में 'स्याद्वाद चन्द्रिका' टीका एवं 'समयसार प्राभृत' पर 'ज्ञान ज्योति' हिंदी टीका, सिद्धांत ग्रंथ 'षट्खण्डागम' पर १६ पुस्तकों में प्रकाशित विस्तृत संस्कृत टीका एवं अन्य साहित्य-सृजन का बहुमान करते हुए 'तीर्थंकर महावीर विश्वविद्यालय'ने वीर नि. सं. २५३८ (सन् २०१२ ) में उन्हे पुनः मानद् D. Lit उपाधि से सम्मानित किया । यद्यपि जैन साध्वियों के लिए रत्नभूषण अलंकार धारण निषिद्ध है तथापि दिगंबर जैन समुदाय की यह सर्वोच्च साध्वी नखशिख अलंकारो से सज्ज है। इसमें कोई विरोधाभास नहीं है। समय-समय पर विभिन्न आचार्यों, प्राचार्यों, सामाजिक एवं विद्वत् संस्थाओं ने प.पू. माताजी को 'आर्यिकारत्न', 'आर्यिका शिरोमणि', 'गणिनी प्रमुख', 'तीर्थोद्धारिका', 'युग प्रवर्तिका', 'चारित्रचन्द्रिका', 'वात्सल्यमूर्ति', 'राष्ट्रगौरव', ‘न्याय प्रभाकर’, ‘सिद्धांत चक्रेश्वरी', 'वाग्देवी' इत्यादि अनेक उपाधियों से अलंकृत किया है, किन्तु प. पू. माताजी तो इन सबसे निःस्पृह रहते हुए अपनी आत्मसाधना को
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २६१
Page #311
--------------------------------------------------------------------------
________________
प्रमुखता देते हुए निर्दोष आर्यिकाचर्या में निमग्न रहने में ही अपना लक्ष्य रखती है। विद्वानों को भाषा में प. पू. माताजी की प्रमुख पहचान निम्न शब्दों में की जाती है.
'ज्ञानमती माताजी तेरी यही निशानी ।
एक हाथ में पिच्छी, दूजी में जिनवाणी ॥
प. पू. माताजी का संक्षिप्त जीवन-परिचय
शरद पूर्णिमा वीर नि. सं. २४६० (सन् १९३४ ) में जन्मी 'मैना' नामकरन पाने वाली इस बालिका ने यौवन की दहलीज समान १८ वर्ष की अल्पायु मे शरद पूर्णिमा के दिन ही पारिवारिक कडे विरोध का सामना करते हुए 'आजन्म ब्रह्मचर्यव्रत' रुप सप्तम प्रतिमाको धारण किया एवं १९ वर्ष की आयु में दीक्षा लेकर 'क्षुल्लिका वीरमती' बनी तथा २२ वर्ष की आयुमें आर्यिका दीक्षा ग्रहण करके 'ज्ञानमती' नाम पाया ।
इस तरह प. पू. माताजी वीसवीं सदी के प्रथम दिगंबराचार्य 'चारित्र - चक्रवर्ती' श्री शांतिसागरजी महाराज से अनुभव-ज्ञान एवं शुभाशीर्वाद प्राप्त करने वाली एवं उन्हीं के पट्टशिष्य ' चारित्र - चूडामणि आ. श्री वीरसागरजी महाराज की बीसवीं सदी के प्रथम वालब्रह्मचारिणी सुशिष्या वनी ।
ज्ञानार्जन - ज्ञानसाधना:
प. पू. माताजी के ज्ञान-प्राप्ति की नींव बनी जैनागम का तलस्पर्शी अध्ययन • एवं संघस्थ त्यागियों को अध्ययन कराने की क्षमता एवं उत्साह ।
गोम्मटसार, परीक्षामुख, न्याय- दीपिका, प्रमेय कलामार्तण्ड, अष्ट सहस्री, तत्त्वार्थ राजवार्तिक, सर्वार्थसिद्धि, अनागार धर्मामृत, मूलाचार, त्रिलोकसार आदि अनेक ग्रन्थी का अध्ययन-अध्यापन करके अल्पसमय में ही विपुल ज्ञानार्जन कर लिया। हिंदी, संस्कृत, प्राकृत, कन्नड, मराठी आदि भाषाओं पर आपका यथोचित अधिकार हो गया। 'कातंत्र व्याकरण' पर प.पू. माताजीने केवल दो महिनों में अपना प्रभुत्व स्थापित कर लिया तो तत्कालीन व्याकरण पढाने वाले पण्डित-गण उनकी असाधारण स्मरणशक्ति एवं प्रतिभा से अत्यंत आनंदित हो गये। उस समय प.पू. माताजी की आयु केवल २० वर्ष थी। 'कातंत्र रुपमाला' बीज से प. पू. माताजी की ज्ञान-साधना रुप वृक्ष प्रस्फुटित हुआ और उस पर जो पत्ते, फूल और फल लगे उन्होंने समस्त ज्ञान-पिपासुओं को मुग्ध कर दिया ।
साहित्य साधनाः
बहुमुखी प्रतिभाकी धनी प. पू. माताजी के केवल साहित्य - सर्जन पहलू को ही इस निबंध में समाविष्ट किया है। यथा-नाम तथा गुण धारण करने वाली प. पू.
૨૬૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #312
--------------------------------------------------------------------------
________________
माताजी न्याय, दर्शन, अध्यात्म, सिद्धान्त, धर्म, भक्ति, व्याकरण, गणित, भूगोल, खगोल, नीति, इतिहास, कर्मकाण्ड आदि सभी विषयों पर पूर्ण अधिकार रखती है।
साहित्य की विविध शैलियों जैसे गद्य, पद्य, नाटक, उपन्यास, संस्मरण, आत्मकथा, समीक्षा आदि सभी विद्याओं पर रचनायें की है।
एक ओर तो कोमलमति बालकों को संस्कारित करने के लिये सरल और रोचक भाषा में पाठ्यपुस्तकें तैयार की है तो दूसरी ओर प्राचीनतम संस्कृत-प्राकृत साहित्य षट खण्डागम, अष्ट सहस्री, नियमसार, समयसार आदि पर गुरु गंभीर टीकायें भी लिखी है।
यह उनकी विशेष प्रतिभाशक्ति ही माननी होगी कि बालोपयोगी साहित्य में उनका बच्चों के प्रति आकर्षण झलकता है तो युवाओं के लिये उपयोगी साहित्य को पढकर उनकी युवा-भावना का परिचय मिलता है कि कैसे युवाओं को धर्म के प्रति आकर्षित किया जा सकता है। पुनः जब आगे बढकर प्रौढ ग्रंथो को देखते है तो प.पू. माताजी का जहाँ विद्वानों के प्रति प्रौढ दृष्टिकोण झलकता है वहीं ज्ञान का अथाह सागर उनके अंदर हिलोरे भरते दृष्टिगत होता है।
प.पू. माताजी ने पूर्वाचार्यो द्वारा लिखित चारों अनुयोगों के ग्रंथो का अध्ययन, चिंतन, मनन करके साहित्य क्षेत्र में अनेक अलौ कृतियाँ प्रदान की है। पूर्वाचार्यो द्वारा प्रतिपादित कठिन एवं गहन विषयों को सरल एवं संक्षेप में लिख देना उनकी विशेषता है।
प.पू. माताजी का १-२ दिन का नहीं, अभीतक के ५८ वर्ष के संयम जीवन का नित्यक्रम आर्ष परंपरानुसार आदर्श रहा है। इसी में अवसरोचित उपवासादिव्रत में निराहार रहते हुये, शारीरिक अस्वस्थता - आधि-व्याधि-उपाधि में भी शुद्ध चर्या पालन करते हुए, अन्य कई विपरीतता और प्रतिकूलता का सामना करते हुए अपनी क्षीण काय-वल के वावजूद अपनी अन्तःस्फुरणा एवं दिव्य ज्ञान से जो साहित्य सर्जन किया है एवं अन्य क्षेत्रो में उनको प्रेरणा से जो अभूतपूर्व सृजनात्मक कार्य साकार हुए है वे उनके मनोवल, संकल्पवल, योगबल एवं आत्मवल का मूर्त रूप ही है।
उनके द्वारा रचित, अनूदित एवं टीकाकृत अमूल्य रत्नों के समान उच्च कोटिके ३०० से अधिक रचनाओं का परिचय तो दूर उन सवका नामोल्लेख करना भी इस छोटे से निबंध में संभव नहीं है। ..
अतः उनकी कुछ मुख्य रचनाओं पर यथाशक्ति यथा मति प्रकाश डालने का प्रयत्न किया गया है। संस्कृत साहित्य सर्जनः
प.पू. माताजी ने अपनी लेखनी का प्रारंभीकरण संस्कृत भाषा से किया जब उन्होने २१ वर्ष की आयु में क्षुल्लिकावस्था में 'जिनसहस्रनाम मंत्र' की रचना की। यह मंत्र ही सरस्वती-माता का वरदहस्त बनकर प.पू. माताजी की लेखनी को
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २६३
Page #313
--------------------------------------------------------------------------
________________
अद्भुत ऊँचाइयों तक ले गये।
२५ वर्ष की आयुमें अपने दीक्षा गुरु आ. श्री वीरसागरजी महाराज की स्तुति उपजातिछंद में १० श्लोकों में बनाई। ---- -
३१ वर्ष की आयु में श्रवणबेलगोला में भगवान बाहुवली के चरणों में बैठकर उनकी स्तुति वसंततिलका के ५१ छंदो में की जिसमें अलंकारो की बहुलता से रत्नजडित आभूषणों के सुसज्जित सुंदर कन्या की भाँति शब्द लालित्य प्रकट हुआ है।
इसके अतिरिक्त हिंदी में १११ पद्यों में वाहुवली लावणी लिखी। वीर सं. २५०७ (सन् १९८१) में इसी लावणी को संगीतबद्ध करकं ७ सप्ताह तक आकाशवानी दिल्ली से 'पाषाण बोलते हैं' इस शीर्षक के अन्तर्गत प्रसारित किया गया था।
कर्नाटक के उस प्रवास में प.पू. माताजी ने कन्नड भाषा सीख ली और तुरंत कन्नड में बाहुवली भगवान तथा अंतिम श्रुतकंवली भद्रवाहु स्वामी की स्तुतियाँ रची एवं कन्नड में ही एक सुंदर बारह भावना लिखी जो वहाँ बहुत प्रचलित हुई।
इस युग की प्रथम रागिनी आर्यिका ‘ब्राह्मी माताजी' की स्तुति अनुष्टुप छंद में ४१ श्लोको में की जो एक अद्वितीय रचना है।
वीर सं. २४१२ (सन् १९६६) की शरदपूर्णिमा के दिन आयुके ३२ वर्प पूर्ण कर ३३वें वर्ष के प्रवेश के दिन 'चन्द्रप्रभस्तुति के ३२ छंद भुजंग प्रयात, शिखरिणी, पृा, द्रुत-विलंबित छंद में वनाकर ३३वें शार्दूल विक्रीडित छंद में पूर्ण ज्ञान प्राप्त करने की भावना व्यक्त की है।
फिर 'आया छंद में ६३ श्लोको में एक त्रैलोक्य चैत्यवंदन' और ८४ श्लोकों में श्री सम्मेद शिखर वंदना' लिखी। ___प.पू. माताजीने उपर्युक्त स्तुतियों का 'हिंदी पद्यानुवाद' भी स्वयं करके जनसामान्य को उनका रसास्वादन करने की सुविधा प्रदान की। ___प.पू. माताजीने प्रत्येक शरदपूर्णिमा के दिन अपनी आयु के प्रवेश वर्ष की गिनती के अनुसार उतने ही संस्कृत श्लोको की स्तुतियाँ रचकर प्रभु चरणों में समर्पित करके अपनी रुचि और गरिमा को ध्यान में रखते हुए जन्मदिन मनाने की यह अभिनव परंपरा अपनाई है। ३४ वें वर्ष के प्रवेश के दिन 'पृथ्वी' छंद के ३४ श्लोका में भगवान शांतिनाथ की स्तुति रचकर प्रभु चरणों में समर्पित की। भरे अपने मूल गाँव प्रतापगढ राजस्थान के चातुर्मास में उनके ३५ वें वर्ष में प्रवेश की शरद पूर्णिमा के दिन ३५ श्लोकोमें 'पंचमेरु स्तुति' की रचना की। अपनी आयु की ३६वीं शरदपूर्णिमा के दिन ३६ श्लोको में वीर जिन स्तुति' बनाई। ____ प.पू. माताजी का इस काल-खण्ड में अध्ययन-अध्यापन का कार्य भी पूर-वहार में था। समय-समय पर अनेक मुनि-आर्यिका क्षुल्लक-क्षुल्लिका एवं ज्ञान-पिपासु श्रावकश्राविकाओं को अपने विशिष्ट ज्ञान के आधार पर संस्कृत, व्याकरण, न्याय, छंद, अलंकार, सिद्धांत आदि का अध्ययन कराया। कई वार चातुर्मास स्थिरता में प.पू. माताजी कई दिनों तक सुबह ७ से १० बजे तक, मध्याह्न ११ से १२ बजे तक ૨૬૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #314
--------------------------------------------------------------------------
________________
और अपरन्हि ११ से ५ बजे तक जैनेन्द्र प्रक्रिया (संस्कृत व्याकरण), राजवार्तिक, गद्यचिंतामणि, अष्टसहस्री, गोम्मटसार जीवकांड, कर्मकांड, प्रमेय रत्नमाला, आप्त परीक्षा आदि क्लिष्टतम ग्रंथो को अकेली पढाती थी। महाविद्यालयों में तो एक-एक विषय को मात्र ४५.४५ मिनट पढाने के लिये भी विद्वान अलग-अलग रखने पडते हैं।
संस्कृत स्तुतियों की शृंखला में 'उपसर्ग विजयी पार्श्वनाथ', 'श्री पार्श्वनाथ स्तुति', 'सुप्रभात स्तोत्र', 'मंगल स्तुति', 'जम्बूद्वीपभक्ति', 'चतुर्विंशति जिन स्तोत्र', 'श्री तीर्थंकर स्तुति', 'श्री महावीर स्तवनम्', 'सुदर्शन मेरु भक्ति', 'निरंजन स्तुति'
आदि कई रचनायें बनाई। कल्याणकल्पतरु स्तोत्र (अपरनाम छंदोमंजरी) __प.पू. माताजी की विभिन्न मौलिक रचनाओं में से एक अत्यंत महत्त्वपूर्ण रचना है 'ल्याण कल्पतरु स्तोत्र' जिसे उन्होने वी. सं. २५०१ (सन् १९७५) में छंदवद्ध किया। इसकी अपनी कुछ विशेषता है जिससे मैं आपको अवगत कराना चाहूँगा। संस्कृत छंदशास्त्र में एक अक्षरी छंद से लेकर ३० अक्षरों तक के छंदो का वर्णन आता है।
प.पू. माताजी ने इस स्तोत्र में एकअक्षरी छंद से लेकर ३० अक्षरी छंदो का क्रम से प्रयोग करते हुए कुछ १४४ छंदो में भगवान ऋपभदेव से लेकर महावीर स्वामी पर्यंत २४ तीर्थंकरों की पृथक-पृथक स्तुतियाँ बनाई और अंत में एक 'चतुर्विंशति तीर्थंकर स्तोत्र' नाम के समुच्चय स्तोत्र की रचना की। इस प्रकार पूरे 'कल्याणकल्पतरू' स्तोत्र में २१२ श्लोक हैं। प्रत्येक तीर्थंकर की पंचकल्याणक तिथियाँ, उनके शरीर के वर्ण, आयु, कल्याणक-स्थल आदि का पूरा इतिहास इसमें समाहित कर लिया गया है।
इसमें वार्णिक, मात्रिक, सम, विपम और दण्डक इन पाँच प्रकार के छंदो का प्रयोग है। इसकी एक स्वतंत्र पुस्तक प्रकाशित हुई है जिसमें इतना ज्ञान समाविष्ट है कि यह एक छंदशास्त्र बन गया है।
इस पुस्तक के अंत में संस्कृत का 'एकाक्षरी कोप' भी समाविष्ट है जो इस पुस्तक की उपयोगिता वृद्धिंगत करता है। 'श्री त्रिंशत् चतुर्विंशति नाम स्तवनम्'
प.पू. माताजी की १३० श्लोकों के विस्तारित इस विशिष्ट रचना के बारे में बताना चाहूँगा कि इसमें सहस्रनाम स्तोत्र की तरह ही प्रथम १० श्लोकों में पीटिका है। फिर अनुष्टुप छंद में निवद्ध १० अधिकार हैं। प्रत्येक अधिकार में एक-एक क्षेत्र संबंधी त्रैकालिक चौवीसी के ७२ तीर्थंकरों के नाम हैं। अंत में प्रार्थना के अष्ट श्लोकों में पंचकल्याणकों से युक्त तीर्थंकर-पद प्राप्ति के उत्कृष्ट भाव प्रकट किये हैं। प्रशस्ति के ३ श्लोकों में स्तोत्र रचनासाल वी. सं. २५०३ माघशुक्ला चतुर्दशी तिथि को गूंथ लिया है।
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २६५
Page #315
--------------------------------------------------------------------------
________________
इसके अतिरिक्त ३० चौबीसीके ७२० तीर्थंकरों के नाम-मंत्र भी बनाये हैं। तीस चौबीसी का व्रत करनेवालों के लिये यह स्तोत्र एवं मंत्र बहुत ही उपयोगी रहते हैं। जिन स्तोत्र संग्रहः
यह विशाल स्तोत्र संग्रह प.पू. माताजी की संस्कृत काव्य प्रतिभा का परिचायक है। इसमें उनके द्वारा रचित संस्कृत एवं हिंदी स्तुतियों का समावेश है। इस ग्रंथ के प्रथम, पंचम एवं छठे खण्ड में अन्य आचार्यों एवं विद्वानो द्वारा रचित संस्कृत एवं हिंदी स्तोत्र भी संकलित है। पृष्ट संख्या ३६+५३२ के साथ प्रकाशित यह ग्रंथ भक्ति रस के चाहको के लिये अमूल्य भेंट है।
भक्ति-साहित्य की रचनाओं में 'ल्पद्रुम विधान' (पन्द्रहवाँ संस्करण पृ. सं. ४८+४६८), 'सर्वतो भद्र विधान' (नवम संस्करण पृ. सं. ३२+८३२), 'तीन लोक विधान (अष्टम संस्करण पृ. सं. ४०+५२०) त्रैलोक्य विधान' (लघु तीनलोक विधान सप्तम संस्करण पृ. सं. ३२+३०८), 'श्री सिद्ध चक्रविधान' (सप्तम संस्करण पृ. सं. ६४+३९२), 'विश्वशांति महावीर विधान' (तृतीय संस्करण पृ. सं. ४०+३०४), 'जम्बूद्वीप मण्डल विधान' (पप्टम संस्करण पृ. सं. ४२+२७६) आदि कई विधान भक्तिरस में डूबने के लिये उपलब्ध कराये हैं।
उपर्युक्त वैविध्यपूर्ण काव्य कृतियों के आधार पर यदि प.पू. माताजी को ‘मह कवियित्री' कहा जाये तो अतिशयोक्ति नहीं होगी। शब्दों का चयन और संयोजन उनके अप्रतिम भाषा प्रभुत्व एवं काव्यशक्ति का परिचायक है। समस्त साहित्य कृतियों की भाषा अत्यंत सरल, सौष्ठवपूर्ण और माधुर्य से भरपूर है। उसमें प्रायः लंबे समासों तथा क्लिष्ट पदावली का अभाव है। उनकी वाक्य योजना सरल तथा प्रभावोत्पादक है। अभिव्यक्ति में कहीं अस्वाभाविकता के दर्शन नहीं होते हैं। यही कारण है कि उनके श्लोकों एवं टीका ग्रंथा को पढते ही उनका अभिप्राय अथवा तात्पर्य शीघ्र ज्ञात हो जाता है।
प.पू. माताजी का चिंतन एवं लेखन पूर्णतया जैनागम से संबंध रखता है, पूर्वापर विरोधरहित होता यह उनकी महान विशेपता है। उनके उत्कृष्ट त्याग और तपस्या, तथा निर्दोप संयम-पालन ने उनके भावपूर्ण गद्य-पद्य रूप हिंदी और संस्कृत साहित्य को जीवन्तता प्रदान की है।
प.पू. माताजी की लगभग सभी संस्कृत और हिंदी की साहित्यिक कृतियों का प्रारंभ सिद्ध या सिद्धि शब्द से हुआ है। शताधिक स्तोत्रों की रचयित्री प.पू. माताजी का अपना मत है कि सिद्ध या सिद्धि शब्द से रचना का प्रारंभ सिद्धि प्रदायक एवं निर्विन कार्य-पूर्णता का परिचायक होता है। टीका एवं अनुवाद ग्रंथ
अष्टसहस्रीः जैन न्याय दर्शन का अतिप्राचीन एवं सर्वोच्च ग्रंथ 'अष्ट सहस्त्री' की हिंदी टीका का श्रमसाध्य कार्य केवल १८ महीनों में वी. सं. २४९६ में ही पूर्ण ૨૬૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #316
--------------------------------------------------------------------------
________________
कर लिया। इस कार्य की गुणवत्ता देखकर न्याय दर्शन के उच्चकोटि के विद्वान आल्हादित हो गये। तव से प.पू. माताजी की दिव्यज्ञान प्रतिभा से लोग विशेष परिचित होने लगे। यह हिंदी टीका ‘स्याद्वाद चिंतामणि' के नाम से ३ भागो में प्रकाशित हो चुकी है।
अनुवाद की पूर्णता पर अपनी असीम प्रसन्नता की अभिव्यक्ति अनुष्टुप, मन्दाक्रान्ता, आर्या और उपजाति इन चार छंदो का प्रयोग करते हुए २४ श्लोको में एक 'अष्ट सहस्री वंदना' संस्कृत में लिखि जिसमें ग्रंथ का प्राचीन इतिहास Dथ लिया है।
आज से लगभग १८०० वर्ष पूर्व आचार्यश्री समंतभद्र स्वामी ने ११४ कारिकाओं में 'देवागम स्तोत्र' अपरनाम 'आप्त मीमांसा' नामक ग्रंथ श्री उमास्वातीजी रचित तत्त्वार्थसूत्र के मंगलाचरण पर टीका रूप में लिखा। इन्ही कारिकाओं पर आ. श्री अकलंकदेवने ८०० श्लोक प्रमाण संस्कृत टीका ‘अष्टशती' लिखी। इन्ही को लेकर अव से लगभग १२०० वर्ष पूर्व आ. श्री विद्यानंदस्वामी ने ८००० श्लोक प्रमाण विस्तृत संस्कृत टीका रचकर उसका नाम 'अष्ट सहस्त्री' दिया और इसके विपय की क्लिष्टता को ध्यानमें रखते हुए आ. श्री ने स्वयं इसे 'कष्ट सहस्री संज्ञा से संबोधित किया है।
प.पू. माताजी ने इस ग्रंथ की हिंदी टीका रचकर और जगह-जगह विशेपार्थ और भावार्थ देकर जन-जन के लिये 'कष्ट सहस्री' कहे जाने वाले इस ग्रंथ को 'सुगम सहस्री' बना दिया है।
इस ग्रंथ के प्रथम भाग के तीन संस्करण छप चुके है। वी. सं. २५३४ में प्रकाशित तृतीय संस्करण की पृष्टसंख्या ९८+४४४ है और १२० पृष्टीय न्यायसार ग्रंथ जोडने से इसकी उपयोगिता कई गुना बढ़ गई है। द्वितीय भाग का दुसरा संस्करण वी. सं. २५३५ में पृष्टसंख्या ८६+४२४ एवं तृतीय भाग का दूसरा संस्करण वी. सं. २५३६ में पृष्ट संख्या ८६+६०८ के साथ प्रकाशित हो चुका है।
इस ग्रंथ के प्रथम भाग के विमोचन के अवसर पर राजथानी विभागो के अन्दर चारों सम्प्रदायों के अनेक वरिप्ट साधु-साध्वियों के सानिध्य में प.पू. माताजी को 'न्याय प्रभाकर' की उपाधि से अलंकृत किया गया।
नियमसारः आ. कुन्दकुन्द देव के नियमसार प्राभृत का हिंदी अनुवाद वी. सं. २५०२ में पूर्ण किया। इस ग्रंथ की आचार्य पद्मप्रभ मलधारीकृत संस्कृत टीका की हिंदी टीका प.पू. माताजीने अतीव सुगम शैली में अथक परिश्रमपूर्वक की है। इसमें भावार्थ - विशेषार्थ भी दिये हैं। अनेक स्थानों पर गुणस्थान का स्पष्टीकरण किया है। वीर सं. २५११ में ५८२ पृष्ठों में यह ग्रंथ प्रकाशित हो चुका है।
नियमसार पधावलीः वीर सं. २५०३ में प.पू. माताजी ने इसका हिंदी पद्यानुवाद किया है। इसमें मूल गाथाएँ, पद्यानुवाद तथा गाथाओं के नीचे संक्षेप में अर्थ दिया है। अध्यात्म-रस का आनन्द लेने के लिये पद्यानुवाद सुरुचिकर है। प्रत्येक अधिकार
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २६७
Page #317
--------------------------------------------------------------------------
________________
के अंत में सारांश भी दिये हैं। नियमसार प्राभृत पर 'स्याद्वाद चंद्रिका' संस्कृत टीकाः
प.पू. माताजी ने वी. सं. २५०४ में इसी ग्रंथ पर संस्कृतीका लिखने का भाव बनाया और लगभग ६२ ग्रंथो के उद्धरण आदि के साथ नय व्यवस्था द्वारा गुणस्थान आदि के प्रकरण को स्पष्ट करते हुए वी. सं. २५११ में 'स्याद्वाद चन्द्रिका' टीका लिखकर पूर्ण की। टीका का हिंदी अनुवाद भी स्वयं किया। प्रसंगोपात्त भावार्थ-विशेपार्थ देकर विषय को अच्छी तरह से स्पष्ट किया है।
नियमसार ग्रंथ की १८७ गाथाओं को प.पू. माताजी ने तीन महा-अधिकारों एवं ३७ अंतर-अधिकारो में विभाजित किया है। पूर्ण-रूप से आप परंपरा का अनुसरण करते हुए इस टीका का लेखन किया है। अध्यात्म को आत्मसात् करने के लिये यह टीका अति उपयोगी है। इसका द्वितीय संस्करण वी. सं. २५३१ (सन् २००५) में ५२+४७४ पृप्टसंख्या के साथ प्रकाशित हो चुका है। 'स्याद्वाद चन्द्रिका संस्कृत टीका' वीसवीं सदी की अनोखी उपलब्धि हैं।
इसके अतिरिक्त इसी ग्रंथ पर 'नियमसार कलश संस्कृत टीका - स्याद्वाद चन्द्रिका टीका का सार एवं नियमसार का सार' जैसी महत्त्वपूर्ण कृतियाँ भी हमें दी है। 'षटखण्डागम' ग्रंथ की 'सिद्धान्त चिंतामणि' संस्कृत टीकाः
प.पू. माताजी ने वीर नि. सं. २५२१ में अपनी आयु के ६१वें शरद पूर्णिमा के दिन अपनी सुशिष्या प्रज्ञाश्रमणी आर्यिका चन्दनामती के अनुरोध पर जैनागम के सर्वोच्च सिद्धान्त ग्रंथ 'षटखण्डागम सूत्र ग्रंथ' का मंगलाचरण १७ श्लोको में लिखकर एक सरल संस्कृत टीका लिखने का प्रारंभ किया।
प.पू. माताजीने अंतिम श्लोक में कहा है कि यह 'सिद्धान्त चिंतामणि टीका' सिद्धान्त ज्ञानरूपी अमृत को देने में कुशल है। यह टीका अपनी आत्मा में और अन्य भव्य आत्माओं में केवलज्ञान को उत्पन्न करने के लिये वीजभूत होवे ऐसी प्रार्थना की है।
षटखण्डागम का स्तोत्रः वीर नि. संवत ६०० (सन् ७४) के आसपास संपूर्ण अंग और पूर्व के एकदेशज्ञाता, श्रुतज्ञान को अविच्छिन्न वनाने की इच्छा रखने वाले महाकारुणिक श्रीधर सेनाचार्य के मुखकमल से ‘अग्रायणीय पूर्व' नामक द्वितीय पूर्व के ‘चयनलब्धि' नामक पाँचवी वस्तु के 'कर्मप्राभृत' नामक चौथे अधिकार से निकले हुए जिनागम का ज्ञान प्राप्त करके 'पटखण्डागम' यह सार्थक नाम देकर आ. श्री पुष्पदंत एवं आ. श्री भूतबलि ने सिद्धान्तसूत्रों को लिपिवद्ध किया।
अव तक हुये अन्वेषणों के अनुसार यह प्राचीनतम लिखित उपलब्ध आगम है। इस ग्रंथाधिराज पर समय-समय पर संभवतः कई टीकायें लिखी गई हो सकती है पर आज केवल एक टीका उपलब्ध है जो १२०० वर्ष पूर्व श्री वीरसेनाचार्यकृत प्राकृत एवं संस्कृत मिश्रित 'धवला' टीका के नाम से प्रख्यात है। ૨૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #318
--------------------------------------------------------------------------
________________
प.पू. माताजी ने अपने आद्य वक्तव्य में स्वयं घोषित किया है कि इस 'धवला' टीका के आधार से ही स्वयं विशेष जानने की इच्छासे अनेक प्रकरणों को वहां से उद्धृत करके, किन्ही प्राकृत पंक्तियों की संस्कृत छाया करके, कुछ विषयों को संक्षिप्त करके, किन्ही प्रसंगोपात विपयों को सरल करने के लिये अन्य पूर्व परंपरा प्रणीत २२ ग्रंथो के विशेष उद्धरणों को भी संग्रहीत करके यह 'सिद्धान्त चिन्तामणि' टीका लिखी जा रही है। प.पू. माताजी की यह घोषणा उनकी सरलता और स्पष्टवादिता प्रकट करती है।
अपनी मौलिक विचारधारा को आधार बनाकर स्वतंत्र ग्रंथ का लेखन कर लेना तो सरल माना जा सकता है किन्तु पूर्वाचार्यो की सूत्ररूप वाणी लेकर उनके मनोभावों को दृष्टि में रखकर पूर्वापर आगम से अविरुद्ध वचनरूपी मोतियों की माला पिरोते हुए किसी सैद्धान्तिक सूत्र ग्रंथ की टीका लिखना अत्यंत दुरुह कार्य है। टीका की प्रामाणिकता के लिये अत्यन्त आवश्यक है कि उसमें वह कुछ न कहा जाये, जो मूल में न हो और उसे विल्कुल न छोडा जाये, जो मूल में हो। 'सिद्धान्त चिंतामणि' टीका इसमें शत प्रतिशत खरी उतरती है।
अनादिनिधन णमोकार महामंत्र को मूल मंगलाचरण बना कर ग्रंथकर्ता ने उसे ही प्रथम गाथा सूत्र माना है। प.पू. माताजी ने णमोकार मंत्र के अक्षर, पद, मात्रा आदि का सुंदर विवेचन करके यह द्वादशांग का सारभूत है ऐसा भी अन्य ग्रंथो के आधार से सिद्ध किया है। इस मंगलाचरण में नाम, स्थापना आदि निक्षेप भी घटित किये है। यह मंत्र अनादिनिधन है ऐसा भी अन्य ग्रंथ के आधार से प्रकट किया है। 'णि बद्धः' शब्द की व्याख्या करते हुए टीकाकर्ता प.पू. माताजीने कहा है कि 'संग्रहीतः न चग्रंथितः रेवतानमष्कारः स निवद्ध मंगलः' अर्थात् इस मंगलाचरण में णमोकार मंत्र को आ. पुष्पदंतने स्वयं बनाया नहीं है अपितु उसका संग्रह किया है। इसलिये यह अनादिनिधन मंत्र शाश्वत् सिद्ध हो जाता है। हिंदी टीका सहित ४६ पृष्ठो में विस्तारित यह मंगलाचरण प्रकरण विशेषरूप से पटनीय है।
___प्रथम 'जीवस्थान खण्ड में २३७५ सूत्रों की आट अनुयोगद्वार एवं अंत में एक चूलिका अधिकार है जिसके ९ भेद हैं। ६ पुस्तको में विस्तारित प्रथम खण्ड की टीका के पश्चात् सातवी पुस्तक में 'क्षुद्रक बंध' नामक द्वितीय खण्ड में १५९४ सूत्र, आठवी पुस्तक में 'बंध स्वामित्व .....' नामक तृतीय खण्ड में ३२४ सूत्र नवमी से बारहवीं पुस्तक तक 'वेदनाखण्ड' नामक चतुर्थखण्ड के १५२५ सूत्र तथा १३वीं से १६वीं पुस्तक में 'वर्गणा खण्ड' नामक पांचवे खण्ड में १०२३ को मिलाकर कुल ६८४१ सूत्र की टीका कुल सोलह पुस्तको मे ३१०७ पृष्ठो में वी. नि. सं. २५३३ में संपूर्ण की है।
इन ग्रंथो की विषयवस्तु समझने के लिये 'षटखण्डागम का विषय' एवं 'षटखण्डागम - एक अनुशीलन' लेख विशेष पठनीय है। आचार्य चतुष्टय परिचय' में आ. धरसेन, आ. पुष्पदंत और आ. भूतबलि तथा आ. बीरसेन का परिचय,
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २६८
Page #319
--------------------------------------------------------------------------
________________
षटखण्डागमत विधि, जाप्य मंत्र, षटखण्डागम पूजा, स्तुति, आरती आदि का समावेश करके जनसामान्य के लिये इसकी उपयोगिता बढा दी हैं।
वस्तुतः यह जैनदर्शन एवं सिद्धांत का Encyclopedia है। जैनदर्शन के अभ्यासियों के लिये प.पू. माताजी की यह अपूर्व देन है। इस ग्रंथ की उपयोगिता को दृष्टि में रखते हुए अपने सभी मतभेदों को भुलाकर कहान पंथ के मुमुक्षुओं द्वारा इन १६ पुस्तको के कई सेट खरीदकर नियमित शास्त्र-स्वाध्याय किया जा रहा है।
कातंत्ररुपमाला : श्री शर्ववर्म आचार्य प्रणीत यह कातंत्ररुपमाला नाम की व्याकरण दि. जैन परम्परा में संस्कृत भाषा का ज्ञान प्राप्त करने के लिये सबसे सरल व्याकरण है। इसके कुल १३८३ सूत्र एवं आ. भावसेन त्रैविद्य लिखित टीका का हिंदी अनुवाद प. पू. माताजी ने वी. सं. २४९९ (सन् १९७३) में करके व्याकरण के अभ्यासियों पर महान उपकार किया है। इसका तृतीय संस्करण ४०+३६८ पृष्ठ संख्या के साथ प्रकाशित हो चुका है। वर्तमान में कई श्रमणसंघी में इसका अध्ययन-अध्यापन चल रहा है।
समयसार प्राभृतः आ. कुंदकुंद देव कृत समयसार प्राभृत पर आ. अमृतचन्द्र की 'आत्मख्याति' संस्कृत टीका एवं आ. जयसेन कृत 'तात्पर्यवृत्ति' संस्कृत टीका, दोनों का समन्वय करके प. पू. माताजीने 'ज्ञानज्योति हिंदी टीका वी. सं. २५१५ (सन् १९८९) में पूर्ण की। दो भागों में प्रकाशित 'समयसार पूर्वार्ध' का द्वितीय संस्करण सन् २००८ में पृष्ठसंख्या ७० + ६८० एवं 'समयसार उत्तरार्ध' का प्रथम संस्करण वी. सं. २५२१ (सन् १९९५) में पृष्टसंख्या ४८ + ६५६ के साथ उपलब्ध है। ये दोनो ग्रंथ स्वाध्यायियों के लिये अतीव उपयोगी हैं क्योंकि ये समयसार के हार्द को प्रस्फुटित करने में पूर्णरूपेण समर्थ है।
जैन भारती : प. पू. माताजी ने इस ग्रंथ को वी. सं. २५०१ (सन् १९७५) को पूर्ण किया। जैनधर्म का आमूल-चूल ज्ञान प्राप्त करने के लिये जैन एवं जैनेतर सभी के लिये महत्त्वपूर्ण ग्रंथ है। चार खण्ड में चार अनुयोगों को बहुत ही सुगम शैली में प्रतिपादित किया है। इसमें एक-एक अनुयोग के विषय प्रारंभ से अंत तक संक्षेप में दिये हैं। इसका आठवाँ संस्करन पृष्टसंख्या ३६ + २३६ के साथ वी. सं. २५३४ (सन् २००८) में प्रकाशित हो चुका है जो इसकी लोकप्रियता सिद्ध करता है।
महावीर देशना : भगवान महावीर स्वामी के २६०० वें जन्मजयंति वर्ष के अन्तर्गत वी. सं. २५२७ सन् २००१ में इस ग्रंथ को लिखा इस ग्रंथ में ९ अधिकारों में भगवान महावीर जन्मभूमि कुण्डलपुर, गर्भ, जन्म, तप, केवलज्ञान कल्याणक, भगवान महावीर का समवसरण, प्रथम दिव्यध्वनि, द्वादशांग, गौतमस्वामी परिचय, चौबीस तीर्थंकर, दिगम्बर जैन मुनिचर्या, मुनियों भेद-प्रभेद वर्षायोग, आर्यिका चर्या, श्रावकचर्या, सोलह कारण भावना, दशलक्षण धर्म आदि का वर्णन है । इसका द्वितीय संस्करण वी. सं. २५३५ (सन् २००९) में पृष्ठसंख्या ३२ + ५६८ के साथ प्रकाशित हो चुका है।
૨૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #320
--------------------------------------------------------------------------
________________
ऋषभदेव चरितम्
वर्तमान युग की आवश्यकता को देखते हुए प.पू. माताजीने भगवान ऋपभदेव एवं जैनधर्म के सिद्धान्तो को देश-विदेश में प्रसारित करने के महत् कार्य के अन्तर्गत विद्वत्-समाज की आवश्यकता की पूर्ति हेतु संस्कृत में 'ऋषभदेव चरितम्' का लेखन वी. नं.सं. २५२३ में प्रारंभ किया और षटखण्डागम की टीका के महत्त्वपूर्ण कार्य में व्यस्त होने के बावजूद अपनी आयुकी ६६वीं शरदपूर्णिमा के दिन पूर्ण कर दिया।
इस कृति में भगवान ऋषभदेव के जीवन का उत्थान किस पर्याय से प्रारंभ हुआ और वे भगवान की श्रेणी में कैसे पहुँचे, इन समस्त विषयों का वर्णन महापुराण के आधार से दिया है। राजा महाबल से लेकर तीर्थंकर ऋपभदेव तक उनके १० भवों का वर्णन देकर भोगभूमि और देवगति के सुखों का भी विस्तृत वर्णन इस ग्रंथ में दिया है। आराधना (अपरनाम-श्रमणचर्या
वी.नि.सं. २५०३ में प.पू. माताजीने मूलाचार, आचारसार, अनागार धर्मामृत, भगवती आराधना आदि ग्रंथो के आधार पर ४५१ श्लोक प्रमाण यह 'आराधना' नामक आचार ग्रंथ रचा है। प.पू. माताजीने अपने संस्कृत-व्याकरण छंद ज्ञान का पूर्णरूप से इसमें सदुपयोग किया है। प्रत्येक श्लोक का हिंदी मे अर्थ एवं आवश्यकतानुसार भावार्थ भी स्वयं लिखा है। श्लोको के उपर शीर्पक भी दिये हैं।
इसमें दिगम्बर मुनि-आर्यिकाओं की दीक्षा से समाधिपर्यन्त प्रतिदिन प्रातः से सायंकाल तक की जाने वाली चर्या एवं क्रियाओं को दर्शाया गया है। यह ग्रंथ दर्शनाराधना, ज्ञानाराधना, चारित्राराधना, सामाचारीविधि, नित्यक्रिया, नैमित्तिक क्रिया, तप आराधना और आराधक नाम के आठ अधिकारों में निवद्ध है।
इस प्रकार अनेक प्रकरणों से समन्वित यह ग्रंथ अत्यंत महत्त्वपूर्ण है। वी. नि.सं. २५०५ में (पृष्ट सं. १५०) प्रकाशित यह ग्रन्थ संयम-मार्ग की चर्या समझने के लिये अत्यंत उपयोगी है। मूलाचार
आ. श्री कुंदकुंद देव द्वारा रचित प्राकृत भाषा के १२४३ गाथाओं में निबद्ध, द्वादश अधिकारों में विभक्त 'मूलाचार' नामक ग्रंथराज दिगम्बर जैन आम्नाय में मुनिधर्म के प्रतिपादक शास्त्रों में प्रायः सर्वाधिक प्राचीन माना जाता है। _ 'मूलाचार पूर्वार्ध' एवं 'मूलाचार उत्तरार्ध' ऐसे दो भागों में विभाजित इस ग्रंथ के प्रतिपाद्य विषय हैं - मूल गुण, बृहत् प्रत्याख्यान, संक्षेप प्रत्याख्यान, समयाचार, पंचाचार, पिण्डशुद्धि, पडावश्यक, द्वादशानुप्रेक्षा, अनगारभावना, समयसार, शीलगुण प्रस्तार और पर्याप्ति।
दिगम्बर जैन साधु-साध्वियों की आचार संहिता को दर्शान वाला यह ग्रंथ
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २७१
Page #321
--------------------------------------------------------------------------
________________
'भारतीय ज्ञानपीठ' संस्था द्वारा प्रकाशित हुआ है। दोनो भागों की पृष्ट संख्या क्रमशः ५६+५२२ एवं १२+४२० है। इसका पाँचवाँ संस्करण वी.नि.सं. २५२८ में छप चुका है जो इसकी उपयोगिता और लोकप्रियता का प्रमाण है। त्रिलोक भास्कर
द्वादशांग वाणी के दृष्टिवाद अंग के अन्तर्गत 'परिकर्म' एवं 'पूर्व' साहित्य में 'लो' के स्वरूप एवं विस्तार की व्यापक रूप से चर्चा है। जिनागम प्रणीत तिलोयपणात्ति, त्रिलोकसार, लोकविभाग, जम्बूद्वीप पण्णत्ति संगहो आदि ग्रंथो के आधार से प्राप्त सामग्री को सुचारु रूप एवं अत्यंत सुस्पष्ट रूप से संचित करके यह सर्वगुण सम्पन्न कृति बनाई है। इसमें सभी वर्णन प्रामाणिक रूप से उपलब्ध है। विधानादि के लिये नक्शे सर्वांग पूर्ण, सुंदर एवं स्पष्ट वनाये गये हैं। चार्ट, चित्र, सारणी, भौगोलिक, ज्योतिष एवं लोकसंबंधी विभिन्न नक्शों तथा संख्याओं के कारण इस ग्रंथ की उपयोगिता अतुलनीय है।
प.पू. माताजी ने इस ग्रंथ की रचना करके करणानुयोग के सागर को गागर में भर दिया है। उनका यह उपक्रम सर्वोत्तम, सर्वग्राह्य एवं सर्वप्रिय है, साथ ही अभूतपूर्व, अमर एवं आधारभूत है।
वर्तमान में वी.नि.सं. २५२५ में प्रकाशित द्वितीय संस्करण डिमाई आकार के ३०० पृष्ठों के साथ उपलब्ध है। ज्ञानामृतः
प.पू. माताजी की हिंदी में लिखित रचनाओं में 'ज्ञानामृत' एक अनुपम ग्रंथ है जो तीन भागों में प्रकाशित हो चुका है। इस ग्रंथ के प्रथम भाग के तीन संस्करण छप चुके हैं जो इसकी उपयोगिता और लोकप्रियता का प्रमाण है।
३३२ पृष्ठों में प्रकाशित ज्ञानामृत भाग १ में जैन आध्यात्म एवं जैनागम से संबंधित २५ शीर्षकों के साथ जैनविद्या का सार-संक्षेप जैन वाङ्मय के ४२ ग्रंथो के आधार पर प्रस्तुत किया है।
इसमें षटखण्डागम की 'धवला' टीका के आधार पर ‘णमोकार मंत्रका अर्थ' का संक्षिप्त विवेचनात्मक लेख है। तत्पश्चात् ‘सागार धर्मामृत' के आधार पर 'गृहस्थधर्म' का विवेचन है। 'आत्मानुशासन' के आधार पर 'सम्यक्त्वसार', आ. कुंदकुंददेव के 'चारित्रप्राभृत' एवं श्री श्रुतसागरसूरिकृत टीका के आधार पर 'चारित्रप्राभृतसार एवं 'बोधप्राभृत सार', पद्मनंदि ‘पंचविंशतिका' के आधार पर उपासक एवं दान पर स्वतंत्र लेख हैं।
इसके बाद आ. कुंदकुंददेव के 'समयसार' ग्रंथ एवं श्री अमृतचन्द्राचार्य एवं श्री जयसेनाचार्य की टीकाओं के आधार पर 'समयसार का सार' नामक मननीय लेख हैं।
फिर 'आदिपुराण' के आधार पर 'सप्तपरम स्थान' का ज्ञान कराया है। तदनंतर
૨૭૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #322
--------------------------------------------------------------------------
________________
'सुदं में आउस्संतो' इस तरह श्री गौतमस्वामी के मधुर संबोधन वाक्य से प्रारंभ करके संक्षेप में श्रावक धर्म का वर्णन किया है। चौबीस दण्डक' नामक लघुप्रकरण 'त्रिलोकसार' एवं 'तिलोयपण्णति' के आधार पर ‘गतियों के आने-जाने के द्वार पर संक्षिप्त किन्तु रोचक ज्ञान दिया है। फिर 'तत्त्वार्थराजवार्तिक' के आधार पर 'जीवके स्वतत्त्व' और उनके अवांतर भेदों का अच्छा स्पष्टीकरण किया है।
इसके पश्चात् 'द्वादशांग श्रुतज्ञान का विषय', 'श्रुत पंचमीका व्रत', 'पंचकल्याण', 'जैनधर्म', 'मुनिचर्या', 'आर्यिकाचर्या', 'त्रिलोकविज्ञान', 'मानवलो', 'जम्बूद्वीप' तथा 'अलौ गणित' जैसे विषयों पर मननीय लेख है।
फिर दशलक्षण के दशधर्मो को कविताबद्ध करके लिखा है। फिर 'आध्यात्म पीयूष' में आत्म तत्त्व का ४५ पद्यखण्डो में अमृत-पान कराया है। अंतमें श्री पूज्यपाद स्वामी की संस्कृत में 'दशभक्ति' रचनाओं में से 'शांतिभक्ति का उद्धरण करते हुए स्वरचित हिंदी पद्यानुवाद दिया है जो एक अतिशयपूर्ण चमत्कारिक रचना है।
अंत में ज्ञानामृत भाग १ की प्रशस्ति ५ पद्यों में लिखकर इस ग्रंथ को पूर्ण किया है।
ज्ञानामृत भाग २ का प्रारंभ श्री गौतमस्वामी रचित ४८ मंत्रो से समन्वित 'गणधर वलय मंत्र' के अतीव सरल भापा में हिंदी पद्यानुवाद से किया है। तत्पश्चात् 'अनादि जैनधर्म' तीर्थंकर श्री शांति-कुंथु अरहनाथ परिचय, 'चौवीस तीर्थंकर जीवनदर्शन' तथा "भगवान बाहुबली' पर शास्त्रीय उद्धरणों अलंकृत लेख विशेष दृष्टव्य है। तदनंतर 'मध्यलोक' और 'जंबूद्वीप' की संरचना आदि का विशेष विवरण दिया है। इसके बाद 'दिगम्बर जैन मुनियों एवं आर्यिकाओं की दिनचर्या', 'श्रावकधर्म', 'देवपूजा विधि व सामायि' तथा 'सामायिक व्रतका लक्षण' पर संक्षिप्त विवरणात्मक लेख है।
फिर आचार्य कुंदकुंददेव विरचित अत्यंत महत्त्वपूर्ण एवं प्रमाणिक ग्रंथ मूलाचार के आधार से 'मूलाचार सार' लिखा है। उसमें अत्यंत सौष्ठवपूर्ण, सरल, सारगर्भित भाषा-शैली में आचारांग' के वारह अधिकारों के माध्यम से साधुओं के आचार पर प्रकाश डाला है।
श्री नेमिचन्द्राचार्य 'सिद्धान्त-चक्रवर्ती के 'वृहद् द्रव्यसंग्रह' की ५८ प्राकृत गाथाओं का पद्यमय सरल हिंदी अनुवाद दिया है। पुनः उसकी अनेक ग्रंथों के उद्धरण से एवं प्रश्रोत्तर के माध्यम से विस्तार से समझाते हुए विषयवस्तु को और अधिक हृदयग्राह्य बना दिया है।
फिर ‘सोलहकारण भावनामें' एवं 'दशधर्म महत्त्व' पर संक्षिप्त वर्णन है।
'न्याय दीपिका सार' नामक लेख में श्री धर्मभूषण यति विरचित न्यायशास्त्र के सरल रचना मुल ग्रंथ 'न्यायदीपिका' को सार रूप में प्रस्तुत करके न्याय के पढने के इच्छुक लोगों के लिये हृदयग्राह्य व सरल बना दिया है। इसमें सामान्य प्रकाश एवं प्रत्यक्ष प्रकाश के माद्यम से नय, परीक्षा आदि को षड्दर्शन के परिप्रेक्ष्य में घटित करते हुए सर्वज्ञ देव द्वारा बताए गये विषय को सत्य सिद्ध किया है।
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २७3
Page #323
--------------------------------------------------------------------------
________________
'श्री पद्मनंदि पंचविंशतिका' के आधार पर 'धर्मोपदेशामृत', आ. कुंदकुंद देव के ‘पंचास्तिकाय प्राभृत' के आधार पर 'पंचास्तिकायसार' एवं 'प्रवचनसार' की गाथाओं के आधार पर 'सर्वज्ञ के ज्ञान का माहात्म्य' का सुंदर परिशीलन किया है।
तत्पश्चात् 'धरती के देवता', 'सम्यग्दर्शन की उत्पत्ति के कारण', 'जैनशासन में कर्मसिद्धान्त' को सरल भाषा में समझाया गया है। इसके बाद ‘साधु और श्रावक दोनो ही सल्लेखना ग्रहण कर सकते हैं', 'ब्राह्मी-सुंदरी ने दीक्षा क्यों ग्रहण की थी', 'सम्मेदशिखर तीर्थवन्दना माहात्म्य', 'दीपावली पर्व एवं निर्वाण संवत्का 'नूतन वर्षाभिनंदन', 'आगम के दर्पण में कुण्डलपुर', 'स्वसमय-परसमय', 'अक्षय तृतीया पर्व', 'नारीकी गरीमा', ऐतिहासिक आर्यिकायें', 'पंचकल्याणक प्रतिष्ठाका महत्त्व', 'समवसरण का वर्णन', 'वीरशासन दिवस', 'जीवदया परमधर्म है', 'महासती चंदना', 'जैनशासन में ध्वज परंपरा' जैसे विविध विषयों पर ज्ञानसभर लेखों का समावेश है।
तत्पश्चात् 'षटखण्डागम ग्रंथ की सिद्धान्त चिन्तामणि टीका' लेखन संबंधी संक्षिप्त विवरण पाठकों की जानकारी के लिये दिया है। श्री अजित ब्रह्मदेव कृत प्राकृत 'ल्याण आलोयणः' एवं श्री पद्मनंदि आचार्य विरचित 'पद्मनदि पंचविंशतिका' में से ‘यति भावनाष्ट' के संस्कृत श्लोकों का सुंदर हिंदी पद्यानुवाद भी इस ग्रंथ में समाविष्ट है।
अंत में श्री उमास्वामी विरचित १२ श्लोकों में निबद्ध संस्कृत स्तुति ‘णमोकार मंत्र माहात्म्य' का अत्यंत सरल भाषा में शंभु छंद में रचित पद्यानुवाद स्तोत्र और अपराजित ८४ लाख मंत्रो का जनक. अचिंत्य महिमा यक्त णमोकार मंत्र पर अत्यंत मननीय लेख है। अंत में आठ पद्यों में प्रशस्ति देकर ग्रंथ को पूर्ण किया है।
ज्ञानामृत भाग ३ का प्रारंभ ‘सरस्वती स्तोत्र' से किया। प्रतिष्ठा-तिल' ग्रंथ में वर्णित इस सरस्वती स्तोत्र में 'द्वादशांग जिनवाणी' की स्तुति की गई है। प.पू. माताजीने इसका बहुत ही सुंदर पद्यानुवाद किया है।
फिर 'अनादि तीर्थ अयोध्या', 'भगवान शांतिनाथ', 'अंतिम तीर्थंकर महावीर', 'मनुष्यलोक' आदि लेख 'तिलोयपण्णत्ति', 'त्रिलोकसार', 'तत्त्वार्थवार्तिक', 'कषायपाहुड', 'उत्तर पुराण', 'जम्बूद्वीपपण्णति' आदि पूर्वाचार्य प्रणीत प्राचीन ग्रंथो के उद्धरणों के साथ लिखे गये हैं।
तत्पश्चात् ‘सप्तव्यसन त्याग', 'मूलाचार सार उत्तरार्ध', 'नियमसार का सार', 'अष्टसहस्री सार', 'नन्दीश्वर द्वीप', 'रत्नत्रयधर्म' विषय पर लिखे गये लेखों का समावेश है। तदनंतर आ. पद्मनंदिकृत ‘पद्मनंदि पंचविंशतिका' ग्रंथ के “एकत्व सप्तति' अधिकार को भावार्थ विशेषार्थ आदि के द्वारा सुस्पष्ट किया हैं।
___ 'आगम दर्पण' के लेख में 'पंचामृत अभिषेक के प्रमाण, चन्दनपूजा का महत्त्व, अष्ट-द्रव्य से पूजा, स्त्रीयों द्वारा जिनाभिषेक प्रमाण, श्रावक के संस्कार, शासन देवदेवी आदि के प्रमाण, भावसंग्रह - पद्मपुराण - हरिवंश पुराण - कसाय पाहुड - षट पाहुड - आदिपुराण - प्रतिष्ठा सारोद्धार आदि अनेक ग्रंथो के आधार से ૨૭૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #324
--------------------------------------------------------------------------
________________
ज्वलंत समस्याओं, प्रवर्तमान मतभेदों, विवादास्पद विषयों पर प्रमाणित तथ्यों से निराकरण किया है।
तत्पश्चात् 'सम्यगदर्शन ही धर्म का मूल है', 'जैनधर्म एवं भगवान ऋषभदेव', 'गणधर प्रमुख दिगम्बर जैनाचार्य', 'षटखण्डागम की सिद्धान्त चिन्तामणि टीका से सरलता पूर्वक ज्ञान प्राप्त करें', 'भगवान पार्श्वनाथ', 'अभक्ष्य किसे कहते हैं', 'क्या सोमप्रभ एवं श्रेयांस श्री कामदेवबाहुबली के पुत्र थे ?', 'व्यवहार नय के बिना मोक्षप्राप्ति असंभव है', 'क्या जडकर्म भी चेतन का बिगाड कर सकता है, जैसे विषयों पर तर्कपूर्ण और आगम सम्मत विवेचन किया है जिससे लोक में प्रचलित भ्रान्तियों एवं आगम-विरुद्ध दुष्प्रचार से सरल जीव मिथ्यात्व के पोषण से बच सके।
तदनंतर 'मोह का नाश कैसे हो', 'पुण्णफला अरहंता', 'चारित्र से निर्वाण की प्राप्ति', 'व्यवहार रत्नत्रय उपादेय है या नहीं', 'यहाँ से मरकर सम्यग्दृष्टि मनुष्य विदेह में जन्म क्यों नहीं लेंगे?', 'क्या जीव रक्षा के भाव मिथ्यात्व है ?' ऐसे महत्त्वपूर्ण प्रश्नो का आगमानुकूल स्पष्टीकरण किया है।
_ 'महिलाओं के कर्तव्य', 'चौदह धारा', 'सुमेरु पर्वत', 'विपुलाचल पर्वत पर प्रथम दिव्य ध्वनि खिरी', 'संसारी जीव', 'तीर्थों के विकास की आवश्यकता', 'चौबीस तीर्थंकरों को सोलह जन्मभूमियों की नामावली' जैसे ज्ञान सभर लेखों का इस ग्रंथ में समावेश है। ___श्री माघनन्दि योगीन्द्र विरचित चार अध्यायों में सूत्र रूप 'शास्त्रसार समुच्चय' एवं 'ध्यान सूत्राणि' के ३७८ सूत्र संकलित हैं।
___ अंत में ज्ञानामृत के इस तीसरे भाग की स्वतंत्र काव्यरूप प्रशस्ति लिखी गई है जो प.पू. माताजी की काव्यप्रतिभा का सुंदर उदाहरण है।
समय एवं स्थानाभाव के कारण अन्य कई महत्त्वपूर्ण कृतियों के नाम निर्देश परिशिष्टो में कर दिये गये हैं। उपसंहारः
वीर निर्वाण पश्चात् के २५०० वर्ष के जिनशासन ही नहीं अन्य धर्म मार्गो के उपलब्ध इतिहास में आध्यात्मिक क्षेत्र के साहित्य में योगदान देने वाली नारीरत्नों की सूचि बनाई जाये तो प.पू. ज्ञानमती माताजी का नाम सहज ही शिखरस्थ रहेगा। उनका नाम 'लिम्का बुक ऑफ रिकार्डस' एवं 'गिनेस बुक ऑफ रिफाईस' में निर्विवाद रूप से समाविष्ट हो सकता है।
प.पू. माताजी के साहित्य-सर्जन के प्रारंभीकरण के पश्चात् इस काल में पू. आर्यिका श्री विशुद्धमती माताजी, श्री सुपार्श्वमती माताजी, श्री जिनमती माताजी, श्री आदिमती माताजी, प्रज्ञाश्रमणी, श्री चन्दनामती माताजी आदि अनेक जैन साध्वियों ने संस्कृत-प्राकृत के प्राचीन गूढ ग्रंथो की टीका-अनुवाद एवं अन्य साहित्यरचना के क्षेत्र में अपने कदम बढाये हैं और उनकी कृतियों से भी रूचिवान जैन समाज
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २७५
Page #325
--------------------------------------------------------------------------
________________
लाभान्वित हो रहा है।
प.पू. ज्ञानमती माताजी की लेखनी सतत चलती रहती है। यदि लेखन कार्य किसी दिन नहीं हो पाये तो उन्हें ऐसा प्रतीत होता है कि मानो उपवास हो गया हो। वे लेखन को अपनी आत्मा का खुराक समझती है, जिससे शारीरिक अस्वस्थतामें भी वे प्रसन्न व स्वस्थ नजर आती हैं। जैसे भोजन के विना शारीरिक शिथिलता आने लगती है उसी प्रकार लेखन के अभाव में उन्हें शिथिलता का अनुभव होने लगता है।
शताधिक प्रमाणभूत जैन शास्त्रों का मंथन करके नवनीत निकालकर आगम के गूढ ज्ञान को सरस, सरल, मिष्ट एवं स्पष्ट शैली में लिखकर प्रदान करना यह जैन-समाज पर प.पू. माताजी की असीम अनुकंपा है। प.पू. माताजी का साहित्य अध्यात्मरसिक, ज्ञानपिपासु, धर्मपिपासु आत्माओं को जैनधर्म और द्वादशांगी रूप श्रुतज्ञान के सागर में तैरने का आनंद प्रदान करता है। मैं अपनी तरफ से जोडतोडकर बनाई गई दो पंक्तियाँ प्रस्तुत करना चाहूँगा -
'वीर हिमाचल तें निकसी, गुरु गौतम के मुख कुण्ड झरी है।
ज्ञान मती के ज्ञानामृत से, यह ज्ञान-वाटिका हरी-भरी है।' ज्ञानवानों का संबंध मुख्यतया ज्ञान से होता है और ज्ञानियों की महिमा आना उनके लिये स्वाभाविक ही है।
आ. श्री हेमचन्द्रने ठीक ही लिखा है कि "जिस किसी समय जिस किसी रूप में, जो कोई, जिस किसी नाम से प्रसिद्ध हो, यदि वह वीतराग पथ का पथिक है, तो वह त्रिकाल वंदनीय है।"
प.पू. माताजी के शिखरस्थ व्यक्तित्व, कृतित्व और वैदूष्य को देखकर विद्वत्ता और आध्यात्मिक ऊँचाइयों को प्राप्त मूर्धन्य विद्वानो की लेखनी से सहज प्रसूत हुये कतिपय उद्गार यहाँ उद्धृत करता हूँ -
डॉ. श्रेयांसकुमार जैन, अध्यक्ष-अखिल भारतीय दिगम्बर जैन शास्त्री परिषद, लिखते हैं कि 'संस्कृत काव्यजगत् में टीकाकार के रूप में जो ख्याति मल्लिनाथ को मिली, साहित्यशास्त्र के टीकाकारों में जो ख्याति अभिनव गुप्त को मिली, उनसे भी अधिक कीर्ति प.पू. आर्यिकारत्न ज्ञानमती माताजी की संस्कृत और हिंदी टीका करने में है।'
प्रो. डॉ. भागचन्द्र जैन, 'भागेन्दु', डायरेक्टर, संस्कृत-प्राकृत तथा जैन विद्या अनुसंधान केन्द्र, दमोह (पूर्व सचिव, मध्यप्रदेश संस्कृत अकादमी) अपने विशाल अनुभव से एवं तुलनात्मक परीक्षण करने के बाद लिखते हैं कि 'संस्कृत काव्यजगत् में आदि कवि वाल्मीकि के स्वाभाविक प्रस्तुतिकरण, महर्षि व्यास की विश्लेषण क्षमता, महाकवि भास की सहजता, महाकवि कालिदास की उपमा प्रधान वैदर्भी शैली में निरुपण परता, महाकवि दण्डी का पद-लालित्य, महाकवि बाणभट्ट का
૨૭૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #326
--------------------------------------------------------------------------
________________
वाणी- विलास नाद सौंदर्य, महाकवि भारवि का अर्थगौरव तथा महाकवि माघ और हर्ष के प्रौढ पाण्डित्य जैसे गुणों के एकत्र समवाय से अभिमण्डित प.पू. माताजी के संस्कृत साहित्य एवं टीका साहित्य में जैन तत्त्वज्ञान की सहज निःस्यूति हुई है ।
'विषय के प्रतिपादन में वैदर्भी शैली, प्रसाद-माधुर्य गुण और शान्त रस से ओतप्रोत प्राञ्जल, परिष्कृत और परिनिष्ठित संस्कृत भाषा में प्रवाहमय चिन्तन की अभिव्यक्ति से ऐसा प्रतीत होता है कि प. पू. माताजी की जिह्वा पर सरस्वती विराजमान है।
'प्रभूत आगम ग्रंथो के विश्लेषण, व्याख्यान विवेचन, लेखन, तपोनिष्ठ जीवनचर्या और जीवन कृतित्व के आधार पर उन्हे इस युग के 'श्रुत केवली' कहा जा सकता है।"
इसमें कोई आश्चर्य नहीं कि प.पू. माताजी की दार्शनिक एवं आध्यात्मिक ग्रंथों की सामर्थ्यपूर्ण टीकाओं का आचमन करने के बाद अनेक विद्वान उनके सामने स्वयमेव नतमस्तक हो जाते हैं। उन्हें अपने आपको प.पू. माताजी का चरण चञ्चरीक घोषित करने में कोई संकोच नहीं होता ।
प. पू. माताजी के सानिध्य में वडे-वडे चमरवंदी गर्विष्ठ विद्वानों को 'ऊँट हिमालय के नीचे आ गया ऐसी अनुभूति होती है। आप भी यदि उनके श्रुत साहित्य का अवगाहन निष्पक्ष होकर करेगें तो उपर के उद्गारों में कोई अतिशयोक्ति नहीं नजर आयेगी ।
प्रसंगवश इतना जान लीजिये कि प.पू. माताजी का व्यक्तित्व बेमिसाल कोहिनूर हीरे से भी अधिक जाज्वल्यमान है। उनका प्रत्येक पहलू उन्हें विशिष्टता के शिखर पर स्थापित करता है। इसलिये उनके बहुआयामी व्यक्तित्व और विराट कृतित्व को शब्दवद्ध करने के लिए उटी लेखनी की अपूर्णता अवश्यंभावी है। अत्यंत आनंद होता है जब आप प.पू. माताजीके आर्यिका दीक्षा स्वर्ण जयंति के अवसर पर प्रकाशित विशालकाय गौरवग्रंथ (पृष्टसंख्या ४४+१०००) का अवलोकन करते हैं। इस ग्रंथ में भी प. पू. माताजी के गुणगौरव को समाहित करना 'सिंधु को बिंदु में समाहित' करने के उपक्रम के समान है तो इस छोटेसे आलेख का तो सामर्थ्य ही क्या है ?
प. पू. माताजी की अन्तः स्फुरणा एवं प्रेरणा से जम्बूद्वीप तेरहद्वीप - तीनलोक आदि अनेक शास्त्रोक्त अद्वितीय रचनात्मक निर्माण, रथ प्रवर्तन द्वारा जन-जागरण अभियान, विद्वत्गांप्टियाँ आदि अनेकानेक प्रकल्प साकार हुए हैं।
प. पू. माताजी का आभा - मण्डल इतना शक्तिशाली हैं कि उनके सानिध्य में रहनेवाली आत्माओं की प्रतिभा स्वयमेव ही खिलने लगती है। वे उनके संपर्क में आने वाली सभी आत्माओं को स्व-कल्याण के लिये सदैव जाग्रत रहने का उपदेश देती है। एक पल के लिये भी कोई भूले नहीं कि आत्मा ज्ञानानन्द स्वभावी है। ज्ञानमयी है, ज्ञानरूप है, ज्ञान ही है। इसलिये ज्ञान-समुद्र में केलि करते हुए आत्मा
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २७७
Page #327
--------------------------------------------------------------------------
________________
का परमानंद स्वभाव प्रकट हो जाना स्वाभाविक है। ऐसे में शरीर रोमांच का अनुभव करे और मन-मयूर नाचने लगे तो इसमें आश्चर्य ही क्या है ? संसार में क्षणिक आवेग और अल्पकाल के आनंद के लिये पागलपन देखा जाता है तो श्रुतज्ञान अवगाहन में जो अनन्तगुना, repeat अनंतगुना आनंद भरा है उसे कौन भव्यजीव प्राप्त नहीं करना चाहेगा ? .
प.पू. माताजी द्वारा दिये गये ज्ञानामृत का पान हम सभी धर्म-पंथ-संप्रदायसमुदाय ही नहीं अपितु राष्ट्र की भी सीमाओं में वाँधने की संकीर्णता से उपर उटकर करें, बहुमानपूर्वक ज्ञान-गंगा में डुबकी लगायें और परमानंद दशा का किंचित् अनुभव करें। ज्ञानानन्द पीते रहें और आनंद-उत्सव में जीते रहें। सभी आत्मायें अपने क्षयोपशम को वृद्धिंगत करते हुए केवलज्ञान की ज्योति प्रकट करने की भावना भाते रहे इस भावना के साथ अभी अपनी लेखनी को विराम देता हूँ। परिशिष्ट (१) संदर्भ ग्रंथसूचि
(१) गणिनी ज्ञानमती गौरव ग्रंथः प्रकाशकः दिगम्बर जैन त्रिलोक शोधसंस्थान (२) चारित्र श्रमणी आर्यिका श्री अभयमती - जीवनयात्रा : लेखिका : आर्यिका
चन्दनामती (३) चारित्र चन्द्रिका ः लेखिका : प्रज्ञाश्रमणी आर्यिका चन्दनामती माताजी (४) सम्यगज्ञान - गणिनी श्री ज्ञानमती विरचित साहित्य विशेषांक - अक्टूबर
२०१० (५) स्वर्णिम व्यक्तित्व की धनी - गणिजी प्रमुख श्रीज्ञानमती माताजी : लेखिकाः
प्रज्ञाथमणी आर्यिका चन्दनामती माताजी (६) गणिजी ज्ञानमती माताजीः ‘एक वेमिसाल व्यक्तित्व' : लेखकः प्राचार्य
नरेन्द्र प्रकाश जैन (७) सरस्वती की प्रतिमूर्ति (गणिनी ज्ञानमती माताजी) : लेखिकाः आर्यिका
आदिमती (८) पट खण्डागम भाग १.६: हिंदी अनुवाद कीः प्र. आर्यिका चन्दनामती
माताजी (२) ज्ञानात भाग १-३: प्रस्तावनाः व्र. कु. इन्दु जैन परिशिष्ट (२) प्रथमानुयोग साहित्य
(१) मेरी स्मृतियाँ (आत्मकथा) ४४+ ५९६, २००४ A.D. (२) भगवान ऋषभदेव का समवसरण (अंग्रेजीमें अनुवादित) (३) तीर्थंकर ऋषभदेव के दश अवतार (भव) (४) भगवान महावीर कैसे बने (५) नारी आलोक भाग १ और २ (६) एकांकी भाग १ और २
૨૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #328
--------------------------------------------------------------------------
________________
(७) जैन महाभारत आदि-आदि परिशिष्ट (३) करणानुयोग साहित्य
(१) पटखण्डागम (सिद्धान्त चिंतामणि टीका समन्वित) भाग १ से १६ (२) गोम्मटसार जीवकांड सार (३) गोम्मटसार कर्मकाण्ड सार (४) त्रिलोक भास्कर
(५) जैन भूगोल आदि आदि परिशिष्ट (४) द्रव्यानुयोग
(१) अष्ट सहस्री भाग १, २ और ३ (२) नियमसार प्राभृत (३) समयसार भाग १ पूर्वार्ध एवं, भाग २ उत्तरार्ध (४) प्रवचन निर्देशिका
(५) ज्ञानामृत भाग १, २ और ३ आदि आदि परिशिष्ट (५) चरणानुयोग
(१) मूलाचार भाग १ पूर्वार्ध और भाग २ उत्तरार्ध (२) आराधना (अपरनाम श्रमणचर्या) (३) मुनिचर्या (४) जिन स्तोत्र संग्रह (५) कल्पद्रुम विधान एवं अन्य कई विधान प.पू. गणिनी प्रमुख आर्यिका शिरोमणि ज्ञानमती माताजीः
ओक दृष्टि में जन्मस्थानः टिकैतनगर (वारावंकी) उत्तरप्रदेश
जन्मदिनः आसोज सुदी १५ (शरद पूर्णिमा) वीर नि. सं. २४६० अक्टूवर २२, १९३४
गृहस्थ अवस्था का नाम : मैना माता-पिता : श्रीमती मोहिनीदेवी एवं श्री छोटेलाल जैन
आजन्म ब्रह्मचर्यव्रत एवं गृहत्यागः वी.नि.सं. २४७८ सन् १९५२ शरद पूर्णिमा के दिन
व्रतदाता : आचार्य रत्न ‘राष्ट्र गौरव' श्री देशभूषणजी महाराज
क्षुल्लिका दीक्षा : चैत्र कृष्णा एकम वी. सं. २४७९ सन् १९५३ श्री महावीरजी, राजस्थान आर्यिका दीक्षा : वैशाख कृ. दूज वी. सं. २४८२ सन् १९५६ माधोराजपुरा, राज.
साहित्य-साम्राज्ञी प. पू. ज्ञानमती माताजी + २७८
Page #329
--------------------------------------------------------------------------
________________
दीक्षा दाताः चारित्र चक्रवर्ती १०८ आ. श्री शांतिसागरजी के प्रथम पट्टाधीश 'चारित्र चूडामणि' आ. श्री वीरसागरजी महाराज
साहित्यिक कृतित्वः अष्ट सहस्री, समयसार, नियमसार, कातंत्रव्याकरण, पटखण्डागम् आदि ग्रंथो की संस्कृत टीका और / अथवा हिंदी टीका अनुवाद, अनगिनत संस्कृत / हिंदी स्तोत्र एवं पूजा विधान आदि ३०० से अधिक रचनायें
'न्याय प्रभाकर' : वी.सं. २५०० सन् १९७४ में दिल्ली में।
D. Lit : डॉ. राममनोहर लोहिया अवध विश्वविद्यालय, फैजाबाद द्वारा मानद D.Lit की उपाधि वी. सं. २५२१ -सन् १९९५ में।
द्वितीय D. Lit: तीर्थंकर महावीर विश्वविद्यालय, मुरादाबाद द्वारा पुनः मानद् D.Lit की उपाधि वी. सं. २५३८ सन् २०१२ में।
तीर्थ निर्माण प्रेरणाः हस्तिनापुर में जम्बूद्वीप, तेरहद्वीप, तीनलोक आदि रचनाओं के निर्माण, तीर्थंकर जन्मभूमियों का विकास, शाश्वत तीर्थ अयोध्या का विकास एवं जीर्णोद्धार, प्रयाग-इलाहावाद (उ.प्र.) में तीर्थंकर ऋपभदेव तपस्थली तीर्थका निर्माण, जम्बूद्वीप स्थल पर भगवान शांतिनाथ - कुंथुनाथ - अरहनाथ की ३१-३१ फुट उत्तुंग खडगासन प्रतिमा, मांगीतुंगी में निर्माणाधीन १०८ फुट उत्तुंग भगवान ऋपभदेव की विशाल प्रतिमा आदि।
महोत्सव प्रेरणा : पंचवीय जम्बूद्वीप महा-महोत्सव, भगवान ऋपभदेव अंतर्राष्ट्रीय निर्वाण महामहोत्सव, अयोध्या में एवं प्रयाग में भगवान ऋपभदेव महाकुंभ मस्तकाभिषेक, कुण्डलपुर महोत्सव, भगवान पार्श्वनाथ जन्मकल्याणक तृतीय सहस्राब्दि महोत्सव, दिल्ली में कल्पद्रुम महामण्डल विधान का ऐतिहासिक आयोजन इत्यादि। २१ दिसम्बर २००८ में जम्बुद्वीप स्थल पर विश्वशांति अहिंसा सम्मेलन का आयोजन - तत्कालीन राष्ट्रपति श्रीमती प्रतिभा देवीसिंह पार्टील द्वारा उद्घाटन।
महेन्द्र मोतीलालजी गांधी
D-205, Purnima Apnt, 23, Pedder Road, Mumbai-400026
(R)022-23521513
૨૮૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #330
--------------------------------------------------------------------------
________________
લાઈક કરી છે. રાજકીય ઇ
.
૨..
ચરિત્રલેખન
Page #331
--------------------------------------------------------------------------
Page #332
--------------------------------------------------------------------------
________________
२०० वर्ष पूर्व पंजाब की धरती पर अवतरित हुए ।- मुनिराज श्री बुद्धिविजयजी(बूटेराय)जी
महाराज (सन् १८०६-१८८१)
• महेन्द्रकुमार मस्त
શ્રી મહેન્દ્રકુમારજી મસ્ત પંજાબના રહેવાસી અને પંજાબકેસરી પ.પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરિજીને ખૂબ નિકટથી જાણતા. તેઓએ લખી મોકલેલ પૂ. મુ. શ્રી બુટેરાયજી મહારાજના જીવન અંગેનો આ નાનકડો પરિચયાત્મક લેખ છે. શ્રી મહેન્દ્રકુમારજી અવારનવાર લેખો અને પુસ્તકો દ્વારા સાહિત્યસેવા કરી રહ્યા छ. - सं.]
‘राज तो अंग्रेज का है, इन लोगोंका तो नहीं है। कोई तो माई का लाल इनको भी पूछने वाला निकल ही आवेगा, जो यह यह सोचेगा कि मैंने क्या अपराध किया है, जो मेरा वेश छीना जा रहा है। जो कुछ होगा, सामने आवेगा तब देख लेंगे।' ये शब्द मुनि पुंगवश्री बूटेरामजी महाराजने अपनी स्वलिखित आत्मकथा में लिखे है। घटना अंबाला शहर की है, जब वहां उनका वेश उतरवाने का षडयंत्र रचा गया। उन्हें तरह तरह की धमकियां दी गई। ऐसे समय में भी, नही वे डरे, नही धैर्य छोडा।
आचार्य विजयानंदसूरि - आत्मारामजी: श्री वृद्धिविजयजी (श्री विजयनेमिसूरि समुदाय); एवं श्री मुक्तिविजय - मूलचंदजी (त्रिपुटी समुदाय), के दीक्षागुरु एवं पूर्वगामी मुनि श्री बूटेराय (बुद्धिविजयजी) जिन के जन्म को आज दो सौ वर्ष पूर्ण हो चुके है, वे पंजाब के सरहिंद क्षेत्र के 'दलुआ - साबखान में जमींदार टेकसिंह गिल के घर इस्वी सन् १८०६-०७ को पैदा हुआ तथा २५ वर्ष की आयुमें स्था. मुनि श्री नागरमल के पास (ई. १८३१) दिल्ली में दीक्षा लेकर उनके शिष्य बने।
___ सत्य की खोज कोई सामान्य कार्य नहीं था। इसी खोज में मुनि बूटेरायजी जोधपुर में जाकर तेरापंथी मुनि जीतमलजी से मिले और सन् १८३४ का चौमासा उनके साथ वहीं पर किया। यहां पर भी उन की खोज की संतुष्टि न हुई तो वे वापस दिल्ली में अपने गुरु के पास आ गए।
मुनिराज श्री बुद्धिविजयजी(बूटेरायाजी महाराज + २८३
Page #333
--------------------------------------------------------------------------
________________
श्री वूटेरायजी की विवेकबुद्धि और सरलवृत्ति कीसी भी हटाग्रह के खिलाफ थी। इसी का परिणाम था कि गुजराँवाला में सन् १८४१ में तीन दिन तक चली ज्ञान चर्चा के बाद शास्त्री लालाकर्मचंद दूगड़ को भी कहना पड़ा कि ऋषि बूटेराय की बात सत्य है। उसके पश्चात् ही उन्होंने श्री संघ को अपने सत्य मार्ग का उपदेश दिया।
अहमदाबाद पहुँचे तो नगरशेट हेमाभाई के संपर्क में आए और वहां पर ही उन्होंने सर्वप्रथम संवगी साधु देखे । ई. १८५४ में श्री सिद्धगिरि तीर्थ की यात्रा की व भावनगर में चौमासा किया। अगले ही वर्प, दो अन्य साधुओं (वृद्धिचंद व मूलचंद ) के साथ मुनि श्री मणिविजय (दादा) के पास संवेगी दीक्षा ग्रहण की। बूटेरायजी को मणिविजयजीने अपना शिष्य बनाया और बुद्धिविजय नाम रखा। मुनि मूलचंद और वृद्धिचंद को क्रमशः मुक्तिविजय व वृद्धिविजय नाम देकर, दोनों को बुद्धिविजयजी का शिष्य बनाया ।
दिल्ली से श्री चिंतामणि पार्श्वनाथ की प्रतिमा रामनगर भिजवाई, जो कि वहां पर मूलनायक के रुप में स्थापित की गई । सन् १८६३ में गुजराँवाला में भी चिंतामणि पार्श्वनाथ को मूलनायक विराजमान किया। इसी तरह पपनाखा में भी सुविधिनाथ; किता दीदारसिंह में वासुपूज्य प्रभु किता सोमसिंह में श्री शीलनाथ और पिंडदादनखां में श्री सुमतिनाथजी की प्रतिष्टित कराया । जम्मु में भगवान महावीर स्वामी के मंदिर की प्रतिष्ठा कराई।
यह भी ध्यान देने योग्य है कि अहमदावाद में श्री आत्मारामजी महा. के साथ (मुनि शांतिसागर के शास्त्रचर्चा के समय श्री वूटेरायजी स्वयं वहां उपस्थित रहे थे। तत्पश्चात श्री आत्मारामजीने अपने १५ साथी साधुओं सहित श्री बुद्धिविजयजी से संवेगी दीक्षा ग्रहण की। एक ओर जहां मुनि मूलचंद ( मुक्तिविजय) व मुनि वृद्धिचंद ( वृद्धिविजयजी) को श्री वूटेरायजी के दो नेत्र कहा जा सकता है, वहीं श्री आत्मारामजी उनके हृदय थे। कुल मिलाकर श्री बुद्धिविजयजी के ३५ शिष्य थे ।
मात्र १५ दिन की बीमारी के वाद, ७५ वर्ष की आयु में चैत्रवदि अमास्य, संवत १९३८ (ई. १८८१ ) की रात्री को अहमदावाद में श्री वूटरायजी महा. का स्वर्गवास हो गया।
महेन्द्रकुमार मस्त २६३, सेक्टर १०,
पंचकूला, हरियाना १३४११३
M. ०९३१६११५६७०
૨૮૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #334
--------------------------------------------------------------------------
________________
ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી
(પ્રસિદ્ધ નામઃ શ્રી આત્મારામજી મહારાજ)
હર્ષદ શાહ
[બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી શ્રી હર્ષદભાઈ ભાવનગરની શ્રી
આત્માનંદ જૈન સભામાં પોતાની સેવાઓ આપે છે. સાહિત્યનું વાંચન, સંપાદન, લેખન એ તેમનો શોખનો વિષય છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ પૂ. શ્રી આત્મારામજી મહારાજ સાહેબના જીવન અને તેમની કેટલીક કૃતિઓ વિશે અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરી છે. – સંપાદક]
–
જ્યારેજ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિશ્ચેતનતા પ્રગટે છે ત્યારેત્યારે તેમનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે, તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યાં હતા. ભારતમાં મોગલ શહેનશાહત અસ્તવ્યસ્ત થયા પછી લગભગ સો વર્ષનો સમય જીવનના દરેક ક્ષેત્રમાં અંધાધૂંધીનો હતો. લોકોમાં અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, કુસંપ વગેરે દુર્ગુણો પ્રસરી ગયા હતા, પરંતુ વિદેશી અંગ્રેજોએ પોતાની રાજ્યસત્તા સ્થિર કર્યાં પછી સદ્ભાગ્યે નવી આશા અને અપેક્ષા સાથે નવીન પ્રકાશનો ઉદય થયો અને લોકોના પુનઃ નિર્માણના શ્રીગણેશ મંડાયા. એ વખતે હિંદુઓમાં પુનઃ નિર્માણના વિધાતાઓમાં જેમ રાજા રામમોહનરાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મોખરે હતા, તેમ જૈનોમાં ન્યાયામ્ભોનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ પણ અગ્રસ્થાને રહ્યા.
તે કાળે જૈન શાસન છિન્નભિન્ન હતું. એક તરફ યતિવર્ગ, બીજી તરફ સંવેગી સાધુ વર્ગ અને ત્રીજી તરફ સ્થાનકવાસી સંપ્રદાય. કુસંપ, શિથિલાચાર અને શાસ્ત્રોના અવળા વિચાર-આચારના ગોથામાં જૈન જનતા ગબડચા કરતી હતી. આ બધું જોઈને આત્મારામજીનો આત્મા કકળી ઊઠ્યો અને તેમણે, પોતાને જે સત્ય જણાયું હતું, જે શાસ્ત્ર શાસનને સંપૂર્ણ માન્ય હતું તેનો ઉદ્ધાર કરવા કમર કસી અને એ ઉદ્ધારની યોજનામાં એમનું જીવન ખર્ચાઈ ગયું અને ઘણે અંશે તે કાળે તો તેમનો ઉદ્દેશ સફળ પણ થઈ રહ્યો.
આચાર્ય વિજ્યાનંદસૂરિનો જન્મ અનેક સંત-મહંતોથી પવિત્ર થયેલી, અનેક ધર્મવી૨ અને કર્મવીર યોદ્ધાઓથી પ્રસિદ્ધ થયેલી પંજાબની વીરભૂમિમાં લહેરા નામના
ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૫
Page #335
--------------------------------------------------------------------------
________________
નાના ગામમાં એક ક્ષત્રિય કપૂર જાતિના દીવાન કુળમાં વિ.સં. ૧૮૯૩ના ચૈત્ર સુદિ એકમ તા. ૬-૪-૧૮૩૭ ને ગુરુવારના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગણેશચંદ્ર હતું. ગણેશચંદ્ર સાહસિક, સમર્થવીર બહાદુર લડવૈયા હતા. તેમ જ પંજાબ કેસરી રણજિતસિંહના સૈન્યમાં જોડાઈ લડાઈઓમાં સારી નામના મેળવી હતી. તેઓશ્રીનાં માતાનું નામ રૂપાદેવી હતું, તેમ જ તેઓશ્રીનું બાળપણનું નામ દિતા રાખવામાં આવ્યું હતું. શ્રી તીર્થકરોના જન્મ ક્ષત્રિયકુળમાં જ થાય છે તે કુળમાં તેમનો જન્મ હોઈ ક્ષત્રિયોચિત વીર્ય એમને વારસામાં મળ્યું હતું. લહરા ગામમાં અત્તરસિંહ સોઢી નામનો ઠાકુર રહેતો હતો જે લહેરા ગામનો જાગીરદાર તેમ જ ધર્મગુરુ પણ હતો. અને ગણેશચંદ્રનો મિત્ર હતો. દિતા’ રોજ અત્તરસિંહને ત્યાં રમવા જતો. અત્તરસિંહ નિઃસંતાન હતો અને તેને દિત્તામાં અસાધારણ બુદ્ધિમતા, પ્રભાવિકતા તેમ જ ભવિષ્યમાં એ મહાન હસ્તી થશે તેવું જણાયું અને કોઈ પણ રીતે પોતાના પુત્ર – શિષ્ય તરીકે સ્થાપવાની ઈચ્છા જાગી અને દિત્તાને દત્તક લેવાની ઇચ્છા ગણેશચંદ્ર પાસે વ્યક્ત કરી, પરંતુ ગણેશચંદ્ર સાફ ઈન્કાર કરી દીધો. તે તેમાં ફાવ્યો નહિ. આથી તેણે વેર રાખી ગણેશચંદ્રને ફસાવી જેલમાં નખાવ્યો અને જેલમાં જ કોઈ કારણસર ગોળીબાર થયા અને તેમાં ગણેશચંદ્ર ગોળીનો ભોગ બની સ્વધામ પહોંચી ગયા.
આમ “દિતાએ નાની ૧૨ વર્ષની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું અને નોધારા થઈ ગયા તેની કાળજી રાખનાર કોઈ નહોતું, પરંતુ ગણેશચંદ્રને જીરા ગામના વેપારી જોધામલ ઓસવાલ નામના સ્થાનકવાસી જૈન ગૃહસ્થ મિત્ર હતા. તેમણે ‘દિતાને આશ્રય આપ્યો. તેઓ ‘દિતાના પાલક પિતા બન્યા. દિત્તાને અક્ષરજ્ઞાન આપ્યું. બાળપણના આત્મારામ શારીરિક રીતે શક્તિશાળી, ઓજસ્વી અને ભવ્ય લાગતા હતા અને કિશોર વયે પોતે અખાડામાં જઈ કુસ્તી કરતા તેથી તેમનું શરીર કસાયેલું હતું. તેમની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. જોધામલને ત્યાં સ્થાનકવાસી સાધુઓનો આવરોજાવરો સારો રહેતો તેથી તેઓના સહવાસમાં આવતા દિતા' સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, છવીસ દ્વારના કેટલાક પાઠો શીખી ગયા અને ધાર્મિક સંસ્કારો દઢ થતા ગયા. આમ જૈન ધર્મનો જબરજસ્ત પ્રભાવ પડતા અને બાળક મટી યુવાન થતાં તેમને સંસારમાંથી રસ ઊઠી ગયો. ૧૭ વર્ષની ઉંમરે પૂરી સમજ સાથે, સ્વેચ્છાથી દીક્ષા તરફ તેમનું મન વળ્યું. તેમણે પાલક પિતા જોધામલ પાસે દીક્ષા માટે રજા માંગી. જોધામલે દીક્ષા ન લેવા કહ્યું અને તેની સંપત્તિમાં ત્રીજા ભાગનો વારસદાર બનાવશે અને સારી જગ્યાએ લગ્ન પણ કરાવી દેશે તેમ જણાવ્યું તેમ જ તેમની માતાએ પણ દીક્ષા માટે સંમતિ ન આપી. પરંતુ દિતા' અડગ રહ્યો અને આખરે બંને તરફથી સંમતિ લઈ વિ. સં. ૧૯૧૦માં માલરકોટલામાં ૧૭ વર્ષની ઉંમરે સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લઈ સંત જીવણરામજીના શિષ્ય બન્યા અને તેમનું નામ “આત્મારામજી રાખવામાં આવ્યું.
આમ દીક્ષા લીધી એટલે પૂરું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને હવે પૂજ્ય ગણાઈ ૨૮૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #336
--------------------------------------------------------------------------
________________
સુખચેનમાં દિવસો કાઢવાનો વખત આવ્યો છે એમ સંતોષ માની બેસી રહે તેવો આત્મારામજીનો સ્વભાવ નહોતો. તેઓએ તો ખૂબ મહેનતથી શાસ્ત્રનો અભ્યાસ કરવા માંડ્યો અને તેનું ખરું રહસ્ય સમજવા માંડ્યું. એક દિવસમાં જ ત્રણસો શ્લોક કંઠસ્થ કરી લેવાની તેમની પાસે વિલક્ષણ શક્તિ હતી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયનાં માનેલાં બત્રીસ સૂત્રો અક્ષરશઃ કંઠસ્થ કરી લીધાં અને તેઓશ્રીને થયું કે આ બત્રીસ સૂત્રોમાં જ બધું જ્ઞાન ? શું જ્ઞાનની સીમા અહીં જ સમાપ્ત થતી હતી? આટલું પરિમિત કેમ? સર્વજ્ઞના જ્ઞાનનું માપ બત્રીસ સૂત્રોથી થઈ શકતું નથી. તેમ જ બત્રીસ સૂત્રોના ટબ્બામાં ઘણા સ્થાન પર સૂત્રોના અર્થો મન કલ્પિત કરેલા છે. આવી શંકાઓ થવાથી તેઓએ ગુરુઓને પૂછ્યું પરંતુ તેમના મનનું સમાધાન કરી શક્યા નહીં. તેથી મનમાં નિશ્ચય કર્યો કે સત્યમાર્ગ અને સર્વજ્ઞનું અપરિમિત જ્ઞાન બીજું છે. આમ અહીંથી મહારાજ સાહેબે સત્યની શોધ તરફ પ્રયાણ કર્યું. તેમને વિચાર થયો કે દરેક પુસ્તક સમજવા માટે વ્યાકરણ આવશ્યક છે અને પુસ્તકને સમજી તર્કની કસોટી પર કસવા માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. આગમસાહિત્યનું વાંચન વધારતા ગયા. પૂર્વના પુણ્યપ્રતાપે સમાજના ભાગ્યોદયે શ્રી આત્મારામજી મહારાજનો, વ્યાકરણ અને સાહિત્યના ધુરંધર જાણકાર વૃદ્ધ પંડિત રત્નચંદ્રજી સાથે વિ. સં. ૧૯૨૦માં આગ્રા મુકામે ચાતુર્માસ દરમિયાન મેળાપ થયો. વ્યાકરણનો અભ્યાસ કર્યો અને વિભક્તિ દ્વારા જે અર્થ માલૂમ પડ્યા તેથી તેમને મૂર્તિપૂજાની યથાર્થતા સમજાણી. આગ્રાથી વિદાય થતી વખતે વયોવૃદ્ધ પં. રત્નચંદ્રજીએ આત્મારામજીને ત્રણ પ્રતિજ્ઞા લેવરાવી. (૧) અશુદ્ધ હાથે શાસ્ત્રોને કોઈ દિવસ સ્પર્શ કરવો નહિ. (૨) જિન પ્રતિમાની નિંદા કરવી નહિ (૩) પોતાની સાથે હંમેશાં દંડ રાખવો. પછી તો શ્રી આત્મારામજી મહારાજ અનેક પૂર્વાચાર્યો પ્રણીત પ્રભૂત શાસ્ત્રોનું વાંચન અને મનન કરવા લાગ્યા અને તેઓને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે હવે મારે શુદ્ધ સનાતન જૈન મતમાં ચાલ્યા જ જવું જોઈએ. આ નિશ્ચય મહારાજશ્રીએ કરી લીધો તે વખતે શ્રી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મતમાં હતા અને તેના ઉપાસકો શ્રી આત્મારામજીને એક દિવ્ય દેવપુરુષ તરીકે સ્વીકારતા હતા. તેથી શ્રી આત્મારામજી મહારાજે એ જ સંપ્રદાયમાં રહી શુદ્ધ સનાતન જૈનમતનો પ્રચાર કરવાનો નિર્ણય કરી ધીમેધીમે ઉપાસકોને પોતાના અતુલ, અમોઘ ઉપદેશથી સમજાવી શ્રી મહાવીર પ્રભુના શુદ્ધ સનાતન જેનમતમાં દાખલ કરતા ગયા અને આ રીતે પ્રથમ શ્રાવક સમુદાયનો એટલે મૂર્તિપૂજક ઉપાસકોનો પાયો મજબૂત બનાવ્યો.
જેવી રીતે શ્રાવક સંઘને મૂર્તિપૂજનમાં મજબૂત બનાવ્યો તેવી જ રીતે શ્રી આત્મારામજી મહારાજે પોતાના સંપર્કમાં સ્થાનકપંથના જે-જે સાધુઓ આવતા ગયા તે સાધુઓને મૂર્તિપૂજા સંબંધી આગમોના પાઠ બતાવી અને પ્રભુની પવિત્ર આજ્ઞાઓ બતાવી પોતાની સાથમાં ભેળવતા ગયા. આમ વિ.સં. ૧૯૨૦થી લગભગ ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન શ્રાવક-ઉપાસકબળની સાથે સાધુ સમુદાયના
ન્યાયાભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૭
Page #337
--------------------------------------------------------------------------
________________
બળનો બહોળો જમાવ થયો અને લગભગ સાત હજાર શ્રાવકોને અને પંદર સાધુઓને પોતાના અનુયાયી તરીકે સામેલ કરી લીધા અને વિ.સં. ૧૯૩૧ (ઈ. સ. ૧૮૭૪)માં સ્થાનકવાસી વેશમાં અંતિમ ચાતુર્માસ હોશિયારપુરમાં કર્યું અને ત્યાર પછી તેઓએ સંપ્રદાય પરિવર્તન માટે ગુજરાત તરફ પ્રયાણ કર્યું.
હોશિયારપુર ચાતુર્માસના અંત સમય દરમિયાનમાં શ્રી આત્મારામજી મહારાજ તેમ જ તેમની સાથે રહેલા સાધુઓએ ત્રણ નિર્ણય લીધા.
(૧) જેનપરંપરાના પ્રભાવિક પ્રાચીન તીર્થોની યાત્રા કરવી. (૨) ગુજરાતમાં જઈ વિશુદ્ધ જૈનપરંપરાના કોઈ સુયોગ્ય મુનિને ગુરુ બનાવી (સંવેગી દીક્ષા લેવી) શાસ્ત્રમાન્ય સાધુ વેશ ધારણ કરવો. (૩) પંજાબ પાછા ફરી વિશુદ્ધ અને પ્રાચીન જૈન પરંપરાની સ્થાપના કરવી.
અમદાવાદ તરફ વિહારઃ તેઓના નિર્ણય અનુસાર તેઓએ અમદાવાદ તરફ વિહાર કર્યો. શ્રી આત્મારામજી મહારાજ તેમ જ તેમની સાથે ૧૫ સાધુઓએ મુખ પર બાંધેલી મુહપત્તિઓનો ત્યાગ કર્યો.
શ્રી આત્મારામજી મહારાજ તથા તેઓની સાથે ૧૫ સાધુઓ આવી રહ્યા છે તે સમાચાર સાંભળી શ્રી બુટ્ટરાયજી મહારાજ ખૂબ જ આનંદિત થયા. શ્રી આત્મારામજી મહારાજનાં કાર્યો અને વિચારોની પ્રસિદ્ધિ ભારત વર્ષમાં ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. ગુજરાતમાં પણ ઘરેઘરે તેમની કીર્તિ પહોંચી ગઈ હતી, તેથી નગરજનોને તેમનાં વંદન કરવાની ઘણી જ ઉત્સુકતા અને જિજ્ઞાસા હતી. ઘણા દિવસોથી તેઓના ભવ્ય સ્વાગત માટેની તૈયારી અમદાવાદમાં થવા લાગી હતી. ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે હજારો માણસો અમદાવાદથી માઈલો દૂર તેમનું સ્વાગત કરવા ગયા અને તેઓનો બહુમાનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. તેમની અદ્વિતીય પ્રતિભા અને મોહક વ્યક્તિત્વએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેઓની વ્યાખ્યાનધારા સાંભળી જનતા હર્ષથી પાગલ બની ગઈ. પૂ. શ્રી આત્મારામજી મહારાજે મુનિ શ્રી બુટેરાયજીની સેવામાં ઉપસ્થિત થઈ તેઓના શિષ્ય થવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ સંવેગી પરંપરાની દીક્ષા લેતા પહેલાં શ્રી શત્રુંજયની મહાતીર્થની યાત્રા કરી લેવા માગતા હતા.
તેઓશ્રી પાલિતાણા આવ્યા અને શત્રુંજય દાદા ઋષભદેવના દરબારમાં પહોચી યુગાદિદેવ પાસે ગદ્ગદિત કંઠે તેઓશ્રી સ્તવના ઉચ્ચારે છે કે
અબ તો પાર ભયે હમ સાધુ, શ્રી સિદ્ધાચલ દરશ કરી રે! આદીશ્વર જિન મેહર કરી અબ, પાપ પટલ સબ દૂર ભયો રે||. તમ મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદ ચન્દ સુખ થયા રે|| ૧||
આવું સુંદર ભાવવાહી સ્તવન દાદાના દર્શન કરતા હૃદયમાંથી ફુર્યું અને પોતાના જન્મથી લઈ અત્યાર સુધીની પોતાની સંપૂર્ણ આત્મકથા સ્તવન દ્વારા વ્યક્ત કરી.
૨૮૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #338
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયની યાત્રા કરી પાછા અમદાવાદ આવી વિ. સં. ૧૯૩૨માં તેઓશ્રીએ તથા તેઓની સાથે આવેલા ૧૫ સાધુઓએ શ્રી બુકેરાયજી મ. પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી શ્રી બટેરાયજીના શિષ્ય બન્યા અને બાકીના તેઓની સાથે આવેલા ૧૫ સાધુઓ તેઓશ્રીના શિષ્ય બન્યા. શ્રી આત્મારામજી મ.નું નામ શ્રી આનંદવિજયજી રાખવામાં આવ્યું. વિ. સં. ૧૯૩૨નું ચાતુર્માસ અમદાવાદ કર્યું અને તે પછી ફરી પાલિતાણા પધારી શત્રુંજયની તીર્થયાત્રા ખૂબ જ આત્મોલ્લાસથી કરી. તે પછી વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ ભાવનગરમાં કર્યું.
આમ ગુજરાત અને કાઠિયાવાડની ધરતીને ધર્મમય બનાવી તેઓ પાછા પંજાબ તરફ ર્યા. પાંચ વર્ષ સુધી પંજાબમાં ગામેગામ વિચરી ધમપદેશ આપ્યો. નવા જેનો અને જિન મંદિરો બનાવ્યા. પાઠશાળાઓ શરૂ કરાવી અને પુનઃ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. આ દરમિયાન મુંબઈના જેનોએ મહારાજશ્રીને મુંબઈ પધારવા ખૂબ જ આગ્રહ કર્યો પરંતુ ત્યાં જઈ શકાયું નહિ. વિ. સં. ૧૯૪૦માં બિકાનેર ચાતુર્માસ કરી તેઓશ્રી ભરૂચ, વડોદરા, છાણી, ઉમેટા, બોરસદ થઈ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં વિ.સં. ૧૯૪૧માં ચાતુર્માસ કર્યું અને ત્યાર બાદ સુરત ખાતે વિ. સં. ૧૯૪રમાં ચાતુર્માસ કર્યું.
ઘણા જૈન ગૃહસ્થો તથા સાધુ ભગવંતોએ શ્રી આત્મારામજી મને પાલિતાણા પધારવા આગ્રહ કર્યો. તેઓશ્રી વિહાર કરી પાલિતાણા પધાર્યા. વિ. સં. ૧૯૪૩નું ચાતુર્માસ પાલિતાણા ખાતે થયું અને ઐતિહાસિક બની રહ્યું.
જન ગતમાં મહારાજશ્રી હવે અનેક રીતે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. એમની ક્રિયાશીલતા અને વિદ્વત્તાએ દરેકના હૃદયમાં બહુમાન ઉપજાવ્યું હતું. જુદુંજુદે વખતે થયેલા એમના શાસ્ત્રાર્થો અને વ્યાખ્યાનવાણીએ લોકો પર ખૂબ જ અસર કરી હતી. તેમ જ અત્યાર સુધીમાં એમના લખેલા ગ્રંથો સાહિત્યમાં અનેરું સ્થાન પામ્યા હતા. તેમ જ એમના જેવા બહુશ્રુત શાસ્ત્રગામી મુનિરાજ દુર્લભ જ હતા. જૈન ધર્મમાં આચાર્યપદનું સ્થાન સૌથી ઊંચું છે. વિશિષ્ટ ગુણો, કાર્યો, વિશેષતાઓ અને વિશિષ્ટ તપઃ વિધાન બાદ જ આ પદથી વિભૂષિત કરવામાં આવે છે. પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન સંપૂર્ણ ભારતવર્ષનાં શ્રીસંઘના અગ્રણીઓએ પૂ. આત્મારામજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કરવા નિર્ણય લીધો અને વિ.સં. ૧૯૪૩ના કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે ભવ્ય ઠાઠમાઠ સાથે ભારતના સકળસંઘે સમાજના આગેવાનો, અગ્રણીઓ અને હાજર રહેલ પાંત્રીસ હજાર લોકોની વિશાળ હાજરીમાં તેઓશ્રીના મસ્તક ઉપર સૂરિપદનો મુકુટ મૂક્યો અને તેઓશ્રીનું અપૂર્વ બહુમાન કર્યું. તે દિવસથી તેઓશ્રી ન્યાયાસ્મોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીના નામથી સંસારમાં મશહૂર થયા. ન્યાયશાસ્ત્રના પ્રખર પુરસ્કર્તા હોવાથી તેઓશ્રીને ન્યાયાસ્મોનિધિની પદવીથી વિભૂષિત કરાયા હતા. આમ જૈનોના ઇતિહાસ તરફ જોતા સ્પષ્ટ જણાય છે કે આચાર્ય શ્રી
ન્યાયાભાનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૯
Page #339
--------------------------------------------------------------------------
________________
વિજયસિંહસૂરિ પછી સંવેગી પક્ષમાં લગભગ ૨૬0 વર્ષ પછી આચાર્યની પદવી શ્રી આત્મારામજી મહારાજને આપવામાં આવી અને અંધકાર યુગ સમાપ્ત થયો અને નવા ઉજ્વળ નવયુગનો શુભારંભ થયો.
ત્યારબાદ બે ચાતુર્માસ ગુજરાતમાં કરી. રાજસ્થાનમાં જોધપુર ચાતુર્માસ કરી પંજાબ તરફ તેઓએ વિહાર કર્યો.
પંજાબમાં તેઓના આગમનના સમાચાર સાંભળી સર્વત્ર આનંદઉલ્લાસ છવાઈ ગયો. શાસ્ત્રમાન્ય નવા આચારવિચારની વિધિવત રૂપથી પ્રસ્થાપના કરવામાં આવી અને ગામેગામ નવનિર્માણ કાર્ય કરાવ્યું. તેઓએ છ નવાં જિનમંદિરોની અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન કરાવી. આ કાર્યથી ત્યાંના શ્રાવકોની જૈનધર્મ પ્રત્યેની આગમ સમ્મત શ્રદ્ધા દઢ અને સ્થિર કરી.
વિ.સં. ૧૯૪૯ (ઈ. સ. ૧૮૯૩)માં અમેરિકાની રાજધાની શિકાગો શહેરમાં દુનિયાના પ્રચલિત સર્વધર્મના મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓની સભા - સર્વધર્મ પરિષદ ભરવાનું જાહેર થયું. તે પરિષદમાં જેન જગતમાં અગ્રપદે બિરાજમાન આ. વિજયાનંદસૂરિને હાજરી આપવા આમંત્રણ મળ્યું. તેઓએ સહર્ષ વધાવી લીધું. પરંતુ સાધુ ધર્મના નિયમોને લોપી જાતે શિકાગો જઈ શકાય તેમ નહોતું, તેમ જ ભારત વર્ષના એ કાળના જૈન સમાજનું માનસ અતિ રૂઢિચુસ્ત હતું. સમુદ્રપાર ગમન પરદેશગમન કરનાર વટલાઈ જાય, અધર્મી બની જાય. મુંબઈ જેવા પ્રગતિમાન શહેરમાં પણ પ્રચંડ વિરોધ થયો. તેમ છતાં સમતા જાળવી શાંતિ રાખી ખંતથી કામ લીધું. પ્રચંડ વિરોધ હોવા છતાં તેમણે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પરમાત્મા મહાવીરના સિદ્ધાંત-સંદેશ વિશ્વમાં પહોંચાડવા માટે શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી બાર-એટ-લોને પોતાના પ્રતિનિધિ તરીકે નક્કી કરીને પોતાની પાસે રાખી વિશેષ અભ્યાસ કરાવ્યો અને જૈન દર્શનની ઈશ્વર સંબંધી માન્યતા વિશે એક મોટો નિબંધ તૈયાર કર્યો. એ નિબંધ ત્યાર પછી શિકાગો પ્રશ્નોત્તરના નામે એક ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયો. તેમ જ પરીષદમાં જઈ શ્રીયુત ગાંધીએ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી પણ સ્વતંત્ર ધર્મ છે એ સિદ્ધ કરવાને શક્તિમાન થયા. તેના પરિણામે શ્રીયુત ગાંધીએ અમેરિકામાં જૈન દર્શનનો ડંકો બનાવ્યો અને જુદાંજુદાં સ્થાને જૈન ધર્મ સંબંધી ભાષણો પણ આપ્યાં. પશ્ચિમી પ્રજામાં જૈન ધર્મ પ્રત્યે જિજ્ઞાસા જન્માવી. જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. ટૂંકમાં આચાર્ય મહારાજશ્રીની દીર્ઘદર્શિતાને કારણે વિદેશી પ્રજામાં જૈન ધર્મ પ્રત્યે જિજ્ઞાસા જન્મી. આથી સર્વ પ્રથમ વિશ્વમાં જૈન ધર્મનો પ્રચાર કરવાનો યશ શ્રી આત્મારામજીને ફાળે જાય છે. સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મનો વિજયી વિજયવાવટો ફરકાવી શ્રીયુત ગાંધી પાછા આવ્યા ત્યારે રૂઢિચુસ્તોએ તેમને સંઘ બહાર કરવાનો હુકમ જારી કરવાનું નક્કી કર્યું અને તે સમયમાં મુંબઈમાં બિરાજમાન પૂ. પાદ શાંતિમૂર્તિ શ્રીમાન મોહનલાલ મહારાજ (તે સમયના તેઓશ્રી પણ એક પૂજ્ય અને પ્રભાવી મહાત્મા હતા)ને
૨૯૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #340
--------------------------------------------------------------------------
________________
પૂછવામાં આવેલ કે અમારે શું કરવું? ત્યારે શ્રીમાન મોહનલાલજી મ. જણાવે છે કે શ્રી આત્મારામજી મહારાજ કે જેઓ અત્યારે શાસનમાં અસાધારણ વિદ્વાન અને મહાન આચાર્ય છે તેમણે શ્રીયુત ગાંધીને સર્વધર્મ પરિષદમાં મોકલાવ્યા છે તો તમે તેમને પૂછો. આથી સીધો પત્ર મહારાજશ્રીને પંજાબમાં લખવામાં આવ્યો કે અમો ગાંધીને સંઘ બહાર કરીએ છીએ, આપનો શું હુકમ છે? આના ઉત્તરમાં મહારાજશ્રીએ એવો તો સુંદર અને સરસ ઉત્તર આપ્યો કે મુંબઈનો સંઘ વિચારમાં પડી ગયો. શ્રી આત્મારામજી મ.ના સચોટ ખુલાસાઓ વાંચી રૂઢીચુસ્ત ઠંડાગાર થઈ ગયા અને સંઘ બહારનો હુકમ રદ થયો. શ્રી આત્મારામજી મહારાજે હિંમત ધરી જોરદાર શબ્દોમાં જણાવ્યું કે,
याद रखना धर्म के वास्ते श्रीयुत गांधी तो समुद्रपार अमेरिका चिकागो धर्मपरिषद में गया मगर एक समय थोडे ही अरसे में ऐसा आवेगा कि अपने मौजशोंक के लिये एशआरामके वास्ते व्यापार, रोजगार के लिये समुद्रपार विलायत आदि देशो જે ના રસ વત્ત વિકસ ો સંઘ વદીન રો? વગેરે તેઓશ્રીના શબ્દો આજે અક્ષરશઃ સત્ય પડ્યા છે. વીસમી સદીના એ મહાન ક્રાંતિકારી મહાત્મા શ્રી આત્મારામજી મહારાજની એ ભવિષ્યવાણી આજે બિલકુલ સાચી પડી છે. ધન્ય છે એ નરવીર મહાત્માને !!
ગુણોના આગાર: આત્મારામજી મહારાજ ગુણોનો આગાર હતા. સંકટ સમયે ઘેર્યની, ક્રોધ પેદા થાય તેવી પળોએ શાંતિની, સામાને હેતનો ઉમળકો આવે એવી નિરભિમાનતા તેમનામાં પગલે પગલે જોવા મળતી. ભૂલ થાય તો ભવભીરૂ બની કબૂલ કરવી, સારું લાગે તો સત્યપ્રેમી બની આગળ આવતા અને એ વખતે દુન્યવી માન-અપમાનથી ઉદાસીનતા ધારણ કરતા. આવી તેમની અજબ શક્તિ હતી. વિનયધર્મના તો એ પૂજારી હતા. અહંકારનું તો નામોનિશાન નહોતું. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હતા. કોઈ પણ સ્થળે એકી વખતે બે ચાતુર્માસ કરતા નહિ. ગોચરીને માટે બહુ કડક નિયમોનું પાલન કરતા. જીભ ઉપર તો તેમણે અસાધારણ કાબૂ મેળવ્યો હતો. એમની યાદશક્તિ પ્રચંડ હતી. જ્યારે એમના મુખમાંથી શાસ્ત્રની યુક્તિઓ અને દલીલોનાં બાણ છૂટતાં ત્યારે ભલભલા વાદીઓ ઠંડા થઈ જતા.
મહાન સાહિત્યસર્જક શ્રી આત્મારામજી મ.ના સંપૂર્ણ જીવનમાં પ્રસાદ નજરે આવતો ન હતો. જ્યારે જ્યારે પણ તેઓશ્રીને નિહાળવામાં આવતા ત્યારે તેઓશ્રી કોઈ ને કોઈ લેખનકાર્યમાં તલ્લીન જ જોવામાં આવતા હતા. નવીન નવીન જાતના સાહિત્યનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરી પોતે નૂતન સાહિત્ય રચવામાં મશગૂલ રહેતા. શ્રી આત્મારામજી મના હૃદયમાં એક જ ભાવના પૂર્ણ ઉલ્લાસથી ચાલતી હતી કે જૈન શાસનમાં પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથો પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચ્યા છે. દરેક આત્મા તેનો લાભ ઉઠાવી
ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૧
Page #341
--------------------------------------------------------------------------
________________
શકતો નથી તેથી તે બહુમૂલ્ય અને તત્ત્વપૂર્ણ ગ્રંથોથી સામાન્ય જન વંચિત જ રહે છે. પ્રાકૃત-સાંસ્કૃતાદિના અભ્યાસ વિના તે શાસ્ત્રોનો શાન-બોધ થઈ શકતો નથી અને જ્યાં સુધી એ ભાષાઓને જાણે નહીં ત્યાં સુધી વાસ્તવિક મર્મ ધ્યાનમાં આવતા નથી, તેથી કાળ-સમયને વિચારી સામાન્ય ભદ્રિક આત્માઓને પ્રભુશ્રી મહાવીરના સાચા માર્ગથી વાકેફ કરવા, જૈનતત્ત્વના જાણકાર બનાવવા અને સરળ તથા તત્ત્વગવેષક બનાવવા માટે પોતે સમર્થ વિદ્વાન હોવા છતાં, ધારત તો. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચત, પરંતુ એમ ન કરતાં ભાવિના લાભનો વિચાર કરી તેઓશ્રીએ હિંદી ભાષામાં અનેક કીમતી ગ્રંથો રચ્યા. આમ વીસમી સદીમાં રાષ્ટ્રભાષામાં તત્ત્વપૂર્ણ ગ્રંથો રચી, સામાન્ય વર્ગને અમૂલ્ય તત્ત્વામૃત કોઈએ પાયું હોય તો તે શ્રી આત્મારામજી મ. સાહેબે જ. વૈદિક સાહિત્યનો અભ્યાસ કરી, પુરાણ અને ઇતિહાસનું પઠન કરી, ઉપનિષદ અને શ્રુતિઓનું અવલોકન કરી અનેક દર્શનોનું મનન કરી, શ્રી મહારાજ સાહેબે પોતાનાં રચેલાં પુસ્તકોમાં યુક્તિપૂર્વક સપ્રમાણ સ્યાદ્વાદ – અનેકાન્તવાદનું ભાષામાં એવું તો મનોહર વર્ણન આલેખ્યું છે કે, સામાન્ય અભ્યાસી પણ સ્યાદ્વાદના ગહન વિષયને સુગમતાથી સમજી શકે. તેઓશ્રીના ગ્રંથોમાં જૈન દર્શન શું છે? એ સ્પષ્ટ જોવા મળે છે. તેઓશ્રીના અમૂલ્ય ગ્રંથરત્નો જૈન સમાજને જેટલા ઉપયોગી અને લાભકર્તા છે તેટલા જ જૈનેતર સમાજને ઉપયોગી છે. જે સમયમાં મૂર્તિવાદનો સર્વથા અપલાપ થતો હતો, મૂર્તિપૂજન નિષેધ માટે આકાશપાતાળ એક કરવામાં ભગીરથ પ્રયત્નો યોજાતા હતા અને પ્રાચીન મૂર્તિવાદનો વિધ્વંસ કરવા જોરશોરથી ચારે બાજુથી અનેક અઘટિત આક્ષેપોનો ભયંકર દાવાનળ સળગ્યો હતો ત્યારે એ ભયંકર દાવાનળની સામે ઊભા રહી એકલા એ ભડવીર શ્રી આત્મારામજી મહારાજે અનેક પ્રાચીન શાસ્ત્રોનાં પ્રમાણો અને દલીલોની અખૂટ વર્ષા વરસાવી એ દાવાનળને શાંત કર્યો અને સદાને માટે સંસારમાં મૂર્તિવાદને સ્થાપિત કર્યો. આ રીતે શ્રી આત્મારામજી મહારાજ એકલા જૈનોના જ ઉપકારી છે એમ નથી પરંતુ સમગ્ર વિશ્વના તેઓશ્રી મહાન ઉપકારી છે. પોતાની સાઠ વર્ષની જિંદગીમાં તેઓશ્રીએ શ્રી જૈન તત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્તનિર્ણયપ્રસાદ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈનધર્મ પ્રશ્નોતર, સમ્યક્ત્વશલ્યોદ્ધાર ચતુર્થસ્તુતિ નિર્ણય, નવતત્ત્વ, ઈસાઈમત સમીક્ષા, ઉપદેશબાવની, પૂજા-સ્તવન-સાય-ભાવનાપદ સંગ્રહ વગેરે ગ્રંથો રચી જૈન સાહિત્યમાં મોટામાં મોટો વધારો કર્યો. ટૂંકમાં જો જૈનદર્શનથી સંપૂર્ણ વાકેફ થતું હોય અનેકાંતદર્શનનો ખજાનો જોવો હોય અને જો વાદીની ખરી નામના મેળવવી હોય તો પ્રથમ શ્રી આત્મારામજી મ. નાં પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. (૧) શ્રી નૈનતત્ત્વાવર્ગ: વિ.સં. ૧૯૩૭માં ગુજરાનવાલામાં ચાતુર્માસ રહ્યા અને તેમણે જૈન તત્ત્વાદર્શ ગ્રંથની રચના કરી. આ ગ્રંથ શ્રીમદ્દ્ની વિદ્યમાન સ્થિતિમાં શ્રાવક ભીમશી માણેકે વિ.સં. ૧૯૪૦માં હિંદીમાં પ્રગટ કરેલ અને તેનું ગુજરાતીમાં
૨૯૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #342
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગરના સ્થાપક પ્રમુખ વકીલ મૂળચંદ નથુભાઈએ કર્યું અને વિ. સં. ૧૯૫૬માં શ્રી જૈન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત કરેલ. હાલ આ પુસ્તકની નકલ આત્માનંદ સભામાં તેમના રેકર્ડ રૂમમાં સુરક્ષિત છે. આમ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના વિ. સં. ૧૯૫૨માં થયા પછી ચારેક વર્ષ પછી એટલે કે આજથી ૧૧૪ વર્ષ પહેલાં શ્રી જૈન તત્ત્વાદર્શ ગ્રંથનું સૌ પ્રથમ પ્રકાશન કરી શ્રી જૈન આત્માનંદ સભાએ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કર્યો હતો. ગ્રંથ ૬૨૫ પાનાનો છે. આ ગ્રંથના બાર પરિચ્છેદ પાડવામાં આવેલા છે. અને જુદા જુદા વિષયો ઉપર અસંખ્ય દાખલા, દલીલો, પુરાવા, સાબિતીઓ આપી ગ્રંથને અત્યુત્તમ બનાવવા કતએ સફળ પ્રયત્ન કર્યો છે. | વિક્રમની વીસમી સદીમાં જૈન ધર્મ અને સમાજનો દરેક રીતે અસ્પૃદય સાધવાનો તથા જૈનધર્મને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિમાં લાવવાનો સૌથી પ્રથમ પ્રબળ પુરુષાર્થ કરનાર શ્રી આત્મારામજી મહારાજ હતા. તેમણે કરેલાં મહાન કાર્યો અને પુરુષાર્થના પરિપાકરૂપ શ્રી જૈન તત્ત્વાદર્શ મહાગ્રંથની તેઓશ્રીએ રચના કરી હતી. લગભગ ૧૩૦ વર્ષ પહેલા રચાયેલ ગ્રંથમાં ઋષભદેવ ભગવાનથી ભગવાન મહાવીર પર્યત ટૂંકો ઈતિહાસ છે તથા દેવગુરુ ધર્મનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવી જૈન ધર્મ સાચા અર્થમાં આત્મવાદી આસ્તિક દર્શન છે તેમ સિદ્ધ કરેલ છે. તેમાં જીવ-અજીવ આદિ નવ તત્ત્વોમાં સમાવેશ થતી અનેક બાબતો ઉપર સુંદર વિવેચન કરી જૈન ધર્મની માન્યતાઓને ન્યાય, નય, તર્કસિદ્ધ મહત્ત્વ દર્શાવેલ છે. તેમાં અન્ય ધર્મો, તેની માન્યતાઓ અને સ્થાપકોની ઉત્પત્તિ, જૈન ધર્મમાં ઊભા થયેલ જુદાજુદા સંપ્રદાયો, ગચ્છો, મતો વગેરેની ઉત્પત્તિનો ઈતિહાસ આપેલ છે તથા ભગવાન મહાવીરના ગૌતમાદિ ગણધરો અને સુધર્માસ્વામીથી શરૂ થતી જૈન શાસનની પાટ-પરંપરામાં ૬૯મી પાટ સુધી થયેલ મહાન આચાર્યો સંબંધી ટૂંકી નોંધ વગેરે આપેલ છે. આ ગ્રંથ જૈન ધર્મના અભ્યાસ માટે ઘણો ઉપયોગી છે.
(૧) પહેલા પરિચ્છેદમાં દેવનું સ્વરૂપ, તીર્થકરોનાં નામ, વર્ણ, માતાપિતાનાં નામ, ચોવીશ તીર્થંકરના બાવન બોલ વગેરે આપેલ છે.
(૨) બીજા પરિચ્છેદમાં કુટેવનું સ્વરૂપ વર્ણવેલ છે. તેમાં કુટેવોમાં સ્ત્રીસેવનાદિકના દૂષણો, જગતના કર્તાનો નિર્ણય, જગત ઉત્પત્તિ સંબંધી વેદાંતનું ખંડન વગેરેનો સવિસ્તાર સમાવેશ કર્યો છે...
(૩) ત્રીજા પરિચ્છેદમાં ગુરુતત્ત્વનું સ્વરૂપ, જેનાં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ, ચરણસિત્તરી ને કરણસિત્તરીનાં સિત્તેર સિત્તેર ભેદ, શાસ્ત્રાધારે ગુરુનું સ્વરૂપ વગેરેનો સમાવેશ.
(૪) ચોથા પરિચ્છેદમાં કુગુરુનું સ્વરૂપ કહેલ છે. ક્રિયાવાદીઓનાં કાલવાદી, ઈશ્વરવાદી, નિયતવાદી, આત્મવાદી, સ્વભાવવાદી એ પાંચ વિકલ્પ મેળવી તેમના પૃથક પૃથક એકસો એંસી (૧૮૦) મત કહેલ છે.
વ્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૩
Page #343
--------------------------------------------------------------------------
________________
(૫) પાંચમા પરિચ્છેદમાં ધર્મતત્ત્વનું સ્વરૂપ, જેમાં નવતત્ત્વના ભેદોનું સ્વરૂપ, વેદાંતવાદ સાથે સ્પર્ધા કરી સવિસ્તાર કહેલ છે.
(૬) છઠ્ઠા પરિચ્છેદમાં ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ દશ વિભાગો પાડી સમજાવેલ
(૭) સાતમા પરિચ્છેદમાં સમ્યકત્વદર્શનનું સ્વરૂપ જેમાં અરિહંતની પ્રતિમા પૂજવી, ગુરુતત્ત્વ, ધર્મતત્ત્વ, નિશ્ચય સમ્યકત્વ તેની કરણી વગેરે તથા વેદનો પ્રાચીન ધર્મ અર્થ છોડી નવીન અર્થ બનાવવાનું કારણ બહુ રસમય શૈલીથી સમજાવ્યાં છે.
(૮) આઠમા પરિચ્છેદમાં ચારિત્રનું સ્વરૂપ જેમાં અગિયાર સ્વરૂપો, અઢાર પાપ સ્થાપકોની સમજ, ભક્ષ્યાભઢ્ય વગેરેના દોષો ખૂબ જ સવિસ્તાર સમજાવેલ છે.
(૯) નવમા પરિચ્છેદમાં શ્રાવકના દિનકૃત્યની સમજ આપતાં આહાર, વિહાર, મલોત્સર્ગ, દંતધાવન, કેશસમારન, સ્નાન, નિદ્રા, દ્રવ્યપૂજા, ભાવપૂજા, સામાયિક,
સ્નાત્ર વગેરેમાં શ્રાવકે કેમ વર્તવું? દેવગુરુની આશાતનાથી કેમ બચવું? માતાપિતા, સહોદર, સ્ત્રી, પુત્ર, સ્નેહી, સંબંધી, નગરજનો સાથે કેમ વર્તવું? તેની માર્ગસૂચિ એવી લાક્ષણિક રીતે સમજાવી છે કે એક વ્યવહારશાસ્ત્રની કૉલેજના અભ્યાસક્રમનો આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
(૧૦) દશમા પરિચ્છેદમાં શ્રાવકોનાં રાત્રિકૃત્યો, પર્વકૃત્યો, ચાતુર્માસિક કૃત્ય, સાંવત્સરિક કૃત્ય, જન્મત્ય એમ પાંચ કૃત્યોનું સ્વરૂપ આપવામાં આવેલ છે.
(૧૧) અગિયારમા પરિચ્છેદમાં શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી મહાવીર સ્વામી પર્યત જૈનમતાદિ શાસ્ત્રાનુસારે ઇતિહાસરૂપ વૃત્તાંત આપવામાં આવેલ છે. તેમાં જુદાંજુદાં ઓગણત્રીશ પ્રકરણો પાડી, કુરુવંશ તથા યજ્ઞોપવિતની ઉત્પત્તિનું વર્ણન, યાજ્ઞવલ્કય, સુલસા, પીપલાદ તથા પર્વત પ્રમુખથી ફરી અસલ વેદોને ફેરવી હિંસાયુક્ત વેદોની રચના થઈ તેનું સ્વરૂપ, પૂર્વોક્ત મહાપુરુષોના કથનાનુસાર વર્ણવેલ છે.
(૧૨) બારમા પરિચ્છેદમાં શાસનપતિ શ્રી મહાવીરસ્વામીથી આજ સુધીનું કેટલુંક ઐતિહાસિક વૃત્તાંત રચનાત્મક શૈલીથી સમજાવી ગ્રંથની સમાપ્તિ કરી છે.
જૈન સિદ્ધાંતોના જિજ્ઞાસુને આ એક જ ગ્રંથ એટલી સામગ્રી પૂરી પાડે છે કે તેમાંથી તેને જૈનદર્શનનું સારામાં સારું સર્વોત્કૃષ્ટ દિગુદર્શન થઈ શકે છે, તે નિઃસંદેહ વાત છે.
(૨) અજ્ઞાનતિમિરમાર: જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર સંભવતો જ નથી. પ્રકાશ ન હોય ત્યાં અંધકારનો પ્રવેશ થાય છે. પ્રકાશમાં સર્વત્ર નિર્ભયતા, નિઃશંકતા અને વિશાળતા રહેલી છે. પ્રકાશ કે અંધકારમાં જ ભય, શંકા તથા સંકોચ વસે છે. આથી એ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવા આ મહાન લેખકે એક મહાન ગ્રંથ લખ્યો. આ ગ્રંથને અજ્ઞાનતિમિર ભાસ્કર’ એવું સાર્થક નામ આપેલું.
આ ગ્રંથ શ્રી આત્મારામજી મહારાજ સાહેબે અંબાલા (પંજાબ)માં લખવો
૨૯૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #344
--------------------------------------------------------------------------
________________
શરૂ કરેલો. અને સં. ૧૯૪રમાં ખંભાતમાં લખી તૈયાર કર્યો અને તેનું પ્રકાશન ભાવનગરની શ્રી જેન હિતેચ્છુ સભાએ કરેલ, જેની બધી જ નકલો ખલાસ થઈ જવાથી તેની બીજી આવૃત્તિ ભાવનગરની શ્રી જેને આત્માનંદ સભા તરફથી સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ.
ગ્રંથ ૩૩૫ પાનાનો છે. તે બે ભાગમાં છે. પ્રથમ વિભાગમાં મિથ્યાત્વજનિત અજ્ઞાનતાને લઈને અન્ય મતવાળાઓએ જૈન ધર્મ ઉપર જે આક્ષેપો કર્યા છે ને કરે છે, વેદાદિ ગ્રંથોના સ્વકપોલકલ્પિત અર્થ કરી જે-જે લેખો દ્વારા પ્રયત્ન કર્યા છે તે ન્યાય અને યુક્તિપૂર્વક તે-તે ગ્રંથોનું મંથન કરી આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. જૈનદર્શનની ક્રિયા તથા પ્રવર્તન સર્વ રીતે અબાધિત અને નિર્દોષ એવું, ગતના સર્વ ધર્મોની દૃષ્ટિએ સિદ્ધ કરી આપ્યું છે.
આ પ્રવીણ ગ્રંથકારે આખા વિશ્વની પ્રવૃત્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે કે આહત ધર્મની ભાવના પુરાતની છે ને ઈતરવાદીઓના ધર્મની ભાવનાનું સ્વરૂપ ખુલ્લું કરી જૈન ધર્મનાં તત્ત્વો સર્વોપરી હોવાનું સાબિત કરી આપ્યું છે.
આસ્તિક અને નાસ્તિક મતના વિચાર, જૈન ધર્મની પ્રબળતાથી વૈદિક હિંસાનો પરાભવ, વેદના, વેદજ્ઞ ઋષિઓના માંસાહારનું પ્રતિપાદન, વૈદિક યજ્ઞકર્મનો વિચ્છેદ, વૈદિક હિંસા વિશે વિવિધ મત, શંકરાચાર્યના વામમાર્ગાદિ વિષયોનું
સ્પષ્ટીકરણ તેમ જ વેદ ઋતિ, ઉપનિષદને પુરાણાદિશાસ્ત્રોમાં દર્શાવેલ યજ્ઞ વગેરેનું સ્વરૂપ વર્ણવી, મિથ્યાત્વ ભરેલી અજ્ઞાનતા દર્શાવી, અસરકારક વિવેચન કરનાર વિશ્વાસપાત્ર ગ્રંથ છે.
ગ્રંથકારે બૌદ્ધ, સાંખ્ય જૈમિનેય આદિ દર્શનવાળાઓ મુક્તિના સ્વરૂપનું કેવી રીતે કથન કરે છે, તથા ઈશ્વરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ કરવા તેઓ કેવી યુક્તિઓ દર્શાવે છે તેનું ભાન કરાવી, પાંડિત્ય ભરેલું વિવેચન કર્યું છે.
વિભાગ-૨ – બીજા વિભાગમાં સાધુ અને શ્રાવક ધર્મની યોગ્યતા દર્શાવવા માટે એકવીશ ગુણોનું વર્ણન, ભાવશ્રાવકના દ્વાર સંબંધી સત્યાવીશ ભેદને તેના સત્તર ગુણોનું સ્વરૂપ વિવેચન સહિત આપ્યું છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ આત્માનાં સ્વરૂપો સંક્ષિપ્તમાં વર્ણવ્યાં છે.
જૈન કે જૈનેતર કોઈ વિદ્વાન આ ગ્રંથનું અવલોકન કરશે તો જણાશે કે જેનોના એક સમર્થ આચાર્યશ્રીએ ભારતવર્ષની પ્રજાને સન્માર્ગ બતાવવા આવા ગ્રંથો રચી ભારે ઉપકારથી ઋણી બનાવી છે.
(૩) મુખ્યત્વરાજ્યોદ્ધ: વિ.સં. ૧૯૪૦માં આચાર્યશ્રીએ આ ગ્રંથ લખ્યો અને સં. ૧૯૪૧માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર દ્વારા ગુજરાતીમાં અને વિ.સં. ૧૯૬રમાં શ્રી જૈન આત્માનંદ પુસ્તક પ્રચાર મંડળે દિલ્હીથી હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરેલ.
ટુઢક મતના જેઠમલ નામના સાધુએ “સમકિતસાર' નામનો ગ્રંથ બનાવેલ કે
ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૫
Page #345
--------------------------------------------------------------------------
________________
જે વિ. સં. ૧૯૩૮માં ગોંડલ નિવાસી નેમચંદ હીરાચંદે પ્રસિદ્ધ કરેલ. આ ગ્રંથમાં મૂર્તિપૂજા અને સમ્યકત્વ વિરુદ્ધ એટલાં કડક લખાણ હતાં કે જે કોઈ પણ મૂર્તિપૂજક જૈન સહન ન કરી શકે તેની તમામ વિગતોનું ખંડન આ સમ્યકત્વશલ્યોદ્ધાર ગ્રંથમાં કરેલ છે. તેમાં મહાવીરસ્વામીથી આજ સુધીમાં મૂર્તિપૂજા પુરાણી છે તે પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયોથી તથા મૂર્તિઓના પુરાવાથી અને પૂર્વાચાયત આગમો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. અજ્ઞાનતાના પ્રસંગથી ઉન્માર્ગગામી બનેલા જીવો ભવ્ય જીવોને હેયોપાદેય સમજીને સૂત્રાનુસાર શ્રી તીર્થકર, ગણધર, પૂર્વાચાર્ય પ્રદર્શિત સત્યમાર્ગ બતાવવા લેખક મહાત્માએ આ ગ્રંથમાં પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે.
(૪) શ્રી જૈન ઘર્મ વિષય પ્રશ્નોતર: વિ.સં. ૧૯૪૫ પોષ સુદ છઠ્ઠના રોજે રૂ. આચાર્યશ્રીએ લખી પૂર્ણ કરેલ આ ગ્રંથ શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગરે પ્રસિદ્ધ કરેલ. આ પુસ્તકમાં અનેક પ્રશ્નોના સમાધાન કર્યા છે, જેમાં નીચેના વિષયો ખાસ છે.
જૈનોમાં જ્ઞાતિધર્મ, શ્રાવકધર્મ, મુનિધર્મ, જૈનમતના આગમ, મહાવીર સ્વામીના સમયમાં જેની રાજ્ય, પાર્શ્વનાથ ને તેની પટ્ટાવલી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી જુદો છે, બુદ્ધની ઉત્પત્તિ, નિર્વાણ શબ્દના અર્થ, પુણ્ય પાપનું ફળ દેનાર ઈશ્વર નહિ પણ કર્મ છે, જગત અકૃત્રિમ છે, દેવ-ગુરુને દેવોના ભેદ, સમ્યક્તી દેવતાની સાધુ શ્રાવક ભક્તિ કરે તો શુભાશુભ કર્મના ઉદયમાં દેવતા નિમિત્ત છે વગેરે અનેક પ્રશ્નો આ ગ્રંથમાં ચર્ચવામાં આવ્યા છે.
(૫) નવતત્ત્વ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૨૭માં તૈયાર કરેલ, તે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પ્રો. હીરાલાલ રસિકાસ કાપડિયાએ વિ.સં. ૧૯૮૮માં પ્રસિદ્ધ કરેલ.
આ ગ્રંથમાં જીવદયાનું, નવતત્ત્વનું સ્વરૂપ ઓળખાવવામાં આવ્યું છે, પરંતુ વિશેષતાએ શ્રી ભગવતીસૂત્ર પ્રમુખ વિવિધ આગમોના પાઠોની અહીં સંકલના કરવામાં આવી છે. અનેક મુદ્દાની વસ્તુઓ યંત્રરૂપે કોષ્ટક દ્વારા રજૂ કરેલ છે, જેથી આ ગ્રંથની મહત્તામાં અસાધારણ વૃદ્ધિ થઈ છે. કર્તાએ બાર વિવિધ વર્ગી ચિત્ર વડે એને અલંકૃત કર્યો છે. ખાસ જીવતત્ત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્ત્વ, પાપતત્ત્વ, આસવતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ, મોક્ષતત્ત્વ વગેરે વિષયોનો સંપૂર્ણ રીતે આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે.
(૬) જૈન મત વૃાઃ આ પુસ્તક આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪રમાં સુરતમાં લખ્યું, આ નાનકડા પુસ્તકમાં સ્વર્ગસ્થ મહાત્માએ લાખો વર્ષનો ઇતિહાસ ઠાંસીઠાંસીને ભર્યો છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના તીર્થકરોની ઐતિહાસિક ટૂંકનોંધ આમાં છે. કયા-કયા તીર્થકરોના સમયમાં કયા મતની શરૂઆત થઈ તથા તેમના કેટલા ગણધરો હતા? કેટલા ગચ્છો હતા? તેની ટૂંકી વિગત, રાવણ અને નારદમુનિના સંબંધ તથા મહાવીર સ્વામી પછી કયા આચાર્યોએ કેવા ગ્રંથો
૨૯૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #346
--------------------------------------------------------------------------
________________
બનાવ્યા? કેટલા જેનો બનાવ્યા? કેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી? વગેરેનું ટૂંકું પણ રસપ્રદ વર્ણન આપ્યું છે. તેમ જ મહાવીરસ્વામીથી આજ સુધીના ગૂર્જરપતિઓએ કઈ સાલથી કઈ સાલ સુધી કેટલા વર્ષ રાજ્ય ભોગવ્યું વગેરે વિગતોનો સમાવેશ સપ્રમાણ આપેલ છે. આ ગ્રંથ પંજાબ શ્રી આત્માનંદ જૈન સભાએ વિ. સં. ૧૯૫૩માં પ્રકાશિત કરેલ.
(૬) વિશે પ્રશ્નોત્તર: આચાર્યશ્રીએ આ પુસ્તક વિ.સં. ૧૯૪૯માં અમૃતસર ખાતે તૈયાર કરેલ. સને ૧૮૯૩ (વિ.સં. ૧૯૪૯)માં અમેરિકાના શિકાગો શહેરમાં સર્વધર્મ પરિષદમાં આચાર્યશ્રીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળ્યું હતું. તેમ જ પરિષદના આયોજકોએ આચાર્યશ્રીને એક નિબંધ મોકલવાની વિનંતી કરી હતી. આચાર્યશ્રી સાધુધર્મમાં હોવાથી ન જઈ શક્યા, પરંતુ શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરી મોકલ્યા. તે ચિકાગોના પ્રશ્નોના ઉત્તરો આ ગ્રંથમાં આપેલ છે. અને આચાર્યશ્રીએ શિકાગો પ્રશ્નોતર પુસ્તક લખીને શ્રીયુત વિરચંદ રાઘવજી ગાંધીને આપ્યું હતું. આ પુસ્તકમાં જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન છે.
ઈશ્વર કઈ વસ્તુ છે? જેનો કેવા ઈશ્વરને માને છે? અન્ય મતવાળા કેવા ઈશ્વરને માને છે? ઈશ્વર જગતના કર્તા સિદ્ધ થાય છે કે નહિ? કર્મ શું વસ્તુ છે? તેના મૂળ ભેદ કેટલા છે? ઉત્તર ભેદ કેટલા છે? કયા કર્મના બંધ હોય છે ને કયા તેનાં ફળ હોય છે? એક ગતિથી ગત્યંતરમાં કોણ લઈ જાય છે? જીવને કર્મનો શું સંબંધ છે? કર્મનો કર્તા જીવ પોતે કે કોઈ તેને કર્મ કરાવે છે? પોતાના કયા કર્મથી જીવ ભોક્તા છે? સર્વ મતોમાં કયા કયા વિષયોમાં પરસ્પર એકતા છે? આત્મામાં ઈશ્વર હોવાની શક્તિ છે કે નહિ? મનુષ્ય ઈશ્વરનો શું સંબંધ છે? સાધુ અને સંસારીના ધર્મો, ધાર્મિકને સાંસારિક જિંદગીનાં નીતિપૂર્વક લક્ષણ, ધર્મશાસ્ત્રોનું અવલોકન કરવાના નિયમો, દૂષણરહિતની પીછાણ, ધર્મભ્રષ્ટ થનારની ફરી શુદ્ધિ, જિંદગીનો ભય નિવારવાનો કાયદો, ધર્મના અંગ ને તેનાં લક્ષણ વગેરે અનેક તત્ત્વની વાતોનો આ ગ્રંથમાં કર્તાએ સમાવેશ કર્યો છે. (૮) વતુર્થસ્તુતિ નિયઃ ભાગ પહેલો
આ ગ્રંથ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪૪માં રાધનપુર ખાતે લખ્યો હતો.
પતિ રત્નવિજયજી (રાજેન્દ્રસૂરિ) અને ધનવિજયજી નામના સાધુઓ દેવસી અને રાઈપ્રતિક્રમણમાં ચાર થોયને બદલે ત્રણ થોયનો પ્રચાર કરતા હતા અને શાસ્ત્રોક્ત ઠરાવવા તેમણે આકાશ-પાતાળ એક કર્યા. છતાં તેમની આ શાસ્ત્રવિરુદ્ધની પ્રવૃત્તિ ગુરુદેવે ખુલ્લી પાડી – પૂર્વાચાયત વ્યાસી (૮૨) પુસ્તકો અને સૂત્રોના આધાર આપી ચાર થોય શાસ્ત્રોક્ત છે તેવું આ ગ્રંથ દ્વારા સિદ્ધ કરી આપ્યું (૯) વતુર્થ સ્તુતિ નિર્ણયઃ ભાગ બીજો
આ ગ્રંથ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪૮માં પટ્ટીમાં લખ્યો હતો. ત્રણ થાયનો પ્રચાર કરનાર સાધુ ધનવિજયજીએ એક ગ્રંથ તૈયાર કરી તેમાં “આત્મારામજી
ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૭
Page #347
--------------------------------------------------------------------------
________________
મહારાજ ઉપર કેટલા અનુચિત આક્ષેપો કરેલા તેનો શ્રી આત્મારામજી મહારાજે એવો સજ્જડ જવાબ આપ્યો છે કે શ્રી આત્મારામજી મહારાજને જૂઠા પાડનાર તે ધનવિજય તથા રત્નવિજયના કથનોમાં કેટલો દ્વેષ છે અને ત્રણ થોયનો પ્રચાર કરવામાં અસત્યનો કેટલો આશ્રય લેવામાં આવ્યો છે, તે આખી વસ્તુસ્થિતિ આ ગ્રંથમાં ખુલ્લી પાડી છે. (૧૦) નૈનમતા :
જૈન ધર્મનું સ્વરૂપ જાણવાની સૌ કોઈને ઇચ્છા હોય છે, પરંતુ જૈન ધર્મના તત્ત્વોનું સ્વરૂપ એટલું ગહન અને એંટલું બધું વિસ્તરેલું છે કે જૈન ધર્મના અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યા સિવાય તેનો ખ્યાલ આવી શકતો નથી.
સૌ કોઈની શક્તિ એવી ન હોઈ શકે કે તમામ શાસ્ત્રોનું અધ્યયન કરી શકે જેથી આ પુસ્તકમાં આચાર્યશ્રીએ જૈન ધર્મના મુખ્ય વિષયો જેવા કે તીર્થકરોની ઉત્પત્તિનો સમય અને તેમનાં કાર્યો, નવ તત્ત્વ, પદ્રવ્ય, પકાય, ચાર ગતિનું વર્ણન, આઠ કર્મનું સ્વરૂપ, જૈનોનું સામાન્ય મંતવ્ય સાધુધર્મના સંયમના સત્તર ભેદોના નામ, દસ પ્રકારના યતિધર્મના નામ, સાધુ ધર્મનું સ્વરૂપ, ગૃહસ્થ ધર્મમાં અવિરતિ સમ્યગુદૃષ્ટિ, ગૃહસ્થનું સ્વરૂપ અને તેનું કૃત્ય, દેશવિરતિ શ્રાવકના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ, તેનું વર્ણન, શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ વગેરે અનેક તત્ત્વોનો આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે. (૧૧) સાક્ત સમીક્ષા
ક્રિશ્ચિયન અર્થાતુ ઈસાઈમને માનવાવાળાઓમાંથી એક ઈસાઈએ નમત પરીક્ષા' નામના ગ્રંથમાં જેનો અને જૈન ધર્મ પર કરવામાં આવેલા આક્ષેપોના ખંડનના રૂપમાં આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક વાંચવાથી ખ્યાલ આવે છે કે પૂ. આચાર્યશ્રીને ઈસાઈ ધર્મ વિશે કેટલું સૂક્ષ્મ અને વિશદ જ્ઞાન હતું.
ઈસાઈએ લખેલ જૈનમત પરીક્ષા પુસ્તકમાં લખ્યું છે કે જેનોમાં મોટા મોટા વેપારી ઊંચી પદવીવાળા છે ને તેમના હાથમાં દુનિયાની મોટી દોલત છે. તથા તેઓ અન્ય ધર્મીઓને પોતાના ધર્મમાં ભેળવવા માટે ઉપદેશ આપે છે, વગેરે લખેલ છે. તે સામે સ્વ. મહાત્માએ સવિસ્તર આ પુસ્તક રચી જણાવ્યું કે ધર્મ કરવાથી કર્મનો ક્ષય થાય છે ને પુણ્યનો ઉદય થાય છે. જેથી જે જીવના કર્મનો ક્ષય ને પુણ્યનો ઉદય થાય તેને સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને દોલત પણ મળે છે.
ઈસાઈઓ માને છે કે ઈશ્વર જ કર્યા છે તો પછી ઈશ્વરને ગતકર્તા ન માનવાવાળા જૈનોને ધન દોલત, ઉચ્ચ પદવી વગેરે ક્યાંથી મળી? વળી ઈસાઈઓ પૂર્વજન્મને માનતા નથી ને ઈશ્વર સૌને સુખી કરવા જ જન્મ આપે છે, તો તેઓમાં પણ દુઃખી આત્માઓ બહુ કેમ છે? વગેરે વસ્તુઓનું પૃથક્કરણ કરી કર્મની થીયરી ઈસાઈઓને બહુ સારી રીતે સમજાવી છે, વળી બીજા અનેક વિષયોનો પણ આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. ૨૯૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #348
--------------------------------------------------------------------------
________________
(૧૨) તસ્વનિર્ણય પ્રસિદ્ધ
આ ગ્રંથ લખવાનો પ્રારંભ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૫૧માં જીરા પંજાબ) માં કર્યો અને વિ.સં. ૧૯૫૩માં ગુજરાનવાળા પાકિસ્તાન)માં પૂર્ણ કર્યો હતો. અને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ (પછી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી)ને પ્રેસ કોપી કરવા આપી તે દરમિયાન આચાર્યશ્રીનો સ્વર્ગવાસ થવાથી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પ્રેસ કોપી તૈયાર કરી શુદ્ધ કરી. આ ગ્રંથમાં આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.નું જીવનચરિત્ર પણ દાખલ કર્યું અને મુંબઈથી રા. અમરચંદ પી. પરમારે વિ.સં. ૧૯૫૮ની સાલમાં આ અપૂર્વ પ્રસાદીરૂપ શ્રી તત્ત્વનિર્ણય પ્રાસાદ ગ્રંથ પ્રસિદ્ધ કરેલ.
આ ગ્રંથના છત્રીસ થંભરૂપ વિભાગો પાડી જુદાજુદા વિષયો ચર્ચે પૂર્ણ કરેલ છે. તેના પ્રત્યેક સ્થંભોની ટૂંકી વિગતો નીચે મુજબ છે.
મહાવીર સ્વામીથી આજ સુધીની પટ્ટાવલી આ ગ્રંથમાં છે.
પહેલા સ્થંભમાં પુસ્તક સમાલોચના, પ્રાકૃત ભાષા નિર્ણય વેદબીજક વગેરેનું વર્ણન છે.
બીજા સ્થંભમાં હેમચંદ્રાચાર્યકૃત મહાદેવ સ્તોત્ર દ્વારા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવનાં લક્ષણ, તેનું સ્વરૂપ, લૌ બ્રહ્માદિ દેવોમાં યથાર્થ દેવપણું સિદ્ધ નથી થતું, તેનું પ્રાચીન લૌ િશાસ્ત્ર દ્વારા વર્ણન કરેલ છે.
ત્રીજા સ્થંભમાં બ્રહ્મા – વિષ્ણુ – મહાદેવાદિ લૌકિક દેવોમાં જે જે અયોગ્ય વિગત છે તેનું વ્યવચ્છેદરૂપ વર્ણન શ્રી હેમચંદ્રસૂરિકૃત દ્વાત્રિશિકા દ્વારા કરેલ છે.
ચોથા અને પાંચમા સ્થંભમાં શ્રી હરિભદ્રસૂરિવિરચિત લોકતત્ત્વનિર્ણયના ભાવાર્થ સહિત અપૂર્વ વર્ણન લખેલ છે. જેમાં પક્ષપાતરહિત દેવાદિકની પરીક્ષા કરવાનો ઉપાય અને અનેક પ્રકારની સૃષ્ટિની ગતવાસી જીવોની કલ્પના કરી છે તેનું વર્ણન છે. - છઠ્ઠા સ્થંભમાં મનુસ્મૃતિના કથન મુજબ સૃષ્ટિક્રમ અને તેની સમીક્ષા છે.
સાતમા ને આઠમા સ્થંભમાં તાદિ વેદોમાં જેવું સૃષ્ટિનું વર્ણન છે તેવું બતાવી તેની સમીક્ષા કરી છે.
નવમા સ્થંભમાં વેદની પરસ્પર વિરુદ્ધતાનું દિગ્દર્શન છે. દશમા સ્થંભમાં વેદોક્ત વર્ણનથી વેદ ઈશ્વરોક્ત નથી તેવું સિદ્ધ કરી આપ્યું છે.
અગિયારમા સ્થંભમાં “ઓમ ભૂર્ભુવઃ સ્વસ્તતુ' ઈત્યાદિ ગાયત્રી મંત્રના અનેક અર્થો કરી જૈનાચાર્યોની બુદ્ધિમતા બતાવી છે.
બારમા સ્થંભમાં અપિણાચાર્ય, શંકરાચાર્ય આદિઓએ બનાવેલ ગાયત્રી મંત્રના અર્થનું સમીક્ષાપૂર્વક વર્ણન છે અને વેદ નિંદક નાસ્તિક નથી, પરંતુ વેદના સ્થાપક નાસ્તિક છે તેવું મહાભારત આદિ ગ્રંથો દ્વારા સિદ્ધ કર્યું છે.
તેરથી એકત્રીસ થંભમાં ગૃહસ્થનાં સોળ સંસ્કારોનું વર્ણન શ્રી વર્ધમાનસૂરિકૃત
ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯
Page #349
--------------------------------------------------------------------------
________________
આચાર્ય દિનકર દ્વારા કરેલ છે.
બત્રીસમા સ્થંભમાં જૈનમતની પ્રાચીનતા, વેદના પાઠોમાં ગરબડ થઈ છે, તેનું નિષ્પક્ષપાત વિવરણ છે. જૈન વ્યાકરણાદિની સિદ્ધિનું તથા મહર્ષિ પાણિનીની ઉત્પત્તિનું વર્ણન ઘણું જ રસમય કરી બતાવેલ છે. તે જોતાં આચાર્યશ્રીનું જૈનેતર શાસ્ત્રોનું જ્ઞાન કેટલું અગાધ હશે તેની ઝાંખી વાચકોને થયા વિના નથી રહેતી. તેત્રીશમા સ્થંભમાં જૈનમતની બોદ્ધમતથી ભિન્નતા બતાવી છે તેમ જ પાશ્ચાત્ય અને દિગંબર વિદ્વાનોને હિતશિક્ષા આપી છે.
ચોત્રીશમા સ્થંભમાં જૈનમતની કેટલીક વાતો ઉપર કેટલાક માણસો અનેક પ્રકારના તર્કવિતર્ક કરે છે, તેમને દાખલા દલીલો સાથે બહુ જ સુંદર રીતે સમજાવેલ છે.
પાંત્રીસમા અને છત્રીશમા સ્થંભમાં શંકર દિગ્વિજયને અનુસાર શંકરસ્વામીનું જીવનચરિત્ર લખેલ છે. વેદવ્યાસ અને શંકર સ્વામીએ જૈનમતની સપ્તભંગીનું ખંડન કરેલ છે, તેમાં શંકરસ્વામી અને વેદવ્યાસ જૈન મતથી કેટલા અજ્ઞાન હતા તે સમજાવી જૈન મતવાળા સપ્તભંગીને જેમ માને છે તેમ તેના સ્વરૂપ અને સપ્તનયનું સંક્ષિપ્ત વર્ણન કરેલ છે.
આવા અનેક જુદાજુદા વિષયોના વર્ણનોથી આ મહાન ગ્રંથ ભરેલો છે. નિષ્પક્ષપાતી સજ્જનોએ આ ગ્રંથ સંપૂર્ણ વાંચી સત્યાસત્ય જાણવા યોગ્ય છે.
શ્રી આત્મારામજી મહારાજે ઉપર્યુક્ત અનેક ગ્રંથો રચેલા છે. તે જોતા તેઓ એક સમર્થ ક્રાંતિકાર, સુવ્યવસ્થારૂઢ સુક્રાંતિના બીજવાળા, ઊંડા જ્ઞાની હતા. એમના ગ્રંથોના કરવામાં આવેલ આ દિગ્દર્શનથી જાણી શકાય છે કે તેમાં સંખ્યાબંધ આગમો અને શાસ્ત્રોના આધાર આપેલા છે, તેથી તેઓશ્રીના બહુશ્રુતપણાની – ઊંડા અભ્યાસની આપણને ખાતરી થાય છે. તે ઉપરાંત તેઓએ સં. ૧૯૨૭માં બિનોલીમાં ‘આત્મવાચની'ની રચના કરી હતી. સં. ૧૯૩૦માં અંબાલામાં જિન ચોવીશી, સં. ૧૯૪૦માં બિકાનેરમાં વીશ સ્થાનક પૂજા', સં. ૧૯૪૩માં પાલિતાણામાં ‘અષ્ટપ્રકારી પૂજા’, સં. ૧૯૪૮માં પટ્ટીમાં ‘નવપદ પૂજા' અને ૧૯૫૦માં જડિયાલાગુરુમાં સ્નાત્રપૂજા વગેરે પૂજાની રચના કરી હતી. તેમ જ સ્તવનો, ચૈત્યવંદનો પદો, સજ્ઝાયો રચેલ છે, જે જોતાં એમની અગાધ કવિત્વશક્તિનું આપણને ભાન થાય છે.
નવીન રાગ-રાગિણીથી હિંદી ભાષામાં પૂજાઓ રચવાનું પ્રથમ માન શ્રી આત્મારામજી મ.ને ફાળે જાય છે. ભારત વર્ષની રાષ્ટ્રભાષા હિંદી હોવાથી તેમના તમામ ગ્રંથો પણ રાષ્ટ્રભાષામાં લખાયેલ હોવાથી રાષ્ટ્રભાષાના સાહિત્યમાં સુંદર પૂર્તિ કરે છે.
એ સમયમાં જૈન ધર્મની શ્રમણ પરંપરામાં જૈનધર્મ અને દર્શનનાં અધિકારી વિદ્વાન પૂ. શ્રી આત્મારામજી મ. જ હતા. તેઓ પોતાની અગાધ વિદ્વત્તા અને
૩૦૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #350
--------------------------------------------------------------------------
________________
ધર્મના પ્રચાર માટે જેટલા ભારતમાં પ્રસિદ્ધ હતા તેટલા જ વિદેશમાં પણ હતા. ઘણા વિદેશી વિદ્વાન તેઓની પાસે જૈન ધર્મના વિષય બાબતે માર્ગદર્શન માટે આવતા, જેમાં પીટરસન એ. એફ. રૂડોલ્ફ, ડૉ. હાર્નલ વગેરે ખાસ હતા.
(જર્મન વિદ્વાન) એ. એફ. રૂડોલ્ફ, હાર્નલ નામના જર્મન વિદ્વાન કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટીમાં રહી આપણા જૈન આગમો પૈકી ઉવાસગદસાઓ – ઉપાસકદશાંગ એ નામના સૂત્રનું સંશોધન કરતા હતા. તેમણે તેના કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ સમજવામાં મુશ્કેલી પડી તે વખતે તેમણે શ્રી આત્મારામજી મહારાજ સાથે પત્રવ્યવહાર કરી ઘણી બાબતોનો ખુલાસો મેળવ્યો. એથી તેમને એટલો બધો સંતોષ થયો કે તેમણે પ્રકાશિત થતું તે પુસ્તક પણ શ્રી આત્મારામજી મ.ને અર્પણ કર્યું અને તેમાં તેમની અર્પણપત્રિકા પોતે સંસ્કૃત છ છંદોમાં રચી મૂકી તેમ જ ઋગ્વેાદિ યુરોપમાં છપાયેલ તે પણ મંગાવીને તેમને ભેટ કર્યાં.
જ્યાં લેખક નથી પહોંચી શકતા ત્યાં સાહિત્ય પહોંચી જાય છે. પૂ. આત્મારામજી મહારાજનું સંપૂર્ણ લક્ષ્ય જૈન સાહિત્યના પ્રચાર અને પ્રસારનું હતું. તેમના મૂર્તિપૂજા વિષયક ગ્રંથો – પુસ્તકો વાંચીને ઘણા સ્થાનકવાસી સાધુઓ સંવેગીમાં દિક્ષિત થઈ ગયા હતા તેમ જ અજ્ઞાન તિમિર ભાસ્કર વાંચીને ઘણા હિંદુ સંન્યાસી જૈન ધર્મના પ્રશંસક બની ગયા હતા. આ બાબતના ઘણા ઉદાહરણ છે. જેમાંથી અહીંયાં હિંદુ સંન્યાસી યોગી જીવાનંદ સરસ્વતીનું એક ઉદાહરણ પૂરતું થઈ જાય તેવું છે. જૈન તત્ત્વાદર્શન અને અજ્ઞાન તિમિર ભાસ્કરનો અભ્યાસ કરીને તેમના વિચારોમાં પરિવર્તન આવી ગયું હતું. પોતાનામાં આવેલા આ પરિવર્તન માટે તેમણે પૂ. આત્મારામજીને પત્ર દ્વારા જાણ કરી આ પત્રનો ઉલ્લેખ સ્વયં પૂ. આત્મારામજી મહારાજે પોતાના તત્ત્વનિર્ણય પ્રાસાદ ગ્રંથમાં કર્યો છે જે તેઓની જ ભાષામાં જેમનો તેમ અહીં રજૂ કર્યો છે.
'जैनतत्त्वादर्श' और 'अज्ञान तिमिर भास्कर' पढकर उनके विचारों में परिवर्तन आया था। अपने में आए इस परिवर्तन को उन्होंने पूज्य श्री आत्मारामजी महाराज को पत्र के द्वारा सूचित किया था। इस पत्र का उल्लेख स्वयं पूज्य श्री आत्मारामजी महाराजने अपने ग्रंथ 'तत्त्वनिर्णय प्रासाद' में किया है। वह पत्र उन्हीं की भाषा में जस का तस यहां उद्घृत है।
'स्वस्ति श्रीमज्जैनेंद्र चरणकमल मधुपायितमनस्क श्रीयुक्त परिव्राजकाचार्य परम धर्म प्रतिपालकः श्रीआत्मारामजी तपगच्छीय श्रीमन्मुनि महाराज ! बुद्धिविजय शिष्य श्रीमुखी को पारिव्राजक योगजीवानंद स्वामी परमहंस का प्रदक्षिणापूर्वक क्षमाप्रर्थमेतत् भगवान व्याकरणादि नाना शास्त्रों के अध्ययन-अध्यापन द्वारा वेदमत गले में बांध मैं अनेक राजा प्रजा के सभाविजय करे देखा, व्यर्थ मगज मारना है इतना ही फल साधनांश होता है कि राजलोग जानते समझते हैं फलाना पुरुष बडा भारी
: ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૧
-
Page #351
--------------------------------------------------------------------------
________________
विद्वान है; परंतु आत्मा को क्या लाभ हो सकता ? देखा तो कुछ भी नहीं। आज प्रसंगवश रेलगाडी से उतर के भटिंडा राधाक्रष्ण मंदिर में बहुत दूर से आन के डेरा किया था सो एक जैन शिष्य कं हाथ दो पुस्तक देखे तो जो लोग दो चार अच्छे विद्वान जो मुझसे मिलने आए थे कहने लगे कि ये नास्तिक जैन ग्रंथ हैं, इन्हें नहीं देखना चाहिए। अन्त में उनका मूर्खपणा उनके गले उतार के निरपेक्ष बुद्धि के द्वारा विचारपूर्वक जो देखा तो वे लेख इतने सत्य और निष्पक्ष मुझे दिख पडे कि मानो एक जगत छोडकर दूसरे जगत में आन खडे हो गए। आवाल्यकाल आज ७० वर्ष में जो कुछ अध्ययन किया और वैदिक धर्म बांधे फिरा वह व्यर्थ सा मालूम होने लगा। 'जैन तत्त्वादर्श' व 'अज्ञान तिमिर भास्कर' इन दोनों ग्रन्थों को तमाम रात्रिदिन मनन करता, व ग्रन्थकार की प्रशंसा करता भटिंडे में बैठा हूं। सेतुबंध रामेश्वर यात्रा से अब में नेपाल देश चला हूं। परंतु अब मेरी ऐसी असामान्य महती इच्छा मुझे सताय रही है कि किसी प्रकार से भी एक वार आपका और मेरा परस्पर संदर्शन हो जाएं। मैं कृतकर्मा हो जाऊं। महात्मन् ! हम संन्यासी हैं, आजकल जो पांडित्य कीर्तिलाभ द्वारा सभा विजयी होके राजा - महाराजों में ख्याति प्रतिपात्ति कमा के नाम पंडिताई को हासिल किया है, आज हम यदि एकदम आप से मिलें तो वह कमाई कीर्ति चली जाएगी। ये हम खूब समझते व जानते हैं। परंतु हट धर्म भी शुभ परिणाम, शुभ आत्मा का धर्म नहीं। आज में आपके पास इतना मात्र स्वीकार कर सकता हूं कि प्राचीन धर्म, परम धर्म अगर कोई सत्य धर्म हो तो जैन धर्म था। जिसकी प्रभा नाश करने को वैदिक धर्म व पट शास्त्र व ग्रन्थकार खडे भये थे; परंतु पक्षपातशून्य होकर यदि कोई वैदिक शास्त्रों पर दृष्टि दे तो स्पष्ट प्रतीत होगा कि वैदिक वातें कही व ली गई वह सव जैन शास्त्रों से नमूना इक्कटी की है। इसमें संदेह नहीं कितनी बातें एसी हैं कि जो प्रत्यक्ष बिचार किए बिना सिद्ध नहीं होती है। संवत् १९४८ मिति आपाढ शुदि १० ।
पुनर्निवेदन यह है कि यदि आपकी कृपापी पाई तो एक दफा मिलने का उद्यम करुंगा। इति योगानंद स्वामी किंवा योगाजीवानंद सरस्वती स्वामी।
આ પત્રની સાથે સ્વામી યોગજીવાનંદજીએ આચાર્ય મહારાજની સ્તુતિના રૂપમાં એક શ્લોક લખીને મોકલ્યો હતો.
योगाभोगानुगामी द्विजभजनजनिः शारदारक्तिरक्तौ। दिगजेता जेतृजता मतिनुतिगतिभिः पूजितो जिष्णुजिकैः।। जीयाद्दायादयात्री खल बल दल नो लोललीलस्वलज्जः।
केदारीदास्यदारी विमलमधुमदोद्दामधामप्रमतः॥ १॥ આ શ્લોક માળાબંધ કાવ્યમાં લેખકે યોજ્યો અને એની રચના એવી કળાથી કરી કે એના ૫૧ પ્રકારના અર્થ ઉપજાવી શકાય.
વિ.સં. ૧૯૫૩માં સનખતરામાં નૂતન જિનમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા
૩૦૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #352
--------------------------------------------------------------------------
________________
કરાવ્યા પછી આચાર્યશ્રીની તબિયત લથડી હતી.
જીવનભર ખેંચેલા ઉગ્ર કાર્યભારને હિસાબે તેમનો દેહ હવે થાક્યો હતો. તેઓનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. તેમના પગમાં ઘૂંટણનો દુખાવો રહેતો હતો. જેથી ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી. શ્વાસમાં તકલીફ્ન હિસાબે હાંફી જતા હતા. આંખમાં પણ તકલીફને લીધે ઓછું દેખાતું હતું. આવી બધી તકલીફ હોવા છતાં તેઓ કોઈ દિવસ ફરિયાદ કરતા નહીં. તેઓના શિષ્યગણ તેમ જ શ્રાવકો તેમને આરામ લેવાનું તેમ જ જરૂરી દવા લેવાનો આગ્રહ કરતા પરંતુ તેઓ તે તરફ ધ્યાન નહિ આપતા અને તેઓ કહેતા કે ‘શરીર તો રોગનું ઘર છે, ક્યાં સુધી તેની સેવા કરશો’
પંજાબમાં શ્રાવકોની શ્રદ્ધાને સ્થિર કરવા સાત જિનાલયના નિર્માણ કર્યા પછી તેઓનું એક લક્ષ્ય પૂર્ણ થયું હતું પરંતુ તેઓનું બીજું લક્ષ્ય સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું હતું અને તેઓ ગુજરાનવાલા પહુંચી તે કામ પોતાના હાથ ઉપ૨ લેવા માંગતા હતા. આ માટે તેઓએ ગરમીના દિવસોમાં ઘણી પ્રતિકૂળતા હોવા છતાં ઉગ્ર વિહાર કર્યો. તેઓનું શરીર હવે સાથ આપતું નહોતું. વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદી સાતમની સાંજે પ્રતિક્રમણ કર્યાં પછી નિત્ય નિયમ પ્રમાણે સંથારા-પૌરુષી વગેરે કરી સૂઈ ગયા અને રાતના બાર વાગ્યે પાછા જાગી ગયા. તેઓને ખ્યાલ આવી ગયો હતો કે, હવે શરીર છોડવાનો વખત આવી ગયો છે. તેઓએ બધા મુનિઓને ઉઠાડ્યા અને મુનિ વિજયવલ્લભને પોતાની પાસે બોલાવી અંતિમ સંદેશ આપ્યો. વત્તમ! શ્રાવો ા શ્રદ્ધા જો સ્થિર રવને જે लिए मैंने परमात्मा के मंदिरो की स्थापना कर दी है। अब तुम सरस्वती मंदिरो की स्थापना अवश्य करना। जब तक ज्ञान का प्रचार न होगा तब तक लोग धर्म को नहीं समझेंगे और न ही समाज का उत्थान होगा। यह काम में तुम्हारे कंधो पर डालकर जा रहा हूं।'
આ અંતિમ સંદેશો અને આજ્ઞાને ગુરુ વલ્લભે તહત્તી ભગવંત, કહીને શિર ઉપર ચડાવી.
ત્યાર પછી બે હાથ જોડી બધાની તરફ જોઈ તેઓએ કહ્યું, “ભાઈ અબ હમ ચલતે હૈ ઔર સબકો ખમાતે હૈ' અર્હમ્... અર્હમ્.... અર્હમ્... શબ્દ બોલતા તેઓએ સંસારનું કાર્ય સમેટી લીધું. પાછળ કેવળ મુનિઓની અપાર વેદના તથા સંસારનું રુદન રહી ગયું.
ગતનો એક મહાન દીપક હોલવાઈ ગયો, પણ એમણે આપેલા પ્રકાશમાં આજે પણ હજારો જીવો જીવનને અજવાળે છે. સદ્ધર્મ, સદ્ગુરુ ને સદેવની પ્રરૂપણા માટે એ જીવ્યા ને અમર બન્યા.
પંજાબમાં જિન મંદિરોના નિર્માણ કાર્ય પૂર્ણ કર્યાં પછી તેઓની ઇચ્છા શિક્ષણના પ્રચાર માટે સરસ્વતી મંદિરોની સ્થાપના કરવાની હતી, પરંતુ તેઓની
ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૩
Page #353
--------------------------------------------------------------------------
________________
આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહિ. તેઓની જૈન સાહિત્ય (જ્ઞાન)નો પ્રચાર અને પ્રસાર કરવાની ભાવનાના પડઘા રૂપે તેમ જ તેઓના કાયમી સ્મરણાર્થે સૌ પ્રથમ ભાવનગરમાં યુવાનો દ્વારા શ્રી જેન આત્માનંદ સભા સ્થાપવામાં આવી.
શ્રી જેન આત્માનંદ સભા – ભાવનગરઃ પ.પૂ. આત્મારામજી મહારાજના કાળધર્મ પામ્યા પછી ફક્ત બાવીસ દિવસના સમયે વિ.સં. ૧૯૫૩ના બીજા જેઠ સુદિર તા. ૧૩-૬-૧૮૯૬ ને શનિવારનાં રોજ ભારે ધામધૂમપૂર્વક સભાની સ્થાપના કરવામાં આવી. સભા આજે ૧૧૮ વર્ષ પૂરા કરી ૧૧૯મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. અનેક વ્યક્તિઓ અને અનેક શક્તિઓના હાર્દિક સહકારથી આ સંસ્થાનો જન્મ થયો હતો. આ સભાની શરૂઆત ભાડાના મકાનથી થઈ હતી, પરંતુ ભાવનગરમાં ઉદાર શેઠ શ્રી હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક સહાય વડે સભાએ સં. ૧૯૬રમાં એક મકાન ખરીદ્યું અને તેનું નામ “શ્રી જૈન આત્માનંદ ભુવન' રાખવામાં આવ્યું. પથ્થરની વિશાળ ઇમારતમાં છેલ્લા ૧૦૮ વર્ષથી શ્રી જૈન આત્માનંદ સભા કાર્યરત છે. જે પહેલા ૧૧ વર્ષ ભાડાના મકાનમાં કાર્યરત હતી.
આ સભાને મુનિ મહારાજોનો પ્રથમથી જ સારો સહકાર મળેલો છે. તેમાં ખાસ કરીને પૂ. શ્રી કાંતિવિજયજી મ.સા., આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા, મુનિરાજશ્રી ચતુરવિજયજી મ.સા, આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.ની આ સભા પ્રત્યે હંમેશાં મીઠી દૃષ્ટિ રહી. તેમાંયે પૂજ્ય પુણ્યવિજયજી મ.સા.ની તો અસીમ કૃપા આ સભા ઉપર હતી. આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેઓશ્રીનો ફળો અજોડ રહ્યો.
સભાએ લગભગ ૧૧૪ વર્ષ પહેલા પૂ. આત્મારામજી મહારાજનાં મહાન ગ્રંથશ્રી જૈન તત્ત્વદર્શનું ગુજરાતી ભાષાંતર પ્રકાશિત કરીને જ્ઞાનયજ્ઞનો દીપ પ્રગટાવ્યો અને ત્યાર પછી તે દીપક પ્રજ્વલિત રાખી ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લગભગ ૨૫૦ ઉપરાંત પુસ્તકોનો ભવ્ય વારસો આજ સુધીમાં આવ્યો છે. તે સાહિત્યક્ષેત્રે સભાની મહામૂલી સિદ્ધિ અને સેવા છે.
સભાનાં પ્રકાશનોની હારમાળા જોઈએ તો તેમાં પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી દ્વારા સંપાદિત થયેલા વિજ્ઞપ્તિ ત્રિવેણી જેવા ગ્રંથો આજે પણ પોતાનું મહત્ત્વ સાચવી શક્યા છે. લુપ્ત થયેલ સંસ્કૃત બૃહત્કથાના મોટા ભાગનું પ્રાકૃત રૂપાંતર રજૂ કરતી વસુદેવ હિંડીએ તો સ્વયં એક ઇતિહાસ જ સર્યો. તેનું સંપાદન સ્વ. પૂ. મુ. શ્રી ચતુરવિજયજી અને સ્વ. આગમ પ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ કરીને વિદ્વજગતને ચિરકાર ઋણી બનાવ્યું.
એ જ રીતે બૃહકલ્યભાષ્યનું છ ભાગોમાં સંપાદન એ જે ગુરુશિષ્યોએ કરીને આત્માનંદ સભાને અમર બનાવી. આ જ રીતે ત્યારપછી આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.ની પણ છ દાયકા કરતા પણ વધારે સમય સુધી
૩૦ + ૨૯? અને ર૦ સટીમ જૈન સહિસ્ય અ#ર-આરાધક્કો
Page #354
--------------------------------------------------------------------------
________________
આ સભા ઉપર અસીમ દૃષ્ટિ રહી. તેઓ દ્વારા સંપાદિત 'દ્વાદસારનયચક્રમનું પ્રકાશન તો સભાના ઇતિહાસમાં સુવર્ણ યશકલગી સમાન રહ્યું. લગભગ ચાર ઘયકાની મહેનત, જહેમત, સાધના, સંશોધન પછી ઉપર્યુક્ત અજોડ મહાગ્રંથના ત્રણ ભાગનું શ્રી જેન આત્માનંદ સભા દ્વારા સમયાંતરે પ્રકાશન થયું.
વિશેષમાં વિ.સં. ૨૦૦૮માં આ સભાનાં આત્મકાંતિ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્ય પ્રવરશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સાહેબે જે શબ્દો સભા માટે કહ્યા હતા તે આજે સ્મરણ કરીએ. પૂજ્ય આ.શ્રીએ પ્રેરણાત્મક શબ્દોમાં કહ્યું હતું કે, “જ્ઞાન એ દીપક છે. એ જ્ઞાનદીપને પ્રજ્વલિત રાખવાનું કાર્ય આપણા સૌનું છે. જ્ઞાન એ આંખ છે, ક્રિયા એ પગ છે, જો જ્ઞાનરૂપી નેત્ર વડે બરાબર જોઈ ન શકાય તો એકલા પગ શું કરશે? આ જ્ઞાનમંદિરથી જરૂર ગૌરવ લેશો પણ સાથેસાથે વિશ્વશાંતિ માટે જ્ઞાનની ગંગા વહેવડાવવાનું મંગલ કાર્ય ભૂલશો નહિ. સભાએ આ જ્ઞાનમંદિરને અદ્યતન બનાવ્યું છે. હવે આ ખજાનાનાં રત્નોમાંથી સંશોધન કરાવી જ્ઞાનનું અમૃત mતનાં ચોકમાં મૂકવાની ભાવના રાખશો. આ સભાનાં સમુત્કર્ષ માટે હું મંગળ આશીર્વાદ આપું છું. - જય મહાવીર’
પૂ. આત્મારામજી મહારાજે સોંપેલું જ્ઞાન પ્રતિષ્ઠા કરવાનું અઘરું રહેલ કાર્ય તેમના પટ્ટધર શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ઉપાડ્યું અને તેમના જ પ્રયાસોથી આચાર્યની નિર્વાણભૂમિમાં (ગુજરાનવાલામાં) આત્માનંદ જૈન ગુરુકુળ નામની શિક્ષણ સંસ્થા સ્થાપવામાં આવેલી, શ્રી આત્માનંદ જૈન સભા ને આત્માનંદ જૈન મહાસભા – પંજાબ તેમ જ હોશિયારપુર, અમૃતસર, દિલ્હી, આગ્રા, પાલનપુર, પૂના, અંબાલા, વેરાવળ સાદડી (મારવાડ) આદિ અનેક પુસ્તકાલયો, કેળવણી સંસ્થાઓ અને અનેક નાની મોટી સ્મારક સંસ્થાઓ સ્થપાયેલી છે અને હજુ પણ તેમાંની ઘણી સંસ્થા સારી પેઠે ચાલી રહી છે.
આ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને કેમ ભુલાય. જેમ ભાવનગરમાં શ્રી જેને આત્માનંદ સભા છેલ્લા ૧૧૯ વર્ષથી કાર્યરત છે તે જ રીતે શ્રી મહાવીર વિદ્યાલય મુંબઈ પણ તેમની શતાબ્દી પૂર્ણ કરવા તરફ જઈ રહી છે. અને જૈન સમાજની સેવા કરતી સૂરિજીના યશસ્વી કાર્યક્ષેત્રોની ઝાંખી કરાવી રહી છે.
અંતમાં આજે તેઓશ્રીનો એટલો શિષ્ય સમુદાય ભારતમાં વિચારે છે કે તેમની બરોબરી કરી શકે તેવો બીજો એક પણ ગચ્છ કે સંપ્રદાય ભાગ્યે જ હશે.
આચાર્યશ્રી વિશે લખવાની મારી કોઈ હેસિયત કે ગજુ નથી, પરંતુ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. શ્રી જૈન આત્માનંદ સભામાં રહેલ સાહિત્યના આધારે વિગતો લીધી જેમાં (૧) જૈનાચાર્યશ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારકગ્રંથ, સંકલન કર્તા – મોહનલાલ દલીચંદ દેસાઈ (સં. ૧૯૯૨), (૨) ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિ લે. સુશીલ (સં. ૧૯૯૧), (૩) નવયુગ પ્રવર્તક – શ્રીમદ્ વિજયાનંદસૂરિ લે. ધીરજલાલ ચેકરશી શાહ (સં. ૧૯૯૨), (૪) મણિ મહોત્સવ
ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૫
Page #355
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ – શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગર (૨૦૧૩). તેમ જ (૫) શ્રીમદ્ વિનાનંવરિઃ નવિન ર હાઈ . મુનિ નર્વનરંદ્ર વિન (સં. ૨૦૪૬) વગેરે ગ્રંથો પુસ્તકોમાંથી ઘણી જ સુંદર માહિતી મળેલ છે. આચાર્યશ્રી વિશે તો હજુ ઘણું લખી શકાય પરંતુ કેટલીક મર્યાદાઓને લીધે હું મારો લેખ અહીં પૂરો કરું છું.
સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સાહિત્ય સેવા ધર્મ સેવા અને રાષ્ટ્રસેવાને લક્ષમાં લઈ આપણને તે પંથે વિચરવા પ્રભુ શક્તિ અર્પે તેમ પ્રાર્થના કરીએ. તેમ જ આવા સુંદર આયોજન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા દાતા પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરું છું.
મારા લખાણમાં કાંઈ ભૂલચૂક કે અલના થઈ હોય કે શાસન વિરુદ્ધ કંઈ લખાયું હોય તો ક્ષમા માગું છું. મિચ્છામી દુક્કડમ્ આપી હું અહીં વિરમું છું.
હર્ષદ કાન્તીલાલ શાહ, પ્લોટ નં. ૬૩૮, ‘સર્વોદય' દેરી રોડ, કૃષ્ણનગર, ભાવનગર- 364001 મો. 9426733922
૩૦૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #356
--------------------------------------------------------------------------
________________
- મુનિ શ્રી હંસવિજયજી મહારાજ
૪ રક્ષા ઉપાધ્યાય
વિડોદરાની એસ્પરીમેન્ટલ સ્કૂલમાં કાર્યરત રક્ષાબહેને મુનિ શ્રી હંસવિજયજીના જીવન અને કવન રજૂ કરતો આ લેખ મોકલાવેલ, જેમાંથી પૂ. મુ. શ્રી હંસવિજયજી વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. – સં.]
ગુર્જર રાજ્યના શિરમેર રજવાડામાંનું એક શ્રેષ્ઠ રાજ્ય તે વડોદરા રાજ્ય, સદર રાજ્ય શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજાનું શાંતિસમૃદ્ધ, સંસ્કારી, કલા ઉપાસક અને સાહિત્યસમૃદ્ધ મહારાજ્ય ગણી શકાય. આવા વડોદરા રાજ્યમાં બહુમુખી પ્રતિભાધારક શ્રીમાળી જગજીવનદાસ નામના સુપ્રસિદ્ધ શાહુકાર – વહેપારી થઈ ગયા જે પરમ ઉદાર, ધર્માત્મા, સરળ અને કાર્યનિષ્ઠ ગૃહસ્થ હતા, જેમના રાજકારભારીઓ સાથે અતિ નિકટ સંબંધ હતા અને વડોદરાની આસપાસના નગરો-ગામો સાથેના નીતિપૂર્વ વ્યાપાર અને પરગજુ સ્વભાવને કારણે આદર પાત્ર તેમ જ વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકેની અતૂટ છાપ તેઓએ ઊભી કરી હતી.
ધર્માર્થકામ ત્રિપુરુષાર્થ ન્યાયપૂર્ણ નિષ્ઠા થકી આત્મસાત કરતા કરતા તેમના જીવન સંસારમાં પ્રભુદત્ત સાત સંતાનકુસુમો ખીલ્યાં હતાં જેમાં ૩ કુલદીપકો અને ૪ કન્યારત્નોનો સમાવેશ થાય છે. જેમાંના એક છોટાલાલભાઈનું અવતરણ આ પવિત્ર ભૂમિ પર થયું.
આપણા સૌના પથદર્શકનું નામ છોટાલાલ, તે નામાર્થથી મહાત્મા શ્રી હંસવિજયજી મહારાજના નામથી આ ધરતીમંડળમાં સુપ્રસિદ્ધ થયા. શ્રી હંસવિજયજી મહારાજ જન્મ – બાળકાળઃ
શેઠ જગજીવનદાસ અને તેમના સાચા અર્થમાં સહધર્મચારિણી વંદનીયા માણિક્યબાઈની સંસારયાત્રામાં તેમના પ્રેમ સમા મધ્યમ પુરુષ સંતાન છોટાલાલભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના અષાઢ વદ અમાસ એટલે કે દિવાસા જેવા મહાપર્વના દિને થયો, જે સ્વમુલ અને સ્વધર્મી જનોના જીવન તિમિરાંતક દીપક બની રહ્યા. આપણા આ મહાપુરુષ બાલ્યકાળથી જ અત્યંત વિનયી, ભદ્ર અને પરોપકારી વૃત્તિધારી હતા જેથી સ્વજનો અને સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ તેમનો આદર કરતી. તેમને આઠ વર્ષની વયે વિદ્યાઅભ્યાસ
મુનિ શ્રી હંસવિજયજી મહારાજ + ૩૦૭
Page #357
--------------------------------------------------------------------------
________________
માટે નિશાળ – પાઠશાળામાં દાખલ કર્યાં. પૂર્વજન્માનુસાર પુણ્યપ્રભાવે ખૂબ જ શીઘ્રાતિશીઘ્ર ગુજરાતી સાહિત્ય, ગણિતવિદ્યા, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોમાં અપ્રતિમ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના પરંપરાગત વ્યાપારકાર્યમાં પ્રવૃત્ત થયા. પોતાના પિતાશ્રી અને વડીલભ્રાતાના સાનિધ્યમાં રહી વ્યાપારવૃત્તિમાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યા બાદ પિતૃવ્યાપાર કાપડ વેચાણવૃત્તિ છોડી તેમણે ઝવેરીવૃત્તિમાં પણ કુશળતા મેળવી લીધી અને માત્ર ધંધો જ નહિ પણ ન્યાય, નીતિ અને શાલીનતાભર્યા વ્યવહારથી જનમન ૫૨ પણ મજબૂત પકડ મેળવી લીધી હતી આમ તેમણે બહુમુખી પ્રતિષ્ઠા હાંસલ કરી લીધી હતી.
સંસારપ્રવેશઃ
છોટાલાલ મહાત્માની ઉંમર લગભગ ૧૬ વર્ષની હશે ત્યારે શહેરના ખ્યાતનામ શેઠની દીકરી સૂરજબાઈ નામની સુશીલ અને વિનમ્ર કન્યા સાથે વિવાહ-સગાઈ થઈ. તેમ છતાં આ મહાત્મા જલકમલવતુ સંસારી માયાથી વિરક્ત રહેતા. એમની એટલી બધી વિરક્તિ હતી કે જ્યારે તેમની વરયાત્રા નીકળી ત્યારે માર્ગમાં એક ઉપાશ્રયમાં પરમ વૈરાગી મહાન તપસ્વી શ્રીમાન નીતિવિજયજી મહારાજ વિરાજતા હતા તેથી તેમના મનમાં સંકલ્પ થતો હતો કે હું આ સમયે પણ જો પિતાજી અનુમતિ આપે તો વરઘોડો છોડી ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી દીક્ષા અંગીકાર કરી લઉં, પણ તેમનો મનસૂબો સિદ્ધ થયો નહીં. હવે તેઓ સંસારી બની ચૂક્યા હતા છતાં આ સંસારથી મુક્તિ-વિરક્તિની આકાંક્ષા મનમાં સેવી રહ્યા હતા. જીવનની ગાડી ગતિ કરી રહી હતી પણ મનની ગતિ વૈરાગ્ય તરફ વધુ વેગથી ચાલતી હતી. છેવટે ૨૧ વર્ષની યુવાવય પ્રાપ્ત થતાં વૈરાગ્યવૃક્ષને નવાંકુર ફૂટ્યા અને કહેવાય છે તેમ ‘A will will find a way'. તેમણે સંસારથી છૂટવા માટેનો મનસૂબો ઘડી કાઢ્યો હતો તેનો આયોજનપૂર્વક અમલ કરી દીધો. તેમને શ્રાવકશ્રી ગોકુળભાઈ દુર્લભદાસના ઘેર શુભાવસર નિમિત્ત ભોજન માટે જવાનું થયું ત્યાં જ તેમના સહધર્મી-ધર્મસહાયક શ્રી છગનલાલભાઈ મળી ગયા. ત્યાંથી તે બંને જણ સીધા રેલવે સ્ટેશનનો માર્ગ પકડી પંજાબમાં અંબાલા પહોંચી ગયા અને સંવત ૧૯૩૫ના મહા વદ ૧૧ના શુભદિને પંડિત લક્ષ્મીવિજ્યજી મહારાજ પાસેથી દીક્ષા અંગીકાર કરી લીધી. પૂર્વાશ્રમ નામધારી છગનલાલને મુનિશ્રી કાંતિવિજ્યજી અને છોટાલાલભાઈને મુનિશ્રી હંસતિયજી નામો આપ્યાં. થોડા સમયમાં સાધુત્વની સમગ્ર ક્રિયાઓ શીખવામાં મગ્ન બની ગયા. આ બાજુ તેમને ઘે૨ તેમના પૂર્વાશ્રમનાં સ્વજનો ખૂબ જ દુઃખી થઈ અહીંતહીં શોધ કરવા લાગ્યાં અને ઠેર ઠેર તા૨-૫ત્ર અને વિવિધ સ્થાનોમાં માણસો મોકલી તપાસ આરંભી, પણ તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. પૂરા બે મહિના બાદ તેમની પંજાબમાં હોવાની ખબર પડી.
વાવડ મળતાં જ તેમના પિતાજી શેઠ જગજીવનદાસના મનમાં સાંસારિક
૩૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #358
--------------------------------------------------------------------------
________________
સુનામી આવી અને અનેક વિચારતાંડવ કરતાં ગમે તેટલો ખર્ચ કરીને પણ પ્રાણપ્રિય પુત્રને પાછો લાવીશ જ. તેને દીક્ષા આપનાર કોણ ? શું મારો પુત્ર ભૂખે મરતો હતો ? આવા સુકોમળ બાળકોને દીક્ષા આપનાર કોણ ? ત્યાં પહોંચતાં જ તેમની ખબર લઈ નાખું આવી અનેક રીતે હૈયાવરાળ કાઢતા ત્રણ દિવસોની યાત્રા બાદ પંજાબ પહોંચ્યા તો મહારાજ સાહેબ નવીન શિષ્યોને લઈ વિહારાર્થ હોશિયારપુર પહોંચ્યા હતા.
શેઠજી અને ગુરુસાહેબનો વાદવિવાદ ઘણા સમય સુધી ચાલ્યો. છેવટે શેઠજી પોતાના પુત્ર પર વાત્સલ્ય વરસાવતા મુનિ શ્રી હંસવિજયને સમજાવવા લાગ્યા ત્યારે છેવટે અંતિમ નિશ્ચય રજૂ કરતાં બોલ્યા કે જો તમે મને વડોદરા પાછો લઈ જવા ઈચ્છતા હો તો માત્ર મારું મૃતક શરીર જ જશે. આ શબ્દો સાંભળતાં શેઠને લાગ્યું કે હવે મારો પુત્ર મુનિત્વ છોડી આવશે જ નહીં.
છેવટે શેઠ ગજીવનદાસે મુનિસાહેબ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજ પાસે વિનમ્રતાપૂર્વક પહોંચી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી કે હે મુનિસાહેબ હું આજે શ્રદ્ધાપૂર્વક અને અનન્ય મનથી આપના ચરણોમાં પુત્ર ભીક્ષા આપું છું. આપ તેને પરમાર્ગનું નિર્દેશન કરજો, તેનું રક્ષણ કરજો અને તેના તપ-જ્ઞાન-સંયમ અને ધર્મનિષ્ઠામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવા પ્રયત્ન કરજો અને કરાવજો. સાથોસાથ પોતાના દીકરાને પણ આશીર્વાદ આપતાં કહ્યું કે હે દીકરા તે સિંહની જેમ સંસારનો પરીત્યાગ કર્યો જ છે તો તે ત્યાગને નિભાવજે અને ધર્મપાલન સહ પ્રાપ્ત જ્ઞાનને આત્મસાત્ કરી જીવનમાં અમલ કરી જીવનપર્યત સચ્ચરિત્રના નિર્માણ – પાલન કરજે. અન્ય મુનિશિષ્યોને પણ તેમની ધર્મનિષ્ઠા અને તપનિષ્ઠામાં નીરત રહી સન્માર્ગનું આચરણ કરી આત્મોન્નતિ કરી, અનુયાયીઓને પણ સ્વધર્મ પાલનમાં નિષ્ઠા, આત્મસંયમ, અહિંસાવ્રત અને જીવદયા ક્ષેત્રમાં દિન પ્રતિદિન ઉન્નતિ થતી રહે તેવા તેમનાથી બનતા સઘળા પ્રયત્નો કરતા રહેવાની આશીર્વાદસહ પ્રેરણા આપી.
છેવટે મનથી પુત્રસ્નેહ છોડી પૂજ્યભાવ ધારણ કરી બે હાથ જોડી મસ્તક નમાવી બધા જ મુનિશ્રીઓને, તેમજ ખાસ કરીને ગુરુમહારાજ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજના ચરણારવિંદમાં નમનપૂર્વક ક્ષમાયાચના કરતાં કહ્યું કે, મેં આપ સૌને ઘણા સમયથી અનેક રીતે દુઃખ પહોંચાડ્યું, તમારી તપશ્ચર્યા, યોગ, ધ્યાનકાર્યમાં વિવિધ પ્રયત્નો કરી ખલેલ પહોંચાડી તમારો અપરાધ કર્યો, તે પાછળ મારો પ્રયત્ન માત્ર ને માત્ર મારા દીકરાને પરત લઈ જવાનો હતો. હું પુત્રપ્રેમમાં મોહાન્ધ થઈ ગયો હતો. હું સાર-અસાર સમજી શક્યો નહીં. માત્ર સ્વાર્થ જ મારી આંખોમાં છવાયેલો હતો. જેમ કમળા રોગના દર્દીને બધું જ પીળું દેખાય તેમ મને ફક્ત ને ફક્ત પુત્ર પ્રત્યેનો અનુરાગ – માયા જ નજરે પડતી હોવાથી મેં તમારા સૌનો અક્ષમ્ય ગુનો કર્યો તે અપરાધની માફી મને મળશે કે નહિ તે હું જાણતો નથી પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ્' એ ઉક્તિ અનુસાર હું અપેક્ષા રાખું કે આપ સૌ
મુનિ શ્રી હંસવિજયજી મહારાજ + ૩૦૯
Page #359
--------------------------------------------------------------------------
________________
મને મારા નીંદનીય કૃત્યોની માફી આપો.
ગુજરાતી કવિની પણ કાવ્ય કંડીકા છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.' આ ઉક્તિ અનુસાર હું એટલો તો આશ્વસ્થ થયો છું કે મેં મારા અંતઃકરણપૂર્વક ભૂલ કબૂલી ક્ષમાયાચના કરી છે તો જરૂર મારા અવિનય ઉદ્ધતાઈને અવગણી મને માફી મળશે જ. આ પસ્તાવારૂપી ઝરણામાં માનસિક ડૂબકી મારી છે તો હું પાપમુક્ત થઈ પુણ્યશાળી થઈશ જ.
આ રીતે પોતાના મનોરથ વ્યક્ત કરી સમગ્ર મુનિમંડળ સહિત આચાર્યમુનિ મહારાજ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજને સંતુષ્ટ કરી સ્વગૃહ પ્રતિ પ્રત્યાગમન કરતાં પહેલાં પ્રાર્થના કરી કે, હું મારા દીકરાની લઘુદીક્ષા સમારંભમાં હાજર રહી શક્યો નથી પણ મુખ્ય દીક્ષાંત સમારોહ અમારા શહેર વડોદરામાં જ થાય એવી મારી અભિલાષા છે તો મારી ઈચ્છાપૂર્તિ કરવા આપ સમર્થ છો. મારા આ ક્ષુદ્ર જીવ પર આપની કૃપા વરસાવશો તો મને આનંદ થશે અને મારો મન મોરલો નાચી ઊઠશે.
શ્રાવક શ્રેષ્ઠિ ગજીવનદાસને આશ્વાસન આપતાં ગુરુ મહારાજે કહ્યું કે તમારી મનોકામનાનો ખ્યાલ અમે રાખીશું. અને જ્ઞાની મહારાજની જેવી ઇચ્છા હશે અને તેમણે જ્ઞાન-ધ્યાનમાં લેવું જોયું – વિચાર્યું તેમ થશે. એમ કહી શેઠજીને વિદાય આપી.
હવે મુનિરાજ હંસવિજયજી મહારાજ ગુરુમહારાજ સાથે રહી નિર્વિબતાપૂર્વક વિચરણકાર્યમાં પ્રવૃત્ત થયા અને ક્રમશઃ અપૂર્વ જ્ઞાન ભંડાર પ્રાપ્ત કરી અખંડઆનંદ પામતા રહી મનની પ્રસન્નતાથી સ્વકાર્યમાં નિષ્ઠા-તપનિષ્ઠામાં રત રહી જીવનચર્યા નિભાવવા લાગ્યા. | મુનિશ્રી હંસવિજયજી મહારાજે ક્રમશઃ સર્વવિદ્યા પ્રયત્નપૂર્વક આત્મસાત્ કરી. સાધુ વિરક્ત જીવનવ્યાપન કરતા વિવિધ સ્થાનોમાં વિચરણ કરતા અને દરેક સ્થાને ધર્મચર્ચા ઉપદેશ કાર્ય કરતા અને સંન્યાસીના સર્વ યમનિયમ પાલન કરતા હતા. તેઓ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાનમાં રહી ત્યાં આસપાસના શ્રાવક સમુદાયને ધમપદેશ, સાત્ત્વિક જીવન જીવવાની રીત, સંયમનો મહિમા, અહિંસાવ્રતનું માહાસ્ય વગેરે બાબતોના ઉપદેશ થકી જનસમુદાયમાં આદર પ્રાપ્ત કર્યો હતો. તેમણે સૌપ્રથમ ચાતુર્માસ પૂજ્ય શ્રીયુત લક્ષ્મીવિજયજી ગુરુમહારાજના સાનિધ્યમાં હોશિયારપુરમાં ગાળ્યો હતો. ચતુર્માસ દરમિયાન ગુરુસેવા, ગુરુપદેશ, શાસ્ત્રજ્ઞાન અને વિદ્યાવ્યાસંગ દ્વારા ગુરુમહારાજને પ્રસન્ન કર્યા. ગુરુમહારાજ પણ તેમની સેવાનિષ્ઠા, ભક્તિપરાયણતા અને યમનિયમ પાલનથી પ્રસન્ન રહી શુભાશિષ આપતા રહેલા. તેમણે દ્વિતીય ચાતુર્માસ, તૃતીય ચાતુર્માસ જીરામાં, ચતુર્થ ચાતુર્માસ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી તેમ જ શ્રીકાંતિવિજયજી મહારાજની
૩૧૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #360
--------------------------------------------------------------------------
________________
સાથે જ્યપુ૨ શહેરમાં વિતાવ્યો હતો. ત્યાં ગુરુમહારાજ સપરિવા૨ પંજાબથી આવ્યા ત્યારે તેમની આજ્ઞા પ્રાપ્ત કરી અજમેર વગેરે શહેરોના ચૈત્યજુહારતે ગોલવાડની પંચતીર્થી અને તારંગાજીની યાત્રા પરિપૂર્ણ કરી મુનિશ્રી હંસતિયજી મહારાજ વડોદરા પધારવાના હતા ત્યારે તેમના પૂર્વાશ્રમી પિતાજી શેઠ ગજીવનદાસજીએ તેમને રાજા-મહારાજાની સવારી નીકળે તેવી ભવ્ય રીતે વડોદરા નગ૨માં સ્વાગત કર્યું હતું અને દબદબાપૂર્વક ઉત્સવ આનંદથી ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજ દ્વારા સંવત ૧૯૩૯ના જેઠ સુદ ૧૦ના શુભ દિને મોટી દીક્ષા અપાવી અને પોતાની વર્ષો જૂની મહેચ્છા પૂર્ણ કરી. પંચમ ચાતુર્માસ પણ વડોદરા નગ૨માં જ વિતાવ્યો. ત્યાર પછી છઠ્ઠો ચાતુર્માસ અમદાવાદમાં, સાતમો ચાતુર્માસ સુરતમાં, આઠમો ચાતુર્માસ પાલિતાણામાં વિતાવ્યો. નવમો ચાતુર્માસ અણહિલપુર પાટણમાં ગાળ્યો. આ ચાતુર્માસ દરમિયાન 'ત્તરાધ્યયન કમલ સંયમ ટીકા અને સ્થૂલિભદ્ર ચરિત્રગાથા' વાંચી હતી.
જૈન શાસનના મુનિમંડળમાં મુનિશ્રી હંસવિજ્યજી મહારાજ સાહેબ એક પ્રભાવશાળી પુરુષરત્ન કહી શકાય. તેમની શાંતિ, વિરક્તદશા, ઉપદેશ શક્તિ અને સહનશીલતા અનેક રીતે અભિનંદનીય અને પ્રશંસનીય ગણાય. તેમના પોતાના કવન ૫૨ નજર નાખીએ અને તે કવનો કેટલા ગહન અને મનનીય છે તે જોઈએ. ‘ચતુર્વિશતિજિનસ્તુતિ’: સદ૨ ૨૪ તીર્થંકરોની સ્તુતિ વિવિધ છંદોબદ્ધ ૨૪ શ્લોકોમાં રચાયેલ છે. સદર કવિતામાં તેમની કવિત્વશક્તિ તાદશ થાય છે. તેમની છંદ પસંદગી પણ વાચકનું ધ્યાનાકર્ષણ કરે તેવી છે. સદર સ્તુતિમાં તેમનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન છતું થાય છે અને શબ્દનિયોજન પણ યથાયોગ્ય અને ભાવવાહી છે. ‘શ્રી આદિનાથ સ્તોત્રમ્’માં તેમને ‘જય’ શબ્દનો દરેક પાદમાં પ્રયોગ કર્યો છે. શ્રી આદિનાથ ભગવાન માટે પ્રયોજેલ વિશેષણોના શબ્દો પણ ખૂબ જ યથાતથ છે. આમાં શબ્દોનું માધુર્ય પણ અનુભવાય છે. શ્રી અજિતનાથ સ્તોત્રમાં પણ ‘જ અક્ષરનો અવિરત વિનીયોગ કરી શબ્દચમત્કૃતિનું સર્જન કર્યું છે. સદર સ્તોત્રમાં સ્વત્વની પ્રભુચરણોમાં શરણાગતિ સ્વીકાર જોવા મળે છે. તેમનો પ્રભુ પ્રત્યેનો અનન્ય ભાવ પ્રફુટિત થાય છે. પોતાનું ચિત્ત સતત પ્રભુમય રહે એ અંતરની તમન્ના અહીં સ્પષ્ટ થાય છે. શ્રીસંભવનાથ સ્તોત્રમાં પણ સંભવનાથ પ્રતિ પ્રતિ અને સર્વોત્કૃષ્ટ જીવનમૂલ્યો, પુણ્યપ્રાપ્તિ, વિકારમુક્તિ, દુઃખદારિત્ર્ય વગેરેને નિર્મૂળ કરવાની મહેચ્છા સેવી છે. શ્રીશિખરગિરિ ચૈતન્યવન્દનમ્ આ પ્રાર્થના ગુજરાતી ભાષામાં રચાયેલી છે પણ સંસ્કૃત ભાષાનું પ્રાચર્ય સ્થાને સ્થાને દૃષ્ટિગોચર થતું જોવા મળે છે. સદર સ્તોત્રમાં પ્રભુના ગુણગાન પ્રભુ માટે વપરાયેલ વિશેષણો ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્તોત્રમાં સ્વનિંદા કરી સંપૂર્ણ સ્વત્વ ભાવનું અર્પણ અને તેની સામે સ્વોન્નતિકા૨ક પદની વાંચ્છના વ્યક્ત કરી પ્રભુચરણોમાં પોતાની અભિપ્સા ઠસોઠસ ભરી પડી જણાઈ આવે છે. એક ભક્ત હૃદયની પ્રભુ પ્રત્યે આત્મસમર્પણની ભાવના છલોછલ ઊભરાતી જણાય છે.
મુનિ શ્રી હંસવિજયજી મહારાજ - ૩૧૧
Page #361
--------------------------------------------------------------------------
________________
તેમના દ્વારા રચાયેલ ચોવીશીમાં પણ ભક્તિસભર પ્રાર્થના, આત્મનિવેદન, સેવા શુશ્રુષા, કીર્તન અને પ્રભુ સામે આજીજી અને પોતાની અકિંચનતા વ્યક્ત કરીને પ્રભુ પાસેનો ઉત્તમોત્તમ સમભાવ,આશિષ, પરદુઃખભંજનતા વગેરે સદ્ગણો પોતાનામાં આવે અને પોતે તથા પોતાના આપ્તજનો, અનુયાયીઓના જીવન ઉન્નત બને તેવી ભાવના જોવા મળે છે. પ્રભુને ભવરોગના વૈદ્ય જણાવ્યા છે.
બાળકની તોફાની ચેષ્ટા સામે માતાનું સ્નેહ મમતાભર્યું વહાલ પોતાને પ્રાપ્ત થાય, પોતે દીનહીન તપરહિત અર્થાત્ તપમાં કષ્ટ પડે તેથી પીછેહઠ કરી છે તો પોતાનું શું થશે? એ ભાવ પણ નજરે ચઢે છે. આમ, આવા પોતાનામાં રહેલા અવગુણોને દરગુજર કરી મને એટલે કે જીવને સદ્દગુણો મેળવવાની તાલાવેલી નરે પડે છે આમ દરેક તીર્થકરનાં સ્તવનોમાં વિવિધ ભાવના, પ્રાર્થના, પોતાની નિર્બળતા, અસહાયતા વ્યક્ત કરીને અને પોતે આ અફટ વિશ્વમાં એકલો અટૂલો પડેલ છે, એમ પોતાને અધમાધમ જીવ તરીકે પ્રસ્થાપિત કરી જીવમાત્રનું શ્રેયપ્રેયની વાંચ્છના અભિસેવી છે. દરેક સ્તવનમાં શબ્દ પસંદગી વર્ણ પ્રયોજન જેતે ભાવને પ્રગટ કરે છે અને એક ઉચ્ચ કોટિના કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે, એ કહેવાની કાંઈ આવશ્યકતા જણાય તેમ નથી.
શ્રી સિદ્ધાચલ સ્તવનમાં સિદ્ધક્ષેત્ર શત્રુંજય પર્વતના ગુણગાનની નોંધ લેવા વાચકનું મન લાલાયિત થયા વિના રહી શકે જ નહિ. સિધ્ધાચલને વિમલાચલનગનાથ વગેરે વિશેષણો વડે તેનું માહાત્મ, રમ્યતા, આકર્ષણ અને પરમાનંદદાયક છે એવું વર્ણન જોવા મળે છે. સદર સિદ્ધાચલની યાત્રાએ વિવિધ સ્થાનોમાંથી સંઘયાત્રા નીકળી ભક્તિસભર ભાવના સાથે આવે છે. પોતાનામાં આ યાત્રાથી જે અહોભાવ જન્મે છે તે તો અવર્ણનીય છે. તદુપરાંત સિદ્ધાચલ સ્થિત આદિનાથ ભગવાનના દ્વારે આવનાર પ્રત્યેકને અનેકવિધ ભક્તિદાન, જ્ઞાનદાન, વૈભવ, તપનિશ્ચયદાન પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરેલી છે. આદિનાથને સૂર્યસમાન મોહાંધકારવિનાશી અને જ્ઞાનપ્રકાશ પાથરનાર, આઠ પ્રકારનાં બંધનમાં બંધાયેલા પોતાને (જીવન) ક્ષણવારમાં તોડી નાખનાર કહ્યા છે. બાહ્યશત્રુ ઉપરાંત આંતરશત્રુઓને નિવારી શત્રુરહિત કરવા પોતે ૯૯ એટલે કે અનેક યાત્રા કરી આ અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સ્વીકારી આત્મસંદેશ કરવા વિનંતી કરેલ છે. આ સંસારમાંથી છટકવાની કોઈ બારી નથી, સિવાય તમારું શરણ.
રક્ષા અજીતચંદ્ર ઉપાધ્યાય ૬૨૪, શરદનગર, તરસાલી રોડ, વડોદરા
Page #362
--------------------------------------------------------------------------
________________
– શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
જ હિંમતલાલ ગાંધી
શ્રી. વીરચંદ રાઘવજી ગાંધીના કુટુંબીજન એવા શ્રી હિંમતભાઈએ ખૂબ વિસ્તારથી શ્રી વીરચંદભાઈ ગાંધીના જીવનના અનેક પાસાંઓને પ્રસ્તુત લેખમાં ઉજાગર કરીને તેમના સાહિત્યનો ખ્યાલ આપ્યો છે. – સં.)
૧૯મી સદીના જૈન સાહિત્ય અને સાહિત્યકારની સિદ્ધિઓને સમજવા-મુલવવા માટે ૧ત્મા શતક વિશે સંક્ષિપ્તમાં જાણીએ.
એ સમયના હિંદુસ્તાનનું ચિત્ર નિહાળીએ તો ખ્યાલ આવશે કે બ્રિટિશ હકૂમત નીચે ભારત કચડાયેલું હતું. પરાધીન પાસે સ્વમાન કે પોતીકા અવાજને બદલે શરણાગતી હોય છે. ગુલામી પરાધીન પ્રજાને વધુ લાચાર, મજબૂર, ગરીબ, શોષિત અને પછાત બનાવતી હોય છે. દેશ રાજકીય ગુલામી તથા આર્થિક પરાવલંબનના પંજામાં સપડાયેલ હતો. અજ્ઞાન અને અંધશ્રદ્ધાને કારણે સામાજિક કુ-રૂઢિઓ સતત ફુલતી-ફાલતી હતી. ૧૮૫૭નાં નિષ્ફળ ગયેલા સ્વાતંત્ર્યસંગ્રામની ચોટમાંથી દેશ મુક્ત થયો ન હતો. શિક્ષણ સુવિધાઓ અતિ અલ્પ હતી. વાહન-વ્યવહાર મોટા ભાગે પશુ આધારિત હતો. તાર-ટેલિફોન-હવાઈ સેવા ઉપલબ્ધ જ ન હતી.
અધૂરામાં પૂરું ૧૯મી સદી દુકાળોની સદી હતી, જેથી પ્રજા મોંઘવારીની ભીંસથી રિબાતી હતી. મોટા દુકાળોમાં સં. ૧૮૦૩નો (તિલોત્તરો), ૧૮૪૭નો (સુડતાળો), ૧૮૬૯નો (ઓગણોત્તરો) તથા ૧૮૯૬નો મુખ્ય હતા – જેના કારણે ઉંદરો આદિના ઉપદ્રવોનો પણ પ્રજા ભોગ બની હતી.
સદ્ભાગ્યે – આશા અને રૂપેરી કિરણ સમાન કેટલાક પ્રસંગો પણ બન્યા જેની નોંધ પણ જરૂરી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં શ્રી સહજાનંદ સ્વામી (જન્મ: સં. ૧૮૩૭ સ્વર્ગવાસ – ૧૮૮૬) એ ધર્મ-સંપ્રદાય ફેલાવ્યો.
દિગંબર સંપ્રદાયમાંથી સં. ૧૮૮૧માં શ્રી રઘુનાથના શિષ્ય ભીખમજીએ તેરાપંથની સ્થાપના કરી.
આ સદીમાં જ જૈન શાસનની મહાન વિભૂતિઓએ પણ જન્મ લઈને જૈન ધર્મ – જૈન સાહિત્યની રચના, પ્રસાર તથા પ્રચારનાં અતિ મહત્ત્વનાં કાર્યો કર્યા. સાડાત્રણ સૈકા બાદ પ્રથમ ૧૦૮ કરતાં વધારે સંઘોએ જેમને આચાર્ય પદવી આપી
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૩
Page #363
--------------------------------------------------------------------------
________________
તે મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરિ શ્રી આત્મારામજી મ.સા. અને તેમનાં પટ્ટશિષ્ય પંજાબકેસરી આચાર્ય ભગવંત – યુગદ્રષ્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.નો આ સમય. તેમણે જે. મૂ. પૂ. જૈન સમાજની અગ્રણી શિક્ષણ સંસ્થા – શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરાવી. ૫. પૂ. આત્મારામજી મ.સા.ના સંસારી શિષ્ય-અનુયાયી આ નિબંધના મૂળનાયક – જેમણે સમસ્ત વિશ્વને પ્રથમ વખત જૈન ધર્મ અને જેને સિદ્ધાંતોનો પ્રમાણ સાથે સચોટ રીતે પરિચય કરાવીને જૈન ધર્મ અતિ પ્રાચીન સ્વતંત્ર ધર્મ હોવાની પ્રતીતિ કરાવી તે મહુવાનાં સપૂત મૂર્ધન્ય – સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતનો શુભ સમય, એ જીવિત સ્વામી - શ્રી મહાવીર સ્વામી પ્રાપ્ત જાણકારી મુજબ ભગવાન મહાવીર સ્વામીના જીવનકાળ દરમિયાન તેમના જ્યેષ્ઠ બંધુ – મહારાજા શ્રી નંદીવર્ધને ત્રણ પ્રતિમાજી ભરાવેલા – તેમાંના એક એ મહુવામાં – જીવિતસ્વામી) જ્યાં બિરાજમાન છે, એ ભાવનગર જિલ્લા (જૂના ભાવનગર રાજ્ય)નાં સૌરાષ્ટ્રના કાશમીર એવા મહુવાનગરની પાવનધારા માટે, જૈન શાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયાનો સમય હતો. આ સમયમાં મહુવાની પાવનભૂમિએ જૈન શાસન માટે અતિ મહત્ત્વનાં એવા શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (ઈ. સ. ૧૮૭રથી ૧૯૪૯) જેમણે અનેક તીર્થોનો ઉદ્ધાર તેમ જ જિર્ણોદ્ધાર કરાવેલ. ચૌદ ચૌદ ભાષાના જાણકાર – જેમણે મોટા ભાગના જૈન ધર્મના વિદેશી વિદ્વાનોને તૈયાર કરીને દેશ-વિદેશોમાં જૈન ધર્મના પ્રસાર-પ્રચાર અને પ્રભાવનાનું સર્વોત્તમ કાર્ય કર્યું – એ શાસ્ત્ર-વિશારદ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી જેઓ કાશીવાળા તરીકે વિખ્યાત થયા (ઈ. સ. ૧૮૬૭થી ૧૯૨૦) અને આ નિબંધના મૂળનાયક, જેઓ શ્રાવક તથા ગૃહસ્થાશ્વમમાં હોવા છતાં – સંપૂર્ણ રીતે શાસન સમર્પિત, દેશ-વિદેશને જૈન ધર્મનું સત્યદર્શન કરાવનાર, વિદેશીઓ અને પરધર્મીઓને જૈન ધર્મનું સાચું જ્ઞાન આપનાર અને જૈનોના અતિ પવિત્ર મહાન તીર્થોની તીર્થ રક્ષાનાં અદ્દભુત કાર્યો કરનાર – મહુવાના શ્રેષ્ઠિ-સંત શ્રી વીરચંદ રાઘવજી ગાંધી.
૧૯મી સદીમાં જ મોટા ભાગનાં વિદેશી વિદ્વાનોની સેવાનો લાભ જૈન સાહિત્યને મળેલ છે અને તેમના ગ્રંથો અને મંતવ્યોને આધારભુત માનવામાં આવે છે, જે ટૂંકમાં જોઈએ:
જૈન ગ્રંથનો સૌથી પ્રથમ અનુવાદ કરનાર સંસ્કૃત ડોઈય શબ્દકોશના સંપાદક ઓટો બોટલિંક - તેમણે રિયુ સાથે મળીને હેમચંદ્ર કૃત અભિધાન ચિંતામણિનો જર્મન અનુવાદ સન ૧૮૪૭માં કર્યો. રેવ. સ્ટીવન્સને સન ૧૮૪૮માં કલ્પસૂત્ર અને નવતત્વનો અંગ્રેજી અનુવાદ કર્યો. સંસ્કૃત ભાષાના આચાર્ય વેબરે સન ૧૮૫૮માં શત્રુંજય માહાભ્યમાંથી તથા ૧૮૬૬માં ભગવતી સૂત્રમાંથી સુંદર
૩૧૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #364
--------------------------------------------------------------------------
________________
ભાગોનો અનુવાદ કર્યો. તેમણે શ્વેતાંબર આગમોનો ઊંડો અભ્યાસ કરીને એ અંગેનો અંગ્રેજી અનુવાદ ઈન્ડિયન એન્ટિક્વરીનાં વોલ્યુમ ૧૭થી ૨૧માં પ્રગટ કર્યા. એમનાથી પ્રેરાઈને – હર્મન યાકોબી, લોટામન, કલાટ, બુહલર, હોર્નલે, અને વિન્ડશે વિવિધ જૈન ગ્રંથો વિશે સંશોધન કરવા માંડ્યું. તે જ રીતે રાઈસ, રુલ્સ, કલ્પોર્ન, પીટર્સન, ફર્ગ્યુસન, અને બર્જેસે જૈન સંપ્રદાયના હસ્તલિખિત પ્રતોના, શિલાલેખોના અને મંદિરોનાં સંશોધનો કરવા માંડ્યાં.
હર્મન યાકોબીનું પ્રદાન અમૂલ્ય છે. તેમણે સાબિત કરી આપ્યું કે જેને અને બૌદ્ધ એ બંને એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષો હતા.
શાસ્ત્ર-વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. કાશીવાળા તથા કેટલાકને શ્રી વીરચંદભાઈ ગાંધીએ રસ લેતા કર્યા હતા. સર્વ વિદેશી વિદ્વાનોમાં જેન સાહિત્યની ઉત્તમોત્તમ સેવા ડૉ. હર્મન યાકોબીએ કરી છે – જેમણે મોટા ભાગનાં જૈન શાસ્ત્રગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ તથા અનુવાદ કર્યો છે.
આટલી પ્રારંભિક વાત પછી આપણે મૂળ વાત પર આવીએ.
આજથી લગભગ એકસો ઓગણ પચાસ વર્ષ પૂર્વે, લગભગ દોઢ સૈકા પહેલા, પ્રાચીન અને ઐતિહાસિક મહુવા નગરી જેના નામ સાથે જાવડશા-ભાવડશાગડુશાહનાં નામ જોડાયેલ છે, હિંદુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી તથા સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રાગજી ભગત જેના પનોતા પુત્ર હતા, જેનાં લોકો સુખી, સંતોષી અને ધર્મપ્રેમી હતા અને સમાજ રૂઢિ અને માન્યતાબદ્ધ હતા. તે સમયે મહુવામાં એક સચ્ચરિત – ધર્મપ્રિય – સુશ્રાવક અને સમાજસુધારક શ્રી રાઘવજીભાઈ ગાંધી વસતા હતા. તેમનો વ્યવસાય મોતીનો હતો, પણ સચ્ચાઈ તેમનાં હરેક રૂંવાડે હતી. તેમને મરવા પાછળ રડવા-કૂટવાનો રિવાજ અયોગ્ય લાગતાં તેને તિલાંજલિ આપી હતી. ધર્મના સિદ્ધાંતોના પાલનમાં તેઓ ચુસ્ત હતા. સચિત વસ્તુઓનો એમને આજીવન ત્યાગ હતો. હંમેશાં મળેલું પાણી જ વાપરતા. એમનાં ધર્મપત્ની પણ સંસ્કારી અને ધર્મમય હતાં. વિ. સં. ૧૯૨૦ના શ્રાવણ વદી આઠમ ઈ. સ. ૧૮૬૪ના ઓગસ્ટની ૨૫મી તારીખે – શુભદિને સુશ્રાવિકા માનબાઈએ વીરપુત્ર – તેજસ્વી બાળક શ્રી વીરચંદભાઈ ગાંધીને જન્મ આપ્યો.
એ સમયે મહુવામાં ફક્ત પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. શ્રી વીરચંદભાઈમાં તીવ્ર યાદશક્તિ તથા અદ્દભુત જ્ઞાનપીપાસા હતાં. વ્યવહારિક શિક્ષણ માટે જેમ શાળામાં જતાં, તે જ રીતે ધાર્મિક શિક્ષણ માટે નિયમીત પાઠશાળામાં જતા. જન્મજાત તેમ જ પૂર્વભવના ઉચ્ચ સંસ્કારના હિસાબે ધર્મ પ્રત્યે અગાઢ રુચિ હોવાના કારણે તેઓ વ્યાખ્યાન શ્રવણ માટે નિયમિત ઉપાશ્રયમા પણ જતા. આઠ વર્ષની વયે ઉપાશ્રયની ભીંત પર દોરાયેલ મધુબિંદુનું ચિત્ર એમની સ્મૃતિમાં એવું જડાઈ ગયું કે અમેરિકામાં પ્રવચન આપતી વખતે એનો ઉલ્લેખ કરતા હતા અને એ ચિત્રનો મર્મ સમજાવતા હતા.
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૫
Page #365
--------------------------------------------------------------------------
________________
એમનામાં જૈન ધર્મના કેવા દઢ સંસ્કારો હશે અને બાલ્યાવસ્થાથી જ મુનિમહારાજો પ્રત્યે કેવો ભાવ હશે એની ઝલક વિરચંદ ગાંધીએ જૈન મુનિ વિશે લખેલી કાવ્યપંક્તિઓમાં સરસ રીતે દષ્ટિગોચર થાય છે. તેઓ લખે છેઃ
આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે, જાણે સુધાની સરિતા વહતી જ દીઠી,
લાગે અતિ શરકરા સમ તેહ મીઠી” ધર્મના આ દઢ સંસ્કારોએ જ દેશને એક સાચો ધર્મપુરુષ આપ્યો.
જોતજોતામાં તેમણે પ્રાથમિક શાળાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો શ્રી રાઘવજીભાઈ ગાંધીએ પરિવર્તન પામી રહેલા સમયનો તાગ મેળવી લીધો હતો. અને આધુનિક શિક્ષણની આવશ્યકતા પણ પીછાણી લીધી હતી. મહુવામાં આગળ અભ્યાસ કરવાની સગવડ નહોતી. મહુવાના એ વખતનાં ઈન્સ્પેક્ટર અને આચાર્યએ આ તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસમાં પ્રગતિ સાધી શકે તે માટે શ્રી રાઘવજીભાઈને તેને ભાવનગર મોકલવાની સલાહ આપી. ભાવનગરમાં એ વખતે નિવાસ માટે છાત્રાલયની સગવડ નહોતી. એટલે આ કેળવણીપ્રેમી કુટુંબે પોતાનો ધંધો-રોજગાર છોડીને, સ્થિતિ સામાન્ય હોવા છતાં અસામાન્ય સાહસ કર્યું અને રાઘવજીભાઈ તથા માનબાઈ એમને અંગ્રેજી શિક્ષણ આપવા માટે ભાવનગર રહેવા આવ્યા. એમનો હાઈસ્કૂલનો અભ્યાસ ચાલુ હતો ત્યારે એ સમયના રીત-રિવાજોની મર્યાદાના કારણે ૧૫ વર્ષની વયે સને ૧૮૭૯માં જીવીબહેન સાથે તેમનાં લગ્ન કરી નાખવામાં આવેલ હતાં. પરંતુ તેમનો અભ્યાસ તો વણથંભ્યો ચાલુ રહ્યો, એટલું જ નહીં પણ સને ૧૮૮૦માં ફક્ત ૧૬ વર્ષની ઉંમરે તેમણે એ વખતની મેટ્રીક્યુલેશન પરીક્ષા - ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાંથી જ્વલંત પરિણામ સાથે પસાર કરી. આ પરીક્ષામાં સમગ્ર ભાવનગર રાજ્યમાં તેઓએ પ્રથમ નંબર મેળવ્યો અને સર જસવંતસિંહજી સ્કોલરશીપ મેળવી. અભ્યાસની સાથોસાથ તેઓ અન્ય પ્રવૃત્તિઓ સાથે ઉત્તમ પુસ્તકોના વાંચનમાં પણ ગાઢ રુચિ ધરાવતા હતા, જે તેમની સર્વતોમુખી પ્રતિભામાં ઉપયોગી થયા.
શ્રી વીરચંદભાઈનો અંગ્રેજી ભાષા ઉપર સારો કાબૂ હતો. તેમના અભ્યાસમાં રસ, એકાગ્રતા અને બુદ્ધિપ્રધાનતાના ગુણોને પારખીને શ્રી રાઘવજીભાઈએ તેમને ઉચ્ચ કેળવણી આપવાનું નક્કી કર્યું. એ સમયે ભાવનગરમાં પણ કૉલેજ અભ્યાસની સુવિધા ન હતી. એટલે તેઓ સહકુટુંબ મુંબઈ આવીને વસ્યા અને ઉચ્ચ અભ્યાસ અર્થે એ જમાનાની ખ્યાતનામ કોલેજ – એલફિન્સ્ટન કૉલેજમાં શ્રી વીરચંદભાઈને દાખલ કર્યા. ઉજ્વળ કારકિર્દી ધરાવતા વીરચંદભાઈએ સને ૧૮૮૪માં માત્ર ૨૦ વર્ષની વયે બી.એ.ની પરીક્ષા ઓનર્સ સાથે પસાર કરી અને સમસ્ત શ્વેતાંબર જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. શ્રી મહાત્મા ગાંધીએ પણ એ
૩૧૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #366
--------------------------------------------------------------------------
________________
જ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.
આટલી નાની ઉંમરમાં પણ શ્રી વીરચંદભાઈએ તેમની વિદ્વત્તા તથા સૌજન્યથી ઘણા લોકોનાં મન જીતી લીધાં હતાં.
જૈન સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સને ૧૮૮૨માં જૂન મહિનામાં (વિ. સં. ૧૯ઉંટના અષાઢ) જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. માત્ર ૨૧ વર્ષની યુવાન વયે સને ૧૮૮૫માં શ્રી વીરચંદભાઈની તેના મંત્રી તરીકે વરણી કરીને સુકાન સોંપવામાં આવ્યું. સંસ્થાના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) જૈન ભાઈઓમાં મૈત્રીભાવનો વધારો કરવો. (જૈન એકતાના પ્રયત્નો) (૨) જૈનોમાં કેળવણી, સદાચરણ અને સગુણ વધારવા. (૩) પ્રાણીઓ ઉપર ગુજારવામાં આવતું ઘાતકીપણું અટકાવવું. (૪) વિદ્યાવૃદ્ધિ, જીર્ણોદ્ધાર અને જ્ઞાનસંગ્રહ માટે ઉપાયો યોજવા. (૫) જેન ધર્મના ટ્રસ્ટ ફંડો અને ધર્મખાતાંઓ ઉપર દેખરેખ રાખવી. ટૂંકમાં જૈન ભાઈઓ સાંસારિક, ધાર્મિક અને રાજકીય સુધારામાં અગ્રેસર થાય તેવા ઉપાય યોજવા. ત્યારથી જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ શાસન પ્રભાવનાં, તીર્થરક્ષા તથા ધર્મ પ્રસાર-પ્રચારની વીરચંદભાઈની અજોડ યાત્રા પ્રારંભ થઈ. પોતાનાં કાર્યો, દૃષ્ટિકોણ, વિચારધારા અને નિષ્ઠાપૂર્વકના નિઃસ્વાર્થ કાર્યોથી એસોસિએશનને ભારતવર્ષના શ્વેતાંબરોની મહત્ત્વની સંસ્થા બનાવી જેના માધ્યમથી જેનોનું સંગઠન તથા શાસનરક્ષામાં ઉત્તમોત્તમ કાર્યો કરીને સંસ્થાને તેની બુલંદી પર પહોંચાડી. તથા જૈન એસોસિએશન ઓફ ઇંડિયાને બ્રિટિશ સરકારમાં એટલું મહત્ત્વનું સ્થાન અપાવ્યું કે સરકાર દ્વારા જે કોઈ નવા કાયદા ઘડવામાં આવે તે અંગે એસોસિએશનનો અભિપ્રાય મંગાવવામાં આવતો તથા તેને ખાસ વજન આપવામાં આવતું. એટલું જ નહીં પણ જ્યારે મુંબઈમાં સિટી સિવિલ કોર્ટની સ્થાપના કરવા વિચાર્યું ત્યારે પણ એસોસિએશનનો અભિપ્રાય મંગાવવામાં આવેલ અને લેવાયેલા નિર્ણયમાં એ અભિપ્રાયે અગત્યનો ભાગ ભજવેલ. એ સમયમાં તેમણે સામાજિક, ધાર્મિક અને રાજકીય સુધારા અંગેની વ્યાખ્યાન શ્રેણીમાં પ્રવચનો આપ્યાં. જીવનમાં સ્થાયી થવા માટે એમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૮૫માં સોલિસિટર થવા માટે મેસર્સ લિટલ એન્ડ ક. નામની ગવર્નમેન્ટ સોલિસિટરની કંપનીમાં જોડાયા.
તેમણે મંત્રીપદ સંભાળ્યું અને તુરંત ૧૮૮૫માં પાલિતાણા તીર્થ મુંડકાવેરાનો તથા સૂરજકુંડ નજીકની ભગવાન ઋષભદેવની પાદુકા અંગે બ્રાહ્મણો તરફથી ઊભા કરવામાં આવેલ વિવાદ અંગેના કેઈસની સંપૂર્ણ જવાબદારી તેમણે સંભાળી અને તેનો નિવેડો આપણી તરફેણમાં લાવ્યા.
એ તો એક સુવિદિત ઐતિહાસિક હકીકત છે કે પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય પર્વત શ્વેતાંબર જૈનોના કબજામાં સમ્રાટ અકબર અને શેઠ શ્રી શાંતિદાસના સમયથી હતો. આમ છતાં તે બાદશાહ, તેના પછી તખ્તનશીન થયેલ બાદશાહ જહાંગીર અને શાહજહાંના તામ્રપત્ર ઉપર આપેલા ફરમાનોનો સમયસર ઉપયોગ ન થવાના
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૭
Page #367
--------------------------------------------------------------------------
________________
કારણે તેના પરની હકૂમત પાલિતાણાના નામદાર દરબારશ્રીના હાથમાં ગઈ. સને ૧૮૮૫માં તે વખતના પાલિતાણાના ઠાકોર સૂરસિંહજીએ પર્વતનું રક્ષણ કરવાના બહાને પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો રક્ષણીય કર નાખ્યો. આ રીત ઘણી અગવડભરી તથા ત્રાસદાયક હતી. સાથોસાથ તા. ૭-૬-૧૮૮૫ના રોજ સૂરજકુંડ નજીક ભગવાન ઋષભદેવની પાદુકા હતી, તે કોઈ વિબસંતોષીએ ખોદી કાઢી તથા તે તા. ૧૯-૬-૧૮૮૫ના રોજ ગુમ થઈ. ત્યાંના બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને જૈનોએ ખોદીને ગુમ કરી છે તેવી ખોટી ફરિયાદ કરી, જેનો લાભ લઈ તીર્થના શ્રાવકોએ રાખેલા નોકરોને માર મારીને પકડવામાં આવ્યા. આ સબંધે ગવર્નરને તથા બીજે તાર કરવામાં આવ્યા. ત્યારબાદ જેનોનું એક પ્રતિનિધિ મંડળ તા. ૧૮-૭-૧૮૮૫ના લોર્ડરને પૂના મળ્યું. ત્યાર બાદ સોનગઢના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કપ્તાન ફોરવાઈસ કે જેઓની પાલિતાણાના ઠાકોર સાથે સાંઠગાંઠ હતી, તેમના દ્વારા પક્ષીય તપાસ થઈ – જે સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણાના દરબારોની તરફથી જૈન નોકરો ઉપરના જુલમનો નિર્ણય કરવા સોનગઢ મુકામે તપાસ થશે અને જેને નોકરો સામે પાલિતાણા કોર્ટમાં થયેલ કેઈસ પણ આસિસ્ટન્ટ પોલિટીકલની કોર્ટમાં લઈ જવો.
એ જમાનામાં મુસાફરીનાં સાધન તરીકે બળદગાડા તથા ઘોડાનો ઉપયોગ કરવો પડતો હતો. અન્ય કોઈ વાહન સુવિધાઓ નહોતી. આ બંને કેસો અંગે તથા મુંડકાવેરા અંગે સાક્ષીઓ, પુરાવા, જુબાનીઓ એકત્ર કરવા માટે શ્રી વીરચંદભાઈને અવારનવાર પાલિતાણા જવું પડતું હતું. અધૂરામાં પૂરું પાલિતાણાનાં ઠાકોરે શ્રી વિરચંદભાઈના માથા માટે એ જમાનાની અધધ રકમ – રૂપિયા પાંચ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. જાનનું જોખમ હોવા છતાં મહુવાના વીરપુત્ર ભડવીર શ્રી વીરચંદભાઈએ ઘોડા ઉપર પાલિતાણાની અવારનવાર મુસાફરી કરી જરૂરી સાક્ષી પુરાવા તથા જુબાનીઓ ડર્યા વગર એકત્ર કર્યા હતા. આથી ગભરાઈને પાલિતાણાના નામદાર દરબારશ્રી મહાબળેશ્વર ગવર્નરને અરજી કરવા ગયા. એટલે વીરચંદભાઈ પણ જૈન આગેવાનો સાથે ગવર્નરને જઈને મળ્યા. એ અરસામાં જ પાલિતાણાના ઠાકોર શ્રી સૂરસિંહજીનું અવસાન થતાં આ જુલમ કેઈસ બંધ થયો.
એ અરસામાં જ વીરચંદભાઈએ સોલિસીટરની પરીક્ષાની તૈયારી શરૂ કરી - જેમાં સફળતા મેળવી સોલિસીટર થયા.
પાલિતાણાના ઠાકોર તરીકે માનસિંહજી ગાદીનશીન થયા. પોતાની પ્રભાવશાળી કર્તવ્યશક્તિ, અથાગ પરિશ્રમ અને પુરાવા સાથેની વ્યવસ્થિત રજૂઆત કરીને, કાઠિયાવાડનાં પોલિટીકલ એજન્ટ (જેઓ પાછળથી .એજન્ટ ટુ
ધી ગવર્નર કહેવાયા) કર્નલ વોટસન તથા ગવર્નર લોર્ડ રે પાસે કેઈસ રજૂ કરીને . શ્રી વીરચંદભાઈ એપ્રિલ ૧૮૮૬માં મુંડકાવેરાનું સુખદ સમાધાન લાવ્યા અને પાલિતાણાના ઠાકોર સાહેબ અને જૈન સંઘ વચ્ચે બંનેને માન્ય તેવો ૪૦ વર્ષ ૩૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #368
--------------------------------------------------------------------------
________________
સુધીનો ક૨ા૨ કરાવ્યો. આ કાર્યના અનુસંધાને ડિસેમ્બર ૧૮૮૬માં શત્રુંજ્ય તીર્થ પર ગવર્નર લોર્ડ રે ને માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા.
મક્ષીજી તીર્થમાં વિવાદ-વિખવાદ તથા અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જૈન એસોસીએશન ઓફ ઇંડિયાના મંત્રી તરીકે દરેક પક્ષોને મળીને, વાટાઘાટ તથા સમજાવટથી તેમાં પણ સને ૧૮૮૬-૮૭માં સુખદ સમાધાન કરાવેલ.
આ સમય દરમિયાન તેમનો અભ્યાસ, વાંચન વિવિધ વિષયો ઉપર ચાલુ હતા. તેમણે અંગ્રેજી, સંસ્કૃત તેમ જ અન્ય ૧૪ ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. સંસ્કૃત ભાષા ઉપર એવો ઊંડો અભ્યાસ કર્યો કે તેઓ સંસ્કૃતના સ્કોલ૨ ગણાયા. સંસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વના હિસાબે તેઓ અન્ય ભારતીય દર્શનો, અન્ય ધર્મનાં શાસ્ત્રો, અન્ય ધર્મનાં તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી શક્યા. આ કારણે જ તેઓ અમેરિકન ક્રિશ્ચિયાનીટીના પ્રચારકો સમક્ષ નિર્ભયપણે, યોગ્ય રીતે સચોટતાથી રજુઆત તથા સાચી ટકોર કરી શક્યા.
તેમની બીજી ખૂબી એ હતી કે તેઓ વિવિધ દેશોના પ્રખ્યાત અને માન્ય વિદ્વાનો સ્કોલોના તેમજ પ્રાચીન-અર્વાચીન ભારતીય વિદ્વાનોનાં લખાણોનો પણ ઊંડાણપૂર્વક તેમજ એકાગ્રતા સાથે અભ્યાસ કરતા. આ જ્ઞાનનો ઉપયોગ જરૂર પૂરતો પોતાનાં લખાણો તથા ભાષણોમાં કરતા હતા અને એટલે જ તેમનાં વ્યાખ્યાનો તટસ્થ અને પ્રમાણિક લેખાયાં. ત ્-ઉપરાંત ૧૮૫૭ના દેશનાં સ્વતંત્રતાના બળવા અંગેના અભ્યાસના કા૨ણે દેશભક્તિ પણ તેમની રગેરગમાં વણાઈ ગઈ હતી. તેમણે યુરોપીય ધાર્મિક તથા દાર્શનિક વિચારધારાઓનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
-
પ્રાપ્ત કરનાર
તેઓ જૈન સમાજના પ્રથમ બેરિસ્ટર બાર-એટ-લો બનવાનું સદ્ભાગ્ય ધાર્મિક દાર્શનિક અને કાનૂની નિષ્ણાત બન્યા હતા. પરંતુ તેમણે પોતાના કાનૂની અભ્યાસ-જ્ઞાન-શક્તિનો ઉપયોગ ધન-ઉપાર્જન કે પોતાના માટે નહીં કરવાના નિર્ણય સાથે તેનો ઉપયોગ શાસન અને સમાજ માટે કરવાનું નક્કી કર્યું અને પોતાની જાતને જૈન શાસનને સંપૂર્ણ રીતે સમર્પિત કરી. વ્યવહારે શ્રાવક ગૃહસ્થ હોવા છતાં તેઓ એક શાસન સમર્પિત – સપૂત – જૈન ગૃહસ્થ, મહુવાના એક શ્રાવક-સંત હતા. જૈન ઇતિહાસમાં આવો સમર્પિત સુશ્રાવક, જેણે પોતાનું સર્વસ્વ જૈન શાસન માટે ન્યોછાવર કરી દીધું હોય, તેવો બીજો એક પણ નહીં મળે.
-
સને ૧૮૯૦માં તેમના પિતાશ્રી રાઘવજીભાઈનો સ્વર્ગવાસ થયો. તેમના પિતાશ્રી એક અડગ સમાજ સુધાકર હતા. તેમની છેલ્લી ઇચ્છા તથા આજ્ઞા હતી કે ‘મારી પાછળ રડશો નહીં, ભોંયે ઉતારશો નહીં, સ્મશાનમાં અળગણ પાણીએ નાશો નહીં (એ જમાનામાં સ્મશાનમાં સ્નાન કર્યાં બાદ એ જ ભીના વસ્ત્રોમાં ઘરે પાછા આવવાનો રિવાજ હતો) તથા મારી પાછળ મરણ નિમિત્તે કશો ખર્ચ કરશો નહીં.’ તેમના આદેશનું વીરચંદભાઈએ પૂર્ણ રીતે પાલન કર્યું હતું. શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૯
Page #369
--------------------------------------------------------------------------
________________
સમાજમાં ચાલતા કુરિવાજો અને કુરૂઢિઓના તેઓ સખત વિરોધી હતા. એ વખતની ઘર કરી ગયેલ કુરૂઢિ મરનાર પાછળ થતાં રુદન-કુદન તથા નાતવરાના વિરોધમાં - તેમણે રડવા, કૂટવાની હાનિકારક ચાલ અંગે જૈન મતના તથા શાસ્ત્રોના પ્રમાણો સહિત એક નિબંધ “રડવાની કૂટવાની હાનિકારક ચાલ વિશે નિબંધ છપાવીને પ્રસિદ્ધ કરવાનું સાહસ – ઉત્તમ કાર્ય તેમણે એ વખતનાં રૂઢિચુસ્ત સમાજમાં કર્યું હતું.
જૈન શાસનમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ, જૈનોનાં મહાપવિત્ર તીર્થ સમેતશિખરજી અંગેની કાનૂની લડાઈમાં તેમણે મેળવેલો અતિ મહત્ત્વનો વિજય કે જેણે શ્રી વીરચંદભાઈ ગાંધી જ નહીં પણ તેમની મહાન સંસ્થા ધી જેને એસોસિએશન ઓફ ઇન્ડિયાનું નામ પણ તીર્થરક્ષા અને જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી દીધું. વર્તમાન ચોવીસીનાં વીસ તીર્થકરો જે પવિત્ર ભૂમિ ઉપર સિદ્ધપદ પામ્યા, એ પવિત્ર તીર્થ કરતાં વધારે મહત્ત્વનું તીર્થ બીજું હોઈ જ ન શકે. એ વખતનાં બંગાળનાં હજારીબાગ જિલ્લાના પાલગંજ ગામનો રાજા પારસસિંગ હતો. એ રાજ્યની સરહદમાં મધુવન અને સમેતશિખરજી પહાડ આવેલા છે. મુગલ બાદશાહોના સમયથી આ તીર્થની માલિકી જૈનોની જ હતી, પરંતુ પૂરતી સજાગતા, દેખરેખ તથા હક્ક જાળવવાના પ્રયત્નોમાં ખામી રહેવાથી આપણો હક્ક ડૂબી ગયો.
એટલે ત્યાંનો રાજા પહાડ પર થતા ઘાસ, લાકડા, હરડા વગેરે વનસ્પતિની ઊપજ લેતો હતો અને તીર્થના રક્ષણ બદલ દર વરસે જૈન સંઘ તરફતી રૂ. ૧૫૦૦/- પણ રાજાને આપવામાં આવતા હતા.
સને ૧૮૮૬માં ત્યાંના રાજાએ પહાડ પરની થોડી જમીન બેડમ નામના અંગ્રેજને ચાના બગીચા કરવા પટેથી આપી હતી. ચારપાંચ વર્ષ બાદ, ડુંગર ઉપર મોટી સંખ્યામાં ડુક્કરોની વસ્તી જોઈને બેડમે, આપણા પવિત્ર યાત્રાસ્થળથી બેત્રણ માઈલ દૂર ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. આ કારખાનું સમેતશિખરજી ફરતી બાર ગાઉની યાત્રાના રસ્તામાં હતું. એમાં સંહાર થતાં ડુક્કરોની ચીસો ઉપર શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંક તેમ જ નીચે આવેલી ધર્મશાળામાં સંભળાતી હતી. “અહિંસા પરમો ધર્મ જેનો મુખ્ય સિદ્ધાંત તથા જીવદયા જેમનો મુખ્ય મંત્ર – ધર્મ હોય તેવા જૈનો આ પરિસ્થિતિ કેમ ચલાવી શકે? શ્રીસંઘનાં આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશનર સમક્ષ ફરિયાદ કરી, પરંતુ “કોઈ પણ પ્રકારના વ્યાપારની બાબતમાં અમે વચ્ચે પડી શકતા નથી” એવી નોંધ સાથે ફરિયાદ કાઢી નાંખવામાં આવી.
આથી પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને કારખાના, સામે મનાઈહુકમ મેળવવામાં આવ્યો. પરંતુ ન્યાયાલયમાં આ મુકદમાનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધ આવ્યો. પરિણામે હાઈકોર્ટનો આશરો લેવામાં આવ્યો. કલકત્તાના શ્રેષ્ઠિ શ્રી બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ આ અપીલનો સઘળો હવાલો ૩૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #370
--------------------------------------------------------------------------
________________
જેન એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાનૂની નિષ્ણાત મંત્રીશ્રી વીરચંદભાઈ ગાંધીને સોંપ્યો. કોઈ નિષ્ણાત બેરિસ્ટરો આ કેઈસ લેવા તૈયાર નહોતા કારણ કે પરગણાની કૉર્ટમાં પ્રાથમિક પુરાવા દાખલ કરવામાં આવ્યા ન હતા. તે ઉપરાંત પત્રો, શિલાલેખો તથા તામ્રપત્રો પુરાવા તરીકે રજૂ કરવા પડે તેમ હતા જે સ્થાનિક તથા પ્રાચીન ભાષામાં હતા. વીરચંદભાઈ છ માસ કલકત્તા તથા સ્થાનિક ગામોમાં રહ્યા, બંગાળી તથા સ્થાનિક ભાષાઓ શીખ્યા અને દરેક પુરાવાનો અંગ્રેજીમાં અનુવાદ કરીને, સ્પષ્ટ અને સચોટ રજૂઆત સાથે પુરાવા રજૂ કરીને ચુકાદો આપણી તરફેણમાં લાવીને જેનોના અતિ પવિત્ર તીર્થની રક્ષા કરી – આ કેઈસ પીગરી’ કેઈસ તરીકે પ્રખ્યાત થયો તેમ જ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયો. આ ચુકાદો સને ૧૮૯૧માં આવ્યો હતો. ન્યાયાધીશે તેના ચુકાદામાં નોંધ્યું જૈનોની ધાર્મિક દૃષ્ટિએ જોઈએ અને વિચારીએ તો સમેતશિખરની ટેકરીઓની રજેરજ અને કણેકણ કે કંકરેકંકર અત્યંત પવિત્ર ભૂમિ છે અને તેથી એ પૂજનીય છે' આ એકલવીરે જે સિદ્ધિઓ હાંસલ કરી તેને જૈન સમાજ જાળવી નથી શક્યો, જેનાં ગંભીર દુષ્પરિણામો આજે ભોગવવા પડે છે.
આ જ અરસામાં કાપી તીર્થમાં ઊભા થયેલા વિવાદનો પણ તેઓ સુખદ સમાધાન સાથે નિવેડો લાવ્યા હતા.
શ્રી વીરચંદભાઈ ગાંધીની સાચી પ્રતિભા, વિદ્વત્તા, મહાન વ્યક્તિત્વનું સાચું દર્શન – સંપૂર્ણ જૈન સમાજ તેમ જ સમગ્ર વિશ્વને નિહાળવા મળ્યું – સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વધર્મ પરિષદ અને ત્યાર બાદ તેમનાં મહાન કાર્યો મારફત.
વિશ્વધર્મ પરિષદ સને ૧૮૯૩ ચિકાગો – અમેરિકા
સને ૧૮૯૩માં પોતાની ભૌતિક પ્રગતિનાં મહિમાગાન માટે ‘વર્લ્ડ કોલંબિયન એસ્પોઝિશન નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનો પાછળનો હેતુ પશ્ચિમની સિદ્ધિઓ જગતની અન્ય પછાતી સંસ્કૃતિઓને દર્શાવવાનો હતો. આ વિરાટ આયોજનમાં વિશ્વની ભિન્નભિન્ન વિચારધારાઓને પ્રતિનિધિત્વ આપવા માટે “વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના ઇતિહાસમાં આવી પરિષદોનો ઉલ્લેખ મળે છે. ફ્રાંસની રાજકીય ક્રાંતિ વખતે ત્યાંની રાજધાની પેરિસમાં પણ એક ધર્મ-સંમેલનનું આયોજન થયું હતું. પરંતુ તેનો ઉદ્દેશ સંકુચિત હતો. વિશાળ ધાર્મિક તેમ જ દાર્શનિક તત્ત્વોનો, અન્વેષણોનો. તેમ જ સંશોધનોનો સદંતર અભાવ હતો. એક જ સ્થળે આટલા બધા ધર્મનાં અગ્રણીઓ એકત્રિત થઈને નિર્ભક રીતે સ્વધર્મનું દર્શન-ચિંતન પ્રગટ કરે તેવું આ પ્રથમ આયોજન હતું. ભૌતિકતામાં રાચતા અસહિષ્ણુતાભર્યા વિશ્વમાં આટલા બધા ધર્મો એકસાથે એક મંચ પર બેસીને વાત કરે અને અન્ય ધર્મીઓ તેમની રજૂઆત એકાગ્રતાથી સાંભળે તેવી શક્યતા અને સફળતા અંગે ઘણા લોકો સાશંક હતા. વળી કેટલાક ખ્રિસ્તી પાદરીઓ અને તુર્કી સુલતાને આ પરિષદનો
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાદી + ૩૨૧
Page #371
--------------------------------------------------------------------------
________________
વિરોધ કર્યો હતો. આ પરિષદમાં વિશ્વનાં મુખ્ય દસ ધર્મોને સ્થાન આપવામાં આવ્યું, જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, હિંદુ, તાઓ, કન્ફશિયસ, શિંતો, જરથુષ્ટ્ર, કેથોલિક અને પ્યોરિટનનો સમાવેશ હતો.
વિશ્વધર્મ પરિષદના આયોજકોએ વિશ્વનાં ધર્મો વચ્ચે સમજણ કેળવીને સંવાદ રચવાનો આશય જાહેર કર્યો હતો, પરંતુ એના હાર્દમાં જઈએ તો એનો એક આશય અન્ય ધર્મોના સંદર્ભે ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાનો હતો.
આ વિચારનાં જનક – ચાર્લ્સ કેરોલ બોની હતા. તેમના પ્રમુખસ્થાને એક જનરલ સભાની સ્થાપના માર્ચ-એપ્રિલ ૧૮૯૧માં કરવામાં આવી. તેના મહામંત્રી તરીકે ડો. જોન હેનરી બરોઝની તથા પરિષદના સહમંત્રી તરીકે વિલિયમ પાઈપની નિમણૂકવરણી કરવામાં આવી. વિશ્વના દરેક દેશોમાં આ અંગેની પ્રાથમિક રૂપરેખા-સૂચના મોકલવામાં આવી, જેને સર્વ દેશોમાંથી સંપૂર્ણ આવકાર મળ્યો. આ કાર્યવાહી અંગેનો સામાન્ય સમિતિનો પહેલો રિપોર્ટ ફેબ્રુઆરી ૧૮૯૩માં તથા બીજો અહેવાલ માર્ચ ૧૮૯૩માં પ્રકાશિત કરવામાં આવ્યા. આ પરિષદને પૂરતી સફળતા મળે તથા ઉદ્દેશ મુજબ પરિણામ લાવી શકાય તે માટે પરિષદનાં મંત્રીએ પત્રવ્યવહાર દ્વારા વિશ્વના સર્વ ધાર્મિક વડાઓ તથા નેતાઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. એ સમયે તાર-ટેલિફોન કે હવાઈ સેવાની શોધ થઈ ન હતી, ઉપલબ્ધ ન હતાં. દસ હજારથી વધુ પત્રો લખવામાં આવ્યા તથા ૪૦ હજાર વિજ્ઞપ્તિપત્રો મોકલવામાં આવ્યા. જેના હિસાબે પરિષદમાં વિશ્વના વિવિધ ધર્મના ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રતિનિધિઓ પધાર્યા હતા.
આ પરિષદમાં ભાગ લેવા માટે, એ વખતના મહાન વિદ્વાન જૈનાચાર્ય, જેમને આગમો, જૈન શાસ્ત્રો, ન્યાય, વ્યાકરણ તથા અન્ય ધર્મોના શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો, તે પ. પૂ. આત્મારામજી મહારાજ ઉર્ફે આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. ને ૧૬ નવેમ્બર ૧૮૯૨ના પત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા, અને તેમને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા વિનંતી કરવામાં આવી તથા તેમનાં સંક્ષિપ્ત પરિચય સાથે તેમના બે ફોટા મોકલવાની માંગણી કરવામાં આવી હતી. આ પત્ર તેમને ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. પ.પૂ. આચાર્ય ભગવંતના આદેશ મુજબ શ્રી વીરચંદભાઈએ આ પત્રના પ્રત્યુત્તરમાં તેમની ઉંમર, અન્ય કારણો તથા જૈન સાધુ આચાર મુજબ તેઓ સ્વયં ઉપસ્થિત નહીં રહી શકે તેમ જણાવવા સાથે તેમનો પરિચય તથા બે ફોટા મોકલી આપ્યા. આના જવાબમાં ચિકાગોથી તા. ૩-૪-૧૮૯૩ના બીજા પત્ર દ્વારા તેમને જૈન ધર્મ ઉપર એક મહત્ત્વપૂર્ણ નિબંધ લખીને મોકલવા વિનંતી કરવામાં આવી, જેના હિસાબે તથા શ્રી વીરચંદભાઈની વિનંતીના કારણે પ.પૂ. આચાર્ય ભગવંતે ચિકાગો પ્રશ્નોત્તરી' નામે એક મહત્ત્વપૂર્ણ પુસ્તિકા લખી – જે પરિષદના આયોજકોને મોકલી આપવામાં આવી. આના અનુસંધાને પરિષદના આયોજકો તરફથી તેમને જૈન ધર્મ ઉપર ભાષણ દેવા તેમના કોઈ પ્રતિનિધિને મોકલવાની વિનંતી સાથેનો તા. ૧૨ ૩૨૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #372
--------------------------------------------------------------------------
________________
જૂન, ૧૮૯૩નો પત્ર મોકલવામાં આવ્યો. આ પત્ર તેમણે જૈન એસોસિએશન ઓફ ઇંડિયાને મોકલી આપ્યો. સાથોસાથ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈને મોકલવાનો પ્રસ્તાવ પણ આપ્યો, જેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે તેઓ પ્રખર અભ્યાસી, વિદ્વાન અને સૌમ્ય પરંતુ સ્પષ્ટ વક્તા પણ હતા.
પરિષદમાં જૈન ધર્મની યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે વીરચંદભાઈએ પૂ. આત્મારામજી મ.સા. પાસે અમૃતસરમાં છ માસ રહીને અભ્યાસ કરીને સંપૂર્ણ તૈયારી કરી.
મુનિશ્રી આત્મારામજી મહારાજ તરફથી પાઠવવામાં આવેલ શુભ-ભાવના, પરિચય તથા ચિકાગો પ્રશ્નોત્તરથી પ્રભાવિત થયેલા પરિષદના આયોજકોએ સર્વધર્મ પરિષદના અહેવાલ (રિપોર્ટમાં તેમનો ફોટો તથા સુંદર માનવાચક પરિચય પ્રગટ કર્યા હતા.
જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને, જૈન ધર્મથી તદ્દન અજાણ એવા વિશ્વના અન્ય ધર્મોનાં નિષ્ણાતો સમક્ષ ટૂંકા સમયમાં રજૂ કરવાનું કાર્ય લગભગ અશક્ય કહી શકાય તેવું હતું. આ કાર્ય માટે વ્યક્તિની વિદ્વત્તા, વાકચાતુર્ય, તુલનાત્મક અધ્યયન શક્તિ, તર્કબદ્ધ સચોટ તથા સરળ ભાષામાં સૌમ્ય રજૂઆત, ભારતીય ત્રણ દર્શનો - હિંદુ, જૈન અને બૌદ્ધ દર્શનોનો ઊંડો અભ્યાસ તદ્દઉપરાંત, મુસ્લિમ અને ઈસાઈ ઉપરાંત વિશ્વનાં ધર્મોનો તલસ્પર્શી અભ્યાસ હોય તેવી વ્યક્તિની જરૂર હોય, જે સર્વ ગુણોનો સમન્વય વીરચંદભાઈ ગાંધીમાં હતો. જે પિછાણીને તેમની પસંદગી કરવામાં પૂ. આત્મારામજી મહારાજની વિદ્વત્તા, વ્યક્તિની ઓળખ અને દુર-અંદેશીપણાની સર્વોત્તમ શક્તિનાં આપણને દર્શન થાય છે. | શ્રી વીરચંદભાઈ શ્રાવકના આચારોનું સંપૂર્ણ પાલન જીવન પર્યંત કરનાર ચુસ્ત જૈન હતા. લાંબી દરિયાઈ મુસાફરી તથા લાંબા વિદેશ વસવાટ દરમિયાન આ આચારોનું પાલન કઠિન સમસ્યા હતી. આખી વિદેશયાત્રામાં શુદ્ધ જૈન ભોજન મળી શકે તે માટે તેમનાં મિત્ર, મહુવાનાં જાદુ-કળાના નિષ્ણાત શ્રી નથુ મંછાને સાથે લઈ ગયા હતા. મોટી મુશ્કેલી સ્ટીમર ઉપર લોઢાનો ચૂલો રાખી રસોઈ કરવાની ખાસ રજા લેવાની હતી. આ માટે સ્ટીમર કંપની પી એન્ડ ઓને તેમના એજન્ટ થોમસ કુક એન્ડ સન મારફત અરજી કરીને રજા મેળવી તથા એ માટે એ જમાનાની મોટી રકમ રૂ. ૧O/-ની ફી ભરેલ. મુંબઈથી એડન, એડનથી બ્રીડીસી તથા સાઉધમ્પટનથી ન્યુયોર્ક એમ ત્રણ સ્ટીમરમાં મુસાફરી કરી તેમ જ ત્રણે સ્ટીમરના કપ્તાન પાસેથી શ્રી વીરચંદભાઈએ ભોજનની અલગ વ્યવસ્થા કરી હતી અને સ્ટીમરનો ખોરાક વાપર્યો ન હતો તેવા સર્ટિફિકેટ પણ લીધા હતા. રસ્તામાં જ્યાં ટ્રેન મુસાફરી હતી તથા રોકાવું પડ્યું ત્યાં સૂકો મેવો અને ફળોથી ચલાવ્યું હતું. લંડનમાં છ દિવસ રોકાવું પડ્યું હતું. લંડનથી સાઉધમ્પટન ગયા, ત્યાંથી ન્યુયોર્ક માટેની સ્ટીમરમાં બેઠા. સ્ટીમરમાં
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૩
Page #373
--------------------------------------------------------------------------
________________
લંડનની થીયોસોફીકલ સોસાયટીના પ્રમુખ ડૉ. એની બીસેન્ટ, સેક્રેટરી મીસ મ્યુલ૨, અલાહાબાદની કૉલેજના પ્રોફેસર સી. જ્ઞાનેન્દ્રનાથ તથા બૌદ્ધ ધર્મના સેક્રેટરી મી. ધર્મપાલ વગેરેનો સંગાથ થયો. એ દરેક ચિકાગો ધર્મસભામાં પ્રતિનિધિ તરીકે જતા હતા. એ કોઈને જૈન ધર્મ અંગે કશી માહિતી ન હતી. શ્રી વીરચંદભાઈએ તેમને જૈન ધર્મનાં તત્ત્વો અંગે ટૂંકમાં સમજાવ્યું. જે જાણીને તેમને અજાયબી થઈ તથા આવી ઉત્તમ ફિલોસોફીના પુસ્તકો અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું.
ન્યુયોર્ક બંદરે ધર્મસભાના મંત્રી વિલીયમ પાઈપ તથા થોમસ કુકનાં પ્રતિનિધિ તેમને લેવા આવેલ. ૧૨૦૦ માઈલનો લાંબો પ્રવાસ કરીને ન્યુયોર્ક પહોંચ્યા હતા એટલે બે દિવસ ત્યાં રોકાઈને ચિકાગો જવાનો કાર્યક્રમ હતો. મિ. પાઈપે ઉતારાની વ્યવસ્થા કરી હતી, પરંતુ પોતે જૈન ધર્મની ઉન્નતિ માટે ગયા હોઈને ત્યાંનો ખર્ચ યજમાન કરે તે વીરચંદભાઈને મંજૂર ન હતું. એટલે તેઓ તથા નથુ માટે તેમણે બ્રોડવે સેન્ટ્રલ નામની સામાન્ય હોટેલમાં એક રૂમ રાખી. બજારમાંથી કેટલાક ફળો ખરીદીને તેનો આહાર કરીને તેઓ મિ. પાઈપને મળવા ગયા, જ્યાં ધર્મસભા અંગે ઘણી વાતચીત થઈ. એ વખતે પાંચ-સાત ન્યુઝ પેપરના રિપોર્ટરો હાજર હતા. જેમણે જૈન ધર્મ અંગે ઘણા પ્રશ્નો કર્યાં, જેના શ્રી વીરચંદભાઈએ સંતોષકારક ઉત્તરો આપ્યા. ન્યુયોર્કના પ્રખ્યાત વર્તમાન પત્ર ધી વર્લ્ડ' શ્રી વીરચંદભાઈ અંગે સુંદ૨ આર્ટીકલ છાપ્યો હતો.
શ્રી વીરચંદભાઈની અજોડ ગ્રહણશક્તિ, તીવ્ર બુદ્ધિ અને નિરીક્ષણશક્તિનો પરિચય આપણને, તેમણે બે દિવસના જ ન્યુયોર્ક નિવાસમાં એકત્ર કરેલ માહિતી ઉપરથી આવી શકે.' ન્યુયોર્કની એક બાજુ બ્રુકલીન નામનું પરું છે અને બીજી બાજુ ન્યુજર્સી નામનું પરું છે. વચ્ચે ન્યુયોર્ક શહેર છે. વસ્તી, ઉદ્યોગ, વેપાર, હુન્નર તથા સુધારાની બાબતમાં તે દેશમાં પ્રથમ દરજ્જો ધરાવે છે. વિસ્તાર ૪૨ ચોરસ માઈલ અને વસ્તી સુમારે સત્તર લાખ છે. આયર્લેન્ડના ડબલીન શહેરમાં જેટલા આઈરીશ રહે છે, તેના કરતાં ન્યુયોર્કમાં જર્મન વધારે રહે છે. જર્મનીના બર્લીન શહેર સિવાય બીજા કોઈ પણ શહેરમાં રહેતા જર્મન લોકો કરતાં વધારે જર્મન ન્યુયોર્કમાં રહે છે. ન્યુયોર્કનો મ્યુનિસિપલ કારોબાર બત્રીસ ચૂંટાયેલા સભ્યો ચલાવે છે. શહેરની વાર્ષિક આવક સુમારે એક કરોડ રૂપિયા છે. શહેરમાં ૨૬૦૦ કારખાનાં છે, જેમાં સાડાત્રણ લાખ લોકોને રોજી મળે છે. તેઓ દર વરસે બસો ત્રીસ કરોડ રૂપિયાનો સામાન બનાવે છે. શહેરમાં ૪૩ દૈનિક વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે, અઠવાડિયામાં બે વખત પ્રસિદ્ધ થતાં ૯ વર્તમાનપત્રો છે, જ્યારે અઠવાડિયામાં એક વખત પ્રસિદ્ધ થતાં ૨૨૧ વર્તમાનપત્રો છે અને દર પખવાડિયે પ્રસિદ્ધ થતાં ૪ પેપર છે. માસિક ચોપાનિયા ૩૯૪ છે, દર બે મહિને પ્રસિદ્ધ થતાં ૧૪ ચોપાનિયા છે અને ત્રિમાસિક ચોપાનિયાની સંખ્યા ૨૧ છે.' આજે માધ્યમો અને આધુનિક સાધનોની સંપૂર્ણ સગવડ હોવા છતાં આપણા શહેર કે સમાજની ૩૨૪ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #374
--------------------------------------------------------------------------
________________
આવી કેટલી વિગતોની આપણને જાણકારી છે? એક મોટો પ્રશ્નાર્થ છે.
આ મહાન ઐતિહાસિક પરિષદનો શુભારંભ ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થયો અને પૂર્ણાહુતિ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થઈ હતી. અગાઉ ઉલ્લેખ થયો છે, તે મહાનુભાવો ઉપરાંત સ્વામી વિવેકાનંદ, પ્રોફેસર પી. સી. મઝમુદાર જેવા વિદ્વાનોએ પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ આયોજકોનાં સ્વાગત પ્રવચનો બાદ જુદાજુદા પ્રતિનિધિઓએ પોતપોતાનો પરિચય ટૂંકમાં આપ્યો હતો ત્યારે સોનેરી કિનારી વાળી કાઠિયાવાડી પાઘડી, એક લુઝ લાંબો કુરતો, ખભા ઉપર સફેદ શાલ, કમ્મરે સફેદ વણાટવાળી જાડી દોરી – જેની ગાંઠ મારીને ફુમતાવાળા બે લટકતા છેડા અને પગમાં અણિયાળી કાઠિયાવાડી મોજડી પહેરેલ, એક સબળ વ્યક્તિત્વવાળો, પ્રભાવશાળી, પડછંદ, મોહક ૨૯ વર્ષનો યુવાન ઊભો થયો ત્યારે પરિષદના પ્રતિનિધિઓ આ વ્યક્તિત્વથી અંજાઈ ગયા. તેમણે પોતાના સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું કે હું જૈન ધર્મનો પ્રતિનિધિ છું, આ ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં અતિ પ્રાચીન છે. એનું આચારશાસ્ત્ર બૌદ્ધધર્મને મળતું છે, પરંતુ આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ તદ્દન ભિન્ન છે. આ સમયે ભારતમાં તેના ૧૫ લાખ અનુયાયીઓ છે, જે શાંતિપ્રિય અને નિયમાનુસાર વ્યવહાર કરવાવાળા નાગરિક ગણવામાં આવે છે. આપણા સુ-વક્તા સભ્યોનાં ભાષણો સાંભળ્યાં છે, હું પછીથી વિસ્તારપૂર્વક મારા વિચારો પ્રગટ કરીશ. હું આ વખતે મારા સમાજ તથા તેના મહાન ગુરુ મુનિશ્રી આત્મારામજી ત૨ફથી આપના પ્રેમસભર સ્વાગતનો આભાર માનું છું. ધર્મ અને દર્શનના વિદ્વાન નેતાઓનો એક જ મંચ ઉપ૨ એકત્રિત થઈ ધાર્મિક તત્ત્વો ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન શ્રી આત્મારામજીના જીવનનો એક આદર્શ સ્વપ્ન રહ્યા છે. શ્રી મુનિશ્રીએ મને આજ્ઞા કરી છે કે તેમના તરફથી તથા સમસ્ત જૈન સમાજ તરફથી આ ધર્મપરિષદ આયોજિત કરવાના ઉચ્ચ વિચારને કાર્યરૂપમાં આયોજિત કરવામાં સફળ થવા બદલ આપને અભિનંદન આપું છું તથા સફ્ળતા ઇચ્છું છું.’
પરિષદના પંદરમા દિવસે તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ તેમનું મુખ્ય તથા મહત્ત્વનું પ્રવચન હતું. જે તેમણે એટલી સુંદર રીતે, સરળ ભાષામાં રજૂ કર્યું કે કેટલાક વર્તમાન પત્રોએ શબ્દેશબ્દ છાપ્યો હતો. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને એમણે સમજાવ્યું. જૈન ધર્મના બે મુખ્ય વિભાગ છે, એક જૈન ફિલસૂફી અને બીજો જૈન જીવવાનો માર્ગ (Way of Life), જૈન નીતિ અને જૈન તત્ત્વજ્ઞાન સંબંધી પ્રવચન આપતાં શ્રુતધર્મને લગતી બાબતો જેમ કે નવતત્ત્વ, છ પ્રકારનાં જીવો, વિશ્વનાં આદિ-અંત, વગેરેની અન્ય ધર્મો સાથે તુલના, દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક નય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસભરી રીતે રજૂ કરી. તેમણે કરેલી સ્યાદ્વાદની રજૂઆતથી બધા આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે જૈન આચારના નિયમો તેમ જ જૈન જીવનપ્રણાલી અંગે સુંદર તેમ જ સરળ રીતે સમજાવ્યું. તેમણે જૈન અવકાશ-શાસ્ત્રને બુદ્ધિગમ્ય તેમ જ અન્ય ધર્મોના સંદર્ભમાં શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૫
Page #375
--------------------------------------------------------------------------
________________
સમજાવ્યું. જૈન ધર્મ બૌદ્ધધર્મ કરતાં પ્રાચીન છે તે તેમણે સાબિત કર્યું. તેમની સચોટ તત્ત્વશીલ રજૂઆતથી તેમણે ધર્મસભાને તથા અમેરિકનોને જૈન ધર્મ એક પ્રમાણિત (Authentic) તથા સ્વતંત્ર ધર્મ છે અને તેના ધાર્મિક નિયમો, પ્રથાઓ રેશનલ છે તેવું પ્રસ્થાપિત કર્યું. આખી ધર્મસભા, આયોજકો તથા પત્રકારો અને વર્તમાન પત્રો તેમના વક્તવ્ય તથા જૈન ધર્મની ઊંડાણપૂર્વકની છતાં મક્કમ અને સરળ રજૂઆતથી અત્યંત પ્રભાવિત થયા. પરિષદમાં હાજર રહેલા વિદ્વાનોમાં શ્રી વીરચંદભાઈનું કેવું સ્થાન હતું એ તો એ વખતના અમેરિકાના વર્તમાન પત્રોનો અભિપ્રાય જોતાં જ ખ્યાલ આવે છે. “પરિષદમાં જુદા તરી આવે એવા ઘણાય હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજરી આપી અને પ્રવચનો આપ્યા; તે પૈકી કેટલાક તો એવાં હતાં કે જેમની વિદ્વત્તા, વક્તૃત્વશક્તિ અને ધર્મભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય. પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય કે, પૌર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવકે પોતાના ધર્મની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ ભ્રાતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૌર્વાત્ય પંક્તિનું તેમણે સાંભળ્યું ન હતું.”
તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ હતા, પરંતુ જરૂર પડી ત્યારે તેઓએ હિંદુ ધર્મનો મક્કમતાથી બચાવ કર્યો હતો. પશ્ચિમના દેશોમાં ભારત વિશે ફેલાવવામાં આવેલ ભ્રામક માન્યતાઓ ‘ભારત તો રાજા મહારાજાઓ, વાઘો, સાપો, મદારીઓ અને જાદુગરોનો દેશ છે, પછાત અને અજ્ઞાન પ્રજાનો દેશ છે'ના તર્ક-શુદ્ધ, પ્રમાણસહ, દલીલો સાથે સંપૂર્ણ છેદ ઉડાવી દઈને ભારતનાં જ્ઞાન, ઉજ્વલ ઇતિહાસ સાથે અમેરિકા અને પશ્ચિમનાં નૂતન વિશ્વને ભારતીય દર્શનો, ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો દૃઢતા પૂર્વક પરિચય કરાવ્યો હતો. સાચા અર્થમાં તેઓ ભારતીય અને ભારત દેશના પ્રતિનિધિ હતા.
-
પરિષદના ૧૪મા દિવસે, ૨૪ સપ્ટેમ્બરના રોજ, લંડનના રેવ૨ન્ડ ડૉ. જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે હિંદુ ધર્મની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે દક્ષિણનાં કેટલાંક મંદિરોમાં દેવદાસીની જે પ્રથા છે – તેઓ નાચનારી અને વેશ્યાઓ હતી અને એટલે જ તેમને પૂજારી બનાવવામાં આવે છે અને પૂજારી બન્યા પછી પણ તેમની વેશ્યા તરીકેની પ્રવૃત્તિ ચાલુ રહે છે.' ભારતમાંથી હાજર રહેલા વિદ્વાનોમાંથી ફક્ત શ્રી વીરચંદભાઈનું લોહી ઊકળી ઊઠ્યું અને તેમણે ગૌરવપૂર્વક મક્કમતાથી ટીકાનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે હું પ્રસન્ન છું કે કોઈએ મારા ધર્મ ઉપર આક્રમણ નથી કર્યું અને એવું કરવું પણ ન જોઈએ. દરેક ટીકાઓ સમાજમાં રહેલા દૂષણો સાથે સંબંધ ધરાવે છે. હું જે વારંવાર કહેતો આવ્યો છું તે ફરીથી કહું છું કે સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી, પરંતુ જેમ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે એ પ્રમાણે ધર્મ હોવા છતાં મોજૂદ છે. કેટલાક મહાત્ત્વાકાંક્ષી માણસો એમ વિચારે છે કે તેઓ મહાત્મા પોલ છે, અને એ વાત પર વિશ્વાસ ૩૨૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-
Page #376
--------------------------------------------------------------------------
________________
પણ કરી લે છે. આ નવા પોલ ભારતમાં પોતાના આદર્શો રજૂ કરવા જાય છે, પરંતુ જ્યારે એમનું સ્વપ્ન સરી જાય છે અને આવા સ્વપ્ના હંમેશાં સરી જાય છે, ત્યારે તેઓ જીવનભર હિંદુ ધર્મની ટીકા કરવામાં રચ્યાપચ્યા રહે છે. કોઈ પણ ધર્મની નિંદા કરવી એ તે ધર્મની વિરુદ્ધનું કોઈ પ્રમાણ નથી. એવી જ રીતે કોઈ પણ ધર્મની પ્રશંસા પણ તે ધર્મની સત્યપરાયણતાનો પુરાવો નથી. આવી વ્યક્તિઓ પર મને દયા આવે છે. દક્ષિણ ભારતમાં એવાં મંદિરો છે, જેમાં વિશેષ અવસર પર ગાવાવાળી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. એ પૈકી કેટલીક સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે, જે હિંદુ સમાજને દૂષણરૂપ લાગે છે અને એ દૂષણને દૂર કરવા શક્ય તેટલા પ્રયત્ન પણ કરે છે, પરંતુ એથી તેઓ વેશ્યાઓ હતી એટલે પૂજારી બનાવવામાં આવી અને પૂજારી છે છતાં વેશ્યાઓનાં કામ કરે છે, એમ કહેવું એ સત્યથી વેગળું છે – જેમ અંધકારથી પ્રકાશ તદ્દન ભિન્ન છે. આવી સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પણ પ્રવેશ દેવામાં નથી આવતો અને તેઓ પૂજારી હોવા સંબંધમાં એ કહેવું પર્યાપ્ત ગણાશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એક પણ સ્ત્રી પૂજારી નથી.
- જો હાલની ન્યૂનતા હિંદુ ધર્મના કારણે ઉત્પન્ન થઈ છે એમ ગણવામાં આવે તો એ જ ધર્મમાં એવું સમર્થ રાષ્ટ્ર બનાવવાનું સામર્થ્ય છે, જે ગ્રીક ઇતિહાસકારોને
એમ કહેવા માટે પ્રેરણારૂપ બન્યું કે કોઈ પણ હિંદુને અસત્ય બોલતો જોયો નથી Sઅને કોઈ પણ હિંદુ સ્ત્રી શીલપતિત થયેલ સાંભળી નથી. આજે પણ ભારત { કરતાં વધુ પવિત્ર સ્ત્રી અગર વધુ નમ્ર હૃદય પુરુષ બીજે ક્યાં છે?
“જેઓ ભારતની ભવ્યતાને નિદે છે તેઓ માટે હું ખૂબ દિલગીર છું, પરંતુ મને એક જ આશ્વાસન કે એમને મળતી માહિતી બીજા-ત્રીજાઓ મારફત મળે છે, જે વહેમો અને માન્યતાઓથી ભરપૂર હોય છે. જિસસના ચારિત્રની ટીકા કરતાં હિંદુઓનો ઇન્કાર કરવામાં, જેઓ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સમજે છે, અને જેમાં હકીકતે ધમધતા અને ખંડનાત્મક દૃષ્ટિ જ હોય છે. તેમને હું ઈસપની જૂની કથા યાદ કરવા કહેવા લલચાઉ છું. હું તમને નમસ્કાર કરતો નથી, પરંતુ તમારી પાછળ રહેલી શુભભાવનાને વંદું છું.”
અત્રે એ નોંધવું રસપ્રદ થશે કે રેવન્ડ ડૉ. જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટ કરેલી અઘટિત ટીકાને અમેરિકાનાં વર્તમાન પત્રોએ એકીઅવાજે પાર્લામેન્ટના દરજ્જાને હાનિકારક ગણાવી હતી અને શ્રી વીરચંદભાઈના ઔદાર્ય અને ગૌરવપૂર્ણ પ્રત્યુત્તરની માત્ર નોંધ નહીં, પરંતુ સારાયે પ્રવચનના અક્ષરસ ઉતારા સાથે રજૂઆત કરી હતી.
આમ વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીનાં પ્રવચનોએ જૈન દર્શન અને ભારતીય વિદ્યા, ભારતીય દર્શનો, ભારતીય સંસ્કૃતિ અંગે એક નવી લહેર જગાવી. અમેરિકાનાં અખબારોએ એમની જ્ઞાનમય પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યા, હકીક્તમાં તેઓ પરિષદમાં છવાઈ ગયા. વિશ્વધર્મ પરિષદના યોજકોએ શ્રી વીરચંદ ગાંધીને એમની યશસ્વી કામગીરીના કારણે તેમને રીપ્ય ચંદ્રક (Silver
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૭
Page #377
--------------------------------------------------------------------------
________________
Medal) આપીને ખાસ સન્માન કર્યું. આવું બહુમાન મેળવનાર તેઓ એક માત્ર પૌર્વાત્ય – ભારતીય વિદ્વાન હતા, જે ખરેખર જ ભારતીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે.
અમેરિકાના મહત્ત્વના સામયિક એડિટર્સ બ્યુરોએ તેના તંત્રીલખમાં તેમનો પરિચય આપીને એમની પ્રતિભા અને પ્રભાવનો આપણને સ્પર્શ કરાવે તેવી છબી આલેખી છે. એમને અમેરિકા રહેવા અને ભાષણો આપવા માટે જુદાજુદા શહેરોમાં, ક્લબો, વિદ્વાનોનાં મંડળો, સાહિત્ય અને ચર્ચો, સોસાયટીઓ, થિયોસૉફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદો તરફથી આમંત્રણો મળ્યાં. એટલે શ્રી વીરચંદભાઈથી અત્યંત પ્રભાવીત થયેલા પરિષદના મંત્રી ડૉ. જોન હેનરી બોઝે તેમના રહેવા માટે પોતાનું નિવાસસ્થાન ખાલી કરી આપ્યું હતું. બે વર્ષ રોકાઈને તેમણે અમેરિકામાં જૈન ધર્મનો પ્રકાશ ફેલાવ્યો તથા અમેરિકનોને ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં તેમણે લગભગ ૬૫૦ ભાષણો આપ્યાં. કોઈ કોઈ ભાષણમાં તો લોકો સ્પેશીયલ ટ્રેન દ્વારા પહોંચતા અને સંખ્યા દસ હજાર કરતાં વધારે થતી. વિવિધ વિષયો ઉપર તેઓ પ્રવચન આપતા.
તેમનાં પ્રવચનોમાં સમાવિષ્ટ વિષયો જોતાં તેમના અગાધ જ્ઞાન પરત્વે કોઈનું પણ મસ્તક ઝૂકી જાય. જૈન દર્શન, સાંખ્ય, ન્યાય, યોગમીમાંસા અને ભારતીય દર્શનો વિશે પ્રવચનો આપ્યા. તદ્ઉપરાંત યોગપ્રણાલી, હિપ્નોટીઝમ, ગુઢવિદ્યા (ocult power), શ્વાસનું વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, માંસાહારનાં ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો ઉપર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રવચનો આપ્યાં. આ સિવાય, હિંદુઓનું પ્રાગૈતિહાસિક જીવન, ભારતમાં લગ્નનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાના સામાજિક રીતિરવાજો, ભારતની રાજનીતિક અવસ્થા, રાજકીય ભારત હિંદુ, મુસ્લિમ અને અંગ્રેજ, હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ધી લો ઓફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઓફ લાઈફ, અમેરિકામાં સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછાં ન રાખવાં, સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ, અમેરિકન રાજનીતિ ઉપર સામાજિક કાયદાનો પ્રભાવ, ભારતનો અમેરિકાને સંદેશ, ભારતની અમેરિકાને ભેટ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ જેવા વિવિધ – સામાજિક રાજકીય તેમ જ મૌલિક વિષયો ઉપર વિદ્વતાપૂર્ણ સરળ ભાષામાં પ્રવચનો આપ્યા.
તેમણે ૧૮૯૪માં અમેરિકાના ડાસાડોગામાં આપેલ ભાષણ ‘Some Mistakes Corrected' તો ગજબની પ્રતિભા અને ચાહના ઊભા કર્યાં, જેના હિસાબે ૮ ઑગસ્ટ ૧૮૯૪ના રોજ ડાસાડોગાનાં સિટીઝનોએ સુવર્ણચંદ્રક (Gold Medal) આપીને તેમનું સન્માન કરેલ. ‘બફેલો કેરિયર તથા અન્ય વર્તમાન પત્રોએ આ ભાષણ છાપીને તથા તેમની ભવ્ય સફળતાની ગૌરવપૂર્ણ નોંધ લીધી હતી.
આ પ્રવાસ દરમિયાન તેમની સંશોધન શક્તિનો પણ પરિચય આપણને મળે છે. નિકોલસ નોટોવિચ નામના એક સંશોધકે તિબેટના બૌદ્ધ મઠમાંથી મેળવેલી ૩૨૮ ૮ ૧૯૮ અને ૨તમાં સદાના તન સાહત્યના અક્ષર-અરધક
Page #378
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતના આધારે અનનોન લાઈફ ઓફ જિસસ ક્રાઈસ્ટ' નામનું પુસ્તક લખ્યું. ૧૮૯૪માં શિકાગોના ૬૫૫૮, સ્ટેવટે બુલવર્ડમાંથી વીરચંદ ગાંધી આ ફ્રેન્ચ પુસ્તકનો પેરિસ યુનિવર્સિટીના પ્રો. જી. એલ. ક્રિસ્ટીએ કરેલા નવસંસ્કરણનો અંગ્રેજી અનુવાદ કરે છે. સીધેસીધું ભાષાંતર કરવાને બદલે ઈસુ ખ્રિસ્ત ભારતભ્રમણ પર આવ્યા એ અંગે પ્રાચીન સમયના વિદેશો અને ભારત વચ્ચેના વાણિજ્ય માર્ગનો સંશોધનાત્મક આલેખ આપે છે. આ પુસ્તકમાં વર્ણવાયેલાં કાશ્મીર, હિમીસ મઠ, પ્રવાસી નોટોવીચ, લદાખનો બૌદ્ધ મઠ, લેહની બજાર વગેરે સ્થળો વિશે જે સુંદર ચિત્રો દોર્યા છે, જે વીરચંદ ગાંધીની ચિત્રકળાની નિપુણતા દર્શાવે છે.
શ્રી વીરચંદભાઈએ એ સમય દરમિયાન અમેરિકામાં ભારતીય અને જૈન ધર્મ સંસ્કૃતિના પ્રચાર અર્થે School of Oriental Philosophy' અને ‘Esoteric Studies' નામની સંસ્થાઓ સ્થાપેલ, જેના વર્ગો પરિષદના સહમંત્રી મિ. વિલીયમ પાઈપની જાત દેખરેખ નીચે ચાલતા. તેમણે વોશીંગ્ટનમાં ગાંધી ફિલોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. એમાં બસોથી અઢીસો સભ્યો હતા. વીરચંદ ગાંધીના ઉપદેશથી હજારો લોકો શાકાહારી બન્યા. કેટલાકે ચોથા વ્રત (બ્રહ્મચર્યને અંગિકાર કર્યું અને કેટલાકે સમાધિ.ધ્યાન કરવાનું શરૂ કર્યું, તો કેટલાક શ્રી નમસ્કાર મહામંત્રનો જપ કરવા લાગ્યા.
તે વખતની અમેરિકન શિક્ષણપ્રથાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. કેળવણી દ્વારા નારી જાગૃતિ માટે ભારતની સ્ત્રીઓના અભ્યાસ માટે આજથી ૧૨૦ વર્ષ પહેલા તેમણે શિકાગો અમેરિકામાં – International Society for the Educotion of Women in India' 41417 zizeut zeu4l કરી હતી. એ જમાનામાં ત્રણ વિદ્યાર્થિનીઓ માટે આ સંસ્થાએ અમેરિકામાં શિક્ષણપ્રાપ્તિની વ્યવસ્થા કરેલ.
૧૮૯૫ના એપ્રિલમાં તેઓ અમેરિકાથી લંડન આવ્યા. અહીં સાઉથ પ્લેસ ચેપલ અને રોયલ એશિયાટિક સોસાયટી સમક્ષ ભારતમાં મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા લોર્ડ રે ના પ્રમુખપદે વીરચંદ ગાંધીનાં ભાષણો યોજાયાં. લંડનમાં અન્યત્ર પણ તેમણે પ્રવચનો આપ્યાં. તેમની રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય તરીકે નિમણૂક થઈ. ત્યાંથી તેઓ ફ્રાન્સ તથા જર્મની ગયા, જ્યાં પણ તેમણે કેટલાંક પ્રવચનો આપ્યાં. ત્યાંથી મુંબઈ પાછા આવ્યા.
મુંબઈમાં તેમણે હેમચંદ્રાચાર્ય અભ્યાસ વર્ગની સ્થાપના કરી, જેના ઉપક્રમે જેને દર્શનવિષયક વ્યાખ્યાનો આપ્યાં. આ સંસ્થાના ઉપક્રમે ર્મનો સિદ્ધાંત તેમ જ ‘સિદ્ધાંતસાર' જેવા ગ્રંથો પર ગોષ્ઠી રાખી અને વ્યાખ્યાનો આપ્યાં. આ અભ્યાસ વર્ગમાં એમણે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા, રીતરિવાજો અને એમના જીવનવ્યવહારની વાતો કરી. થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજ અને મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં એમને જૈન દર્શન વિશે વક્તવ્યો આપવા નિમંત્રણો મળ્યા. તેમણે ભારતમાં મહાત્મા ગાંધી સાથે ખોરાકના પ્રયોગો કર્યા હતા અને
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૯
Page #379
--------------------------------------------------------------------------
________________
કેટલાક સમય માટે બંને ગાંધી સાથે રહેલા.
૧૮૯૫ના સપ્ટેમ્બરમાં અજમેરમાં એક ધર્મ મહોત્સવ’ સભાનું આયોજન થયેલ. તેમાં પણ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈ ગાંધીની જ પસંદગી કરવામાં આવેલ હતી.
૧૮૯૫માં પૂનામાં ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું આયોજન થયેલ. તેમાં સંયુક્ત બોમ્બે પ્રોવીન્સનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપેલ, જેમાં તેમણે પોસ્ટ પાર્સલ સીસ્ટમમાં સુધારા અને વિકાસ ઉપર રજૂઆત કરેલ. તેઓ દેશમાં જૈનેતરોમાં માન્ય વિદ્વાન હતા.
વિધિની વક્રતા અને જૈન સમાજ અને શાસનની મોટી કમનસીબી કે વિદેશમાં સર્વત્ર જૈન ધર્મનો ડંકો વગાડનાર, પરદેશીઓને જૈન આચારનું પાલન કરતાં બનાવનાર, પોતે ચુસ્ત જૈન આચરણ કરનાર, ભારતીય સામર્થ્ય દર્શાવનારને સ્વદેશમાં બહિષ્કારનો સામનો કરવો પડ્યો. તેમને નાત બહાર મૂકવામાં આવ્યા. આવા વિબસંતોષીઓ અને કુપમંડૂકોએ જૈન શાસનની કદી પણ ન સુધારી શકાય તેવી કુસેવા કરી છે. વખતોવખત આવા ઇતિહાસનું પુનરાવર્તન થતું જ રહે છે. સમજણ વગર, અધૂરી માહિતીના હિસાબે, બની બેઠેલા સંઘ, સમાજ અને જ્ઞાતિના આગેવાનો તેજોદ્વેષ કે પોતાનાં અંગત હિતો માટે અજાણ-અજ્ઞાન જનસમૂહને હંમેશાં ગેરમાર્ગે દોરતા હોય છે. એ વખતે આવી પ્રવૃત્તિના વિરોધમાં અમેરિકન અખબારો, સ્વામી વિવેકાનંદ તથા પૂ. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ પોતાનો આક્રોષ જાહેર કરેલ હતો. જે પ્રજા, સમાજ પોતાના ત્યાગ, બલિદાન અને શૌર્યનો ઇતિહાસ ભુલાવી દે છે, જે પ્રભુ, ધર્મ, સંસ્કૃતિથી પરાડમુખી થઈ જાય છે, તે પ્રજા, સમાજનો શતમુખી વિનિપાત થયા સિવાય રહેતો નથી. સંતો, સાધુ ભગવંતો, શુરવીરો, સમાજસુધારકો, સુશાસનકર્તા મહાપુરુષોનાં જીવનચરિત્ર વિશે જાણવું અને તેમનાં કર્તવ્ય, નેતૃત્વ પર ચિંતન-મનન કરી તેમના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરનાર પ્રજા કે સમાજ ક્યારેય દુઃખી નથી થતાં. જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે, એનો ભવિષ્યકાળ નથી હોતો તથા તેણે વિસ્મરણની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે.
અમેરિકાની કેટલીક આગેવાન સંસ્થાઓના નિમંત્રણથી શ્રી વિરચંદભાઈ ૨૧ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ તેમના ધર્મપત્ની સાથે પાછા અમેરિકા ગયા હતા. તેમના જવાના આગલા દિવસે શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી તરફથી એક સમારંભ યોજીને સન્માનપત્ર આપીને તેમનું બહુમાન થયેલ.
અમેરિકાના તેમના રોકાણ દરમિયાન ભારતમાં ભિષણ દુષ્કાળ પડ્યાના તેમને સમાચાર મળતા, તેમણે શિકાગો વિશ્વધર્મ પરિષદ અને અન્ય પરિષદના સ્વપ્નદ્રષ્ટ અને સફળ આયોજક પ્રેસિડેન્ટ ચાર્લ્સ સી. બોનીના પ્રમુખપદે દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી અને તેમના સહકારથી તાત્કાલિક રાહત માટે એક ૩૩૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #380
--------------------------------------------------------------------------
________________
સ્ટીમ૨ ભરીને મકાઈ તથા રૂપિયા ચાલીસ હજાર જેવી તે સમયની માતબર રકમ દેશના જુદાજુદા ભાગોમાં રાહત તરીકે મોકલાવીને દેશભક્તિનું અનન્ય ઉમદા કાર્ય કર્યું હતું, જેનો જોટો આજ સુધી મળે તેમ નથી.
અમેરિકાની ખૂબ જ વ્યસ્ત બીજી સફ્ળ મુલાકાત બાદ પાછા ફર્યાં. તુરત જ ૧૮૯૭માં પાલિતાણા / શત્રુંજ્ય અંગેના કેઈસ માટે તેમને લંડન જવું પડ્યું. પ્રીવી કાઉન્સિલમાં સફળ રજૂઆત કરીને ચુકાદો આપણી તરફેણમાં લાવ્યા. સાથોસાથ બેરિસ્ટરની ઉપાધી પણ મેળવી. એમણે લંડનમાં ‘Jaina Literature Society'ની સ્થાપના કરી તથા એ સંસ્થા મારફત અંગ્રેજ વિદ્વાનોનાં હાથે સંશોધિત અને વિવેચનાત્મક જૈન ગ્રંથો, અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવીને પ્રગટ કરાવવાનું મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું હતું. ‘જૈન જીવન' અમલમાં મૂકી શકાય તે માટે તેમણે Mahavira Brotherhood' અને ‘Universal Faternity' સંસ્થા સ્થાપી. સને એશિયાનાં પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં ૧૮૯૯માં મળેલ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. એમના પરિષદના કાર્ય અંગે લખતાં એક અગ્રગણ્ય વર્તમાનપત્રે લખ્યું છે. પાંત્રીસ કરોડની વસ્તી ધરાવતા એશિયાનું પ્રતિનિધિત્વ ભારતના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું. જેમણે આપણી પોસ્ટ પાર્સલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અંગે સંપૂર્ણ વાણિજ્ય શિક્ષણ અંગે વિસ્તૃત રજૂઆત કરી.' એમાં પણ પ્રભાવશાળી રજૂઆતથી ભારતની મહત્તા સાબિત કરી.
-
તેઓ જ્યારે ત્રીજી વખત અમેરિકા ગયા ત્યારે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખપણા નીચે જુદીજુદી કોમે એકત્રીત થઈને એક મહાન મેળાવડો કરીને, અંગ્રેજીમાં માનપત્ર અર્પણ કરીને તેમનું યથાયોગ્ય સન્માન કરેલ.
મુશ્કેલી ભરેલી મુસાફરીઓ, અમર્યાદ વ્યસ્તતા, કાર્યભારનાં કા૨ણે વિદેશમાં એમની તબિયત બગડી અને જુલાઈ ૧૯૦૧માં તેમને ભારત પાછા ફરવું પડ્યું. તા. ૭ ઑગસ્ટ ૧૯૦૧ના દિવસે, ફક્ત ૩૭ વર્ષની ઉંમરે, જૈન શાસનનો એક જ્વલંત સિતારો અસ્ત થઈ ગયો. જૈન શાસન તથા ભારત દેશે એક વિદ્વાન, ચિંતક, નીડ૨, નિષ્ઠાવાન કવિ, સાહિત્યકાર, કાયદાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, સુધારક, દેશભક્ત, સુશ્રાવક, ગુરુભક્ત, ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન ક૨ના૨, મહાન કર્મવીર-ધર્મવીર, બહુમુખી પ્રતિભા ધરાવનાર નર-કેસરી ગુમાવી દીધો. જેની ખોટ આજ સુધી પૂરી શકાય તેમ નથી.
૧૯૦૧માં તેમનો સ્વર્ગવાસ થયો ત્યાર બાદ ૬૩ વર્ષો સુધી તેઓ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ જૈન સમાજનાં સદ્નસીબે, ૧૯૬૪માં મહુવાના વતની, મુંબઈમાં વસતા ત્રણ યુવાન મિત્રો – સાહિત્યકાર – સંશોધનકાર પન્નાલાલ આર. શાહ, પત્રકા૨ વિજ્ય સંઘવી (વાડીલાલ સંઘવી) અને કાર્યકર હિંમતલાલ શાં. ગાંધીએ શ્રી વીરચંદ ગાંધીનાં જન્મ-શતાબ્દી જ્યંતી વર્ષમાં શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૧૩૩૧
Page #381
--------------------------------------------------------------------------
________________
તેમને, તેમનાં કાર્યો તથા સિદ્ધિઓને યાદ કરીને, તે વખતના પ્રખર વક્તા અને જૈન સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા પૂ. ચિત્રભાનુજી મહારાજ સાહેબ, જેઓ શ્રી શાંતિનાથજી જૈન દહેરાસરજીનાં કોટનાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા, તેમને શ્રી વીરચંદભાઈ અંગે સર્વ માહિતી આપીને તેમની જન્મશતાબ્દી ઊવવા વિનંતી કરી. પૂ. ચિત્રભાનુજીએ જૈન અગ્રણી શેઠ શ્રી લાલચંદ હીરાચંદના પ્રમુખસ્થાને, શ્રી મગનભાઈ દોશીના વક્તવ્ય સાથે ૨૫મી ઑગસ્ટ ૧૯૬૪ના દિવસે તેમની જન્મશતાબ્દી-જ્યંતીની શાનદાર ઉજવણી કરી.
શ્રી વીરચંદ ગાંધીના ગ્રંથસર્જન જોઈએ તો એમના જીવનકાળ દરમિયાન બે જ પુસ્તકો મળે છે. ઈ. સ. ૧૮૮૯માં મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં લખેલ ‘સવીર્ય ધ્યાન’. બીજું અગાઉ જણાવેલ ૧૮૯૪માં શિકાગોથી પ્રસિદ્ધ થયેલ ‘અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઈસ્ટ'નો અનુવાદ. તે જ રીતે અગાઉ જણાવ્યા મુજબ ૧૮૮૬માં તેમણે પ્રગટ કરેલ નિબંધ “રડવા ફૂટવાની હાનિકારક ચાલ વિશે નિબંધ.'
એમની વૈચારિક પ્રતિભાને ઓળખ આપવાનું શ્રેય ‘ધ જૈન’ અને “પેટ્રિયટ'ના તંત્રીશ્રી ભગુભાઈ કારભારીને જાય છે. સને ૧૯૧૧માં મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા ‘જૈન ફ્લિોસૉફી' નામનું પુસ્તક પ્રગટ થયું. આમાં વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લાંડમાં આપેલા વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવાં દર્શનોની તત્ત્વવિચારણાનાં પ્રવચનોનો સમાવેશ છે.
ત્યાર બાદ, વિદ્વાન શિક્ષણપ્રેમી ચિંતક-સાહિત્યકાર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી મહાન શિક્ષણ સંસ્થાના મહામાત્ર મુ. શ્રી કોરા સાહેબ, સંસ્થાના મંત્રીશ્રી ચંદુલાલ વર્ધમાન શાહને લઈને ભાઈ પન્નાલાલ મહુવા ગયેલ તથા વીરચંદભાઈના પરિવારજનો પાસેથી તેમને લગતું દરેક સાહિત્ય, પત્રવ્યવહાર, મળેલા સન્માન પત્રો, સુવર્ણ તથા રજત ચંદ્રકો વ. મુંબઈ લાવેલા. અત્યારે પણ વિદ્યાલય પાસે જ આ અમૂલ્ય વારસો છે.
વિદ્યાલય અને અન્ય સંસ્થાઓએ ‘Systems of Indian Philosophy', Selected Speeches of Virchand Gandhi’, ‘સવીર્ય ધ્યાન’ વ. પ્રગટ કર્યા. તે પહેલા તેમના પુસ્તકો – ‘કર્મ ફીલોસોફી’ તથા ‘યોગ ફીલોસોફી’ પણ પ્રગટ થયાં હતાં.
૧૯૯૩માં જ્યારે વિશ્વધર્મ પરિષદની શતાબ્દી વખતે ફરી પરિષદ મળી તે વખતે શ્રી વીરચંદભાઈના વતનમાં શ્રી મહુવા જૈન બાલાશ્રમ પાસેનાં ચોકને તેમનું નામ આપવાનું તથા તેમાં તેમની અર્ધ-પ્રતિમા મૂકવાનું કાર્ય મહુવા નગરપાલિકાએ કર્યું. એ જ રીતે અમેરિકાની અગ્રણી જૈન સંસ્થા ‘JAINA’ એ શિકાગોનાં બાર્ટલેટ ખાતેનાં દેરાસરના પ્રાંગણમાં શ્રી વીરચંદ ગાંધીની પ્રતિમા મૂકી.
Jaina એ પ્રવીણભાઈ સી. શાહ, પ્રવીણભાઈ કે. શાહ વ.નાં સહયોગથી, જૈનીઝમ ઉપર સંશોધન કરનારને આપવા ‘VRG Scholarship' શરૂ કરી. સૌ ૩૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ભારતમાં ભાઈ પન્નાલાલ આર. શાહ, શ્રી વીરચંદભાઈ ઉપર જ્યોતિર્ધરની જીવનગાથા' નામનું પુસ્તક ગુજરાતીમાં લખીને પ્રકાશિત કરાવ્યું. તેનું English Translation Jaina એ પ્રકાશિત કરાવ્યું.
Jaina તથા World Jain Confederation અને ડૉ. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી મહેશભાઈ ગાંધી તથા અન્યોના સહયોગ તથા પ્રયત્નોથી ૮ નવેમ્બર ૨૦૦૯ના રોજ ભારત સરકાર તરફથી શ્રી વીરચંદ ગાંધીની ટપાલ ટિકિટ તથા ફર્સ્ટ ડે કવર બહાર પાડીને તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ પહેલા કેનેડાની સરકારે પણ તેમની ટપાલ ટિકિટ બહાર પાડેલ.
મે ૨૦૦૭માં ધી જૈન એસોસિએશન ઓફ ઇંડિયા તરફથી તેના મંત્રી શ્રી હિંમતલાલ શાં. ગાંધી લિખિત શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ઉપર વિશેષાંક પ્રકાશિત કરવામાં આવેલ.
ડૉ. બિપિનભાઈ દોશી તથા પ્રીતિબહેન શાહે ઊંડા સંશોધન બાદ, ઇંગ્લિશમાં દળદાર સચિત્ર ગ્રંથ – “Gandhi before Gandhi' પ્રકાશિત કર્યો, જેના ઉપરથી શ્રી વીરચંદભાઈ ઉપર “રંગત પ્રોડક્શન' એક સુંદર દર્શનિય નાટક તૈયાર કર્યું જેના દેશવિદેશમાં ઘણા બધા શો થયા છે.
- વિદ્વાન સાહિત્યકાર, જૈન ધર્મના રોમીંગ એમ્બેસેડર પદ્મશ્રી ડો કુમારપાળભાઈ દેસાઈએ પણ શ્રી વીરચંદભાઈ ઉપર ખૂબ જ સંશોધન કરેલ છે. હાલમાં જ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર “ભારતીય સંસ્કૃતિનો આત્મા અને વીરચંદભાઈએ લખેલ ત્રણ બુકો "The Jaina Philosophy, The Yoga Philosophy 247 The unknown Life of Jesus Christ World Jain Confederation દ્વારા પ્રકાશિત કરી.
જુલાઈ ૨૦૧૦માં મહુવા યુવક સમાજ, મુંબઈ અને શ્રી ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મહુવાના સંયુક્ત ઉપક્રમે, જાણીતા કથાકાર રામાયણી શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને શ્રી વીરચંદ ગાંધી ઉપર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનો મહુવામાં પરિસંવાદ યોજવામાં આવેલ હતો.
- ૨૫ ઓગસ્ટ ૨૦૧૩, શ્રી વીરચંદભાઈની ૧૪૯મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે બોરીવલી, મુંબઈમાં શ્રી મહુવા યુવક સમાજ, મુંબઈએ ડૉ. બિપિન દોશીનું પ્રવચન યોજેલ હતું.
જ્યારે જૈન મુનિ ડૉ. લોકેશ મુનિશ્રીએ, અહિંસા વિશ્વનાં આશ્રયે, નવી દિલ્હીમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહજીના નિવાસસ્થાને અન્ય મીનીસ્ટરોની હાજરીમાં ૨૫ ઑગસ્ટ, ૨૦૧૩ના રોજ શ્રી વીરચંદ ગાંધીની ૧૪૦મી જન્મજયંતી ઉજવણીનું ભવ્ય આયોજન ગોઠવેલ હતું.
૨૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ તેમની ૧૫૦મી જન્મજયંતી આવી રહી છે ત્યારે સમગ્ર જૈન સમાજે તેમની ભવ્ય ઉજવણી કરવી જોઈએ – મહુવામાં તેમજ અન્ય સ્થળે સ્મૃતિ મંદિર ઊભા કરવા જોઈએ અને યોગ્ય આયોજનો
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૩૩
Page #383
--------------------------------------------------------------------------
________________
કરીને ભુતકાળમાં તેમને વિસરવાની ભૂલ સુધારવી જોઈએ – Committed Mistakes must be Corrected.
જો કંઈ ભૂલ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સંદર્ભ ગ્રંથો અને સાહિત્યઃ ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસઃ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ૨. જ્યોતિર્ધરની જીવનગાથા: શ્રી પન્નાલાલ આર. શાહ ૩. ભારતીય સંસ્કૃતિનો આત્માઃ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૪. ધી જૈન એસોસિએશન ઓફ ઇડિયાનાં વિશેષાંકો શ્રી હિંમતલાલ શાંતિલાલ ગાંધી.
હિંમતલાલ શાંતિલાલ ગાંધી ૪૦૪, સુંદર યુવર, . જે. રોડ, શીવરી, મુંબઈ-40005
દુરધ્વનિ ઘર 022-24131493
મો. 9323331493
Page #384
--------------------------------------------------------------------------
________________
સંવેગી
વાચનાચાર્ય
શ્રી કુશલચંદ્રજી મ.સા.
-
કાનજી જે. મહેશ્વરી
[જૈફ વયે પહોંચેલા શ્રી કાનજીભાઈ વિવિધ પ્રવૃત્તિઓની સાથે અવારનવાર
જુદાજુદા સામિયકોમાં પોતાના વિચારો પ્રગટ કરતા રહે છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ પૂ. સંવેગી વાચનાચાર્ય કુશલચંદ્રજી મહારાજ સાહેબના વિચારશીલ જીવન ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે. પોતે સાહિત્યની રચના ન કરી હોવા છતાં જરૂર જણાય ત્યાં વિરોધ કરીને પણ પૂ. કુશલચંદ્રજી મહારાજે પોતાની સજાગતા અને સતર્કતા હંમેશાં જાળવી છે તેથી તેમને સવાયા સાહિત્યકાર માનવા પડે તેવો કાનજીભાઈનો મત છે. – સં.]
સંવેગ રંગ તરંગ ઝીલી, આત્મ રમશે મહાલતા, ગુરુ બાહ્ય-અંતર જે નિરંતર, સત્ય સંચય પાળતા, તસ પાદ પંકજ દીપ મધુકર, શાંતિ પામે સર્વદા, મુનિરાજ માનસ હંસસમ, શ્રી કુશલચંદ્રજી નમું સદા.
• પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મ.સા. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના જીવનની આછી ઝલક ઉપરોક્ત પદકાવ્યમાં મળે છે. તીવ્ર વૈરાગ્યના રંગે રંગાયેલા કુશલચંદ્રજી મ.સાહેબે પોતાનું શુદ્ધ ચારિત્ર્ય સંવેગીમય બનાવ્યું. જૈન ધર્મમાં આજથી બસોક વર્ષ પૂર્વ કચ્છ કોડાય ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતિના એક સામાન્ય માણસ ખેતીના ધંધામાં જોતરાયેલ હતા, જે અપરિગ્રહ અને ચારિત્ર શુદ્ધિના આગ્રહી શ્રી કુશલચંદ્રજી મ.સા. હતા.
કચ્છ જ્ઞાનમૂડીમાં દાદ્રિય હતું તેમ કહું તો ખોટું નથી. આથી બસો વરસ પહેલાં કચ્છમાં ધર્મ અને જીવન વ્યવહારમાં અજ્ઞાનતારૂપી અંધકાર છવાયો હતો. આવા કપરા કાળમાં જ્ઞાનસ્વરૂપ પ્રકાશપુંજ શ્રી કુશલચંદ્રજી મ.સા.નો જન્મ થયો. શ્રી કુશલચંદ્રજી મ.સા. રણમાં મીઠી વીરડી બન્યા છે.
સંસારી નામ : કોરશી
આયુષ્ય : ૭૭ વર્ષ પૂર્ણ.
પિતા જેતશીભાઈ સાવલા
માતા : ભમઈબાઈ
-
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૩૫
Page #385
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ : વિશા ઓસવાળ જન્મભૂમિ : ગામ : કોડાય (તાલુકો માંડવી, જિ. કચ્છ) જન્મતિથિ : વિ.સં. ૧૮૮૩ માગસર સુદ ૧ દિક્ષાતિથિ : વિ.સં. ૧૯૦૭ માગસર સુદ ૨
(માત્ર ૨૪ વર્ષની વય) દીક્ષા સ્થળ : પાલિતાણા
ગુરુ : આચાર્યશ્રી શ્રી પૂજ્ય) હર્ષચંદ્રસૂરિજી
ગચ્છ : નાગોરી તપગચ્છ (શ્રી પાર્લચંદ્ર ગચ્છ) વિહાર છત્ર : કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ દીક્ષા પર્યાય : ૬૩ વર્ષ
ઉંમર : ૮૬ વર્ષ સ્વર્ગવાસ તિથિ : વિ.સં. ૧૯૬૯ ભાદરવા સુદ ૧૦ સ્વર્ગવાસ સ્થળ : કોડાય (કચ્છ)
શિષ્યો : ૧૧
ચાતુર્માસ : ૪૭ સ્થળે જૈન સાહિત્ય અભ્યાસ : આગમ સૂત્ર, જૈન કથાસાહિત્ય
સન્માન બિરુદ : ક્રિયોદ્ધારક, વાચનાચાર્ય, કુલગુરુ, “મંડલાચાર્ય ગણિવર'
કોરશીના જીવનનું પરિવર્તન કરનાર ઘટના
બાળપણમાં ગામની શાળામાં દાખલ તો થયા, પણ બારાખડી – પલાખા ગોખતાં કંટાળો આવતો. ભણવામાં ઉદાસીનતા જણાતા પિતા જેતશીભાઈ સાવલાએ પોતાના ખેતીના વ્યવસાયમાં બાળપણમાં જ જોડી દીધા હતા. કોડાય ગામના જૈન બાળમિત્રોમાં હેમરાજભાઈ બાળપણથી જ વૈરાગ્ય વિચાર ધરાવતા હતા. આ દસ મિત્રમંડળમાં કોરશીભાઈ પણ સામેલ હતા. ગામના અવાવરુ સ્થળે ભેગા થતા, જૈન ધર્મ અંગે વિચાર-વિમર્શ કરતા હતા. ભગવાન મહાવીરના તપ, ત્યાગની શ્રી હેમરાજભાઈ પાસેથી વાતો સાંભળીને બાળમિત્ર મંડળે મનોમન સાધુ થઈ જવાનું નક્કી કર્યું.
એક દિવસ કોરશીભાઈ ચોમાસાના વખતમાં પોતાના ખેતરમાં ઊભેલા મોલમાં કોદાળી (ટબર) લઈને ઘાસ નિંદામણ કરતા હતા. કોદાળીનો ઘા ઘાસના ઢેફામાં વાગ્યો. માટીનું ઢેકું તૂટ્યું અને તેમાં નાના નાના જીવડા તરફડતા કોરશીભાઈની નજરે પડ્યા. અરેરે ! આ શું થયું ? કોરશીભાઈનું દિલ ધ્રુજી ઊડ્યું. હાથમાંથી કોદાળી પડી ગઈ અને કોરશીનું ભીતર રૂદન કરવા લાગ્યું. મારા હાથે જીવોની હત્યા થઈ ! આવા આક્રંદ સાથે કોરશીભાઈએ ખેતીના કામમાંથી વિદાય લીધી.
૩૩૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #386
--------------------------------------------------------------------------
________________
સાંજે હેમરાજભાઈ અને મિત્રમંડળમાં બનેલ ઘટના કહી સંભળાવી. પોતે હવે સાધુ થઈ જવા અહીંથી કોઈને કહ્યા વગર ભાગી જવાના. પોતાના નિર્ણયની જાહેરાત પણ કરી દીધી. મિત્રો પણ કાચા ન હતા. હેમરાજભાઈએ કહ્યું : માવિત્રો (માવતર) રજા આપે તેમ નથી. અને આપણે સાધુ થવું જ છે. આ બેઉ વિપરીત બાબતે આપણે દઢ મનોબળથી મા-બાપની રજા લીધા વિના પાલિતાણા પહોંચી જવું. હેમરાજભાઈને શ્રી લક્ષ્મીસાગરજી યતિએ પાલિતાણામાં શ્રી હર્ષચંદ્રસૂરિજીનો પરિચય આપ્યો.
“દીક્ષા લેવી તો સંવેગમાર્ગની જ લેવી, ગોરજી નથી થવું.” આવા દઢ નિશ્ચય સાથે કોડાય ગામમાંથી પાંચ મિત્રો હેમરાજભાઈ, કોરશી વગેરે છૂમંતર થઈ માંડવી બંદરે (કચ્છ) પહોંચ્યા. વહાણમાં બેસીને જામનગર પહોંચ્યા. જામનગરના દેરાસરોમાં દર્શન કરી રાજકોટ પહોંચ્યા.
રાજકોટ પહોંચતાં વિચાર આવ્યો : પાલિતાણા જઈ તરત દીક્ષા લઈ શકાય તે માટે દીક્ષાના વસ્ત્રો – ઉપકરણો અહીંથી જ ખરીદતા જઈએ. કાપડની દુકાને જોઈતા વસ્ત્રો – ઉપકરણો ખરીદ્યા. ખરીદીનું બિલ ચૂકવવા તેમણે કચ્છી નાણું આપ્યું. રાજકોટના વેપારીએ તે કચ્છી નાણું સ્વીકાર્યું નહિ. હેમરાજભાઈ પાસે ચાંદીનો કંદોરો હતો. તે કંદોરો આપવા લાગ્યા. ત્યારે વેપારીના દિલમાં ચેતનાનો સળવળાટ થયો. વેપારીએ પાંચે મિત્રોને યુવાન વયમાં આ સાધુ માટેના વસ્ત્રો કેમ ખરીદો છો ? પ્રશ્નનો જવાબ આપતાં શ્રી હેમરાજબાઈએ પોતાની આપવીતી કહી. વેપારીએ પૈસા લેવાની ના પાડી. વંદન કર્યા. કાપડના વેપારીને યુવાનોની દઢતા અને વૈરાગ્યભાવના માટે ખૂબ આદર જાગ્યો. તમારી ભાવના નિર્વિબે પૂરી થાય એવી શુભેચ્છા આપી.
અણજાણી જગ્યાએ આવું પ્રોત્સાહન મળવાથી પાંચે મિત્રોમાં બળ વધ્યું. ઉત્સાહ થયો. રાજકોટથી પાલિતાણાનો કષ્ટદાયક માર્ગ હેમખેમ પાર કરી વિ.સં. ૧૯૦૭ કારતક સુદમાં લક્ષ્ય સ્થાને પાલિતાણા પહોંચ્યા. મોતી કડિયાની ધર્મશાળા પાલિતાણા)માં ઊતર્યા. ત્યાં તેમને શ્રી કલ્યાણવિમલ નામના વિમલગચ્છના કોઈ મુનિરાજ મળ્યા. પાંચે મિત્રોએ પોતાની ભાવના મુનિરાજ પાસે વ્યક્ત કરી. મા-બાપની રજા લીધા વિના અહીં કોઈ પણ તમને દીક્ષા આપશે નહીં. મુનિરાજના વચન સાંભળી મિત્રો મૂંઝાઈ ગયા. હેમરાજભાઈ અને કોરશીભાઈએ શ્રી કલ્યાણવિમલજીને પોતાની સાધુ થવાની ભાવના અફર હોવાની વાત કહી, ‘અમારે દીક્ષા લેવાની છે, જો કોઈ ના પાડશે તો અમે જાતે વેશ પહેરી લેશું.’ યુવાન હેમરાજ અને કોરશીની અટલ ભાવના જોઈ શ્રી કલ્યાણવિમલજીનું હૃદય પીગળ્યું. મુનિરાજે કહ્યું: ‘તમે એમ કરો, સાધુવેશ પહેરીને તળેટીએ બેસી જાઓ. એથી તમારા નિશ્ચયની સૌને જાણ થશે ને સૌનો સાથ તમને મળશે. મુનિરાજ શ્રી કલ્યાણવિમલજીની હૂંફ અને સલાહ મુજબ પાંચે જણ “મુનિવેશ પહેરીને
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૩૭
Page #387
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય પર્વતની તળેટીએ જઈને બેઠા. ફક્ત સાધુનાં કપડાં હતાં, ઓઘો કે પાતરાં તેમની પાસે હતાં નહિ. આવતા-જતા લોકો આ પાંચ સાધુવેશને જોવા ટોળે વળ્યાં. પૂછપરછ કરવા માંડી. સંઘના અગ્રણીઓએ પણ પૂછપરછ કરી.
પૂજ્યશ્રી હર્ષચંદ્રસૂરિજી ગિરિરાજથી નીચે આવ્યા, ત્યારે આ પાંચે મિત્રોએ વંદન કરી શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. પાંચ જણની ઉચ્ચ વૈરાગી દશાના કારણે સંઘની પણ સહાનુભૂતિ થઈ હતી. મુનિરાજે પૂછપરછ અને પરીક્ષા કરી પણ ખરી.
વેશ પહેરી જ લીધો છે. તો હવે તેમને સંભાળી લેવા તથા તેમના ઉચ્ચ સંકલ્પને સહાયક થવું જરૂરી છે. નહિ તો તેમની સ્થિતિ કફોડી થઈ જશે.” આવા વિચારથી શ્રી હર્ષચંદ્રસૂરિજીએ શ્રી સંઘ સમક્ષ પાંચને અપનાવ્યા, અને નરશી નાથાની ધર્મશાળામાં પાંચ જણને લઈ ગયા.
પાલિતાણા પહોંચેલા પાંચ જણના નામ હતા : (૧) હેમરાજભાઈ (૨) કોરશી (૩) ભાણાભાઈ, (૪) વેરશીભાઈ અને (૫) આસધીરભાઈ
સંવેગી દીક્ષા શ્રી હર્ષચંદ્રસૂરિજી ધુરંધર વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. એક ઉચ્ચ સંયમનિષ્ઠ અને જૈન ધર્મના પ્રખર આચાર્ય હતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પાર્શચંદ્રગચ્છ – શ્રી નાગોરી તપાગચ્છના ૭૧મા પટ્ટધર આચાર્ય હતા.
તેઓ પૂજ્યશ્રી યતિ આચાર્ય હોવા છતાં તેમનું અંતર શુદ્ધ સંયમમાર્ગ તરફ ઢળેલું હતું. શિથિલાચારનો બચાવ તો તેઓ ન જ કરતા. તેઓશ્રી ગચ્છાધિપતિ ભટ્ટાર’ હતા. છતાં એ પદનો રુઆબ તેઓ સહેજે રાખતા નહિ. તેઓશ્રી નિરાભિમાની, ઉદાર અને શાંત સ્વભાવના હતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી “સંવેગી અને પતિ બંને પ્રવાહને જોડનાર એક કડી હતા.
પાંચ મિત્રોની ક્રાંતિ ભરી ભાવનાને તેઓ પોષણ આપી શક્યા. સંવત ૧૯૦૭ કારતક સુદ ૧૩ના સ્વયં અનિવેશ પહેર્યો અને ૧૯૦૭ સંવત માગસર સુદ બીજના પાંચે યુવકોની વિધિવત “સંવેગી દીક્ષા થઈ.
ધર્મક્ષેત્રે કશુંક કરી દેખાડવાના કોડથી છલકાતા પાંચ ધર્મવીરોને શ્રી હર્ષચંદ્રસૂરિજી ગુરુ રૂપે પ્રાપ્ત થયા એ એક સુભગ સંયોગ હતો.
સંયમ ગ્રહણ કર્યા બાદ પાંચે જણ અપૂર્વ ઉત્સાહથી ગુરુમહારાજ પાસે અભ્યાસ કરવા લાગી ગયા. પાંચે મુનિઓ પરમ સંતોષ અને આહ્વાદ અનુભવતા જ્ઞાન-ધ્યાનમાં લીન બની ગયા.
ભરયુવાનીમાં પોતાના મનોરથ પૂર્ણ થવાથી મુનિ મહારાજ સાહેબો જૈન ધર્મના સાહિત્યમાં ઊંડા ઊતર્યા. જૈન ધર્મ ગ્રંથોનો ગુરુ મહારાજશ્રીના સાનિધ્યમાં ઉત્સાહથી અભ્યાસ કર્યો. પોતાના લક્ષ્યબિંદુએ પહોંચવા નવા પાંચ મુનિઓએ
૩૩૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #388
--------------------------------------------------------------------------
________________
અભ્યાસમાં કોઈ કચાશ છોડી નહિ.
દીક્ષા – નામકરણ સંસારી નામ ....................... દીક્ષાંત નામ (૧) કોરશી....................... શ્રી કુશલચંદ્રજી (૨) હેમરાજ..................
શ્રી હેમચંદ્રજી (૩) ભાણાભાઈ..
શ્રી ભાનુચંદ્રજી (૪) વેરશીભાઈ...... ............ શ્રી બાલચંદ્રજી (૫) આસધીરભાઈ શ્રી અગરચંદ્રજી
ભગવાન મહાવીરે કહેલો મૂળમાર્ગ જાણતા હોય ને આચરતા હોય એવા શ્રી હર્ષચંદ્રસૂરિજીને શરણે પહોંચીને પાંચે યુવાન મુનિઓએ પરમતૃપ્તિ અનુભવી.
સંસાર પક્ષની કસોટી શ્રી કુશલચંદ્રજી અને એમના મિત્રોએ પોતાના વડીલોની સંમતિ વગર સ્વયં સાધુવેશ પહેરીને દીક્ષા લીધેલી, આ તરફ પાંચે યુવકોના માતા-પિતાને ખબર પડી કે આપણા છોકરાઓ તો દીક્ષા લઈ સાધુ બની ગયા છે. સંસારનો પુત્રસ્નેહ અને મમતાથી પ્રેરાઈ પાંચેના વડીલો પાલિતાણા પહોંચ્યા.
પાલિતાણા દરબાર સાહેબને ફરિયાદ કરી. પાલિતાણા દરબાર શ્રી સૂરસંઘજીએ સૌને કચેરીમાં આવવાનું જણાવ્યું.
નરશી નાથાની ધર્મશાળામાં શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે પણ ફરિયાદ કરી. ત્યારે શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કહ્યું: ‘તમારા દીકરાઓ પોતે જ સાધુવેશ પહેરી બેઠા હતા. સાધુવેશને આશ્રય આપવો એ અમારી ફરજ હતી. હવે આ પાંચે દીક્ષા તો લઈ લીધી છે, તેથી એમને હવે પાછા સંસારમાં લઈ જવાનો વિચાર યોગ્ય નથી.”
પાંચે નવદીક્ષિત મુનિઓને તેમના વડીલોએ સમજાવવા માંડ્યા. પણ તે વ્યર્થ થયું. અંતે દરબાર પાસે કરેલી ફરિયાદની મદદથી પુત્રોને પાછા લઈ જવા વડીલોએ નક્કી કર્યું. પાલિતાણા દરબારમાં પાંચ દીક્ષિત મુનિઓને બોલાવીને કહેવામાં આવ્યું ઃ તમોએ તમારા માતા-પિતાની આજ્ઞા વગર દીક્ષા કેમ લીધી ?
પાંચે નવદીક્ષિત મુનિઓએ હવે સંસારમાં પાછા નહિ જવાનો દઢ નિર્ધાર કહ્યો. દરબારે દમદાટી આપી બળનો પ્રયોગ કર્યો ખરો ! પણ મુનિઓ મક્કમ રહ્યા. ગુસ્સામાં આવીને દરબારે હુકમ કર્યો : પાંચને પૂરી રાખો. ખાવા-પીવાનું બંધ. પોતાના હાથે રાંધીને ખાવું હોય તો ચીજવસ્તુઓ આપજો.’
પાંચ મુનિઓને એક કોટડીમાં પૂરી રાખ્યા. ત્રણ દિવસ વીતી ગયા છતાં કોઈ મુનિ રાંધીને ખાવા તૈયાર થયા નહિ. અંતે દરબારને દયા આવી. ભિક્ષા લઈ આવવા છૂટ આપી. ત્યારે પાંચ મુનિઓએ ગોચરી લાવીને પારણું કર્યું. ફરી પાછા વડીલોએ મુનિઓને સમજાવવા પ્રયત્નો કર્યા. ત્યારે પાંચ મુનિઓ એકી
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૩૯
Page #389
--------------------------------------------------------------------------
________________
અવાજે ઉત્તર આપ્યો : “અમે ખોટું કામ કર્યું હોય તો વડીલોને શરમાવું પડે. અમે તો ઉત્તમ માર્ગ લીધો છે. સંયમ તો મળી ગયેલ છે હવે મળેલા સંયમને છોડી, પાછા સંસારમાં જઈએ એ તો મૂર્ખાઈ જ કહેવાય. સો વાતની એક વાત કે : અમારે સંસારમાં પડવું નથી.”
કુશલચંદ્રજીના પિતા અને અગરચંદ્રજીના પિતાના મનમાં પરિવર્તન આવ્યું. પોતાના પુત્રોનો (મુનિઓ) વૈરાગ્ય ઉત્કટ છે, નિશ્ચય દઢ છે. ભલેને એ લોકો આત્મકલ્યાણના માર્ગે જાય ! આવા વિચાર પરિવર્તનથી બંનેના પિતાઓએ પોતાના પુત્રોને સાધુ થયાની રજા આપી દીધી. આથી કુશલચંદ્રજી અને બીજા અગરચંદ્રજી મુનિના વડીલોની સંમતિ મળી ગઈ. પરંતુ બીજા ૩ મુનિઓના વડીલોએ બળપ્રયોગ કરી દરબાર સાહેબ પાસેથી પોતાના પુત્રોને ઉઠાવી જવાનો હુકમ મેળવી લીધો. (૧) હેમચંદ્રજી (૨) બાલચંદ્રજી અને (૩) ભાનુચંદ્રજી ત્રણે મુનિઓને બળજબરી ગાડામાં બાંધીને કચ્છ તરફ પ્રયાણ આદર્યું.
શ્રી હર્ષચંદ્રસૂરિજીએ જૈન સંઘમાં જાગૃતિ લાવવા, યતિઓનું પ્રાબલ્ય વધતું અટકાવવા, સાધુ સંસ્થા પુનઃ શુદ્ધ સાધુત્વના મૂળમાર્ગે ચડી જાય એવી ઈચ્છાથી તેઓ સંવેગ માર્ગનો જ ઉપદેશ આપતા. અન્ય ગચ્છના યતિઓ અને સાધુઓ પણ તેમના પ્રત્યે ઘણો આદર ધરાવતા હતા.
અન્ય ધર્મના સંતો, સંન્યાસીઓ પણ તેમની પાસે આવી વિચાર વિનિમય કરતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પોતાની ગુણગ્રાહી અને સૌમ્ય પ્રવૃત્તિથી સૌનો પ્રેમ સંપાદન કરી લેતા. ગુરુજી પાસે મહાપુરુષોની આવજાવ થતી રહેતી હોવાથી સમાગમનો લાભ શ્રી કુશલચંદ્રને પણ મળતો. એમાં અમુકની પાસે શ્રી કુશલચંદ્રજીએ અભ્યાસ પણ કરેલો. - શ્રી હર્ષચંદ્રસૂરિજીએ સતત સાત ચોમાસાં પાલિતાણામાં જ કર્યા. આ સમય દરમિયાન શ્રી કુશલચંદ્રજીએ જ્ઞાનમાં સારો વિકાસ સાધી લીધો. આચારમાર્ગનું તથા શાસ્ત્રીય તથ્યોનું રહસ્ય જ્ઞાન સારી રીતે મેળવ્યું. તથા શ્રી સિદ્ધગિરિની નવાણું યાત્રા બે વાર વિધિપૂર્વક કરી લીધી.
શ્રી કુશલચંદ્રજી ગુરુનિશ્રામાં સાત વરસ રહીને જે જ્ઞાનોપાર્જન કરેલું તેના આધારે અને શ્રી ગુરુદેવના જીવનમાંથી મળેલી પ્રેરણાના બળે સ્વસ્થ હતા. ધૈર્ય ધારણ કરી ગુરુદેવ શંખેશ્વરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાથી એમણે જીવનનું સ્વતંત્ર પ્રસ્થાન આરંભ્ય.
શ્રી કુશલચંદ્રજીના જીવનચરિત્રમાં સમગ્ર કચ્છના તત્કાલીન જૈનસમાજનો ઇતિહાસ ગૂંથાયેલો આપણને સાંપડે છે. આજથી બસોક વર્ષ પૂર્વે એટલે કે જ્યારે કચ્છમાં જનજીવન અત્યંત પરિશ્રમભર્યું અને કઠોર હતું, વાહનવ્યવહારમાં માત્ર ઊંટ, બળદગાડું અને વહાણ જેવા ઉપલબ્ધ સાધન હતાં અને શિક્ષણના નામે લગભગ શૂન્યાવકાશ હતો, ત્યારે શ્રી કુશલચંદ્રજી કેવો પુરુષાર્થ કરી કચ્છની
૩૪૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #390
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક કાયાપલટ કરે છે, અને કોડાય ગામને “કચ્છનું કાશી કેવી રીતે બનાવે છે એનો આ બોલતો ઇતિહાસ છે.
ક્રિયોદ્ધાર ગુરુદેવ શ્રી હર્ષચંદ્રસૂરિજીના સતત સાનિધ્યમાં રહીને જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. તે ગ્રંથોના મહિમાની ઊંડાઈ પણ શ્રી કુશલચંદ્રજીએ પામી હતી. તેઓ તીવ્ર મેધાવી અને ગંભીર, વિચારશીલ વ્યક્તિ હતા.
યતિજીવનની અશુદ્ધિ અને અપૂર્ણતા શ્રી કુશલચંદ્રજી મ.સા.થી અજ્ઞાત રહી ન હતી. યતિઓ એ સમયમાં ઘણી છૂટછાટો ભોગવતા. મકાન, સોનું-ચાંદી, પૈસા વગેરે પરિગ્રહ રાખી શકતા, વાહનનો ઉપયોગ કરતા. આ બધું શ્રી કુશલચંદ્રજી મ.સા. માટે અસહ્ય હતું. સંવેગી સાધુજીવન અપનાવવા માટે શ્રી કુશલચંદ્રજીએ ભરપૂર પ્રયાસો કર્યા. અને તેમાં સફળતા પણ મળી હતી.
વિ.સં. ૧૯૩૮ના વૈશાખ સુદ-૧૨ના દિવસે માંડલ સંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને ‘ક્રિયોદ્ધારની વિધિ માટે માંડલ પધારવાની વિનંતી કરવાથી મહારાજ સાહેબ માંડલ પધાર્યા હતા. માંડલના ભાઈચંદજી ભ્રાતૃચંદ્રજી)એ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે ‘ક્રિયા-ઉદ્ધાર કરી સંવેગી દીક્ષામાં પ્રવેશ કર્યો. માંડલના સુજ્ઞ અને ભાવિક સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્જચંદ્ર ગચ્છના તે સમયના ગચ્છાધિપતિ શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
દીવામાંથી દીવો પ્રગટે તેમ, પાર્જચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાનો શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજ હતા. શ્રી ભ્રાતૃચંદ્રજીએ સંવેગમાર્ગની દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ હોનહાર મહાપુરુષ હતા. પ્રતિભાશાળી, પ્રતાપી અને પુણ્યશાળી એવા શ્રી ભ્રાતૃચંદ્રજી આગળ જતાં તે સમયના શ્રમણ સંઘના એક તેજસ્વી નક્ષત્ર બન્યા. ભ્રાતૃચંદ્રજીને મુનિ જીવનની તાલીમ આપવા, યોગ, તપશ્ચર્યાસાધના કરાવવા માટે શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબનું ચોમાસું માંડલમાં જ થયું. શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષો શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યો. શ્રી ભ્રાતૃચંદ્રજી દ્વારા લખાયેલા પત્રોમાં શ્રી કુશલચંદ્રજી મહારાજ પ્રત્યે શિષ્યભાવ નમ્રતા, ભક્તિ | શ્રદ્ધાનાં દર્શન થાય છે.
શ્રી કુશલચંદ્રજી મહારાજના વ્યક્તિગત જીવન અને કાર્યનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો તે શબ્દ છે : “સંવેગ.’ તીવ્ર વૈરાગ્ય, ઉત્કૃષ્ટ આચરણ, સંયમ પાલનમાં દઢતા – “સંવેગ' શબ્દ આ બધી ભાવનાઓને આવરી લે છે. મુનિજીવનમાં શિથિલતાનો અંત આણી આચારશુદ્ધિનું પુનઃ સ્થાપન કરવામાં શ્રી કુશલચંદ્રજી મહારાજનો મુખ્ય ફાળો છે.
કચ્છ જૈન સંઘમાં યતિવર્ગમાંથી નીકળેલા કેટલાક સત્ત્વશાળી ધર્મવીર પુરુષોએ શુદ્ધ સાધુજીવનની પરંપરા – સંવેગી પરંપરા’ પુનઃ જીવિત કરી.
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૧
Page #391
--------------------------------------------------------------------------
________________
પાર્જચંદ્રગચ્છમાં અને કચ્છ, કાઠિયાવાડ, માંડલ પ્રદેશમાં સંવેગમાર્ગનું નવસર્જન કરવાનું કામ જાણે શ્રી કુશલચંદ્રજી મહારાજને ફાળે આવ્યું હતું. કુશલચંદ્રજી મહારાજ આવા ક્રિયોદ્ધાર’ મહાપુરુષોની માળાના એક તેજસ્વી મણકા હતા. શ્રી કુશલચંદ્રજી મહારાજના જીવનમાં તપ, ત્યાગ, સંયમ હતા અને તેઓ ધર્મગ્રંથોના અભ્યાસી-ચિંતક હતા.
કચ્છમાં સંવેગી સાધુઓનો વિહાર અલ્પ હોવાથી ધાર્મિક ક્ષેત્રે યતિઓ – ગોરજીઓનું વર્ચસ્વ હતું. શ્રાવકોમાં અજ્ઞાન અને કુરિવાજો વ્યાપક બન્યા હતા. શ્રાવકાચારનો ખ્યાલ બહુ ઓછા લોકોને હતો. વ્યવહારિક જ્ઞાન પણ ઓછું હતું, ત્યાં ધાર્મિક જ્ઞાન ઓછું હોય તેમાં શી નવાઈ ? આવા અંધકારમાં મહારાજશ્રીએ જાગૃતિની ચેતના જગાવી. ધર્મક્ષેત્રે નવચેતન આણ્યું. સામાજિક અને ધાર્મિક વ્યવહારોમાં સુધારા દાખલ કર્યા. શ્રાવકોને ધર્મજ્ઞાન આપ્યું. સાધુ સંસ્થાને મજબૂત કરી. આ અર્થમાં તેઓશ્રીને ‘કુલગુરુનું બિરુદ પ્રાપ્ત થયું હતું. શ્રી કુશલચંદ્રજી (કુલગુરુ)ના નિર્મળ ચારિત્ર્યથી અને વાત્સલ્યમય માર્ગદર્શનથી ઉપકૃત બનેલા શ્રાવકવર્ગ અને સાધુવર્ગે સ્વયંભૂ ભક્તિથી પ્રેરાઈને વાચનાચાર્ય મંડલાચાર્ય ગણિ” જેવી માનવાચક પદવીઓથી શ્રી કુશલચંદ્રજી મહારાજને નવાજ્યા હતા. સમગ્ર કચ્છ ગચ્છભેદભાવ ભૂલીને તેમને ગુરુ માનેલા.
શ્રાવક વર્ગનો પ્રેમ તેઓશ્રીએ મેળવ્યો, પણ યતિ - ગોરજી વર્ગનો સદ્ભાવ પણ તેઓ જીતી શક્યા. તેમના જીવનનો ઊડીને આંખે વળગે એવો ગુણ હતો : ઋજુતા, સરળતા. તેઓનું જીવન પ્રાંજલ સરલતાનું જીવંત ઉદાહરણ હતું. હસ્તલિખિત ગ્રંથોનો એક વિશાળ સંગ્રહ તેમણે કર્યો હતો. આ શાસ્ત્રસંગ્રહ કચ્છના કોડાય જૈન સંઘને સોંપાયો હતો. હજી ત્યાં તે સુરક્ષિત છે.
સાધ્વી સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છમાં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી મહારાજે સાધ્વીસંઘની નવેસરથી સ્થાપના કરી હતી. સર્વપ્રથમ શ્રી શિવશ્રીજી, જ્ઞાનશ્રીજી, અને હેમશ્રીજી એ નામની ત્રણ સાધ્વીઓની દીક્ષા વિ.સં. ૧૯૪૭માં થઈ. તે પછી તેઓશ્રીના હાથે (હસ્તે) અનેક દિક્ષાઓ થઈ.
શ્રી કુશલચંદ્રજી મહારાજ પોતાની નિર્મળ સરળ પ્રજ્ઞા વડે જૈન ધર્મગ્રંથોના હાર્દને પામી શક્યા હતા. તેમનાં પત્રોમાં આ બાબતની પ્રતીતિ થાય છે, તેનો સારાંશ આપણા હૃદયને સ્પર્શી જાય છે.
પ્રમાદ ન કરશો. કોયે (કોઈ) સંગાથે ચરચાવાદ ન કરવું. સરવે ઉપર સમભાવે વરતવું. વળી શ્રી કુશલચંદ્રજી ગણિવર લિખિત આધ્યાત્મિક લેખમાંના વાક્યો
૩૪૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #392
--------------------------------------------------------------------------
________________
ધ્યાન ખેંચે છે.
સ્વગુણ તે જ્ઞાન-દર્શન-ચારિત્રની સમગ્રતા, તે સ્વગુણ જાણવા અને પરગુણ તે કર્મ તથા બાઝ (બાહ્ય) અત્યંતર પરિઘરો પરિગ્રહ) તથા પુદ્ગલીક વસતુ સરવે પરગુણ જાણવા.
ઉપરોક્ત વાક્યોમાં જૈન-દર્શનની – અધ્યાત્મની પાયાની વાત છે. આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્યના ભેદને જાણવો. આવી ગહન તાત્ત્વિક વાત શ્રી કુશલચંદ્રજીએ બરાબર આત્મસાત્ કરીને પોતાની સરળ વાણીમાં મૂકી છે.
ધર્મ પ્રભાવના શ્રી કુશલચંદ્રજી મહારાજના વિચારો અને જીવન બંનેનો પ્રભાવ યતિસંસ્થા પર પડ્યો હતો. મહારાજશ્રીના સંવેગી ચારિત્રની છાયા કચ્છના યતિવર્ગ ઉપર પડી. તેમના સમાગમ અને સહવાસથી અચલગચ્છીય યતિ શ્રી ગૌતમસાગરજીએ પણ ક્રિયોદ્ધારનો માર્ગ અપનાવ્યો. દિયોદ્ધારની વિધિ તેમણે મારવાડમાં શ્રી ભ્રાતૃચંદ્રજીના હસ્તે કરી, પરંતુ સંવેગમાર્ગની પ્રેરણા અને સમજ તેમને શ્રી કુશલચંદ્રજી મહારાજ પાસેથી મળેલ.
ચાતુર્માસ વિ.સં. ૧૯૦૭માં પ્રથમ ચોમાસું શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબનું પાલિતાણા થયું. એટલું જ નહિ તે પછીના ૬ ચાતુર્માસ લાગલગાટ પાલિતાણામાં કરનાર શ્રાવકોનાં દિલ જીતી લેનાર શ્રી કુશલચંદ્રજી મહારાજ વિરલ ત્યાગી મુનિ હતા. વિ.સં. ૧૯૧૩નું પાલિતાણાનું ૭મું ચોમાસું પૂર્ણ થતાં જામનગરના શેઠ ડાહ્યાભાઈ, સંઘરાજભાઈ, ચાંપશીભાઈ, કાલિદાસભાઈ વગેરે શ્રાવકોના આગ્રહથી જામનગરમાં વિ.સં. ૧૯૧૪માં ચોમાસું કર્યું. જામનગરના સંઘની મહારાજસાહેબ ઉપર અપાર ભક્તિ હતી. તેઓની નિશ્રામાં અવારનવાર ઉત્સવો, ઉજમણાં, તપશ્ચર્યા વગેરે ધર્માનુષ્ઠાનો થયા જ કરતા. મહારાજશ્રીના સદુપદેશથી ત્યાં ઘણા સુધારા થયા. તે પછી બીજા બે ચોમાસા પણ જામનગરમાં થયા.
વિ.સં. ૧૯૧૭નું ચાતુર્માસ મોરબી સંઘના આમંત્રણથી મોરબીમાં થયું. મહારાજશ્રીના સરળ ઉપદેશથી લોકોને સારી ધર્મ પ્રેરણા મળી. ફરી પાછા જામનગરના સંઘના આમંત્રણથી વિ.સં. ૧૯૧૮, ૧૯૧૯ એમ બે ચોમાસાં જામનગર થયા.
વિ.સં. ૧૯૨૦માં કચ્છ જવાની ભાવનાથી વિહાર કર્યો. વચ્ચે મોરબીમાં મહોત્સવ હતો. મોરબી સંઘની વિનંતી ચોમાસા માટે થઈ. ત્યારે મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું : “ખોટા રિવાજોને દેશવટો આપો તો ચાતુર્માસ કરું.” મહારાજશ્રીનો આદેશ સ્વીકારી ખોટા રિવાજોને દૂર કરવા ઠરાવ કર્યો. તે વખતે કેટલાય દંપતીઓએ ચોથું વ્રત (આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત) લીધું. મહારાજશ્રીનું
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૪૩
Page #393
--------------------------------------------------------------------------
________________
વિ.સં. ૧૯૨નું ચોમાસું મોરબીમાં થયું હતું.
વિ.સં. ૧૯૨૧માં જામનગરમાં ઉજમણું થવાનું હતું. મહારાજ સાહેબને ફરીથી જામનગર જવું પડ્યું. વિ.સં. ૧૯૨૧, ૧૯૨૨, ૧૯૨૩ એમ ત્રણ ચોમાસા પાછા જામનગર ખાતે કર્યા. ત્યાર બાદ મહારાજ સાહેબ સિદ્ધગિરિજીની વિધિવત્ યાત્રા કરી અને પોતાના સાથી મુનિ અગરચંદ્રજીને મળવા ખંભાત પણ ગયા. ખંભાતથી અમદાવાદ આવ્યા. અમદાવાદના અગ્રણી શ્રાવકોના આગ્રહથી વિ.સં. ૧૯૨૪માં ચાતુર્માસ કર્યું. અમદાવાદનું ચાતુર્માસ પૂર્ણ કરી પાલિતાણા થઈ તેઓશ્રી જામનગર પધાર્યા. ત્યાં તપગચ્છમાં બે બહેનોને દીક્ષા આપી. તેમનાં નામ તિલકશ્રીજી તથા ધીરશ્રીજી રાખવામાં આવ્યાં. તે પછી હાલારમાં ધર્મ પ્રભાવના માટે વિચર્યા, પણ વિ.સં. ૧૯૨૫ અને ૧૯૨૬ એમ બે ચાતુર્માસ જામનગરમાં જ કર્યા.
કચ્છ તરફ પ્રયાણ કચ્છ માંડવીના સંઘનો લંબાણભર્યો વિનંતી પત્ર મહારાજશ્રીને મળ્યો. કચ્છની જૈન જનતા વતી માંડવીના સંઘનું કચ્છના એક ધર્મવીર પુરુષને કચ્છ પધારવા માટે આમંત્રણ હતું. સંઘે અતિ ભાવભર્યા હૈયે લખ્યું હતું કે કચ્છમાં રથ હાંકનાર કોઈ નથી. આપ કચ્છ પધારો, અમારા સારથિ બનો. અમારા અજ્ઞાનના અંધકારને દૂર કરો. આ વિનંતીપત્ર માંડવીના અગ્રણી શ્રાવકો લઈ આવેલા, મહારાજ સાહેબે કચ્છ સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો.
દીક્ષાના ૧૯ વર્ષ બાદ સર્વ પ્રથમવાર મહારાજશ્રી પોતાની જન્મભૂમિમાં આવી રહ્યા હતા. તેમના ચારિત્રની સુવાસ સમસ્ત કચ્છમાં પ્રસરી ચૂકી હતી. શુદ્ધ સંયમધારી સાધુ તરીકે કચ્છ અને કાઠિયાવાડના જૈન સમાજના હૈયામાં તેમણે સ્થાન મેળવી લીધું હતું. કચ્છની જનતાએ મહારાજશ્રીને ઉમળકાથી વધાવ્યા. ભચાઉ, અંજાર થઈને ભુજ પધાર્યા. ભુજના પ્રવેશ વખતે સામૈયામાં કચ્છના રાજા દેશળજીએ પોતાના કારભારી અધિકારીઓને મોકલી રાજ તરફથી સન્માન આપ્યું. ભુજમાં થોડાક દિવસ રોકાઈ વ્યાખ્યાનનો લાભ આપી ગામડાઓમાં વિચરતા વિચરતા ચૈત્ર મહિનામાં મહારાજશ્રી માંડવી પધાર્યા.
માંડવીમાં ભવ્ય સ્વાગત સાથે પ્રવેશ કર્યો. મહારાજશ્રીની પ્રેરણા આપે તેવી સરળ વાણીનું શ્રવણ કરી માંડવી સંઘે તૃપ્તિ મેળવી. મહારાજસાહેબની જન્મભૂમિ કોડાયનો સંઘ દર્શનાર્થે માંડવી આવ્યો. ગુરુ મહારાજે તે સમયે સુંદર બોધ આપ્યો. કોડાયના સંઘે ચાતુર્માસ માટે વિનંતી કરી. પણ માંડવી સંઘનું આમંત્રણ હોતાં વિ.સં. ૧૯૨૭નું ચોમાસું માંડવીમાં જ કર્યું.
શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબે વિ.સં. ૧૯૨૮નું ચાતુર્માસ ભુજમાં કર્યું. “આચારાંગ સૂત્ર” તથા “સમરાદિત્ય કેવલી ચરિત્રનું વાંચન ચાતુર્માસમાં મહારાજશ્રીએ કર્યું. વિ.સં. ૧૯૨૯નું ચાતુર્માસ જામનગર થયું. ત્યાં કચ્છ બાંડિયાના દશા ઓશવાલ જ્ઞાતિના દામજીભાઈનો દીક્ષા મહોત્સવ થયો. નવ દીક્ષિતનું ૩૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #394
--------------------------------------------------------------------------
________________
નામ દેવચંદ્રજી પાડ્યું. ત્યાં મોરબી સંઘે આમંત્રણ – વિનંતી કરી. પણ મોરબી સંઘમાં કડવાશની ગંધ મહારાજ સાહેબને આવી જવાથી સ્પષ્ટ કહ્યું : “પ્રથમ કુસંપ નીકળે તો હું ચોમાસું કરી શકું. મહારાજશ્રીના વચનની સંઘ ઉપર અસર થઈ. કડવાશ દૂર થઈ. સમાધાન થયું. વિ.સં. ૧૯૩૦નું ચોમાસું મોરબીમાં થયું. અહીં કચ્છથી કચ્છ-મુંદ્રા સંઘ વતી શા કસ્તુર પારેખે કચ્છ મુંદ્રામાં ચાતુર્માસની વિનંતી કરી. ચોમાસું ઊતરતાં ગુરુ મહારાજે મુંદ્રા તરફ પ્રયાણ કર્યું. ભચાઉ, અંજાર, ભુજ થઈને તેઓશ્રી મુંદ્રા પધાર્યા, ત્યારે મુંદ્રા સંઘ ૫ કિ.મી. દૂર સામૈયું લઈ આવ્યા. ભારે આનંદ વરતાયો. વિ.સં. ૧૯૩૧નું ચોમાસું મુંદ્રા કચ્છમાં ખૂબ ઉલ્લાસથી પૂરું થયું.
ચાતુર્માસ બાદ કુશલચંદ્રજી મહારાજ સાહેબે માંડવી થઈ અબડાસા પ્રદેશ તરફ વિહાર કર્યો. નલિયામાં માસિકલ્પ કર્યો. ત્યાંથી ભુજ તરફ વિહાર કરતાં રસ્તામાં વન્યપ્રાણીઓનો શિકાર દરબારી અમલદારોને મળીને અટકાવ્યો.
ભુજ થઈ વાગડ પધાર્યા. વાગડમાં વિચરી, કચ્છનું મોટું રણ ઓળંગી તેઓશ્રીએ કાઠિયાવાડમાં પ્રવેશ કર્યો. જોડિયા બંદર, મોરબી, જામનગર થઈને રાજકોટ પધાર્યા. રાજકોટમાં મહારાજશ્રીની નિશ્રામાં ‘વર્ષીતપ-પારણા ઉત્સવ થયો. ફરી પાછી જામનગર સંઘની ચાતુર્માસની વિનંતી સ્વીકારી વિ.સં. ૧૯૩૨નું ચાતુર્માસ જામનગર કર્યું. એ ચોમાસામાં આચારાંગસૂત્ર અને મુનિપતિચરિત્રનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું. પર્યુષણ બાદ માંડલનો સંઘ દર્શનાર્થે આવેલ. માંડલ સંઘમાં યતિશ્રી લક્ષ્મીચંદજી પણ સાથે હતા.
ચોમાસું પૂર્ણ થતાં વિહાર શરૂ કર્યો. ધુંવાવ ગામે સેંકડો માણસોનો સંઘ. બે દિવસ સાધર્મિક વાત્સલ્યમાં જમણ થયાં. ત્યાંથી રાજકોટ થઈને શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરી, પ્રભાસપાટણ, વેરાવળ વગેરે ગામોમાં વિચરતા પાલિતાણા પધાર્યા. અહીં શ્રી આદીશ્વર દાદાના દર્શન કરી ખંભાત ગયા. ખંભાતમાં શ્રી કપૂરચંદજીને ત્યાં ચાતુર્માસ માટે રોકીને પોતે અમદાવાદ થઈને માંડલ પધાર્યા.
માંડલમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આખું ગામ શણગારવામાં આવેલું. આખા ગામમાં પાખી પાળવામાં આવી હતી. વિ.સં. ૧૯૩૩નું ચાતુર્માસ માંડલમાં ખૂબ ઉલ્લાસ અને આરાધનામય વીત્યું. અહીં શ્રી સૂયગડાંગ સૂત્ર તથા મલયસુંદરી ચરિત્ર વાંચીને શ્રાવકોને આનંદિત કર્યા. આ વખતે વ્યાખ્યાનમાં તપાગચ્છના મુનિઓ પણ આવતા હતા.
માંડલનું ચોમાસું પૂર્ણ થતાં અમદાવાદ બાજુ વિહાર કર્યો. અમદાવાદમાં તપાગચ્છના ધુરંધર સંવેગી મુનિરાજ શ્રી મૂળચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વિરાજમાન હતા. એમણે પોતાના મુનિઓને સામા મોકલ્યા અને શ્રી કુશલચંદ્રજી મહારાજને સીધા ઊજમફઈની ધર્મશાળામાં તેડાવ્યા. ત્યાં પોતાની સાથે જ મહારાજશ્રીનો મુકામ રખાવ્યો. સમાન આચરણ અને સમાન રસ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે મૈત્રી સહેજે રચાય છે.
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૫
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી કુશલચંદ્રજી મહારાજ પાર્જચંદ્રગચ્છમાં શુદ્ધ સંયમમાર્ગના પુરસ્કર્તા હતા, તેમ તપાગચ્છમાં એ સમયે શ્રી મૂલચંદજી મહારાજ આદિ મુનિવરો આચારશુદ્ધિ અને સંયમમાર્ગના પ્રવર્તક – સમર્થક તરીકે આગળ આવ્યા હતા. શ્રમણ સંઘના મહારથી એવા આ મુનિરાજોના મિલનથી તે સમયે અમદાવાદમાં ખરા અર્થમાં ધર્મનો ઉદ્યોત' થયો. અહીં થોડા દિવસ આનંદદાયક સહવાસ પછી શ્રી કુશલચંદ્રજી મહારાજ વિરમગામ પધાર્યા. આયંબિલની ચૈત્રી ઓળી તથા વરસીતપના પારણા ત્યાં કરાવી ચાતુર્માસ અર્થે જામનગર ગયા. અહીં વિ. સં. ૧૯૩૪નું ચોમાસું જામનગર થયું.
ચાતુર્માસમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા પાંડવ ચરિત્રનું વાંચન કર્યું. કેટલાક સાધ્વીજીઓને યોગવહન કરાવ્યું. શ્રાવકોને ઉપાધાન કરાવ્યા. સં. ૧૯૩૪ના ચાતુર્માસ બાદ તેઓશ્રીએ ફરી કચ્છ તરફ વિહાર કર્યો.
શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબે જામનગરથી કચ્છ વિહાર કર્યો. વાગડ થઈ અંજાર પહોંચ્યા. અંજારના સંઘે દોઢ ગાઉ સુધી સામા જઈને સામૈયું કરેલું. અંજારમાં થોડા દિવસ રહી ધર્મોપદેશનો લાભ આપ્યો.
ત્યાંથી મુંદ્રા, ભુજપુર, તુંબડી, ફરાદી વગેરે ગામોમાં વિચર્યા. એ સમયે કચ્છના ઘણા ગામોમાં ગોરજીઓ’ રહેતા, જૈનોના ધાર્મિક કારોબાર પર તેમનો સીધો અંકુશ હતો. ઉપાશ્રયો પણ તેમની માલિકીનાં હોય, જેને પોસાળ' કહેતા. ક્યાંક તો દેરાસર પણ તેમના કબજામાં હતાં. ધર્મસ્થાનોની આવક પણ તેમના હાથમાં જતી. આ ગોરજીઓ – યતિવર્ગના વ્યવહાર શુદ્ધ સંયમમાર્ગની દષ્ટિએ શિથિલાચાર' ગણાય. શ્રી કુશલચંદ્રજી મહારાજ તો શુદ્ધ સાધુત્વના આચારને અનુસરનારા સાધુ હતા. મહારાજશ્રીની કાર્યશૈલી એવી સૌમ્ય હતી કે પતિજીવનનો વિરોધ કરતા હોવા છતાં તેઓશ્રી યતિવર્ગનો પણ પ્રેમ પ્રાપ્ત કરી શક્યા. યતિઓ પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી સંવેગપક્ષને માન આપતા થયા હતા.
આસંબિયા, બિદડા વગેરે ગામોમાં થઈ ઓળી કરાવવા માટે જન્મભૂમિ કોડાય પધાર્યા. દેરાસરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા. આયંબિલની ઓળીની આરાધના સૌએ ઉમંગથી કરી, કોડાયની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ભગવતીસૂત્રનું વાંચન કર્યું.
નવાવાસ (દુર્ગાપુર)ના આસુભાઈ વાગજી શાહ મહારાજના દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રી કોડાયથી રાયણ, નવાવાસ થઈ ગોધરા પધાર્યા. મહારાજશ્રીના ધર્મોપદેશ શ્રવણથી ગોધરાના કેલણભાઈ દીક્ષાભિલાષી બન્યા.
માંડવી-કચ્છના ચાતુર્માસ પ્રવેશમાં ઠાઠમાઠથી નગરપ્રવેશ થયો. વ્યાખ્યાનમાં સૂયગડાંગ સૂત્ર અને શત્રુંજય માહાસ્ય વાંચતા. ચોમાસાના વ્યાખ્યાનમાં માંડવીના ત્રણે ગચ્છના સંઘ ઉત્સાહથી લાભ લેતા હતા. વિ.સં. ૧૯૩૫ના આ ચાતુર્માસમાં આજુબાજુના ગામડામાંથી શ્રાવકો આવી આરાધના કરતા. એક ભાઈએ માસખમણ કર્યું. શ્રી ખુશાલચંદ્રજીએ ૨૩ ઉપવાસ કર્યા. ૩૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #396
--------------------------------------------------------------------------
________________
માંડવીના ચોમાસા બાદ મહારાજશ્રીએ ભુજ તરફ વિહાર કર્યો. આસંબિયામાં થોડા દિવસ સ્થિરતા કરી ધર્મલાભ આપ્યો. આસંબિયાથી તુંબડી, પુનડી થઈ ચુનડી પધાર્યા. ચુનડીમાં ગરાસિયા દરબારોની વિનંતીથી દરબારના સ્ત્રીવર્ગ માટે દરબારગઢમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. જીવદયા, વ્યસનત્યાગ, શુદ્ધ ચારિત્ર નીતિ જેવા માણસાઈના ધર્મોનો બોધ આપ્યો. અહીં દરબાર સ્ત્રીપુરુષોમાં અમુક લોકોએ વિવિધ નિયમો લીધા, ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ભુજ પધાર્યા. ભુજથી નલિયા, જખૌ, સુથરી વગેરે ગામોમાં સમ્યગૂજ્ઞાનની સરવાણી વહાવતાં આખરે કોડાય આવ્યા.
જન્મભૂમિમાં ચાતુર્માસા શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબની જન્મભૂમિ તે કોડાય ગામ. જન્મભૂમિમાં ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર કરતાં વિ.સં. ૧૯૩૬માં કોડાયમાં ચાતુર્માસ થયું. શ્રાવકોમાં તો ઉત્સાહ હતો જ. વ્યાખ્યાનમાં વિશાળ મેદની જામતી. જૈનેતર લોકો પણ મોટી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. અહીં વ્યાખ્યાનમાં “શ્રી દશવૈકાલિક સૂત્ર' અને મલયાગિરિ ચરિત્ર વાંચતા. પર્યુષણ અને ઓળીમાં પૂર્વે કદી જોવામાં ન આવી હોય એવી આરાધના થઈ. તપ, જપ, જીવદયા – સાધર્મિક વાત્સલ્ય વગેરે કાર્યોથી ચાતુર્માસ દીપી ઊઠ્યું. જ્ઞાનપંચમી આવતાં તેનો મહિમા સમજાવી અનેક સ્ત્રી-પુરુષોને તેની આરાધનામાં જોડ્યા. ચાતુર્માસ પૂર્ણ થવાના અવસરે શ્રી કોડાય સંઘે ‘અઠ્ઠાઈ મહોત્સવ' ઊજવ્યો. વિ.સં. ૧૯૩૬નું ચાતુર્માસ નોંધપાત્ર બની રહ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં બિદડા પધાર્યા. બિદડામાં સ્થાનકવાસી સાધુએ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબ પાસે પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાંથી વિહાર કરી વડાલા આવ્યા. ત્યાં સ્થાનકવાસી મેઘરાજ મુનિના કોઈ શિષ્યને મહારાજશ્રીએ "ર્મગ્રંથનો અભ્યાસ કરાવ્યો. ત્યાંથી વિહાર કરી ભદ્રેશ્વર મહાતીર્થની યાત્રા કરી, મુંદ્રા થઈ ભુજપુર પધાર્યા. ભુજપુરના અચલગચ્છીય યતિશ્રી મહિમાસાગરજી તથા ગુણસાગરજીએ મહારાજશ્રીના માનમાં પ્રભુની આંગી' રચાવી તથા નવાણ પ્રકારની પૂજા ભણાવી. અહીં ચાતુર્માસ માટે જુદાજુદા ગામોની વિનંતીઓ આવી. તેમાં ભુજ સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો. ભુજ તરફ વિહાર કર્યો. ચાતુર્માસ ભુજમાં પ્રવેશ થયો તે દિવસે કોઈ પર્વ મહોત્સવ દિવસ હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. ભુજ ચાતુર્માસમાં “શ્રી આચારાંગસૂત્ર' તથા પાંડવ ચરિત્ર' વાંચતા હતા. વ્યાખ્યાનમાં ભુજ શહેર અને આસપાસના ગામોના જૈનો રોજ આવતા. ભુજના નગરશેઠ શ્રાવકોનું આતિથ્ય કરતા.
પર્યુષણ પર્વ અને નવપદની ઓળીમાં અભૂતપૂર્વ આરાધનાનું વાતાવરણ ખડું થયું હતું. મહારાજ સાહેબ દરેક સ્થળે જ્ઞાનપંચમીની આરાધના માટે ખાસ પ્રેરણા
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૪૭
Page #397
--------------------------------------------------------------------------
________________
કરતા. વિ.સં. ૧૯૩૭નું ભુજ-ચાતુર્માસ વિશિષ્ટ પસાર કરી, ચોમાસું ઊતરતાં માંડલ સંઘની વિનંતી હોતાં માંડલ તરફ પ્રયાણ કર્યું.
કચ્છનું રણ ઓળંગી ધ્રાંગધ્રા પહોંચ્યા. ત્યાં માસકલ્પ કર્યો. ધ્રાંગધ્રાનરેશ શ્રીકુશલચંદ્રજી મહારાજના દર્શન અને ઉપદેશ શ્રવણ અર્થે આવેલ, ત્યાંથી પાટડી પહોંચ્યા. પાટડી જૈન સંઘે ઉત્સાહપૂર્વક સામૈયું કરેલ. આ સામૈયામાં પાટડીના દરબારસાહેબ પણ સામેલ થયા હતા. થોડા દિવસ પાટડીમાં રહ્યા. વૈશાખમાં માંડલ પધાર્યા. માંડલ જૈન સંઘે મહારાજ સાહેબનું દબદબાભર્યું સ્વાગત કર્યું. અહીં યતિજીવનની અશુદ્ધિ અને અપૂર્ણતા માટે ક્રિયોદ્વાર વિધિ મહારાજશ્રીના હસ્તે થઈ હતી. વિ.સં. ૧૯૩૮નું ચોમાસું માંડલમાં થયું.
કચ્છમાં ભદ્રેશ્વર મહાતીર્થં ભારતના પ્રાચીનતમ તીર્થોમાંનુ એક તીર્થ છે. ભગવાન મહાવીર પછી ત્રેવીસમા વર્ષે આ તીર્થની સ્થાપના થઈ હતી. એ વખતે તીર્થના મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે પછી આ તીર્થને ઘણી ચડતી-પડતીમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક જીર્ણોદ્ધાર થયા. આવા એક જીર્ણોદ્ધાર વખતે મુખ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીના પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવ્યા. કાળક્રમે ફરી જીર્ણ થઈ ગયેલા આ તીર્થના ભવ્ય જિનાલયનો પુનરુદ્ધાર કરવાની મહારાજશ્રી પ્રેરણા આપતા હતા.
૧૯૩૯ ફાગણ સુદ પાંચમના પ્રતિષ્ઠા થઈ જે તપાગચ્છ,
કચ્છના સર્વ સંઘોના સહકાર સાથે વિ.સં. દિવસે મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પુનઃ અચલગચ્છ, ખરતરગચ્છ અને પાર્શ્વચંદ્રગચ્છ એમ ચારે ગચ્છના સહિયારા સહકારથી સંપન્ન થયેલ. એ જીર્ણોદ્વાર અને પ્રતિષ્ઠા મહોત્સવ જૈનોની એકતા અને શ્રદ્ધાનાં પાવન પ્રતીક જેવાં બની રહ્યાં. આ જીર્ણોદ્ધારના સૂત્રધાર સમા અચલગચ્છીય યતિવર્ય શ્રી સુમતિસાગરજીએ એ પ્રતિષ્ઠા પ્રસંગના વર્ણનનું એક ચોઢાળિયું રચ્યું છે. ‘શ્રી ભદ્રેશ્વરજીનું ચોઢાળિયું’ નામની એ કૃતિમાં કુશલચંદ્રજી મહારાજ વિશે આદરપૂર્વક ઉલ્લેખ છે :
સંવેગ રંગે ઝીલતા, શ્રી કુશલચંદ્રજી આદે સાર.' એવા શબ્દો દ્વારા મહારાજ સાહેબના શુદ્ધ સંયમ, નિષ્ઠાને અંજલિ આપી છે. ભદ્રેશ્વરનો પ્રતિષ્ઠા પ્રસંગ પૂર્ણ કરી મહારાજ સાહેબ જામનગર તરફ વિચર્યાં. વિ.સં. ૧૯૩૯નું ચોમાસું ફરી જામનગ૨ તથા સં. ૧૯૪૦ માંડવી-કચ્છ વિ.સં. ૧૯૪૧ ફરી જામનગર, સંવત ૧૯૪૨ માંડવી કચ્છ, સંવત ૧૯૪૩ ભુજ, સંવત ૧૯૪૪ કોડાય, સંવત ૧૯૪૫ જામનગર તથા સંવત ૧૯૪૬ કોડાય, સંવત ૧૯૪૭ જામનગ૨ અને સંવત ૧૯૪૮ કચ્છ કોડાય, સંવત ૧૯૪૯ બિદડા, ૧૯૫૦ કોડાય, ૧૯૫૧ બિદડા, ૧૯૫૨ નવાવાસ, ૧૯૫૩ બિદડા, ૧૯૫૪ મોટી ખાખર, ૧૯૫૫ બિદડા, ૧૯૫૬ નાના આસંબિયા, ૧૯૫૭ કોડાય, ૧૯૫૮ નવાવાસ, ૧૯૫૯ બિદડા, ૧૯૬૦ કોડાય,
૩૪૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-
Page #398
--------------------------------------------------------------------------
________________
૧૯૬૧ બિદડા, ૧૯૬૨ કોડાય, ૧૯૬૩ કોડાય, ૧૯૬૪ બિદડા, ૧૯૬૫ નવાવાસ, ૧૯૬૬ બિદડા, સંવત ૧૯૬૭ મોટી ખાખર, ૧૯૬૮ કોડાય, ૧૯૬૯ કોડાય. ઉપરોક્ત ચોમાસાની વિગત નીચે મુજબ ગોઠવી શકાય.
પાલિતાણા : ૭ ચાતુર્માસ. જામનગર : ૧૭ ચાતુર્માસ
કચ્છ : ૨૩ ચાતુર્માસ. શ્રી કુશલચંદ્રજી મહારાજના ૧૧ શિષ્ય પરિવાર ગણાય છે. જેમાં જામનગરના ૪, કચ્છના ૬, માંડલના ૧ (આ દીક્ષા સ્થળ છે.)
શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબ આગમ સૂત્રોના ઊંડા અભ્યાસી હતા. જૈન ધર્મગ્રંથોનો બહોળો અનુભવ ધરાવતા હતા. આપણે જોઈ ગયા તેમ મહારાજશ્રીએ દીક્ષા ગ્રહણ કર્યાથી ગુરુદેવના સાનિધ્યમાં જ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. ફક્ત અભ્યાસ કરી ઉપદેશ જ આપ્યો છે તેવું નથી. ધર્મના આદેશાનુસાર જ શ્રી કુશલચંદ્રજી મ.સા.નું પોતાનું રોજિંદું જીવન આચરણ રહ્યું છે. સાધુત્વને દીપાવે તેવું શુદ્ધ ચારિત્ર સંયમમાર્ગ એ જ શ્રી કુશલચંદ્રજી મ.સા.ના જીવનનું લક્ષ્ય હતું. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના વિચારો અને જીવન ચારિત્ર બંનેનો પ્રભાવ જૈન સંઘના દરેક ગચ્છના શ્રાવકો ઉપર પડ્યો હતો.
કચ્છ, કાઠિયાવાડના તિવર્ગમાં શ્રી કુશલચંદ્રજી મ.સા. પાસેથી સંવેગમાર્ગની પ્રેરણા મળી હતી તે ઐતિહાસિક ઘટના છે.
છેલ્લા વરસોમાં મહારાજશ્રીનું સ્વાથ્ય નબળું રહેતું હતું. પોતાની વિદાય વેળા નિકટ આવી ગઈ છે એ શ્રી કુશલચંદ્રજી મ.સા. સમજી શક્યા હતા. તેથી છેલ્લા દિવસોમાં મ.સા. વધુ ને વધુ અંતર્મુખ અને જાગૃત રહેતા હતા.
વસમી વિદાય વિ.સં. ૧૯૬૯ ભાદરવા સુદ દસમ ને બુધવાર સવારના ૧૧.૩૦ કલાકે શ્રી સકળસંઘ અને સાધુ, સાધ્વી સમુદાય સાથે ક્ષમાપના કરી ૮૭ વર્ષની પરિપક્વ વયે પહોંચેલા શ્રી કુશલચંદ્રજી ગણિવરે પરમશાંતિ અને સમાધિ સાથે ચિરવિદાય લીધી.
પાર્જચંદ્રગચ્છ અને સમસ્ત સંવેગી સાધુ-સંઘને શ્રી કુશલચંદ્રજી મ.સા.ની જબરી ખોટ પડી. કચ્છના જૈન સંઘે પોતાના એક સમર્થ ધર્મનેતા ગુમાવ્યા. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના કાળધર્મના સમાચાર મળતાં કચ્છભરમાં પાણી પાળવામાં આવી હતી. અમદાવાદ, ખંભાત, વીરમગામ, માંડલ, જામનગર, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ કામકાજ બંધ રાખી ગુરુ મ.સા.ને શ્રદ્ધાંજલિ સાથે અનેક સ્થળોએ વિવિધ ધર્માનુષ્ઠાનો થયા હતા.
મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજીના જીવન અને ગુણાનુવાદના કાવ્ય અમદાવાદના
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૯
Page #399
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ કવિ શ્રી સાકળચંદે ગુરુ મહારાજના શિષ્ય વિનયચંદ્રજીના નામે રચી આપ્યાં હતાં. વિરહગીતની એક કડીમાં જૈન સંઘની વેદનાને આ રીતે વાચા મળી છે.
મુનિજન – માનસહસ ઊડી ગયો, ધન્ય ધરા શણગાર રે, ધર્મ-ધુરંધર ધોરી ક્યાં ગયો ? જડશે ક્યાં અણગાર રે ?
ગુરુ ગુણ દરિયા, ક્યાં મળશે હવે ? કોડાય જૈન સંઘે મોટા દેરીસરની બાજુની ઓરડીમાં એક ગોખમાં ગુરુ મ.સા.ના પગલાં પધરાવેલ છે. જે આજે પણ વિદ્યમાન છે.
શ્રી કુશલચંદ્રજી મ.સાહેબે સંવેગ માર્ગને સજીવન કરી પાર્જચંદ્રગચ્છમાં નવો પ્રાણ પૂર્યો. સરળ ઉપદેશ અને ઉદાર પ્રકૃતિ દ્વારા ભદ્રિક કચ્છી જનતાને ધર્મમાર્ગે ગતિશીલ કરી. એક નાનકડી ધર્મક્રાન્તિના પુરસ્કર્તા તરીકે શ્રી પાર્શચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સાહેબે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું.
મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજીના સાધનાત્મક જીવનમાં જ નહિ, પરંતુ એક આદર્શ માનવ” તરીકેના જીવનમાં પણ ઉત્તમ ગુણોને સમન્વય જોવા મળી રહે છે.
સંવેગ રંગે ઝીલતાં, કુશલચંદ્રજી આજે સાર, જૈન ધર્મ દીપાવતાં, ત્યાં મિલ્યા ઠાણા ચાર.
- યતિશ્રી સુમતિસાગરજી જૈન વિચારને ચારિત્રમાં મૂકી શકીએ એ જ સમ્યફચરિત્ર છે. સમ્યકજ્ઞાન તો ઘણા બધાના જીવનમાં થાય છે. પરંતુ સૌથી જેની વધુ જરૂરિયાત છે, તે સમ્યક ચારિત્ર - આચરણ. એ જીવન સાથે ન જોડાય તો એકલા વિચારથી આપણી જૈનપરંપરાનો સંયમમાર્ગે ગતિશીલ ન બની શકે. વિચાર સાથે આચાર બંને જોડાયેલ હોય એ જ સાચો જૈન સાહિત્યકાર ગણાય. વર્તમાનકાળમાં જૈન સાહિત્યકારને ઓળખવા માટેની આપણી જે દૃષ્ટિ છે તેને જ બદલવી પડશે. કોઈ Ph.d. કે યુનિ. ડિગ્રીધારી હોય, તેમણે કેટલાક પુસ્તકો લખ્યા હોય, તેવાની આજે સાહિત્યકાર તરીકે ગણના થતી હોય તો તેમાં મને કોઈ વાંધો તો નથી, પરંતુ જૈન ધર્મના આગમસૂત્રોનો જેણે અભ્યાસ કર્યો હોય, તેના હાર્દને પોતાના આચરણમાં મૂકી ૪૭ જેટલા ચાતુર્માસમાં તેનું વાંચન કર્યું હોય, પોતાની દરેક જીવનપદ્ધતિમાં જૈન ધર્મના નીતિ નિયમોનુસાર આચરણ હોય અને જ્યાં જૈન ધર્મમાં શિથિલતા દેખાઈ ત્યાં સ્પષ્ટપણે શિથિલતાનો વિરોધ કરી, ત્યાં ‘ક્રિયોદ્ધાર’ વિધિથી સંયમમાર્ગ અપનાવવા પુરુષાર્થ કર્યા હોય, તેવા પણ જૈન સાહિત્યકારની સાચી ઓળખ પામે છે.
શ્રી કુશલચંદ્રજી મ.સા. કહેતા મારું આચરણ એ મારું પુસ્તક છે. જીવનમાં ૩૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #400
--------------------------------------------------------------------------
________________
જીભથી બોલવું એક અને આચરણમાં ભિન્નતા ! તે બોધ નથી. શ્રી કુશલચંદ્રજી મ.સા. એ માટે આચારાંગ આદિ સૂત્રને સાક્ષીરૂપ માને છે. બાળપણથી જે વ્યક્તિએ સાધુત્વની ઝંખના કરી અને તે ઝંખના માટે જિંદગી દાવ ઉપર લગાડી, આખરે જેની સાચી ભાવના સફળ થઈ છે તેવા અપરિગ્રહી, સંયમી, બ્રહ્મચર્ય વ્રતધારી, જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી શ્રી કુશલચંદ્રજી મ.સા.ને નત મસ્તકે વંદન કરું છું. – અસ્તુ – જય જિનેન્દ્ર. સંદર્ભગ્રંથ : (સૌજન્ય)
(૧) મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર – લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકાશન વર્ષ : ઈ. સ. ૧૯૯૧.
કાનજી જે. મહેશ્વરી રિખીયો
૧૫૦, ગણેશનગર, ગાંધીધામ (કચ્છ) - ગુજરાત
PIN - 370201 M. 9426789670 R. 02836-252835
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૫૧
Page #401
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનતપસ્વી, ઉદારચેતા, આગમોદ્ધારક,
સમદર્શી, આગમપ્રભાકર પૂ. મુનિ ન્યાયવિજયજી મહારાજ
-
કૈલાસ શાહ
ધિર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા શ્રી કૈલાસબહેને પૂ. ન્યાયવિજયજીના જીવનના તથ્યોને સરળ ભાષામાં રજૂ કરીને ખૂબ ઉપયોગી માહિતી રજૂ કરી છે. – સં.]
'अध्यातम् आनन्दघनस्य चास्मिन, कवित्वमस्मि महाकविनाम्। आनन्दप्रकाश्च यशोगुरुणां, गुणत्रयी न्यायमुनी समासीत्। प्राकट्यमेषां मुनिराजरूपे,
नमामि तं न्यायमुनि प्रभाते। મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજમાં આનંદઘનજીનો અધ્યાત્મ, મહાકવિ કાલીદાસ જેવું કવિત્વ અને ઉપાધ્યાયજી યશોવિજયજી જેવું જ્ઞાન એ ત્રણે ગુણો એક સરખા હતાં – જાણે એ ત્રણે મહાપુરુષોએ ભેગા મળીને મુનિ ન્યાયવિજયજીનાં રૂપમાં અવતાર લીધો હતો. એવા ન્યાયવિજયજીને આપણે પ્રભાતે પ્રણામ કરવા જોઈએ. જન્મ માંગલ્યમૂ:
વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદિ ત્રીજના દિવસે માતા દિવાળીબાએ પુત્રરત્નને જન્મ આપ્યો. માંડલમાં છગનલાલ વખતચંદ ધર્મનિષ્ઠ ગૃહસ્થ હતાં. તેમની ધર્મપત્નીનું નામ દિવાળીબહેન હતું. ધર્મપસાથે સગભાં થયા ત્યારે તેમને ખબર નહોતી કે આવનાર પુરુષ (બાળપુષ્પ) કોઈ યોગભ્રષ્ટ આત્મા હશે. અને તેને પ્રભુના પૈગામ સંભળાવવા અને ધર્મઘોષની ઘોષણા કરવા પ્રભુના ચરણે ધરવો
ઉપર + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #402
--------------------------------------------------------------------------
________________
પડશે. ભવિષ્યમાં આ બાળ પુરુષોમાં સિંહ સમાન બનવાનો યોગ હશે, તેથી આ બાળકનું નામ નરસિંહ રાખવામાં આવ્યું.
આ બાળક નરસિંહ હસમુખો, શાંત, સરલ, હેતાળ, આનંદી હતો. માતાપિતાના ધર્મના સંસ્કાર તેનામાં અંકુરિત થતાં હતાં. નાનપણથી જ તેને એકાંત જીવન પસંદ હતું, તેથી શંખેશ્વર તીર્થધામ પાસેના બોલેરા ગામમાં જ્યાં તેમનું મોસાળ હતું ત્યાંના ગ્રામ જીવનમાં મધુર સંસ્મરણો તેઓ કદી ભૂલ્યા નહોતા. તેઓ વારંવાર કહેતાં કે ભારતીય સંસ્કૃતિનો પ્રેમ એમને ગ્રામજીવનના મધુર સંસ્મરણોમાંથી સાંપડયો હતો. તેમની બુદ્ધિ તેજસ્વી હતી. માતાપિતાના ધર્મસંસ્કાર જેમ મળ્યા હતા તેમ માંડલની ક્રાંતિકારી પરિવર્તનશીલ ભૂમિના સંસ્કાર પૂ. ન્યાયવિજયજીમાં વૃદ્ધિ પામી રહ્યાં હતાં. એમનાં જીવન ઘડતરમાં આ જાગૃતિ અને ચેતનાના દર્શન થાય છે. વિદ્યાભ્યાસઃ
જૂના વિચારનાં માતાપિતા પોતાના બાળકને ત્યારે પંડ્યાની ખાનગી શાળામાં મોકલતાં. નરસિંહભાઈ ચકોર અને મિષ્ટભાષી હોવાથી પંડ્યા અને સહાધ્યાયીના માનીતા બની ગયા. એક વખત વાંચે અને તૈયાર. ચાર ધોરણનો અભ્યાસ કર્યો હતો.
સં. ૧૯૫૮માં આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિ ધર્મવિજય) માંડલ પધાર્યા. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી શ્રાવકસંઘના ઉત્કર્ષના હિમાયતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. તેઓ પોતાની દીર્ઘદૃષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જૈન વિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી અને વિદ્યાવિકાસના યુગમાં તો આવી એકાંગી સ્થિતિ ચાલી શકે તેમ નથી. તેથી જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈન ધર્મ-દર્શન – સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની ઝંખના હતી. તેઓને માંડલ આવીને આ વિચાર અમલી બનાવવાની અંત પ્રેરણા થઈ. માંડલનું વાતાવરણ પણ કાંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆત રૂપે માંડલમાં યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી. ભાવિયોગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ શાળા છોડી. આ પાઠશાળામાં જોડાઈ ગયા અને ખંતપૂર્વક જૈન ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. હોશિયારી તો હતી જ. એમાં ભૂખ્યાને ભાવતું ભોજન મળ્યા જેવો યોગ બની ગયો. નરસિંહને પહેલા નંબરની નામના મળી. ઉચ્ચ કોટિનાં વિદ્વાનો, પંડિતો તૈયાર કરવા હોય તો કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાઓ લઈ જવી જોઈએ. બીજે વર્ષે આ પાઠશાળાને કાશી લઈ ગયા. નરસિંહ પણ કાશી પહોંચી ગયા. ગુરુને પણ આ મોતી લાગ્યું. બરાબર ભણે તો વિદ્વાન થાય અને શાસનની શોભા પણ વધે. ગુરુશિષ્ય વચ્ચે
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૩
Page #403
--------------------------------------------------------------------------
________________
ધર્મસ્નેહનાં તાણાવાણા ગૂંથાવા લાગ્યા. ગુરુદેવના ચરણે
- નરસિંહ બુદ્ધિ પ્રભાવથી પોતાનો વિકાસ સાધી રહ્યા હતા. માતાપિતા વૃદ્ધ હતા. પોતાના એકના એક લાડલા પુત્રને વિવાહિત જોવાની ઇચ્છા હતી. નરસિંહનું વેવિશાળ તો થઈ ગયું હતું અને લગ્નની વાટાઘાટ ચાલી રહી હતી. ભાઈ નરસિંહનું માનસિક વલણ જુદું હતું. સંસારની માયાજાળમાં ફસાવા ઇચ્છતા નહોતા. ગુરુદેવના સંસારની અસારતા, વીતરાગનો મહામૂલો ધર્મ, સંયમ અને ત્યાગની મહત્તા, જીવન સાર્થક કરવા અને અધ્યાત્મજીવનનું રહસ્ય જાણવા અને માણવા મુનિધર્મની મહત્તા વ. વચનો નરસિંહના મનમાં ગુંજતા હતાં. લગ્નજીવનની ઉદાસીનતા હતી અને એ દરમિયાન માતાપિતાનું અવસાન થયું. તેમનો વિરહ અસહ્ય થઈ પડ્યો. લગ્નની વાત તો અધૂરી રહી. નરસિંહને લગ્નસંબંધમાંથી મુક્તિ મળી. ગૃહસ્થ જીવન કરતાં અત્યંત ઉચ્ચ અને પવિત્ર જીવન જીવી હજારોના જીવન ઉજાળી હજારોને શાતા અને પ્રેરણા આપવા મહાન તત્ત્વવેત્તા અને મહાકવિ થવા સર્જાયેલ નરસિંહભાઈએ પાલિતાણા (કાકાના જણાવ્યા પ્રમાણે) જવાને બદલે સીધા બનારસ તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવના દર્શન, મિત્રોનો સહવાસ, શાસ્ત્રોનો અભ્યાસ અને બનારસના જીવનનો આનંદ માણવા નરસિંહ તલસી રહ્યા હતા. જ્યારે ગુરુદેવના ચરણે જઈને મસ્તક નમાવી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા ત્યારે તેમનું જીવન ધન્ય બની ગયું. નરસિંહભાઈની વિદ્યાભ્યાસની ઝંખના તથા બુદ્ધિપ્રભા જોઈને ગુરુદેવને સંતોષ થયો. કલકત્તામાં ગુરુદેવને ચરણે પોતાની જાતને શ્રદ્ધાપૂર્વક સમર્પણ કરતાં જોઈને ગુરુને આનંદ થયો. ભવ્ય દીક્ષા મહોત્સવઃ
તેઓ કલકત્તામાં ગુરુદેવના ભાષણથી એટલા બધા પ્રભાવિત થયા કે જૈન ન્યાયનો અભ્યાસ શરૂ કર્યો. ગુરુદેવ તેમને વાર્તાલાપમાં વખતોવખત વૈરાગ્ય ભાવના જગાવવા ઉપદેશ આપતા હતા. તેની જાદુઈ અસર થઈ અને ચારિત્રની ભાવના જાગી. ગુરુજીને કહ્યું કે હે પ્રભો! હું તો માંડલથી મારું વેવિશાળ તોડીને આપના ચરણમાં બેસી જવા આવ્યો છું. મારે આપના શિષ્ય થવું છે. ગુરુદેવને ખૂબ હર્ષ થયો. ૧૯૬૩ના ચૈત્રવેદી પના રોજ કલકત્તામાં દીક્ષા મહોત્સવ મંડાયો અને દીક્ષાનો વરઘોડો જોવા હજારોની મેદની ઊમટી આવી. અને સંઘમાં આનંદની લહેર લહેરાણી. નરસિંહભાઈને મુનિશ્રી ન્યાયવિજયજીનું નામ આપ્યું. આ મુનિ ન્યાયવિજયજીની બુદ્ધિપ્રભા એવી તેજસ્વી હતી કે ન્યાય-વ્યાકરણ તીર્થ બન્યા.
મહારાજશ્રી વારંવાર ઉપદેશ આપતા કે સંસારનું સ્વરૂપ ઈન્દ્રજાળ છે. વિદ્યુતના ચમત્કાર અથવા સંધ્યાના રંગ સમાન છે. દુઃખોથી મુક્ત થવા અને શાંતિ મેળવવા પ્રયાસો કરવા એ જ મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ દેવગુરુ ધર્મની પ્રાપ્તિનું ફળ છે. અન્યથા પશુઓ પણ પોતાનું પેટ ગમે તેમ કરી ભરે છે. ૩૫૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #404
--------------------------------------------------------------------------
________________
પાવાપુરીમાં વડી દીક્ષા:
સં. ૧૯૬૪માં કારતક વદ-૫નો વિહાર કર્યો. નદિયા, મુર્શિદાબાદ, બાલુચર, અજીમગંજ થઈ ચરમ તીર્થકર અહિંસામૂર્તિ જગવત્સલ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિમાં પધાર્યા.
આ ભૂમિ પવિત્ર પરમાણુઓને લીધે આલ્હાદ આપી આત્મશુદ્ધિ – આત્મશાંતિ અર્પનાર છે. ગમે તેવા ઉદાસી મનુષ્યનું ચિત્ત એક સમય પ્રફુલ્લિત કરે છે. જળમંદિરની શોભા અપરંપાર છે. જંગલમાં મંગલ એવું મંદિર, પ્રભુની પાદુકા, ચમત્કારી મૂર્તિ, આસપાસનું અમીઝરતું શાંત પવિત્ર વાતાવરણ સૌ કોઈને આકર્ષી તું હતું.
અહીં પાવાપુરીમાં વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપવામાં આવી. આ પવિત્ર ભૂમિની યાદ પ્રેરણાત્મક થઈ પડી. ત્યારબાદ બનારસ તરફ વિહાર કર્યો. સં. ૧૯૬૪ના વૈશાખ સુદિ-૩ના રોજ પ્રાતઃકાળે ન્યાયવિજયજી મુનિએ પાઠશાળામાં પ્રવેશ કર્યો. પ્રવેશ વખતે કાશીનરેશે હાથી, ઘોડેસ્વાર, બેન્ડ વગેરે સામૈયામાં મોકલી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જ્ઞાનવારિધિઃ
૧૯૬૪માં કાશી આવીને ચાર વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃત ભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈનશાસ્ત્રનું અધ્યયન કર્યું. ૨૦૨૧ વર્ષની ઊગતી વયે માતા. સરસ્વતી એમના ઉપર પ્રસન્ન થયા. એમણે ન્યાયતીર્થની અને ન્યાય વિશારદની પરીક્ષા આપી. આ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને ન્યાય વિશારદ બની ગયા. ગુરુદેવને આનંદ થયો. આ ચારિત્ર મુનિએ સંસ્કૃતનો તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. સંન્યાસની સાથે એમનામાં જે પ્રતિભા ખીલી ઊઠી હતી તેથી તેઓ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા. સંસ્કૃતના શ્લોકો તેઓ સહજ રીતે બનાવી શકતા. સંસ્કૃતમાં એટલું બધું પ્રભુત્વ હતું કે સંસ્કૃતમાં વક્તવ્ય આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી પછી શ્રી ન્યાયવિજયજીના ગ્રંથરત્નો ‘અધ્યાત્મ તત્ત્વાલોકઅને “કલ્યાણભારતી એ બંને ઉત્તમ ગ્રંથમણિ ગણાય છે.
આ ગ્રંથમણિની આસુધી એટલી ભારે માંગ રહી છે કે તેની એક પણ કોપી આજે પણ સુલભ નથી.
તેઓશ્રી જીવનની સંધ્યાએ પણ એક એવી ઉચ્ચભાવના રાખતા હતા કે ગીતા જેવો એક જૈન તત્ત્વજ્ઞાનને દર્શાવતો મહાગ્રંથમણિ ગતના ચોકમાં મૂકવા તૈયાર છું પણ શારીરિક કથળતી સ્થિતિમાં લાચાર બનીને આ કામ કરી શક્યા નહિ. તેનું મનદુઃખ છેવટ સુધી રહ્યું. જોકે તેમણે ભારતીય સંસ્કૃતિના નિચોડરૂપ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર “કલ્યાણ ભારતી’ની ભેટ આપીને જનતા ઉપર ભારે ઉપકાર કર્યો છે. એક જ ગ્રંથમણિથી એમણે સર્વ વ્યાપક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૫
Page #405
--------------------------------------------------------------------------
________________
હતી. તેમની બુદ્ધિપ્રભાનાં ચમકારા આ જ્ઞાનવિધિમાં જોવા મળે છે.
ઊગતી જુવાનીમાં જ શાસ્ત્રોની ઊંડી પારગામિતા પ્રાપ્ત કરી ગહન તત્ત્વચિંતનમાં તેમણે પ્રવેશ કર્યો હતો. જેના ફળસ્વરૂપે માત્ર ૨૫ વર્ષની યુવાન વયે “અધ્યાત્મ તત્ત્વાલોક' તથા “ન્યાય કુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ ગ્રંથો અને તે પણ ધારાવાહી કાવ્યમાં પ્રસિદ્ધ કરી અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. એટલું જ શા માટે? તેમણે અધ્યાત્મ તત્ત્વાલોકની પ્રાકૃત આવૃત્તિ અને તે પણ ૫૦૦ જેટલા શ્લોકોમાં આપીને જગતને ચકિત કરી દીધાં હતાં. તે તત્તાનો ગ્રંથમણિ તેઓશ્રીની વિદ્વતાનાં ગીતો ગાય છે.
ભારતના પ્રસિદ્ધ પંડિતશ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદી આ ઊગતા યુવાન સાધુની ઊંચી કાવ્યપ્રતિભા, જ્ઞાનવૈભવ અને તર્કસંગત દલીલો વાંચ્યા પછી મુગ્ધ બની ગયા હતા. તેમણે મુનિશ્રી પર લખેલો લાંબો પત્ર તેની સાક્ષી પૂરે છે. નાગપુર અને ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિતોએ પણ આ જ સમયમાં નિશ્ચયો – વિમુછનિવાસઃ આ તે વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ પંડિત અશ્વઘોષ છે કે સંસ્કૃત સાહિત્યનાં અદ્વિતીય મહાકવિ કાલીદાસ છે એવી પ્રશસ્તિ સાથે એમને સન્માન અર્પણ કર્યું હતું પણ આ નિઃસ્પૃહી મહાત્માએ માનપત્રની એક પણ કોપી કદી સાચવવાની ખેવના રાખી નથી અને તે છપાયેલા પત્રની કોપી તેમના પુસ્તક સંગ્રહમાંથી મળતી નથી. જૈન દર્શનની અમર ભેટઃ
એક સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઊઠી. સંસ્કૃત ભાષાના એક કવિ તરીકે જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદયસ્પર્શી. વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી વિવિધ છંદોમાં કવિતાનો અમૃત રસ રેલાતો. કદાચ એમ કહી શકાય કે ગદ્યનો સર્જક જે ઝડપથી પોતાની કૃતિનું સર્જન કરી શકે એવી જ ઝડપથી આ મુનિવરની પદ્યકૃતિઓ વહેવા લાગી. કવિતાના જાણે સાગર જ...
જૈન જગત, વિદ્યાર્થી આલમ, જૈન દર્શનના પિપાસુ અને વિદ્વાનોને પણ માર્ગદર્શન મળે એવા મહાન ગ્રંથના સર્જનની ભાવના ૨૮ વર્ષની યુવાન વયે જાગી. જગતના ચોકમાં જૈન ધર્મદર્શન અને તેનું તત્ત્વજ્ઞાન મૂકવાની ઝંખના ભારે હતી. સરસ્વતી દેવીના પ્રસાદ પામી ચૂક્યા હતા. અને શાસ્ત્રોના અવગાહનથી જૈન ધર્મના વિશ્વ વિધ વિષયોનાં પારગામી બન્યાં હતાં. ગુજરાતી ભાષાના જૈન ધર્મના અભ્યાસીને એક જ ગ્રંથમાંથી જૈન ધર્મનો બોધ મળી રહે તે માટે જૈનદર્શન ગ્રંથનું આલેખન કર્યું. જૈનજગતને ૫00 પૃષ્ઠનો મહાગ્રંથ આપીને પોતાની પ્રતિભા અને વિદ્વત્તાનું અપૂર્વ દર્શન કરાવ્યું. આ ગ્રંથની હરીફાઈ કરે એવું એક પણ પુસ્તક હજી સુધી લખાયું ન હોઈ આ પુસ્તક અજોડ અને પ્રમાણભૂત રહ્યું છે. આ પુસ્તકનું અધ્યયન, અવલોકન અને ચિંતન આપણે તાત્ત્વિક ગુણગ્રાહિતાની દૃષ્ટિ લક્ષમાં રાખી કરવું જોઈએ.
૩૫૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષરઆરાધકો
Page #406
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રપ્રેમના પૂજારીઃ
મુનિ ન્યાયવિજ્યજી રાષ્ટ્રપ્રેમી હતા. તેઓ માનતા હતા કે ધર્મનું સંસ્થાન દેશ સ્વતંત્ર હોય ત્યારે જ થઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે મુંબઈ હોલમાં મળેલી સભામાં રાષ્ટ્રની મુક્તિ ઉપર તેમણે બુલંદ અવાજે વ્યાખ્યાન આપી જૈન મુનિઓ માટે રાષ્ટ્રના પ્રશ્નોમાં ભાગ લેવાનું એક નવું દ્વાર ખોલી આપ્યું. જૈન ગતને ચમકાવી દીધું. હજારો યુવક-યુવતીઓ અને જૈન મુનિઓએ આ મુનિની ભૂરી ભૂરી પ્રશંસા કરી. ખાદીનો પ્રચાર કરી પોતે ખાદી ધારણ કરી પ્રભાવનામાં લાડુ-પતાસાંને બદલે ખાદીનાં કપડાની લહાણી કરાવવાનું સાહસ પગલું ભર્યું હતું અને ચરબીથી ખરડાયેલા મુલાયમ મલમલને બદલે જૈન સાધુ-સાધ્વી, જૈન સમાજનાં ખાદી અપનાવવા નવો સંદેશ આપ્યો. મુંબઈનું યાદગાર ચાતુર્માસઃ
સં. ૧૯૮૭માં મુંબઈનું ચાતુર્માસ ખૂબ પ્રવૃત્તિમય યાદગાર બની ગયું. કોટના ઉપાશ્રયનાં વ્યાખ્યાનમાં અને પર્વના દિવસોમાં માનવ મહેરામણ ઊમટી આવતો. તેમના ઉપદેશમાં મહાવીર જન્મવાંચનના દિવસે શ્રીફ્ળ ફોડવાનું બંધ રહ્યું હતું અને સાંવત્સરીક પર્વના દિવસે તપસ્વી નરનારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવતી.
સત્યને નિર્ભયપણે ઉચ્ચારતાં સમાજના કોઈ વર્ગનો અણગમો ઉતરે તો તે સહેવા તેઓ સહર્ષ તૈયા૨ બેઠેલા હતા. જૈન સમાજનાં કલહનું વાતાવરણ ચાલુ રહ્યું હોવા છતાં કોઈ પણ વિરોધી વ્યક્તિની નિંા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે બીજી વખતે કોઈએ કદી સાંભળી ન હતી. કલુષિત વાતાવરણથી તેઓ નિરાળા હતા. તેઓ વ્યાખ્યાનમાં અને લેખનકળામાં જેટલા પ્રચંડ હતા તેટલા જ પ્રકૃતિએ નમ્ર, શાંત, પ્રસન્ન હતા. વાતચીતમાં ભદ્રિક, હસમુખ ચહેરો અને સ૨ળતા એ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં.
આત્મોન્નતિ
:
મુનિશ્રીએ ૧૫-૭-૩૧ના રોજ આદીશ્વર ધર્મશાળામાં વ્યાખ્યાનમાં ધર્મનો પાયો મજબુત બનાવવા જૈન સંગઠન સાધવાની જરૂર છે તેમ જણાવી રચનાત્મક યોજનાઓ કરી. જૈન સમાજને પ્રાણવાન બનાવવા શક્ય પ્રયાસો કરીને જૈન ધર્મને દીપાવો તો અહિંસા ધર્મનો ચમત્કાર સર્જાશે. જીવનની સરળતા ચારિત્રમાં જ છે. એક ખાંડી ઉપદેશ કરતાં એક અધોળ વર્તન વધુ લાભદાયક છે. શાસ્ત્રો વાંચવા, સમજવા, સમજાવવાં સહેલાં છે, પણ જીવનમાં ઉતારવા દોહ્યલાં છે. આત્માનો વિકાસ સાધો. નકામી પંચાતમાં પડી આત્માનું ન હારો. બધી નાત જમી ગઈ અને વ૨ાજા જ રહી ગયા' એવું ન બને તેનું ધ્યાન રાખો.
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૭
Page #407
--------------------------------------------------------------------------
________________
દાનની દિશા સમજો:
મુંબઈ ર૬-૩૧ના રોજ મિન્ટ રોડ ઉપર આવેલી કોઠારી વાડીમાં મનુષ્ય કર્તવ્ય' ઉપર વ્યાખ્યાન કરેલું. તેમાં પરોપકાર એ મોટું દાન છે.' અભયાન એ પરોપકાર દાન છે અને અનુકંપા પણ પરોપકાર છે. ભરતામાં ન ભરતા જરૂરિયાત હોય ત્યાં દાન દેવું જોઈએ. દેશમાં લાખો કરોડો ગરીબો ભૂખમરાની આગમાં બળી રહ્યા છે, ત્યારે જમણવારોમાં પૈસા વેડફાય એ અયોગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ ઉપર કે દેશ ઉપર આગ વરસતી હોય એવા કુસમયમાં પણ પ્રજાના હિતમાં જનતાના કલ્યાણ અર્થે સકલ સંઘના ઉપકાર્ય દેવાલયની ધનરાશિનો એક પૈસો ખર્ચવો એ જો ખોટું મનાય તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. જે ધન પ્રજાની અનુકંપામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃદ્ધિ કરવી સમુચિત છે. એમાં વધુ પુણ્ય છે એ સમજવું જોઈએ. દેવદ્રવ્યના ભંડારો સરકારી લોનોની દિશામાં ઠલવાયા છે. તેનો ઉપયોગ કતલખાના, કારખાના, લશ્કરી વ્યુહ અને લડાઈથી મહાપાપના કામોમાં થાય છે. બાહ્ય આડંબરોના ભભકા બતાવવામાં અને ગોટાળા કે બખેડા ચલાવવામાં કામ લાગે તેવી સ્થિતિ આ યુગમાં નભી ન શકે. રાષ્ટ્રધર્મઃ
મુનિશ્રી રાષ્ટ્રપ્રેમી હતા, એટલું જ નહિ પણ સ્વદેશી અને ખાદીના હિમાયતી હતા. રાષ્ટ્રીય જીવન ગંભીર સ્થિતિમાં છે. રાષ્ટ્રધર્મ તરીકે આપણી ફરજ છે કે સ્વદેશી ભાવના પોષવી જોઈએ. દરેકેદરેક ચીજ સ્વદેશી જ વાપરવી જોઈએ. પરદેશી કાપડ પણ ના વાપરવું જોઈએ. જેની પાછળ લાખો જાનવરો કતલ થતાં હોય અને લાખો મણ ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસા ધર્મી કેમ વાપરી શકે? ડુંગળી ખાવામાં જે દોષ છે તેના કરતાં હજારગણું અનંતગણું પાપ ચરબીવાળા નાપાક કપડાં વાપરવામાં છે. દેશનું કરોડોનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે તેથી દેશમાં બેકારી ભૂખમરો વધ્યો છે. આ સંક્રાતિકાળ છે. સ્વાતંત્ર્ય મેળવવું હોય અને ટાઢે પાણીએ ખસ કાઢવી હોય તો ખાદીના પૂજારી બની જવું જોઈએ. આપણી ઉન્નતિના ઉપાયોઃ | મુનિશ્રી ન્યાયવિજયજી જમાનાને ઓળખતા હતા. આજના યુગમાં નવી પેઢીને કેવું શિક્ષણ, કેવા સંસ્કાર અને કેવો ધર્મનો બોધ આપવો જોઈએ તે વિશે તેમણે ખૂબ ચિંતન કર્યું હતું. સાચી મુક્તિ અપાવે તે વિદ્યા અને તે માત્ર પુસ્તકોના કીડા બનીને નહિ પણ શારીરિક શ્રમ, વ્યાયામ અને વિધવિધ પ્રવૃત્તિઓ દ્વારા મળી શકે. જીવનનું ઘડતર અને ચણતર થવુ જોઈએ તેવું માનતા હતા. ઉન્નતિની ચાવી એકમાત્ર કર્તવ્યોની સાધના છે. સ્વ-ઉન્નતિ વગર ન સામાજિક
૩૫૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #408
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શક્ય છે. ઉન્નતિના પાયામાં વિદ્યાની જરૂર છે. સાચું જ્ઞાન ઉન્નતિનો મૂલાધાર છે. ગાંધી સપ્તાહને સંદેશોઃ
૨-૧૩૧ના રોજ સરદારશ્રીના હસ્તે હાજર રહેવાનું આમંત્રણ પૂ. ન્યાયવિજયજીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે હાજર રહી શક્યા ન હતા તેથી તેમણે પોતાનો સંદેશ મોકલાવ્યો હતો.
“જો દેશમાં ભલું ચાહતા હો તો અધોગતિના ભીષણ ખાડામાંથી દેશનો ઉદ્ધાર કરવા માટે ઘેર ઘેર રેંટિયાનો ગુંજારવ કરો. વિદેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે દેશની દુર્દશા દૂર કરવા ખાદી અને રેંટિયો તેનો અમોઘ ઉપાય છે.” દીક્ષા સંબંધી ખરડોઃ
વડોદરા “દીક્ષા' સંબંધી ખરડાને રદ કરાવવા નિમાયેલી અમદાવાદની જૈન કમીટીના ૧-૯-૩૧ના પત્ર ઉપર પૂ. મુનિશ્રી ન્યાયવિજયજીએ ઉત્તર આપેલ કે ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસંદ કરતો નથી. પણ આપણે પ્રમાદ નથી ખંખેરી શક્યા એ બહુ જ દિલગીરી ભર્યું છે. દીક્ષા સંબંધમાં જે મર્યાદાઓ તોડાઈ રહી છે એનું જ પરિણામ છે કે રાજ્યના મંત્રીઓ અને નરેશો પણ ખળભળી ઊઠ્યા છે. સ્ત્રી જીવનની ઉન્નતિઃ
માધવબાગમાં ૪-૧૩૧ના રોજ મહિલા સમાજ તરફ પૂ. ન્યાયવિજયજીએ સ્ત્રી જીવન ઉન્નતિ પર પ્રવચન આપ્યું હતું. સ્ત્રી-પુરુષ એ સમાજરૂપી કે ધર્મરૂપી રથના બે પૈડા છે. એ પૈડા બરાબર હોય તો રથની પ્રગતિ થઈ શકે તેમ સ્ત્રી પુરુષ દંપતિ પરસ્પર યોગ્ય ગુણસંપન્ન હોય તો તેઓ પોતાનો ઉત્કર્ષ સાધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધર્મની ઉન્નતિ થાય. સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાન દશા સંસારને માટે શ્રાપ રૂપ છે. નારી જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી ગતનો અંધકાર દૂર ના થઈ શકે. માતાના સંસ્કારો બાળકમાં ઊતરે છે. દરેક માતાએ પોતાના બાળકો માટે કુટુંબના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે વિચાર, વાણી, ઉચ્ચ બનાવવાની આવશ્યકતાઓ છે. યુવકોને ઉદ્ધોધનઃ
૨૭૧૩૧ના પ્રબુદ્ધ જૈનના અંકમાં પૂ. મુનિશ્રીએ યુવકોને સંદેશ પાઠવ્યો હતો કે તમારી યુવાનીનો જોશ, તમારું ઊછળતું ખમીર, તમારી જ્ઞાન દિશા અને જીવન સર્વસ્વ ધર્મની બુઝાતી જ્યોતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થવું જોઈએ. કાયરતાના જાળા ખંખેરી નાંખી કર્મક્ષેત્રના મેદાનમાં ઊતરી જાવ. શાસનદેવ સહાયક થશે.
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૯
Page #409
--------------------------------------------------------------------------
________________
સાધુ સંસ્થાની વર્તમાન જીવનદશાઃ
પૂ. ન્યાયવિજયજીએ સાધુ સંસ્થા વિશે ખૂબ ખૂબ વિચારો કર્યા છે. સાધુ સમાજમાં ઐક્યતા દેખાતી નથી. તીર્થચર્યાનો બળબળતો પ્રશ્ન લ્યો નથી. સમાજના ઉત્કર્ષ અને સમુન્નતિ માટે જે દર્દ હોવું જોઈએ તે દેખાતું નથી. આજે પદવીના મોહ જાગ્યા છે. વિદ્વત્તા ન હોય અને જોગ પણ કર્યા ન હોય તેવા પંન્યાસ થઈ બેસે અને આચાર્યની મહાન જવાબદારીનો વિચાર કર્યા વિના આચાર્ય થઈ બેસે તો પદવીના માન ક્યાંથી રહે? પદવીનો રાફડો ફાટ્યો છે. પદવીની કિંમત રહી નથી. ચેલા વધારવા ખાતર પણ ભારે કાવતરા રચાય છે. શ્રમણજીવન એ વિશ્વબંધુત્વનું વ્રત છે. તેમના હૃદયકમળમાંથી સુવાસભર્યા – સુધા વચનો નીકળે જે હજારોને શીતળતા આપી જાય. વ્યાખ્યાનમાળા એ શિક્ષણમાળા બનાવી જોઈએ. શ્રોતાઓમાં સારી ભાવના સીંચાવી જોઈએ જેથી તેમના કર્તવ્યમાર્ગનું તેમને ભાન થાય. હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાનશિક્ષામાં વૃદ્ધિ થાય. જૈન શાસનના વિશિષ્ટ ઉદ્યોતો જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનોવાળી સભામાં વ્યાખ્યાનો આપવાથી થઈ શકે. સાધુઓ પાસે યુવાનો આવતાં ભડકે છે એનું કારણ દૂર થવું જોઈએ. તેમના પ્રશ્નોનો સમતાથી જવાબ આપી શકાય તો તેઓને સંતોષ થાય અને જૈન ધર્મના સિદ્ધાંતો જાણીને પ્રભાવિત થાય. વિતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ પ્રશોભન ઘટે?
પૂ. ન્યાયવિજયજી નવીન વિચારક હતા, નિર્ભીક હતા. પોતાના વિચારોને ખુલ્લંખુલ્લા મૂકવામાં નીડર હતા. તેમના નવા વિચારોથી જુનવાણી માનસ ધરાવતા કેટલાક મુનિવરો સમસમી રહ્યા હતા. છતાં પણ કેટલાક વિદ્વાનો – વિચારકો તેમના વિચારોને અપનાવતા હતા.
આપણે હૃદયશુદ્ધિ માટે, આત્માની લબ્ધિ માટે, ઈન્દ્રિયોના વશીકરણ માટે, કષાયોના પરાજય માટે દેવદર્શને જઈએ છીએ. અંદરનો મેલ ધોવા માટે, અંદરના રોગોને નાબૂદ કરવા માટે, રાગદ્વેષ ખંખેરવા માટે સત્યના પાઠ શીખવા માટે દેવાલય જઈએ. તેમના ગુણોનું ચિંતન કરી જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાનો છે. જીવનની શુદ્ધિ કરવાની છે. દેવાલય એ શાંતિનું ધામ છે. એ પ્રતિમાઓ શાંતિ અને મંગલકારી છે. તેને આભૂષણ અંગરચના ઝગમગતી આંગી શોભે ખરી? આંગી વિનાની મૂર્તિ કેવી પ્રશાંત જણાય છે! સાહિત્ય સ્વામી
તેમણે મુંબઈમાં વિદ્યાર્થીઓ અને યુવાન પેઢીને સાહિત્ય દ્વારા જે સંદેશ આપ્યો હતો તેમાં પ્રોત્સાહન, વિરક્ત શાંતિ, આશ્વાસનમ્, આત્મપ્રબોધ, કાત્રિશિકા, મુદ્રાલેખ, પ્રબોધનમ્, પ્રેરણા દીનાક્રન્દન, અનેકાંતવિભૂતિ-વીરવિભૂતિ વગેરે સુંદર પુસ્તકો ભાવવાહી ભાષામાં આપ્યાં છે. લગભગ ૮૦૦ શ્લોકો ગુજરાતી અનુવાદ સાથે રસપ્રદ રીતે આપ્યાં હતાં. ૩૬૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #410
--------------------------------------------------------------------------
________________
સં. ૨૦૧૦માં ન્યાયતત્ત્વ પ્રકાશની પુસ્તિકા આપી છે. તે તેમની સંસ્કૃત ભાષા પરની નિપુણતા દર્શાવે છે. કેવી તેમની અજબ બુદ્ધિપ્રભા ! ઉત્તરાવસ્થામાં શરીર બીમારીથી ઘેરાયેલું હોવા છતાં ‘કલ્યાણભારતી' અનુપમ ગ્રંથ આપ્યો છે. ૫૬૦ પૃષ્ઠોના ગ્રંથમણિમાં પચ્ચીસ પ્રકરણમાં પ૦૦ જેટલા શ્લોકોમાં જૈન ધર્મનું હાર્દ, સિદ્ધાંતો સરળ ભાષામાં આપ્યા છે. આ ગ્રંથ તેમની વિદ્વત્તાનો અદ્ભુત ગ્રંથમણિ છે.
‘આત્મવિભૂતિ’ પણ ૧૦૮ શ્લોકમાં આપી. મહાત્માઓના ગ્રંથોનું દિગ્દર્શન કરાવ્યું છે. મહામાનવ ૧૧૩ શ્લોકમાં, વીરવિભૂતિ ૧૦૨ શ્લોકમાં, ન્યાય કુસુમાંજલી ૧૮૫ શ્લોકમાં અને એક પ્રાકૃત ગ્રંથ સાતત્તાનોો ૫૦ શ્લોકોમાં આપીને ચમત્કાર સર્જ્યો છે.
હિંદી, ગુજરાતી, અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું. ૭ હિંદી, ૧૧ અંગ્રેજી, સંસ્કૃતમાં ૨૫, ગુજરાતીમાં ૪૨ પુસ્તકો આપીને સાહિત્યના સ્વામી અને સાહિત્યસમ્રાટ કહેવાયા.
અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો તૈયાર થતાં પહેલાં જ કાળે તેમને ઝડપી લીધા હતા. માંડલ માટે તેમને બહુ માન હતું તેઓ કહેતા કે માતાઓ જેમ દીકરાને સાચવે તેમ માંડલની માતાઓ મારી ઝીણામાં ઝીણી કાળજી લઈ પુત્રથી અધિક મને સાચવતા એટલે મારે મન તો માંડલ સ્વર્ગભૂમિ છે. તેઓ કહેતા કે મારું દિલ ક્યાંય જવા કબૂલ થતું નથી. આવી ચાકરી અને સેવા બીજે મને મળવાં અસંભવિત લાગે છે.
વિ.સં. ૨૦૨૬ના મહાવદી-૫ તા. ૬-૨-૭૦ના રોજ ઓચિંતા જ આ દુનિયામાંથી વિદાય થયા. આગલા દિવસે અગાશીમાં ફરતા હતા. ઝડપથી ચાલ્યા જાય એવી કોઈ માંદગી નહોતી ત્યાં અગાશીમાં ઓચિંતા લકવાનો હુમલો થયો એમને ઉપાડી પથારીમાં સુવાડ્યા ત્યારે પણ હસતા જ વાતો કરતા હતા. યોગ્ય ટ્રીટમેન્ટ આપી. જો ઠીક ન થાય તો અમદાવાદ લઈ જવાનો સંઘે નિર્ણય કર્યો. એ નિર્ણય અમલી બને તે પહેલાં જ ૧૦ વાગતાં દુનિયામાંથી વિદાય થઈ ગયા. માંડલનું ધર્મછત્ર ઝૂંટવાઈ ગયું, હૈયાને હળવું કરવાનું આશ્રયસ્થાન ચાલ્યું ગયું. મંગળવાણી સાંભળવાનું સદ્ભાગ્ય સાને માટે અસ્ત પામી ગયું. એમના ખડખડાટ હાસ્યથી ગુંજતું વાતાવરણ તેમના વિના ભેંકાર બનવા લાગ્યું.
પ્રાચીનકાળનો જૈન શબ્દ આજે ફરી સાંપ્રદાયિક રૂપે વપરાવા લાગ્યો છે ત્યારે ન્યાયવિજ્યજીએ ધર્મને વ્યાપક દૃષ્ટિએ ઓળખવા માટે પ્રધાન સર્વ ધર્માળાં, સત્યં નતિ શાસનમ્। આવું વ્યાપક દૃષ્ટિયુક્ત વિધાન કરીને પોતાનો સત્યપ્રેમ વ્યક્ત કર્યો છે.
કૈલાસબહેન શાહ
અમદાવાદ
મો. 9909716022
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૬૧
Page #411
--------------------------------------------------------------------------
________________
- આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ
હ જશવંતલાલ શાહ
ધાર્મિક વિષયોના શ્રવણ, મનન પ્રત્યે રસ ધરાવનાર શ્રી જશવંતભાઈ જૈન સાહિત્ય સમારોહમાં શ્રોતા તરીકે હાજરી આપતાં આપતાં પોતે પણ વક્તા તરીકે પ્રયત્નશીલ બન્યા અને તેમની પાસેથી આ લેખ પ્રાપ્ત થાય છે. – સં.).
ઈસ્વીની વીસમી સદીમાં મુંબઈમાં જૈન સાહિત્યકાર શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠના ઘણા પુસ્તકો, ગ્રંથો જેન ધર્મ આધારિત અને શ્રીમદ્ રાજચંદ્રના જીવન તથા સાહિત્ય આધારિત તથા સૌને જીવનઉત્થાન માટે ઉપયોગી એવા પ્રકાશિત થયા છે.
જન્મ : મોરબી (સૌરાષ્ટ્ર - ગુજરાત) તા. ૨૧-૧૦-૧૯૦૨
અભ્યાસ : મોરબીમાં મેટ્રિક (ઈ. સ. ૧૯૨૭), પછી મુંબઈ વલ્સન કૉલેજમાં અર્થશાસ્ત્ર સાથે B.A. ઈ. સન ૧૯૩૧માં થયા, ત્યારે ગ્રાંટ રોડ પરની બૉર્ડિંગમાં રહેતા હતા અને પગે ચાલીને જ કૉલેજ જતા.
એમના શોખ : પુસ્તકો, વાચન, લેખન તથા નબળા સહાધ્યાયીઓને શીખવવું. અંગ્રેજી તથા ગુજરાતી ભાષાના ઘણા ગ્રંથોનો અભ્યાસ કરી બંને ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું.
દેહવિલય : મુંબઈમાં તા. ૨૨ જુલાઈ ૧૯૮૧. જીવન ઝરમર અને જીવનકાર્યઃ
શ્રી ભોગીલાલભાઈનું જીવન – જે તેમના જ પુસ્તક રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો' (લેખક : શ્રી ભો. ગિ. શેઠ, આવૃત્તિ ૧૯૮૫)માંથી જ મળે છે. જીવન અને જીવનકાર્ય ઉલ્લેખનીય એટલા માટે છે કે જીવન જ ધર્મચિંતનમય અને સાધનામય હતું, બીજાઓને લાભ મળે એ ભાવના હતી. અને એમાંથી જ સહજ રીતે લખતા થયા, જેના પરિણામે જ તત્ત્વવિચાર આપનાર અને ધર્મપ્રેરક સાહિત્ય સમાજને પુસ્તકો રૂપે મળ્યું છે. તેમાંથી ઘણાંની તો વધુ આવૃત્તિઓ છપાઈ છે, લેખનકાર્ય ઈ.સ. ૧૯૬૧થી શરૂ થયું તે ઠેઠ જીવનના અંત વર્ષ ૧૯૮૧ સુધી ચાલુ રહ્યું. સતત વાંચન, સતત ચિંતન અને સતત લેખન.
નાનપણથી જ સાદાઈ, કોઈ મોજશોખ નહીં. પૈસા બચાવીને પુસ્તકો ખરીદતા
૩૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #412
--------------------------------------------------------------------------
________________
અને વાંચતા. પુસ્તકો કાળજીથી સાચવે. અક્ષરો મોડદાર સુંદર હતા. મુંબઈમાં શરૂમાં (ઈ.સ. ૧૯૩૧) માસિક રૂ. ૫૦/- પગારની નોકરી હતી.
સન ૧૯૩૩માં શ્રી સુશીલાબહેન સાથે લગ્ન. સાહિત્ય, વાચન અને આધ્યાત્મિક વાચન ચાલતું, જેનાથી ભાષાજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન વિકસ્યું. નાની પુત્રીને સંભાળતી વખતે પણ તેને ભક્તિગીતો અને વૈરાગ્યગીતો સંભળાવતા.
જ્યોતિષવિદ્યાનો પણ અભ્યાસ કરેલો; આગાહીઓ પણ સચોટ કરતા.
ઈ.સ. ૧૯૫૨માં માંદગી દરમિયાન વાચન વધ્યું. ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીના ‘વચનામૃતો’ ગ્રંથ વાંચવામાં આવતાં તે વચનો અને તે વિચા૨સ૨ણીનો એમના પર ખૂબ પ્રભાવ પડ્યો જે એમના પછીના પૂરા જીવન પર અને લેખન પર રહ્યો. આનાથી સમ્યક્દર્શન પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી લાગી. અને તે અંગેનું ચિંતન અને જીવનમાં વ્રત, નિયમો, સંયમના પ્રયોગોના પુરુષાર્થ વધ્યા.
ઈ.સ. ૧૯૫૭થી થોડા મિત્રો સાથે રોજ રાત્રે શ્રીમદ્ રાજચંદ્રના વચનોનું વાચન શરૂ કર્યું. પોતે તો એમાં જ ખોવાયેલા રહેતા. જીવન એવું સંયમિત બન્યું કે બોલવાનું પણ બહુ ઓછું થઈ ગયું.
વિશેષાર્થસહિત
ઈ.સ. ૧૯૬૧માં પહેલું પુસ્તક ‘આત્મસિદ્ધિશાસ્ત્ર
વિવેચન’ એ નામે પ્રસિદ્ધ થયું.
ઈ.સ. ૧૯૬૬થી ધંધામાંથી પૂર્ણ નિવૃત્તિ લીધી. આર્થિક અને બીજી ભીડ વચ્ચે પણ ધાર્મિક, આધ્યાત્મિક વાંચન, ચિંતન વધાર્યાં. પ્રભુ પ્રત્યે સમર્પણતા અને શ્રદ્ધા કેળવી. સ્વસ્થતા રાખી આત્મા કેવી રીતે ઉત્થાન કરી શકે એ માટેનું જાતે તાદશથી ઉદાહરણ બની રહ્યા.
ઈ.સ. ૧૯૬૭માં અકસ્માત, ફેક્ચર અને માંદગીની પથારીવશતામાંય આત્મસાધના સાથે સહૃદયી મિત્રોને અનુભવજ્ઞાન સમજાવવું શરૂ કર્યું. ઈ.સ. ૧૯૬૮થી તો ઘણા મિત્રોએ તેઓના માર્ગદર્શન હેઠળ જીવનમાં ફેરફાર અને ધર્મારાધના શરૂ કર્યા જેનાથી તેમને ઘણો ઉલ્લાસ થયો. પછી બીજાઓને પણ લાભ મળે એ શુભભાવથી ઈ.સ. ૧૯૭૦માં ભક્તિ માર્ગનું રહસ્ય’ પુસ્તક પ્રગટ કર્યું. તેની પ્રસ્તાવનામાં લેખક લખે છે કે ઃ
“આ પુસ્તકમાં જ્ઞાનમાર્ગને ગૌણ રાખીને ભક્તિનું માહાત્મ્ય બતાવ્યું છે. જ્ઞાનમાર્ગનો નિષેધ નથી, પણ ભક્તિભાવ સહિત ધર્મક્રિયા આપોઆપ અંતરથી પ્રગટ થાય એના પર ધ્યાન આપ્યું છે. જ્ઞાનમાર્ગ દુરાધ્ય છે, તો ક્રિયામાર્ગમાં માનકષાય, વ્યવહાર-આગ્રહ વગેરે દોષોનો સંભવ છે. વળી, સત્પુરુષો અને તેનાં વચનોના વિશે પ્રીતિ, ભક્તિ થાય તે આત્મવિચાર અને સમ્યક્ સાધના માટે જરૂરી છે, ઉપયોગી છે.”
તેઓશ્રીના અંત૨ ૫૨ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતો અને આત્મસિદ્ધિશાસ્ત્રનો આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૩
Page #413
--------------------------------------------------------------------------
________________
જબરો પ્રભાવ રહ્યો છે જે તેમના પુસ્તકોના કથાવસ્તુમાં ઝળકે છે. તેઓ ઉત્તમ તત્ત્વચિંતક, સાધક અને લેખક બની રહ્યા.
- બીજાઓને ધર્મલાભ આપવાની ઉત્કટતા રહી જેના પરિણામે જ તા. ૨૩૧૨-૧૯૮૦ના રોજ શ્રેયસ પ્રચારક સભા નામે પ્રકાશન સંસ્થા સ્થાપી અને એનો હેતુ હતો જનતાના વ્યાવહારિક અભ્યદયમાં તથા પારમાર્થિક ઉત્કર્ષમાં ઉપયોગી એવું સાહિત્ય કોઈ પણ ધર્મના ભેદભાવ વગરનું પ્રકાશિત કરવું.
- ઈ.સ. ૧૯૭૧માં સખ્ત બીમારી છતાં વાચન, લેખન, આરાધના, વ. ધર્મપ્રવૃત્તિ ચાલુ રહી એટલું જ નહીં, પણ બલકે વધી. દર શનિવારે એક કલાક ભાવિક રસિકોને વાચના આપવાનું શરૂ કર્યું.
શ્રીમદ્જીના લખાણના ઘણા શબ્દોના અર્થ સમજવા મુશ્કેલ પડતા, તેથી સન ૧૯૭૪માં અધ્યાત્મજ્ઞાનકોષ' બનાવી પ્રકાશિત કર્યો.
શ્રીમદ્જીના જીવનવિકાસ અંગે એમના જ પત્રોના સંકલનરૂપે સામાન્ય સાધકને ઉપયોગી થાય એવું પુસ્તક ‘અધ્યાત્મ જીવનગાથા' ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યું.
વળી, શ્રીમદ્જીના પત્રાંક ૧૭૨માં મોક્ષમાર્ગની સાધનાનું સુંદર વિશ્લેષણ છે તે આધારિત ગ્રંથ નિર્વાણ માર્ગનું રહસ્ય' લખી ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યો.
સંસારથી મુક્તિની સાધના માટે સમાધિમરણની અનિવાર્યતા સમજાવતું પુસ્તક “સમાધિ મરણ” ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યું.
વળી, આત્મસાધના દરમિયાન લાધેલી ભક્તિમાર્ગની વિશેષ ઊંડી સમજણને પ્રકાશિત કરવા પોતાના જ અગાઉના ભક્તિમાર્ગનું રહસ્ય' પુસ્તકના લખાણને સુધારી, વિસ્તૃત કરીને ફરી ઈ.સ. ૧૯૭૮માં એ જ નામથી સુધારેલી આવૃત્તિ પ્રગટ કરી.
બીમારીની તીવ્રતા વધવા છતાં સન ૧૯૭૭ અને સન ૧૯૭૮માં વિશેષ લખાણો પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. ઈ.સ. ૧૯૮૦માં આંખોના ઓપેરશન પછી એ જ વર્ષમાં ત્રણ નિબંધો ત્રણ પુસ્તિકા રૂપે પ્રગટ કર્યા.
પછી ઈ.સ. ૧૯૮૧માં આધ્યાત્મિક નિબંધો' નામ હેઠળ એક વિસ્તૃત પુસ્તક સાત નિબંધોવાળું પ્રગટ કરાવ્યું.
ગંભીર માંદગીમાં અને જીવનની સંધ્યાએ વિશેષ ઉપયોગી માર્ગદર્શન વાળી નાની પુસ્તિકા છેલ્લી ઘડીના અવસરે ઈ.સ. ૧૯૮૧માં પ્રગટ કરી.
ઈ.સ. ૧૯૮૧ના જુલાઈમાં બીમારી તીવ્ર બની. ત્યારે શરીર સીધું રાખી સૂતા. ખોરાક છોડીને, છેવટે પાણી પણ છોડીને તા. ૨૨ જુલાઈ ૧૯૮૧ની રાત્રે એ સાધક, આત્મચિંતક સાહિત્યકાર એવા પવિત્ર આત્માએ સમાધિપૂર્વક દેહ છોડ્યો. જીવ નીકળ્યાની કોઈ બાહ્ય નિશાની ન દેખાઈ. પોતાના જીવનના ચિંતન અને સાધનાના નિચોડરૂપે લખાયેલું ઘણું સાહિત્ય મૂકી ગયા જે અભ્યાસુઓને
૩૬૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #414
--------------------------------------------------------------------------
________________
અને મુમુક્ષુઓને ઘણું ઉપયોગી અને લાભકર્તા થાય એવું છે.
આમ જોતાં, તેમણે લખવા ખાતર જ ક્યારેય લખ્યું નથી, પણ તેમના સાધનામય જીવનના પ્રવાહમાં ચાલેલા આત્મચિંતન અને અનુભવના પરિપાકરૂપે સહજ જ લખાતું ગયું જે સૌને ઉપયોગી, ઉપકારી એવું ઘણું સાહિત્ય આપણને મળ્યું છે.
આવા હતા આત્મચિંતક, સાધક, વિરલ જૈન સાહિત્યકાર શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ
- “બાલવિદ્યાર્થી.” જશવંતલાલ વ. શાહ
તેમનાં પ્રકાશિત પુસ્તકો ૧. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન) : પ્રથમ પ્રકાશન : ઈ.સ. ૧૯૬૧. ૭મી આવૃત્તિ પાનાં ૪૪૫ ઈ.સ. ૨૦૦૬માં શ્રેયસ પ્રચારક સભા, એ. એમ. મહેતા કાં. શરફ મેન્શન, ૩૨ પ્રસેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ તથા ૩૫ મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧
આ ગ્રંથમાં કુલ ૧૨ પ્રકરણો-વિભાગો છે. અક્ષરો મોટા ને છૂટા સુવાચ્ય છપાયા છે. લેખકે શાસ્ત્રની ૧૪૨ ગાથાઓનું ગાથાવાર બહુ સરળ ભાષામાં સામાન્ય વાચકને સમજાય એ રીતે સરસ વિવેચન કર્યું છે. પૂરા જૈન દર્શનના પ્રરૂપણરૂપ આ કૃતિમાં ગૂઢ ચિંતન સમાયું છે. એટલું જ નહીં, પણ છ પદનું વર્ણન – વિવેચન જૈન સહિતના છએ દર્શનનું પરિચયસહ વિવેચન સમાવી લીધું છે. ભાવાર્થ અને વિશેષાર્થ વિસ્તારથી સમજાવ્યા છે.
૨. ભક્તિમાર્ગનું રહસ્ય : પ્રથમ પ્રકાશન સન ૧૯૭૦ શ્રેયસ પ્રચારક સભા. ફરી એના સુધારેલા લખાણની વિસ્તૃત રૂપે આવૃત્તિ પ્રકાશન થઈ ઈ.સ. ૧૯૭૮માં શેઠ સદ્ગત નગીનદાસ ગિ. શેઠના ટ્રસ્ટીઓ શ્રી જમનાદાસ શેઠ, માઉન્ટ યૂનિક, ૬૨-પેડર રોડ, મુંબઈ-૪૦૦૨૬ ફરી ત્રીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૨માં પ્રત: ૨૦૦૦, કુલ પાનાં ૨૪૮ની પ્રગટ થઈ છે.
આ પુસ્તકમાં ૧૫ પ્રકરણો છે.
લેખક શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતોથી અને તેમણે બતાવેલા ભક્તિ માર્ગની મહત્તા અને તેના સહેલાપણાથી એટલા પ્રભાવિત થયા કે આ વાત ભાવિકો સમક્ષ મૂકવા વિચાર્યું અને આ ગ્રંથ બન્યો. ‘ભગ’ શબ્દનો અર્થ, ભક્તની વિચારધારા, ભક્તનું આત્મસંબોધન, તેની સાધના સતત ચિંતવવા યોગ્ય મંત્રરૂપ વાક્યો, વ. આ ગ્રંથમાં આવરી લીધા છે. સાધક ભક્તને ખૂબ જ માર્ગદર્શક આ ગ્રંથ બન્યો છે.
૩. શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ જ્ઞાનકોશ : પ્રકાશન : ઈ.સ. ૧૯૭૪ પાનાં
આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૫
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૩૮, પ્રકાશક : સદ્ગત શ્રી નગીનદાસ ગિ. શેઠના ટ્રસ્ટીઓ, ૫૦૫, કાલબાદેવી, મુંબઈ-૨
લેખક શ્રી પ્રસ્તાવનામાં લખે છે કે ‘શ્રી રાજચંદ્ર' ગ્રંથમાંની જુદાજુદા વિષયોની માહિતી કક્કાવારી પ્રમાણે ક્રમવાર ગોઠવીને Reference Book તરીકે ઉપયોગી થાય એવું આ પુસ્તક બનાવ્યું છે.
૪. સમાધિમરણ : પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૭૭, પાનાં ૨૧૮, પ્રકાશક : એમ. એમ. મહેતા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧
આ પુસ્તકમાં મૃત્યુની અવશ્યતા, મરણના પ્રકારો, સમાધિમરણ, અસમાધિમરણ, મૃત્યુ વખતે થતું દુઃખ, મરણ પ્રસંગ પરથી લેવાનો બોધ, તે સમયે થતી પ્રક્રિયા, સમાધિમરણ માટેની પૂર્વતૈયારી, એ સમયે જરૂરી અંતિમ આલોચના વગેરે વિચારણાઓ અને માર્ગદર્શન દર્શાવ્યા છે. મનુષ્યદેહ સાર્થક થાય અને મરણ સમાધિપૂર્વક થાય એ અંગે બનેલા બનાવોના દૃષ્ટાંતપૂર્વક લાભકારી લખાણ છે. છેલ્લી ઘડીએ જ્ઞાનીના ટૂંકા મંત્રસ્વરૂપ વચનો હળવેથી બોલવાની ઉપયોગિતા બતાવી. જેવી ભાવના એવી સિદ્ધિ એ ન્યાયે શ્રેષ્ઠ ભાવનાઓ ભાવવાની ભલામણ કરી છે.
૫. નિર્દેશ માર્ગનું રહસ્ય : પ્રકાશન ઃ ઈ.સ. ૧૯૭૭ (પત્રાંક ૧૭૨) પ્રકાશકઃ એ. એમ. મહેતા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧ પાનાં ૧૫૮.
શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના શિષ્ય મુનિશ્રી લલ્લુજીને લખેલા બે પત્રો ક્ર. ૧૭૨ અને ૮૭૫માંની વસ્તુનું વિવેચન આ ગ્રંથમાં છે. સહુને હિતકારી થાય એવો બોધ નિર્વાણમાર્ગ માટેના, હ્રદયપૂર્વકની આરાધનાથી જેનાથી મુક્તિ મળે એ માટેના સાત બોલ સહિત ક્રમવા૨ માર્ગનું અદ્દભુત વર્ણન કર્યું છે. – નિરંતર ઉદાસીનતા, વિરાગતા સેવવી.
સત્પુરુષની ભક્તિ એટલે કે એના પ્રત્યે સમર્પણતા કેળવવી, એની આજ્ઞા પાળવી.
સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ, ચિંતન, મનન કરવું જેનાથી જીવનમાં ગુણો અને શુદ્ધિ વધે.
- સત્પુરુષના લક્ષણો જેવાકે ચૈતન્યમય ચિત્તની દશા, આત્મામય ઉપયોગ (ધ્યાન), એમના વચનો અને એની ઉપકારીતા, વગેરે વિચારવા.
– સત્પુરુષોની મુખાકૃતિ અને આંખમાં પ્રકાશિત થતા આત્મિક ગુણો જેવા કે શાંતભાવ, કરુણા અને ક્ષમાભાવ વગેરેનું અવલોકન કરવું. આનાથી આરાધક દર્શકના અંતરમાં અહોભાવસહ તેના વચનોમાં શ્રદ્ધા દૃઢ થાય છે..
જ્ઞાનીના મન, વચન, કાયાની દરેક ચેષ્ટાના રહસ્યોનું ચિંતન કરવું. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ત્રણે યોગની એકતાપૂર્વક કરવું. આમ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા જ મોક્ષ માર્ગ ખોલી આપે છે.
૩૬૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #416
--------------------------------------------------------------------------
________________
૬. પ્રેમ અને પૂર્ણતા : પાનાં ૭૧, પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦, એશીયાટીક ચે. ટ્રસ્ટ, ૪૯, માઉન્ટ યૂનીક, ૬૨ પેડર રોડ, મુંબઈ-૨૬.
આ એક નિબંધની લઘુ પુસ્તિકા છે. પ્રેમ એ એક અલૌ િતત્ત્વ અને આત્માનો જ નિર્મળ ગુણ છે તેને અને તેના સાચા સ્વરૂપને સમજવાની વિચારણા લાંબો સમય (લેખકને) ચાલી. અને તેમાં બીજા ઘણા પ્રભુપ્રેમીઓના વચનોથી પ્રેરણા થઈ. આ નિબંધ માટે પ્રેમમાર્ગનો યાત્રાળુ પ્રેમગુણને વિકસાવી તેને પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે એ વાત કરી. ખરો પ્રેમ છેવટે પરાભક્તિમાં પરિણમે, પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય અને એમ થતાં પ્રભુપ્રેમી પૂર્ણતાને પામે છે એ વિચાર ઉપસાવ્યો છે. ખરો પ્રેમ જ પૂર્ણતા અપાવે છે. જેનાં વચનોથી પ્રેરણા થઈ એ વિચારકોના પ્રેમ' અંગેના ઉદ્દગારો પુસ્તકના છેવટના વિભાગમાં નોંધ્યા છે, જે નવ છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં છે. એવા પ્રેરક છે શ્રીમદ્દ ભગવતુ, નારદ ભક્તિસૂત્ર, શાંડિલ્ય, સંત કબીર, શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી શિવાનંદજી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, પોંડીચેરીવાળા માતાજી, એક પ્રભુભક્ત વગેરે જેના વચનો અને નામોની નોંધ-સ્વીકૃતિ ગ્રંથની શરૂઆતમાં જ છે.
૭. ત્રણાનુબંધ (નિબંધ) : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦, લઘુ પુસ્તિકા પાના ૬૨.
દરેક જીવ ભવોભવના ભ્રમણ દરમિયાન બીજા જીવો સાથે સંબંધમાં આવે છે ત્યારે ગમા અને અણગમાના ભાવોથી લેણ-દેણના, શુભ અને અશુભ કર્મો બાંધે છે, આની સાંકળ તે ઋણાનુબંધ છે. ત્રણ એટલે કરજ અને તે અનુરૂપ ફળ દેનાર બંધ તે અનુબંધ છે.
ગુરુ અને શિષ્ય વચ્ચે પણ શુભ ઋણાનુબંધ હોય છે. જુદીજુદી ગતિના જીવો પણ ઋણાનુબંધના કારણે સંબંધમાં આવે છે, લેણદેણ પતાવતાં ગમતી અને અણગમતી પ્રવૃત્તિ કરે છે. આખો સંસાર ઋણાનુબંધના આધારે ચાલે છે, ચાલ્યા જ કરે છે.
જીવ રાગદ્વેષના ભાવો ન કરે તો આવા બંધથી છૂટા રહી શકે છે. વિશેષ તો, તેવા કર્મના ઉદય વખતે ફરી રાગ-દ્વેષ ન કરતાં નિ:સ્પૃહ રહી સહન કરી લે તો અનુબંધની સાંકળથી ફરી ન બંધાય, છૂટતો જાય છે.
આ બધી ચર્ચા વિસ્તારથી ૬૨ પાનાંના આ નિબંધમાં છે.
૮. જાતિસ્મૃતિ જ્ઞાન (નિબંધ) : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦ (લઘુપુસ્તિકા) પાનાં ૪૬.
આ ત્રણેય (ક્ર. ૬, ૭, ૮) નિબંધો પછીથી ઈ.સ. ૧૯૮૧માં અને ફરી સન ૧૯૯૬માં છપાયેલ બીજા નિબંધોની સાથે એકત્ર કરીને ૨૫૮ પાનાનું નવું પુસ્તક ‘આધ્યાત્મિક નિબંધો' એ નામથી શ્રેયસ પ્રચારક સભાએ પ્રકાશિત કર્યું છે.
જાતિસ્મૃતિ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે. તેના મુખ્યત્વે ૪ ભેદ છે : અવગ્રહ એટલે કે Perception, ઈહા એટલે કે Conception, અવાય 2/2€ Decision 244 ElLZBUL Bize } Retention. guldzyld sult GLEULZ
આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૭
Page #417
--------------------------------------------------------------------------
________________
થઈ શકતું નથી, કોને થઈ શકે છે, તેના પ્રકારો, તે થવાના નિમિત્તો, વગેરે ચર્ચા તેવું જ્ઞાન જેને થયેલું તેના દચંતો સહિત, વિસ્તારથી કરી છે.
આવું જ્ઞાન ચારેય ગતિના જીવોને થઈ શકે છે. આવા જ્ઞાનમાં કેટલા ભવો જાણી શકાય વગેરે ઘણી ચર્ચા વિસ્તારથી ૪૬ પાનાંના આ નિબંધમાં કરી છે.
૯. અધ્યાત્મ જીવનગાથા : પ્રકાશન : સન ૧૯૭૭ આ ગ્રંથ સહજ લભ્ય નથી.
શ્રીમદ્ રાજચંદ્ર પોતાના આત્માને લગતા જે વચનોનો પ્રયોગ તેમના વિવિધ પત્રોમાં કર્યો છે તેને ક્રમપૂર્વક ગોઠવીને વાંચવામાં આવે તો જીવનના વિકાસનો ક્રમ સહેલાઈથી મુમુક્ષુ વાચકને સમજાય એ વિચારે આ ગ્રંથ તૈયાર કર્યો છે.
૧૦. આધ્યાત્મિક નિબંધો : પ્રથમ પ્રકાશન : ઈ.સ. ૧૯૮૧, પાના ર૬૦, શ્રેયસ પ્રચારક સભા, ૩૨, પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ફરીથી પ્રકાશન : ઈ.સ. ૧૯૯૬, પાનાં ૨૫૮ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા.
આમાં કુલ સાત નિબંધો છે. જેમાં અગાઉ નાની પુસ્તિકારૂપે (સન ૧૯૮૦) છપાયેલા ત્રણ નિબંધો સહિત નવા ચાર નિબંધો ઉમેરીને આ વિસ્તૃત પુસ્તક પ્રકાશિત કર્યું છે. આના વિષયો છે :
(૧) સપુરુષોના મંગળ ઉપદેશનો સાર. (૨) માટીમાંથી ઘડો તેમ જીવમાંથી શિવ થાય. (૩) પુષ્પ પર એક વિચાર (૪) આત્માનુભૂતિ (૫) જાતિસ્મૃતિ જ્ઞાન (૬) ઋણાનુબંધ (૭) પ્રેમ અને પૂર્ણતા
આ ત્રણ ૧૯૮૦માં ત્રણ અલગ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ થયેલ તે અહીં સમાવિષ્ટ કર્યા છે.
આઠમા પ્રકરણમાં ૧૦ પાનામાં વિવિધ શાસ્ત્રોના અને મહાત્માઓના પ્રેમ સંબંધી વચનામૃતોની નોંધ લીધી છે.
નવમા પ્રકરણમાં આઠ પાનામાં પ્રેમપ્રશસ્તિ રૂપ દેશી અને વિદેશી મહાત્માઓના વચનોના ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અવતરણો સંગૃહીત કર્યા છે.
૧૧. છેલ્લી ઘડીના અવસરે પ્રકાશનઃ ઈ.સ. ૧૯૮૧ સાવ નાની સાઈઝમાં પાનાં ૬૦, શ્રેયસ પ્રચારક સભા, ૩૨, પીં. સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૨.
છેલ્લે છઠ્ઠી આવૃત્તિ સન ૨૦૦૩માં છપાઈ છે.
ઈ.સ. ૧૯૭૭માં છપાયેલ “સમાધિમરણ પુસ્તકની બધી નક્કો જલદી ખપી જતાં બીજી સુધારેલી આવૃત્તિ છપાવવાનું નક્કી કર્યું, પણ તેમાં વિલંબ થતાં તેમાંના અંત ભાગમાંનું છેલ્લી ઘડીના અવસરે શીર્ષક હેઠળનું સર્વસામાન્ય ઉપયોગી લખાણ આ નાની પુસ્તિકરૂપે તાત્કાલિક છપાવી લીધું. ગંભીર માંદગી કે જીવનનો ૩૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અલા-આરાધકો
Page #418
--------------------------------------------------------------------------
________________
અંત નજીક લાગતા સમયે વ્યાવહારિક ઉપયોગિતાવાળી આ પુસ્તિકા બની છે.
૧૨. ભક્તિમાર્ગનું રહસ્ય : ત્રીજી આવૃત્તિ : ઈ.સ. ૧૯૮૨, પ્રત : ૨000 પાનાં ૨૪૮ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા, ૩૨ પ્રી.સ્ટ્રીટ, મુંબઈ-૨
આ પુસ્તક પહેલાં ૧૯૭૦માં છપાયેલ, પણ બહુ લોકપ્રિય થતાં ફરી ૧૯૭૮માં અને વળી સન ૧૯૮૨માં પણ છપાયું છે.
૧૩. રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્દગારો : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૫, શ્રેયસ પ્રચારક સભા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧
બે વિભાગમાં કુલ ૨૪૦પાનાંનો આ ગ્રંથ છે. આમાં ઘણા સંતો, મહાત્માઓ, કવિઓ, વિચારકોના રૂડા જીવનના ટુંક વર્ણન સાથે તેમની વિચારધારા અને સદા સ્મરણયોગ્ય એવા હિતકારી અંતિમ ઉદ્દગારોની વિશદ નોંધ કરી છે. આમાં ૩૪ જેટલા નામોની તેમના જીવનકાળના સમય સાથેની નોંધ છે જેમકે મહાત્મા સોક્રેટીસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯), સંત જિસસ ક્રાઈસ્ટ (ઈ. પૂર્વે ૪થી ઈ. સ. ૨૯), આચાર્ય રામાનુજ (ઈ.સ. ૧૦૩૧૧૫૭), ગુરુ નાનક (ઈ.સ. ૧૪૭૦ ૧૫૩૯), સંત તુલસીદાસ (વિક્રમ સંવત ૧૫૫૪-૧૬૮૦), સંત દયારામભાઈ (ઈ.સ. ૧૭૭૬-૧૮૫૨), ધર્માનુરાગી માણેકમા (ઈ.સ. ૧૮૪૦-૧૯૩૪), રવીન્દ્રનાથ ટાગોર (ઈ.સ. ૧૮૬૧-૧૯૪૧), શ્રીમદ્ રાજચંદ્ર (ઈ.સ. ૧૮૬-૧૯૦૧), મુનિ લઘુરાજ સ્વામી (ઈસ. ૧૮૫૪-૧૯૩૬), મહાત્મા ગાંધી (ઈ.સ. ૧૮૬૯-૧૯૪૮), મુનિ શ્રી બુદ્ધિસાગરજી (ઈ.સ. ૧૮૭૪-૧૯૨૫), હરિ ૐ શ્રી મોટા (ઈ.સ. ૧૮૯૮-૧૯૭૮), જેકબ બેહમે (ઈ.સ. ૧૫૭૫-૧૬૨૪), વિલિયમ બ્લેઈક (ઈ.સ. ૧૭૫૭-૧૮૨૭), મ. ટોલ્સ્ટોય (ઈ.સ. ૧૮૨૮-૧૯૧૦) વગેરે.
આ સિવાય પણ ત્રીસેક જેટલા બીજા મહાનુભાવોના નામ સાથે તેના વચનોની નોંધ કરી છે. જેમના જીવનકાળ સમયની ખબર-નોંધ નથી; જેમ કે રાજા રામમોહનરાય, ભગિની નિવેદિતા, સંત થેરેસા, એડવર્ડ હરબર્ટ, ક્રિશ્ચિયન ગેબર્ટ, થોમસ કારલાઈલ, મેગ્યુ હેન્રી, માર્ક ટ્વેઈન, વિલહે વગેરે.
આ બધાના જીવનની કથા અને એમના અંતિમ વચનો સર્વસામાન્ય જનને ચિંતન માટે જીવનસુધાર માટે ઉપયોગી, હિતકારી છે. આ બધું લેખકના સર્વવ્યાપી વિશદ્ વાચનની અને ગુણગ્રાહીપણાની સાબિતીરૂપ છે.
૧૪. A GREAT SEER: આ પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે જેમાં ડૉ. શ્રી સરયૂબહેન મહેતા સાથે શ્રી ભોગીલાલભાઈ સહલેખક છે.
જશવંતલાલ વ. શાહ ૯, અમીતા, ૨૧૬, હીંગવાલા લેન, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-400077
" R. (022)-21021171 * M. 9769287507
આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૯
Page #419
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા.
રુચિ મોદી
[ધર્મ અને સાહિત્ય પ્રત્યે સહજભાવે રુચિ ધરાવનાર રુચિબહેને આ
લેખમાં શાસનસમ્રાટશ્રીના જીવનનો સવિશેષ પરિચય રજૂ કર્યો છે – સં.]
અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા, પ્રભો નેમિસૂરિશ સૌભાગ્યશાલી નમું શ્રી ગુરુબાલ્યથી બ્રહ્મચારી. પૂજ્યશ્રીનો સંક્ષિપ્ત પરિચયઃ
अहो योगदाता प्रभो क्षेमदाता सदा नाथ एतासि निस्तार, सुशो भाग्यवान बाल्यतो ब्रह्मचारी स्तुवेत्माहं श्री गुरु मिसूरि ।
જન્મ : વિ. સં. ૧૯૨૯ કારતક સુદ-૧ મહુવા દીક્ષા : વિ.સં. ૧૯૪૫ જેઠ સુદ-૭ ભાવનગર ગણિપદ : વિ. સં. ૧૯૬૦ કારતક વદ-૭ વલ્લભીપુર પંન્યાસપદ : વિ. સં. ૧૯૬૦ માગસર સુદ-૩ વલ્લભીપુર આચાર્યપદ : વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ-૫ ભાવનગર કાળધર્મ : વિ.સં. ૨૦૦૫ આસો વદ-૩૦ મહુવા
ગુરુ : પૂજ્યપાદ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ શિષ્યો : ૩૩ (પૂજ્યશ્રીના પોતાના શિષ્યો)
આયુષ્ય : ૭૭ વર્ષ પૂર્ણ.
શાસનસમ્રાટઃ વિરલ વ્યક્તિત્વ, વિરલ જીવન, વિરાટ અસ્તિત્વ
વિક્રમની ૨૦ સદીમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોમાં ‘સૂરિચક્ર ચક્રવર્તી’ તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા પ.પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવનવૃત્તાંત અનેક ઘટનાઓસભર, રસપ્રદ અને પ્રેરક છે.
સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે કે જેમ દરેક પર્વત ઉપર માણેક ઉત્પન્ન થતાં નથી, દરેક હાથીના મસ્તકમાં મોતી હોતાં નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતા નથી, તેમ દરેક સ્થાનમાં સાધુપુરુષ મળતા નથી. એની પ્રાપ્તિ વિરલ છે. એમાંય જેટલા સાધુ હોય છે તેમાં મહાન કો' થાય છે. અને જેટલા
૩૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #420
--------------------------------------------------------------------------
________________
મહાન હોય છે તેમાં મહત્તમ એટલે કે સૌથી શ્રેષ્ઠ તો જવલ્લે જ જોવા મળે છે.
પૂજ્ય શાસનસમ્રાટશ્રી એવા વિરલ સાધુપુરુષ હતા. બાળ-બ્રહ્મચારી એવા પૂજ્યશ્રીની બ્રહ્મચર્યની સાધના મન, વચન અને કાયાથી અખંડ અને અવિરત હતી. પૂજ્યશ્રીની મુખકાંતિ એવી આકર્ષક અને પ્રતાપી હતી કે સામો માણસ જોઈને પ્રભાવિત થઈ જતો હતો. એમના કરુણામય નયનોમાં વાત્સલ્યભર્યા વશીકરણની કોઈ ગજબની કુદરતી શક્તિ રહેલી હતી. પૂજ્યશ્રીનું આખું જીવન એવું પવિત્ર હતું જાણે કોઈ જ્યોતિપુંજ અવતર્યો હોય પૃથ્વીને અજવાળવા!
પૂજ્યશ્રીના જીવનની એક જ ઘટના તાજુબ કરી દે એવી છે. એમના દેહનું અવતરણ અને વિસર્જન એક જ ભૂમિમાં (મહુવા), એક જ દિવસે બેસતા વર્ષના મંગલ દિવસે), એક જ વારે (શનિવારે) એક જ ઘડીએ (વસ ઘડી અને પંદર પળે થયું હતું. પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે:
'स्वाध्यायावश्यक समो गुरुणाम् हि गुणस्तवः ॥ ગુરુભગવંતોનો ગુણાનુવાદ કરવો, એમના ગુણોનું ગાન કરવું એ આપણા માટે તો એક સ્વાધ્યાય કરવા જેટલું જ અગત્યનું કાર્ય છે. માટે જ આવા વિરલ સંતશિરોમણિના પવિત્ર જીવનના ગુણોની સુવાસ લઈને કેટલીક સ્કૂલ વિગતો જોઈએ. જન્મ, જન્મકુંડળી, કુટુંબપરિચયઃ
સૌરાષ્ટ્રનું કાશમીર મહુવામાં વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ એટલે બેસતા વર્ષના પવિત્ર દિવસે શનિવારે વીસ ઘડી અને પંદર પળે લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેનને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો. વિદ્વાન જ્યોતિષી શ્રી વિષ્ણુભાઈએ જન્મકુંડળી બનાવીને કહ્યું કે ભ લગ્નકા પૂત હોવે બડા અવધૂત' તમારો પુત્રનો જન્મ – લગ્ન કુંભ લગ્નમાં છે માટે તે મહાન સાધુ થશે. પૂજ્યશ્રીનું નામ રાશિ પ્રમાણે નેમચંદ રાખવામાં આવ્યું. લક્ષ્મીચંદભાઈને બે દીકરા પ્રભુદ્યસ અને બાલચંદ. ત્રણ દીકરીઓ જબકબહેન, સંતોકબહેન અને મણિબહેન. તેમાં નેમચંદના જન્મથી હવે છ સંતાનો થયાં. યોગભ્રષ્ટ આત્માની સાધનાઃ
'शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽपि जायते ।
अथवा योगीनामेव कुले भवति धीमताम् ॥' યોગભ્રષ્ટ આત્માઓ યોગની સાધના કરતાં કરતાં, આયુષ્ય સાથ ન આપતાં પોતાની અધૂરી રહી ગયેલી સાધનાને કારણે ફરી ત્યાં જ જન્મ ગ્રહણ કરે છે કે
જ્યાં એ અધૂરી સાધના પૂર્ણ કરી શકાય. પિતૃપક્ષ અને કુળપક્ષ જ્યાં સદાચારી, પવિત્ર હોય તે “શુ કહેવાય. “શ્રીમત” એટલે સંસ્કારસંપન્ન. ધનથી ભંડાર ભરેલા હોય તે બધા તો કેવળ કાંકરા જ છે, જે કાયમ ચોરાઈ જવાની બીક રહે છે.
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૧
Page #421
--------------------------------------------------------------------------
________________
પણ સાચી શ્રી’ તો અંદરની છે. લક્ષ્મીચંદભાઈ પાસે અત્યંતર સંસ્કાર ઉચ્ચ કોટિના હતા. એટલે પિતૃપક્ષ અને કુળપક્ષ પવિત્ર હોય ત્યાં પૂજ્યશ્રી યોગભ્રષ્ટ આત્મા) જન્મ લે છે. અને જન્મીને પોતાની યોગ સાધના આગળ ધપાવે છે. એને યોગની સાધનામાં દાખલ થતાં પહેલાં શરૂઆતના તબક્કાઓ વટાવવા નથી પડતા. હાલના સમયમાં બુદ્ધિશાળી મુનિરાજોને જે કક્ષાએ પહોંચતા બાર વર્ષ વીતે છે તે કક્ષાએ પૂજ્યશ્રી અલ્પસાધનો દ્વારા માત્ર પાંચ જ વર્ષમાં પહોંચ્યા હતા. તે સમયમાં પુસ્તકો પણ સુલભ ન હતાં. અઢાર હજારી (૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ) ગ્રંથ તેમણે પાંચ વર્ષમાં કંઠસ્થ કર્યા હતા પછી લહિયા પાસે લખાવી અને લખાવ્યા બાદ તેને જાતે શુદ્ધ કર્યા. એટલા ઓછા પર્યાયમાં આવું શક્ય કઈ રીતે? તો આપણે માનવું પડે કે પૂર્વભવમાં એમની સાધના ચાલુ હતી તે પૂરી કરવા અહીં જન્મ લઈ સાધના આગળ ધપાવવા આવ્યા છે. તેથી જ તેઓ યોગભ્રષ્ટ આત્મા છે એમ માની શકાય.
અભ્યાસઃ પૂજ્યશ્રી ગુજરાતી સાત ચોપડી હરિશંકર માસ્તરની શાળામાં ભણ્યા. પછી ત્રણ વર્ષ પીતાંબર માસ્તરની અંગ્રેજી શાળામાં ભણ્યા. ભણ્યા પછી એક વર્ષ શ્રી કરસન કમાની પેઢીમાં નોકરી કરી. પણ આગળ ભણવાની ધગશ જોઈને લક્ષ્મીચંદભાઈએ ૧૫ વર્ષના દઢ આત્મવિશ્વાસવાળા, બુદ્ધિશાળી, વિનમ્ર, વિવેકી કિશોર નેમચંદને પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. પાસે અભ્યાસ કરવા ભાવનગર મોકલ્યા. ત્યાં જઈને સંસ્કૃત ચોપડીઓનો અભ્યાસ રત્નવિજયજી અને શાસ્ત્રી પાસે એટલો ઝડપથી ચાલ્યો કે શાસ્ત્રોને એમ કહેવું પડ્યું, આણે તો બે વર્ષમાં મને આખો ને આખો ઓળંગી દીધો. આ દર્શાવે છે કે એમની ગ્રહણ કરવાની તત્પરતા અને ત્વરિતતા કેવી હશે.
વૈરાગ્યનો રંગ: જેમ જેમ અભ્યાસ કરતા ગયા તેમ તેમ ત્યાગ-વૈરાગ્યનો રંગ એમને લાગતો ગયો. એક સવારના પહોરમાં સૂતાં સૂતાં જ્યારે કોઈ પણ પ્રકારની ઉપદેશ શ્રવણની અવસ્થા નહોતી ત્યારે તેમને એક ઝબકારો થયો “સંયમ જીવનમાં જ મનુષ્યભવની સાર્થકતા છે. આ વૈરાગ્યનો રંગ એમને એ હદ સુધી લાગ્યો હતો કે દાદીમા ગુજરી ગયાના સમાચાર પિતાશ્રીએ લખ્યા, ત્યારે મહુવા જવાને બદલે તેમણે પિતાશ્રીને સંસારની ક્ષણભંગુરતા સમજાવતો પત્ર આ પ્રમાણે લખ્યો. ‘આ જન્મેલા માણસે અવશ્ય પરલોકે જવાનું છે. જે ધરમ કરશે એ એટલે અંશે સુખી થશે. માટે બીજી બધી આળપંપાળ કરવા કરતાં ધર્મ કરવો સારો છે.” પિતાશ્રીને શંકા થઈ કે આ દીક્ષા લઈ લેશે તો? એટલે તબિયતનું ખોટું બહાનું કાઢી મહુવા પાછા આવવા કહ્યું. નેમચંદ ગુણજ્ઞ સાથે કૃતજ્ઞ અને સમયજ્ઞ પણ હતા. મહુવા આવતા જ પિતાજીની યુક્તિ તેમને સમજાઈ ગઈ. માંડમાંડ બે દિવસ ત્યાં રહ્યા બાદ તેમને ઘર રીતસરનું કારાગાર લાગવા માંડ્યું. પિતાશ્રીની પાસે ભાવનગર પાછા જવાની ઈચ્છા જણાવી તો પિતાશ્રીએ એમને મનાઈ ફરમાવી. બસ મનમાં એક જ ભાવનાનું રટણ હતું કે દિક્ષા ક્યારે મળશે મને ? ચારિત્રધર્મ ૩૭૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરવાની કેવી તીવ્ર ઝંખના હતી એમને !!
દીક્ષાર્થી નેમચંદભાઈનો ગૃહત્યાગઃ માણસ સામાન્ય રીતે લોખંડની સાંકળને તોડી શકે છે પણ જો મોહાધીન હોય તો તે સૂતરના તાંતણાને તોડી શકતો નથી. જેને અંદર મોહ હોય તેને બીજાનો મોહ સતાવે છે અને જકડે છે. પોતે સ્વયં જ્યારે નિર્મોહી હોય છે ત્યારે જ અળગા થઈ શકે છે. એક બાજુ લક્ષ્મીચંદભાઈએ મોહાધીન અવસ્થાના કારણે નેમચંદ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધાં. તો બીજી બાજુ નિર્મોહી નેમચંદભાઈ ઘ૨માંથી છટકીને ભાગી જવાનો લાગ શોધી રહ્યા હતા. એ વખતે ગામમાં પિતાવિહોણા એક કિશોર દુર્લભજીને પણ દીક્ષા લેવાની ઇચ્છા હતી. એટલે નેમચંદભાઈએ એમની સાથે દોસ્તી બાંધી. બુદ્ધિ, ઉદારતા અને ચપળતા સાધી બંનેએ મહુવાથી ભાગી અડધી રાતે ઊંટ ઉપર બેસી ભાવનગર જ્વાનો નિર્ણય કર્યો. રાત્રે બંને ઘરમાંથી બહાનું કાઢી ઊંટવાળા પાસે પહોંચ્યા પણ ઊંટવાળાએ નીકળવાની ના પાડી. શુભ કાર્યો કરતી વખતે આવતા વિઘ્નોથી ડરીને પાછા ફરી જાય તેવા તેઓ ન હતા. તેથી નીડર એવા બંને કિશોર મિત્રો બાજુમાં કબ્રસ્તાનમાં આખી રાત સંતાઈને બેસી રહ્યા. અંતે સવારના ચાર વાગે તેઓ ઊંટ ઉપર સવાર થઈને ભાવનગ૨ જ્વા નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં વરસાદ પડ્યો. રસ્તામાં એક નદી પાર કરવાનું સાહસ પણ કર્યું હતું. રાતે ફકીરની ઝૂંપડીમાં મુકામ પણ કર્યો. બીજા દિવસે તળાજા વગેરે ગામોમાં થઈ અનેક કષ્ટો વેઠીને અંતે ભાવનગર પહોંચ્યા. ત્યાં જઈને બંનેએ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. પરંતુ મહારાજે કહ્યું કે માતાપિતાની સંમતિ વગર પોતે કોઈને દીક્ષા આપતા નથી.' દુર્લભજીને ત્યાં કાંઈ ખાસ વિરોધ ન હોવાના કારણે એમને દીક્ષા આપવાની વાતનો સ્વીકાર કર્યો. પરંતુ નેમચંદભાઈને દીક્ષા આપવાની તો સ્પષ્ટ ના કહી દીધી.
સ્વહસ્તે સંયમ સ્વીકારની વિરલ ઘટનાઃ સ્વયં સાધુવેશ સ્વીકાર : નેમચંદભાઈને માતાપિતાની સંમતિ મળવાની જ નથી તેની ખાતરી હતી. તેઓ બુદ્ધિશાળી હતા. એટલે એમણે એક અનોખો રસ્તો વિચારી કાઢ્યો. તેઓ પોતે મુંડન કરાવી આવ્યા. ઉપાશ્રયની ખીંટીએ લટકતો ચરવળો લઈ તેના ઉપર મલમલનું કપડું વીંટાળીને દોરી બાંધી દીધી ને ઓઘો બનાવ્યો. કપડો ચોળપટ્ટો જાતે લઈ, પહેરી લીધા. આ પ્રમાણે કરી, નવકાર ગણી, મહાવીર ભગવાનનું સ્મરણ કરી તેઓ ઓરડીમાં બેસી ગયા. નેમચંદભાઈને સાધુવેશમાં જોતાં વૃદ્ધિચંદ્રજી મ.સા. આશ્ચર્યચકિત થઈ ગયા. નેમચંદભાઈએ કહ્યું, ‘ગુરુમહારાજ, મેં મારી જાતે સાધુનો વેશ પહેર્યો છે, હવે હું છોડવાનો નથી. માટે આપ મને હવે દીક્ષાની વિધિ કરાવો.' આ હતી પૂજ્યશ્રીની નીડરતા અને ધ્યેયની નિશ્ચલતા. શાસન પ્રભાવનાના કોઈ પણ કાર્યમાં ડગવું પણ નહીં અને ડરવું પણ નહી. અંતે પરિસ્થિતિનો તાગ મેળવતાં પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. દીક્ષાની વિધિ કરાવી. સ્વર્ગસ્થ ગચ્છનાયક શ્રી મૂલચંદજી મહારાજનો ઓઘો એમને અપાયો. અને નેમચંદભાઈનું નામ મુનિરાજ શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૭૩
Page #423
--------------------------------------------------------------------------
________________
નેમિવિજયજી મ.સા. પાડવામાં આવ્યું. આ રીતે વિ.સં. ૧૯૪૫ જેઠ સુદ ૭ના નેમચંદભાઈ મુનિરાજ નેમિવિજયજી બન્યા.
માતા-પિતાની વ્યથાઃ સમજાવટ: લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેન તાબડતોબ નેમચંદભાઈની દીક્ષાના સમાચાર મળતાં જ ભાવનગર પહોંચ્યા. નેમચંદભાઈને સાધુના વેશમાં જોતા દિવાળીબહેન છાતી કૂટવા લાગ્યાં, કલ્પાંત કિરવા લાગ્યાં. લક્ષ્મીચંદભાઈ ક્રોધે ભરાયા હતા તેથી ભાવનગરના મેજિસ્ટ્રેટને લઈ ઉપાશ્રયમાં આવ્યા અને પુત્ર પાછો મેળવવા અરજ કરી. મેજિસ્ટ્રેટે મુનિ નેમિવિજયજીની જુદીજુદી રીતે ઊલટતપાસ કરી અને છેવટે કહ્યું કે “આ છોકરાને બળજબરીથી દીક્ષા નથી અપાઈ પણ પોતાની જાતે પોતાની મરજીથી દીક્ષા લીધી છે. આથી લક્ષ્મીચંદભાઈ નિરાશ થયા. પછી લક્ષ્મીચંદભાઈને વૃદ્ધિચંદ્રજી મ.સા. અને નેમિવિજયજીએ બહુ સમજાવ્યા. અંતે નેમિવિજયજીએ એમને પૂછયું: આ કામ મેં જે કર્યું છે તે સારું કર્યું છે કે ખરાબ કર્યું છે? અંતે ધર્માનુરાગી લક્ષ્મીચંદભાઈ પરિસ્થિતિનો સ્વીકાર કરી, પૂજ્યશ્રીનો વૈરાગ્ય ને નિશ્ચલતા લલાટ ઉપર જોતા હર્ષ પામી, મહુવા પાછા ગયા.
શાસ્ત્રાભ્યાસઃ મુનિ નેમિવિજયજીએ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી પાસે હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોનો શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તેમને સંસ્કૃત વ્યાકરણ, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવા સાથે રઘુવંશ', નૈષધીય વગેરેનો પણ અભ્યાસ શરૂ કરાવ્યો. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ને સંગ્રહણીનો વ્યાધિ હતો. ઘણી પીડા અને તકલીફ હતી તેથી તેઓ છેલ્લા ૧૧ વર્ષ ભાવનગરમાં જ રહ્યા. તેથી નેમિવિજયજી વૃદ્ધિચંદ્રજી મ.સા.ની વેયાવચ્ચ પણ ઉત્તમ કોટિની કરે સાથે ઉચ્ચ શાસ્ત્રાભ્યાસ પણ કરે. તેઓ રોજના ૧૦૦ શ્લોકો કંઠસ્થ કરતા હતા. ચાર-છ મહિનામાં તો મુનિ નેમિવિજયજીની પ્રતિભા ખીલી ઊઠી. તેઓ પોતાના કરતાં ઉંમરમાં મોટા ગુરુબંધુ મુનિ ધર્મવિજયજીને (પછીથી આચાર્ય ધર્મસૂરિ કાશીવાળા) સંસ્કૃતનો અભ્યાસ કરાવવા લાગ્યા. ભાવનગરના પંડિતજી મણિશંકરભાઈએ તેમને સિદ્ધાંતચંદ્રિકા' ભણાવ્યા પછી હાથ જોડેલા કે હવે નેમિવિજયજીને મારે ભણાવાનું કશું રહ્યું નથી. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપરાંત સિદ્ધાંતકૌમુદી' ભણવાનો વિચાર કર્યો. સિદ્ધાંતકૌમુદી' એટલે ૧૦,૦૦૦ શ્લોક પ્રમાણ પાણિનિનું વ્યાકરણ. આ વ્યાકરણ એકદમ કઠિન વ્યાકરણ કહેવાય છે. ભાનુશંકરભાઈ જેઓ રાજ્યના શાસ્ત્રી કહેવાય એમની પાસે ભણવાનું શરૂ કર્યું. પૂજ્યશ્રીએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. ઘણા લોકો વ્યાકરણનો આરંભ કરતા હોય છે પણ વ્યાકરણનો આ સ્વરૂપે અંત કરનારા કેટલા ?? હજુ તો માંડલીમાં છે, માંડલીના જોગ કર્યા નથી, વડી દીક્ષા પણ થઈ નથી !!! આ પ્રતિજ્ઞા સાથે પૂજ્યશ્રીના ૧૦ તિથિના ઉપવાસ તો ચાલુ જ હતા !! અંતે અમદાવાદમાં પંન્યાસ શ્રી પ્રતાપવિજયજીના હસ્તે એમના છ વિગઈના ત્યાગ સહિત જોગ થયા અને ૩૭૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #424
--------------------------------------------------------------------------
________________
વડી દિક્ષા પણ થઈ. મુનિ નેમિવિજયજીની નિષ્ઠા અને દઢ સંકલ્પના કારણે અમદાવાદમાં વિ.સં. ૧૯૪૭માં સિદ્ધાંત કૌમુદી વ્યાકરણ પૂર્ણ થયું. શાસ્ત્રાભ્યાસની કેવી અખંડ ધૂન એમને હતી !!! અમદાવાદથી વિહાર કરી તેઓ પાછા પોતાના ગુરુજી પાસે પધાર્યા.
વિ.સં. ૧૯૪૭ની વાત છે. દિવસો પષણાના ચાલતા હતા. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.એ નેમિવિજયજીની અસ્મલિત વાણી, સંસ્કારી ભાષા અને શુદ્ધ ઉચ્ચારોના કારણે નિર્ણય કર્યો કે આજનું વ્યાખ્યાન નેમિવિજયજી આપશે. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. નેમિવિજયજીના હાથમાં 'લ્પસૂત્રની સુબોધિકા ટીકાની હસ્તપ્રતનાં પાનાં આપ્યાં. એમને વ્યાખ્યાન હોલમાં જવાનું કહ્યું. વળી તેમણે નેમિવિજયજીને પોતાનો પડો’ પહેરવા આપ્યો. પરંતુ નેમિવિજયજી કશું સમજ્યા નહિ. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. વ્યાખ્યાન વાંચનાર મુનિ ચારિત્રવિજયજી સાથે ગોઠવણ કરી કે સભામાં અચાનક નેમિવિજયજીને વ્યાખ્યાન આપવાની ફરજ પડે. ચારિત્રવિજયજી પાટ ઉપર બેઠા, બાજુમાં જ નેમિવિજયજીને બેસવા કહ્યું. પ્રથમ પચ્ચખાણ આપીને જાહેર કર્યું કે આજનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. આટલું કહી તેઓ પાટ ઉપરથી ઊતરી ગયા. નેમિવિજયજી એકદમ વિચારમાં પડી ગયા. પરંતુ હવે વ્યાખ્યાન વાંચ્યા વિના છૂટકો ન હતો. એટલે ગુરુદેવને ભાવવંદન કરી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. પછી તો એમની વાણી અસ્મલિત વહેવા લાગી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા ને સાથે સાથે આનંદવિભોર પણ થયા. આ વ્યાખ્યાન જ્યારે એમણે વાંચ્યું ત્યારે નેમિવિજયજીનો દીક્ષાપર્યાય માત્ર બે જ વર્ષનો હતો. કેવી સજ્જતા, કેવો આત્મવિશ્વાસ અને સૌથી જરૂરી એવી ગુરુકૃપા, અનરાધાર વરસતી હતી. એ જ અરસામાં કાશીથી અભ્યાસ કરી આવેલા, સંસ્કૃતમાં બોલતા એક નાથાલાલ નામના ભાઈને સંસ્કૃત સંભાષણ અને શાસ્ત્રચર્ચામાં પરાસ્ત કર્યા હતા.
પૂ. નેમિવિજયજીની આટલી બધી ક્ષમતા જોઈને પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.એ એમને પાલિતાણા નબન્યાયના અજોડ વિદ્વાન પૂ. દાનવિજયજી મ.સા. પાસે દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. વિ.સં. ૧૯૪૮નો શેષકાળ અને ૧૯૪૯નું ચોમાસું પણ અભ્યાસ માટે પાલિતાણામાં કર્યું. આ દિવસો દરમિયાન નબન્યાયનો અને “અઢાર હજારીનો અભ્યાસ કર્યો. “અઢાર હજારી એટલે સિદ્ધહેમ વ્યાકરણ પરની ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણની ટીકા. કહ્યું છે –
'काणादं पाणिनीयं च सर्वशास्त्रोपकारम् ।' કાવું – નવ્ય ન્યાય અને પાણિનિ વ્યાકરણ. વ્યક્તિ જો આ બે ભયો. હોય તો કોઈ પણ શાસ્ત્રને સમજવું ને ઉકેલવું સહેલું પડે. એટલે પૂજ્યશ્રી ત્યાં બે વરસ જેવું રહ્યા. પંજાબી દાનવિજયજી મ.સાહેબે તેમને ત્યાં માત્ર ભણાવ્યા એટલું જ નહીં, પણ જ્ઞાનની લગની લગાડી દીધી. જ્ઞાન ભણવું એક વાત છે અને
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૫
Page #425
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનની લગની લાગવી બીજી વાત છે. ભણવું એટલે તો તત્કાલ પોતાના ખપ પૂરતું કે આજીવિકા માટે અભ્યાસ કરી લેવો તે. અને જેને જીવનભર વ્યવસાય તરીકે સ્વીકારી લેવાય તેનું નામ લગની છે. પૂજ્યશ્રીના હૃદયમાં જ્ઞાનની પ્રીતિનો દિવો બરાબર પ્રગટી ગયો હતો. પાલિતાણામાં પૂજ્યશ્રીએ શ્રી દાનવિજયજી સાથે મળીને અધ્યયન-અધ્યાપનનું સંગીન કાર્ય કર્યું હતું. તેઓ ત્યાં હતા ને જ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સાના કાળધર્મના સમાચાર મળ્યા. ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. અંતિમ સમયે પોતે ગુરુ મહારાજ પાસે રહી શક્યા નહીં એનો નેમિવિજયજીને ઘણો આઘાત લાગ્યો.
અભ્યાસ પૂર્ણ થતાં તેઓ ગિરનારજીની યાત્રા કરીને જામનગર પધાર્યા. અહીં એમના વ્યાખ્યાનોનું એવું લોકોને આકર્ષણ થયું કે વિ.સં. ૧૯૫૦નું ચાતુર્માસ જામનગર નક્કી થયું. આ એમનું પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ અને દક્ષા પર્યાય માત્ર છ વર્ષ, નેમિવિજયજીએ ચાતુર્માસ પ્રવેશને દિવસે વ્યાખ્યાનમાં શેક્સપિયર “As you like it' એ અંગ્રેજી નાટકની પ્રસિદ્ધ પંક્તિઓઃ
‘And this our life exempt from a public haunt finds tongues in trees, books in running brooks, sermons in
stones and good in everything.' (જનસમૂહોથી મુક્ત એવું આ વનનું જીવન, વૃક્ષોમાં વાણી, વહેતાં ઝરણામાં જ્ઞાન, પથ્થરોમાં પ્રબોધન અને દરેક ચીજમાં શ્રેયને જુએ છે.) આ સાંભળી સર્વ લોકો દંગ થઈ ગયા. એમની પ્રભાવકતા ચારે બાજુ વિસ્તરી, પરિણામ રૂપે બે અગત્યની બાબતો બની:
(૧) ડાહ્યાભાઈ નામે જામનગરના પ્રતિષ્ઠિત, શ્રીમંત શ્રેષ્ઠીએ દીક્ષા લીધી અને પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય થયા. સુમતિવિજય નામ પડ્યું.
(૨) શેઠ સૌભાગ્યચંદ શેઠે પૂજ્યશ્રીના ઉપદેશથી જામનગરથી ગિરનાર અને ગિરનારથી સિદ્ધગિરિનો સુંદર છરી પાલિત સંઘ કાઢ્યો. પૂજ્યશ્રીના ઉપદેશથી નીકળેલા સંઘોમાંનો આ પહેલો સંઘ હતો.
વ્યાખ્યાનમાં તત્ત્વવિષયો: શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજી જેવા ગંભીર ગ્રંથો અને શ્રી તત્ત્વાર્થાધિગમ જેવા તત્ત્વ ભરપૂર શાસ્ત્રોને વ્યાખ્યાનમાં સભા સમક્ષ વાંચવાનું કાર્ય પૂજ્યપાદશ્રીએ સફળ રીતે કર્યું. રાધનપુરમાં જ્યારે વ્યાખ્યાનમાં અષ્ટકજી ગ્રંથનું વાચન આરંભાયું ત્યારે ત્યાંના બહુશ્રુત શ્રોતાઓને ક્ષણભર એમ થયું કે આ ગ્રંથ અમુક પર્યાય સિવાય વાંચી ન શકાય. પૂજ્યશ્રીનો દીક્ષા પર્યાય ત્યારે ફક્ત ૭ વર્ષનો હતો.) ત્યારે પૂજ્યશ્રીએ શાંતિપૂર્વક અને ચપળતાપૂર્વક જવાબ આપ્યો – “ભાઈ, હું તો એમાં ૧૪ સ્વર અને ૩૩ વ્યંજન લખ્યા છે તે વાંચું છું. બાકી તમે કહો છો એવો નિયમ કોઈ ગ્રંથમાં મેં વાંચ્યો નથી. તમે વાંચ્યો હોય તો જણાવો.' પછી પૂજ્યશ્રીએ તેમના ચિત્તનું સમાધાન
૩૭૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #426
--------------------------------------------------------------------------
________________
કર્યું. ત્યારે તેઓના આનંદ સાથે ભક્તિમાં પણ અપૂર્વ વધારો થયો. પૂજ્યશ્રીમાં સ્વદર્શનના તે તે સૂક્ષ્મ ભાવોને પરદર્શનના પ્રતિષ્ઠિત ગ્રંથોથી પુષ્ટ કરવાની અનોખી આવડત હતી. તેથી ઈતરો પણ વ્યાખ્યાનમાં આવતા અને પામી જતા હતા. આ સર્વ શ્રુતોપાસાનાનું પરમ ફ્ળ છે.
વિ.સં. ૧૯૫૨ વઢવાણના ચાતુર્માસમાં પૂજ્યશ્રી મહાન દાક્ષિણત્ય પંડિત દિનક૨ાવ શાસ્ત્રી પાસે ‘પરિભાષેન્દુ શેખર' (પાણિનિના વ્યાકરણ પરનો ગ્રંથ) ભણતા હતા. ડૉ. રાનડે એ વખતે વઢવાણ કેમ્પમાં હતા. શાસ્ત્રીજીથી એમને ખબર પડી, પૂજ્યશ્રી ‘પરિભાષેન્દુ શેખર' ભણે છે, જાણીને દંગ થઈ ગયા. ડૉ. રાનડેએ આવીને પૂજ્યશ્રી સાથે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. છેક ૫૪ સુધી આ તંતુ ચાલ્યો.સાગરજી મ.સા. (સાગરાનંદસૂરિજી) જેવા ધુરંધરે પણ આરંભનાં વર્ષોમાં પૂજ્યશ્રી પાસે ભાષા, વ્યાકરણ વગેરેનો શાસ્ત્રાભ્યાસ કરેલો. સ્થંભન તીર્થ ખંભાતમાં બંને પૂજ્યશ્રીઓએ વિ.સં. ૧૯૫૪માં સાથે ચાતુર્માસ કર્યું અને પૂજ્યશ્રીએ ત્યાં એમને ખૂબ અધ્યયન કરાવ્યું. તેથી જ સાગરજી મ.સા. શાસન સમ્રાટને ‘વિદ્યાગુરુ' માનતા હતા. વિ.સં. ૧૯૫૪માં ખંભાતમાં પૂજ્યશ્રીના ઉપદેશથી ‘શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થઈ. જેમાં ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત બુક, વ્યાકરણ કોશ વગેરેનો અભ્યાસ ઉત્તર ભારતથી આવેલા પંડિતો કરાવતા.
જંગમ પાઠશાળા’: પૂ. નેમિવિજ્યજી એક વિશિષ્ટ પ્રકારની પાઠશાળા સ્થાપી. એને ‘જંગમ' પાઠશાળા નામ આપ્યું. જંગમ પાઠશાળા એટલે મહારાજ સાહેબ જ્યાં ચોમાસું બિરાજમાન રહે ત્યાં તો ભણવાનું જ, પણ વિહાર કરે એટલે વિદ્યાર્થીઓએ વિહારમાં જોડે ને જોડે રહેવાનું અને જ્યાં પહોંચે ત્યાં અડધા-પોણા કલાકમાં પૂરી પાઠશાળા સ્થપાઈ જાય અને અધ્યયન ચાલુ થઈ જાય. જમવા વગેરે બધી વ્યવસ્થા પણ થઈ જાય. આજના યુગની ભાષામાં જંગમ પાઠશાળાને ‘MOBILE' પાઠશાળા કહેવાય. એને ચલાવવા ત્રણ શાસ્ત્રીઓ રાખેલા. વિદ્યાર્થીઓને ભણાવવાનું અને સાથેસાથે તેમની અભ્યાસની પ્રગતિ ઉપર સુપરવાઈઝરનું કામ કરતા. આ જંગમ પાઠશાળામાંથી રમણલાલ દલસુખભાઈ, ઊજમશી છોટાલાલ (ઉદયસૂરીશ્વરજી), વાડીલાલ કાપડિયા વગેરે અનેક તૈયાર થયેલા.
તે સમયે જર્મનીના પ્રોફેસર ડૉ. હર્મન જેકોબીએ આચારાંગ સૂત્રનું અંગ્રેજી ભાષાંતર પ્રગટ કર્યું. અને તેમાં તેણે જૈનોના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે.' એવું સ્પષ્ટ લખ્યું. પૂજ્યશ્રીએ તથા પૂ. મુનિશ્રી આનંદસાગરજીએ સાથે મળીને તેના પ્રતિકારરૂપે શાસ્ત્રીય પુરાવા અને યુક્તિથી ભરપૂર પાિર્ય-મીમાંસા’ નામનું પુસ્તક બહાર પાડી તેનો વિરોધ કર્યો. જ્યારે ડૉ. હર્મન જેકોબી ભારત આવ્યા ત્યારે તેમને પૂજ્યશ્રીએ રૂબરૂમાં આ વાત સમજાવી અને લેખીતમાં ડૉ. હર્મન જેકોબીએ પોતાના કથનની માફી માંગી. ડૉ. હર્મન જેકોબીએ કહ્યું – વિજ્યનેમિસૂરિ અને
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૭
Page #427
--------------------------------------------------------------------------
________________
વિજયધર્મસૂરિ (કાશીવાળા) એ બે મહાત્માઓ (બંને મહુવાનાં) જો સાધુપણામાં ન હોત તો કોઈ મોટા રાજ્યના દીવાન હોત. સમગ્ર રાજ્યતંત્ર ચલાવી શકે એવી બુદ્ધિ, વ્યવહાર-દક્ષતા, માણસની પરખ અને દીર્ઘદ્રષ્ટિ એમની પાસે છે.
- સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની નીલરત્નની સાત ઈંચની ઐતિહાસિક પ્રતિમા વિ.સં. ૧૯૫રમાં ચોરાઈ ગઈ હતી અને પાછી મળી આવી હતી. જે પરોણા તરીકે રાખવામાં આવી હતી તેની પ્રતિષ્ઠા અને સ્થંભન પાર્શ્વનાથની પુનઃ પ્રતિષ્ઠા પણ મહારાજશ્રીના હસ્તે વિ.સં. ૧૯૫૬માં ધામધૂમથી કરવામાં આવી હતી.
પંન્યાસ ગંભીરવિજયજીએ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ની આજ્ઞાને કારણે પૂજ્યશ્રીને વિ.સં. ૧૯૫૭માં ‘ઉત્તરાધ્યયનસૂત્ર' અને વિ.સં. ૧૯૫૮માં બીજા કેટલાક આગમોના યોગોહન કરાવ્યા. વિ.સં. ૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં નેમિવિજયજીને પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના યોગોદ્રહનમાં પ્રવેશ કરાવ્યો. સાત મહિનાની દીર્ઘ તપશ્ચર્યા હતી, જે તેમણે પૂરી કરી. તેથી જ વિ.સં. ૧૯૬૦ના શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ ૫૦૦ આચાર્યના પુનિત પગલાથી ધન્ય થયેલી વલ્લભીપુરની ધરતી ઉપર કારતક વદ ૭ના દિવસે પૂજ્યશ્રીને ગંભીરવિજયજીના હસ્તે શ્રી. ભગવતીસૂત્રની અનુજ્ઞારૂપ ગણિપદ અર્પણ કરવામાં આવ્યું. પછી તરત જ માગસર સુદ-૩ના દિવસે તેમને પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની આશાતનાનું નિવારણઃ ઠાકોરની ધૃષ્ટતા સામે વિજય વિ.સં. ૧૯૬૧માં પાલિતાણામાં વાતાવરણ વિલુબ્ધ હતું. ત્યાંના ઠાકોર શ્રી માનસિંહજી યાત્રાના બહાને ઉપર ચઢતા અને પગમાં બૂટ પહેરીને, બીડી પીતાં પીતાં દેસારસમાં ઘદાના દરબારમાં જતા જેથી જૈનોની લાગણી દુભાય. બધા તેમને રોકતા પણ પ્રયત્નો નિષ્ફળ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ પૂજ્યશ્રીની સલાહ લઈ રાજકોટની એ. જી. જી.ની કૉર્ટમાં કેસ દાખલ કર્યો. આથી ઠાકોર ક્રોધે ભરાયા. તેમણે મુસલમાનોને બોલાવી અને ઉપર ઈંગારશા પીરના સ્થાનકની બાજુમાં સન્માન આપીને બોલ્યા હું ત્યાં મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને દાદા આદીશ્વર ઉપર તેનું લોહી છાંટીશ” બધા ખળભળી ઊઠ્યા. સભાઓ થઈ. પણ પૂજ્યશ્રીએ ઉગ્ર પ્રતિક્રિયાઓ ઠારી અને કુનેહથી કામ લેવાનું સૂચન કર્યું. તેઓએ ભાઈચંદભાઈ નામના બાહોશ શ્રાવકને બોલાવી આખી યોજના સમજાવી ભાઈચંદભાઈએ આજુબાજુનાં ગામમાં વસતા આયર ભાઈઓને ભેગા કરીને સમજાવ્યા કે ઠાકોર ભોગ આપવા માંગે છે. તમે નહીં ચેતો તો તમારાં બકરાં સાફ થઈ જશે. તેમને વાત ગળે ઉતારતા ભાઈચંદભાઈના કહેવા પ્રમાણે એક રાત્રે બધા આયરભાઈઓ ભેગા થઈ ઉપર ગયા અને ઓરડી બાંધવાનો ઈંટ ચૂનો વગેરે બધો સામાન ખીણોમાં ફેંકી દીધો. આ બાજુ રાજકોટની કોર્ટમાં પેઢી કેસ જીતી ગઈ. કોર્ટ તરફથી ઠાકોરને આશાતના બંધ કરવાનો હુકમ મળ્યો, તેથી તેનો ગર્વ ઊતરી ગયો અને આશાતનાનું નિવારણ
૩૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #428
--------------------------------------------------------------------------
________________
પણ થઈ ગયું. આ હતી પૂજ્યશ્રીની કુનેહ,
વિ.સં. ૧૯૬૩માં ૧૯ જીર્ણ દેરાસરના મૂળનાયકજી તથા અન્ય પ્રતિમાજીઓને એક જ જીરાવાલા પાડાના દહેરાસરમાં લાવી ૧૯ ગભારાવાળાં મોટા દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાં પ્રતિષ્ઠા કરી.
જીવદયાના જ્યોતિર્ધરઃ જૈન શાસનમાં સાતેસાત ક્ષેત્રો અને આઠમું અનુકંપા તેઓશ્રીના ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રાણવંતા બન્યાં હતાં. જીવદયા પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલી હતી. જૈન સમાજને જીવદયાનો બોધ આપી અનેક પાંજરાપોળો ખોલાવી. દરિયાકાંઠે માછીમારોને જીવદયાનો બોધ આપીને કાયમ માટે અહિંસક બનાવ્યા. કેટલાક ગામોમાં દેવીના નામે પાડા, બકરા વગેરે પશુઓનો વધ નવરાત્રિ વગેરે દિવસોમાં ઉપદેશ આપીને બંધ કરાવ્યો. ધ્રાંગધ્રા સ્ટેટના મહારાજાએ પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમ માટે બાર દિવસ અમારિ પાળવાનું ફરમાન કરેલું. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના અનેક સ્તર અને સ્થળના લોકોમાં વિચરીને એમણે અહિંસાના ઉપદેશો આપ્યા છે.
તપાગચ્છ નભોમણિઃ વિ.સં. ૧૯૬૪માં ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના છઠ્ઠા અધિવેશનમાં પૂજ્યશ્રીએ જૈન સંઘના મહાન તીર્થોની સુરક્ષા માટે બધાને જાગૃત કર્યા હતા. તે વખતે પંન્યાસ ગંભીરવિજયજી તથા શ્રી મણિવિજયજી મ. સાહેબે વિચારણા કરી કે તપાગચ્છમાં કોઈ આચાર્ય છે નહીં. વિધિપૂર્વક યોગોદ્ધહન કરી શકે અને શાસનની જવાબદારી સંભાળી શકે એવી સમર્થ વ્યક્તિ તરીકે તેઓને પંન્યાસ નેમિવિજયજીમાં પૂરી યોગ્યતા જણાઈ. તેથી જ તેઓએ પૂજ્યશ્રીને સૂરિમંત્રના પંચ પ્રસ્થાનની ઓળીની આરાધના શરૂ કરાવી. અભૂતપૂર્વ મહોત્સવપૂર્વક વિ.સં. ૧૯૬૪ના જેઠ સુદ પના દિવસે તેમને પૂ. ગંભીરવિજયજીના વરદ હસ્તે ‘આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. તે દિને શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજ સાહેબના નામે ભારતભરમાં વિદ્યમાન સંવેગી તપાગચ્છીય મુનિરાજોમાં વિધિ સહિત યોગો દ્વહન કરવાપૂર્વક આચાર્યપદ પ્રાપ્ત કરનાર સર્વ પ્રથમ આચાર્ય થયા. સુધર્માસ્વામીથી ૪૫મી પાટે પૂ. જગતચંદ્રસૂરિ મ.સા. જેઓશ્રીને “તપાના બિરુદથી તપાગચ્છની શરૂઆત થઈ. ત્યાર પછી ૫૮મી પાટે પૂ. જગતગુરુ હીરસૂરિ મ.સા. થયા. ૧૯મી પાટે શ્રી વિજયસેનસૂરિ મ.સા. ૬૦મી પાટે શ્રી દેવસૂરિજી (દેવસૂર સંઘ સ્થાપક) અને ૬૧મી પાટે શ્રી વિજયસિંહસૂરિ મ.સા. પછી ૨૫૦ વર્ષ બાદ પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરનાર તરીકે પૂ. “શ્રી વિજયનેમિસૂરિ (૭૪મી પાટે) થયા.
દુષ્કાળ જેવી વિપત્તિ વેળાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં ફરીને દુષ્કાળગ્રસ્ત લોકો માટે સહાય અને રાહત કાર્યોનો પ્રબંધ પૂજ્યશ્રીએ કરાવ્યો. તદુપરાંત સામાજિક જીવનક્ષેત્રે વિશેષતઃ સંઘોમાં) ઉદ્દભવતા કેટલાક પ્રસંગોમાં લોકોની વચ્ચે દીવાલ બની બેઠેલા મતભેદ અને મનભેદ પણ મિટાવ્યા છે. આ સર્વે
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૭૯
Page #429
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીની જનાભિમુખ પ્રતિભાનું પરિણામ કહી શકાય.
ગ્રંથ-પ્રકાશનઃ અધ્યયન કરવા માટે ગ્રંથો એ પરમ સાધન છે. તેથી તેનું મુદ્રણ અનિવાર્ય ગણાય. પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન - બૃહદ્કૃતિ’, ‘ઉપદેશપદ’, ‘સ્યાદ્વાદ રત્નાકર’, ‘તત્ત્વાર્થવૃત્તિ’ વગેરે વિશિષ્ટ ગ્રંથો ટકાઉ સારા પાર્રમેન્ટ કાગળો ૫૨ મુદ્રિત કરીને પ્રગટ કરાવ્યા. પછીથી પૂજ્યપાદશ્રીજીની સંપૂર્ણ દોરવણી અનુસાર શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાએ પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. ઉપાધ્યાયજી, પૂ. હેમચંદ્રાચાર્યજી તથા અન્યાન્ય અનેક શાસન પ્રભાવક આચાર્યોના ગ્રંથોનું પ્રકાશન કર્યું, જેની સંખ્યા લગભગ ૧૦૦ જેટલી થાય છે. અમદાવાદના જ્ઞાનભંડારમાંથી એક કોથળામાં જીર્ણશીર્ણ પાનાઓ પૂજ્યશ્રીને પ્રાપ્ત થયા. વિશેષ કાળજીપૂર્વક એક એક પાનાનું નિરીક્ષણ કર્યું અને તેમાંથી પૂ. ઉપાધ્યાયજીનો એક અપ્રાપ્ય અને દુર્લભ ગણાતો ગ્રંથ ‘શ્રી મહાવીર સ્તવ ન્યાયખંડનખંડખાઘ' સંપૂર્ણ પ્રાપ્ત થયો. પૂજ્યશ્રી દ્વારા આ ગ્રંથની પ્રતિઓ તૈયાર કરવામાં આવી અને તે ઉપભોગ્ય બને તે માટે ટીકા પણ રચવામાં આવી. અષ્ટસહસ્રી' નામનો વિરલ ગ્રંથ પૂજ્યશ્રીને હીરાલાલ કાપડિયા દ્વારા ડેક્કન કૉલેજ (પૂના)માંથી પ્રાપ્ત થયો. એ એક હસ્તપ્રત સિવાય આ ગ્રંથની હસ્તપ્રત ક્યાંય ઉપલબ્ધ નહોતી. તેથી પૂજ્યશ્રીએ આ ગ્રંથની પ્રતિલિપિ કરાવીને મુદ્રણ કરાવી તેનું પ્રકાશન કર્યું. આ ગ્રંથની ઈતર ગ્રંથો કરતાં વિશેષતા એ છે કે તેની મૂલ કારિકાઓના કર્તા શ્રી સમન્તભદ્રાચાર્ય, તેના ૫૨ વાર્તિક શ્રી અકલંક દેવનું છે. તેના પર આઠ હજાર શ્લોક પ્રમાણ અષ્ટસહસી વૃત્તિ શ્રી વિદ્યાનંદની છે. વાર્તિક અને વૃત્તિકાર બંને દિગંબરના પ્રકાંડ વિદ્વાન. આ અષ્ટસહસ્રીવૃત્તિ ઉપર આઠ હજાર શ્લોક પ્રમાણ અષ્ટસહસ્ત્રી ટીકા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.સા.ની છે. આમ શ્વેતાંબર દર્શનના અદ્ભુત વિદ્વાનને હાથે દિગંબર ગ્રંથ ૫ર લખાયેલી આ વિરલ કૃતિ છે. આ પ્રમાણે અનેક પ્રગટ-અપ્રગટ કૃતિઓનું પ્રકાશન પૂજ્યશ્રીની અમોઘ પ્રેરણાથી થયું છે.
પૂજ્યશ્રીએ ‘તત્ત્વવિવેચક’ નામનું માસિક શરૂ કરાવેલું. વળી ‘તત્ત્વવિવેચક’ સભા સ્થાપી હતી. જૈન એડવોકેટ” નામનું અંગ્રેજી છાપું પૂજ્યશ્રીની પ્રેરણાથી છપાતું. જૈન ગ્રંથ પ્રકાશક સભા' પણ રાખેલી કે જે પુસ્તકો મુદ્રિત થાય તેની આખી ગ્રંથાવલિ પ્રગટ કરે. પ્રતિમા, પંડિત અને પુસ્તકને પાછાં કાઢવા નહીં આ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો.
નવગ્રંથ નિર્માણઃ પૂજ્યશ્રીએ અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનના સૂત્રો ઉપર લઘુ / પરમલઘુ અને બૃહદ્ એમ ત્રિવિધ વૃત્તિની રચના કરીને તેનું નામ ‘હેમપ્રભા’ રાખ્યું. ‘ન્યાયસિંધુ’ નામનો શ્લોકબદ્ધ જૈન ન્યાયને સમજાવતો ગ્રંથ રચ્યો અને એકાંતતત્ત્વમીમાંસા’, ‘પ્રતિમામાર્તણ્ડ', ન્યાયલોકની ‘તત્ત્વપ્રભા’ વૃત્તિ. ન્યાયખંડન ખાદ્યની ‘ન્યાયપ્રભા’ વૃત્તિ તથા અન્યાન્ય અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી સાહિત્યોપાસનાને ઉજ્વળ કરી છે. પરિહાર્ય મીમાંસા' એ પૂજ્યશ્રીની પરમ સંયુક્ત કૃતિ છે.
૩૮૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #430
--------------------------------------------------------------------------
________________
સમાસચક્ર, રઘુવંશ, કિરાત, અષ્ટકજી, પૂ. ઉપાધ્યાયજીના મોટા સ્તવનો વગેરે પૂજ્યશ્રીના પસંદગીના ગ્રંથો હતા. કોઈ વાત કે વિષય છણવો હોય ત્યારે તેને ઉપયોગી ઘણા ગ્રંથો જોઈ વિષયને વધુ સ્પષ્ટ કરાવવાની સુંદર ટેવ પૂજ્યશ્રીમાં હતી.
એક અદ્ભુત વાત: પૂજ્યશ્રીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૫૦થી અધિક વર્ષ સુધી આ સર્વ કાર્યો કરવા છતાં હાથમાં કલમ પકડી નથી કે કાગળ ઉપર એક અક્ષર લખ્યો નથી. વિ.સં. ૧૯૯૦માં સાધુસંમેલન થયું તેના પટ્ટક પર સહી કરવા માટે લખ્યું એ અપવાદ સિવાય ઉપરની હકીકત વાસ્તવિક હકીકત છે. આ સંયમ જાળવવો એ અસાધારણ વાત છે, સાથે આશ્ચર્ય ઉપજાવે એવી છે.
પૂજ્યશ્રીએ પ્રેરેલાં સર્વ શાસનકાર્યોમાં શાસ્ત્રજ્ઞાનનું, જયણાનું, પાપભીરુતાનું સદા પ્રાધાન્ય રહેતું. શાસ્ત્રનાં ઓઠે અજયણા, આજ્ઞાદ્રોહ તથા અપવાદ માર્ગોના સ્વચ્છંદી સેવન તેમ જ ક્લેશ-અંકલેશને કદી અવકાશ નહીં મળેલો.
બોધિબીજની પ્રાપ્તિ, મોક્ષ ફળને અપાવનાર, પ્રાપ્ત થયેલ સમ્યકત્વની નિર્મળતામાં વૃદ્ધિ કરનાર એવા પ્રાચીન ભવજલતારક તીર્થોના જીર્ણોદ્ધાર કરાવવા, તેમ જ નૂતન તીર્થોનું સર્જન કરવું એ પૂજ્યશ્રીનો જીવનમંત્ર હતો. પૂજ્યશ્રીના પ્રયત્નોથી આપણને માતર, વામજ, તળાજા, કુંભારિયાજી વગેરે અનેક પ્રાચીન તીર્થો પ્રાપ્ત થયાં છે. તેમાંથી ચાર મુખ્ય પ્રાચીન તીર્થોની વિગતો જોઈએ:
(૧) શેરીસા તીર્થ: આ તીર્થનો ઉદ્ભવ પૂજ્યશ્રીના પ્રયત્નથી થયો. શેરીસા નાનકડું ગામ. માત્ર ઇતિહાસના પાના પર એનું નામ શ્રી નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિ મંત્રબળે પ્રતિમાજી લાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલી. કુમારપાળ રાજા અને વસ્તુપાલતેજપાલે અહીં પ્રતિમાજી ભરાવી અને પ્રતિષ્ઠા પણ કરી હતી. પણ કાળક્રમે અવશેષો, પ્રતિમાજીઓ દટાઈ ગયા હતા. આ નષ્ટ થયેલા મહાન તીર્થના અવશેષો જોયા અને શાસનદેવના આદેશથી પૂજ્યશ્રી શેરીસા પધાર્યા. નિરીક્ષણ કરતાં કરતાં તળાવના કાંઠેથી શ્યામવર્ણ પાર્શ્વનાથ સાથે બીજા છ-સાત જિનબિંબો મળ્યા. તેથી પૂજ્યશ્રીએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. મૂળનાયકનો નિર્ણય કરીને પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા. વિ.સં. ૨૦૦૨માં પૂજ્યશ્રીના હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આ રીતે જ્યાં શૂન્ય હતું ત્યાં પૂજ્યશ્રીનાં પ્રયત્નથી શેરીસા તીર્થનું સર્જન થયું.
(૨) રાણકપુર તીર્થ: આજે જગતનાં ચોકમાં જે રાણકપુરનું દહેરાસર દેખાય છે તેમાં સૌથી મોટો ફાળો પૂજ્યશ્રીનો છે. વિ.સં. ૧૯૭૨માં પૂજ્યશ્રી આ તીર્થના દર્શન કરવા ગયા. આખાયે દહેરાસરમાં ફર્યા ત્યારે ત્યાં સાપના રાફડા હતા. ઠેરઠેર ઝાડ ઊગી ગયાં હતાં. ધૂળના બધે થર જામ્યા હતા. દેરીઓના પ્રભુજી બધા અંદર ભોયરામાં, એકેય દેરીમાં નહિ. મૂળનાયક ભગવાનનું પરિકર ખંડિત થયેલું હતું. તીર્થની દુર્દશા જોઈને પૂજ્યશ્રીએ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને વહીવટ સોંપી, યોગ્ય માર્ગદર્શન આપી આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૮૧
Page #431
--------------------------------------------------------------------------
________________
(૩) કાપરડાજી તીર્થ: વિ.સં. ૧૯૭૪માં કાપરડાજી તીર્થ પર જાટ લોકોનું પ્રભુત્વ હતું. ખરતર ગચ્છવાળાઓએ પોતાના અધિષ્ઠાયક તરીકે પધરાવેલા ચામુંડાદેવી અને ભૈરવદેવની મૂર્તિ આગળ જાટ લોકો દારૂ ચઢાવતા, ભોગ ધરાવતા, બાબરી ઉતરાવતા. આ પ્રાચીન તીર્થની દુર્દશા જોઈને પુનરુદ્ધારનો સંકલ્પ કર્યો. પૂજ્યશ્રીએ સર્વપ્રથમ ધર્મશાળાનો કબજો લેવરાવ્યો, નિયમિત પ્રાચીન એવું પ્રભાવિક સ્વયંભૂ પાર્શ્વનાથ આદિ દરેક પરમાત્માની સેવાપૂજાનો પ્રારંભ કરાવ્યો. દહેરાસરનું સમારકામ શરૂ કરાવ્યું, જે પૂર્ણ પણ થયું. પ્રતિષ્ઠા નક્કી થઈ. ચામુંડા દેવીનું સ્થળાંતર કરાવ્યું. ભૈરવદેવનું સ્થળાંતર પૂજ્યશ્રીએ સાહસ કરીને પોતાના શિષ્યો પાસે કરાવ્યું. તેથી જાટલોકો રોષે ભરાયા. ટોળે ટોળા હથિયારો લઈને આવ્યા હતા. મરણાંત ઉપસર્ગ જેવી પરિસ્થિતિ હતી પણ પૂજ્યશ્રીનો સંકલ્પ હતો કે ગમે તે ભોગે આ તીર્થનું રક્ષણ હું કરીશ.” પૂજ્યશ્રીએ અગમચેતી વાપરી પોલીસ બોલાવી હતી અને પોલીસ જોતા જાટ લોકો ભાગી ગયા. શાંતિ પથરાઈ અને વિ.સં. ૧૯૭૫ના મહાસુદ પના પૂજ્યશ્રીના હસ્તે પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ બાજુ જાટ લોકોએ બિલાડા અને જોધપુરમાં દાખલ કરેલો કેસ તેઓ હારી ગયા અને જૈનોનો યશસ્વી વિજય થયો. આ રીતે પ્રાણાંત કષ્ટ વેઠીને પૂજ્યશ્રીએ તીર્થનો પુનઃ ઉદ્ધાર કર્યો.
() કદંબગિરિ તીર્થ: કંદબગિરિ એટલે સિદ્ધગિરિના બાર ગાઉના વિસ્તારમાં આવેલાં પાંચ શિખરોમાંનું એક શિખર. ગઈ ચોવીસીના સંપ્રતિ તીર્થકરના કદંબ નામના ગણધર ભગવંત એક કરોડ મુનિઓ સાથે આ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી આ ગિરિ કદંબગિરિ તરીકે ઓળખાય છે. સિદ્ધાચલની ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ પ્રદક્ષિણા કદંબગિરિની આવતી. તેથી પૂજ્યશ્રીને આ તીર્થનો ઉદ્ધાર કરવાનો વિચાર આવ્યો. જમીન મેળવવા ત્યાં વસતા કામળીયાં, દરબારોને ઉપદેશ આપી વ્યસનો છોડાવ્યા. તેથી તેઓએ પૂજ્યશ્રીને જમીન ભેટ આપીશું એવું કહ્યું. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે સાધુને જરજમીન ન હોય. અંતે નવ પ્લોટ જમીન આણંદજી કલ્યાણજી પેઢીને આપી અને દસ્તાવેજમાં પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને દરબારીને દુર્વ્યસનથી છોડાવ્યા છે. એમ લખાવ્યું. તે જગ્યા ઉપર પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નથી વાદળાથી વાતો કરે તેવા જિનમંદિરો બંધાવ્યા. કદંબગિરિના જંગલમાં મંગલ પૂજ્યશ્રીના તીર્થોદ્ધારના મંડાણથી થયું છે.
સ્વયંપ્રજ્ઞ પુરુષઃ કોઈ કહે અને તે વાતમાં જોડાય તેવી ચીજ તેમના જીવનમાં નહોતી. સ્વપ્રજ્ઞાથી તેઓ નિર્ણય લેતા અને આગળ વધતા. પૂજ્યશ્રી કેડી પર ચાલનારા નહોતા પણ નવી કેડી કંડારનારા હતા. પૂજ્યશ્રીની પ્રતિભા એવી હતી કે તેઓ ક્યારે કોઈથી અંજાયા નથી. મહમદ છેલ જાદુગરને પણ એમણે અવળા કાન પકડાવ્યા છે. ત્રણ પાટ પર બેઠેલા પૂજ્યશ્રીએ મહમદ છેલને વચ્ચેની પાટ ખેંચી કાઢવા કહ્યું અને કશા પણ ટેકા વિના પોતે ત્રીજી પાટ ઉપર
૩૮૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #432
--------------------------------------------------------------------------
________________
હવામાં અધ્ધર રહી શક્યા. આવી અદ્ભુત કોટિની યોગસાધના પૂજ્યશ્રી પાસે હતી. જાદુનું પણ જાદુ એ મનની સંયમશક્તિ છે. તેઓ આવા સંયમના સ્વામી હતા. પૂજ્યશ્રીની એક મહત્ત્વની મહેચ્છા છ'રી પાળનો તીર્થયાત્રાનો સંઘ કાઢવામાં દેખાય છે. સંઘ નીકળે તો સૌને લાભ મળે. લોકો સરળતાથી જોડાઈ શકે અને ગામેગામ ધર્મજાગૃતિ અને ધર્મપ્રભાવનાના કાર્યો થાય. પૂજ્યશ્રીના ઉપદેશથી તેમની નિશ્રામાં નીકળેલા અનેક સંઘોમાં માકુભાઈ શેઠનો છરી પાલિત સંઘ મહારાજ કુમારપાળના છરી પાલિત સંઘની યાદ અપાવે એવો અવિસ્મરણીય હતો. આ સંઘ અમદાવાદથી ગિરનાર અને ત્યાંથી સિદ્ધાચલનો હતો.
‘શાસનસમ્રાટ’ બિરુદ મળ્યું તે પ્રસંગઃ
વિ.સં. ૧૯૮૧-૮૨માં શત્રુંજ્ય તીર્થ ઉપરના જૂના કરારની સમયમર્યાદા પૂરી થતી હતી અને મુંડકાવેરો દાખલ કરવાની પેરવી ચાલતી હતી. તે વખતે પૂજ્યશ્રીએ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોની સાથે ચર્ચાવિચારણા કરીને અંતે એક વિચાર આપ્યો કે મુંડકાવેરાના વિરોધમાં આપણા સકળ શ્રી સંઘને એવું એક એલાન આપીએ કે સિદ્ધાચલની યાત્રા કરવા માટે ત્યારે જ આવવું કે જ્યારે મુંડકાવેરો ૨દ થઈ ગયો હોય. ભલે ગમે તેટલો સમય વીતે અને ૧લી એપ્રિલ ૧૯૨૬થી આ અસહકાર આંદોલન શરૂ થયું તે બે વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલ્યું અને એલાન સફ્ળ પણ રહ્યું. એ દિવસો દરમિયાન એક પણ યાત્રિક યાત્રા કરવા માટે ન આવ્યો. આ રીતે છેવટે જ્યારે બે વર્ષ જેવા લાંબા ગાળાના અંતે દરબાર સાથે સમાધાન થયું, તે પછી જ યાત્રાની શરૂઆત થઈ. આ પ્રસંગ વખતે બધા સંઘે જે રીતે આ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સંપૂર્ણ અમલ કર્યો ત્યારે લોકો પૂજ્યશ્રી માટે શાસન સમ્રાટ’ આ વિશેષણ વાપરવા લાગ્યા. સમગ્ર શ્રી સંઘ ઉપર આવી પકડ અને આવું વર્ચસ્વ અન્યનું જોવાસાંભળવા મળતું નથી.
ઐતિહાસિક સાધુ સંમેલનઃ વિ. સં. ૧૯૯૦
પૂ. વલ્લભસૂરિ મ.સા. અને કેટલાક અગ્રણી શ્રાવકોએ શાસનસમ્રાટને વિનંતી કરી કે જૈન સાધુમાં શિથિલાચા૨ અને મતભેદો વધતા જાય છે. દેવદ્રવ્ય, દીક્ષા, પદવી, તિથિચર્ચા, તીર્થરક્ષા એ સર્વ વિશે સર્વાનુમતે વિચારણા કરવાની જરૂ૨ છે. આનો ઉકેલ આવે તો બધું સારું થઈ શકે અને આનો એક જ ઉપાય છે મુનિસંમેલન. જો શાસનસમ્રાટ આપ આ કાર્ય હાથમાં લો તો અવશ્ય સફ્ળતા મળે તેથી આપ આ મુનિ સંમેલન બોલાવો અને આનું નેતૃત્વ તમે સંભાળો. પૂ. શાસનસમ્રાટે વિનંતીનો સ્વીકાર કર્યો. અમદાવાદમાં આ મુનિસંમેલન નક્કી થયું. પૂજ્યશ્રીએ આપેલ ફાગણ સુદ ૩ના શુભદિવસે હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો તેમ જ હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં પૂ. શાસન સમ્રાટના સાન્નિધ્યમાં એ ઐતિહાસિક મુનિ સંમેલનનો પ્રારંભ થયો. ૩૪ દિવસ ચાલ્યું. શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૮૩
Page #433
--------------------------------------------------------------------------
________________
દીર્ઘદૃષ્ટિભર્યા વિચાર-વિનિમયને અંતે વિચારણીય ૧૧ મુદ્દાઓ ઉપર પટ્ટક રૂપે ઠરાવો થયા. જેના પર પૂજ્યશ્રી તથા સર્વગચ્છના નવ વડીલ મહાપુરુષોએ પોતાના હસ્તાક્ષર કર્યા. સંમેલનમાં કરેલા ઠરાવનો પટ્ટક બધાંને વાંચી સંભળાવવામાં આવ્યો. દરેક બાબત સર્વાનુમતે પસાર કરીને તે દરેકે અમલમાં મૂકવાનું નક્કી કરેલું. શાસનસમ્રાટની નિશ્રામાં આટલા બધા સાધુઓ એકત્રિત થયા અને આટલા બધા દિવસ સાથે મળીને વિચારણા કરી એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રીનું સ્થાન ચતુર્વિધ સંઘમાં કેટલું મોટું અને આદરભર્યું હતું.
અદ્ભૂત જ્ઞાનના માલિકઃ શાસનસમ્રાટના જીવન દરમિયાન એવા અસંખ્ય પ્રસંગો બનેલા જેમાં તેમનામાં રહેલ વિશિષ્ટ શક્તિ અને અદ્ભુત જ્ઞાનના તેઓશ્રી માલિક હતા તેની અનુભૂતિ આપણને થાય. એવો એક પ્રસંગઃ
પૂજ્યશ્રી પાંજરાપોળ ઉપાશ્રય અમદાવાદમાં ચાલુ વ્યાખ્યાને અચાનક પાછળ બાંધેલા ચંદરવાને હાથની ચપટીથી ઘસવા માંડ્યા. શ્રાવકોએ પૂછતાં તેમણે કહ્યું, પાલિતાણા ગિરિરાજ ઉપર આદેશ્વર દાદાના દહેરાસરમાં આગ લાગી હતી અને હવે તે ઠરી ગઈ છે. પાછળથી તપાસ કરતા ખબર પડી કે દાદાનાં દહેરાસરમાં આગ લાગી હતી અને થોડી વારમાં કોઈ અગમ્ય કારણથી ઓલવાઈ ગઈ !!! સુવિહિત પરંપરા પ્રવર્તકઃ
૨૦મી સદીના જિનશાસનનું એક પણ ક્ષેત્ર એવું નથી, જેમાં પૂજ્યશ્રીનું પ્રદાન ન હોય. એમની સંઘપ્રીતિ, શાસનપ્રીતિ અને સુવિહિત શાસ્ત્રીય પરંપરાઓ તથા આત્મસાધક અનુષ્ઠાનો પૂજ્યશ્રીએ પુનઃ જીવિત કર્યા તથા સંઘમાં પ્રચલિત કર્યા. જે નીચે મુજબ છેઃ
(૧) અંજનશલાકા વિધાનઃ આ તાત્ત્વિક વિધાન દાયકાઓથી બંધ હતું. વર્ષો પૂર્વે પાલિતાણામાં થયેલી અંજનશલાકા સમયે કોઈ કારણસર મરકીનો ઉપદ્રવ થયો હતો. તેથી બધાં ભયભીત થયાં હતાં. એનો પુનઃ પ્રારંભ વિ. સં. ૧૯૮૨-૮૩માં ચાણસ્મા વિદ્યાવાડીના જિનાલયમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા થયો.
(૨) શ્રી સિદ્ધચક્ર મહાપૂજન (૩) શ્રી અરિહંત મહાપૂજન
() શ્રી બહુનંદાર્વત મહાપૂજન સૈકાઓથી વિસરાયેલી આ શાસ્ત્રીય વિશિષ્ટ અનુષ્ઠાનોની વિધિનું ગ્રંથોના આધારે પુનઃ સંકલન તથા પ્રવર્તન પૂજ્યશ્રીએ કર્યું હતું.
(૫) યોગોદ્ધહન મુનિઓને આગમવાચના તેમ જ પદવી માટે યોગોહનની ક્રિયા અનિવાર્ય હતી, સૈકાઓથી તેનો મહાઅંશે લોપ થયેલો અથવા અવિધિ પ્રવેશેલી. ત્યાં પૂજ્યશ્રીએ શાસ્ત્રોના આધારે તેમનું પુનઃ વિધિપૂર્વક પ્રવર્તન કર્યું.
(૬) હજારો જિનબિંબ ભરાવીને પૂ. વિજયસેનસૂરિ મહારાજના વારસાને પુનઃ જીવીત કર્યો
(૭) વ્યાખ્યાન અધ્યયનની અદ્યતન પરિપાટીના પૂજ્યશ્રી પ્રણેતા હતા.
૩૮૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #434
--------------------------------------------------------------------------
________________
(૮) નવપદજીની ઓળીની પરંપરા પણ પૂજ્યશ્રીએ શરૂ કરાવેલી.
(૯) વિધિવિધાનપૂર્વક ઉપધાનતપની આરાધના તથા વિધિપૂર્વક માળારોપણની શરૂઆત શાસનસમ્રાટે કરાવેલી.
શેઠ આણંદજી કલ્યાણજીના પેઢીના વહીવટ તથા જૈન શાસનને અનુરૂપ બંધારણીય માર્ગદર્શન પૂજ્યશ્રી આપતા.
આમ, જૈન શાસનની સર્વાગીપણે કાયાપલટ કરવાનું શ્રી પૂજ્ય શાસનસમ્રાટના ફાળે જાય છે.
અનેક ભૂપાલ પ્રતિબોધકઃ પૂજ્યશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સર્વધર્મ પ્રત્યે સમભાવના જોઈ અનેક ભૂપાલો, નામાંકિત વ્યક્તિઓ પ્રતિબોધ પામ્યા હતા. જેમકે ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમાર સિંહજીએ પૂજ્યશ્રીને પોતાના હૃદયમાં ગુરુ તરીકે સ્થાપ્યા હતા. મહારાજા ઘનશ્યામસિંહજી, મહારાજા શ્રી ફતેસિંહજી, રાજ્યસભાભૂષણ શ્રી ચુનીલાલજી, નવાબ સાહેબ શ્રી ઈબ્રાહીમ સકતખાનજી, મહારાણા ઉદયસિંહજી, ભાવનગરના મુત્સદી બુદ્ધિશાળી દીવાન એવા પ્રભાશંકર પટણી પણ પૂજ્યશ્રીથી ઘણા પ્રભાવિત થયા હતા. આવા અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું ભગીરથ કાર્ય કર્યું હતું.
પૂજ્યશ્રી આચાર ચુસ્તતાના ખૂબ જ આગ્રહી હતા. તેથી જ તેમના શિષ્યોના આચારમાં જરાય પણ શિથિલતા પ્રવેશી નહોતી. અગર કોઈ પણ શિષ્ય કોઈ કામ પ્રત્યે પ્રમાદ દાખવે તો તેને પૂજ્યશ્રીનું રૌદ્રરૂપ જોવું પડતું હતું. ૭૬ વર્ષ સુધી બધે જ તેમણે પગપાળે વિહાર કર્યો છે. અંતિમ સમયે ગંભીર હૃદય બીમારીના કારણે ડૉક્ટરે ઈજેક્શન આપવાનું નક્કી કર્યું. પૂજ્યશ્રીને આની જાણ થતા તરત ઈજેક્શન લેવાની ના પાડી. કેવી મક્કમતા, કેવી આચારસંહિતા !!! પૂજ્યશ્રીએ ક્યારે પણ એલોપેથી દવા લીધી નથી. પોતાના સાધુઓને જ્ઞાનમાં નિષ્ણાત બનાવવાની શૈલી પૂજ્યશ્રીની વિલક્ષણ હતી. નાનો કે મોટો કોઈ પણ ગ્રંથ પૂજ્યશ્રી ભણાવતા ત્યારે તેને લગતા અનેક વિષયો ભણનારાના હૃદયમાં ઉતારવાની પૂજ્યશ્રીમાં અનોખી શક્તિ હતી. અધ્યયન કરનારા ચંચળ બને તો શિક્ષાથી પણ તે ચંચળતા દૂર કરવામાં આવતી.
આવા અગણિત ગુણગ્રામના માલિક શાસનસમ્રાટની વિ.સં. ૨૦૦૫ મહુવા ચાતુર્માસમાં શારીરિક અસ્વસ્થતા દિવસે ને દિવસે વધતી જતી હતી. દિવાળીના દિવસે તબિયત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. તેમને એ દિવસે પાણી સિવાય કશું પણ વાપરવાની ના પાડી હતી. સાંજના પ્રતિક્રમણ, સંથારા પોરિસીની ક્રિયા કરી. પૂજ્યશ્રીએ સંસારના તમામ જીવો સાથે ક્ષમાપના કરી, સાંજે ૭ વાગે નવકારની ધૂન સાંભળતા શાંતિપૂર્વક, સમાધિપૂર્વક દેહ છોડ્યો. આમ પૂજ્યશ્રીને છેલ્લે સુધી ધર્મક્રિયામાં રસ રૂચી અખંડ રહ્યા હતા. પૂજ્યશ્રીના કાળધર્મના
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૮૫
Page #435
--------------------------------------------------------------------------
________________
સમાચાર પહોંચતા સમગ્ર જિનશાસનમાં શોકની લાગણી પ્રસરી ગઈ.
જૈનશાસનનો ઝળહળતો તેજસ્વી દીવડો કાયમ માટે દિવાળીને દિવસે ઓલવાઈ ગયો. પૂજ્યશ્રીએ પોતાના ૭૭મા વર્ષનો જાણે કે છેલ્લો દિવસ પૂરો કર્યો. સંપૂર્ણ ૭૭ વર્ષ જીવ્યા.
પૂજ્યશ્રીના અંતિમ સંસ્કાર મહુવામાં કારતક સુદ-૧ શનિવારે વીસ ઘડી અને પંદર પળે થયા હતા. આ જ પૂજ્યશ્રીના દેહના અવતરણનું સ્થળ, તિથિ અને સમય હતો. કેવો યોગાનુયોગ !!
શાસનસમ્રાટને જન્મ દિવાળીબહેને આપ્યો અને તેમનો કાળધર્મ દિવાળીના દિવસે થયો. દિવાળીના નામ સાથે પૂજ્યશ્રીનો અદ્ભુત સમન્વય. દિવાળીનું નામ જાણે સાર્થક થયું હોય એમ જણાય છે.
પૂજ્યશ્રીનો જન્મ કારતક સુદ-૧ શનિવાર, કાળધર્મ – આસો વદ અમાસ શુક્રવાર. પૂર્ણ ૭૭ વર્ષનું આયુષ્ય. પૂર્ણ અઠવાડિયું. સંપૂર્ણ પૂર્ણતા જીવન. કોઈ વાર વધારે કે ઓછો નહીં. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ – એ જ શાસન સમ્રાટનો જન્મદિવસ.
પરમકૃપાળુ ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ એ જ શાસન સમ્રાટનો કાળધર્મનો દિવસ કેવો યોગાનુયોગ! આવા યોગાનુયોગ ઇતિહાસમાં કશે જોવા નહીં મળે. તેમનો જન્મ, સમગ્ર જીવન અને ભવ્ય સ્વર્ગવાસ જિનશાસન અને સમગ્ર દુનિયામાં ચમકારો કરી ગયું.
આવા અનેક ગુણોના સ્વામી શાસનસમ્રાટશ્રીનું ચરિત્ર વાંચતા-લખતા મને તેમના પ્રત્યે અહોભાવ, આદરભાવ અને પૂજ્યભાવ પ્રગટ થયો છે.
એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન જાતે અકિંચન રહી, કડક સંયમપાલન કરી, અનેકને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું કેવું અને કેટલું ભગીરથ કાર્ય કરી શકે છે તે શાસનસમ્રાટના પ્રેરક પવિત્ર જીવન ઉપરથી જોઈ શકાય છે.
ગંગાના જેવી પવિત્રતા, મેરૂના જેવી ધીરતા, સૂર્યના જેવી તેજસ્વિતા, સિંહના જેવી દુર્ઘર્ષતા, સ્વ માટે વજની જેવી કઠોરતા, પર માટે કુસુમની જેવી કોમળતા, આમ પરસ્પર વિરુદ્ધ ગણાય એવા પણ ગુણો શાસનસમ્રાટમાં સમન્વય સાધીને રહ્યા હતા તે તેમના જીવનચરિત્રમાંથી દેખાય છે. 1. વિક્રમની ૨૦મી સદીમાં જૈનશાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજસાહેબ છે. એવા એ ભવ્યાત્માનું સ્મરણ પણ આપણા માટે ઉપકારક બને છે.
પૂજ્યશ્રીમાં એક અદ્ભુત વિશેષતા મને દેખાઈ કે શાસન અને સંઘમાં જે પડકારો આવ્યા તે ઝીલવામાં ન એમણે દીનતા દાખવી કે, ન પલાયનવૃત્તિ
Dી અંગો ઝાઝી કીટ) »છે એનો મદારો છે અને સફળતાને વર્યા છે.
૩૮૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #436
--------------------------------------------------------------------------
________________
વર્ષો વીત્યા સદી વીતશે, વીતશે કાળ અમાપ, અમ હૈયાનાં કણ કણમાં,
ગુરુવર સદા જીવન આપ.”
એવા એ જૈન શાસનના જ્યોતિર્ધર, પ્રભાવક-શિરોમણિ, વિરલ વિભૂતિ, જિનશાસનના તમામ ક્ષેત્રોમાં નવપલ્લવિતતા લાવનારા એ મહાપુરુષ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિમહારાજ સાહેબના ચરણે કોટિ કોટિ વંદન. સંદર્ભસૂચિઃ ૧. શાસનસમ્રાટ પ્રવચનમાળા – પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. ૨. તપાગચ્છ ગગન નીલમણિ – શ્રી નવીનભાઈ ગાંધી ૩. શાસનસમ્રાટ જીવનપરિચય – શ્રી રમણલાલ ચી. શાહ (મુંબઈ) ૪. શાસનસમ્રાટનાં તેજ કિરણો – પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. (પ્રસંગ
ચિત્રમાળા) ૫. પ્રભાવક પૂજ્ય પુરુષો – પૂ. પંન્યાસ પુંડરિક વિજયજી મ.સા. ૬. શાસનસમ્રાટ – પૂ. આચાર્ય શીલચંદ્રસૂરિ.
રુચિ એમ. મોદી ૬, આમ્રપાલી બિલ્ડીંગ પરાંજપે સ્કીમ રોડ નં. ૨ સુભાષ રોડ, વિલેપાર્લા (ઈસ્ટ)
મુંબઈ-400057 M. 09769050252 R. (022) 26169162
શાસનસમ્રાટ પુ. આચાર્ય શ્રી વિજયનેમિસુરીશ્વર મસા. - ૩૮૭
Page #437
--------------------------------------------------------------------------
________________
– આચાર્ય રજનીશ – ઓશો -
– ૧ પ્રીતિ એન. શાહ
જિન સાહિત્યના અભ્યાસ. સંશોધક શ્રી પ્રીતિબહેને ઓશોના સાહિત્યનું અવગાહન કરવાનો સુંદર પ્રયત્ન પ્રસ્તુત લેખમાં કર્યો છે. – સં.)
સાધારણ રીતે અધ્યાત્મનો જે અર્થ કરવામાં આવે છે તે અર્થમાં હું કદી અધ્યાત્મિક નથી. હું કદી દેવળ કે મંદિરમાં ગયો નથી. મેં કદી શાસ્ત્રો વાંચ્યાં નથી, સત્ય શોધવા માટે અમુકતમુક સિદ્ધાંતોનો સહારો લીધો નથી. મેં કદી ભગવાનની પૂજા કે પ્રાર્થના કરી નથી. આવો કોઈ મારા જીવનનો રાહ જ નથી. તેથી તમે જરૂર એવું કહી શકો કે મેં કોઈ અધ્યાત્મિક સાધના કરી નથી. જોકે મારા માટે અધ્યાત્મનો સાવ જુદો અને ગર્ભિત અર્થ છે. અધ્યાત્મ એટલે એક નિષ્ઠાવાન વ્યક્તિત્વ, કોઈ પણ જાતના અવલંબનને તે માન્ય રાખતું નથી. ગમે તેટલી કિંમત ચૂકવવી પડે તોપણ તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખે છે. અધ્યાત્મ કદી ટોળામાં હોતું નથી. તે એકાકી છે. ટોળાને કદી સત્ય લાધ્યું નથી. લોકોને પોતાના એકાકીપણામાં જ સત્યની પ્રાપ્તિ થઈ છે.”
આ શબ્દો છે આચાર્ય રજનીશના, જેમને લોકો ઓશો તરીકે પણ ઓળખતા.
ઓશોનો જન્મ ઈ. સ. ૧૯૩૧માં મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં જૈન કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ રજનીશ ચંદ્રમોહન જૈન. રજનીશનો ઉછેર એમના નાના-નાનીની દેખરેખ નીચે થયો. નાના-નાનીએ એમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એમની નાની સાથે એમને બહુ લગાવ હતો. જીવનમાં સૌથી મહત્ત્વનું યોગદાન નાનીનું હતું. નાનીને તેઓ ઝૂતની સૌથી સુંદર સ્ત્રી માનતા. બાળપણમાં મિત્રોના સાથથી વંચિત, ખેલ-કૂદથી વંચિત, ચંદ્રમોહન પ્રકૃતિમાં ખોવાઈ જતા. બાળપણમાં તેમને ઘરે આવેલ જૈનમુનિને પૂછેલા પ્રશ્નોના તેમને સંતોષકારક જવાબ મળ્યા નહિ. તેઓ બાળપણથી જ બહુ અલગ પ્રકૃતિ ધરાવતા હતા. તેમના નાનીએ તેમને નવકારમંત્ર શીખવ્યો હતો. નવકારમંત્રમાં માત્ર જૈનોને જ નમન કરવા એવો આગ્રહ ન હોવાથી તેમને તે પ્રિય હતો. નાના-નાની તરફથી જૈનધર્મ જ પાળવો એવો આગ્રહ નહોતો. નાની એમને પુસ્તકો ખરીદવા પુષ્કળ રૂપિયા આપતાં.
રજનીશ ફિલોસોફીના વિષયમાં પારંગત થયા. ઈ. સ. ૧૯૫૩માં જબલપુરની
૮૮
છે અને
એ પ્રદઈના જૈન ઈહિત્યનાં અક્ષર-આરાધકો
Page #438
--------------------------------------------------------------------------
________________
એક કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ તેમના પ્રોફેસ૨, કુલપતિ દરેકને એવા સવાલો પૂછતા કે કોઈની પાસે તેમના સ્પષ્ટ જવાબો ન હતા. તેઓની તર્કશક્તિ અદ્ભુત હતી. ગમે તેવા વિદ્વાન તેમની સામે હથિયાર મૂકી દેતા. તેઓએ એમ.એ.માં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો. અનુસ્નાતકના અભ્યાસ માટે સાગર યુનિવર્સિટીમાં જોડાવા વિદ્વાન પ્રો. એસ. એસ. રોયે તેમને આમંત્રણ આપ્યું. રજનીશ પહેલા રાયપુરની સંસ્કૃત યુનિવર્સિટી અને ત્યારબાદ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય માટે જોડાયા. પ્રોફેસર તરીકેના તેમના વર્ગો વિચા૨-ગોષ્ઠિની ક્લબો બની ગઈ. દરેક જણને શંકા-દલીલો કરવાની છૂટ હતી. તેમના અપરંપરાગત અને પડકારરૂપ અભિગમને કારણે અનેક વિદ્યાર્થીઓ તેમના ક્લાસમાં હાજરી આપતા હતા. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૭૦ સુધી અધ્યાપન કાર્ય કર્યું. ધીમેધીમે અધ્યાપન કાર્ય છોડીને તેમણે જાહેર પ્રવચનો આપવા માટે ભારતમાં પરિભ્રમણ શરૂ કર્યું.
તેમના પ્રવાસો અને જાહેર પ્રવચનો દરમિયાન વાર્તાલાપને અંતે ધ્યાન કરાવવાનું શરૂ કર્યું. આ રીતે બોધ દ્વારા પ્રથમ જે ધ્યાનકેન્દ્રો શરૂ થયાં તેને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપવામાં આવ્યું. તેમની આ પ્રવૃત્તિને જીવન જાગૃતિ આંદોલન' નામ આપવામાં આવ્યું.
ઈ. સ. ૧૯૬૨થી ૧૯૭૪ દરમિયાન ગ્રામ્યસ્થળોએ દસ દિવસની ધ્યાન શિબિરો ચાલુ થઈ. ઓશોનું માનવું હતું કે જે લોકોને ખરેખર જાણવું હશે તે લોકો ધ્યાન-શિબિરોમાં ૨સ લેશે. જૂન ૧૯૬૪ની રાણકપુરની ધ્યાન શિબિર ઓશોના કામ માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થઈ. આ વખતે ધ્યાન સાથેના તેમના પ્રવચનો પહેલીવાર ટેપ-રેકર્ડ થયા, સાધના-પથ' નામની પુસ્તિકા રૂપે પ્રકાશિત થયાં અને ભારતભરમાં તેને બહુ પ્રસિદ્ધિ મળી. ધ્યાનમાં શરીરથી બહાર જવાનો પણ અનુભવ તેમણે કરેલો છે.
જીવન જાગૃતિ કેન્દ્ર તરફ્થી ‘જ્યોતિશિખા' નામનું એક ત્રિ-માસિક શરૂ કરવામાં આવ્યું. હવે ઓશોના પ્રવચનો ઓડિયો-કેસેટોમાં રેકોર્ડ થવા માંડ્યા અને તેના ઉપરથી સત્તાવાર રીતે આ કેન્દ્ર દ્વારા પુસ્તકો પણ થવા માંડ્યા. આ સમય દરમિયાન તેઓ આચાર્ય રજનીશ' તરીકે ઓળખાવા લાગ્યા.
ઓશો ક્યારેક બહુ વિવાદાસ્પદ પ્રવચનો આપતા, જેને લીધે તેમનો વિરોધ પણ થયો. તેમને સેક્સગુરુનું લેબલ પણ લાગ્યું. સંભોગથી સમાધિ તરફ આ વિવાદાસ્પદ શ્રેણી ઉપર પ્રસ્તુત થયેલ પુસ્તકનું સર્વાધિક વેચાણ થયું.
ઈ. સ. ૧૯૭૦માં ઓશો મુંબઈ રહેવા આવ્યા. મુંબઈમાં તેમણે આશરે પચાસ સાધકો સમક્ષ સાંજના વાર્તાલાપો શરૂ કર્યાં. આ વાર્તાલાપને અંતે તેઓ કેટલીક વાર નૃત્ય, ગાન અથવા ધ્યાન કરાવતા. જે કાર્યક્રમો અગાઉથી નક્કી થઈ ગયા તે પૂરા કરવા તેમણે યાત્રાઓ કરી અને ડિસેમ્બર સુધીમાં પૂરા કર્યાં.
આચાર્ય રજનીશ ઓશો + ૩૮૯
-
Page #439
--------------------------------------------------------------------------
________________
એપ્રિલમાં ઓશોએ એક ક્રાંતિકારી, વિરેચન ધ્યાન પદ્ધતિ દાખલ કરી જેનું તેમણે ડાયનેમિક મેડીટેશન' (સક્રીય ધ્યાન) એવું નામ આપ્યું. આ ધ્યાન પદ્ધતિ ચોમેર પ્રસિદ્ધિ પામી. ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ એમણે એમના શિષ્યો પૈકી એક જૂથને દીક્ષિત કર્યું. આ સંન્યાસને ઓશોએ નવ સંન્યાસ (Neo – Sannyas) એવું નામ આપ્યું. પરંપરાગત સંન્યાસ કરતા આ સંન્યાસ તદ્દન જુદા પ્રકારનો હતો, જેમા સંન્યાસીએ કોઈ ત્યાગ કરવાનો હોતો નથી અને બંધનો પણ હોતા નથી. ઓશોએ સંન્યાસીને ભગવા કપડાં પહેરવાનો અનુરોધ કર્યો, ને ડોકમાં એકસો આઠ મણકાની ઓશોની ફોટાવાળી માળા આપેલી દરેક સંન્યાસીને ઓશો નવું નામ આપતા જેમાં પુરુષોની આગળ “સ્વામી અને સ્ત્રીઓની આગળ 'મા' લગાડવામાં આવતું. ઓશો આ ઉપકરણો તેમજ નામ માત્ર ઓળખ માટે જ છે એવું જણાવે છે. સંન્યાસને કપડા કે બાહરી ઉપકરણો કે દેખાવો સાથે કોઈ લાગે વળગતું નથી, કારણ કે સંન્યાસ એટલી સસ્તી ચીજ નથી. તેઓ માનતા મનથી પેલેપાર થઈ ચેતનાની દુનિયામાં પ્રવેશ કરવાથી જ ક્રાંતિનું સર્જન થઈ શકે.
મુંબઈનાં વુડલેન્સ નામની બહુમાળી ઈમારતના એક વિશાળ ફ્લેટમાં ઓશો માર્ચ ૧૯૭૪ સુધી નિયમિત વાર્તાલાપ કરતા. ત્યાં વિજ્ઞાન ભૈરવતંત્રની એકસો બાર ધ્યાનની વિધિઓ ઉપર પ્રવચન આપ્યા. આ પ્રવચન શ્રેણી The Book of Secretsના નામે પ્રકાશિત થઈ. આ દરમિયાન પશ્ચિમથી મુલાકાતીઓ વધુ આવવા લાગ્યા. ઈ. સ. ૧૯૭૧માં ઓશોએ પોતાની જાતને આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ તરીકે પ્રસ્થાપિત કરી. તેઓ ભગવાન શબ્દને પરમાત્માનો પર્યાયવાચી નહોતા માનતા પરંતુ તેઓ તેનો અર્થ “સ્વર્ગીય આશીર્વાદ પામેલો આત્મા’ એવો કર્તા કે જેને સ્વત્વ લાધી ગયું છે એવો કરતા. જે લોકો એમની પાસે આવશે તેમને ભગવત્તાનો અનુભવ થશે એવું માનતા. - ઈ. સ. ૧૯૭૪માં ઓશો પુણેનાં કોરોગાંવ વિસ્તારમાં છ એકરમાં પથરાયેલા અડોઅડ આવેલા બે બંગલા ખરીદીને ત્યાં દેશ-પરદેશમાંથી આવતા સંન્યાસીઓ સાથે મુલાકાતો યોજતા. ધ્યાન મંડપમાં ઓશો ધ્યાનનો એક નવતર પ્રયોગ કરાવતા. પોતાની ગેરહાજરી રાખતા. ખાલી ખુરશીની સામે સાધકોને ધ્યાન કરવાનું કહેતા. તેઓ કહેતા પોતે સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ છે. પોતાના નિર્વાણ પછી પણ સાધકો આ ખાલી ખુરશી સામે પોતાની (રજનીશની) હાજરી મહેસૂસ કરી શકે તેમજ ભૌતિક હાજરીને બદલે તેમની બિન-શરીરી મોજૂદગીના સંસર્ગમાં રહેવાનું શીખી શકે એટલા માટે આ પ્રકારનું ધ્યાન કરાવતા. જેને ઓશોએ સમાધિશિબિર કહીને તેને નિરપેક્ષ સમાધિ એવું નામ આપ્યું.
ઈ. સ. ૧૯૭૪થી ઓશોએ હિંદીમાં તથા અંગ્રેજીમાં અધ્યાત્મિક પરંપરા જેવી કે તાઓ, ઈસાઈ, હાસ્સિદ, સૂફી, બાઉલ, હિંદુ રહસ્યવાદીઓ, તિબેટી બૌદ્ધધર્મ, તંત્ર વગેરે ઉપર પ્રવચનો આપ્યા. દસ દિવસની દરેક પ્રવચન શ્રેણી
૩૯૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #440
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાકારમાં પ્રગટ થઈ. એ સાત વર્ષોમાં ઓશોના બસો ચાલીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં.
ઓશોને લોકોને સંન્યાસ આપીને પોતાની તરફ વાળવામાં કે મીશનરી થવામાં રસ નહોતો. કોઈનું ધર્માતર કરવામાં રસ નહોતો.
ઓશોએ ધીમે ધીમે ચિકિત્સા જૂથોની રચના કરી. આમાં મોટે ભાગે પાશ્ચાત્ય અનુયાયીઓ હતા. આમાં રોજિંદા સક્રિય ધ્યાન અને કુંડલિની ધ્યાનનો સમાવેશ થતો.
ઓશોની ચિકિત્સા જૂથોમાં અમુક ચિકિત્સા જૂથોને આપવામાં આવતી પ્રક્રિયાઓ રેચન સાથે, નગ્નતા સાથે સંકળાયેલ હોવાથી તેનો ખૂબ વિરોધ થયો. આવેગો જેવા કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, ગુસ્સો બધાને નિષ્કાસિત કરવા માટે આ આવેગોને બળજબરીથી દમન કરાવ્યા વગર ગ્રૂપમાં ઊભરો ઠાલવવાનું કહેવામાં આવતું, જેમાં અશ્લીલતા જણાતા ઓશોનું કામ ખતરનાક છે એવું કહીને એમનો પ્રબળ વિરોધ થયો.
ઈ.સ. ૧૯૭૬માં ઓશોએ પૂનાના મકાનોને આશ્રમના સ્વરૂપમાં ફેરવ્યું. ભૂતકાળના બુદ્ધત્વ પામેલા કૃષ્ણ, ફ્રાન્સિસ, જિસસ, એકહાર્ટ વગેરે નામો આપ્યા. મુખ્ય હોલને બુદ્ધ હોલ નામ આપવામાં આવ્યું. આશ્રમમાં ટુરીઝમ, પ્રેસ, હસ્તકલા, સંગીત, સીલ્ક-સ્ક્રીન, કાપડ અને સુથારી કામની વર્કશોપ તેમજ ઝવેરાત, માટીકામ, વણાટકામના ટુડીઓ કાર્યરત હતા. ઓશો તેમના સંન્યાસીઓને મઠમાં લઈ જવા માગતા ન હતા કે સંસારથી ભાગવા દેવામાં માનતા ન હતા. બહારની દુનિયામાં અનુયાયીઓ જેનાથી વિચલિત થાય તે બધુ જ આશ્રમમાં મોજૂદ હોય તેવી તજવીજ એમણે કરેલી. એક વખત આ દુનિયામાંથી શાંતિ પ્રાપ્ત કરી અનુયાયીઓ જ્યાં જાય ત્યાં તેમની શાંતિ કોઈ છીનવી નહીં શકે એવું તેમનું માનવું હતું.
ઓશોના આશ્રમમાં પશ્ચિમી મુલાકાતીઓની સંખ્યા વધતી ગઈ. સ્ત્રી-પુરુષોના જાહેર લાગણી પ્રદર્શનથી તેમ જ ઓછાં વસ્ત્રોથી સ્થાનિક લોકોમાં વિરોધ જાગ્યો. આ ઉપરાંત રાજકારણ અને લાંચરુશવતની બદી ઉપર ઓશો તરફથી વારંવાર પ્રહારો થતા બધી કક્ષાના સરકારી અધિકારીઓ પણ આશ્રમ પર ખફા થયા હતા.
અમેરિકામાં ઈ. સ. ૧૯૮૧માં ઓરેગોનમાં પૂર્વ વિસ્તારમાં એક ઉચ્ચ રણવિસ્તારમાં એકસો છવ્વીસ માઈલમાં પથરાયેલાં અને અગાઉ પશુ સંવર્ધન માટે વપરાતા ફાર્મની ખરીદી તેમના સચિવ મા શીલા આનંદ દ્વારા કરવામાં આવી. એને રજનીશપુરમ્ નામના નાના ગામમાં ફેરવ્યું. પરંતુ અમેરિકાની સરકારે તેને ગેરકાનૂની ગયું. અમેરિકામાં તેમના પર ૩૫ આરોપો લગાવ્યા અને ધરપકડ કરી. ઓશોએ જેલવાસ પણ ભોગવ્યો અને ત્યાંની સરકારે તેમને ત્યાં વસવાટની પરવાનગી આપી નહીં. અમેરિકાના આ પગલે ઓશોને ગ્રીસ, જીનિવા, સ્વીડન, આયર્લેન્ડ, સ્પેન, ઉરુગ્વ, જમૈકા, પોર્ટુગલમાંથી દેશનિકાલ થવું પડ્યું. આ દરેક
આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૧
Page #441
--------------------------------------------------------------------------
________________
દેશે ઓશોને વસવાટ માટે મનાઈ કરી. અમેરિકામાં જેલવાસ દરમિયાન થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું એવું ઓશોએ જાહેર કર્યું. આ ઝેરની હળવી માત્રાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો નાશ થાય છે.
ઓશોએ નવી નવી ધ્યાનની પદ્ધતિઓ વિકસાવી. તેઓ સમયાંતરે વિવાદાસ્પદ વિધાનો કરતા રહેતા. તેઓ કહેતા “જાપાનની એક અતીન્દ્રીય ભવિષ્યદ્રષ્ટાએ મને જણાવ્યું ગૌતમ બુદ્ધ ઓશોને તેમના વાહન તરીકે ઉપયોગ કરે છે.” આ માટે તેઓએ પોતાના નામ આગળથી ભગવાન શબ્દ દૂર કર્યો. અનુયાયીઓને પોતાને મૈત્રેય – ધ – બુદ્ધથી સંબોધવાનું જણાવ્યું. ચાર દિવસમાં ફરી જાહેરાત કરી કે તેમની તેમજ બુદ્ધની જીવનશૈલીનો સુમેળ સધાયો ન હોવાથી ગૌતમબુદ્ધ તેમના શરીરમાંથી વિદાય લીધી છે. તેઓ સ્વયં બુદ્ધ છે એટલે કે જાગૃત વ્યક્તિ છે તેવું જણાવીને “રજનીશ – ઝોરબા ધ બુદ્ધ' નામ અપનાવ્યું. થોડા વખતમાં બધા નામો પડતા મૂકીને અનામી બન્યા. પણ તેમને કેવી રીતે સંબોધવા એ મુશ્કેલ હોવાથી તેઓએ “ઓશો' શબ્દ આપ્યો.
મા યોગ નીલમ (અંગત સચીવ) “ઓશોની પરિભાષા આ પ્રમાણે કરે છે..
ઓશો' પ્રાચીન જાપાની ભાષાનો શબ્દ છે. પોતાના સદ્દગુરુ બોદ્વિધર્મને સંબોધિત કરવા માટે આનો પ્રયોગ થયો હતો. એનો અર્થ છે પરમ સન્માન, પ્રેમ અને અહોભાવ સહિત તેમ જ તે સિવાય “સમક્રમિકતા અને સમસ્વરતા પણ થાય છે. શોનો અર્થ છે ચેતનાનો બહુ આયામી વિસ્તાર તેમ જ “સ્વ દિશાઓમાંથી વરસતું અસ્તિત્વ.”
જે દિવસે ઓશોએ વિશ્વ વિદ્યાલયની નોકરી છોડી હતી એ વખતે એમણે પહેલું કામ એ કર્યું કે પોતાના સર્ટીફિકેટો ફાડી નાખ્યા હતા અને સોનાના મેડલ કૂવામાં નાખી દીધા હતા. વિશ્વ વિદ્યાલયમાં પ્રથમ આવ્યા તે સર્ટિફિકેટ પણ લડી નાખ્યું હતું.
વ્યવસાયે સાહિત્યકાર ન હોવા છતા દર વર્ષે એમના દસ લાખથી વધુ પુસ્તકો અને ટેપ ભારતમાં વેચાતી હતી, જે તેર ભારતીય ભાષામાં ૪૫૦
ઈટલ સાથે ઉપલબ્ધ છે. બે હજારથી વધુ પુસ્તકો ચાલીસ બીજી ભાષામાં અનુવાદિત થયાં છે.
ઓશોને ૨૦મી સદીના સૌથી વધુ પુસ્તકો વાંચવાવાળી વ્યક્તિ માનવામાં આવે છે. પૂનાના ઓશો કમ્પનમાં ઓશોનું અંગત લાઓત્સુ પુસ્તકાલય વિશ્વનું સૌથી મોટું અંગત પુસ્તકાલય મનાય છે. જેમાં, રામકૃષ્ણ, કબીર, રાબિયા, દેવતીર્થ, મૈત્રીય જેવા વિભાગો છે. લગભગ ૩૫00 પુસ્તકોમાં ઓશોના વિવિધ પ્રકારના હસ્તાક્ષરો કલાત્મક રીતે બનાવેલા છે. જે તેઓ પુસ્તક વાંચ્યા પછી, અંતમાં કરતા.
નાનપણથી વાંચવાનો એટલો શોખ હતો કે ગાડરવાડાની પબ્લિક લાઈબ્રેરીમાંથી હજારો પુસ્તકો એમના નામ પર ઈશ્ય થયેલી છે.
૧૯ જાન્યુઆરી, ૧૯૯૦માં સાંજે પાંચ વાગ્યે ઓશોએ દેહત્યાગ કર્યો. ૩૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #442
--------------------------------------------------------------------------
________________
અગત્યે ઓડિટોરિયમમાં ઓશોની પથારી હતી. ઓશોની સૂચના પ્રમાણે પથારી નીચે ફ્લો રાખવામાં આવ્યા છે. તેના પર એક તખ્તી જોડવામાં આવી. ઓશોએ લખાવેલા નીચે પ્રમાણેના શબ્દો તખ્તી પર કોતરવામાં આવેલા છે.
ઓશો જેમનો કદી જન્મ થયો નહોતો.
જેમનું કદી મૃત્યુ થયું નહોતું. ફક્ત આ ગ્રહ પૃથ્વી ઉપર તેઓ વિચર્યા હતા.
૧૯૩૧-૧૯૯૦. રજનીશે પોતાના પ્રવચનોમાં માનવ-ચેતનાના વિકાસના દરેક પાસાને ઉદ્દબોધિત કર્યું છે, જેમાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શિવ, શાંડિલ્ય, નારદ, જીસસની સાથેસાથે ભારતીય અધ્યાત્મ વિશ્વનાં અનેક રત્નો જેવા કે આદિ શંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મલૂકદાસ, રાસ, દરિયાદાસ, મીરા વગેરે પર અનેક પ્રવચનો ઉપલબ્ધ છે. યોગ, તંત્ર, તાઓ, ઝેન, સૂફી જેવી ભિન્ન ભિન્ન સાધના પરંપરાઓના ગૂઢ રહસ્યો પર તેમણે સવિસ્તાર પ્રકાશ પાડ્યો છે. સાથે જ રાજનીતિ, કલા, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, દર્શન, શિક્ષા, પરિવાર, સમાજ, ગરીબી, જનસંખ્યા – વિસ્ફોટ, પર્યાવરણ તથા સંભવિત પરમાણુયુદ્ધ વગેરે અનેક વિષયો પર તેમની ક્રાંતિકારી જીવન-દષ્ટિ ઉપલબ્ધ છે.
ઓશોએ જૈનધર્મ અને ભગવાન મહાવીર પર જે પ્રવચનો આપ્યા એ મુખ્ય પાંચ પુસ્તકોમાં સંકલિત થયા.
૧. મહાવીર વાણી (ભાગ-૧ અને ભાગ-૨) ૨. જિન સૂત્ર (ભાગ-૧ અને ભાગ-૨) ૩. મહાવીર યા મહાવિનાશ ૪. મહાવીર મેરી દષ્ટિ મેં ૫. જ્યોં કી ત્યોં ધરિ દીન્હીં ચદરિયા પાંચ મહાવ્રત વિષયક)
મહાવીર-વાણીમાંથી તપ, નમુક્કાર મંત્ર, ધર્મ વગેરે નાના પુસ્તકો ગુજરાતી ભાષામાં પણ પ્રકાશિત થયા.
મહાવીર વાણી ભાગ-૧ એ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપાયેલા ૨૭ પ્રવચનોનું સંકલન છે. નમસ્કાર મંત્ર, માંગલિક સૂત્ર, સંયમ, તપ વગેરે અનેક વિષયોને એમની આગવી શૈલીમાં સમજાવ્યા છે. જેમાં પ્રવચનો ૮થી ૧૮ બાર તપ ઉપર છે.
આ પ્રવચનની શરૂઆતમાં જ ઓશો મહાવીર વિશે કહે છે, “જેવી રીતે પર્વતોમાં હિમાલય છે અથવા શિખરોમાં ગૌરીશંકર, તેવી રીતે વ્યક્તિઓમાં મહાવીર છે. ચઢાણ બહુ છે. જમીન પર ઊભા રહીને પણ ગૌરીશંકરના હિમાચ્છાદિત શિખરો જોઈ શકાય છે, પરંતુ જેમણે ચઢાણ કરવું છે અને શિખર પર જઈને શિખર જોવું છે તેમણે બહુ તૈયારીઓ કરવી પડે.”
આચાર્ય રજનીશ - ઓશો + ૩૯૩
Page #443
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહામંત્ર વિશે ઓશો લખે છે, “અદ્ભુત છે આ મહામંત્ર જેમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીરનું નહીં, પાર્શ્વનાથનું નહીં, કોઈનું નહીં. જૈનપરંપરાનું પણ કોઈ નામ નહીં. કારણ કે જૈનપરંપરા એ સ્વીકારે છે કે અરિહંત માત્ર જૈનપરંપરામાં જ નથી થયા, બધી પરંપરાઓમાં થયા છે. માટે અરિહંતોને નમસ્કાર, કોઈ એક અરિહંતને નહીં. આ નમસ્કાર બહુ વિરાટ છે. વિશ્વના કોઈ ધર્મે આટલો સર્વાંગીણ, આટલો સર્વસ્પર્શ મહામંત્ર વિકસીત નથી કર્યો. વ્યક્તિ ૫૨ ચિંતન નથી, શક્તિ પર જ છે. રૂપ પર ધ્યાન નથી જે અરૂપ સત્તા છે તેનો જ વિચાર છે. આ મંત્ર બહુ અનેરો છે. જે મહાવીરને પ્રેમ કરે તે મહાવીરને નમસ્કાર કરે, જે બુદ્ધને પ્રેમ કરે તે બુદ્ધને અને જે રામને પ્રેમ કરે તે રામને નમસ્કાર કરે.”
अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवललिपन्नतो धम्मो मंगलं ॥ अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहु लोगुत्तमा । केवलिपन्नतो धम्मो તોત્તો
अरिहंते शरणं पवज्जामि । सिद्धे शरणं पवज्जामि । साहु शरणं पवज्जामि । केवलिपन्नतो धम्मो शरणं पवज्जामि ॥
માંગલિક સૂત્ર સમજાવતા ઓશો કહે છે “વૃત્તિપન્નતો થમ્યો. શાસ્ત્રમાં લખેલો ધર્મ લોકમાં ઉત્તમ છે એમ મહાવીર નથી કહેતા. શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ પણ તેઓ ઉત્તમ નથી માનતા પણ મહાવીર કહે છે કેવલિપન્નતો ધમ્મો – કેવળજ્ઞાનની ક્ષણમાં જે વહે, જે ઝરે એ જ જીવંત ધર્મ. લખેલા ધર્મનું મૂલ્ય બહુ સંકુચિત છે. શબ્દમાં બંધાયેલ છે. આ ધર્મને પામવા સ્વયંની અંદર કાંઈક રૂપાંતરિત કરવું પડે કારણ કે કેવળીથી જોડાણ પામવા બહુ મોટી કિંમત ચૂકવવી પડે. અરિહંત ઉત્તમ, સિદ્ધ ઉત્તમ, સાધુ ઉત્તમ અને કેવળી પ્રરૂપિત ધર્મ ઉત્તમ એમ મહાવીર કહે છે. તો આ ઉત્તમને પામવા સર્વ ગુમાવવું પડશે અને એ છે તમારા અસ્તિત્વને તમારી જાતને.”
ઓશો આગળ કહે છે, “મહાવીરના જે સૂત્ર છે તે સાધક તરફથી છે, સિદ્ધ તરફથી નહીં. એટલે કે મહાવીરે ક્યારેય કહ્યું નહીં કે તમે મારી શરણમાં આવો, સાધક કહે છે હું અરિહંતનું શરણ સ્વીકારું છું, સિદ્ધનું શરણ સ્વીકારું છું, સાધુનું શરણ સ્વીકારું છું. કેવળી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. શરણાગતિનો અર્થ છે સમર્પણ અને શરણ સ્વીકારવું તે યાત્રાનો અંતિમ પડાવ છે. શરણાગતિનો પહેલો સંબંધ આપણી અંદરની ચેતનાની આકૃતિ બદલે છે. બીજો સંબધ છે કે એક ગહન અર્થમાં તમે દિવ્ય થઈ જાઓ છો, જેનાથી બંધાયેલા છો એ તકાકથિત નિયમોને અતિક્રમણ કરો છો. ત્રીજી વાત શરણાગતિ તમારા જીવન દ્વા૨ને પરમ ઊર્જા તરફ ખોલે છે.”
૩૯૪ * ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #444
--------------------------------------------------------------------------
________________
શરણાગતિના આ સૂત્ર સાથે નમોક્કાર મંત્ર પૂર્ણ થાય છે. નમોક્કાર મંત્ર સંપૂર્ણ ધર્મની યાત્રા બને છે.
ઓશો એમના અનુયાયીઓને કહે છે, “મહાવીરવાણીને સાંભળતા પહેલા, સમજતા પહેલા શરણાગતિનું આ સૂત્ર વારંવાર મનમાં રટવું જરૂરી છે. જો શરણની આકૃતિ વ્યક્તિમાં બની જાય તો મહાવીરની વાણીમાં પ્રવેશ સરળ બની જાય છે.” અહિંસા અને અનેકાંતની બાબતમાં ઓશો કહે છે...
“બધી વસ્તુમાં આગ્રહ હિંસા છે. આ બહુ સૂક્ષ્મ બાબત છે. આગ્રહ હિંસા છે, અનાગ્રહ અહિંસા છે. આ કારણે મહાવીરે જે વિચારને જન્મ આપ્યો એ વિચારસરણીનું નામ ‘અનેકાન્ત’ છે. અનેકાન્તની દૃષ્ટિ જગતમાં કોઈ બીજાએ નથી આપી. કારણ કે અહિંસાને આટલી ગહનતાથી કોઈએ જોઈ નથી, સમજી નથી.”
મહાવીર કહે છે “વિચારની સંપાને પણ મારી માનવી એ હિંસા છે. કારણ કે જ્યારે આપણે જ્યારે કોઈ વિચારને આપણો કહીએ ત્યારે આપણે સત્યથી સ્મુત થઈ જઈએ છીએ. જેટલા વિવાદ છે જગતમાં એ સત્યના વિવાદ નથી. એ ‘હું’ના વિવાદ છે. ‘હું’ અને ‘તું’ વચ્ચે કોણ સાચું એ માટે વિવાદ જાગે છે.” મહાવીર એને બહુ સૂક્ષ્મ હિંસા કહે છે. એટલે મહાવીરે અનેકાન્તને જન્મ આપ્યો. મહાવીર પાસે કોઈ વિપરીત વાત લઈને આવે તો મહાવીર કહેતા આ પણ સાચું હોઈ શકે. મહાવીર કહે છે એવી કોઈપણ વાત નથી કે જેમાં સત્યનો અંશ ના હોય. મહાવીરે કોઈનો વિરોધ ન કર્યો. મહાવીર સત્ય જાણતા હતા પરંતુ એમનું ચિત્ત એટલું અનાગ્રહપૂર્ણ હતું કે મહાવીર પોતાના સત્યમાં વિપરીત સત્ય પણ સમાવિષ્ટ કરી લેતા.
‘અનશન’ નામે પ્રથમ તપને સમજાવતા શરૂઆતમાં જ ઓશોએ એક ખાસ ચોખવટ કરી છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયા-ક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, સામાયિક અને કાયોત્સર્ગ એ છ અંતરતપ એક અનુક્રમમાં સમજાવાયા છે, વિભાજિત કરાયા છે, પરંતુ એવું વિભાજન કે ક્રમબદ્ધતા તપોના આવિષ્કારમાં હોતી નથી. બાહ્ય અને અંદર એવું વિભાજન મહાવીર જેવી ચેતનામાં હોઈ શકે નહીં, પરંતુ આપણે ઇન્દ્રિયોના બાહ્ય અનુભવોમાં જીવી રહ્યા છીએ એવી આપણી પરિસ્થિતિ છે. આપણે બહારની ઘટનાઓ અને દૃશ્યોને જ સમજીએ છીએ. મહાવીર માટે અંદર અને બહાર જેવું કોઈ વિભાજન નથી. એમની તો અખંડ ચેતના છે, પરંતુ સાધક જ્યાં ઊભો છે તેના તરફ મહાવીરની દૃષ્ટિ છે. સાધકના સ્તર પર ઊતરી આવીને એને સમજાવવાની કરુણા મહાવીર દાખવે છે.
મહાવીર વાણી ભાગ-૨
દ્વિતીય ને તૃતીય પર્યુષણ વ્યાખ્યાનમાલા અંતર્ગત ૧૩ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર ૧૯૭૨ તેમજ ૨૫ ઑગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૩ સુધી આચાર્ય આચાર્ય રજનીશ ઓશો - ૩૯૫
-
Page #445
--------------------------------------------------------------------------
________________
રજનીશ દ્વારા આપવામાં આવેલ ૨૭ પ્રવચનોનું સંકલન.
આ પ્રવચનોમાં મુખ્યત્વે અપ્રમાદ, પ્રમાદ, કષાય, સંયમ, જ્ઞાન, કર્મ, લેવા, પાંચ સમિતિ, ગુપ્તિ, બ્રાહ્મણસૂત્ર, ભિક્ષુસૂત્ર, મોક્ષમાર્ગ વગેરે વિષયોને આવરી લીધા છે.
જ્ઞાન વિશે વાત કરતા ઓશો કહે છે, “મનુષ્યના ઇતિહાસમાં જ્ઞાનનું પાંચ ભાગમાં વિભાજન કદાચ મહાવીરે પહેલા કર્યું હશે. ચુતની અવસ્થામાં અસત્ય જ જાણી શકાય. “મતિની અવસ્થામાં ઇન્દ્રિય સત્ય જાણી શકાય, જે વસ્તુઓનું સત્ય છે. મનઅવધિની અવસ્થામાં સૂક્ષ્મ ઈન્દ્રિયોને જાણી શકાય છે. મન:પર્યવની અવસ્થામાં મનના રૂપાંતરણો જાણી શકાય છે અને કૈવલ્ય' એ શુદ્ધ સત્યને જાણવું છે, જેને આપણે ગમેતે નામ આપીએ – પરમાત્મા, નિર્વાણ, મોક્ષ.”
મહાવીરની પકડ વિશ્લેષક, વૈજ્ઞાનિકની પકડ છે. જેવી રીતે કોઈ બીમાર રોગીનું નિદાન કરે -- શું કારણ છે? શું ઉપાય છે? એવી રીતે એક એક વસ્તુનું નિદાન કરે છે. મહાવીર કવિ નથી એટલા માટે ઉપનિષદમાં જે કાવ્ય છે તે મહાવીરની ભાષા નથી. મહાવીર બિલકુલ શુદ્ધ ગણિત અને વૈજ્ઞાનિક બુદ્ધિના વ્યક્તિ છે. એટલા માટે મહાવીરનો પ્રભાવ જેટલો પડવો જોઈતો હતો એવો પડી ન શક્યો, કારણ કે લોકો ગણિતથી ઓછા અને કાવ્યથી વધુ પ્રભાવિત થાય છે. લોકો કલ્પનાથી વધુ અને સત્યથી ઓછા આકર્ષિત થાય છે, પરંતુ જેને સાધના પથ પર ચાલવું હશે એના માટે વ્યવસ્થિત નકશો જોઈએ. દરેક ભયની જાણકારી જોઈએ. શું કારણ હું સંસારમાં છું અને કયા ઉપાયથી હું સંસારમાંથી બહાર આવીશ એ જાણકારી જોઈશે. જે મહાવીરનો માર્ગ છે.
ઓશો લેયાને સમજાવતા કહે છે, “સમજો કે સાગર શાંત છે. હવાનું એક મોજું આવે છે, લહેરો ઊઠવાની ચાલુ થાય છે, તરંગો ઊઠે છે, સાગર ડામાડોળ થઈ જાય છે, બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે, અશુદ્ધ આત્મા અશાંત સાગર જેવો છે. આ લહેરોનું નામ લેગ્યા છે. મનુષ્યની ચેતનામાં જે લહેરો છે તેનું નામ લેશ્યા છે. જ્યારે સર્વ લેયાઓ શાંત થઈ જાય છે ત્યારે શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. આ લેયાઓનું મહાવીરે છ વિભાગમાં વિભાજન કર્યું છે. આ વેશ્યાનો અર્થ થયો ચિત્તની વૃત્તિઓ. પતંજલિએ જેને ચિત્તવૃત્તિ’ કહ્યું તેને મહાવીરે વેશ્યા કહી. ચિત્તની વૃત્તિઓ, વિચાર, વાસનાઓ, કામનાઓ, લોભ, અપેક્ષાઓ આ બધી લેશ્યાઓ છે. અનંત લેયાઓથી મનુષ્ય ઘેરાયેલો છે. ચિત્તના તરંગો જેટલા વધુ તેટલા મનુષ્યની અંદરનો સાગર દબાયેલો રહેશે. અનુભવમાં નહીં આવે. મનુષ્ય ચિત્તના તરંગોમાં ઉલઝાયેલો રહે છે અને અંતર્ધાન રહી જાય છે. આ લેગ્યાઓ
અનંત છે જેને મહાવીરે છ રૂપ આપ્યા.” જિનસૂત્ર-૧
ઓશોએ સમણસુત્ત પર ૧૧ મે, ૧૯૭૬થી ર૬ મે, ૧૯૭૬ દરમિયાન
૩૯૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #446
--------------------------------------------------------------------------
________________
૬૨ પ્રવચનો આપ્યા જે જિનસૂત્ર' નામના પુસ્તકમાં સંકલિત થયા. આ જિનસૂત્ર બે ભાગમાં પ્રકાશિત થયું.
ભગવાન મહાવીરના સંબંધમાં ઓશો કહે છે,
“ભગવાન મહાવીરથી વધુ સુંદર, મહિમામંડિત પરમાત્માની બીજી કોઈ છબી જોઈ છે? મહાવીરથી વધુ આલોકિત, વિભામય કોઈ વ્યક્તિ જોઈ છે? મહાવીરનો જે ઐશ્વર્ય પ્રગટ થયો એ બીજે ક્યાંય જોયો છે ? જેવી મસ્તી, જેવો આનંદ, જેવું સંગીત આ માનવ પાસે પ્રગટ થયું તેવું ક્યાંય સાંભળ્યું છે? કૃષ્ણને તો વાંસળી લેવી પડતી હતી, મીરાને નાચવું પડતું હતું પણ મહાવીર પાસે આ કાંઈ ન હોવા છતાં મહાવીર પાસે સંગીત પ્રગટ થતું હતું. કૃષ્ણ મોરમુગુટમાં મનોહર લાગતા હતા પણ મહાવીર પાસે સૌંદર્ય માટે કોઈ સહારો ન હોવા છતાં પરમાત્માનો આવો આવિષ્કાર ક્યાંય જોવા મળ્યો છે? જીવનની આવી પ્રગાઢતા. આવો ગહેરો આનંદ ?”
આગળ ઓશો કહે છે, “મહાવીર દૂર અનંતના સાગરની લહેરોનું નિમંત્રણ છે. માત્ર નિમંત્રણ જ નહીં પણ દૂરના આ સાગર સુધી પહોંચવાનું એકએક પગલું સ્પષ્ટ કરી ગયા છે. મહાવીરે અધ્યાત્મના વિજ્ઞાનમાં કાંઈ અધૂરું નથી છોડવું. કોઈ ખાલી જગ્યા નહિ. સમગ્ર નકશો બતાવ્યો છે. એક એક ઈંચ ભૂમિ માપી બતાવી છે અને જગ્યા જગ્યાએ માઈલનો પથ્થર મૂકીને ગયા છે. મહાવીરના આ નિમંત્રણનો અનુભવ કરો. એમનો પોકાર સાંભળો. ખાલી નામમાત્રથી જેને બનીને ન રહો. આવી નપુંસકતાથી કોઈ લાભ નથી. જાગૃત કરો પોતાને. બહુ મોટી સંભાવનાઓ તમારી પ્રતીક્ષા કરી રહી છે. પણ માર્ગ જોખમી છે એટલે મહાવીરે સૂત્ર આપ્યું – “અભય.’
હિંમત કરીને આ નિમંત્રણને સાંભળો. મહાવીર સાથે થોડા પગલાં ડગલાં) ચાલો. તમે જીવનની રસધાર પામશો. શાંતિ અને મુક્તિની શીતળ હવા આવશે. તમે સંપદા પ્રાપ્ત કરશો.”
મહાવીર ક્યાં લઈ જવા માંગે છે? એ જણાવતા ઓશો કહે છે,
મહાવીર તમને ત્યાં લઈ જવા માંગે છે જ્યાં ન કોઈ વિચાર રહી જાય, ન કોઈ ભાવ રહી જાય, ન કોઈ ઈચ્છા ન કોઈ પરમાત્મા. બસ તમે એકલા, એકાંતમાં પરિપૂર્ણ શુદ્ધતામાં બચીને રહી જશો.”
ચૌદ ગુણસ્થાન અને મોક્ષને સમજાવતા ઓશો કહે છે.
“મહાવીરના વચનોમાં તમને એક ક્રમબદ્ધતા મળશે, એક વૈજ્ઞાનિક શૃંખલા મળશે. એક કદમ બીજા કદમથી જોડાયેલું હશે. મહાવીરે આખો નકશો આપ્યો છે. ગ્યા જગ્યાએ માઈલ સ્ટોન મૂકેલા છે. તમે કેટલા આગળ વધ્યા, હવે કેટલું આગળ વધવાનું છે, બધુ કમબંધ છે. મહાવીરે ચૌદ ગુણસ્થાન આપ્યા અને સમગ્ર યાત્રાને ચૌદ ખંડોમાં વિભાજિત કર્યા. એક એક ખંડ સ્પષ્ટ માઈલ સ્ટોન
આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૭
Page #447
--------------------------------------------------------------------------
________________
છે. તમે ચોક્કસ રીતે જાણી શકો કે તમે કેટલું અંતર કાપ્યું છે અને કેટલું બાકી છે. ચૌદમા ગુણસ્થાન પર યાત્રા પૂરી થઈ જાય છે.”
દર્શન જ્ઞાન – ચારિત્ર આ ત્રણને મહાવીરે મોક્ષનો માર્ગ કહ્યો છે. જીવન સંયુક્ત છે. બીજથી છોડ, છોડથી વૃક્ષ, વૃક્ષમાં ફ્ળોનું વિકસવું, ફૂલોનું ઊગવું. મહાવીર શરૂઆત દર્શનથી કરે છે. આજ સમ્યક્ ક્રમ છે. જીવન જો બરોબર ઓળખવું હોય, જાણવું હોય તો પળે પળે જાગૃત બનીને જોતા રહેવું. જો ક્રોધ થાય તો ક્રોધને જાગૃત બનીને જોવું. એ જ દર્શન. કરુણા વિશે શાસ્ત્રોમાં વાંચ્યા વગર ક્રોધને ધ્યાનથી જોવાથી, જાગૃતિથી જોવાથી કરુણા આપોઆપ પ્રગટશે.
ધ્યાનમાં રહે જે આજે ઘટી રહ્યું છે તેના પ્રત્યે જાગવું. જેમજેમ દર્શન જાગૃત થશે, કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં તેમતેમ તમે મોહ, કામ, ક્રોધ, લોભ ક્ષીણ થતા જશે અને એક નવી ઊર્જાનો અંદર આવિષ્કાર થશે. કારણ કે જે ઊર્જા ક્રોધમાં લાગેલી છે તે મુક્ત થઈને કરુણા બની જશે. દર્શનના માધ્યમથી જ આ બનશે.
સમ્યક દર્શન વિના જ્ઞાન નથી. નાયંસ નાળી જ્ઞાન વગર ચારિત્ર નથી. નાળન વિળા ન કુંતિ ઘરળનુળા ચરિત્રગુણ વિના મોક્ષ નથી. અશિસ્ત સ્થિ મોવવો
અને મોક્ષ વિના નિર્વાણ ક્યાં? નૈર્થિ અમાવસ નિવ્વાળા
નિર્વાણને ઓશો આનંદ કહે છે. વ્યક્તિ દુઃખી છે તો એ આકસ્મિક નથી. એ દુઃખી જ રહેશે કારણ કે આનંદ સુધી પહોંચવાની યાત્રા એણે નથી કરી. ઓશો કહે છે દરેક જણ ઉતાવળમાં છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર્યને ક્રમમાં નથી જાણતા અને ચારિત્ર્ય શુદ્ધિ માટેના ખોટા રસ્તાઓ અપનાવે છે. ક્રિયાવિહીન જ્ઞાન વ્યર્થ છે. અને અજ્ઞાનીઓની ક્રિયા પણ વ્યર્થ છે. જે જ્ઞાનમાં આવ્યું છે તે આચરણમાં આવવું જ જોઈએ. જો તે દર્શનના માધ્યમથી જ્ઞાનમાં આવ્યું હશે તો આચરણમાં આવવાથી કોઈ રોકી નહીં શકે.
જો ૫૨માનંદને મેળવવા ઇચ્છો છો તો દર્શનના બીજ વાવો અને જ્ઞાનની સલ મેળવો. આ જ્ઞાનની ફસલ પચાવશો તો ચારિત્ર્ય ઉત્પન્ન થશે અને મોક્ષ ચારિત્ર્યની પ્રભા છે. ચારિત્ર્યવાન મુક્ત છે. મહાવીરનું એક એક પગલું વૈજ્ઞાનિક છે. જેવી રીતે સો ડિગ્રી તાપમાને પાણી ગરમ કરો તો વરાળ બને છે તેવી જ રીતે મહાવીરની વાણી છે દર્શનથી જ્ઞાન, જ્ઞાનથી ચારિત્ર્ય અને ચારિત્ર્યથી મોક્ષ. મહાવીર જેવો સાધક શોધવો બહુ મુશ્કેલ છે, કેમકે કોઈ સહારો નથી કે જેના ચરણોમાં બેસીને રહી શકે, જેને ફરિયાદ કરી શકે, જેને કહે કે તું અમને ઉપર ઉઠાવ, જેને કહે કે અમે અસહાય છીએ તું અમને સહાય કર, અમારાથી કાંઈ થઈ શકે એમ નથી, તું અમને સંભાળ. પણ સંપૂર્ણ એકાંતમાં મહાવીરે પોતાની દિશા શોધી. મહાવીર અનાથ (એકલા) થઈને સ્વયં નાથ થઈ ગયા, ભગવાન થઈ ગયા.
૩૯૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #448
--------------------------------------------------------------------------
________________
મહાવીર કહે છે, “તમારી બાગડોર હાથમાં લો. બીજા દ્વારો પર બહુ ભટક્યા, બહુ હાથ ફેલાવ્યા, હવે માલિક બનો. જવાબદારી લો. રજનીશજી મહાવીરની વાણી સંતા કહે છે, ન તો તમારો મિત્ર તમારી બહાર છે, ન તમારો શત્રુ.
જ્યારે તમે સપ્રવૃત્તિમાં છો એટલે કે તમે જાગૃત છો, તમે શાંત, આનંદમયી, નિર્દોષ ભાવથી ધ્યાનસ્થ, સમ્યક, સંતુલિત છો ત્યારે તમે તમારા મિત્ર છો. પણ
જ્યારે તમે આની વિરુદ્ધ છો એટલે કે દુષ્યવૃત્તિમાં છો ત્યારે તમે તમારા શત્રુ છો. માટે કોઈ બીજા સાથે લડો નહીં. લડવું હોય તો તમારા પોતાની સાથે લડો. તમે તમારા પર વિજય મેળવો. બદલવું હોય તો તમે પોતાને બદલો. બનવું છે તો સ્વયં બનો. સંપૂર્ણ ખેલ તમારા અંદર જ છે.”
મહાવીરનો સમય બૌદ્ધિક જાગૃતિનો સમય હતો. જેવી રીતે આજે વિજ્ઞાનને સમજવું હોય તો પશ્ચિમની શરણમાં જવું પડે છે તેવી રીતે ધર્મના કોઈ સ્વરૂપ જાણવા હોય તો ભારતના શરણમાં આવવું પડતું હતું. ભારત પાસે બધી ધર્મપરંપરાઓના પ્રબુદ્ધ પુરુષો હતા. બધાને ચોવીસમા તીર્થંકર તરીકે પ્રસ્થાપિત કરવાની ભાવના એમના શિષ્યોને હતી. કાત્યાયન, મખ્ખલી ગોશાલક, સંજય વિલેટ્ટીપુત, અજિત કેશકુંબલી વગેરે પ્રબુદ્ધ વ્યક્તિઓ હતી. આ બધા વચ્ચે સૌથી ક્રાંતિકારી મહાવીર શ્રમણોની પરંપરાના ચોવીસમા તીર્થંકર બન્યા.
એ સમયે બુદ્ધ પણ હતા, પણ બુદ્ધ ક્રાંતિકારી ન બની શક્યા. બુદ્ધ પાસે સ્ત્રીઓ દીક્ષા માટે આવી પણ બુદ્ધ ઈન્કાર કર્યો. એ વાતનો ડર હતો કે સ્ત્રીઓ અને પુરુષો સાથેસાથે રહે ને ધર્મભ્રષ્ટ થાય. એમને સ્ત્રીઓને સંન્યાસ આપવામાં જોખમ લાગ્યું. પણ મહાવીરની સામે આ વાત આવી તો એમને એક પણ વાર વિચાર્યા વિના સ્ત્રીઓને સંન્યાસ આપ્યો. ક્રાંતિકારી જોખમ વિચારવા રહેતા નથી, પણ સ્વીકારે છે. ત્યાર બાદ બુદ્ધ પર બહુ દબાણ કરવાથી બુદ્ધ સ્ત્રીઓને દીક્ષિત કરી. બુદ્ધે કહ્યું, “મારો ધર્મ પાંચસો વર્ષમાં નષ્ટ થશે. કારણ કે મેં મારી જાતે એનાં બીજ વાવ્યાં છે.' બુદ્ધની આશંકા સાચી પડી. પણ મહાવીરનો ધર્મ આજે પણ જીવિત છે. સ્ત્રીનો સમાવેશ કર્યો પણ ધર્મ નષ્ટ ન થયો. કેટલો ક્રાંતિકારી ભાવ રહ્યો હશે? જિનસૂત્ર-૨
આ પુસ્તકમાં સમ્યફ શ્રવણ, સમતા, પ્રેમ, ગુરુ, ધ્યાન, વેશ્યા, ગોશાલક, ચૌદ ગુણસ્થાનક, પંડિતમરણ વગેરે વિષયોને આવરી લીધા છે. જે સમણસુત્તના પ્રવચનો પર આધારિત છે.
સમિતિને સમજાવતા ઓશો મહાવીરને પણ રામની જેમ જ મર્યાદા પુરુષોત્તમ કહે છે, કારણ કે મહાવીર જેટલી મર્યાદામાં કોઈ પુરુષ, કોઈ વ્યક્તિ જીવી નહીં હોય. આ મર્યાદાનું મહાવીરનું નામ છે સમિતિ. સમિતિનો અર્થ છે સીમા બનાવીને જીવવું. એનું કારણ છે સમિતિનું પાલન કરવાવાળા સાધુથી જો હિંસા થાય તો એ
આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૯
Page #449
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય હિંસા જ હશે, ભાવ હિંસા નહીં. ભાવ હિંસા એનાથી થશે જે અસંયમી હશે. પંડિત મરણ વિશે લખતા ઓશો કહે છે, “મહાવીરે એક બહુ અનેરો શબ્દ આપ્યો પંડિત મરણ.”
એક પંડિત મરણ – જ્ઞાનપૂર્વક, બોધપૂર્વક મ૨ણ, સેંકડો જન્મોનો નાશ કરે છે. એટલે એવી રીતે મરવું જોઈએ કે મરણ સુમરણ થઈ જાય. આપણે જીવનને વ્યર્થ કરીએ છીએ જ્યારે મહાવીર મરણને સાર્થક કરવાની વાત કરે છે. મહાવીરે મરણ ૫૨ અનેરું ચિંતન કર્યું. પંડિત શબ્દ પ્રજ્ઞાથી બન્યો છે. પ્રજ્ઞાપૂર્વક મરવું. જે જોઈ શકે છે, હોશમાં છે, જે મૃત્યુનું સ્વાગત જાગતા કરે છે.
इक्कं पंडिमरणं छिंदइ जाइसयाणि बहुयाणि ।
तं मरणं मरिपवं जण मओ सुम्मओ होई ॥
ઓશો કહે છે,
“જ્યારે હું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ લઉ છું મહાવીર સાથે તો એના ઘણાં કારણો છે. બંનેની ચિંતનધારા એક જેવી જ છે. મહાવીરે અધ્યાત્મમાં સાપેક્ષવાદ આપ્યો. આઈનસ્ટાઈને ભૌતિક વિજ્ઞાનમાં સાપેક્ષવાદ આપ્યો. બંનેના ચિંતનની ધારા (ઢબ), બંનેના તર્ક, વિચારો એક જ હતા. બંનેના વિચારો મેળ ખાય છે. આઇન્સ્ટાઈનના આધા૨ ૫૨ મહાવીરનું પુનૅધ્યાન થવું જરૂરી છે. જે આપણે મહાવીરમાં જોવાનું ચૂકી ગયા છીએ, તે આઇન્સ્ટાઈન મારફતે જોઈ શકીશું. ધર્મ અને વિજ્ઞાન મળશે. જાણે મહાવીર ધર્મ જ્ગતનાં આઇન્સ્ટાઈન ને આઇન્સ્ટાઈન વિજ્ઞાનના જગતના મહાવીર છે.”
મહાવીર યા મહાવિનાશ
ઓશો કહે છે મહાવીરના સિદ્ધાંતને સ્વીકારો અથવા મહાવિનાશને સ્વીકારો. “મહાવીરને ભગવાન પછી કહો પહેલા મહાવીરને તમારો પોતાનો મિત્ર, સાથી, સહયોગી ને પડોશી માનો. કારણ કે આપણે એમને લોકોત્તર બનાવી દીધા છે અને આપણા અંતરની પ્યાસ (ક્ષુધા) ક્ષીણ થઈ ગઈ છે. આપણે આદર અને શ્રદ્ધામાં એવી વાતો ગૂઢ બનાવી છે જેને કારણે આપણે પ્રેમાળ લોકોથી વંચિત રહી ગયા છે. મહાવીર તમારા જેવા જ વ્યક્તિ છે, પણ એક દિવસ એવો આવ્યો કે એ તમારા જેવા ન રહ્યા. તેમની અંદર આત્માનો ઉદય થયો, જે અલૌકિક છે. દેહ તો તમારા જેવો જ રહ્યો પણ આત્મા તમારા જેવો ન રહ્યો. દેહના સ્તર પર તો તમે મહાવીર સાથે ઊભા રહી શકો છો. એ સ્તરે તમે એના મિત્ર કે સાથી છો, તો આત્માના સ્તરે શા માટે મહાવીર જેવા થવાની આકાંક્ષા ન જન્મે ? ક્ષુધા ત્યારે ઉદ્દભવશે જ્યારે સંભાવના સંભવિત લાગશે. જો મહાવીરને નજીક સમજીશું તો જ્યાં પહોંચ્યા છે ત્યાં જવાનું તમારા માટે સંભવ લાગશે.”
તમારા જન્મથી તમારો ધર્મ નક્કી નથી થયો, એના માટે કાંઈક કરવું પડે છે. મહાવીરનું જીવન જુઓ, એમની ઉત્કટ આકાંક્ષા અભિપ્સાનું જીવન જુઓ, ૪૦૦ ૪ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #450
--------------------------------------------------------------------------
________________
એમની સાધના અને તરલનું જીવન જુઓ. સમજાય કે મહાવીર શું કરી રહ્યા હતા? મહાવીરની સમગ્ર સાધના એ માટે હતી કે અંદરના વર્ધમાનનું મૃત્યુ થાય અને મહાવીરનો જન્મ થાય. જો ધર્મ જન્મથી મળી જતો હોય તો મહાવીરને પણ મળી ગયો હોત. બાર વર્ષની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી એ નાસમજ હોત. પોતાના જીવનને ઓગાળવું અને બદલવું, દુર્ગમ પર એકલા જ ચડાઈ કરવી એ કેવી રીતે સાચું ગણી શકાય? પણ મહાવીર જાણતા હતા કે ધર્મ જન્મથી મળતો નથી. ધર્મ સંકલ્પથી મળે છે, શ્રમથી મળે છે. માટે જ મહાવીરની પરંપરા શ્રમણ પરંપરા કહેવાઈ. ધર્મ આપણને એટલો જ પ્રાપ્ત થાય છે જેટલો આપણે શ્રમ કરીએ છીએ. ભગવાન તરફથી કોઈ પ્રસાદ નથી મળતો, કોઈ આશીર્વાદ, કોઈ પ્રાર્થના કે સ્તુતિથી ધર્મ નથી મળતો. જે મેળવવું હોય તે પરાક્રમથી, શૌર્યથી મેળવવું પડે, જે મનુષ્યના સંબંધમાં અતિ ગૌરવની બાબત છે. મનુષ્ય માટે ગરીમાની, સન્માનની બીજી કોઈ વાત હોઈ શકે?
જો કોઈ એમ કહે કે સત્યને પામવા કાંઈ કરવાની જરૂર નથી તો એવું સત્ય મને સ્વીકાર્ય નથી. પુરુષાર્થવિહીન સત્ય કોઈ નપુંસક જ સ્વીકારી શકે. આવી રીતે પ્રાપ્ત થયેલું સત્ય જીવંત રહી શકે? મહાવીર કહે છે સત્ય ભીખમાં ન મળી શકે. એના માટે તો આક્રમણ કરવું પડે, ક્ષત્રિય થવું પડે.
મહાવીર કહે છે જો જીવનમાં આનંદ પ્રાપ્ત કરવો હોય તો બીજાને દુ:ખ દેવામાં અસમર્થ થઈ જાઓ, તો જ આનંદ પામશો.
આચાર્ય રજનીશે નિર્જી, ભેદવિજ્ઞાન, શુક્લધ્યાનની પરિભાષા પણ બહુ સરસ કરી છે.
બહારની વસ્તુઓ એટલે પર ને અંદર પ્રવેશવા ન દેવું, બહાર જ રહેવા દેવું. માત્ર બહારની વસ્તુઓ જ નહીં પણ તેના વિચારોને પણ અંદર ન પ્રવેશવા દેવા. જે બહારથી આવ્યો છે એ પ્રભાવને વિસર્જિત કરવો એ નિરા છે. બહારનું જ છોડી દેવું તો અંદર એ જ બચશે જે બહારથી નથી આવ્યું. અંદર જ છે તેના દર્શન થશે. મહાવીરની વૈજ્ઞાનિક ધારણા નિર્જરાની અદ્ભુત છે. એ જ માર્ગ છે, એ જ યોગ છે, એ જ વિજ્ઞાન છે, એ જ પ્રયોગશાળા છે, વ્યક્તિની સ્વયંમાં ઊતરવાની. વ્યક્તિ પોતાના અંદર થોડી વાર પણ આ વિવેકને જાગૃત કરે કે કોઈ પણ આવતો વિચાર બહારનો છે. આ હું નથી, આ પર’ છે. બહારથી આવતા સંસ્કાર (વિચાર) અંદર એને માટે હાવી થઈ જતા હતા કારણ કે આપણે એને આપણા માનતા હતા. જે બહારથી આવ્યું એ હું નથી એને મહાવીર ભેદવિજ્ઞાન' કહે છે. જે પર છે. આ પરને દ્રષ્ય બનીને જોવાનું છે. ધીરેધીરે તટસ્થ દ્રષ્ટાનો બોધ, સમ્યક દ્રશનો બોધ “પરને વિસર્જિત કરી દેશે. દ્રશ્યો વિલિન થતા જશે. એક દિવસ અચાનક જ્યાં ગત દેખાતું હતું ત્યાં શૂન્ય દેખાશે. ધીરેધીરે કોઈક દિવસ સામાયિકના પ્રયોગથી જગત શૂન્ય બની જશે. આ શૂન્યની પરિપૂર્ણ સ્થિતિને મહાવીરે “શુક્લધ્યાન' કહ્યું છે.
આચાર્ય રજનીશ - ઓશો + ૪૦૧
Page #451
--------------------------------------------------------------------------
________________
મહાવીર મેરી દૃષ્ટિ મેં
શ્રીનગર અને પહેલગામમાં ભગવાન મહાવીર પર ઓશો દ્વારા આપવામાં આવેલા પચીસ પ્રવચનોનું સંકલન છે.
ઓશો કહેતા “હું મહાવીરનો અનુયાયી નથી, પ્રેમી છું, એવી જ રીતે જેવી રીતે કાઈસ્ટનો, કૃષ્ણનો, બુદ્ધનો અથવા લાઓત્સેનો.” આચાર્ય ચંદનાજી કહે છે, “મહાવીર આટલા સરળ હોઈ શકે એ ઓશો દ્વારા જાણ્યું, મહાવીરનું તપ આટલું રમણીય હોઈ શકે એનો પરિચય ઓશોએ કરાવ્યો. મહાવીરની અહિંસા સાધનાનું શિખર છે. એની અનુભૂતિ ઓશોએ કરાવી.”
પ્રીતિ એન. શાહ
એ/૪, નોર્થવ્યુ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૪, સેંટ ઝેવિયર્સ કૉલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009
મો. 9426347363 8141199064
૪૦૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #452
--------------------------------------------------------------------------
________________
.
સંશોધન કાર્ય
Page #453
--------------------------------------------------------------------------
Page #454
--------------------------------------------------------------------------
________________
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति
की ज्ञान ओवं तपः साधना
. विजयलक्ष्मी पोरवाल
સાહિત્યના અધ્યયન દ્વારા સક્રિય રહીને સંસ્કારસિંચન કરનાર શ્રી વિજયલક્ષ્મી પોરવાલે પ્રસ્તુત લેખમાં પ.પૂ. આ. શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજસાહેબની સાહિત્યસાધના ઉપર સારો એવો પ્રકાશ પાડ્યો છે. – સં.)
हमारे गुरुवर्य सोधर्मवृहत्तपागच्छीय कलिकाल सर्वज्ञकल्प भट्टारक १००८ श्रीमद्विजयराजेन्द्रसूरीश्वरजी महाराज के बारे में लिखना सूरज को दीपक दिखाने के समान है। प्रातःस्मरणीय प्रभु ने अस्सी वर्ष की आयु पाई। गृहस्थ जीवन के इक्कीस वर्प, यति जीवन के इक्कीस वर्ष एवं साधु जीवन के अडतीस वर्ष, इस प्रकार कुल अस्सी वर्ष होते हैं। जीवन अनेक प्रकार के होते हैं। आपका जीवन एक सार्थक जीवन, एक आदर्श त्यागी जीवन। आप विरल विभूति, अद्भुत योगी सच्चे शासन प्रभावक, साहित्य प्रेमी, जनहितार्थ साहित्य रचयिता सरस्वती पुत्र थे। आपका जन्म एक ऐसे समय में हुआ था जिस समय जैन समाज में सामाजिक एवं धार्मिक क्रांति की आवश्यकता अनुभव की जा रही थी। क्रांति तो सब चाहते थे; किन्तु आगे कदम रखनेवाला कोई व्यक्ति दृष्टिगोचर नहीं हो रहा था। ऐसे समय में गुरुवर श्री विजयराजेन्द्रसूरिजी का जन्म हुआ; तो ऐसा प्रतीत हुआ मानो इस धरती को एक अनमोल रत्न की प्राप्ति हुई, जो अपनी कांति से अज्ञान का अंधकार मिटाने एवं ज्ञान की ज्योति जगाने आया हो।
आपका जन्म वि. सं. १८८३ पौष शुक्ला ७ (सप्तमी) गुरुवार तदनुसार दिसम्बर ३ सन् १८२७ को “भरतपुर' नाम के नगर में हुआ। पिताश्री - श्री ऋषभदास, माताश्री - श्रीमती केसरीवाई, ज्येष्ठ भ्राता - माणिकचन्द्रजी, ज्येष्ठा - गंगाबाई, कनिष्टा - प्रेमाबाई थे। आपका जन्म नाम 'रत्नराज' था।
आप वचपन से ही बुद्धिमान थे, इसलिए दस साल की उम्र में लौ शिक्षा में प्रवीण हो गए। आपने अपने बड़े भ्राता के साथ केसरियाजी एवं 'गोडवाड' की पंचतीर्थी की यात्रा की, फिर दोनों भ्राता पिताश्री की आज्ञा लेकर व्यापारोन्नति के लिए कलकत्ता एवं वहाँ से सिंहलद्वीप (श्रीलंका) इत्यादि स्थानों से द्रव्योपार्जन करके अपने घर लौटे। वापस लौटने के पश्चात् माता-पिता की सेवा - भक्ति की।
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४०५
Page #455
--------------------------------------------------------------------------
________________
उनके देहावसान के बाद आप धर्मध्यान में प्रवृत्त हुए। उसी समय संवत् १९०२ में श्री कल्याणसूरिजी महाराज सा. के शिष्य श्री प्रमोदविजयजी म. भरतपुर में पधारे। उनके वैराग्यपूर्ण व्याख्यानों से आप प्रभावित हुए । उन्हें संसार की असारता, जीवन की नश्वरता एवं वैभव की क्षणिकता समझ में आई और आपके हृदय में वैराग्य का प्रस्फुटन हुआ। आपने गुरुदेव के समक्ष सांसारिक विषयों के प्रति हार्दिक अरुचि प्रकट की व दीक्षादान की याचना की । ज्येष्ठ भ्राता से आज्ञा लेकर वि. सं. १९०४ वैशाख शुक्ला पंचमी को शुक्रवार को श्री प्रमोदसूरिजी के ज्येष्ट गुरु भ्राता हेमविजयजी के करकमलों से यतिदीक्षा ग्रहण की। आपका नाम 'रत्नविजय' रखा गया। उस समय सागरचन्द्रजी मरुधर के यतियों में भारी विद्वान थे। वे श्री प्रमोदविजयजी के परम मित्र थे; इसलिये उन्होने रत्नविजयजी को शिक्षा के लिए सागरचन्द्रजी के पास भेजा। सागरचन्द्रजी ने छ वर्ष तक आपको पास रखा एवं व्याकरण, न्यायकोप, काव्य, अलंकार आदि में निपुण वना दिया। तत्पश्चात उन्होने तपागच्छाधिराज पूज्य 'देवेन्द्रसूरिजी महाराज के पास रहकर जैन सिद्धांतो का अवलोकन किया और गुरुदत्त अनेक चमत्कारिक विद्याओं का साधन किया ।
आपके गुणों एवं बुद्धि की विचक्षणता को देखकर 'श्री देवेन्द्रसूरिजी ' ने आपको उदयपुर शहर में श्री हेमविजयजी महाराज सा से स. १९०९ वैशाख शुक्ला ३ को बडी दीक्षा एवं ‘पंन्यास' पदवी से अलंकृत करवाया। संवत १९१२ में देवेन्द्रसूरिजी ने अपने वाल शिष्य 'धीरविजय' को आपके पास अध्ययनार्थ सौंप दिया। पाँच वर्ष तक आपने धीरविजयजी एवं इक्यावन यतियों को विद्याभ्यास करवाया। धीरविजयजी को पूज्यपद दिलवाकर 'धरणेन्द्रसूरि' नाम से प्रसिद्ध किया। जोधपुर और बीकानेर के राजाओं से धरणेन्द्रसूरि ने आपको 'दफतरी' पद दिलवाया। 'दफतरी' पद उस समय वहुत सम्मान का पद माना जाता था । वि. सं. १९२३ में धरणेन्द्रसूरिजी का चातुर्मास धाणेराव में था । वहाँ एक इत्र विक्रेता से उन्होने इत्र क्रय किया एवं रत्नविजयश्री से उसका मूल्यांकन करने को कहा। श्रीमद्जी वैसे भी यति परम्परा के वाह्याडंवरों के विरोधी थे । यतिवेष उनकी उपजीविका का साधन वन गया था। वैभव विलास सीमा पार कर गए थे। समूचा यति वर्ग मंत्र तंत्र में लीन था । पालखी, चामर, छडी, सैनिक आदि; भांग, गांजा आदि व्यसन; शृंगार, जुआ, परिग्रह आदि के साथ धुलमिल गया था। आचार्य श्री सही माने में श्रमण जीवन जीना चाहते थे अतः वे उचित अवसर की तलाश में थे । इत्र की परख करने के लिए जव धरणेन्द्रसूरिजी ने कहा तो उन्हे अनुकूल अवसर प्राप्त हो गया व उन्होंने जो उत्तर दिया वह इतिहास की अनमोल धरोहर बन गया। उन्होंने कहा एक साधु के लिए, यह इत्र कितना भी किमती हो, पर गधे के मूत्र से अधिक कीमत नहीं रखता। यह उत्तर श्री पूज्य के साथ सारे यति समाज के लिए खुली चुनौती वन गया। सारे यति समाज को कलमनामे की आग में अपने को जलाना पडा । संक्षेप
૪૦૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #456
--------------------------------------------------------------------------
________________
में कलमनामा निम्नलिखित है - १. संघ के साथ हमेशा प्रतिक्रमण करना, व्याख्यान देना, पालकी आदि वाहन
के बिना मंदिर जाना, सोने चाँदी के जेवर नहीं पहनना, स्थापनाजी का
सदा पडिलेहन करना, यंत्र मंत्र आदि नहीं करना। २. व्यर्थ खर्चा नहीं करवाना, घोडे गाडी पर नहीं बैटना। ३. छुरी तलवार आदि शस्त्र नहीं रखना। ४. एकांत में स्त्रीयों से वार्तालाप नहीं करना, नहीं पढाना, उपदेश भी नहीं
देना, नपुंसक, वैश्या आदि की कुसंगती नहीं करना। भांग, गांजा, तम्बाकु आदि नहीं पीना, रात में भोजन नहीं करना, कांदा
लहसुन आदि खाने वाले यति को नहीं रखना। ६. सचित वनस्पति को नहीं काटना, दांतों की सफाई नहीं करना, कुआ, तलाव
आदि के कच्चे जल को नहीं छूना, सदैव उष्ण जल पीना, निष्कारण तेल
आदि मर्दन नहीं करना। ७. अधिक नौकर नहीं रखना, हिंसक को तो कभी नहीं रखना। ८. श्री पूज्यश्री को श्री संघ के पास से झगडे से, हठ से, खमासमण एवं द्रव्य
आदि नहीं लेना। ९ सब पर सम्यक्त्व की शुद्धि हो वैसा उपदेश देना, शतरंज आदि नहीं
खेलना, केश रंगना नहीं, रात में बाहर घुमना नहीं, जूते पहनना नहीं,
यतियों से हमेशा ५०० गाथा की आवृत्ति करवाना।
यह साधु साध्वियों से संविधान रुप आचार संहिता का कलमनामा है। जिसे श्री गुरुदेव ने बनाया। (यह उस कलमनामें का हिंदी अनुवाद है।)
संवत् १९२४ में श्रीमद् का जावरा चातुर्मास अविस्मरणीय रहा है। आपकी प्रवचन शैली से जावरा के नवाव व दीवान प्रभावित हुए। श्री धरणेन्द्रसूरिजी ने भी कलमनामें पर हस्ताक्षर किये।।
श्रमणजीवन - कलमनामें की स्वीकृति के बाद उन्हें पूज्य पदवी का वैभव भार स्वरूप मालूम पडने लगा। उन्होने जावरा नगर के खाचरोद दरवाजे के आगे एक नाले के तट के पार जो वटवृक्ष है वहाँ जाकर आपने संवत १९२५ वैशाख शुक्ला १० को श्री पूज्य के आडम्बर शोभा सामग्री का त्याग किया, जिसमें मुख्य पालखी, छत्र, चामर, छडी, गोटा आदि है। अब आपने क्रियोद्धार करके सच्चा साधुत्व ग्रहण किया। यहाँ से आप 'श्री विजयराजेन्द्रसूरि' के नाम से प्रसिद्ध हुए। इसी वर्प के खाचरोद चातुर्मास में आपने त्रिस्तुतिक सिद्धांत को पुनः प्रकाशित किया। कलमनामें की स्वीकृति जैसा ही त्रिस्तुतिक सिद्धांत भी महत्त्वपूर्ण है। क्रियोद्धार के पश्चात् आपने अपने श्रामण्य को विशेष शुद्धि के लिए तपस्या की आग में तपाना प्रारम्भ किया। आपश्री के लिए प्रत्येक सुज्ञ को यह कहना पडता
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४०७
Page #457
--------------------------------------------------------------------------
________________
है कि वह तपस्वी जितना दे सकता था, समाज ने उससे उसका शतांश भी नहीं लिया। मितभाषी, मितभोजी, मितपरिग्रही थे वे। आलस्य वहाँ दर्शन मात्र को भी नहीं था। आत्म शुद्धि के लिए आपने सर्वप्रथम अभिग्रह धारणा करना शुरू किया। इसमे आपको कभी चार, कभी छह और कभी सात दिन तक निराहार रहना पडता था। अभिग्रह के अलावा आप प्रति चातुर्मास में तीन चातुर्मासिक चतुर्दशी का बेला तथा संवत्सरों एवं दीपमालिका का तेला करते थे। वडे कल्प का बेला, प्रतिमास की सुदी १० का एकासना और चैत्री और आसो मास की ओली करते थे। यह तपश्चर्या उन्होंने जीवन भर दण्ड रूप से की। मांगी-तुंगी के बीहड वन, चामुंडवन, स्वर्णगिरी पर्वत ये सभी आप के तपस्या के स्थान थे। साधना की सफलता का ही सुपरिणाम था कि आपको भविष्य की अनेक घटनाएँ अपनी ध्यानावस्था में पहले ही ज्ञात हो जाती थी। इसी साधना के कारण आप संघ पर आए हुए संकटों का तत्काल निवारण कर देते थे।
संवत् १९२६ में राणकपुर में आपने तीन दीक्षा दी। अतियाँ वाई - प्रथम साध्वीजी बनी जिनका नाम अमरीजी रखा गया। दूसरी लक्ष्मीश्रीजी एवं तीसरी कुशलश्रीजी बनी। इस प्रकार सायी संघ की स्थापना हुई। श्रीमद् की साहित्य साधना क्रांतिकारी है। क्रांतिकारी व्यक्ति को कदम-कदम पर खतरा उठाना पडता है। अपने सिद्धांत के मण्डन के लिए आपको रतलाम, अहमदावाद और सूरत में विपक्षियों से शास्त्रार्थ करना पड़ा। प्रत्येक शास्त्रार्थ में आप विजयी हुए। विपक्षियों ने आपको अनेक प्रकार के शारीरिक कष्ट दिये, पर आप आगे बढते ही गए। सामाजिक एकता के लिए आपने अथक प्रयत्न किए। जगह-जगह मतभेदों को मिटाया। इसमें चीरोला एवं उसके आसपास के गांवों का उदाहरण बहुत महत्वपूर्ण है। चीरोला एवं सभी गाँव ढाई सौ वर्षो से जाति से वहिप्कृत थे। गुरुदेव के प्रभाव से यह कठिन समस्या सुलझ गई।
श्रीमद् ने कुल मिलाकर २७ छोटे वडे प्रतिष्ठा, अंजनशलाका आदि समारोह संपन्न करवायें। जालोर के सुवर्णगिरि पर्वत पर जा जैन मंदिर थे उनका उपयोग शस्त्रागारों के रूप में होने लगा था। उन पर जोधपुर राज्य का अधिकार था। पूज्य गुरुदेव ने जोधपुर नरेश को समझा बुझाकर और सत्याग्रह करके इन मंदिरों को अस्त्र-शस्त्रों से मुक्त करवाया। वि. सं. १९३३ माघ शुक्ला सप्तमी को मंदिरजी की प्रतिष्ठा संपन्न हुई एवं ९ उपवास का पारणा हुआ। सं. १९३८ में मोहनखेडा' नामक स्वतंत्र तीर्थ की स्थापना करवाई। प्रतिष्ठा अंजनशलाकाओं में आहोर के बावन जिनालय युक्त गोडी पार्श्वनाथ मंदिर की प्रतिष्ठा जो संवत् १९५५ के फाल्गुन वदी ५ को की गई, वडा महत्त्व रखती है। इसी अवसर पर ९५१ जिन बिंबों की प्राण प्रतिष्ठा की गई।
____सं. १९४४ में पारख अंबावीदास मोतीचंद ने शgजय और गिरनार का पैदल छहरीपालन कर्ता विशाल संघ निकाला। उस समय में उस यात्रा में १ लाख रु. ૪૦૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #458
--------------------------------------------------------------------------
________________
खर्च हुए। यह यात्रा इतिहास में अविस्मरणीय थी।
संवत् १९६३ का चातुर्मास आपने बडनगर में किया। चातुर्मास समाप्ति के पश्चात् आपने मार्गशीर्ष मास में मंडपाचल की यात्रार्थ ससंघ प्रस्थान किया। उस समय आपकी अवस्था असी वर्ष की थी। मार्ग में ही आप ज्वराक्रांत हो गए। अतः राजगढ आना पडा। आपको अपने अंत समय का ज्ञान पहले से ही हो गया था। पोप शुक्ला ३ को आपने यतींद्रविजयजी एवं दीपविजयजी को श्री अभिधान राजेन्द्र कोप' के संपादन एवं मुद्रण का आदेश दिया। पौष शुक्ला ६ की संध्या को आप ‘अर्हम नमः' का जाप करते करते समाधियोग में हमेशा के लिये लीन हो गए। पोप शुक्ला ७ को आपके पार्थिव शरीर का मोहनखेडा तीर्थ पर अग्निसंस्कार किया गया। और आप यावत्चन्द्र दिवाकर अमर वन गए। धार्मिक जीवन के साथसाथ गुरुदेव का साहित्यिक जीवन भी एक अनुपम आदर्श था। अब हम उनकी साहित्यिक कृतियों पर प्रकाश डालने का प्रयत्न करते है।
श्री अभिधान राजेन्द्र कोष २० वीं सदी के महान जैनाचार्य श्रीमदविजयराजेन्द्रसूरीश्वरजी द्वारा रचित श्री अभिधान राजेन्द्र कोप' जैनागमों पर आधारित संदर्भ कोप है। इस कोष में प्राकृत के, विशेषतया जैनागमों से संबद्ध अर्ध-मागधी भाषा के सभी शब्दों के विभिन्न प्रयोग बतलाते हुए उनकी व्याख्याएँ और आवश्यक समस्त जानकारी विस्तार पूर्वक दी गई हैं।
अभिधान राजेन्द्र कोप' की रचना द्वारा आचार्यश्री का पारमार्थिक अलौiिon प्रयोजन यह है कि 'मोक्षाभिलापी' सम्यग्ज्ञान की प्राप्ति से इच्छुक लोगों को शब्दार्थ के माध्यम से शास्त्र का ससंदर्भ सही अर्थ उपलब्ध हो, भय का निवारण हों, सिद्धांतो का ज्ञान हों और भगवान महावीर की वाणी का विशिष्ट विवेचन उपलब्ध हो। इसीलिए आचार्य श्री ने आगमों में अन्तर्निहित शब्दो की कोप पद्धति से व्याख्या कर इस शब्दकाप का निर्माण किया है।
इस ग्रन्थ का निर्माण साधु एवं श्रावकों के प्रतिवोध हेतु किया गया है तथापि सम्यग्ज्ञान प्राप्ति के इच्छुक प्राणीमात्र इस ग्रन्थ का उपयोग करने के अधिकारी हैं। अतः यह कोप ‘ज्ञानकोप' अथवा 'विश्वकोप' की श्रेणी में आता है। शब्दकोप एवं ज्ञानकोप में अन्तर है। जिस संग्रह में शब्दों के अर्थ, पर्याय, व्याख्याएँ आदि होती है, उन्हे 'शब्दकोप' कहते हैं और जिस संग्रह (कोप) में शब्द के सम्बंध की विशेप ज्ञातव्य वातें विस्तारपूर्वक दी जाती हैं, उन्हे 'ज्ञानकोप' अथवा 'विश्वकोप' कहते हैं। इस कोप में जैनागम साहित्य के समस्त प्राकृत शब्दों को अनेक प्रकार से विशिष्ट बनाया गया है। जैसे प्राकृत के समानान्तर उसका संस्कृत शब्द, प्राकृत शब्द की व्याकरणिक कोटियाँ, लिंग, पुरुष, वचन एवं व्युत्पत्ति आदि भिन्न-भिन्न वाच्यार्थ एवं उन अर्थो मे प्रयुक्त उस शब्द का प्रयोग किस ग्रन्थ में हुआ है,
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४००
Page #459
--------------------------------------------------------------------------
________________
यह संदर्भ-प्रसंग के साथ स्पष्ट किया गया है। यह ग्रन्थ मात्र जैन साहित्य संबंधी व्याख्याएं ही प्रस्तुत नहीं करता, अपितु सभी दर्शनों, व्याकरण, भूगोल, खगोल, ज्योतिष, गणित, शिल्प, इतिहास इत्यादि उस समय तक विकसित सभी विद्याओं से सम्बंधित शब्दों की सटीक व्याख्या प्रस्तुत करता है।
इस कोष का लेखन कार्य का शुभारम्भ वि. सं. १९४६ अश्विन शुक्ला द्वितिया को राजस्थान के जालोर प्रांत में स्थित सियाणानगर में राजा कुमारपाल द्वारा निर्मित श्री सुविधिनाथ जिनालय के निकट संघवी शेरी में स्थित पोषधशाला / पोरवालों की धर्मशाला में किया था। आचार्य श्री प्रतिदिन नारियल की कटोरी में देशी पद्धति से निर्मित स्याही में भीगा कपडा रखते एवं बरु की कलम से दिन भर लिखा करते, सूर्यास्त से पूर्व स्याही वाला कपडा सुखा देते एवं पुनः दूसरे दिन उसी कपडे को पानी में भिगोकर अपना कार्य प्रारम्भ करते थे। और इसी तरह १३ वर्ष ६ महीना
और ३ दिन (प्रायः १४ वर्ष) में यह कोप परिपूर्ण हुआ। विक्रम संवत् १९६० के वर्प के श्रेष्ट चैत्र मास में शुक्ल पक्ष में त्रयोदशी बुधवार के दिन हस्त नक्षत्र में सूर्यपुर (सूरत) में सम्यक प्रकार से सम्पूर्ण संकलन कर आचार्य राजेन्द्रसूरिजी ने संसार को शुभ राजेन्द्र कोष दिया।
१४ वर्ष की दीर्घ समयावधि में आचार्य श्री ने अपने साध्वाचारों का चुस्तरूप से पालन करते हुए विहार, दीक्षा, प्रतिष्ठा, अंजनशलाका, संघ-यात्राएँ और गच्छ के अन्य कार्य भी करते हुए विपक्षियों से शास्त्रार्थ के साथ-साथ अन्य साहित्य का भी निर्माण किया। आचार्य राजेन्द्रसूरीश्वरजी को प्राकत-संस्कृत आदि भापाओं का और व्याकरण, शब्द-शास्त्र व सिद्धांत आदि अनेक विषयों का गम्भीर ज्ञान था, तभी वे अभिधान राजेन्द्र' जैसे महान ग्रंथ का निर्माण कर पाये जो उन्हे अमर बनाने के लिये पर्याप्त है।
नामकरण - आचार्य श्री ने विश्वकोप स्वरूप प्रस्तुत ज्ञानकोप का नाम प्रारम्भ में अभिधान राजेन्द्र' कोष के चौथे भाग में मंगलाचरण में 'अभिहरण राइंद' अर्थात अभिधान राजेन्द्र प्राकृत प्रशस्ति में 'राइंद कोप' एवं संस्कृत प्रशस्ति में अभिधान राजेन्द्र प्राकृत महाकोप दिया हैं।
अभिधान राजेन्द्र कोषः इसमें तीन शब्द है अभिधान - संज्ञा, शब्द, नाम, तुल्यनाम में अर्थज्ञान, उच्चारण आदि राजेन्द्र - राजाओं के इन्द्र / चक्रवर्ती राजा - राजा गौतम स्वामी आदि गणधर, आचार्य भगवंत जिन शासन के राजा इन्द्र - शोभनीय, ऐश्वर्य कोप - भण्डार, खजाना अतः अभिधान राजेन्द्रकोप का शाब्दिक अर्थ है - १. नामों के चक्रवर्ती का खजाना
२. शब्दों के राजा का ऐश्वर्य भण्डार M-KAnimukraandard
Page #460
--------------------------------------------------------------------------
________________
३. शब्द चक्रवर्ती का भण्डार
४. गौतमादि गणधरों के द्वारा जैनागम रूप में गूंथा हुआ सुसमृद्ध ज्ञान का अक्षय खजाना
अभिधान राजेन्द्र कोष अर्थ-मागधी भापा के साथ-साथ सभी प्राकृत भाषा भेदों का मौलिक कोष ग्रन्थ है।
इसमें छोटे बड़े ८०००० शब्द, सहस्राधिक सूक्तियाँ, सहस्राधिक कथोपकथाएँ एवं साढे चार लाख श्लोक संग्रहित हैं।
इस कोष में आचार्य श्री ने शब्दों के अर्थ को स्पष्ट करने के लिए अकारादि वर्णानुक्रम से प्राकृत शब्द, तत्पश्चात् उसका संस्कृत में अनुवाद, लिंग, व्युत्पत्ति एवं उन शब्दों के जैनागमों में प्राप्त विभिन्न अर्थ संसदर्भ दिए हैं। यथास्थान समास आदि का भी संकेत दिया है। आचार्य श्री ने इस कोप में विशालकाय शब्द राशि युक्त संपूर्ण विषय-वस्तु को वैज्ञानिक ढंग से ७ भागों में विभक्त किया है।
श्री अभिधान राजेन्द्र कोष का प्रथम भाग अभिधान राजेन्द्र कोष के प्रत्येक भाग का प्रारम्भ आपने (आचार्यश्रीने) मंगलाचरण से किया हैं। हर भाग में मंगलाचरणों में वीर एवं वीर की वाणी जिनवाणी को नमस्कार करते हुए आगमों का महत्त्व प्रतिपादित किया। प्रथम भाग का मंगलाचरण
जयति सिरिवीरवाणी, बहुविबुहनमंसिया या सा।
क्त्तव्वयं से बेमि, समासओं अक्खरवकम सो॥ इस ग्रंथ का पटन करने से पहले आवश्यक कतिपय संकेत उन सवको पढ लेना आवश्यक है ताकि ग्रंथ के अध्ययन में किसी प्रकार की असुविधा न हो, न ही शंका रहें। इसके लिए ग्रंथक्रात ने १६ आवश्यक संकेत प्रकाशित किए हैं।
श्री सुधर्मास्वामी ने १ आचारंग सूत्र, २ सूत्रकृतांगसूत्र, ३ स्थानांगसूत्र, ४ समवायांगसूत्र, ५ भगवती सूत्र, ६ ज्ञाताधर्मकथांगसूत्र, ७ उपासगदशांगसूत्र, ८ अन्तगडदशांगसूत्र, ९ अणुत्तरोववाइयदशांगसूत्र, १० प्रश्न व्याकरण सूत्र, ११ विपाकसूत्र इन ग्यारह अंगो की रचना की है। इन सभी अंगो में अध्ययन मूल श्लोक संख्या उस पर टीका चूर्णि, नियुक्ति, भाष्य और लघुवृत्ति आदि जितनी भी श्लोक संख्या है वह बतलाई गई है। ग्यारह अंगो के सिवाय वारह उपांग १. उववाई, २. रायप्पसेणी, ३. जीवाभिगम, ४. पन्नवणा, ५. जम्बूद्वीप पन्नति, ६. चन्द्रप्रज्ञप्ति, ७. सूर प्रज्ञप्ति, ८. कल्पिका, ९ कल्पावंतसिका, १०. पुष्पिका, ११. पुष्पचुलिका, १२. वहिदिशा है। इन वारह उपांगो की मूल संख्या और इन पर किस आचार्य की टीका है यह भी बताया है।
दस प्रकार के पइन्ना प्रकीर्णक एवं आठ अंग चूलिकाओं का वर्णन है। छ:
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४११
Page #461
--------------------------------------------------------------------------
________________
छेद ग्रंथ १. निशीथसूत्र, २. महानिशीथसूत्र, ३. वृहत्कल्पसूत्र, ४. व्यवहारदशाकल्पच्छेद सूत्र, ५. पंचकल्पछेद सूत्र, ६. दशाश्रुतस्कन्धछेदसूत्र, ७. जीतकल्पच्छेदसूत्र, चार मूल सूत्र, चुलिकासूत्र इत्यादि का वर्णन है। संस्कृत भाषा में १३ पृष्ठों का उपाघात संशोधकों द्वारा लिखा गया है। सर्व प्रथम तो जैन दर्शन की उदारता के संबंध में प्रकाश डाला गया है और बताया गया है कि जैन दर्शन किसी भी व्यक्ति, मानव धर्म का द्वेषी नहीं है। उसका तो कथन है -
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु। युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः॥ १॥ रागद्वेषविनिर्मुक्ता-हत कतं च कृपापरम्।
प्रधानं सर्वधर्माणां, जैन जयति शासनम्॥ २॥ तत्पश्चात उपोद्घात में अहिंसा, स्यादवाद, सप्तभंगी, समवायखण्डनम्, सत्तानिरसनम अपोहस्य स्वरूप निर्वचन-पुरस्सरं निरसनम्, सत्ता पदार्थ का खण्डन, अपोहवाद का खण्डन, वेदों के अपौरुषेयत्व का खण्डन, शब्द के गुण तत्त्व का खण्डन, संसार के अद्वैतत्व का खण्डन और ईश्वरव्यापकत्व का खण्डन करते हुए अंत में जैन सिद्धांत के अनुरूप एकेन्द्रिय जीवों के भी भाव शुद्ध ज्ञान का समर्थन इन विपयों का प्रतिपादन किया है।
अभिधान राजेन्द्र कोप का प्रथम भाग 'अ' अक्षर से प्रारम्भ किया है और 'अहोहिम' शब्द पर समाप्त किया है। इस भाग में केवल अ अक्षर से बनने वाले शब्दों के ८९३ पृष्ट हैं। करीव १०००० शब्दों का वर्णन प्रथम भाग में किया गया है। इस भाग में जो मुख्यतः शब्दों के विषय आये है उनमें से कतिमय उदाहरण देखिए:
अंतर - इस शब्द पर द्वीप, पर्वतों के परस्पर अंतर, जम्बूद्वारों मे परस्पर अंतर, जिनेश्वरों के परस्पर अंतर, भगवान ऋषभदेव से महावीर तक का अंतर, ज्योतिप्कों और चन्द्रमण्डल का परस्पर अंतर, चन्द्रसूर्यो का परस्पर अंतर आदि अनेक विषयों पर प्रकाश डाला गया है। ___ 'अज्जा' (आर्या) इस शब्द पर आर्या (सावी) को गृहस्थ के सामने पुष्ट भापण करने का निषेध, विचित्र अनेक रंग के कपड़े पहनने का निपेध, गृहस्थ के कपड़े पहनने का निपेध आदि साध्वियों के योग्य जो कार्य नहीं है एवं जो कार्य उन्हें करना चाहिए उन सव का विवेचन किया गया है। ___अणेगंतवाय' इस शब्द पर स्याद्वाद का स्वरूप, अनेकांतवादियों के मत का प्रदर्शन, एकांतवादियों के दोष, हर एक वस्तु को धर्मात्मक होने में प्रमाण, वस्तु की एकांत सत्ता मानने वाले मतों का खण्डन आदि स्याद्वाद संबंधी विषय पर गहरा प्रकाश डाला हैं।
Page #462
--------------------------------------------------------------------------
________________
'अमावसा' शब्द पर एक वर्ष में बारह अमावस्यों का निरुपण, अनेक नक्षत्रों का योग तथा कितने मुहूर्तों के जाने पर अमावस्या के वाद पूर्णमासी और पूर्णमासी के बाद अमावास्या आती है इत्यादि विषय है।
'अहिंसा' - इस शब्द पर अहिंसा की व्याख्या, अहिंसा का विवेचन, अहिंसा का लक्षण, अहिंसा पालन करने में उद्यत पुरुषों का कर्तव्यादि में हिंसा करने पर विचार, जैनियो में उच्च अहिंसा का प्रतिपादन, आत्मा के परिणामी होने पर भी हिंसा में अविरोध का प्रतिपादन आदि विषयों पर अच्छा विवेचन किया हैं।
__ प्रथम भाग में जिन-जिन शब्दों पर जो-जो कथायें, उपकथायें आई है उनका भी अच्छा दिग्दर्शन कराया गया है।
अभिधान राजेन्द्र कोष का द्वितीय भाग
मंगलाचरण सिरिवद्वमाणवाणिं, पणमिअ भत्तीइ अक्खर कमसो।
सद्देतेसुय सव्वं, पवयणक्तव्वयं वोच्छं॥ इस दूसरे भाग का प्रारम्भ 'आ' इस अक्षर से किया गया है। इस भाग में आ, इ, ई, उ, ऊ इन पांच अक्षरों से प्रारम्भ होने वाले शब्दों पर खूब विचारपूर्वक विवेचन किया गया है। ___'आ' वर्ण पृष्ठ क्रमांक एक से शुरु होकर 'आहोहिय' (आभोगिक) शब्द के साथ पृष्ठ क्रमांक ५५६ पर समाप्त होता है। 'इ' वर्ण पृष्ट क्रमांक ५५७ से शुरू होकर पृष्ट क्रमांक ६७९ पर, 'ई' पृष्ठ क्रमांक ६७९ से 'इदिय' (ईक्षित) शब्द के साथ पृष्ट क्रमांक ६८५ पर समाप्त होता है। 'उ' वर्ण पृष्ठ क्रमांक ६८६ से पृष्ट क्रमांक १२०८ पर। 'उहटुः अव्यय के साथ पूर्ण हुआ हैं। 'ऊकार' पृष्ट क्रमांक १२०९ से शुरु होकर 'ऊहापन्नत' (ऊहाप्रज्ञप्त) शब्द के साथ पृष्ट क्रमांक १२१५ पर समाप्त हुआ हैं।
द्वितीय भाग में भी अनेक शब्दों का विवेचन किया गया हैं कुछ शब्दों की जानकारी निम्नलिखित है।
'आ' (आयु) के भेद, आयु का निरुपण, आयु की पुष्टि के कारण और उनके उदाहरणादि दिये है। 'आउकाय' शब्द पर अप्कायिक जीवों का वर्णन भेद आदि।
आउट्टि' शब्द पर चन्द्र-सूर्य की आवृत्तियां किस ऋतु में और किस नक्षत्र के साथ कितनी होती है यह विषय देखने योग्य है।
'आगम' - शब्द पर लौकिक और लोकोत्तर भेद से आगम के भेद, आगम का परतः प्रामाण्य, आगम के अपौरुषत्व का खण्डन, आप्तो द्वारा रचे हुए ही आगमो का प्रामाण्य, मोक्ष मार्ग में आगम ही प्रमाण है, जिनागम का सत्यत्व प्रतिपादन
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४१३
Page #463
--------------------------------------------------------------------------
________________
आदि पचीस विषयों पर बहुत ही महत्त्वपूर्ण प्रकाश डाला हैं।
___ 'आणा' - शब्द पर आज्ञा के सदा अराधक होने पर ही मोक्ष, परलोक में आज्ञा ही प्रमाण हे और आज्ञा के व्यवहार आदि का बहुत ही अच्छे ढंग से वर्णन किया है।
___ 'आयरिंय' - शब्द पर आचार्य पद का विवेक, आचार्य के भेद, आचार्य का ऐहलौकिक और पारलौकिक स्वरूप, आचार्य के भ्रष्टाचारत्व होने में दुर्गुण, एक आचार्य के काल कर जाने पर दूसरे के स्थापन में विधि, आचार्य की परीक्षा आदि विषय का बहुत ही सुन्दर तरीके से विशद् वर्णन किया है।
'आहार' - शब्द पर केवलियों के आहार और निहार प्रछन्न होते है। पृथ्वीकायिकादि, वनस्पति, मनुष्य, तिर्यग, स्थळचर आदि यावज्जीव प्राणियों के आहार भोजन संबंधी पूर्णतया विचार किया गया है। कोन सा जीव कितना आहार करता है उसका परिमाण, आहार त्याग का कारण इत्यादि बताया है। भगवान ऋषभदेव ने कन्दाहारी युगलियों को किस प्रकार अन्नाहारी बनाया, उनके आचार विचारों में परिवर्तन किया, इस विपय को लेकर उस जमाने की परिपाटी पर मार्मिक विवेचन किया है।
'इत्थी' (स्त्री) शब्द पर स्त्री के लक्षण, स्त्रीयों के स्वभाव व कृत्यों का वर्णन, स्त्री के संसर्ग में दोप, स्त्रीयों के स्वरूप और शरीर की निंदा, वैराग्य उत्पन्न होने के लिए स्त्री चरित्र का निरीक्षण, स्त्री के साथ विहार, स्वाध्याय, आहार, उच्चार, प्रस्त्रवण, परिष्टापनिका और धर्मकथा आदि करने का भी निषेध इत्यादि २० विषयों पर प्रकाश डाला है।
'उसभ' शब्द पर भगवान ऋपभदेव के पूर्व भव, तीर्थंकर होने का कारण, जनम और जन्मोत्सव, विवाह, संतान, नीति, व्यवस्था, राज्याभिषेक, राज्यसंग्रह, दीक्षाकल्याणक, चीवरधारी होने का काल प्रमाण, भिक्षा का, प्रमाण, उनके आठ भवों का वर्णन, केवल ज्ञान होने के वाद धर्मकथन और मोक्ष तक सब वर्णन दिया हैं। उनके जीवनकाल के समय संसार की क्या स्थिति थी उन्होंने इस संसार को क्या-क्या अमोघ उपदेश देकर आराधना के मार्ग पर लगाया क्योंकि वे इस आरे के आद्य तीर्थंकर थे।
इस प्रकार अनेकों विषयों पर दूसरे भाग में विवेचना की गई हैं। इस भाग में जो भी कथाएँ एवं उपकथाएँ आई है, उनका भी शब्द और उनके अर्थ के साथ संकलन किया गया है।
૪૧૪ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #464
--------------------------------------------------------------------------
________________
अभिधान राजेन्द्र कोष का तृतीय भाग
मंगलाचरण वाणिं जिणाणं चरणं गुरुणं, काऊण चित्तिम्भिसुयप्पभावा।
सारं गहीऊण सुयस्यएयं, वोच्छामि मागे तइयम्मि सव्वं॥ तृतीय भाग का प्रारम्भ 'ए' अक्षर से किया गया है और 'छोह' शब्द पर इस भाग को समाप्त किया गया है। इस भाग में १३६३ पृष्ट है। 'ए' यह अक्षर केवल संवोधन, अनुनय, अनुराग आदि में ही काम आता है इसलिये इस पर अन्य कोई शब्द नहीं है।
ओ' वर्ण पृष्ट क्रमांक ७५ से शुरु होकर १६१ पर समाप्त होता है। 'आहोवहि' (ओद्योपधि) शब्द पर।
प्राकृत में ओंकार न होने से ओंकार आदि शब्द कोप में नहीं है। इसी प्रकार 'अ' व 'अः.' पर भी कोई शब्द नहीं है।
___ केवल मात्र ए, ओ, क, ख, ग, घ, च, छ, इन आठ अक्षरों के शब्दों पर ही इस भाग में विवेचन किया गया है।
इस भाग के कुछ मुख्य विषय निम्न है -
‘एगल्लविहा' (एकलविहारी) इस शब्द पर एकलविहारी साधु को क्या-क्या दोप लगते हैं, अशिवादी कारण से एकाकी होने में दोषाभाव, एकलविहारी को प्रायश्चित्त आदि का वर्णन है।
आगरणा' (अवगाहना) शब्द पर अवगाहना के भेद, औदारिक, वैक्रिय, अहारक, तेजस, और कार्मण इन पाँच शरीरों के क्षेत्र का मान दिया है। कौन-कौन सी गति में कितनी-कितनी जीव की अवगाहना हो सकती है उसका संपूर्ण विवेचन इस कोप में किया है।
कम्म' (कर्म) इस शब्द पर कर्म के सम्बंध में जैन और जैनेत्तर सवकी मान्यताएं अच्छे रूप में प्रदर्शित की है। जीव के साथ कर्म का संबंध, कर्म का अनादित्य, जगत की विचित्रता में कर्म ही कारण है। ज्ञानवर्णीय, दर्शनावर्णीय, वेदनीय, मोहनीय आदि कर्मो का विशद विवेचन किया है। इस शब्द में ३७ विषयों पर प्रकाश डाला गया है।
किरिया' (क्रिया) शब्द पर क्रिया का स्वरूप, क्रिया का निक्षेप, क्रिया के भेद आदि १८ विपयों पर विस्तार किया गया है।
'केवलणाण' (केवलज्ञान) शब्द पर केवलज्ञान का अर्थ, केवल ज्ञान की उत्पत्ति, सिद्धि, भेद, सिद्ध का स्वरूप, किस प्रकार का केवल ज्ञान होता है इसका निरूपण किया गया है। राजकथा, देशकथा, स्त्रीकथा, भक्तकथा करने वालों के लिये केवलज्ञान और केवलदर्शन का प्रतिबंध है इत्यादि विषय बहुत ही मार्मिक
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४१५
Page #465
--------------------------------------------------------------------------
________________
रूप में प्रदर्शित किया है।
चारित्र' (चरित्र) शब्द पर सामायिकादि पाँच चारित्रों का सुन्दर वर्णन, चारित्र की प्राप्ति किस तरह होती है इसका प्रतिपादन, चारित्र से हीन ज्ञान मोक्ष का साधन नहीं होता। वीतराग का चारित्र न बढता है न घटता है। आहार शुद्धि ही प्रायः चारित्र का कारण है। आदि विषयों का वर्णन है। 'चेइथ' (चैत्य) शब्द पर चैत्य (मंदिर) का अर्थ, प्रतिमा की सिद्धि, चैत्य शब्द का अर्थ, चमरकृत चंदन, देवकृत चैत्यवंदन जिन पूजन से वैयावृत्य, तीन स्तुति, जिन भवन बनाने में विधि, प्रतिमा बनाने में विधि, प्रतिष्ठा विधि, आदि अनेक विषयों पर प्रकाश डाला गया है।
इस तीसरे भाग में जिन-जिन शब्दों पर कथाएँ उपकथाएँ आगमों में मिलती हैं उनको भी उन शब्दों के साथ-साथ दे दिया गया है।
अभिधान राजेन्द्र कोष का चतुर्थ भाग
मंगलाचरण नामिऊण वद्धमाणं, सारं गहिऊण आगमाणं व।
अहुणा चउत्थमागं, वोच्छ अभिहाण राइंदे॥ यह चतुर्थ भाग 'ज' अक्षर से प्रारम्भ किया गया है और 'नौर्माल्या' इस शब्द पर समाप्त किया गया है। इस भाग में १४१४ पृष्ट हैं। वैसे इस भाग में तीसरे भाग के १३६३ पृष्ट से आगे पृष्ट नंबर १३६४ से प्रारम्भ करके २७७७ तक की पृष्ठ संख्या दी है।
इसभाग में ज, झ, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध न इन बारह अक्षरों से प्रारम्भ होने वाले सभी शब्दों पर खूब विवेचना पूर्वक प्रकाश डाला गया है। केवल 'ण' अक्षर से प्रारम्भ होने वाले शब्दों पर ४२९ पृष्ट दिए है। 'ढ' शब्द से शुरू होने वाले शब्दों का पूरा एक पृष्ट है।
अब इस भाग में जो शब्द महत्वपूर्ण है उनमे से कुछ का वर्णन निम्न है:
'जीव' शब्द पर जीव उत्पत्ति, जीव के सांसारी एवं सिद्ध के भेद से जीव के दो भेद, जीव का लक्षण, हाथी और मच्छर में एक समान जीव है इसका प्रतिपादन, आत्मा संबंधी सभी विषय दिये है।
'झाण' (ध्यान) शब्द पर ध्यान का महत्व, इसके भेद, ध्यान के आसन एवं ध्यान मोक्ष का कारण है यह अच्छी तरह समझाया है। ____णक्खत' (नक्षत्र) शब्द पर नक्षत्रों की संख्या, इनकी कार्यगति, चन्द्रनक्षत्र योग, कौन सा नक्षत्र कितने तारे वाला है, नक्षत्रो के देवता, अमावस्या में चन्द्रनक्षत्र योग आदि विषय दिये हैं।
'णम्मोकार' (नमस्कार) शब्द पर नमस्कार की व्याख्या, नमस्कार के भेद,
૪૧૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધક
Page #466
--------------------------------------------------------------------------
________________
सिद्धनमस्कार, नमस्कार का क्रम आदि अनेक योग्य विषय दिये हैं।
___णय' (नय) शब्द पर नय का लक्ष्ण, सप्तभंड्गी (सप्तभंड्गी) वस्तु का अनंत धर्मात्मकत्व, नय प्रमाण शुद्धि आदि दिये है।
'सिद्धसेन दिवाकर' के कथनानुसार ६ नय, ७०० नय, कौन सा दर्शन किस नय से उत्पन्न हुआ इसका सुन्दर विश्लेषण आदि अनेक विषयों पर सुन्दर विवेचन दिया है।
‘णरग' (नरक) शब्द पर नरक की व्याख्या, भेद, नरक के दुःखों का वर्णन, नरक के अनेक प्रकार के स्वरूप आदि। _ 'तित्थयर' (तीर्थंकर) शब्द पर तीर्थंकर की व्युत्पत्ति और इसका विवेचन, तीर्थंकरों के अतिशय, तीर्थंकरों के अंतर, तीर्थंकरो के आदेश, आवश्यक आदि दिए है।
तीर्थंकर नाम, चक्रवर्ती, बलदेव, वासुदेव, प्रतिवासुदेव, तीर्थोत्पति, दीक्षाकाल आदि दिए है। तीर्थंकरों के पूर्वभवों के वर्णन, श्रावक संख्या, गणधरों की सख्या, मुनियों की संख्या आदि विषयों का वर्णन किया गया है।
___ 'धम्म' (धर्म) शब्द पर धर्म शब्द की व्याख्या, लक्षण, व्युत्पत्ति, धर्म के भेदप्रभेद, धर्मके चिह्न, धर्माधिकारी, धर्मरक्षक, धर्मोपदेश का विस्तार आदि सुंदर रूप से विषय का प्रतिपादन किया है।
इस चौथे भाग में विषय का प्रतिपादन करने के लिए अनेक शब्दों पर कथा या उपकथाएँ आदि भी दी है।
अभिधान राजेन्द्र कोष का पंचम भाग
मंगलाचरण वीरं नमेऊण सुरेसपुज्जं, सारं गहेऊण तयागमाओ।
साहूण सढडाण य बोहयं तं, वोच्छामि भागम्मि य पंचमम्मि॥ पांचवे भाग का प्रारम्भ 'प' अक्षर से किया गया है और “भोल' शब्द पर इस भाग की समाप्ति हुई है। इस भाग में १६२७ पृष्ठ संख्या है। इस भाग में प, फ, ब, और भ केवल इन चार अक्षरों के शब्दों पर ही पूरा विवेचन किया है। 'प' वर्ण पृष्ठ क्रमांक एक से प्रारम्भ होकर पृष्ठ क्रमांक ११४० पर 'प्रिय' शब्द पर समाप्त हुआ है।
‘पच्चक्खाण' (प्रत्याख्यान) शब्द पर अहिंसा आदि दस प्रत्याख्यानों पर सुंदर विस्तार, प्रत्याख्यानों की विधि, दान विधि, प्रत्याख्यान शुद्धि, प्रत्याख्यानों की छः विधि, ज्ञानशुद्धि, श्रावक का प्रतिक्रमण, प्रत्याख्यान का फल आदि अनेक विषयों का प्रतिपादन है।
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान ओवं तपः साधना + ४१७
Page #467
--------------------------------------------------------------------------
________________
'पच्छित' (प्रायश्चित) इस शब्द पर प्रायश्चित का अर्थ, प्रायश्चित्त से आत्मा का लाभ, आलोचना आदि दस प्रकार के प्रतिसेवना प्रायश्चित्त, प्रायश्चित्त देने के योग्य सभा, व्यक्ति, दंडानुरूप प्रायश्चित्त, प्रायश्चित्त दान विधि, आलोचना को सुनकर प्रायश्चित देना, प्रायश्चित्त का काल आदि का मार्मिक ढंग से विस्तार है।
'पज्जुसणाकल्प' (पyषणाकल्प) शब्द पर पyषण पर पूर्ण विवेचनः कब करना, किस तरह करना, भादवा सुदी पंचम पर अपने विचार, ग्रन्थों की मान्यता, साधुओं संबंधी मार्गदर्शन, केशलुंचन आदि विषयों पर प्रकाश डाला है।
___ 'पडिक्कमण' (प्रतिक्रमण) --शब्द पर प्रतिक्रमण, रात्रि, देवसिक, पाक्षिक, चउमासिक और सांवत्सरिक इन पाँचों प्रतिक्रमणों का अच्छा विवेचन किया है। 'पवज्जा' (प्रव्रज्या-दीक्षा) इस शब्द पर प्रवज्या शब्द का अर्थ, व्युत्पत्ति, दीक्षा का तत्त्व, किससे किसको दीक्षा देना, दीक्षा की पात्रता, किस नक्षत्र किस तिथि में दीक्षा लेना, दीक्षा में अपेक्ष्य वस्तु, दीक्षा में अनुराग, सुन्दर गुरु योग, दीक्षा किस प्रकार देना, चैत्यवंदन, दीक्षा में ग्रहण सूत्र, गुरु से अपना निवेदन, दीक्षा की प्रशंसा, दीक्षाफल, ग्यारह गुणों से युक्त श्रावक को दीक्षा देना आदि दीक्षा संबंधी सब विषय पूर्णरूप से विस्तारपूर्वक बताया गया है।
'बंध' (बंधन) शब्द पर बंध - मोक्षसिद्धि, बंध के भेद, प्रभेद, बंध में मोदक का दृष्टांत, ज्ञानावरणादि आठ कर्मो के बंध का सुन्दर विवेचन दिया है।
भरह' (भरत) इस शब्द पर भारतवर्ष के स्वरूप का वर्णन, दक्षिणार्द्धभरत के स्वरूप का वर्णन, वहाँ के मनुष्यों के स्वरूप का वर्णन इस प्रकार भूगोल संबंधी विषय कथा आदि दी है।
पांचवे भाग में अनेक शब्दों पर कथा एवं उपकथाएँ भी दी है।
अभिधान राजेन्द्र कोष का छठ्ठा भाग
मंगलाचरण सिरि वद्धमाणसामि, नमिउण जिणागमस्स गहिउण।
सारं छठे भागे, भवियजणसुहावहं वोच्छं॥ कोष का छट्टा भाग 'म' अक्षर से प्रारम्भ हुआ है और 'व्यासु' अथवा वासु (व्यास) शब्द पर इस भाग की समाप्ति हुई है। इस भाग में १४६५ पृष्ट हैं। इस भाग में म, र, ल, व, केवल इन चार अक्षरों के शब्दों पर ही पूरा विस्तार किया गया है। यकार का प्राकृत में वर्ण परिवर्तन के नियमानुसार 'ज' होता है। राजेन्द्र कोष में प्राकृत यकारादि शब्द नहीं है। जिसमें 'व' अक्षर से प्रारम्भ होने वाले शब्द ७०८ पृष्ठों में है। कुछ शब्दों का वर्णन निम्नलिखित है:
'मग्ग' (मार्ग) इस शब्द पर मार्ग के दो भेद द्रव्यस्तव और भावस्तव, मार्ग ૪૧૮ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #468
--------------------------------------------------------------------------
________________
का निक्षेप, मार्ग के स्वरूप का विवेचन आदि अनेक विषय दिए हैं।
‘मरण' (मृत्यु) मृत्यु के भेद, मरण की विधि, अकाममरण, सकाममरण, बालमरण, विमोक्षाध्ययनोक्त मरण विधि आदि दिए हैं।
____ 'मल्लि' (मल्लिनाथ) इस शब्द से उन्नीसवें तीर्थंकर श्री मल्लिनाथ भगवान के पूर्व व तीर्थंकर भव का सविस्तार वर्णन है।
'मोक्स' (मोक्ष) शब्द पर मोक्ष की सिद्धि, निर्वाण की सत्ता है या नहीं इसकी सिद्धि, मोक्ष, ज्ञान और क्रिया से ही मिलता है, धर्माचरण करने का फल मोक्ष ही है, मोक्ष पर अन्य दार्शनिकों की मान्यताएँ, स्त्री मोक्ष में जा सकती है इसका विवेचन, मोक्ष के क्या-क्या उपाय है आदि विषयों पर विस्तारपूर्वक प्रकाश डाला गया है।
‘रओहरण' (रजोहरण) इस शब्द पर बताया गया है कि रजोहरण क्या चीज है, उसका उपयोग क्या है, इसकी व्युत्पत्ति क्या है, चर्म चक्षुवाले जीवों को सूक्ष्म जीव नजर नहीं आ सकते हैं इसलिए उन्हे रजोहरण धारण करना चाहिए।
'राइभोयन' (रात्रि भोजन) इस शब्द पर रात्रि भोजन का त्याग, रात्रि भोजन करने वाला अनुद्घातिक है, रात्रि भोजन के चार प्रकार, रात्रि भोजन का प्रायश्चित्त, औषधि के रात्रि में लेने के विचार आदि विषय दिए हैं। ___लेस्सा' (लेश्या) शब्द पर लेश्या का स्वरूप, लेश्या के भेद, कौन सी लेश्या कितने ज्ञानों में मिलती है, लेश्या किस वर्ण से साबित होती है, मनुष्यों की लेश्या, लेश्याओं में गुण स्थानक, धर्मध्वनियों की लेश्या आदि का वर्णन है।
'विहार' (विचरण) इस शब्द पर आचार्य और उपाध्याय के अकाकी विहार करने का निषेध, किसके साथ विहार करना और किसके साथ नहीं करना इसका विवेचन, वर्षाकाल में विहार पर विचार व निषेध, नदी के पार जाने में विधि, साधु-साध्वियों का रात्रि में या विकाल में विहार करने का विचार इत्यादि विषयों पर प्रकाश डाला है। जिन-जिन शब्दों पर कथा, उपकथाएँ आई हैं उनका भी भली-भाँति विवेचन किया है।
अभिधान राजेन्द्र कोष का सप्तम भाग ___ अभिधान राजेन्द्र कोष का यह अंतिम भाग है। इस भाग में मंगलाचरण नहीं है। इस भाग में श, ष, स और ह है। इन चार अक्षरों के शब्दों पर ही विवेचन किया गया है। इस बाग में 'श' इस अक्षर से शब्दों का वर्णन शुरू हुआ है और 'ह' इस अक्षर पर समाप्त हुआ है।
इस भाग में १२५१ पृष्ठ है। 'स' अक्षर पर प्रारम्भ होने वाले शब्दों पर तो ११६९ पृष्ठों में वर्णन है। कतिपय शब्दों की झलक निम्नलिखित है - _ 'संथार' (संसार) इस शब्द पर संसार की व्यग्रदशा, संसार की असार अवस्था, संसार में मनुष्य अपने जीवन को किस प्रकार दुर्व्यवस्था से व्यतीत करता है आदि का अच्छा वर्णन किया है।
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४१८
Page #469
--------------------------------------------------------------------------
________________
‘सक्क' (शक्र) इंद्र की ऋद्धि, स्थान, विकुर्वणा और पूर्वभव, इनका विमान, इंद्र किस भाषा में बोलते हैं इन सव का वर्णन किया गया है।
'सज्झाय' (स्वाध्याय) शब्द का स्वरूप, स्वाध्यायकाल, स्वाध्यायविधि, स्वाध्याय के गुण व लाभ तथा स्वाध्याय से क्या सिद्धि होती है इस विषय का अच्छी तरह दिग्दर्शन कराया है। सप्तभंगी शब्द के सात भागों का विस्तृत विवेचन किया है।
‘सावय' (श्रावक) शब्द पर श्रावक की व्याख्या, व्युत्पत्ति, अर्थ, श्रावक के लक्षण, उसका सामान्य कर्तव्य, निवास विधि, श्रावक की दिनचर्या, श्रावक के २१ गुण आदि पर अच्छा व विस्तृत प्रकाश डाला गया है।
हिंसा' (हिंसा) शब्द पर हिंसा का स्वरूप, वैदिक हिंसा का खण्डन, जिन मंदिर बनवाने में आते हुए दोष का परिहार आदि विषयों का विवेचन किया गया है।
इस भाग में जिन-जिन शब्दों पर जो-जो कथाएँ उपकथाएँ आदि आई हैं उनको भी अच्छी तरह समझाकर विशेप रूप से दिया गया है।
अभिधान राजेन्द्र कोष के निर्माता आचार्य श्री ने अपने जीवन में घोर परिश्रम किया, जिसकी कल्पना स्वप्न में भी साकार रूप नहीं ले सकती। आपने तमाम शास्त्रों का हर एक विषय का निचोड इसमें भर दिया है। किसी को भी कोई भी विषय धार्मिक, दार्शनिक, जैन सिद्धांत संबंधी देखना हो वह इस अभिधान राजेन्द्र कोष को उठाकर देखे तो उसे सब जानकारियाँ बहुत ही कम समय में एक ही जगह मिल सकेगी। प्रत्येक विषय को अच्छी तरह शास्त्रों द्वारा, युक्तियों के द्वारा, सिद्धांतों के द्वारा समजाने का पूरा पूरा प्रयत्न किया गया है। इस कोष के संबंध में 'गागर में सागर' भर दिया गया है, ऐसा कहा जाए तो अतिशयोक्ति नहीं होगी। आचार्यश्री का अपना प्रतिदिन का पूरा-पूरा कार्य, समाज का कार्य, विहार आदि करते हुए भी केवल मात्र चौदह वर्ष में इतना कार्य कर जाना अद्भुत देवशक्ति का रूप ही माना जा सकता है।
____ आचार्यश्री द्वारा प्रणीत अन्य साहित्य
आचार्य राजेन्द्रसूरीश्वरजी म.सा. का व्यक्तित्व जितना प्रभावशाली है, उनका साहित्यिक जीवन भी उतना ही गौरवपूर्ण है। 'जिस राष्ट्र, समाज और धर्म में उज्ज्वल साहित्य की सत्परंपरा बनी रहती है वही देश, समाज और धर्म जीवित रहता है।' इस बात को समझकर आचार्यश्री ने अपने जीवन व श्रम का बहुत बडा अंश इसी ज्ञान ज्योति को जलाये रखने में लगाया। अभिधान राजेन्द्र कोष' के बारे में तो हमने अभी पढा ही है। इसके अलावा भी आपने बृहत साहित्य रचना की है। जैनी-दीक्षा ग्रहण करने के पश्चात् वि. सं. १९०५ से 'रण कामधेनु सारणी' ग्रंथ के लेखन से प्रारम्भ हुई आपकी लेखनी आपके जीवन के अंतिम चातुर्मास (बडनगर म. प्र.) वि. सं. १९६३ में मल प्रभा शुद्ध रहस्य' के निर्माण तक अनवरत, अविश्रांत, अबाधगति से चलती ही रही। फलस्वरूप साहित्य की अनेक ૪૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #470
--------------------------------------------------------------------------
________________
विधाएँ, न्याय, कोश, व्याकरण, काव्य, कथा, इतिहास, तत्त्वज्ञान, आगम, गणित, ज्योतिष, धर्म-सिद्धांत आदि विषयक अनेक ग्रंथ रचनाओं के द्वारा आपने अपनी साहित्यिक प्रतिभा को दर्शाया है। आचार्य श्री द्वारा प्रणीत साहित्य को संक्षेप में दर्शन का क्षुद्र प्रयास किया है -
१. अक्षय तृतीया कथा - यह कथा स्वतंत्र मुद्रित न होकर अभिधान राजेन्द्र कोष में प्रथम भाग में (अक्खरइतया) शब्द के अन्तर्गत पृष्ठ १३३ पर मुद्रित हैं। प्रथम तीर्थंकर श्री आदिनाथ भगवान को अंतरायकर्म का उदय होने से एक वर्ष पर्यन्त निराहार रहना पड़ा। अक्षय तृतीया के दिन १३ महीने १० दिन के बाद श्री आदिनाथजी ने गजपुर (हस्तिनापुर)नगर में अपने सांसारिक पौत्र सोमप्रभ के पुत्र श्रेयांसकुमार के हाथों से इक्षुरस से पाराणा किया था।
२. अघट कुँवर चौपाई - इस खंड-काव्य की रचना आचार्य श्री ने वि. सं. १९३२ में जालोर में की थी। इस काव्य में आचार्य श्री ने अघटकुमार के माध्यम से मुनि-निंदा एवं जीव हिंसा के भाव का विपाक (फल) तथा सुपात्र दान, जिन पूजा एवं अहिंसा व्रत के पालन के प्रभाव का विशद् वर्णन किया है। इस काव्य में १३ ढालें है। प्रत्येक ढाल के प्रारम्भ में १, २, ३ या चार छंद दिये है एवं प्रत्येक ढाल में विविध देशी-राग-रागिनियों में अघट कँवर के जीवन का वर्णन किया है।
३. अष्टाह्निका व्याख्यान - 'बाल बोधिनी टीका' के नाम से आचार्य राजेन्द्रसूरीश्वरजी ने वि. सं. १९२७ (म. प्र.) चातुर्मास में कार्तिक कृष्णा तृतीया को की है। इस ग्रंथ में प्रथम कुक्षीस्थ श्री शांतिनाथ भगवान का मंगलाचरण तत्पश्चात् प्रथम व्याख्यान में नंदीश्वर द्वीप में देवगमन, पर्युषण पर्व में श्रावकों के कर्तव्य, अभयदान के विषय में पाँचों राणी एवं चोर की कथा, द्वितीय व्याख्यान में जिनदर्शन पर शय्यंभव भट्ट एवं जिनवाणी की महिमा के विषय में रोहिणेय चोर की कथा तथा सामयिक व्रत के विषय में पुणिया श्रावक की कथा, व्रतभंग के भाव से होने वाली दुर्गति के विषय में आद्रकुमार की कथा, तृतीय व्याख्यान में पतिथि की आराधना के विषय में सूर्ययशा राजा की कथा एवं अनित्य भावना पर भरत चक्रवर्ती की कथा है। __४. उपासकदशा - वालाववोध - उपासकदशांग सूत्र में भगवान महावीर के आनंद आदि दस श्रावकों के जीवन का वर्णन है। आचार्य श्री ने लोक-कल्याण हेतु वि. सं. १९५४ में खाचरोद में इस ग्रंथ का तत्कालीन मारवाडी-गुजराती-मालवा मिश्रित भाषा में वालावबोध नाम से अनुवाद किया है। जिससे साधारण-जन भी आगमों के ज्ञान का लाभ प्राप्त कर सकें। इस ग्रंथ में प्रथम अनुबंध-चतुष्टय है। तत्पश्चात उपाशक दशा सूत्र के दसों अध्ययन (१) आनंद, (२) कामदेव, (३) चुलापिया, (४) सुरादेव, (५) चुल्लशतक, (६) कुंडकोलिक, (७) सद्दालपुत्र, (८) महाशतक, (९) नंदिणीपिया, (१०) सालिणी-पिया इन दस श्रावकों के नाम से है। इनमें प्रत्येक अध्ययन में अक-अक श्रावक का वर्णन है। उनके नगर, उद्यान,
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान ओवं तपः साधना + ४२१
Page #471
--------------------------------------------------------------------------
________________
वनखंड, भगवान का समवसरण, राजा, परिवार, धर्माचार्य, भोग, भोग- त्याग, बारह व्रत, व्रत के अतिचार, प्रतिमा, उपसर्ग, संलेखना प्रत्याख्यान, अनशन, स्वर्गगमन आदि का विस्तृत वर्णन है।
५. एक सौ आठ बोल का थोकडा - इस पुस्तक की रचना आचार्य श्री ने वि. सं. १९३४ में राजगढ में की। इसमें मननीय १०८ बातों का अनुपम संग्रह है । ६. कमलप्रभा शुद्धरहस्य - इसकी रचना आचार्य श्री ने अपने अंतिम वर्षावास वि. सं. १९६३ बडनगर (म.प्र.) में की।
७. कल्पसूत्रार्थ प्रबोधिनी - इस ग्रंथ की रचना रतलाम में वि. सं. १९५४ में की थी। यह ग्रंथ दशाश्रुतस्कन्धसूत्र के अष्टम अध्ययन रूप श्री भद्रबाहुस्वामी प्रणीत श्री कल्पसूत्र की संस्कृत टीका है। यह ग्रंथ नौ व्याख्यानों में विभक्त है। प्रथम पाँच व्याख्यानों में महावीर चरित्र, छटे व्याख्यान में पार्श्वनाथ चरित्र, सातवें में नेमिनाथ चरित्र, आठवें में आदिनाथ चरित्र एवं नौवें व्याख्यान में स्थविरावली एवं समाचारी का वर्णन है ।
८. कल्पसूत्र वालावबांध श्री भगवान महावीर स्वामी ने राजगृही के गुणशील चैत्य नामक स्थान में बारह पर्पदा ( तीर्थंकर के समवसरण की सभा) के बीच नौवें प्रत्याख्यान पूर्व के दशाश्रुतस्कंध सूत्र के श्री पर्युषण कल्प नामक अध्ययन कहा था। उस पर श्री भद्रवाहुस्वामी ने १२१६ श्लोक प्रमाण श्री कल्पसूत्र (बारसा सूत्र) के नाम से उज्जैन में ग्रंथ रचना की थी। उस कल्पसूत्र की मूल एवं चूर्णि, निर्युक्ति, टीका आदि के साथ प्राचीन ग्रंथ मंगवाकर आचार्य श्री ने उसके आधार पर मूल ग्रंथ न देते हुए उसी के संक्षेप अर्थ लेकर एवं टीका के कुछ कथा भाग लेकर करीव ५५०० श्लोक प्रमाण श्री कल्पसूत्र वालाववोध नामक इस ग्रंथ की रचना की। इस ग्रंथ में कुल नव व्याख्यान हैं। इस ग्रंथ की भाषा मारवाडी-मालवी मिश्रित गुजराती है। श्री सौधर्म वृहत्तपागच्छीय त्रिस्तुतिक मूर्तिपूजक जैन श्वेतांवर श्री संघ के प्रत्येक गाँव-नगर में श्री पर्युषण महापर्व में भादवा वदि अमावस्या (वडाकल्प) से संवत्सरी महापर्व तक सभा में इस ग्रंथ के वाचन श्रवण की परम्परा है।
-
-
९. केसरियानाथ विनंतीकरण बृहत्स्तवन- इस वृहत्स्तवन की रचना वि. सं. १९५४ में रतलाम (चातुर्मास ) में की थी । ३९ गाथा प्रमाण इस स्तवन में आचार्य श्री ने धुलेवा (राज.) स्थित प्रथम तीर्थंकर कंसरियानाथ श्री ऋषभदेवजी के गुण एवं प्रभावों का वर्णन करते हुए अंत में परमात्मा को इस संसार समुद्र से पार उतारने हेतु विनंती की है।
१०. खर्परतस्कर प्रबंध - पर-दुःख भंजक महाराजा विक्रमादित्य के शासनकाल में खर्पर नामक एक चोर अवंती एवं उसके निकटवर्ती प्रदेश की प्रजा को अपने अधम कृत्यों से परेशान करता था, जिसे स्वयं महाराजा विक्रम ने महाभगीरथ प्रयत्नों से परास्त कर दिया। आचार्य श्री ने इसी ऐतिहासिक प्रसंग का संस्कृत में ८०० पधों (श्लोकों) में वर्णन किया है।
૪૨૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #472
--------------------------------------------------------------------------
________________
११. गच्छाचार पयन्ना - वृत्ति भाषान्तर - 'श्री गच्छाचार पयन्ना' मूल ग्रंथ पर वि. सं. १६३४ में विमल विजय गणि ने ५८५० श्लोक प्रमाण टीका बनाई है। उसी टीका का भाषान्तर पूज्य आचार्य श्री ने वि. सं. १९४४ के पोप महीने में सौराष्ट्र (गुजरात) में किया था। भाषान्तर में कहीं-कहीं टीका से भी अधिक विवेचन किया है। यह ग्रंथं श्रमण और श्रमणी संघ के समस्त आचारविचार का विवेचक है। प्रत्येक साधु व साध्वी को एक बार यह ग्रंथ अवश्य पढने के योग्य हैं।
१२. गणधरवाद - (गणधरवाद) इन्द्रभूति गौतम आदि उन ग्यारह वैदिक विद्वानों के संशयों के समाधानों का संकलन हैं। जो सर्वज्ञ महावीर के शिष्य बनने
और गणधर पद पर प्रतिष्ठित होने के पूर्व जिज्ञासु के रूप में अपना पांडित्य प्रदर्शन एवं भगवान की सर्वज्ञता का परीक्षण करने की आकांक्षा से उनके समवसरण में उपस्थित हुए थे। लोकोत्तर ज्ञान, दर्शन आदि गुणों के गण (समूह) को धारणा करने वाले तथा तीर्थंकर के प्रवचन की सर्वप्रथम सूत्र रूप में संकलित करने वाले महापुरुष 'गणधर' कहलाते है।
१३. चैत्यवंदन चतुर्विंशतिका - आचार्यश्री ने इसमें चोवीसी के २४ तीर्थंकरों के गुण वर्णन स्वरूप संक्षिप्त काव्यों की तीन-तीन श्लोक में रचना की है जो चैत्यवंदन, देववंदन, प्रतिक्रमणादि धार्मिक क्रियाओं में उपयोगी होती है।
१४. चौपड खेलन (क्रीडा) सज्झाय - इस सज्झाय में १८ गाथा में शतरंज की क्रीडा के दांव-पेंच का वर्णन कर, आत्मा को उद्देशित कर संसार के दाव-पेच से वचकर शुद्ध संयमजीवन पालन करके अयोगी गुणस्थानक प्राप्त कर सिद्ध स्वरूप प्राप्त करने की प्रेरणा दी है।
१५. चौमासी देववंदन - इस देववंदन माला की रचना आचार्य श्री ने खाचरोद में वि. सं. १९५३ में आषाढ सुदि सप्तमी को की है। इसमें कुल ३१ चैत्यवंदन, ४० स्तुतियाँ और ११ स्तवन है।
१६. जिन स्तवन चतुर्विंशतिका - प्रसिद्ध अध्यात्म योगी श्री आनंदघनजी की तरह आचार्य श्री ने भी २४ तीर्थंकरों के गुणगान करते हुए, विविध देशी राग रागिनियों में भजन स्वरूप २४ स्तवनों की रचना की है। इन स्तवनों में आचार्य श्री ने प्रभु भक्ति के माध्यम से जैन दर्शन एवं जैन धर्म के सिद्धांतों जैसे देवाधिदेवत्व, नयवाद एवं प्रमाण, सप्तभंगी, स्याद्वाद, तीर्थंकरों का महादेवत्व, उनके अतिशय-गुण वर्णन, प्रतिक्रमण, नवतत्त्व, कर्म सिद्धांत, जिन प्रतिमा की महिमा, चारित्र, ब्रह्मचर्य आदि अनेक विषयों पर रोचक प्रकाश डाला है।
१७. जिन स्तुति चतुर्विंशतिका - इसमें आचार्य श्री ने २४ तीर्थंकरों के आश्रित कर उनके गुणों का वर्णन करते हुए एक-एक स्तुति की रचना की है। यह भी धार्मिक क्रियाओं में अतीव उपयोगी है।
१८. जिनोपदेश मंजरी - आचार्य श्री ने 'श्री जिनोपदेश मंजरी' की रचना वि. सं. १९५४ में खाचरोद (म.प्र.) में की थी। इस ७० पृष्ट की पुस्तक में रोचक
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४२३
Page #473
--------------------------------------------------------------------------
________________
कथानकों से जिनेश्वरों देव प्रणीत तत्त्वों को यथार्थ रूप से समझाया गया है।
१९ ज्ञान पंचमी देववंदन - प्रस्तुत ज्ञान पंचमी के देववंदन में ५१ खमासमण के पद एवं पाँच ज्ञान के (मतिज्ञान आदि) पाँच चैत्यवंदन-स्तवन एवं स्तुति दी है। आराधक लोग कार्तिक शुक्ला ५ ज्ञानपंचमी के दिन ज्ञान के सामने इस क्रिया (विधि) को करते है।
२०. तत्व विवेक - इस ग्रंथ की रचना वि. सं. १९४५ में वीरमगाम चातुर्मास में की गयी थी। इसमें आचार्य श्री ने सुदेव-सुगुरु एवं सुधर्म इन तीन तत्त्वों का श्रेष्टतम विवेचन सरल बालगम्य भाषा में किया है।
२१. द्वादश पर्वनी कथा (संग्रह) - इस ग्रंथ में (१) ज्ञान पंचमी, (२) कार्तिक पूर्णिमा, (३) मौन एकादशी, (४) पोप दसमी, (५) मेरु त्रयोदशी, (६) चेत्री पूर्णिमा, (७) अक्षय तृतीया, (८) रोहिणी - तप, (९) पर्युपण, (१०) दीपमालिका, (११) चातुर्मास, (१२) रजः पर्व होली इन द्वादश पर्व संबंधी कथाओं का वर्णन हैं।
२२. दीपावली देववंदन एवं (शारदा) पूजन विधि - प्रस्तुत देववंदन रचना में जैनविधि से दीपावली चोपडा पूजन, सरस्वती-लक्ष्मी पूजन, आरती, गौतमाप्टक, दीवाली का जप-मंत्र, गौतमरास, दीपावली देववंदन में भगवान महावीर स्वामी के निर्वाण उनकी आराधना की महिमा दर्शाई है।
२३. देववंदन माला - नवपद ओली, दीपावली, ज्ञानपंचमी, सिद्धाचल और चौमासी देववंदन का सामुहिक संकलन है।
२४. नवपद ओली देववंदन - नव दिन की क्रिया विधि की सुगमता के लिए प्रत्येक दिन के पद के अनुसार गुण वर्णनपूर्वक चैत्यवंदन, स्तुतियाँ एवं स्तवन तथा खमासणा का पद दिया हुआ है।
२५. नवपद प्रश्नोत्तर - जिन प्रतिमा पूजा संवन्धी एवं अन्य नवपद संबंधी प्रश्नी के शास्त्रोक्त उत्तर प्रमाण सहित दिये है।
२६. नीति शिक्षा द्वय पच्चीसी - २५ वालों में सामान्य जन-जीवन में व्यवहार योग्य नीति शिक्षा संबंधी बातें हैं।
२७. पांच सप्ततिशय स्थान चतुष्पदी - श्री सोमतिलकसूरि विरचित सत्तरिसय टाणापगरण नामक गाथामय ग्रंथ पर आधारित यह ग्रंथ है। परन्तु आचार्य श्री ने पाँच स्थान इतर जैन ग्रंथों से उद्धत कर इसमें रखे है।
२८. पदवी विचार सज्झाय - इसमें ५६३ प्रकार के जीवों के २४ दंडको में से आया हुआ जीव देवाधिदेव, केवली, चक्रवर्ती आदि १६ पदवियों में से कौन कितनी और कौन-कौन सी पदवी प्राप्त कर सकता है इसका दंडक प्रकरण के अनुसार वर्णन किया है।
२९ पाइयसद्दम्बुहि (प्राकृत शद्गाम्बुधि) कोष - यह कोप भी अभिधान राजेन्द्र वृहत् प्राकृत कोप का संक्षिप्त रूप है।
३०. पुंडरीकाध्ययन सज्झाय - इस सज्झाय में १६ गाथा है। इसमें परमात्मा ૪૨૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #474
--------------------------------------------------------------------------
________________
महावीर राजा-चार-पुरुष-पुष्करणी (वापिका) पुंडरिक, आस्त्रव का फल, मिथ्या सिद्धांतवादी, मित्थावी, एवं शुद्ध साध्वाचार का दृष्टांतपूर्वक फल दिखाकर साधु को जिनमत में श्रद्धा एवं आस्रव निरोध का उपदेश दिया है।
३१. प्रभुस्तवन सुधाकर - आचार्य श्री ने वर्तमान युग में प्राकृत-संस्कृत से अनभिज्ञ जन साधारण के लिए देशी भाषा में जो चैत्यवंदन, स्तुति, स्तवन एवं सज्झाय रचे है उनका संकलन इस पुस्तक में है।
३२. प्रश्नोत्तर पुष्प वाटिका - इस ग्रंथ में उस समय के विवादास्पद प्रश्नो का तथा और भी इतर प्रश्नो का सुन्दरतम शैली से निराकरण किया गया है। इस ग्रंथ की रचना वि. सं. १९३६ में गोलपुरी (जिला जालोर) राजस्थान में की गई।
३३. प्रश्नोत्तर मालिका - इस ग्रंथ में मुख्य रूप से जिनमूर्ति प्रतिष्ठा की शास्त्रोक्त मान्यता विषयक शास्त्रार्थ का प्रमाण के साथ उत्तर सहित वर्णन है।
३४. महावीर पंचकल्याणक पूजा - इसमें प्रत्येक पूजा के प्रारम्भ में दोहे है। दो-दो ढालों में (गीतो में) एक-एक कल्याणक का वर्णन है। प्रत्येक पूजा के अंत में काव्य एवं मंत्र है। और समस्त पूजा पूर्ण होनेके सूचनास्वरूप कलश काव्य की रचना है। पूजा का वर्णन हीडा, जल्लानी, गरवी, नानडिया, सोरट-गिरनारी आदि राग-रागिनियों में किया है, कलश ‘पारणा' की राग में है।
३५. राजेन्द्र सूर्योदय - इस पुस्तक में पन्यास चतुरविजयजी के साथ हुए अनादि तीन थुइ और अर्वाचीन चार थुइ एवं शास्त्रीय समाचारी (आचार पालन के नियम) संबंधी शास्त्रार्थ का वर्णन किया है।
३६. विंशति-विहरमान जिन-चतुष्पदी - इस ग्रंथ की रचना आचार्य श्री ने वि. सं. १९४६ में कार्तिक शुक्ल पंचमी (ज्ञान पंचमी) के दिन सियाण (राज.) में पूर्ण की थी। 'गागर में सागर' समान इस लघु ग्रंथ में जैनागमों के अनुसार पाँच महाविदेह क्षेत्रों में विहरमान वर्तमान वीस जिनेश्वरों के नाम, जननी, जनक, सहधर्मिणी, लंछन, विजय (देश), नगरी तनु-वर्ण आदि का वर्णन किया है।
३७. शांतिनाथ स्तवन - इसमें दो ढालें है। आचार्य श्री ने प्रथम काव्य में जैन सिद्धांतानुसार देववंदन एवं सामायिक विधि एवं द्वितीय में प्रतिक्रमण विधि सूत्रों के नाम एवं क्रिया विधि का महिमा सहित वर्णन किया है।
३८. सकलैश्वर्य स्तोत्र - संस्कृत भापा में रचित इस स्तोत्र में २३ श्लोक अनुष्टुप छंद में एवं अंतिम २४ वाँ श्लोक मालिनी छंद में है। प्रथम श्लोक में अर्हन्त देवको, द्वितीय में चारों निक्षेप से समस्त जिनेश्वरों को एवं तृतीय से २२ पर्यंत महाविदेह में वर्तमान श्री सीमंधरादि २० तीर्थंकरों की स्तुति की है। २३ वें श्लोक में सर्व गणधर केवली भगवंत एवं समस्त साधु भगवंतों को वंदन किया है। अंतिम २४ वें श्लोक में प्रशस्ति है।
३९ स्वगच्छीय मर्यादापट्टकम् - पूर्वाचार्यों की तरह आचार्य श्रीमद्विजयराजेन्द्रसूरीश्वरजी ने वि. सं. १९५६ में शिवगंज में स्वगच्छीय साधु-साध्वी के लिए आचार
श्रीमद् राजेन्द्रसूरिः ओक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४२५
Page #475
--------------------------------------------------------------------------
________________
पालन एवं अनुशासन हेतु आचार्य नियमों की रचना की जिसे मर्यादापट्टक कहते है। इस मर्यादापट्टक में २५ नियम हैं।
४०. साधु वैराग्याचार सज्झाय - इसमें २६ गाथा में साध्वाचार के दोषों का वर्णन कर, उसका प्रायश्चित्त दंड दिखाकर साधुओं को ज्ञान-गर्भित वैराग्यवासित जीवन सावधानीपूर्वक यापन करने का निर्देश दिया है।
४१. सिद्धाचल देववंदन - इसमें सिद्धाचल तीर्थ की आराधना-विधि का वर्णन हैं। तीर्थ की नवाणु (९९) यात्रा की विधि एवं यात्रा के नियम दिये हैं।
४२. सिद्धचक्र (नवपद) पूजा - प्रत्येक पूजा के प्रारम्भ में हिंदी एवं प्राकृत में दोहा, प्रारम्भिक श्लोक एवं एक-एक पद की दो-दो ढालें एवं अंत में 'धनाश्री राग में 'लश दिया गया है। 'लश' में 'नवपद' की महिमा, श्रीपाल राजा एवं मयणा सुंदरी का वर्णन एवं राजेन्द्रसूरि की पाट परंपरा एवं पूजा का रचना काल वताया है।
४३. सिद्धांत प्रकाश - इस ग्रंथ में आचार्य श्री ने झवेरसागरजी एवं वालचंद्र उपाध्याय से हुए त्रिस्तुतिक सिद्धांत विपयक शास्त्रार्थ के समय प्रतिपक्षी को उत्तर देने के लिए इस ग्रंथ की रचना की है, जिसके फलस्वरूप आचार्य श्री विजयी बने थे।
४४. षड्द्रव्य विचार - यह ग्रंथ मालवी भाषा में रचित है। प्रस्तुत ग्रंथ में जैनदर्शन के अनुसार विश्व के मूल छः तत्त्वों - १. धर्मास्तिकाय, २. अधर्मास्तिकाय, ३. आकाशस्तिकाय, ४. पुद्गलास्तिकाय, ५. जीवास्तिकाय और ६. काल - का स्पष्टीकरण किया गया है। साथ ही नय, प्रमाण एवं सप्तभंगी की सुंदर व्याख्या की है। तत्त्वज्ञान की प्राप्ति एवं समझ के लिये यह ग्रंथ उपयोगी है।
४५. होलिका आख्यान (प्रबंध) - यह संस्कृत प्रवंध है। इस में होली नामक पर्व को भारतीय जनता अश्लील चेप्टा-पूर्वक रीति से मनाती है, जो कि वास्तव में कर्म सिद्धान्तानुसार कर्मबंधन करवाता है। आचार्य श्री ने सुज्ञजनों को इस अन्धानुकरण रूप मिथ्या पर्व से दूर रहने को कहा है।
आचार्य श्री ने कई और भी ग्रंथों की रचना की है - १. उत्तम कुमारांपन्यास - (गद्य संस्कृत) २. सद्य गाहापयरण - (सूक्ति संग्रह) ३. मुनिपति राजर्पि चौपाई ४. त्रैलोक्यापिका - यंत्रावली ५. चतुःकर्मग्रंथ - अक्षरार्थ ६. पंचाख्यान कथासार ७. पडावश्यक - अक्षरार्थ ८. द्वापष्टिमार्गणा - यंत्रावली ९. सारस्वत व्याकरण भापा टीका १०. कर्तुरीप्सिततमं कर्म श्लोक व्याख्या ११. सप्ततिशतस्थान - यंत्रावली ૪૨૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #476
--------------------------------------------------------------------------
________________
१२. जम्बुद्वीप प्रज्ञप्तिसूत्र - बीजक (सूची) १३. हीर प्रश्नोत्तर (बीजक) १४. चन्द्रिका - धातुपाठ तरंग पद्यबद्ध १५. ध्रष्ट चौपाई १६. कल्याणमन्दिर स्तोत्र प्रक्रियावृत्ति १७. स्वरोदयज्ञान यंत्रावली
आचार्यश्री ने जैन दर्शन और विश्व की जो साहित्य सेवा की है वह सदेव चिरस्मरणीय रहेगी। उनके मानस में यह वात घर कर गई थी कि जैन संस्कृति सुसाहित्य द्वारा ही जीवित रह सकती है और उन्होंने अपना जीवन इस दिशा में मोड दिया और उन्हें आशातीत सफलता प्राप्त हुई। यहाँ के जैन और जैनेतर की तो बात ही क्या विदेशी विद्वान भी उनके इस सत्प्रयास की भूरी-भूरी प्रशंसा करते हुए नहीं अघाते।
विजयलक्ष्मी पारवाल 'सृष्टि' ४, रामवाग, क्लक्टारेट एरिया,
रतलाम (म.प्र.) ४५७ ००१.
फोनः ०७४१२-२३००४९
श्रीमद् राजेन्द्रसूरिः अक महान विभूति की ज्ञान अवं तपः साधना + ४२७
Page #477
--------------------------------------------------------------------------
________________
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક'
(B.A., LL.B., સોલિસિટર અને નોટરી)
ચેતન શાહ
વ્યવસાયે વ્યાપારમાં પ્રવૃત્ત શ્રી ચેતનભાઈ વાંચનરસના કારણે સ્વાધ્યાય કરતાં કરતાં લેખનકાર્યમાં જોડાયા જેના પરિપાક રૂપે તેમની પાસેથી આ અભ્યાસપૂર્ણ લેખ પ્રાપ્ત થાય છે. – સં.
આ જીવનકવન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા કે જેઓ જૈન શાસ્ત્રોના અદકેરા સાહિત્યકાર, સદાચારી ગૃહસ્થ, અનેક સંસ્થાઓમાં પ્રેરણાદાતા, વહીવટકર્તા તથા આધુનિક શિક્ષણમાં એલએલ.બી. સુધી અભ્યાસ કરી એડવોકેટ તરીકે શાસનને અને સાધર્મિકોને ખૂબ જ ઉપયોગી થયા તેમનું છે. આ વ્યક્તિત્વ ઉજાગર કરીને વાચકોને આપણાં પૂર્વ મહાપુરુષનો પરિચય કરાવીને આપણાં સત્ત્વ અને તત્ત્વને જાગૃત કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશનાં સમુદ્ર કાંઠા વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક અને કલાનગરી ભાવનગર શહેરમાં વિ. સં. ૧૯૩૬ માગસર વદી-૨, તા. ૭-૧૨-૧૮૭૯માં થયેલ હતો. ભાવનગર શહેરની અગ્રગણ્ય કાપડની પેઢી ધરાવતા પરિવારના સદસ્ય શ્રી મોતીચંદભાઈએ બી.એ. સુધીનો અભ્યાસ ભાવનગરની જગવિખ્યાત શામળદાસ આર્ટ્સ કૉલેજમાં કર્યો, થોડાં વર્ષો પૂર્વે જ ૫.પૂ. મહાત્મા ગાંધી બાપુ આ જ કૉલેજમાં અભ્યાસ કરી ચૂકેલ હતા.
શ્રી મોતીચંદભાઈએ બાલ્યકાળથી જ શાળામાં વ્યાવહારિક અને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ ખૂબ જ ખંતપૂર્વક અને એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કર્યું. માતા સમરતબહેનના પનોતા પુત્ર હતા. પિતા ગિરધરલાલ આણંદજી પુરષોત્તમ, એ જમાનાનાં ખૂબ જ સમૃદ્ધ કાપડના વ્યાપારની પેઢીના સંચાલક હતા; અને કાકા શ્રી કુંવરજી આણંદજી પુરષોત્તમ; જૈન ધર્મશાસ્ત્ર અને પ્રાચીન ભાષાઓનાં અગ્રગણ્ય વિદ્વાન હતા. પૂ. પિતા પાસેથી વ્યાવસાયિક અને વ્યાવહારિક તાલીમ મળી અને પૂ. કાકા પાસેથી ધર્મતત્ત્વચિંતનના ઊંડા સંસ્કારો પ્રાપ્ત થયા. વાંચન, ચિંતન, લેખનની એક અદકેરી શૈલી ૫૨ ખૂબ જ નાની વયમાં પ્રભુત્વ મેળવી લીધું.
જીવન એટલે સતત ગતિશીલતા; એમાં રુકાવટનું નામ નહીં, પીછેહઠનું કામ નહીં: બસ આગળ ને આગળ ચાલ્યા કરવાનું. વિચાર પ્રદેશના નવા નવા
૪૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #478
--------------------------------------------------------------------------
________________
સીમાસ્તંભોને રોપવા માટે અને કર્મયોગના નવા નવા સીમાડાઓને પહોંચી વળવા માટે ગતિ એ જ જીવન, સ્થિતિ એ જ જડત્વ. ગતિ એ જ પ્રગતિ; સ્થિતિ એ જ અધોગતિ ! તેથી જ તો આર્ષદ્રષ્ય ઋષિમુનિઓએ આદેશ આપ્યો છે: “ચરેવેતિ ચરેવેતિ; ચરેવેતિ; ચરાતિ ચરતો ભગઃ - ૩ માનવી! તું આગળને આગળ ચાલતો જ રહે, બસ ચાલતો જ રહે! ચાલતા-ફરતા નરને ભાગ્ય યારી આપ્યા વગર રહેતું નથી.
શ્રી મોતીચંદભાઈ આવા જ એક સતત પ્રગતિશીલ બડભાગી પુરુષ હતા. ગતિશીલતાને આત્મસાત્ કરીને એમણે જીવનને ચેતનવવંતુ બનાવી જાણ્યું, અને આત્મશક્તિ પ્રત્યેની આસક્તિના બળે તેઓ અમરત્વના અદના ઉપાસક અને અધિકારી બની ગયાઃ જનસેવા, સંસ્કારિતા અને સાહિત્યપ્રીતિના ક્ષેત્રે એમનું નામ ચિરકાળપર્યત યાદગાર બની રહેશે. અધ્યાત્મશાસ્ત્ર સાહિત્યનાં તેઓ કલ્પવૃક્ષ હતા.
કિશોરાવસ્થામાં તેઓ સાગર સમા ગંભીર હતા, નિંદા કે પ્રશંસા તેમને સ્પર્શી ન શકે, નિર્મળ બુદ્ધિ, સ્વસ્થ ચિત્ત, અને યોજનાબદ્ધ કાર્ય કરવાની એકાગ્રતા તેમની સિદ્ધિના ગુણો બન્યા. ધ્યેયનિષ્ઠા, લો'લ્યાણ અને આત્મકલ્યાણના ઉદ્દેશો તેમનાં સમગ્ર વિચાર અને આચારનાં આભૂષણ હતાં. શ્રી મોતીચંદભાઈ નખશિખ કલ્યાણવાંછુ મહાનુભાવ હતા.
તેઓના પરિવારજનો લક્ષ્મી, સરસ્વતી અને સંસ્કારિતા આ ત્રણેય મહાશક્તિની અપારકૃપા પામ્યા હતા. પૂ. પિતાશ્રી ગિરધરભાઈએ કુટુંબનો વાણિજ્ય વ્યવહાર અને શ્રાવકધર્મ ખૂબ જ ખંતથી સાચવ્યો, જ્યારે પૂજ્ય કાકાશ્રી કુંવરજીભાઈ ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસી. સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધમાગધી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા. જૈન ધર્મ પ્રસારક સભાના આદ્યસ્થાપક, સંચાલક, લેખક અને અનેક ગ્રંથોના ભાષાંતર કરીને મુદ્રણ કરાવી તેઓએ પ્રસિદ્ધ કરાવ્યા. નૂતન અને જિજ્ઞાસુ સાધુ-સાધ્વીજીઓ પણ શાસ્ત્રોના ભેદ જાણવા શ્રી કુંવરજી કાકા પાસે અધ્યયન કરવામાં એક આનંદનો અવસર અનુભવતા, પૂ. ગિરધરલાલ તથા પૂ. કુંવરજીભાઈની બંધુબેલડી કંઈક સુખ-દુઃખના સાથી બની લોકહૃદયમાં ચિરસ્મરણીય બની ગયા.
શ્રી મોતીચંદભાઈના કાકા કુંવરજીભાઈના પુત્ર શ્રી પરમાણંદભાઈ પણ ખૂબ જ વિદ્વાન અને ધર્મપ્રેમી હતા. તેઓ એક ક્રાંતિપ્રિય વિચારક હતા, એમનું ચિંતન હિંમેશાં સત્યશોધક, સ્વતંત્ર, મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી રહેતું. ચાલુ ચીલે ચાલવું એને તેઓ માનસિક કમજોરી અને વ્યક્તિત્વની મર્યાદા સમજતાં. વહેમ અને અંધશ્રદ્ધામાં પડવું એ એમને આપઘાત જેવું વસમું લાગતું. ખૂબ જ સ્પષ્ટવક્તા હોવાથી ક્યારેક તેઓના ભાષણપ્રવચનથી રૂઢીચુસ્ત સામાન્યજનોમાં ખળભળાટ મચી જતો. પરંતુ મૌલિકતાથી ધબકતી તેમની કલમ ધીર, ગંભીર અને શાંત ચિંતનના પ્રતિબિંબ જેવી રહેતી. રાષ્ટ્ર, ધર્મ, સમાજ અને સાહિત્યની તેઓએ
સુત્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક + ૪૨૯
Page #479
--------------------------------------------------------------------------
________________
બહુમુખી સેવાઓ કરીને લોકહૃદયમાં સદા સ્મરણીય સ્થાન મેળવ્યું હતું. જૈનોના અતિમૂલ્યવાન સંદેશ અને સાહિત્યવાહક પ્રબુદ્ધ જૈન માસિકની તંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી માનદ્ સેવા કરીને માનપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ખૂબ જ સુખી સંપન્ન પરિવારના સદસ્ય શ્રી મોતીચંદભાઈને બાલ્યાવસ્થાથી જ ધર્મ અને વ્યવહારની સાતત્યસભર કેળવણી પ્રાપ્ત થઈ. ધર્મ, કળા અને વ્યવસાયવાળા કુટુંબના વાતાવરણમાં બી.એ. સુધીનો અભ્યાસ ૧૯૦૯માં પૂર્ણ કર્યો. ફક્ત ૧૯ વર્ષની વયે શ્રી સિદ્ધર્ષિ ગણિવર કૃત સંસ્કૃત ગ્રંથ “શ્રી ઉપમિતિભવપ્રપંચા, કથા મહાગ્રંથ પહેલા પ્રસ્તાવનો અનુવાદ કર્યો, ત્યાર બાદ શ્રી મુનિસુંદરસૂરિ રચિત અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથનું અવતરણ કર્યું અને ૨૨ વર્ષની ઉમરે “જૈનધર્મ પ્રકાશ માસિકમાં આત્મનિરીક્ષણ અંગે વિચાર અને ચિંતનપૂર્ણ લેખો લખ્યા. કાકાશ્રી કુંવરજીભાઈના સતત સાનિધ્યમાં તેઓએ યૌવનને શાસ્ત્ર સાહિત્યના ખેડાણની વાવણીમાં વાવીને આગામી અનેક પેઢીને તારનાર મહાન શાસ્ત્ર સાહિત્યની રચના કરી સમગ્ર જૈન સમાજના ઉપકારી થયા.
બી.એ. સુધીનો અભ્યાસ ભાવનગરમાં રહીને કર્યો, ઈ.સ. ૧૮૮રમાં પ્રારંભ થયેલ વિશ્વ વિખ્યાત બાર્ટન લાઇબ્રેરીમાં વિદ્યા પ્રત્યેની વ્યાપક રુચિએ એમને દેશ-પરદેશના જુદાજુદા વિષયોનાં અધ્યયન તરફ પ્રેર્યા. ખાસ કરીને ધર્મ અને તત્ત્વજ્ઞાનના સાહિત્ય તરફ તેઓ વિશેષ આકર્ષાયા. તે સમયકાળમાં ભાવનગરનો કલા અને સાહિત્યક્ષેત્રે સુવર્ણયુગ હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી, કૃષ્ણલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, રણજિતરાય મહેતા, કવિ કાન્ત, રવિશંકર રાવળ, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, ઝવેરચંદ મેઘાણી, પ્રભાશંકરભાઈ પટ્ટણી, રવિશંકર મ. જોષી, ગિરધરલાલ મોહનલાલ શાહ આવા સાહિત્યના પંડિતો તેઓના સમકાલિન અને સહાધ્યાયી રહી ચૂક્યા હતા. મોહનદાસ ક. ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર તથા સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી જેવા પ્રખર તત્ત્વવેત્તા અને સાહિત્યકારોથી પણ તેઓ પ્રભાવિત હતા. ખાસ અંગત મિત્ર નરોત્તમદાસ ભાણજીભાઈ કાપડિયા સાથે જ્ઞાનવિકાસની મૈત્રીનો દોર ઘણાં વર્ષો સુધી ચાલ્યો હતો. અમરચંદ ઘેલાભાઈ પણ તેઓના પ્રેરણાદ્યતા અને માર્ગદર્શક હતા, મરકી પ્લેગ)ના ઉપદ્રવને કારણે અકવાડા ગામમાં નિવાસ દરમિયાન કાકા કુંવરજીભાઈ તથા અમરચંદ ઘેલાભાઈની શુભેચ્છા અને સહકારથી સમગ્ર સાહિત્યનો અભ્યાસ અને અધ્યાત્મ કલ્પદ્રુમ' ગ્રંથનું ભાષાંતર અને અવતરણ કર્યું હતું. સમગ્ર શાસ્ત્રઅભ્યાસ અને લેખન સામયિકમાં રહીને કરેલ.
બી.એ.નો અભ્યાસ પૂરો કરીને શ્રી મોતીચંદભાઈ કાયદાના ગ્રેજ્યુએટ થવા એલએલ.બી.નો અભ્યાસ કરવા મુંબઈ ગયા. અને સને ૧૯૧૦માં વકીલાતની પરીક્ષા પાસ કરીને સોલિસિટર થયા. હવે તો તેમણે મુંબઈમાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો અને કાયદાશાસ્ત્રી શ્રી દેવીદાસ જેકીશનદાસ દેસાઈની સાથે મળીને
૪૩૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #480
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મોતીચંદ એન્ડ દેવીદાસ નામની સોલિસિટરની પેઢી શરૂ કરી. હૃદય તત્ત્વપ્રેમી હતું, બુદ્ધિ સત્યશોધક હતી અને વૃત્તિ નાનું કે મોટું દરેક કામ નિષ્ઠા, એકાગ્રતા અને ચોકસાઈથી કરવાની હતી. એટલે કાયાના સલાહકાર તરીકે આ પેઢીને અને શ્રી મોતીચંદભાઈને ખૂબ નામના મળી.
જેવું એમનું હૃદય વિશાળ હતું, એટલી જ મીઠી એમની મહેમાનગતિ હતી. પરિચિત-અપરિચિત સૌ કોઈ એમને આંગણે સમાન આદર પામતાં. અને કોઈ પણ બાબતમાં સાચી અને નિખાલસ સલાહ અપાવી એ તો શ્રી મોતીચંદભાઈનું જ કામ. તેઓ જેટલા આશાવાદી હતા એટલા જ સમભાવી હતા, ન બહુ હરખાવું, ન વિલાવું, લીધેલ કામ સ્વસ્થપણે પૂરું કરવું એ જ એમનો સ્વભાવ હતો.
શ્રી મોતીચંદભાઈએ બે વાર લગ્ન કર્યા હતાં. એમનાં પહેલાં પત્નીનું નામ મણિબહેન અને બીજાનું નામ ચંદનબહેન. એમના પાંચ પુત્રોના નામ છે. વિનયભાઈ, હિંમતભાઈ, રસિકભાઈ, રવીન્દ્રભાઈ અને પ્રસનભાઈ. એમના ત્રણ ભાઈઓ નેમચંદભાઈ, ઉત્તમચંદભાઈ અને રતિલાલભાઈ. એમના બહેનનું નામ મોંઘીબહેન.
શ્રી મોતીચંદભાઈ ૫૧૫ર વર્ષની ઉંમરે વિધુર થયા હતા. પણ વિદ્યાપ્રીતિ અને સેવાપ્રીતિમાં પોતાના મનને પરોવી દઈને એમણે જીવનને સાત્ત્વિક પ્રવૃત્તિઓથી સભર બનાવી દીધું હતું. જિંદગીના અંત સુધી ક્યારેય એમને એકલતા કે શૂન્યતાનો અનુભવ કરવો પડ્યો ન હતો. સદાય શુભ પ્રવૃત્તિમાં આનંદમગ્ન બનીને એમણે જીવન વિતાવ્યું.
મુંબઈમાં સોલિસિટરનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મુંબઈ સ્ટેટમાં અંગ્રેજી રાજ્યપદ્ધતિ, કાયદા, નિયમોને લીધે ઊભરતા અને સાહસિક, વિકાસશીલ પરંતુ અણઘડ વ્યાપારી વર્ગને પડતી કાયદાકીય ગૂંચોમાં શ્રી મોતીચંદભાઈની સૂઝબૂઝ અને કુનેહ તથા કાયદાના ઊંડા જ્ઞાનનો ખૂબ જ લાભ મળી રહ્યો હતો. બ્રિટીશ રાજ્યમાં કુમાર (કાગળો) અને અમલદારોની જોહુકમીનો ખૂબ જ ત્રાસ હતો.
જટિલ ન્યાયપદ્ધતિ અને કરવેરા માળખું વ્યાપાર અને વ્યવહારમાં ખૂબ જ વિટંબણા નાખતાં. મિલકતો અંગેના અંગ્રેજી કાયદા પણ ખૂબ જ જટિલ અને અટપટા હતા. શ્રી મોતીચંદભાઈ દેશાવરથી આવીને વસેલા સાધર્મિક ભાઈઓ માટે સાચી સલાહ અને ઉકેલના સોત બની રહ્યા હતા. તે સમયમાં અન્ય ઘણા જૈન સોલિસિટર પણ મુંબઈમાં હતા. તે સર્વેને સંકલિત કરવાનું કાર્ય પણ શ્રી મોતીચંદભાઈ કાયમ કરતા, ઉપરાંત કોમને આગળ લઈ જવાની અને જૈન શાસનનાં કાર્યોમાં પણ સર્વેનો સાથ મળે તે રીતે કાર્યપદ્ધતિ વિકસાવી હતી. મુંબઈ એ સમયમાં પશ્ચિમ ભારતનું વિકસિત વ્યાપાર કેન્દ્ર હતું. દેશાવરથી અહીં માલ આવતાં અને વિદેશ સાથે પણ વ્યાપારનું એક અગત્યનું કેન્દ્ર હતું. ગુજરાત અને કચ્છ પણ મુંબઈ રાજ્યના વિભાગ હતા. બ્રિટીશ શાસકો પાસેથી તેમના કાયદા મુજબનું
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૧
Page #481
--------------------------------------------------------------------------
________________
ભણતર પામ્યા હોવાથી શ્રી મોતીચંદભાઈ અસીલો માટે ખૂબ જ કુનેહપૂર્વક નક્કર કાર્ય કરાવીને સમાજની એક અદ્ભુત સેવા કરી જ રહ્યા હતા. ખૂબ જ સંયમ અને શક્તિનો ભોગ માંગી લેતો વકીલાતનો ધંધો, સમય અને શક્તિની તાણ અનુભવીને પણ અસીલને સંતોષ આપ્યા વગર ન ચાલે, બીજી બાજુ જાહેર જીવનની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ સમય અને શક્તિનો એટલો જ હિસ્સો માંગે, કહેવું જોઈએ કે શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધો અને સેવા એ બંનેની સમતુલા જાળવી જાણી હતી. એટલું જ નહીં, છેવટે સેવાના પલ્લાને વધારે નમતું બનાવીને પોતાના જીવનને વધારે કૃતાર્થ બનાવ્યું હતું. એમના યશસ્વી જીવનનો આ જ અપૂર્વ આનંદ અને પરમસંતોષ.
એમના જાહેર જીવનના અનેક પાસા છે. રાષ્ટ્રીય, ધાર્મિક તેમ જ સમાજસેવાની અને સાહિત્યસેવાની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે ગાઢપણે સંકળાયેલા હતા પણ, એ બધાયમાં એમનું સૌથી મોટું અર્પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલય હતું. યુગવીર આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની સમયાનુરૂપ પ્રેરણાને ઝીલીને જે મહાનુભાવોએ વિદ્યાલયની સ્થાપનાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું તેઓમાંના શ્રી મોતીચંદભાઈ એક હતા. સને ૧૯૧૬માં વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારથી તે છેક ૧૯૪૯ની સાલ સુધી, એકધારા ૩૪ વર્ષ સુધી તેઓ સંસ્થાના માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકેની ભારે જવાબદારી હોંશપૂર્વક ઉઠાવતા રહ્યા. આ માનદ મંત્રી પદ એ કાંઈ માત્ર શોભાનું પદ નહોતું. એ તો ભારે સમય, શક્તિ, નિષ્ઠા, સમજણ અને કાર્યદક્ષતા માંગી લે એવું સ્થાન હતું. આ સ્થાને રહીને એક સમજુ અને હેતાળ માતાની મમતા સમકક્ષ વિદ્યાલયની માવજત કરી એમણે વિદ્યાલયને વિકસાવ્યું હતું. વિદ્યાલયને દીર્ઘદૃષ્ટિભર્યા બંધારણથી સુવ્યવસ્થિત કરવા માટે અને આર્થિક રીતે સધ્ધર કરવા માટે અને ગમે તેવી મુસીબતમાં ઝંઝાવાત સામે ટકી શકે એવું પ્રાણવાન બનાવવા માટે, શ્રી મોતીચંદભાઈએ જે જહેમત ઉઠાવી હતી, તે એમની યશોજ્વળ કારકિર્દીનો સુવર્ણકળશ બની રહે એવી છે. એમની આ સેવાનું ઋણ સંસ્થા અને સમાજ સદાને માટે યાદ કર્યા કરશે. એમ કહેવું જોઈએ કે વિદ્યાલય એ શ્રી મોતીચંદભાઈની અમૂલ્ય સેવાઓનું ચિરંજીવ સ્મારક છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવાથી અને ભણતરમાં ઉચ્ચશિખરો સર કરવાની મહેચ્છાથી વિદ્યાર્થીના પોતાના જીવનમાં વાણી, વર્તન અને વ્યવહારમાં સુધારો થાય અને ઉત્તમ ચારિત્રનું નિર્માણ થાય. વ્યસન, ફેશન, અંધશ્રદ્ધા અને વિકારોથી મુક્ત રહી શકાય. અભ્યાસમાં ચિત્ત પરોવાય, સદ્ગુણો અને સદાચારનો વિકાસ થાય, પોતાના પ્રદેશ સિવાયના પણ મિત્રોનો સંબંધ થાય. નિત્ય ધર્મક્રિયાઓ અને અનુષ્ઠાનોમાં પારંગત થાય, સાધુ-સાધ્વીજીના સંપર્કમાં આવવાથી વિનવગુણ ખીલે. ભૌતિકવાદનો ભ્રમ તૂટે ને અધ્યાત્મ માર્ગ સુસંગત થાય. ભ્રષ્ટાચારી મનોવૃત્તિનો નાશ થાય અને નિષ્ઠાવાન નાગરિક બનવાનું દઢ
૪૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #482
--------------------------------------------------------------------------
________________
મનોબળ પ્રાપ્ત થાય. વિશ્વમંગલનો મૈત્રીભાવ જાગ્રત થાય, ભણીગણીને કુટુંબ, પરિવાર, સમાજનાં કાર્યો કરવાની કુશળતા અને સંકલ્પ પ્રાપ્ત થાય. આર્થિક રીતે સંતોષી અને કરકસરયુક્ત જીવન જીવવાની કળા સાધી શકાય. પોતા માટે પૂરતાં પણ અલ્પ સુખસગવડમાં યૌવન કાળે રહી ભણતરની સીડીઓ ચડતાં અહમનો નાશ થાય અને સમતાનો ગુણ ચિત્તમાં સ્થિર થાય. આ છે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ફલશ્રુતિ, અનેક વિદ્યાર્થીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ભણીને સમાજસેવા અને ધંધા વ્યવસાયમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે મુંબઈ કે ગુજરાતના નગરોની એક પણ ગલી એવી નહીં હોય કે જ્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી ન હોય.
શ્રી મોતીચંદભાઈની સુદીર્ઘકાલીન સેવાઓને વિદ્યાલયની શ્રદ્ધાંજલિ રૂપે તેમ જ એમના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિની દષ્ટિએ, એમની આરસની અર્ધ પ્રતિમાની વિદ્યાલયમાં સ્થાપના કરી તેનો અનાવરણવિધિ તા. ૨૩-૧૯૬૦ને રવિવારના રોજ કેન્દ્ર સરકારના પ્રધાન માનનીય શ્રી એસ. કે. પાટિલના હાથે કરવામાં આવ્યો હતો. સેવામૂર્તિ શ્રી મોતીચંદભાઈની પ્રતિમા ચિરકાળ પર્વત કાર્યકરોને સેવાધર્મની અને કર્તવ્યનિષ્ઠાની તેમ જ વિદ્યાર્થીઓને જીવનઘડતરની અને વિદ્યાનિષ્ઠાની પ્રેરણા આપતી રહેશે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને પણ શ્રી મોતીચંદભાઈની સેવાઓનો દાયકા સુધી લાભ મળતો રહ્યો હતો. કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે તેમ જ બીજી રીતે પણ એમણે લાંબા સમય સુધી કૉન્ફરન્સને પોતાનો સહકાર આપ્યો હતો. કેટલીકવાર તો રૂઢિચુસ્તતાએ જન્માવેલ ઝંઝાવાત સામે કૉન્ફરન્સની નૌકાને ટકાવી રાખવામાં એક કાબેલ સુકાની તરીકે શ્રી મોતીચંદભાઈને ખૂબ જ જહેમત અને ચિંતાનો ભાર ઉઠાવવાં પડ્યાં હતાં.
એ જ રીતે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાની સાથે પણ તેઓ બહુ ગાઢ રીતે સંકળાયેલા હતાં. શ્રી મોતીચંદભાઈના ઘણાખરા ગ્રંથો આ સંસ્થા તરફથી પ્રગટ થયા હતા, તેમ જ જૈન ધર્મપ્રકાશ' માસિકને માટે પણ તેઓ હંમેશાં લેખ સામગ્રી આપતા રહેતા. આમ આ સંસ્થાને એક નામાંકિત પ્રકાશન સંસ્થા તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં શ્રી મોતીચંદભાઈનો ઘણો જ નોંધપાત્ર ફાળો હતો.
આ ઉપરાંત જેન એસોસીએટ્રસ ઓફ ઇન્ડિયા, માંગરોળ જૈન સભા અને કન્યાશાળા, ઘોઘારી વીસા શ્રીમાળી જૈન દવાખાનું, શેઠ શ્રી દેવકરણ મૂળજી ટ્રસ્ટ, શ્રી ગોડીજી ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ફાર્બસ સાહિત્ય સભા, હરકિશનદાસ હૉસ્પિટલ વગેરે મુંબઈની અનેક જૈન અને જૈનેતર સાર્વજનિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. મુંબઈના જાહેર જીવનને ઘાટ આપવામાં અને તે દ્વારા સમાજ-સેવાની પ્રવૃત્તિઓને વિકસાવવામાં શ્રી મોતીચંદભાઈએ બહુ કીમતી ફાળો આપ્યો હતો. મુંબઈના જાહેર જૈન જીવન ઉપર શ્રી મોતીચંદભાઈએ એવી તો અમીટ છાપ મૂકેલી છે કે વારે વારે તેઓનું સ્મરણ થતું જ રહે છે.
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૩
Page #483
--------------------------------------------------------------------------
________________
અંતરીક્ષજી તીર્થ અંગેના કેસ માટે સને ૧૯૨૬માં વિલાયતમાં પ્રિતીકાઉન્સિલમાં રજૂઆત કરવાની જરૂરિયાત પડી તો એ માટે કાયદાશાસ્ત્રી તરીકે શ્રી મોતીચંદભાઈની પસંદગી કરવામાં આવી. ચીવટ, ખંત, ઝીણવટ, મર્મગ્રાહી બુદ્ધિ અને ઠાવકાઈથી તેઓ એ કેસમાં સફળ થઈને આવ્યા.
આ એમની પરદેશની પહેલી યાત્રા હતી. બીજી વાર તેઓ પોતાના કોઈ અસીલના કામે વિલાયત ગયા હતા. બંને વખત તેઓ ગયા તો કાયદાશાસ્ત્રી તરીકે જ, પણ એમની સંસ્કારિતાએ એને સંસ્કારયાત્રાઓ પુરવાર કરી હતી. વિદેશની ભૂમિ અને સંસ્કૃતિ વિશે તેઓનું નિરીક્ષણ અને અવલોકન અદ્ભુત હતું.
જેના અંતરમાં લોકલ્યાણની ભાવના ધબકતી હોય તે વ્યક્તિ દેશભક્તિની ભાવનાથી અસ્પૃશ્ય રહી જ ન શકે. દેશભક્તિ એ તો નાત-જાત, ધર્મ, સમાજ, પ્રાંત કે ભાષાના ભેદભાવ વગર દેશની સમગ્ર જનતાની સેવા દ્વારા જીવનને કૃતકૃત્ય કરવાનો રાજમાર્ગ છે. મહાત્મા ગાંધીજીના નેજા નીચે દેશની સ્વતંત્રતાના અહિંસક સંગ્રામના શ્રીગણેશ મંડાયા ત્યારે એ સ્વાતંત્ર્યપ્રેમી મહાસેનાના શ્રી મોતીચંદભાઈ પણ એક અદના સૈનિક બની ગયા, અને ૧૯૩૦ના સત્યાગ્રહસંગ્રામમાં બે વર્ષ માટે જેલવાસનું ગૌ૨વ પણ તેઓ લઈ આવ્યા. મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના તેઓ વર્ષો સુધી સભ્ય રહ્યા હતા. સને ૧૯૨૯માં તેઓ મુંબઈ શહેરની કૉર્પોરેશનના સભ્ય બન્યા અને છૂટક-છૂટક મળીને પંદર વર્ષ સુધી એમણે કૉર્પોરેશન દ્વારા મુંબઈ શહેરની સેવા કરી હતી. મુંબઈ યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે પણ એમણે શિક્ષણ-ક્ષેત્રની કીમતી સેવા બજાવી હતી.
જો કોઈ માર્ગે લોકલ્યાણ સાધી શકાય એમ હોય તો એ માર્ગે શ્રી મોતીચંદભાઈ સામે ચાલીને પહોંચી જતા. અને તેમાં દિલ દઈને કામે લાગી જતા. એક કાર્યની જવાબદારી સ્વીકારી, પછી તેઓ એમાં ન થાકે, ન કંટાળે, ન માન-અપમાનની પરવા કરે. વળી, બીજાઓનો પોતાના કાર્યમાં સાથ મેળવીને એમની શક્તિઓનો લોકોના લાભ માટે ઉપયોગ કરી લેવાની શ્રી મોતીચંદભાઈની આવડત પણ દાખલારૂપ હતી. આ રીતે એમણે પોતાના જીવનમાં વ્યવહાર અને આદર્શનો અને જ્ઞાનયોગ અને કર્મયોગનો સમન્વય સાધ્યો હતો. સહૃદયતા, નમ્રતા, સરળતા, ઉપકારક વૃત્તિ, ગુણગ્રાહક દૃષ્ટિ વગેરે સદ્ગુણોથી પોતાના જીવનને સુરભિમય બનાવ્યું હતું.
અમુક વસ્તુ કે વિષયની આધારભૂત જાણકારી હોવી, એ તો જ્ઞાનની કક્ષામાં આવે જ છે; પણ અમુક બાબતનું પોતાને જ્ઞાન નથી, અમુક બાબતમાં અધિકારપૂર્વક બોલવાનો પોતાને અધિકાર નથી કે અમુક બાબત જાણવાનો દાવો કરી શકાય એવું પોતાનું જ્ઞાન નથી – એવી પોતાની મર્યાદાનું ભાન, એ પણ એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જ બની રહે છે. પોતાની જ્ઞાનમર્યાદાનો આવો ખ્યાલ એક બાજુ માનવીને અહંભાવ કે મિથ્યાભિમાનથી બચાવીને વિનમ્ર બનાવે છે અને બીજી બાજુ એની જિજ્ઞાસાને સતેજ રાખીને એને કોઈ પણ વિષયનો ૪૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #484
--------------------------------------------------------------------------
________________
તલસ્પર્શી અને વ્યાપક અભ્યાસ કરવા તેમ જ જ્ઞાનનાં નવાંનવાં ક્ષેત્રો ખેડવા પ્રેરે છે. પરિણામે માનવી જ્ઞાન અને ક્રિયા બંને ક્ષેત્રોમાં પ્રગતિ સાધી શકે છે. શ્રી મોતીચંદભાઈ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓની ભીડાભીડ વચ્ચે પણ પોતાની જ્ઞાનોપાસનાની જ્યોતને ઝળહળતી રાખી શક્યા અને વિપુલ સાહિત્યનું સર્જન કરી શક્યા તે આવા ગુણને લીધે જ.
સાહિત્ય એ તો જીવનનું અમૃત છે. વાંચન કે સર્જન દ્વારા એનું પાન કરનારનું જીવન નવપલ્લવિત બની જાય છે. એમાંય, અર્થોપાર્જનની લાલસાથી મુક્ત બનીને, કેવળ નિઃસ્વાર્થભાવે અને સ્વાન્તઃસુખાય પોતાના ચિત્તની પ્રસન્નતા ખાતર કરેલ જ્ઞાનાર્જન કે સાહિત્યસર્જન તો ચિત્તને આનંદ સરોવરમાં તરબોળ કરી દે છે. શ્રી મોતીચંદભાઈની જ્ઞાનોપાસના આવી જ નિઃસ્વાર્થ અને આત્મપ્રસન્નતાથી પ્રેરાયેલી હતી. સાહિત્યસર્જન દ્વારા અર્થોપાર્જન કરવાની વાત તો દૂર રહી, ઊલટું પોતાના તરફથી કંઈક ને કંઈક અર્થવ્યય કરીને તેઓ માતા સરસ્વતીની સેવા કરતાં હતાં. સને ૧૯૪૯માં (તા. ૨૩-૪૯)ના તેમની દીર્ઘકાલીન સેવાઓના સન્માન રૂપે. સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક જાહેર સમારંભ યોજીને રૂ. ૭૦૦૦૧/-ની થેલી અર્પણ કરવામાં આવી, તે વખતે એ રકમ પોતાની પાસે ન રાખતાં, પોતાના તરફથી માતા શારદાના ચરણે ફૂલપાંદડી રૂપે રૂ. ૫00/ઉમેરીને કુલ રૂ. ૭૫,૦૦૧/- જેવી રકમ એમણે સાહિત્યપ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દીધી હતી. આવી હતી તેઓની ઉદારતા અને નિસ્પૃહતા.
શ્રી મોતીચંદભાઈની લેખનશૈલી એમની જીવનપદ્ધતિની યાદ આપે એવી સ્વસ્થ, શાંત, ધીર, ગંભીર, પ્રવકી અને સરળ હતી. લંબાણ અને પુનરુક્તિ એ બે એની મર્યાદાઓ હોવા છતાં એકંદરે એ વાંચનક્ષમ હતી.
એમનું સાહિત્ય-સર્જન જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પર્શતું પણ છે. આમ છતાં જૈન સાહિત્યની એમની કૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે એવી છે. ધર્મ દૃષ્ટિએ અને નવા યુગની દૃષ્ટિએ સમાજનું સંસ્કાર ઘડતર કરવું, એ એમના સાહિત્યસર્જનનો મુખ્ય હેતુ હોય એમ લાગે છે. એટલે ક્યારેક-ક્યારેક તો આપણને નાની કે નજીવી લાગતી, પણ જીવનઘડતર અને જીવનવ્યવહારની દષ્ટિએ એટલી જ મહત્ત્વની બાબતો ઉપર તેઓ પોતાના લખાણમાં યોગ્ય રીતે ભાર આપે છે.
શ્રી મોતીચંદભાઈ પોતાનાં રચેલા સાહિત્યમાં થયેલી અલના ધ્યાન પર લાવવામાં આવે તેનો ત્વરિત સુધાર કરવા તત્પરતા બતાવતા. એક ગ્રંથ છપાઈને બહાર પડે તેની સાથે જ બીજી આવૃત્તિ માટે કોપી તૈયાર રાખતા, ગ્રંથની પ્રશંસા કરવાને બદલે વાચકો કોઈ સૂચન કરે તો વધુ આલ્વેદ અનુભવતા. વાચક વર્ગ સૂચનો કરે તો તે પત્રોના જવાબ આપતા અને ઉપકાર થયાનો આભાર વ્યક્ત કરતા. સુંદર ભાવવિચાર, પ્રૌઢતા કે વસ્તુનિર્દેશમાં પ્રભાવ જણાય તેનો સર્વ યશ મૂળભૂત ગ્રંથ રચનાર પુર્વાચાર્યને જ મળે તે વાત કદી લક્ષ્ય બહાર જવા ન દેવી
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૫
Page #485
--------------------------------------------------------------------------
________________
તેવી વાંચકોને વિજ્ઞપ્તિ કરતાં. કથાલેખન સાહિત્યમાં મૂળ વાતને કાયમ જરૂર રાખવી જોઈએ એ તેઓનો ખાસ અભિગમ રહેતો. મૂળ સ્વરૂપને વિકૃત સ્વરૂપ ન અપાય, કે અસલ વાત મારી ન જાય તે વાત ધ્યાનમાં રાખી અંદર વધારો ઘટાડો મૂળ વાત અને આશયને ધ્યાનમાં રાખીને કરી શકાય. કથાલેખનમાં વસ્તુનિરૂપણ જેમ બને તેમ અલ્પ થવું જોઈએ, બનાવો કે ઘટનાઓ તો લેખકનાં મગજમાંથી નીકળે છે, તેમાં લાંબો સમય વ્યતીત ન કરવો જોઈએ. આવું તેઓનું વલણ રહેતું
શ્રી મોતીચંદભાઈને દરરોજ સવારે સામાયિક કરવાના નિયમને કારણે અભ્યાસ, વાંચન, વિચાર અને વિવેચન-લેખન માટે સમય પ્રાપ્ત થયો, અન્યથા અતિ વ્યસ્ત વ્યવસાયને કારણે શાસ્ત્ર અભ્યાસ અને સાહિત્ય લેખનનો અલ્પ અવકાશ રહેતો.
પ.પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ના પટ્ટશિષ્ય પ.પૂ. પચાસ ગંભીરવિજયજી મ.સા.એ આનંદઘનજીના પદો ખૂબ જ માર્મિક અને અર્થસભર સમજાવ્યા. આનંદઘનજી મ.સા.ના પદોની જે ભાષા હતી તે ગંભીરવિજયજી મ.સા.ના મૂળ વતન, પ્રાંતની બોલી હતી. તેથી તેઓથી વિશેષ આ પદો કોઈ સમજી શક્યું ન હતું. શ્રી મોતીચંદભાઈ અને મિત્ર શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયાએ એ પદોના અર્થ અને અધ્યાત્મ સ્વરૂપ, સમજી લખીને નોટબુકો તૈયાર કરી હતી. અને એના આધારે આનંદઘનજીના પદોના બે વિભાગમાં ગ્રંથો તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યા હતા.
શ્રી મોતીચંદભાઈનાં નિર્મળ અને સરળ વ્યક્તિત્વના ગુણ જોઈએ તો તેઓ પોતાની ખૂબીઓ કરતાં ખામીઓનો વિશેષ ખ્યાલ રાખતા. મિથ્યાભિમાન, કીર્તિનો મોહ અને દંભ જેવા દોષોને જાગૃત રહીને પોતાનાથી દૂર રાખતા, પોતાની જાતને તટસ્થ અને કડક રીતે તપાસવાની અને જ્ઞાન અંગે પોતાની મર્યાદા સમજવાની જાગૃતિ રાખતા.
શ્રી મોતીચંદભાઈએ કિશોર અવસ્થા પૂર્ણ કરીને યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ સાહિત્યસર્જન અને ધર્મશાસ્ત્રનાં અવતરણ અને પુનઃ નિર્માણનું કાર્ય એક ઉચ્ચત્તમ ક્ષયોપશમના પુણ્યબળ સાથે કર્યું. સર્વ પ્રથમ તેઓએ રચેલ સાહિત્યપ્રાગટ્ય તેઓની ફક્ત ૧૯ વર્ષની યુવાન વયે થયું, ત્યાર બાદ અવિરતપણે તેમની આયુના ૭૨ વર્ષ, જીવનનાં અંતિમ ચરણ પર્યન્ત સાહિત્યસર્જન તેઓના હૃદયના ધબકારા સમાન બની રહ્યું.
શ્રી મોતીચંદભાઈ દ્વારા નિર્માણ પામેલ તેઓની પ્રકાશિત અને અપ્રકાશિત કૃતિઓની સૂચિ નીચે પ્રમાણે છે.
જેને પ્રાચીન શાસ્ત્રો મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધમાગધી, દેવનાગરી ભાષા અથવા જે તે પ્રાંતની તળપદી ભાષાના શબ્દોના ઉપયોગથી રચાયેલ છે. આ પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોના ભાષાંતર, શબ્દાનુવાદ, ભાષાનુવાદ, વિવેચન, ટીકા વગેરે અનુસર્જન કરવું એ લલીતકળા છે. જે ભાષામાંથી અનુવાદ કરવાનો
૪૩૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #486
--------------------------------------------------------------------------
________________
છે અને જે ભાષામાં અનુવાદ થઈ રહ્યો છે, એ બંને ભાષા પર પર્યાપ્ત કુશળતા હોય તો જ એ કામને શુદ્ધ ન્યાય આપી શકાય. અન્યથા સ્ખલના અને અશુદ્ધિના કારણે અનર્થોનું ગંભીર અને મોટું નુકસાન થઈ શકે છે. લેખનની શૈલી આદર્શ અને સંયમિત હોવી જોઈએ, તેમાં બાંધછોડ થઈ શકે નહીં, શ્રી મોતીચંદભાઈ ઉપરોક્ત બાબતે સાહિત્યસર્જન-પ્રક્રિયામાં ખૂબ જ સ્પષ્ટ હતા.
(૧) ‘શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા' મહાગ્રંથના પ્રથમ પ્રસ્તાવ પીઠબંધ ગુજરાતી ભાષાંતર - શ્રી સિદ્ધર્લિંગણી પ્રણીત આ મહાન ગ્રંથને તબક્કાવાર આઠ પ્રસ્તાવ, ત્રણ ગ્રંથમાં ભાષાંતરિત કરી પ્રસિદ્ધ કર્યો. ભાવનગરની ગરિમા સમાન જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા પ્રકાશિત થતાં શ્રી જૈન ધર્મપ્રકાશમાં હપ્તે હપ્તે છપાયું હતું. ખૂબ જ નાની વયમાં આવું જ્ઞાનસેવાનું ખમીર ધરાવતા શ્રી મોતીચંદભાઈ એક યુગતારક થઈ ગયા.
(૨) ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' : શ્રી મુનિસુંદરસૂરિ કે જેઓ સહસ્રાવધાની મહાપુરુષ હતા, શ્યામ સરસ્વતીની ઉપમા ધરાવતા હતા. ૫૦૦ વર્ષ પહેલાં રચેલ તેમનાં આ કલ્પસૂત્ર અને શાંતસુધારસ સમકક્ષ ગ્રંથ, જે સંસ્કૃત પદ્યબદ્ધ છે, તે ગ્રંથનું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર તથા વિસ્તૃત વિવેચન કરીને શ્રી મોતીચંદભાઈએ શાસ્ત્ર સાહિત્ય સર્જનશક્તિનો ઉત્તમ પરિચય આપ્યો. આ મહાન ગ્રંથની આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ, છતાં આજે લગભગ જૂજ નકલો જ બચી છે. જે ગ્રંથાલયોમાં જ છે. વર્તમાન સમયમાં વધુ એક પુનઃમુદ્રણની તાતી જરૂરિયાત ઊભી થઈ છે જેની મ. જૈ. વિ.એ નોંધ લેવા નમ્ર વિનંતી.
(૩) પ.પૂ. શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાય કૃત ‘શાંત સુધારસ’નું ભાષાંતર ભાગ ૧-૨, પ્રકાશક શ્રી જૈન ધર્મપ્રચારક સભા ભાવનગર.
(૪) ‘આત્મ નિરીક્ષણ' લેખમાળા (ઉ. વ. ૨૨) શ્રી જૈન ધર્મ પ્રકાશ' સામયિકમાં રજૂ થયા બાદ ગ્રંથસ્થ થયેલ.
(૫) જૈન દૃષ્ટિએ યોગ' લાંબાગાળાનાં વાંચન-મનન-ચિંતનની લશ્રુતિ સ્વરૂપ મૌલિક ગ્રંથ; જેમાં જૈનધર્મો પ્રરૂપેલી આત્મસાધના કે યોગસાધનાની પ્રક્રિયા સમજવા માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય વિ. સં. ૧૯૭૧ તથા વિ. સં. ૨૦૧૦માં પ્રકાશિત થયેલ.
(૬) ‘આનંદઘનજીના પદો ભાગ ૧-૨' પન્યાસ ગંભીરવિજ્યજી મ.સા.ના ઉપદેશ અને પ્રેરણાથી આ બે ગ્રંથો રચાયા. આનંદઘનજીના પદો અને સ્તુતિઓનું આથી વધુ સમૃદ્ધ ભાષાંતર અને વિવેચન પ્રાપ્ય નથી. પંન્યાસ ગંભીરવિજ્યજી મ.સા. આનંદઘનજી મ.સા.ની ભાષાને પોતાના મૂળ વતનની ભાષા હોવાથી ખૂબ જ સરસ અર્થ વિવેચન થયું છે. અચૂક વાંચન-અભ્યાસ કરવા યોગ્ય સાહિત્ય શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાનું ઘરેણું કહી શકાય. આ ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના અદ્ભુત છે.
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૩૭
Page #487
--------------------------------------------------------------------------
________________
(૭) ચરિત્ર ગ્રંથ સિદ્ધહસ્ત યુગપ્રધાન શ્રી સિદ્ધર્ષિ ઉપમિતિભવપ્રપંચા કથાના કર્તા અંગેનો અભ્યાસપૂર્ણ સંશોધનાત્મક ગ્રંથ. આ વિદ્વત્તાપૂર્ણ કૃતિ નિમિત્તે શ્રી મોતીચંદભાઈને સન ૧૯૪૯ના શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકથી બહુમાનિત કરાયા હતા.
(૮) ચરિત્ર ગ્રંથઃ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જર્મનીના વિદ્વાન ડૉ. બલ્લર સાહેબે લખેલ ચરિત્રનું ભાષાંતર. ભાવનગરથી પ્રગટ થતાં જૈન સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલ.
(૯) ચરિત્ર ગ્રંથઃ મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મોતીશાહ – આ ગ્રંથ દ્વારા શ્રી મોતીચંદભાઈએ પ્રભાવશાળી, ધર્મભાવનાશીલ અને જાહેર જીવનમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર જૈન મહાજનનો ઇતિહાસ અને ગરિમા આવતી પેઢીઓને પ્રેરણારૂપ બને તે ઉદ્દેશથી રચ્યો હતો. ગોડીજી જૈન દેરાસરે ૨૦૧૦માં આ ગ્રંથનું પ્રકાશન અન્ય ધર્માદાખાતાની મદદથી કરેલ, જે શ્રી મોતીચંદભાઈના અવસાન પછી પ્રગટ થયેલ.
(૧૦) પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર' વિવિધ પૂજાઓના રચયિતા કવિવર પંડિત વીરવિજયજી મ.સા.નું આધારભૂત ચરિત્ર અને પરિચય આપવાના હેતુથી આ નાનું પુસ્તક લખ્યું હતું.
(૧૧) ચરિત્ર ગ્રંથઃ યશોધર ચરિત્ર' મુનીશ્રી ક્ષમાકલ્યાણજીએ સંસ્કૃત ગદ્યમય ગ્રંથની રચના કરેલ, શ્રી મોતીચંદભાઈએ તેનું ભાષાંતર કર્યું હતું. ૧૯ વર્ષની ખૂબ જ નાની વયમાં આ ગ્રંથનું અવતરણ કર્યું હતું.
* (૧૨) “બહુત ગઈ થોડી રહી યાને દાક્ષિણ્યનિધિ શુલ્લ’ નવલકથા ભાગ ૧-૨ ધ્યેયલક્ષી અને ઉપદેશપ્રધાન જૂની કથાવસ્તુની મૂળ વાતને કેન્દ્રમાં રાખી પોતાની કલમનો એક આદર્શ નમૂનો અને ભવિષ્યના લેખકોને પ્રેરણા અને માર્ગદર્શન આપનાર પુરવાર થયેલ છે. પ્રકાશન વિ. સં. ૨૦૨ અને વિ. સં. ૨૦૦૫માં સંસ્કૃતિરક્ષક સસ્તું કાર્યાલય, વડોદરા.
(૧૩) યુરોપનાં સંસ્મરણો’: જ્યારે પણ વાંચીએ ત્યારે તાજું લાગે તેવું આ પુસ્તક શ્રી મોતીચંદભાઈની નિરીક્ષણશક્તિ અને સચોટ વર્ણનશક્તિનો પરિચય કરાવે છે. પ્રકાશક શ્રી મોતીચંદભાઈ પોતે જ રહ્યા હતા.
(૧૪) “નવયુગનો જેન” જ્યોતિ કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક મૌલિક રચના છે. સદા ગતિશીલ રહેવાની પ્રેરણારૂપ આધુનિક વિજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનવારસાનો જીવનમાં કેવી રીતે સમન્વય કરાય તેની સચોટ રજૂઆતનું આમાં દર્શન થાય છે.
(૧૫) “સાધ્યને માર્ગે ધર્મસાધનાનો ખ્યાલ આપના જૈન ધર્મ-પ્રકાશમાં પ્રગટ થયેલ ૨૫ લેખોનું સંપાદન અને સંગ્રહ. પ્રકાશક શ્રી મોતીચંદભાઈ પોતે જ હતા.
(૧૬) કૉલેજ જીવન અને ધાર્મિક શિક્ષણ પશ્ચિમી શિક્ષણપદ્ધતિ, પહેરવેશ,
૪૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #488
--------------------------------------------------------------------------
________________
ખાણીપીણી અને અન્ય માધ્યમોની વચ્ચે પણ યુવા પેઢીને સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય, ગૌરવ જળવાય અને ધર્મશિક્ષણ અને ધર્મક્રિયાઓમાં જૈનતત્ત્વ અને સત્ય જાળવવાની કળા શીખવા મળે તેવું આ પુસ્તક દરેક સમયકાળમાં યુવા પેઢી માટે માર્ગદર્શક છે. પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય. પ્રકાશિતઃ વિ. સં. ૨૦૦૫
(૧૭) ‘ધર્મકૌશલ્ય' શ્રી મોતીચંદભાઈના સ્વર્ગવાસ પછી સં. ૨૦૦૫માં પ્રકાશિત થયેલ. આ પુસ્તક આધ્યાત્મિક માર્ગની પ્રાપ્તિની પૂર્વભૂમિકા રૂપ નીતિ, સદાચાર વગેરેની કેળવણી દ્વારા ધર્મમાર્ગમાં કૌશલ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે વાત પ્રાચીન, અર્વાચીન, સંસ્કૃત-અંગ્રેજી સુભાષિતો ને વિવેચનથી સભર છે. વિ. સં. ૨૦૧૫માં જૈન આત્માનંદ સભા’ ભાવનગર દ્વારા પણ પ્રકાશિત થયું.
(૧૮) ‘વ્યવહાર કૌશલ્ય' ભાગ ૧-૨ અંગ્રેજી સુભાષિતોના આધારથી જીવનમાં વ્યવહાર દક્ષતા કેવી રીતે પ્રાપ્ત થાય, રોજિંદા વ્યવહારમાં, કુટુંબમાં અને સમાજમાં ઉપયોગી થઈ શકે તેવી બાબતો સરળ અને રોચક ભાષામાં લખાયેલ છે. પોતાના પિતાજી પાસેથી વ્યવહારદક્ષતાના પાઠો તેઓ બાલ્યકાળથી જ સંસ્કાર રૂપે મેળવતા. ખૂબ નાની વયે પણ તીવ્ર અને પાકટ બુદ્ધિચાતુર્ય ધરાવતાં શ્રી મોતીચંદભાઈ અનેક પરિવારના મોભી તરીકેનું સ્થાન પણ ધરાવતા અને પરિવારોને વ્યાવહારિક માર્ગદર્શન આપતા.
(૧૯) ‘વ્યાપાર કૌશલ્ય' પિતા ગિરધરલાલ આણંદજી એક અગ્રગણ્ય વ્યાપારી હતા. વ્યાપાર તો શ્રી મોતીચંદભાઈને ગળથૂથીમાં પ્રાપ્ત થયેલ. જુદાજુદા ૧૦૦ વિષયની ચર્ચા કરીને અંગ્રેજી અનુભવ વાક્યોને આધારે આ પુસ્તક વિ. સં. ૨૦૦૬માં પ્રકાશિત થયેલ.
શ્રી મોતીચંદભાઈના અંગત સાહિત્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ હસ્તલિખિત પત્રોના આધારે તેઓનાં અપ્રગટ ગ્રંથની રચનાઓની સૂચિ નીચે મુજબ મળી આવેલ છે.
(૧) ‘શ્રી આનંદઘનજી કૃત ચોવીશી' અર્થ અને વિવેચન, સહઅભ્યાસી શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયા માર્ગદર્શક પન્યાસશ્રી ગંભીરવિજ્યજી મ.સા. આ પુસ્તક પછીથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થયું છે. (૨) શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રશમતિ ગ્રંથ’ અર્થ તથા વિવેચન. પ્રશમરતિ’ ગ્રંથ એ જૈનોના તમામ પંથોનો સર્વસ્વીકૃત ગ્રંથ છે. જે ત્રીજી-ચોથી સદીમાં (વિ.સં.) લખાયેલ છે. આ ગ્રંથ તમામ જૈનપરંપરાનો ગૌરવ ગ્રંથ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આ ગ્રંથ પ્રકાશિત થઈ ગયેલ છે.
-
(૩) ‘કર્મગ્રંથ’ના બે ભાગનું વિવેચનઃ ૮૪ લાખ યોનિમાં જીવોની ગતિ અને જૈન ધર્મમાં કર્મનો સિદ્ધાંત શાસ્ત્રીય રૂપે સમજાય તે રીતે વિવેચન થયેલ છે. (૪) ‘મહાવીર ચિરત્ર-૨૬ પૂર્વભવ જીવનના અંતિમ સમયકાળમાં આ સાહિત્યની રચના થયેલ છે. નાદુરસ્ત તબિયત અને વૃદ્ધાવસ્થાને કારણે ખૂબ જ
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૩૯
Page #489
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા હોવા છતાં તે રચના પ્રકાશિત ન થઈ શકી.
(૫) મહાવીર ચરિત્ર.૨૭મો ભવઃ જીવનકાળનું અંતિમ ચરણ અને રચના.
મહાવીર જૈન વિદ્યાલયના રિપોર્ટ : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાર્ષિક રિપોર્ટ પણ વ્યવસ્થિત, આધારભૂત માહિતી, કાર્યોનું સ્પષ્ટ નિરૂપણ, છપાઈ, ગોઠવણ, સુશોભનની દષ્ટિએ ઉત્તમ અને પારદર્શક હિસાબ પદ્ધતિને કારણે પણ સાહિત્ય સર્જનથી ઓછા ન ગણી શકાય. વાંચવા ગમે, વાંચીને માહિતીને આધારે વિદ્યાલય તરફ લોકોનો લગાવ વધતો ચાલે તેવી ભાવનાથી તેઓ કોઈ પણ માહિતી છુપાવ્યા વગર કે અતિશયોક્તિ વગર દર્શાવતા.
મુંબઈ જેવા શહેરોમાં તો ઈ. સ. ૧૯૦૭થી જ અંગ્રેજ સરકાર સામે લડત રૂપે ચળવળ શરૂ થઈ ગયેલ હતી. ૧૯૧૫માં પૂજ્ય મહાત્મા ગાંધી પણ ભારતમાં આવીને વસ્યા અને ચળવળને વેગ મળ્યો. અંગ્રેજી શાસનકાળમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિ અને વ્યવસાયલક્ષી શિક્ષણપદ્ધતિનો વ્યાપ અને પ્રચાર વધ્યો હતો. આપણી પ્રાચીન ભાષાઓ, મર્યાદાપૂર્ણ વેશભૂષા, ન્યાયનીતિ, કાયદો, પ્રશાસન વ્યવસ્થા અને સામાજિક બંધારણ મૂળભૂત રીતે બદલાતું જતું હતું. મનોરંજનનાં પાશ્ચાત્ય સાધનો, સિનેમા નાટકનો પ્રચાર અને પ્રસાર વધ્યો હતો.
મહામાનવ શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ અને તેમનાં પરિવારજનો શ્રી ગિરધરભાઈ, શ્રી કુંવરજીભાઈ અને શ્રી પરમાણંદભાઈએ જ્ઞાનની જ્યોત જલાવી. શ્રી મોતીચંદભાઈએ અમૂલ્ય સાહિત્ય સર્જન કરીને, જૈન ધર્મના અતિમૂલ્યવાન શાસ્ત્રોને જાળવ્યા અને પુનર્જીવિત કર્યા, તેની મૂળભૂત રચના અને ગરિમા સહેજ પણ અલિત ન થાય તેની ખેવના રાખીને મુદ્રણ કરાવીને પ્રકાશિત કર્યા. અનેક જૈન પરિવારોમાં ચિર કાળ સુધી પરંપરાઓનું વહન કરી શકે તેવું શાસ્ત્રજ્ઞાનનું અવલંબન પૂરું પાડીને, અનેક પેઢીઓ પર ઉપકાર કર્યો છે. પોતાના જીવન અને વ્યવસાયનો બહુમૂલ્ય સમય ફાળવી આ ભગિરથી જ્ઞાનગંગા વહાવતા જ રહ્યા.
ઈ. સ. ૧૯૧૫-૧૬માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને આશિષથી સ્થપાયેલ, અજોડ વ્યવસ્થા પ્રણાલી ધરાવતી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પાયાના પથ્થર એટલે શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. એમની આધસ્થાપક તરીકેની દીર્ઘદ્રષ્ટિ એટલી વિશાળ કે આજે વર્તમાન સમયમાં આપણે મુંબઈમાં જૈન સમાજની જે સમૃદ્ધિ જોઈએ છીએ, તે આ દીર્ઘદ્રષ્યએ વર્ષો પહેલા ખૂલી આંખથી સ્વપ્ન રૂપે જોયેલ. તેમના પાયાના સાથીદારો કે જેઓ આ સંસ્થાની મજબૂત ઇમારતના ઘડવૈયાઓ છે, તેમાં શ્રીયુત દેવકરણભાઈ મૂળજી, મૂળજી હીરજી, હેમચંદ અમરચંદ, મોતીલાલ મૂળજી, મકનભાઈ જૂઠાભાઈ મહેતા, મોહનલાલ દલીચંદ દેસાઈ, ડો. નાનચંદ કસ્તુરચંદ મોદી, શેઠ ચુનીલાલ વીરચંદ, મણિલાલ સૂરજમલ ઝવેરી, ફકીરચંદ નગીનચંદ ઝવેરી, અમરચંદ ઘેલાભાઈ ગાંધી, નરોત્તમદાસ ભાણજી કાપડિયા, સારાભાઈ મગનભાઈ મોદી અને બીજાં અનેક
૪૪૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #490
--------------------------------------------------------------------------
________________
નામો લઈ શકાય, પોતાની આગવી બુદ્ધિશક્તિ, કાર્યકુશળતા અને બધાને સાથે રાખીને કાર્યો કરવાની આગવી પદ્ધતિને કારણે એક અજોડ અને જૈન યુવાનોના ઉત્કર્ષની વિશ્વવિખ્યાત સંસ્થા ફૂલીફાલી.
શ્રી મોતીચંદભાઈએ અને અન્ય વિદ્વાન જૈન આગેવાનોએ ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ, ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ શુભભાવથી જે પ્રેરણા કરેલ તે ‘સરસ્વતી મંદિર”નું પૂર્ણ સ્વરૂપ એટલે કે જૈન યુનિવર્સિટીના નિર્માણનું કાર્ય અધુરું રહી ગયું. જ્યાં વ્યવહારિક ઉચ્ચ શિક્ષણ (ડિગ્રી કોર્સીસ) અને ધાર્મિક પુરાતન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ રૂપે થઈ શકે અને વિદ્વાનોને પદવી પણ આપી શકે, આ મહાન કાર્યનો ભાર, પોતાનું અધૂરું સ્વપ્ન તેઓ આપણાં ૫૨, વર્તમાન પેઢી ૫૨, અમીટ આશાથી છોડતાં ગયાં છે. આ દિશામાં પ્રયત્ન થાય અને પરિણામ મળે તો આપણાં પૂર્વ વિદ્વાનો અને ગુરુભગવંતોને એક ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ અર્પી શકાય.
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના નેજા હેઠળ સમગ્ર ભારત દેશમાં જૈનોના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ઊભી થતી મુશ્કેલીઓમાં આ સંસ્થા દ્વારા ઘણાબધા ઉકેલ લાવવામાં શ્રી મોતીચંદભાઈએ પોતાની સૂઝબૂઝ અને કાયદાકીય જ્ઞાનની મદદથી આગેવાની પૂરી પાડેલ. પોલિટીકલ એન્ડ રિફોર્મસ ડિપાર્ટમેન્ટ, ગવર્નમેન્ટ ઑફ બોમ્બેમાં પીટીશન દાખલ કરી, કેસને માનવતા અને ધાર્મિક લાગણીના મુદ્દે લડીને શ્રી મોતીચંદભાઈએ ચૈત્ર સુદ ૧૩, મહાવીર જ્યંતીની જાહેર રજાની મંજૂરી કાયમ માટે મંજૂર કરાવી હતી. વ્યવસાયિક નોકરિયાત અને સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓને ધર્મક્રિયા અને ઉજવણી માટે સુગમતા રહે તે માટે આ રજાનું ખૂબ જ મહત્ત્વ હતું. શ્રી મોતીચંદભાઈએ કાયદાકીય જ્ઞાન અને કુનેહપૂર્વક બ્રિટિશ કૉર્ટમાં લડત આપી, સંઘર્ષ કરીને આ કાર્ય પાર પાડ્યું, જે જૈન સમાજ માટે ખૂબ જ ઉપકારી સાબિત થયું. આજે પણ આ રજા આપણને મળે છે તે માટે શ્રી મોતીચંદભાઈનું મોટુ યોગદાન છે.
શ્રી મોતીચંદભાઈના સાહિત્યલેખન, મુદ્રણ અને પ્રકાશનના અભિયાનમાં શાસ્ત્રીય શુદ્ધિકરણ, ભાષા, સ્ખલના નિવારણ, અને લેખનના ઉદ્દેશમાં વૃદ્ધિ થાય તેમ પરોપકાર હેતુ એ મદદ કરનાર અને લેખનના દોષોમાંથી મુક્તિ અપાવનાર મુખ્યત્વે પન્યાસજી શ્રી આનંદસાગરજી, મુનિરાજશ્રી મણિવિજ્યજી, શ્રી રંગવિજ્યજી મ.સા. અને પન્યાસજી મ.સા. શ્રી ગંભીરવિજ્યજીના ખૂબ જ ઉપકાર છે. આ ઉપરાંત આ અધ્યાત્મશાસ્ત્રના સાહિત્યની લેખનયાત્રાના પ્રણેતા પૂજ્યશ્રી કુંવરજીભાઈ કાપડિયા, શ્રી અમચંદ ઘેલાભાઈ, શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયા, શ્રી નેમચંદભાઈ કાપડિયા અને શ્રી પરમાનંદભાઈ કાપડિયા, આ સર્વેનો ખૂબ જ સહકાર અને પુરુષાર્થ પ્રાપ્ત થયો.
સતત અપ્રમાદ, આત્મશુદ્ધિનો પુરુષાર્થ, ધર્મક્રિયાઓ, શાસ્ત્રવાંચન, શ્રવણ,
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૪૧
Page #491
--------------------------------------------------------------------------
________________
લેખન અને લોકકાર્યમાં સતત ગતિશીલ રહેવું, એ જ સંસ્કારિતા ધર્મતત્ત્વ અને અજોડ પરંપરા ટકાવશે તેવો સંદેશ અને પ્રેરણા ચિરકાળ માટે મૂકતા ગયા છે.
૭૨ વર્ષની વયે, તા. ૨૭-૩-૧૯૫૧ વિ. સં. ૨૦૦૭ ક્ષગણ વદી ૫,ના રોજ મુંબઈ મુકામે શ્રી મોતીચંદભાઈ વિશાળ પરિવાર અને વિશાળ સમાજને છોડી મોક્ષ માર્ગે ચાલ્યા ગયા. અંતિમ સમયે ચિત્ત અને અંતરઆત્મા સમતા, પ્રસન્નતા અને સદ્ગતિ થશે જ એવા વિશ્વાસ અને શ્રદ્ધાથી નિશ્ચિંત હતું. સૃષ્ટિને ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ.
આ સમગ્ર લેખન માટે શ્રી મોતીચંદભાઈની પ્રસ્તાવનાઓ, શ્રી પરમાનંદભાઈ અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વડીલ માટે લખેલી અંજલિઓ અને કાપડિયા કુટુંબના સભ્યોને મળીને મેળવેલી માહિતીઓનો આધાર લીધેલ છે. હજુ તો ઘણું લખી શકાય પરંતુ કંઈ ભૂલચૂક કે સ્ખલના થઈ હોય તે બદલ ક્ષમા યાચના સાથે મારી કલમને વિરામ આપું છું.
ચેતનભાઈ ચંદુલાલ શાહ ૧૪/બી, તૃપ્તિ ફ્લેટ્સ, કાળુભા રોડ, ભાવનગર M. 9879512651
૪૪૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #492
--------------------------------------------------------------------------
________________
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ
પંડિત સુખલાલજી
હિંમતભાઈ કોઠારી
નવૃત્ત જીવનમાં પણ પોતાના સ્વાધ્યાયરસને જીવંત રાખનાર શ્રી હિંમતભાઈએ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની જીવનયાત્રા અને વિદ્યાયાત્રાનો પ્રસ્તુત લેખમાં પરિચય આપ્યો છે. સં.). | મારું વતન સૌરાષ્ટ્રમાં આવેલું સુરેન્દ્રનગર શહેર. મારા જ વતનની ભાગોળમાં દશેક કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામ લીમલીમાં એક તત્ત્વચિંતક, દાર્શનિક અને વીસમી સદીના એક મહાન જૈન સાહિત્યકાર શ્રી સુખલાલજી પંડિતનો જન્મ થયેલો. પંડિત સુખલાલજીનું જીવન અંધકારમાંથી અજવાળું નહિ, પરંતુ અંધકારમાં અજવાળું. આંખ અને પાંખ વગર તેઓએ જીવનભર યાત્રાપ્રવાસ કર્યો.
એક પ્રજ્ઞાચક્ષુ, અસહાય યુવાન ભારતીય દર્શનોનો એક વિશ્વવિખ્યાત મહાન વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. પંડિત સુખલાલજીનું બાળપણઃ
પંડિત સુખલાલજીનું વતન વઢવાણ પાસેનું નાનકડું ગામ લીમલી, પરંતુ તેઓનો જન્મ તેમના મોસાળ ધ્રાંગધ્રા પાસે આવેલા કોંઢ નામના નાનકડા ગામમાં ૪ ડિસેમ્બર, ૧૮૮૦માં થયેલો. તેઓના પિતાજીનું નામ સંઘજીભાઈ અને અટક સંઘવી. તેઓનો પરિવાર વિસા શ્રીમાળી જૈન સ્થાનકવાસી.
ચાર વર્ષની ઉમરે તેઓએ માતા ગુમાવ્યા અને પિતાજીએ બીજા લગ્ન કર્યા. તેઓના પરિવારમાં છ ભાઈ-બહેન હતાં. ભર્યાભાદર્યા સંયુક્ત કુટુંબમાં તેઓનો ઉછેર થયો. કુટુંબના કારભારી જેવા મૂળજીભાઈ પુરુષમાતા સમાન હતા. બધા તેઓને ‘ભાઈજી' કહેતા. આ ભાઈજીએ તેઓને ગામની શાળામાં ભણવા બેસાડ્યા. એ શુભ પળ હશે જે પળમાંથી ભારતને એક ભવ્ય વિદ્યાપુરુષ પ્રાપ્ત થયા. પંડિતજીના અક્ષરો સુંદર અને મરોડદાર હતા. હિસાબ-કિતાબમાં ખૂબ જ કાબેલ હતા. પિતાજીએ દુકાનના હિસાબનું કામ અને પત્રવહેવાર કરવાનું કામ તેઓને સોંપેલું. આ બાળપણના દિવસો દરમિયાન સુખલાલજી બધું કામ કરે. ઘરના નળિયાં સાફ કરે, નદીમાં તરવા જાય, દેશી રમતો રમે. ઘોડેસવારી કરી
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૩
Page #493
--------------------------------------------------------------------------
________________
આસપાસનાં ગામડાંમાં ઉઘરાણી કરવા જાય. ધંધામાં પિતાજી સાથે જોડાવું પડ્યું એટલે શાળા છોડવી પડી.”
સુખલાલજી હવે પંદર વર્ષના થયા. સામાજિક રિવાજ મુજબ, કુટુંબના મોભા પ્રમાણે એમની સગાઈ પણ થઈ અને એક વર્ષમાં લગ્ન કરવાનું નક્કી થયું.
કિશોરાવસ્થા પૂરી થઈ અને યૌવનાવસ્થામાં પ્રવેશ્યા ત્યાં જ “શીતળાના ભયંકર રોગમાં પંડિતજી સપડાયા, આંખોનું તેજ ચાલ્યું ગયું અને આંખોના ડોળા બહાર નીકળી ગયા. અંધકાર વ્યાપી ગયો દવાઓ – દુઆઓ કે દોરાધાગા કામ ન લાગ્યાં. હવે ૧૭ વર્ષની ઉંમરે પહોંચ્યા. સગાઈ પણ તૂટી ગઈ. દામ્પત્ય જીવન ન માગ્યું, પણ મા શારદામાએ દિવ્યજીવન તરફ પ્રયાણ કરાવ્યું.
સત્સંગનો શોખ નાનપણથી જ હતો. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીના દર્શને વારંવાર જતા અને તેઓની સ્મરણશક્તિ ખૂબ જ તીવ્ર હોવાથી ધાર્મિક સૂત્રોનો અભ્યાસ પણ કરતા. ઉપાશ્રયમાં જવું અને ધાર્મિક પાઠ કરવો એ તેમનો નિત્ય આચાર બની ગયો. તેમને સૂત્રો વાંચી સંભળાવનાર તેમના નાના ભાઈ છોટાલાલ અને પોપટલાલ તેમ જ ગુલાબચંદ નામના તેઓના મિત્રો હતા. આ મિત્રો તેઓને પ્રાકૃત અને સંસ્કૃત અક્ષરશઃ વાંચી આપે અને સુખલાલજી કંઠસ્થ કરી લે. મિત્ર પોપટલાલ આ શ્લોકના અટકળ અર્થ પણ કરતા જાય. આ સમયમાં પ્રજ્ઞાચક્ષુ લાધાજી સ્વામી પાસે વ્યાકરણ સાથે પંચસંઘી પણ, કંઠસ્થ કરી લીધી. લાધાજી સ્વામીએ વ્યાકરણ શીખવા ઉત્તેજન આપ્યું. વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર) ખાતે મુનિ ઉત્તમચંદજી પાસે ચાતુર્માસ દરમિયાન વ્યાકરણ પણ શીખી લીધું. મુનિ છોટાલાલજી અને રત્નચંદ્રજી જેવા તરુણ જેન સાધુભગવંતોના પરિચયથી સંસ્કૃત અભ્યાસની જિજ્ઞાસા સતેજ થઈ. આમ સંવત ૧૯૫૩થી ૧૯૫૯ સુધીમાં જેનપરંપરાના ચાર અનુયોગોના અનેક વિષયોનું જ્ઞાન મેળવવાનો સુખલાલે ઉદ્યમ કર્યો. વ્યાકરણ વિના સંસ્કૃત ન આવડે. આથી વ્યાકરણ શીખવાની તમન્ના જાગી. તે સમયે ધર્મની સમજણ ખાસ કરીને ક્રિયાકાંડ, દેહદમન, તપશ્ચર્યા અને શાસ્ત્ર શ્રવણમાં જ સમાઈ જતી. તેથી તેઓએ નવા નવા છંદો, સ્તવનો, સઝાયો અને થોકડાઓ કંઠસ્થ કર્યા. આ થોકડાઓમાં દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના શાસ્ત્રીય વિષયોનું નિરૂપણ છે તેવો ખ્યાલ સુખલાલજીને આવ્યો. આ વિષયોનું સળંગ આલેખન આગમોમાં છે. દીપચંદજીની પ્રેરણાથી ‘દશ વૈકાલિ’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર અને “સૂત્રકૃતાંગ' કંઠસ્થ કર્યા. ભક્તામર’, ‘કલ્યાણમંદિર અને સિંદૂર પ્રકરણમાં કંઠસ્થ કર્યા. “રઘુવંશની નકલ પ્રાપ્ત થતા નવ સર્ગો આઠ જ દિવસમાં મિત્રની મદદથી કંઠસ્થ કર્યા. છ વર્ષ સુધી ગામ “લીમલીમાં જ અધ્યયન અને શ્રવણ પ્રવૃત્તિ ચાલુ રહી. કુટુંબનો સહકાર અને ભાભીનો પ્રેમ મળતો રહ્યો અને ભાભી દિયરને લાડ પણ લડાવે અને સુખલાલજી કોઈ વખત ગુસ્સો પણ કરે.
૪૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #494
--------------------------------------------------------------------------
________________
સુખલાલજીનો વિદ્યાપુરુષાર્થ :
અંતરમાં અભ્યાસ – અધ્યયનની ઉત્કંઠા જાગતી રહી અને એ તીવ્ર સંવેદના કાળને સ્પર્શી ગઈ. સં. ૧૯૬૦માં જૈન ધર્મપ્રકાશ' માસિકમાં સમાચાર મળ્યા કે એક ધર્મવિજયજી નામના સંવેગી સાધુ કેટલાક સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓને સાથે લઈને કાશીમાં સંસ્કૃત અધ્યયન કરાવવા જાય છે અને ત્યાં પંડિતો રાખી શિષ્યોને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરાવડાવશે.
પંડિતજીને પણ ત્યાં જવાની ઇચ્છા થઈ. શારીરિક અને સામાજિક કારણોને લઈ કુટુંબીજનોને સુખલાલ કાશી જાય એ માન્ય ન હતું, પણ વિદ્યાનું અજવાળું મેળવવા દષ્ટિવિહીન સુખલાલજી મક્કમ હતા. ઘણો પત્રવ્યવહાર થયો અને સંમતિ લઈને એક નોકર સાથે સુખલાલજી કાશીએ પહોંચ્યા. મહારાજશ્રીએ સુખલાલનું સ્વાગત કર્યું અને પાંચમને દિવસે વિદ્યા આરંભ થયો.
સૌ પ્રથમ, હેમચંદ્રાચાર્યકત સિદ્ધહેમનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ અભિધાન ચિંતામણિ', “શબ્દાનુશાસન અને ન્યાયશાસ્ત્ર' વગેરે અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. ૧૮00 શ્લોક કંઠસ્થ કર્યો. કયો શ્લોક કયા સર્ગમાં આવે છે તે બરાબર યાદ રાખતા. કાશીમાં પૂર્વાચાર્યો સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, યશોવિજયજી અને હેમચંદ્રાચાર્ય વગેરેની કૃતિઓનો અભ્યાસ કરી સંશોધન કર્યું. (સુખલાલજીએ લખેલા ગ્રંથોની યાદી લેખના અંતમાં રજૂ કરેલી છે.) હરનારાયણ તિવારી પાસેથી અનેક અગવડો વેઠી વૈયાકરણ શીખી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતમાં બોલી શકવાની ક્ષમતા તેઓએ કેળવી લીધી.
અંબાદત શાસ્ત્રી પાસેથી સુખલાલજીએ તર્કસંગ્રહ મુક્તાવલી અને પંચવાદનું સટીક શિક્ષણ ગ્રહણ કર્યું. કાશીમાં વસવાટ દરમિયાન તેઓએ “સમેતશિખરની પણ યાત્રા કરી. સુખલાલજીનો જન્મ સ્થાનકવાસી સંપ્રદાયમાં થયો હતો, છતાં મૂર્તિપૂજામાં એમને બાધ નહોતો. યશોવિજયજી કૃત પ્રતિમાશત”નો તો એમના ઉપર મોટો પ્રભાવ. શત્રુંજય તીર્થની પણ તેઓએ યાત્રા કરેલી. કાશીમાં અધ્યયન દરમિયાન અનેક વિદ્વાન મિત્રોના પરિચયમાં તેઓ આવ્યા. ભલે પછી તેઓ જૈન ધર્મી હોય કે વેદાંતી પંડિત હોય. આપણા ભાષાશાસ્ત્રી પંડિત બેચરદાસજી એમના સહપાઠી હતા.
મુનિ જીનવિજયજી અને મુનિ પુણ્યવિજયજી સાથે પણ મૈત્રી બંધાઈ. એક વખત વાર્તાલાપ દરમિયાન કાશીમાં કપૂરવિજયજી મહારાજે એવું વિધાન કર્યું કે સુખલાલજી સાધુ-સાધ્વી અને પંડિતોને ભણાવી શકે, પણ તેઓ દષ્ટિવિહીન હોવાથી લેખન તો ન જ કરી શકે. પંડિતજીના મનમાં આ વાત બેસી ગઈ અને લેખનનો સંકલ્પ કર્યો. અનેક અવરોધો વચ્ચે નિયમિત લેખન કરાવે અને આપણું મસ્તક નમી જાય એવા લગભગ ચાલીસ (0) અમૂલ્ય – અદ્વિતિય ગ્રંથો આપણને પ્રાપ્ત થયા. મિલ્ટન, સુરદાસ અને હેલન-કેલર જેવા દષ્ટિવિહીન મહાસર્જક અને મહામાનવની પંક્તિમાં
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૫
Page #495
--------------------------------------------------------------------------
________________
આ મહામાનવ બિરાજ્યા છે. અનેક પદવીઓથી વિભૂષિત આ નેત્ર-જ્યોતવિહીન વ્યક્તિ સમગ્ર ભારતની એક જ્ઞાન-જ્યોત બની રહી. ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર’નું ભાષાંતર શરૂ કર્યું. લખેલું વંચાવે અને ન ગમે તો તે લખાણ ગંગા નદીમાં પધરાવી દે. પૂરો સંતોષ થાય પછી જ લખાણ સાચવે. સંવત ૧૯૬૪ના પ્રારંભથી અલંકારશાસ્ત્રની ભૂમિકા સમજવા તેમણે ‘સાહિત્યદર્પણ’નો અભ્યાસ કર્યો. કાશીનિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને કોશના અભ્યાસથી આગળના અધ્યયનની ભૂમિકા બાંધી લીધી.
કાશીની યશોવિજ્યજી પાઠશાળા છોડ્યા પછી સુખલાલે મિત્ર વ્રજલાલ સાથે ભદૈની ઘાટ ઉપરની ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. બંને મિત્રોના સહિયારા પ્રયત્નથી તેઓએ વેદાંત અને ન્યાયનો અભ્યાસ કર્યો. થોડા સમય પછી તેમને શ્રી બાલકૃષ્ણ મિશ્ર અને વ્યાકરણ શિક્ષક શ્રી તિવારીજીનો સાથ મળ્યો. હવે પંડિતો સાથેનો પિરચય વધતો ગયો. વામાચરણ ભટ્ટાચાર્ય પંડિત પાસે તત્ત્વચિંતામણિ ગ્રંથ' માથુરી ટીકા સાથે ભણ્યા.
પંડિત ચંદ્રશેખરના આમંત્રણથી મિથિલા જઈને સુખલાલે અનેક શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સુખલાલજીના અધ્યાપક જીવનની શરૂઆત થઈ. પાલણપુર, મહેસાણા, વિરમગામ, પાટણ, વડોદરા, પૂના, આગ્રા, ગૂજરાત વિદ્યાપીઠ અને બનારસમાં અધ્યાપક તરીકે તેઓએ કામ કર્યું. સાથેસાથે અધ્યયન પણ કરતા જ રહ્યા. બનારસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આનંદશંકર ધ્રુવની ઇચ્છાથી તે યુનિવર્સિટીના જૈન દર્શનના અધ્યાપક તરીકે અગિયાર વર્ષ કામ કર્યું. એકાદ વર્ષ મુંબઈમાં ક. મા. મુનશી પાસે ભારતીય વિદ્યાભવનમાં પણ કામ કર્યું. અધ્યાપક જીવન દરમિયાન તેઓ જૈન મુનિ શ્રી કાન્તિવિજ્યજી, ચતુરવિજ્યજી અને પુણ્યવિજ્યજીના સંપર્કમાં આવ્યા.
જૈન શાસ્ત્રીય ગ્રંથોના હિંદી ભાષાંતર પ્રકાશિત કરવાની યોજના તેઓએ તૈયાર કરી. ગ્રંથોના સંપાદનમાં શાસ્ત્રીય દૃષ્ટિબિંદુઓ સાથે જ વિશાળ ટીકાઓ લખી ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસનું નવું પરિમાણ ઉમેરી નવી પ્રણાલિકા ઊભી કરી. આ માટે તેઓએ આગ્રા જઈને હિંદી ભાષામાં શુદ્ધ આલેખન કરવા કામતાપ્રસાદ ગુરુ, અને રામલાલજીના વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીના ‘રઘુવંશ’ અને માઘ આદિના અનુવાદોનો ભાષાની દૃષ્ટિએ અભ્યાસ કર્યો.
‘જ્ઞાનસાર’ના અષ્ટકોનો ભાવાનુવાદ અને જૈન કર્મગ્રંથોના અનુવાદ અને હિંદી વિવેચનો લખ્યા. ‘પંચપ્રતિક્રમણ' વિવેચન સાથે પ્રસિદ્ધ કર્યું. ત્યાર બાદ નાના-મોટા સાત સંસ્કૃત ગ્રંથોના અનુવાદ-વિવેચન સાથે પ્રસિદ્ધ કર્યાં. ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પછી પંડિત સુખલાલજીએ ‘તત્ત્વાર્થસૂત્ર', સ્વયં અને સન્મતિતર્ક-વાદ મહાર્ણવ પંડિત બેચરદાસજી સહ) પ્રકાશિત કર્યાં. ત્યાર બાદ તેઓ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જોડાયા.
૪૪૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #496
--------------------------------------------------------------------------
________________
અહીં એમનો નવો લેખનયુગ શરૂ થયો. પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ, જૈન તર્કભાષા” અને હેતુબિંદુ જેવા ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં પંડિત ધર્માનંદ કોસંબીજી સાથે પરિચય થયો હતો, જેના કારણે બનારસમાં તેઓને પાલિ ભાષામાં રસ જાગ્યો. આ વર્ષોમાં ઘણા પંડિતો તેઓને ચેતનગ્રંથો કહે છે. ડૉ. રાધાકૃષ્ણને તેઓને બનારસ યુનિવર્સિટીમાં ગ્રંથસંપાદનનું કામ સોંપ્યું, પરંતુ પંડિતજીએ તેનો સાદર અસ્વીકાર્ય કર્યો. ભારતીય વિદ્યાભવનમાં અને પછી અમદાવાદના ભો. જે. ઇન્સ્ટિટ્યુટમાં માનદ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.
મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રસૂરિજી વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા, જે પુસ્તક સ્વરૂપે ઈ. સ. ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીએ પ્રગટ કર્યા હતા. અને તે પુસ્તકને “સમદર્શી આચાર્ય હરિભદ્ર નામ અપાયું હતું.
પંડિત સુખલાલજીએ કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો જેના પરિણામે પદ્મભૂષણ દલસુખભાઈ માલવણિયા, ડૉ. પદ્મનાભ જૈન, ડૉ. ઈન્દુકલાબહેન ઝવેરી, ડૉ. નગીનદાસ શાહ જેવા કેટલાય વિદ્વાનો સમાજને પ્રાપ્ત થયા.
‘દર્શન અને ચિંતન', “તત્ત્વાર્થસૂત્ર', “સન્મતિતર્ક અને “ભારતીય તત્ત્વવિદ્યા” જેવા ગ્રંથોમાં સમર્થ તત્ત્વવેત્તા તરીકે પંડિતજીના દર્શન થાય છે. તેઓએ આવા ગ્રંથો લખીને ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરી. પંડિત સુખલાલજી નિઃસ્પૃહ હતા. તેઓને વિદ્યા, અધ્યાપન અને લેખનકાર્ય માટે અનેક સુવર્ણચંદ્રકો અને એવૉર્ડ મળ્યા અને તેમના પુરુષાર્થની કદર થઈ, પરંતુ તેમના વાણી કે વર્તનમાં આની કોઈ જ અસર પડેલ ન હતી. પંડિત સુખલાલજી સમન્વયસાધક તત્ત્વવેત્તા હતા પરિણામે સર્વત્ર આદર પામતા હતા. પંડિતજી જ્યારે કાશીમાં ભણતા હતા ત્યારે એમને એ વખતે રૂ. ૫૧નું ઈનામ મળ્યું હતું. એ રકમમાંથી રૂ. ૧૦ ભાઈજી જે નિવૃત્ત જીવન જીવતા હતા તેમને મોકલેલા.
પંડિતજીમાં હૃદયની ઉદાર ભાવના અને ઋણ ચૂકવવાની ભાવનાના દર્શન થાય છે. પંડિત સુખલાલજી મુંબઈ જૈન યુવક સંઘની પ્રેરણામૂર્તિ હતા. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરવાની તેઓએ જ પ્રેરણા આપેલી. યુવક સંઘના તેઓ પ્રથમ પ્રમુખ હતા. દર વર્ષે જૈન ધર્મનો એકાદ વિષય લઈ વ્યાખ્યાન પણ આપતા.
પંડિત સુખલાલજીએ શ્રી પરમાનંદ કાપડિયાની સામાજિક પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો હતો.
તેઓની જૈન માટેની વ્યાખ્યા વિશિષ્ટ છે. તેઓ કહે છે:
“જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.”
(જૈન ધર્મ અને દર્શન ભાગ-૨, પંડિત સુખલાલજી) બાળ શિક્ષણની મોન્ટેસોરી પદ્ધતિ અને પુરુષ-સ્ત્રીની સમાનતા જેવા વિષયો
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૭
Page #497
--------------------------------------------------------------------------
________________
ઉપર પણ તેઓએ પ્રતિભાવ આપ્યો છે. ગૃહમાધુરી સામયિકમાં તેઓએ લખ્યું કે,
સ્ત્રી અને પુરુષના જીવન-ક્ષેત્રો જુદા હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાણ વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે પણ સ્ત્રી કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ ઘરની કેટલીક જવાબદારીઓ સંભાળી શકે જેથી પુરુષની અવિવેકી સત્તાનો ભોગ સ્ત્રીને ન બનવું પડે.”
જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે કે –
“૩૯ પુસ્તકો લખનારા પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ચેતો વિસ્તારની યાત્રા પુસ્તકમાં પૂર્ણિમાની ચાંદનીનું વર્ણન લખ્યું તે અદ્ભુત છે. પરમ તત્વે તેઓને ઘણું આપ્યું અને આપણને સવાયું જ્ઞાન કરીને તેઓએ આપ્યું.”
વિનોબાજી પંડિત સુખલાલજી વિશે લખે છે કે – “પંડિતજીમાં તટસ્થ બુદ્ધિ અથવા નિષ્પક્ષ બુદ્ધિની પરિપૂર્ણતા જોઈ શકાય છે.” પૂ. રવિશંકર મહારાજ પંડિત સુખલાલજી વિશે કહે છે કે,
તેઓની આજની સિદ્ધિમાં એમના પૂર્વજન્મનું ફળ કેમ ન હોય? તેઓ ભારતનું એક અમૂલું રત્ન છે.”
વાસુદેવ અગ્રવાલ લખે છે કે –
પંડિતજી મહાપ્રાજ્ઞ હતા. તેઓ વ્યક્તિ નહિ પણ સંસ્થા છે. તેમના શરીરનું ગોત્ર અને નામ ગમે તે હોય, પણ તેમણે તો પોતાનું ગોત્ર સારસ્વત’ બનાવી દીધું છે.”
પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે કે –
“જીવનમાં આંખ ગુમાવવી એ મોટી અડચણ છતાં “ર તૈચમ જ પત્તાયનમ્ એ જીવનમંત્ર તેમનો બની ગયો અને દેખતાના પણ તેઓ માર્ગદર્શક બની શક્યા, તેમાં તેમનો અપૂર્વ પુરુષાર્થ દેખાઈ આવે છે.”
વાડીલાલ ડગલી પંડિતજી માટે લખે છે કે –
“પંડિતજી માટે સંસ્કૃત વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિ શાસ્ત્રના સિદ્ધાંતો, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જણસો ન હતી પણ જીવનની અવિભક્ત અંગરૂપ બાબતો હતી.”
માન-સન્માનની યાદી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ જીવનભર કરેલા અધ્યયન, સંશોધન, લેખન અને માર્ગદર્શન ઇત્યાદિની કદર કરવા રૂપે વિવિધ સંસ્થાઓ, સમિતિઓ, યુનિવર્સિટીઓ તરફથી એમનું વખતો વખત માન-સન્માન થયું હતું, જેની યાદી નીચે મુજબ છે. (૧) ૧૯૪૭ : ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી એમને
શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક આપવામાં આવેલ
હતો.
૪૪૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #498
--------------------------------------------------------------------------
________________
(૨) ૧૯૫૧ : ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત વિભાગના પ્રમુખ
તરીકે તેઓની વરણી થઈ હતી. (૩) ૧૯૫૬ : રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વધ તરફની હિંદી ભાષાની સેવા
માટે તેઓને પુરસ્કાર પ્રદાન થયેલો. (૪) ૧૯૫૭ : મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં ડૉ. રાધાકૃષ્ણનના
પ્રમુખપદે અખિલ ભારતીય ધોરણે એમનું બહુમાન કરવામાં
આવ્યું હતું. (૫) ૧૯૫૭ : ગુજરાત યુનિવર્સિટીએ એમને ડી. લિટ્રની માનદ પદવી આપેલ
હતી. (૬) ૧૯૫૯ : ‘દર્શન અને ચિંતન ગ્રંથ માટે દિલ્હીની સાહિત્ય અકાદમીએ
તેઓને પારિતોષિક આપ્યું હતું. (૭) ૧૯૫૯ : મુંબઈ સરકાર તરફથી દર્શન અને ચિંતન ગ્રંથ માટે પારિતોષિક
આપવામાં આવ્યું હતું. (૮) ૧૯૬૧ : ઓરિએન્ટલ કોન્ફરન્સ તરફથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગના
પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. (૯) ૧૯૬૧ : ભારત સરકારે એમને સંસ્કૃત ભાષા માટેનું સર્ટિફિકેટ ઓફ
ઓનર આપ્યું અને પેન્શન બાંધી આપ્યું હતું. (૧૦) ૧૯૬૭ : વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ એમને ડી.
લિની માનદ પદવી આપેલી. (૧૧) ૧૯૭૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને ડી. લિટ્રની માનદ પદવી આપી
હતી. (૧૨) ૧૯૭૪ : ભારત સરકારે એમને પદ્મભૂષણનો ઈલ્કાબ આપ્યો હતો.
સુરેન્દ્રનગરની પ્રજ્ઞાચક્ષુ અંધ મહિલા વિદ્યાલયમાં પંડિત સુખલાલજીની યાદ તાજી રાખવા શ્રી ચંદ્રકાંતભાઈ હિંમતલાલ શાહ તથા સ્વ. સૂરજબહેન
સ્મૃતિ સહયોગ, રાજકોટ તરફથી દર વર્ષે અંધજનોના ક્ષેત્રે કામ કરનાર સંસ્થાને અથવા વ્યક્તિને પંડિત સુખલાલજીના નામે રૂ. ૨૧૦૦૦નો પંડિત સુખલાલજી એવોર્ડ આપવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પુસ્તકાલયોના મધ્ય હોલમાં પંડિત સુખલાલજીનો ફોટો મૂકવામાં આવેલ છે, જેથી તેઓની અદ્વિતિય શક્તિઓનો સમાજને પરિચય થાય.
ચાલુ વર્ષે આ પંડિત સુખલાલજી એવોર્ડ રૂ. ૨૧૦૦૦/- જૂનાગઢ અંધજન મંડળના અંધપ્રમુખ શ્રી અનિલભાઈ વી. પટેલને અંધજનોના વિકાસની પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવ્યો.
આ રીતે મહામૂલા માનવીને સમાજ હંમેશાં યાદ કરે છે.
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૯
Page #499
--------------------------------------------------------------------------
________________
આ મહાન આત્મા અને જીવનને નત મસ્તકે નમન કરીને સમાજ ધન્યતા અનુભવે છે.
પંડિતજીના જીવનની સાલવારી ઈ.સ. ૧૮૮૦ : ચોથી ડિસેમ્બર ૧૮૮૦માં વઢવાણ પાસેના લીમલી ગામે
સ્થાનકવાસી પરિવારમાં જન્મ. ૧૮૮૯૧ : પ્રાથમિક અભ્યાસ લીમલી ગામમાં ૧૮૯૭ : અંધત્વ ૧૮૯૮ : સગપણ તૂટ્યું ૧૮૯૮-૧૯૦૪ઃ વતનમાં સાધુ-સાધ્વી સંગાથે ઉપાશ્રયમાં મુખપાઠથી ધાર્મિક
જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૯૦૪ : કાશીમાં વિદ્યાભ્યાસ માટે પ્રયાણ ૧૯૦૭ : સમેતશિખરની યાત્રા ૧૯૦૮ : કાશીની પાઠશાળા છોડી ૧૯૦૯ : પાલનપુરમાં અધ્યાપક ૧૯૧૧૨ : ફરી કાશી તથા મિથિલામાં સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પુસ્તકોનું
લેખનકાર્ય ૧૯૧૪ : મહેસાણામાં પાઠશાળામાં અધ્યાપનકાર્ય ૧૯૧૫ : પાટણમાં – કેશરિયાજીની યાત્રા ૧૯૧૬ : વડોદરામાં અધ્યાપક ૧૯૧૭ : પૂના જૈન બોર્ડિંગમાં ધાર્મિક-અધ્યાપક ૧૯૧૯-૨૦ : આગ્રામાં ૧૯૨૨થી ૧૯૩૦ : ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૩૩થી ૧૯૪૪ : બનારસ યુનિવર્સિટીમાં ૧૯૪૪-૪૫ : મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૪૫થી ૧૯૭૮ : અમદાવાદમાં જીવનના અંતપર્યંત ૧૯૭૮ : બીજી માર્ચ ૧૯૭૮ના દિવસે ૯૭ વર્ષની વયે દેહવિલય.
પંડિત સુખલાલજીના ગ્રંથો (૧) આત્માનુશાસ્ત્રીમુલક પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાકૃતનો ગુજરાતી અનુવાદ,
પ્રકાશન વર્ષ ૧૯૧૪-૧૯૧૫ (૨) કર્મગ્રંથ ભાગ ૧થી પઃ શ્રી દેવેન્દ્રસૂરિકત મૂળ પ્રાકૃતનો હિંદીમાં અનુવાદ,
સમજૂતી તથા પ્રસ્તાવના સાથે (૧૯૧૭-૧૯૨૦) (૩) દંડક (પૂર્વાચાર્યકૃત) : મૂળ પ્રાકૃત ગ્રંથનો હિંદીમાં સાર (૧૯૨૧) ૪૫૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #500
--------------------------------------------------------------------------
________________
(૪) પંચ પ્રતિક્રમણ સૂત્રઃ મૂળ પ્રાકૃતનો હિંદી અનુવાદ (૧૯૨૧) (૫) યોગ-દર્શન (યોગ વિશેની બે કૃતિઓ) : સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો
હિંદીમાં સાર અને વિવેચન (૧૯૨૨) (૬) સન્મતિ તર્ક પ્રકરણ – શ્રી સિદ્ધસેન દિવાકરકત – પ્રાકૃત ગ્રંથ તેના
ઉપરની ટીકા શ્રી અભયસૂરિત ‘વાદ મહાર્ણવ ટીકા સાથે ભાગ ૧થી
૫: (૧૯૨૫). (૭) સન્મતિ તર્ક પ્રકરણ (ભાગ-૬): મૂળ ગાથાઓનો ગુજરાતી અનુવાદ
(પંડિત બેચરદાસના સહકારથી) ૧૯૩૨ (૮) Sanmati TarkPrakaran: ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ
(૧૯૪૦) (૯) જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચારઃ પંડિત બેચરદાસના સહકારમાં) (૧૦) ન્યાયાવતાર: સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ
(૧૯૨૭) (૧૧) આધ્યાત્મિક વિકાસક્રમઃ ગુણ સ્થાનક વિશેના ગુજરાતી લેખનો સંગ્રહ
(૧૯૨૭) (૧૨) તત્ત્વાર્થસૂત્ર – વાચકઃ શ્રી ઉમાસ્વામિકૃત સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી
અનુવાદ (૧૯૩૦) (૧૩) તત્ત્વાર્થસૂત્રઃ હિંદીમાં અનુવાદ (૧૯૩૯) (૧૪) તત્ત્વાર્થસૂત્રઃ અંગ્રેજીમાં અનુવાદ (૧૫) જૈનતર્ક ભાષા – શ્રી યશોવિજયજી કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદનઃ હિંદીમાં
પ્રસ્તાવના અને ટિપ્પણ (૧૬) પ્રમાણ મીમાંસા: શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં
પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) ૧૯૪૦ (૧૭) જ્ઞાનબિંદુઃ શ્રી યશોવિજયજી કૃત સંસ્કૃત-ગ્રંથનું સંપાદન (હિંદીમાં
પ્રસ્તાવના અને ટીપ્પણ સાથે) (૧૮) તત્ત્વોપદ્ધવસિંહ: શ્રી જયરાશિફત ચાર્વાક પરંપરા વિશેના સંસ્કૃત ગ્રંથનું
સંપાદન (૧૯૪૦) (૧૯) દ્વાáિશદ્વાત્રિશિંકા શ્રી સિદ્ધસેન દિવાકરફત સંસ્કૃત ગ્રંથનું સંપાદન અને
ગુજરાતીમાં વિવેચન (૧૯૪૬) (૨૦) નિગ્રંથ સંપ્રદાયઃ હિંદીમાં (૨૧) હેતુબિંદુ-ટીકા: શ્રી ધર્મકીર્તિકૃત બૌદ્ધ ન્યાયના સંસ્કૃત ગ્રંથનું સંપાદન (૨૨) ધર્મ ઔર સમાનઃ (હિંદીમાં લેખોનો સંગ્રહ) ૧૯૫૧ (૨૩) વાર Íર્થર: ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી વિશેના
લેખોનો સંગ્રહ (હિંદીમાં) ૧૯૫૪
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી ૪૫૧
Page #501
--------------------------------------------------------------------------
________________
(૨૪) ચાર તીર્થકર (ગુજરાતીમાં) ૧૯૫૪ (૨૫) અધ્યાત્મ વિચારણાઃ (આત્મા, પરમાત્મા, સાધના વિશેના લેખો) ૧૯૫૭ (૨૬) ભારતીય તત્ત્વવિદ્યાઃ (જગત, જીવ અને ઈશ્વર વિશેના વ્યાખ્યાનોનો
સંગ્રહ) ૧૯૫૭ આ પુસ્તકનો હિંદીમાં અને અંગ્રેજીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયો છે. (૧૯૭૭) (૨૭) દર્શન અને ચિંતન ભાગ ૧-૨ (લેખસંગ્રહ) ૧૯૫૭ (૨૮) ટર્શન ઔર ચિંતન: (હિંદીમાં લેખસંગ્રહ) ૧૯૫૭ (૨૯) સમદર્શી આચાર્ય હરિભદ્ર (મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી
વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનોનો સંગ્રહ (જેનો હિંદીમાં અનુવાદ
પણ પ્રસિદ્ધ થયેલો છે) (૩૦) જૈન ધર્મનો પ્રાણઃ (લેખોનો સંગ્રહ) ૧૯૬૫ (હિંદીમાં પણ અનુવાદ
લખાયેલો છે) (39) Advance Studies in Indian logic and Metaphysics (ell
હેમચંદ્રાચાર્ય કૃત પ્રમાણમીમાંસાની પ્રસ્તાવના, ટીપ્પણોનો અંગ્રેજીમાં
અનુવાદ) ૧૯૬૧ (૩૨) મારું જીવન-વૃત (આત્મકથા) પ્રકાશક પરિચય ટ્રસ્ટ મુંબઈ-૧૯૮૦
=
=
.
પંડિતજીનું સમાજદર્શન એ સત્યશોધકનું દર્શન હતું. ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂંટ ખર્ચાઓ જોઈને તેઓને વેદના થતી હતી અને તેઓ કહેતા કે આવી બાબતો વ્યક્તિના વિકાસ અને સમાજની તંદુરસ્તી માટે બાધક છે.
સાહિત્ય અને ધર્મશાસ્ત્રના તેઓ સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત હતા. પરિચય પુસ્તિકા શ્રેણી દ્વારા નવો જ યુગ શરૂ કરનાર તેઓશ્રી ક્રાંતિકારી – પ્રગતિશીલ દષ્ટિકોણ ધરાવનાર યુગપુરુષ હતા.
પંડિતજી કહેતા, ધર્મમાં શ્રદ્ધા રાખવાથી બળ મળે છે. ધર્મમાં શ્રદ્ધા હોય અને કામ ઉત્તમ હોય તો સફળતા મળે જ.'
પંડિત સુખલાલજી તેમના નવા યુગ તરફી વિચાર-વલણથી બળવાખોર પંડિત તરીકે ઓળખાતા.”
કેટલાક વિદ્રોહી કહેતા, પંડિતજીએ લખ્યું ઘણું અને તેઓ ભણ્યા ઘણું પણ સામાયિક – પ્રતિક્રમણ ક્યાં કરે છે? પંડિતજીનું જીવન તો સાધુના જીવન જેવું, આખુંય જીવન સામાયિક વ્રત જેવું હતું.
એક વાર પંડિત સુખલાલજી યુવાન વાડીલાલ ડગલીને લઈને ગાંધીજીને મળવા ગયા હતા ત્યારે ગાંધીજીએ વિદાય આપતા વાડીલાલ ડગલીને કહ્યું કે, છોકરા આમને છોડતો નહિ, એ તો આપણી હરતીફરતી વિદ્યાપીઠ છે.'
ઉપરોક્ત ગાંધીજીના કથનમાં પંડિતજીના ભારતીય દર્શન અને સંશોધક
૪૫૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #502
--------------------------------------------------------------------------
________________
વૃતિના દર્શન થાય છે. શ્રી નગીનદાસ શાહે શરૂ કરેલ ગુજરાતી અનુવાદ ગ્રંથમાળામાં જુદાજુદા પુસ્તકોમાં પંડિતજીના ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ, જેનાગમ અને બુદ્ધાગમનો સંબંધ, બુદ્ધ અને મહાવીર તથા પ્રાચીન આચારવિચાર વગેરે વિશે વિચારો જોવા મળે છે તેમ જ જ્ઞાનનું લક્ષણ, અવસ્થાઓ, કર્મનું સ્વરૂપ, મતિ અને શ્રુતજ્ઞાનની ભેદરેખા, બ્રહ્મજ્ઞાન અને કેવળજ્ઞાન વિશેનો પરિચય જોવા મળે છે.
સૌરાષ્ટ્રના નાનકડા એવા કોંઢ ગામમાં એક શ્વાસ ઊગ્યો અને અમદાવાદના સરિતકુંજમાં થંભ્યો.
ગતને નરી આંખે ન જોઈ શકનાર આ વ્યક્તિએ એવો જીવન સંઘર્ષ અને એવી વિદ્યા ઉપાસના કરી કે ઝૂત એઓશ્રીના જીવન અને જ્ઞાનયજ્ઞને જોતું રહી ગયું!
પરમાત્મા પુરુષાર્થીને સહાય કરે છે. મનુષ્યનું ગૌરવ, વ્યક્તિત્વ, તેની શ્રેષ્ઠતા તેમ જ તજજ્ઞતા પુરુષાર્થથી સિદ્ધ કરી શકાય છે. પરિશ્રમથી જીવન ઝળહળી ઊઠે, ઉત્કૃષ્ટ બને તેમ જ તેજસ્વી બને તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી પંડિતજી છે.
છેલ્લે આ મહાન પ્રજ્ઞાચક્ષુ વિશ્વવિભૂતિ મહાન તત્ત્વચિંતક અને દાર્શનિક સાહિત્યકારને નમન કરીને કવિ નાનાલાલની પંક્તિ પાસે જઈએ.
શું શું સંભારું? ને શી શી પૂંજુ પુણ્યવિભૂતિને? પુણયાત્માના ઊંડાણો તો આભ જેવા અગાધ છે?
હિંમતભાઈ જી. કોઠારી મયુરનગર, શેરી નં. ૧ મેઘાણીબાગ સામે, મેઘાણી રોડ
સુરેન્દ્રનગર-363002 (ગુજરાત)
મો. 9428474045
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૫૩
Page #503
--------------------------------------------------------------------------
________________
વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી
- ખીમજી મણસી છાડવા
IM.Scનો અભ્યાસ કરવાની સાથેસાથે ધર્મજિજ્ઞાસાપૂર્વક સ્વાધ્યાય, ચિંતન, મનન કરનાર, વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી ખીમજીભાઈએ પ્રસ્તુત લેખમાં પૂ. મુ. શ્રી રત્નચંદ્રજીના સાહિત્ય ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. – સં.].
ભારતભૂષણ, ભારતરત્ન, પરમ મેધાવી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ ઓગણીસમી સદીના પરમ વિદ્વાન તથા સ્થાનકવાસી સંપ્રદાયના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા, અને શતાવધાની રૂપે પણ પ્રથમ હતા. સંસારની વિશાળ ધરતી પર દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા માર્ગ મેળવવા મથતા, જગતનાં અનેક રત્નોમાંના એક રત્ન હતા શ્રી રત્નચંદ્રજી મહારાજ. તેમણે જ્ઞાનદીપ પ્રગટાવીને ગાઢ અંધકાર ભેદવાનો પરિશ્રમ ઉઠાવ્યો હતો. જગતની અસંખ્ય કેડીઓને વિખવાદનું કારણ સમજીને તેમણે સમન્વયનો રાજમાર્ગ સ્વીકાર્યો હતો. સમસ્ત વિશ્વમાંથી વિષમતા, ભેદભાવ, સાંપ્રદાયિકતા, ધમધતા અને અજ્ઞાનતા દૂર કરીને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી સમાજને આબાદ અને સમૃદ્ધ બનાવવાનો પુરુષાર્થ કર્યો હતો. કોઈ કવિ લખે છે કે, કોઈનાં જીવનચરિત્રો લખાય છે. કોઈ જીવનચરિત્રો લખાવે છે ત્યારે કોઈ પવિત્ર આત્માઓ પોતાનું જીવનચરિત્ર જગતના વાયુમંડળ પર પોતાનાં પવિત્ર વિચાર, વાણી અને વર્તનથી જ લખી જાય છે.” આ ન્યાયે તેઓ પોતે જ પોતાનાં પવિત્ર આચરણથી પોતાનું જીવનચરિત્ર લખી ગયા છે. આપણે તો એમનું જીવન આંતરચક્ષુથી વાંચીને, અંત:કર્ણથી શ્રવણ કરીને આપણા આત્માને સુવાસિત બનાવવાનો છે. એમનું જીવનચરિત્ર તો એક ગૌરવગાથા છે. પૂ. ગુરુદેવનું જીવનવૃત્તાંત :
ભારતદેશમાં કચ્છનું અનોખું સ્થાન છે. કચ્છભૂમિ સાધુ-સંતો, દાનવીરો, ભક્તો અને શૂરવીરોની ભૂમિ છે. ભારતમાં પહેલા કચ્છ એક સ્વતંત્ર રાજ્ય ગણાતું હતું. કચ્છમાં આવેલા ભોરારા ગામના વીસા ઓસવાળ શેઠશ્રી વીરપાળભાઈનું નામ કચ્છ અને મુંબઈમાં ગૂંજતું હતું. સંવત ૧૯૩૬, વૈશાખ સુદ અગિયારસના દિવસે આ વીરપાળ શેઠને ત્યાં લક્ષ્મીદેવીની કુક્ષિથી એક પુત્રરત્નનો જન્મ થયો
૪૫૪ - ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #504
--------------------------------------------------------------------------
________________
પુત્રનાં લક્ષણ પારણામાં' એ કહેવત અનુસાર બાળકના કપાળની રેખાઓ, તેજસ્વી સ્વરૂપ, સુંદર આકૃતિ ભવિષ્યના પ્રતિભાશાળી વિદ્વાન બનવાની આગાહી આપતાં હતાં. માતાપિતાએ પુત્રનું રાયસિંહ (રાજસિંહ) એવું સાર્થક નામ રાખ્યું. બાળકના જન્મ પછી માતાપિતાની ધર્મભાવનામાં ખૂબ વધારો થયો. અને પિતા વીરપાળભાઈએ તો મનોમન એવું નક્કી કર્યું કે જો મારો પુત્ર જૈન દીક્ષા અંગીકાર કરે તો મારે તેને રોકવો નહિ.’
રમણીય બાલજીવન :
વીરપાળ શેઠના પિરવારનું આ મોઘું અને અણમોલ રત્ન રાયસિંહ બીજના ચંદ્રની જેમ ઉંમરમાં અને ચાતુરીમાં આગળ વધવા લાગ્યું. પાંચ વર્ષની ઉંમરે ગામની નિશાળમાં ભણવા મોકલ્યા. તેમણે પોતાની તીવ્ર બુદ્ધિથી દશ વર્ષની ઉંમરમાં જ ગુજરાતી સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. લોકો બાળક રાયસિંહની બુદ્ધિ અને પ્રતિભા જોઈને ચકિત થઈ ગયા. તે સમયે કચ્છમાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે જૈનશાળાઓ નહોતી, પણ જે કોઈ સાધુ-સાધ્વી ગામમાં પધારતા ત્યારે તેઓની પાસેથી સહુ ધાર્મિક જ્ઞાન મેળવતા. બાળક રાયસિંહ પણ સાધુ-સાધ્વીઓના દર્શને જતા, વાણી સાંભળતા અને ધાર્મિક જ્ઞાન મેળવતા. એ રીતે નાની ઉંમરમાં જ તેમણે નિશાળના ભણતરની સાથેસાથે સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, છકાયના બોલ, છ આરા, છ જીવનિકાય વગેરે શીખી લીધું અને સાધુસાધ્વીઓની પવિત્ર જીવનચર્યાઓનો અનુભવ કરવા લાગ્યા. પરિણામે તેમનામાં બાળવયથી જ ત્યાગી થવાના ઉચ્ચ વિચારોનાં બીજ રોપાયા. કિશોર વેપા૨ી :
સાત ધોરણનો અભ્યાસ પૂરો થતાં પિતાશ્રી વીરપાળભાઈએ મોટા પુત્ર નથુભાઈ સાથે કિશોર રાયસિંહને મુંબઈથી ઇંદોર અનાજના વેપારનો અનુભવ લેવા મોકલ્યા. ત્યાં કિશોર રાયસિંહ વ્યાપારના અનુભવની સાથેસાથે અંગ્રેજીનો અભ્યાસ કરવા લાગ્યા. પણ વ્યાપારની ધમાલમાં વધુ અભ્યાસ કરી શક્યા નહિ. તે દરમિયાન ત્યાંનું પાણી માફક ન આવવાથી તેમની તબિયત બગડી જેથી દશેક માસનો વેપા૨ી અનુભવ લઈ પોતાના વતન કચ્છમાં પાછા ફર્યાં. દેશમાં બે ત્રણ માસ રોકાઈ પાછા શણાવદ જઈ વિશેષ અનુભવ મેળવી મુંબઈમાં પોતાનો ધંધો શરૂ કર્યો. આમ માત્ર તેર વર્ષની ઉંમરમાં હિંમત, પરિશ્રમ, બુદ્ધિથી તેમણે વેપારધંધામાં નામના મેળવી લીધી.
માતા જેવું પ્રેમાળ હૃદય વિશ્વમાં કોઈનું હોતું નથી. લક્ષ્મીબાઈનું પણ એવું જ પ્રેમાળ માતૃહૃદય હતું. પુત્રની યુવાન વય થતાં ગૃહસ્થ જીવનમાં જોડી પુત્રવધૂનું મુખડું જોવા અધીરા થઈ ગયા. સમાઘોઘાના સુપ્રતિષ્ઠિત શ્રાવકની સુયોગ્ય અને સંસ્કારી કન્યા નામે હાંસબાઈ સાથે તેમનું સગપણ નક્કી થયું. માતા લક્ષ્મીબાઈને લગ્ન બાબત ના તો ન પાડી શક્યા પણ હૃદયમાંથી વૈરાગ્યનો રંગ જરાપણ ઝાંખો વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી - ૪૫૫
Page #505
--------------------------------------------------------------------------
________________
પડ્યો નહિ. સંવત ૧૯૪૯ની સાલમાં લગ્ન થયા પણ તેથી તેમને આનંદ થયો. નહિ. લગ્ન પછી ફરી વ્યાપાર અર્થે મુંબઈ, બેલાપુર, વગેરે સ્થળે ત્રણ વર્ષ તો ગાળ્યા, પણ તેમના હૃદયમાં રહેલો વૈરાગ્ય ભાવ તો ઉછાળા મારી રહ્યો હતો. આથી ચોમાસામાં ભોરારા આવ્યા ત્યારે અંજાર ચાતુર્માસ બિરાજતા ગુરુદેવ પાસે પહોંચી ગયા. અને દીક્ષા માટેની લાગણી દર્શાવી. ત્યારે ગુરુદેવે તેમને સમજાવીને ભોરારા પાછા મોકલાવ્યા. સાધુ જીવનની તાલાવેલી ઃ
ગુરુદેવના વચનોને મનમાં ધારણ કરી રાયસિંહ ગૃહસ્થાશ્રમ નિભાવવા લાગ્યા. પરંતુ તેમનું મન તો સદા એ જ ઝંખતું કે, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’ એમના મનમાં તો બસ એક જ ભાવના કે ક્યારે હું દીક્ષા અંગીકાર કરું ? ત્યાં તો સં. ૧૯૫રના પોષ કે મહા માસમાં તેમની પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ તો આપ્યો, પણ તેઓ આ ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યાં. આ સમાચારથી તેમને શોકની લાગણી જરૂર થઈ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન આત્મા હોવાથી તરત જ સ્વસ્થ થઈ ગયા. અને ફરીથી ગૃહસ્થાશ્રમના બંધનમાં ન પડવાનું તેમના પિતાજીને તેમ જ મોટાભાઈને મક્કમતાથી કહી દીધું. રાયસિંહ હવે સોળ વર્ષના થવાથી ઉંમરલાયક પણ થયા હતા. તેમ જ દીક્ષાના માર્ગમાં જે મુશ્કેલી હતી તે પણ દૂર થઈ હતી. એટલે વૈરાગ્યવાસિત તેમનું મન હવે દીક્ષા લેવા નાચી ઊઠ્યું. | મારો સોળ વર્ષનો પુત્ર પરણે નહિ ને દીક્ષા લે ? એ કલ્પના વાત્સલ્યથી ભરપૂર માતાથી સહન થતી ન હતી, પરંતુ રાયસિંહે માતાને પણ મનાવી લીધા. પિતા વીરપાળભાઈ તો એટલા સમભાવશીલ હતા કે તેમણે પુત્રની દીક્ષાના વિષયમાં કોઈ મનાઈ કરી ન હતી. સં. ૧૯૫રના ચાતુર્માસમાં તેમણે ગુરુદેવ પાસે ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધો. બે જ મહિનામાં કેટલાંક થોકડા, સ્તવનો, સઝાયો તેમ જ આખું દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું. ચાતુર્માસ પૂરું થતાં ગુરુદેવની સાથે જ વિહરવા લાગ્યા. જ્યારે તેઓ ભક્તિભાવથી ભક્તામર અને કલ્યાણ મંદિરના સ્પષ્ટ ઉચ્ચાર સાથે શુદ્ધ શ્લોકો બોલતા ત્યારે શ્રોતાજનો મંત્રમુગ્ધ બની જતા. તેમનો વધતો જતો અભ્યાસ, વાતચીતમાં મીઠાશ, વર્તનમાં વિનય, જીવનમાં સરળતા, વૈરાગ્યથી તરબોળ હૃદય, જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા વગેરે ગુણો તેમના ઉજ્વળ ભાવિના એંધાણ હતા. ગુરુદેવ સાથે વિહારમાં સાડા પાંચ વર્ષ રહીને તેમણે ૨૦૦ ગાથાનું આખું ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કર્યું. તે ઉપરાંત કિકપુર સ્તોત્ર અને બીજા અનેક શ્લોકો કંઠસ્થ કર્યા અને તેની અર્થની ધારણા કરી. ગુજરાતી સાહિત્યનાં કેટલાક ગ્રંથોનું વાંચન કર્યું. આટલી નાની ઉંમરમાં આટલો બધો અભ્યાસ કરી લેવાથી તેમની તીક્ષ્ણ બુદ્ધિનો લોકો પર ઊંડો પ્રભાવ પડવા લાગ્યો. ગુરુગમ જ્ઞાન મેળવવું અને વહેલી સવારે ઊઠી.
૪૫૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #506
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયમાં લીન થવું તેમ જ વિદ્યા ઉપાસના, વૈરાગ્ય અને વિવેક વગેરેથી તેમનો આત્મા દિવ્ય તેજથી ઝળાંહળાં કરી રહ્યો હતો. દીક્ષા પ્રદાન :
અઢાર વર્ષની ઉંમરે સંજોગો બનતા માતાપિતા અને મોટા ભાઈ વગેરેની તેમ જ ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મુંબઈ સંઘોની અને ભોરારાસંઘની આજ્ઞા મળતાં સં. ૧૯૫૩ની સાલે જેઠ સુદ-૩ને ગુરુવારે તેમને દીક્ષા પ્રદાન કરવામાં આવી. ગુરુદેવ ગુલાબચંદ્રજી મહારાજે રેમિભંતેનો દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેમ જ વીરપાળ શેઠના સુપુત્રને અરિહંત અને સિદ્ધપદ પ્રાપ્ત કરતા મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ એ નામથી જાહેર કર્યા. ત્યારે “શ્રી રત્નચંદ્રજી મહારાજની જય' એવા જયનાદથી ભોરારા ગામની ઉપસ્થિત જનતાએ તેમને પૂર્ણ પ્રેમથી જૈનમુનિ તરીકે વધાવી લીધા.
લોકો નવદીક્ષિત મુનિનું તેજસ્વી મુખચંદ્ર જોઈને આભા જ બની જતા હતા. એક ગામથી બીજે ગામ વિચરતા-વિચરતા મુનિવરો સાથે પ્રથમ ચાતુર્માસ અર્થે માંડવીમાં પધાર્યા. “શુભસ્ય શીઘમ’ એ ન્યાયે અષાઢ સુદ બીજના શુભ દિવસે જ શ્રી રત્નચંદ્રજી મહારાજે સિદ્ધાંતચંદ્રિકા' સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ શરૂ કરી દીધો. ત્યાર બાદ શ્રત રત્નાકર નામના છંદ ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. તેઓ અભ્યાસ સાથે સાથે યોગસાધના પણ કરતા હતા. તેમણે કચ્છમાં જૈન પાઠશાળાઓ શરૂ કરાવી, તો કાઠિયાવાડમાં સંસ્કૃત પાઠશાળાઓ ખોલાવી. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને સ્થાનકવાસી સમાજના લોકો શતાવધાનીજીના નામથી સંબોધતા હતા. ભારતના અનેક ઉપનગરોમાં તેઓએ અવધાનોના પ્રયોગો કર્યો કે જેના દ્વારા તેમણે મનુષ્યમાં રહેલી અદ્ભુત શક્તિનો પરિચય કરાવીને પુનર્જન્મ અને આત્માની નિત્યતા સિદ્ધ કરીને લોકોને આસ્તિક બનાવ્યા. જેના કારણે તેમને ભારતભૂષણની પદવી અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે તેમનો અભ્યાસ, લેખનકાર્ય વગેરે ચાલુ જ હતા. ભારતની રાજધાની દિલ્હી શહેરમાં તેમને “ભારતરત્નની માનદ પદવી આપવામાં આવી હતી. દીક્ષા પર્યાયના તેમના ચુંમાલીસ ચાતુર્માસ ભારતના જુદાજુદા શહેરોમાં થયા. અંતિમ ચાતુર્માસ ઘાટકોપરમુંબઈમાં હતું. તેમની તબિયત નરમગરમ રહેતી હતી. અને તા. ૧૪-૫-૪૧થી તબિયત વધારે ખરાબ થવા લાગી. અને ૧૬-૫-૪૧ શુક્રવાર વહેલી સવારે ૪.૫૦ મિનિટે ગુરુદેવે સદાના સાથીદાર એવા વર્તમાન દેહનો સદાને માટે ત્યાગ કરી દીધો. પૂજ્ય પ્રવરશ્રીનો એ સ્થૂલદેહ ભસ્મીભૂત થઈ ગયો, પરંતુ તેમનો અક્ષરદેહ આજે પણ મોજૂદ છે. શ્રેષ્ઠ સાહિત્યકાર અને તેમની સાહિત્યકળા:
ગુરુદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબ આ યુગના પરમ વિદ્વાન તથા શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમણે વિવિધ વિષયો પર અનેક ગ્રંથોની સુંદર રચના કરી
વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૫૭
Page #507
--------------------------------------------------------------------------
________________
છે. તેમની જ્ઞાનતૃષા બહુ તીવ્ર હતી જ્ઞાનનું વારિ જેમ મળતું ગયું તેમ તેમ એ તૃષા છીપવાને બદલે વધતી જ ચાલી અને જ્ઞાનરાશિનો ખજાનો સમાજે જોયો અને જે સ્થાનકવાસી જૈન સમાજ વિદ્વાન વિહોણો ગણાતો હતો તેનું મેણું ગુરુદેવે ભાંગ્યું. આગમોની બત્રીસીમાંથી ભગીરથ પ્રયત્ન કરી એકઠા કરેલા શબ્દગ્રંથ, શબ્દસંગ્રહ, સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અવતરણો તથા સંદર્ભગ્રંથોની નોંધ સાથે સમલકત કરી એક અજોડ શબ્દકોશ સમાજને ચરણે ધર્યો. અર્ધમાગધી ભાષાનું પાણિનિની ઢબે વ્યાકરણ રચી પ્રાકૃત ભાષાના એ પાણિનિ કહેવાયા. આ અર્ધમાગધીકોશ અનેક દૃષ્ટિએ અનોખો અને અજોડ બનેલ છે. ભાવનાશતક જેવું વૈરાગ્યમય કાવ્યકુંજ બનાવી જૈન સમાજના એ ભર્તુહરિ બન્યા. ‘વ્યકૌમુદી' દ્વારા જૈન જગતને પોતાના કર્તવ્યપરાયણતાની સાચી દિશા બતાવી. “રેવતીદાન સમાલોચના' જેવા ગંભીર મનનપૂર્ણ લેખો દ્વારા સંશોધકોની આંખો ઉઘાડી અને પોતાની પ્રકાંડ વિદ્વત્તા તથા તીક્ષ્ણ તર્કશક્તિનો પરિચય આપ્યો. પરંતુ કોશકાર તરીકે એમની જે નામના છે તે તો અજોડ છે. તિલકમંજરીકાર ધનપાળને “કુચલ સરસ્વતીનું ઉપનામ આપવામાં આવ્યું હતું, તેમ તેમને મુનિપુંગવ, ભારતભૂષણ, ભારતરત્ન જેવા ખિતાબ આપવામાં આવ્યા છે. જ્યારે તેઓ લેખનકાર્ય કરતા ત્યારે એમ લાગતું કે પ્રશાંત મહાસાગર કેમ ન હોય ! તેઓ લખવામાં જ પ્રવીણ હતા તેમ નહોતું, પણ વ્યાખ્યાન આપવાની પ્રવીણતા પણ કોઈ અલૌકિક હતી. તેમના જેવા વિદ્વાન મુનિ અને શ્રેષ્ઠ સાહિત્યકાર ખરેખર થવા મુશ્કેલ છે. દીક્ષા લીધા પછી તેમણે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય જેવા કઠિન વિષયોમાં તેઓ બહુ ઊંડા ઊતર્યા. તત્ત્વજ્ઞાન એમનો પ્રિય વિષય હતો. એમની અજોડ અને અનુપમ કૃતિઓ નીચે પ્રમાણે છે : કૃતિના નામ
ગ્રંથની સાલ ૧. શ્રી અજરામર સ્તોત્ર ને જીવનચરિત્ર સંવત ૧૯૬૯ ૨. કર્તવ્ય કૌમુદી ભાગ ૧
” ૧૯૭૦ ૩. ભાવનાશતક
” ૧૯૭૨ ૪. રગમાલિકા
૧૯૭૩ ૫. અર્ધમાગધી કોશ ભાગ-૧
૧૯૭૯ ૬. પ્રસ્તાવ રત્નાવલિ
૧૯૮૧ ૭. કર્તવ્ય કૌમુદી ભાગ-૨
૧૯૮૨ ૮. જૈન સિદ્ધાંત કૌમુદી
, ૧૯૮૨ ૯. જૈનાગમ શબ્દસંગ્રહ
૧૯૮૩ ૧૦. અર્ધમાગધી શબ્દ રૂપાવલિ
૧૯૮૪ ૧૧. અર્ધમાગધી ધાતુ રૂપાવલિ
૧૯૮૪
૨૮ + ૧૯ અને ૨૦ સદીના જૈન મક્ષિસનો અ#સ્મરશ્ન
Page #508
--------------------------------------------------------------------------
________________
૧૨. અર્ધમાગધી કોશ ભાગ-રજો
સંવત ૧૯૮૫ ૧૩. અર્ધમાગધી કોશ ભાગ-૩જો
, ૧૯૮૬ ૧૪. અર્ધમાગધી કોશ ભાગ-૪થો
, ૧૯૮૭ ૧૫. અર્ધમાગધી કોશ ભાગ-૫મો (અપ્રગટ) , ૧૯૮૮ ૧૬. જૈન સિદ્ધાંત કૌમુદી-સટીક અપ્રગટ) , ૧૯૮૯ ૧૭. રેવતી દાન સમાલોચના નિબંધ)
, ૧૯૯૦ તેના સિવાય આત્મસ્વરૂપ, સૃષ્ટિવાદ અને ઈશ્વર, રત્નસુવાસિત વાણી, રત્નજીવન જ્યોત, વસુદર આખ્યાન (ગુજરાતી), જયઘોષ આખ્યાન (સંસ્કૃત), કલાવતી આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય), અમરકુમાર આખ્યાન સંસ્કૃતપદ્ય), અનાથી મુનિ-આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય), કર્મગ્રંથનો સારાંશ (ગુજરાતી), મુક્તાવલિ દિનકરીનો સારાંશ (ગુજરાતી), અનુયોગદ્વાર સૂત્રનો સારાંશ (ગુજરાતી), ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનો સારાંશ (ગુજરાતી), વિદ્યાર્થી વાચનમાળા પુ. ૧ ગુજરાતી), બાળવાચનમાળા પુ. ૧ ગુજરાતી) વગેરે બધું જ સાહિત્ય અપ્રગટ છે. તેમની ડાયરીમાં આ બધા નામો છે પણ આ બધું સાહિત્ય અત્યારે અપ્રાપ્ય છે. તેમની કૃતિઓનું સંક્ષિપ્તમાં વિવેચન : ૧. પ્રાકૃત પાઠમાળા :
આગમભાષા પ્રત્યે તેમની સેવાનો આરંભ સં. ૧૯૬૭ની સાલથી થાય છે. માંડવી શહેરમાં તેમણે પ્રાકૃત માર્ગોપદેશિકા તૈયાર કરી હતી. પરંતુ તે જ વર્ષે પં. બેચરદાસજીએ પ્રાકૃત માર્ગોપદેશિકા પ્રગટ કરી. એટલે ગુરુદેવે ૧૩ વર્ષ પછી સં. ૧૯૮૦માં પ્રાકૃતની છએ ભાષાની પાઠમાળા રૂપે પ્રાકૃત પાઠમાળા રચી. જેમાં (૧) મહારાષ્ટ્રી પ્રાકૃત, (૨) જૈન મહારાષ્ટ્રી, (૩) શૌરસેની, (૪) માગધી, (૫) પૈશાચી અને (૬) ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ – આ છ ભાષાઓનું સંક્ષિપ્ત વ્યાકરણ અભ્યાસ પાઠો તથા શબ્દકોશ સાથે તૈયાર કર્યું, જે સં. ૧૯૮૪માં પ્રકાશિત થયું. ૨. અર્ધમાગધી કોષ :
જેન ધર્મોની આર્ષ કે અર્ધમાગધી પ્રાચીન ભાષા છે, તેથી તેનું ઘણું જ મહત્ત્વ છે. આથી જ ગુરુદેવે અર્ધમાગધી ભાષાનું સ્વતંત્ર વ્યાકરણ રચ્યું અને અર્ધમાગધી કોશની પણ રચના કરી. આ કોશની અને વ્યાકરણની ભારતના પંડિતોએ, પ્રોફેસરોએ અને અનેક વિદેશી તત્ત્વજ્ઞાનીઓએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કોશ પાંચ ભાગમાં વહેંચાયેલો છે. તેમ જ તેમાં પાંચ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ પચાસ હજાર શબ્દોનો સમાવેશ કર્યો છે. મૂળ અર્ધમાગધી શબ્દ પ્રથમ આપીને પછી તેનો સંસ્કૃત પ્રતિશબ્દ આપી ગુજરાતી, હિંદી, તથા અંગ્રેજી અર્થ આપવામાં આવેલ છે. આ કોશના ચારે ભાગોમાં કેટલાંક જરૂરી ચિત્રો પણ આપેલાં છે. તેથી શબ્દાર્થ સમજવામાં ઘણાં ઉપયોગી
વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૫૯
Page #509
--------------------------------------------------------------------------
________________
થયાં છે. પાંચમા ભાગમાં પરિશિષ્ટ વિભાગમાં બાકી રહેલા અર્ધમાગધી શબ્દો ઉપરાંત મહારાષ્ટ્રી, પ્રાકૃત અને દેશ્ય શબ્દોનો સંગ્રહ કરવામાં આવેલ છે. આમ આ કોશના પાંચે ભાગો આગમ સાહિત્યના અભ્યાસીઓ માટે તથા સંશોધકો માટે ખાસ ઉપયોગી પુરવાર થાય છે.
૩. જૈન સિદ્ધાંત કૌમુદી :
ગુરુદેવ કૃત જૈન સિદ્ધાંત કૌમુદી' એ જૈન આગમોની અર્ધમાગધી ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ છે. પાલિભાષાના ’ચ્ચાયણ’ અને ‘મોગલાન’ વ્યાકરણની જેમ તેમણે અર્ધમાગધીનું સ્વતંત્ર વ્યાકરણ રચી જૈન આગમોની ભાષા સંસ્કૃત પરાવલંબી નહિ પણ તે સ્વતંત્ર ભાષા છે તે સિદ્ધ કર્યું અને આગમ ભાષાને જીવંત બનાવી છે. આ ગ્રંથમાં ચા૨ અધ્યાયો છે. પાણિનિ ઋષિના સૂત્રોમાં ક્યાંક ક્યાંક અઘરાપણું દેખાય છે જ્યારે આ ગ્રંથમાં વધુ સરળતા, સ્પષ્ટતા આપી છે. તેનાં સૂત્રો તથા તેની વૃત્તિ ઉપર તેમણે સંસ્કૃત ટીકા રચી છે. જેથી આ વ્યાકરણનાં સૂત્રો તથા વૃત્તિને સમજવામાં ઘણી સરળતા પડે છે.
૪. કર્તવ્ય કૌમુદી :
આગમ ગ્રંથો સિવાય તેમણે સામાજિક, ધાર્મિક, અને આધ્યાત્મિક ગ્રંથ રચના પણ કરી છે. તેમાંની એક એટલે ‘કર્તવ્ય કૌમુદી' જૈન તેમ જ જૈનેતર સૌને ગૃહસ્થાશ્રમમાં માર્ગદર્શક બને તેવો ગ્રંથ રચ્યો. આ ગ્રંથના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં ત્રણ ખંડ છે. તેમાંથી પ્રથમ ખંડમાં સામાન્ય નીતિનો, બીજા ખંડમાં બ્રહ્મચર્યાશ્રમનો એટલે કે વિદ્યાર્થી અવસ્થાના કર્તવ્યોનો અને ત્રીજા ખંડમાં ગૃહસ્થાશ્રમનાં કર્તવ્યોનો બોધ આપવામાં આવ્યો છે. બીજા વિભાગમાં બે ખંડો છે. પ્રથમ ખંડમાં મનુષ્યની ત્રીજી અવસ્થા એટલે કે વાનપ્રસ્થાશ્રમનાં કર્તવ્યોનો બોધ આપ્યો છે. અને બીજા ખંડમાં સંયમી આત્માઓનાં કર્તવ્યોનો બોધ છે. ત્રીજામાં મર્યાદિત ત્યાગ અને ચોથીમાં સંપૂર્ણ ત્યાગ સૂચવેલ છે. ત્રીજી અવસ્થામાં મુખ્ય કર્તવ્ય નિષ્કામ સેવા છે. એ સેવા કુટુંબ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના નાનામોટા તમામ જીવો સુધી આગળ વધે છે. આમ આ ગ્રંથમાં મનુષ્યને જીવન ઉપયોગી જ્ઞાન પીરસ્યું છે.
૫. ભાવનાશતક :
આ ગ્રંથમાં સો જેટલા સંસ્કૃત શ્લોકો છે. તેમાં પ્રથમ મૂળ શ્લોકો, તે પછી તેનો અર્થ અને પછી એક-એક શ્લોક ઉ૫૨ દાખલા-દૃષ્ટાંત સાથે ગુજરાતી ભાષામાં લખેલું વિવેચન આપ્યું છે. આ ગ્રંથમાં આત્માનું કલ્યાણ કરવા ઇચ્છનારાઓ માટે બાર ભાવનાઓનું વિસ્તૃત વિવેચન આપ્યું છે. તે બાર ભાવનાઓ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના,
૪૬૦ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #510
--------------------------------------------------------------------------
________________
(૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના છે.
આ બાર ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાથી મનુષ્ય પોતાની વિચારધારાને સુધારી શકે છે. તુચ્છ-હલકા વિચારોને બદલે ઊર્ધ્વગામી વિચારો કરવાથી મનુષ્યનું જીવન પણ ઊર્ધ્વગામી બને છે અને જેવા વિચાર સુધર્યા કે વાણી અને વર્તન તેના આપોઆપ સુધરી જાય છે. આમ બાર ભાવના રૂપી અમૃતનું પાન આ ગ્રંથ દ્વારા તેમણે કરાવ્યું છે. ૬. રત્નગદ્યમાલિકા :
ગુરુદેવે લખેલાં થોડાક લેખો તેમ જ વ્યાખ્યાનો રત્નગદ્યમાલિકામાં પ્રગટ થયાં છે પણ અત્યારે તો તે પણ અપ્રાપ્ય છે. આ ગ્રંથમાં તેમણે સમભાવ, ભ્રાતૃભાવ, દેશદાઝ અને સ્વધર્મી વાત્સલ્યને દિવાળીના તેજસ્વી કિરણો રૂપે ઓળખાવ્યાં છે. જૈન દૃષ્ટિની વિશાળતા એ લેખમાં તેમણે અનેકાંત દૃષ્ટિની સમજણ આપી છે. પુનર્જન્મના સિદ્ધાંતને વૈજ્ઞાનિક દગંતો વડે સિદ્ધ કર્યો છે. માંસ મદિરા જેવા અભક્ષ્ય શરીર માટે હાનિકારક છે એ પશ્ચિમના વિદ્વાનોના અભિપ્રાયો સાથે બતાવ્યું છે. તેમ જ સાંપ્રદાયિકતાથી કેવી હાનિ થાય છે એનું પણ વિશ્લેષણ કર્યું છે. બાળલગ્ન અને કન્યાવિક્રય નિષેધ વગેરે વિષયો પર પણ પ્રકાશ પાડ્યો છે. ૭. અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર:
ગુરુદેવે ગ્રંથરચનાની શરૂઆત સૌ પ્રથમ કર્તવ્ય કૌમુદી અને અજરામરસ્તોત્ર સહિત તેમના જીવનચરિત્રથી કરી હતી. આ જીવનચરિત્ર લખતાં પહેલા તેમણે ભક્તામર પાદપૂર્તિ સહિત અજરામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં લખ્યું, જેમાં ચોથું ચરણ ભક્તામરનું જ આવે એવી ખૂબી સાથે આ સ્તોત્ર રચવામાં આવ્યું છે. ત્યાર પછીને વર્ષે તેમણે અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર લખ્યું. આ ગ્રંથમાં સાધુઓના આચારવિચારમાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ અને સ્વ-પર શાસ્ત્રોમાં પારંગત એવા એક મહાન મુનિરાજની જીવનકથા છે, જેમણે સમગ્ર ભારતના સ્થાનકવાસી સંપ્રદાયોના સમસ્ત સાધુ સમુદાયનું સંગઠન તથા વિશુદ્ધીકરણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતા. ૮. કારણસંવાદઃ
આ નાની પુસ્તિકામાં પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદીના વાદવિવાદના ઝઘડામાં ગુરુદેવે માર્ગદર્શન આપ્યું છે. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પાંચ કારણોની ઉપયોગિતા રહેલી છે. જ્યારે કેટલાંક કર્મવાદની અધૂરી સમજણને કારણે માત્ર ક્રિયાકાંડને જ મહત્ત્વ આપતા હતા. તો કેટલાંક ભૌતિક પુરુષાર્થને જ મહત્ત્વ આપતા હતા. તેથી તેમણે કાળ સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાયોનું વિશ્લેષણ
વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૬૧
Page #511
--------------------------------------------------------------------------
________________
કરીને આ નાની પુસ્તિકામાં ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન કરાવ્યું છે. જેન-અજૈન દરેક માટે આ પુસ્તિકા વાંચવા જેવી છે. ૯. પ્રસ્તાવ રત્નાવલિઃ
આ ગ્રંથમાં ગણિતનો મુખ્ય વિષય છે. તેમાં પણ ખાસ કરીને ગાંગિયા અણગારના ભાંગા', અનુપૂર્વીના ભાંગા, તે ઉપરાંત અનેક ભાંગાઓનું વર્ણન છે, જે અભ્યાસીઓને માટે અતિ ઉપયોગી છે. આ ગ્રંથમાં ચાર વિભાગ છે અને તેવીસ પ્રકરણ છે. ભાંગાના પ્રસ્તાર સંબંધી જૈન સાહિત્યમાં જેટલો વિસ્તાર છે તેટલો બીજે જોવામાં નથી આવતો. આ ઉપરાંત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભાંગા, ચરમ-અચમના ભાંગા, ક્રોધ, માન, માયા, લોભના ભાંગા, અપ્રદેશી-સપ્રદેશના ભાંગા એમ અનેક ભાંગાઓની રચના જેનસૂત્રોમાં છે. ઉક્ત ગ્રંથના અભ્યાસથી આ સઘળા ભાંગાઓની રચના જાણવી બહુ સરળ થઈ પડે છે, પરંતુ અત્યારે આ ગ્રંથ પણ અપ્રાપ્ય છે. ૧૦. રેવતી દાન સમાલોચના:
કેટલાક દિગમ્બર જૈન તેમ જ જૈનેતર વિદ્વાનોએ પ્રભુ મહાવીર ઉપર માંસાહાર કરવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ આક્ષેપોના જવાબ આપવા તેમણે આ વિષય ઉપર મહાનિબંધ સંસ્કૃતમાં લખ્યો. તેમાં તેમણે આયુર્વેદના અનેક ગ્રંથોનાં પ્રમાણો આપીને સિદ્ધ કર્યું કે ભગવાન મહાવીર માટે જે ઔષધ સિંહ અણગાર લાવ્યા હતા તે એક વનસ્પતિ હતી. છ માસમાં તેમણે આ નિબંધ લખ્યો હતો. ત્યાર પછી તેનો હિંદી અનુવાદ કરી પુસ્તક રૂપે છપાયું. તેનું નામ રેવતીદાન સમાચોલના રાખવામાં આવ્યું છે. ૧૧. આત્મસ્વરૂપ :
આ નિબંધ ગુરુદેવે સં. ૧૯૯૧માં લખેલ છે. (અપ્રગટ છે.) આ નિબંધમાં આત્માનું સ્વરૂપ ખૂબ જ સારી રીતે આલેખાયેલું છે. ૧૨. ચોમાસી સંવત્સરી સમાલોચના :
જૈન સમાજમાં ચોમાસી પાખી (પાકી) અને સંવત્સરી પર્વની આરાધના ક્યારે કરવી જોઈએ, એ સંબંધમાં ઘણા મતભેદો ઊભા થયા હતા અને અત્યારે પણ છે. આ પુસ્તિકામાં તેમણે ભગવતી સૂત્રના આધારે દર્શાવ્યું છે કે જો ચંદ્રસંવત્સરને બદલે સૂર્યસંવત્સર પ્રમાણે ચોમાસી પાખી અને સંવત્સરીની આરાધના કરવામાં આવે તો આખો જૈન સમાજ એકસાથે પર્વ દિવસોની આરાધના કરી શકે. તેમણે આ પુસ્તિકામાં સૌર પક્ષ સંબંધી ઘણી વિચારણીય સામગ્રી પીરસી છે. ૧૩. સૃષ્ટિવાદ અને ઈશ્વરઃ
આ ગ્રંથ લગભગ ચારસો અઠ્ઠાવીસ પૃષ્ઠનો છે, જેમાં સૃષ્ટિ સંબંધમાં જુદાંજુદાં
૪૬૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #512
--------------------------------------------------------------------------
________________
વાદોનું વર્ણન કરવામાં આવ્યું છે. “સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનની પાંચ ગાથાઓના આધારે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુસ્તક લખવામાં તેમણે લગભગ ચારસો જેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ગ્રંથમાં વૈદિક સૃષ્ટિના ૧૯ પ્રકાર તેમ જ પૌરાણિક – ક્રિશ્ચિયન - મુસ્લિમ – પારસી સૃષ્ટિ, દર્શનિક ઉત્તરપક્ષ, વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ, જૈન-જગત લોકવાદ, આધુનિક વિદ્વાનો અને પાશ્ચાત્ય દર્શનિકોના વિચારો વગેરે અનેક પ્રકરણો છે. આ ગ્રંથમાં સૃષ્ટિવાદ અને ઈશ્વરના સંબંધમાં તમામ ચર્ચાવિચારણા કરવામાં આવી છે. હાલમાં આ પુસ્તક પણ અપ્રાપ્ય છે. ૧૪. સાહિત્ય સંશોધનની આવશ્યકતાઃ
આ એક નિબંધ છે. પ્રથમ ગુજરાતીમાં ગુરુદેવે લખેલ છે તેનો હિંદી અનુવાદ કવિ અમરચંદજી મહારાજે કરેલ છે. આમાં જૈન સમાજના સાક્ષરોની વિદ્વાનોની) ઉદાસીનતાનું ભયંકર પરિણામ કેટલી હદે આવ્યું છે, અને જૈન ગ્રંથોના શ્લોકોના ઉટપટાંગ અર્થો કરીને જૈન શાસનની કેટલી બધી ભયંકર નિંદા કરવામાં આવી છે તે બતાવ્યું છે. દૃષ્ટાંત આપી તેના ખુલાસા પણ કર્યા છે. આથી જૈન સાહિત્યમાં સંશોધનની કેટલી બધી આવશ્યકતા છે તે આ નિબંધમાં બતાવી છે. મંદિરો તથા ઉપાશ્રયોના જીર્ણોદ્ધારની અપેક્ષાએ સાહિત્યના જીર્ણોદ્ધારની આવશ્યકતા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.
આ બધા જ ગ્રંથો ઉપરથી જાણી શકાય છે કે ગુરુદેવે અર્ધમાગધી વ્યાકરણ અને અર્ધમાગધી કોશની રચના કરી ભાષાઓના ઇતિહાસમાં પ્રકાશ પાથર્યો છે. તો સાથેસાથે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક વગેરે ગ્રંથરચના કરી જૈનજૈનેતર આદિ સમસ્ત માનવોને જીવન ઉપયોગી ઉપદેશ રૂપી અમૃત આપ્યું છે. વળી તેમની ઈચ્છા એવી પણ હતી કે નવીન સાહિત્ય એવું તૈયાર કરવું કે જે આબાલવૃદ્ધ સૌ કોઈને ઉપયોગી થાય, અને માત્ર એક કે બે ભાષામાં નહિ પણ વિશ્વની તમામ ભાષામાં તે સાહિત્ય પ્રકટ કરવું જોઈએ અને તેનો વ્યવસ્થિત પ્રચાર કરવો જોઈએ. આજના યુવક વર્ગને આધ્યાત્મિક દૃષ્ટિ તરફ વાળવાના હેતુપૂર્વક ધર્મસાહિત્ય લખવાનો તેમનો મનોભાવ હતો પરંતુ તે પાર પાડતા પહેલાં જ સ્વર્ગવાસી બની ગયા. અંતે એટલું જ કહીશ,
જેમનું લક્ષ્ય સુમેરુ પર્વત કરતાં પણ ઉન્નત હતું, જેમનું મન સમુદ્ર જેવું ગંભીર હતું, જેમની વાણી પ્રેમામૃત વરસાવનારી અને હિતકારિણી હતી, જેમની દૃષ્ટિ દિશાઓના અંત સુધી પહોંચેલી હતી,
એવા પૂજ્ય ગુરુદેવ અક્ષરદેહથી આજે પણ અજરઅમર છે.’ ઉપસંહાર : શ્રી રત્નચંદ્રજી મહારાજે વૈરાગ્યપૂર્વક નાની ઉમરે દીક્ષા લઈ સાધુજીવન
વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૬૩
Page #513
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર્યું. તે પછી ખૂબ અભ્યાસ કર્યો. દેશ આખાનો પગપાળો પ્રવાસ કર્યો. હજારો વ્યાખ્યાનો આપ્યાં. અણમોલ સાહિત્ય તૈયાર કર્યું. અર્ધમાગધી કોશ અને વ્યાકરણ રચીને જૈન આગમ સાહિત્યની અપૂર્વ સેવા બજાવી. સ્મરણશક્તિ કેળવીને અનેક સ્થળે અવધાન-પ્રયોગો કરીને લોકોને નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યા. અનેક સંસ્થાઓને જીવન આપ્યું. અનેક સુષુપ્ત સંસ્થાઓને ગાડીને કાર્યશીલ બનાવી સ્થળસ્થળે ચાલતા ઝઘડા મટાડ્યા અને ઐક્યની સ્થાપના કરી. સંયમી અને નિર્દોષ જીવન જીવીને અનેક જિજ્ઞાસુઓને પવિત્ર અને સદાચારી જીવન પ્રતિ અંગુલિનિર્દેશ કર્યો. તેમણે ઘણાંઘણાં સત્કાર્યો કર્યાં અને ઘણાં કાર્યોની શરૂઆત કરીને ભવિષ્યની પેઢીને માટે પૂરાં કરવા માટે બાકી મૂકતા ગયા. તેઓ તો સાચું જીવન જીવ્યા અને અમરતાને પામી ગયા. એવા ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને મારી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...
અસ્તુ.
શ્રી ખીમજી મણસી છાડવા
૪૬૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #514
--------------------------------------------------------------------------
________________
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી
- મીતા ગાંધી
ગુજરાતના વિદ્યાકીય સંશોધનક્ષેત્રમાં જેમણે ખૂબ પાયાનું કાર્ય કર્યું છે તેવા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીની જીવનયાત્રાના વિવિધ પડાવો ઉપર નજર નાખીને શ્રી મીતાબહેન ગાંધીએ પોતાનો સંશોધનાત્મક અભ્યાસ આ લેખમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે. – સં..
ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની લગભગ બધી શાખાઓના દેશ અને વિદેશમાં પણ નામના મેળવનાર વિદ્યુત વિદ્વાન, પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીનો જન્મ ઈ. સ. ૧૮૮૮ની ર૭મી જાન્યુઆરીએ વિ.સં. ૧૯૪૪ મહા મહિનાની શુક્લ ચૌદશે) રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં રૂપાહેલી ગામમાં પરમાર વંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ “વૃદ્ધિસિંહ અને માતાનું નામ “રાજકુમારી' હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું.
શ્રી જિનવિજયજીના પિતા વૃદ્ધિસિંહને વૃદ્ધાવસ્થામાં સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો હતો. તેનો ઉપચાર જૈનયતિ શ્રી દેવહંસ પાસે કરાવ્યો હતો. વિ.સં. ૧૯૫૫માં પિતા વૃદ્ધિસિંહનું દેહાવસાન થતાં સમસ્ત પરિવાર નિરાધાર બની ગયો. બાળક કિશનસિંહની ભણવાની વ્યવસ્થા પણ ન રહી. જૈન યતિ શ્રી દેવીહંસજી કિશનસિંહની બુદ્ધિપ્રતિભાથી વાકેફ હતા, તેથી તેમણે કિશનસિંહને પોતાની પાસે ભણવા માટે રાખ્યો. જૈન ધર્મના સંસ્કારનું આ પરોઢ હતું, પરંતુ થોડા સમયમાં યતિ શ્રી દેવીહંસજીનું પણ દેહાવસાન થયું, આથી કિશનસિંહ ફરીથી નિરાધાર બન્યા. - ત્યાર બાદ સત્યને પામવાની લાલસાથી પ્રેરાઈને તેઓ એક શૈવયોગી ખાખી બાવાના સંપર્કમાં આવ્યા અને કિશનભૈરવ' નામ ધારણ કરીને તેમના શિષ્ય બની ગયા. પરંતુ છ-સાત મહિનાના ટૂંકા ગાળામાં જ તેમને તે ખાખી બાવાનો માર્ગ અધોગતિનો લાગ્યો. આથી તેઓએ તે માર્ગ છોડી દીધો.
- કિશનસિંહના જીવનમાં ફરીથી બદલાવ આવ્યો. વિ.સં. ૧૯૫૯માં કેટલાક વતિઓની સાથે તેઓ મેવાડ અને માળવા બાજુ ગયા. ત્યાં એક સ્થાનકવાસી સાધુ સાથે પરિચય થયો અને પોતાની જ્ઞાનોપાર્જનની ઝંખના સંતોષવા તેમણે તે જ વર્ષે સ્થાનકવાસી દીક્ષા લીધી. થોડા જ સમયમાં એમણે જૈન ધર્મના કેટલાંક
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૫
Page #515
--------------------------------------------------------------------------
________________
ખાસ પુસ્તકો કંઠસ્થ કરી લીધાં. આ સ્થાનકવાસી દીક્ષા લઈને તેઓ છએક વર્ષ સુધી પૂરી એકાગ્રતાથી જ્ઞાનસાધના અને જીવનસાધના કરતા રહ્યા. આ સાધના દ્વારા પોતે કંઈક પામ્યા છે એવો સંતોષ પણ એમને થયો. તેમની જ્ઞાન માટેની જિજ્ઞાસાનો વેગ વિશેષ હતો. પછી જ્યારે એમને લાગ્યું કે હવે અહીં નવું ઉપાર્જન થઈ શકે તેમ નથી અને આ જ ચીલામાં ચાલતા રહેવાથી જીવનનો વિકાસ રૂંધાઈ જશે, એટલે તેમણે સ્થાનકવાસી દીક્ષાનો ત્યાગ કર્યો. ત્યાર બાદ તેમણે રતલામ અને તેની આજુબાજુના ગામોમાં વસવાટ કર્યો.
અત્યાર સુધી જે કાંઈ જ્ઞાન મળ્યું હતું, તેથી તેમની જિજ્ઞાસા વિશેષ સતેજ થઈ હતી. ત્યાર બાદ તેઓ વિશેષ વિદ્યોપાર્જન માટે ટ્રેન દ્વારા ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા, પરંતુ અમદાવાદમાં તે શક્ય ન બન્યું. આથી તેઓ પાલનપુર, રતલામ, પાલી વગેરે સ્થાનોમાં ફર્યા. પાલીમાં તેઓનો પરિચય શ્રી સુંદરવિજયજી' નામના શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ સાથે થયો. તેમણે તેમની પાસે વિ.સં. ૧૯૬૬માં ૨૨ વર્ષની યુવાન વયે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની દિક્ષા અંગીકાર કરી અને મુનિ જિનવિજયજી” નામ ધારણ કર્યું.
તેઓને વિહાર કરતા પંજાબ જવાનું થયું. ત્યારબાદ સોજત વગેરે મારવાડના નગરોમાં વિહાર કરતાં વિ.સં. ૧૯૬૬નું ચાતુર્માસ બાવરમાં કર્યું. બાવરમાં તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે થયો. તેમની સાથે બે-ત્રણ પંડિતો પણ હતા. તેમની સાથે જ્ઞાનસંબંધી અનેક ચર્ચાઓ મુનિશ્રી જિનવિજયજી કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં તેઓને ગુજરાત આવવાનું થયું. રાધનપુર નિવાસી એક ધનિક શેઠે શ્રી વિજયવલ્લભસૂરિની નિશ્રામાં શત્રુંજય મહાતીર્થની યાત્રાના એક સંઘનું આયોજન કર્યું. શ્રી જિનવિજયજી તેમાં જોડાયા અને શત્રુંજયની યાત્રા બાદ પોતાની જ્ઞાન-પિપાસા સંતોષવા, શ્રી વિજયવલ્લભસૂરિ અને તેમના સમુદાય સાથે વિહારમાં જોડાયા.
તેમના અધ્યયનનો ક્રમ વિસ્તીર્ણ થતો ગયો અને ઇતિહાસ શોધ સંબંધી તેમની રુચિ પરિપક્વ થતી ગઈ. ‘વિરભૂમિ રાજસ્થાનના અધ્યયનથી રાજસ્થાન તથા મેવાડના ભૂતકાળ તરફ તેમનું આકર્ષણ વધ્યું. તેઓ તેમની સાથે વિહાર કરતાં-કરતાં ભાવનગર, ખંભાત થઈને વડોદરા આવ્યા. વિ. સં. ૧૯૬૭નું ચાતુર્માસ વડોદરામાં કર્યું. ત્યાર બાદ તેઓ વડોદરાથી નીકળી કાવી, ગંધારની યાત્રામાં (સંઘમાં જોડાયા. ત્યાર બાદ ભરૂચ થઈને તેઓ સુરત આવ્યા. ત્યાં તેમનો પરિચય વયોવૃદ્ધ જૈન મુનિ શ્રી કાંતિવિજયજી, તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી તથા પ્રશિષ્ય શ્રી પુણ્યવિજયજી સાથે થયો. વિ.સં. ૧૯૬૮નું ચાતુર્માસ તેમની સાથે સુરતમાં જ કર્યું.
દીક્ષા બાદ તેમણે ગુજરાતીમાં લેખો લખવાની શરૂઆત કરી. આ લેખો ગુજરાતી જૈન-હિતૈષી તથા મુંબઈ સમાચારમાં છપાયા હતા. વડોદરાના પોતાના નિવાસ દરમિયાન મુનિશ્રીએ ‘કુમારપાળ પ્રતિબોધ' નામનો બૃહદ્કાય પ્રાકૃત ગ્રંથ ૪૬૬ કે ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
Page #516
--------------------------------------------------------------------------
________________
સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યો.
* વિ.સં. ૧૯૬૯નું ચાતુર્માસ ડભોઈમાં અને વિ.સં. ૧૯૭૦નું ચાતુર્માસ પાટણમાં થયું. પાટણમાં ચાતુર્માસ બાદ એક શેઠે રાજસ્થાનના કેસરિયાજીની યાત્રા માટેનો સંઘ કાઢ્યો, તેમાં પણ શ્રી જિનવિજયજી જોડાયા. ત્યાંથી પાછા ફરી ગુજરાત આવ્યા અને વિ.સં. ૧૯૭૧નું ચાતુર્માસ મહેસાણા કર્યું. ત્યારબાદ વિ.સં. ૧૯૭૨માં ચાતુર્માસ કરવા પાટણ ગયા. ત્યાં એમણે પાટણના જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કર્યું. પાટણના જ્ઞાનભંડારમાંથી પ્રસિદ્ધ જૈન વૈયાકરણ શાંwાયન' સંબંધી ગ્રંથો મેળવી એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો. શ્રી જિનવિજયજીના જીવનનો આ પ્રથમ લેખ પ્રયાગની સુપ્રસિદ્ધિ પત્રિકા “સરસ્વતીમાં છપાયો. પાટણના જ્ઞાનભંડારોની વિસ્તૃત સૂચિ પણ તેમણે લેખના રૂપમાં છપાવી.
તેમના દ્વારા લખાયેલું સૌથી પ્રથમ પુસ્તક હતું – જૈનતત્ત્વસાર મૂળ ગુજરાતી)નો હિંદી અનુવાદ – “નૈનતત્ત્વતાર.' તેમણે જ શ્રી લાલા કનોમલના લખેલા પુસ્તક માટે સૌથી પહેલી પ્રસ્તાવના લખી હતી. તેમનું લખવાનું કામ હવે વધતું ગયું. પ્રાચીન ગુજરાતી ગ્રંથ નેમિનાથ રાજિમતી બારમાસા પાટણના જ્ઞાનભંડારમાંથી મેળવીને તેના પર એક લેખ તૈયાર કર્યો અને જૈન શ્વેતાંબર હેરલ્ડ કોન્ફરન્સમાં પ્રકાશિત કર્યો. પાટણથી ફરી તેઓ વિહાર કરતાં વડોદરા આવ્યા અને ત્યાં યોજાયેલા સાધુ સંમેલનમાં ભાગ લીધો. વિ.સં. ૧૯૭૩નું ચાતુર્માસ પણ વડોદરામાં જ કર્યું. તે દરમિયાન પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના નામથી જૈન ઐતિહાસિક ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા માટે એમણે “કૃપારસ કોશ', શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, જૈન શિલાલેખ સંગ્રહ ભાગ-૧, જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યો', 'દ્રોપદી સ્વયંવર નાટક વગેરે ગ્રંથોનું સંપાદન કર્યું. તે જ વર્ષે ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ' વડોદરા માટે પ્રાકૃત ભાષાના વિશાળ ગ્રંથ કુમારપાળ પ્રતિબોધ'નું સંપાદન પણ કર્યું.
વડોદરાથી વિહાર કરતાં કરતાં ભરૂચ, સુરત થઈને મુંબઈ આવ્યા. વિ.સં. ૧૯૭૪નું ચાતુર્માસ મુંબઈમાં જ કર્યું. એ દરમિયાન પૂનામાં ‘ભંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની સ્થાપના થઈ. આ સંસ્થાના નિમંત્રણને માન આપીને મુનિશ્રી ચાતુર્માસ પછી વિહાર કરીને પૂના પહોંચ્યા. વિ.સં. ૧૯૭૫નું ચાતુર્માસ પણ એમણે પૂનામાં જ કર્યું.
ભંડારકર ઇન્સ્ટિટ્યૂટના કાર્યમાં સહકાર આપવા મુનિશ્રીએ થોડો સમય પૂનામાં જ રહેવાનો વિચાર કર્યો. ભંડારકર ઈન્સ્ટિટ્યૂટના ભવનને બનાવવા માટે સંઘ દ્વારા પચાસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરાવી આપી અને આ સંસ્થાની નજીકમાં જ મુનિશ્રીએ “શ્રી ભારત જૈન વિદ્યાલયની સ્થાપના કરી. પૂનામાં તેઓ અનેક વિદ્વાનોના સંપર્કમાં આવ્યા. આ સમય દરમિયાન ભારતમાં પ્રથમવાર પ્રાચ્યવિદ્યા સંમેલનનું અધિવેશન પૂનામાં થયું, તેમાં મુનિશ્રીએ દરેક રીતે સક્રિય સહયોગ આપ્યો. આ અધિવેશનમાં હરિભદ્રાચાર્યસૂરિ કે સમય પર એક નિબંધ સંસ્કૃતમાં
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૭
Page #517
--------------------------------------------------------------------------
________________
રજૂ કર્યો. તેમણે પૂનામાં શ્રી સતીષચંદ્ર વિદ્યાભૂષણ અને બીજા વિદ્વાનોની સાથે વિચાર વિમર્શ કરીને સાહિત્ય પ્રકાશન માટેની યોજના બનાવી, જૈન સાહિત્ય સંશોધક સમિતિની સ્થાપના કરી. સાથે સાથે એને સાહિત્ય સંશોધક' નામની ત્રિમાસિક પત્રિકા તથા ગ્રંથમાળાના પ્રકાશનની શુભ શરૂઆત કરી.
પૂનામાં તેમનો પરિચય પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની લોકમાન્ય ટિળક સાથે થયો. તેઓ કોઈક કોઈક વાર શાસ્ત્રીય ચર્ચા માટે મુનિશ્રી પાસે આવતા રહેતા. તે જ દરમિયાન મુનિશ્રીનો ફરગ્યુસન કૉલેજના પ્રો. રાનડે, પ્રો. ડી. કે. કર્વે વગેરે પ્રસિદ્ધ વિદ્વાનો સાથે નિકટનો સંબંધ સ્થપાયો. વિ.સં. ૧૯૭૬ના ચાતુર્માસના અંતમાં તેઓ તાવના તીવ્ર સકંજામાં સપડાયા. કેટલાક મહિનાઓ સુધી તેઓ નિષ્ક્રિય થઈને પડ્યા રહ્યા. આ જ સમય દરમિયાન સર્વે ઓફ ઇન્ડિયા સોસાયટીના કાર્યાલયમાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ અને પોતાના જીવન અંગે તેમણે ગાંધીજી સાથે વિચારવિમર્શ કર્યો.
આમ મુનિશ્રીનો પૂનાનિવાસ તેમના જીવનમાં વળાંક લાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ નિવાસ દરમિયાન તેમનો પરિચય લોકમાન્ય ટિળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી અર્જુનલાલ શેઠી સાથે થયો. આ. પરિચયથી તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. તેઓ ટિળકના રાજનૈતિક વિચારોથી અત્યંત પ્રભાવિત થયા. અહીં ફરીથી તેમના અંતઃકરણમાં નવીન વિચારધારા વહેવા લાગી. દેશની પરાધીનતા તેમને ખટકવા લાગી અને ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય રહેવા કરતાં તેનો ત્યાગ કરવાનું તેમણે ઉચિત માન્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો.
સનું ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ અસહયોગ આંદોલનની જાહેરાત કરી. મુનિશ્રીએ આ આંદોલનમાં ભાગ લેવા માટેનો સંકલ્પ કર્યો અને ગાંધીજી પાસે મુંબઈ પહોંચ્યા. ત્યાંથી તેમની સાથે જ અમદાવાદ ગયા અને ત્યાં ચાર-પાંચ દિવસ સત્યાગ્રહ આશ્રમમાં રહ્યા. ગાંધીજી સાથે વિચાર વિનિમય કરતા રહેતાં, અંતે એવું નક્કી થયું કે ગાંધીજી દ્વારા સ્થપાયેલ ગુજરાત વિદ્યાપીઠમાં એક રાષ્ટ્રીય સેવક તરીકે મુનિશ્રી સહયોગ આપતા રહેશે. તેમના જીવનક્રમ અને દિનચર્યામાં પરિવર્તન અનિવાર્ય બન્યું.
થોડા દિવસોમાં વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના થઈ. ગાંધીજીએ મુનિશ્રીને તેના આચાર્ય બનાવ્યા અને તેઓ “પુરાતત્ત્વાચાર્ય પદથી વિભૂષિત બન્યા. અહીં મુનિશ્રીએ પુરાતત્ત્વ નામની સંશોધાત્મક ત્રિમાસિક પત્રિકા અને સંસ્કૃત-પ્રાકૃત-પ્રાચીન ગુજરાતી વગેરેનાં ગ્રંથોના પ્રકાશન માટે પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલી' માળાની યોજના બનાવી અને તે પ્રમાણે કામ શરૂ કરી દીધું.
સન્ ૧૯૨૧માં નાગપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી સાથે ગયા ત્યાં તેમણે નાગપુરમાં આયોજીત જૈન પોલિટિકલ કોન્ફરન્સનું સંચાલન કર્યું. ૬૮ + ૨ અને રુસદીજૈન ઝાયિન અક્ષર-આરાધકો
Page #518
--------------------------------------------------------------------------
________________
સમ્મેતશિખરની યાત્રા માટેની ખાસ રેલવે દ્વારા જ્યારે તેઓ કલકત્તા પહોંચ્યા ત્યારે જૈનસંઘે તેમના સન્માનમાં માનપત્ર આપ્યું. દક્ષિણના નેપાની ગામમાં યોજાયેલ પ્રથમ શ્વેતામ્બર જૈન સંમેલન અને ધારવાડમાં યોજાયેલ દિગમ્બર સંપ્રદાય અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા.
સન્ ૧૯૨૨-૨૩માં પૂનામાં ‘જૈન શિક્ષણ સંઘ' નામની સંસ્થા સ્થાપી અને તેના દ્વારા કુમાર વિદ્યાલય ચલાવવાનું શરૂ કર્યું. પૂનામાંથી પ્રકાશિત થતાં જૈન જાગૃતિ' પત્રિકાનું હિંદી અને ગુજરાતીમાં સંપાદન કર્યું.
સન્ ૧૯૨૪-૨૫માં તેમણે પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર અમદાવાદ બનાવી લીધું. પૂનામાં શરૂ કરેલ જૈન સાહિત્ય સંશોધક' પત્રિકા અને ગ્રંથમાળાના પ્રકાશનની વ્યવસ્થા તેમણે અમદાવાદમાં જ કરી લીધી.
સન્ ૧૯૨૫માં જૈન વિદ્યા અને પ્રાકૃત ગ્રંથોના ક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન કરનાર ‘કલ્પસૂત્ર’ પર જર્મન ભાષામાં મહાનિબંધ લખનાર અને જૈન હસ્તપ્રતો વિશે વિવરણાત્મક કેટલોગ તૈયા૨ ક૨ના૨ પ્રો. શૂલિંગ ‘ગુજરાત પુરાતત્ત્વ મંદિર’ની સાહિત્યિક ગતિવિધિઓનો પરિચય મેળવવા, ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદની મુલાકાતે આવ્યા. તે સમયે તેઓ મુનિશ્રીના અતિથિ તરીકે રહ્યા અને તેમણે મુનિશ્રીને જર્મનીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું. મુનિશ્રીના વિદ્યાવ્યાસંગે તેમને જર્મન ભાષા શીખવા અને જર્મન વિદ્વાનો સાથે પરિચય કરવા પ્રોત્સાહિત કર્યાં. ગાંધીજીએ પણ તેમની જર્મની જવાની ઇચ્છાને અનુમોદન આપ્યું. મુનિશ્રી સન્ ૧૯૨૮માં જર્મની ગયા અને ત્યાં દોઢ વર્ષ જેટલું રોકાયા.
જર્મનીના હૈમ્બર્ગ શહેર પહોંચી તેઓ ડૉ. યાકોબી, પ્રો. શૂલિંગને મળ્યા. પ્રો. શુક્વિંગની સાથે સૈમ્બર્ગ યુનિવર્સિટીમાં લેખન-વાંચનનું કાર્ય કર્યું. ત્યાંથી તેઓ બર્લિન ગયા અને ત્યાં તેમને પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. ડ્યૂર્ડ્સ સાથે પરિચય થયો. જર્મનીમાં વસતા હિંદુસ્તાનીઓના એકઠા થવા માટે કોઈ સ્થળ ન હોવાથી બર્લિનમાં સન્ ૧૯૨૯માં મુનિશ્રીએ ‘હિંદુસ્તાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિ તેમ જ રાજનીતિક પ્રવૃત્તિઓને સંગઠિત કરવા તેમ જ ભારત-જર્મન મિત્રતા વધારવા તેમણે ઇન્ડો-જર્મન સેન્ટર' નામની એક સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના કરી.
ભારતમાં આઝાદીના અહિંસક યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. ગાંધીજી સાથે તે બાબતે વિચાર-વિમર્શ કરવા તેઓ સન્ ૧૯૨૯ના અંતમાં ભારત પાછા ફર્યાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને મળી, તેમને જર્મનીની દરેક વાતો જણાવી. ત્યાર બાદ મહાદેવભાઈ દેસાઈની પ્રેરણાથી તેઓએ લાહોરમાં કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. આ બાજુ ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો. સત્યાગ્રહમાં મુનિશ્રી પણ જોડાયા. મુનિશ્રી સત્યાગ્રહના પરિણામે જેલમાં ગયા. જેલમાં તેમને મનાલાલ બજાજ, શ્રી કે. નરીમાન અને શ્રી ક. મા. મુનશીને મળવાનું થયું. તેમની વચ્ચે વિદ્યાવિષયક પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૯
Page #519
--------------------------------------------------------------------------
________________
વિચારોની ઘનિષ્ઠ આપલે થઈ.
શ્રી રવીન્દ્રનાથ ટાગોરની પ્રબળ ઇચ્છા હતી કે તેમના વિશ્વવિખ્યાત શાંતિનિકેતનના વિશ્વભારતી કેન્દ્રમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થાય. મુનિશ્રીને જેલમાંથી છૂટ્યા બાદ કલકત્તાના પ્રમુખ જૈન સાહિત્ય અનુરાગી શ્રી બહાદુરસિંહજીએ ગુરુદેવ ટાગોરની ઈચ્છાની યાદ અપાવી. તેથી મુનિશ્રી શાંતિનિકેતન પહોંચ્યા અને બહાદુરસિંહજીના પિતા શ્રી ડાલચંદજી સિંઘીના નામથી જૈન છાત્રાલયની સ્થાપના કરી. વિદ્યાભવનમાં જૈન ચેયરની સ્થાપના કરી તેનું સંચાલન મુનિશ્રીએ કર્યું. જેન ચેયર' માટે એક સ્વતંત્ર મકાન બનાવ્યું અને ત્યાંથી વિશ્વવિખ્યાત સિંઘી ગ્રંથમાળાનો પ્રારંભ થયો. ગ્રંથમાળાનું મુદ્રણકાર્ય મુંબઈમાં થતું. તેના દ્વારા પ્રબંધ ચિંતામણિ' નામનો પહેલો ગ્રંથ પ્રકાશિત થયો.
‘સિંઘી ગ્રંથમાળા માટે સારા સારા ગ્રંથો પસંદ કરવા મુનિશ્રીને પાટણ પણ વારંવાર આવવું પડતું. પૂનામાં ભંડારકર ઈન્સ્ટિટ્યૂટ માટે પણ જવું પડતું. આમ મુનિશ્રીને ગ્રંથમાળાના કામ માટે મુંબઈ, પૂના, પાટણ ફરવું પડતું. ચાર વર્ષ શાંતિનિકેતનમાં રહેવા અને આટલી મુસાફરી કરવાથી તેમનું સ્વાથ્ય બગડ્યું. તેથી તેમણે પોતાનું કાર્યક્ષેત્ર શાંતિનિકેતનમાંથી મુંબઈ અથવા અમદાવાદ ખસેડવાનું નક્કી કર્યું. મુંબઈમાં ક. મા. મુનશીજીના તીવ્ર અનુરોધથી ભારતીય વિદ્યાભવનના કાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. સિંધી જૈન ગ્રંથમાળાના કાર્યને પણ ભવનનાં કાર્ય સાથે સંયોજિત કર્યું અને બંને કાર્યોનું તેઓ સાથેસાથે કુશળતાપૂર્વક સંચાલન કરવા લાગ્યા.
સન ૧૯૪રમાં તેમને જેસલમેરના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવાનું નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા, અને લગભગ પાંચ મહિનાનો સ્થિર વાસ કરીને આશરે ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિઓ તૈયાર કરી. ત્યાર બાદ મુંબઈ પાછા ફર્યા અને ભારતીય વિદ્યાભવનના નિર્દેશકના રૂપમાં ગ્રંથોના સંપાદન-પ્રકાશન તથા વિદ્યાર્થીઓના ડૉક્ટરેટના અધ્યયનના કાર્યમાં પૂર્વવતુ માર્ગદર્શનમાં લાગી ગયા.
મુનિશ્રીના મનમાં હંમેશાં દેશ તથા સમાજની સમસ્યાઓ સંબંધી ચિંતન ચાલતું રહેતું. આઝાદી પછી અન્ન સમસ્યા જેમ જેમ ગંભીર રૂપ પકડતી ગઈ તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ અધિકાધિક વધતું ગયું. આ ચિંતનના પરિપાકરૂપે ચિતોડ પાસે આવેલા ચંદેરિયા ગામમાં ત્યાંના ઠાકુર પાસેથી થોડીક જમીન મેળવી સને ૧૯૫૦માં તેમણે ‘સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી.
આમ પણ આવા મહામાનવ અને કર્મઠ તપસ્વીને રાષ્ટ્ર ખાલી બેસવા કેમ દે? પરિણામે વિ.સં. ૨૦૦૬માં એમણે રાજસ્થાન સરકારના આગ્રહથી રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરીને એના માનદ ડાયરેક્ટર તરીકેની જવાબદારી લીધી અને એનો ન કલ્પી શકાય એટલો વિકાસ કર્યો. અહીં એમની દેખરેખ નીચે ૮૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન થયું, અહીં ૧૭ વર્ષ ખૂબ દિલ દઈને કામ ૪૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #520
--------------------------------------------------------------------------
________________
કર્યા પછી તેઓ ત્યાંથી નિવૃત્ત થયા.
આમાં કોઈ મનમેખ નથી કે સિંઘી જૈન ગ્રંથમાળા અને રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર દ્વારા તેમણે જે રાષ્ટ્રને સેવાઓ આપી તે આજે પણ અને હજારો વર્ષો પછી પણ હંમેશાં માટે વંદનીય રહેશે.
સન ૧૯પરમાં જર્મનીની વિશ્વવિખ્યાત ઓરીએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે તેમની વરણી થઈ. મુનિશ્રી ભારત તરફથી ફક્ત બીજી વ્યક્તિ હતા જેમને આ દુર્લભ સન્માન મળ્યું હોય. મુનિશ્રીની આવી જીવનવ્યાપી વિદ્યાસેવાની રાષ્ટ્રીય કદરદાની રૂપે ભારત સરકારે તેઓને પદ્મશ્રી'ની પદવી એનાયત કરી હતી.
મકાનો બનાવવાની મુનિશ્રીની સૂઝ અને રુચિ પણ જાણીતી હતી. રૂપાયેલી ગામમાં પોતાનાં માતુશ્રીની સ્મૃતિમાં એમણે બનાવેલ “રાજકુમારી – બાલમંદિર એમની આ રુચિની યાદ આપતી રહે છે. ઉપરાંત મુનિશ્રીને ચિતૌડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિતૌડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા અને મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધના ભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ ચિતૌડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે “શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તે આજે પણ ચિતૌડનું એક દર્શનીય સ્થળ ગણાય છે. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં “ભામાશા ભારતીય ભવનનું નિમાણ પણ કર્યું છે.
૮૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી. વૃદ્ધાવસ્થાની સાથેસાથે શારીરિક નબળાઈ વધતી ગઈ તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્ત્વ, જૈનદર્શન, ચિતૌડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયનરુચિ સહેજ પણ ઓછાં થયાં નહોતાં.
પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી ૮૯ વર્ષનું સુદીર્ઘ અને યશસ્વી જીવન જીવીને અને ૭૭ વર્ષની સત્યની ખોજમાં પોતાના મન-વચન-કાયાના યોગને કૃતાર્થ કરીને તથા નિવૃત્તિના સાચા અધિકારી બનીને મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં વિ.સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ને ગુરુવાર તા. ૩-૬-૧૯૭૬ના રોજ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ - આચાર્યની જિંદગીનો અંત આવ્યો. ઉપસંહાર
પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે સત્યની શોધને પોતાના જીવનકાર્ય તરીકે, ઊછરતી ઉંમરે જ સ્વીકારીને આ આજીવન મહાન પરિવ્રાજકે કેટકેટલા અગોચર પ્રદેશોનું ખેડાણ કરીને જ્ઞાન પોતે જ મેળવ્યું હતું એમ ન હતું પરંતુ અન્ય સંખ્યાબંધ જિજ્ઞાસુઓ સુધી
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૭૧
Page #521
--------------------------------------------------------------------------
________________
પહોંચાડ્યું હતું. વળી, આ જ્ઞાનસાધનામાં જેમ પોતાની જાતને પિછાણવાના પ્રયત્નનો સમાવેશ થતો હતો, તેમ જગતના બાહ્ય-આંતર રૂપને સમજવાની ઉત્કટ તાલાવેલીનો તથા એ માટેના પુરુષાર્થનો પણ સમાવેશ થતો હતો. જીવન અને જગતના સત્યને પામવાની આ તાલાવેલી જ એમને ઇતિહાસનાં ઊંડા અધ્યયન તથા સંશોધન તરફ દોરી ગઈ હતી. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપુ નિચોવીને પૂરી નિષ્ઠાથી વિદ્યાની સાધના કરી હતી.
પણ મુનિશ્રી સર્વભાવે વિદ્યાસાધનાને સમર્પિત થયેલા એક આદર્શ વિદ્યાપુરુષ હતા – એટલું જ એમનું મૂલ્યાંકન કરીએ તો તે અધૂરું ગણાય, એમના જીવનનાં બીજાં બે પાસાં પણ એવાં જ મહત્ત્વનાં અને જાજરમાન હતાં. એક શ્રમનિષ્ઠા અને બીજી રાષ્ટ્રીયતા.
જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં એમની જે નામના અને કીર્તિ હતી તે તો આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે જ હતી – એમ તેઓ પોતે પણ જાણતા અને સ્વીકારતા હતા. અને છતાં, આવી નામનાથી અંજાઈને કે લોભાઈને, શ્રમનિષ્ઠા અને કર્મયોગને શિથિલ બનાવીને, જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા.
ટૂંકમાં, પદ્ધતિસરનો અભ્યાસ કર્યા વગર અને અભ્યાસની કોઈ પણ જાતની ડિગ્રી મેળવ્યા વગર માનવી પોતાના પુરુષાર્થથી વિદ્યાસાધનાની સિદ્ધિની ટોચે કેવી રીતે પહોંચી શકે છે અને પીએચ.ડી. કે ડી.લિટની ડિગ્રી મેળવવા ઈચ્છનાર અભ્યાસીઓને કેવું સફળ માર્ગદર્શન આપી શકે છે એનું મુનિશ્રી જીવંત દગંત છે.
સંદર્ભ-સૂચિ ૧. ‘અમૃત સમીપે: લેખકઃ પં. રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન
કાર્યાલય, અમદાવાદ. ૨. મુનિ શ્રી નિવિનયર્ની મહાન – Íાત નીવન પરિવા: લેખકઃ ડો. પદ્મધર
પાઠક, પ્રકાશક: કેશરપુરી ગોસ્વામી (અધ્યક્ષ), સર્વોદય સાધનાશ્રમ, ચંદેરિયા. ૩. અર્વાચીન જૈન જ્યોતિધરો: લેખકઃ આત્માનંદજી, સંપાદકઃ પ્રકાશભાઈ ડી.
શાહ (સન ૧૯૮૮), ૪. પારિજાતનો સંવાદ: ગુજરાત સમાચાર તા. ૨0૧-૨૦૧૩.
મીતાબહેન ગાંધી અમદાવાદ, મો. 09328429560
૪૭૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #522
--------------------------------------------------------------------------
________________
સત્યશોધક પંડિત બેચરદાસ
જીવરાજ દોશી
- માલતી શાહ
પડિત બેચરદાસ જીવરાજ દોશી વિવિધ ભાષાઓના તજજ્ઞ હતા, જૈન સંઘ વિકાસના માર્ગે આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ હતા, રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા હતા, સત્યના ઉપાસક હતા.
તેઓના પિતાશ્રી જીવરાજ લાધાભાઈ દોશી વિસા શ્રીમાળી દેરાવાસી જૈન. સંસ્કારી માતા ઓતમબાઈની કુખે વિ. સં. ૧૯૪૬ના રોજ વલભીપુર(વળા)માં તેઓનો જન્મ થયો. કુટુંબની સ્થિતિ સામાન્ય. ત્યાંની ધૂડી નિશાળમાં ભણતરની શરૂઆત થઈ. થોડો સમય પોતાના મોસાળ સણોસરામાં ભણવા ગયા, વળી પાછા વલભીપુરમાં આવી બેચરદાસે ભણતર ચાલુ રાખ્યું અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં પૂરી કરી. દસ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં આજીવિકા માટે માને મદદ કરવા લાગ્યા. તે સમયના રિવાજ પ્રમાણે પિતાનું કારજ કરવા માટે માને કડલાં અને પ્રેળિયાં જેવાં આભૂષણો વેચવાં પડ્યાં તેની ઘેરી અસર બેચરદાસના મન ઉપર રહી. પોતાના બે દીકરા અને એક દીકરી માટે થઈને માતાને દળણાં, ખાંડણાના કામો કરવા પડતાં અને નાનો બેચર તે સમયે કાલાં ફોલવા, રાખ ચાળવી, દાળમશાલી (તળેલી દાળ) વેચવી વગેરે કામો કરતો.
વિ. સં. ૧૯૫૮-૫૯માં માંડલમાં પ. પૂ. આ. શ્રી ધર્મસૂરિજીને મળવાનું થયું અને ત્યાં પાંચ-સાત મહિનામાં તેઓએ કૌમુદીનો અભ્યાસ કર્યો. તીવ્ર ગ્રહણશક્તિ અને અગાધ વિદ્યાપીપાસા એટલી હતી કે માંડલથી પોતાના મિત્ર હર્ષચંદ્રભાઈ મુનિ શ્રી જયંતવિજયજી) સાથે પગપાળા કાશી જવા માટે નીકળ્યા, પરંતુ માતાની અનિચ્છાથી ગોધરાથી પાછા વળ્યા. વલભીપુર અને પાલિતાણામાં અભ્યાસ ચાલુ રાખ્યો. જમવાની અને અન્ય મુશ્કેલી પડતી. પ્રભાવનામાં જે મળે તેનાથી પોતાનું કામ ચલાવતા. પછી જામનગરના શ્રી સૌભાગ્યચંદે માસિક રૂ. દસ આપવાનું નક્કી કર્યું તેથી સરળતા થઈ. છતાં નાની-મોટી મુશ્કેલીઓ વેઠીને પણ પ. પૂ. સિદ્ધિવિજયજી પાસે નવતત્ત્વનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ મહેસાણાની પાઠશાળામાં એક માસમાં ભાંડારકરની માગપદેશિકાની પહેલી ચોપડી કરી. વિદ્યાની ઝંખનાનો સળવળાટ ચાલુ જ હતો એટલે મહેસાણાથી કાશી બનારસ) ગયા. ત્યાં છ માસ
સત્યશોધક પંક્તિ બેચરદાસ જીવરાજ દોશી + ૪૭૩
Page #523
--------------------------------------------------------------------------
________________
રહ્યા પછી શીતળા થયા ત્યારે તે સમયે તેમના મા એકલાં કાશી ગયાં.
કાશીમાં બે વર્ષમાં હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી કરી. ન્યાયદર્શન, સાંખ્યદર્શન, વૈશેષિક દર્શન, વેદાંત વગેરેનો સારો અભ્યાસ પણ આ ગાળામાં થયો. ભણતરની સાથેસાથે પં. હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં યશોવિજય જૈન ગ્રંથમાળાના જેને ન્યાય અને વ્યાકરણને લગતા પ્રાચીન ગ્રંથોનું સંપાદન શરૂ કર્યું. પરિસ્થિતિ એવી પેદા થઈ કે આ પુસ્તકો પહેલા કલકત્તાની સંસ્કૃત કૉલેજની “તીર્થની પરીક્ષામાં અભ્યાસક્રમમાં દાખલ થયા અને પોતે જ્યારે વ્યાકરણ અને ન્યાયના તીર્થની પરીક્ષા આપી ત્યારે પોતે સંપાદિત કરેલા આ પુસ્તકોનો ઉપયોગ કર્યો અને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓની ગણના બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી. મુંબઈ એજ્યુકેશન બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં રૂ. ૭૫નું પારિતોષિક મળ્યું. સંસ્કૃતમાં કવિતા કરતા, પાદપૂર્તિ કરતા. તેમની તેજસ્વિતાને લીધે પૂ. મહારાજશ્રીએ તેમને માસિક રૂ. દસની સ્કૉલરશિપ આપવાનું કહેતાં તેમણે તેનો સાદર અસ્વીકાર કરતાં જણાવ્યું કે પાઠશાળા બધો ખર્ચ આપતી હોય તો આવી સ્કોલરશિપ કેમ લેવાય?
પૂ. મહારાજશ્રીની ઈચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત, અર્ધમાગધીમાં તો સારી એવી ફાવટ આવી ગઈ હતી. સૌરસેની, પૈશાચી, અપભ્રંશ જેવા વિવિધ રૂપોની ભાષાનો પણ સારો અભ્યાસ થયેલ. છતાં બૌદ્ધ ધર્મના જ્ઞાન માટે પાલિ ભાષાના જ્ઞાનની જરૂર હતી. પૂ. ધર્મસૂરિજી મહારાજશ્રીએ પં. હરગોવિંદદાસજી, ડો. સતીષચંદ્ર વિદ્યાભૂષણ અને પં. બેચરદાસજી આ ત્રણેયને પાલિ ભાષા અને બૌદ્ધ ત્રિપિટક શીખવા માટે શ્રીલંકા (સિલોન)માં કોલંબો મોકલ્યા. ત્યાં આઠ માસના અભ્યાસ દરમિયાન તેઓશ્રીની દર્શનિક ક્ષિતિજો ખૂબ વિકસી. ત્યાંથી પાછા આવીને કાશીમાં ફરીથી યશોવિજય ગ્રંથમાળાના પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કાર્ય ઉપાડ્યું.
તેઓમાં રાષ્ટ્રીયતાની પ્રબળ ભાવના હતી. બંગભંગની ચળવળથી દેશી કાપડ અને દેશી ખાંડ વાપરવાનો નિયમ તો કર્યો જ. વળી ઈ. સ. ૧૯૧૫-૧૬માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરતાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો. તેમનામાં સત્યજ્ઞાનની તીવ્ર ઝંખના હતી તેથી રાત્રે બે વાગે ઊઠીને આગમો કંઠસ્થ કરવા માંડ્યા. ભાષાઓનું જ્ઞાન તો હતું જ. તેમાં વાંચન અને ચિંતન ભળવાથી તેઓ સત્યશોધક બન્યા. જૈન સંસ્કૃતિના અભ્યદય માટે ક્રાંતિની ભાવના બળવત્તર બની. તેમને સ્પષ્ટપણે લાગ્યું કે તે માટે સંસ્કૃતમાં રચાયેલા મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને લોકોને માટે સુગમ બનાવવો જોઈએ. પોતાની આ ઇચ્છાને અનુરૂપ વાતાવરણ અમદાવાદમાં ઉદ્દભવ્યું. સં. ૧૯૭૭૧માં અમદાવાદમાં શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં આ કામ થઈ શકે તેમ હોવાથી તેમાં જોડાયા. આગમોના અનુવાદના વિરોધના તે સમયમાં અમદાવાદમાં મહાવીર જયંતીની એક સભામાં આગમોના અનુવાદ સંબંધી પોતાના વિચારો ૪૭૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #524
--------------------------------------------------------------------------
________________
વ્યક્ત કર્યા તેથી તેમની સામેનો વિરોધ ઉગ્ર બન્યો. છતાં તેઓ મક્કમ જ રહ્યા અને મુંબઈ જઈને આ કામ કરવા લાગ્યા.
મુંબઈમાં તા. ૨૫ જાન્યુઆરી ૧૯૧૯ના રોજ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું, જેનાથી વિરોધ પ્રબળ બન્યો. આ ભાષણ તેમના જીવનમાં સીમાસ્તંભરૂપ બન્યું. વિચારકો વિચાર કરતા થયા. અમદાવાદના સંઘે તેમને સંઘ બહાર કાઢ્યા, પરંતુ તેઓ દઢપણે માનતા કે લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય. થોડા સમય બાદ ભાવનગરથી પ્રસિદ્ધ થતાં “જેનમાં તમસ્તરણ' નામે તેમનો એક લેખ છપાયો જેનાથી સુધારકોમાં અને સમાજમાં ખળભળાટ પેદા થયો, પરંતુ આવા કપરા સમયમાં મહાત્મા ગાંધી જેવાએ તેઓને સાથ આપ્યો કે જો પોતાને દઢ વિશ્વાસ હોય તો સત્ય ન છોડવું. આ સમયમાં ગાંધીજી સાથેનો તેમનો પરિચય વધતો ગયો. ઈ. સ. ૧૯૨૧-૨૨માં ગાંધીજીએ સ્થાપેલ “ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં જોડાયા. અહીં પં. સુખલાલજીના સહકારમાં પૂ. આ. અભયદેવસૂરિજીની ટીકા સાથેના, શ્રી સિદ્ધસેન દિવાકરકૃત “સન્મતિતર્ક પ્રકરણ” ગ્રંથના સંપાદનનું દુષ્કર કાર્ય નમૂનેદ્યર રીતે કર્યું. આ સંપાદન પ્રાચીન આકર ગ્રંથોના સંપાદનમાં નમૂનેદાર ગણાય છે. ગાંધીજીને અને અન્ય વિદ્વાનોને તેમના આ કામથી ખૂબ સંતોષ થયો. જોકે ખૂબ ઝીણવટથી આ કામ કરતાં તેઓએ પોતાની ડાબી આંખની ઝાંખપ સદાને માટે વહોરી લીધી.
ઈ. સ. ૧૯૩૦ના સુપ્રસિદ્ધ દાંડીકૂચના પ્રસંગથી ઊઠેલા રણભેરીના નાદ પાછળ પંડિત બેચરદાસજી પણ અસર પામ્યા. મહાત્મા ગાંધીને જેલવાસ થયો તે સમય દરમિયાન તેઓ હસ્તલિખિત “નવજીવનના તંત્રી બન્યા, નવ માસ માટે વીસાપુરમાં જેલવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટ્યા પછી તેઓને બ્રિટિશ હકૂમતમાં દખલ થવાનો મનાઈહુકમ મળ્યો જે ઈ. સ. ૧૯૩૬ સુધી ચાલુ રહ્યો. આ સમયગાળામાં ૬-૭ જણના કુટુંબનું ભરણપોષણ કરવા માટે આજીવિકાનો પ્રશ્ન વિકટ હતો. આ ૪-૫ વર્ષ તેઓ મારવાડ, રાજસ્થાનમાં સ્થાનકવાસી સાધુઓ અને બીજાઓને ભણાવીને જીવનપંથ કાપતા રહ્યા. આ વર્ષોમાં પ્રાકૃત માર્ગોપદેશિકા' તથા અપભ્રંશ ભાષાના વ્યાકરણ ઉપરના પોતાના પુસ્તકનું લેખનકાર્ય કર્યું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ જૈન સાહિત્યમાં રહેલ સત્યનો પ્રચાર કરવાની તેમની તમન્ના જરાપણ ઓછી થઈ ન હતી. ૧૯૩૬માં કોંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકાર્યા પછી મનાઈ હુકમ ઊઠી ગયો. તેથી તેઓ ગુજરાતમાં આવી શક્યા. સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે જોડાયા. જિંદગીના ઉતાર-ચડાવમાં તેમના સહધર્મચારિણી શ્રી અજવાળીબહેનનો પૂરો સાથ-સહકાર હતો.
પંડિત બેચરદાસજી પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત વગેરે ભાષાઓના ઊંચી કોટિના વિદ્વાન હોવાથી દેશના અને દુનિયાના વિદ્વાનોમાં
સત્યશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી + ૪૭૫
Page #525
--------------------------------------------------------------------------
________________
તેઓનું માનભર્યું સ્થાન હતું. વિદ્વત્તાની સાથે તેઓ સત્યશોધક હતા, જે દુર્લભ યોગ ગણાય. જૈન સાહિત્યમાં રહેલ સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો ચીંધવાની ક્રાંતિકારી ભાવના તેમનામાં હોવાથી તેઓ સત્યને તેના ઉપર સાકરનો પટ ચઢાવ્યા વગર યથાતથ સ્વરૂપમાં રજૂ કરતા. આમ કરતી વખતે પોતાના ઉપર જે કોઈ મુશ્કેલી આવી પડે તેનો નીડરતાથી સામનો કરતા. સત્યજિજ્ઞાસુને તેઓ આત્મીય ભાવનાથી નિઃસ્વાર્થભાવે મદદ કરતા. તેમના આ વલણને કારણે જૈન આગમોને પ્રકાશિત કરવાનો અને તેના અનુવાદો પ્રસિદ્ધ કરવાનો માર્ગ ખુલ્લો થયો. યુનિવર્સિટીમાં તેઓના પ્રયત્ન દ્વારા પ્રાકૃતને સ્થાન મળ્યું. ભારત સરકારે તેઓને સંસ્કૃત માટેનો નેશનલ એવોર્ડ અર્પણ કરીને તેમને ગૌરવાન્વિત કર્યા.
નિર્ભય અને ક્રાંતિકારી, નમ અને મૃદુભાષી, વિરોધો અને મુશ્કેલીઓમાં પણ સમભાવે વર્તનાર પંડિત બેચરદાસજી ૯૨ વર્ષ જેટલું દીર્ઘ આયુષ્ય ભોગવીને ૧૧મી ઓક્ટોબર ૧૯૮રના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા.
દૈહિક મૃત્યુ તો કુદરતનો ક્રમ છે. પણ પંડિતજી અક્ષરદેહે અમર થઈ ગયા અને તેમનો અખૂટ સાહિત્ય વારસો સમાજને આપતા ગયા. તેઓએ લખેલા, સંપાદિત કરેલા, અનુવાદિત કરેલા ગ્રંથો તથા લેખોની સૂચિ Aspects of JainologyVol.IIમાં પૃ. ૧૩થી રરમાં રજૂ થયેલ છે. ડો. સલોનીબહેન જોષી દ્વારા તૈયાર થયેલ આ સૂચિમાંથી કેટલાક ગ્રંથો તથા લેખો પણ આપણને પંડિતજીની વિદ્વત્તાનો પરિચય આપી શકે તેમ છે.
તેઓએ લખેલ પુસ્તકોમાં ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ' (ઈ. સ. ૧૯૩૯), પર્યુષણના વ્યાખ્યાનો' (૧૯૩૦), પ્રાકૃત માગપદેશિકા' (૧૯૧૧), પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૫) વગેરે પુસ્તકો તેમની સાહિત્યસાધના અને ભાષાઓ ઉપરના પ્રભુત્વની ગવાહી પૂરે છે.
તેમના દ્વારા સંપાદિત / અનુવાદિત ગ્રંથો પણ વિદ્વાનોને માર્ગદર્શક બની રહેલ છે. “અનેકાંત જયપતાકા' (૧૯૧૪), “અભિધાન ચિંતામણિ કોશ', “પાઈઅ લચ્છી નામમાળા' (૧૯૧૮), 'ભગવતી સૂત્ર (બે ભાગ), દેશી શબ્દસંગ્રહ' (૧૯૭૪), જૈન કથાનકોશ' (૧૯૫૧), ધમ્મપદ (૧૯૫૮), સિદ્ધ હેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ' (૧૯૮૧), “ભગવાન મહાવીરના દશ ઉપાસકો' (૧૯૩૧), “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' (૧૯૩૧), ‘વિશેષાવશ્યક ભાષ્ય-૩ (૧૯૬૮) જેવા પુસ્તકો નોંધપાત્ર છે.
પુરાતત્ત્વ', જૈન સાહિત્ય સંશોધક, પ્રસ્થાન, બુદ્ધિપ્રકાશ', ફાર્બસ ત્રમાસિક, અખંડ આનંદ, ભારતીય વિદ્યાઓ, જૈન જગત', 'પ્રબુદ્ધ જીવન”, “સ્ત્રી જીવન, જૈન વગેરે સામયિકોમાં ભાષા, વ્યુત્પત્તિ, ધર્મવિચાર વગેરે વિષયોને લગતા તેઓના લખેલા તુલનાત્મક લેખો અવારનવાર આવ્યા કરતા. જેમ કે શિક્ષણ અને સાહિત્યમાં શબ્દોનો વંશ અંગે વીસેક અંકોમાં તેઓના લેખો આવ્યા. “કોડિયુંમાં
૪૭૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #526
--------------------------------------------------------------------------
________________
શબ્દોનું પૃથક્કરણ અંગે આઠેક લેખો આવ્યા. પારસીક પ્રકાશ' નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને તે જ નામના ફારસી ભાષાના વ્યાકરણના પરિચય અંગેનો મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં આવેલ લેખ તેમના ભાષાવૈવિધ્યનો ખ્યાલ આપે છે.
બનારસ સર્વ સેવા સંઘ દ્વારા ૧૯૭૫માં સંસ્કૃત છાયા પરિશોધન સાથે તેમના દ્વારા તૈયાર થયેલ “સમણસુરમ્ ખૂબ આવકાર પામ્યું. તેઓએ “મહાવીરવાણી' પુસ્તકનું સંપાદન સર્વધર્મસમભાવથી કર્યું. બ્રાહ્મણધર્મ, બૌદ્ધ ધર્મના ગ્રંથો, બાઈબલ, કુરાન જેવા ગ્રંથો સાથે તુલનાત્મક અભ્યાસથી લખેલ આ પુસ્તકની પ્રસ્તાવના સ્વામી આનંદે લખી છે. જૈન સાહિત્યના રત્નાગારમાંથી અણમૂલા રત્નોને વણીને આપણી સમક્ષ મૂક્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ વિનોબાજી અને અન્ય વિદ્વાનોએ પણ આ પુસ્તકને આવકાર્યું છે.
પોતાની આવી વિશિષ્ટ સાહિત્યસેવાને કારણે પંડિત બેચરદાસજી હંમેશાં યાદ રહેશે.
૧.
૨.
સંદર્ભગ્રંથસૂચિ સંગીતિ: લે. પં. બેચરદાસ જીવરાજ દોશી, સં. જિતેન્દ્ર બી. શાહ પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, આવૃત્તિઃ પહેલી, ડિસેમ્બર ૨૦૦૩, કિંમત રૂ. ૧૮O-, પૃ. ૧૮+૨૮૪ Aspects of Jainology: Vol. II: ‘Pt. Bechardas Doshi - Commemoration Volume': Editors : Prof. M. A. Dhaky, Prof. Sagarmal Jain, Published: P. V. Research Institute Varanasi-૫, 1st Editionઃ A. D. ૧૯૮૭ Price: Rs. ૨૫૦/
માલતી કે. શાહ ૨૨, શ્રીપાલ ફ્લેટ, દેરી રોડ, કૃષ્ણનગર,
ભાવનગર-364001
M. 9824894669 R. 0278-2205986
સત્યશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી + ૪૭
Page #527
--------------------------------------------------------------------------
________________
- આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી
જયશ્રી દોશી
અિભ્યાસુ જયશ્રીબહેને સાંસારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા પોતાનો સાહિત્યપ્રેમ જાળવી રાખ્યો છે તેનો નમૂનો વ્યવસ્થિત રીતે લખાયેલ આ લેખ પૂરો પાડે છે. – સં.)
ભારતની પુણ્યભૂમિમાંથી તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પૈગામ ગાજતો કર્યો. એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જ્યોતિર્ધરો સમયે સમયે આ ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની જ્યોતને ઝળહળતી. રાખતા રહ્યા. મુનિશ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક પુરુષ છે. તેઓશ્રીનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના અભૂતપૂર્વ કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે તેવું છે.
મહારાજશ્રીનું મૂળ વતન કપડવંજ. ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલ કપડવંજનું શાસ્ત્રોના ઉદ્ધારમાં પણ વિશિષ્ટ અર્પણ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણા પવિત્ર આગમસૂત્રોમાંના નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. તથા આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષો – પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂજ્ય આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને પ્રાપ્ત થયું છે.
મુનિશ્રી પુણ્યવિજયજીનો જન્મ ઈ. ૧૮૯૫, સત્તાવીશમી ઓક્ટોબર, રવિવારે થયેલો. વિ. સં. પ્રમાણે કાર્તિક સુદ પાંચમ જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા મુનિશ્રીએ આજીવન તીવ્ર જ્ઞાનોપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યો.
મુનિશ્રીનું જન્મનામ મણિલાલ હતું. પિતા ડાહ્યાભાઈ ધંધાર્થી હોવા છતાં ધર્મબુદ્ધિવાળા તેમજ માતા માણેકબહેન તો પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સનારી હતાં. એ સમયે આપણા દેશમાં કન્યાકેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું. ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ
૪૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #528
--------------------------------------------------------------------------
________________
અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે.
મણિલાલ જ્યારે ચારેક માસના હતા અને ઘોડિયામાં ઝૂલતા હતા એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માતા નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ એકાએક મહોલ્લામાં આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. એ વખતે ત્યાંથી પસાર થતા એક મુસલમાન વહોરા ભાઈએ મકાનમાંથી આવતો બાળકનો રુદનનો સ્વર સાંભળ્યો. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે તરફ ધસી જઈ, અગનજ્વાળા વચ્ચે પારણામાં સૂતેલા બાળકને લઈને વહોરાભાઈ બહાર નીકળી ગયા.
આ તરફ માતા નદીએથી પાછી ફરી. આગમાં ભરખાયેલું પોતાનું મકાન જોતાં એણે માની લીધું કે પોતાનો પુત્ર જરૂર આગમાં સ્વાહા થઈ ગયો હશે, પરંતુ બીજા દિવસે વહોરા ભાઈએ માતાનો પુત્ર એના હાથમાં મૂક્યો. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વવર્ય વિભૂતિના પ્રાકટ્યનો દૈવી સંકેત કોણ કળી શક્યું હશે?
અકસ્માતના બનાવ બાદ પિતાશ્રી ડાહ્યાભાઈ માતા-પુત્રને મુંબઈ પોતાની પાસે લઈ ગયા. મુંબઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં જ પિતાનું અવસાન થયું. ધર્મનિષ્ઠ વિધવા માતા માણેકબહેનનું અંતર વૈરાગ્ય ઝંખી રહ્યું હતું, પરંતુ પુત્રની બાળવય જોઈને વિચારમાં પડી ગયાં. આખરે પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ શ્રેય માન્યું. બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજયજીના મુનિમંડળને ચરણે સોંપ્યો. વિ.સં. ૧૯૬૫ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. ત્યારે તેઓની ઉંમર ચૌદ વર્ષની હતી. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા અંગીકાર કરી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી અપાયું.
મુનિશ્રી પુણ્યવિજયજીની સાચી કેળવણીનો પ્રારંભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. પ્રગુરુ કાંતિવિજયજી અને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજયજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યા. ગુરુ ચતુરવિજયજી તો સંશોધન અને સંપાદન પ્રવૃત્તિમાં ઊંડો રસ ધરાવતા હતા. એમના જ સહવાસથી મુનિશ્રીમાં સંશોધનની જિજ્ઞાસા મહોરી ઊઠી, જેના ફળરૂપે સુદીર્ઘ સંશોધનપ્રવૃત્તિ જોઈ શકાય છે.
પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હોઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને સતત અઢાર વર્ષ એમની પાસે સેવાર્થે પાટણમાં જ રહેવાનું થયેલ. મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સૈકાઓથી સંઘરાયેલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમિયાન અવલોકન
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૭૯
Page #529
--------------------------------------------------------------------------
________________
કર્યું. જુદાજુદા જ્ઞાનભંડારોની અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાના પ્રયત્ન રૂપે, અત્યંત પરિશ્રમ ઉઠાવી ભંડારોનાં સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ.
દીક્ષાનાં શરૂઆતનાં વર્ષોમાં પંડિત સુખલાલજી તથા અન્ય શિક્ષકો પાસેથી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. જેમાં સંસ્કૃત માર્ગોપદેશિકા, “સિદ્ધહેમ લઘુવૃત્તિ', હેમલઘુપ્રક્રિયા', “ચંદ્રપ્રભા વ્યાકરણ’, ‘હિતોપદેશ', ‘દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને ગ્રંથોનું પરિશીલન કર્યું. કાવ્યાનુશાસન, તિલકમંજરી', “તર્ક સંગ્રહ' તેમ જ છંદોનુશાસન જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથોનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમના જ્ઞાનની ક્ષિતિજો અને દૃષ્ટિકોણોનો અદ્ભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્ત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યાર્થીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચ બુદ્ધિમત્તા, જ્ઞાનોપાસના અને શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં મુનિશ્રીજીમાં જે દર્શન થાય છે તે અદ્દભુત પ્રેરણાબળ આપનારાં છે. કોઈ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કે પછી અમુક વર્ષો સુધી એકાગ્ર બની અભ્યાસ કર્યા પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કાર્ય શરૂ થયું હોય તેવું તેમના જીવનમાં બન્યું ન હતું. વિદ્યાભ્યાસની સાથે શાસ્ત્ર-સંશોધનની પ્રવૃત્તિ પણ ચાલતી જ રહી. સંશોધન અને કેળવણી અન્યોન્ય પૂરક બન્યાં હતાં. | મુનિશ્રીજીની સંશોધન પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્રરચિત સંસ્કૃત કૌમુદી - મિત્રાનંદનાટકનું ઈ. ૧૯૧૭માં સંપાદન કર્યું. ત્યારથી ગણી શકાય. ત્યાર પછી ૧૩મી સદીમાં થયેલા મુનિ રામભદ્રના પ્રબુદ્ધ રૌહિણેય’ નાટકનું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેઘપ્રભુનું ધમલ્યુદય – છાયા’ નાટક સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “ઐન્દ્રસ્તુતિ – ચતુર્વિશતિકાનું સંપાદન એમણે ઈ. ૧૯૨૮માં કર્યું.
સંપાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ઈ. ૧૯૩૩થી ૪૨ સુધીમાં પ્રગટ થયેલ “બૃહત્કલ્પસૂત્રના નિર્યુક્તિ અને ટીકા સાથેના છ ભાગ, ‘વસુદેવ હિંડીના બે ભાગ તથા અંગવિજ્જા, “આખ્યાનક મણિકોશ', “કલ્પસૂત્ર', નંદિસૂત્ર' વગેરે પર આધારિત છે. અનેક જ્ઞાનભંડારોની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિઓ એમની અથાક શ્રમશીલતા અને અભુત ધીરજની દ્યોતક છે. જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ દાદ માગી લે તેવી છે.
જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડંગ નિર્ધાર સાથે આશરે ઈ. સ. ૧૯૫૦માં અમદાવાદથી રેલવેના પાટે પાટે પદયાત્રા આરંભી, હો ફાટતાં પહેલાનાં અંધારામાં ચાલતાં ચાલતાં તેઓ પંદરથી સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દેવીકૃપાએ આબાદ રીતે ઊગરી ગયા અને ઊભા થઈને ફરી તેર માઈલનો પગપાળા પ્રવાસ કાપ્યો.
૪૮૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #530
--------------------------------------------------------------------------
________________
ત્યાં પહોંચ્યા પછી પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મરુભોમમાં વેરવિખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારો પડવો, બળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવો, જ્ઞાનભંડારના નિયમકડ રક્ષકોને રીઝવવા, આ બધું જ સહીને જેસલમેરના જ્ઞાનભંડારમાં સંશોધન કાર્ય હાથ ધર્યું. ત્યાંના દોઢેક વર્ષના રોકાણ દરમિયાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રોટલા ને જાડી દાળ પર જ એઓશ્રી દિવસો ગુજારતા. પીવાના પાણીની પણ ભારે તંગી રહેતી, પરંતુ આ સંકટમય સંજોગો એઓશ્રીની અવિરત કર્મયાત્રાને સહેજ પણ થંભાવી શક્યા નહિ. આખા ભંડારને પુનર્વ્યવસ્થિત કર્યો તેમ જ શ્રમસાધ્ય વિસ્તૃત સૂચિ તૈયાર કરી. દુષ્માપ્ય હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીઓની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એનો ઉપયોગ કરી શકે. આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના પણ અનેક અભ્યાસીઓએ ઉપયોગ કર્યો પણ છે. જેસલમેરનું કાર્ય મુનિશ્રીજીની તીવ્ર જ્ઞાનોપાસના, દૂરંદેશીપણું તેમ જ અપાર ખંતની ગવાહી પૂરે છે.
જૈન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાઓ તૈયાર કરવાનો એમનો પુરુષાર્થ શિરમોર સમાન છે. પિસ્તાળીશ જેટલા જેન આગમોનો, એની નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો પ્રથમ તો કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો, ત્યાર પછી સંનિષ્ઠ લહિયાઓની મદદથી એમણે સંપાદન તૈયાર કર્યા. એ સમયે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ. છતાંય પોતાનું અજાચક વ્રત એમણે છોડ્યું નહિ. ઈ. ૧૯૪૬૪૮માં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને જાણ થતાં એમણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરી આપ્યું, એટલું જ નહિ પણ મુનિજીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યું. આ આગમોની છેલ્લી વાચનાઓ લગભગ પંદર સો વર્ષ પૂર્વે વલભીપુરમાં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી, ત્યાર પછી છેક આ સમયે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી એ જૈનધર્મમાં અને આ સદીના સંપાદન ક્ષેત્રે અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે.
મહારાજશ્રીએ વિશાળકાય બૃહતકલ્પસૂત્રનાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુસ્વામી પહેલા કે બીજા” એ વિષયનો એક લેખ તૈયાર કરેલ. તેમણે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષણ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહિ પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુસ્વામી રચિત લાગે છે. એમનો આ નિર્ણય જૈન સાધુસમાજમાં નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુસ્વામી રચિત છે. એવી માન્યતાઓ સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંયે પ્રમાણો આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખેલ જે એક જેને માસિક પત્રમાં પ્રગટ કરવા આપવામાં આવ્યો. પરંતુ માસિક પત્રના
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૧
Page #531
--------------------------------------------------------------------------
________________
તંત્રીને આ નિર્ણય સામે ડર લાગતાં તે લેખ પરત કર્યો. જે બાદમાં મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબીલી ગ્રંથમાં પ્રસિદ્ધ થયો, પરંતુ તેમની દલીલો સામે કોઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી. તેઓશ્રીના આવા વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વત્તા અને પ્રતિભાનો પરિચય મળે છે.
આગમ સંપાદનના દુષ્કર કાર્ય વિશે મુનિશ્રીજીએ એક વક્તવ્યમાં જણાવેલ કે – “દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે એમ કહેવાની અને હિંમત નથી કરતા. હું તો ઇચ્છું કે અમે જે આ કામ કરીએ છીએ તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ કેવી રીતે પાર પાડવું તે પણ સામે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે જે કંઈ ર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.'
નિઃસ્પૃહયોગી પૂ. શ્રી પુણ્યવિજયજી આગમનું સંશોધન પોતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. જાણે “આગમસંશોધન માટે તો ભેખ જ લીધો હતો. આવા આગમોના ખજાનચી અધ્યાત્મ જગતમાં એમના કામથી અમર બની ગયા છે.
સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતો, પ્રત નાની હોય કે મોટી, અધૂરી હોય કે પૂરી દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમજ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમજ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોઈ જીર્ણ ગ્રંથના પુનરુદ્ધાર માટે જરૂરી માવજત બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોના સેળભેળ થયેલા પાનાઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની સૂઝ અને નિપુણતા અસાધારણ હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કેટલીય પ્રતો તેમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો સમાવેશ થતો. આ રીતે પ્રાચીન પ્રતોની સુરક્ષિતતા શક્ય બની.
મહારાજશ્રી, ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર તથા ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી કોઈક સ્થાને તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ૪૮૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #532
--------------------------------------------------------------------------
________________
ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી, જે કષ્ટ સાધ્યા, વિહારો કર્યા તે તપસાધના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.
મુનિશ્રી પુણ્યવિજયજીએ જેને સાહિત્યને ગૌરવાંક્તિ બનાવવા પૂરતું જ લક્ષ્ય ન રાખતાં એમણે સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી અને ઉલ્લાઘરાઘવ નાટક જેવી અજેન કૃતિઓનું પણ સંપાદન કર્યું છે.
સંપાદનોની જેમ એમના લેખો પણ વિવિધલક્ષી છે. એમના ૪૧ લેખો ગુજરાતીમાં, ૧૩ લેખો હિંદીમાં અને ૩ સંસ્કૃતમાં છે. ગુજરાતી લેખો પૈકી ‘આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો’ એ વિષયના અભ્યાસીઓને માટે આકર્ષક છે. સ્તુતિ, સ્તોત્રોના ઐતિહાસિક મૂલ્યાંકન અંગે એમનો સ્તુતિસ્તોત્રાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન' નામક લેખ ઉપયોગી થઈ પડે તેમ છે.
હિંદી લેખોમાં “જૈન આગમધર ઔર પાકત વામય' તેમ જ “નંદિસૂત્રકે પ્રણેતા તથા ચૂર્ણિકાર જૈન આગમધરો અને પ્રાકૃત સાહિત્ય ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આમાંના પ્રથમ લેખમાં એમણે આર્ય રક્ષિતસૂરિને અનુયોગદ્વારના પ્રણેતા કહ્યા છે તે વિચારણીય છે.
સ્થાને અસ્થાને પંચાગી'નો પોકાર કરનારને જૈન સાધુ સંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નનો નિર્ણય (!)' નામનો લેખ પ્રસાદી પૂરી પાડે છે.
જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સખાવતથી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ.સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમુલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. જ્ઞાનોદ્ધારક સાધુપુગંવોની ત્રણ પેઢીનો હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રતો સંઘરવામાં આવી હતી તે આ વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્ઘાટન શ્રી જવાહરલાલ નહેરુના હાથે થવાનું હતું. પૂજ્યશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનના નિરીક્ષણ માટે શ્રી નહેરુના કાર્યક્રમમાં હતી પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂજ્યશ્રી સાથે પ્રદર્શનમાં અડધો કલાક ગાળ્યો. આવી મહત્ત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. સચિત્ર હસ્તપ્રતોનો અમૂલ્ય વારસો તેમણે આ સંસ્થાને સોંપ્યો છે. ગુજરાતના ગૌરવસમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. પ્રાચીન ગ્રંથો અને જ્ઞાનભંડારની સૂચિઓને લીધે દેશ-વિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકિત થઈ છે.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૩
Page #533
--------------------------------------------------------------------------
________________
ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી)ના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના અનુયાયીઓ અને પ્રશંસકોએ ભક્તિભાવ નિમિત્તે, તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી ૧૮૯૬માં કરેલ હતી. આ સભાનો એક હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો હતો. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ તેમજ શ્રી પુણ્યવિજયજી મ.સા.નો પુરુષાર્થ અસાધારણ રહ્યો છે. શ્રી ચતુરવિજયજી મ. સાહેબે વિ. સં. ૧૯૬૬માં, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા એવું નામ આપીને તેને સરળ બનાવવાનો ભાર પોતે જ ઉપાડી લીધો, ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉંમર માત્ર ચૌદ પંદર વર્ષની હતી. અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી, પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને વિ.સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી, આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી.
શ્રી આત્માનંદ ગ્રંથમાલામાં નાનામાં નાનાં અને મોટામાં મોટાં અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાં-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની વિશેષતા છે. જેને શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્ય-નાટક વિષયક વિધવિધ સાહિત્યના જે ગ્રંથો પ્રસિદ્ધ થયા તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથોના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી ગુરુ-
શિષ્યની આ બેલડીને આભારી છે. બૃહત્કલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથો (બે ભાગમાં), ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર મહાકાય (ચાર પર્વ, બે ભાગમાં) વસુદેવ હિંડી બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથોનું તેમનું સંશોધન-સંપાદન સગવિશુદ્ધ, શાસ્ત્રીય તેમ જ એના પ્રસ્તાવના, પરિશિષ્ય અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવા છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે, જે શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની કીર્તિગાથા બની રહે એવી છે.
સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે સમયના માનદ્દમંત્રી શ્રી ચંદુલાલ શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો, જે તેઓએ મહારાજશ્રીને જણાવતાં પંડિત દલસુખભાઈ સાથે વિચારવિનિમય કરીને આગમો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી અને આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. તે યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો! ૪૮૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #534
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથી પંડિત ન બની જવાય એની તેઓશ્રી સતત જાગૃતિ રાખતા હતા. કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા. એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું, અમૃત હતું. શિષ્યો વધારવા, નામના મેળવવાના કે પદવી લેવાના મોહથી તેઓ તદ્દન
અલિપ્ત અને અળગા હતા. આચાર્ય પદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતીનો તેઓએ દૃઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ.સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમ પ્રભાકર'નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ.સં. ૨૦૧૭માં મુંબઈના શ્રીસંઘે મહારાજશ્રીને આચાર્ય પદવી માટે ખૂબ આગ્રહ કરેલો જેનો વિવેકપૂર્વક ઇન્કાર કરેલો. છેવટે એ જ વર્ષમાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, તેમની જાણ બહાર, શ્રીસંઘ સમક્ષ તેઓને “શ્રુતશીલવારિધિની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું.
મહારાજશ્રીએ ઉદાર જ્ઞાનસાધનાને કારણે દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યા હતા, તે ખરેખર વિરલ હતા. મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ આ રહી નીચેની વિગતોઃ ૧. કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં પીએચ.ડી. માટેના મહાનિબંધના
પરીક્ષક નીમવામાં આવ્યા હતા. ૨. સને ૧૯૫૯માં, અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦મા
અધિવેશન દરમિયાન ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની
વરણી કરવામાં આવી હતી. ૩. વિ. સં. ૨૦૦૯ની સાલનો “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્ર
ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી મહારાજશ્રીને અર્પણ
કરવામાં આવ્યો હતો. ૪. વિ.સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકરની પદવી
અર્પણ કરી. ૫. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં કાશમીરમાં મળેલ
એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ તરીકે
મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. ૬. સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીના માનદ
સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. ૭. વિ.સં. ૨૦૧૭માં, મુંબઈમાં વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ
શ્રીસંઘની હાજરીમાં આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મ.સાહેબે તેઓશ્રીને શ્રુત શીલવારિધિની યથાર્થ પદવી આપી હતી.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૫
Page #535
--------------------------------------------------------------------------
________________
તેર વર્ષના જીવનકાળમાં પચાસથીય વધુ વર્ષ શ્રી પુણ્યવિજયજી મ. સાહેબે કૃતની સેવામાં સમર્પી દીધા હતા. સંગ્રહણી જેવા કષ્ટદાયક રોગથી, ઘણા લાંબા સમય સુધી, પરેશાન રહેવા છતાં એમણે અપ્રમત્તપણે શાસ્ત્રજ્ઞાનની ઉપાસના કરી હતી. સન ૧૯૧૭માંૌમુદીમિત્રાનંદ નાટકમ્ સંપાદન – પ્રકાશનથી આરંભાયેલું એમનું જ્ઞાનકાર્ય સન ૧૯૭૧માં પ્રગટ થયેલા પન્નવણાસુત્ત (ભાગ બીજો) સુધી પથરાયેલું છે.
એક માહિતી મુજબ મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાંજુદાં ચાલીસ ગામોના જૈન ભંડારોને વ્યધ્વસ્થિત કરવાનું તથા પચાસ જેટલા ભંડારોમાં બેસીને સંશોધન કરવાનું કામ કર્યું હતું. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનગ્રંથો તથા બે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.
આવા એક જ્ઞાનતપસ્વી તેમ જ જ્ઞાનગરિમાથી શોભતા, સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અસામાન્ય પ્રકારના વિદ્વાન, લિપિવિદ્યાના ઉચ્ચ કોટિના જ્ઞાતાએ મુંબઈમાં વિ.સં. ૨૦૨૭ જેઠ વદ ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારે આ લોકથી વિદાય લીધી. તેઓશ્રીની ઉત્કટ જ્ઞાનભક્તિની અમરકથા જૈન અધ્યાત્મજગતમાં હંમેશાં ગુંજતી રહેશે ! ભાવભરી વંદના હોજો જૈન શાસનના ગુરુવર્યને..
તેઓશ્રીના હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકો ઘડાયા છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જૈન, મૂર્તિશાસ્ત્રના અભ્યાસી શ્રી શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય તેમના શિષ્યો રહ્યા. ડૉ. બેંડર, ડૉ. આલ્સડોર્ફ, શ્રી મધુસૂદન મોદી, પ્રો. કાન્તિલાલ વ્યાસ, શ્રી જિતેન્દ્ર જેટલી ઈત્યાદિ વિદ્વાનો પણ પોતાના સંપાદન - સંશોધનકાર્યમાં તેમની પાસેથી સમયે સમયે કીમતી માર્ગદર્શન પામતા રહ્યા.
મુનિશ્રી લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના અસાધારણ જ્ઞાતા હતા. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દીમાં લખાઈ છે તેનો ચોક્કસ નિર્ણય લઈ શકતા. તેમજ પોતે જે લિપિનો એકવાર પરિચય કરતા તે અણિશુદ્ધપણે લખી પણ શકતા. તેઓશ્રીની આ અને આવી વિરલ શક્તિઓ હેરત પમાડનાર છે. તેઓશ્રીની જ્ઞાનસાધનાના પરિપાકરૂપે પ્રાપ્ય જાણકારી તેઓશ્રીનાં લખાણમાંથી મળે છે, જ્ઞાનભંડારોની સમૃદ્ધિ વિશે જણાવતાં તેઓશ્રીએ નીચેની રસપ્રદ માહિતી રજૂ કરેલ. તેના થોડા અંશો.
આપણા જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું જે જૈનજૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી - દિલ્હી તરફથી પ્રસિદ્ધ થયેલ સંવની નામનો ગ્રંથ, એના પરિશિષ્ટો અને પ્રસ્તાવનાઓ જોવા ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકૃત અને સંસ્કૃત કોશોને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે.
આચાર્યશ્રી શ્રી હરિભદ્રસૂરિત મહિ, સાધારણકવિકૃત ૪૮૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #536
--------------------------------------------------------------------------
________________
વિસ્તારવી , ધાતિલકવિકૃત પરમસિરિ૩િ અને તઉપરાંત દેવેન્દ્રસૂરિકૃત उत्तराध्ययनसूत्रवृति, कुमारपालप्रतिबोध, उपदेशमालादोघट्टीवृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति, भवभावनांप्रकरणस्वोपज्ञवृत्ति समां मावती मने કથાઓ, એ અપભ્રંશ કોશનાં સાધનો છે. આ ઉપરાંત દિગંબર આચાર્ય કૃત અપભ્રંશકૃતિઓ સંખ્યામાં અને પ્રમાણમાં ઘણી મોટી છે, જેનો આ કોશ માટે ઉપયોગ કરવો એ અતિમહત્ત્વની વાત છે. ગુજરાતી કે લિપિમાં મુદ્રિત વિદ્ધાન યો યો જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનોની કૃતિઓ ઉપલબ્ધ છે જે વીસરી શકાય નહિ.
જેન આગમો, કર્મ સાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથો, સિદ્ધહેમ સારસ્વત આદિ જેવાં વ્યાકરણો, રઘુવંશ આદિ મહાકાવ્યો, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદક, જ્યોતિષ, ગણિત આદિ અનેક વિષયોના ગ્રંથો ઉપર વિક્રમની પંદરમી, સોળમી, સત્તરમી સદીમાં રચાયેલ બાલાવબોધો અને સ્તબકોની પ્રાચીન હસ્તપ્રતિઓ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે જે ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશો તૈયાર કરવા માટે ઘણી ઉપયોગી છે.
આપણા જ્ઞાનભંડારોમાં કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે. જૈન કવિઓ આદિએ જે વિવિધતા આણી છે અને વિશેષતા જાણવા માટેના જે સંકેતો છે, તે જાણવા જેવા છે. તેનાં નામોનો નિર્દેશ માત્ર અહીં છે – ૧. સંધિ, રાસ, ચતુષ્પદી – ચઉપઈ – ચુપઈ – ચુપદી – ચોપઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા ૨. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલો, સલોકો, હમચી-હમચડી, નીસાણી, ગબ્બરનીસાણી, ચંદ્રાઉલા, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બહ્મગીતા, લુઅરી, વેલી, ગુહલી, હાલરડુ, નિશાલગરણું, જમણિયા-ભોજનિયાં, હરિઆલી-હીઆલી, ગરબા. ૩. ફાગ, વસંત, હોરી, ધમાલ-ધમાર, ચર્ચરી, નવરસો, રાગમાળા, બારમાસા, ૪. ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિથઈ, થોય, ચોવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ પૂજા, દેવવંદન, આરતી મંગળદીવો. ૫. સઝાય, ઢાળ, ઢાળિયાં, ચોઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચોક, બારભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પય-છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુહા-દોધક-દુગ્ધઘટ તેમજ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ઉપર અનુવાદ રૂપે જે સાહિત્ય રચાયું તે સ્તબક-સ્તિબુક, ટબો, બાલાવબોધ, બોધ, વાર્તિક, વચનિકા, અવચૂરી આદિ નામોથી ઓળખવામાં આવે છે.
આપણાં જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષામાં તે ગ્રંથરાશિ ઉપરની વ્યાખ્યાઓનાં ભિન્ન ભિન્ન નામો અને સંકેતો, તેમજ લેખન પદ્ધતિને લઈ આપણી હાથપોથીઓ અંગેના સાધનો તેમ જ તે સંબંધિત લેખન આદિ સાધનોનાં ઘણાં નામો, શબ્દો અને સંકેતો તેમ જ અન્ય વિશિષ્ટ પરિભાષા અને સંકેતોનું ઊંડું જ્ઞાન આપણા વિશાળ જ્ઞાનભંડારોનું અવલોકન કરનારને મેળવવું જરૂરી છે. જે જ્ઞાનભંડારોની યાદીઓ, સૂચિઓ કે ટીપો, એનું અવગાહન અને પૃથક્કરણ વ્યવસ્થિત કરવામાં ઉપયોગી બનશે.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૭
Page #537
--------------------------------------------------------------------------
________________
આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી કમેક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં એ જાણવા વિશે જુદાજુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદાજુદા મરોડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે.
સાહિત્યસંશોધન અને જ્ઞાનભંડારોનું અવલોકન તેઓશ્રીએ તથા તેમના ગુરુ અને દાદાગુરુની છત્રછાયામાં તેઓની સત્તર વર્ષની આયુથી કરેલ. તેમના વ્યાપક ગ્રંથસંશોધન અંગે જ્ઞાનભંડારોના અવલોકનના પરિણામે તેઓની ફુરણાના અંશો તેઓશ્રીના વ્યાખ્યાનો અને વિશિષ્ટ લેખોમાં ઉપલબ્ધ છે.
- પૂજ્યશ્રીની અજોડ વિદ્વત્તા તથા અનેકવિધ શાસનસેવાનાં કાર્યોથી તેઓશ્રીનું નામ જૈન શાસનના ગગનમાં સદાય ચમકતું અને પ્રકાશનું રહેશે. ફરીફરી જૈન શાસનમાં આવાં ધર્મવીરોની ઉત્પત્તિ થાઓ. એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ.
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી સંપાદિત ગ્રંથો ૧. મુનિ રામચંદ્રકૃત કૌમુદીમિત્રાનંદ નાટક
ઈ.સ. ૧૯૧૭ ૨. મુનિ રામભટ્ટકૃત પ્રબુદ્ધ રૌહિણેય નાટક
૧૯૧૮ ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્ય વિરચિત ધર્માલ્યુદય (છાયાનાટક) ૧૯૧૮ *૪. ગુરુતત્ત્વવિનિશ્ચય
૧૯૨૫ ૫. ઉપાધ્યાય યશોવિજયજીકૃત ઐન્દ્રસ્તુતિ ચતુર્વિશતિકા ૧૯૨૮ *૬. વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવ-હિલ્ડિ
૧૯૩૩૧ *૭. કર્મગ્રંથ (ભાગ ૧-૨).
૧૯૩૪-૪૦ *૮. બૃહકલ્પસૂત્ર – નિયુક્તિ ભાષ્યવૃત્તિયુક્ત (ભાગ ૧-૬)
૧૯૩૩-૩૮
તથા ૧૯૪૨ ૯. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા
૧૯૩૫ ૧૦. પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત જતકલ્પસૂત્ર સ્વપજ્ઞભાષ્ય સહિત
૧૯૩૮ ૧૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત
સકલાર્તસ્તોત્ર શ્રી કન શલગણિ વિરચિત વૃત્તિયુક્ત ૧૯૪૨ ૧૨. શ્રી દેવભદ્રસૂરિકત કયારત્નકોશ
૧૯૪૪ ૧૩. શ્રી ઉદયપ્રભસૂરિકત ધર્માલ્યુદય મહાકાવ્ય
૧૯૪૯ ૧૪. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણિત
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – મહાકાવ્ય પર્વ ૨, ૩, ૪) ૧૯૫૦ ૧૫. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ
૧૯૫૧ ૧૬. કલ્પસૂત્ર – નિર્યુક્તિ, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જર અનુવાદ સહિત
૧૯પર ૪૮૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #538
--------------------------------------------------------------------------
________________
૧૭. અંગવિજ્જા
૧૯૫૭ ૧૮. સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી તથા અરિસિંહકૃત સુકૃતસંકીર્તન ૧૯૬૧ ૪૧૯. સુકૃતકીર્તિ કલ્લોલિન્યાદિ વસ્તુપાલ – પ્રશસ્તિસંગ્રહ ૧૯૬૧ ૨૦. સોમેશ્વરકૃત ઉલ્લાઘરાઘવનાટક
૧૯૬૧ 29. Descriptive Catalogue of Palm -
leaf Mss. in the Shantinath Bhandar Cambay, Vol. I-II
૧૯૬૧-૧૯૬૬ 22. Catalogue of Sanskrit and Parkrit
Mss of L. D. Institute of Indology ૧૯૬૩, ૧૯૬૫, Parts I-IV
૧૯૬૮, ૧૯૭૨ ૨૩. શ્રી નમિચન્દ્રાચાર્યત આખ્યાનકમણિકોશ, આમ્રદેવસૂરિકૃત વૃત્તિ સહિત
૧૯૬૨ x૨૪. શ્રી હરિભદ્રસૂરિકત યોગશતક સ્વોપજ્ઞ વૃત્તિયુક્ત તથા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય
૧૯૬૫ ૨૫. સોમેશ્વરકૃત રામશતક
૧૯૬૬ ર૬. નન્દીસૂત્ર – ચૂર્ણિસહિત
૧૯૬૬ ૨૭. નન્દીસૂત્ર – વિવિધ વૃત્તિ યુક્ત
૧૯૬૬ +૨૮ આચાર્ય હેમચન્દ્રકૃત નિઘંટુ શેષ શ્રી શ્રીવલ્લભગણિત ટીકા સહિત
૧૯૬૮ +૨૯. નંદિસુત્ત અણુઓગદ્યરાઈ ચ ૩૦. જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાય ષષ્ટિપૂર્તિ
સમારોહ પ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો
તથા મહારાજશ્રીને અંજલિ આપતા લેખોનો સંગ્રહ) ૧૯૬૯ +૩૧. પન્નવણાસુર (પ્રથમ ભાગ)
૧૯૬૯ +૩૨. પન્નવણાસુર (દ્વિતીય ભાગ)
૧૯૭૧ ૩૩. જેસલમેરજ્ઞાનભાડારસૂચિપત્ર
૧૯૭૨ ૩૪. પત્તનજ્ઞાનભાડાર સૂચિપત્ર ભાગ-૧
૧૯૭૩ ૩૫. દસકાલીયસુત્ત અગસ્તસિંહ ચૂર્ણિ સહિત
૧૯૭૩ ૩૬. સૂત્રકૃતાંગ ચૂર્ણિ ભાગ-૧
૧૯૭૩ ૩૭. કવિ રામચન્દ્રકૃત નાટક સંગ્રહ
૧૯૭૩ આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમ જ છપાયેલ અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય તેવી સામગ્રી તૈયાર કરેલ.
૧૯૬૮
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૯
Page #539
--------------------------------------------------------------------------
________________
* આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કરેલ છે.
x આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા સાથે કરેલું છે.
નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ૫. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે.
જયશ્રીબહેન દોશી C૪૦૧, મયુરેશ સૃષ્ટિ કોમ્પલેક્ષ, એલ. બી. એસ. માર્ગ, ભાડુંપ (વેસ્ટ), મુંબઈ
મો. 9870402829 Email: jaynavkar@gmail.com
૪૯૦ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #540
--------------------------------------------------------------------------
________________
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
જ વસંત વીરા
B.Sc. તથા D. Pharm.નો અભ્યાસ કરીને, મોકો મળ્યો ત્યારે Jainologyનો અભ્યાસ કરીને પોતાનો સ્વાધ્યાય-રસ જીવંત રાખનાર શ્રી વસંતભાઈએ શ્રી ધીરજલાલ ટોકરશી શાહની બહુમુખી પ્રતિભાનો, તેમના જીવનની ચડતી-પડતી અને સંઘર્ષોનો તથા તેમના સાહિત્યસર્જન પાછળની અથાગ મહેનતનો આ લેખમાં સુપેરે ખ્યાલ આપ્યો છે. – સં.).
અરવલ્લીનાં ઉતુંગ શિખરો પર જેનાં બેસણાં છે તે દેવી મા અબ્દા જેમની અધિષ્ઠાત્રી કુળદેવી છે, એવા રાજસ્થાનનાં રજપૂત પરમારોએ પાર્શ્વગચ્છના સંતો પાસે બોધ પામી ક્ષાત્રવટ ત્યાગી જૈન ધર્મ અંગીકાર કર્યો. ભીનમાળ અથવા શ્રીમાળમાં જૈનત્વ સ્વીકાર્યું, તેથી શ્રીમાલી કહેવાયા. કન્યા આદિ સંબંધી ઉચ્ચ ધોરણ જાળવ્યું. તેથી વીસા કહેવાયા. ક્ષત્રિયોનો વ્યવસાય છોડી નિર્દોષ વેપાર વગેરે કરવા લાગ્યા તેથી વૈશ્ય કહેવાયા.
આમાંથી કેટલાક વૈશ્યો રાજસ્થાનથી ખસતા ખસતા સૌરાષ્ટ્રમાં અલાવાડમાં આવીને વસ્યા. ધીરજભાઈના વડીલો સુરેન્દ્રનગરથી લગભગ પંદર માઈલ દૂર આવેલા દાણાવાડા નામના ગામમાં વસ્યા. ત્યાં પરચૂરણ ધંધો તથા ભાયાતોનું કારભારુ કરતા હતા. એમના પિતાનું નામ શ્રી ટોકરશીભાઈ અને માતાનું નામ મણિબહેન હતું. બંને ધર્મપરાયણ અને સાધુ સંતોની ઘણી જ સેવા કરતા. તેમને ત્યાં વિક્રમ સંવત ૧૯૬૨ ફાગણ વદ ૮ના તા. ૧૮-૨-૧૮૯૬ના રવિવારે વહેલી સવારે મૂળ નક્ષત્ર અને ધન રાશીમાં પુત્રજન્મ થયો. પિતાએ ધીરજ નામ પાડ્યું, પણ દાદી ભાઈચંદ નામે બોલાવતા.
ધીરજભાઈ લગભગ દોઢેક વરસના હતા ત્યારે ઘરમાં કાળી નાગણ ક્યાંકથી આવી ગઈ. બાળક ધીરજ તેને પકડવા જાય, નાગણ છટકી જાય પણ ડંસ દેતી નથી. મા બાપ દશ્ય જોઈ ગભરાઈ ગયા. જ્યારે નાગણ હાથમાંથી છટકી ગઈ ત્યારે ધીરજભાઈને ઉપાડી લીધા. નાગણને પકડાવી સીમમાં છોડી દીધી. ગામમાં લોકો કહેવા લાગ્યા ઘોઘબાપા ખેતરપાળ દાદાની ધીરજ ઉપર કૃપા વરસી છે. ધીરજ મોટો થઈ પરાક્રમી થશે.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૧
Page #541
--------------------------------------------------------------------------
________________
પાંચમા વસે શાળામાં દાખલ કર્યાં. ભણવામાં અત્યંત તેજસ્વી હતા. ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અચાનક પિતાજીનું સામાન્ય માંદગીમાં મૃત્યુ થયું. પિતા સો રૂપિયાની મૂડી મૂકી ગયા. કારજમાં અઢીસો રૂ.નું દેવું થયું, માએ પોતાના બધા દાગીના વેચી દેવું ચૂક્ત કર્યું. મા પારકા કામ કરી સંતાનોને ઉછેરવા લાગી. ધી૨જભાઈને બે નાની બહેનો હતી, ઝવેરી અને શાંતા. પણ બંને બહેનો પરણાવ્યા પછી થોડા સમયમાં અવસાન પામી હતી. માએ જેમતેમ ધીરજભાઈને છઠ્ઠા ધોરણ સુધી ભણાવ્યા પણ આગળ ભણવા બહારગામ મોકલવા પડે તે માટે મા પાસે જોગવાઈ પણ ન હતી અને એકના એક દીકરાને મોકલવા માનો જીવ પણ ચાલતો ન હતો.
પિતાના મિત્ર શ્રી અમૃતલાલ ગોવિંદજી રાવલ અમદાવાદમાં મિલમાં નોકરી કરતા હતા. તેઓ એક વાર દાણાવાડા આવ્યા હતા. તેમણે જોયું કે છોકરો ભણવામાં હોશિયાર છે. આગળ ભણશે તો કુટુંબ અને ગામનું નામ રોશન કરશે. ગામની શાળામાં ઉપલા ધોરણ નથી. અમૃતલાલભાઈ માને મળવા ઘરે આવ્યા. તેમણે માને કહ્યું દીકરાનું ભવિષ્ય સુધારવું હોય તો દીકરાને અમદાવાદ ભણવા મોકલ. તમારે પૈસાની ફીકર કરવાની નથી. અમદાવાદમાં જૈન બાળકો માટે છાત્રાલય ખુલ્યું છે. રહેવાનું, ખાવાનું અને ભણવાનું બધું જ મફત છે.
મા કચવાતા મને રડતાં રડતાં એકના એક દીકરાને અમદાવાદ શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં મુકી આવે છે. છાત્રાલયમાં ધીરજભાઈનો ઘણો જ વિકાસ થયો. ભણતર સાથે વ્યાયામ, સંગીત, ધાર્મિક શિક્ષણ વગેરે આપવામાં આવતું હતું. પોતે વક્તૃત્વ આદિ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. છેલ્લા વરસમાં તેઓ વક્તૃત્વ સભાના પ્રમુખ થયા હતા. તેને કારણે ધીરજભાઈનું ધાર્મિક પંડિતો, સાહિત્યકારો, રાજકીય આગેવાન કાર્યકરોના સંપર્કમાં આવવાનું થતું. વાંચનનો શોખ ઘણો જ હતો. એક વાર વાંચેલું ક્યારેય પણ ભૂલતા નહિ. છાત્રાલયમાં હતા ત્યારે ટ્યૂશન કરતા, ૧૫ રૂ. મળતા જે માને મોકલાવી દેતા.
સન ૧૯૨૪નાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી લેવાયેલી વિનીત પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા. વિનીત મેટ્રિકની સમકક્ષ હતી. હવે આગળ ભણવા કે રહેવા માટે છાત્રાલયમાં અનુમતી હતી નહિ. આવકનું સાધન પણ ન હતું. હવે માતાથી બહારનાં કામો પણ થતાં નહિ. ગૂજરાત વિદ્યાપીઠમાં આગળ ભણવા દાખલ થયા પણ પૈસાના અભાવના કારણે અભ્યાસ અધૂરો મૂકી દેવો પડ્યો.
ધંધો કરવાની આવડત ન હતી. હવે શું કરવું. ચિત્રકામની ફાવટ સારી હતી. ૫૦ રૂપિયાના પગારમાં પહેલા પ્રસિદ્ધ પોટ્રેટ પેંટર શ્રી નાનાલાલ જાની પાસે, પછી શ્રી રવિશંકર રાવલ પાસે નોકરીમાં રહ્યા. એક જ ટાઈમ જમતા. એક ટાઈમ જમવાનાં પૈસા બચતા તેમાંથી પુસ્તકો ખરીદી પોતાની વાંચનની ભૂખ સંતોષતા. પછી પોતે પોતાની રીતે પોટ્રેટ અને છબીઓ બનાવવા લાગ્યા. મહિને ૩૦૦ રૂ.થી ૪૦૦ કમાવવા લાગ્યા. માતાને અને બહેનોને અમદાવાદ બોલાવી લીધા.
૪૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #542
--------------------------------------------------------------------------
________________
૨૩ વરસની ઉંમરે વિ.સં. ૧૯૮૬ના કારતક સુદ ૧૦ના રોજ ધીરજભાઈના લગ્ન ચંપાબહેન સાથે થયા. લગ્ન વખતે ધીરજભાઈએ ખાદીના કપડા પહેર્યા હતા તથા સાકરવાળી કોઈ પણ વસ્તુ ખાધી ન હતી. અસૌ. ચંપાબહેને સાતમી સુધી અભ્યાસ કર્યો. તેઓ સુસંસ્કારી હતાં તથા સાલસ અને વિનમ્ર હતાં. દીકરાનો સુખી સંસાર જોઈ મા ઘણાં જ રાજી થતાં. ધીરજભાઈને સાત સંતાનો થયાં, તેમાંથી ત્રણ સંતાનો નાની ઉંમરમાં આયુષ્ય પૂર્ણ કરી ગયા. પુત્રી ચિ. સુલોચના, પુત્રી ચિ. રશ્મિકા, પુત્ર ચિ. નરેન્દ્ર અને પુત્રી ચિ. ભારતી. આ ચાર સંતાનો સંસ્કારી પરિવારમાં સ્થિર થયાં.
ધીરજભાઈના પત્ની તા. ૦૨-૦૨-૧૯૮૫ અવસાન પામ્યા. ધીરજભાઈ તા. ૨૩-૦૭-૧૯૮૫ના અવસાન પામ્યા.
શ્રી ધીરજભાઈની સાહિત્ય યાત્રા એક વખત ધીરજભાઈ છાત્રાલયમાં ગયા હતા. ત્યાં બાળકોને જૈન મહાપુરુષોના જીવનચરિત્ર વિશે પૂછ્યું પણ બાળકો અજાણ હતા. ધીરજભાઈને જ્ઞાન પર બહુ જ પ્રેમ હતો અને વાણી પર પ્રભુત્વ હતું. પોતે વિચાર કર્યો કે જો પ્રેરણારૂપ ચરિત્રો પુસ્તક રૂપે છપાય તો ઉત્તમ કથાવારસો લુપ્ત ન થાય અને બાળકોમાં ધાર્મિક સંસ્કારો સુદઢ બને. તેથી તે જ દિવસે શ્રી રિખવદેવ નામની નાનકડી કથા લખી અને તે કથા બાળકો સમક્ષ વાંચી. બાળકોને સાંભળવાની બહુ જ મજા આવી. લગભગ ૮૦ વર્ષ પહેલાંની વાત છે. ધીરજભાઈએ છાપખાનું જોયું પણ ન હતું. ૫૦ રૂ. લઈ છાપખાનું શોધવા નીકળ્યા. પાનકોર નાકા પાસે પરમશાહના રોજા નજીક છાપખાનું જોયું. પ્રેસ માલિકને જણાવ્યું કે મારે પુસ્તક છપાવવું છે. પ્રેસ માલિકે પૂછ્યું, કઈ સાઈઝમાં ? રોયલમાં, કાઉનમાં કે ડેમીમાં ? એ બાબતમાં હું કાંઈ પણ જાણતો નથી અને પુસ્તકો બતાડો તો સમજ પડે. વિવિધ સાઈઝના પુસ્તકો જોયા અને ક્રાઉન સાઈઝ પસંદ કરી. કાગળનો નમૂનો જોઈ ૧૦૦૦ નકલની વરદી આપી અને તેના ખર્ચના રૂપિયા ૫૦ રોકડા ચૂકવી આપ્યા. જ્યારે પૂરો જોવા આવ્યા ત્યારે એક યોજના ફુરી કે આવી બીજી કથાઓ લખી શ્રેણી બનાવું તો કેમ ? પછી કેટલીક વિચારણા કરી નક્કી કર્યું ૨૦ પુસ્તકોની શ્રેણી બનાવવી. પછી કિંમત શું રાખવી ? ત્યારે તેમણે વિચાર્યું જો કિમત સસ્તી હશે તો જ પ્રસાર સારી રીતે થઈ શકશે. ૨૦ પુસ્તિકાના સેટની કિંમત માત્ર દોઢ રૂપિયો રાખી.
કઈ કથાઓ લખવી એ વિચારતા એક પછી એક ૨૦ નામ ફુરી આવ્યાં. આમ શાસનની સેવા કરવાના ભગીરથ કાર્યનું મંડાણ એક નવયુવાનના એકલા પંડે હાથે શરૂ થયું. નીચે મુજબ ૨૦ કથાનકો લખવાનું નક્કી કર્યું.
૧. રિખવદેવ, ૨. નેમ રાજુલ, ૩. શ્રી પાર્શ્વનાથ, ૪. પ્રભુ મહાવીર, ૫. વીર ધનો, ૬. મહાત્મા દઢપ્રહરી, ૭. અભયકુમાર, ૮. રાની ચેલ્લણા, ૯. ચંદનબાળા,
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૩
Page #543
--------------------------------------------------------------------------
________________
૧૦. ઈલાચીકુમાર, ૧૧. જંબૂસ્વામી, ૧૨. અમરકુમાર, ૧૩. શ્રીપાળ, ૧૪. મહારાજા કુમારપાળ, ૧૫. પેથડકુમાર, ૧૬. વિમલશાહ, ૧૭. વસ્તુપાળ-તેજપાળ, ૧૮. ખેમો દેદરાણી, ૧૯. ગqશાહ અને ર૦. ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓ.
કોઈ કથાગ્રંથ કે ચારિત્રગ્રંથ વાંચ્યા વિના માતા પાસે કે અન્ય પાસે સાંભળેલી કે વાંચેલી કથાઓ જે અંતરમાં જ્ઞાનના વિશાળ ભંડારમાં પડી હતી તે થોડા સમયમાં લખી. શુભ દિવસે બાળગ્રંથાવલીનાં ૨૦ પુસ્તકોની પ્રથમ શ્રેણીનું પ્રકાશન થયું. રૂપે રંગે રૂડા, રાઈપ સુરેખ, વાંચવામાં સુગમ, રસપ્રદ કથાનકો અને મૂલ્ય પણ સતું હતું. પુસ્તકો ઘણાં જ લોકપ્રિય થઈ ગયાં. આથી શ્રી ધીરજભાઈને ઘણું જ પ્રોત્સાહન મળ્યું અને તેમણે વિવિધ વિષયો પર બીજી પાંચ શ્રેણીનું પ્રકાશન કર્યું તે યશસ્વી અને લાભદાયી નીવડયું.
આમ ટુંક સમયમાં બાળગ્રંથાવલીનાં કુલ ૧૨૦ પુસ્તકોનું પ્રકાશન થયું. વિદેશમાં જેવા કે યુરોપ, અમેરિકા, આફ્રિકા, ચીન, જાપાન અને બીજા દેશોમાં
જ્યાં જ્યાં જૈનો હતા ત્યાં પણ પુસ્તકોની ઘણી જ માંગ રહેવા લાગી. એમના પુસ્તકોનાં અંગ્રેજી, હિંદી, બંગાળી વગેરે અનેક ભાષઓમાં અનુવાદ થયા. પુસ્તકોની ઘણી આવૃત્તિઓ પણ છપાઈ અને આજ સુધી છપાય છે. - હવે ધીરજભાઈએ વિચાર કર્યો બાળકો આવતી કાલના ભારતના નાગરિક છે, ભારતનું ભવિષ્ય એમની પર અવલંબે છે. તો એમના જીવનનું સુયોગ્ય ઘડતર થાય તેવા સાહિત્યનું સર્જન કરવું જોઈએ. તેના વિષયો તેમણે નક્કી કર્યા. ભારતના અને વિદેશના મહાપુરુષો અને સન્નારીઓ, ભારતના જૈન અને અન્ય તીર્થો, ભારતનાં અને પરદેશના રમણીય પ્રદેશો તથા જોવાલાયક સ્થળો. અંગ્રેજોનાં રાજમાં બાળકોના માનસ પર પોતાની માતૃભૂમિનું ગૌરવ અને માન ઊપજે એવા પ્રકારનું પ્રેરણાદાયક સાહિત્ય વગેરેનું સર્જન કરવું. વિદ્યાર્થી વાંચનમાળાના નામે ૨૦ પુસ્તિકાઓના ૨૦ સેટ એટલે ૪૦૦ પુસ્તકો પ્રગટ કરવા. આવું ભગીરથ કાર્ય આજ સુધી કોઈ સંસ્થા કે પ્રકાશકોએ કર્યું ન હતું, એ પોતે કરવાનું નક્કી કર્યું. પોતે પહોંચી શકે તેમ ન હતા તેથી સુપ્રસિદ્ધ લેખકોનો સહકાર મેળવી પોતાની પ્રકાશન સંસ્થાનાં નેજા હેઠળ તેમને પુસ્તકો લખવાનું કામ સોંપ્યું. ૧. શ્રી નાગકુમાર મકાતી, ૨. શ્રી જયભિખુ, ૩. શ્રી રમણલાલ સોની, ૪. શ્રી ભોગીલાલ ગાંધી, ૫. શ્રી સોમાભાઈ ભાવસાર, ૬. શ્રી ચુનીલાલ વર્ધમાન, ૭. શ્રી પ્રહલાદ બ્રહ્મભટ, ૮. શ્રી માધવરાવ કર્ણિક, ૯. શ્રી ચંદ્રકાંત ભટ, ૧૦. શ્રી રમણલાલ નાનાલાલ શાહ (તંત્રી લાલજીવન) વગેરે. આટલું મોટું ભગીરથ કાર્ય બહુ જ સરળતાથી પાર પડ્યું. પછી તેમણે કુમાર ગ્રંથમાળાનું પ્રકાશન કર્યું. તેમાં કોયડા સંગ્રહ ભાગ ૧-૨, કુમારોની પ્રવાસકથા, આલમની અજાયબીઓ, રમુજી ટુચકાઓ, જંગલ કથાઓ વગેરે વિષયો પર અલ્પ મૂલ્યમાં પુસ્તકો પ્રકાશિત કર્યા.
તેમણે ચીન, જાપાન વગેરે દેશોના દુર્ગમ પ્રદેશોમાં પગપાળા પ્રવાસો કર્યા ૪૯૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #544
--------------------------------------------------------------------------
________________
હતા. ગુજરાતના અને ભારતના અનેક સ્થળોના પગપાળા પ્રવાસો કર્યા હતા. ભારતભરમાં અનેક પર્યટનો કર્યા હતા. એ વિશે પ્રવાસકથાઓ લખી. અનેક સ્થળોના સ્કેચો દોર્યાં. અજન્ટા ગુફાના સુંદર ચિત્રો દોર્યાં, ખંડકાવ્ય પણ લખ્યું. બીજા અનેક ખંડકાવ્યો લખ્યા. આઝાદીની લડાઈથી પ્રેરાઈ દેશભક્તિના ગીતો લખ્યાં. પોતે જંગલોમાં પણ ઘણું ર્યાં હતા. ત્યાં ઘણા સંતો મહાત્માઓને મળ્યા હતા. તેમની પાસે મંત્ર, તંત્ર, વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. મંત્રસાધનાથી તેમને અનેક શુભ ફ્ળોની પ્રાપ્તિ થઈ હતી. વિવિધ મંત્રો પર સરળ ભાષામાં દૃષ્ટાંતો સહિતનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. દેવીદેવતાને પ્રસન્ન કરવાની સાધનાની વિધિ અને તેના મંત્રો, સાધના કરવા માટે સ્થળની પસંદગી, આસન, મુદ્રા, ચોઘડિયા, નક્ષત્રો, વાર, તિથિ વગેરેનું મહત્ત્વ. કેવાં વસ્ત્રો ધારણ કરવા, ફ્ળ અને ફૂલ કેવાં વાપરવાં, શરીર અને આત્માની શુદ્ધિ તથા મનની સ્થિરતા પર તેઓએ તેમનાં પુસ્તકોમાં ઘણો જ ભાર મૂક્યો છે. પોતે પણ વિવિધ પ્રકારનાં પૂજનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી સુંદર રાગ રાગિણીમાં કરાવતા હતા.
શ્રી ધીરજલાલ ટોકરશી શાહની શતાવધાનની સાધના
શ્રી ધીરજલાલભાઈ સાહિત્યકાર તો હતા જ પણ શતાવધાની તરીકે પણ અત્યંત પ્રસિદ્ધ હતા. બચપણથી જ અત્યંત બુદ્ધિશાળી હતા. નાનપણમાં સેંકડો પુસ્તકો વાંચ્યા હતા. બધાં જ પુસ્તકોના મુખપૃષ્ઠો તેમને યાદ રહી જતાં હતાં. દરેક પુસ્તકની વાંચનસામગ્રી પણ યાદ રહી જતી હતી. ગણિત પણ બહુ જ પાકું હતું. ગણિતના અઘરા કોયડા પણ તરત ઉકેલી નાખતા. આંક અને પલાખામાં પણ હોશિયાર હતા.
જ્યારે તેમણે શ્રીમદ રાજચંદ્રે કરેલા શતાવધાન વિશે જાણ્યું, ત્યારે તેમને પણ શતાવધાન શીખવાનું મન થયું. શીખવાની રીત વિશે જ્યારે તેઓ તપાસ કરવા લાગ્યા ત્યારે કહેવામાં આવતું કે એ બહુ જ અઘરું છે, આપણાથી ન શિખાય. પણ તેઓ હિંમત ન હારતા. તેમને પોતાની જાત પર ભરોસો હતો. પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો.
એવામાં અમદાવાદમાં સ્થાનકવાસી સંત પૂ. શ્રી નાનચંદજી સ્વામી તથા તેમના શિષ્ય પૂ. સૌભાગ્યમુની ઉર્ફે સંતબાલજી મુનિ પધાર્યા હતા. પૂ. સંતબાલજીએ શતાવધાનના પ્રયોગો કરેલ હતા. તે વખતે શ્રી ધીરજભાઈ અમદાવાદમાં જૈન યુવકસંઘના પ્રમુખ હતા. પ્રેમાભાઈ હોલમાં બંને મુનિરાજોના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનસભામાં પ્રથમ ધીરજભાઈ પ્રવચન આપતા પછી બંને મહારાજસાહેબ પ્રવચન આપતા. આમ ધીરજભાઈનો પૂ. સંતબાલજી સાથે પરિચય થતાં તેમણે તેમને શતાવધાન શિખવાડવાની રીત બતાવવા વિનંતી કરી. સંતબાલજીએ વિધિસર રીત શિખવાડી. આગળ વધવાનું કામ ઘણું જ અઘરું હતું પણ ધીરજભાઈ પૂરી લગનથી તનતોડ પુરુષાર્થ કરવા લાગ્યા. તેઓ શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૫
Page #545
--------------------------------------------------------------------------
________________
ક્યારે પણ કંટાળતા નહિ કે થાકતા પણ નહિ. ધીમે ધીમે ધીરજભાઈ પ્રયોગોમાં આગળ વધવા લાગ્યા અને સફળતા પ્રાપ્ત થવા લાગી. તેમાં એકસાથે અનેક કાર્યો કરવાના હોય છે.
શતાવધાનનાં પ્રયોગોનો ક્રમ ૧૮ અવધાન પ્રયોગ સાઠંબા ગામમાં મુનિ શ્રી વિદ્યાચંદજીની નિશ્રામાં. ૨૭ અવધાન પ્રયોગો પપૂ. આ. શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજની નિશ્રામાં પાયધુનીમાં.
ર૬, ૩૨, ૩૬, ૪૦ અવધાન પ્રયોગો વડોદરામાં સાક્ષરોની હાજરીમાં. ૬૪ અવધાન પ્રયોગો ધરમપુરના મહારાજા શ્રી વિજયદેવસિંહજીની વર્ષગાંઠ નિમિત્તે દરબારગઢમાં તા. ૨૨-૧૨-૧૯૩૪ના રોજ.
૭૦ અવધાન પ્રયોગો મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયના હૉલમાં.
૧૦ અવધાન પ્રયોગ તા. ૧૩-૩-૧૯૩૯ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત મેટ્રો સીનેમામાં અનેક મહાનુભવોની હાજરીમાં કર્યો.
૧૦૮ અવધાન પ્રયોગ તા. ૧૦-૧-૧૯૪૨ મુંબઈમાં સર કાવસજી જહાંગીર હોલમાં કર્યો.
આમ સન ૧૯૫૭ સુધી ભારતનાં અનેક શહેરોમાં પ્રયોગો કર્યા.
શ્રી ધીરજભાઈનાં જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો
ચિત્રમાં પોતે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સની વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા હતા. જ્યારે તેમની હથોટી બરાબર બેસી ગઈ ત્યારે તેમણે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. તેમના દોરેલા લેન્ડસ્કેપો વખણાવા લાગ્યા. છબી બનાવવાના પણ ઓર્ડરો સારા પ્રમાણમાં મળવા લાગ્યા.
આ અરસામાં પાલિતાણાના ઠાકોરે શત્રુંજયની યાત્રા માટે વાર્ષિક ભારે રકમની માંગણી કરતા શત્રુંજયની યાત્રા બંધ કરવામાં આવી. જેનોમાં મોટું આંદોલન શરૂ થયું. શ્રી ધીરજભાઈને લાગ્યું કે તીર્થરક્ષા એ મારું પણ કર્તવ્ય છે, અન્યાય કોઈ પણ રીતે સાંખી ન શકાય. તેમને કાનપુરથી પટના સુધી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાની આર્થિક સંકડામણ હોવા છતા એ જવાબદારી સુપેરે નિભાવી.
જ્યારે બાળદીક્ષા વિરોધી ખરડો સરકારે બનાવવાનો ઠરાવ પસાર કરવાનો નિર્ણય લીધો, ત્યારે પણ પોતે અયોગ્ય દીક્ષાના વિરોધમાં હોવા છતાં તે ખરડાના વિરોધમાં આગળ પડતો ભાગ લઈ તે ખરડો અટકાવરાવ્યો.
જ્યારે સરકાર દ્વારા ભિક્ષુક વિરોધી ખરડો મૂકવાનું નક્કી થયું એમાં જૈન સંતોને ગોચરી સંબંધી મુશ્કેલી ઊભી થાય તેમ હતું ત્યારે તેમણે દિલ્હી સુધી જઈ લડત ચલાવી ખરડો પાછો ખેંચાવ્યો.
શ્રી ધીરજભાઈ પોતે જ્યાં ભણ્યા હતા તે શાળાની મુલાકાતે ગયા ત્યારે ૪૯૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #546
--------------------------------------------------------------------------
________________
તેમને ખબર પડી કે શાળામાં ધાર્મિક અભ્યાસ કરાવનાર કોઈ શિક્ષક નથી. તેમને ચિંતા થઈ કે બાળકોમાં ધાર્મિક સંસ્કારો નહીં આવે. પોતે પોતાનો પેન્ટીગની રૂ. ૩૦૦થી ૪૦ની કમાણી છોડી માત્ર રૂ. ૭૫ના પગારમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા અને એક પાળીનો પગાર લઈ બે પાળીમાં ભણાવવા લાગ્યા. તેઓ સંસ્થામાં પ્રિન્સિપાલના પદ સુધી પણ પહોંચ્યા.
તેમની ઉપર નાનપણથી જ મહાત્મા ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. નાનપણથી ખાદી અપનાવી હતી. આજીવન ખાદીધારી રહ્યા. ગાંધીજીની હાકલ સુણી સરકારી શાળા મૂકી રાષ્ટ્રીય શાળામાં ભણ્યા. ગાંધીજીએ સાકરનો ત્યાગ કરવા કહ્યું, જીવનભર ક્યારે પણ કોઈ પણ પ્રસંગે સાકર ન વાપરી. જીવન અતિ સાદગીભર્યું હતું. કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું. નાનપણથી નિત્ય પૂજા કરતા હતા. દરરોજ પરોઢે વહેલા ઊઠી મંત્રોના જાપ કરતા અને વિવિધ અનુષ્ઠાનો અને દેવી-દેવતાઓની સાધના કરતા હતા.
અમદાવાદમાં રહેતા હતા ત્યારે દર ોઢ બે મહિને ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમ જતા હતા. બાપુ પણ તેમને ૧૦થી ૧૫ મિનિટનો સમય આપતા. શ્રી ધીરજભાઈએ એક વાર બાપુને પૂછ્યું, મનુષ્ય આગળ વધવા માટે શું કરવું જોઈએ ? બાપુએ જણાવ્યું કે, જે માણસને આગળ વધવું હોય તેણે આત્મશ્રદ્ધા કેળવી પ્રામાણિક પુરુષાર્થ કરવો જોઈએ. ધીરજભાઈ માટે આ વાક્ય જીવનભર ધ્રુવતારક બન્યું.
સંજોગવસાત અમદાવાદ છોડી મુંબઈ આવ્યા. પોતાનું છાપખાનું ખોલ્યું. ઘણું નુકસાન થયું. લગભગ રૂ. ૨૦૦૦૦ દેવું પણ થઈ ગયું. આવકનું કોઈ સાધન ન હતું, પણ હિંમત ન હાય. પોતે થોડું ઘણું વૈદુ જાણતા હતા. નાનપણમાં એક વેદના પુત્ર સાથે ફરી જડીબૂટીનું જ્ઞાન મેળવ્યું હતું. આયુર્વેદના પુસ્તકો મંગાવી અભ્યાસ કર્યો. તેમણે સેન્ડહર્ટરોડ મધ્યે જીવન વિકાસ ચિકિત્સાલય' નામે આયુર્વેદિક દવાખાનું ખોલ્યુ. તેઓ આયુર્વેદ સાથે માનસચિકિત્સા પણ કરતા. તેઓ પોતાની અંતઃસ્કુરણાથી ચિકિત્સા કરતા. તેઓ માનસર્વેદ તરીકે ઓળખાવવા લાગ્યા. સાત વરસ બહુ જ કપરા ગયા. દેવું બધું જ ચૂક્ત કર્યું.
ઉવસગ્ગહરની આરાધના પણ ચાલુ હતી. હવે કોઈ જાણકાર પાસે પોતાની તકલીફ વિશે પુછાવ્યું. પોતે અમદાવાદમાં છાપું ચલાવતા હતા ત્યારે ઘણીવાર સાધુઓની વિરોધમાં ઝુંબેશ ચલાવતા હતા. ત્યારે કોઈ સાધુએ તમારી ઉપર ખાર રાખી ઉચ્ચાટનનો પ્રયોગ કર્યો છે, એવો ઉત્તર પ્રાપ્ત થયો. પોતે વિસ્મગહર પર શ્રદ્ધા રાખી ઉપવાસ આદિ તપ, નિયમ અને જાપ કરવા લાગ્યા. હવે ઉચ્ચાટનની અસર દૂર થવા માંડી, ફરી પ્રગતી થવા લાગી. | મુંબઈના ઉદ્યોગપતિ શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસે તેમને પ્રતિક્રમણ સંબંધી ગ્રંથ રચવા આમંત્રણ આપ્યું. વૈદુ બંધ કર્યું. ફરી લેખન પ્રવૃત્તિમાં જોડાઈ ગયા.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ . ૪૯૭
Page #547
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર – પ્રબોધટીકા જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય આત્મશુદ્ધિ છે. તે માટે જ્ઞાન અને ક્રિયાની પ્રરૂપણા થયેલી છે. આ ક્રિયામાં પ્રતિક્રમણનું વિશિષ્ટ સ્થાન છે, કારણ કે તે વિષય અને કષાયજન્ય પાપથી પાછા ફરવાની તાલીમ આપે છે. આ ક્રિયા સાધુ તથા શ્રાવકોએ દરરોજ સવારે અને સાંજે અવશ્ય કરવા યોગ્ય છે. આ પ્રતિક્રમણ સૂત્રમાં અધ્યાત્મ અને યોગને લગતી અનેક રહસ્યમય ક્રિયાઓનું સંયોજન થયેલું છે, પણ આધુનિક જૈન સમાજને તેનો ખ્યાલ નથી. તેઓ તેને કડકડાટ બોલી જઈને ક્રિયા કરવાનો સંતોષ માને છે. શ્રી ધીરજભાઈને લાગતું કે પ્રતિક્રમણ સૂત્રનું વાસ્તવિક રહસ્ય પ્રકાશમાં લાવવું હોય તો તેના પર સુંદર વિસ્તૃત ટીકા રચવી જોઈએ. આ ભાવના તેમના હૃદયમાં સદા ગુંજારવ કરતી હતી. પણ કાર્ય મુશ્કેલ હતું કારણ કે આ કાર્ય પુષ્કળ પરિશ્રમ, પૈસો અને સમય માંગતો હતો.
અમૃતલાલ શેઠ સાથે આ બાબતે વાત થઈ. શેઠે કહ્યું તમારી શું યોજના છે? તે મને જણાવો. જો મને પસંદ પડશે તો ખર્ચનો વાંધો નહિ આવે. ધીરજભાઈએ યોજના સંબંધી ઊંડું મંથન, ચિંતન અને મનન કરી તેને અક્ષરાંકિત કરી શેઠને દેખાડી, શેઠ ઘણા જ પ્રભાવિત થયા. યોજના આ પ્રમાણે હતી. ૧. શ્રી પ્રતિક્રમણ સૂત્ર ઉપર અણંગ વિવરણવાળી પ્રબોધ નામની ટીકા રચવી. ૨. પ્રથમ અંગ મૂલપાઠમાં પરંપરાથી નિર્ણિત થયેલો તથા વિવિધ પોથીઓના
આધારે શુદ્ધ કરેલો પાઠ આપવો. ૩. બીજા અંગ સંસ્કૃત છાયામાં મૂલપાઠની સંસ્કૃત છાયા આપવી. ૪. ત્રીજા અંગ ગુજરાતી છાયામાં મૂલપાઠની ગુજરાતી છાયા આપવી. ૫. ચોથા અંગ સામાન્ય અને વિશેષ અર્થમાં વ્યુત્પત્તિ અને ભાષાનાં આધારે
દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થ આપવા. ૬. પાંચમા અંગ અર્થનિર્ણયમાં પરંપરા, પરિભાષા અને સંકેત દ્વારા થતો પદો
અને વાક્યોનો અર્થ જણાવવો. ૭. છઠ્ઠા અંગ અર્થ સંકલનમાં નિર્ણત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતી
ભાષામાં આપવી. ૮. સાતમાં અંગ સૂત્ર-પરિચયમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની
રચનાનું મહત્ત્વ દર્શાવવું. ૯. આઠમા અંગ આધાર-સ્થાનમાં આ સૂત્રનો મૂળ પાઠ કયા સૂત્ર, સિદ્ધાંત
કે માન્ય ગ્રંથમાં મળે છે તે દર્શાવવું.
આ યોજનાથી શેઠશ્રી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે મંજૂરી આપી. આટલી બધી મહેનત, ખર્ચ અને સમયનો ભોગ આપી તૈયાર થયેલી ટીકા જૈન આચાર્યો તથા જૈન સંઘને પણ પસંદ પડવી જોઈએ. તેથી આચાર્યો અને
૪૯૮ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #548
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોનો સાથ અને સહકાર લેવાનું નક્કી થયું. આમ શાસનને અતિ ઉપયોગી એક મહાયજ્ઞનું મંડાણ થયું.
સૌ પ્રથમ સુરતમાં બિરાજમાન પ.પૂ. શ્રી આનંદસાગરસૂરિજીની સલાહ લેવામાં આવી. તેમણે રચનામાં સંપૂર્ણ કાળજી રાખવાની સલાહ આપી અને ધીરજભાઈની કાબેલિયત પર વિશ્વાસ દર્શાવ્યો. મહારાજસાહેબે મસ્તકે વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા.
વડોદરામાં પુ. મુની શ્રી પુણ્યવિજયજીએ પણ યોજના સાંભળી ઉપયોગી સૂચનો આપ્યા. અમદાવાદમાં પપૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને પોતાની યોજના જણાવી. હાથ જોડીને વિનંતી કરી અને ગ્રંથ તૈયાર કરશું પણ તેમાં કાંઈ ભૂલ ન રહી જાય તેને માટે આપના સમુદાયના કોઈ વિદ્વાન સાધુ તે લખાણ જોઈ આપે. આચાર્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, જેઓ આવશ્યક નિર્યુક્તિના અઠંગ અભ્યાસી હતા, તેમને આ લખાણનું પૂફ રીડીંગ તથા સંશોધન કરવા આજ્ઞા આપી, જે તેમણે સહર્ષ શિરોમાન્ય કરી. પાલિતાણામાં કદંબગીરીમાં પ.પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી આદી . બિરાજતા હતા. તેમને પણ સહકાર માટે વિનંતી કરી. તેમણે પણ હામી ભરી કે પોતાના વતી પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ધૂરંધરવિજયજીગણિ આપને મદદ કરશે.
આમ સાધુ સંસ્થા તરફથી સુંદર સાથ અને સહકાર મળ્યો. ઐતિહાસિક અને વ્યાકરણ સંબંધી કોઈ ભૂલ ન રહી જાય તે માટે વડોદરા જઈ ત્યાં રહેતા વિદ્વાન પંડિત શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધીને વિનંતી કરતા તેમણે હામી ભરી. હવે વિવિધ જગાએથી ગ્રંથો મુંબઈમાં લાવવામાં આવતા. જામનગરથી વિમાનમાં, અમદાવાદથી સરસ્વતી ભંડારથી તથા અન્ય સ્થળોએથી પણ પુસ્તકો આવતા. આમ એક વિશાળ પુસ્તકાલય ઊભું થઈ ગયું.
પ્રતિક્રમણમાં કરવામાં વિવિધ આસનો માટેના યોગના યોગ્ય આસનોના અભ્યાસ માટે પોંડેચેરી શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત તથા તિરુવણામલાઈ શ્રી રમણ મહર્ષિના આશ્રમની મુલાકાત લીધી. આ ગ્રંથની રચના માટે ધીરજભાઈએ અનેક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી, અનેક ગ્રંથો વાંચ્યા, અનેક શબ્દકોશો જોયા. ઘણા બધા પ્રવાસો કર્યા. એમના મનમાં એક જ લગન હતી કે પ્રબોધટીકાને એક પ્રમાણભૂત ઉત્તમ કૃતિ બનાવવી. છથી સાત વરસના શ્રી ધીરજભાઈના પરિશ્રમ અને શ્રી અમૃતલાલ શેઠના સાથ અને સહકારથી જિનશાસનને પ્રતિક્રમણસૂત્ર પર પ્રબોધટીકા નામનો સવગી સુંદર અણંગ ગ્રંથ મળ્યો. ગ્રંથ ત્રણ ભાગમાં પ્રગટ કરવાનું નક્કી થયું. દરેક ભાગ લગભગ છસોથી સાતસો પાનાનો થયો. પડતર કિંમત બારેક રૂપિયા જેવી હતી પણ જ્ઞાનનો ફેલાવો થાય તેવા આશયથી દરેક ભાગનું મૂલ્ય માત્ર પાંચ રૂપિયા રાખવામાં આવ્યું.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૯
Page #549
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૫૧માં પ્રથમ ભાગનું વિમોચન પૂ.આ. વિજયપ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં, દ્વિતિય ભાગનું વિમોચન સન ૧૯૫૨માં પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં, તૃતીય ભાગનું વિમોચન પૂ. પન્યાસ શ્રી ભદ્રંકરવિજ્ય ગણ તથા પૂ. પન્યાસ શ્રી ધુરંધરવિજ્યજી ગણિની નિશ્રામાં સન ૧૯૫૩માં થયું. ત્રણે ભાગ બહોળો પ્રતિસાદ પામ્યા. અનેક આવૃત્તિઓ થઈ. ગુજરાતી અને હિંદી સંક્ષિપ્ત આવૃત્તિ છાપવામાં આવી જેની હજારો નકલો પણ વેચાઈ ગઈ. સાધુ તથા શ્રાવકો માટે એક અતિ ઉપયોગી અમૂલ્ય ગ્રંથની રચના શ્રી ધીરજભાઈ દ્વારા થઈ.
ઉપસંહાર
એક લબરમૂછીયો યુવાન અમદાવાદની પોળોમાં છાપખાનું શોધવા નીકળ્યો છે. તેને એવી લગની લાગી છે કે બાળકોનું ચારિત્ર ઘડાય અને ધર્મના જ્ઞાન સાથે ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ વધે. નીકળ્યો છે માત્ર એક જ પુસ્તક છપાવવા, શોધે છે છાપખાનું પણ એને ખબર નથી આ શોધયાત્રા એને એવા શિખરે પહોંચાડશે કે એના નામે લગભગ ૩૬૫થી વધારે પુસ્તક બોલશે, જેમાં ધાર્મિક ચરિત્રો, સાહસ કથા, પ્રવાસકથા, ૧૩ નાટકો, ખંડ કાવ્યો, દેશભક્તિના શૌર્યગીતો, વિજ્ઞાન, ગણિત, શિષપ્રહલિકા, બૃહદ્ભલિકા, રમૂજી ટુચકા, કોયડા ઉકેલવાના પુસ્તક, અન્ય લેખકો પાસે લખાવેલ ૪૦૦ પુસ્તકો, અનેક ગ્રંથમાળાઓનો સમાવેશ થશે.
ધર્મ પર અપૂર્વ શ્રદ્ધા, મંત્રો પર વિશ્વાસ, રોજ સેવા પૂજા, જાપ કરવા, નિયમિત જીવન, કોઈ જાતનું વ્યસન નહિ. પૂજન કરાવવા જવું. સિદ્ધ કરેલા યંત્રોનું વેચાણ કરવું. શતાવધાનના પ્રયોગો કરવા, અનેક પદવીથી વિભૂષિત, અનેક માન, અકામ, મેડલો, સર્ટિફિકેટ, રાજામહારાજાઓ તરફથી અનેક પુરસ્કારો, અનેક સાધુઓ પણ જેની પાસેથી અવધાન શિખ્યા.
પણ જે ઊગે છે એનો અસ્ત થાય છે. ધીરજભાઈને સુરેન્દ્રનગરમાં લકવાનો એટેક આવ્યો ત્યાં હૉસ્પિટલમાં દાખલ કર્યાં. મુંબઈમાં હરકિશનદાસ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. ફરક ન પડ્યો, ઘરે લઈ આવ્યા. ધર્મપત્ની જેણે સુખમાં કે દુઃખમાં હસતા હસતા સાથ આપ્યો તે ઉત્તમ સહચારિણી દીર્ઘકાળનો સંગાથ છોડી તા. ૦૮-૦૨-૧૯૮૫ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
કુલ દસ મહિનાની માંદગી ભોગવી પત્નીના મૃત્યુ પછી છ માસ પછી તા. ૨૩-૦૭-૧૯૮૫ના રોજ ધીરજભાઈ આ દુનિયા છોડી અનંતની યાત્રાએ ગયા.
૫૦૦ ૬ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #550
--------------------------------------------------------------------------
________________
Q3
O૫
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહનું
વિશાળ સાહિત્ય સર્જના
સને ૧૯૨૮થી ૧૯૮૦ વર્ગનું નામ ક્રમાંક
સંખ્યા ૧. ચરિત્રો
૧થી ૯૭ ૨. કિશોર કથાઓ
૯૮થી ૧૦૦ ૩. સ્થાન વર્ણન
૧૦૩થી ૧૧૧ ૪. પ્રવાસ વર્ણન
૧૧૨થી ૧૧૪ ૫. ગણિત
૧૧૫થી ૧૧૯ ૬. માનસ વિજ્ઞાન
૧૨૦થી ૧૨૧ ૭. સામાન્ય વિજ્ઞાન
૧૨૨થી ૧૨૪
૦૨ ૮. કાવ્યો
૧૨૫થી ૧૨૭ ૯. શિલ્પ સ્થાપત્ય
૧૨૮ ૧૦.મંત્ર વિદ્યા
૧૨૯થી ૧૩૨
૦૪ ૧૧.યોગ
૧૩૩
૦૧ ૧૨ નાટકો
૧૩૪થી ૧૪૪
૧૧ ૧૩.જેન મંત્રવાદ તથા અધ્યાત્મ ૧૪૫થી ૧૫૪
૧૦ ૧૪.જૈન ધર્મ તાત્ત્વિક નિબંધો ૧૫૫થી ૨૧૦ ૧૫.જેન ટીકાસાહિત્ય , ૨૧૧થી ૨૧૬
૦૬ ૧૬. જૈન સંકલન-સંપાદન
૨૧૭થી ૨૨૩ ૧૭.જૈન ધર્મપરિચય
૨૨૪થી ૨૩૦ ૧૮.ધર્મકથાઓ
ર૩૧થી ૩૫૭
૧૨૭ ૧૯. જૈન પ્રકીર્ણ
૩૫૮થી ૩૬૫
૦૮ ૩૬૫
રે છે 8 8 8 8 8 8 8 8 8 8 8 8
૩
૦૧
ป
8 8 8
O૭
૭
સંદર્ભ ગ્રંથો ૧. ભારતની એક વિરલ વિભૂતિ : શ્રી ધીરજલાલ શાહ લેખક : ડૉ. રુદ્રદેવ
ત્રિપાઠી
આ ગ્રંથ મને આપવા બદલ તથા શ્રી ધીરજભાઈ વિશે ઉપયોગી માહિતી આપવા બદલ તથા મને સાથ અને સહકાર આપવા બદલ એમના સુપુત્ર શ્રી નરેન્દ્રભાઈ શાહ, સુપુત્રી અ.સૌ. ભારતીબહેન અને જમાઈ શ્રી વસ્તુપાળભાઈ વોરાનો હું આભારી છું.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૫૦૧
Page #551
--------------------------------------------------------------------------
________________
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહના ગ્રંથો ૧. જીવનવિચાર પ્રકાશિકા ૨. જપધ્યાન રહસ્ય ૩. નમસ્કાર મંત્રસિદ્ધિ ૪. શ્રી જિનભક્તિ કલ્પતરુ ૫. મહાપ્રભાવિક ઉવસગ્ગહર સ્તોત્ર ૬. ભક્તામર રહસ્ય ૭. હૃીકાર-ઉપાસના ૮. શ્રી પદ્માવતી પ્રસન્ન
વસંતભાઈ મોરારજી વીરા ૨/B/ર૦ર, લોટસ, કૂકરેજા કોમ્પલેક્સ, L.B.S. માર્ગ, ભાંડુપ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮
મો. ૯૭૫૭૨૬૯૯૮૯ ઘર : ૦૨૨-૨૫૬૬૪૩૪૭
૫૦૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #552
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવના
• મંજુ આર. શાહ
જિન ધર્મદર્શનના અભ્યાસી શ્રી મંજુબહેને પ્રસ્તુત લેખમાં પૂ. આચાર્યશ્રીના જીવન અને સાહિત્યનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. – સં.]
હજારો, વાવ, લાખો આત્માઓના વૈચારિક પરિવર્તનમાં, હૃદય પરિવર્તનમાં અને જીવન પરિવર્તનમાં જેમનું જીવન, કવન અને સાહિત્ય સર્જને અમૂલ્ય ફાળો આપ્યો છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પચ્ચીસ વર્ષની ભરયુવાન વયે, C.A.ની ઉચ્ચત્તમ ડિગ્રી, બુદ્ધિની તીક્ષ્ણ શક્તિ, કવિત્વની, વસ્તૃત્વની શક્તિઓ છતાં સંયમનો માર્ગ અપનાવ્યો. સ્તવનોમાં રાગ જોરદાર તો પ્રવચનમાં વૈરાગ્ય જોરદાર. તપશ્ચર્યા તીવ્ર, નિદ્રા તો અલ્પ, ચંદ્રની ચાંદનીમાં અધ્યાપન, પ્રમાદ સ્થાનો સાથે તોડજોડ નહીં. દષ્ટિમાં નિર્મળતા, આત્મામાં પવિત્રતા, હૈયામાં શાસન પ્રત્યેનો પ્રેમ, કાંડામાં કલમની જોરદાર તાકાત, વાણીમાં વૈરાગ્યની વાતો, તો યુવાધનને સન્માર્ગે વાળવાની તાકાત, આત્માના પ્રદેશ-પ્રદેશે પાપથી દૂર જ રહેવાની વૃત્તિ, શિષ્યોને લોકસંપર્કથી દૂર કરી દઈને શ્લોકસંપર્કમાં ઓતપ્રોત કરી દેવાની વૃત્તિ.
મુનિશ્રી ભાનુવિજયજીમાં પૂજ્ય ગુરુદેવે શાસન સેવાની અગાધ શક્તિ નિહાળી હતી. ઉચ્ચ કોટીનો અભ્યાસ કરેલા આ ગીતાર્થે અપ્રમતપણે સંયમની સાધના કરતાં-કરતાં વર્ધમાન તપની ઉગ્રતપસ્યાઓ સાથે જ્ઞાનયોગથી શાસન સેવામાં સમગ્ર જીવનને સમર્પિત કરી દીધું. પૂજ્યશ્રીના તપના તેજમાં, જ્ઞાનના પ્રકાશમાં મોહમયી મુંબઈગરા અવશપણે ખેંચાઈ ગયા, કથાપ્રવાહમાં તણાઈ ગયા.
હજારો-લાખો યુવાનોના જીવનને વ્યસનોની ચુંગાલમાંથી છોડાવીને સન્માર્ગે વાળનાર પથદર્શક બની યુવાધનને વાસનાના ઉકરડામાંથી ઉપવનમાં પહોંચાડનાર આપ છો. આપના ગુરુના આશીર્વાદના બળે, યુવાવર્ગની નાડ પારખીને તેમને ઉચિત માર્ગે વાળીને આપે જિનશાસનની રક્ષા કરી છે.
અકળપણે, સકળપણે અને સફળપણે ગહન વિષયને સરળ બનાવીને શ્રોતાઓને ગળે ઉતારી દેતા અનોખા પ્રવચનકાર હતા. ન્યાયનો વિષય કે પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન * ૫૦૩
Page #553
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યની વાતો કે તત્ત્વોની ઓળખ, ચિંતનાત્મક માહિતી પચાવી શકાય તેવી રીતે સમજાવતાં. પૂજ્યશ્રીની લિપ્સા હતી કે મારો આ અતિ કીમતી ખજાનો, મહામૂલો ખજાનો લૂંટાવી દઉં, તેઓએ મન મૂકીને વરસીને જ્ઞાન, વૈરાગ્ય અને સમકિતના ઘન કર્યા. વિરતિની હાટડીઓ માંડી. વત-નિયમોની ખૂબ પ્રભાવના કરી. ઘર-ઘર અને ઘટ-ઘટને આચારધર્મ અને પરિણતિ ધર્મથી વાસિત કરવામાં સફળ રહ્યા હતા. ધર્મશાસનના પૂજ્યશ્રી કુશળ દક્ષ વેપારી હતા. દિવ્ય દર્શન
ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ, સકલ સંઘહિતચિંતક સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સંવેદનો, અંતરના ભાવો, તેમના આત્માનો ધબકાર અને તેમના વૈરાગ્યનો અનુભવ અંકિત થતા ‘દિવ્ય દર્શન) જીવંત બને છે. વરસો સુધી પૂજ્યશ્રીએ દિવ્ય દર્શન સાપ્તાહિકના માધ્યમે વહાવેલી જ્ઞાનગંગામાં અનેકાનેક પુણ્યાત્માઓએ ડૂબકી લગાવી છે. અને પોતાના અંતરને નિર્મળ બનાવ્યું છે. ધર્મ કેવો અને કેવો આરાધ્ય ? તે ઉપર અદ્ભુત પ્રવચનો આપેલા છે. જે આમાં સંગ્રહાયેલા છે. તેમની એક-એક પંક્તિએ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન અને સૂક્ષ્મ ચિંતનની છોળો ઊછળે છે.
૪૨ વર્ષ સુધી અવિરતપણે ચાલેલું દિવ્ય દર્શન ફૂલસ્કેપ સાઇઝના આઠ પાનામાં દર સપ્તાહે પ્રકાશિત થતું. એક વર્ષના ૪૮ અંક એટલે ૪૨ વર્ષના ૨૦૧૬ અંક અને સોળ હજારથી અધિક પૃષ્ઠો થાય. અને છતાંય તેમના સર્જનની ગુણવત્તા જળવાઈ રહે. વિશાળ સાહિત્ય અને ઊંચી ગુણવત્તા પ્રત્યેક કૃતિમાં નવી અનુપ્રેક્ષા, નવી તાજગી અને છતાંય શાસ્ત્ર સાપેક્ષ રહેતી.
પૂજ્યશ્રી તો તપ, ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી સંગમ સમાન હતા. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યપરિવારમાં પોતાની અનેક અજોડ વિશેષતાઓના પ્રભાવે આગવું સ્થાન ધારણ કર્યું હતું. પોતાના હૈયામાં શિષ્યોને સ્થાન આપવું સહેલું પરંતુ પોતાના ગુરુના હૈયામાં સ્થાન મેળવવું તે ધન્ય છે. શિબિર
યુવાશિબિરોના આદ્યપ્રણેતા શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ છે. યાંત્રિક યુગનો માનવી સુખ-સગવડોના સાધનો વચ્ચે સંતાપી, કલેષ અને એકલતામાં સબડતો રહ્યો છે. ત્યારે યુવાવર્ગની નાડ પારખીને કોઈ શુભ ચોઘડિયે પૂજ્યશ્રીના હૈયામાં એક બીજ વવાયું – શિબિરનું. અને અંકુર ફૂટ્યા. ગુરુજીની મેધાવી-પ્રવાહી-વૈરાગ્યમયી વાણીના વારીના અને ફળ સ્વરૂપે મળ્યો આપણને હજારો યુવાનોની શાસન પરત્વેની શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રભુભક્તિની તન્મયતામાં વિશાળ જનમેદનીથી શોભતો વ્યાખ્યાનમંડપ. હજારો યુવાનોમાં ભ્રષ્ટાચાર, અનીતિ, વ્યસન અને વિલાસિતતાના સ્થાને સદાચાર, ગુરુ સત્સંગ, મુમુક્ષુપણું, તપ, જીવદયા ૫૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #554
--------------------------------------------------------------------------
________________
અને શાસન પરત્વેનું બહુમાન જગાવ્યું. શિબિર દ્વારા શાસન પ્રભાવનાનું એક નવું દ્વાર ખુલ્યું. અને તેનો લાભ સમાજના અતિ મૂલ્યવાન યુવાવર્ગ લીધો. તેના ફલ સ્વરૂપે શાસનને મળ્યા આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ વગેરે.
ઊગતી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન અને ચારિત્રનું ઘડતર કરવા માટે આવી શિબિરો ખૂબ જ ઉપયોગી છે. શિબિરમાં બાળકોની બધી પ્રવૃત્તિઓ જ્ઞાન, દર્શન અને ક્રિયામાં જ કેન્દ્રિત થતી હોઈ ધાર્મિક જ્ઞાન અને અનુભવનો વિકાસ થાય છે. શિબિરની પ્રવૃત્તિ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, તેવું શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું કહેવું હતું.
ગુરુકૃપાના યોગથી અને તીવ્ર ક્ષયોપશમના સ્વામી એવા પૂજ્યશ્રીની મેધા. તીક્ષ્ણ અને તાર્કિક હતી. તેમની અદ્દભુત પ્રતિભા અને નિર્મલ પરિણતિના કારણે ન્યાયાદિ દર્શનશાસ્ત્રોના અત્યંત કઠિન ગ્રંથો પચાવી શકવા સમર્થ હતા. પૂજ્યશ્રી થોકબંધ ગ્રંથોના પારગામી બન્યા, ષડ્રદર્શનના નિષ્ણાત બન્યા. ન્યાયનિપુણ બન્યા અને “ન્યાય વિશારદ' બિરુદ પામ્યા. પૂજ્યશ્રીએ અધ્યયન કરેલા દર્શનિક ગ્રંથોની યાદી વાંચીએ તોપણ મૂળેથી અ..ધ..ધ. થઈ જાય તેવી છે.
- પૂજ્યશ્રીએ સ્વ-૫ર દર્શનના અઢળક સાહિત્યનું સાંગોપાંગ અધ્યયન કર્યું હતું. વ્યાકરણ, દર્શનના સર્વ ગ્રંથો, વૈરાગ્ય ગ્રંથો, આગમ ગ્રંથો, કાવ્યો, પ્રકરણ ગ્રંથો, ચરિત્ર ગ્રંથો વગેરે વિશાળ સાહિત્યની ગહનતામાં ડૂબકી મારી અને વિશાળ, વિરલ સાહિત્યનો ખજાનો આપણને ભેટ ધર્યો. જીવનમાં જાજ્વલ્યમાન રોશની પ્રગટાવનારું તેઓશ્રીનું સાહિત્ય મોટે ભાગે રાત્રિની ચાંદનીના અજવાળે રચાયેલું છે. પરમતેજ
નામ સાન્વર્થ છે. વિશ્વને શ્રેષ્ઠ આહંત રજૂ કરનાર આ ગ્રંથમાં મૂળ લલિતવિસ્તરાના જૈન શાસનના મર્મસ્પર્શીસરળ, સુબોધ અને સુવાચ્ય પદાર્થો ગૂંથાયા છે. પરમતેજ એટલે પરમ જે તેજ પરમાત્મા અને પરમાત્મદશા, એના ભર્યાભર્યા પ્રકાશના પંજરૂપ આ ગ્રંથ છે. પરમ પરમાત્માએ વિશ્વને દીધેલાં તેજ, તે તેજ આ ગ્રંથમાં સંગૃહીત છે. પરમ એટલે કે શ્રેષ્ઠ એવાં તત્ત્વ, યોગ, આચાર વગેરે તેજથી આ ગ્રંથ ઝળહળતો છે. પરમપદ મોક્ષ અને પરમસુખ નિરુપાધિક આનંદ, તે પામવાના તેજસ્વી ઉપાયોના વર્ણનરૂપ આ ગ્રંથ છે. આ મહાન ગ્રંથમાં બાળજીવો સમજી શકે એવી શૈલીમાં અદ્ભુત તત્ત્વપ્રકાશ પાથરવામાં આવ્યો છે. લલિતવિસ્તરા' એ ખરેખર પરમ તેજ જ છે.
આ ગ્રંથમાં ન્યાય-વ્યાકરણની પ્રતિભા ઊતરી છે, પણ ન્યાય-વ્યાકરણની ક્લિષ્ટતા કે કઠોરતા નથી. ધર્મનાં ગુઢ તત્ત્વોની સરિતા ખળખળ વહી રહી છે, પણ એ સરીતાનો કિનારો નિર્ભય છે. એનાં પાણી બહુ ઊંડાં નથી.... ડૂબી જવાનો ભય નથી. આ ગ્રંથમાં દર્શનોના વિવાદો જામ્યા છે. પણ એ વિવાદની ભાષા
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + ૫૦૫
Page #555
--------------------------------------------------------------------------
________________
કર્કશ નથી, અશ્રાવ્ય નથી. તેઓશ્રી સિદ્ધાંતનિષ્ઠ હતા. ન્યાયદર્શન શાસ્ત્રો
ન્યાયદર્શનમાં પ્રવેશ કરવાનો ગ્રંથ. તર્કશાસ્ત્ર ગ્રંથ કઠિન અને તેના અભ્યાસથી ન્યાયદર્શનનો પાયો સુદઢ થતો ન હતો. પૂજ્યશ્રીએ ન્યાયદર્શનનું થોડું ચિંતન, મનન અને પરિશીલન કરીને સરળ ભાષામાં છતાં તર્કસાગર ન્યાયભૂમિકારૂપ ગ્રંથ રચ્યો. જેના અભ્યાસથી ન્યાયદર્શનનો પાયો મજબૂત બની શકે છે. તત્ત્વો અને પદાર્થોને તો તર્કથી સિદ્ધ કરતાં, આચાર-અનુષ્ઠાનો, પ્રેરણાઓ આદિને પણ. તર્કથી પુષ્ટ કરીને મગજમાં સજ્જડ બેસાડી દેતા. તર્કના સહારે બુદ્ધિવાદીઓના, યુવાનોના દિલમાં પ્રભુ પરત્વે શાસન પ્રત્યેની અને શાસ્ત્રો કથિત તત્ત્વો પ્રત્યેની શ્રદ્ધા એવી જડબેસલાક રોપી દીધી છે, કે જેના ફળ આજે પણ તેમના શિષ્ય સમુદ્યય અને યુવાવર્ગમાં વ્યાપેલા ધર્મભાવમાં જોવા મળે છે. યોગદષ્ટિ સમુચ્ચય
પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના ગહન રહસ્યોને છતાં કર્યા છે. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો આ ગ્રંથ વાચનાગ્રંથ છે. વાચનદાતા વાચના દ્વારા દરેક પદાર્થ અને તત્ત્વને અલગ-અલગ રીતે સૂક્ષ્મતાથી વિસ્તારપૂર્વક સમજાવે છે. પ્રશ્ન કરે છે, જવાબ આપે છે. વાચનાની આ પદ્ધતિથી દરેક પદાર્થના નવા નવા અર્થ અને રહસ્ય સમજાય છે. યોગદષ્ટિ ગ્રંથ ઉપર મનનીય વાચનાઓ આપીને આચાર્ય મહારાજે મહત્ત્વનું કાર્ય કર્યું છે. ધૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મતમમાં જવા આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. નવપદ પ્રકાશ
શબ્દથી રહસ્યભણી યાત્રા, ભિન્નભિન્ન વિષયો ઉપર પૂજ્યશ્રીએ પોતાની કલમ ચલાવી છે. પ્રથમ ભાગમાં અરિહંત પદની વિવેચના છે, બીજામાં સિદ્ધપદની અને ત્રીજા ભાગમાં આચાર્ય તથા ઉપાધ્યાય પદનું વિવેચન છે. આ પુસ્તકો પૂજ્યશ્રીની સવારની વાચનાઓ છે. તેમાં ખાસ અમદાવાદથી પ્રો. લાલચંદભાઈ શ્રવણ કરવા આવતાં, તેઓએ પૂજ્યશ્રીની તમામ વાચનાઓનું અક્ષરશઃ અવતરણ કરેલું, તેમાં સુધારાવધારા પામીને આ પુસ્તકોનો જન્મ થયો. તેથી આ પુસ્તકો પૂજ્યશ્રીએ લખ્યાં કરતાં બોલ્યાં હતાં તેમ કહેવું ઉચિત જણાશે.
- પૂજ્યશ્રીએ આલેખિત પુસ્તકો જ્યારે વાંચવા મળે ત્યારે કોઈ અદ્ભુત અનોખી દુનિયામાં વિહરતા હોઈએ એવો આનંદ થાય છે. ચાંદનીના પ્રકાશમાં લખાયેલા લેખો, પુસ્તકોમાં ચાંદની જેવી જ શીતળતા, મોહકતા અને પ્રકાશ ભર્યા છે. પૂ. ગુરથી લેખનકળામાં એટલા માહિર જણાય છે કે કલમ પણ તેમનો સ્પર્શ પામીને ધન્ય બની ગઈ હશે. એમાં પણ સમરાદિત્ય ચરિત્ર ગ્રંથ પર પૂજ્યશ્રીએ કલમનો કસબ પાથર્યો છે, ત્યારે તો કમાલ કરી દીધી છે. વૈરાગ્ય રસથી નીતરતો. આ ગ્રંથ છે. ગુણસેન અને અગ્નિશમ, સિંહ રાજા અને આનંદકુમાર', જાલિની ૫૦૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #556
--------------------------------------------------------------------------
________________
અને શિખીકુમાર' અને યશોધર મુનિ ચરિત્ર' આ ચાર પુસ્તકોમાં જે વિવેચન સમાયેલું છે એ વાચકોના જીવનને અજવાળે તેવું છે. જીવનના સુંદર રહસ્યો તેમાં છુપાયેલા છે. ઉચ્ચ પ્રકાશના પંથે
આ ગ્રંથમાં સાનુબંધ ક્ષયોપશમ નામના પાંચ ઉપાય બતાવેલ છે. (૧) અનાયતન, (૨) પરિણત આલોચન, (૩) ગુણ આકર્ષણ, (૪) દોષઘૂણા, (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તનું સેવન જણાવેલ છે. ધ્યાન શતક
અનભિજ્ઞ જીવોને સમજાવવા માટે પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે એક સરળ વિવેચનગ્રંથમાં મૂળ ગ્રંથના તમામ પદાર્થોને સમજાવ્યા છે. તેનું વિવેચન ગુજરાતી ભાષામાં હોવાથી અને ધ્યાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન હોવાના કારણે પઠનીય બન્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં મૂળ શ્લોક, તેનો ભાવાર્થ અને ત્યાર બાદ વિસ્તૃત વિવેચન સરળ ભાષામાં કરવામાં આવ્યું છે. ધ્યાન શતકમાં બે અશુભ
ધ્યાન – આર્ત અને રૌદ્ર તથા બે શુભ ધ્યાન – ધર્મ અને શુક્લ ધ્યાનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ ધ્યાનમાર્ગના સાધક માટે દિવાદાંડી સમાન છે. તેમની વિવેચનશૈલી રોચક છે. આમ મૂળ ગ્રંથના રહસ્યને સ્પષ્ટ કરનાર આ વિવેચન પણ જૈન ધ્યાન પદ્ધતિનો સુંદર ખ્યાલ આપનાર ગ્રંથ છે. પાળે પળાવે પંચાચાર
જ્ઞાનાચાર જેના રક્તમાં, હૈયામાં અને રોમેરોમમાં વણાયેલો છે. તેમનો જ્ઞાનાચાર (૧) અધ્યયન, (૨) અધ્યાપન, (૩) પ્રવચન, (૪) વાચના, (૫) શિબિર, લેખન દ્વારા વિસ્તૃતતાના આભને આવ્યો છે. જ્ઞાન સાધનામાં ગળાડૂબ રહેતાં. આચારો પાળવામાં, પળાવવામાં પણ ખૂબ ચુસ્ત હતા. પૂજ્યશ્રીની પ્રતિભા એવી હતી કે તેમનો સંસર્ગ જેટલો સમય ગાળો તેટલો સમય ખરેખર જીવનનો ઉત્તમ સમય બની રહેતો. પ્રવચનના માધ્યમે તેમના હૈયામાંથી નીકળતી વૈરાગ્યની વાતો, શિબિરના વેધક પ્રવચનો, અદ્વિતિય અધ્યાપનની કૌશલ્ય શક્તિએ સવા બસો જેટલા શિષ્યો, પ્રશિષ્યોનો વિશાળ સમુદાય ઊભો કર્યો.
- પૂજ્યશ્રી સાંપ્રદાયિક પક્કડ, વૈચારિક વ્યામોહ અને સંકુચિત દૃષ્ટિથી દૂર રહેતા. રાગદ્વેષનો ક્ષય થાય એવું શિક્ષણ એ જ ખરું શિક્ષણ. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને વાઈસ ચાન્સલરે પણ પ્રતિજ્ઞા (નિયમ) લીધી હતી. તેમના શબ્દો પાછળ તેમની જીવનસાધનાનું બળ હતું. અનુભૂતિનો રણકાર હતો. ભગવાન પ્રત્યે અવિહડ પ્રેમ ધગધગતો હતો. તેમની અપ્રમતતા મુનિ સા ના આચારાંગ સૂત્રનાં જીવંત સંસ્કરણ સમ લાગતી.
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + ૫૦૭
Page #557
--------------------------------------------------------------------------
________________
“સમય રેત પર અંકિત રહેશે, ભુવનભાનુનાં પગલાં, નીતર્યું જે અમૃત ક્લમથી, અમર થઈ ગયા ગ્રંથ સદા. કલમથી ટપકેલી શાહીએ, પાલ્યા જીવનના પંથ, જિન શાસનને મળશે ફરીથી ક્યારે આવો વિરલ સંત. ચાંદની રાતે કલમ ચલાવી, વિવિધ ગ્રંથો કર્યા તૈયાર, પાક્યો નથી કોઈ વિદ્યાસાગર, આ અવિન પર એકવાર. મધુર કંઠે શબ્દો રણકતા, અનુપમ શાતા આપતા, જ્યાં જ્યાં પાવન ચરણો પડ્યા ત્યાં ભવનાં વિઘ્નો ભાગતા.’
કથા-કથન કૌશલ્ય
કથાના અંશ-અંશમાંથી જીવન રહસ્યો ખેંચી કાઢવાની અદ્વિતિય હથોટી હતી. તે હથોટીએ હૈયાના ઊંડાણમાંથી નીકળતી વાણી તે ફક્ત વાણી જ ન હતી, પરંતુ તેમના જીવનનું, પ્રતિભાનું, તેમના ઉપર ઊતરેલી ગુરુકૃપાનું, પાંડિત્યનું પ્રતિબિંબ હતી, જે શ્રોતાઓના હૈયા સુધી પહોંચી જતી હતી. તેનું ઉત્તમ ઉદાહરણ કથા ‘અમીચંદની અમીષ્ટ' જે વાંચતાં વાચક રડી પડે છે. વાણી જેટલી ઊંડેથી નીકળે તેટલા ઊંડાણ સુધી પહોંચે છે. અસીમ ગુરુકૃપા હોય, અજોડ બુદ્ધિપ્રતિભા હોય, પ્રકાંડ પાંડિત્ય હોય, વિપુલ શાસ્ત્રબોધ હોય, જીવો પ્રત્યે કરુણાભાવ અને પ્રકર્ષપ્રાપ્ત પરાર્થવૃત્તિ હોય, ઔપપાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિનો સુભગ સમન્વય થયેલો હોય અને અપાતો ઉપદેશ જીવનમાં સંપૂર્ણ વણાયેલો હોય અને પછી જે પ્રવચનધારા વહે તે મોહચંડાલના કેવા બૂરા હાલ કરે તે તો પૂજ્યશ્રીના પ્રવચનો સાંભળનારા હજારો શ્રોતાઓએ અનુભવેલો આસ્વાદ છે. દ્રવ્યાનુયોગ કે ગણિતાનુયોગના તો પૂજ્યશ્રી ખૂબ સારા નિષ્ણાત હતા જ, ગ્રંથસ્થ ચરણકરણાનુયોગને પોતે જીવનસ્થ બનાવ્યો હતો.
ગણધરવાદ – એટલે તર્કથી તત્ત્વ તરફ્ની યાત્રા. ભવ્ય જીવો તરફ કરુણા લાવીને સાવ સાદી અને સરળ ભાષામાં તેમની કલમની કરુણા કાગળ ઉપર વહીને જે ગ્રંથ તૈયાર થયો તે બુદ્ધિજીવીઓને મનભાવન ભોજનસ્વરૂપ ગ્રંથ એટલે ગણધરવાદ. ૧૪ વિદ્યાના પારગામી ઇન્દ્રભૂમિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણોની જીવ અને તત્ત્વોની તર્કપુરસ્કર કરેલી સિદ્ધિ અને જીવ, કર્મ વગેરેના સ્વતંત્ર અસ્તિત્વ અંગેની શંકાનું નિવારણ તેમના સમર્પણ અને શ્રદ્ધાનો પાયો બની.
ગઘે પ્રાર્થના : સાધનાનો કોઈ પણ યોગ યંત્રવત્ ન બની જાય અને ચેતનાથી ધબકતો રહે તે પૂજ્યશ્રી હંમેશાં ઇચ્છતા હતા. ક્રિયા માટે અહોભાવ રહે અને તે ચેતનવંતી બને તે માટે અનેક તરકીબો પોતાની કુશળતાથી શોધી કાઢતા અને સાધનામાં પ્રાણ પૂરતાં. પ્રભુને હૈયામાં પધરાવવા અને પ્રભુના હૈયાની સ્પર્શના કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ ભક્તિ માર્ગ અને તે માટે પ્રભુ સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. પૂર્વાચાર્યોએ રચેલા સ્તવનોમાં ભાવ, સ્ફુરણાઓ, સંવેદનાઓ,
૫૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #558
--------------------------------------------------------------------------
________________
લાગણીઓ તો ભક્ત ભરવી પડે તે માટે તેવાં પદો કે સ્તવનો પોપટિયા ભાષાથી ન રટતાં તેવાં પદ્યસ્તવનના ભાવોને ગદ્યમાં ભગવાન સામે બોલવાથી હૈયું ગદ્ગદ બને છે. એકાગ્રતા અને ઉલ્લાસ વધે છે. શબ્દો જોડે સાતત્ય જળવાઈ રહે છે. પ્રભુની એક મનોમૂર્તિ માનસપટ ઉપર અંકાઈ જાય છે. ગદ્ય પ્રાર્થનામાં આ ચાર ગતિમાંથી છૂટવાની કાકલૂદી કરો અને દોષોનું વિવેચન કરો. મૈત્રી ભાવની યાચના કરો. ભગવાનને વિશેષણોથી વધાવો કે પ્રભુના ગુણો અને પોતાના દોષોની તુલના કરો. પણ જે પ્રાર્થના કરો તે હૈયાના ઊંડાણથી કરો.
વાચના પ્રબોધ : “સ મિન પરમપ્રેમપ' પરમાત્મા વિશે ઊઠેલો પરમપ્રેમ તે ભક્તિ. ગુરુ શિષ્યને વૈરાગ્ય પમાડી સંસારની મોહજાળમાંથી મુક્ત કરાવે છે. શિષ્યના પ્રત્યેક યોગમાં ભાવોલ્લાસ વધતો જાય છે, અને શિષ્ય આત્મિક પ્રસન્નતાથી તરબતર રહે. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગમાં કોઈ અવરોધ ઉત્પન્ન ન થાય, શિષ્યમાં શિથિલતા ન આવે તે માટે પૂજ્યશ્રીની વૈરાગ્યવર્ધક અને સંયમવિશોધક માર્મિક વાચનાઓ થઈ છે. અહમદનગરમાં થયેલ પૂજ્યશ્રીની શ્રી મહાનિશિથસૂત્ર ઉપર થયેલી વાચનાઓએ શ્રમણોના હૃદય ધ્રુજાવી દીધા અને સૂક્ષ્મમાં અતિસૂક્ષ્મ દોષોની આલોચના લેવા તેમને મજબૂર કરી દીધા, તેવી તેમની વાચના હતી. શ્રમણોમાં આધ્યાત્મિક આરોગ્યની માવજત માટે તેઓ જીવનના છેલ્લા દિવસો સુધી વાચના ઔષધની પડીકીઓ શ્રમણોને આપતા જ રહ્યા. અત્યંત વ્યસ્તતા અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ વાચના માટે અચૂક સમય ફાળવતા. પૂજ્યશ્રીના વાચનસંગ્રહોમાં (૧) યતિ-હિતોપદેશ, (૨) સ્વાધ્યાયનો સ્વાધ્યાય પ્રગટાવે શુભ ધ્યાન, (૩) વાચના પ્રસાદી, (૪) ભવ અનંતમાં દર્શન દીઠું, (૫) વાચનાનો ધોધ કરે આત્મ પ્રબોધ, (૬) વાચના વૈભવનો સમાવેશ થાય છે. સંયમીવર્ગમાં આત્મજાગૃતિનો નવસંચાર કરનારી પૂજ્યશ્રીની અપ્રગટ વાચનાઓ પણ પ્રગટ થતી રહે અને અનેકોના જીવનમાં દિવાદાંડી બનીને સૌમ્ય પ્રકાશ પાથરતી રહે.
નિયમણમાં નિપુણ : નિર્ધામણા કરવામાં પૂજ્યશ્રીમાં અત્યંત કૌશલ્ય હતું. જીવન તો ઉત્સવ છે, તો મૃત્યુ તો મહોત્સવ છે. તે ક્યારે સંભવિત બને? જ્યારે પ્રભુનું શાસન રોમે-રોમે જેને વસેલું હોય, પોતે સાવધાન હોય તેવા મહાત્મા કરાવી શકે. પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય અને લઘુબંધુ પૂ. પં. શ્રી પદ્મવિજયજીના ગળાના કેન્સરની અસાધ્ય બીમારીમાં, કારમી પીડા વચ્ચે પૂજ્યશ્રીએ તેમની સમાધિ અખંડ રખાવી, મનને અશુભભાવમાંથી શુભભાવમાં લાવવાની અજબ હથોટી હતી. પૂજ્યશ્રીએ કેટલાય આત્માઓને પ્રેરકપત્રો દ્વારા સમાધિનું બળ પૂરું પાડ્યું.
ગ્લાનસેવા અને ગુરુસેવા: ગ્લાન અને વૃદ્ધ સાધુઓની સેવા માટે પૂજ્યપાદશ્રી અત્યંત કાળજી અને તત્પરતા ઘખવતા. વ્યાધિમાં અટવાયેલાને સમાધિ ટકે તેવી સુંદર આરાધના કરાવતા. પોતાના પરમતારક પૂ. ગુરુદેવની નિશ્રામાં જીવનભર
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન - પ૦૯
Page #559
--------------------------------------------------------------------------
________________
રહ્યા ત્યારે પોતે અદના સેવકની જેમ પડિલેહણ આદિ સેવાકાર્યમાં સમયસર પહોંચી જતા. પોતાના ગુરુદેવશ્રીનું સ્ટ્રેચર પણ ઉપાડતા. અભ્યાસ માટે ઘણી વાર છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને ગોચરી વાપરવા આદિનો સમય બચાવતા પણ ગ્લાનસેવા અને ગુરુસેવાને અભ્યાસ આદિ કોઈ પણ કારણથી ક્યારેય ગૌણ ગણી નથી. તપ પ્રભાવક તપસ્વી :
કીધા કર્મ નિકંદવા રે લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક છૂટવા રે નહીં કોઈ તપ સમાન રે.
ભવિજન તપ કરજો મન શુદ્ધ. કવિરાજશ્રી ઉદયરત્નજીના અક્ષરોને આત્મસાત્ કરીને બાર પ્રકારના તપની મંગલમાળાથી ઓપતા મહાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદવિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, તપસ્વી જ નહોતા પણ તપના વ્યસની હતા. તપકલાના નિષ્ણાત, મહાન તપપ્રભાવક હતા, તેવું પૂ. મુનિરાજશ્રી વરબોધિવિજય મહારાજ કહેતા.
પ્રમાદ પરિહાર: વીરની વાણી – ‘સમયે યમ, મા પમાય ગૌતમ ગણધરને ઉદ્દેશીને મહાવીરે કહેલું આ વાક્ય પૂજ્યશ્રીએ આત્મસાત કર્યું છે. કૌશલ્ય અને ક્ષણને ઓળખી તેને વશ કરવાની કળાએ તો પૂજ્યશ્રી એક વિરાગી સાધુસેના તૈયાર કરી શક્યા છે. દિવસે સૂર્યના પ્રકાશનો ઉપયોગ તો હરકોઈ કરે, પરંતુ રજનીના ચાંદની ચાંદનીમાં તેમના કરકલમ દ્વારા કેટલાય મહાન ગ્રંથોનું અવતરણ થયું છે.
જિર્ણોદ્ધાર : તીર્થોમાં જિર્ણોદ્ધાર તો કર્યો સાથે યુવાનોનો જિર્ણોદ્ધાર કર્યો. શિલ્પીની પારખી નજરે એવા યુવાનો ચડ્યા કે જેમણે ટંકારીને એવો ઘાટ ઘડ્યો. કે તેઓએ જનશાસનની રૂડી પરે સેવા કરી. શિબિરના પાયામાંથી હૈયા સુધીની ધર્મ જાગૃતતા જગાડી. શાસનના ઉદ્ધારમાં અજોડ સેના તૈયાર કરી. શાસનના કેટલાય ક્ષેત્રો ખેડીને, પાતળી કાયાના સ્વામી એવા આ ગુરુએ જિનશાસન ઉપર જે ઉપકાર કર્યો છે તે અહોભાવની લાગણી પ્રગટાવ્યા વગર રહેતી નથી. ભગવાન મહાવીરની વાણી મુજબ ક્ષણનો પણ પ્રમાદ ન કરીને આ ગુરુજીએ ક્ષણમાં પણ મણ જેટલું જીવી લીધું છે. 1 સુરતનું ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ છે, એવી હજુ કોઈને ગંધ પણ નહોતી, ત્યારે સર્જાયો હતો એક મનોકંધ – સુરતના ચાતુર્માસમાં પેરેલીસીસનો એટેક આવ્યા પછી સર્જાયેલી કાયાની અસ્વસ્થતાએ ભક્તજનોના મનને અસ્વસ્થ કરી નાખ્યા. જોકે પૂજ્યશ્રીનું મન તો એ જ પ્રસન્નતાની પરિમલ મહેકાવી રહ્યું હતું. ડોક્ટરોની સલાહ હતી ઉપચાર માટે વિહાર મુંબઈ તરફનો... પણ મનનો પોકાર હતો અમદાવાદની દિશાનો, તબીબો, ભક્તજનો અને શિષ્યજનોનું પ્રચંડ પીઠબળ પામેલો કાયાનો પોકાર મનના આ તીવ્ર પોકાર આગળ હારી ગયો અને અમદાવાદ ભણી વિહાર થયો.
પ૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના તારક સાનિધ્યમાં પંકજ સોસાયટીના ઉપાશ્રયમાં સ્થિરતા થઈ. નિશ્રાવર્તી પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. આદિ સહુ તેઓશ્રીની પ્રસન્નતા વધતી જ રહે અને જરાય ન નંદવાય તેનું જતન કરતા હતા. પરંતુ આજસુધી અનેકોને કરાવેલ નિયમણ અને આપેલ અદ્ભુત સમાધિબળના બધા ઉત્તમ લક્ષણો જણાઈ રહ્યા હતા. અને તે અંતિમ પળ આવી પહોંચી અને ૮૨-૮૨ વર્ષથી ચાલી આવતી દેહ-આત્માની દોસ્તી તૂટી. જેના શાસનની વાડીને મઘમઘાયમાન કરનાર આ જીવન પુષ્પ કરમાઈ ગયું. કંઈ કેટલાય મહાનુભાવોની લાગણીઓ-સ્પંદનો, તંત્રીઓના દિલાસાઓ, મહારાજશ્રીઓના શોકસંદેશાઓ, તાર અને પત્રો, ટેલિફોનથી આવેલા સંદેશાઓની ભરમાર તેમના તરફની લોકલાગણીનો પડઘો હતો. પૂજ્યશ્રી જૈન શાસનના હિરલા હતા અને વિશ્વના વિરલા હતા.
પૂજ્યશ્રીના ગમનથી જિનશાસનમાં જ્ઞાનયોગી, ક્રિયાયોગી, તપોનિષ્ઠ પુણ્યાત્માનો વિરહ પડ્યો છે. શિબિરાદિ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરી યુવાનોને જિનશાસનના રસિક બનાવી, સંયમમાર્ગે વાળી શાસનના ચરણે સાધુ સમુદાયની ભેટ ધરી છે. તેવો શોક સંદેશ પૂઆ.દેવ શ્રીવિજય અશોકરત્નસૂરીશ્વરજી મ.સા. આપેલ.
હે ગુરુદેવ! સહુ કોઈના અસ્તિત્વને નામશેષ કરવું તે કાળનું કામ. તેણે પોતાનો દૂર પંજો આપની ઉપર પણ ઉગામ્યો, પણ બિચારો ભોંઠો પડી ગયો. આપનું અસ્તિત્વ મિટાવવાની તેની શું હેસિયત ? બહુ બહુ તો તે આપના બાહ્ય અસ્તિત્વને મિયવી શકે, સૃષ્ટિ પર જીવાઈ ગયેલા આપના વિરાટ વ્યક્તિત્વને નામશેષ કરવાની તેની શું ગુંજાશ ? ગુરુદેવ ! શિબિરોથી ઘડાયેલા હજારો યુવાનોની ધબકતી ધર્મચેતના રૂપે આજેય આપ જીવંત છો. સેંકડો શ્રમણોની સુવિશુદ્ધ સંયમચર્યા અને અદ્દભુત શાસનસેવાની સુરમ્ય સૌરભરૂપે આજેય આપ મહેકો છો. દિવ્ય દર્શનના અંકોમાંથી નીતરતી સંવેગ અને વૈરાગ્યની અમૃતધારા રૂપે આજે પણ આપ મોજૂદ છો. આપના શતાધિક પ્રકાશનોમાં ઝળહળતી નિર્મળ ધર્મજ્યોત રૂપે આપ આજે પણ ઉપસ્થિત છો. સકલ સંઘના હીર, ખમીર અને કૌશલ્યના પ્રાણાધાર તરીકે આજેય આપનું અસ્તિત્વ અનુભવાય છે.
કુમારપાળ વિ. શાહ જેવા અનેક સમર્પિત નવયુવાનોની સર્વક્ષેત્રીય અદ્વિતીય શાસન સેવાનાં મહાન કાર્યોમાં પ્રાણસંચાર કરતી મહાપા રૂપે આપ આજે પણ વિદ્યમાન છો.
આપે દીધેલો સાત્ત્વિક સાહિત્યનો વિરાટ ખજાનો એ આપ જ છો. આપે આપેલો બહુમૂલ્ય શ્રમણરત્નોનો વિપુલ વારસો એ આપ જ છો. આપે સર્જેલો આત્મસાધનાનો ઉજ્જવલ ઇતિહાસ એ આપ જ છો. આપે આપેલો મહાન જીવનનો ઉત્તમ આદર્શ એ આપ જ છો.
આપે પૂરેલી ચેતનાથી જીવતા સંઘનો ઉત્સાહ એટલે આપ જ છો. પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૧
Page #561
--------------------------------------------------------------------------
________________
આપે પૂરું પાડેલું ગુણગણની ગરિમાનું વિરલ દૃષ્ટાંત એટલે આપ જ છો. તેવો શોક સંદેશ પૂ. મુનિરાજશ્રી સત્યસુંદરવિજય મ.સાહેબે પાઠવેલ. આવા ઘણા બધા શોક સંદેશાઓ વિશ્વભરમાંથી આવેલ.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન એટલે એક મહાન ગ્રંથ
એ મહાન જીવન ગ્રંથની સંક્ષિપ્ત વિષયસૂચિ
નામ ઃ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજ્ય. ભુવનભાનુસૂરીશ્વરજી
: ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૦૪-૧૯૧૧
જન્મદિવસ
જન્મ સ્થળ
: અમદાવાદ
માતાજી :
ભૂરીબહેન પિતાજી ચીમનભાઈ
ભાઈઓ : શાંતિભાઈ, પોપટભાઈ (પદ્મવિજ્યજી), ચતુરભાઈ, જ્યંતીભાઈ (તરુણવિજયજી)
: શારદાબહેન, વસુબહેન, બબીબહેન (હંસકીર્તિશ્રીજી) : કાંતિલાલ
: ગવર્મેન્ટ ડીપ્લોમેઇટ એકાઉન્ટન્ટ (G.D.A.-C.A. સમકક્ષ) પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ બેન્કર્સ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ : સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, અમદાવાદ શાખામાં સર્વિસ.
: વિ.સં. ૧૯૯૦, આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩)
: પોષ સુદ-૧૨ સંવત ૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫,
ચાણસ્મા
વડીદીક્ષા : મહા સુદ ૧૦, સંવત ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવશ્રી ઃ સકલાગમરહસ્યવેદી
બહેનો
સંસારી નામ વ્યવહારિક અભ્યાસ
સંસારમાં વ્યવસાય
ચતુર્થવ્રત સ્વીકાર દીક્ષા
સુવિશાલ ગચ્છાધિપતિ
પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્યાનસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવશ્રી સિદ્ધાન્તમહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ (ત્યારે પંન્યાસ)
:
૫૧૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #562
--------------------------------------------------------------------------
________________
ગણિપદ : સંવત ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૦૨-૧૯૫૬,
પૂના પંન્યાસપદ : સંવત ૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૦૨-૦૫-૧૯૬૦,
સુરેન્દ્રનગર આચાર્યપદ : સંવત ૨૦ર૯ મા
: સંવત ૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૦૭-૧૨-૧૯૭૨,
અમદ્યવાદ ગચ્છાધિપતિપદ : સંવત ૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૦૮-૦૧-૧૯૯૦,
ઈરોડ પ્રસિદ્ધ વિશેષણો : વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, વૈરાગ્ય મહોદધિ,
સંઘહિત ચિંતક અનેકાંત દેશનાદ, પ્રવચન પ્રવીણ,
સુવિશાલગચ્છાધિપતિ પ્રથમ પુસ્તક : વાર્તા વિહાર કુલ ગુજરાતી પુસ્તકો : ૮૨ કુલ હિંદી પુસ્તકો : ૨૭
મરાઠી પુસ્તક : ૧
અંગ્રેજી પુસ્તક : ૪ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો : ૫૦થી વધુ દિવ્યદર્શન પ્રારંભ : વિ.સં. ૨૦૦૮, ભાદરવા સુદ ૧, તા. ૨૧-૦૮
૧૯૫૨, ગુરુવાર તીર્થકર દિવ્યદર્શન : વિ.સં. ૨૦૪૪, ભાદરવા સુદ ૫. વહેતી જ્ઞાનગંગા : દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થંકર દિવ્યદર્શન
પાક્ષિક
ભાષાજ્ઞાન : સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી અધ્યયનોપયોગી સર્જન : પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃતનિયમાવલી, ન્યાયભૂમિકા,
પ્રકરણ દોહન, તત્ત્વાર્થ ઉષા વિ.. અત્યંત લોકપ્રિય : પરમ તેજ, ઉચ્ચ પ્રકાશનના પંથે, યોગ દૃષ્ટિ
સમુચ્ચયના વ્યાખ્યાનો શ્રેષ્ઠતમ સાહિત્ય : ધ્યાન અને જીવન, અમીચંદની અમી દષ્ટિ, સીતાજીના
પગલે પગલે, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, જૈન
ધર્મનો સરળ પરિચય કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર
આલ્બમ, ગુજરાતી-હિંદી બાલપોથી, મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવનચરિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૩
Page #563
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં શ્રી
પ્રેમસૂરિ મ.સા.નાં જીવનચિત્રો. વિહારભૂમિ અને ? ગુજરાત-૨૩ ચાતુર્માસ, રાજસ્થાન-૭ ચાતુર્માસ,
મહારાષ્ટ્ર-૨૨ ચાતુમસ, ઉત્તરપ્રદેશ- ચાતુર્માસ, બંગાળ-૧ ચાતુર્માસ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક-૨
ચાતુર્માસ, તામિલનાડુ-ર ચાતુર્માસ પ્રથમ શિબિર : નાશિક – સંવત ૨૦૧૦, જેઠ માસ, ઈ. સ. ૧૯૫૪
મે માસ અંતિમ શિબિર : સુરત - સંવત ૨૦૪૮ ચાતુર્માસમાં રવિવારીયા
શિબિર કાળધર્મ દિવસ : સંવત ૨૦૪૯, ચૈત્ર વદ-૧૩, તા. ૧૯-૦૪-૧૯૯૩
બપોરે ૧.૩૦ કલાકે, અમદાવાદ અગ્નિસંસ્કાર સ્થળ : અમદાવાદ – પંકજ સોસાયટી, ભઠ્ઠા પાસે, પાલડી ઉત્તરાધિકારી પટ્ટ પ્રભાવક:
સિદ્ધાન્ત દિવાકર પૂ.આ. કે. શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રભાવક
સંદર્ભસૂચિ (૧) શ્રી ભુવનભાનુના અજવાળા : પૂ.પં. શ્રી જયસુંદરજી મ.સા., પૂ. મુનિશ્રી
મુક્તિવલ્લભ મ.સા. પ્રકાશન-સંકલન : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વર,
સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ. (૨) ભુવનભાનુ સાહિત્ય ઉપનિષદ : મુનિ અભયશેખરવિજય ગણિ, મુનિ
મુક્તિવલ્લભવિજય ગણિ, પ્રકાશન-સંકલન : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વર,
સ્મૃતિગ્રંથ પ્રકાશક સમિતિ (૩) જીવન સર્વસ્વ : આચાર્યશ્રી રત્નસુંદરજી મ.સા, રત્નત્રયી ટ્રસ્ટ (૪) જેણે તમને જોયા છે તે ધન્ય છે. આચાર્યશ્રી રત્નસુંદરજી મ.સા, રત્નત્રયી
ટ્રસ્ટ
મંજુ આર. શાહ
૭, શ્યામ એપાર્ટમેન્ટ ૬, લક્ષ્મીનારાયણ સોસાયટી, શાંતિનગર, ઉસ્માનપુરા,
અમધવાદ-380013
M. 9662841045 R:079-27552063
પ૧૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #564
--------------------------------------------------------------------------
________________
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि
मंजुला गांधी
[પ્રસ્તુત લેખના લેખિકા શ્રી મંજુલાબહેનને પોતાના પતિ શ્રી મહેન્દ્રભાઈ સાથે અવારનવાર સાહિત્યકલારત્ન પ.પૂ. શ્રી વિજ્યયશોદેવસૂરિજી પાસે જવાનું થતું. તેમના સાહિત્યખજાનાથી તેઓ સુપરિચિત હતા. પૂ. યશોદેવસૂરિજીની સાહિત્યકૃતિઓનો પોતાની સરળ અને પ્રાસાદિક શૈલીમાં પરિચય આપવાનો સ્તુત્ય પ્રયત્ન લેખિકાએ આ લેખમાં કર્યો છે.
सं.]
जीवन वृतान्त
उनका जन्म वि. सं. १९७२ पोप सुदी वीज के दिन डभोई, गुजरात में हुआ था । जन्म के पहले ही पिता का वियोग हो गया था और ५ वर्ष की कोमल आयु में ही माता का वियोग हो गया था । दो भाई और दो वहन के वाद पाँचवे संतान के रूप में जीवनके आरंभ से ही उन्हें अनेक विडंबनाओं का सामना करना पडा । पितातुल्य वडे भाई श्री नगीनभाई ने बहुत स्नेहपूर्वक उनका लालन-पालन किया । धार्मिक एवं पारंपरिक शिक्षा के साथ ही उन्हें नृत्य एवं संगीत की शिक्षा भी प्राप्त हुई । वचपन में मंदिर में रात्रि - भावना के समय सुंदर भक्ति नृत्य करते थे । उस समय के विख्यात गायक श्री गुलामरसूलखाँ साहेव के पास संगीत का अभ्यास किया था । अपने जैन समाज में अति प्रचलित सत्तर भेदी पूजा के पदों को वे ३५ भिन्नभिन्न राग-रागिनीयों में अपने मधुर कण्ठ से गाकर सभी को भक्तिरस में आनंदविभोर कर देते थे ।
१५ वर्ष की सुकुमार अवस्था में वि.सं. १९८७ वैशाख सुदी तीज के दिन पालिताणा के पास कदंवगिरि में वे दीक्षित हुए
तीन-तीन गुरुदेव, प. पू. श्री मोहनसूरि महाराज साहेव, प. पू. श्री प्रतापसूरि महाराज साहेव एवं प. पू. श्रीधर्मसूरि महाराज साहेब के कृपापात्र वने ।
उन्होंने निरंतर तप, साधना, स्वाध्याय एवं अध्ययन से जैन आगम, प्रकरण ग्रंथ, कर्मग्रंथ आदि के साथ ही व्याकरण, न्याय, दर्शन, साहित्य, ज्योतिप आदि का भी तलस्पर्शी अभ्यास किया । उनकी असाधारण प्रतिभा और विनम्रता के कारण वे कसोटी पर चढे हुए शुद्ध सोने की तरह निखर उठे ।
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५१५
Page #565
--------------------------------------------------------------------------
________________
-
प.पू. आ. श्री धर्मसूरीश्वरजी म. साहेब के कालधर्म के पश्चात् एक अभूतपूर्व और आश्चर्यकारक वस्तु प्रकाश में आई वह है : “यशः पादरज” - “वालमुनि श्री यशोविजय की उनके मुक भगवंत द्वारा शीशी में संभालकर रखी हुई पादरज' । शिष्य के गुरु के प्रति बहुमान हो ऐसा तो स्वाभाविक लगता है पर गुरु शिष्य को अपने हृदय में स्थान देकर उसकी चरणरज को बहुमूल्य वस्तु की तरह संभालकर रखे ये घटना तो अत्यंत विरल हैं ।
जीवनसिद्धि :
उनके द्वारा साहित्य और कला के क्षेत्र में दिये गये बहुमूल्य योगदान का बहुमान करते हु उन्हे वि.सं. २०२६ मागसर सुद ६ के दिन वालकेश्वर में 'साहित्य कला रत्न' की उपाधि से विभूषित किया गया ।
वे २०-२० वर्ष तक आचार्य पदवी के लिये इन्कार करते रहे । अंत में उनको गुरु प.पू. आ. भगवंत श्री धर्मसूरीश्वरजी के विशेष आग्रह एवं आदेश से आचार्य पदवी स्वीकार करने की सहमति दी। उनका आचार्यपदप्रदान महोत्सव बहुत धूमधाम से पालिताणा में आयोजित हुआ था । तत्कालीन सिद्धांतनिष्ठ प्रधानमंत्री श्री मोरारजीभाई देसाईने पालिताणा आकर उन्हें शाल अर्पण करके वहुमान किया था। वि.सं. २०३५ मागसर सुदी ५ के दिन जिनशासन की इस महत्त्वपूर्ण ऐतिहासिक समारंभ में ५०,००० से अधिक जनसमुदाय उपस्थित था। आज से ३६ वर्ष पहले इस समारंभ में १३ लाख से अधिक खर्च हुए थे । संपूर्ण समारंभ खर्च भारत
सरकार द्वारा उठाया गया था ।
उनके जैन साहित्य सेवा के वढते हुए व्याप का वहुमान करने के लिये वि.. सं. २०५१ पोष सुदी वीज के दिन वालकेश्वर, मुंबई में उन्हें 'साहित्य सम्राट' की उपाधि से विभूषित किया गया ।
स्व-पर धर्म आराधना एवं धर्मप्रभावना के साथ-साथ राष्ट्रहितचिंता उनके हृदय में बसी हुई थी । भगवान महावीर के सिद्धांतो की मुख्यता करते हुए वे हमेशा शांति और एकता पर विशेष भार देते थे । भारत-पाकिस्तान युद्ध के समय जैन समुदाय को राष्ट्र के लिये स्वर्ण अर्पण करने की प्रेरणा की, तो जैन संघो ने उस समय १७ लाख रुपयों का स्वर्ण तत्कालीन प्रधानमंत्री श्री लालवहादुर शास्त्री को अर्पण किया ।
साहित्यिक कृतियाँ
सुयश जिन स्तवनावली :
इस सुंदर कृति में लगभग १०० भाववाही स्तवन है । दीक्षा पर्याय के ४ वर्ष में ही उनकी आयु के उन्नीसवें वर्ष में प्रथम प्रकाशित यह कृति इतनी अधिक लोकप्रिय हुई है कि इसकी अभीतक १५ से अधिक आवृत्तियाँ छप चुकी
૫૧૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #566
--------------------------------------------------------------------------
________________
हैं । अर्थ-सभर शब्दों में रचित ये स्तवन भक्ति गंगा में डूबने का अनोखा आनंद प्रदान करती है। ___मारी नावली छे मझदार, तारो प्रभु एक ज छे आधार' यह स्तवन 'युवाशिविर प्रणता' प.पू. आ. श्री भुवनभानुसूरीश्वरजी महाराज साहेब दिन में तीन-तीन बार शिविरार्थीयों से गाने का आग्रह रखते थे । वे कहते कि यह रचना किस शुभ घडी में बनाई गई है कि इसे वार-बार गुनगुनाने का मन करता है । भक्तिगंगा :
'नवस्मरणादि आराधना' अपरनाम 'भक्तिगंगा' आ. श्री द्वारा संपादित एक विशिष्ट उपयोगी कृति है । नित्य पाठ के लिये नवस्मरण स्तोत्र के बाद इसमें ऋपिमण्डल तथा जिनपंजर आदि स्तोत्र दिये गये है । तदुपरांत भगवती पद्मावती, अंविका, सरस्वती शारदा आदि के स्तोत्र एवं स्तुतियाँ दी गई है ।
नवग्रह जाप और प्रार्थना तथा ९ १७ और २७ गाथाओं के ‘उवसग्गहरं स्तोत्र' दिये गये हैं । माणिभद्रवीर, गौतमस्वामीजी के छंद, रत्नाकर पच्चीसी, चरशरण पयन्ना, इत्यादि अनेक नित्य उपयोगी विषयवस्तुओं का इसमें संग्रह है । इस अत्यंत लोकप्रिय पुस्तक के कई संस्करण छप चुके है।
अन्य स्वरचित एवं संपादित कृतियों में 'चन्द्र-सूर्य मंडल कणिका निरुपण' (वि.सं. १९९२), 'भगवान श्री महावीर के १५ चित्रों का परिचय' (वि.सं. १९९८), 'वृहत् संग्रहणी सानुवाद के पांच परिशिष्ट' (वि.सं. २०००), 'वृहत् संग्रहणी चित्रावली ६५ चित्र, वि.सं. २०१५), 'उपाध्यायजी स्वहस्तलिखित और अन्य प्रतियों के आद्य एवं अंतिम पत्रों की ५० प्रतिकृतियों का आल्वम' (वि.सं. २०१७) 'आगमरत्न पिस्तालिशी गुजराती पद्य (वि.सं. २०२३), 'तीर्थंकर भगवान महावीर इस ग्रंथ के ३५ चित्रोंका तीन भापाओं में परिचय, १२ परिशिष्ट, १०५ प्रतीकों और ३५ रखा-पट्टियों का परिचय (वि.सं. २०२८), आदि मुख्य है। बृहत संग्रहणी सूत्र
___ यह आचार्य की श्रेप्ट अनुवादित कृति है । अनेक यंत्रो, कोप्टक तथा ६५ से अधिक स्वयं-निर्मित चित्रों एवं ७०० से अधिक पृष्टों में विस्तृत यह एक अनुपम दलदार ग्रंथ है । आगमशास्त्रों में वर्णित विविध पदार्थों का इसमें संचय-संग्रह हुआ है इसलिय 'संग्रहणी ऐसा सार्थक नाम दिया गया है । जिन-शासन में जिन साधुसाध्वियों की आगम-शास्त्र पढने की पूर्ण पात्रता न होने भी आगम का थोडा-बहुत ज्ञान प्राप्त कर सके इस हित-वुद्धि से पन्नवणा आदि आगम शास्त्रों में से कुछ पदार्थों को चुनकर आ. श्री चन्द्र ने बारहवीं शताब्दी में कुछ नई गाथाओं की रचना करके इस ग्रंथ को लिखा जिससे आगम के निर्देशानुसार दोष से बचा जा सके ।
यह संग्रहणी ग्रंथ प्राचीन आचार्यों द्वारा लिखित विविध गाथा-संख्या के साथ उपलव्य है । आचार्यश्री ने दीक्षा के बाद १८-१९ वर्ष की आयु में ही गुरुआज्ञा
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५१७
Page #567
--------------------------------------------------------------------------
________________
से इसका अनुवाद आरंभ किया । उन्होंने भारतभर की पाठशालाओं में पढाई जाने वाली ३४९ प्राकृत गाथाओं वाले ग्रंथ का गुजराती भाषा में अनुवाद किया ।
आचार्य श्री ने अत्यंत सावधानीपूर्वक भाषांतर करते हुए, शब्द काठिन्य से वचते हुए, भाषा-सौष्ठव को समाहित करते हुए, अशुद्धिरहित, शास्त्र सम्मत, अनेक ग्रंथी का अन्वेषण करके, सारभूत पदार्थों का समन्वय करके इसे लोकभोग्य वनाया है ।
इस ग्रंथ के उपोद्घात में आचार्यश्रीने ग्रंथ की ऐतिहासिकता एवं प्रामाणिकता के विषय में संशोधनात्मक विवेचन विस्तार से लिखा है ।
आज के वैज्ञानिक युग के वायरलेस - रेडियो फोटोग्राफ - फोटोग्राफिक और टेलिविजन पद्धति आदि का शास्त्रीय दृष्टि से समन्वय करते हुए कई दृष्टिविंदु दिये हैं जो विशेष रूप से मननीय है । जैन अभ्यासियों की क्षतियों का भी उल्लेख किया है । जैनधर्म, जैनप्रजा एवं जैन समाजकी प्रवर्तमान परिस्थितियों का चित्रण किया है | पाश्चात्य एवं शास्त्रीय मान्यताओं के विसंवाद का तुलनात्मक विवेचन किया है | ग्रंथ में चार अनुयोग किस तरह घटित होते हैं वह भी बताया है । इस ग्रंथ की तृतीय आवृत्ति सं. २०५३ में प्रकाशित हो चूकी है । इसमें ग्रंथ की मूल प्राकृत गाथा के साथ उसकी संस्कृत छाया और शब्दार्थ दिया है । फिर मूल अर्थ और विशेषार्थ लिखकर गाथा को सुस्पष्ट किया है ।
I
इस ग्रंथ में विज्ञान से संबंधित जैन अभ्यासियों के लिये जानने योग्य दृष्टिविंदु एक लेखमाला में प्रस्तुत किये
1
लेखांक (१) में पृथ्वी की रचना, उत्तर ध्रुव, दक्षिण ध्रुव, अष्टापद पर्वत आदि की विशेष वातें बताई है ।
लेखांक (२) में ज्योतिपचक्र के विषय में जैनागम एवं अर्वाचीन वैज्ञानिक मान्यताओं का भेद बताया है ।
लेखांक (३) में गुरुत्वाकर्पण पर विशेष विवेचन किया है ।
लेखांक (४) में भारत के प्राचीन वैज्ञानिकों के गुरुत्वाकर्षण एवं पृथ्वी के विपय पर उपलब्ध प्रामाणिक तथ्य उजागर किये हैं ।
लेखांक (५) में 'जैनधर्म और विज्ञान की कुछ जाननेयोग्य वातों पर प्रकाश डाला है ।
लेखांक (६) और (७) में विविध दर्शनों की पृथ्वी के विषय में जो मान्यतायें हैं उसकी चर्चा की है ।
लेखांक (८) से (१४) में समय, दूरी, अणु-परमाणु, तारा-नक्षत्र आदि अनेक विषयों पर जैन धर्म की विशेष मान्यताओं की एवं स्वयं के निरीक्षण पर कई विचारणीय वातें लिखी 1
वृहत् संग्रहणी या संग्रहणीरत्न अपरनाम ' त्रैलोक्यदीपिका' के विषय-वस्तु का संक्षिप्त में परिचय कराना चाहती हूँ ।
૫૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #568
--------------------------------------------------------------------------
________________
इस ग्रंथ में १४ राजू लोक (अखिल ब्रह्माण्ड) में चारो गति में एकेन्द्रिय से पंचेन्द्रिय पर्यंत सभी जीवों का विविध प्रकार से वर्णन करने की अनुकूलता रहे इसलिये पहली ही गाथा में नव द्वारों का उल्लेख किया है ।
__ प्रथम 'स्थिति' द्वार में प्रत्येक भव में प्रत्येक जीव के जघन्य एवं उत्कृष्ट आयुष्य की वर्णन किया है।
दूसरे “भवन' द्वार में देव और नारकी जीवों के उत्पन्न होने के स्थानों का वर्णन है।
तीसरे 'अवगाहन' द्वार में जीवों के जघन्य और उत्कृष्ट शरीर का परिमाण दिया है।
चौथे 'पपात विरह' द्वार में एक जीव के उत्पन्न होने के बाद दूसरा जीव कितने समयांतर पर उत्पन्न होता है उसका जघन्य एवं उत्कृष्ट अंतर दिया है ।
पाँचवे 'च्यवनविरह' द्वार में एक जीव की मृत्यु के वाद दूसरा जीव कब मत्यु को प्राप्त होता है उसका जघन्य एवं उत्कृष्ट अंतर दर्शाया है ।
छटे 'पपात संख्या' द्वार में देव आदि गतियों में एक समय में एक साथ कितने जीव उत्पन्न होते हैं उसका वर्णन है।
सातवें 'च्यवन संख्या' द्वार में देव आदि गतियों में एक समय में एक साथ कितने जीव मृत्युको प्राप्त होते हैं यह दर्शाया है ।
आटवें ‘गति' द्वार में कौन सा जीव मृत्यु को प्राप्त होने के पश्चात् किस गति में उत्पन्न होता है उसका वर्णन है ।
नवें 'आगति' द्वार में देवादि गतियों से किस-किस गतियों में जीव आता है उसका वर्णन है ।
तीनों लोकों में जीवों के परिभ्रमण की सूक्ष्म एवं स्थूल वातों पर यह ग्रंथ एक संदर्भ ग्रंथ की तरह है | दृश्य-अदृश्य विश्व-व्यवस्था, भूगोल, खगोल, स्वर्ग, मृत्यु और पाताल इन तीन लोकों से संवद्ध आकर्पक विषयों का इसमें समावेश है । चक्रवर्ती का वर्णन, सिद्धशिला, वासुदेव, उत्संधांगुल, प्रमाणांगुल की व्याख्या, आयुष्य के प्रकार, पर्याप्ति के प्रकार, विविध प्रकार के शरीर आदि का स्वरूप, इस प्रकार छोटे-बडे अनेकानेक विषयों को इस ग्रंथ में गूंथ लिया है ।
इस पूरे ग्रंथ का अंग्रेजी में भी अनुवाद किया गया है | 'उपाध्यायजी की स्वहस्तलिखित और अन्य प्रतियों के आद्य एवं अंतिम पत्रों की ५० प्रतिकृतियों का आल्बम' :
आचार्यश्री की स्वरचित एवं संपादित कृतियों की शृंखला में यह एक अत्यंत महत्त्वपूर्ण एवं अनूटी कृति है ।
सत्रहवीं सदी के उत्तरार्ध के जैनशासन के परम प्रभावक, समर्थ तत्त्वचिंतक, असाधारण कोटि के तार्किक विद्वान, न्याय विशारद, न्यायाचार्य महोपाध्याय श्रीमद्
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५१८
Page #569
--------------------------------------------------------------------------
________________
यशोविजयजी महाराजश्री की स्वहस्तलिखित हस्तप्रतों के एवं उनके दिव्य-शक्ति युक्त हस्ताक्षरों के परिचय-दर्शन-वंदन सुलभ कराने की पवित्र उत्कट भावना से इस कृति का जन्म हुआ । आचार्यश्री यशोदेवसूरिजी द्वारा जैन साहित्य संपत्ति में यह एक बहुमूल्य योगदान है ।
इसके प्रकाशन में उपाध्यायधीजी की अद्यावधि स्वहस्ताक्षरीय कतियाँ कौनकौनसी एवं कितनी प्राप्त हुई है उसकी विपुलता की जानकारी से गुणानुरागी महानुभावों को सविशेष आनंद प्राप्त होगा | कृतियों के आदि अंत के मंगलाचरणो एवं प्रशस्तियों में जो गांभीर्य, मार्मिकता, माधुर्य एवं विशेषता हो उसका भी सभी को ज्ञानानन्द मिले इस भावना से वह अद्भुत और अनमोल ग्रंथ आ. श्री ने जिनशासन को भेंट किया है । यशोविजयजी स्मृतिग्रंथ
वि.सं. २०१० में डभोई शहर में सत्रहवीं सदी के जैनशासन के अंतिम ज्योतिर्धर महोपाध्याय श्रीमद् विजययशोविजयजी की चरणपादुका की प्रतिष्टा के प्रसंग पर 'श्री यशोविजयजी सारस्वत सत्र के अंतर्गत गुणानुवाद का एक विशाल आयोजन आ. श्रीने अपने वडील गुरुदेवों के आशीर्वाद से किया था । इस प्रसंग के संदर्भ में विद्वानों से आमंत्रित लेखों, निबंधी, संस्मरणों आदि प्रकाशनयोग्य सामग्री को 'यशोविजयजी स्मृति ग्रंथ' में समाविष्ट किया गया है जिसका श्रमसाध्य संपादन कार्य आचार्यजी ने किया और उसके संपादकीय निवेदन में अत्यंत महत्त्वपूर्ण वातों को उजागर किया है।
इस ग्रंथ में प्रकाशित डॉ. श्रीयुत भोगीलाल सांडेसरा अपने संस्मरण में लिखते हैं कि महोपाध्याय यशोविजयजी की निर्वाणभूमि डभोई में मुनिश्री ने इतना सुंदर
आयोजन किया कि गुजरात वाहर के साहित्यकारों को भी इस विषय के रसिक बना दिये । मुनिश्री के उदात्त विचारों, विशाल आदर्शो, व्यवहार कुशलता और सवको
आकर्पित करके एक साथ जोड लेने की अनोखी शक्ति की भूरि-भूरि प्रशंसा की है। मुनिश्री के दिल में शासन और समाज की सेवा करने का लावा उवल रहा है |
अन्य एक विद्वान लेखक वकील श्री नागकुमार मकाती लिखते हैं कि पाश्चात्य देशों में ऐसी मान्यता है कि फिनिक्स नामक पक्षी के शव की राख में से नये फिनाक्ष पक्षी का जन्म होता है । वे लिखते है कि महोपाध्याय यशोविजयजी की राख में से २५० वर्षों के वाद पुनः एक 'यशोविजयजी' का जन्म हुआ है । मुनिश्री की 'यशोभक्ति' नरसिंह और मीरा की कृष्णभक्ति की तरह अत्यंत भावपूर्ण है |
आ. श्रीने महोपाध्यायजी के ग्रंथों का विपुल वांचन, अध्ययन किया है। उनकी प्रेरणा से यशोभारती प्रकाशन समिति के उपक्रम से विविध पुस्तक प्रकाशित हुए है । आ. श्री ने ग्रंथो की विषय-वस्तु का संक्षिप्त परिचय दिया है । अपने विस्तृत अभ्यास एवं ज्ञान के बल पर विशिष्ट परिचय में महोपाध्यायजी द्वारा उपयोग में
પ૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #570
--------------------------------------------------------------------------
________________
लाई गई सामग्री की विशेषताओं का रसप्रद वर्णन किया है ।
'उणादि प्रयोग यशस्विनी मंजूषा'
२३ वर्ष की उम्र में उन्होंने इस ग्रंथ की रचना की थी । व्याकरण ग्रंथो से अपरिचित व्यक्तिओ को आसानी से समझ में आये ऐसा यह विषय नहीं है | इसलिये इस ग्रंथ के वारे में थोडा विस्तार करती हूँ ।
व्याकरण में एक प्रकरण 'उणादि का होता है । जिस शब्द की सिद्धि स्वाभाविक नियमों के अनुसार एवं प्रचलित धातु सूत्रों वगैरह से नहीं होती उसके लिये भाषाविदों ने 'उणाद' की रचना की । वडे व्याकरण ग्रंथो में 'उणादि का विभाग अवश्य होता है ।
आ. श्री ने पाणिनि ऋषि के अष्टाध्यायी व्याकरण सिद्धांत कौमुदी टीका सहित के १२००० श्लोक कण्टस्थ किये थे । 'उणादि' का निष्ठा पूर्वक अभ्यास करके १७५७ शब्दों की व्युत्पत्ति के साथ एक शब्दकोश तैयार किया । संस्कृत के विद्यार्थियों को व्युत्पत्तिओ का ज्ञान सरलता से प्राप्त हो, शब्द किस धातु पर से वना है, शब्द किस गण का है, उसकी व्युत्पत्ति किस सूत्र से सिद्ध होती है, शब्द किस लिंग का है उसका गुजराती एवं हिंदी अर्थ क्या है उसका ज्ञान इस ग्रंथ में दिया गया है ।
किस शब्द का क्या अर्थ किस तरह से निकलता है उसे 'व्युत्पत्ति कहते हैं। ननंद का शब्द अर्थ पति की वहन ऐसा करते हैं । उसकी व्युत्पत्ति में वताया गया है कि नंद धातु है जिसका अर्थ 'आनंद' होता है । उसके पहले 'न' लगाया इसलिये ननंद शब्द की व्युत्पत्ति 'न नंदयति भातृजायात् इति ननंद' अर्थात् स्वयं की भाभी को खुश न रखे उसे ननंद शब्द से निर्देशित किया जाता है ।
जव उज्जैन में इस ग्रंथ का विमोचन किया गया तव तत्समय के प्रमुख वक्ता डॉ. अवस्थीजी के उद्गार थे कि यदि उणादि सूत्र नहीं होते तो व्याकरण का एक अंश अपूर्ण रह जाता। उन्होंने बताया कि इश्वर शब्द का स्त्रीलिंग 'ईश्वरा' वनता है, 'इश्वरी' नहीं । उन्होंने कहा कि वर्तमान युग 'कोशों' का युग है । कोशों के विना चलता नहीं है । कोशों के साथ अकारादि वर्णानुक्रम से सूचि होनी चाहिये । वह आ. श्री के शिष्य पू. मुनिश्री जयभद्रविजयजी ने किया है ।
I
कहा जाता है कि 'उणादि प्रयोग' का इतना सुविस्तृत कार्य संस्कृत भापा में इतने बडे पैमाने पर भारतभर में पहली बार हुआ है । वैयाकरणिओ ने आ. श्रीकी इस कृति की मुक्तकंठ से भूरि-भूरि प्रशंसा की है ।
कल्पसूत्र सुबोधिका टीका :
वि.सं. २०१० सन १९५४ में आचार्यश्री की संपादित कृति 'कल्पसूत्र सुवोधिका टीका' का प्रकाशन हुआ है । उस संपादन की विशिष्टता हैं।
(१) सुंदर मुद्रण और उच्च कक्षा के कागज ।
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५२१
Page #571
--------------------------------------------------------------------------
________________
(२) अलग अलग विभागा-विषयों के लिये भिन्न-भिन्न टाइप योजना । (३) प्राकृत गद्य-पद्यों की संस्कृत में छाया ।
(४) स्पष्टता और सुवांधता के लिये क्लिप्ट-अल्प-प्रसिद्ध और ज्ञातव्य शब्दो पर टिप्पणियाँ ।
(५) भिन्न-भिन्न विषयों का शीघ्र अंदाज आये, सरलता रहे और सुंदरता दिखे इसके लिये अलग-अलग गद्यखण्डो एवं शीर्पको की योजना ।
(६) वाँचन सरलता के लिये गद्य और पद्य का अलग पंक्ति में मुद्रण । (७) श्लाको के लिये एक ही तरह के टाइप । (८) प्रत्येक व्याख्यान का अलग पृष्ट से प्रारंभ । (९) पूर्णाहुतिसूचक वाक्यों के लिय इटालियन टाइप । (१०) आवश्यक सभी श्लोका के उपर छन्दों का नामोल्लेख ।
(११) पारिभापिक और गूढार्थक शब्दों का टिप्पणियों द्वारा सुंदर स्पष्टीकरण तथा मतमतांतरों का उल्लेख ।
(१२) स्थविरावली के अंत में प्राकृत श्लोको के साथ संस्कृत छाया और सूत्रांक ।
___ (१३) चौवासों तीर्थंकरों से संबंधित ३६ प्रकार के तथ्यों का ज्ञान करानेवाला सुंदर परिशिष्ट नं. १ . (१४) ऋपभदव, शांतिनाथ, नेमिनाथ, पार्थनाथ, महावीर स्वामी एवं सरस्वती आदी सूरिमंत्र अधिप्टायकों सहित श्री गौतमस्वामीजी के ६ multicolor (त्रिरंगी) चित्र ।
इस ५१ फार्म एवं ६१२ पृष्ठों में प्रकाशित इस समृद्ध प्रति में ऐसी छोटीवडी अनेक विशेपतायें है । यह ग्रंथ अध्ययन-अध्यापन वांचन करने वाले मुनिवरों के लिये अत्यंत उपयोगी सिद्ध हुआ है । आगम रत्न-पिस्तालिशी :
अव आचार्यश्री की एक विशिष्ट काव्यकृति का उल्लेख करना चाहूँगी । इसका नाम है 'आगमरत्न पिस्तालीशी । वि.सं. २०२३ संवत १९६७में ४५ आगम का तप करने वालों के लिये उपयोगी ४५ आगम की ४५ दोहो में गुजराती काव्यकृति की रचना की । इस रचना की विशेपता यह है कि एक दोहे में ही आगम का नाम, उसका प्रधान विपय दानों का निर्देश आ जाता है । दोहों में आगमों के सभी नाम प्राकृत भाषा के लिये गये है और जाप के पदों में सभी नाम संस्कृत भाषा के लिये है जिससे आगम के प्राकृत और संस्कृत दोनो नामो की जानकारी उपासक वर्गको मिल सके । संवत्सरी प्रतिक्रमण की सरल विधि :
एव एक अत्यंत उपयोगी कृति ‘संवरी प्रतिकमण की सरल विधि' की वात પર + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #572
--------------------------------------------------------------------------
________________
करना चाहूँगी । हम सब जानते हैं कि प्रतिक्रमण एक आवश्यक क्रिया है और लगभग प्रत्येक जैन व्यक्ति वर्ष में एक बार तो प्रतिक्रमण अवश्य करता है । क्रिया के साथ तादात्म्य साधने के लिये अर्थरहस्य का ज्ञान हो तो क्रिया में यथार्थ आनंद की अनुभूति होती है और क्रिया विशेष फलदायी बनती है।
वि.सं. २००७में मुनि अवस्था में पर्युपण पर्व पर लोगों को जिज्ञासा और उत्साह देखकर इस पुस्तक का निर्माण ..... प्रतिक्रमण क्या है | उसके साधन क्या है ? प्रतिक्रमण शब्द का अर्थ क्या है ? प्रभाव का अर्थ क्या है ?, क्या प्रतिक्रमण प्रतिदिन करना चाहिये ? क्या आवश्यक एक ही है ? संवत्सरी प्रतिक्रमण क्यों करना चाहिये ? क्रिया की आवश्यकता क्या है ? आदि कई प्रश्नों का विशद विवेचन किया है | इस पुस्तक की कुछ विशेषताओं का उल्लेख करना चाहूंगी ।
(१) महत्त्व के सूत्रों का आवश्यक भावार्थ और उसकी विशेप समझ सूत्रों के पहले ही दे दिये गये हैं ।
(२) जिस क्रिया में जैसा आसन और मुद्रा अपेक्षित है उसके चित्र दिये गये है।
(३) मुहपत्ती के ५० वोल के चित्र दिये गये हैं ।
'अभिधान राजेन्द्र' नामक कोश जैनसमुदाय में एक महान कांश के रूप में विख्यात है पर अनुपलब्ध था | प्रख्यात विद्वान प.पू. आचार्य श्री विजय जयंतसेनसूरिजी की प्रेरणा से कोश पुनः प्रकट करने का उपक्रम किया गया । उसका सरलता से उपयोग किया जा सके इसलिये उसका कद घटाकर आधा किया गया। तत्समय के विख्यात विद्वान अगरचंदजी नाहटा ने मुनिश्री यशोविजयजी से उनके अभिप्राय के लिये आग्रहपूर्वक विनती की । मुनिश्री ने इस कोश के लिये ऐसा उच्चकोटि का अर्थ, सार्थ, सर्वग्राही मूल्यांकन किया कि अन्य अनेक अभिप्रायों के बीच मुनिश्री के अभिप्राय को चुन करके ग्रंथ के सभी भागों में प्रसिद्धि दी गई। तीर्थंकर भगवान श्री महावीर के ३५ चित्रों का संपुट : वि.सं. २०२९
सन् १९७३ में प्रथम प्रकाशित इस ग्रंथ में ३४ चित्र श्री महावीर के जीवन को आलखित करते हैं और ३५वाँ चित्र भगवान के आद्य शिष्य गणधर श्री गौतमस्वामीजी का है।
इसकी सन् १९९२ की तीसरी आवृत्ति में १३ अतिरिक्त चित्रों का समावेश किया गया है | सभी चित्र आयात किये गये आर्ट पेपर पर छापे गये हैं जो बहुत ही आल्हाद दायक हैं। इसमें १४४ प्रतीकों और ८० रखापट्टियों का समावेश किया है और तीन भाषाओं में परिचय दिया गया है जो अभुतपूर्व जानकारी देता है ।
इसके अलावा इसमें सिद्धचक्रयन्त्र, ऋपिमण्डल यंत्र, भाविकाल में तीर्थंकर वनने वाला आत्मा परमात्मा कैसे बनता है उसका विवेचन, चौदह राजुलोक के भौगोलिक चार चित्र, पाप क्षमापना सूत्र - अटारह पाप स्थानक, जैनागमों की ब्राह्मी
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५२३
Page #573
--------------------------------------------------------------------------
________________
लिपि, जीव क्षमापनासूत्र सात लाख, अशोक और शालवृक्ष के चित्र, भारत का महावीर कालीन मानचित्र, कल्पसूत्र की पद्धति के चार चित्रों का परिचय आदि अनेक नई एवं रसद सामग्री का समावेश है ।
आ. श्रीकी यह सर्वांगसुंदर साहत्यिक एवं कलात्मक गौरवदायी कृति व्यक्तिगत ग्रंथसंग्रहों की शोभा में अभिवृद्धि करने वाली है । ऋषिमण्डल स्तोत्र एवं यंत्र का संशोधनात्मक कार्य :
-
प.पू. वयोवृद्ध आ. श्री सिद्धिसूरि वापजी की प्रेरणा से मुनिश्रीने नव महिने के समय में भिन्न-भिन्न शास्त्रसंग्रह 7 ज्ञान मंदिरों से शताधिक हस्तप्रतों / पोथियों का एवं श्वेतांवर / दिगम्बर सम्प्रदाय के अनेक मुद्रित पुस्तकों का तथा वस्त्र कागजपट तथा अन्य प्रकीर्णक साहित्य का अवगाहन करके, पाठभेदों के वैविध्य और वैचित्र्य का व्याकरण / छंद आदि की दृष्टि से समीक्षा करके संतुलन विटाकर, उन पर चिंतन-मनन- संशोधन करके तर्कपूर्ण शास्त्र सम्मत शुद्ध ऋपिमण्डल स्तोत्र एवं यंत्र वि.सं. २०२७ में जैन समुदाय के सामने प्रस्तुत किया । इस अत्यंत महत्त्वपूर्ण कार्य के लिये समग्र जैन समाज आचार्य श्री का हमेशां ऋणी रहेगा । व्याकरणछंद-भाषा-साहित्य में डाक्टरेट संशोधन कार्य करने वालों के लिये आ. श्री की यह सर्वांगसुंदर साहित्यिक कृति मार्गदर्शनरूप है ।
आ. श्री द्वारा संशोधित एवं संपादित ऋपिमंडल यंत्र की १०००० से अधिक कृतियाँ प्रकट हो चुकी हैं एवं आराधक आत्माओं द्वारा अनन्य भक्तिभावपूर्वक आराधना में उपयोग किया जाता है ।
इसी संदर्भ में 'ऋपिमण्डल यन्त्रपूजनम् प्रताकार वि.सं. २०३८ सन् १९८२ में प्रकाशित प्रस्तावना संग्रह में दी गई ३७ पृष्टों की प्रस्तावना पूजनविधि-विधान की कई रसप्रद वातें प्रकाश में लाती है । आ. श्री की किसी भी विषय पर शास्त्रप्रामाणिकता अनुसार कार्य करने की निप्टा विशेष रूप से परिलक्षित होती है |
'तदुपरांत ऋषिमण्डल स्तोत्र एक स्वाध्याय तथा ऋषिमण्डल मूल मंत्र एक चिंतन' की वि.सं. २०४६ सन् १९९० में प्रकाशित आवृत्तिमें आ. श्री ने अत्यंत अनिवार्य सुधारों का सूचन किया है और उसकी पुष्टि महावीर जैन विद्यालय कं भण्डार से प्राप्त प्रति एवं एक अन्य के आधार पर की है । तीर्थंकरों की प्रश्रयी :
इस पुस्तक में तीन विवादात्मक विषयों पर मीमांसा करके आगम-सम्मत निराकरण करके स्पष्ट निष्कर्ष एवं निवेश दिया है । इसमें तीर्थंकर देव के अष्ट प्रातिहार्यो में से ( १ ) तीन छत्र और (२) अशोक वृक्ष चैत्यवृक्ष का स्पष्टीकरण किया है तथा उनके (३) केश-नख वृद्धि के वारे में परंपरागत मान्यताओं में भिन्नता का निराकरण किया है ।
छत्रत्रय: तीर्थंकर देव की प्रतिमा या छवि के ऊपर प्रदर्शित तीन छत्री के ૫૨૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #574
--------------------------------------------------------------------------
________________
क्रम के विषय में संशोधन करके युक्तिसंगत तर्क द्वारा स्थापित किया है कि सबसे उपर वाला पहला छत्र सबसे छोटा, वीच वाला उससे थोडा बडा और सबसे नीचे भगवान के मस्तक के समीप वाला सबसे बडा होना चाहिये ।
वुद्धिशाली, विचारशील और संशोधनात्मक प्रवृत्ति से उद्भूत सत्य को स्वीकार करने की वृत्ति रखने वाले आचार्यो एवं विद्वानों ने इसका स्वीकार और समर्थन किया है |
तपागच्छ के सबसे विशाल साधु-साध्वी समुदाय के तत्कालीन प्रभावक गच्छाधिपति प.पू. आ. भगवंत श्री विजय रामचन्द्रसूरीश्वरजी महाराज साहेब जो आगम के सिद्धांतों का निष्ठापूर्वक स्वयं पालन करते और शिष्यों से भी अनुसरण करने का आग्रह रखते वे भी आ. श्री के संशोधन से प्रभावित हुए । उन्होने पत्रोत्तर में लिखा कि उनके संशोधन कार्यका दो वार वारीकि से निरीक्षण किया है और आ. श्री के निष्कर्ष को उनकी पूर्ण सहमति है । अपने सभी संघो में छत्रों को यही रूप से दर्शाने का निर्देश भी तुरंत दे दिया ।
आ. श्री उनके पत्र को प्राप्त करने के बाद अत्यंत आनंद में आ गये और बोल उठे कि महापुरुषों की कैसी उदारता है कि मेरे जैसे अल्प वय के साधु की बात भी इतनी सरलता से स्वीकार कर ली । सत्य समझने के बाद उसे तुरंत स्वीकार कर लेने का गुण उनमें रहता ही है ।
अशोक वृक्ष
आसोपालव
चैत्यवृक्ष :
-
-
आ. श्री ने संशोधन से ये प्रमाणित किया कि ये तीनो भिन्न-भिन्न है | विशेष वर्णन पुस्तक से जाना जा सकता है । तीर्थंकर देव की केश मीमांसा :
इसमें तीर्थंकर देव की दीक्षा के पश्चात् केवलज्ञान तक एवं तत्पश्चात् निर्वाण तक केश-नख वृद्धि के वारे में शास्त्रों के आलोक में सुंदर विवेचन किया है । सिद्धिदायक सिद्धचक्र यंत्र :
सिद्धचक्र यंत्र की आराधना विपुल प्रमाण में होती है । इसलिये आ. श्रीने विशेष परिश्रम लेकर आगमसम्मत संपूर्ण रूप से शुद्ध यंत्र - पूजन-विधान का आलेखन किया है । नव-नव दिन की वर्ष में दो वार शाश्वती ओली की आराधना का केन्द्रबिंदु सिद्धचक्र यंत्र विशेष फलदायी बने इसके लिये आ. श्रीका यह अत्यंत महत्त्वपूर्ण योगदान है ।
इस साहित्यिक कृति की आचार्य श्री ने सभी दृष्टिबिंदुओं को स्पर्श करती हुई विस्तृत प्रस्तावना लिखी है ।
आयंबिल तप और भोजन व्यवस्था, आयंबिल तप से होने वाले लाभ, आराधनामय जीवन जीने के अवसर का पूरा लाभ उठाने की प्रेरणा दी है ।
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५२५
Page #575
--------------------------------------------------------------------------
________________
यंत्रो के दोनो प्रकार, नवपदी के गट्टो का परिचय देकर, 'यंत्र क्या वस्तु है', 'यंत्र का देह कैसे बनता है' 'यंत्र विज्ञान और उसकी महिमा', 'यंत्र विद्या', 'यंत्रो के विविध उपयोग' आदि का सुंदर विवेचन किया है।
केन्द्रवर्ती विशिष्ट कोटि के केन्द्रीय वीज के क्रम को सुस्पष्ट किया है | प्रथम वलय में 'स्वाहा' अवश्य होना चाहिये, दूसरे वलय में 'नमो अरिहंताणं' के साथ ॐ नहीं होना चाहिये आदि अनेक संशोधन प्रमाणित किये हैं ।
यंत्र में सालंबन अनाहत कहाँ और निरालंबन अनाहत कहाँ होना चाहिये इसका सूचन किया है।
फिर जयादि देवियों के वलय, अधिप्टायक के वलय के बारे में स्पष्टीकरण किया है | आँख और खेस क्यों बनाये जाते हैं इसे समझाया है।
इस तरह अनेक विशेपताओं से युक्त सवींग संपूर्ण यंत्र आ.श्री के संशोधन से जैन समाज को प्राप्त हुआ ।
सिद्धचक्र यंत्र पूजन एक सर्वेक्षण और समीक्षा' का लेखन एवं सं. २०४९ में इसकी दूसरी आवृत्ति का प्रकाशन हुआ है ।
पूजनविधि में भूलसुधार के निर्देश देते हुये केन्द्रवर्ती १६ स्वरों के बारे में, अनाहतों के पूजन के बारे में चर्चा की है । 'शर्करा लिंग' के सत्यार्थ की अज्ञानता के कारण चली आ रही अविधि का निवारण भी किया है | चार अधिष्ठायक की पूजा 'कोडो' से ही करनी चाहिये उसका स्पष्टीकरण किया है । शांतिकलश के दण्डक में २५ वर्प से चली आ रही क्षति का भी निवारण किया है । प्रस्तावना संग्रह :
आचार्यश्री के मन में एक क्रांतिकारी विचार का उद्भव हुआ कि यदि उनके द्वारा लिखी गई प्रस्तावनाओं का संग्रह प्रकाशित किया जाये तो उनके द्वारा साहित्य एवं कला क्षेत्र में जो कार्य हुआ है उसकी झलक सचिवान व्यक्तिओं को एक ही ग्रंथ में प्राप्त हो सकती है | उनके सुपरिचित विद्वानों, लेखकों एवं वाचकों ने उसका उत्साह-पूर्वक स्वागत किया ।
वि.सं. २०६२ सन् २००६ में पृष्टसंख्या २७+८२० के साथ प्रकाशित यह दलदार ग्रंथ एक नया आयाम कायम करता है । इसमें उनके द्वारा विविध विषयो पर रचित / संपादित ७७ पुस्तकों में लिखी गई प्रस्तावनाओं का समावेश है । ___'प्रस्तावना संग्रह' की प्रस्तावना में आ. श्री विजयपूर्णचन्द्रसूरीश्वरजी महाराज साहेब लिखते है कि उनके मतानुसार प्रस्तावनाओं का विभागीकरण करें तो इस ग्रंथ में आगमसूत्रो, प्रकरणो, स्तुति-स्तोत्रो, इतिहास, जीवन-चरित्र, प्रभुजीवन, प्रतिक्रमण, संगीत-नाट्य, पूजा-पूजन, ज्योतिप, कोश, प्रवचन, पत्रसंकलन, ऐतिहासिकं संशोधन, संस्कृत पाट्यग्रंथ, शिल्पकला, संस्मरण, चित्रपट-आल्वम, विचारणीय प्रश्नो, आदि विविध विषयों को स्पर्शती हुई प्रस्तावनायें हैं ।
પ૨૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #576
--------------------------------------------------------------------------
________________
वे आगे लिखते हैं कि निशंक रूप से कहा जा सकता है कि इसमें शास्त्रीय मर्यादाओं का पालन करने का यथाशक्य प्रयत्न किया है | जहाँ कहीं किसी विषय में अनुमान या कल्पना का सहारा लेना पडा है तो सिद्धांत की सीमा का उल्लंघन न हो उसकी पूरी सावधानी रखने का प्रयत्न किया गया है।
ये प्रस्तावनायें विवेच्य पुस्तक उपरांत उस विषय से संबंधित अन्य महत्त्वपूर्ण जानकारी से भरपूर है इसलिये एक पठनीय पुस्तिका का रूप ले लेती हैं | वुद्धि की कसोटीरूप ये प्रस्तावनामें किसी भी विषय के समुद्र रूपी ज्ञानसभर पुस्तक का सार-सूक्ष्म रूप करके एक छोटे से लोटे रूप कुछ पृष्ठों में समाविष्ट करने की कुनह से सर्जित होती है । प्रस्तावनाओं में आ. श्री का सूक्ष्म निरीक्षण एवं तथ्यों की सत्य-परकता का आग्रह, ये दो महत्त्व के लक्षण वाचक को अभिभूत कर देते हैं ।
विद्वान शिरोमणि एवं कई वहुमूल्य पुस्तकों के सर्जक डॉ. रमणभाई सी. शाह ने वहुमुखी प्रतिभावंत आ. श्री के वहुमूल्य लेखन एवं संशोधन कार्य का वहुमान करते हुये इस प्रस्तावना संग्रह' को 'ग्रंथशिरोमणि' और इसमें दी हुई सत्त्वशील सामग्री काल को जीतकर हमेशा नई जैसी मूल्यवान रहेगी ऐसे उद्गार व्यक्त किये हैं।
मंजुला महन्द्र गांधी D/२०५, पूर्णिमा एपार्टमन्ट, २३, पंडर रोड, मुंबई-४०००२६
R. ०२२-२८५२१५१३
साहित्य कलारत्न श्री विजय यशोदेवसूरि + ५२७
Page #577
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી
જ કુણાલ કપાસી
પાટણમાં કોટાવાલા આર્ટ્સ કૉલેજમાં પ્રાકૃત વિભાગના અધ્યાપક શ્રી કુણાલભાઈએ પ્રસ્તુત લેખમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના વિદ્યાપુરુષાર્થને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. – સં.).
ડૉ. હરિવલ્લભ ભાયાણી (૧૯૧૨00)એ ભારતીય સાહિત્ય જગતના ધ્રુવતારક સમાન હતા.
સ્વાતંત્ર પ્રાપ્તિ પછી આપણે ત્યાં માત્ર આર્થિક અને રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ ભારતીય સાહિત્ય, કલા, વિવેચન, તત્ત્વવિચાર એમ બધા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે બદલાયેલા વૈચારિક સમીકરણોને કારણે ભારે સાંસ્કૃતિક ક્ષોભ પેદા થયો. આ સમયે જ મુનિ પુણ્યવિજયજી, મુનિ જિનવિજયજી, સુખલાલજી અને દલસુખ માલવણિયાની પંડિતપરંપરામાં હરિવલ્લભ ભાયાણીએ શાસ્ત્રનાં મૂળ તત્ત્વો, સિદ્ધાંતો, પદ્ધતિ, લક્ષ્ય વગેરેની સૂક્ષ્મ પર્યેષક વિચારણા કરીને શાસ્ત્રના સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું.
પરિચય પુસ્તિકા લે. રમેશ ઓઝા આધુનિક ગતિવિધિ અને પરંપરાના સંતુલન દ્વારા શ્રી હરિવલ્લભ ભાયાણીએ અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેમ કે ભાષાવિજ્ઞાન, વ્યુત્પત્તિશાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય, લોકસાહિત્ય વગેરે. દરેક ક્ષેત્રમાં તેમના વિચાર અધિકૃત ગણાતા હતા. સંશોધક હોવાની સાથેસાથે તેઓ માનવી તરીકે પણ ઉમદા હતા. તેઓ ગુણગ્રાહી હતા. તેમની સાથે પરિચય પામેલો દરેક વિદ્વાન તેમના વ્યક્તિત્વથી અભિભૂત થતો.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકારો શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી પ્રબોધ પંડિત, શ્રી સુરેશ દલાલ વગેરે તેમના અને તેમના કાર્યના ચાહક હતા. તેઓ એક હરતીફરતી યુનિવર્સિટી સમાન હતા. દેશવિદેશના ભારતીય વિદ્યાના અભ્યાસુઓ માટે તેઓ દીવાદાંડી સમાન હતા.
વૈષ્ણવ કુળમાં તેમનો જન્મ થયો પરંતુ તેમનું કાર્યક્ષેત્ર મોટા ભાગે જૈનસાહિત્ય રહ્યું છે. જૈનસાહિત્યમાં તેમનું યોગદાન એટલું અમૂલ્ય છે કે તેમને સવાયા જૈન પ૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #578
--------------------------------------------------------------------------
________________
કહી શકાય. મુનિ જિનવિજયજીના હાથ નીચે કારકિર્દીના આરંભમાં કામ કરવા મળ્યું એટલે કે તેમણે કારકિર્દીની શરૂઆત જૈનસાહિત્યના સંપાદનથી કરી અને ત્યાર બાદ પોતાની કુશળતાથી તેમણે વિદ્યાના અનેક ક્ષેત્રોમાં વિદ્વત્તા પ્રાપ્ત કરી. અનેક પ્રાકૃત ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું. પ્રાકૃતની સાથેસાથે તેની સાથે સંલગ્ન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અપભ્રંશ સાહિત્યમાં પણ તેમણે પોતાની પ્રજ્ઞાને પ્રસરાવી. જેનસાહિત્યના અગાધ મહાસાગરમાં ડૂબકી લગાવીને તેમણે અમૂલ્ય ગ્રંથરૂપી રત્નોની પ્રાપ્તિ જ્ઞતને કરાવી. કનૈયાલાલ મુન્શી અને મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા અનેક જૈન મુનિઓના સંપર્કમાં પણ રહેતા હતા. જેમ કે મુનિ પુણ્યવિજયજી, પૂ. કસ્તૂરસૂરિજી, વર્તમાનમાં પણ પૂ. પ્રદ્યુમ્નસૂરિજી, પૂ. શીલચંદ્રસૂરિજી વગેરેના સંપર્કમાં તેઓ રહેતા હતા અને તેમને માર્ગદર્શન ઉપરાંત પ્રોત્સાહન પણ પૂરું પાડતા હતા. પ્રસિદ્ધ વિદ્વાન જયંત કોઠરીના મતે તેઓ સંઘર્ષ ભીરુ હતા પરંતુ વાદપ્રતિવાદના ભીરુ ન હતા. તેઓ ઊહાપોહમાં રસ લેનારા હતા પરંતુ મતપ્રવર્તક ન હતા.” આ તેમની ઉત્તમતાનું દર્શન છે. તેમના સ્વભાવના કારણે અને જ્ઞાનપિપાસાના કારણે તેમના મિત્રવર્તુળમાં મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, રાજનીતિના જાણકાર, કલાકારો, કવિઓ, નાટ્યકારો એમ દરેક ક્ષેત્રના જ્ઞાનીઓ હતા.
| ડૉ. હરિવલ્લભ ભાયાણીનું જીવન
૨૬ મે, ૧૯૧૭ના રોજ ભાવનગર તાલુકાના મહુવા ગામમાં વૈષ્ણવ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પિતા ચુનીલાલ અને માતા ગંગાબહેનનું અવસાન જન્મના બીજા જ વર્ષે થયું. જન્મ પછી તેમના માતા અને પિતા એકમાત્ર તેમના વિધવા ઘદીમા પોતીબાઈ હતા. હરિવલ્લભ અને તેમની મોટી બહેન પૂજા બંનેના પાલનની જવાબદારી દાદીમા પર આવી. એક તો જુવાનજોધ પુત્ર અને પુત્રવધૂનું અવસાન અને બીજી બાજુ બે બાળકોનો ઉછેર કરવાની જવાબદારી. ધાર્મિક સંસ્કાર પામેલાં ઘદમાએ મજૂરી કરીને બંને બાળકોનો ઉછેર કર્યો. ગરીબ છતાં તે સ્વમાની હતાં. કોઈની પાસે હાથ લાંબો કરવાની ભાવના ન હતી. નાનપણમાં હરિવલ્લભ અને બહેન બંનેને ઉટાંટિયાનો રોગ થયો. તેમાં પૂજાનું અવસાન થયું. આમ અનેક દુઃખોના ડુંગર પડવા છતાં દાદીમા પોતીબાઈએ હરિવલ્લભનો ઉછેર કર્યો. બાળપણથી જ હરિવલ્લભે જીવનના તડકાનો જ અનુભવ કર્યો હતો તેમાં છાયા સમાન તેમનાં દાદીમા હતાં. હરિવલ્લભ ભાયાણીએ પોતાના જીવનની પાઠશાળા તરીકે આ પરિસ્થિતિને ગાયું છે.
“આ શાળા જેવીતેવી હતી? નહીં માસ્તર, નહીં વર્ગ, નહીં પાઠ, નહીં ચોપડી અને તોપણ એ બધુંય ખરું, એનો કોઈ નક્કી વખત નહીં. ચોવીસ કલાકમાં લવે ત્યારે ને ફાવે તેમ ચાલે. ઊઠતા સૂતા, ખાતા પિતા, રમતાભમતાં ભણવાનું એની
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી કે પર૯
Page #579
--------------------------------------------------------------------------
________________
મજા તો એ કે એમાં વગર ભયે ભણાય અને વગર શીખવ્ય શીખતા જવાય. પ્રયોગ જોતા જઈએ અને પોતાની મેળે પાઠ શીખતા જઈએ. પરીક્ષાબરીક્ષા નહીં. વરસ વધે તેમ આપોઆપ ઉપલી પાયરીએ ચઢતા જવાય. તે હિ નો દિવસાન.
હરિવલ્લભના ઘદીમા સાચા અર્થમાં ગણેલા હતા. હરિવલ્લભના મતે તેમને ૩૦૦થી ૪૦૦ કહેવતો હૈયે હતી. હરિવલ્લભે નાનપણની રમવાની ઉંમરમાં દરેક દશ્યો પોતાના હૈયામાં કંડારેલા હતા. લોકસાહિત્યના રસના બીજ તેમને આ જીવનમાંથી મળ્યા હતા. દાદીમા ઉપરાંત ભાયાણી એક બીજી વ્યક્તિ – ભાઈના પરિચયમાં આવ્યા. રંભાઈનો અવાજ સુંદર હતો. તેમની પાસેથી હરિવલ્લભને સંગીત શિક્ષણ પ્રાપ્ત થયું. પ્રાચીન સ્તોત્ર વગેરેને ગાવાની ઢબ રંભાઈ પાસેથી જાણી, નારણજી માસ્તર નામના પ્રેમાળ શિક્ષક તેમને મલ્યા. તેમણે હરિવલ્લભનું ભણતર અને ઘડતર બંને કર્યા. બાળપણમાં નવા વાંચનની ટેવને હરિવલ્લભ આત્મસાત કરી. હરિવલ્લભના ઘર પાસે રહેતા મોહનદાસભાઈ સાથે મિત્રતા થવાથી અનેક પુસ્તકો વાંચ્યાં. હરિવલ્લભના મતે “નારણજી માસ્તરે લગાડેલો વાંચનનો સ્વાદ મોહનદાસના સાનિધ્યમાં નાદ બની ગયો.”
નાનપણમાં હરિવલ્લભે અરેબિયન નાઇટ્સ. અકબર, અનારકલી વગેરે ચમત્કારયુક્ત પુસ્તકો વાંચ્યાં. તે તેમના માટે રસનો વિષય હતો. ગામની લાઇબ્રેરીમાં મેમ્બરશીપ ફીમાં માફી મેળવીને હરિવલ્લભે તેનો સદુપયોગ કર્યો અને તે સમયગાળા દરમિયાન અનેક સાહિત્યકારોને તેમણે વાંચ્યા. નાનપણમાં અનેક પુસ્તકોનું સાનિધ્ય તેમને પ્રાપ્ત થયું અને તે તેમના માટે અમૃત સમાન બની ગયું. મેટ્રિક થયા પછી સંસ્કૃત ભાષા રાખવા માટે મિત્રનું પ્રોત્સાહન મળ્યું અને જુદાજુદા શિક્ષકો પાસે અભ્યાસ કર્યો અને એક વાર તેમણે જૈન યતિ પાસે દશકુમાર ચરિત વાંચ્યું અને પરીક્ષામાં પણ એમાંથી જ પૂછાયું અને સારા ગુણ આવ્યા અને શિષ્યવૃત્તિ મળી. કોલેજના મિત્રોના વાદે તેમણે માનવવિદ્યા છોડીને વિજ્ઞાન વિષય રાખ્યો. ઈ. સ. ૧૯૯૮માં નાપાસ થયા. શિષ્યવૃત્તિ બંધ થઈ. ખર્ચ પૂરો કરવા માટે સંબંધીની મદદ લીધી. બીજા વર્ષે માનવવિદ્યા વિષય તરીકે રાખ્યો. અને સુંદર અભ્યાસ સાથે ઈ.સ. ૧૯૩૯માં હરિવલ્લભ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા.
આગળ અભ્યાસ માટે ભાવનગરથી મુંબઈ ગયા. જુદીજુદી શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા આંટા માર્યા. એક મિત્રની સલાહથી કનૈયાલાલ મુજીને મળ્યા. પરિસ્થિતિ જણાવી અને કનૈયાલાલ મુન્શીએ તેમનો ભાર હળવો કર્યો. સ્કોલરશીપ સાથે ભારતીય વિદ્યાભવનમાં નોકરી મળી. રહેવા-જમવાની પણ સગવડ થઈ ગઈ. વિદ્યાભવનમાં રહીને સંસ્કૃત, પ્રાકૃત, વેદાંત વગેરેનો અભ્યાસ કર્યો. સૌથી મોટો ફાયદો એ હતો કે ત્યાં મુનિ જિનવિજયજી હતા. તેમના માર્ગદર્શન હેઠળ ૧૯૪૧માં M.A.માં પ્રથમ આવ્યા. ત્યાર બાદ મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. વિષય હતો મહાકવિ સ્વયંભૂરચિત પ૩૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #580
--------------------------------------------------------------------------
________________
“પઉમચરી” પીએચ.ડી.નું કાર્ય ૧૯૫૧માં નવ વર્ષે પૂરું થયું. આ સમયમાં તેમણે અપભ્રંશ ભાષા પર થયેલા કાર્યનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સંશોધન કાર્ય ચાલુ રહ્યું. મુંબઈથી પોતાના દાદીમાને રકમ મોકલતા. પગાર વધતા દદીમાને મુંબઈ લાવ્યા. મુંબઈમાં ૧૯૫૦માં ચંદ્રકળા સાથે લગ્ન થયાં. કમૂરતામાં લગ્ન કર્યા. ૧૯૫૧માં પીએચ.ડી. થયા પછી મુંબઈ યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૩માં પુત્ર ઉત્પલનો જન્મ થયો. શ્રી ઉમાશંકર જોશીના આગ્રહથી ૧૯૬૫માં અમદાવાદ ભાષા સાહિત્યમાં જોડાયા. ૧૯૭૫ પછી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં જોડાયા. ત્યાર પછી સંશોધન અને સંપાદનમાં વેગ આવ્યો. સાથે શરીર પણ વૃદ્ધ થતું ગયું. ઈ. સ. ૨૦૦૦માં તબિયત બગડી અને બે મહિનાની માંદગી બાદ ૧૧-૧૧-૨00ના રોજ તેઓનો દેહાંત મુંબઈમાં થયો. સાહિત્ય સાધના
सव्वो गाहाउ जणो वीसत्यो भणइ सव्वगोष्ठीसु।
परमत्थो जो ताणं सो जाओ मइछइल्लेहि। સર્વ લોકો જ્ઞાનગોષ્ઠીઓમાં વિશ્વસ્ત થઈને ગાથા (કવિતા) બોલે છે પરંતુ તે ગાથાનો ગૂઢ અર્થ = પરમાર્થ તો અત્યંત છેલ = વિદ્વાન પુરુષો જ જાણે છે.
| (Iીવના – વેજ્ઞાન) કાવ્યને બધા જ બોલી જાણે છે પરંતુ તેના પરમાર્થને જાણનારા વિરલ હોય છે તે જ પંડિત = વિદગ્ધ કહી શકાય. આ પરિસ્થિતિ સર્વકાલીન કહી શકાય. પ્રાચીન પ્રાકૃત ગાથા ઘણું કહી જાય છે. એવું જોવા પણ મળે છે. હરિવલ્લભ ભાયાણી ગાથા = કવિતાના પરમાર્થને જાણનારા છેલપુરુષ હતા. તેમની પ્રજ્ઞા દરેક વિષયમાં વ્યાપ્ત થતી હતી અને જે વિષયનો તેમણે અભ્યાસ કર્યો તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું, ઉપરછલ્લું નહીં.
ભારતીય સાહિત્ય, કલા, વિવેચન, તત્ત્વજ્ઞાન એમ દરેક વિષયમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. આ ઉપરાંત પાશ્ચાત્ય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો.
જયંત કોઠરી લખે છે કે,
ભાયાણી સાહેબ પાસે બેઠા હોઈએ એટલે વિદ્યાનો અજબગજબનો ખજાનો ખુલ્લો થાય. કેટલી વિદ્યાશાખાઓમાં તેમની અનવરુદ્ધ ગતિ! પ્રાચીન સંસ્કારવારસાની ખેવના પ્રગટ કરે સાથે આજની સાંસ્કૃતિક કટોકટીનું ચિંતન કરે. મધ્યકાલીન ગુજરાતીની સાથે આજના ગુજરાતી સાહિત્યમાં પણ ખૂબ રસ લેતા હોવાથી સર્વભોગ્ય બન્યા. તેમની જ્ઞાનની ઝંખના સાહિત્યવિદ્યા અને ભાષા અભ્યાસ પૂરતી ન હતી, જીવનના દરેક ક્ષેત્રમાં હતી. તેમના સંપાદનોમાં આપેલા શબ્દકોશોમાં સૌથી આધારભૂત વિદ્વત્તાનાં ઊંચાં ધોરણોની સાથે વ્યવહારુતાનો
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૧
Page #581
--------------------------------------------------------------------------
________________
મેળ તેમણે બેસાડ્યો હતો.
સાહિત્ય સર્જનઃ સંપાદનો
જૈન મુનિ જિનવિજયજી સાથે જોડાવાથી તેમનું કાર્યક્ષેત્ર જૈન ગ્રંથોમાં વિશેષ રહ્યું.
પીએચ.ડી.ના વિષયમાં તેમણે સ્વયંભૂ કવિના પઉમરિ’ને પસંદ કર્યું. ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ મહાકાવ્યના પહેલા ખંડની વીસ સંધિનું સંપાદન તેમણે કર્યું. નવમી સદીમાં અપભ્રંશ ભાષાના આ કવિને રાહુલ સાંકૃત્યાયને ભારતના શ્રેષ્ઠ કવિઓમાં મૂક્યા છે. પીએચ.ડી.નું કાર્ય ૯ વર્ષ ચાલ્યું. તેમાં સંદર્ભગ્રંથો જર્મન ભાષામાં વધારે હતા. તેથી રિવલ્લભ જર્મન શીખ્યા. અને સંદર્ભગ્રંથ વાંચી અને ગ્રંથ ૫૨ કાર્ય કર્યું.
મુનિ જિનવિજયજી પ્રાકૃત અપભ્રંશમાં એકમાત્ર મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાને રચેલા સંદેશ રાસક નામના ગ્રંથનું સંપાદન કરતા હતા. હરિવલ્લભે પઉમચરિઉના સંપાદનની સાથે તેમાં વ્યાકરણ, છંદ વગેરે પર કામ કર્યું. આ અભ્યાસ દ્વારા તેમની અપભ્રંશના જાણકારોમાં ગણના થવા લાગી.
ઈ. સ. ૧૯૪૮માં મધુસૂદન મોદી સાથે કવિ ધાહિલના પઉમસિરિરિઉ’નું સંપાદન કર્યું. આ ગ્રંથ પ્રાચીન ગુર્જર અપભ્રંશ ભાષામાં છે. તે ગુજરાતી ભાષાની આદિરચના કહી શકાય.
ઈ. સ. ૧૯૫૦માં જ્ઞાન પ્રસારક મંડળી સમક્ષ ગુજરાતી ભાષાના ઉદ્ગમ વિશે અભ્યાસપૂર્ણ લેખ પ્રસ્તુત કર્યો.
ઈ. સ. ૧૯૫૪માં ગુજરાતી ભાષાના સંશોધન વિશે ‘વાવ્યાપાર’ નામનો ગ્રંથ સંપાદિત કર્યો.
ઈ. સ. ૧૯૫૫માં ત્રણ પ્રાચીન જૈન ગૂર્જર કાવ્યનું સંપાદન કર્યું. ૧. રેવંતિપિર ાસુ, ૨. નેમિનાથ ચતુષ્પદિકા, ૩. સ્થૂલિભદ્ર ફાગુ. ઈ. સ. ૧૯૬૦માં કલિકાલસર્વજ્ઞરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનના પ્રાકૃત વ્યાકરણ (અષ્ટમ અધ્યાય)ના અપભ્રંશ વ્યાકરણના સૂત્રોનું સંપાદન કર્યું. આ ગ્રંથ ગુજરાતી, મરાઠી, હિંદી વગેરે ઉત્તર ભારતની ભાષાઓના ઐતિહાસિક અધ્યયન અને વિકાસ માટે અત્યંત ઉપયોગી છે.
ઈ. સ. ૧૯૬૬માં તેમણે કલિકાલસર્વજ્ઞના અદ્વિતીય એવા દેશીનામમાલા'ના અભ્યાસ અંગેનો ગ્રંથ અંગ્રેજીમાં સંપાદિત કર્યો. આ ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યને માત્ર ભારતના જ નહિ પરંતુ વિશ્વના સંશોધકોમાં શિરમોર તરીકે મૂકે તેવો છે.
ઈ. સ. ૧૯૭૦-૭૧માં ટ્ટિનમ હનું મધુસૂદન મોદી સાથે સંપાદન કર્યું. ઈ. સ. ૧૯૭૯માં ‘સંખિતી તરંગવઇકા'નું સંપાદન અને અનુવાદ કર્યો. ઈ. સ. ૧૯૮૦માં ‘સીલોપદેશમાલા – બાલાવબોધ'નું સંપાદન કર્યું. આ
૫૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #582
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાં શીલવિષયક કથાઓનો સંગ્રહ મેરુસુંદર ગણિએ કર્યો છે. વર્તમાન સમયમાં આ કથાઓ પ્રેરણાદાયક બની શકે તેવી છે.
જૈન મુનિ રામસિંહ રચિત દેહાપાહુડનું સંપાદન પણ તેમણે કર્યું.
ઈ. સ. ૧૯૯૬માં હેમચંદ્રાચાર્ય વિરચિત છંદાનુશાસનના અપભ્રંશ વિભાગનું “વસુદેવ હિડિના મઝિમ ખંડનું સંપાદન કર્યું. આ કથાગ્રંથ જૈન કથાગ્રંથોમાં સૌથી પ્રાચીન છે. લુપ્ત થઈ ગયેલા બૃહત્કથાસાગર ગ્રંથનું આ જૈન સંસ્કરણ છે તેમ વિદ્વાનો માને છે. તેથી આ જૈન કથાગ્રંથ ભારતીય સાહિત્યમાં અમૂલ્ય છે.
આચાર્ય બપ્પભટ્ટીના ઉપલબ્ધ બતારાયણ' નામના ગ્રંથનું સંપાદન પણ હરિવલ્લભ ભાયાણીએ કર્યું.
આ ઉપરાંત અનેક જૈન ટીકાગ્રંથો, કથાગ્રંથો વગેરેનો તેમણે અભ્યાસ પણ કર્યો.
જૈન સાહિત્ય ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેક ગ્રંથો આપ્યા છે. ભાષા વિજ્ઞાન અંગે.
ઈ. સ. ૧૯૫૯માં ગુજરાતી ભાષા અંગેનો લેખસંગ્રહ “વા વ્યાપાર’ ઈ. સ. ૧૯૫૫માં સુબોધ વ્યાકરણ ઈ. સ. ૧૯૬૩માં ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ દર્શક શબ્દકથા' ઈ. સ. ૧૯૬૫માં અનુશીલન ઈ. સ. ૧૯૬૯માં વ્યાકરણ વિચાર ઈ. સ. ૧૯૭૫માં વ્યુત્પત્તિ વિચાર ઈ. સ. ૧૯૭૩માં શબ્દ પરિશીલન ઈ. સ. ૧૯૭૬માં ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યા.
ઈ. સ. ૧૯૮૭માં ભાષાવિમર્શ કાવ્યવિવેચન વિષયક અને સાહિત્ય વિષયક
૧૯૭૩માં કાવ્યશબ્દ ૧૯૭૬માં કાવ્યનું સંવેદન ૧૯૮૦માં રચના અને સંરચના
૧૯૯૧માં ભાવનઃ વિભાવન ભાગ ૧-૨ (ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય વિચાર વિષયક) પ્રાચીન ગુજરાતી જૈનેતર ગ્રંથો)
૧૯૫૫માં શામળકત મદનમોહનાનું સંપાદન ૧૯૫૬માં શામળકૃત રુસ્તમનો સલોકો ૧૯૬૬, ૭૨માં દશમસ્કંધનું સંપાદન (ઉમાશંકર જોશી સાથે) ૧૯૭૫માં પ્રાચીન ગુર્જર કાવ્ય (અગરચંદ નાહટા સાથે)
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૩
Page #583
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશનો અભ્યાસ કરતા દૃષ્ટિમાં આવતા પદ્યોના તેઓ અનુવાદ કરતા. આવા અનુવાદ છંદોબદ્ધ કરીને કરતા અને તે રસપ્રદ બન્યા. અનેક વિદ્વાનોએ વખાણ્યા.
પ્રપા (૧૯૬૮), મુક્તક માધુરી (૧૯૮૬), મુક્તકમંજરી (૧૯૮૯), ત્રિપુટી (૧૯૯૫), મુક્તક અંજલિ (૧૯૯૬), મુક્તક મર્મર (૧૯૯૮), મુક્તક મકરંદ (૧૯૯૯) એમ સાત મુક્તકો પ્રસિદ્ધ થયા તેનો સંચય કરીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ મુક્તક રત્નકોશ નામે પ્રકાશિત કર્યો છે.
આ ઉપરાંત કાલિદાસ વંદના, ગાથામાધુરી એમ બીજા પણ સંગ્રહો તેમણે આપ્યા છે.
પ્રાચીન કથાઓના સંશોધન અંગે પણ તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું છે. લો'થાના મૂલ અને કુળ : ૧૯૯૦
લોકસાહિત્યઃ સંશોધન અને સંપાદન (૧૯૮૫-૯૨)
ભારતીય ભક્તિમાર્ગની પરંપરાના કૃષ્ણકાવ્ય અંગે તેમણે પ્રાચીન-મધ્યકાલીન કૃષ્ણ કાવ્ય અને નરસિંહ સ્વાધ્યાય' (૧૯૮૬) પ્રકાશિત કર્યો.
મધ્યકાલીન સાહિત્ય વિશે સંશોધનાત્મક અભ્યાસલેખો પણ તેમણે લખ્યા. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૧)
અનુસંધાન (૧૯૭૨)
આ ઉપરાંત લા. દ. સંસ્કૃતિમંદિર અમદાવાદ, પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી, ભારતીય વિદ્યાભવન, મુંબઈ વગેરે સંસ્થાઓમાં તેમણે અધ્યયન-અધ્યાપન કર્યું.
મુંબઈ યુનિવર્સિટી અને ગુજરાત યુનિ. અમદાવાદમાં પણ તેમણે અધ્યયન અધ્યાપન કર્યું. તેઓ અનેક સેમિના૨માં અધ્યક્ષ તરીકે રહ્યા અને પોતાના વિચાર રજૂ કર્યા.
‘અનુસંધાન’ નામની પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપાદન, સંશોધન, માહિતીદર્શક પત્રિકાના સંપાદક તરીકે પણ તેમણે કાર્ય કર્યું.
પ્રાકૃત વિષયક ગ્રંથો પ્રકાશિત કરતી પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટીના ટ્રસ્ટી અને માર્ગદર્શક તેઓ રહ્યા હતા.
જૈન ક પ્રસાહિત્ય
હરિવલ્લભભાઈએ જૈન કથાસાહિત્ય ૫૨ ઉમા કાર્ય કર્યું છે. પોતાનાં અનેક સંપાદનો જૈન કથાસાહિત્યને લગતાં જ હતાં. તેમણે ભારતીય તેમ જ વિદેશી કથાઓના અભ્યાસ દ્વારા અનેક કથાઓના મૂળ પ્રાકૃત જૈન સાહિત્યમાં છે તેમ સ્પષ્ટ કર્યું હતું. તેમના મતે યુરોપીય લોકકથાઓનું મૂળ ભારતમાં જોવા મળે છે. કથાઓ અને કથાઘટકો ઉપર તેમણે ઘણું કાર્ય કર્યું.
પશ્ચિમમાં અત્યંત જાણીતી ‘Cinderella’ની કથાનું પ્રાચીન સ્વરૂપ ૧૧મી સદીમાં રચાયેલી દેવેન્દ્રસૂરિ રચિત મૂલશુદ્ધિ ટીકામાં ‘આરામશોભા’ કથામાં જોવા
૫૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #584
--------------------------------------------------------------------------
________________
મળે છે. આ કથા ભારતમાં અન્ય ભાષાઓમાં પણ જુદાજુદા સ્વરૂપફેર સાથે જોવા મળે છે.
અરેબિયન નાઈટ્સ” કે “અલીલૈલાની કથાઓ વિશ્વભરમાં અત્યંત જાણીતી છે. મૂળ ફારસી ગ્રંથ ઈ. સ. ૯૪રમાં રચાયો. આ ગ્રંથની આરંભકથા ૯મી સદી પહેલા હરિભદ્રસૂરિની આવશ્યક ચૂર્ણિમાં તથા ૯મી સદીના જયસિંહસૂરિની ધર્મોપદેશમાલા વિવરણમાં જોવા મળે છે. આવી બીજી પણ કથાઓ વસુદેવ હિંડીમાં પણ જોવા મળે છે.
આ પ્રમાણે તુલનાત્મક અભ્યાસ દ્વારા હરિવલ્લભ ભાયાણીએ જૈન પ્રાકૃત કથાસાહિત્યનું મહત્ત્વ સ્પષ્ટ કરી આપ્યું.
શબ્દાર્થશાસ્ત્ર અંતર્ગત કેટલાક ભુલાયેલા શબ્દોની વ્યુત્પત્તિ તેમણે રજૂ કરી છે. “શબ્દકથા', “શબ્દપ્રયોગની પગદંડી પર પુસ્તકો. જેમ કે : ૧. ઈડલી = ઈદડુ: મદ્રાસી ઈડલી અને ગુજરાતી ઈદડા વચ્ચે વર્ષો જૂનો
સંબંધ છે. બારમી સદીના લક્ષ્મણ ગણિની કૃતિમાં હહરીયા’ શબ્દનો ઉલ્લેખ છે. શીદઃ મૂળ અર્થ “સિદ્ધ'. આ શબ્દ અંગે તેઓ જણાવે છે કે ક્યાં પૂછવાથી કાર્ય સિદ્ધ નહીં થાય તેવી માન્યતા પ્રવર્તતી હતી. માનસિક વહેમના કારણે તે શબ્દ અપશુકન તરીકે ગણાયો અને તેના વિકલ્પ રૂપે સિદ્ધ (કરવા માટે) જાઓ છો. તેમાંથી શીદ શબ્દપ્રયોગ આવ્યો. આવા અપશુકનિયાળ શબ્દોના સ્થાને મંગલસૂચક શબ્દો ઘણા વપરાય છે જેમ કે દુકાન બંધ કરી તેમ ન બોલતા દુકાન વધાવી, મંદિર બંધ કર્યું
એમ નહિ મંદિર માંગલિક કર્યું, ૩. પધારોઃ પાયધારક, પા ધારક, પધારો, પધારો. તમારા પગ સ્થાપન કરો
એવા પ્રાકૃત રૂપ પરથી આગળ જતા ફેરફાર થઈને પધારો શબ્દ બન્યો.
: કોઈ પણ સન્માનનીય વ્યક્તિના નામ પાછળ ન મુકાય છે જેમ કે મહારનો તેમાં મૂળ શબ્દ નવહ = નવો હતો તેમાંથી વનો લોપ થતા
ની શબ્દ રહી ગયો. મહાર્વરની એટલે મહાવીર (ઘણુ) જીવો. ૫. નિશાળઃ મૂળ વશાના, પ્રાચીન ગ્રંથોમાં જોવશાતા શબ્દ પ્રસિદ્ધ હતો
તેમાંથી પ્રાકૃત શબ્દ વિશના = તે સાન = નિસાન = નિશાળ અહીં બે ત્ર સાથે બોલવામાં ફાવે નહિ તેથી આગળનો ન ન રૂપે ફેરવાયો.
આવા અનેક શબ્દોની ચર્ચા તેમણે પોતાના સંશોધનોમાં કરી છે. તેઓ શબ્દના મૂળ સુધી પહોંચીને મૂળ પરંપરાગત ભાવાર્થ સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ રહેતા. તેઓના શબ્દો અને અર્થ આધારભૂત રહેતા. તે અટકળ કે અનુમાનથી ચલાવી લેતા ન હતા.
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૫
Page #585
--------------------------------------------------------------------------
________________
શ્રી હરિવલ્લભ ભાયાણીના વિચારરત્નો - મારા અભણ દાદીમાને ૩૦૦થી ૪00 કહેવતો હૈયે હતી, જે સહજ ભાવે રોજબરોજની વાતચીતમાં તેમના મોંમાંથી ટપકી પડતી. આ પરિસ્થિતિ
આધુનિક નગરવાસીઓને બાદ કરતા વધતીઓછી સર્વત્ર હતી. - પ્રશિષ્ટ ભાષાથી અજાણ કાવ્યરસિકોને આસ્વાદ્ય વસ્તુ સુલભ કરી આપવાની
અદમ્ય વૃત્તિથી અને ભાલણથી માંડીને કે. હ. ધ્રુવ અને ઉમાશંકર જેવાથી જે પંથ ખેડાતો રહ્યો તેના પર બેચાર પગલાં ભરી લ્હાવો લેવાની હોશથી મુક્તકોના પદ્યાનુવાદ કરું છું. - અપભ્રંશ સાહિત્ય એટલે જૈનોનું જ સાહિત્ય એમ કહીએ તો ચાલે, કારણ
કે અન્ય અપભ્રંશ સાહિત્યના માત્ર છૂટાછવાયા ઉલ્લેખ મળે છે. એ દિશામાં
હજી ઘણું કરવાનું બાકી છે. - અત્યાર સુધી પ્રાકૃત – અપભ્રંશ છંદો પર સંશોધન મુખ્યત્વે વર્ણનાત્મક
જ રહ્યું છે. પ્રયોગના વિષયમાં ભાગ્યે જ કશું થયું છે. અને ઇતિહાસના વિષયમાં ઘણું ઓછું થયું છે. - પ્રાકૃત અને અપભ્રંશ છંદો માત્ર તાલબદ્ધ હોવાથી સંગીત, નાટ્ય અને
નર્તનના ક્ષેત્રો સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. આ સંબંધ હોવાથી દરેક વિષયના અભ્યાસ માટે બીજા બંને શાસ્ત્રો ઘણાં ઉપયોગી થઈ પડે. હેમચંદ્રાચાર્યની આસપાસના સમયના સાહિત્ય સર્જનમાં જૈન મુનિઓનો સિંહફાળો છે. સાહિત્યક્ષેત્રે ગુજરાતના આ અનન્ય યોગદાનનું મૂલ્ય અને મહત્ત્વ અર્વાચીન સમયમાં આપણા તેમ જ બીજા વિદ્વાનોએ બહુ ઓછું પિછાડ્યું છે. તે એક શોચનીય હકીકત છે. ગુજરાતી નાટ્ય સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવવા અને ફરી ચેતનવંતો કરવા સૂઝબૂઝવાળાઓએ જેને સમાજમાં જાગૃતિ પ્રગટાવવી જોઈએ. મિત્ર ગોવર્ધન પંચાલે પ્રબુદ્ધ રોહિણેયં ભજવ્યું. તે માટે ગુજરાતમાંથી કશો પુરસ્કાર ન મળ્યો. જૈન સાંસ્કૃતિક પરંપરાના હિતચિંતકોએ આવા નાટકો
રંગમંચ પર પ્રસ્તુત કરવા વહેલી તકે આયોજન કરવું જોઈએ. - પિશેલે દેશીનામમાલાના ઉદાહરણોને તદન કૃત્રિમ આયાસસિદ્ધ અને નિકૃષ્ટ
કવિતા કહીને ઉતારી પાડ્યા છે. પં. બેચરદાસનો પ્રયાસ સારો છે. કેટલેક સ્થળે તેમણે કરેલો અર્થ ચિંત્ય કે ખામીવાળો છે પરંતુ એમ થવું આવા વિકટ કામમાં કોઈને માટે પણ સહજ ગણાય.
જ્યાં સુધી જૂની ગુજરાતી વગેરેના ગ્રંથસ્થ અને ઉત્કીર્ણ લેખમાંથી મળતા સ્થળનામોની સહાયથી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, નવી ગુજરાતી આ ભૂમિકા અનુસાર ક્રમિક સ્વરૂપ તૈયાર ન થાય ત્યાં સુધી
પ૩૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #586
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્ય વિવેચને પ્રારંભથી પાશ્ચાત્ય પ્રણાલીનું અનુસરણ કર્યું અને અહીંની પ્રાણવાન પ્રાચીન પરંપરાનો અનાદર કર્યો તે એક ખોટી - દીશાનું પગલું હતું. તે ભૂલ આપણે સુધારી લેવી ઘટે.
કલિકાલસર્વજ્ઞ વિશેના વિચાર
શ્રી હરિવલ્લભ ભાયાણીએ હેમચંદ્રાચાર્યના પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ ઉપરાંત છંાનુશાસન, કાવ્યાનુશાસન અંતર્ગત પ્રાકૃત અપભ્રંશનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.
-
-
પ્રમાણભૂત વ્યુત્પત્તિ એ વાંછિત જ રહે છે.
જૈન બાલાવબોધો વિવિધ સદીની ગુજરાતી ભાષા પર પ્રકાશ ફેંકવા માટે અત્યંત ઉપયોગી છે. અને પ્રચુર સામગ્રી પૂરી પાડે છે. બીજું તેની કથાઓ કથાસાહિત્યના ઇતિહાસ અને કથાનકોની પરંપરાના અધ્યયન માટે મૂલ્યવાન છે.
—
જગતમાંથી અને જીવનવ્યવહારમાંથી પાઠ શીખવવા શીખવાની આપણી (ભારતીય) પરંપરાનો હેમચંદ્રાચાર્યએ જે સંદર્ભોચિત ઉપયોગ કર્યો છે તે તીક્ષ્ણ સ્મૃતિ અને સાહિત્યિક સૂઝબૂઝનો દ્યોતક છે.
સંસ્કૃત કાવ્ય પરંપરાની જેમ પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યપરંપરાને હેમચંદ્રાચાર્યએ આત્મસાત કરી છે.
કાવ્યરચનામાં હેમચંદ્રાચાર્યએ લીધેલો બૌદ્ધિક પરિશ્રમ તેમાં વ્યક્ત થતી પરંપરાગત કાવ્યસાહિત્યની પરંપરા, શીઘ્ર૨ચનાશક્તિ, કલ્પનાશક્તિ વગેરે તેમના વ્યક્તિત્વને નિખારે છે.
હેમચંદ્રાચાર્યએ જે ભગીરથ જ્ઞાનયજ્ઞનું હિંસક અભિધેય અર્થને બાદ કરીને કહીએ તો અશ્વમેઘનું) અનુષ્ઠાન આદર્યું હતું, તેમાં તેમણે સમગ્રપણે ભાષાનો સમાવેશ કર્યો હતો. વવત્ એટલે વ્યવહાર અને શાસ્ત્રની ભાષાઓ અને વિત્ત એટલે કાવ્ય ભાષાઓ. કાવ્ય, દર્શન અને શાસ્ત્રના ક્ષેત્રોને આવરી લેતો એ શકવર્તી પુરુષાર્થ હતો.
હેમચંદ્રાચાર્યનું છંદાનુશાસન સમગ્રપણે પ્રાચીન ભારતીય છંદશાસ્ત્રના સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ ગ્રંથ સુવ્યવસ્થિત, સવિસ્તર અને પ્રમાણભૂત છે.
હેમચંદ્રાચાર્યનું અપભ્રંશ વ્યાકરણ અન્ય વ્યાકરણોથી આગળ અને ઉદાહરણોથી પ્રમાણિકતાની સ્પષ્ટ છાપવાળું છે. અન્ય પ્રાકૃત વ્યાકરણોમાં અપભ્રંશની માહિતી ઓછીવધતી છે. તેઓ કાં તો હેમચંદ્રાચાર્યના અર્વાચીન કે ઉપજીવી છે અથવા તેમની માહિતી ટૂંકી અને અવ્યવસ્થિત છે.
કલિ. હેમચંદ્રાચાર્યના અન્ય ગ્રંથોમાં કલ્પનાને પૂરતો અવકાશ હતો જ્યારે
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + ૫૩૭
Page #587
--------------------------------------------------------------------------
________________
દેશી નામમાલાના ઉદાહરણોમાં ઉદાહરણીય સામગ્રીથી હેમચંદ્રાચાર્યના હાથ બંધાયેલા હોવાથી કલ્પના માટે ઓછો અવકાશ હતો અને શબ્દોની ઉપસ્થિતિ કાવ્યતર હેતુ ઉપર નિર્ભર હોવાથી માત્ર અર્થ સંદર્ભે જ સર્જલ્પના કામ કરી શકે તેમ હતી. આવી પરિસ્થિતિમાં પણ કલિકાલસર્વજ્ઞએ જે ગણનાપાત્ર વ્યુત્પત્તિમૂલક કવિત્વ દર્શાવ્યું છે તે કોઈ પણ કવિને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ છે.
દેશી શબ્દોના અધ્યયન માટે જૈનસાહિત્યનું મહત્ત્વ બે દૃષ્ટિએ છેઃ (૧) જૈન લેખકોએ દેશીકોશ રચનામાં કરેલું પ્રદાન અને (૨) જૈન સાહિત્યમાં વપરાયેલા દેશ્ય શબ્દો.
શબ્દોના સ્વરૂપ, અર્થ અને ઇતિહાસના અધ્યયન માટે જૈન આગમસાહિત્ય અને કથાસાહિત્ય ભંડાર સમાન છે. આ વિષયમાં વ્યવસ્થિત કામ ઓછું થયું છે.
જૈનસાહિત્યનું દેશ્ય શબ્દોની દૃષ્ટિએ ઝાઝું અધ્યયન થયું નથી. ભારતીય આર્યના ઇતિહાસમાં રહેલા મોટા મોટા ખાડા પૂરવા આ સામગ્રીનું અધ્યયન અનિવાર્ય છે.
तर्केषु कर्कशधियः वयमेव नान्ये ।
काव्येषु कोमलधियः वयमेव नान्ये ॥
પ્રાચીન સમયના ઋષિમુનિ અને શ્રમણો વિશે હરિવલ્લભ ભાયાણીએ કહેલી આ પંક્તિઓ તેમના માટે પણ વાપરી શકાય.
તર્કમાં 'શ બુદ્ધિવાળા અમે જ છીએ અને કાવ્યમાં કોમળ બુદ્ધિવાળા અમે જ છીએ બીજા કોઈ નહીં.
સરળ વ્યક્તિત્વ, કાવ્યરસિક, પ્રાચીન અને અર્વાચીન સમય સાથે ચાલનારા અને તે બંને પરંપરાનો સમન્વય કરીને ઉત્તમ વસ્તુને ગ્રહણ કરનારા એક ઋષિ સમાન હરિવલ્લભ ભાયાણી હતા. તેમની સર્વદેશીય અને ગુણશોધક દૃષ્ટિના કા૨ણે વિદ્વજ્જનોમાં હંમેશાં તેઓ અનુસરણીય રહ્યા છે. જૈન સાહિત્યના સંશોધક ઉપરાંત તેઓ ચાહક પણ હતા. તે જૈન સાહિત્યની અવગણના પર અનેક વાર ચિંતિત હતા. મુનિ જિનવિજયજી, મુનિ પુણ્યવિજયજી, મુનિ જંબુવિજ્યજી જેવા અનેક મુનિઓના સંપર્કમાં તેઓ હતા. અને તેઓ પોતાના નિઃસ્વાર્થ જ્ઞાનદાન દ્વારા અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા. તેમના આ વ્યક્તિત્વનું દર્શન કરીને અને તેમની જ્ઞાનપિપાસાને જાણીને આપણે સૌએ જ્ઞાનરસિક બનવાનું છે. અને અંતમાં સંપૂર્ણ જ્ઞાનના ધણી થઈએ તેવી આશા છે.
જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત.
૫૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #588
--------------------------------------------------------------------------
________________
—
સંદર્ભ ગ્રંથ
હરિવલ્લભ ભાયાણીના પુસ્તકો અને પ્રસ્તાવના
‘હૈમ સંગોષ્ઠી’ પ્રકા. કલિ. હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ.
કુણાલ મહેન્દ્રભાઈ કપાસી ૧૧, રત્નજ્યોત ફ્લેટ, નવા વિકાસગૃહ રોડ, મૌલિક એપા. પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
(R) ૦૭૯-૨૬૬૦૨૦૦૯ મો. ૯૪૨૮૮૦૫૪૨૭
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી * ૫૩૯
Page #589
--------------------------------------------------------------------------
________________
- બહુશ્રુત વિદ્વાન અને સંશોધક :
શ્રી ભોગીલાલ સાંડેસરા
-
કુમારપાળ દેસાઈ
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું નામ અને કામ દેશ તથા પરદેશોમાં જૈનધર્મ, સંસ્કૃતિ, વિચારધારાના પ્રસાર સાથે વર્ષોથી જોડાયેલ રહ્યું છે. સાહિત્યના વિવેચન, સંશોધન, પત્રકારત્વ, સંપાદન, ચરિત્રલેખન, બાળસાહિત્ય જેવા અનેક ક્ષેત્રોમાં તેઓનું નોંધપાત્ર પ્રદાન છે. તેઓની પાસેથી શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધન ક્ષેત્રના નોંધપાત્ર પ્રદાન અંગે આ અભ્યાસપૂર્ણ લેખ આપણને પ્રાપ્ત થાય છે – સં.]
અજ્ઞાત હસ્તપ્રતો અને કઠિન ગ્રંથો પર નવીન પ્રકાશ પાડનાર સંશોધકનું જીવન ક્વચિત્ અજાણ્યું રહેતું હોય છે. ધૂળધોયાની નિષ્ઠા, ચોકસાઈભર્યો અભ્યાસ અને સરસ્વતીની એકનિષ્ઠ ઉપાસના ધરાવતું સંશોધકનું જીવન ખરેખર સ-રસ હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતના ભાષા અને સાહિત્ય, તેમ જ ઇતિહાસ અને સંસ્કૃતિના વ્યુત્પન વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધનકાર્ય જેટલું જ એમનું જીવન સમૃદ્ધ હતું.
એમનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં એક પરમ વૈષ્ણવ અને ધાર્મિક કુટુંબમાં થયો. એમના પિતાશ્રી જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અમદાવાદમાં વેપાર ખેડતા હતા. એ સમયે અમદાવાદ શહેર સૂતર, રેશમ અને કસબ એમ ત્રણ તાર પર જીવતું કહેવાતું. શ્રી જયચંદભાઈ અમદાવાદમાં રેશમનો વેપાર કરતા હતા. એમનાં પત્ની મહાલક્ષ્મીબહેન ઘરની પૂરી સંભાળ રાખતાં હતાં, આથી શ્રી ભોગીલાલભાઈના અભ્યાસનો પ્રારંભ અમદાવાદમાં થયો. બાળપોથીથી બીજી ગુજરાતી સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યો.
હજી માત્ર આઠ વર્ષની ઉમર હતી ત્યારે ભોગીલાલભાઈએ જીવનની શીળી. છત્રછાયા ગુમાવી. એમના પિતાનું અવસાન થયું. ઘરનો વહીવટ અને વ્યવસ્થા એમનાં ફોઈબા કાશીબહેને સંભાળ્યાં. તેમને તથા નાના ભાઈ ઉપેન્દ્રભાઈને પિતાની ખોટ સાલવા દીધી નહિ. કુટુંબ વતન પાટણમાં રહેવા આવ્યું. એમનો અભ્યાસ અવિરતપણે ચાલુ રહ્યો. પાટણમાં પહેલાં સરકારી નિશાળમાં ભણ્યા. પછી પાટણ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો.
પાત ઃ ૧૮મી અને ૨૧મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #590
--------------------------------------------------------------------------
________________
શ્રી ભોગીલાલભાઈના જીવનમાં નિશાળના અભ્યાસ સમયે એક મોટી ઘટના બની. ઈ. સ. ૧૯૩૧માં પાટણમાં મુનિ જિનવિજ્યજી આવ્યા. તેઓ સિંઘી ગ્રંથમાળાની સામગ્રી એકત્રિત કરવા માટે પાટણ આવ્યા હતા અને જૈન બૉર્ડિંગમાં ઊતર્યાં હતા. આ સમયે નવમા ધોરણમાં ભણતા શ્રી ભોગીલાલભાઈ મુનિ જિનવિજ્યજીને મળ્યા અને પોતાને આવડે એવા સવાલો કર્યાં. મેળાપને અંતે મુનિ જિનવિજ્યજીએ કહ્યું કે તમે કાલે આવજો, હું પુણ્યવિજ્યજી પાસે તમને લઈ જઈશ. બીજે દિવસે મુનિજી એમને પુણ્યવિજ્યજી પાસે લઈ ગયા અને કહ્યું કે તમને એક વિદ્યાર્થીની સોંપણી કરવા આવ્યો છું.
પૂજ્ય પુણ્યવિજ્યજી અને મુનિ જિનવિજયજીની ગુજરાતની સાહિત્યિક સમૃદ્ધિ જાણવાની તમન્ના શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગઈ. અને મુનિશ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ પાટણના પ્રાચીન ગ્રંથભંડારોના અવલોકન અને ઉપયોગની પૂરી અનુકૂળતા પ્રાપ્ત થઈ. એનો યોગ્ય ઉછેર કરે તેવા પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદીનો મેળાપ થયો. એ સમયે શ્રી રામલાલભાઈ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. શ્રી રામલાલભાઈ સરકારી તંત્રમાં એક મૅટ્રિક્યુલેટ શિક્ષક તરીકેની નાની નોકરી કરતા હતા. આ નોકરી અંગે સંશોધનનાં સાધનો કે જરૂરી પુસ્તકો મળે નહિ એવાં નાનાં ગામોમાં વર્ષો સુધી રહેવું પડયું. આર્થિક મુશ્કેલીઓ પણ એટલી જ, પરંતુ આ બધી આફ્તોની સામે કોઈ પૂર્વવાસનાથી પ્રેરાઈને કાર્ય કરતા હોય તેમ એમણે ગુજરાતના ઇતિહાસ, પુરાતત્ત્વ અને ભાષાસાહિત્યમાં ઉત્તમ સંશોધન કર્યું. શ્રી રામલાલભાઈની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તેમ જ અનેક વિદ્યાઓમાં વિહરતી એમની શાસ્ત્રવ્યુત્પત્તિ શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગયાં. પાટણ હાઈસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય નથ્થુભાઈ જોશી પાસેથી પ્રેરણા મળી. કિશોર ભોગીલાલભાઈને સંશોધનમાં રસ પડવા માંડ્યો.
આ સમયે એમનો અભ્યાસ તો આગળ ચાલુ જ હતો. મૅટ્રિકમાં આવ્યા. બધા વિષયમાં પારંગત, પણ એક ગણિતનો વિષય સહેજે ન ફાવે. વાંચન અને સંશોધન એટલું બધું ચાલતું કે ગણિત પર સતત ધ્યાન આપી શકાતું નહિ. ઈ.સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતમાં નાપાસ થયા. ફરી વાર ઈ. સ. ૧૯૩૪માં મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ પરિણામ એ જ આવ્યું. શ્રી ભોગીલાલભાઈએ માન્યું કે હવે કૉલેજના દરવાજા પોતાને માટે બંધ થઈ ચૂક્યા છે. ૧૯૩૪માં અમદાવાદ આવ્યા. એમના મિત્ર શ્રી યશવંત શુક્લે મૅટ્રિકની પરીક્ષામાં બેસવા માટે ઘણો આગ્રહ કર્યો. ન્યૂ હાઈસ્કૂલમાંથી તેઓ મૅટ્રિકની પરીક્ષા આપવા બેઠા. એ વર્ષે એવો સુખદ અકસ્માત બન્યો કે પરીક્ષકે એક દાખલો ખોટો પૂછ્યો હતો. સૂરત અને અન્ય શહેરોમાંથી આ અંગે પરીક્ષા પછી વિરોધ જાગ્યો. પરિણામે મૅટ્રિકની પરીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને છ ગુણ બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા - ૫૪૧
Page #591
--------------------------------------------------------------------------
________________
વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ભોગીલાલભાઈને ઉત્તીર્ણ થવા માટે ગણિતમાં માત્ર ચાર જ ગુણ ખૂટતા હતા. પરિણામે તેઓ મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા.
સંશોધનનો નાદ તો ક્યારનોય લાગી ચૂક્યો હતો. મૅટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ રૂપસુંદર કથા' નામનું એમનું સંપાદિત પુસ્તક પ્રગટ કર્યું. માધવ કવિએ સં. ૧૭૦૬માં આ વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્ય રચેલું છે. જૂના ગુજરાતી સાહિત્યમાં વૃત્તબદ્ધ રચનાઓ થતી નહોતી એવી શ્રી નરસિંહરાવ દિવેટિયાની માન્યતા એના પ્રકાશનથી નિર્મૂળ ઠરી. નવાઈની વાત એ છે કે શ્રી ભોગીલાલભાઈએ મેટ્રિકમાં જે પુસ્તક સંપાદિત કર્યું હતું તે એમને ૧૯૪૩માં એમ.એ.માં હતા ત્યારે અભ્યાસમાં એ પુસ્તક ભણવાનું આવ્યું. મેટ્રિક પછી બે વર્ષ ૧૯૩૫થી ૧૯૩૭ “ગુજરાત સમાચાર' અને 'પ્રજાબંધુ'ના તંત્રી ખાતામાં કામ કર્યું. એ સમયે તેઓ ગુજરાત સમાચારના અગ્રલેખો લખતા અને પીઢ પત્રકાર અને લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ સંપર્કમાં આવ્યા.
એક સુખદ અકસ્માતથી મેટ્રિકમાં પાસ થયા, તો એ જ રીતે કૉલેજપ્રવેશ વખતે પણ એક વિલક્ષણ યોગાનુયોગ થયો. એ સમયે કોલેજના પ્રથમ વર્ષમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત એ બંને ફરજિયાત વિષયો હતા. પણ શ્રી ભોગીલાલભાઈ જ્યારે ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાં દાખલ થયા, એ વર્ષે જ વિષયોની જુદી વહેંચણી મુંબઈ યુનિવર્સિટીએ કરી હતી. પરિણામે ગણિતને બદલે એમણે બસો ગુણનો વિશ્વ-ઇતિહાસનો વિષય લીધો. કોલેજના પહેલા વર્ષની કૉલેજ-પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એકમાત્ર ભોગીલાલભાઈને જ પ્રથમ વર્ગ મળ્યો. ગણિત જેવા વિષય કરતાં પણ એમણે વિશ્વ ઈતિહાસના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હતા! કોલેજના અભ્યાસકાળ દરમિયાન તેમને ગુજરાતના ખ્યાતનામ વિવેચક શ્રી અનંતરાય રાવળ પાસેથી શિષ્ટ ગ્રંથો શીખવા મળ્યા.
ઈ. સ. ૧૯૪૧માં ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ઐચ્છિક) વિષયો સાથે શ્રી ભોગીલાલભાઈએ બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. તેઓ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ગુજરાતીના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે દી. બ. કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્રક મેળવ્યો. તેઓ ઉત્તીર્ણ થયા પછી પંદર દિવસમાં જ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. આ સમયે યુવાન ભોગીલાલભાઈને માથે અનુસ્નાતક શિક્ષણની ઘણી મોટી જવાબદારી આવી હતી.
ઈ. સ. ૧૯૪૩થી ઈ. સ. ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભામાં શ્રી ભોગીલાલભાઈએ અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કર્યું. આ સમય એ એમના વ્યક્તિત્વ ઘડતરમાં ઘણો મહત્ત્વનો સમય ગણાય. સંશોધકોની હૂંફ સાંપડી. કામ કરવાની સુંદર તક મળી. શ્રી રસિકલાલ પરીખ જેવા વિદ્વાન પાસેથી વિદ્યા અને સ્નેહ બંને સાંપડ્યાં. એમણે મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત ૫૪૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #592
--------------------------------------------------------------------------
________________
સાહિત્યમાં તેનો ફળો’ એ વિષય ઉપર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. મૂળ અંગ્રેજી ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાળામાં અને એનો ગુજરાતી અનુવાદ ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયો છે. એના હિંદી અને તેલુગુ અનુવાદો પણ થયા છે. આ સમયે જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' નામનું પુસ્તક તૈયાર કર્યું.
ઈ. સ. ૧૯૪૮માં શ્રી ભોગીલાલભાઈની સંશોધનપ્રવૃત્તિના નવા સીમાચિહ્ન સમો “પંચતંત્ર ગ્રંથ પ્રગટ થયો. મૂલ “પંચતંત્ર વિદ્યમાન નથી અને એથી “પંચતંત્રની વિવિધ પાઠપરંપરા (versions) મળે છે. આજે જેને પંચતંત્ર' તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે તે મૂળ પંચતંત્રની પશ્ચિમ ભારતીય પાઠપરંપરા છે. આથી શ્રી ભોગીલાલભાઈએ પંચતંત્ર કથાગ્રંથનો શાસ્ત્રીય અનુવાદ અને આવશ્યક હોય ત્યાં પાઠાંતર આદિની ચર્ચા તો કરી જ, પરંતુ એથી ય વિશેષ આ વિષયોને સમગ્ર દષ્ટિએ અવલોકવા માટે પશ્ચિમ ભારતીય પંચતંત્ર' ઉપરાંત પંચતંત્રની બીજી પ્રાચીન પાઠપરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ અને એના ભેદપ્રભેદોની નોંધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. આ પુસ્તકના પુરોવચનમાં વિવેચક શ્રી રામનારાયણ વિ. પાઠક આ સંશોધનગ્રંથની વિશેષતા દર્શાવતાં લખે છે :
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે પ્રો. ભોગીલાલ સાંડેસરાને હાથે આ પુસ્તકને પૂર્ણ ન્યાય મળ્યો છે. ભાષાંતર સાધારણ ભણેલ પણ વાંચીને સમજી શકે એવું થયું છે, અને વિદ્વાનો પણ આદર કરે એવી વિદ્વત્તા એના સંપાદનમાં, ટિપ્પણોમાં અને એના ઉપોદઘાતમાં આવતી ચર્ચામાં રહેલી છે. તેમણે ઉપલબ્ધ
એટલાં બધાં પંચતંત્રોની વાર્તાઓ આમાં સંગ્રહી છે, પાઠ નક્કી કરવામાં એક પ્રાચીન સંશોધકની કુશળતા દર્શાવી છે, પંચતંત્રની પરંપરાનો ઇતિહાસ એક પુરાતત્ત્વવિદની રીતે આલેખ્યો છે અને એક વિવેચકની દૃષ્ટિએ પંચતંત્રનું સાહિત્યિક મહત્ત્વ દર્શાવ્યું છે. હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં, આટલી શાસ્ત્રીય અને વિશાલ દષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.”
યુવાન ભોગીલાલભાઈ આગમનું ભાષાંતર કરે, પ્રબંધોનું સંશોધન કરે. બરાબર આ જ સમયે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓથી દેશ નવચેતન અનુભવતો હતો. અનેક યુવાનો એમની અહિંસક લડતમાં ઝંપલાવતા હતા. હસ્તપ્રતો, શાસ્ત્રો અને ઇતિહાસગ્રંથોની અન્વેષણા કરતા ભોગીલાલભાઈ આસપાસની પરિસ્થિતિનો પ્રતિભાવ અનુભવતા હતા. ક્યારેક મન થઈ આવે કે આ બધું છોડીને ગાંધીજીની લડતમાં જોડાઈ જાઉં. એક વાર ગુજરાત વિદ્યાસભામાં શ્રી રવિશંકર મહારાજ આવ્યા. યુવાન ભોગીલાલભાઈએ પોતાના હૃદયની વ્યથા પ્રગટ કરતાં કહ્યું, “મને ભારે મૂંઝવણ થાય છે. આજે દેશને ઘણા યુવાનોની જરૂર છે, ત્યારે હું આ પુસ્તકોના ગંજ વચ્ચે બેઠો છું. મારાથી કશું રચનાત્મક કામ થતું નથી. શું હું મારી આ પ્રવૃત્તિ છોડીને દેશસેવાના કામમાં લાગી જાઉં ? મારે તમારું માર્ગદર્શન જોઈએ છે.”
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા + ૫૪૩
Page #593
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય રવિશંકર મહારાજે લાક્ષણિક રીતે જવાબ આપ્યો : “તમારે માટે આ જ દેશસેવા છે.”
ઈ. સ. ૧૯૪૯માં વડોદરામાં મ. સ. વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. ૧૯૫૧માં ત્યાં શ્રી ભોગીલાલભાઈની ગુજરાતીના પ્રાધ્યાપક પ્રોફેસર) તરીકે નિમણૂક થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પહેલી જ વાર પ્રાધ્યાપકની નિમણૂક કરવામાં આવી અને તે પણ ગુજરાતી વિષયમાં. ૩૪ વર્ષના શ્રી ભોગીલાલભાઈને માથે મોટી કામગીરી આવી પડી. પોતે આટલા ઊંચા સ્થાનની જવાબદારીથી વાકેફ હતા અને એથી થોડો સંકોચ અનુભવતા હતા. પરંતુ આ સમયે શ્રી રવિશંકર મહારાજની સલાહ લેતાં એમણે કહ્યું, “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ પર એટલો જ બોજો મૂકે છે. જેટલો એ ઉપાડી શકે છે.”
એમણે સાક્ષર શ્રી રામનારાયણ પાઠકને આ કપરી કામગીરી અંગે સૂચનો પૂક્યાં, ત્યારે પાઠક સાહેબે જવાબ વાળ્યો,
'I have no advice to give you. I am sure that you will rise to the occasion.' | મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી તથા શ્રી રસિકલાલ છો. પરીખ જેવા પ્રકાંડ વિદ્વાનો પાસે દીક્ષા પામેલા આ તેજસ્વી સારસ્વતની વિશેષતા એ હતી કે જેવું તેમનું વિદ્યાપ હતું તેવી જ એમની શીલની આરાધના પણ ઉત્કટ હતી.
ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ, ઇતિહાસ, સંસ્કૃત અને જૈનદર્શન આદિ અનેક પ્રદેશોમાં એમની વિદ્વત્તા ઘૂમી વળી, એટલું જ નહીં, અનેક ગ્રંથોરૂપે એને વાચા મળી. ઇતિહાસની કેડી', “સંશોધનની કેડી’, ‘ઇતિહાસ અને સાહિત્ય તથા અન્વેષણા જેવા એમના અનેક ગ્રંથો છે. તેમણે કુડીબંધ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રાચીન કૃતિઓનું સંશોધન અને શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા અને પ્રો. બ. ક. ઠાકોર પ્રકાશનમાળામાં તથા વિખ્યાત ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝમાં બહુસંખ્ય ગ્રંથો એમના સમર્થ માર્ગદર્શન હેઠળ પ્રગટ થયાં. - જર્નલ ઓફ ધી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્વાધ્યાયના સંપાદક તરીકે સંશોધનપ્રવૃત્તિના વિકાસમાં તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ન્યૂયોર્કના રૉક ફેલર ફાઉન્ડેશનના સ્પેશિયલ ફેલો તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોની વિદ્યાયાત્રા કરી છે તથા એના અનુભવો પ્રદક્ષિણા પુસ્તકરૂપે પ્રગટ કર્યા.
ઈ. સ. ૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે શબ્દ અને અર્થ એ વિશે સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતીમાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિશે એ પ્રાયઃ પહેલો જ ગ્રંથ છે. ૧૯૫૩માં તેમને ઉત્તમ સંશોધન અને સંપાદનકાર્ય માટે ગુજરાત સાહિત્ય સભાએ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૫૫માં નડિયાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈની પસંદગી થઈ. પ૪૪ + ૧લ્મી અને રુમી સદીના જૈન હિત્યનાં અક્ષર આરાધકો )
Page #594
--------------------------------------------------------------------------
________________
૧૯૫૯માં ભુવનેશ્વર (ઓરિસા) ખાતે મળેલ અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદના વીસમા અધિવેશનના પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી અને Progress of Prakrit and Jain Studies' એ શીર્ષક નીચેનું એમનું અધ્યક્ષીય વ્યાખ્યાન બનારસ યુનિ.ના જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૬૧માં સણોસરા ખાતે ગુજરાતીના અધ્યાપકસંઘના પ્રમુખપદેથી તેમણે ગુજરાતી કોશ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું. એમાં ગુજરાતીમાં કોશરચના-પ્રવૃત્તિનું અવલોકન કરીને, ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર રચાવા જોઈતા કોશની રૂપરેખા આપી હતી.
ઈ. સ. ૧૯૬૨માં મહામાત્ય વસ્તુપાળના સાહિત્યમંડળ વિશેના ગ્રંથ માટે સુરતની નર્મદ સાહિત્યસભાએ તેમને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી બે વર્ષ તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. ૧૯૬૬માં વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાત સંશોધક પરિષદના પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૭૭માં તેમણે ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના નિમંત્રણથી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં “પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ એ વિશે વ્યાખ્યાનો આપ્યાં. પુસ્તકો અને સંપાદનો ઉપરાંત તેમના પાંચસો કરતાં વધુ લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રગટ થયા.
શ્રી ભોગીલાલભાઈના નેહીમંડળનો આલેખ એમના ગ્રંથોની અર્પણપત્રિકામાંથી મળે છે. એમણે પોતાનું “ઇતિહાસની કેડી' એ પુસ્તક એમના ફેઈબાને અર્પણ કર્યું છે, જેમણે એમને બાળપણમાં સંસ્કારદીક્ષા આપી. વળી પંચતંત્ર' વિશેની સંશોધન કૃતિ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને, સંશોધનની કેડી શ્રી રસિકલાલ છો. પરીખને, “ઇતિહાસ અને સાહિત્ય' શ્રી અનંતરાય રાવળને, અન્વેષણા' શ્રી યશવંત શુક્લ અને શ્રી ચંપકલાલ શુક્લ એ મિત્રદ્ધયીને, “Laxicographical Studies in Jain Sanskrit મુનિશ્રી જિનવિજયજીને તથા અનુસ્મૃતિમાં પોતાના પરમગુરુ પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજીને અર્પણ કરેલ છે. “મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય એ પુસ્તકનું સમર્પણ વિશ્વાત્મકતા' પામેલા એ પ્રકાંડ સંશોધકને સંસ્કૃત શ્લોકોમાં થયું છે.
ઈ. સ. ૧૯૫૧થી ૧૯૭૫ સુધી શ્રી ભોગીલાલભાઈએ મ. સ. વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એકધારી ૨૫ વર્ષ સુધી કામગીરી બજાવી. ઈ. સ. ૧૯૫૮થી ૧૯૭૫ સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી વડોદરાની વિખ્યાત સંશોધન સંસ્થા પ્રાપ્ય વિદ્યામંદિરના નિયામક તરીકે ૧૭ વર્ષ સુધી કામગીરી બજાવી. એ સમય દરમિયાન ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચાલુ રહ્યા. સને ૧૯૫૧થી ૧૯૭૫ સતત પચીસ વર્ષ તેમણે વડોદરા યુનિ.ની સેનેટના સભ્ય તરીકે તથા છ વર્ષ સુધી સિન્ડિકેટના સભ્ય તરીકે કામ કર્યું હતું. ૧૯૭૫ની પાંચમી એપ્રિલના રોજ તેઓ નિવૃત્ત થયા.
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા કે પ૪પ
Page #595
--------------------------------------------------------------------------
________________
એમના મિત્રો, વિદ્યાર્થીઓ અને પ્રશંસકોએ નિવૃત્તિ સમયે વડોદરા યુનિવર્સિટીનાં પ્રથમ વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસાબહેન મહેતાના પ્રમુખપદે એમને એકવીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરી, જેમાંથી પ્રેમાનંદ સાહિત્ય સભા અને વડોદરા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ડૉ. બી. જે. સાંડેસરા વ્યાખ્યાનમાળાની આયોજના થઈ છે તથા એ અન્વયે આ પહેલાં શ્રી અનંતરાય રાવળ અને શ્રી મનસુખલાલ ઝવેરીએ વ્યાખ્યાનો આપ્યાં છે. નિવૃત્તિ પછી પણ એમનાં સંશોધનકાર્યની પ્રવૃત્તિ એટલી જ વેગીલી રહી હતી. આ સમયે તેઓ હસતા હસતા કહે છે કે પહેલાં સરસ્વતીનો પગારદાર પૂજારી હતો, હવે માનદ્ પૂજારી બન્યો છું. ‘સ્વધર્મ’ બજાવ્યાના સંતોષ સાથે ૧૯૯૫ની અઢારમી જાન્યુઆરીએ આ બહુશ્રુત વિદ્વાન અને સંશોધકે વિદાય લીધી.
ડૉ. કુમારપાળ દેસાઈ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી,
જયભિખ્ખુ માર્ગ, એલિસબ્રીજ,
અમદાવાદ - 380007 R. 079-26602675 M. 9824019925
૫૪૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #596
--------------------------------------------------------------------------
________________
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક
–
૬ નંદિની ઝવેરી ––
વ્યિવસાયે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર શ્રીમતી નંદિનીબહેન ઝવેરીએ જૈનધર્મ-દર્શનના નવા ક્ષેત્રને ખેડવાનો પ્રયત્ન કર્યો છે જેના ફળ સ્વરૂપ પ્રસિદ્ધ લિપિમર્મજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો પરિચયાત્મક લેખ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. – સં.]
જૈન ધર્મનો સાચો વારસો તેનું વિપુલ સાહિત્ય છે. શ્રુતજ્ઞાન પુસ્તકારૂઢ થયા પછી સમયે સમયે વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના થવા લાગી હતી. તે વિપુલ સાહિત્ય જૈનોએ ખૂબ જ ભક્તિપૂર્વક સુરક્ષિત રાખ્યું, પરંતુ કાળબળે, કુદરતી આક્તો અને રાજકીય આક્રમણોને કારણે ઘણું સાહિત્ય નષ્ટ પણ થઈ ગયું અને મોગલકાળમાં તો આ કાર્ય વધુ ને વધુ દુષ્કર બનતું ગયું. જેનોના સ્થળાંતરને કારણે આ વિપુલ સાહિત્ય સંગ્રહો નધણિયાતા બન્યા. સુરક્ષાને અભાવે ઘણા સંગ્રહો નષ્ટ થવા લાગ્યા હતા અને કેટલાક ભંડારો તો લોભ અને લાલચને કારણે વેચાવા લાગ્યા હતા.
આપણા વિપુલ સાહિત્ય જ્ઞાનવારસામાંથી ઘણીબધી પ્રતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જોવા મળે છે. મુખ્યત્વે ઇંગ્લેન્ડ – બ્રિટીશ લાઈબ્રેરીમાં ૧૪૦૦ હસ્તપ્રતો, વેલકમ ટ્રસ્ટમાં ૨૦૦૦ હસ્તપ્રતો, બોડલીન લાઈબ્રેરીમાં ૫૦૦ હસ્તપ્રતો, બ્રિટીશ
મ્યુઝિયમ, યુરોપના વિવિધ દેશો જેવા કે જર્મનીમાં પણ જોવા મળે છે. વિજ્ઞપ્તિ પત્રો પણ જોવા મળે છે. વી એન્ડ એ મ્યુઝિયમમાં અઢી દ્વીપનો ચિત્રપટ નકશો આજે પણ જોવા મળે છે. વેલકમ ટ્રસ્ટની બરોઝ ગ્લેક્સો વેલકમ ફાર્માસ્યુટીકલ કંપનીમાં તૈયાર થતી દવાઓ એ આપણા આયુર્વેદ જ્ઞાન આધારિત થવા લાગી હતી. આપણી હાથ બનાવટની વસ્તુઓ, ખરીદેલી હસ્તપ્રતો અને ૧૦૦ વર્ષ કરતાં વધારે જૂનાં છાપાઓમાં વિટાળેલી એમની એમ હાલ હજુ પણ મોજૂદ છે. આપણે ત્યાં અમદાવાદ, પાટણ, ખંભાત, છાણી, વડોદરા, રાજસ્થાન, જેસલમેર, જોધપુર, પૂના, પંજાબ વગેરે જગ્યાએ અનેક જ્ઞાનભંડારો આવેલા છે.
આજે જ્યારે પ્રાચીન ભાષાઓનું મહત્ત્વ ઓસરી રહ્યું છે, હસ્તલિખિત પ્રતો માત્ર કબાટની શોભા જ વધારતી નજરે ચઢે છે ત્યારે આ પ્રાચીન
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૪૭
Page #597
--------------------------------------------------------------------------
________________
ભાષાઓને મહત્ત્વ આપવું અને જ્ઞાનની મહાન આશાતના આદિને નજર સામે રાખી હસ્તલિખિત દિશામાં આગળ વધવું જરૂરી છે. આજે લિપિકાર માત્ર લહિયો નથી રહ્યો, તેના માટે કેટલીય સજ્જતા કેળવવી પડે છે; દા.ત., વિવિધ ભાષાઓનું જ્ઞાન, સૈકેસૈકે બદલાતા મરોડની જાણકારી, પ્રાચીન લેખનકળાનાં નિયમો, આધુનિક સંપાદન પદ્ધતિનો પરિચય, વર્ષોનો મહાવરો, તીવ્ર સ્મરણશક્તિ, પોથીમાં માથું નાંખી બેસી રહેવાની તપસ્યા વગેરે જરૂરી છે. એ સાહિત્ય ભાષામાં લખાયેલું છે, એ આપણી અત્યારની આધુનિક ભાષા કે લિપિમાં નથી. એના અક્ષરો અને આંકડાની ભાષા અને લખાવટ ભિન્ન છે. અને ભાષા તો જીવંત છે. એની એ જ ભાષા જુદાજુદા સ્થળે જુદીજુદી રીતે બોલાય છે, અને સમયે સમયે એની લખાવટ પણ પરિવર્તન પામતી રહે છે. આપણી અત્યારની ગુજરાતી ભાષા જેમાંથી ઊતરી આવી છે એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી તથા જૂની ગુજરાતી ભાષાની જેને જાણકારી હોય એવા નિષ્ણાતો જ એ લિપિ ઉકેલી શકે, એમાં શું લખ્યું છે એ કહી શકે.
આવા લિપિવિદોની અગ્રિમ હરોળમાં અગ્રસ્થાને શોભે છે શ્રી લક્ષ્મણભાઈ ભોજક. નાટક, નર્તન અને સંગીત માટે પ્રસિદ્ધ ભોજક જ્ઞાતિના લક્ષ્મણભાઈએ જ્ઞાનસાધનાને જીવન સાધના બનાવી હતી.
જ્ઞાનભંડારો સુરક્ષિત કરવાનું કપરું કામ આગમપ્રભાકર પૂજ્યમુનિશ્રી પુણ્યવિજ્યજી મ.સા.એ આદર્યું અને ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યને સફ્ળતાપૂર્વક પાર પાડવા લાગ્યા. આ કાર્યમાં તેમના સાચા અંતેવાસી તરીકે શ્રી લક્ષ્મણભાઈ ભોજક જોડાયા અને ઉક્ત કાર્યમાં સંનિષ્ઠ સહયોગ આપ્યો અને પાયાનો પથ્થ૨ બન્યા. શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો જન્મ તા. ૩૦મી ઑક્ટોબર ૧૯૧૭, વિક્રમ સંવત ૧૯૭૩, આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમાને દિવસે, વાગોળનો પાડો, પાટણમાં થયેલ. પિતાશ્રી હીરાલાલ નહાલચંદ ભોજક અને માતુશ્રી શ્રીમતી હીરાબહેન એટલે કે હીરાની ખાણમાં આપ જેવાનો જન્મ થયો હતો. પિતાજી જૈન દેરાસરમાં સેવાપૂજાનું કાર્ય કરતા હતા. જાતે ભોજક, ધર્મે જૈન, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનો પિરવાર. નાની ઉંમ૨માં માતા મૃત્યુ પામી હતી. વિધિએ આપનું નામ પણ લક્ષ્મણ રાખ્યું. જેનો લક્ષ્મણભાઈ ભોજકે સદુપયોગ કર્યો. લક્ષ્મણ એટલે લાખો મણ અને મોટા ભાઈ અમૃતલાલ સાથે રહી નામના મેળવી તેમ જ બહુમાન વધાર્યું હતું. સરળ ભાષામાં કહીએ તો પરમ પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. દશરથ મહારાજા, શ્રી અમૃતભાઈ ભોજક શ્રી રામ અને શ્રી લક્ષ્મણભાઈ ભોજક લક્ષ્મણ. લક્ષ્મણનું નામ આવતા રામનું સ્મરણ થયા વગર ન રહે. રામાયણના લક્ષ્મણે ભાઈ-ભાભીની સેવા કરી, લક્ષ્મણભાઈ ભોજકે લિપિની સેવા કરી. લક્ષ્મણનો જેમ રામ પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ હતો તેમ શ્રી લક્ષ્મણભાઈ ભોજકને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ,
૫૪૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #598
--------------------------------------------------------------------------
________________
સમર્પણભાવ અને આત્મિયતા હતી. જેને જેવો સંગ, તેવો રંગ લાગે બહુ.' ગુરુકૃપાએ સત્સંગ સર્વતોમુખી ફ્યો.
બાળપણમાં તેઓ વ્યાયામ કરતા, દંડ બેઠક કરતા, અખાડામાં પણ જતા, કુસ્તીઓ લડતા, તરણ સ્પર્ધામાં ભાગ લેતા, જેથી તેમનું શરીર મજબૂત ખડતલ બન્યું હતું; લાગે છે કે વિધિએ તેઓને વિવિધ ઉપલબ્ધિઓથી નવાજવાનું વિચાર્યું હશે. લક્ષ્મણભાઈનો અભ્યાસ ગુજરાતી ધોરણ-૬ સુધી પાટણમાં, જૈન ધાર્મિક અભ્યાસ પંચપ્રતિક્રમણ સુધી, પંડિતશ્રી અમૃતલાલ ભોજક પાસે સંસ્કૃત અને પ્રાકૃતનું જ્ઞાન પાટણ, પીપળાશેરી સ્થિત પૂજ્ય હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા ખાતે મેળવેલ હતું. વસવસો ઇંગ્લિશ ભણ્યો હોત તો સારું, મારે બીજાના અનુવાદ ઉપર આધાર રાખવો ન પડત.’
--
ધોરણ ૬માં ભણતા હતા ત્યારે પિતાજીનું દેહાવસાન થયું હતું તથા ભાઈઓમાં એક સુંદરલાલ હયાત ન હતા અને બીજા રસિકભાઈ કે જે પાછળથી કેસરબાઈ જૈન જ્ઞાનભંડારમાં જોડાયેલ, બહેનોમાં બે અવસાન પામેલ અને એક વિદ્યમાન હતી તથા કુટુંબની જવાબદારી મોટા હોવાથી માથે આવી હતી તેથી શૈશવકાળમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. સત્તર વર્ષની ઉંમરે જૈન અભ્યાસની યોગ્યતા ૫૨ એમણે માસિક ત્રણ રૂપિયાના પગારે જૈન સાધુ-સાધ્વીજીઓના ટ્યુશન શરૂ કર્યા હતા અને સાથે-સાથે કેસરબાઈ જૈન જ્ઞાનમંદિરમાં લાઇબ્રેરીયન તરીકે સર્વિસ લીધી હતી, જ્યાં સાત રૂપિયા મળતા હતા અને ૨૦ વર્ષની ઉંમરે નવરૂપિયાના પગારે નોકરી કરતા હતા. પરમ પૂજ્ય પુણ્યવિજ્યજી મ.સા.ની પ્રેરણાથી સાહિત્યની વિગતો નોંધવાનું અને યાદી તૈયાર કરવાનું કાર્ય તેમના માટે મહાન સન્માન સમું હતું. પાયો નંખાયો તેમ કહી શકાય. એ કાળ દરમિયાન રાજસ્થાનમાં બાવીસ દેરાસરોનો સંપૂર્ણ અભ્યાસ તેમ જ હસ્તપ્રતો અને અન્ય સાહિત્યની યાદી બનાવી હતી. ચક્રવર્તી રાજગોપાલાચારીના આમંત્રણથી પૂજ્ય મુનિશ્રી જિનવિજયજી સાથે ભારતીય વિદ્યાભવનમાં ગ્રંથોના ભાષાંતર, પ્રાચીન હસ્તપ્રતોનું અર્થઘટન વગેરે કાર્યની તક મળી હતી.
પૂજ્ય જંબુતિયજી મ.સા.ની પ્રેરણાથી ડભોઈ મુક્તાબાઈ જ્ઞાન મંદિરમાં જોડાયા. મારવાડના ગામોમાં ફરી ગોરજી મહારાજના વેચાઈ જતા ભંડારો, નષ્ટ-ભ્રષ્ટ થતી અને ઊધઈથી ખવાઈ જતી હસ્તપ્રતો ખરીદી ભંડાર ભેગી કરી હતી. ગાડીમાં, ગાડામાં, પગપાળા, ઊંટ ઉપર રણપ્રદેશની સૂકી વેરાન રેતાળ ધરતી ઉપર જ્યાં અન્ન-જળના પણ ફાંફા હતા તેવા અસહ્ય કસોટીકાળમાં ઘર ભૂલી જઈને પણ ધૈર્યથી કામ કર્યું હતું.
પાટણ પાછા આવતા મુનિશ્રી જિનવિજયજી મ.સા. સાથે ભારતીય વિદ્યાભવન મુંબઈ, રાજસ્થાન પુરાતત્ત્વમંદિર જ્યપુરમાં કામ કરવાનું મળ્યું. જ્યાં પ્રાચીનતા વિશે જાણવા મળ્યું હતું.
-
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૪૯
Page #599
--------------------------------------------------------------------------
________________
વિક્રમ સંવત ૨૦૫માં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.સા. સાથે જેસલમેરમાં એકધારા ૧૭ માસ રોકાયા, દરેક કાર્યોમાં સહાયક બન્યા. ત્યાં પ્રાચીન લિપિના પુસ્તકો, સૈકાવાર લિપિઓના ફેરફાર, કાગળની પરખ, લહિયાઓએ કરેલા જુદાજુદા જોડાણો અને તે ઉપરથી સૈકાઓ ઓળખવાની રીત વગેરેનો અભ્યાસ ઊંડાણથી કર્યો હતો. બે ચાતુર્માસ બાદ ૪૦૦ માઈલ દૂર બિકાનેર પણ ગયા હતા. | ઊધઈ કે જીવાતનો ભોગ બનીને જીર્ણશીર્ણ થઈ ગયેલી, ભેજથી ચોંટીને લોચો બની ગયેલી હસ્તપ્રતોનાં પાનાંઓને કેવી રીતે પકડવાં ને સાચવીને ફેરવવાં, કાળજીથી છૂટાં પાડવાં. કેવી માવજત આપીને વધારે સડતાં અટકાવવાં, ક્યારેક બે જુદી હસ્તપ્રતોનાં એકસરખાં પાનાં ભેળસેળ થઈ ગયાં હોય, ક્યારેક પ્રતોના ટુકડાઓ જ હોય એ બધાને અલગ તારવીને કેવી રીતે ગ્રંથો તૈયાર કરવા, એની સૂઝ અને કૌશલ કેળવાતાં ગયાં.
ડોક, પીઠ અને કેડ રહી જાય તોય નીચી નજરે છથી આઠ કલાક એકી બેઠકે એકાગ્રતાથી એ પુરાણાં લખાણો ઉકેલ્યા કરતા. ઘણી વાર લહિયાઓ લિપિ પૂરી સમજતા નહિ ને વિદ્વાનો ભાષા પૂરી જાણે નહિ તેથી ઘણી વાર લિપિભ્રમ થાય ત્યારે ખોટા અક્ષરો કે શબ્દપાઠોના સ્થાને હકીકતમાં કયા અક્ષરો કે કેવા પાઠ હોવા જોઈએ, તે પોતાની આગવી કોઠાસૂઝથી વિચારી પ્રમાણભૂત અક્ષર અને શબ્દપાઠ આપીને ગ્રંથની શુદ્ધ અને પ્રમાણભૂત વાચના તૈયાર કરવાનું શિક્ષણ તો પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસેથી મળ્યું હતું.
આ સજ્જતા ઉપરાંત એમની વિલક્ષણ યાદશક્તિ અને સ્મરણ અવધારણાના પ્રતાપે એમનાં જ્ઞાન અને સામર્થ્ય વધતાં ગયાં. છેક સાતમી સદીથી માંડીને જુદાજુદા સૈકાની લિપિઓ ઉકેલવાના મહાવરાના લીધે દેવનાગરી લિપિ પહેલાની બ્રાહ્મી લિપિ ઉકેલવાનું પણ એમને આવડે. નાગરી લિપિનાં વિષયમાં તેમનું પ્રદાન અને જ્ઞાન અત્યંત મૂલ્યવાન હતું.
જે ગ્રંથોના અંતે લેખનસંવત ન નોંધ્યો હોય એવી કૃતિ પણ કયા સૈકામાં અને કયા પ્રદેશમાં લખાઈ હશે? એ લિપિ જોઈને તેઓ કહી શકતા. શિલાલેખોના ખવાઈ ગયેલાં, તૂટી ગયેલાં લખાણો પણ ઉકેલતા. ક્ષત્રપકાલીન, શુંગકાલીન અને મૌર્યકાલીન તામ્રપત્રો, શિલાલેખો અને હસ્તપ્રતોની લિપિઓ તેઓ વાંચી, લખી અને શીખવી શકતા હતા.
ભારતનો એક ગ્રંથભંડાર એવો નહિ હોય, જે એમણે જોયો ન હોય. પશ્ચિમ ભારતના જૈનભંડારો એમનું કાર્યક્ષેત્ર રહ્યા હતા.
આમ, ત્રિપુટી ગુરુજનોથી ઘડાયેલાં, મંજાયેલા અને સધાયેલા એવા શ્રી લક્ષ્મણભાઈ ભોજક એરણની કસોટીમાં પાર પડ્યા હતા. અતિ દુર્લભ વ્યક્તિત્વ, અનુભવોના ખજાના વાળી છબી આપણી સમક્ષ છે.
પ૫૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #600
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી કાંતિવિજયજી મ.સા. પૂજ્ય શ્રી ચતુરવિજયજી મ.સા. અને આગમ પ્રભાકર પુણ્યવિજયજી મ.સા. આ ત્રણેય મહાત્માઓ જૈન શાસન અને જેને જ્ઞાનક્ષેત્રનાં અજોડ મહાન ધુરંધરો હતા. લક્ષ્મણભાઈ ભોજકે આ ત્રણેયનાં ચરણોમાં સેવા, શુશ્રષા અને વિનયભક્તિ વડે તેમનાં માર્ગદર્શન હેઠળ અથાગ અનુભવજ્ઞાન, હૈયા ઉકલત કે કોઠાસૂઝરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ગુણા, કૃતજ્ઞ શિષ્ય હતા. તેઓ તેમના માનસપુત્ર, શરીરના પડછાયાની જેમ અંતિમ ક્ષણે પણ સાથે જ હતા. પારસમણિના સ્પર્શથી સમગ્ર જીવન વિદ્યાસાધનાને સમર્પિત કર્યું અને વિદ્યામય બન્યા. સમાજને અણમોલ ભેટ ધરી.
૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા પછી દશ વરસે પાકિસ્તાનમાં ગયેલા. ત્રેવીસ ગામના ગ્રંથભંડારો આપણે પાછા મેળવ્યા અને દિલ્હીના બી. એલ. ઇન્સ્ટિટ્યુટમાં લાવવામાં આવ્યા, ત્યારે એ ભંડારોને વ્યવસ્થિત કરવાનું, ગ્રંથોના વર્ગીકરણ અને સૂચિપત્રો બનાવવાનું કામ એમના માર્ગદર્શન નીચે થયું હતું. થોડા થોડા દિવસે તેઓ અમદાવાદથી દિલ્હી જતા. સાધ્વીજી મૃગાવતીશ્રી, શ્રી સુવતાજી, સુયશાશ્રીજી અને સુપ્રજ્ઞાશ્રીજીને દોરવણી આપતા હતા કે પ્રાચીન પોથીઓને કેવી રીતે બાંધવી કે એમાં હવા કે જીવાત પેસે નહિ ને પ્રતો નાશ ન પામે કે સડે નહિ. હસ્તપ્રતોની સાચવણીની પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિનું સર્વાગીણ વિજ્ઞાન તેઓ જાણતા હતા. એ પોથીઓને પેટી કે કબાટમાં કેવી રીતે ગોઠવવી એ કલાના એ જાણકાર હતા.
કોઈ રહસ્ય અને ભેદભરમ જાળવવા કૂટલિપિ કે સાંકેતિક લિપિનો ઉપયોગ પ્રાચીન કાળમાંય થતો હતો. એવાં લખાણ પણ લક્ષ્મણભાઈ સફળતાપૂર્વક ઉકેલી શકે, આવાં લખાણો ઉકેલતાં ક્યારેક કોઈ અક્ષર કે શબ્દ બરાબર બંધબેસતો ન આવે, અર્થ સમજાય નહિ તો એ અક્ષરના મરોડ પર ધ્યાન કેન્દ્રિત કરે ને નિંદ્રામાં અસંપ્રજ્ઞાત મન એનો અર્થ બેસાડતું જ રહે. ને એનો અર્થ બેસે ત્યારે જ શાંતિ થાય. કોઈ વાર એવું લખાણ ડાયરીમાં લખી રાખે ને સમય મળે ત્યારે અક્ષરોને ઉલટાવી સૂલટાવી લખ્યા કરે ને પછી એકદમ ઝબકારો થાય ને આખા લખાણનો અર્થ બેસી જાય.
લક્ષ્મણરેખા જેવા શ્રી લક્ષ્મણભાઈ ભોજકે પરમ પૂજ્યને પગલે પાટણ છોડી રાજનગરને કર્મભૂમિ બનાવી હતી. ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં પાનકોરનાકા ખાતે આવેલ લાલભાઈ દલપતભાઈના વંડાથી કાર્યની શરૂઆત કરી અને એલ. ડી. વિદ્યામંદિરમાં હસ્તપ્રત વિભાગના વડા તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. એમનું કાર્યસૂત્ર “હું ભલો ને મારું કામ ભલું અંત સુધી પકડી રાખેલ. ભારતીય પોશાક સફેદ ઝભ્ભો અને ધોતીમાં સુસજ્જ, સીધી ટટ્ટાર ચાલ, ઉત્સાહી અને કાર્યશીલ ચહેરો, ચળકતો ભાલ પ્રદેશ, સિમ્પલ લિવિંગ હાઈ થીન્કીંગ વાળા અનુભવોની એરણ ઉપર કસાયેલ વ્યક્તિત્વ, યુવાનોને
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + પપ૧
Page #601
--------------------------------------------------------------------------
________________
પણ શરમાવે તેવો તરવરાટ, કાર્યપદ્ધતિ – આ હતું શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું અતિદુર્લભ વ્યક્તિત્વ. સર્વભાવસમર્પિત, વિનય, વિવેક, વિશ્વાસ, સમતા, શાંતિ અને ધીરજ જેવાં તેમના સદ્ગુણો હતા. સ્વપુરુષાર્થથી જ્ઞાન પ્રાપ્ત કરનાર લક્ષ્મણભાઈ જન્મજાત સંતોષી પ્રકૃતિના હતા, ધનસંપત્તિ કે ભોગવિલાસની ઇચ્છા નતા રાખતા. તેમણે કામ પર નજર રાખી હતી. કદી વેતનવધારો નથી માગ્યો. કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિક એટલા કે એમને સોંપેલું કામ એ કોઈ પણ ભોગે કરવાની કાળજી રાખે.
શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું લખાણ જોઈએ તો તદ્દન સીધી લીટીમાં, સરખા કદના સુરેખ અક્ષરોમાં, કાળજીપૂર્વક, અક્ષરે અક્ષરની ચોકસાઈ. જાણે કે યંત્રનિર્મિત હોય તેવા મૂળાક્ષરો, અંતર્ગત ચિલો, સંયુક્તાક્ષરો, સંક્ષેપો, વિરામચિલો, અંકચિહ્નો ઈત્યાદિની સંપૂર્ણ જાણકારી જોવા મળતી. સમ્રાટ અશોકનાં સમયથી આજ સુધીની લિપિ ઉકેલી શકતા. સાતમા સૈકાનું ઈ. સ. ૬૩૮ ધ્રુવસેન બીજાનું વલ્લભીપુરના રાજાનું દાનપત્ર પણ વાંચેલ. છઠ્ઠા સૈકામાં લખાયેલ આગમો તેમ જ લગભગ ૧૦૦ વર્ષ પહેલાંના આગમોની લિપિ પણ વાંચી શકતા. લિપિના અનેક ચાર્ટ પણ તૈયાર કરેલ, ૭૦૦થી પણ વધારે સાધુ-સાધ્વીજી ભગવંતોને શિખવાડેલ. જિજ્ઞાસુ-જ્ઞાન પિપાસુને પણ પદ્ધતિસરનું જ્ઞાન પીરસેલ. અનેક કાર્યશિબિરો ગોઠવેલ. ન ભણેલાને પણ ભણાવે અને વધુ ભણેલાને પણ ભણાવે. દેશ-પરદેશના વિદ્વાનો એમના જ્ઞાનનો લાભ લેતા અને એમના મંતવ્ય અને અભિપ્રાય પર મદાર બાંધીને આગળ કામ કરતા, તેમની કાર્યશૈલી આગળ એમ.એ, પીએચ.ડી, ડી.લીટ, એમ.બી.એ. વગેરે પાણી ભરતા એમ કહેવાય.
એમની પાસે બેસીને ઐતિહાસિક વાર્તા, શાસ્ત્રની વાત સાંભળવા મળે તે એક લહાવો ગણાતો.
પુરાણી હસ્તપ્રતો - પીંખાઈ ગયેલ હસ્તપ્રતોની પોથીઓનાં પાનાં મેળવવાની કડાકૂટ, જરૂરી હસ્તપ્રત માટે દૂર-દૂરનાં ધક્કા ખાવાની તૈયારી, લિપિ વિશેષજ્ઞની આ બધી કામગીરી જટિલ જણાતી હોય છે, તે પણ કુશળતાપૂર્વક પાર પડેલ છે. હસ્તપ્રતોને બે પાકા પૂંઠા વચ્ચે ગોઠવી એની ઉપર લાલ કપડું આવરણ કરી તેના કદ પ્રમાણે તૈયાર કરેલ લાકડાનાં દાબડામાં સાચવે. હસ્તપ્રતો મુખ્યત્વે ચાર-પાંચ સદીઓ જેટલી અને થોડે અંશે પાંચ-દસ સદીઓ જેટલી પ્રાચીન હોય છે. જ્યારે અભિલેખો તો હજાર, દોઢ હજાર, બે હજાર વર્ષ જેટલાં પ્રાચીન હોય છે. તેમાં પણ લિપિવિદ્યાની જાણકારી જરૂરી હોય છે. આ માટે સર્વશ્રેષ્ઠ આપણા શ્રી લક્ષ્મણભાઈ ભોજક જ હતા. હસ્તપ્રતોના જર્જરિત કાગળ-પાનાની સાચવણી માટે ઘોડાવજનો ભૂકો લાઈબ્રેરી, ગરમ કપડાં, કપડાં વગેરેમાં વાપરતા, ચોંટી ગયેલી પ્રતોને ઉખાડવા ભેજવાળા કપડામાં વીંટી રાખવા તેમ જ સહેલાઈથી આંગળીના હલન-ચલનથી છૂટા પાડવામાં પાવરધા હતા. પુસ્તકોનું પડીલેહેણ સારી રીતે કરતાં. લક્ષ્મણભાઈનાં ત્રણે-ક-પ્રતીકો : પપર + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #602
--------------------------------------------------------------------------
________________
૧. કામ. (કામ કરે જાઓ), ૨. કલા. (કલા ખીલવતા જાઓ), ૩. કદર. (કદર કરતાં જાઓ).
સચિત્ર પત્રોની ચિત્રશૈલી ઉકેલ, ચિત્રપરિચયની પાંડિત્યપૂર્ણ મહત્ત્વપૂર્ણ કામગીરી, વિજ્ઞપ્તિપત્રો, પ્રાચીન વસ્ત્રપટો વગેરેના તેઓ તજજ્ઞ હતા. કલામર્મજ્ઞ ડૉ. ઉમાકાંત પી. શાહ દ્વારા પ્રકાશિત મૂલ્યવાન ગ્રંથમાં પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજક સહલેખકનું સ્થાન પામ્યા છે.
મહુડીમાં વિક્રમ સંવત ૧૨૦૦થી ૧૩૦૦મા સૈકાની એક પ્રતિમા ટેકરી ઉપર બદસૂરત હાલતમાં મળેલી. તેની ઓળખ શ્રી અજિતનાથ ભગવાનની પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજકે કરેલ.
બીજી પ્રતિમા ધાતુની છે ત્યાં ગોખમાં મૂકેલ છે, વંચાતી નથી. તે માટે સાચી સલાહ પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજકે જ આપેલ.
(૨) નદીના પૂરમાં તણાઈને આવતી શ્રી સરસ્વતીદેવીની અતિકલાત્મક મૂર્તિ ગામમાં આવી, પાણી ઓસર્યાં, મૂર્તિ પડી રહી. (ચોવીશી સાથે પૂરા કદની મોટી ઊભેલી સ્થિતિ વાળી સ્વાભાવિક રીતે જ જૈન મંદિરની હોય.) બાવાએ આશ્રમમાં રાખી. તીર્થંકરની પ્રતિમાઓ પરત કરી પણ સરસ્વતીદેવીની ના આપી. શ્રી લક્ષ્મણભાઈ ભોજકે પોતાના અધિકાર પ્રમાણે શામથી ન માનતા બાવાને દામથી પણ રકમ દર્શાવી. પણ ટસના મસ ન થયા, લાલચ પારખી અમદાવાદ પરત આવી શક્ય તેટલી વધુ રકમની મંજૂરી લઈ ફરી બાવા પાસે ગયા, તો મૂર્તિ વેચાઈ ગઈ હતી. જૈન કલાનો એક અમૂલ્ય અને વિરલ નમૂનો ન સાચવી શક્યાનો અફસોસ, પારાવાર દુઃખ જણાઈ આવતું હતું.
પ્રાચીન વસ્ત્રપટો, વિજ્ઞપ્તિપત્રો ઇત્યાદિ દુર્લભ સામગ્રી પર તૈયાર થયેલા મૂલ્યવાન ગ્રંથના એ સહલેખક હતા. પાટણની પ્રાચીન જૈન ધાતુ પ્રતિમાઓના લેખો `લી પુસ્તક તૈયાર કર્યું હતું. પ્રસિદ્ધ તામ્રપત્રો વિશે, શત્રુંજ્ય મહાતીર્થ પરના શિલાલેખો વિશે લેખ લખ્યા, રીટ્રીટ મ્યુઝિયમનાં સાઠ ચિત્રોનાં એક આલ્બમનાં ચિત્રોનો પરિચયલેખ લખ્યા હતા.
દિલ્હીમાં અઢાર દેશોના લિપિ નિષ્ણાતોના સેમિનારમાં જૈનલિપિ વિશે એમણે ૫૫૨ વાંચ્યું હતું. નેશનલ સેન્ટર ફોર આર્ટ્સમાં વ્યાખ્યાન આપ્યાં. કલ્પસૂત્ર વિશે વ્યાખ્યાન આપ્યું. એમની આ બધી કાર્યસિદ્ધિ માટે અનેક સંસ્થાઓ તરફથી એમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
શત્રુંજય મહાતીર્થ તેમ જ પટના શિલાલેખો વિશે ‘સંબોધિ’ અને ‘સ્વાધ્યાય’ વગેરે સંશોધનપત્રોમાં તેઓના લેખો પ્રગટ થયા છે. પ્રાચીન પત્રો તેમ જ બીજી મૂલ્યવાન સામગ્રીઓનું પ્રદર્શન ગોઠવવું, આબાલગોપાલ સૌને તેનાં દર્શન અને સમજવામાં ઊંડો રસ લેતા કરવા, તેમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજકની ફાવટ હતી. આ માટે ઘણી સંસ્થાઓ તેમને આમંત્ર; ભારતમાં અનેક શહેરોમાં, વિવિધ અવસરોએ બારેક પ્રદર્શનોનું સફ્ળ સંચાલન કર્યું હતું.
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૫૩
Page #603
--------------------------------------------------------------------------
________________
એમની લાક્ષણિકતા કે તેઓનું શરીર કસાયેલું હોવાથી તેઓ એક વાર પલાંઠી લગાવીને કામે લાગે તો પછી છ કે આઠ કલાક સુધી એક જ આસને ખાધાપીધા વગર, સંપૂર્ણ એકાગ્ર ચિત્તે, લેશમાત્ર આળસ કે કંટાળો લાવ્યા વગર મનમાં ધારેલું કાર્ય કરી શકતા. બીજા માટે ચાર દિવસનું કામ તેઓ એક જ દિવસમાં વધુ સુઘડ રીતે ચોકસાઈથી કરી શકતા.
આપણા આગમોમાં મતિજ્ઞાનના વિવિધ ચાર પ્રકારની મતિનું વર્ણન આવે છે તેમાં તૈનયિકી અને કાર્મિકી નામે બે ભેદો મળે છે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકને નિહાળતા આ બે ભેદોનો સહજ સાક્ષાત્કાર થઈ શકે. લક્ષ્મણભાઈ ભોજકની ક્ષમતા અને કુશળતા ભલભલા પંડિતોને પણ મોંમાં આંગળાં નંખાવે તેવી હતી. તેમણે પોતાના ફાળે આવતું કામ પૂરી નિષ્ઠાથી, ચીવટ અને ચોકસાઈથી કરવાની પદ્ધતિ અને ટેવથી, સાત દાયકાથીય વધારે સુધી અખંડ પણે કામ પાર પાડ્યાં, તેના પરિણામે તેમનામાં કાર્મિકી નામક બુદ્ધિમતિ-શક્તિનો સહજ વિકાસ થયો. તેમની તીક્ષ્ણ બુદ્ધિ તેમને પંડિતવર્યશ્રી લક્ષ્મણભાઈ ભોજક તરીકે સાબિત તથા સ્થાપિત કરી આપે છે.
મોટી ઉંમરે પણ તેમની સ્મરણશક્તિ અક્ષણ-અખંડ રહી હતી. દા.ત., ૬૦ વર્ષ પહેલાં તેમણે કોઈ એક ચિત્ર એક વાર જોયું હોય અને એ આજે સામે ધરો તો ક્ષણાર્ધમાં કહી દેતા કે અમુક ભંડાર કે અમુક વ્યક્તિ કે અમુક વસ્તુ કે તેનો અંશ છે. આ સ્મૃતિશક્તિ એ આપણા જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમની એક અસાધારણ દેણગી જ ગણાય.
તેઓમાં સમભાવી અને નિસ્પૃહ જીવનદષ્ટિનો વિસ્મયપ્રેરક પરિચય થાય, ક્યાંય ફરિયાદ નહિ, હતાશા કે હીનગ્રંથિ ન હોય, ગુરુત્વગ્રંથિ તો અશક્ય જ. જીવનની પ્રત્યેક પરિસ્થિતિને સમભાવપૂર્વક, નિર્લેપભાવે કે અનાસક્તભાવે શિશુસુલભ મુગ્ધતાથી સ્વીકારવાની તેમની ક્ષમતાનો અહંમુક્ત ચમકારો તેમનામાં જણાતો. તેઓ શ્રાદ્ધગુણસંપન્ન, દેવગુરુ ઉપર અંતરંગભક્તિ-પ્રીતિધારક, વિદ્વત્તામાં આડંબર સિવાયના, વજન વગરનું નિખાલસ જીવન જીવનાર, પરમાત્માના શાસનને પચાવી શ્રાવકપણાની પ્રાપ્તિ પ્રગટ કરતા જણાતા હતા. | શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું જીવન જિન શાસનની અમર નિશાની, હિતભાષી, મિતભાષી અને મિષ્ટભાષી હતું.
જિંદગીમાં આવેલી આફતોથી તેઓ આશાવાદી બન્યા અને પ્રતિકૂળતાથી વૈર્યવાન બન્યા. જ્ઞાનોપાસનામાં જીવન કુરબાન કર્યું. જીર્ણશીર્ણ થઈ ગયેલ જ્ઞાનભંડારોને જીવતદાન આપ્યું અને પુનઃઉત્થાન કર્યું. (૧) વિષય વૈવિધ્ય: શ્રી લક્ષ્મણભાઈ પાસે બેસવાથી ઘણા વિષયોનું જ્ઞાન
પ્રાપ્ત થતું હોય છે. ક્યારેક પ્રતો વિશે, ક્યારેક ગ્રંથો વિશે, ક્યારેક મુદ્રિત ગ્રંથો કયા છે અને અમુદ્રિત ગ્રંથો કયા છે તે વિશે, ક્યારેક
મૂર્તિલેખો વિશે, ક્યારેક પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓ વિશે, ક્યારેક પપ૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #604
--------------------------------------------------------------------------
________________
એમના સ્વાનુભવોમાંથી માનવીય સ્વભાવની લાક્ષણિકતા વિશે. (૨) એમને કામ કરતાં જોતા એમના વિદ્યાપ્રેમ, કાર્યકુશળતા, વિપરીત
સંજોગોમાં પણ સ્વસ્થતા, ધૈર્ય, ચિંતનશીલતા, સદા પ્રસન્ન મનોભાવ
વગેરે ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થતો. (૩) હસ્તપ્રતનો ઇતિહાસ, લેખનશૈલી, સચિત્રપ્રતોની માહિતી, લેખનશૈલી અને
કાગળની પરિસ્થિતિને આધારે હસ્તપ્રતોનું સમયાનુમાન કેમ કરવું વગેરે હસ્તપ્રતવિદ્યાની માહિતી એમના મુખેથી વારંવાર સાંભળવા મળતી. હસ્તપ્રતોની કાળજીઃ શ્રી લક્ષ્મણભાઈ પાસેથી હસ્તપ્રતની કાળજી કેમ લેવી તે જાણવા મળતું. જેમ કે તેઓ પ્રત એક હાથથી ન ઉપાડતા.
પ્રત ઉપરની ધૂળ વગેરે સુંવાળા કપડાથી પોચા હાથે સાફ કરતા. (૫) તેઓએ જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, છાણી વગેરે સ્થળોનાં ઘણા
ગ્રંથભંડારોને વ્યવસ્થિત કર્યા હતાં. પણ વ્યવસ્થિત કરવા એટલે શું? એ તો તેઓ અત્યારે કુટકર (હસ્તપ્રતોનાં છૂટા છૂટા) પત્રો તે જે રીતે વ્યવસ્થિત કરે, એ જોવાથી ખ્યાલ આવતો. એમાં સૌ પ્રથમ પત્રોને છૂટા પાડવા, ધૂળ વગેરે સાફ કરવી, પત્રોના છેડા જો વળી ગયા હોય તો સીધા કરવા, વિષયવાર વિભાજન કરવું, દરેક વિષયનાં પત્રોની થપ્પીઓ અલગ-અલગ કરવી, તેમાંથી આગમ, પ્રકરણ, જ્યોતિષ, કાવ્ય, વૈદ્યક વગેરે વિષયમાંથી દરેક પત્રના આદિ અંત વાંચીને કૃતિઓ / ગ્રંથો ઓળખવા અને જુદા તારવવા – આ વખતે બધા પત્રો ટેબલ ઉપર પાથરવા અને પત્રો ઊડી જાય નહિ માટે પંખો પણ બંધ કરવો અને એકાગ્રચિત્તે દરેક ગ્રંથો | કૃતિઓને જુદી તારવ્યા પછી કેટલોગ કરાવવું. આ પ્રતોને વ્યવસ્થિત કરવાનું કાર્ય કેટલું કપરું છે. આવું કાર્ય જેફ વયે પણ પૂજ્ય શ્રી લક્ષ્મણભાઈ ઘેર્ય-કુશળતા, ખંતથી કરતા, જે આપણા જેવા માટે ખૂબ પ્રેરણાદાયક બનતું.
તેઓ લિપિના જ્ઞાનના અગાધ સાગર સમા લાગે, લખવાની જુદાજુદા પ્રકારની શાહી કઈ રીતે બનાવવામાં આવતી તેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે અને બતાવે પણ ખરા. લિખંતર માટે એકાગ્રતા, મનોયોગની સાધના તથા પૂર્વાપર સંબંધની તાલબદ્ધતા કેળવવી પડે છે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું કાર્ય મરજીવો સાગરનાં તળિયેથી મોતી શોધી લાવે, સુવર્ણકારની દુકાનમાંથી બહાર ફેંકાયેલ ધૂળમાંથી સોનાના કણને શોધતા. ધૂળધોયાના કાર્ય જેટલું કઠિન લાગે. હમણાં નહિ પછી મળજોને એવું ક્યારેય ન કહે, અપાર સુજનતાનાં દર્શન કરાવે. લિપિ વિશે આ હાલતી ચાલતી યુનિવર્સિટી કહી શકાય. લક્ષ્મણભાઈ ભોજક એલ. ડી. પ્રાચ્ય વિદ્યામંદિરનું જ નહિ, જૈન સંસ્કૃતિ જ નહિ પણ સમગ્ર ગુજરાતનું આભરણ હતું. ચીંથરે વીંટું રતન હતું જેના થકી, ગુજરાતનું વિદ્યાજગત વધારે રૂડું થઈ ગયું હતું.
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક કે પપપ
Page #605
--------------------------------------------------------------------------
________________
નાની મોટી રકમનાં પુરસ્કાર સ્વીકાર કરવામાં આવે ત્યારનું દશ્ય એવું લાગતું કે જાણે લક્ષ્મી સરસ્વતી પાસે જઈને ધન્ય બનતી હોય.'
ઈ. સ. ૧૯૯૩માં ગુજરાત રાજ્ય માહિતી ખાતા તરફથી ગુજરાતનાં પ્રસિદ્ધ હસ્તલિખિત ભંડારો' વિષય ઉપર ૩૫ મિનિટની ફિલ્મ બનાવવા માટે પણ ખૂબ જ અગત્યનો ફાળો ભજવેલ, સહયોગ મળેલ. એ ફિલ્મને એવૉર્ડ પુરસ્કાર મળેલ.
આમ, અનેક ગુરુ, આચાર્ય ભગવંતોના આશીર્વાદ મળેલ; સંસારી સાધુ બનેલ શ્રી લક્ષ્મણભાઈ ઉપર આપણા શાસનદેવદેવી પણ આશીર્વાદ વરસાવતા હશે.
લક્ષ્મણભાઈના સંસારી જીવન કવનમાં તેઓના વિવાહ ખૂબ જ નાની ઉંમરે થયેલ તથા સગાઈ થયા બાદ સનારીનું મગજ અસ્થિર થઈ ગયેલ. સન્નારીના પિતાએ વિવાહ ફોક કરવાની સલાહ પણ આપેલ પરંતુ લક્ષ્મણભાઈએ લગ્ન બાદ મગજ અસ્થિર થઈ ગયું હોત તો તેવું વિચારી બીજા લગ્ન કરવાનો અસ્વીકાર કરેલ અને સગાઈ ચાલુ રાખી શ્રી મોંઘીબહેન સાથે જ લગ્ન કર્યા હતાં. પત્નીને સારી રીતે સાચવી અને સહેજ પણ દુઃખ પડવા દીધું નહિ. સૌ. મોંઘીબહેને આગલા ભવમાં કોઈ સારા પુણ્ય કર્યા હશે તો આવા પતિ પામ્યાં અને આદરભાવ મળેલ. હેમલતા-હેમીબહેનને દેવની દીધેલ દીકરીને દીકરા બરાબર સમજી આનંદમય રહ્યા હતા. દીકરીને બાળપણમાં પંચતંત્રની વાર્તાઓ કહે, જેમાં તેમની એક પુત્રીવત્સલ પિતાની છબી ઊપસી આવ્યા વગર ન રહે. તેઓનાં ઉપર શ્રી ગીતાબહેન એન. શાહે એક કવિતા પણ લખેલ.
તમે રહ્યા સંસારે ભોજક, કિત રહ્યા કર્મઠ સંશોધક લક્ષ્મણ અને રેખાનો સંબંધ લક્ષ્મણરેખા. લક્ષ્મણ અને લિપિનો સંબંધ ભૂષણરેખા. ભોજક ચર્મ પડદે પડે તાલ, તમે કર્મ પડદે કરો કમાલ.
તમે શોધી રહ્યાં અનુપમ રાહ, અમે બોલી રહ્યા “વાહ ભાઈ વાહ!
જીવનના અંત સમયે ૮૭ વર્ષની ઉંમરે દેહ કેન્સરગ્રસ્ત બન્યો હોઈ ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ પથારીમાં સૂતાં-સૂતાં જ સૂચન માટે દીકરી કે ભત્રીજા કે ભત્રીજાવહુને નોટબુક અને પેન ધરે, હંમેશની પેઠે લખવાનો પ્રયત્ન થાય પણ હવે અક્ષરો વણલ્યા, ગરબડ-ગોટાળાવાળા અને છેવટે તો અક્ષર પાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનતો જતો હતો. આવી રુણ અવસ્થામાં પણ શ્રુતને લગતા સમાચારોથી રોમાંચ અનુભવતા.
૮૮મા વર્ષે તેમના અવસાન સાથે જાણે કે, હસ્તપ્રતવિદ્યાનો એક યુગ સમાપ્ત પામ્યો! આવું આગવું પ્રદાન કરનાર બીજા લક્ષ્મણભાઈ ભોજકની રાહ આપણે સહુએ અનેક વર્ષો તો જોવી જ પડવાની.
પપ૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અસર-આરાધકો
Page #606
--------------------------------------------------------------------------
________________
लिपिज्ञ श्री लक्ष्णणभाई हीरालाल भोजक परम श्रुतोपासक लिपिशास्त्रज्ञ, प्रतिलेखक शिरोमणी विद्वनमंडल, सुपूजित श्री ल. भो. का योगदान शिक्षाजगतमें अविस्मरणीय है, जिनका जीवन ही श्रुतसेवा हेतु समर्पित, त्यागमयी, तपस्यायुक्त मुँह वोलती कहानी थी तथा संतोप, सादगी एवम् संयम की जीती जागती छवि थे। इनकी साधना, लगनशीलता, कार्यशैली प्रशंसनीय थे। निस्पृहभाव से उन्होंने जिन शासनकी जीवनपर्यंत सेवा की थी। यु कहा जाय कि ये भगवती सरस्वतीके एक कुशल उपासक थे।
सच ही कहा गया है कि 'गुदहीमें भी लाल छिपे होते है, कीचडमें भी कमल खीले होते हैं L. D. विद्यामंदिर नामक प्रसिद्ध संस्थामें अपना कार्यकाल सत्तर वर्षो से हस्तप्रत, ताडपत्र, ताम्रपत्र, भोजपत्र, शिलापत्र, कर्पटपत्रादि के संरक्षण, संपादन सूचिकरण व अप्रकाशित ग्रंथोके प्रकाशनादि कार्यो में जुड़े रहे थे।
ब्राह्मी - खरोष्टि से लेकर आजतक की भारतीय लिपियों का उन्होंने यत्नपूर्वक अध्ययन किया था। लिपिविकास पर वे प्रामाणिकता एवम् अधिकारपूर्वक अपना दृष्टिकोण सर्वदा प्रस्तुत करते थे। अनेक ग्रंथभंडारो की जीर्णशीर्ण पाण्डुलियों का उन्होंने उद्धार किया था। इस प्रकार देशकी अमूल्य निधिको सुरक्षित रखने तथा इस विज्ञान के सतत प्रवाह का सफल प्रयास किया था।
आगम प्रभाकर मुनि श्री पुण्यविजयजी म.सा. की पावननिथामें दिमकभक्षित, जर्जरित, धूल-धूसरित, पटन-पाटन रहित, क्षत-विक्षत वाचिनतम हस्तप्रतो को अपनी अथग परिश्रमस सुव्यवस्थित विद्वद-भोग्य बनाया था। इन्होंने जेसलमेर, खंभात आदि ज्ञानभंडारो की श्रुत-संपदा को कालके गलेमें जानेसे बचा लिया था। दसवी सदी से लेकर आजतक के मूलाक्षरों को वर्णमालावद्धकर भ्रामक अक्षरों संकेतो, अशुद्धिसूचक पाटों, पाटान्तरों आदिका संकलन कर उनका परिचय-पत्र सरलतम ढंगसे तैयार कर एक दुरूह कार्यको हल किया था। ला. द. से शोधछात्र, विशिष्ट विद्वान, साधुसंत तथा देशविदेश के विद्वान बडी संख्या लाभान्वित हुए थे।
आचार्य कैलाससागरजी म.सा.के कोवा ज्ञानमंदिर के प्राचीनतम हस्तप्रतों व ताडपत्रों की कटिन लिपि को सरल प्रक्रियासे दिनरात के परिश्रमसे पूर्ण कर विभागीय पंडितो का वोध कराया था।
अहमदावाद की L. D. विद्यामंदिर में प्राचिनलिपि शिक्षा के जिज्ञासुओं को बहुत ही सहज ढंगसे लिपि के मरोड व कालान्तरमें लिपि के विभिन्न स्वरूपों की जानकारी दी थी।
इसी तरह अपने ऋपि-मुनियों की विरासत भगवान की अमृत वाणी व सरस्वती के अपार खजाने को लोगो के वीच प्रस्तुत कर एक अदभुत कार्य कीया है। ऐसे तपस्वीके हम सव आजीवन ऋणी है। हम सब तनमनसे इनके कार्यकी भूरी भूरी अनुमोदना करते हैं। हमारा प्रयास होगा कि इनके धरोहर,
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + પપ૭
Page #607
--------------------------------------------------------------------------
________________
इनकं जिवनभर की साधना के उपलब्धियों को संजोकर रखें, एवम् इनकी तरह ही प्राचीन लिपि की पावन शिक्षाको हर जिज्ञासुओसे अवगत करायें।
धन्य उनके मातापिता को, जिन्होंने ऐसी विरल विभूति को जन्म दिया। ऐस वयोवृद्ध लिपि प्रशिक्षक श्री ल. भो. के चरणकमलो में कोटि कोटि प्रणाम ।
डॉ. महिनी अश ___७, पुशमन सोसायटी,
बिग-२ सुभाषयो, २२ रोड, भेभन।२, अमावा-380052
मो. 96014C0975
પપ૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #608
--------------------------------------------------------------------------
________________
Prof Dr. Colette Caillat
Varsha Shah
[સંશોધનક્ષેત્રે કાર્યરત વર્ષાબહેને પ્રસ્તુત લેખમાં સુપ્રસિદ્ધ વિદ્વાન
ડૉ. કોલેટ કેલિયેટના વિશિષ્ટ કાર્યનો પરિચય કરાવ્યો છે. – સં.
Prof. Dr. Colette Caillat (1921-2007) was a French professor of Sanskrit and comparative grammar. She was also one of the world's leading Jain scholars.
India has been a subject of intense interest to a wide variety of peoples from all corners of the ancient and the modern world throughout the millennia. There are many reasons for this intense and sustained interest. The Indian university system of the ancient era was world renowned and attracted student from a wide variety of countries. They were strung across the northern Indo Gangetic plain starting from Takshashila on the western end to the famed universities of Nalanda, Odantipura and Vikramshila in present day Bihar.
Indology is a name given by Indologists to the academic study of the history, languages, and cultures of the Indian subcontinent.
1.1. Indology: Meaning and Definition
Indology is known as the science of Indian Society. The Indological perspective claims to understand Indian Society through the concepts, theories and frameworks that are closely associated with Indian Civilization. It made a claim that Indian Society is a unique in structure, function and dynamics and cannot be associated with the European Society.
Prof Dr. Colette Caillat + ччc
Page #609
--------------------------------------------------------------------------
________________
Indology relies on book view and culture and denounces rigorous empirical investigation.
Indology is both an approach to study the Indian Society and also an independent discipline with Indian Society as subject matter. In both the form Indology consists of studying language, beliefs, ideas, customs, taboos, codes, institutions, rituals, ceremonies and other related components of culture. Indology demands inter-disciplinary, multi- disciplinary and cross disciplinary approach.
Indology is also older than Sociology. Many founding fathers of Indian Sociology are also influenced by Indology.
Indology is antique in its origin owing its origin to 1784 by Sir William Jones of Calcutta. It was in the year 1987 that Sir William Jones founded the Asiatic Society of Bengal where he introduced the two departments of Sanskrit and Indology. It is the beginning of Indology in India, which has been followed by several other scholars.
1.2. Indology and Orientalism:
Within Indology there is the bifurcation of two studies. That is Indology or Indie studies and Oriental studies. Both of them have some commonalities and differences.
Indology is a sympathetic and positive picture of NonEuropean Society of the East including Indian Society and culture.
Orientalism gives an unsympathetic and negative account of the Indian Society.
Indology is said to be the westerner's labour of love for the Indian wisdom. And Orientalism emerged as the ideological need of the Bristish Empire. Indologist like Jones, Louis Renou and Bougle in France and Wilson in British India are the reputed figure and the Orientalist include Muller, William Archard, Max Weber, Karl Marx.
Indologist over emphasized Indian spiritualist and under emphasized the materialistic culture.
૫૬૦ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #610
--------------------------------------------------------------------------
________________
Orientalist did the reverse as they undermined spirituality and over emphasized on materialistic culture.
The Oriental Institute in Baroda was the second important Indological centre in India founded in 1893 by Maharaja of Baroda. The major objective of the institute was to develop a well equipped library of rare and unpublished Manuscript and reference books on Oriental and Indological studies.
The bibliography of Colette Caillat is quite impressive: nine personal books, mostly on Jaina texts, direction of eight books, around 90 articles and 190 reviews in various journals.
Caillat was born in Saint-Leu-la-Foret, Seine-et-Oise, January 15, 1921. She embarked upon her academic career with the study of Classical Latin and Greek, focusing on their literary and grammatical aspects. This led her to the study of Sanskrit under Louis Renou and Jules Bloch when he replaced Prof. Renou who was visiting India. Prof. Bloch played a key role in exposing his students to Indian classical languages such as Pali, Prakrit and Apabhramsha as well as modern Indo-Aryan languages. Encouraged by the strong presence of Indian students in his class, Bloch taught his students various details of Indian life. Since no one in France was proficient in these texts, Renou introduced her to Walther Schubring (1881-1969) who led her firmly to the path of Jain studies and encouraged her to participate in the Critical Pali Dictionary, to which she contributed regularly. In India, which she visited for the first time in 1963, she established close contacts with Prof. A.N. Upadhye (1906-1975), Pandit D.D. Malvania (1910-2000), Prof. H.C. Bhayani (1917-2000), Pandit Sukhlalji (1880-1978), Muni Punyavijaya (1895-1971) and Acarya Vidyánandji Maharaj. She often worked in Mysore and in Ahmedabad, at the L.D. Institute of Indology, a place she continued to visit regularly over the years, attracted by its scholarly and family atmosphere.
If we were to describe Colette Caillat's scholarly activity in brief, we could say that she was, a specialist in the languages, literatures and cultures of Jainism and Buddhism
Prof Dr. Colette Caillat + ч9
Page #611
--------------------------------------------------------------------------
________________
Colette Caillat has made a great contribution to a wider knowledge of the Jaina religion and literature. She also emphasized the links between Jaina and Buddhist traditions, despite their independence, on the linguistic as well as on the doctrinal side. Her doctoral thesis about the Atonements in the Ancient Ritual of the Jaina Monks (Les expiations dans le rituel ancien des religieux jaina) remains a masterpiece, since she was able to explain in a luminous style, a complicated doctrine in a wider context. Atonements in the Ancient Ritual of the Jaina Monks, is a lucid analysis of the svetambara monastic books of discipline (Chedasutras).
On the other hand, her DLitt. thesis Paris, 1965, translated into English as Her ‘second' thesis, a minute philological study of one portion of a text of this class, was in part published in, 1966 Drei Chedasutras des Jaina-Kanons Ayaradasao Vavahara, Nisiha. Colette Caillat's outstanding study of atonement (prayascitta) has become the standard reference. She presents the subject in its general Indian context, through confrontations with Brahmanical and Buddhist counterparts, respectively in the Vinaya and the Dharmasastras, and as a component of Jain monastic life. Thus her discussion of atonements, the central one of which is confession (Skt. alocana, Pkt. aloyana), is preceded by an exposition on the hierarchical organization of the community as depicted in the Cheda sutras.
The important idea is that atonements are not meant as a punishment, but rather as a form of guidance to help the culprits to improve. This work reveals Colette Caillats sympathetic attitude and humanistic nature.
Her critical edition of the Candavejjhaya (La Prunellecible) Prakirnakas. 'miscellaneous' group of texts, its French translation and the learned notes are a testimony of sound scholarship in lucid style.
*Fasting unto death' (samlekhana), for which the Prakirnakas are of primary importance, was one of her major themes પ૬૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #612
--------------------------------------------------------------------------
________________
of investigation, and was the topic of her last published article (Maranasamahipainna, (2007).
Colette Caillat was equally attracted to Digambara literature in Apabhramsa, as is shown by her translations of Yogindu's Yogasara (1998) and Paramatmaprakasa (1999), and of Ramasirnha's Dohapahuda (1976, in French and in English).
Linguistic features of Apabhramsa as well as the expression of mysticism specific to these texts, is explained in a convincing style.
Colette Caillat helped interested readers to find their way through the complexities of Jain cosmology through The Jain Cosmology' (La cosmologie jaina, 1981), an elegant and detailed publication based on Jain manuscripts of the Ksetrasamasa and the Samgrahanis from the private collection of Mr Ravi Kumar.
As a Jainologist, Colette Caillat's works focus on the transmission and understanding of important svetambara works belonging to the oldest strata of canonical literature especially Acharangasutra, Sutrakrtangasutra, Das'avaikalikasutra, Uttaradhyayanasutra. Several of her articles deal either with selected sections of these works, with major themes (violence, rules for speech), with the meaning of difficult words or expressions, with their morphology and derivation, and with the relationship between Middle Indian and Vedic.
Her direct pupils have much benefited from her teaching that was quite stimulating because of her wide knowledge of all aspects of Indian culture and of Indology. She was able to share with the audience her curiosity and even her love for everything Indian. As a former student, her student, Nalini Balbir testifies that 'Colette Caillat, since the beginning of her career, has read in depth and annotated many works of Indologists of present and past time. Therefore, every statement from her pen is based on longtime thinking, pondering and immense learning. I will always remember her unique way of pronouncing Pali and Ardhamagadhi, which helped to communicate the feeling of living and real languages.'
Prof Dr. Colette Caillat * 483
Page #613
--------------------------------------------------------------------------
________________
All works of Colette Caillat are characterized by great accuracy in philological matters, lucidity of exposition, and high sensibility to the texts.
Her researches on the vocabulary and on minute details of grammar were conceived as tools for understanding past Indian thinkers.
She has encouraged young researchers that had different interests in the large field of Indology.
She conceived indological research on an international basis, and was opposed to every form of nationalism, which turns often to chauvinism or sectarianism, she transmitted what she had received from her teachers and friends, because it remains the basis of every future progress in the understanding of the contribution of India to the universal culture.
While having strong convictions, and being quite sympathetic towards modern trends, Colette Caillat was both fair and friendly, and she never compromised firm ethical principles. These personal features explain her wide influence and her role in several academic institutions, learned journals and international committees; she served as treasurer of the InternationalAssociation for Sanskrit Studies (1977- 2000), and she was elected to the Presidency of the International Association of Buddhist Studies (1999- 2002).
International Indology has suffered a great loss by the demise of Prof. Dr. Colette Caillat, precisely on her eightysixth birthday, 15 January 2007.
Colette Caillat will be remembered for her numerous contributions which advanced and enriched the field of Indology for nearly four decades, and for her active encouragement of others in the field. She will be remembered as a human being of rare qualities, an energetic, lively and free individual who valued independence more than anything else, a true lady of the twentieth century.
પ૬૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #614
--------------------------------------------------------------------------
________________
References:
http://www.amazon.co.uk/Atonements-ancient-ritual-Jaina-Series
http://www.indicstudies.us/Indologist%20catalog1.pdf Indo-Iranian Journal 50, 2007, pp. 1-4.
Jain cosmology / Paperback - January 1, 2004 by Collette Caillat. Ravi Kumar English rendering by R. Norman.
Atonement (Jainism) Monastic and religious life Jainism) Jainism – Rituals.
The Salibhadra-Dhanna-Ca... (The Tale of the Quest for Ultimate Release by Salibhadra and Dhanna): A Work in... by Collette Caillat (Jul 28, 2005)
Ms. Varsha Shah
Research Assistant Centre for Studies in Jainism, Vidyavihar
M. 09833316414
09757124282
Prof Dr. Colette Caillat + ugu
Page #615
--------------------------------------------------------------------------
________________
શ્રુતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ
-
પૂર્ણિમા મહેતા
ગૂજરાત વિદ્યાપીઠના જૈનદર્શન વિભાગમાં પોતાના અધ્યાપન કાર્ય દરમિયાન અનેક જિજ્ઞાસુઓમાં પોતાના અભ્યાસ વિષયમાં રસ ઉત્પન્ન કરાવનાર શ્રી પૂર્ણિમાબહેને આ લેખમાં આગમવેત્તા મુનિ શ્રી જંબૂવિજયના કાર્ય ઉપર પ્રકાશ પાડવાનો આવકાર્ય પ્રયત્ન કર્યો છે. – સં.) શ્રુત પરંપરા
જૈન પરંપરામાં સાહિત્યને શ્રુત કહેવામાં આવે છે. આ શ્રુતની પરંપરા તીર્થંકર અને ગણધર ભગવંતોથી પ્રારંભાયેલી હોય છે. અર્થના સ્વરૂપે તીર્થકરો જે દેશના આપે છે, ગણધરો અને સૂત્રાત્મક રૂપમાં ગૂંથે છે, જે પછી આગમ સ્વરૂપે સુવ્યવસ્થિત બનીને જિન શાસનની શ્રુત સંપદાનું એક મહત્ત્વપૂર્ણ રૂપ મેળવે છે. આ શ્રુતસંપદાના મૂળ સ્વરૂપને ઘડવામાં ગણધરો, પ્રત્યેક બુદ્ધઋષિઓ તથા સ્થવિરમુનિઓનો મહત્ત્વનો ફાળો હોય છે. આ તમામ દ્વારા રચિત શ્રતને આગમ કહેવામાં આવે છે.”
પરંપરાથી કંઠસ્થ રૂપે સચવાયેલા શ્રુતને સમજવા-સમજાવવા, સામાન્ય બુદ્ધિ ધરાવતા જિજ્ઞાસુ સાધકો સુધી પહોંચાડવા માટે વિવેચના દ્વારા વિસ્તાર આપીને સમૃદ્ધ બનાવવાનું કાર્ય પછીના કાળના માન આચાર્ય ભગવંતો કરતા રહ્યા છે.
શ્રુતને સુવ્યવસ્થિત કરવું, વ્યાખ્યાયિત કરવું, વિવેચિત કરવું અને એ રીતે વધુને વધુ સમૃદ્ધ બનાવવું એ માટે જૈનાચાર્યોએ સમયે સમયે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. શ્રુત સંરક્ષણની પરંપરા
શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી કંઠસ્થ શ્રુતપરંપરા હજારેક વર્ષ સુધી ચાલી ત્યાર બાદ ગ્રંથસ્થ શ્રુતની પરંપરાનો યુગ આવ્યો. વિક્રમની ૪થી ૫મી શતાબ્દી પછી જૈનશ્રુતની પરંપરામાં શ્રુતને ગ્રંથસ્થ કરી લઈને સુરક્ષિત રાખવા માટે તત્કાલીન આચાર્યો, મુનિઓ, શ્રેષ્ઠિઓ, શ્રમણોપાસકો, શાસકો વગેરેએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શ્રુતલેખનની આ પરંપરા મધ્યકાળમાં
પ૬૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #616
--------------------------------------------------------------------------
________________
એટલે કે ૧૨મી ૧૮મી સદી સુધી ખૂબ જ સમૃદ્ધ બનીને સચવાઈ. પમીથી ૧૪મી સદી સુધી તાડપત્રીય પ્રતોના સર્જન થયા. ૧૪મીથી ૧૮મી સદીનો સમય કાગળ ઉપર શ્રુતલેખન કરીને એને સંગૃહિત કરવાનો યુગ રહ્યો. આ દરમિયાન ભારતનાં અનેક મહત્ત્વપૂર્ણ નગરોમાં જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા, જ્યાં આ સમગ્ર ગ્રંથસ્થ શ્રુતને સંરક્ષણ મળ્યું. ખાસ કરીને જ્ઞાનભંડારો, સાધુઓ પાસે, પતિઓ પાસે, શ્રેષ્ઠીઓ પાસે સુરક્ષિતપણે રહ્યા.
મોગલકાળ દરમિયાન યુદ્ધો, નાસભાગ, સ્થળાંતર અને અરાજક્તાનો એક મોટો સમયગાળો જૈન પરંપરા માટે પડકારરૂપ બન્યો. જ્ઞાનભંડારો કાં તો સ્થળાંતરિત થયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવાયા, કાં પછી ધમધ કટ્ટર મુગલો એને નષ્ટ ના કરી દે એ ભયના કારણે એને છુપાવી દેવામાં આવ્યા. આવું બન્યું પણ ખરું! ઘણો મોટો હિસ્સો ધમધ પરદેશી શાસકોએ નષ્ટ કર્યો. ઘણો બધો હિસ્સો અજ્ઞાતસ્થિતિમાં પડ્યો રહ્યો. સાચવણી, જાળવણીના અભાવે ઊધઈ વગેરે જીવજંતુઓનો ખોરાક બનીને નષ્ટ થયો કે ભ્રષ્ટ થયો. ક્ષતવિક્ષત બન્યો. એ યુગ હતો ૧૮મી ૧૯મી સદીનો! ૧૮મી સદીમાં અંગ્રેજોના શાસનકાળમાં વળી એક બીજું આક્રમણ થયું, મહામૂલા કલાત્મક પ્રાચીન ગ્રંથોને વેચી દેવાનું. કેટલાયે ટૂંકી દૃષ્ટિવાળા સ્વાર્થી તત્ત્વોના લીધે શ્રુતનો વારસો વેરણછેરણ બનતો ચાલ્યો અને કદાચ આજે પણ ક્યાંક આ પરિસ્થિતિ હોય જોકે હવે સંરક્ષણ માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. .
શ્રુત-સર્જનની પ્રવૃત્તિ તો શ્રમણ પરંપરામાં અનેક રીતે ચાલુ રહી, સમૃદ્ધ બની. ક્રિયાકાંડો, ઉત્સવ અનુષ્ઠાનોના આડંબરભર્યા આયોજનો વચ્ચે પણ મૃતોપાસના સતત ચાલતી રહી. પણ પ્રાચીન કાળ, મધ્યકાળમાં સર્જનની સાથે સંશોધન, વિશ્લેષણની જે આગવી શૈલી કે પરંપરા સમૃદ્ધ બનતી રહી હતી તે ધીમે ધીમે ક્ષીણ અથવા આછી થતી ચાલી. મોટા ભાગે તો સંશોધન પ્રત્યે ઉદાસીનતા જ નહીં પણ અસ્વીકૃતિ પણ પ્રગટ થવા લાગી. પરંપરાગત વિચારો કે વિચારધારાઓથી અલગ હઠીને કંઈક ખોજવું, શોધવું કે વિવેચવું એ બધું સામાન્ય રીતે ઉપેક્ષિત બની ગયું હતું. આવા વખતમાં બીજી બાજુ પ્રાચીન સાહિત્ય ખાસ કરીને હસ્તલિખિત સાહિત્ય વ્યક્તિગત સંગ્રહોમાં કેદ થઈને ઘણેભાગે જીર્ણ શીર્ણ થઈ રહ્યું હતું.
આ સમયે જેનપરંપરાને પ્રવર્તક કાંતિવિજયજી, ચતુરવિજયજી અને પુણ્યવિજયજીની ગુરુશિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટી મળી જેમણે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના જીર્ણોદ્ધાર, પુનરુદ્ધાર, પુનર્લેખન, સંરક્ષણ, સંવર્ધનના આયામો ઉઘાડ્યા. ઉપેક્ષિત વાતાવરણમાં એમણે સંતાયેલા, સચવાયેલા આ હસ્તલિખિત ગ્રુત ખજાનાને શોધવા માટેનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. વર્તમાનકાળના મહાન વ્યુતધર આગમ પ્રભાકર પુણ્યવિજયજી મહારાજે શ્રુતને શોધવાની, સંશોધિત કરવાની સંરક્ષિત કરવાની આગવી પદ્ધતિ નિર્માણ કરી અને પોતાના જીવનના કીમતી વરસો એ માટે પ્રયોજ્યા. એમ કહો કે સમગ્ર જીવન એમાં સમર્પી દીધું.
શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ + પ૬૭
Page #617
--------------------------------------------------------------------------
________________
આ પરંપરાને આગળ વધારવા, જીવંત રાખવા એમણે શ્રુત સાધના-સમુપાસના માટેના કપરાકાળમાં જંબૂવિજયજી મહારાજને શોધીને પોતે આરંભેલા શ્રુત સંશોધન સંરક્ષણના યજ્ઞના ભાગીદાર બનાવ્યા કે વારસો સોંપ્યો. આગમ કૃતગગનના દીપ્તિમાન નક્ષત્ર એટલે જબૂવિજયજી મહારાજ
હવે આપણે જંબૂવિજયજી મહારાજની વાત કરીએ. જંબૂ નામ સામે આવતા જેમ એક જંબૂદ્વીપનો આકાર ઊભો થાય, અતિ વિશાળ ભૂમિનો અહેસાસ થાય, બસ આવી જ વિશાળતાનો અનુભવ આપે છે જબૂવિજયજી મહારાજનું નામ. આગમશ્રુતના આજીવન ઉપાસક, પરમાત્મભક્તિના આકંઠ આરાધક, પ્રાણી-પ્રેમના પરમ પરિચાયક, માતૃ-પિતૃ ભક્તિના મહાન ભાવક, શ્રમણજીવનચર્યાના જીવંત સાધક, સુદીર્ઘ પદયાત્રાના પ્રાકૃષ્ટ પરિવ્રાજક મુનિશ્રેષ્ઠ જંબૂવિજયજી મહારાજની સર્વતોમુખી પ્રતિભાની વાત કરવી એટલે દીવાસળીના અજવાળે માઈલોનો મારગ કાપવો.
વિ.સં. ૧૯૭૯ મહાસુદ-૧, તારીખ ૧-૧-૧૯૨૩ના ઝીંઝુવાડા ગામમાં પિતા ભોગીલાલ તથા માતા મણિબહેનના પુત્ર તરીકે જન્મેલા ચીનુભાઈ ૧૪ વરસની વયે રતલામ ખાતે વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ-૧૩, ૨૫-૫-૧૯૩૭ના રોજ પૂ. ચંદ્રસાગરજી મહારાજસાહેબના હસ્તે પોતાના પિતા મુનિ ભુવનવિજયજીના શિષ્ય બનીને સાધુ બને છે. સંયમજીવનની યાત્રા સાથે જ મૃતોપાસનાની યાત્રા આરંભાય છે. એમની યાત્રાના માર્ગદર્શક અને સહાયક બને છે એમના પિતા મુનિ. દીક્ષા જીવનના પ્રારંભથી આરંભાયેલી સાધનાયાત્રા ત્યાગ અને તપની સાથે સ્વાધ્યાયની યજ્ઞ-વેદિકા બની. ખાસ કરીને દાર્શનિક અધ્યયનની દિશામાં એમની પ્રતિભા વધુ ને વધુ નીખરતી ગઈ. સંશોધનની સુદીર્ઘ યાત્રાનો આરંભ
આ ગુરુ-શિષ્યની જોડલીને કોઈ દુર્લભ તેમ જ ઉપયોગી ગ્રંથનું સંપાદન કરવાની ઈચ્છા થઈ અને તેમણે પ્રાચીન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક અને અનેક ગ્રંથોના સંશોધક મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ લીધી. પુણ્યવિજયજી મહારાજના મનોજગતમાં દ્વાદસાર-નવચક્રનું નામ હતું જ, કારણ કે મલ્લવાદી પ્રણીત બાદસાર-નયચક્રનું મૂળ તો મળતું નહોતું પણ તેની ઉપર આચાર્યશ્રી સિંહસૂરિ ક્ષમાશ્રમણે રચેલી અતિ વિસ્તૃત નયચક્રવૃત્તિ મળી હતી, તેનું સંશોધન કરવાની ખાસ આવશ્યકતા હતી. આની ઉપલબ્ધ પ્રતિઓની અશુદ્ધતા અને ગ્રંથોમાં આવતા અસંખ્ય સંદર્ભો શોધવાની મુશ્કેલીઓના કારણે આ કાર્ય અત્યંત કઠિન હતું, એટલે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે તેમને આ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવાની ભલામણ કરી. અતિશય કઠિન હોવા છતાં તે કામ ઉપાડી લેવાની આ ગુરુ- શિષ્ય તત્પરતા બતાવી.
મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબે વિ.સં. ૨૦૩માં પૂ. ગુરુદેવ મુનિશ્રી પ૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #618
--------------------------------------------------------------------------
________________
ભુવનવિજયજીના આશીર્વાદ અને પૂર્ણ સહકારથી આ અતિ કઠિન કાર્યનો આરંભ કર્યો. લુપ્ત થયેલા આ ગ્રંથના પુનરુદ્ધારનું કાર્ય અત્યંત કપરું, અતિ શ્રમ-સાધ્ય અને લગભગ અશક્ય કહી શકાય એવી કોટિનું હતું.
પ્રખર પ્રતિભાવંત શ્રી મલ્લમુનિએ દશ હજાર શ્લોક પ્રમાણ નૂતન નયચક્ર ગ્રંથની રચના કરી. કાળના પરિબળે મૂળ નયચક્ર ગ્રંથ લુપ્ત થયેલો હોવાથી મળતો નહોતો. લગભગ સાતમી સદીમાં સિંહસૂરિ નામના આચાર્ય ભગવંતે એ મલવાદીના નયચક્ર પર વાયગમાનુસારિણી ટીકા રચી હતી. આ ન્યાયગમાનુસારિણી ટીકાની હસ્તપ્રતો અનેક ગ્રંથભંડારોમાં મળે છે. સમદર્શી આ. હરિભદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ પણ આ ગ્રંથ લુપ્ત થયાની વાત નોંધે છે. સત્તરમી સદીમાં તો આ ગ્રંથની હસ્તપ્રતની નકલો પણ દુર્લભ થઈ ગઈ હતી. મહામહોપાધ્યાય ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને દ્વાદસાર-નયચક્રની એક હસ્તપ્રત મળી હતી. તે હસ્તપ્રતને આધારે તેમણે તથા તેમના ગુરુ વગેરે સાત મુનિવરોએ માત્ર પંદર દિવસમાં નવી નકલ તૈયાર કરી હતી. આ હસ્તપ્રતમાં પંચાવનસો જેટલા શ્લોકો તો ખુદ ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના હાથે જ લખ્યા છે. આવી અતિ વિરલ અને અમૂલ્ય હસ્તપ્રત અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાંથી મળી આવી હતી. ઉપાધ્યાય યશોવિજયજી સ્વયં આ ગ્રંથની નકલ કરવા બેસે તે ઘટના જ આ ગ્રંથની મહત્તા. વિશિષ્ટતા દર્શાવે છે.
ઈ. સ. ૧૯૫રમાં મુનિરાજશ્રી ચતુરવિજયજી અને પંડિત લાલચંદજીએ પ્રથમના ચાર અર સંપાદિત કર્યા. આ ચાર અરનો પ્રથમ ભાગ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ તરફથી પ્રકાશિત થયેલો છે, તે પૂર્વે આચાર્ય વિજય. લબ્ધિસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન કાર્ય હાથ ધર્યું હતું તે ચાર ભાગમાં ઈ. સ. ૧૯૪૮થી ૧૯૬૦ દરમિયાન પ્રકાશિત થયો હતો.
મુનિશ્રી જંબૂવિજયજી સંસ્કૃત-પ્રાકૃત-અંગ્રેજી આદિ ભાષાઓ તો જાણતા જ હતા અને જૈન દર્શનનો અને ભારતીય દર્શનનો સારો એવો અભ્યાસ હતો. પરંતુ નયચક્ર ગ્રંથનું સંશોધન-સંપાદન કરવું એ એક મોટો પડકાર હતો, કારણ કે બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક આદિ દર્શનના જે અનેક ગ્રંથના ઉધ્ધરણો નયચક્ર ગ્રંથમાં ઉધ્ધત કર્યા છે તે ગ્રંથો પ્રાપ્ત થતા ન હતા. મોટા ભાગના ગ્રંથો અલભ્ય હતા અથવા અપ્રકાશિત હતા. | મુનિશ્રીએ જાણ્યું કે તિબેટમાં લિખંતર થયેલા કેટલાક સંસ્કૃત ગ્રંથો ઉપલબ્ધ છે અને બૌદ્ધ દર્શનના કેટલાક ગ્રંથો તિબેટીયન-ભોટ ભાષામાં સદીઓ પૂર્વે અનુવાદિત થયેલા તે હાલ ઉપલબ્ધ છે એટલે તેમણે તિબેટીયન ભોટ ભાષાનું પણ જ્ઞાન મેળવી લીધું. ભોટ ભાષામાં તેંજુર-ફેન્જરમાં અનેક ગ્રંથો, મૂળ સંસ્કૃતમાં કે પાલી ભાષામાં લખાયેલા ગ્રંથો, લિયંતર થયેલા ગ્રંથો અથવા ભાષાંતર થયેલા ગ્રંથો ઉપલબ્ધ થાય છે. દ્વાદસારનયચક્રમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો ભારતમાં
શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ + ૫૬૯
Page #619
--------------------------------------------------------------------------
________________
લુપ્ત થઈ ગયા હોવાથી તેમણે તિબેટીયન ભાષામાં ઉપલબ્ધ ગ્રંથો મંગાવી તેનો અભ્યાસ કર્યો. દ્વાદસારનયચક્રના પ્રથમ અરમાં જ દિગ્ગાગના પ્રમાણસમુચ્ચય ગ્રંથનો ઉપયોગ થયો હતો. આ ગ્રંથ માટે માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશના પણ અનેક વિદ્વાનો શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ મૂળ ગ્રંથ મળતો ન હતો. ભોટ ભાષામાં તેનું ભાષાંતર પ્રાપ્ત થયું. તે ભાષાંતર મેળવી મુનિશ્રીએ તે ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેનું પુનઃ સંસ્કૃત ભાષામાં ભાષાંતર કર્યું.
દ્વાદસારનયચક્ર ગ્રંથનું સંશોધન-સંપાદન સર્વાગ સંપૂર્ણ બને તેટલા માટે મુનિશ્રીએ કોઈ પણ પ્રયાસ બાકી રાખ્યા ન હતા. તિબેટીયન ભાષામાં અનુવાદિત સંબંધ ધરાવતા ગ્રંથો તપાસ્યા પછી પણ તેઓશ્રીએ આ બાબતના જાણકાર પરદેશી વિદ્વાનો સાથે સંપર્ક સાધ્યો. ઓસ્ટ્રિયાના ડૉ. ઈ. ફલિનેર, ઈટલીના ડો. ટુચી, ઇંગ્લેન્ડના ડૉ. થોમ્પસન, યુનાઈટેડ સ્ટેટ્સના ડૉ. વોલ્ટર મૌટેર અને ડૉ.
જ્યોર્જ બુર્સ, જાપાનના ડો. છેલ્લોકાનાકુરા વગેરે સાથે તેઓ સતત પત્રવ્યવહારથી સંપર્કમાં રહ્યા. દેશ-પરદેશના વિદ્વાનોનો સંપર્ક સાધી સંસ્કૃત, અર્ધમાગધી અંગ્રેજી ઉપરાંત ચીની, ફ્રેન્ચ વગેરે ભાષાઓમાં લખાયેલા સંબંધિત બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રંથોમાંથી સંદર્ભ મેળવી અથાગ પ્રયત્નોના અંતે સંપાદનનું આ મુશ્કેલ કાર્ય પાર પાડ્યું. કોઈ પણ મૂળ ગ્રંથ ઉપરથી એની ટીકા રચાય એ તો સહજ છે પરંતુ
બૂવિજયજીએ તો ટીકા ઉપરથી મૂળ પાઠ નિર્ધારિત કર્યો, જે એક અપ્રતિમ ઉપલબ્ધિ હતી.
આ શકવર્તી મહાન ગ્રંથના પ્રકાશનની પણ એક કહાણી છે.
વિ.સં. ૧૯૫રના બીજા જેઠ સુદિ બીજ, તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ ભાવનગરમાં તે સમયના મહાન જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી બાવીસમા જ દિવસે જૈન આત્માનંદ સભાની સ્થાપના થઈ હતી, જેના ઉપર પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિરત્નશ્રી ચતુરવિજયજી મહારાજ અને આગમ પ્રભાકર શ્રી પુણયવિજયજી મહારાજની અમીભરી દૃષ્ટિ હતી. આ સભાનો એક મુખ્ય હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચાર-પ્રસારનો હતો. તે કાર્યનો આરંભ કરવામાં અને તેને વેગવંતો કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટીનો પુરુષાર્થ અસાધારણ હતો. આ સંસ્થા દ્વારા એ વખતમાં સંશોધન-સંપાદનની દૃષ્ટિએ નમૂનેદાર અને ઉચ્ચકોટિના લેખી શકાય એવા ૨૦૦ જેટલા જૈન સાહિત્ય ગ્રંથોનું પ્રકાશન થયું હતું.'પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછીથી આ સંસ્થાની પ્રકાશન-સંપાદન વગેરેની સઘળી જવાબદારી અંતિમ ક્ષણ સુધી મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે ઉપાડી હતી. આ જ સંસ્થા દ્વારા સંવત ૨૦૨૨માં તા. ૩૦૪-૬૭ના રોજ આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સંમાનનીય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને ડો. આદિનાથ
પ૦૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #620
--------------------------------------------------------------------------
________________
નેમિનાથ ઉપાધ્યેના શુભ હસ્તે પ્રથમ ભાગનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજા ભાગના વિમોચનનો સમારોહ સંસ્થાના ઉપક્રમે મુંબઈમાં પાયધુની ગોડીજી જૈન ઉપાશ્રયમાં સંવત ૨૦૩૩માં તા. ૧૦-૧-૭૭ના રોજ પૂ. આચાર્ય વિજયધર્મસૂરિજીની નિશ્રામાં પૂજ્યશ્રી યશોવિજયજી (યશોદેવસૂરિજી)ના વરદ હસ્તે થયો હતો. ત્રીજો ભાગ ઈ. સ. ૧૯૮૮માં પ્રકાશિત થયો. નયચક્રના સંપાદનની યાત્રાનો પ્રારંભ સંવત ૨૦૦૩માં થયો અને પૂર્ણાહુતિ સંવત ૨૦૪૪માં થયો. કુલ ૪૧ વર્ષનું દીર્ઘકાલીન વિદ્યાતપ સાનંદ સંપન્ન થયું.
ગ્રંથના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીનો ૪૧ વર્ષનો ઇતિહાસ એટલે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મ.સા.ની સંશોધનનિષ્ઠા અને ભગીરથ પુરુષાર્થનો ઇતિહાસ એમ કહીએ તોપણ જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
મુનિશ્રીના વિદ્યાતપને અંજલિ આપતા પંડિત સુખલાલજીએ કહ્યું હતું કે “આ ગ્રંથના સંપાદનમાં વિદ્વાન મુનિશ્રી જંબૂવિજ્યજીએ જે ધૈર્ય, ઉત્સાહ અને ઊંડી સમજણથી કામ કર્યું છે તે બાહ્ય તપના બધા જ પ્રકારોને આંબી જાય તેવું આત્યંતર તપ છે.” આ ગ્રંથનું સંપાદન આદર્શ સંપાદનની કોટિનું છે. આ અંગે પં. દલસુખભાઈ માલવણિયા નોંધે છે કે “નયચક્ર એ જેમ એક અને અતુલ્ય ગ્રંથ છે તેમ આ તેનું સંપાદન પણ જૈનદર્શનના અન્ય ગ્રંથોનાં જે કેટલાક ઉચ્ચ કોટિના સંપાદનો થયા છે તેમાં પણ અતુલ છે અને એક જ રહેવા સર્જાયું છે એમ નિઃશંક કહી શકાય. આવો પ્રયત્ન બીજા કોઈ ક૨શે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આ દૃષ્ટિએ પૂ. મુનિશ્રી જંબૂવિજયજીને આપણે જૈન ગ્રંથના અજોડ સંપાદક કહી શકીએ. આ ગ્રંથના સંપાદક માટે ભારતીય દર્શનોના અભ્યાસીઓ તેમના ચિકાળ ઋણી રહેવાના છે એ નિઃશંક છે."
ગ્રંથના પ્રારંભથી તે પૂર્ણ થયો ત્યાં સુધીનો ૪૧ વર્ષનો ઇતિહાસ એટલે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મ.સા.ની સંશોધન નિષ્ઠા અને ભગીરથ પુરુષાર્થનો ઇતિહાસ એક કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
સંયમ જીવનયાત્રા
૭૪ વર્ષના પોતાના દીક્ષાજીવન દરમિયાન હજારો કિલોમીટરનો પાદવિહાર કર્યો. બદ્રિનાથથી સમેતશિખરજીનો સેંકડો કિલોમીટરનો અવિસ્મરણીય વિહાર કર્યો અને નવ વખત તો સમેતશિખરજીની યાત્રા કરી. તેમ જ પાલિતાણામાં જેટલો સમય સ્થિરતા હોય તેટલા દિવસો અચૂક પગપાળા જાત્રા કરતા, જીવનની પ્રત્યેક પળ જિનશાસન અને પ્રાચીન જૈન સાહિત્યને સમર્પિત કરી. હિમાલયમાં બદ્રિકૈા૨ ૫૨ પૂજ્યશ્રીએ જિન મંદિરની પ્રતિષ્ઠા કરી અને પત્ર રૂપે લખાયેલું તેમનું મારી હિમાલયની પદયાત્રા' પુસ્તક પત્ર-પ્રવાસસાહિત્ય જગતનું અણમોલ નજરાણું છે. જાપાન, ઈંગ્લેન્ડ જર્મનીમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રો વિશે સંશોધનકાર્ય કરનારા વિદ્વાનો અને સંશોધક વ્યક્તિઓ એમની પાસે આવતા અને દિવસોના
શ્રુતવારિધિ મુનિ શ્રી જમ્બવિજયજી મહારાજ + ૫૭૧
Page #621
--------------------------------------------------------------------------
________________
દિવસો સુધી એમની સાથે રહીને એમના પાંડિત્ય અને પાવનકારી વ્યક્તિત્વ બંનેનો અનુભવ કરતા. જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ વિશે કોઈ વિદ્વાનને અભ્યાસ કે સંશોધન કરવું હોય કે પછી સંસ્કૃત કે પાલી ભાષાના વિષયમાં વધુ અભ્યાસ કરવો હોય તો તેઓ મુનિરાજશ્રી જંબૂતિયજી પાસે દોડી જતા.
મુનિરાજ શ્રી જંબૂવિજયજીએ સંશોધન યાત્રાને એક વધુ ઊંચા સોપાને પહોંચાડી. ‘અનુયોગદ્વાર’' સૂત્ર જેવા આગમોને `લવાની ચાવી સમો ગ્રંથ એમણે આપ્યો, તો હરિભદ્રસૂરિની કૃતિ ધર્મબિંદુ'નું સંપાદન કર્યું. કણાદના વૈશેષિક સૂત્રોના અર્વાચીન પાઠ સામે તેમણે પ્રાચીન પાઠો શોધી આપ્યા. સંશોધન માટેનો શ્રમ, ચીવટ, ખંત એ બધું તો હતું, પરંતુ એમની પાસે એક ત્રીજી આંખ હતી જે સંશોધન સમયે મૂળ ગ્રંથના મર્મને કે એની ખૂટતી કડીને ઉજાગર કરી આપતી. હેમચંદ્રાચાર્યના યશસ્વી શિષ્યો પૂ. રામચંદ્રસૂરિજી અને પૂ. ગુણચંદ્રસૂરિજીએ નાટકક્ષેત્રે અને દાર્શનિકક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું જે દ્રવ્યાલંકાર ટીકા સહિત મુનિશ્રી જંબૂવિજયજીએ આપ્યું. એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવનની છેલ્લી કૃતિ ગણાતી યોગશાસ્ત્ર'નું મુનિરાજશ્રી જંબૂતિજયજીએ કરેલું સંપાદન એક નવી ભાત ધરાવે છે. એમના ગ્રંથો મુંબઈનાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન આગમ ગ્રંથમાળા સિરિઝ દ્વારા અને દિલ્હીની ‘શ્રી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટે’ વિશેષપણે પ્રકાશિત કર્યાં. પ્રાચીન ગ્રંથોનું એમનું સંપાદન કાર્ય પચીસ હજારથી વધુ પૃષ્ઠોમાં પથરાયેલું છે.
જ્યારે તેઓશ્રીને તા. ૧૫-૧૧-૦૫ના રોજ હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડથી સન્માનિત કરાયેલા ત્યારે સમાપનના સમયે અંતમાં પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ જણાવ્યું કે, ‘હું ખરેખર નાનો માણસ છું, બધા મારી પ્રશંસા કરે તેને હું અટકાવી શકતો નથી. પણ ભગવાનને એટલું જ કહું છું કે તેઓએ મારા માટે જે કહ્યું છે તેને પાત્ર હું બનું. પૂ. માતા-પિતા, ગુરુ મહારાજ અને ભગવાનની કૃપાથી જ હું ધન્ય બન્યો છું. મારા ઉપર મારા ગુરુ મહારાજનો જે અત્યંત ઉપકાર છે તેની તો હું કલ્પના પણ કરી શકતો નથી. હું હજી બીજા પચાસ વર્ષ જીવું તોપણ કામ પૂર્ણ થાય તેમ નથી. વધુમાં વધુ કામ પૂર્ણ કરી શકું એવી શુભેચ્છા તમારી પાસે માંગુ છું.’
પ્રાચીન જૈન સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો જૈન સમાજને, બધા અભ્યાસીઓ અને વિદ્વાનોને જૈન ધર્મનો વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે, આ હેતુથી પ્રાચીન જૈન સાહિત્યનું સંશોધન અને પ્રકાશન અત્યંત જરૂરી બન્યું હતું. મુનિશ્રી જંબૂતિયજી મહારાજ સાહેબે આ દિશામાં ઘણું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. પુણ્યવિજ્યજીએ આરંભેલી યાત્રાને મુનિશ્રી જંબૂવિજયજીએ આગળ ધપાવી. જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, પૂના, વડોદરા વગેરે સ્થળોએ સંગ્રહાયેલા ગ્રંથો જે અસ્તવ્યસ્ત થઈ ગયેલા તેનું ખંતથી અને અતિ પરિશ્રમપૂર્વક આધુનિક ઢબે સૂચિપત્રો પ્રગટ કરાવી ઊંડી
૫૭૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #622
--------------------------------------------------------------------------
________________
સૂઝથી અને અભ્યાસપૂર્વક સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિથી સંશોધન કર્યું હતું. અને તેના સંરક્ષણ માટે મહત્ત્વના ગ્રંથોની તેમ જ હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ અને ઝેરોક્ષ દ્વારા ‘સીડી’ તથા ‘ડીવીડી’ કરાવી હતી..
આમ વિદ્વાનોને, સંશોધકોને પ્રાચીન વારસો સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કાર્ય ન કેવળ જૈનપરંપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય-પરંપરા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયોગી છે.'
સુપ્રસિદ્ધ સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ નોંધ્યું છે કે તેઓ એમના હસ્તાક્ષર કરતા ત્યારે જૈન મુનિ જંબૂવિજ્ય' એમ લખતા. પદ કે પ્રસિદ્ધિ એમને સ્પર્શી શકે તેમ નહોતા અને તેથી અનેક સંઘોએ એમને ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવી આપવા માટે આગ્રહ કર્યો, છતાં એમણે એનો સતત ઇન્કાર કર્યો હતો. વિદુષી સાહિત્યકાર માલતીબહેનનું અવલોકન જણાવે છે કે મુનિશ્રી જંબૂવિજ્યજી” કહેતા મુનિ' શબ્દ તેમના માટે વિશેષ ન રહેતા ‘વિશેષ્ય' બની શકે. ‘મુનિ કોણ' અથવા મુનિ કોને કહેવાય' તેનો આદર્શ એટલે પૂ. મુનિશ્રી જંબુવિજ્યજી મહારાજ સાહેબ. ‘મુનિ’ પદને ગૌરવ બક્ષે એવા અણગાર એટલે પૂ. જંબૂતિયજી મહારાજ સાહેબ
જંબૂતિયજીના અંતરના ઉદ્ગાર
શ્રમણપરંપરાને એઓ હંમેશાં કહેતા “ભૂતકાળમાં સ્વાધ્યાય એ સાધુ-સાધ્વી સંઘનો પ્રાણ હતો. એ સ્વાધ્યાયરુચિ ફરીથી પ્રગટ કરવાની ખાસ જરૂરી છે, આ યુગમાં તે દુર્લભ, દુર્લભતર, દુર્લભતમ છે. ગ્રંથોની કોપીઓ પણ ફોટા રૂપે અથવા ઝેરોક્ષ આદિ રૂપે મળવાની – મેળવવાની અનુકૂળતા નિર્માણ થયેલી હોવાથી જો ખરેખર તીવ્ર અધ્યયનની રુચિ જાગે તો વ્યાપક અને ગંભીર અધ્યયનમાં ઘણી સરળતા નિર્માણ થયેલી જણાશે. જેમજેમ સ્વાધ્યાય વધશે તેમતેમ જીવનમાં ઘણા ઘણા દોષોનું પ્રમાર્જન તથા નિવારણ થશે. તેમ જ સાધુજીવન એ ખરેખર દિવ્યાતિદિવ્ય છે' એવો અનુભવ અને અપૂર્વ આસ્વાદ સાધુજીવનમાં પ્રાપ્ત થશે તેમ જ સાધુ-સંતો દ્વારા શાસનની પણ મહાન પ્રભાવના થશે.”
જિન શાસનના શ્રાવકો માટે એમની ભલામણ હતી કે શ્રાવકસંઘમાં પણ સ્વાધ્યાય રુચિ પ્રગટ કરવાની અત્યંત જરૂર છે. શ્રાવકસંઘમાં સાચા અર્થમાં સ્વાધ્યાય રુચિ પ્રગટ થશે તો જે-જે અનુષ્ઠાનો અત્યારે સંઘમાં ચાલી રહ્યા છે તેમાં ખરેખર પ્રાણ પુરાશે તેમ જ તે-તે અનુષ્ઠાનોમાં તથા જીવનમાં જે કંઈ જડતા તથા અવિધિ આવી ગઈ છે તે પણ ખરેખર દૂર થશે, તેમ જ જૈન શાસનની સાચી ઉન્નતિમાં તથા સાચી પ્રભાવનામાં સાચો ફાળો આપવાનું શ્રેય શ્રાવકસંઘને પ્રાપ્ત થશે.° પ્રાચીન સાહિત્યના સંશોધનનાં સંદર્ભમાં પૂજ્ય પુણ્યવિજયજી પ્રત્યે પોતાના
શ્રુતવારિધિ મુનિ શ્રી જમ્બવિજયજી મહારાજ + ૫૭૩
Page #623
--------------------------------------------------------------------------
________________
મનોભાવો દર્શાવતા તેમણે કહ્યું હતું: “પૂ. પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય આગમપ્રભાકર પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજે પાટણમાં સતત અઢાર વર્ષ રહીને તાડપત્ર ઉપર તથા કાગળ ઉપર લખેલા સેંકડો હજારો હસ્તલિખિત આદર્શોને વ્યવસ્થિત કર્યા તેનું સૂચિપત્ર (લિસ્ટ) બનાવીને આ ગ્રંથો સુલભ કર્યાં છે. જેસલમે૨ જઈને ઘણાં કષ્ટો વેઠીને ૧૬ મહિના રહીને ત્યાંના ભંડારને પણ વ્યવસ્થિત કરીને સુચિપત્ર (લિસ્ટ) બનાવીને એ ગ્રંથોની પણ જાણકારી આપણને આપી. હવે આ ગ્રંથોનો ઉપયોગ કરીને હજારો શુદ્ધ પાઠ પ્રકાશમાં લાવવાની આજના સંશોધકોની ફરજ છે. જોકે આ ગ્રંથો મેળવવામાં પણ અવરોધો ઘણા છે. છતાં એનો ઉપયોગ થશે તો જ ઘણાઘણા શુદ્ધ પાઠો પ્રકાશમાં આવશે આ નિશ્ચિત હકીકત છે. પ્રાચીન ગ્રંથો મળ્યા પછી પણ એનો ઉપયોગ કેમ કરવો એ માટે ખૂબ ધીરજ અને ઊંડા તથા વિશાળ અનુભવની જરૂર પડે છે.
“હસ્તલિખિત ગ્રંથોમાં આદિથી સળંગ લખાણ જ હોય છે. જુદા જુદા પેરેગ્રાફ જેવું કંઈ હોતું જ નથી. સામાન્ય રીતે પદચ્છેદ તથા અલ્પવિરામ આદિ વિરામ ચિહ્નો પણ હોતા નથી. કોઈક ગ્રંથમાં હોય તો તે પણ તેની રીતે હોય છે. બહુ વિશ્વાસ રાખી શકાય નહિ. વળી પહેલા ડિમાત્રા (પૃષ્ઠમાત્રા)માં ગ્રંથો લખાતા હતા. એટલે ડિમાત્રા વાંચવામાં ભૂલો થતી હતી. એટલે લહિયા લખવામાં ભૂલો કરી બેસે એટલે હસ્તલિખિતમાંથી મુદ્રણયુગ શરૂ થયો, ત્યારે લાખો પદોને ક્યાં છૂટાં પાડવાં તથા ક્યાં ક્યાં અલ્પવિરામ આદિ વિરામ ચિહ્નો મૂકવાં એ મોટો વિકટ પ્રશ્ન હતો. તે સમયનાં સંપાદક-સંશોધકોને કેટલો બૌદ્ધિક તથા શારીરિક શ્રમ પડ્યો હશે તેની આપણે કલ્પના પણ કરી શકીએ નહિ. આવા અપ્રમત જ્ઞાનયોગી મહાપુરુષોએ કરેલી વ્રુતસેવાના આપણે સૌ ઋણી છીએ.
“પુણ્યવિજ્યજી મહારાજે અનેક ગ્રંથોના પાઠભેદો લઈને રાખેલા છે. સટીક બૃહત્કલ્પસૂત્રના છ ભાગો સંશોધિત કરીને એમણે પ્રકાશિત કર્યા ત્યારથી સંશોધન માટેનો એમનો મતિવૈભવ પ્રકાશમાં આવ્યો. સંશોધન યુગના આદ્યપ્રવર્તક તરીકે તેમનું નામ અમર રહેશે. ‘દ્વાદસાર નયચક્ર'ના સંશોધન-સંપાદન દ્વારા સંશોધન ક્ષેત્રમાં મને લાવનાર અને એ રીતે મારા વિશિષ્ટ ઉપકારી વર્તમાન સંશોધન યુગના આદ્યપ્રવર્તક આગમ પ્રભાકર પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજને કોટિશઃ વંદન અને અભિનંદન.
૧૧
પૂજ્ય મુનિશ્રી જંબૂવિજ્યજી મહારાજે સંશોધિતસંપાદિત કરેલા ગ્રંથોની સંખ્યા ૩૦ જેટલી છે. જેમાં આગમ સાહિત્યના ૧૧, દાર્શનિક સાહિત્યના ૫, વ્યાકરણ સાહિત્યના ૩, ધર્મ આચાર સાહિત્યના ૫, સૂચિપત્ર કેટલોગ-૩ (પાટણ કેટલોગના ૪ ભાગ છે), પ્રાચીન મંત્ર સાહિત્યના ૨, આ ઉપરાંત સ્તવનો-ગહુલી તથા હિમાલયની પદયાત્રા (પત્ર સાહિત્ય) પુસ્તકો એમણે લખ્યા છે. એમના પ્રવચનોના અંશો ગુરુવાણી શીર્ષકથી (ભાગ ૧થી ૪) પ્રકાશિત થયા છે. ૫૭૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધો
Page #624
--------------------------------------------------------------------------
________________
અલગારી ઓલિયા જેવું વ્યક્તિત્વ
પૂજ્ય જંબૂવિજયજી મહારાજના સંશોધન ક્ષેત્રે પ્રદાનને અભિનંદવા માટે શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ અમદાવાદના ૭મા વોલ્યુમ રૂપે સને ૨૦૦૪માં Munivar Jambuvijay Festschrift નામે ૪૩૬ પાનાનો એક દળદાર ગ્રંથ સુપ્રસિદ્ધ જૈન સ્કોલર અને સંશોધક પ્રો. એમ. એ. ઢાંકી અને ડો. જિતેન્દ્ર શાહના સંપાદન હેઠળ પ્રગટ થયો છે. આ ગ્રંથમાં ભારત તથા પરદેશના ૧૯ જેટલા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન વિવેચક સ્કોલરોનાં જુદા જુદા જૈન વિષયો પર અધ્યયનપૂર્ણ આલેખો સંગૃહીત છે. અફસોસ એટલો જ કે પૂ. જંબૂવિજયજી મહારાજની સખતાઈથી ના પાડવાના કારણે એ ગ્રંથમાં એમના વિશે કોઈ આલેખ કે વિશેષ ઉલ્લેખ નથી.
એમના પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવતા જેસલમેરના રાજેન્દ્ર કે. ચોરડીયાએ હિંદી ભાષામાં શ્રી ગુરુ ઈકતીસાની રચના કરી છે જેમાં ૩૧ કડી-ગાથામાં બૂવિજયજી મહારાજના ગુણો ગાયા છે. એમની અલિપ્તતા વિશે વાત કરતા એમના સુવિનીત શિષ્ય પંન્યાસ શ્રી પુંડરીકવિજયજી જણાવે છે કે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ એવું કે ગમે તેટલા વર્ષોની મહેનત હોય, ગમે તેટલો તે ગ્રંથ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવે તેવો હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો હોય તો પણ તેના વિમોચન માટે તેમણે ક્યારેય સમારંભ ગોઠવી વિદ્વાનોને ભેગા કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. તેઓ એક જ વાત કરતા કે ગ્રંથ તૈયાર થઈ છપાઈને આવે એટલે દેરાસરમાં જઈ મૂળનાયક ભગવાનના ખોળામાં મૂકી દેવાનો એટલે વિમોચન થઈ ગયું. વિમોચન શબ્દનો મૂળ અર્થ પણ મૂકવું એવો જ થાય છે."
એઓ દિગંબર જૈન મંદિરમાં જતા અને ભક્તિ કરતાં. એમને ક્યારેય મનમાં પણ નહિ આવ્યું કે આ આપણું દેરાસર નથી. તેઓ અમને કહેતા કે બાપાની આંખો ખૂલી હોય તોપણ તે બાપા જ છે. અન્ય દેવી-દેવતાના સ્થાનો પાસેથી પસાર થતા હોય ત્યારે પણ આ પરમાત્માની જ શક્તિનો અંશ છે એમ માની તેના પ્રત્યેના ઔચિત્યને ક્યારે પણ ચૂકતા નહીં. જીવનયાત્રાના પડાવ
મુનિશ્રી જંબૂવિજયજી મહારાજના શિષ્યોમાં સહુ પ્રથમ શિષ્ય વિ. સં. ૨૦૧૬માં મુનિશ્રી દેવભદ્રવિજયજી બન્યા તથા અંતિમ શિષ્ય તરીકે બાલમુનિ કીર્તિધર્મવિજયજીની દીક્ષા વિ.સં. ૨૦૬૪ ચૈત્ર વદ-૫ના થઈ.
એમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા ૮ છે. જેમાં ૩નો કાળધર્મ થતા એમના ૫ પ્રશિષ્યો જેમાં મુખ્ય પંન્યાસપ્રવર પુંડરિકરત્નવિજયજી મ. છે, એ સહુ મુનિશ્રી જબૂવિજયજી મહારાજના જીવન-સ્વપ્નને સાકાર કરવા, સંશોધનના કાર્યને આગળ વધારવાની સાથે પોતાની આંતર સાધનામાં પણ ઓતપ્રોત છે. પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે ૭૨ વરસના દીક્ષા પર્યાયમાં કુલે
શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ પ૭પ
Page #625
--------------------------------------------------------------------------
________________
૭ર ચાતુર્માસમાં એમણે ગુજરાતમાં પ૩, મહારાષ્ટ્રમાં ૯, રાજસ્થાનમાં ૫, ઉત્તરાંચલમાં ર, ઝારખંડમાં ૧, મધ્યપ્રદેશમાં ૧, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧, આ પ્રમાણે ચાતુર્માસ કર્યા હતા. ગુજરાતમાં કરેલા ચાતુર્માસોમાં અમદાવાદમાં ૫, પાલીતાણામાં ૫, ઝીંઝુવાડામાં ૪, આદરિયાણામાં ૩, માંડલમાં ૩, લોલાડામાં ર, છાણીમાં ૨, ભુજમાં ૨, માંડવીમાં ૨, આસંબિયા ૨, કોડાયમાં ર આ ઉપરાંત નાકોડાતીર્થ ખાતે ૨ ચાતુર્માસ તથા અન્ય સ્થળોએ ૧-૧ ચાતુર્માસ કર્યા હતા.
વિવિધ ભાષાઓના જ્ઞાતા તરીકે જાણીતા મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ માટે સંશોધનની પ્રક્રિયા સ્વશોધન અને સ્વબોધનની મંજિલ સુધી પહોંચાડનારી પગદંડી હતી તે માટે જ એઓ ક્યારેય લોકેષણા કે વિક્વેષણાના વમળમાં તણાયા ન હતા.
પરમાત્મા સાથેની એમની પ્રીતિ પ્રતીતિની પરિચાયક હતી. એમણે જીવદયાનાં કાર્યો દ્વારા મૂંગાં-અબોલ જીવોને શાતા – શીતળતા આપી. જિનવાણીના બહુમૂલ્ય પ્રાચીન વારસાને સંરક્ષણ અને સંવર્ધન પ્રદાન કર્યું. હજારો માઈલોની વિહારયાત્રા કરીને નાનાથી મોટા સહુને વિશાળતા, ઉદારતા અને પ્રેમાળતાનો પરિચય કરાવ્યો. સહુજન સુખાય, બહુજન હિતાય એમનું ઉમદા અને ઉન્નત જીવન પણ વિ.સં. ૨૦૬૬, કારતક વદ-૧૧, ૧૨-૧૧-૨૦૦૯ના નાકોડા (રાજ.) શ્રી જેસલમેર તરફ વિહાર કરતા બાયડુ ગામ પાસે વાહન દ્વારા અકસ્માતનો ભોગ બનીને સંકેલાઈ ગયું. આપણી પાસે એમની સ્મૃતિઓ શેષ બચી છે. આપણી વચ્ચે એમની કૃતિઓ સચવાઈ છે.
અંતમાં અતિ મહત્ત્વની અને ગંભીર વાતઃ પૂજ્યશ્રી જંબૂવિજયજી મહારાજે ૧૩-૪-૧૯૮૮ના રોજ ઘદાના ધામ પાલિતાણા ખાતે પોતાના શિષ્યો ઉપરના ભલામણ પત્રમાં લખ્યું હતું કે મારી પાછળ કોઈ મૂર્તિ, પાદુકા, જીવનચરિત્ર આદિ કરાવશો નહિ – લખાવશો નહિ. સંસારની સંસારના ભયંકર વિષયોની કલેશકારકતા જોઈને મને કશામાં રસ રહ્યો નથી. મોક્ષમાં અને આદીશ્વર દાદા તથા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સેવામાં લીન થવાની જ હવે મને ભાવના બળવાન બની છે." મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા સંશોધિત-સંપાદિત ગ્રંથો. ૧. દ્વાદસાર નયચક્ર ભાગ ૧-૨-૩ ૨. આચારાંગસૂત્ર મૂલમાત્ર ૩. સૂત્રકૃતાંગસૂત્ર મૂલમાત્ર ૪. સ્થાનાંગ તથા સમવાયાંગસૂત્ર મૂલમાત્ર ૫. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂલમાત્ર ૬. અનુયોગદ્વાર સૂત્ર ચૂર્ણિ, હરિભદ્રી વૃત્તિ તથા મલધારી હેમચંદ્રસૂરિ વિરચિત
વૃત્તિ સહિત ભાગ ૧-૨ ૭. સ્થાનાંગસૂત્ર અભયદેવસૂરિ વિરચિત વૃત્તિ સહિત, ભાગ ૧-૨-૩ ૫૭૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #626
--------------------------------------------------------------------------
________________
૮. સમવાયાંગસૂત્ર અભયદેવસૂરિવિરચિતવૃત્તિ સહિત ૯. દ્રવ્યાલંકાર સ્વોપજ્ઞટીકા સહિત ૧૦. ન્યાયપ્રવેશક (બૌદ્ધાચાર્ય દિંગ્ગાગ પ્રણીત) ૧૧. સર્વસિદ્ધાંતપ્રવેશક ૧૨. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ભાગ ૧-૨-૩ ૧૩. પાટણના જુદાજુદા ભંડારોના હસ્તલિખિત ગ્રંથોનું સૂચિપત્ર ભાગ ૧-૨-૩-૪ ૧૪. જૈસલમેરના ભંડારનું સૂચિપત્ર ૧૫. ધર્મબિંદુ (કર્તા-હરિભદ્રસૂરિ) મુનિચંદ્રસૂરિવિરચિત ટીકા સહિત ૧૬. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન-લઘુવૃત્તિ ૧૭. સિદ્ધહેમચંદ્રશબ્દનુશાસન-લઘુવૃત્તિ ૧૮. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન રહસ્યવૃત્તિ ૧૯. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન (મૂલસૂત્રો અકારાદિકમ યુક્ત) ૨૦. વૈશેષિકસૂત્ર – ચન્દ્રાનન્દચિત્તવૃત્તિ સહિત ૨૧. ઉપદેશમાલા-હેયોપાદેયા ટીકાસહિત ૨૨. સ્થાનાંગસૂત્ર સટીક ભાગ ૧-૨-૩ ૨૩. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ભાગ ૧-૨-૩ ૨૪. ઠાણાંગસમવાયાંગસૂત્તમ ચ (શીલાંકાચાર્યકત ટીકોપેત) ૨૫. આચારાંગસૂત્રકૃતાંગસૂત્ર સટીક ૨૬. આચારાંગસૂત્ર (શીલાચાર્યકત વૃત્તિયુક્ત પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ચાર
અધ્યયન પર્યત). ૨૭. પંચસૂત્ર સટીક ૨૮. ગફુલી સંગ્રહ ૨૯. સૂરિમંત્રકલ્પસમુચ્ચય ભાગ ૧-૨ ૩૦. સ્ત્રીનિવણકેવલી ભક્તિ પ્રકરણે ૩૧. જેસલમેર કેટલોગ (મૂળકર્તા સી. ડી. દલાલ, રિપ્રીન્ટ) ૩૨. શ્રી સિદ્ધિભુવન પ્રાચીન સ્તવનસંગ્રહ ૩૩. ગુરુવાણી પ્રવચનોનો સંગ્રહ ભાગ ૧-૨-૩-૪) ૩૪. હિમાલયની પદયાત્રા પત્રોનો સંગ્રહ) પાદનોંધ
8 ભ્રષ્ણ ગ્રાશ 999 ૨. મૂલાચાર, વટ્ટકેર સ્વામી, ગાથા ૫ ૩. દ્વાદસાર નયચક્ર અંગે ડૉ. જિતેન્દ્ર શાહનો લેખ. ૪. શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ ૧૦૭નો અંક ડિસે. ૨૦૧૦ ૫. એજન
શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ + પ૭૭
Page #627
--------------------------------------------------------------------------
________________
૬. એજન ૭. કુમારપાળ દેસાઈનો આલેખ [શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ષ ૧૦શ્નો અંક,
ડિસે. ૨૦૧૦). ૮. ડૉ. માલતી શાહનો આલેખ (શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ષ ૧૦૭નો અંક,
ડિસે. ૨૦૧૦). ૯. શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ષ ૧૦શ્નો અંક, ડિસે. ૨૦૧૦ ૧૦. શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ષ ૧૦૭નો અંક, ડિસે. ૨૦૧૦ ૧૧. શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ષ ૧૦૭નો અંક, ડિસે. ૨૦૧૦ 92. Jambu-jyoti volum published by Shreshthi Kasturbhai lalbhai
smarak nidhi Ahmedabad ૧૩. ગુરુ ગુણ ઈકતીસા શ્રી રાજેન્દ્ર કે. જૈન દ્વારા પ્રકાશિત) ૧૪. જૈન પરંપરાના અદ્વિતીય શ્રત સ્થવિર મુનિ જંબૂવિજયજી હીના દોશીના શોધ
નિબંધમાંથી). ૧૫. પૂજ્ય જંબૂવિજયજીના લખાણમાંથી
પૂર્ણિમાબહેન મહેતા
C/o ગૂજરાત વિદ્યાપીઠ જૈન અધ્યયન કેન્દ્ર, આશ્રમ રોડ, અમદાવાદ
મો. 942707432
૧૮ • ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #628
--------------------------------------------------------------------------
________________
- પ્રો. નગીનદાસ જીવણલાલ શાહ –
(સને ૧૯૩૧-૨૦૧૮)
– ૩ સંકલિત -
--
ખૂબ ઊંડી સંશોધનવૃત્તિ ધરાવનાર, વિદ્વાન ડૉ. નગીનદાસભાઈનો ટૂંક પરિચય અત્રે નાની પુસ્તિકાને આધારે સંકલિત કરીને રજૂ કરવામાં આવ્યો છે. – સં.)
ભારતીયદર્શન, જૈનવિદ્યા અને સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રાધ્યાપક ડો. નગીનદાસ જીવણલાલ શાહનો જન્મ ૧૩મી જાન્યુઆરી સન ૧૯૩૧ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે થયો હતો. પૂજ્ય માણેકમુનિ સંસ્થાપિત વટવા જૈન આશ્રમમાં રહી વટવા શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને તે પછી શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહી એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી અમદાવાદ સ્થિત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી બી.એ. અને એમ.એ. નો અભ્યાસ કર્યો. ગુજરાત કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની મુખ્ય વિષય સંસ્કૃત સાથેની પરીક્ષા આપી જેમાં પ્રથમ વર્ગમાં આખી યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવ્યો. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ફેલો' તરીકે નિમાયા. ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા અને સંસ્કૃતમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ યુનિવર્સિટીનું એમ. એલ. પ્રાઈઝ મેળવ્યું. ૧૯૫૮માં જામનગરની સરકારી ડી. કે. વી. કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે તેઓ નિમાયા. સંસ્કૃતમાં પીએચ.ડી. કરવા માટે તેમણે સરકારી વ્યાખ્યાતાની નોકરી છોડી અને લા. દ. વિદ્યામંદિરમાં જોડાયા. ત્યાં તેમની રિસર્ચ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી. ભારતીય તત્ત્વજ્ઞાનના ઊંડા અને સંનિષ્ઠ વિદ્વાન તેમજ મહાન ચિંતક પંડિતશ્રી સુખલાલજીના માર્ગદર્શન હેઠળ તેમણે લખેલો અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખેલો મહાનિબંધ – Akalanka's Criticism of Dharmkirti's Philosophy ૧૯૬૭માં પ્રકાશિત થયો. તેને હાજીએ નાકામુરા, ડગ્લાસ દયે, સાતકોડિ મુકર્જી જેવા આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ પ્રશંસાપૂર્વક આવકાર્યો અને દેશ-વિદેશના રિસર્ચ જર્નલોમાં તેની સમીક્ષાઓ પ્રગટ થઈ. હાજીમે નાકામુરાએ લખ્યું: The authors achievements are wonderful and successful in many respects. Hithertofore, jain logic
પ્રો. નગીનદાસ જીવણલાલ શાહ
Page #629
--------------------------------------------------------------------------
________________
has been a field which non indian scholars have approached very seldom, inspite of copiousness and voluminousness of its literature, and in this respect I would say the author has made a remarkable contribution. This work has opened a gate to philosophical understanding which is essential to the history of ideas. ફિલોસોફી ઈસ્ટ એન્ડ વેસ્ટ, વોલ્યુમ ૨૬, નં. ૪માં લખ્યું: The book is obviously a 'must for any one interested in the Jaina logicians, it is also of particular value for anyone interested in the Buddhist logicians from a rather novel point of view largely ignored in twentieth-century scolarship. The reader will find a wealth of information and a wide-ranging summary of many fascinating problems of Indian philosophy.
1. આ પછી તેઓ આ જ લા.દ. વિદ્યામંદિરમાં અધ્યક્ષ બન્યા. પરંતુ સંશોધનકાર્યને સંપૂર્ણપણે ન્યાય આપવા માટે તેમણે સન ૧૯૮૪માં અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું. તેમણે પોતાનું સમગ્ર જીવન ભારતીય તત્ત્વજ્ઞાનના સંશોધનાર્થે સમર્પિત કરી દીધું. સન ૧૯૯૧માં તેઓ આ વિદ્યામંદિરમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી તેમણે સ્વતંત્રપણે પોતાની સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળા શરૂ કરી. પોતાની બચતમાંથી ખર્ચ કરી આ ગ્રંથમાળામાં તેમણે પોતે લખેલા અગિયાર ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કર્યા જે આ પ્રમાણે છે. અંગ્રેજી ભાષામાં Essay in Indian philosophy; Samantabhadra's Aptamimamsa - Critique of an Authority, A study of Jayanta Bhatta's Nyayamanjari, A Mature Sanskrit Work on Indian Logic (in three parts). તેમના ગુજરાતી ગ્રંથો આ પ્રમાણે છે – સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, ભારતીય તત્ત્વજ્ઞાન – કેટલીક સમસ્યા, શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર, બૌદ્ધધર્મદર્શન. વળી મુનિશ્રી ન્યાયવિજયજીના પ્રસિદ્ધ મહત્ત્વપૂર્ણ દળદાર ગુજરાતી ગ્રંથ જૈનદર્શનનો તેમણે અંગ્રેજી ભાષામાં ઉત્તમ અનુવાદ કર્યો છે. જેનું અંગ્રેજી શીર્ષક છે Jaina Philosophy and Religion આ ઉપરાંત તેમણે પ્રાચીન મૂળ હસ્તપ્રતના આધારે ન્યાયમંજરી ગ્રંથિભંગનું સંપાદન પણ કર્યું છે. અમદાવાદમાં આવેલ ભો. જે. વિદ્યાભવનના ઉપક્રમે તેમણે જૈનદર્શનમાં શ્રદ્ધા, મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના અંગેના ત્રણ ઉત્કૃષ્ટ વ્યાખ્યાનો આપ્યા હતા, જે હિંદી ભાષામાં પ્રકાશિત થયા છે. શીર્ષક છેઃ મૈનદર્શન મેં શ્રદ્ધા (સદ્દર્શન), મતિજ્ઞાન - વિજ્ઞાન છ વિમવિના. મ.મ. વિધુશેખર ભટ્ટાચાર્યના અંગ્રેજી પુસ્તક Basic conception of Buddhismનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ બૌદ્ધ ધર્મદર્શનની પાયાની વિભાવના નામે પ્રકાશિત થયો છે. વળી તેમણે પ્રોફેસર હોબફાસના વિદ્વત્તાપૂર્ણ
૫૮૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #630
--------------------------------------------------------------------------
________________
અને માહિતીસભર મહત્ત્વના પુસ્તક India and Europe: An Essay in Philosophical Understanding'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તદુપરાંત તેમણે બે મહત્ત્વના ગ્રંથોનું પણ સંપાદન કર્યું છેઃ (૧) Jaina Theory of Mutiple Facets of Reality and Truth. (2) Ac Hemchandra's Pramanamimamsa - A Critique of Organ of knowledge, A Work of Jaina Logic.
તેમણે કરેલા સંશોધન-સંપાદન કાર્યોને દેશની ઉત્તમ સંસ્થાઓ દ્વારા અને પારિતોષિક દ્વારા સન્માનવામાં આવ્યા છે.
Pre-eminent Sanskrit Scholar Award (૧૯૯૬) of Gujarat state Sanskrit Sahitya Academy. Research Prize by Sardar Patel University. Siddhasen Divakara Gold Medal for contribution to Indian and Jaina Philosophy. Hemchandra Achary Gold Medal and Award (B. L. Institute) of Rs. 51,000 for his contribution to jain Philosophy by writing excellent works.
આ ઉપરાંત તેમના જીવનનું એક બીજું પાસુ જોઈએ તો તેઓ વિદ્યાપ્રેમી હતા. તેમને અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું ખૂબ જ ગમતું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સાત તેજસ્વી વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી માટે સંશોધનકાર્ય કર્યું હતું.
તેમનું વ્યક્તિત્વ અસાધારણ હતું. તેમને મોટી મોટી વાતો કરવામાં અને ખોટી દેખાડાવૃત્તિમાં જરાય રસ ન હતો. તેઓ જૂથમાં અને જાહેરમાં ચર્ચા કરવાનું ટાળતા હતા. પરંતુ જો કોઈ જિજ્ઞાસુ તેમની પાસે કોઈ વિષય અંગે સમજવા કે ચર્ચા કરવા આવે તો તેને સંતોષ ન થાય ત્યાં સુધી ચર્ચા કરવા ઉત્સુક રહેતા હતા. તેમને ભારતના અનેક રાજ્યોમાંથી તેમજ અન્ય જુદાજુદા દેશોમાંથી સેમિનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેમજ વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવતા હતા, પરંતુ તેમણે આમાં ભાગ લેવાને બદલે અધ્યયન-અધ્યાપન-સંશોધન અને સંપાદન કાર્યમાં જ તલ્લીન રહેવાનું પસંદ કર્યું હતું, જેને કારણે આજે આપણને અનેક ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે. શાંત ચિત્તે, મુક્ત મને વાંચવું, વિચારવું અને લેખનકાર્ય કરવું એ જ એમનો જીવનમંત્ર હતો. તેઓ કર્મનિષ્ઠ હતા. તેમણે જીવનના અંતકાળે માંદગીમાં હોવા છતાં બે દુર્લભ અને અમૂલ્ય પુસ્તકોનું કાર્ય પૂર્ણ કર્યું. તેઓ ગાંધીવાદને અનુસર્યા હતા. તેઓ સાદગીભર્યું ઉચ્ચ જીવન જીવ્યા હતા. દરેક વ્યક્તિ પ્રત્યે તેઓ સમભાવ રાખતા હતા. નાનામાં નાની વ્યક્તિને માનથી અને પ્રેમથી આવકારતા હતા. આવું હતું તેમનું પ્રશંસનીય અને ભવ્ય જીવન. (તેમના અવસાન પછી બહાર પડેલ પુસ્તિકાને આધારે.)
પ્રો. નગીનદાસ જીવણલાલ શાહ + ૫૮૧
Page #631
--------------------------------------------------------------------------
________________
आचार्यश्री देवेन्द्रमुनि (एक साहित्यकार)
. हंसाबहेन गाला
સાહિત્ય અને સંશોધનક્ષેત્રે રસ ધરાવનાર શ્રી હંસાબહેન ગાલાએ આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજીના સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરીને આ લેખમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે તેઓના જીવન અને કવનને આવરી લીધું છે. – સં..
जन्म : उदयपुर, सन् १९३१ (संवत् १९८८) पिताजी : जीवनसिंह वरडिया माताश्री : तीजादेवी दीक्षा : वाडमेर - सन् १९४० (संवत् १९९७) आचार्यपद : उदयपुर : १९९३. दिवंगति : सन् १९९९ - विक्रम संवत् २०५५
श्रमणसंघ के तृतीय पट्टधर आचार्य श्री देवेन्द्रमुनि का जन्म मेवाड की राजधानी उदयपुर में विक्रमसंवत् १९८८, कार्तिक कृष्णा त्रयोदशी (धनतेरस) दिनांक आट नवम्बर सन् १९३१ के शुभदिन हुआ था । उनके पूज्य पिताश्री का नाम जीवनसिंह कन्हैयालाल वरडिया था। उनकी माताश्री पू. महासती प्रभावतीजी मूलनाम तीजादेवी था । उनकी वडी वहन पूज्य सार्वाश्री पुष्पवतीजी जिनका मूलनाम सुन्दरी कुमारी था । उनकी माताश्री तथा वहन ये तीनों श्री श्रमणसंघ (स्थानकवासी सम्प्रदाय) में दीक्षित हुए हैं । आचार्यश्री का जन्म धनतेरस को होने के कारण तथा जन्म से ही परिवार में धनधान्य की वृद्धि होने से उनका नाम धन्नालाल रखा गया ।
विक्रम संवत १९९१ की एक घटना है । आचार्यश्री जवाहरलालजी महाराज जो युगप्रभावक महान आचार्य थे, वे उस समय उदयपुर के पंचायती नोहरे में विराजमान थे । आचार्य देवेन्द्रमुनि धार्मिक परिवार से थे । नित्य दर्शन-श्रवण के लिओ उनके दादाश्री आचार्यों के प्रवचन सुनने जाया करते थे, तव बालक धन्नालाल
भी उनके साथ जाया करते थे, यह उनके पारिवारिक संस्कारों व पूर्वजन्म की धर्म सुलभता के कारणवश ही रहा होगा । एक दिन प्रातःकाल प्रार्थना के समय आ. जवाहरलालजी ध्यानपूर्ण करके श्रावकों को मंगलपाट सुना रहे थे, तव वालक धन्नालाल जो उनके दादाश्री के साथ वहाँ पधारे थे, वे व्याख्यान स्थल पर रखे
૫૮૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #632
--------------------------------------------------------------------------
________________
पाट पर जाकर बालक सहजभाव से आरामसे लेट गये । लोगोंने उन्हें उठाने का प्रयास किया । लोग उटकर जैसे मुडे वैसे ही फिर से धन्नालाल पाट पर लेट गये। जैसे कोई ईश्वरीय संकेत क्यों न हो । तव पुनः लोगों के उठाने पर आचार्यश्रीकी दिव्यदृष्टिने वालक की बालक्रीडा देखते ही भावि के शुभ संकेतों को ग्रहण कर लिया और तुरन्त कहा, 'बालक को मत उठाओ ।' तब श्रावकोंने त्वरित प्रश्न किया, 'यह बालक किसका है ? तभी वालक के दादाश्री कन्हैयालजीने खडे होकर उत्तर दिया, 'गुरुदेव ! यह मेरा ही पौत्र है ।' तब आचार्यश्रीने सबके समक्ष उन्हें कहा, 'आपके खानदान में भविष्यमें यदि कोई दीक्षा लेना चाहे तब आप इन्कार मत करना ।' शुरु से ही यह परिवार धार्मिक परिवार रहा । आचार्यश्रीने जो शुभ लक्षण बताये वह इस वालक में मिल रहे थे । 'वह एक दिन परम प्रतापी आचार्य बनेगा ।' वही वालक एक दिन श्रमणसंघका आचार्यसम्राट बना । आचार्यश्री की भविष्यवाणी अक्षरसः सत्य सिद्ध हुई । आचार्य देवेन्द्रमुनि वचपन से ही अत्यंत प्रतिभावंत, चतुर, बुद्धिमान, सरल हृदयी, साहसी, पापभीरू और दृढसंकल्पी थे । उनके व्यवहार से अन्तरमें समाई साधुता के लक्षण स्पष्ट रूप से दिखाई देते थे ।
वालक धन्नालाल जव ६ वर्प का हुआ तव महास्थविर श्री ताराचंदजी महाराज तथा श्री पुष्करमुनिजी महाराज के कमोल ग्राम में दर्शन किये और प्रथम दर्शन में ही वह उनके चरणों में समर्पित हो गए । उनके शुभपुण्य के उदयमान होने के फलस्वरूप उनको दीक्षा लेने के भाव जगे और मन ही मन उनका शिष्य बनने का संकल्प जग उठा । यह संकल्प त्वरित साकार भी हुआ । उनकी नव वर्ष की अवस्था में विक्रम संवत् १९९७ फाल्गुन शुक्ला ३ (तीज) के दिन आचार्यश्रीने खण्डप ग्राम जिला वाडमेर में दीक्षा ग्रहण कर ली और वह धन्नालाल ‘देवेन्द्रमुनि' बन गये ।
उनकी पूज्य माताश्री तीजादेवी धर्मपरायणा और गुणीयल तथा विवेकशील थी । यही संस्कार उनके सुपुत्र वालक धन्नालाल और वालिका सुन्दरी के जीवन में भी विकसित हुए । वहन सुन्दरीने पारिवारिक अवरोधों के वावजूद १२ फरवरी सन् १९३८ को गुरुजीश्री मदनकुंवरजी एवं पूज्य महासती सोहनकुंवरजी के पास भागवती दीक्षा ग्रहण की । उनका दीक्षित नाम सावीरत्न श्री पुष्पवतीजी रखा गया। उनकी माताश्री तीजकुमारीने भी अपने पुत्र धन्नालाल को दीक्षा दिलाने के पश्चात् खुद भी दीक्षा ग्रहण कर ली । उनका नाम महासती प्रभावतीजी रखा गया । उनका जीवन भी अत्यन्त निर्मल, ज्ञानध्यान, वैराग्यमय आदर्श जीवन था । देवेन्द्रमुनिजीने अप्रमत्त भाव से विद्याध्ययन शुरू किया । गुरु के चरणों में विनम्रता से समर्पित देवेन्द्रमुनि संस्कृत, प्राकृत, जैनागम व न्यायदर्शन आदि विविध विद्याओंमें निपुणता प्राप्त करते गये । वीस वर्ष की आयु में ही आचार्यश्री देवेन्द्रमुनिने हिंदी साहित्य की अनेक परीक्षाएँ पास कर ली और वे हिंदी में पद्य और गद्य भी लिखने लगे। गुरुभक्ति से श्रुत की प्राप्ति होती है और समर्पण से विद्या का विस्तार होता है
आचार्यश्री देवेन्द्रमुनि (एक साहित्यकार) + ५८3
Page #633
--------------------------------------------------------------------------
________________
यह बात उनके जीवन में उन्होंने सार्थक कर दिखाई। उनकी विद्या निरन्तर वढते बढते वटवृक्ष बन गई । विद्याध्ययन के साथसाथ ही उन्होंने उपाध्यायश्री पुष्करमुनि के साथ राजस्थान, गुजरात, महाराष्ट्र आदि क्षेत्रों में विहार किये। इन विहारकाल के दरमियान वे कई विद्वानों और प्रभावशाली सन्तों के सम्पर्क में आये और उनके साथ तत्त्वचर्चाएँ करने के सुहाने अवसर उन्हें प्राप्त हुए। धीरे धीरे वे संघसंगठन, समाजसुधार, शिक्षा सेवा आदि से सम्बन्धित शुभ प्रवृत्तियोंमें अग्रणी रूप से भाग लेने लगे । उनकी बौद्धिकता व कौशल्यता के कारण श्रमणसंघ में नवयुवक देवेन्द्रमुनि एक उदीयमान लेखक, संपादक, विचारक और प्रवक्ता के रूप में प्रतिष्टित हुए । उनके प्रवचन तेज और तीखे न थे और न ही तूफान मचानेवाले थे । पर उनके वचन सीमित शब्दो में अधिक भावों को प्रगट करते थे । हजारों की भीड उनके प्रवचन सुनने उमडती थी। सभी वर्ग के लोग उनके प्रवचन में पधारते थे। उनकी प्रतिभा ही ऐसी थी जो जन-जन को उनकी ओर खींच लाती थी ।
उनके दीक्षागुरु उपाध्यायश्री पुष्करमुनिजी के प्रवचनों की पाँच पुस्तकों का सुन्दर संपादन उन्होंने वाईस वर्ष की छोटी उम्र में किया । ३० वर्ष के होते होते ही संघ की साहित्य शिक्षा समाचारी आदि प्रवृत्तियों का मार्गदर्शन व निरीक्षण करने लगे । मा सरस्वती की उन पर असीम कृपा हुई हो ऐसा प्रतीत होता है । पीस्तालीस वर्ष की उम्र में उन्होंने एक वृहदकाय शोधग्रन्थ का निर्माण किया "भगवान महावीर : एक अनुशीलन' इस ग्रन्थ की अनेक विद्वानों व मुनिवरोंन मुक्त कण्ट प्रशंसा की । इसके बाद उनकी लेखनी अविरत गति से चलती ही रही । उन्होंने विविध विषयों पर अनेक शोधग्रन्थ, अभिनन्दन ग्रन्थ, निबंध व प्रवचनों की करीवन ४०० उत्कृष्ट पुस्तकें लिखी और जैनसाहित्य की उत्तम सेवा की। उनके सारे पुस्तक आध्यात्मिक, धार्मिक व सामाजिक पहलूओं को उजागर करनेवाले, धार्मिक रीतिरिवाजों का सामाजिक मूल्य बतानेवाले मूल्यपरक तथा बहुत ही गहन भावार्थ की सरलता से बतानेवाले रहे हैं ।
1
मैंन गुरुभगवंत श्री देवेन्द्रमुनिजी के कभी दर्शन नहीं किये पर उनकी एक एक पुस्तक में वे मेरी नजर समक्ष अलग अलग तस्वीर लिए उभरे हैं । मैंन उन्हें अक्षरदेह से ही जाना है। जैसे जैसे उनके एक एक ग्रंथ में पढती गयी वैसे वैसे उनके प्रति मेरा अहोभाव बढता गया। अभी तो मैं उनकी सारी पुस्तकें नहीं पढ पाई हूँ, फिर भी आज मैं पत्र द्वारा उनके व्यक्तित्व और कृतित्व को आपके समक्ष रखने का साहस कर पाई हूँ ।
भगवान महावीर के अतिरिक्त देवेन्द्रमुनि आचार्यने 'भगवान ऋषभदेव', “भगवान पार्श्वनाथ”, “भगवान अरिष्टनेमि एवं कर्मयोगी श्रीकृष्ण आदि ग्रंथो द्वारा उनके जीवनचरित्र पर प्रभाविक सामग्री प्रस्तुत की है । 'जैनदर्शन : स्वरूप और विश्लेषण' ग्रंथ में उन्होंने समग्र जैनदर्शन का प्रामाणिक व तुलनात्मक अध्ययन
૫૮૪ * ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #634
--------------------------------------------------------------------------
________________
प्रस्तुत किया है । जैन आचार' के दो वृहद् खण्डो में श्रमण एवं श्रावकाचार पर विस्तृत एवं सर्वांगपूर्ण सामग्री दी है । 'जैन आगम साहित्य : मनन और मीमांसा' नामक विशाल ग्रंथ के माध्यम से आगमों की विषय-वस्तु एवं इतिहास का विशद विवरण किया है । 'कर्म विज्ञान' नामक ग्रंथ के नौ भागों में उन्होंने कर्मसाहित्य पर लिखे गये सैंकडों ग्रंथों का मनन कर मंथन, विवेचन एवं नवनीत लगभग ३५००
पृष्ठोंमें यानि 'गागर में सागर' का समावेश किया है । ‘साहित्य और संस्कृति' एवं 'धर्म दर्शन : मनन और मूल्यांकन' ग्रंथोमें आचार्य मुनिश्री का बहुआयामी चिंतन उजागर हुआ है । उन्होंने तत्त्व के सागर के तल तक डूबकी लगाकर अमूल्य मोती
चुनकर जैनसाहित्य के समक्ष रखे हैं । इन शास्त्रीय विवेचन ग्रंथों के अलावा उन्होंने 'जैन जगत के ज्योतिर्धर', 'पर्यों की परिक्रमा' नाम ऐतिहासिक ग्रंथ भी लिखे । यही नहीं उन्होंने जैनग्रंथों के आधार पर युवा पीढी के लिए लगभग सत्तरह (१७) उपन्यास, पचासों कहानीसंग्रह, निबंधसंग्रह एवं सूक्तियाँ लिखि हैं। उनके प्रवचनों के संग्रह भी श्रावक समाज में वहुत लोकप्रिय हुए ।
आचार्य देवेन्द्रमुनि की विद्वता, कीर्ति, उनकी व्यवहारकुशलता, संगटनदक्षता तथा लोकनायकत्व की योग्यता का लक्ष्य में लेते हुए सन् १९८७में पूना के साधुसम्मेलन में आचार्यसम्राट श्री आनन्दऋपिजीने उनको श्रमणसंघ के आचार्य के रूप में अपना उत्तराधिकारी घापित किया । सन् १९९२ की २८ मार्च के दिन आचर्यश्री आनन्दऋपिजी का स्वर्गवास हो जाने पर समस्त श्रमण संघ के पदाधिकारियों ने आचार्यश्रीकी घोषणा अनुसार उनको श्रमणसंघ का आचार्य घोपित किया तथा सन् १९९३ की २८ मार्च के दिन उदयपुर में उनको विधिवत् आचार्य पदकी चादर
ओढाकर जैन स्थानकवासी श्रमणसंघ के तृतीय पट्टधर आचार्यश्री के रूप में अभिपिक्त किया गया । युगपुरुप अपने वचनों से नहीं अपितु अपने कर्तृत्वों से बोलते हैं ।
३ (तीन) अप्रैल को साधना के शिरमार उपाध्यायश्री पुष्करमुनिजी का स्वर्गवास हा गया । इसके पश्चात् आचार्यश्री देवन्द्रमुनिने उत्तर भारत, पंजाव, हरियाणा, हिमाचल प्रदेश, जम्मू-काश्मीर, दिल्ली के संघों की आग्रहभरी विनंती का सहर्प स्वीकार कर उत्तर वारत की धर्मयात्रा प्रारम्भ की । राजस्थान से हरियाणा, पंजाब, हिमाचल प्रदेश, जम्मू-कास्मीर होकर उन्होंने भारत की राजधानी दिल्ली में तीसरा चातुर्मास किया ।
तीन वर्षीय उत्तर भारत की सफल धार्मिक पैदल यात्रा कर आचार्यश्री पुनः अपनी जन्मभूमि उदयपुर पधारे । उदयपुर का यशस्वी वर्षावास पूर्ण कर उन्दौर वर्षावास विताया । तत् पश्चात् महाराष्ट्र की आग्रहभरी प्रार्थना को स्वीकारकर महाराष्ट्र की ओर यात्रा प्रारम्भ की । परंतु दुर्दैव ! वीच में ही उनका स्वास्थ्य अचानक बिगडा और उनकी चिकित्सा-क-उपचार हेतु वे मुम्बई पधारे । मुम्बई में शारीरिक चिकित्सा करवाकर वे औरंगावाद चातुर्मास के लिए प्रस्थान कर घाटकोपर (बम्बई) पधारे । अचानक ही उनकी शारीरिक स्थिति बिगड जाने से २६ अप्रैल
आचार्यश्री देवेन्द्रमुनि (एक साहित्यकार) + ५८५
Page #635
--------------------------------------------------------------------------
________________
सन् १९९९ को संथारे के साथ अकस्मात उनका स्वर्गवास हो गया ।
आचार्य सम्राट श्री देवेन्द्रमुनिजी का जीवन सम्पूर्ण मानवता के कल्याण हेतु समर्पित जीवन था । उन्होंने अपने जीवनकाल में लगभग ७० हजार किलोमीटर
की पदयात्रा की । करीव ५० हजार से अधिक लोगों को व्यसनमुक्त जीवन के लिए संकल्पवद्ध किया और सेंकडों गाँवों में व संघोमें परस्पर प्रेम, संगटन व सद्भावना के सूत्र जोडे ।
सम्पूर्ण जीवन मानवजाति के कल्याण के लिए तथा श्रमणसंघ के अभ्युदय के लिए जीनेवाल आचार्यसम्राटश्री देवेन्द्रमुनि साधना की तेजस्विता, जीवन की पावनता, वौद्धिक प्रखरता, चिन्तन की मुखरता, विचारों की उच्चता और व्यवहार की निर्मलता के लिए सदा सदा से अविस्मरणीय रहेंगे । युगपुरुप का जीवन नदी की तरह होता है । नदी जहाँ से भी गुजरती है दोनों किनारों को समृद्धता वक्षती है वैसे ही युगपुरुप भी जहाँ जहाँ विचरते हैं, दुसरों के लिए उपकारक बनते हैं। एसे ही थे आचार्य श्री देवेन्द्रमुनिजी । जैनजगत की विरल-विमल विभूति । देवेन्द्रमुनिजी का साहित्यिक परिचय :
श्रुत की सतत समुपासना और निर्दीप निष्काम सहज जीवनशैली यही है श्री दवन्द्रमुनिजी का परिचय | विनय, विवेक और विद्या की त्रिवेणी में सुस्नात पावन जीवन, इन सवका नाम है आचार्यश्री देवेन्द्रमुनि ।
सबसे महत्त्वपूर्ण घटना घटी थी सन १९५२ में । सादडी में साधु सम्मेलन हुआ। उसमें स्थानकवासी सम्प्रदाय के वाईस से अधिक उपसम्प्रदायों का विलीनीकरण होकर श्रमणसंघ वना । इस श्रमणसंघमें आचार्यश्री आनन्दऋपिजी को प्रधानमंत्री बनाया गया था। उनके कार्यकाल में श्रमणसंघ सुगटित और विकसित हुआ। उन्होंने बडी जागरूकता से कार्य किया । उन्होंने तव आ. देवेन्द्रमुनि को उपाचार्य एवं आचार्य शिवमुनिजी को युवाचार्य घोपित किया । (जो पहले आग लिखा गया है |) आ. देवेन्द्रमुनिने जप को वाणी का तप कहा है | वे निरन्तर ज्ञानसाधना में रत और संयम आराधना में अप्रमत्त रहते थे । उनकी गुरुभक्ति अनन्य थी । वे जीवन में सदा ही आशावादी और पुरुपार्थवादी रहे । व्यवहारकुशलता, वाणी की मधुरता, सदा प्रसन्नता और सहनशीलता यह उनके जीवन के चार स्तंभ माने गये हैं ऐसा अनेक महानुभवोंने कहा है । आगम आदि विविध शास्त्रों का परिशीलन करना, उन पर चिंतन-मनन करना और उनका सार सबके लिए सुलभ करना यह उनकी विशेप रूचि थी । वे दूसरों को उपदेश देने से पहले उसका खुद अमल किया करते थे इसीलिए उनकी वाणी और उनके वर्तन में समानता-एकरूपता दिखाई देती थी । वे स्थानकवासी जैन परंपरा के ही नहीं वे सारे भारतीय संत परम्परा के आदरणीय पुरुप थे । वे लेखक, प्रवचनकार और आचार्य होने के उपरांत महामानव के रूप में वंदनीय, पूजनीय हैं।
૫૮૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #636
--------------------------------------------------------------------------
________________
वर्तमान युग संशोधन का युग है। आचार्यश्री के विचारोंमें वर्तमान ज्ञान-विज्ञान, राजनीति और समाजशास्त्र का गहरा चिन्तन भी हुआ करता था। उनके प्रवचन लोगों के अन्तर की गहराई तक पहुँचने में सफल रहे । उन्होंने तीज-त्योहारों के विशेष दिनों में इतिहास और पौराणिक संदर्भों को उद्घाटित किया । इनकी वर्तमान जीवन पर असर, उपयोग और प्रेरणा पर भी विशद प्रकाश डालकर उनका ऐतिहासिक तथ्य के साथ, न्यायपूर्ण तरीके से जीवन में उसके महत्त्व को समझाना चाहा है ।
उन्होंने पर्वों को हर तरह से तरासकर उसका धार्मिक, सामाजिक, आध्यात्मिक, मानसिक तौर पर तथा शान्ति के स्तर पर पहुँचने का मर्म और कर्म है, वह अपने चिंतन मनन द्वारा पुस्तक रूप से प्रकाशित किया है ।
वर्षीतप पर आगमों का आधार लेकर उनका जो विश्लेषण हुआ है वह यह बताने में सक्षम रहा कि व्यवहार भाषा में इसमें कोई दोष नहीं है । विस्तार शैली से वह तेरह मास और दस दिन का समय होता है । दोनों ही अपनी दृष्टि से यथार्थ हैं ।
संवत्सर के त्यौहार को उन्होंने लौकिक पर्व से उजागर कर आध्यात्मिकता तक ले जाने का प्रयास किया है। नवीन वर्ष से मनमें नये शुभ संकल्प लेने को कहा है । भारतवर्ष में प्रचलित प्रमुख संवत् का विशद वर्णन प्रस्तुत किया है । और उसका माहात्म्य भी दर्शाया है । हिंदु विधिओंको भी जैन दृष्टिकोण द्वारा समझाने की उनकी रीत थी उससे हर कोई प्रभावित हो जाता है । उन्होंने पर्व के पीछे छीपे तात्पर्य की गहराई तक जाकर उसका चिंतनकर उसकी सूक्ष्मता को सहजता के साथ 'पर्वों की परिक्रमा' पुस्तक द्वारा पाटकों तक पहुँचाने का सक्षम और सफल प्रयास किया है ।
"भारतीय वाङ्मय में नारी पुस्तक में उनके नारी के प्रति विशाल दृष्टिकोण का परिचय होता है। नारी जाति के प्रति उनके मनमें अधिक आदर व सम्मान रहा है । वैसे तो अध्यात्म के क्षेत्र में नर या नारी का भेद महत्त्व नहीं रखता वल्कि जैनदर्शन हर आत्मा में परमात्मा का दर्शन कराता है । आचार्य देवेन्द्रमुनिजी का अपना यह मानना था कि नारी पुरुष की अपेक्षा अधिक सेवाप्रधान, अधिक सहनशील और अधिक उदार होती है । वे नारीशक्ति को प्रगट करने के लिए सदा आव्हान करते रहते थे । इस शोधप्रबन्ध को आचार्यश्री वोलते जाते थे और श्रीमान् लक्ष्मण भटनागर उसे लिपिवद्ध करते थे । इस ग्रन्थ के लिखवाने पश्चात् तुरन्त ही उनका देहान्त हो गया । इसकी प्रेरणा उनकी भगिनी के विचार से प्राप्त थी । वाद में उनकी भगिनी पू. साध्वी पुष्पवतीजीने इसे पुनः संशोधित कर प्रकाशन हेतु ग्रंथालय को सुप्रत किया । जैनधर्म सदा से ही नारी के प्रति उदार रहा है । अन्य धर्मों में नारी का स्थान, महत्ता दर्शाकर उन्होंने जैनदर्शन में नारी का स्वरूप, उसका स्थान, उसकी महत्ता बताते हुए आगमकाल के वर्णन के साथ-साथ उसके
आचार्य श्री देवेन्द्रमुनि (एक साहित्यकार) + ५८७
Page #637
--------------------------------------------------------------------------
________________
पूर्ववर्ती वैदिकयुग, स्मृति-श्रुति काल, बौद्धयुग तथा उत्तरवर्ती पुराणकाल में नारी की स्थिति की तुलना तथा समीक्षा करके उन्होंने इस विषय को उचित न्याय देकर नारीसमाज के प्रति अपना उत्तरदायित्व ही नहीं निभाया, उपकार भी किया है । जैनदृष्टिकोण नारी को सबसे परम उत्कृष्ट प्रभावक तीर्थंकर पद तक पहुँचाने का अधिकार ही नहीं देता किंतु तीर्थंकर पदप्राप्त नारी का दृष्टांत भी प्रस्तुत करता है । उन्होंने इस तथ्य को जन सामान्य तक पहुँचाकर नारी की गरिमा को गौरव प्रदान किया है।
उनका साहित्य अपने आपमें अद्वितीय, अनुपम है | श्री तारक गुरु ग्रंथालय, उदयपुर, कोटारी प्रकाशन, अहमदावाद, श्री सुधर्मा ज्ञानमंदिर, श्री अमर जैन आगम शोध संस्थान; गढ सिवाना, राजस्थान आदि द्वारा उनके प्रवचन पुस्तकों, शोधग्रन्था, आगम प्रस्तावनाएँ तथा चिन्तनपूर्ण विविध ग्रंथ प्रकाशित हुए हैं | इनमें उनकी भगिनी साध्वीश्री पुष्पवतीजी तथा अन्तेवासी श्री दिनेशमुनिजी का सहयोग और परिश्रम रहा है। जैनसमाज तथा इतर भी सभी विद्वानों, मुनियों तथा सामान्य पाटकों में उनका साहित्य लोकप्रिय और मानप्रिय है । उनकं २१ प्रवचनों का संकलन उनके पुस्तक 'पर्यों की परिक्रमा' में किया है । इनमें रोचकता और प्रेरकता भी है । छपाईकाम बड़े अक्षरों में होने के कारण पढनेवाले को दिक्कत नहीं होती । इनमें अध्यात्म और इतिहास का संगम है, जो जीवन की समस्याओं को छूते हैं ।
आचार्यश्री के निवंधो का संकलन पुस्तक 'व्यसन छोडो, जीवन वदलो' में है। उनके लेख मननीय और संशोधनात्मक है । उन्होंने अपने मौलिक चिंतन के द्वारा मार्ग से विचलित हुए पथिक को मौलिक दृष्टि मिले इस हेतु से विपय की विशद विवेचना की है । मधुकान्ता दोशीन इनके पुस्तक का गुजराती भापामें अनुवाद किया है | इसमें आचार्य देवेन्द्रमुनिने लिखा है कि वैदिक ग्रंथों में व्यसनों की संख्या अटारह (१८) वतायी गयी है । उनमें से दस (१०) कामज और आट (८) व्यसन क्रोधज हैं | जैनशास्त्रमें व्यसन के मुख्य सात भेद कहे गये हैं और अन्य सभी व्यसन इन सातों में समाहित हो जाते हैं यह भी कहा है । आचार्यश्रीकं मतानुसार इन सात व्यसनों के अलावा अश्लील साहित्य का पटन, चलचित्र देखना, वीडी, सिगारेट जैस अन्य नशीले पदार्थों का सेवन सभी हानिकारक होने से इनकी आदतें व्यसन की सीमा को पार करनेवाली बतायी गयी है । आज के 'फेशन शो' वगैरे को भी उन्होंने फेशन और व्यसन ही कहा है । फेशन और व्यसन का सम्बन्ध चौलीदामन का सम्बन्ध है ऐसा कहकर उन्होंने कहा है कि फेशन के नाम पर जो बदियाँ सभ्य समाज में फैल चूकी है, उनको भी छोडना है । उन्होंने समयोपयोगी मार्गदर्शन भी दिया है । इसलिए वे हमारे लिए पथप्रदर्शक हैं । उनके निबंध इस संसार सागरमें दीवादांडी स्वरूप हैं ।
आचार्यश्री का एक अद्भुत ग्रंथ 'जैनदर्शन : स्वरूप और विश्लेषण' भगवान પ૮૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
Page #638
--------------------------------------------------------------------------
________________
महावीर की निर्वाण शताब्दी के अवसर पर प्रस्तुत किया गया था । आचार्यमुनि के गुरुवर आ. श्री पुष्करमुनिजी की यह शुभ भावना थी कि इस शुभ अवसर को स्वर्णिम बनाया जाय । उनकी भावना को साकार स्वरूप दिया शिष्य श्री देवेन्द्रमुनिने। इस ग्रन्थ में जैनदर्शन के सभी मूलभूत तत्त्वों का समावेश किया गया है जैसे कि कर्म, प्रमाण, नय, सप्तभंगी आदि गम्भीर विषयों को विस्तार के साथ रोचक शैली में रचा गया है । इसे हर जिज्ञासु तत्त्वचिंतक ने अवश्य पढना चाहिए । ___धर्म और दर्शन' पुस्तक में उन्होंने धर्म और दर्शन को एक दूसरे का पूरक बताया है । दर्शन विचार को प्रधानता देता है तो धर्म आचार को । दर्शन का अर्थ बताते हुए उन्होंने लिखा है कि दर्शन का अर्थ है सत्य का साक्षात्कार करना और धर्म का अर्थ है उसे जीवन में उतारना । कितनी वडी वात उन्होंने सहजता से समझायी है । भारतीय दर्शनों में जैनदर्शन प्रभावशाली और प्रमुख रहा है । इस पर अनेक भाषाओंमें विपुल साहित्य लिखा गया है । इसका अंग्रेजी अनुवाद 'A source Book of Jaina Philosophy' नाम से प्रकाशित हुआ है । उन्होंने दर्शन और फिलोसोफी' में अन्तर स्पष्ट किया है । उन्होंने बताया है कि दर्शन शब्द आत्मज्ञान की ओर संकेत करता है और फिलोसोफी शब्द जिज्ञासुभाव को शान्त करने हेतु उद्भव हुआ है । जैनदर्शन विश्व का एक वैज्ञानिक दर्शन है । धर्म में आस्था रखनेवाला दर्शन का अध्ययन करना अनिवार्य समझता है, जिस प्रकार दार्शनिक धर्म का आचरण करना नितान्त अनिवार्य समझता है । इस पुस्तकमें जैनदर्शन के सर्वांगीण रूप का विशद् परिचय कराया गया है । उनका पाण्डित्य उनके ग्रंथोमें निचोडनिचोडकर भरा हुआ है । उन्हें पढने और समझने से यह लगता है कि उन्होंने अपनी लगन और अथाग परिश्रम से विपय की गहराई तक प्रवेश कर विपय की सूक्ष्मता को स्पर्श करके कई मौलिक और समीक्षात्मक कृतियाँ प्रदान की है। __एक अनूठा शोधग्रन्थ उनके द्वारा जैनसाहित्य को मिला वो है : 'जैन आगम साहित्य : मनन और मीमांसा' जिसे पढने से उनकी अन्वेपक विद्वत्पूर्ण छवि हमार सामने छा जाती है और इसी वात से प्रेरित होकर में इस पत्रलेखन द्वारा उनका साहित्यिक दर्शन का दर्पण तुम्हें दिखाना चाहती हूँ । उनकी एक एक कृति एक एक इतिहास बनकर शोध को संशोधनात्मक ग्रंथ वनाती गई है।
मूल आगम के बारे में मुझे थोडीबहुत जानकारी थी पर नियुक्तियाँ, चूर्णि, टीका, भाष्य और टब्बा ये सभी के प्रकार का परिचय मुझे इनके इस ग्रंथ के वाचन (पटन) से प्राप्त हुआ । यह ग्रन्थ उनकी गहन श्रुतसागर का अवगाहन, दीर्घकालीन अध्यवसाय और सूक्ष्म अन्वेपणी प्रज्ञा से ही संभव हो सका है। उन्होंने जैनसाहित्य का परिचय बहुत प्रामाणिकता के साथ संतुलित भाषा में प्रस्तुत किया है यह उनकी अपनी खास विशेषता रही है । दिगम्बर सम्प्रदाय मान्य बत्तीस (३२) और श्वेताम्बर सम्प्रदाय मान्य पैंतालीस (४५) आगमों का विस्तृत विवरण इसमें
आचार्यश्री देवेन्द्रमुनि (एक साहित्यकार) + ५८८
Page #639
--------------------------------------------------------------------------
________________
किया है । नियुक्तियाँ, भाष्य, चूर्णियाँ, टीकाएँ एवं टव्वा आदि की परिभाषा करके एक-एक पर विशेष विश्लेषण करके जिज्ञासुओंकी ज्ञान-पिपासा को तृप्त कराने का साहस सिर्फ आचार्य श्री देवेन्द्रमुनिजी की शाधक्षमता का प्रदर्शन मात्र नहीं परंतु साधना भी है। . जैन आगम साहित्य पर सर्वप्रथम प्राकृत भाषामें जो पद्यवद्ध टीकाएँ लिखी गई वे 'नियुक्तियों' के नाम से विश्रुत है | नियुक्तियों के गम्भीर रहस्योंको प्रकट करने के लिए विस्तार से उनके समान ही प्राकृत भाषा में जो पद्यात्मक व्याख्याएँ लिखी गई वे 'भाष्य' के नाम से प्रसिद्ध है, जैसे कि विशेपावश्यकभाष्य, व्यवहारभाष्य। इन दोनों के पश्चात् जैनाचार्या ने शुद्ध प्राकृत में और संस्कृत मिश्रित प्राकृत में जो गद्यात्मक व्याख्यासाहित्य की रचना की वह चूर्णि 'साहित्य के नाम से विश्रुत हैं । चूर्णि साहित्य में प्राकृत मुख्य और संस्कृत गौण रूप में है । वादमें टीकाएँ आगम, नियुक्तियों और भाष्यों पर संस्कृत भाषा में रची गई हैं । टीका साहित्य के रचनाकार साहित्य, व्याकरण और भापा-विज्ञान के प्रकाण्ड पण्डित थे । यह युग संस्कृत भाषा के उत्कर्प का काल था । आचार्यश्री घासीलालजी महाराज ३२ आगमों पर एक साथ टीका लिखनेवाले सर्वप्रथम आचार्य थे । संस्कृत भाषा जनसाधारण की समझमें न आने के कारणवश जनहित को नजर समक्ष रखकर लोकभाषा प्राकृत का प्रयोग होने लगा । प्राचीन गुजराती अपभ्रंश आदि भाषा प्रयोग में आई । मुनि धर्मसिंहने टव्वा लिखना शुरू किया । तत् पश्चात् अनुवाद यानि भाषांतर का युग प्रारम्भ हुआ जो कि तीन भाषाओंमें हुआ : अंग्रेजी, गुजराती, हिंदी । इनमें क्रमशः डॉ. हर्मन जेकोबी, बेचरदासजी तथा मालवणियाजी और अमोलकऋपि तथा आत्मारामजी आदि सर्वप्रथम उल्लेखनीय हैं ।
संक्षेप में इस ग्रंथ में अंग, उपांग, मूल, छंद, प्रकीर्णक, नियुक्ति, भाप्य, चूर्णि, संस्कृत टीकाएँ, वालाववोध, तीन भापाओंमें अनुवाद आदि का परिचय दिया है । रुचि विशेपकर बनी रहने से ग्रंथ पटनीय बना है ।
उनका एक संपादित ग्रंथ 'ल्पसूत्र' है । कल्पसूत्र जैन परंपरा का महान ग्रंथ ही नहीं, इतिहासग्रंथ है । यह भद्रबाहु केवली की रचना है | हिंदी भारत की राष्ट्रभाषा है । जव हिंदी में जैन आगमों के आधुनिक अनुवाद और विवंचन की अत्यन्त आवश्यकता थी तब उन्होंने यह सुंदर संपादन प्रस्तुत किया । उन्होंने हमेशा समय की माँग को पहचाना । आज तक कल्पसूत्र के हिंदी अनुवाद और विवेचन जितने भी मनीपियोंने प्रस्तुत किए हैं उनमें से आ. देवेन्द्रमुनिजी के विवेचन का अपना वैशिष्ट्य है | अन्वेषण और तुलनात्मक दृष्टि से जो श्रमसाध्य संपादन निर्माण हुआ है उसे पढकर मन प्रसन्नता पाता है । अक्षर वडे और स्पष्ट होने से रसता बनी रही दिखाई देती है । संपादन शुद्ध और सुस्पष्ट है । संशोधकों के लिए विपुल सामग्री इसमें उपलब्ध हो सकती है । उनकी प्रस्तावना में ही उनके गाम्भीर्य की झलक दिखाई देती है | उनकी प्रमाण से सिद्ध कृतियाँ ग्रंथ को अधिकाधिक mercipawanterarataजदरमा)
Page #640
--------------------------------------------------------------------------
________________
प्रामाणिक वनाती है । महानुभावों के नामोल्लेख यह बताते हैं कि वे खुद अध्यापन करके विनम्रता को पाने में सफल हुए हैं । मूल पाट, अर्थ और विवेचना सभी में संपादक मुनिजी की बुद्धिचातुर्य निखारकर आई है । कल्पसूत्र कोई अलग ग्रंथ या आगम नहीं है बल्कि दशाश्रुतस्कंध का आटवाँ अध्याय है, यह तथ्य उनकी गहराई से की गई खोज का परिणाम है । उनकी भाषा में ओज है, लालित्य है और भावों में गाम्भीर्य है।
आचार्य श्री देवेन्द्रमुनिजी की सारी पुस्तकें सारे ग्रंथ अभी तक भले ही मैंने नहीं पढे हैं बल्कि जितने भी पढे हैं उन सबसे अद्भुत ज्ञानरस उत्पन्न होता है।
और मेरी यह मनिपा है कि मेरा यह संदेश में आप जन-जन तक पहुँचाने का प्रयास करूँ ताकि आप भी इस पावन ज्ञानगंगा में डूबकी लगाएँ । इनसे सारी जिज्ञासा तृप्त होती है । इनकी एक एक वात प्रमाण द्वारा बताने से वचन से अगोचर है। में उनकी और कृतियों को भी मेरी पुण्य क्षणों में अवश्य पढना जारी रखूगी ।
और आशा रखती हूँ कि सभी पाटकगण उनके ग्रंथों का नित्य स्वाध्याय करें । उन्होंने अपने गम्भीर अध्ययनवल और सृजनशक्ति का अधिक से अधिकतम उपयोग करके उत्तरोत्तर सभी लखनकार्य का सफल बनाने का अद्भुत सफल प्रयास किया है । स्थानकवासी सम्प्रदाय के वे उदीयमान लेखक है । पुस्तकालय और ग्रंथागार उनके ग्रंथों के संग्रह से समृद्ध बने हैं यह लिखने में कोई अतिशयोक्ति नहीं है । उन्होंने न केवल जैनशास्त्रों के उदाहरण प्रस्तुत किए हैं बल्कि जैनेतर शास्त्रों के दृष्टांत भी जगह-जगह पर प्रस्तुत किए हैं । इसी कारण उन्होंने अपने ग्रंथों के मूल्यो को वढाया है । उनके ग्रंथ ग्रंथ वनकर नहीं रह गये वल्कि ग्रंथराज की श्रेणी में आकर शोभा में चार चाँद लगाते हैं।
आचार्यश्रीने सारा श्रेय अपने गुरुवरथी पुष्करमुनिजी को दिया है । वे खुद को कर्ता और अपने गुरुजी को निमित्त रूप में प्रस्तुत करते हैं । यह उनका वडप्पन है । उन्होंने कहीं भी आत्मप्रशंसा का स्थान नहीं दिया है | आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराज की सहायता से श्री देवेन्द्रमुनिने कल्पसूत्र आगमग्रंथ के अन्तर्गत ही है इस तथ्य को सिद्ध करके विद्वानों की शंका का समाधान किया है। आ. श्री देवन्द्रमुनिजी विशाल दृष्टि सम्पन्न प्रभावशाली लेखक हैं । साम्प्रदायिकता के दायरे में न आकर उससे कई ज्यादा उपर उठकर जैनदर्शन के सिद्धांतो को ही उजागर करने का उन्होंने विनम्र प्रयास किया है | यह उनकी दीर्घदृष्टि, तीक्ष्णबुद्धि
और उच्चतम कोटि का चिंतन ही है जो उनके लेखन-संपादन को अर्थबोधसभर बना सके हैं । वे एक सफल साहित्यकार के रूप में सदा अमर रहेंगे । खंडन-मंडन की प्रवृत्तियों से वह हमेशा परे रहे हैं। सिर्फ और सिर्फ सत्य तथ्य का समुद्घाटन करना यही उनका सर्वोच्च लक्ष्य रहा है, और उनके इन्हीं गुणों की वजह से आज वह उच्च कोटि के साहित्यकार के रूप में प्रतिष्टित हुए हैं। उनकी एक भी कृति ऐसा नहीं जो पाठक को अपनी लेखनी के प्रवाह में वहा कर न ले जा सकी हो ।
आचार्यश्री देवेन्द्रमुनि (एक साहित्यकार) + ५८१
Page #641
--------------------------------------------------------------------------
________________
उनका संपूर्ण जीवन साहित्यसेवा में व्यतीत हुआ । विद्वान पुरुष मरते नहीं है । वे युगोयुगों तक अपने अक्षरदेह स्वरूप अमर रहते हैं | जैनसाहित्य में उनका नाम सुवर्ण अक्षरों में लिखा जाएगा । कर्म करते जाना और फल की आशा न रखना यही संतपुरुषों का लक्ष्य होता है, उनका जीवन परोपकार के लिए ही होता है । वे पुण्योपार्जन करके अमरत्व को पा जाते हैं और जगत को भी यही रास्ता दिखा जाते हैं । मेरा यह मंतव्य है कि हमें जीवन में लक्ष्य बनाना है और उस उच्च लक्ष्य को साधने के लिए ऐसे आदर्श उच्च साहित्यकार को अपना आदर्श बनाना चाहिए जिससे यह मानवजात हम सार्थक कर सकें। जीवन तो सभी मनुष्य जीते हैं पर ऐसे युगपुरुष बहुत कम होते हैं ।
I
उन्होंने जैन परिभाषा का एक शब्द 'ढूंढिया' को अपने खोज कार्यों द्वारा सिद्ध किया है । 'ढूंढिया का एक अर्थ खोज करनेवाला भी होता है । जो कि साधु शब्द का पर्याय है 'ढूंढिया' । उनके पुस्तकों में विपुल ज्ञानभंडारों से खोजे हुए अनेक दस्तावेज प्राप्त होते हैं ।
उनकी ज्ञान की ज्योत से जैनसाहित्य की दीपशिखा मदा प्रज्वलित रहेगी। हमारे साहित्यरत्न आचार्य श्री देवेन्द्रमुनि सदा एक दिव्य किरण बनकर जैनजगत को प्रकाशमान करते रहेंगे ।
डॉ. हंमा उमरशी गाला ६०१, आविष्कार इम्प्रेस, चितलं पथ, दादर (पश्चिम) मुंबई : ४०००२८ मो. ९२२४४५५२६२
૫૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
Page #642
--------------------------------------------------------------------------
________________ ડૉ. માલતીબહેન શાહ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એટલે જૈન ધર્મ અને જૈન સાહિત્યનું મોંઘું-અણમોલ ઝવેરાત. શબ્દમાં સત્ય અને તત્ત્વ. જીવનમાં ફકીરી. મુખ ઉપર સદાય સ્મિત અને જ્ઞાનની ઓરા. li મોરનાં ઈંડાંને ચિતરવા ન પડે, એમ માલતીબહેનને મળો એટલે એમના પિતા રતિલાલભાઈના જ્ઞાન અને સંસ્કારનું પાર્થ સંગીત આપણને અવશ્ય સંભળાય. પિતાના જ્ઞાન અને સંસ્કારનો વારસો તો મળ્યો, પણ પરિશ્રમથી એ ઊભર્યો. કૉલેજ સમયમાં મહર્ષિ અરવિંદની જીવનદૃષ્ટિ'ની એવી આંગળી પકડી કે તત્ત્વજ્ઞાનની યાત્રા આરંભાઈ. માલતીબહેન પિતા રતિભાઈ અને માતા મરઘાબહેન (મૃગાવતીબહેન)નું ત્રીજું સંતાન (નિરૂભાઈ, નીતીનભાઈ, માલતીબહેન, પ્રજ્ઞાબહેન). જન્મ, શાળા અને કૉલેજ અમદાવાદમાં જ. બે સુવર્ણચંદ્રક સાથે ૧૯૭૧માં બી.એ., ૧૯૭૩માં એમ.એ. અહીં પણ સુવર્ણચંદ્રક. છે અને તત્ત્વજ્ઞાનની આ યાત્રામાં એવું આરોહણ કર્યું કે ઉપાધ્યાય યશોવિજયજીના મહાન ગ્રંથ ‘જ્ઞાનસાર’ ઉપર અધ્યયન કરી દીર્ઘ શોધનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. બી.એડ.ની ઉપાધિ મેળવી થોડો સમય શિક્ષણજગતમાં પણ જઈ આવ્યાં. જ્ઞાનસારનું તત્ત્વદર્શન’, ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી’, ‘જ્ઞાનસાર' (11 હસ્તપ્રતો લઈને પ. પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી સાથે સંપાદન) અને પ્રેરણાની પાવનમૂર્તિ' (ડૉ. કુમારપાળ દેસાઈની સાથે) વગેરે પ્રકાશિત ગ્રંથો એમના નામખાતામાં છે અને સાથે આ નવો ગ્રંથ “જૈન સાહિત્યના અક્ષર-આરાધકો’ ઉમેરાય છે. ઉપરાંત અન્ય કેળવણી અને સામાજિક ક્ષેત્રે માલતીબહેન કાર્યરત છે. વર્તમાનમાં ભાવનગર સ્થિત ડૉ. માલતીબહેન સૌજન્યશીલ પતિ કિશોરભાઈ શાહ અને સંતાન આલોક સાથે વિદ્યા અને અધ્યયનમાં મગ્ન છે. ડો. માલતીબહેનને આ શ્રુતપૂજા અનેકવિધ ફળો. - ધનવંત શાહ 9l7 8 9 3 83 8 1 4 6 0 2 || 2 700