Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRI ATMANAND
www.kobatirth.org
હજુ આભાર પ્રકાશ
સુખદુઃખમાં
પુસ્તક પ
ક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદુઃખનુ કારણ પોતાના દેહાધ્યાસમાં અને તેથી ઉત્પન્ન થયેલ મમત્વમાં છે, તેથી તે પોતાનાંજ કર્મને અધીન છે. આથી કર્મના સિદ્ધાન્તને સ્વીકારીને અથવા તે તજીને સધકાએ આત્મત્ત્વ મેળવવાનુ છે.
PRAKASH
આપણા સુખદુઃખમાં કોઈ અન્યને કારણ માનવાથી રાગદ્વેષ તથા અહંકાર વધે છે ને ઊંડા કાદવમાં જેમ હાથી ખેંચી જાય છે તેમ મનુષ્ય સંસારમાં અસહાય ફ્ળતા જાય છે, તેમાંથી છૂટવા માટે બીજા પર દોષારોપણ ન કરતાં, સ્વપ્રયત્ને અહંકાર તજી, પ્રાપ્ત પરિસ્થિતિના સદુપયોગ કરી લેવા, એ ઇષ્ટપદ પામવાના રાજમાર્ગ છે.
For Private And Personal Use Only
3481215: પ્રકાશન
શ્રી જૈન જ્ઞાત્માનંદ સના
GO12
~ [
જેડ
સ. ૨૦૧૭
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ સુભાષિત ૨ અજિત-વચનામૃત
૩ એ માનવેા કિમ માનવી ?
www.kobatirth.org
अनुक्रमणीका
( મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મ‘ારાજ) (સાહિત્યચંદ્ર બાદ હીરાચંદ )
)
>
)
૪ ભૂલેથી જ્ઞાન વધે છે.
૫. માત્ર આજના દિન
e
સ્વ, સાહિત્યેાપાસક સુશીલ' જીવનપરિચય(
૭ સૂર્ય હસતે હતેા
૮ સર્વ સિદ્ધિયે કારણુ
૯ મધના તેડવાં પડશે
૧૦
સત્ય ઘટના
29
(
,,
ડેઇલ અને ગી
શ્રી પરમાણુ દત્ક્રાઈ
શ્રી રાધાકૃષ્ણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કાકા કાલેકલર
શ્રી કેદારનાથજી
( પ્રાચીન હિબ્રુ કથા પરથી
29
)
For Private And Personal Use Only
>
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૫
૧૨
૧૨૯
૧૩૧
૧૩૩
૧૩૫
૧૩૯
અવસાન નોંધ
જૈન સમાજના જાણીતા ઝવેરી સાકરચંદ માણેકચંદ ઘડીયાળીનુ સુરત ખાતે સવત ૨૦૧૭ના ચૈત્ર વદી ૧૧ મંગળવાર તા. ૧૧-૪-૬૧ના ૮૬ વર્ષની વયે અવસાન થયેલ છે. તેઓ સ્વભાવે મીલનસાર હતા. તે સભાના આજીવન સભાસદ્ હતા, તેમના સ્વગ વાથી સભાને એક લાયક સભાસની ખેાટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને પમાત્મા પરમ શાંતિ અપે તેમ ઈચ્છીએ છીએ.
ભાવનગર નિવાસી સંઘવી દુર્લભદાસ નાનચદ મેાતીવાળા સ. ૨૦૧ ના વૈશાક જુદી ૫ શુક્રવાર તા. ૫-૫-૬૧ના રાજ ૬૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વભાવે મિલનસાર હતા. આપણી સભાના તેએ આજીવન સભસાદ્ હતા. તેમના સ્વર્ગવાસથી સભાને એક લાયક સભાસની ખામી પડી છે. અમે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઇચ્છીયે છીયે.
શાહુ નગીનદાસ હેમચંદ ખાવલા મુકામે સ. ૨૦૧૭ના પોષ શુદી ૧૪ને શનીવાર તા. ૩૧-૧૨-૬૦ના રોજ સ્વર્ગવાસી થયેલ છે, તેએ આપણી સભાના આજીવન સભાસદ્ હતા. તેમના સ્વર્ગવાસથી સભાને એક લાયક સભાસદૂની ખોટ પડી છે. તેમના આત્મા ચિર સ્થાયી શાંતિ પામે
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીઆદનાનંદ
ACTIN
T
વર્ષ ૫૮ મું ]
જેઠ તા. ૧૫-૬-૬૧
અંક ૮ મો ]
सुभाषित
(આર્ય) आपादि मित्रपरीक्षा शूरपरीक्षा रणांगण भवति । विनये वंशपरीक्षा नियः परीक्षा तु निर्धने पुंसि ॥
(અનુવાદ) મિત્ર પરીક્ષા ભીડમાં ને શૂરાની રણાંગણે થાતી;
વંશ કસટી વિનયે, વનિતા નિધન નરે જ પરખાતી, વિવરણ- સોડા લેમના મિત્રની નિરર્થકતા અને વા વીરેની પિકળ તાકાતને ઉપાડી પાડતું, તથા કુલ ગુણની સુવાસ અને નિર્ધન દાંપત્યને ઉજાશ પાથરતું આ સુભાષિત ચાર મહત્ત્વપૂર્ણ બાબતેની ચાવી બતાવે છે. આફત આવ્યે પડખે ઊભા ન રહે તે મિત્ર શાને? અને યુદ્ધ મેદાનમાં ખૂઝે નહિ તે શૂર શાને? વળી વિનય વિના કુલ ગુણેનું પારખું છે થાય? અને ઉપરછલા પેપથી ચમકતા માનવીના તેમજ કુલ ગુણનું માપ તેનામાં વિનય કેટલું છે તે પરથી જ થઈ શકે એ જ રીતે નિર્ધન પતિની જીવનનાવને સહનશીલતા અને કરકસરના હલેસાંથી પાર ઉતારે તેજ સાચી સ્ત્રી.
કુમાર”માંથી
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત વચનામૃત
(દુહા )
(૧
હાલમીત ફળદાન છે. આ પાત્ર મઝાર માર વચન છવાતણું, ફળમાન નર નાર બુદ્ધિતણું ફળ જાણો, તવત સુવિચાર શરીરતણું ફળ ત્યાગ છે, વ્રત પાળે ગુણકાર ક્રોધ થકી પ્રીતિ ટળે, માને વિનય પલાય માયાથી મિત્રે ઘટે, લેશે સઘળું જાય
(૨)
(૩)
સુખ દુઃખના વખતમાં, ધીરજ ધારે જેહ ચડતીમાં જે નવ છકે, સજ્જન માને તેહ
(૪)
જે ચારિત્રે નિર્મળા તે પંચાનન સિંહ વિષય કષાય ન ગંજીયા, તે પ્રણમું નિશહિ પર ધનને પર કામિની, હરવા કરે બહુ બંધ જે ચીડે પર જંતુને દેખતે અંધ
(૫)
(૬)
પરમ પંચ પરમેષિમાં ચાર નિક્ષેપે થાઈએ; ન
પરમેશ્વર
નમો
ભગવાન શ્રી ભાણ
(૭)
મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી (ટાણા)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ માનવ કિમ માનવી
પરજીવને પીડા કરે એ માનવે કિમ માનવી? પરદુઃખથી જે સુખ વરે એ માનવે કિમ માનવી? આનંદ પીડામાં લહે એ માનવે કિમ માનવી? કુવિચાર એવા જે વહે એ માનવે કિમ માનવી?
પળપળ મુખે જુઠું વદે એ માનવે કિમ માનવી ? અપકીતિ જેની છે બધે એ માનવે કિમ માનવી? બોલી ફરી જાએ સદા એ માનવ કિમ માનવી અવગુણ વસે જેમાં બધા એ માનવે કિમ માનવી ?
૨
ચોરી કરે નિલ જજ થઈ એ માનવે કિમ માનવી? મીડી વદે વાતે જઈ એ માનવે કિમ માનવી ? અપહરણમાં આનંદ જ એ માનવે કિમ માનવી ? ધન એજ છે સર્વસ્વ જસ એ માનવે કિમ માનવી?
૩
પરનાથી લપટ જેહ છે એ માનવે કિમ માનવી ? જસ વિલ વિલ્હલ ચિત્ત છે એ માનવે કિમ માનવી? કામી મદનવશ જે રહે એ માનવે કિમ માનવી? કુવિચાર જસ મનમાં રહે એ માનવે કિમ માનવી?
વ્યવહાર સહુ જુઠે કરે એ માનવે કિમ માનવી ? મન કપટ આકાંક્ષા ધરે એ માનવે કિમ માનવી
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જસ બલમાં ન વિક છે એ માનવે કિમ માનવી? બાંધે ઘણા કટુ કમજે એ માનવે કિમ માનવી?
૫
કટુ બેલ ઉચરે જે મુખે એ માનવે કિમ માનવી? અવિચારથી જે સહુ બકે એ માનવે કિમ માનવી ? સજ્જનતણે પીડે ઘણે એ માનવે કિમ માનવી? કુવિચાર એ દાનવતણે એ માનવે કિમ માનવી
નિદા કરે મુનિ સંતની એ માનવે કિમ માનવી? દે ગણે મતિ જેહની એ માનવે કિમ માનવી? ચિંતા ન જસ પરલકની એ માનવે કિમ માનવી? જસ ફિકર નહીં હૈ નકની એ માનવે કિમ માનવી?
9
જસ દેવ વા નહીં ધમ છે એ માનવે કિમ માનવી? પશુસમ અહે! જેસ વૃત્તિ છે એ માનવે કિમ માનવી? કથની કહું હું કેટલી છે વાત નહીં એમાં નવી બાલેદની એ બેધવાણી સુજન સહુએ માનવી.
(કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલેથી જ્ઞાન વધે છે !
એક લેખક સાહિત્યચન્દ્ર બાલચંદ હીરાચંદ (માલેગામ)
આપણે જોઈએ છીએ કે, બાલકે જ્યારે પહેલ અડકતા અચકાય છે. તેથી જ અમે કહીએ છીએ વહેલા ચાલવાને પ્રયત્ન કરે છે ત્યારે વારંવાર પડે કે, ખલના કે ભૂલ એ જ્ઞાન વધારવાનું નિમિત્ત છે. અથડાય છે. છતાં એ ફરી હસતે મોહેડે ઉડી બની જાય છે. ચાલવાનો પ્રયત્ન કરે છે. કેઈકવાર એને કાંઈક
માણસે ધ્યાનમાં રાખવું જોઈએ કે, ભૂલો વાગે છે. રડે છે પણ ખરા. છતાં ચાલવાનો પ્રયત્ન
કરવાને પણ આપણને હક છે. ભૂલ થવાનો સંભવ મૂકી દેતા નથી. ફરી પ્રયત્ન કરો એ સૂત્ર એના
છે માટે આપણે કોઈ ઉપયોગી કાર્ય કરવાનો મગજમાં પૂરેપૂરી રીતે ઘર કરી બેઠેલું હોવાને લીધે
પ્રયત્ન જ કરે નહીં, એ બુદ્ધિ કેવી ! કોઇને નવું એ વારંવાર પ્રયત્ન ચાલુ રાખે છે. અને અંતે
મકાન બાંધવા વિચાર થયો, તેવામાં એના મનમાં એમાં યશ મળે છે જ, અને અંતે ચાલવા તે શું એ વિચાર આવે કે આગળ જતાં ઘરમાં ઉંદર પણ દેવા માંડે છે. વિદ્યાર્થી ભણતા વારેઘડી 3.
પિ ના બીલ કરશે કીડીઓ થશે, મછર અને
અળયે. . ભૂલે કરે જાય છે અને માસ્તરના ઠપકા પણ સાંભળ માખીઓ થશે, માંકડ વધી જશે, ઘર સાચવવા છે. પણ એવામાં જે એ ગભરાઈ અભ્યાસ કરે- માટે નોકરે રાખવા પડશે, માટે આપણે ઘરજ વાનું મૂકી દે તે એની ઉન્નતિ શી રીતે થવાની ? બાંધવું નહીં જોઈએ. એ કપના કેવી અજ્ઞાનજન્ય પિતાની ભૂલ શી રીતે થઈ અને તે સુધારવા માટે અને મખંઇ ભરેલી કહેવાય ! દેવી જાતના પ્રયત્નો કરવા જોઈએ એ જ્યારે એના જાણવામાં આવે છે ત્યારે એજ વિધાથી બીજા કોઈને ભણવું હોય ત્યારે અમુક પાઠશાળામાં એની ભૂલે બતાવવા સમર્થ બને છે. ખલના અને કે અમુક ગુરુ પાસે ભણવાથી આપણને જરૂર જ્ઞાન એની સાથે વિનય મળી જતા એ ગુરુનું કામ કરે છે. મળશે એવી શ્રદ્ધા હેવી જોઇએ. જોકે, હજ જ્ઞાનને
એકડે પણ આવડત ન હોય છતાં આપણે જે સંસારમાં પડતા જ્યારે વેપારમાં ખોટ આવે વિશ્વાસ કે શ્રદ્ધા રાખવી પડે તેને સમ્યક્દર્શન કહી છે ત્યારે જે માણસ માથે હાથ દઈ રડતો બેશે તો શકાય કારણ પહેલા શ્રદ્ધા જખ્યા વિના ભણવા જાય જ તેની ઉન્નતિ શી રીતે થાય ? જે કારણથી એને કોણ ? એક વખત શ્રદ્ધા સારી રીતે જામી જાય ખેટ આવી હોય તેને બારીકાઈથી તે શોધ કરી છે ત્યારે તેમાં થતી ખલના માટે માણસ તૈયાર થઈ ભૂલ સુધારવા પ્રયત્ન કરે તે એની એ ભૂલ એક રહે છે. અને કાંઈ ભૂલ થતી હોય તો તેમાં ગુરુનું કાર્ય કરી આપે છે. અને એવી ભૂલ કરી આપણે પોતાને જ દોષ હોવો જોઈએ, આપણે નહીં કરવાને એ નિશ્ચય કરે છે. અને એ પૂરેપૂરી ભણાવનાર ગુરુને નહીં. એવી શ્રદ્ધા જામતા આપણે સાવચેતી રાખે છે. જેમ નાનું બચ્ચું એકવાર જ્ઞાનમાં પ્રગતિ મેળવી શકીએ. એમાં જે આપણે અગ્નિના સ્પર્શથી દાઝી જાય છે, ત્યારે ફરી અગ્નિ વિનય કાંઈક મેળો પડે અને અહંનું ભૂત માથે તે શું પણ અગ્નિ જેવા જણાતા રંગીન પદાર્થને ચઢી બેશે તે આપણા ભણતરનું ત્યાં જ પૂર્ણવિરામ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
માત્માનંદ પ્રકાશ
મળી જાય છે. એટલે આપણી ભૂલ જણાતા અને તેમાં સફળતા ન મળે ત્યારે આપણે શું દેવું આપણામાં વિનયની માત્રા વધી જવી જે.એ. તે છે તે શોધવા પ્રયત્ન કરવો જોઈએ. અને આપણી જ આપણને કાઈક આગળ વધવાનું બને. આપણી ભૂલની કે દેષની શોધ કરવી જોઈએ. અને એ ભૂલોમાંથી પણ આપણે નવી પ્રેરણા મેળવતા આપણી ભૂલ સુધારવા પ્રયત્ન કરે છે એ. કેાઈ શીખવું જોઈએ. તેજ આપણને સમ્યકદર્શન પછી પણ કાર્ય પૂરી રીતે સિદ્ધ કરવા કમર કસવી જોઈએ, સમ્યકૃજ્ઞાન મળવાને સંભવ છે. આપણામાં જ્ઞાનની એવી કાર્યસિદ્ધિની ચિવટ અને તાલાવેલી કે દઢતા ખામી હોય, આપણું જ્ઞાન અધુરૂં હોય તો કદાચ રાખ્યા વિના આપણે પુરૂ યશ મેળવી શકીશું નહીં ચાલે પણ શ્રદ્ધા કે દર્શનશુદ્ધિમાં આપણે અધુરા સંપૂર્ણ યશ મેળવવા માટે તે સંપૂર્ણ રીતે ચિવરહી જઈએ અને વિનય ભૂલી જઈએ તે આપણી કઈ રાખવી પડશે. વાર્થ વા વાયત તે at ઉન્નતિ અશક્ય છે. આપણે હજુ અપૂર્ણ છીએ, ભલે આપણુ કાર્યમાં આપણા શરીરનું અને શાસ્ત્રીય ભાષામાં આપણે છસ્થ છીએ એ પણ બલિદાન કરવાને પ્રસંગ આવે તે પણ કદાપિ ભૂલવું નહીં જોઈએ. આપણે આપણું આપણું કાર્ય તે આપણે સાધવાના જ. એવી ભૂલ કબૂલ કરતા જરાએ અચકાવું નહીં જોઈએ. ચિવટ હોય તે જ આપણે યશભાગી થવાના
જેમનું મન શુદ્ધ નિર્મલ દપણું જેવું સ્વચ્છ -અન્યથા નહીં. હોય છે તેઓ પોતાની ભૂલ જણાતા તે કબૂલ અત્યાસુધી જગતમાં જે જે મહાપુરૂ થઈ રાખવામાં જરાય અચકાતાં નથી. તેઓ તે ઉલટા ગયા અને જેમના વખાણું જ્ઞાનીઓએ મુક્તકંઠે વધારે સાવચેત થઈ જાય છે અને એમના કરેલા છેતેઓએ એવીજ તીવ્ર ભાવનાના વેગે આમામાં જરા જેવી પણ કલુષિતતા હશે તે દર પોતાનું આમકલ્યાણનું કાર્ય સાધ્ય કરી બતાવેલું થઈ જાય છે. માટે ભૂલે થતાં નહીં ગભરાતા છે. જે લેકે જરા જરા જેવી અડચણે કે અચતેમાંથી નવું સુધરવાનું સાહિત્ય મેળવવું જોઇએ વડાથી ગભરાઈને પોતાના કાર્યથી પાછા પડી અને ભૂલને ખુલ્લા દિલે એકરાર કરવો જોઈએ. ગયા તેઓ કાયમને માટે પોતાને માએ ચુકી ગયા થર્ન રે ઘર
= સેવ: અને નિરાશ થઈ બેઠા છે. માટે જ અમે કહીએ એ પંક્તિને અર્થ કોઈ નિક્તિ રહેવા માગનારા છીએ કે ભૂલોથી ગભરાઈ નહીં જતા તેમાંથી માર્ગ કે જેના માથે આળસ ચઢી બેઠેલો હોય એવા કાઢવા શીખવું જોઈએ, નદી વહે છે. તેની વચ્ચે લે કે એવું કરે છે કે આપણે કઈ કામ કરવાના અનેક જાતના અવરોધાને સામને કરવો પડે છે, પ્રયત્ન કરીએ અને એમાં યશ ન મળે એમાં છતાં એ પિતાનું વહેણ ગમે તેવા પ્રસંગોમાં પણ આપણો શા દોષ ? એટલે આપણે તો પ્રયત્ન કરી ચાલુ રાખે છે, એ આપણે નિત્ય જોઈએ છીએ. ચુક્યા છીએ ત્યારે આપણે એમાં કઈ જાતને એ દાખલો આપણે સામે કેમ ન મૂકો ? દોષ રહ્યોજ નથી. ત્યારે વારે ઘડી શા માટે આપણે વિજ્ઞાનના સંશોધનો કરતા ક્ષણે ક્ષણે અવરોધ એ કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ ? આવી આવ્યા જ કરે છે. તેઓ ઘડી ઘડી ભૂલે કરે છે. રીતે પિતા ઉપરની જવાબદારી ટાળવાને જેઓ પણ તેથી તેઓ ગભરાતા નથી. તેઓને નિશ્ચય પ્રયત્ન કરે છે, તેઓ મેટી ભૂલ કરે કરે છે. આ એક જ હોય છે. અને તે એ કે પોતાના કાર્યમાં વાક્યને વાસ્તવિક અર્થ એ તારવો જોઈએ કે અંતિમ સિદ્ધિ મેળવવી ! અને એવા નિશ્ચયન જેથી આપણે ફરી ફરી પ્રયત્ન કરવાને ઉરોજન બને તેઓ યશસ્વી બને છેજ, ભાગીરથી નદીને મળે. મતલબ કે, આપણે કંઈ કાર્ય કરવા બેસીએ અમુક માર્ગે વહેવા લગાડવી છે એ કૃતનિશ્ચયથી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભૂલાથી જ્ઞાન વધે છે !
અનેક પેઢીએ પાતાનુ સર્વસ્વ અપર્ણ કરી દીધું અને આખરે ભગીરથે છેલ્લે યશ મેળવ્યા. અને ભાગીરથીને પાતાંની ઇચ્છા મુજબ વહેતી કરી. તેથી જ તે નદીને ભાગીરથી એવું નામ મળ્યું અને તેથી જ કાપણું દીર્ઘ પ્રયત્નને ભગીરથ પ્રયત્ન એવું સાઈ નામ અપાય છે.
એક રસાયનશાસ્ત્રીને અમુક જાતના રંગની
શેાધ કરવાની હતી. તે માટે એણે પેાતાના ધરમાંની મૂલ્યવાન વસ્તુઓ વેચવા માંડી. આખરે પેાતાને બેસવાની ખુરશી ટેબલ પણ વેચી નાંખ્યા. એ શેાધની અંતિમ અવસ્થામાં એણે ઘરના બારી– બારણાએ પણ વેચી નાખ્યા અને આખરે એને તેમાં યશ મળ્યેા. કહેવાનુ તાપ એટલું જ છે કે કાર્યસિદ્ધિ માટે કેસરિયા કરવા પડે એમાં પાછી પાની કરી ન ચાલે. અંતિમ યશની કલગી માથે ચઢાવવાનું જ ધ્યેય નજર સામે રાખવું જોઇએ.
કાં સંસારનું, ઐતિક સુખ વૈભવ કે મોટા મેળવવાનુ હોય કે પછી તે ધર્મસાધવાનું હોય તેમાં જ્યારે એકતાનતા અને એકરૂપતા થાય છે ત્યારે જ તેમાં યશ મળવાના સભવ હાય છે. આ કામ મારાથી પ્રેમ થશે ? હુ...ઘડીભર ભૂખ્યા રહી શકતા નથી ત્યાં ઉપવાસ શી રીતે કરી શકીશ ? એવી ન્યૂનગંડની ાવનાને જ આપણે વળગી એસીએ ત્યારે આપણાથી કાપણુ કાર્યમાં સિદ્ધિ કેમ મળે ? બીજાએ જે કાર્ય સ્હેજે કરી જાય છે તે તપ કે સાધના આપણાથી શામાટે ન
વ્રત,
થાય ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
આપશે પણુ ખીજાના જેવાજ માનવી છીએ અને આપણામાં પણ એવી જ શક્તિ કે લાયકાત છે ત્યારે આપણે પણ દૃઢતાપૂર્વક સાધના કરવા માંડવામાં હરકત શી ? આપણી સામે જ આપણા જેવા માનવા કાઇ કાર્યમાં યશ ખાટી જાય અને આપણે મ્હાં જોતા જ રહી જઇએ એ કેમ અને ! કરવી એ જો કે દોષ છે. પણ આપણા આત્માની ઉન્નતિ સાધવામાં તે યત્કિંચિંત પણ સહાયભૂત થતી હાય ક્ષણવાર તેતેા અવલંબ કરવા પણ ચેાગ્ય થઇ પડે. અંતે એ દોષ કાઢી નાખવા માટે ઝાઝા પ્રયત્નની આવશ્યકતા પણ ન રહે.
આગળ જતા વિઘ્નો આવશે એમ માની ધણાએ સારા કામના આર્ભ જ કરતા નથી. તેમ વિધ આવી પડતા ઘણા છેાડી દોડી જાય છે. પણ કેટલાએક વિરલાઓ એવા હાય છે કે, તેને વિશ્વ આવી પડતા વધુ બળ મળે છે. અને તે વિધના સામના
બમણા જોરથી કરે છે. અને પેાતાના સુપ્ત પુરુષા અને પુરૂષાથ ફેરવતા કદી પણ થાકતા નથી—આપણે બતાવવા તત્પર થાય છે. પુણ્યાત્મા પુણ્ય કરતા પશુ એમ કરીએ તેા એટલુ બધુ કાર્ય આપણા માથે થઇ જશે કે, આપણે પશુ તે જોઇ આશ્ચર્યમાં પડી જશુ
For Private And Personal Use Only
અમારા વાચક બંધુ ગિનીએની આવરાઈ રહેલી એ પ્રસુપ્તશક્તિ જાગૃત થાય અને એમના હાથે સારા કાર્યો થતા રહે એજ શુભેચ્છાથી વિરમીએ છીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્ર આજનો દિન
ડેઇલ કાર્નેગી (આપણને બધાને આપણું આળસ મંદતા, અને એનાથી અજાણ રહીશ. જે કામ કરવાને અનિર્ણાયકતા, માંદગી, સાંયોગિક મુશ્કેલીઓ, મને કંટાળો આવતા હોય, તેવા બે કામ, માત્ર વસ્તુઓને અભાવ, મનની વિવિધ લાગણીઓ, રોષ, તાલીમ લેવા ખાતર પણ હું અવશ્ય કરીશ. ઈષ્ય વગેરે પડતાં હોય છે. પણ મેટે ભાગે એને ૬. આજનો દિવસ હું સુઘા ને મિલનસાર દોષ આપણે બહારના સંજોગો પર, પરિસ્થિતિ પર રહીશ. મારો દેખાવ સારામાં સારો લાગે તેવી કે પછી બીજી ત્રીજી વ્યક્તિ પર ઢોળી દઈએ છીએ, કોશિષ કરીશ. સારામાં સારી રીતે વસ્ત્રો પહેરીશ. એને બદલે રેજ સવારે જે આપણે આપણી જાતને ધીમા અવાજે વાત કરીશ, વિનયથી વતીશ, મોકળે સારું આટલું કરી શકીએ....તે જિંદગી કેટલી મને પ્રશંસા કરીશ, નિદા તે જરાય નહિ કરું, ને વધુ સુખપૂર્ણ, સમૃદ્ધ અને કૃતાર્થ બને !)
બીજાનો દોષ કાઢવાને પ્રયાસ કરીશ અને બીજાને ૧. માત્ર આજનો દિન હું આનંદમાં રહીશ.
સુધારવાનું કે બીજા પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન આને અર્થ એમ થાય છે કે અબ્રાહમ લિંકને જે પણ નહિ કરું. કહેલું તે સાચું હતું કે “મેટા ભાગના લેકે પોતાના
૭. માત્ર આજનો દિવસ, આજની જિંદગી જ મન સાથે નક્કી કરે તેટલા સુખી થઈ શકે છે. સુખી હું જીવીશ. એક દિવસમાં આખી જિંદગીની સમસ્થા હોવું એ એક આંતરિક બાબત છે, એને બહારની ઉકેલવાનો પ્રયાસ નહિ કરું. વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી.
૮. માત્ર આજનો દિવસ હું મારે માટે કાર્યક્રમ ૨. માત્ર આજનો દિવસ, જે પરિસ્થિતિ છે તેની
બતાવીશ. આખા દિવસમાં નક્કી કરેલ સમયે હું સાથે મારી જાતને ગોઠવવાનો પ્રયાસ કરીશ અને
શું કરવા ધારું છું તે લખી લઈશ. કદાચ એનું વસ્તુને મારી ઇચ્છાને અનુ૫ ગાઠવવાની સંપૂર્ણ પાલન ન કરી શકું. પણ હું કાર્યક્રમ તે પ્રયત્ન નહિ કરું. મારું કુટુમ્બ, ભારે વ્યવસાય અને બીજી કોઈ છે ,
ઘડીશ. એથી બે વસ્તુનું નિવારણ થશે. ઉતાવળનું મારું કિસ્મત એ–બધાને તે જે સ્વરૂપમાં મારી અને અનિર્ણયક્તાનં. સામે આવે તે સ્વરૂપમાં સ્વીકારીશ અને મારી
૯, ફક્ત આજનો દિવસ હું અડધા કલાક શાંત જાતને તેને સાનુકૂળ બનાવીશ.
પણે એકાંતમાં ગાળીશ. આ અડધા કલાકમાં હું ૩. માત્ર આજનો દિવસ હું મારા શરીરની પલ છે
રાસારના પ્રભુ કે આત્માનું ચિંતન કરીશ જેથી મારી જિંદગી
અને સંભાળ લશ, એની કાળજી ૯ઈશ, એને પણ વિષેનું મારું દર્શન કંઇક વધુ સ્પષ્ટ બને. આપીશ, એની નિંદા કે ઉપેક્ષા નહિ કરું જેથી મારા
૧૦. માત્ર આજનો દિવસ નિધ રહીશ, કામ માટે તે એક ઉત્તમ સાધન બની શકે.
ઓછામાં ઓછું આનંદમાં રહેતાં રહેતાં હું ડરીશ ૪. માત્ર આજનો દિવસ મારી મને શક્તિ
નહિ, જે સૌંદર્યપૂર્ણ છે તેનો આનંદ માણીરા સ્નેહ મજબૂત બનાવવાનો પ્રયાસ કરીશ. હું કાંઈક ઉપ
કરીશ અને માનીશ કે જેમને હું ચાહું છું તેઓ યેગી શીખીશ. નિર્દેશ્ય માનસિક ભ્રમણે નહિ કરું.
મને પણ ચાહે છે. હું એવું કશુંક વાંચીશ જેને સમજવામાં પ્રયત્ન, એકાયતા અને ચિંતનની જરૂર પડે.
તમે જે આનંદપૂર્વક વિચારશે ને આનંદપૂર્વક ૫. ફક્ત આજનો દિવસ મારા આત્માને હું કામ કરશે તે ખરેખર જ આનંદની લાગણી ત્રણ રીતે તાલીમ આપીશ. હું કોઈકનું ભલું કરીશ અનુભવી શકશે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::::
કામે
સ્વ. સાહિત્યોપાસક “સુશીલને જીવનપરિચય
પરમાણંદ ગુજરાતી સાહિત્યના આજીવન ઉપાસક શ્રી લખવા માંડયું અને એક ઉચ્ચ કોટિના લેખક ભીમજીભાઈ સુશીલનું તા. ૧૫-૫-૬૧ ના રોજ ૭૩ તરીકે તેમની નામના ચોતરફ વધવા લાગી. વર્ષની ઉમરે ભાવનગર ખાતે અવસાન થયું. તેમનું લેખનપ્રવૃત્તિના અંગે તેઓ સામાજિક તેમ જ આખું નામ ભીમજીભાઈ હરજીવન પારેખ, સુશીલ’એ રાજકીય કાર્યકર્તાઓના પરિચયમાં આવતા થયા લેખક તરીકે તેમનું ઉપનામ હતું. તેમના મિત્રો અને રાજકારણી રંગે રંગાવા લાગ્યા. ૧૯૩૦-૧ર સ્વજને તેમને ભીમજીભાઈ યા, સુશીલના નામથી ની કાનૂનભંગની લડતમાં તેઓ સામેલ થયેલા અને સંબોધતા.
ધોલેરાના મીઠાના સત્યાગ્રહમાં પકડાયેલા, જેના
પરિણમે છ મહિનાની જેલયાત્રા તેમના ભાગ આવેલી. તેમને ... જન્મ ઇ. સ ૧૮, ૮ના જાન્યુઆરી માસની ૧૮ મી તારીખે સૌરા માં આવેલા લીંબડી આમ છતાં તેમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ તે મુકામે થયો હતે. જમે તેઓ જૈન હતા. “ગ્રંથ અને સાહિત્યક અને તેમાં પણ વિશેષ કરીને પત્રકારિત્વ ગ્રંથકારમાં તેમની જીવનકારકીર્દી અંગે જે વિગતો સાથે જ જોડાયેલી રહી. સામયિકમાં, “કચ્છ કેસરી, આપવામાં આવી છે તે મુજબ તેમણે લીંબડીની જૈન, “સૌરાષ્ટ્ર, “ફૂલછાબ', “જય સ્વદેશી હાઇસ્કૂલમાં માત્ર અંગ્રેજી ચાર ધોરણ સુધી જ (સાપ્તાહિ), જય સ્વદેશી (પાક્ષિક), અને “જૈન અભ્યાસ કરેલો. ત્યાર બાદ અમદાવાદની એક જૈન પાઠ- પતાકા' “યુગધર્મ' અને “આનંદ” (માસિક) આદિ શાળામાં તત્વજ્ઞાનના અભ્યાસ માટે તેઓ દાખલ થયેલા પત્રોના તેમણે જુદા જુદા સમયે સહાયક તંત્રી તરીકે અને તે દિશાએ જિજ્ઞાસા વધતાં કાશીની યશોવિજયજી કામ કર્યું હતું. તેમાં પણ જૈન' સાપ્તાહિકના જૈન પાઠશાળામાં દાખલ થઈને તેમણે પિતાને શરૂઆતનાં ત્રણ ચાર પાનાંની તંત્રીને તેમણે અભ્યાસ આગળ વધારે અને સંસ્કૃત તેમજ વર્ષો સુધી લખી હતી અને આ નેધ દ્વારા તેમણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ સાથે સાથે સંપાદિત જૈન સમાજની તેમ જ વિશાળ રાષ્ટ્રના અનેક કરેલું. આ દરમિયાન સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોની પ્રશ્નોની તથા મહત્વની ઘટનાઓની વિચારપ્રેરક તેમ તેમના ઉપર ભારે બળવાન અસર પડેલી અને સ્વામી જ માર્મિક આલોચના કરી હતી. રામતીર્થના ચરિત્રથી તેઓ ખૂબ પ્રભાવિત બનેલા, આમાં પણ સ્વ. વિજયધર્મસૂરીએ તેમના જીવન
આ ઉપરાંત તેમણે નાનાં મોટાં અનેક પુસ્તકે ઘડતરમાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લખ્યાં છે. જેમાં ૭ જીવનચરિત્રને, ૨ ઐતિહાસિક
પુસ્તકોનો, ૧૦ કથા સંગ્રહને, ૧૩ મોટી કથાઓને કાના નિવાસ દરમિયાન જેટલું શકય હતું અને ૧૨ અન્ય ગ્રંથને સમાવેશ થાય છે. આમાં તેટલું જ્ઞાન સંપાદન કરીને તેઓ સૌરાષ્ટ્રમાં આવીને ચાર પુસ્તકે બંગાળી ઉપરથી અને એક મરાઠી વસ્યા અને લેખનપ્રવૃત્તિને તેમણે પિતાને મુખ્ય ઉપરથી અને એક સંસ્કૃત ઉપરથી લખાયેલાં છે. આ વ્યવસાય બનાવ્યું. જુદા જુદા સામયિકામાં તેમણે વિગતો તેમની સાહિત્ય ઉપાસનાની ભવ્યતા અને
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
આત્માનંદ પ્રકાશ
વિશાળતાને સગેટ ખ્યાલ આપવા માટે પૂરતી છે પણ તેમની પાસેથી હંમેશાં કોઈ ને કોઈ ન
પ્રકાશ લાધતા. તેઓ ચિતક અને વિચારક હતા આ સાહિત્યવિભૂતિનું દેહાવસાન ગયા મહિનાની
અને તેમનું વાંચન ગુજરાતી તથા બંગાળી સાહિત્યના પંદરમી તારીખે થયું, પણ સાહિત્ય લેખક તરીકેનું અવસાન તો આજથી ૧૩ યા ૧૪ વર્ષ પહેલાં જ્યારે
વિશાળ ક્ષેત્રને ગાઢપણે સ્પર્શેલું હતું. સ્વ. મેઘાણીના
તેમ જ સ્વ અમૃતલાલ દલપતભાઈ શેઠના તેઓ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે જેન” પત્રની
નિકટવતી મિત્ર હતા. જૈન સાહિત્યના તેઓ ઊંડા તંત્રીને ધ લખવાનું છેડી દીધું ત્યારથી થઈ ચૂકયું
અભ્યાસી હતા. વળી તેઓ આજીવન અપરિણીત હતું. એ બગડેલી તબિયત પછી કદિ સુધરી જ નહિ. સમય જતાં તેમના શરીર ઉપર પક્ષઘાતની અસર
હેવા છતાં સામાન્ય રીતે જોવામાં આવે છે તે થઈ, અને હલનચલન ઉપર એકાએક મર્યાદા મૂકાણી.
મુજબ તેઓ શુષ્ક, કડક વ્રતધારી, કે સંસાર વિષે આ પરિસ્થિતિમાં તેમની સારસંભાળ લેવાનું બહુ
વૈરાગી નહેતા હળવી-અતિ ગંભીર નહિ એવીમુશ્કેલ બની ગયું. કારણ કે તેમણે લગ્ન નહિ કરવાને
' ભૂમિકા ઉપર જીવનને જાણવું અને માણવું–આવી
તેમની જીવનપદ્ધતિ હતી. ચા, પાન તથા તમાકુનું સંકલ્પ લગભગ જીવનના પ્રારંભથી જ કર્યો હતો
તેમને ચાલું વ્યસન હતું. સાહિત્યનિષ્ઠા તેમના અને તે મુજબ તેઓ જિંદગી ભર અપરિણીત જ રહ્યા હતા. આજથી દશ વર્ષ પહેલા તેઓ જ્યારે
જીવનને પ્રધાનસૂર હતો. સુરૂચિ, રસિકતા, પ્રસન્નતા
તેમની પ્રકૃતિને સહજપણે વરેલી હતી. તેમની સાથેના પક્ષઘાતના અથવા તો કંપવાના ભંગ બન્યા ત્યારે,
વાર્તાલાપમાં વિનોદ ભામિકતાનાં તો, હંમેશા સદ્ભાગ્યે સૌરાષ્ટ્ર સરકારે તેમની વભરની અખંડ ૧ સાહિત્યસેવાની કદર કરીને તેમને અમક આથિક તાણાવાણી માફક વણાયેલાં રહેતાં. જનવાણી
સમાજ અને આજની જરીપુરાણી સાધુસંસ્થા સામે મદદ આપી અને ભાવનગરના સર તખ્તસિંહજી હોસ્પિટલમાં એક અલાયદા રૂમમાં કશો પણ વળતર
તેમના કટાક્ષે ચાલ્યા જ કરતા હતા. તેમનું જીવન સિવાય અનિયત મુદત માટે રહેવા, ખાવા વગેરેની
સાદુ અને સરળ હતું. તેમને સ્વભાવ ખૂબ પ્રેમાળ જરૂરી બધી સગવડ કરી આપી અને જીવનના અવશેષ
હતો. મહત્વાકાંક્ષા તેમની અતિ મર્યાદિત હતી અને
હું એક ભારે આદર્શ જીવન જીવી રહ્યો છું.’ કાળ તેમણે ત્યાં જ વ્યતીત કર્યો.
એ કદી પણ તેમને દાગ નહોતો. મર્યાદિત ક્ષેત્રમાં આમ લેખનકાર્ય પૂરતા તેમના સાહિત્યિકજીવનનો રહીને અથવા તે એ મર્યાદાને સ્વેચ્છાએ સ્વીકારીને આજથી લગભગ તેર ચૌદ વર્ષ પહેલાં અંત આવેલ, જેને સમાજની અને ગુજરાત સાહિત્યના અને તેમાં પણ હાથ ઉપર આવતું ભિન્ન ભિન્ન પ્રકારનું સાહિત્ય
પણ વિશેષ કરીને જૈન કથાસાહિત્યની તેમણે અનુવાંચતા રહેવાનું, તેમજ મિત્રોને મળવા હળવાન પમ સેવા બજાવી હતી તેમના અવસાનથી મને અને તેમની સાથે અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવાનું,
એક અંગત સ્નેહીની અને આપણું વિશાળ સમાપાછળને અમુક રોષકાળ બાદ કરતાં ઠેઠ સુધી ચાલું જ એક આજીવન સાહિત્ય પાસકની એક શાન્ત, હતું. શ્રી ભીમજીભાઈ સાથે મને ઘણાં વર્ષોને પરિચય સ્વસ્થ, પ્રસન્ન માનવીની ખોટ પડી છે. હતે. ભાવનગર જાઉં ત્યારે તેમને એક બે વાર મળવાનું અને જ, અને તેમને મળવું એટલે અનેક તેમને લાંબા હોસ્પીટલનિવાસ દરમિયાન પણ બાબતો અંગે તેમની સાથે વિચારવિનિમય કરવો. જ્યારે જયારે ભાવનગર જવાનું બનતું ત્યારે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન તેમની પાસેથી સાહિત્યવિષયક મોટા ભાગે હું તેમની પાસે જતો અને સાહિત્યના પુષ્કળ માહિતી મળતી અને સામાયિક પ્રશ્ન પર એ શતદલ કમળ જેવા ભીમજીભાઈની પાંખડીઓ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્ય હસતે હતે !
રાધાકૃષ્ણ
મારતી અને જિવાડતી બંને પ્રકારની વાતે મળે હસતાં હસતાં સૂર્ય ઉદય થવાની તૈયારી કરી રહ્યો હતો.
" છે. હું તને અર્થશાસ્ત્રનું શિક્ષણ પણ આપીશ.
એની ડિમાન્ડ” અને “સપ્લાયની થિયરી વાંચીને એને જોઇને એક અંધાપકે ઉલ્લાસભર્યા સ્વરે તને સમજાશે કે જેને જરૂર છે એને મફત કિરણો કહ્યું : ઓહો, દેખાવે તું કે તેજસ્વી લાગે છે ! આપી દેવાથી કંઈ લાભ થતો નથી. હું તેને મનપૃથ્વી પર જઈ રહ્યો છે તે પહેલાં થોડે અભ્યાસ વિજ્ઞાન શીખવીશ કે જેને વાંચીને અત્યાર સુધીની તે કરી લે.”
બધી અધ્યાત્મિક વાતને તું ભૂલી જશે. ઈચ્છા
હશે તેટલું એન્થ્રોપોલેજ પણ શીખી શકશે અને સર્ષે હસીને તેના તરફ જોયું.
એથી તને ખબર પડશે કે માણસ માણસ વચ્ચે અધ્યાપક મહેય બોલવા લાગ્યાઃ “હું કલા કેટલું અંતર છે. હું તને જાહેર આરોગ્ય સંબંધે અને વિજ્ઞાન બનેનું શિક્ષણ આપું છું. હું તને પણ માહિતી આપીશ. અને તને ખબર પડશે કે દર્શનશાસ્ત્રીની એવી ગૂઢ વાતો બતાવીશ કે જેમાં જનતાના આરોગ્ય માટે તારી કેટલી જરૂર છે. આ જીવનની અદ્દભૂતતા અને વિચિત્રતા બનેને ખ્યાલ શિક્ષણ મેળવીને તું જાહેર આરોગ્ય ખાતા પાસેથી આવે છે. ખરી રીતે તે મૂંઝવણમાંથી અને સમ આર્થિક સહાય પણ મેળવી શકશે નેકરી જતી સ્યાઓમાંથી બચવા માટે જાણે કે દર્શનશાસ્ત્રોમાં હશે તે એ મેળવવામાં પણ મુશ્કેલી નહિ નડે. વધુ મેટી મૂંઝવણ અને સમસ્યાઓની સૃષ્ટિ ઊભી કરવામાં આવી છે. હું તને એ વિજ્ઞાન પણ શીખ- પણ સૂર્યે એની વાત પર કોઈ ધ્યાન ન વીશ કે જેમાં વિનાશ કરતી વખતે, સર્જન કરતી આપ્યું, એ આગળ જવા લાગ્યો.
ઉત્તરોત્તર એક પછી એક ખરતી જતી જોઈને હવે અન્ન આવ્યો છે તે જાણી તે સાંભળીને મન ગ્લાનિ અનુભવતે. જેમની પાસે જઈએ તે વાતને શોકાતુર બનવા છતાં પણ એક પ્રકારની રાહત છેડો જ ન આવે. તેમની સાથે તબિયતના ખબર અનુભવે છે. આ સુચરિત સાહિત્ય પરિણીત વ્યક્તિના અન્તર પૂછવાથી ભાગ્યે જ વિશેષ કોઈ વાત ચાલે સ્થળ દેહ વિલય થયો છે, પણ તેને સાહિત્ય અને વખત જતાં તે પણ મુશ્કેલ બનતું ગયું. અક્ષરદેહ-કઈ કાળ સુધી જીવન્ત રહેવાને છે અને તેઓ શું કહે છે તે સમજવું કઠણ બનતું ગયું. આગામી સાહિત્યભિમુખ પેઢીને પ્રેરણા આપવાને આવી તેમની અસહાય દશા જોઇને મન ગમગીન છે એમાં કોઈ શક નથી. બની જતું. આવા અર્થશય પ્રયોજનશન્ય જીવનને
(“પ્રબુદ્ધ જીવન માંથી ઉધૂત
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
સૂર્યને જતો જેને એક વેપારી આગળ આવ્યો હોય છે. અત્યારે આઈ. સી. એસ, અમલદારો ઘણા એણે પ્રણામ કરીને બોલવા માડયું : “મહાય, ઓછા છે તે એમાં શું થયું ? આઈ. એ. એસ. જતાં જતાં મારી એક વાત સાંભળતા જાવ. તમારી કરતાં એ જરા વધુ ઉપયોગી ગણાય છે એટલું જ. ઈચ્છા હોય તો તમે તમારા કિરણોને રોકડા પૈસા એ પછી ડે. કલેકટર આવે છે. એમાં એક-બે એવા લઈને અથવા તે રોયટીના ધોરણે અમને વેચી ઘણું વર્ગો જ છે. તને એટલી જ પ્રાર્થના કરવાની શકે છે. હું એને ડબામાં પેક કરીને એના પર છે કે તું ‘સિવિલ લિસ્ટ” જોઇને દરેકને રેગ્યતા સરસ લેબલ લગાડીશ, હું એની પેટન્ટ કઢાવ લઈશ અનુસાર કિરણે આપ. જો તું તારા કિરણોની કે જેથી બીજે કઈ એને ઉપયોગ કરી શકશે નહિ. યોગ્ય વહેંચણી કરવા ઇચ્છતા હે તે અનેક જગ્યાએ એની એજન્સીઓ ખૂલશે અને દુનિયાભરમાં એનું મોટા પ્રમાણમાં વેચાણ થશે. આમાંથી ઘણા પૈસા મળશે સમજ્યા ? દુનિયા પરંતુ સૂર્ય હસતે હતા અને આગળ જઈ માં કંઇ કમાણી કરવાની ઈચ્છા હોય તે
રહ્યો હતો. પણ સૂર્યે એની વાત ઉપર ધ્યાન જ આપ્યું ખૂબ દૂર આગળ જઈ પહોંચતાં ત્યાં એક સનિક નહિ, એ તે હસીને આગળ જવા લાગ્યો.' દળ ઊભું હતું, સૂર્યને એમણે પોતાની સંગીને
હલાવી અને કહ્યું: “હેલ્ટ, રૂકે. અમારા દેશની એ પછી પવિત્ર જીવન ગાળતા એક પંડિત સરહદ અહીં સુધી જ છે. કેટલા દેશોને પાર કરીને મળ્યા. એમણે કહ્યું: “હે પૂજવર સૂર્ય દેવતા, તું અહીં સુધી આવી ગયો, પણ હવે તું આગળ તું તારા કિરણે આપવામાં આચાર અને . નીતિને જાય એમાં અમને કંઈ લાભ નથી. કૃપા કરીને કંઈક વિચાર કર. જેનું આચરણ પવિત્ર હોય એજ અહીં જ રોકાઈ જા. આગળ જવામાં તકલીફ ઉઠાતારા કિરણેને અધિકારી બની શકે. અપવિત્ર જીવન વવાની જરૂર નથી. જીવતા ગામના ખરાબ ચારિત્ર્યવાળા લેકેને તારા કિરણે તારે એમ જ દેવા ન જે એ. મારી વાત
આમ છતાંયે સૂર્ય હસતો હતો અને આગળ પર તું વિચાર કરી
જઈ રહ્યો હતો. પણ સૂર્ય તે પહેલાંની માફક હસતો જ આગળ જઈ રહ્યો હતો.
એ પછી જયારે સૂર્યોદય થયો ત્યારે દરેક જગ્યાએ
એની છબી છવાઈ ગઈ હતી, ઊંચ-નીચ, અમીર આગળ જતાં એક અમલદાર મ, એણે કહ્યું: ગરીબ, પવિત્ર-અપવિત્ર બધા જ એનાં કિરણોને શ્રીમાન, તારા ઢંગ કંઈ બહુ સારા નથી લાગતા. સરખે લાભ ઉઠાવી રહ્યા હતા. બધા અમલદારોને તું તે એક સરખી રીતે જ ( જન્મભૂમિ પ્રવાસીમાંથી સાભાર ઉધૃત) કિરણો આપે છે. પણ અમલદારો અનેક પ્રકારના
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પહેલવહેલી વાર હું ગાંધીજીને મળ્યે અને એમણે મને આશ્રમમાં દાખલ થવા માટે આમંત્રણ આપ્યું ત્યારે મેં કહ્યું :· તમારી અહિંસા ઉપર મારા વિશ્વાસ હજી બેસતા નથી. અહિં’સામય જીવન પરમાનુકૂલ છે, ઉન્નતિકારક છે—એટલું તે હું જો શક્યો છું. એ તરફ મને આકર્ષણ પણ છે. પશુ હુ' એમ નથી માનતા કે અહિંસા આપણુને સ્વરાજ અપાવશે. સ્વરાજ્ય મને સૌથી વહાલું છે-એને માટે હુ' હિંસા કરવા પણ તૈયાર થઉં, અને પછી પાછળથી ચાણકયની જેમ પ્રાયશ્ચિત પણ કરી લઉ. એવી સ્થિતિમાં તમે મને તમારા આશ્રમમાં શી રીતે લઈ શકે!? ’
ગાંધીજી સ્મિત કરતા ખેલ્યા - - તમારા જે વિચાર છે તે આખી દુનિયાના છે. તમને આશ્રમમાં ન લઉં તેા કાને લઉ ? હું જાણું છું કે બહુમત તમારા છે પણ હુ' સુધારક .... આજે અપમતિમાં છું. આથી મારે ધીરજ સાથે રાહ જોવી જોઈ એ સુધારક બહુમતની વાત સહન ન કરે તેા દુનિયામાં અને બહિષ્કૃત થને રહેવુ પડે,'
ઉપલા જવાબમાં ગાંધીજીએ સરસ રીતે સમ જાવી દીધું કે સુધારકનો ધર્મ શું છે.
કાકએ ગાંધીજીને પૂછ્યું' : ‘ તમારા ખ્યાલ પ્રમાણે વિનાદને જીવનમાં કેટલું સ્થાન હેાઈ શકે ? ગાંધીજીએ કહ્યું : આજે તે। હું મહાત્મા બની એઠો છું, પણ મારે જિંદગીમાં હંમેશાં મુશ્કેલીએ સાથે લડવું પડયું છે. પગલે પગલે નિરાશ થવું પડ્યું છે, એ વખતે, મારામાં વિનાદન હૈાત મેં ક્યારનીયે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ સિદ્ધિચે કારણુ
કાકા કાલેલકર
આત્મહત્યા કરી લીધી હાત મારી વિનેદશક્તિએજ મને નિરાશામાંથી બચાવ્યો છે.’
આ જવાબમાં ગાંધીજીએ જે વિનેદશક્તિના વિચાર કહ્યો છે તે કેવળ શાબ્દિક ચમત્કાર દ્વારા લેાકેાને હસાવવાની જ વાત નથી પણ લાખ લાખ
નિરાશામાની વચ્ચે અમર આશાને જીવત રાખનારી આસ્તિકતાની વાત છે. નાનાં નાળા જ્યારે
ભૂલ કરે છે, તેાફ્રાન કરે છે ત્યારે આપણે એની પર ગુસ્સો નથી કરતા. મનમાં વિચારીએ છીએ બાળકા તા એવાં જ હાય, એમાં મિજાજ ખાવાની શી જરૂર છે ? બાળક સમજતાં શીખશે ત્યારે પેાતાની ભૂલો જાતે જ સમજી લેશે.
સુધારકના હૃદયમાં એ અતૂટ વિશ્વાસ હાવા જો એ કે દુનિયા. ધીમે ધીમે સુધરી જશે. એ પણુ
માળક જ છે તેા !
મને એક પ્રસંગ યાદ આવે છે. એકવાર અમે મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં એક સાથીની પેટી ગાયબ થઈ ગઇ. એ ખૂબ ગુસ્સે થયા. બધા પર નારાજ થયા. છેવટ મારી પાણે આવ્યા. ઊંચે અવાજે એમણે આખી વાત કહી સંભળાવી. મેં એમને શાંતિથી કહ્યું : - ધણા ખેદની વાત છે કે તમે તમારી પેટી ખાઈ નાખી. પણ 'મને એ નથી સમજાતું કે પેટીની સાથે તમે તમારા મિજાજ - પણ કેમ ખાઇ નાખ્યા ? ' આ સાંભળી અમારા સાથીએ હસી પડયા. એમને ખાવાયેલા મિજાજ તરત પાછા મળી ગયા. એ પછી ગભરાયેલા નાકર– ચાકરાતા દિમાગ પણ ઠેકાણે આવ્યા અને ઠીક ઠીક મહેનત પછી એમની પેટી પણ મળી ગં૪.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
મેં જોયું કે જિંદગીમાં મનુષ્યના નસીબમાં હાર-જીત આવે જ છે. ઘણીવાર માણસ પોતાની મૂડી ખાઈ બેસે છે, કુટુંબ ખાઈ બેસે છે, પણ છેવટની ખેતી મૂડી તા એના મિજાજ છે. જ્યાં સુધી માણસ મિજાજ ન ખૂએ ત્યાં સુધી એણે નિરાશ થવાની જરૂર નથી.
આત્મનિઃ પ્રકાશ
સુધારક ! હંમેશાં લઘુમતિમાં જ હોય છે. રૂઢીવાદી જ બહુમતિમાં હોય છે. અધિકાર સંપન્ન હોય છે. એવી સ્થિતિમાં દુનિયા સાથે દોસ્તી રાખવી, નારાજ ન થવું અને મિજાજ ન ખાતાં પેાતાનો હાથ ઉપર રાખવા એને માટે સાધ્ય છે જે હંમેશાં હસતા ચહેરા રાખે છે અને પ્રસન્નતાથી લેાકા સાથે વ્યવહાર કરે છે.
સમ્રાટ ચંદ્રગુપ્તના મુખ્ય અમાત્ય ચાણુકયતે કોઇએ જને ગભરાતાં ગભરાતાં કહ્યું : સ્વામિન તમારા સાથીએએ તમને દગો દીધો છે. એ લોકા શત્રુઓમાં જઇને મળી ગયા છે. તમારી સેના પણ તમને છોડીને શત્રુ પાસે જવાની તૈયારી કરી રહી છે. ' ચાણકયે શાંતિથી ઉત્તર આપ્યા : ‘ ખીજા કાને પણ જવુ હાય તા ભલે જાય. મારી બુદ્ધિ માત્ર મને ન છેડી જાય તા બસ ! ' બુદ્ધિસ્તુ મા ગાન્મમ ! સંકટકાળમાં પરિસ્થિતિ સંભાળી લેનાર આવી અલિષ્ટત–ધટના-પટીયસી બુદ્ધિને જ મિજાજ કહે છે.
પૂનામાં એક ભાઈ ધણા મશ્કરા હતા. લાંબા પ્રવાસ પછી ઘેર આવ્યા તે તાળું ખૂલે નહિ. હવે શુ કરવું ? નારાજ થવાથી તાળુ આછું જ ઉધડવાનું હતું ? પણ તે નાટકીય ઢંગમાં મેલ્યાં : અરે કમબખ્ત તાળા ! મેં તને પૂરા પૈસા આપી ખરીદ્યું હતું. હું તારા માલિક છેં. તું મારા ખરીદેલા દાસ સમાન છે, જે મહિના બહાર ગયા તો શુ થયું ?–મને ભૂલી જવાનેા ? હવે હું તારા પર સ્નેપ્રયાગ કરૂ છું, ખેાલતા જરા તારૂં મ્હોં !” અને એમણે તેલનાં મે-ચાર ટીપાં તાળામાં નાખી ક્રી ચાવી ફેરવી. તાળુ તુરત ખુલી ગયું. ઘરના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકા બહાર હેરાન થઈ રહ્યાં હતા તે પ્રસન્ન થઈ ગયા અને એ શુભ પ્રસન્નતા સાથે એમણે ગૃહપ્રવેશ કર્યાં. આપણા સમાજિક વનનાં તાળાં પશુ એવાં જ હોય છે. એને આપણે સ્નેહ-પ્રયાગથી જ ખાલી શકીએ છીએ.
સોક્રેટિસ પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાની હતા અને પોતાના જમાનાના સહુથી કડવા ટીકાકાર. પ મિજાજના પાકા હતા. કદી શુદ્ધબુદ્ધ ખાઇ દેતા નહાતા. એક દિવસ એમની પત્ની ગુસ્સે થઈ જોરજોરથી લડવા લાગી. સેક્રેટિસ બરફની જેમ ઠંડા રહ્યા. આ જોઇને તે પત્નીને મિજાજ એર ગયા. એણે ગંદા પાણીની એક તલ ભરી સોક્રેટિસને માથે રેડી દીધી. ત્યારે એમણે કહ્યું : ‘ આટલી બના પછી વરસાદ તે પડે જ ને ! ' આવા ઠંડા મિજાજને કારણે જ તેએ પોતાના જમાનાને સુધારી શકયા.
C
મહારાષ્ટ્રના સંતકવિ અને સમાજસેવક તુકારામ પણ પેાતાની પત્ની સાથે શાંતિથી કામ લેતા હતા. તે પેાતાના અનુભવથી કહેતા મના કરા રે પ્રસન્ન ! સર્વ સિદ્ધિયે કારણ' અર્થાત હું લેકા ! તમારા મનને પ્રસન્ન રાખા, એ જ સ સિદ્ધિનું મૂળ છે.,
મેં આ લેખ ગાંધીજીની વિનાદ શક્તિના નમૂનાથી શરૂ કર્યાં છે. એના અંત પણ હું એ વાક્યથી જ કરીશ જે ગાંધીજીએ પાતાની સેવાગ્રામની કુટિરમાં લખી રાખ્યું. હતું : તમે સાચા હા તા મિજાજ સંભાળવાનું તમારે માટે આસાન છે અને તમારી વાત ઠીક ન હેાય તે, મિજાજ ખાવાથી કામ કેમ થશે કે
આથી સૌથી માટું નુકશાન મિજાજને ખેાવાનુ જે મિજાજ ખ઼ુએ છે તે કમજોર બને છે, અધ બને છે, પે।તે જ પોતાના શત્રુ બને છે. જે મિજાજ ખાતા નથી તેનું ભવિષ્ય ઉજ્જવલ છે.
છે.
(‘જીવનસંદેશ'માંથી સાભાર
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TA
બંધને તેડવાં પડશે
શ્રી કેદારનાથજી
નર નાર
–
૨
-
-
મન,
દરેક યુગમાં માનવસમાજની પ્રગતિને અટકાવ- સમાજ અને બ્રહ્મસમાજ કોઈ પંથ નથી પણ વિચારનારા કેટલાંક કારણ હોય છે. કયારેક ધાર્મિક ધારાઓ છેવસ્તુત: લેકેની નાસ્તિકતાની વ્યાખ્યા ' રૂઢિઓ, તે કયારેક સામાજિક પ્રથાઓ, તે કયારેક ઘણી સંકુચિત હોય છે. પિતાનાથી ભિન્ન આચાર વળી આર્થિક અથવા રાજકીય બંધન. આ બધાંને વિચારવાળી વ્યક્તિ દેખાઈ ન દેખાય ત્યાં તો ફટ કારણે જ્યારે સમાજની પ્રગતિ રૂંધાવા કરતુકને એને નાસ્તિકનું બિરુદ આપી દેવામાં આવે લાગે છે ત્યારે નવા આચાર-વિચારોને જાગૃત છે. આવા લેકે ન તો પોતાની માન્યતામાં છુપાકરવાનું જરૂરી બની જાય છે. પાર્શ્વનાથ, બુદ્ધ, યેલા સત્યને શોધવાનો પ્રયાસ કરે છે. ને પોતાના મહાવીર, શંકરાચાર્ય અને આ યુગમાં ગાંધીજી ચાલુ જીવનને પ્રવાહ બદલવા ઇચ્છે છે. એમનામાં આદિએ એવાં જ ક્રાંતિકારી સામાજિક અને ધાર્મિક બસ પોતાની માન્યતાઓનો દુરાગ્રહ હોય છે. એનાથી કાર્યો કર્યા છે.
ઊલટું, જીવનના ચાલુ પ્રવાહને વાળીને સાચે રસ્તે
દેખાડનાર મહાપુરુષને લેકે જલદી સમજી શકતા જ્યારે જ્યારે ભેદભાવ વધ્યા, તરેહતરેહનાં કર્મ
નથી, બલકે એમને દરેક રીતે સતાવે છે. વાસ્તવમાં કાંડાની વૃદ્ધિ થઈ, રૂઢ આચારોના બોજ નીચે
વિચારને અનુરૂપ આચાર રાખવા માટે શક્તિની લેકે કચડાવા લાગ્યા અને જીવનની ક્રિયા સાથે
જરૂર હોય છે, અને એ શકિત સુધારકોમાં હોય છે. સંબંધ તૂટવા લાગ્યો ત્યારે ત્યારે આ પ્રાણવાન
આમજનતામાં સાધારણ રીતે તે હોતી નથી. આને વિચારકેએ ગંભીરતાપૂર્વક મનન કર્યું અને આ
કારણે જ સુધારકેને તરેહતદેહનાં કષ્ટ સહેવાં પડે છે, બધાં બંધનને તોડીને નવા આચાર-વિચારની સ્થાપના કરી નવા ધર્મની પ્રતિષ્ઠા કરી.
- ધર્મ, પંથ અથવા સમાજ એક પછી એક
આવે છે, એક બીજામાં સમાઈ જાય છે અને પછી માન્યતાઓને દુરાગ્રહ,
નવા વિચારોની એક પરંપરા ઊભી એ ઠીક છે કે પુરાણી દીવાલે તેડીને નવા થઈ જાય છે. સનાતન' ( હિ૬) ધર્મમાંથી આચાર-વિચારની સ્થાપના કરતી વખતે, આ અનેકાનેક પંથ નીકળ્યા તો એની સાથે બૌદ્ધ, જૈન વિચારકોને, કેઈ ને કોઈ નામ આપવું પડ્યું. અને આદિ ક્રાંતિવાદી વિચાર પણ આવ્યા, પણ આ નવા આચારવિચાર જ જીવનની સાથે જોડા- પાછળથી એ બધું જ રૂઢ થઈ ગયું. યેલા રહેવાથી ધીરે ધીરે ધર્મ બની ગયા. પરંતુ
આચાર-વિચારમાં જડતા આવવાનો સંભવ આગળ જતાં એમાંથી પણ કેટલાક આચાવિચારે નવા માર્ગ અને સંપ્રદાયોમાં પરિવર્તિત થઈ ગયા. આવી રીતે, આચાર-વિચારમાં બધી જગ્યાએ શરૂ શરૂમાં પ્રાર્થનાસમાજને કેટલાક લેકે નાસ્તિ- જડતા આવવાને સંભવ રહેતો હોય છે, આથી કેને સંધ માનતા હતા, કારણ કે એની એક- આપણે આ દિશામાં સતત સચેષ્ટ ઈશ્વરમાંની નિકા, સ્ત્રી-પુરુષને અભેદ, સ્ત્રી-શિક્ષણ અને જાગૃત રહેવું જોઈએ. કોઈ પણ આચાર કે અસ્પૃશ્યતાનિવારણ, વિધવા વિવાહ ઈત્યાદિ વાતે વિચાર માનવજાતિની પ્રગતિ કરનારે છે કે નહિ, લેકેને અસહ્ય લાગતી હતી. પણ આજ પ્રાર્થના- એમાં ન્યાયવૃત્તિ ઉત્પન્ન કરનાર છે કે નહિ તેનું
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય બોધકથા શ્રીપ્રાચીન હિ કથા પરથી
એકવાર લોકેએ પિતાની વિદ્વત્તા અને વા હતી. એણે સત્યને જોઈને પૂછ્યું : “ સત્ય, તું ચાતુર્ય માટે પ્રસિદ્ધ એવા બુદ્ધિમાન, વૃદ્ધ ઉપદેશકને આટલું દુઃખી કેમ છે ? ” પ્રશ્ન કર્યો કે “ સત્યને નાની કથાઓનાં રૂપમાં સત્યે જવાબ આપ્યો : શું કહ્યું કે હું કદાચ તમે અમારી સમક્ષ કેમ રજૂ કરે છે ? ” એટલું વૃદ્ધ અને બદસુરત છું કે બધા લેકે મારાથી
ઉપદેશકે હસીને જવાબ આપ્યો : “ આ ભાગતા ફરે છે. ” પ્રશ્નનો જવાબ હું એક કથા કહીને આપીશ એ બાધકથા હસી પડી. એણે કહ્યું : “નહિ નહિ હશે બેધકથાઓનાં સંબંબમાં એક બેધકથા. એક લાકી તારી પાસેથી એટલા માટે ભાગી જતા નથી. સમય એવો હતો કે જ્યારે સત્ય મનુષ્યની વચ્ચે
ની વ લે હું તને થોડાં મારાં કપડાં આપું. એને પહેરી
લે. પછી જે, શું થાય છે ? નગ્ન અવસ્થામાં ફર્યા કરતું હતું, જે એને જોતા '
સત્યે તે ઉત્સાહથી બોધ કથાએ આપેલાં રંગતેઓ એના તરફથી દષ્ટિ ફેરવીને ચાલ્યા જતા
બેરંગી કપડાં પહેરી લીધાં. એ ક્ષણથી સત્યનું કે શરમને લીધે, તે કઈ નારાજ થઈને એની
બધી જગ્યાએ સ્વાગત થવા લાગ્યું પાસે આવતા નહિ, કઈ એની સોબત પસંદ આ કથા કહીને ઉપદેશક ફરી હસી પડયા. કરતું નહિં.
પિતાની દાઢી પર હાથ ફેરવતાં એણે કહ્યું : એક દિવસ સત્ય ઉદાસ ચહેરે જઈ રહ્યું હતું ! સાચી વાત એ છે કે લેકે નગ્ન સત્યને જોવા ત્યારે અચાનક બેધકથા સાથે એની મુલાકાત થઈ. નથી ઈચ્છતા-સત્ય સારી રીતે ઢાંકેલું– શણગાબોધકથા આકર્ષક, સુંદર ડાં પહેરીને જ રહી રેલું હોય તો જ એમને એ પસંદ આવે છે. સદેવ યાન રાખવું જોઈએ. વસ્તુતઃ સિદ્ધાંત શાશ્વત નિયમનો ભંગ કરે છે એટલે તે કાનના બદલાતા નથી, સમય પ્રમાણે વિકસિત થતા રહે છે, બનાવવા પડે છે અને જેટલા વધુ કાયદો બને છે આથી આ પણે આપણું આચરણે હંમેશા શુદ્ધ એટલું જ વધારે એનું ઉલ્લંધન થાય છે. આપણે રાખીએ તે જરૂરી છે. .
નિયમોથી ચાલતા નથી એટલે તે પોલીસ અને - જીવનથી ધર્મને અલગ કરી શકાતો નથી. ધર્મ કચેરીઓની વ્યવસ્થા કરવામાં આવે છે. આ શું એટલે નિયમન. ધર્મનું આચરણ જીવનને સમૃદ્ધ, આપણે માટે શેભાની વાત છે ? એથી તે પ્રગટ પરષાથી, પવિત્ર અને પ્રગતિશિલ બનાવે છે. થાય છે કે આપણે સમાજ કેટલી પતિત અવએનાથી જીવનમાં વ્યાપકતા આવે છે. જે મનુષ્યને સ્થામાં છે, કેટલો ણ છે, કેટલે નીચે પડેલો છે. સંકચિત, સ્વાથી અને ક્રૂર બનાવે તે ધર્મ નથી. આ બધાં ધર્મનાં સ્વરૂપ નથી. જ્યાં ધર્મ હોય વાસ્તવમાં ધર્મ તે આ આચાર અને નિયમ છે, ત્યાં ન્યાય હશે, સચ્ચાઈ હશે, મિત્રતા, પ્રેમ અને જેના વિના માનવજીવન ચાલી જ ન શકે.
આદર હશે જ્યાં સચ્ચાઈ અને પ્રેમ હોય છે ત્યાં શાશ્વત નિયમોનો ભંગ
કાનૂનના બાહ્ય બંધનોની જરૂર નથી હોતી. યુગ આજે આપણને કાનૂન, પોલીસ, કચેરીઓ,
યુગથી ક્રાંતદશી વિચારો અને સુધારા માનવઇસ્પિતાલ આદિની વૃદ્ધિ થતી જોતાં ખૂબ સંતોષ સમાજને આ જ પ્રેરણા. દેતા આવ્યા છે. આજે અને હર્ષને અનુભવ થાય છે; પણ વિચાર કરીને
આપણે પણ દરેક પ્રકારની રૂઢ માન્યતાઓ અને મએ તો હકીક્તમાં એ બધાં આપણે માટે કંડાઓને ત્યાગ કરીને, આ બહારનાં બંધનેથી લજજાજનક છે, દુષણ રૂપ છે. લેકે જીવનના ઉપર ઉઠવાનું છે. “જનસંદેશ માંથી સાભાર ઉઘતા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માચાર
શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંધની સંવત્ ૨૦૧૭ ના પ્રથમ જેઠ શુદ ૫ ને શુકંવારના રાત્રિના ૮ ક. ૩૦ મિ. મિટિંગ મળી હતી તેમાં નીચે મુજબના ઠરાવ પસાર કરવામાં આવેલ.
: ઠરાવ :
જાણીતા સાહિત્યકાર અને સમાજસેવક શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરિખ (સુશીલ) સંવત્ ૨૦૧૭ ના પ્રથમ જેઠ સુદી ૧ ના રોજ સ્વર્ગસ્થ થયા છે તે બદલ આજની મળેલી સંઘની સાધારણ સભા ઘણી જ દિલગીરી દર્શાવે છે. તેમને રાષ્ટ્રની, સમાજની, તેમજ સાહિત્યની ઘણી સારી સેવા કરી છે. તેની આ સભા માનપૂર્વક નોંધ લે છે. સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે શાસનદેવને પ્રાર્થના કરે છે.
ઉપરોકત ઠરાવ પ્રમુખસ્થાનેય રજૂ થતાં સર્વાનુમતે પસાર કરવામાં આવે છે.
આપણા શ્રી સંધના સભ્ય શેઠ શ્રી દુલ હાદાસ નાનચંદ મોતીવાળા સંવત્ ર૦૧૭ ના વૈશાખ વદિ ૪ ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ થયા છે. આજની મળેલ સંઘની સાધારણ સભા તે બદલ ઘણીજ દિલગીરી દર્શાવે છે. તેઓએ સંઘની ઘણી સારી સેવા કરી છે ? તેની આ સભા માનપૂર્વક નોંધ લે છે, અને સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે શ્રી શાસનદેવને પ્રાર્થના કરે છે
ઉપરોક્ત ઠરાવ પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 431 મ0%e0%૧૦૦૦૦૦૦૦૦૦ઝnew 9* જળ cove૨ava•૦૨મevokes vsa-come . ચિંતન રખને મનન જ્યારે ધનિકે ગરીબ વિષે પંચાત કહેવા એકઠા થાય, ત્યારે તે 11ષ કહેવાય; પરંતુ જ્યારે ગરીબ ધનિકો વિષે વિચાર કરવા એકઠા થાય, ત્યારે તે પુરી કહેવાય. - પાલ રિશાર જો તમારે અન્નનો સ્વાદ માણવો હોય તો તે ખાતા પહેલાં તે માટે મજૂરી કરે; જે તમારે કપડાંની મજા માણવી હોય, તો તે પહેરતા પહેલાં તેની કિંમત ચૂકવા; જે તમારે ગાઢ નિદ્રા માણવી હોય તો પથારીમાં તમારી સાથે સાફ અંતરાત્મા લઈને જાઓ. બેન્જામિન ફ્રેંકલિન જ્યારે ગોરાએ આફ્રિકામાં આવ્યા ત્યારે તેમના હાથમાં બાઇબલ હતું, અને અમારા હાથમાં મુલક હતા: હવે તેમના હાથમાં મુલક આવ્યો છે અને અમારા હાથમાં બાઇબલ ! - આફ્રિકન કહેવત દેવું કરીને પૈસા લાવનારા હંમેશાં લગ ગ ખોટું ખચ કરનારા હોય છે; અને ઊછીના લવાયેલા પૈસાથી જ બધું અનિષ્ટ સામાન્ય રીતે આચરાય છે તથા અન્યાયી યુદ્ધો લખાવાય છે. –જોન રસિસ્કન મોટા ભાગની વૈભવ-વિલાસની ચીજો અને ઘણી કહેવાતી સુખસગવડે જીવન માટે અનિવાર્ય નથી હોતી, એટલું જ નહિ પણ માનવજાતની ઉન્નતિમાં વિશ્ચકર્તા હોય છે. _ હેત્રિ ડેવિડ થોરે મેઝિઝે હીથ્રુ લેકીને આખી નીતિ 10 આજ્ઞાઓમાં આપી દીધી છેડા વખત બાદ જિસસે વધુ કઠોર ધેરણ આજ્ઞાઓમાં જ જણાવ્યું અને હવે આપણા સકો માં આબર શ્વિ ઝરે આખે નીતિનિયમ ત્રણ શબ્દોમાં પણને આપે છે: " જીવન માટે આદર " -અર્થાત્ ઈશ્વર અને તેનાં સરજેલાં બધાં પ્રાણીઓ માટે આદર અથવા પ્રેમ. - એલિસ કલિન બ્રાયાં પ્રકાશક: ખીમચંદ ચાપશી શાહ, મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ ; શ્રી જૈન આત્માનંદ સભાવતી આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only