Page #1
--------------------------------------------------------------------------
________________
॥अष्ठ
મૂળ સહિત શુદ્ધ ગુજરાતી ભાષાન્તર
અને સવિસ્તાર ટીકા સાથે.
ભાષાન્તર કર્તા મણિલાલ છબારામ ભટ્ટ
રાયપુર–અમદાવાદ
છાપી પ્રસિદ્ધ કર્તા. હરિભાઈ દલપતરામ પટેલ
શાહપુર–અમદાવાદ,
સેલ એજન્ટ:હરગોવનદાસ હરજીવનદાસ બુકસેલર
૩૦૩૫, પાનકોર નાકા–અમદાવાદ.
) .
આવૃત્તિ ૧ લી.
સંવત ૧૯૮૫.
પ્રત ૧૦૦૦. સને ૧૯૨૯.
કિસ્મત. રૂ ૧-૮-૦
Page #2
--------------------------------------------------------------------------
________________
..
વિષય
અષ્ટાવક્ર' ચરિત. અધ્યાય ૧ લ. જનકની જ્ઞાનજિજ્ઞાસા.
વૈરાગ્યેાપદેશ.
""
..
""
""
""
""
""
..
અધ્યાય ૨ જો, જ્ઞાતાના આનંદ
""
જનકને ખ્રહ્મપ્રતીતિ... બ્રહ્મરૂપતાનું ભાન. દંત દુ:ખકારી છે. શરીરાદિકની નશ્વરતા. પ્રપંચની તરંગતા.
6
""
--
અધ્યાય ” જ. જ્ઞાનયોગ.
""
અનુક્રમણિકા.
""
""
દેહને આત્માનું પૃથમત્વ.
મિથ્યા અહંભાવ. જગતનું મિથ્યાત્વ. ધર્માધર્મ આત્માના નથી. બ્રહ્મમય વિશ્વ.
...
...
"9
અધ્યાય ૪ થીં. મનાલયના આધ.
...
...
...
વિષયલાલસાનું બળ... જ્ઞાનીર્ની નિર્ભયતા. ધીરબુદ્ધિ પુરુષ. વિધિનિષેધ વિચાર ...... જ્ઞાનીને કર્મભાગ પણ નથી.
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
પૂ.
૧૦
૧૩
૨૦
ર
૨૪
૨૫
33
:
૩}
૩.
૪૨
૪૫
૪૮
૫૦
પર
૧૫
પુ
Page #3
--------------------------------------------------------------------------
________________
"
""
..
અધ્યાય ૫ મે. તૃષ્ણાત્યાગ નિરૂપણુ.
""
""
..
""
29
અધ્યાય ૬ ઠ્ઠો. માયાનાં ખેલન.
""
""
""
""
૪
વિષય.
મનાલય પણ મિથ્યા છે. સમુદ્રરૂપ આત્મા ને મનતરંગ. આસક્તિ છે.
ધંત્યાગ.
...
જ્ઞાનીને ગુરુએ ન જોઇએ. કામાર્થના ત્યાગ. જન્મદુઃખની પરંપરા.
""
અધ્યાય ૭ મા. તત્ત્વ વિચારણા. દેહાક્તિને ત્યાગ. જડવત્—શૂન્ય ચિત્તતા.
..
અધ્યાય ૮ મા. જ્ઞાનપ્રાપ્તિમાં ગુણભેદ.
""
..
"
પરમાત્મા તે જીવાત્મા. સર્વ કર્મને ત્યાગ.
પ્રભાવસ્થા.
...
??
અધ્યાય ૧૦ મા. આત્મ સંયમ.
...
""
અધ્યાય ૯ મા. આમૈકષ નિરૂપણુ....
ધ્યાન પરાયણતા.
...
આત્મા દીપક રૂપનું દૃષ્ટાંત. આત્મા પ્રકૃતિથી પર છે. સાનું તે તેના ઘાટનું દૃષ્ટાંત.
...
618
...
કુમારીકંકણુ ન્યાય. ભાગાદિના સમૂળ ત્યાગ.
દંભીને નરકવાસ.
...
...
...
100
600
...
...
600
...
ૐ ઃ
...
...
...
::
...
688
...
...
...
...
...
...
...
પૃષ્ઠ.
૫૯
૬૧
}પ
૬૭
૭૧
પૂર
૭૫
૭૭
૭૮
૮૨
૮૩
८७
८८
૯૦
૯૩
૯૪
૯૬
૯૮
૧૦૧
૧૦૨
૧૦૬
૧૦૬
૧૦૮
૧૧૦
Page #4
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ.
૧૧૩ ૧૧૪ ૧૧૬ ૧૧૮
૧ર૦
૧૨
૧૨૪
૧૨૭
વિષય.
મન માલિન્ય. .. અધ્યાય ૧૧ મે. વાસના પરિત્યાગ ...
માયાની ભૂલભૂલવણું યોગી કેવા હોય ...
નિષ્કર્મના પંચક ..... અધ્યાય ૧૨ મે. મુક્તની નિરપેક્ષતા ...
મુક્તને કર્મ બાધક નથી.
મૂઢને નિવૃત્તિ નથી... અધ્યાય ૧૩ મે. સંસાર મૂળને ઉચ્છેદ...
કુબુદ્ધિ તરતો નથી ... વશી વેગળાજ છે ...
ક્યારે વૃત્તિઓ ક્ષીણ થાય છે. અધ્યાય ૧૪ મો. નિર્લેપત્વ નિરૂપણ
અક્ષુબ્ધ યોગી
નિરાકાંક્ષી તત્ત્વજ્ઞ ... અધ્યાય ૧૫ મે. નિર્મમત્વ નિરૂપણ ..
મૂઢને જ્ઞાન થતું નથી.
તદન ઉદાસી. અધ્યાય ૧૬ . આનંદ સ્વરૂપતા. ...
અરે યોગી. ... અધ્યાય ૧૭ મે. આત્મત્વ મહિમા ...
સર્વોપાધિ મુક્તતા
દેશાદિ પરિચ્છેદ સાહિત્ય. અધ્યાય ૧૮ મે. પરમાનંદ રૂપતા. ..
૧૨૮ ૧૩૦ ૧૩૧ ૧૩૩ ૧૩૪ ૧૩૬
૧૩૯
૧૪૧ ૧૪૨ ૧૪૫ ૧૪૭
૧૪૮
૧૫૦ ૧૫૦ ૧૫૧ ૧૫૫
Page #5
--------------------------------------------------------------------------
________________
अथ श्री अष्टावक्र गीता
-
-
-
- -l
=
અષ્ટાવક્રચરિત.
કહોડકષિના પુત્ર અષ્ટાવક્ર આઠે અંગે વાંકા હોવાથી અષ્ટાવક્ર કહેવાતા. એમની કથા એમ છે કે, ઉદાલક તત્ત્વજ્ઞાનીને ત્યાં કહેડ ભણવા રહ્યા હતા. ઉદાલકની પુત્રી સુજાતા સાથે પ્રેમ થવાથી તે તેને પરણ્યા. કહોડ એવા અભ્યાસ પરાયણ રહેતા હતા કે, સ્ત્રી તરફ પણ ઝાઝું લક્ષ રાખતા નહિ. સગર્ભાવસ્થામાં એકવાર તે પતિની પાસે જઈ બેઠી; પરંતુ અભ્યાસમાં તલ્લીન ઋષિએ તેની સામું જોયું નહિ. તેના ગર્ભમાંના પુત્રે એવી બેદરકારી માટે ઋષિને ટાણે માર્યો, એટલે કહાડે ગુસ્સે થઈ તેને શાપ દીધું કે “તું આઠે અંગે વાંકે થઈશ. ” પુત્રને જન્મ થયે ને તે આઠે અંગે વાંકે જણા એટલે અgram એવું તેનું નામ પડ્યું. તેના જન્મ પછી થેડેજ વખતે બંદી નામના એક તત્ત્વજ્ઞ સાથે કહોડને એવી સરતે વાદમાં ઉતરવું પડયું કે, જે હારે તેને પાણીમાં ડુબી મરવું પડે. આ વાદમાં કહેડ હાર્યા અને જીતનાર બંદી, જે બૌદ્ધમતો હતો એમ કહેવાય છે તેણે તેમને પાણીમાં ડુબાડી દીધા. સુજાતા અષ્ટાવક્રને લઈ પિતાને ત્યાં જઈ રહી. વેતકેતુ સાથે અહિં મોસાળમાં અષ્ટાવક્રે ભાષા, વ્યાકરણ, વેદ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રો ઉપરાંત તત્ત્વજ્ઞાનને અભ્યાસ કર્યો. માતાને પુછતાં
Page #6
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ચરિત્ર.
પિતાના નિધનની વાત અષ્ટાવક્રના જાણવામાં આવી, એટલે પિતાના વેરીને જીતવાનો તેમણે નિશ્ચય કર્યો. મામા દેવતકેતુને લઈ બંદીને શૈધતા તે જનકરાયની સભામાં ગયા. ત્યાં વાદમાં બદીને હરાવ્યા. બંદીએ અષ્ટાવકને તરત જ કહી દીધું કે, તારા પિતાને મેં મારી નાંખે નથી, પરંતુ બીજ બ્રાહ્મણો સાથે ઈન્દ્રને ત્યાં યજ્ઞ કરાવવા મોકલ્યો છે. કહાડ તે દરમિયાન પાછા આવ્યા અને પુત્રના જ્ઞાન ને વિજયથી પ્રસન્ન થઈ સગા નામની નદીમાં તેને સ્નાન કરાવ્યું. સગામાં સ્નાન કરવાથી તેનાં બધાં અંગ સમાં થવાં વગેરે. વિદેહ અથવા મિથિલા–જેને હાલ તરહુત આગળનો પ્રદેશ માનવામાં આવે છે ત્યાંના રાજા જનક (સીતાને પુત્રી તરીકે પાળનાર પિતા ) પિન વિદ્વાન, વિધાનની કદર કરનાર અને પ્રાપ્રિય ભૂપતિ હતા. રામે સીતાને ત્યાગ કર્યો-વનવાસ કરાવ્યો ત્યારે તેમને ઘણું લાગી આવે તેથી પોતે જ્ઞાન વિજ્ઞાનમાં વૃદ્ધાવસ્થા ગુજારી. રાજકાળમાં પણ દેશ દેશના તત્ત્વનો તેમને ત્યાં આવતા અને બ્રહ્મવિદ્યા ઉપર વિચારો ચલાવતા. યાજ્ઞવલ્કય તેમના મુખ્ય ગુરુ હતા. મોટા મોટા વિનાનતત્ત્વ વિચારકાને તે પાતાની પાસે રાખતા અને આત્મજ્ઞાન સંપાદન કરતા. આવા આવા બ્રહ્મતત્ત્વ વિદ્યાવાદના વિલાસી જનકરાય અષ્ટાવક્રથી બહુજ પ્રસન્ન થયા એટલું નહિ પરંતુ બંદીને જીત્યા પછી તેમને પિતાને ત્યાં રાખી બ્રહ્મજ્ઞાનની જે ગ્રંથીઓ ઉકેલાવી, તેજ આ “ grammતા.” જનકરાય પુછે છે અને અષ્ટાવક્ર ઉત્તર આપે છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
તામ-અધ્યાય ૧ એ. જનકની શાન જિજ્ઞાસા.
जनक उवाच कथं ज्ञानमवामोति, कथं मुक्तिर्भविष्यति । वैराग्यं च कथं प्राप्तमेतद्वहि मम प्रभो॥ १॥
જનકરાયે પુછ્યું કે હે પ્રભે! જ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મુક્તિ કે ન મળે અને વૈરાગ્ય કે પ્રાપ્ત થાય ? તે આપ મને કહે. ૧
ટીકા. મુક્તિ મેળવવા માટે પ્રથમ જ્ઞાન લેવું જોઈએ. જ્ઞાનથી વૈરાગ્ય આવે છે અને વૈરાગ્ય આવતાં મુતિ સહેજ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રના અભ્યાસ કે શ્રવણથી અને આશ્રમ વ્યવસ્થાને અનુસરતાં થયેલા સુખદુઃખ અને આપત્તિઓ-મુશ્કેલીઓમાંથી મળેલા અનુભવથી જ્ઞાન થાય છે. જ્ઞાન થતાં વિપયા ઉપરથી ચિત્ત ઉઠી જાય છે અને વૈરાગ્ય તરફ વૃત્તિ વધે છે. વૈરાગ્ય આવતાં વિષય એક પછી એક અળગા થાય છે અને આ સંસારી પ્રપંચથી મુક્ત થવાની પુરૂને ઈચ્છા ઉપજે છે. આવી મુમુક્ષુતા પ્રાપ્ત થતાં સદ્ગુના સંગથી મુક્તિ મળે છે. મુક્તિનાં આ સાધન નણવા માટે જનકરાય પ્રશ્ન કર્યો અને અષ્ટાવક્રજીએ તેમને ખરેખરા મુમુક્ષુ જાણું તત્ત્વબોધ–આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો.
मुक्तिमिच्छसि श्वेत्तात ! विषयान् विषवत् त्यज । क्षमार्जवदयातोष-सत्यं पीयूषवद् भज ॥ २॥ અષ્ટાવક્ર કહે છે...હે તાત! જે મુક્તિ ઈ છત છે
તે
Page #8
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. વિષયને વિષવત ગણી તેને ત્યાગ કર અને ક્ષમા, આર્જવ, દયા, તેલ અને સત્યને અમૃત જેવાં ગણી તેનું સેવન ક૨.૨
વેરાગ્યપદેશ.
ટીકા. અષ્ટાવક્ર કહે છે કે-હે તાત! મુક્તિની ઈચ્છા હોય તે વિષતુલ્ય એવા પાંચ ઈન્દ્રિયોના વિષયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નામે છે તેને તજી દે. એ વિષ વિષરૂપ છે અને એક એક વિષય પણ પ્રાણીનો પ્રાણ લે એવા હાનિકારક છે. મૃગ શબ્દમાં આ સકત થઇ વ્યાધના શરને અધીન થાય છે; હાથી સ્પર્શના લોભથી માર્યો જાય છે; પતંગિયું રૂપાસક્તિથી અગ્નિની ઝાળમાં પડી પ્રાણ ખુએ છે; માછલું રસ–સ્વાદને લીધે માછીની કણકવાળી આંકડી ગળે છે અને ભમરે ધ્રાણેન્દ્રિયની–ગંધાસક્તિને લીધે કમળમાં કેદી થઈ ગુંગળાઈ મરે છે, માટે મનુષ્યો કે જેમની પાંચ ઈન્દ્રિયો સબળ આસક્તિવાળી છે તેમણે તે અવશ્ય કરીને વિશ્વનો ત્યાગ કરવો જોઈએ. “વિષયો ભોગવવા છતાં પણ–એટલે સંસારમાં રહેવા છતાં પણ પૂર્વે ઘણા મહામાની મુક્તિ પામ્યા છેઃ અર્થાત વિષ તજી શક્યા નથી, તેને કેમ ત્યાગ થાય?’ આવી જનકરાયની શંકાના ઉત્તરમાં કહે છે કે, વિચામાં અતિ આસક્તિ નહિ હાવી દઇએ. પ્રારબ્ધવશાત સહેજ પ્રાપ્ત થયેલા વિષય વગર આસક્તિએ ભોગવાય તેમાં હરક્ત નથી. આસક્તિ રહિત વિષયોને શાસ્ત્રાજ્ઞાનુસાર ભોગવનાર તે વૈરાગ્યવાન જ કહેવાય છે. ઋતુસંગી બ્રહ્મચારી ગણાય છે તેમ. વળી વિષયોને તજવા ઉપરાંત વૈરાગ્યવાન સદ્દગુણનો સંગ્રહ પણ કરવા જોઇએ, એટલે કે, પ્રાણી માત્ર પ્રતિ ક્ષમા રાખવી, આર્જવ–કોમળતા, દયા, અને સંતોષ રાખવાં જોઈએ. આપણે પ્રત્યેક હિલચાલ અને પ્રવૃત્તિમાં સત્યનું અવશ્ય સેવન કરવું જોઈએ. વિષને ત્યાગ સાથે ભૂત માત્ર પ્રતિ આ ધર્મોનું પાલન કરવામાં આવે તેજ ખરેખરે વૈરાગ્ય
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. આવેલે કહેવાય, અને તેજ મુમુક્ષુજન, બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત થઈ મુક્તિ મેળવી શકે. “પંચતત્ત્વમાંને તું કોઈ નથી” તે સમજાવતાં અષ્ટવિક્ર કહે છે કે –
न पृथ्वी न जलं नागिन वायुन वा भवान् । एषां साक्षिणमात्मानं, चिद्रपं विद्धि मुक्तये ॥३॥
અર્થ. તું પૃથ્વી નથી, , જળ . ૫ અગ્નિ નથી, તું વાયુ વા આકાશ નથી, પણ એ સર્વને સારી એ આમા છે, માટે ચિત્રૂપ ૫ બ્રહ્મન મુક્તિ મળવા આળખ. ૩
ટીકા. હે રાજન ! તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ કે આકાશ, એ પાંચ મહાભૂતમાંથી બનેલા આ દેહ અને ઈન્દ્રિયોના સમૂહ રૂપ નથી. આ દેહને મારો કહે છે પણ “મા” કહેનાર તો આત્મા છે, તમે નહિ. અનાદિકાળના અધ્યાસને લીધે અવિદ્યાથી આઇત્ત જીવ, દેહને પાતાને માને છે. સામાન્ય ઉદાહરણથી આ વાત સહેજ સમજાય તેવી છે. આપણે આપણાથી જુદી વસ્તુઓને “મારી' એમ કહીએ છીએ તેથી એ પુરવાર થાય છે કે, જેને તમે મારું કહો છો તે તમે પતિ છે નહિ. મારું ઘર, મારે છે, મારાં સ્ત્રી છોકરાં એમ કહેવાય છે, તે કહેનારથી જુદાં છે. તેજ રીતે મારું મસ્તક, મારું પેટ, મારા હાથપગ અને છેલ્લે મારો જીવ, એમ જે દેહમાંથી બેલાય છે, તે અને બોલાવાની વસ્તુઓ–અવશ્ય વગેરે જુદાં છે એમ સિદ્ધ થાય છે. એટલે હું રાજન ! તમે જેને તમારાં એમ કહીને સાધે છે તે તમારાથી ભિન્ન છે અને તેજ દેહાધ્યાસને લીધે તમારા સ્કૂલમાં રહેલો માયાવૃત્ત જીવ આ મારું તારું એમ માને છે પણ તમે તે ભુલી જઈ હુંજ જે ને તે, આખું વિશ્વ જ એક છું, એમ સમજો એટલે મુક્ત થશો.
ચિદૂરૂપ આત્મા અવિકારી સદાસર્વદા એક ને એકજ સ્વરૂપે
Page #10
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. રહેનાર અને અજર અમર છે. જ્યારે દેહાદિક સમયે સમયે બદલાતાં અને નાશ પામતાં રહે છે. દેહને બાલ્ય, યૌવન અને ઘડપણુ વગેરે અવસ્થાઓ આવે છે, પરંતુ દેહ તે અવસ્થાઓને સમજી કે યાદ કરી શકતો નથી. એ તો પ્રત્યભિજ્ઞા સ્મૃતિવાળો અને અનુભવ લેનાર, ભોક્તા એવો જીવાત્માજ જાણી શકે છે. આ એ જોયેલા, સાંભળેલા કે અનુભવેલા પ્રસંગે જ ને સાંભરતા નથી, તેમ તેના અનુભવનાં પરિણામ પણ તેના સમજવામાં આવતાં નથી, એજ રીતે શરીર અને ઈન્દ્રિાએ કરેલાં કાર્યો તેમને નહિ પરંતુ તેમની મારફતે જેનારને યાદ રહે છે. દૂરબીનથી એક વસ્તુ બીજો માણસ જુએ, તેમ આત્મા દેહાદિકદ્વારા વસ્તુઓ જુએ છે અને અનુભવે છે અને તેને તે પ્રત્યભિજ્ઞા સ્મૃતિ રહે છે. જેમ દૂરબીન જેવાનું સાધન છે તેમ દેહાદિક આત્માનાં સાધન છે, કા નહિ. કત્તા તો દેહને આશ્રય કરીને રહેલે ચિરૂપ આત્મા એકજ છે, તેજ કતાં ભક્તા હોવાથી બધું જાણે છે. આ જે ચિદરૂપ આત્મા છે તે મુક્તિ મેળવવા ઈચ્છનારે ઓળખ જોઈએ.
જ્યાં સુધી અધ્યાસનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી આ સંસાર અને બંધને છે. આત્મજ્ઞાન થતાંવાત પુ તે બધાં બંધનથી મુક્ત થઈ સુખી થાય છે, એ દર્શાવવા કહે છે કે –
यदि देहं पृथकृत्य, चिति विश्राम्य तिष्टसि । अधुनैव मुखी शान्तो बंधमुक्तो भविष्यसि ॥४॥
અર્થ. જે દેહને અલગ કરી સત્-ચિત્ બ્રહ્મમાં આશ્રય કરીને રહો તે હમણાં ને હમણાંજ તમે સુખી, શાંત અને બંધમુક્ત થઇ જાઓ. ૪ હને આત્માનું પૃથકત્વ.
ટીકા. હે રાજન! પચતત્ત્વથી બનેલા દેહથી આત્મા જુદો છે અને “હું તે ચિક્રૂપ આત્મા જ છું' એવું અંતઃકરણમાં દઢ કરી
Page #11
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
એસા તા હમણાંજ તમે તમને પોતાને સુખી, સર્વ સાંસારિક પંચાતીએથી અલગ એટલે શાંત અને પ્રપંચાળથી મુક્ત, આત્મ સ્વરૂપને આળખા. ‘દેહથી આત્મા જુદા છે ત્યારે આત્માને દેહના ધર્માં ક્રમ લાગ્યા છે? અને જ્યારે અર્નાદ અધ્યાસથી તે લાગ્યા છે, તેા પછી તે કેમ રે ? ' એવી શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવે છે કે, પંચમહાભૂતના પિંડમાં રહેલા જીવાત્મા અંતઃકરણદ્વારા દેહના ધર્મને આત્મામાં અને પોતાના ધર્માને અંતઃકરણમાં દાખલ કરે છે, એટલે અજ્ઞાન એવી વિદ્યાએ કરી, જીવાત્મા દેહને પાતાના માને છે અને દેહ અહંભાવથી પાતેજ પાતાને કર્તા ભાક્તા માને છે. આ અજ્ઞાન વા અવિદ્યાને નાશ થયા વગર એ બે અલગ માની શકાતાં નથી, એજ મુક્તિ સામે મોટી મુશ્કેલી છે. એ આત્મભાવ-દેહાધ્યાસના નાશ થવાને માટે આત્મજ્ઞાનને! સતત પરિચય રાખવાની અને સદ્દગુરુના ખાધની જરૂર છે. આ એ કેવી રીતે એકમેક થઇ ગયેલાં છે, તેના ઉદાહરણ માટે કહે છે કે, તપાવેલા લાહના ગાળા જેમ અગ્નિના ધર્મવાળા થાય છે એટલે કે, સ્પર્શ કરતાં દઝાડે છે, ખાળે છે તેમજ અગ્નિ જે સ્વરૂપાદિક ધર્મથી રહિત છે તે ગાળાના સ્વરૂપાનુસાર મેાટે, નાનેા, ગાળ ખેડાળ કહેવાય છે અને તેમના ધર્મ એક ખીજામાં પ્રતીત થાય છે તેમ, દંડ અને આત્મા પણ એક બીજાના ધર્માં એક ખીજામાં મિશ્ર કરી એકરૂપતારૂપી અધ્યાસમાં મારૂં મારૂં' માની સંસારની માયામાં ખાથાં ખાધા કરે છે. શિવ-જીવતા વિવેક કરવા અને તેમના પૃથક્ક્ત્વથી એક ચિસ્વરૂપ શોધી તેમાં લીન થવું તેનું નામજ મુક્તિ અથવા મેાક્ષ છે. મુક્તિ કિંવા મેાક્ષ એ કંઇ એકાદી એવી વસ્તુ વિશેષ નથી, કે જે સહેજે પ્રાપ્ત થઇ નય; એ તા શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યુંછે તેમ અનેક જન્મોના અંતે તેમજ વેદાંતનું હરહમેશ રિશીક્ષન રાખતાં રાખતાંજ પ્રાપ્ત થાય છે. ચિત્ જડતી જે અનાદિ અધ્યાસ–અભ્યાસથી પડેલી જબ્બર ગાંઠ છે તે છેાડવી એનું નામજ મુક્તિ છે. શ્રી શિવ
C
Page #12
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. ગીતામાં કહ્યું છે તેમ મુક્તિનો કેાઈ ઠેકાણે વાસ નથી કે દેશાંતરમાં તે રહેલી નથી કે જેથી તે પુરુષને સહજ મળે છે જ્યારે સદ્દગુર્ના બોધથી અને આત્મજ્ઞાનના સતત પરિશીલનથી જડ ચેતનનું અલગપણું સમજાય છે ત્યારે અંતઃકરણમાં ચિતસ્વરૂપની પ્રતીતિ થાય છે ને મુક્તિ મળે છે.
જનકરાય શંકા કરે છે કે, વર્ણાશ્રમાદિક ધર્મોમાં રહેલો પુરુષ અકર્તા અને અભોક્તા કેમ થઈ શકે ? એ તો વેદવિહીત કર્મો છે. એ કર્મોનો ત્યાગ કરે તે ખણું આપેલી માનવધર્મ પરંપરાને બાધ આવે નહિ? આ શંકાનું નિરસન કરતાં કહે છે કે –
न त्वं विप्रादिको वर्णो, नाश्रमी नाक्षगोचरः।। असंगोसि निराकारा, विश्वसाक्षी सुखी भव ॥ ५ ॥
અર્થ. તે વિપ્રાદિક વર્ણધર્મવાળે નથી, તે આશ્રમ ધર્મવાળે નથી અને અલિગોચર એટલી મૂર્તરૂપ પણ નથી. તું તે અસંગ, નિરાકાર અને વિશ્વસાક્ષી એ પરમાત્મા છે, એમ માનીને સુખી થા. ૫
ટીકા. શાસ્ત્ર બતાવેલાં કર્મ તો કરવાં, પરંતુ તેમાં “હું કર્તા, હું ભોક્તા છું ” એ અહંભાવ રાખવો નહિ. પ્રાણી અકર્મકૃત તે રહી જ શક્તો નથી, પરંતુ જ્યાં સુધી જીવશિવનો ભેદ ટળે નહિ અને
હું કર્તા ભોક્તા છું' એવો ભાવ રહે, ત્યાં સુધી પરમાત્મામાં ચિત્ત એકાકાર થાય નહિ, માટે કર્માદિક કરવા છતાં પણ તેનાથી અસંગ રહેવાને અને આત્મતત્ત્વને દૃષ્ટિ સામે રાખવાને નિરંતર યત્ન કરતાં પિતાને વિપ્રાદિક વર્ણવાળો કે આશ્રમ ધર્મવાળા નહિ માનતાં વિશ્વ સાક્ષી માની તેમાં દઢતા ધારણ કરવી અને સુખી તથા શાંત થવું. અજ્ઞાનજન્ય ઉપાધિઓથી પુરુષ પિતાને કર્તા અને ભક્તો માને છે, વાસ્તવમાં તેમ નથી. ઘટમઠાદિકમાંનું આકાશ ઘટમઠાદિક ભેદથી જુદા
Page #13
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. જુદા ધર્મ અને આકારવાળું મનાય છે, પરંતુ સર્વત્ર વ્યાપી રહેલા મહાકાશમાં તેથી ભેદાદિક જોવામાં આવતાં નથી, તેમજ અભર ભરેલ સર્વવ્યાપી આત્મા વર્ણાદિકમાં રહેલું હોવા છતાં નિર્વિકાર, અકર્તા, ને ભોક્તા છે એમ માની સુખી થવું. સુખદુઃખાદિક ધર્મો જ્યાં ભેદ છે ત્યાં રહેલા છે, અભેદમાં નથી, અર્થાત આત્માનિપ-અ. સંગ છે અને હે રાજન ! આ૫ અસંગ આત્મા રૂપ છે એવી અંતઃકરણમાં દઢતા લાવા અને વિશ્વસાક્ષી બને એટલે વર્ણાશ્રમાદિક ધર્મોની ઉપાધિ અંતઃકરણમાંથી એની મેળે જ દૂર થશે અને બ્રહ્મભાવ ઉપજશે.
વેદ અને ધર્મશાસ્ત્રોએ વિહત ગણેલા-અરે કર્તવ્ય ઠરાવેલા ધર્મો ન પળાય તો કાચારથી છેટું દેખાય અને તેમાંથી મનમાં દુઃખની લાગણી પ્રગટે, એવી શંકાના સમાધાનમાં અષ્ટાવક્રજી કહે છે કે-એ ધમે આત્માના નથી, એ તો મનના–અંતઃકરણના ધર્મો છે, જુઓ –
धर्माधर्मा सुख दुःख मानसानि न ते विभो । न कर्तासि न भोक्तासि, मुक्त एवासि सर्वदा ॥ ६ ॥
અર્થ. હે વિભો ! ધર્મ અધમ, સુખ ને દુઃખ એ મનનાં ધર્મો છે તમારા નાંહ, તમે તે કતએ નથી અને ભેક્તાએ નથી. તમે તે સર્વદા મુક્તજ છે. ૬
ટીકહે વિભ! એ સંબોધનથી અષ્ટાવક્રછ દેહાભિમાની જનકને નહિ પરંતુ જનકાધિષ્ટ સર્વવ્યાપક પરબ્રહ્મને સંબોધી કહે છે કેધર્માધર્મ અને સુખદુઃખ એ, હે વિભો! હે સર્વવ્યાપક ! તારા ધર્મ નથી પરંતુ પંચતત્વના બનેલા દેહને આશ્રયે રહેલા મનના ધર્મો છે. તું તે દેહમાં રહેલો હોવા છતાં પણ કર્તાએ નથી ને ભોકતા નથી. તું તો સદા સર્વદા મુક્ત જ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦
અષ્ટાવક્ર ગીતા. “તું કર્તા ભોક્તા નહિ પણ અસંગ પરમાત્મા છે” એવી જનકને ખાતરી કરાવવાને વળી કહે છે કે –
एको द्रष्यसि सर्वस्य, मुक्तपायोसि सर्वदा।। अवमेव हि ते बंधो, द्रष्टारं पश्यसीतरम् ॥ ७ ॥
અર્થ. એક જ સર્વના દ્રષ્ટા છે, તું સદા મુક્ત બાય-અત્યંત મુક્ત છે, પરંતુ બીજાને દ્રષ્ટા જુએ છેમાને છે એજ તારું આ બંધન છે. ૭
ટીકા. તમે–એટલે બ્રહ્મ ત્રિકાલાબાધ હૈઈ મુક્ત સ્વરૂપ અને સદાકાળ અખિલ વિશ્વના દ્રષ્ટા છે છતાં જ્યારે માયાના આવરણ અને અજ્ઞાનને લીધે તમે–પુરુષ રૂપ દેહાભિમાની થઈ બીજાને દ્રષ્ટા માને છે, ત્યારે તમને સંસારના બંધો બાંધી લે છે અને કર્મની પરંપરામાં ઘસડાવ છે. જ્યાં લગી જ્ઞાનને ઉદય થતો નથી ત્યાં લગી સારો સંસાર પુરૂને કર્મ ક :વનારો અને તેના ફળને ભગવાવનાર લાગે છે. હુંપણના અહંકારનો પટ એવો છે કે થોડું જ્ઞાન તેને ભેદીને આરપાર જતું નથી અને પ્રાણ તેની અંધારીમાં ભટક્યા કરે છે. એ અહેમાન કેવું છે તે બતાવતાં કહે છે કે –
अहं कर्तेत्यहमानमहाकृष्णाहिदंशितः । नाहं कर्तति विश्वासामृतं पीत्वा सुखी भव ॥ ८ ॥
અર્થ. અહેમાન રૂપી મહા કાળા નાગથી ડસાયેલા પુરુષ “હું કર્તા છું” એમ માને છે, પરંતુ તમારે તો “હું કર્તા નથી” એવા વિશ્વાસ રૂપી અમૃતનું પાન કરીને સુખી થવું.૮ મિથ્થા અહંભાવ.
ટીકા. હું કર્મને કર્તા છું અને તેના ફળને જોતા પણ હું પિતેજ છું, એવા અજ્ઞાન રૂપી કાળા નાગથી ડસાયેલે સંસાર-જીવમાત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. ૧૪૯૯૧ ૧૧ હુંપણના અભિમાનમાં સંસારની ઘટમાળમાં ફર્યા કરે છે અને જનક ! તમે પણ એ નાગના સંશથી ભ્રમિત હે પિતાને કર્માદિકના યજ્ઞયાગ વગેરેના કર્તા માની કત્તા અને ભકતા સંબંધી અહંભાવમાં ભમે છે, એને ત્યાગ કરી “હું કર્તા નથી નથીજ. ” એવો અંતઃકરણમાં પાકા વિશ્વાસ હસાવશે તોજ તમે સુખી થશે. સુખ અને આનંદ પરબ્રહ્મપરાયણનામાં રહેલાં છે. આ સંસારમાંનાં સુખદુઃખ બધાં વિપત્તિઓથી ભરેલાં છે. સાકર સાથે મેળવેલા મહા ભયંકર વિષ જેવાં છે, છતાં અજ્ઞાની માણસે, મૃગ જેમ મૃગજળ પાછળ દોડ કર્યા કરે, તેમ સંસારમાં સુખ શોધતા ચોરાસીના ફેરામાં ભટક્યા કરે છે.
एको विशुद्धबुद्धोहं, इति निश्चयवाहिना । प्रज्वाल्याज्ञानगहनं, वीतशोकः मुखो भव ॥९॥
અર્થ. હુંજ એક વિશુદ્ધ બુદ્ધ-જાકાર-દ્રષ્ટા છું, એવા નિશ્ચય રૂપી અગ્નિએ કને ગહન એવા અજ્ઞાનને બાળી નાંખી શેકડિત થઈ સુખી થા. ૯
ટીકા. હું, હું ને હું સર્વત્ર છું, મારાથી જુદી કઈ વસ્તુ છે જ નહિ, અને હું જ સર્વને દ્રા અને જાણનાર છું એવા ખચીત વિશ્વાસ અને નિશ્ચય રૂપી વહિનએ અજ્ઞાનના પટને બાળી નાંખી પરમ સુખી થાઓઃ અર્થાત બ્રહ્મસ્વરૂપ બની જાઓ. જગત અજ્ઞાનજન્ય છે અને સ્વયંતિ જ્ઞાન સત્ય છે એમાં સ્વજાતીય, વિજાતીય કે સ્વગતાદિ એકે ભેદ નથી.
સજાતીય વિજાતીય ભેદની સમજ આપતાં કહે છે કે–એકજ નામે બેલાતા સમૂહની અંદર જે ભેદ તે સજાતીય ભેદ. જેમકેપિંપળ અને આંબે. બેઉ વૃક્ષ તરીકે એક છે છતાં જાતિએ જુદા છે એટલે તે સજાતીય ભેદ કહેવાય. વિજાતીય ભેદ એટલે આ વજ ભિન્ન હોય છે. જેમકે ઘટ અને પટ. ઘડે તે પટ નથી અને
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨
અષ્ટાવક્ર ગીતા.
પટ તે ઘડે। નથી. તેમના વર્ગજ જુદો છે માટે વિસ્તૃતીય ભેદ. સ્વગત એટલે એક લેવર-સ્થૂલમાંના અવયવાદિક ભેદ તે. જેમકે શરીરના સ્વગત ભેદ તે હસ્ત, પાદ વગેરે, અને વૃક્ષના સ્વગત ભેદ તે તેનાં ડાળાં, પાંખડાં અને ક્રૂળફૂલ વગેરે. આ ત્રણે જાતના ભેદ આત્મામાં નથી. આત્મા તે અવિચ્છિન્ન એકરસ એક સ્વરૂપજ છે અને જગતમાંની વસ્તુઓ અને પુરુષાદિક જે અભાવનાં પુતળાં છે તે ઉપર જણાવેલા ત્રણે ભેદવાળાં છે. તેથી નામ રૂપાત્મક વસ્તુ તે બ્રહ્મ નથી, એમ જાણે. છીપમાં જેમ ચાંદી અને દારીમાં જેમ સાપના ભાસ મિથ્યા છે, તેમ બ્રહ્મમાં જગતના ભાસ મિથ્યા, મિથ્યા ને મિથ્યાજ છે. અજવાળુ થતાં જેમ દોરીમાંના સાપનેા અને અનુભવ પ્રત્યક્ષીકરણ થતાં છીપમાંનેા ચાંદીને ભાસ નાશ પામે છે, તેમ બ્રહ્મજ્ઞાન થતાંજ જગતનું મિથ્યાત્વ સમજાઈ બ્રહ્મસ્વરૂપતા પ્રાપ્ત થાય છે.
વળી બ્રહ્મ વ્યાપક હાઈ પરિચ્છેદ રહિત છે. દેશ, કાળ અને વસ્તુમાં પણ તે વહેંચાતા નથી, પરંતુ સર્વત્ર પરિપૂર્ણ અખંડ એક રસ છે. જે વસ્તુ એક દેશમાં હોય અને બીજા દેશમાં ન હોય, તે દેશ પરિચ્છેદવાળી કહેવાય. બ્રહ્મ-આત્મા એવી નથી. એ તા બધેજ ભરપુર ભરેલા છે. એક ઠેકાણે હોય અને બીજે ઠેકાણે ન હાય એમ નથી. જે વસ્તુ એક વખતે ડ્રાય અને બીજે વખતે ન હોય તે કાળપરિચ્છેદવાળી કહેવાય. આત્મા એવા નથી. એ તેા આદિઅનાદિ સર્વ કાળે છે છે ને છેજ, એટલે તે કાળપરિચ્છેદવાળા પણ નથી. જે વસ્તુ બીજી વસ્તુમાં ન ભળે ન સમાય તે વસ્તુપરિચ્છેદ કહેવાય. જેમકે ઘડાનેા અંતર્ભાવ પટ્ટમાં થાય નહિ અને પટના અંતર્ભાવ ઘટમાં થાય નિહ. જે વસ્તુએ એક બીજાથી જુદીજ રહે તે મળે ર્કિવા મિશ્ર થાય નહિ તેનું નામ વસ્તુપરિચ્છેદ. આ વસ્તુ પરિચ્છેદ પણ બ્રહ્મ કહેતાં આત્મામાં નથી, કારણુ કે, તે તેા સર્વત્ર ભળી ગયેલા— બધેજ રહેલા છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ તથા દેશ, કાળ અને વસ્તુપરિચ્છેદથી રહિત જે બ્રહ્મસ્વરૂપ છે તે છે જનક! તું છે. હું નમ રૂપાત્મક સ્કૂલ સ્વરૂપ જનક નથી, પણ પારમાર્થિક સત્તાવાળું જે બ્રહ્મ તે તું છે એ નિશ્ચય કરીને સુખી થા. વળી હે જનક!
यत्र विश्वमिदं भाति, काल्पतं रज्जुसर्पवत् । ગાલ પરમાર, વષ સુહ કર ૨૦ |
અથ. આ વિશ્વ રજુ (દોરડી) માં સર્પની માફક કલિપત માત્ર ભાસ છે, અને સત્ય તે માત્ર એક આનંદ-પરમાનંદ બ્રહ્મ સ્વરૂપ છે, એમ જાણીને સુખથી વિચર. ૧૦ જગતનું મિથ્યાત્વ.
ટીકા. આછું અંધારું હોય તેમાં અજ્ઞાનને લીધે જેમ દેરડીને સાપ ધારી માણસ નાસે છે–ડરે છે તેમ અજ્ઞાની જને અજ્ઞાન અને આસપાસનાં સહકારી કારણોને લીધે બ્રમથી બ્રહ્મમાં જગતને જોઈ તેમાં ભૂલા પડે છે. ખરું જોતાં તો જેમ દોરડીમાં સાપ નથી, તેમ બ્રહ્મમાં જગત નથી. માત્ર અજ્ઞાનજનિત ભ્રમ જ છે. જેમ અજવાળું થતાં દેરડીમાંને કલ્પિત સર્ષ અને તજ્જન્ય ભય સૌ મિથ્યા જણાય છે તેમ જ્યારે સદ્દગુરુના બધથી જ્ઞાનનો હૃદયમાં ઉદય થાય છે ત્યારે જિજ્ઞાસુ મુમુક્ષુને જગત નહિ પરંતુ બ્રહ્મની પ્રતીતિ થાય છે. આ મિથ્યા જગતનાં બંધનરૂપી ભય ટળી જઈ આનંદ વ્યાપે છે, અને આનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વળી હે જનક ! સ્વમમાં જેમ ભયંકર વન, તેમાંનાં ફૂર વ્યાધ્રાદિક પ્રાણીઓ અને બીજી ભયંકરતાએથી માણસ કરી જાય છે, મોજમઝાની વસ્તુઓનાં દર્શનથી આનંદમાં મહાલી રહે છે અને આજનના મૃત્યુથી રેઈ ઉઠે છે અને તે બધું તેને પ્રત્યક્ષવત અનુભવાતું લાગે છે તેમ છતાં જ્યારે નિદ્રા ઉડી જાય
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
અષ્ટાવક્ર ગીતા.
છે ત્યારે તેમાંનું કંઈ વિદ્યમાન જણાતું નથી અને સ્વમમાં લાગેલા ભય, ત્રાસ અને આનંદ બધું મિથ્યા ભ્રમણારૂપ સમજાય છે તેમ જ્યારે, આત્મજ્ઞાનથી માણસ માયાકૃત અજ્ઞાનની નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તેને જગત અને તેમાંની બધી પ્રવૃત્તિએ-જંાળા મિથ્યા પ્રતીત થાય છે અને એકલું આનંદ સ્વરૂપ બ્રહ્મજ ભાસમાન થઈ રહે છે. અજ્ઞાન–વિદ્યામાંથી આ ભોસમાન સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે પરંતુ હું જનકરાય ! જ્યારે તમે પાત પેાતાને બ્રહ્મ સ્વરૂપ સમજશે! ત્યારે તમારી દૃષ્ટિ આગળથી આ જગત નાશ પામશે અને તેનું મિથ્યાત્વ તમાને જરૂર પ્રતીત થશે.
જનક~~હે ઋષિરાય ! બ્રહ્મજ્ઞાનીઓને જગત મિથ્યા લાગવા છતાં અને તેમને જગતને નાશ–અભાવ જણાયા છતાં પણ, જગત તે જેમનું તેમ ચાલુજ રહે છે, તે ક્રમ ? અષ્ટાવક્રજીએ કહ્યું કે-હે રાજન! જેમ મૃગનું એક મોટું ટાળું ઝાંઝવાનું જળ પીવાને દેડે છે, જેમ જેમ તે આગળ વધતાં જાય છે તેમ તેમ મૃગજળ દૂર ને દૂર દેખાતું જાય છે. એ ટેાળામાંના જે મૃગને તેનું મિથ્યાત્વ સમજાય તે એકાદ મોટા વૃક્ષને આશ્રયે બેસી જળનેા માહ છેાડી દે છે; પરંતુ ઝાંઝવાંમાં આશા બંધાયેલી ચાલુ હેાય તે તે! ઝાંઝવાંને જળ જળ તે જળ માની ધાવન કર્યાજ કરે છે, તેમ જેમને આત્મજ્ઞાન થાય છે તેમને માટે જગતને નાશ—અભાવ કહેવાય, પરંતુ જેમને જ્ઞાન નથી તેમને માટે તે ખાટું-મિથ્યા હાવા છતાં પણ ઝાંઝવાનું જળ જળરૂપ ભાસ્યાજ કરે, તેમ અજ્ઞાનીને તેા જગત નથી તેમ છતાં તે હાવા રૂપ લાગ્યાજ કરે છે. ભ્રમથી જગત જણાતું હોવા છતાં પણ સસારી જતેને તેનું અસ્તિત્વ લાગ્યાજ કરે છે, તે પેલાં મિત મૃગાની માફક તેની પાછળ દોડ અને કષ્ટ વેઠયાંજ કરે છે.
અજ્ઞાનમાંથી જગતની ઉત્પત્તિ છે અને અજ્ઞાન સર્વત્ર એક છે તે પછી અજ્ઞાનના નાશ સાથે જગતને નાશ કેમ ન થાય? આ શંકાના
Page #19
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
૧૫ સમાધાનમાં અષ્ટાવક્રછ બીજા ઉદાહરણથી કહે છે કે–અજ્ઞાન એક નથી, પરંતુ પરિચ્છિન્ન છે. જેમ ઘટમઠને લીધે એકનું એક આકાશ ઘટાકાશ ને મઠાકાશ ભેદથી ભેદવાળું ભાસે છે તેમ અંતઃકરણના ભેદથી અજ્ઞાન પણ પરિછિન્ન થઈ ભેદને પામે છે. એ પરિછિન્ન અજ્ઞાન ઘટાકાશ નાશ પામતાં સર્વત્ર વ્યાપી રહેલું આકાશ નાશ પામતું નથી, તેમ પિલું અજ્ઞાન પણ નાશ પામતું નથી. પાંચ દસ માણસે નિદ્રા પામતાં દરેકને સ્વમ લાધે છે અને દરેક જુદા જુદા ભાવવાળાં સ્વમ જોઈ તથા અનુભવી રહેલા હોય છે. આમાંનો એકાદ જણ જાગૃત થતાં તેના સ્વમવલોકનો નાશ થાય છે, કંઈ સર્વજનનાં સ્વમનો નાશ થતો નથી. તેમ જેને જ્ઞાન થાય તેનું જગત લય પામે છે અને અજ્ઞાનીઓનું જગત તેમની સામે ચાલુ ને ચાલુજ રહ્યા કરે છે. અજ્ઞાનીઓને દેખાતા માત્ર મિથ્યા જગતને જે તમો જગત માને નહિ તે પરબ્રહ્મમાં ચિત્ત લગાડી પરમાનંદમાં રમે.
જેવી મતિ તેવી ગતિ, એ કોક્તિનું સત્ય બતાવતાં કહે છે કે – मुक्ताभिमानी मुक्तो हि, बद्धो बद्धाभिमान्यपि।। किंवदंतीह सत्येयं, या मतिः सा गतिर्भवेत् ॥ ११ ॥
અર્થ. મુક્તિનો અભિમાની મુક્ત અને બીને અભિમાની બદ્ધ રહે છે; લેકની કહેતી ખરી જ છે કે-જેવી મતિ તેવી ગતિ થાય. ૧૧
ટીકા. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું વગેરે સંબંધી જેને જેવું અભિમાન-અહંભાવ હોય તેવાં તેવાં કાર્યો તે કરે છે અને તેનાં ફળ ભગવતો સંસારચક્રમાં ભટક્યા કરે છે. તેમજ અને જેને બ્રાહ્મણ, ક્ષત્રિય, શાદિક હોવાનું અભિમાન હેતું નથી, પણ હું નિરાકાર ને નિર્વિકલ્પ છું એવી સમજણ છે તે મુક્ત છે, અર્થાત્ પુરુષને જેવી મતિ હોય તેવી તેવી તેની ગતિ થાય છે. ગીતાજીમાં પણ કહ્યું છે
Page #20
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. કે ધન છે એજ બંધક્ષનું કારણ છે; માટે અમને “જગત મિથ્યા. છે અને બ્રહ્મ સત્ય છે,’ એવી પ્રતીતિ સદ્દગુરુને આશ્રય લઈ કરાવવી કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય.
વાસ્તવમાં તે બંધક્ષ જેવું કંઈ છે જ નહિ. સર્વત્ર બ્રહ્મ છે. માયાન્વિત પુરુષને ભ્રમ તેજ સંસાર–જગત છે બીજું કંઈ જ નથી, તે જણાવતાં કહે છે કે –
आत्मा साक्षी विभुः पूर्ण, एको मुक्तश्चिदक्रियः । असंगो निःस्पृहः शान्तो, भ्रमात्संसारवानिव ॥ १२ ॥
અર્થ આત્મા સાક્ષી, વિભુ (વ્યાપક) પૂર્ણ, એક, મુક્ત, ચિત્ (ચૈતન્યરૂપ) અક્રિય (ક્રિયારહિત) અસંગ, નિઃસ્પૃહ, અને શાંત છે, પરંતુ બ્રમથી સંસારી જે ભાસે છે.
ટીકા. હે જનક! આત્મા તે અપચનો સાક્ષી–જેનાર છે. એને અસંગને જગત સાથે કઈ પણ સંબંધ નથી. આકાશ જેમ સારાં ખોટાં, શુદ્ધાશુદ્ધ સર્વ પાત્ર અને સ્થળમાં વ્યાપીને રહેલું છે, તેમ આત્મા પણ સર્વ ઠેકાણે હોવા છતાં કશાથી લપાતો નથી, માટે અને સંગ કહેવાય છે. વિભુનો પણ એજ વ્યાપક એવો અર્થ છે. એ પૂર્ણ છે એમાં અપૂર્ણતા કે વધારે છેજ નહિ. અનેક જીવજંત વગેરેમાં વ્યાપીને રહેલે હેવા છતાં પણ તે એકજ છે, મુકત છે અને અક્રિય-ક્રિયારહિત છે. એ કંઈ ક્રિયા કરતો નથી, એ તે બ્રમમાં પડેલે જીવસમૂહ એને કર્તા કહે છે. એને કઈ પ્રિય અપ્રિય પણ નથી. તેમ એ કોઈનું સારું ખોટું કરતો નથી એટલે અક્રિય છે. માયાથી જીવાત્મા એને સક્રિય માને છે અને ભ્રમથી છવાત્મા પછી પોતાને પણ સંસારી–પ્રપંચપાત્ર બનાવે છે. પરબ્રહ્મને તો કંઈ નથી.
જીવાત્માને અવિદ્યાએ કરીને લાગેલે મારાપણાને ભ્રમ કેમ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૭
અધ્યાય ૧ લે. જાય? એવી શંકાના સમાધન માટે કહે છે કે “હું આ સંસારમાંને જીવ નથી ” એવું વારંવાર મનન, નિદિધ્યાસન અને સદ્ગુરુ પાસેથી અહંભાવ નિવર્તક શ્રવણ કર્યા કરવાથી અહંભાવને અને તેની સાથે પ્રવૃત્તિને નાશ થાય છે. અષ્ટાવક્ર કહે છે કે-ઉદાલકે (એમના દાદાએ) તકેતુ (એમના મામા) ને તરવહિને એકવાર નહિ પરંતુ નવ વાર ઉપદેશ કર્યો હતો, અને એવા વારંવાર થતા ઉપદેશ સાથે ચાલુ મનન અને નિદિધ્યાસન રાખતાં શ્વેતકેતુને આત્મજ્ઞાનને બોધ થયે હતે. અધ્યાસની છાપ ઝટ જાય તેવી નથી, માટેજ હે રાજન ! હું પણ તમને વારંવાર આત્મજ્ઞાનને બોધ આપું છું.
कूटस्थं बोधमद्वैतमात्मानं परिभावय । आभासोहं भ्रमं मुक्त्वा भावं बाबमथान्तरम् ॥ १३॥
અર્થ. હું આભાસ માત્ર છું અને બાહ્ય તથા અંતરના ભાવ મિથ્યા-ખેટા છે, એમ વિચારી–માનીને ફૂટસ્થ, બાધારૂપ અદ્વૈત આત્મા સંબધીજ આપ વિચાર કર્યા કરો. ૧૩
ટીકા. આ હું જે શરીરરૂપ છું તે માત્ર બેટે આભાસ–ભ્રમ છે અને અંતઃકરણમાંના તેમજ બહારના જે ભાવ છે તે પણ બધા મિથ્યા છે, એમ વારંવાર વિચાર કરી ફૂટસ્થ, અદ્વૈત આત્મામાં એક તાર થા–એટલે અહંભાવ તરત ગળી જશે. આ હું અને આ મારું એવો અહંકાર જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી નિરંતર શ્રવણ, મનન અને નિદિધ્યાસન કર્યા જ કરવું.
જનક રાજાએ વારંવાર આત્મજ્ઞાનોપદેશની ઈચ્છા બતાવ્યાથી અષ્ટાવક્રજી બેલ્યા કે –
देहाभिमानपाशेन चिरं बदोसि पुत्रक । बोधोहं ज्ञानखड्गेन, तनिष्कृत्य सुखी भव ॥ १४ ॥
અર્થ. હે પુત્ર! તું ઘણા કાળથી દેહાભિમાન પાઅ, ૨
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
અષ્ટાવક્ર ગીતા: શથી બંધાયેલે છે, પણ હવે તે પાશને જ્ઞાનરૂપી ખર્ગતરવારથી કાપી નાંખી “હું બેધ પામ્યું છું” એવો નિશ્ચય કરીને સુખી થા. ૧૪
ટીકા. “આ સ્થૂલ શરીર છે તે હું છું” એવા અભિમાનરૂપ પાશથી ચિરકાળથી તે પોતાને બંધાયેલો માને છે, પરંતુ હવે આત્મા જ્ઞાનરૂપી તરવાસ્થી તે બંધને છેદી “હું ધરૂપ છું” એમ જાણું સુખી થા. માયામાં લેવાયેલો જીવાત્મા ભૂલ દેહમાં મારાપણું માની તેને લગતા ધર્મો પાળવા જતાં સંસારનાં વિવિધ બંધનમાં બંધા જાય છે; અને હે રાજન! તમે પણ અનાદિકાળના દેહાભિમાનથી બંધાયેલા છે, એટલે વારંવાર તમને પણ દેહ એજ હું–આત્મા છું એવો ભ્રમ થયા કરે છે. પરંતુ આત્મજ્ઞાનવડે હવે તો તમારે રે બંધને છેદી હું દેહનો અભિમાની નથી એટલે કે, દેહ તે હું આત્મ નહિ, એ દઢ નિશ્ચય કરી વારંવાર અંતઃકરણને તેમાંથી ખેંચી લેવું અને “હુંજ આત્મા છું અને મારે ને દેહને તેમજ દેહના ધર્મો કંઈ સંબંધ નથી” એમ વિચારી સુખી થવું.
ચિત્તવૃત્તિના ધન માટે યોગશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સમાધિથ આત્માનો નિશ્ચય કરીએ તે કેમ ? એવા અબોલ પ્રશ્નના ઉત્તરમ
निःसंगो निष्क्रियोसि त्वं स्वप्रकाशों निरंजनः । अयमेव हि ते बंधः समाधिमनुतिष्ठसि ॥ १५ ॥
અર્થ. તું નિઃસંગ, નિષ્ક્રિય, સ્વપ્રકાશ અને નિરંજ છે, છતાં સમાધિને લીધે તારે આ બધ્ધ છે. ૧૫
ટીકા. હે. જનક! સમાધિ વગેરેથી ચિત્તવૃત્તિનું શોધન તેમ છે ઈશ્વર પ્રતીર્તિ થાય છે, વગેરે જે વિચારો તારા મનમાં ઘૂમે છે તે છે તારા બંધનનું કારણ છે, માટે યોગાદિકની પ્રક્રિયાઓ વગરને છે
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લો.
૧૯
અંત:કરણથી એમ માનવાને–ચિત્તમાં એમ ઠસાવવાનો વિચાર કર કે સમાધિથી જેને પામવાનો-પ્રાપ્ત કરવાનો હેતુ છે તે હું પોતે જ નિઃસંગ, નિષ્ક્રિય, સ્વપ્રકાશ, અને નિરંજન એવા પરમાત્મા–બ્રહ્મસ્વરૂપ છું, એટલે તું તારી મેળેજ પિતાને ઓળખ અને અવિદ્યાજનિત
જે ભ્રમ છે તેનો ત્યાગ કર. | દર્શનશાસ્ત્રોમાંના ગશાસ્ત્રમાંની પ્રક્રિયામાં જે સમાધિ વગેરે છે તે સર્વ બ્રહ્મજ્ઞાન આગળ નકામાં છે. જ્ઞાનને વારંવાર વિચાર કરે અને તેવડે જીવાત્માને બેધ્યા કરવા કે “તું જે માને છે તે તું નથી” પરંતુ તું પરમ બ્રહ્મસ્વરૂપ છે અને શરીરાદિક ઉપાધિઓ તને (બ્રહ્મને) બંધન કરનારી નથી. તને દૃષ્ટિગોચર થતું આ જગત બધું માયામય છે, સ્વમના સંસાર જેવું મિથ્યા છે, એમાંથી છૂટવાનો એકજ માર્ગ વેદાંતનું મહાવાક્ય તરસમણિ છે અને બીજું બધું તે જન્મમરણની ઘટમાળમાં ઘુમાવનાર છે. તસ્ એટલે ઈશ્વર–પરમાત્મા અને સ્ત્ર તું ને સિં છે, અર્થાત જીવાત્માને પરમાત્મા–ચેતનસ્વરૂપ. આ મહાવાક્ય અભેદદર્શિક છે, અને તેને વાચાર્ય જહ-અજહત લક્ષણે એટલે ભાગત્યાગલક્ષણાએ કરેલ છે. શબ્દશક્તિ પ્રમાણે પદ-શબ્દને અર્થ કરાય છે. એમાં શક્તિવૃત્તિ શબ્દને મુખ્ય અર્થ લેવાય છે, જેમકે ઘરના . બીજી જહત લક્ષણવૃત્તિ એમાં સંબંધી અર્થ લેવાય છે, જેમકે જય જઅને ત્રીજી જહત-અજહત લક્ષણે, જેમકે સંયમ. આમાં એક ભાગ પહેલાને ને એક ભાગ બીજાને લઈ વાસ્વાર્થ ઘટાવાય છે.
त्वया व्यासमिदं विश्वं त्वयि मोतं यथार्थतः।। शुद्धघुदस्वरूपस्त्वं मागमः क्षुद्रचित्तताम् ॥ १६॥
અ. આ વિશ્વ તારો વડે વ્યાપ્ત છે તારામાં પર વાયેલું છે અને તે પરમાર્થથી શુદ્ધ બુદ્ધ પ છે, માટ સહચિતપણાને પામ નહિં. ૧૬
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
અષ્ટાવક્ર ગીતા.
ટીકા. જનકના આત્માને સંખેાધીને કહેતા હૈાય તેમ કહે છે કે, હે આત્મન્ ! તારા ચેતનવડે આખું વિશ્વ ચેતનવાળું છે, તું રૂપી સૂત્રમાં મણકાઓની માફક તે પરોવાયેલું છે અને તું પાતે તા શુદ્ધ અને મુદ્ધ સ્વરૂપ છે તેા પછી સંસારી ભ્રમમાં પડી ‘ આ મારું ’ એવી ક્ષુદ્રચિત્તતા શા માટે કરે છે? તને ક્ષુદ્રચિત્તતા-પ્રાકૃતતા ઘટતી નથી. તારા સંકલ્પ માત્રથી જેની ઉત્પત્તિ છે. તેમાં તું પોતેજ ભૂલા પડે, એ તને ટિત નથી. હું જનક ! તમે પણ આ સંસારને મિથ્યા માની પેાતાના આત્મામાં લીન થાઓ. જગત તા માયાકૃત છે અને તમે તે! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપા માટે એ સ્વરૂપને ઓળખો, એનું ચિંત્વન કરી ને શાંત થાઓ.
निरपेक्षो निर्विकारो निर्भर: शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ।। १७ ॥
અર્થ. તુ અપેક્ષા રહિત, વિકાર રહિત, નિર, ચિદૂધન સ્વરૂપ અને શાંત શિતલ હૃદયના છે; તુ અગાધ બુદ્ધિવાળા અને ક્ષેાભ પામે એવા ના, માટે ચૈતન્ય ઉપર નિષ્ઠાવાળા થા. ૧૭
ધર્માધર્મ આત્માના નથી.
ટીકા. જનક! આત્મા અપેક્ષા રહિત છે. તેને કા વિકાર થતા નથી, અર્થાત્ અને ક્ષુધા, તૃષા, શાક, મેાહ, જન્મ અને મરણ નથી. આ છ ધર્મોમાં સુધા ને તૃષા પ્રાણના ધર્મ છે; શાક અને મા મનના ધર્મ છે અને જન્મ તથા મરણ ના ધર્મ છે. આત્માના ધમેમાં તે નથી. આત્મા તે ઉત્પન્ન થતા નથી, ઘસાતા કે ક્ષીણ થતા નથી અને નાશ પણ પામતા નથી. આત્મા છે તે તે આ બધા ધર્માંના સાક્ષી દ્રષ્ટા છે. આત્માને એ ધર્માની અસર નથી. જેને એવી અસર થાય છે તે નાશવાન વસ્તુ-વ્યક્તિ જાણવી. આત્મા અવિ
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
૨૧ નાશી, અખંડઘન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હે જનક! આમ હોવાથી આત્માને કશી અપેક્ષા નથી, તેને કોઈ વિકાર નથી, તે અભર ભરેલ છે, તે સદા શાંત સ્વરૂપ છે, બુદ્ધિનો અગાધ સાગર છે તેમ છતાં બુદ્ધિ જેમ ક્ષોભ પામે છે તેમ આત્મા ક્ષોભ પામતો નથી, તેથી તમે પોતે પણ આ શરીર રૂપ નહિ પણ આત્મારૂપ એક ચિદ્દઘન
સ્વરૂપ છે, એમ જાણીને પ્રપંચના ધર્મોની વાસના છોડી ચિત્માત્ર વાસનાવાળા બને.
साकारमनृतं विद्धि निराकारं तु निश्चलं । एतत्तत्त्वोपदेशेन न पुनर्भव संभवः ॥ १८ ॥
અર્થ. સાકાર (વસ્તુ) ને તૃત જાણ અને નિરાકારને નિશ્ચલ જાણુ, આ બ્રહ્મજ્ઞાનના તત્ત્વોપદેશથી કરીને જન્મ થતો નથી. ૧૮
ટીકા. જે જે સાકાર છે તે તે નાશવાન છે અને દુઃખ તથા બંધનના કારણરૂપ છે. શરીર સાકાર હોવાથી નાશવાન અને બંધન કરતા છે. વળી એને અંગે રહેલા ધર્મો બંધને વધારે અને વધારે દઢ કરનારા છે માટે એ બધા વિષયોને તજવા અને શરીરને પણ મિથ્યા માનવું, કારણ કે ગમે તેટલી સંભાળ લેવા છતાં પણ આખરે એ પડી જાય છે. અષ્ટાવક્રજીએ આરંભમાં વિષયોને આત્મજિજ્ઞાસુ માટે વિષ જેવા કહી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ એટલા માટેજ કર્યો છે. સંસારની માયાના વિચારમાં ઘૂમતી બાબતો પણ મનને સ્થિર થવા દેતી નથી, હૃદયનું મંથન કરે છે અને તેમાંથી અનેક જાતના કલેશ ઉત્પન્ન થઈ પ્રાણીને પારાવાર સંતાપમાં નાંખી દે છે-અરે સંતાપ કરાવે છે એટલું જ નહિ, પરંતુ વિષની માફક તે પ્રાણ પણ લે છે, માટે માયાના ભ્રમણમાં નહિ ભમતાં પુરુષે પોતાના પરમ શ્રેયને માટે પિતામાં રહેલા ચૈતન્યધન આત્માને ઓળખવાની અને તેને જ સાક્ષાત્કાર થાય એવી રીતે વર્તવાને હંમેશ યત્ન કર.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૨
અષ્ટાવક્ર ગીતા. જનક રાજાને ઘણું જણે બંધ કર્યો હતો તેમ છતાં તે વારંવાર ઉપદેશ સાંભળતા તે એટલાજ માટે કે ભ્રમિત મન તેમાં એકતાર થાય.
यथैवादर्शमध्यस्थे रूपेन्तः परितस्तु सः । तथेचास्मिकछरीरेन्तः परितः परमेश्वरः ॥ १९ ॥
અર્થ. જેમ દર્પણમાં પલ્લું પ્રતિબિંબ બહાર તેમજ અંદર દેખાય છે તેમ આ શર માં પણ બહાર અને અંતરમાં બધે પરમેશ્વર ભાસે છે. ૧૯ બહામય વિશ્વ.
ટીકા. હે જનક! દર્પણમાં પડેલા શરીરના પ્રતિબિંબની આસપાસ સર્વત્ર જેમ દર્પણ વ્યાપીને રહેલું હોય છે તેમ આત્મામાં શરીર પ્રતિબિંબ રૂપે દેખાય છે બાકી સર્વત્ર આત્મા જ વ્યાપ્ત છે એમ જાણ. દર્પણમાંનું શરીર જેમ દેખવા માત્ર મિથ્યા છે. અધિષ્ઠાનની સત્તાથીજ કલ્પિત વસ્તુ પ્રતીત થાય છે. અધિકાન એવી છીપ ન હોય તો તેમાં ચાંદીની પ્રતીતિ થતી નથી, તેમજ દોરી જ ન હોય તો તેમાં સાપની કલ્પનાને અવકાશ મળતા નથી. આત્માની સત્તાને લીધે જ આપણને શારીરાદિકની પ્રતીતિ થાય છે. જે આત્મા ન હોય તે શરીરાદિકને ભાસ થાય નહિ. આત્માની સત્તાને લીધે જ સ્થાવર જંગમાત્મક જગતને ભાસ થાય છે, એમ આ દૃષ્ટાંતથી મુનિ જનકરાયને સમજાવી બીજા દૃષ્ટાંતથી કહે છે કે –
एकं सर्वगतं व्याम बहिरन्तर्यथा घटे । नित्यं निरंतरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ २० ॥
અથ. જે એક આકાશ સર્વ (વસ્તુ) માં ઘટાદિમાં બહાર અને અંદર થાપીને હેલું છે, તેમ નિત્ય અને નિરંતર તેવું શહા સભૂત ગણુમાં વ્યાપને રહેલ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૩
અધ્યાય ૧ લો. ટીકા. કૃતિમાં કહેલું છે કે, એક આત્માજ સર્વનાં અંતરમાં રહેલો છે, તેમ અષ્ટાવક્રએ આ પ્રથમ પ્રકરણમાં જનકરાયને બરબર બેસતાં દૃષ્ટાંત આપીને ઉપદેશ કર્યો છે કે–આત્મા છે તે જ જગતના કારણરૂપ છે, એની સત્તાએ કરીને જ જગત આપણને ભાસે છે અને જગતની માફક શરીરમાં પણ અંદર અને બહાર સર્વત્ર એજ વ્યાપીને રહેલે છે, તેમ છતાં માયાને લીધે આપણે તેને પિછાણી શકતા નથી. સદ્દગુરુના બોધ વગર પુરુષને થયેલા શરીરમાં હુંપણુને અનાદિ ભ્રમ ખસતો નથી. વળી તે એ તે વજલેપ અને મેહક છે કે વારંવાર સાંભળ્યા, મનન કર્યા અને નિદિધ્યાસન કરવા છતાં પણ વારંવાર તે તરફ મન-બુદ્ધિને ઘસડી જાય છે, માટે મોક્ષની જેને ઈચછા હોય તેણે તે તત્ત્વજ્ઞાનનું વારંવાર શ્રવણ મનન કર્યા કરવું જ જોઈએ. ચિત્ત માયા માલિન્યને એકજ જન્મમાં તજી શકતું નથી માટે જન્માંતરે લગી સબંધ હોય તોજ આત્મપ્રતીતિ થાય છે. ભગવદ્ ગીતામાં એટલાજ માટે શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે–અનેક જન્મને અતિ જ્ઞાનવાન મને ( આત્માને ) પ્રાપ્ત થાય–પામે છે. આત્મા સર્વત્ર રહેલા છે અને એના સિવાય બીજું કંઈ છે જ નહિ, એમ પુનઃ પુનઃ ઠાકારી ઠેકારીને કહેતાં આકાશના દૃષ્ટાંતથી આ લેકમાં પણ ઋષિજી જનકરાયને કહે છે કે, જેમ ઘડાની બહાર અને અંદર સર્વત્ર આકાશ વિટાઈને રહેલું છે અને ઘડાનો ભંગ થતાં પણ એને બંગ-નાશ થતો નથી. તેમ પ્રાણીઓના શરીરમાં અને બહાર–અખિલ વિશ્વમાં પરમાત્મા અભર ભરેલો છે અને શરીર કે જગતના નાશથી કદાપિ તેને નાશ થતો નથી, માટે પરમાત્માને પામવા પરમાત્મસ્વરૂપમય થઈ જાઓ એટલે આ શરીર અને જગત સર્વ તમેને બ્રહ્મરૂપ લાગશે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां वैराग्योपदेशोनाम
प्रथमोऽध्यायः समास
Page #28
--------------------------------------------------------------------------
________________
अध्याय २ जो.
જ્ઞાનદયને આનંદ. अहो निरंजनः शान्तो बोधोहं प्रकृतेः परः । एतावंतमहं कालं मोहेनैव विडंबितः ॥ १ ॥
અર્થ. અહે! હું નિરંજન, શાંત, બેધ સ્વરૂપ, અને પ્રકૃતિથી પર હોવા છતાં પણ મેહને લીધે આટલે બધો સમય –વખત વિટંબણુમાં રહ્યો, ખરેખર ઠગાયેજ.
ટીકા. પહેલા અધ્યાયમાં અષ્ટાવક્રએ વૈરાગ્યપદેશ કર્યો તેથી પ્રસન્ન થયેલા જનકરાય મોટા આનંદમાં આવી એકદમ બોલી ઉઠયા કે–અહે ! આ શું? આશ્ચર્ય છે કે હું જે નિરંજન, શાંત, બોધરૂપ અને પ્રકૃતિથી પર છું, તે મેહને લીધે શરીર અને જગતને સત્યરૂપ માની આટલે બધો વખત વિડંબના પામતો રહ્યો ! ખરેખર માયાની આંટીઘૂંટી જબ્બર છે.
यथा प्रकाशयाम्येको, देहमेनं तथा जगत् । अतो मम जगत्सर्वे, अथवा न च किंचन ॥ २ ॥
અર્થ. આ દેહને અને જગતને હું એક જ પ્રકાશ કરું છું, ત્યારે તે આ સર્વ જગત સંપૂર્ણ મારું સ્વરૂપજ છે અથવા હું કઈજ નથી, મારું કંઈ છે પણ નહિ. ૨
ટીકા. દેહ અને આત્માને વિવેક થતાં હવે મને (જનક પિતે કહે છે માટે) સમજાય છે કે, આ દેહ અને જગત સૌ મારાથી (આત્માથી) પ્રકાશે છે; નહિ તો દેહ અને જગત સૌ મિસ્યા છે. અપ્રકાશ જગતની માફક દેહ પણ અનાત્મા અને જડ છે. દેહ અને ચેતન એ તો આત્માને આરેપિત સંબંધ છે. છીપમાં જ
Page #29
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
૨૫
ચાંદીના સંબંધ જેમ ખાટા-ભ્રમમૂલક છે તેમ આત્મામાં દેહના સંબંધ પણ ખાટા છે. આત્માની સત્તાથી દેહના ભાસ અને તેનું સ્વરૂપ જણાય છે. આત્માના પ્રકાશ એમાંથી બહાર જતાં કંઈજ રહેતું નથી; તેમ સંસાર અને સંપૂર્ણ જગત પણ બ્રહ્મ રહિત માનતાં અંધારૂંજ છે.
જગત સત્ય જેવું લાગે છે તે મ્રહ્મના અસ્તિ, ભાતિ અને પ્રિય, એ ત્રણ અંશને લીધે છે. નામ અને રૂપ એ એ અંશ જડના છે, જડ અંશેાની સાથે બ્રહ્મ અંશાનેા સબંધ થવાથી તે પ્રકાશે છે, પરંતુ જ્યારે જડ અંશે! ક્ષીણ થઇ નાશ પામે છે ત્યારે જગત પાછું અદૃશ્ય થઈ જાય છે. નામ અને રૂપ જડ છે, કારણ કે તે વધે છે, ઘટે છે અને નાશ પામે છે એટલુંજ નહિ, પરંતુ ત્રણે કાળમાં એક સ્વરૂપે રહેતા નથી. જડ અંશામાંથી બ્રહ્મ અંશા છુટા પાડવામાં આવે તે જગત એની મેળેજ મિથ્યા થઈ જાય. જગતજ શું પરંતુ તેમાંના ક્રાઇ પણ પદાર્થ બ્રહ્માંશ વગર અસ્તિત્વ ધરાવતા નથી. જનકને અષ્ટાવક્રના ઉપદેશથી આ જડ ચૈતન્યના મેધ થયા અને એ ખાધના આનંદમાં તે આ પ્રમાણે પાતાને બ્રહ્મ સ્વરૂપ માનતા પૂર્વના અજ્ઞાનનિત સંસ્કાર માટે આશ્ચર્ય બતાવવા લાગ્યા. सशरीरमहो विश्वं परित्यज्य मयाधुना । कुतश्चित् कौशलादेव परमात्मा विलोक्यते ॥ ३॥
અર્થ. અહા ! વેજ મારાથી શરીર સાથે ( સંપૂર્ણ ) વિશ્વને ત્યાગ થતાં કુશળતાથી પરમાત્મા જેવાય છે. ૩ જનકને બ્રહ્મપ્રતીતિ.
ટીકા. જનકરાજા પાતે પાતાના પ્રતિ કહે છે કે અહા ! શાસ્ત્ર શ્રવણ અને આચાર્યના ઉપદેશ થતાં મને આત્મા અને જગત જુદાં છે, તે સમજાયું. હવે શરીર તેમજ આ સંપૂર્ણ વિશ્વ તે આત્મા નથી, એવી પ્રતીતિ થતાંની સાથેજ મને પરમાત્માના સાક્ષાત્કાર થાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. જ્યાં લગી જગતની તથા શરીરની સત્યતા અવિદ્યાને લીધે મનાતી હતી ત્યાં સુધી એ બધું સત્ય ભાસતું હતું, પરંતુ જ્યારે આત્મા અને જગતને વિવેક સમજાવવામાં આવ્યું ત્યારે હવે મને આ દેહ અને જગત મિથ્યા લાગી પરબ્રહ્મનાં દર્શન થાય છે. આત્મ સ્વરૂપ સમજાતાં મારાં જ્ઞાનચક્ષુ ઉઘડી ગયાં છે અને મને પરમાનંદ પ્રાપ્ત થયો છે.
यथा न तोयतो भिन्नास्तरंगाः फेनबुबुदाः। आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥४॥
અર્થ. જેમ જળથા તરંગ, ફેન અને પરપોટા ભિના નથી, તેમ આત્મવિશિષ્ટ આ વિશ્વ આત્માથી ભિન્ન નથી જ. ૪
ટીકા. જળથી તરંગ, ફેણ અને પરપોટા જેમ ભિન્ન નથી, તેમ બ્રહ્મથી જગત પણ ભિન્ન નથી. તરંગમાં, ફેણમાં અને પરપોટામાં જેમ જળને અંશ રહેલો હોય છે, તેમ જગતમાં પણ સર્વ વસ્તુમાં બ્રહ્મને–આત્માને અંશ રહે છે. રજજુમાં સર્પ નથી પણ સર્ષનું સ્વરૂપ છે, છીપમાં રજત નથી પણ રજતનું સ્વરૂપ છે તેમ બ્રહ્મમાં જગત અને જગતમાં બ્રહ્મ સર્વત્ર ઓતપ્રોત ભરેલું છે અને તેની સત્તાવડેજ તે ભાસે છે. તરંગ ફેણ ને પરપાટાનું ઉપાદાને કારણે જેમ જળ છે, તેમ જગત અને જગતમાંનું સર્વ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું હોવાથી બ્રહ્મ તે સર્વનું ઉપાદાન કારણ છે અને તેને જાણ વાથી બીજું સર્વ જાણવામાં આવે છે; અર્થાત મુખ્ય સત્તા જાણવામાં આવ્યા પછી તેના કાર્યની જરૂર રહેતી નથી. જગત જે કે કલ્પિત છે, તો પણ તેના અધિકાન રૂપ આત્માથી ભિન્ન નથી અને આત્માના જ્ઞાનમાં તે સૌ વિલીન થઈ જાય છે.
तंतुमात्रो भवेदेव पटो क्वद् क्विारतः । आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥ ५ ॥ સર્સ. જેમ વિચાર કરતાં કપડું તંતુ સારથી બનેલું
Page #31
--------------------------------------------------------------------------
________________
२७
અધ્યાય ૨ જે. જણાય છે, તેમજ વિચાર કરતાં આ વિશ્વ પણ આત્મતન્માત્રથી ઉપજેલું જણાય છે.-૫
ટીકા. કપડું અને તાંતણા એ સામાન્ય રીતે તો જુદાં લાગે છે, પરંતુ જરા વિચાર કરીને જોતાં તે એક બીજાથી ભિન્ન નથી એવું સમજાય છે, તેવી જ રીતે જગત અને બ્રહ્મ સ્થૂલદષ્ટિએ તો એક બીજાથી તદન ભિન્ન જણાય છે, પરંતુ શાસ્ત્રની યુક્તિઓના વિવેકથી વિચાર કરતાં વિશ્વ આત્માથી ભિન્ન જણુતું નથી. જેમ તંતુઓ કપડામાં સર્વત્ર અનુગત છે તેમ બ્રહ્મ પણ વિશ્વમાં પોતાની સત્તાવડે અધિકાન રૂપે અનુગત છે. આત્માના અંશ વગર કશું છેજ નહિ, સર્વત્ર આત્મા છે.
अथैवेक्षुरसे क्लुप्ता. तेन व्याप्तेव शर्करा। तथा विश्वं मयि क्लुप्तं मया व्याप्तं निरंतरम् ॥ ६ ॥
અર્થ. જેમ શેલડીના રસમાં કપાયેલી શર્કરા તેમાં વ્યાપીન રહલી છે તેમ મારામાં કપાયેલું વિશ્વ નિરંતર મારા વડેજ વ્યાપ્ત છે. ૬
ટીકા. જેમ શેલડીના રસમાં શર્કરા–સાકર રહેલી છે અને રસ શેલડીમાં સર્વત્ર રહેલું છે, તેમ આ વિશ્વ મારામાં અધ્યસ્ત છે અને મારાથી વ્યાપ્ત છે; અથત આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે, અને તે જ્ઞાનેન્દ્રિયથીજ સમજાય છે. પાણીમાં રહેલું લવણ, દૂધમાં રહેલું ઘી અને શેલડીમાં રહેલી સાકર જેમ છવા ઈન્દ્રિય વગર સમજાતી નથી તેમ જ્ઞાનેન્દ્રિય સિવાય જગતમાં ઓતપ્રેત ભરપુર ભરાઈ રહેલું બ્રહ્મ પણ સમજવામાં આવતું નથી. ઉપનિષદમાં બ્રહ્મની પ્રતીતિ માટે આવોજ એક યુક્તિવાદ મૂકેલો છે. શિષ્ય ગુરુને કહ્યું કે, વિશ્વમાં સર્વત્ર બ્રહ્મ છે, તો તે કેમ જોવામાં આવતું નથી ? અને જ્યારે જોવામાં આવતું નથી એટલે કે ઈન્દ્રિયોથી જાણવું
22 એ
અને
દરી
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮
અષ્ટાવક્ર ગીતા. નથી ત્યારે “તે છે” એમ કેમ માનવું? આ શિષ્યને સમજાવવા માટે ગુરુએ પાણું ભરેલું એક કંડું મંગાવી તેમાં પેલાને હાથેજ મેટું સિંધવનું ગચિયું મુકાવ્યું. એ કુંડાને પછી એની પોતાની દેખરેખમાં રાખવાનું સેપ્યું. બીજા દહાડાપર તોપબોધ કરવાનું તે દિવસે મુલતવી રાખ્યું. પેલા શિષ્ય કુંડાને પોતાની નજર તળે રાખી મૂક્યું અને જ્યારે બીજે દિવસે ગુરુ પાસે ગમે ત્યારે તે લે ગયે. કેટલાક પાઠ થયા પછી ગુરુએ કુંડું પોતાની અને તેની સામે મુકાવી શિષ્યને પૂછ્યું કેનેન્દ્રિયથી. જે. અને કહે કે પેલો સિંધવનો ગાંઠિયે અંદર છે કે નહિ ? આંખોને મટી નાની કરી શિષ્ય બારીકીથી પાણીમાં જોયું પણ તે જણાયો નહિ, એટલે કહ્યું કે “નથી.” ગુરુએ કહ્યું કે-હવે શ્રવણેન્દ્રિયથી સાંભળી છે ? તેણે કાન માંડી જોયા પણ કંઈ સમજાયું નહિ. પછી સુંઘવાનું કહ્યું તે પણ નકારમાં જ તેને ઉત્તર આપવો પડયો. પછી સ્પર્શેન્દ્રિય-હાથથી જોવાનું કહ્યું એટલે તેણે કુંડામાં હાથ ઘાલી બધે તપાસ કરી પણ સિંધવનું ગચિયું જણાયું નહિ. અન્ત તે કુંડામાં કે પાણીમાં નથી, એમ ચારે ઇન્દ્રિયોનો અનુભવ મેળવ્યા પછી ગુરુએ તેને કહ્યું કે હવે એ પાણીનું આચમન કર. ચાંગળું પાણી લઈને મુખમાં મૂકતાંજ શિષ્ય બોલી ઉઠયો કે-ગુરુ મહારાજ! સિંધવ પાણમાં છે. ગુરુએ કહ્યું કે–જેમ ચારે ઈન્દ્રિયો વડે પણ પાણીમાં એકરસ થઈ ગયેલું સિંધવ જણાયું નહિ, માત્ર રસેન્દ્રિય દ્વારા સિંધવ પાણીમાં છે એમ તને સમજાયું, જેમ પાણીમાં સર્વત્ર સિંધવ છે એમ હવે તું ખાતરીથી કહે છે, અને માને છે તેમ આ ચરાચર જગત–વિશ્વમાં વ્યાપીને રહેલે આત્મા (બ્રહ્મ) પણ ઈન્દ્રિયોથી ગ્રહણ કરાતો નથી માત્ર અનુભવ અને સારા ઉપદેશથી ઉત્પન્ન થયેલા જ્ઞાન-ઇન્દ્રિયના જેગથીજ બધ આત્મા વ્યાપીને રહે છે એમ સમજાય છે. શિષ્ય આ યુક્તિથી પ્રસન્ન થયો અને તેને આત્મા સર્વત્ર વ્યાપીને રહેલો છે તેની પ્રતીતિ થઈ આ પ્રમાણે જનકરાજાને પણ મહા તત્ત્વજ્ઞાની અષ્ટાવક્રજીના ઉપદેશથી આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અને તેમને પણ શરીરાદિક મિથ્યા
Page #33
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
૨૯
ભાસી પાતામાં રહેલા આત્માના સાક્ષાત્કાર થયા, કે જેના આનંદમાં તેઓ આ રીતે ચિદ્ધન સ્વરૂપને દર્શાવતા જાય છે.
आत्माऽज्ञानाज्जगद्भाति आत्मज्ञानान्न भासते । रज्ज्वज्ञानादहिर्भात तज्ज्ञानाद्भासते नहि ॥ ७ ॥
થૈ. આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે અને આત્મજ્ઞાનથી નથી ભાસતું, દેારડીના અજ્ઞાનથી સર્પ ભાસે છે અને તેનુ ( ઢારડીનું ) જ્ઞાન થતાં સર્પ નથી ભાસતા-ઢેખાતા.૭
ટીકા. જ્યાં લગી આત્મજ્ઞાન નથી ત્યાં લગી જગત સાચું લાગે છે. આત્મજ્ઞાન થતાં તરતજ તે મિથ્યા છે' એવી ખાતરી થઇ જાય છે. દેરી અને સર્પનું દૃષ્ટાંત આપી ગુરુ ખાતરી કરાવે છે -જ્યાં સુધી દારીની પરીક્ષા થતી નથી ત્યાં સુધી દોરીમાં સર્પ ભાસે છે, પરંતુ જ્યારે જ્ઞાન-પ્રકાશથી જોવામાં આવતી સર્પરૂપ દેરી–દારીજ છે, એવા નિશ્ચય થાય છે ત્યારે સર્પના ભ્રમ જતા રહી તેનું સત્ય જ્ઞાન થાય છે અને સર્પ એવા જે ખાટા આભાસ મન ઉપર પડેલા હાય છે તે જતા રહે છે.
प्रकाशो मे निजं रूपं नातिरिक्तोस्म्यहं ततः । यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥ ८ ॥
અર્થે. પ્રકાશ મારુ પેાતાનું રૂપ છે અને હું તેનાથી જુદા નથી, અને જ્યારે વિશ્વના પ્રકાશ થાય છે ત્યારે ખાતરી થાય છે કે, એ મારા પેાતાનાજ ભાસ છે.
ટીકા. પ્રકાશ એટલે નિત્યજ્ઞાન, આવું નાન—જે પ્રકાશ તે મારું સત્યસ્વરૂપ છે અને હું તે જ્ઞાનરૂપ પ્રકાશથી અતિરિક્ત એટલે જુદા—અલગ નથી; અને જ્યારે વિશ્વ એટલે જગત એનાથી પ્રકાશે છે ત્યારે તેમાં પણ મારેાજ ભાસ રહેલા સમજાય છે અને તે આ
Page #34
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
માના ભાસમાં એકાંકાર થઈ જઈ જ્ઞાન થતાં મિથ્યા ભાસે છે. આ વાત દૃષ્ટાંતથી સમજાવતાં કહે છે કે અગ્નિતેજ સ્વરૂપ છે અને તેજ એ પાંચ તત્ત્વામાંનું એક તત્ત્વ છે. વિશ્વનું અને વિશ્વમાંનું દૃશ્યમાન સર્વ પંચતત્ત્વથી બનેલું હોઈ સર્વમાં તેજસ્વરૂપે અગ્નિ રહેલા છે; છતાં એ અંશરૂપ પ્રશ્ન અગ્નિ લાકડાના મૂર્ત સ્વરૂપને ખાળતા નથી, પરંતુ તેને વધારે ઘટાડે અને વિકારને વશ રાખે છે. આ તેજસ્વરૂપ અગ્નિ એ પ્રકારનેા છે; તેમ જ્ઞાનના પણ એ પ્રકાર છે. એક સામાન્ય જ્ઞાન અને ખીજું વિશેષ જ્ઞાન. કામાં રહેલા તેશ અગ્નિ કાછના મૂર્તસ્વરૂપને-જડ અજ્ઞાન-મિથ્યાત્વનેા નાશ કરતા નથી, પરંતુ જ્યારે તે બીજા કાઇ સાથે ઘસાય છે અને તેમાંથી વિશેષ સ્વરૂપના અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે કાષ્ટ બળીને ભસ્મ થઇ જાય છે, અને તેનું કાપણાનું દેખાતું સ્વરૂપ નાશ પામે છે. આ રીતે જગતમાં-આપણામાં રહેલા આત્માંશરૂપ તેજપ્રકાશથી આપણને જગત ભાસે છે. આપણે જગતને જોઇએ છીએ, પરંતુ જ્યારે સદ્દગુરુ સાથે તત્ત્વજ્ઞાનનું મંચન થઈ તેમાંથી આત્મજ્ઞાનના વિશેષ પ્રકાશ અંતરમાં ઉત્પન્ન થાય છે ત્યારે જગત તરત નાશ પામે છે અને આપણે પોતે પાતાને પરમ જ્યાતિ રૂપે જોઈ પાતામાંજ સર્વ જગતને જોઇએ છીએ. પેાતા સિવાય જગત જેવું- કંઈ છેજ નહિં, એવા જ્ઞાનથી આનંદ સ્વરૂપ ખની રહીએ છીએ.
૩૦
अहो विकल्पित 'विश्वमज्ञानान्मयि भासते 1
रूप्यं शुक्तों फणी रज्जौ वारि सूर्यकरें यथा ॥ ९ ॥
અર્થ. જેમ મુક્તિમાઁ રૂપું, દારડીમાં સાપ, અને સૂર્યનાં કિરણીમાં પોણા (મૃગજળ') દેખાય છે તેમ કલ્પિત વિશ્વ અજ્ઞાનથી મારામાં ગુંચ છે; તે આય છે. ૯
ટીકા માટા આશ્ચર્યથી જનક પોતેજ પોતાને કહે છે કે અહીં ! છીપમાં જેમ ચાંદી, દારડીમાં જેમ સર્પ અને સૂર્યકિરણામાં જેમ
Page #35
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ર જે ઝાંઝવાનું જળ દેખાય છે તેમ અજ્ઞાને કરીને હું જે બ્રહ્મરૂપ છું તેમાં આ કલ્પિત વિશ્વ જણાય છે. મારું આ અજ્ઞાન હવે નાશ પામ્યું છે અને મને બ્રહ્મ સર્વત્ર બ્રહ્મજ માલુમ પડે છે. આજ સુધી મને તેને ભાસ થયો નહિ તેનું કારણ મારું અજ્ઞાન છે. જ્ઞાન–આત્મજ્ઞાનને જ્યારે હૃદયમાં ઉદય થાય છે ત્યારેજ બ્રહ્મસ્વરૂપ સમજાય છે, આ ખરેખર મેટું આશ્ચર્ય છે.
मत्तो विनिर्गतं विश्व मय्येव लयमेष्यति । मृदि कुंभो जले वीचिः कनके कटकं यथा ॥१०॥
અર્થ. જેમ માટીમાં ઘડા, જળમાં તરંગ અને સેનામાં કુંડળ આદિ અલંકાર સમાઈ જાય છે, તેમ મારા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ (મજ્ઞાન થતાં) પાછું મારામાંજ લય પામે છે: ૧૦
ટીકા. “મારામાંથી (આત્મામાંથી ) વિશ્વ ઉત્પન્ન થાય છે અને પાછું તેમાંજ લય પામે છે, એ જનકરાજાને આત્મબંધ થતાં ખાતરી થાય છે. આત્મજ્ઞાનના મૂલભૂત ઉપનિષદોમાં પણ એજ વિચાર આપેલ છે. તો શા માનિ જેનાથી આ ભૂત માત્ર ઉત્પન્ન થાય છે, જેની સત્તાથી જગે છે અને તેમાંજ પાછાં લય પામે છે, સમાઈ જાય છે. દર્શનશાસ્ત્રોમાં ઘણાના મત જુદા જુદા છે પણ વેદાંત તે વેદને જ માન્ય રાખી તેને અનુસરતી યુક્તિથી જગત અને બ્રહ્મની અભિન્મતા બતાવે છે. સાંખ્યવાળા પરિણાંમવાદને માને છે, જે વિકાસવાદના જે વાદ છે, એટલે અસલ અબWયી અવસ્થાતરતા આવવી તે પરિણામવાદ, જેમકે દૂધનું દહિં, માટીમાંથી ધડે, અને સોનામાંથી કડાં, કુંડળ વગેરે અલંકાર-તેમ પ્રકૃતિના પરિણામથી જગત અને તેમાંનું બધું ઉત્પન્ન થાય છે. જ્યારે સાંખ્યવાળા આમ માને છે ત્યારે ન્યાયવાળાઓ આરંભવાદને માને છે. એક
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૨
.
અષ્ટાવક્ર ગીતા.
વસ્તુમાંથી બીજી વસ્તુની ઉત્પત્તિ તેનું નામ આરંભવાદ. જેમકે-અન્ય વસ્તુ તંતુ તેમાંથી અન્ય વસ્તુ ભિન્ન કપડાંની ઉત્પત્તિ થાય છે, તેમ એક જાતના પરમાણુથી બીજી અને ત્રીજી જાતની વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેમ આ જગત ઉત્પન્ન થયેલું છે. આમ દર્શનશાસ્ત્રવાળા જુદા જુદા મત આપે છે ત્યારે વેદાંત વિવર્તવાદને આગળ મૂકે છે અને એમ માને છે કે એકની એક વસ્તુ પિતાની પૂર્વ સ્થિતિમાંથી બીજી અવસ્થા લઈને પ્રતીત થાય, તે વિવર્તવાદ કહેવાય; જેમ દેરડી મૂળ વસ્તુ છે તેમાં સર્પ દેખાય છે તેમ. અર્થાત વસ્તુ તે એકજ છે, પરંતુ તેમાં બીજી વસ્તુને ભ્રમ થાય છે, આનું નામ વિવર્તવાદ. આ પ્રમાણે આદિ વસ્તુ પરબ્રહ્મ છે પરંતુ અજ્ઞાનને લીધે તેમાં જગતની ભ્રાંતિ થઈ જાય છે; વસ્તુતઃ બ્રહ્મ તે એની એક ને એકજ અવસ્થામાં રહે છે પણ અવિદ્યાને લીધે તેમાં નાના મેદવાળું વિશ્વ અજ્ઞાનીઓને દેખાય છે.
વિવર્તવાદને અનુસરીને કુંડળ અને ઘટને અનુક્રમે સુવર્ણ અને મૃતિકાના વિવર્તરૂપ માનવામાં આવે છે, પણ દોરીમાં સર્પની ભ્રાંતિની માફક આ દષ્ટાંત ઘટતું નથી. કૃતિકામાં ઘટની બ્રાંતિ અસંભવિત છે, જો કે ઘટમાં કૃતિકા છે એમ કહેવાય. જગત બ્રહ્મમાં વિલીન થાય છે. તે તેની ભ્રાંતિરૂપ હોવાથી થાય છે. ઘડાની માફક અન્ય સ્વરૂપ જગત ગણાય નહિ. આ રીતે જનક રાજા વેદાંતના વિવર્તવાદને અનુસરી પિતાના અજ્ઞાનથી જગતને અને જ્ઞાનથી તેને પિતામાંજ ભળતું સમજી આનંદ પામવા લાગ્યા.
अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे। ब्रह्मादिस्तंभपर्यतं जगमाशेपि तिष्ठतः ॥ ११ ॥
અર્થ. જેને વિનાશ નથી એવા મને (આત્માને) નમરકાર છે, કે જે હું(આત્મા) બ્રહમાથી માંડીને તૃણ લગી (સર્વને) જગતને નાશ થતાં પણ જે ને તે રહું છું. ૧૧
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૩
અધ્યાય ૨ જે. બહારૂપતાનું ભાન.
ટીકા. જનકરાય આગળની માફક પિતાને જ આત્મા માની તેને સંબોધી કહે છે કે, બ્રહ્મ જે પૌરાણિક–લૌકિક રીતે જગત કર્તા છે તેમનાથી માંડીને તુચ્છ તૃણુ પર્યત આખું જગત નાશ પામતાં પણ બ્રહ્મ જેમનું તેમ વિદ્યમાન-અખંડ જ્યોતિરૂપ રહે છે તે બ્રહ્મ–કે જે અજ્ઞાનને નાશ થતાં મને પ્રતીત થયું છે અને જેને કદીએ નાશ થતો નથી તે આત્મસ્વરૂપ અશરીરવાન હું અગા તેને એટલે મને નમસ્કાર કરું છું. જેને જ્ઞાન થયું છે તેને પોતા સિવાય બીજું કોઈ આરાધનીય કે પૂજ્ય રહેતું નથી. વળી જેને બ્રહ્મ પ્રતીતિ થઈ છે તેને નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનાં પણ રહેતાં નથી એટલે જીવનમુક્તને બીજા કયા દેવને નમવાનું હોય ? કોઈને જ નહિ. પિતામાં ઝગઝગી રહેલા બ્રહ્મતેજને બ્રહ્મ નમે, તેમ જનકરાય મેટા આશ્ચર્યથી સ્વયે પિતાને જ નમસ્કાર આપે છે.
अहो अहं नमो मां एकोहं देहवानपि । कचिन्न गंता नागंता व्याप्य विश्वमवस्थितः ॥ १२ ॥
અર્થ. દેહવાન હોવા છતાં પણ હું એક (અદ્વિતીય બ્રહ્યો છું, હું કહિં જનારો તેમ આપનાર નથી, પરંતુ વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલે છું. આ જે હું (બ્રા) તેને નમસ્કાર હો.
ટીકા. દેહવાન–અકલ-શરીરવાળો હોવા છતાં પણ હું : આત્મા સર્વત્ર એકજ છું, એટલે કે, જુદા જુદા ઘડાઓમાં ભરેલું જળ જેમ જુદે જુદે નામે ઓળખાય જણાય-રાતા ધડાનું જળ, માણનું જળ, ઢચકાનું જળ અને કાળા ઘડામાંનું જળ, એમ જુદે જુદે નામરૂપે કહેવાતું–આળખાતું હોવા છતાં જળ તો એકજ જળરૂપ રહે છે; વળી જુદા જુદા કાચમાં–પાત્રમાં પડતાં કિરણો જુદે જુદે નામરૂપ-રંગે વિદાય
અ. ૩
Page #38
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીત.
છે, છતાં સૂર્ય એકનો એકજ રહે છે, તેમજ ઘટભદિને યોગે આકાશ જુદે જુદે નામરૂપે ઓળખાવા છતાં પણ આકાશ છે તે તે એકનું એક અદ્વિતીય-અભિન્ન અખંડ એકજ રૂપે રહેલું છે તેમ નાના દે, આકારો, વસ્તુઓ વગેરે નામરૂપે જગતમાં રહેલાં સ્વરૂપ જુદે જુદે નામે ઓળખાય છે તેમ છતાં સર્વત્ર બ્રહ્મ તે એકનું એકજ હોય છે, તેમ દેહવાન એવા હું એક બ્રહ્મસ્વરૂપજ છું; કહિ જોતો આવતો નથી, અર્થાત્ હિલચાલ કરતા નથી તેમ છતાં જો આવતે અને હિલચાલ કરતો હોઉં એવા દેખાઉં છું છતાં સર્વત્ર વ્યાપીને વિશ્વમાં ઓતપ્રેત થઈ રહેલો છું તે હું (બ્રહ્મ) ખરેખર આશ્ચર્ય પામતો એવો મને પિતાને જ નમસ્કાર કરું છું.
अहो अहं नमो मां, दक्षो नास्तीह मत्समः । असंस्पृश्य शरीरेण, येन विश्वं चिरं धृतम् ॥ १३ ॥
અર્થ. શરીરવડે અસંસ્કૃશ્ય–ન સ્પર્શ થાય એ છતાં પણ જે વિશ્વન દીર્ધકાળ પર્વત ધારણ કરનાર એ જે હું, તેના જેવા ચતુર બીજો કોઈ પણ નથી એ મોટું આશ્ચર્ય છે અને તેમાં હું મને પોતાને નમસ્કાર કરું છું.
ટકા. આત્માની અદ્દભુત સત્તાના આનંદમાં નિમગ્ન થયેલા જનક રાજા કહે છે કે-જેમ અયકાંન લેહચુંબક પાતે લોખંડની સોયને અડતું-પર્શ કરતું નહિ હોવા છતાં પોતાની સત્તાથી તેને નચાવે છે તેમ આમાં દેહમાં રહેલું હોવા છતાં ઇન્દ્રિયાદિકનો સ્પર્શ રાખતો નથી તો પણ તેમની પાસે અનેક પ્રકારની હિલચાલો કરાવે છે અને જગતને દીર્ઘકાળ પર્યત ધારણ કરીને પિને અલગ અલગ રહે છે. આવા મારા જેવા ( આમસદસ્ય) બીજે કાણું દક્ષ ચતુર છે? અર્થાત કાઈ નહિ, જેથી કરીને અળગો રહેવા છતાં વિશ્વ નાના પ્રકારે નચાવનાર જે બ્રહ્મ તેને બ્રહ્મસ્વરૂપે અવે હું આશ્ચર્યથી નમસ્કાર કરું છું
Page #39
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે. अहो अहं नमो मी, यस्य मे नास्ति किंचन । अथवा यस्थ मे सर्व, यदवामनसगोचरम् ॥ १४ ॥
અર્થ. મારું (આત્માનું) કંઈ પણ નથી અથવા મન અને વાણીને ગેચર છે તે સર્વ જેનું (આત્મા) છે તે આશ્ચય રૂપ આત્માને મારા નમસ્કાર છે.
ટીકા. આ જગત અને તેમાં કોઈ પણ પદાર્થ સત્ય નથી, એટલે તે મારો ( આત્માનો) નથી અથવા મન અને વાણીથી ગોચર–પમાય એવા સર્વ પદાર્થ મારા ( આત્માના) જ છે, તેથી આશ્ચર્ય પામતા એ હું મને (અદ્વૈત આત્માને) નમસ્કાર કરું છું.
ज्ञानं ज्ञेयं तथा ज्ञाता, त्रितयं नास्ति वास्तवं । अज्ञानाद्भाति यत्रेदं, सोहमस्मि निरंजनः ।। १५ ।।
અર્થ. વાસ્તવિક રીતે જોતાં તે જ્ઞાન, ય અને જ્ઞાતા, એ ત્રણમાનું કહ્યું છે જ નહિ. એ તો સર્વ અજ્ઞાનને લીધે ભાસે છે વાસ્તવિક નથી, અને હું તે (આભા) નિરજન નિરાકાર સ્વરૂપ છું. ૧૫
ટકા. જ્ઞાન–સામાન્ય જ્ઞાન નહિ પરંતુ બ્રહ્મજ્ઞાન, જે બ્રહ્મરૂપ મારારૂપ છે તે નિત્ય જ્ઞાન, ય–જાણવા જેવું તે, અને જ્ઞાતા–જાણનાર: આ ત્રિપુટીમાંનું કંઈજ વાસ્તવિક રીતે તો છે નહિ, માત્ર અજ્ઞાનને લીધે હું જાણનાર, આ જાણવા જેવું અને આ જ્ઞાન એવું મનાય છે, બાકી હું જે બ્રહ્મસ્વરૂપ અને નિરંજન છું તેને તો જ્ઞાન-નિત્યજ્ઞાન હેવાથી કંઈ જાણવા જેવું છેજ નહિ. જેને આમૈક્ય પ્રાપ્ત થયું છે તેને શાસ્ત્રોથી પણ કંઈ જાણવા જેવું રહેતું કારણકે બ્રહ્મજ્ઞાનરૂપ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. द्वैतमूलमहो दुःखं नान्यत्तस्यास्ति भेषजं । दृश्यमेतन्मृषा सर्वमेकोहं चिद्रसोऽमलः ॥ १६ ॥
અર્થ. આ સર્વ દેખાતુ જગત મિથ્યા છે એમ જાણી પોતાને અમલ અને ચિદાત્મા એકરસરૂપ આત્મા જ એ અદ્વૈત છે. એથી વિપરીત દ્વત છે, તે બધાં દુઃખનું મૂળ છે. ૧૬ ઢત દુ:ખકારી છે.
ટીકા. વૈત--આત્મા અને જગત-જડ અને ચૈતન્ય, એમ બે હોવાપણું માનવું, એજ ખરેખર દુઃખનું કારણ છે, અને એ જંજાળના દુઃખનું બીજું કંઈજ ઔષધ નથી, સિવાય કે પોતાને એક અમલ, ચિરસ રૂ૫–આત્મા માનો. જગત રૂપી જે આત્માથી અતિરિક્ત જગત જણાય છે તે ખોટું મિથ્યા છે અને ચિદ્દઘન એક આત્મા છે ને ખર–સત્ય દુઃખાદિક ક્લેશરહિત અને આનંદસ્વરૂપ છે તે હું પિતેજ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહિ એવી જે અદ્વૈત –ભાવના–સમજ તે જ આ–પ્રાચિક દુ:ખનું ઓસડ છે બીજું કશુંએ તેનું ઓસડ નથી.
बोधमात्रोहमज्ञानादुपाधिः कल्पितो मया। एवं विमृश्यतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥ १७ ॥
અર્થ. હું સંપૂર્ણ બેધવાળ છું છતાં આ ઉપાધિ મેં અજ્ઞાનથી ક૯પ કાઢી-વહોરી લીધી છે એવો નિત્ય વિચાર કરવાથી નિર્વિક૯૫માં મારી સ્થિતિ છે. ૧૭
ટીકા. આત્મા ને જાણે છે કે તે પોતે સઘળા બોધના પણ બધ રૂપ છે છતાં અજ્ઞાનથી–માયામાં લેવાઈ તેણે પિતે આ સંસાર પ્રપંચની ઉપાધિઓ વહારી લીધી છે, આ નિત્યને નિત્ય વિચાર
Page #41
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
૩૭ કરવામાં આવે તે પ્રપચ સંબંધીની કલ્પનાઓ નાશ થઈ જઈ નિર્વિકલ્પનામાં સ્થિતિ થાય. માયા–મેહ જીવાત્માને એવો લાગે છે કે તે કેમે કર્યો મનથી છુટતો નથી. વાનરને માર પડે છે, મોટું દુઃખ થાય છે અને કોઈવાર મૃત્યુ પણ આવે છે તો પણ મેહથી ફળ લેવાને માટે તે ધસી ધસીને ઝાડે ચઢે છે, તેમ જીવાત્મા પોતે પ્રપંચનાં દુ:ખ અનુભવે છે, પ્રપંચ અને તેમાં દેખાતાં સુખો મિથ્યા છે એવું અંતરમાં સમજે છે, તેમ છતાં પણ માયાની મોહિનીથી વારંવાર તે તરફ દેડે છે અને હું કર્તા તથા ભક્તા છું એવા મિથ્યાભિમાનથી સંસારચક્રમાં ભખ્યા કર છે-માયાના આ માહથી પર હું આ દેખાતા જગતથી જુદો છું, બોધરૂપ છું એવા નિત્ય વિચાર કરવાથી પુપ મુક્ત થાય છે અન્યથા નહિ.
अहो मयि स्थितं विश्व. वस्तुतो न मयि स्थितं । न मे बंधोस्ति मोक्षो वा, भ्रांतिः शांता निराश्रया ॥१८॥
અર્થ. અહો! મન બંધ નથી અને મોક્ષે નથી તથા હું જે વિશ્વને મારામાં રહેલું માનું છું તે વાસ્તવ મારામાં રહેલું નથી, એમ સમજતાં) નિશ્રિત–આશ્રય રહિત થયેલી ભ્રાંતિ શાંત થઈ જાય છે. ૧૮
ટીકા. જનક કહે છે કે-હું મારામાં સંપૂર્ણ વિશ્વ રહેલું છે એમ માનું છું, પરંતુ વાસ્તવમાં તો કોઈ પણ કાળે તે મારામાં નથી એવો વિચાર કરવાથી મારી વિશ્વરૂપી ભ્રાંતિ શાંત પડી ગઈ અને હું મને પોતાને બંધ તથા મોક્ષથી રહિત માની બ્રહ્મસ્વરૂપાનંદમાં મગ્ન થઈ ગયે. અહિં બંધ નથી એમ તો કહેવાય પણ મેક્ષ નથી એમ કેમ કહેવાય ? એવી શંકાના સમાધાનમાં કહે છે કે-જે મેક્ષને આગળ કહ્યું તેમ વિચારજન્ય માનવામાં આવે તો તે પણ અનિત્ય અને નાશવાન બની જાય; કારણ કે વિચારથી પણ જો કોઈ વાતની ઉત્પત્તિ
Page #42
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. માનવામાં આવે તે તે બીજી પ્રાચિક ઉપાધિઓની ગણતરીમાં ગણાય. જેની ઉત્પત્તિ છે તેને નાશ હોયજ એ વેદાંતને સિદ્ધાંત છે, વિચારથી તેની ઉત્પત્તિ ન માનીએ તો પછી અવિચાર-વિચારરહિત માણસને પણ મેક્ષ સંભવે ? વળી જે મેક્ષને માટે શાસ્ત્ર, વિચાર અને ગુરુના ઉપદેશની જરૂર ન સ્વીકારીએ તો માયાના ભ્રમણમાં ભમતા પ્રાણીને કારણે પાય ક્યાં રહ્યો ? ના, શાસ્ત્ર, વિચાર-વિમર્શ અને ગુરૂપદેશની એટલા માટે જરૂર છે કે અનાદિ કાળથી અવિદ્યાલિસ જીવાત્માને હૃપણને જે અધ્યાસ લાગે છે તે તજવાને અવકાશ મળે અને “હું કર્તા ભક્તા નથી ' એવું ગાન ઉત્પન્ન થાય. આ જ્ઞાનોદય થવાને માટે વિચાર વગેરેની જરૂર છે અને તેમાંથી પોતાના સ્વરૂપનું જીવાત્માને જ્ઞાન થાય છે. તે મા કે મુકિત કહેવાય છે.
स शरीरभिदं विश्वं, न किचिदिति निषितं । શુદ્ધાત્ર સી , તેજરિ : ૫ પુના ?. તે
અર્થ. શરીર સાથે આ ફિશ્વ જ નથી એવો નિશ્ચય થયા પછી શુદ્ધ અને ચિત્માત્ર માત્માજ એક અવશેષ કહે છે (રામા વગર શરીર અને વિશ્વ બધું પામ્યા છે એ નિશ્ચય થાય છે) એટલે બીજી ક૯પના કરવી તીજ નથી. શરીરાદિકની નધરવા.
ટકા. શરીર તેમજ તેની સાથે આખું વિશ્વ આત્મા સિવાય મિથ્યા છે, છતાં દેરી છે એવું જાણવા છતાંએ કોઈ કોઈ વાર સહેજસાજ અંધારું હોય તે રજજુમાં સપનો ભાસ થઈ જાય છે તેમ અનિર્વચનીય માયાની અંધારીમાં બ્રહ્મજ્ઞાન થવા છતાં પણ જગતને અને શરીરમાં હુંપણાનો ભ્રમ પુરુષને થઈ જાય છે માટે જગત છે છે ને નથી એમ કહેવાય છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી અજ્ઞાનની
Page #43
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે. માફક તે પણ અનિર્વચનીય મનાય છે. અજ્ઞાન વારંવાર ભ્રમમાં નાંખી વિશ્વની કલ્પના કરાવે છે માટે જિજ્ઞાસુ મુમુક્ષુએ વારંવાર આત્માનો વિચાર કરી અથત વિશેષજ્ઞાન મેળવી અજ્ઞાનનો નાશ કરવો કે જેથી વિશ્વ અને તેની સાથે શરીરપણાની કલ્પનાને પણ સદંતર નાશ થાય.
शरीरं स्वर्गनरको बंधमोक्षौ भयं तथा । कलानामात्रमेवैतत्ति मे कार्य चिदात्मनः ॥ २० ॥
અર્થ આ શરીર, સ્વર્ગ ને નરક, બંધ ને એક્ષ તથા ભય એ સા નિશ્ચય કલપના માત્ર છે અને હું તે ચિદાત્મા સ્વસ્વરૂપ છું એટલે મારે તેની સાથે કોઈ સંબંધ નય.
ટીકા. વિશ્વ અને શરીરને અવાસ્તવિક માનવામાં આવે તે પછી શારીરને આશ્રયે પ્રવર્તતાં શાસ્ત્ર પણ અવાવક થઈ જાય: અને ત્યાં શાસ્ત્રાએ અવાસ્તવિક થાય ત્યારે તે દ્વારા થતા વિધિનિષેધામક ધર્મ અને વ્યવહાર પણ અવાસ્તવિક બની જાય. સ્વર્ગ, નરક, બંધ, માસ અને ભય પણ રહે નહિ અને બધી અવ્યવસ્થા થઈ જાય, તેનું કેમ ? સત્યને અસત્ય સાથે સંબંધ જ ઘટતો નથી અને જે સંબંધ માનવામાં આવે છે તે માત્ર કલ્પનાજ છે. જેમ સ્વમમાં જેયેલો વાઘ મિથ્યા છે અને તેનો ભયે મિથ્યા છે તેમ બ્રહ્મજ્ઞાન થયા પછી વિશ્વ, શરીર અને તેને વળગેલે સઘળે પ્રપંચ પણ મિથ્યા કરે છે અને ત્યારે તેનું મિથ્યાપણું એકચિન માત્ર સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે, ત્યારે અલબત વિધિનિષેધથી માંડીને બધા પ્રાકૃત ધર્મો અને બધાસ પણ તેમાં સમાઈ જાય છે. બ્રહ્મત્વ પ્રાપ્ત થયા પછી મોક્ષ રહ્યોજ ક્યાં ? બ્રહ્મત્વ પ્રાપ્તિ એજ મોક્ષ. સચ્ચિદાનંદ સ્વરૂપતા પ્રાપ્ત થઈ એટલે કે જ્યાં બ્રહ્મ એકરસ થઈ ગયું ત્યાં પછી કેણ કાને માટે વિધિનિષેધની કલ્પના કરે ? કોણ કોને માટે મેક્ષ માગે છે અર્થાત રાહ્મમયતા એજ મોક્ષ.
Page #44
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. अहो जनसमूहेपि नद्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क रति करवाण्यहम् ॥ २१ ॥
અર્થ. અહો ! બ્રહ્મજ્ઞાન થતાં જનસમૂહમાં પણ હું ત– બેપણું જેતે નથી અને મને આ જનસમૂહ અરય જે લાગે છે ત્યાં પછી હું ક્યાં પતિ-પ્રીતિ કરું?
ટીકા. જેને બ્રહ્મજ્ઞાન થાય છે તે દશ્યમાન માયામય વિશ્વને પણ ત–પતાથી જુદુ જેતિ નથી. તેને તો જનસમૂહ એક મોટા અધ્ય-નિર્જનતા-(પ્રપંચ રહિત) વાળોશન્ય જણાય છે, એટલે જ્યાં પિતાથી બીજું જણાતું નથી ત્યાં જ્ઞાની મુમુક્ષુ ક્યાં પ્રીતિ કરે છે અર્થાત કહિ પણ નહિ. એકથી બીજું હોય ત્યાં પતિ-પ્રીતિ થાય છે, પરંતુ જ્ઞાનીને તે બધું જ પિતારૂપ જણાય છે ત્યાં તે કોની સાથે પ્રીતિ કરે છે. અર્થાત જ્ઞાનીને પ્રોતિ કરવાનું બીજું કંઈ રહેતું જ નથી. તે તો બ્રહ્મસ્વરૂપ એક અદ્વૈત પિતજ પિતાને જુએ છે–જનસમૂહને જોતાં પણ તેમાં તે પોતાને દેખે છે એટલે તેને જગત, શરીર, શાસ્ત્ર-વિધિ નિષધ અને ધર્મો વગેરે કંઈ કલ્પના કરવાનું કે પ્રીતિ કરવાનું રહેતું જ નથી.
नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बंध आसीधा जीविते स्पृहा ॥ २२ ॥
અર્થ. હું દેહ નથી, તેમજ દેહ મારે નથી, હું જીવ નહિ પણ ચિત્ સવરૂપ , પરંતુ જીવવાની મને જે સ્પૃહા છે તે જ મારો બંધ મને બંધન કરતા છે.
ટીકા. આત્મા દેહ નથી કારણ કે દેહ જડ છે અને આત્મા ચૈતન્ય છે. તેમજ આમાને દેહ નથી, કારણ કે તે અસંગ છે. આત્મા જીવ પણ નથી કારણ કે જીવ અહંકારી છે ને આત્મા અહંકારરહિત
Page #45
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
૪૧ છે. આત્મા તો અહંકારને સાક્ષી છે. આત્માને અહંકારનું કાર્ય જે કર્તવ તે નથી. સંસારી પ્રાકૃત જનેને તે વ્યવહારવાળો દેખાય છે તે તેમનું અજ્ઞાન છે.
આત્મા કંઈજ કરતો ભગવતો નથી, પરંતુ લોકને તે કરતા ભોગવતા જેવો લાગે છે; એમ અન્ય માનેલું અન્યને–અવરને લાગતું નથી. અજ્ઞાની લોક આત્માને વ્યવહાર કરતો અને ભાગ ભગવતે માને તેથી તે કર્તા ભોક્તા બની જતો નથી. આ બાબત સ્પષ્ટ કરતાં કહે છે ક–ટાઢના દિવસોમાં વાંદરાં ચણાઓ એકઠી કરી તેને પસાદયથી અગ્નિના ટારા ગણી ટોળે મળો તા પવા બેસે છે અને પાસે પાસે બેસવાથી ગરમી ઉત્પન્ન થઈ તેમને ચણાઠીઓ દેવતા જેવી અને ગરમી આપતી લાગે છે, તેમ તેને તેઓ અગ્નિરૂપ માને છે તેથી ચણાઓ કંઈ અગ્નિ થઈ જતી નથી, તેમ અજ્ઞાની લોકો આમાને કર્તાભોક્તા અને વ્યવહારમાં વર્તતા માને તેથી આમા કંદ કોંભાતા બની જ નથી.
વળી જીવિત હા એજ બંધ છે, પરંતુ આત્માને મરવા જીવવાપણું છેજ નહિ. મરવું જીવવું એ બે ધર્મો તો અંતઃકરણને છે અને આત્માને તો એ ઉપાધિ છેજ નહિ. તે તે ચિન્માત્ર સ્વરૂપ છે. જનકરાય પિતાને ચિન્માત્ર માની ઉપર્યુક્ત ધર્મો પિતાના નથી એવા નિશ્ચયથી આનંદસ્વરૂપમાં નિમગ્ન થઈ આ પ્રમાણે પિતાને આત્મા માની આશ્ચર્યના ઉદ્દગાર કાઢે છે.
अहो भुवनकल्लोलैर्विचिक् समुत्थितं । मप्यनन्त महांभोधौ चित्तवाते समुद्यते ॥ २३ ॥
અર્થ. અપાર સમુદ્રરૂપ મારામાં ચિત્તરૂપી વાયુને લીધે જગતમાંના વિચિત્ર રૂપ અનેક તરગે ઉત્પન્ન થાય છે (છતાં) તે એમના એમ પાછા સમાઈ જાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
અન્નવ ગીતા.
પ્રપંચની તરંગતા.
ટીકા. મેટા સાગરરૂપ મારા મનમાં ચિત્ત ચકડોળ ચકલાં જગતમાંની લીલાઓને લગતા વિચિત્ર તેમજ નાના પ્રકારના તરંગો રૂપ વિચારે ઉત્પન્ન થાય છે, તેમ છતાં તે બધા તરંગે પાછા જેમ સમુદ્રના તરંગો સમુદ્રમાંજ સમાઈ જાય તેમ મારે વિષે સમાઈ જાય છે. એટલે કે પાણીમાંના તરંગે ભિન્ન જણાય છે તેમ છતાં પાણરૂપજ છે અને પાણીમાંજ તેનો સમાસ થઈ જાય છે. અર્થાત્ તે પણ પાણીરૂપજ છે. માત્ર વાયુને લીધે તરંગનું રૂપ ભાસે છે તેમ મારામાં પણ જગતની લીલાઓને લગતી અનંત કલા ઉન્ન થાય છે તેમ છતાં તે હુંરૂપ હાઈ પાછી મારામાં ને મારામાં જ આ મબોધને લીધે સમાઈ જાય છે, તે ખરેખર આત્મજ્ઞાનનોજ પ્રનાક છે.
मर नंतमहांभोधौ चित्तवाने मसाज पनि ! अभाग्याज्जीववणिजो भगत्पोरेश्वरः २४ ॥
અર્થ. હુંરૂપી અપર મુદ્રમ - ૫ વિ૦ ૨૫ લીધે ઉત્પન્ન થતા વિચારોરૂપી તરંગે રમ રમ વણિન” નિકા જેમ નાશ પામે તેમ ચિત્તરૂપી પવન શાં પડે છે ત્યાં એની મેળે જ રામ જાય છે.
मय्यनंतमहांभोधौ आश्चर्य जीववीचयः। उधंति नन्ति खेलंति, प्रविश्यंति स्वभावतः ॥ २५ ॥
-કર્થ જનક જા પોતે આશ્ચર્યથી કહે છે કે–અહો! હું (મનરપી) મહાસમુદ્રમાં જીવરૂપી તરંગ ઉઠે છે, એક બીજાને હણે છે, ખેલે છે અને સ્વભાવથી જ પાછા શમી જાય છે.
ટીકા વાટેલા-તજેલા વિષયની મનમાં અનુવૃત્તિ થાય તે વધતાનુત્તિ કહેવાય છે. તે વૃત્તિને લીધે જીવનમુક્ત પુરુષના
Page #47
--------------------------------------------------------------------------
________________
અમય ૨ એ. મનમાં પણ મહાસમુદ્રમાં જેમ તરંગ થઈ થઈને વળી પાછા તેમાં માંજ સમાઈ જાય તેમ મનમાં ને મનમાં જ શમી જાય છે, તે (આત્મબોધી) તે બાધ કરતા નથી.
અનાદિ કાળના અધ્યાસને લીધે વિષયોની મનરૂપી સમુદ્ર ઉત્પત્તિ થાય છે, પરંતુ જેને બ્રહ્મજ્ઞાનને સચેટ બંધ થયેલ છે એ જીવનમુક્ત પુરુષોને બાધિતાનુવૃત્તિને લઈ વિષયે જણાય છે, પરં તેથી તેમને કંઈ વિકાર થતો નથી. તેમના મનમાં આવેલા વિષય વિચાર પાછા જ્ઞાનને લીધે કાર્ય કર્યા વગર જ શમી જાય છે. આ વિશદીકરણ માટે ઉદાહરણ આપતાં કહે છે કે, એક પુરૂ ઉનાળ લીધે રસ્તે જતાં જતાં તર થે. એક ઝાડની છાયામાં બે જળને માટે તે વિચાર કરતો હતો એટલામાં દર રેતવાળા મેદાન તેને જળ જોવામાં આવ્યું. ઝાડ તળેથી ઉઠી તે તૃષા રાાંત કરવા મ તે મેદાન તરફ આગળ ગયા. જેમ જેમ તે આ પળ જતે ગયો તેમ જળ દૂર ને દૂર દેખાતું ગયું, એટલે તેના મનને ખાતરી થઈ
આ જળ નહિ પણ જળનો ભાસ–મૃગજળ છે, અને દૂરત ત રવિકિરણેને લીધે રેતીમાં મને ખાલી જળનો ભ્રમ થયા છે. આ જ નહિ પણ ભ્રમમાત્ર મિથ્યા જળ છે. આવો નિશ્ચય થતાં તે પાછો કે અને શાંતિ લેવાને પેલા ઝાડને છાયે આવીને બેઠે. . ધી વળીને જે આંખે પાછી તે રેતીના મેદાનમાં જળ જોવા લાગી, પરંતુ ફરે તેને ત્યાં જવાનો વિચાર સરખેએ થયો નહિ, કારણ કે તેના અંત કરણને ખાતરી થઈ હતી કે રેતીના મેદાનમાં જળ નથી, પણ મ જળાભાસ છે. આ પ્રમાણે જેને વિષાની અસારના ને જગત નશ્વરતા સમજાઈ છે તે પુરુષના મનમાં બાધનાનુત્તિને લઈ વિ ચોની તરંગમાળા ઉત્પન્ન થાય છે તે પણ તે ને માધ કરી શક નથી. અર્થાત તે તેને પિતાની પાછળ ખેચી-દોડાવી લઈ જતી ની જનકરાજા કહે છે કે હું આત્મજ્ઞાનને લીધે સત્ય વસ્તુ સમજો એટલે મને હવે વિષયના વિચાર-તરંગ આવે છે, પરંતુ સમુદ્રમાં
Page #48
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
૪
વીચિની માફક મને બાધ કર્યા વગર તે પાછા મારા મનની અંદર ને અંદર સમાઈ જાય છે—અહા ! બ્રહ્મજ્ઞાનના પ્રતાપ કેવા અદ્શ્રુત છે કે જે વિષયાનાં તરંગા ઉત્પન્ન થવા છતાં પણ તેની જાળને છેદી આપણને પ્રભૈયમાંજ લીન રાખે છે!
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपज्ञानोनाम द्वितीयोऽध्यायः समाप्त ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
अध्याय ३ जो.
જ્ઞાનયોગ. अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः । तवात्मज्ञस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥१॥
અર્થ. તત્વથી અવિનાશી એવા એક આત્માને જાણ્યા પછી તારા જેવા ધીર આત્માને અથર્જનપર પ્રીતિ કેમ થાય છે? ૧
ટીકા. આત્મા નાશરહિત છે, અને એક સ્વરૂપ નિર્વિકલ્પ છે. એવું તત્ત્વતઃ જાણ્યા પછી તારા જેવા ધીર આત્મજ્ઞાનીને અર્થ, ધન, સ્ત્રી, પુત્ર વગેરેની પ્રીતિ–તે મેળવવાની ઈચ્છા કેમ થાય છે? ન થવી જોઈએ. આત્મા દેશ, કાળ અને વસ્તુ પરિચ્છેદ રહિત છે તેનું જ્ઞાન થયા પછી પુરુષને અર્થરતિ રહેવી જોઈએ નહિ છતાં કેમ રહે છે ? તે સમજવા જેવું હોવાથી અષ્ટાવક્ર કહે છે કે –
आत्माऽज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे। शुक्रज्ञानतो लोभो, यथा रजतविभ्रमे ॥ २ ॥
અર્થ. આત્માના અજ્ઞાનથી અને વિષને શ્રમ થવાથી જેમ રૂપાને થક્તિમાં ભ્રમ થવાથી તે લેવાની ઈચ્છા થાય છે તેમ અજ્ઞાનને લીધે વિષયનો ભ્રમ થઈ અરછા ઉપજે છે.
ટીકા. છીપમાં મિયા રૂપું ભાસે છે તેમ છતાં અજ્ઞાનને લીધે તે લેવાની જેમ ઈચ્છા થાય છે તેમ આત્માના અજ્ઞાનથી માણસને વિષનો બ્રમ થતાં તેની પ્રીતિ–થાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૬
અષ્ટાવક્ર ગીતા. विश्व स्फुरति यत्रेदं तरंगा इव सागरे । सोहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥३॥
અર્થ સાગરમાં તરંગની માફક આત્મામાં આ વિશ્વ પુરે છે તે જે હું છું એવું જાણવા છતાં તે કેમ દીન ગરીબ (વિષયવશ જેવ) થઈ તેની પાછળ દોડે છે?
ટીકા. આ વિશ્વ તે સાગરમાંના તરંગ જેવું આત્મામાં છુરતું માત્ર છે એમાં સત્ય જેવું કંઈ છે જ નહિ, છતાં ભ્રમથી હું પુરુષ–વિશ્વ સત્ય છું એવો ભ્રમ થાય છે, પરંતુ હે જનક ! તું કે જેને આત્મજ્ઞાન થયેલું છે તે શામાટે દીનની માફક તેની પેઠે ધાવન કરે છે? ૩
श्रुत्वापि शुद्धचैतन्यं, आत्मानमतिसुन्दरं । उपस्थे त्यंत संसंक्तो, मालिन्यमधिगच्छति ॥ ४ ॥
અર્થ. અંત સુંદર, અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને યુવા-જાણવા-સાંભળ્યા પછી વિષ સમી પ વતી થતાં જેને અત્યત આસક્તિ થાય છે તે માલિન્ય-મૂઢતાને પ્રાપ્ત થાય છે.
ટીકા. ગુર પાસેથી શુદ્ધ ને સુંદર આત્મબોધ લીધા પછી વિષયો ઉપસ્થિત થતાં તરત તેમાં લુબ્ધ થઈ જાય છે જે પુરુષ હોય તે બોધ અને જ્ઞાનને લજવે છે, એટલું જ નહિ પરંતુ શુદ્ધ ચૈતન્યનો જેને સાક્ષાત્કાર થયેલા છે એવા પુરુષ જ્યારે વિપયોમાં પડે છે ત્યારે ભ્રષ્ટ થાય છે અને એની પેગ ભ્રષ્ટતા આપણને આશ્ચર્ય ઉપજાવે છે. હે જનકરાય ! તમે કે જેમને આત્મબોધ થયેલો છે તેમણે તો એની મેળે મુખસન્મુખ આવી ઉભેલા–સહજપ્રાપ્ત થયેલા વિષયને પણ વિશ્વવત્ ગણું તજવા જોઈએ.
सर्वभूतेषु चात्मानं, सबभूतानि चात्मनि । मुनेर्जानत आश्चर्य, ममत्वमनुवर्तते ॥ ५॥
Page #51
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ એ. અર્થ. આત્માને સર્વભૂતેમાં અને આત્મામાં સર્વભૂતને જેનાર મુનિજનને જ્યારે મમત્વને અનુવર્તતા જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય ઉપજે છે. વિષય લાલસાનું બળ.
ટીકા. જે પુરુષને નિશ્ચય થયેલ છે કે આત્મામાં જ સર્વભૂત અને સર્વભૂતમાં આત્મા એકજ વ્યાપીને રહેલો છે તે પુરુષને જ્યારે મમત્વ–મારાપણુમાં વર્તતા અને મિથ્યા જગત માન્યા પણ છતાં તેમાં પ્રવર્તતો જોઈએ છીએ ત્યારે ખરેખર આશ્ચર્યજ ઉત્પન્ન થાય છે. હે રાજન ! અનાદિ અવિદ્યાનો પાશ એવો દુર્જય છે કે મોટા મોટા મુનિઓ પણ તેને તોડી છૂટા થઈ શકતા નથી. એ તો કોઈ પૂર્વાભ્યાસી તત્વ સંસ્કારીજન હોય છે તે જ તત્ત્વને બોધ થયા પછી વિષયોથી અળગે થઈ શકે છે. રાત્રિ-દિવસ જેને સદ્દગુરુનો બોધ થયા કરે છે અને જે પોતે જેટલો અવકાશ મળે તેટલામાં આત્મા સત્ય છે અને આ માયાની જાળ અનામાથી ઉત્પન્ન થયેલી મૃગજળ જેવી ખાટી મિથ્યા અને બ્રામક છે એવા વિચારથી વિષયોને સમીપ આવતાં પણ તુચ્છ ગણી તેનાથી અળગો રહે છે તે જ પુરુષ જીવનમુક્ત કહેવાય છે બીજે કાઈજ નહિ. ૫
अस्थितः परमाद्वतं, मोक्षार्थेपि व्यवस्थितः । आश्चर्य कामवशगो, विकलः केलिशिक्षया ॥६॥
અર્થ. એ ક્ષાથ પરમ અદ્વૈતમાં સ્થિત થયેલે પુરુષ જ્યારે કેલિ-ક્રીડાના અભ્યાસથી કામવશ અને વિકળ થતા જણાય ત્યારે આશ્ચર્ય ઉપજે છે.
ટીકા. એ બહુજ આશ્ચર્ય ભરેલું છે કે અદૈતમાં માનનારે મોક્ષાર્થી પુરુષ વિકળ જે કામવશ થઈ ક્રીડાસક્ત થઈ જાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૮
અષ્ટાવક્ર ગીતા. આત્મજ્ઞાન જેને થયેલું છે એવો પુરુષ ક્રીડાવશ થવું જોઈએ નહિ. अद्भुतं शानदुर्मित्रमवधार्यातिदुर्बलः। आश्चर्य काममाकांभेत्कालमन्तमनुश्रितः॥७॥
અર્થ. જ્ઞાનના વિરોધી-શત્રુ એવા કામને પિતે અતિ દુર્બળ હોવા છતાં પણ જેઓ સેવે છે તે અંતકાળે દુઃખી થાય છે.
ટીકા. કામ છે તે જ્ઞાનને તેની સાથે જ ઉત્પન્ન થયેલ સહજ શત્રુ છે, એવું જાણવા છતાં પણ જે પુરુષ અંતલગી દુર્બળ થઈ જતાંએ તેને છોડતો નથી તે દુઃખી થાય છે. જ્ઞાન મેળવી કામને ભજનારાઓ માટે અહિં આશ્ચર્ય બતાવવામાં આવે છે. આશ્ચર્ય એજ છે કે-જ્ઞાન હોવા છતાં કામ છૂટતું નથી એવો પ્રબળ માયાને પાશ છે. જેમ બને તેમ કરીને ધીરે ધીરે પણ કામનાઓને ત્યાગ કરવો એ જ્ઞાનીને માટે હરહમેશ વિચારવાનું છે. इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आश्चर्य मोक्षकामस्य, मोक्षादेव विभीषिका ॥ ८॥
અર્થ. આત્મા નિત્ય અને શરીરાદિક અનિત્ય છે એ વિચાર કરી જાણનાર વિવેકી, વિરક્ત અને મેલની કામનાવાળા પુરુષને પણ કારા થતી હોવાને લીધે મોક્ષને માટે ભય લાગે છે.
धीरस्तु भोज्यमानोपि, पीडथमानोपि सर्वदा।।
आत्मानं केवलं पश्यन् न तुष्यति न कुप्यति ॥ ९ ॥ જ્ઞાનીની નિર્ભયતા.
અર્થ. જ્ઞાની પુરુષને શોક અને કેપ થતું નથી
Page #53
--------------------------------------------------------------------------
________________
અધ્યાય જે કારણ કે, તે આત્મા સિવાય બીજું બધુ મિળ્યા છે એમ સમજ છે. ભોગ ભોગવતે હોવાથી અને લેકાથી સવા પાકાતે હાવાથી પણ માને નિર્વિકાર અને પ્રવચથી યુક્ત સતે રહે છે, તેથી આસપાસના વૈભવથી સંતોષ પામતું નથી, તેમ લેગમાં વ્યવધાન આવે તેથી કેપે કરતું નથી, અર્થાત આ ત્મામાં નિમગ્ન રહે તે પિતાને પ્રપંચથી મુક્ત સમજે છે.
चेष्टमानं शरीरं स्वं, पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निंदायां, कथं क्षुभ्येन्महाशयः ॥१०॥
અર્થ. પોતાના શરીરને હિલચાલ કરતુ ઈ તે બીજા શરીરવત્ ગણે છે, એટલે કે પોતે જે આત્મા છે તે શરીરથી ભિન્ન છે, શરીર તે પોતે નથી, એવું સમજનાર મહા પુરુષ
કેની સ્તુતિથી–વખાણુથી આનંદ પામતા નથી, તેમનિંદાથી શોક પણ કરતું નથી. જેને આત્મસ્વરૂપનું જ્ઞાન થયું છે એ જ્ઞાની, નાશવાન શરીરની ચેષ્ટાએ- હિલચાલની સ્તુતિ થાય કે નિદા થાય તેથી ક્ષેભ પામતા નથી.
मायामात्रमिदं विश्वं, पश्यन् विगतकौतुकः । अपि समिहिते मृत्यो कथं क्षुभ्येन्महाशयः ॥११॥
અર્થ. આ વિશ્વ બધુ માયા માત્ર છે એવું સમજનારને તેમાં કંઈ કૌતુક લાગતું નથી, એટલે તે ધીરબુદ્ધિવાળા જ્ઞાની પુરુષ, મૃત્યુને સમીપ દેખવા છતાં જરાએ ત્રાસ પામતે નથી. જેને આ જગતમાં બનતા બનાવમાંથી કેતુક જતું રહેલું છે અને જે વિશ્વને માયામાત્ર અસત્ માને છે એવા જ્ઞાનીને શરીર પણ મિથ્યા હોવાથી તેના ઉપર મોહ-પ્રીતિ રહિતી નથી,
અ. ૪
Page #54
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
અને જેને શરીરની નશ્વરતા સમજવામાં આવી છે તેને પછી મૃત્યુને ભય પણ લાગતું નથી.
निःस्पृहं मानसं यस्य नैराश्येपि महात्मनः ॥
तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ १२ ॥ ધીરબુદ્ધિ પુરુષ.
અર્થ. જ્ઞાની પુરુષની ઉત્કૃષ્ટતા બતાવતાં બતાવતાં કહે છે કે–જે મહાત્મા શેક અને હર્ષ પામતા નથી, તેઓ નિ:સ્પૃહ • છે, અને જે વળી આત્મજ્ઞાનથી સંતેષ પામેલા છે તેમની તે તુલનાજ કોણ કરી શકે તેમ છે ? અર્થાત્ કોઈ તેમની સમાનતા કરી શકનાર નથી. જેમના સર્વ મનોરથ શાંત પડી ગયેલા છે અને જેમની વૃત્તિઓ આત્મામાંજ સમાઈ ગયેલી છે તેની તુલના થઈ શકતી નથી, તે પુરુષ મહાન છે-અતુલય છે.
स्वभावादेव जानन्तो, दृष्यमेतन किंचन । इदं ग्रायमिदं त्याज्यं, स किं पश्यति धीरधीः ॥१३॥
અથ. સ્વભાવથીજ જેને એમ સમજાઈ ગયું છે કે, આ સઘળું –જગત માત્ર દૃશ્ય છે એમાં સત્ય જેવું કંઈ પણ નથી. આવા ધીરબુદ્ધિવાળા પુરુષને અસત્યમાંથી લેવા જેવું કે ત્યાગ કરવા જેવું કંઈ રહેતું જ નથી. છીપમાં દેખાતી ચાંદી દેખવા માત્ર હોવાથી જેમ બેટી ને ખરી બેઉ કહેવાય તેમ આ જગત પણ દશ્યમાન હોવાથી ખાટું તેમજ ખરું છે, પરંતુ જેને આમજ્ઞાન થયું છે તેને તેમાંથી કંઈ ગ્રહણ કરવા કે તજવા જેવું છેજ નહિ, તે તે બધા પ્રપંચનેમિથ્યાજ માને છે.
अंतस्त्यक्तकषायस्य, निर्द्वन्द्वस्य निराशिषः।
Page #55
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
यहच्छयागतो भोगो, न दुःखाय च तुष्टये ॥१४॥
અર્થ જે અંતઃકરણથી વિષયરૂપી મેલ-કષાયને છોડી દીધો છે, તે શીતોષ્ણાદિ દ્વતોથી તેમજ સુખદુઃખાદિથી રહિત છે. જેની વિષયવાસનાઓ નષ્ટ થઈ ગયેલી છે એવા સમચિત્ત પુરુષને અર્થાત્ આત્મજ્ઞાનીને છાએ-દેવયોગે ભેગ પ્રાપ્ત થાય છે, તે સુખકારક ભાગ હોય કે દુઃખકારક હોય, છતાં તે તેને હર્ષ ઉપજાવતા નથી અને દુઃખે કરતા નથી. આવી પડેલી સ્થિતિમાં તે સમભાવથી રહે છે, નથી હરખાતો કે નથી શેક કરતે, આવા જ્ઞાનીને ધીરબુદ્ધિવાળો જાણ. ૧૪
हंतात्मज्ञस्य धीरस्य, खेलतो भोगलीलया । न हि संसारवाहीकैद् द्वैः सह समानता ॥ १५ ॥
અર્થ. ભેગલીલામાં રમતા ધીર આત્મજ્ઞાનીની સંસારવાહી મૂઢા સાથે સમાનતા કદાપિ પણ થઈ શકતી નથી.
ટીકા. તત્ત્વવિદ્ જ્ઞાની પુરુષ, કે જેને આ જગત મિથ્યા સમજાયેલું છે તે દૈવવશાત આવી મળેલા ભોગ ભોગવતો હોય તો પણ તેમાં આસક્તિ રાખતો નથી. ઈન્દ્ર જે મિશ્યા છે તે તેના કાર્યમાં પ્રવર્તે છતાં જીવાત્મા અનાસક્ત રહે એટલે તેને બાધ કરતી નથી. આવા ધીર અને આત્મજ્ઞ પુરુષની સાથે સંસારના ભોગોમાં રચીપચી રહેલા મૂઢ પુરુષો સાથે સમાનતા કરવી-માનવી તે ખોટું છે. પ્રપંચ ખોટો છે એમ સમજનાર આવી પડેલા પ્રપંચમાં રમે તેથી તે કંઈ આસક્ત મૂઢ પ્રપંચી સાથે સરખાવાય નહિ.
यत्पदं प्रेप्सवो दीनाः शक्रायाः सर्वदेवताः। अहो तत्र स्थितो योगी, न हर्षमुपगच्छीि १६ ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
પર
અષ્ટાવક્ર ગીતા. અર્થ. જે પદની ઈચ્છા રાખતા ઈ અને સર્વ દેવતાઓ દીન થઈ ઉભા રહે છે, તે પદને પ્રાપ્ત કરી એટલે યોગી (બિલકુલ) હર્ષ પામતો નથી, એ કેવું આશ્ચર્ય છે.
ટીકા. અહો ! ધન્ય છે તે યોગીની નિસ્પૃહતાને કે જે પદને ઇચ્છતા ઈન્દ્રાદિ દેવતાઓ દીન થઈ જઈ યાચના કરે છે, તે પદ પામવા છતાં પણ એને હરખ થતો નથી. આખું વિશ્વ જેને માયામય સમજાયું છે તેને આત્માનંદ સિવાય બીજું કયું પદ મેળવવાની ઈચ્છા રહે? નાજ રહે; કારણ કે, પરમ આનંદ જે અદ્વૈત તે જ એક ચિદ્દઘન છે સિવાય બીજું કંઈ વિદ્યમાન છેજ નહિ. જેને માટે તે જ નહિ તેને બીજું મેળવવાની ઈચ્છાને અવકાશજ નથી. પોતે પિતાને મેળવ્યાથી જે આનંદ સ્વરૂપ યોગીને પ્રાપ્ત થાય છે, તે મળ્યા પછી તેને બીજું કઈ પદ મેળવવાનું રહેતું જ નથી.
तज्ज्ञस्य पुण्यपापाभ्यां स्पशी छन्तर्न जायते। न ह्याकाशस्य धमेन दृश्यमानापि संगतिः ॥ १७ ॥
અથે. જેમ ધુમાડીનો સ્પર્શ આકાશને થતું હોય એમ દેખાય છે, પરંતુ વાસ્તવમાં થતો નથી, તેમ તત્વજ્ઞ–એવા જ્ઞાનન પાપ પુણ્યને સપર્શ થતું નથી. વિધિનિષેધ વિચાર.
ટીકા. જેને તત્ત્વ બંધ થયેલો છે એવા જ્ઞાની પુરુષને-આકાશને જેમ ધુમાડીની અસર સ્પર્શ થતો નથી તેમ પુણ્ય પાપની અસર કે સ્પર્શ થતો નથી. માતા અને બાળકને જેમ પુણ્ય પાપ લાગતાં નથી તેમ જ્ઞાની જે આત્મા સિવાય બીજું કંઈ હોવાનું જાણતાજ નથી, તેને પાપ પુણ્ય કેવી રીતે લાગે ? નજ લાગે. મહા વાક્ય દ્વારા જેણે ભાગત્યાગ લક્ષણથી તપદ અને પદના અર્થને નિશ્ચય કરેલ છે, તેને અંતઃકરણના ધર્મો જે પાપ પુણ્ય વગેરે છે તે
Page #57
--------------------------------------------------------------------------
________________
અબ્બાય ૩ છે.
૫૩ બાધ કરતા નથી. વિધિ નિષેધ એ જેનું મનાયેલું કર્મ–ક્રિયા ચાલુ છે અને આત્મજ્ઞાનથી જે પરમાત્મ સ્વરૂપને વિચાર કરેલ નથી તેને પાપ પુણ્ય લાગે છે, જેણે પિતાના-આભ તત્ત્વ સિવાય બીજા કશાને–અન્યની–એથી બીજાની જેને સમજજ નથી, અર્થાત્ પિતામાં જળહળતા આત્મ જ્યોતિ સ્વરૂપ સિવાય જેને બધું જ અસત્ય ભાસેલું છે તેને, જગતનાં કાર્યો–અરે જગતનાં કાર્યો તો શું પણ મૃત્યુ પણ પિતાથી ભિન્ન લાગતું નથી, તેને કેણ બાધ કરે? એ તો એક અખંડ બ્રહ્મ સ્વરૂપજ છે.
आत्मैवेदं जगत्सर्व क्षातं येन महात्मनः । यदृच्छया वर्तमानं तं निषेद्धं क्षमेत कः ॥१८॥
અર્થ. આ સઘળું જગત એક માત્મા રૂપ છે એમ જે મહાત્માને સમજાયેલું છે તેને પ્રારબ્ધશા વર્તમાનમાં વિધિનિષેધ લગાડવાને કોણ મર્થ છે?
ટીકા. વેદમાં જે વિધિનિષેધ છે તે સંસારમાં પ્રવર્તતા પુરબને માટે છે, જ્ઞાની અને પરમહંસને માટે વદ પ્રતિપાદિત કર્યાદિ બાધ કરતાં નથી. પ્રવૃત્તિમાં જેને ચાલવાનું છે અને અવસ્થા પ્રમાણે જેને કર્મ કરવાનાં છે તેને માટે વેદના વિધિનિષેધ છે. જ્ઞાની–તત્વને માટે નથી. જેણે પોતાના આત્મામાં જ વિશ્વને માન્યું છે તેને યદ
છયા ભેગાદિક મળી આવે અને તે તેનો ઉપભોગ કરતો જણાય તેપણ તે લેભાતો નથી, કારણ કે, તે પિતે ભોગ અને ભોક્તા માનતો નથી, જેને દૈતનો આભાસજ છે નહિ તેને માટે વૈદિક કર્યાદિ કંઈ છે જ નહિ. તે તો એક પરમાનંદ સ્વરૂપ છે.
आब्रह्मस्तंबपर्यते, भूतग्रामे चतुर्विधे। विज्ञस्यैव हि सामर्थ्य-मिच्छा निच्छा विवर्जने ॥१९॥
અર્થ જણાથી માંડીને તૃણ પર્યંત ચાર પ્રકારના ભૂત
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૪
અષ્ટાવક્ર ગીતા. શ્રામ-ભૂતસમૂહમાં કયાં ઈછા કરવી કર્યા ન કરવી તેનું જ્ઞાન સામર્થ્ય વિજ્ઞાનીને હોય છે.
ટીકા. બ્રહ્મથી માંડીને આખા જગતમાંની તમામ વસ્તુઓમાં પિતાને શું ઈચ્છવા અને શું નહિ ઈચ્છવા યોગ્ય છે તેનું સંપૂર્ણ જ્ઞાન તત્ત્વબોધીને હોય છે–અર્થાત્ જેમને જગતને મોહ લાગેલ હોય છે, અને જે પ્રાંચમાં પ્રવૃત્ત છે તે, જેમને શું ઈચ્છવા
ગ્ય અને શું નહિ ઈચ્છવા યોગ્ય છે તેની સમજ પાડવી પડે છે, અને તેણે વિધિનિષેધોને અનુસરીને ચાલવું એ તેનો ધર્મ છે; પરંતુ જેને બ્રહ્મથી માંડી તૃણુ પર્યત સારા વિશ્વનું પિતામાંજ ઐક્ય સમજાયેલું છે તેને માટે ક્યાં ઈચ્છા કરવી અને ક્યાં ન કરવી, એવા પ્રશ્ન જ રહેતો નથી.
કેટલાક વિદ્વાનો એમ કહે છે કે, જ્ઞાનીને જે ઈચ્છા થાય છે તે દેવસ્થાથી થાય છે; અને અજ્ઞાની સંસારીને જે ઇચ્છા થાય છે તે એનામાં અંતઃકરણની હોય છે અર્થાત ભાગની લાલસા થવાથી ઉત્પન્ન કરેલી હોય છે, એટલે એને પુણ્ય પાપને બાધ આવે છે. વળી આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ ધારણા પુર:સર હોતી નથી સજજ હોય છે, અને ત્યાં સહજમાં જ તેને ભોગ મળી આવે છે. દાખલા તરીકે-- ભૂપે પુષ્ય ભોજન માગવા જાય છે, ઘરોધર ભટકે છે અને તે મેળવવાના સારા બેટા યત્ન પણ કરે છે. રોગી તેને ભૂખ લાગેલી છે કે નહિ, તેના ભાન વગરજ સહજ બહાર નિકળે છે અને માર્ગમાં તેને ભોજન મળી જાય છે. આવી રીતે બોગ મળે ખરે? એ શંકાના સમાધાનમાં કહે છે કે-હા, યદરછાએ દૈવજ તેને મેળવી આપે છે. અજગર ભક્ષ શોધવા જ નથી, તેમ છતાં તેને ભક્ષ આવી મળે છે અને તે તેને ભોગ લે છે. નિર્ગુણ યોગી મહાત્માને વળી એમાં સ્વાદ અને સારા ટાપણાની ભાવના પણ હોતી નથી. જે વખતે જેટલું મળી આવ્યું તે તે ભોગવી લે છે. આ પ્રમાણે જેને ઈચ્છા
Page #59
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
અનિચ્છાની અસર રહેતી નથી તેને વૈદિક વિધિનિષેધને બાધ આવતો નથી. કહ્યું છે કે –
भेदाभेदौ सपदि गलिता पुण्यपापे विशीर्णे मायामोहौ क्षयमुपगती नष्टसंदेहवृत्तेः । शब्दातीतं त्रिगुणरहितं प्राप्य तत्त्वाववोधं
निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः ॥ જ્ઞાનીને કર્મભાગ પણ નથી.
શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય જોગવવા પડે છે એ વાત પણું આત્મબોધી જ્ઞાનીને લાગુ પડતી નથી. મરણને પણ તેને ભય લાગતો નથી એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનીને મરણ જેવું પણ કંઈ નથી, કારણ કે-મરણ દેહને છે. પ્રાણને નહિ. રોગીઓ માટે કહ્યું છે કે તેમને પ્રાણ લેકાંતર કરતા નથી પરંતુ આ ઇ માયશ્રીય તે પોતે પિતામાંજ લય પામી જાય છે. વળી એક એવી શંકા પણ કરવામાં આવે છે કે–બ્રહ્મ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે તે પછી અજ્ઞાનના કાર્યરૂપ જે શરીર તે પણ નાશ પામવું જોઈએ. આના સમાધાનમાં એમ કહેવાય છે કે જ્ઞાનાગ્નિથી અજ્ઞાનને નાશ થતાની સાથેજ જ્ઞાનીનું શરીર નાશ પામે છે, એટલે કે જગતજ જ્યારે તેને વિદ્યમાન લાગતું નથી ત્યારે જગતમાં રહેલું શરીર વિદ્યમાન છે એમ કેમ લાગે? નહિ જ. શરીર તે તેને ભાસ માત્ર જણાય છે. જેમ કપડું બળીને ભસ્મ થયા છતાં પણ ભસ્મરૂપ તેનું સ્વરૂપ કેટલીકવાર લગી ભાસતું જણાય છે, તેમ જ્ઞાનીનું શરીર પણ માત્ર ભાસરૂપજ રહે છે અને પછી તે પચત્વમાં કહિં મળી જાય છે તેની એની પરવા રહેતી નથી. તેનું શરીર સાથેનો સંબંધ જ્ઞાન સાથે જ નાશ પામેલ હોય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. मात्मानय कश्चिज्जानाति जगदीचरं । यद्वेत्ति तत्स कुरुते न भयं तस्य कुत्रचित् ॥२०॥
અર્થ. કોઈ પુરુષ આત્માને અને જગદીશ્વરને અહયજાણે છે અને જે આમ જાણે છે, તે તે પ્રમાણે કરે છે, એટલે તેને કોઈ ઠેકાણે ભય રહેતેજ નથી.
ટીકાજ્ઞાન થતાંજ દૈત રહેતું જ નથી અને દૈતના જવા સાથે અહંકાર જાય છે, એટલે જ્ઞાનીને અદ્વૈત થયેલાને કોઈ ઠેકાણે કે કોઈનો ભયજ રહેતા નથી, જેની દૃષ્ટિમાં બીજું છેજ નહિ તેને ભય કાનો ને કેવી રીતે સંભવે ? બ્રહ્મ જ્ઞાન થતાં તે તે બ્રહ્મ સ્વરૂપજ થઈ જાય છે. તેને એક સચ્ચિદાનંદ સ્વરૂપ તે પિતે તેજ-જગત એ નિશ્ચય થઈ ગયેલો હોવાથી તે સ્વયં તિરૂપ થઈ રહે છે. શ્રુતિમાં વારંવાર કહેલું છે કે ગ્રાવિદ્ પ્રણવ મતિ
॥ इति श्रीमदष्टावक्रगीतायां ज्ञानस्वरूपनिर्णयोनाम
वृतायोऽध्यायः समाप्त ॥
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થો. મનાલયના એધ.
न ते संगोस्ति केनापि, किं शुद्धस्त्यक्तुमिच्छसि । संघात विलयं कुर्वनेवमेव लयं व्रज ॥ १ ॥
અર્થ. તું શુદ્ધ સ્વરૂપ છે અને તારા કેાઈ સાથે સગ -સંબધ નથી તો પછી તું શું તવા મંછા કરે છે ? દેહાર્દિક સધાતના ત્યાગ કરતા કરતા તું લય પામ.
ટીકા. અષ્ટાવા કહે છે કે હું જનકરાય ! તું શુદ્ધ સા સ્વરૂપ છે, તારા આ માયામય જગતમાંની કેાઈ વસ્તુ સાથે-એટલે કે શરીર, અને ઇંદ્રિયાદિક સાથે પણ સંબંધ નથી, તેા પછી તું શાા ત્યાગ કરવા દચ્છે છે ? સંધાત રૂપ જે તારા માની લીધેલા દેહાદિષ્ટ અવયવો મન, અંતઃકરણ અને ન્દ્રિયા વગેરે છે તેને કાચ। જેમ પેાતાના અંગ-પગ વગેરેને પાતામાં સમાવી-ખેંચી દતે રહે છે તેમ તું પણ એ સંધાતના વિશેષે કરી લાય કરતા હતા ધીરે ધીરે લય પ્રતિ જા એટલે ખ઼ભૈક્ય સાધ, અદ્ભૂત સ્વરૂપ બની જા.
उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ २ ॥
અર્થ, સાગર-સમુદ્રમાં જેમ પરપેટા થાય છે તેમ તારામાંથી આ વિશ્વ ઉર્દૂ થાય છે અને આત્મા તે એકજ છે એમ જાણીને લય પ્રતિપળ- મેાક્ષને માગે ચઢે.
ટીકા. તારામાંથી જગત ઉત્પન્ન થાય છે એટલે કે, મનના સંકલ્પથી સ્વમની માફક જગત્ ઉત્પન્ન થાય છે અને મન મા
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૮
અષ્ટાવક્ર ગીતા. મામાં લય પામે છે ત્યારે જગત પણ લય પામે છે. મને લયને માટે યત્ન કરવો એ મેક્ષાર્થીને માટે જરૂરનું છે. મન એજ મનુષ્યને બંધમેક્ષમાં નાંખનાર છે, બંધમક્ષ મનના ધર્મ છે એટલે મન શાંત થતાં બંધમેક્ષ જેવું કંઈ રહેતું જ નથી, માટે આત્મામાં મનને લય કરવાથી જગતને લય એની મેળે જ થઈ જાય છે.
प्रत्यक्षमप्यवस्तुत्वाद्विश्वं नास्त्यमले त्वाय । रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ३ ॥
અર્થ. પ્રત્યક્ષ દેખાતું એવું વિશ્વ પણ રજજુસર્ષની માફક અમલ-શુદ્ધસ્વરૂપ એવા તુમાં નથી, એમ ધારીને લય પ્રતિ જા.
ટીકા. દેરડીમાં સાપ નથી છતાં સાપ ભાસે છે, છીપમાં ચાંદી નથી તેમ છતાં ચાંદીને ચઓ ભાસ થાય છે તેમ વિશુદ્ધસ્વરૂપ અવા “તું માં જગત નથી તેમ છતાં સ્પષ્ટ જગત જણાય છે, પરંતુ તે અવાસ્તવિક છે. ગંધર્વનગર અને સસલાનું શિંગડું છેજ નહિ –વંઝાપુત્ર છેજ નહિ, તેમ છતાં શબ્દમાત્ર કરીને તે મિથ્યાપણાથી બોલાય છે, તેમ આ જગત વાસ્તવમાં નથી “હુંજ માત્ર છું એવો વિચાર કરી લય પામ.
समदुःखसुखः पूर्ण आशानैराश्ययोः समः । समजीवितमृत्युः सन्मेवमेव लयं ब्रज ॥ ४ ॥
અર્થ. દુઃખ અને સુખમાં સમવૃત્તિ, પૂર્ણ, આશાનિરાશામાં સમ-અક્ષુબ્ધ અને જીવવામાં તથા મારવામાં પણ સમતાવાળો રહી ધીરે ધીરે લયને પામ.
ટીકા. આત્માનંદથી પૂર્ણ-પરબ્રહ્મજ એક પૂર્ણ છે–અક્ષય, અવિકારી, અવિનાશી છે. હે જનક! તું એ પૂર્ણ થા. દુઃખસુખમાં,
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્યાય જ છે.
૫૯ આશાનિરાશામાં અને જીવવા મારવામાં પણ સમતા ધારણ કર; અને આ જગત–સ્વમની માફક ઉત્પન્ન થયા પૂર્વે પણ નહોતું, વર્તમાનમાં નથી અને હવે પછી પણ રહેવાનું નથી, એ વિચાર કરી મનને આત્મામાં લઈ જા અને સર્વત્ર બ્રહ્મ, બ્રહ્મ ને બ્રહ્મ છે, એવા ચિંત્વનવડે મનોલય કર.
आकाशवदनंतोऽहं, घटवत्माकृतं जगत् । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः॥५॥
અર્થ. આકાશની માફક હું અનંત છું અને ઘટવત્ જગત પ્રાકૃત પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું છે એમ જાણવું-એવું જ્ઞાન લીધું એટલે તેને ત્યાગ ૨હયુ કે લય કંઈ નથી. ૧ માલય પણ મિથ્યા છે.
ટીકા. આગલા વિવરણમાં લય કરવાનું ઉપદેશ્યા પછી હવે લયને માટે પણ કહે છે કે-લય છે તે પણ ઉત્પન્ન થનાર હોવાથી મિસ્યા છે. જે વસ્તુ કે વિચાર ત્રણે કાળમાં નથી તે જ રાત્ય છે, જગતની ઉત્પત્તિ માનનારને માટે લય કરવાનું છે. જગતની ઉત્પત્તિનેજ જેણે મિથ્યા માની છે તેને માટે લય પણ મિથ્યા છે. જ્ઞાનીને જગત છેજ નહિ, તો પછી તેને લય કરવાનું કયાં રહું?
महोदधिरिवाहं समपंचो वीचिसभिभः । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ६ ॥
અર્થ. હું મહેદધિ–મહાસાગર જે છું અને પ્રપંચ જગત છે તે તે તેમાં ઉઠતા લેહ-તરંગ સમાન છે, એવું જ્ઞાન થાય છે એટલે ત્યાગ, ગ્રહણ અને લય રહ્યાંજ નહિ.
ટીકા. જ્ઞાન એવું થાય કે જ્યારે પુરુષ પિતાને મહેદધિ
Page #64
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
સમાન અને પ્રપંચને તેમાંના તરંગ સમાન ગણે. જ્યારે એવું જ્ઞાન માટે ત્યારે તે પુરુષને ત્યાગ, ગ્રહણને લયનું પ્રયોજન રહેતું જ નથી.
अहं स शुक्तिसंकाशो, रूप्यवद्विपकल्पना । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ७ ॥
અર્થ. હું શક્તિરૂપ છું અને વિશ્વકલ્પના તેમાં રૂપા જેવી છે, એવું જ્ઞાન લે એટલે ત્યાગ, ગ્રહ અને લય કંઈ નહિ રહે.
ટીકા. વાદ તરીકે સ્વીકારી લ્યો કે શુક્તિ જાણે સત્યરૂપ છે અને અલબત, સામાન્યજન એવા સર્વને તે પ્રત્યક્ષ છે. આવો જીવાત્માને જાણી લ્યો અથવા જીવાત્મા જેને ભ્રમથી માને છે એવા જગતને દષ્ટાંતમાં વ્ય. શક્તિ સત્યરૂપ છે પરંતુ તેમાં થતા રૂપાનો ભ્રમ તે તદન ખોટો છે. માત્ર કલ્પનારૂપે જ તે ભાસે છે, તેમ જગત અને તેમના ધર્મો અને કાર્યો કેવળ કલ્પનામાત્ર છે, બિલકુલ સત્ય નથી. જગત અને તેમાંનું સર્વ સ્વમની વસ્તુઓ અને હિલચાલોની માફક અસત્ય છે. આવું જેને પરિપૂર્ણ જ્ઞાન થાય છે, તેને જગતમાંથી કંઈ તજવા જેવું, કંઈ ગ્રહણ કરવા જેવું ને કંઈ લય કરવા જેવું લાગતું જ નથી, તેને સર્વ મિથ્યા છે.
अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि ।। इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ८॥
અર્થ. હું સર્વભૂતેમાં રહેલો છું અથવા સર્વ ભૂતમાત્ર મારામાં રહેલાં છે, તેથી તેમને ત્યાગ, ગ્રહણ કે લય કંઈ નથી; આવું જ્ઞાન તે જ ખરું જ્ઞાન છે.
ટીકા. જ્ઞાની તો તે જ કહેવાય કે જેને એમ સમજાયેલું હોય કે, હું આ કેહવાળો અમુક નામ રૂપવાળો જગતમાં એક , એમ
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ .
નહિ, પરંતુ હું અદ્વિતીય બહ્મસ્વરૂપ છે અને સર્વભૂત એટલે પ્રાણ માત્રમાં જ રહે છે અને આ અનેક વિધનાં પ્રાણુઓ, વક્ષ, અને જડચૈતન્ય જણાતું જગત–મારામાં રહેલું છે. જ્યારે પુરુષને આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેને કહ્યું ત્યાગ કરવા જેવું કશું પ્રહણ કરવા જવું અને અમુક અમુક લય કરવા જેવું છે, એમ લાગતું હું રહેતું નથી. આ પરમાનંદ સ્વરૃપતામાં સર્વ સમાઈ જાય છે. અવું સન તે સત્ય ન કહેવાય અને તે જેને પ્રાપ્ત થયેલું છે તે જ
વન્ત આનંદસ્વરૂપ જે કહેવાય. સમુદ્રરૂપ આત્મા ને મન તરંગ.
मय्यनंतमहांभोधा, विश्वपोत इतस्ततः । भ्रमति स्वान्तवातेन, न ममास्त्यसहिष्णुता ॥९॥
અર્થ. હુંરૂપ અનંત મહાસાગરમાં વિશ્વરૂપી નૈકા (હેડી) મનરૂપી પવને કરીને આમતેમ ભમે છે–ઝેલાં ખાય છે, પરંતુ મને તેની અસહિષ્ણુતા નથી, અર્થાત્ તરબોધને લીધે હું તે સહી લઉં છું.
ટીકા. જ્ઞાની કહે છે કે મારારૂપ (મનરૂપ) મહાસાગરમાં જગત જે હેડી સમાન છે તે અંતરની ઉમિઓરૂપી પવનથી આમતેમ ભમે છે, એટલે જગતમાંના ભોગાદિક વિષય તરફ ધસે છે, તો પણ હું તે સઘળું મિથ્યા-માયા મેહનું પરિણામ છે એમ જાણીને સહન કરી લઉં છું. અંતઃકરણ-મનરૂપી વાયુ, વિશ્વપતને જેમ ઘસડી જાય તેમ ઘસડાવા દેતા નથી, પરંતુ બ્રહ્મભાવમાં દઢ રહું છું.
मय्यनंतमहांभोधी जगद्वीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न में वृद्धिर्न च क्षति ॥ १० ॥ અર્થ. હુંરૂપી મહાસાગરમાં સ્વભાવથી જ જગતરૂપી
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૨.
અષ્ટાવક્ર ગીતા. તરંગો ઉત્પન્ન થાય છે. એ તરંગે ઉત્પન્ન થાય અગર આરત થઈ જાય તેથી મારામાં કંઈ વૃદ્ધિ કે ક્ષતિ થતી નથી.
ટીકા. સમુદ્ર અને તેમાંના તરંગના દષ્ટાંતથી કહે છે કે જેમ તરંગ થવાથી કે તે લય પામવાથી સમુદ્રને કશી અસર થતી નથી, તેમ આત્મા જે અખંડ નિર્વિકારી છે તેને પણ જગત ઉત્પન્ન ચાઓ કે લય પામે તેથી કંઈ લાભ હાનિ-વૃદ્ધિ કે ક્ષતિ થતી નથી. સમુદ્ર તો ભરતી ઓટ થવા છતાં પણ એકસ્વરૂપે જ રહે છે. તેને કંઈ પણ લાગતું વળગતું નથી, તેમ આત્માને આ જગતના પ્રચય કંઈ લાગતું વળગતું નથી.
मध्यनंतमहांभोधा, विश्वं नाम विकल्पना । अतिशांतो निराकार एतदेवाहमास्थितः ॥११॥
અર્થ. મારારૂપી મહાસાગરમાં વિશ્વરૂપી કલ્પના માત્ર નામરૂપજ છે. હું તે નિરાકાર અને અતિ શાંત છું. એક આત્મામાંજ આસ્થિત-રિથતિ કરીને કહેલ છું.
ટીકા. સમુદ્રમાં જેમ તરંગાદિ થાય છે તેમ આત્મામાં જગતની કલ્પના કરેલી તે પણ ના પાડતાં કહે છે કે આત્મા તે તદન અલગ છે. આત્મામાં જગતની કલ્પના પણ સંભવિત નથી. એનું અનંત સ્વરૂપ નિરાકાર છે અને એને કોઈને સ્પર્શ માત્ર પણ સંભવ નથી. વેદાદિમાં આત્માને નિરાકાર અને નિરંજન સ્વરૂપ જણાવેલ છે તેની જનકના હૃદયને ખાતરી થઈ છે તેથી તે પોતે મહાસમુદ્રના દષ્ટાંતથી પોતે સર્વ પ્રપંચથી અલિપ્ત છે, એનું કહે છે. પિતાના નિરાકાર નિરંજન સ્વરૂપની પ્રતીતિ બતાવે છે.
नात्माभावेषु नो भावस्तत्रानंते निरंजने । इत्यसक्तोऽस्पृहः शांत एतदेवाहमास्थितः ॥ १२ ॥
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થો.
અર્થ. ભાવોમાં આત્માનથી અને આત્મામાં–જે અનંત અને નિરંજન છે તે આત્મા-બામાં ભાવાદિક નથી, આસક્તિ રહિત અસ્પૃહ અને શાંત એવા આભામાં હું તે સ્થિત છું.
ટીકા જનક કહે છે કે ભાવ-દેહાદિકમાં આત્મા નથી અને આત્મામાં દેહાદિક નથી, એ તો નિરંજન, અનંત, અસક્ત, અસ્પૃહ અને શાંત છે. અને તેમાંજ હું રહેલો છું અર્થાત્ હું, પણ આત્મસ્વરૂપજ થઈ ગયેલ છું.
अहो चिन्मात्रमेवाहं इन्द्रजालोपमं जगत् । अतो मम कथं कुत्र हेयोपादेय कल्पना ॥ १३ ॥
અર્થ. હચિન્માત્ર આત્મા છું, અને જગત તે ઈન્દ્રજાળની માફક મિથ્યા છે, એમાં મને હેય (ત્યાય) અને ઉપાદેય પ્રાપ્ત કરવા જેવું કશું ક્યાંહિં જ નહિ. હું (જનક) જે બ્રહ્મસ્વરૂપ માત્ર શાંત અને નિર જન છું, તેને ગ્રહણ કરવા, સંઘરવા અને લય કરવાનું કહ્યું કેઈ ઠેકાણે છેજ નહિ.
तदा बन्धो यदा चित्तं किंचिद्वांछति शोचति । किंचिन्मुंचति गृह्णाति किंचित् दृष्यति कुप्यति ॥१४॥
અર્થ. જ્યારે ચિત્ત કંઈક ઈચ્છે છે, કંઈક શોક કરે છે, કંઈક છેડી દે છે, કંઈક ગ્રહણ કરે છે, કંઈક આનંદ પામે છે અને કલિંક કેપે છે ત્યારે તેને બંધન નડે છે.
ટીકા. પુરુષ ક્યારે બંધાઈ જાય છે તે દર્શાવતાં કહે છે કેજ્યારે તેનું ચિત્ત કંઈક ઈચ્છા કરે છે, કંઈક લે છે, કંઈક મુકી દે છે, કંઈ હરખાય છે અને કંઈ કાપ કરે છે. આત્માને આમાંનું કશું થતું નથી; એટલે તે તે કશાથી લપાતોજ નથી. હે જનક! વાસનાને
Page #68
--------------------------------------------------------------------------
________________
અાવક ગીત. બિલકુલ અભાવ થાય ત્યારે જ ચિન્માત્રતા પ્રાપ્ત થાય છે. યોગ વસિષમાં પણ કહ્યું છે કે સ્નેહથી, ધનના લેપથી, રતિ અને સ્ત્રીને ઈચ્છાથી, આપાત રમણીય વસ્તુઓની વાસનાથી પુરુષ દીન બની જાય છે. બંધ છે તે વાસનાને લીધે છે માટે વાસનાને ત્યાગ થા જેવો જોઈએ. જગત પ્રવચનીજ વાસનાનો ત્યાગ એક્લો બસ નથી. જે ખરેખરા આત્મસ્વરૂપમાં લીન થવા ઈચ્છે છે તેને માટે તે માક્ષર્વને પણ ત્યાગ કહેલો છે. તે જનક! તું પણ બધી વાંછનાએ સાથે મેક્ષરૂપી વાંછનાને પણ ત્યાગ કર અને એક પરમાનંદ સ્વ રૂપમાં લીન થઈ જા.
વાસનાને અત્યંત ત્યાગ તો કેઈથી થયો નથી. સંસારી સાધુઓ અને આચાર્યોએ પણ તેને ત્યાગ કર્યો નથી તે કેમ? આ પ્રશના ઉત્તરમાં કહે છે કે, આખા વનમાં એકાદ સિહ હોય છે જ્યારે મૃગલાં ને સસલાંની તે હદજ હોતી નથી. તેમ વાસન ત્યાગી તો કાઈક જવલ્લેજ હોય છે. બીજા બધા સંસારી, સાધુ ! આચાર્ય માત્ર મોઢેથી બ્રહ્મ પિોકારે છે, અને ઇન્દ્રિયની તૃપ્તિને માં જગતમાં ભટકાં મારે છે. આવા ઢોંગીઓનું કલ્યાણ થતું નથી. - તે જન્મોજન્મ સંસારમાં ભટકતાજ રહેવાના, પરંતુ તેઓ, જે બ્ર પિકારે છે અથવા ઢંગથી પણ સબંધ કરતા ફરે છે તેમના ઉદગાર શ્રવણ કરનાર હજારે શ્રોતામાંથી એકાદ જણ વિવેકી નીકળે અને તેને આત્મજ્ઞાન થાય છે; એટલેએ ઢોંગીઓમાંથી પણ પ્રજાજન લાભ થાય છે, માટે શ્રવણ કરવું અને ધીરે ધીરે ચિત્તને વાંછનાઓ માંથી વાળવું એ જિજ્ઞાસુનું કર્તવ્ય છે.
तदा मुक्तिर्यदाचित्तं न वांछति न शोचति । .. न मुंचति न गृह्णाति न दृष्यति न कुप्यति ॥१५॥ . અર્થ. ત્યારેજ મુક્તિ મળે છે કે જ્યારે ચિત્ત નથી
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે. ઈચ્છતું, નથી શચતું નથી, મુક્ત થતું, નથી ગ્રહણ કરતું, નથી આનંદ પામતું અને નથી કેય કરતું. આસક્તિ છોડ.
ટીકા. જ્યાં લગી ઈચ્છા, શેક, ત્યાગ, ગ્રહણ, આનંદ અને કાપ–ક્રોધ જતા નથી, ત્યાં સુધી કદાપિ પુરુષને મુક્તિ મળતી નથી માટે હે જનક! મેં તને વિષયોને ત્યાગ કરવાનું કહ્યું. વાંછન અને વાસના ઝટ છોડાતાં નથી, પરંતુ જેમ વ્યસનાદિક સમજ પડત થોડે થોડે છોડાય છે, તેમ ધીમે ધીમે વાસના ત્યાગ કરતાં શીખવું
तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वहाष्टषु ॥ १६ ॥
અર્થ. જ્યાં સુધી ચિત્ત કેઈ એકાદ વાતમાં આસક્ત હોય ત્યાં સુધી બંધન છે જ, જ્યારે સર્વદૃષ્ટિમાંથી આસક્તિ જતી રહે છે, ત્યારેજ મોક્ષ મળે છે.
ટકા. શ્રવણદિકથી પુરુષને કેટલુંક જ્ઞાન થાય છે, અને હું વોમાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લે છે, છતાં એકાદ બાબા તમાં પણ તેને આસકિત રહે છે. અને જ્યાં સુધી આસક્તિ રે છે, ત્યાં સુધી સંસારના બંધમાંથી તે છુટના નથી. આગળ કહેવામાં આવ્યું તેમ મોક્ષને માટે પણ તેણે આસક્તિ રાખવી જોઈએ નહિ મેક્ષ, એ પિતાથી અન્યતમ–ભિન્ન છે એવી સમજ હોય ત્યાં સુધી અદ્વૈત આવતું નથી. અËત આવ્યા પછી સંસારી વાસનાઓ તો શું પણ મેક્ષ જેવી વાસના પણ અસ્તિત્વમાં રહેતી નથી.
यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा। मन्वेति हेलया किंचित्-या गृहाण विमुंच मा ॥१७॥ અર્થ. જ્યારે હું પોતેજ નથી એવી વૃત્તિ થાય ત્યારે
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૬
અષ્ટાવક્ર ગીતા. મિક્ષ છે, પરંતુ જ્યાં સુધી “આ હું એવી સમજ છે, ત્યાં સુધી બંધન પણ છે, આમ માનીને ઈછાએ કરીને કહ્યું ગ્રહણ ન કર અને કહ્યું ત્યાગે ન કર.
ટીકા. જ્યાં સુધી “હું” એવો અહંકારાભાસ છે ત્યાં સુધી પુરુષ બંધનમાં છેજ; જ્યારે હુંપણને અહંકાર જતો રહે છે, અને
હું બીજે કાઈજ નહિ, પરંતુ નિરાકાર નિરંજન બ્રહ્મ છું અને મને જગત, તેમાંના પ્રપંચ અને છેવટ આ સ્થૂલ શરીરાદિક સાથે પણું કઈ સંબંધ નથી.” એવો નિશ્ચય થાય છે, ત્યારેજ મોક્ષ પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीमदष्टावक्रगीतायां मनोलयबोधोनाम
चतुर्थोऽध्यायः समाप्त ॥
Page #71
--------------------------------------------------------------------------
________________
अध्याय ५ मो.
તૃષ્ણા ત્યાગ નિરૂપણ. कृताकृत्ये च द्वंद्वानि कदा शांतानि कस्य वा । एवं ज्ञात्वेह निर्वदाद् भव त्यागपरोऽवती ॥ १ ॥
અર્થ. કૃતાકૃત્ય અને તંદ્ર કદાપિ કેઈન શાંત થયાં નથી, એમ જાણુને નિર્વેદથી આવતી અને તું ત્યાગપરાયણ થા.
ટીકા. તૃષ્ણત્યાગ નામના આ અધ્યાયને આરંભ કરતાં કહે છે કે, “આ અમારું કર્તવ્ય નથી, આ સુખકારક છે અને આ દુ:ખ આપનારું છે” વગેરે સંસારનાં ઠંદ્રામાં કાઈ દેહધારી છુટી શકતો નથી અને છુટો પણ નથી, માત્ર આ દંઢા-સુખદુખાદકથી કંટાળીને પુરષ અળગા થયા છે. પરંતુ આવી રાત નિર્વાદથી વિપીને ત્યાગ થાય તે મને માર્ગે લઈ જાય નહિ, માટે હે જનક ! તું અત્રતીવ્રતવાળા નથી માટે વિષયોને નિવેદથી નહિ પરંતુ સમજપૂર્વક ત્યાગ કરીને આત્મશ્રેય સાધ.
कस्यापि तात ! धन्यस्य लोकचेष्टावलोकनात् । जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशभं गता ॥ २॥
અર્થ. હે તાત! લેકચેષ્ટાના અવલોકનથી કેઈ ધન્ય પુરુષની જીવિતેચ્છા, બુમુક્ષા અને બુભત્સા શાંત પડેલી હોય છે.
ટીકા. આલેકમાં થતાં મરણ જન્મ, દુઃખ, શાક, ભય ને હ વગેરે નાના પ્રકારનાં કારસ્તાને જોઈ જોઈને કાઈક ધન્ય પુરુષને કંટાળો આવે છે ત્યારે તેની ત્યાગ તરફ વૃત્તિ વધે છે, અને ત્યાગ થતાં તેની જ્ઞાનઈચ્છા વધી તે ઉપશમ પણ પામે છે. ગ થી માંડીને મરણ સુધીમાં પુરૂષને અનેક સુખદુઃખ ભોગવવાં પડે . ગરુડપુરાણ,
Page #72
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. શિવગીતા ને અન્ય સ્થળે પુરાણોમાં જન્મજીવન દુઃખનાં વર્ણન કરેલાં છે, તેના શ્રવણથી અને જીવન દરમિયાન થતા કડવા અનુભવોથી જીવન અકારું થઈ જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને જે કાઈ સદ્દગુરુ મળી આવે તે વળી તેને શાંતિ પણ મળે છે. સંસાર સુખ દુઃખ અને કલેશથી ભરેલું છે, છતાં વિષયજાળમાં ગુંચવાઈ ગયેલો પુરુષ તેમાંથી છુટી શકતો નથી–જ્યારે કોઈને તેથી કંટાળો ઉપજે છે ત્યારે તે સ્ત્રી પુત્રાદિકનો ત્યાગ કરે છે. પણ કહ્યું છે કે પુરુષ લેહની બેડીમાંથી છુટે થઈ શકે છે, પરંતુ સ્ત્રીની મેહમય બેડીમાંથી છૂટી શકતો નથી.” પ્રેમબંધનમાંથી જીવ–મનુષ્યતર પ્રાણું છુટી શકતાં નથી, તે માનવીનું શું ગજું !! ભમરે કમળની નાજુકમાં નાજુક પાંદડીઓને છેદી બહાર નિકળી શકતો નથી ને અંદર ગુંગળાઈ મરણ શરણ થાય છે, જો કે તે કઠણમાં કઠણ વાંસ કેરી નાંખવાને સશક્ત છે. હે જનક! આ સંસારની વાસનાઓથી રહિત તો લાખે એકાદ જણું થઈ શકે છે અને જે થાય છે તે મોક્ષને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી નિવડે છે.
अनित्यं सर्वमेवेदं तापत्रयविदुषितं । असारं निंदितं हेयमिति निश्चित्य शाम्यति ॥३॥
અર્થ. આ સર્વ ( જગત) અનિત્ય છે, ત્રણ તાપથી ભરેલું છે, દૂષિત છે, અસાર છે, નિંદિત છે અને વળી તજવા ગ્ય છે, એ નિશ્ચય કરીને શાંત પડવું.
ટીકા. જેટલી વસ્તુ દષ્ટિએ પડે છે તે સઘળી અનિત્ય છે છ ચૈતન્યમાં અધ્યસ્ત હોવાથી નિત્યને ભ્રમ કરાવે છે. ત્રિતાપ-તાપત્રય એટલે કામ, ક્રોધ, લોભ, મેહ અને ઈર્ષાથી મનમાં જે ઉત્તાપ થાય છે, તે આધ્યાત્મિક તાપ કહેવાય છે, મનુષ્ય, પશુ, સર્પ અને વૃક્ષાદિથી જે દુઃખ થાય છે તે આધિભૌતિક અને યક્ષ, રાક્ષસ તથા
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે.
પિશાચથી થતા કલેશે, તે આધિદૈવિક તાપ કહેવાય છે. આ ત્રણ તાપથી પુરુષ હંમેશ સંતપ્ત રહે છે, તેથી તે સર્વે ત્યાગને યોગ્ય છે.
कोऽसौ कालो वयः किंवा यत्र द्वंद्वानि नो नृणां । तान्युपेक्ष यथा पासवती सिद्धिमवाप्नुयात् ॥४॥
અર્થ. એ ક કાળ, અને કયી અવસ્થા છે કે જેમાં પુરુષને સુખદુઃખાદિક થતાં નથી? અર્થાત્ સર્વ કાળમાં એ દુઃખે થયાંજ કરે છે, માટે તે ઠંદ્ર-સુખદુઃખની ઉપેક્ષા કરીને જે સમયે જે વસ્તુ પ્રાપ્ત થાય, તેમાં વર્તનાર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કંદ ત્યાગ.
ટીકા. ઠંઠ એટલે સુખદુઃખ અને શાક વગેરેનાં જોડકાં. આ સુખ દુઃખનાં જોડકાં જીવનમાં બધે આવ્યા વગર રહેતાં નથી અને સદા સર્વદા તે હ તથા શોક કરાવ્યા કરે છે. સુખની સાથે દુઃખ ને દુઃખની સાથે સુખ, પાણું ને કાદવની માફક સંમિશ્ર થયેલાં છે માટે તેને તજવાં જોઈએ.
नानामतं महर्षीणां साधुनां योगिनां तथा। दृष्ट्वा निर्वेदमापन्नः को न शाम्यति मानवः ॥ ५ ॥
અર્થ. મહર્ષિઓ, યોગીઓ અને સાધુઓ વગેરેના મત જુદા જુદા છે તે જોઈને નિવેદ-કંટાળે પામી માણસે શાંત પડે છે.
ટીકા. મહર્ષિઓ વગેરેના મત જુદા જુદા છે તો પણ છેલ્લે વેદાંત દર્શન છે તે અદ્વૈતપર છે, અને તેના મતને અનુસરનારાજ અદ્વૈતપદ પામવાને શક્તિમાન થાય છે. ગામ અને તેમના મત પ્રમાણે વિચાર કરનારા ઈશ્વર-આત્મા અને જીવ–આત્મા બન્નેને
Page #74
--------------------------------------------------------------------------
________________
(૭૦
અષ્ટાવક્ર ગીતા.
જડ માને છે. જ્ઞાન અને ઈચ્છા આદિને આત્માના ગુણ માને છે. ઈશ્વરના ગુણોને નિત્ય અને જીવાત્માના ગુણોને અનિત્ય માને છે, અને નિરવયવ પરમાણુઓથી જગતની ઉત્પત્તિ બતાવે છે. આત્માને જડ માનતાં કર્તા, ભોકતાને ક્રમ રહેતું નથી, કારણ કે જડમાં કર્તાભોક્તાપણું હોતું નથી. વળી જડના ગુણ તરીક જ્ઞાન અને ચેતનતા પણ સંભવિત લાગતી નથી. જ્ઞાન અને ચેતન આત્માના ગુણ નહિ • પણ આત્માનાંજ સ્વરૂપ છે, કારણ કે-ગુણ અને ગુણને ભેદ થઈ શકતો નથી. જેમકે ઉષ્ણુતા અને પ્રકાશ. આ બે જે અગ્નિમાંથી લઈ લેઈએ, તો પછી અગ્નિનો જ અભાવ થઈ જાય. જડને ધર્મ ચેતનતા હોય એવું કહિ કોઈ દષ્ટાંત નથી. પરમાણુ નિરવયવ છે અને તેમાંથી જગતની ઉત્પત્તિ માનેલી છે. આ ગૌતમ અને નૈયાયિકાનો મત માણસને બ્રાત્પાદક છે. વળી જીવાત્માને વ્યાપક માનવામાં આવે છે ત્યારે તો સર્વ જીવાત્માઓ સાથે એકસરખે સંબંધ રહે અને સર્વજ્ઞતા બધેજ થઈ રહે. પરમાણુ નિરવયવ હેવાથી જગતની ઉત્પત્તિ પણ સંભાવત નથી.
બીજાઓ કર્મને વ્રતાદિકને આમાં વધારે છે અને તેથી જગતમાંથી ઉદ્ધાર થાય એમ માને છે. પરંતુ કર્મ કરતાં તો સ્વર્ગ નરકની ઘટમાળ ચાલુ રહ્યા કરે છે. વેદમંત્રાનુસાર કર્મયજ્ઞયાગાદિ કરતાં સ્વર્ગ મળે છે અને પુણ્યનો ક્ષય થતાં પુપ પાછો આલેકમાં આવી પડે છે. કર્મને નાશ થતો નથી અને કર્મ સંગ્રહ કર્યો એટલે તે ભોગવ્યા વગર પણ છુટકો થતો નથી, આમ હોવાથી એ મત પણ વેદાંત સાથે મળતો આવતો નથી. આ પ્રમાણ દર્શનમાં ઋષિઓ, સાધુઓ અને યોગીઓએ ભિન્ન ભિન્ન મત આપેલા હોવાથી ભ્રમ થાય છે તેને નહિ અનુસરતાં કહ્યું જાનનનતંત્ર એ મતને માનીનેજ મોક્ષાથ થવું યુક્ત છે અને હું જનક ! તમે તેવી ચોગ્યતા ધરાવે
છે માટે બધી શાસ્ત્રાદિક જાળને છોડી એક પરમાનંદ સ્વરૂપ બ્રહ્મમાં - એક્ય સાધી લે.
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે.
कृत्वा मूर्तिपारज्ञानं चैतन्यस्य न किं गुरुः । निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ६ ॥
૧
અર્થ. વૈરાગ્ય, સમતા, અને યુક્તિદ્વારા ચૈતન્યની મૂર્તિના જ્ઞાનને જાણી જે પુરુષ સંસારથી પેાતાના ઉદ્ધાર કરે છે, તે શું ગુરુ ન કહેવાય ?
જ્ઞાનીને ગુરુએ ન જોઇએ.
ટીકા. અષ્ટાવક્ર∞ કહે છે કે હે જનક ! આત્મજ્ઞાનને માટે ઉપદેશ કરનાર સદ્ગુરુ જોઇએ, એ વાત ખરી, પરંતુ ઉપદેશ પછી મનન, નિદિધ્યાસન વગેરે કરતાં જેને વૈરાગ્ય વ્યાપી પ્રચ મિથ્યા ભાસે છે, અને બ્રહ્માકાર ચિત્ત થઇ જાય છે, તેને ગુરુ જેવા ભેનું પૂ. પ્રયેાજન રહેતું નથી. ગુરુ અને શિષ્ય એ દ્વંદ્ર આત્માકારતામાં ભેદ બતાવનાર છે, માટે જેને જ્ઞાન થયું છે તે જ પાતે પાતાના ગુરુ છે અને ગુરુની પણ જરૂર નથી. તમે તેવા જ્ઞાનને પ્રાપ્ત થયા છે એટલે તમને પણ ગુરુની જરૂર રહેલી નથી.
पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाद्धनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ॥ ७ ॥
અર્થ. હું જનક ! ભૂતવિકારોને તું ખરાખર ભૂતમાત્ર જોઈશ, તે જ ક્ષણે બંધમુક્ત થઈ સ્વસ્વરૂપમાં આવી જઈશ.
ટીકા. પચમહાભૂતના વિકારારૂપ દેહ અને ક્રિયા વગેરે છે તે, જ્યારે દેહ ઈંદ્રિયરૂપ નહિ પરંતુ ભૂત રૂપે એટલે જુદાં જુદાં સમજાય છે, ત્યારે તરતજ પુરુષ સ્વરૂપસ્થ થઈ જાય છે. ભૂતના વિકારરૂપ જગત છે અને જગત અસત્ય છે, એવું સમજતાંજ આત્મજ્ઞાન થઇ પરમાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. હું જનક ! તારાં જે દેહાદિક છે તેને તું ભૂતમાત્ર જોઇ સ્વરૂપસ્થ થા.
Page #76
--------------------------------------------------------------------------
________________
ર
અષ્ટાવક્ર ગીતા. वासना एव संसार इति सर्वा विमुंच ताः। तत्त्यागो वासना त्यागात् स्थितिरय यथातथा ॥८॥
અર્થ. વાસના એજ સંસાર છે માટે સર્વે વાસનાઓ છેડી દે એટલે તે ત્યાગજ છે, અને જે વાસનાઓને ત્યાગ થયે તેજ તું ગસ્થિતિને પ્રાપ્ત થઈશ.
ટીકા. વાસનાઓ સંસાર છે, વાસના વગર સંસાર નથી. મુખ્ય વાસનાઓ ત્રણ છે. એક સ્વર્ગ મેળવવાની, સુખભોગથી ભરેલું સ્વર્ગ છે એવી પરંપરાની માન્યતાથી પુરુષને સ્વર્ગકામના થાય છે. સ્વર્ગની કામનાવાળાએ યજ્ઞ એટલે કર્મ કરવાં જોઈએ. કર્મચારસીના ફેરામાં ફેરવનારાં છે, માટે સ્વર્ગ વાસના પણ મોક્ષાર્થીએ તજવી જોઈએ. બીજી યશવાસના છે તેમાં પુરુષને વિદ્યાભ્યાસાદિક પરિશ્રમે કરીને આલોકમાં ઉચ્ચપદ પામવાની અને યશસ્વી કહેવરાવવાની વાસના થાય છે, અને ત્રીજી વાસના શરીર-જીવવાની વાસના છે. એમાં પુરુષને સાંદર્યની અને દીર્ઘઆયુષ્ય ભોગવવાની વાસના થાય છે. અહિં એવી શંકા થાય છે કે–જેવી સ્વર્ગવાસના તેવાજ મુક્તિની વાસના કહેવાય; ત્યારે સર્વ વાસનાઓનો ત્યાગ કેમ સંભવે ? આના સમાધાનમાં વાસનાઓના બીજા બે ભેદ પાડવામાં આવે છે એટલે કે એક શુદ્ધ વાસના અને બીજી મલિન વાસના. શુદ્ધ વાસના કલ્યાણકારક હોવાથી જિજ્ઞાસુને માટે જરૂરની છે. એથી જન્મ મરણની વાંટીમાંથી ઉદ્ધાર કરવાનો માર્ગ–આત્મજ્ઞાનને પથ પકડાય છે અને બીજી મલિન વાસના છે, તે સ્ત્રી-પુત્રાદિકની સંસારના ફેરામાં ભટકાવનારી છે, માટે શુદ્ધ વાસના કરવી અને મલિન વાસનાને ત્યાગ કરો. જ્યારે પૂર્ણજ્ઞાન થાય છે ત્યારે જ બધી વાસનાઓ શાંત પડે છે.
विहाय वैरिणं काम अर्थ चानर्थसंकुलं । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ ९ ॥
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૩
અધ્યાય ૫ મે. અર્થ. વેરી અને અનર્થથી ભરપુર કામ અને અનર્થને . છેડી–તજી દે, એટલું જ નહિ પણ તેમના હેતુરૂપ હાય એવા ધર્મને પણ તજી દે અને સર્વત્ર અનાદર કર. કામાર્થને ત્યાગ.
ટીકા. હે જનક! કામ અને અર્થ એ બે ઘણાક અનર્થોથી ભરેલા હોવાથી માણસના વેરી જેવા છે માટે તેમને તજી દે. વળી કામ અને અર્થ સાધવાના વિચારવાળો ધર્મ હોય તેને પણ ત્યાગ કર. અર્થાત્ હત્યાદિક—બેગ મેળવવાને કરવા જેવાં કર્મ, ને ધન પુત્રાદિકની પ્રાપ્તિ કરવા જે ધર્મ, એ સૌનો અનાદર કર એટલે તૃષ્ણાને ત્યાગ કર, કે જેથી વૈરાગ્ય આવે. અહિં ધર્મ એટલે સકામાર્થ કર્મો તે છે.
स्वप्नेन्द्रजालवत्पश्य दिनानि त्रीणि पंच वा। मित्रक्षेत्रधनागारदारदायादि संपदाः ॥ १० ॥
અર્થ. મિત્ર, ક્ષેત્ર, ધનભંડાર, સ્ત્રી અને ભાઈ વગેરે જે સંપત છે તેને સ્વમ અને ઈન્દ્રજાળ જેવી જાણ, તે પાંચ દિવસ રહેનારી છે, એમ વિચારી જે.
ટીકા. મિત્ર, ધન, ખેતર, સ્ત્રી, પુત્ર, ભાઈઓ વગેરે પુની જે સંપત છે તે સ્વમ અથવા તો જાદુગીરી જેવી માત્ર થોડે કાળજ ટકનારી છે, માટે પરમ ને ચિરસ્થાયી શાંતિ માટે તે પ્રતિની તૃષ્ણને પણ ત્યાગજ કરો એગ્ય છે. આપણું જોતજોતામાં મિત્ર, સ્ત્રી, પુત્ર, ભાઈઓ અને મોટા ધનના ભંડાર નાશ પામે છે અને આપણે હાથ ઘસતા બેસી રહીએ છીએ, શેક કરીએ છીએ અને પાછા તે મેળવવાની તૃષ્ણમાં નવનવા પ્રપંચ આદરીએ છીએ, માટે આવી ચાર દિવસના ચાંદરણ જેવી સંપત માટે શાશ્વત શાંતિ અને સુખાનંદ ગુમાવવાં નહિ. આવી તૃષ્ણાને સદંતર ત્યાગ કરવો.
Page #78
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र धै। प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णा सुखी भव ॥ ११ ॥
અર્થ. જ્યાં જ્યાં તૃણું થાય છે ત્યાં ત્યાં જરૂર સંસાર છે, એમ જાણુ. પ્રઢ વૈરાગ્યને આશ્રય કરી તૃષ્ણરહિત થઈ સુખી થા.
ટીકા. તૃષ્ણ થઈ કે સંસાર ત્યાં ખડેજ છે, એમ નક્કી જાણવું માટે તૃષ્ણાનો ત્યાગ કરી પ્રૌઢ–અસાધારણ વૈરાગ્યને આશ્રય કરે. સખત વૈરાગ્યથી તૃષ્ણનો નાશ થશે, અને તૃષ્ણા નાશ પામતાં સુખી થવાશે, એમ અષ્ટાવક્ર કહે છે.
तृष्णा मात्रात्मको बंधस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तिनुष्टिमुहुर्मुहुः ।। १२ ॥
અર્થ. તૃષ્ણામાત્રાત્મક બંધ છે અને તેને (તૃષ્ણા) ત્યાગ તે મોક્ષ કહેવાય છે. અસંસક્ત થતાંવાતજ ફરી ફરીને પ્રાપ્તિ અને તુષ્ટિ પ્રાપ્ત થાય છે.
ટીકા. તૃષ્ણા તે બધ અને તેનો નાશ તે મોક્ષ. માણસ અશક્ત થાય છે, દાંત પડી જાય છે, માં અને આંખોમાંથી પાણી ગળે છે તથા પગ લથડિયાં ખાય છે તો પણ તૃષ્ણ જુવાન રહે છે, અને તેને સંસારપ્રતિ દેડાવે છે. તૃષ્ણા ત્યાગ બહુજ મુશ્કેલ છે. sort wા ન મુક્તિ રાંડ તૃણા મને છોડતી નથી, એમ કંટાળી ગયેલા વિદ્વાનોએ કહેલું છે. આવી ઝટ ન ત્યજાય એવી તૃષ્ણને ત્યાગ કર્યા વગર મુક્તિનો માર્ગ સરલ થતો નથી.
त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किचित्सा का बुभुत्सा तथापि ते ॥१३॥
અર્થ. તુંજ એક ચેતન અને શુદ્ધ છે; વિશ્વ તે જડ અને અસત્ છે, અવિદ્યા પણ કંઈજ નથી, તે તને શું જાણવાની ઈચ્છા થાય છે ?
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મો.
૭૫
ટીકા. આ વિશ્વ ત્રણ પદાર્થથી વ્યાપ્ત છે. એક આત્મા, બીજું અવિદ્યા ને ત્રીજું જગત, આત્મા છે તે સૂમ, સ્થૂલ અને કારણ શરીરથી ભિન્ન છે, તેમજ જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ, એ ત્રણ અવસ્થાનો આત્મા સાક્ષી છે. અનાદિ ભાવરૂપ અને આત્મજ્ઞાનથી અળગી અર્થાત અજ્ઞાનરૂપ અવિદ્યા છે અને સતત ચાલ્યા કરવારૂપ જગત છે. આમાં ચેતનરૂપ આત્મા છે તે જ સત્ય સચિદાનંદ સ્વરૂપ છે. અવિદ્યા અને જગત તો ત્યાજ્ય છે, માટે તેમને ત્યાગ એજ જ્ઞાનીને માટે હિતકર છે.
राज्यं सुताः कलत्राणि शरीराणि मुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥१४॥ .
અર્થ. રાજ્ય, પુત્ર, સ્ત્રીઓ, શરીર ને સુખ જેઓ સંસારાસક્ત છે તેમનાં નાશ પામેલાં છે અને તારાં પણ જન્મ જન્મમાં તે નાશ પામતાંજ રહેલાં છે ને રહેશે. જન્મદુ:ખની પરંપશે.
ટીકા. હે જનક! પુરૂ જન્માવલીઓમાં ફરતા રહેવાથી જન્મોજન્મ તેને શરીર પ્રાપ્ત થાય છે ને નાશ પામે છે. વળી એજ પ્રમાણે જન્મજન્મ તેને સ્ત્રીપુત્રાદિક પ્રાપ્ત થાય છે ને નાશ પામે છે. ભવિષ્યના જન્મોમાં પણ સંસારાસાને એમજ થવાનું, માટે તેને મોહ છોડી દેવા ને તૃષ્ણરહિત થવું. અહિં જગતને તેમાંના પદાર્થોને અસત્યને નાશ પામનારા કહ્યા, પરંતુ સાંખ્યવાળા તે જગતના પદાર્થોને નિત્ય માની એમ કહે છે કે–કારણ અને કાર્યો બેઉ સત્ય છે. મૃતિરૂપ કારણ સત્ય છે એટલે તેમાંથી ઘડો બને છે. જે ઘટ સૂક્ષ્મરૂપે મૃતિકામાં રહેલે ન હોત તો તેની ઉત્પત્તિજ થાત નહિ, માટે જેમ મૃતિ સત્ય છે તેમ ઘડે પણ સત્ય છે. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સૂતિકારૂપી કારણમાં ઘટ હો તો તેનો પ્રાદુર્ભાવ થયો. પ્રાદુર્ભાવ અને તિભાવ થવાને કારણુ તેમજ કાર્ય સત્ય હોય તેજ બને. આ મતની વિરુદ્ધ દષ્ટાંત લઈને કહેવામાં આવે છે કે, કારણ
Page #80
--------------------------------------------------------------------------
________________
s
અષ્ટાવક્ર ગીતા.
રૂપ તંતુમાંથી પટ થયું, પણ તંતુએ બળી જતાં પટના પ્રાદુર્ભાવ યતા નથી, માટે તંતુ અને પટ બેઉ અસત્ય છે. જે પદાર્થ સત્ય છે તેના કદી નાશ થતા નથી, અને આ તા તંતુ ને પટ બન્નેને નાશ થાય છે, તેથી અસત્ય છે.
अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा ।
एभ्यः संसारकांतारे न विश्रांतमभून्मनः ॥ १५ ॥
અર્થ. અર્થ, કામ અને સુકૃત એવાં કર્મથી પણ શું ? એથી તેા સંસારરૂપી વનમાં મન વિશ્રાંતિ-શાંતિ પામતું નથી. ટીકા. અર્થથી, કામથી અને સારાં કર્મો કરવાથી પણ સંસારરૂપી વનમાં કહિં વિશ્રાંતિ મળતી નથી. મન એવું અસંતાષી છે કે તે ક્યમે કર્યું તૃપ્ત થતું નથી, પણ ભટક્યા કરે છે. कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ १६ ॥
અર્થ. શરીરથી, મનથી અને વાણીથી કેટલાએ જજ્ન્મામાં કેટકેટલાંએ દુઃખ અને પરિશ્રમનાં કર્મ–( કામ ) કર્યાં તથાપિ હજી લગી તેમાંથી વિરામ પ્રાપ્ત થતા નથી.
ટીકા. હું જનક ! શરીર, મન અને વાણીને અર્થાત્ ઇંદ્રિયાને અત્યંત દુ:ખ અને પરિશ્રમ પહોંચે એવાં કામેા તમેા જન્માજન્મ કરતા આવા છે. તેમ છતાં એક જન્મમાં સુખ તે મળ્યું નહિ, છતાં પણ તમે તે કર્મોમાંથી ઉપરામ પામ્યા નહિ. અને ઉપરામતા વગર જીવન્મુક્તિ કે સુખ-આનંદસ્વરૂપ પ્રાપ્ત થયું નહિ, માટે હવે તા તમે સર્વ તૃખ્વાએના ત્યાગ કરી સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરો. ॥ इति श्रीमदष्टावक्रगीतायां तृष्णात्यागनिरूपणनाम पंचमोऽध्यायः समाप्त ॥
Page #81
--------------------------------------------------------------------------
________________
अध्याय ६ हो.
માયાનાં ખેલન. भावाभावविकारश्च, स्वभावादिति निश्चयी। निर्विकारो गतक्लेशः मुखेनैवोपशाम्यति ॥१॥
અર્થ. ભાવ અને અભાવને વિકાર સ્વભાવથીજ થાય છે એ નિશ્ચય કરનાર પુરુષ નિર્વિકાર અને ક્લેશરહિત થઈ સુખે કરીને ઉપરામ પામે છે.
ટીકા. અષ્ટાવક્રજી કહે છે કે–હે જનક! ચિત્તશાંતિ આત્મજ્ઞાનથી થાય છે, બીજા કશાથી થતી નથી. ભાવાભાવ એટલે સુક્ષ્મસ્થૂલ સંબંધી જેટલા વિકારે છે તે સ્વભાવથી જ થાય છે, અને તેનું કારણ માયાનું આવરણ છે. માયા જડ છે; તે પછી ચેતનના આશ્રય વગર તે વિકારેને કેવી રીતે ઉત્પન્ન કરે ? કુંભાર વગર ઘડે કંઈ મૃતિકામાંથી એની મેળેજ ઉત્પન્ન થતા નથી. આ શંકાના સમાધાનમાં કહે છે કે–અહિં માયાને લેહરૂપે અને ચુંબકપહાણને આત્મારૂપે લો. ચુંબક પિતે પ્રેરણા કરતું નથી, તે નિર્વિકારજ રહે છે, તેમ છતાં, લેહ જે જડ છે તેમાં વિકાર ઉત્પન્ન થઈ તે નાચવા માંડે છે. આ પ્રમાણે આત્મા ચેતન હોઈ નિર્વિકાર છે અને માયા જડ હેઈ ચેતનથી વિકારી બની જગતમાં નાના ખેલ ખેલે છે. આત્મા નિત્યને ચેતનસ્વરૂપ છે અને તેની સત્તાથી જડ એવી માયા વિકાર પામી શરીરાદિક જડને ઉત્પન્ન કરે છે. આત્માના ચેતનની સત્તા તેને કાર્ય કરાવે છે. આવો નિશ્ચય થતાંજ પુરુષ વગર પરિશ્રમે ઉપરામ પામી શાંત થાય છે.
ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चयी। સંતતિસર શાંતઃ મોપ ન કરે છે ૨ |
Page #82
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
અર્થ. ઈશ્વરજ સર્વના નિર્માતા છે બીજું કાઈ નથી, એવા નિશ્ચયવાળા પુરુષ પાતાની સર્વે અંતર આશાએ ગાળી નાંખી શાંત થાય છે ને જગતમાં કહિ પણ આસક્ત થતા નથી. પરમાત્મા ને જીવાત્મા.
७८
ટીકા. આગળ ઘણીવાર કહેવાયું કે આત્મા એક છે, નિર્વિકાર છે અને અપરિચિત છે, તેમ છતાં અહિં ઈશ્વરને સર્વ નિર્માતા કહેવામાં ક્રમ આવે છે? એવી શંકાના સમાધાનમાં કહે છે કે, ઈશ્વર સચ્ચિદાનંદ બ્રહ્મ તેા એકજ છે, નિર્વિકારી છે, પરંતુ તેની સત્તાએ કરીને-માયાને લીધે પરમાત્મા અને જીવાત્મા એવા ભેદ પડે છે. પરમાત્મા સર્વે શક્તિમાન હોવાથી તેની સત્તાએ માયા જગત ઉત્પન્ન કરે છે. અને પરમાત્માના અંશસ્વરૂપ ચેતનથી ફારીરાદિક અલ્પ સત્તાવાન હોવાથી પોતપાતાનાં કામ કરે છે, તેથી કરીને સહુજ બુદ્ધિવાળા લાકા જગત તથા જગતમાંની સર્વ વસ્તુઓના કત્તા તેને માને છે. જો કે તે પાતે તા અકર્તાજ છે અને અકર્તાજ રહે છે. આગળ લાહુ અને ચુંબકનું દૃષ્ટાંત આપ્યું તેમ પરમાત્મા અને જીવાત્માની સત્તાએ વડે કરીને કાર્ય થાય છે, તેમ છતાં તેમની અદ્રિતીયતાને બાધ આવતા નથી. બ્રહ્મ છે તે તા-સર્વનામ પામામપંચાધ્યામા ધનવં પ્રક્ષેત્વ એટલે કે સર્વ નામરૂપાત્મક પ્રપંચના અધિષ્ઠાનરૂપ તે બ્રહ્મ; અને વિદ્યા સાર્વતિઃ યુદ્ધઃ અવિદ્યાના કાર્યરહિત જે હ્મ તે શુષહ્મ છે. અવિદ્યાના અંશવાળાં જે અંતઃકરણ તે અનેક છે ને તે અનેક ચેતનથી પ્રતિબિંબિત છે. આ બ્રહ્માંશરૂપ જે ચેતન તેના ત્રણ પ્રકાર છે. ૧ વિષયચેતન, ૨ પ્રમાણચેતન અને ૩ પ્રમાતૃચેતન. આકાશ ટમાદિ ઉપાધિમાં નાના પ્રકારનું જણાય છે, તેમ ચેતન પણ વિવિધ અંતઃકરણામાં વિવિધરૂપે દૃશ્યમાન થાય છે; પણ પરમાત્માને તેની સાથે કંઈ સંબંધ નથી; એમ જાણી હું જનક ! આત્મસ્વરૂપને ઓળખ.
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ . आपदः संपदः काले दैवा देवेति निश्चयी। तृप्तः स्वस्थेंद्रियो नित्यं न वांछति न शोचति ॥३॥
અર્થ. સમય સમય પર દેવગથી આપત્તિ અને સંપત આવી મળે છે, એવા નિશ્ચયવાળે પુરુષ સંતોષી અને નિત્ય સ્વસ્થંકિય રહેતે ઈચ્છાએ કરતો નથી ને શેકે કરતો નથી. સુખદુઃખ કર્માધીન છે.
ટીકા. દૈવયોગથી આપત્તિઓ અને સંપત્તિઓ મળી આવે છે અને તેમાં નિશ્ચયવાળા પુરુષ હંમેશ સંતુષ્ટ અને શાંત રહે છે. તે કશું ઈચ્છતો નથી તેમ શેક કરતો નથી. ઈશ્વર સુખદુઃખ અને સ્ત્રીપુત્રાદિક આપતા નથી, પરંતુ અનાદિ કાળથી ચાલ્યાં આવતાં પ્રાણીઓનાં કર્મ તમને સુખદુઃખાદિ આપે છે. જે ઈશ્વર તે આપતા હોય તો પક્ષપાતી, અદયાળુ અને ન્યાયી કહેવાય નહિ. શ્રીમદ્દભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્તુત્વ, કર્મ અને કર્મનાં ફળ, ઈશ્વર કરતા નથી, પણ રવભાવથીજ પ્રવૃત્ત થાય છે.
सुखदुःखे जन्ममृत्यु दैवादेवेति निश्चयी। साध्यादर्शी निरायास कुवमपि न लिप्यते ॥४॥
અર્થ. સુખ અને દુઃખ, જન્મ અને મરણ દૈવયોગથી થાય છે એવા નિશ્ચયવાળે પુરુષ સાધ્ય કર્મને જેતે શ્રમરહિત કર્મને કરતે રહે છે તે પણ તેથી લપાતો નથી.
चतया जायते दुःखं नान्यथेहेति निश्चयी । तयाहीन सुखी शांतः सर्वतगलितस्पृहः ॥ ५॥
અર્થ. આ સંસારમાં ચિંતાથી દુઃખ ઉત્પન્ન થાય છે, બીજી કોઈ રીતે દુઃખ થતું નથી એવા નિશ્ચયવાળો પુરુષ સર્વદા ચિંતારહિત થઈ સુખી તથા શાંત રહે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
ટીકા. ચિંતા કરવાથીજ દુ:ખ ઉત્પન્ન થાય છે એવા નિશ્ચયથી જે માણસ ચિંતાના ત્યાગ કરે છે તેને દુ:ખ થતું નથી એટલુંજ નહિ, પરંતુ તે ચિંતાના ત્યાગથી સદાસર્વદા સુખી રહે છે. ચિંતા રાખવી નહિ એમ કહેવાય છે, પરંતુ જ્ઞાનના એ ધર્મ છે કે— ચિંતા કરાવે, ત્યારે શું જ્ઞાન ન લેવું? ના, એમ નહિ. અજ્ઞાની જનને ચિંતા ઉત્પન્નજ થતી નથી એટલે તે સુખી અને સંતાષી રહે છે. અજ્ઞાનથી ચિંતા રહિતપણું હાય તે ચેાગ્ય નથી. એ તા જડ અવસ્થા કહેવાય. એ અવસ્થા ઇચ્છવા ચોગ્ય નથી. સઁસારની અધી ખાખતા સમજવી તેના ગુણાગુણના સાર જાણવા અને પછી તેને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવા, એવી ચિંતારહિતતા છે તે જ સુખ અને સંતાષનું મૂળ છે. જેને સાનાની કિમ્મત નથી તે અને બાળક સેાના માટે ચિંતારહિત રહે, એમાં કંઇ વિશેષતા નથી, પર ંતુ જેને સેાનાની કિમ્મત છે તે જ્યારે સમજથી સાના માટે ચિંતા ન કરે ત્યારેજ તે જ્ઞાની કહેવાય. ભાગવિલાસનું ભાન કે રસ ને આસ્વાદ રહિત– અજ્ઞાની તેને ત્યાગ કરે તે કંઇ મહત્વનું નથી, પરંતુ જેને તેનું ભાન અને આસ્વાદ સમજાયેલા છે અથવા જાણે છે, તે જ્યારે તેના ત્યાગ કરે ત્યારે તે જ્ઞાની કહેવાય. સુખદુ:ખની સ્પૃહા ન રાખતાં જે પુસ્ત આવી મળેલી વસ્તુમાં સંતુષ્ટ રહે છે, તે તેમ છતાં ત્યાગી કહેવાય છે.
८०
नाहं देहो न मे देहो, बोधोहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६ ॥
અર્થ. હું દેહ નથી, દેહ મારો નથી, હું તે આધરૂપ છું, એવા નિશ્ચયવાળા પુરુષ કૈવલ્યને પ્રાપ્ત કરી કૃત કે અકૃત કાને સંભારતાજ નથી.
ટીકા. હું આ દેહરૂપ નથી અને આ દે છે તે મારા પણ નથી. હું તેા કૈવલ્યને પ્રાપ્ત થયેલા મેધસ્વરૂપ છું, એવા નિશ્ચય જેને
Page #85
--------------------------------------------------------------------------
________________
થયેલ છે તે પુરુષ પિતાનાં કરેલાં તેમજ નહિ કરેલાં–નહિ કરવાનાં કર્મને સંભારતો નથી. આવા સતિષી પુરુષને જીવન્મુક્ત જાણુ. જીવન્મુક્ત અવસ્થાને જડવત્ ગણું છે તેમ છતાં તે જડવત્ નથી. આગળ આપણે કહી ગયા તેમ શરીરની સંભાળ ન લેવી તે કંઈ જીવન્મુક્તતા કહેવાય નહિ. શાસ્ત્રકારોએ શરીરની અવગણના કરી ધર્મ સાધવાનું કહ્યું નથી. શરીરમાં સંજુ વષન એમ સ્પષ્ટ કહેલું છે. પુરુષે શરીરને મેહ રાખવો નહિ, પરંતુ જીવન્મુક્ત હોય તેણે પણ પ્રારબ્ધ કર્મ પુરાં થાય ત્યાં સુધી તેને અવશ્ય જાળવવું.
आब्रह्मस्तंबपर्यंतमहमेवेति निश्चयी। निर्विकल्पः शुचिः शांतः प्राप्तामाप्तनिवृतः ॥७॥
અર્થ. બ્રહ્મથી માંડીને તૃણપત બધે હું, એક આત્માજ છું, એવા નિશ્ચયવાળો પુરુષ સં૫રહિત, શુદ્ધ અને શાંત રહી લાભાલાભ વગરને હાઈ સુખી થાય છે.
ટીકા. આખા જગતને પિતા સમાન માનનાર પુરુષ લાભાલાભની ચિંતા કરતા નથી. સંસારની ભાવનાઓ તેને અસ્વસ્થ રાખતી નથી અને તેનું મન સર્વદા શાંત રહે છે. આ પુરુષ મુક્તિ મેળવી શકે છે.
नानाश्चर्यमिदं विश्वं न किंचिदिति निश्चयी। निर्वासनः स्फूर्तिमात्रो न किंचिदिति शाम्यति ॥ ८॥
અર્થ. નાના પ્રકારનાં આશ્ચર્યથી ભરેલું આ વિશ્વ કંઈ લેખામાં નથી એ નિર્વાસન પણ સ્મૃતિ માત્ર જીવન ગાળનારે પુરુષ આ બધું કંઈજ કામનું નથી, એમ જાણી શાંત પડી જાય છે.
ટીકા. વિવિધ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલું આ વિશ્વ છે તેમ છતાં તે કુછમાત્ર નથી, એમ માનીને જે પુરુષ તેનાથી અળગો
Page #86
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
રહે છે, તે અજ્ઞાન રહિત પુરુષ જ્ઞાનવડે આ દુસ્તર એવા ભવસાગરને તરી જઈ મોક્ષ પામે છે.
कायकृत्यासरः पूर्व ततोवाग्विस्तरासहः ।
ગય પારફતરમાવવામાસ્થિતઃ II સર્વ કર્મને ત્યાગ.
અર્થ. પ્રથમ કાયને લગતાં, પછી વાણીને લગતાં અને છેલ્લે મનને લગતાં કાર્યો કર્યા અને હવે હું સર્વ કર્મો કરી રહી સ્વસ્થ થયો છું.
ટીકા. કાયા–શરીરને લગતાં કર્મ તે વ્રતયાગ યજ્ઞ વગેરે; વાણુનાં કર્મ તે સ્તુતિ નિંદા વગેરે; અને ચિત્તનાં કર્મ તે જપતપાદિક. આ સર્વ કર્મોથી હવે હું પરવારી બેઠો છું.
प्रीत्यभावेन शद्धादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्र हृदय एवमेवाहमास्थितः ॥ १० ॥
અર્થ. શબ્દાદિમાં પ્રીતિના અભાવથી, આત્મામાં અદર્શનના અને એકાગ્રતામાં હૃદયવિક્ષેપથી કંટાળી હવે હું મારા પિતામાંજ સ્થિતિ કરી રહ્યો છું.
ટોકા. કાયિક, વાચિક અને માનસિક ત્રણે જાતનાં કર્મો પ્રયતામાં વિક્ષેપરૂપ જણાયાથી હું તે સર્વ કર્મોને ત્યાગ કરી હવે કેવળ આત્મસ્વરૂપ થઈ બેઠા છું. કાયિક કર્મો કરવાથી શરીરને અસુખ થઈ બ્રહ્મજ્ઞાન સધાતું નથી, વાણીનાં રતુતિ ર્નિદારૂપ કર્મો કરવાથી પણ ઉગ થઈ ચિત્ત હર્ષ ભાદિક વિકારે કરી કાર્ય સધાતું નથી, અને માનસિક કર્મ કરતાં પણ ધ્યાન વિક્ષેપ થાય છે એટલે હવે તે મેં સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે ને બ્રહ્મમાંજ ચિત્ત જેવું છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ છે. समाध्यासादिविक्षिप्तो व्यवहारसमाधये । एवं विलोक्य नियममेवमेवाहमास्थितः ॥ ११ ॥
અર્થ. અધ્યાસ આદિમાં વિક્ષેપ છે સમાધિમાં પણ વ્યવહાર છે, અર્થાત્ નિયમ છે. તે જોઈને હવે તે મેં તે બધાને ત્યાગ કરી બ્રોકયતામાંજ ચિત્તને પરાવ્યું છે. તેમાંજ સ્થિત થયે છું. બ્રહ્નાવસ્થા.
ટીકા. જનક પિતાની અવસ્થા દર્શાવતાં કહે છે કે મેં યજ્ઞયાગ, ધ્યાન ધારણ અને સમાધિયોગ વગેરે સર્વ કર્મ કરવાં છોડી દીધાં છે ને માત્ર બ્રહ્મમાં ચિત્ત લગાડયું છે.
हेयोपादेय विरहादेवं हर्षविषादयोः ।। अभावादध हे ब्रह्मन्नेवमेवाहमास्थितः ॥ १२ ॥
અર્થ. હે બ્રહ્મન ! ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુના વિયેગથી તેમજ હર્ષ અને વિષાદના અભાવથી હવે તે હું જેમને તેમ મારામાં જ સ્થિત થયે છું.
ટીકા. આત્મજ્ઞાન થવાથી હવે હું (જનક) સર્વે ઉપાધિઓથી વિમુક્ત થઈ ગ છું. બ્રહ્મ સિવાય કશામાં મને રાગદ્વેષ રહ્યો નથી, ને હું મારામાં જ વિરામ પામ્યો .
आश्रमानाश्रमं ध्यानं चित्तस्वीकृतवर्जनं । विकल्पं मम वीक्ष्य तैरेवमेवाहमास्थितः ॥ १३ ॥
અર્થ. આશ્રમ અનાશ્રમ, ધ્યાન, ચિત્તે સ્વીકારેલી વસ્તુને ત્યાગ અને આ ત્રણથી ઉત્પન્ન થતા વિકલ્પને જોઈ તેથી રહિત એ હું મારા પિતામાંજ સ્થિત થયે છું.
Page #88
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. ટીકા. આમ ધમેને પણ ત્યાગ બતાવવા માટે કહે છે કે, આશ્રમી એટલે યજ્ઞયાગ વત્સવ વગેરે કર્મને સે ત્યાગ કરેલો છે. અનાશ્રમી એટલે સંન્યાસી, એનાં કર્મ તે દંડાદિક ધારણ કરવાં, તેને પણ મેં ત્યાગ કરેલો છે અને ગીનાં કર્મ જે ધ્યાન સમાધિ વગેરે તેને પણ મેં ત્યાગ કરેલ છે. એ બધાને વિકલ્પ જોઈ હવે હું સર્વ કર્મોથી અને વિધિનિષેધોથી રહિત થઈ પોતાના આત્મામાં સ્થિત થયો છું.
कर्मानुष्ठानमज्ञानाधथैवोपरमस्तथा । बुवासम्यगिदं वच्चमेवमेवाहमा स्थितः ॥ १४ ॥
અર્થ. જેમ કમેનું અનુષ્ઠાન અજ્ઞાનથી થાય છે તેમજ કર્મનો ત્યાગ કરે એ પણ અજ્ઞાન છે. આ તત્વ સારી રીતે સમજીને હું મારામાં ચિત્ત સ્થિર કરી–સ્થાપીને બ્રહ્મરૂપ બને છું.
ટીકા. જેને આત્મજ્ઞાન થયું નથી એવા અજ્ઞાનીને માટે કર્મો કરવાનાં છે, કારણ કે, બ્રહ્મજ્ઞાન કરતાં સુખભાગ આપનાર સ્વર્ગની તેને ઈચ્છા વધારે હોય છે અર્થાત તે ફળની ઈચ્છાથી કર્માનુષ્ઠાન કરે છે. આત્મજ્ઞાનીને માટે કર્મ કરવાનાં નથી, કારણ કે–કર્મ છે તે ફળવાળાં છે અને જ્યાં લગી કમથી ઉત્પન્ન થયેલાં ફળ ભગવાઈ રહેતાં નથી ત્યાં સુધી ચોરાસીના ફેરામાંથી છુટાતું નથી, માટે જેને બ્રહ્મજ્ઞાન થયું છે તેણે તો જન્માવલીઓમાંથી છૂટવા માટે ફળની ઈચ્છા રહિત પ્રારબ્ધવશ જે શરીરાદિક કર્મો કરવાં પડે તે કરીને પિતાના આત્મામાં સ્થિત થવું એજ ગ છે. જનકરાય કહે છે કેહે અષ્ટાવક્રછમાં હું આ બધું સમજીને હવે મારા પિતાના આત્મા સાથે ઐકય જેઠી બેઠો છું.
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ ક. अचिन्त्यं चित्यमानोपि चिंतारूपं भजत्यसो । त्यक्त्वा तद्भावनं तस्मादेवमेवाहमास्थितः ॥ १५॥
અર્થ. અચિત્ય એવા બ્રહ્મને ચિંતતે પુરુષ ચિંતા રૂપ બને છે માટે હું તે બ્રહ્મચિંતનની ભાવનાને પણ ત્યાગ કરી માત્ર મારા પિતામાંજ સ્થિત થયેલ છું.
ટીકા. મન અને વાણુથી પણ પરબ્રહ્મ અચિંત્ય છે, અર્થાત બ્રહ્મ ચિંતનનો વિષય પણ નથી એટલે તેના ચિંતનની ભાવના પણ પુરુષને વિક્ષેપરૂપ થાય છે, માટે બ્રહ્મચિંતન સુદ્ધાં તજી દઇને હું તો માત્ર તેમાંજ મારા ચિત્તને એકાકાર કરી શાંતસ્વરૂપ થઈ રહ્યો છું, એમ જનકરાય કહે છે.
एवमेव कृतं येन सकृतार्थो भवेदसौ। एवमेव स्वभावो यः सकृताथों भवेदसौ ॥ १६ ॥
અર્થ. ઉપર જણાવ્યા પ્રમાણે જેણે સર્વ કર્મોને ત્યાગ કર્યો છે તે, અને સ્વભાવથી જેણે એવું તેવું સર્વ ત્યાગ કરેલું છે તે બન્ને કૃતાર્થ થાય છે.
ટીકા. ઉપર જણાવ્યા પ્રમાણે એક પછી એક આશ્રમને અનુ. સરતાં જેણે અનુભવ કરી કરીને કર્મોનો ત્યાગ કરેલ છે તે, અને જેણે સ્વભાવથી જ એ બધું મિથ્યા છે એવું જાણ ત્યાગ કરેલ છે તે. બન્ને કૃતાર્થ થાય છે; અર્થાત જે સર્વે ક્રિયા કર્મનો ત્યાગ કરી સ્વસ્વરૂપને સમજે, તે જ્ઞાની ઉપરામ પામે છે, એટલે જીવન્મુક્ત થાય છે. અપરોક્ષ જ્ઞાનથી “બ્રહ્મ એ હુંજ છું એમ સમજીને જે સર્વ કર્મને ત્યાગ કરે છે તે સાંસારિક બંધનોથી છુટી જીવન્મુક્ત થાય છે અને જ્યારે તેને દેહ છૂટે ત્યારે તે વિદેહમુકિત–મેક્ષ આત્માનંદમાં
થઈ જાય છે. આવા વિદેહમુક્તને ફરીને જન્મ આવતો નથી,
Page #90
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
કારણ કે જીવન્મુક્ત થતાં જ સર્વ કર્મોનો ત્યાગ કરેલ હેવાથી તેને ભોગવવાનું કંઈ નવું ઉત્પન્ન થયેલું હોતું નથી અને આગલા જન્મ જે ભોગવવાનું બાકી રહેલું હોય છે તે જીવન્મુક્તતાની અવસ્થામ નિષ્કર્મ રહીને ભોગવેલું હોય છે, એટલે બીજા જન્મને તે પામતો નથી ને બ્રક્યને પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपाभिज्ञानंनाम
षष्ठोऽध्यायः समाप्त ॥
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ મો.
તત્વવિચારણું. अकिंचनभवं स्वास्थ्य, कौपीनत्वेपि दुर्लभं । त्यागादाने विहायास्मादहमासे यथा मुखम् ॥ १॥
અર્થ. પીન ધારણ કરવાથી પણ અતિ દુર્લભ એવું સ્વાખ્ય અકિંચન થઈ જવામાં રહેલું છે, અને હું તે ત્યાગ અને ગ્રહણને છેડી યથાસુખ હુંપણમાં સ્થિત થયે છું.
ટીકા. નિષ્કિચનતામાં જે સ્વાસ્થ છે તે કૌપીન ધારણ કરવામાં પણ નથી. કૌપીન ધારણ કરવામાં પણ તે કોઈ પાસે માગવું પડે છે, અને અકિંચનતામાં તો એવી ચિંતા પણ રહેતી નથી, એટલે લેવાદેવા તમામ ત્યાગ કરી હું તો પરમ સુખે કરી હુંપણુમાંજ રમી રહ્યો છું, અર્થાત આત્મસ્વરૂપમાંજ તદાકાર થઈ રહ્યો છું.
कुत्रापि खेदः कायस्य जिहा कुत्रापि खिद्यते। મન લુગા, તરવરવા પુરુષાર્થ સ્થિતઃ યુવા ૨/
અર્થ. કહિં શરીરને-(તેને લીધે) ખેદ થાય છે, કહિં વળી મનથી ખેદ થાય છે માટે મેં તે તે સર્વને ત્યાગ કરી પુરુષાર્થમાંજ સુખ માની લીધું છે.
ટીકા. પુરુષને કહિં કહિ શરીરનાં કર્મો કરતાં ખેદ થાય છે, કહિં કહ વાણુનાં કર્મો કરતાં સ્તુતિ નિંદામાંથી ખેદ થાય છે અને કહિં મનને–પિતાની ભાવનાને યોગ્ય વસ્તુ નહિ મળી આવવાથી ખેદ થાય છે. તેથી શરીર, વાણું અને મનનાં સો અને ત્યાગ કરી
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૮
અષ્ટાવક્ર ગીતા. પુરુષાર્થ-બ્રહ્મજ્ઞાનમાં એટલે બ્રહ્મ સાથે ઐક્ય સાંધવામાંજ સુખ માની તેમાંજ મેં તે શાંત નિષ્કર્મવાળી સ્થિતિ ધારણ કરી છે, એમ જનક કહે છે.
कृतं किमपि नैवस्यात् इति संचित्य तत्त्वतः । यदा यत्कातुमायाति, तत्कृत्वाऽऽसे यथा मुखम् ॥ ३॥
અર્થ. આગળ જે કર્મ કર્યા તે મેં મારા શરીરે કર્યો છે– આત્માએ કર્યા નથી, અને હવે પછી જે કરવાં પડે તે પણ શરીરને લઈને કરવાનાં છે માટે કરવાં, એવા તત્વવિચારથી યથાસુખ માની લેઈ હું આત્મામાં સ્થિત રહું છું. દેહાસક્તિને ત્યાગ.
ટીકા. શરીર અને ઈન્દ્રિયોએ કરેલાં કર્મ વારતવમાં આત્માએ કરેલાં નથી, એવો વિચાર કરી જ્ઞાની પુરુષે જીવન્મુકત અવરથામાં જે ખાનપાનાદિક કર્મ શરીરને માટે કરવાં પડે તે કરવાંપણ “હું કરું છું એવા અહંકારરહિત થઈને કરવાં અને આત્માના સુખસ્વરૂપમાં રહેવું.
कर्मनैष्कर्म्यनिबंध भावादेहस्थयोगिनः । संयोगायोग विरहादहमासे यथासुखम् ॥ ४ ॥
અર્થ. દેહમાં રહેલા ચગીને કર્મ અને નિષ્કર્મનાં બંધન રહે છે અને હું તે તેથીએ મુક્ત છું, એટલે કે–સંગ વિયોગની ભિન્નતા સમજાયેલી હોવાથી હું મને રુચતા સુખમાં રહેલે છું.
ટીકા. જેને દેહમાં આસક્તિ રહેલી હોય તેને આ કરવા જેવું અને આ નહિ કરવા જેવું, એવા વિચાર થાય છે, પરંતુ જેને સંયોગવિયોગનું પૃથકત્વ સમજાયેલું છે તેને તો દેહને લગતી ઉપાધિઓ પણ બાધ કરતી નથી, કારણ કે તેનું દેહાભિમાન ગળી ગયેલું હોય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાય છે. अर्थानों न मे स्थित्या गत्वा वा शयनेन वा । तिष्ठन गच्छन् स्वस्तस्मादहमासे यथा सुखम् ॥ ५॥
અર્થ. હું સ્થિતિથી, ગતિથી, શયનથી અર્થ અનર્થ જે નથી તેથી, ઉભે હાઉં, જતો હોઉં કે સુતે હાઉં, પણ યથાસુખ સ્વરૂપે જ રહું છું, અર્થાત્ ગમે તે સ્થિતિમાં હોવા છતાં મને તે તે સ્થિતિ મારી બ્રહ્મપરાયણતામાં બાધક થતી નથી, અને યથાસુખે હું બ્રàજ્યમાં રમતો રહું છું.
स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा । नाशोल्लासौ विहायास्मादहमासे यथासुखम् ॥ ६॥
અર્થ. હું જે મુક્ત છું તેને સુતો હોઉં તે પણ હાનિ નથી અને યત્ન કરતાં સિદ્ધિ મળે તો પણ મને આનંદ-ઉલ્લાસ થતું નથી, એટલે સદા સુખરૂપ સ્થિતિમાં જ હું તે રહું છું. શરીરના ધર્મ બજાવતાં મને સિદ્ધિથી આનંદ કે યત્ન કરતાં નિષ્ફળ થાઉ તેથી કંઈ હાનિ કે ગ્લાનિ થતી નથી, ને સુખમાં રહું છું.
સુરક્ષા માવાસ્કોપ પૂરિશઃ | शुभाशुभे विहायास्मादहमासे यथासुखम् ॥ ७ ॥
અર્થ. લોક જેને સુખ માને છે તે અનિત્ય સુખદુઃખ મનુષ્ય અને પ્રાણીના અનેક જન્મમાં વારંવાર જોવાથી શુભાશુભને છોડી હું મારી સ્થિતિમાં યથાસુખ માણી રહેલ છું.
ટીકા. મનુષ્ય અને બીજો પ્રાણુઓના અનેકાનેક જન્મોમાં જે સુખદુઃખ આવે જાય છે તે બધાં ચિરસ્થાયી નહિ, પરંતુ અનિત્ય છે, એવું જોઈ વિચારીને હું એ શુભ અને અશુભ લાગણીઓવાળી
Page #94
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
સ્થિતિમાંથી મુક્ત રહી બ્રહ્મપરાયણતાની સ્થિતિમાં જ યથાસુ નહિ ભગવાયેલાં કર્મને ભેગ પુરે કરતે એવો સર્વ વિષયો અને કામનાઓથી વિનિર્મુક્ત થઈ રહેલ છું.
प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद्भावभावनः । निद्रितो बोधित इव क्षीणसंसरणो हि सः ॥ ८ ॥
અર્થ. જે પુરુષ પ્રકૃતિથી શૂન્યચિત્ત છે, તે કદાપિ વિષયોનું સેવન કરે તે પણ ઉંઘતે કે જાગતો હોય એવે સંસા રથી રહિતજ છે. જડવ–શૂન્ય ચિત્તતા.
ટીકા. જે પુરુષ સ્વભાવથીજ વિષે પ્રતિ શૂન્ય ચિત્ત–ભાવ વગરનો હોય પણ પ્રમાદથી એટલે પ્રારબ્ધ કર્મોને વશ થ વિષયનું ચિંત્વન કરે, ભોગ ભોગવે-છતાં તેમાં પિતાને કંઈ લાલ હાનિ–હર્ષક નથી એમ સમજે, તેને સંસાર વળગેલો હોય તોપ તે સંસારથી અળગે છે એમ જાણવું. આ સ્થિતિ જડ સમાન છે અહિં એમ કહેવામાં આવે છે કે યોગી પુપ પિતાના મનથી કે કરતા નથી, પરંતુ બીજાની પ્રેરણાથી કરે છે એટલે તેને લાભહા નથી. ભાગવતમાં જડભરતનું દષ્ટાંત છે તે આ વક્તવ્યને બંધ બેસ છે, પરંતુ એ જ્ઞાનન્ય સ્થિતિ પ્રાપ્ત થવી અથવા પ્રાપ્ત કરવી મા દુર્લભ છે. પરમ શાંત યોગીજનને માટે આ શક્ય છે, સંસારીને વાર શક્ય નથી તેમજ ઉપદેશ કરવા યોગ્ય પણ નથી. એક યોગી છે શાંત બેઠેલે છે તેને ડોળીવાળાનો સિપાઈ પકડી જઇને ડેડ ઉંચકાવે અને એક પશુએ, ઇચ્છા વિરુદ્ધ થતા કામ સામે થા ત્યાં આ યોગી ચૂપચાપ ડોળી ઉપાડે, એ સ્થિતિએ પહોંચવું મનુષ્યત્વ ત્યજી પશુત્વમાં જવા બરાબર છે અને તે શકય હો એમ માનવું અસંભવિત છે. હુંપણાને આવે ત્યાગ હોઈ શકે ?
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મો. સંભવિત નથી, એટલે એ ત્યાગ દેખાડવાને મનુષ્ય દંભ કરે છે, જે ઉલટે ઉચ્ચ જીવનને અધમાવસ્થામાં લઈ જાય છે.
क धनानि क मित्राणिक मे विषयदस्यवः । कशास्त्रं क च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥९॥
અર્થ. જ્યારે મારી સ્પૃહાજ ગલિત થઈ ગઈ છે ત્યારે હવે મારે ધને શું? મિત્રે શું? વિષયરૂપી દસ્યુઓ (ચાર) શા, શારે શું અને વિજ્ઞાને શું? અર્થાત્ કંઈજ નહિ.
ટીકા. જનક કહે છે કે–હે મુનિ ! મારે ધન ક્યાં છે? મિત્ર કયાં છે અને શાસ્ત્ર કે વિજ્ઞાન પણ મારે ક્યાં છે? જ્યારે હું સર્વ સ્પૃહા છોડી દઈ બઐકયમાં સ્થિત થયો છું, ત્યારે મારું કંઈજ નથી. હું એક નિરંજન નિરાકાર સ્વરૂપ આનંદધન છું. મને જ્ઞાન, વિજ્ઞાનની પણ અવસ્થતા નથી. જે બ્રહ્મ સ્વરૂપ છે તે જ જ્ઞાન વિજ્ઞાન છે, તો પછી જ્ઞાન વિજ્ઞાન કેને જોઈએ ? બ્રહ્મ સ્વરૂપ જ સર્વ છે કે હું તેમાં એકય પામ્યો છું.
विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे । नैराश्ये बन्धमोक्षे च न चिंता मुक्तये मम ॥१०॥
અર્થ. પરમાત્મા, ઈશ્વર અને સાક્ષિ પુરુષને જાતે છતે મને નિરાશામાં, બંધમાક્ષમાં કે મુક્તિમાં–તે મને કેમ મળશે; એવી કશી ચિંતાજ રહી નથી.
ટીક. સાક્ષી પુરુષ એટલે ઈન્દ્રિયોના વિષયોને જાણનાર, સ પદથી ઓળખાતો જીવ અને 7 પદનો અર્થ પરમાત્મા. આ બેને લક્ષ્યાર્થ જે ચેતન, તેને જેને સાક્ષાત્કાર થયેલ છે એવા પુરુષને જગતની મિથ્યા વસ્તુઓ અને વાસનાઓની નહિ, પરંતુ મોક્ષની પણ ચિંતા રહેતી નથી.-તરણ માહિ એ વેદનું મહાવાક્ય છે, અને
Page #96
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. તે અભેદ બતાવે છે. જેમ કે–સામાજિક અચકા જ અને તરત એટલે—બ્રહ્મ હુંજ છું. આ આત્મા બ્રહ્મ છે અને તે તું જ છે. બીજાં બ્રહ્મસ્વરૂપને બતાવનારાં વાક્ય છે તે અવાન્તરવાય કહેવાય છે. જેમ કે-વાં જલ ત્રણ. સત્ય, જ્ઞાન અનંત બ્રહ્મ છે. જેણે બ્રહ્મય સાંપ્યું છે તેને કોઈ વસ્તુ પિતાથી જુદી જણાતી નથી એટલે મુકિતની પણ તેને ચિંતા થતી નથી.
अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥११॥
અર્થ. જેનું અંતર સંકલ્પ રહિત છે, અને બહારથી (ઉપર ઉપરથી) જે સ્વછંદે ચાલતે જણાય છે, એવા બ્રાંતની તેવી તેવી દશા–વર્તનાવસ્થાઓને તેના જેવી બ્રાંત દશાવાળા જ જાણે છે–સમજે છે, બીજાથી તેનાં સ્વછંદ વર્તન સમજાતાં નથી.
ટીકા. જે બ્રહ્મજ્ઞાની અંતઃકરણથી સર્વ વિકલ્પો રહિત હોય છે તે બ્રાંત-ઉન્મત્તની માફક સ્વચ્છેદે ચાલે એટલે વર્તે છે. એ એનો સ્વેચ્છાચાર-વિહાર અંતઃકરણમાં સ્કૂલે હતો નથી; પરંતુ પ્રાપ્ત પ્રસંગને આભારી હોય છે. અર્થાત ઉપર ઉપરનો–વિકાર રહિત હોય છે, એની ઈચ્છાનો હોતો નથી, પણ શરીરન્દ્રિયની સ્વભાવગત પ્રેરણુને હોય છે, તેથી બાધક ગણાતો નથી. જ્ઞાની–બ્રહ્મજ્ઞાનીને આવા સ્વેચ્છાચાર જે તેના જેવો જ્ઞાની હોય તે જ સમજે છે, પ્રાકૃત માણસો સમજતાં નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां तत्त्वविचारणानाम
सप्तमोऽध्यायः समाप्त ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ છે.
જ્ઞાનપ્રાપ્તિમાં ગુણભેદ. यथातथोपदेशेन कृतार्थः सत्त्वबुद्धिमान् । आजीवमपि जिज्ञासुः परस्तन बिमुह्यति ॥ १ ॥
અર્થ. સત્વ–બુદ્ધિવાળે પુરુષ સાધારણ ઉપદેશથી કૃતાર્થ થાય છે, જ્ઞાન પામે છે, પણ અસદ્દબુદ્ધિવાળે પુરુષ જિજ્ઞાસુ હોવા છતાં આખી જિંદગી પર્યત આત્મજ્ઞાનને ઉપદેશ લેતાં પણ મેહ પામે છે, અર્થાત્ તેને જ્ઞાન થતું નથી.
माक्षो विषयकैरस्यं बन्धो वैषयिको रसः । एवाबदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ २ ॥
અર્થ. હે જનક ! વિષય સાથે વેર એટલે વિષને ત્યાગ, તે જ મેક્ષ, અને વિષયેને રસ એજ બંધ, એમ જાણુને હવે તને જેમ ઠીક લાગે તેમ કર.
वाग्मिप्राज्ञमहोयोग जनं मूकजडालसं । करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षुभिः ॥ ३ ॥
અર્થ. વાચાળ અને વિદ્વાન મહા ઉઘોગી માણસને આ (તત્વજ્ઞાન) મુંગે અને જડને આળસુ બનાવી દે છે, તેથી ધન–ભેગ આદિથી ન ધરાય એવા લેકએ તત્ત્વબેધને ત્યાગ કરેલ છે.
ટીકા. સત્વગુણ માણસને થોડા વિવેચન કે ઉપદેશથી તરત બંધ થાય છે પણ જે તમોગુણું અને વ્યવસાયી પુરુષો છે તેમને જિજ્ઞાસા હોવા છતાં આખો જન્મારે ગુરુનો ઉપદેશ સાંભળે તેપણ
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૪
અષ્ટાવક્ર ગીતા.
કંઈ જ્ઞાન થતું નથી. એમને તેા પત્થર ઉપર પાણી માફક સાંભળ્યું અવરથા જાય છે. વિષયેાના ત્યાગ એજ મેાક્ષ છે, અને વિષયાના ચડસ એજ સંસારનું બંધન છે માટે તમારે વિષયેાથી વિમુખ રહેવું. ઘણા લાક તત્ત્વજ્ઞાનથી અળગા કેમ રહે છે? એવી શંકાના સમાધાનમાં કહે છે કે, તત્ત્વજ્ઞાન બહુ ખેાલાને ચૂપકીદી આણે છે, નાન થતાં જડતા આવે છે અને ઉદ્યાગીને આળસ ઉત્પન્ન થાય છે, તેથી પ્રવૃત્તિશીલ–સસારની પ્રપંચ આજીમાં ખેલનારાઓને તત્ત્વમેધ ચતા નથી, તેથી તે દૂર રહે છે.
न त्वं देहो न ते देहो, भोक्ता कर्ता न वा भवान् । चिद्रपोसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ ४ ॥
અર્થ. તું દેહ નથી, દેહ તારા નથી, તેમજ તું કર્તા ને ભેાક્તા પણ નથી. તું તેા ચિરૂપ, સદા સાક્ષી અને નિરપેક્ષ છે, માટે સુખથી ચાલ–આનંદમાં ડ
આત્મા દીપક રૂપ-દૃષ્ટાંત.
ટીકા. આ પુરુષ જે જીવાત્મા તે અસંગ છે. દેહાર્દિક સાથે તેને કંઇ સંબંધ નથી. સંયેાગ વિયેાગથી આત્મા અલગ રહેલા છે. તેને ર્તા ભાક્તાપણું પણ નથી. કર્તાપણું તે ભેાક્તાપણું અંતઃકરણના ધર્મ હાઇ સાક્ષીરૂપ તા એક આત્મા છે. સાક્ષી એટલે વાદી નહિ, પણ ખીજો. જેમ ઘટ પોતે પેાતાને સાક્ષી નથી પણ ખીજોજ માણસ તેને સાક્ષી હાય છે. આત્મા કેવી રીતે છે, તે સમજાવતાં કહે છે કે-જેમ નૃત્યશાળામાં રહેલા દીપક સભાપાત, પ્રેક્ષા અને નાચનારી સૈાને પ્રકાશ આપે છે, અને પે।તે અલગજ રહે છે, તેમ આ દેહરૂપી નૃત્યશાળામાં આત્મા દીપક છે. તે અહંકારરૂપી સભાપતિ, વિષયેારૂપ પ્રેક્ષકા અને બુદ્ધિરૂપી નાચનારી એ સૈાને પ્રકાશ આપે છે તે તે અલગના અલગ રહ્યા કરે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે. रागद्वेषौ मनोधर्मा. न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ ५॥
અર્થ. રાગદ્વેષ છે તે મનના ધર્મ છે અને મન છે તે તો કદાપિ તારું નથી. તું તે નિર્વિકલ્પ, બેધાત્મા ને વિકારરહિત –આત્મા છે, માટે સુખથી વિચર.
ટીકા. રાગદ્વેષ મનના ધર્મ છે અને મન આત્માથી જુદું જડ છે. યુતિમાં કહ્યું છે કે આત્મા નિધર્મક છે, બંધમેલ પણ તેના ધર્મ નથી. આત્મા તે અખંડજ્યોતિરૂપ અસંગ ને વિકારરહિત છે, એમ જાણી મનના ધર્મોને નિયમથી અનુસરતા રહી આત્મામાં ઐક્ય રાખી સુખથી વર્તવું.
सर्वभूतेषु चात्मानं, सर्वभूतानि चात्मनि । विज्ञाय निरहंकारो, निर्ममस्त्वं सुखी भव ॥ ६ ॥
અર્થ. સર્વભૂતમાં એકજ આત્મા રહેલે છે, અને સર્વભૂત વળી એક આત્મામાં રહેલાં છે, એમ સમજી નિરહંકાર અને નિર્મળ થઈ સુખી થા.
ટકા. આત્મા અસંગ નિર્વિકાર અને નિર્મળ છે તો પછી અષ્ટાવક્ર કાને સુખી થા એમ કહે છે? જનકરાજા તે તત્ત્વબોધને પામેલા જ્ઞાની છે. તેમને સુખદુઃખ શું ? વળી એ ધમે તો મનના છે અને મન જડ છે. ના, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મન અને અંતઃકરણના ધર્મ તેમનો ભાવ ભજવ્યા કરે છે માટે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના ધર્મ આચરતો એવા તું હે જનક ! સુખી એટલે આત્માના આનંદમાં રહે, એવો અહિ ઉપદેશ છે. વારંવાર એકની એક બાબત–“દેહ તારો નથી અને તું દેહ નથી,” એમ કહેવાનું તાત્પર્ય પણ દેહાભિમાનને ધીરે ધીરે છોડાવવામાં જ રહેલું છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. विश्वं स्फूरति यत्रेदं. तरंगा इव सागरे । तस्वमेव न संदेहचिन्मूर्ने विज्वरो भव ॥ ७ ॥
અર્થ. સાગરમાં જેમ તરંગે આવે છે તેમ આત્મામાં આ વિશ્વ કુરે છે. આમાં શંકા રાખ્યા વગર ચિમૂર્તિ જે પુરમાત્મા છે તેમાં રમણ કરતો તું ચિંતા-જ્વરરહિત થા.
श्रद्धत्स्व तात श्रद्धत्स्व नात्र मोहं कुरुष्व भोः। ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ ८॥
અર્થ. હે તાત! શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ અને મેહ પામતો નહિ. ભગવાન આત્મા છે તે તે પ્રકૃતિથી પર જ્ઞાનસ્વરૂપ છે, એવી શ્રદ્ધા રાખ ને મેહમાં ના પડ. આત્મા પ્રકૃતિથી પર છે.
ટકા. અષ્ટાવક્ર કહે છે કે-હે જનક ! આત્માની ચિદ્રૂપતામાં અસંભાવના અને વિપરીત ભાવનારૂપી મહમાં પડતા નહિ; કારણ આત્મા પ્રકૃતિથી પર અને પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. બીજાના આશ્રય વગર જે પોતાના પ્રભાવથી પ્રકાશે છે તે ચિઠ્ઠ છે, અને જે અજ્ઞાનને નાશ કરી પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે તે આત્મજ્ઞાન છે, અને જે પદાર્થને પ્રકાશિત કર–અનુભવ કરાવે, તે જ્ઞાન કહેવાય છે. જે પોતાને જાણે, અને પોતાથી ભિન્ન હોય તેને પણ જાણે, તે ચેતન છે. જે પિતાને તેમજ પિતાથી ભિન્ન પદાર્થને પણ જાણે નહિ તે જડ. આત્મા ચેતન હોઈ તે પોતે પોતાને તેમજ પિતાથી ભિન્ન હોય તે સૌને જાણે છે. આત્માથી ભિન્ન કોઈ પદાર્થ છે જ નહિ, માટે હે જનક! બધો મોહ છોડી દઈ એક આત્મામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેમાં તલ્લીન થવાનો યત્ન કર.
s
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે. गुणैः संवेष्टितो देहस्तिष्कृत्यायाति याति । आत्मा न मन्ता नागन्ता किमेनमनुशोचसि ॥९॥
અ. ગુણોથી વિંટાયેલું શરીર છે. તે આવે છે અને જાય છે. પણ આત્મા છે તે તે આવતી નથી અને જતો નથી, તેને માટે અમસ્તે શા માટે શેચ કરે છે?
देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वयैव वा पुनः । કવિ કર વા હાનિસ્તવમાગવા ૨૦
અર્થ. હે જનક ! આ દેહ કલ્પાંત સુધી ચાલે કે અત્યારે જ નાશ પામે, તેમાં તું જે ચિન્માત્રરૂપ છે તેને–તને શું વૃદ્ધિ કે હાનિ છે? કંઈજ નહિ. त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥११॥
અર્થ. તું રૂપી મહા અપાર સમુદ્રમાં વિશ્વરૂપી તરંગ સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે અને અસ્ત પામે છે, તેમાં તને કંઈ વૃદ્ધિ કે હાનિ થતી નથી.
सात चिन्मात्ररूपोऽसि न ते भित्रमिदं जगत् । अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १२ ॥
અર્થ. હે તાત! તું ચિન્માત્રરૂ૫ છે, આ જગત્ તારાથી ભિન્ન નથી, તેથી કરીને કેની ને કેવી રીતે તે તજવા અથવા લેવા સંબંધી કલ્પના થાય ? ન થાય જ.
एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि । कुतो जन्म कुतः कर्म कुतोऽहंकार एव च ॥१३॥
અર્થ. તું જે એક માત્ર છે–અવ્યય, શાંત, ચિદાકાશ અ. ૭
Page #102
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. અને અમલરૂપ છે, તેમાં (તારામાં) જન્મ, કર્મ, અને અહંકાર ક્યાંથી હોય ? તું જે સર્વસ્વ રૂપ છે તેને વળી જન્મ, કર્મ અને અહંકાર વગેરે પ્રપંચ શે ? અને તે ક્યાંથી હોય? નજ હોય. માટે તું તારા પિતામાંજ એકચિત્ત થા.
यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे । किं पृथग्भासते स्वर्णात्कटकांगदनूपुरम् ॥ १४ ॥
અર્થ. જે તું જુએ છે, તે બધું એક તું રૂપજ દેખાય છે –ભાસે છે. કડાં, બાજુબંધ અને નૂપુર, શું સોનાથી જુદાં છે વારૂ? ના, તે પણ સોનું જ છે. સેનું ને તેના ઘાટનું દષ્ટાંત.
ટીકા. તું, તું ને તુંજ આ સકળ વિશ્વ રૂપ છે, ત્યાં પછી બીજું શું હોય ? તું જ્યાં દૃષ્ટિ કરે ત્યાં તને તારું ને તારંજ દર્શન થાય તેમ છે. કડાં હોય, બાજુબંધ હોય કે નપુર હૈય, તે સે સોનાને તો પિતારૂપજ લાગે, તેમ જેને આત્મજ્ઞાન થયું છે, જે પિતાથી પૃથફ કંઈ હોય એમ જાણતો જ નથી, તને આ પ્રતિભાસતી બધી ચીજે કડાં કુંડળ વગેરે જેમ સમયપુરતા જુદા જુદા આકાર ભાસે પણ અંતે સેનું જ છે, તેમ જ્ઞાનીને બધું જ પિતારૂપ ભાસે છે. હે જનક! તું આવી આમષ્ટ કર. તને થોડું જ્ઞાન થયું છે, પરંતુ અદ્યાપિ તને “તારામાં જ સર્વ વિશ્વ અને સર્વ વિશ્વમાં તું જ છે ” એવો નિશ્ચય થયો નથી. માટે વારંવાર કથન કરવું પડે છે. હ્મજ્ઞાનને માટે સતત ઉપદેશની, શ્રવણની અને મનન તથા નિદિધ્યાસન-વગેરેની અગત્ય છે. વેતકેતુને બાર બાર વર્ષ સુધી અભ્યાસ કરાવવા છતાં પણ જ્ઞાન થયું નહોતું પણ સામું અભિમાન આવ્યું હતું. છાંદોગ્ય ઉપનિષદ્દમાં તે સંબંધી એક એવી કથા છે કે–તે અભ્યાસ પુરો કરી ઘેર આવ્યા ત્યારે, તેને એવો વિચાર થયો કે “હું બહુ ભણ્યો છું, મને મારા
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે. પિતા કરતાં પણ વધારે જ્ઞાન મળ્યું છે, તે પછી પિતાને નમસ્કાર કરવાની મને શી જરૂર છે ?” તેણે પિતાને નમસ્કાર કર્યો નહિ તેથી ઋષિ સમજ્યા કે આનું મમત્વ–અહંકાર. અભ્યાસ કરવા છતાં ગયા નથી. તેમણે તેને પૂછ્યું કે “હે પુત્ર! અબુત પણ ત થઈ જાય એવું જ્ઞાન તને ગુરુએ આપ્યું છે કે નહિ ?
કવેતકેતુએ કહ્યું કે–ના, આપ એ જ્ઞાન આપે.
પુત્રને નમ્ર થયેલ જોઈ તેમણે-ઘટ, મૃતક અને સુવર્ણના જુદા જુદા ઘાટ એકંદરે એના એ જરૂપ છે, એમ તેને સમજાવી બ્રહ્મજ્ઞાન આપ્યું, એટલે તેનું અભિમાન–દેહાભિમાન અને હુંપણનો અહંકાર જતો રહ્યો અને સર્વત્ર બ્રહ્મક્ય સમજાયું. અષ્ટાવક્ર કહે છે કે– જનક ! તું પણ દેહાદિકના અભિમાનને અને આ દેખાતા પ્રપંચને તારામાં છે, અને સુખ તથા આનંદથી બ્રહ્માનંદમાં નિમગ્ન થા.
अयं सोहमयं नाहं विभागमिति संत्यज ।
सर्वमात्मेति निश्चित्य निःसाल्पः सुखी भव ॥ १५ ॥ ' અર્થ. “આ હું છું, આ હું નથી,” એવો જે વિભાગભેદ છે, તે તજી દઈ “સર્વ આત્મા છે,” એ નિશ્ચય કરીને સંક૫રહિત અને સુખી થા.
तवैवाज्ञानतो विश्वं त्वमेकः परमार्थतः । त्वत्तोऽन्यो नास्ति संसारो नासंसारी च कश्चन ॥१६॥
અર્થ. તારા અજ્ઞાનથી આ વિશ્વ છે–તને અજ્ઞાનને લીધે આ જગત ભાસે છે, પરમાર્થે તે તે છેજ નહિ. તારા સિવાય બીજે કઈ સંસારી છેજ નહિ, અર્થાત્ તુંજ મને તે સંસારી ને અસંસારી બને, તું ને તુંજ હોઉં, એમ લાગે છે.
भ्रांतिमात्रमिदं विश्व न किंचिदिति निश्चयो । નિવસના મિત્રો વિચાર સાદ ત . ૨૭
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અષ્ટાવક્ર ગીતા. સર્વત્ર એક આત્મા જ છે.
અર્થ. આ વિશ્વ બધુ બ્રાંતિ માત્ર છે, વિશ્વ પિતાની સત્તાએ વિદ્યમાન જસએ નથી. આ નિશ્ચય કરીને તે બીલકુલ વાસના રહિત થઈ શાંતિને પામ, અર્થાત્ સુખથી સહે.
एक एव भवांभोधावासिदस्ति भविष्यति। न ते बंधोऽस्ति मोक्षो वा कृतकृत्यः सुखं चर ॥ १८ ॥
અર્થ. આ ભવસાગરમાં તુંજ એકલો હાલ છે અને ભવિષ્યમાં પણ તેજ હોઈશ એમાં તને બંધ નથી અને મેસે નથી, માટે તું એકલે પિતાને કૃતકૃત્ય માની સુખપૂર્વક રહે.
मा संकल्पविकल्पाभ्यां चित्तं क्षोभय चिन्मय । उपशाम्य सुखं तिष्ठ स्वात्मन्यानंदविग्रहे ॥ १९ ॥
અર્થ. હે.ચિન્મય ! હે બ્રહ્મસ્વરૂપ-જનક! સંકલ્પ વિકલ્પથી તમે તમારા ચિત્તને ક્ષોભ પમાડે નહિ; પરંતુ મનને શાંત કરી આનંદપૂર્ણ પિતાના સ્વરૂપમાં સુખે કરીને સ્થિત થાઓ. त्यजैव ध्यानं सर्वत्र मा किंचिहृदि धारय । आत्मा त्वं मुक्त एवासि किं विमृश्य करिष्यसि ॥२०॥
અર્થ. સર્વે તરફનું બધું ધ્યાન તજી દે, હૃદયમાં કશું ધાર નહિ, તું આત્મારૂપ છે અને મુક્તજ છે, એટલે હવે વધુ વિચાર કરીને તું શું કરીશ-કરવાનું છે? કંઈ નહિ. સમજવાનું ને કરનાનું જે છે, તે એજ છે કે–આ વિશ્વમાં જે ને તે માત્ર હુને હુંજ એક આત્મા છું, બીજું કંઈજ નથી. ॥ इति श्रीमदष्टावक्रगीतायां तृष्णात्यागनिरूपणंनाम
अष्टमोऽध्यायः समाप्त।।
Page #105
--------------------------------------------------------------------------
________________
अध्याय ९ मो. આત્મકય નિરૂપણ.
आचक्ष्व श्रृणु वा तात नानाशास्त्राण्यनेकशः । तथापि न तव स्वास्थ्यं सर्वविस्मरणाकृते ॥ १ ॥
અર્થ. હું તાત ! ( જનક ) નાના પ્રકારનાં અનેકવાર શાસ્ત્રા શ્રવણ કરી કિંવા કહેા, તથાપિ તે સર્વને વિસરી જવા સિવાય તને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે નહિ.
ટીકા. બ્રહ્મજ્ઞાન થયા પછી શાસ્ત્રાદિનું ચિંતવન પણ નકામું છે, કારણ કે એ પણ મનને ઠરવા દેતું નથી. પંચદશીકારે કહ્યું છે કે, જેમ ધાન્યાર્થી માણુસ ડાંગરમાંથી ચાખા મેળવ્યા પછી પાળ અને ફોતરાં નાંખી દે છે, તેમ જ્ઞાનાર્થીએ પણ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સર્વ શાસ્ત્રાનું વિસ્મરણ કરી દેવું. ચિત્તની શુદ્ધિને માટે જેમ કર્મ કરવાનાં કહ્યાં છે, તેમ પ્રથમ જ્ઞાન મેળવવાને શાસ્ત્ર વાંચવાં, સાંભળવાં અને ઉપદેશ રૂપે બીજાને કહેવાં; પરંતુ જીવન્મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં તા તેની જંજાળ પણ ત્યજી દેવી, એ અત્ર વક્તવ્ય છે. भोगं कर्म समाधिं वा कुरु विज्ञ तथापि ते । चित्तं निरस्त सर्वाशमत्यर्थ रोचयिष्यति ।। २ ॥
અર્થ. હું વિજ્ઞ ! જાણકાર–વિદ્વાન્ ! ભાગ ભાગવ, અને કર્મ કર કે સમાધિ સાધ, પરંતુ જ્યાં સુધી સર્વે આશાએને ત્યાગ કરીશ નહિ ત્યાં સુધીતે તે તારા ચિત્તને રુચ્યાજ કરશે. તાત્પર્ય કે—ચિત્તમાંથી આશાઓને સદંતર લેાપ નહિ કરે ત્યાં સુધી ગમે તેટલા ભાગ, કર્મ અને સમાધિએ કરીશ તાપણુ આત્મજ્ઞાન થશે નહિ.
Page #106
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
आयासात्सकलो दुःखी नैनं जानाति कश्चन । अनेन वोपदेशेन धन्यः प्रामोति निर्वृतिः ॥ ३ ॥
૧૦૨
અર્થે. સંસારની ઉપાધિઓના પરિશ્રમથી સર્વ મનુષ્યા દુઃખી છે. તેમ છતાંએ તેઓ દુઃખ જાણતા નથી! એ લેાકેામાંના કાઈ ધન્ય પુરુષજ ગુરુના ઉપદેશને લીધે નિવૃત્તિ પામે છે.
व्यापारे खिद्यते यस्तु निमिषोन्मेषयोरपि ।
तस्यालस्य धुरीणस्य सुखं नान्यस्य कस्यचित् ॥ ४ ॥
અર્થ. આંખ મીંચવા ઉઘાડવાના કામથી પણ જેને ખેદ થાય છે તે આળસુના આગેવાનના જેવું સુખ ખીજા કાઇનેજ નથી. ધ્યાન પરાયણતા.
ઢીકા. જીવન્મુક્તની સુખી અવસ્થાનું સ્વરૂપ આળસુએના રીણને આપવામાં આવે છે, તે એક રીતે તા યેાગ્ય નથી, પરંતુ ખ્રહ્મપરતામાં તે કેવા વ્યાપાર શુન્ય થઇ જાય છે તે અહિં દર્શાવવામાં આવ્યું છે. સર્વ પ્રપંચના ત્યાગ કરી આંખા મીંચીને પરહ્મનુંજ એક ચિંત્વન કરતા જીવન્મુક્તને ધન્ય છે. સંસારની જંજાળમાંથી આવી રીતે મનને ખેંચી લીધા વગર માક્ષ નથી થતા.
इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तं यदामनः । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ ५ ॥
અર્થ. આ કર્યું ને આ નથી કર્યું, એવા દ્વંદ્રાથી મન જ્યારે માકળું—અળગું થાય છે, ત્યારેજ ધર્મ, અર્થ, કામ અને માક્ષમાં નિરપેક્ષતા આવે છે.
विरक्तो विषयद्वेष्टा रागीविषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान् ॥ ६ ॥
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે.
૧૦૩ અર્થ. વિષયને વેરી તે વિરક્ત અને વિષયમાં લેલુપ તે રાગી કહેવાય છે; પરંતુ ગ્રહણ અને ત્યાગમાં નિરપેક્ષ હોય તે વિરતે નહિ અને રાગવાને નહિ, એમ કહેવાય છે.
ટીકા. જે પુરુષ સ્ત્રી પુત્રાદિકનો ત્યાગ કરી દે છે તે વિરક્ત. અને વિષયની કામનાથી જે તેમાં વળએ રહે છે તે રાગી છે. જે વિષયના ગ્રહણની ઈચ્છા કરતા નથી, તેમ પ્રારબ્ધવશાત મળી આવ્યા તો તેને ત્યાગ પણ કરતો નથી, તે ખરેખર મુમુક્ષુ છે.
हेयोपादेयता तावत्संसारविटपांकुरः । स्पृहा जीवति यावद्वै निर्विचारदशास्पदम् ॥ ७॥
અર્થ. જ્યાં સુધી સેવા આપવા છેડવાની સ્પૃહા છે ત્યાં સુધી પુરુષ સંસાર વૃક્ષના અંકુરને વળગી રહેલેજ છે, એમ જાણવું, કારણ કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં લગી અવિચાર દશામાં જતું રહે છે.
ટકા. જે માણસ પૃહાળુ છે કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ચહા કરતા અને ત્યાગ કરતા રહે છે. સંસારરૂપી વૃક્ષના અંકુરને ઉત્પન્ન કરી તેને વધારનારી સ્પૃહાતૃણું છે. આ સંસારના ભોગ વગેરેની તૃષ્ણ જ્યારે છુટે, ત્યારેજ જીવન્મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મન તૃષ્ણામાં રહેલું છે, ત્યાં સુધી પુરુષ ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તને જ્ઞાન થતું નથી.
प्रवृतौ जायते रागो निवृत्तौ द्वेष एव हि । निद्वो बालवद्धीमान् एवमेव व्यवस्थितः ॥ ८॥
અર્થ. પ્રવૃત્તિમાં રાગ ઉત્પન્ન થાય છે અને નિવૃત્તિમાં તે પ્રતિ શ્રેષ ઉપજે છે, તેથી કરીને બુદ્ધિમાન મુમુક્ષુ તે બાળકની માફક નિર્દદ્ધ જેવો થઈ રહે છે.
ના કરવા છેડાને
દા. કારણ
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૪
અષ્ટાવક્ર ગીતા. ટીકા. વિષય ભોગવવા તે પ્રવૃત્તિ. અને જેમ પ્રવૃત્તિ થતી જાય તેમ તેમ રાગ વધતો જેમ, એજ પ્રમાણે વિષયમાંથી ઉત્પન થતી પીડા જેમ જેમ જણાતી જાય, તેમ તેમ નિવૃત્તિ આવતી જાય છે, અને નિવૃત્તિની સાથે જ વિષયો ઉપર દ્વેષ–બીલકુલ અભાવ ચતા જાય છે. જ્યારે આ પ્રમાણે થાય છે ત્યારે તે પુરુષ એક બાળકની માફક “આ મારુ આ તારું, આ કર્યું આ નથી કર્યું” વગેરે સંસારી પ્રવૃત્તિઓમાંથી છુટો થઈ શાંતતા પામે છે અને ઉપર જણાવી ગયા તેની જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્રએ પ્રથમથીજ વિષયને વિષવત ગણી તજવાનું કહેલું છે અને તેને જ વારંવાર આગળ ધરી સંસારથી છુટવા ઈચ્છતા પુરુષને વિષયોનો સદંતર ત્યાગ કરવાનો બોધ આપ્યા કરે છે. જ્યાં સુધી મન વિષએમાં રમે છે, ત્યાં સુધી કદી પણ પુરુષાર્થ એવો જે મોક્ષ, તે સાધી શકાતો નથી.
हातुमिच्छसि संसारं रागी दुःखजिहासया । वीतरागोहि निर्दुःखस्तस्मिन्नपि न खिद्यति ॥९॥
અર્થ. રાગવાન પુરુષ દુઃખની નિવૃત્તિની ઈચ્છાથી સંસારને તજવા ચાહે છે, રોગરહિત પુરુષ નિશ્ચયથી દુઃખથી મુક્ત થાય છે અને જે સંસાર હોય તે તેમાં પણ તેને દુઃખ થતું નથી.
ટીકા. દુઃખથી છુટવાને માટે રાગી માણસો સંસારને તજવા ઇચછે છે, પરંતુ જેઓ ખરેખરા વીતરાગી છે, તેઓ તે સંસારમાં રહેલા અને પ્રારબ્ધવશ ભાગ ભોગવતા હોવા છતાં પણ સંસારથી કંટાળતા કે દુઃખી થતા નથી.
यस्यामिमानो मोक्षेपि देहेपि ममता तथा। न च योगी न वा ज्ञानी केवलं दुःखभागसौ ॥१०॥
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અધ્યાય ૯ મે. અર્થ. જેને મોક્ષને માટે અભિમાન અને દેહને માટે મમતા છે, તે પુરુષ ન ચગી કહેવાય કે નજ્ઞાની કહેવાય, તે તે કેવળ દુઃખભાગી જ ગણાય.
हरो यधुपदेष्टा ते हरिः कमलजोऽपि वा। तथापि न तव स्वास्थ्यं सर्व विस्मरणहते ॥ ११ ॥
અર્થ. હર-શંકર, હરિ–વિષ્ણુ કે કમળજ-બ્રહ્મા તારા ઉપદેશ હશે તેપણ સંસારના પ્રપંચનું સાવ વિસ્મરણ કર્યા વગર કદી પણ તને સ્વાથ્ય પ્રાપ્ત થશે નહિ.
ટીકા. અષ્ટાવક્ર મુનિ જનકને કહે છે કે-હું તે શું ? પરંતુ બ્રહ્મા, વિષ્ણુ કે શિવ પણ તને ઉપદેશ આપશે, તોપણ જ્યાં સુધી તું વિષયોને વિપત ગણું તને ત્યાગ કરીશ નહિ, અરે તેનું સ્મરણ સુદ્ધાં વિસારીશ નહિ, ત્યાં સુધી કદી પણ તેને સ્વાસ્થ (નિરાંત ) , નચિંતતા પ્રાપ્ત થશે નહિ.
॥ इति श्रीमदष्टावक्रगीतायामात्मैक्यत्वनिरूपणनाम
નવવધ્યાયઃ સમાતઃ |
Page #110
--------------------------------------------------------------------------
________________
अध्याय १० मो.
આત્મસંયમ.
तेन ज्ञानफलं प्राप्त योगाभ्यासफलं तथा ।
तृप्तः स्वेच्छेन्द्रियो नित्यं एकाकी रमते तु यः ॥ १ ॥
અર્થ. જે પુરુષ નિત્ય તૃપ્ત છે, શુદ્ધ ઇન્દ્રિયવાન છે અને એકલાજ એકાંતમાં રહે છે, તેનેજ જ્ઞાન અને ચેાગાભ્યાસનું ફળ પ્રાપ્ત થાય છે.
મારીક કણ ન્યાય.
ટીકા. મુમુક્ષુ-જીવન્મુક્ત અને સંન્યાસીએ ઘણા માણસાના સહવાસમાં રહેવું જોઈએ નહિ. એકલા એકાંતે રહેવાથી આત્મચિંતન થાય છે, અને બીજો ત્રીજો મળે તેા વાતમાં અને ઘણા મળે તે કંકાસમાં કાળ નકામા જાય છે. જ્યાં ત્રણ જણ હેાય તે ગામ અને તેથી વધારે જન હોય તે નગર કહેવાય છે. સંન્યાસી વગેરે મુમુક્ષુઓએ તે ગામ કે નગરને ત્યાગજ કરવા. પર્વતની ગુફામાં, કાઈ શિવાલયમાં અથવા નદી કિનારે નાની ઝુંપડી બાંધી તેમાં એકલા રહેવું, એ બ્રહ્મજ્ઞાનને માટે સારું છે. સંસારમાં રહેતાં સંસારના છાંટા ઉડયા વગર રહેતા નથી. દત્તાત્રયની એવી કથા છે કે, એકવાર તે એક ગામમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં એક ખાઇએ કહ્યું કે રહે। મહારાજ ! આટલી ડાંગર ખાંડી ચોખા તમને આપું. મહારાજ મેડા અને પેલી બાઇ સાંબેલું લઇ ખાંડવા એડી. ખાંડતાં ખાંડતાં તેનાં કંકણુ ખડખડવા લાગ્યાં. ખણખણાટથી ખાંડવાનું નહિ ફાવતું હાવાથી તેણે એક પછી એક કંકણુ ઉતારી નાંખવા માંડયાં અને જ્યારે હાથમાં એકજ કંકણુ રહ્યું ત્યારે તેને વગર ગામડે-ખણખણાટે ખાંડવામાં ચિત્ત લાગ્યું.
.
>
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
૧૦૭ આ જોઈ દત્તાત્રય ભગવાને નક્કી કર્યું કે, એકલા–એકાંતમાં જ કામ સારી રીતે થાય છે, માટે વગર ગડબડવાળા અને માનવી સહવાસ વગરના સ્થાનમાં રહેતાંજ જ્ઞાનના વિચારો કરવાનું અને જ્ઞાન સંબંધી
સમાજના નિદિધ્યાસન ઠીક પડે છે. “બેએ બગડે” એમ લક કહે છે તે યોગી સંન્યાસીને માટે બહુ યોગ્ય છે. આ કુમારી-કંકણ ન્યાય કહેવાય છે.
न कदाचिज्जगत्यस्मिस्तत्त्वज्ञो हंत खिद्यति । यत एकेन तेनेदं पूर्ण ब्रह्मांडमंडलम् ॥ २॥
અર્થ. જે પુરુષ તત્ત્વને જાણે છે તે પુરુષ આ જગતમાં કદી ખેદ પામતે નથી, કારણ કે તેનાથી એકલાથીજ આ બ્રહ્માંડ મંડળ પૂર્ણ ભરાયેલું છે. અર્થાત્ તત્વજ્ઞ તે જગતને જેતેજ નથી. પિતામાં સઘળું જગત જેનારને તેનાથી ખેદ પામવાનું સંભવિત છેજ નહિ.
न जानु विषयाः केपि स्वारामं हर्षयंत्यमी । शल्लकीपल्लवप्रीतमिवेभनिम्बपल्लवाः ॥ ३ ॥
અર્થ. જેમ શáકીનાં પાન ખાવામાં પ્રીતવાળો હાથી લીમડાનાં પાનમાં હર્ષ પામતે નથી, તેમ પિતામાંજ–પરમાનંદમાંજ નિમગ્ન રહેનારને–હર્ષ પામનારને–પરમાનંદમાં આનંદી રહેનારને જગતમાંના વિષયમાં કદી પણ હર્ષ થતું નથી.
यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकांक्षी तादृशो भव दुर्लभः ॥ ४ ॥
અર્થ. તે ભગવેલા ભેગમાં ફરીને વાસના કરતું નથી. અને જે પુરુષ નહિ ભેગવેલા ભેગો માટે કાંક્ષા–ઈચ્છા ધરા
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અષ્ટાવક્ર ગીતા. વતું નથી એવો પુરુષ દુર્લભ છે માટે હે જનક! તુ એ નિરાકાંક્ષી થા.
बुभुक्षुरिव संसारे मुमुक्षुरपि दृश्यते । ' મોનિલ વિજે દિ મહારાઃ | ૫. ભાગાદિકને સમૂળ ત્યાગ.
અર્થ. બુમુક્ષુ–ભેગની ઈચ્છાવાળા અને મેક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં જણાય છે, પરંતુ ભેગ અને મોક્ષ બન્નેને માટે નિરાકાંક્ષી તે કોઈ મહાત્મા–મહાશય વિરલ જ મળી આવે છે. धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदाचित्तस्य हेयोपादेयता न हि ॥६॥
અર્થ. એ ઉદાર ચિત્તવાળ કેણુ છે કે જેને મરણ, જીવિત, ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં ગ્રહણ અને ત્યાગ (હેપાદેયતા) નથી? સર્વે છે. જગતમાંના સર્વે શરીર ધર્મોને જે તરી જાય છે, એટલે કે વિષને વિષ જેવા જાણી તજી દે છે, તે મુક્તિ મેળવવા સમર્થ થાય છે.
वांछा न विश्वविलये न द्वेषस्तस्य च स्थिता। यथा जीविकया तस्मात् धन्य आस्ते यथासुखम् ॥७॥
અર્થ. આ વિશ્વ નાશ થઈ જાય એવી જેને ઈચ્છા નથી તેમજ તેની સ્થિતિ સામે દ્વેષ નથી, તે જ ધન્ય પુરુષ છે, કે જે યથાપ્રાણ આજીવિકા દ્વારા સુખપૂર્વક રહે છે.
ટીકા. હે જનક! વિશ્વને વિલય થવાની ઈચ્છા કે વિશ્વઆ જગત ચાલે છે તેમ ચાલતું રહે તેની સામે જેને રાગ દ્વેષ નથી
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
૧૦૦ અને જે પિતાને આવી મળે છે તેટલામાં સુખે કરીને જીવન ગુજારે કરે છે, તે જ પુરુષને ધન્ય છે અથવા તે જ કૃતકૃત્ય અને પૂજનીય છે,
એમ જણ.
कृताथोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती। पश्यन् श्रृण्वन् स्पृशन् जिघनश्यनास्ते यथामुखम् ॥८॥
અર્થ. જ્ઞાનથી પિતાને કૃતાર્થ માનનાર અને જેની બુદ્ધિ-તૃષ્ણ ગળી ગયેલી છે એવો પુરુષ, જેતે, સાંભળતે, સ્પર્શ કરતે, સુંઘતે અને ભજન કરતે યથાસુખે રહે છે.
ટીકા. “આત્મજ્ઞાનથી હું કૃતાર્થ છું” એવી બુદ્ધિ પણ જેની ગલિત થઈ ગઈ છે એવો પુરુષ સંસારમાં ખાતા પીતો અને સર્વ વ્યવહાર કરતો રહે તે સમાહિત ચિત્તવાળો પુરુષ બ્રહ્મરૂપજ જાણવો.
शून्या दृष्टिव॑था चेष्टा विकलानींद्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥९॥
અર્થ. જેને સંસારસાગર ક્ષીણ થઈ ગયો છે, જેની દૃષ્ટિ શૂન્ય, ચેષ્ટા વૃથા ને ઈન્દ્રિયો વિકળ થઈ ગઈ છે તેને આ જગતમાં કશી સ્પૃહા કે વિરક્તિ રહેતી જ નથી.
न जागतिं न निद्राति नोन्मीलति न मीलति ।। अहो परदशा कापि वर्तते मुक्तचेतसः ॥ १० ॥
અર્થ. તે જાગતું નથી, નિદ્રા કરતે નથી, ને આંખ મીંચતો કે ઉઘાડતું નથી, એવી પરદશા ઉત્તમસ્થિતિમાં મુક્ત પુરુષ રહે છે. અહીં જીવન્મુક્ત પુરુષની ઉત્કૃષ્ટ દશા કેવી વિરક્ત છે!
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦
અષ્ટાવક્ર ગીતા. सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः। समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११ ॥
અર્થ. જીવન્મુક્ત જ્ઞાની સર્વ જગતને શાંત, વિમળ અંત:કરણવાળું અને સમસ્ત વાસનાઓ રહિત જેતે સર્વત્ર મુક્તતાથી વિરાજીત થઈ રહે છે.
पश्यन् श्रृण्वन् स्पृशन जिघनश्नन् गृह्णन वदन व्रजन् । ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥ १२ ॥
અર્થ. જેતે, સુણત, અડતે, સુંઘતે, ખાતે, પકડતે, બેલતે, ચાલતો અને રાગદ્વેષથી મુક્ત એ જેને નિશ્ચય થયેલ છે તે મહાશય મુક્ત જાણો. બધી ક્રિયાઓ કરતે હોવા છતાં પણ જેને જગતની કઈ ચીજમાં રાગદ્વેષ નથી તે જ મુક્ત છે.
न निन्दति न च स्तौति न हृष्यति न कुप्पति । न ददाति न गृहणाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३ ॥
અર્થ. તે નથી કોઈની નિંદા કરતે, નથી સ્તુતિ કરતે, નથી હરખાતે, નથી કેપ કરતો, નથી આપત, નથી લેતે અને જે વળી સર્વત્ર નીરસ રહે છે, તે નરને મુક્ત જાણુ. દંભીને નરકવાસ.
ટીકા. જીવન્મુક્ત દશાને પામેલો પુરુષ નથી કોઈની નિંદા કરતો, નથી કોઈની સ્તુતિ કરતે, નથી હરખાતા, નથી કાપતો પણ જગતના સઘળા સારામાઠા બનાવથી ઉદાસીન રહી શાંત જીવન ગુજારતો, બ્રહ્મજ્ઞાનમાં જ તલ્લીન રહે છે. અંતઃકરણમાં આશાઓ અને ભોગાભિલાષ ભરેલા હોય તે નરકે જાય છે. આવા ખોટા વૈરાગ્યવાળાના દષ્ટાંતમાં કહે છે કે–એક રાજાની પાસે કોઈ એક સાધુ રહેતા
Page #115
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
૧૧૧
હતો. તે રાજાને વૈરાગ્યનો ઉપદેશ કરતો અને રાજા સાથે રહેતાં આનંદ માણતો હતો. ઘણે વખત આવાં સુખ ભોગવી રાજા ને સાધુ બેઉ જણ એકે દહાડે મરણ પામ્યા. આ વાત સાંભળી નગરના એક શિવાલયમાં રહેતો જીવન્મુકત ખડખડાટ હસી પડશે. તેને હસતો જોઈ લેકે પૂછયું કે મહારાજ ! આપ કેમ હસે છો ? ત્યારે તેણે જવાબ દીધો કે રાજા સ્વર્ગે ગયે ને સાધુ નરકમાં પડે; કારણ કે તે દંભી સાધુ હતો.
सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्यु वा समुपस्थितं । अविवलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥१४॥
અર્થ. અનુરાગવતી સ્ત્રીને જોઈ કે સામે આવીને ઉભેલા મૃત્યુને જેઈ વ્યાકુળ ન થતાં જે સ્વસ્થ રહે છે–તે જ મહાશય મુક્ત છે, એમ જાણવું.
सुखे दुःखे नरे नायी संपत्सु च विपत्सु च । विशेपो नव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५ ॥
અર્થ. સુખમાં, દુઃખમાં, નરમાં, નારીમાં, સંપતમાં કે વિપત્તિમાં, સર્વત્ર જે સમદશી રહે છે તે ધીર જ્ઞાનીને કંઈ વિશેષ લાગતું નથી, બધું સરખું જ લાગે છે.
न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता। નાય નૈ રોમઃ હિંસાને કરે છે ૬ .
અર્થ. ક્ષીણ થયેલ છે સંસાર જેને એવા નરમાં હિંસા નથી હોતી, નથી કારૂણ્ય હોતું, નથી એદ્ધત્ય કે નથી હોતી દીનતા, તેમજ તેને કંઈ આશ્ચર્ય લાગતું નથી, તેમ કહિં ભે થતો નથી. મુક્તજનની દૃષ્ટિ બધે એક સરખી જ રહે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અષ્ટાવક્ર ગીતા. न मुक्तो विषय द्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्तामाप्तमुपानुते ॥ १७ ॥
અર્થ. જીવન્મુક્ત પુરુષ નથી વિષયોને વેષ કરતે કે નથી વિષયમાં લોભી થતું, તે તે સદા આસક્તિ રહિત મનવાળો થઈ પ્રાપ્ત અપ્રાપ્ત–જે કંઈ મળ્યું ન મળ્યું, તેથી ચલાવી લે છે.
समाधानासमाधानहिताहितविकल्पनाः। शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥
અર્થ. શૂન્યચિત્ત જ્ઞાની સમાધાન કે અસમાધાન, હિત કે અહિતની કલ્પનાજ કરતું નથી, પરંતુ માત્ર કૈવલ્યમાં સ્થિત થઈ રહે છે.
निर्ममो निरहंकारो न किंचिदिति निश्चितः । अंतर्गलितसर्वांशः कुर्वनपि न लिप्यते ॥ १९ ॥
અર્થ. અત્યંતરમાં ગળી ગયેલી છે સર્વ આશાઓ જેની એ પુરુષ મમતા રહિત, અહંકાર રહિત “આ સંસાર કુછ માત્ર નથી” એવા નિશ્ચયવાળો હાઈ કંઈ કરે છે, તે પણ લેપતે નથી.
मनः प्रकाशसंमोहस्वमजाडयविवर्जितः । સરા વારિ લંકા ત્રિતમાનસ | ૨૦ |
અર્થ. ગલિત થયેલું છે મન જેનું એ જ્ઞાની મનના પ્રકાશથી ચિત્તની બ્રાંતિથી સ્વમ કે જડતા રહિત થઈ અનિર્વચનીય એવી–અલોકિક દશાને પ્રાપ્ત થાય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
18
અધ્યાય ૧૦ મો.
૧૧૩ મનમાલિન્ય.
ટીકા. જીવન્મુક્ત જ્ઞાનીની અવસ્થાનું વર્ણન આ પ્રસંગમાં એવું સરસ કરેલું છે કે-જે દરેક બા જિજ્ઞાસુને મનન કરવા યોગ્ય લાગે. જગતના પ્રપંચથી સાવ દૂર રહેવું સહેલું નથી, અને જે અંતઃકરણથી ત્યાગ ન થયેલ હોય અને આગ્રહથી ત્યાગ લેવામાં–કરવામાં અને પ્રપંચને છેડવાનું સાહસ આદરવામાં આવે તે ઉલટું કનિષ્ઠ પરિણામ આવે છે, માટે જેને બહ્મજિજ્ઞાસા હેય તેણે સદ્દગુરુની પાસે ઉપદેશ લઈ, ઉપદેશનું મનન કરી, ધીરે ધીરે પિતાના સંસારી મનને પ્રપંચની નિસારતા સમજાવી દઢ વૈરાગ્ય ઉપર ભાવના કરવી; અને જ્યારે અંત:કરણથીજ વિષયો ઉપર સાવ અભાવ ઉત્પન્ન થાય ત્યારે વેરાય લે. નહિ તે દંભ કરવો પડે. પિતાને થયેલા અનુભવ અને જ્ઞાનથી જેને વૈરાગ્ય આવ્યો હોય તે કદાપિ દંભી બનતો નથી. વિષયની લાલસા તેને જીતી જતી નથી પણ તે વાસનાઓને જીતે છે. આવો જ્ઞાની વૈરાગ્ય આવે ત્યારેજ જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે, અને તે કદાપિ ચળતો નથી.
વળી બહારના કે હઠીલા ત્યાગની પણ, જે મન ચેખું થયેલું હેય તે બીલકુલે જરૂર પડતી નથી. જગતના પ્રપંચ પૂર્ણ પ્રવાહમાં વહેતો જ્ઞાની પુરુષ પણ તેમાં જળકમળની માફક પૂર્ણ વૈરાગ્યવાન રહી આનંદથી સ્વય સાધે છે. મુક્તિને માટે સૌથી વધારે યોગ્ય તે આશ્રમ અવસ્થાઓને અનુસરવાને માર્ગ છે. આશ્રમે કુદી જઈ અગ્ય વયે અને કાચા અનુભવે ક્રોધના ઉછાળામાં આવી જઈને લીધેલો વિરક્તિનો માર્ગે આગળ જતાં વિપરીત માગે લઈ જાય છે, અને તે આગ્રહથી વૈરાગ્યને વળગી રહેલે પુરુષ પરિણામે નરકાધિકારી થાય છે. ॥शत श्रीमदशवक्रगीतायामात्मसंयमोनाम
મોડધ્યાયઃ સમાન છે સ૮
Page #118
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મો.
વાસના પરિત્યાગ. यस्य बोधोदये तावत्स्वमवद्भवति भ्रमः। ત વૈરાય નમઃ શાનાય તેમ ? |
અર્થ. જેને બંધ થતાંવાંત સ્વમની પેઠ બ્રાંતિને નાશ થઈ જાય છે એવા સુખેકરૂપ, શાંત અને તેજ સ્વરૂપ પરબ્રહ્મને નમસ્કાર હે. ૧ . अर्जयित्वाऽखिलानर्थान् भोगानामोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ १॥
અર્થ. અનંત–સંપૂર્ણ અર્થ–ધન કમાવા અને પુષ્કળ બેગ ભેગવવા છતાં પણ, જ્યાં સુધી સર્વ વસ્તુની ભાવનાવાસનાએને પરિત્યાગ થાય નહિ ત્યાં સુધી સુખી થવાતું નથી. ૨
ટીકા. સતિષમાં સુખ રહેલું છે. અસંતોષી સુખી કહેવાય નહિ, જો કે તેને પુષ્કળ ધન વગેરે મળ્યાં હોય તો પણ—કહ્યું છે કેपृथिवी धनपूर्णा चेदिमा सागरमेखला । प्राप्नोतिपुनरप्येष રામિનિ સિધ્યા ! સાગર મેખલાવાળી ને ધનથી સંપૂર્ણ પૃથિવી પ્રાપ્ત થાય તે પણ ધનને વળી સ્વર્ગની ઇચ્છા થાય છે. ધનીનું જે સુખ આપણને જણાય છે તે અનિય છે, એટલું જ નહિ, પરંતુ ધનહીન મનુષ્ય કરતાં પણ તે વધારે અજંપામાં રહે છે, માટે ધનવૈભવ ત્યાગ એજ નિરંતર સુખસાધન છે,
कर्तव्यदुःखमार्तडज्वालादग्पान्तरात्मनः । कुतः प्रशमपीयूषधारासारमृते मुखम् ॥ २ ॥
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
૧૫ અર્થ. કર્મજન્ય દુઃખરૂપી સૂર્યની વાળાથી જેના અંતરાત્મા દગ્ધ થયેલે છે એવા પુરુષને, શાંતિરૂપી અમૃતની ધારાએવાળી વૃષ્ટિ વગર સુખ ક્યાં છે? અર્થાત્ કર્તવ્ય કરવાના દુઃખમાં બળી રહેલા માણસને માટે પ્રશમરૂપી અમૃતની વૃષ્ટિ સિવાય બીજે કહિં સુખ નથી.
भवायं भावनामात्रो न किंचित्परमार्थतः। नास्त्यभावः खभावानां भावाभावविभाविनाम् ॥३॥
અર્થ. આ ભવ–સંસારભાવના–સંક૯૫ માત્ર છે, પરમાર્થ દૃષ્ટિએ જોતાં કંઈ નથી; કેમકે, ભાવ ને અભાવરૂપ પદાર્થોમાં રહેલા સ્વભાવને કદી પણ અભાવ થતો નથી.
ટીકા. આ જગત સંક૯૫જન્ય છે. પરમાર્થ દૃષ્ટિએ એમાંનું કંઈ સત્ય નથી. સત્ય તો એક પરમાત્માજ છે. ભાવ અને અભાવમાં રહેલા સ્વભાવનો અભાવ છે નહિ. મનોરથ અને સ્વમ ભાવ કે અભાવ નહિ હોવા છતાં પણ તે ભાવ થાય છે. અર્થાત ભાવ અને અભાવ બેઉ સ્વભાવમાં રહેલા છે, પરંતુ તે સંકજન્ય અને મિથ્યા છે. જગત પણ એવું જ અસત્ય છે, એટલે તેને જ્ઞાનથી અભાવ ઉત્પન્ન કરવા જોઈએ. જ્યાં સુધી જગતના પ્રપચમાં ભાવ છે ત્યાં સુધી મુક્તિ વગળીજ છે, માટે પ્રપંચનો ત્યાગ કરવો જોઈએ.
न दूरं न च संकोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरंजनम् ॥ ४॥
અર્થ. નિરંજન, નિર્વિકાર, નિરાયાસ અને નિર્વિકલ્પ એવું આત્માનું પદસ્વરૂપ સંકે ચલબ્ધ કે દૂર નથી, પરંતુ એજ્ઞાનથી તે પ્રાપ્ત થતું નથી માટે જ્ઞાનથી તેની પ્રાપ્તિ કરવી
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૬.
અષ્ટાવક્ર ગીતા. માયાની ભુલભુલામણી.
ટીકા. આત્મા જે નિરંજન અને નિર્વિકાર છે, તે કોઈને દૂર નથી. સૌને પ્રાપ્ત થાય તે સૌમાં રહેલું છે. પરંતુ અજ્ઞાનને લીધે ભુલાઈ જવાય છે, અને ગુરુના બતાવ્યા વગર તે જેવા કે સમજાતો નથી. આના સ્પષ્ટીકરણ માટે કહે છે કે એક માણસે પોતાના ખભા ઉપર બાળક બેસાડેલું હતું પણ શ્રમથી તે તેને આમ તેમ શોધવા લાગ્યો. જ્યારે બીજા માણસે તેને ટકારીને “ બાળક તારા ખભા ઉપરજ છે” એવું કહ્યું ત્યારે તેને ભાન આવ્યું અને બાળકને શોધતા બંધ પડી આનંદ પામ્યો. આ રીતે સંસારી માણસો અનાદિ માયાના ભ્રમમાં પોતાને વિષે રહેલા આત્માને શ્રમથી ભૂલી જઈ આમતેમ ભમે છે, પણ આત્મા તેને પ્રાપ્ત થતો નથી. જ્યારે સદગુરુ તેને પ્રબોધે છે, ને વૈરાગ્ય આવી અજ્ઞાનને અંતરપટ દૂર થાય છે, ત્યારે તેને બ્રહ્મનું ભાન થાય છે અને જગતને પ્રપંચ સમજી પરમાનંદમાં મગ્ન થઈ રહે છે.
व्यामोहमात्र विरता खरूपादानमात्रतः ।
वीतशोका विराजते निरावरणदृष्टयः ॥५॥ * અર્થ. વ્યાએહ માત્ર ઉતરી જતાં અને પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં આવરણ રહિત દૃષ્ટિવાળો પુરુષ શેરહિત થઈશેભે છે.
ટીકા. અષ્ટાવક્ર કહે છે કે–મનુષ્ય માત્રનું અંતઃકરણ અજ્ઞાન -માયાકૃત બાહથી આવરિત છે, એટલે તેને સમજાતું નથી કે બબ ક્યાં છે. જ્યારે શાસ્ત્ર અને ગુરુ તેને તેના પિતામાં જ બ્રહ્મ છે, એવું સમજાવે છે, ત્યારે તેને માયાહ-ભ્રમ દૂર થાય છે. દષ્ટાંત આપતાં કહે છે કે–દસ પુરુષ એક નદી ઉતરી “પિત દસ
* કિઅમાવત ને તે
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
૧૨૭ છીએ કે કોઈ તણાઈ ગયું?' તેની ગણતરી કરવા લાગ્યા. પહેલા ગણનારે પોતાને નહિ ગણતાં બીજાઓને ગણ્યા, એટલે નવ થયા. તેણે કહ્યું કે એક જણ જરૂર તણાઈ ગયો લાગે છે. એક પછી એક બધાએ ગણતરી કરી પણ દરેકે પોતાને ગમ્યું નહિ, એટલે બધાની ગણતરીમાં નવ, નવ, ને નવજ થયા. “એક જણ નદીમાં તણાઈ ગયો એવી આથી તેમને બેટી ખાતરી થઈ તેથી સૌ કિનારાપર બેસી રહેવા લાગ્યા. તેઓ રડતા હતા એટલામાં એક બુદ્ધિશાળી માણસ ત્યાં આવી ચઢ, ને તેણે પૂછ્યું કે “તમે બધા કેમ રડીને કલ્પાંત કરો છો ? ત્યારે રડતાં રડતાં તેમણે કહ્યું કે-“અમે દસ જણ હતા તેમાંથી એક જણ નદીમાં તણાઈ ગયો તેથી શેક કરીએ છીએ.” પેલા વિદ્વાને તેમને ગણ્યા તે દસ થયા, તેથી કહ્યું કે “તમે દસે દસ છે. કેઈ તણાઈ ગયો નથી માટે શેક કરવો છોડી દો.” પિલામાંના એકે ઉઠીને ફરી ગણતરી કરીને પિતાને ન ગો એટલે પેલા ડાહ્યા માણસે “જે આ નવ અને દસમે તું. મૂખ! શા માટે રડે છે. હવે તેમને સમજાયું કે “આપણે દસે દસ છીએ ને ખાલી નથી શોક કરતા હતા. આ પ્રમાણે ગુરુ અને તે વળી જ્ઞાની અર્થાત શાસ્ત્ર ભણેલ હેય, તેજ અજ્ઞાનના અંતઃકરણ ઉપરનું વ્યામોહાવરણ ખસેડી આપે છે. “ગુરુ વગર જ્ઞાન નહિ” તે આથી સત્ય કરે છે. અખાભગતે, કબીરે અને બીજા પ્રાકૃત કવિઓએ પણ દેશી કવિતામાં આવી સમજ આપેલી છે.
समस्तं कल्पना मात्रमात्मा मुक्तः सनातनः । • ' ન વિણાય ધ હિ વિનચતિ જાવા દે છે
અર્થ. સમસ્ત જગત કલ્પનામાત્ર છે અને આત્મા છે તે તે સનાતન મુક્ત બ્રહ્મ છે. આવું જાણયા સમજ્યા પછી પીર પુરુષ શું બાળકની માફક તેને અભ્યાસ કરે છે? ના. તે તે ચી બ્રામય જગત જુએ છેજ..
Page #122
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા. आत्मा ब्रह्मति निश्चिल्य भावाभावौ च कल्पिना। निष्कामः किं विजानाति किं बूते च करोति किम् ॥७॥
અર્થ. આત્મા–જીવાત્મા બ્રહ્મજ છે અને ભાવ તથા અભાવ કલ્પિતમાત્ર છે એ નિશ્ચય થયા પછી નિષ્કામ-કામના રહિત થયેલો પુરુષ શું જાણે છે? શું કહે છે? અને શું કરે છે? અર્થાત્ કંઈજ કરતું નથી. જ્ઞાનાગ્નિથી જેનાં કર્મ ભસ્મીભૂત થયાં છે, તેને પછી જાણવાનું, કહેવાનું કે કરવાનું કંઈજ રહેતું નથી. ચેની કેવા હેય.
अयं सोहमयं नाहमित क्षीणा विकल्पनाः । सवमात्मेति निश्चित्य तूष्णीभूतस्य योगीनः ॥ ८॥
અર્થ. આ તે હું, આ હું નહિ, એવા નિશ્ચયથી જેની કલ્પનાઓ ક્ષીણ થઈ ગઈ છે, અને સર્વ આત્મામય છે એવું જેને સમજાયું છે, તે મેગી મૈનજ ધારણ કરી રહે છે.
न विक्षेपो न चैकाम्यं नास्तिबोधो न मूढता । ર દુર ર ર રા સુર્વ-વપરાય યોનિનાદ છે ?
અર્થ. ઉપશાંત થયેલા ગીને વિક્ષેપે નથી અને એકાગ્રતા પણ નથી, અતિ બેધે નથી, તેમ મૂઢતા પણ નથી, વળી તેને સુખે નથી તેમ દુઃખે નથી. તેને પ્રપંચની ઉપાધિઓ નડતી જ નથી.
स्वराज्ये भैक्ष्यवृत्ती च लाभालामे जने वने । निर्विकल्प स्वभावस्य न विशेषोस्त योगनः ॥ १०॥
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
૧૧:
અર્થ. સ્વરાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે ગેરલાભમાં, વસ્તીમાં કે વનમાં, વિકલ્પરહિત સ્વભાવવાળા યાગીને કંઈ વિશેષતા નથી. ચાગીને સુવર્ણ ને લાહ એક સરખાંજ છે. क धर्मः कच वा कामः क चार्थः क विवेकता | इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तस्य योगिनः ॥ ११ ॥
અર્થ. આ કામ કર્યું, આ નથી કર્યું, એ પ્રકારની કામાની ઘડામેાડીમાંથી મુક્ત થયેલા યાગીને ધર્મ ક્યાં, કામ ક્યાં, અર્થ -ધન ક્યાં અને વિવેકતા પણ ક્યાં ? અર્થાત્ એને આવા વિધિનિષેધ પણ લાગતા નથી, કારણ કે તેણે સર્વસ્વને ત્યાગ કરેલા હાય છે.
कृत्यं किमपि न एव न कापि हृदि रंजना । यथा जीवितमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १२ ॥
અર્થ. જીવન્મુક્ત ચેાગીને કર્તવ્ય કર્મ જેવું કંઈ રહેતું નથી—–છેજ નહિ; વળી તેના હૃદયમાં કોઇ પ્રકારના અનુરાગ– રજના પણ હાતી નથી એટલે તેને તે, જેવું જીવન હેાય તેવું
ચાલે છે.
ટીકા. જીવન્મુક્ત પુરુષની કાઇ ક્રિયા તેના સંકલ્પથી થતી નથી અને તેને કરવાનું કાઇ કર્મ બાકી રહેલું હતું પણ નથી, કેમકે, તેને ક્રાઇ પણ કામ કરવાની રંજના-અનુરાગ રહેલા હાતા નથી: અનુરાગ–પ્રીતિ–ભાવના વગર કાઇ કાર્ય થતું નથી અને ખરેખરા ચેાગીએ તા ભાવના માત્રના ત્યાગ કરેલા હોય છે, એટલે આ સંસારમાંનું સર્વે તેને મિથ્યાજ થઇ પડેલું—અસત્ય છે. રાગદ્વેષના હતુ જે વિા તે તે તેના અંતઃકરણમાંથી નાશ પામેલી હાય છે અને તે પેાતામાં જગતને અને જગતને પાતામાં જોનાર થઇ રહેલા હોય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક ગીતા. मोहः कच वा विकतध्यानं क मुक्तता। * સર્વસામણીમામાં વિજય દિગિન ૨૨
અર્થ. સર્વ સંકલ્પ સમાપર વિશ્રાન્ત થયેલા એટલે જેના સંકલ્પમાત્ર શમી ગયેલા છે એવા યોગીને મેહ, વિશ્વ, તેનું ધ્યાન, અને મુક્તતા પણ ક્યાં રહી ? અર્થાત્ બ્રહ્મસ્વરૂપતા પામેલા તેને બીજું કંઈ કરવાનું છે જ નહિ. એને કઈ વાતની પરવા રહેલી નજ હેવી જોઈએ. - येन विश्वमिदं दृष्ट स नास्तीति करोतु वै।। निर्वासनः क कुरुते पश्यमपि न पश्यति ॥१४॥
અર્થ. જેણે આ વિશ્વ જોયું છે કે, વિશ્વ નથી, એમકેમ કહે–અર્થાત્ વિશ્વને જાણે છે છતાં પતે એ વાસના રહિત થયેલો છે કે વિશ્વને જેતે છતાં પણ તે ન હોય એ થઈ રહે છે. જે પુરુષે જગત જોયેલું છે તેનાથી એમ કેમ કહેવાય કે જગત નથી કેમકે તેને તે હોવાની વાસના છે, પરંતુ જે નિર્વાસન થયેલો ચગી છે તે તે જગતને દેખાતે હોવા છતાં પણ નથી જ દેખતે કારણ કે તે જગતના પ્રપંચથી મુક્ત થયેલ છે. નિષ્કર્મના પંચક. . येन दृष्टं परं ब्रह्म सोहं ब्रह्मेति चितयेत् । યાતિત ાિયો તિરં ન પતિ છે !
અર્થ. જેણે પરબ્રહ્મ જોયું છે તે હું બ્રહ્મ છું એવું ચિંતન કરે છે, પરંતુ પિતાથી બીજું છેજ નહિ એ જેને નિશ્ચય
Page #125
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
૧૨૧
થયેલા છે તે કાને ચિંતે ? અર્થાત્ તેને ચિંતનનું પણ પ્રયાજન રહેતું નથી.
दृष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते त्वसौ । उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥ १६ ॥
અર્થ. જેને આત્મવિક્ષેપ જોવાયા હોય તે નિરાધ કરે છે, પરંતુ જે ઉદાર પુરુષ વિક્ષેપરહિત હાય તેને સાધ્યના અભાવે શું કરવું ? અર્થાત્ જેને કશું સાધ્ય કરવાનું રહ્યુંજ નથી તે શામાટે મનના વિરોધ કરે? જ્ઞાનીને માટે ચેગ રીતિનું પણ પ્રત્યેાજન નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां वासनात्यागोनाम एकादशोऽध्यायः समाप्त ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ ન.
મુક્તની નિરપેક્ષતા. धीरो लोकविपर्यस्तो वर्तमानोपि लोकवत् । न समापि न विक्षेपं न लेपं स्वस्य पश्यति ॥१॥
અર્થ. જ્ઞાની પુરુષ લેથી વિપર્ય–ઉલટ હોવા છતાં તેઓમાં રહેતું હોય ને લેકની રીતે ચાલતું હોય તે પણ તેને એગસમાધિની કે વિક્ષેપની ઉપાધિ નડતી નથી, કારણ કે તે પિતાને લિસ માનતા કે જેતે નથી.
ટીકા. કોઈ એક પુરૂ લોથી છુટો અમો થઇ ગયેલ હોય તોપણ પ્રારબ્ધવશાત તેને લેકમાં રહી કાચારની રીતે ચાલવું પડતું હેય છતાં તેવા જ્ઞાની પુરુષને સંપૂર્ણ બ્રહ્મક્ય નિશ્ચય હોય અને પિતાને લેકની કે પ્રપંચની અસર થયેલી ન હોય તો તેને સમાધિ વગેરે સાધનાઓની આવશ્યકતા રહેતી નથી.
भावाभाव विहीनो यस्तृप्तो निर्वासनो बुधः । नैव कचित्कृतं तेन लोकदृष्टा विकुर्वता ॥२॥
અર્થ. લેકેની દૃષ્ટિએ કદિ કરતે જણાવા છતાં પણ જે જ્ઞાની પુરુષ ભાવાભાવ વિહીન છે, જે તૃપ્ત છે ને જે નિવસન-વાસનારહિત છે તેણે કંઈ કર્મ કરેલું કહેવાતું જ નથી.
ટીકા. જે આત્માનંદમાં મગ્ન છે, લેક સ્તુતિ કરે કે નિંદા કરે, તેની જેને દરકાર નથી તે લોકોની નજરે કર્તા હોવા છતાં પણ અકર્તાજ છે. જેને આત્મજ્ઞાન થાય છે તેને પછી આ જગતમાં કંઈ કરવાનું રહેતું જ નથી.
Page #127
--------------------------------------------------------------------------
________________
" અર્થ
છે કેમ કે
ક
ઇ
છે
અધ્યાય ૧૨ મે. महत्तौ वा निवृत्ती वा नैव धीरस्य दुहः । बदा यस्कर्तुमायाति तत्कुत्ला तिष्ठतः मुखम् ।। ३ ।।
અર્થ. પ્રવૃત્તિ અથવા નિવૃત્તિમાં ધીર પુરુષને દુરાગ્રહ હેતે નથી, કદાપિ કઈ કર્મ કે કામ કરવાની જરૂર પડી આવે તે તે કામ કરી પાછે તે સુખમાં સ્થિત થઈ રહે છે.
ટીકાધીર અને જ્ઞાની માણસને પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જરાય આગ્રહ-દુરાગ્રહ કે હઠ રહેતી નથી, કારણ કે તે કર્તાપણુના અભિમાનથી રહિત હોય છે. પ્રારબ્ધવશાત તેને પ્રવૃત્તિમાં પડવાનો પ્રસંગ આવી પડે છે, તો ખુશીથી તે પ્રવૃત્તિના કાર્યને કરે છે, અને પાછા નિવૃત્ત ને નિવૃત્ત–શાંત સુખાવસ્થામાં રહે છે.
निर्वासनो निरालंबः स्वच्छंदो मुक्तबंधनः । क्षिप्तः संसार वातेन चेष्टते शुष्कपर्णवत् ॥ ४॥
અર્થ. વાસનારહિત, નિરાલંબ–આલંબનરહિત, સ્વછંદી અને (સંસારનાં) બંધનોથી મુક્ત જ્ઞાની પુરુષ સંસારના વાયુથી સુકા પાંદડાની માફક આમતેમ ગડબડે-ઉડે છે–ચેષ્ટા કરે છે.
असंसारस्य तु कापि न हर्षो न विषादता। स शीतलमना नित्यं विदेह इव राजते ॥ ५ ॥
અર્થ. અસંસારી, હર્ષ અને વિષાદ વગરને તથા શીતલ –શાંત મનને હાઈ વિદેહ–દેહરહિત હોય એ તે લાગે –રાજે છે. कुत्रापि न जिहासास्ति आशा वापि न कुत्रचित् । ' आत्मारामस्य धीरस्य शीतलाच्छतरात्मनः ॥६॥
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અષ્ટાવક્ર ગીતા. અર્થ. શીતળ ને નિર્મળ મનવાળા પીર આત્મારામઆત્મામાં રમણ કરનાર પુરુષ-જ્ઞાનીને કંઈ ત્યજી દેવાની કે કહિ કશું લેવાની ઈચ્છા-આશાજ રહેતી નથી.
प्रकृत्याशून्यचित्तस्य कुर्वतोस्य यहच्छया। प्राकृतस्येव धीरस्य न मानो नावमानता ॥७॥
અર્થ. સ્વભાવથીજ શૂન્યચિત્તને પીર જ્ઞાની પ્રાકૃત માણસની માફક પ્રારબ્ધવશાત કંઈ કરે છે તે પણ તેમાં માન અપમાનને ગણતું નથી. અર્થાત્ કઈ કાર્ય માટે તેને માનાપમાનની પરવા હોતી નથી.
कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपणा। इति चिंतानुरोधी यः कुर्वमपि करोति न ॥८॥
અર્થ. આ કર્મ દેહવડે થયું, “હું જે શુદ્ધ સ્વરૂપ છું” તેનાથી નહિ, એ વિચાર કરનાર કદાપિ કર્મ કરતો હેવા છતાં પણ કરતા નથી, એમ જાણવું. મુક્તને કબાધક નથી.
ટીકા. દેહથી કર્મ થાય તેમ છતાં જે શુદ્ધ સ્વરૂપ છું' તે મારાથી એ કર્મ થયું નથી. એવા નિશ્ચયવાળા પુરુષ કર્મ કરવા છતાં પણ કરેલા કર્મથી લપાતો નથી. આ સ્થિતિ ઉત્તમ પરમ જ્ઞાનીની છે, પરંતુ પ્રાપ્ત માણસોને ઈન્દ્રિયોના અર્થમાં ઘસડી જાય એવી છે; માટે અહિં એ અર્થ લેવો યોગ્ય છે કે-મારાથી એટલે દેહવાન હુંથી કોઈ સારું નરતું કર્મ થવું જ જોઈએ નહિ, દેહથી તેમ મનથી અરે વિચારથી પણ જે કર્મ કરતું નથી, તે જ ઉત્તમ યોગી છે એમ જાણવું. *
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યાય. ૧૨ મે. अतदादीव कुरुते न भवेदपि गालिनः। . जीवन्मुक्तः मुखो श्रीमान् संसरमपि शोभते ॥९॥
અર્થ. એલફેલ બેલનારની માફક કામ કરતે છતાં જ્ઞાની બાળક જે (મૂર્ખ) બનતું નથી, પણ સંસારમાં ફરતે છતાં જીવન્મુક્ત, સુખી અને શ્રીમાન જે શોભે છે.
नानाविचारसुश्रान्तो धीरो विश्रांतिमागतः । न कल्पते न जानातिन श्रृणोति न पश्यति ॥१०॥
અર્થ. વિવિધ વિચારથી રહિત (સુશ્રાંત) ધીર-જ્ઞાની પુરુષ વિશ્રાંતિ મેળવી એ મુક્ત થઈ રહે છે કે, કલ્પના સરખી પણ કરતું નથી, કંઈ જાણતું નથી, કંઈ સાંભળતું નથી અને જાણે આ અસત્ય જગતમાંનું કશું જ ન હોય તે થઈ રહે છે.
असमाधेरविक्षेपाम मुमुक्षुन चेतरः । निश्चित्य कल्पितं पश्यन् ब्रह्मैवास्ते महाशयः ॥११॥
અર્થ. જ્ઞાની મુમુક્ષુ નથી હોતે, કેમકે વિક્ષેપની નિવૃત્તિથી મુમુક્ષુ સમાધિ કરે છે, પણ જ્ઞાનીમાં તે વિક્ષેપને અભાવ છે, તેથી તે સમાધિ કરતો નથી. જેને દ્વિત શ્રમ તદન દૂર ચેલે છે તેને વેગ સમાધિ વગેરે નકામાં છે.
यस्यान्तः स्यादहंकारो न करोति करोति सः। निरहंकारधीरेण न किंचिदकृतं कृतम् ॥ १२ ॥
અર્થ. જેના અંતઃકરણમાં અહંકાર છે તે પુરુષ કર્મ કર કે ન કરે તે પણ કરે છે. પરંતુ જેને અહંકાર નથી તે ધીરે જ્ઞાની પુરુષને તે કર્યું ને કર્યું કંઈ છે જ નહિ.
Page #130
--------------------------------------------------------------------------
________________
ink
અષ્ટાવક્ર ગીતા.
नोद्विन न च संतुष्टमकर्तृस्पंदवर्जितम् । निराशं गतसंदेहं चित्तं मुक्तस्य राजते ॥ १३ ॥
અર્થે. જ્ઞાની, નિરાશ અને જેના સંદેહ ટળી ગયેલા છે એવા જીવન્મુક્તને તેા ઉદ્વેગ નથી થતા અને સંતાષે થતા નથી, એટલે તેનું ચિત્ત તેા સદાય આનંદમાં રહે છે.
निर्ध्यातुं चेष्टितं बापि यच्चितं न प्रवर्तते । निर्निमित्तंमिदं कतु निर्ध्यायति विचेष्टते ॥ १४ ॥
અર્થ. જ્ઞાનીનું ચિત્ત નિષ્ક્રિયભાવવાળું હાઈ કંઈ ચેષ્ટા કરવામાં પ્રવૃત્ત થતુંનથી, પરંતુ સંકલ્પરહિત નિશ્ચલતામાં મગ્ન રહી કશું ધારતુંએ નથી ને કરતુંએ નથી.
तत्त्वं यथार्थमाकर्ण्य मंदः प्राप्नोति मूढताम् । अथवाऽयाति संकोचमूढः कोपि मूढवत् ॥ १५ ॥
અર્થ. તત્ત્વને ખરાખર સાંભળ્યા પછી આછી બુદ્ધિવાળા માણસને મૂઢતા આવે છે. અથવા તા તત્ત્વ સાંભળીને કાઈને સમાધિ પ્રાપ્ત થાય છે, એટલે તે અમૂઢ હાવા છતાં મૂઢ જેવા લાગે છે.
एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते भृशम् । હીરા'Ë ન'ત્પત્તિ પ્રવ્રુત્ત્વપને ચિતા Ŕ૬
અર્થ. મૂઢાને એકાગ્રતા અને નિરોધ માટે ખૂબ અભ્યાસ કરવા પડે છે. જ્યારે જ્ઞાની જે કૃત્યને નેતા નથી તે તે સુતેલા પુરુષની માફ્ક સ્વપદમાં-પોતાના આત્માંમાંજ સ્થિત થઇ રહે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨'
અધ્યાય ૧૨ મે. મૂહને નિવૃત્તિ નથી. '
अप्रयत्नात्मयत्नादा मृढो नामोति निवृत्ति । तत्त्वनिश्चयमात्रेण प्राझो भवति निर्वृत्तः ॥ १७ ॥
અર્થ. અજ્ઞાની પુરુષ ચિત્તના નિધ અને કર્માનુષ્ઠાનથી સુખ પામતું નથી, પરંતુ પ્રાણ-જ્ઞાની પુરુષ તત્વનો નિશ્ચય થતાંવાત નિવૃત્ત થઈ જાય છે. - शुद्धं बुद्धं मियं पूर्ण निष्पपंचं निरामयं ।
आत्मानं तं न जानंति तत्राभ्यासपरा जनाः॥१८॥
અર્થ. શુદ્ધ એટલે માયા રહિત, બુદ્ધ-સ્વયં પ્રકાશ, પ્રિય અને પૂર્ણ, પ્રપંચથી રહિત તેમજ દુઃખ અને સુખથી રહિત જે અજ્ઞાની પુરુષે છે, તે આત્માને ઓળખી શકતા નથી.
नामोति कर्मणा मोक्षं विमूढोभ्यासरूपिणा । धन्यो विज्ञानमात्रेण मुक्त स्तिष्ठत्यविक्रियः ॥ १९ ॥
અર્થ. અભ્યાસ રૂપી કર્મથી વિમૂઢ પુરુષ, મેક્ષ પામતા નથી પરંતુ ક્રિયા રહિત હોવા છતાં પણ ધન્ય પુરુષ-જ્ઞાની વિજ્ઞાન માત્રથી મુક્ત થઈ રહે છે.
मूढो नामोति तद्ब्रह्म यतो भवितुमिच्छति । अनिच्छन्मपि धीरो हि परब्रह्म स्वरूपभाक् ॥२०॥
અર્થ. બ્રહ્મ થવાને ઈચ્છતે મૂઢ બ્રહ્મત્વને પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્ઞાની પુરુષ બ્રહા થવા ઈચ્છતે નહિ હોવા છતાં પણ બ્રહ્મ સ્વરૂપતાને પ્રાપ્ત થાય છે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां मुक्तस्यनिरपेक्षतादर्शकोनाम.
રોડથ્થર સમોસ
Page #132
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય ૧૨ મો. સંસારમૂળના ઉચ્છેદ.
।
निराधारा ग्रहव्यग्रा मूढाः संसारपोषकाः । एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः ॥ १ ॥
અર્થ. નિરાધાર ગ્રહવાળા મૂઢ પુરુષો સંસારના પોષક અને છે તેથીજ અનર્થ મૂલક સંસારના મૂળને જ્ઞાનીઓએ અંકુરમાંથીજ છેદ કરેલા છે. અર્થાત્ સંસારનું મૂળ જે અજ્ઞાન છે તેના નાશ કર્યાં વગર સંસાર છૂટતા નથી. જ્ઞાનજ સંસાર છેડાવવાને માટે જરૂરનું છે.
न शातिं लभते मूढो यतः शमितुमिच्छति । धीरस्तवं विनिश्चित्य सर्वदा शान्तमानसः ॥ २ ॥
અર્થ. મૂઢ પુરુષો જેથી મનને શાંત પાડવાની ઈચ્છા કરે છે, તેથી મન શાંત પડતું નથી; પરંતુ ધીર પુરુષ તત્ત્વના નિશ્ચય કરવાથી સદા શાંત મનવાળા થઇ રહે છે.
ટીકા. ઉપરના બધા વિચારો જ્ઞાન અને મેાક્ષ અને મનની શાંતિનું કારણુ ખતાવે છે. યાગાદિ ક્રિયા, તપ સમાધિ વગેરે મનને શાંત કરી શકતાં નથી, મન શાંત થયા વગર બ્રહ્મ સ્વરૂપની એટલે કે મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. યાગ, તપ, સાધના, સમાધિ, વ્રત, અને ભક્તિ વગેરેથી મુક્તિ મળતી નથી. કારણ કે એ ક્રિયાઓથી મન શાંત કરી શકાતું નથી તે સામું જ્ઞાનથી દૂર ને દૂર રહેવાય છે. તત્ત્વના નિશ્ચય કરવાથી એટલે જ્ઞાનથી મનની શાંતિ અને મુક્તિ બેઉ પ્રાપ્ત કરી શકે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
રઃ
અધ્યાય ૧૦ મે. कात्मनो दर्शनं तस्य यदृष्टमवलंबते । धीरास्तं तं न पश्यन्ति पश्यत्यात्मानमव्ययम् ।। ३ ।।
અર્થ. જે દુષ્ટ (પ્રત્યક્ષ પ્રમાણને માનનારા છે) ને પ્રત્યક્ષને અવલંબન કરીને વસ્તુ માનનારા છે, તેમને આત્માનું દર્શન ક્યાંથી થાય? એ તે, જેઓ તત્વથી આત્માને અવ્યથ માનનારા છે, તેમનાજ જેવામાં આવે છે.
ટકા. જેઓ દષ્ટ પદાર્થને જ સત્ય માને છે તેમને આ અરષ્ટ અને અવ્યય એવો આત્મા દેખાતો-દર્શન દેતો નથી, પરંતુ જેઓ અદષ્ટ પદાર્થને જ્ઞાનેન્દ્રિયથી જેનારા છે, તેમને જ આમાનાં દર્શન થાય છે, અને તેઓ તેમાં લીન થઈ રહે છે.
क निरोधो विमूढस्य यो निर्बध करोति वै । स्वारामस्यैव धीरस्य सर्वदा सावकृत्रिमः ॥ ४॥
અર્થ. જે મૂઢ ન બંધાય એવા મનને પરાણે બાંધવા જાય છે તેને નિધિ ક્યાં? તેનાથી નિરાધ થઈ શકતે નથી, પરંતુ ધીર આત્મારામ પુરુષને તે નિધિ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે.
મારશે માત્ર રાશિ િિરક્રાતિજોવા . उभयाऽभावकः कश्चिदेवमेव निराकुलः ॥ ५ ॥
અર્થ. કેઈ એમ માને છે કે ભાવ રૂપે પ્રપંચ પરમાર્થે સત્ય છે, અને કેઈએમ માને છે કે, અભાવજ સર્વત્ર છે; અર્થાત શૂન્ય છે–ને શૂન્યમાંથી જગતની ઉત્પત્તિ છે. જેઓ જ્ઞાની છે તેઓ ભાવ કે અભાવ બેમાંથી એકેને નહિમાનતાં સ્વસ્થ ચિત્ત થઈ આત્મામાં મગ્ન રહે છે.
અ. ૯
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૦
- અષ્ટાવક્ર ગીતા. કબુદ્ધિ તરત નથી.
शुद्धमद्वयमात्मानं भावयति कुबुद्धयः । न तु जानंति संमोहाद्यावज्जीवमनिर्वताः ॥६॥
અર્થ. કુબુદ્ધિ પુરુષે શુદ્ધ અને અદ્વૈત આત્માની ભાવના કરે છે, પરંતુ સંમેહને લીધે તેને જાણતા નથી તેથી જીવન પર્યંત તેમને જીવ અસંતુષ્ટ રહે છે.
ટીકા. જે કુબુદ્ધિ છે તેઓ આત્માને ઓળખવાની ભાવના કરે છે; પરંતુ તેમની બુદ્ધિ, કર્મ કિંવા ભક્તિને લીધે સ્વચ્છ ચિત્ત થયેલી નહિ હેવાથી તેમને આત્માનું જ્ઞાન થતું નથી. સંસારના દુખદ વાયુના સપાટામાં તેમને “આત્માને કંઇ લાગતું વળગતું નથી અને હું અમસ્તાજ શાક કરું છું.” એવું સમજાય છે, પરંતુ દુ:ખદ વાયુની લહરી આવતાંને વાર તેઓ સમાહથી આત્માની નિર્લેપતા ભૂલી જાય છે. અને સંસારી માયામાં ધસડાય છે. કર્માદનું અનુષ્ઠાન આટલા માટે જ અગત્યનું છે. કર્માનુષ્ઠાનથી કિવા ભક્તિથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય તેને જ આત્માનું જ્ઞાન થાય છે અને સંસારની માયા તને અસર કરતી નથી. વળી જેની બુદ્ધિ સત્સંગાદિથી સંસ્કાર પામી ન હોય તેને પણ ગમે તેટલી આત્મ ભાવના કરે તે પણ સચ્ચિત–આત્માનું યથાર્થ જ્ઞાન થતું નથી. આ જન્મારો એવા કુબુદ્ધિ જન વૈરાગ્ય અને જ્ઞાનને માટે યત્ન કરે તે પણ તેમને બ્રહ્મભાવ ઉત્પન્ન થતો નથી.
मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरेण न विद्यते । निरालम्चैव निष्कामा बुद्धिमुक्तस्य सर्वदा ॥७॥
અર્થ. મુમુક્ષુની બુદ્ધિ આલંબન સિવા ય રહેતી નથી,
Page #135
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મા.
.૧૩૧
પરંતુ મુક્ત પુરુષની બુદ્ધિ તા સર્વદ્યા નિષ્કામ અને નિરાલંખ આશ્રય રહિત થઈનેજ રહે છે.
ટીકા. જેમને આત્માને સાક્ષાત્કાર થયેલા નથી એવા મુમુક્ષુએની બુદ્ધિ સાંસારિક વિષયનું અવલંબન કર્યા કરે છે, પરંતુ જે મુક્ત પુરુષા નિષ્કામ છે તે તેા કાઇ વિષયનું અવલંબન કર્યા વગરજ બુદ્ધિને સર્વદા આત્મામાં સ્થિર રાખી રહે છે. विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः ।
विशन्ति झटिति क्रोडन्निरोधै काम्यसिद्धये ॥ ८ ॥
અર્થ. વિષય રૂપી હાથીને જોઈ શરણુ લેવા ઇચ્છતા પુરુષા નિરોધ અને એકાગ્રતાની સિદ્ધિને માટે ઝટ લઇને પર્વતની ગુઢ્ઢામાં ભરાઈ જાય છે; પરંતુઃ——
निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ९ ॥
અર્થ. વાસના રહિત પુરુષ રૂપી સિંહને જોઈ વિષય રૂપી હાથીઓ અશક્ત ખની મૈાન ધરી નાસી જાય છે. જ્યારે પ્રિયવાદી સંસારી જના વાસના રહિત પુરુષને જોઈ તેની સેવા કરવા લાગે છે.
વી વેગળાજ છે.
न मुक्तिकारिकान्धते निःशंको युक्तमानसः । पश्यनश्रृण्वन् स्पृशनजिघ्रनश्नन्नास्ते यथासुखम् ॥१०॥
અર્થ. શંકા રહિત અને નિશ્ચલ મનવાળા પુરુષા મુક્તિ કારિકાઓ–ચાગની ક્રિયાઓને આગ્રહથી ધારણ કરતા નથી, પરંતુ શ્વેતા, સાંભળતા, સ્પર્શ કરતા, સંધ... ને ખાતા—અ· અંત સંસારના વ્યવસાયેા કરતા પણ યથા સુરત રહે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અષ્ટાવક્ર ગીતા. ટીફ. જેમનું અંતઃકરણ શુદ્ધ હોય અને જેમને આ સંસાર એકસ્વમ જેવો મિથ્યા છે” એવું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય તેમને હઠથી કોઈ વ્યવહાર તજવાની જરૂર પડતી નથી. હઠથી લીધેલો વૈરાગ્ય કે હઠથી આરંભેલું જપતપાદિનું કર્મ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થતું નથી. એ તો વિજ્ઞાન વિચારકેાએ કહ્યું છે તેમ, મનગુરુ થાય—અંત:કરણને સ્વતઃ પ્રતીતિ થાય અથવા જેને આત્મા પિોતે જ પોતાપણું સમજાવે ત્યારે બ્રહ્મજ્ઞાન થાય છે. આ જે પિતેજ પિતાને ઓળખનારે જ્ઞાની છે તે મુક્ત છે, અને એવા મુક્તને પછી હઠથી કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. તેને જપતપાદિ. યોગકારિકાદિ શ્રવણ મનનની કે ગુરુની પણ જરૂર રહેતી નથી. એને સંસારમાં રહેશે અને જેતે, સાંભળો, સ્પર્શ કરતે અને ખાતા પીતો કે ઉંઘતો હોવા છતાં પણ માયાના આવરણથી મુક્ત જ રહે છે, તેને એનાથી થતી ક્રિયાઓ લગારે બાધ કરતી નથી.
वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिनिराकुलः । नवाचारमनाचारमौदास्यं वा प्रपश्यति ॥ ११ ॥
અર્થ. યથાર્થ વસ્તુના શ્રવણ માત્રથી સ્વસ્થ ચિત્તવાળા પુરુષે આચાર કે ઉદાસીનતાને જતા નથી.
यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते अजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालबत् ॥ १२ ॥
અર્થ. જ્યારે કંઈ શુભ કે અશુભ કરવાનું આવી પડે છે ત્યારે જ્ઞાની જને ધીરેથી તે કરે છે, પરંતુ તેમનું એ કાર્ય બાળકના જેવું–નિષ્કામ હોય છે.
स्वातंत्र्यात्सुखमामोति स्वातंत्र्याल्लभते परम् । स्वातंत्र्यानिई तिं गच्छेत् स्वातंत्र्यात्परमं पदम् ॥१३॥ અર્થ. પુરુષ સ્વાતંત્ર્યથી સુખ પામે છે, સ્વાતંત્ર્યથી જ્ઞાન
Page #137
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મે.
૧૩૩ મેળવે છે, સ્વાતંત્ર્યથી નિવૃત્તિ પ્રાપ્ત કરે છે, અને સ્વાતંત્ર્યથીજ પરમપદને પ્રાપ્ત થાય છે. ' કયારે વૃત્તિઓ ક્ષીણ થાય છે?
अकुर्तृत्वमभोक्त्वं स्वात्पनो मन्यते यदा । तदा क्षीणा भवत्येव समस्तावित्तचया ॥ १४ ॥
અર્થ. જ્યારે જ્ઞાની પુરુષ પોતાના આત્માને કર્તૃત્વ, લેતૃત્વ નથી એમ માને છે, ત્યારે તેની સમસ્ત વૃત્તિઓ ક્ષીણ થઈ જાય છે.
ટીકા. એમ કહે છે કે જ્યારે આપણે આપણું આત્માને અકર્તા અજોક્તા માનીએ, ત્યારે ચિત્તવૃત્તિઓ એની મેળે જ ક્ષીણ થઈ જાય છે. આ કથન તો યોગ્ય છે, પરંતુ ચિત્તની વૃત્તિઓ મોટા પડિતાથી પણ ક્ષીણ થઈ શકતી નથી. મોટા મોટા જ્ઞાની કથાકાર પુરાણીઓ અને તત્ત્વનો બોધ દેનારા પણ વૃત્તિઓને વશ રાખી શક્યા નથી. ધર્મ શાસકારોએ આથી કરીને એમ ઠરાવ્યું છે કે, પ્રાપ્ત થયેલા સંસારમાં રહી ભોગ ભોગવીને વૃત્તિઓને ક્ષીણ થવા દેવી અને પછી જ્યારે કરીને ઘેર છોકરાં થાય અને માથે ધોળાં આવે ત્યારે સંસારનો ત્યાગ કરી વનમાં જઈ રહેવું. આ અવસ્થામાં પણ જે સ્ત્રી જીવતી હોય તો તેને સાથે રાખવી અને બન્નેએ મિત્રની માદક રહેતાં જ્ઞાન મેળવવાનો ઉદામ રાખવો, ઉપદેશ સાંભળવા અને એમ કરતાં કરતાં જ્યારે સ્ત્રી મરી જાય કે અત્યંત વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સંન્યાસ (સત્યાગ), પ્રહણ કર. ગામ કે શહેરનો વાસ નાના વૈભવવાને હાઈ ઇંદ્રિયો શિથિલ થવા છતાં મન હમેશ જુવાન રહેતું હોવાથી વૈભવ જોઈ ભોગની વૃત્તિ ઉત્પન્ન કર્યા વગર રહેતા નથી, માટે ત્યાગીને વનવાસ બતાવેલ છે. વનમાં રૂપરંગ વગેરે કંઈ નજરે પડતું નથી ને વૃત્તિને ઉકેરણું થતી નથી. ॥ति भीमाशगीदाय संसारमोच्छेदकोनाम
प्रयोदशोऽध्याय स्वतः
Page #138
--------------------------------------------------------------------------
________________
अध्याय १४ मो.
નિર્લેપસ્વનિરૂપણ. उच्छृखलाप्याकृतिका स्थिति(रस्य राजते । न तु संस्पृहचित्तस्य शांतिर्मूढस्य कृत्रिमा ॥१॥
અર્થ. ધીર જ્ઞાની પુરુષની સ્વાભાવિક ઉચ્છંખળ સ્થિતિ પણ શોભે છે અને પૃહાવાળા મૂઢ પુરુષની શાંતિ પણ કૃત્રિમ લાગે છે.
ટીકા. ધીર જ્ઞાની અને જ્ઞાનીપણાનું ડોળ કરનાર વચ્ચેના તફાવત બતાવતાં કહે છે કે-જેને સંપૂર્ણ જ્ઞાન થયેલું છે તે ધીર પુરુષની ઉછુખળતા પણ શેભે છે, જ્યારે સંસારમાં સ્પૃહાવાળાની શાંતિ પણ કૃત્રિમ લાગે છે. તેની શાંતિ પણ શોભતી નથી, મહા સાગરનો ઉછાળો પણ રમણીય લાગે છે જ્યારે મલિન ખાચિયાની શાંતિ–નિસ્તરંગતા પણ લીલાદિ માલિન્યને લીધે શોભતી નથી. સામાન્ય વ્યવહારમાં પણ આ સત્ય આપણને પગલે ને પગલે જેવામાં આવે છે. ડાહ્યા–સમજુ માણસને ગુસ્સો પણ ગંભીર હોય છે, જ્યારે સ્પૃહાળુનું મૌન અને શાંત ચિત્તતા પણ અંદરના વિકારને લીધે સૂક્ષ્મ દૃષ્ટિએ જેનારને ભયંકર લાગ્યા વગર રહેતી નથી. સ્પૃહાળુ સાધુ-સંતો થઈને સંસારમાં ફરનારા આવા ડોળી અને વૈરાગ્યની વાત કરનાર પોતે જ પાપ કરે છે, એટલું જ નહિ પરંતુ ભ્રમિત કરેલા પિતાને આશ્રયે આવેલા ભોળા ભક્તજનોને પણ પાપને રસ્તે ચઢાવી જ્ઞાનને ઠેકાણે ઘોર અજ્ઞાનના ખાડામાં નાંખે છે. સંસારની માયાની સ્પૃહાવાળા ઢોંગીઓની શાંતિ પણ કૃત્રિમ હોય છે અને તે રાજતી નથી, સામે રાગ ઉત્પન્ન કરે છે. માટે એવાં આડંબરી સ્પૃહાળુ અને ઉપર ઉપરથી જ્ઞાનનો ડોળ કરનારાથી જિજ્ઞાસુએ સર્વદા દૂર જ રહેવું જોઈએ.
Page #139
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મા.
famiति महाभोगवशंति गिरिगहरान । निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ २ ॥
અર્થ. કલ્પના રહિત તેમજ અખદ્ધ ને મુક્ત બુદ્ધિવાળા જ્ઞાની ને ધીર પુરુષ કદાચિત માટા મેાટા ભાગ વિલાસ ભાગવે છે અને કદી પર્વતની ગુફામાં જઈને પણ રહે છે.
૧૩૫
श्रोत्रियं देवतां तीर्थमंगनां भूपतिं प्रियं ।
दृष्ट्वा संपूज्य धीरस्य न कापि हृदि वासना ॥ ३॥ અર્થ. પંડિત, ( શ્રોત્રિય) દેવતા, તીર્થ, સ્ત્રી, રાજા કે પ્રિય જનને જોઈ પૂજીને પણ ધીર જ્ઞાની પુરુષને કદાપિ પણ હૃદયમાં વાસના ઉત્પન્ન થતી નથી, કારણ કે તેને સર્વે સરખાં છે, અને માહાદિ તેનાં નષ્ટ થયેલાં છે.
भृत्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्वापि गोत्रजैः । विहस्य विकृतो योगी न याति विकृर्ति मनाक् ॥ ४ ॥
અર્થ. નાકર ચાકરીએ, પુત્રાએ, સીએએ, દૌહિત્રાએ કે ગેાત્રજોએ હસીને ધિક્કાર ખતાન્યા હાય તાપણુ જે યાગી પુરુષને વિકૃતિ થતી નથી, અર્થાત્ મિત્રાદિક કુટુંબીઓશ્રી સાતા ને ધિક્કારાતા ચૈાગી કદી Àાભ પામતા નથી તેને માઠું લાગતું નથી. એને પ્રપંચ સાથે સંબંધ જ નથી એટલે શું લાગે?
संतुष्टोपि न संतुष्टः खिनोपि न च खिद्यते । तस्याश्चर्यदशां तांतां तादृशा एव जानते ॥ ५ ॥
અર્થ. લેાકેાના સંતે ષથી કે લેાકેાના વગાણાથી ચેાગીને
Page #140
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીશ. જરાએ સંતોષ કે ખેદા થતો નથી. તેની આવી નિરભિમાની ને શાંત જ તેના જેવા પુરુષો જ સમજી શકે છે. સંસારીથી સમજતી નથી. વાર્તવ્યસ્ત સંસારે જ તi Tયંતિ દૂર शून्यकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ६ ॥
અર્થ. કર્તવ્યતા એજ સંસાર છે. શૂન્યકાર, નિરાકાર, નિર્વિકાર ને નિરામય-દુખ રહિત જ્ઞાનીઓ આ સંસારિક કર્તવ્યતાને જતા નથી.
अनुबपि संक्षोभाव्यग्रः सर्वत्र मृब्धोः। पुर्वमपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥७॥
અર્થ. અજ્ઞાની પુરુષ કર્મ નથી કરતે તેપણ સંકલપ વિકલ્પને લીધે વ્યગ્ર રહે છે, જ્યારે જ્ઞાની પુરુષ કર્મો કરવા છતાં પણ જરાએ આકુલ થતું નથી, અર્થાત્ શાંતજ રહે છે.
मुखमास्ते मुखं शेते. मुखमायाति. याति. च ।
सुरं कति मुन मुक्ते व्यवहारेपि शांतधीः ॥ ८॥ .' અર્ય. વ્યવહારમાં પણ જ્ઞાની પુરુષ સુખપૂર્વક બેસે છે, રાખથી સુવે છે. સુખથી આવે જાય છે, સુખથી બોલે છે, સુખે મા છે પામે છે, અર્થાત્ તે કદી ક્ષુબ્ધ ચિત્ત રહેતા જ નથી.
खभावाद्यस्य नैवातिर्लोकवद् व्यवहारिणः ।
આમુખ્ય યાગી, છે અ. વ્યાવહારમાં રહેવા જ્ઞાનીને રીલેક સંસા
Page #141
--------------------------------------------------------------------------
________________
આગાય ૧૪ મો. રીઓ)ના જેવી પીડા થતી નથી, કારણ કે નિશ્ચયથી. ગત કલેશ થયેલે તે મોટા સાગરની માફક અક્ષુબ્ધ રહે છે.
निवृत्तिरपि मूढस्य, प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य, निवृत्तिफलदायिनी ॥ १० ॥
અર્થ. મૂહની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ રૂપ હોય છે, જ્યારે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનાં સુફળ આપનારી હોય છે.
परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते ।। देहे विगलिताशस्य करागः कविरागता ॥ ११ ॥
અર્થ. મૂઢ પુરુષને વૈરાગ્ય સ્ત્રી અને ઘરના ત્યાગમાં ગણાય છે, જ્યારે દેહ સંબંધિની સઘળી આશાઓ જેની ગળી ગયેલી છે એવા જ્ઞાનીને તા ઘરમાં કે બહાર, વૈરાગ્યમાં કે બેગમાં કહિએ રાગ કે વિરાગતા રહેતી જ નથી.
ટકા. વિષયોને ત્યાગ કરી વૈરાગ્ય લેવા–પામવા ઉપર વારંવાર ભાર દેવામાં આવેલો હોવા છતાં અષ્ટાવક્ર ત્યાગ કોને કહે છે તેને અહિં બહુ સારો ખુલાસો કર્યો છે. કહે છે કે-જે મૂઢ પુરુષ છે તેજ સ્ત્રી અને ઘરના ત્યાગને ત્યાગ કહે છે અથવા માને છે. જેઓ જ્ઞાની છે તેઓ તો એવા ત્યાગને ત્યાગ કહેતા નથી. મનથી જે ત્યાગ થાય, અર્થાત “આ સંસાર બેટે છે અને એક આત્મા છે એજ ખરે છે. વળી એ આત્મા તે હુંજ છું અને મને આ સંસારની લહેરે કંઇજ લાગતી નથી. હું તો તરંગિત–ઉછળતા પાણીમાં પડેલું સુકું લાકડું જેમ તરંગને ઉછળે ને તે આમતેમ ગતિ કરે અને પડે તેમ છતાં તેને પિતાને કંઈ લાગેવળગે નહિ, તેમ સંસારસાગરની લહરીઓથી બધું થાય છે અને આત્મસ્વરૂપને કંઈ લાગતું વળગતું નથી” એમ સમજનારને જે આંતરિક પિતાને ત્યાગ તેજ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અષ્ટાવક્ર ગીતા. ખરે ત્યાગ છે. સ્ત્રીપુત્રાદિકને રઝળતાં મૂકી લેકને ભારરૂપ ભાગવૈરાગ્ય લે એતો મૂઢધી=કમઅક્કલવાળાને ત્યાગ છે, સમજુ-જ્ઞાનીને ત્યાગ નહિ.
भावना भावनासक्ता दृष्टि मूढस्य सर्वदा । भाव्य भावनया सा तु स्वस्थस्यादृष्टिरूपिणी ॥१२॥
અર્થ. અજ્ઞાની પુરુષની નજર હંમેશાં ભાવના ને અભાવનામાં લાગી રહે છે, પરંતુ સ્વસ્થ જ્ઞાનીની દૃષ્ટિ તે દૃશ્યની ચિતાયુક્ત જણાતી હોવા છતાં પણ અદૃષ્ટિરૂ૫ રહે છે. सरिंभेषु निष्कामो यश्चरेद्वालवन्मुनिः।। न लेपस्तस्य शुद्धस्य. क्रियमाणेऽपि कर्मणि ॥ १३ ॥
અર્થ. જે જ્ઞાની બાળકની માફક કામના રહિત થઈ સર્વે ક્રિયાઓ કરે છે તે પણ તે શુદ્ધ ચિત્તવાળાને કર્મો કરવા છતાં તેને લેપ લાગતું નથી, અર્થાત્ તે કર્મોથી લિપ્ત થતા નથી.
स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः पश्यन् शण्वन् स्पृशन जिघ्रन अश्यनिस्तर्षमानसः॥१४
અર્થ. તે આત્મજ્ઞાનીને ધન્ય છે કે જે તૃણુ રહિત હેઈ જેતે, સાંભળતે, સ્પર્શ કરતે, સુંઘતે અને ખાતે પીતે, હોવા છતાં સર્વ ભામાં એક સરખા મનવાળે રહે છે. એને હર્ષ શેક થતો નથી. . क संसारः क चाभासः क्व साध्यं क्व च साधनम् । મારા પર નિર્ભર સર્વ શ .
અર્થ. સર્વદા આકાશની માફક નિર્વિકલ્પ ધીર જ્ઞાનીને સંસારે ક્યાં છે? તેને આભાસે ક્યાં છે, સાધ્ય–મેળવવા જેવું
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦
અધ્યાય ૧૪ મો. સ્વર્ગે કયાં છે અને સ્વર્ગને મેળવી આપનાર સાધન, જે યજ્ઞ યાગાદિક તે પણ ક્યાં છે? અર્થાત્ તેને બ્રા સિવાય બીજાનું ભાનજ નથી, પછી શું? - स जयत्यर्थसंन्यासीपूर्णखरसविग्रहः । अकृत्रिमोऽनवच्छिन्ने समाधिर्यस्य वर्तते ॥ १६ ॥
અર્થ. સંન્યાસી દૃષ્ટ–અષ્ટ–આ લેક અને પરલેકની સાથે પણ જેને અર્થ રહેલે નથી એ અને પોતાના સ્વરૂપમાંજ એકરસ અને પરિપૂર્ણતા પામેલે પુરુષ જય પામે છે, કે જેને સ્વાભાવિક અને અવિચ્છિન્ન સમાધિ-બ્રહ્મમાંજ લગી લાગી રહેલી હોય છે.
बहुनात्र किमुक्तेन ज्ञाततच्चो महाशयः ।
भोगमोक्षनिराकक्षी सदा सर्वत्र नीरसः ॥१७॥ નિરાકાંક્ષિ-તત્ત્વજ્ઞ.
અર્થ. બહુ કહેવાથી શું–માત્ર એટલું જ કે–તત્વનું જેને જ્ઞાન થયેલું છે, તે ભેગ અને મેક્ષની ઇચ્છા રહિત ત્યાગી મહાશય હમેશ નીરસ રહે છે, એને રાગ દ્વેષ હેતે નથી.
महदादि जगद्वैतं नाममात्रविजृम्भितम् ।। विहाय शुद्धबोधस्य किं कृत्यमवशिष्यते ॥ १८ ॥
અર્થ. મહત્, અહંકાર, પંચતન્માત્રાઓ, અને તેના કાર્યરૂપ જગત એ માત્ર નામ રૂપે વિસ્તરેલું છે, એવી કલ્પના પણ જેણે છેડી દીધી છે એવા શુદ્ધ બોધ સ્વરૂપવાળા પુરુષનેચોગીને કેઈકૃત્ય કરવાનું અવશેષ રહેતું જ નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
भ्रमभूतमिदं सर्व किञ्चिन्नास्तीति निश्रयी । अलक्ष्यस्फुरणः शुद्धस्वभावेनैव शाम्यति ॥ १९ ॥
અર્થ. આ બધું ભ્રમભૂત-જગત કિંચિત્માત્ર પણ સત્ય નથી, એવા નિશ્ચયવાળા અલક્ષ્ય સ્ફુરણ એટલે ચૈતન્ય આત્માનુભવી શુદ્ધ પુરુષ સ્વભાવથી શાંત પડી જાય છે.
शुद्धस्फुरणरूपस्य दृश्यभावमपश्यतः ।
कव विधिः क्व च वैराग्यं का त्यागः क्व शमोऽपि वा २० । અર્થ. દૃશ્યભાવને નહિ જોતા શુદ્ધ સ્ફુરણ રૂપવાળાને વિધિ શા, ત્યાગ શા, અને શમે શા? જેને આત્મ સ્વરૂપ સમજાયું છે તેને કશાને ખાધ લાગતા નથી, કારણ તે પાતા સિવાય અન્યને નેતાજ નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां पूर्णनिले पत्वनिरूपणोनाम चतुर्दशोऽध्यायः समासः ॥
Page #145
--------------------------------------------------------------------------
________________
'
અધ્યાય ૧૧ મો. નિર્મમત્વનિરૂપણ.
स्फुरतोऽनन्तरूपेण प्रकृतिं च न पश्यतः ।
क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादता ॥ १ ॥ અર્થ. અનંત રૂપે સ્ફુરતા આત્મ સ્વરૂપ પુરુષ પ્રકૃત્તિ માયાને દેખતા જ નથી, અને જે આવા આત્મ સ્વરૂપ છે, તેને અંધ, મેાક્ષ, હર્ષ કે વિષાદ કંઈ છે જ નહિ.
बुद्धिपर्यन्तसंसारे मायामात्रं विवर्त्तते ।
निर्ममो निरङ्कारो निष्कामः शोभते बुधः ॥ २ ॥
અર્થ. આત્મજ્ઞાન થાય ત્યાં લગી એટલે બુદ્ધિ પહોંચ છે ત્યાં સુધી પુરુષને સંસારની માયા ચાલુ રહે છે; પરંતુ જ્યારે તેને આત્મ સાક્ષાત્કાર થાય છે, ત્યારે તે પાતે બ્રહ્મ સ્વરૂપ થઈ રહી નિર્મળ, નિરહંકાર અને નિષ્કામ બુધ-જ્ઞાની થઈ રહે છે.
अक्षयं गतसंतापमात्मानं पश्यतो मुनेः ।
क्व विद्या क्व च वा विश्वं क्व देहोऽहं ममेति वा ॥ ३ ॥
અર્થ. અક્ષય, સંતાપ રહિત આત્માને જોતા મુનિને વિશ્વ, વિદ્યા, દેહ અને અહંમયતા વગેરે કંઇ પણ ભાવ ક્યાંથી હાય ? આત્મજ્ઞાનીને જેમ બીજું કર્તવ્ય રહેતું નથી તેમજ તેને માટે વિદ્યા કે શાસ્ત્રવિચારનું પણ કારણ રહેતું નથી. જ્યાં જગત કે દેહના પણ અભાવ ાય ત્યાં શાસ્ત્ર શું-એ તે નિરંજન સ્વરૂપતાને જ પામેલા છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવક્ર ગીતા.
૧૪૨
મૂઢને જ્ઞાન થતુ નથી.
निरोत्रादीनि कर्माणि जहाति जीर्यदि । मनोरथान्प्रलापांश्च कर्तुमानोतितत्क्षणात् ॥ ४॥
અર્થ. જડ બુદ્ધિ-અજ્ઞાની પુરુષ કદાપિ નિરોધાદિ કરવાનું છેડી દે તાપણુ મનારથા અને પ્રલાપ તે તે કર્યાંજ કરવાના, કારણ કે તેનું જ્ઞાન કાચું છે. સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષને આત્મજ્ઞાન થાય છે અને તે કર્માદિકના ત્યાગ કરી શકે છે. मन्दः श्रुत्वापि तद्वस्तु न जहाति विमूढताम् । निर्विकल्पो बहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ५ ॥
અર્થ. મંદ બુદ્ધિના પુરુષ સસ્તુ-આત્મòધ સાંભળવા છતાં પણ મૂઢતા છોડતા નથી-અર્થાત્ એને વૈરાગ્ય આવતા નથી. ઉપર ઉપરથી તે નિર્વિકલ્પ લાગે છે, પર ંતુ તેનું અંતર તે વિષયાની લાલસા કર્યાંજ કરે છે.
ज्ञानाद्गलितकर्मा यो लोकदृष्टयापि कर्मकृत | नानोत्यवसरं कर्तुं वक्तुमेव न किञ्चन ।। ६ ।।
અર્થ. જ્ઞાનને લીધે જેનાં કર્મ ગલિત થઈ ગયાં છે એવા જે પુરુષ લેાકાચારને લઇને કર્મ કરતા રહે તેપણ અવસર આવતાં કંઈ ખેલતા નથી અને કરતા નથી, કારણ કે જ્ઞાનથી તેને સર્વે માયાકૃત સમજાયેલું છે. એને ફળની ઇચ્છા ડાતી નથી, એટલે કર્મ નિષ્કામજ થાય છે.
क्व तमः क्व प्रकाशो वा हानं क्व च न किञ्चन । निर्विकारस्य धीरस्य निरार्तकस्य सर्वदा ॥ ७ ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૫ સે.
૧૪૩ અર્થ. નિર્વિકાર, સર્વદા નિર્ભય, અને ધીર જ્ઞાનીને તમ –અંધારૂં એ શું ને પ્રકાશે છે ? તેમ તેને તજવાનું પણ શું? જ્ઞાન થતાં જ તે સર્વ દ્વતથી વિમુખ થઈ જાય છે.
क्व धैर्य क्व विवेकित्वं क्व निरातकतापि वा। अनिर्वाच्य स्वभावस्य निःस्वभावस्य योगिनः ॥ ८ ॥
અર્થ. અનિર્વાચ્ય સ્વભાવવાળા એગીને ધીરતા શી? તેમ વિવેકિતા પણ ક્યાં? સ્વભાવ રહિત એવા તેને ભયે તેમ જ નિર્ભયતા પણ નથી, તે તે સદા સર્વદા આનંદમાં એકરૂપજ રહે છે.
न स्वर्गो नैव नरको जीवन्मुक्तिन चैव हि । बहुनात्र किमुक्तेन योगदृष्टया न किश्चन ॥ ९ ॥
અર્થ. જેને આત્મજ્ઞાન થયું છે તેને સ્વર્ગે નથી અને નરકે નથી. તેને જીવન્મુક્તિ પણ નથી, બહુ કહેવાથી શું? માત્ર એટલું જ કે ગદૃષ્ટિએ એને કંઈ લાગતું જ નથી.
ટીકા. યોગદષ્ટિએ વિચાર કરતાં જ્ઞાનીને માટે સ્વર્ગ નથી, નરકે નથી અને જીવન્મુક્તિ જેવું પણ કંઈ નથી, અર્થાત જેને બ્રહ્મ સિવાય બીજા દૈતનું ભાન નથી તેને સ્વસ્વરૂપતા–પામેલાને સ્વર્ગ ક્યાંથી હોય? સ્વર્ગ, નરક જીવન્મુક્તપણું વગેરે બધી બાબતે માયાત ભ્રમ છે-દ્વૈતભાવ જેને રહેલો હોય તેને એ બધો પ્રપંચ પીડે છે, પરંતુ જેણે બ્રહ્મજ્યમાં અદ્વૈત માન્યું છે- સ્વસત્તામાં બધું પર્યાપ્ત ગયું છે, તેને એ બધું ભાસતું જ નથી. બ્રહ્મમાં જેણે સર્વ પ્રપંચને લય કરે છે એ યોગી–બ્રહ્મજ્ઞાની તો પોતે એકલેજ પિતામાં રાજી રહે છે અને જેમ અંગાર પોતે જ પોતાના દેખાતા સ્વરૂપને સ્થૂલને ભસ્મ કરી પિતામાં લય પામે છે, તેમ બ્રહ્મજ્ઞાની પણ સ્વ
Page #148
--------------------------------------------------------------------------
________________
દિકને નહિ જોતા પેાતાના ઐહિકકર્મને ખાળતા પરિણામે માતામાંજ વિલીન થાય છે. અંગાર જેમ વાયુથી પ્રકાશે છે, અને મંદ પડે છે તેમ માયાના સપાટામાં ચેાગી પણ તકતા ને મંદ પડતા હોવા છતાં તેજના કે મંદતાનેા કર્તા બનતા નથી પણ પવનકૃત એ ભાવે દર્શાવે છે તેમ પરમ યાગી પેાતાને પ્રચ સાથે કંઈજ સંબંધ નહિ માનતા છતાં પ્રપંચના પવનની લહરીએએ પ્રકાશતા ને મંદ પડતા હૈાવા છતાં પોતામાં સ્થિત થઈ રહી પ્રારબ્ધ કમે પુરાં કરી પરબતામાં લય પામે છે.
नैव प्रार्थयते लाभं नालाभेनानुशोचति । धीरस्य शीतलं चित्तममृतेनेव पूरितम् ॥ १० ॥
અર્થ. ધીર જ્ઞાન પુરુષનું ચિત્ત-આત્મજ્ઞાન રૂપી અમૃતથી ભરેલું હેાવાને લીધે તે લાભને માટે પ્રાર્થના કરતા નથી અને અલાભ-ગેરલાભના શેક પણ કરતા નથી.
न शान्तं स्तौति निष्कामो न दुष्टमपि निन्दति । समदुःखसुखस्तृप्तः किञ्चित्कृत्यं न पश्यति ।। ११ ।।
અર્થ. નિષ્કામ પુરુષ શાંતની સ્તુતિ કરતા નથી તેમ દુષ્ટને નિંદતા પણ નથી. સુખ અને દુઃખ જેને સમાન થઇ ગયાં છે તે ચેાગી તૃપ્ત હાવાથી કંઈ કૃત્ય જોતા જ નથી.
ટીકા. જેને આત્મજ્ઞાન થયું છે તે ચેાગી તેા કાઈની સ્તુતિએ કરતા નથી તે નિંદાએ કરતા નથી. વળી હાલ જેમ મેટા પાંડિ ત્યથી તત્ત્વજ્ઞાને પદેશને લગતી કથા કરાય છે, તેમ જેમાં કંઈક અર્થ રહેલા હાય એવી આડંબરી કથા કે ઉપદેશ કરવા એ પણ ત્યાગીને માટે અકર્તવ્ય છે. લેાકાને ઉપદેશ દેવાના ધર્મ તેના નિહ, પણ સંસારી બ્રાહ્મણ વર્ગના છે. ત્યાગીને માટે તા વનફળ ખાતાં વનમાં
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યાય જ મr. ૪ પર્વતની ગુકાઓ પડી હી આ ચિંતન કરવું એજ હિસ્કર છે. તવાસાન થયા પછી ઉપદેશ કે ક્ષ વાર્તાઓથી અત તાપ પછી કાને ઉપદેશ કરે, એમ તેને તે સમજાવું જોઇએ, પરંતુ નહિ કર માં કર્મ ભાવનાઓ હેય છે તેથીજ તત્ત્વજ્ઞાનને માટે ડોળ કરનાર વસ્તીમાં રહે છે, અને ઉપદેશ કરવાને બહાને લક્ષ્મીની લાલસાએ ભવમાં ભટકે છે. યોગીને તે આ મિથ્યા જગતમાં કંઈ કરવાનું અથવા ઉપદેશ આપવાનું છેજ નહિ.
धीरो न देष्टि संसारमात्मानं न दिक्षति । हर्षामर्षविनिर्मुक्तो न मृतो न च जोवति ॥ १२ ॥
અર્થ. ધીર જ્ઞાની પુરુષ આ સંસાર પ્રતિ દ્વેષ કરતે નથી, આત્માને જોવાની ઈચ્છા કરતા નથી, હર્ષ અથવા રેષથી મુક્ત નહિ મરેલે ને નહિ જીવતે એ થઈ રહે છે. તે આ
ત્માને જેતે નથી, એમ કહેવાનું તાત્પર્ય એમ છે કે–એને દ્વત રહેલું હોતું નથી. પોતેજ આત્મા રૂપ થઈ ગયેલ છે એટલે પિતે પિતાને જોવાની ઈચ્છા કેમ કરી શકે? નજ કરી શકે. તદન ઉદાસી, નિહ: પુત્રવારે નિકા વિરપુર નિશ્ચિન્તઃ રાપરેડ નિરાશ મત્તે ગુજઃ | શરૂ |
અર્થ. સ્ત્રી પુત્રાદિક માટે નિઃસ્નેહ, વિષય ભેગમાં નિષ્કામ અને પિતાના શરીરને માટે પણ નિશ્ચિન્ત-અર્થાત શરીર હે ન હો, તેની પણ પરવા નહિ એ તથા નિરાશ– કઈમાં કશી આશા વગરનો હોવાથી આત્મજ્ઞાની શોભે છે.
तुष्टिः सर्वत्र धीरस्य यथापतितवर्तिनः । स्वच्छन्दं चरतो देशान्यत्रास्तमितशायिनः ॥ १४ ॥ અ.૧૦
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અષ્ટાવક્ર ગીતા. અર્થ. જે સમય હોય તે પ્રમાણે વતી લેનાર અને સર્વત્ર તુષ્ટિવાળ ધીર જ્ઞાની પુરુષ સ્વચ્છેદે દેશ દેશાવરમાં ફરતે ને જ્યાં રાત પડે ત્યાં શયન કરતો રહે છે; અર્થાત્ તેને કશું સારું માઠું, કર્તવ્યાકર્તવ્ય કંઈ રહેતું નથી. નિષ્કામપણે પિતાના દેહની પણ પરવા વગર જ્યાં જ્યાં પગ લઈ જાય ત્યાં જતે તે પરમ બ્રહ્મમાં જ મગ્ન રહે છે.
पततूदेतु वा देहो नास्य चिन्ता महात्मनः । स्वभावभूमिविश्रान्ति विस्मृताशेषसंमृतेः ॥ १५ ॥
અર્થ. જે પોતાના સ્વભાવ રૂપી ભૂમિમાં વિશ્રાંતિ લે છે અને જેને સંસારની બીલકુલ સ્મૃતિ પણ નથી એવા મહાત્માને દેહ પડે કે ઉત્પન્ન થાઓ એની ચિંતા રહેતી નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां निर्ममत्वनिरुपणोनाम
पंचदशोऽध्यायः समाप्त ॥
Page #151
--------------------------------------------------------------------------
________________
अध्याय १६ मो.
આનંદસ્વરૂપતા. आकचनः कामचारो निर्द्वन्द्वच्छिन्नसंशयः । असक्तः सर्वभावेषु केवलो रमते बुधः ॥१॥
અર્થ. જેની પાસે કશું હોતું નથી, જે ઈચ્છામાં આવે તેમ વર્તે છે, જેને સુખ દુઃખાદિ ઢંઢો નડતાં નથી, જેના સંશય ટળી ગયેલા છે અને જેને આસક્તિ મુદ્દલ છેજ નહિ એવે જ્ઞાની સર્વ ભાવમાં એક સરખી રીતે ચાલે છે આનંદ માણે છે.
નિઃ મત્તે સોટ્ટામવાસના मुमिन्नहृदयग्रन्थिविनिधूतरजस्तमः ॥ २ ॥
અર્થ. નિર્મમ, લેહ અને સુવર્ણમાં સમભાવ, જેની હૃદયગ્રંથિ છુટી ગયેલી છે અને જેણે રજ તમસ વગેરે ગુણે ત્યજી દીધેલા છે તે ધીર જ્ઞાનીજ શેભે છે.
सर्वत्रानवधानस्य न किञ्चिद्वासना हृदि । मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते ॥३॥
અર્થ. સર્વ વિષયમાં આસક્તિ રહિત, જેના હૃદયમાં જરાએ વાસના રહેલી નથી એવા તૃપ્ત મુક્તાત્માની કઈ સાથે તુલના થાય તેમ નથી.
जानन्नपि न जानाति पश्यन्नपि न पश्यति । अवमपि न च ब्रूते कोऽन्यो निर्वासनाहते ॥४॥ અર્થ. એ કહ્યું છે કે જે જાણવા છ : જાણતા નથી,
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અષ્ટાવક્ર ગીતા.
જોવા છતાં જોતા નથી, ખેલવા છતાં ગણતા નથી ? આવા તા એક નિર્વાસન પરમાત્મા-જીવન્મુક્ત જ છે.
मिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाऽऽशोभना मतिः ॥ ५ ॥
અર્થ. સર્વે ભાવામાંથી ગલિત થઈ છે મતિ જેની, અને તેમ થવાથી જે નિષ્કામ અનેલા છે, જે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ ગમે તેવી સ્થિતિમાં પેાતાને શાલતા જ માને છે, તે મહાત્મા ભિક્ષુ હા વા રાજા હૈા તાપણુ એક સરખાજ છે. રાજત્વથી તે રાજતા નથી અને દૈન્યથી કંગાલ મનતા નથી, એટલે શેાભા અશેાલાને જે લેખાવતા નથી તેજ આ જગતમાં શાભા તથા માનને ચેાગ્ય પુરુષ છે.
ખરા યાગી
क स्वाच्छन्यं क संकेाचः क वा तस्यविनिश्चयः । निर्व्याजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ६ ॥
અર્થ. નિષ્કપટ અને સરલ રૂપ તથા યથાચિત ચેાગી ક્યાં અને તેને વળી સ્વચ્છંદ શે, તેમ સંકાચ શા? વળી આત્મજ્ઞાનીને તત્ત્વના નિશ્ચય પણ શે ? કંઈ જ નહિ. आत्मविश्रान्तिसेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥ ७ ॥
અર્થ. આત્મામાં વિશ્વાસ કરવાથી તૃપ્ત અને આશાના ત્યાગ કરવાથી જેનું દુઃખ ગયેલું છે તથા જેને અંતમાં અનુભવ થયેલા—અર્થાત્ સાક્ષાત્કાર થયેલા છે એવા મહાત્માને કાણુ અને કેવી રીતે જ્ઞાન કહેવાય.
Page #153
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૬ મો.
૧૪૯: मुप्तोऽपि न सुषुप्तौ च स्वमेऽपि शयितो न च । जागरेऽपि न जागति धीरस्तुतः पदे पदे ॥ ८ ॥
અર્થ. ધીર-જ્ઞાની પુરુષ સુતેલો હાઈ સુષુપ્તિમાં તે નથી, ઉંઘતા હોય તે પણ જાગતે છે, જાગતે હાઈ જાગર્તિમાં નથી હોતે, અર્થાત્ દરેક સ્થિતિમાં તે તૃસજ હોય-રહે છે.
ज्ञः संचितोऽपि निश्चितः सेन्द्रियोऽपि निरिन्द्रियः।। मुबुद्धिरपि निबुद्धिः साहंकारोऽनहंकृतिः ॥ ९॥ .
અર્થ. જ્ઞાની હોય તે સચિત પણ નિશ્ચિત, ઇન્દ્રિયવાન છતાં નિરિદ્રિય, બુદ્ધિમાન હોવા છતાં બુદ્ધિ રહિત અને અહંકારી છતાં નિરહંકારી જે રહે છે.
न सुखी न च वा दुखी न विरको न संगवान् । नमुक्षुन वा मुक्तो न किञ्चिन्न च किञ्चन ॥१०॥
અર્થ. જ્ઞાની પુરુષ સુખીએ નહિ તેમ દુખીએ નહિ, વિરક્ત નહિ તેમ સગવાને નહિ, મુમુક્ષુએ નહિ ને મુકતે નહિ તેમ ધનવાને નહિ ને નિર્ધને નહિ એ હોય છે. विक्षेपेऽपि न विक्षिप्तः समाधी न समाधिमान् । जाडयेऽपि न जडो धन्यः पाण्डित्येऽपि न पण्डितः ॥११॥
અર્થ. ધન્ય-જ્ઞાની વિક્ષેપમાંએ વિક્ષિપ્ત નથી રહેતું સમાધિમાં સમાધિમાન નથી રહેતું, જડતામાં રહેતે પણ જડ નથી હોત અને પંડિતાઈમાં પણ પંડિત નથી. ॥ इति श्रीमदष्टावक्रगीसायामानन्दस्वरूपतानाम
शोषोध्यायः समासः ॥
Page #154
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૭ મો.
આત્મત્વ મહિમા. मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिवृतः । समः सर्वत्र वैतृष्णान ममदत्यकृतंकृतम् ॥ १॥
અર્થ. મુક્ત પુરુષ કર્માનુસાર જે પ્રાપ્ત થયું હોય તેમાં સ્વસ્થ રહે છે, કરેલા અને કરવાના કામમાં સદા સંતોષી રહે છે, સર્વત્ર સમતાવા, તૃષ્ણ રહિતતામાં અકૃત, અને કરેલા કર્મને નહિ સંભારતે એ થઈને રહે છે.
न मीयते वन्द्यमानो निन्द्यमानो न कुप्यति । नैवोद्विजति मरणे जीवने नाभिनन्दति ॥२॥
અર્થ. જ્ઞાની પુરુષ વંદન થતાં આનંદ પામતે નથી –રાજી થતું નથી અને નિદા થતાં કેપ કરતા નથી, મરણ માટે ઉગ કરતા નથી ને જીવવાથી આનંદ પામતો નથી.
न धावति जनाकीर्ण नारण्यमुपशान्तधीः । यथा तथा यत्र तत्र सम एवावतिष्ठति ॥३॥
અર્થ. શાંત બુદ્ધિવાળે પુરુષ વસ્તીમાંથી કે વનમાંથી નાસી છૂટતે નથી, અને જે તે ઠેકાણે સદા સર્વદા એક સરખા સ્વરૂપમાં રહે છે. સોંપાધિ મુક્તતા.
तत्वविज्ञानसंदंशमादाय हृदयोदरात् । नानाविधपरामशल्योदारः कृतो मया ॥४॥ અર્થ. જનક–હે મુનિવર ! આપની પાસેથી તત્વ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અધ્યાય ૧૭ મો. વિજ્ઞાન રૂપી સાંણસી લઈને મેં નાનાવિધ વિચાર રૂપી તીર કંટકને મારા હૃદય રૂપી ઉદરમાંથી ઉદ્ધાર કર્યો છે, અર્થાત્ મારા હૃદયમાં નાનાવિધ વિચાર રૂપી એટલે સંશય રૂપી કંટકે હતા તે મેં આપ પાસેથી મળેલા તત્ત્વજ્ઞાન રૂપી સાંણસાથી ખેંચી નાંખ્યા છે–કાઢી નાંખ્યા છે.
क धर्मः क च वा कामः क चार्थः क विवेकिता। क द्वैतं क च वाद्वैतं स्वमहिन्नि स्थितस्य मे ॥५॥
અર્થ. પિતાના મહિનામાં રહેલા મને ધર્મ શો, કામ શે, અર્થ છે, વિવેકિતા શી તેમ દ્વતે શું ને અદ્વૈત શું–અર્થાત મને કશાથી સંબંધ નથી. હું તે એકરસ પરમાત્મસ્વરૂપ આનંદમાં મગ્ન છું.
क भूतं क्व भविष्यद्वा वर्तमानमपि क्व वा।
क्व देशः का च वा नित्यं स्वमहिन्नि स्थितस्य मे ॥६॥ દશાદિ પરિસદ રાહિત્ય.
' અર્થ. પિતાના મહિનામાં રહેલા મને ભૂત-ગલે સમય, ભવિષ્યમાં આવનાર સમય, વર્તમાન–ચાલતે સમય તેમ નિત્ય-હરહમેશને કાળ કે દેશ ક્યાં-અર્થાત્ તેની સાથે હવે મને કોઈ પ્રકારને સંબંધ નથી.
क्व चात्मा क्व च वा नात्मा क्व शुभं क्वाशुभं तथा। क्व चिन्ता क्व च वाऽचिन्ता स्वमहिन्नि स्थितस्य मे॥७॥
અર્થ. સ્વપતાના મહિમામાં સ્થિત એવા મને આત્માને યાં, અનાત્માએ ક્યાં, શુભ શું અને અશુભે શું? તેમજ ચિતા એ છે અને અચિંતા જેવું એ શું? કંઈ પણ નહિ.
Page #156
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવા ગીત: क्व स्वमः च सुधिर्वा क्व च जागरणं तथा। क्व तुरीथं भयं वापि स्वमहिन्नि स्थितस्य मे ॥८॥
અર્થ. પિતાના મહિનામાં રહેલા મને સ્વમ તેમજ સુષુપ્તિએ નથી, જાગરણે નથી, તુરીય અવસ્થા કે ભય, કંઈ પણું નથી. આ બધા ધર્મ અંતઃકરણના છે, તે પણ મને નથી.
क्व दूरं क्व समीपं वा बाह्यं क्वाभ्यन्तरं क्व वा । क्व स्थूलं क्व च वा सूक्ष्पं स्वमहिन्नि स्थितस्य मे ॥९॥
અર્થ. પિતાના મહિનામાં સ્થિત મને દૂરે શું, બહાર છે અને આત્યંતરશું, તેમજ સ્થલે શું અને સૂમે શું? મને કંઈ જ નથી, સઘળું હું હું ને હુંમાં જ છે.
क्व मृत्युर्जीवितं वा क्व लोकाः क्यास्य क्व लीफिकम् । क्व लयः क्व समाधिर्वा स्वमहिन्नि स्थितस्य मे ।। १० ।।
અર્થ. મારા પિતાના મહિમામાં વાસ કરી રહેલા મને લેકે શું ને લૈકિકે શું, લયે શું અને સમાધિએ શી, હું જે પરસાત્મ સ્વરૂપ થઈ રહ્યો છું તેને કશા સાથે સંબંધ નથી.
अलं त्रिवर्गकथया योगम्य कथयाऽप्यलम् । अलं विज्ञानकथया विश्रान्तस्य ममात्मनि ॥११॥
અર્થ. આત્મામાં જેણે વિશ્રામ કરે છે એવા મને ધર્મ, અર્થ કે કામ–એ વિવર્ગની કથા સાથે કામ નથી, યોગની
સ્થા પણ બસ થઈ ગઈ તેમજ વિજ્ઞાનની કથા પણ મને બહુ ભાઈ, હવે મને કણાની જરૂર નથી, કારણ કે મને પરમાત્માનું શાન થયું છે અને તેમાં હું બિયa aઈ છે. હાલ
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્યામ ૧૭ મે.
Na આત્મા સાથે સેક્સ-એકતા પામ્યું છે એટલે મને સાયાકૃત જગત પ્રપંચ સાથે કંઈ લાગતું વળગતું નથી.
क्व भूतानि क्व देहो वा क्वेन्द्रियाणि क्व वा मनः । क्व शून्यं क्व च नैराश्य मत्स्वरूपे निरञ्जने ॥ १२ ॥
અર્થ. નિરંજન એવા મારા સ્વરૂપમાં ભૂતે શાં, ઇન્દ્રિય શી ને મન પણ શું? વળી શૂન્ય શું અને નિરાશા પણુ શી ?
ટીકા. શુન્ય પણ કલ્પિત છે અને શૂન્ય સ્વરૂપ પણ મારું નથી. આત્મા શુન્યરૂપે પણ વર્ણવાતો નથી તો પછી દેહ, સદેહ, ઇન્દ્રિયો વગેરે તેને ક્યાંથી હોય-અર્થાત્ તેને કશું સ્વરૂપ જ નથી. તે તે અવર્ણનીય આનંદસ્વરૂપ છે. આવા જીવન્મુક્ત બ્રહ્મસ્વરૂપમાં લીન હોય છે.
क्व शास्त्रं क्वात्मविज्ञानं क्व वा निर्विषयं मनः । क्व वृप्तिः क्व विष्णत्वं गतद्वन्द्वस्य मे सदा ॥ १३ ॥
અર્થ. જેનાં કંક-સંકલ્પ-વિકલ્પ વગેરે જતાં રહેલા છે એવા મને શાસ્ત્ર, આત્મજ્ઞાન, નિવિષયમન તૃપ્તિ અને તૃષ્ણા કશુંએ છે નહિ, જીવન્મુક્ત હું એકરસરૂપ છે.
क्व विद्या क्व च वाऽविद्या क्बाहं क्वेदं मम क्व वा । क्व बन्धः क्व च वा मोक्षः स्वरूपस्य मे रूपिता ॥१४॥
અર્થ. મારા સ્વરૂપમાં સ્વરૂપતા–આકારમાત્ર છેજ નહિ (આગળ શૂન્યરૂપની પણ ના પાડવામાં આવી તેમ) અને જ્યાં વરૂપ નથી ત્યાં વિદ્યા, અવિદ્યા, હુંપણું, મારાપણું પણ ક્યાં ? છે શો અને મોક્ષે છે ?
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અષ્ટાવક્ર ગીતા. क्व पारब्धानि कर्माणि जीवन्मुक्तिरपि क्व वा। क्व तद्विदेहकैवल्यं निर्विशेषस्य सर्वदा ॥ १५॥
અર્થ. પ્રારબ્ધ, કર્મો, જીવન્મુક્તિ, વિદેહ કૈવલ્ય વગેરે સર્વદા નિર્વિષ એવા મને બાધક નથી. જેને બ્રહાસ્વરૂપતા પ્રાપ્ત થઈ છે તેને ઉપરોક્ત ધર્મો સાથે કંઈ સંબંધ નથી.
इति श्रीमदष्टावक्रगीतायां आत्मस्वरूपमहिमावर्णनोनाम
सप्तदशोऽध्यायः समाप्तः ॥
Page #159
--------------------------------------------------------------------------
________________
अध्याय १८ मो.
પરમાનંદરુપતા. क्व कर्ता क्व च वा भोक्ता निष्क्रियं स्फुरणं क्व वा । क्वापरोक्षं फलं वा क्व निःस्वभावस्य मे सदा ॥१॥
અર્થ. સદા સ્વભાવ રહિત મને કર્તા, ભક્તાપણું ક્યાં છે. નિષ્ક્રિય, સ્કુરણ પણ મને ક્યાં છે? અપક્ષ ફળ કયાં, અર્થાત્ મને તેની સાથે કંઈ સંબંધ નથી.
ટીકા. આ અધ્યાયમાં આત્માને કશું લાગતું વળગતું નથી એવું બતાવી જેને ખરેખરું જ્ઞાન થયેલું છે એટલે કે બ્રહ્મરૂપતા પ્રાપ્ત થયેલી છે તેની નિર્લેપતા દર્શાવતાં જનકરાય કહે છે કે હે મુનિ ! આપના બોધથી હું પરમાનંદ શિવસ્વરૂપ એક જ્ઞાનમય જ્યોતિ સ્વરૂપ બની ગયો છું, એટલે નિઃસ્વભાવ એવા મને કર્તા, ભોક્તાપણું આલોક પરલકપણું, સ્વર્ગ નરક, બંધમસ, સૃષ્ટિ કે સંહાર, સાધકતા કે સિદ્ધિ, પ્રમાતા, પ્રમાણ કે પ્રમેય, વિક્ષેપ કે એકાગ્રતા, બોધ કે મૂઢતા, વિધિ કે નિષેધ, શાસ્ત્રાદિક વિચાર, હર્ષ કે શેક, સુખ કે દુ:ખ, જીવન વા મરણ, વ્યવહાર કે પરમાર્યતા, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, માયા કે સંસાર, તેમજ મને હું તુંપણું એકે શું અને બેએ શું? એવું કંઈ પણ રહ્યું નથી, હું મારા પિતામાં પૂર્ણતા પામી પરમ તિરૂપ નિષ્ક્રિય થઈ રહ્યો છું.
क्व लोकः क्व मुमुक्षुर्वा क्व योगी ज्ञानवान् क्व वा । क्व बद्धः क्व च वा मुक्तः खस्वरूपेऽहमदये ॥२॥
અર્થ. હું જે અદ્વૈત સ્વસ્વરૂપમાં લીન છું તેને લોકશે, મુમુક્ષુ શું, ચગી કે જ્ઞાનવાન શું અને બદ્ધ કે મુક્ત શું–અર્થાત મને તેમાંનું કંઈ પણ છે નહિ.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અષ્ટાવક્ર ગાતા. क्व सृष्टि क्व च संहारः क्व साध्य क्व च साधनम् । क्व साधकः क्व सिदि स्वस्वरूपेऽहमदये ॥३॥
અર્થ. અદ્વય અને સ્વસ્વરૂપ એવા મને સૃષ્ટિ, સંહાર, સાધ્ય, સાધન, સાધક કે સિદ્ધિ કશા સાથે સંબંધ છે નહિ, અર્થાત્ મને તે શાંનાં હેાય? નજ હેય ને નથીજ.
क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च प्रमा। का किश्चित्क्व न किंचिद्वा सर्वदा विमलस्य मे ॥४॥
અર્થ. સર્વદા વિમલરૂપ એવા મને પ્રમાતા, અને પ્રમાણુ ક્યાં? પ્રમેય અને પ્રમા શાં, તેમજ કિંચિત્ કે અર્કિચિત્ પણ શું? મને કંઈ નથી. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય એ ત્રણે અજ્ઞાનનાં છે, પ્રમા–વૃત્તિજ્ઞાન છે તે પણ આત્મામાં નથી.
क्व विक्षेपः क्व चैकाय्यं क्व निधिः क्व मूढता । क्व हर्षः क्व विषादो वा सर्वदा निष्क्रियस्य मे ॥ ५॥
અર્થ. સર્વદા કિયારહિત એવા મને વળી વિક્ષેપ છે? એકાગ્રતા શી? ક્યાં નિર્બોધ અને મૂઢતા પણ ક્યાં છે? તેમજ મને હર્ષ અને વિષાદતા પણ ક્યાં છે?
क्व चैष व्यवहारो वा क्व च सा परमार्थता । क्व मुखं क्व च वा दुःखं निर्विमर्शस्य मे सदा ॥६॥
અર્થ. નિર્વિમર્શ એ સદા હું, તેને વ્યવહાર, પરમાર્થતા, સુખ, દુઃખ વગેરે ક્યાં છે? મને વ્યાવહારિક પદાર્થોના જ્ઞાનનું, પરમાર્થતાનું કે સુખ દુઃખનું કંઈ લાગતું જ નથી.
क्व माया क्व च संसारः क्व प्रीतिर्विरतिः क्व वा । क्व जीवः क्व च तहमा सर्वदा बिमलस्य मे 10.
Page #161
--------------------------------------------------------------------------
________________ અધ્યાય 18 મી. અર્થે. સર્વદા વિમલ એવા મને માયા ક્યાં છે? સંસાર ક્યાં છે? પ્રીતિ કે વિરતિ ક્યાં છે? તથા બ્રહ્મ પણ ક્યાં છે? કેઈજ ઉપાધિ નથી એટલે જીવભાવ અને બ્રાભાવને પણ સંભવ જીવન્મુતાવસ્થામાં સંભવિત નથી. પ્રતિનિતિન રાશિ 4 ર વ aa कूटस्थनिर्विभागस्य स्वस्थस्य मम सर्वदा // 8 // અર્થ. સર્વદા સ્વસ્થ કુટસ્થ અને વિભાગરહિત મારામાં પ્રવૃત્તિએ ક્યાં ને નિવૃત્તિ પણ ક્યાં છે? મુક્તિ કે બંધન ક્યાં છે? અર્થાત્ મને કંઈજ નથી. હું જે બ્રહ્મ છું તે બધી ઉપાધિએથી રહિત સર્વદા મુક્ત છું. क्वोपदेशः क्व वा शास्त्रं क्व शिष्यः क्व च वा गुरुः / क चास्ति पुरुषार्थो वा निरुपाधेः शिवस्य मे // 9 // અર્થ. ઉપાધિ રહિત ને શિવ-કલ્યાણરૂપ મને ઉપદેશ શે? શાસ્ત્ર શું, શિષ્ય અને ગુરુ શા? વળી મને પુરુષાર્થ–મેક્ષ પણ શે? પરબ્રહ્મ જે સદા સર્વદા અખંડ જ્યોતિ અચળ છે તેને મેક્ષ શે હેાય? ન જ હોય. क चास्ति क च वा नास्ति क्वास्ति चैकं क्व च द्वयम् / વિદુનીગ વિમુન જિજિરિતે મમ | 20 છે. અર્થ. કયાં અતિ, ક્યાં નાસ્તિ, ક્યાં એક અને ક્યાં દ્વય–બે છે? બહુ કહેવાનું શું પ્રયોજન છે. હું કઈ કંઈ કશી વસ્તુજ નથી, માત્ર પ્રકાશ કરું છું એટલે કે અખંડ અવિનાશી જ્યોતિ રૂપ છું, આનંદ સ્વરૂપ છું. // इति श्रीमदष्टावक्रगीतायां परमानन्दरूपतानाम अष्टादशोऽध्यायः समाप्तः //